SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા એટલું જ નહીં પરંતુ તે દરેકના બાલ, મધ્યમ અને બુધને આશ્રયીને, સમ્યકત્વ - શ્રુત - દેશવિરતિ, અને સર્વ વિરતિને આશ્રયીને, શ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકાને આશ્રયીને, જિનકાળ, પછીનો કાળ, તીર્થકાળ, અતીર્થકાળ, ચાર ગતિ, ગુણસ્થાનકો વગેરેને આશ્રયીને એટલા બધા ભેદ પડી જાય છે કે તેની કલ્પના પણ આપણને કરવી મુશ્કેલ પડી જાય છે. દાખલા તરીકે - બેઘડીનું સામાયિક શ્રાવકો લે છે. તેમાં પણ છે આવશ્યકો જોવામાં આવે છે. (૧) ખમાસમાણ - ગુરુવંદન-૧, (૨) ઈરિયાવહિયં - પ્રતિક્રમણ-૨, (૩) તસ્ય-અન્નત્થ અને કાઉસ્સગ્ન કાયોત્સર્ગ-૩ (૪) લોગસ્સ - ચતુર્વિશતિ સ્તવ. (૫) (૬) સામાયિક અને પ્રત્યાખ્યાન ખુદ કરેમિ ભંતે ! સૂત્ર. એ જ પ્રમાણે કોઈ પણ પ્રતિક્રમણ છયેય આવશ્યક મય છે. એ જ પ્રમાણે કોઈ પણ ગુરુવંદન છયેય આવશ્યક મય હોય છે. એ જ પ્રમાણે કોઈ પણ ચતુર્વિશતિ સ્તવ છયેય આવશ્યક મય હોય છે. એ જ પ્રમાણે કોઈ પણ કાયોત્સર્ગ પણ છયે ય આવશ્યક મય હોય છે. એ જ પ્રમાણે કોઈ પણ પ્રત્યાખ્યાન પણ છયેય આવશ્યક મય હોય છે. આ પ્રમાણે છે આવશ્યકમય સંખ્યાબંધ વિધિઓ શાસ્ત્રમાં અને પ્રચારમાં પણ જોવામાં આવે છે. દરેક આવશ્યકોનાં પ્રયોજનો અને તે કયાં ક્યાં કરવાં જોઈએ? તેના સંગ્રહની નિયુક્તિની ગાથાઓ ખાસ આના પુરાવા છે. દા. ત. જિનેશ્વર ભગવંતોએ ફરમાવેલાં કૃત્ય ન કર્યા હોય તો તેનું પ્રતિક્રમણ કરવું, એટલે તેનાથી પાછું ફરવું, એટલે આજ્ઞાભૂત કૃત્યો કરવા માંડવાં, તે પણ પ્રતિક્રમણ ગણાય. ૨૩. આ પ્રમાણે દરેક જૈન વિધિઓમાં-જે સૂત્રોનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે તે મુખ્ય સૂત્રોના સમૂહાત્મક સૂત્ર ગ્રંથને આવશ્યક સૂત્ર કહેવામાં આવે છે. મૂળ આવશ્યક પર જ બારેય અંગનો મદાર છતાં સર્વને આત્મહિતમાં ઉપયોગી હોવાથી આવશ્યકનું મૂળ સૂત્ર અંગપ્રવિષ્ટ છતાં છયેય અધ્યયનમય, આવશ્યક સૂત્ર અંગ બાહ્ય શ્રુતમાં ગણવામાં આવેલું છે. અર્થાત આવશ્યક સૂત્રમાં આપવામાં આવેલા કરેમિ ભંતે ! સૂત્ર સાથે સંબંધ ધરાવતા મૂળ સૂત્રો જ મુખ્યપણે કોઈ પણ જૈન અનુષ્ઠાન વિધિમાં હોય છે. જે કે કોઈ વિધિમાં કોઈ સૂત્રની મુખ્યતા હોય છે. અને કોઈ વિધિમાં કોઈ બીજા સૂત્રની મુખ્યતા હોય છે. અમુક એકની મુખ્યતા વખતે બાકીનાં સૂત્રો ગૌણ હોય છે. દાખલા તરીકે - ચૈત્યવંદન કરતી વખતે અન્નત્થ અને કાઉસ્સગ્ન જઘન્ય ચતુર્વિશતિ સ્તવાવશ્યકનાં અંગો હોય છે. અને દેવવંદનમાંના મુખ્ય લોગસ્સ, પુખરવરદી, સિદ્ધાણં બુદ્ધાણં વગેરે આયરિય ઉવજઝાય પછીના કાયોત્સર્ગાવશ્યકના મુખ્ય અંગ બને છે. એ જ લોગસ્સ રૂપ ચતુર્વિશતિ સ્તવ સામાયિકમાં સામાયિકનું અંગ બને છે. અને એ જ કરેમિ ભજો ! સામાયિક સૂત્ર છતાં વંદિતુ સૂત્રની પહેલાં પ્રતિકમાણાવશ્યકનું અંગ બને છે. ઈરિયાવહિયા પડિકકમવા રૂપ પ્રતિક્રમણનું અંગ લોગસ્સ બને છે. પરંતુ એ જ ઈરિયાવહિયા મુનિઓને અને પોસાતીને દેરાસરમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy