SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ પંચ પ્રતિક્રમણ સૂત્રો વિસ્તારપૂર્વક મધ્ય પ્રતિક્રમવશયક. ૧. વીરાસન કરી, અથવા જમણો પગ પ્રમાઈ, ઊભો રાખી મંગળ નિમિત્તે એક નવકાર ગણવો. ૨. બીજા ગામની શરૂઆત તરીકેનું સામયિક સૂત્ર-કરેમિ ભંતે સૂત્ર બોલવું. ૩. સંક્ષિપ્ત વિગતવાર પ્રતિક્રમણ રૂપ શાસ્ત્રીય-ઇચ્છામિ પડિકકમિઉં, જો મે દેવસિઓ અઇઆરો કઓ, કાઇઓ- સૂત્ર કહેવું પછી શ્રાવક પ્રતિક્રમણ વંદિત્તા સૂત્ર કહેવું. વંદિતા સૂત્રના અર્થ દૃષ્ટિથી મુખ્ય મુખ્ય વિભાગો નીચે પ્રમાણે છે :ગાથા ૧. મંગળાચરણ અને વિષય : ૧. સામાન્ય પ્રતિક્રમણ ગાથા ૨. વ્રતો તથા જ્ઞાન, દર્શન અને ચારિત્રના-અતિચારોનું સામાન્ય પ્રતિક્રમણ. ગાથા ૩. ગૃહસ્થાવસ્થામાં ધર્મ આચરનારાઓને સર્વદોષોના વિશેષ પ્રકારનાં ખાસ કારણો પરિગ્રહ અને સાવદ્ય બહુ આરંભ હોય છે. તેનું પ્રતિક્રમણ. ગાથા ૪-૫. જ્ઞાનાચાર અને દર્શનાચારના અતિચારોનું જરા વિગતવાર પ્રતિક્રમણ. [સર્વ પ્રકારનાં કર્મબંધનોના આભ્યન્તર કારણરૂપ અપ્રશસ્ત ઇંદ્રિયો, કષાયો, [યોગો], અને રાગ-દ્વેષ સમ્યગ્રદર્શનનીને ન છાજતી કેટલીક અયોગ્ય પ્રવૃત્તિઓનું પ્રતિક્રમણ.]. ૨. ચારિત્રાચારના અતિચારોના પ્રતિકમાણની શરૂઆત ગાથા ૬. વ્રત તરીકે ગણાયેલા સમ્યકત્વવ્રતના અતિચારોનું પ્રતિક્રમણ. . ગાથા છે. સામાન્ય રીતે પણ જૈન ગૃહસ્થે ખાસ પાળવાના જીવદયાના આચારના અતિચારનું પ્રતિક્રમણ. આ સમ્યકત્વ અને જીવદયા : બન્નેય ગુણો સામાન્ય રીતે અલ્પમાં અલ્પ ચારિત્ર તરીકે- જૈન આચાર તરીકે-શ્રાવક માત્રને હોવા જ જોઈએ. કોઈએ બાર વ્રત ન ઉચ્ચ હોય, પણ સમ્યક્ત્વ અને જીવદયા ઓછામાં ઓછા આચારમાં જોઈએ. તો જ જૈન ગણાય. તેને જૈન ગણવામાં વાંધો નહીં. એટલું તો ચારિત્ર સામાન્ય રીતે દરેકમાં હોવું જોઈએ જ. ૩. બાર વ્રતો અને સંલેષણા વગેરેના અતિચારોનું પ્રતિક્રમણ ગાથા ૮. હવે બાર વ્રતોના અતિચારોનું સંક્ષિપ્તમાં પ્રતિક્રમણ. ગાથા ૯ થી ૩૦. સુધી બારેય વ્રતોના આચાર વિગતવાર અતિચારોનું પ્રતિક્રમણ આવે છે. ગાથા ૯-૧૦. સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ વ્રત અને તેના અતિચારોનું પ્રતિકમણ. ગાથા ૧૧-૧૨. સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રત અને તેના અતિચારોનું પ્રતિક્રમણ. ગાથા ૧૩-૧૪. સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રત અને તેના અતિચારોનું પ્રતિક્રમણ. ગાથા ૧૫-૧૬. સ્થૂલ મૈથુન વિરમણવ્રત અને તેના અતિચારોનું પ્રતિક્રમણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy