SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ પંચ પ્રતિક્રમણ સૂત્રો પધારેલા હતા.) ને દેશના સાંભળી દીક્ષા લીધી.” એ સાંભળી અભયકુમારે રાજર્ષિને વંદન કર્યું. “રાજ્યને નરકનું કારણ સમજી પોતાના પુત્રને રાજ્ય ન આપતાં તેઓએ ભાણેજને આપ્યું હતું. તેઓ-રોગશાંતિ માટે ભાણેજના શહેરમાં આવ્યા, ભાણેજે ભક્તિ કરી પણ “પાછું રાજ્ય લેવાની ઈચ્છાથી આવ્યા છે,” એમ પ્રધાનોના સમજાવવાથી તેણે દહીંમાં વિષ આપ્યું. દેવે બે વાર તે સંહરી લીધું અને દહીં ખાવાની ના પાડી. છતાં રોગના ઉપદ્રવને લીધે દહીં છોડી શકયા નહીં. એક વખત દેવની ગફલતથી ભાવિ ભાવને લીધે વિષ શરીરે ચડ્યું. વિષ તો ખાસ અસર ન કરી શકયું. પરંતુ ધ્યાનમાં લીન થઈ કેવળ જ્ઞાન પામી આયુ સમાપ્ત થયે, મોક્ષમાં ગયા. પ્રભાવતી દેવ પણ મોક્ષમાં જશે. ૪૩. મનકકુમાર : એક વખત દશવૈકાલિક સૂત્રના કર્તા આચાર્ય શવ્યંભવ સૂરીશ્વરજી મહારાજા બહાર થંડિલ જતા હતા. સામે એક બાળકે આવીને પૂછયું કે, “શગંભવ આચાર્ય મને ક્યાં મળશે ?” આચાર્યું તેને પોતાની ગર્ભિત ઓળખાણ આપી અને આવવાનું કારણ જાણી લીધું. પરંતુ પોતાનો સંબંધ જાહેર ન કરવા તેને સમજાવી ઉપાશ્રયે લાવી દીક્ષા આપી. સૂરિજીએ જ્ઞાનથી જાણ્યું કે, “મનનું આયુષ્ય અલ્પ છે અને તેટલા વખતમાં તે ભણે શું ? તેને બોધ શી રીતે થાય ? અને ચારિત્રમાં રસ શી રીતે જામે ?” આ વિચારથી તેઓએ પૂર્વમાંથી ઉદ્ધરીને સાંજને સમયે વિકાળે પણ ભણી શકાય તેવું દશ અધ્યયનવાળું દશ વૈકાલિક સૂત્ર રચ્યું અને સારરૂપે તે મનફને ભણવા આપ્યું. મનનો વૈરાગ્ય સ્થિર થયો, અને દરેક સાધુઓની ભક્તિ કરતાં તેને આરાધના થઈ છ માસમાં મૃત્યુ પામી સ્વર્ગમાં ગયો. તેના અગ્નિસંસ્કાર બાદ સંઘને ઉપદેશ આપતાં આચાર્યની આંખમાં સહેજ આંસુ આવ્યાં સંઘે આંસુ પાડવાનું કારણ પૂછયું. આચાર્ય મહારાજે જણાવ્યું કે, “મનફ અમારો સંસારી પુત્ર હતો. તે તેવી રીતે ?” તે બધો સંબંધ પોતાનો કહ્યો : “રાજમાન્ય બ્રાહ્મણ હતો. મોટો યજ્ઞ કરતો હતો. સંઘમાં બીજા કોઈને પટ્ટધર યોગ્ય ન સમજીને પૂજ્ય શ્રી પ્રભવસ્વામીની કૃપાદષ્ટિ મારા પર વર્ષ. બે શિષ્યોને મને પ્રતિબોધવા માટે મોકલ્યા હતા. તેઓ આવીને એમ બોલ્યા કે, “અહો કષ્ટમ્ ! તત્ત્વ ન શાયતે પરમ-કષ્ટ ઘણું છે પણ તત્ત્વ તો જણાતું નથી.” મેં પૂછયું. ત્યારે તત્ત્વ શું છે?” તેઓએ કહ્યું કે, આ યજ્ઞના સ્તંભની નીચે શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમા છે, તે તત્ત્વ છે.” તપાસ કરતાં અને યજ્ઞના ગોરને પૂછતાં ત્યાંથી શ્રી શાંતિનાથ પ્રભુના પ્રતિમાજી નીકળ્યા. તેથી વૈરાગ્ય પામી ગુરુ મહારાજ પાસે આવી મેં દીક્ષા લીધી. તે વખતે ઘેર છોડેલાં પત્ની સગર્ભા હતાં. લોકો તેને પૂછતા કે, “તમારા પતિએ દીક્ષા લીધી છે, પરંતુ તમને ગર્ભ છે કે નહીં?” ત્યારે તે સૌને શરમને લીધે જવાબ આપે કે, “કંઈક મનાફ છે.” આ મનાફ શબ્દ પ્રસિદ્ધ થઈ ગયો અને બાળકના જન્મ પછી પણ તેનું નામ મનાફ પાડવામાં આવ્યું, તે રૂઢ થઈ મનકુમાર તરીકે પ્રસિદ્ધ થયું. જ્યારે સમાન વયનાં બાળકો તેને “નબાપો' કહી પજવવા લાગ્યાં, ત્યારે તેણે પોતાની માતાને પિતા વિષે પૂછયું, ત્યારે તેમણે જવાબ આપ્યો કે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy