SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૮ પંચ પ્રતિક્રમણ સૂત્રો પરિસ્થિતિમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અને ઓછામાં ઓછા આધ્યાત્મિક જીવનની સર્વ દિશાઓ બતાવી પ્રાણીમાત્રનું કલ્યાણ કરવું એ છે. ત્યારે ભારતનાં બીજા દર્શનોનો પણ લગભગ એ જ ઉદ્દેશ છે, પરંતુ તેઓની દર્શન-વ્યવસ્થા સર્વદેશીય તથા સાંગોપાંગ જોવામાં આવતી નથી. અને ભારત બહાર પણ લોક-કલ્યાણ કરવાની ઈચ્છાથી જાહેરમાં આવેલા ઉપદેશકોના આદેશોમાં તેમના પ્રયત્નોનો એકંદર ઉદ્દેશ લોક-કલ્યાણની ભાવના સિવાય જોવામાં આવતો નથી. જો કે તે સાંગોપાંગ, શુદ્ધ અને કસોટીએ ચડાવી શકાય તેવો વ્યવસ્થિત અને સંપૂર્ણ નથી છતાં તેમાં ભલું કરવાની ભાવના તો જોવામાં આવે છે. પરંતુ આજની લોક-કલ્યાણની વાતોનો પ્રચાર કેવળ કૃત્રિમ અને યુરોપીય પ્રજાઓના વ્યાપારી અને રાષ્ટ્રીય સ્વાથમાંથી ઉત્પન્ન થયેલ છે. તો પછી, વીતરાગ દશામાંથી ઉત્પન્ન થવાની વાત તો દૂર રહી, પરંતુ તેને નિખાલસ ભાવની લોક-કલ્યાણની ભાવના પણ કેમ જ કહી શકાય? એક વેપારીને ત્યાંથી માલ લેતાં બીજો વેપારી આપણને તેના કરતાં સસ્તો અને ટકાઉ માલ આપીને આપણને મોંઘા અને નબળા માલ લેવાઈ જવાની મુશ્કેલીમાંથી બચાવે છે, પરંતુ તેમ કરવામાં તેનો પરોપકાર નથી હોતો. એમ કરીને તે પોતાના માલના વકરા માટે કાયમી ઘરાક તરીકે આપણને બાંધી લે છે, ને પોતાનો સ્વાર્થ સાધે છે. તેવી જ સ્થિતિ આજની લોક-કલ્યાણની ભાવનાની છે. નળનું સસ્તું પાણી પૂરું પાડવામાં કે મત દવા પૂરી પાડવામાં, ત્યાંનાં કારખાનાઓના નળોનો અને દવાઓનો વકરો તો તેઓ પોતે ઠરાવેલી કિંમતે જ કરે છે. અહીંથી કોઈને કોઈના પૈસા એ લોક-કલ્યાણ પાછળ પરદેશ જાય જ છે. અને ત્યાંના વેપારીઓને વકરો મળે જ છે. તેઓની સરકારો ઓછામાં ઓછી કિંમતે ખરીદીને અહીં મત મોકલત, તો હજુ કદાચ આપણે તેમાં કાંઈક પરોપકાર ગણી શકત. આ દષ્ટાન્ત ઉપરથી આજની સર્વ પ્રવૃત્તિની પાછળ પરદેશીઓના રાષ્ટ્રીય વગેરે સ્વાર્થો સિવાય કાંઈ પણ લેવામાં આવતું નથી. દેશનેતાઓ અને લોકનાયકો આપણને નિ:સ્વાર્થભાવે કામ કરતા જણાય છે, તે પણ ઉપર ઉપરથી જ છે. તેમાં એવી ખૂબીથી ગોઠવણ ગોઠવાયેલી છે કે, લોકો દેશનેતાઓને પરોપકારી અને ત્યાગી સમજે તો તેમના વચન ઉપર જોઈએ તેવો વિશ્વાસ ન કરે. પરંતુ આ સ્થિતિમાં વિશ્વાસ કરી શકે છે, બાકી તેઓના જીવનની કોઈ પણ જરૂરિયાત સામાન્ય શ્રીમંત કરતાં તો ઓછી હોતી જ નથી. અને તે સારી રીતે પૂરી પડ્યા વિના રહેતી નથી. હિંદના ત્યાગીના જીવનના આદર્શની થોડા દિવસ નકલ કરવાનો ફરજિયાત પ્રસંગ પ્રાપ્ત થાય, તો એક પણ દેશનેતા તમને જાહેરમાં હરતો ફરતો દેખાશે નહીં. આજે દેશનેતાઓ તે જ છે કે, જેમનું માનસ કેળવણી વગેરેથી બદલીને ભવિષ્યમાં સાધવા ધારેલા યુરોપીય રાષ્ટ્રીય સ્વાર્થને અનુકૂળ ગોઠવાયેલ રીતે ઘડાયેલા છે. એટલે એવા દેશનેતાઓ મારફત પરદેશીઓ પોતાના હેતુઓનો પ્રજામાં પ્રચાર સારી રીતે કરી શકે છે. પરદેશીઓ તરફનો એકતરફી વિરોધ દેશનેતાઓ સામે પરદેશીઓ બતાવે છે, જેથી પ્રજા નેતાઓના વિશ્વાસમાં પડે છે. એટલે અમુક વિચારો અને વલણમાં પરદેશીઓ અને દેશનેતાઓ સમાન છે, તેથી તેઓનો સારી રીતે લાભ લે છે. પ્રધાનો પણ તેઓને જ બનાવવામાં આવેલ છે કે, જેઓ ભારતીય સંસ્કૃતિને બદલે હાલના જમાનાની સંસ્કૃતિને સીધી કે આડકતરી રીતે પસંદ કરનારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy