SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા ૧. કરેમિ સામાઇઅં = સામાયિક કરું છું. એ ૧. સામાયિક આવશ્યક. ૨. સાવજે જોગં પચ્ચકખામિ = સાવધ યોગોનું પચ્ચકખાણ કરું છું. એ ર. પ્રત્યાખ્યાન આવશ્યક. ૩. પડિકમામિ નિંદામિ ગરિહામિ = તે સાવધ યોગોનું પચ્ચકખાણ કરું છું, તેની નિંદા કરું છું, તેની ગહ કરું છું. એ ૩. પ્રતિક્રમણ આવશ્યક. ૪. અધ્ધાણં વોસિરામિ = બહિરાત્મ ભાવનો ત્યાગ કરું છું. એ ૪. કાયોત્સર્ગાવશ્યક. હવે બે આવશ્યક – ચતુર્વિશતિસ્તવશ્યક અને ગુરુવંદનાવશ્યક બાકી રહ્યા, તે પણ આ સૂત્રમાં જ ગોઠવવામાં આવેલા છે. આ સૂત્રમાં દષ્ટિ કરતાં - બે ભજો! શબ્દો આપણી નજરે પડે છે. તેમાંનું - ૫. પહેલું ને! પદ ચતુર્વિશતિ તીર્થકરના સંબોધન પરક છે. અથવા “ભને સામાઈયં એટલે તીર્થકરો સંબંધીનું સામાયિક” એવો અર્થ પણ વિશેષાવશ્યક ભાષ્યમાં જોવામાં આવેલો છે એટલે ચતુર્વિશતિ આવશ્યક. વળી સંબોધન પદ પણ ભક્તિસૂચક રીતે મુકાયેલું છે, એટલે સ્તવનો નિર્દેશ જણાય છે. એ ૫. ચતુર્વિશતિ સ્તવાવશ્યક. ૬. બીજું ભજો ! ગુરુવંદનાવશ્યક પરક છે. કેમ કે, તે ગુરનું સંબોધન છે. દોષોનું પ્રતિક્રમણ ગુરુ સમક્ષ કરાય છે. તેમજ તેનો એક મહત્ત્વનો પુરાવો એ પણ છે કે વાંદરામાં તસ્સ-ખમાસમણો-પડિકામામિ નિંદામિ-ગરિહામિ એ વગેરે ભાગ આ કરમિ ભંતે ! નો છે. તેમાં તસ્ય ભંતે ! ને બદલે તસ્સ ખમાસમણ ! સ્પષ્ટ શબ્દ મૂકવામાં આવેલો છે. એટલે બીજું ભંતે ! પદ ગુરુવંદન માટેનું માનવામાં હરકત આવે તેમ નથી. એ ૬. વંદનાવશ્યક ૧૨. છયેય આવશ્યકનાં જુદાં જુદાં મુખ્ય સૂત્રો પણ તે સૂત્રના જ અંગભૂત છે. અને તેના જ અર્થ વિસ્તાર રૂપ જ જોવામાં આવે છે. “ તત્વાષા” અર્થ :- બાકીનાં આવશ્યક સૂત્રો પણ તેનાં સામાયિકનાં અંગો છે. હારિભદ્દી આવશ્યકવૃત્તિ ૧. લોગસ્સ- ચતુર્વિશતિ સ્તવાવશ્યક સૂત્ર. ૨. ઇચ્છામિખમાસમણો તથા દ્વાદશાવર્ત વાંદણાં – ગુરુવંદન સૂત્રો.-વંદનાવશ્યકઃ ૩. મુનિઓ માટે પગામ સઝાય અને શ્રાવકો માટે વંદિત્ત-સૂત્ર વગેરે પ્રતિક્રમણાવશ્યકનાં સૂત્ર છે. ગુરુભકિતમાં લાગેલા અતિચારના પ્રતિક્રમણનું સૂત્ર અભુઠિઓ. વ્રતમાં લાગેલા અતિચારોને પ્રતિક્રમણનું સૂત્ર-ઈચ્છામિ ઠામિ. ઈરિયાપથિકાના પ્રતિક્રમણનું સૂત્ર ઇરિયાવહિયં વગેરે તેના અંગભૂત જ છે. ૪. અરિહંત ચેઇઆણં, પુખરવરદી, સિદ્ધાણં, તસ્સ ઉત્તરી, અન્નત્ય વગેરે કાયોત્સર્ગ સૂત્રો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy