SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૫૪૧ વિઘન કે જે ગ્રંથમાળાના ચુસ્ત જૈન આશ્રયદાતા ગૃહસ્થોને ઈષ્ટ ન હોય, તેઓ તો “તીર્થકરોની સર્વજ્ઞતાનો દુનિયાને પરિચય થાય તો સારું.” એવી ભક્તિથી જ મોટો ખર્ચ કરતા હોય છે, છતાં બાહ્ય સુંદરતા ભારોભાર હોવાથી અને ઉદારતાની ખુશામતી પ્રશંસાથી કુલાઈને આવા મુખ્ય નુકસાન આમ ને આમ અજ્ઞાનતાથી નભે જાય છે. અને દરેક ધર્મોમાં, સમાજોમાં, સંપ્રદાયોમાં, અમુક યોગ્ય પરંપરાઓ કાળક્રમે રૂઢ થઈ હોય છે, તે તૂટે એટલા અંશે એ ધમ, સમાજ, સંપ્રદાયો પણ પ્રજા જીવનમાંથી તૂટે જ. વળી, નવી પરંપરા તો માત્ર પ્રથમ વિચારરૂપે જ હોય એટલે તે પ્રજાના જીવનમાં તો પ્રથમ હોય નહીં. આગળ જતાં હાલ બહાર પડતાં સંસ્કરણો, આમ આડકતરી રીતે પ્રજાનાં-હજારો વર્ષથી ચાલ્યા આવતા-સ્વતંત્ર ચાલુ જીવનનાં અંગો ઉપર ઘા કરે ત્યારે નવા જીવનમાં તાજગી, સ્વતંત્રતા ઉપર ઉપરથી તો દેખાય, પરંતુ તેની પાછળ પરદેશીઓની બુદ્ધિ વગેરેમાં આ દેશની પ્રજાને પરતંત્ર થવું પડે, તેવી આબાદ ગોઠવણ પડેલી જણાય છે. એ પણ ઠીક છે, પ્રજાજીવનમાં પરંપરાથી ઊતરી આવેલી અને શાસ્ત્રમાં દર્શાવેલી શાસ્ત્ર-માન્યતાઓ ઉપર પડદો પડે અને હાલની માન્યતાઓને પ્રધાનતા મળે તેવી પ્રસ્તાવના, સંશોધનો, ટિપ્પણ વગેરે થાય છે. પરંતુ તેથી આગળ વધીને, તે તે ધર્મના અનુયાયીઓ જ પોતાના શાસ્ત્રકારોની માન્યતાઓનો ઉપહાસ કરતા હોય, શાસ્ત્રકારોનું અજ્ઞાન ગણતા હોય અને આધુનિક શૈલીને સર્વોપરી ગણતા હોય તે રસ્તે ચાલે અને તે રસ્તે ચાલવાથી શાસ્ત્રીય વિધાનોને ગમે તેટલો ધકકો પહોંચે તેવાં વિધાનો સ્વયં કરે. “અને સાંપ્રદાયિકતા, સંકોચિતા” વગેરે કહીને હલકા પાડે તથા પરંપરાને અનુસરી ધર્મશાસ્ત્રોની માન્યતાઓને ટકાવી રાખનારા તથા પ્રજામાં જીવંત રાખનારાઓની અભિમાનથી જેમાં મશ્કરી હોય તેવાં છપાવેલ સંસ્કરણો ગમે તેટલા ઊંચા કાગળો અને ટાઈપોના ભભકામાં હોય, સગૃહસ્થોની ઊંચા પ્રકારની મદદથી બહાર પાડ્યા હોય છતાં તેવા ગ્રંથો ખરીદવામાં, વાંચવામાં, પ્રશંસવામાં મિથ્યાત્વ લાગે કે નહીં ? તેથી અતિચાર લાગે કે અનાચાર લાગે ? અને પવિત્ર જ્ઞાનની આશતના ગણાય કે નહીં? અને ગણાય તો તે કેટલી ગણાય ? તે બાબતનો પૂજ્ય આચાર્ય મહારાજાઓ પાસેથી ખુલાસો મેળવીને યથાયોગ્ય રીતે વર્તવું હિતાવહ જણાય છે. જેમાં પૂર્વાચાર્યોને માટે માનભર્યા શબ્દો લખવાને બદલે સામાન્ય માણસોની જેમ તેઓને સંબોધવામાં લેખકોએ પોતાની તટસ્થતા અને હોશિયારી માની હોય, જેમ બને તેમ તટસ્થતા જાળવવાનો ડોળ કરવા જતાં ગમે તેટલો વાસ્તવિક બાબતને અન્ય પહોંચાડ્યો હોય વગેરે તત્ત્વોવાળા પ્રાચીન આપણા ગ્રંથોનાં આધુનિક સંસ્કરણોના ઉપયોગથી બચવા આપણી જૈન પ્રજાને કઈ જાતની સલાહ આપી શકાય? તેમાં પણ જૈનેતરના હાથનાં સંસ્કરણ માટે કદાચ પ્રજાસ્વયં જ તેનાં વિધાનો તરફ વિશ્વાસ ન રાખી દોરવાય નહીં. પરંતુ જૈન સંશોધકો અને સંસ્કારકોના નામ નીચે પ્રસિદ્ધ થયેલાઓના ભયંકર તત્ત્વથી પ્રજાને બચવાનો ઉપાય જ દુર્ઘટ બને છે. વળી, શ્રીસંઘને કાયદેસર જે જાતના હકક હોય, જેના ઉપર માલિકીહકક હોય વગેરે બાબતમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy