________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૨૮૩
વંદન કરવું પડે, માટે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ જવું.” એવા એક નિશ્ચયથી એક વર્ષ ત્યાં જ ઊભા રહ્યા, અને અપૂર્વ ધ્યાનના બળથી કેવલજ્ઞાનની નજીક આવી પહોંચ્યા હતા. પરંતુ “નાના ભાઈઓને વંદન કેમ કરું ?” એ અભિમાનને અંગે કેવળજ્ઞાન અટકેલું હતું. પ્રભુના આદેશથી બ્રાહ્મી અને સુંદરી નામની તેમની બે બહેનો જે સાધ્વી થયાં હતાં, તે પ્રતિબોધ કરવા આવ્યાં. અને એટલા જ શબ્દો કહ્યા કે “હે વીરા, ગજથી ઊતરો” અભિમાનરૂપી હાથી ઉપરથી ઊતરો. આટલું કહેતાં જ તેમને પોતાની ભૂલ સમજાઈ, ને જેવો પગ ઉપાડ્યો, તેવું જ કેવલજ્ઞાન થયું. પછી પ્રભુ પાસે આવીને શ્રી કેવલી ભગવંતોની પર્ષદામાં દાખલ થયા અને મોક્ષમાં ગયા.
૩. અભયકુમાર : આ મહાત્મા શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં થયા છે. બહુ જ બુદ્ધિશાળી પુરુષ હતા. શાસનના અનન્ય રાગી હતા. શ્રેણિક રાજાના મોટા પુત્ર હતા અને બુદ્ધિનિધાન હોવાથી સર્વ પ્રધાનમંડલના આગેવાન હતા. પરમાત્માના અનન્ય ભકત હતા. આદ્રકુમારને પ્રતિબોધ આપનાર એ હતા. તેમજ બીજી પણ શાસનની અનેક પ્રભાવના કરી છે. પોતાની બુદ્ધિના અનેક ચમત્કારોનાં દષ્ટાંતો આ દેશમાં મૂકતા ગયા છે. આજે પણ ચોપડામાં શારદાપૂજન વખતે લખાય છે કે “શ્રી અભયકુમારની બુદ્ધિ હોજો'. પિતાના અનન્ય ભક્ત છતાં હૃદયમાં વિરકત પણ હતા. પરંતુ પિતાના આગ્રહથી વચને કરીને બંધાયા હોવાથી સંસારમાં પડી રહ્યા હતા. ચારિત્રાવરણીય કર્મનો ક્ષય થતાં જ શબ્દછળથી વચનના બંધનમાંથી છૂટીને પ્રભુ પાસે તુરત દીક્ષા લઈ તપસ્યા કરીને અનુત્તર વિમાનમાં ગયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થઈ ચારિત્ર ગ્રહણ કરી છેવટે મોક્ષે જશે.
૪. ઢઢણકુમાર : શ્રી કૃષણ વાસુદેવની ઢંઢણા નામની રાણીથી ઉત્પન્ન થયેલા ઢઢણકુમારે શ્રી નેમિનાથ તીર્થંકર પરમાત્માની દેશના સાંભળી દીક્ષા લીધી હતી. પૂર્વભવમાં બાંધેલા અંતરાય કર્મને લીધે ભિક્ષા મેળવી શકતા ન હતા. જ્યાં જાય ત્યાંથી તેમને નિદોંષ આહાર મળતો ન હતો. તેથી તેઓએ અભિગ્રહ કર્યો કે “મારી પોતાની લબ્ધિથી આહાર મળે તો લેવો.”
એક દિવસ તે મુનિ ભિક્ષા માટે વારિકામાં ફરતા હતા, તે વખતે તેમને શ્રી કૃષણ વાસુદેવે વાહનમાંથી ઊતરીને ભાવભકિતથી વંદના કરી, એ જોઈ કોઈક ધાર્મિક શ્રેષ્ઠીએ તેમને ઉત્તમ મોદક વહોરાવ્યા. ઋષિ પ્રભુ પાસે આવ્યા ને પૂછયું.
હે પ્રભો! શું મારું અંતરાયકર્મ ક્ષય પામ્યું?” પ્રભુએ કહ્યું “ના. પરંતુ તમને જે ભિક્ષા મળી છે તે કૃષણ વાસુદેવની લબ્ધિથી મળી છે.”
તે સાંભળી મોદકને પરઠવવા કુંભારની શાળામાં ગયા. પરઠવતાં પહેલાં મોદકનું ચૂર્ણ કરવા લાગ્યા, તેના ચૂર્ણની સાથે કમનું પણ ચૂર્ણ થઈ ગયું, ને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
૫. શ્રીયક : નંદ રાજાના શકડાલ મંત્રી અને તેમનાં પત્ની લક્ષ્મીવતીના સ્થૂલભદ્ર કરતાં નાના પુત્ર શ્રીયક નામે હતા. પિતાના મરણ બાદ તેમને મંત્રીપદ પ્રાપ્ત થયું હતું. નંદરાજાના એ મહામંત્રીએ સો જિન મંદિરો અને ત્રણસો ધર્મશાળાઓ બંધાવી હતી, અને જિન પૂજા, પ્રતિક્રમણ વગેરે ધાર્મિક ક્રિયાઓ રોજ કરતા હતા. જિનભવન, જિનપ્રતિમા, જ્ઞાન, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org