SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમાગસૂત્રો ૧૨૧ કરવામાં આવે, તો તે ગુરુઅદત્તાદાન છે. શ્રી મુનિરાજને ઉપરના ચારેય અદત્તનો ત્યાગ હોય છે. [ગૃહસ્થ ફળ વગેરેના શાક વગેરે પોતાના ઉપયોગ માટે જ કર્યા હોય છે, તેમાંથી મુનિરાજ માધુકરીવૃત્તિથી વહોરી જાય, તો તેમાં જીવ-અદત્તાદાનનો દોષ લાગતો નથી. પરંતુ તેમને ઉદ્દેશીને કરવામાં આવેલ હોય, વગેરે દોષો યુકત આહાર હોય, તો જીવ અદત્તનો પણ દોષ લાગે. નહીંતર તે ગૃહસ્થ જે રીતે ઉપયોગ કર્યો હોય, તેનો જે દોષ લાગવાનો હોય, તે ગૃહસ્થને લાગે, પણ મુનિ મહારાજશ્રીને ન લાગે.] પણ શ્રાવક ધર્મ પાળનાર ગૃહસ્થને માત્ર સ્વામિઅદત્તનો ત્યાગ થઈ શકે છે. અને તે પણ સ્કૂલથી થઈ શકે છે, સૂક્ષ્મતાથી થઈ શકતો નથી. સામાન્ય તણખલું કે કલમ, સહેજસાજ ઉપયોગ માટે કે શુદ્ધ વસ્તુઓ માટે ગૃહસ્થને માલિકની પરવાનગી લેવાનું બનતું નથી. પણ ખાસ ચીજ પરવાનગી વિના ન લઈ શકે, કે-જે વસ્તુ જે રીતે લેવાથી દુનિયામાં ચોરી ગણાતી હોય. તેથી તેઓનું વ્રત મહાવ્રત કરતાં ઘણું જ સ્થૂલ હોય છે. અથવા સ્થૂલ અદત્તના આદાનનું વિરમણ થતું હોવાથી પણ સ્થૂલ કહેવાય છે. ત્યારે મુનિ મહારાજ માલિક પાસેથી યાચના કર્યા વિના તણખલાનો પણ ઉપયોગ કરી શકતા નથી. રસ્તામાં ચાલવું, કે કંઈ પરવડવા માટે જમીનનો ઉપયોગ કરવો પડે તેમ હોય, ત્યારે પણ “અણુજાણહ જસુગ” [જેની જમીન હોય તે અનુજ્ઞા આપો] એવો ઉચ્ચાર કર્યા પછી તેનો ઉપયોગ કરી શકે છે. એટલે નાની કે મોટી કોઈ પણ સ્વામી અદત વસ્તુનો તેઓ ઉપયોગ કરી શકતા નથી. માટે તેઓનું મહાવ્રત ગણાય છે. જીવ અદત્ત, તીર્થકર અદત્ત તથા ગુરુઅદામાં પણ ગૃહસ્થ યતના રાખવાની છે. પ્રાય: જીવ અદત્તના ત્યાગનો સમાવેશ થાવકના પહેલા વ્રતમાં થાય છે. અને પછીના બે અદત્તના ગ્રહણના ત્યાગનો સમાવેશ સમ્યકત્વ વ્રત કે દર્શનાચારમાં થાય છે. એટલે આ વ્રતમાં માત્ર સ્થૂલ સ્વામી અદત્તના ગ્રહણનો ત્યાગ થાય છે એમ સમજાય છે. આ સ્થળે શ્રાવકના સ્વામી અદત્તના આદાનના ત્યાગ રૂ૫ વ્રતનો અધિકાર છે. શબ્દાર્થ:- ગૂલગ-પર-દવ-હરાણ-વિરઇઓ સ્કૂલ-બીજા માલિકનું-દ્રવ્ય[મોટી વસ્તુ]-લેવાથી વિરમણને આશ્રયીને. તેનાહડપ્પઓગે=જોનાક્ત-પ્રયોગ =જોન=ચોર સંબંધી. આત=લીધેલું, (લેવું). પ્રયોગ-પ્રેરણા, એટલે ચોરે ચોરેલું લેવું, અને ચોરને ચોરી માટે પ્રેરણા કરવી. તપડિરૂતત્પતિરૂપ જે વસ્તુ દેવાની હોય, તેના જેવું જ બીજું ભળતું જ દેવું, એટલે માલમાં સેળભેળ કે અસલને બદલે નકલી માલ આપી છેતરવું. વિરુદ્ધ-ગમાણે=વિરુદ્ધ ગમન કરવું. રાજ્યાદિના ધોરણથી વિરુદ્ધ ચાલવું. ફૂડતુલ-કૂડમાણે-ખોટાં તોલ અને ખોટાં માપ. 'તઈએ અણુવ્યયમ્મી, પૂલગ-પર-દવ્ય-હરણ-વિરઇઓ *આયરિયમપસલ્વે, ઈત્ય પમાયપૂસંગેણં ૧૩મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy