SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિકમાણસૂત્રો देववंटन सूत्रोनो विशेषार्थ ૧. દેવવંદન અને ચૈત્યવંદન - ચૈત્યવંદનમાં શ્રી તીર્થંકર પ્રભુને મુખ્યપણે વંદન થાય છે અને દેવવંદનમાં પણ એ જ મુખ્ય ઉદ્દેશ હોય છે. ત્યવંદન પણ એક જાતનું દેવવંદન જ છે. પરંતુ બાર અધિકાર સહિત વંદનને દેવવંદન કહેવાનો પ્રચાર છે. દેવવંદન ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય, એમ ત્રણ પ્રકારના છે. અને દરેકમાં પણ ત્રણ ત્રણ પ્રકાર હોય છે. તે સિવાય પણ દેવવંદનના અનેક પ્રકારો. ચૈત્યવંદનમાં એક જ શકસ્તવ [નમુત્થણ], એક નવકારનો કાઉસ્સગ્ન અને એક થાય આવે છે. રાઈપ્રતિકમાણમાં તથા પચ્ચકખાણ પારતાં, એકાસણું વગેરે કર્યા પછી, દેવસિઅ પ્રતિકમણમાં ચઉકસાય પછી, અને સ્નાત્રપૂજામાં જયવીયરાય સુધી પણ ચૈત્યવંદન થાય છે. દેવસિઅ પ્રતિકમણમાં શરૂઆતમાં અને રાઈએ પ્રતિક્રમણમાં વિશાલલોચન પછી ચાર થોયના દેવવંદન આપે છે. પોસહ વગેરેમાં પાંચ શકસ્તવ અને આઠ થોયના દેવવંદન આવે છે. ચોમાસી ચૌદશે ચોવીસેય તીર્થંકર પ્રભુના, જ્ઞાન પંચમીને દિવસે પાંચજ્ઞાનની પ્રધાનતાએ. મૌન એકાદશીને દિવસે અરનાથ, મલ્લિનાથ, નમિનાથ વગેરે તીર્થકરોના દોઢસો કલ્યાણકના દેવવંદન થાય છે. તથા સાધુ સાધ્વીના કાળ વખતે અવળા અને સવળા દેવવંદન થાય છે. ક્રિયા-વિધિ સહિત કરાતી આયંબિલની ઓળી તથા બીજી તપશ્ચર્યાઓમાં પણ દેવવંદન કરવામાં આવે છે. તીર્થયાત્રા, સંઘયાત્રા, રથયાત્રા, જળજાત્રા, ચૈત્યપરિપાટી, પ્રતિષ્ઠા વિધિઓ વગેરે પણ એક જાતના દેવવંદન જ છે. ચૈત્યવંદનમાં પરંપરાએ દેવવંદન છે. અને દેવવંદનમાં જો કે ચૈત્યવંદનો આવે છે, છતાં તેમાં સાક્ષાત્ દેવવંદન થાય છે. આ ફરક જણાય છે. નમોસ્તુ વર્ધમાનાય પછી એક શકસ્તવ અને સ્તવનથી વંદન થાય છે. ૨. શ્રુતસ્તવનો વિશેષાર્થ – શ્રુતસ્તવમાં જૈન શાસ્ત્રોની સાંગોપાંગ, સ્વરૂપ વર્ણનાત્મક અને અદ્ભુત સ્તુતિ કરવામાં આવી છે. આથી ઊંચા પ્રકારની જૈન દષ્ટિથી શ્રુતજ્ઞાનની સ્તુતિ ભાગ્યે જ મળી શકે. પહેલી ગાથામાં શ્રુત રૂપ સામાયિક ધર્મના ઉત્પાદકો કેવા વિશિષ્ટ પુરુષો છે ? જુદાં જુદાં ક્ષેત્રોમાં હોવા છતાં દરેક સર્વશો હોવાથી શ્રુતમાં દરેકની એકવાકયતા જ રહે છે. જરા પણ પરસ્પર વિસંવાદ જોવામાં આવતો નથી. તેથી પ્રથમ તે શ્રુત ધર્મના ઉત્પાદકોની સ્તુતિ કરવામાં આવી છે. બીજી અને ત્રીજી ગાથામાં શ્રુતજ્ઞાનની મોહ અને અજ્ઞાન નાશ કરવાની શક્તિ વર્ણવી છે. જ્ઞાન માત્ર સામાન્ય રીતે તે તે અજ્ઞાન અંશોનો નાશ કરે છે. પણ મોહનો નાશ કરનારા નથી હોતા. પ્રાણી ઘણી વખત વસ્તુસ્થિતિ અને ગેરલાભ સમજવા છતાં મોહને વશ પડીને જાયે કરીને અનિષ્ટમાં પ્રવૃત્તિ કરે છે. ત્યારે આ શ્રુતજ્ઞાન અજ્ઞાનના પડેપડ ભેદી નાંખે છે, અને સાથે મોહનો પણ નાશ કરે છે. જન્મ-મરણ-વૃદ્ધાવસ્થા અને તેનાં પ્રેરક સર્વકર્મોનો નાશ કરે છે. એટલું જ નહીં પણ આનંદ અને પુષ્કળ કલ્યાણમય મોક્ષ સુખ પ્રાપ્ત કરાવીને જ જંપે છે. આ કૃત ખૂણેખાંચરે ખાનગીમાં ફેલાયેલું નથી પણ પ્રસિદ્ધ જ્ઞાની પુરુષોએ પ્રમાણભૂત તરીકે સ્વીકારીને તેને પૂજ્ય ગયું છે. લોક-લોકોત્તર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy