SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૬. પછી દેવસિઅ પ્રાયશ્ચિત્ત તરીકે અને દુઃખક્ષય કર્મક્ષય નિમિત્તે ચાર ચાર લોગસ્સના દેવસિય કાઉસ્સગ્ન કરવા. શ્રી સંઘમાં શાંતિ, સલાહ, સંપ, સુવ્યવસ્થા, ઉજળામણ વગેરે રાખવા આખો દિવસ ને રાત પ્રયાસો કરવા જોઈએ. તેના પ્રતીક તરીકે દુખક્ષય કમ્મખયના કાઉસ્સગ્ન અને શાંતિપાઠ છે. એ મધ્યમાં આવેલા સાંજના દેવસિય પ્રતિક્રમણનું અંગ નથી છતાં તેનો વિધિ પણ સાથે થાય છે. એ કાયોત્સર્ગ કરવાથી સંઘ તરફની વફાદારીભરી દર્શનશુદ્ધિ જળવાય છે. દિવસમાં જ્ઞાન અને ચારિત્રની પુષ્ટિ થાય તેવા સ્વાધ્યાય, ઉપદેશ, શ્રવણ વગેરે પ્રયાસો કરવા જોઈએ, તે ન થયા હોય, તો પણ તેના પ્રતીક તરીકે સઝાય બોલવામાં આવે છે. ચઉકસાય ચૈત્યવંદન વગેરે તો આખા દિવસમાં કરવાના સાતમનું અંતિમ ચૈત્યવંદન ઘેર કરવાનું કદાચ ભૂલી જવાય, માટે પ્રતિક્રમણ સાથે શ્રાવકો કરી લે છે. મુનિઓ સંથારાપોરિસી વખતે કરે છે. ૩૦. એમ દિવસમાં કરવાનાં છ આવશ્યક સાંજે સાચવી લેવાય છે. માટે જ તેનું નામ સંધ્યા પ્રતિક્રમણ ન રાખતાં દેવસિક પ્રતિક્રમણ રાખવામાં આવેલું છે. ૩૧. એટલે કે સાંજે તો પ્રતિક્રમણ જ કરવાનું હોય છે, છતાં દિવસે દિવસના બાકીનાં પાંચ આવશ્યકો ન સાચવ્યાં હોય, તે સાચવી લેવાય છે, એમ એ પ્રતિક્રમણની આજુબાજુના પણ બાકીનાં પાંચ આવશ્યકો પ્રતિક્રમણના સહકારથી પ્રતિક્રમણ તરીકે પ્રસિદ્ધ થયેલ છે. ૩૨. ત્યારે અહીં પ્રશ્ન થશે કે, જેણે દિવસમાં પાંચ આવશ્યક સાચવ્યાં હોય, તે દેવસિસ પડિક ઠાઉં? થી અઢાઇજેસુ સુધીનું જ પ્રતિક્રમણ કરે, તો ચાલી શકે કે ? ન ચાલી શકે, અને ચાલી પણ શકે. એમ કેમ ? પોસહમાં હોય, તેને કે મુનિ મહારાજાઓને સામાયિક લેવું નથી પડતું. કેમ કે, તે દિવસમાં અને અત્યારે પણ ચાલુ હોય છે. ઠાઉ ? પછી કરેમિ ભંતે બોલી સામાયિકમાં ચાલુ હોવાનું નકકી કરી લે છે. પડિલેહણ વખતે ઉપવાસ વગરનાએ કરેલું ગુરુવંદન અને પ્રત્યાખ્યાન ફરીથી પ્રતિક્રમણ વખતે તેઓને નથી લેવું પડતું. માત્ર દેવવંદન અને દેવસિઅ પ્રાયશ્ચિત્તાદિના બન્નેય કાયોત્સર્ગ જે સ્થળે કરાય છે, તે સિવાય આગળ પાછળના બીજે સ્થળે કરવાથી ચાલી શકે, તેવા પ્રસંગો જોવામાં આવે છે. જેમ કે, પ્રતિક્રમણ કરવા મોડા આવેલા ચાર થોયના દેવવંદન તે સ્થળે ન કરતાં વચ્ચે કે છ આવશ્યકના હર્ષ પછી પણ કરી શકે છે. અઢાઇજેસુ સુધી તો છ આવશ્યક પૂરા કર્યા વિના ઉઠાય નહીં. પરંતુ પછી માત્રાદિક કોઈ પણ કારણે ઊઠીને ફરી આવી થોડો વિલંબ કરી દેવસિય પ્રાયશ્ચિત્તાદિ અને સક્ઝાય બન્નેય કાઉસ્સગ્ગ કારણે કરી શકે છે. માટે ચાલે, અને બીજાને બધું કરવું પડે, તેને ન પણ ચાલે. ૩૩. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે, સાંજે કરવાનાં ચારેય પ્રતિક્રમણો સકળ સંઘના સમુદાયમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy