SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ પંચ પ્રતિક્રમણસૂત્રો ધર્મ કરવાનું છે. બીજા ધર્મો નાબૂદ થાય, ત્યારે જ એક ધર્મ થાય. એ તો દેખીતું જ છે ને ? વળી એક ધર્મ કરવાનો ઉપાય જનસંખ્યાની બહુમતી ગણવામાં આવેલ છે, પણ ઉપાય તરીકે સત્ય તત્ત્વોને ગણેલ નથી. બહુમતી આજે ખ્રિસ્તીઓની વધારાતી જવાય છે. એટલે બીજા ધર્મોવાળા પોતાના અનુયાયીઓ ગમે તેટલા વધારે, પણ આખરે, તેને એ – બહુમતીને આધીન થવું જ પડે. તે પરિષના ઉદ્દેશની સિદ્ધિ માટે - પહેલાં ધાર્મિક ક્રિયાને ‘‘શુષ્ક’’ કહી સુધારકો ટીકા કરતા હતા, તેને બદલે હવે તો પેટા સંપ્રદાયોના છેદ ઉડાવી દેવાના પ્રયાસ તરીકેના દરેક પ્રયાસો ચાલે છે. સંપ્રદાયોને એક કર્યા પછી દરેક ધર્મોનું એકીકરણ કરવા ભારતમાં સર્વ ધર્મ પરિષદો ભરાવવામાં આવે છે. અને ઈસુ ખ્રિસ્તને આખી દુનિયાના મહાપુરુષ કબૂલ કરાવવા પ્રથમ શ્રી મહાવીર જયંતી આખા હિંદમાં ઊજવાવી દેવાની હિલચાલ ચાલે છે. પછી બુદ્ધની આખા એશિયામાં અને છેવટે ઈસુ ખ્રિસ્તની આખી દુનિયામાં ઊજવવાના ધ્યેયની પહેલ તરીકે મહાવીર જયંતી માટે પરદેશીઓના આડકતરા પણ દરેક લાગવગનો ઉપયોગ કરીને સબળ પ્રયત્નો ચાલે છે. માટે આ બધી ગોઠવણો આપણા ધર્મ, શાસન, સંઘ અને પ્રજાના હિતને નુકસાન કરનાર હોવાથી તેમાં પણ સાવચેત રહેવામાં ગાફેલ ન રહેવું જોઇએ. ધર્માધિકારીઓની નિમણૂકો કરીને અહીંની ધાર્મિક મિલકતો અને તે મારફત ધાર્મિક પ્રવૃત્તિઓ ઉપરના અંકુશોના કાયદાઓનું મુખ્ય ધ્યેય જગતમાં એક ધર્મ, અને તે પણ ખ્રિસ્તી કરવાનું ધ્યેય હોવાનું સ્પષ્ટ લાગતું જાય છે. બહુમતીવાદ [ડેમોક્રસી)ના પ્રચારનું તેઓનું આ ધ્યેય છે. ૫૬. એક જૈન સાધુ એક ખૂણામાં બેસીને જે ધાર્મિક ક્રિયા કરે, તેની અસર આખા જગત ઉપર કલ્યાણની થાય છે. તેની એ ક્રિયાથી તેના આત્મામાં પવિત્રતા વધે છે. લાયક માણસો તેને ટેકો આપે છે અને તેની અસર સામાન્ય જનસમાજ ઉપર પડે છે જેથી પાપી માણસો પાપ કરતાં સંકોચાય છે, પાપ દૂર રહે છે, જુલ્મ દૂર રહે છે. એ સર્વ એ ક્રિયાનો પ્રતાપ હોય છે. પ્રત્યક્ષ સેવા કરતાં માનસિક અને તે કરતાં આધ્યાત્મિક સેવા તીવ્ર હોય છે. આ દેશની પ્રજા હજુ પોતાનું વ્યકિતત્વ જાળવી રહેલ છે. તેનું પણ મુખ્ય કેન્દ્રભૂત કારણ આ જ છે. નહીંતર અમેરિકાની મૂળ પ્રજાના મોટા ભાગનો નાશ કરીને ગોરી પ્રજા એ પ્રદેશમાં સાંસ્થાનિક સ્વરાજ્ય ભોગવે છે. તે પ્રમાણે અહીં પણ કયારની સાંસ્થાનિક સ્વરાજ્ય ભોગવતી હોત. પરંતુ હજી તે સ્થિતિ દૂર છે. જો કે તે સ્થિતિ લાવવા માટે કૉંગ્રેસ ઊભી કરીને તે મારફત ગોરી પ્રજાના તમામ મુત્સદ્દીઓ તે સાંસ્થાનિક સ્વરાજ્યની સ્થાપના કરવાની ક્રિયાઓ કરી, કરાવી રહ્યા છે. ‘મોતને વળગે એટલે તાવ આવે.'' કૉંગ્રેસ મારફત સંપૂર્ણ સ્વરાજ્ય માટે હિલચાલ ઉપડાવે અને અહિંસક [પરિણામે મહાહિંસક લડાયક બળ-માનસિક વિચારોમાં પરિવર્તન-અજમાવે, એટલે પરિણામે વચલે માર્ગે સાંસ્થાનિક સ્વરાજ્ય પ્રજાને ગળે વળગાડી શકાય. તે કાર્યમાં તેઓને અહીં ચાલતી-દરેક ધર્મોવાળાઓની ક્રિયાઓની અસર મારફત ટકી રહેતી અહીંની સંસ્કૃતિ નડે છે, તે હઠાવવા આ દેશમાંના લોકોની કેટલીક સંખ્યા કેળવીને દેશનેતા બનાવી, તેઓ મારફત ‘“સર્વ ધર્મ સમભાવ રાખો, સંપ્રદાયોની સંકુચિતતાનો નાશ કરો, ધર્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy