SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા ૩૭ ૩૭ લાભથી તત્કાલ ચૂકવવાના પ્રયાસરૂપ હોવાથી, તે પ્રયાસ નિંદાપાત્ર અને ત્યાજ્ય છે. ૫૧. કોઈ પણ વ્યકિત, સંસ્થા કે સમુદાય તરફ અમારે વ્યકિતગત કશા પણ મનદુ:ખનું કારણ નથી. માત્ર સર્વના હિતની દષ્ટિથી અમોએ જૈન ધર્મ અને શાસનનું દષ્ટિબિંદુ સમજાવવા આ ગ્રંથમાં પ્રયાસ કરેલ છે. તે તરફ ખ્યાલ રાખીને હિતસ્વી ઉપદેશ સ્વીકારશે, તો સ્વપરનું કલ્યાણ થશે. પર, એક વાત તરફ જૈન બંધુઓનું ધ્યાન ખેંચીએ છીએ કે, આજનું વિજ્ઞાન પોતાની પ્રતિષ્ઠાનો પ્રચાર ભારે ફટાટોપથી મોટા પાયા પર કરે છે. અને તે એવો દાવો કરીને કે, “લોકો શ્રદ્ધાથી ધર્મને ભલે માને, પરંતુ વિજ્ઞાન વિના જગતનું સ્વરૂપ જ્ઞાનપૂર્વક સમજાશે નહીં. માટે તે ખીલવવું જોઈએ. વિજ્ઞાન ધર્મની આડે આવવા માગતું નથી, પરંતુ વિજ્ઞાનની શુદ્ધ ખિલવણીમાં ધર્મો આડે આવશે, તો કચડાઈ જશે. વિજ્ઞાન પ્રજાકીય કે રાજદ્વારી સ્વાર્થોથી અલિપ્ત છે તે પોતાના શુદ્ધ અને સ્વતંત્ર માર્ગે જ ચાલ્યું જાય છે.” પરંતુ આ પણ એક દંભી અને ભેદી વાળ છે. વિજ્ઞાન પ્રજાકીય અને રાજકીય સ્વાર્થમાંથી જ ઉત્પન્ન થયું છે અને તે માટે જ વિકસે છે, વિકસાવવામાં આવે છે. તેથી અલિપ્ત હોવાનો કેવળ ડોળ કરવામાં આવ્યો છે અને આવે છે. બહુ જ ઊંડા ઊતરીને જોઈશું તો ગોરી સિવાયની બીજી પ્રજાઓના ધંધારોજગારો અને વિચારો અને ભાવનાઓને પલટાવવા ઈરાદાપૂર્વક અમુક વિજ્ઞાનો ખીલે છે અને પ્રસરે છે, તેમજ ગોરી પ્રજાની દરેક બાબતમાં સરસાઈ વધારે તેવા ઈરાદાપૂર્વક રાષ્ટ્રીય હેતુઓ ધ્યાનમાં રાખીને તે પ્રજાઓ અને રાજકીય સંસ્થાઓ મારફત તેને ખીલવવામાં આવેલ છે. તેમજ લાગવગથી તેના વકરાનાં ક્ષેત્રો દેશદેશ ઉઘાડવામાં આવ્યા છે. તે વખતે કોઈનાયે હિતની પરવા કરવામાં આવી નથી. રાજ્યદ્વારી સંધિઓમાં પણ તેના વકરાને લગતી એટલે કે, પ્રથમની વસ્તુઓનો વકરો દુનિયામાં ઘટે અને આજના વિજ્ઞાનની મદદથી તૈયાર થયેલી વસ્તુઓનો વકરો વધે, તેવી કલમો જોવામાં આવે છે. તેનો નફો વહેંચવા માટે ભલે તેઓ અંદરોઅંદર લડે પણ વિજ્ઞાનની ચીજોના વકરા માટે દેશોદેશનાં બજારો હાથ કરવા દરેક ગોરાં રાષ્ટ્રો અંદરોઅંદર મળેલાં જણાય છે. વળી વિજ્ઞાન કદી સંપૂર્ણ શોધી શકાય તેમ છે જ નહીં. કુદરતનો ખજાનો એટલો બધો અગાધ છે, કે તેની સંપૂર્ણ શોધ છદ્મસ્થ કરોડો માણસોની બુદ્ધિથીયે પર છે. વિજ્ઞાનની શોધ પૂરી થયા વિના પણ, માત્ર આજે લોકોનો બુદ્ધિભેદ કરીને અમુક વખત સુધી જગતની શાંતિ ડોળે, અને પોતાનો લાભ ઉઠાવી લે- “બગલાને ડહોળ્ય લાભ.” એટલું જ તેનું પરિણામ છે. આખર તો મહાત્માઓના માર્ગે જગતને આવવું જ પડશે. તો જેઓ આજે વિજ્ઞાન સિદ્ધ કરતાંયે ઊંચા તત્ત્વજ્ઞાન રૂપ સાધનથી સિદ્ધ મહાપુરુષોના માર્ગમાં છે, તેઓએ શા માટે તે માર્ગ છોડી વિજ્ઞાનનો વિશ્વાસ કરવો ? તેવા વિજ્ઞાનના અવ્યવસ્થિત ઘડેલા માર્ગ ઉપર મદાર બાંધી નિ:સ્વાર્થી સર્વજ્ઞ પરમાત્માએ બતાવેલા રત્નત્રયાત્મક માર્ગથી ચલિત થવું, તેના જેવી મૂર્ખાઈ કઈ હોઈ શકે ? તે દૂધને બદલે ઘાસલેટ પીવા જેવું ગણાય. પરંતુ વિજ્ઞાનના પ્રચારને માટે પ્રજાને જેટલી રીતે આકર્ષી શકાય, જેટલી રીતે લલચાવી શકાય, જેટલી રીતે ભોળવી શકાય, તેવા વિદ્વાનો અને મજબૂત માણસો મારફત કરોડોના ખર્ચથી પ્રચારકાર્ય ચાલી રહ્યું છે. તેથી તેમાં ઘણા મગજ અને માણસો સંડોવાયા છે, માટે તે હિતકારક હશે, એમ માનવાને પણ કારણ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy