SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ પંચ પ્રતિક્રમણ સૂત્રો જ મરણ નીપજે છે. હવે મરનાર નિકાચિત આયુષવાળા હોય, તો તે ગમે તેટલું તપ કરે, તો પણ તેનું મરણ સંપૂર્ણ આયુ પૂર્ણ થતાં જ થાય છે, વચ્ચે થતું નથી. અને અનિકાચિત આયુષવાળાઓ પૂર્વ ભવે બાંધેલ આયુષને પૂરું ભોગવ્યા વિના પણ મરણ પામે છે. જો કે તેમાંના પાકટ ઉમ્મરે પણ મરે છે. છતાં આખી જિંદગીના રોગો, ભૂલો, પ્રજ્ઞાપરાધો, સ્કૂલનાઓ અને બીજા શારીરિક માનસિક વાચિક દોષોના સરવાળા રૂપ દોષોનો એકીસાથેનો સંગ્રહ આયુષ ઓછું કરી મરણ ઉત્પન્ન કરે છે. આવા મરણ વખતે ધીમે ધીમે શરીરનાં તમામ યંત્રોને ઘસારો લાગ્યો હોય છે. અને દરેક ધીમે ધીમે પોતાનું કામ કરવાનું મંદ પાડતા જતા હોય છે. આ સ્થિતિમાં માણસ ખોરાક વગેરે ચાલુ રાખે છે-તેથી તે યંત્રો બરાબર કામ આપી શકતા નથી. એક જાતનો કચરો શરીરમાં વધતો જાય છે. તે આયુષ ઉપર વધારે વધારે દબાણ કરે છે, તેમજ લોહી વગેરે ધાતુઓ ઉપર પણ અયોગ્ય દબાણ કરે છે. હાર્ટમાં લોહીના પ્રેશરથી ઘણા પીડાતા અને મરતા અત્યારે પણ આપણે સાંભળીએ છીએ. એનું કારણ એ હોય છે કે ખોરાકમાંથી હૃદયની શક્તિ ઉપરાંત લોહી વહે તથા બીજા કારણોથી પણ એકદમ હુમલો ચડી આવે, અને જો તદ્દન ખોરાક ન લે, તો નવું લોહી ઉત્પન્ન થાય નહીં. એટલે પણ હૃદય નબળું પડે. આવી સ્થિતિમાં કેમ વર્તવું? એ જાતની મોટી મુશ્કેલી ઉત્પન્ન થાય છે તથા મેદ વગેરે વધેલા હોય છે. તે પણ શરીરની શકિત ધીમી પાડે છે. આ બધી સ્થિતિમાં સંલેખનાના વિધિમાં બતાવેલી તપશ્ચર્યા દરેક ધાતુને સમતોલ રાખે છે. આચાર્મ્સ, એકાસણા-ઉપવાસ વગેરે શરીરમાં દોષોના સંચયને બાળીને ભસ્મ કરે છે અને પારણામાં ઉચિત ખોરાક સારું પોષણ આપે છે. આમ કરવાથી સરવાળે માણસ કાંઈક સ્વાભાવિક મરણથી મરે છે. ઉપવાસોના આરોગ્યના સાધન તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. - જો દવે ઘાહૂ તે 7 વઘુ વૃદ્ધ માણસ કફ અને વાયુપ્રધાન હોય છે. તેમાં પણ કફપ્રધાન માણસ લંઘન ખાસ સહન કરી શકે છે. વાયુવાળા લંઘન સહન ન કરી શકે એ ખરું છે. તેથી જ સંલેખના વિધિનાં તપોમાં પણ જઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટ પ્રકાર હોય છે. વાયુવાળાને પણ સાથે કફ પિત્ત તો હોય જ, એટલે તેવા વાયુની પ્રધાનતાવાળાને જઘન્ય તપશ્ચર્યા ઉપયોગી થાય. અને તે તપશ્ચર્યામાં જેટલું લંઘન સહી શકે, તેટલી દોષોની શકિત સમજવી. ન થા હિષ્ણુતા, સા રોપા #િ: “માણસ લંઘન જેટલું સહી શકે, તેટલી દોષોની શક્તિ સમજવી.” જે દોષો-રોગો ન હોય તો (યોગીઓ સિવાય) વધારે લંઘન ન સહી શકાય. આ દૃષ્ટિથી સંલેખનાનો તપવિધિ ઘણો જ ઉપકારક થાય છે, અને આમ થવાથી મરણકાળે ઊલટી શાંતિ અને ઘણી સમાધિ રહેવાનો સંભવ છે, જો કે સંલેખનાવિધિ કરનારને બરાબર બંધબેસતો આવે એવી રીતનો ગોઠવવો જોઈએ. સંલેખનાનો વિધિ બરાબર ગોઠવાયો હોય, અને ભાવના, આરાધનાના પ્રકારે પણ સારી રીતે ચાલતા હોય, તો પરિણામે આરાધનામાં મરણ થાય છે. તેને માટે સંશયને અવકાશ નથી. મુનિ કે વ્રતધારી શ્રાવક કે જેઓએ જિંદગીનો મોટો ભાગ ધર્મધ્યાનમાં પસાર કરેલ હોય, અને મરણ વખતે પણ તેની સારામાં સારી આરાધના રહે, તેને માટે સંલેખના એટલે મરણ સમયની અન્ય આરાધનાની તપોવિધિ શાસ્ત્રકારોએ બતાવેલી છે. અગાઉના વખતમાં મહામુનિઓ આ સંલેખના Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy