SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૨ પંચ પ્રતિક્રમણ સૂત્રો શબ્દાર્થ :- અભિષેક કર્મ જન્માભિષેક-જળસિંચનનું કામ. કૃત્વા કરીને, સમાપ્ત કરીને. મત્તા આનંદ મદમાં આવી ગયેલા. હર્ષ-ભરાતહરખના ભારથી, અત્યન્ત ઊભરાતા ઘણા હરખથી. સુખસુખપૂર્વક. સુરેન્દ્રા: દેવતાઓના ઈદ્રો. ડ્રાણ તણખલા જેવું. ગણયત્તિ=ગણવું, માનવું ગણે છે, માને છે. નાકમ-સ્વર્ગ લોકને. સન્તહો. શિવાય કલ્યાણને માટે તે તેઓ. જિનેન્દ્રા: જિનેશ્વર ભગવંતો. એષામભિષેક-કર્મ કૃત્વા મત્તા હર્ષ” ભરાફુખ સુરેન્દ્રા: તૃણમપિ' | ગણયત્તિ"નેવ નાકં, ‘પ્રાત:*સતુ શિવાયતે" જિનેન્દ્રા: પરા ગાથાર્થ :- 'જેઓના જન્માભિષેકનું કામ કરીને *હર્ષના ઊભરાથી સુખપૂર્વક “આનંદ-મદમાં આવી ગયેલા-હર્ષઘેલા થયેલા ઇન્દ્રો સ્વર્ગને તણખલા જેવું પણ" "ગણતાં જ નથી. તે જિનેશ્વરદેવોજ સવારમાં* કલ્યાણને માટે હો. વિશેષાર્થ :- રજી ગાથામાં બીજા સર્વ તીર્થકર ભગવંતોની સ્તુતિ કરવામાં આવી છે. જગતમાં લોકોને મન સ્વર્ગ એ સુખનું મોટું સ્થાન છે. અને તેમાં ઇન્દ્રોને તો સૌથી વધારે સુખ હોય છે. પરંતુ ઈન્દ્રો જેવા પણ બાળક સ્વરૂપે રહેલા તીર્થંકર પરમાત્માનો જન્માભિષેક કરી લીધા બાદ આવો લહાવો લેવાનો પ્રસંગ મળવાથી પોતે પોતાને એટલા બધા કૃતકૃત્ય માને છે, કે આ કામ કરવા માટે તેમને અત્યન્ત હર્ષ થાય છે. અને તે એટલો બધો કે તેથી તેઓ હર્ષઘેલા થઈ જાય છે. અર્થાત્ ઈન્દ્રના સુખ કરતાં આ હર્ષના આનંદનું સુખ તેઓને એટલું બધું થાય છે કે તેમને ગાંડા બનાવી મૂકે છે, તો પછી બાલ્યાવસ્થા વટાવ્યા પછી દીક્ષા લીધા બાદ અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તીર્થંકર તરીકે જનસમાજમાં કલ્યાણકર પવિત્ર ધર્મોપદેશ આપ્યા બાદ તીર્થકરોની પવિત્રતાની અવધિ વધી ચૂકેલી હોય, તેમાં તો પૂછવું જ શું? આવા પવિત્રતરતમ તીર્થંકર પરમાત્માઓ પ્રાત:કાલમાં સુખરૂપ થાઓ ! આવો આશીર્વાદ સર્વોત્કટ જણાય છે. આથી ઊંચો આશીર્વાદ બીજો કોઈ પણ જગતમાં મળશે જ નહીં. ઉત્કૃષ્ટ અતિશયોકિત અલંકાર પ્રધાન છતાં વસ્તુસ્થિતિ સુંદર રીતે રજૂ કરતું કાવ્ય ચમત્કારવાળું આ કાવ્ય છે. ૨ શબ્દાર્થ:- કલશ્ક-નિર્મુક્તમ કલંક વગરનું, નિષ્કલંક અ-મુક્ત-પૂર્ણતમ પૂર્ણતા છોડયા વગરની પૂર્ણતાવાળી, સંપૂર્ણ. કુતર્ક-રાહુ-ગસનમ ખોટા તક રૂપી રાહુઓને ગળી જનારી. સદોદય હંમેશા ઉદયવાળી, ઉદય પામતી, સદા જાગતી. અપૂર્વ-ચન્દ્રમનવીન ચન્દ્રમા જેવું. જિન-ચન્દ્ર-ભાષિતમ=જિનેશ્વર પરમાત્માએ કહેલી. દિના- ગમે દિવસની શરૂઆતમાં, સવારમાં, પ્રાત:કાળે. નૌમિ=સ્તુતિ કરું છું, સ્તવું છું, વખાણું છું. બુધ: વિદ્વાનોએ, સાચા પંડિતોએ. નમસ્કૃતમ નમસ્કાર કરાયેલી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy