SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ પંચ પ્રતિક્રમણ સૂત્રો (૨) પ્રતિકમણ: પ્રભુની આજ્ઞામાં જે જે ભંગ કર્યો હોય, તે અજ્ઞાનથી થયેલો સમજીને તેમાંથી પાછા ફરવું તે. જેમ-મનાઈ કરેલી હદમાં પ્રવેશ કરતાં સામેથી સિપાઈઓ પકડવા આવે, તો તેમાંથી પાછે પગે નીકળી જઈ બચી જવાય છે, તેમ દોષોમાંથી નીકળી જવું. (૩) પડિહરાણા : દોષો ન નડે, એવી પ્રથમથી જ ખબરદારી રાખી સંયમ-વ્રત પાળવા તે પડિહરણા. (૪) વારણા : પહેલેથી જ પ્રમાદનો ત્યાગ, સાવચેતી રાખવી, જાગૃતિ રાખવી અને દોષો થતા જ અટકાવવા. (૫) નિવૃત્તિ : ભૂલથી કે કોઈની સોબતથી કે આજુબાજુના સંજોગોથી દોષોમાં કદાચ દોરાઈ જવાય તો તુરત જ ભાનમાં આવી જઈ ઠેકાણે આવી જવું તે. (૬) નિંદા : દોષો પોતાનાથી થઈ જાય છે, તે વિષે બેદરકારી ન રાખતાં પોતાની નબળાઈ માટે પોતાની જાતને ઠપકો આપવો. મન સાક્ષીએ આત્મનિંદા કરવી જિંલાનિ દોષો સેવવામાં બહાદુરી ન માનતાં પોતાની ભૂલને ઠપકાપાત્ર ગણવી. (૭) ગહ : ગુરુ પાસે પણ પોતાની જાહેર નિંદા કરવી. પોતાના દોષો ઉઘાડા કરવા. અને આત્મશુદ્ધિ માટે સંકોચ ન રાખવો. તે ગહ હfજ. (૮) શોધન શુદ્ધિ : મેલું કપડું જેમ સાબુ કે ખારથી ધોઈ સાફ કરી નાંખવામાં આવે છે તેમ દોષોથી મેલો થયેલો આત્મા પ્રતિક્રમણરૂપી ખારથી ધોઈ સાફ કરી શકાય છે. અથવા થોડી માત્રામાં લેવાતા ઔષધથી પણ જેમ મોટા મોટા રોગ જાય, તેમ પ્રતિક્રમણથી મોટાં મોટાં પાપ નાશ થાય છે. પ્રતિક્રમણ માંડલી વળી આ દેવસિઅ પ્રતિક્રમણ સાંજે ચતુર્વિધ સંઘે સાથે મળીને પોતપોતાની પર્ષદામાં કરવાનું છે. એટલે કે-(૧) મુનિઓ અને શ્રાવકોની પર્ષદાએ-તથા (૨) સાધ્વીઓની અને શ્રાવિકાઓની પર્ષદાએ મળીને કરવાનું છે. તેવો જોગ ન હોય તો જુદાં જુદાં કરે છે. પરંતુ જોગ હોય તો જેમ બને તેમ બનતાં સુધી સાથે જ કરવું. આથી સંઘની રોજ સભા મળવા જેવો પ્રસંગ ઊભો થાય છે અને દરેકને કાંઈને કાંઈ ફાયદો થાય છે, ધાર્મિક વાતાવરણ કાયમ ઊભું રહે છે. મુનિઓને પોતાના આચારમાં સાવચેત રહેવું પડે છે. સારા ત્યાગી વૈરાગી મુનિરાજેનો અને ગુણી શ્રાવકનો મેળાપ થાય છે. તેઓનો આદર્શ બીજા જીવોને આકર્ષક થઈ શકે છે. કાચાપોચા જીવો ધર્મમાં સ્થિર થાય છે. સંઘમાં અખંડ સંપ જાળવવાનું સાધન છે. કુસંપ થયો હોય તો પણ એક મંડળમાં પ્રતિક્રમણ કરવાની પ્રભુ આજ્ઞા પાળવા સંપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy