SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણસૂત્રો સામાયિકમાં પ્રવેશ કરવાનો વિધિ ૧. વિધિ પ્રમાણે ઇરિયાવહિયા પડિકમવા. ૨. પછી સત્તર સંડાસાની પ્રમાર્જના સાચવી. ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં ? જાવણિજ્જાએ, નિસીહિઆએ ? ગુરુ કહે - છૂંદણું, શિષ્ય કહે - મત્થએણ વંદામિ, ઇચ્છાકારણ સંદિસહ ભગવન્! સામાયિક મુહપત્તિ પડિલેહું ? ગુરુ કહે - પડિલેવેહ. શિષ્ય કહે – ઇચ્છું, – પછી વિધિ પ્રમાણે બેસી વિધિ પ્રમાણે મુહપત્તિ તથા શરીરની પડિલેહણા કરવી. ૩. પછી એ જ પ્રમાણે ખમાસમણ ! દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક સંદિસાહું ? ગુરુ કહે – સંદિસાવેહ. શિષ્ય કહે - ઇચ્છું. ૩૫ પછી તે જ પ્રમાણે ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક ઠાઉં ? ગુરુ કહે – ઠાએહ. શિષ્ય કહે – ઇચ્છું. - - ૪. પછી એક નવકાર ગણી - ઇચ્છાકારી ભગવન્ ! પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી ! પછી ગુરુ-કરેમિભંતે ! સૂત્રનો ઉચ્ચાર કરે. શિષ્ય બે હાથ જોડી મસ્તકે ચઢાવી મનમાં બોલી સૂત્ર ગ્રહણ કરે. ગુરુ ન હોય તો વકીલ, અને તે પણ ન હોય, તો પોતે જાતે ઉચ્ચાર કરી લે. - ૫. પછી એ જ પ્રમાણે ખમાસમણ ! દઈ – ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બેસણે સંદિસાહુ ? સંદિસાવેહ. શિષ્ય કહે - ઇચ્છું. એ જ પ્રમાણે ખમાસમણ ! દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બેસણે ઠાઉં ? ગુરુ કહે – ઠાએહ. શિષ્ય કહે- ઇચ્છું. ગુરુ કહે ' ૬. એ જ પ્રમાણે ખમાસમણ ! દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સજ્ઝાય સંદિસાહું ? ગુરુ કહે – સંદિસાવેહ. શિષ્ય કહે - ઇચ્છું. એ જ પ્રમાણે ખમાસમણ ! દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સજ્ઝાય કરૂં ગુરુ ? કહે- કરહ. શિષ્ય- ઇચ્છું. પછી હાથ જોડી ત્રણ નવકાર ગણીને કટાસન ઉપર બેસવું. सामायिना विधिनो विशेषार्थ આ વિધિમાં કેરેમિ- સૂત્ર કે જેનું નામ સામાયિક દંડક સૂત્ર છે, તે મુખ્ય છે. તેના ઉચ્ચારથી સામાયિકની પ્રતિજ્ઞા લેવાય છે. અને સાવદ્ય યોગનો ત્યાગ થાય છે. તે પણ ગુરુની આજ્ઞાપૂર્વક જ કરવાનું હોવાથી ‘સામાયિક સંદિસાહું ?’ અને ‘સામાયિક ઠા ?’ના આદેશો માગવામાં આવે છે. સામાયિક જેવી નિરવદ્ય શુદ્ધ ક્રિયામાં પ્રવેશવા પહેલાં શરીર, મકાન, વસ્ત્ર, ઉપકરણો વગેરેના પ્રતિલેખન અને પ્રમાર્જનાના ઉપલક્ષણ તરીકે મુહપત્તિનું પડિલેહણ કરવાનું છે, જેથી બાહ્ય તેમજ આંતર શુદ્ધિ બરાબર થાય છે. Jain Education International અને ઇરિયાવહિયા પડિક્કમવાનું કારણ તો કોઈ પણ જૈન ક્રિયા કરવાની હોય તેના પહેલાં હિંસાદિ દોષરહિત થવું, ત્રણ શલ્યરહિત થવું, તથા બીજાં પણ પાપકર્મોનો નાશ કરવો અને ચોવીસેય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy