SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણસૂત્ર ૭. અત્ય: શુદ્ધ અર્થ સમજવા પ્રયત્ન કરી શુદ્ધ જ અર્થ ધારણ કરવો. ૮. તદુભય : તે બન્નેયની યથાર્થતા-શુદ્ધતા માટે સાવચેત રહેવું. અને તે પ્રમાણે જ ગમે તેટલી મુશ્કેલીઓ અભ્યાસ કરવો. આ છેલ્લા ત્રણ આચારને લીધે, પરંપરાથી આવતા આગમો વગેરેમાં કાળદોષ સિવાય કાંઈપણ ફેરફાર થયો નથી. અને તેથી જ પાઠભેદો પાઠાન્તરો પણ જાળવી રાખ્યા છે, અને જ્યાં સમજાયું નથી ત્યાં, તથા જ્યાં પાઠમાં વિસંવાદ જણાયો છે, ત્યાં તત્ત્વકેવળિગમ કહીને પૂર્વાચાર્યોએ આગમોની પ્રમાણિકતાને અખંડ જાળવી રાખેલ છે. તેમાં સંશય રાખવાને કારણ નથી. આ આઠ આચાર પાળનાર અભ્યાસી સારી રીતે જ્ઞાન મેળવી શકે છે અને જ્ઞાન આપનાર પણ બધી જાતની વ્યવસ્થા રાખી શકે છે. હાલની શિક્ષણ સંસ્થાઓમાં ભણાવીને પોતાના કામના માણસો તૈયાર કરવાનો પરદેશીઓનો સ્વાર્થ છે, અને ભણનારાઓનો સ્વાર્થ ધંધો મેળવવાનો છે. બન્નેયનો જ્ઞાન લેવામાં અને આપવામાં શુદ્ધ ઉદ્દેશ નથી, એટલે વચ્ચે વ્યવસ્થા માટે મોટો ખર્ચ, અનેક સાધનો અને મોહક યોજનાઓ ગોઠવવી પડે છે. જ્ઞાન મેળવવાના આદર્શ સાધક અને આદર્શજ્ઞાનદાતા ઉપરનાં આઠ તત્ત્વોથી કામ લે, એટલે શિક્ષણ સંસ્થાને લગતી સંપૂર્ણ વ્યવસ્થા થઈ જાય છે. | ૨ | દર્શનાચાર છે ૧. નિ:શંકતા : જૈન દર્શન અને તેના સ્થલ-સૂક્ષ્મ, મુખ્ય-ગૌણ એવાં દરેક અંગો તરફ અને એકંદર જિનેશ્વર પ્રભુનાં સર્વ વચનો નિ:સંદેહપણે સ્વીકારવાં. ૨. નિકાંક્ષતા : પ્રભુના શાસન તરફના અનન્ય રાગને લીધે બીજા મત તરફ મન દોરાય જ નહીં, તો પછી તેની ઈચ્છાની તો વાત જ શી ? ૩. નિર્વિચિકિત્સા: સાધુ-સાધ્વીનાં મળ-મલિન વસ્ત્રો, અવયવો તથા સંઘના યોગ્ય કાર્યવાહકો, આગેવાનો, વહીવટ વગેરે તરફ કંટાળો-અણગમો ન હોવો જોઈએ. એકંદર શાસનના કોઈ બાહ્ય દષ્ટિથી અણગમાના કારણ તરીકે જણાતા તત્ત્વ તરફ લેશ માત્ર અણગમો ન હોવો જોઈએ. અણગમો કરવા જેવી બાબત હોય, તો પણ તેના તરફ અણગમો ન રાખતાં તે માટે ઘટતું કરવાની પોતાની પણ સંપૂર્ણ ફરજ સમજીને તે બજાવવા તત્પર રહેવું પણ તેની ઉપેક્ષા ન કરવી જોઈએ. પવિત્ર શાસનમાં ખામી હોય જ નહીં, છતાં કાળદોષથી ખામી આવી ગઈ હોય, તો પણ તે ખામી તરફ અણગમો બતાવવાથી પરિણામે શાસન તરફ અણગમો થઈ જાય, તો બધું હારી બેસાય, માટે તે સુધારવા વીયલ્લાસ ઉત્પન્ન કરવો. પણ અણગમો કરવો એ નિર્બળતા છે. તે ન હોવી એ આ આચારનો અર્થ છે. ૪. અમૂઢ-દષ્ટિતા : જૈન દર્શન એટલું બધું સાંગોપાંગ છે કે-“જે તેમાં છે, તે બીજે નથી. બીજે છે, તે તેમાં પણ છે. તેમાં નથી તે બીજે પણ નથી” આ વસ્તુસ્થિતિ છે. છતાં બીજાંનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy