SearchBrowseAboutContactDonate
Page Preview
Page 668
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિકમાગસૂત્રો ૫૯૫ ૩-૧-૧ સમ્યકત્વ-મૂળ બારવ્રત: મુનિના કે શ્રાવકના પંચ મહાવ્રત કે અણુવ્રતાદિક સમ્યક્ત્વ સહિત હોય, તો જ જૈન દર્શન સમ્મત ગણાય, સિવાય ગમે તેવી અહિંસા, સત્ય, અદત્તાદાન, બ્રહ્મચર્ય, પરિગ્રહ ત્યાગ વગેરેની ગણના કરી શકાતી નથી. ઊલટું મિથ્યાત્વનું પોષક થાય અને સમ્યકત્વના વિઘાતક થાય તથા સમ્યત્વનો વિરોધ કરે, તો તે અહિંસાદિક પણ ત્યાજ્ય અને ભયંકર હોય છે. તે યથાસ્થાન સંક્ષિપ્તમાં સમજાવીશું. સમ્યકત્વના અતિચારમાં મિથ્યાત્વરૂપ લૌકિક અને લોકોત્તર દેવ, ગુરુ અને ધર્મ તથા પર્વો વિષેના અતિચારો ગણાવ્યા છે. જેમ કે, તીર્થંકર પરમાત્મા ઉપર અશ્રદ્ધા અથવા લૌકિક સુખ ખાતર જ તેમની સેવા પણ મિથ્યાત્વ છે. તેમજ લૌકિક દેવો ઉપર શ્રદ્ધા કે મોક્ષ માટે તેમની સેવા મિથ્યાત્વ છે તેવું જ ગુરુ, ધર્માચરણ, પર્વો વગેરે વિષે સમજવું. હાલના વખતમાં જ્ઞાનાભ્યાસ અને ધાર્મિક અનુષ્ઠાનની સામગ્રી જેટલી સરળ છે, તેના કરતાં સમ્યકત્વ વધારે કઠિન જણાય છે અને સમ્યકત્વ સહિત જ્ઞાન અને ચારિત્ર અલ્પ હોય તો પણ તેની કિંમત કરોડોગણી છે. આજે આ જમાનાએ ઉત્પન્ન કરેલી છે જાળમાં વ્યામોહ થવાનો ઘણો સંભવ છે. તેના પડદાને ભેદીને કુદરતી ખોટાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનું સ્વરૂપ પારખી લઈને ઘટતાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે દરેક પ્રવૃત્તિને નિર્ણયાત્મક રીતે સફળતા પ્રાપ્ત થાય તેવી રીતે અમલમાં મૂકવાની શકિત તે આ ચાલુ કાળે શુદ્ધ સમ્યક્ત્વ ગણાય છે. એકદમ ઊંચા આચારો અમલમાં મૂકે તે પણ ઠીક નહીં. વ્યામૂઢ બની જવાય તે પણ ઠીક નહીં તેમજ વધારે પડતા નીચા ઊતરી જવું તે પણ ઠીક નહીં. વ્યક્તિ અને સમુદાયને ઘટતા સમતોલપણામાં રાખવામાં જ સમ્યકત્વની ખૂબી છે. શ્રીસંઘની પૂર્વાપરની પૉલિસીને અનુસરીને દરેક મર્યાદાસર ચાલવું જોઈએ તેને બદલે આજે એક ગૃહસ્થ પાસે પૈસા થાય એટલે પોતાની ઈચ્છા પ્રમાણે સખાવતી કે ધાર્મિક ખાતું કે સંસ્થા કાઢે અને બીજાઓએ તેને અનુસરવું પડે. આ એક જાતનો સ્વછંદ છે. પરદેશી કાયદાઓની ધનિકો ઉપર પડેલી માઠી અસરનું આ પરિણામ છે. શ્રી સંઘના નિયમોને અનુસરતા નથી, તેમજ આગેવાનો તથા સંઘની માન્ય વ્યક્તિઓની સલાહ સમ્મતિ કે પરવાનગી પણ લેવામાં નાનમ સમજે છે. વળી એક બીજા નવા ગૃહસ્થ પૈસાદાર થાય એટલે તે પોતાને ફાવે તેમ પૈસા જૈન નામ નીચે ખર્ચે. આમ રસંઘમાં અરાજકતાનાં તત્ત્વો વધી ગયાં છે. પાંચસો સુભટની પેઠે સૌ આગળ આવવાની લાલચમાં ગમે તેમ વર્તે છે. જે મોટામાં મોટું સંઘને નુકસાન પહોંચાડે છે. કેટલાક તો સંઘની સત્તા જ કયાં છે એમ બોલે છે. પરંતુ જ્યારે ધાર્મિક આગેવાનો જેવા ગણાતા ગૃહસ્થો પણ ધાર્મિક સંસ્થાઓમાં સંઘને દૂર રાખવાના વિચારો ધરાવે તેવું સાંભળવામાં આવે, ત્યારે તો આશ્ચર્યનો પાર રહેતો નથી. સંઘના વહીવટમાં ન જાણવામાં આવેલાં ઘણા જ મહત્ત્વનાં ગૂઢ અને સંગીન તત્ત્વો છે, જેની જોડી જગતમાં નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy