SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ પંચ પ્રતિકમાણસૂત્રો જાતે ત્યાં જઈને એ ગાડરને અગ્નિમાંથી કાઢે કે નહીં ? એ અમારો પ્રશ્ન છે. પોતે પ્રતિજ્ઞા બદ્ધ હોવાથી પોતાના વહાલામાં વહાલા પુત્ર માટે પણ પ્રવૃત્તિ ન કરી શકે તો બીજાની તો વાત જ શી ? પરંતુ બીજાઓને નિષેધ ન કરે. તેમજ “તેઓ બચાવે તો સારું” એમ ઈચ્છે. પ્રમાણિક ન્યાયાધીશ જેવી શ્રાવકની સ્થિતિ છે. ન્યાયાસન ઉપર બેઠા પછી વહાલામાં વહાલા ખૂની પુત્રને પણ દેહાન્ત દંડની શિક્ષા ફરમાવવી પડે છે. છતાં તેને કોઈ નિર્દોષ સાબિત કરનારા પુરાવાથી નિર્દોષ સાબિત કરી છોડાવે, કે ઉપરી અમલદાર કોઈ બારીકી કાઢીને કે બીજા સંજોગો ઉપરથી તેને દેહાંત દંડને બદલે બીજી સજા કરે, તો જેમ તે વાત્સલ્યવાળો પિતા એ રીતે પુત્રનું જીવવું ઇચ્છે, તેમ પ્રતિજ્ઞાબદ્ધ શ્રાવક માટે પણ સમજવું. સારાંશ કે, શાસ્ત્રમાં કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને ઉદ્દેશીને અપવાદ મૂકવામાં આવ્યા હોય, તો તે સિવાયના પ્રસંગમાં પ્રતિજ્ઞાબદ્ધ શ્રાવક પોતાની તટસ્થતા જાળવી રાખે. તેમાં નિર્દયતાનો આરોપ નથી આવી શકતો. પરંતુ તમારો ઉપદેશ તો-ઉપરના દોહામાં છૂટા શ્રાવકને માટે પણ અનુકંપાનો નિષેધ થતો જણાય છે, તે બરાબર નથી. તેમાં ઈચ્છાજન્ય નહીં, પણ અજ્ઞાનજન્ય નિર્દયતાનો આરોપ આવતો તમારાથી રોકી શકાય તેમ નથી. જોકે, અહીં એક દષ્ટાંત એ આપી શકાય તેમ છે કે, પરમાત્મા મહાવીર પ્રભુએ શીત લેશ્યા મૂકીને ગોશાળાને તેજલેશ્યાથી બચાવ્યો હતો. ત્યારે પરમાત્મા ઋષભદેવ પ્રભુએ ભૂખના દુઃખથી સંયમ છોડી છોડીને તાપસ થઈ ગયેલા પોતાની સાથેના સાધુઓને આહારવિધિ બતાવ્યો નહોતો. તે વખતે તેઓને સંયમ પામ્યા નહીં માન્યા હોય, માટે નહીં બતાવ્યો હોય. એમ કહી શકાય અને શીતલેશ્યા મૂકી એ અપવાદ માર્ગનું અવલંબન ગણાય ? કે વિહિત માર્ગ ગણાય ? એ પ્રશ્નો થાય તેવા છે. સામાન્ય સમજથી સર્વ વિરતિ માટે તે અપવાદ માર્ગ ગણાય. અથવા તીર્થંકર પરમાત્માના કલ્પો જુદા હોય છે. એ દષ્ટિથી કદાચ વિહિત પણ હોય. શ્રાવકને અનુકંપાનો સર્વથા નિષેધ કરવો એ અવિચારિત જણાય છે. આ ગાથામાં અસંયત ઉપર રાગદ્વેષથી અનુકંપા કરી હોય, તેનું પ્રતિક્રમણ જણાવ્યું. ત્યારે નીચેની ગાથામાં સવિધિ મુનિરાજોની દાન ધર્મ વગેરેથી ભક્તિ ન કરી હોય, તે પણ અતિચાર હોવાથી તેનું પ્રતિક્રમણ થાય છે. શબ્દાર્થ :- સંવિભાગોત્રદાન. તવ-ચરણ-કરણ જુસુ તપ, ચારિત્ર, કરણ સિત્તરી મુકત. સંતે વિદ્યમાન હોય, તો પણ. કાસુ-દાગે પ્રાસુક દાન, દેવા લાયક નિર્દોષ વસ્તુઓ. *સાસુ સંવિભાગો નક તવ-ચરણ-કરણ-જુસુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy