Book Title: Updeshamrut
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram
Catalog link: https://jainqq.org/explore/005261/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ છરીઝલ્ લઘુરાજ સ્વામી (2ભુશ્રી) COા શા, શ્રીમદ્ રાજચંદ્ર આ98માં LOULE Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ લઘુરાજ સ્વામી (પ્રભુત્રી) ઉપદેશામૃત શ્રીમદ્ લઘુરાજ શતાબ્દી સ્મારક ગ્રંથ) - જન્મજયંતી - (સં.૨૦૧૦, આશ્વિન વદ ૧) શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક: મનુભાઈ ભ. મોદી પ્રમુખ, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ સ્ટ, અગાસ, વાયા-આણંદ પોસ્ટ બોરીઆ-૩૮૮ ૧૩૦ (ગુજ.) આવૃત્તિ પહેલી બીજી ત્રિીજી ચોથી પાંચમી છઠ્ઠી પ્રત ૨૦૦૦ ૨000 ૩૦૦૦ ૫૦૦૦ ૩૦૦૦ ૩૦૦૦ ઈસ્વી સન ૧૯૫૪ ૧૯૬૪ ૧૯૭૬ ૧૯૮૬ ૧૯૯૭ ૨૦૦૨ વિ. સંવત ૨૦૧૦ ૨૦૨૦ ૨૦૩૩ ૨૦૪૨ ૨૦૫૩ ૨૦૫૮ એક આત્માને જાણ્યો તેણે સર્વ જાણ્યું. નિગ્રંથ પ્રવચન અહો! સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ– અહો! તે સવોત્કૃષ્ટ શાંત રસપ્રઘાન માર્ગના મૂળ સર્વજ્ઞદેવ :અહો! તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાવ્યો એવા પરમકૃપાળુ સગુરુદેવઆ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તા, જયવંત વતો. -શ્રીમદ્ રાજચંદ્ર “આત્મા થઈને આત્મા બોલ્યો. આરાધ્યો તો બસ.” -પ્રભુશ્રીજી પડતર કિંમત રૂ. ૧૨૫/- વેચાણ કિંમત રૂ.૫૦/ (ઃ પુસ્તક પ્રાપ્તિ સ્થાન :) શ્રી પરમશ્રત પ્રભાવક મંડળ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હાથી બિલ્ડીંગ, ‘એ' બ્લોક, સ્ટેશન : અગાસી બીજે માળ, રૂમ નં.૧૮, પોસ્ટ : બોરીઆ. ભાંગવાડી, ૪૪૮, કાલબાદેવી રોડ, પીન : ૩૮૮ ૧૩૦ મુંબઇ-૪૦૦ ૦૦૨ ગુજરાત, ફોન: ૦૨૨-૨૨૦૬૯૨૩૪ ફોન: ૦૨૬૯૨-૨૮૧૭૭૮ ટાઈપ સેટિંગઃ ડીસ્કેન કૉમ્યુ આર્ટ, આણંદ ફોન : ૫૫૨૨૧ પ્રિન્ટર વર્ક સેન્ટર ઓફસેટ પ્રિન્ટર્સ (ઇ) પ્રા. લિ., એ-૨/૩૨, શાહ એન્ડ નાહર ઇંડ. ઈસ્ટેટ, એસ.જે.રોડ, લોઅર પરેલ, મુંબઈ-૪૦૦ ૦૧૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ SEXSXX3EUSEBOUDEWIESECIWIECIEBESEOSEBEOBEC3OSE380 જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે છે તે પ્રકાર ઘર્મના છે. આત્મા જે પ્રકારે અન્યભાવ પામે, તે પ્રકાર અન્યરૂપ છે; ઘર્મરૂપ નથી. જીવે ઘર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પનાપ્રાસ અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાઘવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સપુરુષથી જ આત્મા કે આત્મઘર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત્ આરાઘવા જોગ છે.” – પત્રાંક ૪૦૩, “શ્રીમદ્ રાજચંદ્ર' “આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે કોઈ પણ મુખ્ય ઉપાય હોય તો આત્મારામ એવા જ્ઞાની પુરુષનો નિષ્કામબુદ્ધિથી ભક્તિયોગરૂપ સંગ છે.” – પત્રાંક ૪૩૨, “શ્રીમદ્ રાજચંદ્ર' “પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું (!) તે પરાભક્તિની છેવટની હદ છે. એક એ જ લય રહેવી તે પરાભક્તિ છે. પરમ-મહાત્મા ગોપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી. પરમાત્માને નિરંજન અને નિર્દેહરૂપે ચિંતવ્ય જીવને એ લય આવવી વિકટ છે, એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે, એવો દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. તે જ્ઞાની પુરુષનાં સર્વ ચરિત્રમાં ઐક્યભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો ઐક્યભાવ હોય છે; અને એ જ પરાભક્તિ છે. - જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી; અને જે કોઈ અંતર માને છે, તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તો પરમાત્મા જ છે; અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી; માટે સર્વ પ્રકારે ભક્તિ કરવાયોગ્ય એવી દેહઘારી દિવ્ય મૂર્તિ–જ્ઞાનીરૂપ પરમાત્માની–ને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લયે આરાઘવી, એવો શાસ્ત્રલક્ષ છે. પરમાત્મા આ દેહધારીરૂપે થયો છે એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે, અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ હોય છે.... પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ; અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે.” -પત્રાંક ૨૨૩, “શ્રીમદ્ રાજચંદ્ર' સંત-ચરણ-આશ્રય વિના, સાઘન કર્યા અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક.” – શ્રીમદ્ રાજચંદ્ર' BESEDE DESEOSESEOSESEO SEO CIE3806580 SEBEOB638063800580 Page #5 -------------------------------------------------------------------------- ________________ અભિવંદના. વસંતતિલકા અધ્યાત્મમૂર્તિ, સહજાત્મપદે નિમગ્ન, બોધિ સમાધિ સુખ શાશ્વત શાંતિમગ્ન; યોગીન્દ્ર વન્ય ગુરુ રાજ કૃપાળુદેવ, ચાહું અખંડ સહજાન્મસ્વરૂપ સેવ. ૧ જ્ઞાનાવતાર ગુરુ આપ કૃપા-પ્રસાદે, સ્વાત્માનુભૂતિ-રસપીયૂષના સુસ્વાદે; જેણે સ્વશ્રેય પરશ્રેય અનંત સાધ્યું, તે શાંતમૂર્તિ લઘુરાજપદે હું વધું. ૨ માલિની બહુ બહુ બહુ સેવ્યાં સાધનો મુક્તિ કાજે, સ્વ-સ્વરૃપ ન પિછાણું બંધ તો કેમ ભાંજે? તુજ પરમ કૃપાથી મુક્તિનો માર્ગ આજે, સહજ સુલભ ભાસે, ઘન્ય આ યોગ છાજે. ૩ અદ્ભુત નિધિ આત્મા આપ પોતે છતાંયે, સ્વપદ પ્રતિ વળે ના દ્રષ્ટિ સ્વચ્છંદતાયે ! ઉપકૃતિ અભિવંદુ સદ્ગુરુ ઘન્ય ઘન્ય, નયન અજબ આંજી દૃષ્ટિ દે જે અનન્ય. ૪ અભુત તુજ મુદ્રા ધ્યાનમાં મગ્ન ભાળું, પ્રશમ-રસ-સુધાનો સિંધુ જાણે નિહાળું ! ચતુરગતિ પ્રવેશું ના કદી' એમ ઘારી, સ્વરમણ-વર-ધ્યાને શું પ્રભો વૃત્તિ ઠારી ! ૫ શમનિથિ લઘુરાજે રાજચંદ્રપ્રભા શી ! જળહળ ઉલસંતી સ્વાનુભૂતિ દશા શી ! સ્મરી સ્મરી સ્મરી સ્વામી, વીતરાગી અવસ્થા, નમું નમું નમું ભક્તિ-ભાવ આણી પ્રશસ્તા. ૬ શાર્દૂલવિક્રીડિત જે સંસાર અપાર દુઃખદરિયો ઉલ્લંઘવા ઇચ્છતા, આત્માનંદ-પ્રપૂર્ણ સિદ્ધિસુખના આલ્હાદને ઝંખતા; તે સદ્ભાગી શિવાર્થીને શરણ જે સાચું દઈ તારતા, વંદું શ્રીમદ્ રાજચંદ્ર, ભવથી સંતસને ઠારતા. ૭ –શ્રી રાવજીભાઈ દેસાઈ BEBEXSEX SEX SEX SEX SEX SEXSOCIECHOCSECSECSECSECSEO SEO SEO Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચન્દ્ર જન્મ-વવાણીઆ. દેહવિલય- રાજકોટ વિ. સં. ૧૯૨૪ કાર્તિક પૂર્ણિમા, રવિવાર વિ. સં ૧૯૫૭ ચૈત્ર વદ ૫, મંગળવાર. Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન પાંચમી આવૃત્તિ અધ્યાત્મમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રના વચનામૃતો તથા ઉપદેશેલા ધર્મતત્વને પ્રકાશમાં લાવવાનો મુખ્ય ધ્યેય પરમ પૂજ્ય લઘુરાજસ્વામીનો છે. તેવા પરમોપકારી સંતના જીવન દરમ્યાન ચીંતવેલ માને પુષ્ટી આપતું પુસ્તક “ઉપદેશામૃત'ની પાંચમી આવૃત્તિનું ૩૦૦૦ પ્રતો સાથે પુનઃમુદ્રણ કરતાં આનંદ થાય છે. મુંબઈના શ્રી. ઈન્દુભાઈ બી. મહેતા તથા શ્રી. જગદીશભાઈ એસ. સંઘવીએ ઉપદેશાતનો ખૂબ જ ખંતપૂર્વક અભ્યાસ કરી પરિશિષ્ટ વિભાગમાં ઘણી માહીતીઓનું સંકલન કરેલ છે જે પાંચમી આવૃત્તિમાં સમાવેલ છે અને તે માહીતી મુમુશવગનિ ધર્મતત્વની આરાધનામાં પ્રબળ સહાયક બનશે. આ પ્રકાશનમાં સદ્યુત અનુમોદકોએ ઉદારચિત્તે દાન કર્યું છે જેની નોંધ અંતમાં આપવામાં આવેલ છે અને તેથી પુસ્તકની કિંમત પડતર કિંમતથી ઘણી જ ઓછી રાખી શકાઈ છે. વિ. સંવત ૨૦૫૩, વૈશાખ સુદ ૮, તા. ૧૪-૫-૧૯૯૭ મનુભાઈ ભ. મોદી પ્રમુખ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાશ છઠ્ઠી આવૃત્તિ ઉપદેશામૃત ગ્રંથની છઠ્ઠી આવૃત્તિ ૩૦૦૦ પ્રત સાથે મુદ્રણ થાય છે. આ ગ્રંથના અભ્યાસથી મુમુક્ષુને એક પરમકૃપાળુ દેવને જ પ્રત્યક્ષ સયુરુષ માની તેમની ભક્તિ કરીને આત્મકલ્યાણ સાધવાની દઢતા કરાવે છે. આ પ્રકાશનમાં મુમુક્ષુઓ એ આનંદ અને ઉલ્લાસ થી ઉદાર ફાળો નોંઘાવેલ છે તે સૌનો અંતઃ કરણપુર્વક આભાર માનવામાં આવે છે. મનુભાઈ ભ. મોદી પ્રમુખ શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, અગાસી Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રથમાવૃત્તિનું નિવેદન “પ્રભુ-પ્રભુતા સંભારતાં, ગાતાં કરતાં ગુણગ્રામ રે; સેવક સાઘનતા વરે, નિજ સંવર પરિણતિ પામ રે; મુનિ પ્રગટ તત્ત્વતા ધ્યાવતાં, નિજ તત્ત્વનો ઘ્યાતા થાય રે; તત્ત્વ૨મણ-એકાગ્રતા, પૂરણ તત્ત્વે એઠ સમાય રે. મુનિ ‘લોહધાતુ કંચન હુવે રે લાલ, પારસ-ફરસન પામી રે વ્હાલેસર, પ્રગટે અધ્યાતમ દશા ૨ે લાલ, વ્યક્તગુણી ગુણગ્રામ રે વ્હાલેસર; તુજ દિરસણ મુજ વાલહું રે લાલ, દિરસણ શુદ્ધ પવિત્ત રે વ્હાલેસર.’’—શ્રીમદ્ દેવચંદ્ર પરમ કૃપાળુ પરમ તત્ત્વજ્ઞ અધ્યાત્મમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રથી આત્મપ્રતીતિ પામી પરમાત્મ-દર્શનને પામેલા તેમજ મોક્ષાર્થી ભવ્યોને પોતાની સહજ કરુણાદ્વારા સદ્બોધવૃષ્ટિથી આત્મહિત પ્રત્યે વાળી આ દુર્લભ માનવભવનું સફળપણું કરાવવામાં સર્વોત્કૃષ્ટ ઉપકારી એવા શ્રીમદ્ લઘુરાજ સ્વામી (પ્રભુશ્રીજી)નો ઉપદેશ-સંગ્રહ ‘શ્રીમદ્ લઘુરાજ શતાબ્દી સ્મારક ગ્રન્થ' રૂપે પ્રસિદ્ધિ પામે એ ઘણા આત્મબંધુઓની ઇચ્છા હતી. તેથી આ ગ્રન્થ જેમ બને તેમ વહેલો પ્રકાશિત થાય અને આ આશ્વિન વદ ૧ ના રોજ શ્રીમદ્ લઘુરાજ સ્વામી (પ્રભુશ્રીજી)ના જન્મજયંતી-શતાબ્દી મહોત્સવ-પ્રસંગે મુમુક્ષુબંધુઓને આ ગ્રંથ-પ્રસાદી અમૂલ્ય ભેટરૂપે પ્રાપ્ત થાય એવી ઇચ્છાથી તેના સંપાદન કાર્યનો પ્રારંભ થયો હતો. સંતશિરોમણિ પ્રભુશ્રીજીની સેવામાં સર્વાર્પણપણે જીવન સમર્પી પરમ કૃપાળુ દેવની આજ્ઞા આરાઘનાર તથા મુમુક્ષુઓને પરમ કૃપાળુ દેવની આજ્ઞા આરાધન પ્રત્યે વાળવા પ્રયત્નશીલ થઈ સેવા અર્પનાર અધ્યાત્મ-પ્રેમી સદ્ગત પૂ. શ્રી બ્રહ્મચારીજીએ આ ગ્રંથના સંપાદન કાર્યમાં ઘણા ઉલ્લાસથી અને ખંતથી પોતાની સર્વ શક્તિ અને સમયનો ભોગ આપી પરિશ્રમ લીધો છે જેથી આ ગ્રંથપ્રકાશનનો સર્વ યશ તેમને જ ઘટે છે. તેમની દોરવણી પ્રમાણે આ ગ્રંથ સંપાદિત થયો છે. તેના ફળરૂપે આજે આ ગ્રન્થ મુમુક્ષુઓને સાદર અર્પણ કરતાં આનંદ ઊપજે છે. પરંતુ તે સાથે અત્યંત ખેદની વાત એ છે કે આ ગ્રન્થ તૈયાર થઈ મુમુક્ષુઓના કરકમળમાં આવે તે પહેલાં એ પવિત્ર આત્માનો દેહોત્સર્ગ થયો. વીતરાગશ્રુત-પ્રકાશનરૂપ આશ્રમના ગ્રન્થપ્રકાશનમાં તેમણે જીવનપર્યંત આપેલી સર્વોત્તમ સેવાઓ માટે તેમને ધન્યવાદપૂર્વક અત્રે સ્મૃતિ-અંજલિ અર્પવી ઘટે છે. આ ઉપદેશામૃત ગ્રંથમાં :— ‘પત્રાવલિ ૧’ નામનો જે વિભાગ છે તેમાં પ્રભુશ્રીજીએ સ્વયં લખેલા અથવા લખાવેલા પત્રોમાંથી લીધેલા પત્રો છે. ‘પત્રાવલિ ૨'માં પ્રભુશ્રીજીએ શ્રી બ્રહ્મચારીજીને જે પ્રમાણે લખવા સૂચના કરેલી તે પ્રમાણે પોતાની ભાષામાં લખી લાવી તેઓશ્રીને વંચાવેલા પત્રોનો મુખ્યત્વે સંગ્રહ છે. ‘વિચારણા'નો વિભાગ પ્રભુશ્રીજીની પોતાની વિચારણા છે. ત્યારપછીનો ‘ઉપદેશસંગ્રહ-૧' પ્રભુશ્રીજીનો બોધ પ્રસંગોપાત્ત ચાલતો હોય તેની ત્યાં જ બેસીને એક મુમુક્ષુભાઈએ યથાશક્તિ અને યથાસ્મૃતિ કોઈ કોઈ દિવસે લીધેલી નોંઘ છે. બાકીના ‘ઉપદેશ સંગ્રહ' ભાગ ૨ થી ૬ મુમુક્ષુઓએ યથાસ્મૃતિ, યથાશક્તિ અને યથાવકાશ કોઈ કોઈ દિવસે લીધેલી નોંધનો સંગ્રહ છે. મઘાના મેહની માફક પ્રભુશ્રીજીનો બોધ તો અખંડ અમૃતવૃષ્ટિ સમાન નિરંતર વરસતો હતો. તેમાંથી યત્કિંચિત્ જે કંઈ આ સંગ્રહ થયો છે તે મુમુક્ષુઓને પરમ શ્રેયરૂપ, પરમ આધારરૂપ થાય તેવો છે. તેમજ તે તે ઉપદેશના સંગ્રહ કરનાર મુમુક્ષુ ભવ્યોને પોતાને પણ આત્મલાભનું કારણ છે. જેમ અમૃત અલ્પ માત્ર પણ જીવને અમર કરવા સમર્થ થાય છે તેમ આત્માનુભવી સાચા પુરુષનો અચિંત્ય Page #10 -------------------------------------------------------------------------- ________________ માહામ્યવાળો આ બોઘ અલ્પ પણ આરાઘનારને અજરામર પદ આપવા સમર્થ થાય તેવો શક્તિશાળી છે. આત્મજ્ઞ મહા પુરુષની આત્મા પામવા તેમજ પમાડવા માટેની તાલાવેલી, તમન્ના, ઘગશ આ બોઘમાં કોઈ અપૂર્વ, અદ્ભુત સ્થળે સ્થળે દ્રષ્ટિગોચર થાય છે. તેમજ આત્મા પામેલા પુરુષને આત્માનો રંગ કેવો અજબ હોય છે તે પ્રગટ ભાસ્યમાન થાય છે, જે આત્માર્થીને અત્યંત આત્મહિતપ્રદ અને આલ્હાદકારી જણાવા યોગ્ય છે. જેણે પ્રભુશ્રીજીનો સાક્ષાત્ બોઘ સાંભળ્યો છે તેને તો આ બોઘ આબેહૂબ તે તે પ્રસંગો સ્મૃતિપટ પર તાજા કરી દઈ, તે તે પરમ શાંત રસમય અદ્ભુત સત્સંગ રંગ રંગના અવર્ણનીય આસ્વાદને ખડો કરી દઈ અપૂર્વ આનંદ અને શ્રેયમાં પ્રેરે તેમ છે. બીજા પણ તત્ત્વજિજ્ઞાસુ સનને, ભાષા અને શૈલી જેમાં સરળ છે એવાં આ અનુભવી મહાપુરુષનાં પ્રગટ યોગબળવાળાં વચનો હૃદયમાં સચોટ અસર કરી આત્મહિત અને આત્માનંદમાં પ્રેરવા સમર્થ થાય તેમ છે. આ પત્રાવલિ અને ઉપદેશ સંગ્રહ ઉપરાંત પ્રભુશ્રીજીનું સંક્ષિપ્ત જીવનચરિત્ર પણ આમાં આવે તો સારું એમ કેટલાક મુમુક્ષભાઈઓની ઇચ્છા હોવાથી પૂ. શ્રી બ્રહ્મચારીજીએ પ. પૂ. શ્રી પ્રભુશ્રીજીના દેહોત્સર્ગ પછી થોડા વખત પછી લખેલા જીવનવૃત્ત થોડા વખત પછી લખેલા જીવનવૃત્તાંતમાંથી સંક્ષિપ્તરૂપે અત્રે તે આપવામાં આવ્યું છે. સં.૧૯૭૬ સુધીના પ્રસંગો ૧૫ ખંડમાં તેમણે વર્ણવ્યા છે. ત્યાર પછીનું જીવનચરિત્ર અપૂર્ણ અધૂરું જ રહ્યું છે જે તેમણે પૂરું કર્યું નથી. તેથી બાકીના પ્રસંગો ૬ ખંડમાં સમાવી ખંડ ૧૬ થી ૨૧ સુધીમાં બાકીનું ચરિત્ર સંક્ષેપમાં સમાપ્ત કર્યું છે, જે આત્માર્થીઓને આત્માર્થ-પ્રેરક થાઓ ! અનાદિથી નિજ ઘરને ભૂલેલી, નિરંતર પરમાં જ પરિણમતી ચૈતન્યપરિણતિ નિજગૃહ પ્રત્યે વળે અર્થાત્ સ્વભાવપરિણામ સન્મુખ થાય અને આત્મા ચિદાનંદમય નિજમંદિરમાં નિત્ય નિવાસ કરી સહજ આત્મસ્વરૂપમય શાશ્વત સુખ અને શાંતિમય નિજ અભુત અનુપમ ઐશ્વર્યને પામે તે માટે પ્રબળ અવલંબન જો કોઈ પણ હોય તો તે સબોઘ કે સ્વભાવપરિણામી જ્ઞાની પુરુષનાં શાંતસુધારસમય બોઘવચન—ઉપદેશામૃત જ છે. તેવા આ ગ્રંથમાંથી તત્ત્વજિજ્ઞાસુ મોક્ષાર્થી ગુણગ્રાહી સ%નો હંસની માફક સારને ગ્રહણ કરી કૃતાર્થ થઈ આત્માનંદને આસ્વાદશ અને દોષવૃષ્ટિને પરિહરી સ્વશ્રેય સન્મુખ થશે એમ આશા છે. છતાં અગમ્ય એવા જ્ઞાની પુરુષનાં અતિ ગહન એવાં ચરિત્રાદિનું કથન હોવાથી અને મતિ સ્વલ્પ હોવાથી આ ગ્રંથમાં કોઈ પણ ત્રુટિ સુજ્ઞ સનોને લક્ષગતે થાય તો તે માટે ઉદારભાવે ક્ષમા આપી તે ખામી દર્શાવી ઉપકૃત કરશે એવી નમ્ર વિનંતી છે. આ ગ્રંથ-પ્રકાશનમાં ભેટ આપનાર મુમુક્ષુ જનોનો અત્ર આભાર માનવામાં આવે છે. તેમજ તે ભેટની યાદી આ સાથે અન્યત્ર આપવામાં આવેલ છે. આ ગ્રંથમાં “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રન્થમાંના પત્રોના જે જે નંબરોનો નિર્દેશ છે તે પત્રાંક આ આશ્રમદ્વારા પ્રકાશિત આવૃત્તિના છે. - શ્રી વસંત પ્રિન્ટિંગ પ્રેસના વ્યવસ્થાપક શ્રી જયંતિ દલાલે આ ગ્રંથ છાપવામાં અંગત કાળજી અને રસ લીધો છે જેથી આટલી સુંદર રીતે આ ગ્રંથ-પ્રકાશન થયું છે. સપદાભિલાષી સજનોને સસ્પદની આરાધનામાં આ ગ્રંથનો વિનય અને વિવેકપૂર્વક સદુપયોગ આત્મશ્રેય સાઘવા પ્રબળ સહાયક બનો; ઇતિ અલમ્. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટેશન અગાસ; વાયા આણંદ લિ. સત્ સેવક ગુરુપૂર્ણિમા, ગુરુવાર સં. ૨૦૧૦ રાવજીભાઈ છ. દેસાઈ તા. ૧૫-૫૪ Page #11 -------------------------------------------------------------------------- ________________ Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ લઘુરાજ સ્વામી (પ્રભુશ્રી) ઉપદેશામૃત અનુક્રમણિકા વિષય ૫૧૯ પૃષ્ઠ શ્રીમદ્ લઘુરાજ સ્વામીનું જીવનચરિત્ર (૧) થી (૮૦) ઉપદેશામૃત પત્રાવલિ–૧ પત્રાવલિ-૨ વિચારણા ૧૪૪ ઉપદેશસંગ્રહ-૧ ૧૫૫ ૧૧૭ ૫૨૩ ૨૫૭ વિષય પૃષ્ઠ પરિશિષ્ટ-૪ તળપદી ભાષાના અને અન્ય કેટલાક શબ્દોના અર્થ પરિશિષ્ટ- ૫ સૂચિ - ૧ ગ્રંથનામસ્તોત્ર – વર્તમાનપત્ર લેખ . ૫૨૧ સૂચિ – ૨ શબ્દ અને વિષય સૂચિ પરિશિષ્ટ - ૬ જીવન કથન સૂચિ – ૧ પ્રભુશ્રીનો સંક્ષિપ્ત જીવન કમ ૫૪૫ સૂચિ – ૨ પ્રભુશ્રીના ચાતુર્માસ ક્ષેત્ર ૫૪૭ સૂચિ – ૩ પ્રસંગો- પરમ કૃપાળુદેવના સૂચિ -૪ પ્રસંગો- સમાધિમરણના ૫૪૮ સૂચિ -૫ પરમ કૃપાળુદેવે અમને (પ્રભુશ્રીને) કહ્યું “હે! મુનિ...” ૫૪૯ પરિશિષ્ટ- ૭ સંત હૃદય સૂચિ – ૧ પરમ કૃપાળુદેવ તથા મહામુમુક્ષુઓના સંસ્મરણો ૫૪૮ ૩૪૩ ૪૦૭ ४४७ ४८७ કેટલાંક છૂટક વચનો ૪૯૯ પરિશિષ્ટ - ૧ સૂચિ – ૧ આગમ સૂત્રો, અને ગાથાઓ સૂચિ – ૨ દષ્ટાંત તથા પ્રસંગ સૂચિ ૫૦૨ પરિશિષ્ટ-૨ શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત સૂચિ–૧ શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત વાંચન – સ્વાધ્યાય ૫૦૪ સૂચિ – ૨ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની ગાથાઓના અવતરણો ૫૦૬ સૂચિ – ૩ વચનામૃત અવતરણ કમાંક સૂચિ ૫૦૭ પરિશિષ્ટ-૩ પત્રો વિષે વિશેષ માહિતી પત્રાવલી-૧ ૫૧૧ પત્રાવલી–૨ ૫૧૭ ૫૦૧ ૫૫૦ ૫૫૩ પ્રાસંગિક પોતાની વાત સૂચિ – ૨ સંતની શિખામણ – એક પરમ કૃપાળુદેવ સૂચિ – ૩ સંતનો સંદેશો – એક પરમ કૃપાળુદેવ સૂચિ –૪ આત્માર્થ – સાધન ૫૫૫ પપ૭. Page #13 -------------------------------------------------------------------------- ________________ [ ક સ્મરણાંજલિ અંગૂઠે સૌ તીરથ વસતાં સંતશિરોમણિરૂપેજી; રણદ્વીપ સમ દિપાવ્યો આશ્રમ, આપ અલિપ્ત સ્વરૂપે જી. સમજી અત્યંત શમાયા સ્વામી કદીયે નહિ છલકાયાજી, અબળા, બાળ, ગોપાળ બઘાને શિર છત્રની છાયાજી. ૧ સમજે સર્વે મનમાં એવું મુજ પર પ્રેમ પ્રભુનોજી; પરમકૃપાળુ સર્વોપરી છે હું તો સૌથી નાનોજી. પરમપ્રેમમૂર્તિ પ્રભુજીની સહું સ્વપ્ન ન વિયોગજી, કાળ કરાળ દયાળ નહીં જરી, જડને શો ઉપયોગજી? ૨ ઋતુ પર્વ સૌ પાછાં આવે યાદી પ્રભુની આપેજી, પ્રેમમૂર્તિનું દર્શન ક્યાંથી? શોક સહુ જે કાપેજી. પ્રભુનાં રા—ખ દર્શન વિણ તો, ક્યાંથી ઉમળકો આવેજી? સ્મૃતિસરોવર નિર્મળ જેનું તેને વિરહ સતાવેજી. ૩ ત્રિવિઘ તાપથી બળતા જીવો વચનસુઘારસ પીતાજી, સંત સમાગમ દર્શન પામી પ્રારબ્ધ નહિ બીતાજી સત્યયુગ સમ કાળ ગયો એ સૌને ઉરમાં સાલેજી, દૂર રહ્યા પણ દયાવૃષ્ટિથી પ્રભુ અમને નિહાળજી. ૪ -શ્રી બ્રહ્મચારીજી પ્રશસ્તિ (શિખરિણી) અહો! આત્મારામી, મુનિવર લઘુરાજ પ્રભુશ્રી, કૃપાળુની આજ્ઞા ઉર ઘરી કરી વ્યક્ત શિવશ્રી; તમે ઉદ્ધાર્યા આ દુષમ કળિકાળે જન બહુ, કૃપાસિંધુ વંદું, સ્વરૂપ-અનુભૂતિ-સ્થિતિ ચહું. ૧ કૃપાળુની આજ્ઞા મુજ ઉર વિષે નિશ્ચળ રહો, ગુરુ જ્ઞાનીયોગે ભવજળ તણો અંત ઝટ હો; સદા સેવી એના વિમલ વચનામૃત ઋતને, સદાનંદે મગ્ન ભજું હું સહજાન્મસ્વરૂપને. ૨ (વસંતતિલકા) શ્રી રાજચંદ્ર ગુરુવર્યતણા પ્રતાપે, અધ્યાત્મજ્ઞાન પ્રગટાવી પ્રભુશ્રી આપે; વર્ષાવી બોઘતણી અમૃતવૃષ્ટિ આ જે, થાઓ મુમુક્ષુ જનને શિવસૌખ્ય કાજે. ૩ જે ભવ્ય આ જીવન જ્ઞાનીતણું સુણીને, સંભાળશે સહજ-આત્મસ્વરૂપ-શ્રીને; સંસાર-સાગર અપાર તરી જશે તે, શાંતિ સમાધિ સુખ શાશ્વત પામશે તે. ૪ –શ્રી રાવજીભાઈ દેસાઈ Page #14 -------------------------------------------------------------------------- ________________ જન્મ-વટામણ વિ. સં. ૧૯૧૦, આસોજ વદ ૧ શ્રીમદ્ લઘુરાજ સ્વામી પ્રવ્રજ્યા કે ખંભાત વિ. સં. ૧૯૪૭ દેહોત્સર્ગ-આશ્રમ અગાસ વિ. સં ૧૯૯૨, વૈશાખ સુદ ૮ Page #15 -------------------------------------------------------------------------- ________________ Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ લઘુરાજ સ્વામી (પ્રભુશ્રી) નું જીવનચરિત્ર મન વચન શરીરે પુણ્ય સુધા પ્રકાશે, ત્રિભુવન પણ જેના ઉપકારે વિકાશે; પરગુણ-પરમાણુ ગિરિ જેવા ગણી જે, નિજ ઉર વિકસાવે સંત તે કેટલા છે ? આત્મસ્વરૂપ સમ્યપ્રકારે જેણે અનુભવ્યું છે, સર્વત્ર જેની આત્મદ્રષ્ટિ છે, તે સંત મહંતની મન-વચન-કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત માહાભ્યથી આ આખું વિશ્વ શોભી રહ્યું છે. શત્રુ પણ તેને મિત્ર સમાન છે, અવગુણીને તે અભુત પ્રભાવથી ઉત્તમતામાં પ્રેરે છે અને પ્રત્યેક પ્રાણીને તે પોતાના આત્માનંદથી ઉજ્વળ કરી આત્મશક્તિનો વિકાસ કરે છે. એવા અનંત ઉપકારી મહાત્માને અત્યંત ભક્તિથી નમસ્કાર ! ઘણા વર્ષો પૂર્વે વૈષ્ણવ સંપ્રદાયી એક ભાવસાર કુટુંબ દુષ્કાળના નિમિત્તે મધ્ય ગુજરાતમાંથી પશ્ચિમ તરફ ભાલ પ્રદેશના એક ગામમાં જઈ વસ્યું હતું. તે ગામનું નામ વટામણ છે. માત્ર દાતરડાં અને ટોપલા એ જ તેની પૂંજી હતી. મજૂરી કરી ગુજરાન ચલાવતાં, મજૂરીમાં મળતા ઘઉં આદિ અનાજની બચત થોડાં વર્ષોમાં થઈ તેટલામાં ફરી દુષ્કાળ પડ્યો. રેલવેની તે વખતે સગવડ હતી નહીં. માત્ર સ્થાનિક અનાજથી સર્વનો નિભાવ ચલાવવો પડતો હતો. તેથી અનાજ ઘણું મોડ્યું થઈ ગયું. તે વખતે આ ભાવસાર કુટુંબને પોતાના અનાજના સંચયથી સારી રકમ પ્રાપ્ત થઈ અને ગામમાં ઘનાઢ્ય ગણાતાં કુટુંબોમાં તેની ગણતરી થવા લાગી. હવે મજૂરીનો ધંધો બદલી તે ઘીરઘારનો ધંધો કરતું થયું. તથા જમીનજાગીર પણ ઘીમે ઘીમે પ્રાપ્ત કરી. ખંભાતના સ્થાનકવાસી સંપ્રદાયના સાધુઓ તે ગામમાં વારંવાર આવતા જતા. તેના સમાગમથી તે કુટુંબ-પરંપરામાં સ્થાનકવાસી જૈનધર્મની કુળશ્રદ્ધા થઈ. * એમના વારસદારોનું કહેવું છે કે એમની આર્થિક સ્થિતિ સારી અને સદ્ધર હતી. Page #17 -------------------------------------------------------------------------- ________________ [૨] વિક્રમની વીસમી સદીની શરૂઆતમાં તે કુટુંબમાં કૃષ્ણદાસ ગોપાલજી નામના વ્યવહારકુશળ અને ગામમાં અગ્રગણ્ય પુરુષ હતા. તે ચાર વાર પરણેલા પણ એકે સંતાન થયું નહોતું. તેમના આયુષ્યના અંતિમ વર્ષે કુશલા (કસલી) બાઈને ગર્ભ રહ્યો. એ અરસામાં કોલેરાના રોગની શરૂઆત થઈ હતી. કૃષ્ણદાસ ઘોડી ઉપર બેસી ઉઘરાણી ગયા હતા. રસ્તામાં કોલેરાથી ઊલટી થઈ અને તેમને ઘેર આપ્યા; પણ તે માંદગીમાંથી બચ્યા નહીં. એકલી પૂર્વ દિશામાં સૂર્યનો ઉદય થાય છે. પરંતુ ચારે દિશાઓ પ્રફુલ્લિત, પ્રકાશિત થાય છે; તેમ સં. ૧૯૧૦માં પિતાના મરણ પછી એક મહાભાગ્યશાળી અતિ પ્રતાપી પુરુષના જન્મથી ચારે માતાઓનું વૈદવ્ય દુઃખ વિસારે પડતું ગયું, અને નિર્વશતાનું કલંક ટાળનાર એ પુત્ર પ્રત્યે ચારે માતાઓ અને આખા ગામની પ્રીતિ વધતી ચાલી. તેમનું નામ લલ્લુભાઈ રાખવામાં આવ્યું. નિશાળો તે વખતે ગામઠી હતી. ત્યાં લલ્લુભાઈ ભણવા જતા, પણ બધાં બાળકો કરતાં તેમને યાદ ઓછું રહેતું અને ગણિત કે આંકમાં બુદ્ધિ મુશ્કેલીથી પ્રવેશ કરતી. શાળાના શિક્ષક તેમની પાસે કાંકરા મંગાવતા અને બે-બે કે ત્રણ-ત્રણની ઢગલીઓ કરાવી આંક શીખવતા ત્યારે સમજણ પડતી. થોડું ઘણું લખતાં-વાંચતાં અને ગણતાં આવડ્યા પછી દુકાને બેસવા માંડ્યું, શાળાનો અભ્યાસ બંઘ કર્યો. લેવડ-દેવડનું નામાનું કામ મુનીમ મારફતે થતું. માત્ર પોતે દેખરેખ રાખતા; સર્વ રાજી રહે તેમ વર્તતા. પોતે કહેલી તેમની નાનપણની બે વાતો તેમનો સંસ્કારી સ્વભાવ જણાવે છે. નાનાં છોકરાંને હાથે કડલીઓ (કલ્લઈઓ) રૂપાની પહેરાવે છે. તેવી તેમને પહેરાવેલી તથા તેમના બીજા સગાનાં છોકરાંના હાથમાં હતી. એક દિવસ પરગામ ગયેલા. ત્યાં બીજાં છોકરાં સાથે તે પણ દેરાસરમાં ગયેલા. ઘણી પેઢીના ઢુંઢિયા તેથી પ્રતિમાને માને નહીં. પણ મોજ માટે જોવા દેરાસરમાં બધાં બાળકો ગયેલાં. ત્યાં બીજાં છોકરાં જિનપ્રતિમાને કડલીઓ મારે, તિરસ્કાર કરે તે જોઈ લલ્લુભાઈને તે ગમેલું નહીં. પોતે તો તેવું કંઈ કરેલું નહીં. પણ તેનું સ્મરણ થતાં પણ હવે કંપારી છૂટે છે કે અજ્ઞાન દશામાં જીવ કેવા કર્મ બાંધી દે છે! એમ વૃદ્ધાવસ્થા વખતે બોઘમાં તે કહેતા. પૂર્વના શુભ સંસ્કારથી પાપનાં કૃત્યો પ્રત્યે વિપરીત પ્રસંગોમાં પણ સહેજે અણગમો રહે છે તેનું આ એક દ્રષ્ટાંત છે. એક વખતે કોઈ તેમના સગા સ્વામીનારાયણ સંપ્રદાયના અનુયાયી કારણ પ્રસંગે મેમાન તરીકે લલુભાઈને ત્યાં આવેલા. તે સંપ્રદાયવાળા વહેલા ઊઠી સ્નાન કરે છે. તેથી તેમને મદદ કરવા લલ્લુભાઈ કૂવા ઉપર ગયા. છોકરાંને મેમાન, નવા માણસો પ્રત્યે બહુમાનપણું હોય છે અને કંઈક કામ કરવું તે ઉમ્મરમાં વધારે ગમે છે. તેમની સાથે વાત કરતાં કરતાં તે મેમાને કહ્યું કે સ્વામીનારાયણ, સ્વામીનારાયણ' કહીને એક ઘડાથી સ્નાન કરે તો મોક્ષ મળે. આ સાંભળીને લલ્લુભાઈની વૃત્તિ મોક્ષ માટે તત્પર થઈ અને શિયાળાની ટાઢમાં તેમણે પણ ઠંડા પાણીનો એક Page #18 -------------------------------------------------------------------------- ________________ ઘડો પોતાને માથે ભગભગાવ્યો. મોક્ષ કોઈ ઉત્તમ વસ્તુ છે અને તે મેળવવાનું કોઈ સાધન હોય તો કરવું એવી પૂર્વે સેવેલ ભાવનાના આ સંસ્કારો નાનપણમાં પણ જણાઈ આવે છે. ગામના લોકોમાં તેમની આબરૂ સારી. તેથી ઘણા ગરાસીઆ, પટલીઆ, રબારી તેમ જ બ્રાહ્મણ, વાણિયા સર્વે સાથે પ્રસંગ પડતાં, ઉચિત વ્યવહાર અનુસાર વર્તી સર્વની પ્રસન્નતા પ્રાપ્ત કરવાની કુશળતા નાની ઉમ્મરથી તેમણે પ્રાપ્ત કરી હતી. - પુખ્ત ઉમ્મરે તેમનાં લગ્ન થયાં. સગર્ભાવસ્થામાં ઘણાં જામફળ ખાવાથી પત્નીનું શરીર ફૂલી ગયું અને તે બાઈનો દેહ છૂટી ગયો. વરતેજ ગામના ભાવસારની પુત્રી નાથીબાઈ સાથે તેમનાં બીજી વખતનાં લગ્ન થયાં હતાં. આમ સાંસારિક સુખમાં સત્તાવીસ વર્ષ સુધીની ઉમ્મર વ્યતીત થઈ. ઉદાર વૃત્તિ હોવાથી તેમની પાસેથી નાણાં લેવા ઘણા આવતા અને મોટે ભાગે તે કાળના ગામડાંના લોકોની પ્રામાણિકતા અને સરળતા પ્રમાણે પાછાં નાણાં વ્યાજસહિત ભરી પણ જતા કે અનાજ, ગોળ વગેરે વસ્તુઓ આપી દેવું પતાવી જતા. પરંતુ ઉઘરાણી કરીને, લોકોને આકરા શબ્દોથી સતાવીને પૈસા માટે કોઈની સાથે વેર બાંઘવું, કે સરકારમાં ફરિયાદ કરવી, જતી કરી પૈસા વસૂલ કરવા ઇત્યાદિ ઉગ્ર ઉપાયો આ યુવાનનું હૃદય કંપાવી નાખતા. કેટલીક આસામીઓ તેવા ઉપાયો સિવાય વશ થાય તેવી ન હોય તેમને ગામના બીજા ગૃહસ્થો દ્વારા શરમાવી, સમજાવીને તે કામ કાઢી લેતા. છતાં લાંબી ઘીરઘાર થઈ જવાથી અને લોકોની વૃત્તિઓ ફરતી જતી હોવાથી પૈસા આપીને વેર વઘારવા જેવા ઘીરઘારના ઘંઘાથી તે કંટાળી ગયા હતા. સં. ૧૯૩૭માં તેમને પીપાંડુ નામનો રોગ થયો. અનેક પ્રકારના ઉપચારો કરવા છતાં તે વ્યાધિ વધતી ગઈ. બાર માસમાં તો શરીર બહુ ક્ષીણ થઈ ગયું. એક વૈદ્ય પર્પટી માત્રા ખવરાવી હતી અને કહ્યું હતું કે આયુષ્ય હશે અને બચશે તો શરીરનો બાંધો બહુ મજબૂત બનશે. તેથી પણ તે વ્યાધિ અટકી નહીં. ઘોળકામાં એક પ્રખ્યાત વૈદ્ય હતો. તેના વિષે એમ લોકવાયકા ફેલાયેલી કે જે બચવાનો હોય તેની જ દવા તે કરે છે. તેથી તેને શરીર બતાવવા પોતે ઘોળકા ગયા. વૈદ્ય શરીર જોઈને દવા કરવાનું કબૂલ ન કર્યું. એટલે તેમને ચોક્કસ લાગ્યું કે હવે શરીર ટકશે નહીં. તેથી ઘોળકાથી પતાસાં લઈ વટામણ આવ્યા. અને ગામમાંથી જે ખબર જોવા આવે તેમને પાંચ પાંચ પતાસાં આપી તેમના પ્રત્યે પોતાના થયેલા દોષોની છેલ્લી માફી, ખમતખામણાં કરવા લાગ્યાં. ગામપરગામમાં સર્વ ઓળખીતાં સગાંવહાલાંને ખમીખમાવી તેમણે વિચાર્યું કે જેમ ગરીબ ભાઈભાંડુઓ મજૂરી કરીને દિવસ કાઢે છે તે જ જાતનું આ કુટુંબ છે. માત્ર પૂર્વે કંઈ ઘર્મની આરાધના કરી હશે તેના ફળરૂપે ઘન, વૈભવ, આબરૂ આ કુટુંબમાં વિશેષ દેખાય છે. પરંતુ પૂર્વની કમાણી તો ખર્ચાઈ જશે. ભવિષ્યમાં સુખની ઇચ્છા હોય તો આ ભવમાં ઘર્મની આરાધના કરી લેવા યોગ્ય છે. તે વિચારે આખરે એવું સ્વરૂપ લીધું કે જો આ રોગ મટી જાય તો સંસારનો ત્યાગ કરી સાધુ થવું. તેમની વ્યવહાર-કુશળ બુદ્ધિએ સુઝાડ્યું કે સાદું થવું હોય તો સાથે કોઈ ઉપદેશવ્યાખ્યાન પ્રવૃત્તિ કરે તેવો સાધુ પણ જોઈએ. તેથી પોતાના ગામના અને ઘરપડોશી મિત્ર જેવા દેવકરણજી કરીને ભાવસાર તીક્ષ્ણ બુદ્ધિના હતા તે પણ સાથે સાઘુ થાય તો બહુ સારું એમ Page #19 -------------------------------------------------------------------------- ________________ [૪] વિચારી, ઉપાશ્રયમાં સામાયિક કરવા રોજ બન્ને જતા તે વખતે દેવકરણજીને તેમણે પૂછ્યું કે હું સાધુ થાઉં તો તું મારો ચેલો થાય ? દેવકરણજીને લાગ્યું કે આવા સુખી કુટુંબનો અને એકનો એક દીકરો સંસારત્યાગ કરે એ બનવા યોગ્ય જ નથી, એમ માની કહ્યું કે હા, તમે સંસારત્યાગ કરો તો હું પણ તમારી સાથે ત્યાગી થઈ તમારો શિષ્ય બનું. દેવકરણજીને માથે દેવું હતું તે પતાવી દેવાની પોતે કબૂલાત કરી એટલે દેવકરણજીને સાચું લાગ્યું અને સાથે આનંદ પણ થયો. વટામણ ગામમાં એક ઠાકર દવાનાં પડીકાં વેચતો હતો તેને ત્યાંથી કસલીબા થોડાં પડીકાં લાવ્યાં અને પુત્રને ખવરાવ્યાં. તેથી ઝાડા થઈ ગયા અને રોગ ઉપશમી ગયો. સર્વને આનંદ થયો. પણ લલ્લુભાઈ અને દેવકરણજીએ જે ગુણ વિચાર કરી રાખ્યો હતો તે હવે પાર પાડવા તેમણે ખંભાતવાળા ગુરુ હરખચંદજી પાસે જવા ઠરાવ કર્યો. તે વખતે તે સુરતમાં હતા. ત્યાં જવું ખરું, પણ છાનામાના જવું એવો વિચાર કરી સગાને ત્યાં જવાને બહાને તે સાયલા (કાઠિયાવાડમાં) ગયા. ત્યાં બે ચાર દિવસ રહી વઢવાણ કેમ્પથી ગાડીમાં બેસી સુરત ગયા. ગુરુને વંદન કરી બન્નેએ દીક્ષા લેવાના ભાવ દર્શાવ્યા. માબાપની રજા મળ્યા વિના દીક્ષા આપવાની તેમણે ના પાડી. દીક્ષાની વાત માતાને કાને આવી કે તે શંકર નામના મુનીમને સાથે લઈ રોતાં-કકળતાં સુરત ગયાં અને બે વર્ષ સંસારમાં હજી રહે અને પછી જો વૈરાગ્ય ઊપજે તો પોતે રોકશે નહીં એમ ગુરુની સાક્ષીએ માતાજીએ જણાવ્યું. કોઈ ઉપાય રહ્યો નહીં તેથી લલ્લુભાઈ માતાજી આદિ સાથે ઘેર આવ્યા અને ઘર્મધ્યાનમાં ઘણોખરો વખત ગાળવા લાગ્યા. સંસાર છોડવો જ છે એમ વૃઢ નિશ્ચય થયા પછી તેમાં પરવશપણે પ્રવર્તવાનું બે વર્ષ સુધી બન્યું. સં. ૧૯૪૦ માં નાથીબાઈએ એક પુત્રને જન્મ આપ્યો. તેનું નામ મોહન રાખવામાં આવ્યું. સર્વત્ર આનંદ ફેલાયો. પરંતુ આ વખતે લલ્લુભાઈ અને દેવકરણજીને દીક્ષા સંબંધીના વિચારતરંગો ઊઠ્યા. સવા માસનો પુત્ર થયો તેટલામાં તો બન્ને ગોઘરામાં ગુરુને વાંદવા ગયા, અને દીક્ષા આપવા વિનંતિ કરી. ગુરુએ વૈરાગ્ય વધે તેવો ઉપદેશ આપ્યો. પણ માતાજીની આજ્ઞા સિવાય દીક્ષા આપવાની ના કહી. તેથી લલ્લુજીએ વટામણ પઘારવા ગુરુને વિનંતિ કરી. તે તેમણે સ્વીકારી અને થોડા દિવસમાં વિહાર કરી વટામણ એક માસ સ્થિરતા કરી. માતાજીને પણ વૈરાગ્યનો બોઘ સાંભળવાનો, ગુરુસેવાનો લાભ મળ્યો, અને તેમની સંમતિથી સં. ૧૯૪૦ ના જેઠ વદ ત્રીજને દિવસે મંગળવારે ખંભાતમાં બન્નેને દીક્ષા આપવાનું નક્કી ઠર્યું. પછી ગુરુ હરખચંદજી ખંભાત પઘાર્યા અને તે શુભ મુહૂર્ત માતાજી આદિ સંઘ સમક્ષ બન્નેને દીક્ષા આપી અને દેવકરણજી સ્વામીને શ્રી લલ્લુજીસ્વામીના ચેલા સ્થાપ્યા. શ્રી લલ્લુજીએ દીક્ષા લીઘા પહેલાં એ ખંભાત સ્થાનકવાસી સંપ્રદાયમાં બહુ થોડા સાથુ રહ્યા હતા. પણ તેમની સાથે તથા પછીથી દીક્ષા લેનારની સંખ્યા વધતાં થોડા વખતમાં ચૌદ સાધુ થયા Page #20 -------------------------------------------------------------------------- ________________ [૫] તેથી સર્વેને, ખાસ કરીને હરખચંદજી ગુરુને શ્રી લલ્લુજીનાં મંગલ પગલાંનો પ્રભાવ સમજાવા લાગ્યો. શ્રી દેવકરણજી અને શ્રી લલ્લુજી સાધુ સમાચારી, શાસ્ત્રો, સ્તવન, સજ્ઝાયાદિ ભણી કુશળ થયા. તેમાં શ્રી દેવકરણજી વ્યાખ્યાનમાં બહુ કુશળ હોવાથી વિશેષ લોકપ્રિય થઈ પડ્યા. પરંતુ સરળતા, ગુરુભક્તિ અને પુણ્યપ્રભાવને લઈને શ્રી લલ્લુજીએ ગુરુથી માંડી સર્વ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓના હૃદયમાં અભીષ્ટ પદ પ્રાપ્ત કર્યું હતું. સૌના હૃદયમાં એમ લાગતું કે જતે દિવસે ગુરુની ગાદી શોભાવનાર શ્રી લલ્લુજીસ્વામી છે. દીક્ષા લીધા પછી પાંચ વર્ષ સુધી તેમણે એકાંતરા ઉપવાસ કર્યા હતા એટલે કે એક દિવસ આહાર કરવો અને એક દિવસ ઉપવાસ કરવો. કઠોરમાં ચોમાસું હતા ત્યારે સાથે લગા સત્તર દિવસના ઉપવાસ કર્યા હતા. આમ બાહ્ય તપ સાથે કાયોત્સર્ગ ઘ્યાન આદિ પણ ગુરુ સાથે કરતા. રાત્રે હરખચંદજી ગુરુ એક બે કલાક ‘નમ્રુત્યુણં’નો કાઉસગ્ગ કરતા તેમની સાથે શ્રી લલ્લુજી પણ કાયોત્સર્ગ કરતા. પરંતુ કામવાસના નિર્મૂળ થઈ નહીં તેથી તે ગુરુને વારંવાર પૂછતા. તો ગુરુ એવી ક્રિયા જપ તપ બતાવતા અને તે કર્યે જતા. પણ પોતાને વિકારવૃત્તિ દૂર ન થાય ત્યાં સુધી સંતોષ તે ક્રિયાથી થતો નહીં. પોતે ઘણી વખત કહેતા કે અપાસરાને ઓટલે બેસી સ્તવન સજ્ઝાયો ગાતા અને મનમાં લોકોને સંભળાવવાનો ભાવ રહેતો, પણ તે કાળમાં અંતવૃત્તિની સમજ નહોતી. સં. ૧૯૪૬ માં ખંભાત સ્થાનકવાસી સંઘના સંઘવી લાલચંદ વખતચંદ વકીલના દત્તક પુત્ર અંબાલાલભાઈ તથા માણેકચંદ ફતેચંદના દીકરા ત્રિભોવનભાઈ અમદાવાદ છગનલાલ બેચરદાસના કુટુંબમાં લગ્નપ્રસંગે ગયા હતા. ત્યાં તેમને શ્રી જૂઠાભાઈ ઉજમશીભાઈનો સમાગમ થયો. તેમના સંગે તેમને શ્રીમદ્ રાજચંદ્ર આત્મજ્ઞાની પુરુષ છે અને તેમના બોધથી કલ્યાણ થાય એમ સમજાયું. શ્રી જૂઠાભાઈ ઉપર શ્રીમદ્ રાજચંદ્રે લખેલા પત્રોની નકલ તેમણે કરી લીધી અને ખંભાત પધારવા શ્રીમદ્ રાજચંદ્રને અનેક પત્રો લખ્યા; પણ કંઈ ઉત્તર મળ્યો નહીં ત્યારે પોતે તેમને ત્યાં જવાના ભાવ જણાવી છેલ્લો પત્ર લખ્યો. તેનો ઉત્તર મળ્યો કે થોડા દિવસમાં પોતે ખંભાત પધારશે. એક દિવસે શ્રી લલ્લુજી, દામોદરભાઈ નામના પાટીદાર સાથે શ્રી ભગવતીસૂત્રનાં પાન નીચે વાંચતા હતા. અપાસરાને મેડે હરખચંદજી મહારાજ તે જ સૂત્રનું વ્યાખ્યાન કરતા હતા. ભવસ્થિતિ પરિપક્વ થયા વિના કોઈનો મોક્ષ ન થાય એ વિષે શ્રી ભગવતીસૂત્રમાં અધિકાર આવેલો તે વિષે શ્રી લલ્લુજી દામોદરભાઈને પૂછતા હતા કે ભવસ્થિતિ પરિપક્વ થયે મોક્ષ થતો હોય તો પછી સાધુપણું, કાયક્લેશાદિ ક્રિયાઓ કરવાની શી જરૂર છે ? એવામાં અંબાલાલ આદિ બે ત્રણ જુવાનીઆ કંઈક વાંચતાં દૂર જણાયા. તેમને શ્રી લલ્લુજીએ કહ્યું, “વ્યાખ્યાનમાં કેમ જતા નથી ? ઉપર જાઓ કે અહીં આવીને બેસો.'' ઉપર જવાને બદલે તેમની પાસે આવીને તે બેઠા અને ઉપરનો પ્રશ્ન થોડો ચર્ચાયો, પણ સંતોષકારક ઉત્તર ન મળ્યો. પછી હરખચંદજી મહારાજને પૂછવા ઉપર મુલતવી રાખ્યું. ભાઈ અંબાલાલ બોલ્યા કે આવા પ્રશ્નો તો શું, પણ અનેક આગમો જેને હસ્તામલકવત્ એવા પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર છે. તેમના પત્રો અમે વાંચતા હતા. તે અહીં ખંભાતમાં પધારવાના છે. આ વાત સાંભળીને તથા પત્રો વાંચીને શ્રી લલ્લુજીને શ્રીમદ્ રાજચંદ્રનો Page #21 -------------------------------------------------------------------------- ________________ સમાગમ કરવાની તીવ્ર ભાવના જાગી. તે પધારે ત્યારે જરૂર ઉપાશ્રયમાં તેમને તેડી લાવજો એમ વિનંતિ પણ કરી. સં. ૧૯૪૬ના ચોમાસામાં દિવાળીના દિવસોમાં શ્રીમદ્ રાજચંદ્ર ખંભાત પધાર્યા અને અંબાલાલભાઈ વગેરેના આગ્રહથી ઉપાશ્રયમાં પણ ગયા. હરખચંદજી મહારાજે શતાવધાનની વાત સાંભળેલી તે કરી બતાવવા માટે વિનંતિ કરી. પણ પોતે તે પ્રયોગો જાહેરમાં કરવાનો વિચાર માંડી વાળ્યો હતો; તો પણ સર્વના આગ્રહને લઈને તથા હિતનું કારણ દેખી થોડા પ્રયોગો ઉપાશ્રયમાં કરી દેખાડ્યા. પછી હરખચંદજી મહારાજ સાથે થોડી શાસ્ત્ર સંબંધી જ્ઞાનવાર્તા થઈ તે ઉપરથી તેમણે સર્વની સમક્ષ શ્રીમદ્ભા બહુ વખાણ કર્યા. એટલે શ્રી લલ્લુજીએ તેમની પાસેથી શાસ્ત્રનો મર્મ સમજવા ગુરુ પાસે આજ્ઞા માગી અને તેમણે આપી. પછી શ્રી લલ્લુજીએ ઉપાશ્રયને મેડે પધારવા વિનંતિ કરી. શ્રીમદ્ ઉપર ગયા. શ્રીમનો ગૃહસ્થ વેશ અને પોતાનો મુનિવેશ હોવા છતાં પોતાને તેમનાથી લઘુ માની ત્રણ સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર શ્રી લલ્લુજીએ કર્યા. પછી શ્રીમદે શ્રી લલ્લુજીને પૂછ્યું : “તમારી શી ઇચ્છા છે ?” શ્રી લલ્લુજીએ વિનયપૂર્વક હાથ જોડીને કહ્યું, “સમકિત (આત્માની ઓળખાણ) અને બ્રહ્મચર્યની દૃઢતાની મારી માગણી છે.” શ્રીમદ્ થોડી વાર મૌન રહ્યા અને કહ્યું “ઠીક છે.” વળી શ્રી લલ્લુજી સ્વામીના જમણા પગનો અંગૂઠો પકડી શ્રીમદે તપાસી જોયો. પછી નીચે ગયા અને શ્રી અંબાલાલને રસ્તામાં જણાવ્યું કે શ્રી લલ્લુજી પૂર્વના સંસ્કારી પુરુષ છે. બીજે દિવસે શ્રી અંબાલાલને ઘેર શ્રી લલ્લુજી શ્રીમદ્ભા સમાગમ માટે ગયા. ત્યાં એકાંતમાં શ્રીમદે તેમને પૂછ્યું,“તમે અમને કેમ માન આપો છો ?” શ્રી લલ્લુજીસ્વામીએ કહ્યું, “આપને દેખીને અતિ હર્ષ, પ્રેમ આવે છે; જાણે અમારા પૂર્વ ભવના પિતા હો એટલો બધો ભાવ આવે છે; કોઈ પ્રકારનો ભય રહેતો નથી. આપને જોતાં જ એવી નિર્ભયતા આત્મામાં આવે છે.” શ્રીમદે ફરી પૂછ્યું, “તમે અમને શાથી ઓળખ્યા ? ” | શ્રી લલ્લુજીએ કહ્યું, “અંબાલાલભાઈના કહેવાથી આપના સંબંઘી જાણવામાં આવ્યું. અમે અનાદિ કાળથી રખડીએ છીએ, માટે અમારી સંભાળ લો.” શ્રીમદે “સૂયગડાંગ” સૂત્રમાંથી થોડું વિવેચન કર્યું, સત્ય ભાષા, અસત્ય ભાષા, મિશ્ર ભાષા વગેરે વિષે બોઘ કર્યો. શ્રી લલ્લુજી સ્વામી દરરોજ શ્રીમન્ની પાસે સત્સંગ અર્થે સાતેય દિવસ તે ખંભાતમાં રહ્યા ત્યાં સુધી આવતા. એક દિવસે શ્રી લલ્લુજી સ્વામીએ શ્રીમને કહ્યું, “હું બ્રહ્મચર્યની દ્રઢતા માટે પાંચ વર્ષથી એકાંતરા ઉપવાસ કરું છું અને કાયોત્સર્ગ ધ્યાન કરું છું. છતાં માનસિક પાલન બરાબર થઈ શકતું નથી.” શ્રીમદે કહ્યું, “લોક દ્રષ્ટિએ કરવું નહીં, લોક દેખામણ તપશ્ચર્યા કરવી નહીં. પણ સ્વાદનો ત્યાગ થાય, તેમજ ઊણોદરી તપ (પૂરું ઘરાઈને ન ખાવું) થાય તેમ આહાર કરવો, સ્વાદિષ્ટ ભોજન હોય તે બીજાને આપી દેવું.” | શ્રી લલ્લુજી સ્વામીએ ફરી કહ્યું “હું જે જે જોઉં છું તે ભ્રમ છે, જૂઠું છે એમ જોઉં છું, એમ અભ્યાસ કરું છું.' Page #22 -------------------------------------------------------------------------- ________________ [૭] શ્રીમદે કહ્યું “આત્મા છે, એમ જોયા કરો.” શ્રીમતું મુંબઈ પઘારવું થયું ત્યારપછી શ્રી લલ્લુજી સ્વામી ભાઈશ્રી અંબાલાલ મારફતે શ્રીમદ્ સાથે પત્ર વ્યવહાર કરી જ્ઞાનવાર્તાનો લાભ મેળવતા. સં. ૧૯૪૭ માં વટામણમાં ચોમાસું કર્યું અને સં. ૧૯૪૮ માં સાણંદ ચોમાસું કરી શ્રી લલ્લુજી શ્રી દેવકરણજી સાથે સુરત પધાર્યા. અને સુરતના વતની મુંબઈના વેપારી ભાઈઓએ શ્રી દેવકરણજી સ્વામીના વ્યાખ્યાનથી આકર્ષાઈ મુંબઈ ચોમાસા માટે વિનંતિ કરી તેથી સં. ૧૯૪૯ નું ચોમાસું મુંબઈ કર્યું . ૪ શ્રી લલ્લુજી સ્વામીના ભાવ તો શ્રીમદ્ રાજચંદ્રના સમાગમ માટે વર્તતા હતા અને મુંબઈમાં સં.૧૯૪૯ નું ચોમાસું ગાળવાનું નક્કી થયું એટલે મુંબઈ પહોંચ્યા પછી શ્રીમદ્દના સમાગમ માટે તેમની દુકાને ગયા. શ્રીમદે પૂછ્યું, “તમારે અહીં અનાર્ય જેવા દેશમાં ચાતુર્માસ કેમ કરવું પડ્યું? મુનિને અનાર્ય જેવા દેશમાં વિચરવાની આજ્ઞા થોડી જ હોય છે? ” શ્રી લલ્લુજીએ કહ્યું, “આપના દર્શન સમાગમની ભાવનાને લીધે અહીં ચાતુર્માસ કર્યું છે.” શ્રીમદે પૂછ્યું, “અહીં આવતાં તમને કોઈ આડખીલ કરે છે? " શ્રી લલ્લુજીસ્વામીએ કહ્યું, “ના, હંમેશાં અહીં આવું તો કલાક કલાકનો સમાગમ મળશે?” શ્રીમદે કહ્યું, “મળશે.” અવસરે અવસરે શ્રી લલ્લુજી શ્રીમદુના સમાગમ અર્થે પેઢી ઉપર જતા. તેમને દેખીને શ્રીમદ્ દુકાન ઉપરથી ઊઠી એક જુદી પાસેની ઓરડીમાં જઈ “સૂયગડાંગ' સૂત્ર વગેરેમાંથી તેમને સંભળાવતા, સમજાવતા. એક વખતે શ્રી લલ્લુજીએ શ્રીમની પાસે તેમના ચિત્રપટની માગણી કરી, પણ તેમણે કંઈ ધ્યાન આપ્યું નહીં; ફરી ફરી આગ્રહ કર્યો ત્યારે નીચેની ગાથા એક કાગળ ઉપર લખી આપી. “संबुज्झहा जंतवो माणुसत्तं दटुं भयं बालिसेणं अलंभो । एगंतदुक्खे जरि एव लोए सक्कम्मणा विपरियासु वेइ ।।" ભાવાર્થ – હે જીવો ! તમે બોઘ પામો, બોઘ પામો; મનુષ્યપણું મળવું ઘણું જ દુર્લભ છે, એમ સમજો. અજ્ઞાનથી સવિવેક પામવો દુર્લભ છે એમ સમજો; આખો લોક કેવળ દુઃખથી બળ્યા કરે છે, એમ જાણો; અને પોતપોતાનાં ઉપાર્જિત કર્મો વડે ઇચ્છા નથી છતાં પણ જન્મ મરણાદિ દુઃખોનો અનુભવ કર્યા કરે છે, તેનો વિચાર કરો.” Page #23 -------------------------------------------------------------------------- ________________ [૮] થોડા દિવસ પછી “સમાધિ-શતક'માંથી સત્તર ગાથા સુધી શ્રીમદે શ્રી લલ્લુજીને વાંચી. સંભળાવી, તે પુસ્તક વાંચવા વિચારવા આપ્યું. પુસ્તક લઈને દાદરા સુધી ગયા એટલામાં શ્રી લલ્લુજીને પાછા બોલાવી “સમાધિશતક'ના પહેલા પાન ઉપર નીચેની અપૂર્વ લીટી લખી આપી : ૐ આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.” એક દિવસે શ્રીમદે પૂછ્યું, “ “સમાધિશતક'નું વાચન ચાલે છે ?” શ્રી લલ્લુજી સ્વામીએ કહ્યું, “હાલ તો મુંબઈની ઘમાલમાં ઠીક નહીં પડે એમ માની સાચવીને બાંધી રાખ્યું છે. અહીંથી વિહાર કરીને જઈશું ત્યારે તે લઈ મંડીશું.” ચાતુર્માસ પૂરું થવા આવ્યું તેવામાં એક દિવસે શ્રી લલ્લુજીએ શ્રીમને પૂછયું, “આ બધું મને ગમતું નથી; એક આત્મભાવનામાં નિરંતર રહ્યું એમ ક્યારે થશે ?” શ્રીમદે કહ્યું, “બોઘની જરૂર છે.” શ્રી લલ્લુજીએ કહ્યું, “બોઘ આપો.” શ્રીમદ્ મૌન રહ્યા. આમ વારંવાર શ્રીમદ્ મનપણાનો બોઘ આપતા; અને તેમાં વિશેષ લાભ છે એમ જણાવતા. તે ઉપરથી શ્રી લલ્લુજીએ મુંબઈ ચાતુર્માસ પૂર્ણ કરી સુરત તરફ વિહાર કર્યો ત્યારથી ત્રણ વર્ષ પર્યત મૌનપણું ઘારણ કર્યું. માત્ર સાધુઓ સાથે જરૂર પૂરતું બોલવાની તથા શ્રીમદુ સાથે પરમાર્થ કારણે પ્રશ્નાદિ કરવાની છૂટ રાખી હતી. “સમાધિશતક'નું વાચન પણ હવે શરૂ કર્યું. તેથી પોતાને અપૂર્વ શાંતિ વેદાતી હતી, એમ પોતે તે વખતનું વર્ણન ઘણી વખત કરતા હતા. સં. ૧૯૫૦ અને ૧૯૫૧ બન્ને વર્ષનાં ચાતુર્માસ સુરતમાં થયાં હતાં. સુરતમાં વેદાંતના ગ્રંથોનો તથા કેટલાક વેદાંતીઓનો પરિચય થયો. તેથી દેવકરણજી સ્વામી પોતાને પરમાત્મા માનતા અને કહી બતાવતા. તે બાબત શ્રી લલ્લુજીએ શ્રીમને લખી જણાવી હતી. તેના ઉત્તરમાં તેઓશ્રીએ જણાવ્યું હતું કે “જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છેદે નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી. સર્વ જીવનું પરમાત્માપણું છે એમાં સંશય નથી તો પછી શ્રી દેવકરણજી પોતાને પરમાત્મસ્વરૂપ માને તો તે વાત અસત્ય નથી, પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુ, જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે; અને તે રસ્તે યથાર્થ પરમાત્મપણું પ્રગટ છે. જે માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી; તથા શ્રી જિન વીતરાગ સર્વજ્ઞ પુરુષોની આશાતના કરવારૂપ પ્રવૃત્તિ થાય છે. બીજો મતભેદ કંઈ નથી. મૃત્યુનું આવવું અવશ્ય છે.” આ વાંચી તે પાછા હઠ્યા. એક દિવસે શ્રીમદ્ સુરત પધારેલા ત્યારે મુનિઓ પાસે આવ્યા. તે વખતે શ્રી દેવકરણજીએ પ્રશ્ન પૂછયો, “શ્રી લલ્લુજી મહારાજ મને વ્યાખ્યાન આપી આવું ત્યારે અભિમાન કર્યું કહે છે, ધ્યાન કરું તેને તરંગરૂપ કહે છે; તો શું વીતરાગ પ્રભુ એમનું કરેલું સ્વીકારે અને મારું ન સ્વીકારે એવા પક્ષપાતવાળા હશે ?' Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદે શાંતિથી ઉત્તર આપ્યો, “સ્વચ્છેદથી જે જે કરવામાં આવે છે તે સઘળું અભિમાન જ છે, અસત્ સાઘન છે અને સદ્ગુરુની આજ્ઞાથી જે કરવામાં આવે છે તે કલ્યાણકારી ઘર્મરૂપ સાઘન છે.” સુરતમાં શ્રી લલ્લુજી સ્વામીને દશ બાર માસથી તાવ આવતો હતો. તે અરસામાં સુરતના એક લલ્લુભાઈ ઝવેરી દશબાર માસની માંદગી ભોગવી મરી ગયા. ત્યારથી શ્રી લલ્લુજી સ્વામીને પણ ચિંતા થવા લાગી કે વખતે દેહ છૂટી જશે. તેથી પરમકૃપાળુ શ્રીમદ્જીને તેમણે ઉપરાઉપરી મુંબઈ પત્રો લખી વિનંતિ કરી કે, “હે નાથ ! હવે આ દેહ બચે તેમ નથી. અને હું સમકિત વિના જઈશ તો મારો મનુષ્ય ભવ વૃથા જશે. કૃપા કરીને હવે મને સમકિત આપો.” તેના ઉત્તરમાં શ્રીમદે અનંત કૃપા કરીને “છ પદ'નો પત્ર લખ્યો અને સાથે જણાવ્યું કે દેહ છૂટવાનો ભય કર્તવ્ય નથી. વળી શ્રીમદ્ પોતે ફરી સુરત પધાર્યા ત્યારે તે “છ પદ'ના પત્રનું વિશેષ વિવેચન કરી તેનો પરમાર્થ શ્રી લલ્લુજી સ્વામીને સમજાવ્યો અને તે પત્ર મુખપાઠ કરી તેનો વારંવાર વિચાર કરવાની તેમને ભલામણ કરી. ‘છ પદ'ના પત્ર વિષે શ્રી લલ્લુજી સ્વામી પોતાનાં છેલ્લા વર્ષોમાં વારંવાર ઉપદેશમાં કહેતા કે “એ પત્ર અમારી અનેક પ્રકારની વિપરીત માન્યતાઓ દૂર કરનાર છે; ન ઊભા રહેવા દીઘા ઢંઢિયામાં, ન રાખ્યા તપ્પામાં, ન વેદાંતમાં પેસવા દીધા. કોઈ પણ મતમતાંતરમાં ન પ્રવેશ કરાવતાં, માત્ર એક આત્મા ઉપર ઊભા રાખ્યા. એ ચમત્કારી પત્ર છે. જીવની યોગ્યતા હોય તો સમ્યત્વ પ્રાપ્ત થાય તેવી વિચારણા ઉત્પન્ન કરાવે તેવો એ અદ્ભુત પત્ર છે. તે મુખપાઠ કરી વારંવાર વિચારતા રહેવા યોગ્ય છે.” સં. ૧૯૫૨ નું ચાતુર્માસ શ્રી લલ્લુજીએ ખંભાતમાં કર્યું. સં. ૧૯૪૯માં મુંબઈ શ્રી લલ્લુજી પધાર્યા તે પહેલાં હરખચંદજી મહારાજ કાળ કરી ગયા હતા. પરંતુ શ્રીમદ્ રાજચંદ્રના સમાગમથી શ્રી લલ્લુજીની શ્રદ્ધા ફરી ગઈ છે, તે ગૃહસ્થને ગુરુ માને છે અને પહેલાં એકાંતરા ઉપવાસ કરતા તે બંધ કર્યા છે, એવી વાત સાધુ અને શ્રાવકમંડળમાં પ્રસિદ્ધિ પામી હતી તેથી તેમના પ્રત્યે જનસમૂહનો પ્રેમ ઘટી ગયો હતો. તેની દરકાર કર્યા વિના શ્રી લલ્લુજી તો ગુર્ભક્તિમાં લીન રહેતા. શ્રી અંબાલાલ આદિ ખંભાતના મુમુક્ષુઓ દર પૂર્ણિમાએ નિવૃત્તિ લઈ રાત્રિ-દિવસ ભક્તિમાં ગાળતા. એક પૂર્ણિમાને દિવસે શ્રી લલ્લુજી પણ તેમની સાથે રાત્રિ રહ્યા. ચાતુર્માસનો કાળ હોવાથી અને કોઈને કહ્યા વિના બહાર રાત્રે રહ્યા તેથી સંઘમાં મોટો વિક્ષેપ થયો. શ્રાવકશ્રાવિકા સમૂહને પણ એ વાત બહુ અપ્રિય લાગી અને લોકોનો શ્રી લલ્લુજી પ્રત્યેનો પ્રેમ વિશેષ ઊતરી ગયો. સં. ૧૫રમાં પર્યુષણ પર શ્રીમદ્ રાજચંદ્ર નિવૃત્તિ લઈને ચરોતરમાં પઘાર્યા હતા. કાવિઠા થઈને રાળજ શ્રીમદ્ પધાર્યા છે એવા સમાચાર મુનિશ્રી લલ્લુજીને મળ્યા. તેમણે વિચાર્યું કે હું દરરોજ આ ચાતુર્માસમાં નિવૃત્તિ અર્થે બહાર વનમાં જાઉં છું અને બપોરે આવીને આહાર લઉં છું તો આજે રાળજ સુધી દર્શન અર્થે જઈ આવું તો શી હરકત છે? એમ વિચારી તે રાવજ તરફ Page #25 -------------------------------------------------------------------------- ________________ [૧૦] ચાલ્યા. ગામ થોડે દૂર રહ્યું એટલે એક માણસ સાથે સંદેશો કહેવરાવ્યો કે ખંભાતના અંબાલાલભાઈ છે તેમને કહો કે એક મુનિ આવેલા છે તે તમને બોલાવે છે. ભાઈ અંબાલાલે આવીને કહ્યું કે “તમને આજ્ઞા નથી અને કેમ આવ્યા છો ?” શ્રી લલ્લુજીએ કહ્યું કે “આજ્ઞા મંગાવવા હું આટલે દૂર થોભ્યો છું. જો આજ્ઞાભંગ ગણાય એમ હોય તો હું અહીંથી ચાલ્યો જાઉં. બધા મુમુક્ષુઓને સમાગમ થાય છે અને મને એકલાને વિરહ વેઠવો પડે છે તે સહન નહીં થવાથી હું આવ્યો છું.” શ્રી અંબાલાલ બોલ્યા : “એમ તો તમને જવા ન દઉં. મને ઠપકો મળે. માટે કૃપાળુદેવ (શ્રીમજી) આજ્ઞા કરે તેમ કરો. હું પૂછી આવું છું.” પછી શ્રી અંબાલાલે આવીને શ્રીમને વાત કરી ત્યારે તેમને જણાવ્યું કે “મુનિશ્રીના ચિત્તમાં અસંતોષ રહેતો હોય તો હું તે તરફ નીકળીને સમાગમ કરાવું, અને તેમના ચિત્તને વિષે શાંતિ રહે તો ભલે ચાલ્યા જાય.” તે પ્રમાણે ભાઈ અંબાલાલે મુનિશ્રીને નિવેદન કર્યું એટલે “આજ્ઞાનું પાલન થાય તેમ મારે કરવું, માટે હું પાછો ચાલ્યો જાઉં છું,” એમ કહી તે ખંભાત પઘાર્યા. વિરહવેદના અને આશાભંગથી આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. પરંતુ આજ્ઞામાં વર્તવાથી આત્મકલ્યાણ છે અને પરમકૃપાળુ અવશ્ય કૃપા કરશે એવી શ્રદ્ધાથી તે રાત્રિ વ્યતીત કરી કે પ્રભાતમાં ખબર મળ્યા કે શ્રી સોભાગ્યભાઈ, શ્રી અંબાલાલ અને શ્રી ડુંગરશી ખંભાતમાં પઘાર્યા છે. શ્રી સોભાગ્યભાઈ ઉપાશ્રય આવ્યા અને પરમકૃપાળુદેવે તેમને મુનિશ્રીને એકાંતમાં વાત કરવાની કહેલી તે માટે શ્રી અંબાલાલને ત્યાં તેમને લઈ જઈ મેડે એકાંતમાં પરમકૃપાળુદેવે જણાવેલ સ્મરણમંત્ર જણાવ્યો અને દરરોજ પાંચ માળા ફેરવવાની આજ્ઞા કરી છે તેમ જણાવ્યું. તથા થોડા દિવસમાં ખંભાત પઘારીને તેઓશ્રી સમાગમ કરાવશે એવા સમાચાર કહ્યા. તે સાંભળીને મુનિશ્રીની આંખમાં હર્ષનાં આંસુ ઊભરાયાં અને પ્રફુલ્લિત ભાવ થયા. શ્રી લલ્લુજીએ શ્રી સોભાગ્યભાઈને વિનંતિ કરી કે “બીજા મુનિઓને આપ આ મંત્રપ્રસાદી કૃપા કરીને આપો.” તેમણે જણાવ્યું કે “મને આજ્ઞા આપી નથી. આપ તેમને જણાવશો, એમ પરમકૃપાળુદેવે કહ્યું છે.' થોડા કાળ પછી શ્રીમદ્ રાજચંદ્ર રાળજથી વડવા (ખંભાત નજીક) પધાર્યા. શ્રી લલ્લુજી સાથે બીજા પાંચ મુનિઓ પણ સામા દર્શન-સમાગમ અર્થે ત્યાં આવ્યા હતા. છયે મુનિઓને એકાંતમાં શ્રીમદે બોલાવ્યા. બઘા મુનિ શ્રીમદ્ નમસ્કાર કરી બેઠા. શ્રી લલ્લુજીને વિરહવેદના અસહ્ય થઈ પડી હતી અને તેનું કારણ મુનિવેશ લાગતું તેથી તેમણે આવેશમાં આવીને કહ્યું, “હે નાથ ! આપના ચરણકમળમાં મને નિશદિન રાખો, આ મુહપત્તી મારે જોઈતી નથી.” એમ કહી મુહપત્તી પરમકૃપાળુદેવ આગળ નાખી. “મારાથી સમાગમનો વિયોગ સહન થઈ શકતો નથી,” એમ બોલતાં તેમની આંખમાંથી અશ્રુઘારા વહેવા લાગી. તે જોઈ પરમકૃપાળુદેવની આંખમાંથી પણ અશ્રુઘારા વહ્યા કરી. થોડો વખત મૌન રહી શ્રીમદે દેવકરણજીને કહ્યું, “મુનિશ્રીને આ મુહપત્તી આપો; અને હમણાં રાખો.” - શ્રીમજી વડવા છ દિવસ રોકાયા ત્યાં સુઘી સર્વ મુમુક્ષુ ભાઈબહેનોને સાથે સમાગમબોઘનો લાભ મળતો, તથા મુનિસમુદાયને એકાંતમાં પણ તેમના સમાગમનો લાભ મળતો. સંપ્રદાયના લોકો Page #26 -------------------------------------------------------------------------- ________________ [૧૧] તથા સાધુવર્ગ આ છ મુનિઓની નિંદા કરતા પણ તેથી યથાર્થ ધર્મ પ્રત્યે છયેની વિશેષ દૃઢતા થઈ. વળી શ્રી લલ્લુજીનો પુણ્યપ્રભાવ એટલો પડતો કે કોઈ તેમને મોઢે કહી શકતા નહીં. વડવાથી શ્રીમદ્ભુ નિડયાદ પધાર્યા. ત્યાં શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર રચ્યું. તેની ચાર નકલ પ્રથમ કરાવી એક શ્રી લલ્લુજી સ્વામી ઉપર સ્વાધ્યાય માટે મોકલી અને સાથે પત્ર લખી જણાવ્યું કે આપને એકાંતમાં સ્વાધ્યાય અર્થે તે મોકલી છે. શ્રી દેવકરણજીને પણ આગળ ઉપર તે હિતકારી થશે, તેમ છતાં તેમને વિશેષ જિજ્ઞાસા જણાય તો સત્પુરુષના પરમ ઉપકારને આ ભવમાં કદી નહીં ઓળવવા જેટલી દૃઢ શ્રદ્ઘા કરાવી તમારા સમાગમમાં અવગાહવામાં હરકત નથી, વગેરે સૂચનાઓ લખી આત્માર્થમાં દૃઢતા કરાવી હતી. શ્રી લલ્લુજી વનમાં એકલા જઈ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનો સ્વાધ્યાય કરતા તે વખતની વાત કરતાં પોતે જણાવ્યું છે કે “તે વાંચતાં અને કોઈ કોઈ ગાથા બોલતાં મારા આત્મામાં આનંદના ઊભરા આવતા. એક એક પદમાં અપૂર્વ માહાત્મ્ય છે એમ મને લાગ્યા કરતું. ‘આત્મસિદ્ધિ’નું મનન, સ્વાધ્યાય નિરંતર રહ્યા કરી આત્મોલ્લાસ થતો. કોઈની સાથે વાત કે બીજી ક્રિયા કરતાં ‘આત્મસિદ્ધિ’ની સ્મૃતિ રહેતી. પરમકૃપાળુદેવની શાંત મુખમુદ્રા કિંવા ‘આત્મસિદ્ધિ'ની આનંદ આપનારી ગાથાનું સ્મરણ સહજ રહ્યા કરતું. અન્ય કશું ગમતું નહીં. બીજી વાતો પર તુચ્છ ભાવ રહ્યા કરતો. માહાત્મ્ય માત્ર સદ્ગુરુ અને તેના ભાવનું આત્મામાં ભાસ્યમાન થતું હતું.’ સં. ૧૯૫૩ નું ચોમાસું ખેડામાં શ્રી લલ્લુજીએ કર્યું. તેમના સ્વાધ્યાય અર્થે શ્રીમદે “મોક્ષમાર્ગ પ્રકાશ'' ગ્રંથ ખેડામાં મોકલ્યો હતો તેમાં સ્થાનકવાસી પંથ વિષે ટીકા આવે છે તે વાંચી શ્રી દેવકરણજીને ગમેલું નહીં, અને ગ્રંથ વાંચવો બંધ રાખેલો. પણ ફરી પત્ર શ્રીમદ્ તરફથી મળ્યો કે કોઈ બાબત માટે ગ્રંથ વાંચતાં ખળી રહેવા યોગ્ય નથી. દોષવૃષ્ટિ તજી ગુણગ્રાહી થવા પ્રેરણા કરી હતી તેથી પૂર્ણ સ્વાધ્યાય થતાં તેની મહત્તા સમજાઈ હતી. ૫ સં. ૧૯૫૪ ના ચાતુર્માસમાં શ્રીમદ્ રાજચંદ્ર નિવૃત્તિ લઈ ચરોતરમાં ફરી પધાર્યા હતા. તે વર્ષે શ્રી લલ્લુજીએ વસોમાં ચાતુર્માસ કર્યું હતું અને શ્રી દેવકરણજીએ ખેડામાં કર્યું હતું. શ્રાવણ માસની શરૂઆતમાં શ્રીમદ્ કાવિઠા પધાર્યા હતા. ત્યાંથી નડિયાદ થઈ વસો પધાર્યા. શ્રી લલ્લુજીને શ્રીમદે પૂછ્યું, “કહો, મુનિ, અહીં કેટલા દિવસ રહીએ ?'' શ્રી લલ્લુજીને મુંબઈ સિવાય બીજે કચાંય અઠવાડિયાથી વધારે સમાગમનો પ્રસંગ મળેલો નહીં, તેથી તેમણે કહ્યું, “એક માસ અહીં રહો તો સારું.’' શ્રીમદ્ મૌન રહ્યા. શ્રી દેવકરણજીને આ સમાચાર મળ્યા તેથી તે પણ શ્રીમદ્ભુને ખેડા પધારવા પત્ર દ્વારા વિનંતિ કરવા લાગ્યા. પણ ભાઈ અંબાલાલની સૂચનાથી શ્રી લલ્લુજીએ શ્રી દેવકરણજીને પત્રથી જણાવ્યું કે ચાતુર્માસ પછી સમાગમ કરાવવા તમે શ્રીમદ્ભુને પત્ર લખો તો આપણને બધાને લાભ મળે તો વિશેષ હિતકારી થાય. શ્રી દેવકરણજીનો તેવા ભાવાર્થનો પત્ર આવ્યો. ત્યારે શ્રીમદ્જીએ શ્રી લલ્લુજીને પૂછ્યું, “મુનિશ્રી દેવકરણજીને પત્ર કોણે લખ્યો ?'' શ્રી Page #27 -------------------------------------------------------------------------- ________________ [૧૨] લલ્લુજીએ અંબાલાલનું નામ ન લેતાં કહ્યું, “મેં પત્ર લખ્યો હતો.’’ શ્રીમદે કહ્યું, “આ બધું કામ અંબાલાલનું છે, તમારું નથી.’’ શ્રી લલ્લુજી ગામમાં આહારપાણી લેવા જતા ત્યારે ગામના અમીન વગેરે મોટા મોટા માણસોને કહેતા કે મુંબઈથી એક મહાત્મા પધાર્યા છે, તે બહુ વિદ્વાન છે. તેમનું વ્યાખ્યાન સાંભળશો તો બહુ લાભ થશે. તેથી ઘણા માણસો શ્રીમદ્ પાસે આવતા, અને જ્ઞાનવાર્તાનો લાભ લેતા. શ્રી લલ્લુજીને શ્રીમદે કહ્યું, “તમારે બધા મુનિઓએ બધા લોક આવે ત્યારે ન આવવું.’’ તેથી તેમને ઘણો પસ્તાવો થયો કે એક માસના સમાગમની માગણી કરી હતી, પણ આમ અંતરાય આવી પડ્યો. તેથી બોધની પિપાસા બહુ વધી. માત્ર વનમાં શ્રીમદ્ બહાર જતા ત્યારે બધા મુનિઓને જ્ઞાનવાર્તાનો લાભ મળતો. એક દિવસ વનમાં વાવ પાસે શ્રીમદ્ મુનિઓ સાથે વાત કરતા બેઠા હતા. ચતુરલાલજી મુનિ તરફ જોઈને શ્રીમદે પૂછ્યું, “તમે સંયમ ગ્રહણ કર્યો ત્યારથી આજ સુઘીમાં શું કર્યું?'' ચતુરલાલજીએ કહ્યું, “સવારે ચાનું પાત્ર ભરી લાવીએ છીએ તે પીએ છીએ; તે પછી છીંકણી વહોરી લાવીએ તે સૂંઘીએ છીએ; પછી આહારના વખતે આહા૨પાણી વહોરી લાવીએ છીએ. તે આહારપાણી વાપર્યા પછી સૂઈ રહીએ છીએ. સાંજે પ્રતિક્રમણ કરીએ છીએ અને રાત્રે સૂઈ રહીએ છીએ.’’ શ્રીમદે વિનોદમાં કહ્યું, “ચા અને છીંકણી વહોરી લાવવી અને આહારપાણી કરી સૂઈ રહેવું તેનું નામ જ્ઞાન, દર્શન, ચારિત્ર ?’’ પછી આત્મજાગૃતિ અર્થે બોધ આપી શ્રી લલ્લુજીને ભલામણ કરતાં શ્રીમદે કહ્યું, ‘બીજા મુનિઓનો પ્રમાદ છોડાવી ભણવા તથા વાંચવામાં, સ્વાઘ્યાય-ધ્યાનમાં કાળ વ્યતીત કરાવવો અને તમારે સર્વેએ એક વખત દિવસમાં આહાર કરવો. ચા તથા છીંકણી વિનાકારણે હંમેશાં લાવવાં નહીં. તમારે સંસ્કૃતનો અભ્યાસ કરવો.'' મુનિશ્રી મોહનલાલજીએ પૂછ્યું, “મહારાજશ્રી તથા દેવકરણજીની અવસ્થા થઈ છે અને ભણવાનો જોગ ક્યાંથી બને ? '' શ્રીમદે તેના ઉત્તરમાં જણાવ્યું, “યોગ બની આવ્યેથી અભ્યાસ કરવો અને તે થઈ શકે છે; કેમકે વિક્ટોરિયા રાણીની વૃદ્ધ અવસ્થા છતાં બીજા દેશની ભાષાનો અભ્યાસ કરે છે.’’ એક વખત મુનિશ્રી મોહનલાલજીએ શ્રીમદ્ન પૂછ્યું, “મારે ધ્યાન શી રીતે કરવું ?’’ શ્રીમદે ઉત્તર આપ્યો, ‘શ્રી લલ્લુજી મહારાજ ભક્તિ કરે તે વખતે તમારે કાયોત્સર્ગ કરી સાંભળ્યા કરવું, અર્થનું ચિંતન કરવું.’' શ્રી લલ્લુજી સ્વામીને શ્રીમદે જણાવ્યું, “જે કોઈ મુમુક્ષુભાઈઓ તેમજ બહેનો તમારી પાસે આત્માર્થસાધન માગે તેને આ પ્રમાણે આત્મહિતનાં સાધન બતાવવાં : Page #28 -------------------------------------------------------------------------- ________________ [૧૩] ૧. સાત વ્યસનના ત્યાગનો નિયમ કરાવવો. ૨. લીલોતરીનો ત્યાગ કરાવવો. ૩. કંદમૂળનો ત્યાગ કરાવવો. ૪. અભક્ષ્ય પદાર્થોનો ત્યાગ કરાવવો. ૫. રાત્રિભોજનનો ત્યાગ કરાવવો. ૬. પાંચ માળા ફેરવવાનો નિયમ કરાવવો. ૭. સ્મરણ-મંત્ર બતાવવો. ૮. ક્ષમાપનાનો પાઠ અને વીસ દોહરાનું પઠન, મનન નિત્ય કરવા જણાવવું. ૯. સત્સમાગમ અને સલ્ફાસ્ત્રનું સેવન કરવા જણાવવું.” શ્રીમદે લખેલ આત્યંતર નોંધપોથીમાંથી અમુક ભાગ શ્રી લલ્લુજીને લાભકારક હતો તે ઉતારી લેવા તે નોંધપોથી શ્રીમદે શ્રી લલ્લુજીને એક દિવસે આપી. તે ભાગ ઉપરાંત બીજી નોંઘ વાંચતાં તે આકર્ષક લાગતાં છૂટાં પાન ઉપર તેમાંની બીજી નોંઘો પણ ઉતારી લીધી, અને સવારે દર્શનાર્થે જઈશું ત્યારે તેમની આજ્ઞા લઈશું, એમ વિચાર્યું કારણ કે રાત્રે મુનિથી બહાર જવાય નહીં. સવારે શ્રીમદ્ પાસે જઈને તેમણે જણાવેલી નોંઘવાળાં તેમજ વઘારે ઉતારો કરી લીઘેલાં પાનાં મૂકી શ્રી લલ્લુજીએ જણાવ્યું કે “રાત્રિ પડી ગઈ એટલે આજ્ઞા લેવા અવાયું નહીં, અને માસ પૂરો થવા આવ્યો હોવાથી પછી વખતે નહીં મળે જાણી વગર આજ્ઞાએ થોડી નોંધોના ઉતારા કરી લીઘા છે.” - તે સાંભળી શ્રીમદે બઘાં પાન અને નોંધપોથી પોતાની પાસે રાખી લીઘાં, તેમને કંઈ આપ્યું નહીં. તેથી તેમને ઘણો પસ્તાવો થયો અને શ્રી અંબાલાલને તે વાત જણાવી, તેમણે પણ શ્રી લલ્લુજીને આજ્ઞા વગર ઉતારો કર્યા બદલ ઠપકો આપ્યો. પણ હવે આજ્ઞા કરેલાં પાન અપાવવા શ્રી અંબાલાલ દ્વારા શ્રીમને વિનંતિ જણાવી. શ્રીમદે શ્રી અંબાલાલને થોડાં પાન આપી સારા અક્ષરે લખી શ્રી લલ્લુજીને આપવા જણાવ્યું. તે પ્રમાણે તેમણે ઉતારો કરી આપ્યો. તેમાં આજ્ઞા કરેલ તેમજ થોડી બીજી નોંધો પણ હતી. તેનું ધ્યાન કરવા શ્રી લલ્લુજીને શ્રીમદે આજ્ઞા કરી. ઘણી તીવ્ર પિપાસા પછી પ્રાપ્ત થયેલ આ સાઘનથી શ્રી લલ્લુજીને પરમ શાંતિ પ્રાપ્ત થઈ હતી. છેલ્લે દિવસે શ્રી લલ્લુજીને એકાંતમાં શ્રીમદ્જીએ એક કલાક બોઘ આપ્યો અને દૃષ્ટિરાગ પલટાવી આત્મદ્રષ્ટિ કરાવી. શ્રી લલ્લુજીને તે આશય સમજાયો ત્યારે શ્રીમદ્જી બોલતા અટકી ગયો. વસોમાં એક માસ પૂર્ણ થયો તે દિવસ શ્રીમદે શ્રી લલ્લુજીને કહ્યું, “કેમ મુનિ, તમારી માગણી પૂરી થઈ ? એક માસની તમારી માગણી પ્રમાણે રહ્યા.” શ્રી લલ્લુજીને મનમાં લાગ્યું કે વિશેષ માગણી કરી હોત તો સારું. પછી સર્વ મુનિઓને જાગૃતિનો ઉપદેશ આપતાં શ્રીમદે જણાવ્યું, “હે મુનિઓ ! અત્યારે જ્ઞાની પુરુષના પ્રત્યક્ષ સમાગમમાં પ્રમાદ કરો છો. પણ જ્ઞાની Page #29 -------------------------------------------------------------------------- ________________ [૧૪] પુરુષ નહીં હોય ત્યારે પશ્ચાત્તાપ પામશો. પાંચસો પાંચસો ગાઉ પર્યટન કરવા છતાં જ્ઞાનીનો સમાગમ થશે નહીં.” શ્રીમદ્ વસોથી ઉત્તરસંડા વનક્ષેત્રે એક માસ રહી ખેડા પધાર્યા અને શ્રી દેવકરણજી મુનિને ત્રેવીસ દિવસ સમાગમ કરાવ્યો તેનું વર્ણન કરતાં શ્રી લલ્લુજીને એક પત્રમાં તેઓ લખે છે : “ઉત્તરાધ્યયન'ના બત્રીસમા અધ્યયનનો બોઘ થતાં અસગુરુની ભ્રાંતિ ગઈ, સદ્ગુરુની પરિપૂર્ણ પ્રતીતિ થઈ. અત્યંત નિશ્ચય થયો, રોમાંચ ઉલ્લક્ષ્યાં; સત્પષની પ્રતીતિનો દ્રઢ નિશ્ચય રોમ રોમ ઊતરી ગયો. આજ્ઞાવશ વૃત્તિ થઈ... આપે કહ્યું તેમ જ થયું–ફળ પાક્યું, રસ ચાખ્યો, શાંત થયા. આજ્ઞાવડીએ હંમેશાં શાંત રહીશું. એવી વૃત્તિ ચાલે છે કે જાણે પુરુષના ચરણમાં મોક્ષ પ્રત્યક્ષ નજરે આવે છે. પરમકૃપાળુદેવે પૂર્ણ કૃપા કરી છે... અમે એક આહારનો વખત એળે ગુમાવીએ છીએ; બાકી તો સદ્ગસેવામાં કાળ વ્યતીત થાય છે, એટલે બસ છે. તેનું તે જ વાક્ય તે જ મુખમાંથી જ્યારે શ્રવણ કરીએ છીએ ત્યારે નવું જ દીસે છે.... સર્વોપરી ઉપદેશમાં એમ આવ્યા કરે છે કે શરીર કુશ કરી, માંહેનું તત્ત્વ શોઘી, કલેવરને ફેંકીને ચાલ્યા જાઓ; વિષય-કષાયરૂપ ચોરને અંદરથી બહાર કાઢી, બાળી-જાળી ફૂંકી મૂકી તેનું સ્નાનસૂતક કરી, દહાડો પવાડો કરી શાંત થાઓ, છૂટી જાઓ, શમાઈ જાઓ; શાંતિ, શાંતિ, શાંતિ થાઓ; વહેલા વહેલા તાકીદ કરો; જ્ઞાની સદ્ગુરુનાં ઉપદેશેલાં વચનો સાંભળીને એક વચન પણ પૂર્ણ પ્રેમથી ગ્રહણ કરે, એક પણ સદ્ગુરુ વચનનું પૂર્ણ પ્રેમથી આરાઘન કરે તો તે આરાઘના એ જ મોક્ષ છે, મોક્ષ બતાવે છે.” ચાતુર્માસ પૂરો થતાં સર્વ સાતે મુનિઓ નડિયાદ એકત્ર થયા. ત્યાં આશરે દોઢ માસ સુધી અલ્પ આહાર, અલ્પ નિદ્રા વગેરે નિયમોનું પાલન કરી દિવસનો ઘણો ખરો કાળ પુસ્તકવાચન, મનન, ભક્તિ, ધ્યાનાદિમાં ગાળતા. ખેડા તેમજ વસોમાં શ્રીમદ્જીનાં સમાગમ-બોઘ થયેલ તેનું વિવેચન સ્મરણ કરી પરસ્પર વિનિમય (આપ લે) કરતા. નડિયાદથી શ્રી દેવકરણજી આદિ અમદાવાદ તરફ વિહાર કરવાના હતા અને શ્રી લલ્લુજી આદિ ખંભાત તરફ પધારવાના હતા. તેવામાં સમાચાર મળ્યા કે શ્રીમદ્જી મુંબઈથી ઈડર નિવૃત્તિ અર્થે આજે પધાર્યા. એટલે શ્રી લલ્લુજીએ ખંભાત જવાનું બંધ રાખી ઈડર તરફ વિહાર કર્યો; કારણ કે વસોમાં ઘણા માણસોનો પરિચય રહેવાથી બરાબર બોઘનો લાભ નહીં મળેલો તેનો મનમાં તેમને ખેદ રહેલો હતો. શ્રી દેવકરણજીએ શ્રી લલ્લુજીને કહ્યું, “અમારે પણ બોઘનો લાભ લેવો છે. ઘણા દિવસ Page #30 -------------------------------------------------------------------------- ________________ [૧૫] બોધ દીઘો છે. તમારે આત્મહિત કરવું છે, શું અમારે નથી કરવું?'' એમ કહી તેમનું શરીર નરમ હોવા છતાં ઘીમે ઘીમે તે પણ ઈડર તરફ વિહાર કરવા લાગ્યા. શ્રી લલ્લુજી, શ્રી મોહનલાલજી અને શ્રી નરસિંહરખ એ ત્રણે ઉતાવળે વિહાર કરી ઈડર વહેલાં પહોચ્યાં. શ્રી લલ્લુજી શ્રીમદ્ઘના ઉતારાની તપાસ કરવા પ્રાણજીવન ડૉક્ટરના દવાખાના તરફ ગયા. શ્રીમદ્ભુએ દૂરથી મુનિશ્રીને જોઈને તેમની સેવામાં રહેલા ભાઈ ઠાકરશીને કહ્યું કે તેમને વનમાં લઈ જા. પાછળ પોતે પણ ત્યાં ગયા. એક આંબાના ઝાડ નીચે મુનિશ્રીને પોતે બોલાવી ગયા અને પૂછીને જાણી લીધું કે ત્રણ મુનિઓ પહેલા આવી પહોંચ્યાં છે અને ચાર પાછળ આવે છે. તે જાણી શ્રીમદ્ સહજ ખિજાઈને બોલ્યા, “તમે શા માટે પાછળ પડ્યા છો ? હવે શું છે? તમને જે સમજવાનું હતું તે જણાવ્યું છે. તમે હવે કાલે વિહાર કરી ચાલ્યા જાઓ. દેવકરણજીને અમે ખબર આપીએ છીએ તેથી તે આ સ્થળે નહીં આવતાં બીજા સ્થાને વિહાર કરી પાછા જશે. અમે અહીં ગુપ્ત રીતે રહીએ છીએ; કોઈના પરિચયમાં અમે આવવા ઇચ્છતા નથી; અપ્રસિદ્ધ રહીએ છીએ. ડૉક્ટરના તરફ આહાર લેવા નહીં આવતા; બીજા સ્થાનેથી લેજો. કાલે વિહાર કરી જવું.'' શ્રી લલ્લુજીએ વિનંતિ કરી : “આપની આજ્ઞા પ્રમાણે ચાલ્યા જઈશું. પરંતુ મોહનલાલજી અને નરસિંહરખને અહીં આપનાં દર્શન થયાં નથી. માટે આપ આજ્ઞા કરો તો એક દિવસ રોકાઈ, પછી વિહાર કરીએ.'' શ્રીમદે જણાવ્યું, ‘‘ભલે તેમ કરજો.’ બીજે દિવસે તે જ આંબા નીચે ત્રણે મુનિઓ ગયા. શ્રીમદ્જી પણ ત્યાં પધાર્યા, તે વખતે ‘દ્રવ્યસંગ્રહ'ની નીચેની ગાથાઓ તેઓશ્રી મોટા અવાજે બોલતા બોલતા આવ્યા હતા; તે ઘણા વખત સુધી નીચે બેઠા પછી પણ બોલ્યા જ કરી. १" मा मुज्झह मा रज्जह मा दुस्सह इट्ठणिट्ठ अट्ठेसु । थिरमिच्छह जइ चित्तं विचित्तज्झाणप्पसिद्धिए ।। जं किंचिवि चितंतो णिरीहवित्ती हवे जदा साहु । लद्धूणय एयत्तं तदाहु तं तस्स णिच्छयं ज्झाणं ॥ मा चिट्ठह, मा जंपह, मा चिंतह किंवि जेण होइ थिरो । अप्पा अप्पम्मि रओ इणमेव परं हवे ज्झाणं ॥ " ૧. અર્થ : વિચિત્ત=અનેક પ્રકારનાં કે નિર્વિકલ્પ-ધ્યાનની સિદ્ધિ ઇચ્છતા હો તો ઇષ્ટ-અનિષ્ટ પદાર્થોમાં રાગ-દ્વેષ મોહ ન કરો. (૪૮) કોઈ પણ પ્રકારનું ચિંતવન કરતાં જ્યારે મુનિ એકાગ્રપણું પામીને નિઃસ્પૃહવૃત્તિવાળા થાય ત્યારે તેમને નિશ્ચય ધ્યાનની પ્રાપ્તિ કહી છે. (૫૫) કોઈ પણ પ્રકારની (શરીરની) ચેષ્ટા ન કરો; કોઈ પણ પ્રકારે (વચનનો) ઉચ્ચાર ન કરો; કોઈ પણ પ્રકારે (મનથી) વિચાર ન કરો; તો તમે સ્થિર થશો. એમ આત્મા આત્મામાં ૨મણતા કરે તે પ્રકાર પરમ ધ્યાનનો છે. (૫૬) Page #31 -------------------------------------------------------------------------- ________________ [૧૬] લગભગ અડધા કલાક સુધી ગાથાની ધૂન ચાલુ રહી પછી પોતે સમાધિસ્થ થયા. સર્વત્ર શાંતિ પ્રસરી. કલાક પછી ‘‘વિચારશો’’ એટલું બોલી ત્યાંથી ચાલી નીકળ્યા. લઘુશંકાદિ કારણે જતા હશે એમ ધારી મુનિઓ થોડી વાર થોભ્યા. પણ તે પાછા ફર્યા નહીં. એટલે મુનિઓ ઉપાશ્રયે પાછા આવ્યા. આહારપાણી લાવી, પરવારીને બેઠા હતા, તે વખતે ભાઈ ઠાકરશી ઉપાશ્રયમાં આવ્યા. તેમને શ્રી લલ્લુજી સ્વામીએ પૂછ્યું, “દેવકરણજીને પત્ર લખવા સંબંધી શું થયું?'' ઠાકરશીએ કહ્યું, “પત્ર લખેલ છે, પણ રવાના કર્યો નથી.'' તે જ દિવસે સાંજના શ્રી દેવકરણજી વગેરે ઈડર આવી પહોંચ્યાં. શ્રીમદે સાતે મુનિઓને ડુંગર પરનાં શ્વેતાંબર અને દિગંબર બન્ને દેરાસર ઉઘડાવી દર્શન કરાવવા ઠાકરશીને મોકલ્યા. આ સાતે સ્થાનકવાસી મુનિઓએ સદ્ગુરુ આજ્ઞાથી જિનપ્રતિમાનાં દર્શન પ્રથમ ઈડરમાં કર્યાં. તે નિમિત્તે તેમને અપૂર્વ ઉલ્લાસ થયો. ડુંગર ઉપરનાં શ્રીમદે જણાવેલાં બધાં સ્થળો ઠાકરશીએ બધા મુનિઓને બતાવ્યાં. એક ટેકરી ઉપર દિગંબર મુનિઓના સમાધિસ્થાન તથા સ્મરણસ્તૂપો છે તથા નજીકમાં સ્મશાન, કુંડ, ગુફા છે તે પણ જોવા મુનિઓને મોકલ્યા હતા. ત્રીજે દિવસે તે જ આંબા નીચે આવવાની આજ્ઞા થયેલી તે પ્રમાણે સાતે મુનિઓ રાહ જોતા હતા; તેવામાં શ્રીમદ્જી પધાર્યા. શિયાળાની ઠંડી પણ હતી અને શ્રી દેવકરણજીનું શરીર અશક્ત હતું. તેથી તે ધ્રૂજતા જણાયા એટલે લક્ષ્મીચંદજી મુનિએ શ્રી દેવકરણજીને પોતાનું ઓઢેલું કપડું ઓરાઢ્યું. તે જોઈ શ્રીમદ્ઘ બાલ્યા : ‘ટાઢ વાય છે ? ટાઢ ઉરાડવી છે ?’’ એમ કહી તે એકદમ ત્વરાથી ચાલવા લાગ્યા. બધા પાછળ ઝડપથી ચાલ્યા. કાંટા, કાંકરા, ઝાંખરાં વટાવી શ્રીમદ્ભુ થોડે દૂર એક ઊંચી શિલા હતી ત્યાં જઈ પૂર્વ તરફ મુખ રાખીને બિરાજ્યા. બધા મુનિઓ સન્મુખ આવીને બેઠા. ઈડરના પુસ્તકભંડારને ઘણાં વર્ષોથી શ્વેતાંબર, દિગંબરોની માલિકી સંબંઘી તકરારને લઈને તાળાં વાસેલાં રહ્યાં હતાં. તે ભંડાર જોવાની તક શ્રીમદ્ભુને ઈડરના મહારાજાની ઓળખાણથી મળી હતી. તેમાંથી ‘દ્રવ્યસંગ્રહ' ગ્રંથ હસ્તાક્ષરે લખેલો શ્રીમદ્ઘ અત્ર લાવ્યા હતા. તે અર્ધો ગ્રંથ અહીં સર્વને વાંચી સંભળાવ્યો. એટલામાં શ્રી દેવકરણજી બાલી ઊઠ્યા : “હવે અમારે ગામમાં જવાની શી જરૂર છે ?’’ શ્રીમદે કહ્યું, ‘‘કોણ કહે છે કે જાઓ ?'' શ્રી દેવકરણજીએ કહ્યું, “શું કરીએ ? પેટ પડ્યું છે.'' શ્રીમદે કહ્યું, “મુનિઓને પેટ છે તે જગતના કલ્યાણને અર્થે છે. મુનિને પેટ ન હોત તો ગામમાં ન જતાં પહાડની ગુફામાં વસી કેવળ વીતરાગ ભાવે રહી જંગલમાં જ વિચરત. તેથી જગતના કલ્યાણરૂપ થઈ. શકત નહીં. તેથી મુનિનું પેટ જગતના હિતાર્થે છે.’’ ધ્યાનનો વિષય ચર્ચતાં શ્રીમદ્ભુએ કહ્યું : “ઘ્યાનની અંદર જેવું ચિંતવે તેવું યોગાભ્યાસીને દેખાય. દૃષ્ટાંત તરીકે, ધ્યાનમાં આત્માને પાડા જેવો ચિંતવી આ પહાડ જેવડું પૂછડું હોવાનું ચિંતવે તો તેને આત્મા તેરૂપે ભાસે છે. પણ વસ્તુતઃ તે આત્મા નથી. પણ તેને જાણનાર જે છે તે આત્મા છે.’’ Page #32 -------------------------------------------------------------------------- ________________ [૧૭] એક દિવસે તે સાંકેતિક આમ્રવૃક્ષ નીચે સાતે મુનિઓ સાથે શ્રીમદ્ભુ બિરાજ્યા હતા ત્યારે મુનિ મોહનલાલજીએ શ્રીમદ્ન ફરિયાદ કરી “આહાર કરી રહ્યા પછી મને મુહપત્તી બાંઘતાં વાર લાગે છે તેથી મહારાજ (શ્રી લલ્લુજી ) મને દંડ આપે છે.’ શ્રીમદ્ભુએ કહ્યું, “બધા મુહપત્તી કાઢી નાખો. અને ઈડરની આસપાસ વીસ ગાઉ સુઘી બાંધશો નહીં. કોઈ આવીને પૂછે તો શાંતિથી વાતચીત કરીને તેના મનનું સમાધાન કરવું.’ કલ્પવૃક્ષ સમાન એ આમ્રવૃક્ષ નીચે છેલ્લે દિવસે સાતે મુનિઓ વહેલા આવીને શ્રીમદ્જીની રાહ જોતા હતા એટલામાં પોતે પધાર્યા. અને વિકટ રસ્તે સર્વને દોરીને ચાલવા લાગ્યા. વેલસીરખ નામે એક વૃદ્ધ મુનિ બોલ્યા,‘આજે મંડળમાંથી એકાદ જણને અહીં મૂકીને જશે કે શું ? આ ઉપર જવાનો માર્ગ બહુ વિકટ છે. અને આપણને તો અત્યારથી અંતર પડે છે. તેઓશ્રી તો ઘણા ઉતાવળા ઉપર ચઢે છે.'' શ્રીમદ્ભુ વહેલા ઉપર પહોંચી એક વિશાળ શિલા ઉપર બિરાજ્યા, પછી સાતે મુનિઓ આવીને સન્મુખ બેઠા. શ્રીમદ્ બોલ્યા, “અહીં નજીકમાં એક વાઘ રહે છે, પણ તમે સર્વ નિર્ભય રહેજો.'’ સિદ્ધશિલા અને સિદ્ધસ્વરૂપની વાત ચર્ચાયા પછી શ્રીમદે પૂછ્યું, “આપણે આટલે ઊંચે બેઠા છીએ, તે કોઈ નીચેનો માણસ તળેટી ઉપરથી દેખી શકે?'' શ્રી લલ્લુજીએ કહ્યું, “ના, ન દેખી શકે.’’ શ્રીમદે કહ્યું,, “તેમજ નીચેની દશાનો જીવ ઊંચી દશાવાળા જ્ઞાનીનું સ્વરૂપ જાણી શકતો નથી. પણ યોગ્યતા પ્રાપ્ત થાય, અને ઉચ્ચ દશામાં આવે તો દેખી શકે. આપણે ડુંગર ઉપર ઉચ્ચ સ્થાને હોવાથી આખું શહેર અને દૂર સુધી જોઈ શકીએ છીએ. પણ નીચે ભૂમિ ઉપર ઊભેલો માત્ર તેટલી ભૂમિને દેખી શકે છે. તેથી જ્ઞાની ઉચ્ચ દશાએ રહી નીચેનાને કહે છે, ‘તું થોડે ઊંચે આવ, પછી જો; તને ખબર પડશે.' ,,, પછી શ્રીમદ્ભુએ બધા મુનિઓને કહ્યું, ‘“તમે પદ્માસન વાળી બેસી જાઓ અને જિનમુદ્રાવત્ બની ‘દ્રવ્યસંગ્રહ’ની ગાથાઓનો અર્થ ઉપયોગમાં લો.’' તે પ્રમાણે બધા બેસી ગયા. પછી શ્રીમદ્જી ‘દ્રવ્યસંગ્રહ’ની ગાથાઓ મોટા અવાજે બોલવા લાગ્યા અને તેનો અર્થ પણ કરતા, પછી પરમાર્થ કહેતા. એમ આખો ‘દ્રવ્યસંગ્રહ' ગ્રંથ પરિપૂર્ણ સંભળાવ્યો, સમજાવ્યો, ત્યાં સુધી તે જ આસને બધા મુનિઓ અચળપણે રહ્યા. શ્રી દેવકરણજી ઉલ્લાસમાં આવીને બોલી ઊઠ્યા : “અત્યાર સુધીમાં જે જે સમાગમ પરમગુરુનો થયો તેમાં આ સમાગમ, અહો ! સર્વોપરી થયો. જેમ દેરાસરના શિખર ઉપર કળશ ચઢાવવામાં આવે છે તેમ આ પ્રસંગથી થયું છે.’ પછી શ્રીમદે કહ્યું, “આત્માનુશાસન ગ્રંથના કર્તા શ્રી ગુણભદ્રાચાર્ય તે ગ્રંથના પાછળના ભાગમાં અતિ અદ્ભુત જ્ઞાનમાં રેલ્યા છે; આત્માના સ્વરૂપનું વિશેષ વર્ણન સ્પષ્ટ બતાવે છે. '' એમ કહી તે ભાગ પણ વાંચી સંભળાવ્યો. Page #33 -------------------------------------------------------------------------- ________________ [૧૮] તે સાંકેતિક આંબા નીચે શ્રીમદ્જીએ મુનિઓને કહ્યું, “મુનિઓ, જીવની વૃત્તિ તીવ્રપણાથી પણ પડી જાય છે. અંબાલાલની વૃત્તિ અને દશા પ્રથમ ભક્તિ અને વૈરાગ્યાદિ કારણે ઉચ્ચ થતાં તેને એવી લબ્ધિ પ્રગટ થઈ હતી કે અમે ત્રણ ચાર કલાક બોઘ કર્યો હોય તે બીજે દિવસે કે ત્રીજે દિવસે લખી લાવવાનું કહીએ તો તે સંપૂર્ણ અને અમારા શબ્દોમાં લખી લાવતા હતા. હાલ પ્રમાદ અને લોભ આદિના કારણે વૃત્તિ શિથિલ થઈ છે. તે દોષ તેનામાં પ્રગટ થશે એમ અમે બાર માસ પહેલાં જાણતા હતા.” શ્રી લલ્લુજીને તે સાંભળી ખેદ થયો, તેથી શ્રીમદ્જીને પૂછ્યું, “શું તે એમ જ રહેશે ?” શ્રીમદ્જીએ કહ્યું, “મુનિ, ખેદ કરશો નહીં. જેમ નદીના પ્રવાહમાં તણાતું પાંદડું એક જાળા આડે અટકી જાય, પણ ફરી પૂર-પ્રવાહના વહનમાં જાળાથી જુદું પડીને મહાસમુદ્રમાં જઈને મળે છે, તેમ તેનો પ્રમાદ અમારાથી દૂર થશે અને પરમપદને પામશે.” બે-અઢી માસ પર્યત ઈડરની આજુબાજુના પ્રદેશમાં શ્રી લલ્લુજી વિચર્યા. પછી ખેરાળુ થઈ નડિયાદ આવી સં. ૧૯૫૫ નું ચાતુર્માસ ત્યાં જ કર્યું. મુંબઈમાં શ્રી લલ્લુજી સ્વામીનું ચોમાસું થયા પછી શ્રીમદ્જી સાથેનો પરિચય તથા પત્રવ્યવહાર વઘી ગયો અને સદ્ગુરુ પ્રત્યેના પ્રેમની વૃદ્ધિ છુપાવી છૂપી રહે તેમ નહોતી. શ્રી યશોવિજયજીએ સુમતિનાથ પ્રભુના સ્તવનમાં કહ્યું છે તેમ બન્યું હતું – “સજ્જનશું છે પ્રીતડીજી, છાની તે ન રખાય; પરિમલ કસ્તૂરી તણોજી, મહીમાંહે મહકાય; સોભાગી જિનશું લાગ્યો અવિહડ રંગ. ઢાંકી ઇશ્ક પાલગુંજી, ન રહે લહી વિસ્તાર, વાચક યશ કહે પ્રભુતણોજી, તિમ મુજ પ્રેમ-પ્રકાર–સોભાગી” સુરત, કઠોર થઈ સં. ૧૯૫૨ માં ખંભાતમાં શ્રી લલ્લુજીએ ચોમાસું કર્યું તે પહેલાં પણ સં. ૧૯૫૦ માં પત્ર-વ્યવહાર સંબંધે ખંભાત સંઘાડામાં ચર્ચા ચાલેલી તેથી શ્રીમજીને એક પત્રમાં નીચે પ્રમાણે શ્રી લલ્લુજી પ્રત્યે જણાવવું થયું હતું – લોક-સમાગમ વધે, પ્રીતિ અપ્રીતિનાં કારણો વધે, સ્ત્રીઆદિના પરિચયમાં આવવાનો હેતુ થાય, સંયમ ઢીલો થાય, તે તે પ્રકારનો પરિગ્રહ વિના કારણે અંગીકૃત થાય, એવાં સાન્નિપાતિક અનંત કારણો દેખી પત્રાદિનો નિષેઘ કર્યો છે, તથાપિ તે પણ અપવાદરહિત છે...કોઈ જ્ઞાની પુરુષનું દૂર રહેવું થતું હોય, તેમનો સમાગમ થવો મુશ્કેલ હોય અને પત્ર-સમાચાર સિવાય બીજો કોઈ ઉપાય ન હોય તો પછી આત્મહિત સિવાય બીજા સર્વ પ્રકારની બુદ્ધિનો ત્યાગ કરી તેવા જ્ઞાની પુરુષની આજ્ઞાએ કે કોઈ મુમુક્ષુ સત્સંગીની સામાન્ય આજ્ઞાએ તેમ કરવાનો જિનાગમથી નિષેઘ થતો નથી, એમ જણાય છે; કારણ કે પત્ર-સમાચાર લખવાથી આત્મહિત નાશ પામતું હતું, ત્યાં જ તે ના સમજાવી છે. જ્યાં આત્મહિત પત્રસમાચાર નહીં હોવાથી નાશ પામતું હોય, ત્યાં Page #34 -------------------------------------------------------------------------- ________________ [૧૯] પત્રસમાચારનો નિષેધ હોય એમ જિનાગમથી બને કે કેમ? તે હવે વિચારવા યોગ્ય છે. એ પ્રકારે વિચારવાથી જિનાગમમાં જ્ઞાન, દર્શન, સંયમના સંરક્ષણાર્થે પત્રસમાચારાદિ વ્યવહાર પણ સ્વીકારવાનો સમાવેશ થાય છે; તથાપિ તે કોઈક કાળ અર્થ, કોઈ મોટા પ્રયોજન, મહાત્મા પુરુષોની આજ્ઞાથી કે કેવળ જીવના કલ્યાણના જ કારણમાં તેનો ઉપયોગ કોઈક પાત્રને અર્થ છે, એમ સમજવા યોગ્ય છે. નિત્ય-પ્રતિ અને સાઘારણ પ્રસંગમાં પત્રસમાચારાદિ વ્યવહાર ઘટે નહીં, જ્ઞાની પુરુષ પ્રત્યે તેની આજ્ઞાએ નિત્યપ્રતિ પત્રાદિ વ્યવહાર ઘટે છે.... ...તમને સર્વ પચખાણ હોય તો પછી પત્ર ન લખવાનાં જે પચખાણ સાધુએ આપ્યાં છે તે અપાય નહીં. તથાપિ આપ્યાં તોપણ એમાં હરકત ગણવી નહીં; તે પચખાણ પણ જ્ઞાનીપુરુષની વાણીથી રૂપાંતર થયાં હોત તો હરકત નહોતી, પણ સાઘારણપણે રૂપાંતર થયાં છે તે ઘટારત નથી થયું. મૂળ સ્વાભાવિક પચખાણનો અત્રે વ્યાખ્યા-અવસર નથી, લોકપચખાણની વાતનો અવસર છે; તથાપિ તે પણ સાઘારણપણે પોતાની ઇચ્છાએ તોડવાં ઘટે નહીં, એવો હમણાં તો દ્રઢ વિચાર જ રાખવો. ગુણ પ્રગટવાના સાઘનમાં જ્યારે રોઘ થતો હોય ત્યારે તે પચખાણ જ્ઞાનીપુરુષની વાણીથી કે મુમુક્ષજીવના પ્રસંગથી સહજ આકારફેર થવા દઈ રસ્તા પર લાવવાં, કારણ કે વગર કારણે લોકોમાં અંદેશો થવા દેવાની વાર્તા યોગ્ય નથી.... તમે અંબાલાલને પત્ર લખ્યા વિષેમાં ચર્ચા થઈ તે જોકે ઘટારત થયું નથી. તમને કાંઈ પ્રાયશ્ચિત્ત આપે તો લેવું, પણ કોઈ જ્ઞાનવાર્તા લખવાને બદલે લખાવવામાં તમારે અડચણ કરવી ન જોઈએ, એમ સાથે યથાયોગ્ય નિર્મળ અંતઃકરણથી જણાવવું યોગ્ય છે કે જે વાત માત્ર જીવના હિતને અર્થે કરવા માટે છે.” એ જ અરસામાં શ્રી અંબાલાલ ઉપર પત્ર શ્રીમદ્જીએ લખ્યો છે તેમાં તે જ વાત વિષે લખી, જણાવે છે : “. કોઈ પણ પ્રકારે સહન કરવું એ સારું છે; એમ નહીં બને તો સહેજ કારણમાં મોટું વિપરીત ક્લેશરૂપ પરિણામ આવે...તેઓ વગર પ્રાયશ્ચિત્તે કદાપિ તે વાત જતી કરે તેવું હોય તોપણ તમારે એટલે સાધુ લલ્લુજીએ ચિત્તમાં એ વાતનો પશ્ચાત્તાપ એટલો તો કરવો ઘટે છે કે આમ પણ કરવું ઘટતું નહોતું. હવે પછીમાં દેવકરણજી સાધુ જેવાની સમક્ષતાથી શ્રાવક ત્યાંથી અમુક લખનાર હોય અને પત્ર લખાવે તો અડચણ નહીં એટલી વ્યવસ્થા તે સંપ્રદાયમાં ચાલ્યા કરે છે તેથી ઘણું કરી લોકો વિરોઘ કરશે નહીં, અને તેમાં પણ વિરોઘ જેવું લાગતું હોય તો હાલ તે વાત માટે પણ ઘીરજ ગ્રહણ કરવી હિતકારી છે. લોકસમુદાયમાં ક્લેશ ઉત્પન્ન ન થાય, એ લક્ષ ચૂકવા યોગ્ય હાલ નથી..” સં. ૧૯૫૧ નું ચોમાસું શ્રી લલ્લુજીએ સુરતમાં કર્યું, ત્યારે તેમના મોટા સાધુએ માળવામાંથી પત્ર લખી સં. ૧૯૫૨માં તેમને ખંભાત તેડાવ્યા. સં. ૧૯૫રનું ચોમાસું શ્રી લલ્લુજીએ ખંભાતમાં કર્યું ત્યારે શ્રીમજી રાળજ થઈ ખંભાત પધાર્યા હતા અને અઠવાડિયું રહ્યા હતા. તે પ્રસંગે મુનિઓનું તેમના સમાગમમાં જવું થતું તેથી લોકોમાં અને સાધુઓમાં ચર્ચા થતી. અને મોટા સાધુ ભાણજીરખને કાને પણ તે વાત લંબાઈને પહોંચેલી તેથી સં. ૧૯૫૩ ના ફાગણ માસમાં Page #35 -------------------------------------------------------------------------- ________________ [૨૦] ખંભાતમાં વીસ સાઘુઓ એકઠા થયા. તે વિષે ટૂંકામાં શ્રી અંબાલાલભાઈએ શ્રીમદ્જીને પત્ર લખ્યો છે, તેમાં તે જણાવે છે – મુનિશ્રી ભાણજીરખજીએ તેડાવવાથી કુલ સાધુ વીસ એકઠા થયા છે. મુનિશ્રી લલ્લુજી આદિ ઠાણાં છ આજ્ઞાનુસાર વર્તે છે. તે લોકો તો વિશેષ ચેષ્ટામાં, નિંદામાં આવી ગયા છે. અત્રેના સૌ મુમુક્ષુઓ આજ્ઞાનુસાર વર્તે છે. હવે તો તે લોકોએ હદપાર પ્રરૂપણા અને નિંદા કરવા માંડી છે. તે પ્રસંગે જો જરા કહેવા જાય છે કે મુનિનો માર્ગ કેવો હોવો જોઈએ, વગેરે સહજ કહે છે તો તે પણ તે લોકોને અવળું ભાસે છે...અનેક પ્રકારે અન્યાયથી પ્રરૂપે છે, ત્યાં મુનિ વગેરે સી અત્યારે તો સમપણે રહ્યા છે. કોઈ કાંઈ બોલતું નથી. જરા વાત કરવા જઈએ તો અન્યાયપણે જ બોલવું, ત્યાં આ જીવનો શો આશરો ? હવે તો હે પ્રભુ ! આપનું શરણ એક આધારભૂત છે. જે સાધુ સન્માર્ગની ઇચ્છાવાળા છે તેમાંથી એકેક એકેકને બોલાવીને વિશેષ પ્રકારે દબાવે છે, માર્ગથી પાડવાનું પ્રયત્ન કરે છે. અને લોકસમુદાય વખતે અન્ય અન્ય પ્રકારે હાસ્યાદિક ચેષ્ટા કરે છે. તેઓ છ મુનિઓ તો સમપણે રહ્યા છે. મુનિ દેવકરણજીને સાચી વાતમાં શૂરવીરપણું આવી જાય છે. પણ મન દબાવીને બેસી રહ્યા છે. હવે તો તે લોકોને વિશેષ આગ્રહ થઈ પડ્યો છે. ત્યાં વગર પૂછ્યું એકદમ આ સાધુઓને સંઘાડા બહાર મૂકી દે ત્યાં આ છ મુનિઓએ શી રીતે વર્તવું ? કદાપિ સંઘાડા બહાર ન મૂકે અને એકેકને જુદા પાડીને પોતાના સંગમાં રાખીને વિષમપણે દબાવે અથવા પાડવાનો પ્રયત્ન કરે ત્યાં આ મુનિઓએ શી રીતે વર્તવું ? કેટલાક થતી જિજ્ઞાસાવાળા મુનિઓને તો આ પ્રસંગે વિશેષ દૃઢ થયું છે અને થાય છે તો પણ હવે તો ડરે છે કે આ સંગ ભંડો છે અને તેમાં રહેવું થશે તો કેમ કરવું ? એ વિષે ખુલાસો ઇચ્છે છે. પત્રથી લખવાનું વિશેષપણે બન્યું નથી. પણ અદ્વેષપરિણામે જ વર્તવાનું રાખ્યું છે. તોપણ અગ્નિઝાળ આગળ રહેવાથી ઉષ્ણપણું થયા વિના રહેતું નથી. છતાં દાબી દાબીને રાખી રહ્યા છે. હવે તો આપ પરમ કૃપાળુદેવશ્રીની પરમ કૃપાથી જગતનું કલ્યાણ થાઓ. આ સંસર્ગથી ગમે તેટલું હોય તોપણ ચિત્ત વિક્ષેપ પામી જાય છે. હવે તે મુનિઓને ઊઠવા દે એમ લાગતું નથી. તેમ તે લોકો અમારા સાથે તો કંઈ વાત જ કરતા નથી... અત્યંત વૃઢ પરિણામે રહી શકવા જેટલી મારી સ્થિતિ નથી એટલે સત્યની વાતમાં યુવાનપણું આવી જાય છે. અને જે સાચી વાત કરીએ છીએ તેને હાસ્યમાં અન્યાયપણે કાઢી નાખે છે. એ વળી ફરી પાછી અનુકંપા આવી જાય છે.” શ્રીમદ્જીની સલાહ-સંપથી રહેવાની સૂચનાથી આવી સતામણીમાંય મોટા ગણાતા સાધુના કહ્યામાં રહેવા જેટલી નમ્રતા અને લઘુતા શ્રી લલ્લુજી ઘારણ કરી સ્વાધ્યાયાદિમાં કાળ ગાળતા તેની છાપ સર્વ સાધુઓ પર પડ્યા વિના રહેતી નહીં. અને લોકોને પણ તેમની શાંત પ્રભાવિક મુખમુદ્રા તેમ જ ભક્તિ, વૈરાગ્યાદિ ગુણથી તેમની મહત્તા સમજાતી વળી શ્રી દેવકરણજીના વ્યાખ્યાનથી તો નિંદક-વર્ગ પણ પ્રાયે પલટાઈ જતો. સં. ૧૯૫૪ ના માગશર વદ બીજે શ્રી લલ્લુજીએ શ્રીમજી ઉપર પત્ર લખેલો તેમાં પોતે લખે છે : “હે નાથ ! શ્રી ખંભાતથી મુનિ છગનજીએ એક પત્ર લખાવેલ અને તે ભાઈ Page #36 -------------------------------------------------------------------------- ________________ [૨૧] અંબાલાલભાઈને આપી કહ્યું કે મુનિ લલ્લુજી વગેરે મુનિઓએ મોકલજો. તેઓ લખે છે કે તમો અમદાવાદ ક્ષેત્રે ન ગયા તેથી કરી અમોને બહુ ખેદ થયો છે.....હે પ્રભુ ! અમને વિચારતાં એમ સમજાયું કે શ્રી અમદાવાદ ક્ષેત્રે આપણે નહીં જ જવું તેમ તો છે નહીં અને વળી સ્વપક્ષ-સાધુને ખેદ થાય છે. વળી ઘણો આગ્રહ ખેંચ રહે છે, તો આપણે સદ્ગુરુનું શરણ લઈ જવું કરીએ એવો વિચાર કરી તેનો આજ જવાબ શ્રી અમદાવાદ તથા ખંભાત લખ્યો છે.’’ આ પત્રનો ઉત્તર શ્રીમદ્ભુએ આપતાં જણાવ્યું છે : વિહાર કરી અમદાવાદ સ્થિતિ કરવામાં મનને ભય, ઉદ્વેગ કે ક્ષોભ નથી, પણ હિતબુદ્ધિથી વિચારતાં અમારી દૃષ્ટિમાં એમ આવે છે કે હાલ તે ક્ષેત્રે સ્થિતિ કરવી ઘટાર્થ નથી....સમાગમ થયે જણાવશો કે ‘આગળના કરતાં સંયમમાં મોળપ કરી હોય એમ આપને જણાતું હોય તો તે જણાવો, કે જેથી તે નિવૃત્ત કરવાનું બની આવે; અને જો આપને તેમ ન જણાતું હોય તો પછી કોઈ જીવો વિષમભાવને આધીન થઈ તેમ કહે તો તે વાત પ્રત્યે ન જતાં આત્મભાવ પર જઈને વર્તવું યોગ્ય છે....કદાપિ આપ એમ ધારતા હો કે જે લોકો અસંભાવ્ય વાત કહે છે તે લોકોના મનમાં પોતાની ભૂલ દેખાશે અને ધર્મની હાનિ થતી અટકશે, તો તે એક હેતુ ઠીક છે...પણ એક વાર તો અવિષમભાવે તે વાત સહન કરી અનુક્રમે સ્વાભાવિક વિહાર થતાં થતાં તેવે ક્ષેત્રે જવું થાય અને કોઈ લોકોને વહેમ હોય તે નિવૃત્ત થાય એમ કર્તવ્ય છે; પણ રાગદૃષ્ટિવાનનાં વચનોની પ્રેરણાથી તથા માનના રક્ષણને અર્થે અથવા અવિષમતા નહીં રહેવાથી લોકની ભૂલ મટાડવાનું નિમિત્ત ગણવું તે આત્મહિતકારી નથી.’’ ki શ્રી લલ્લુજી સં. ૧૯૫૪ ના પોષ માસમાં લખે છે :—“શ્રી વસો ક્ષેત્ર મધ્યે મુનિશ્રી ભાણજી સ્વામીનો સમાગમ થયો તે અવિષમ ભાવથી—સમાધિએ—વાતચીત કરી. તેથી તેમણે પણ કહ્યું કે તમો સુખે આટલામાં ફરો અને અમે પણ હાલ શ્રી અમદાવાદ ક્ષેત્રે નહીં જઈએ, એમ કહી સમતાએ કષાયરહિત સમાગમ કરી, ઊઠી શ્રી ખેડા પધાર્યા છે.'' સં. ૧૯૫૫ ચૈત્ર સુદ પાંચમના પત્રમાં શ્રી લલ્લુજી શ્રીમદ્દ્ન લખે છે :~‘ચોમાસું મુનિ છગનજીનું ખંભાત થાય તેમ સમજાય છે, પણ મુનિ દેવકરણજી (કચ્છથી) આવે તો ફેરફાર કરવો હશે તો તે સવડ બને તેમ છે. કોઈ વિષમ બને તેમ નથી...આજ મુનિ ભાણજીરખનો પત્ર આવશે.’' પછી શ્રી લલ્લુજીએ ચોમાસું નડિયાદ કર્યું અને શ્રી દેવકરણજીએ વસોમાં કર્યું. સં. ૧૯૫૫ ના ચોમાસા પછી શ્રી લલ્લુજી આદિ મુનિઓને ખંભાતના સંઘાડા બહાર મૂકેલા છતાં સામા પક્ષ સાથેનો સંબંધ તદ્દન છૂટો પડ્યો હોય અને એકબીજા પ્રત્યે દ્વેષભાવ ન રહ્યો હોય એમ ઉપરના પત્રોના ઉતારા ઉપરથી સ્પષ્ટ સમજાય છે. સંઘાડામાં સરખે સરખા બે ભાગ પડવા છતાં પુસ્તક પાનાં વગેરે માટે કોઈ પણ જાતની માગણી કે તકરાર શ્રી લલ્લુજી આદિ મુનિઓ તરફથી થયેલી નહીં એ એમની ઉદારતાની અને નિઃસ્પૃહતાની છાપ બધા સાધુઓ ઉપર પડેલી. કષાયની વૃદ્ધિ થાય તેવા નિમિત્તોમાં પણ શ્રીમદ્જીના ઉપદેશથી અને શ્રી લલ્લુજી આદિ મુનિઓની આજ્ઞાંકિત વૃત્તિથી જાણે કંઈ બન્યું નથી તેવું માની તેમના સંબંધથી તે છૂટા પડી આત્મહિતમાં જ મશગૂલ રહ્યા હતા. Page #37 -------------------------------------------------------------------------- ________________ [૨૨] આ અરસામાં ભાઈશ્રી અંબાલાલ એક પત્રમાં સુંદર વિચારણા પ્રદર્શિત કરે છે ઃ— “આવા લૌકિક ઉદયથી મનને સંકોચ નહીં કરતાં, મહા મુનિઓ આનંદમાં રહે છે અને નીચે પ્રમાણે પરમાર્થ વિચારે છે :— અસત્સંગ દૂર થશે; મારાપણું આખા જગતનું છોડ્યું હતું અને તેમાં આ પિયા સંઘાડાને લઈને કંઈ વળગ્યું હતું તે સહેજે છૂટ્યું, એ પરમ કૃપા શ્રી સદ્ગુરુની છે. હવે તો હે જીવ ! તારો ગચ્છ, તારો મત, તારો સંઘાડો ઘણો મોટો થયો—ચૌદ રાજલોક જેવડો થયો. ષડ્ દર્શન ઉપ૨ સમભાવ અને મૈત્રી રાખી નિર્મમત્વભાવે, વીતરાગભાવે આત્મસાધનને બહોળો અવકાશ મળ્યો. જેની વૃત્તિ અંદર આત્મભાવમાં ઊતરતી જાય છે તેને ક્ષેત્ર, કાળ, દ્રવ્ય, ભાવ કંઈ નડતાં જણાતાં નથી.....નિર્મળ એવું જળ ખારા સમુદ્ર ભેગું મળવાથી શાંત પડી રહેવા ઇચ્છતું નથી પણ સૂર્યની ગરમીના યોગે વરાળરૂપ થઈ, વાદળરૂપ થઈ જગતને અમૃતમય થવા સર્વ સ્થળે પડે છે. તેમ જ આપ જેવા મહા મુનિઓ સત્ એવા પરમ સ્વરૂપને જાણ્યાથી નિર્મળ જળરૂપ થઈ આખા જગતના હિતને માટે મારાપણું છોડી ગચ્છમતાદિની કલ્પનાથી રહિત થઈ આખા લોકને અમૃતમય કરવા વીતરાગભાવ સેવો છો ! ....જીવ અજ્ઞાન, મિથ્યાત્વભાવમાં જ્યાં સુધી છે ત્યાં સુધી મિથ્યાત્વમાં ને ગચ્છમાં જ્ઞાની તેને ગણે છે. મિથ્યાત્વ ગયા પછી સમકિત પ્રાપ્ત થતાં તેને તે નાત, જાત, ટોળી, મત-ગચ્છમાં ગણ્યો; અને તેરમે ગુણઠાણે ગયો કે ચૌદમે છે તોપણ દેહધારીના ગચ્છમાં ગણાણો; પણ શુદ્ધ, નિર્મળ, શુદ્ધ સચ્ચિદાનંદ સિદ્ધસ્વરૂપ પ્રગટ્યું ત્યારે તે કૃતાર્થ થયો, સર્વથી ભિન્ન, નિર્મળ થયો....' તેમના બીજા પત્રમાં પણ હિમ્મતદાયક પ્રેરક લખાણ છે – ‘વિચારવાન જીવોએ એવો નિશ્ચય કર્યો છે કે આ જીવને કોઈ ક્ષયોપશમાદિ કારણથી કે પૂર્વોપાર્જિત કર્મોદયથી....માન-અપમાનાદિ કારણો મળે છે. અર્થાત્ શુદ્ધ આચરણથી, તપોબળથી, શાસ્ત્રજ્ઞાનથી, વિચારશક્તિથી, વૈરાગ્યાદિ કારણો ઇત્યાદિથી જે કંઈ પૂજ્યપણું પ્રાપ્ત થાય છે, સત્કારાદિ મળે છે તે સૌ પૂર્વોપાર્જિત પ્રારબ્ધોદયથી થાય છે. અને જે કંઈ અસમાધિ, ક્ષુધા, તૃષા, અપમાન, અસત્કાર ઇત્યાદિ પ્રાપ્ત થાય છે તે પણ પ્રારબ્ધોદયથી. એમાં આ જીવનું કર્તૃત્વ કંઈ નથી; માત્ર પૂર્વે બાંધેલાં એવાં શુભાશુભ કર્મનું જ તે ફળ છે; એમ જાણી વિચારવાન જીવો માનઅપમાનાદિ કારણોમાં સમવૃષ્ટિએ રહી આત્મસમાધિમાં પ્રવર્તે છે... ભાઈશ્રી વેલસીભાઈ મુનિશ્રીની સેવામાં પર્યુષણ પર્વ ગાળવા માટે કાલે અહીંથી તે તરફ પધાર્યા છે.'' બે ચાર માસે મુનિસમાગમ કરતા રહેવા શ્રીમદ્જીએ મુમુક્ષુવર્ગને ભલામણ કરેલી હોવાથી અનુકૂલતાએ મુનિવરોના દર્શન-સમાગમાર્થે મુમુક્ષુઓ તેમની સમીપે જતા અને પત્રવ્યવહારથી પણ લાભ લેતા. Page #38 -------------------------------------------------------------------------- ________________ [૨૩] નડિયાદ ચાતુર્માસ પૂરું થયા પછી શ્રી લલ્લુજી આદિ વીરમગામ જવા નીકળ્યા. શ્રી દેવકરણજી આદિ પણ વિરમગામ આવ્યા હતા. છયે સાધુ વીરમગામ રહી ભક્તિ, જ્ઞાન, વિચાર આદિમાં કાળ ગાળતા હતા. શેષ કાળ પૂરો થવાથી શ્રી મોહનલાલજી આદિ સાણંદ તરફ ગયા. તે જ રાત્રે શ્રીમદ્જી વીરમગામ પધાર્યા, અને ઉપાશ્રયમાં સમાગમ થયો. શ્રી આનંદઘનજી અને શ્રી દેવચંદ્રજીનાં સ્તવનો બોલ્યા પછી શ્રીમદ્જીએ “વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે' એ મહાવીર ભગવાનના સ્તવનના અર્થ કર્યા હતા. સવારે વનમાં ફરી સમાગમ થયો હતો. પછી શ્રીમદ્જી વવાણિયા તરફ પધાર્યા. અને શ્રી લલ્લુજી આદિ અમદાવાદ તરફ આવ્યા. થોડા જ સમયમાં શ્રીમદ્જી વવાણિયાથી અમદાવાદ પધાર્યા. અને બહારની વાડી પાસેના નગરશેઠ પ્રેમાભાઈને બંગલે ઊતર્યા હતા. શ્રીમજી રાજપુરના દેરાસરે જવાના હોવાથી શ્રી લલ્લુજી આદિ મુનિઓને પણ ખબર આપી હતી. દેરાસરમાં છઠ્ઠા પદ્મપ્રભ પ્રભુજીનું સ્તવને પોતે બોલ્યા અને મૂળનાયકજી પાર્શ્વનાથ પ્રભુની બાજુમાં જે ભવ્ય ઘવલ પ્રતિમાજી છે તેની સમીપ જઈ શ્રીમદ્જી બોલ્યા, “દેવકરણજી, જુઓ, જુઓ આત્મા!' એટલે લલ્લુજી આદિ પ્રતિમાજી પાસે આગળ આવ્યા. શ્રીમજી બોલ્યા, “દિગંબર આચાર્યો નગ્ન રહ્યા માટે ભગવાનને પણ દિગંબર રાખ્યા; અને શ્વેતાંબર આચાર્યોએ વસ્ત્ર ધારણ કર્યા તેથી ભગવાનને આંગી, મુકુટ વગેરે ઘારણ કરાવ્યાં.” પછી દેરાસર બહાર પઘારી મુનિઓને ફરમાવ્યું, “મુનિઓ, બહાર વૃષ્ટિ કરશો તો વિક્ષેપનો પાર નથી. માટે અંતર્દ્રષ્ટિ કરો.” અમદાવાદથી શ્રીમજી ઈડર તરફ પધાર્યા, અને શ્રી લલ્લુજી આદિ થોડા દિવસ પછી નરોડા તરફ વિચર્યા. ઈડરથી શ્રીમદ્જીનો પત્ર નરોડા આવ્યો કે પોતે નરોડે બીજે દિવસે ઊતરશે. અમદાવાદથી મુમુક્ષુ ભાઈઓ પણ નરોડે આવ્યા હતા. બાર વાગે શ્રી લલ્લુજી આદિ મુનિઓને નિવૃત્તિ સ્થળે જંગલમાં પધારવા શ્રીમદ્જીએ સમાચાર મોકલ્યા. મુનિઓ ઉપાશ્રયથી ભાગોળે પહોંચ્યા તેટલામાં શ્રીમદ્જી આદિ પણ ત્યાં રાહ જોતા ઊભા હતા. ઉનાળાના તાપથી જમીન બહુ તપી ગઈ હતી. પરંતુ “સાધુના પગ દાઝતા હશે” એમ બોલી શ્રીમદ્જી પોતાના જોડા (સ્લીપર) કાઢી નાખી ગજગતિથી દૂર વડ સુધી ઉઘાડે પગે ચાલ્યા. સાઘુઓ છાયાનો આશ્રય લેવા ત્વરિત ગતિથી ચાલતા હતા. પણ પોતે અકળાયા વગર, કંઈ તડકાની કાળજી કર્યા વિના, શાંતિથી ચાલતા હતા. ગામના લોકો પણ વાતો કરતા કે શ્રી દેવકરણજી મહારાજ જણાવતા હતા કે આ જ્ઞાની પુરુષ છે તે વાત સાચી છે. વડ નીચે શ્રીમદ્જી બિરાજ્યા તેમની સામે છયે મુનિઓ નમસ્કાર કરીને બેઠા. શ્રીમદ્જીના પગનાં તળિયાં લાલચોળ થઈ ગયાં પણ પગ પર હાથ સુધ્ધાં ફેરવ્યો નહીં. શ્રી દેવકરણજી સામું જોઈ તે બોલ્યા, “હવે અમે તદ્દન અસંગ થવા ઇચ્છીએ છીએ. કોઈના પરિચયમાં આવવું ગમતું નથી એવી સંયમશ્રેણિમાં આત્મા રહેવા ઇચ્છે છે.” શ્રી દેવકરણજીએ પ્રશ્ન કર્યો, “તો અનંતી દયા જ્ઞાની પુરુષની છે તે ક્યાં જશે ?” શ્રીમદ્જીએ જવાબ આપ્યો. “અંતે એ પણ મૂકવાની છે.” Page #39 -------------------------------------------------------------------------- ________________ [૨૪] શ્રીમદ્જીએ પૂછ્યું, “સ્થાનકવાસી લોકો તમને વિક્ષેપ કરે છે તેનું શું કારણ?” શ્રી દેવકરણજીએ જણાવ્યું : “આપનો ચિત્રપટ અમારી પાસે રહે છે તે તેમને સાલે છે.” શ્રીમજી બોલ્યા, “આટલા કારણે અમે તમને ચિત્રપટની આજ્ઞા કરી નહોતી. જ્ઞાનીની આજ્ઞા પૂર્વાપર અવિરોઘ હોય. તમે તમારી ઇચ્છાપૂર્વક ચિત્રપટ પોતાની પાસે રાખ્યા હતા તે હવે મૂકી દો. દિગંબરી પુસ્તક યોગપ્રદીપ’ નામનું છે તે તમને મોકલશું, તે વારંવાર વિચારજો.” - સં. ૧૯૫૬ નું ચોમાસું શ્રી લલ્લુજી સ્વામીએ સોજિત્રા સોનીની ઘર્મશાળામાં કર્યું હતું. ત્યાં દિગંબર ભટ્ટાચાર્યનો તેમને સમાગમ થયેલો. સ્થાનકવાસી વેશ હોવા છતાં સંઘાડાથી જુદા થયા પછી સ્થાનકવાસીઓનો પરિચય બહુ ન પડે તેવાં સ્થળે ચાતુર્માસ ગાળવાનો વિચાર રાખેલો હતો. સોજિત્રામાં ચાતુર્માસ પૂરું થયું એટલામાં શ્રી લલ્લુજી આદિને પત્રથી સમાચાર મળ્યા કે શ્રીમજી અમદાવાદ પધાર્યા છે તેમજ શ્રી દેવકરણજીને પણ સમાચાર મળેલા તેથી બધા મુનિઓ વિહાર કરીને અમદાવાદ આવ્યા. શ્રી લલ્લુજીને રસ્તામાં તાવ આવતો હતો. તેથી તેમનાં ઉપકરણ શ્રી મોહનલાલજીએ ઊંચકી લીધેલાં; એક પોથી તેમની પાસે હતી તે સાથેના મુનિ નરસીરખે ઊંચકી લેવી જોઈતી હતી એમ શ્રી મોહનલાલજીને લાગેલું, તેથી તે વાત તેમણે શ્રી દેવકરણજીને અમદાવાદ કરી, તે ઉપરથી શ્રી દેવકરણજીએ નરસીરખને ઠપકો આપ્યો. પણ તેમનો પક્ષપાત કરી નાસીરખના સાથી અન્ય મુનિએ શ્રી દેવકરણજીની અવજ્ઞા કરી. આ વાત કોઈએ શ્રીમદ્જીને કરેલી નહીં, પરંતુ બધા મુનિઓ જ્યારે શ્રીમદ્જીનાં દર્શન કરવા આગાખાનને બંગલે ગયા ત્યારે શ્રીમદ્જીએ વાતચીતના પ્રસંગમાં જણાવ્યું, “મુનિઓ, આ જીવે સ્ત્રીપુત્રાદિના ભાર વહ્યા છે, પણ સપુરુષોની કે ઘર્માત્માની સેવાભક્તિ પ્રમાદરહિત ઉઠાવી નથી.” એમ કહી લક્ષ્મીચંદજી મુનિને આજ્ઞા કરી કે “આ “જ્ઞાનાર્ણવ' ગ્રંથ જ્યાં સુધી દેવકરણજી પરિપૂર્ણ વાંચી ન રહે ત્યાં સુધી વિહારમાં પણ તમારે ઊંચકવો.” પછી મુનિ દેવકરણજીને “જ્ઞાનાર્ણવ' વાંચવાની પ્રેરણા કરી તે જ્ઞાનાર્ણવ' ગ્રંથ તેમને વહોરાવ્યો. “કાર્તિકેયાનુપ્રેક્ષા' નામનો ગ્રંથ શ્રી લલ્લુજીને વહોરાવ્યો. અને તે પરિપૂર્ણ વાંચવા, સ્વાધ્યાય કરવા જણાવ્યું તથા શ્રી મોહનલાલજીને તે ગ્રંથ ઊંચકવાનું ફરમાવ્યું. - શ્રીમદ્જીએ શ્રી લલ્લુજીને કહ્યું, “મુનિ, “કાર્તિકેયાનુપ્રેક્ષા'ના કર્તા કુમાર બ્રહ્મચારી છે. તેમણે આ ગ્રંથમાં અપૂર્વ વૈરાગ્યનું જે નિરૂપણ કર્યું છે તેવી અંતરદશા અને તેવી ઉત્કૃષ્ટ ભાવના તે મહાત્માની વર્તતી હતી. નિવૃત્તિ સ્થળે બહુ વિચારશો.” શ્રી દેવકરણજી સ્વામીને પણ કહ્યું, તમારે પણ આ ગ્રંથ અત્યંત વાંચવો, વિચારવો. બન્ને અરસપરસ ગ્રંથ બદલી લઈ વાંચજો, વિચારજો.” શ્રી દેવકરણજીએ શ્રીમદ્જીને પૂછ્યું, “આપનું શરીર આવું એકદમ કૃશ કેમ થઈ ગયું?” શ્રીમદ્જીએ ઉત્તર આપ્યો–“અમે શરીરની સામે પડ્યા છીએ.” - શ્રીમજી અમદાવાદથી વઢવાણ જવાના હતા ત્યારે આગલી રાત્રે પોતે ભાવસારની વાડીમાં મુનિઓ ઊતર્યા હતા ત્યાં પઘાર્યા અને પોતાને વઢવાણ જવાનું છે તે જણાવી શ્રી લલ્લુજી પ્રત્યે ઠપકો દેતાં બોલ્યા, તમે જ અમારી પાછળ પડ્યા છો; અમે જ્યાં જઈએ છીએ ત્યાં દોડ્યા આવો છો. અમારો કેડો મૂક્તા નથી.” Page #40 -------------------------------------------------------------------------- ________________ [૨૫] શ્રી લલ્લુજી સ્વામીને પણ એમ થયું કે હવે જ્યારે પોતે તેડાવશે ત્યારે એમના ચરણમાં જઈશ, તેડાવ્યા વિના હવે નહીં જાઉં; ત્યાં સુધી એમની ભક્તિ કર્યા કરીશ. બીજે દિવસે શ્રી લલ્લુજી અને શ્રી દેવકરણજીને આગાખાનને બંગલે બોલાવી શ્રીમદ્જીએ પોતાની દશા વિષે વાત કરી, “હવે એક વીતરાગતા સિવાય અમને બીજું કંઈ વેદન નથી. અમારામાં અને વીતરાગમાં ભેદ ગણશો નહીં.” | શ્રી લલ્લુજી અને શ્રી દેવકરણજીને તેવી જ શ્રદ્ધા હતી પણ શ્રીમુખે તે દશા સાંભળી પરમ ઉલ્લાસ થયો, અને જતાં પહેલાં આપણને પોતાનું હૃદય ખોલી વાત કરી દીધી એમ બન્નેના હૃદયમાં થવાથી પરમ સંતોષ થયો. શ્રીમદ્જી અમદાવાદથી વઢવાણ કેમ્પમાં પઘાર્યા. ત્યાં કેટલોક કાળ રહી રાજકોટ પધાર્યા અને સં. ૧૯૫૭ ના ચત્ર વદ પાંચમને મંગળવારે શ્રીમદ્જીનો દેહોત્સર્ગ થયો. તે સમાચાર શ્રી લલ્લુજી મુનિ કાવિઠા હતા ત્યારે શેઠ ઝવેરચંદ ભગવાનદાસને સરનામે જણાવવામાં આવ્યા હતા. શ્રી લલ્લુજી મુનિને પાંચમનો ઉપવાસ હતો, અને રાત્રિ જંગલમાં ગાળી બીજે દિવસે ગામમાં આવ્યા ત્યારે શેઠ ઝવેરચંદભાઈ અને તેમના ભાઈ રતનચંદ બન્ને વાતો કરતા હતા કે મુનિશ્રીને પારણું થઈ રહ્યા પછી સમાચાર આપવા. તે વાત મુનિશ્રીએ પ્રગટ પૂછી અને તેમના આગ્રહથી પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રના દેહોત્સર્ગના સમાચાર તેમણે કહ્યા એટલે મુનિશ્રી પાછા જંગલમાં ચાલ્યા ગયા. અને એકાંતમાં કાયોત્સર્ગ, ભક્તિ આદિમાં તે દિવસ ગાળ્યો. પાણી પણ વાપર્યા વિના ચૈત્ર માસના ગરમીના કાળમાં વિરહવેદનાનો તે દિવસ જંગલમાં ગાળ્યો. ત્યાંથી શ્રી લલ્લુજી આદિ મુનિઓ વસો તરફ પધાર્યા. હવે શ્રી અંબાલાલભાઈનો સત્સંગ સમાગમ આશ્વાસક અને ઉત્સાહપ્રેરક રહ્યો હતો. સં. ૧૯૫૭ નું ચાતુર્માસ શ્રી લલ્લુજી આદિએ વસો ક્ષેત્રે કર્યું હતું. શ્રી મુનિવરોને ખંભાત તરફ આમંત્રણનો પત્ર શ્રી અંબાલાલભાઈએ લખ્યો છે તે બહુ વિચારવા યોગ્ય છે. તે લખે છે : “વિષમ સંસાર છોડી ચાલ્યા તે પરમ વીતરાગી પુરુષોને નમસ્કાર ! વીતરાગી મુનિઓના ચરણારવિંદમાં અમારા સવિનય ભક્તિભાવે નમસ્કાર પ્રાપ્ત થાય. પરમ વીતરાગી પુરુષોની કૃપાથી જ્ઞાન (જ્ઞાની) ની ઉપાસના કરતાં દેહમમત્વના ત્યાગને લીધે આત્માનંદમાં ઝૂલતા એવા અને પારમાર્થિક દ્રષ્ટિથી ભાવિક જીવો પર નિઃસ્પૃહ કરુણા દર્શાવતા આપ આનંદમાં બિરાજો છો એમ જાણવા જીવ નિરંતર ઇચ્છે છે. સદ્ગુરુદેવના અમૃતમય વચનનું પાન કરી જેનું વચન વીતરાગી ભાવને પામ્યું છે, ભક્તિ કરી જેની કાયા વીતરાગી ભાવને પામી છે, નિરંતર સ્મરણથી જેનું મન વીતરાગી ભાવને પામ્યું છે અને સદ્ગુરુમુખે લોકનું સ્વરૂપ સમજી જે આત્મભાવમાં રમે છે, તેવા મહામુનિનું સ્વરૂપ અમારા હૃદયમાં સદા રહે. સંસારના પ્રવાહમાં તણાતા, ભવાટવીમાં રખડતા આ રંક જીવના ઉદ્ધાર અર્થે Page #41 -------------------------------------------------------------------------- ________________ [૨૬] મહા મુનિઓનું આ તરફ પઘારવું થાય એમ આ જીવ નિરંતર વીનવે છે. પરમ પુરુષની કૃપાથી અહીં શાંતિ જણાય છે. તે પુરુષને અમારા પરમ પરમ ભક્તિભાવે નમસ્કાર હો ! તે મહાન વિતરાગી ગુરુદેવના ચરણ અમારા હૃદયના હૃદયમાં સદા સ્થાપિત રહો! તે પરમ પુરુષ મહાવીરનું ચરણશરણ અને સ્મરણ જ સદા તમને અમને પ્રાપ્ત હો ! ચારે ગતિમાં નહીં જવાનો જાણે દ્રઢ સંકલ્પ કરી લીધો હોય એવી ગાઢ ધ્યાન-મુદ્રાને ઘરતા, આત્મસ્વરૂપમાં વૃત્તિનો લય કરતા, આત્મસ્થ થયેલા મહાન મુનિઓને વારંવાર નમસ્કાર હો ! પ્રચંડ વીતરાગતાને ઘારણ કરતા, ક્ષમારૂપી ખગને ધારણ કરી કષાયરૂપી જગતમાં ઊથલપાથલ કરી નાખી જાણે જગતમાંથી કષાય નિર્મૂળ કરવાની ઇચ્છાએ જ મીનપણું ગ્રહણ કરતાં જ્ઞાનીના ચરણનું શરણ લે છે. મોક્ષનગરી લેવાને મહાવીર પુરુષ માફક સર્વે સંયમનાં આયુઘને સજ્જતા, આત્મજ્યોતિને ઉદ્યોત કરતા, સર્વે વિભાવને પ્રજ્વલિત કરી નાખતા હોય અને ઇંદ્રિયોને સંકોચી પદ્માસને વૃઢ વૃત્તિ અંતરદૃષ્ટિ કરી ચૈતન્ય આનંદમાં નિમગ્ન થતા મુનિને વારંવાર નમસ્કાર હો ! નમસ્કાર હો !” - શ્રીમદ્જીના દેહોત્સર્ગ પછી “મુંબઈ સમાચારમાં પ્રસિદ્ધ કરવા તૈયાર કરેલી કે પ્રસિદ્ધ થયેલી વિનંતિ શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજી આદિ મુનિવરો દ્વારા કે તેમના નામે કોઈ મુમુક્ષુ દ્વારા જાહેરાતરૂપે લખાયેલ શ્રી લલ્લુજીના સંગ્રહિત પત્રોમાંથી મળી આવે છે તે નીચે આપી છે. તે ઉપરથી શ્રીમનો દેહોત્સર્ગ થયો તે અરસામાં જ્ઞાનમંદિર કે આશ્રમની યોજના અમુક ભક્તવર્ગમાં સ્ફરેલી જણાય છે. સં. ૧૯૫૮ માં શ્રી દેવકરણજીના અવસાન પહેલાં આ લખાયેલ લાગે છે - શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર સ્થાપવાની જૈનમુનિઓ તરફથી કરવામાં આવતી વિનંતિ. મહેરબાન મુંબઈ સમાચારના અધિપતિ જોગ, સાહેબ, મુનિશ્રી લલ્લુજી, મુનિશ્રી દેવકીર્ણજી આદિ જૈન મુનિઓએ નીચે પ્રમાણે વિચાર દર્શાવ્યો છે, તે આપના પ્રસિદ્ધ પત્રમાં પ્રગટ કરવા કૃપા કરશો. ભગવાન મહાવીરે પ્રણીત કરેલ વીતરાગમાર્ગની સ્થાયી સ્થિતિમાં તેમના નિર્વાણ પઘાર્યા પછી ક્રમે ક્રમે સ્થિત્યાંતરને લઈને શ્વેતાંબર અને દિગંબર એમ બે પક્ષો થયા. અમુક વિચારોનો ફેરફાર થયેલો એ ખરું, પરંતુ બે પક્ષને એટલું બધું ભિન્નપણું પડી જવાનું કારણ તો એમ જણાય છે કે તે બન્ને પક્ષોની સ્થિતિ જુદા જુદા પ્રકારના રાજ્યતંત્ર અને સ્થલમાં થઈ હતી, અને તેને લઈને બન્ને પક્ષે જે સંજોગોમાં પોતે મુકાયા હતા તે સંજોગોને અનુસરી રહેવા કરવાના નિયમાદિકમાં ફેરફાર કર્યો. ઘણો વખત જવા પછી તો એવી દશા, કાળસ્થિતિ થઈ પડી હતી કે શ્વેતાંબર અને દિગંબર મતાનુયાયી ઘણા કાળ સુધી પ્રસંગમાં પણ આવી શક્યા નહોતા. વચમાં વચમાં બન્ને પક્ષની અંદર મહાતત્ત્વજ્ઞ પુરુષો થઈ ગયા. યદ્યપિ તેઓને બન્ને પક્ષોમાં ફેરફારવાળા થોડાઘણા વિચારો નિર્ણય કરવાનો યોગ બન્યો નહોતો કેમકે બન્ને પક્ષના તત્ત્વવેત્તાઓ ઉપર ગંભીર સેવા Page #42 -------------------------------------------------------------------------- ________________ [૨૭] બજાવવાની જવાબદારી હતી અને તે એ કે જ્ઞાનના અભાવે કરી પોતપોતાના પક્ષની જે અધમ સ્થિતિ થઈ જવા પામી હતી તે સુધારી યોગ્ય સ્થિતિમાં મૂકવાનું કામ તેઓને કરવું પડતું હતું. દા.ત. હરિભદ્રસૂરિનો સમય લઈએ. જે સમયે એ મહાન આચાર્ય થયા તે વખતે લોકોની એવી અવ્યવસ્થિત સ્થિતિ થવા પામી હતી કે તેને સુધારવાનું કામ તેમને હાથ ધરવું પડ્યું; અને તે કામને સંપૂર્ણ ક૨વામાં જે શ્રમ અને સમય તેમને રોકવા પડ્યા તે એટલા બધા વિસ્તીર્ણ હતા કે શ્વેતાંબર અને દિગંબર પક્ષના વિચારોમાં જે ફેરફાર જણાતા હતા તેના ઉપર બન્નેએ સાથે મળી વિચાર ચલાવી તેનો નિર્ણય કરી ફેરફાર કરવાનો સમય તેમની પાસે રહ્યો નહોતો. અને તેને લઈને શ્વેતાંબર પક્ષની જ સ્થિતિ સુધારતાં જે મહાલાભનું કારણ હતું તે તેમણે કર્યું. એ જ પ્રમાણે દિગંબર તત્ત્વજ્ઞપુરુષોને કરવું પડેલું. આવા કારણથી બન્ને પક્ષના વિચારોમાં ફેરફાર હતો તે એમ ને એમ રહી ગયો. ત્યાર પછી હેમચંદ્રાચાર્યનો વખત લો. તેમને માટે પણ પોતાના પક્ષની અવ્યવસ્થિત સ્થિતિ સુધારવાનું કામ તૈયાર હતું. એટલે દિગંબર પક્ષની સાથે નિર્ણય કરવાનું કામ તેઓથી પણ કરી શકાયું નહીં. આ જ રીતે બીજા મહત્ પુરુષોની સ્થિતિ થયેલી જણાય છે. નાના જુદા જુદા મતમતાંતરો એટલા બધા વધી પડેલા કે ગમે તેવા મોટા આચાર્યને આ મતમતાંતર૫ણું દૂ૨ ક૨વાનું કામ ઘણું શ્રમિત હતું. છતાં પણ તેઓએ પોતાથી બનતો પ્રયાસ કર્યો. હેમચંદ્રાચાર્ય પછીનો સમય એટલો બધો અવ્યવસ્થિતપણાને પામી ગયેલો કે તે અવ્યવસ્થિતપણાએ માત્ર મતાંતર૫ણું જ ઉત્પન્ન કરવાનું કામ કરેલું. આ રીતે બે મુખ્ય પક્ષના વિચારાંતરનું સમાઘાન કરવાનું કામ બાકી રહી ગયું. હાલનું રાજતંત્ર સ્થાયી થવાથી હમણાં કોઈ મહાત્માઓ થઈ આવે તો તેને માટે એ મુશ્કેલી ઓછી થઈ હતી, જો કે બીજી તરફથી ઘણા જ નાના મતમતાંતરો વધી પડેલા અને તેથી મતાગ્રહે બહુ જડ ઘાલેલી તે જડ ઉખેડવાના કામે તેટલી મુશ્કેલી ઊભી કરી હતી. તોપણ આ મુશ્કેલીને પહોંચી વળવા માટે હમણા જ પંચત્વ પામેલા મહાત્મા ઉત્પન્ન થયા હતા. એમ જણાતું હતું કે પવિત્ર આત્મા જિનમાર્ગના ભાનુ તરીકે ઉદય થયો હતો. પોતે સર્વ દર્શનના સૂક્ષ્મ અભ્યાસી થઈ આત્મતત્ત્વ સંબંધીના વિચારોનું સત્વ કાઢ્યું હતું. નહોતો તેને મન જિનમાર્ગ પોતાનો કે નહોતો વેદાંતમાર્ગ પોતાનો. તેઓ, જે માર્ગ વીતરાગ દશાનું ભાન કરાવતો તે જ માર્ગ આત્માનું કલ્યાણ કરનારો ઉપદેશતા હતા. મહા આક્ષેપો ખમ્યા પછી તેઓ એક નિષ્પક્ષપાતી અને મતમતાંત૨૨હિત નિર્મળ આત્મમાર્ગના ઉપદેષ્ટા છે તેવું લોકોને જાણવામાં આવવા લાગ્યું હતું; અને શુદ્ધ વીતરાગ આત્મમાર્ગની દશાનું ભાન કરાવનાર તે જ પુરુષ છે એવી લોકોને પ્રતીતિ થવાની શરૂઆત થઈ હતી. પરંતુ અફસોસ ! તે ઊગતો સૂર્ય અસ્ત થયો, તેઓનું વર્તમાન આયુષ્યકર્મ પૂરું થયું. પરિણામ, વીતરાગમાર્ગનો ઉદ્યોત થતો અટક્યો ! અમે પણ બીજાઓની પેઠે મતાગ્રહમાં રાચી રહ્યા છીએ. મન, વચન અને કાયાથી પોતાપણાના ત્યાગની પ્રતિજ્ઞા કર્યા છતાં પોતાના મતનો કદાગ્રહ એટલો બધો જડ ઘાલી બેઠેલો કે એક શુદ્ધ ગૃહસ્થાશ્રમી જે ધર્મજ્ઞાનની આવશ્યકતાથી અજ્ઞાત છતાં પોતાના પરિગ્રહમાં એટલું બધું પોતાપણું નહીં માની બેઠો હોય. આવી ધર્મગુરુઓની સ્થિતિ હોય ત્યાં લોકનું કલ્યાણ થવાની શી આશા રાખવી ? અમને આવી અજ્ઞાનદશામાં આત્મકલ્યાણનો માર્ગ નિઃસ્પૃહીપણું છે એવું ભાન Page #43 -------------------------------------------------------------------------- ________________ [૨૮] કરાવનાર તે પવિત્ર મૂર્તિ હતી. અમે મતાગ્રહપણાથી પોતાના આત્માના અહિતનું કામ કર્યે જઈએ છીએ એવું તે મહાત્માએ અમને સમજાવ્યું હતું. અને તેથી જ અમે બીજાઓની પેઠે પોતાપણું માની બેઠેલા હતા તેમાં અમારા આત્માનું અહિત કરતા હતા, એમ અમને કંઈ સમજાયું હોય એમ લાગે છે. અમને તે મહાન પવિત્રાત્માના સત્સમાગમનો જે અપૂર્વ લાભ મળ્યો હતો, તે ઉપરથી અમને નિઃસંદેહપણે લાગતું હતું કે જો શ્રી મહાવીરે પ્રણીત કરેલા માર્ગનો ઉદ્ધાર કરનાર પુરુષ કોઈ હોય તો તે આ જ પુરુષ હતા. એ નિઃસંશય હતું કે જો તે મહાત્માનું આયુષ્ય વિશેષ હોત તો નાના નાના મતમતાંતરો તો અવશ્ય દૂર થવાના હતા. એટલું જ નહીં પણ શ્વેતાંબર અને દિગંબર માર્ગના સૂક્ષ્મ વિચારોતર પણ દૂર થઈ જે રીતે શ્રી મહાવીરે વીતરાગ માર્ગનો પ્રચાર કર્યો હતો તે આ મહાત્માથી થવાનો હતો. પરંતુ હવે તે સઘળી આશાઓ વ્યર્થ થઈ છે. અને કેટલું અજ્ઞાન વઘવાનું છે તે કલ્પી શકાતું નથી. તે મહાત્માના અનુયાયીઓએ બીજું કંઈ નહીં તો એટલું તો અવશ્ય કરવું ઘટે છે કે તેઓના બોઘનું અનુકરણ કરી શકાય તેટલા માટે એક જ્ઞાનમંદિર સ્થાપવું. તે જ્ઞાનમંદિરની એવી યોજના થવી જોઈએ કે તેઓના અનુયાયીનાં સદ્વર્તન જનમંડળને દ્રષ્ટાંતરૂપ થઈ પડે.” ઉપરના લખાણની પાછળ જે સૂઝ કામ કરી રહી છે તે સમજવા નીચે આપેલ શ્રીમનું લખાણ ઉપયોગી થશે : જો મૂળ માર્ગ પ્રગટતામાં આણવો હોય તો પ્રગટ કરનારે સર્વસંગ પરિત્યાગ કરવો યોગ્ય; કેમકે તેથી ખરેખરો સમર્થ ઉપકાર થવાનો વખત આવે.. જો ખરેખર ઉપદેશક પુરુષનો જોગ બને તો ઘણા જીવ મૂળ માર્ગ પામે તેવું છે... પણ વૃષ્ટિ કરતાં તેવો પુરુષ ધ્યાનમાં આવતો નથી, એટલે કંઈક લખનાર પ્રત્યે જ દ્રષ્ટિ આવે છે...... સર્વસંગપરિત્યાગાદિ થાય તો હજારો માણસ મૂળ માર્ગને પામે, અને હજારો માણસ તે સન્માર્ગને આરાથી સદ્ગતિને પામે એમ અમારાથી થવું સંભવે છે............... ઘર્મ સ્થાપવાનું માન મોટું છે; તેની સ્પૃહાથી પણ વખતે આવી વૃત્તિ રહે, પણ આત્માને ઘણી વાર તાવી જોતાં તે સંભવ હવેની દશામાં ઓછો જ દેખાય છે, અને કંઈક સત્તાગત રહ્યો હશે તો તે ક્ષીણ થશે એમ અવશ્ય ભાસે છે, કેમકે યથાયોગ્યતા વિના, દેહ છૂટી જાય તેવી દ્રઢ કલ્પના હોય તો પણ, માર્ગ ઉપદેશવો નહીં, એમ આત્મ-નિશ્ચય નિત્ય વર્તે છે.... મારા મનમાં એમ રહે છે કે વેદોક્ત ઘર્મ પ્રકાશવો અથવા સ્થાપવો હોય તો મારી દશા યથાયોગ્ય છે. પણ જિનોક્ત ઘર્મ સ્થાપવો હોય તો હજુ તેટલી યોગ્યતા નથી, તો પણ વિશેષ યોગ્યતા છે, એમ લાગે છે.” [‘શ્રીમદ્ રાજચંદ્ર' આંક ૭૦૮ સંપૂર્ણ વિચારણીય.] “ઉન્નતિનાં સાધનોની સ્મૃતિ કરું છું - બોઘબીજનું સ્વરૂપનિરૂપણ મૂળ માર્ગ પ્રમાણે ઠામ ઠામ થાય. ઠામ ઠામ મતભેદથી કંઈ જ કલ્યાણ નથી એ વાત ફેલાય. પ્રત્યક્ષ સદ્ગુરુની આજ્ઞાએ ઘર્મ છે એમ વાત લક્ષમાં આવે. Page #44 -------------------------------------------------------------------------- ________________ [૨૯] દ્રવ્યાનુયોગ,- આત્મવિદ્યાપ્રકાશ થાય. ત્યાગવેરાગ્યના વિશેષપણાથી સાઘુઓ વિચરે. નવતત્ત્વપ્રકાશ. સાઘુઘર્મપ્રકાશ. શ્રાવકધર્મપ્રકાશ. વિચાર. ઘણા જીવોને પ્રાપ્તિ.” (આંક ૭૦૯) શ્રીમદ્જીની હયાતીમાં તેમના દર્શન-સમાગમની ભાવનાથી શ્રી લલ્લુજી સ્વામી નડિયાદ, આણંદ, અમદાવાદ, નરોડા આદિ સ્થળોમાં વિહાર કરતા અને સમાચાર મળે તો સ્ટેશનના ગામે જઈ પહોંચતા, અને શ્રીમદ્જી મુંબઈ કે કાઠિયાવાડ જતા હોય તો દર્શન, સમાગમનો લાભ ચૂકતા નહીં. પરંતુ હવે તેનું બળવાન કારણ રહ્યું નહીં અને પોતાને પહાડો અને જંગલો પ્રિય હોવાથી એકાંતે આત્મસાઘન વિશેષ થશે એમ ઘારી ઘર્મપુરનાં જંગલો વટાવી દક્ષિણ દેશ તરફ તેમણે વિહાર કર્યો હતો. સાઘુઓમાંથી સાથે માત્ર એક મોહનલાલજીને રાખ્યા હતા. તે જ્યાં જાય ત્યાં ઉપાશ્રયમાં કોઈ આવે તેની સાથે ધર્મની વાત કરતા અને પોતે તો ઘણી વખત જંગલોમાં ગાળતા, આહાર વખતે આવતા. એક દિવસે જંગલમાં બહુ દૂર ચાલી નીકળ્યા. તેવામાં સો-બસો ભીલો તેમની આજુબાજુ દૂર દૂર હથિયારો તીરકામઠાં સજ્જ કરી તેમને ઘેરી ઊભા રહ્યા. બઘા કેમ તેમને ઘેરીને ઊભા છે તે તેમના સમજવામાં આવ્યું નહીં. તેથી તે નિર્ભયપણે તેમની પાસે ગયા અને પૂછ્યું, “ભાઈ, કેમ બધા એકઠા થયા છો ?” એક જણે કહ્યું, “તમે સરકારી માણસ છો અને લડાઈમાં ભરતી કરવા અમને પકડવા આવ્યા છો; તેથી તમને અમારે પકડી લેવા છે.” તેમણે પાસેના ગામનું નામ તથા જેને ત્યાં ઉતારો હતો તે વાણિયાનું નામ જણાવીને કહ્યું, “અમે તો સંત સાધુ છીએ. તમારે ખાતરી કરવી હોય તો અમારી સાથે ચાલો. અમે તો ભગવાનની ભક્તિ અર્થે જંગલમાં આવીએ છીએ, આજે જરા દૂર આવવું થયું. તમને અમારા તરફથી ભય પામવાને કારણ નથી. અમે સરકારી માણસ નથી.” આ સરળ ખુલાસાથી બઘા સમજી ગયા અને વેરાઈ ગયા. પછી લાંબા લાંબા વિહાર કરી દક્ષિણમાં કરમાળા ગામ છે ત્યાં ગયા અને સં. ૧૯૫૮ નું ચોમાસું પણ ત્યાં કર્યું. તે દેશમાં જે ગુજરાતી અને મારવાડી લોકો હતા તે તેમના સમાગમમાં આવતા. અને તેમને ઘર્મની વાત તે નિષ્પક્ષપાતપણે કરતા તે બહુ રુચી ગઈ. પાછળથી પોતે ઘણી વખત શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસમાં તે પ્રદેશની વાત કરતા અને કહેતા કે ત્યાંના લોકો બહુ ભાવિક અને ઉત્સાહવાળા હતા અને ત્યાં વઘારે વખત વિચરવાનું બન્યું હોત તો શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસમાં બની આવ્યું છે તેવું ત્યાં જ બની જાત. Page #45 -------------------------------------------------------------------------- ________________ [૩૦] શ્રી દેવકરણજી આદિ ચરોતરમાં વિચરતા હતા. તે અરસામાં ભાદરણમાં શ્રી દેવકરણજીને પગે કાંટો વાગ્યો. સં. ૧૯૫૮ નું ચાતુર્માસ તેમને બોરસદમાં કરવાનું હતું, પણ કાંટો વાગવાથી પગ પાક્યો અને હાડકું સળવા લાગ્યું એટલે અમદાવાદ ખાતે ચોમાસું નક્કી કર્યું. અને મુમુક્ષુ ભાઈઓએ ડોળીમાં બેસારી તેમને અમદાવાદ મોકલ્યા. ત્યાંના પરિચિત સ્થાનકવાસીઓ તથા અન્ય મુમુક્ષુવર્ગે બહુ સેવા કરી. ક્લૉરોફૉર્મ આપી ઓપરેશન કરવાનો ડૉક્ટરનો અભિપ્રાય હતો. પણ શ્રી દેવકરણજી બેભાન રહેવા માગતા ન હતા. એટલે ક્લોરોફોર્મ વિના જ ઑપરેશન કરવું પડ્યું. સાત વખત ફરી ફરી ઑપરેશન કરવા પડ્યા પણ ક્લોરોફૉર્મ ન લીઘો તે ન લીઘો. આખરે એ ચોમાસામાં જ શ્રી દેવકરણજીનો દેહ અમદાવાદમાં પડ્યો. શ્રી ચતુરલાલજી તેમની સાથે અમદાવાદ હતા. તેમને શ્રી લલ્લુજી સ્વામી સાથે જવાની ઉત્કંઠા હોવાથી કરમાળા પત્ર લખાવી તેમણે આજ્ઞા મંગાવી. આજ્ઞા મળતાં ચોમાસું પૂરું થયા પછી તે કરમાળા તરફ ગયા. શ્રી લક્ષ્મીચંદજી આદિ મુનિઓ શ્રી દેવકરણજી સાથે અમદાવાદ ચોમાસું રહેલા તેમને આશ્વાસનનો પત્ર શ્રી લલ્લુજી સ્વામીએ કરમાળાથી લખ્યો હતો, તેમાં જણાવે છે : તેને આત્મસ્વરૂપનો લક્ષ લેવાની ઇચ્છા હતી, તે ગુરુગમથી મળી હતી. તે શુદ્ધ આત્મા આત્મપરિણામી થઈ વર્તતા. તેવા આત્મા પ્રત્યે નમસ્કાર હો ! નમસ્કાર હો ! સમ્યપ્રકારે વેદના અહિયાસવા રૂપ પરમ ઘર્મ પરમ પુરુષોએ કહ્યો છે. તીક્ષ્ણ વેદના અનુભવતાં સ્વરૂપભ્રંશ(ભ્રષ્ટ) વૃત્તિ ન થાય એ જ ચારિત્રનો માર્ગ છે. ઉપશમ જે જ્ઞાનનું મૂળ છે તે જ્ઞાનમાં તીક્ષ્ણ વેદના પરમ નિર્જરા ભાસવા યોગ્ય છે.” – મુનિ દેવકરણજીને વેદની પ્રબળ વેદતાં તથા મરણઉપસર્ગને અવસરે તેમને સમતા ભાવતાં તો નિર્જરા છે. હવે જેમ બને તેમ અપ્રતિબંઘ અને અસંગપણું પ્રાપ્ત થાય તે કર્તવ્ય છે. .. મુનિવરોને તે મુનિશ્રીનો સમાગમ સંયમને સાજકાર (સહાયકારક) હતો-વૈરાગ્ય, ત્યાગનો વઘારો થવામાં કારણભૂત હતો. અમને પણ તે જ કારણથી ખેદ રહે છે. તે ખેદ હવે કર્તવ્ય નથી. અમારે અને તમારે એક સગુનો આધાર છે તે શરણ છે ........... સર્વ ભૂલી જવા જેવું છે ... નાશવંત છે તે વહેલે મોડે મૂકવા જેવું છે ...પરભાવ ભૂલી જવાય તેમ કર્તવ્ય છે... પાંચમા સુમતિનાથના સ્તવનમાં બાજ (બાહ્ય), અંતરાત્મા અને પરમાત્માના સ્વરૂપની સાન કરી આપી છે તે યાદ લાવી સ્વરૂપમાં ચિત્તવૃત્તિને જોડશો.. ગૌતમ સ્વામીએ પણ મહાવીર ઉપરથી રાગ ઉતાર્યો હતો. એક સદ્ગુરુના સ્વરૂપમાં ચિત્ત જોડશો, ... મંત્ર આપેલ છે તે બહુ વાર યાદ કરશો. કોઈ વાતે મુઝાવા જેવું નથી, મુઝાશો નહીં.” - શ્રી દેવકરણજીનો સ્વભાવ સિંહ જેવો શૂરવીર હતો. કાળે કાંટાથી ટકોરો માર્યો કે મરણિયા થઈ મૃત્યુવેદનાનો પડકાર તેમણે ઝીલી લીધો. તેમના વ્યાખ્યાનની સચોટતા એવી તો ખુમારીભરી હતી કે એક વખત પણ તેમના વ્યાખ્યાનને સાંભળનાર છ છ માસ સુઘી બોઘ ભૂલે નહીં. શ્રીમદ્ તેમને પ્રમોદભાવે “દેવકીર્ણ' નામથી સંબોઘતા. Page #46 -------------------------------------------------------------------------- ________________ [૩૧] ૯ દૂર કરમાળા તરફ શ્રી લલ્લુજીસ્વામી આદિનું વિચરવું થયું, તો પણ શ્રી અંબાલાલભાઈની સાથે પત્રવ્યવહાર ચાલુ હતો. ભાઈશ્રી અંબાલાલભાઈએ પત્ર દ્વારા વિનંતિ કરેલી કે આપ ક્ષાયક લબ્ધિ (ક્ષાયક સમ્યક્ત્વ) પ્રાપ્ત કરી આચાર્યગુણસંપન્ન શીઘ્ર બનો, અને અવલંબનરૂપ થાઓ. તેનો ઉત્તર શ્રી લલ્લુજી સ્વામીએ એવા ભાવાર્થમાં આપેલો કે તેમને અસંગ, અપ્રતિબંઘ થવા સિવાય કોઈ આચાર્યાદિ થવાની હવે ઇચ્છા નથી. તે બોધ-પત્રના ઉત્તરમાં શ્રી અંબાલાલભાઈએ બે પત્રો શ્રી લલ્લુજીસ્વામી ઉપર લખ્યા છે તે વિચારવા યોગ્ય હોવાથી નીચે અગત્યના ભાગ આપેલ છે :અસંગ, અપ્રતિબંધ થવાની ઇચ્છાનો પત્ર સવિગત વાંચી મને પરમ આનંદ થયો છે. પણ આપની રૂબરૂ થવાની જરૂર છે. તે થયા પછી જેમ આપને યોગ્ય લાગે તેમ વિચરશો. આપ અસંગ થાઓ એમાં હું ખુશી છું અને તેમજ ઇચ્છું છું. 66 બાકી સામાન્ય મુમુક્ષુ બાઈઓ અને ભાઈઓને હવે બિલકુલ આધાર નથી. ચોમાસું પૂરું થયે આ તરફ બોલાવવા એમ મને પણ ઠીક લાગે છે. ચારિત્ર ધર્મમાં સર્વ મુમુક્ષુ ભાઈઓ પ્રમાદાઘીન વર્તે છે, તેને જાગૃત રાખનાર કોઈ છે નહીં. બાઈઓને સંપ્રદાયનો આશ્રય તોડાવાથી તેઓ બિચારાં તદ્દન નિરાઘાર થઈ ગયાં છે, તેઓને તો એક પણ આધાર નથી. તો પણ હવે આપણે આપણા માટે વિચાર કરીએ. પ્રસંગમાં આવેલા માણસો તેથી તેઓની દયા આવે છે; બાકી જગતમાં અનંત જીવો છે. જો તેઓની દયા ખાઈશું અને તેમને જ માટે દેહ ગાળીશું તો આપણું સાર્થક (થવું) રહી જશે, અર્થાત્ થશે જ નહીં. માટે આપણે જ જો સમ્યક્ જ્ઞાન, દર્શન, ચારિત્રને શુદ્ધ કરીશું તો આપણું આત્મહિત થશે. તે પછી તે દશા દ્વારે જગતનું ગમે તેમ થાઓ, તે માટે આપણે કોઈ વિચાર નથી. આપણે તો સર્વ જીવ પ્રત્યે અનુકંપાબુદ્ધિ રાખવી. આપની વૃત્તિને ઉત્તેજન મળે તેવો આપની પાસે સત્સંગ નથી. અથવા ઈડરમાં આપની જે દશા હતી તેવી દશા પહાડો અગર એકાંતમાં રહેતા થાય તેમ લાગે છે ? પ્રથમ સત્સંગમાં તે દશા તો સ્વભાવે જ ઊગી નીકળતી જોયેલી હતી કે આત્મવિચાર સિવાયની બીજી વાત સાવ ઉદાસીન જેવી, પરભાવની લાગતી. એ સહેજે બનતું અને બનતું તે પરમ સત્સંગનું ફળ હતું, સત્સંગનો અંશ હતો. હવે આપણે જો ગુફામાં જઈને તેવી દશા બળથી લઈએ તો લઈ શકાય, પણ તે સત્સંગના પ્રત્યક્ષ ફળ વિના વધુ વખત ટકી શકે એ મને તો મુશ્કેલ લાગે છે. તે માટે મારું કહેવું એમ નથી કે નિવૃત્તિમાં ન જવું, જવું પણ થોડો વખત સત્સંગમાં રહેવાની જરૂર છે, તે થયા પછી જવું. એમ કરવામાં આવે તો વિશેષ દશા, અને તે દશા વિશેષ કાળ રહેવાનું બને. આ વાત મારા સ્વતઃ અનુભવરૂપ મારા સમજવા પ્રમાણે મેં લખી છે. આપ તો ગુણજ્ઞ છો, આપને ગમે તેમ વર્તતું હોય તે આપ જણાવશો. આત્મદશા જાગૃત કરવાનું મુખ્ય સાધન મારા અનુભવ પ્રમાણે હું જણાવું છું : કોઈ પણ પદ, કાવ્ય અથવા વચન ગમે તેનો ઉચ્ચાર થતો હોય અને મન તેમાં જ પ્રેરાઈ વિચાર કરતું હોય તો **** Page #47 -------------------------------------------------------------------------- ________________ [૩૨] કાયા શાંત રહે છે, જેથી વચનથી ઉચ્ચાર અને મનથી વિચાર એ કામ સાથે લયતારૂપે થયા કરે તો કાયા સ્થિર થઈ આત્મવિચારને જાગૃત કરે છે. તે માટે અલ્પપરિચય, અલ્પપરિગ્રહ, આહારનો નિયમ, નીરસ ભાવ એ બઘાં કર્તવ્ય છે... જેમ જેમ લયતા વિશેષ, તેમ તેમ આત્મજાગૃતિ વર્ધમાન હોય છે, તેમ તેમ કર્મનો અભાવ છે... એ બઘામાં વિચાર જાગૃતિ મુખ્યપણે જોઈએ છે. તે વિચાર જાગૃતિની ઘણી જ ન્યૂનતા જોવામાં આવે છે. તેથી દશા વર્ધમાન થતી નથી; બળથી કરવા જતાં વધુ વખત રહેતી નથી, અને કૃત્રિમ થઈ તે દશા જતી રહે છે.... જો વિચારજાગૃતિ હોય તો, સહજે ઓછા બળે કે વિના પરિશ્રમે તે દશા વર્ધમાન થાય છે. ...... તે વિચારજાગૃતિ શેનું નામ..?..કોઈ પણ શબ્દ, વાક્ય, પદ કે કાવ્યનું વિચારથી કરી વિશેષ અર્થનું ફોરવવાપણું, તે એટલે સુઘી–જેમ જેમ તેનો અર્થ વિશેષ થતાં જતાં મન નિરાશ ન પામતું હોય પણ પ્રફુલ્લિત રહેતું હોય, ઉમંગ વઘતો હોય, આનંદ આવતો હોય, લયતા થતી હોય, મન-વચન-કાયા જાણે એક આત્મરસરૂપ થઈ તે જ વિચારમાં પ્રવર્તે જતાં હોય ત્યાં કેવી મજા પડે ! એવી જે રસલયલીનતા એકરસરૂપ તે વિચારજાગૃતિ આપે છે. તે જ વિચારજાગૃતિની બહુ જ ન્યૂનતા છે. માટે તેવા પુરુષોને જ્ઞાનીઓએ સત્સંગમાં રહેવાની આજ્ઞા કરી છે; કારણકે વિચારશક્તિના ઓછા બળને લીધે સત્સંગ તે તે જીવોને બળરૂપ થઈ પડે છે. તે વિચારશક્તિ માટે વિદ્યાભ્યાસ, ન્યાય, તર્ક, વ્યાકરણ અને શાસ્ત્રાભ્યાસની મુખ્ય જરૂર છે કે જેથી વિચારશક્તિને તે ઉપકારભૂત થાય છે. .... જગતનું કલ્યાણ કરવા જેવી દશા નથી, તેવો દંભ રાખવો નથી. જગત પ્રત્યે અનુકંપા વર્તે છે. તે પપદયથાર્થ સ્વરૂપ જ્યાં સુધી યથાર્થ આત્મવિચારપણે સમજાયું નથી, ત્યાં સુધી કોઈ પણ મત મંડન કે ખંડન થઈ શકે તેમ નથી. તે છપદનું સ્વરૂપ જેમ જેમ વિચારજ્ઞાનની પ્રઘાનતા અને ચારિત્રઘર્મની શુદ્ધતા, તેમ તેમ અનુભવરૂપે વિશેષ પ્રકારે સમજાય છે ..” ....એવી લબ્ધિ પ્રગટ કરો કે સહજાત્મસ્વરૂપ થઈ રહો; તમારું આલંબન લઈ અમે પણ તરીએ.” તે ચોમાસામાં શ્રી અંબાલાલભાઈનું કરમાળા જવું થયું હતું અને કરમાળામાં શ્વેતાંબર, સ્થાનકવાસી અને દિગંબર ત્રણે ય જૈન પક્ષોમાં ત્રીસ વર્ષથી ચાલ્યા આવતા અણબનાવ અને વિરોઘનું સમાઘાન શ્રી લલ્લુજીની સહાયતાથી સંપ જળવાય તેમ કર્યું હતું. ચોમાસું પૂરું કરી શ્રી લલ્લુજી દક્ષિણમાં વિચરતા વિચરતા ઘોરનદી નામના ગામમાં થોડો કાળ રહ્યા હતા. તે જ ગામની એક બાઈ અને તેની દીકરીએ સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા લીધેલી. તે બીજી આર્જાઓ સાથે ચોમાસામાં ત્યાં રહેલી. પણ તે બાઈને માંદગી બહુ હોવાથી ચોમાસા પછી પણ ત્યાં રોકાવું થયેલું. તેમના સંઘાડાના સાઘુઓને તે આર્તાઓએ પત્ર લખી જણાવેલું કે એક આર્જા માંદી છે તેને સંથારો (મરણ પહેલાંનું તપ) કરાવવા માટે શું કરવું ? તે સાધુઓએ શ્રી લલ્લુજી ઘોરનદીમાં ગયા છે એમ સાંભળેલું અને ખંભાતના અંધાડા પ્રત્યે તેમને Page #48 -------------------------------------------------------------------------- ________________ [૩૩] માન હોવાથી તેમણે આર્યાઓને જણાવ્યું કે શ્રી લલ્લુજીની આજ્ઞા પ્રમાણે વર્તો. આર્જાઓને સમાચાર મળ્યા તે જ રાત્રે તે બાઈને મંદવાડ વધી જવાથી બેશુદ્ધ થઈ ગઈ તેથી હવે દેહ છૂટી જશે એમ જાણી ગોરાણીએ (મોટાં સાધ્વીએ) તેને જીવતા સુધી ચારે પ્રકારના આહારના ત્યાગનાં પચખાણ આપી સૂત્રપાઠ ભણી સંથારો કરાવ્યો. કારણકે એ સંપ્રદાયમાં કોઈ સંથારા સિવાય મરી જાય તો તેની અને ઉપર સંભાળ રાખનારની અપકીર્તિ થતી. જેમ જેમ રાત વીતતી ગઈ અને પ્રભાત થવા આવ્યું તેમ તેમ બાઈ શુદ્ધિમાં આવતી ગઈ અને સવારે પાણી પીવા માગ્યું. ગોરાણી તો ગભરાઈ ચારે પ્રકારનાં આહારનાં પચખાણ આપ્યાં છે અને પાણી માગે છે તે કેમ અપાય? ગભરાતી ગભરાતી ગોરાણી શ્રી લલ્લુજી ઊતર્યા હતા ત્યાં ગઈ અને બધી વાત તેમને જણાવી; તેમના સાધુઓના સમાચાર પણ જણાવ્યા. “પણ રાત્રે પૂછવા અવાય નહીં અને દેહ છૂટી જાય એમ લાગવાથી પચખાણ આપી દીધાં છે. હવે કેમ કરવું? સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ થઈ છે. કૃપા કરીને કોઈ રસ્તો બતાવો.” એવી વિનંતિ ગોરાણીએ કરી. તેને શાંત કરીને પાછી મોકલી અને પોતે આર્યાઓના ઉપાશ્રયે પધાર્યા. સર્વેએ વિનય સાચવ્યો. પછી શ્રી લલ્લુજી તે માંદી બાઈને જોઈને બોલ્યા, “બાઈ, કંઈ ગભરાવાનું કારણ નથી. ખુશીથી જે આહારપાણીની જરૂર પડે તે વાપરજે.” તે બાઈ બોલી, “ના મહારાજ, મને પચખાણ કરાવ્યાં છે એમ કહે છે; પણ પાણી વિના મારે નહીં ચાલે એમ લાગે છે.” શ્રી લલ્લુજીએ હિમ્મત આપતાં કહ્યું, “જો બાઈ, તારી માગણી સિવાય જે પચખાણ આપ્યાં છે તે દુપચખાણ છે; સુપચખાણ નથી. એ પચખાણ તોડવાથી તને જે પાપ લાગે એમ લાગતું હોય તે હું મારે માથે વહોરી લઉં છું. તારી મરજીમાં આવે તેવાં શુદ્ધ આહાર પાણી વાપરવામાં હવે હરકત માનીશ નહીં.” બઘાં સાંભળનારાંને બહુ નવાઈ લાગી. પણ તે માંદી બાઈએ કહ્યું : “મારે પાણી સિવાય ત્રણે પ્રકારના આહારનો ત્યાગ કરવો છે. મારું મરણ સુધારવા કૃપા કરજો.” તે બાઈની સમાધિ-મરણની ભાવના તેમજ વિનંતિને લઈને શ્રી લલ્લુજી રોજ તેમને ઉપાશ્રય જતા અને તેને સમજાય તેવાં પુરુષોના વચનોનું વિવેચન કરતા, ઉપદેશ આપતા. તેમના વચનો બીજાં સાંભળનારને બહુ ભારે લાગતાં પણ મહાપુરુષના યોગબળ આગળ કોઈ કંઈ બોલી શકતું નહીં. આ પ્રસંગનું વર્ણન પોતે ઘણી વખત શ્રોતાઓને રસપ્રદ અને વૈરાગ્યવાહક વાણીમાં કહેતા. તે બાઈને તે ઉપદેશતા કે “આત્મા ભિન્ન છે; દેહ ભિન્ન છે; તું આ દેહ નથી, તું આ રોગરૂપ નથી, તું વૃદ્ધ નથી, યુવાન નથી, બાળ નથી; તું સ્ત્રી નથી, સાધ્વી નથી, ગોરાણી નથી, ચેલી નથી; તું શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યમય આત્મા છે. તારાં આ કપડાં નથી, તારાં પુસ્તક નથી, તારાં ઉપકરણ નથી, તારી પાટ નથી, તારી દીકરી નથી, તારી ગોરાણી નથી, તારો આ દેહ પણ નથી, સર્વને વોસરાવી દે. જ્યાં જ્યાં આ જીવ બંધાયો છે ત્યાં ત્યાંથી વિચાર, વૈરાગ્ય વડે છૂટવાનું છે; ત્રણે લોકમાં કોઈ Page #49 -------------------------------------------------------------------------- ________________ [૩૪] પણ પદાર્થ પ્રત્યે આસક્તિ, પ્રીતિ કરવા યોગ્ય નથી. નિરંતર ઉદાસીનતા ઉપાસવા યોગ્ય છે. હરતાં, ફરતાં, બેસતાં, ઊઠતાં, પાણી પીતાં, બોલતાં, સૂતાં, જાગતાં સર્વ અવસ્થામાં ભાન હોય ત્યાં સુધી એક આત્મા ઠામ ઠામ જોવા પુરુષાર્થ કરવો. આત્મા સિવાય હલાય નહીં, ચલાય નહીં, બોલાય નહીં, વિચારાય નહીં, સુખદુઃખ જણાય નહીં; આત્માની હાજરીમાં બધું ખબર પડે છે. તો આત્મા સિવાય બીજામાં લક્ષ રાખવો નહીં, કોઈમાં મમતાભાવ કરવો નહીં; થયો હોય તો તજી દેવો. જીવ એકલો આવ્યો છે, એકલો જવાનો છે. કોઈ કોઈનું દુ:ખ લઈ શકે તેમ નથી; કોઈ કોઈને સુખી પણ કરે તેમ નથી. તેમ પોતાનાં બાંધેલાં કર્મ કોઈ ભોગવવાનું નથી. પોતાનાં કરેલાં જ કર્મનું ફળ પોતાને ભોગવવું પડે છે તો પછી તેમાં હર્ષશોક શો કરવો ? સમભાવ, સહનશીલતા અને ધીરજ ધારણ કરીને જ્ઞાનીપુરુષે જાણેલો આત્મા મારે માન્ય છે એવા શરણભાવથી ઉદય આવેલાં કર્મ વેદી લેવાય તો નવાં કર્મ બંધાય નહીં, અને જૂનાં બાંધેલાં કર્મ છૂટતાં જાય છે. દેહને રાખવો હોય તોપણ આયુષ્ય પૂરું થયે રહે તેમ નથી તો પછી એવા નાશવંત દેહમાં મોહ રાખી આત્માનું અહિત કોણ કરે ? જેમ થાવું હોય તેમ થાજો; પણ હવે તો એક આત્મા સિવાય બીજે ચિત્ત દેવું નથી. બીજે બીજે ચિત્ત રાખીને અનંત કાળ આ જીવ સંસારમાં ભમ્યો. પણ હવે સત્પુરુષના સમાગમે જે બોધ સાંભળ્યો, આત્માનું માહાત્મ્ય સાંભળ્યું, ‘આત્મસિદ્ધિ' સમજાવી તેમાં મારી રુચિ રહો; તે જ સ્વરૂપ મને પ્રાપ્ત હો, તેનું નિરંતર ભાન રહો, એ જ ભાવના કર્તવ્ય છે. આટલી પકડ કરી લઈશ તો તારું કામ થઈ જશે, સમાઘિમરણ થશે.’' તે બાઈને પણ વિશ્વાસ બેઠેલો કે આ મહાત્મા પુરુષ કહે છે તે સાચું છે, તે જ કર્તવ્ય છે; તે કહે છે તે જ છૂટવાનો માર્ગ છે. અને તેમની ગેરહાજરીમાં પણ તેમણે ઉપદેશેલા બોધને તે વિચારતી, ભાવના કરતી અને વારંવાર કહેતી પણ ખરી કે ‘આ મારી પાટ નહીં, આ મારાં વસ્ત્ર નહીં; આ દેહ મારી નથી, મારું કંઈ થવાનું નથી. બધું પડ્યું રહેવાનું છે. જ્ઞાની પુરુષે જાણેલો અને અનુભવેલો આત્મા સત્ય છે, નિત્ય છે, સુખસ્વરૂપ છે; શરણ કરવા યોગ્ય છે.’ આમ એકવીસ દિવસ સુધી પાણીના આધારે તેના પ્રાણ ટક્યા. દ૨૨ોજ શ્રી લલ્લુજી સ્વામી દર્શન-સમાગમનો લાભ આપતા, અને સદ્ઉપદેશથી ઘીરજ, સહનશીલતા તથા આત્મભાવના પોષતા,—છ પદનો પત્ર, આત્મસિદ્ધિ શાસ્ત્ર, અપૂર્વ અવસર આદિ તેને સંભળાવતા અને સત્પુરુષ પ્રત્યે શરણભાવ અને આત્મભાવ ટકાવી રાખવા જણાવતા રહેતા. શાંતિ-સમાધિથી તેનું મરણ થયું હતું, તથા તેની ગતિ સુધરી ગઈ હતી; એમ પોતે ઘણી વખત જણાવેલું હતું. એકવીસ દિવસ સંથારો ચાલ્યો તેથી ગામમાં પણ તે વાત ફેલાઈ ગયેલી. કોઈ વિદ્વેષીએ સરકારમાં ખબર આપેલી કે ઘોરનદીમાં એક બાઈને ભૂખી રાખી મારી નાખવામાં આવી છે. તેની તપાસ કરવા કલેક્ટર આવ્યો હતો. તેને ગામના લોકોએ સમજૂતી આપી કે એ તો ધર્મવિધિ પ્રમાણે અંત વખતે મરનારને આહારત્યાગની ભાવના થવાથી તેને ધર્મના નિયમ પ્રમાણે વ્રત આપવામાં આવે છે અને તેનું મરણ સુધરે અને સારી ભાવના રહે તેવો ઉપદેશ આપવા અર્થે જ તેની પાસે શ્રી લલ્લુજી સ્વામીનું જવું થતું હતું. તેમાં બળાત્કાર કોઈ પ્રકારનો હોતો નથી ઇત્યાદિ પ્રકારે તેના મનનું સમાધાન કરી કલેક્ટરને લોકોએ માન આપી વિદાય કર્યો હતો. Page #50 -------------------------------------------------------------------------- ________________ [૩૫] જે રસ્તે ગયા હતા તે જ પહાડો અને જંગલોને રસ્તે થઈને ગુજરાત તરફ તેમણે વિહાર કર્યો. જતી વખતે જેમ ભીલોએ ઘેરી લઈ ઉપસર્ગ કર્યો હતો તેવો ઉપદ્રવ આ વખતે પણ ભીલોનાં ભયંકર સ્થાનો વટાવીને જતાં તેમને કંઈક અંશે થયો. તેમની સાથે શ્રી મોહનલાલજી અને શ્રી ચતુરલાલજી એ બે સાધુઓ હતા. શ્રી ચતુરલાલજી પાત્રો વગેરે ઉપકરણ લઈ આગળ ચાલતા હતા. પાછળ બન્ને જણ આવતા હતા. કસુંબા ગામ આવતા પહેલાં જંગલમાં શ્રી ચતુરલાલજી આગળ ચાલતા હતા તેમને શ્રી લલ્લુજી અને મોહનલાલજીથી વઘારે અંતર પડી ગયું. તેવામાં બે ભીલ ઝાડીમાંથી નીકળી આવ્યા. શ્રી ચતુરલાલજીને પાછળથી ખભે પકડી એક ભીલે છત્તા નીચે પાડી નાખ્યા. પોટલામાં પાડ્યાં હતાં તે ભાંગી ગયાં. એક પગ પર ચઢી બેઠો અને એક આગળ છાતી ઉપર ચઢી બેઠો. શ્રી ચતુરલાલજી આવેશમાં આવી ગયા, બન્નેને ઉછાળીને ઊભા થઈ ગયા. બન્નેનાં કાંડા પકડી રકઝક કરતા હતા. એટલામાં શ્રી મોહનલાલજી આવી પહોંચ્યા અને પાછળ શ્રી લલ્લુજી પણ આવતા હતા. તેમને જોઈને બન્ને ભીલનાં ગાત્ર નરમ થઈ ગયાં, અને કરગરવા લાગ્યા. શ્રી લલ્લુજી આવી પહોંચ્યા એટલે બન્ને ભીલોને શિખામણ દઈ તેમણે છોડાવી દીધા. ૧0 વિહાર કરતા કરતા મુનિવરો નરોડા આવ્યા અને સં. ૧૯૫૯ નું ચોમાસું નરોડા કર્યું. ચોમાસામાં અમદાવાદ આદિ સ્થળેથી મુમુક્ષુઓ મુનિ-સમાગમ અર્થે અવારનવાર આવતા. ત્યાંથી તીર્થયાત્રા અર્થે મુનિવરો નાની મારવાડ તરફ પઘાર્યા. પંચતીર્થમાં સાદડી પાસેનું રાણકપુર એક તીર્થસ્થળ ગણાય છે. ત્યાં શ્રી લલ્લુજી આદિ મુનિઓ જવાના છે એમ એક વિદ્વેષી સાધુને ખબર પડવાથી તેણે સાદડી પ્રથમથી જઈ બઘા શ્રાવકોને સમજાવ્યું કે સ્થાનકવાસી સાધુઓ અહીં આવવાના છે તેમને આહારપાણી ન આપવાં. તે ઉન્માર્ગી છે, તેમને મદદ કરવાથી મિથ્યાત્વ લાગે, વગેરે તેમના મનમાં સજ્જડ ઠસાવી દીધું. જ્યારે તે મુનિવરો રાણકપુર પધાર્યા, દેરાસરમાં દર્શન ભક્તિ કરી આહારપાણી માટે ગયા ત્યારે આહારની વાત તો દૂર રહી પણ તેમને પાણી સરખું મળ્યું નહીં. કોઈ ગરમ પાણીથી સ્નાન કરતા હતા, તેમની પાસે એક મુનિએ પાણી માંગ્યું તોપણ આપ્યું નહીં. બીજે દિવસે ભિક્ષાર્થે ગયા તોપણ તેમ જ થયું. સાથેના મુનિઓને એમ લાગ્યું કે આપણે વિહાર કરી બીજા ગામે જવું સારું. પણ શ્રી લલ્લુજી સ્વામીએ તો નિશ્ચય કર્યો કે પ્રાપ્ત પરિષહ જીતવો એ જ નિગ્રંથ માર્ગ છે; કઠણાઈથી ડરી જવું કે ભાગતા ફરવું એ કાયરનું કામ છે. ત્રીજે દિવસે પણ પાણી સરખું મળ્યું નહીં. આમ નિર્જળ અઠ્ઠમ પૂરો થયો. તેવામાં ખંભાતનો સંઘ યાત્રાર્થે નીકળેલો તે જ દિવસે રાણકપુર આવી પહોંચ્યો. તેમણે કોઈ મુનિઓ હોય તો વહોરાવીએ એવી ભાવનાથી તપાસ કરી તો ખબર પડી કે શ્રી લલ્લુજી આદિ મુનિઓ અહીં છે. તેથી તેમને બોલાવી લાવી તેમણે ભક્તિપૂર્વક આહારપાણી વહોરાવ્યાં. Page #51 -------------------------------------------------------------------------- ________________ [૩૬] ત્યાંથી વિહાર કરતા કરતા મુનિવરો પાલનપુર પધાર્યા. ત્યાંના સ્થાનકવાસી સંઘમાં અગ્રેસર પીતાંબરદાસ મહેતા ગણાય છે. તે તેમને મળ્યા અને વાતચીત થતાં બધા મુનિઓ પંચતીર્થી યાત્રા કરીને આવે છે એમ સાંભળ્યું એટલે તેમને થયું કે આમની શ્રદ્ધા ફરી ગઈ લાગે છે. સ્થાનકવાસી તો પ્રતિમાને માને નહીં, દેરાસરોમાં જાય નહીં. તેથી તેમને ઠપકો દેવાના હેતુથી બોલ્યા, ‘તીર્થ તો સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચાર જ છે; પાંચમું તીર્થ ક્યાંથી લાવ્યા ? આમ મુનિઓ બધે ફરે તો શ્રાવકોની શ્રદ્ધા ધર્મ ઉપર ક્યાંથી રહે ? મુનિઓ ભગવાનના વચનની વિરુદ્ધ વર્તે તો મુનિપણું ક્યાં રહ્યું ?'' વગેરે આવેશમાં આવીને તે ઘણું બોલ્યા, પણ મુનિવરો શાંત રહ્યા. રાત્રે પીતાંબરદાસભાઈને વિચાર આવ્યો કે “આજે મેં મુનિઓને કઠોર વચન કહ્યાં છતાં કોઈ કાંઈ બોલ્યા નહીં, તેમણે તો ઊલટી ક્ષમા ઘારણ કરી. શાસ્ત્રમાં શ્રી નમિરાજર્ષિનાં ઇન્દ્રે વખાણ કર્યાં છે, ‘હે મહાયશસ્વી, મોટું આશ્ચર્ય છે કે તે ક્રોધને જીત્યો, તેં અહંકારનો પરાજય કર્યો !' આ શાસ્ત્ર-વચન મેં પ્રત્યક્ષ આજે સત્યરૂપે જોયાં. ક્રોધને જીતનાર ક્ષમામૂર્તિ આ જ છે. હું ક્રોધથી ધમધમ્યો અને કુવચનો વરસાવ્યાં; પરંતુ એમનું રોમ પણ ફરક્યું નહીં. તો મારે પ્રભાતે તેમની માફી માગવી ઘટે છે.” એમ વિચારી સવારે મુનિવરો પાસે આવી ભક્તિપૂર્વક નમસ્કાર કરી તેમની સ્તુતિ કરી માફી માગી. પાલિતાણા થઈ જૂનાગઢ શ્રી લલ્લુજી આદિ પધાર્યા તે વખતે કેટલાક મુમુક્ષુઓ ગિરનાર પર્વતની પાંચમી ટૂંક સુધી જતાં. ઘણા વિકટ માર્ગમાં મુમુક્ષુઓને હિમ્મત આપતા સર્વની આગળ શ્રી લલ્લુજી ચાલતા. ઉપર એક ગુફા જોવા ગયા. તે વિષે એવી વાત ચાલતી સાંભળી કે અહીં એક યોગી રહેતા હતા; પણ હવે કોઈ આ ગુફામાં રાત્રિ ગાળી શકતું નથી. એક સાધુને લોકોએ ના પાડેલી છતાં રાત્રે રહ્યા, પણ સવારે ગભરાઈ માંદા થઈ ગયા અને તેમનો દેહ છૂટી ગયો. આ વાત સાંભળી શ્રી લલ્લુજીને વિચાર થયો કે આપણે અહીં રહીએ. બીજા મુમુક્ષુઓ ના પાડવા લાગ્યા, છતાં શ્રી મોહનલાલજી સાથે તે ગુફામાં રહ્યા અને બીજા મુમુક્ષુઓ પર્વત ઊતરી જૂનાગઢ ગયા. રાત્રે બન્ને મુનિ ભક્તિ કરવા લાગ્યા. તે વખતે ગુફા ઉપર જાણે શિલાઓ ગબડતી હોય તેવો અવાજ થવા લાગ્યો. મોટા અવાજે બન્નેએ ભક્તિમાં ચિત્ત રોક્યું. થોડી વાર થઈ ત્યાં વીજળીના કાટકાનો અવાજ થાય તેવા ભયંકર અવાજ થવા લાગ્યા. પરંતુ તે તરફ મુનિવરોએ લક્ષ ન આપ્યું, માત્ર ઇષ્ટ સદ્ગુરુની ભક્તિ ઉલ્લાસભાવથી કરતા રહ્યા. થોડી વારમાં શાંતિ પ્રસરી ગઈ. પછી શ્રી મોહનલાલજી પ્રશ્નો પૂછે અને શ્રી લલ્લુજી તેના ઉત્તર આપે એમ ચર્ચામાં કંઈક કાળ ગાળ્યો, અને પાછલી રાતનો વખત શ્રી લલ્લુજીએ ધ્યાનમાં ગાળ્યો. ત્યારે શ્રી મોહનલાલજી સ્મરણમંત્રની માળા ગણતા. સવારે ગુફાની બહાર આવ્યા અને તપાસ કરી પણ અવાજ થવાનું કંઈ કારણ સમજાયું નહીં. બીજી તેમજ ત્રીજી રાત્રિ પણ તે પ્રકારે તેમણે ત્યાં ગાળી; પણ પ્રથમ રાત્રિ જેવો ઉત્પાત પછી થયેલો નહીં. જૂનાગઢથી વિહાર કરી ધંધુકા શ્રી લલ્લુજી પધાર્યા અને ત્યાં જ સં. ૧૯૬૦ નું ચોમાસું પણ Page #52 -------------------------------------------------------------------------- ________________ [૩૭] કર્યું. ખંભાતથી શ્રી અંબાલાલભાઈ તથા વીરમગામ, અમદાવાદ અને વટામણ તરફના મુમુક્ષુજનોએ સંતસમાગમ અર્થે આવીને પર્યુષણપર્વ નિમિત્તે ત્યાં પંદરેક દિવસ ગાળેલા. કેટલાંક ભાઈબહેનોને એ ચાતુર્માસમાં એવો તો ભક્તિરંગ લાગ્યો હતો કે તે મરણપર્યંત ટકી રહ્યો. એક વખતે ધંધુકાના સ્થાનકવાસી ભાવસારોના વિચારવાન અગ્રેસરોએ શ્રી લલ્લુજી સ્વામી પાસે આવીને પૂછ્યું કે “આપના ઉપર અમને વિશ્વાસ છે તેથી પૂછીએ છીએ કે પ્રતિમા માનવી કે નહીં ? શાસ્ત્રમાં પ્રતિમાપૂજન વગેરે આવે છે કે નહીં ? અમને ખબર નથી, અમે દેરાસરમાંય જતા નથી. તમે કહો તેમ માનીએ.’’ શ્રી લલ્લુજી સ્વામીએ તેમને જણાવ્યું કે ‘શાસ્ત્રમાં પ્રતિમા સંબંઘી પાઠ ચાલ્યા છે, પ્રતિમાજીનું અવલંબન હિતકારી છે. દેરાસરમાં ન જવું એવો આગ્રહ છોડી દેવા યોગ્ય છે, અમે પણ દર્શન કરવા, ભક્તિ ક૨વા દેરાસર જઈએ છીએ. એ વિષે સત્સંગ-સમાગમે ઘણું શ્રવણ કરવાની જરૂર છે.’’ ધંધુકાનાં ત્રીસ ભાવસાર કુટુંબો સ્થાનકવાસીની માન્યતા બદલી દેરાવાસી માન્યતાવાળાં થયાં. પણ પછી વિશેષ સત્સમાગમના અભાવે પાછા શ્વેતાંબરના આગ્રહવાળા તે થઈ ગયા. જેમ ઊંઘમાં પડખું ફેરવે પણ ઊંઘ ન તજે, તેમ એક પક્ષ છોડી બીજા પક્ષમાં જતાં આત્મજાગૃતિ કરવાની હતી તે ન થઈ. શ્રી ધારશીભાઈ કર્મગ્રંથના અભ્યાસી હતા. તે પણ ધંધુકામાં શ્રી લલ્લુજી સ્વામીના દર્શનસમાગમ અર્થે આવેલા. તેમણે એક દિવસ સ્થાનકને મેડે પધારવા શ્રી લલ્લુજીને વિનંતિ કરી. બન્ને ઉપર ગયા અને બારણાં બંધ કરી શ્રી ધારશીભાઈએ વિનયભક્તિપૂર્વક સાષ્ટાંગ દંડવત્ કરી શ્રી લલ્લુજી સ્વામીને વિનંતિ કરી કે, “સં. ૧૯૫૭માં શ્રીમદ્જીનો દેહ છૂટતા પહેલાં પાંચ છ દિવસ અગાઉ હું રાજકોટ દર્શન કરવા ગયેલો. તે વખતે તેઓશ્રીએ કહેલું કે શ્રી અંબાલાલ, શ્રી સોભાગ્યભાઈ અને આપને તેઓશ્રીની હયાતીમાં અપૂર્વ સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત થયું છે. તે વખતે મને એક સામાન્ય સમાચારરૂપ તે શબ્દો લાગેલા, પણ આ ત્રણ વર્ષના વિરહ પછી હવે મને સમજાયું કે તે શબ્દો મારા આત્મહિત માટે જ હતા. તે પ્રભુના વિયોગ પછી હવે આપ મારે અવલંબનરૂપ છો. તો તેઓશ્રીએ આપને જણાવેલ આજ્ઞા કૃપા કરી મને ફરમાવો. હવે મારી આખર ઉમ્મર ગણાય, અને હું ખાલી હાથે મરણ પામું તેના જેવું બીજું શું શોચનીય છે ? આજે અવશ્ય કૃપા કરો એટલી મારી વિનંતિ છે.'' એમ બોલી આંખમાં આંસુસહિત શ્રી લલ્લુજીના ચરણમાં તેમણે મસ્તક મૂક્યું. તેમને ઉઠાડીને ઘીરજથી શ્રી લલ્લુજીએ એમ જણાવ્યું કે પત્રોમાં કૃપાળુદેવે જે આરાધના બતાવી છે, બોધ આપ્યો છે તે આપના લક્ષમાં છે એટલે તે સમજી ગયા કે યોગ્યતા લાવવા પુરુષાર્થ કરવાનો છે. પણ ઘીરજ ન રહેવાથી વિશેષ આગ્રહ કરી કંઈ પ્રસાદી આપવા વારંવાર વિનંતિ કરી. એટલે શ્રી લલ્લુજીએ જે સ્મરણમંત્ર કૃપાળુદેવે મુમુક્ષુઓને જણાવવા તેમને આજ્ઞા કરેલી તે તેમને જણાવ્યો. તેથી તેમનો આભાર માની તેનું પોતે આરાધન કરવા લાગ્યા. શ્રી લલ્લુજી સ્વામી ચાતુર્માસ પૂરું કરી, ભાવનગર તરફ વિહાર કરી ખંભાત તરફ પધાર્યા. શ્રી અંબાલાલભાઈનો સમાગમ ત્યાં થયો; પણ ખંભાતમાં પ્લેગ ચાલતો હોવાથી બન્નેએ એવો Page #53 -------------------------------------------------------------------------- ________________ [૩૮] વિચાર ગોઠવ્યો કે વટામણમાં થોડા દિવસ ટકીને રહેવું અને પરમ કૃપાળુદેવના સમાગમે થયેલા બોઘ વિષે ત્યાં વિચાર કરવો. શ્રી લલ્લુજી આદિ વટામણ ગયા. શ્રી અંબાલાલભાઈ તરફથી પણ અમુક દિવસે આવવાના સમાચાર આવી ગયા. પણ શ્રી અંબાલાલને પ્લેગ લાગુ થયો અને ત્રણ મુમુક્ષુઓના દેહ છૂટી ગયા. ખંભાતથી મુનિવરોને ગયાં પંદર દિવસ પણ થયા ન હતા તેટલામાં સમાચાર મળ્યા કે શ્રી અંબાલાલભાઈનો દેહ છૂટી ગયો. “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ છપાઈને લગભગ તૈયાર થઈ ગયો હતો, પરંતુ બહાર પડ્યો નહોતો. થોડા સમય બાદ તે જ સાલમાં, સં. ૧૯૬૧માં “પરમશ્રુતપ્રભાવક મંડળ' તરફથી તે ગ્રંથ બહાર પડ્યો એટલે શ્રી લલ્લુજીને પણ મળ્યો. પછી તો પરમકૃપાળુનાં વચનામૃતોનો તે સંગ્રહ પોતે સાથે રાખતા. પ્રથમ શ્રી અંબાલાલભાઈએ ઉતારી આપેલ હસ્તલિખિત વચનામૃતોનું વાચન મનન શ્રી લલ્લુજી સ્વામી કરતા; પણ હવે લગભગ બધા પત્રોનો સમૂહ બહાર પડ્યો તેથી તેમને ઘણો આનંદ થયો હતો. ઈડર તરફ વિહાર કરતા કરતા શ્રી લલ્લુજી સ્વામીએ વડાલીમાં ચાતુર્માસ સં. ૧૯૬૧માં કર્યું. સ્થાનકવાસીનો વેષ હોવાથી કેટલાક શ્વેતાંબર શ્રાવકો કટાક્ષદ્રષ્ટિથી જોતા; પરંતુ રોજ દેરાસરમાં દર્શન કરવા જતા, ત્યાં ભક્તિ કરતા, એટલે કોઈ કોઈ તેમની પાસે આવતા અને નિષ્પક્ષપાતી વાતચીતથી પ્રસન્ન થતા. શ્રી માઘવજી રેવાજી શેઠને શ્રી લલ્લુજી સ્વામીનો વિશેષ પરિચય થયેલો અને તેમનું આખું કુટુંબ ભક્તિરાગી બન્યું હતું. ભાઈ અખેચંદ આદિ પ્રથમ વિરોધી પક્ષમાં હતા; પણ ઘીમે ઘીમે સત્સંગનો તેમને રંગ લાગ્યો અને મરણપર્યત તે વર્ધમાનપણે ટકી રહ્યો. ચાતુર્માસ પૂરું કર્યા પછી પણ ઈડરની આજુબાજુની પવિત્ર ભૂમિમાં વિહાર કરી શેષ કાળ પૂરો થતાં ખેરાલુમાં સં. ૧૯૬૨નું ચાતુર્માસ કર્યું. સં. ૧૯૫૭માં શ્રી રત્નરાજ નામે એક સાધુ મારવાડથી વિહાર કરીને ગુજરાત તરફ આવતા હતા. તેમણે શ્રીમદ્ રાજચંદ્ર નામે કોઈ આત્મજ્ઞાની પુરુષ છે એમ સાંભળેલું એટલે તેમનો સમાગમ કરી તેમની કૃપાથી આત્મજ્ઞાન પામવાની તેમની અભિલાષા હતી. પણ રસ્તામાં તેમને સમાચાર મળ્યા કે તે આત્મજ્ઞાની મહાત્માનો દેહ છૂટી ગયો. તેથી તે મારવાડ તરફ પાછા વિહાર કરી ગયા. ત્યાં અનેક દિગંબરી વિદ્વાનોનો તેમને સમાગમ થયેલો અને દિગંબર ગ્રંથોનો પણ તેમણે સ્વાધ્યાય કરેલો. તેમનો ક્ષયોપશમ તથા વ્યાખ્યાનશક્તિ પણ મનોહર હતાં. તેથી ઘણા બુદ્ધિમાન અને આત્માર્થી જીવો તેમના સમાગમમાં આવતા. શ્રીમદ્ રાજચંદ્રના અનુયાયી કોઈ હોય તો તેમને મળવાના પણ તેમને ભાવ હતા. સં. ૧૯૬૨નું ચાતુર્માસ તેમણે પાલનપુર કરેલું. તે અરસામાં એક મુમુક્ષુ ખેરાલુમાં શ્રી લલ્લુજી સ્વામીના સમાગમ બાદ શ્રી રત્નરાજ સ્વામીના દર્શનાર્થે પાલનપુર પઘારેલ તેમણે શ્રી રત્નરાજ સ્વામીને શ્રીમદ્ રાજચંદ્ર સંબંધી તથા શ્રી લલ્લુજી સ્વામી સંબંધી પ્રશંસાપૂર્વક વિસ્તારથી વાત કરી કે પોતાને ઘર્મમાર્ગમાં દોરનાર એ શ્રી લલ્લુજી સ્વામી ચોથા Page #54 -------------------------------------------------------------------------- ________________ [૩૯] આરાના મહા મુનિ સમાન અલોકિક, દર્શનીય, માનનીય, પૂજનીય મંગલમૂર્તિ છે. એ ઉપરથી શ્રી રત્નરાજ સ્વામીને પણ શ્રીમદ્ હરિભદ્રસૂરિની માફક ચમત્કૃતિ લાગી. અને ચાતુર્માસ પૂરું થયા પછી તેમનો સમાગમ કરવાની ભાવના તેમને જાગ્રત થઈ. ખેરાલુમાં ઘણા વખતથી શ્વેતાંબર અને સ્થાનકવાસી વચ્ચે ખટપટ થયા કરતી પણ શ્રી લલ્લુજીએ ત્યાં ચોમાસું કર્યું તે વખતે તેમના નિષ્પક્ષપાતી બોઘથી બન્ને પક્ષના સમજુ વર્ગને પરસ્પર મળવાનો પ્રસંગ બનતો. અને વીરમગામ, ધંધુકા, વટામણ, અમદાવાદ આદિ ગામોના મુમુક્ષુઓ ત્યાં મુનિ-સમાગમ અર્થે આવતા તે લહાણી વગેરે કરે તો સ્થાનકવાસી અને શ્વેતાંબર બન્નેને કરતા. બન્ને પક્ષવાળા લહાણી લેતા અને સ્વામીવાત્સલ્ય પણ સાથે ભેગા મળી કરતા. આમ કષાય દૂર થાય અને સંપ વધે તેવી પ્રવૃત્તિ શ્રી લલ્લુજી સ્વામીના બોઘથી થતી હતી. ખેરાળુમાં ચાતુર્માસ પૂરું કરી શ્રી લલ્લુજી અને શ્રી મોહનલાલજી તારંગા તીર્થ તરફ વિહાર કરવા લાગ્યા. રસ્તામાં ઘાણઘારમાં ઘુંઘલીમલ્લનો ભોંખારો નામે એક પહાડ આવે છે, તેને ગુરુનો ભોંખરો પણ કહે છે. ડુંગરા ઉપર એક પથ્થરની મોટી શિલા ચોટીની પેઠે ઊંચી વધેલી છે. તેની ઉપર બીજી કોઈ રીતે ચઢી શકાય તેવું નહીં હોવાથી વાંસ ઉપર વાંસ બાંધી એક લાંબી નિસરણી કરેલી હતી. નિસરણીનાં પગથિયાં કોઈ કોઈ તૂટેલાં, વાંસ પણ ફાટી ગયેલા અને ઊંચાઈ જોઈ ગભરાઈ જવાય તેવું હોવા છતાં શ્રી લલ્લુજી તો ઘીરજથી સાચવીને ઉપર ચઢી ગયા. ઉપર સપાટ જમીન અને ઠંડો પવન હોવાથી બે ઘડી ભક્તિ થશે ઘારી શ્રી મોહનલાલજીને ઉપર બોલાવ્યા; પણ તેમની હિમ્મત ચાલે નહીં. પરંતુ ઉપરથી હિમ્મત આપતાં શ્રી લલ્લુજીએ કહ્યું : “ઉપર આવ્યા પછી બહુ આનંદ આવશે. ભાંગી જાય તેવા વાંસ નથી. નીચું જોયા વગર હિમ્મત કરીને ચઢી જા.” એટલે ધ્રુજતે પગે તે પણ ચઢી ગયા. અને ઉપર આવ્યા કે તેમને પકડીને ઉપર ખેંચી લીધા. શ્રી મોહનલાલજીને તો ઉપર પહોંચ્યા ત્યારે નિરાંત વળી. ત્યાં બેસી બે ઘડી ભક્તિ કરી. બધે ફરીને જોઈ લીધું. એક પથ્થર પાસે ઘજા બાંધેલી હતી, અને તેને ગુરુનું સ્થાન માની ભીલ લોકો પૂજે છે. ત્યાં એ ગુફા છે. કોઈ કોઈ દિવસે વર્ષમાં ત્યાં મેળો ભરાય છે. જાત્રા કરી વિહાર કરતા કરતા શ્રી લલ્લુજી વસો તરફ પઘાર્યા અને સં. ૧૯૬૩માં વસોમાં ચાતુર્માસ કર્યું. શ્રી લલ્લુજી સ્વામી વસો ચાતુર્માસ પૂરું કરી, વિહાર કરતા કરતા ખંભાત પાસે ફેણાવ ગામ છે ત્યાં ગયા. ત્યાં ખંભાતથી દર્શનાર્થે આવેલા કેટલાક મુમુક્ષુઓ અને તે ગામના પણ મુમુક્ષુઓ મુનિવરો સાથે ગામ બહાર નિવૃત્તિક્ષેત્રે વાંચન વિચારણાર્થે એકઠા થયા હતા. ફેણાવમાં વેપાર અર્થે ભાઈ રણછોડભાઈ નામના એક યુવાન આવેલા તે પણ વેદાંતના ગ્રંથો વાંચી કુશળ થયેલા. તેમણે શ્રી લલ્લુજી ગામ બહાર પધાર્યા છે એમ જાણી તેમના દર્શન-સમાગમ Page #55 -------------------------------------------------------------------------- ________________ [80] અર્થે ત્યાં ગયા. ભાઈ રણછોડભાઈના પિતા શ્રી લક્ષ્મીચંદજી શ્રી લલ્લુજી સ્વામી સાથે સંઘાડાથી છૂટા પડીને રહેલા તેથી એ સાધુવર્ગને ઓળખવા છતાં તેમનો વિશેષ પરિચય થયેલો નહીં. અને વેદાંત શાસ્ત્રોનો પરિચય હોવાથી જૈનો તરફ પ્રેમભાવ ઓછો હતો. તેથી બઘા સિદ્ધાંતચર્ચા કરતા હતા ત્યાં ભાઈ રણછોડભાઈએ પ્રશ્ન કર્યો કે તમે તો વીતરાગ ભગવાનને માનો છો, તે વીતરાગ હોવાથી કંઈ ફળ આપી શકે એમ નથી; ત્યારે તેમની ભક્તિ કરવાથી તમને શું મળવાનું છે? શ્રી લલ્લુજી તે પ્રસંગે કંઈ બોલ્યા નહીં. અને કોઈ અજાણ્યો માણસ છે ગણીને તે વાત કોઈએ લક્ષમાં લીધી નહીં. બઘા ઊઠી ગયા પછી શ્રી લલ્લુજીએ એક તરફ ભાઈ રણછોડભાઈને પ્રેમપૂર્વક બોલાવી કહ્યું, “બધાની વચમાં આવો પ્રશ્ન કરાય?” ત્યારથી ભાઈ રણછોડભાઈને મનમાં વસી ગયું કે આ કોઈ આપણા યથાર્થ હિતસ્વી છે. આમ અવ્યક્ત પ્રેમનું બીજારોપણ થયું. ફેણાવથી વિહાર કરતા કરતા શ્રી લલ્લુજી બોરસદ પધાર્યા. શ્રી દેવકરણજીને સં. ૧૯૫૮માં ચોમાસું રાખવાની બોરસદના મુમુક્ષુવર્ગની ઉત્કંઠા હતી; પણ બન્યું નહોતું. તેથી આ વર્ષ બઘાના આગ્રહથી સં. ૧૯૬૪નું ચાતુર્માસ બોરસદ ઠર્યું. ખંભાત સંઘાડાનું એ ક્ષેત્ર નથી; તોપણ બરવાળા સંઘાડાવાળા ચોમાસા અર્થે વખતે આવે એમ ઘારી દિગંબર ઘર્મશાળામાં શ્રી લલ્લુજી રહ્યા. શ્રી લક્ષ્મીચંદજી પણ સાથે હતા. ગામ બહાર જેઠાભાઈ પરમાનંદ શેઠનો બંગલો ભક્તિભજન, વાંચનવિચાર માટે રાખેલો હતો. ઘણાં ભાઈબહેનોને ભક્તિરંગ લાગેલો તે કાયમ ટકી રહે તેના નિમિત્ત-અર્થે બોરસદમાં “શ્રીમદ્ રાજચંદ્ર પાઠશાળા' સ્થાપવાનો વિચાર પણ તે ચોમાસામાં થયો. ભાઈ રણછોડભાઈ નારથી બોરસદ મુનિશ્રીનાં દર્શન-સમાગમ અર્થે આવેલા. તેમણે શ્રી લલ્લુજી મહારાજને વિજ્ઞપ્તિ કરી કે મોક્ષમાર્ગ બતાવો. એટલે તેઓશ્રી “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ વાંચતા હતા તેમાંથી વચ્ચેનાં “આત્મસિદ્ધિ શાસ્ત્રનાં પાનાં પકડી કહ્યું, “આટલામાં મોક્ષમાર્ગ છે.” ભાઈ રણછોડભાઈએ તે ગ્રંથ મગાવી “ઉપદેશછાયા'નાં પાન બતાવ્યાં હશે એમ ઘારી વારંવાર વાંચી તેનો અભ્યાસ કર્યો તે તેમને બહુ ગમી ગયો અને આ કાળમાં મોક્ષ છે અને સગુરુના યોગે અવશ્ય મળે એમ તેમને દૃઢતા થઈ. પણ બે-ત્રણ વર્ષ તેમને સત્સંગનો વિયોગ રહ્યો; કેમકે શ્રી લલ્લુજી સ્વામી વડાલી, પાલિતાણા એ બાજુમાં વિચર્યા હતા. શ્રી લલ્લુજી સ્વામીએ વસો અને બોરસદમાં સં. ૧૯૬૩-૬૪નાં બે ચોમાસા કર્યા ત્યાં સુધી તે ચરોતર પ્રદેશમાં વિચરતા હતા. તેથી ઉત્તર ગુજરાતમાં વિહાર કરતા શ્રી રત્નરાજ સ્વામીને તેમનો સમાગમ કરવાના ભાવ છતાં ભેટો થઈ શક્યો નહોતો. પછી પોતે વિહાર કરતા કરતા *વડાલી, ઈડર તરફ પધાર્યા તે વખતે શ્રી રત્નરાજનો સમાગમ થયો સંભવે છે એમ શ્રી રત્નરાજના એક પત્રથી જાણવા મળે છે; તેમાં તે લખે છે : “આ લેખકનું લક્ષ્યબિંદુ તો જ્યારે પ્રથમ જ આપ પ્રભુશ્રીનાં સત્સમાગમમાં આવેલ અને જે વિચારોની અમદાવાદ અને સિદ્ધપુરની વાટમાં આપ-લે થયેલ તે જ છે.” | શ્રી લલ્લુજી સ્વામીના સમાગમમાં અવારનવાર વિશેષ આવતા ભાઈ પોપટલાલ મહોકમ* વિ.સં.૧૯૬પ નું ચાર્તુમાસ વડાલીમાં કર્યું. મુનીદેવ શ્રી મોહનલાલજી સાથે હતા. મુનીદેવ શ્રી મોહનલાલજીની ચાર્તુમાસ નોંધનો ઉતારો-તથા-પૂ.શ્રી.બ્રહ્મચારીજીની નોંધપોથી નંબર એકમાંથી. Page #56 -------------------------------------------------------------------------- ________________ [૪૧] ચંદના સમાગમે શ્રી રત્નરાજ સ્વામીને શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે વિશેષ પ્રેમભક્તિની વૃદ્ધિ થઈ. એવામાં શ્રીમદ્ રાજચંદ્ર સંબંઘી હસ્તલિખિત સાહિત્ય જે દામજીભાઈ પાસે હતું તે શ્રી રત્નરાજ સ્વામીએ પણ વાંચ્યું અને તેમને ભક્તિભાવ વિશેષ જાગૃત થયો. તથા શ્રી લલ્લુજી સ્વામીના સમાગમમાં, સેવામાં રહેવા યોગ્ય છે એમ લાગવાથી તેમની સાથે સં. ૧૯૬૬નું ચોમાસું પાલિતાણામાં સર્વ મુનિઓએ સાથે ગાળવાનું નક્કી કર્યું. પાલિતાણા જતા પહેલાં શ્રી રત્નરાજ સ્વામી આદિ મહેતાણા તીર્થયાત્રા અર્થે ગયા હતા. ત્યાં તેમણે સ્થાનકવાસી વેશ બદલી નાખી ઓઘાને બદલે મોરપીંછી રાખી અને મુહપત્તી મુખે બાંઘવી બંઘ કરી. મોરપીંછી ઓછી ઉપાધિ અને વિશેષ યત્નાનું કારણ હોવાથી સર્વ મુનિઓએ ગ્રહણ કરી. શ્રી રત્નરાજ સ્વામીની વસ્તૃત્વ શક્તિ આકર્ષક હોવાથી સર્વના મનનું સમાધાન પણ રહેતું. લોકો તરફથી ટીકા વગેરે થાય તેનો પ્રત્યુત્તર આપનાર તે ચોમાસામાં તો સાથે જ હોવાથી તેમને કંઈ વિકલ્પનું કારણ રહ્યું નહીં. મહેતાણામાં શ્રી રત્નરાજ સ્વામીએ પાંચ અભિગ્રહ (નિયમ) ઘારણ કર્યા હતા. તેની મહત્તા વિષે મુનિમંડળમાં વારંવાર વિચારણા થતી એટલે એ વિચારો પણ સર્વસામાન્ય જેવા થઈ ગયા હતા. તે પાંચે અભિગ્રહો નીચે પ્રમાણે છે : ૧. ગુણ ન હોય તેવું નામ ન ઘરાવું. ૨. ગુણ પ્રાપ્ત કરવાના પુરુષાર્થમાં મંદતા ન કરું. ૩. આત્મનિર્ણય અર્થે અન્ય કહેવાતા ભેખઘારી સાથે વાદવિવાદમાં ન ઊતરું. ૪. પોતાના સંપ્રદાય પ્રમાણે કોઈ સેવાભક્તિ કરે તેમાં અંતરાયરૂપ થવું નહીં. ૫. કોઈ ઉપર ઉપકાર કર્યો હોય, તેના બદલાની સ્પૃહા ન કરવી. જેનામાં સેવા બુદ્ધિ મંદ પડી ગઈ હોય તેની સ્પૃહા ન કરવી. સેવાભાવે સેવા કરવી અને સેવાભાવ સિવાય કંઈ કરાયેલું ઇચ્છવું નહીં, સ્વીકારવું નહીં. ચોથા નિયમને અનુસરીને કોઈ ચંદન-પુષ્પાદિથી પોતાની પૂજા કરે તો પણ થવા દેવી જોઈએ. એટલે શ્રી લલ્લુજી સ્વામી તેમ થવા દેતા, પુજાવાની ઇચ્છા નહીં હોવા છતાં અંતરાયરૂપ નહીં થવાના ભાવે, ઝેરના ઘૂંટાની પેઠે તે ઉતારી જતા. આવા અનુકૂળ ઉપસર્ગો આત્યંતર તપશક્તિની કસોટી છે. આ પ્રકારના ઉપસર્ગરૂપ પ્રસંગો વિરાઘકવૃત્તિના દોષવૃષ્ટિ જીવોને વિરાઘના અને ઉપસર્ગના બહાનારૂપ નીવડતા; એથી તો ઊલટી મુનિઓની સ્થિતિ વિપરીત જનસમૂહમાં કફોડી થઈ પડતી અને ઉગ્ર તપશ્ચર્યાનું નિમિત્ત નીવડતી. સં. ૧૯૬૬નું ચાતુર્માસ શ્રી લલ્લુજી આદિએ પાલિતાણામાં કર્યું. કોઈ સાધુ સાથે વાદવિવાદમાં ન ઊતરવું એવો મુનિઓએ નિશ્ચય કર્યો હતો. તેથી પીંછી વગેરે વેશવિચિત્રતા જોઈ અનેક સાધુઓ, શ્રાવકો ટીકા કરતા. પરંતુ તેઓ કંઈ તે વિષે ચર્ચા કરતા નહીં, સાંભળ્યું ન સાંભળ્યું કરી મન પર લાવતા નહીં. પાલિતાણામાં ભાઈ શિવજી નામના કચ્છી શ્રાવકે જૈન બોર્ડિંગ સ્થાપી હતી. ત્યાં “વીર અઠ્ઠાઈ મહોત્સવ કર્યો હતો. ત્યાં આ મુનિવરો જતા અને ભાઈ શિવજી સાથે પરિચય થયેલો, પણ Page #57 -------------------------------------------------------------------------- ________________ [૪૨] ગાઢ પિરચય થઈ જે માહાત્મ્ય ભાસવું જોઈએ તેવો પ્રસંગ તે ચાતુર્માસમાં બનેલો નહીં. માત્ર સરળ સ્વભાવી, ભક્તિવંત, શ્રીમના શિષ્ય છે એવો ભાવ રહેલો. શ્રી રત્નરાજના વાચાતુર્યની તેમના પર સારી અસર થયેલી અને તેમનું માહાત્મ્ય લાગેલું. પછીનાં વર્ષોમાં ભાઈ શિવજીભાઈ સિદ્ધપુર આશ્રમમાં બે ત્રણ માસ રહેલા; પણ એથી એમનું દિલ ઠરેલું નહીં. તેઓ શ્રી લલ્લુજી સ્વામીના દર્શનાર્થે કોઈ કોઈ વખત વર્ષમાં એકાદ દિવસ આવી જતા. પણ સં. ૧૯૯૨માં ૨૬ વર્ષના લાંબા ગાળા બાદ સ્વામીજી સાથે એક માસ રહેવાની અનુકૂળતા શ્રી અગાસક્ષેત્રે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં મળી આવી. તે વખતે પ્રભુશ્રી–લઘુરાજસ્વામી (શ્રી લલ્લુજી મુનિ એવાં નામોથી ઓળખાતા, કેટલાક ભોળા પાટીદાર લોકો ‘બાપા' પણ કહેતા) ના અંતઃકરણની વિશાળતા, પ્રભુપ્રેમ અને પ્રભાવ શ્રી શિવજીને સમજાયાં અને ઘામણ ભણીના ભક્તોનો સમાગમ થતાં તેમને પુરાણી શ્રી કૃષ્ણકથા યાદ આવી. જેમ ઉદ્ધવજીને શ્રીકૃષ્ણે ગોકુળમાં મોકલ્યા હતા તે શ્રી ગોપાંગનાઓની ભક્તિના રંગે રંગાઈને આવ્યા હતા તેમ શ્રી શિવજીને પણ થયું હતું. શ્રી લલ્લુજી સ્વામી શ્રી શિવજીએ પાલિતાણામાં કરેલી સેવા ઘણી વખત યાદ કરતા; તે ઋણ પતાવવા જ જાણે છેલ્લા વર્ષમાં તેમને આકર્ષીને તેમના પર કૃપા કરી હોય એવો અચાનક એ એક માસનો પ્રસંગ બન્યો હતો. શ્રી શિવજી ભક્તિના આવેશમાં આવી ગયેલા તેવા પ્રસંગે ‘અગાસના સંત’ અને ‘મને મળ્યા ગુરુવર જ્ઞાની રે' જેવાં તેમણે પોતે લખેલાં ગીતો આશ્રમના મુમુક્ષુજનોને અવારનવાર ગવરાવતા. શ્રી લલ્લુજી આદિ વિહાર કરતા કરતા ખંભાત તરફ પધાર્યા અને શ્રી રત્નરાજ પાલનપુર, ડીસા આદિ તરફ વિચરવા લગ્યા. શ્રી રત્નરાજને પછી શ્રી લલ્લુજી આદિનો બે ત્રણ વર્ષ સુધી વિયોગ રહ્યો; પણ જે ભક્તિરંગ લાગ્યો હતો તે ભુંસાય તેવો નહોતો. ‘રત્નસંચય કાવ્ય', ‘ભક્તિરત્ન ચિંતામણિ' આદિમાંનાં કાવ્યોમાં તેમની શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યેની ગુરુભક્તિ પ્રગટ જણાઈ આવે છે. શ્રી લલ્લુજીસ્વામીને શ્રી લઘુરાજજી તરીકે શ્રી રત્નરાજે ગાયા છે, અને તેમના પ્રત્યે તેમનો ભક્તિભાવ ઉપકારી તરીકે પણ તે કાવ્યોમાં ઠામ ઠામ પ્રદર્શિત કર્યો છે. આ વિયોગ કાળમાં બન્ને મુનિઓ વચ્ચે પત્રવ્યવહાર થયો સંભવે છે; પણ તે સચવાઈ રહ્યો નથી. માત્ર શ્રી રત્નરાજ સ્વામીનાં કાવ્યો સાક્ષી પૂરે છે કે તે પ્રેમ વૃદ્ધિંગત થયો હતો. ૧૨ શ્રી પાલિતાણાથી શ્રી લલ્લુજી આદિ મુનિવરો ચરોતર તરફ વિહાર કરીને ખંભાત આવ્યા. અને શ્રી રત્નરાજ સ્વામી વવાણિયા થઈ ઉમરદશીમાં ચાતુર્માસ રહ્યા. શ્રી લલ્લુજી આદિએ ખંભાતમાં પંદર વર્ષે પાંચમી વખતનું સં.૧૯૬૭ નું ચાતુર્માસ કર્યું. શ્રી રત્નરાજ ઉપર શ્રી લઘુરાજ સ્વામીએ સમાગમ અને બોઘની ઇચ્છા દર્શાવતો પત્ર લખેલો તેનો ઉત્તર હિંદી ભાષામાં તેમણે લખ્યો છે. તે ઉપરથી ગમે ત્યાંથી શિષ્ય જેવા પાસેથી પણ હિતશિક્ષા ગ્રહણ કરવા જેટલી લઘુતા તેઓશ્રીએ કેળવી હતી તે સ્પષ્ટ જણાઈ આવે છે : Page #58 -------------------------------------------------------------------------- ________________ [૪૩] __"...आपश्री दोरी खेंचोगे तो इस लिखनेवाला तो सत्पुरुषोंका बिना दामका दास है सो लोहचुंबककी माफिक स्वतः खेचाया आवेगा।.... श्री सत्योपदेशवार्ता विषे तो आपश्रीसे हमारी अत्यन्त नम्र भावे यही सूचना है कि 'हम सरिखा दयापात्रोंसे आप उपदेशादिकी इच्छा न राख्या રે'.... " - સં ૧૨૬૭, શ્વિન પ્રતિપ | એ જ માસના બીજા પત્રમાં શ્રી રત્નરાજ સ્વામીએ માગેલી સલાહના ઉત્તરમાં પોતે ટૂંકામાં જણાવેલું તેના ઉત્તરમાં શ્રી રત્નરાજ સ્વામી લખે છે : આપશ્રી લખાવો છો કે “આપને સલાહ દઈ શકું તેવી અમારી પ્રજ્ઞા નથી” આ વિષયમાં આટલું જ બસ છે કે શુદ્ધાત્મા–શુદ્ધ બ્રહ્મને પ્રજ્ઞાવિશેષનો અવકાશ જ ક્યાં છે?... થોડી ઘણી પ્રજ્ઞા પરથી કાંઈ આત્મદશા અટકળી શકાય એવો કાંઈ નિયમ નથી, મતલબ કે . અલ્પજ્ઞ હો કે વિશેષજ્ઞ હો, જે જીવાત્માઓએ વૃત્તિ ઉપશમ વા ક્ષીણ કરી ક્ષય કરી હોય છે તે જીવાત્માઓ જ આત્મદશા પામવાના અધિકારી છે; તેને જ આત્મદશા આવિર્ભાવ પામવા યોગ્ય છે અને તે જ અત્યુત્કટ આત્મદશાવાન સાક્ષાત્ ભગવાન છે..” ચાતુર્માસ પૂરું થવા આવ્યું તે અરસામાં નારવાળા રણછોડભાઈને મનમાં એમ આવ્યું કે શ્રી લલ્લુજીસ્વામી ખંભાત છે તો તેમની પાસેથી મોક્ષ મેળવ્યા સિવાય હવે કંઈ કર્તવ્ય નથી એમ ઘારી નારથી તે ખંભાત આવ્યા. ઉપદેશછાયા “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાંથી વારંવાર વાંચી તેમના મનમાં એવી દ્રઢ માન્યતા થઈ ગયેલી કે સત્પરુષ મોક્ષદાતા છે એ આખા ગ્રંથનો સાર છે. તે ગ્રંથને પોતે બરાબર સમજે છે એમ પણ તેમને ઠસી ગયું હતું. પરંતુ જ્યારે ખંભાતમાં મોટા મોટા મુમુક્ષુઓને શ્રી લલ્લુજી આદિ સમક્ષ શ્રી સુબોઘ પુસ્તકાલયમાં તે ગ્રંથના વચનામૃતોની ચર્ચા સૂક્ષ્મ ભેદ કરતા તેમણે દીઠા ત્યારે તેમનું પ્રથમનું અભિમાન ગળી ગયું અને હું તો હજી કંઈ સમજતો નથી' એમ તેમને ભાસવા લાગ્યું. ચાતુર્માસ પૂરું થતાં શ્રી લલ્લુજી આદિ ખંભાતની પાસે વડવા ક્ષેત્ર છે ત્યાં પધાર્યા. ભાઈ રણછોડભાઈ પણ તેમની સાથે જ ત્યાં રહ્યા. વડવામાં દિવસે ખંભાતથી બઘા મુમુક્ષુઓ આવતા અને પૂજાઓ સુસ્વરથી ભણાતી તેમાં દિવસનો ઘણોખરો વખત જતો. બપોરે એક વખત આહાર બધા લેતા. આખો દિવસ પૂજા-ભક્તિમાં જતો. સાંજે આવશ્યક ક્રિયા થઈ રહ્યા પછી શ્રી લલ્લુજી આદિ ભક્તમંડળ કોઈ પદ બોલતાં બોલતાં કે એકાદ કડીની ધૂન લગાવતાં કે મંત્રની ધૂન સહિત દરિયા કિનારે જતું. ત્યાં શ્રી લલ્લુજી હાથમાં પીછી અને કેડે કોપીન માત્ર રાખી “દ્રષ્ટિ થિરામાંહે દર્શન નિત્ય રત્નપ્રભાસમ જાણો રે.. એ ગુણ રાજતણો ન વિસારું વહાલા, સંભારું દિનરાત રે” આદિ અનેક પદ બદલતાં બદલતાં, ઉલ્લાસભાવમાં દોડતાં કૂદતાં, પહાડી રાગે ગાતાં ગાતાં એ દરિયાની રેતીમાં આખી રાત્રિ ગાળતા. કેટલાક કલાક બે કલાક ભક્તિ કર્યા પછી થાકી જતા; કોઈ પાછા પોતાને ઘેર જતા, કોઈ ત્યાં જ રેતીમાં ઊંઘી જતા. પ્રભાતે સર્વ શહેર તરફ આવતા ત્યાં તો ત્રિભોવનભાઈ આદિ ભક્તાત્માઓ Page #59 -------------------------------------------------------------------------- ________________ [૪૪] દૂઘ, પાણીના દેગડા તૈયાર રાખી રસ્તામાં બેઠા હોય. તે ભક્તમંડળીમાંથી જેને રુચે તેટલું વાપરતા. ત્યાંથી વડવે આવી નિત્યક્રિયાથી પરવારી પાછા પૂજાભક્તિમાં બઘા જોડાઈ જતા. દિવસે પણ ઊંઘવાનો અવસર મળતો નહીં. આમ અખંડ ૧૯ દિવસ સુધી આંખ મીંચ્યા વિના શ્રી લલ્લુજી સ્વામીએ રાત-દિવસ ભક્તિમાં ગાળ્યા. એ ભક્તિના અપૂર્વ વેગના ઉદયે અનેક આત્માઓમાં ભક્તિરંગ વૃઢ થયો. ભાઈ રણછોડભાઈ શ્રી લલ્લુજી સ્વામી સાથે જ રાત દિવસ રહેતા તેથી તેમને એવો તો ભક્તિનો રંગ લાગેલો કે તેમના વેપારને તથા કુટુંબાદિ ભાવોને તે ભૂલી ગયા હતા, વેપાર નિમિત્તે જવા છતાં એ અપૂર્વ ભક્તિના જ ભણકાર તેમના ચિત્તમાં ઊઠતા. એના જ રણકાર તેમના હૃદયમાં રણક્યા કરતા. તેમણે તો નિશ્ચય કર્યો હતો તે પ્રમાણે, નથી જવું એવું શ્રી લલ્લુજી સ્વામીને જણાવી, જવાનું માંડી વાળતા હતા, પણ “અવસર દેખવો જોઈએ, સ્યાદ્વાદ માર્ગ છે. પછી આર્તધ્યાન થાય તેમ પ્રવર્તવા યોગ્ય નથી' વગેરે ઉપદેશ વચનો સાંભળી કચવાતે મને તે નાર ગયા. પણ વ્યવહારમાં જ તેમનું ચિત્ત ચોંટતું નહીં. શ્રી લલ્લુજી સ્વામી સં. ૧૯૬૮ માં ચરોતરમાં જ વિહાર કરતા રહ્યા અને અગિયાર વર્ષ પછી પાછું વસોમાં ત્રીજું ચોમાસું કર્યું. શ્રી મોહનલાલજી તથા શ્રી ચતુરલાલજી પણ તેમની સાથે હતા. આ ચાતુર્માસમાં શ્રી રત્નરાજે શ્રી લલ્લુજી સ્વામી પ્રત્યે વસો પત્ર લખ્યો હતો તે અનેક દ્રષ્ટિએ વિચારવા યોગ્ય હોવાથી નીચે જણાવું છું – તત્ સતું શ્રી સહજાત્મસ્વરૂપ-પ્રગટ પુરુષોત્તમાય નમઃ દોહા લહ્યો લક્ષ જિનમાર્ગકો, લૂખા તિનકા ભાવ; ઘન્ય જીવન તિનકા સદા, સ્વાનુભવ પ્રસ્તાવ. ૧ મિથ્યા માને જગતસુખ, જીતે જગ અપમાન; રાજમાર્ગરત રાતદિન, સો પુરુષ સમાન. ૨ ઐસા શ્રી લઘુરાજજી તિન સત્ કરત નિહોર; રત્ન નામ કંકર સમો સબ સનકો ચોર. ૩ श्री परमकृपाळु देवका परम कृपापात्रकी कृपा चाहता हूँ साष्टांग नमस्कार पूर्वक. हे स्वामी, आप तो सदैव सत्समाधिस्वरूप हो. ताते आपको सदैव निजानंदकी लहर है. लेकिन यह लेखकको भी तिनही लहरकी महेर होनी चाहिये; कारणकि बहोत काल हुआ आपके आश्रय वर्तता हूँ. इसमें रहस्य यह है कि स्थूल देहापेक्षाये तो जिन साक्षात् प्रत्यक्ष पुरुषद्वारा सत्प्रतीति भई होवे ताका मुख्योपकार गिननेसे मुख्यपने तिनहीके आश्रय वर्तता हूँ लेकिन Page #60 -------------------------------------------------------------------------- ________________ [૪૫] स्वरूपकी अपेक्षाये सर्व कालके सर्व सत्पुरुष एक ही ज है, और एक ही भासे है, तैसे ही एक ही गिनना योग्य लागे है. ......एक अपेक्षाये यह लेखक जीवात्मा आपके आश्रय वर्ते है. वास्ते आपसे अर्ज है कि आश्रितकी आशा आपका योगबल द्वारे अवश्य सफल करनेकी सत्कृपा करोगेजी अर्थात् ऐसा आंदोलन भेजेंगे कि जिनसे इस लेखकका हृदयबल स्व-इच्छित साध्यकी सिद्धि संप्राप्त करे. हे देव ! दया करो, दया करो, दया करो. त्राहि (३) क्या लिखू? आपके ज्ञानमें सब विद्यमान સં. ૧૯૬૯માં શ્રી રત્નરાજ ચરોતરમાં સ્વામીજી સાથે વિહાર કરતા હતા પણ શ્રી રત્નરાજના વર્તનની ચર્ચા ઘણા મુમુક્ષુઓ કરતા અને તેમને નિંદતા. તેથી સ્વામીજીનું ચાતુર્માસ ખંભાત થવાનું લગભગ નક્કી જેવું હતું પણ રત્નરાજના કારણે ખંભાતથી દૂર રહેવું ઠીક લાગવાથી બોરસદમાં તેમણે ફરી પાંચ વર્ષ બીજું ચોમાસું કર્યું. આ વખતે પણ મુકામ તો મેવાડાની (દિગંબર) ઘર્મશાળામાં હતો. પણ ભાઈ જેઠાલાલ પ્રેમાનંદના બંગલામાં ભક્તિભજન અર્થે દિવસનો ઘણો ભાગ ગાળતા હતા. આ વખતે બન્ને પગે ઢીંચણમાં વાના દુખાવા ઊપડ્યા. રેતીના ખારા ભાઠાંમાં વારંવાર નમસ્કારાદિ કરવાથી પણ ઢીંચણના ભાગ સૂજી ગયા જેવા થઈ ગયેલા. તેથી વિહાર બહુ મુશ્કેલીથી થાય તેમ પ્રતિકૂળતા થઈ પડી. તેના ઉપચાર અનેક પ્રકારે ચાલુ રહ્યા છતાં તે દુઃખાવો વધતો ચાલ્યો અને ઠેઠ આયુષ્ય પર્યત વાનો દુ:ખાવો રહ્યો હતો. કોઈ વાર તે ચોમાસામાં જ મુમુક્ષુજનો પ્રત્યે જણાવેલું કે હવે તો જંગલમાં કોઈ ઝૂંપડી જેવું મળી આવશે ત્યાં પડ્યા પડ્યા આ વચનામૃત (‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ) વાંચ્યા કરીશું. આમાં એમની એક બાજુ જનસમૂહથી એકાંત સેવવાની ભાવના છે તો બીજી બાજુ વળી શ્રી રત્નરાજ માર્ગ-પ્રભાવનાની ઉત્તમ ભાવના દર્શાવે છે. તેવી ભાવના જેના યોગે જન્મ પામી છે તેના હૃદયમાં તે કેટલી પ્રબળ હશે (છતાં તે પણ કેવી સ્વવશ રાખી છે) તેનો ખ્યાલ તે પત્રના નીચેના ઉતારાથી આવશે– “હે પ્રભુ! આપ તો સર્વપ્રકારે કૃતયોગી છો...... પ્રસૂતાની પીડા રે કે વંધ્યા તે શું જાણે? જાણ્યું કેમ આવે રે કે માણ્યાને પરમાણે? હવે તો માત્ર આ જ ભાવના રહે છે કે પરમકૃપાળુદેવના યથાજાતલિંગઘારી નિગ્રંથ મુનિ, સાઘક બ્રહ્મચારી, સાધ્વીઓ, બ્રહ્મચારિણીઓ અને ઉપાસક, ઉપાસિકાઓ આ ભૂમંડળ પર સ્વપરનું હિત કરતાં, ફરતાં, વિચરતાં વૃષ્ટિગોચર થાય તો જ આ સૃષ્ટિમાં રહી તેઓ સાથે આનંદ અનુભવી અંતે સ્વસ્વરૂપમાં સમાઈ જવું. નહીં તો છેવટે સ્વસ્વરૂપમાં સમાવું છે તે ત્વરાથી અસંગપણે અજ્ઞાત ભૂમિમાં ભમીને સમી જવું. આપશ્રીનાં દિવ્ય દર્શન ક્યારે કયે ક્ષેત્રે થઈ શકશે અને દર્શનલાભ મળ્યા પછી ચરણમૂળમાં નિવાસ કરવાને જગા મળશે કે કેમ? આપ પરમકૃપાળુદેવનો માર્ગ જયવંત વાર્તા એમ ઇચ્છી આ પત્રથી વિરમું છું.” Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પૂજક પરિષહ દઈ રહ્યા, આપ સહ્યા સમભાવ; ઘન્ય સંત લઘુરાજજી, લઘુમાં લઘુ બની સાવ. ગ્રીષ્મતણી ગરમી ઘણી ગણી હિતકારી ઇષ્ટ; કેરી અમૃત ફળ બને તેમ મહાત્મા મિષ્ટ. શ્રી લલ્લુજી સ્વામીને પગે વાના દુખાવા વઘવાથી કોઈ એકાંત સ્થળમાં અસંગ ભાવનાએ રહેવાને ઇચ્છતા હતા અને તે પ્રકારે પોતાના સાધુમંડળને જણાવ્યું હતું, તેમજ કોઈને સાથે રાખ્યા નહોતા. શ્રી રત્નરાજ વિરોઘી બળોને જાણતા હતા એટલે તેમનાથી શ્રી લલ્લુજી સ્વામીની આધાર વિનાની એકલ સ્થિતિ જોઈ જતી નહીં. એટલે સં. ૧૯૭૦ ના પોષ માસના પત્રમાં તે વિનંતિ કરે છે : હે નાથ ! આ ક્ષુલ્લક દાસની અરજ છે કે પ્રથમ તો નજદીકમાં કોઈ વર્તમાન જૈન દેશી વિક્ષેપી વર્ગનો વિયોગ હોય તેવે ક્ષેત્રે સ્વતંત્રપણે સ્થિતિ થાય તો સારું.” અઠવાડિયા બાદ જણાવે છે : “આપ એકાકી ગમ્ય ક્ષેત્રમાં એટલે પરિચિત ક્ષેત્રમાં તસ્દી પામી વિચરો તે અમે સાંભળી રહીએ તેમાં અમારું કલ્યાણ કહેવાય કે? વાસ્તે આપ કૃતયોગી સપુરુષોને વિશેષ શું જણાવીએ? .... સંયમીઓની સહાય મુખ્ય કરી સંયમીઓથી જ બની શકે...” નડિયાદમાં શ્રી લઘુરાજ સ્વામી નાના કુંભનાથમાં રહેતા હતા. તેમની સેવામાં એક ભાઈ રહેતા. સ્વામીજીને પગે વાના દુઃખાવાને લીધે ચાલવું મુશ્કેલ થઈ પડેલું તેથી શ્રી રત્નરાજ આદિ ભક્તિભાવવાળા મુમુક્ષુઓના મનમાં કોઈ મકાન આશ્રમ જેવું નાના પાયા ઉપર કામચલાઉ કરી ત્યાં અનુકૂલ વ્યવસ્થા સ્વામીજી માટે થાય તો કંઈક કરવું એવી યોજના આ અરસામાં થઈ હતી. સં. ૧૯૭૦ ના પોષ વદ બારસના પત્રમાં શ્રી રત્નરાજ શ્રી સ્વામીજીને જણાવે છે – પવિત્ર મુનિશ્રી મોહનલાલજી..ને નરોડા તરફ પઘારવાની સામાન્ય પ્રેરણા કરી છે. આશ્રમ બંઘારણની સંભાવના થઈ છે તે સિદ્ધ થવી જ જોઈએ અને તે શુભ કાર્યમાં જે વિધ્રવિકલ્પો ઉત્પન્ન થાય છે તેની શાંતિ અર્થે શ્રી મોહનલાલજી.. વગેરેમાંથી કોઈની પણ ત્યાં હાજરી હોવી જોઈએ.” ચૈત્ર માસમાં બીજા પત્રમાં પત્રો બીડી લખે છે : “યથાશક્તિએ જેમ બને તેમ કામચલાઉ કરવાનું છે. આગળ ઉપર ઊંચી ઊંચી અભિલાષા બાબતમાં થઈ પડશે; છતાં તેઓ હાલ સુધી બહાનાં ઉપર બહાના બતાવે છે...” ત્રીજા પત્રમાં એ જ માસમાં લખે છે : “નરોડા મુકામે સાધુસમાધિ અર્થે “સનાતન જૈન આશ્રમ' બંધાવવાનો... તત્સંબંધે કાળિદાસ કાકાનો હાલમાં કાગળ છે કે પૂ....તથા પૂ...ભાઈ વગેરેએ ત્યાં આશ્રમ બંધાવવાની અને તેઓએ આપવા કહેલ રૂપિયા પણ આપવાની ચોખ્ખી ના પાડી છે... આપ સરલ સ્વભાવી, ભદ્રિક પરિણામી છો તેથી જેની તેની સાથે દાક્ષિણ્યતામાં સહજે જે બોલવાનું થાય છે તેનો મતલબી લોકો ગેરઉપયોગ કરી લઈને કહે છે કે સ્વામીજીને તો કાંઈ આશ્રમની જરૂર નથી. ત્યારે આપણે ઉપાધિ કરી શું Page #62 -------------------------------------------------------------------------- ________________ [૪૭] કરવું છે? એમ કરી તે વાત ઉડાવી મારે છે. અને પોતાનો અંતર આશય તે આપના નામથી પ્રસિદ્ધ કરે છે. ... છેવટ એક વિચાર પર આવવું તે આપને આધીન છે. બાકી બધું આપ સદ્ગુરુના પુણ્યપ્રતાપે તૈયાર છે.’’ આ પત્રના ઉત્તરમાં સ્વામીજીએ વૈશાખ સુદ ૭, સં. ૧૯૭૦ ના પત્રમાં સ્વહસ્તે લખ્યું છે : “પણ હે પ્રભુ! અમારું હૃદય ન૨મ છે તે તમે જાણો છો. તમારાથી અંતર નથી... આપ જેમ કરશો તેમાં મારી મરજી છે, કોઈ ના નથી. પછી આપને અમારું નામ દઈને કહે તેમાં મારા હાથમાં શું ? ...અત્રેના મુમુક્ષુભાઈઓની દૃષ્ટિ વિષમ જોઈ ઘણો વિચાર થાય છે કે શું કરવું... અમે, અમારા વિચાર મુજબ જે પ્રારબ્ધ ઉદયમાં આવે છે તે પ્રમાણે અત્ર આવી મળે છે— દ્રષ્ટા થઈને જોયા કરીશું... કાંઈ વિચાર્યું થતું નથી, હાઇચ્છાએ બને તે ખરું... અત્રે તો કોઈ સત્સંગ જોઈએ તે તો બધે કુસંપ... તમારો સમાગમ ઘણો જોઈએ છે. પણ કોઈ અંતરાયના જોગે હરીચ્છા તેવી જ હશે... આપ સર્વ જાણો છો.'' શ્રી લઘુરાજ સ્વામી બાહ્ય વિકટ સંજોગોમાં કેવા અદીનપણે, નિઃસ્પૃહપણે વર્ત્યા છે તે દર્શાવવા આ નરોડા આશ્રમનો ઇતિહાસ આપ્યો છે. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રે એક પત્રમાં જણાવ્યું છે, “...દીનપણું ન આવવા દેવું, ‘શું થશે’ એવો વિચાર કરવો નહીં...અલ્પ પણ ભય રાખવો નહીં. ઉપાધિ માટે ભવિષ્યની એક પળ પણ ચિંતા કરવી નહીં... તો જ પરમ ભક્તિ પામ્યાનું ફળ છે, તો જ અમારો તમારો સંગ થયો યોગ્ય છે.” તે અને તેવી વિચારણાથી શ્રી સ્વામીજીને દીનપણું કે પરાધીનપણું પાલવતું નહોતું. શ્રી મોહનલાલજી ઉમરદશી લોચાદિ કારણે ગયેલા ત્યાંથી શ્રી સ્વામીજીને લખે છે : “હું સિદ્ધપુરથી.... આવ્યો હતો તે જ દિવસે પાલનપુરથી દરબાર સાહેબ મહારાજશ્રી રત્નરાજ સ્વામીજીના દર્શનાર્થે પધાર્યા હતા અને પાલનપુર તેડી જવાને માટે પાઘડી ઉતારી ઘણી અંતઃકરણના પ્રેમથી નમ્ર અને મૃદુ વિનંતિ કરી ગયા છે. તેઓશ્રી એક વખત દરબારનું મન રાખવા પધારવાનો સંભવ છે..’’ પછી શ્રી રત્નરાજનું પાલનપુર થોડા માસ રહેવું થયુ હતું. નવાબે ચાતુર્માસની પણ વિનંતિ તેમને કરેલી, પણ હવાપાણી અનુકૂળ નહીં હોવાથી રહ્યા નહીં. કંઈ સેવા ફરમાવવા દરબારે વિનંતી કરેલી તે ઉપરથી નરોડામાં મહાત્મા શ્રી લઘુરાજ આદિ સંતો માટે આશ્રમની વ્યવસ્થા થાય છે, તેમાં કંઈ સારી રકમ આપવા શ્રી રત્નરાજે સૂચના કરેલી. તેથી એક ગીનીઓની થેલી લઈ લાલભાઈ સાહેબને નિડયાદ શ્રી લઘુરાજ સ્વામી પાસે નવાબશ્રીએ મોકલ્યા હતા. તેનો સ્વીકાર શ્રી સ્વામીજીએ ન કર્યો. અને તે થેલી શ્રી રત્નરાજને સોંપવામાં આવી હતી. તે રકમમાંથી શ્રી સિદ્ધપુર ‘રાજમંદિર’ નામની સંસ્થા શરૂ થઈ. લગભગ વીસેક વર્ષ પછી એક સંન્યાસી શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસમાં શ્રી સ્વામીજી પાસે આવેલ. તે શ્રી રત્નરાજ સમીપ રહીને આવેલ. તે વાત કરતા હતા કે “પાલનપુરના નવાબે લડાઈના વખતમાં વૉર લોનમાં જે ૨કમ રોકેલી તેના વ્યાજના પૈસા નિડયાદમાં આપની પાસે Page #63 -------------------------------------------------------------------------- ________________ [૪૮] નવાબે મોકલ્યા હતા, કારણ કે મુસલમાનો વ્યાજને હરામ ગણે છે અને વ્યાજના પૈસા પોતે વાપરતા નથી. આપે તેનો અસ્વીકાર કર્યો હતો તે ઘણું જ સારું કર્યું હતું.” શ્રી સ્વામીજીને તેનો કિંઈ લક્ષ નહોતો પણ એક પાંસરે બધું પાંસરું કહેવાય છે તેમ સવે સવળું થતું. તેમને મુખ્યપણે એમ હતું કે કોઈના પુરુષાર્થે જે રકમ મળી હોય તે લેવી તે દીનતા કરવા જેવું અને પરાધીનપણું સ્વીકારવા જેવું હોવાથી તે અણછાજતું છે. પાપના ઉદય પછી પુણ્યનો ઉદય તડકા પછી છાયાની પેઠે આવ્યા કરે છે. પ્રારબ્ધ હશે તે પાછળ પાછળ તણાતું આવશે. તે તરફ દ્રષ્ટિ સરખી કરવા યોગ્ય નથી.” પોતે સવિનય શ્રી રત્નરાજને તે રકમ સોંપી સાથે પત્ર પણ લખ્યો હતો. તેથી શ્રી રત્નરાજને પણ સંતોષ થયો હતો અને સારું લાગ્યું હતું. સં. ૧૯૭૦ ના અષાડ સુદ ૬ના પત્રમાં શ્રી લઘુરાજ સ્વામી લઘુતાપૂર્વક શ્રી રત્નરાજને વિનંતિ કરે છે : “આપ દયાળુ છો. માટે ભવ્ય જીવોને સન્માર્ગ ભણી વાળવા “મહાગોપ'રૂપે પરમાર્થ ઘર્મ પ્રાપ્ત થાય તેમ કરશો.” તેના જવાબમાં શ્રી રત્નરાજ લખે છે : “હે પ્રભુ ! આપ પોતે પરમાર્થ સ્વરૂપ જ છો. આપશ્રીની સ્થિતપ્રજ્ઞ દશા આ બાળે સાક્ષાત્ અનુભવી છે. એટલે આપને પરમાર્થરૂપ સન્માર્ગ ભણી ભવ્ય જીવોને વાળવા વહાલી વૃત્તિ વર્તે અને તેથી પરમ પુરુષાર્થની જાગૃતિ અર્થે પ્રેરણા કરો તે આજ્ઞા અમારે શિર ઘારણ કરવા યોગ્ય છે. પરંતુ હે યોગેન્દ્ર સદ્ગુરુદેવ ! તથારૂપ પરમકૃપાળુદેવનો બોધિત પરમાર્થ માર્ગ પ્રકાશવાની પણ પરમ યોગ્યતા જોઈએ તો પ્રવર્તાવવાની તો કેટલી યોગ્યતાની યોગવાઈ જોઈએ ?... હવે તો જીવન્મુક્તપણે વિચરી પ્રારબ્ધકર્મના ક્ષય ભાવે સ્વરૂપસ્થ થવાની જ પ્રતિજ્ઞા કરવી પ્રશંસનીય છે.” | શ્રી લલ્લુજી સ્વામી સં. ૧૯૭૦ માં નાના કુંભનાથનું સ્થળ નડિયાદમાં છે ત્યાં જ ચાતુર્માસ અર્થે રહ્યા. ત્યાં મુમુક્ષુ ભાઈ બહેનો દર્શન, સમાગમ અને અભ્યાસ અર્થે આવતાં. તેમની વ્યવસ્થા સંબંઘી શ્રી રત્નરાજને લખે છે : “હાલ અત્રે સવાર, બપોર “ભગવતી આરાઘના' વાંચવા શરૂ કરેલ છે તે ભાઈઓના વર્ગમાં વંચાય છે ને બાઈઓના વર્ગમાં ભરતેશ્વર બાહુબલી વૃત્તિ ભાષાંતર કથાંગ વંચાય છે. ચતુરલાલજીએ બાઈઓના વર્ગમાં બાઈઓને આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના વાચન વગેરેનો ક્રમ રાખ્યો છે... પરમ કૃપાળુએ આ દુષમ કાળ કહ્યો છે તે યથાર્થ અનુભવાય છે, તે પણ ખેદ જેવું છે... આપણું કરીને વહ્યું જવું, તેમ જ છે.” કર્મની ગતિ વિચિત્ર છે. દુઃખના પ્રસંગો પણ ઉપરાઉપરી આવી લાગે છે. પરમ કૃપાળુદેવ જેવા શિરછત્રનો વિયોગ થયા પછી શ્રી દેવકરણજી જેવા આજન્મ સાથીનો વિયોગ થયો. પછી શ્રી અંબાલાલભાઈનો આઘાર હતો તે ગયો. વૃદ્ધાવસ્થા વધતી જાય તેમ તેમ શરીરબળ તો ક્ષીણ થતું જાય. તેથી સાથે સારણ ગાંઠનો રોગ, હરસનો રોગ, ઝાડા વખતે આંતરડું પૂઠે ખસી આવતું તેની સુવાવડ જેવી પીડા દરરોજ દિશાએ જતાં થતી તેમાં વઘારો તેથી બાહ્ય ચારિત્ર પાળવામાં વિઘો ઉપર વિઘો આવતાં અને અસંગ વૃત્તિ થઈ જવાથી ક્યાંય સાતું નહીં, એટલે દૂર પહાડો જંગલોમાં એકાંતમાં શ્રી ચિદાનંદજીની માફક રૂઢિચુસ્ત જૈન સમુદાયથી દૂર ચાલ્યા જવાની વૃત્તિ Page #64 -------------------------------------------------------------------------- ________________ [૪૯]. હતી. ત્યાં વાએ બન્ને પગ રહી ગયા એટલે નડિયાદ સ્થિતિ કરી. ત્યાં જૈનોનો ઉપદ્રવ નહોતો પણ જૈનેતર લોકો તરવાના કામી વિશેષ હોવાથી ઉપર પ્રમાણે પ્રવૃત્તિ એક ઘર્મકાર્ય જાણી શરૂ કરી. ત્યાં વિધ્ર આવી પડ્યું. કુંભનાથ મહાદેવમાં શ્રાવણ સુદ પૂર્ણિમાએ બ્રાહ્મણો જનોઈ બદલવા આવેલા તેમણે જૈન મુનિને ત્યાં ચોમાસું રહેતા જાણી સ્વાભાવિક ઘર્મષથી પ્રેરાઈ જેમના કબજામાં મહાદેવની કંસારાની ઘર્મશાળા હતી તેમના કાન ભંભેરી ત્યાંથી મકાન બદલવા ફરજ પાડી. તે વખતે શક્તિસંપન્ન મુમુક્ષુઓ હાજર હતા એટલે તેમણે ઢેઢાનો બંગલો કહેવાય છે તે નાનાસાહેબ પાસેથી ભાડે લીધો અને જેમ કુંભનાથમાં કાર્યક્રમ ચાલતો તેમ ત્યાં શરૂ થઈ ગયો. એક પત્રમાં શ્રી રત્નરાજ લખે છે : “પૂજ્ય રણછોડભાઈ પવિત્ર જીવાત્મા છે, તેમ વ્યવહારકુશળ, દત્તવાયક અને ન્યાયસંયત પુરુષ છે તેથી તેમની વિનંતિ પર આપને વિશેષ ધ્યાન આપવા જેવું છે. આસપાસના સંયોગો તો સદૈવ એક સરખા રહેતા નથી...” બીજા પત્રમાં લખે છે : “પ્રભુ ! આપ સપુરુષોનું નસીબ મોટું છે ! આ તરફ ઉમરદશીના મહંત વગેરે આપની સેવા કરવા સન્મુખ છે... જો કે આપ ક્ષમાશૂરા નિઃસ્પૃહ મહાત્મા છો.... આપનો વાત્સલ્ય ભાવ આપને સ્વતંત્ર વર્તવા જતાં વિલંબમાં નાખે છે. એટલે....એમ કહેવાની ફરજ પડે છે કે દયા છોડ્યા વગર પણ છૂટકો ક્યાં છે ? હમણાં હમણાં વળી ખંભાતની શાળાને ઉત્તેજન મળે તેવા ઉપાય આદરવામાં આવ્યા. જણાય છે. આપશ્રીને પણ તેઓ ત્યાં ..ખંભાતની શાળામાં રોકવાની અરજના રૂપમાં ફરજ પાડે એટલે આપને અનુકૂળતા જણાવી તે તરફ રોકી રાખવાનું કરે પણ ખરા. પછી અમારે આ તરફ આપના બિરાજવાની સગવડ... કરવી તે કાર્યકારી નીવડવામાં શંકાશીલપણું વેદાયા કરે.... સં. ૧૯૭૦ આસો વદ ૧.” ચાતુર્માસ પૂરું થયે કોઈ નિવૃત્તિ ક્ષેત્ર શોથી અસંગભાવે રહેવાય તેવી શ્રી લઘુરાજ સ્વામીની ભાવના હતી. શ્રી રત્નરાજને પણ યાત્રા કે તેવા પ્રસંગે શ્રી લઘુરાજસ્વામી સાથે વિહાર કરવાની ભાવના હતી. છતાં નડિયાદ તરફ વિહાર થાય તેમ શારીરિક સ્વસ્થતા ન હોવાથી તે વિચાર મોકૂફ રાખવા રત્નરાજે જણાવેલું. શ્રી લઘુરાજ સ્વામીએ ચોમાસું પૂરું થયે ઉમરેઠ તરફ વિહાર કર્યો. ત્યાંથી રત્નરાજને લખે છે : “મારે વિહાર કરવાનું બનવું તે તો બની શકે તેમ નથી. ઢીંચણમાં વાનું કાયમપણું છે. હરસના દુખાવા સાથે કળતર થયા કરે છે. માટે હવે તો ઘીરે ઘીરે ઉત્તરસંડે થઈ નડિયાદ ક્ષેત્રે જવાનો વિચાર મનમાં આવે છે..” તેવામાં શ્રી રત્નરાજને કેટલાક સગૃહસ્થો સાથે ઘર્મચર્ચા થયેલી. તે તેમણે સં. ૧૯૭૧ ના મગશર વદ ૬ના પત્રમાં જણાવી છે : “તે વાર્તાલાપ ઉપરથી એવા અનુમાન પર આવી શકવાનું બની શકે છે કે—હવે કોઈ એકને મુખ્ય મુરબ્બી સ્થાપ્યા સિવાય વર્તતા સમુદાયનું સદ્વર્તન નભી શકે તેમ નથી. પણ સવાલ એ રહે છે કે એવું જોખમ ખેડવા મુખ્ય અધિકારી કોણ બને ? અને બીજો સવાલ એવો ઉપસ્થિત થાય છે કે કોને બનાવવો ? ત્રીજો સવાલ એ પણ થઈ શકે કે સમુદાય નિર્ણાયક સૈન્યની માફક આજ દિન સુધી વર્તતો રહ્યો છે તે તેના મુખ્ય અધિકારીની આત્માર્થે આજ્ઞા આરાઘે કે કેમ ?.... તેવો મુખ્ય અધિકારી સ્થાપવાની જિજ્ઞાસા અનુમોદનીય છે Page #65 -------------------------------------------------------------------------- ________________ [ 0] તથાપિ તે કેવા ભાવે, કેવા આશયે ઉદ્દેશે ઉદ્ભવી હશે તે પણ વિચારણીય છે. બાકી આપણે તો શ્રી પરમકૃપાળુદેવની પરોક્ષ આજ્ઞા પ્રમાણે પોતાનું કરીને વહ્યું જવું છે, એ વિચારને ગૌણ અણકરતાં તથારૂપ સત્પરુષની સદ્ભાગ્યે સંપ્રાપ્તિ થાય અને તેમની પ્રત્યક્ષ આજ્ઞા આરાઘવી અથવા ઉપાસવી તેનો ત્રિકાળમાં પણ અટકાવ નથી; કારણ કે ભૂત, ભવિષ્ય, વર્તમાન એમ કાળભેદે જ્ઞાની સંતપુરુષોમાં ભેદ ભલે કલ્પાય, પરંતુ વસ્તુત્વે પુરુષો એક સ્વરૂપે જ છે...” શ્રી લઘુરાજ સ્વામી ચકલાસીથી રરાજને થયેલા ઉપસર્ગ પ્રસંગે આશ્વાસનપત્રમાં લખે છે : “હાલમાં અત્રે ઉમરેઠથી વિહાર કરી પણસોરા થઈ મુકામ વણસોલ આવ્યા. ત્યાંથી ચકલાસી પાંચ છ દિવસથી સ્થિતિ છે... આપ પરિષહ ઉપસર્ગ જે સહન કરો છો તે ઘન્ય છે. આપને તો સહજ કર્મ ખપે તેવા જીવોથી કારણ મળ્યું છે... ઘેર્યથી ગુરુપ્રતાપે સર્વ સમાધિ થશે.” શ્રી રત્નરાજજીના કેટલાક તે વર્ષના પત્રોના લખાણથી શ્રી લઘુરાજ સ્વામી આદિની કેવી વિકટ પરિસ્થિતિ હશે તે સમજાય, માટે નીચે કેટલાક અગત્યના ઉતારા સંક્ષેપમાં આપ્યા છે. શ્રી રણછોડભાઈને તેઓ લખે છે : “તમો ભાઈને પણ પ્રસંગ પામી પ્રતિબોધ તરીકે નહીં પણ પ્રેમ પ્રીતિ ભાવ તરીકે જણાવવાનું થાય છે, તેના ઉપર ખાસ ધ્યાન રાખી અગમચેતીપણે વર્તી પ્રત્યક્ષ પુરુષની આજ્ઞા-આરાધનરૂપ મહતું કાર્ય કર્તવ્ય છે. તમો ભાઈ જાતે વ્યવહારકુશળ અને વિચક્ષણ છો; પરંતુ તમારી જાતિ સરળસ્વભાવી છે. માટે આવા કટોકટીના વખતમાં સાવચેત રહી મન મક્કમ રાખવું; કારણકે કહેવાતા મુમુક્ષુઓનું મોટે ભાગે વગર લીધે માપ આવી ગયું છે. એટલે આપણે આપણું સૂઝતું કરવાનું છે... ભાઈ, હાલ તો મહા પ્રભુને સાચવવાનાં તમારાં સભાગ્ય છે. સં. ૧૯૭૧ પોષ સુદ ૭.” છતાં શ્રી રત્નરાજને ઘીરજ નહીં રહેવાથી વિહાર કરીને ડીસાથી આવતાં પાનસર તીર્થ આગળ પગમાં દરદ થવાથી અટકી પડ્યા. તેમની તબિયત પણ ઘણી શિથિલ રહેતી. પાનસરથી પોષ વદ ૧૩ ના પત્રમાં ભક્તિભાવપૂર્વક લખે છે : “સાક્ષાત્ પ્રત્યક્ષ સજીવનમૂર્તિ સદ્ગુરુ ભગવાન શ્રી પરમકૃપાળુ મહર્ષિદેવ સ્વામીજી મહાપ્રભુ શ્રી લઘુરાજ સ્વામીશ્રીના પવિત્ર ચરણકમળમાં વિધિવત્ સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર હો ! નમસ્કાર હો ! ....અમારે તો આપ સપુરુષના દર્શન સમાગમની સદ્ ઇચ્છા સિવાય બીજું કોઈ પણ કાર્ય કલ્યાણકારી કલ્પાયું નથી. જ્યાં રામ ત્યાં અયોધ્યા'. જ્યાં આપ બિરાજો ત્યાં અમારે તો ચોથો આરો જ છે. મનની ઘારણા જો કે નિવૃત્તિ ક્ષેત્રે અજ્ઞાતપણે વિચરવાની હતી—છે. પણ એક તો આપ વૃદ્ધ રત્નાથિક પ્રત્યક્ષોપકારી સપુરુષનાં દિવ્ય દર્શનનો લાભ તેમજ અમારે યુગપ્રતિક્રમણનો અવસર પણ આસન્ન વર્તે છે તે જો પ્રતિભાશાળી મહાન પુરુષના ચરણમૂળમાં થઈ શકે તો વિશેષ સારું... આપશ્રીના કદમોમાં જલદી હાજર થઈશ, પરંતુ શરીરથી પરતંત્ર છું તેથી કદાચ વિલંબ જેવું થઈ જાય તો ફિકર કરશો નહીં. અમારું આ તરફ આવવું...તે... ગુપ્ત રખાય તો સારું... ફક્ત આશ્રિત જીવાત્માઓને અમારા નિમિત્તે અન્યાય અપાતો જાણી તેની જયણા કરવાની સહજ વૃત્તિ થઈ જાયા કરે છે.” Page #66 -------------------------------------------------------------------------- ________________ [૫૧] અડાલજથી શ્રી રત્નરાજ એક પત્રમાં સ્વામીજીને લખે છે – “આપની હજૂરમાં હાજર થઈ જઈશજી; ત્યારે સર્વે સવિસ્તર સમાચાર સવિનય જાહેર કરીશજી... કોઈનો વિશ્વાસ કરવાનો વખત નથી રહ્યો... સં. ૧૯૭૧, માહ સુદ ૬.” શ્રી રત્નરાજ શરીર ઠીક થતાં નડિયાદ આવી થોડા દિવસમાં જ ચાલી નીકળ્યા હતા, કારણકે તેમને અજ્ઞાત વિહાર કરવાની ભાવના હતી. તેઓશ્રી ભરૂચથી વૈ. વ. ૦)) ના પત્રમાં લખે છે : “આપશ્રીને કોઈ પણ પ્રકાર પરિષહ-ઉપસર્ગ ન ઉત્પન્ન થાય તે સંબંધે ચિત્તમાં લાગણી થઈ આવે છે કે અરેરે ! આ તે શું કળિકાળનો પ્રભાવ કે આવી વૃદ્ધ વયે વૈયાવચ્ચે કરવી તો ક્યાંય રહી, પરંતુ ઊલટી આશાતના, ઉપસર્ગ ઉત્પન્ન કરી સિદાવવા માગે છે. વાહ ! મુમુક્ષતા તો આનું નામ. પ્રભુ! આપશ્રીએ હવે તો મુમુક્ષુઓની મુમુક્ષતા ઓળખી લીધી હશે કે હાલ કાંઈ બાકી રહે છે ? ...” જેઠ સુદ ૯ ના પત્રમાં વડોદરાથી શ્રી રત્નરાજ લખે છે : “હાલ ચોમાસાનો કાળ લાંબો છે. વિમુખદ્રષ્ટિવાળા ત્યાંથી કઢાવવાને કમર કસીને ઊભા રહ્યા છે. માટે પ્રભુ, સંયોગો તપાસીને કાર્ય કર્તવ્ય છે. કારણ “દુષ્ટ કરે નહિ કીન બુરાઈ ?' મેં વારંવાર આપની હજૂરમાં હાજર થવા વિનંતિ ગુજારી છે. બાકી અમારી ખાસ ઘારણા તો અજ્ઞાત રહેવાની છે છતાં સંયોગો ફરે ત્યારે ઇન્સાન માણસે ફરવું જોઈએ... જો ગેરહાજર છીએ તેમ ને તેમ રહીએ તેટલામાં કંઈ અસંભાવ્ય અઘટ ઘટના થઈ જાય તો અમારી નિવૃત્તિની ભાવના નિર્મુલ્ય થઈ જાય.' શ્રી રત્નરાજ મુનિશ્રી ચતુરલાલજીને લખે છે : “... તમો ખરી કસોટીના વખતે પરમ પ્રભુશ્રીના ચરણમૂળમાં રહ્યા છો, સેવા કરી જન્મ સફળ કરો છો... અમારી હાજરીની જરૂર જણાય તો બેશક તુરત લખી જણાવો... બનતી ત્વરાએ હાજર થઈશ. મૂંઝાશો નહીં કે મને ગોઠશે કે નહીં... હે મુનિ ! સુખે સમાધિની વાત હોત તો મને જણાવવાની જરૂર ન પડત; પણ આ અવસર સાંભળ્યા પ્રમાણે એવો આવી પડ્યો છે કે મારા અંતરમાં એમ જ થઈ જાયા કરે છે કે હે પ્રભુ ! સહાય કરજો ! હે પરમકૃપાળુ કૃપા કરજો ! ભરૂચમાં રહેવાની ઇચ્છા હતી. છતાં.... વાતચીત સાંભળતાં મારું ચિત્ત ઊપડી ગયું. તેમણે ઘણીયે મનુહાર કરી, પણ અમે તો એકદમ ઊપડી ગયા... ભરૂચથી પાંચ દહાડામાં આવે શરીરે કાળા ઉનાળામાં અત્રે (વડોદરા) આવ્યો છું. હવે ફક્ત આપના અભિપ્રાયની વાટ જોઉં છું.” સં. ૧૯૭૧ ના શ્રાવણ માસમાં લખે છે – “જે માણસોનો મીઠડો સ્વભાવ હોય તેઓની વચનો વાપરવાની ખૂબી તો ખરેખરી ખંત ઉપજાવે, પણ તેમાં જો દત્તવાયતા દ્વારા વિશ્વાસનાં તત્ત્વો હોય તો તેનો ખ્યાલ આપશ્રીજી સરખા ક્ષમાશૂરા સત્પરુષો જ કરી શકે. અસંગપણું જ અનુકૂળ છે.” ભાદ્રપદ વદના બીજા પત્રમાં : “..લોકલાગણી ઉશ્કેરાઈ ઊલટો વેગ ગ્રહણ કરે તેવી લાઈન Page #67 -------------------------------------------------------------------------- ________________ [૫૨] તે લોકોએ લીધી છે, તે એ કે સ્વામીજી તો ભોળા સ્વભાવના છે. તેમને રત્નરાજે બહેકાવી બદલાવી નાખ્યા છે. ઇત્યાદિ.. આવા ચાર્જ અમારા ઉપર... આરોપ્યા છે તેમાં તેમની ઊંડી નેમ એવી જણાય છે કે “રત્નરાજે સ્વામીજીને બગાડ્યા” આમ કહેવાથી અમારી પિત્તની પ્રકૃતિ છે તે તેનો મિથ્યા આરોપ અણસહતાં સ્વામીજીથી ઉપરાંઠા પડી જશે કે “લ્યો, આ તમારા સ્વામીજી, અમે તેમની પાસે નહીં જઈએ કે નહીં રહીએ', આ રીતે છૂટા પાડવા.' - આસો સુદ ૫ ના પત્રમાં લખે છે : “આપનો કૃપાપત્ર.. વાંચી વિચારી આનંદ અભિવર્ધમાન થયો છે. પૂ. મનસુખભાઈ રવજીભાઈ તથા પૂ. પૂજાભાઈ મોટાએ અત્રે લગભગ બે રાત્રિ રહી સમાગમનો લાભ લીધો છે... તેઓ બન્ને ભાઈઓ પ્રશસ્તભાવ દેખાડતા હતા.... વર્તમાનમાં આપશ્રીજી પર પૂર્ણ શ્રદ્ધાભક્તિ દર્શાવતા હતા. અમને નમ્રતાપૂર્વક અરજ નિવેદન કરી કે આપના જેમ ધ્યાનમાં આવે તેમ સ્વામીજીની ગોઠવણ ચોમાસું ઊતર્યો કરાવશો. જે ખર્ચ થશે તે અમે બન્ને ભાઈઓ થઈને આપીશું. ત્યારે અમે “આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદયપ્રયોગ' આ ગાથાની વ્યાખ્યા કરીને તેઓને સમજણ પાડી હતી કે કેવળ સેવાની જ બુદ્ધિ હોય તો તે કહેજો અને કોઈ પણ પ્રકારે ‘તમે આમ કરો તો અમે આમ કરીશું', આવી વ્યવસાયરૂપ વણિકબુદ્ધિ હોય તો તે વખતસર કહેજો... ઇત્યાદિ વાર્તાલાપ થયો છે.” સ્વામીજી એક પ્રત્યુત્તરમાં જણાવે છે: “ધીરજથી જેમ બનવા યોગ્ય હશે તે બની આવશે. જોયા કરીશું, દ્રષ્ટા તરીકે.” ફરી આસો વદ પાંચમે લખે છે : “આ બધા મુમુક્ષુની ભાંજગડમાં પડવું નથી હરિ-ઇચ્છાએ દ્રષ્ટા થઈ જોયા કરીશું.” આ લાંબા પત્રવ્યવહારનાં આછાં અવતરણો આપવાનું પ્રયોજન એટલું જ કે સ્વામી શ્રી લઘુરાજ બે વર્ષ શ્રી નડિયાદ ક્ષેત્રે રહ્યા તે દરમ્યાન જે ઉત્પાતો થયા તેનો ખ્યાલ શ્રી રત્નરાજના ઉદ્ગારો દર્શાવે છે, તેથી તે પ્રસંગોની ઉત્કટ વિકટતાનો કંઈક ખ્યાલ આવે. ઘણા ખરા પત્રો અમુક અંગત માણસો સાથે મોકલેલા એવું તે મૂળ પત્રો ઉપરથી જણાય છે અને પત્ર લાવનાર પાસેથી પત્રમાં ન લખવા યોગ્ય બાબત શ્રવણ કરવા અનેક પત્રોમાં ભલામણ છે એટલે કોઈના ય દોષ પ્રસિદ્ધિમાં આવે તેવું તેમનું અંતઃકરણ ઇચ્છતું નહીં. કેટલાએક ઉદ્ગારો પત્રોમાં નીકળી ગયા છે તે તે પ્રસંગોની પ્રબળતા જ સૂચવે છે. એટલે એ પ્રસંગો આ પત્રો લાવનારનાં નામ આવે છે તેમની પાસેથી સાંભળ્યા છે છતાં મહાપુરુષના સાઘુચરિતને અવલોકતાં તેનો વિસ્તાર કરવાને ચિત્ત પ્રેરાતું નથી. તેમ છતાં તેનું કંઈ પણ દિગ્ગદર્શન ન થાય તો જે ચરિત્ર લખવાનું કાર્ય હાથમાં લીધું છે તેને અન્યાય પણ થાય છે એટલે ખરી કસોટીના વખતના વર્તનનો, સહનશીલતાનો, સદ્ગુરુની અનન્ય દ્રઢ ભક્તિનો, એક આશ્રય ટકાવી રાખવાનો સિંહસ્વભાવ જે સ્વામી લઘુરાજજીમાં હતો તે આ પત્રોના ઉતારામાં પણ વૃષ્ટિગોચર થતો નથી. કોઈને કલંકરૂપ મનાય તેવી વાતનો વિસ્તાર નહીં કરતાં ટૂંકામાં જણાવવા યોગ્ય સામાન્ય બાબત આટલી છે કે ત્યાગબળ, ઘનબળ અને વાકબળ આ ત્રણેયનો સુયોગ હોય ત્યાં સુધી ઘર્મપ્રવૃત્તિ પણ સુવ્યવસ્થિત દેખાય છે. તે પ્રમાણે શ્રીમદ્ રાજચંદ્રના અવસાનથી માંડી શ્રી Page #68 -------------------------------------------------------------------------- ________________ [૫૩] લઘુરાજ સ્વામીના નડિયાદ નિવાસ સુઘી બાર-તેર વર્ષ મુમુક્ષુમંડળની બાહ્ય ઘર્મપ્રવૃત્તિ સુસંગઠિત દશામાં દેખાઈ. પછીથી જે ભાઈના ઉદાર આશ્રયે ઘનની પ્રવૃત્તિ થતી તે પ્રવાહની દિશા બદલાયાથી અથવા આટલાં વર્ષોમાં તેમણે ખર્ચેલી રકમનો આંકડો તેમણે મુખ્ય મનાતા મુમુક્ષુના આગળ રજૂ કર્યો ને તે રકમ કોઈ ઘનસંપન્ન ભાઈએ પતાવી દીઘી તે પ્રસંગથી મુમુક્ષુવર્ગમાં બે ભાગ પડી ગયા. એ ભેદ મુનિમંડળને ઘર્મશાસનમાં હાનિકારક જણાવાથી શ્રી લઘુરાજ સ્વામીએ ઉદ્ગાર કાઢેલા કે ડાહ્યો તો તેનું નામ કે જે બન્ને વર્ગને એકત્ર કરે. તે વચન મુખ્ય મનાતા મુમુક્ષુને સાલવાથી તેમણે શ્રી લઘુરાજ સ્વામીને સ્પષ્ટ જણાવ્યું હતું કે તમે ગમે તે એક પક્ષમાં રહો, નહીં તો નિરાઘાર બનશો–કહેવાનું તાત્પર્ય કે અમારા પક્ષમાં તમે રહો, નહીં તો તમારી વિરુદ્ધ પણ અમારે પડવું પડશે. તે જ દિવસે (સં. ૧૯૭૧ ના માગશર માસની શરૂઆતમાં) તેમણે નડિયાદમાં ભાડે બંગલો રાખેલો ત્યાંથી ગામમાં શ્રી લઘુરાજ સ્વામી પઘાર્યા, અને મુમુક્ષુઓની ઓથ ગણાતી હતી તેથી પણ સ્વતંત્રપણે રહેવા લાગ્યા. ત્યારપછી તે પક્ષે મુનિ-નિંદાનું કામ હાથ ધર્યું. જ્યાં ભક્તિ આદિ નિમિત્તે મુમુક્ષુઓ એકઠા થાય ત્યાં મુનિઘર્મ કેવો હોવો જોઈએ? હાલ મુનિઓ કેવી ચર્યાથી પ્રવર્તે છે? હવે મુનિઓ બગડી ગયા; પરમ કૃપાળુદેવનો માર્ગ વગોવાય, નિંદાય તેમ પ્રવર્તે છે– ઇત્યાદિ અનેક પ્રકારે અનેક સ્થળે મુનિઓ પ્રત્યેથી લોકોનો આદર ઓછો થાય, કંઈ અંશે તિરસ્કાર વૃત્તિ થાય તેવી ચર્ચાઓમાં પોતાનું મહત્વ મનાવા લાગ્યું. બોધિ-સમાધિના પ્રેરક મુનિઓને સહાયક નીવડવાને બદલે તેઓ જ બોધિ-સમાધિના નિધિસમા મુનિઓના નિયંતા થવાને પોતાનું તન-મનઘન વેડફવા લાગ્યા. કૃપાળુદેવે મુનિશ્રી લઘુરાજજીને જણાવેલું કે “વાણિયા તમારા ગુરુ થવા આવશે” તે ચેતવણીરૂપ આગાહીને ઘર્મસુઘારણા હાથ ઘરનાર મુમુક્ષુઓએ ચરિતાર્થ કરી ! ચરોતરના પ્રદેશમાં જ્યાં જેનો અથવા શ્રીમદ્ રાજચંદ્રને માનનાર મુમુક્ષુઓ વસતા હતા તેવાં ક્ષેત્રોમાં તે મુનિઓથી વિહાર કરાય તેવું રહ્યું નહોતું. નડિયાદમાં શ્રી લઘુરાજ પાસે પણ કોણ આવે છે, શી વાત થાય છે, ક્યાં વિહાર કરવાના છે, વગેરે વાતો જાણવા માટે એક ભાઈને પોતાના કરી માહિતી મેળવી પોતાનાથી બને તેટલી પજવણીના પ્રકારો કરી મુનિઓને થકવી પોતાના કહ્યા પ્રમાણે પ્રવર્તાવવા અર્થે તે પક્ષ પ્રયત્નો ચલાવતો રહેતો. લોકવ્યવહારની પેઠે કોઈ કોઈ દિવસે આગેવાન પણ મહારાજની ખબર કાઢવા આવતા, સારું લગાડવા દેખાવ કરતા. સં. ૧૯૭૨ ના કાર્તિક વદમાં શ્રી રત્નરાજ નડિયાદ આવી પહોંચવાનું જણાવી દવા વગેરેની થેલી પણ મુમુક્ષુ સાથે મોકલાવે છે. શ્રી રત્નરાજ નડિયાદ પઘાર્યા પછી કાણીસા ગામ બહાર જંગલમાં કામનાથ મહાદેવનું એકાંત સ્થાન પ્રથમ બન્નેએ જોયેલું હતું ત્યાં સ્થિરતા કરી એકલા રહેવાનો વિચાર બન્નેએ નક્કી કર્યો. ત્યાંના પૂજારી બાબરભાઈના બે પત્રો આમંત્રણરૂપે શ્રી રત્નરાજ ઉપર વડોદરે આવેલા અને મુખ્યપણે શ્રી રત્નરાજ વ્યવહારકુશળ છે એમ જાણી તે જેમ કરતા હોય તેમ કરવા દેવું, પોતાને અનુકૂળ પડે ન પડે પણ કઠણાઈ વેઠીને પણ બીજાની પ્રકૃતિને નભાવી લેવી એવો શ્રી લઘુરાજ સ્વામીનો સ્વભાવ હોવાથી તેમની સાથે તે કાણીસા કામનાથ મહાદેવના ક્ષેત્રે પઘાર્યા. અલગ સ્વતંત્ર મકાન હોય તો ઠીક એમ શ્રી રત્નરાજનો અભિપ્રાય પ્રથમથી હોવાથી ત્યાંના લોકોની સંમતિ અને મદદથી એક ઓરડી પણ જુદી શ્રી લઘુરાજ સ્વામી Page #69 -------------------------------------------------------------------------- ________________ [૫૪] આદિ માટે બંઘાવી. નારવાળા ભાઈ રણછોડભાઈની સાઘારણ સ્થિતિ છતાં કાણીસામાં કોઈ પ્રકારે મહાત્માઓને હરકત ન પડે તેવી કાળજી રાખી ખર્ચ પણ કરતા. પરંતુ શ્રી લઘુરાજ સ્વામી વ્યવહારકુશળ અને ઘણા દયાળુ હતા તે એક મુમુક્ષુ પર બધો બોજો પડે છે તે જાણતા હતા, તેમજ શ્રી રત્નરાજની સ્વતંત્ર પ્રકૃતિ પલટાય તેમ નહીં જણાવાથી પોતે કોઈ દૂર ક્ષેત્રમાં એકલા ચાલી નીકળવાનું મનમાં ઘારી રાખ્યું હતું. ચૈત્ર વદ પાંચમની ભક્તિ પછી શ્રી રત્નરાજ પૂજાભાઈ, ગાંઘીજી આદિને મળવા અમદાવાદ તરફ ગયા અને શ્રી લઘુરાજ સ્વામી નાર પઘાર્યા. ત્યાં શ્રી લક્ષ્મીચંદજી મુનિને મળ્યા અને શ્રી રણછોડભાઈને પણ જણાવ્યું કે હવે અમે કોઈ જંગલોમાં ચાલ્યા જઈશું, અને કાઉસગ્ગ કરી દેહ પાડી દઈશું, પણ કોઈને બોજારૂપ થવા ઇચ્છતા નથી. અમારી આજ્ઞા સિવાય કોઈએ અમારી પાસે આવવું નહીં. આ પ્રસંગ શ્રી રણછોડભાઈએ આંખમાં આંસુ સાથે કહી બતાવ્યો હતો. ત્યાંથી નડિયાદ થઈ અમદાવાદ આવ્યા, ઘર્મશાળામાં ઊતર્યા. રત્નરાજ સ્વામી અમદાવાદથી વિહાર કરી પાલનપુર તરફ ચાલ્યા ગયેલા. અમદાવાદમાં પોતે પૂજાભાઈ, ગાંધીજી આદિને મળીને કાઠિયાવાડ તરફ પઘાર્યા. સુણાવના ભાઈ કાભઈ મુનદાસ તેમની સાથે હતા. કુંકાવાવ તરફ જવાના હતા. જૂનાગઢ સ્થિરતા થયા પછી ન જેવો પત્રવ્યવહાર ખાસ પરિચયી પ્રત્યે થયો છે. શ્રી રણછોડભાઈને પણ થોડા વખત સુધી જાણવા નથી દીધું. સં. ૧૯૭૨ નું ચોમાસું પણ ત્યાં જૂનાગઢમાં થયું. ત્યાંના વાતાવરણ સંબંધી લખે છે : “.... વનક્ષેત્રે રાજેશ્રી મુકામ, નિવૃત્તિ યોગીઓને ધ્યાન રમણ કરવાની જગા, સહજ વૃત્તિમાં આનંદ ઊપજે, ચિત્ત કરવાનું નિમિત્ત કારણ, એકાંતવાસ જગાનું ઘામ, પાણી પણ સારું તે બધું અત્રે અનુકૂળ છે. ઉપાધિ પણ ઓછી છે.” “આ ક્ષેત્ર ત્યાગી, વૈરાગી, યોગી, ધ્યાનીને સહજ નિમિત્ત અનુકૂળતાવાળું છે.” હે પ્રભુ, સહજે હલકા ફલ થયા છીએ, સરુ પ્રતાપે કોઈ ચાં કે ચૂં બોલતું નથી. ઊલટા સામા ભાવ કરતા આવે છેજી... આવી નિવૃત્તિવાળી જગામાં કાંઈ વિક્ષેપ કે વિકલ્પ ટળી જાય છે. એકાંત આનંદ જ્ઞાનના પ્રતાપે ગુરુશરણથી શાંતિ વર્તે છે.” “રોગ મરકી પ્રથમ ગામમાં દેખાઈ હતી. પણ હાલ ઠીક છે. અત્રે ગામ બહાર “પ્રકાશપુરી'માં તો કોઈ ઉપદ્રવ નથી; સારું છે. એટલે (શ્રી કલ્યાણજીભાઈને, બગસરા) પત્રથી ના (ત્યાં જવાની) જણાવી છે. અત્રે રહેવા હાલ તો વિચાર છે. પછી હરીચ્છા, આગળ ઉપર થાય તે ખરું.” બીજા એક પત્રમાં જણાવે છે : “ફક્ત જે અંતવૃત્તિઓ જેમ સહજ, સદ્ગશરણથી શાંત થાય તેવો પુરુષાર્થ બને છેજી, તે આનંદ થાય છે. વ્યવહારથી જેમ યોગ-સાઘન બને તે કરવામાં સહેજે સહેજે આવે છે, તેના દ્રષ્ટાથી શાંતિ છેજી. એક આત્મા સિવાય બધું ખોટું છે ત્યાં વિકલ્પ શો?” સંવત્સરી ક્ષમાપના સંબંઘી સં. ૧૯૭૨ માં સ્વામીજી રત્નરાજને લખેલા પત્રમાં લખે છે : “આપશ્રીને જે દેહશરીર પ્રકૃતિ નરમ અને મૂચ્છ આવ્યાની બીના સાથે વાચાબંઘની ખબર મળ્યાથી અતિ ખેદ થયો છેજ. તે વ્યાધિ પ્રત્યક્ષ જોયેલી હતી....... એમ થાય છે કે કોઈ જીવાત્માને Page #70 -------------------------------------------------------------------------- ________________ [૫૫] તે વ્યાધિ-પીડા-દુઃખ ન હો.......... આ પત્ર વાંચી સુખશાતા-આરામ થયાના પત્ર પાઠવવા કૃપાવંત થશોજી.’’ ચાતુર્માસ પૂરું થયે સં. ૧૯૭૩ કાર્તિક વદમાં શ્રી લઘુરાજ સ્વામી રાજકોટના વતની ભાઈ રતિલાલ મોતીચંદ સાથે જૂનાગઢથી બગસરા પધાર્યા. તેમના જિનમાં એક માસ તે ભાઈએ ભક્તિભાવે રાખ્યા. ભાઈ મણિભાઈ કલ્યાણજી શ્રી લઘુરાજ સ્વામીનો સમાગમ અવારનવાર નિડયાદ, કાણીસા અને જૂનાગઢ દર્શનનિમિત્તે સાથી ગયેલા. મરકીના ઉપદ્રવ વખતે પણ તેઓનો વિચાર સ્વામીશ્રીને બગસરા લઈ જવાનો હતો એટલે હવે જિનમાંથી સ્વામીશ્રી ભાઈ મણિભાઈને ત્યાં પધાર્યા. અને પછી આખું વર્ષ ત્યાં જ રહેવું થયું હતું. ભાઈ મણિભાઈને ધંધાર્થે મુંબઈ રહેવું થતું. પરંતુ તેમના પિતાશ્રી, માતાજી આદિ શ્રી લઘુરાજ સ્વામીની સેવામાં જ હતાં. પોતે ચારેક વખત બગસરા દર્શનાર્થે આવેલા. તે વખતની સ્વામીશ્રીની દિનચર્યા સંબંધી તે જણાવે છે કે “રોજ સાંજના પ્રભુશ્રીજી બોઘ કરતા, સવારના પરવારી જંગલમાં જતા. બે ત્રણ કલાકે પાછા ગામમાં આવતા. ચાતુર્માસમાં અવારનવાર ચરોતર વગેરે તરફથી કોઈ કોઈ મુમુક્ષુઓ દર્શનસમાગમ માટે આવ્યા કરતા. ,, શ્રી રત્નરાજે લખેલા પત્રથી શ્રી લઘુરાજ સ્વામીની ત્યાંની શરીરસ્થિતિ સંબંધી જાણવા મળે છે : “મહાપ્રભુજીને શરીરે ડબલ, ત્રિપલ વેદના વર્તતી જાણી ખેદ થયો છે... ખંભાતથી પત્ર છે, તેમાં તેઓને દર્શેચ્છા વર્તે છે.’’ સં. ૧૯૭૩ ના માગશર વદ છઠ્ઠના પત્રમાં શ્રી રત્નરાજ સ્વામીજીને લખે છે : “જિલ્લા હાલ બંઘ છેજી, પ્રભુ; તે આપશ્રીના શુભ આશીર્વાદોથી મૂળ સ્થિતિએ આવવા આકીન છેજી.... આપ મહાપ્રભુજીની કરતલરૂપ છત્રછાયા આ દેહધારીને... શીતળ વિશ્રાંતિ-સ્થાન છેજી.'' પરમકૃપાળુ પ્રભુશ્રી(લઘુરાજ સ્વામી)ના પ્રણ વિષે રત્નરાજ લખે છે : - “સંસારીનું સગપણ છોડી ભક્તિ મારી ભાવે રે; તેનો દાસ થઈને દોડું જરી શરમ નવ આવે રે.’’ “અમે સદા તમારા છઈએ શ્રી સ્વામીજી. જેમ તમે રાખો તેમ રહીએ શ્રી સ્વામીજી. સત્સંગ, સદ્ગુરુ છો તમે શ્રી સ્વામીજી.’’ ફાગણ સુદ ૧૨ ના પત્રમાં શ્રી લઘુરાજ સ્વામી લખે છે :– ‘અન્ય પુરુષકી દૃષ્ટિમેં જગ વ્યવહાર લખાય; વૃન્દાવન જબ જગ નહીં કૌન વ્યવહાર બતાય. ’’ “બીજું સિદ્ધપુરથી આપની વાચા ખુલ્યાની વધાઈ ખબર મળ્યાથી ૫૨મ ઉલ્લાસ થયો છે જી.. જેમ પરમ કૃપાળુનો માર્ગ દીપે તેમ કરશોજી... હું જુદાઈ નહીં સમજું. ભલે પૂ॰ પોપટલાલભાઈ આપશ્રીને મળે, હું રાજી છું. પ્રભુ, જયવિજયજી તથા મોહનલાલજી સર્વ સંપ Page #71 -------------------------------------------------------------------------- ________________ [૫૬] સલાહે વર્તે તેમાં હું ખુશ છું. મને હવે નિવૃત્તિ, જેમ બને તેમ પરિચય મુમુક્ષુભાઈ બહેનો તરફથી ઓછો થાય તેમ વિચાર છેy... હવે તો પત્રવ્યવહાર પણ જેમ બને તેમ ઓછો કરવો છે.” ત્યાર પછી માત્ર વર્ષ પૂરું થતાં એક પત્રમાં ક્ષમાપનાપૂર્વક લખે છે : “વાને લીધે ઊઠતાં બેસતાં લડથડિયાં આવી જાય છેજી.. અવિષમભાવે જોયા કરીશું. બીજી કોઈ પ્રકારની અગવડ નથી... અત્રેથી કોઈ પત્ર લખવાનું થતું નથી. ચિત્તવૃત્તિ સંકુચિત થવાથી તેમ વર્તાયું છેજી. પત્રો ઘણાં....ઘણાં ક્ષેત્રોથી આવે છે, તેમને લખવું થતું નથી. તેમના બધાનું કેમ ચાલે છે, તે પણ ખબર નથી, તથા મુમુક્ષુ ભાઈઓ જે વિચાર ઘારતા હોય, તેમના સંબંઘી લક્ષ નથી. હે પ્રભુ, શાંતિ છે. “તારું તારી પાસ હૈ, ત્યાં બીજાનું શું કામ ?' ' ૧૪ શ્રી બગસરાથી સં. ૧૯૭૪ કાર્તિક સુદ ૧૫ પછી શ્રી લઘુરાજ સ્વામી ચારણિયા ગામે પધાર્યા. ત્યાં એક મહિનો રહીને રાજકોટ પધાર્યા; શ્રીમન્ની દેહોત્સર્ગ ભૂમિ છે ત્યાં ભક્તિભાવ કરેલો. પછી શ્રી રત્નરાજસ્વામીને ઉમરદશી મળીને ચરોતર તરફ પધાર્યા. ચરોતરના ભાઈઓને વિરહ લાંબો કાળ રહ્યો તેથી નાર, કાવિઠા વગેરેના મુમુક્ષુઓ ચરોતરમાં પઘારવા ચાતુર્માસથી જ ચાલુ આગ્રહપૂર્વક વિનંતિ કરતા હોવાથી નાર પઘારવાના વિચારથી અગાસ સુધી આવ્યા ત્યાં તો કાવિઠાના મુમુક્ષુઓ અગાસ સામા આવેલા અને કાવિઠા લઈ ગયાં. ભાઈ કલ્યાણજીભાઈ આદિ મુમુક્ષુજનો કાવિઠા સુધી આવેલા. પાંચ-સાત દિવસ કાવિઠા રોકાઈ તેઓશ્રી નાર પઘાર્યા. બીજા ગામોમાંથી મુમુક્ષુઓ દર્શન-સમાગમ અર્થે નાર આવતા હતા. રાત્રિ વ્યતીત થયા પછી જેમ પ્રભાત થાય છે તેમ શ્રી લઘુરાજ સ્વામીના સંબંઘમાં પણ ચાર વર્ષ ઉપર જેમ ચરોતર તજી દૂર નીકળી જવાના સંયોગો ઊભા થયા હતા તેને બદલે હવે ચરોતરમાં ભક્તિના યુગનો ઉદય થવાનો હોય તેમ અનેક નવા મુમુક્ષુજનો એકત્ર થવા લાગ્યા. ભાઈ રણછોડભાઈને પણ તેમના ઘંઘાના ભાગીદારો હતા તેમની સંમતિથી ભક્તિમાં કાળ ગાળવાનો સારો વખત મળ્યો. તેથી શ્રી લઘુરાજ સ્વામી સાથે જ ઘણો વખત તે રહેતા અને નવા મુમુક્ષમંડળને ભક્તિમાર્ગમાં જોડવામાં તેમણે અથાગ પ્રયત્ન આરંભ્યો. પુરુષના યોગબળના વિસ્તારમાં નિમિત્તભૂત બુદ્ધિબળ, વચનબળ, કાયબળ, ઘનબળ વગેરેની જરૂર હોય છે. તેવી તેવી જોગવાઈ હવે સહજે સહજે સાંપડવા માંડી. એક ભાઈના અત્યંત આગ્રહથી શ્રી લઘુરાજ સ્વામી નારથી સીમરડા પઘાર્યા. ત્યાં થોડા દિવસ રહી કાવિઠા દશ-પંદર દિવસ ટક્યા. ત્યાં રાત-દિવસ ભક્તિ થતી. પછી વર્ષાની મોસમ શરૂ થતાં પાછા નાર પધાર્યા અને ત્યાં શ્રીમદ્ રાજચંદ્ર મંદિરમાં ચાતુર્માસ કર્યું. નારના ઘણા મુમુક્ષુઓ ઉત્સાહવાળા હતા તથા મુંબઈથી ભાઈ મણિભાઈ ઘણી વખત આવતા અને રહી જતા. ભાઈ રણછોડભાઈ, ભાઈ ભાઈલાલભાઈ વલ્લભભાઈ, ભાઈ મણિભાઈ આદિનો એવો વિચાર થયેલો કે પ્રભુશ્રી (લઘુરાજ સ્વામી)ની વૃદ્ધાવસ્થા તથા વ્યાધિગ્રસ્ત સ્થિતિ હોવાથી એક પર્ણકુટી જેવા સ્થાયી મકાનની જરૂર છે. તેને માટે સાધુ-સમાધિ ખાતું ખોલી તેમાં જેને રકમ આપવી હોય Page #72 -------------------------------------------------------------------------- ________________ [૫૭] તે આપે તેવું નક્કી કર્યું. તે જ ચાતુર્માસમાં રૂપિયા પાંચ હજાર જેટલી રકમ નારમાં થઈ હતી. અને કોઈ અનુકૂળ સ્થળે મકાન કરવાનું પણ ભાઈ રણછોડભાઈ સાથે નક્કી થયું હતું. ઘર્મનો ઉદ્યોત થાય તેવી અનુકૂળતા વધારવાની સાથે પ્રભુશ્રીજીનું શરીર વ્યાધિઓથી ઘેરાવા લાગ્યું. તો પણ તે બઘાની દરકાર ર્ક વિના યથાશક્તિ મુમુક્ષુઓમાં ઘર્મપ્રેમની વૃદ્ધિ કેમ થતી રહે તે માટે વિશેષ શ્રમ લેતા હતા. નારમાં ચાર વાર ઉંદર કરડેલો તેનું ઝેર લોહીમાં વ્યાપી ગયેલું અને એ ઝેરી જંતુઓ છેવટ સુધી–સં. ૧૯૯૨માં ડૉ. રતિલાલ અમદાવાદના મુમુક્ષુભાઈ તથા વડોદરાના મુમુક્ષુ ડૉ. પ્રાણલાલ બન્નેએ લોહીની ઘણી વાર તપાસ કરી ત્યારે પણ—લોહીમાં જણાયાં હતાં. અનેક દવાઓ કરવા છતાં, તાવ શરીરમાં ઘર કરીને રહેલો. ચાતુર્માસ પૂરું થયા પછી પૂર્ણિમાની ભક્તિ નાર કરીને ત્યાંથી પ્રભુશ્રીજી તારાપુર સં. ૧૯૭૫માં પધાર્યા. ત્યાં જિનમાં ખંડેર જેવી એક ઓરડી મળી આવી ત્યાં મુકામ કર્યો. નારવાળા ભાઈ શનાભાઈ સેવામાં રહેતા. ત્યાંનું પાણી સારું ન હોવાથી નારના મુમુક્ષુ ભાઈઓ હંમેશા પાણી લઈ સમાગમ-સેવાર્થે તારાપુર આવતા. ત્યાં હંમેશાં “શ્રીમદ્ રાજચંદ્ર' વચનામૃતનું વાંચન થતું. ભાઈ મણિભાઈ પણ સહકુટુંબ માસ દોઢ માસ સમાગમાર્થે તારાપુરમાં રહેલા. આણંદ સ્ટેશન પર તારમાસ્તર તરીકે ભાઈ મગનભાઈ લલુભાઈ હતા, તે પણ દરરોજ ગાડીમાં આવતા. ફાગણ સુદ પૂર્ણિમાએ આજુબાજુનાં ગામોમાંથી તેમ જ વટામણ તરફથી ત્રણસો ભાઈઓ એકત્ર થયા હતા અને ઘણા ઉલ્લાસથી ભક્તિ થઈ હતી. હવાપાણીને કારણે અન્ય ક્ષેત્રે જવાની ઘારણા હતી. તે અરસામાં સીમરડા ગામે પધારવા ભાઈ મોતીભાઈ ભગત તથા બાંઘણીવાળા ભાઈ ભગવાનજીભાઈની આગ્રહભરી વિનંતિ હોવાથી શ્રી લઘુરાજસ્વામીનું સીમરડે પઘારવું થયું અને ત્યાં ઊંટવૈદું થવાથી તેઓશ્રીની શરીર સ્થિતિ ભયંકર થઈ પડેલી તે શ્રી રણછોડભાઈના શ્રી રત્નરાજને પાઠવેલા પત્રથી જણાય છે – “ઉંદરના કરડનો ઉપચાર આંકોલાના ઝાડનું મૂળ બતાવેલું. તે તારાપુર....છ દિવસ વાપર્યું હતું. અત્રે (સીમરડા) આવી તે દવા વાપરવી શરૂ કરી. પાવલીભાર પીતા. અત્રે દરરોજ રૂપિયાભાર... શરૂ કર્યો. પાંચ દિવસ તો દરરોજ ઝાડા ઊલટી થતી તે ખમી શકાય તેવું દેખાયું. છ દિવસે..... જૂના વૃક્ષનાં મૂળ હોવાથી ઘણાં જ ઝેરી તેજદાર હતાં, તેથી ઝાડો ને ઊલટી થઈ પરંતુ જઠરમાં એકદમ ઠંડી પડી જવાથી વાયુ સખત થઈ ગયું અને સઘળી ગરમી લોહીમાં આવી જવાથી લાય લાય થઈ અને સખત વેદનાને કારણે તાવ જે ઘીમો ઘીમો હતો તે ઘણા જોરથી આવ્યો જેથી દેહ છૂટી જવાના સંભવ સુધી વેદનીનું પરિણમવું થયું. અમો બધા ગભરાઈ ગયા. ગામડું ગામ, કોઈ દવા કે વૈદ્ય તેમ કોઈ સલાહકાર હુંશિયાર માણસ પણ પાસે મળે નહીં. જેથી ઘણી ચિંતા થઈ પડી. પરંતુ હરિઇચ્છાએ.... પરમાત્મા પરમકૃપાળુ પ્રભુશ્રીએ જ કહ્યું કે ઘી મને ખવરાવો. જેથી ઘી અમે બીતાં બીતાં ખવરાવ્યું, કારણ તાવ હતો. દવાની ગરમી કંઈક શાંતતાને પામવાના રૂપમાં જણાઈ જેથી ફરી ઘી થોડું પાયું. પરંતુ તે દિવસ તો ભયંકર સ્થિતિમાં પસાર કર્યો. બીજે દિવસે ગળામાં Page #73 -------------------------------------------------------------------------- ________________ [૫૮]. તથા પૂઠે તથા માત્રાએ ઘણી જ સખત ગરમી થવાથી ઘણી વેદના થઈ, પણ સહજ આરામ ઉપર જણાયું... મૂળ હતાં તે પાવાં બંઘ કર્યા. મારું આવવાનું તથા પરમાત્મા પરમકૃપાળુ પ્રભુશ્રીનું પણ તે તરફ પઘારવું મુલતવી રહ્યું છે....” તેના પ્રત્યુત્તરમાં શ્રી રત્નરાજ ભાઈ રણછોડભાઈ આદિને સંતસેવા સંબંધી સૂચના નીચેના પત્રમાં દર્શાવે છે – “..... તેઓ ઓલિયા પુરુષ છે એટલે એમને દેહભાન ન હોય. એઓ તો માત્ર ઉદયાઘન ચેષ્ટાઓ જ જોવારૂપ રમતમાં રમતા હોય, પણ તે અવસરે સમીપવાસી, શિષ્યોનો ઘર્મ છે કે તેઓના શરીર-ઘર્મને સાચવે. એટલા માટે તો શ્રી સત્ સનાતન માર્ગમાં ગુરૂશિષ્યનો નિયોગ ગોઠવાયેલ છે, તે યોગ્ય જ છે. આપ જે સાક્ષાત્ પ્રત્યક્ષ સંજીવની મૂર્તિની સેવાબુદ્ધિએ સેવા સાચવો છો તે અનુમોદનીય–પ્રશંસનીય અને અનુકરણીય છેજ... જે સગુસ્વરૂપના રાગી, તે કહિયે ખરા વૈરાગી; જે સદ્ગસ્વરૂપના ભોગી, તે કહિયે સાચા યોગી. જે સગુચરણ-અનુરાગી, તે કહિયે મહદ્ બડભાગી; જે સદ્ભુચરણથી અળગા, તે થડ છોડી ડાળે વળગ્યા.” કાવિઠા આખા ગામના લોકોનો ઘણો આગ્રહ હોવાથી સીમરડેથી કાવિઠા તેઓશ્રી પઘાર્યા. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના દેહોત્સર્ગની તિથિ નિમિત્તે સં. ૧૯૭૫ ચૈત્ર વદ પાંચમનો મહોત્સવ કાવિઠા થયો હતો તેનું વર્ણન શ્રી રણછોડભાઈએ નારથી શ્રી રત્નરાજને ચૈત્ર વદ સાતમે જણાવ્યું છે - “ચૈત્ર વદ પાંચમ ઉપર મોટો મંડપ બાંધ્યો હતો. જેની અંદર દેરાસરની માફક ચોમુખી માંડવી કરી અંદર પરમકૃપાળુદેવશ્રીજીની સ્થાપના કરી ભક્તિ કરી હતી. નાર, બોરસદ, સુણાવ, ભાદરણ વગેરે સ્થળેથી મુમુક્ષુ ભાઈઓ બહેનો બસો લગભગ પઘાર્યા હતાં. તેમજ મુંબઈથી શ્રી દામજીભાઈ તથા પૂ. મણિલાલભાઈ તથા અમદાવાદથી પવિત્ર પૂ. ભાઈશ્રી પૂજાભાઈ તથા પૂ. કલ્યાણજીભાઈ વગેરે ભાઈઓ પઘારેલા હતા. તેમજ આજુબાજુના ગામનાં તથા કાવિઠા ગામનાં ભાઈઓ-બહેનો મળી લગભગ બે હજાર માણસો ભેગા થયા હતા, અને ઘણી જ ઉત્કૃષ્ટ ભક્તિ થઈ હતી. જેનો ચિતાર હે પ્રભુ ! હું શું લખી શકું?” તેનો પ્રત્યુત્તર શ્રી રત્નરાજ ખૂબ પ્રેરક અને માર્મિક આપે છે : “ભક્તિભાવ ભાદ્રવ નદી સબહી રહી સીરાય; સરિતા સોઈ જાનિકે, જેઠ નીર ઠહરાય.” પ્રભુશ્રીની તબિયત દિવસે દિવસે બગડતી જતી હતી. માટે ઉનાળામાં ગરમી ન લાગે અને નિવૃત્તિ મળે તે હેતુથી ખેતરમાં એકાંત મકાનમાં રહેવાની વ્યવસ્થા કરેલી. આજુબાજુ જુવાર વગેરે પાકને લીધે ઠંડક રહેતી એટલે નર્મદા કાંઠે ગરમીમાં જવાની જરૂર નહોતી. પાણી માફક આવે છે એમ શ્રી રણછોડભાઈ શ્રી રત્નરાજને આગળના પત્રમાં જણાવે છે. બીજા પત્રમાં લખે છે : “બે જણ ઉપાડી ઊભા કરે ત્યારે ઊભું થવાય છે. વળી જઠરા તદ્દન બંઘ થયા જેવું થવાથી ખોરાક પાચન થતો નથી. તાવ આવ્યા કરે છે. શરીર પ્રકૃતિ નરમ નરમ દિન પ્રતિદિન રહ્યા કરે છે.” Page #74 -------------------------------------------------------------------------- ________________ [૫૯] ભાદરવા સુદ ૬ ના પત્રમાં લખે છે : “અત્રે પર્યુષણ પર્વ ઉપર ચારસો મુમુક્ષભાઈબહેનો મુંબઈ, સુરત, બગસરા, સનાવદ, મિયાગામ, ડભોઈ, મંડાળા, નાર, કાવિઠા, સંદેશર, સીમરડા વગેરે ગામનાં સર્વ મળી આઠ દિવસ પરમકૃપાળુ સ્વામીશ્રીજીની છત્રછાયામાં ભક્તિ આનંદ પૂર્ણ ઉલ્લાસે પરમપ્રેમથી થયો છે... આ વખતે પરમાત્મા પરમોપકારી સ્વામીશ્રીજીની પ્રકૃતિ ઘણી જ નરમના કારણે બિલકુલ બોલ્યા સિવાય પઘારતા હતા. પરંતુ હે પ્રભુ! તેમની છાયા એ જ મોક્ષ છે તો પછી ઉપદેશ-વચનામૃત ન હોય તો પણ કેટલો ઉલ્લાસ આવ્યો હશે...” પર્યુષણ સંબંઘીના બીજા પત્રમાં લખાણ છે –“આઠ દિવસ તો શ્રી શ્વેતાંબર પર્યુષણ પર્વ શ્રી સીમરડા ગામમાં બહુ જ ભક્તિભાવથી, રૂડી રીતે, કોઈ કાળે નહીં થયેલ તેવાં શ્રી પરમકૃપાળુ સદ્ગુરુ પરમાત્મા પ્રભુશ્રીજીના પરમ ઉલ્લાસથી કોઈ અપૂર્વ રીતે કે જે વાણીમાં આવી શકે નહીં, તેવી રીતે થયાં છેજી. અને પરમાત્મા પ્રભુશ્રીજીએ ઘણા કાળથી જે ગુપ્ત રીતે–જડભરતની રીતિએ સંગ્રહી રાખેલ માધવનો પરમ પરમ પરમ ઉલ્લાસ આવવાથી ઘણા જીવોને પુરુષના માર્ગની સન્મુખદ્રષ્ટિ દ્રઢત્વ થવાથી પરમ આનંદ થયો છેજ. ...ઘણા જીવોને ભક્તિ પ્રસંગે મૂર્છાઓ આવી ગઈ હતી તેની ખુમારી ઘણા જીવોને હજી સુધી પણ વર્તે છે....” આસો વદ ૧ આત્મસિદ્ધિ દિન અને પ્રભુશ્રીના જન્મદિને પણ તે વર્ષે પર્યુષણ પર્વની જેમ ઉલ્લાસથી બહાર ગામથી આવેલ ચારસોએક મુમુક્ષુજનોએ ભાગ લીધેલો, ભક્તિ મહોત્સવ ચૌદશથી બીજ સુધી ચાર દિવસ ચાલેલો. ૧૫. પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર જયંતીનો મહોત્સવ સં. ૧૯૭૬ કાર્તિક સુદ પૂર્ણિમાથી આઠ દિવસ સુધીનો સંદેશર ગામે ઊજવવાનું નક્કી થયેલું. તે પ્રસંગે શ્રી લઘુરાજ સ્વામી પણ ચાતુર્માસ પૂરું થયે સીમરડાથી સંદેશર પધાર્યા હતા. જે પરમ ઉલ્લાસ ભાવથી તેઓશ્રીની હાજરીમાં ભક્તિ થઈ હતી તેનું વર્ણન ભાઈશ્રી રણછોડભાઈના નામે શ્રી રત્નરાજને લખી મોકલ્યું છે તે નીચે પ્રમાણે છે : “.... મંડપ વિશાળ બાંઘવામાં આવ્યો હતો, જેમાં આશરે ચારેક હજાર માણસો બેસી શકે તેવી વ્યવસ્થા હતી. વચમાં ચોક પાડી આજુબાજુ પ્રદક્ષિણા ફરવા માટે ગેલેરી જેવો ભાગ હતો. તેની ચારે બાજુ આવનાર મનુષ્યોને બેસવાની જગા હર્તા. પટેલ જીજીભાઈના ખેતરમાં મધ્યે; જે મંડપની રચના જોઈ ઘણા જીવ આશ્ચર્ય પામતા. કોગ્રેસના તથા તેવા જ પ્રકારના મંડપ બીજે સ્થળે બંઘાયા હશે તે જે જીવોએ જોયેલા તેઓ પણ આ મંડપ જોઈ ચકિત થઈ જતા અને કહેતા કે લાખ રૂપિયા ખર્ચ તો પણ બનવા સંભવ નહીં. તેવો સરસ મંડપ સત્પષની ભક્તિ-આત્મકલ્યાણ થવા અર્થે પોતાના આત્માની અંતરદાઝથી ભાવ લાવીને કામ કર્યા છે તે હજારો માણસના રોજથી બનાવે છતાં ન બની શકે તેવી રીતે રંગારીના રિટાના વૃષ્ટાંતે–એવા મુમુક્ષુ ભાઈઓ આશરે Page #75 -------------------------------------------------------------------------- ________________ [૬૦] પચાસેકે અગાઉથી આવી અખંડ રાતદિવસ મહેનત લઈ પૂ. છોટાભાઈ વગેરેએ ભક્તિભાવમાં મહેનત લઈ તૈયાર કર્યો હતો... રચના એવી થઈ હતી કે આગળ દેવતાઓ ભગવાનનાં સમોવસરણ રચતા હતા એમ શાસ્ત્રથી જાણ્યું હતું પણ પ્રત્યક્ષ તેવી રચના જોવાનો અવસર સહજ પરમ કૃપાળુ સ્વામીશ્રીજીના યોગબળથી નૈસર્ગિક અવસર પ્રાપ્ત થયો હતો. આત્મા, આત્મા અને આત્મા જ ઝળકી રહ્યો હતો, જ્ઞાની પુરુષની દ્રષ્ટિએ જોવાયો છેજી. વઘુ શું કહીએ, પ્રભુ? મેળાવડામાં માણસો જમણમાં આશરે હજારેક થયું હતું. (બધું પરગામનું જ હતું.) વળી મુમુક્ષુમંડળ માણસ પાંચસો પાંચસો સતત આઠ દિવસ સુધી ભક્તિમાં રહ્યું હતું. તેમાં મુખ્યતાએ મુંબઈથી... ડભોઈથી... સુરતથી.... મંડાળાથી.... માંગરોળથી.... વડાલીથી.... ખંભાતથી.... બોરસદથી... નડિયાદથી....સોજિત્રાથી... વસોથી.... ભાદરણથી.... ઓડથી.... સુણાવથી... બાંધણીથી... વટામણથી.... કાવિઠાથી.... ગોઘાવીથી.... અમદાવાદથી, નરોડાથી, સીમરડાથી, નારથી આદિ આજુબાજુનાં ઘણાં ગામોનાં ભાઈબહેનોએ ભક્તિનો લાભ લીઘો છે. ભક્તિ વખતે આશરે માણસ પાંચેક હજાર ભેગું થતું અને આજુબાજુનાં ગામોની ભગતમંડળીઓ તથા સંદેશરમાંથી મહારાજશ્રી પ્રીતમદાસની મંડળી રાતના આવતી હતી. દિન પ્રત્યે પંચકલ્યાણક, નવપદની તથા ચોસઠ પ્રકારી પૂજામાંથી તથા શ્રી આત્મસિદ્ધિની પૂજા પઢાવવામાં આવેલ હતી. વળી ભક્તિભાવનાં પદો પણ ભણવામાં આવતાં તેથી પરમ આનંદ થયો હતો. રાત્રે બૈરાંઓ પૂર ઉલ્લાસથી માથે દીવાવાળી માટલીઓ લઈ મંડપમાં ગરબા ગાતાં. મંડપમાં ગેસની કિટ્સન લાઈટ હતી જેથી પૂર રોશનીમાં બહુ જ – પરમ ઉલ્લાસથી ભક્તિ-મહોત્સવ ઉજવાયો હતો... બીજું, તીર્થક્ષેત્ર સંદેશરના પૂજ્ય ભાઈશ્રી જીજીભાઈ કુબેરદાસને પરમ ઉલ્લાસ આવવાથી વીઘાં બારનું ખેતર એક ફક્ત સ્વામીશ્રીજીના ઉપયોગ અર્થે આશ્રમ બંઘાવવાના નિમિત્તે અનાયાસે, અપ્રેરકપણે નૈસર્ગિક ભાવથી શ્રી “સ્વામીજી શ્રી લઘુરાજ આશ્રમ” એ નામે અર્પણ કરેલ છે. તે જ વખતે તેઓશ્રીનાં નજીકના કુટુંબી શ્રીમંત ગૃહસ્થ ભાઈઓએ હજાર હજારની રકમો આપી તથા મુંબઈ, નાર, કાવિઠા, મંડાળા વગેરે સ્થળોના ભાઈઓએ મળીને ખરડો આશરે રૂપિયા સત્તર હજારનો તે જ વખતે અર્ધા કલાકમાં કુદરતી રીતે ભરાઈ ગયો હતો. હજુ તે સંબંઘી ચાલુ છે. બીજું આ જે ઉપર બીના જણાવી તેમાં પરમોપકારી સ્વામીશ્રીજીની કાંઈ દ્રષ્ટિ નથી. પણ મુંબઈવાળા તથા સંદેશરવાળાઓની સમજમાં વિચાર હોવાથી જે તેમની ઇચ્છાએ ભક્તિભાવથી કામ કર્યું છે તે આપશ્રીને વિદિત કર્યું છે...” આ સંદેશરમાં થયેલી ભક્તિની છાપ મુમુક્ષુઓ ઉપર કેવી પડેલી તે શબ્દોમાં આવે તેવી નથી, પણ બગસરાના એક મુમુક્ષુભાઈ કલ્યાણજી કુંવરજી તે ભક્તિમાં હાજર હતા તેમણે પોતાને થયેલા લાભનું વર્ણન-અમાપ ઉપકારની સ્મૃતિ અને દીક્ષા માટે વિનંતિરૂપ લંબાણથી લખેલ તેમાંથી થોડો જ ભાગ અત્રે ઉતાર્યો છે. તે એક મુમુક્ષુના ઇતિહાસમાંથી તે સત્પરુષ શ્રી લઘુરાજ Page #76 -------------------------------------------------------------------------- ________________ [૬૧] સ્વામી પ્રત્યે ઘણા મુમુક્ષુઓના હૈયામાં રમતો શરણભાવ તે વખતે કેવો હશે તે પ્રગટ જણાઈ આવે છે : “આ હુંડાવસર્પિણી કાળ દુષમ કહ્યો છે જે પૂર્ણ દુઃખથી ભરપૂર કહેવાય છે. તેવા કાળમાં ચતુર્થકાળ માફક સપુરુષની યોગવાઈ પામવી એ તો મહતું પુણ્યાનુબંધી પુણ્યને લઈને હોય છે. એવા કાળમાં આ મનુષ્યદેહે પરમ કૃપાળુદેવના માર્ગની પ્રાપ્તિ અને આપ કૃપાળુ, પરમ કૃપાળુ, દયાળુ પ્રભુશ્રીજીનો સત્સમાગમ એને માટે વિચાર કરતાં અપૂર્વ શાંતિ ઊપજે છે. આપ પ્રભુ તો કપાના સાગર છો. અને આપશ્રીની કપાવડીએ જે પ્રકારે આત્મસ્વભાવ સમજાયો છે, સમજાય છે અને સમજાશે તે આત્મસ્વભાવનું વર્ણન લખવાની હે પ્રભુ, આ બાળકને હજુ અશક્તિ છે. તેના ચિત્રકાર તો હે પ્રભુઆપ પોતે જ છો... સઘળા દુ:ખમાંથી મુક્ત કરવાને અને આત્મા અર્પણ કરવાને હે પ્રભુ ! આપ પોતે જ સમર્થ છો. મને આપશ્રી સાથેના સંયોગમાં જે જે અનુભવ મળ્યો છે તે અનુભવ પ્રમાણે આપશ્રીમાં જે આત્મશક્તિ પ્રકાશી નીકળેલ જોવામાં આવી છે તેવી બીજે કોઈ સ્થળે મને તો જોવામાં કે જાણવામાં આવી નથી. અને તેથી જ હું મને પોતાને મહદ્ભાગી માનું છું........ અનંત અવ્યાબાધ સુખનું ઘામ બને એ શક્તિ હે પ્રભુશ્રી ! આપનામાં જ જોવામાં આવે છે, તેથી આ દીન બાળકની તેમ થવાની આપ કૃપાળુશ્રી પાસે શુદ્ધ અંતઃકરણથી અને શુદ્ધ ભાવથી યાચના છે. જે પ્રકારની યાચના છે તે પ્રકારનું દાન આપવા આપશ્રી સામર્થ્યવાન છો. માટે એ... આ બાળકને અર્પણ કરવાને હે પ્રભુ ! પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ, એ જ યાચના... મારા સદ્ગુરુદેવ શ્રી શુભમુનિ મહારાજના સ્વમુખેથી આપશ્રીથી અત્યંત લાભનું કારણ થશે એમ જાણ્યું હતું... આ બાળક પોતાની સમજણ પ્રમાણે સન્મુખ વર્તુ છું એમ માનતો હતો પણ તે બધી સમજણ ફેર હતી અને વિમુખ વર્તન હતું. તેને સન્મુખ વર્તનમાં લાવવા માટે આપશ્રીએ અથાગ પરિશ્રમ લીઘેલ છેજ. કોઈ વખત નરમાશથી, કોઈ વખત ઘીરજથી, કોઈ વખત સરળતાથી, કોઈ વખત શાંતિથી, કોઈ વખત જુસ્સાથી. એમ જે જે વખતે આપશ્રીને યોગ્ય લાગ્યું તે તે અવસરે તેવા પ્રકારનું વિર્યબળ ફોરવીને આ બાળકને ઠેકાણે લાવવામાં અનુકંપા કરી... આ બાળકનું શ્રેય કરવામાં કચાશ રાખી નથી...” તેમના જેટલા કે તેથી વઘારે કે ઓછા સમાગમમાં આવેલા મુમુક્ષુઓનાં અંતરની ઉન્નતિ કંઈક તેવા જ પ્રકારે તે પુરુષના પ્રભાવથી થયાં જતી તેની સાક્ષી સમાગમમાં આવેલા મુમુક્ષુઓનાં અંતઃકરણ પૂરી રહ્યાં છે. માત્ર આ એક દ્રષ્ટાંતરૂપે તેમણે સહેજે નિમિત્તવશાત્ જે લાગણી સપુરુષ સમક્ષ પ્રગટ કરી છે તે વાચકને પુરુષના પ્રભાવની કંઈક છાયા સમજાય તે અર્થે લખી છે. બાકી “ગુપ્ત ચમત્કારો સૃષ્ટિના લક્ષમાં નથી”, “સપુરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરો” આવાં વાક્યો શ્રીમદ્ રાજચંદ્ર લખ્યાં છે તે શ્રીમદ્ લઘુરાજ સ્વામીના સમાગમમાં આવેલા ઘણાખરા મુમુક્ષુઓને સહજ હૃદયગત થતાં. પ્રબળ પુણ્યના સ્વાભાવિક ઉદયે અનેક જીવોને અનેક પ્રકારે તેમનું માહાભ્ય ભાસવાનાં નિમિત્ત બની આવતાં. Page #77 -------------------------------------------------------------------------- ________________ [૬૨] *૧૬ શ્રીમદ્ લઘુરાજ સ્વામીનો પરમાર્થ પુણ્યોદય હવે કંઈક અધિક પ્રકાશવા લાગ્યો. પરમકૃપાળુદેવે તેમને કહેલું કે “મુનિ, દુષમકાળ છે માટે જડભરત જેવા થઈને વિચરજો; રિદ્ધિસિદ્ધિ પ્રગટશે તેને ઓળંગી જજો. આ કાળના જીવો પાકા ચીભડા જેવા છે, કડકાઈ સહન કરી શકે તેવા નથી. માટે લઘુતા ધારણ કરી કલ્યાણમૂર્તિ બનશો તો ઘણા જીવોનું કલ્યાણ તમારા દ્વારા થશે.’’ આ શિક્ષા અંતરમાં એકલક્ષે અવધારતા, અંતરમાં પ્રગટ જ્ઞાનદશા છતાં તે દશા કોઈના જાણવામાં આવે નહીં તેમ જડભરતવત્ આજ સુધી તે વિચરતા હતા. પરંતુ હવે નાર, તારાપુર, સીમરડા, કાવિઠા આદિ અનેક સ્થળોએ અપૂર્વ ભક્તિરસની રેલમછેલ કરતા, વિહાર કરતા કરતા, જ્ઞાન વૈરાગ્ય આદિ અદ્ભુત આત્મદશાથી અનેકાનેક ભવ્ય જનોને સદ્ધર્મનો રંગ ચડાવતા તેઓશ્રી, જે પ્રીતમદાસના કક્કાનું પદ હૃદયમાં ઘારણ કરવા તેમને શ્રીમદ્ભુજીએ પચ્ચીસેક વર્ષ પહેલાં કહેલું તે જ પ્રીતમની નિવાસભૂમિ સંદેશર નજીક અગાસ સ્ટેશન પાસે જાણે કે કોઈ દૈવી સંકેતે શ્રીમદ્ભુના એક પરમ જ્ઞાનભક્ત તરીકે પોતે અલ્પકાળમાં પૂર વેગમાં પ્રકાશમાં આવ્યા. “મહાત્માનો દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છે. પ્રારબ્ધ કર્મ ભોગવવાને અર્થે, જીવોના કલ્યાણને અર્થે; તથાપિ એ બન્નેમાં તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વર્તે છે.'' તદનુસાર હવે મુમુક્ષુઓની પરમાર્થપિપાસા પ્રગટેલી જોતાં તેમને તે અદ્ભુત જ્ઞાન અને ભક્તિરસનું પાન કરાવવા લાગ્યા. અને સ્વપરહિતમાં સદાય તત્પર રહી પરમ કૃપાળુદેવ પ્રબોધિત શ્રી સનાતન જિન વીતરાગ માર્ગની પ્રભાવનામાં પ્રગટ રીતે પ્રવર્તવા લાગ્યા. અપૂર્વ આત્માનંદને આસ્વાદતા, આત્મજ્ઞાનદશાથી અવધૂવત્ વિચરતા, વૈરાગ્ય અને ભક્તિની સાક્ષાત્ મૂર્તિ સમાન, ભવ્ય જનોના ઉદ્ધાર માટે નિરંતર નિષ્કામકરુણા વરસાવતા એવા આ પરોપકારશીલ સંતશિરોમણિ મહાત્માનાં દર્શન, સમાગમ, બોધને ઇચ્છતા અનેકાનેક ભવ્યજનો તેમની સમીપતા પામી આત્મશ્રેય સાધવાની ઉત્કંઠાવાળા જણાવા લાગ્યા. આ સંસાર દુઃખદાવાનલમાં નિરંતર બળતા જીવોને એક શાંત રસમય આત્મ-ઉપદેશરૂપ અમૃતવૃષ્ટિથી શાંત શીતલ કરી દે તેવા આ મહાત્માની અદ્ભુત જ્ઞાનદશા અને પ્રતિભાશાળી વ્યક્તિપ્રભાવથી આકર્ષાઈને તેમના સાન્નિધ્યમાં આત્મશ્રેય સાધવા તત્પર થયેલા અનેક મુમુક્ષુઓ એમ ઇચ્છવા લાગ્યા કે હવે આ મહાત્મા કોઈ એક સ્થાને સ્થિરતા કરી રહે અને તે કારણે આશ્રમ જેવું કોઈ સત્સંગઘામ બને તો હજારો ધર્મેચ્છક જીવોને ઇચ્છિત શ્રેયનો લાભ મળે. સર્વની આવી ઉત્કટ ઇચ્છામાંથી અગાસ સ્ટેશન પાસેના આ આશ્રમનો ઉદ્ભવ થયો. પરિષહ ઉપસર્ગ કાળમાં શ્રીમદ્નો બોધ સમશ્રેણિએ અંતર્ગત કરવા મુખ્યત્વે વગડાઓમાં વિહાર + પંદર ખંડ સુધીનું લખાણ પૂ.શ્રી બ્રહ્મચારીજી લિખિત ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજીના જીવનચરિત્રની યત્કિંચિત્ સંક્ષિપ્ત ગૂંથણીરૂપ છે. તેમનું અધૂરું રહેલું તે કાર્ય આ સોળમા ખંડથી શ્રી રાવજીભાઈ દેસાઈએ આદરથી આરંભી સમાપ્ત કર્યું છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ [૬૩] કરતા હોઈ તેમણે વગડાઉ મુનિનું બિરુદ ઉપાર્જન કરેલું. એવા તે હવે આશ્રમના અધિષ્ઠાતા તરીકે પ્રકાશમાં આવ્યા અને ચરોતરમાં વગડાઉ અસંગ અધ્યાત્મ વાતાવરણ ઊભું કરી તેમાં તેમણે પ્રાણ પૂર્યા. દૂધ ઉપર તરી આવતી મલાઈની જેમ ચરોતરનો આ પ્રાણવાન આશ્રમ એમના ઉત્તરજીવનના મધુર મિષ્ટ આમ્રફળરૂપ બન્યો. શ્રી લઘુરાજ સ્વામીની છત્રછાયા નીચે આ આશ્રમની ઉત્પત્તિ થઈ તેથી ભક્તજનોએ શરૂઆતમાં આશ્રમનું નામ શ્રી લઘુરાજ આશ્રમ રાખ્યું, પરંતુ પોતાનું નામ, સ્થાપના કે ચિત્રપટ સરખું પણ નહીં રાખવાની ઇચ્છાવાળા કેવળ નિઃસ્પૃહ અને પરમ ગુરુભક્ત મહર્ષિ શ્રી લઘુરાજ સ્વામીએ એમ સૂચવ્યું કે પોતાનું સહજ પરમાત્મસ્વરૂપ ભજતાં શ્રીમદ્ રાજચંદ્રથી પરમાર્થથી જે કોઈ મુમુક્ષુનું કે જનસમુદાયનું કલ્યાણ થયું છે તેનો બદલો કોઈ રીતે વળી શકે તેમ નથી. તે કલ્યાણનું સ્વરૂપ સહજમાં લક્ષમાં પણ આવે તેમ નથી. ગુરુગમે તે ક્ષેત્રમાં પ્રવેશ કર્યો કાળે કરીને સમજાય તેવા કલ્યાણના યત્કિંચિત્ સ્મરણ પ્રત્યુપકાર દાખવવા રૂપે શ્રીમદ્જીના સ્થૂલકીર્તિસ્તંભનું નામ શ્રી સનાતન જૈન ધર્મ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ રાખવું. તેથી તે પ્રમાણે તેમની ઇચ્છાનુસાર આ આશ્રમનું નામ રાખવામાં આવ્યું. આ આશ્રમ ઘીમે ઘીમે વધતાં વધતાં એક નાના ગોકુળિયા ગામ સમું બની રહ્યું. આ નાના, મોટા, રંક, રાજા, સારા, ખોટા, સ્ત્રી, પુરુષ, વૃદ્ધ, યુવાન, એ આદિ પર્યાયસૃષ્ટિથી નહીં જોતાં શ્રી લઘુરાજ સ્વામી એક આત્મદૃષ્ટિથી સર્વમાં આત્મા, પ્રભુ જોતા. તેમજ સર્વને પ્રભુ કહીને સંબોધતા, તેમજ તેમનામાં આત્મ-ઐશ્વર્યરૂપ પ્રભુતા અદ્ભુત રીતે પ્રકાશી રહી હતી તેથી સૌ કોઈ તેમને ‘પ્રભુશ્રી’ કહીને સંબોધવા લાગ્યા. ૧૭ સં. ૧૯૭૬નું ચોમાસું પ્રભુશ્રીએ સનાવદ શ્રી સોમચંદ કલ્યાણજીને ત્યાં કર્યું. ત્યાર પછી સં. ૧૯૭૭, ૧૯૭૮ અને ૧૯૭૯ નાં ત્રણેય ચોમાસાં આશ્રમમાં કર્યાં. સં. ૧૯૮૦ માં યાત્રાર્થે સમેતશિખર ગયા. ત્યાંથી પાછા ફરી તે ચોમાસું પૂનામાં શેઠ શ્રી માણેકજી વર્ધમાનને ત્યાં કર્યું. પ્રભુશ્રીના પરમપ્રેમી, તનમનધનથી સર્વ પ્રકારે સેવા કરનાર અને આશ્રમની સ્થાપનામાં મુખ્ય કાર્યકર્તા તથા આશ્રમના ઉત્કર્ષ અને વ્યવસ્થામાં પોતાની સર્વ શક્તિનો ભોગ આપનાર, પરમ કૃપાળુદેવના ઉપાસક તેમજ ઘણા મુમુક્ષુઓને પ્રભુશ્રીનું માહાત્મ્ય દર્શાવી પ્રભુશ્રી પ્રત્યે વાળનાર નારના શ્રી રણછોડભાઈનો પુરુષાર્થ પ્રબળ હતો. સંતકૃપાથી તેમનો ક્ષયોપશમ, સમજાવવાની શક્તિ તથા પ્રભાવ એવાં અજબ હતાં કે સૌ કોઈ તેમનાં વચનોથી આકર્ષાઈ મુગ્ધ બની જઈ પ્રભુશ્રીનાં ચરણો પ્રત્યે ઢળી પડતા. પરંતુ આનું પરિણામ એમ આવ્યું કે પરમાર્થ માર્ગના અજાણ એવા બાળાભોળા જીવો પોતપોતાના કુળસંપ્રદાયને છોડીને આ માર્ગ સાચો લાગતાં તેને વળગ્યા તો ખરા; પરંતુ જ્ઞાનીની ઓળખાણ બાબત અજ્ઞાત હોવાથી પોતાના સંપ્રદાયોના રહ્યાસહ્યા કંઈ પણ સંસ્કારવશાત્ અથવા દેખાદેખી સૌ શ્રી રણછોડભાઈને પણ પ્રભુશ્રી જેવા જ ઉપકારી, જ્ઞાની માની તેમનો પણ જ્ઞાનીના જેવો જ વિનય કરવા લાગ્યા. Page #79 -------------------------------------------------------------------------- ________________ [૬૪] મહા પુરુષોની ઉદાત્તતાની ઝાંખી કરાવતી એવી ઘટનાઓ તેઓના જીવનમાં બને છે ત્યારે સામાન્ય જનસમુદાયને તેમના નિઃસ્પૃહ વ્યક્તિત્વની કંઈક પિછાન થાય છે. સં.૧૯૮૦ ના પર્યુષણમાં પૂનામાં કેટલાક ભાઈઓએ શ્રી મોહનભાઈને (પ્રભુશ્રીજીના પુત્રને) બોલાવી પ્રભુશ્રીની ગેરહાજરીમાં તેમની ગાદી ઉપર બેસવાનું કહ્યું પણ તેમણે ના પાડી. એટલે તેમણે તેમને પરાણે ખેંચીને બેસાડ્યા અને મંગલાચરણ કરી ભક્તિ કરી. તે વાત પ્રભુશ્રીએ જાણી એટલે બીજે દિવસે તેમનો પુણ્યપ્રકોપ પ્રકાશી ઊઠ્યો :– “આ તે શું કહેવાય ? શું સ્વામીનારાયણની ગોડે સંસારીને ગાદી ઉપર બેસાડી તેને સંન્યાસી નમે એવો માર્ગ ચલાવવો છે ? માર્ગ આવો હશે ? અનંત સંસાર રઝળવાનું કારણ આવું ક્યાંથી સૂઝ્યું ? તમારામાંથી પણ કોઈ ન બોલ્યું ? એ ગાદી ઉપર પગ કેમ મેલાય ? અમે પણ નમસ્કાર કરીને એની આજ્ઞાએ બેસીએ, ત્યાં આમ સ્વચ્છંદ કરીને આમ કરવું ઘટે ?.... તેને પરાણે દાબીને બેસાડ્યો એમાં એનો શો વાંક ? પણ કોઈને ના સૂઝ્યું કે આમ તે થાય ?'' બીજે દિવસે સ્તવનમાં જ્યારે “ધન્ય તે નગરી, ધન્ય વેળા ઘડી, માતપિતા કુલવંશ જિનેસર.'' એમ ગવાયું ત્યારે ફરીથી તે પ્રસંગને લક્ષીને કહ્યું :– “એમાં શો મર્મ રહ્યો છે ? લૌકિક વાતમાં એ કડી સમજવાની છે કે અલૌકિક રીતે ? કુલવંશ અને એ સગાઈ બધી તે શું આ શરીરની એમ તો આખો સંસાર કરી જ રહ્યો છે. એ તો સમકિત સાથેની સગાઈની વાત; અને સમકિતથી પ્રગટેલા ગુણ તે વંશ. જુઓ, પેઢી ખોળી કાઢી ! પ્રભુ, એ તો એનું યોગબળ છે તે એ જગાનો દેવ જાગશે ત્યારે થશે.... અમે તો અજ્ઞાતપણે (છૂપા) જડભરત પેઠે વિચરતા હતા. તેમાં આણે (રણછોડભાઈએ) પેણું ફોડ્યું (પ્રસિદ્ધિમાં આણ્યા). એવા કાળમાં કંઈક એની સેવાભક્તિને લીધે સંતની આંતરડી ઠરી. તેની દુવાને લીધે આ જે કંઈ છે તે; પણ આ કાળમાં જીવવું મુશ્કેલ છે.... જ્ઞાન તો અપૂર્વ વસ્તુ છે. (પરમકૃપાળુદેવના ચિત્રપટ તરફ આંગળી કરી) એને શરણે અમે તો બેઠા છીએ... નિષ્પક્ષપાતપણે એક આત્મહિતની ખાતર અમે એક વાત જણાવવા ઇચ્છીએ છીએ. તેમાં નથી અમારો સ્વાર્થ કે નથી કોઈને અવળો રસ્તો બતાવવો કે નથી પૂજા-સત્કાર સ્વીકારવાની વાત. બધા સંઘની સાક્ષીએ વાત કહીએ છીએ. જે ભરી સભામાં સંઘ આગળ જૂઠું કે છેતરવાને બોલે તેનું શાસ્ત્રમાં મહા પાપ વર્ણવ્યું છે. તેવા બોબડા જન્મે છે; વાચા બંધ થઈ જાય, મૂઢ પણ થાય. અમે જે કહીએ છીએ તેના ઉપર જેને વિશ્વાસ હોય તે જ ઊભા થાય. બીજા ભલે પોતાની જગાએ રહે. પણ અમે કહીએ તેમ કરવું હોય તો ઊભા થઈ કૃપાળુદેવના ચિત્રપટ આગળ હાથ મૂકે અને કહે કે સંતના કહેવાથી મારે કૃપાળુદેવની આજ્ઞા માન્ય છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ [૬૫] અમને તો ભલા એમ થયું કે જે વચન અમને આત્મહિતનું કારણ થયું તે વચન બીજા પણ સાંભળે, શ્રદ્ધે તો કલ્યાણ થાય. તેથી તેની આજ્ઞા “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” જે અમારી પાસે આવ્યા તેમને કૃપાળુની દ્રષ્ટિએ કહી સંભળાવી. પણ અણસમજણે કોઈક તો પોપટલાલને, કોઈક રત્નરાજને, કોઈક રણછોડભાઈને અને અમને દેહદ્રષ્ટિએ વળગી પડ્યા. ઝેર પીઓ છો ઝેર, મરી જશો. ન હોય એ રસ્તો. જ્ઞાની તો જે છે તે છે. એની દ્રષ્ટિએ ઊભા રહો તો તરવાનો કંઈક આરો છે. અમને માનવા હોય તો માનો, ન માનવા હોય તો ન માનો; પણ જેમ છે તેમ કહી દેવું છે. અમે તો ધાર્યું હતું કે હમણાં જ ચાલે છે તે છો ચાલે. વખત આવ્યે બધું ફેરવી નાખીશું. કંઈ અમને ફૂલહાર, પૂજા-સત્કાર એ ગમતાં હશે? પણ ન ગમતા ઘૂંટડા જાણીને ઉતારી જતા. હવે તો છુપાવ્યા વગર ખુલ્લું કહી દઈએ છીએ કે પૂજાભક્તિ કરવા લાયક એ કૃપાળુદેવ. હા, ભલે ઉપકારીનો ઉપકાર ન ભૂલવો. કોઈ મેળાપી મિત્રની પેઠે તેની છબી હોય તો વાંઘો નથી. પણ પૂજા તે એ ચિત્રપટની થાય. ઠીક થયું, નહીં તો કૃપાળુદેવની સાથે આ દેહની મૂર્તિ પણ દેરાસર થાત ત્યારે મૂકી દેત. એવું કરવાનું નથી. બારમા ગુણઠાણા સુધી સાઘક, સાઘક અને સાધક જ રહેવાનું કહ્યું છે. આડુંઅવળું જોયું તો મરી ગયા જાણજો. હવે એકે એકે અહીં આવી કૃપાળુદેવના ચિત્રપટની પાટ ઉપર હાથ મૂકી, “સંતના કહેવાથી કૃપાળુદેવની આજ્ઞા માટે માન્ય છે” એમ જેની ઇચ્છા હોય તે કહી જાય. પછી બઘા વારાફરતી ઊઠી ચિત્રપટ આગળ પ્રભુશ્રીના કહ્યા પ્રમાણે કહીને પ્રભુશ્રીને નમસ્કાર કરીને પાછા બેઠા. કેટલાક નવીન જીવો પણ ત્યાં હતા તેમને જોઈને પ્રસન્ન વદને પ્રભુશ્રી બોલ્યા : આ ભદ્રિક નવા જીવો પણ ભેગા ભેગા લાભ પામી ગયા. કોણ જાણતું હતું ? ક્યાંથી આવી ચઢ્યા ! ટકી રહે તો કામ કાઢી નાંખે. અમે આ કહ્યું છે તે માર્ગ ખોટો હોય તો તેના અમે જામીનદાર છીએ. પણ જે કોઈ સ્વચ્છેદે વર્તશે અને આમ નહીં, આમ કરી દૃષ્ટિફેર કરશે તેના અમે જવાબદાર નથી. જવાબદારી લેવી સહેલી નથી. પણ એ માર્ગમાં ભૂલ નથી. જે કોઈ કૃપાળુ દેવને માનશે તેને કંઈ નહીં તો દેવગતિ તો છે જ.” એમ પર્યુષણમાં આઠેય દિવસ સુધી પ્રભુશ્રીએ સતત એકઘારા પ્રવાહથી પ્રબળ બોઘદ્વારા મુમુક્ષુઓની શ્રદ્ધા, પકડ એક પરમ કૃપાળુદેવ ઉપર દૃઢ કરાવવા અથાગ પરિશ્રમ લીઘો અને ત્યાર પછી પણ એક એ જ શ્રદ્ધા દ્રઢ કરવા તેમણે નિરંતર સતત બોઘ આપી જીવન પર્યંત અથાગ પરિશ્રમ લીઘો. જે જીવો એ બોઘને પોતાના આત્મામાં સ્થિર કરશે તે નિકટભવી તેમની આજ્ઞાના આરાઘક થઈ ભવનો અંત કરશે, એમાં સંશય નથી. પરંતુ પોતાની મતિએ તેથી અન્યથા કરશે તો અનાદિના પરમાર્થમાર્ગના વિરાઘક તો ચાલ્યા જ આવે છે. તેમાં કોઈ મહાન ભાગ્યોદયે સાચી વાત કહેનાર જ્ઞાનીનો યોગ મળ્યો ત્યાં પણ તેમના બોઘરહસ્યને ગૌણ કરી, પોતાની મતિને પ્રઘાન કરી ચાલે તો તે જ્ઞાનીની આજ્ઞાના વિરાઘક બનતાં અનંત સંસાર વઘારી દે તો જ્ઞાનીની દ્રષ્ટિમાં તે દયાપાત્ર જ ગણવા યોગ્ય છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ [૬૬] ૧૮ દક્ષિણમાં શ્રી બાહુબલિજી આદિ સ્થળોએ યાત્રા કરી ત્યાંથી શ્રી હીરાલાલ ઝવેરીની ભાવનાથી તેમની સાથે તેમને ત્યાં પેથાપુરમાં બે માસ રહી ત્યાંથી સં. ૧૯૮૧ ના ફાગણ વદમાં પ્રભુશ્રી અમદાવાદ આવ્યા. નડિયાદના મુમુક્ષુઓમાંથી કોઈને તે વખતે ખબર ન હતી કે પ્રભુશ્રી હાલ ક્યાં છે ? પરંતુ પ્રભુશ્રીનો અંતરજ્ઞાનપ્રકાશ કોઈ અભુત હતો. તે દ્વારા તેમણે જોયું કે નડિયાદના એક મુમુક્ષુભાઈ ડાહ્યાભાઈ દેસાઈનો અંતસમય નજીક છે. તે મુમુક્ષુભાઈએ પહેલાં આશ્રમમાં પ્રભુશ્રી પાસે વિનંતિપૂર્વક માગણી કરી જણાવ્યું હતું કે પ્રભુ, મારા અંત સમયે મારી ખબર લેજો. મને આપનો જ આશરો છે. અત્યારે તેમનો અંતસમય નજીક જાણી પ્રભુશ્રી શેઠશ્રી જેસંગભાઈ સાથે એકાએક સવારમાં નડિયાદ શ્રી નાથાભાઈ અવિચળભાઈ દેસાઈને ત્યાં પધાર્યા. તેમણે પ્રભુશ્રીની ઘણા ઉલ્લાસભાવે ભક્તિભાવના કરી. ત્યાં બીજા મુમુક્ષુઓ પણ એકત્ર થઈ ગયા. તેમને ઘર્મબોઘ આપી ત્યાંથી તેઓશ્રી શ્રી ડાહ્યાભાઈના ઘર તરફ ચાલ્યા. બધા મુમુક્ષુઓ પણ પાછળ પાછળ ચાલ્યા. પ્રભુશ્રી જ્યારે શ્રી ડાહ્યાભાઈને ત્યાં આવી પહોંચ્યા ત્યારે જ બધાને ખબર પડી કે આ મહાભાગ્ય મુમુક્ષને અંતસમયે સમાધિમરણ સન્મુખ કરાવવા જ તેઓશ્રી એકાએક અહીં પધાર્યા છે. જ્યારે પ્રભુશ્રી શ્રી ડાહ્યાભાઈની મરણપથારી પાસે પધાર્યા ત્યારે શ્રી ડાહ્યાભાઈ બહારથી કંઈક બેભાનવત્ જણાતા હતા. પરંતુ અંતરમાં તેમને પરમકૃપાળુદેવનું જ રટણ હતું. પ્રભુશ્રીએ પાસે આવી “સહજાન્મસ્વરૂપ પરમગુરુ” એમ બે ત્રણ વાર મોટેથી મંત્ર સંભળાવી અમીમય દ્રષ્ટિ નાખી. ત્યાં તો તે ભાનમાં આવી પથારીમાં બેઠા થઈ ગયા અને પ્રભુશ્રીને જોતાં જ આનંદમાં ઉલ્લાસમાં રોગની વેદનાને વીસરી ગયા. બે હાથ જોડી, મસ્તક નમાવી અંતસમયે દર્શન દેવા બદલ આભારની ભાવના દર્શાવી પાછા સૂઈ જઈ પ્રભુશ્રીનાં બોધવચનો શ્રવણ કરવામાં ઉલ્લાસથી એકાગ્રતાપૂર્વક લીન થઈ ગયા. ત્યાં પ્રભુશ્રીએ દેહાધ્યાસ છૂટી આત્મસ્વરૂપમાં વૃત્તિ તલ્લીન થાય તેવો સુંદર બોઘ એકાદ કલાક સુઘી એવી સચોટ રીતે કર્યો કે તે પાવન આત્મા ઉત્તરોત્તર શાંત દશા પામી આનંદ અને ઉલ્લાસસહિત અંતરમગ્ન થતો ગયો. આ પ્રમાણે તેમને અપૂર્વ જાગૃતિ આપી સમાધિમરણરૂપ અપૂર્વ આત્મશ્રેય સન્મુખ કરી તેઓશ્રી બહાર નીકળ્યા. શેઠશ્રી જેસંગભાઈ સાથે તેઓ ત્યાંથી તરત જ નરોડા જવા વિદાય થઈ ગયા. ત્યાર પછી તરત જ શ્રી ડાહ્યાભાઈ સમાધિપૂર્વક દેહત્યાગ કરી ગયા. ‘પર પછારાય સતાં વિમૂતય:' જાણે આ સૂક્તિને ચરિતાર્થ કરવા જ ન હોય તેમ આ સંતપુરુષ આહારપાણીની કંઈ પરવા કર્યા વગર નડિયાદથી રવાના થઈ બપોરના એક વાગ્યાને સુમારે નરોડા આવી પહોંચ્યા. તેમના દિવ્યજ્ઞાનમાં હજુ બીજા કોઈનું મરણ સુધારવાનું છે એમ પ્રગટ જણાઈ રહ્યું હતું. તેથી તે નરોડામાં આવી Page #82 -------------------------------------------------------------------------- ________________ [૬૭] તરત જ એક મુમુક્ષુ બાઈ મરણપથારીએ હતી તેની પાસે ગયા. તેને પણ દેહ અને આત્માના ભિન્નપણા વિષે અદ્ભુત બોધ આપી સમતા, ઘીરજ, સહનશીલતાપૂર્વક શાંત ભાવે અંતરમગ્ન થવામાં ઉત્સાહ પ્રેરી, અપૂર્વ જાગૃતિમાં આણી સમાધિમરણ-સન્મુખ કરી પોતે ત્યાંથી બહાર નીકળ્યા. ત્યાર પછી થોડા વખતમાં તે બાઈનો દેહ છૂટી ગયો. આમ બન્ને આત્માઓનાં મરણ સુધારી પ્રભુશ્રી તે દિવસે નરોડામાં રોકાઈ બીજે દિવસે અમદાવાદ આવ્યા. થોડા દિવસ ત્યાં રહી ચૈત્ર માસમાં તેઓશ્રી આશ્રમમાં પધાર્યા. ૧૯ સં. ૧૯૮૧નું આ ચોમાસું તેમ જ ત્યાર પછીનાં સં. ૧૯૯૧ સુધીનાં તેઓશ્રીનાં બધાં અગિયારે ય ચોમાસાં આશ્રમમાં જ થયાં. આ પહેલાંના સં. ૧૯૭૭-૭૮-૭૯નાં ત્રણ મળી તેઓશ્રીનાં કુલ ચૌદ ચોમાસાં આશ્રમમાં થયાં. હવે પ્રભુશ્રીનું આશ્રમમાં જેમ જેમ વધારે રહેવાનું થતું ગયું તેમ તેમ તેઓશ્રીનાં દર્શનનો, સમાગમનો, સદ્બોધનો લાભ જેમ બને તેમ વધારે મળે તે ઇચ્છાએ આવનાર જિજ્ઞાસુઓની સંખ્યા પણ વધવા લાગી. અને હજારો મુમુક્ષુઓ તેમના બોથથી રંગાઈને શ્રીમદ્ભુના બોધવચનોમાં રસ લેનારા શ્રીમદ્જીના અનુયાયીઓ બન્યા. તેઓમાં પ્રભુશ્રીના જ્વલંત બોઘના પ્રતાપે અનેરો ઉત્સાહ અને સનાતન સદ્ઘર્મભાવના જાગૃત થયાં. મહાપુરુષના જીવનની મહાનદની જેમ એવી તો વિશાળતા અને ભવ્યતા છે કે તેમાં અનેક પુણ્યાત્માઓની જીવનસરિતા ઓતપ્રોત થઈ ‘વસુધૈવ દુશ્ર્વમ્’ ની વિશાળ ભાવના તથા આત્મસ્થ દ્રષ્ટાભાવનું ગાંભીર્ય અને સામર્થ્યને પામી વિશાળ જનસમુદાયને આત્મોન્નતિકારક નીવડી મહાસાગરસમા પરમાત્મપદમાં આત્મવિલીનતા કરી કૃતાર્થતાને પામે છે. એવો યોગ અને એવો પ્રસંગ પ્રાપ્ત થવો તે વિરલ ઘટના છે. સં. ૧૯૭૭ની કાળી ચૌદશે બાંધણી ગામના શ્રી ગોવર્ધનદાસ કાળીદાસ પટેલના (શ્રી બ્રહ્મચારીજીના) જીવનમાં એવી એક મંગલ ઘટના બની. ગ્રેજ્યુએટ થઈ લગભગ દસેક વર્ષથી તેઓ ચરોતર એજ્યુકેશન સોસાયટીમાં સ્વયંસેવક તરીકે જોડાઈ આણંદના દા. ન. વિનયમંદિરના આચાર્યપદ સુધી પહોંચ્યા. પરંતુ એમનું જીવન આત્મલક્ષી હોઈ તેમને પોતાના આચારને આદર્શરૂપ બનાવવાની ઝંખના જાગી અને જ્યાં સુઘી તે સિદ્ધ ન થાય ત્યાં સુધી આચાર્ય ગણાવું તે તેમને આત્મવંચનારૂપ લાગતું. જેથી આચાર્યપદ તેમને ખૂબ સાલતું. દીપોત્સવીની રજાઓમાં તેઓ પોતાને વતન બાંધણી આવ્યા હતા. ત્યાં તેમના સ્નેહી શ્રી ભગવાનભાઈ દ્વારા પરમકૃપાળુદેવ તથા પ્રભુશ્રી સંબંધી જાણવા મળ્યું એટલે અગાસ આશ્રમમાં આવવાની ઉત્કંઠા જાગી. કાળી ચૌદશની વહેલી સવારે તેઓ બન્ને આશ્રમમાં આવ્યા. ત્યારે પ્રભુશ્રી ૨ાયણ નીચે બિરાજેલા અને ‘મૂળ માર્ગ'નું પદ બોલાતું હતું. પ્રભુશ્રીના દર્શનથી જ Page #83 -------------------------------------------------------------------------- ________________ [૬૮] તેમને અપૂર્વ અંતરશાંતિ થઈ અને સ્વાભાવિક ભાવના ઊઠી કે આવા પુરુષની સેવામાં રહેવાય તો જીવન કૃતાર્થ થાય. પ્રભુશ્રીજીએ “મૂળમાર્ગનું ગૂઢ રહસ્ય તેમને સમજાવ્યું. અને ‘ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંઘ'નો અર્થ તેમને પૂછી પોતે સ્પષ્ટ સમજાવ્યો. અને અપૂર્વ વાત્સલ્યથી તેમને મંત્રદીક્ષા આપી. એમના ગયા પછી પ્રભુશ્રીજીએ તેમની સેવામાં રહેતા એક ભાઈને જણાવ્યું કે “આવું સ્મરણ (મંત્ર) હજી સુધી અમે કોઈનેય આપ્યું નથી. કાળી ચૌદશ જેવા સિદ્ધિયોગદિને આવા મહાપુરુષના હાથે મંત્રદીક્ષા મળે તે કેવી અપૂર્વ ઘટના ! - જ્ઞાની પુરુષોની પ્રેરણાશક્તિ અતિ ગહન રીતે કામ કરે છે. એમની વાણી એવી પ્રબળ હોય છે કે તે સત્પાત્ર વ્યક્તિના જીવનને એકાદ શબ્દ કે વાક્યથી પલટાવી નાખે છે. તે પ્રમાણે શ્રી બ્રહ્મચારીજીને “ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંઘ' સંબંધી પ્રભુશ્રીએ જે ઉપદેશ કરેલો તેની એમના ઉપર એવી તો છાપ પડી કે ત્યારથી એમને સ્વજનાદિના પ્રતિબંધને ટાળી પ્રભુશ્રીજીની સેવામાં રહી તેમની આજ્ઞામાં જીવન ગાળવાની તીવ્ર ભાવના જાગી. તે માટે તેમણે પોતાના મોટા ભાઈને જે પત્ર લખ્યો છે તેમાં આજ્ઞાની તીવ્ર પિપાસા કેવી જાગેલી અને પ્રતિબંઘને ટાળવાની કેવી અદમ્ય ઇચ્છા તેમને અંતરમાં વર્તતી તે નીચેનાં અવતરણો ઉપરથી જણાઈ આવે છે – હું...પરમાર્થની શોઘમાં અને તેને પ્રાપ્ત કરવાના પ્રયત્ન માટે જીવું છું. તેને માટે સર્વસ્વ અર્પણ કરીને પણ સંપૂર્ણ ઉન્નતિ સાધી શકાય તે માટે તૈયાર થવા મારું ચિત્ત તલપાપડ થઈ રહ્યું છે....કુટુંબને સદાને માટે છોડીને આખી દુનિયાને કુટુંબ ગણી મારા પ્રારબ્ધ ઉપર આધાર રાખીને આ ભવમાં બાકી રહેલાં વર્ષો પરમકૃપાળુદેવનાં ચરણકમળમાં અર્પણ કરવા તત્પર થયો છું..... સંસાર છોડી આશ્રમમાં રહેવાની આજ્ઞા ન મળે તો મારે કંઈ કહેવાતા સાધુ થઈ ફર્યા કરવું નથી. પણ તે યોગ્યતા પ્રાપ્ત કરવા માટે જે જે ઉપાય દીર્ઘદ્રષ્ટિથી બતાવે તે માટે માન્ય હોવાથી પહેલો હું બીજી જવાબદારીઓમાંથી મુક્ત થઈ, ચોખ્ખો થઈ તેમને (પ્રભુશ્રીને) વાત કરવા વિચાર રાખું છું.............ભલે મને કાશી જઈ શાસ્ત્ર અભ્યાસ કરવાની આજ્ઞા મળે કે આશ્રમમાં પૂંજો વાળવા કે ઘંટ વગાડવા જેવું નજીવું કામ સોંપે તો પણ મને તો પૂરેપૂરો સંતોષ થવાનો; કારણ કે મારું કલ્યાણ તે પુરુષની આજ્ઞા ઉઠાવવા માટે જ જીવવામાં છે...જે વર્ષ બચ્યાં તેટલાં મારા આત્માની કહો, આશ્રમની કહો, કે જગતની કહો, પણ જેમાં સર્વની સાચી સેવા સમાય તેવી ફરજ બજાવવા માટે હું ઘરબાર છોડી અણગાર થવા ઇચ્છું છું....સંત, મહંત કે ગાદીપતિ થવાની ગંધ પણ મારી ઇચ્છામાં નથી. પણ સર્વનો સેવક અને આત્માર્થી થવાની ઇચ્છા ઘણા કાળથી બાંધી રાખી છે, તેવા થવું છે.” પછી તો તેમના મોટા ભાઈની સંમતિ મળતાં પ્રભુશ્રીની આજ્ઞા મેળવી તે સોસાયટીમાંથી મુક્ત થઈ સં. ૧૯૮૧માં પ્રભુશ્રીની સેવામાં જોડાયા. પ્રભુશ્રીએ તેમને બ્રહ્મચર્ય વ્રત આપ્યું. પ્રભુશ્રીની સેવામાં નિરંતર રહી તેમની સંનિધિમાં સૂત્ર-શાસ્ત્રોનું અધ્યયન, મનન અને તેમના બોઘનું ઝીલન, આજ્ઞાથીન વર્તન એ તેમનાં શ્વાસોશ્વાસ બની ગયાં. પ્રભુશ્રીની સૂચનાનુસાર મુમુક્ષુઓના પત્રોના જવાબ, તથા નવીન મુમુક્ષુઓને નિત્યનિયમ તથા સ્મરણાદિ પ્રભુશ્રીની Page #84 -------------------------------------------------------------------------- ________________ [૬૯]. આજ્ઞાથી આપતા. તે ઉપરાંત વાર્તાલાપોની, ઉપદેશની નોંઘો, અગત્યનાં પુસ્તકોમાંથી નોંધો, ભાષાંતર, શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા જેવાં પુસ્તકોનું સર્જન ઇત્યાદિ પ્રવૃત્તિઓમાં સતત ઉલ્લાસ અને ખંતથી, તેમને અવિરત પરિશ્રમથી સેવા આદરી. પ્રાયે સર્વને ઘર્મની પકડ બહુ દૃઢ હોય છે. એટલે પોતે માનેલા ઘર્મની પકડ મૂકી જ્ઞાનીઓએ બોઘેલા સનાતન સતઘર્મ પ્રત્યે શ્રદ્ધા થવી, પકડ થવી અત્યંત વિકટ છે. આમ હોવા છતાં જ્ઞાનીપુરુષનું માહાભ્ય, તેમનું યોગબળ પણ એવું અચિંત્ય પ્રભાવશાળી હોય છે કે અનેકને સત્ ઘર્મનો રંગ ચડાવે છે. પૂ. પ્રભુશ્રીનું પણ તેવું જ અદ્ભુત સામર્થ્ય દ્રષ્ટિગોચર થવા લાગ્યું. હજારો જૈન-જૈનેતરોને તેમણે સાચા જૈન બનાવ્યા. તેમને મંત્રદીક્ષા આપી, સાત વ્યસનનો ત્યાગ તથા સાત અભક્ષ્યનો ત્યાગ કરાવી વ્રત પચખાણ આપી સતુશ્રદ્ધા સહિત ભક્તિમાર્ગનાં રસિક બનાવ્યાં. અનેક કુમારિકાઓને સતનો એવો અદ્ભુત રંગ લાગ્યો કે તેમણે આજીવન બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું. તેમ જ અનેક યુવાન દંપતીઓએ પણ ભોગથી અનાસક્ત થઈ બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરી સત્ સાઘનામાં જીવન-અર્પણતા સ્વીકારી. એમ અનેકાનેક બ્રહ્મવ્રત વિભૂષિત થયાં. હવે આશ્રમમાં જીવન અર્પણ કરનાર બ્રહ્મચારીઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી. તેવી જ રીતે બ્રહ્મચારિણી બહેનો માટે પણ આશ્રમમાં અલગ નિવાસસ્થાનની વ્યવસ્થા થઈ. તેમ જ ભાવિક જિજ્ઞાસુઓ વતનિયમ ઘારણ કરી આશ્રમમાં કાયમ રહેવા લાગ્યા. કોઈ કોઈ ગૃહસ્થ છતાં વિરક્ત મુમુક્ષુઓ પણ વ્રતનિયમ ઘારણ કરી આશ્રમમાં સહકુટુંબ રહેવા લાગ્યા. એ રીતે પચાસ-સો માણસ કાયમ રહેવા લાગ્યાં અને સત્સાઘના તત્પર બન્યાં. તેથી આશ્રમ સત્સંગ અને ભક્તિનું જીવંત ઘામ બન્યું. જેમ જેમ અનુયાયીઓની સંખ્યા વધતી ચાલી તેમ તેમ આશ્રમ પણ વઘતું ચાલ્યું. સર્વની ઇચ્છાથી આશ્રમમાં એક શિખરબંધી ભવ્ય જિનાલય ઊભું થયું. તેમાં શ્રીમદ્જીનાં બોઘવચનો અનુસાર શ્વેતાંબર-દિગંબર પ્રતિમાઓ સ્થાપન કરવામાં આવી. આ જિનાલયની પ્રતિષ્ઠા સં. ૧૯૮૪ ના જેઠ સુદ ૫ ના દિને પ્રભુશ્રીની છત્રછાયામાં થઈ. આ જિનાલયના ભૂમિગૃહમાં એક ગુરુમંદિર રાખવામાં આવ્યું. તેમાં શ્રીજીની પ્રતિમા તથા એક બાજુ પ્રણવમંત્ર ૐકારજીની સ્થાપના ઉપરોક્ત દિવસે જ કરવામાં આવી. બાજુમાં પાદુકાજીની સ્થાપના સં. ૧૯૮૨ના આસો સુદ ૧૫ ના કરવામાં આવેલી. મુમુક્ષુભાઈઓની સંખ્યા અને તેમની જરૂરિયાતને પહોંચી વળવા એક ભવ્ય સભામંડપ અને વ્યાખ્યાનમંદિર બાંઘવામાં આવ્યાં. તેમજ પુસ્તકાલય પણ સ્થાપવામાં આવ્યું. દરવાજા ઉપરની દેરીમાં પરમકૃપાળુદેવની પંચધાતુની પ્રતિમાની સં. ૧૯૮૮ના માહ સુદ ૧૦ના રોજ પ્રતિષ્ઠા કરવામાં આવી. શરીરપ્રકૃતિ બહુ અસ્વસ્થ રહેતી હોવા છતાં પરમોપકાર-પરાયણ પ્રભુશ્રીજી મુમુક્ષુઓના આગ્રહથી સં. ૧૯૮૫ના માગશર માસમાં ૧૮ દિવસ ભાદરણ, ત્રણ-ચાર દિવસ ઘર્મજ તથા ઉનાળામાં બે માસ ભરૂચ, નિકોરા, ઝઘડિયા, કબીરવડ વગેરે સ્થળોએ વિચાર્યા હતા. Page #85 -------------------------------------------------------------------------- ________________ [૭૦] સં. ૧૯૮૬માં કરમસદ, સુણાવ, વેરા, બોરસદ, દાઓલ આદિ સ્થળોએ વિચર્યા હતા. સં. ૧૯૮૭માં કાવિઠા, સીમરડા, નડિયાદ, નાર, અંધેરી અને સં. ૧૯૮૮માં પેટલાદ, દંતાલી, કાવિઠા, સીમરડા આદિ સ્થળોએ વિચર્યા હતા. તે દરમ્યાન શ્રી નાર મંદિરની પ્રતિષ્ઠા સં. ૧૯૮૭ના વૈશાખ સુદ ૩ ના રોજ કરી હતી. તેઓશ્રી જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં ઘણા ઘણા ભદ્રિક જનોને ઘર્મનો રંગ ચડાવી સન્માર્ગ સન્મુખ કરતા હતા. સં. ૧૯૮૬ના પોષ સુદ ૧૫ના રોજ શ્રી માણેકજી શેઠ આશ્રમમાં આવ્યા હતા, તે જ્યારે ઇન્દોર જતી વખતે પ્રભુશ્રી પાસે દર્શનાર્થે ગયા અને જણાવ્યું કે હું ઇન્દોર જાઉં છું ત્યારે તેમના પૂર્વના કોઈ મહદ્ પુણ્યયોગે પ્રભુશ્રીએ તેમને અપૂર્વ બોઘ કર્યો. તે પણ બોઘમાં એવા તલ્લીન થઈ ગયા કે ગાડીનો ટાઈમ પણ ભૂલી ગયા. પછી પ્રભુશ્રીએ કહ્યું કે ગાડી તો ગઈ ! ત્યારે તેમનાથી સ્વાભાવિક બોલાઈ જવાયું કે એ ગાડી ગઈ તે તો પાછી આવશે, પરંતુ આ ગાડી (શરીર) તે કંઈ પાછી આવવાની છે ? ત્યાર પછી જેમ કોઈ છેલ્લી શિખામણ દેવાતી હોય તેવો અદ્ભુત બોઘ થયો. પછી બીજા ટાઈમમાં તે ઇન્દોર ગયા. - માહ વદમાં તેમની તબિયત નરમ થઈ. એક મુમુક્ષુ તેમની પાસે ગયેલા તેમને તેમણે કહ્યું કે મારી આ વર્ષમાં ઘાત છે તેથી દેહનો ભરૂસો નથી. માટે તારે અહીં રહેવું અને મને નિરંતર મંત્રનું સ્મરણ આપ્યા કરવું. મને ભાન ન હોય તો પણ તારે મારી પાસે બેસીને સ્મરણ બોલ્યા જ કરવું. બીજા કોઈ કામમાં તારે ન જવું, પણ સ્મરણનો જાપ કર્યા જ કરવો. માહ વદ સાતમના દિવસે સગાંસ્નેહીઓ તથા ગામપરગામના મુમુક્ષુઓને બોલાવીને ક્ષમાયાચના કરી લીધી. માહ વદ આઠમના રોજ તેમની તબિયત વઘારે બગડી. બપોરે બાર વાગ્યા પછી તેમણે હાથે લખીને આશ્રમ પર એક તાર મૂક્યો. તેમાં પોતે જણાવ્યું કે આ મારી છેલ્લી પ્રાર્થના છે : આપશ્રીની આશિષ અને શરણું મને અખંડ રહો. આશ્રમમાં તાર મળતાં પ્રભુશ્રીજીએ તારથી જવાબ આપ્યો કે આત્માને મરણ છે જ નહીં, મંત્રમાં બધું સમાય છે એટલે મંત્રનું ધ્યાન રાખશો; અને બ્રહ્મચારીજી આવે છે. તાર પહોંચ્યો અને પોતે વાંચ્યો તેથી વિશેષ જાગૃતિ આવી, ઉલ્લાસભાવ વધી ગયો. નિરંતર તેમની પાસે મંત્રનો જાપ કરવા રહેલા મુમુક્ષભાઈએ મંત્રની ધૂન અખંડ જગાવી અને શ્રી માણેકજી શેઠનો પવિત્રાત્મા પરમ જાગૃતિપૂર્વક તેમાં જ એકાગ્ર થઈ સમાઘિભાવ સન્મુખ થઈ રાત્રિના ૧૧ વાગે પોતાનું અપૂર્વ હિત કરી દેહત્યાગ કરી ચાલ્યો ગયો. પૂનામાં પ્રભુશ્રીજી શ્રી માણેકજી શેઠને ત્યાં જ ચોમાસું રહ્યા હતા. ત્યારથી તેમને સઘર્મનો રંગ ચડાવ્યો હતો. તે દિનપ્રતિદિન વધતો ગયો હતો. તન, મન, ઘન-સર્વસ્વથી તેમણે સંતની સેવા કરવામાં ખામી રાખી ન હતી. તેમની સરળતા, સદ્ગુરુ પરમકૃપાળુની આજ્ઞામાં એકનિષ્ઠતા, ઉદારતા, લઘુતા, અનુકંપા, વાત્સલ્યતા અને આશ્રમની ઉન્નતિ માટે સર્વસ્વ અર્પવાની તત્પરતા આદિ તેમના ગુણો પ્રશંસનીય છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ [૭૧] સં. ૧૯૮૭ના માગશર વદ ૦)) ના રોજ સાંજના ચાર વાગે આશ્રમમાં શ્રી રવજીભાઈ કોઠારીનું સમાધિમરણ થયું તે આશ્રમમાં કોઈ અપૂર્વ બનાવ બન્યો હતો. એવો જોગ કોઈક વિરલા જીવને મળે. જે જીવનાં મહા પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હોય તેને આવી સરખાઈ સર્વ રીતે આવી મળે. નિવૃત્તિક્ષેત્ર અને તેઓશ્રીની આત્મજાગૃતિ અને આશ્રમવાસી મુમુક્ષુ ભાઈઓ-બહેનોનો તે મુમુક્ષુજીવ પ્રત્યે ભક્તિભાવ એ સર્વ સરખી જોગવાઈ હતી. મરણના ત્રણ ચાર દિવસ પહેલાં તેમની પાસે ‘ક્ષમાપના' પ્રાર્થના અને પ્રતિક્રમણ વગેરે પાપની માફી માગવા માટે દીનત્વના ‘વીસ દુહા' તથા આત્મજાગૃતિ માટે ‘આત્મસિદ્ધિ’, ‘અપૂર્વ અવસર' વગેરેનો નિરંતર સ્વાધ્યાય થતો હતો. બાકીના કાળમાં પત્રનું વાંચન તથા સ્મરણનો જાપ રાતદિવસ અખંડ થયા કરતો. ઠેઠ સુધી જાગૃતિ સારી હતી. પરમ પૂજ્ય પ્રભુશ્રીજીનો સમાગમ પણ દિવસમાં બેત્રણ વખત વારંવાર થયા કરતો હતો. જ્યારે જ્યારે પરમ પૂજ્ય પ્રભુશ્રીજી ત્યાં પધારે ત્યારે ત્યારે તેમનો આત્મા બહુ ઉલ્લાસમાં આવતો અને કહેતા કે ‘વેદનીની સાથે મેં લડાઈ માંડી છે. એક બાજુ વેદનીનું જોર અને બીજી બાજુ ઉપયોગની ઘારા. તે આવી વેદનીમાં પણ ઉપયોગની ઘારા ન ચૂકવા દેવી તેને માટે શ્રી ગજસુકુમાર આદિ મહાપુરુષોના ચરણનું અવલંબન લઉં છું...' જે દિવસે દેહત્યાગ થવાનો હતો તે દિવસે સાંજના ત્રણ વાગ્યાના સુમારે પૂ. મુનિદેવ શ્રી મોહનલાલજીનું જવું થયું. તે વખતે તેમની આંખ મીંચાયેલી હતી. થોડી વારે આંખ ઉઘાડી કે બેઠા થઈ દર્શન કર્યા. સામે તાકામાં પરમ કૃપાળુદેવનું ચિત્રપટ હતું તેના ઉપરનો પડદો કાઢી નખાવ્યો અને પરમકૃપાળુદેવને નમસ્કાર કર્યા. પછી પૂ. મુનિદેવશ્રીએ જણાવ્યું કે એક આ જ પુરુષનું શરણું સાચું ગ્રહણ કરી રાખવા યોગ્ય છે. તે પુરુષના પ્રત્યે જ સાચી શ્રદ્ધા રહ્યે આ જીવનું કલ્યાણ છે, એમ જણાવી સંથારા સંબંધી ગાથાઓ બોલી ચા૨ શરણાં આપ્યાં. પછી પૂ. શ્રી સોભાગ્યભાઈ ઉપર પરમ કૃપાળુદેવે લખેલા આખર વખતના પત્રનું વાંચન કર્યું. તે વખતે તેઓની બરોબર જાગૃતિ હતી. મરણ સંબંધી કાંઈ ચિહ્ન બહાર આવ્યું નહીં. તે પત્રમાં તેમણે બરોબર ઉપયોગ રાખ્યો હતો. તે પત્ર (કીચસૌ કનક જાકે, નીચસૌ નરેશપદ) પૂર્ણ થતામાં ભાવદયાસાગર પરમ પૂજ્ય પ્રભુશ્રી પધાર્યા. તેથી તેમનો આત્મા એકદમ ઉલ્લાસમાં આવ્યો અને પરમ કૃપાળુદેવની સામે આંગળી કરી તથા પરમ પૂજ્ય પ્રભુશ્રીની સામે આંગળી કરી નિશાનીથી જણાવ્યું કે આપે જણાવ્યા પ્રમાણે મારો લક્ષ છે, એ સિવાય બીજું મારે કંઈ નથી. એટલે મારા હૃદયમાં ધ્યાન એક કૃપાળુદેવનું છે. પરમ પૂજ્ય પ્રભુશ્રીએ જણાવ્યું કે તે જ રાખવા યોગ્ય છે. પછી અધૂરો પત્ર પૂરો વંચાઈ રહ્યા પછી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીએ ‘સમાધિશતક'ની ગાથા ઉપરથી અંત વખતને યોગ્ય દેહ અને આત્માના ભિન્નપણા વિષે તથા સહનશીલતા રાખી હિમ્મત નહીં હારવા વિષે પુરુષાર્થ અને ઘીરજ પ્રેરક અપૂર્વ બોધ વરસાવ્યો. આમ આત્માને અપૂર્વ જાગૃતિ આપીને ઊઠ્યા એટલે શ્રી ૨વજીભાઈએ તેમનાં ધર્મપત્નીને જણાવ્યું કે કાંઈ અજબગજબ થયું છે ! એટલું છેલ્લે બોલી પાંચ મિનિટની અંદર દેહનો ત્યાગ કર્યો. આવું એ સમાધિમરણ જે થવું તે મહપુણ્યનો ઉદય સમજવો. તેના દેખનારનું તથા તે સમાગમમાં રહેનાર જીવોનું પણ મહા ભાગ્ય ગણાય. તેમના સમાધિમરણની છાપ આશ્રમવાસી Page #87 -------------------------------------------------------------------------- ________________ [૭૨] સર્વ મુમુક્ષુ ભાઈબહેનોને કાંઈ અપૂર્વ પડી હતી. અને સર્વ જણાવતાં હતાં કે આવો અપૂર્વ દેખાવ તો અમે પહેલવહેલો જ જોયો. અહીં વિશેષ શું લખાય ? આ સમાધિમરણ સંબંધી જેના હૃદયમાં આ દેખાવની છાપ પડી હતી તે તાદ્રશ છાપ દીર્ઘકાળ સુધી રહે તેમ છે. આ સંબંધી અત્ર જે કંઈ લખાણ થયું છે તે યત્કિંચિત્ લખાયું છે. કારણ કે તે અપૂર્વ ભાવો લખાણમાં આવી શકે નહીં. મૂંગાએ ખાધેલા ગોળની પેઠે તે વેદન સમીપવાસી ભાગ્યવંત જીવોને થયું હતું. અને તેમના હૃદયમાં અપૂર્વ ભાવે તે રહ્યું હતું. સં. ૧૯૮૮ના ભાદ્રપદ માસમાં મુનિદેવ શ્રી મોહનલાલજીને મરણાંત વ્યાધિનો ઉદય આવ્યો. પ. પૂ. પ્રભુશ્રી વખતોવખત તેમની પાસે જતા અને અપૂર્વ જાગૃતિ આવે તેવો બોઘ વરસાવતા. તેમને વેદની અત્યંત હતી છતાં બોઘના અંતર પરિણમનથી અંતરમાં શાંતિનું વદન હતું. પ. પૂ. પ્રભુશ્રીએ એક દિવસ તેમને જાગૃતિ આપીને બહાર આવી કહ્યું કે આજે મુનિની અંતરદશા કોઈ ઓર થઈ છે. હવે જો તેમનું જીવન ટકે તે ઘણા જીવોને તેમનાથી અદ્ભુત લાભ થાય તેમ થયું છે. ત્યાર પછી આઠ દિવસે એટલે ભાદ્રપદ સુદ ૬ ના રોજ તેઓશ્રી સમાધિસ્થ થયા. મુનિશ્રી મોહનલાલજી મહારાજના આ અવસાનથી સર્વને ઘણો વૈરાગ્યયુક્ત ખેદ થયો. આશ્રમમાં ટ્રસ્ટીઓની મિટિંગમાં તેઓના અવસાન પ્રસંગે આ પ્રમાણે ખેદ દર્શાવવામાં આવ્યો : શ્રી સનાતન જૈન વીતરાગ માર્ગના ઉદ્ધારક શ્રીમદ્ રાજચંદ્ર દેવાધિદેવના ઉપાસક તથા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના મુમુક્ષુમંડળના ઉપકારી પરમ પૂજ્ય બાળ બ્રહ્મચારી મુનિદેવ શ્રી મોહનલાલજી મહારાજના તા. ૬-૯-૩૨ના રોજ થયેલ દેહોત્સર્ગની આ આશ્રમના ટ્રસ્ટીઓની સભા સખેદ નોંઘ લે છે. તેઓશ્રીની પરમ કૃપાળુદેવ પ્રત્યેની દૃઢ આસ્થા, પ્રેમ, ભક્તિ, આજ્ઞાંકિતપણું, સપ્રજ્ઞ સરળતા તથા નિર્વિકારતા આદિ સદ્ગણો સ્મરણમાં રહેવા યોગ્ય છે. ૧ મુનિદેવ શ્રી મોહનલાલજીની સરળતા સહિત પ્રજ્ઞા પ્રશસ્ય હતી. મુમુક્ષુઓને આત્મશ્રેય સન્મુખ કરવા તેમણે લખેલા પત્રોમાંથી નીચેનો એક પત્ર પ્રભુશ્રીજીએ કેટલાક મુમુક્ષુઓને મુખપાઠ કરી વિચારવા ભલામણ કરી હતી. તત્ ૐ સત્ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ સ્ટે, અગાસ અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર હો! નમસ્કાર હો! નમસ્કાર હો! “તીન ભુવન ચૂડારતન, સમ શ્રી જિનકે પાય, નમત પાઈએ આપ પદ, સબવિધિ બંધ નશાય.” “જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુ:ખ રહિત ન હોય, જ્ઞાની વેદે ઘેર્યથી અજ્ઞાની વેદે રોય.” પવિત્ર આત્મા ભાઈશ્રી... અનંત કાળથી આ આત્મા ચાર ગતિને વિષે પરિભ્રમણ કર્યા કરે છે. તેમાં મુખ્યપણે અશાતા આ જીવે ભોગવી છે. તે ભોગવતાં દેહાત્મબુદ્ધિનાં કારણથી તેને વિશેષ ક્લેશ થયા કરે છે, અથવા તે દુઃખ પ્રત્યે દ્વેષભાવ ઉત્પન્ન થયા કરે છે. અને જે અશાતા અત્યારે ભોગવે છે તેથી અનંતગણી નવીન અશાતા ઉત્પન્ન કરે એવાં પરિણામ આ જીવ અજ્ઞાનપણે કર્યા કરે છે. અનંતકાળથી મહા મોહનીય કર્મના ઉદયથી સુખશાતાનો આ જીવ ભિખારી છે. એ ઇચ્છે છે સુખશાતા અને પરિણામ માઠાં કરે છે. એટલે પાંચ ઇંદ્રિયના વિષયને વિષે આસક્ત બુદ્ધિ, ઘનાદિને વિષે લોભ Page #88 -------------------------------------------------------------------------- ________________ [૭૩] આત્મહિતપ્રદ ઉપદેશ તથા પરમકૃપાળુ દેવના પ્રત્યક્ષ સમાગમની સુકથની આદિથી જીવને સન્માર્ગમાં લાવવાના પ્રબળ નિમિત્તભૂતરૂપ તેઓશ્રીનો આ આશ્રમ તેમજ મુમુક્ષુવર્ગ પ૨નો પ૨મ આરાધી અને મમત્વબુદ્ધિ કરી અનંત અનંત એવી આ જીવ માઠી કર્મવર્ગણાઓ ઉત્પન્ન કરે છે. પણ કોઈ વખતે એને સાચા સદ્ગુરુનો સંયોગ થયો નથી. અથવા થયો હશે તો તેની રૂડા પ્રકારે નિઃશંકતાથી આજ્ઞા આરાધી નથી. હોત તો આવી અશાતાનું કારણ થાત નહીં. હજુ પણ જો આ જીવ સમજે અને ઉદય આવેલા કર્મને વિષે સમભાવ રાખી નિરંતર સત્પુરુષનું આપેલું સ્મરણ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુનું ઉત્કૃષ્ટા પ્રેમે જો ધ્યાન કરે અથવા સ્મરણ કરે તો તેને સર્વ કર્મનો અભાવ થઈ પરમ શાંત થવાનો વખત છે. આ જીવને જે જે કર્મો બંધાય છે તે પોતાના પરિણામનું ફળ છે. પૂર્વે જે જે નિમિત્ત પામી જેવાં જેવાં પરિણામ કર્યાં છે તે પરિણામનું ફળ કાળ પામી ઉદયમાં આવે છે. તે પોતાનાં કરેલાં કર્મ જાણી વિચારવાન કે મુમુક્ષુ જીવ ઉદય આવેલાં કર્મોમાં સમતા રાખે છે. અને તે સમતા એ જ પરમ શાંતિનું કારણ છે અથવા સર્વ કર્મના નાશનું કારણ છે. માટે હવે ટૂંકામાં વાળીએ કારણ કે આપ વિચારવાન છો એટલે આપના માટે વિશેષ લખવાનું હોય નહીં. જેમ બને તેમ અશરી૨૫ણે આત્મભાવના ભાવી, ઉદય આવેલી દુઃખસ્થિતિ ભોગવી, શરીરનું ભાન ભૂલી જઈ, જગત છે જ નહીં એવું દૃઢત્વ કરી, સગાં, કુટુંબી, સ્ત્રી, મિત્ર સૌ સ્વાર્થી સંબંધ છે એવો નિશ્ચય કરી આખું જગત સ્ત્રીરૂપે, પુત્રરૂપે કે ભાઈરૂપે અનંતવાર થઈ ચૂક્યું છે; કોના ઉપર ભાવ, પુત્રભાવ કે ભાઈભાવ કરું ? એવું વિશેષ વિશેષ વૃઢત્વ કરીને સર્વ જીવો પ્રત્યે સમયે સમયે વૃત્તિ એ જ ઉપયોગમાં રાખી, પ્રભુ–સહજાત્મસ્વરૂપ પ્રભુ-નું ઘ્યાન અહોરાત ધ્યાવન કરો તો તમારું આત્મહિત થશે અને સર્વ કર્મનો ઉપશમ થઈ અથવા ક્ષય થઈ પરમ શાંતિને અનુભવશો. મને એમ સમજાય છે અને સર્વ જ્ઞાની, સદ્ગુરુ આદિકને પણ એમ ભાસ્યું છે. અને તેથી આ અપાર સંસારથી રહિત થયા છે, થાય છે અને થશે. સર્વ જ્ઞાની પુરુષો આ જ રસ્તે તર્યા છે. અને આપણે તે જ રસ્તે તરવાનું છે. જેને પવિત્ર જ્ઞાની પુરુષનું દર્શન થયું હોય અથવા તો તેમનો બોધ થયો હોય તે જીવોએ તો સર્વ મોહભાવનો અભાવ કરી સર્વ સંયોગી ભાવમાં ઉદાસીન થઈ, જાણે જગત છે જ નહીં એવા ભાવથી વર્તવું જોઈએ. કોઈ વ્યાવહારિક પ્રસંગમાં બોલવું પડે તો સર્વના મનનું એક જ વખત સમાધાન કરી નાખી આપણે આપણા મૂળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના ધ્યાનમાં પડી જવું. અને સર્વ જગત સ્વપ્નવત્ છે એમ માનવું અને જોયા કરવું. આવા દેહો પૂર્વે અનંતવાર ધારણ કર્યા છે. તે વખતે ભ્રાન્તિપણે પરને પોતાનું માની, સંયોગ ભાવમાં તન્મય થઈ, મેં અનંત સંસાર ઉત્પન્ન કર્યો છે એમ જાણી, સર્વ અન્ય ભાવથી રહિત આત્મસ્વરૂપ છે, એમ ચિંતવન કરવું. આત્મા અસંગ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સર્વ અન્ય ભાવનો જ્ઞાતા-દ્રષ્ટા–સાક્ષી છે. કોઈ કાળે પર દ્રવ્ય પોતાનાં થયાં નથી. ભ્રાન્તિપણે મેં પોતાનાં માન્યાં હતાં. હવે સદ્ગુરુના આશ્રયે પર તે પર અને મારું સ્વરૂપ સર્વ પર દ્રવ્યથી જુદું એવું અનંતજ્ઞાન અનંત દર્શન અનંત ચારિત્ર અને અનંત વીર્ય સ્વરૂપ છે એમ અનંત ચતુષ્ટય શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ધ્યાન અખંડ રાખવું. પરવૃત્તિમાં પડવું નહીં, કે અન્ય સંકલ્પ-વિકલ્પ કરવા નહીં. અને સંકલ્પ-વિકલ્પ ઊઠે કે તરત જ તેને શમાવી દેવા. અને ઉપર જણાવેલા સહજાત્મસ્વરૂપના ધ્યાનમાં પડી જવું. સંસાર ભ્રાન્તિસ્વરૂપ છે. ઝાંઝવાનાં નીરની પેઠે દેખાવ માત્ર છે. આ જીવે અનંત અનંત ભવો, ચાર ગતિ અને ચોરાશી લાખ જીવયોનિમાં પરિભ્રમણ કર્યા કર્યું છે. તે જે જે દેહ ધારણ કર્યાં તે સર્વ દેહમાં એણે તદાકાર થઈ અને પોતાપણું માની તીવ્ર રાગ કર્યો છે. પરંતુ તે દેહો કોઈ પોતાના થયા નથી. તેમ આ દેહ પણ પોતાનો છે જ નહીં. અનાદિકાળનો આ જીવ કર્મવશાત્ એકલો આવ્યો છે, એકલો જવાનો છે અને પોતાનાં કરેલાં કર્મનું ફળ પોતે એકલો ભોગવવાનો છે. છતાં અન્ય સંયોગોમાં એટલે સ્ત્રી પુત્રાદિકમાં પોતાપણું માની તીવ્ર રાગ કરી અનંત સંસાર ઉત્પન્ન કર્યો છે, અને ભવિષ્યમાં ભોગવવાં પડે એવાં માઠાં કર્મો તે નિમિત્તે ઉત્પન્ન કર્યાં છે. હવે આ દેહ વડે કરીને નિરંતર આત્મભાવના ભાવવી. અનિત્યાદિક બાર ભાવનાઓનું ચિંતવન વિશેષ રાખવું. પોતાથી વાંચી શકાય તો ઠીક, નહીં તો બીજા પાસે તેવું પુસ્તક વંચાવવું કે જેની અંદર બાર ભાવનાનું સ્વરૂપ હોય. છતાં કોઈ વાંચનારનો જોગ ન મળે અને પોતાથી પણ વંચાય તેવું ન હોય તો બીજા કશાયમાં વૃત્તિ ન મૂકતાં મંત્રનો જાપ અહોનિશ કર્યા કરવો. અને વૃત્તિને મંત્રમાં જાપમાં ઠરાવી, સર્વે વાત ભૂલી જઈ સર્વે સ્વપ્નવત્ જાણી તે મંત્રમાં જ નિરંતર રહેવું. સર્વ જીવો બોધ બીજને પામે એ જ આશિષ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #89 -------------------------------------------------------------------------- ________________ [૭૪] ઉપકાર વારંવાર સ્મૃતિમાં આવવા યોગ્ય છે. તે પાવન આત્માની ઊણપ આશ્રમને કાયમની રહેશે. પરમ ઉપકારી શ્રી લઘુરાજ સ્વામીની વૃદ્ધાવસ્થામાં પરમકૃપાળુ દેવના સમાગમી તરીકે તેઓ ટેકારૂપ હતા. તે યાદ લાવતાં વિશેષ ખેદ થાય છે. પરમ કૃપાળુદેવ એ પવિત્ર આત્માને પરમ શાંતિ આપે એ પ્રાર્થના છે.’’ ૨૦ સં. ૧૯૮૯ના વૈશાખ સુદ ૩ના સુરત જિલ્લાના ઘામણ ગામમાં એક મુમુક્ષુ ભાઈને ત્યાં પરમકૃપાળુ દેવના ચિત્રપટની સ્થાપના કરવા પ. પૂ. પ્રભુશ્રીજી ઘણા મુમુક્ષુઓ સાથે પધાર્યા હતા. ત્યાં ભક્તિ, સમાગમ, બોધ આદિથી ઘણા નવીન જીવોને લાભ થયો હતો. સ્થાપના પછી દોઢેક માસ તેઓશ્રી નવસારી ગામ બહાર એક એકાંત બંગલામાં નિવૃત્તિમાં રહ્યા હતા. ત્યાં પણ ઘણા જીવોને સત્સંગથી લાભ થયો હતો. સં. ૧૯૯૦માં ઉનાળામાં પ્રભુશ્રી સુરત ‘અઠવા લાઈન્સ' ઉપર આવેલા એક બંગલામાં દોઢેક માસ પધાર્યા હતા. ત્યાંથી ચાણોદ પાંચ છ દિવસ રોકાઈ વ્યાસના બેટમાં એકાદ દિવસ જઈ આવી આશ્રમમાં પાછા ફર્યા હતા. અમદાવાદમાં એલિસબ્રિજ વિસ્તારમાં શ્રીયુત હીરાલાલ શાહે એક બંગલો બંધાવ્યો હતો. તેમાં બધા મુમુક્ષુઓ સાથે ત્યાં પધારી ભક્તિ કરવા તથા પરમકૃપાળુ દેવના ચિત્રપટની સ્થાપના કરવા માટે તે પૂ. પ્રભુશ્રીને કોઈ કોઈ વાર વિનંતિ કરતા ત્યારે પ્રભુશ્રી જણાવતા કે અવસરે જોઈશું. સં. ૧૯૯૧ના માગશરમાં એક અપૂર્વ બનાવ બન્યો. અમદાવાદથી ડૉક્ટર શારદાબહેન પંડિત ઘણી વાર આશ્રમમાં સત્સંગ અર્થે આવતા. તેમને પ્રભુશ્રીનાં સત્સંગ સદ્બોધથી સદ્ધર્મનો રંગ લાગેલો જોઈ તથા તેમને વારંવાર આશ્રમમાં સત્સંગનો લાભ લેવા આવતાં જાણી તેમ જ પ્રભુશ્રીના પ્રભાવથી તેમના જીવનમાં જાગેલી પવિત્ર ધર્મભાવનાઓ જોઈ તેમના એક ભાઈ શ્રી પંડિત કે જે ખાસ ધર્મ પ્રત્યે રુચિવંત તો ન હતા છતાં કોઈ પૂર્વ પુણ્યના ઉદયે તે એકદમ ધર્મભાવના સન્મુખ થઈ જિજ્ઞાસુ વૃત્તિથી શ્રી શારદાબહેનને પૂછવા લાગ્યા કે તમે જે મહાત્માના સત્સંગાર્થે અગાસ આશ્રમમાં જાઓ છો ત્યાં તેમના દર્શનાર્થે આ શુક્રવારે મારે આવવાની ભાવના જાગી છે. શ્રી શારદાબહેને તેથી હર્ષિત થઈ શુક્રવારે તેમની સાથે આશ્રમમાં જવાની હા પાડી. પરંતુ વિધિએ કંઈ ઓર જ ધાર્યું હતું. તે ભાઈ શ્રી પંડિત એકાએક ન્યુમોનિયાથી પથારીવશ થઈ પડ્યા. અને આશ્રમમાં જવાની ભાવના ફળીભૂત નહીં થાય એવી સંભાવના જોતાં મહાત્માનાં દર્શન હવે કેમ કરીને થશે ? એવી ચિંતામાં ને ચિંતામાં પથારીમાં એક એનું જ રટણ કરવા લાગ્યા. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭િ૫] તે અરસામાં આશ્રમમાં પણ પ્રભુશ્રીએ શ્રી હીરાલાલભાઈને બોલાવીને કહ્યું, પ્રભુ, આ શનિવારે તમારે ત્યાં પરમકૃપાળુ દેવના ચિત્રપટની સ્થાપના માટે જવાનું રાખીએ તો ? શ્રી હીરાલાલભાઈએ હર્ષિત થઈ સર્વને શનિવારે પોતાને ત્યાં પધારવાનું આમંત્રણ આપી પોત તરત જ અમદાવાદ ગયા, અને શનિવારે આશ્રમમાંથી સોએક મુમુક્ષભાઈઓ સાથે પ્રભુશ્રીજી અમદાવાદ પધાર્યા. ત્યાં ઘણી ઘામધૂમ અને ભક્તિભાવના પૂર્વક ચિત્રપટની સ્થાપના થઈ. પછી આહારાદિથી પરવારી બપોરના થોડા જ મુમુક્ષુભાઈઓ સાથે પ્રભુશ્રી તરત જ તે ભાઈ શ્રી પંડિતને ત્યાં ગયા. ત્યારે જ સૌને ખબર પડી કે આ ભાગ્યવંત ભવ્યના ઉદ્ધાર માટે જ આ મહાપુરુષ એકાએક અહીં આવી પહોંચ્યા છે. શ્રી પંડિતની પથારી પાસે પ્રભુશ્રી આવ્યા ત્યારે તે તાવને કારણે કંઈક અસ્વસ્થ હતા. પરંતુ શ્રી શારદાબહેને કહ્યું, ભાઈ, અગાસ આશ્રમમાંથી પ્રભુશ્રી આવ્યા છે. તે સાંભળી તે ભાઈ તો ઘણા જ આનંદમાં આવી ગયા અને પ્રભુશ્રી પ્રત્યે અત્યંત આભારની લાગણી દર્શાવતા હાથ જોડી નમન કર્યું. પછી પ્રભુશ્રીએ એકઘારો અદ્ભુત બોઘ વરસાવ્યો. શ્રેણિક રાજાના પૂર્વ ભવનું દૃષ્ટાંત કહ્યું. પછી કહ્યું : શ્રેણિક રાજાએ ભીલના ભાવમાં માત્ર કાગડાનું માંસ જ્ઞાની મુનિ સમક્ષ ત્યાગ્યું હતું તેથી તે ત્યાંથી ભરી દેવ થઈ શ્રેણિક થયા અને અનંત સંસાર ટાળી એક ભવમાં મોક્ષે જશે. જ્ઞાની પુરુષની આજ્ઞા આરાઘવાનું આવું અચિંત્ય માહાભ્ય સાંભળી શ્રી પંડિતને ઘણો ઉલ્લાસ આવ્યો અને પોતાના આત્મહિતની ભાવના જાગી. એટલે પ્રભુશ્રીએ તેમને સાતે ય વ્યસનનો ત્યાગ કરાવ્યો તથા મંત્રસ્મરણ આપી દેહ અને આત્માના ભિન્નપણા વિષે બોધ આપ્યો. તેથી તે ઘણા જ ઉલ્લાસમાં આવી ગયા. એમ એકઘારો સતત બોઘ વરસાવી, અપૂર્વ જાગૃતિ આપી, સમાધિ-મરણની સન્મુખ કરી, અપૂર્વ આત્મહિતમાં ઝેરી પ્રભુશ્રી પાછા ફર્યા. અને કેટલાક મુમુક્ષુઓને તેમની પાસે આત્મસિદ્ધિ આદિનો સ્વાધ્યાય કરવા ત્યાં રાખ્યા. તેમણે જ્ઞાની પુરુષનાં વચન તેમના કાનમાં સતત રેડ્યા જ કર્યા. તેથી તે ભાઈ વ્યાધિ કે મરણનાં દુઃખને ભૂલી જઈ તે બોઘવચનોમાં જ તલ્લીન થતા ગયા અને રોગ, મરણાદિ તો શરીરમાં જ છે, હું તો તેનાથી ભિન્ન “શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખઘામ' એમ આત્મસિદ્ધિની ગાથાઓમાં જણાવ્યો તેવો છું. એમ માની આત્મભાવનામાં લીન થવા લાગ્યાં. એવી ઉત્તમ ભાવનામાં તે રાત્રે તેમનો દેહ છૂટી ગયો અને તે અપૂર્વ હિત સાધી ગયા. પછી અમદાવાદથી પ્રભુશ્રી થોડા મુમુક્ષુઓ સાથે વઢવાણ કેમ્પમાં આવ્યા. ત્યાં શેઠ શ્રી જેસંગભાઈ ઊજમસીભાઈના બંગલામાં થોડા દિવસ રહી, ત્યાં બઘાને સત્સંગનો લાભ આપી વાંકાનેરના નગરશેઠ શ્રી વનેચંદ દેવજીભાઈના આગ્રહથી વાંકાનેર ગયા. ત્યાંથી બઘા મોરબી થઈને વવાણિયા પરમકૃપાળુ દેવની જન્મભૂમિમાં ગયા. ત્યાં ભક્તિભાવના કરી. ત્યાંથી વાંકાનેર પાછા ફરી પછી આશ્રમમાં આવ્યા. Page #91 -------------------------------------------------------------------------- ________________ સં. ૧૯૯૧ ના ફાગણ વદ પાંચમના રોજ પ્રભુશ્રી આબુ પધાર્યા. ત્યાં શ્રી હીરાલાલ શાહે આગળથી જઈ “શ્રબરી બંગલો” તૈયાર રાખ્યો હતો તેમાં લગભગ ત્રણેક માસ રહેવાનું થયું. આ દરમિયાન આહોરના મુમુક્ષભાઈઓની અત્યંત આગ્રહભરી વિનંતિથી તેઓશ્રી શ્રી હીરાલાલ, શ્રી નાહટાજી આદિ બઘા મુમુક્ષુઓ સાથે ૧૧ દિવસ આહાર પધાર્યા હતા અને ત્યાં ઘણા જીવોને ઘર્મરંગ ચડાવી સન્માર્ગ સન્મુખ કર્યા હતા. પછી ચૈત્ર વદ બીજના રોજ આહારથી આબુ પાછા આવી ગયા. તે દરમિયાન શ્રી દેલવાડાનાં દેરાસરોમાં અનેકવાર જઈને ભક્તિ ચૈત્યવંદન આદિ કરતા. અચળગઢના મંદિરમાં પણ શ્રી આત્મસિદ્ધિજીની પૂજા ભણાવી હતી. તેમ જ ત્યાં પ્રભુશ્રી આઠેક દિવસ રહ્યા હતા. આબુના નિવાસ દરમિયાન લીમડી, જસદણ, સાણંદ વગેરેના રાજાઓ તથા ભાવનગરના દીવાન શ્રી પટ્ટણી વગેરે શ્રી હીરાલાલ દ્વારા પ્રભુશ્રીનું માહાત્મ સાંભળી પ્રભુશ્રી પાસે વારંવાર આવતા અને કલાકો સુધી બોઘ સાંભળવા બેસતા. તેમના નિમિત્તે અદ્ભુત બોઘની વૃષ્ટિ થતી. અને લીમડીના ઠાકોરની ઇચ્છાથી શ્રી “આત્મસિદ્ધિ'ના અર્થ પણ પ્રભુશ્રી સમજાવતા હતા. એમ સૌને સંતોષ તેમજ આત્મલાભ મળતો. ત્યાં છેલ્લા દશેક દિવસ દરમિયાન આબુના પહાડ ઉપર જુદી જુદી દિશાઓમાં ડુંગરોમાં, ગુફાઓમાં, જંગલોમાં તેઓશ્રી નીકળી પડતા. તેમની પાછળ મુમુક્ષુ સમુદાય પણ નીકળી પડતો. પછી ત્યાં ભક્તિનો અપૂર્વ રંગ જામતો. એવી રીતે અનાદરા પૉઈન્ટ એકવાર બઘા ગયા હતા ત્યાં ભક્તિનાં પદો બોલ્યા પછી ગોળ ફરતાં ફરતાં “મૂળ મારગ સાંભળો જિનનો રે' એ પદ પ્રભુશ્રી પોતે બોલાવતા અને બધાં ય ઝીલતાં. એમ ભક્તિનો રંગ જામ્યો હતો. ભક્તિ પૂરી થયે સહુને મંત્રસ્મરણ કે “શુદ્ધતા વિચારે ધ્યાવે' એનું રટણ કરતાં કરતાં પાછા ફરવાની આજ્ઞા થઈ હતી. આ જ રીતે અર્બુદાદેવી, સનસેટ પોઈન્ટ, રામકુંડ ઉપર દેડકીશિલા, ક્રોસ પોઈન્ટ, પાંડવ ગુફા, ટ્રેવર સરોવર અને વસિષ્ઠ આશ્રમ આદિ સ્થળોએ કલાકો સુધી ભક્તિનો રંગ જામતો અને સર્વને અદ્ભુત ઘર્મરંગ ચડતો હતો. વસિષ્ઠ આશ્રમમાં આત્મસિદ્ધિની પૂજા ચાલતી હતી ત્યાં પ્રભુશ્રી ઘણા ઉલ્લાસમાં આવી જઈ “કોઈ માઘવ લો, હાંરે કોઈ માઘવ લો; માધવને મટુકીમાં ઘાલી, ગોપીજન લટકે ચાલી. હાંરે કોઈ માઘવ લો, અચળ પ્રેમે માઘવ લો.” એમ પોતે બોલી ઊઠ્યા. પછી બોઘ કર્યો : “ભક્તિ તો સારી થઈ. નિર્જરા થઈ, પણ પ્રેમ આવ્યો નથી, પ્રીતિ થઈ નથી. કોના ઉપર ? એક આત્મા ઉપર પ્રેમ પ્રીતિ કરવાની છે.” Page #92 -------------------------------------------------------------------------- ________________ [૭૭] બઘા મુકામ ઉપર પાછા ફર્યા ત્યારે બધાને પૂછ્યું : “ત્યાં શું જોયું ? શાની ઇચ્છા કરી ? આત્મા જોયો ? કોઈએ આત્મા જોયો ?'' આ પ્રમાણે ત્રણેક માસ આબુ રહી જેઠ વદ ૮ ના રોજ પ્રભુશ્રી ત્યાંથી સિદ્ધપુર શ્રી રત્નરાજ સ્વામીના આશ્રમમાં બે એક દિવસ રોકાઈ પછી અમદાવાદ થઈ આશ્રમમાં આવ્યા. ૨૧ સં. ૧૯૯૨ના મહા સુદ પૂનમથી પ્રભુશ્રીની તબિયત નરમ થઈ. ડૉક્ટરોએ સંપૂર્ણ આરામ લેવાનું કહ્યું. દર્શન, બોધ, સમાગમ સર્વ લાભ બંઘ થયો. પાછળથી દિવસમાં એકવાર દર્શન કરવાનું માત્ર ખુલ્લું રાખ્યું. એક વાર શેઠ શ્રી જેસંગભાઈએ કહ્યું, પ્રભુ ! બાળકોને પ્રસાદ મળે છે અને અમારી પ્રસાદી બંધ થઈ. પ્રભુશ્રીએ હાથની નિશાની વડે ‘નથી બંધ થઈ’ એમ સૂચવ્યું. પછી તેઓશ્રી બોલ્યા :– “નાનોમોટો સર્વ આત્મા છે. ઠામ ઠામ એક આત્મા જ જોવો છે. અંજન થવું જોઈએ, પણ કોણ સાંભળે છે ? કોણ લક્ષ લે છે ? કોને કહીએ ? કોઈકને જ કહેવાનું છે.'' આવી નરમ તબિયત છતાં અને બધાની ના છતાં ક્ષેત્રફરસના કે ઉદયવશાત્ તેઓશ્રી ચૈત્રમાં એક અઠવાડિયા માટે નાસિક પધાર્યા હતા. ત્યાંથી ચૈત્ર સુદ ૯ ના રોજ આશ્રમમાં પાછા પધાર્યા. પ્રભુશ્રીએ સહજ કરુણાશીલ સ્વભાવે પરમકૃપાળુદેવે ઉદ્ઘારેલા માર્ગને આશ્રમ દ્વારા મૂર્ત સ્થાયી સ્વરૂપ આપી દીધેલું. તે તેમનું કાર્ય જાણે પૂરું કરી જીવનલીલાને સંકેલી લેવા માગતા હોય તેમ સં. ૧૯૯૨ ના ચૈત્ર વદ પાંચમના પવિત્ર દિને માર્ગની સોંપણી કરે છે : “આ બધું આશ્રમખાતું છે; શેઠ, ચુનીભાઈ, મણિભાઈ, દાળ વાંહે ઢોકળી. કહેવાય નહીં. મણિભાઈ, શેઠ, બ્રહ્મચારી ઘણા કાળે, જો કે શ૨ી૨ છે ત્યાં સુધી કંઈ કહેવાનું નથી, પણ મુખ્ય બ્રહ્મચારી સોંપણી. (બ્રહ્મચારીજીને) કૃપાળુદેવ આગળ જવું. પ્રદક્ષિણા દઈને, સ્મરણ લેવા આવે તો ગંભીરતાએ લક્ષમાં રાખી લક્ષ લેવો, પૂછવું. કૃપાળુદેવની આજ્ઞાએ ને શરણાએ આજ્ઞા માન્ય કરાવવી.’' પ્રભુશ્રીએ ફરીથી શ્રી બ્રહ્મચારીજીને ખાનગીમાં પણ આ સોંપણી સંબંધી જણાવ્યું તે પ્રસંગે, “પ્રભુશ્રીની વીતરાગતા, અસંગતા તેમની મુખમુદ્રા આંખ વગેરેના ફેરફારથી સ્પષ્ટ તરી આવતી અને જાણે તે બોલતા નથી પણ દિવ્ય ધ્વનિના વર્ણનની પેઠે આપણે સાંભળીએ છીએ એમ લાગે ‘મંત્ર આપવો, વીસ દોહરા, યમનિયમ, ક્ષમાપનાનો પાઠ, સાત વ્યસન, સાત અભક્ષ્ય જણાવવાં. તને ધર્મ સોંપું છું. (શ્રી બ્રહ્મચારીજીની નોંધપોથી) : ,,, - Page #93 -------------------------------------------------------------------------- ________________ [૭૮] વળી ચૈત્ર વદ છઠ્ઠના રોજ પ્રભુશ્રીજી પ્રકાશે છે :~ “આત્માને મૃત્યુ મહોત્સવ છે. એક મૃત્યુ મહોત્સવ છે. વિશ્વભાવ વ્યાપી તદપિ એક વિમલ ચિદ્રૂપ; જ્ઞાનાનંદ મહેશ્વરા, જયવંતા જિનભૂપ. એક આત્મા. બીજું કાંઈ નહીં. તેનો મહોત્સવ. મૃત્યુ મહોત્સવ. શેઠ, ચુનીભાઈ, મણિભાઈ, સોભાગભાઈ, પરીખ, (કાઠિયાવાડવાળા) વનેચંદ, મંડળ સ્થાપ્યું છે કૃપાળુ દેવનું. આત્મા ધર્મ આજ્ઞાએ ધર્મ. કૃપાળુ દેવની આજ્ઞા. બ્રહ્મચારીને પણ લીધો. સહુની નજરમાં આવે તે પ્રવર્તન કરવું. આજ્ઞા કૃપાળુ દેવની જે આશા છે તે. બાળાપ ધમ્મો આળા તો। મૂળમાર્ગ શેઠ, ચુનીભાઈ, મણિભાઈ, પરીખ, વનેચંદ પકડનાર માનું છું હું. મોટાને ગમે તે બીજાને લેવા, તે એમનો અધિકાર છે. કોઈને લેવો ન લેવો તે પ્રમાણે લેજો. પરમકૃપાળુ દેવનું શરણું છે તે માન્ય છે... સૌ સંપે મળીને રહેજો. કૃપાળુદેવે મને કહ્યું છે તે વગ૨ વાત નથી. ગુરુદેવ સહજાત્મસ્વરૂપ રાજચંદ્રજી કૃપાળુ દેવ છે. આત્મા છે. જેમ છે તેમ છે...એક મૃત્યુ મહોત્સવ. ‘થિંગ ઘણી માથે કિયા રે કુણ ગંજે નર ખેટ.’ બીજો હવે નથી... એની શ્રદ્ધા અને પ્રતીતિ. બસ આણાએ ધમ્મો આણાએ તવો, મુદ્દો એ જ. વાત એ જ છે. બીજી લીધી નથી. દૃષ્ટિની ભૂલ નથી. જે છે તે છે. એક પરમ કૃપાળુ દેવથાવું હોય તેમ થાજો રૂડા રાજને ભજીએ.' ― આ પુદ્ગલ છે. આત્મા નથી. સંજોગ છે. સંજોગનો નાશ છે. હીરાભાઈ ઝવેરીને પણ લેવાના છે. ચોટ છે. પરમ કૃપાળુ દેવને પકડેલા છે. જેનો વિશ્વાસ એને માન્ય છે. વિરામ પામું છું. વિરામ પામું છું. ખમાવું છું. એક આત્મા સિવાય બીજી વાત નથી. પરમ કૃપાળુ દેવે કહ્યું હતું, ‘મુનિઓ, આ જીવને (પ્રભુશ્રીને) સમાધિમરણ સોભાગભાઈની પેઠે થશે.’ જે સોભાગભાઈને ધ્યાન હતું તે જ છે. બીજું કંઈ માન્ય નથી. બીજું કંઈ સમજીએ નહીં. પરમ કૃપાળુ દેવ માન્ય છે. પુદ્ગલની અથડામણી. રાખનાં પડીકાં. નાખી દેવા યોગ્ય છે. બધાય પરમ કૃપાળુ દેવની દૃષ્ટિવાળાનું કલ્યાણ છે. ભાવના છે એ મોટી વાત છે. ફૂલ નહીં અને ફૂલની પાંખડી. કૃપાળુ દેવની દૃષ્ટિ ઉપર બઘા આવે છે. સૌનું કામ થઈ જશે. બીજાં લાખો હોય તો ય શું?'' સંવત ૧૯૯૨ ના વૈશાખ સુદ આઠમના રોજ નિત્યનિયમાનુસાર દેવવંદન કરી અંતેવાસીઓને ‘અપૂર્વ અવસર' બોલવાનું સૂચવેલ. કૃપાળુદેવનું એ ભાવનાસિદ્ધ પદ પૂર્ણ થતાં રાત્રિના ૮-૧૦ વાગ્યે બ્યાશી વર્ષની વયે એ મહાપુરુષનો પવિત્ર આત્મા પરમ સમાધિમાં સ્થિત થઈ, નાશવંત દેહનો ત્યાગ કરી પરમપદ પ્રત્યે પ્રયાણ કરી ગયો. અનંતશઃ અભિવંદન હો એ કલ્યાણમૂર્તિ પ્રભુશ્રીના પરમ પુનિત પદારવિંદને ! અને એમણે દર્શાવેલા દિવ્ય શાશ્વત મોક્ષમાર્ગને ! . Page #94 -------------------------------------------------------------------------- ________________ [૩૯] પ્રભુશ્રીએ આમ સં. ૧૯૭૬ થી ૧૯૯૨ સુધી આશ્રમના જીવનપ્રાણ બની તેને સત્સંગ, ભક્તિ અને મોક્ષમાર્ગ સાઘનાનું અનુપમ જીવંત ઘર્મસ્થાન બનાવ્યું અને હજારો મોક્ષાભિલાષી ભવ્યાત્માઓને સન્માર્ગ-સન્મુખ કર્યા. તેઓશ્રીએ સંસારતાપથી સંતસ ભવ્યોને ઠારવા નિષ્કારણ કરુણાથી પ્રસંગોપાત્ત જે જે બોઘવૃષ્ટિ વરસાવેલી તે બોઘામૃત વર્ષામાંથી સમીપવર્તી મુમુક્ષુઓએ કોઈ કોઈ વાર યત્કિંચિત્ યથાશક્તિ ઝીલી સંગ્રહ કરેલો તે આ “ઉપદેશામૃત'માં પ્રસિદ્ધિ પામેલ છે. અધ્યાત્મમૂર્તિ, પરમજ્ઞાનાવતાર, સનાતન વીતરાગ માર્ગોદ્ધારક, પોતાના સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્રથી આત્મજ્ઞાનદશા પામી પ્રગટ અંતરાત્મપણે વિચરતા પરમ પૂજ્ય શ્રી પ્રભુશ્રીજીનું ઉત્તરાવસ્થાનું જીવન, આ આશ્રમમાં તેમના સ્વરૂપજીવન સંબંધીના એકઘારા ચાલી આવતા બોઘ (આ ઉપદેશામૃત) તથા પોતાના સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્રજીને એકનિષ્ઠપણે–એક આશ્રિતપણે–અનન્ય શ્રદ્ધાપણે આધીન રહી પરમાત્માની ભક્તિમાં પ્રતિબિંબિત થાય છે. તેમના સંગમાં આવનાર પ્રત્યેક મુમુક્ષુ જીવને તેમજ તેમના દેહાવસાન પછી આશ્રમમાં આવનાર પ્રત્યેક મુમુક્ષુ જીવને આ જ પ્રકારે ઉત્તમ રીતે સઘર્મ (આત્મધર્મ) આરાધવા, પામવા ફરી ફરી જીવનપર્યત તેમણે ભલામણ કરેલી છે તે પ્રત્યેક મુમુક્ષુને બહુ બહુ પ્રકારે કરી વિચારવા આદરવા યોગ્ય છે. માનવ જીવનના આધ્યાત્મિક વિકાસ અને ઉદ્ધારને અર્થે બૃહદ્ ગુજરાતે એક નહીં પણ અનેક જ્યોતિર્ધરોને ઉત્પન્ન કરી ગુજરાતને અને આર્યાવર્તને પાવન કરેલ છે. શ્રી નેમિનાથ, શ્રી રાજેમતિ, શ્રી કૃષ્ણ, શ્રી હેમચંદ્ર, આનંદઘનજી, યશોવિજયજી, દેવચંદ્રજી, ચિદાનંદજી આદિ ગુજરાતને આંગણે આંગણે સુપ્રસિદ્ધ છે. એમનાં મીઠાં ઝરણાંઓનું પાણી પી અનેક ભવ્યાત્માઓ આ અવનીમાં અમરપંથે વળી રહ્યા છે. આશા ઓરનકી ક્યા કીજે ? જ્ઞાન સુધારસ પીજે. આશા ભટકે દ્વાર દ્વારા લોકનકે કુક્કર આશાઘારી, આતમ-અનુભવરસકે રસિયા ઊતરે ન કબહુ ખુમારી. આશા.' આદિ સોએ પોતપોતાની આત્મદશાની લાક્ષણિક શૈલી અને જીવંત સમસ્યાએ મુક્તિનો અને તેના પંથનો–શાંતિનો અને તેના સુખનો આ જગતને સંદેશો પહોંચાડ્યો છે. આ સૈકામાં પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર અને મુનિશ્રી લઘુરાજ સ્વામીજીએ એ પરમપદની પ્રાપ્તિ અર્થે પોતાનાં જીવન સમર્પણ કરી ગુજરાતના ઘુરંઘર જ્યોતિર્ધરોની હરોળમાં પોતાનાં અદ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી માનવજીવનને સદાને માટે પોતાનો અમોલો વારસો આપ્યો છે. આવા નિષ્કામ મહાત્માઓને અતિ વિનમ્રભાવે પુનઃ પુનઃ અભિવંદન હો ! અને તેમના અચિંત્ય યોગબળે જગતનું કલ્યાણ થાઓ. Page #95 -------------------------------------------------------------------------- ________________ [૮૦] પ્રશસ્તિ (શિખરિણી) અહો ! આત્મારામી, મુનિવર લઘુરાજ પ્રભુશ્રી, કૃપાળુની આજ્ઞા ઉર ઘરી કરી વ્યક્તિ શિવશ્રી; તમે ઉદ્ધાર્યા આ દુષમ કળિકાળે જન બહુ, કૃપાસિંધુ વંદું, સ્વરૂપ-અનુભૂતિસ્થિતિ ચહ્યું. ૧ કૃપાળુની આજ્ઞા મુજ ઉર વિષે નિશ્ચળ રહો, ગુરુ જ્ઞાનીયોગે ભવજળતણો અંત ઝટ હો; સદા સેવી એને વિમલ વચનામૃત ઋતને, સદાનંદે મગ્ન ભજું હું સહજાત્મસ્વરૂપને. ૨ (વસંતતિલકા) શ્રી રાજચંદ્ર ગુરુવર્યતણા પ્રતાપે, અધ્યાત્મજ્ઞાન પ્રગટાવી પ્રભુશ્રી આપે; વર્ષાવી બોઘતણી અમૃતવૃષ્ટિ આ જે, થાઓ મુમુક્ષુજનને શિવસૌખ્ય કાજે. ૩ જે ભવ્ય આ ર્જીવન જ્ઞાનેંતણું સુણીને, સંભાળશે સહજ_આત્મસ્વરૃપ–શ્રીને; સંસાર-સાગર અપાર તરી જશે તે, શાંતિ સમાધિ સુખ શાશ્વત પામશે તે. ૪ Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ લઘુરાજ સ્વામી દેહોત્સર્ગ વિ. સં. ૧૯૧૦, આસો વદ ૧ વિ. સં ૧૯૯૨, વૈશાખ સુદ ૮ Page #97 -------------------------------------------------------------------------- ________________ Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ લઘુરાજસ્વિામી(પ્રભુશ્રી) ઉપદેશામૃત Page #99 -------------------------------------------------------------------------- ________________ Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ લઘુરાજસ્વામી(પ્રભુશ્રી) ઉપદેશામૃત ✩ પત્રાર્વાલ-૧ ✩ ૧* ო તે પૂર્ણાનંદી મહાત્માને ત્રિકાળ નમસ્કાર ! હે ભગવાન ! આ દાસ ઉપર અત્યંત દયા લાવી અપૂર્વ મંત્ર બતાવીને જગત બધું ભ્રમ બતાવ્યું તે એવું તો ચોંટી ગયું છે કે તે મારા પ્રભુ-ગુરુએ જે કીધું તે સત્ છે. તેથી મને બીજા કોઈની આસ્થા આવતી જ નથી. એક પ્રભુ—ખરા હરિ પ્રભુમાં ભિન્નભાવ નથી; ગુરુરૂ પરમાત્મામાં ભિન્નભાવ નથી. તે વિના બધું દૃશ્ય જગત ભ્રમ છે; તે માટે હે પ્રભુ, તમો જો કોઈ વાત આ બાળકને કહેવા યોગ્ય હોય તો લખી જણાવવા કૃપા કરશો; શાથી જે બીજા કોઈનું મને કહેવું થાય અથવા કોઈનું સાંભળવું થાય તે મને અંતઃકરણમાં ઊતરે નહીં. આપ જે લખો અને કહો એ વાત સત્ છે, તે કહ્યું ખરું છે. તેથી મને વિશ્રાંતિ આવે છે. મને અનુભવથી જો ખરું લાગે તો પણ એમ રહ્યા કરે છે જે પ્રભુ સ્વીકારે અને એમ કહે જે તે પ્રમાણે છે તો શાંતિ થાય છે; નીકર ચિત્ત વિકલ્પમાં રહે છે. ચૈત્ર સુદ ૬, સોમ, ૧૯૫૧ હાલ તો મારે ખરો આશરો હે પ્રભુ, તમારાં વચનામૃતોનો છે. બોઘ થયેલ તે સ્મૃતિમાં આવે છે અને તમારું શરણું છે. બાકી હે પ્રભુ, આપનો બોધ અને જે માર્ગ તેનું મને ભાન ન હોત તો આ સંસારસમુદ્રમાં રઝળી મરત, ગોથાં ખાયા કરત. ધન્ય છે હે પ્રભુ, આપની પવિત્રતાને જે આ રાંક કિંકરને તાર્યો અને તમારા શરણાથી મને વિશ્રાંતિ આવશે. ૨ શ્રી કૃપાળુનાથને ત્રિકાળ નમસ્કાર ! હે પ્રભુ ! ‘છ પદ’ ની દેશના કહી તે મેં મોઢે કરી છે; અને દિન પ્રત્યે તે વિષે પુરુષાર્થ જેમ થશે તેમ કરીશ. પણ હે નાથ, હું જ્યાં પુરુષાર્થ કરવા માંડું છું ત્યાં વઢવાડ થઈ રહે છે. કોઈ કોઈ સંકલ્પ-વિકલ્પ આવે તેને કાઢું છું. દિવસે રાત્રે દ૨૨ોજ સંગ્રામ ચાલે છે. વળી દોષ દેખું છું. પ્રભુ, * આ પહેલાં ત્રણ પત્રો શ્રીમદ્ રાજચંદ્ર ઉપર શ્રીમદ્ લઘુરાજ સ્વામીએ લખેલા પત્રોમાંથી લીધા છે. કાર્તિક સુદ ૫, બુધ, ૧૯૫૨ Page #101 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત હું ઝઘડો મચાવી રહ્યો છું. આમથી આમ અને આમથી આમ પરિણામને ખાંપું છું; પણ વળી આમથી બીજાં પેસી જાય છે. વળી તેની સામો થઈ તેનો તિરસ્કાર કરું છું ત્યારે ભાગી જાય છે. હે પ્રભુ ! તમારાં વચનને ઘન્ય છે ! હે માવતર ! તમારો આઘાર છે. હે પ્રભુ ! આપનાં અમૃતતુલ્ય વચનનો આ રંકને જોગ મળ્યો તેથી કરીને હે પ્રભુ ! જરા શાંતિ થઈ. નહીં તો હે નાથ ! મારી કોઈ ગતિ નહોતી. હે પ્રભુ ! તમારું શરણું ભવોભવ હજો. હે નાથ ! નોંઘારાના આધાર, હે પ્રભુ ! એક જ્યારે આપનું શરણું ગ્રહણ કરું છું ત્યારે સંકલ્પ-વિકલ્પ બંઘ પડે છે, અને તે પરમ શાંતિને આપે છે. તેથી વૈરી માત્રનો નાશ થાય છે અને મને ત્યારે સારું લાગે છે. જ્યાં તકરારવાની વૃત્તિઓમાં મને કંઈ કળ ન પડે ત્યાં એક ધ્યાનથી પ્રભુનું શરણું ગ્રહણ કરું છું, ત્યાં સુખ થાય છે. વળી ચિત્ત પણ ફરતું હોય છે ત્યાં પણ એક પ્રભુનું શરણું જેટલી વાર સ્મૃતિમાં રહે છે તેટલી વાર આનંદ થાય છે. વળી કષાયાદિ જે વિષાદ કોઈ વચન સાંભળેથી ઊઠે તેને ભૂલી જવાતું ન હોય અને ખેદ આવ્યા કરે તેમ હોય તેનો ઉપાય પણ હે પ્રભુ! એકચિત્તે કરી જ્યાં પ્રભુમાં ચિત્ત કરું છું એટલે શાંતિ થાય છે. હે નાથ ! એવી અપૂર્વ વસ્તુ તમોએ મને આપી છે. હે નાથ ! તે વિના મારો કોઈ પ્રકારે બચાવ થતો નથી. તમારું ભવોભવ હજો શરણું, પ્રભુ તમારું. એ જ વિનંતિ. શ્રાવણ વદ ૫, બુધ, ૧૯૫૩ શ્રી પ્રગટ સદ્ગુરુદેવ સહજાત્મસ્વરૂપ, ત્રિકાળ નમસ્કાર ! આ સંસારના પ્રસંગમાં મોહમમત્વ વડે વહેવારમાં આસક્ત વૃત્તિને અટકાવનાર, પાંચ ઇંદ્રિયના વિષયને રોકનાર, કષાયો મોળા પડવાનું કારણ એક સપુરુષના ઉપદેશથી થયેલો બોઘ પરમ કલ્યાણકારી છે. જ્યાં સુધી આ જીવ તે સદ્ગોઘ અને સદ્ગુરુએ કહેલાં સન્શાસ્ત્રોને અવગાહતો નથી ત્યાં સુધી તેને બાહ્ય વૃત્તિ રહે છે. કરમાળા, જિસોલાપુર (ચાતુર્માસ) સં. ૧૯૫૮ તત્ સત્ શ્રીમદ્ પરમ વીતરાગ સદ્ગુરુદેવને નમોનમઃ મુનિશ્રી લક્ષ્મીચંદજી આદિ મુનિવરો પ્રત્યે, અત્રેના મુનિશ્રી આદિના યથાયોગ્ય નમસ્કાર પ્રાપ્ત થાય. મુનિશ્રી દેવકીર્ણજીના દેહત્યાગ થયાની ખબર તારથી સાંભળી ખેદ થયો છે. વળી તમ પ્રત્યે પણ ખેદ થવો સંભવે છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૧ મુનિવર શ્રી દેવકીર્ણજી આત્માર્થી, મોક્ષ-અભિલાષી હતા. તેમને આત્મસ્વરૂપનો લક્ષ લેવાની ઇચ્છા હતી, તે ગુરુગમથી મળી હતી. વળી અશુભવૃત્તિનો અભાવ કરી શુભવૃત્તિ રાખવામાં પુરુષાર્થ કરવાની ઇચ્છાએ તે લક્ષમાં લેતા હતા. ઘન્ય છે તેવા આત્માને ! તે આત્મપરિણામી થઈ વર્તતા આત્મા પ્રત્યે નમસ્કાર હો ! નમસ્કાર હો ! બીજું, પરમ સત્ વીતરાગ ગુરુદેવની તો એ આજ્ઞા છે કે હે આર્ય ! અંતર્મુખ થવાનો અભ્યાસ કરો, સંતવૃત્તિ કરો. “દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે, તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંઘ યથાતથ્ય દીઠો છે, મ્યાન પ્રત્યે તરવારનો જેવો સંબંઘ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંઘ દીઠો છે, અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહપુરુષોને જીવન અને મરણ બન્ને સમાન છે.” તે સત્પરુષોને નમસ્કાર હો ! નમસ્કાર હો ! “સમ્યક પ્રકારે વેદના અહિયાસવારૂપ પરમઘર્મ પરમપુરુષોએ કહ્યો છે. તીક્ષ્ણ વેદના અનુભવતાં સ્વરૂપભ્રષ્ટ વૃત્તિ ન થાય એ જ ચારિત્રનો માર્ગ છે. ઉપશમ જ જે જ્ઞાનનું મૂળ છે તે જ્ઞાનમાં તણ વેદના પરમ નિર્જરા ભાસવા યોગ્ય છે.” | મુનિ દેવકીર્ણજીને વેદની કર્મ પ્રબળ વેદતાં, મરણ ઉપસર્ગ જેવા અવસરે સમતાભાવે કર્મનિર્જરા થઈ છે. તો તે અવસરે અથવા છેલ્લા અવસરે કાંઈ બોલ્યા હતા ? તે જણાવશો. મુનિ લક્ષ્મીચંદજી આદિ મુનિવરોને તે મુનિશ્રીનો સમાગમ સંયમને સહાયકારક હતો, વૈરાગ્યત્યાગનો વઘારો થવાને કારણભૂત હતો. અમોને પણ તે જ કારણથી ખેદ રહે છે. તે ખેદ હવે કર્તવ્ય નથી. અમારે અને તમારે એક સદ્ગુરુનો આધાર છે, તે શરણ છે. તે પરમ સત્સંગ પરમ સના શરણે આત્મા દેહથી ભિન્ન જાણી સ્વરૂપસ્થિત થવું કર્તવ્ય છે. એથી આ મનુષ્યદેહમાં જન્મ સફળ કરવાનો, ઉદ્ધરવાનો અવસર આવ્યો છે. ભગવંતે દુર્લભમાં દુર્લભ આવો જોગ મળવો કહ્યો છે, તે ભૂલવા જેવું નથી. વળી અમો આ દેશમાં આવ્યા ત્યારે બહુ વિચાર કરી તમારા સમાગમમાં મુનિ દેવકીર્ણજીને મૂક્યા હતા જેથી કરી તમને કોઈ પ્રકારે ખેદ થાય નહીં. અને અમારે થોડો કાળ નિવૃત્તિક્ષેત્રમાં વિચરવું હતું, તેમાં ઉદય બળવાન તેથી કરી અમારા પણ ઘાર્યા ઉપરાંત આ દેશમાં આવવું થયું છે. તે ભાવિ ભાવ થયું. તેવામાં તમારે અને અમારે તે મુનિશ્રીનો વિયોગ થયો. તે જાણી હવે ખેદ કર્તવ્ય નથી, શાથી જે મરણ તો સર્વ પ્રાણીને આવે છે. આપણે પણ તે દિન આવે તે પહેલાં સાવઘાન થવા જેવું છે. પ્રાણીમાત્ર સૌ સૌના શુભાશુભ કર્મ પ્રમાણે ગતિ આગતિ કરે છે. આપણે તેમ જાણી દેહનો ભરૂસો કર્તવ્ય નથી. નાશવંત દેહનો વિશ્વાસ રાખવા જેવું નથી. આ દેહ કંઈ કામનો નથી. એક સેવા-ભક્તિ કોઈ સંતપુરુષના જોગે બને તો કલ્યાણકારી છે. આ જીવે દેહના કારણે, દેહને માટે અનંત કાળ આત્માને ગાળ્યો છે; પણ આત્માને માટે આ દેહને ગાળે તો પરમ કલ્યાણ થાય, સહેજે આત્મજ્ઞાન સુલભ થાય. અનાદિનું જે અજ્ઞાન તેનો નાશ થવાનો અવસર આવ્યો છે. પણ આ જીવની મૂઢતાને ધિક્કાર છે ! અતિ ખેદકારક છે. સર્વ ભૂલી જવા જેવું છે. તે ઘર્મનો નાશ થયો નથી; અતીત, અનાગત અને વર્તમાનમાં તેમ થયું નથી. નાશવંત જે છે તે વહેલું મોડું મૂકવા જેવું છે. આપણે પણ બેસી રહેવું નથી. એક દિવસ Page #103 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત આગળ પાછળ ચાલ્યું જવાનું છે એમ જાણી, ખેદ કરવો ઘટતો નથી. વળી હે મુનિવરો ! તમને જે ખેદ મુનિ દેવકીર્ણજીના વિજોગનો છે તે ખેદ ત્યાગ-વૈરાગ્યમાં વર્તાવવો ઘટે છે. તેમજ મરણ સદા સ્મૃતિમાં રાખી ક્ષણે ક્ષણે ભૂલવા જેવું નથી એમ જ્ઞાની પુરુષનું કહેવું છે એમ સમજી પ્રમાદ છોડી, ભક્તિ વૈરાગ્ય અને શાસ્ત્રનું વાંચવું વિચારવું, અવલોકન કરી ધ્યાનમાં લેવું ઘટે છે. જેથી કરીને પરભાવ ભૂલી જવાય એમ કર્તવ્ય છે. તેની સાથે રસાદિનો ત્યાગ ઘટે છે. હે મુનિવરો ! મહાત્માપુરુષે કહ્યું છે તે યાદ લાવવા જેવું છે કે પ્રીતિ અનંતી પરથકી, જે તોડે તે જોડે એહ; પરમ પુરુષથી રાગતા, એકત્વતા દાખી ગુણ-ગેહ.” એમ સદ્ગુરુદેવનું પણ કહેવું છે તે યાદ લાવી, પાંચમા સુમતિનાથનું શ્રી આનંદઘનજીકૃત સ્તવન મુખપાઠ કરી વિચારવા જેવું ઘટે છે, તેમ વર્તન કરવું ઘટે છે. * * ભાદરવા વદી ૭, શનિ, ૧૯૫૮ યથાતથ્ય સ્વરૂપને પામ્યા તે પુરુષની શ્રદ્ધા, સન્મુખ દ્રષ્ટિ, તે સદ્ગુરુની આજ્ઞા ત્રિકરણયોગે સાઘન કરતાં સમયે સમયે જે ઘર્મમાં પરિણમી રહ્યા છે તેને નમસ્કાર હો ! નમસ્કાર હો ! બીજું કાંઈ શોઘ મા. એક સપુરુષ પ્રત્યે એકનિષ્ઠાએ તેના વિજોગમાં પણ સર્વ યોગ અર્પણ કરી આત્મજાગૃતિમાં અખંડ રહ્યા છે, તેની આજ્ઞાએ યથાર્થ સ્વરૂપ જાણ્યું છે, શ્રધ્યું છે, વેડ્યું છે, વેદે છે, ત્રિકાલ તે જ છે તે યથાતથ્ય સ્વરૂપ જાણનારની પ્રતીતિ કર્તવ્ય છે. તે સ્વરૂપ નહીં જાણનારને, દેવાધિદેવ પરમકૃપાળુદેવે આત્મસ્વરૂપ જાણ્યું છે તે જ સ્વરૂપની ભાવનાએ ખરા આત્મભાવે તે જ મને હો, તે જ મારે માન્ય છે એમ વિચારી “સહજાત્મસ્વરૂપ પરમગુરુ' પ્રત્યેનું ધ્યાન ક્ષણે ક્ષણે સ્મૃતિમાં લાવવાની ભાવનાએ વર્તવું કર્તવ્ય છેજી. ઉદય આવેલાં કર્મ સમભાવે જ્ઞાની પુરુષ સહન કરે છે. અનંતી વેદના નરકાદિકની ઉદય આવ્યું જીવે ભોગવી છે. શાતા-અશાતા બેઉનો અનુભવ પુરુષના બોઘે વિચારવા યોગ્ય છે. કોઈ પણ વિકલ્પ કરવા જેવું નથી, ફક્ત એક સ્મરણ કર્તવ્ય છે. દ્રષ્ટા તરીકે રહી વર્તવા યોગ્ય છે. જે દેખાવમાં આવ્યું તે જવાનું છે, તેમ વિચારી જૂઠાભાઈ ઉપરનો પત્ર છે, જેમાં હું તમારી સમીપ જ છું એમ રાખી જાગૃતિમાં રહેવાની ભલામણ જ્ઞાની પુરુષે કરી છે તે પત્ર, વળી – “બલા નરરૂપ, તિરિયાયુવમgયા, पत्तोसि तिव्व दुक्खं, भावहि जिणभावणा जीव." પૂજ્ય વનમાળીભાઈ ઉપરનો પત્ર છે તે વિચારશો. ૧. પત્રાંક ૯૧૩ “શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ' પ્રકાશિત આવૃત્તિ. Page #104 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૧ ૬ તત્ સત્ શરીર-પ્રકૃતિ દિવસે દિવસે તેનો ધર્મ બજાવે છે. તેમાં અંતવૃત્તિ તો અસંગ રહેવાના વિચારવાળી છે. વળી જેમ જનસમૂહનો પરિચય ઓછો હોય તેમ ઠીક રહે છે. ઉપાધિ ગમતી નથી. તેમાં પ્રારબ્ધ, સંચિત અનુસાર આવી મળે છે, તે હરીચ્છાએ સુખદાયી માનીએ છીએ. ઉદય-આધીન વર્તતાં, સમભાવી થવાય તેવા પુરુષાર્થનો વિચાર રહ્યા કરે છે. ૭ ॐ તત્ સત્ પરમ કૃપાળુએ આ દુષમકાળ કહ્યો છે તે યથાર્થ અનુભવાય છે. આ કાળ જોતાં ખેદ પામવા જેવું છે. આપે લખ્યું જે આપણું કરીને વહ્યું જવું. તેમ જ છે. હવે બીજે દૃષ્ટિ મૂકવા યોગ્ય છે નહીં. ‘આભ ફાટ્યાને થીંગડું ક્યાં દેવું ?' તેમ આપે લખેલું તે પણ બરાબર છે. ⭑ ⭑ નાના કુંભનાથ, નડિયાદ અષાડ સુદ ૬, ૧૯૭૦ ८ નિડયાદ, અષાડ વદ ૧૧, વિ, ૧૯૭૦ તા. ૧૯-૭-'૧૪ તત્ સત્ મહાત્મા પુરુષોના દેહની રક્ષા આત્માર્થી ભાવિક મુમુક્ષુ પુરુષે જરૂર કર્તવ્ય છે. પણ કાળની કઠિનતાને લીધે શું લખું ? લખ્યું જાય તેમ નથી. ‘પર્યાયદૃષ્ટિ ન દીજીએ, એક જ કનક અભંગ રે.' હે પ્રભુ ! તડકો ત્યાં છાંયો; જેમ ગાડાનું પૈડું ફરતું હીંડે છે ત્યારે ઉપરનીચે આવે છે, તેમ શાતા-અશાતા ઉદયરૂપ કર્મ, ભાવિક આત્મા જોયા કરે છે; તેમાં હર્ષવિષાદ કે ખેદ કરતા નથી, સમભાવે વેદતાં શાંતિથી સાક્ષીપણે વર્તે છે. આપ તો એકાકી ભાવે દ્રષ્ટા આત્મા થઈ વર્તો છો; શાંત, દાંત ગુણી છો. ઘન્ય છે આપ પ્રભુને ! આવા સત્પુરુષની ઓળખાણ આ જગતના જીવોને થવી ઘણી મુશ્કેલ છે. કોઈ મહાન પુરુષને જોગે તે ખબર પડે છે. હે પ્રભુ ! સત્પુરુષની ભક્તિ, તેના ગુણોનું ચિંતવન, તેની શ્રદ્ધા, તેના વચનામૃતનું પાન-ભક્તિ કરે છે તેથી તે અમને માન્ય છે. તેવા ભાવિક આત્માને નમસ્કાર ! તે કૃતકૃત્ય ! ધન્ય છે ! ધન્ય છે ! ઉમરેઠ, માગશર, ૧૯૭૧ હે પ્રભુ ! સનત્કુમાર ચક્રવર્તીને મોટા સોળ રોગનો ઉદય હતો. તે મહાત્માએ સમભાવે વેદીને પોતાનું કલ્યાણ કર્યું છે, તેમ આપ પણ શાંત ભાવે વેદન સહન કરી પરિષ–ઉપસર્ગને ઘીરજથી વેદી આત્મકલ્યાણ કરો છો માટે આપને ‘ધન્ય ! ધન્ય !' કહી વંદું છું. Page #105 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત હે પ્રભુ! હવે તો આપણે બન્ને જણા એક ક્ષેત્રે, સંતસમાગમે શાતા-અશાતા, સુખ કે દુઃખ સમપરિણામે વેદી કાળ વ્યતીત કરીશું એમ મનમાં આવી જાય છે. ૯ ચકલાસી, માગશર વદ ૨, શનિ, ૧૯૭૧ આપને જણાવવાનું તે પ્રથમ પત્રથી લખેલ, વળી અત્રે આ પત્રથી લક્ષમાં રાખશો. લખવાનું કે કૃપાળુદેવ પ્રભુની આજ્ઞા આપને છે. તે ધ્યાનમાં લઈ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુસાર જે ક્ષેત્રે વિચરતાં આત્મહિત થાય તેમ અપ્રતિબદ્ધતા, અસંગતા, જગતના સર્વ ભાવો પ્રત્યે ઉદાસીનતા રાખી, હૃદયને નિર્મળ કરી, આખા વિશ્વને ચેતન્યવત્ જોવાના વિચારમાં મનને જોડજો. વળી શ્રી સદ્ગુરુની મુદ્રા વીતરાગ ભાવે ધ્યાનમાં અવલોકન કરતા રહેશો, સુખ-સમાધિ શાંતિથી વિચરજો. મુનિ. ને, મારા આત્મભાવે યથાયોગ્ય નમસ્કાર પ્રાપ્ત થાય, એમ કહીને કહેશોજી : “આપ તો મહા ગુણી છો ! પરમ આત્માર્થી છો ! આપશ્રીએ કૃપાળુદેવ પ્રભુની શ્રદ્ધા, રુચિ, આસ્થા ગ્રહણ કરી, તેથી આપ કૃતકૃત્ય ! ઘન્ય ઘન્ય છો ! ઘન્યવાદપૂર્વક પરમ ઉલ્લાસભાવથી તેમ આતમ પ્રત્યે નમસ્કાર હો ! નમસ્કાર હો ! આપ તો અવસરના જાણ છો. ત્યાં મુનિશ્રી મોહનલાલજી પાસે રહી જેમ બને તેમ આત્મહિત, કલ્યાણ થાય તેમ કરી, આત્માનું કલ્યાણ કરો એ જ મારી આશિષ છે. તમારી જય થાઓ ! ” ૧૦ નડિયાદ, સં. ૧૯૭૧ ઈ. સ. ૧૯૧૫ તત્ સત્ આપશ્રીએ સદા આનંદમાં રહેવું. કૃપાળુદેવ સર્વની સંભાળ લે છે. દ્રષ્ટા તરીકે જોયા કરવું. જગતના સર્વ ભાવ ભૂલી જવા માટે પ્રયત્ન કરવું. સર્વ ભાવ પ્રત્યે ઉદાસીનતા એટલે સમભાવ રાખી, હૃદયને નિર્મળ કરી, આખા જગતને ચૈતન્યવત્ જોવાના વિચારમાં મનને જોડજો. આ પ્રભુ એટલે કૃપાળુદેવ શ્રી સદ્ગુરુ પ્રભુની મુદ્રા છબી હૃદયમંદિરમાં સ્થાપી, ખડી કરી મનને ત્યાં પરોવજો. પરમ શુદ્ધ ચૈતન્યનું નિવાસઘામ એવો જે શ્રી સદ્ગુરુનો પવિત્ર દેહ તેનું વીતરાગ ભાવે ધ્યાન કરવાથી પણ જીવ શાંત દશાને પામે છે, એ ભૂલવા જેવું નથી. ગુરુપસાથે સર્વ આવી મળશે. ૧ નડિયાદ, સં. ૧૯૭૧ તા. ૧૦-૩-૧૫ આટલો દેહ આત્માર્થે આત્મકલ્યાણમાં ગાળવો એ મુમુક્ષુઓએ ભૂલવા જેવું નથી. જીવે Page #106 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૧ અનંત દેહ ઘારણ કર્યા છે; જે જે દેહ ઘારણ કર્યા છે તે દેહને વિષે તેણે મમતાબુદ્ધિ કરી છે. અને તેની સાથે દેહના સંબંધીઓ-સ્ત્રી, પુત્ર, પિતા, માતા, ભાઈઓ, કુટુંબાદિકને વિષે ગાઢ સ્નેહથી મમતાબુદ્ધિ કરીને અનંતકાળથી આત્માને રખડવું પડ્યું છે. પણ આટલો દેહ જો સર્વ મમતા છોડીને આત્માર્થે ગળાશે તો નવો દેહ ઘારણ કરવો નહીં પડે અને તે મમતા છોડવાનું નિમિત્ત સત્સંગ, સલ્ફાસ્ત્ર છે તેનો નિવૃત્તિકાળે જોગ મેળવવો. અત્રે સત્સમાગમમાં જંગલમાં નિવૃત્તિએ થયેલી વાત વિશેષ વિચારવા યોગ્ય છે. પરમાત્મા ભક્તોને મોક્ષ આપવા કરતાં ભક્તિ આપવામાં કૃપણ છે; અને ભક્તને પરમાત્માની ભક્તિ એ જ તેનું જીવન છે. એ જ. શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું ? કર વિચાર તો પામ.” જીવને બોઘની જરૂર છેજી. ૧૨ નડિયાદ, જેઠ વદ ૧૨, શુક્ર, ૧૯૭૧ “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.” દ્રષ્ટા સમ ભેદજ્ઞાનના સંયમી થાઓ, સંયમી થાઓ. હે આર્ય ! શાંતિભાવે વર્તશો. શાંતિઃ શાંતિઃ ૧૩ નડિયાદ, અષાઢ વદ ૯, બુધ, ૧૯૭૧ આત્મસમાધિ, આત્મભાવનો વિચાર અને તેમાં વૃત્તિ કરવાને પુરુષાર્થ છે. મુખ્ય તો વૃત્તિને પરભાવમાં જતાં રોકવી, આતમભાવમાં રાખવી. દુહા : “જનમ-મરણના દુઃખ સકલ, મેટણ સમરથ સોય, જ્ઞાની સો હી સમરીએ, તો સમ ઓર ન કોય. ૧ જ્ઞાની સગુરુ બિન મિલા, માયા મારે કોડ, ચોરાસી લખ જીવડા, સકલ રહ્યા કર જોડ.” ૨ ૧૪ નડિયાદ, આસો સુદ ૮, ૧૯૭૧ હે પ્રભુ ! હરીચ્છાએ શાંત રહીશું. ઘીરજથી, જેમ બનવા જોગ હશે તે બની જાય એ જોયા કરીશું–દ્રષ્ટા તરીકે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત ૧૫ નડિયાદ, તા. ૯-૮-૧૫, સં. ૧૯૭૧ આપને જે સત્ મારગની ઇચ્છા છે, જે આપના અંતઃકરણથી દર્શાવી તેવી ભાવના કર્તવ્ય છે. આગળ ઉપર આપને તે ભાવનાથી લાભનું કારણ બનશે એમ સમજાય છે. સત્સંગ મોટી વસ્તુ છે તે આપને વિચારવા લાયક છે. પ્રાણીમાત્રને સુખની ઇચ્છા છે; અને દુઃખોથી મુક્ત થવું એમ વિચારી ઘણા પ્રયત્ન કરે છે, અથવા ઘણાં દર્શનથી તે જીવો દુઃખથી મુકાય તેમ સમજી પોતાના મતનો આગ્રહ કરીને ધર્મ કરે છે; પણ ‘ધર્મ' વસ્તુ શું છે તેનું એ જીવોને ભાન નથી. તે વિષે ॰વચનામૃતમાં શ્રી કૃપાળુદેવે પ્રકાશ્યું છે. આ પત્ર વાંચી આપનાથી સમજાય તે જણાવશો. ૧૦ ‘આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે' ૧૬ કાણીસા, ચૈત્ર સુદ ૪, ગુરુ, ૧૯૭૨ બીજું, હવે આપને સ્મૃતિમાં રહેવા સૂચના લખી જણાવું છું. હે પ્રભુ ! આપનું હૃદય કોમળ છે, સરળ, બહુ લાગણીવાળું છે, માટે જણાવું છું — ૧. પત્રાંક ૭૫૫ ⭑ ✰✰ અમો એવી આશા ખાસ કરતા નથી કે જેથી કરી આત્માને બાધ થાય. સાક્ષાત્ અમારા આત્મા સમાન જાણી, બીજાને બાઘ થાય તેમ અમે આજ્ઞા કરતા નથી, તેમ અમોને પણ બાઘ થાય તેમ કરતા નથી. માટે તે ખ્યાલમાંલક્ષમાં રાખી સુખ-સમાધિમાં આત્મભાવે ભાવનાએ રહેશોજી; કોઈ ચિંતા કરશો નહીં. ‘ફિકરકા ફાકા ભર્યા તાકા નામ ફકીર.’ “ડગમગ ઠાલી શાને કરે, તારું ધાર્યું ન થાય, ગમતું થાશે ગોવિંદનું, કોનું જાણ્યું ન જાય. ૧ ઋણ સંબંધે આવી મળ્યા, સુત, વિત, દારા, દેહ; લેવા-દેવા જ્યારે મિટે, માર્ગ લાગશે તેહ. ૨ નિશ્ચે જાણો રે'વું નથી, જૂઠો જગ-વિશ્વાસ; એહથી સ્હેજે તું અલગો, આઠે પહોર ઉદાસ. ૩ ફોગટ ફંદ સંસારનો, સ્વારથનો છે સ્નેહ; અંતે કોઈ કોઈનું નથી, તું તો તેહનો તેહ. ૪ ખોળ્યે ખોટું સર્વે પડે, ન જડે નામ ને રૂપ; બાંઘી રૂંથી ઊભું કર્યું, જેવું કાષ્ઠસ્વરૂપ. પ સંશય તેને શાનો રહ્યો, જેને બ્રહ્મવિચાર; અગ્નિ ઉધેઈ અડે નહીં, રવિ નહિ અંધકાર.''૬ Page #108 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૧ ૧૧ ૧૭ નાર, તા. ૫-૧૬, રવિ, સં. ૧૯૭૨ આપ અમારા વિષે ચિંતા કરશો નહીં. સદ્ગુરુ પરમકૃપાળુ યોગીન્દ્ર પ્રભુનું શરણું છે તેને કશી વાતની કમી નથી. સર્વ વસ્તુ તેને મળી આવી છે. સદ્ગુરુની કૃપાદ્રુષ્ટિ એ જ કલ્યાણ, સપુરુષની સર્વ ઇચ્છા પ્રશંસવામાં કલ્યાણ છે; એ જ અમને આનંદ છે ! અત્યાનંદ છે ! તા.ક. નીચેના દોહરા કોઈ પોતાની ખાનગી બુકમાં ઉતારી લઈ વિચારશો. દોહરા – “આતમ ઓર પરમાતમા, અલગ રહે બહુ કાલ; સુંદર મેલા કર દિયા, સદ્ગુરુ મિલા દલાલ. ૧ ભેદી લિયા સાથમેં, વસ્તુ દિયો બતાય; કોટિ જનમકા પંથ થા, પલમાં દિયા છુડાય. ૨ ચાર ખાણમેં ભટકતાં, કબહુ ન લાગત પાર; સો તો ફેરા મિટ ગયા, સદ્ગુરુકે ઉપકાર. ૩ મન મારનકી ઔષધિ, સદ્ગુરુ દેત દિખાય; ઇચ્છત પરમાનંદકો, સો સદ્ગશરણે જાય. ૪ ગુરુ બિન જ્ઞાન ન ઊપજે, ગુરુ બિન મિલે ન ભેદ; ગુરુ બિન સંશય ના મિટે, જય! જય! જય! ગુરુદેવ. ૫ તુલસી જગમેં આય કે, કરી લીજે દો કામ; દેનેકો ટુકડા ભલા, લેનેકો હરિનામ. ૬ કબીર કહે કમાલકું, દો બાતેં લિખ લે; કર સાહેબકી બંદગી, ભૂખાકો કુછ દે. ૭ લેનેકો હરિનામ હૈ, દેનેકો અન્નદાન; તરનેકો આધીનતા, બૂડનેકો અભિમાન. ૮ મુફત મનુષતન પાયકે, જો ન ભજત ગુરુરાજ; સો પીછે પછતાયેંગે, બહુત ઘસેંગે હાથ. ૯ સતિયા, સત નવ છોડિયે, સત છોડ્યું પત જાય; સતકી બાંઘી લક્ષમી, ફિર મિલેગી આય.” ૧૦ - ૧૮ જૂનાગઢ, જેઠ સુદ ૭, બુધ, ૧૯૭૨ “સદ્ગુરુ સમ સંસારમાં, હિતકારી કો નાંહી; કહે પ્રીતમ ભવપાશ તે, છોડાવે પલમાંહી. ૧ ગુરુકો માને માનવી, દેખી દેહવે'વાર; કહે પ્રીતમ સંશય નહીં, પડે (તે) નરક મોઝાર.” Page #109 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત કક્કો કર સદ્ગુરુનો સંગ, હૃદયકમળમાં લાગે રંગ, અંતરમાં અજવાળું થાય, માયા મનથી દૂર પલાય; લિંગવાસના હોયે ભંગ, કક્કા કર સદ્ગુરુનો સંગ. ૩ વધ્યા ઓળખાણ નહિ જેહને, સંશય શોક સદા તેહને, આતમબુદ્ધિ ન ઊપજે કદા, આશા તૃષ્ણા બહુ આપદા, દેહદૃષ્ટિ દેખે દેહને, યચ્યા ઓળખાણ નહિ જેહને.” આત્માને લક્ષમાં રાખવા યોગ્ય છે, કર્તવ્ય છે. સંભારી યાદ કરશોજી. ૧૯ જૂનાગઢ, અષાડ સુદ પ, બુધ, ૧૯૭૨ શ્રી પ્રગટ પુરુષોત્તમસ્વરૂપ સહજાનંદી શુદ્ધ ચૈતન્ય પ્રભુને નમોનમઃ આ પત્ર સાથે પદ મોકલ્યાં છે; તે બને તો, મુખપાઠ થાય તો કરશોજી. તીર્થની જગ્યા, વન-ઉપવન, વાડી, એકાંત જ્ઞાન-ધ્યાન જોગીઓને વૈરાગ્યનાં સ્થળો અત્રે સારાં છે. તેવા નિમિત્તના કારણે શાંતિ છેજી; ઉપાધિ નથી, પ્રતિબંઘ સહેજે અત્રે નથી. પહેલું પદ (પદની લયનો રાગ-કાફી) યોગી એકિલા રે ! નહિ જેને સંગ કોઈ, શિષ્ય તે સાચા રે ! તેની સોઈ નવ જોઈ. યોગી. ૧ (એ ટેક) એકલો વાસ વસે જંગલમાં, અખંડ આઠે જામ, ભેગા થાય કે સળગી ઊઠે છે, વેંચવુ છે કશું દામ ? સિદ્ધાંત એ જાણે રે ! વસે જોગી સહુ ખોઈ. યોગી. ૨ ઘૂઘરો એક હશે બાંધેલો, અવાજ તેનો નવ થાય, દસ-વીસ જો મળી બેસે તો, ઘોંઘાટથી માર ખાય, સુખ ન શમણે રે ! કર્યું-કાર્યું નાંખે ધોઈ. યોગી. ૩ એ સિદ્ધાંત સમજીને સાચો, એકલો રહે યોગીરાજ, કર્મયોગે વસતિમાં વસવું, તોપણ એકલો રાજે રાજ, સુખ સૌ એકે રે ! ઝાઝે મૂઆ છે રોઈ. યોગી ૪ પરિચય ને ઘનસંગ્રહ નહિ જો, તો એકલો રે'વાય, નહિ તો વગર બોલાવી વળગશે, અહીંથી તહીં બલાય, બાપુ એકિલા રે ! શાણા સુખી હોય. યોગી ૫ બીજું પદ હાં રે ! દિલડું ડોલે નહિ, રે ! ડોલે નહિ, બીજી વૃત્તિ અંતરની ના ખોલે રે ! દિલડું. (એ ટેક) Page #110 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૧ હાં રે ! ઘણા શૂરા તો જગતમાં ગણાય, હાં રે ! તે તો કાળના ચક્રમાં તણાયે, હાં રે ! શૂરા પૂરા તો સંત જણાયે રે ! દિલડું. ૧ હાં રે ! ત્રિગુણરૂપી શબ્દબાણ છૂટે, હાં રે ! દુર્જન દુઃખ દઈ તન લૂંટે, ત્યારે તાર પરબ્રહ્મશું ન તૂટે રે ! દિલડું. ૨ હાં રે ! સર્વ જાતાં તે શોક નવ થાયે, હાં રે ! ઘણા લાભે તે નવ હરખાયે, હાં રે ! સંતચિત્ત પ્રભુથી ના પલાયે રે ! દિલડું. ૩ હાં રે ! સંત ભક્તિને મોરચે મળ્યા, હાં રે ! શબ્દ ગોળાથી જરા નવ ચળ્યા, હાં રે ! એ તો બ્રહ્મદશામાં ભળ્યા રે ! દિલડું. ૪ હાં રે ! કાયર હતા તે કંપવા લાગ્યા, હાં રે ! કાચા મનવાળા પાછા ભાગ્યા, હાં રે ! શૂરા સંતો તો રહે છે જાગ્યા રે ! દિલડું પ હાં રે ! એ તો કોઈની નવ રાખે આશ, હાં રે ! દુર્જનથી એકાંતે રહે વાસ, હાં રે ! બાપાલાલ પ્રભુનો છે દાસ રે ! દિલડું. ૬ ૨૦ જૂનાગઢ, અષાડ વદ ૮, શનિ, ૧૯૭૨ હે પ્રભુ ! સહજ હલકા ફૂલ થયા પછી એ સદ્ગપ્રતાપે કોઈ કાંઈ ચાં કે ચૂં બોલતું નથી; ઊલટા, સામા ભાવ કરતા આવે છેજી. જોકે જ્ઞાનીને તો સર્વ ભૂમિકાએ સમતા વર્તે છે, પણ આત્માથીને તો આવી નિવૃત્તિવાળી ભૂમિકામાં વિક્ષેપ કે વિકલ્પ ટળી જાય છે. કાંઈ શબ્દ સાંભળવાનાં નિમિત્ત કારણ નહીં મળવાથી એકાંતે આનંદ, જ્ઞાનીના પ્રતાપે ગુરુશરણથી, શાંતિ વર્તે છે. ૨૧ જૂનાગઢ, અષાડ વદ ૧૦, સોમ, ૧૯૭૨ સહજાત્મસ્વરૂપાય નમોનમઃ દેખણ સરિખી બાત હૈ, કહના સરિખી નહિ; ઐસે, અવધૂત દેખકે, સમજ રહો મનમાંહિ.” ૧ “ગુરુ સમ દાતા કો નહીં, જાચક શિષ્ય સમાન; તીન લોકકી સંપદા, સો ગુરુ દીની દાન.” ૨ Page #111 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત સાક્ષાત્ અમારા આત્મા છો. અંતરમાં કાંઈ વિકલ્પ લાવશો નહીં. આપને વિચારવા માટે કંઈ કોઈ મર્મ દોહરામાં છેજી; પણ ‘ધર્મ’ છે તે અદ્ભુત છે. અજર, અમર, અવ્યાબાધ, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પ્રકાશ, ઘટપટ-અંતરજામી, બ્રહ્મસ્વરૂપ પ્રત્યક્ષ પુરુષને નમસ્કાર હો ! ક્યા કહિયે ? ૧૪ ‘કહ્યા વિના બને ન કછુ, જો કહિયે તો લક્જઈયે.’’ સત્ સાધુજી કાંઈ વાર્તા કરતા હોય તે સાવ જૂઠી દેખાય પણ સત્-ખરી માનવી, તે આપને કેમ લાગે છે ? કોઈ પુસ્તકથી અમે વાંચ્યું છે. ‘‘સદ્ધા પરમ વુન્હા.'' ⭑ ⭑ ⭑ ૨૨ જૂનાગઢ, શ્રાવણ સુદ ૯, મંગળવાર, ૧૯૭૨ હે પ્રભુ ! આપે પૂર્વપક્ષીઓની જે મરજીઓ જણાવી તે ગુરુપ્રતાપે અમારા પણ ધ્યાનમાં છે. હે પ્રભુ ! ‘પૂંઠ પાદશાહની છે' એમ કહેવાય છે. કાંઈ વિકલ્પ કરવાનું થાય તેમ નથી; શાથી જે, દૂર છીએ એટલે તેમની વાત કાનમાં પડે નહીં. તે તેમનું કલ્યાણ કરો. અમારે તો બધુંયે સારું છે; ત્યાં કાંઈ કહેવું નથી, સાંભળવું નથી, કોઈ સાથે પત્ર-વહેવાર નથી, સમભાવ છેજી. હવે તો જેમ હરિ રાખે તેમ રહેવા ઇચ્છા છે. જોયાં કરીશું જે શું થાય છે. હે પ્રભુ ! આપ કાંઈ વિકલ્પ કરશો નહીં. બહારથી કોઈ પુદ્ગલ સાંભળવાનું નિમિત્ત નથી તેથી શાંતિ છે. ફક્ત અંત૨વૃત્તિઓ, જેમ સહજ સદ્ગુરુશરણથી શાંત થાય તેવો પુરુષાર્થ બને છેજી. તેથી આનંદ થાય છે. વહેવારથી જે યોગસાધન બને તે સહેજે સહેજે કરવામાં આવે છે, તેના દ્રષ્ટા રહેવાથી શાંતિ છેજી. એક આત્મા સિવાય બધું ખોટું ત્યાં વિકલ્પ શો ? શાંતિઃ શાંતિઃ શાંતિઃ ✰✰ ૨૩ જૂનાગઢ, શ્રાવણ વદ ૨, સોમ, ૧૯૭૨ તમ પ્રત્યે અત્રેથી કોઈ પત્ર નહીં લખી મોકલવાનું કારણ, અત્રેથી પત્ર લખવા ચિત્તવૃત્તિ સંકોચ કરી તે છે. અત્રે સત્સંગ સમાગમ વચનામૃત શ્રવણ વિચાર અનુભવ થાય છેજી. વૃદ્ધ અવસ્થાને કારણે દિન દિન પ્રત્યે દેહમાં શિથિલતા, અશક્તિ દેખાય છે. સમભાવે શુભાશુભ ઉદય દ્રષ્ટા-સાક્ષી થઈ જોઈએ છીએ. અત્રે શાંતિ ગુરુપ્રતાપે છે. નિવૃત્તિ ક્ષેત્ર અને યોગીઓને જ્ઞાનઘ્યાનના મુકામ આદિ અત્રે તીર્થક્ષેત્રમાં છે. પણ આત્માર્થીને તો અનુભવ છે કે જે જ્ઞાનીઓ વૃત્તિમાં નિવૃત્તિ પામ્યા છે, સમજ્યા છે, તેને બધેય નિવૃત્તિ છેજી. વહેવારની ચિંતા તજવી. જાણતા હો તેનું વિસ્મરણ કરશોજી. ચિત્તની શુદ્ધિ કરી ચૈતન્યનું અવલોકન—ધર્મધ્યાન–કરવું, આત્મસાધનની શ્રેણિએ ચડવું. અનાદિકાળના દૃષ્ટિક્રમનું ભૂલવું ને સ્થિરતા કરવી. Page #112 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૧ ૧૫ ૨૪ જૂનાગઢ, સં. ૧૯૭૨ પુસ્તક વાંચવું વિચારવું કરશોજી. સર્વ મળી સત્સમાગમાદિ કરશોજી, વાંચવું વિચારવું કરશોજી. ભક્તિ કર્તવ્ય છેજી. સમરણ તે પણ ભક્તિ છેજી. અનંત કાળથી આ જીવ માયામાં ગોથાં ખાય છે. તે બ્રાન્તિમાં રઝળ્યો છે. સમજે તો સહેલ છે અને ન સમજે તો હરિ વેગળા છે. પણ જીવને પ્રતીતિ નહીં આવી તેથી રઝળે છે. કાંઈ ન બને તો તેની (સપુરુષની) પ્રતીતિ, ઓળખાણ પડ્યું એની મેળે સમજ આવશે, આવશેજી. “ગુરુ સમો દાતા નહીં, જાચક શિષ્ય સમાન; તીન લોકકી સંપદા, સો ગુરુ દીની દાન. કહના જેસી બાત નહિ, કહે પ્રતીત ન આઈ; જ્યાં લાગે ત્યાં લગ રહે, ફિર પૂછેગો આઈ.” “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે,” જીવ લહે કેવળજ્ઞાન રે. જીવતા નર ભદ્ર પામશે.' શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૫ જૂનાગઢ, સં. ૧૯૭૨ “ગુણીના ગુણ ગ્રહણ કરો, ગુણ ગ્રહતાં ગુણ થાય; અવગુણ ગ્રહણ અવગુણ હૈ, એમ કહત જિનરાય.' હે કરુણાસાગર ! અમારું આઘીનપણું બતાવી તારી પ્રાર્થના કરવી એવા ગુણ અમારા આત્માના કલ્યાણને અર્થે અમારા આત્મામાં સ્વાભાવિક રીતે તેં મૂકેલા છે, એવું છતાં અમે તારી પ્રાર્થના ન કરીએ તો અમે ઠગારા તથા ઘર્મભ્રષ્ટ કહેવાઈએ; માટે પ્રેમપૂર્વક તારી ભક્તિ તથા પ્રાર્થના કરવાનું ભૂલી જઈએ નહીં એવી અમારા અંતઃકરણમાં ચેતવણી આપતો રહેજે. હે મહાપ્રતાપી કૃપાળુ પરમેશ્વર ! અમે સાચા અને પવિત્ર અંતઃકરણથી તારું ધ્યાન કરી, શ્રદ્ધારૂપી ચંદન અને ભક્તિરૂપી અક્ષત તારે મંગળ ચરણે અર્પણ કરી, તને પ્રેમપુષ્પની માળા ચડાવી અમે અમારી પ્રાર્થના સમાપ્ત કરીએ છીએ; તું પ્રસન્ન ચિત્તથી અમારું કલ્યાણ કર.” ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ “લોભી ગુરુ તારે નહીં, તારે સો તારણહાર; જો તું તરિયો ચાહ તો, નિર્લોભી ગુરુ ઘાર. ૧ અદેખો અવગુણ કરે, ભોગવે દુઃખ ભરપૂર મન સાથે મોટાઈ ગણે : “હું જેવો નહિ શૂર.” ૨ પરમેશ્વર પરમાતમા, પાવનકર પરમીઠ; જય ! ગુરુદેવ, દેવાધિદેવ, તે નયણે મેં દીઠ. ૩ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ઉપદેશામૃત ગુણ અનંત પ્રભુ, તાહરા એ, કિમહિ કથ્યા નવ જાય; રાજ પ્રભુના ધ્યાનથી, ચિદાનંદ સુખ પાય.''૪ ૨૬ જૂનાગઢ, શ્રાવણ વદ ૦)), સોમ, ૧૯૭૨ આપ સર્વ મુમુક્ષુ ભાઈ (મંડળ) ભગવાનની પાસે ભક્તિ–દોહરા આદિ—ભણી આનંદ લેશોજી. વળી નિવૃત્તિમાં સર્વે ભાઈ ભેગા થઈ વાંચવા વિચારવાનું કરશો. ધર્મભક્તિ કર્તવ્ય છેજી. પરમકૃપાળુ દેવનો ચિત્રપટ છે ત્યાં પર્યુષણપર્વમાં નિવૃત્તિમાં મુમુક્ષુ ભાઈબહેનોને દર્શન કરવાનું બને તેમ કરવાની સ્મૃતિ આપને જણાવી છેજી. આપ તો તેમ ક૨તા જ હશો; પણ આઠ દિવસ ધર્મના છે, તે ખાસ નિમિત્ત બની આવ્યું છે—કારણે કાર્ય થાય છેજી. * મોટા પુસ્તકમાં જે કહ્યું છે તે વાંચવું વિચારવું કર્તવ્ય છે. યોગ્યતા મેળવવાની જરૂર છેજી. ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ વર્ધમાન થાય તેમ કરવું ઘટિત છે, તે જીવે સહજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે ? સ્વાર્થીપણાથી, પ્રમાદથી જીવનું પુરુષાર્થબળ ચાલતું નથી.॰ તમો સર્વ વિચારશો. ૨૭ જૂનાગઢ, ભાદરવા વદ ૭, સોમ, ૧૯૭૨ ૫રમાર્થમાં કાળ વ્યતીત થશે તેટલું આયુષ્ય સફળ છે; માટે, પરમાર્થ એટલે શું ? તે શોઘી, તેમાં કાળ ગાળવો. “સમય ગોયમ મા પમાણુ, "" શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧. પત્રાંક ૬૪૩ ૨૮ જૂનાગઢ, ભાદરવા વદ ૮, મંગળ, ૧૯૭૨ અત્રે સુખશાતા ગુરુપ્રતાપે છેજી. “જબ જાગેંગે આતમા, તબ લાગેંગે રંગ.’’ ઘણા દિવસથી વૃત્તિ હતી કે એકાંત નિવૃત્તિ લેવી; તે જોગ ગુરુપ્રતાપે બની આવ્યો છેજી. જો કે સત્સંગ એ ઠીક છે; પણ જ્યારે પોતીકો આત્મા આત્મવિચારમાં આવશે ત્યારે જ કલ્યાણ થશે. નીકર હજાર-લાખ સત્સંગ કરે, પ્રત્યક્ષ સદ્ગુરુ પાસે પડ્યો રહે; પણ કલ્યાણ ન થાય. અત્રે કોઈ અદ્ભુત વિચારો અને આત્મિક સુખ અનુભવમાં આવે છે તે કહી શકાતું નથી. અનંત શક્તિ છે, સિદ્ધિઓ છે, પૂર્વ ભવ પણ જણાય છે, આનંદ આનંદ વર્તે છે, એક જ શ્રદ્ધાથી ! કહ્યું-લખ્યું જતું નથી. આપના ચિત્તને શાંતિ થવાનો હેતુ જાણી જણાવ્યું છે. કોઈને જણાવવાની જરૂર નથી. શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પત્રાવલિ-૧ ૨૯ જૂનાગઢ, આસો વદ ૮, રવિ, ૧૯૭૨ તમો તો ભાવ-ભક્તિથી આનંદમાં રહો. જે તમારે સર્જિત, ઉદયકાળ વર્તે તેમાં અવિષમ ભાવે એટલે સમભાવથી વર્તશોજી. “પૂર્ણ આનંદ છે, પૂર્ણ છે,” એમ જ સમજી, આત્મા છે, પુરાણ પુરુષનું શરણ છે, તો ફિકરકા ફાકા ભરી જઈ, “સર્વ ભૂલી જવું' કરી, સદા મગનમાં આપ સ્વભાવે રહી “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે !” એ જ ચિંતવન કર્તવ્ય છેજી. બીજું, પ્રભુ, લક્ષ્મીચંદજી મુનિનો પત્ર લખાવેલ અત્રે આવ્યો છેજી; તેમાં જણાવે છે જે મારે દર્શન કરવા વિચાર છે. તો આપ તે પ્રભુને પત્રથી અથવા કોઈ કામ પ્રસંગે ત્યાં જવું આપને થાય તો જણાવશો કે દર્શન તો હૃદયમાં સદા લાવ્યા કરશોજી અને તે દૂર નથી, પાસે છે, એમ સમજાયા વિના છૂટકો નથી; અને ક્ષેત્રો તો જ્યાં જાઓ ત્યાં પાણી, માટી, પથરા છે– ‘ડુંગર દૂરથી રળિયામણા.” આ દુષમકાળ, હલાહલ વર્તમાન જોગ જોઈ જ્ઞાની પુરુષો ઉદાસીનતા પામ્યા છે'. તો જેમ બને તેમ સમભાવથી શાતાઅશાતા ઉદય પ્રમાણે આવે તે સમ પરિણામ રાખી, ખમી શાંતિમાં રહેવું યોગ્ય છેજી. સર્વ દેશકાળ દેખી, જેવી જોગવાઈ તેવું વેદી સદા આનંદમાં રહો. અંતર વિષે ભક્તિભાવ લાવી સ્મરણમાં કાલ વ્યતીત કરશોજી. જેમ બને તેમ આત્મભાવમાં, પ્રભુ પાસે છે એમ ગણી ભાવદર્શન કર્તવ્ય છેજી; દૂર છે જ નહીં, એમ સમજવું યોગ્ય છે. ૩૦ જૂનાગઢ, આસો વદ ૧૧, શનિ, ૧૯૭૨ શુદ્ધ ચૈતન્યભાવ-સ્વઉપયોગ-વિચારે પરિણમવું ત્યાં સમ્યકત્વ, ત્યાં મોક્ષ. અશુદ્ધ ચૈતન્યભાવ-ઉપયોગ-વિચારે પરિણમવું ત્યાં બંઘ, ત્યાં મિથ્યાત્વ, ત્યાં મોહ, ત્યાં રાગ-દ્વેષ, ત્યાં વિષ; તે જ અજ્ઞાન છે. “મનોજ્ઞતા ભાવસેં વિચાર, ભાવ ધ્યાનસ્તે આત્મિક ભાવોમેં શુદ્ધ ઉપયોગકી પ્રવૃત્તિ હોના સો સ્વસમય હૈ.” “પદ્રવ્યમેં અશુદ્ધ ઉપયોગકી પ્રવૃત્તિ હોના સો પરસમય હૈ.” સાધ્ય–સાધન (સ્વરૂપ) તે ] સ્વસમય તે પરસમય તે ઉપયોગ વિચાર શુદ્ધ ચેતના અશુદ્ધ ચેતના ) ઉપાદાન-આત્મા-નિશ્ચય-પરમાર્થ-શુદ્ધચેતના. નિમિત્ત-આત્મા-વ્યવહાર-અશુદ્ધચેતના. અવિદ્યા-વાસના- મિથ્યાત્વ-મોહાદિ અજ્ઞાન છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ઉપદેશામૃત વ્યવહારકાળ–નિશ્ચયકાળ “વ્યવહાર કાલ સબસે સૂક્ષ્મ “સમય” નામવાલા હૈ, સો ઉપજે ભી હૈ, વિનસે ભી હૈ, ઔર નિશ્ચયકાલકા પર્યાય ઉત્પાદ, વ્યયરૂપ સિદ્ધાંતમેં કહા ગયા હૈ. ઉસમેં અતીત, અનાગત, વર્તમાનરૂપ અનેક ભાવ છે. નિશ્ચયકાલ અવિનાશી હૈ.” કાળલબ્ધિ લઈ પંથ નિહાળશું.” પુરુષાર્થ, તે સ્વસમય ઉપયોગ, તે કર્તવ્ય છે; પરસમય ઉપયોગ કર્તવ્ય નથી–રાગદ્વેષ જેમ બને તેમ કર્તવ્ય નથી. ઉદય જોઈ ઉદાસીન (દિલગીર) થવું તે ચુકાવો (ભૂલ) છે. ઉદાસીનતા એટલે સમભાવ, તે જ વીતરાગતા, એ જ ચારિત્ર છે. એ જ કર્તવ્ય છે. અમૃતની સમૂલી નાળિયેરી–દ્રષ્ટાભાવ, ભેદજ્ઞાન અંતરવૃત્તિથી કર્તવ્ય છે; મૂળ આત્મા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ; ઉપયોગ તે આત્મા; તે ભાવ પરિણામમાં ભાવવું તે કર્તવ્ય છે. બાકીનું ભૂલી જવું. “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે,” જીવ લહે કેવળજ્ઞાન રે. અંતરવૃત્તિ ઉપર ઉપયોગ રાખી બાહ્ય વહેવારે પ્રવર્તતાં આત્મા સન્મુખ છે. “જગત આત્મવત્ જોવામાં આવે.” શું લખવું ? કાંઈ આવડતું નથી. વૃત્તિ સંકુચિત થવાથી લખવા વૃત્તિ થતી નથી. પત્ર ૨૧૨ વિચારશોજી. “સદ્ગુરુના ઉપદેશથી, સમજે જિનનું રૂપ; તો તે પામે નિજદશા, જિન છે આત્મસ્વરૂપ.” १“कम्मदव्वेहिं सम्मं संजोगो होइ जो उ जीवस्स । सो बंधो नायव्यो, तस्स वियोगो भवे मुक्खो ॥" [૩૧ જૂનાગઢ, આસો વદ ૧૧, શનિ, ૧૯૭૨ ઘીરજ રાખવી. સમભાવે વેદવું. અવિષમ થવું, રહેવું યોગ્ય છે. વિષમ ભાવ થશે તો, આર્તધ્યાન, રૌદ્રધ્યાન થશે તો કર્મ બંઘાશે. માટે સમભાવ રાખવો. સમતા ક્ષમા દયા ભાવે સદ્ગુરુ સમરણ “સહજાત્મસ્વરૂપ' કર્તવ્ય છેજી. હે પ્રભુ! તે સ્વરૂપનું ઓળખાણ સત્સંગથી થાય છેજી. સદ્ગઓળખાણ નથી તેથી જીવ ભમે છેજ. આ તો જીવ કંઈને સાટે કંઈ બાઝી જાય છે. માટે સક્શાસ્ત્ર વચનામૃત તથા સત્સમાગમથી સમજાશે; ભાવના રાખવાથી હરિગુરુ તેવો અવસર મેળવી આપશેજી. ધીરજ કર્તવ્ય છે. ક્ષણે ક્ષણે સહજાત્મસ્વરૂપનું સમરણ કરશોજી, વિચારવા જેવું નથી. કાળલબ્ધિ આવી મળશેજી; સમય સમય ઉપયોગ કર્તવ્ય છેજી. - ૧. જીવનો કર્મદ્રવ્યની સાથે જે સંયોગ છે તે બંઘ જાણવો, અને તેનો વિયોગ તે મોક્ષ છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૧ ૧૯ ૩૨ જૂનાગઢ, કારતક સુદ ૭, શુક્ર, ૧૯૭૩ “શ્રી ભરતેશ્વરજીની ભાવના હો ! શ્રી ગૌતમસ્વામીજીનો વિનય હો ! શ્રી ઘન્ના-શાલિભદ્રનો વૈરાગ્ય હો ! શ્રી સ્થૂલિભદ્રજીનું શિયળ હો! શ્રી ભરત ચક્રવર્તીની પદવી હો ! શ્રી ગૌતમસ્વામીજીની લબ્ધિ હો ! શ્રી ઘન્ના-શાલિભદ્રજીની ઋદ્ધિ હો ! શ્રી કયવત્રાજીનાં સુખ સૌભાગ્ય હો !” અશાતા વેદનીય ઉદયાથીન જે આવી તે હવે આરામ થશે, સારું થશેજી. શાંતિ-સમભાવથી સહજાત્મસ્વરૂપનું સ્મરણ, તે ખાસ દવાથી સારું થઈ જશેજી; તેમ કરશોજી. બીજું, આપે આતમભાવથી ઉગારો દર્શિત કરી જણાવ્યા જે, સદાકાળ ઉત્પાદ-વ્યય-ધૃવત્વ ત્રણે કાળમાં વરતાઈ રહેલ છે, તે આદિ વસ્તુત્વે તેમ યથાતથ્ય છે; એમ જ સમજી સમભાવે સદા સ્વભાવ-આનંદમાં રહેવું કર્તવ્ય છેજ. અનાદિ કાળથી સદ્ગુરુની યથાતથ્ય ઓળખાણ થઈ નથી. તે થયે, શ્રધ્ધ, પ્રતીત, ઓળખાણ આવ્યું કલ્યાણ છેજી. * ૩૩ બગસરા, ફાગણ સુદ ૮, ૧૯૭૩ , આપને કોઈ પ્રકારે અમોએ ક્યારેય ચિત્તને દુભવ્યું હોય તેની ક્ષમા ઇચ્છી, આપશ્રીને ક્ષમાવીએ છીએ. જો કે જીવ અનાદિ કાળથી સ્વચ્છેદે વર્યો છેજી. સત્પરુષની આજ્ઞા રૂડી પેરે યથાતથ્ય ઉઠાવી નથી તેનો અમોને અંતરમાં ખેદ છે). તે હરિ-ગુરુ-કૃપાથી હવે પૂર્ણ થશેજી. વળી દોષ તો આ જીવમાં અનંત છેજી; જોકે દેહ છે તે અનંત દોષનું ભાજન છેજી. માટે જે સપુરુષને ઓળખ્યા, મુખવાણી હૃદયગત થઈ, અંતરે પરિણામમાં પરિણમી, જે ભાવ ત્રિકાળ ઉપયોગી થયો તે મટવો નથી. હવે ક્ષણે ક્ષણે વૃત્તિ ઉદયાથીન વર્તે છે, તેમાં ઉદાસીન ભાવે દ્રષ્ટા તરીકે વર્તવું એ જ વારંવાર વિચારાય છે. પ્રકૃતિને આધીન ન થવું, તે પુરુષાર્થ કર્તવ્ય છે. ગમે તેવાં નિમિત્તોમાં પણ પ્રારબ્ધ, શાતા-અશાતા વેદતાં સમતાએ સહન કરવાનો, પુરુષાર્થ કરતા રહેવું, એમ વિચારમાં છેજી. બીજું વિભાવ પરિણામરૂપ આત્માનો નાશ થતો હોય ત્યાં મરણ થાય તો ભલે થાય; પણ મન-વચન-કાયાથી આત્માનો નાશ થવા દેવા સંકલ્પ કે ઇચ્છા થતી નથી. બીજી ઇચ્છા નથી; ત્રણે કાળમાં એ જ. બીજું માન્ય અંતરવૃત્તિ કરતી નથી, ત્યાં કેમ કરી બને ? માટે ખેદને શમાવીને સમભાવે વર્તવા વિચાર છેજી. લૌકિક દ્રષ્ટિ ઉપર ધ્યાન દેવું નથી. એક સપુરુષનાં વચનામૃત પ્રત્યક્ષ શ્રવણ થયાં છે, તેના બોઘના પત્રના પુસ્તકમાં બઘાં શાસ્ત્ર માત્ર સમાઈ ગયાં છે. તો હવે જે જે બીજા ગ્રંથો જોકે વાંચવા વિચારવામાં આવે છે તો પણ તે બધામાં એનું એ જ. માટે મુખ્યપણે એ એક પુસ્તક વાંચવું વિચારવું થાય છેજી. ૧. “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ Page #117 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત પ્રારબ્ધ પહલે બન્યા, પિછે બન્યા શરીર.’’ વળી “તારું તારી પાસ છે, ત્યાં બીજાનું શું કામ ?’’ તેમ તમોને કોઈ અડચણ ગુરુપ્રતાપે આવે તેમ નથી. માટે પોતપોતીકું હવે વિચારવાનું છે. ‘નહિ દે તું ઉપદેશકું.'' જબ જાગેંગે આતમા, તબ લાગેંગે રંગ'' વળી પરમાર્થ સર્વ કર્તવ્ય છેજી. સ્વપરહિત કરવું; પણ યોગ્યતાની ખામી ત્યાં શું કરવું ? અનંત કાળથી જીવને સ્વચ્છંદ ઉદય હોવાથી ભ્રમણ કર્યા કરે છે, ત્યાં દયા આવ્યા સિવાય બીજું શું કરવાનું છેજી ! સત્પુરુષે તો ઘણુંયે કહ્યું છે; પણ સર્વ જીવ કર્માધીન છેજી. ૨૦ કાળ જાય છે તે ફરી આવતો નથી. જેમ બને તેમ ઉપાધિ ઓછી થાય, આરંભપરિગ્રહનો સંકોચ થાય, અલ્પ આરંભ થાય તેમ કર્તવ્ય છેજી. ‘પ્રત્યેકે પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી, આ જીવને તેનાથી જુદો-વ્યાવૃત્ત કરવો’ એમ નિગ્રંથ કહે છેજી. સુખેથી જેને આજીવિકા ચાલતી હોય તેને ઉપાધિ કરી ૨ળવાની જરૂર નથી. આ મનુષ્ય ભવમાં કોઈ પૂર્ણ પુણ્યના જોગે સત્ માર્ગ આરાધવાનો જોગ આવ્યો છે. ચેતવા જેવું છેજી. સર્વ મુમુક્ષુભાઈઓએ પણ તેમ વિચારવું ઘટે છેજી. એ જ ભલામણ સત્પુરુષની છેજી. ‘લક્ષ્મી અને અધિકાર વઘતાં, શું વધ્યું ? તે તો કહો.’’ બગસરા, ફાગણ સુદ ૧૩, ભોમ, ૧૯૭૩ હૈ ૩૪ નિત્યમેવ. ૧ પરમ ઇષ્ટ, સત્સંગ, ગુરુ, ઉપકારી ગુરુદેવ; ત્રિવિધ એકરૂપે સદા, પ્રણમું પદ જેતી મનમેં ઊપજે, તેતી લખી તાતે વૃત્તિ લખનકી, સહજ રહી કાગજવું કાલા કિયા, કાલા મનકે કાજ; જિસકા મન હૈ ઉજલા ઉસકો ક્યા કાગજકા સાજ ? ૩ ક્યા કહીએ ? ‘‘કહ્યા બિના ન બને કહ્યુ, કહીએ તો લજ્જઈયે આપ હાલમાં સત્સંગમાં પુસ્તક, બીજી આવૃત્તિ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનું, વાંચવું વિચારવું કરશોજી. હે પ્રભુ ! લખવું ગમતું નથી. અત્રે દશા ઓર વર્તે છેજી. આપના ચિત્તને શાંતિ થાય માટે આજે આ પત્ર લખ્યો છેજી; કોઈને જણાવવાની જરૂર નથી તે ધ્યાનમાં રાખશો. સર્વ સત્પુરુષોનો માર્ગ એક જ છેજી; સમજીને શમાવું છેજી; બીજું કાંઈ નથી. ન જાય; સંકુચાય. ૨ અત્રે શરીરપ્રકૃતિ સદ્ગુરુકૃપાએ સુખશાતામાં છે. પૂજ્ય પ્રેમી ભક્ત કલ્યાણજીભાઈ મહાપૂર્ણ પુણ્ય-ભાગ્યશાલી છેજી. 23 ૩૫ બગસરા, ફાગણ સુદ ૧૩, મંગળ, ૧૯૭૩ ! અત્રેથી પત્ર લખવાની ચિત્તવૃત્તિ સંક્ષેપ પામવાથી આપના ચિત્તને ખેદ થાય; માટે પ્રભુ Page #118 -------------------------------------------------------------------------- ________________ ૨૧ પત્રાવલિ-૧ આ પત્રથી આપને જણાવ્યું છેજી : આપ શ્રી સદ્ગુરુના ચરણ ઉપાસક છો; “સહજાત્મસ્વરૂપ” સ્મરણ ધ્યાનમાં, હરઘડી ક્ષણે ક્ષણે, વિચારમાં લાવશોજી. વિશેષ કાંઈ લખવા વૃત્તિ બંઘ પડે છેજી. અંતરમાં સદા આનંદ વર્તે છેજી. સુખશાતા સદા સદ્ગુરુચરણથી વર્તે છે. ઉદયાથીન શાતા-અશાતા સમભાવથી શાંતિથી જોઈ, સમાધિમાં પરિણામ-લય થાય છેજી. તેમાં કોઈ પ્રકારે ખેદ થતો નથી. પૂર્વપ્રારબ્ધથી જે જે ઉદયમાં આવે તેમાં પુરુષાર્થ કર્તવ્ય છેજી, છૂટવાના ભાવની વૃત્તિથી ત્યાં જાગૃત થવું, તેવું ન થવાય તો ખેદ કરવો. માટે જેમ ચિત્તને સમાધિ થાય તેમ કર્તવ્ય છેજી. સત્ બોઘ છેજી : હે આર્ય ! ચિત્તપ્રસન્નતા એ જ સૌથી ઉત્તમ સેવા એજી. દ્રવ્ય સેવા, ભાવ સેવા, આજ્ઞાસેવા એમ ઘણા પ્રકારથી સેવા બને છેજી. માટે સર્વોત્કૃષ્ટ સેવા તો ચિત્ત પ્રસન્નતા એટલે પ્રભુ-ભગવાનમાં ચૈતન્યવૃત્તિ પરમ હર્ષથી એકત્વને પ્રાપ્ત કરવી તે જ છે. તેમાં સર્વ સાધન સમાય છે. શ્રીમદ્ રાજચંદ્ર બીજી આવૃત્તિ મધ્યેથી વાંચવું, વિચારવું કરશોજી. “આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ અધ્યાસ નિવર્તવો તેને શ્રી જિન “ત્યાગ' કહે છે.” સત્સંગ કરશોજી. પુરુષોને પત્ર પણ સત્સંગ છે, માટે વાંચવું, વિચારવું. એમાં બધુંયે સમાયું છે. વિચાર કર્તવ્ય છેજી. ૩૬ નાર, ૩૦-૬-'૧૮ આપે તત્ત્વજ્ઞાનમાંથી શું મોઢે કરવું તે પૂછ્યું છે તો તે સંબંઘી જણાવવાનું કે આત્મસિદ્ધિશાસ્ત્ર' તત્ત્વજ્ઞાનમાં છે તે મોઢે કરવા યોગ્ય છે, તો કરશો. બીજું, આપને અવસર મળે નિવૃત્તિ લઈને સમાગમ કરવાથી વિશેષ લાભ થાય તેમ છે. તો અવસર મેળવવો. રાત્રે પ્રાર્થના કરીએ છીએ તે દોહરા આપે મંગાવ્યાથી નીચે ઉતારી મોકલ્યા છે તે મોઢે કરવા યોગ્ય છે. “અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. ૧ શું પ્રભુચરણ કને ઘરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વતું ચરણાધીન. ૨ આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ-આધીન; દાસ, દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન. ૩ ષટું સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાનથકી તરવારવતું, એ ઉપકાર અમાપ.''૪ “જિન શુદ્ધાતમ નિમિત્તશું, પામીજે નિજ જ્ઞાન; તિન સંજીવન મૂર્તિકું, માનું ગુરુ ભગવાન. ૫ જંગમ મૂર્તિ મુખ્ય હૈ, સ્થાવર ગૌણ, પ્રઘાન; સ્વાનુભવી પુરુષકે વચન પ્રવચન જાણ. ૬, Page #119 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ઉપદેશામૃત શાસન રહે જનઆણશું, આજ્ઞાએ વે'વાર; નિજમત કલ્પિત જે કહે, તે ન લહે ભવપાર. ભેખધારી સુગુરુ કહે, પુણ્યવંતકું દેવ; ધર્મ કહે કુળરીતકું, એ મિથ્યામતિ ટેવ. સહજાતમ સદ્ગુરુ કહે, નિર્દૂષણ સત્ દેવ; ધર્મ કહે આત્મસ્વભાવ, એ સત મતકી ટેવ. ગુરુ નમીએ ગુરુતા ભણી, ગુરુ વિણ ગુરુતા ન હોય; ગુરુ જનને પ્રગટ કરે, લોક ત્રિલોકની માંય. ૧૦ ગુરુ દીવો, ગુરુ દેવતા, ગુરુ રવિ શશી કિરણ હજાર; જે ગુરુવાણી વેગળા, રડવડિયા સંસાર. ૧૧ તનકર મનકર વચનકર, દેત ન કાહૂ દુ:ખ; કર્મ રોગ પાતિક ઝરે, નિરખત સદ્ગુરુ મુખ. ૧૨ દરખતસેં ફલ ગિર પડા, બુઝી ન મનકી પ્યાસ; ગુરુ મેલી ગોવિંદ ભજે, મિટે ન ગર્ભાવાસ. ૧૩ ગુરૂગોવિંદ દોનું ખડે, કિસકું લાગું પાય ! બલિહારી ગુરુદેવકી, જિને ગોવિંદ દિયા બતલાય.’ “જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. ૧૫ ૧૪ ૭ ✰✰ ८ પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૧૬ ૯ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીનાં ચરણમાં, હો વંદન અગણિત.''૧૭ પી પી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દૃઢતા કરી દે જ. ૧૮ વિશ્વભાવવ્યાપી તદપિ, એક વિમલ ચિત્તૂપ; જ્ઞાનાનંદ મહેશ્વરા, જયવંતા જિનભૂપ. ૧૯ ૩૭ સીમરડા, તા. ૨૧–૯–૧૯, સં. ૧૯૭૫ આપના પત્રમાં જણાવ્યું તેમ તમારા પત્નીના દેહત્યાગની ખબર જાણી. કળિકાળનું તે અડપલું જણાય છે. આ કળિકાળની કુટિલ વર્તના છે. મનુષ્યભવ પામી આત્મજ્ઞાન થાય તેવી શ્રદ્ધા આ મનુષ્યભવમાં થાય છે. તે જીવાત્મા, નાની વયમાં કાળ-દેહત્યાગ થયેથી શું લઈ ગયો ? ખેદ કર્તવ્ય છે. પ્રભુ, પરમકૃપાળુ પ્રભુ તેઓને શાંતિસમાધિ બક્ષો, બક્ષો, આત્મજ્ઞાન થાઓ, તે પ્રાર્થના છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૧ ૨૩ ૩૮ સીમરડા, તા.૧-૧૦-૧૯; સં. ૧૯૭૫ હે પ્રભુ ! ઘીરજ, શાંતિ, સમાધિ આ જીવને આરાઘવા જેવાં છે જી. “જેમ નિર્મલતા રે રત્ન સ્ફટિક તણી, તેમ જ જીવસ્વભાવ રે; તે જિનવીરે રે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાય-અભાવ રે.” “પંડિત સરખી ગોઠડી, મુજ મન પર સોહાય; આવે જે બોલાવતાં, માણેક આપી જાય. બલિહારી પંડિતતણી, જસ મુખ અમય ઝરંત; તાસ વચન શ્રવણે સુણી, મન રતિ અતિ કરત. મન મજૂસમેં ગુણ-રત્ન, ચૂપ કરી દીનો તાલ; ઘરાક વિણ નહિ ખોલિયે, કૂંચી બચન રસાલ. સજ્જન સજન સૌ કહે, સજન કૈસા હોયજો તનમનમેં મિલ રહ્યા, અંતર લખે ન કોય.” ૩૯ સનાવદ, વૈશાખ વદ ૧૪, સોમ, ૧૯૭૬ પૂર્વ કર્મના સંબંધે જ્ઞાની સમભાવે દેણું પતાવવાના કાર્યમાં રોકાયા છેજી. તે સત્ય છે. “જા વિથ રાખે રામ તા વિઘ રહીએ.” “સુનો ભરત, ભાવિ પ્રબળ, વિલખત કહે રઘુનાથ; હાનિ-વૃદ્ધિ, જન્મ-મૃત્યુ, જશ-અપજશ વિધિહાથ.” હે પ્રભુ ! કાંઈ ઘાર્યું થતું નથી. ક્ષેત્ર-ફરસના અનુસાર જે જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે સર્જિત બની આવે તે સમાઘિભાવે, સમતાએ ગુરુકૃપાએ વેદવું પડે છેજી. અત્રે શરીરપ્રકૃતિ બહુ ક્ષીણ થયેલ છેજી. હે પ્રભુ ! કાળને ભરોસો નથી. ક્ષણે ક્ષણે, સમયે સમયે આયુષ્ય વ્યય થયા કરે છે. હે પ્રભુ ! સદ્ગુરુ ચરણના પસાથે એક વિચારથી અંતરમાં ભેદજ્ઞાન સ્લરી પરમ આનંદ વર્તે છેજી. સર્વનું ભલું થાઓ; સર્વ સાથે મિત્રભાવ હો ! એ જ અંતર છે. પણ કોઈ સાથે અથડામણી. કરવી એવો વિચાર નથી. સંસ્કાર હશે તે જીવાત્મા સાથે હળી મળી ચાલીશું, બીજી કોઈ જરૂર નથી, હરીચ્છાએ બને તેમ જોયા કરીશું. અમને હવે અડચણ, અગવડ નથી. ૪૦ - સનાવદ, ઈ. સ. ૧૯૨૦; સં. ૧૯૭૬ આ જીવાત્માને સત્સંગ-સત્સમાગમનો જોગ બનાવવો જોઈએ. તેના અંતરાયે જીવને પ્રમાદથી ઘણી હાનિ થાય છે. કારણ ચોગે કાર્ય નિપજે એમ જાણી તે સત્સંગના કારણે જીવાત્માને જાગૃતપણું થાય છે. જીવ સંસારમાં સર્વ પોતીકું (પોતાનું) માની વ્યવહાર વ્યવસાયમાં કાળ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ઉપદેશામૃત ગુમાવે છે. તે કરતાં જો પરમાર્થે-આત્માર્થે થોડો કાળ પણ સત્સંગમાં ગળાય તો તેને અનંત ભવપરિભ્રમણનું ટળવું થાય. આપ સમજુ છો. આ મનુષ્યભવમાં એક આત્માને માટે વ્યવસાય થયો હોય તો જીવનું કલ્યાણ થાય; તેમાં જીવ પ્રમાદ કરે છે ત્યાં વૃત્તિ છેતરે છે, એટલે સમજાતું નથી. ૧બાટી સાટે ખેતર ખોવે અને કોડી સાટે રતન ખોવે તેવું આ સ્વપ્નવત્ સંસારમાં લુબ્ધપણે કાળજી રાખી જીવ વર્તે છે; પણ એમ નથી જાણતો કે દેહથી માંડી સર્વ સંજોગથી હું ભિન્ન છું; મારી વસ્તુ શુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્ર છે; આખરે સર્વ સંજોગ મેલી-મેલીને અનેક ભવમાં પરિભ્રમણ કરતો ઘાંચીના બળદની ગોડે (પેઠે) ફરતો ફર્યો છે. આ ભવમાં એક યથાતથ્ય જાણવા જેવું છે તેને માટે જીવે કાળજી જરાય નથી રાખી. એ કેવી ભૂલભરેલી વાત છે ! આ જીવને આત્માનું હિત થતું હોય તેવો, અને અનંતી ભૂલો છે તેમાંથી એક ભૂલ કાઢતાં બધી ભૂલ નીકળે તેવો જોગ આત્માર્થીએ બનાવવો ઘટિત છેજી. અરેરે ! સ્વાર્થના સગાસંબંધીની અથવા આ દેહની કાળજી રાખે છે; પણ પ્રારબ્ધ હોય તેટલું જ મળે છે, તે સુખ પણ મિથ્યા છે—ખોટું છે, આત્મિક સુખ નથી. જેના માટે કાળજી રાખવી ઘટે તે માટે આ ભવમાં જો ચેતાય તો ઘણું સારું છેજી. આપ તો સમજુ છો; પૂર્વના સંસ્કારે સન્મુખ વૃષ્ટિ થઈ છે તો તે વિચારવું ઘટે છેજી. ‘શ્રીમદ્ રાજચંદ્ર' વચનામૃતમાં પત્ર ૩૭ માં જણાવ્યું છે જે “જગતના સઘળા દર્શનની-મતની શ્રદ્ધાને ભૂલી જજો; જૈન સંબંઘી સર્વ ખ્યાલ ભૂલી જજો.’’ “આત્માને આટલું જ પૂછવાની જરૂર છે કે જો મુક્તિને ઇચ્છે છે તો સંકલ્પ વિકલ્પ, રાગ દ્વેષને મૂક અને તે મૂકવામાં તને કંઈ બાઘા હોય તો તે કહે. તે તેની મેળે માની જશે અને તે તેની મેળે મૂકી દેશે. જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે અને તે તમને અત્યારે બોઘી જઉં છું... હું કોઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું; એ ભૂલશો નહીં.'’ તે પત્ર બધો વાંચી વિચારશોજી. “ગચ્છમતોઁ જે કલ્પના, તે નહિ સદ્ વ્યવહાર; ભાન નહીં નિજ રૂપનું, તે નિશ્ચય નહિ સાર. ૧ જાતિવેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય; સાથે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય.' ૨ “જેને સદ્ગુરુપદશું રાગ, તેનાં જાણો પૂર્વિક ભાગ્ય; જેને સદ્ગુરુસ્વરૂપશું પ્યાર, તેને જાણો અલ્પ સંસાર. ૩ ૧. એક ખેડૂત પોતાની વાડીમાં કોસ ચલાવતો હતો. ત્યાં કોઈ એક પરદેશી બ્રાહ્મણ આવ્યો. ભીખ માગીને આટો વગેરે લાવેલો તેની કૂવા પાસે રસોઈ કરી. બાટી ને દાળ બનાવી. દાળના વઘારની સુગંધથી ખેડૂતને દાળબાટી ખાવાની લાલસા જાગી તેથી તેણે બ્રાહ્મણ પાસે તેની માગણી કરી. બ્રાહ્મણે તક જાણી તે હજારની નીપજવાળું ખેતર લખી આપે તો બદલામાં બાટી ને દાળ આપવાનું કહ્યું. ખેડૂતે તેમ કર્યું. અને બાટી સાટે ખેત ખોયું. ૨. કોઈ એક માણસે ઘણી મહેનતે પરદેશમાં કમાણી કરી તેનું એક રત્ન ખરીદ્યું. અને સાથે રસ્તા-ખર્ચ માટે થોડી કોડીઓ રાખી પોતે વતન તરફ પાછો ફર્યો. રસ્તામાં કોઈ સ્થળે પાણી પીવા બેઠો ત્યાં એક કોડી પડી ગઈ. એકાદ ગાઉ આગળ ગયા પછી કોડીઓ ગણી જોઈ તો એક ખૂટી. પાણી પીતાં પડી ગઈ હશે એમ ધારી પાસેનું પેલું કિંમતી રત્ન ત્યાં જ કોઈક સ્થળે સંતાડયું ને કોડી લેવા પાછો ફર્યો. પણ રત્ન સંતાડતાં તેને દૂરથી કોઈ જોઈ ગયો. તેથી તેના ગયા પછી તે રત્ન લઈ ચાલતો થયો. આમ કોડી લેવા જતાં રત્ન ખોયું. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૨૫ પત્રાવલિ-૧ પ્રભુપદ દૃઢ મન રાખીને, કરવો સૌ વે'વાર; વિરતિ, વિવેક વઘારીને, તરવો આ સંસાર. ૪ પ્રભુ સર્વ વ્યાપી રહ્યા, છે તુમ હૃદય મોઝાર; તે પ્રત્યક્ષ અનુભવી, પામો ભવનો પાર. ૫ સાચે મન સેવા કરે, યાચે નહીં લગાર; રાએ નહિ સંસારમાં, માચે નિજ પદ સાર. ૬ સેવા બુદ્ધિથી સેવના, કરો સદા શુદ્ધ ભાવ; સસેવા સંસારથી - છે, તરવાને નાવ. ૭ સદ્ગુરુ ચરણ ઘરે જહાં, જંગમ તીરથ તેહ; તે રજ મમ મસ્તક ચડો, બાલક માગે એહ.” ૮ “લેણ-દેણા જગતમેં, પ્રારબ્ધને અનુસાર; સોહિ પતાવા કારણે, રત્નત્રય અવતાર.” ૯ “ચિંતવિયો ઘરિયો રહે, ઓર અચિંતિત હોય; પ્રબળ જોર ભાવી તણું, જાણી શકે ન કોય. ૧૦ બંદાકે મન ઓર હૈ, કતકે મન ઓર; ઓઘવસેં માઘવ કહે, જૂઠી મનકી દોડ.” ૧૧ શુદ્ધ બુદ્ધ ચેતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું ? કર વિચાર તો પામ.''૧૨ સંસારમાં ઘન આદિ સ્વાર્થે ઘણી સફર, અથવા તીર્થયાત્રા લૌકિક ભાવે ઘણા જીવાત્મા કરે છે, પણ અલૌકિક ભાવે કરવી તેમાં જીવ પ્રમાદ સેવે ત્યાં વૃત્તિ છેતરે છેજી. જાગૃત થવામાં સત્સંગમાં ઘણાં વિધ્ર આડાં આવે છે; તેને ઘક્કો દઈ આ મનુષ્યભવમાં આત્માર્થે સત્સંગ કરે, તેવા જીવાત્મા વિરલા છેજી. ૪૧ સાવદ, તા. ૧-૬-૨૦ આ દુષમ કાળમાં જેમ અંતર વૃત્તિ સિદ્ધ થાય, ભાવથી એકાંત નિવૃત્તિ જોગે આત્મહિત થાય તેમ કર્તવ્ય છે'. બાહ્ય પ્રવૃત્તિમાં અનંત કાળચક્રથી પરિભ્રમણ કરતા આ જીવને મહાપુણ્યના ભોગે કોઈ પુરુષના માર્ગને આરાઘવાનો જોગ મળે, તે ભાવે તે રુચિ કરીને આત્મહિત જે પુરુષો આરાઘે છે તે પુરુષોને ધન્યવાદ, પુનઃ પુનઃ નમસ્કાર છે. સદ્ગુરુની એ જ આજ્ઞા છેજી. વૃત્તિને રોકવી; સંકલ્પ વિકલ્પ મિથ્યા જાણી સવૃત્તિએ “Uાં નાડું રે સળં નાખવું' એ જ કર્તવ્ય છે. દેવચંદ્ર ચોવીસીનું તેરમું સ્તવન એ મહાત્મા પુરુષ ગાઈ ગયા છે તે વિચારવા જેવું છેજ. મનની કલ્પનાએ કરી જગત ખડું થયું છે, તે જો વિચારાય તો સમજાય કે “બેર બેર ન આવે અવસર, બેર બેર ન આવે. એ જ કર્તવ્ય છેજી. સત્સંગ શું છે તે જીવથી વિચારાયું નથી. એ જ વિચારે અંતરમાં ભાવની ખુમારી, ઉલ્લાસ, શાંતિ ઓર જ અનુભવાય છેજી. Page #123 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત ૪૨ સનાવદ, સં. ૧૯૭૬, તા. ૨૬-૭-૨૦ ગુરુભક્તિમાં ગુરુના ગુણગ્રામથી કર્મની કોડ ખપે છેજી, તે કર્તવ્ય છેજી. હે પ્રભુ ! આપને એક ભલામણ છે તે પ્રથમ પણ કહેલ તે હવે પણ ધ્યાનમાં લેશોજી. હે પ્રભુ ! અમે તો આ યથાતથ્ય સદ્ગુરુના ભક્તના દાસના દાસ છીએ અને તે સદ્ગુરુ યથાતથ્યની ભક્તિ જે કરે છે તેને નમસ્કાર છેજી. હે પ્રભુ ! આપ સર્વના જાણવામાં છે કે શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્ર પ્રભુનો આ એક દીન શિષ્ય છેજી. તો હવે તે સ્વરૂપ યથાતથ્ય ક્યાં છે તે વિચારી ભક્તિ કર્તવ્ય છેજી. ૨૬ ઐસી કહાઁસે મતિ ભઈ, આપ આપ હૈ નાહિ, આપનકું જબ ભૂલ ગયે, અવર કહાઁસે લાઈ ? આપ આપ એ શોધસેં, આપ આપ મિલ જાય.’’ (ગુરુગમ) બીજું, મહાત્મા દેવચંદ્રજીની ચોવીસીનાં સ્તવન છે, તેમાંના ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા તથા આઠમાં સ્તવનને વાંચી, વિચારી ઘ્યાનમાં લેશોજી. તેમજ પરમ પ્રગટ પ્રભુ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ મધ્યે જે જે પત્રો છે તે વાંચવામાં, ‘ઉતાવળ તેટલી ‘સાંસત,' ‘કચાશ તેટલી ખટાશ' ગણી, ધીરજ કર્તવ્ય છેજી. સમતા, સમાધિમાં રહોજી. સમભાવ, ક્ષમા ઘારણ કરવી. ‘ઉતાવળે આંબા પાકે નહીં.’ એ કહેવત છે. હે પ્રભુ ! આપ સમજુ છો, શું લખું તે કાંઈ સૂઝતું નથી. યોગ્યતાની જરૂર છે. કોને કહીએ ? સન્મુખદૃષ્ટિવાન જીવોનું કલ્યાણ અવશ્ય થશેજી. તેવું જીવન પર્યંત રહેવું જોઈએ છે. એમ, આત્મા ખાસ ચિત્ર જેવો કરી મૂકી, જે જીવાત્માએ ભાવના ભાવી હશે તેને આત્મતિ અવશ્ય થશેજી; તે પોતપોતાને વિચારી જોવાનું છેજી. ‘જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ.’’ બીજું, હે પ્રભુ ! ઉદય આવે તે, જીવાત્માએ સમભાવે વેદવું, તેવા પત્રો પરમકૃપાળુદેવની અમૃતવાણીથી પ્રકાશિત છે, તે વાંચી-વિચારી ધ્યાનમાં લેશોજી. તે આપને વાંચવા વિચારવા નીચે મુજબ ટાંચણ કરું છુંજી. પત્ર ૧૨૫, ૪૧૪, ૪૮૭, ૪૯૪ એ આદિથી ધ્યાનસમાધિ થાય તેવું છેજી. સત્સંગનો અંતરાય હોય ત્યારે તે આધારભૂત સત્પુરુષની વાણી વાંચવી; તેમાં કાળ વ્યતીત કરવો, બને તો બધાએ મળી ભક્તિભાવ કરી પત્ર ૨૨૬ આદિ વાંચી સત્પુરુષનાં વચન ધ્યાનમાં લેવાં. જીવને વીલો મૂકવો નહીં, નહીં તો આર્તધ્યાનાદિથી સત્યાનાશ વાળી મૂકશે. વૃત્તિને જેમ બને તેમ વાંચવા અથવા વિચારવામાં રોકી કાળ ગાળવાનું કર્તવ્ય છેજી. ‘ઊંચી ભૂમિકાને પામેલા મુમુક્ષુઓને પણ સત્પુરુષોનો યોગ અથવા સમાગમ આધારભૂત છે; એમાં સંશય નથી. નિવૃત્તિમાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો યોગ બનવાથી જીવ ઉત્તરોત્તર ઊંચી ભૂમિકાને પામે છે.'' પણ અંતરાય ઉદય વર્તતો હોય ત્યારે તો જેમ બને તેમ સમભાવ રાખ્યે, કાળ પરિપક્વ થયે જીવ અવશ્ય સમાધિને પામશે એમ વિચારી, પ્રમાદ છોડી પુરુષાર્થ કર્તવ્ય છેજી. ૧. ઘીમું પડવું તે. Page #124 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૧ ૨૭ કાંઈ ગોઠતું નથી. તેવું સ્થાન, યોગ્યતાવાળા જીવાત્મા ક્યાં છે કે તે સ્થાને શાંતિ લઈએ? કળિકાળ એવો આવ્યો છે કે એક ઉદાસીનતા વિના બીજો કોઈ ઉપાય નથી. પત્ર લખવો ગમતો નથી, પણ તમારી ચિત્તશાંતિ માટે આ જણાવવું થયું છે, તે પરાણે પરાણે પૂરો કર્યો છે–વિસામા ખાતાં ખાતાં. શાંતિઃ શાંતિઃ શાંતિઃ પૂર્વિક સંસ્કારથી સંજોગ મળ્યા છેજી. જીવને પ્રમાદ કર્તવ્ય નથીજી. સત્સંગ, સત્સમાગમ સહેજે બને, તે વિચાર રાખવા ધ્યાનમાં રાખશો; તેમાં વિશેષ લાભ છેજી. હે પ્રભુ ! દેવચંદ્ર ચોવીસી મળે અગિયારમા શ્રી શ્રેયાંસ પ્રભુજીનું સ્તવન વાંચી, વિચારી ધ્યાનમાં લેશોજી. જીવ જાણીને આડું આડું બોલે તેને શું કહેવું ? જીવે સામાન્યપણું કરી નાખ્યું છેજ. વિચારતો નથી. તેવા જીવાત્મા જે જે સન્માર્ગ સન્મુખ હોય તેને તો વિયોગમાં કલ્યાણ છે. સમાગમ કરતાં વિરહમાં વિશેષ લાભ છે, એમ પણ જ્ઞાની પુરુષે જોયું છે; તે અમે પણ સદ્ગુરુ સમીપે સાંભળ્યું છે. તેમ જ અલૌકિક રીતે માર્ગ છે, તે લૌકિકમાં સામાન્યમાં જવા દેવા જેવું નથી. ગભરાવું કર્તવ્ય નથી. ઉત્કૃષ્ટ વીર્ય નિવેશે, યોગક્રિયા નવિ પેસે રે, યોગમણી ધ્રુવતાને લેશે, આતમશક્તિ ન બેસે રે. વીર શૂરપણે આતમ ઉપયોગી, થાય તેણે અયોગી રે. વીર ઘીરજથી સર્વ જીવાત્માને ભક્તિમાં જોડવા. સત્સમાગમ કરવો. ધ્યાનમાં, વિચારમાં લક્ષ રાખવો. “વચનથી ઉચ્ચાર, મનથી વિચાર.” થોડો થોડો લખી પત્ર આજે પૂર્ણ કરી લખ્યો છેજ. પત્રમાં શું લખાય ? યથા અવસરે સમાગમે વિચાર કર્યો સમજાશેજી. ૪૩. - સનાવદ, અષાડ સુદ ૧૦, ૧૯૭૬ પ્રમાદ છોડી જેમ બને તેમ જે કાંઈ મુખપાઠ કે ભણવાનું થાય તે કર્તવ્ય છે). અથવા નિવૃત્તિ મેળવી ભક્તિભજન કર્તવ્ય છે'. આળસ વૈરી છેજી. સંસારસમુદ્ર ઇન્દ્રજાળ જેવો, સ્વપ્નવત્ નાશવંત છે. કાળચક્ર માથે ફર્યા કરે છે, લીઘો કે લેશે તેમ થઈ રહ્યું છે. ત્યાં આ ક્લેશિત જીવાત્માને એક ઘર્મ શરણ છે, છતાં આ જીવ કયા યોગ, કાળને ભજે છે તે વિચારી આત્માની દયા ખાવાનો અવસર આ મનુષ્યભવ ગણી, પુરુષાર્થ કર્તવ્ય છેજી. કોઈ કોઈનું છે નહીં, છતાં જીવ પરભાવમાં રાચીમારી રહ્યો છે. “હું” અને “મારું', દેહાદિથી માંડી બઘામાં મારું મારું કરી રહ્યો છે પણ જે પોતાનું છે તે જીવે અનાદિ કાળથી જાણ્યું નથી એમ જાણી, સમજ્યો ત્યાંથી સવાર, ભૂલ્યો ત્યાંથી ફરી ગણી, એક આત્મહિત, કલ્યાણ થાય તે કર્તવ્ય છે, તેની જીવે અવશ્ય કાળજી રાખવા યોગ્ય છેજી. બનનાર તે ફરનાર નથી અને ફરનાર તે બનનાર નથી, માટે ચેતવા જેવું છે. સહજાત્મસ્વરૂપનું સ્મરણ, ધ્યાન, વિચાર કર્તવ્ય છેજી. જે સમય, કાળ જાય છે તે પાછો Page #125 -------------------------------------------------------------------------- ________________ ૨ ઉપદેશામૃત આવતો નથી. પરભાવની ચિંતવના, કલ્પના રાખી જીવ ભ્રમણામાં પડી કર્મ-બંધ કરે છે. વૃથા થોથાં ખાંડ્યા જેવું છે; જેટલો જેટલો સંજોગ મળવાનો છે તે મળી આખરે મુકાવાનો છે; પોતાનો થયો નથી, છતાં કલ્પના કરી જીવ ભૂલે છે; એમ વિચારી મન અથવા વૃત્તિ પરભાવમાં જતી રોકી વારંવાર સ્મૃતિમાં, આત્મ-ઉપયોગમાં લાવવા યોગ્ય છેજી. સર્વવ્યાપક સ– ચિઆનંદ એવો હું એક છું. એમ વિચારવું ધ્યાવવું; સહજાત્મ-સ્વરૂપ વચનથી ઉચ્ચારવું-બોલવું, મનથી વિચારવું. ઉપર પ્રમાણે ધ્યાનમાં રાખી, લક્ષ રાખવા યોગ્ય છેજીસહજાત્મસ્વરૂપ. બંઘાયેલાને છોડાવવો છેજ. જૂનું મૂક્યા વગર છૂટકો નથી; જે દી તે દી મૂકવું જ પડશે. જ્યારથી આ વચન શ્રવણ થયું ત્યારથી અંતરમાં ત્યાગ-વૈરાગ્ય લાવી, સુખદુ:ખમાં સમભાવ રાખી શાંતિ ચિત્તમાં વિચારી સમાધિભાવ થાય તેમ કર્તવ્ય છેજી. સર્વ ભૂલી જવું. આત્મા છે. માટે એક આત્મ-ઉપયોગમાં અહોરાત્રિ આવવું. જ્યાં દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે છે, ત્યાં કર્મો આવે છે તે જવાની શરતે; બંઘાયેલો છૂટે છે, તેમાં હર્ષશોક કરવા જેવું છે નહીંછ શાંતિઃ શાંતિઃ શાંતિઃ તા. ક. ઉપરનાં વચનો વિચારી લક્ષમાં રાખવા યોગ્ય છેજી. માત્ર વૃષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહ.” ૪૪નાવદ, અધિક શ્રાવણ સુદ ૧૩, શુક્ર, ૧૯૭૬ વૃદ્ધાવસ્થાને લઈ શરીર ક્ષીણ થતું જાય છે. શુભાશુભ શાતા-અશાતા વેદનીયકર્મના ઉદયે આત્મામાં સમભાવ રાખી વીતરાગ ભાવનાએ વર્તવું, એવી આજ્ઞા શ્રીમદ્ સદ્ગુરુ ભગવાનની છે, તે યથાશક્તિ આરાઘવા યોગ્ય છે.જી. તે વિચારે શાંતિ વર્તે છે જી. આપના પત્રથી ગોરજી લાઘાભાઈનો દેહોત્સર્ગ થયો જાણી ખેદજનક વિચારી આત્મહિત થાય તેમ કર્તવ્ય છેજી. કળિકાળ હાલમાં વર્તે છેજી. લીઘો કે લેશે એમ થઈ રહ્યું છે છતાં જીવ કયા કાળને ભજે છે, તે વિચારી આત્મકલ્યાણ થાય તે કાળ ભજવો યોગ્ય છે. અનાદિથી પરભાવ પ્રમાદ સ્વચ્છંદમાં કાળ ગુમાવ્યો છે તે વિચારીએ તેમ નહીં થવા દેવા સત્સંગ-સમાગમમાં કાળ જાય તેવી વૃત્તિ રાખવી યોગ્ય છે. વળી આપની વૃત્તિ સત્સમાગમ દર્શનાર્થે છે તે કર્તવ્ય છેજી, શાથી જે સંસાર વ્યવસાયનાં કામ કોઈનાં પૂર્ણ થયાં નથી. પરમ કૃપાળુદેવે કહ્યું છે : “જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કર તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે.” તે વિચારી આપણે તો આત્મહિત થાય તેમ કરવું. - અમે તો ત્રણે પર્યુષણ પર્વ કર્તવ્ય સમજીએ છીએ; કારણ આપણા શ્રીમદ્ સદ્ગુરુ ભગવાનની સમભાવ, વીતરાગતા ઉપાસવાની શિક્ષા શિરે ઘારણ કરી, મતાંતરથી ઉત્પન્ન થતાં પર્યુષણ પર્વના દિવસો ભલે પૃથક્ પૃથક ગણાય પણ આપણે તો અહોનિશ શ્વાસોશ્વાસે વીતરાગતા, વીતરાગભાવના અભ્યાસવા-ઉપાસવાની છે, તેના નિમિત્તભૂત તે પર્વ યથાશક્તિ આરાઘવાનાં છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૧ ૨૯ ૪૫ સનાવદ, અધિક શ્રાવણ સુદ ૧૪, ૧૯૭૬ સત્સમાગમે સત્પર્વમાં મહોત્સવમાં ઘર્મવૃદ્ધિ વર્ધમાન, નિમિત્ત બની આવ્યાથી, થાય છેજી, સ્વામી-વત્સલતા આદિ મહિમાથી ઘણા જીવાત્માને શ્રદ્ધા સમ્યકત્વનો લાભ મળે તેવાં નિમિત્ત કારણ કરનાર કરાવનાર અને અનુમોદનારને મોટું પુણ્યાનુબંધી પુણ્ય થઈ મુક્તિ થાય છેજ. પુષ્ટ અવલંબનથી શ્રદ્ધાન સમ્યકત્વ પોષાય છેજી વિશેષ સમાગમે સમજાશેજી. પત્રથી લખાય તેમ નથી. “જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કર તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે.” તે સમજણ અંતરમાં બોઘથી થાય છે, તે સત્ય છેજી. खामेमि सव्व जीवे, सव्वे जीवा खमंतु मे । मित्ती मे सव्व भूएसु, वेरं मझं न केणइ ।। વીતરાગતા સૅચક આ, વીતરાગ મહા પર્વ; વીતરાગતા કારણે, આરાઘો નિર્ગર્વ. ક્ષમાશુર અર્હત્ પ્રભુ, ક્ષમા આદિ અવઘાર; ક્ષમાધર્મ આરાઘવા, ક્ષમા કરો સુખકાર. ચિત્તને ચેન નહીં હોવાથી તથા શરીરપ્રકૃતિ નરમ હોવાથી પત્રથી જણાવવું થયું નથી તેમ બીજા કોઈ મુમુક્ષુ ભાઈના પત્ર આવ્યા તેનો પણ ઉત્તર લખાયો નથી, માટે આ પત્રથી જેમ આત્મહિત થાય તેમ વાંચી વિચારી લક્ષમાં લેશોજી. “ઘર્મરંગ જીરણ નહીં, સાહેલડિયાં, દેહ તે જીરણ થાય રે, ગુણવેલડિયાં. સોનું તે વિણસે નહીં, સાહેલડિયાં, ઘાટ ઘડામણ જાય રે, ગુણવેલડિયાં. તાંબુ જે રસવેદિયું, સાહેલડિયાં; તે હોય જાચું હેમ રે. ગુણવેલડિયાં. ફરી તાંબું તે નવિ હુએ, સાહેલડિયાં, એહવો જગગુરૂએમ રે. ગુણવેલડિયાં.” “પ્રગટે અધ્યાતમદશા રે લોલ, વ્યક્ત ગુણી ગુણગ્રામ રે હાલેસર. આત્મસિદ્ધિ કારજ ભણી રે લોલ, સહજ નિયામક હેતુ રે વ્હાલેસર. નામાદિક જિનરાજનાં રે લોલ, ભવસાગર માંહે સેતુ રે વ્હાલેસર.” ખોટું ખાતું, સ્વપ્નવત્ સંસાર, કળિકાળ, દુષમ-દુષમ, ઝેર, ઝેર ને ઝેર; તેમાં મહા પુણ્યવંત જીવાત્માએ તો પોતપોતીકું કરવા–આત્માથી આત્મા ઓળખી, સમભાવ ભાવનાનો તથા નિજ Page #127 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત સ્વરૂપસમાધિનો અનુભવલાભ વિચારી, વિચારમાં આવી, પુદ્ગલાનંદીપણાથી અનાદિ કાળથી થતી ભૂલ તે ભ્રમ છે એમ સત્તમાગમે સમજી, આત્માનંદનું ઓળખાણ થવા, વિશ્રાંતિ પામવા— જરા બોધનો જોગ મેળવી આવો ચિંતામણિ જેવો મનુષ્યભવ સફલ કરવા યોગ્ય છેજી. ૩૦ “માં બાળરૂ સે સવ્વ નાળ' તે બહુ જ વિચારે પમાય છેજી. બીજાં અનંત સાધન અનંત વાર કર્યાં પણ મોક્ષ થયો નથી, એમ સર્વ જ્ઞાનીપુરુષોનું કહેવું છે, તે અમોને તો યથાતથ્ય સમજાયું છેજી. આપને પણ તે સમજ્યું છૂટકો છેજી; જેથી રાગદ્વેષ, ક્રોધ, મોહ આદિથી સહેજે મુકાવું થાય છે. જપતપાદિ સર્વ સાધન કરી ચૂક્યો છે અને અંતર્મુહૂર્તમાં મોક્ષ થાય છે, તે પણ વિચારવા જેવું છેજી. શું આ વાત લક્ષમાં ન લેવી ? આમ ગફલતમાં જવા દેવું ? લખવું તો હતું પણ અવસર મલ્યો નહીં. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૬ સનાવદ, અધિક શ્રાવણ વદ ૩, બુધ, ૧૯૭૬ ‘ઇચ્છા અને દ્વેષ વગર, સર્વ ઠેકાણે સમવૃષ્ટિથી જોનાર એવા પુરુષો ભગવાનની ભક્તિથી યુક્ત થઈને ભાગવતી ગતિને પામ્યા, અર્થાત્ નિર્વાણ પામ્યા.’' આ સંસાર તાલપુટ વિષ જેવો છે; ઝેર, ઝેર ને ઝેર. વાની મારી કોયલ જેવો મનુષ્ય ભવ છે. અનંતા ભવ પરિભ્રમણ તો થયું; પણ આ દેહ એક આત્મા અર્થે જીવ ગાળે તો અનંતા ભવનું સાટું વળી રહે, એવી શ્રીમદ્ સદ્ગુરુ ભગવાનની શિક્ષા છે. તે ખાસ કરી આરાધવા જેવી છે. અનંતા જન્મ-મરણ કરી ચૂક્યો. લીઘો કે લેશે એમ થઈ રહ્યું છે તો આ જીવ કયા કાળને ભજે છે તે વિચાર કરવા જેવું છેજી. પક્ષપાતરહિત પ્રત્યક્ષ શ્રીમદ્ સદ્ગુરુનાં વચનામૃત આપણે વિચારી, શ્રદ્ધા, રુચિ સહિત અંતરવૃત્તિ-પ્રધાન થઈ જે પુરુષાર્થ કર્તવ્ય છે તેનું સ્વરૂપ સત્સંગ-સત્સમાગમે યથાતથ્ય સમજવા યોગ્ય છે. તેમાં પ્રમાદ અને સ્વચ્છંદ શત્રુ સમજવા યોગ્ય છે. બાકી જગતમાં બીજા પ્રાણીમાત્ર મિત્ર છે. જો કોઈ દુઃખ દે છે તો તેટલું દેવું છૂટે છેજી. અશાતાદિ વેદની કર્મનો ઉદય પણ ઋણથી મુક્ત થવાનું કારણ સમ્યદૃષ્ટિવાનને થાય છેજી. મૃત્યુ થાય છે તે પણ મહોત્સવ ગણી, જગતવાસી જીવોથી ઉપદ્રવ થતાં સમ્યદૃષ્ટિ અવળાનું સવળું કરી, આત્માનંદ યથાતથ્ય સમજી, આત્માનંદી થયા છે, થાય છે ને થશે. અહોહો ! માર્ગ કેવો સુલભ છે, સરલ છે, સુગમ છે, સ્વાભાવિક છે ? તે પોતાને કાંટે તોળી કેવી ભૂલ ખાય છે તે જીવથી સમજાતું નથી. આ જીવ બફમમાં ને બફમમાં રહી, ઘર્મને નિમિત્તે જાત્રા-તીર્થોમાં દ્રવ્ય ખર્ચે છે, પણ જ્યાં આત્મા પોષાય તેવા નિમિત્તે જીવ કલ્પનાથી સંકુચિત વૃત્તિવાળો થાય છેત્યાં વૃત્તિ છેતરે છે, તે સમજાતું નથી. આ જીવને એક કરવાનું છે તે ન બન્યું તો પછી શું કહેવું ? Page #128 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૧ ૩૧ આ વચન સહજ ભાવે, નિઃસ્પૃહપણે, નિઃસ્વાર્થપણે, આત્મવૃત્તિથી, એક આત્માર્થ વિચારી, તપાસી જણાવ્યાં છે; તે આપને વિદિત થાય. ૪૭ સનાવદ,અધિક શ્રાવણ સુદ ૧૦,મંગળ, ૧૯૭૬ આ સ્વપ્નવત્ સંસારમાં જગત નાશવંત સમજી કોઈ ઇચ્છા નહીં રાખતાં એક આત્મા અર્થે દેહને ગાળવો. આત્મભાવની ઇચ્છા રાખી, પૂર્વ પ્રારબ્ધ-શુભ-અશુભ, શાતા–અશાતા–વેદતાં સમભાવે ક્ષમાસહિત ખમીખૂદવું. અને સર્વ જીવ પ્રત્યે સમભાવ-ધીરજ રાખી કોઈ કેમ કહે, કોઈ કેમ કહે તે સામું નહીં જોતાં, જે જે કામ કરવું થાય તે સમભાવથી સર્વને સમજાવીને લેવું. આ જગત પ્રકૃતિ-આધીન છે; રાગ, દ્વેષ અને અજ્ઞાનથી બંઘ જ બાંધે છે. પણ આત્માના હિત માટે આપણે તેવા થવું નહીં. વિનય વશીકરણથી દેવગતિ થાય છે. માટે પરમારથ એટલે આત્મા અર્થે કરું, પણ મારે મારું કરવું છે એમ નહીં, ‘હું' – “મારું” કરવું જ નહીં. આટલી વાત માન્ય રાખશો તો સંગનું ફળ મળશેજી; વળી યથા અવસરે સર્વ સારું થશેજી. ४८ સાવદ, તા. ૩-૯-૨૦ ઉતાવળ એટલી સાંસત. ઘીરજ કર્તવ્ય છેજી. જે કરવાનું છે તે યથાતથ્ય સમયે કલ્યાણ છે એમ સમજાયું છેજી. તે સત્સંગ, સદ્ગોઘથી સમજાય છે). તેવી ભાવનાએ વૃત્તિ રાખી વર્તવું યોગ્ય છેજી. જીવને પ્રથમ “સરઘા' (શ્રદ્ધા) સગુરુ-ઘર્મની સરઘા, સમજી તેની આજ્ઞાએ વર્તવા યોગ્ય છેજી. આણાએ ઘર્મ, આણાએ તપ, એમ છેજી. જીવના સ્વચ્છેદ અને પ્રમાદ ખાસ કરીને વેરી, શત્રુ છે. તેથી જીવ ભૂલ ખાય છેજી. પોતાની મતિકલ્પનાએ, પોતાને કાંટે, કાટલે તોલે છેજી. પણ તે મિથ્યા છે તે સમજાયું નથી. કોઈ શત્રુ માથું વાઢી નાખે અથવા દુઃખ દે તો ત્યાં કર્મઋણથી છુટાય છે. મૃત્યુ આવે તો પણ મહોત્સવ ! સમ્યવૃષ્ટિવાન અવળાનું સવળું કરી આત્માનંદમાં મગ્ન થાય છેજ. પુદ્ગલાનંદી જીવ અવળું સમજે છેજી. સમજવાનું એ જ છે કે બંધાયેલો છૂટે છેજી–પોતાને ગભરામણ થાય એ જ ભય છે'. તે ભયથી મુક્ત થવાય છે. | કળિયુગ, કળિકાળ ! તાલપુટ વિષ, વિષ ને વિષ આ સંસાર છે'. તેમાં ચિંતામણિ સમાન મનુષ્યભવ, અનંતા જન્મમરણ કરતાં આ ભવ મળ્યો છે. તેમાં સદ્ગુરુની ઓળખાણ થયે, તેની આજ્ઞા આરાધ્ય મુક્ત થવાય છે. જીવ બધુંય કરી ચૂક્યો છેજ. શું નથી કર્યું તે વિચારો. “પ્રભુપણે પ્રભુ ઓળખી રે, અમલ વિમલ ગુણગેહ; જિનવર પૂજો. સાધ્ય દ્રષ્ટિ સાધકપણે રે, વંદે ઘન્ય નર તેહ. જિનવર પૂજો. એક વાર પ્રભુવંદના રે, આગમ રીતે થાય; જિનવર પૂજો. કારણ સત્યે કાર્યની રે, સિદ્ધિ પ્રતીત કરાય. જિનવર પૂજો. જન્મ કૃતારથ તેહનો રે, દિવસ સફળ પણ તાસ; જિનવર પૂજો. જગતુશરણ જિનચરણને રે, વંદે ઘરીય ઉલ્લાસ. જિનવર પૂજો.” Page #129 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨ ઉપદેશામૃત “ઘર્મરંગ જીરણ નહીં સાહેલડિયાં, દેહ તે જીરણ થાય રે; ગુણવેલડિયાં, સોનું તે વિણસે નહીં સાવ ઘાટ-ઘડામણ જાય રે; ગુણવેલડિયા; તાંબુ જે રસધિયું, સાતે હોય જાચું હેમ રે; ગુણવેલડિયાં, ફરી તાંબું તે નવિ હવે સાવ એહવો જગગુરુ પ્રેમ રે; ગુણવેલડિયાં.” ૪૯ સનાવદ, સં. ૧૯૭૬ જીવને ખેદ કર્તવ્ય નથી. પ્રમાદ છોડી જેમ બને તેમ કાંઈ મુખપાઠ ભણવાનું થાય તે કર્તવ્ય છેજી. આળસ વૈરી છેજી. નિવૃત્તિ મેળવી ભક્તિ ભજન કર્તવ્ય છે'. સંસારસમુદ્ર ઇન્દ્રજાળ જેવો, સ્વપ્નવત્ નાશવંત છે. કાળચક્ર માથે ફર્યા કરે છે. લીધો કે લેશે તેમ થઈ રહ્યું છે. તેમાં આ ક્લેશિત જીવાત્માને એક ઘર્મ શરણ, ગતિ છે. આ જીવ કયા યોગકાળને ભજે છે તે જોઈ આત્માની દયા ખાવાની છે. આ મનુષ્યભવમાં પુરુષાર્થ કર્તવ્ય છેજી. કોઈ કોઈનું છે નહીં, છતાં જીવ પરભાવમાં રાચી-નાચી રહ્યો છે, હું અને મારું દેહાદિથી માંડી મારું મારું–કરી રહ્યો છે. જે પોતાનું છે તે જીવે અનાદિ કાળથી જાણ્યું નથી એમ જાણી, સમજ્યો ત્યાંથી સવાર, ભૂલ્યો ત્યાંથી ફરી ગણી, એક આત્મહિત–કલ્યાણ થાય તે કર્તવ્ય છે'. તે જીવે અવશ્ય કાળજી રાખવા યોગ્ય છેજ. બનનાર તે ફરનાર અને ફરનાર તે બનનાર નથી, માટે ચેતવા જેવું છે. સહજાન્મસ્વરૂપનું સ્મરણ, ધ્યાન, વિચાર કર્તવ્ય છે). જે સમય કાળ જાય છે તે પાછો આવતો નથી. પરભાવની ચિંતવના કલ્પના રાખી જીવ ભ્રમણામાં પડી કર્મબંઘ કરે છે તે વૃથા થોથાં ખાંડ્યા જેવું છે. જેટલો જેટલો સંજોગ મળવાનો છે તે મળી આખરે મુકાવાનો છે. પોતાનો થયો નથી છતાં કલ્પના કરી જીવ ભૂલે છે, એમ વિચારી મન અથવા વૃત્તિ પરભાવમાં જતી વારંવાર સ્મૃતિમાં, આત્મ-ઉપયોગમાં લાવવી યોગ્ય છેજી. “સર્વવ્યાપક સચ્ચિદાનંદ એવો હું આત્મા એક છું એમ વિચારવું, ધ્યાવવું.” “સહજાત્મસ્વરૂપ'નો વચનથી ઉચ્ચાર, મનથી વિચાર ઉપર લખ્યા પ્રમાણે ધ્યાનમાં રાખી લક્ષ રાખવા યોગ્ય છેજી. “સહજાત્મસ્વરૂપ બંઘાયેલાને છોડાવવો છેજી. જૂનું મૂક્યા વગર છૂટકો નથી. જે દી તે દી મૂકવું જ પડશે. જ્યારથી આ વચન શ્રવણ થયું ત્યારથી અંતરમાં ત્યાગવૈરાગ્ય લાવી, સુખદુઃખમાં સમભાવ રાખી, શાંતિ ચિત્તમાં વિચારી સમાધિભાવ થાય તેમ કર્તવ્ય છેજી. સર્વ ભૂલી જવું; એક આત્મઉપયોગમાં અહોરાત્ર આવવું. એટલે “આત્મા' છે. દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે છે ત્યાં બંઘાયેલો છૂટે છે. તેમાં હરખશોક કરવા જેવું છે નહીંછ. શાંતિઃ શાંતિઃ શાંતિઃ તા. ક. ઉપરનાં વચનો વિચારી ધ્યાનમાં લઈ લક્ષ રાખવા યોગ્ય છેજી. માત્ર દૃષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહ.” Page #130 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૧ પ0 તા. ૬-૧૦-૨૦, સં. ૧૯૭૬ આત્મભાવનાએ જાગૃતિ રાખવી. દેહાદિ સંબંધી, રાગદ્વેષ, વ્યાધિ-ઉપાધિ, સંકલ્પ-વિકલ્પ, પૂર્વ ઉપાર્જિત-સંચિત પ્રારબ્ધ, અધ્યવસાય, જે જે જાણવામાં આવે છે તેનો દ્રષ્ટા, દેહથી ભિન્ન આત્મા અસંગ છે, સર્વથી ભિન્ન છે. બંઘાયેલા સંયોગ છૂટે છેજ. સાક્ષી છે તેને યથાતથ્ય જુદો આત્મા જાણો. સમભાવ, સમાધિ, શાંતિમાં આત્મા છેજ. તે પરભાવ-વિભાવના સંયોગથી જોડાયેલો છે, તેથી મુક્ત થવાનું એટલે મુકાવાનું છે. પોતાનું મૂળ સ્વરૂપ કદી છૂટતું નથી, એમ વિચારી સમભાવ રાખશોજી. બનનાર તે ફરનાર નથી; ફરનાર તે બનનાર નથી. જ્ઞાની પુરુષો દેહાદિ સંયોગથી માંડી શાતા-અશાતા જે ઉદયમાં આવે તેને જોઈ તેથી જુદા અવિષમ ભાવે, એટલે તે દેખાવ દે છે તેથી ઊલટા, ઉપરી, જોનાર પોતાને જાણી આનંદ-શાંતિમાં સંતોષ માની ધીરજ રાખી પોતાના સ્વરૂપમાં લીન થાય છેજી. જે અનાદિ કાળથી જીવે સુખ માન્યું હતું તે મિથ્યા છે, એમ વિચારી સમભાવે વેદી મૃત્યુ આવ્યું પણ મહોત્સવ જાણે છે. - હવે ફિકર રાખવા જેવું નથી. જે જાય છે તે જવા દેવું; સદા આનંદમાં રહેવુંજી. જોકે એમ જ થતું આવ્યું છે; પણ સમજણમાં ફેર છે. તે સમજણ ફેરવી નાખવી ઘટિત છે. માનવાનું છે તે માન્યું નથી અને નથી માનવાનું તે માન્યું છે, ગણવાનું છે તે નથી ગયું અને નથી ગણવાનું તે ગયું છે; એ ભૂલ. હવે તો આટલો ભવ સર્વથા મારું માન્યું છે તે મૂકી, આત્મા જે સપુરુષે યથાતથ્ય જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે તે જ આત્મા મારો આત્મા છે, તેના અર્થે જ આટલો દેહ ગાળવો. એને શોધ્યે, એ જ માન્ય, એ જ વેપારે, એ જ શ્રધ્ધ, એ જ રુચિ કર્યો આત્મકલ્યાણ છે, એમ સમજી એ ભાવના–પુરુષાર્થભાવના–એ વર્તવું તે આત્મકલ્યાણ છે'. તેના માટે ઉદયમાં આવી જે જે જાય છે તે જોયા કરવું. સર્વને આત્મહિત થાય, આત્મભાવના થાય તેમ આપણે સ્વપરહિત કર્તવ્ય છેજી. પરમાર્થે દેહ ગાળવો, આત્માર્થે; બાકી બીજી ઇચ્છાએ નહીં એમ વિચારીને શાંતિમાં રહેશોજી. આ સર્વને ભલામણ છેજી. વેદની આબે, વિશેષ વિશેષ સન્દુરુષોનાં વચનામૃત વિચારવાં, યાદ લાવવાં, દેહનું ભિન્નપણું સ્મૃતિમાં લાવવું યોગ્ય છેજ. સમષ્ટિવાન જીવાત્મા અશાતા વેદની આબે વિશેષ જાગૃતિમાં રહે છે; તેમ કરવું યોગ્ય છે. તે પ્રત્યે હરખશોક નહીં કરતાં, બાંધ્યાં કર્મ જવાથી ફરીથી ન બંઘાય તેવા ભાવે આત્મા આત્મદ્રષ્ટિએ ઉપયોગ-ભાવમાં સ્થિરતા ઘારણ કરે છેજી. અકંપ, અડોલ, શાશ્વત, જ્ઞાન-દર્શન-ચારિત્રમય ઘર્મ, વિચારી પોતીકો નિજભાવ કદી છૂટ્યો નથી, એ જ ભાવનાએ વર્તે છે. “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે !” ૫૧ સનાવદ, તા.૨૦-૧૦-૨૦, બુધ, સં. ૧૯૭૬ ફક્ત ભાવના કરવી; અને સ્મરણ કર્તવ્ય છે. સપુરુષની અશાતના થાય તો દોષ લાગે છે. આત્મભાવથી આત્માનું કલ્યાણ છે. તે આત્મા Page #131 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ઉપદેશામૃત પોતાનો અંતરાત્મા. તે અંતરાત્માએ પરમાત્માની ભક્તિ કરવી. “મન હોય ચંગા તો ઘેર બેઠાં ગંગા કહેવત છે તે ભાવતાં “સહજાત્મસ્વરૂપ'નું સ્મરણ કરવું. ઉપરથી મોહ કરે અને વિચાર ન કરે તો અનંતાં કર્મ ઉપાર્જન થાય છે. મને ઘડી નથી વીસરતા રાજ, સદ્ગુરુ સંકટહર્તા.” “મારી નાડ તમારે હાથે હરિ, સંભાળજો રે, મુજને પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે. (ધ્રુ) પથ્યાપથ્ય નથી સમજાતું, દુઃખ સદૈવ રહે ઊભરાતું; મને હશે શું થાતું, નાથ નિહાળજો રે ! મારી. ૧ અનાદિ આપ વૈદ્ય છો સાચા, કોઈ ઉપાય વિષે નહીં કાચા; દિવસ રહ્યા છે ટાંચા, વેળા વાળજો રે ! મારી. ૨ વિશ્વેશ્વર, શું હજી વિચારો, બાજી હાથ છતાં કાં હારો? મહા મૂંઝારો મારો નટવર, ટાળજો રે ! મારી ૩ કેશવ હરિ, મારું શું થાશે, ઘાણ વળ્યો શું ગઢ ઘેરાશે ? લાજ તમારી જાશે, ભૂઘર ભાળજો રે ! મારી ૪ સનાવદ, સં. ૧૯૭૬ આ જીવને અનંત કાળ પરિભ્રમણ કરતાં અનેક મનુષ્યભવ લાવ્યા છતાં, સ્વચ્છેદ અને પ્રમાદ એ બે શત્રુનો નાશ કરવા એક પ્રત્યક્ષ પ્રગટ પુરુષની આજ્ઞા જીવ જો ન ઉઠાવે તો તે સર્વ બંધનથી મુક્ત થાય નહીં. આ કળિકાળમાં સપુરુષ, સત્સંગ મળવો ઘણો દુર્લભ છે. આ જીવાત્માને તેવો જોગ મળે શ્રદ્ધા, રુચિ, પ્રતીત આવ્યે જીવ જો પુરુષાર્થ (સમભાવ) નહીં કરે તો જીવનું પરિભ્રમણ મટવું દુર્લભ થઈ પડશેજી. ઘર્મ” “ઘર્મ' સર્વ દર્શન પોકારી રહ્યાં છે, પણ આત્મસુખને ઉપાદેય ગણી જે જીવ પુદ્ગલસુખથી ઉપેક્ષિત છે તે રાજમાર્ગને યોગ્ય છે. પણ જે પુદ્ગલસુખના અભિલાષી, અભિનિવેશી, આળસુ, અસુર, દુરાચારી, ક્લેશિત, કુસંસ્કારી, કદાગ્રહી હોય તે રાજમાર્ગથી દૂર જાણવાજી. જેના હૃદયમાં ગુરુ વસે છે તેને ઘન્ય છેજી. એક આ સંસારમાં જે કરવાનું છે તે બાકી રહી જાય છે ને સંસાર-વ્યવસાય જે સ્વપ્નવત્ માયા છે તેમાં દોડ કરી આ જીવે “મારું” “મારું” કરી મિથ્યાગ્રહ કર્યો છેજ. તે મુમુક્ષુ જીવે જરૂર વિચારવા જેવું છે અને જાગૃત થવા પુરુષાર્થ કર્તવ્ય છેજી. એક આત્માની જ ચિંતા માટે આટલો ભવ ગાળે તો અનંતા ભવનું ટળવું થાય છેજી. જગતનું બોલવું, ચાલવું કે પ્રવર્તવું તે કાંઈ જોવું નહીંજી. જગત સર્વ કર્માઘાન પ્રવર્તે છે.જી. તેમાં દ્રષ્ટિ નહીં મૂકતાં દ્રષ્ટા થઈ મનન ધ્યાવનથી વૃત્તિ મનને વિષે લાવીને સમભાવ સાથી સમતોલ રાખી રહેવું, તેનું નામ સમાધિ છેજી. તે સમાધિ કરવાની પરમ કૃપાળુદેવની આજ્ઞા છે તે ભૂલવું ન Page #132 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૧ ૩૫ જોઈએ. તે વાત લક્ષમાં રાખી આપણે આપણું કરવું. વિભાવનાં નિમિત્ત સામું ન જોતાં માત્ર એક પોતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં જ દ્રષ્ટિ રાખી રહેવાની કૃપાળુદેવે ભલામણ કરી છે, એ નિશાન ચૂકશો નહીં. ઉપયોગ એ આત્મા છે, તે ઘર્મ છે; તેમાં દ્રષ્ટિ પ્રેરજો. વધું શું લખવું તે કંઈ સૂઝતું નથી. આ જગતનું બીજું નામ દુનિયા એટલે બે ન્યાય છે : મોટે ભાગે ગાંડી છે અને થોડા જ ભાગે ડાહી છે, એમ બે ન્યાય છે). તેમાં આંગળીને ટેરવે ગણાય તેવા વિરલા થોડા ડાહ્યા છેજી. જે જીવાત્મા પોતાના જ દોષ દેખી પર પ્રત્યે નજર નહીં દેતાં પોતાનું જ કરશે, તેવા જ ભાવમાં ઘણો વિચાર કાળ જાય તેમ વર્તશે તેને આત્મભાવ થશેજી. બીજું જોતાં બીજું થાય છેજી. “જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવપાર.” ગઈ વસ્તુ શોચે નહીં, આગમ વાંછા નાંહી, વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગમાંહી.” (ગઝલ) “ભલે દુશ્મન બને દુનિયા, તમે ના કોપશો બાપુ, અમીમય આંખ-કયારીમાં, અમલ ના રોપશો બાપુ. તમારી જ્યાં દયાવૃષ્ટિ, સદા ત્યાં છે અમીવૃષ્ટિ, બને સ્નેહી સકલ સૃષ્ટિ, સદા હૃદયે વસો, બાપુ. અમારા દોષ ન જોશો, દયાળુ દુર્ગણો ઘોશો, અમે તો આપનાં છોરું, સુબુદ્ધિ આપશો બાપુ.” “ખપી જવું પ્રેમમાં તારા, સમર્પણ એ અમે કહિયે; દફન થવું શેરીમાં તારી, અમારું સ્વર્ગ એ કહિયે. ૧ દરશ તારું શ્રવણ તારું અને તેમાં જ ગુમ થાવું; પરમ પ્રજ્ઞાન ને મુક્તિ, ઘરમ એને અમે કહિયે. ૨ સફર તારી ગલીમાં તે, શહનશાહી અમે કહિયે; રહેવું ચિંત્વને તારા, પરાભક્તિ અમે કહિયે. ૩ તુંમાં છે જે, તું છે જેમાં, પછી શું શોધવું તેને ? ખબર નહિ તે જ ગફલત છે, અગર અજ્ઞાન તે કહિયે. ૪ ચરણ ચૂમતાં કપાવ્યું શિર, સનમના પ્રેમને ખાતર; સમર્પણ એ અમે કહિયે, પરાભક્તિ જ એ કહિયે. ૫ દિવાનું ઘેલું તુજ પ્રેમી, વદર્પિત પ્રાણ તન મન ઘન; ગુલામી કાયમી તારી, સનમનો રાહ એ કહિયે.”૬ Page #133 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત ૫૩ મંડાળા, સં. ૧૯૭૬ ૧. પ્રભુ પ્રભુતા સંભારતાં, ગાતાં, કરતાં ગુણગ્રામ રે; સેવક સાઘનતા વરે, નિજ સંવર પરિણતિ પામ રે. મુનિ૭ પ્રગટ તત્ત્વતા ધ્યાવતાં, નિજ તત્ત્વનો ધ્યાતા થાય રે; તત્ત્વરમણ એકાગ્રતા, પૂરણ તત્ત્વ એહ સમાય રે. મુનિ ૮ (શ્રેયાંસજિનસ્તવન, દેવચંદ્રજી) ૨. તાહરા શુદ્ધ સ્વભાવનેજી, આદરે ઘરી બહુમાન; તેહને તેથી જ નીપજેજી, એ કોઈ અદ્ભુત તાન. વિમલ જિન પ તુમ પ્રભુ, તુમ તારક વિભુજી, તુમ સમો અવર ન કોય; તુમ દરિસણ થકી હું તયજી, શુદ્ધ આલંબન હોય. વિમલ જિન (વિમલજિનસ્તવન, દેવચંદ્રજી) ૫૪ સાવદ, સં. ૧૯૭૬ સર્વ જીવ વેદની આદિ કર્મ-સંયોગે શાતા-અશાતા ભોગવે છે, અને હર્ષ-શોક કરી કર્મબંઘન પાછાં ઉપાર્જન કરે છે; પણ જે પુરુષો જ્ઞાની છે તે હર્ષ-શોક કરતા નથી, સમભાવે વેચે છે. કારણ કે અનંત કાળચક્રથી આ જીવ ઉદયાથીન સંયોગ વિયોગ આદિ કર્મવિપાક ભોગવતાં કાળ વ્યતીત કરે છે અને પરદ્રવ્યને મારું માની તેમાં પરિણમી, ભ્રાંતિ પામી, મોહાધીન થઈ, મદિરા પીઘાની પેઠે નિજ ભાવ ભૂલી પરભાવમાં મને દુઃખ છે, મને સુખ છે, એ આદિ ઘણી મમતા, અહંકાર, આશા-તૃષ્ણા, ઇચ્છા-વાંચ્છા, સંકલ્પ-વિકલ્પ કરતો, બંઘનયુક્ત થઈ અનાદિકાળથી મુક્ત થયો નથી; તે આ મનુષ્યભવ પામી યથાર્થ સ્વરૂપને પામેલા પુરુષની વાણીથી–વચનામૃતથી સત્ શ્રદ્ધાએ સસ્વરૂપને યથાતથ્ય સમજે તો પરને અન્ય જાણી બંધાયેલો છૂટે છે. તેનો જે દ્રષ્ટા થઈ સમભાવે વેચે છે તે બંધનથી છૂટે છેજી. અનાદિ કાળથી આ જીવને પુરુષની એટલે સસ્વરૂપની અશાતના-અભક્તિથી પરિભ્રમણ થયું છેજી. નિંદા કરી, દોષ દેખી અનંતાં કર્મ ઉપાર્જન કરે છે, તેને બદલે આ જીવ જો પરદોષ ન દેખે અને ગુણ દેખે તો તેને કર્મબંઘ ન થાય. જીવને માન અને મોટાઈ બે જ પરિભ્રમણ કરાવે છે, તે આત્માર્થી ભાવિક જીવાત્માએ ખ્યાલમાં રાખી પોતાના દોષ જોવા. પર ભણી દ્રષ્ટિ નહીં દેતાં, પોતાના નિજભાવમાં સન્મુખવૃષ્ટિએ વિચારતાં, જોતાં રાગ, દ્વેષ, મોહનો નાશ થાય છે. કારણ કે ‘i નાણરૂ સે સવૅ નાળ' એ મહાવાક્યનો આ જીવે વિચાર કર્યો નથી. એક સમયે બે ક્રિયા થતી નથી. ઉપયોગ એ ઘર્મ છે. તે સધાય તેવી ક્રિયા કર્તવ્ય છે, બીજી બાઘક છે. સમ્યગ્દષ્ટિવંત સર્વ અવળાનું સવળું કરે, એ વિચારવા જેવું છે. “જગત આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે; પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે.” એ સપુરુષનાં વચન વિચારવા યોગ્ય છે. સમકિત દ્રષ્ટિને સર્વે સવળું છેજી. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૩૭ પત્રાવલિ-૧ “નિજ પણ જે ભૂલે નહીં, ફુલે ન બની સિરદાર; તે મૂલ્ય નહિ પામીએ, જે અમૂલ્ય આધાર. ૧ સેવાથી સદ્ગુરુકૃપા, (સ)ગુરૂકૃપાથી જ્ઞાન; જ્ઞાન હિમાલય સબ ગળે, શેષે સ્વરૂપ નિર્વાણ. ૨ એ સંકલના સિદ્ધિની, કહી સંક્ષેપે સાવ; વિસ્તાર સુવિચારતાં, પ્રગટે પરમ પ્રભાવ.”૩ “જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે; મૂંગી ઇલિકાને ચટકાવે, તે ભૂંગી જગ જોવે રે.” જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, તેમજ જીવસ્વભાવ; તે જિનવીરે રે ઘર્મ પ્રકાશિયો, પ્રબળ કષાય અભાવ.” “ણવિઘ પરખી, મન વિસરામી, જિનવર ગુણ જે ગાવે રે; દીનબંધુની મહેર નજરથી, આનંદઘન પદ પાવે રે.” ૫૫ સનાવદ, સં. ૧૯૭૬ તત્સત્ ‘સહજાન્મસ્વરૂપ” “ચિંતવિયો ઘરિયો રહે, ઔર અચિંતિત હોય; પ્રબલ જોર ભાવી તણો, જાણી શકે નહિ કોય.” ૧ “બંદાકે મન ઓર હૈ, કતકે મન ઓર; ઓધવસે માધવ કહે, જૂઠી મનકી દોડ.” ૨ “પ્રભુપદ મન દ્રઢ રાખીને, કરવો સૌ વ્યવહાર; વિરતિ વિવેક વઘારીને, તરવો આ સંસાર. ૧ જેને સદ્ગુરુપદશું રાગ, તેનાં જાણો પૂર્વિક ભાગ્ય; જેને સદ્ગુરુ સ્વરૂપશું યાર, તેને જાણો અલ્પ સંસાર.” ૨ અનન્ય શરણના આપનાર એવા સદ્ગુરુદેવ ભગવાનને અનન્ય ભક્તિએ ત્રિકાળ નમસ્કાર હો ! નમસ્કાર હો ! શુદ્ધ ચૈતન્યસ્વામી પ્રગટ પુરુષોત્તમને ત્રિકાળ નમસ્કાર હો ! નમસ્કાર હો ! આપ ભાઈઓ પ્રત્યે વિનંતી કે જેમ બને તેમ ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ, ભજન ભાઈ-બહેન સર્વે ભેગા થઈ કરવાનું રાખશોજી. જન્મ, જરા, મરણ, વ્યાધિ, પીડા, ત્રિવિઘ તાપથી આખો લોક બળ્યા કરે છે. સ્વપ્નવતું સંસાર છેજી, તેમાં કાંઈ સાર છે નહીં. ફક્ત આ જીવ પૂર્વનાં બાંધ્યાં કર્મ ભોગવે છેજ. તેમાં Page #135 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ઉપદેશામૃત ફરીથી રાગ-દ્વેષ કરી ફરી કર્મ ન બંઘાય તેમ કર્તવ્ય છેજ. જીવને તૃષ્ણા છે તે દુઃખદાયક છેજી. તેથી વધે ઘટે તેમ છે નહીં. જે પૂર્વના પુણ્યના ઉદયે શાતા-અશાતા, લાભ-અલાભ જોવામાં આવે છે તે પોતાનાં થતાં નથી. જીવ કલ્પના કરીને બંઘન કરે છે. માટે જીવે સમભાવ રાખી સમતાએ શાંતભાવ થાય તેમ કર્તવ્ય છેજી, ખેદ કરવા જેવું કાંઈ છે નહીં. મુરબ્બી જીજીભાઈ આદિ સર્વને ભલામણ છેજ. જેમ બને તેમ આત્મહિત થાય તેમ કર્તવ્ય છેજી. ખેદ કરવા જેવું કાંઈ છે નહીં. ફરી મનુષ્યભવ મળવો અમૂલ્ય છે તેમાં એક ઘર્મ જ સાર છે; બાકી મિથ્યા છે. બનનાર તે ફરનાર નહીં; ફરનાર તે બનનાર નહીં. ઘીરજ ઘરી, સમતાભાવે સમાધિમરણ થાય તેમ દિન પ્રત્યે ચિત્તવન રાખશોજી. દોહરા–“ઘીરે ઘીરે રાવતાં, ઘીરે સબ કુછ હોય; માળી સિંચે સોગણા, ઋતુ વિણ ફળ નવ હોય. ગઈ વસ્તુ શોચે નહીં, આગમવાંચ્છા નોય; વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગમાંય. ક્ષમાશૂર અરિહંત પ્રભુ, ક્ષમા આદિ અવધાર; ક્ષમા ઘર્મ આરાઘવા, ક્ષમા કરો સુખકાર. સાચે મન સેવા કરે, જાચે નહીં લગાર; રાએ નહિ સંસારમાં, માચે નિજપદ સાર. પ્રભુ સર્વ વ્યાપી રહ્યા છે તુમ હૃદય મોઝાર; તે પ્રત્યક્ષ અનુભવી, પામો ભવનો પાર.” “પૂર્વ પુણ્યના ઉદયથી, મળ્યો સરુયોગ; વચનસુઘા શ્રવણે જતાં, થયું હૃદય ગતશોગ. નિશ્ચય એથી આવિયો, ટળશે અહીં ઉતાપ; નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ.” સહજાન્મસ્વરૂપ ૫૬ સાવદ, સં. ૧૯૭૬ જેમ બને તેમ ભક્તિ-ભાવના, ત્યાગ-વૈરાગ્યમાં, આત્મભાવમાં, જેમ જેમ વિશેષ અસંગ એક આત્મા સાથે વૃત્તિ જોડાય તેમ કર્તવ્ય છેજી. “સર્વવ્યાપક સચ્ચિદાનંદ એવો આત્મા હું છું' એમ વિચારવું અને ઠાવવું કર્તવ્ય છેજી. પરમાર્થે આટલો દેહ ગળાય તો આત્માનું કલ્યાણ થાય. નિઃસ્વાર્થે પોતાનો સ્વછંદ રોકી વર્તવું યોગ્ય છે. વેદનીય કર્મ–જે જે શાતા-અશાતા આવે તે સમ્યક્ એટલે સમભાવે વેદવાથી બંઘાયેલ કર્મ છૂટે છે. પણ ફરી ન બંઘાય તે ભાવ તો એક આત્મભાવના છે. દ્રષ્ટા આત્મા છે, તે જાણે છે, એમ વિચારી આત્માનંદમાં કાળ વ્યતીત કર્તવ્ય છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૧ ૫૭ ॐ તત્ સત્ ‘સહજાત્મસ્વરૂપ’ પરમગુરુ महादेव्याः कुक्षिरत्नं शब्दजितवरात्मजम् । राजचंद्रमहं वन्दे तत्त्वलोचनदायकम् ॥ પ્રગટ પુરુષોત્તમને નમસ્કાર ! નમસ્કાર ! “આત્યંતર ભાન અવધૂત, વિદેહીવત્, જિનકલ્પીવત્, સર્વ પરભાવ અને વિભાવથી વ્યાવૃત્ત, નિજ સ્વભાવના ભાનસહિત, અવધૂતવત્ વિદેહીવત્ જિનકલ્પીવત્ વિચરતા પુરુષ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ.'' ૩૯ સત્તાવદ, તા. ૫-૧૧-૨૦ ધનતેરશ, સં. ૧૯૭૬ જ્ઞાન-દર્શનચારિત્ર, અસંગ, અપ્રતિબંધ આત્મા સમજો. સમતા, ક્ષમા, ઘીરજ, સમાધિમરણ, વિચાર, સદ્વિવેક જાણો. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છેજી. તે પત્ર વિચારવા યોગ્ય છેજી. હે જીવ ! કાંઈક વિચાર, વિચાર, કાંઈક વિચાર. વિરામ પામ વિરામ. એમ સમજ, મૂકવું પડશે. ‘‘જહાં કલપના-જલપના, તહાં માનું દુઃખછાંઈ, મિટે કલપના-જલપના, તબ વસ્તુ તિન પાઈ.’ મૈત્રી, પ્રમોદ, કરુણા, મધ્યસ્થતા એ ચાર ભાવના ભાવવી કર્તવ્ય છેજી. અનુપ્રેક્ષાના ચાર ભેદ છેજી. (૧) એકત્વાનુપ્રેક્ષા કહેતાં આત્મા એક છે, નિત્ય છે. (૨) અનિત્યાનુપ્રેક્ષા કહેતાં આત્મા સિવાય બાકી અનિત્ય છે. (૩) અશરણાનુપ્રેક્ષા કહેતાં આત્મા સિવાય શરણ રાખનાર કોઈ નથી. (૪) સંસારાનુપ્રેક્ષા કહેતાં આત્માનું શરણ નહીં લેવાથી સંસારને વિષે પરિભ્રમણ કરવું પડે છે. ‘હે જીવ ! સ્થિર દૃષ્ટિથી કરીને તું અંતરંગમાં જો, તો સર્વ ૫૨દ્રવ્યથી મુક્ત એવું તારું સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે.’' ‘એટલું શોધાય તો બધું પામશો; ખચીત એમાં જ છે, મને ચોક્કસ અનુભવ છે. સત્ય કહું છું. યથાર્થ કહું છું. નિઃશંક માનો,’' ‘‘પ્રવૃત્તિનાં કાર્યો પ્રત્યે વિરતિ. Page #137 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત સંગ અને સ્નેહપાશનું ત્રોડવું (અતિશય વસમું છતાં પણ કરવું, કેમકે બીજો કોઈ ઉપાય નથી.) આશંકા – જે સ્નેહ રાખે છે તેના પ્રત્યે આવી ક્રૂર દ્રષ્ટિથી વર્તવું તે કૃતવ્રતા અથવા નિર્દયતા નથી ?” “મૂક્યા વિના છૂટકો નથી.” “હવે શું છે?” શાંતિઃ શાંતિ કાયરતા દેશકાળ-વિપરીતતા વિપરીત. હે આર્ય ! સંપેટ; નહીં તો પરિણામનો યોગ છે. અથવા સંપૂર્ણ સુખનો છતો યોગ નાશ કરવા બરાબર છેજી. ઘણું સ્થિરપણું, ઘણો લૌકિકભાવ, વિષય-અભિલાષ, સ્વેચ્છાચાર. પરમાર્થ અપરમાર્થ નિર્ણયતા અનિર્ણયતા. તથા પ્રતિબંધ વિહાર પરમ પુરુષના સમાગમનો અભાવ. શરીરને વિષે આત્મભાવના પ્રથમ થતી હોય તો થવા દેવી, ક્રમે કરી પ્રાણમાં આત્મભાવના કરવી, પછી ઇંદ્રિયોમાં આત્મભાવના કરવી, પછી સંકલ્પ-વિકલ્પરૂપ પરિણામમાં આત્મભાવના કરવી, પછી સ્થિર જ્ઞાનમાં આત્મભાવના કરવી. ત્યાં સર્વ પ્રકારની અન્યાલંબન રહિત સ્થિતિ કરવી.” “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે." જીવ લહે કેવળજ્ઞાન રે. અમૂલ્ય આત્મા છે. તુચ્છ પદાર્થમાં પ્રીતિ કેમ કરું ? સર્વ ભૂલી જવું. પ્રેમ વેરી નાખો છો. તે સર્વ પરભાવમાં પ્રીતિ ના કરું. એક સત્ સ્વરૂપ સદ્ગુરુ ઉપર પ્રીતિ કરું, વહાલપ બીજે ન કરું. ૐ શાંતિઃ શાંતિઃ ૫૮ સનાવદ, કારતક સુદ ૧૦, રવિ, ૧૯૭૭ અમોને સમેતશિખરજી સાથે આવવા વિચાર દર્શાવ્યો તો તે વિષે અમારી મરજી પ્રથમ હતી, તે વૃત્તિ સંકોચી લીધી છેજી, તે શરીરાદિ કારણથી અને આત્મહિત કરવું તે પોતાથી છે એમ ચિત્તમાં વિચાર રહેતો હોવાથી. જો આ જીવ સ્વચ્છેદ પ્રમાદમાં ફસાયો રહે તો કાંઈ કલ્યાણ થાય નહીં. માટે સદ્ગુરુ દેવાધિદેવશ્રીનાં વચનામૃત વાંચી વિચારી જેમ આત્મા જાગૃત થાય તેમ કર્તવ્ય છેજી. જો આત્મા જ નહીં જાગ્યો તો કોઈ કાળમાં કલ્યાણ થાય તેમ લાગતું નથી. માટે સત્સંગ, સલ્ફાસ્ત્રોજેમાં આત્મહિત થાય તેવાં પુસ્તકો વાંચવા વિચારવાનું સપુરુષની આજ્ઞાએ બને તો કલ્યાણ છેજી. હવે જાત્રા તીર્થ વિષેની ચિત્તવૃત્તિ સંકોચી એક આત્માથી પુરુષાર્થ કરવા અંતરવૃત્તિ વર્તે છે. તે આત્મા, આત્મા જેણે જામ્યો છે તેનાથી જાણે અને સ્વચ્છંદ પ્રમાદ મૂકી ઉદયકર્મ ભોગવતાં સમભાવથી વર્તે તો કલ્યાણ છે). તે સમભાવ તો આત્મા જાણ્યા સિવાય આવવો કઠણ છેજી. સદ્ગુરુ દેવાધિદેવ પરમકૃપાળુનાં વચનામૃતમાં ઘણે ઠેકાણે આત્મા યથાતથ્ય, જેમ છે તેમ જણાવ્યો Page #138 -------------------------------------------------------------------------- ________________ ૪૧ પત્રાવલિ-૧ છે. ‘નું ગાબડું છે સવૅ નાળ૬, સવૅ નાળરૂ નાળ; તેનો સદ્ગુરુથી મહા મોટો પરમાર્થ જાણે તો વેદની આદિ કર્મ ઉદય આવ્યે ઉદાસ નહીં, પણ ઉદાસીનતા (સમભાવ) પ્રગટ થાય તો કલ્યાણ છેજી. બાહ્ય વૃત્તિ જેની ક્ષય થઈ, અંતરવૃત્તિ આત્મભાવનાએ વર્તે છે તે જીવાત્માનું કલ્યાણ થશેજી. આપે સેવાભક્તિની જે ભાવના પરમાર્થબુદ્ધિએ જણાવી તે ભાવનું આપને સફળપણું છેજી. જો કે મનમાં વિચાર તો આપને પત્ર લખવાનો આવતો હતો પણ અંતરવૃત્તિમાં ઘણાં કારણ આપને વિધ્રવાળાં દેખી વૃત્તિ સંકોચવાનું કર્યું હતું. આજે આ પત્ર આપને લખવાનું થયું છે પણ આપને જે કહેવું અંતરમાં છે, તે લખાયું નથી; ફક્ત પરમાર્થે, અંતરમાં સ્વાર્થ નહીં તેમ, નિઃસ્પૃહપણે આત્માનું કલ્યાણ થાય તે સ્પષ્ટ જણાવત. આપનું સમજવું, વિચારવું આપના ક્ષયોપશમ પ્રમાણે છે, તેમાં “કાંઈક મને સમજાય છે,' “સમજું છું એમ રહી જતું જોવાથી, તેમ અમારી સમજમાં આવ્યાથી કહેવાનું કે લખવાનું થયું નથીજી. હવે આપને જેમ કહેવાનું મને અત્રે સ્મૃતિમાં ઠીક લાગ્યું છે તે સહજ જણાવું છુંજી. આપ જાણો જ છો કે કાળનો ભરોસો નથી, લીઘો કે લેશે એમ થઈ રહ્યું છે. આ સ્વપ્નવત્ સંસાર ત્રિવિધ તાપથી બળ્યા કરે છે, તેમાં કંઈ સદા સરખું દેખાતું નથી, બધું ક્ષણે ક્ષણે બદલાતું ચંચળ પુદ્ગલ સંજોગવાળું જણાય છે, તે પોતાનું નહીં છતાં “મારું” મનાય છે; તેમાં જડચેતનનો વિચાર–ભેદજ્ઞાન, આવા સંજોગ પામી, નહીં સમજાય તો પછી અનંતકાળથી જેમ થતું આવ્યું છે તેમનું તેમ જ સમજજો. એક જે કરવા સમજવાનું છે તે શું ? તે વિચાર કર્તવ્ય છે. તે જો ન થયું તો પછી ? માટે આપને તે કર્તવ્ય છેજી. આ કાંઈ લખવું થયું છે તે કોઈ પૂર્વના સંજોગને લઈને થયું છે). આપનું કલ્યાણ–આત્મહિત ઇચ્છી જણાવવું થયું છે કે આત્માએ આત્માની ખોજ માટે કાળ ગાળ્યો નથી. સંસારમાં માનમોટાઈ માટે જગત-જીવો કાળ વ્યતીત કરે છે તેથી આત્મા બંધનથી છૂટતો નથી. તે માટે આપ જેવાને તો જાગૃતિ કર્તવ્ય છે. આપને ઘણી ઉપાધિથી નિવૃત્તિ કરવા વિચાર રહે છે; અને આપે તેમ, આપની સમજમાં આવ્યું છે તેટલું, કર્યું છેજ. પણ જે કરવાનું છે તે રહી ગયું તો પછી ? માટે કાંઈ તે વિષે વિચારવું. પ૯ મંડાળા, તા.૧-૩-૨૧ સુખ-દુઃખ આવ્યે સહન કરવું, એ કર્તવ્ય છેજી. જેમ બને તેમ વૃત્તિ રોકીને ધ્યાન, સ્મરણ, ભક્તિ વૈરાગ્યભાવે સ્વપરહિત થાય તેમ કર્તવ્ય છે. જેમ બને તેમ પોતાના નિમિત્તથી અન્ય જીવને કષાયનું કારણ ન બને અને જેમ સત્ ઘર્મઆત્મભાવ ઉપર ભક્તિભાવ–પ્રેમ વધે તેમ ચર્યા, વર્તન કર્તવ્ય છેજી; કાંઈ તાણી તૂસીને કર્તવ્ય નહીં. આપણું હિત-કલ્યાણ કરવા સન્મુખ દ્રષ્ટિ, સુરતા રાખી બીજાની વૃત્તિ તેમાં પ્રેરાય તેમ કરવામાં હિત છેજી. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ઉપદેશામૃત ૬૦ મંડાળા, ચૈત્ર સુદ ૬, ગુરુ, ૧૯૭૭ નરમ ગરમ શરીર પ્રકૃતિ સંજોગે, વૃદ્ધ અવસ્થાએ તથા ઉદયકર્મને લઈને રોગ વ્યાધિ વેદની આવે તે સમભાવે, દેવાધિદેવ પરમકૃપાળુ સદ્ગુરુદેવના શરણથી, ભોગવાય તેવી ઇચ્છાએ વર્તવું થાય છેજી; કારણ કે આ દેહથી ભિન્ન એવો આત્મા વેદનીના વખતમાં વ્યાકુળતા છાંડી શાંતભાવે પોતાના સ્વરૂપ ભણી વળે એમ પ્રયત્ન કરવા યોગ્ય છેજી. દેહ વિનાશી છે અને આત્મા અખંડ અવિનાશી છે, તે ભૂલવા યોગ્ય નથી. જગતના સર્વ ભાવ ઉપરથી ઉદાસીનતા રાખી, હૃદયને નિર્મલ કરી આખા વિશ્વને ચૈતન્યવત્ જોવાના વિચારમાં મનને જોડવું. પરમકૃપાળુ શ્રી સદ્ગુરુ દેવાધિદેવ શ્રી પ્રભુની છબિ હૃદયમંદિરમાં સ્થાપી, ખડી કરી, મનને ત્યાં જ પરોવી, પરમ શુદ્ધ ચૈતન્યનું નિવાસઘામ એવો જે સદ્ગુરુદેવશ્રીનો પવિત્ર દેહ તેનું વીતરાગભાવે ધ્યાન કરવાથી, સ્મરણ કરવાથી, વારંવાર યાદ કરવાથી પણ જીવ પરમ શાંત દશાને પામે છે તે ભૂલવા યોગ્ય નથી. તે વિષેનો બોઘ દેવાધિદેવ સદ્ગના મુખમાંથી થયેલ તે હૃદયને વિષે ઘારી રાખેલ છે, તે આજે પરમાર્થ હેતુ જાણી, અંતરમાં કોઈ પ્રકારે સ્વાર્થ કે અન્ય ભાવના હેતુએ નહીં, એમ વિચારી આપને અત્રે પત્ર દ્વારા સરલ ભાવે જાહેર કર્યું છેજી. આપ સુજ્ઞ છો, તો ધ્યાનમાં લેશોજી. અમોને પણ એ જ વિચારમાં કાળ વ્યતીત થાય છેજી. બીજું તો સર્વ ભૂલી જવા જેવું છેજી. હે પ્રભુ ! ઘણું કરી શરીરવ્યાધિને લઈને પત્ર લખવા-લખાવવાની ચિત્તવૃત્તિનો સંકોચ કરેલ છેજી; એટલે પત્ર દ્વારા કોઈ ઠેકાણે લખાવવું બનતું નથી. આજે પત્ર તમારા ચિત્તને વિકલ્પ ન થાય માટે અથવા સમભાવ અમારે વર્તે છે તે તમોને જાણવા માટે લખાવ્યો છે. જો કે સંપૂર્ણ વીતરાગપણું તો તે દશાએ યથાતથ્ય વર્તે છેજી. પણ છમ વીતરાગ દશાએ જેટલી જેટલી સદ્ગુરુ પ્રત્યક્ષ પુરુષની પ્રતીતિ, યથાતથ્ય શ્રદ્ધા, રુચિ પરિણમી છે તેટલી તેટલી સમવૃષ્ટિ અંતરવૃત્તિમાં વર્તે છેજ. તે આપશ્રીને જણાવવું થયું છેજી. આપને પણ જેમ બને તેમ તે સત્પરુષની દશા લક્ષમાં લેવાય તો આત્મકલ્યાણનો હેતુ છેજી. બાકી, સૂક્ષ્મ માયાથી આ જીવ છેતરાઈ જઈ વૃત્તિમાં ભૂલ ખાય છેજી– “હું સમજું છું', “હું જાણું છું', એ આદિ આ જીવમાં દોષ થાય છે તે નહીં સમજાયાથી. માટે પ્રત્યક્ષ પુરુષના વચનામૃતથી વિચારી જીવને ઊંડો વિચાર લક્ષમાં લેવા યોગ્ય છે. અસ્તિસ્વભાવ રુચિ થઈ રે, ધ્યાતો અસ્તિસ્વભાવ; દેવચંદ્રપદ તે લહે રે, પરમાનંદ જમાવે રે. - કંથ જિનેસરુ.” ૯ “તેણે મુજ આતમા તુજ થકી નીપજે, માહરી સંપદા સકળ મુજ સંપજે; તેણે મનમંદિરે ઘર્મ પ્રભુ ધ્યાઈએ, પરમ દેવચંદ્ર નિજ સિદ્ધિસુખ પાઈએ.” ૧૦ Page #140 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૧ “જેતી મનમેં ઊપજે, તેતી લખી ન જાય; તાતેં પત્રવૃત્તિમેં વૃત્તિ રહી સંકુચાય.’’ ⭑ * ૬૧ સમભાવ રાખી આટલી જિંદગીમાં આત્માર્થ કરવા યોગ્ય છે. વિકલ્પ કરી કર્મ ઉપાર્જન થાય છે, જેથી સમભાવ રાખવા યોગ્ય છે. સમભાવ રાખી જે જે આવે તે જોયા કરવું. ઘીરજ રાખવી. શાતા-અશાતા, સંયોગ-વિયોગ, રાગ-દ્વેષ, અનુરાગ-અણરાગ એ કોઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યાં છે, તો આપણે જે આવે તે સમભાવે વેદવું. ⭑ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ તા. ૩૦-૫-૨૧; સં. ૧૯૭૭ ૬૨ “જો જો પુદ્ગલ ફરસના, નિશ્ચે ફરસે સોય, મમતા-સમતા–ભાવસે, કર્મ બંધક્ષય હોય. સ્વર્ગ, મૃત્યુ, પાતાળમેં, સસ દ્વીપ નવખંડ, કર્મયોગ સબકું હવે, દેહ ઘર્યાકા દંડ. સમભાવે ઉદય સહે, રહે સ્વરૂપે સ્થિત, દહે પૂર્વપ્રારબ્ધને, એ જ્ઞાનીની રીત.’ ⭑ ૪૩ રાજનગર, તા. ૧૫-૧-૨૨ ૬૩ રાજનગર, પોષ વદ ૭, શુક્ર, ૧૯૭૮ ‘સદ્ગુરુપદ ઉપકારને, સંભારું દિનરાત; જેણે ક્ષણમાંહી કર્યો, અનાથને ય સનાથ. ૧ સદ્ગુરુ ચરણ જહાં ધરે, જંગમ તીરથ તેહ; તે રજ મમ મસ્તક ચડો, બાલક માગે એહ.''૨ ૬૪ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ,અગાસ,તા.૨-૫-૨૨ જો મતિ પીછે ઊપજે, સો મતિ પહલે હોય; કાજ ન વિણસે આપણો, લોક હસે નહિ કોય. સત્ દેવ-ગુરુધર્મ આ જીવે અનાદિ કાળથી યથાર્થ જાણ્યા નથી. તે, આ મનુષ્યભવ પામી, જેમ છે તેમ સમજાય તો આત્માને નિર્ભય-નિઃસંગ શાંતિ પ્રાપ્ત થાય છેજી. એક ગુરુનું સ્વરૂપ યથાતથ્ય વિચારમાં આવે તો જીવને કલ્યાણ થાય છેજી. આ સ્વપ્નવત્ સંસાર છે, તેમાં એક Page #141 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ઉપદેશામૃત સદ્ગુરુનું સ્વરૂપ શું છે, તે ખાસ લક્ષમાં આવે તો તે જીવને સમ્યક્ત્વ થયું કહેવાય છેજી; તે ઘ્યાનમાં, લક્ષમાં રહેવું જોઈએ. સમાગમે વિચાર કર્તવ્ય છેજી. ૬૫ આશ્રમ, તા. ૪-૭-૨૨ સમતા, શાંતિને સેવશોજી. સમભાવ ઘીરજ કરી, સ્વઉપયોગ એક ‘સહજ આત્મસ્વરૂપ’ માં લાવી, જાગૃત થઈ, ઘારણાએ સ્વસ્થ થઈ, સ્થિર દ્રષ્ટાપણે વેદની વેદતાં કાળ વ્યતીત કરતાં ઉદાસ નહીં થતાં, સદા મગનમાં એટલે આનંદમાં રહેતાં શીખો. ઉદાસીનતા એટલે સમભાવ લાવશોજી. એમ કર્યા વિના છૂટકો નથી અને વેદની-સુખદુઃખ તો આવ્યા વિના રહેશે નહીં. તે ઉદયાઘીન પ્રવર્તન થઈ રહ્યું છે; અધીરજ કર્તવ્ય નથી, ગભરાવા જેવું છે નહીં. માટે કોઈ પ્રત્યક્ષ પુરુષની જે આજ્ઞા થયેલ તે સંતના મુખથી શ્રવણ કરી, તેમાં શ્રદ્ધા અચળ કરી એક તેમાં આત્માને પ્રેરજો. વિશેષ શું લખું ? જીવ જો સમજે તો સહેજમાં છેજી; સર્વ ભૂલી જઈ એક જે સત્સંગે કહેલ સત્પુરુષનું વચન તે જ યાદ લાવવું. અકળાવું નહીં; ગભરાવું નહીં. જ્યાં સંકલ્પ-વિકલ્પ ઊઠે કે તરત તે મહામંત્રમાં મનને જોડી દેવું. એ જ વિજ્ઞપ્તિ. જે જે પત્રો મુખપાઠે આપને હોય તેની સજ્ઝાય (સ્વાધ્યાય) કરતાં તથા જે શીખવું થયું હોય તેને દિન પ્રત્યે ફેરવતાં વિચાર કરી કાળ વ્યતીત કરશોજી. જીવને ઘડીવા૨ વીલો મૂકશો નહીં, નહીં તો સત્યાનાશ વાળી દેશે. ચિત્તવૃત્તિ ઘણી સંક્ષેપિત થવાથી કંઈ પત્ર લખાવવાનું થતું નથી; તે આપને સહજ જણાવ્યું છેજી. જે વાસનામાં જોડાવું થાય ત્યાંથી પાછા વળી તમને જે આજ્ઞા થઈ હોય તેમાં, આત્મભાવમાં ઉપયોગ લાવશો; તેમાં જ આત્મકલ્યાણ સમજશોજી, એ ભૂલવા જેવું નથી. સર્વ ભૂલી જવું કરશો; તેમ જ તે વખતે દ્રષ્ટા-સાક્ષી થઈ જજો; ભૂલશો નહીં-જરૂર. “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.'' જીવ લહે કેવળજ્ઞાન રે. ૬૬ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે.અગાસ અષાડ સુદ ૧૦, ૧૯૭૮ શમભાવ, સમતા, ક્ષમા, સદ્વિચારમાં રહો. કોઈ સંકલ્પ-વિકલ્પ ઊઠે કે તરત વૃત્તિ સંક્ષેપી, જે કોઈ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષોની કોઈ ભાવિક જીવાત્મા પ્રત્યે આજ્ઞા થઈ છે તે, મહામંત્ર કોઈ સત્સંગના યોગે આ જીવાત્માને મળી આવ્યો તો બીજું સર્વ ભૂલી જઈ તેનું જ સ્મરણ કર્તવ્ય છેજી. તેથી ચિત્ત સમાઘિ પામી, વિભાવવૃત્તિનો ક્ષય થાય છે. તે કર્તવ્ય છેજી—સર્વ મુમુક્ષુ જીવાત્માને પણ તે જ લક્ષ કર્તવ્ય છેજી. સત્સમાગમમાં આપને વિઘ્ન કરનાર ઉપાધિ વિશેષ છે તેથી આપનું મન ખેદ પામે છે, એ જ Page #142 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૧ ૪૫ તે સત્સમાગમનું ફળ છે; પણ જોઈએ તેવો ખેદ હાલ હજુ નથી. જ્યારે યથાર્થ ખેદ થશે અને સર્વ ઉપાધિ પ્રત્યે ઝેર સમાન બુદ્ધિ થશે ત્યારે હરિ નિવૃત્તિનો અવકાશ સહજ આપશે. જગતના જીવો કંઈ ને કંઈ મેળવવામાં પ્રયત્ન કરી રહ્યા છે; પણ આત્માર્થી જીવો કાંઈ પણ ગ્રહણ કરવું—પ્રાસ કરવું તે જ દુ:ખનું મૂળ છે એમ જાણે છે. પોતાનું શાશ્વત ઘન ઉપાધિના જોગે આવરણ પામેલું છે. જેમ બને તેમ નિરુપાધિવાળા થઈ, અસંગ વૃત્તિ કરી, એક સદ્ગુરુ પ્રત્યે અનન્ય ભક્તિભાવ અને આશ્રયભાવ ઉત્પન્ન કરવો કે જે આશ્રયના બળે સર્વ ઉપાધિનો લય થશે અથવા તે ઉપાધિ અંતરાય–આવરણભૂત થશે નહીં. નિજ સ્વરૂપ પ્રત્યે જેની વૃષ્ટિ થઈ છે તેવા આત્માએ સંસારમાં મોટાઈભાવ ત્યાગવો જોઈએ. જ્યાં સુઘી અસદ્ વાસનાઓ છે ત્યાં સુધી સત્ની પ્રાપ્તિ દૂર રહે છે. માટે વિચારી વિચારીને અસત્સંગનો ત્યાગ, સત્ની પ્રાપ્તિ અને સત્-અસત્નો વિવેક—જાણપણું ઘણી સૂક્ષ્મ દૃષ્ટિથી કરવા યોગ્ય છે. પૂર્વે ઘણી વખત આવો જોગ મળ્યો; પણ સત્ મળ્યું નથી, સુણ્યું નથી, શ્રવ્યું નથી. અને તે મળ્યે, તે સુણ્ય અને યથાર્થ પ્રતીતિ થયે તે પ્રમાણે વર્તના થવાથી હથેળીમાં મોક્ષ છે એમ પરમગુરુ કહે છે. આ વાક્ય વિશેષ વિચારશો. તા. ૩. દ્રષ્ટા – અરૂપી. – દેહથી જીવને કર્મનો ભોગ છે તેનો દ્રષ્ટા છું. મનથી કલ્પના તેનો દ્રષ્ટા છું. જ્ઞાન-દર્શન-ચારિત્રનો દ્રષ્ટા છું; ઉપયોગમય છું, ચૈતન્યમય છું, નિર્વિકલ્પ છું. સમભાવ તે ભુવન છે સહજાત્મસ્વરૂપનું સ્મરણ. 63 સહજાત્મસ્વરૂપ સત્સંગ-સત્સમાગમ અવશ્ય કર્તવ્ય છે. તેમ છતાં અંતરાયને જોગે વિશેષ પુરુષાર્થ કરી, પ્રમાદ છોડી, નિવૃત્તિયોગે અવકાશ લઈ, જે ભાવિક જીવ હોય તેની સાથે તેના સમાગમે મોટા પુસ્તકનો જોગ હોય તો વાંચવા વિચારવાનું કશોજી. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ભાદરવા સુદ ૩, ૧૯૭૮ શ્રીમદ્ રાજચંદ્ર કૃપાળુદેવ દેવાધિદેવનાં વચનામૃતોથી ભરેલા પત્રોરૂપ અમૃતનું પાન કરી, તે વિચારવા સમજવામાં કાળ વ્યતીત કરશોજી. જો કે ઉપાધિ, વ્યવસાયના નિમિત્તે કરીને અવકાશ ન મળતો હોય તો પણ એવો અવકાશનો જોગ મેળવી કલાક અથવા બે કલાક, દિવસે અથવા રાત્રે સત્યમાગમ કરવો; તેવો જોગ ન મળે તો પોતે પણ એકાંતમાં કલાક બે કલાક નિવૃત્તિ લઈ વાંચવું Page #143 -------------------------------------------------------------------------- ________________ ४६ ઉપદેશામૃત વિચારવું કર્તવ્ય છેજ. કાળનો ભરોસો નથી. સ્વપ્નવત્ સંસાર છે. અને ખોટા અધ્યવસાય પરિણામના નિમિત્તથી જીવ દોરાઈ જઈ આર્તધ્યાન, સંકલ્પ-વિકલ્પમાં પડી, મનમાં રતિ લાવી બંઘન કરે છેજી; તે ખોટું નિમિત્ત મનમાંથી ફેરવી સ્મરણમાં તથા વાંચવા વિચારવામાં મનને લાવશોજી. જીવ જાગૃત ન થાય તે વૃત્તિ છેતરે છેજી, અને બફમમાં ને બફમમાં રહેતો જીવ ઘોર પાપ બાંથી દુર્ગતિમાં–નરક, ઢોર, પશુમાં—અવતાર લઈ મહાદુઃખમય જન્મ-મરણ કરતો ફર્યા કરે છે; ફરી મનુષ્યભવ મળવો તેને દુર્લભ થાય છેજી. આ સંસાર સ્વપ્નવત્ જાણી, પ્રમાદ છોડી, પોતાનો સ્વછંદ રોકી સારા નિમિત્તમાં જોડાય તો તેનું ફળ આગળ પર સારું આવશે. માટે ક્ષણવાર જીવને વીલો મૂકવા જેવું નથી. જો ક્ષણવાર વિલો મૂકશો તો જીવ પોતાનું સત્યાનાશ ખોદી નાખશે. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ ભાદરવા વદ ૮, ગુરુ, ૧૯૭૮ તમારો ભક્તિભાવ સારો છે, પણ તે ભાવથી સંકલ્પ-વિકલ્પ કરીને કોઈ નિર્ધાર કરવો યોગ્ય નથી. મતલબ કે કાંઈ સંકલ્પ-વિકલ્પ કરવા નહીં, મિથ્યા છે; ભક્તિભાવમાં રહેવું. પોતાનાં પ્રારબ્ધકર્મ ભોગવતાં પણ અકળાવું કે મુઝાવું નહીં; વીતરાગનો માર્ગ એવો નથી. જે હોય તે ઉદાસીનભાવે એટલે સમભાવે વેદવું, તે યોગ્ય છે. પોતાના પતિને પરમાત્મારૂપ ગણીને વર્તવું; કષાયનું નિમિત્ત આપણાથી બને નહીં તે જાળવવા જેવું છે. ઘીરજથી સહન કરી કાળ વ્યતીત કરવા જેવું છે; ઉતાવળનું કામ નથી. હાલ બાહ્ય પરિણતિએ વર્તતાં બહિરાત્મભાવથી જે સંકલ્પવિકલ્પ મનમાં ઊઠે છે, આવે છે તે સર્વ મિથ્યા છેજી. માટે તે કર્તવ્ય નથીજી. તે આત્મહિતને આવરણકર્તા છેજી. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ ભાદરવા વદ ૧૪, બુધ, ૧૯૭૮ “નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય, કાં એ ઔષધ ન પીજિયે, જેથી ચિંતા જાય.” સન્મુખવૃષ્ટિવાન ભાવિક જીવાત્માને જે જે ક્ષેત્રફરસનાએ કાળ વ્યતીત થાય છે તે તે ઉદયાથીન સત્સંગના વિયોગે ઉદાસીનતા એટલે સમભાવ રાખી ખરા ભાવથી અપારિણામિક મમતાએ તે કાળ વ્યતીત થાય છે, તો આત્માને કલ્યાણ અર્થે છેજ. કાળ ગટકાં ખાઈ રહ્યો છે. લીઘો કે લેશે એમ થઈ રહ્યું છે). આ જીવ હજી કયા કાળને ભજે છે, તે વિચારવું ઘટે છે). પ્રમાદ કર્તવ્ય નથી; પુરુષાર્થ જેમ બને તેમ કર્તવ્ય છેજી. Page #144 -------------------------------------------------------------------------- ________________ ४७ પત્રાવલિ-૧ “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે,” જીવ લહે કેવળજ્ઞાન રે. વ્યવહાર-પ્રતિબંઘથી વિક્ષેપ ન પામતાં ઉત્સાહમાન વીર્યથી સ્વરૂપનિષ્ઠ વૃત્તિ કરવી યોગ્ય છે.” “આત્મહિત અતિ દુર્લભ છે એમ જાણી, વિચારવાન પુરુષો અપ્રમત્તપણે તેની ઉપાસના કરે છે.” આ જીવને ઉતાપનાનો મૂળ હેતુ શો છે ? તથા તેની નિવૃત્તિ કેમ થાય ? અને કેમ થતી નથી ? એ પ્રશ્ન વિશેષ કરી વિચારવા યોગ્ય છે, અંતરમાં ઊતરી વિચારવા યોગ્ય છે. જ્યાં સુધી એ ક્ષેત્રે સ્થિતિ રહે ત્યાં સુધી ચિત્તને વઘારે દ્રઢ રાખી વર્તવું. વચનામૃત આત્માર્થી મુમુક્ષભાઈઓને પરમ કલ્યાણકારી છેજી. ૭૦ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ તા. ૬-૧૨-૨૨ ભદ્રિક સરલભાવી જીવાત્મા સોમચંદભાઈના દેહત્યાગથી સ્વાર્થે ખેદ નહીં કરતાં વિચારવું કે મનુષ્યભવ દુર્લભ છે. તેવો મનુષ્યભવ પામી જો આ જીવ, અનંત કાળચક્રથી પરિભ્રમણ કરતાં જે પ્રાપ્ત થયું નથી તેવું, સમ્યકત્વ પામે અથવા સાચા સદ્ગદૈવ પ્રત્યે તેને શ્રદ્ધાન થાય તો આ મનુષ્યભવનું સફળપણું માનવા યોગ્ય છે. જો કે ઉપાધિ તો કર્મવશાત્ સર્વ જીવાત્માને ઉદયમાં છે તે વેદવી જ પડે છે, કોઈ સુખ-દુઃખ લેવા અથવા દેવા સમર્થ નથી, પણ જો એક યથાતથ્ય સત્ શ્રદ્ધાન થાય તો આ મનુષ્યભવનું મૂલ્ય કોઈ રીતે થાય એવું નથી, અને તે સર્વ કરી ચૂક્યો એમ સમજવું ઘટિત છે. એવો જોગ અત્રે આવ્યો છે. આ ક્ષણભંગુર દેહનો ત્યાગ થાય છે, તેમ દેખાય છે અને વળી સ્વજનબંધુમાં તેવું થતું પ્રત્યક્ષ જોવાયું છે એમ જાણી, સમભાવ રાખી ઘર્મમાં ચિત્ત જોડવું. એ જ કર્તવ્ય છે. થવાનું થઈ રહ્યું છે; બનવાનું બની રહ્યું છે. કાંઈ કોઈના હાથમાં નથી. આ કાળમાં દુર્લભમાં દુર્લભ સત્સંગ છે. “जिणवयणे अणुरत्ता, गुरुवयणं जे करंति भावेण । असबल-असंकिलिट्ठा ते होति परित्तसंसारा ॥" (મૂલાઇ ૨, ૭૨) શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ. પોષ વદ ૭, ૧૯૭૯ નનું કુવવું, નરી ટુર્વ, રોબિન મરળા | अहो दुक्खो हु संसारो, जत्थ कीसन्ति जंतवो ॥" (ઉત્તરા. ૧૬, ૧૫) ૧. જન્મે દુઃખ, વયે દુઃખ, વ્યાધિ મૃત્યુ દુઃખો મહા ! બધો સંસાર દુઃખી ત્યાં, જીવ ક્લેશિત સર્વ હા ! Page #145 -------------------------------------------------------------------------- ________________ ४८ ઉપદેશામૃત "जरा जाव न पीडेइ, वाही जाव न वड्डइ । जाविंदिआ न हायंति, ताव धम्मं समायरे ॥" (દશ૦ ૮, ૩૬) ભવ્ય જીવાત્મા પ્રત્યે સર્વ તીર્થકરાદિ જ્ઞાનીઓએ આમ કહ્યું છે : “જ્યાં સુધી જરા એટલે વૃદ્ધાવસ્થા આવી પીડતી નથી, પીડા એટલે વેદની રોગાદિક આવ્યાં નથી અને ઇન્દ્રિયો હાનિ પામી નથી ત્યાં સુધી તું પોતીકો નિજસ્વભાવ મૂળ ઘર્મ સંભાળી લે.” એમ છે; તો હે પ્રભુ ! આ જીવે વિચારવું ઘટે છે કે માયાદેવીનું પ્રબળ રાજ્ય વર્તે છે, તે મોહાદિરૂપ છે. જે સંયોગાદિ બાહ્ય પરિગ્રહ શરીરથી માંડી ઘનાદિક, અત્યંતર પરિગ્રહ ક્રોધાદિ રાગદ્વેષ અજ્ઞાન, મૂળ ઘર્મથી ચુકાવનાર મિથ્યાત્વ છે, તેથી મુકાવું, અસંગ-અપ્રતિબંઘ થવું. સપુરુષની દૃષ્ટિએ, પ્રત્યક્ષ વચને અંતરમાં શ્રદ્ધી, માની, જે પ્રારબ્ધ ઉદય હોય તે સમભાવે વેદતાં, ચિત્તમાં રતિ-અરતિ નહીં લાવતાં, વિભાવવૃત્તિ, સંકલ્પ-વિકલ્પ મનમાં આવતા રોકી, જે સપુરુષનો બોઘ “સહજાત્મસ્વરૂપ” તે પ્રત્યે ભાવ, પરમગુરુ (જ્ઞાન-દર્શન-ચારિત્ર) પ્રત્યે પ્રેમ, ચિત્તપ્રસન્નતા લાવવા માટે ઉપયોગ દઈ એટલે એક શબ્દનો ઉચ્ચાર વચનથી કરી, મનથી વિચાર કરી, પુદ્ગલાનંદી સુખને ભૂલી, આત્માનંદી સુખ તેની લહરીઓ, ખુમારી છૂટે તે આનંદ અનુભવવા માટે પુરુષાર્થ કર્તવ્ય છે. જાગૃત થા, જાગૃત થા; પ્રમાદ છોડી જાગૃત થા. કંઈક વિચાર. કાળ ગટકાં ખાઈ રહ્યો છે; લીધો કે લેશે થઈ રહ્યું છે. હે જીવ ! હવે, “તું કયા કાળને ભજે છે ?” એ વિચારી, નિઃસંગપણું જે છે તે ભાવ પ્રત્યે આવી વર્તવું યોગ્ય છે. “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે; જીવ લહે કેવળજ્ઞાન રે. વીલો મૂકવા જેવું નથી. પરભાવમાંથી જેમ બને તેમ સ્વભાવમાં અવાય તે તે નિમિત્તે તે કારણે વૃત્તિને જોડશો. ક્ષણે ક્ષણે વૃત્તિ ચલિત થઈ જાય છે. માટે પ્રત્યક્ષ પુરુષોનાં વચનામૃત આદિ પુસ્તક તેમાં જોડાવું. આટલો ભવ આત્માર્થે દેહને ગળાશે તો અનંત ભવનું છૂટવું થાય, તે લક્ષમાં, ધ્યાનમાં રાખી, ઉદય પ્રત્યે શત્રુભાવે વર્તી, દાઢમાં રાખી, ખ્યાલમાં રાખી, લાગ આવ્યે મારી નાખી, સ્નાનસૂતક દહાડો પવાડો કરી ચાલ્યા જવું, છૂટી જવું. એ જ સૂચના સપુરુષની છે. | નિસ્પૃહીપણે, આત્માર્થે, સ્વપરહિત માટે આત્માથી વિચારી, આપને આ લેખ જણાવેલ છેજી. અંતરમાં સદ્ગુરુનાં વચન આવ્યાં છે, તે લખાયાં છે; તો તે અવશ્ય લક્ષમાં રાખવા યોગ્ય છે, વિચારવા યોગ્ય છે, વારંવાર વિચારવા યોગ્ય છે. આટલી જો એક નિઃસ્વાર્થપણે આત્માને માટે જ કાળજી રાખશો તો તે સંગનું ફળ અવશ્ય મળશે, તે નિઃસંદેહ છે. ક્યા કહીએ ? “કહ્યા વિના બને ન કછુ, જો કહીએ તો લઈએ.” સત્સંગ બળવાન છે. “જહાં કલપના-જલપના, તહાં માનું દુઃખ-છાંઈ; મિટે કલપના-જલપના, તબ વસ્તુ તિન પાઈ. Page #146 -------------------------------------------------------------------------- ________________ ४८ પત્રાવલિ-૧ ક્યા ઇચ્છત ? ખોવત સબે ! હૈ ઇચ્છા દુઃખમૂલ; જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.” જેમ જેમ મતિ અલ્પતા, અને મોહ ઉદ્યોત; તેમ તેમ ભવશંકના, અપાત્ર અંતરજ્યોત.” “વિષયવિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યોગ અયોગ. મંદ વિષય ને સરલતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા, કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ઘાર.” “પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરિયે જ્ઞાન વિચાર; અનુભવી ગુરુને સેવિયે, બુધજનનો નિર્ધાર.” ૭૨ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ જેઠ વદ ૧૩, મંગળ, ૧૯૭૯ અરેરે ! શું કહેવું ? જે કંઈ આ કાળમાં ખાસ પ્રથમ જ કરવું જોઈએ તેનો વિલંબ થાય છે. કેવી કુદરત છેજી ! ૭૩ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ અષાડ વદ ૩, બુધ, ૧૯૭૯ આ સંસારમાં મહામાયાને દુષ્કરપણે તરીને આત્મહિત કરવું એ જ સાર છે. બાકી રાગદ્વેષ કરવા જેવું નથી. જેમ બને તેમ આત્મહિતનો પુરુષાર્થ કરવા યોગ્ય છે. પરમ કૃપાળુ દેવાધિદેવ, તેની આજ્ઞા ઉપર દ્રષ્ટિ પ્રેરીને આત્મહિત કર્તવ્ય છે. તમે સમજુ છો; કોઈ જાતનો વિકલ્પ લાવશો નહીં. અમારો ભાવ સમદ્રષ્ટિ રાખવાનો છે, અંતરમાં છે તે ગુરુકૃપાથી મટવાનો નથી. અને પોતપોતાના આત્માર્થે પુરુષાર્થ કરીને આત્માર્થ સાથી કર્મબંધનથી છૂટવું એવો અવસર છે. દુર્લભમાં દુર્લભ મનુષ્યભવ છે. પોતાનો દોષ પોતાને કોઈ દિવસ સૂર્યો નથી. વચનામૃતમાંનાં પરમકૃપાળુ દેવનાં વચનો સંભારી, પત્રો વાંચી તે દોષને ટાળવા એમ અમારું અંતર રહે છે. કોઈ-કોઈને સંબંધ નથી; એકલો આવ્યો, એકલો જશે; અને પોતાનાં બાંધ્યાં કર્મ પોતે ભોગવે છે તેમાં કોઈનો દોષ જોવા જેવું નથી, એમ અમારા અંતરમાં છે. આપ સમજુ છો. જેમ આત્મહિત થાય તેમ કરશો. “વિત્તજા, તનુજા, માનસી આજ્ઞા સેવા સાર; સેવ્ય સેવવા કારણે, સેવા ચાર પ્રકાર.” Page #147 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત ૭૪ પૂના, ભાદરવા વદ ૭, શનિ, ૧૯૮૦ આપને જે પરમકૃપાળુ દેવાધિદેવના કહેલ મંત્રાક્ષર કહેવામાં આવ્યા છે તેનું સમરણ જીવન પર્યંત હરઘડી કરતા રહો અને શાતા-અશાતાના ઉદયકાળને સમભાવે જોતા રહો. આત્મા દ્રષ્ટા છે, એમ માની કાળ વ્યતીત કર્તવ્ય છેજી. આ દેહને પરમાર્થે એટલે આત્માર્થે જ ગાળવો, એ જ અમને તમને હો ! ૫૦ વેદની વેદનીને કાળે જશે. આપને જે દુઃખ છે તે પછી પાછું સુખ દેખાવા સંભવ છેજી. તેમાં સમપરિણામે જ્ઞાની વેદવું કરે છેજી. એમાં કોઈનું જોર ચાલતું નથી, કસોટી છે. આવ્યું તે જવાનું; આત્મા સદા છેજી, તે ભિન્ન છેજી; એમ વિચારી વાંચન, સાંભળવું, વિચારવું કરશોજી. તમોને શાંતિ થાઓ એ અમારી આશીર્વાદપૂર્વક ભાવના છેજી, તે સફળ હો ! આ સંસાર સ્વપ્નવત્ છેજી. કાળે કરીને સર્વ જવાનું છેજી. એક ધર્મ, આત્માર્થે જે આ દેહથી બની શકશે એ જ સાર્થક છેજી. ફરી ફરી આવો જોગ મળવો દુર્લભ છેજી. મુનિશ્રી મોહનલાલજીને ભલામણ છે જે તમોએ દેવાધિદેવ પરમ કૃપાળુદેવનાં જે જે વચન મુખ દ્વારા સાંભળ્યાં તે યાદ લાવી તેની આજ્ઞામાં લીન થશો. વળી અમને જે જે આજ્ઞા તે પરમકૃપાળુદેવે કરી છે તે આજ્ઞા મારે પણ હો ! એ ભાવના પણ રાખવી યોગ્ય છેજી. પરમકૃપાળુદેવે જીવાત્માની કર્મપ્રકૃતિ કુશળ વૈદની પેરે દેખી જેને જે આજ્ઞા નાની મોટી કરી છે તો તેણે તે જ આજ્ઞા તનમનથી ઉઠાવવી કર્તવ્ય છેજી. આગળ ઉપર આ ભવમાં અગર પરભવમાં મોટી આશા તેને અવશ્ય તેવા જ્ઞાનીથી અથવા તે જ જ્ઞાનીથી મળી આવશેજી. ગભરાવું નહીં. આપે તો તેમનો પ્રત્યક્ષ બોધ સાંભળ્યો છેજી. તેમ જ પ્રત્યક્ષ વચનામૃતમાંથી વાંચી વંચાવી યાદમાં લાવી કાળ વ્યતીત કરશોજી. સદ્વિચાર કર્તવ્ય છેજી. તેમનાં કહેલાં વચનામૃત પણ પ્રત્યક્ષ જાણશોજી. આગળ ઉપર સર્વ સારું થશેજી. એ જ માટે દેહ ગાળવો કર્તવ્ય છેજી. સદાય, જે જાય છે તે રહેતું નથી; જે છે તે છેજી. ૭૫ પૂના, ભાદરવા વદ ૭, શનિ, ૧૯૮૦ આત્મા અર્થે જ તમારે અમારે જીવવું છેજી; ત્યાં હવે કાંઈ અકળાવા જેવું નથી, પરમ આનંદથી કાળ વ્યતીત કરવો છેજી. સ્વપ્નવત્ મિથ્યા સંસારમાં અનંત કાળ ગયો. તેમ હવે ન જવા દેતાં, એક સદ્ગુરુ દેવાધિદેવ પ્રત્યક્ષ આત્મા તેની આજ્ઞામાં બધું સમાયું છે તેમાં જીવન ગાળી ચાલ્યા જવું છેજી. પૂના, તા. ૧-૧૦-૨૪ આસો સુદ ૪, ગુરુ, ૧૯૮૦ જીજીબાપાની ઇચ્છા દર્શન કરવાની રહે છે. તો તે આત્માને હિતકારી છે; પરંતુ તેમને કહેશો ૭૬ Page #148 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૧ ૫૧ કે દર્શન ક૨વા કરતાં જે દર્શન કરવાની ભાવના છે તે આત્માને વિશેષ કલ્યાણકારી છે. જેમ બને તેમ શાંતિભાવે ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' નામના મંત્રનો જાપ કરતા રહેવું. વારંવાર સ્મૃતિ મનમાં એની જ લાવ્યા કરશોજી. અને દેવાધિદેવ પરમ કૃપાળુ દેવના ચિત્રપટ સન્મુખ સૃષ્ટિ કરવી. તેમનાં દર્શન કરી મંત્ર ઉપર ઉપયોગ દેવાની ભલામણ છેજી; તેમાં તમારું કલ્યાણ છે. શાતા-અશાતા વેદની છે તે કાળે કરીને મુકાશે; આત્મા છે તે નિત્ય છેજી. સમભાવ રાખવો; અકળાઈ જઈ ખેદ કરવો નહીં. ઘણા ભદ્રિક જીવાત્માઓએ સમતા, ક્ષમા રાખી, સદ્ગુરુએ કહેલા મંત્રની આજ્ઞામાં ચિત્ત રાખી, દુ:ખ જે થાય છે તે સહન કર્યું છે. આત્મા જ્ઞાન-દર્શન-ચારિત્રમય છે, તે યથાતથ્ય જાણે છે, દેખે છે, સ્થિર છે, જેમ છે તેમ છેજી; તે સ્વરૂપ મારું છેજી. અને ઉદય કર્મના સંયોગે દેહાદિને લઈને વેદની છે; તે જ્ઞાની, સત્પુરુષે સ્પષ્ટ ભિન્ન જાણી છે. તે સત્પુરુષ-ન્નાની સમભાવે મુક્ત થયા છે, તો મારે તેનું શરણ, આરાધન કર્તવ્ય છે. તેથી આ દેહને લઈને વેદની છે તે નાશ થાય છેજી. દેહના નાશ સાથે વેદની કર્મનો પણ નાશ છે. મારું તેમાં કાંઈ નથી. ગભરાવું નહીં. પરભાવના સંકલ્પ વિકલ્પ કરવા નહીં. સર્વ ભૂલી જવું. એકચિત્તે વારંવાર મનમાં મંત્રનું સ્મરણ કરવું. વળી સદ્ગુરુ મારી પાસે છેજી, હૃદયમાં વસ્યા છેજી. બીજું તે પર, તે મારું છે જ નહીં, એમ સમજ રાખવી. પૂના, આસો સુદ ૭, રવિ, ૧૯૮૦ જેમ આત્મહિત થાય તેમ વાંચવું વિચારવું કર્તવ્ય છેજી. ‘‘શ્રીમદ્ રાજચંદ્ર” મોટો ગ્રંથ છે એ મધ્યેથી પક્ષપાત રહિત આત્માર્થ—આત્માનું કલ્યાણ થાય તેવી વ્યાખ્યાના પત્રો વાંચવા વિચારવાની આપશ્રીને ભલામણ છેજી. જોકે તેમાં ગુરુગમની આવશ્યકતા જરૂરની છે; પણ તે નહીં હોવાથી, આપની સમજ આત્મહિતમાં થાય એવા, ત્યાગ વૈરાગ્ય વિશેષ વર્ધમાન થાય તેવા ભાવથી સમજમાં લેશો. આત્મહિત કરવું એ જ સર્વ શાસ્ત્રોનો કહેવાનો ૫રમાર્થ છે તે આ ગ્રંથમાં આવી જાય છે. જોકે તેનું વાચન-શ્રવણ સત્તમાગમે વિશેષ હિતકારી થાય છે, તો પણ ઘીરજથી નિવૃત્તિ લઈને એકાંતમાં, વૃત્તિ બહાર ફરતી રોકીને વાંચી વિચારશોજી. 66 તેમાં જણાવેલી બોધબીજની સમજ અથવા તેનો અર્થ સમજ ન પડે તો તે વાંચી કાંઈ પૂછવા જેવું લાગે તો પત્રથી જણાવશોજી. જો અત્રેથી પત્રથી જણાવવા જોગ હશે તો પત્રથી જ જણાવીશું અને જો સત્સમાગમે તે સમજવાજોગ હશે તો તે હરીચ્છાએ કહેવામાં આવશેજી. ઘણું કરી મતાગ્રહી, મતમતાંતર-આગ્રહવાળા, હોય તેવાના સમાગમે કરી વાંચવું વિચારવું કરશો નહીં. પરંતુ જે આત્માર્થી મુમુક્ષુભાઈ સત્પુરુષની દૃષ્ટિ સન્મુખ ઇચ્છાવાળા હો તે મળીને વાંચશો, તો આત્મઠિત થવાનું કારણ છે. પોતાની સમજના સંકલ્પ વિકલ્પ છોડી એક આત્માર્થે જ કહેલાં વચનોની શ્રદ્ધા રાખી, વિચારશોજી. મતમતાંતર પક્ષ ઘણા થઈ પડ્યા છે, તે પર દૃષ્ટિ નહીં Page #149 -------------------------------------------------------------------------- ________________ પર ઉપદેશામૃત મૂકતાં અત્રે જણાવ્યા પ્રમાણે વિચારમાં ધ્યાન દઈ લક્ષ લેશો તો તે સંગનું ફળ અવશ્ય મળ્યા વગર રહેશે નહીં. કરાળ કાળ છે; આયુષ્ય ક્ષણભંગુર છે. માટે પ્રમાદ છોડી આત્મા અર્થે જે કોઈ કાળ જાય તે કલ્યાણકારી છે, લાભકારી છે. સ્વાર્થ માટે આશાતૃષ્ણા સહિત અનંતવાર કર્યું, પણ તે મિથ્યા-વૃથા જ્ઞાનીઓએ જાણ્યું છે. માટે સ્વચ્છંદ રોકી સત્પુરુષાર્થ માટે, આત્માર્થે જીવન જાય તે જ હિતકારી છે. ઘીરજથી વારંવાર વચનામૃત વાંચી, ફરી ફરી બેત્રણ વાર ધ્યાનમાં લેશો અને મનન કરશો, લૌકિક દૃષ્ટિએ કાઢી ન નાખશો. તે વચનોનું અલૌકિક માહાત્મ્ય સમજી, ન સમજાય તોપણ પ્રતીત રાખી, વિચારમાં લેશોજી. ७८ પૂના, આસો સુદ ૧૪, શનિ, ૧૯૮૦ વૃદ્ધાવસ્થાને લઈને શરીર નરમગરમ રહ્યા કરે છે. શાતા અશાતા વેદનીય ઉદયકાળે સમભાવે સદ્ગુરુશરણ લીઘાથી કાળ વ્યતીત થાય છેજી. તેમજ સર્વ જીવને ઉદયકર્મ સમભાવે સહન કરવું તે કર્તવ્ય છે. વેદનીયના ઉદયે વિક્ષેપ, અરતિ યા રતિ દેહાદિ સંબંધી કરવી યોગ્ય નથી. વારંવાર સહજાત્મસ્વરૂપ પરમગુરુ દેવને સ્મૃતિમાં લાવી કાળ વ્યતીત કરવો. સંતના સમાગમે સાંભળેલી શિખામણ તથા મંત્રનું ધ્યાન વિચા૨માં લાવવું. મનને બીજે જતું અટકાવી વૃત્તિ ઉપયોગમાં (આત્મામાં) મંત્રમાં લાવવી. રતિ-અરિત કરવાથી આર્તધ્યાન રૌદ્રધ્યાન થઈ તિર્યંચ ગતિ થાય છેજી. માટે પ્રમાદ છોડી સદાય જાગૃત રહેવું. સત્ પુરુષાર્થ કર્તવ્ય છે. તેથી દેવાદિ ઉચ્ચ ગતિ તથા મોક્ષ થાય છેજી. ૭૯ પૂના, કાર્તિક સુદ ૧૪, સોમ, ૧૯૮૧ આજે આપના હસ્તાક્ષરથી લખાયેલ એક પત્ર મળ્યો છે. તે દ્વારાએ બે દિવસની મહા ભયંકર, ખેદજનક, આકસ્મિક માંદગીથી પૂ॰ ભગવાનભાઈના આ સંસારમાંથી ક્ષણિક દેહનો ત્યાગ થવાના સમાચાર જાણી અતિ ખેદ થાય છેજી. તે જીવાત્મા સાચા સિપાઈ જેવા સરલ, ભાવિક, ભદ્રિક હતા. તેમનો સમાગમ જે જીવાત્માને થયો હશે તેને પણ ખેદ થાય જ, તો પૂર્વના સંજોગ સંબંધ સંસ્કારે તેમના સહવાસમાં રહેલાં સગાં, કુટુંબના ભાઈ તથા પુત્રાદિ વર્ગને ખેદ થાય અને ખોટું લાગે તેમાં આશ્ચર્ય નથી; પણ અસાર અને અશરણરૂપ પરવશ સ્થિતિવાળો આ સંસાર છે એમ ઘારી ખેદ નહીં કરવા તમોને ભલામણ છેજી. અને મનુષ્યભવથી ધર્મ-આરાધન થાય છે તે જોગનો—આ મનુષ્ય દેહનો—તે જીવાત્માને વિયોગ થયો છે તો તે જોગનો વિયોગ થયાનો ખેદ કર્તવ્ય છેજી. પૂ॰ ભગવાનભાઈનો નાની વયમાં દેહ છૂટી ગયો. જો તે દેહ હોત તો હજી કાંઈ આરાધન આત્માનું આ અપૂર્વ જોગે થાત. પણ તે દેહ છૂટવાનું તો અંતરાય કર્મથી બન્યું છે. એમાં કોઈનું Page #150 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૧ ૫૩ જોર ચાલતું નથી. સંસાર મહા દુઃખદાયી છેજ. કાળ ગટકા ખાઈ રહેલ છે.જી. લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. તેમાં આ જીવથી હજી કાંઈ બન્યું નથી. આ સ્વપ્નવત્ સંસારમાં કંઈ સાર નથી, સંસાર સ્વાર્થી છે. તેમાં આ મનુષ્યપણું મળવું દુર્લભ છે. તેમાં વળી આ જીવે અપૂર્વ જોગે ઘર્મઆરાઘન કરવું બહુ દુર્લભ છેજ. ખેદ કરતાં આર્તધ્યાન થઈ કર્મ બંધાય છેજી, એમ જાણી ઘર્મધ્યાનમાં ચિત્તને જોડશોજી. સર્વ સ્વવર્ગ-કુટુંબને ઘીરજ આપી જેમ ખેદ મટે તેમ કરશોજી. પૂના, માગશર સુદ ૯, રવિ, ૧૯૮૧ વેદની ઉદયકાળે આ દારિક શરીરસંબંધે રાય, રક સર્વને શાતા અશાતા ભોગવવી પડે છે. તેમાં કોઈ જ્ઞાની પુરુષો એને સમતાએ-સમભાવે વેચે છે. તે વેદની વેદનીને કાળે ક્ષય થાય છે. તેમાં ખેદ કર્તવ્ય નથી. આર્ટરીદ્ર ધ્યાન કરવાથી તો કર્મબંઘની વૃદ્ધિ થાય છે, સમતાએ કર્મ વેદવાથી નિર્જરા થાય છે; એમ જ્ઞાની પુરુષોએ જાણ્યું છે. “યથાર્થ જોઈએ તો શરીર એ જ વેદનાની મૂર્તિ છે” એ પત્ર નં. ૯૨૭ થી પરમકૃપાળુ દેવાધિદેવે ભાવિક આત્માને સૂચના આપી જાગૃત રાખ્યા છેજી. આત્મા સિવાયની સર્વ પર વસ્તુથી મુક્ત એવા આત્મા ઉપર દૃષ્ટિ પ્રેરી છે, તે જ ધ્યાનમાં રહેવા ભલામણ છે. બીજું બધું કર્મ છે, તેથી ભિન્ન છે; શરીરસંબંઘ-કર્મથી આત્મા મુક્ત છે'. તેના દ્રષ્ટા રહી ભાવના વૃત્તિ સહજાત્મસ્વરૂપમાં લાવવી. પૂના, તા.૧૧-૧૨-૨૪ “પુત્ર, મિત્ર ઘર, તન, ત્રિયા, ઘન, રિપુ આદિ પદાર્થ, બિલકુલ નિજમેં ભિન્ન હૈ, માનત મૂઢ નિજાથે. મથત દૂઘ ડોરીનીઓં, દંડ ફિરત બહુ વાર; રાગ- દ્વેષ - અજ્ઞાનતેં, જીવ ભ્રમત સંસાર.” પેથાપુર, તા. ૮-૨-૨૫, મહા સુદ ૧૫, સોમ, ૧૯૮૧ ઉદયકર્મ આધીન વેદની સમતાએ સમભાવ રાખી ઘીરજથી સહન કરવી તે કર્તવ્ય છે. વેદની વેદનીની કાળસ્થિતિ પૂરી થયે ક્ષય થવા સંભવ છે. એમાં આત્માએ કોઈ રીતે ગભરાવું નહીં. જો કે વેદની તો સર્વ જીવો–જ્ઞાની, મુનિ આદિ–ને બાંધેલાં પૂર્વ કર્મ અનુસાર સહન કરવી પડે છે. તે વેદની સહન કરતાં મોટા પુરુષો મુઝાયા નથી અને જે જીવ સહન કરતાં મુકાયા છે તેને વેદની ભોગવવી પડતાં છતાં નવો બંઘ થાય છે. માટે જે બંઘ ઉદયમાં આવ્યો છે તેમાં ક્ષમા રાખી તેને Page #151 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ઉપદેશામૃત જવા દેવો. ત્યાં આગળ આત્માની ભાવના ભાવવી કે અજર, અમર, અવિનાશી, અછેદી, અભેદી, અણાહારી આત્મા છે. તેમ જ્ઞાની પુરુષના વચને પ્રતીત રાખવી. જે વેદના જાય છે તે વેદતાં ત્યાં નિર્જરા થઈ આત્મભાવ પોષાય છે અને તેથી સમ્યક પરિણામ કે માર્ગસન્મુખ દ્રષ્ટિ થવાનો સંભવ છેજી. પૂના, સં. ૧૯૮૧ આ જીવ અનંત કાળથી પરિભ્રમણ કરતો, જન્મજરામરણાદિ દુખો ભોગવતો આવે છે તેને છૂટવાનું કારણ એક પુરુષ છે. તેને શોધી તેની શ્રદ્ધાએ તેની આજ્ઞાએ વર્તતાં જીવનો મોક્ષ થાય છે. તેમાં સંશય નથી, યથાતથ્ય એમ જ છે. તે સત્પરુષની ઓળખાણ જીવને થવી દુર્લભ છે. તેનું કારણ આ જીવ પોતાની મતિકલ્પનાએ જ્ઞાનીને અજ્ઞાની માની સ્વચ્છેદે વર્તે તે ભૂલ થાય છે; અજ્ઞાનીને જ્ઞાની માની તેની આજ્ઞાએ વર્તે તે પણ ભૂલ છે. પણ જ્ઞાનીની દૃષ્ટિએ જ્ઞાનીને માને, તેની આજ્ઞાએ વર્તે તો જીવનો મોક્ષ થાય છે, સંસારથી મુક્ત થવું તેને થાય છે; એમ છે. - તે ભૂલ પોતાના ડહાપણે પોતાની માન્યતાથી મોહનીય કર્મના ઉદયાઘનપણે આ જીવને થતી આવે છે. તેમાં મુખ્ય દર્શનમોહનીય કર્મ નહીં ટળવાથી, મોહનીય કર્મ તેને મુઝવે છે. તેને એક સપુરુષનો બોઘ અને સત્સંગ મળવાથી તે ભૂલ નીકળે છે. સપુરુષનાં વચનામૃત વાંચવા-વિચારવાનું કરવું આત્માર્થીને જરૂરનું તેજી. મૂંઝાવા જેવું નથી, ગભરાવા જેવું નથી. માર્ગ સુલભ છે; પ્રાપ્તિ દુર્લભ છે. ઘીરજથી ઉદય કર્મ સમભાવે વેદવાં અને વૃત્તિ પરભાવમાં જતી રોકી તેને એક સ્મરણમાં રાખવી. દિન પ્રત્યે કલાક અથવા જેટલો અવકાશ મળે તેટલી વાર નિવૃત્તિ લઈ સ્મરણમાં રહેવાનું અથવા વાંચવું, વિચારવું કરશોજી. પરકથાપરભાવની વાત–માં ચિત્તને જોડવું નહીં. પરભાવમાં જીવને વલો મૂકશો તો સત્યાનાશ વાળી દેશે. માટે તેને સ્મરણમાં રાખશો; કેમકે, આ ક્ષણભંગુર દેહ છે તેનો ભરોસો નથી, લીઘો કે લેશે થઈ રહ્યું છે. માટે સારી ભાવનામાં, સારા નિમિત્તમાં મનને જોડવું. પૂ. ભગવાનભાઈ નાની ઉંમરમાં આ ક્ષણભંગુર દેહનો ત્યાગ કરી ચાલ્યા ગયા તેમ, આ સંસારમાં કોઈ રહેવાનું નથી. માટે જેમ બને તેમ પુરુષાર્થ કર્તવ્ય છે. ચિત્તને ગોઠતું નથી, એવી કલ્પના થાય છે તે ભ્રમ છે, મિથ્યા છે, માટે આત્મસિદ્ધિના અર્થ વાંચવા-વિચારવાનું કરશોજી. તેમ સર્વ મુમુક્ષુભાઈઓને પણ તે જ કર્તવ્ય છે. જે અશાતા વેદની પૂર્વના બંઘને લીધે આવે છે તેને સર્વ જ્ઞાનીઓએ સમભાવે ઘીરજથી વેદી, છે. તેથી તે છૂટા થયા છે. દેહથી આત્મા ભિન્ન છે. દેહને લઈને વેદની છે. તે સર્વ શરીરને લઈને છે તો તેનો કાળ પૂર્ણ થયે મુકાય. આત્મા સસ્વરૂપ છે, તેનો નાશ નથી, એમ જાણી સહન કરવામાં કાળક્ષેપ કરવો. Page #152 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ–૧ મોહી બાંઘત કર્મકો, નિર્મોહી લૂંટ જાય; યાતે ગાઢ પ્રયત્નસેં, નિર્મમતા ઉપજાય. પરિષદાદિ અનુભવ વિના, આત્મધ્યાન પ્રલાપ; શીધ્ર સસંવર નિર્જરા, હોત કર્મકી આપ. ઇત ચિંતામણિ મહત, ઉતર ખેલ ટ્રક અસાર, ધ્યાન ઉભય યદિ દેત બુઘ, કિસકો માનત સાર ?” “આત્મહિત જો કરત હૈ, સો તનકો અપકાર; જો તનકા હિત કરત હૈ, સો જિયકો અપકાર. પકટકા મેં કરતાર હૂં, ભિન્ન વસ્તુ સંબંઘ, આપહિ ધ્યાતા ધ્યેય જહાં, કૈસે ભિન્ન સંબંધ ? મરણ રોગ મોમેં નહીં, તાતેં સદા નિશંક; બાલ તરુણ નહિ વૃદ્ધ હું, યે સબ પુદ્ગલ અંક. પ્રગટ પર દેહાદિકા, મૂઢ કરત ઉપકાર; સુજનવત્ યા ભૂલકો તજ કર નિજ ઉપકાર. મેં એક નિર્મમ શુદ્ધ હૈં, જ્ઞાની યોગી ગમ્ય; કર્મોદયસે ભાવ સબ, મોતે પૂર્ણ અગમ્ય.” ૮૪ પેથાપુર, ફાગણ વદ ૬, સોમ, ૧૯૮૧ પરમકૃપાળુનો માર્ગ જયવંત વ એ જ અમારી દ્રષ્ટિ છેજી. કાળ ગટકાં ખાઈ રહ્યો છેજી. લીઘો કે લેશે થઈ રહ્યું છે. તેમાં હવે કોઈ જાતની ઇચ્છા રહી નથી. આમ થાય કે આમ થાય તે બધું જોયા કરીશું. હવે વૃદ્ધાવસ્થા દેખાતાં જે કરવાનું છે તે તો પરમકૃપાળુ દેવાધિદેવે સંપૂર્ણ આપ્યું છેજી. માટે તૈયાર થઈ બેઠા છીએ. મરણને જ્યારે આવવું હોય–દેખાવ દે–ત્યારે તૈયાર છીએ. બીજું હવે થવું નથી. શું લખું? તે વિષેની શાંતિ પૂર્ણ છે'. આપ અમારું અંતર છો માટે જણાવું છુંજી. ૮૫. તા.૨૩-૫-૨૫ તમો આત્મહિત થાય તેવું પુસ્તકાદિનું વાચન, વિચારવાનું કરતા હશો. ન બનતું હોય તો હવેથી વિચારમાં, ધ્યાનમાં લેશો. સત્સંગ કર્તવ્ય છેજી. પ્રમાદ છોડીને સપુરુષાર્થ કર્તવ્ય છે. સ્વચ્છેદ રોકી પુરુષાર્થ કરવાની જ્ઞાની પુરુષ તીર્થંકરે આજ્ઞા કરેલ છે). તે જો જીવ પરમાર્થેઆત્માર્થે આરાઘશે તો કલ્યાણ છે. પોતાની કલ્પનાએ ને સ્વચ્છેદે ત્રણ કાળમાં કલ્યાણ થયું નથી, ૧. આ તરફ ૨. પેલી બાજુ ૩. ખોળ ૪. ટુકડો ૫. સાદડીનો ૬. મારામાં Page #153 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ઉપદેશામૃત થશે નહીં; એમ સમજાયું છેજી. કરાળ કાળ દુષમ છે. કોઈ વિરલા જીવ તે દૃષ્ટિમાં, ભાવપરિણામમાં દોરાશે. શુદ્ધ ભાવના તો તે જ્ઞાની પુરુષની છે. ઘડીવાર વીલો મેલવા જેવું નથી. જીવ પોતાને ભૂલી ગયો છે; માટે ‘જાગ્રત, થા, જાગ્રત થા' એમ જ્ઞાની ગુરુની આજ્ઞા છેજી. નહીં તો રત્નચિંતામણિ જેવો મનુષ્યભવ નિષ્ફળ જશે. ક્ષણે ક્ષણે મૃત્યુ સંભારવું. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ⭑ ⭑ ૮૬ આ જીવ અનાદિ કાળથી મિથ્યાત્વમાં ફસી રહ્યો છે. સ્વપ્નવત્ સંસાર તેમાં એક સમકિત સાર છેજી. તે સમ્યક્ત્વ દુર્લભ છેજી. જીવને ચેતવા જેવું છેજી. પૂર્વના પ્રારબ્ધથી જીવ ઉદયાથીન વર્તે છે. તેમાં પુરુષાર્થ કર્તવ્ય છેજી. તે પુરુષાર્થ સત્સંગના જોગ વિના સમજાય તેમ નથી, સમજાતો નથી. પોતાની મતિ-કલ્પનાએ ધર્મ મનાયો છે તે વિષે યથાઅવસરે સમાગમે સમજવું થશે. * ૮૭ . શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ તા. ૧-૮-૨૫ શાસ્ત્રમાં પંથકજી વિનીતનું વિનય ઉપર દૃષ્ટાંત છે. પોતાના ગુરુ શીલંગાચાર્ય પ્રમાદવશ હતા છતાં પંથકજીએ પોતે વિનય કરવો જોઈએ એમ જાણી પોતે વિનય છોડ્યો નથી. માટે સૂઝે એવા, વડીલ ગુરુ મોટા હોય તે પ્રત્યે વિનય કરતાં દેહત્યાગ થાય અથવા પરિષ-ઉપસર્ગ પડે તો પણ શિષ્યે તેને કોઈ પ્રકારે ખેદ ન થાય તેમ કરતાં સમતાભાવે સહન કરવું જોઈએ. આ જીવે જન્મજરા, નરકાદિ ગતિમાં પરિભ્રમણ કરતાં કેવાં દુ:ખ ૫૨વશે સહન કર્યાં છે ! તો, આ તો મનુષ્યભવમાં વડીલ મહાત્માની સેવામાં કાળ જાય—વિનય કરતાં જાયતો આત્માનું સાર્થક છે. તે નહીં વિચારતાં પોતાને સ્વચ્છંદે કે પોતાની કલ્પનાબુદ્ધિથી જીવ વર્ત્યા કરે છે ! * ८८ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ સ્ટે. અગાસ તા. ૬-૧૨-૨૫, રવિ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ તા. ૨૪-૪-૨૬ जिणवयणे अणुरत्ता गुरुवयणं जे करंति भावेण । असबल - असंकिलिट्ठा ते होंति परित्तसंसारा ॥ (મૂલા૦ ૨, ૭૨) આ શ્લોકનો મૂળ પરમાર્થ આત્મામાં વિચારવાથી સમ્યક્ત્વની સુલભતા પ્રાપ્ત થાય છે, અનંત ભવનાં પાપ નાશ પામે છે અને અનંત મહા પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય થાય છે. આ ઉપર Page #154 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૧ પ૭ દર્શાવેલી ગાથામાં જે પરમાર્થ છે તે પરમ અર્થ આત્મામાં જો ભવ્ય જીવ ઘારણ કરશે તો તે અનંત ભવનાં કર્મો નાશ કરી પરમપદની એટલે મોક્ષપદની પ્રાપ્તિ કરી શકશે અર્થાત્ મોક્ષને પામશે. એવો અપૂર્વ અર્થ છે ! માટે વારંવાર મનન કરશોજી. તે ગાથાને સંક્ષેપ પરમાર્થ નીચે મુજબ છે – ‘બિન વળે' એટલે રાગદ્વેષ અજ્ઞાન રહિત જિન પરમાત્મા, કેવળજ્ઞાનમય પરમજ્યોતિ પરમાત્માનાં વચનો પ્રત્યે એટલે તેના બોઘમાં જે જીવ “પુરત્તા' એટલે મન વચન અને કાયાના યોગથી આત્માનાં પરિણામ અનુરંજિત કરશે એટલે આત્માનાં પરિણામની લીનતા કરશે તે ભવ્ય જીવ તે પુરુષના પદને પામશે, એટલે સર્વજ્ઞ પદને પામશે. અને “જુવય ને ક્રાંતિ માન' એટલે પરમગુરુ નિગ્રંથ એટલે મિથ્યાત્વ અને મોહરૂપી ગ્રંથિ રહિત એવા સદ્ગુરુનાં વચન એટલે બોઘ પ્રમાણે જે આત્માની ભાવના કરશે, અનિત્ય અશરણ એત્વાદિ ભાવનાઓ ગુરુનાં વચન પ્રમાણે સગુરુનાં બોઘથી સમજીને જે તે ભાવના કરશે તે સભ્યત્વને પામશે. સમ્યક્ત્વ પામી, સમ્યદર્શન સમ્યકજ્ઞાન અને સમ્યક્યારિત્રની આરાઘના કરી અનંત ભવનાં કર્મો નાશ કરી અલ્પસંસારી થશે, એટલે મોક્ષની નજીક પહોંચશે. આ ક્ષણિક સંસારમાં આપણો મનુષ્યભવ મહા પુણ્ય કરી પ્રાપ્ત થયેલો છે તેમાં જે બુદ્ધિબળ પામ્યા છીએ તેનાથી સમત્વાદિનો અપૂર્વ લાભ પ્રાપ્ત કરવો તે કર્તવ્ય છે. મનુષ્યત્વાદિની સામગ્રીથી અનંત ભવથી જે વસ્તુ પ્રાપ્ત થઈ નથી તેની પ્રાપ્તિ કરવી; તો જ વાસ્તવિક વિચક્ષણતા ગણાય. શરીરનિર્વાહ માટે અર્થની પ્રાપ્તિ સર્વ કોઈ કરી રહ્યા છે. તેના જ પ્રસંગોમાં ઘણું કરી સર્વે જીવો પ્રવર્તે છે. પરંતુ તે અર્થની પ્રાપ્તિ થવી તે પુણ્યનો ઉદય હોય તો બને. તે પુણ્ય સદ્ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલવાથી થાય છે. ચાર પ્રકારના જે પુરુષાર્થ કહ્યા છે તેમાંથી ઘર્મ અને મોક્ષને માટે કોઈક વિરલા જીવ જ પ્રયત્ન કરતા હશે. આત્માનું ખરું સુખ–વાસ્તવિક શાંતિ તો ઘર્મ અને મોક્ષમાં રહી છે. માટે આપને ત્યાં સત્સંગનો જોગ ન હોય તો નિવૃત્તિ કાળે સન્શાસ્ત્રનું વાંચન રાખશો. તમારી પાસે હાલ જે પુસ્તકો હોય તેમાંથી વાંચવા-વિચારવાનું કરશો. અને મોટું વચનામૃત કે બીજાં કોઈ પુસ્તકની ઇચ્છા હોય તો લખશોજી. “જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર.” શમભાવ, સમતા, ક્ષમા, દયા, ઘીરજ, ક્રોઘ ન કરવો. ગમ ખાવી. આત્મભાવના ભાવવી. જ્ઞાન, દર્શન, ચારિત્ર તે આત્મા છે. ભક્તિ કરવી, અડધો કલાક વાંચવું, વિચારમાં વૃત્તિ રોકવી-મનમાં અર્થ વિચારવો. મુખપાઠે કાંઈ તત્ત્વજ્ઞાનમાંથી કરવું–પ્રમાદ છોડી. આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે;” જીવ લહે કેવળજ્ઞાન રે. જીવ તું શીદ શોચના કરે છેજી ! Page #155 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત “નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય; કાં એ ઔષઘ ન પીજિયે, જેથી ચિંતા જાય ?” ત્રિવિઘ તાપથી આખો લોક બળ્યા કરે છે. કાળ ગટકા ખાઈ રહ્યો છે; લીઘો કે લેશેજી. આ જીવ કયા કાળને ભજે છે ? ક્ષણે ક્ષણે મૃત્યુ સંભારવું. કાળનો ભરૂસો નથી. ઉષ્ણ ઉદક જેવો રે આ સંસાર છે; તેમાં એક તત્ત્વ મોટું રે સમજણ સાર છે.” તત્ત્વ એટલે આત્મા છે'. મોહમમત્વ ઓછાં કરવાં ! તૃષ્ણા નહીં કરવી. “ક્યા ઇચ્છત ખોવત સબે, હૈ ઇચ્છા દુઃખમૂલ; જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.” આત્મભાવે પ્રણામ. અહંકાર કરવો નહીં. દુઃખ આવે ત્યાં સહન કરવું. મનમાં ચિંતવના ખોટી ખોટી આવે ત્યારે સ્મરણમાં મંત્ર સંભારવો. મનને રોકી બીજું વાંચવું, વિચારવામાં મનને રાખવું. મનને જેમ બને તેમ કરી પરમાત્મા કૃપાળુદેવમાં જોડવું ને તેમનાં લખેલાં વચનામૃતો ભણવાં. મનુષ્યભવમાં ઘર્મધ્યાન ચિંતવવું. ચિંતવન આત્માનું કરવું; આત્મા છે, નિત્ય છે, ર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. તે છ પદનો પત્ર વાંચશો, વિચારશો. આત્મસિદ્ધિ મુખપાઠ કરવી; સંકલ્પવિકલ્પ કાંઈ કરવા નહીં. જ્ઞાની તીર્થકર ભગવાને આત્મા જામ્યો છે તેવો છેજી, તે માટે માન્ય છે. મારે તો તેણે જે આજ્ઞા કહી છે તેમ કરવું કર્તવ્ય છે. સ્વચ્છંદ રોકવો. STU વો–આજ્ઞા તે ઘર્મ છેજી. શાંતિઃ શાંતિઃ ૮૯ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ,અગાસ;સં. ૧૯૮૨ વિશેષ વિનંતિ સાથે આપશ્રીને જણાવવાની સૂચના એ છે જે પ્રથમ, સમાગમે આપને ઘણા ફેરા કહેવામાં આવેલ છે તે આપના સમજવામાં છે છતાં વિસર્જન ન થાય તે અર્થે અત્રેથી જણાવવાનું એ છે કે શ્રીમદ્ સદ્ગુરુ દેવાધિદેવ તેની આજ્ઞાએ ભાવની પરિણતિ સાથે વાંચવું વિચારવું કર્તવ્ય છે'. તે ગફલતમાં ન જાય તેમ ધ્યાનમાં લેશોજી. આપે જે પત્રમાં લખાણ કરેલ છે તેમાં જરા આજ્ઞાનો ભાવ અમારા ઉપર રાખો છો, તે ભાવ કરતાં સદ્ગુરુની આજ્ઞાએ અત્રેથી જણાવવું થાય છે કે તેની પ્રતીતિએ આપણે વાંચવું વિચારવું યોગ્ય છે. બાકી અમારો અભિપ્રાય એ છે જે તેની આજ્ઞાએ અમારા કહેવાથી તે પ્રતીત કર્યો કલ્યાણ, આત્મહિત સમજાયું છે. તે આજ્ઞા માગી લક્ષ લેવા યોગ્ય છે. ચિત્તવૃત્તિ પર્યાયવૃષ્ટિમાં પરિણમવાથી બંઘન થાય છે. તે વૃત્તિ રોકી આત્મભાવ–શાનીની દ્રષ્ટિએ, જેણે જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે, તે ભાવ-તેની આજ્ઞાએ માન્ય કરવા યોગ્ય છે. “શુદ્ધતા વિચારે ધ્યા, શુદ્ધતામેં કેલિ કરે; શુદ્ધતામૈં સ્થિર વહે, અમૃતઘારા વરસે.” “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.” Page #156 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ−૧ ‘ ઉષ્ણ ઉદક જેવો રે આ સંસાર છે, તેમાં એક તત્ત્વ મોટું રે સમજણ સાર છે.'' તે આત્મા જ્ઞાનીએ જ્ઞાનીની દૃષ્ટિએ જોયો છે. તે ભાવની પરિણિત મનમાં, ચિત્તમાં, ભાવમાં કર્તવ્ય છેજી. ૯૦ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ, ચૈત્ર વદ ૧૨, સોમ, ૧૯૮૨ આવી નાની ઉંમરમાં પણ જીવને દેહ છૂટી જાય છે. તો તેનો વિશ્વાસ નહીં રાખતાં આપને પણ જેમ બને તેમ ત્યાગ-વૈરાગ્યની ભાવના કરી વિશેષ જાગૃતિ કરી આત્મહિત ભણી જોડાવું કર્તવ્ય છેજી. સ્વજન-કુટુંબ, પુત્ર-પુત્રી આદિ પોતપોતાના પૂર્વ પુણ્ય વડે જે પ્રાપ્ત થયું હોય તે પ્રમાણે સુખ-દુઃખ ભોગવી શકે છે. પોતાનું ધાર્યું કાંઈ બનતું નથી તો જેમ બને તેમ ધર્મ-આરાધન અર્થેપરમાર્થે આ દેહ ગાળવો ઘટે છે. ફરી ફરી આ જોગ મળવો દુર્લભ છે. કોઈ કોઈનું થયું નથી. માટે સમભાવે પોતે પોતાનાં બાંધ્યાં કર્મ વેદી ભોગવી લેવાં, પણ કોઈ જીવ પ્રત્યે ઇચ્છા, મોહ, તૃષ્ણા કર્તવ્ય નથી. નિર્ભય રહેવું. કોઈ પ્રકારનો ભય રાખવા લાયક નથી. સત્સંગ, સંત તથા સત્પુરુષનાં પ્રત્યક્ષ વચનામૃતોનો જોગ મળ્યો, ને તે શ્રદ્ધા-તૃઢત્વ જો આ મનુષ્યભવમાં થયાં તો જીવનું કલ્યાણ, સફળપણું થયું સમજવું. અનંતવાર મનુષ્યભવ પણ મળ્યા, સંજોગવિજોગ અનંતવાર થયા, જન્મમરણ થયાં, ત્રિવિધ તાપનાં અસહ્ય દુઃખો વેઠ્યાં, પણ જીવને શાંતિ આવી નથી; માટે ખરેખરો જોગ આટલા ભવમાં મળ્યો છે, તેનો લાભ લેવા ચૂકવું નહીં. સંસારની મોહમાયામાં જે જીવ ખૂંચ્યા છે તે જીવ દુઃખી થયા છે; પણ નિકટભવી જીવ આ અવસરે જાગૃત થઈ સફળપણું કરી લે છે. ચેતવા જેવું છે. ૫૯ આપ સમજુ છો. કોઈ વાતે ખેદ કરો તેમ નથી. પૂર્વના સંજોગે ક્ષયોપશમ સારો છે, તે સંસારની માયામાં કાઢવો નહીં. અવસર આવ્યો છે-ચેતી લેવા જેવો. કાળ ગટકાં ખાઈ રહ્યો છે; લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. આ જીવ કયા કાળને ભજે છે તે વિચારવા જેવું છે. ઘણા જીવો આવા મનુષ્યભવ પામી આત્માનું કલ્યાણ કરી ગયા છે, એમ જાણી પૂર્વના ઉદય, વ્યવસાય, પ્રારબ્ધ છે તે સમભાવે વેદી, ક્ષમા ધારણ કરી, આત્માના હિત માટે બળ કર્તવ્ય છે. બનનાર તે ફરનાર નથી, ફરનાર તે બનનાર નથી, તેમ સત્પુરુષાર્થ કર્તવ્ય છે. “जिणवयणे अणुरत्ता, गुरुवयणं जे करंति भावेण । असबल - असं किलिट्टा ते પરિત્તમંસરા ||’’ (મૂલા ૨, ૭૨) જિન ભગવાનના પ્રવચનમાં જે આત્મા અનુરાગી છે, ગુરુ—આપ્ત પુરુષના વચનામૃતમાં જેના ભાવ વર્તે છે, જે મિથ્યાત્વથી રહિત છે (સમ્યક્ પરિણામી છે) અને જેનાં પરિણામ સંક્લેશવાળાં નથી થતાં તે પરીતસંસારી, સમીપમુક્તિગામી હોય છે એટલે સમ્યક્ત્વને પામી મુક્ત થાય છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ દ ઉપદેશામૃત “તીન ભુવન ચૂડા રતન, સમ શ્રી જિનકે પાય; નમત પાઈએ આપ પદ, સબ વિધિ બંઘ નસાય.” –શ્રી ટોડરમલ આસ્રવભાવ-અભાવતું, ભયે સ્વભાવ સ્વરૂપ; નમી સહજ આનંદમય, અચલિત અમલ અનુપ.” –શ્રી ટોડરમલ “સી સાઘન બંઘન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્સાધન સમજ્યો નહીં, ત્યાં બંઘન શું જાય ?” -શ્રીમદ્ રાજચંદ્ર આ જીવને બોઘની અવશ્ય જરૂર છે. બોઘ એ સમતિ પમાડે છે. માટે, આ જીવનું પણ જેમ હિત થાય તેવી દયા અંતરમાં લાવી, આ મનુષ્યદેહે જોગ મળેલો છે તો ચેતી લેવું યોગ્ય છે. ફરી ફરી આ જોગવાઈ મળતી નથી. જોકે જીવને અનંત વાર પુદ્ગલિક સુખ મળ્યું છે, મેળવવાની ઇચ્છાએ વર્તેલ છે; પણ તેથી સુખ થયું નથી. માટે પોતાનું હિત ચિંતવવું. વિશેષ શું લખવું ? ચિત્તવૃત્તિ ઉદયકર્માઘાન હોવાથી, લખવાની વૃત્તિ હતી, પણ લખાયું નથી. વૃદ્ધ અવસ્થા છે, શાતા-અશાતાના ઉદયનું સમભાવે વેદવું કરાય છે થાય છે. શમભાવ, સમાધિ, ક્ષમા, સમતા. શાંતિઃ શાંતિઃ પાવે નહિ ગુરુગમ બિના એહિ અનાદિ સ્થિત.” નિર્ભય થવાની જરૂર છે. જીવને વિશ્રાંતિ આવી નથી ત્યાં બોઘનું અવશ્ય જરૂર કામ છે). “વું સંમંતિ પસહ તં મોતિ પાહી, जं मोणंति पासहा तं संमंति पासहा" સમ્યત્વ વસ્તુ અપૂર્વ છેછે. એટલું જ કર્તવ્ય છેજી તો સફળપણું જી. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ, શ્રાવણ સુદ ૮, મંગળ, ૧૯૮૨ જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટ્યો નહીં, વિવેક આવ્યો નહીં કે સમાધિ થઈ નહીં તે વિદ્યાને વિષે રૂડા જીવે આગ્રહ કરવો યોગ્ય નથી.” –શ્રીમદ્ રાજચંદ્ર ઉદ્ધતાઈ કરી પોતાની મતિકલ્પનાએ એટલે સ્વચ્છેદે કોઈ પદાર્થનો નિર્ણય કરવો યોગ્ય નથી. એમ જ્ઞાની પુરુષોએ જાણ્યું છે, તીર્થંકરાદિએ કહ્યું છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૧ ૧ આપનો પત્ર વાંચી ખેદ, ખેદ અને ખેદ સાથે દિલગીરી થઈ છે. અહો ! આ જીવને મનુષ્યભવ પામી કાળનો ભરોસો કર્તવ્ય નથી. લીઘો કે લેશે થઈ રહ્યું છે. તો આ જીવ કયા કાળને ભજતો હશે ? ખોટી ગતિનાં કારણો મેળવવામાં આ જીવે કાળ ગાળ્યો છે. તો મનુષ્યભવ પામીને અત્યારે ચેતવા જેવું છે કે પોતાના આત્માનું કલ્યાણ થાય તેમ કરવું. ઘન મેળવતાં દુઃખ, ખરચાઈ જતાં દુઃખ; તો તેવા ક્લેશકારી ઘનને ધિક્કાર છે ! આ દેહને પોષીને સુખ ઇચ્છે તેને સુખ કેવું મળશે તેનો કાંઈ વિચાર આવે છે ? આત્મા શું છે અને આ સંજોગો એ શું છે ? અને જીવ માની રહ્યો છે તે મિથ્યાત્વ છે, એ ક્યાં સમજાયું છે ? બાંધ્યાં કર્મ ભોગવતાં કોણ આડું આવશે એનો કાંઈ વિચાર થાય છે ? મનુષ્યભવ તો દુર્લભ કહ્યો છે. ઘારે તો થોડા કાળમાં મોક્ષ થાય તેવું છે અને સર્વ સુખ પામે તેમ છે. છતાં આ જીવ પોતાના સ્વચ્છેદે, પોતાની ઇચ્છાએ, પોતાની સમજણે જે વર્તન કરે છે તે આ જીવને મહાદુર્ગતિ-દુઃખનું કારણ થઈ પડશે. તે વખતે કોણ છોડાવવા સમર્થ છે ? ફરીને આવો જોગ ક્યાંથી મળશે ? આ ચિંતામણિ સમાન અવસર જતો રહ્યો તો પછી પૃથ્વી, પાણી, નિગોદમાં અનંતો કાળ પરિભ્રમણ કરવું પડશે. તેની દયા ખાવાને આ અવસર છે કે કેમ ? જો જીવ શ્રદ્ધા રાખી જીવના હિત-કલ્યાણને માટે નહીં ચેતે તો પછી તેનું પરિણામ ખોટું આવે. હજુ ચેતવા જેવું છે. અનાર્ય જીવોને સંગ-સમાગમ, અનાર્ય દેશ એ તો મહા અનર્થકારી છે. ચેતવા જેવું છે. માટે જેમ બને તેમ આટોપી લેવાય અને ચેતાય અને આત્માની દયા ખવાય એ કર્તવ્ય છે. પત્રથી શું લખાય ? જે કાળ જાય છે તે પાછો આવતો નથી. ક્ષણ લાખેણી જાય છે. સમર્થ નાયમ મા પમાણ’ એનો ઊંડો વિચારવા જેવો આશય છે. શું કરવું ? યોગ્યતાની બહુ ખામી છે. સંસાર સેવવો અને મોક્ષ થાય એમ માનવું એ કેમ બને ? સંસારના ભોગ વૈભવમાં રહેવું, સંસાર સેવવો, એમાં વહાલપ, એમાં પ્રીતિ રાખવી ને વૃત્તિ છેતરે; તેવો માર્ગ હશે કે કેમ? વિશેષ શું કહીએ ? શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ આસો વદ ૧૧, સોમ, ૧૯૮૨ આપણે આપણું કરવું છે'. તેમાં કોઈ જીવાત્માનું હિત થાય તો આપણું હિત સમજવું. પરમ કૃપાળુ દેવનું કહેલું વચન યાદ આવ્યાથી અત્રે આ પત્ર દ્વારા વિદિત કર્યું છે તે એ કે “હે મુનિઓ ! બહાર નીકળશો તો એકલો વિક્ષેપ જ ભર્યો છે.” આત્માનું મૂળ જ્ઞાન ક્ષાયિક અને પરિણામિક ભાવે રહેલું છે'. તે હાનિવૃદ્ધિ પામતું નથી. તે ભૂલીને દેહાદિકમાં આત્મબુદ્ધિ કરી છે અને રાગદ્વેષમોહાદિ પ્રકૃતિભાવ-પરિણામમાં આત્મબુદ્ધિ કરી છે. હું જ્ઞાની છું, અજ્ઞાની છું, ક્રોથી છું, મોહી છું, ઇત્યાદિકમાં આત્મભ્રાંતિ થઈ છે; તે પણ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ઉપદેશામૃત ભૂલ છે. તે ટાળવાને સત્સમાગમે તે વિચારવા યોગ્ય છે. દેહને વિષે જે આત્મબુદ્ધિ છે તે સંસાર વધારે છે અને આત્માને વિષે આત્મબુદ્ધિ જેને છે તે મુક્તિ પામે છે એ ભાવ અને એ પરિણામે છૂટવાનો બોઘ કોઈ જ્ઞાનીના વચન-સત્સંગે વિચારી હૃદયમાં ઘારવા યોગ્ય છેજી. “બીજા પદાર્થમાં જીવ જો નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણદશા પામે છે; અને નિજને વિષે નિજબુદ્ધિ થાય તો પરિભ્રમણદશા ટળે છે.’’ આ વાતની હૃદયમાં ઘારણા કરી રાખી, સત્સંગ-સમાગમે આ જીવને તે લાભ લેવાનો અવસર છેજી. ૯૪ १‘“ अनादरं यो वितनोति धर्मे, कल्याणमालाफलकल्पवृक्षे । चिंतामणिं हस्तगतं दुरापं मन्ये स मुग्धस्तृणव जहाति ॥१९॥ निषेवते यो विषयं निहीनो धर्मं निराकृत्य सुखाभिलाषी । पीयूषमत्यस्य स कालकूटं सुदुर्जरं खादति जीवितार्थी ॥२३॥” શ્રી અમિતગતિ શ્રાવકાચા૨ (પ્રથમ પરિચ્છેદ) “અર્થ−રજો નીચ પુરુષ ધર્મકા નિરાકરણ કરી સુખકા અભિલાષી વિષયનિકી સેવૈ હૈ સો અમૃતકો ત્યાગિ કરિ જીવનેકા અર્થાં પ્રબલ કાલકૂટ વિષકું ખાય હૈ.” (૨૩, અ૰ શ્રા૰) જીવને ઉદયકર્મ ફળ ભોગવતાં ઉદાસ નહીં થતાં ઉદાસીનતા (સમભાવ) કર્તવ્ય છેજી. જાગૃત થા; જાગૃત થા. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ કાર્તિક વદ ૧૧, ગુરુ, ૧૯૮૩ ૯૫ દેહ છૂટવા સંબંધી નિર્ભય રહેવું કર્તવ્ય છેજી. આત્મા અજર છે, જ્ઞાનદર્શનમય છે, દેહના સંયોગે હોવા છતાં દેહથી ભિન્ન છે. તેને શાતા-અશાતા વેદનીય હોય તો પણ તે કિંચિત્ માત્ર દુ:ખમય નથી. આત્મા છે તે મારું સ્વરૂપ છે. તે જ્ઞાનીએ જોયું છે. દેહને લઈને વેદનીય છે, તે વેદનીયનો કાળે ક્ષય થાય છે. ત્યાં તે વેદનીનો ક્ષય થયે, નાશ થયે, મૃત્યુ-મહોત્સવ છે. કર્મનો નાશ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ ચૈત્ર સુદ ૭, ગુરુ, ૧૯૮૩ ૧. કલ્યાણની પરંપરારૂપ ફળને દેનાર કલ્પવૃક્ષ જેવા ધર્મમાં જે અનાદર વધારે છે તેવો મૂઢ પુરુષ ખરેખર હાથ લાગેલા દુર્લભ ચિન્તામણિને તૃણની જેમ વૃથા ફેંકી દે છે ! ૨. જે નીચે પુરુષ ધર્મને છાંડી સુખને અર્થે વિષયોને સેવે છે તે જીવવાની આશાથી અમૃતને છોડી કાલકૂટ વિષ ખાઈ રહ્યો છે ! Page #160 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ–૧ ૬૩ તે મૃત્યુ-મહોત્સવ છે. હરખશોક કરવા જેવું નથી; દ્રષ્ટા રહી જોયા કરો. શ્રદ્ધા માન્યતા તો તે જ. સદ્ગુરુ, પ્રત્યક્ષ પુરુષ, સહજાત્મસ્વરૂપ પરમગુરૂજ્ઞાનદર્શનમય શ્રીમદ્ રાજચંદ્ર તે જ ગુરુ છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ તા. ૫-૬-૨૭ આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં.” જીવનો શિવ થાય છે. માટે પુરુષાર્થ કર્તવ્ય છે. તમે જ તારી આપશો અને તમારી કૃપાએ આમ મળો એમ ન કરવું. કૃપાળુદેવ દેવાધિદેવે કહેલો મંત્ર, તેની આજ્ઞા ઉઠાવી વિચાર, ધ્યાન, મનન, તેમાં દિન પ્રત્યે વૃત્તિ રોકવી. સારા વિચારમાં રહેવું. બીજે મન જતું હોય ત્યાંથી રોકવું અને સત્પરુષોનાં વચનામૃત વાંચવા, વિચારવાં; તેને યાદ લાવવામાં ઉપયોગને જોડવો. ઉપયોગ એટલે આત્મા. જ્ઞાન-દર્શનચારિત્ર–જાણવું, દેખવું, સ્થિર થવું તે–આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. એ વિચારમાં ચિત્ત લાવવું; મનમાં વિચારવું. તેમાંથી મન બીજે જતું રહે છે ત્યાંથી રોકવું. મહેનત કર્યા વગર મળશે નહીં. પા કલાક, અર્ધો કલાક કે કલાક સુધી એમ રોજ મહેનત કરવામાં કાળ ગાળવો. પા કલાક વાંચવું, પા કલાક અર્થ વિચારવો, શબ્દના અર્થ વિચારવા; જેમકે, “છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ; નહિ ભોક્તા તું તેહનો, એ જ ઘર્મનો મર્મ.” એનો અર્થ વિચારવો. તેમ કરતાં એમ ન વિચારવું કે આ તો મન જતું રહે છે, બીજે રહે છે. એમ જે થાય છે તે પૂર્વ કર્મ છે, તે વિઘ પાડે છે. એમ થતું હોય તો ગભરાવું નહીં. પાછું તે અર્થના વિચાર પર મનને લાવવું. એમ લડાઈ કરવી; જેટલું બને તેટલું કરવું. આખા દિવસમાં તેનો સંબંઘ રાખવો, તેમાં ચરી પાળવાની “સાત વ્યસન તે તથા નાટક, ખ્યાલ તથા ઠઠ્ઠામશ્કરી બેચાર બેસી ગમ્મત કરવી” તેમ કરવું નહીં–વિકારમાં મન જાય તેમ કરવું નહીં; ખોટાં નિમિત્ત મેળવવાં નહીં. સારાં સારાં નિમિત્ત જોડવાં સારાં સારાં વચનામૃતનાં વચન સાંભળવાનું રાખવું, બેચાર બેઠા હોઈએ ત્યારે એ સંભળાવવાં, એમાં સર્વની વૃત્તિ, મન દોરવું. આર્તધ્યાન કરવું નહીં. બનનાર તે ફરનાર નથી અને ફરનાર તે બનનાર નથી. નહિ બનવાનું નહિ બને. પૂર્વ ભવનાં બાંઘેલાં ભોગવવાં પડે છે, તે ભોગવતાં હાયવોય થાય છે; વળી પાછાં જન્મમરણનાં દુઃખ છે. આ અવસર હારી ગયો તો ફરી મળશે નહીં, એમ વિચારી અત્યારે હાલ જેમ બને તેમ સર્વિચારમાં કાળ ગાળવો. ખોટા વિચાર આવે ત્યાં તે બંધ કરી દેવા. ક્ષમા, સમતા, ઘીરજ રાખતાં શીખવું, પૂર્વનાં બાંઘેલાં છે તેથી દુઃખ-સુખ આવે છે. માટે, હવેથી બાંધતાં વિચાર રાખતાં શીખવું. કોઈ પર મોહ કરવો નહીં. મોહથી રાગદ્વેષ થાય છે, બંઘન થાય છે. સમભાવ રાખવો. ખમી ખૂંદવા શીખવું. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ઉપદેશામૃત જે મળે તેથી સંતોષ રાખી આટલો દેહ, આત્માનું કલ્યાણ થવા, આત્માને અર્થે ગળાશે તો જન્મમરણના અનંતા ભવ છૂટી જશે; એમ જાણી, જન્મમરણનાં દુઃખ છોડાવવા કોઈ સમર્થ નથી માટે પાણી પહેલાં પાળ બાંધવી—પરભાવમાં જતાં અટકાવી પોતીકા આપ સ્વભાવમાં વારંવાર મનને લાવવું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૭ આવા દુષમકાળમાં સમભાવ પરિણામે પ્રવર્તવું ઘણું દુર્લભ છે. જીવાત્માઓની પ્રકૃતિઓ જુદા જુદા વર્તનવાળી જોઈ ખેદ થાય છે. સમભાવી જીવાત્મા આ કાળમાં ઘણા જ થોડા દેખાવ દે છે, ત્યાં હવે શું કરવું ? ક્યાં કોઈ કોઈને કહેવા જેવું રહ્યું છે ? કહેવા જઈએ તો તેને ખેદજનક થાય છે. ઘણુંય જાણતા હોઈએ કે સત્પુરુષનો સનાતન જૈન માર્ગ સદ્વિવેક વિનયની પ્રવર્તનાએ વર્તવાનો ઉપદેશ્યો છે. પણ તે આ કાળમાં ઘણો શિથિલ, પ્રમાદી, સ્વચ્છંદી વર્તનાએ વર્તતો દેખાવ દે છે. કોઈ જુદા સ્વરૂપમાં મુમુક્ષુ અને જુદા સ્વરૂપમાં મુનિ વગેરે જોઈ વિચાર થાય છે, એવાં વચન સદ્ગુરુએ જણાવેલ છે. માટે આપને તો હવે જ્યાં ત્યાં ક્ષેત્રસ્પર્શના પ્રમાણે કાળ વ્યતીત કરવો. શાતા-અશાતા તે તો પૂર્વના ઉદયે જેમ સર્જિત માંડ્યું હશે તેવું થશે. આપને કાંઈ પણ કહેવા જેવું નથી. આપે દેવાધિદેવ કૃપાળુદેવની સેવા ઉઠાવી છે. આપનું કલ્યાણ થશે. આપ પવિત્ર, રૂડા છો. ⭑ ૯૮ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ જેઠ સુદ ૮, મંગળ, સં. ૧૯૮૩ જન્માંધ કે આંખે પાટા બાંધીને કહે કે મારે સૂર્યનાં દર્શન કરવાં છે તો તે સંભવતું નથી. અનાર્ય ભૂમિ અને એવા સંજોગોમાં પોતાની કલ્પનાથી માની લીધું હોય કે આ સાચું છે, તો તે સાચું હોય તો પણ સાચું નથી. સદ્ગુરુના યોગ વિના કરેલી કલ્પનાઓ મિથ્યા છે. પોતાની માન્યતા આડે સત્ય સમજાતું નથી. ત્યાગ-વૈરાગ્ય વિના અને યોગ્યતાની ખામી હોય ત્યાં સુઘી આત્માનું ભાન થાય નહીં. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ ભાદરવા વદ ૩, બુધ, ૧૯૮૩ “ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન'' ત્રણ ચાર વરસ માહિત થવામાં ગળાય ત્યાર પછી ખબર પડે. વીતરાગ મારગ મહા ગંભીર છે, વેદાન્ત તો એની આગળ શું ગણતરીમાં ? શ્વાસોશ્વાસ આદિ સાધન કાંઈ ખપનાં નથી, કલ્પના છે. માનેલું બધું શેં છૂટે ? Page #162 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૧ ૬૫ ૯૯ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, તા. ૨૦-૧૦-૨૭ જે દી તે દી દેહનો નાશ છે. પણ આત્માનો નાશ નથી. પૂર્વ કાળે પરવશે નરકનાં દુ:ખ વેદનાર આ જીવ હતો તે જ આ જીવ આજે કોઈ સદ્ગુરુનું વચનામૃત ધ્યાનમાં લઈ શ્રદ્ઘાથી ખરું ખાસ માની, સત્સંગથી માન્ય કરી આ દેહ છોડે તો પછી ફિકર નથી. દુઃખ જાય છે, પણ જીવ જતો નથી. સમજણ લઈ સહન કરશે તો અનંતા ભવ નાશ થશે—સમ્યક્ત્વ આરાધી, જન્મમરણ નાશ કરી મુક્ત થશે. માટે શમભાવ, સમતા કર્તવ્ય છેજી. '' મૃત્યુનો ભય કર્તવ્ય નથી. સમય સમય જીવ મરી રહ્યો છેજી. એક સદ્ભાવની ભાવના કર્તવ્ય છેજી. ૫૨ભાવમાં જીવ જતો અટકાવી સમરણમાં રહો. પર ભૂલી જવું. ‘“આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.” દુઃખ, સુખ બન્ને બંધન છે. શ્રદ્ધા રાખો; પ્રતીત રાખો; સદ્ગુરુ, સચનને માન આપો. તેમ ભાવ રાખી કરશું તો ખચીત સુખને પામશુંજી. સત્ આત્મા, સદ્ગુરુની પ્રતીત કરવી-કરાવવી તેમાં કલ્યાણ છેજી. દુઃખ આવ્યે સહન કરવું. આત્મા દેહથી ભિન્ન છેજી. શમભાવ; સમતા; ધીરજ; ક્ષમા. ૧૦૦ શ્રીમદ્ પરમકૃપાળુ દેવાધિદેવ સદ્ગુરુ દેવ શ્રી રાજચંદ્ર પરમગુરુને ત્રિકાળ નમસ્કાર હો ! ત્રિકાળ શરણું હો ! જય ગુરુદેવ ! ગુરુદેવની જય વર્તે, જય વર્તો ! શાંતિઃ શાંતિઃ શાંતિઃ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સં. ૧૯૮૩ શુદ્ધ ચૈતન્યસ્વામી સહજાત્મસ્વરૂપ શ્રી ગુરુદેવ ! જય ગુરુદેવ ! જય નિર્ભય રહો; મૃત્યુ છે નહીં. કોઈ પણ પ્રકારે ચિત્તમાં ખેદ, હર્ષ-શોક નહીં લાવતાં, કોઈ જાતનો વિકલ્પ-સંકલ્પ નહીં લાવતાં, અંતઃકરણ-મનમાં હર્ષ ઉલ્લાસ લાવો. દુઃખને જાણ્યું, તે જવાનું છે ત્યાં શોક નહીં કરવો. મ્યાનથી તરવાર જુદી છે તેમ દેહથી આત્મા જુદો છે. દેહને લઈને વ્યાધિ-પીડા થાય છે; તે જવાને આવી છે. આત્મા છે તે સદ્ગુરુએ યથાતથ્ય જાણ્યો છે. જેવો તેમણે જાણ્યો છે તેવો મારે માન્ય છે; ભવોભવ તેની શ્રદ્ધા હો ! મેં તો અત્યારથી તેને માન્ય કરી, શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ સહિત કોઈ સંતસમાગમને જોગે જાણ્યો તે મારે માન્ય છેજી. હવે મારે કોઈ ડર રાખવાનો નથી. ઉદયકર્મે મનાય છે, ભોગવાય છે તે મારું નથી, મારું નથી. જે મેં મારું માન્યું છે તે સર્વ મારું નથી, તે સર્વ સદ્ગુરુને અર્પણ છે. મારું છે તે જ્ઞાન-દર્શન-ચારિત્ર, તે સદ્ગુરુએ જાણ્યું છે. તે આત્મા યથાતથ્ય, જેવો છે તેમ, જાણ્યો છે તે મારો; બાકી મારું છે જ નહીં. અત્રે સમાધિ છે; તમે સમાધિમાં રહો. સર્વ વસ્તુ સંકલ્પ-વિકલ્પમાં આવે તે તે મારી નથી. જેટલું દુઃખ દેખાય છે તે આત્મા જાણે છે. આત્માનું સુખ આત્મામાં છે. કિંચિત્ હર્ષશોક કરવા જેવું નથી. કોઈ વાટે ખોટ જાય તેવું નથી. કાંઈ અડચણ નથી. સુખ, સુખ અને સુખ છે. પાપ માત્રનો નાશ થવાનો છે; તેવો અવસર છે. રોગ હોય ત્યાં વધારે કર્મ ખપે. બધી વાતે સુખ છે. બેય હાથમાં 5 Page #163 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત લાડુ છે. મૃત્યુ તો છે જ નહીં. સમતા, ઘીરજ રાખી ક્ષત્રિયપણે વર્તવું. જેટલું આવવું હોય તેટલું આવે; તે બઘાનો નાશ થશે અને આત્માની જીત થશે–નક્કી માનજો. હિમ્મત હારશો નહીં. ક્ષણે ક્ષણે વૃત્તિ પલટાય છે. આત્મા મરતો નથી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૦૧ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ શ્રાવણ સુદ ૩, ૧૯૮૪ દ્રવ્ય દૃષ્ટિર્તિ વસ્તુ થિર, પર્યાય અથિર નિહારિ, ઉપજત-વિનશત દેખિકે, હરષ-વિષાદ નિવારિ.” (કાર્તિકેયાનુપ્રેક્ષા) “જીવ તું શીદ શોચના ઘરે, કૃષ્ણને કરવું હોય તે કરે.” બનનાર તે ફરનાર નથી અને ફરનાર તે બનનાર નથી.” “નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય; કાં એ ઔષઘ ન પીજિયે, જેથી ચિન્તા જાય ?” ધીરજ કર્તવ્ય છે. ઉદાર વૃત્તિનો માણસ સંપત્તિ હો કે વિપત્તિ હો પણ તે સમતાથી ચાલે છે. તે ફતેહથી હરખાઈ જતો નથી અને હાર ખાવાથી અફસોસ કરતો નથી; ભય આવી પડે તો તેનાથી ભાગતો નથી, અથવા ભય ન હોય તો તેને ખોળવા જતો નથી. બીજા તેને હરકત કરે તો તેને દરગુજર કરે છે. તે પોતા વિષે કે બીજાઓ વિષે વાતો કર્યા કરતો નથી, કેમકે પોતાનાં વખાણ કરવાની ને બીજાનો વાંક કાઢવાની તેને દરકાર નથી. તે નજીવી બાબતો વિષે બરાડા મારતો નથી અને કોઈ પાસેથી મદદ મેળવવા માટે તે આજીજી કરતો નથી. દરેક માણસે આફત અને અડચણોને માટે સદા તત્પર જ રહેવું ઘટે છે. નસીબમાં ગમે તે લખ્યું હોય–સુખ કે દુઃખ તેની સામા જોવાનો, થવાનો એક જ ઉપાય “સમતા ક્ષમા ઘીરજ' છે. કદી હિમ્મત હારવી નહીં. કોઈ પણ પ્રકારની આફતો આવી પડે કે ગમે તેવો અકસ્માત બનાવ બને તેથી કોઈ પણ મનુષ્ય પોતાનો અભ્યાસ છોડવો નહીં. અને જેટલું ઉચ્ચતમ અને વિસ્તીર્ણ જ્ઞાન તે સંપાદન કરે તે સઘળું પોતાના જ ઉપયોગમાં આવે છે.” કાળ વિકરાળ ! ભયંકર દુષમકાળ, ઘણા જીવાત્માઓના પુણ્યની હાનિ, દુરાચરણ, વિષયકષાય, માયામોહનાં પ્રબળ કારણ નિમિત્ત જોડીને આત્માનું અહિત કરી નાખે છે. કર્મ-ઉદયને આધીન જીવ બહોળાં કર્મ બાંધી દે છે. જીવને જરા પણ પોતાના આત્મા સંબંઘી દયા આવી નથી અને ઇન્દ્રજાળ જેવા આ સંસારમાં ગોથાં ખાય છે. તેમાંથી કોઈ ભાવિક આત્મા હશે તે ઘર્મનાં કારણ—સત્સંગ, સપુરુષનાં વચન–પર દ્રષ્ટિ રાખી પોતાનો પુરુષાર્થ સવળો કરશે, પ્રમાદ છોડીને જાગૃત થશે. ચેતવા જેવું છે; કાળનો ભરોસો નથી. આયુષ્ય ક્ષણભંગુર છે. યોગ્યતાની ખામીને લીધે કાંઈ લખી શકાતું નથી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #164 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ–૧ ૧૦૨ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ ભાદરવા સુદ ૭, ૧૯૮૪, શુક્ર; તા.૨૧-૯-૨૮ “જાણ્યું તો તેનું ખરું, (જે) મોહે નવિ લેપાય; સુખદુ:ખ આવ્યું જીવને, હરખશોક નહિ થાય. ઇસ ભવકો સબ દુઃખનકો, કારણ મિથ્યાભાવ; તિનકું સત્તા નાશ કરે, પ્રગટે મોક્ષ - ઉપાય. હોવાનું જે જરૂર તે, મહંતને પણ થાય; નીલકંઠને નગનપણું, સાપ સોયા હરિરાય. નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય, કાં એ ઔષઘ ન પીજિયે, જેથી ચિન્તા જાય ?” ઘીરજ ઘરવી કર્તવ્ય છે; પુરુષાર્થ કર્તવ્ય છે; જેમ બને તેમ પ્રમાદ છોડી ઘર્મઘારણા કર્તવ્ય છે; સત્ ઉપયોગમાં ઘણું રહેવું કર્તવ્ય છે. વ્યાવહારિક પ્રસંગમાં ગભરામણ કર્તવ્ય નથી. “મનચિંત્યું તે ઇમ હી જ રહે, હોણહાર સરખું ફલ લહે; ગુરુસાખે કીઘાં પચખાણ, તે નવિ લોપે જાતે પ્રાણ. વ્રત લોખે દુઃખ પામે જીવ, ઇસ ભાવનૅ રહે સદીવ.” “મોટું કષ્ટ ગરથ મેળતાં, મહા કષ્ટ વળી તે રાખતાં; લાભહાણિ બેઉમાં કષ્ટ, પરિગ્રહ ઇણ કારણે અનિષ્ટ.” ૧૦૩ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ ભાદ્રપદ વદ ૫, ૧૯૮૪ કળિકાળ છે. આયુષ્યનો ભરોસો નથી. દેહ ક્ષણભંગુર છે. બીજે ક્યાંય દૃષ્ટિ કરવા જેવું નથી. આપણે આપણું કરી રહ્યા જવા જેવું છે. અવસ્થા થઈ છે. જ્ઞાનીનું વચન તો એમ છે કે સર્વ સમયે ચેતવા જેવું છે, જાગ્રત થવા જેવું છે. “ભૂલ્યો ત્યાંથી ફેર ગણ, સમજ્યો ત્યાંથી સવાર.” હે પ્રભુ ! ઉદયાથીન વૃત્તિ ચલિત થઈ જાય છે; પણ હરીફરીને શાની સામા જોવું ? જે જ્ઞાનીની આજ્ઞા છે તે દ્રષ્ટિએ રહેવું. આ કાળમાં આત્માની ઓળખાણવાળા, આત્માના ભાવવાળા જીવાત્મા થોડા, વિરલા છે. લખ્યું જાય તેમ નથી. “સી સીકે મનમેં સૌ મગન હૈ.” સૌનું ભલું થાઓ ! Page #165 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત ૧૦૪ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ સં. ૧૯૮૪ આ સંસારમાં એક ઘર્મ સાર છે. મનુષ્યભવ મેળવવો દુર્લભ છે. જન્મ, જરા, મૃત્યુ, રોગ, વ્યાધિ, દુઃખ આકુળ-વ્યાકુળતાએ આખો લોક ત્રિવિઘ તાપથી બળ્યા કરે છે તે વિચારો, અને અજ્ઞાનથી સર્વિવેક પામવો દુર્લભ છે એમ જુઓ. માટે આ જીવે જેમ બને તેમ આખા દિવસમાં કલાક અડઘો કલાક રાત્રે કે દિવસમાં એકાંતમાં બેસી ભક્તિભાવના, વાંચવું-વિચારવું કર્તવ્ય છે. ક્ષણ ક્ષણ, સમયે સમયે જીવ મરી રહ્યો છે તેમાંથી જેમ બને તેમ આત્મહિત, કલ્યાણ થાય તેમ આ સંસારમાં કરી લેવું તે આત્માર્થ અને કલ્યાણનો રસ્તો છે. સંસારમાં સ્વાર્થમાં પૂર્વના ઉદયે જે કાળ વ્યતીત થાય છે તેમાંથી પુરુષાર્થ ભણી વૃત્તિ દોરવી, જોડવી. પરમાર્થ જે બને તે કર્તવ્ય છે. ૧૦૫ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ માગશર સુદ ૩, શનિ, ૧૯૮૫ આખો લોક ત્રિવિધ તાપથી બળ્યા કરે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુસાર ફરસના જીવાત્માને સર્જિત હોય છે તેમ બને છે. કોઈનું ઘાટું થતું નથી. ભાવિક સમદ્રષ્ટિ જીવાત્માને ક્ષેત્રફરસનાએ, અવસર અનુકૂળતાએ ચિત્તસમાધિ આત્મહિત કર્તવ્ય છે. જાગૃત રહી, પુરુષાર્થ કર્તવ્ય છેજ. કોઈ વાતે ગભરાવા જેવું નથી. જેમ ચિત્તપ્રસન્નતા રહે તેમ કર્તવ્ય છેજી. શાતા-અશાતા જીવાત્માને જે ક્ષેત્રફરસના થવી સર્જિત છે તેમ બને છેજ. એમાં કોઈનું ધાર્યું થતું નથી એમ જાણી સમાધિ શાંતિમાં રહેવું એ જ યોગ્ય સમજાય છેજી. ૧૦૬ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ ફાગણ વદ ૧૧, ૧૯૮૫ બપોરે આહાર લીઘા પછી કાંઈ ગમતું નથી એટલે વનમાં ભાગી જવાનું બને છે. આંબાની છાંયે જઈ સૂતાં સૂતાં સાંભળ સાંભળ કરવાનું રાખ્યું છે. ગમે તેમ કાળ એના એ લક્ષમાં ગાળવો અને થાય તેટલો પુરુષાર્થ કરવાનું ન ચૂકવું એમ ઘારી શુભ નિમિત્તની ભાવના રાખી પ્રવર્તવું બને છેજી. વનમાં જઈએ છીએ ત્યાં પણ બીજા ભાઈઓ પાંચ-પચીસ આવી પહોંચે છે ! સપુરુષનાં વચન-સ્મરણ મીઠાં લાગે છે. બાકી બીજે ક્યાંય ચિત્ત ગોઠતું નથી. આખો દિવસ વંચાવ વંચાવ કરવું અને સાંભળ સાંભળ કરવું તથા રોગ, વ્યાધિ, જરાનાં નિમિત્તોમાં જતું ચિત્ત બીજે વાળવું એવી વૃત્તિ રહ્યા કરે છેજી. Page #166 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ–૧ ૬૯ ૧૦૭. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ જેઠ સુદ ૧૫, શનિ, ૧૯૮૫ ગુરુને નામે જીવ ઠગાયો છે. જેના પર પ્રેમ ઢોળવો છે ત્યાં ઢોળાતો નથી અને સત્સંગમાં સમાગમમાં જ્યાં દ્રષ્ટિ પડી ત્યાં પ્રેમ ઢોળી નાખે છે. તેથી અશાતના લાગે છે અને જીવ ગાંડા-ઘેલા પણ થઈ જાય છે. અને મોહનીય કર્મ ઊભું રહે છે તેને લઈને જ્ઞાનાવરણીય કર્મ આવરણ કરે છે. મોહનીય કર્મ જીવને ભાન થવા દેતું નથી. માત્ર દ્રષ્ટિકી ભૂલ હૈ.” જેનાં પૂર્ણ ભાગ્ય હશે તેની દ્રષ્ટિ આ દુષમ કાળમાં ફરશે, બાકી તો જીવ મોહનીય કર્મને લઈ ભૂલથાપ ખાય છે; જેમ કે બાપને, માને, ભાઈને, કુટુંબને, દેહને મારાં માને છે. એમ કહે છે કે મારાં નથી, પણ મોહનીય કર્મની ઘેલછાને લઈને જીવ મુઝાય છે. તે સર્વથી હું ભિન્ન છું; મારું સ્વરૂપ જ્ઞાન-દર્શનચારિત્ર છે. તેને જાણવું, દેખવું, સ્થિરપણું થાય છે, તેવું કોઈ સત્સંગથી સાંભળવા છતાં સપુરુષની આજ્ઞાએ આ જીવ વર્તતો નથી તો તેની શી વલે થશે ? - જીવને દુઃખ આવે છે, મરણ થાય છે તે વખતે ગભરાય છે, મુઝાય છે; વળી કોઈને ઘેલછા થઈ જાય છે, અકળાય છે. તેનો દ્રષ્ટા આત્મા છે. તે વિચાર છૂટી જઈ ગભરાઈ મુઝાઈ આર્તધ્યાન કરી જીવ ખોટી ગતિમાં જાય છે. માટે જ્ઞાની પુરુષના વચનામૃતમાં, પત્રોમાં જે જે ભલામણ છે તે વાંચવી-વિચારવી કર્તવ્ય છેજી. સહનશીલતા, ક્ષમા, ધીરજ કર્તવ્ય છે). ગભરાવાની જરૂર નથી. કર્મ કોઈને છોડે એમ નથી. “ઉતાવળ તેટલી કચાશ, કચાશ તેટલી ખટાશ.” સમતા, દયાની ભાવનાએ કરી આત્મભાવનામાં ભાવ લાવી કાળ વ્યતીત કરવો. જીવને વીલો મૂકવો નહીં. થોડી વાર વાંચવું, થોડી વાર વિચાર કરવો, થોડી વાર સત્સંગ-સમાગમ કરવો, થોડી વાર વેપાર વગેરેમાં જોડવો. એમ કરી કાળ ગાળવો. હિમ્મત રાખવી. આત્મા અનંત સત્તાનો ઘણી છે. તે આ સંસારની માયામાં, સંસારની મોહની જાળમાં ગૂંચાઈ ગભરાય છે. ઉપયોગ ઘર્મ છે; પરિણામે બંઘ છે. માઠાં પરિણામ થાય ત્યાંથી સારાં પરિણામ, સારા ભાવમાં આવી જવું, પ્રમાદ ન કરવો. માયા છેતરે છે; ઘડી પછી હમણાં વૃત્તિ ફેરવીશ, એમ વિચારે ત્યાં સુધીમાં તો જીવ મઘના ટીપા જેવી વિષયભોગની ઇચ્છાઓ-તૃષ્ણાઓમાં તણાઈ જાય છે. ત્યાં તેને ટકવા ન દેવો. જો ટકવા દીઘો તો દાવાનલ અગ્નિથી પણ અનંતગણું દુઃખ ઉપાર્જે તેવી અરતિથી મુઝાઈ, જીવ પુણ્યની હાનિ કરી, પાપનાં દળિયાં સંચી ખોટી ગતિએ જાય છે. માટે પુરુષાર્થ, ગુરુ આજ્ઞાએ જે કહ્યો છે તે, કરો. શાતાઅશાતા કર્મ જેવું બાંધ્યું તેવું જીવ ભોગવે છે. જ્યાં જાય ત્યાં લાડવો દાટ્યો નથી. જે સુખ-દુઃખ આવે તે સમભાવથી ભોગવી લેવું; એ ચૂકવું નહીં. એક વિશ્વાસ રાખવો. આત્મા અનંત સુખનો ઘણી છે, અને બહારના સુખની ઇચ્છા રાખી તે ભિખારી થઈ ગયો છે. ઘાર્યું થતું નથી. માટે સમભાવ રાખવો. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #167 -------------------------------------------------------------------------- ________________ ७० ઉપદેશામૃત ૧૦૮ વિનય, પ્રેમ, ભક્તિ, મૈત્રીભાવ આદિ ભાવનાઓ કહેતાં જીવને અહંકારે સ્વચ્છંદ નહીં રોકાયાથી મોટી ભૂલ થાય છે. પોતાની મતિકલ્પનાએ કોઈ શાસ્ત્ર-ગ્રંથાદિક વાંચી અથવા કોઈ સમાગમથી વચન સાંભળી જીવ કથની કરવાનો, ઉપદેશ દેવાનો કામી થઈ પડે છે. તે ભૂલ છે. કોઈ પુણ્યના યોગે સત્પુરુષનાં વચનામૃત સાંભળી તેમાંથી લઈ શાખો આપતો, અથવા પોતાની મતિમાં આવે તેમ સૌને રૂડું દેખાડવા, ભલું દેખાડવા સૂક્ષ્મ માન અહંકારથી ‘હું સમજું છું' એમ બફમમાં પ્રતિબંધ કરતો, ‘નહિ દે તું ઉપદેશકું' એવાં સત્પુરુષનાં વચનને ભૂલી જીવ ગફલત ખાય છે. પોતાના દોષ જોવામાં આવતા નથી. એવી વાતચીત થતાં જીવ બફમમાં રહી અનંતાનુબંધીને લઈ ઘણા વિકલ્પમાં પોતાની સમજે વર્તે છેજી. તે દેખી દયા ખાવા જેવું છે. સલાહસંપથી આત્માનું હિત થાય, રાગ દ્વેષ કષાય ઓછા થાય અને ક્લેશ મટી અહિંસા ભાવથી જેમ ભાવહિંસા ટળે તેમ મરજી હતી. પણ કાળની કઠણતા જોઈ, અમારું કંઈ ધાર્યું થતું નથી. જગતની રચના ચિત્રવિચિત્ર છે. તેમાં દૃષ્ટિ નાખવા જેવું નથી. કોઈ કંઈ બોલે; કોઈ કંઈ બોલે ! એના સામે આપણે શું જોવું ? એ સામી દૃષ્ટિ મૂકવી નથી. આત્મકલ્યાણ, આત્મહિતાર્થ થાય તેમ કરીને ગુરુના શરણે રહી સર્વ પરભાવથી મુક્ત થવું. સર્વ મૂકવા જેવું છે. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ જેઠ વદ ૩, મંગલ, ૧૯૮૫ અહો ! આ કઠણ કાળમાં આ મનુષ્યભવમાં જે બને તે કરી લેવા જેવું છે. ‘વાની મારી કોયલ’ જેવું છે. કોઈ કોઈનો સંબંધ નથી. ‘એકલો આવ્યો, એકલો જશે.' એવું થઈ રહ્યું છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ⭑ * ૧૦૯ જીવને અનંત કાળથી પકડ તો હોય છે. પણ પૂર્ણ જેનાં ભાગ્ય હશે તેની દૃષ્ટિ ફરે. સન્માર્ગ સન્મુખ વૃષ્ટિ થવી મહા મહા દુર્લભ છે. ૧૧૦ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ ભાદરવા વદ ૨, ૧૯૮૫ “આખો લોક ત્રિવિધ તાપથી બળી રહ્યો છે.'' સહનશીલતા એ જ, “ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે.'' કોઈ રહેવાનું નથી. વૃત્તિને રોકવી. આત્મભાવનામાં, નિજભાવમાં પરિણામ સમયે સમયે લાવવાં; મનને પરભાવ-વિભાવમાં જતું જેમ બને તેમ રોકવું. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ અષાડ સુદ ૧૪, મંગલ, ૧૯૮૫ Page #168 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૧ ૭૧ આ જીવ નિમિત્તાધીન છે, માટે સાધક નિમિત્તો જોડવાનો પુરુષાર્થ કર્તવ્ય છે. પ્રમાદે કરી જીવ દુ:ખ ઊભું કરે છે. તે પ્રમાદ છોડવા સત્પુરુષોનાં વચનામૃત વિચારવાં. ક્ષણે ક્ષણે કાળ જાય છે, પાછો આવતો નથી. લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. કાળ ગટકાં ખાઈ રહ્યો છે. આ જીવ કયા કાળને ભજે છે ? એ વિચારવા જેવું છે. ‘‘ફિકરકા ફાકા ભર્યા તાકા નામ ફકીર.'' સત્સંગના અંતરાયમાં ઉદાસ નહીં થતાં, ઉદાસીનતા (સમભાવ) કર્તવ્ય છે. ગભરાવા જેવું નથી. માર્ગ બહુ સુલભ છે. પણ જીવને એક જ્યાં વૃત્તિ રાખવી, કરવી, જોડવી-પ્રેમ કરવો ઘટે તેમાં, અજ્ઞાનથી પ્રારબ્ધના ઉદયના આવરણને લઈને જીવ દિશામૂઢ થઈ ગયો છે. માટે જરા અવકાશ મેળવી સત્પુરુષનાં વચનામૃતમાં ઊંડા ધ્યાન-વિચારથી અંતરભાવમાં આવવું, અંતરભાવમાં વધારે રોકાવું. બાહ્યભાવનાં નિમિત્ત કારણથી વૃત્તિ ચલિત થઈ જાય છે. તેની જાગૃતિ રાખી, એક શુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્રમય આત્મા છે તેમાં પ્રેમ, ઉપયોગ લાવી આપ સ્વભાવમાં સદા મગન રહેવું. બીજું ભૂલી જવા જેવું છે. ‘ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. ’’ “સુખદુઃખ મનમાં ન આણિયે, ઘટ સાથે રે ઘડિયાં.’’ ‘‘જીવ, તું શીદ શોચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે.’’ મનુષ્યભવ દુર્લભ છે. “બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી.’’ દૃઢ નિશ્ચય રાખી જીવને જે કરવાનું છે તે એક દૃઢ શ્રદ્ધા. સત્સંગે, સમાગમે સાંભળી, જાણી એક તેનું જ આરાધન ક૨વામાં આવશે તો ઘણા ભવનું સાટું વળી રહેશે. આ જીવ બફમમાં ગફલતમાં તે જવા દેશે તો પછી પશ્ચાત્તાપ થશે, ખેદ થશે. કારણ વિના કાર્ય થાય તેમ નથી. માટે બને તો કોઈ પુસ્તક-પરમ કૃપાળુદેવનું વચનામૃત વાંચવાનું રાખશો. ⭑ ⭑ ૧૧૧ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ ભાદરવા વદ ૩, ૧૯૮૫ કાળ બહુ કઠણ છે. જેમ બને તેમ સત્પુરુષ, સદ્ગુરુની દૃષ્ટિએ, આજ્ઞાએ આરાધન કર્તવ્ય છે. વિશેષ લખવાનું કે આપને કે આપ સરખાને રંગરાગનાં પરિણામ વિચારી આત્માને બાહ્ય પરિણતિમાં જાય તેમ કર્તવ્ય નથી. જેમ વૈરાગ્ય-ઉપશમમાં પિરણિત જાય તેમ મુમુક્ષુ પ્રકરણ, અને વૈરાગ્ય પ્રકરણ, ‘યોગવાસિષ્ઠ'નો એક ભાગ વિચારવા જેવો છે. ‘પદ્મનંદીપંચવિંશતિ’ ગ્રંથ પણ વાંચવો-વિચા૨વો, અથવા વચનામૃત વિચારવાં. અર્થ વિચારતાં પોતાની કલ્પનાના આધારે ભાવ વહ્યા જવા દેવા તે ઝેર જેવું સમજવા જેવું છે. આ મોકલેલી 'ગરબીઓ પરમ કૃપાળુદેવની કરેલી છે. તેમાંથી કોઈ બહાર પાડી નથી, વિચાર છેજી. બાહ્ય દૃષ્ટિમાં જીવને તણાઈ જવાનો સંભવ જાણી કોઈને આપવામાં આવી નથી. ૧. સ્ત્રીનીતિ બોધક ગરબાવળી. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમનું પ્રકાશન. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ઉપદેશામૃત ૧૧૨ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ તા. ૧૨-૨૯ સં. ૧૯૮૬ દેવાધિદેવ પરમ કૃપાળુદેવે જે આત્મા યથાતથ્ય જોયો છે તે જ જોવાની ઇચ્છા, વૃત્તિ કર્તવ્ય છેજી. બીજે ક્યાંય પ્રેમ-પ્રીતિ કરવા જેવું છે નહીં. હે પ્રભુ ! આપને ઘન્યવાદ આપું છું કે આ કાળમાં આપને પરપદાર્થથી, પરભાવથી મુક્ત થવા ઇચ્છા છે; અને યથાતથ્ય સન્મુખ દ્રષ્ટિ છે. તેથી નમસ્કાર છે. આ દીન દાસ “લઘુ ને પણ એ યથાતથ્ય સ્વરૂપની ભાવના ભવપર્યત અખંડ વર્તો ! તેમજ સર્વને એ સિવાય બીજું કાંઈ કહેવાનું છે નહીં. તે ગુરુકૃપાથી સફળ થાઓ ! ૧૧૩ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ કારતક સુદ ૫, જ્ઞાનપંચમી, ૧૯૮૬ જીવ અનાદિકાળથી પોતાને સ્વચ્છેદે, પોતાની કલ્પનાએ ઘર્મ આરાઘવાનું ઇચ્છે છે તે એ કે મને સત્સંગ નથી; આ કરતાં હું સત્સંગમાં હોત તો મને બહુ લાભ થાત, એવી કલ્પનાઓ ઘણા જીવાત્માઓને થઈ આવે છે. એ જ મોહનીયકર્મના સંકલ્પ-વિકલ્પ જીવ જાણે કે “હું પોતાની દયા ચિંતવું છું; પણ તે દયા નથી. પોતાની દયા તો પુરુષ દેવાધિદેવ સદ્ગુરુએ કહેલી આજ્ઞા ઘીરજથી સમતાથી પોતાના વિકલ્પો બંઘ કરી તે આવતા વિકલ્પો ભૂલી જઈ આરાઘવી તે છે. તે આજ્ઞા પ્રમાણે ઘીરજથી પુરુષાર્થ કરવામાં ભાવ પરિણામ લાવવાં. પોતાની કલ્પના એ કે મને સત્સંગ હોય તો આરાઘના બહુ થાય એમ ઘારી પોતાના ઉદય પ્રારબ્ધને ઘક્કો દઈ પોતાની મરજીએસ્વચ્છેદે ઘણા જીવાત્મા વર્તે છે. તે જીવની ભૂલ છે. વિરહાદિ, વેદનીયાદિના ઉદયમાં જીવ ગભરાય છે. પણ પોતે કલ્પનાએ કલ્યાણ માની તેમ પ્રવર્તતા જીવને વિચારવું ઘટે છે. “જીવ, તું શીદ શોચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે.” તેવી સમજ રાખી જે સમતાભાવ ઘારણ કરવો જોઈએ તે જીવ કરતો નથી. જે જે ક્ષેત્ર ફરસના ઉદયમાં હોય તે પ્રમાણે સમતાએ કાળ વ્યતીત કરી તેવા કાળમાં ભાવના ઊંચી-સત્સંગની રાખવી; પણ તોડીફોડી નાખી ઉદયને ઘક્કો દઈ ઉતાવળ કરવા જેવું નથી. જેટલી ઉતાવળ તેટલી સાંસત, એમ જાણી સમતા, ક્ષમા, સહનશીલતાએ, ચિત્તની પ્રસન્નતાએ વાંચવા-વિચારવાનું નિમિત્ત જોડી શાંતિ પરિણામે ભાવના ભાવવી. જીવે શું શું દુઃખ નથી વેક્યું? કર્મ ઉદય આવ્યે જીવને સર્વ વેઠવું પડ્યું છે. તેમાં આર્તધ્યાન થવા દેવા જેવું નથી. આ વાત ધ્યાનમાં રાખશો તો આત્માને હિતકારી, કલ્યાણકારી છે. મનને લઈને, કલ્પનાને લઈને આ બધું છે. ક્ષેત્રસ્પર્શના હોય તેમ કાળ વ્યતીત થાય છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૭૩. પત્રાવલિ–૧ ૧૧૪ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ કાર્તિક વદ ૬, શુક્ર, ૧૯૮૬ હે પ્રભુ ! હવે તો કોઈ પ્રકારની મમતા, મોહ, ઇચ્છા, સંકલ્પ-વિકલ્પ કરવાના ભાવ નથી. તેમ છતાં પૂર્વના કર્મોદયે સંકલ્પ-વિકલ્પ ચિત્તવૃત્તિમાં સ્ફરી આવે, ગભરામણ થાય, ગમે નહીં, વળી વૃદ્ધાવસ્થા થઈ ગઈ છે, અને તેના કારણે વેદનીય કર્મ આવે છે તે સમભાવે દેવાધિદેવ પરમ કૃપાળુ દેવના વચનથી, તેના બોઘથી, જેમ બને તેમ સમતા, ક્ષમા, ધીરજથી સહન કરવું સાંભરે છે. છતાં સત્સંગ વગર ગમતું નથી. જ્યારે જાગૃતિમાં ભાવના પરિણમે ત્યારે બીજું ભૂલી જવાય છે ત્યાં ઠીક લાગે છે; પણ તે તો બહુ વખત રહેતું નથી અને ઉપયોગ બીજામાં જતો રહે છે ત્યાં ગમતું નથી. બહાર દ્રષ્ટિમાં ચેન પડતું નથી અને કોઈ જીવાત્મા સાથે વાત કરવી પડે તે ગમતું નથી, થાકી જવાય છે. આમ થાય છે તેનું શું કરવું ? કોઈ આત્મહિતકારી વાત કરનાર હોય અને બેઠા બેઠા કે સૂતા સૂતા સાંભળીએ તો ઠીક લાગે. પણ આ કાળમાં તેવી તો જોગવાઈ જણાતી નથી. કૃપાળુદેવનું વચન છે કે આ કાળમાં સત્સંગની ખામી છે. કંઈ ગોઠતું નથી. - આત્માનો બોઘ સપુરુષે કહેલો જે આત્મા છે તેનો નાશ નથી એમ નક્કી છે. છતાં મોહ મૂંઝવે છે. આ મૂંઝવણ કેને કહેવી ? સદ્ગુરુનું વચન છે કે સાતમી નરકની વેદના વખતે સમ્મત કરત, પણ જગતની મોહિની સમ્મત થતી નથી. આમ છે. દુઃખ કેને કહેવું ? હે પ્રભુ ! કંઈ લખી શક્તો નથી. આ બધું મોહનીય કર્મનું ચરિત્ર છે. ૧૧૫ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ તા. ૨૯-૧૧-૨૯, કાર્તિક વદ, ૧૯૮૬ અશક્તિ તો એટલી છે કે કોઈ વસ્તુ લેતા મૂક્તાં પણ શ્વાસ ચઢી આવે છે. પ્રભુ ! કંઈ ચેન પડે નહીં. આમ છતાં, હે પ્રભુ! અંતર-જીવનમાં અમૃત શ્રી પરમકૃપાળુ ઇષ્ટ સદ્ગુરુદેવે રેડ્યું છે તેથી તથા પ્રકારે સર્વ પ્રસંગે, કાળે વેદન હોય છે, તે આપ પ્રભુ જાણો છો). પ્રભુ ! અંતરમાં શ્રી પરમકૃપાળુના બોઘે ઉદાસીનતા રહે છે. અને આ જે આપણું સ્વરૂપ નથી એવાં કર્મ ઉદયમાં આવ્યું ચેન પડતું નથી, પણ વેદની તો દેહાદિનો સ્વભાવ છે, પ્રભુ ! બાકી જે અંતર શ્રી પરમકૃપાળુદેવના બોઘે રંગાય તે શું અન્યથા થાય? ન જ થાય. એ તો તથા પ્રકારે તેનું વેદન ગમે તે કાળે પણ હોય જ, પ્રભુ! ૧૧૬ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ પોષ સુદ ૬, ૧૯૮૬ કાળનો ભરૂસો નથી. લીઘો કે લેશે થઈ રહ્યું છે. માટે સૌ સાથે મૈત્રીભાવે, કરુણાભાવે, પ્રમોદભાવે, મધ્યસ્થભાવે વર્તવું, એવી આજ્ઞા પરમકૃપાળુ દેવાધિદેવશ્રીની છેજી. Page #171 -------------------------------------------------------------------------- ________________ 9x ઉપદેશામૃત “જ્ઞાન ગરીબી ગુરુવચન, નરમ વચન નિર્દોષ; ઇનકું કભી ન છાંડિયે, શ્રદ્ધા શીલ સંતોષ.” હે પ્રભુ ! મળે તેની સાથે મળવું અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની ફરસનાએ જેમ કાળ નિર્ગમન થાય તેમ સંતોષ રાખીને વર્તવું એ ભાવ છે; શાથી કે ઘાર્યું થતું નથી. “જા વિધિ રાખે રામ, તા. વિધિ રહીએ.” ગુરુકૃપાએ જેમ બનવું હશે તેમ બની રહેશે. અમારે તો સૌનું ભલું થાઓ એમ ભાવના રહે છે. હે પ્રભુ ! તે આપ જાણો છો. કાળને ભરૂસો નથી. મનુષ્યભવ દુર્લભ છે. ગભરામણ-અકળામણ આવી જાય છે. કોઈ વૈરાગ્યની વાત કરનાર હોય ત્યારે ઠીક લાગે છે. પ્રભુ ! કાળ નિર્ગમન કરીએ છીએ. દેવાધિદેવ પરમકૃપાળુદેવનું શરણું એક આધાર છે. એ પ્રત્યક્ષ પુરુષનો બોધ થયેલ તે વચન સાંભળીએ ત્યારે શાંતિ આવી સારું લાગે છે. ૧૧૭ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ માહ વદ ૮, ગુરુ, ૧૯૮૬ મરણ છે જ નહીં. કલ્પનાથી, અહંભાવ મમત્વભાવથી, ભ્રાંતિથી ભૂલ્યો છે. તે ભૂલી સરુની આજ્ઞાએ સાવઘાન થશોજી. જે જાય છે તે ફરી ભોગવાતું નથી. દેહમાં જણાતું દુઃખ તેથી કાંઈ હાનિ નથી. તેથી આત્મા નિઃશંક ભિન્ન દ્રષ્ટા સાક્ષી છે). તે સદ્ગુરુએ જોયો છે. તે શ્રદ્ધ છું, માનું છું. ભવોભવ એ માન્યતા હો ! ૧૧૮ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ ફાગણ વદ ૮, ૧૯૮૬ આ શરીર સંબંઘમાં વૃદ્ધ અવસ્થાને લઈને દિવસે દિવસે કંઈ કંઈ રંગ બદલાય છે. જાણે કે હવે દેહ છૂટી જશે. પણ દેહનો સંબંઘ પૂર્ણ થતાં સુઘી–જ્યાં સુધી જરા અવસ્થારૂપી હેડમાં રહેવું થશે ત્યાં સુધી બાંધેલી વેદના ભોગવતાં કાળ જશે. પણ પરમ કૃપાળુ દેવાધિદેવના શરણથી તે સદ્ગુરુકૃપાએ તેમના શરણમાં, તેમની આજ્ઞામાં, તેમના બોઘમાં, તેની સ્મૃતિમાં કાળ જાય છે, ભાવ રહે છે તેથી સંતોષ માની કાળ નિર્ગમન કરું છું. ગભરામણ, મૂંઝવણ વૃદ્ધ અવસ્થાનાં બાંઘેલાં વેદનનું ગુરુપસાથે જેમ બને તેમ સમભાવે વેદવું થાય છે. ૧૧૯ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ વૈશાખ સુદ ૭, મંગળ, ૧૯૮૬ જીવ અનંતા કાળચક્રથી મિથ્યા અજ્ઞાનથી ભ્રમાઈ ભૂલથાપ ખાતો આવ્યો છે. હું કોણ છું? ક્યાંથી આવ્યો? તેનું ભાન નથી. તેમજ આત્માનું ભાન ભૂલી જીવ મોહનીય કર્મના ઉદયથી Page #172 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ–૧ ૭૫ વિષયકષાય અને રાગદ્વેષથી સુખદુઃખ માને છે તે બધું ખોટું છે, એમ જીવે જાણ્યું નથી અને બંઘનથી મુક્ત થયો નથી. અજ્ઞાનને લઈને અનંતકાળ ગયા છતાં હજી જીવે પોતાની કલ્પનાએ સુખદુખ માની, ઘર્મ-અધર્મ પોતાને સ્વચ્છેદે સમજી પરિભ્રમણનું કારણ સેવ્યું છે, સેવે છે અને સેવશે એમ તીર્થંકરાદિકે કહેલું છે. મનુષ્ય ભવ દુર્લભ છે; તેમાં વળી દુર્લભમાં દુર્લભ સમ્યત્વ પામવું દુર્લભ છે. પ્રથમ તો જીવે સદ્વર્તન-સદાચાર સેવવા અને જેમ બને તેમ રાગદ્વેષ ઓછા કરવા. તેનું કારણ સર્વ પ્રાણી પ્રત્યે વિનયી થવું તે છે. જીવે પોતાના દોષ અનંત છે તે જોયા નથી; અને પરના દોષ ભણી દ્રષ્ટિ જાય છે ત્યાં તે જ દોષ પોતામાં જ આવે છે એવું જીવે જાણ્યું નથી. જો દોષ મૂકીને ગુણ જુએ તો તેનામાં ગુણ આવે. તેમ નહીં થવાનું નિમિત્ત કારણ અસત્સંગ છે. જોકે જીવ સુખદુઃખ, શાતાઅશાતા પરવશે ભોગવતો આવ્યો છે, અને બાંધ્યાં તે ભોગવવાં તો પડે છે; પણ સમભાવે સહન થતું નથી–સત્સંગની ખામી છે. દેહની શાતાને માટે જીવ પોતાની કલ્પનાએ સુખ કરવા જાય છે તે દુઃખ થઈ પડે છે. જીવે શું દુઃખ સહન કર્યું નથી તે વિચારતાં નરકાદિ અનંતવાર ભોગવ્યાં જણાય છે. સંકલ્પ-વિકલ્પ, માઠાં પરિણામ–આર્તધ્યાન, રૌદ્રધ્યાન, રતિઅરતિ-આવી જવાથી પોતાની કઈ ગતિ થશે તે વિચારમાં જીવને આવતું નથી. કોઈ જીવ દુઃખ દે છે તે તો આપણો મિત્ર છે, કર્મબંઘનથી છોડાવે છે, પણ ત્યાં સહનશીલતા રહી શકતી નથી. પૂર્વનાં બાંધેલાં કર્મ અત્યારે સમભાવે, સમતાએ નહીં વેદે તો પાછાં વઘારે કર્મ બંઘાઈ તેનો ઉદય પણ આવશે તેવી બીક લાગતી નથી. કાં તો શુદ્ધ આચરણ, સદ્વર્તન, જપ-તપ-દાનાદિક ક્રિયારૂપ સારાં કર્મ જીવ પોતાની કલ્પનાથી કરે છે પણ તે બધું બંધનકારક થઈ પડે છે; પોતાનો સ્વછંદ રોકી કોઈ સત્સંગ-સમાગમને જોગે જે કંઈ દાનાદિ કરે તે આત્મહિતાર્થ છે. - નિજઈદે જીવ કર્યા કરે છે એ મોટી ભૂલ છે. લાભ-અલાભ વિષે જીવે વિચાર કર્યો નથી. પ્રાણી માત્ર સુખને ચાહે છે. પણ સુખ કેમ થાય તે જો સત્સંગે સમજીને કર્યું હોય તો હિત છે. આ તો જીવે એમ જાણ્યું છે જે “હું સમજું છું, હું કરું છું તે ઠીક છે અને કાંઈક સૂક્ષ્મ માન કષાયને લઈને ઘર્મને નામે કરે છે ને બફમમાં રહે છે. જીવે પરવશે તિર્યંચ આદિનાં ઘણાં દુઃખ ભોગવ્યાં છે. દેહની જતના, સુખને માટે જીવ અમૂલ્ય સત્સંગને હાનિ પહોંચાડી દેહની શાતાને માટે, શાતાશીલિયાપણાના કારણે દવાદિક પરિચય ઘણા કરે છે. પણ બાંધ્યાં એમાંથી કાંઈ ઘટતું નથી અને ભોગવ્યા વગર છૂટકો નથી. જો આટલો મનુષ્ય દેહ આત્માર્થે ગાળે, સત્સંગના જોગે આયુષ્ય જાય તો કેટલા બધા લાભનું કારણ છે, તે કાંઈ વિચારમાં આવ્યું જ નથી. કળિકાળ મહા વિષમ કાળ છે. તેમાં જે જે આત્માના હિતને માટે હોય તેની કાળજી ખાસ રાખવા જેવું છેજી. આપ સમજુ છો, જીવાત્મા રૂડા છો, પવિત્ર છો. જીવાત્મા કર્મને આધીન રહી, મનુષ્ય ભવ પામી, બાંધ્યાં કર્મથી છૂટવાનો વિચાર નહીં કરે તો પછી બીજા ભવ કેવા થશે તે વિચારી અત્રે જેમ બને તેમ સમતા, ક્ષમા, ઘીરજ, સહનશીલતા કર્તવ્ય છે. મારો સાક્ષાત્ આત્મા છે એમ જાણી, વિચારી ચિત્તને પ્રસન્નતા થાય એવા ઉદ્ગારો, અંતર ભાવ સારા કરવા; પણ બાહ્યના ઉપરના દેખાવરૂપ ભાવ કર્તવ્ય નથી. Page #173 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત હવે પતિ સાથે કેમ વર્તવું તે વિચારશો. પોતાના પતિને પરમેશ્વરબુદ્ધિએ વિચારવા. તેમનો વિનય, વૈયાવચ્ચ સાચવી તેમના ચિત્તને પ્રસન્નતા થાય તેવાં વચનથી સંતોષ કરવો અને તેમના ચિત્તમાં કાંઈ પણ ખેદ ન થાય તેમ કરવું. જો કાંઈ તેમને ખેદ હોય તો તેમાં બને તો ભાગ લેવો. તે મહા તપનું કારણ છે. આ જીવને ખેદનું કારણ મૂકવા જેવું છે. “પંખીના મેળા', “વન વનકી લકડી', કોઈ કોઈનું છે નહીં. તેમ અત્યારે જે કાંઈ બની આવે તે, પોતાને સમજવા જેવું છે તે, તો આત્માર્થ છે. તે સિવાય બીજું કર્તવ્ય નથી. વઘારે શું લખવું તે સૂઝતું નથી. વળી બાહ્યવૃષ્ટિ જે જે જુએ છે તે આત્મા નથી અને આત્માને તો ખાસ જાણવાની જરૂર છે. તેમાં જીવને ખામી શું છે? તે વિચારવા જેવું છે. તે એ છે કે બોઘની ખામી છે. શરીરની શાતાને ઇચ્છીને, પોતાની કલ્પનાને લઈને જીવ સત્સંગ મેળવી શક્યો નથી. આયુષ્યનો ભરોસો નથી. ક્ષણભંગુર દેહ છે. આખું શરીર રોગથી જ ભરેલ છે. ત્યાં શું કહેવું ? પુરુષાર્થ કર્તવ્ય છે. તેમાં વિઘ કરનાર પ્રમાદ, આળસ અને પોતાની કલ્પનાથી સત્સંગ કરવાનું બની આવ્યું નથી તે. આ મનુષ્યભવ પામીને તો એક સદ્ગુરુની ઓળખાણ કરી તેની આજ્ઞાની ભાવનાએ કાળ વ્યતીત કરવાની જરૂર છે. “બાપા, ઘો, ઝાણાતવો ' શ્રી તીર્થકરાદિકે જીવનો ઉદ્ધાર થવાને માટે “દાન, શીલ, તપ અને ભાવ' કહેલાં છે તે પોતાની કલ્પનાએ જે કાંઈ કરે છે તે બંધનરૂપ થઈ પડે છે. તેનું સ્વરૂપ સમજાયું નથી. જો તેનું સ્વરૂપ સમજાય તે જીવને સમ્યક્ત પામવાનો પોષ થાય છેજી. બાકી તો સૌ સાધન બંધન થયાં' છેજી. અહો ! જીવ, ચાહે પરમપદ, તો ઘીરજ ગુણ ઘાર; શત્રુ-મિત્ર અરુ તૃણ-મણિ, એકહિ દૃષ્ટિ નિહાર. ૧ વિતી તાહિ વિસાર દે, આગેકી શુઘ લે; જો બની આવે સહજમેં, તાહિમેં ચિત્ત દે. ૨ રાજા રાણા ચક્રધર, હથિયનકે અસવાર; મરના સબકો એક દિન, અપની અપની વાર. ૩ કહાં જાયે, કહાં ઊપને, કહાં લડાયે લાડ; ક્યા જાનું કિસ ખાડમેં, જાય પડેંગે હાડ! ૪ જૈનઘર્મ શુદ્ધ પાયકે, વરતું વિષય કષાય; એહ અચંબા હો રહ્યા, જલમેં લાગી લાય. ૫ સમકિતી રોગી ભલો, જાકે દેહ ન ચામ; વિના ભક્તિ ગુરુરાજકી, કંચન દેહ ન-કામ. ૬. જ્ઞાનીકું વિસ્મય નહીં, પરનિંદક સંસાર; તજે ન હસ્તી ચાલ નિજ, ભૂંકત શ્વાન હજાર. ૭ Page #174 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૧ ૧૨૦ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ સં. ૧૯૮૬ શાંતિ, સમતા, ક્ષમા, ધીરજ, સહનશીલતા તે સદ્ગુરુની આજ્ઞા છેજી. એ ભાવનાએ શુદ્ધ ભાવમાં વૃત્તિ, મન સ્થિર થાય તેમ કર્તવ્ય છેજી. બીજું બધું બાહ્ય ભૂલી જવા વિચાર કરવો. મંત્ર સહજાન્મસ્વરૂપ પરમગુરુ આત્મા છે તેને યાદ લાવી સ્મૃતિમાં જાગૃત રહેવું. આત્મા છે, દ્રષ્ટા છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. તે સદ્ગુરુ પરમકૃપાળુ દેવશ્રીએ જાણ્યો છે, જોયો છેજી. તે આત્માની સત્સંગથી શ્રદ્ધા થઈ છે તેને માનું બાકી પરભાવ, બાહ્ય આત્માથી મુક્ત થઈ અંતરાત્માથી પરમાત્માને ભજું છું, ભાવના કરું છું, તે ભવપર્યત અખંડ જાગૃત રહો ! જાગૃત રહો ! એટલું માગું તે સફળ થાઓ, સફળ થાઓ ! શાંતિઃ શાંતિઃ શાંતિઃ “દિલમાં કીજે દીવો મેરે પ્યારે, દિલમાં કીજે દીવો.” ૧૨૧ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે.અગાસ તા. ૭-૭-૩૦ જ્ઞાની પુરુષનાં વચનોમાં વૃષ્ટિ–અંતરદ્રષ્ટિ–નહીં મૂકતાં આ જીવે લૌકિકવૃષ્ટિએ સામાન્યપણું કરી નાખ્યું છે, તેથી આત્મભાવ સ્ફરતો નથી. સત્સંગ એ એક અમૂલ્ય લહાવ મનુષ્યભવમાં લેવા યોગ્ય છે. સત્સંગની જરૂર છે. તેથી કરીને મનુષ્ય ભવમાં સમ્યત્વનો અપૂર્વ લાભ થાય છે. અનંતકાળથી જીવે આ સંબંધી વિચારમાં લીધું નથી; અને “હું આમ કરું છું; આમ કરું” એમ જીવને અહંમમત્વપણું વર્તે છે. ગફલતમાં જશે તો પછી પુનઃ પુનઃ પશ્ચાત્તાપ થશે. ચેતવા જેવું છે. વઘારે શું કહેવું ? આપ ગુણી છો. અમે તો આ પત્રથી આપને સ્મૃતિ આપી છે. કાંઈ સ્વાર્થ માટે નહીં, પણ આત્માને માટે, નિસ્પૃહીપણે નિસ્વાર્થપણે આપને જણાવવું થયું છે. મનુષ્યભવ પામી કાળજી રાખવા જેવું છે. હજારો રૂપિયાવાળો રૂપિયા માટે સંસારમાં વ્યવસાય ઘંઘામાં જાય છે, આવે છે, તે પાણી વલોવવા જેવું છે. કાળનો ભરોસો નથી, “લીઘો કે લેશે” થઈ રહ્યું છે. આ જીવ કયા કાળને ભજે છે તે વિચારવા જેવું છે. તે ઘર્મમાં જાય છે કે બીજા ભવભ્રમણના નિમિત્ત કારણમાં જાય છે? તે જો સમજાય તો આ જીવ કંઈ વિચારમાં લે. બફમમાં ગાફલ રહેવા જેવું નથી. સંસારના વ્યવસાયના કામમાં પોતાનું ઘાર્યું થાય તેમ નથી માટે વિચારવાનને વિચારવા જેવું છે. ૧૨૨ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ તા. ૨૨-૮-૩૦ ભેદજ્ઞાનની જરૂર છે. પરંતુ પોતાની સમજણ, ક્ષયોપશમથી અગર ન્યાયનીતિ સત્ વિષયની ભાષા સાંભળી પોતાના અનુભવમાં પોતાથી માની લેવું થાય છે તેને શ્રી તીર્થકરાદિકે મિથ્યા માન્યતા Page #175 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ઉપદેશામૃત કહેલી છે અને તેને મૃષા કહ્યું છે, તે વિચારવા જેવું છે. જ્ઞાનીઓએ મહા જ્ઞાની પુરુષે અનુભવેલું તેને સત્ય કહ્યું છે. તે યથાતથ્ય છે. તે વિષે આત્માર્થીને ખાસ લક્ષમાં લેવા જેવું છે). આત્મસ્વરૂપના ગવેષી, ખપી જે આત્મા થઈ ગયા છે તેમણે આમ દર્શાવ્યું છે : “તાહરી ગતિ તું જાણે હો દેવ, સ્મરણ ભજન તે વાચક યશ કરે.” જોકે ઉપયોગ વગર આત્મા નથી; પણ જે જ્ઞાનીના ઉપયોગમાં કાંઈ ઓર જ સમજાયું છે, અનુભવાયું છે તે પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે રાગ, દ્વેષ, અજ્ઞાનથી રહિત એવો આત્મા દ્રષ્ટા ભિન્નપણે જોયો છે તે આત્માને નમસ્કાર છે. વળી કોઈ જીવાત્માએ યથાતથ્ય આત્મા અનુભવ્યો નથી; પણ તેને જ્ઞાનીના અનુભવેલાની માન્યતા-શ્રદ્ધા થતાં પણ સમ્યકત્વ કહેવાય છે. આ વાત કોઈ અંતરની માન્યતાના ભાવથી નિઃસ્પૃહીપણે કહેવી થાય છે. જો જ્ઞાની છે તેને અજ્ઞાની કહેવામાં આવે, શ્રદ્ધવામાં આવે, માનવામાં આવે તોપણ ભૂલભર્યું જોખમ છે. તો હવે મધ્યસ્થ રહી જે યથાતથ્ય છે તે માન્ય છે, એવા વિચારમાં ભાવ લાવે તો તે ભૂલભરી વાત કહેવાય? હવે કર્તવ્ય કેમ છે ? યથાવસરે સમાગમે-સત્સંગે આત્માર્થીએ વિચારવું જોઈએ એમ સમજાય છે. પોતાની કલ્પનાએ અને પોતાની માન્યતાઓ પ્રવર્તી જીવ અનાદિ કાળથી રખડ્યો છે. “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી હાથનોંઘ ૧ માં આંક ૩૭ મો વિચારવા ભલામણ છે. ગુરુગમની જરૂર છે. તેમાં બોથિપુરુષના બોઘની જરૂર અવશ્ય છે. “પાવે નહિ ગુરુગમ બિના, એહિ અનાદિ સ્થિત” એવું વચન જ્ઞાનીનું છે તે પણ વિચારવા યોગ્ય છેજી. ૧૨૩ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ તા.૨૬-૮-૩૦; સં. ૧૯૮૬ “વૃત્તિને રોકજો' એવું મોટા પુરુષોનું વચન સાંભળ્યું છે તે ચમત્કારી છે; આત્માને પરમ હિતકારી છે. ૧૨૪ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ તા.૮-૮-૩૦, શ્રાવણ સુદ ૪, સં. ૧૯૮૬ સશ્રદ્ધામાં પુરુષાર્થ કર્તવ્ય છે; તેને બદલે બફમમાં અને સમજાયું છે, જાણ્યું છે' એવી ભૂલમાં વહ્યો જાય છે. તે વિષેની ચિંતના કાળજી મેળવવા સત્સંગ વિશેષ વિશેષ કરી આરાઘવો. વિષયકષાયમાં ઇચ્છા, સંકલ્પાદિ દોરાય તે અસત્સંગ છે. તેથી કોઈ સતુ પુરુષના વચનામૃતના વિચારમાં જીવન જેટલું બને તેટલું ગાળવું કર્તવ્ય છે. જીવને કાળનો ભરોસો નથી. દુર્લભમાં દુર્લભ જોગવાઈ અત્રે સહજ મળી તેની ચિંતના આત્માની ભાવના–માં ઘણો વિચાર લેવા યોગ્ય છે. મનુષ્યભવ દુર્લભ છે. રોગ સહિત કાયા હોય તો પણ મનુષ્યભવ ક્યાં છે? બ્રહ્મચર્ય મોટું સાધન છે. અંતરની વૃત્તિઓ રોકવી તે બ્રહ્મચર્ય છેજી. સમયે સમયે જીવ મરી રહ્યો છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૧ ૭૯ ૧૨૫ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ ભાદરવા વદ ૧, મંગળ, ૧૯૮૬ હે પ્રભુ! સદ્ગુરુના શરણથી અન્ય કંઈ ઇચ્છા નથી અને રાખવી નથી. તેની કૃપાથી એની શીતળ છાયામાં સર્વ શાંતિ વર્તે છે જી. એનું જ યોગબળ સર્વ કરે છેજી. અમારાથી કંઈ બની શકે તેવું નથી. હે પ્રભુ આ આશ્રમની જે વ્યવસ્થા થઈ છે તે એની કૃપાથી એના યોગબળે બન્યું છે. મારી અલ્પમતિથી કંઈ ઘાર્યું થયું નથી. હે પ્રભુ! મને તો એમ લાગ્યું કે બધું પાંસરું દેખાવમાં આવ્યું. આગળ ઉપર કેમ થશે કે કેમ નહીં એ વૃદ્ધ અવસ્થાને લઈને મન પાછું જ વળતું ગયું છે. દિવસે દિવસે મૃત્યુ સાંભરવાથી “હે જીવ! આત્મામાં ભાવ રહે તો સારું' એમ થયા કરે છેજી. ૧૨૬ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ તા. ૨૯-૯-૩૦ ઘન, પૈસો, કુટુંબ પરિવાર વગેરે કાંઈ ઇચ્છવા યોગ્ય નથી. તથા મોટું વ્રત બ્રહ્મચર્ય છે તે હાથમાં આવી ગયું છે તેને વિષે કશા વિકલ્પ કર્યા વગર, કોઈ પ્રકારનો અહંકાર કર્યા વગર તે પાળવાથી મહા લાભનું કારણ ભગવંતે જણાવ્યું છે. શું થશે ? કઈ ગતિ થશે ? વગેરે સંબંઘી કાંઈ વિકલ્પ કરવા યોગ્ય નથી. વૃત્તિ રોકી સ્મરણમાં રહેવું એ તપ છે, એ જ ઘર્મ છે. સત્પરુષાર્થમાં રહેવું. મનને લઈને બધું છે. બાંધ્યાં તે જાય છે ત્યાં ગભરાવા જેવું છે જ નહીં. આવ્યાં તે જાય છે; તેમાં ક્ષમા-સહનશીલતાથી આનંદ અનુભવરૂપ આંખથી જુઓ. સપુરુષના બોઘે સવિચાર ધાર ઉઘાડી જ્ઞાનચક્ષુએ અંતર્યામી ભગવાનનાં દર્શન કરો. “સમયે પોયમ માં મg' સમય માત્રનો પ્રમાદ કર્તવ્ય નથી, તે વિચારથી સમજવાની જરૂર છે. “ કર વિચાર તો પામ” એ જ્ઞાનીનું વચન છે તે સત્ય છેજી. ૧૨૭ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ પોષ સુદ ૪, બુધ, ૧૯૮૭ “વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ; પુરંદરી ચાપ અનંગરંગ, શું રાચિયે ત્યાં ક્ષણનો પ્રસંગ ?” “ભોગ બુરે ભવરોગ બઢાવે વેરી હૈ જગ જીકે; બેરસ હોય વિપાક સમય અતિ, સેવત લાગે નીકે; વજ અગ્નિ વિષસેં વિષધરસેં હૈ અધિકે દુઃખદાયી; ઘર્મ-રત્નકે ચોર પ્રબલ અતિ દુર્ગતિ-પત્થ સહાયી. Page #177 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત મોહ ઉદય યહ જીવ અજ્ઞાની ભોગ ભલે કર જાને, જ્યોં કોઈ જન ખાય ઘતૂરા, સો સબ કંચન માને; જ્યાં જ્યાં ભોગસંયોગ મનોહર મનવાંછિત જન પાવે, તૃષ્ણા નાગિણી ત્યાં ત્યાં કે લહર લોભ વિષ આવે.” (પાર્શ્વપુરાણ) દેહથી આત્મા ભિન્ન છે, અરૂપી છે. “શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારાં નથી. શુદ્ધ ચેતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.” આટલો ભવ આત્માર્થે જો જીવ ગાળશે તો અનંત ભવનું સાટું વળી રહેશે. ઉપયોગ એ આત્મા છે. અને આત્મા એ જ્ઞાન-દર્શનચારિત્રમય ઘર્મસ્વરૂપ છે. ક્ષણે ક્ષણે વૃત્તિ પલટાય છે તે વૃત્તિને રોકવી; મન, ચિત્ત, વૃત્તિ પરભાવમાં જતી આત્મભાવમાં લાવવી. શુદ્ધ ભાવમાં પુરુષાર્થ કર્તવ્ય છે. પ્રમાદ વૈરી છે. શુભ રાગ અને શુભ યોગ (મન, વચન, કાયા) નાં પરિણામ રાખવાથી સ્વર્ગગતિ કે પુણ્ય થાય છે. અશુભ રાગ કે અશુભ જોગથી પાપ બંઘાય છે, અઘોગતિ થાય છે. એવા ખોટા ભાવ ન કરવા. વિલો ન મૂકવો. હું અસંગ છું. આટલો ભવ પૂર્વના ઉદયથી પુણ્યના જોગે જો વ્રતનિયમ જીવનપર્યંત પાળી સત્ શીલમાં ગળાશે તો જીવ નિકટભવી થઈ, સમ્યત્વ પામી અનંત સુખને પ્રાપ્ત થશે. માટે મનનો ભાવ આત્મામાં લાવવો. આવો જોગ ફરી ફરી મળવો દુર્લભ છે. ચેતવા જેવું છે. એક વાર પરમાત્માનું નામ માત્ર લેવાય તો કોટિ ભવનાં પાપનો નાશ થઈ જાય છે. તેથી ચેતીને સ્મરણ કરવા યોગ્ય છે. સમ્યક્ દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રરૂપ રત્નત્રયની આરાઘના ત્રણ લોકનું અઘિપતિપણું પ્રાપ્ત કરાવે છે, પરમાત્મપદ પ્રાપ્ત કરાવે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુસાર, પરદેશમાં પૂર્વના ઉદયકર્મથી જીવાત્માને અન્નજળ પાણીની ફરસના હોય છે. દૂર દેશ હોય તો પણ તે વિષેનો વિકલ્પ લાવી આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ખેદ કર્તવ્ય નથી. જો પોતાના ભાવ ચોખ્ખા રાખે તો દૂર છે તે પાસે છે. નહીં તો પાસે છે તે ય દૂર છે. “(૧) પ્રજ્ઞા (વિવેક) એ તત્ત્વજ્ઞાનનું લક્ષ્યબિન્દુ છે. (૨) નમ્રતા–એ દૈવી ગુણ છે. નમ્રતાનો પ્રભાવ ઓર છે, સર્વશક્તિમાન છે. (૩) શાંતિ–જેનામાં અખંડ શાંત વૃત્તિ નથી તેનામાં સત્યનો વાસ નથી. (૪) જે કોઈનું બગાડે નહીં તેને બીક કેવી હોય? (૫) દરેક ઘર્મનો ઉદ્દેશ નિર્મલ અંતઃકરણ રાખવું તે છે અને તેથી જ ઈશ્વરી જ્ઞાન પમાય છે. નાના બાળક જેવા નિર્દોષ હૃદયના થાઓ. (૬) આધ્યાત્મિક જીવન ગાળવાથી અઘમ વાસના વશ થઈ શકે છે. (૭) તિરસ્કાર, સ્વાર્થવૃત્તિ ને શોકને જરાયે આશરો આપશો નહીં. (૮) પૂર્ણ શ્રદ્ધા, જ્ઞાન, પૂર્ણ શાંતિ એ જ સ્વર્ગનું રાજ્ય છે. (૯) હે આત્મન્ ! તારું સનાતન અંતરનું સત્ત્વ ચાલુ કાળમાં જ બતાવ. Page #178 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૧ ८१ (૧૦) વૃઢ થાઓ. એક નેમ રાખો; તમારો નિશ્ચય હંમેશ સતેજ કરો. સઘળા સંદેહ, આવરણ અને આવરણકારણ દૂર કરો અને અપૂર્વ શ્રદ્ધાપૂર્વક વિવેકના ઉપદેશો અમલમાં મૂકો. (૧૧) લાખો ઈંટો વડે શહેર બંધાય છે, તેમ લાખો વિચારો વડે ચારિત્ર—મન બંધાય છે. દરેક જીવાત્મા પોતાની જાતનો ઘડનાર છે. (૧૨) જે જીવાત્મા પોતાના મનમાં પવિત્ર અને ઉમદા વિચારો ઠસાવે છે તેને જ ઉત્તમોત્તમ સુખ આવી મળે છે. (૧૩) જે મનુષ્ય પોતાની આસુરી વૃત્તિ સામે બેધડક ઊભો રહી શકતો નથી તે ત્યાગના ખાડાખૈયાવાળા શિખરો પર ચઢી શકશે નહીં. (૧૪) દૃષ્ટિ તેવી સૃષ્ટિ. (૧૫) ભલા થાઓ અને ભલું કરો, એ જ ઘર્મનો સાર છે. (૧૬) પરમપદ અને કૃપાનિધિ આજ્ઞાંકિત સેવકની રાહ જુએ છે.’’ ક્ષણે ક્ષણે મૃત્યુ સ્મૃતિમાં લાવવા જેવું છે. આ પત્રિકામાં લખેલ પોતાને ધ્યાનમાં રાખવા લાયક છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ✰ 6 ૧૨૮ પ્રારબ્ધ-અનુસાર જે બને તે સમભાવે જોયા કરવા જેવું છે. કાળ પંચમ—કળિ કાળ છે. તેની પ્રવૃત્તિમાં આગળ પડી ખોટી થવા જેવું નથી. હર્ષશોકના પ્રવાહમાં નહીં તણાતાં ઘીરજ, ક્ષમા, સહનશીલતા, શાંતિ, ખમી-ખૂંદવું એ ઉત્તમ ગુણોનો આશ્રય લઈને ધર્મધ્યાનની ભાવના નિરંતર કર્તવ્ય છે. મરણ સંભારીને રોજ પવિત્ર સદાચરણમાં પ્રવર્તવા પુરુષાર્થ કર્તવ્ય છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ⭑ ★ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ પોષ સુદ ૮, રવિ, ૧૯૮૭ ૧૨૯ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ પોષ વદ ૧૧, બુધ, મકરસંક્રાંતિ, ૧૯૮૭ તા. ૧૪-૧-૩૧ “સહજ મિલા સો દૂધ બરાબર, માગ લિયા સો પાની; ખેંચ લિયા સો રક્ત બરાબર, ગોરખ બોલ્યા વાણી. ૧ સુનો ભરત, ભાવિ પ્રબળ, વિલખત કહે રઘુનાથ; હર્ષ-શોક, હાનિ-વૃદ્ધિ, યશ-અપયશ વિધિહાથ.''૨ નથી ઘર્યો દેહ વિષય વધારવા; નથી ઘર્યો દેહ પરિગ્રહ ધારવા.'' Page #179 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત આત્મા એકલો જ છે; એકલો આવ્યો છે અને એકલો જવાનો છે. સમયે સમયે પર્યાય બદલાય છે, તેને જ્ઞાનીઓ ભવ કહે છે. તેમાં વિકલ્પ કરવાથી બંધ થાય છે. માટે પર્યાય તરફ દ્રષ્ટિ નહીં દેતાં ‘આત્મા જોવો’ એમ જ્ઞાનીનું વચન છેજી. પોતાની કલ્પનાએ માનવું કે આમ હોય તો ઠીક વગેરે વિકલ્પોથી ક્લેશિત થવું યોગ્ય નથી. પોતાની કલ્પનાથી કલ્યાણ થનાર નથી. ૮૨ “મનને લઈને બધું છે'; ત્યાં ગભરાવા જેવું છે જ નહીં. આવ્યાં તે જાય છે. તેમાં ક્ષમા, સહનશીલતા, આનંદ-અનુભવરૂપ આંખથી જુઓ. સત્પુરુષના બોધે સદ્વિચાર દ્વાર ઉઘાડી જ્ઞાનચક્ષુએ અંતર્યામી ભગવાનનાં દર્શન કરો. ‘સમય ગોયમ ના પમાડ્'—સમય માત્રનો પ્રમાદ કર્તવ્ય નથી. તે વિચારથી સમજવાની જરૂર છેજી. ‘કર વિચાર તો પામ' એ જ્ઞાનીનું વચન છે તે સત્ય છેજી. આપ તો સમજુ છો. જે બધું મૂકવાનું છે તે બધું ભૂલી જવા યોગ્ય છે; અને જે સ્મરણ કરવા યોગ્ય છે, તેનું વિસ્મરણ થાય છે તેટલી ખામી છેજી. “ઉત્તમા સ્વાત્મચિંતા સ્વાત્, મધ્યમા મોવિંતના । अधमा कामचिंता स्यात् परचिंताऽधमाधमा ॥ "1 “સુજ્ઞેષુ િવહુના ?’ ‘ચતુરની બે ઘડી અને મૂરખનો જન્મારો' એ કહેવત પ્રમાણે ટૂંકામાં ચેતી જવા જેવું છેજી. શાંતિ-સમાધિમાં સમભાવે વખત વિતાવવા વિનંતિ છેજી. સ્વ૰ રવજીભાઈ હવે ક્યાં છે ? ૫૨વશે જીવે ઘણું વેઠ્યું છે. પણ સમજણપૂર્વક સમભાવથી વિયોગ સહન થાય તો તે પણ પરમ કલ્યાણનું કારણ છે. વીતી તાહિ વિસાર દે, આગેકી શુદ્ઘ લે, જો બની આવે સહજમેં, તાહિમેં ચિત્ત દે. ગઈ વસ્તુ શોચે નહીં, આગમ વાંછા નાંહી, વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગમાંહી.’’ ૧૩૦ ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ તા. ૨૫-૨-૩૧ જો બાહરી હૈ વસ્તુઓંવે હૈં નહીં મેરી કહીં, ઉસ ભાઁતિ હો સકતા કહીં, ઉનકા કભી મૈં ભી નહીં. યોં સમઝ બાહ્યાડંબરોકો છોડ નિશ્ચિત રૂપસેં, હે ભદ્ર, હો જા સ્વસ્થ તૂ, બચ જાયગા ભવકૂપસે.' દાસભાવની ભક્તિએ દીન સદ્ગુરુબાળની અરજ એ છે કે ગુરુભાવ વેદાતો નથી અને દીન દાસભાવે ભક્તિપૂર્વક તેની આજ્ઞાએ વર્તવાની ઇચ્છા, ભાવ રહ્યા કરે છે. તે આજ્ઞા ઉઠાવાતી નથી Page #180 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૧ ૮૩ તેનો ખેદ છે, ત્યાં સુધી ગુરુભાવ અંતરથી માનવાની ઇચ્છા નથી. જ્યાં સુધી તે દશાને પામવાની ઇચ્છા વર્તે છે ત્યાં સુધી તેને, તે નહીં-ચોગ્યતાને યોગ્યતા કેમ કહી શકાય? માટે જેમ યથાતથ્ય છે તેમ જ્ઞાનીએ જાણ્યું છે. તે દશા દેવાધિદેવ પરમ કૃપાળુદેવની છે, તે નિઃશંક છે. તેને ભજું છું. તેના ગુણગ્રામ માટે તથા બીજા મુમુક્ષુ આત્માર્થી ભાવિક જીવે ભક્તિભાવે કરવા યોગ્ય છે તથા નમસ્કાર કરવા યોગ્ય છે. અને પોતાની કલ્પનાએ છાશને દૂઘ કહેવું તે પોતાનો સ્વચ્છેદ ગણાય. તે સદ્ગુરુની ભક્તિમાં સાચું સર્વ આવી જાય છે. સાચી સજીવનમૂર્તિરૂપ અગ્નિથી સર્વ પાપ નાશ પામે છે. તે સત્ પગલામાં સૌ આવી જ જાય છે. “સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સગુજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય.” –શ્રી આત્મસિદ્ધિ ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૩૧ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ તા. ૩૦-૩-૩૧; ચૈત્ર સુદ ૧૧, સોમ, ૧૯૮૭ “જ્ઞાન વિના ક્રિયા અવગાહે, ક્રિયા વિના મોક્ષપદ ચાહે; મોક્ષ વિના કહે અમ સુખિયા, સો જાનો મૂઢનમેં મુખિયા.” “વીતરાગ-શાસન વિષે, વીતરાગતા હોય; જહાં કષાયકી પોષણા, કષાય-શાસન સોય.” “તનઘર સુખિયા કોઈ ન દેખિયા; જે દેખિયા તે દુખિયા રે !” “કાયાની વિસારી માયા, સ્વરૂપે શમાયા એવા નિર્ઝન્થનો પંથ, ભવ-અંતનો ઉપાય છે.” લગભગ સોએક માણસ આંબેલ (આયંબિલ) તપમાં પ્રવર્તે છેજી, તે સહજ જાણવા લખ્યું છે જી. તપોઘન મહાપુરુષોને પ્રતાપે આશ્રમ પણ તપોવન બની રહ્યું છે. સત્સંગનો અચળ પ્રતાપ સકળ જગતનું કલ્યાણ કરે. “પુદ્ગલ-ખલ સંગી પરે, સેવે અવસર દેખ; તનુશક્તિ જેમ લાકડી, જ્ઞાનભેદ પદ લેખ.” ૧૩૨ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ ચૈત્ર વદ ૦)), શુક્ર, ૧૯૮૭ વિજ્ઞપ્તિ કે આપને સમાધિ-શાંતિ-ભાવના વિચારે વર્તવું કર્તવ્ય છે. જીવને વિલો મેલ્યા જેવું નથી. જરા વીલો મેલ્યો હોય તો સત્યાનાશ ખોદી નાખે એમ છે. તેનો ભરોસો વિશ્વાસ રાખવા જેવું Page #181 -------------------------------------------------------------------------- ________________ ८४ ઉપદેશામૃત નથી, એમ વિચારી જાગૃતિ, સ્મૃતિ, ફુરણાથી આત્માને પોષણ આપવું કર્તવ્ય છે. વૃત્તિ, મનને વિભાવ-પરભાવમાં જતાં રોકી, આત્મભાવમાં લેશો, આત્માની વિચારણામાં રહેશો. કોઈ ઉદયકાળે વ્યવસાયે કામપ્રસંગે પરભાવમાં વૃત્તિ જાય છે તેને થોડામાં પતાવી જેમ બને તેમ પોતાને સદ્વર્તનમાં આવવું અથવા બીજાને ઘર્મની વાત કરવાનું રાખવું. પરવાતના વ્યવસાયમાં કોઈ ચડી જાય તેથી મરડી તે સધ્યવસાયમાં ના આવે તો આપણે મનથી સદ્વર્તન સ્મરણમાં વર્તવું, પણ તેમાં તણાઈ ન જવું. ઘીરજથી કાળ પરિપક્વ થાય છે. જેની દ્રષ્ટિ સન્મુખ છે તેનું સારું જ થશે. જેની યોગ્યતા છે, સન્મુખ દ્રષ્ટિ છે, તેને જરૂર મળી આવશે એ નિઃશંક માનજો. આપ ગુણી છો. ઘીરજથી એ જ સન્ધર્મની ભાવના સિવાય બીજું કાંઈ નહીં ઇચ્છવું. એવું ધ્યાનમાં સમજમાં રાખશો. ગુરુકૃપાએ સર્વ સારું થશે. કોઈ વાતે ગભરાવા જેવું છે નહીં. ૧૩૩ શ્રી અંઘેરી, તા. ૧૯-૫-૩૧ જેઠ સુદ ૧, મંગળ, ૧૯૮૭ વિચારવંત ભાવિક આત્માએ જ્ઞાની સદ્ગુરુ સપુરુષનાં વચનામૃત બોઘ સ્મૃતિમાં લાવી જેથી આત્મહિત થાય અને કર્મની નિર્જરા થવાનું નિમિત્ત થાય તેમ જાગૃતિપૂર્વક સ્વવિચારમાં ભાવ, પરિણામ, ઘીરજ, સમતા ઘારણ કરવાં. સહનશીલતા કર્તવ્ય છે. તો એ પૂર્વના કર્મથી મુક્ત થવાનો લાભ થઈ બીજો બંધ થતો નથી. આ વાત વિચારી, પોતાની મતિ-કલ્પના અને સ્વચ્છંદ રોકી એક સપુરુષ શ્રી સદ્ગુરુદેવનો સત્સંગમાં બોઘ થયેલો તે બોઘની કોઈ મહાપુણ્યના જોગે કોઈ સંતસમાગમે પ્રતીતિ, રુચિ, આસ્થા એટલે શ્રદ્ધા થાય તો આ મનુષ્યભવ પામ્યાનું સફળપણું છે. તે સંગનું ફળ કદી થયા વિના રહેવાનું નથી. એ અવશ્ય જાણવું, નિઃશંક માનવું. તે પ્રતીતિ રાખી વર્તશો તો આપને આત્મહિતનું મોટું પૂર્વ નહીં થયેલું એવું કલ્યાણકારી કારણ થશે, અને વેદની વેદનીને કાળે ક્ષય થશે. કાંઈ ગભરાવા જેવું નથી. ભગવંતે મનુષ્યભવ દુર્લભ કહ્યો છે. તેમાં એક સમ્યક બોઘબીજ પામવાનો અપૂર્વ એવો ખાસ અવસર–આર્યદેશ, મનુષ્યપણું, સત્સંગ અને ખરા બોઘની જોગવાઈ મળવી–દુર્લભ છે. માટે ચેતવા જેવું છે. આ ભવમાં ખાસ કાળજી રાખવા અને શ્રદ્ધા કરવા જેવું છે. તે વિના અનંતવાર જન્મ, મરણાદિ દુઃખોનાં કારણો આ જીવે સહન કર્યા છે. આખો લોક ત્રિવિધ તાપે બળ્યા કરે છે, એમ વિચારવું ઘટે છે. તે સ્વપ્નવત્ છે, નાશવંત છે. કોઈ કોઈનું દુઃખ લેવા સમર્થ નથી. મહાપુણ્યને જોગે મળેલી યથાતથ્ય ઘર્મ પામવાની સામગ્રી તે બફમમાં ન જાય તે માટે ભાવિક આત્માર્થી આત્માના વિચારમાં હોય છે. મંત્ર-સ્મરણ, ભક્તિ, વાંચવા-વિચારવાનો પ્રસંગ બનાવવો યોગ્ય છે. નિમિત્તે કરીને સારું થાય છે અને નિમિત્તે કરીને ખોટું થાય છે. માટે સારું નિમિત્ત ભક્તિભાવનું રાખવું યોગ્ય છેજી. ચિત્ત, મન, ચપળ પ્રકૃતિની વૃત્તિને રોકવી યોગ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #182 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ – ૧ ૮૫ ૧૩૪ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ તા. ૧૮-૬-૩૧, અષાડ સુદ ૨, ગુરુ, ૧૯૮૭ દુષમકાળ છે. તેમાં ઘણા જીવનું કલ્યાણ થશે—એક શ્રદ્ધાએ; જે કંઈ કર્તવ્ય છે તે સપુરુષની દ્રષ્ટિએ કરવા યોગ્ય છે. શ્રદ્ધા-કુશળતા થાય તેવું, ગુરુ કૃપાળુના યોગબળથી શાસન અત્રે વર્તશે. કાળ બહુ ફીટણ આવ્યો છે. પણ આત્માર્થીને વૈરાગ્યનું નિમિત્ત બની જાય તેવું સનાતન જૈન શાસન જયવંતું, શાશ્વતું છે. તેથી પાંચમા આરાના છેડા સુધીમાં ઘણા જીવનું કલ્યાણ થાય તેવું છે, હિત થાય તેવું છે. શું લખું? કહ્યું જાય તેમ નથી. એક આ જીવને જેમ બને તેમ શ્રદ્ધાના બળનું બહુ પોષણ કરવા જેવો અવસર આવ્યો છે. કરવું, કરાવવું અને અનુમોદવું કર્તવ્ય છે. સમયે યમ ના પHIT' તે કોઈ ચમત્કાર છે, સાન છે. એ અદ્ભુત છે ! તેમાં મુખ્યમાં મુખ્ય શ્રદ્ધા છે. તેનો લાભ ઘણા સત્સંગ અને સમાગમે બોઘના નિમિત્તે કારણે થાય, તેવું સમજાય છે. આપ તો ડાહ્યા છો. આપને શું લખું? માટે જેમ બને તેમ ચેતાય તેમ કર્તવ્ય છે. આયુષ્યનો ભરોસો નથી. લીઘો કે લેશે થઈ રહ્યું છે. કાળ ગટકા ખાઈ રહ્યો છે. તો આ જીવ કયા કાળને ભજે છે તે વિચારવા જેવું છેજી. રહસ્ય શબ્દ કોઈ ગૂઢ, ઊંડો છે ખરો ! આપ વિચારશો. એક સમ્યકત્વ આ કાળમાં યોગ્યતાએ ઘણા જીવોને પ્રાપ્ત થાય તેવું તો બને તેમ . અને એ અવસર ફરી ફરી મળવો દુર્લભ છેજ. જો આટલા ભવમાં એના જ વિષે મન, વચન, કાયાથી ભાવ પરિણામ પ્રબળ થશે તો આત્મહિતકારી છે, કલ્યાણકારી છે. શું લખું? જન્મ, જરા, મરણ, રોગ, વ્યાધિ, પીડાથી આખો લોક ત્રિવિઘ તાપે બળ્યા કરે છે. “અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ–મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે” જે સદ્ગુરુએ સાન કરી છે તે “સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં જાગૃત થઈ સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય.” એ નિઃશંક માનવું યોગ્ય છે, કર્તવ્ય છે. સ્વચ્છંદ, પ્રમાદ શત્રુ, વેરી છે; તેથી જીવની ભૂલ થાય છે. આ જીવનો જ વાંક છે. આ ગૂઢાર્થ સત્સંગે બહુ વિચારવા જેવો છે. તેમાં પ્રશ્ન થાય એવું છે કે પ્રમાદ અને સ્વચ્છેદ ક્યારે ગયા કહેવાય તે વાત વિચારો. દૃઢ સમકિતી પુરુષ થોડા છે, માટે સત્સંગના યોગે જાગૃત થવું કર્તવ્ય છે'. આ પત્રિકા આપને ભેટ દાખલ જણાવી છે. “પરપ્રેમ-પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુઉર બસે; વહ કેવલકો બીજ જ્ઞાની કહે, નિજકો અનુભી બતલાઈ દિયે.” સામાન્યપણું, લૌકિકપણું જીવને કર્તવ્ય નથી. સદ્ગુરુનાં વચનનો આશય આ પત્રમાં હોય તે આત્માર્થે ધ્યાનમાં લેવો કર્તવ્ય છે'. આ ભાવિક આત્માને માટે છેજી. ૧. પ્રલય જેવો Page #183 -------------------------------------------------------------------------- ________________ UE ઉપદેશામૃત ૧૩૫ - શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ તા. ૨૧-૮-૩૧, શ્રાવણ, ૧૯૮૭ “નથી ઘર્યો દેહ વિષય વધારવા, નથી ઘર્યો દેહ પરિગ્રહ ઘારવા.” –શ્રીમદ્ રાજચન્દ્ર આખો લોક વિવિઘ તાપથી બળી રહ્યો છે. ક્યાંય શાંતિ નથી. માત્ર સસ્વરૂપ આત પુરુષ શ્રી સદ્ગુરુ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ કે તેનો દ્રઢ નિશ્ચય જેને વર્તે છે એવા જ્ઞાનીના આશ્રિતો જ તે ત્રિવિધ તાપથી દૂર રહેનારા છે. એટલે સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક ચારિત્રરૂપ રત્નત્રયની પ્રાપ્તિ જે પુરુષોએ કરી છે, તેની શ્રદ્ધા જે કોઈ સંતે કરેલી છે, તેના સમાગમથી જે સદ્ગના ઉપર શ્રદ્ધા થઈ તેવા સમ્યવૃષ્ટિ પુરુષો જ બળતામાંથી બચ્યા છે, અને બચાવવા જેવું તેમણે જ જાણ્યું છે. તેમ આપણે પણ તે સંતે માન્યા છે તે જ માનવા યોગ્ય છે. બીજે દ્રષ્ટિ રાખવા યોગ્ય નથી. પોતાની કલ્પનાથી જીવ રખડ્યો છે. માટે તે સંતે માન્યા છે તે જ માનવા યોગ્ય છે. તેથી આઘુંપાછું પોતાની કલ્પનાથી માને તો ભૂલભર્યું છે, એમ જાણજો. માટે તે સંતે કહેલા ઉપર જ પ્રેમ ભાવ ભક્તિ કરવા યોગ્ય છે. તેમના જ ગુણ ગાવા. બીજે ક્યાંય પ્રેમ ઢોળવા, પ્રેમ કરવા લાયક નથી. ઉદય કર્મમાં પણ ગભરાવું મૂંઝાવું ઘટતું નથી. સમભાવે ભોગવી લેવું જી. ૧૩૬ “સુણો ભરત ભાવિ પ્રબળ વિલખત કહે રઘુનાથ, હાનિ-વૃદ્ધિ, જન્મ-મૃત્યુ, જશ-અપજશ વિધિહાથ.” “જા વિધિ રાખે રામ તા વિધિ રહિયે.” આખો લોક ત્રિવિઘ તાપથી બળ્યા કરે છે. સહનશીલતા, ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. કોઈ રહેવાનું નથી. વૃત્તિને રોકવી. આતમભાવના, નિજ સ્વભાવમાં પરિણામ સમયે સમયે લાવવાં; પરભાવ-વિભાવમાંથી જેમ બને તેમ રોકાવું. આ જીવ નિમિત્તાધીન છે, માટે સાધકનિમિત્તમાં જોડાવાનો પુરુષાર્થ કર્તવ્ય છે. પ્રમાદ કરવાથી જીવ દુઃખ ઊભું કરે છે. તે પ્રમાદ છોડવા સપુરુષનાં વચનામૃત વિચારવાં. કાળ જાય છે ક્ષણે ક્ષણે, તે પાછો આવતો નથી. લીધો કે લેશે એમ થઈ રહ્યું છે, કાળ ગટકા ખાઈ રહ્યો છે. આ જીવ કયા કાળને ભજે છે એ વિચારવા જેવું છે. ‘ફિકરકા ફાકા ભર્યા, તાકા નામ ફકીર.” સત્સંગનો બહુ અંતરાય છે. માટે ઉદાસ નહીં થતાં ઉદાસીનતા (સમભાવ) કર્તવ્ય છે. ગભરાવા જેવું નથી. માર્ગ બહુ સુલભ છે. પણ જીવે એક જ્યાં વૃત્તિ રાખવી, કરવી, જોડવી, પ્રેમ ઘરવો જોઈએ તેમાં મિથ્યાત્વ-અજ્ઞાનથી, પ્રારબ્ધ ઉદયના આવરણને લઈને જીવ દિશામૂઢ થઈ ગયો છે. માટે જરા અવકાશ મેળવી સત્પષનાં વચનામૃતમાં ઊંડા વિચારથી ધ્યાન-અંતરભાવમાં આવવું, અંતરભાવમાં વધારે રોકાવું. બાહ્યભાવના નિમિત્ત કારણથી વૃત્તિ ચલિત થઈ જાય છે તેની જાગૃતિ રાખી, એક શુદ્ધ જ્ઞાનદર્શનચારિત્રમય આત્મા છે Page #184 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૧ ૮૭ તેમાં પ્રેમ ઉપયોગ લાવી આપ સ્વભાવમાં સદા મગનમન રહેવું. બીજું ભૂલી જવા જેવું છે. ‘ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી.’ “સુખ દુઃખ મનમાં ન આણિયે.’” “જીવ તું શીદને શોચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે.’’ મનુષ્યભવ દુર્લભ છે. “બનનાર તે ફરનાર નથી, ફરનાર છે તે બનનાર નથી.’” એવો દૃઢ નિશ્ચય કરી જે જીવને કરવાનું છે તે એક દૃઢ શ્રદ્ધા છે. તે વિષે સત્સંગે સમાગમે સાંભળી જાણી, એક તેનું જ આરાધન કરવામાં આવશે તો ઘણા ભવનું સાટું વળી રહેશે. તે પણ કર્યા વિના થાય તેમ નથી. આ જીવ બફમમાં, ગફલતમાં જવા દેશે તો પછી પશ્ચાત્તાપ થશે, ખેદ થશે. માટે બને તો કોઈ પુસ્તકં, પરમ કૃપાળુદેવનું વચનામૃત વાંચવાનું કરશો. ૧૩૭ અંધેરી, વૈશાખ સુદ ૧૫, ૧૯૮૭ “સેવાથી સદ્ગુરુકૃપા, ગુરુકૃપાથી જ્ઞાન; જ્ઞાન હિમાલય સબ ગળે, શેષે સ્વરૂપ નિર્વાણ. એ સંકલના સિદ્ધિની, કહીં સંક્ષેપે સાવ; વિસ્તારે સુવિચારતાં, પ્રગટે પરમ પ્રભાવ. અહો ! જિય ચાહે પરમપદ, તો ધીરજ ગુણ ધાર; શત્રુ-મિત્ર અરુ તૃણ મણિ, એક હિ દૃષ્ટિ નિહાળ. રાજા રાણા છત્રપતિ, હથિયનકે અસવાર; મરના સબકો એક દિન, અપની અપની વાર.'' ઉદયકર્મમાં પણ ગભરાવું, મુઝાવું ઘટતું નથી. સમભાવે ભોગવી લેવું જી. ‘મોક્ષમાળા'ના બધા પાઠ મુખપાઠે કરી વિચારવા યોગ્ય છેજી. જીવ એકલો આવ્યો છે અને એકલો જ જવાનો છે અને પોતાનાં કરેલાં કર્મ એકલો જ ભોગવવાનો છે, એમ વિચારી અહંભાવ-મમત્વભાવ ઘટાડી, ધર્મસ્નેહ રાખી, ઉલ્લાસભાવમાં આનંદમાં રહેવું યોગ્ય છેજી. જે થઈ ગયું તે ન થયું થવાનું નથી, માટે ભૂતકાળની ચિન્તા તજી, થયેલી ભૂલો ફરી ન થાય એટલો ઉપયોગ રાખી સમભાવે વર્તમાનમાં વર્તવાનો પુરુષાર્થ કર્તવ્ય છેજી. તેમ જ જીવ ભવિષ્યના ઘાટ ઘડી નકામાં કર્મ બાંધે છે તેનું કારણ આશા, વાસના, તૃષ્ણા છે; તેથી જન્મ મરણ ઊભાં થાય છે. માટે વાસના તજીને મોહરહિત રહેતાં શીખવાનું છે. આપણું ધાર્યું કંઈ થતું નથી માટે ભવિષ્યની ચિંતા પણ તજવા યોગ્ય છે. ગઈ વસ્તુ શોચે નહીં, આગમવાંચ્છા નો'ય; વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગમાંય. ⭑ ૧૩૮ ભાદ્રપદ, ૧૯૮૭ ત્યાગ, વૈરાગ્ય, ઉપશમભાવ વધે અને સંસાર ઉ૫૨થી ઉદાસીનતા થાય, સંસારની માયાનું તુચ્છપણું સમજાય, લૌકિક મોટાઈ તે ઝેર, ઝેર અને ઝેર છે એવો ભાવ થાય અને જેમ લોકોત્તર Page #185 -------------------------------------------------------------------------- ________________ ८८ ઉપદેશામૃત દ્રષ્ટિ એટલે આત્માને સમ્યગ્દર્શનની, સમ્યકજ્ઞાનની અને સમચારિત્રની પ્રાપ્તિ થાય તેવો પુરુષાર્થ વર્ધમાન કરવો તે જ મનુષ્યભવનું કર્તવ્ય છે. સદ્ગરુકૃપાએ ઉદયાધીન વેદના સમભાવે વેદવાની ભાવનાએ જેમ બને તેમ વર્તવું થાય છે. ૧૩૯ સં. ૧૯૮૭ તત્ સત્ સહજાત્મ સ્વરૂપ પરમગુરુ આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે,” જીવ લહે કેવળજ્ઞાન રે. દયા, સમતા, ક્ષમા, ઘીરજ, સમાધિમરણ, સમભાવ, સમજ. શાંતિઃ શાંતિઃ અપ્રતિબંઘ, અસંગ, જ્ઞાન-દર્શન-ચારિત્ર, આત્મા, ઉપયોગી અપ્રમત્ત થા, જાગૃત થા, જાગૃત થા. પ્રમાદ છોડી, સ્વચ્છંદ રોકી પુરુષાર્થ કર્તવ્ય છેજી. જુગાર, માંસ, દારૂ, મોટી ચોરી, વેશ્યાનો સંગ, શિકાર, પદારાગમન એ સાત વ્યસનનો ત્યાગ કર્તવ્ય છે. સમભાવ ૧૪૦ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ, સં.૧૯૮૭ તત્ સત્ ઇન્વીનર્સે જાના ન જાવે, તૂ ચિદાનંદ અલક્ષ્ય હૈ, સ્વસંવેદન કરત અનુભવ-હેત તબ પ્રત્યક્ષ હૈ. તન અન્ય, જન, જાનો સરૂપી; તૂ અરૂપી સત્ય હૈ, કર ભેદજ્ઞાન, સો ધ્યાન ઘર નિજ ઓર બાત અસત્ય હૈ.' “મોહનદકે જોર, જગવાસી ઘૂમે સદા; કર્મચોર ચહુ ઓર, સર્વસ્વ લૂંટે–શુઘ નહીં. સદ્ગુરુ દેય જગાય, મોહનીંદ જબ ઉપશમે; તબ કછુ બને ઉપાય, કર્મચોર આવત રૂકૈ.” “ઘન, કણ, કંચન, રાજસુખ, સર્બ સુલભ કર જાન; દુર્લભ હૈ સંસારમેં, એક યથારથ જ્ઞાન.” વૃદ્ધાવસ્થાને લઈને શરીરમાં કોઈ કોઈ વ્યાધિ થઈ આવે છે તેની ચિંતા નહીં કરતાં શ્રી પરમકૃપાળુ દેવાધિદેવના શરણાથી યથાશક્તિ સમભાવે વેદવું થાય છે. પુરુષના માર્ગે વર્તતા Page #186 -------------------------------------------------------------------------- ________________ ૮૯ પત્રાવલિ–૧ જીવાત્માને જ્યાં બંઘનથી છૂટવું થાય ત્યાં શોક ખેદ શાન હોય ? જ્ઞાનીએ સમભાવે વેચવાનું વચન કહેલું છે તો આ જીવને જેમ બને તેમ સમતાથી ઘીરજથી વર્તવું યોગ્ય સમજાય છે, એ સદ્ગ શરણથી સફળ થાઓ એ જ ભાવના છેજી. હે પ્રભુ ! વૈરાગ્યને વિધ્ર ઘણાં હોય. ઉતાવળ એટલી સાંસત; ક્યાશ એટલી ખટાશ. હે પ્રભુ! ઘીરજ મોટી વાત છે. સમતા, ક્ષમા, સહનશીલતાએ વર્તવાનો પુરુષાર્થ કરવાની જીવને જરૂર છે. એવો એક અભ્યાસ પાડવાની વૃત્તિ વિચારમાં રાખવી. પરમ કૃપાળુદેવની અનંત અનંત કૃપા છે. તેની કૃપાથી, ઘીરજથી જીવને આત્મહિત કલ્યાણ થાઓ, એવી આશીર્વાદપૂર્વક ભાવના છદ્મસ્થ વિતરાગભાવને લઈને પુરાણ પુરુષની કૃપાથી વિચારમાં સ્ફરે છે તે દીનબંધુની મહેર નજરથી સફળ થાઓ, જે યથાઅવસરે, સમાગમે અંતરાય તૂટ્યથી બની આવશે જી. બીજું, હે પ્રભુ ! આપના વિષે કાંઈ પણ આત્મહિત થવા ભાવના રહે છે તે કાંઈ સર્જિત સંસ્કારને લઈને થાય છેજ. દેવાધિદેવ પરમ કૃપાળુદેવે સૌભાગ્યભાઈને વહેવારિક વ્યવસ્થા વિષેમાં કહ્યું હતું કે તમારા વિષે અમારે કાળજી ઘણી છે. તે નિબંઘ તો સંસાર-વ્યવસ્થાનો હતો અને આ તે સંબંધ નહીં, પણ આત્માનું અમારું કલ્યાણ થાય અને તમારું કલ્યાણ થાય એ વિષે સંબંઘ અમારા ધ્યાનમાં છે, બીજો કાંઈ સ્વાર્થ નથીજી. આ પુસ્તક, “શ્રીસદ્ગુરુપ્રસાદ કોઈ બીજાને વાંચવા માટે નથી. પણ ખાસ જેને તે સદ્ગુરુની ભક્તિ જાગી છે, તેના વચનામૃતની સૂચના મળી છે અને સમ્યગ્દષ્ટિવાન જીવ છે તેને તે સ્મૃતિમાં લેવા, જાગૃત થવા, બોઘબીજને અર્થે ભલામણ છેજી અને શ્રી સદ્ગુરુની શ્રદ્ધા પામવાનો મૂળ હેતુ છેજી. વઘારે ચિત્રપટ આવશે તેની અડચણ નથી. આ પુસ્તક દર્શનભક્તિનું છે. તેમાં વધારે ચિત્રપટ આવશે તો બાઘ જેવું મને લાગતું નથી ૧૪૧ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે.અગાસ કાર્તિક સુદ ૧૪, ૧૯૮૮ હે પ્રભુ ! કંઈ ચેન પડતું નથી, ગમતું નથી. હે પ્રભુ! સર્વ કર્મ-ઉદય મિથ્યા છે એમ ગુરુ શરણાથી જાણ્યું છે, અનુભવ્યું છે. તેમ વર્તવા જેની વૃત્તિ રહે છે, વર્તે છે તેવા સમભાવી મહાત્માને નમસ્કાર છે. ભૂતકાળમાં બનવા યોગ્ય બન્યું, બની ગયું ત્યાં હવે શોક શો ? કારણ કે હવે તેમાંનું કંઈ નથી. બને છે વર્તમાન સમયમાં, તે પૂર્વ-કર્મના સંસ્કારના ફળરૂપ છે. જીવે જેવા જેવા ભાવો હે પ્રભુ અજ્ઞાનભાવે કરેલા, તે તે ભાવો અત્યારે કર્મરૂપે ઉદય આવી જીવને મૂંઝવે તેમાં મૂંઝાવું શું? માગેલું મળ્યું, ઇચ્છેલું પ્રાપ્ત થયું–મોહાથીન માગ્યું, ઇછ્યું તે આવ્યું તો ખરું, પણ તેમાં મૂંઝાવાનું રહ્યું. તેમાં હવે દોષ કોને દેવો? હરખ શોક શો ? વાજબી બને છે; અને તે પણ થઈ રહ્યા પછી કંઈ નથી, એમ થવાનું છે જ. કર્મ ઉદય આવી ખરી જઈ પછી નહોતા જેવું થાય છે. તો પછી ચિંતા શી? બનવાનું બનશે. ભવિષ્યમાં જે બનવાનું તે પણ વર્તમાનમાં જેવા ભાવો થશે તેમ બનશે. ભવિષ્યસ્થિતિ સુધારવી જીવના હાથમાં છે. સમ્યક ભાવો ભાવી, સમ્યક સ્થિતિ પ્રાપ્ત કરશે તો પછી Page #187 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ઉપદેશામૃત સમ્યભાવો રૂડા છે. અસમ્યક્ પ્રકારે પર૫દાર્થ-પરભાવ ભાવવાયોગ્ય નથી. હે પ્રભુ! સ્વપ્રવત્ જગત તથા અસત્સંગ જેવામાં આ જીવનો કાળ જાય છે એવું લખાણ અત્રે મુમુક્ષુના પત્રથી વાંચ્યું; તો હે પ્રભુ ! હવે તો જેમ બને તેમ આ ક્ષણભંગુર દેહમાં બે ઘડી દહાડા જેવા આયુષ્યમાં પાઘડીને છેડે કસબ નખાઈ જાય તેવું થાય તો જ કલ્યાણ છે. મનુષ્યભવ ચિંતામણિ છે. હે પ્રભુ ! આ તો પંખીના મેળા છે, સ્વપ્નું છે. શું કાંઈ લખવું ! જીવને સત્સંગ અને આત્મહિત થાય એવી વૃષ્ટિ રહ્યા કરે છે. ⭑ ✰✰ ૧૪૨ સદ્ગુરુકૃપાએ સહન કરવું અને જે થાય તે જોયા કરવું એ જ ઉત્તમ ઔષધ છેજી. નમિ રાજેશ્વર જેવાને પણ કર્મના ઉદયે અસહ્ય વેદના સહન કરવી પડી હતી. તે પણ આત્મા હતા, અને આત્મલાભ એવે વખતે તેમણે સાધ્યો હતો તે સંભારી સમભાવે સહન કરવાની ભાવના રહ્યા કરે છે. ૧૪૩ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ વૈશાખ પૂર્ણિમા, ૧૯૮૮ સદ્ગુરુ શ્રી દેવાધિદેવ પરમગુરુએ મનુષ્યભવ ચિંતામણિ સમાન કહ્યો છે તે દુર્લભ છે. જે સત્પુરુષ, સદ્ગુરુએ, અનંત જ્ઞાની તીર્થંકરે, યથાતથ્ય આત્મા જાણ્યો છે, જોયો છે, માન્યો છે તે જ્ઞાનીનો યથાર્થ સત્સમાગમ જો જીવને ન થયો હોય તો પણ તે સત્પુરુષના સમાગમે જે કોઈ સંત તથા મુમુક્ષુએ શ્રદ્ધા પ્રતીતિ કરી છે તે સત્સંગનો જોગ, જો મનુષ્યભવ પામી, આ જીવને મળી આવ્યો હોય અને તેની પ્રતીતિ, વિશ્વાસ ખાસ ખરા મનથી આવ્યું, તે કહે તે સદ્ગુરુ પ્રત્યે, તેમના બોધ પ્રત્યે, પ્રતીતિ, શ્રદ્ધા, રુચિ, માન્યતા, આસ્થા આ જીવને થાય તો આ મનુષ્યભવ સફળ છે. તે સંતે કહેલા સદ્ગુરુની એક માન્યતા, શ્રદ્ધાથી સમકિત કહેવાય. આટલો મનુષ્યભવ મળ્યો છે તેમાં તે જ શ્રદ્ધા સત્કૃપાળુ શ્રી સદ્ગુરુદેવ પ્રત્યેની જીવે રાખવા યોગ્ય છે, પોતાની કલ્પનાથી બીજા કોઈને માનવા યોગ્ય નથી. જે એમ એક સદ્ગુરુની શ્રદ્ધાએ જ રહેલ છે તેનું આત્મહિત અને કલ્યાણ છે. જો એક સમકિત આ ભવમાં ન થયું જન્મમનુષ્યભવ હારી ગયા જાણવું. એ એકને જ માન્યાથી બધા જ્ઞાનીઓ આવી જાય છે, એવો અનેકાંત માર્ગ સમજાયો નથી. માટે તેણે જાણ્યું તે ખરું છે, મારે પણ માનવા યોગ્ય છે એમ માને તો આત્મકલ્યાણ થાય. તેની જ આજ્ઞાથી કલ્યાણ છે. તેની આજ્ઞા જે જે ‘શ્રી આત્મસિદ્ધિમાં કહી છે તે જ કર્તવ્ય છે. જોકે જગતમાં જીવ ઘણા રૂડા છે, ગુણી છે પણ પરીક્ષાપ્રધાનપણું જ્યાં સુધી યથાતથ્ય આવ્યું નથી ત્યાં સુધી ગુણીના ગુણ જોવા, દોષ ન જોવા. જીવ સ્વચ્છંદથી અને પ્રમાદથી અનંત કાળથી રઝળ્યો છે. માટે જેમ બને તેમ જાગૃતિ આત્મભાવના, સ્મરણ ભક્તિમાં અમુક કાળ કાઢવો. કાળ ભયંકર છે. લીઘો કે લેશે થઈ રહ્યું છે. આ જીવ કયા કાળને ભજે છે તે સમજાતું નથી. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ અષાડ વદ ૮, મંગળ, ૧૯૮૮ Page #188 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ−૧ યૌવનની શી કરવી માયા ? જળ-પરપોટા જેવી કાયા; જાવું પડશે. નરકે મરીને, આવી ઘનની આશા કરીને. પ ભવ તરવા ઇચ્છે જો ભાઈ, સંત શિખામણ સુણ સુખદાઈ; કામ, ક્રોધ ને મોહ તજી દે, સભ્યજ્ઞાન સમાધિ સજી લે. ૬ કોણ પતિ પત્ની પુત્રો તુજ ? દુઃખમય પણ સંસાર ગણે મુજ; પૂર્વ ભવે પાપે પીડેલો, કોણ હતો કર્મે જકડેલો ? ૭ વિષયભૂતનો મોહ મૂકી દે, કષાય ચારે નિર્મૂળ કરી લે; કામ માનનો કૂચો કરી દે, ઇન્દ્રિયચોરો પાંચ દમી લે. ૧૩ દુર્ગતિ-દુઃખ અનેકે ફૂટ્યો, તો પણ પીછો તેનો ન છૂટ્યો; જાણે ભૂત-ભ્રમિત મદમત્ત, જીવ અનાચારે રહે ૨ક્ત. ૧૬ મા કર યૌવન-ધન-ગૃહગર્વ, કાળ હરી લેશે એ સર્વ; ઇંદ્રજાલ સમ નિષ્ફળ સહુ તજ, મોક્ષપદે મન રાખી પ્રભુ ભજ.''૧૮ ✰✰ ૧૪૪ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ. સં.૧૯૮૮ સ્નેહપ્રીતિ કરવા જેવું નથી. એક આત્મા જ્ઞાનદર્શનમય છે તે ભાવના વારંવાર ભાવવી. બીજે પરભાવમાં મન જાય કે તુરત પાછું વાળવું, વૃત્તિને રોકવી. અને ક્ષેત્રફરસના છે, અન્નજળ-પાણી છે એમ જાણી અરતિથી આર્તધ્યાન થાય તેમ ન કરવું. “જો જો પુદ્ગલ–ફરસના, નિશ્ચે ફરસે સોય; મમતા-સમતા ભાવસેં, કર્મબંધ-ક્ષય હોય.'' આપણી ઇચ્છાએ, સ્વચ્છંદે જીવને જન્મ-મરણ થઈ રહ્યાં છે, તેથી મૂંઝાવું નહીં. મરણ અવસરે કોણ સહાય છે ? તે વખતે પરવશે ભોગવવું પડે છે તો અત્રે ‘જા વિઘ રાખે રામ તા વિધ રહીએ.’ મૂંઝાવું નહીં, અકળાવું નહીં. સહનશીલતા એ તપ છે. જ્યાં જઈએ ત્યાં માટી, પાણી ને ઢેફાં. કોઈ જગ્યાએ સુખ નથી. સુખને જાણ્યું નથી. દુઃખ, દુઃખ અને દુઃખ છે. દુઃખમાં સુખ માની રહ્યો છે, ભુલવણી છે. ચેતવા જેવું છે. ભૂલ્યો ત્યાંથી ફેર ગણ; સમજ્યો ત્યાંથી સવાર. આખરે મૂકવું પડશે. આખરે સ્વચ્છંદ રોકવો થાય છે તો સમજીને, અત્યારે જેવો અવસર તે પ્રમાણે કાળ વ્યતીત કરે અને સમભાવ રાખે તો તપ જ છે. ઇચ્છાઓ, તૃષ્ણાઓ કરે તો બંધ છે. એકલો આવ્યો, એકલો જવાનો છે. ફરી આવો લાગ નહીં આવે. મનુષ્યભવ ફરી ફરી નહીં મળે; જીતી બાજી હારવી નહીં. કોઈ કોઈનું દુઃખ લેવા સમર્થ નથી; કોઈ કોઈને સુખ આપવા સમર્થ નથી. ૯૧ (વૈરાગ્યમણિમાળા) ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે,'' જીવ લહે કેવળજ્ઞાન રે. * ⭑ Page #189 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત ૧૪૫ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ. સં. ૧૯૮૯ તમારો કાગળ એક વાંચી, વિગત જાણી, તમ પ્રત્યે સૂચના આપવાની છે તે આત્માર્થે ધ્યાનમાં લેશો. તમે પર્યાયવૃષ્ટિથી અત્રે મનુષ્યભવ ઘારણ કર્યો છે તે રત્નચિન્તામણિ સમાન છે. તેમ જાણી દયા ખાતર કાંઈ શબ્દ કહેવાયા છે તો ખોટું લગાડશો નહીં અને એમ વિચારશો કે આપણી ઉપર દયા આણીને કંઈ છબી અવસ્થાને લઈ ખારાશથી, એટલે તે આચરણ તમારાથી ફરી ન થાય એમ જાણી, કહેવાયું છે. જોકે એવું કાંઈ કહ્યું નથી, કહેવાયું છે તે ફરીથી તેવી ભૂલ ન થાય એવા ભાવથી સમજ લેવા કહેવાયું છે. અમારે તો સર્વ ઉપર સમભાવ છે; પણ કોઈ જીવનું ભલું થાય એમ જાણી કહેવાય છે. કોઈ કોઈનું ભૂંડું કરે એમ છે નહીં. એક આત્મા જ આત્માનું ભલું કરશે, અથવા વિભાવ આત્મા ભૂંડું કરશે. આ જગતમાં કોઈ કોઈનું ભૂંડું કરવા, સારું કરવા સમર્થ નથી.માટે આ ભવમાં તૈયાર થઈ જવું. મેમાન છે, પરોણો છે, ઘણો કાળ રહેવાનું નથી. એકલો આવ્યો, એકલો જશે–તેમાં ચેતવા જેવું છે, જાગૃત થવા જેવું છે, માટે જણાવ્યું છે. જો પોતાની ભૂલ કાઢી નાખે તો આ જીવ કલ્યાણ કરી નાખે. જેમ બને તેમ તેવા ખોટા વ્યવસાયને ઓકી નાખી સારા ભાવ કરવાનું કર્તવ્ય છે. વઘારે શું લખવું? સમજુને તો આ બસ છે. પોતાના દોષ છે તે નથી જોવાયા, મતિકલ્પનાએ જીવ કલ્પી લે છે એવી કોઈ ભૂલ છે તે જ કાઢવા જેવું છે, જરૂરનું છે એમ જાણી મનમાં ઊઠતી વૃત્તિને રોકી, કલ્પનાને રોકી યોગ્યતા લાવશો. આત્માનું સારું કરનાર, ભૂંડું કરનાર એક આત્મા જ છે. કલ્પના કાઢી નાખી એક યોગ્યતા વઘારશો તો ઘરમાં બેઠાં કે વનમાં બેઠાં સારું થશે. તમને જેટલું ખોટું લાગ્યું છે તેટલું અમૃત પાયું છે; તમને સારું લગાડે તે ઝેર પાયું માનશો. માટે હવે પરમકૃપાળુદેવનું વચન છે, તેમની આજ્ઞા છે તે ધ્યાનમાં લઈ જાગૃત થશો, જાગૃત થશો. ફરીથી વૃત્તિ, મન, ચિત્તને પરમાં જતાં રોકશો. વાંચવા-વિચારવામાં, વચનામૃતમાં કાળ નિર્ગમન કરશો. એમાં બીજાનું કામ નથી, પોતાનું કામ છે. “સત્સંગ, સત્સંગ' કરશો, પણ સત્સંગ કુસંગરૂપ થઈ પડશે. સત્સંગ વસ્તુ શું છે ? પોતાનો આત્મા. બાકી તો સત્સંગ બફમમાં ને બફમમાં માનશો તે અસત્સંગ થઈ પડશે. જ્યાં ત્યાં આત્માનું કલ્યાણ થાય તે કર્તવ્ય છે. ત્યાં બીજો કોઈ કરી આપનાર નથી. આપ સમાન બળ નથી અને મેઘ સમાન જળ નથી. યોગ્યતા લાવશો. આત્માને ચેતવા જેવું છે. કોઈનો દોષ અને વાંક જોવા જેવું નથી. માટે મનુષ્યભવ પામ્યા છો તો હવેથી નરકમાં, નિગોદમાં, તિર્યંચમાં જવાય તેવું ન થાય તેમ કરવું તે પોતાના હાથમાં છે. એકલો આવ્યો અને એકલો જશે. માટે રત્નચિત્તામણિ જેવો મનુષ્યભવ હારી ન જવો જોઈએ. “કોડી સાટે રતન, બાટી સાટે ખેત' ન હોવું જોઈએ. કરોડો રૂપિયાથી અધિક મનુષ્યભવ છે, તેનો લાભ લઈ લેવો જોઈએ. વઘારે શું કહેવું ? પૃથ્વી, પાણી, વનસ્પતિમાં ગયો તો ત્યાં કોઈ આઘાર નથી. ભૂંડું કરે છે પોતાની મતિ-કલ્પના. તેને કંઈ સદ્ભાવમાં લાવવી જોઈએ, સદ્વર્તનમાં વર્તવું જોઈએ. ભલું કરશે તોય તમારો આત્મા કરશે; ભૂંડું કરશે તોય તમારો આત્મા કરશે. માટે ચેતવા જેવું છે. અમે કાંઈ તમોને (આત્માને) કહ્યું નથી, અમે તો દોષને, વિભાવને, ખોટાને કહ્યું છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ–૧ ૯૩ ૧૪૬ કાવા રાણાનો બંગલો, આશાપુરી રોડ, નવસારી, તા. ૨૨-૫-૩૩ બધી વાતોનો અને દુઃખનો ઉપાય એક સત સમાગમ છે. માટે બહુ ડહાપણ અને પંચાત મૂકી દઈ, હજારો રૂપિયા મળતા હોય તો પણ તેને ઝેર જાણી, એ વાત છોડી દઈને સમાગમમાં રહેવું, બીજો ઉપાય નથી. સમાગમથી શાંતિ થશે અને જે લાભ થશે તે તો કહી શકાય નહીં. માટે બીજું કાંઈ નહીં કરતાં ઝટ સમાગમમાં આવવું. કોઈ બીજી વાતે કાંઈ પણ સાર નથી, માત્ર અગ્નિની ઝાળમાં બળવા જેવું છે; અને મોહનીય કર્મ મૂંઝવે છે તો તેનો ઉપાય એક સત્સમાગમ છે, તેમાં આવવું. તમારી વૃત્તિ, વર્તન તમને પણ ગમતું નથી અને ખેદ કરાવે છે અને બળ ચાલતું નથી તો તે બધું અત્રે ઠીક થઈ રહેશે. વીતરાગની સભામાં, સમાગમમાં મોહનીય કર્મને બહાર જ બેસવું પડે છે. જીવની જો છૂટવાની ઇચ્છા છે અને સાચા વીતરાગ પુરુષ છે તો પછી મોહનીય કર્મ કાંઈ કરી શકતું નથી, મૂંઝવણ આવતી નથી-જતી રહે છે અને શાંતિ થાય છે. ૧૪૭ નવસારી, વૈશાખ વદ ૧૨, રવિ, ૧૯૮૯ ભગવાન તીર્થંકરાદિકે મનુષ્યભવ દુર્લભ કહ્યો છે, તે જોગ પામીને સાચા સદ્ગુરુ કૃપાળુ દેવ પ્રત્યે શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ કરવાની છે. આ વાક્ય લખ્યું છે, તે કોઈ સંતના કહેવાથી માન્ય થઈ જશે તો જીવનું કલ્યાણ થઈ જશે. બાકી પોતાની કલ્પનાથી માની લઈને “આ જ્ઞાની છે' એમ કર્તવ્ય નથી, મધ્યસ્થ રહેવું અજ્ઞાની ન કહેવા, જ્ઞાની ન કહેવા. તે જો પોતાના સ્વચ્છેદથી પોતે માન્ય કરે તો તેની ભૂલ થઈ માનવી. કોઈ સત્સંગે સદ્ગુરુને માન્ય કરશે તેનું કલ્યાણ થશે. પોતાની કલ્પનાએ માનીને જીવ ભૂલ ખાય છે. તે સસ્વરૂપ એવા જ્ઞાની પુરુષોએ આત્મા જોયો છે, જાણ્યો છે તે માટે માન્ય છે. ફરી ફરી મનુષ્યભવ મળવો દુર્લભ છે. એક ભવમાં જો શ્રદ્ધા અને પ્રતીતિ એક આત્માની થઈ ગઈ તો આ જીવનું કલ્યાણ છે. આવો જોગ ફરી ફરીને ન મળે. માટે જ્ઞાનીએ જણાવેલ મંત્રનું સ્મરણ કર્તવ્ય છે. વ્યાધિ, પીડા, દુઃખ દેહના સંબંધે થાય છે, તે જાય છે. તેનો હરખશોક ન કરવો. માતા, પિતા, સ્ત્રી આદિકમાં મોહ ન કરવો. દેહ પણ મારો નથી; જ્ઞાનદર્શનરૂપ આત્મા મારો છે. તે જ્ઞાનીએ જામ્યો છે. તે સિવાય કોઈ ઉપર પ્રીતિ કરવી નહીં. ભાવના, ભક્તિ, સ્મરણ રાખ્યા કરજો. વીસ દોહા, ક્ષમાપનાનો પાઠ, આત્મસિદ્ધિ તેમને સંભળાવ્યા કરશો. સ્મૃતિ સારી હોય તો પત્ર ૬૯૨ તેમને સંભળાવશો. એમાં જે આત્મહિત થવાની સ્મૃતિ આપી છે તે તેના ધ્યાનમાં લે તેમ કહેશો. બીજું કાંઈ ન ઇચ્છવું, મનમાં ન લાવવું. અને તે પત્રના અંતમાં જણાવ્યું છે : “શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.” આ શ્રી પરમ કૃપાળુદેવના વચનમાં છે તે ધ્યાનમાં લેશો. સંગનું ફળ અવશ્ય મળશે. મરવાનો ભય ન રાખવો. એક આત્માને ઘણો સંભારવો, વિશ્વાસ રાખવો. “આતમભાવના Page #191 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ઉપદેશામૃત ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે.” કાંઈ ફિકર કરવા જેવું નથી. આત્માની રિદ્ધિ અનંતી છે, તે આત્માની સાથે જ છે. બાકીની બઘી મૂર્છા મમતા મૂકી દેશો. “હું મારું હૃદયેથી ટાળ.” ૧૪૮ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ ભાદરવા સુદ ૭, ૧૯૮૯ મનુષ્યભવ દુર્લભ કે ચાર દિવસનું ચાંદરણું છે; અને બધું ફના છે, નાશવંત છે, ઠગારું છે. એવા આ જગત ઉપર વિશ્વાસ રાખી જીવ રાચી રહ્યો છે. હું કમાઉ છું, હું વિષય ભોગવું છું, હું સુખી છું, હું દુઃખી છું એમ માની રહ્યો છે; પણ માથે મરણની ડાંગ ઊભી છે તેની જીવને ખબર નથી, તે તરફ દ્રષ્ટિ પણ કરી નથી. ચાર ગતિમાં ઘોર દુઃખ ભોગવવા પડે તેવાં કર્મ બંઘાવે તેવા ઇન્દ્રિયના વિષય-ભોગોને જીવ પ્રિય ગણે છે તે મહા અજ્ઞાન છે. અને “હું સમજું છું, હું કરું છું તે ઠીક છે. કોઈની સલાહની મારે શી જરૂર છે ? મને કોણ પૂછનાર છે ? ” એવો સૂક્ષ્મ અહંકાર જીવને મારી નાંખે છે. આખો મનુષ્ય ભવ લૂંટાઈ જાય છે તે વેપારમાં દેવાળું નીકળે તેથી પણ મહા ખરાબ ભયંકર છે. પછીથી ઘર્મ આરાઘવાનો અવસર કાગડાકૂતરાના ભવમાં ક્યાંથી મળશે? અત્યારે અઘટિત કૃત્ય થયાં હોય તો મનવચનકાયાથી ફરી ન કરવાની પ્રતિજ્ઞા લઈ, બળ વાપરી તેથી દૂર થવું યોગ્ય છે. કહેનાર કહી છૂટે અને વહેનાર વહી છૂટે. જે કરશે તે ભોગવશે. અત્યારે આંખો મીંચીને પાપ કરશે તો પછી વિલવિલાટ કરી પશ્ચાત્તાપ કરતાં પણ છૂટકો નહીં થાય. ચેતવું હોય તો હજી વખત છે. સત્સંગ સમાગમમાં કાળ વિશેષ કાઢવા ઘારો તો થઈ શકે તેવું છે. હજી હાથમાંથી બાજી ગઈ નથી. મનુષ્યભવ છે ત્યાં સુધી બધું થઈ શકશે; પછી કોઈના હાથની વાત નથી. સૌ સૌનાં કર્યા પોતાના આત્માને એકલા ભોગવવા પડશે. માટે ડરવા જેવું છે, જાગૃત થવા યોગ્ય છે. દુષ્ટ સમાગમ તજવા યોગ્ય છે. અવળો રસ્તો ભૂલવા જેવું છે. મરણિયા થઈને પણ સદાચાર સેવવા યોગ્ય છે. જીવ મસ્તાન થઈને ફરે છે. પણ મંદવાડ કે મરણ પથારીએ પડશે ત્યારે કયો વેપાર કામમાં આવવાનો છે? ઘનના ભંડાર હશે તે પણ પડ્યા રહેશે. સગાં-વહાલાં કે વિષયભોગ કોઈ તે વખતે દુઃખ લેવા સમર્થ નથી. તે વિચારી આજ્ઞારૂપ ઘર્મ આરાઘવા તૈયાર થઈ જવા જેવું છે. 'आणाए धम्मो, आणाए तवो' ૧૪૯ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ તા. ૧૪-૧૧-૩૩ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ આદિની ફરસના પ્રમાણે સર્વ બની રહે છે. તેમાં સમકિતી જીવોએ હરખ-ખેદ કરવો ઘટે નહીં. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૫ પત્રાવલિ–૧ જો જો પુગલ-ફરસના, નિશ્વ ફરસે સોય; મમતા-સમતા ભાવસે, કર્મબંઘ-ક્ષય હોય.” ક્ષમા, સહનશીલતા એ મોક્ષે જવાનો રાજમાર્ગ છે. નાશવંત વસ્તુને પલટાતી જોતાં સમજુ પુરુષો ખેદને બદલે વૈરાગ્ય પામે છે. આપણી નજરે કેટલાય જીવો આ ભવની ગડમથલ છોડી ચાલ્યા ગયા, ફરી જોતાં પત્તો નહીં ! હવે તેમને આ ગામની, આ દેશની કે કુટુંબની કાંઈ ખબર છે? અને અહીં હતા ત્યારે કેટલા લાળા હૃદયમાં રાખીને ફરતા હતા ? આમાં શું કામનું છે ? એક પણ સપુરુષનું વચન હૃદયમાં કાયમ રહે છે તો કલ્યાણ છે. ૧૫0 શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ ફાગણ સુદ ૮, બુધ, ૧૯૯૦ તા. ૨૧-૨-૩૪ મહાત્મા જ્ઞાની કૃપાળુદેવનો બોઘ હોય તે સાંભળીને તે શિખામણ લક્ષમાં રાખે તો કર્મ ન બંઘાય એમ જ્ઞાનીઓની શિખામણ છે તે ધ્યાનમાં લેવી ઘટે છેજ. બીજું, ભાઈ, આપ ડાહ્યા છો તો આપને અકળાવું, મૂંઝાવું કે ગભરાવું ન થવું જોઈએ. જે શાતા અશાતા આવે તથા બાંઘેલાં કર્મ જે ઉદયમાં આવે તે બધું સમભાવે સહન કરવું કર્તવ્ય છે. જીવે પૂર્વે કર્મ બાંધ્યાં છે તે ઉદયમાં આવે છે. ઋણ સંબંધે સગાંવહાલાં મળી આવ્યાં છે. તેના ભોગવટા વખતે સમભાવ રાખી સહન કરવું, સમતા, ક્ષમા, ઘીરજ કરવી અને બધું ખમી ખૂંદવું જે કર્મ ઉદયમાં આવે છે તે ભોગવીને છુટાય છે, તેમાં હર્ષશોક ન કરવો. સમતાએ સહન કરવું એ તપ છે. એથી ગભરાઈ અકળાઈ જઈ કંઈ ખોટી ચિંતવણા કરવી નહીં. “અહીંથી જતો રહું, છૂટી જઉં, મરી જઉં' એવો કોઈ સંકલ્પ કરવો નહીં. એમ જો કરે તો જીવ કર્મ બાંધે. અને કર્મ તો ગમે ત્યાં બાંધ્યા પ્રમાણે ભોગવવાં પડશે. પણ સમતાભાવે તે ખમવાં. અકળાઈને ક્યાં આકાશમાં ચઢી જશો ? જ્યાં જશો ત્યાં કર્મ બે ડગલાં આગળ ને આગળ જ છે. માટે સમતાએ સહન કરવાં. આપણને કોઈ દુઃખ આપે, અભાવ કરે, અપમાન કરે તો તેનો ખરો ઉપકાર ગણવો–આપણે બાંધેલાં કર્મ છોડવામાં તે મદદ કરે છે, તે વિના છુટાત નહીં એમ સવળું લેવું. આથી વધારે દુઃખ ભલે આવે તોપણ ગભરાવું નહીં. જીવે નરકમાં દુઃખ ઓછાં વેક્યાં છે? તેના હિસાબે અહીં તો શું છે ? ફક્ત અંતરાય (પ્રકૃતિ) તૂટી નથી તેથી દુઃખ લાગે છે, તેથી ગભરાવું નહીં. તમે જેવા તેવા નથી. જગત ગમે તેમ કહે તેના સામું જોવું નહીં. સૌની સાથે સંપ રાખવો. કંઈ સમજણ નથી, કંઈ સમજતો નથી એમ કહે તો પણ ખમી ખૂંદવું. માન જીવનું ભૂંડું કરે છે, માન વેરી છે. બીજા તરફથી વઘારે માન મળતું હોય કે જીવ બીજા ઉપર વઘારે વહાલ કરે તો તે રાગ બંઘનું કારણ છે, તેમજ વૈષ કરે તો વૈષ પણ બંધનું કારણ છે. તો બંઘનાં કારણ એવા કોઈના રાગ કે વહાલની ઇચ્છા સમજુ જીવો રાખતા નથી; પણ સમભાવ રાખી, જાણ્યું ન જાણું કરી, ખમીખૂંદે છે. માટે તે માન મૂકી સૌનાથી નાના થઈ જાણે કંઈ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ઉપદેશામૃત સમજતો નથી એમ રહેવું. કોઈ કંઈ શિખામણ દે તો તેને કહેવું કે તમારું કહેવું સારું છે. આત્મહિત થતું હોય તો તેમ કરી લેવું; પણ છણકા કરવા નહીં, ખિજાવું નહીં. અઘમઘમ અધિક પતિત, સકળ જગતમાં હુંય, એ નિશ્ચય આવ્યા વિના, સાઘન કરશે શું?” એ વગેરે વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, આલોચના, સામાયિક પાઠ બને તો દિવસના પા અડઘો કલાક અવકાશ લઈ ભણવાં. કોઈને કંઈ કહેવું થાય તો ઘીરજથી કહેવું. કંઈ ગભરાઈને, ખીજીને, ક્રોઘ કરીને કહેવું નહીં. સૌની સાથે મૈત્રીભાવ રાખવો. ઠામ ઠામ ઓળખાણ રાખવી, નમી જવું અને સૌની સાથે હળીમળીને ચલાય તેમ કરવું; કુસંપ થાય તેમ કરવું નહીં. કોઈને ક્રોઘ આવ્યો હોય અને તે ખીજીને બોલે તો તે પણ ઘીરજથી, સમતાથી તેને “બા-ભાઈ' કહીને તેનો ક્રોઘ મટી જાય તેમ કરવું. અને જેમ સારું લાગે તેમ કરવું. તાણાખેંચ, ખેંચાખેંચ કરવી નહીં. તેને એમ કહેવું કે તમે સમજુ છો. બા હોય એના ઉપર ક્રોઘ કરવો નહીં. એનો ક્રોધ જેમ જતો રહે અને રાજી થાય તેમ કરવું. આટલા ભવમાં સગાઈ છે, પછી “વનવનકી લકડી.” એકલો આવ્યો અને એકલો જશે. કોઈ આપણું છેવું છોકરું, મા-બાપ થયું નથી, થવાનું નથી, થશે નહીં. જો ક્ષમા નહીં કરીએ અને કષાય એટલે ક્રોઘ, વેરભાવ કરીએ તો કર્મ પાછાં બીજાં બંઘાશે. માટે ખરો ઉપાય સમતા, ક્ષમા છે, તે જ ગુપ્ત તપ છે. મનુષ્યભવ પામ્યા છીએ તે ચિંતામણિ સમાન છે. તેમાં સુખદુઃખ આવે તે ખમીખૂદવું, અકળાવું નહીં. કર્મ છૂટવાનો અવસર આવ્યો છે. જે વિઘે જીવે કર્મ બાંધ્યાં છે તે પ્રમાણે ઉદયમાં આવે છે તેથી અકળાવું નહીં, સમતા અને ક્ષમા કરવી. અહીં આવવાનો અવકાશ થોડો કાઢી આવી જવાય તો ઘણો લાભ થશે. સમાગમ હિતની વાત કહેવી પણ થશે. સૌ કરતાં સમજણ એ જ સુખ છે; અણસમજણ એ દુઃખ છે. માટે ખરો અવસર આવ્યો છે. દુઃખ આવેલું જાય છે. તે તો જડ છે. દેહ છે તે નાશવંત છે. આત્મા છે તે શાશ્વત છે, અજર છે, અમર છે. એનો વાળ વાંકો કરવા કોઈ સમર્થ નથી, માટે મને દુઃખ થયું, મને રોગ થયો, મને વ્યાધિ થઈ એમ કરવું નહીં. આત્મા તો એથી ભિન્ન છે. માટે સદ્ગુરુ પરમકૃપાળુદેવનું શરણું રાખવું. અમે પણ એના દાસના દાસ છીએ. પોતાની કલ્પનાએ કોઈને ગુરુ માની લેવા નહીં, કોઈને જ્ઞાની કહેવા નહીં; મધ્યસ્થ દ્રષ્ટિ રાખવી. એક પરમાત્મા પરમકૃપાળુદેવને માનવા; તે શ્રદ્ધા કરવી. તેને અમે પણ માનીએ છીએ, અમારા અને તમારા ઘણી જુદા ન કરવા. એ એક જ છે. એ ઉપર પ્રેમ કરવો, પ્રીતિ કરવી. જે થાય તે જોયા કરવું. અને આપણે તો એના શરણે સ્મરણ કર્યા કરવું. મર ! સૂઝે તેટલું દુઃખ આવે તો ભલે આવે. આવો કહ્યું આવશે નહીં અને જાઓ કહ્યું જશે નહીં. આપણે તો એને જોયા કરવું. જોનાર આત્મા છે તે જુદો જ છે. મારાં મા, મારા બાપ, મારાં છોકરાં એ મારાં માન્યાં છે તે પોતાનાં નથી, સૌ ઋણ સંબંધે આવ્યું છે. એકલો આવ્યો છે, એકલો જશે. માટે આપણે આત્માને ભૂલવો નહીં. સૂઝે તેટલું Page #194 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ–૧ ૯૭ દુઃખ આવે તેથી અકળાવું નહીં. આ તો શું છે ? સૌ સૌનું બાંધેલું આવે છે. માટે આપણે ખમીખૂદવું. એ બધું જવા આવે છે. ઘીંગો ઘણી એક પરમકૃપાળુદેવ અમે જે કર્યો છે તે તમારા ગુરુ છે; અમે પણ તમારા ગુરુ નહીં, પણ અમે જે ગુરુ કર્યા છે તે તમારા ગુરુ છે એવો નિઃશંક અધ્યવસાય રાખી જે દુઃખ આવે તે સહન કરવું. કાળે કરીને સર્વ જવાનું છે. જો આ શિખામણ લક્ષમાં રાખશો તો તમારું કામ થઈ જશે. સંસારની માયાનાં દુઃખ ભાળી જરા પણ અકળાવું નહીં. થવાનું હશે તેમ થશે. નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય; કાં એ ઔષઘ ન પીજિયે, જેથી ચિંતા જાય ?” ઘણું કરી બનનાર તે ફરનાર નથી અને ફરનાર તે બનનાર નથી તો પછી ઘર્મપ્રયત્નમાં, આત્મિકહિતમાં અન્ય ઉપાધિને આઘીન થઈ પ્રમાદ શું ઘારણ કરવો? ૧૫૧ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ પ્ર. વૈશાખ સુદ ૧૫, રવિ, ૧૯૯૦ જીવે જે કર્મ બાંધ્યાં છે તે ભોગવવાં પડે છે; પણ તે ભોગવતી વખતે ઘીરજ અને સદાચરણ રાખે તો સારું પરિણામ આવે છે. સારા ડાહ્યા ગણાતા માણસે કુટુંબમાં સંપ રાખવો જોઈએ. માતાને સમજાવીને ઘીરજ આપીને પોતાના સદાચરણ વડે તેમને સંતોષવાં જોઈએ. પોતાના મોટા ભાઈ પિતા તુલ્ય છે. તેમને પણ કુટુંબનો બધો ભાર ઉપાડવો પડતો હોય તો તેમાં મદદ કરીને તથા તેમની આમન્યા તથા વિનય સાચવી તેમને રાજી રાખવા એ આપણું મુખ્ય કર્તવ્ય છે. આપણી કમાણીમાંથી બને તેટલી બચત કુટુંબના માણસોના નિભાવમાં વપરાય તો આપણું અહોભાગ્ય સમજવું. એમ સર્વને સુખી કરવા આપણે વર્તીએ તો ઘણું પુણ્ય બંઘાય અને કુટુંબમાં સંપ વધે, તો લોકમાં પણ કુટુંબનાં વખાણ થાય. પોતાના વિચારમાં આવે તેમ વર્તે તે સ્વચ્છંદી કહેવાય. સ્વચ્છેદે વર્તનાર આ લોકમાં કુટુંબ-ક્લેશથી દુઃખી થાય છે અને પરલોકમાં પણ પાપનું ફળ ભોગવવા અધોગતિએ જાય છે. તેથી સુખી થવાની જેની ઇચ્છા હોય તેણે માતા, પિતા, મોટા ભાઈ આદિનો વિનય કરવો અને ધર્મની ઇચ્છા હોય તેણે પુરુષની શિખામણ સાંભળી વિનયસહિત વર્તવા યોગ્ય છે. ન્યાયનીતિપૂર્વક વર્તે છે તેનાં જગતમાં વખાણ થાય છે અને ઘર્મ પાળવા યોગ્ય તે બને છે. પણ દુરાચરણવાળા કદી ઘર્મ પામી શકતા નથી, તેમ લોકમાં પોતે નિંદાય છે અને કુટુંબની નિંદાનું કારણ થાય છે. કુટુંબના માણસ ગમે તેવા અણસમજુ હોય તોપણ સમજુ માણસ તેમનાં મન વિનય વડે જીતી લે છે. પોતે દુઃખ વેઠીને પણ સર્વના ચિત્તને સંતોષ ઊપજે તેવાં મીઠાં વચન વડે તેમની સેવા કરીને રાજી રાખે તે ખરો ડાહ્યો ગણાય. કુટુંબમાં જે સમજુ હોય તેણે પોતે સર્વનું કહેલું સહન કરવું જોઈએ. ગમે તેવાં કડવાં વેણ કોઈ કહી જાય તો પણ જાણે સાંભળ્યું જ નથી એમ ગણીને તે ભૂલી જાય અને સર્વનું ભલું કેમ થાય તેવો વિચાર રાખી સર્વની સેવા કરી છૂટે. પોતાની ભૂલથી કોઈને ખોટું Page #195 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ઉપદેશામૃત લાગ્યું હોય તો તેવી ભૂલ ફરી ન થવા દે અને જેને ખોટું લાગ્યું હોય તેને રાજી કરે. તે બધાં આપણને રાજી રાખી વર્તવાનું કરે તો તેથી આપણે ફુલાઈ જવું નહીં, પણ આપણા દોષો હોય તે દૂર કરવા તરફ લક્ષ રાખવો. સર્વની પ્રકૃતિ સરખી હોતી નથી તેથી ડાહ્યા માણસે સર્વની પ્રકૃતિ જાણી કુટુંબમાં ક્લેશ ન થાય તેમ પ્રવર્તવું અને ક્લેશનાં કારણ હોય તે દૂર કરી દે તે ડાહ્યો ગણાય. પોતાના દોષની માફી માગી સર્વને સારા કહી કંકાસ મટાડે તે કુશળ કહેવાય. સંસારના ભોગ બધા દુઃખનું કારણ છે અને જીભ છે તે વેરણ જેવી છે, તેને વશ કરે તે સુખી થાય છે. સર્વને નમીને ચાલે તેના ઉપર સર્વની પ્રીતિ રહે છે. “નમ્યો તે પરમેશ્વરને ગમ્યો' એમ કહેવાય છે. માટે નમનતા બહુ રાખવી અને “તમે ડાહ્યા, તમે મોટા; હું તો છોકરું છું, મારા વાંક સામું ન જોશો, આપ કહેશો તેમ હું કરીશ.” એમ કહીને સર્વની સાથે હળીમળીને રહેવાથી પુણ્ય વધે છે અને જીવનું હિત થાય છે. કોઈના ઉપર દ્વેષ ન રાખવો. બીજાનું ભૂંડું ઇચ્છીએ તો આપણું જ ભૂંડું થાય. માટે સર્વને સારું લાગે તેવું બોલવું તેમજ વર્તન રાખવું. માયાકપટ ન રાખવું. નિખાલસ દિલથી સર્વનું સારું થાય તેમ વર્તવાથી આપણું જ સારું થાય. પ્રારબ્ધ પ્રમાણે જે સગાંવહાલાં મળી આવ્યાં છે તેમાં સંતોષ રાખવો. જો મન ઊંચું રાખે અને કુટુંબમાં કંકાસ કરે તો કંકાસથી લક્ષ્મીનો નાશ થાય છે, માટે સર્વની સાથે હળીમળીને પ્રેમથી રહેવું. ઉપર શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ અધિક વૈશાખ વદ ૮, રવિ, ૧૯૯૦ હે પ્રભુ ! સ્વપ્નવત્ માયાનું સ્વરૂપ, પુદ્ગલ પર્યાયનો વ્યવસાય આખા લોકમાં વર્તી રહ્યો છે. હે પ્રભુ ! આખો લોક અભિનિવેશથી, મિથ્યાત્વથી, અજ્ઞાનથી “મારું મારું' એવો આગ્રહ માની વર્તે છે અને સંસાર-પરિભ્રમણ કર્યા કરે છે. જેમ બને તેમ રાગદ્વેષ ઓછા થાય તેમ વેદની કર્મના ઉદયને સમભાવથી ભોગવતાં, આત્માથી આત્માની વસ્તુ જે છે તેની ભાવના કરતાં કાળ વ્યતીત થાય છે. જેમ બને તેમ પરમાં ભાવ ઓછા થઈ આતમભાવ થાય તેવો ભાવ વર્તે છે. પણ કર્મ આગંળ જીવ પરવશ છે. હે પ્રભુ ! આયુષ્યનો ભરોસો નથી. લીઘો કે લેશે એમ થઈ રહ્યું છે. જરા અવસ્થા છે. શરીર નરમગરમ વૃદ્ધાવસ્થાને લઈને રહે છે. અમને તો આત્મભાવ એ ખરી સગાઈ સમજાય છે. હે પ્રભુ સદ્ગુરુનું પણ વચન છે કે “સર્વાત્મમાં સમદ્રષ્ટિ ઘો આ વચનને હૃદયે લખો.” એવી ભાવનાની સમજ છે. અમારો અંતરભાવ કોઈના દોષ જોવાની દ્રષ્ટિવાળો નથી. હે પ્રભુ ! ગુણ જોવાની દ્રષ્ટિ રહે છે. કૃપાળુની કૃપાથી જ્યાં સુધી આવખાની હેડ છે ત્યાં સુધી કાળ વ્યતીત કર્યા વગર છૂટકો નથી. મનુષ્યભવ દુર્લભ છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ–૧ ૯૯ ૧૫૩ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે.અગાસ તા. ૮-૫-૩૪ “પ્રભુપદ વૃઢ મન રાખીને, કરવો સી વે'વાર; વિરતિ વિવેક વઘારીને, તરવો આ સંસાર.” મીઠાં વચનથી સંપ વધે અને પુણ્ય બંઘાય. માટે સમજુ માણસે પોતાની સ્થિતિનો વિચાર કરી સર્વને પ્રિય લાગે તેવાં વચન બોલવાની ટેવ પાડવી તથા આળસ તજી ઉદ્યોગમાં વઘારે પ્રવર્તવું. નાનપણમાં કામ શીખવાની આવડત લાવે, ઉપયોગી બાબતોમાં વખત ગાળવાની કાળજી રાખે, તે આગળ જતાં મોટાં કામ કરી શકે તેવો હોંશિયાર બને છે. પણ જો નાનપણથી મોજશોખની અને આળસુ બની ગપ્પાં મારવાની ટેવ પડે કે ગંજીફા જેવી રમતો, નાટક, સિનેમા, સરકસ કે જુગાર વગેરેની લતે ચડી જાય તો તેનાથી કંઈ મોટું કામ કરવાની શક્તિ પ્રાપ્ત થતી નથી. ઊલટો ઉડાઉ બની દુઃખમાં જુવાનીને વખત ગુમાવે છે; અને વૃદ્ધાવસ્થામાં ગરીબાઈ અને રોગના દુઃખથી બેવડો દુઃખી થાય છે તથા પરભવમાં અધોગતિએ જાય છે. જેને જેવો સંગ, રંગ તેવો પણ બેસે', એમ કહ્યું છે, તેથી જેની સોબતે આપણે સારા બનીએ એટલે કામગરા, ભક્તિવાળા બનીએ તેની સોબત વઘારે રાખવી; પણ જેની સોબતે ચા પીવાની, દારૂ પીવાની, તોફાન કરવાની, નાટક જોવાની, જુગાર રમવાની, અવિવેકી વર્તન કરાવે તેવા વચન બોલવાની, ગમે ત્યાં હરવા ફરવાની, વિષય-વિકાર, ગાનતાનથી લહેર કરવાની ટેવ પડે તેવી સોબત દૂરથી તજી દેવી, ગમે તેટલી સારી લાગતી હોય તોપણ તેવી સોબત ઝેર જેવી જાણી તેથી દૂર રહેવું. જેમની સોબત કરવાથી આપણને આગળ વધવાનું મળે, આપણે સાચું બોલનારા થઈએ, ન્યાયનીતિ શીખીએ, આપણી આબરૂ વધે, વિચાર કરતાં આવડે, હિમ્મત આવે, સગુણ વધે અને શિખામણ મળે તેવાની સોબત શોધવી. એવા સારા માણસો, મોટા માણસોની સોબતથી ઘણો લાભ છે. પણ હલકા માણસો ઊલટા આપણને વગોવે અને તેમના સંગે ખોટી ટેવો પડે. માટે પરદેશમાં રહેનારે સારી સોબત માટે બહુ કાળજી રાખવી. સારા સોબતી ન મળે તો “ભાવનાબોઘ” કે “મોક્ષમાળા' જેવાં પુસ્તકો વાંચવાની ટેવ રાખવી. બીજાને પણ સાંભળવું હોય તો સાંભળે, બીજાને આપણો રંગ લાગે તેમ વર્તવું પણ બીજાના છંદમાં તણાઈ ન જવું. મીઠાશ અને નમ્રતાવાળાં વચનો બોલવાં, સાદો અને સ્વચ્છ પોષાક રાખવો તથા કોઈનો પણ ફેરો ખાવો, સેવાચાકરી કરવી. કોઈનું ભૂંડું ન ઇચ્છવું, છળકપટ કે ચોરી ન કરવી. આળસુ અને ઉડાઉ ન થવું. કોઈ કડવું વચન કહે તો સહન કરવું. સારી શિખામણ કોઈ દે તો માન્ય કરવી. ઘર્મ સમજવાની ભાવના રાખવી. સત્સંગ કરવો અને કુસંગ તજવો. આ સુખી અને સારા થવાની શિખામણ લક્ષમાં રાખી તે પ્રમાણે વર્તવાની ટેવ પાડવા યોગ્ય છે. તમે મુમુક્ષુ છો તેથી બન્નેને સમજવા યોગ્ય, ગ્રહણ કરવા યોગ્ય આ શિખામણ લખી છે તે બન્ને મળીને વાંચશો. આ પત્ર તમે વાંચજો, નાખી ન દેશો. શિખામણની વાત છે. જેમ બને તેમ સંપ કરવો. લીંબુના પાણીની ગોડે (પેઠે) સર્વની સાથે મળી જવું. મૈત્રી ભાવના, કારુણ્ય ભાવના, પ્રમોદ ભાવના અને માધ્યસ્થ ભાવના એવી ચાર ભાવનાઓ છે તે વાંચવી. ‘વિનય વેરીને વશ કરે છે માટે સૌનો વિનય કરી છૂટવું, એ અભ્યાસ પાડવો. જેમ બને તેમ કોઈનું Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ઉપદેશામૃત વચન સહન કરી જવું. ક્રોધ આવે તો ક્ષમા પકડવી, કોઈને ક્રોધ આવે તેમ ન કરવું. કોઈને ક્રોથ આવ્યો એમ લાગે તો મીઠાં વચન અને નરમાશથી તેમનું હિત થાય, તેમને સારું લાગે એવો મૈત્રી ભાવ રાખવો. મોટાની મુલાકાતે આપણને બહુ લાભ થાય છે. હિમ્મત રાખવી. તમે તમારા મોટા ભાઈને કાગળ લખ્યો છે તે જાણ્યું છેજી પણ તેમને અવગણના નહીં, દૈનિભ્રંછવા નહીં. તેમની જે સમજ છે તેમાં આપણે વિશ્વમભાવ ન કરવો. આપણને કોઈ મળતા હોય તેને ધર્મમાં જોડવા. આપણે તેની વાતમાં તણાઈ ન જવું, એની વાતોમાં રાજી ન થવું. તેનામાં આપણે દોરાઈ જઈએ તો ખોટી ગતિ થાય છે. કૃપાળુદેવનું પુસ્તક વાંચવાનો જોગ મળે તો તેમાં નવરાશનો કાળ ગાળવો, પણ બીજા કામમાં ગપ્પાં મારવામાં ખોટી ન થવું. હિમ્મત રાખી, નહીં ગભરાતાં, શિખામણમાં સમજણમાં ઉદ્યમી થવું તો બધું શિખાશે અને ડાહ્યા ગણાશો. વધારે શું લખવું ? “જ્ઞાન ગરીબી, ગુરુવચન, નરમ વચન નિર્દોષ; ઇનકું કભી ન છાંડિયે, શ્રદ્ધા, શીલ, સંતોષ.'' ૧. તુચ્છ ગણવા. ૧૫૪ ‘વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જલના તરંગ; પુરંદરી ચાપ અનંગરંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ.’’ “સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાન્ત સનાથ થાશે, એના વિના કોઈ ન બાંહ્ય સ્હાશે.’’ અઠવા લાઈન્સ, સુરત, તા. ૯૧૬-૩૪ ‘દ્રવ્યદૃષ્ટિએઁ વસ્તુ થિર, પર્યાય અથિ ઊપજત વિણસત દેખકે, હર્ષ વિષાદ “નિજ ઘામ ચંચળ, વિત્ત ચંચળ, ચિત્ત ચંચળ સર્વથી, હિત મિત્ર ને સુકલત્ર ચંચળ, જાય શું મુખથી કથી ? સ્થિર એક સદ્ગુરુદેવ છો, એ ટેક અંતર આદરું; સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું.'' “નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય; કાં એ ઔષધ ન પીજિયે, જેથી ચિંતા ' જો જો પુદ્ગલ-ફરસના, નિશ્ચે ફરસે સોય; કર્મબંધ–ક્ષય હોય.'’ જાય ?'' મમતા-સમતા ભાવસે, વીતી તાહિ વિસાર દે, જો બની આવે સહજમેં, --શ્રીમદ્ રાજચંદ્ર નિહાર; નિવાર,’ આગેકી શુ લે; તાહિમેં ચિત્ત દે.'' Page #198 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૧ ૧૦૧ ભાઈ મંગળભાઈનાં ઘર્મપત્ની પવિત્ર બેનનો નાની ઉમરે દેહત્યાગ થયો તે સાંભળી અલ્પ પરિચયવાળાને પણ ખેદ થાય તેવું બન્યું છે; તો નિકટના સંબંધીઓને ખેદ વિશેષ થવા સંભવ છે. પરંતુ એ કોઈના હાથમાં નથી. કહ્યું છે કે “કોઉ ન શરણ મરણદિન દુઃખ ચહું ગતિ ભર્યો, સુખદુઃખ એક હિ ભોગત જીય વિધિવશ પર્યો.” પરંતુ તે ખેદને વિસર્જન કરીને એમ વિચારવું ઘટે છે કે મનુષ્યપણાનું આયુષ્ય વધારે હોત તે ઘર્મ-આરાઘન વિશેષ કરી શકત. આ મનુષ્યપણાનું કંઈ મૂલ્ય થઈ શકે તેમ નથી, અમૂલ્ય છે. મનુષ્યપણામાં ઘર્મ નીપજે છે. મનુષ્યભવ ભગવાને દુર્લભ કહ્યો છે. તેમાં ઉત્તમ કુળમાં જન્મ પામી, પુણ્યવંતને ઘેર જોગ મળેલ, સત્સંગ થઈ શકે તેવી નિકટતા છતાં તેવો સંબંધ છૂટ્યાથી ખેદ થવો ઘટે છે. અનાદિકાળથી આ જીવ સમકિત પામ્યો નથી. તો સત્સંગના યોગે “સતની વાત સાંભળી જીવને શ્રદ્ધા થાય છે; તે વિષેનો લાભ પ્રાયે મનુષ્યભવ વગર મળે નહીં તે ખેદ કર્તવ્ય છે. બાકી તો સંસાર અસાર છે. આ દેહના પર્યાય છે તે જે દી તે દી છૂટશે જ, પણ તેમાં ઘર્મ થાય છે તે સાર છે. આપ પ્રજ્ઞાવંત સમજુ છો, ડાહ્યા છો, સપુરુષના આશ્રિત છો તેથી સર્વને સાંત્વન, દિલાસો આપો તેવા છો. તેથી વિશેષ કંઈ લખવાની જરૂર નથી. તેમજ મંગળભાઈ પ્રત્યે જણાવશો કે કંઈ ખેદ કર્તવ્ય નથી, “કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.” માત્ર જીવ મનુષ્યભવ પામીને સમ્યક્ શ્રદ્ધાને પામે તો જપતપ આદિકથી અધિક–બધુંય થયું જાણવું. સાર ઘર્મ, સમ્યક શ્રદ્ધા દુર્લભ છે. માટે આપ સમજુ છો, વિચક્ષણ છો. મનુષ્ય ભવ પામી ચેતી જવા જેવું છે. કાળનો ભરોસો નથી, કાળ ગટકાં ખાઈ રહ્યો છે. લીઘો કે લેશે થઈ રહ્યું છે. જીવને ફરી ફરી આ જોગ મળવો દુર્લભ છે–મેમાન છે, પરોણો છે એમ જાણી દિન દિન પ્રત્યે ઘર્મઆરાઘન કર્તવ્ય છે. પાંચ-દશ મિનિટ કે પા કલાક દિન પ્રત્યે ટેક રાખી સ્મરણભક્તિ અવશ્ય કરવા યોગ્ય છે. રુક્મિણીબાને પણ જણાવશો કે સંસારમાં મનુષ્ય ભવ પામીને ચેતવા જેવું છે. સર્વ પ્રાણી માત્રને મરણ આવવાનું જ છે માટે દિલગીરી કે ગભરાવું નહીં કરતાં જેમ બને તેમ ભક્તિસ્મરણનો લક્ષ રાખશો. એક ઘર્મ સાર છે. ૧૫૫ સં. ૧૯૯૦ સહજાત્મસ્વરૂપ શુદ્ધચેતન્યસ્વામીને નમસ્કાર હો ! સર્વજ્ઞદેવ, નમસ્કાર હો ! પરમગુરુ, નમસ્કાર હો ! સમય સમય આ જીવ મરી રહ્યો છે, શુભાશુભ પુદ્ગલને ફરસ્યાં છે. જ્ઞાની સમભાવમાં છે. દેહ છૂટવા વિષે ભય કર્તવ્ય નથી, હરખવિખવાદ ઘટે નહીં. અશુભ શુભાદિ મિથ્યા માઠાં મનનાં પરિણામ તે જ હાનિ અને તે જ મરણ છે. આત્મા સર્વ શાતા-અશાતાનો દ્રષ્ટા છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ઉપદેશામૃત ૧૫૬ આપે ‘આત્મસિદ્ધિ’ મુખપાઠે કરી છે તેમાં ચૌદ પૂર્વનો સાર આવી જાય છે. તેમાં કોઈને વિષમ લાગે તેવું નથી. સૌની સાથે શાંતભાવે હળીમળીને રહેવું. શ્રી આત્મસિદ્ધિમાં આત્મા ગાયો છે. તેમાં કોઈ ધર્મની નિંદા નથી. સર્વ ધર્મ માનનારને વિચારવા યોગ્ય છે. આપણે પણ આત્મા ઓળખવો હોય તો તેનો વારંવાર વિચાર કરવા યોગ્ય છે. ચૌદ પૂર્વનો સાર તેમાં છે. આપણને આપણી યોગ્યતા પ્રમાણે વિચારવાથી ઘણો લાભ થાય તેવું છે. એમાં જે ગહન મર્મ ભર્યો છે તે તો જ્ઞાનીગમ્ય છે, કોઈ સત્પુરુષના સમાગમે સાંભળીને માન્ય કરવા યોગ્ય છે. પણ જેટલો અર્થ આપણને સમજાય તેટલો સમજવા પુરુષાર્થ કર્તવ્ય છે. એટલે ગમે તે ધર્મ માનનાર હોય તેની સાથે આત્મસિદ્ધિ વિષે વાત થાય અને તે સાંભળે તો તેને રુચે તેમ છે. આત્મસિદ્ધિમાં તો ભલભલાને માન્ય કરવી પડે તેવી વાતો છે. તેથી વધારે હું જાણું છું એમ કહેનાર કંઈ જાણતો નથી, તેમાં ભૂલ દેખનાર પોતે જ ભૂલ ખાય છે. શ્રી આત્મસિદ્ધિને યથાર્થ સમજનાર તો કોઈ વિરલા જ્ઞાનીપુરુષ છે. પણ ગુજરાતી ભાષામાં હોવાથી નાનાં બાળક, ઔ, વિદ્વાન ગમે તે વાંચી શકે, મોઢે કરી શકે, રોજ બોલી શકે અને યથાશક્તિ સમજી શકે એમ છે. અને ન સમજે તો પણ તે જ્ઞાનીપુરુષના શબ્દો કાનમાં પડે તો પણ જીવ પુણ્ય બાંધે એવો એનો પ્રભાવ છે. માટે બીજી વાતોમાં ખોટી ન થતાં ઘેર, બહાર, કામ ઉપર કે નવરાશમાં જ્યાં હોઈએ ત્યાં આત્મસિદ્ધિની કોઈ કોઈ ગાથા બોલતા રહેવાની ટેવ રાખી હોય તો તેનો વિચાર કરવાનો પ્રસંગ આવે અને વિશેષ સમજાતું જાય. તથા આત્માનું માહાત્મ્ય પ્રગટ થાય. બીજું કંઈ ન બને તો આત્મસિદ્ધિની ગાથાઓમાં મનને રોકવું એ હિતકારી છે. થાકી ન જવું; સો વાર, હજાર વાર એકની એક ગાથા બોલાય તો પણ હરકત નહીં, લાખ વાર બોલાય તો ય ઓછી છે. તેમાં કહેલો આત્મા માટે માન્ય છે, જ્ઞાની પુરુષે તેમાં આત્મા પ્રગટ જણાવ્યો છે એવી શ્રદ્ધા રાખી કેડ બાંધીને પુરુષાર્થ કર્તવ્ય છે. વધારે શું લખવું ? પુરુષાર્થ કર્યા વિના કંઈ બનતું નથી. માટે કંટાળવું નહીં. ભૂલ્યા ત્યાંથી ફેર ગણો. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ અષાડ સુદ ૭, ૧૯૯૦, તા. ૮૭–૩૪ ૧૫૭ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ અષાડ સુદ ૧૪, બુધ, ૧૯૯૦ તા. ૧૫-૭–૩૪ કાળનો ભરૂંસો નથી, લીધો કે લેશે થઈ રહ્યું છે. જગત પંખીના મેળા જેવું છે, મેમાન જેવું— સ્વપ્ન જેવું છે. તીર્થંકરના વચન એવાં છે : આખો લોક ત્રિવિધ તાપથી બળતો છે, અજ્ઞાનથી સદ્વિવેક પામવો દુર્લભ છે. તે યથાતથ્ય છે. સમતા અને ધીરજ કર્તવ્ય છે. એ જ એક ભાવ-વૃષ્ટિ કરવાની છે. જેવું સુખ-દુઃખ બાંધ્યું હશે તેવું ભોગવાશે. તેમાં કોઈનું ચાલે તેમ નથી. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ પત્રાવલિ-૧ ૧૫૮ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ તા. ૧૭૩૪ આ કળિકાળમાં સારી સોબત, સત્સંગ, સપુરુષોનો યોગ પ્રાપ્ત થવો બહુ દુર્લભ છે. મહા પુણ્યનો ઉદય હોય ત્યારે સત્પરુષનાં દર્શન કરવાનો, બોઘ સાંભળવાનો યોગ બને; ન્યાયનીતિ, સદાચાર પ્રમાણે વર્તે, સત્ય, સારાં, પ્રિય લાગે, સંપ વધે તેવા વચનો બોલે કે લખે; પોતાને સોપેલું કામ સારી રીતે કરે. મોટા માણસોનો વિનય, સેવા ચાકરી કરે, કોઈ માંદા વગેરે હોય તેને મદદ કરે, ભક્તિ ભજન માટે નિત્ય નિયમ રાખી ભક્તિ કરે, સ્મરણ કરે, નમસ્કાર કરે, દર્શન, સત્સંગ સમાગમની ભાવના કરે તેને પુણ્ય બંઘાય છે અને પુણ્યશાળી જીવો સુખી હોય છે તે આપણે જાણીએ છીએ. “બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો: તોયે અરે ! ભવચક્રનો આંટો નહીં એ ટળ્યો.” એમ પરમ કૃપાળુદેવે લખ્યું છે તે પ્રમાણે કેટલાં બધાં પુણ્ય એકઠાં થાય ત્યારે મનુષ્ય ભવ મળે છે ! તે સફળ થયો ક્યારે કહેવાય કે જ્યારે પ્રત્યક્ષ સત્ પુરુષની કૃપાથી તેનાં વચન પર વિશ્વાસ આવવાથી જીવ મોહનિદ્રા તજી જાગૃત થાય અને જન્મ, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ તથા સર્વ દુઃખને દૂર કરે તેવું સમ્યત્વ એટલે આત્માની ઓળખાણ અને તેની શ્રદ્ધા અચળ થાય ત્યારે. સમકિત પામવું એ ભવમાં મોટામાં મોટો લાભ છે. સંસારી જીવો ઘન, સ્ત્રી, પુત્ર, ઘર, ખેતર, કપડાં, ઘરેણાંની ઇચ્છા કર્યા કરે છે. પરંતુ તે વસ્તુઓ પડી મૂકી સર્વને મરી જવાનું છે. આખરે કંઈ કામમાં આવતું નથી. માત્ર જીવે જો ઘર્મની ઓળખાણ કરી ઘર્મ આરાધ્યો હશે તો તે પરભવમાં સાથે જશે અને તેને સુખી કરશે. માટે સંસારના સુખની ઇચ્છા ન કરવી. પણ આત્માનું કલ્યાણ કેમ થાય તેની કાળજી રાખી, સત્સંગ સમાગમે જે કંઈ શિખામણ મળે તે હૃદયમાં કોતરી રાખી તે પ્રમાણે વર્તવાનો પુરુષાર્થ કર્તવ્ય છે. પૂર્વના પ્રારબ્ધ પ્રમાણે આ ભવમાં જન્મ થયો છે. મનુષ્ય દેહ, સારું કુળ, સત્સંગ વગેરેની જોગવાઈ મળી આવી છે તો તેનો સદુપયોગ કરી આત્મહિત ઉતાવળે સાથી લેવું. આવો અવસર ફરી ફરી મળવો દુર્લભ છે. ક્ષણ લાખેણી જાય છે. વખત જાય છે તે પાછો આવતો નથી, માટે નકામો વખત ગુમાવવો નહીં. ભક્તિ, સ્મરણ, વાંચનમાં નવરાશનો વખત ગાળવો અને ઘર્મ માટે સવાર સાંજ વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, વગેરે જે કરવાનું કહ્યું હોય તે ચૂકવું નહીં. આલોચના, સામાયિક પાઠ રોજ વાંચવાનો અવકાશ મળે તો વાંચી જવા. હે ભાઈ ! આ જીવને વીલો મેલવા જેવું નથી. સંસારના કામકાજમાં પ્રયોજન જેટલું, જરૂર જેટલું વહેવારે પ્રવર્તન કરવાનો ટાઇમ હોય છે તે સિવાયનો કાળ બીજી રમતગમત પ્રતિકૂળ એશઆરામમાં જવા ન દેવો. કંઈ ઘર્મપુસ્તક વાંચવાનું નિમિત્ત રાખવું. જીવે કાળજી રાખવી. વિનય એ મોટી વસ્તુ છે. બહ ચેતવા જેવું છે. તમને કઈ શિખામણ જણાવી છે તે પુણ્ય બંધાવા અને પાપથી છૂટવા માટે કર્તવ્ય છે. હિમ્મત હારવી નહીં. જેમ બનવાનું હશે તેમ બનશે. બધાને હિમ્મત આપશો, ગભરાશો નહીં. સંપ રાખી ધીરજથી કામ લેશો તો તમે સુખી થશો. પેટ મોટું –ગંભીરતા રાખતાં શીખશો. જેમ બને તેમ તમારા મોટા ભાઈ છે તેમને હિત, શિખામણ, તમારા ઉપર પ્રેમ થાય તેમ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧/૪ ઉપદેશામૃત કરશો. આત્મા એકલો આવ્યો અને એકલો જશે. સુખદુઃખ, શાતા-અશાતા જીવને બાંધ્યા પ્રમાણે આવે છે તે કોઈના હાથમાં નથી. માટે સમતા અને ઘીરજ વઘારે રાખતાં શીખવું. નબળા માણસોનો સંગ ન કરવો. નાની ઉંમરના છો પણ ઘરડા સમજુ માણસ જેવી બુદ્ધિથી વર્તવું અને મોટા સમજુ માણસની મુલાકાત પ્રસંગ રાખવો, ઓળખાણ તેમની સાથે રાખવી. સૌની સાથે મૈત્રીભાવથી નમ્રતાથી વિનય સહિત બોલવા ચાલવાનો વ્યવહાર રાખવો. ગરીબાઈ રાખી વર્તવું. નમ્યો તે પરમેશ્વરને ગમ્યો. અહંકાર રાખવો નહીં. “જ્ઞાન ગરીબી ગુરુવચન, નરમ વચન નિર્દોષ; ઇનકું કભી ન છાંડિયે, શ્રદ્ધા શીલ સંતોષ.” આ લખેલ દુહો મુખપાઠ રાખી તેમાંનો વિચાર, શિખામણ છે તે મનમાં રાખી આપણે વર્તવું. અવકાશ પ્રસંગે ઘર્મનું વાંચવું, વિચારવું. આ સમજ આ ભવ પરભવના હિતને માટે જણાવી છે. ઉપર લખ્યા પ્રમાણે જેમ આત્મહિત થાય તેમ વર્તવા યોગ્ય છે. આપણું ભૂરું કર્યું હોય તેમનું પણ ભલું કરવું એવો સ્વભાવ રાખવો. એમનો તિરસ્કાર કરવો નહીં. તેમને સારું લાગે તેવું માન આપી સારું થાય તેમ કરવું. “આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં.' એમ કહેવત છે; માટે પોતાથી બને તેટલું આ સંસારમાં આયુષ્ય રહે ત્યાં સુધી ભલું થાય તેમ કરવું. જેમ બને તેમ સદ્વર્તન કરશો. વિનય વેરીને વશ કરે છે. જે મળે તેટલાથી સંતોષ રાખવો. ખમી ખૂંદવું. જૂઠું બોલવાની ટેવ કદી પાડવી નહીં. નમનતાથી વર્તવું. ૧૫૯ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ તા. ૧૯-૭-૩૪, ગુરુ દંતાલીવાળા ત્રિકમભાઈનું શરીર ક્ષયને લીધે સુકાઈ ગયું છે. તે હાલ આશ્રમમાં રહે છે. પરમ કૃપાળુદેવ ઉપરની શ્રદ્ધા વૃઢ થાય અને શરીર ઉપરની મમતા ઓછી થાય તેવો બોઘ, પત્ર આદિ બોલાવીને, તેમને સંભળાવવાનું નિમિત્ત રાખ્યું છે. એ રોગમાં શરીર ક્ષીણ થઈ જવા છતાં ભાન, સુરતા સારી રહે છે. વૃદ્ધાવસ્થા હોય, મંદવાડ હોય, તોપણ મનુષ્યદેહ છે ત્યાં સુધી સત્સંગ આદિ આત્મહિતનું કારણ બની શકે છે. રોગના વખતે સમકિતી જીવને વિશેષ નિર્જરા થાય છે. દુઃખના વખતમાં સામાન્ય રીતે ભગવાન વઘારે સાંભરે અને સુખના વખતે સંસાર સાંભરે છે. માટે જ્ઞાની પુરુષો તો વેદના વખતે રાજી થાય છે કે આ કર્મનો બોજો હલકો થાય છે. એટલા સુધી કે મૃત્યુવેળાને મહોત્સવ ગણે છે. જે કોઈ જીવની સાચા દિલથી પરમ કૃપાળુદેવ ઉપર આસ્થા થઈ છે તે સર્વનું કામ થઈ જવાનું છે. ખામી માત્ર બોઘની અને જીવની યોગ્યતાની છે. તે ખામી પૂરી કરવા સપુરુષાર્થ કર્તવ્ય છેજી. આપ તો અવસરના જાણ છો અને એવાં સારાં નિમિત્તો મેળવતા રહો છો એટલે આપને શું જણાવવાનું છે ? આપને કાંઈ કહેવાનું નથી. “ખાતાં રહ્યું તે બી અને મરતાં રહ્યું તે ઘરડું.” અમારે તો તમારો સત્સંગ સંબંઘી મોટો આધાર છે. આપને શું લખવું ? આપ અવસરના જાણ છો. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ પત્રાવલિ–૧ સમયે યમ મ પHIT' ક્ષણ લાખેણી જાય છે. એવો કાળ વ્યતીત કરવાને સદ્ગુરુ કૃપાથી મળ્યો છે તેથી કાળ વ્યતીત કરીશું. સદ્ગુરુના બોઘથી હિત થાય છે, તેવો સત્સંગ દુર્લભ છે. જેમ બને તેમ તે મેળવવાની કાળજી રાખવા જેવું છે. કાળ જેમ બને તેમ પુરુષના બોઘમાં વ્યતીત થાય તે સારું છે. ઘણું કરી વીતરાગ માર્ગ “સમ'નો છે. જેવી ક્ષેત્રફરસના હોય તે પ્રમાણે બન્યા કરે છે. તેના દ્રષ્ટા થઈ રહેવું. 'ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૬૦ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ તા. ૧૪-૮-૩૪ શ્રાવણ સુદ ૪, મંગળ, સં. ૧૯૯૦ મોટા પુરુષોએ આત્મહિત થવા માટે અને જીવને પુણ્ય બંઘાય તેવો લક્ષ થવાને જણાવ્યું છે. મનુષ્યભવ મળવો દુર્લભ છે. તે મનુષ્યભવ પામી એવી રીતે સંસારમાં વર્તવું કે જેથી પુણ્ય બંધાય, દેવગતિ થાય અને સત્પરુષ-સદ્ગુરુની શ્રદ્ધાએ સમ્યકત્વ પમાય. આ વાત ચૂકવા જેવી નથી. આત્માને માટે એ જ કર્તવ્ય છે. તમે સમજુ છો. માટે પરમાર્થે સ્વપરનું હિત ચિંતવવું. તે માટે નીચે મુજબ લક્ષમાં રાખી વર્તવું યોગ્ય છે : ૧. જૂઠું બોલવું નહીં. જો કે તે ટેવ ઘણાકને હોય છે, પણ સાચું બોલવાની ટેવ રાખવી. ૨. લાંચ લેવી નહીં. ૩. ચોરી કરવી નહીં. ૪. પરસ્ત્રીનો સંગ કરવો નહીં. ૫. નીતિન્યાયે પૈસો મેળવવો, તેથી જે મળે તેથી સંતોષ રાખવો. ૬. સૌની સાથે મૈત્રીભાવ રાખવો. મોટા સાથે, સારા ડાહ્યા કહેવાતા હોય તેની સાથે સંબંઘ રાખવો. ૭. નબળા સાથે સંબંધ રાખવો નહીં. સંસારમાં પાપબંઘ કરાવે, ખોટી ગતિ કરાવે તેવાનો પરિચય રાખવો નહીં. ૮. આપણું બૂરું કરે તેનું પણ બને તો ભલું કરવું કે ભલું ઇચ્છવું. કોઈ સાથે કુસંપ કરવો નહીં. ૯. ગંભીરતાથી મોટું પેટ રાખવું. ખોટી વાત ભૂલી જવી. ૧૦. “પરમારથમાં પિંડ જ ગાળ' એટલે આત્માને અર્થે ભાવના કરવી. હાલતાં ચાલતાં, કામ પ્રસંગમાં વર્તતાં પણ મનમાં સ્મરણ “સહજાત્મસ્વરૂપ પરમગુરુ'નું કરવું, એટલે ક્ષણે ક્ષણે તે મંત્ર સંભારવો, ભૂલવા જેવું નથી. કાળ ગટકાં ખાઈ રહ્યો છે. લીઘો કે લેશે એમ થઈ રહ્યું છે. મનુષ્યભવ દુર્લભ છે. આ મનમાં, ચિત્તમાં, સ્મૃતિમાં લાવવા જેવું છે. તમે સમજુ છો. કોઈને માટે આ નથી. આ ભાવના Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ઉપદેશામૃત પોતાને માટે છે. ન ગમે તોપણ “મોક્ષમાળા' આદિ પુસ્તક વાંચવામાં મન રાખવું. ચિત્ત-મન બીજે ફરતું હોય ત્યાંથી રોકી દઈ કંઈક ઘર્મના કામમાં તેને રોકવું. કંઈ ગભરાવું નહીં. હિમ્મત રાખી મંત્રનું સ્મરણ કર્યા કરવું. કામને ટાણે કામ અને આરામને ટાણે આરામ. મનને, વિચારને સારા કામમાં પુણ્ય બંઘાય એવામાં રોકવાં. સૌ સાથે મૈત્રીભાવ રાખવો. સંપ, શીલથી વર્તવું. કોઈ સાથે કુસંપ કરવો નહીં. લીંબુનું પાણી સૌમાં ભળે તેમ સર્વ સાથે હળીમળીને રહેવું, ભળી જવું. સત્સંગ સર્વથી શ્રેષ્ઠ છે. પરમ કૃપાળુદેવ ઉપર શ્રદ્ધા અને તેમનાં વચનનો વિચાર યથાર્થ થવાથી સમકિત થાય છે. તેની પ્રાપ્તિ થવી મોટી વાત છે. પણ તે મેળવવા પ્રયાસ કરવો. શાતાઅશાતા બાંઘી હશે તે ભોગવવી પડશે, તેમાં દિલગીર ન થવું; સદાય ઉલ્લાસમાં રહેવું, ગભરાઈ જઈ ઉદાસ રહેવું નહીં. હિમ્મત હારી જવી નહીં. સમભાવ રાખી ખમી ખૂંદવું. રોજ વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, આલોચનાનું પુસ્તક વાંચવાનું બનતા જોગે કરશો. વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ તો સાંજે કે સવારે ભણવા. તેનું ફળ અવશ્ય થશે. આત્માર્થે કરવું. બીજું કાંઈ ઇચ્છવું નહીં. સુખદુઃખ તો બાંધેલું છે. તે કોઈને આવ્યા વિના રહેવાનું નથી. કાળ જાય છે તે અમૂલ્ય છે. કંઈ ઇચ્છા કરવી નહીં. બનવાનું હશે તેમ બનશે. કંઈ બહુ સંભારવું નહીં, ભૂલી જવું. જેવા દુઃખના દહાડા આવે તેવા સમભાવે ઉલ્લાસથી ભોગવી લેવા. ૧૬૧ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ તા. ૧૮-૮-૩૪ આ જીવનું પ્રમાદ તથા સ્વચ્છેદ ભૂંડું કરે છે. માટે જીવે સપુરુષનો બોઘ સાંભળી, વાંચી, વિચારી મનને, વૃત્તિને બહુ વિકલ્પમાં બીજા પરભાવમાં જતી રોકી, કામકાજ કરતાં, હરતાં ફરતાં મન સ્થિર કરી “સહજત્મસ્વરૂપ ની ભાવના હૃદયમાં કરવી. ક્ષણે ક્ષણે, કામકાજ કરતાં, હરતાં ફરતાં મનમાં સ્મરણ કરવું કર્તવ્ય છે. જેટલો બને તેટલો પુરુષાર્થ કરવો. ગભરાવું નહીં, અકળાવું નહીં, મૂંઝાવું નહીં. જેમ બને તેમ સર્વિચારમાં મનને-વૃત્તિને લાવવી. પરમાં જતું અટકાવવા કોઈ પત્ર પરમ કૃપાળુદેવનો વાંચવો, વિચારવો. પ્રારબ્ધ પ્રવૃત્તિમાં સૌ જીવાત્મા છે. તેમાં બઘા દિવસ જાય છે; પણ માસે પંદર દિવસે એક સ્થાને બધા મુમુક્ષુઓએ ભેગું થવાય એમ કરવું. કાળ જાય છે. એમાં કંઈ સત્સંગ કરવા અર્થે એક દિવસ ગોઠવશો તો, અડચણ નહીં પડે. બઘાની સલાહ મેળવી એક દિવસ ઘર્મમાં જાય તેમ કાઢશો. ફરીને આ મનુષ્યભવ મળવો દુર્લભ છે. એક શહેરમાં છો તો આવી ગોઠવણ કરશો તો બની રહેશે. બનનાર તે ફરનાર નથી અને ફરનાર તે બનનાર નથી એમ વિચારી ઘર્મના કામમાં પુરુષાર્થ કર્તવ્ય છેજી. Page #204 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૧ ૧૬૨ १०७ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ તા. ૧૭૯૩૪, ગુરુવાર સર્વની સાથે હળીમળીને વિનયથી વર્તવું. કોઈનો પણ ફેરો ફાંટો ઉમંગથી ખાવો. સર્વને સારું લાગે તેમ બોલવું, મળવા જવું, કામકાજ પૂછવું અને બાળકની પેઠે સર્વથી લઘુ થઈને નમ્રતાથી વર્તવું. ગભરાવું નહીં. ઉલ્લાસ રાખવો. કામમાં ખામી ન આવવા દેવી અને આળસમાં, મોજશોખમાં નકામો વખત વહી જવા ન દેવો. દરરોજ વીસ દોહરા ભક્તિના તથા ક્ષમાપનાનો પાઠ અને આત્મસિદ્ધિ બને તો તે પણ બોલવાની ટેવ રાખવી. સારી નીતિ ન્યાયપૂર્વક વર્તણૂક રાખવાથી પુણ્ય બંધાય અને ધર્મના કામમાં કાળજી રાખવાથી આત્માનું કલ્યાણ થાય માટે બન્નેમાં કાળજી રાખવી. ન ઘીરજ રાખવી. કોઈ ગમે તે કહે તે સહન કરવાની ટેવ પાડવી. તેથી બહુ લાભ થાય છે. ક્રોધી સ્વભાવ જેનો ન હોય તેના સર્વે મિત્રો બની જાય છે. વિનય એ સર્વને વશ કરવાનું ઉત્તમ હથિયાર છે. જેમ બને તેમ દુશ્મનનું પણ ભલું ઇચ્છવું. સદાચાર સેવવા. મૈત્રીભાવ રાખશો. ધીરજથી હળીમળી આનંદ લેવો. ગુણગ્રાહી થવું. આપણને કોઈએ ગુણ કર્યો તો આપણે તેનો બદલો વાળવો, મીઠાં વચનથી, નમનતાથી સારાં વચન કહી તેનું મન રાજી થાય તેમ કરવું. આ વાત કોઈ જીવાત્મા સમજુ હોય તેને કહેવાનું થાય છે. સૌથી મોટી નમનતા છે. લઘુભાવ કરી વર્તવું. અહંકાર અને અભિમાન આત્માના વૈરી છે, તેને મનમાં લાવવા નહીં. અભિમાન થવા ન દેવું. એમ મનમાં ન લાવવું કે હું સમજું છું, આ તો કંઈ સમજતો નથી. કહ્યું છે કે ‘જાણ આગળ અજાણ થઈએ, તત્ત્વ લઈએ તાણી, આગલો થાય આગ તો આપણે થઈએ પાણી.’' આ બધું તમારા ઉપર સમજણ માટે લખાય છે. મનમાં એમ ન કરવું કે હું તો સમજુ છું. કોઈ અણસમજુ હોય તેનું પણ મન દૂભવવું નહીં. તેને પણ સારા સારા કહી એમનું, આપણું હિત થાય તેમ કરવું. * ⭑ ૧૬૩ મરણ બહુ સાંભરે છે. આજ સુધીમાં જે જે મરણ થયેલાં તે વારંવાર યાદ આવે છે અને ક્ષણિકતા, અનિત્યતા તરી આવે છે કે કાચની શીશીની પેઠે કાયાને ફૂટી જતાં વાર લાગતી નથી. ગભરામણ થાય છે, કંઈ ગોઠતું નથી. કોઈ સ્થાનમાં બહાર જવાથી પણ ગોઠતું નથી, અહીં રહેવાથી પણ ગોઠતું નથી. મરણનો ડર પણ નથી. પણ વિચિત્ર કર્મના ઉદય દેખાવ દે છે. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ ભાદરવા સુદ ૫, ગુરુ, સં. ૧૯૯૦ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ તા. ૨-૧૦-૩૪ સર્વ સાથે, ક્રોધ આવે ત્યારે ક્ષમા, નમ્રતાથી બોલવું. સામા ભાઈ પ્રત્યે જેમ સારું લાગે તેમ ૧૬૪ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ઉપદેશામૃત બોલવું. સામાને ક્રોઘ આવે, કષાય થાય તેવું બોલવું નહીં. મિત્રતા, કરુણાભાવ, પ્રમોદભાવ, અને મધ્યસ્થતા-સમભાવ, આવાં વચનો હૃદયમાં લાવી વિચારીને સર્વ સાથે બોલવું. નમનતાથી સામાને સારું લાગે તેવો સ્વભાવ કરવાનું ખ્યાલમાં રાખવું. અહંકાર, અભિમાન વૃત્તિમાં આવવા ન દેવાં, નમી જવું. સૌને સારું લાગે તેવો સ્વભાવ કર્તવ્ય છે. “શેઠની શિખામણ ઝાંપા સુઘી” તેમ કરવું નહીં. આ વચન લક્ષમાં રાખી સૌથી હું નાનો છું, મારામાં અલ્પ બુદ્ધિ છે એમ ગણી સામાનો કંઈ પણ ગુણ લેવો. આપણો કોઈ તિરસ્કાર કરે તો પણ તેને ઘીરજથી સારું લાગે તેમ વર્તવું. “તમે સમજુ છો, તમે ડાહ્યા છો, ઠીક કહો છો' એમ કહી જેમ ક્રોધાદિ શમાઈ સમતામાં તે આવે તેમ ઘીરજથી, સંપથી તેને સારું લાગે તેમ બોલવું. ઘીરજથી તેની સાથે વાત કરવી. ‘પૂછતા નર પંડિતા' એવો સ્વભાવ રાખવો. તમારા નાના ભાઈ શાંતિની સાથે નમનતાથી બોલી આપણી મતિમાં કંઈ આવ્યું હોય તો પણ તેમને પૂછવું. પોતાની મા સાથે, બાઈની મતિ અલ્પ હોય તોપણ, ક્ષમા રાખી, તેમની સાથે મળીને કામ લેવું. કોઈ વાત પૂછીને કરવી. જેમ ઠીક થાય, સારું થાય તેમ વર્તવું. મતિથી જેટલી બને તેટલી એમને સમજ આપવી. જેમ સંપ રહે, તેમને સારું લાગે તેમ કરવું. જો કે આપણને કઠણ લાગે તોપણ તેમને વચનથી એવું કહેવું કે તમે સમજુ છો. અવકાશ મળે તો એક દી બે દી તમારી બાએ કે તમારે અત્રે આવી જવું. કોઈ આત્માર્થની વાત, સત્પરુષે કહેલી શિખામણ અત્રે સાંભળી જવી. તે તમને આ ભવ અને પરભવમાં હિત થવાનું કારણ છેજી. સુખદુઃખ આવે તે ગણવાં નહીં. જેવો દહાડો પડ્યો હોય તેવો સમતાએ ઘીરજથી સહન કરી લેવો. અકળાવું નહીં. ગભરાવું નહીં. મીઠાશથી સૌને સારું લાગે તેમ બોલવું. છણકીને, અકળાઈ જઈને બોલવું નહીં. આ વાત ધ્યાનમાં રાખશો. તમને વધારે સારું થશે. કાળ ગટકાં ખાઈ રહ્યો છે. લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. ગામમાં કોઈની સાથે વેર ન રાખવું. સૌની સાથે હળીમળીને રહેવું. કોઈને ક્રોઘ આવ્યો હોય તો પણ નમીને આપણું કામ કરી લેવું. વેર થાય તેમ ન વર્તવું. “બાપની બૈરી કે માજી' કહેવામાં ફેર છે, તેમ આપણે એને સમજાવીને કામ લેવું. સોની સાથે, નાના બાળકની સાથે પણ ઘીરજથી સમજાવીને કામ લેવું. આખો લોક ત્રિવિઘ તાપથી બળે છે. તમારા ભાઈ પ્રત્યે પણ ઉલ્લાસભાવ થાય, તેમને સારું લાગે તેવા પત્ર લખતા રહેવું–રીસ ચઢી હોય તો રીસ ઊતરી જાય, આપણને કંઈ સારી શિખામણ લખી જણાવે તેમ તેમને લખતા રહેવું, પૂછવાનું પણ રાખવું. ૧૬૫ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ આસો વદ ૨, સં. ૧૯૯૦ હે પ્રભુ ક્ષણભંગુર દેહ દગો દેનાર છે. કોઈ રોગ લેવા સમર્થ નથી. જીવને કર્મ એકલા ભોગવવાં પડે છે. પણ સમકિતીની બલિહારી છે ! તેને તો જેમ વઘારે દુઃખ આવે તેમ વઘારે નિર્જરા થાય છે. જેની પાસે ભેદવિજ્ઞાન હથિયાર છે તેનો આખરે જય થાય છે. અત્રે સર્વ પ્રકારની બાહ્ય અનુકૂળતા છતાં જરા અવસ્થાની વેદની લેવા કોઈ સમર્થ નથી. ક્યાંય ચિત્ત ગોઠતું નથી. ચોમાસું Page #206 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ–૧ ૧૦૯ ઊતરતાં કંઈ બહાર જવાની વૃત્તિ થયા કરે છે. પણ શરીર કંઈ સહન કરી શકે તેવું હવે રહ્યું નથી. આંખે ઝંખાશ વર્તાય છે, કાનની બહેરાશ વઘતી જાય છે, બોલતાં પણ તોતડા અક્ષર થઈ જાય છે. બોલતાં બોલતાં થાકી જવાય છે. સાદ બેસી ગયો હોય તેમ ભારે સાદ રહે છે. મરણ વારંવાર સાંભરે છે. કંઈ ભય વર્તતો નથી, પણ ક્યાંય ગોઠતું નથી, ચેન પડતું નથી. સદ્ગશરણે સમતાની ભાવનાએ જે થાય તે જોયા કરવું એ સિવાય બીજો ઉપાય જણાતો નથી. વેદનીયકર્મ–શાતા-અશાતા પ્રાણી માત્રને ભોગવવું જ પડે છે, તેમાં કંઈ કોઈનું ચાલતું નથી. સદ્ગુરુના શરણાથી અત્રે સમભાવે જેમ બને તેમ ભોગવવું કરાય છે. અમારું તો જે શ્રી સદ્ગુરુએ કહેલું તે એક ધ્યાન છે. ૧૬૬ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે, અગાસ તા. ૧-૧૧-૩૪ આપને શું જણાવવું? પરમ પુરુષ પર જેટલો વિશેષ પ્રેમભાવ, શ્રદ્ધા, આશ્રય-ભક્તિભાવ વધે તેટલું સ્વપરનું કલ્યાણ છે, એ આપના લક્ષમાં છેજી. આપ બહુ નિકટ આવી ગયા છો એટલે યોગ્યતામાં આવ્યા છો. આટલી પુણ્યાઈ હોવા છતાં મનમાંથી તેને દૂર કરી ઉપર ઉપરથી રાખો છો! સ્વ. જૂઠાભાઈ અને આપનું કામ થયું છે. રસ્તે ચડવા માટે પરમ પુરુષની શ્રદ્ધાની જરૂર છે. જેને તે આવી તેનો અવશ્ય મોક્ષ થશે. ઘણા ભવ્ય જીવોનું કલ્યાણ થવાનું છે. એમાં કંઈ પૈસાની કે પદવીની જરૂર નથી, માત્ર શ્રદ્ધા કરવાની જરૂર છે. જે તેમ કરશે તે ગમે તેવો હશે તો પણ ઉત્તમ પદ પામશે. મેં નથી જાણ્યો તો મેં માન્યા છે તે પુરુષે તો આત્મા જામ્યો છે એટલી પ્રતીતિ પણ બહુ લાભકારી છે. ૧૬૭ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ તા. ૨૯-૧૧-૩૪ “હોત આસવા પરિવા, નહિ ઇનમેં સંદેહ, માત્ર દ્રષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહ.” જ્ઞાનીને આસવમાં મોક્ષ થાય છે, મુકાય છે; મિથ્યાવૃષ્ટિને સંવરમાં બંધ થાય છે એનું કારણ શું છે ? સમકિત. તમારી માગણી સમકિતની થઈ છે, તે કૃપાળુદેવની કૃપાથી તમને થશે નિઃશંક માનજો. અનાદિનો જીવ મિથ્યાત્વમાં છે. પ્રથમ શીખવાનું : મારું કંઈ નથી. પુદગલ છે તે ચૈતન્ય શક્તિથી ભિન્ન છે, ભિન્ન છે, ભિન્ન છે; આત્માની શક્તિ આત્મામાં છે. ચેતન્ય છે તે પોતાનું છે, બીજું નહીં, એમ માને છે તે મુકાય છે. પોતાનું નહીં તેને મારું માને છે તે બંઘાય છે. “મારું છે, મેં કર્યું એમ માનનાર બંઘાય છે. બધું જ જડ છે, પુલ પર્યાય છે તે કદી પોતાનું થયું નથી, થશે નહીં અને તે પણ નહીં. તે પોતાનું નહીં માનવું, પોતાનો તો આત્મા છે. તે જ્ઞાનીએ જાણ્યો છે, સિદ્ધ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ઉપદેશામૃત સમાન છે તે નક્કી જાણવું. જ્ઞાનીએ જાણ્યો છે તે આત્મા માટે માન્ય છે—જ્ઞાનીના કહેવાથી મારે માન્ય છે. એ જ શ્રદ્ધાં. તે મારી શ્રદ્ધા હો ! જેટલા સંકલ્પ-વિકલ્પ છે તે મિથ્યા છે. સંકલ્પ-વિકલ્પથી આત્મા રહિત છે, તે આત્મા હું માનું છું. નિશ્ચયનયે રાગ-દ્વેષ, મોહ તે આત્મા નથી. નિશ્ચયનય મને માન્ય છે. આ બધું સ્વપ્ન છે–પરભાવને સ્વપ્ન જાણવું. ૧૬૮ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ તા. ૩-૨-૩૫ “સંતચરણ આશ્રય વિના, સાઘન કર્યાં અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. સૌ સાઘન બંઘન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્સાઘન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ? પ્રભુ ! પ્રભુ ! લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુપાય; દીઠા નહિ નિજ દોષ તો, તરિયે કોણ ઉપાય?” જુગાર રમે તે નરકે જાય; આ વાત બહુ ધ્યાનમાં લેવા જેવી છે. ફરીને આવો મનુષ્યભવ નહીં મળે. સહેજે કામ ચાલતું હોય અને પોતે બીજા જુગાર વગેરે ઘંઘામાં પ્રવર્તે છે તેને ધિક્કાર, ધિક્કાર, ધિક્કાર છે ! ૧૬૯ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ તા. ૧૪-૩-૩૫ ફાગણ સુદ ૧૦, સં. ૧૯૯૧ તમો જેમ બને તેમ કોઈ અવસર દેખી સત્સંગ કરવા અવકાશ દેખીને અત્રે આવશોજી. એક આત્મા છે તેની સત્સંગે બોઘથી ઓળખાણ-પિછાણ થયે સર્વ દુ:ખનો નાશ થઈ શાંતિ આવે છે. તો અવકાશ લઈ આવશો તો બોઘ મળશે. એ જેવું એક્ક નથી. બોઘથી કલ્યાણ થાય છે અને જેમ છે તેમ સમજાય છે. પછી કાંઈ ફિકર રહેતી નથી. “ફિકરકા ફકા ભર્યા તાકા નામ ફકીર.” આટલી વાત ધ્યાનમાં રાખી, તમારા ચિત્તને કોઈ પ્રકારનો ખેદ દેખાય તો અત્રે આવી જશો–એક કે બે દી, તો બધી વાતે ખેદનો નાશ થઈ યથાતથ્ય જેમ છે તેમ સમજાશે. જ્ઞાનીને પણ કર્મ બાંઘેલાં હોય છે; તોપણ તેમને ખેદ રહેતો નથી, ઊલટું અવળાનું સવળું થઈ જાય છે. તે હજુ સમજાયું નથી માટે સમજવાની જરૂર છે. આ વાત મનમાં રાખશો તો બહુ સારું થશે. વઘારે શું લખવું ? અવકાશ લઈ સમાગમ કરવાનો લક્ષ રાખશો. Page #208 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ–૧ ૧૧૧ ૧૭૦ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ તા. ૨૨-૩-૩૫ ભગવાનનું વચન છે કે સદ્ધી પરમ કુદ્દી. આપને પરમ કૃપાળુદેવ ઉપર શ્રદ્ધા છે તે હવે પલટાય તેમ નથી. બીજું બધું તો પ્રારબ્ધ પ્રમાણે થયા કરે છે. જીવની યોગ્યતાની ખામી હોય તે પૂરી કર્યો છૂટકો છે. પરમ કૃપાળુદેવ પ્રત્યે પ્રેમ ઉલ્લાસ ભક્તિ કર્તવ્ય છે. શારીરિક સ્થિતિ તો જેવી પલટાતી રહે તેવી જોયા કરવા યોગ્ય છે. સમતા, ઘીરજ રાખી સર્વ સહન કરવા યોગ્ય છે, ખમી ખૂંદવા યોગ્ય છેજી. ૧૭૧ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ શ્રાવણ સુદ ૧૫, સં. ૧૯૯૧ પરમ કૃપાળુ મોટા પુરુષોએ કહ્યું છે કે જીવે જે કર્યું છે તે ભોગવ્યા વિના કોઈને છૂટું નથી. આ જીવને પણ બાંધ્યા વિનાનું બીજું આવવાનું નથી. તો સમતાએ ઘીરજથી સમભાવે સહન કરવું એમ જ્ઞાની પુરુષોએ કહેલું છે. બાંઘેલાં કર્મ જાય છે. તેમાં હરખશોક કર્તવ્ય નથી. ૩ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૭૨ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ તા. ૧૩-૧૧-૩૫ જે દુઃખ આવે છે તે જવાનું છે, જાય છે. તે ફરી આવવાનું નથી. તેથી ગભરાવું નહીં. માત્ર જીવને પુરુષના બોઘની ખામી છે. તે પ્રાપ્ત થાય તેવી ભાવના વર્ધમાન કરવા યોગ્ય છે. સત્સંગે તે પ્રાપ્ત થવા યોગ્ય છે. તેથી તે સત્સંગની અભિલાષા રાખ્યા કરવી. વીસ દોહરા, ક્ષમાપનાને પાઠ, છ પદને પત્ર, આત્મસિદ્ધિ, સ્મરણ મંત્ર વગેરે સાંભળવા વિચારવામાં વિશેષ કાળ ગાળવા યોગ્ય છેજી. ૧૭૩ નાસિક, ચૈત્ર સુદ ૭, ૧૯૯૨ જબ જાકી જેસી ઉર્દ, સો સોહે તિતિ થાન; શક્તિ મરોરે જીવકી, ઉરે મહા બલવાન.” શ્રી બનારસીદાસજી શું કહેવાય ! ક્ષેત્રફરસના પ્રમાણે છે, થાય છે. સદ્ગુરુકૃપાથી આત્મા જાણ્યો છે, અને દેહ તો આનો, આનો, આનો સર્વનો ક્ષણભંગુર છે. તે સંબંધી કલ્પના કરવી વ્યર્થ છે. “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો ! રાચી રહો ?” “જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ.” Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ઉપદેશામૃત આત્મસિદ્ધિશાસ્ત્ર' અને “છ પદ’ના પત્રમાં બધું આવી ગયું છે. ૦ ૦ ૦ ૦ એ પૂછ્યું હતું કે ગુરુગમ શું? એ બહુ કુશળ છે. પણ ગુરુગમ મળી નથી. બહુ વાત કહેવાની છે પણ શક્તિ નથી. જીવની યોગ્યતા જોઈએ. ગુરુગમ વિષે ઘણું સાંભળવાની જરૂર છે. આખો દિવસ આ વ્યવસ્થા અને તે વ્યવસ્થા એમ કર્યા કરવામાં શું આત્મહિત છે? આત્માની કાળજી રાખવાની છે. દેહનું જેમ થવાનું હોય તેમ થાઓ, ભલે કપાઈ જાઓ, છેદાઈ જાઓ, પણ સદ્ગુરુ દ્વારા થયેલી પકડ છોડવા યોગ્ય નથી. મેં આત્મા નથી જાણ્યો, પણ સદ્ગુરુએ જાણ્યો છે એ શ્રદ્ધા કરવા યોગ્ય છે, છોડવા યોગ્ય નથી. અરૂપી આત્મા શી રીતે જોઈ શકાય ! સદ્ધી પરમ સુહા | ૧૭૪ તત્ સત્ શ્રી સદ્ગુરુ રાજચંદ્ર પ્રભુને ત્રિકાળ નમસ્કાર ! (૧) એક અક્ષરથી સમજાય ત્યાં પાંચ, પાંચ અક્ષરથી સમજાય ત્યાં પચીસ, પચીસ અક્ષરથી સમજાય ત્યાં પચાસ, પચાસ અક્ષરથી સમજાય ત્યાં સો નહીં કહેવા. ટૂંકથી સમજાય ત્યાં વઘારે નહીં કહેવું. (૨) આત્મા જોવો; પુદ્ગલ ભ્રમ છે. (૩) પર્યાય પર દ્રષ્ટિ કરવાથી દોષ દેખાય છે, કષાય પોષાય છે. આત્મા જોવાથી આત્મા પોષાય છે. આત્મા જોયો તો આત્મા ને તેથી પર જોયો તો પર. (૪) સમદ્રષ્ટિ. (૫) ભૂલી જવું. (૬) જડભરતવતુ. (૭) મૃત્યુ મહોત્સવ છે. (૮) સમાધિમરણ. (૯) દુઃખ જાય છે—ધીરજ, સમતા, ક્ષમા. (૧૦) દયા–આભારી. (૧૧) શત્રુ કટ્ટાને જીતવાનો અવસર, સમય-સ્વભાવ. (૧૨) મારું નથી. આવ્યું છે તે જાય છે. પાછું આવવાનું નથી. (૧૩) જે છે તેનું સ્મરણ-સહજાત્મસ્વરૂપ. (૧૪) એક છે, બીજો નથી. (૧૫) બીજું નથી. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ પત્રાવલિ-૧ (૧૬) જે છે તે જતું નથી. (૧૭) જેમ છે તેમનું તેમ છે. (૧૮) દ્રષ્ટા છે, જાણે છે, એમ જ છે. ૧૭૫ તત્ સત્ અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવ શુદ્ધ ચૈતન્યસ્વામી પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને અત્યંત ભક્તિથી ત્રિકાળ નમસ્કાર હો ! નમસ્કાર હો ! તારા દર્શનથી ગુરુરાજ રે, સર્યા સર્યા મારાં સહુ કાજ રે ! ભમ્યો અંધ બની ભવમાંહી રે, કાળ અનંત પામ્યો ન કાંઈ રે ! ૧ તારા દર્શનથી જિનરાજ રે ! ટળ્યાં મોહપડળ મુજ આજ રે ! વાસ્તવિક વસ્તુનું સ્વરૂપ રે, હતું તેવું દીઠું મેં અનુપ રે ! ૨ પવિત્રાત્મા સુજ્ઞ આર્ય પૂજ્ય ભાઈ છોટાલાલ મલકચંદ શાહ પ્રત્યે વિજ્ઞતિઃ મુ. શ્રી વટવા, અમદાવાદ પાસે. શ્રી સનાતન જૈન ઘર્મ તીર્થ-શિરોમણિ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી લખાવિત મુનિકુળ લઘુના જય સદ્ગુરુવંદનપૂર્વક આશીર્વાદ સાથે સર્ઘર્મવૃદ્ધિ પ્રાપ્ત થાય. વિ. હે પ્રભુ ! આપનો પત્ર-ભાઈ રામજી વેલજીના હસ્તાક્ષરે લખાયેલ પત્ર–સવિગત વાંચી સંતોષ થયો છે. હે પ્રભુ ! આપ મહા ભાગ્યશાળી છો. આ કર્મના ઉદયે થતા ચિત્રવિચિત્ર દેહાદિ પર્યાયને પોતાના માની અહંભાવ-મમત્વભાવ થયો છે. આ સંસારમાં ખરી ભૂલ તો એ જ છે. તેથી પરભાવમાં પરિણમી મોહાસક્તિને આધીન થઈ સંકલ્પ-વિકલ્પ આદિ વડે બંઘન થયું છે, થાય છે. તેમાં આ જીવ મહાપુણ્યના યોગે મનુષ્યભવ પામ્યો. તેમાં ય મનુષ્યભવ તો ઘણા ઘણા થયા તે પશુવત્ હતા અને તેમાં મિથ્યા જડને ચેન માની રાગ-દ્વેષ કરી ભવબંઘન વઘાર્યા છે. તે ભૂલ યથાતથ્ય સમયે શ્રીમદ્ શ્રી પરમકૃપાળુના જોગે તેના બોઘની પ્રતીતિ, રુચિ, આસ્થા થયે, મારી અલ્પમતિથી, કલ્યાણ સમજાય છે). તે વિષે હે પ્રભુ! આપને કંઈ લખતો નથી. હે પ્રભુ! આપનો પત્ર વાંચતાં આપના જે પર્યાય, ભાવ છે તે મને બહુ સારા લાગ્યા છે.જી. અને આપની યોગ્યતા, ભાવના જોઈ હું આત્મભાવનાએ આત્મભાવમાં નમસ્કાર કરું છું. આશીર્વાદપૂર્વક આપનું કલ્યાણ થાઓ એમ ઇચ્છી, ભવપર્યત અખંડ જાગૃત રહો એ જ આશીર્વાદ છે. હે પ્રભુ ! મારી યોગ્યતાની ખામીથી હું કંઈ આપને લખી ન શકું, શાથી જે પરમ કૃપાળુદેવ જ્ઞાનીની આજ્ઞા છે, જે તમારે યોગ્યતા વર્ધમાન થાય તેમ કર્તવ્ય છે. યથાતથ્ય જે જ્ઞાનીએ ક્ષાયિક પ્રાપ્ત કર્યું છે તેનો અધિકાર છે. માટે હે પ્રભુ ! તે સદ્ગુરુની આજ્ઞાએ વર્તતાં અખંડ જીવન ભવપર્યત આજ્ઞામાં રહ્યાથી–અવશ્ય Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ઉપદેશામૃત જીવને સમકિત થાય છે. પરભવમાં તે સાથે રહે છે. છેવટ મોક્ષ થાય ત્યાં સુધી તે છે, તેમ સમજાયું છે. તો હે પ્રભુ ! આપને તે જોગ મળી આવ્યો છે તો હવે આપને તે જ ભાવની ભાવનાએ કાળ વ્યતીત કરવો કર્તવ્ય છે. મને તો એમ સમજાય છે. જેમ બને તેમ અસંગ અપ્રતિબંધની ભાવનાએ, એક જ જાગૃતિની ભાવનાએ કલ્યાણ છે. બાકી પૂર્વકૃત ઉદય હોય છે તે મારો નથી, એ વિભાવ પિરણામ જડ છે. પુદ્ગલ તેને મારું નહીં માનું. મારું જે છે તે જ્ઞાની પુરુષે કહ્યું છે તે છે. ૧૭૬ શ્રીમદ્ સદ્ગુરુ સહજાત્મસ્વરૂપ પરમગુરુ, નમસ્કાર હો ! એક ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' એ જ સ્મરણ કર્તવ્ય છેજી. ઉદયાઘીન શાતા-અશાતા વેદની કર્મબંધનથી મુકાવાના સમય જાય છે. ત્યાં ઉપયોગ (આત્મા) જોવાની ભાવના વારંવાર વિવેકથી વિચારી, જડથી ચૈતન્ય ભિન્ન છે એમ સમજી, જ્ઞાનચક્ષુથી દિવ્યચક્ષુ વિચારમાં ઘ્યાનમાં લાવી, આત્માનંદ ભાવનાએ ભક્તિ કર્તવ્ય છે. ‘આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે,' જીવ લહે કેવળજ્ઞાન રે. “સંગ-પરિહારથી સ્વામી નિજપદ લહ્યું, શુદ્ધ આત્મિક આનંદપદ સંગ્રહ્યું; જવિ પરભાવથી હું ભવોદધિ વસ્યો, પરતણો સંગ સંસારતાએ ગ્રસ્યો.'' સમજો, સમજી શમી જાઓ. સવારમાં ઊઠી શ્રી સત્પુરુષનાં દર્શન કરવાં. પછી નિવૃત્તિજોગ મેળવી એક આસન ૫૨ સ્થિતિ કરવી. તે સમામાં (સમયમાં) પ્રથમ મંત્ર (પરમગુરુ) સંભારી માળા ફેરવવી, અથવા ઘ્યાન અગર ભક્તિના દુહા ‘હે પ્રભુ ! હે પ્રભુ !' માં અનુકૂળ જોગે જેટલો અવકાશ મળે તેટલો કાળ વૃત્તિ રોકી ઉપયોગની જાગૃતિ રાખી વર્તવું. સવૃત્તિનું અનુસંધાન કરવું. કાયોત્સર્ગમાં રટણ, સ્મરણ, ધ્યાન, જ્ઞાન-દર્શનચારિત્ર—જાણવું-દેખવું-સ્થિરતા, સદ્વિચાર કર્તવ્ય છેજી. ‘સર્વવ્યાપક સત્-ચિદ્-આનંદ એવો હું આત્મા એક છું, એમ વિચારવું, ધ્યાવવું.' ઉદયના ધક્કાથી તે ધ્યાન જ્યારે જ્યારે છૂટી જાય ત્યારે ત્યારે તેનું અનુસંધાન ઘણી ત્વરાથી શાંતિઃ શાંતિઃ શાંતિઃ કરવું. ૧૭૭ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ આ જીવ અનાદિ કાળથી પોતાની મતિકલ્પનાએ ધર્મ માની લઈ ધર્મ આરાધન કરવાનું પ્રયત્ન કરે છેજી. તેથી મૂળ ધર્મને પામી શક્યો નથી. મિથ્યા મોહને લઈ અનંત સંસાર અનંતા જીવો Page #212 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૧ ૧૧૫ પરિભ્રમણ કરે છે, તે પોતાના સ્વચ્છંદની કલ્પના છે. તે ભૂલ જિનાગમમાં વર્ણવેલી જ્ઞાની પુરુષે જોઈ, વિચારી, ટાળી પોતાના નિજભાવ મૂળ ઘર્મ સમ્યગ્દર્શન-શાન ચારિત્રમાં પોતે પરિણમ્યા છે. તે જ કર્તવ્ય છે. નીચેની વાણી ખાસ કરીને આત્માર્થી જીવને લક્ષમાં લેવા જેવી છે, વારંવાર વિચારવા જેવી છે, દિન પ્રત્યે સ્મૃતિમાં, ધ્યાનમાં, ભાવનામાં લેવા જેવી છે. ઉષ્ણ ઉદક જેવો રે આ સંસાર છે; - તેમાં એક તત્ત્વ મોટું રે સમજણ સાર છે.” મોટા પુરુષોએ એ લક્ષમાં લીધું છે. તેથી જીવનું કલ્યાણ થાય છે. ઊંડી વાત છે. લક્ષમાં લેવા જેવી છે. જૂનું મૂકવા જેવું છે. કચ્યું જાય એવું નથી. ક્ષણે ક્ષણે કાળ જાય છે, તે ફરી પાછો આવતો નથી. આ જીવ કયા કાળને ભજે છે? એમ જાણી પોતાની જિંદગીમાં તે ભાવમાં આતમ સસ્વરૂપ શુદ્ધ આત્માનું છે તેની ઓળખાણ, પ્રતીતિ, શ્રદ્ધા, આજ્ઞા ભાવપૂર્વક–લક્ષ રાખે તો સંગનું ફળ અવશ્ય થયા વિના રહેશે નહીં. “મનને લઈને આ બધું છે. માટે ચિત્તવૃત્તિ કોઈ સત્પરુષે કહેલા વચન ઉપર પ્રેરી કાળ વ્યતીત કરવા જેવું છેજી. તે આ : १. 'चत्तारि परमंगाणि दुल्लहाणीह जंतुणो । माणुसत्तं सुइ सद्धा संजमम्मि य वीरियं ॥ (उत्तरा० ३, १) ભાવાર્થ - મોક્ષ પામવાનાં ઉત્કૃષ્ટ ચાર અંગ છે : (૧) મનુષ્યપણું, (૨) મૃત (સપુરુષના મુખની વાણી) નું શ્રવણ, (૩) સદ્ઘર્મ ઉપર શ્રદ્ધા, (૪) સંયમને વિષે બળ-વીર્ય ફોરવવું. એ ચાર મોટાં કારણો આ સંસારમાં મળવા દુર્લભ છે. २ अहमिक्को खलु सुद्धो, निम्ममओ णाणदंसणसमग्गो । તદ્વિ દિશો તો, સળે અવયં . (સમય ૭૩) ભાવાર્થ –હું એક છું, પરપુદ્ગલથી ન્યારો છું, નિશ્ચયનયે કરીને શુદ્ધ છું, અજ્ઞાન-મેલથી ન્યારો છું, મમતાથી રહિત છું, જ્ઞાન-દર્શનથી પૂર્ણ છું, હું મારા જ્ઞાન-સ્વભાવ સહિત છું, ચેતના ગુણ મારી સત્તા છે, હું મારા આત્મસ્વરૂપને ધ્યાતો સર્વ કર્મનો ક્ષય કરું છું. ३. झाइ झाइ परमप्पा, अप्पसमाणो गणिजइ परो वि । ऊज्झइ राग य दोसो छिज्जइ तेण संसारो ॥ ભાવાર્થ – પરમાત્મસ્વરૂપનું ધ્યાન ઘરો, ધ્યાન ઘરો. અન્યને પણ પોતાના આત્મા સમાન ગણો. રાગ અને દ્વેષ ત્યજો. તો તેથી સંસારનું બંઘન છેદાય છે. ૧. ચારે અંગો ય દુષ્માણ્ય, જીવોને જગમાં ઘણાં; મનુષ્યત્વ, શ્રુતિ, શ્રદ્ધા, સંયમે વિર્ય ફુરણા. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ઉપદેશામૃત ४. मा मुज्झह, मा रज्जह, मा दुसह इट्ठणिट्ठअत्थेसु । . થિરમચ્છદ ન વિત્તે વિવિત્તજ્ઞાનુપ્રસિદ્ધ II (દ્રવ્ય ૪૮) ભાવાર્થ – હે ભવ્યજનો ! જો તમે નાના પ્રકારનાં ધ્યાન-ઘર્મ, શુક્લાદિ કે નિર્વિકલ્પ ધ્યાનને અર્થે ચિત્તને સ્થિર કરવા ઇચ્છા રાખતા હો તો ઇષ્ટ-અનિષ્ટરૂપ ઇન્દ્રિયોના વિષયોમાં રાગ ન કરો, દ્વેષ ન કરો અને મોહ ન કરો. ५. मा चिट्ठह, मा जंपह, मा चिंतह किं वि जेण होइ थिरो । अप्पा अप्पम्मि रओ इणमेव परं हवे झाणं ॥ ભાવાર્થ – હે જ્ઞાની જનો! તમે કંઈ પણ ચેષ્ટા ન કરો અથવા કાયાની પ્રવૃત્તિ ન કરો, કંઈ પણ બોલો નહીં, કંઈ પણ વિચારો નહીં. એટલે તમારો આત્મા આત્મામાં સ્થિર થાય; કેમકે આત્મામાં તલ્લીન થવું એ જ પરમ ધ્યાન છે. ६. खामेमि सव्व जीवे, सव्वे जीवा खमन्तु मे । ___मित्ति मे सव्व भूएसु, वेरं मज्झं न केणइ ॥ ભાવાર્થ – સર્વ જીવ પ્રત્યે હું ખાવું છું, સર્વ જીવ મારા અપરાધની ક્ષમા આપો. સર્વ જીવો પ્રત્યે મારે મૈત્રીભાવ છે, કોઈ પ્રત્યે પણ મારે વેરભાવ નથી. આ પત્રમાંની છયે ગાથાઓ મોઢે કરવી અને તેમાં આ અર્થ છે તેનો વિચાર કરવો. એટલો લક્ષ રાખશો. Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ પગાર્વાલ-૨ તા. ૨૪–૧–૧૯૨૬ જેને આપ્તપુરુષ એટલે આત્મસ્વરૂપ પામેલા પુરુષના બોઘરૂપી લાકડીનો પ્રહાર થયો છે તે જીવો તો પોતાના દોષ ક્ષણે ક્ષણે જોઈ પોતાને વિષે અઘમાઘમપણું માની પોતાનામાં વર્તતા જે દોષો તેને અપક્ષપાતવૃષ્ટિએ જુએ છે અને પોતાનો રાઈ જેટલો દોષ પણ મેરુ જેટલો માની તેને નિર્મલ કરવામાં જ નિરંતર પુરુષાર્થમાં પ્રવર્તે છે. દોષ તો અનંત પ્રકારના છે. તે સર્વ દોષના બીજભૂત મૂળ દોષ સ્વચ્છંદ, ઉદ્ધતપણું છે. તેના અંગભૂત એટલે સ્વચ્છંદના અંગભૂત દોષો ઘણા છે; જેવા કે “હું જાણું છું, સમજું છું', “અને તેના આઘારે પોતાની કલ્પનાનુસાર પરમાર્થનો નિર્ણય કરવો, પોતાની કલ્પનાનો નિર્ણય તે સાચો માનવો, સપુરુષોની સંમતિ વિના પરમાર્થ માર્ગની પોતે કલ્પના કરવી અને તે કલ્પના પ્રમાણે બીજાને પણ સમજાવવા, ઇત્યાદિ તથા ઇન્દ્રિયાદિ વિષયનું અતિ લોલુપીપણું, ક્રોઘ માન માયાની મીઠાશ, ઇત્યાદિ દોષો આત્મામાંથી દૂર કરી, પોતાની સમજ ફેરવી સત્પરુષની સમજ અનુસાર પોતાની સમજ કરવી. એ વિના ત્રણે કાળમાં કલ્યાણનો, મોક્ષનો માર્ગ નથી. ઉપર જણાવેલા દોષો તમારે અમારે બઘાયને વિચારી વિચારીને આત્મામાંથી કાઢવાના છે. તે દોષો ગયે જ યથાર્થ મુમુક્ષુતા પ્રગટ થશે. તા. ૪-૨-૨૭ સર્વે સારાં વાનાં થશે; ફિકર કરવા જેવું નથી. “ફિકરકા ફકા ભર્યા તાકા નામ ફકીર.” “નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય; કાં એ ઔષઘ ન પીજિયે ? જેથી ચિંતા જાય.” ગઈ વસ્તુ શોચે નહીં, આગમ વાંછા નહિ, વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગમાંહિ.” – તેમ વર્તવું. “વીતી તાહી વિસાર દે, આગલકી શુઘ લે, જો બની આવે સહજમેં, તાહીમેં ચિત્ત દે.” Page #215 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત મનુષ્યભવ દુર્લભ છે—ભલે રોગી, ગરીબ, અશક્ત, ઘરડો ગમે તેવો હોય પણ મનુષ્યભવ અને તેમાં સાચા અનુભવી પુરુષનો કોઈ સંતની કૃપાથી મળેલો મંત્રનો લાભ તે અપૂર્વ છે. તો ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' નો જાપ અને તે જ ભાવના રાખવી ઉત્તમ છે. મુનિદેવ મોહનલાલજી આવત, પણ નથી અવાયું તેમાં લાભ છે. આ આવ્યા અને એમને મળવું અને અમને સંભારવા અને બોલાવવા એ બધું ભૂલી જઈ એક જ્ઞાન, દર્શન, ચારિત્રની એકતારૂપ મારું સ્વરૂપ છે, હે ભગવાન ! મને તેની ખબર નથી, પણ જ્ઞાનીપુરુષોએ દીઠું છે તેવું મારું સ્વરૂપ છે તેનું મને ભાન થાઓ. એ જ આનંદસ્વરૂપ છે. બીજું બધું પાંચ ઇંદ્રિયોથી જે સુખદુઃખરૂપ લાગે છે તે બધું ખોટું છે, ક્ષણિક છે, ટકવાનું નથી, માત્ર નાટકના ખેલ જેવું છે. તેનો હવે, હે પ્રભુ ! વિશ્વાસ ન કરું અને મારું જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ શાશ્વતું, અચળ અને નિર્મળ છે તે મને પ્રાપ્ત થાઓ. તેની પ્રાપ્તિને અર્થે સદ્ગુરુએ દર્શાવેલો મંત્ર સંતના જોગે આ ભવમાં મને પ્રાપ્ત થયો છે તેનું માહાત્મ્ય ક્ષણ વાર પણ ન ભુલાય અને જ્યાં સુધી જીભે બોલવાનું કામ બંધ નથી કર્યું, આંખે જોવાનું કામ બંધ નથી કર્યું, કાને સાંભળવાનું કામ બંધ નથી કર્યું, સ્પર્શથી સાનરસું લાગતું બંધ નથી થયું ત્યાં સુધી હે પ્રભુ ! એ મંત્રનું રટણ જીભને ટેરવે રહો, કાનમાં એ જ મંત્રનો રણકાર રહો, આંગળી એ જ મંત્રની ગણતરીમાં રોકાયેલી રહો એવી ભાવના અને પુરુષાર્થ કર્તવ્ય છે. ૧૧૮ સર્વ પ્રકારની ચિંતાઓ તજીને માત્ર પરમાત્મસ્વરૂપના ચિંતવનમાં એકાગ્રતા કરવી. ચિત્ત આડું અવળું જાય તેને સમજાવીને આત્મહિતમાં વાળવું. “વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસમૂળ; ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ.’’ એ રાજવૈદ—સદ્ગુરુ વૈદ્ય સુજાણ’ની ઔષધિ ‘વિચાર-ધ્યાન’ તથા ‘આશા'માં વર્તવાનું જેમ બને તેમ વિશેષ રાખશોજી. ૩ ઘણા સમાગમની જરૂર છે. ઘણી વાત સાંભળ્યા પછી શ્રવણ, મનન, નિદિધ્યાસનના અનુક્રમે સમજાવા યોગ્ય છે. યોગ્યતાની ખામી હશે તેટલી પૂરી કરવી પડશે; પણ મોટી ખામી બોધની છે. બોધની જરૂર છે. તેથી અવકાશ મેળવી સમાગમે વિશેષ બોધનું શ્રવણ થાય તેમ પ્રથમ કર્તવ્ય છેજી. ચૈત્ર સુદ ૯, સં. ૧૯૮૩ તા. ૧૦– ૪–૨૭ મહત્ પુણ્યના યોગે મનુષ્યભવ મળ્યો છે. તેમાંય મહત્ મહત્ પુણ્યના યોગે સર્વોત્કૃષ્ટ વસ્તુની જિજ્ઞાસા જાગે છે. કોઈ અપૂર્વ પુણ્યના યોગે સત્પુરુષનો આ કાળમાં ભેટો થાય છે અને પ્રત્યક્ષ પુરુષનું ઓળખાણ થવું તે કોઈ અપૂર્વ સંસ્કાર અને અત્યંત પુણ્યના પુંજનો સંચય થયો હોય તો બની શકે છે. તેવા જોગે સત્પુરુષની વાણીનું શ્રવણ અને તેનો યથાયોગ્ય વિચાર કરી આત્મહિત સાધવું તે વિરલ સંજોગો આ કાળમાં ક્વચિત જ બને છે. આવું દુર્લભ વિકટ કાર્ય છતાં Page #216 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ–૨ ૧૧૯ સપુરુષના આશ્રયે આ કાળમાં પણ તે સાધ્ય થઈ શકે તેમ છે. પણ જે વસ્તુ આપણે ખરીદવી હોય તે વસ્તુની જેટલી અછત તે પ્રમાણમાં તેની કિંમત પણ વિશેષ બેસે છે. ઝવેરીની દુકાનેથી હીરા ખરીદવા હોય અને શાકભાજીવાળા પાસે શાક ખરીદવું હોય તો તે વસ્તુના પ્રમાણમાં તેનું મૂલ્ય આપવું પડે છે. કેટલાય વરસની કમાણી ખાલી થાય ત્યારે હીરાની પ્રાપ્તિ થાય છે. તેમ પાછલા ભવનાં કેટલાં બધાં પુણ્ય એકઠાં થયાં હોય ત્યારે સત્ વસ્તુની પ્રાપ્તિ થાય છે. તેમ ન હોય તો તેટલી કમાણી થતા સુધી રાહ જોવી પડે છે, પુરુષાર્થ વિશેષ જગાડવો પડે છે. “જો ઇચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ”, એમ “આત્મસિદ્ધિ'માં પરમ કૃપાળુદેવે કહેલું છે, તે અનુસાર પુરુષાર્થની હાલ જરૂર છે. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતેન્દ્રિયપણું, આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે.” આમાંથી પ્રથમના ત્રણમાં મુખ્યત્વે પરભવની કમાણી દેખાય છે અને ચોથું કારણ જિતેન્દ્રિયપણું આ ભવમાં પુરુષાર્થને આધીન છે. તે પ્રાપ્ત કરવા કેડ બાંધે તે પાત્રતાના પાત્ર થાય છે. “પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય પ્રતિમાન.' એ ગંભીર વાક્ય લક્ષમાં રાખી હાલ તો પહેલા પગથિયા તરીકે રસની લોલુપતા તજી આહારમાં રસ પડે તેવા પદાર્થોમાંથી ચિત્તને પાછું વાળી નીરસ આહાર લેવાની ટેવ પાડવી. જે પદાર્થોમાં જીભ મજા માનતી હોય, મોહ કરતી હોય તેવા પદાર્થોનો અપરિચય, અનભ્યાસ, ત્યાગ કરવા વૃત્તિ રાખવાથી રસપરિત્યાગ કે સ્વાદનો જય પ્રાપ્ત કરવાથી આત્માને ઘણો અવકાશ પ્રાપ્ત થવા યોગ્ય છે. તેથી બોઘ પરિણામ પામવાનું કારણ બને છે. સર્વ શાસ્ત્રનો સાર કોઈ જ્ઞાની પુરુષની શોઘ કરી તેના વચનમાં વિશ્વાસ રાખી તેની આજ્ઞા ઉઠાવવા પુરુષાર્થ કરવો એ જ છે. જ્ઞાની પુરુષ પાસે જ્ઞાનની યાચના કરતાં ભક્તિની કામના રાખવી એ વિશેષ હિતકારી છે એમ જ્ઞાની પુરુષોનું અનુભવ-કથન છે, તે વિચારશો. આસો વદ ૮, સં. ૧૯૮૭ જે જે જન્મ્યા છે તે દરેકને કોઈ ને કોઈ નિમિત્તે મરણ તો અવશ્ય આવવાનું જ છે. મહાન અતિશયઘારી એવા શ્રી તીર્થકરો પણ નાશવંત દેહને અવિનાશી કરી શક્યા નથી, તો આયુષ્ય ભોગવાઈ રહેતાં પ્રાપ્ત થતાં મરણને રોકવા અન્ય કોઈ સમર્થ છે ? કાળ ગટકા ખાઈ રહ્યો છે. લીઘો કે લેશે એમ થઈ રહ્યું છે. તો આ જીવ કયા કાળને ભજે છે એ વિચારવા યોગ્ય છે. વહેલે કે મોડે આપણે પણ એ મરણની કસોટીમાં થઈને પસાર થવાનું છે એમ વિચારી સમાધિમરણની તૈયારીરૂપ સવિચાર, કષાયની મંદતા કે ક્ષય, મોહ અને દેહાધ્યાસનો ત્યાગ આદિ માટે નિવૃત્તિ દ્રવ્ય, નિવૃત્તિ ક્ષેત્ર, નિવૃત્તિ કાળ અને નિવૃત્તિ ભાવનું સેવન, સત્સંગ, સંતસમાગમ, સપુરુષ અને તેની વાણીનું બહુમાનપણું, વૈરાગ્ય-ઉપશમ આદિનું આરાઘન આજથી આપણે કરી લેવા યોગ્ય છે. જો આટલો ભવ સમ્યકત્વરૂપ ઘર્મને આરાઘવામાં ગાળવામાં આવે તો અનેક ભવનું સાટું વળી રહેવા યોગ્ય છેજી. Page #217 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત વળી મોટા પુરુષોએ આયુષ્યની છેલ્લી ઘડીને જ મરણ નથી કહ્યું, પણ ક્ષણે ક્ષણે આયુષ્યની દોરી ઘટતી જાય છે, તે તે ક્ષણ જો વિભાવમાં ગઈ તો તે મરણ જ છે. વિભાવ પરિણતિ જેની અટકી નથી તેને જ્ઞાની પુરુષોએ હાલતાં ચાલતાં મડદાં જ કહ્યાં છે. જેટલો કાળ સ્વભાવદશામાં જાય છે તેને જ્ઞાનીઓ જીવન કહે છે. બાકીનો કાળ મરવામાં જ જીવ ગાળે છે. આ હિસાબે તો આપણે આપણા જીવનની ઘાત ચાલી રહી છે તેનો જ ખેદ કરવાનો છે. ૧૨૦ આમ દૃષ્ટિ ફેરવીને જીવ જુએ તો લૌકિક વસ્તુઓ કે સંબંધીઓના વિયોગ કરતાં અનંતગણો ખેદ કરવા યોગ્ય તો આપણા આત્માની અધમ દશા છે. જે આત્માનું મૂળ સ્વરૂપ જ્ઞાની પુરુષોએ એવું વર્ણવ્યું છે કે તે કેવળ જ્ઞાનસ્વરૂપ, કેવળ દર્શનસ્વરૂપ, ક્ષાયક સમ્યક્ત્વસ્વરૂપ, અનંત સુખસ્વરૂપ, અનંત વીર્યસ્વરૂપ છે; એટલી બધી રિદ્ધિનો ઘણી આપણો આત્મા છતાં બે આંખ હોય તો જોઈ શકે, ચિત્ત ઠેકાણે હોય તો જાણી શકે, પુદ્ગલ પદાર્થ મળે તો સુખ સમજી શકે એવો હીનવીર્યવાળો, પરાધીન, પુદ્ગલનું જ બહુમાનપણું કરનારો કંગાલ જેવો થઈ રહ્યો છે. તે મૂળ સ્વરૂપથી કેટલો પતિત, કેટલી અધમ દશામાં આવી પડ્યો છે ! તેનો વિચાર કરીએ. આપણા આત્માની દયા આપણે નહીં ખાઈએ, તેના હિતની ચિંતા નહીં કરીએ તો આપણે વિચારવાન શાના ? અનાદિકાળથી જે ભૂલ ચાલી આવી છે તે ભૂલ કઈ ? અને એ ભૂલ કેમ ટળે તેનો વિચાર મુમુક્ષુ જીવો કરે છે. આ મનુષ્યભવ તે ભૂલ ઓળખીને ટાળવામાં મુખ્ય સાધન છે. સત્સંગ, સમાગમાદિ સર્વોત્તમ નિમિત્ત છે. જો તે ભૂલ આ મનુષ્યભવમાં પણ ન ટળી તો આ ભવ વ્યર્થ ગાળ્યો ગણાય અને અન્ય ઢોર પશુના કે નરકાદિના ભવમાં આવી અનુકૂળતા ક્યાંથી મળનાર છે ? સ્વજનના મરણાદિના આવા પ્રસંગોમાં સંસારનું સ્વરૂપ જેમ છે તેમ વિચારવાની અનુકૂળતા છે, કારણ કે ત્યાં માયાનું આવરણ ઓછું હોવાનો સંભવ છે. તેથી સરળ જીવાત્મા પોતાના વિચારમાં ઊતરી આ ભવ સફળ કરવા જોગ સદ્વિચાર સદ્ગુરુકૃપાએ પામે તો આત્મકલ્યાણ દૂર નથી. કાળ કઠણ છે, દુષમ કે કળિકાળ કહેવાયો છે. છતાં કર્મનો તીવ્ર ઉદય એકસરખો હોવા સંભવ નથી. ઘર્મનો અવકાશ, જીવ ધારે તો, આ કાળમાં પણ પ્રાપ્ત કરી શકે તેવું ભગવંતે કહેલું છે. પણ જીવ જાગવો જોઈએ; આત્મકલ્યાણનો લક્ષ રાખવો જોઈએ, તેને માટે પુરુષાર્થ આરંભવો જોઈએ. સમજ્યું છૂટકો છે. ‘જબ જાયેંગે આતમા, તબ લાગેંગે રંગ.' જો સમ્યક્ત્વરૂપી રત્ન પ્રાપ્ત થાય તો આ મનુષ્યભવ ચિંતામણિ રત્નતુલ્ય છે; નહીં તો પશુવત્ છે એમ જ્ઞાની પુરુષોએ કહ્યું છે. અનાદિકાળનું પરિભ્રમણ ટાળવાનો લાગ આવેલો ચૂકી ન જવાય એટલો લક્ષ અવશ્ય રાખવા યોગ્ય છેજી. ૫ કાર્તિક વદ ૧, ગુરુ, સં. ૧૯૮૮ આ જીવને સંસારનાં કામમાં જે મીઠાશ અને મોહ રહ્યો છે તે બદલાઈ તેટલો ઉત્સાહ અને કાળજી જો આ આત્માનું કલ્યાણ થાય તેવા ધર્મમાં રહે તો મોક્ષ બહુ દૂર નથી. માત્ર વૃષ્ટિની ભૂલ Page #218 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૨ ૧૨૧ છે. તે દૃષ્ટિ ફેરવવી ઘટે છેજી. અને માહાત્મ્ય જેનું પરમ છે એવા સદ્ગુરુના બોધ વિના દૃષ્ટિ ફરવી દુર્લભ છે. જ્યાં સુધી સંસારમાં મહત્વ મનાયું છે ત્યાં સુધી સદ્ગુરુનો વાસ હૃદયમાં થવો નથી. માટે આ ક્લેશરૂપ સંસારથી છૂટવાની ભાવના થયે જીવ સદ્ગુરુની કૃપાને પાત્ર થાય છે. અને તેમ થવા માટે સંતના ચરણકમળની સેવા એ સર્વોત્તમ ઉપાય છે. સત્સંગની અને બોધની જીવને ખામી છે. મહપુણ્યના ઉદયે મનુષ્યભવ મળ્યો છે તે જીવ હારી બેસશે તો પછી કયા ભવમાં ધર્મસાધન સમજી શકશે ? કાગડા, કૂતરાના ભવમાં જીવથી શું બનનાર છે એમ વિચારી સત્પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર પરમાત્મા ઉપર અચળ શ્રદ્ધા રાખી તેનાં વચનામૃતનું પાન કરતા રહેવા વિનંતિ છેજી. જો આ ભવમાં એ પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર દેવ ઉપર સર્વોપરી પ્રેમ પ્રગટે, તેને જ આ ભવમાં આત્મજ્ઞાની, આત્મદાતા ગણી ઉપાસવામાં આવે, તો તે મોટી કમાણી આ જીવે કરી ગણાશે. તેનાં વચનોમાં ઉલ્લાસભાવ આણી, તેણે પ્રાપ્ત કરેલી દશાનું બહુમાનપણું કરી, તેની જ ઇચ્છા જીવ રાખે, તો આ ભવબંધનથી છોડાવે એવું સમકિત પ્રાપ્ત થાય એવો આ કાળમાં જોગ બને તેમ છે. એ લાગ ન ચુકાય તે માટે તે પરમ પુરુષના આશ્રિતના સમાગમે, તેના મુખેથી સાંભળેલી વાતો જાણી, તેમાં ઉલ્લાસ આણી, ભાવ પરિણામને નિર્મળ કરી સમ્યક્ત્વની પ્રાપ્તિ કરવી એ જ આ મનુષ્યભવ પામ્યાનું સાર્થક છે. બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી, એમ પ્રાયે છે. તો પછી સંસારી બાબતોમાં ગૂંચાઈ રહી ધર્મમાં પ્રમાદ શાને કાજે કરવો ? સર્વ કર્મ-ઉદય મિથ્યા જ છે એમ જેણે જાણ્યું છે, અનુભવ્યું છે, તેમ વર્તવા વૃત્તિ રહે છે, વર્તે છે તેવા સમભાવી મહાત્માને નમસ્કાર ! ભૂતકાળમાં બનવા યોગ્ય બન્યું, બની ગયું, ત્યાં હવે શોક શો ? કારણ કે હવે તેમાંનું કંઈ નથી. બને છે વર્તમાન સમયમાં, તે પૂર્વસંસ્કાર કર્મના ફળરૂપ છે. જીવે જેવા ભાવો અજ્ઞાનભાવે કરેલા તે તે ભાવો કર્મરૂપે ઉદયમાં આવી જીવને મૂંઝાવે, તેમાં મૂંઝાવું શું ? માગેલું મળ્યું, ઇચ્છેલું પ્રાપ્ત થયું—મોહાથીન માગ્યું, ઇછ્યું તો મળ્યું તો ખરું પણ તેમાં મૂંઝાવાનું રહ્યું, તેમાં હવે દોષ કોને દેવો ? હરખશોક શો ? વાજબી બને છે. અને તે પણ થઈ રહ્યા પછી કાંઈ નથી, એમ થવાનું છે જ. કર્મ ઉદય આવી ખરી જઈ પછી નહોતા જેવું થાય છે તો પછી ચિંતા શી ? બનવાનું બનશે. ભવિષ્યમાં જે બનવાનું છે તે પણ વર્તમાનમાં જેવા ભાવો થશે તેમ બનશે. ભવિષ્યસ્થિતિ સુધારવી જીવના હાથમાં છે. સમ્યક્ ભાવો ભાવી જીવ સમ્યક્ સ્થિતિ પ્રાપ્ત કરશે; માટે સમ્યક્ ભાવો રૂડા છે. અસમ્યક્ પ્રકાર, પ૨ પદાર્થ, પરભાવ ભાવવા યોગ્ય નથી. આમ સમજવા છતાં આ જીવ જગત તથા અસત્સંગવાસીઓના સમૂહમાં (જે સમૂહ પૂર્વ કર્માધીન તેણે ભેળો કર્યો છે અને હજુ મોહવશ આંખમીંચામણાં કરી કડવો લાગતાં છતાં મઘલીંપી તરવાર માફક ચાટવાની અપેક્ષાએ ઇચ્છે છે ) રહી તે જગત તથા અસત્સંગીઓને રૂડું મનાવવા લોકલાજ– લોકદૃષ્ટિમાં રહી પોતાનું ભૂંડું કરી રહ્યો છે, કરે છે; તે વિચારે તો જીવ વૈરાગ્યને પામે તે નિઃસંદેહ છે. પણ પૂર્વસંસ્કાર-બળ પ્રબળતાને પામેલ હોવાથી અથવા જીવની શિથિલતાને લઈને લોકલાજ અને લોકવૃષ્ટિ તથા વિષયકષાયાદિમાં મઘલીંપી તરવારના રસમાં પડી રહેવું યોગ્ય નથી એમ જાણતાં છતાં આંખમીંચામણાં કરી પડી રહે છે તે શાને માટે ? તે વિચારે તો જીવ કેમ ઉપશમ Page #219 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત ૧૨૨ રસ ચાખ્યા વિના રહે? સદ્ગુરુનું ઓળખાણ સત્સંગ, સંત-સમાગમે, બોઘે કરી લઈ તેમાં દ્રઢ વિશ્વાસ જીવ રાખે તો આ ભવનું સાર્થક થવા યોગ્ય છે. એ લક્ષ ચૂકવા યોગ્ય નથી. જેઠ સુદ ૧૪, શુક્ર, ૧૯૮૮ સહનશીલતા, ધીરજ, ક્ષમા, ખમીખુંદવું એ ગુણ ઘારણ કરવાથી સારી ગતિ થાય છે. વેદનીયથી ગભરાવું મૂંઝાવું નહીં. જે આવે છે તે જવાને માટે આવે છે, અને એથી વિશેષ આવો એમ કહેવાથી વઘારે આવનાર નથી કે એ વેદનીય જતી રહો કહેવાથી જતી રહે તેમ નથી. “નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય; કાં એ ઔષઘ ન પીજિયે, જેથી ચિંતા જાય.” આથી અનંતગણી વેદના જીવે નરકનિગોદમાં ભોગવી છે. તો પણ તેનો નાશ થયો નથી. તડકા પછી છાંયો અને છાંયા પછી તડકો આવે છે; તેમ વેદના પણ રાખી મૂકવી હોય તો પણ રહેનાર નથી. જે થાય તે જોયા કરવું, જોયા વગર છૂટકો નથી. આત્મા કદી મરતો નથી, જન્મતો નથી; ઘરડો નથી, જુવાન નથી; સ્ત્રી નથી, પુરુષ નથી; વાણિયો નથી, બ્રાહ્મણ નથી. તેમ છતાં આ આઠ પ્રકારના કર્મથી ઘેરાયેલો જુદા જુદા રૂપે દેખાય છે; પણ તે ક્યારેય દેહરૂપે થયો નથી. દેહથી ભિન્ન, સદા સર્વદા ચેતન્યસ્વરૂપ જ છે, પરમ આનંદ-સ્વરૂપ છે. આત્માના સુખનું વર્ણન થઈ શકે તેવું નથી. એવા અચિંત્ય મહિમાવાળા આત્માને જ્ઞાની પુરુષોએ જાણ્યો છે અને સંતપુરુષોએ જણાવ્યો છે, તે માટે માન્ય છે. “મને દુઃખ થાય છે, હું મરી જઉં છું' એમ હું કદી માનનાર નથી. દેહના સંજોગે દેહના દંડ દેખવાના હશે તે દેખું છું. પણ મારું સ્વરૂપ જ્ઞાનીએ જોયું છે તેવું અનંત જ્ઞાનસ્વરૂપ, અનંત દર્શનસ્વરૂપ, અવ્યાબાઘ સુખસ્વરૂપ અને અનંત શક્તિસ્વરૂપ છે. તેમાં મારી આસ્થા, શ્રદ્ધા, માન્યતા, પ્રતીતિ, રુચિ છે. તે જ મને પ્રાપ્ત થાઓ. આત્માથી ભિન્ન જે જે સંજોગો મળ્યા છે તે બઘા મૂકવાના છે અને તે સર્વ દુઃખદાયી છે. શાતા કે અશાતા બન્ને વેદનીય કર્મ છે. કોઈ રીતે ઇચ્છવા યોગ્ય નથી; પણ જે આવી પડે તે સમતા ભાવે સહન કરવા યોગ્ય છે. જ્ઞાની પુરુષો પણ સમભાવે સહન કરવાના અભ્યાસથી સર્વ કર્મથી રહિત થઈ મોક્ષ પામ્યા છે. સ્મરણમાં ચિત્તને રોકવું શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.” જુવાની, નીરોગ અવસ્થા અને સુખભવ ભોગવવાના પ્રસંગો કરતાં આવી વેદનીના પ્રસંગો જીવને કલ્યાણના કારણ હોવાથી અમૃત સમાન છે; પણ દ્રષ્ટિ ફરી નથી ત્યાં સુધી બહારની વસ્તુઓમાં સુખ લાગે છે અને તે છોડવાનો વખત આવે ત્યારે કઠણ લાગે છે. પણ આત્માના સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યક્યારિત્ર આદિ ગુણો તો અવિનાશી છે, છોડ્યા છૂટે તેમ નથી. માત્ર તેનું ભાન નથી. તે કોઈ સંતના યોગે સાંભળી, વિચારી સમ્યક્ પ્રકારે માનવાથી પરિણામ Page #220 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ–૨ ૧૨૩ બદલાય છે અને જેમ છે તેમ જીવની યોગ્યતાએ સમજાય છે. એ આતમભાવનાથી આતમગતિ થાય છે. ૭ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છેજી. તેમાં પણ ધર્મની જિજ્ઞાસા અને સત્પુરુષનો સમાગમ અત્યંત અત્યંત દુર્લભ છેજી; કારણ કે આ કળિકાળમાં જીવ માયામાં ને માયામાં મૂંઝાઈ રહે છેજી. તેથી પોતાને આ મનુષ્યભવ પામીને શું કરવા યોગ્ય છે અને શું કર્યે જાય છે તે વિચારવાનો અવકાશ પણ જીવને પ્રાપ્ત થતો નથી. પરંપરાએ કુળધર્મ આદિકના આગ્રહમાં પ્રવર્તન થયું હોય તેમાં કેટલું કલ્યાણ છે અને સત્ વસ્તુનું માહાત્મ્ય કેવું હોય ? સત્ પ્રાપ્ત થયું હોય તેની દશા કેવી હોય તેના વિચાર કરવા માટે સત્સંગ સમાગમ સિવાય કંઈ બની શકતું નથી. સત્સંગ એ સંસાર રોગનો નાશ કરવાની પરમ ઔષધિ છે, અને કાળનો ભરોંસો નથી. લીઘો કે લેશે થઈ રહ્યું છે, કાળ ગટકાં ખાઈ રહ્યો છે. તો આ જીવ કયા કાળને ભજે છે તે વિચારવા યોગ્ય છેજી. શ્રી ઋષભદેવજી ભગવાને અઠ્ઠાણું પુત્રોને ઉપદેશ આપ્યો છે ત્યાં જણાવ્યું છે કે – “હે જીવો ! તમે બૂઝો, સમ્યક્ પ્રકારે બૂઝો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે અને ચારે ગતિને વિષે ભય છે એમ જાણો. અજ્ઞાનથી સદ્વિવેક પામવો દુર્લભ છે, એમ સમજો. આખો લોક એકાંત દુ:ખે કરી બળે છે, એમ જાણો અને સર્વ જીવ પોતપોતાનાં કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે, તેનો વિચાર કરો.'' ‘સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય તે પુરુષ આત્માને ગવેષવો અને આત્મા ગવેષવો હોય તેણે યમનિયમાદિક સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરી સત્સંગને ગવેષવો, તેમજ ઉપાસવો. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આશા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે, એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે; અને આત્માને ઉપાસનાર સર્વ દુ:ખથી મુક્ત થાય છે,” એમ પરમકૃપાળુદેવે પણ જણાવ્યું છેજી. આ જીવ પોતાની કલ્પનાએ અજ્ઞાન-મિથ્યાત્વી મિથ્યાને લઈને સત્સંગ સત્પુરુષનો બોધ પોતાની મતિકલ્પનાએ સમજી ખોટાંને, મિથ્યાને સાચાં માની શ્રદ્ધી સંતોષ માને છે. પણ સત્સંગે સત્પુરુષના વચનની પ્રચુરણાએ સમજાય તો આ જીવને અંતર્મુહૂર્તમાં સમતિ થાય છે અને મનુષ્યભવ સફળ થાય છે. આવો જોગ મનુષ્યભવ રત્નચિંતામણિ મળવો દુર્લભ છે. બધું અનંતવાર મળ્યું છે. એક સમિત થયું નથી. તો કોડી સાટે રતન ખોવા જેવું જીવ કરે છે તે ડાહ્યા પુરુષને વિચારવા જેવું છે. વધુ શું લખવું ? ડાહ્યા પુરુષને ચેતવા જેવું છેજી. ફરીને જોગ નહીં મળે. જીવ જો આ ભવમાં એક સત્પુરુષના બોઘના બીજરૂપ સમ્યક્ત્વને પ્રાપ્ત કરે તો અનંતા ભવ આધિ, વ્યાધિ, જન્મ-મરણના છૂટી જાય છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ઉપદેશામૃત ૮ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ તા. ૩-૧૧-૩૨ તત્ સત્ અશાતાનો જ્યાં સુધી ઉદય છે ત્યાં સુધી અકસીર દવાઓ પણ અસર કરતી નથી. વળી રોગ કોઈ બીજો હોય અને દવાઓ બીજા જ પ્રકારની થયા કરે છે. અને શાતાનો ઉદય થવાનો હોય ત્યારે જે રોગ હોય તેને લાગુ પડી જાય તેવી દવા પણ મળી આવે તેવો જોગ બને છે. આપણે તો સેવાબુદ્ધિએ જે ઠીક લાગે તે જણાવીએ કે કરીએ, પણ આપણાથી કંઈ બની શકે તેમ નથી. કરવા યોગ્ય શું છે તેનું ભાન પણ આપણને નથી. પરમ કૃપાળુદેવે જણાવ્યું છે : “વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગો....” અનેક મતમતાંતરમાં અને અનેક નામઘારી ક્ષયોપશમી પુરુષો “મોક્ષમાર્ગ અમે સમજ્યા છીએ” એમ માને છે અને તેનો ઉપદેશ આપી “અન્યને મોક્ષમાર્ગે ચઢાવીએ છીએ એમ માને છે. પરંતુ આ સત્પરુષને તો એમ થયું કે આવા કાળમાં અમારો જન્મ ક્યાંથી થયો ? આત્મજ્ઞાની પુરુષોની તો અત્યંત દુર્લભતા હોવા છતાં મધ્યસ્થપણે આત્મજ્ઞાનની શોધ કરવાનો નિર્ણય કર્યો હોય તેવા કે સરળપણે સાચી વાતને ગ્રહણ કરે તેવા જીવાત્માઓ પણ બહુ ઓછા દીઠા. માત્ર શુષ્કજ્ઞાની એટલે જ્ઞાનનો ડોળ કરી ગુરુતા માની બેઠેલા કે માત્ર ક્રિયાઇડ એટલે જ્ઞાનનું માહાભ્ય જેમને નથી પણ એકલા બાહ્ય આચારને જ મોક્ષમાર્ગ માનનારા એવા ઘણા પુરુષો આ કાળમાં ઘર્મનો ઇજારો પોતાની પાસે હોય એમ માની બેઠા છે. તે પુરુષ અને સત્પરુષના માર્ગ પ્રત્યે દ્વેષ રાખનાર હોય છે. આવા વિકરાળ કાળના પંજામાંથી બચાવનાર એક પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ જ છે. તેમણે આ કાળમાં આપણા ઉપર ઉપકાર કર્યો છે તેનો ઉપકાર પૂરેપૂરો સમજવા જેટલી પણ આપણામાં બુદ્ધિ નથી તો તેનો બદલો કેવી રીતે વાળી શકાય ? આ મનુષ્યભવને સફળ કરવાનું આ કાળમાં મુખ્ય સાઘન હોય તો તે પરમ કૃપાળુદેવ ઉપર પરમ પ્રેમ અને નિષ્કામ ભક્તિ તથા તેના વચન ઉપર શ્રદ્ધા અને તેના આશયને સંતસમાગમે સમજવાની તીવ્ર ઇચ્છા એ જ છે. ચંદનના વનમાં પાસેનાં અન્ય વૃક્ષો જેમ સુગંધવાળાં બને છે તેમાં ચંદનની સુગંધી હોય છે તેમ સપુરુષ શ્રી પરમ કૃપાળુદેવના બોઘે જેમને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ છે, તેમની પાસે તે પરમ પુરુષોનો જ સત્ય બોઘ છે અને તે જ આત્માને હિતકારી છે. જે જે વસ્તુ પુરુષના મુખથી સાંભળી હોય, અવઘારી હોય, અનુભવી હોય તેનો જ તે ઉપદેશ કરે છે અને તેનું જ તેને માહાભ્ય લાગ્યું છે. જે વસ્તુનું મૂળ સપુરુષ નથી ને જે માત્ર કલ્પનાના આઘારે ટકે છે તે ગમે તેવી મનોહર વાત જણાતી હોય, આપણા ચિત્તને પ્રસન્ન કરતી હોય પણ જો કલ્પનાને પોષતી હોય તો તે વિષની પેઠે તજવા યોગ્ય છે. પરમ કૃપાળુદેવે કહ્યું છે કે “જહાં કલપના-જલપના, તહાં માનું દુઃખ છાંય; મિટે કલપના-જલપના, તબ વસ્તુ તિન પાઈ.” Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ પત્રાવલિ-૨ તેથી સત્પરુષના આઘારે જીવવું એ કલ્યાણરૂપ છે. તેનું શરણ એ કલ્પવૃક્ષની છાયા છે, ત્યાં દુઃખ નથી. બાકી બીજે બધે ત્રણે લોકમાં દુઃખ જ ભર્યું છે. એ શરણ અનન્ય ભાવે અમને તમને સદાય રહો એ જ પરમ કૃપાળુદેવ પ્રત્યે પ્રાર્થના એજી. તા. ક. હે પ્રભુ ! યથાતથ્ય સ્વરૂપ ક્ષાયક સખ્યત્વ છે તે જેને છે, જેને પ્રગટ પ્રત્યક્ષ છે તેની શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ ભાવ થયો છે તેને દર્શન કહ્યું છે. પરોક્ષ દર્શન મિથ્યાત્વીને અને સમકિતીને પણ હોય છે તેને દર્શન કર્યું નથી. ખાસ કરી શ્રદ્ધા એ જ દર્શન છે તે સમક્તિ છે. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ પોષ વદ ૭, બુધ, ૧૯૮૯ તત્ સત્ દેવને પણ દુર્લભ એવો આ મનુષ્ય દેહ જીવને અનેક ભવના પુણ્યના સંચયથી પ્રાપ્ત થયો છે. આ દેહે કરીને સમ્યત્વની પ્રાપ્તિરૂપ કમાણી થાય તો આ દેહની કોઈ રીતે કિસ્મત થઈ શકે નહીં, તેવો અમૂલ્ય તે ગણવો ઘટે છે. કેમકે તેની એક પળ પણ ચિંતામણિ રત્ન કરતાં અધિક મૂલ્યવાન જ્ઞાનીઓએ ગણી છે. પરંતુ આવા મનુષ્યભવનાં વર્ષો વિષયાદિમાં જો જીવ ગાળે તો આખા ભવની કિસ્મત ફૂટી બદામની પણ ન ગણાય. કાળનો ભરોંસો નથી અને સંસારનાં કામ કોઈ દિવસ ખૂટવાનાં નથી ને એકલો આવ્યો છે અને એકલો જવાનો છે. મારું મારું કરીને મેળવેલું બધું અહીં જ પડી રહેશે એમ વિચારી સત્સંગ, ભક્તિ, સ્મરણ, સપુરુષનાં વચનોનો વિચાર અને સદાચરણમાં જેમ બને તેમ વઘારે કાળ જાય તેમ કર્તવ્ય છેજી. ફરી ફરી આવો અવસર આવતો નથી, ક્ષણ લાખેણી જાય છે. અવસર ચૂકવા જેવો નથી, ચેતી લેવા જેવું છે. આવી ઉત્તમ સામગ્રી પામીને પણ જો જીવ પોતાનું સ્વરૂપ સમજી લેવાનું કામ નહીં કરે તો પછી કયા ભવમાં તે બનશે ? મૈત્રી ભાવના, પ્રમોદ ભાવના, કરુણા ભાવના, અને મધ્યસ્થ ભાવના ભાવતાં જીવને પાત્રતા આવે છે. તે કર્તવ્ય છે'. ૧0. મહા સુદ ૧૧, સોમ, ૧૯૮૯ સંત સમાગમ, સત્સંગ એ અપૂર્વ લાભનું કારણ છે. દેવો પણ મનુષ્યભવને ઇચ્છે છે. એવો દુર્લભ આ મનુષ્યદેહ મળ્યો છે તેનું માહાભ્ય ખરી રીતે તે સત્પરુષો જ સમજ્યા છે; તેથી તેમને આવા દુર્લભ ભવની એક પળ પણ રત્નચિંતામણિ કરતાં વિશેષ મૂલ્યવાન લાગે છે અને માનપૂજા કે વિષયકષાયનાં નિમિત્તોને ઝેર જેવાં જાણી, લોકલાજને તૃણવત્ ગણી, આત્માનું ઓળખાણ થાય, આત્માનું પોષણ થાય તેને અર્થે મરણિયા થઈને પુરુષાર્થ કરે છે. જીવે પોતાની સમજ પ્રમાણે પુરુષાર્થ કરવામાં બાકી નથી રાખી. ઓઘામુમતી મેરુ પર્વત જેટલાં થાય તેટલી વખત ચારિત્ર લઈ કષ્ટો વેક્યાં; છતાં હજુ પરિભ્રમણ ઊભું રહ્યું છે તો હજુ કંઈ એવું કારણ રહ્યા કર્યું છે કે જે જીવના ધ્યાનમાં આવ્યું નથી. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ઉપદેશામૃત સપુરુષના યોગે જીવને સજીવન બોઘની પ્રાપ્તિ થાય છે. સત્પષની અપૂર્વ વાણીથી જીવને ઘર્મનું અપૂર્વ માહાભ્ય સમજાય છે, અને અપૂર્વ રુચિ ઉત્પન્ન થાય છે. જે ભાવથી જીવનું કલ્યાણ થાય છે તે ભાવ જાગૃત થવા તેવું જ કલ્યાણરૂપ પ્રબળ નિમિત્ત જોઈએ અને તેનું જીવનું અઘિકારીપણું પણ જોઈએ. પણ આગળ જણાવ્યું છે તેમ સર્વ કલ્યાણનાં સાઘનોમાં સત્સંગ એ જ સર્વોત્તમ કારણ છેજી. પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રદેવે જણાવ્યું છે કે “અનાદિ કાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર “સત્’ મળ્યા નથી, “સ” સુપ્યું નથી અને “સત્” શ્રધ્યું નથી અને એ મળે, એ સુષ્ય અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.” આટલામાં જીવ સમજે તો પોતાને શું કર્તવ્ય છે તે આવી જાય છે. જીવે આંઘલી દોડ કરી છે. એટલે સ્વચ્છેદે વર્તન કર્યું છે. તે રોકવા કોઈની આજ્ઞા લેવા ગયો તો આજ્ઞા આપનાર અજ્ઞાની અને સ્વચ્છંદી મળ્યા. તેથી લોહીનું ખરડાયેલું કપડું જેમ લોહીમાં ઘોવાથી શુદ્ધ ન થાય, તેમ સ્વચ્છંદી પુરુષની આજ્ઞા સ્વચ્છેદનો નાશ કરી શકે નહીં. તેથી જ્ઞાની પાસેથી જ્ઞાન પ્રાપ્ત થવા યોગ્ય છે, એવો નિશ્ચય રાખી, જ્ઞાની પુરુષની મને ક્યારે પ્રાપ્તિ થાય એવી ભાવના કર્તવ્ય છે. અને જ્ઞાનીનો યોગ પ્રાપ્ત થયે મારે ત્રણે યોગથી તેની આજ્ઞા જ ઉઠાવવી છે એવો દ્રઢ નિશ્ચય કર્તવ્ય છે. પોતાની માન્યતા, કલ્પના કે દુરાગ્રહ દૂર કરી સર્વાર્પણપણે સહુરુષની આજ્ઞા ઉઠાવવાથી જ મારું કલ્યાણ થવાનું છે એમ માની આજ્ઞાની ભાવના નિરંતર કર્તવ્ય છેજી. એક આત્મપ્રાપ્તિનો જ લક્ષ રાખી તેના સાઘનરૂપ જ્ઞાની પુરુષનો યોગ અને તેની આજ્ઞા ઉઠાવવાની તત્પરતારૂપ સવ્યવહાર માટે જીવ પુરુષાર્થ કરે તો આ મનુષ્યભવમાં તેમ બનવા યોગ્ય છે.જી. અહીં આટલું થઈ શકે છે. મનુષ્યભવ ભગવાને દુર્લભ કહ્યો છે, પણ તેમાં જો તે ન બન્યું અને પરકથા તથા પરવૃત્તિમાં આ ભવ નિરર્થક ચાલ્યો જાય તો તેની કિસ્મત ફૂટી બદામ જેટલી પણ ગણવા યોગ્ય નથી. * ૧૧ જેઠ સુદ ૨, ૧૯૮૯ જીવને મોટું બંધન અને પરિભ્રમણનું મોટું પ્રબળ કારણ સ્વચ્છેદ છે. અને તરવાનો ઉપાય પણ સ્વચ્છેદ રોકવો તે છે. નાનું બાળક હોય તેને પણ પોતાનું ઘાર્યું થાય તેમ ઇચ્છા રહે છે; અને ધાર્યું ન થાય તો કંકાસ કરે છે, અને રિસાયા પછીથી તે કહે તેમ કરે તો પણ હઠ ન છોડે. પહેલાં કેમ મારું ઘાર્યું ન કર્યું, એવી હઠ ઘરનાં બઘાં માણસોને સંતાપ આપનાર થાય છે. તેમજ જો જીવને પોતાનું ઘાર્યું હોય તેનો દોર નરમ મૂકી દઈ બીજા કહેતા હોય તેમ ભલે થાય, એવું કરવાનો અભ્યાસ કરવો હોય તો પણ થઈ શકે છે. અને એવો સ્વભાવ પાડે તો બીજા બધાને સુખરૂપ થાય છે અને પોતાને કષાયની મંદતા થવાથી ઘણો લાભ થાય છે, તપ કરે તેથી પણ તે વઘારે છે; પણ કોઈને ગણે નહીં, પોતાનું ઘાર્યું કરે તેને સ્વચ્છેદ પોષવાનો અભ્યાસ થાય છે. ઘેરઘેર માટીના ચૂલા હોય છે. તેમ સર્વ જીવ દોષથી તો ભરેલા છે. પણ કોઈને એવો એકાદ Page #224 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ–૨ ૧૨૭ ગુણ હોય છે કે તે સર્વ દોષને ઢાંકી દે અને સમકિતનો પ્રભાવ તો એવો છે કે સર્વ અવગુણને ગુણના રૂપમાં પલટાવી નાખે છે. “વ્રત નહીં પચખાણ નહિ, નહિ ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ્મ તીર્થકર થશે, શ્રેણિક ઠાણંગ જોઈ લો.” કોઈ વ્રત નિયમ વગેરે ન બને તો પણ જેને સમતિ છે તેની દ્રષ્ટિ જ બદલાઈ ગઈ છે. તેને આત્મા હાજરાહજૂર છે. અને આત્મા છે ત્યાં નવે નિશાન છે. ત્યાં વિકાર નથી, રાગ નથી, દ્વેષ નથી, મોહ નથી અને બંઘન પણ નથી. પરંતુ તે સમ્યક્ત્વ માટે પુરુષાર્થ કરવો જોઈએ. સદાચરણ, સત્સંગ, સદ્ભાવના કર્તવ્ય છે. ખોટા ખોટા ભાવ પ્રવર્તતા હોય અને કહે કે મને સમ્યકત્વ છે તો તેમ કહ્યું કંઈ બને તેમ નથી. બ્રહ્મદત્ત આગલા ભવમાં નિયાણું કરી ચક્રવર્તી થયો હતો, ખોટા ભાવ પ્રવર્તવાથી તેને નરકે જવું પડ્યું હતું. ભાવ અને પરિણામ એ મોટી વાત છે. સ્ત્રીને નાની વયમાં માબાપનો અંકુશ હોય છે, જુવાનીમાં ઘણીનો કાબૂ હોય છે અને ઘણી ન હોય ત્યારે પુત્રના કહ્યા પ્રમાણે વર્તવું એમ શાસ્ત્રમાં જણાવ્યું છે. તેમ સ્વછંદ રોકવો હિતકારી છે. પરમકૃપાળુદેવે પણ જણાવ્યું છે કે મારા પર સઘળા સરળ ભાવથી હુકમ ચલાવો તો હું રાજી છું.” “રોકે જીવ સ્વચ્છંદ તો, પામે અવશ્ય મોક્ષ.” બીજા બઘા ભાવનું ફળ મળે છે તો સમ્યકત્વ પામવાના જ જેને વારંવાર ભાવ થતા હશે તો તે ભાવનું ફળ કેમ નહીં મળે ? ગમે તેમ થાય તો પણ આ ભવમાં તો એક સમકિત પ્રાપ્ત કરવું જ છે, એવો જેણે નિર્ણય કર્યો હોય અને તે નિશ્ચયને પોષનાર સત્સંગ આદિ સાઘનો સેવે તો તે અવશ્ય મળશે જ. આત્મા ક્યાં રહે છે? સત્સંગમાં રહે છે. સત્સંગ સત્સંગ ઘણા કહેવાય છે, પણ નામ લક્ષ્મી, નામ ઘનપાલ એમ નહીં, પણ યથાર્થ સત્સંગ છે ત્યાં આત્મા છે. તે આત્માનું ઓળખાણ, પ્રતીતિ અને અભ્યાસ કર્તવ્ય છે. હરાયું ઢોર જેમ ઓખર (વિષ્ટાહાર) કરવા ભટકે છે તેમ મન વિષય-કષાયરૂપ મળમાં ફર્યા કરે છે. તે મલિન વૃત્તિઓ મનમાં ઊઠે કે તેને દુશ્મન જાણી તેનો તિરસ્કાર કરવો, ધિક્કારી કાઢવી. જો વારંવાર અપમાન પામશે તો ફરી નહીં આવે. પણ જો તેને માન આદર આપે, તેમાં મીઠાશ માને અને ક્ષમા, શાંતિ, ઘીરજ વગેરેને વારંવાર ન બોલાવે તો દુર્મતિનું જોર ફાવે અને મોહ દુર્ગતિનાં કારણો મેળવી અધોગતિમાં જીવને ઘસડી જાય. કોઈના ઉપર આ નાનો છે, મોટો છે, સારો છે, ખરાબ છે, ગરીબ છે, ઘનવાન છે, સ્ત્રી છે, પુરુષ છે એવી દ્રષ્ટિથી જોવા યોગ્ય નથી. પારકી પંચાતમાં જીવ ખોટી થયો છે. ઘણા પાપીનો તે જ ભવમાં મોક્ષ થયો છે અને પંડિતો રઝળ્યા કરે છે. ૧૨. તા. ૮-૬-૩૩ સપુરુષો જે આપણા હિતની વાત કરે તે વિસારી દેવા જેવી ન હોય. પરમ કૃપાળુદેવની ભક્તિ ગુણગ્રામ કરવા આપણને તે કહે છે તે તેમનો મહાન ઉપકાર છે. પરમ ઉપકારીનો ઉપકાર ભૂલવા Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ઉપદેશામૃત યોગ્ય નથી, પરંતુ તેમનું કહેલું ન કરીએ અને આપણા સ્વચ્છેદે ગમે તેટલી ભક્તિ કરીએ, તેમના ગુણગ્રામ કરીએ તે બધું ઉપલકિયું છે. કોઈ શિષ્ય સદ્ગુરુની કાયા વડે સેવા કરતો હોય, પગ દાબતો હોય, માથું દબાવતો હોય, પણ તેનું કહેલું ન માનતો હોય, તેના વચનથી વિરુદ્ધ આચરણ કરતો હોય તો હાથ વડે તે ગુરુના ચરણની સેવા કરે છે, પણ આચરણથી ગુરુની જીભ ઉપર પગ મૂકે છે, તેમની આજ્ઞા લોપે છે; તો શિષ્યનું કલ્યાણ કેવી રીતે થાય? સંસાર ઉપરથી આસક્તિ ઉઠાવી લઈ પરમ કૃપાળુદેવ ઉપર, તેનાં વચનો ઉપર, તેની મુખમુદ્રા, તેનાં જણાવેલ “સ્મરણ', “વીસ દુહા, “ક્ષમાપનાનો પાઠ', “છપદનો પત્ર', આત્મસિદ્ધિ આદિ અપૂર્વ હિતનાં કારણ જે સત્સાઘન છે તેનું સેવન નિરંતર કર્તવ્ય છેજી. વળી પોતાના દોષો જોઈ, તે દોષો પ્રત્યે અણગમો કે શત્રુવટ રાખી તે દોષો દૂર કરવા પુરુષાર્થ કર્તવ્ય છેજી. સત્સંગનો વિયોગ હોય ત્યારે તો જીવે વિશેષ કાળજી રાખી વિષયકષાયને વશ ન થઈ જવાય તે જોતા રહેવું ઘટે જી. વિષય-કષાય ઘટાડવાનો પુરુષાર્થ સદ્ગુરુના વચનામૃતના આલંબને કર્યો હોય તો સત્સંગનો યોગ થાય તે વખતે વિશેષ લાભ થવાનો સંભવ છે. મોટું પુસ્તક (શ્રીમદ્ રાજચંદ્ર) વચનામૃત વાંચવામાં વિશેષ કાળ જાય તેમ કર્તવ્ય છે. તે સત્સંગની ગરજ સારશે. અને સત્સંગની ભાવના રાખીએ છીએ તેની સાથે યોગ્યતા વધે અને સત્સંગ ફળવાન થાય તેમ પુરુષાર્થ કર્તવ્ય છેજ. જે પ્રકારનાં કર્મ પૂર્વે બાંધ્યાં છે તે ઉદય આવ્યાં છે તેમાં મૂંઝાવું નહીં, પણ સમતાભાવે ભોગવી લેવાં. આશાઓ, નકામી ઇચ્છાઓ વઘારવી નહીં. ઇચ્છા કરવાથી કશું મળતું નથી. પરમ કૃપાળુદેવે લખ્યું છે : “ક્યા ઇચ્છત ? ખોવત સર્બ, ઇચ્છા દુઃખમૂલ; જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.” તે લક્ષમાં રાખી વાસના, તૃષ્ણા, ઇચ્છાઓ રોકવા યોગ્ય છે. અને ઇચ્છા રોકવાથી તપ થાય છે. સંકલ્પ-વિકલ્પ ઘટવાથી આત્મકલ્યાણ કરવાનો માર્ગ પણ વિચારી શકાય છે. ૧૩ તા. ૧૯-૬-૩૩ પચખાણ તમે જે લીઘાં હોય તે તમારા ભાવ ઉપર આધાર રાખે છે. જો તમે દવા વગેરેની છૂટ રાખી હોય તો તેમ વર્તવું, દવા માટે પણ ન વાપરવાના ભાવ રહેતા હોય તો તેમ કરવું. જેવા તમારા ભાવ. પાપનાં કારણો તો ત્યાગવા યોગ્ય જ છે. પણ ન બની શકે તો જેટલું પોતાથી મળી શકે તેટલાનું વ્રત લેવું. સાત વ્યસનમાં જે સાત વસ્તુનો ત્યાગ કહ્યો છે તે દરેક વસ્તુ વાપરવાથી વ્યસન, ટેવ બંઘાઈ જાય છે, મન ત્યાંનું ત્યાં જ રહે છે, ઘર્મમાં વિઘૂ પાડે છે. આ લોક પરલોક બન્નેમાં હાનિકારક છે અને ઘર્મનો નાશ કરનાર છે. માટે તેને દૂરથી ત્યાગવાની વૃત્તિ રાખવી. કોઈ શરીરના કારણે દવા માટે વાપરવી પડે તોપણ તે ચીજ ઘણા પાપનું કારણ છે એમ જાણી બને ત્યાં સુઘી તે વગરની બીજી દવા મળતી હોય તો તેથી ચલાવી લેવું. ઘણી દેશી દવાઓ પણ હોય છે. જો દવા માટે છૂટ ન રાખી હોય અને દવામાં અમુક માંસાદિ વસ્તુ આવે છે એમ ખાતરી હોય તો Page #226 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ–૨ ૧૨૯ તે દવા વાપરવા યોગ્ય નથી. અને દવા માટે છૂટ રાખવાના ભાવે જે વર્તે છે તે પણ પાપનો ભય રાખી અમુક કાળ સુધી વાપરવી પડે તો વાપરે; પણ આ પાપનું કારણ સેવાય છે એ ભૂલવા યોગ્ય નથી. એ ક્યારે છૂટે, એવા ભાવ રાખવા યોગ્ય છે. ટૂંકામાં, તમારા ભાવ ઉપર આધાર રાખે છે. ૧૪ તા. ૨૩-૬-૩૩ અત્યારે જે દશા છે તે અજ્ઞાન દશા છે, બાળ-અવસ્થા જેવી દશા છે. પોતે જે બોલીએ, નિર્ણય કરીએ, માનીએ, તે તેમ જ હોય એવો સંભવ નથી. તેથી જેમ કોઈ બાળકને આપણે પૂછીએ તો તે તેના માબાપ સામું જુએ અને તેના માબાપ બોલાવે તેમ બોલે છે; તેમ આપણે પણ કલ્યાણનો માર્ગ જાણ્યો નથી તેથી કોઈ સંતને પૂછ્યો તો તેમણે પોતાને જેનાથી લાભ થયો છે તેવો નિઃશંક માર્ગ—પરમકૃપાળુદેવની ભક્તિનો માર્ગ—આપણને બતાવ્યો તે માર્ગ ભૂલ વગરનો, સાચો છે. તે માર્ગથી આપણું કલ્યાણ છે. એમ આપણા મનમાં દૃઢતા થાય તેવો તેમણે આપણને ઉપદેશ આપ્યો તે તેમનો પરમ ઉપકાર છે. તે ઉપકારીનો ઉપકાર ન ભૂલવો. તેમને ઉપકારી તરીકે ગણવા. પરંતુ ‘તમે જ મને તારનાર છો, તમારી ગતિ તે મારી ગતિ હો, તમે જ બધું કરશો, તમે બધું જાણો છો,' વગેરે આપણી મતિકલ્પના વડે કરેલા નિર્ણય છે. અને કલ્પના વડે કલ્યાણ ન હોય. માટે તેમને આપણે સાચા પુરુષ વિશ્વાસ કરવા યોગ્ય માન્યા છે તો તેમનો બતાવેલો માર્ગ જે પરમ કૃપાળુદેવની ભક્તિ પરમોત્કૃષ્ટ સાધન જે ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ'નો મંત્ર તથા ‘વીસ દોહરા’, ‘ક્ષમાપનાનો પાઠ’, ‘આત્મસિદ્ધિ’, ‘છ પદનો પત્ર’ આદિ જે જે આજ્ઞારૂપ ધર્મ બતાવ્યો છે તેનું આરાધન જો કર્યા કરીશું તો અવશ્ય કલ્યાણ થશે. તેમણે બતાવેલું આપણા આત્માને કલ્યાણકારી અને સત્ય છે. તેમાં આપણી મતિકલ્પના ઉમેર્યા સિવાય સ્વચ્છંદ રોકીને વર્ત્યા જઈશું તો અવશ્ય મોક્ષમાર્ગ પ્રાપ્ત કરી મોક્ષ પામીશું. માટે સ્થિરચિત્તથી વારંવાર આ વાતનો વિચાર કરી ‘આ જ્ઞાની છે, આ જ્ઞાની છે' એવી કલ્પના કરવાનું મૂકી દઈ, ‘હું કંઈ જાણતો નથી, માત્ર સત્પુરુષે બતાવેલું સાધન જ મારે ગ્રહણ કરવા યોગ્ય છે' એમ વિચારવા યોગ્ય છેજી. આપણી કલ્પનાથી કોઈને જ્ઞાની, અજ્ઞાની કહેવામાં ઘણો દોષ છે. જ્ઞાની હોય અને અજ્ઞાની કહીએ તો મોહનીય કર્મ બંધાય અને અજ્ઞાનીને જ્ઞાની કહીએ તોપણ મોહનીય કર્મરૂપ આચરણ થાય. તેથી સહીસલામત રસ્તો એ જ છે કે જે પુરુષને જ્ઞાનીરૂપે ભજવાની આપણને શિખામણ તેમણે આપી છે તેને જ શાની માની તેની જ ભક્તિ કરવી તથા બીજાની બાબતમાં મધ્યસ્થતા રાખવી. આવો સરળ નિઃશંક માર્ગ તજી આપણી મતિકલ્પનાએ વર્તવું એ નિર્ભય માર્ગ નથી. તે લક્ષમાં લેવા વિનંતિ છે. સમભાવ રાખી બાંધેલાં કર્મ ભોગવ્યે છૂટકો છે. પોતે બાંઘેલાં કર્મ પોતાને જ ભોગવવાં પડે છે. જો તેવાં કર્મ ન ગમતાં હોય તો હવે તેવાં કર્મ ન બંધાય તેવી કાળજી રાખવી યોગ્ય છે. એટલે રાગદ્વેષ તજી સમભાવથી તે કર્મ ભોગવી લેવાય તો નવાં કર્મ ન બંઘાય. માટે પરમ કૃપાળુદેવની ભક્તિમાં વૃત્તિ રાખી ન છૂટકે જે પ્રવૃત્તિ કરવી પડે તેમાં ખોટી થવું; બાકી બધો કાળ સ્મરણ, 9 Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૩) ઉપદેશામૃત ભજન, ભક્તિ, વાંચવા-વિચારવામાં ગાળવા યોગ્ય છેજી. સંકલ્પ-વિકલ્પ નકામા કર્યાથી કંઈ કલ્યાણ થતું નથી. ૧૫ અષાડ વદ ૩, સોમ, સં. ૧૯૮૯ આ સંસારમાં કોઈ સ્થાને સુખ નથી, સમસ્ત લોક દુઃખે કરીને ભરેલો છે એમ જ્ઞાની પુરુષોએ નિર્ણય કર્યો છે. તો પછી એવા આ સંસારમાં સુખની ઇચ્છા રાખવી એ રેતી પીલીને તેલ કાઢવા બરાબર છે. જે જે સુખની જીવ ઇચ્છા કરે છે તે ખરી રીતે દુ:ખરૂપ છે એમ જ્ઞાની પુરુષોએ જોયું છે, જાણ્યું છે. તેથી બાળક જેમ અફીણને મીઠાઈ ઘારી મુખમાં મૂકવા જતું હોય તેને માબાપ રડાવીને પણ પડાવી લે છે તેમ જ્ઞાની પુરુષો, આ પુદ્ગલિક સુખની જીવ ઇચ્છા કરે છે તેને, ઠપકો આપીને, ઉપદેશ આપીને તે પરવસ્તુની ઇચ્છા છોડાવી દે છે; કારણ કે અનાદિકાળથી જીવ પર્યાયદ્રષ્ટિમાં જ ફસાઈ રહ્યો છે તેથી શરીર આદિક પર્યાયોમાં અહંભાવ-મમત્વભાવ કરી તેમાં હર્ષ-શોક, રાગદ્વેષ કર્યા કરે છે, તેથી જન્મ-મરણ ઊભાં થાય છે. જન્મમરણના કારણભૂત એવી પર્યાયદ્રષ્ટિ તજવા યોગ્ય છે, એમ જ્ઞાની પુરુષો પોકારી પોકારીને કહી ગયા છે. છતાં આ જીવ અનાદિના અધ્યાસને લઈને તે વાત માન્ય કરતો નથી, ગળે ઉતારતો નથી. નહીં તો સર્વ દુઃખનો નાશ કરનાર એવું જે સભ્યત્વ તે જીવ અલ્પ સમયમાં પ્રાપ્ત કરે. સખ્યત્વ પ્રાપ્ત કરવાનું પ્રબળ કારણ સદ્ગુરુકૃપાથી દ્રવ્યદ્રષ્ટિનો અભ્યાસ કરવો એ છે. જ્યારે પર્યાવૃષ્ટિ દુઃખકારક, જન્મ-મરણનું કારણ અને અનેક પાપનું મૂળ જણાય અને સુખનું સાઘન તથા સત્ય વસ્તુ દર્શાવનાર પરમ હિતકારી એવી દ્રવ્યવૃષ્ટિની સમજ સદ્ગુરુ દ્વારા પ્રાપ્ત થાય તથા તેવાં આત્મપરિણામ વર્યા કરે ત્યારે આત્માનું કલ્યાણ સહજે થાય એમ છે. દ્રવ્યવૃષ્ટિથી આત્મા કોઈનો પિતા નથી, માતા નથી, પતિ નથી, પત્ની નથી, ભાઈ નથી; એકલો આવ્યો છે, એકલો જવાનો છે. આત્મા બાળક નથી, યુવાન નથી, વૃદ્ધ નથી, જન્મતો નથી, મરતો નથી, નિર્ધન નથી, ઘનવાન નથી, ભૂખ્યો નથી, તરસ્યો નથી, દુઃખી નથી, સુખી નથી, દેવ નથી, મનુષ્ય નથી, સ્ત્રી નથી, પુરુષ નથી. આ મૂળ આત્માનું સ્વરૂપ સર્વ પરદ્રવ્યથી ભિન્ન, અસંગસ્વરૂપ સદ્ગુરુકૃપાથી શ્રદ્ધામાં આવે, તેની જ માન્યતા થઈ જાય તો આ ભવ સફળ થઈ જાય. આ શુદ્ધ સ્વરૂપની ભાવના તે જ ઉત્તમ તપ છે, જપ છે, ભક્તિ છે, ધ્યાન છે અને સંયમ છે. અંતરંગમાં આવી શ્રદ્ધા રાખી, પર્યાયવૃષ્ટિથી મોહ થાય છે તે મનમાંથી તોડી નાખીને, મારું કંઈ નથી એમ માની, હું મરી ગયો હોત તો જેમ આ મારું ન માનતા તેમ જ જીવતાં છતાં મારાપણું મનમાંથી કાઢી નાખી, યથાપ્રારબ્ધ જે વહેવાર કરવો પડે તે ઉપરઉપરથી નિર્મોહીપણે કરવા યોગ્ય છેજી. વિનય, સત્ય, શીલ, ભક્તિ અને સહનશીલતા ઘારણ કરી સમતાભાવમાં વર્તવાનો પુરુષાર્થ કર્તવ્ય છેજી. આ વાત લક્ષમાં રાખી પ્રસંગે પ્રસંગે, કાર્યો કર્યે જાગૃતિપૂર્વક આત્માની ભાવના ભાવવા યોગ્ય છે. આવો પુરુષાર્થ કરાય તો તે અવશ્ય કલ્યાણકારી છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પત્રાવલિ-૨ ૧૩૧ કાર્તિક વદ ૨, સં. ૧૯૯૦ તા. ૪-૧૧-૩૩ એક મુમુક્ષુએ પ્રશ્ન કરેલો કે “મનમાં સંકલ્પ-વિકલ્પ થયા કરે છે અને મનના ચંચળપણાને લઈને સંતાપ થાય છે, તે શાથી મટે ?' આ અવસર જેવો તેવો નથી. પરંતુ બહુ અગત્યની એકાંતમાં ભાર દઈને કહેવા યોગ્ય આ વાત છે તે અત્રે કહેવાય છે. તે સામાન્ય કરી નાખવા યોગ્ય નથી, હૃદયમાં કોતરી રાખવા જેવી છે. - સંકલ્પ-વિકલ્પ આવે છે, દુઃખ દે છે, એ કોને ખબર પડે છે ? જેને ખબર પડે છે તે સંકલ્પવિકલ્પને જાણનારો, સંકલ્પ-વિકલ્પથી જુદો છે. આ હાથ, નાક, આંખ, મોં, કાન વગેરે કાંઈ જાણતાં નથી. જે જાણે છે તે આત્મા દેહાદિકથી ભિન્ન છે, એમ જ્ઞાની પુરુષના બોઘથી જાણી, તે જ્ઞાની પુરુષ ઉપર શ્રદ્ધા કરવા યોગ્ય છે કે આ મને ખોટું ન બતાવે, તે કહે છે તે જ મારે માનવું છે. મને અત્યારે આત્માનું ભાન નથી, પણ જ્ઞાની પુરુષે જેવો આત્મા જાણ્યો છે, જોયો છે, અનુભવ્યો છે તેવું જ મારું સ્વરૂપ છે, તે જ મારે માનવું છે. વ્યાધિ, પીડા, સુખ-દુઃખ, સંકલ્પ વિકલ્પ જે થાય તે મારે માનવાં નથી. જે જ્ઞાની પુરુષે જાણ્યું છે તે મને માન્ય છે. ચિંતા, ફિકર, સુખ, દુઃખ આવે છે તેથી બમણાં આવો, પણ મારે તે માનવાં નથી. અને જે સ્મરણ કરવા કહ્યું છે તે જ એક ટેક રાખીને મારે હૃદયમાં સાચવી રાખવું છે. આ માન્યતા કરવી તે પોતાના હાથની વાત છે. ભલે નરક કે તિર્યંચ ગતિ થવાની હો તો થાઓ, પણ મારે તો આ ભવમાં આ જ આટલી ટેક રાખવી છે અને તેનું શું ફળ થાય છે તે જોવું છે. આવી દ્રઢતાથી જો સ્મરણમાં ચિત્ત રાખે તો સંકલ્પવિકલ્પ ગમે તેટલા ભલેને આવે તે બધા જવા માટે આવે છે. અને નરક તિર્યંચ ગતિ તો સામી જ નહીં આવે. આપણે કહીએ કે અત્યારે તાવ આવો, ચૂંક આવો; પણ તે આવી શકે જ નહીં. જે બાંધ્યું છે તે જ ઉદયમાં આવે છે અને તે પણ રહો રહો કહીએ તોપણ રહે તેમ નથી. તેની મુદત પૂરી થયે દૂર થઈ જનાર છે. તો પછી ફિકર શાની ? પરવસ્તુમાં માથાં મારવાની માથાકૂટ છોડીને જે થાય તે જોયા કરવું. માતારું, સગુંવહાલું, શત્રુ-મિત્ર, સ્ત્રી-પુત્ર કંઈ જોવા યોગ્ય નથી. એક આત્મા જોવો. ઉપયોગ એ આત્મા છે. ગમે ત્યાં ભાવ, પરિણામ ફરતાં હોય તેને ઉપયોગમાં લાવવાં. હરતાં ફરતાં, બેસતાં ઊઠતાં આત્મા જોવો. બેટ્ટો હોય તે બીજું જુએ. આવો અભ્યાસ પાડી દેવા યોગ્ય છે, પછી તેને કંઈ ફિકર નથી. જે જે આવે તે બધું છૂટવા જ આવે. વ્યાધિ, પીડા ગમે તે આવે ત્યાં તે ઊલટું એમ માને કે સારું થયું કે આ દુઃખ, સંકલ્પ-વિકલ્પ આવ્યા કે મારે સ્મરણમાં જતું રહેવાનું નિમિત્ત બન્યું, નહીં તો પ્રમાદ થાત. આટલી ઉંમર થઈ ત્યાં સુધી માબાપ, સ્ત્રીપુત્ર, ઘન, મકાન, આહાર આદિ અનેક પ્રકારના પ્રસંગો, સંજોગ આવ્યા તે બઘા દીઠા; પણ કોઈ સ્થિર રહ્યા નથી. તેમ આ ભવમાં જે જે પુ ગલની રચના જોવાની હશે તેટલી બધી દેખાશે–સુખરૂપે કે દુ:ખરૂપે; પણ તે કોઈ કાયમ રહેનાર નથી, બઘી ચાલી જવાની છે. મોટા મોટા રામ-રાવણ, કૌરવ-પાંડવ, યાદવ એમાંના કોઈ અત્યારે નથી, સર્વ ચાલ્યા ગયા; તો આ ભવમાં જે સુખદુઃખ આવે છે તે કયાં રહેનાર છે ? બે દહાડાના મે'માન જેવું છે. તેમાં શું ચિત્ત દેવું? અમૂલ્ય વસ્તુ તો આત્મા છે તે જ્ઞાનીએ જાણ્યો છે, એ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ઉપદેશામૃત નિઃશંક વાત છે. અને તેવો જ આપણો આત્મા છે. અત્યારે તેનું ભાન નથી, તોપણ તે માન્ય કરવું અત્યારે બની શકે તેમ છે. આટલી પકડ મરણ-વેદના વખતે પણ રહે તેવો અભ્યાસ થઈ જાય તો સમાધિમરણ આવે, જન્મ-મરણનાં દુઃખ ટળે અને કામ થઈ જાય. કરોડો રૂપિયા કમાવા કરતાં વઘારે કીમતી આ કામ કરવા યોગ્ય છે, સ્મૃતિમાં રાખી લઈ મંડી પડવા યોગ્ય છેજી. “ફિકરતા ફાકા ભર્યા, તાકા નામ ફકીર' એની પેઠે નિશ્ચિંત થઈ જવાય એવું છે. સપુરુષાર્થ કર્તવ્ય છે. ૧૭ શ્રી આબુ, તા. ૨૬-૩-૩૫ એકાંત નિવૃત્તિનો યોગ ઘણો હિતકારી છે. મોટા મુનિવરો એકાંત નિવાસ સેવે છે. આસ્રવમાં સંવર થાય એવી કોઈક રમત જ્ઞાની પુરુષ પાસે છે. જે જે જુએ, જે જે કાંઈ કરે ત્યાં પ્રથમ આત્મા છે. તેના વિના તરણાના બે કટકા પણ થઈ શકે તેમ નથી એમ પરમ કૃપાળુદેવે જણાવ્યું છે. આત્માને મૂકીને કાંઈ થતું નથી. મારી નાખ આત્માને, કદી તે મરી શકશે ? માત્ર ઓળખાણ નથી. જેમ ઝવેરીને હીરાની ઓળખાણ છે તો તેની કિંમત સમજાય છે. કઠિયારાના હાથમાં રત્નચિંતામણિ આવે તોપણ કાંકરો જાણી તે ફેંકી દે છે. રત્નચિંતામણિ તો આ મનુષ્યદેહ છે. આવો યોગ પુણ્યાઈનું ફળ છે. તે પણ જોઈએ છે. પુણ્યાઈ છે તો અત્યારે આ નિવૃત્તિના યોગે આત્માની વાત કાનમાં પડે છે અને પરિણમે છે. પરિણામ પરિણામમાં પણ ઘણા ભેદ છે. ભાવ અને પરિણામ વારંવાર કહીએ છીએ તે વિચારવા યોગ્ય છે. “આત્મસિદ્ધિ' અમૂલ્ય છે; રિદ્ધિ-સિદ્ધિઓ, અનેક ચમત્કારોથી તે ભરેલી છે. પણ સમજાય કોને? અને સમજાય તેને રિદ્ધિ-સિદ્ધિનું કાંઈ કામ નથી. પણ એ અપૂર્વ વચનો છે, વિશ્વાસ કરવા યોગ્ય છે. ભલે મને ન સમજાય, પણ પરમકૃપાળુદેવને તો સમજાયું છે ને ? એટલો વિશ્વાસ તો અવશ્ય કર્તવ્ય છે. “કર વિચાર તો પામ,’ એમાં સર્વ ક્રિયા, જ્ઞાન આવી જાય છે. પણ તેનું માહાન્ય લાગવું જોઈએ, વિચાર થવો જોઈએ. શું કહીએ ? યોગ્યતાની ખામી છે. છતાં કહેવામાં તે પુરુષે કચાશ રાખી નથી. “છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ; નહિ ભોક્તા તું તેહનો, એ જ ઘર્મનો મર્મ.” આત્માનું સુખ અનંતું છે : “જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગોચરે માત્ર રહ્યું તે જ્ઞાન જો.” એ સુખનો આસ્વાદ આવવો જોઈએ. તેનું પ્રથમ સત્પરુષના દ્વારા શ્રવણ થાય તો પણ મહા ભાગ્ય ગણવું જોઈએ. આ વાત બીજે ક્યાં મળે ? સત્સંગમાં આત્માની જ વાત થાય. કાંઈ પૈસાટકાની પેઠે આ બોઘનો લાભ જણાતો નથી, દેખાતો નથી; પણ જ્ઞાની જાણી રહ્યા છે. પૈસા તો માટી છે, અહીં જ પડી રહેવાના છે. પણ આત્માનો ઘર્મ આત્માની સાથે જનાર છે, માટે તેની Page #230 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ–૨ ૧૩૩ ઘણી કાળજી રાખી સાંભળ્યા કરવું. સાંભળતાં સાંભળતાં આત્મસ્વરૂપનું ભાન થશે. કાંઈ ગભરાવા જેવું નથી. કાંઈ ગમતું નથી. ચાલો ઊઠી જઈએ, જતા રહીએ એમ કરવા યોગ્ય નથી. ગમે તેટલાં કષ્ટ પડે તોપણ તે વિષેની વાત સાંભળવી ઘટે છે. શાતા-અશાતા તો કર્મ છે, તેનાથી કાંઈ ગભરાવું નહીં. એ આપણું છે જ નહીં. સર્વ જવાનું છે. આત્માનો કદી નાશ થવાનો નથી. તેની ઓળખાણ કરી લેવાની છે. સત્સંગે તે થાય છે. * * ૧૮ તા. ૧૯-૩-૩૫ એક સમ્યકત્વની ભાવના કર્તવ્ય છે. અનંતકાળથી જીવ અનંત દોષ કરતો આવ્યો છે. પરંતુ જો આ ભવમાં સર્વ દોષ ટાળવાના હથિયારસમું સમક્તિ પ્રાપ્ત થાય, તો આ કાળમાં મોક્ષ પામવા સમાન છે. જીવને પોતાની કલ્પના કોઈ ને કોઈ રૂપમાં આડી આવે છે, તે ટાળવી. એક પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને ગુરુ માનો. તે મહા અવલંબનરૂપ છે, સફરી જહાજ છે. અમે તેને ભજીએ છીએ. અને એ નિર્ભય રસ્તો શોધી તેનું અવલંબન લઈ નિઃશંક સત્ય માનવા જણાવીએ છીએ. એ એક જ દ્રષ્ટિ કર્તવ્ય છે. તેમાં પોતાની કલ્પના ઉમેરી કોઈ અમને, કોઈ પોપટલાલભાઈને કે ગમે તે બીજા ઉપાસકને ઉપાસ્યરૂપે માનશે તો તેના સ્વચ્છેદથી માનવાનું ફળ તેવું આવવા યોગ્ય છે. કોઈ વાત કરનારને વળગી ન પડવું. તે જેમ જણાવે, આજ્ઞા કરે તે પ્રમાણે જો આપણા ભાવ થશે તો “વાળ્યો વળે જેમ હેમ' એવી દશા આવતાં જીવને યોગ્યતા વઘશે. નૂરભાઈ પીરભાઈ કરીને જેમણે પોતાની મતિકલ્પના ઊભી રાખી છે તે હજી સ્વચ્છેદ વેદે છે. એક પરમકૃપાળુદેવની ભક્તિ પરમપ્રેમે કર્તવ્ય છે, તેમાં સર્વ જ્ઞાનીઓ આવી જાય છે; સર્વ જ્ઞાનીઓના ઉપાસક મહાપુરુષો પણ આવી જાય છે; પોતે પણ પડી રહેતો નથી. આપે અનેક વાર સાંભળ્યું હશે તોપણ વિશેષ વિચારવા જેવું છે. તે લક્ષમાં રાખી સપુરુષની દ્રષ્ટિએ ભાવના-ભક્તિ કર્તવ્ય છે. વિશેષ શું ? “ગાળTU વો તવો–આજ્ઞાનું આરાઘન એ જ ઘર્મ અને આજ્ઞાનું આરાઘન એ જ તપ.' હે ભગવાન ! હવે ભૂલ રહે નહીં ! અને અલ્પ સાઘન બને તો અલ્પ, પણ યથાર્થ થાય એ જ ભાવ નિરંતર રાખવા યોગ્ય છે. પોતે પોતાનું કરી લેવા યોગ્ય છે. પોતાના દોષ જોઈ, તેનો પશ્ચાત્તાપ કરી તે દૂર કરી સદ્ગુરુશરણે જે થાય તે જોયા કરવા યોગ્ય છે. હું-મારું હૃદયેથી ટાળ, પરમારથમાં પિંડ જ ગાળ. ૧૯ શ્રી આબુ, ચૈત્ર વદ ૪, સં. ૧૯૯૧ જેનાં મહાભાગ્ય હશે અને સારું થવાનું સર્જિત હશે તેને સત્પરુષનાં દર્શન, સમાગમનો લાભ પ્રાપ્ત થશે અને અપૂર્વ માહાત્ય સમજાશે. વસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, આત્મસિદ્ધિ અને છ પદનો પત્ર એ અમૂલ્ય વાતો હૃદયમાં કોતરી રાખી ઊંડી સમજણ કરવા યોગ્ય છે. તેમાં સર્વ શાસ્ત્રોનો સાર આવી જાય છે. સમયે સમયે Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ઉપદેશામૃત જીવ મરી રહ્યો છે. તો જેટલો કાળ તે વચનો સાંભળવામાં જાય, તેના વિચારમાં જાય તે જીવનું મરણ સુધારનાર સમાધિમરણનું કારણ છે. મન વશ કેમ થાય ? ભેદ-વિજ્ઞાન એ જ મન વશ કરવાનો ઉપાય છે. તેને માટે સત્સંગ અને સદ્બોધની આવશ્યકતા છે, ઘણા બોઘની જરૂર છે. તે હોય તો જીવ જાગૃત થાય; તો પછી એને કાંઈ કહેવું જ ન પડે. સદ્બોધની બલિહારી છે. એ જ ઇચ્છવા યોગ્ય છે અને ખાસ કાળજી રાખી અંતરમાં ઉતારવા યોગ્ય છે, પરિણામ પામે તેમ કર્તવ્ય છે. ૨૦ સમય માત્રનો પ્રમાદ કરવા યોગ્ય નથી. તેમાં ઘણો અર્થ સમાયો છે. એવો કયો સમય સમજવો ? સમય શાને કહેવો ? બહુ ઊંડા ઊતરીને વિચારવા યોગ્ય છે. કાળ તો સદાય છે. પણ એવો સમય આવે કે જેથી સમિત થાય, કેવળજ્ઞાન થાય તેવો સમય કયો ? પ્રમાદે જીવનું ભૂંડું કર્યું છે. જ્યાં સુધી નીરોગી શરીર હોય, ઇન્દ્રિયોની હાનિ થઈ નથી, વૃદ્ધાવસ્થા આવી નથી અને મરણાંતિક યાતના આવી નથી ત્યાં સુધી ધર્મ કરી લેવા યોગ્ય છે. શ્રબરી બંગલો, માઉન્ટ આબુ તા. ૨-૪-૩૫ ધર્મ શું ? ઉપયોગ એ ધર્મ છે. ઉપયોગ એ આત્મા છે. જીવે ઘણી વાર આ સાંભળ્યું છે, પણ સામાન્ય કરી નાખ્યું છે. આ તો હું જાણું છું, ઓહો ! આ તો હું જાણતો હતો આમ જીવે અમૂલ્ય રત્નચિંતામણિ જેવી ચીજને કાંકરા તુલ્ય ગણી કાઢી છે. ‘હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું ? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાન્તતત્ત્વ અનુભવ્યાં.'' આ ‘અમૂલ્ય તત્ત્વવિચાર' નામ રાખી પરમકૃપાળુદેવે જણાવ્યું છે તોપણ જીવ મોહનિદ્રામાં ઘોર્યા કરે છે. અનંતકાળે આ વાત હાથ આવી છે અને જો જાગૃત થઈ તેનો લાભ નહીં લેવાય તો અનંતકાળે પણ હાથ લાગવી દુર્લભ એવી પરમપુરુષની વાણી સત્સંગમાં સાંભળવાની મળે છે. તેનું અત્યંત માહાત્મ્ય રાખી બને તેટલો વિચાર કરી, વારંવાર તે ભાવનામાં રહેવા યોગ્ય છે. ઘાડ પડે એવો દુકાળ હોય કે બહારવટિયાનો ભય હોય ત્યારે લોકો જેમ જાગૃત રહે છે, ચેતતા રહે છે કે રખેને આખો જન્મારો મહેનત કરીને મેળવેલું ઘડીકમાં લૂંટાઈ જાય; તેમ મરણરૂપી ઘાડ અવશ્ય આવવાની છે અને મનુષ્યભવની સામગ્રી લૂંટાઈ જવાની છે. પરંતુ જે પહેલેથી ચેતી લેશે, ધર્મ કરી લેશે, આત્માનું ઓળખાણ કરી લેશે, ઉપયોગપૂર્વક વર્તતા રહેશે તે બચી જશે, તે અમર થશે, શાશ્વતપદ પામશે. આ કાળમાં, સકિત પામી શકાય તેમ છે. તે અવસર જો જીવ ચૂચો તો ફરી આવો અવસર આવવો દુર્લભ છે. ‘છ પદ’ના પત્રનો વારંવા૨ દ૨૨ોજ વિચાર કર્તવ્ય છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ–ર ૧૩૫ ૨૧ તીર્થક્ષેત્ર આબુ, તા.૨-૬-૩૫ તત્ સત્ બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે ! ભવચક્રનો આંટો નહિ એક્કે ટળ્યો: સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષ લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો ?'”—શ્રીમદ્ રાજચંદ્ર જન્મ-જરા-મરણનાં દુઃખ મોટાં છે. રાજા કે રંક સર્વને માથે મરણ છે. તે ટાળવા માટે સત્સંગની જરૂર છે. સત્સંગના ઘણા ભેદ છે. પણ જ્યાં આત્માની જ વાત થતી હોય, કોઈ ભેદી પુરુષ હોય અને તે આત્મા વિષે જણાવે છે ત્યાં સાંભળતાં પણ ઘણા ભવ ઓછા થઈ જાય છે. આ બીજાને ન જણાય, પણ જ્ઞાની જાણી રહ્યા છે. “આત્માનું બળ વઘારે કે કર્મનું બળ વઘારે હશે ?' બળ તો આત્માનું વઘારે છે. પણ તે સૂર્યની આડે વાદળો આવ્યાં હોય તેથી સૂર્યમાં ઘણી ગરમી હોવા છતાં તે દેખાતો નથી, ઢંકાઈ રહે છે અને ટાઢ વાય છે, પણ તે વાદળાં દૂર થઈ શકે છે; તેમ અત્યારે જીવ કર્મથી ઘેરાયો છે અને બધી શક્તિ આવરણ પામેલી લાગે છે પણ તેનો મોક્ષ થઈ શકે છે. બહુ ઊંડી વાત જણાવીએ છીએ. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોક્તા છે, મોક્ષ છે અને તે મોક્ષના ઉપાય છે—એ છ પદનો બહુ વિચાર કરવા યોગ્ય છે. “આત્મસિદ્ધિ શાસ્ત્રમાં એનો વિસ્તાર કરેલો છે તે બહુ વિચારવા યોગ્ય છે. મોટાં મહાભારત, પુરાણ કે જેનનાં શાસ્ત્રો કરતાં બહુ સુગમ અને સરળતાથી સર્વ શાસ્ત્રના સારરૂપ “આત્મસિદ્ધિમાં વાત કરેલી છે. તે ગહન વાત વિચારવાન જીવને બહુ લક્ષમાં લેવા યોગ્ય છે. નાના પુસ્તકના આકારે જણાય છે પણ તે ચમત્કારી વચનો છે. તે વિષે અમે બહુ કહેતા નથી. તે લબ્ધિવાક્યો છે; મંત્રસ્વરૂપ છે. રિદ્ધિ-સિદ્ધિની કંઈ જરૂર નથી; પણ જન્મ-મરણના ફેરા ટાળે તેવાં તે વચનો છે. કોઈ સમજે, ન સમજે, તો પણ કાનમાં તે વચનો પડવાથી પણ પુણ્ય બાંધે છે. તેમાં જે આત્મા વિષે વાત જણાવી છે તે માન્ય કરવા યોગ્ય છે; શ્રદ્ધા કરવા યોગ્ય છે. તેમાં ગુરૂગમની જરૂર છે. તે આવે તો જેમ તિજોરીનાં તાળાં ઊઘડે અને જે જોઈએ તે કાઢી લેવાય તેમ ગુરુગમથી આત્માને ઓળખાણ થાય છે. ગુરુગમ ન હોય તો વસ્તુ પ્રાપ્ત થતી નથી. તિજોરી ઉપર હાથ ફેરવે પણ અંદરની વસ્તુ ન મળે તેમ ગુરુગમરૂપી કૂંચી વિના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. - ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૨ તા. ૨૦- ૧૩૫ ઘણી વાર મહેનત કરવા છતાં જે વૈરાગ્ય અને ઉપશમની પ્રાપ્તિ થતી નથી તે વૈરાગ્યાદિની પ્રાપ્તિ સુલભ થાય એવો મહાવ્યાધિનો અવસર આવે છે ત્યારે દેહની અને આ સંસારની અત્યંત Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ઉપદેશામૃત અસારતા, અનિત્યતા અને અશરણતા મુમુક્ષુને પ્રત્યક્ષ અનુભવાય છે અને જ્ઞાનીનાં વચનો અત્યંત સાચાં લાગે છે. આ દેહાદિ પદાર્થોના સ્વરૂપનો જો જ્ઞાની પુરુષનાં વચનોને અનુસરી જીવ વિવેકપૂર્વક વિચાર કરે તો જરૂર તે પોતાનાં નથી એમ પ્રતીતિ થાય. પોતાનાં હોય તો જતાં કેમ રહે ? અનાદિકાળથી જીવનું પરિભ્રમણ થયું તે એના સંયોગથી, પોતાનાં નહીં તેને પોતાનાં માનવાથી જ થયું છે અને અત્યારે પણ એ જ દુઃખનું કારણ છે, એમ લાગ્યા વિના રહેશે નહીં. શાતા-અશાતા સ્વભાવ તો દેહના છે, તેને પોતાના માની આ જીવ તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિનાં વિચારો અને ભાવના કરી આર્તધ્યાન કરી પોતાનું બૂરું કરવામાં બાકી રાખતો નથી. જ્ઞાનીઓએ તો બધાય સંયોગોને, દેહાદિ અને કુટુંબાદિ સર્વે સંસારસંબંધોને પર, પુદ્ગલના, કર્મરૂપ, અસાર, અધ્રુવ અને દુ:ખમય જ કહ્યા છે. જે જ્ઞાનીનો ભક્ત હોય તેને તો જ્ઞાનીનાં વચનો માન્ય જ હોવાં જોઈએ અને તેથી એને શાતા-અશાતા બન્ને સરખાં છે. અશાતા તો વિશેષ અનુકૂળ છે કે જ્યાં સંસાર-માયા પર૫દાર્થોના સંયોગસ્વરૂપનું પ્રતિબંઘ વગર સ્પષ્ટ દર્શન દે છે. તેથી તેના સ્વરૂપનો વિચાર જીવ સહેજે કરી શકે છે. બધાય જ્ઞાની પુરુષોએ અનુભવપૂર્વક આ સંસારને દુઃખમય જાણી તેથી નિવર્તવાનો જ માર્ગ ગ્રહણ કર્યો છે, તેને માટે અત્યંત પુરુષાર્થ કરી જય મેળવ્યો છે, અને એ જ બોધ કર્યો છે. ઘણા ભક્તોએ પણ સંસારનાં દુઃખ ભલે આવે કે જાય પણ પ્રભુનું વિસ્મરણ ન થાય એમ માગ્યું છે. શ્રી ઋભુરાજાએ તો ભગવાનનાં દર્શન થતાં એ જ માગણી કરી કે આ રાજ્યલક્ષ્મીનું મને ફરી સ્વપ્ન પણ દર્શન ન થાય. આ બધું સંસારની અસારતા સૂચવે છે, કે જે વિચારી જીવે તેથી ઉદાસીન થવા યોગ્ય છે. મોટા મોટા પુરુષોએ પણ મહાન ઉપસર્ગ અને પરિષહના પ્રસંગે ચલિત ન થતાં, ખેદ ન પામતાં સમભાવને જ ધારણ કર્યો છે; સંસાર અસાર, પરરૂપ, પોતાના આત્મસ્વરૂપથી તદ્દન ભિન્ન છે એમ જાણી નિજ શુદ્ધ આત્મસ્વરૂપમાં જ સ્થિત થયા છે. મઘાના મેહ સમાન બોધપ્રવાહ વહે છે પણ એમાંથી એકાદ લોટો ય પાણી પીધું નથી, ભરી પણ નથી રાખ્યું કે પિવાય. બધુંય પાણી ક્યારીમાં જવાને બદલે બહાર વહી ગયું. કહેનારો કહી છૂટે અને વહેનારો વહી છૂટે, વારંવાર કહેવા છતાં, સમજાવ્યા છતાં પોતાની મતિ સમજણ આગ્રહ ના મૂકે એટલે અમારું કહેવું ગ્રહણ થતું નથી. અને પોતે જ્ઞાની પુરુષને ઓળખ્યા છે, પોતાની સમજણે ‘આ જ્ઞાની છે, એ જ્ઞાની છે' એમ માની જ્ઞાનીઓની, જ્ઞાનીઓના માર્ગની માન્યતા કરી લઈ વર્તે છે. તે વિપરીત સમજણથી, ‘હું જ્ઞાનીનો માર્ગ પામ્યો છું, હું જ્ઞાનીની સાચી ભક્તિ કરું છું, હું વ છું, કરું છું તે બરાબર છે' એમ કરી પોતાનામાં પણ એવી કંઈ માન્યતા કરી તે માન્યતાના આધારે બીજા જીવો પ્રત્યે પણ તે જ વાતનો ઉપદેશ થાય છે એ બધું અજ્ઞાન છે. અજ્ઞાન તે સંસાર રખડાવનાર છે. હજુ પણ મનુષ્યદેહ છે, સમજણ શક્તિ છે ત્યાં સુઘી અવસર છે. સાચી રીતે જ્ઞાનીનું કહેવું માની લેવાય તો આત્મહિત થાય. અમારા હૃદયમાં માત્ર કૃપાળુદેવ જ છે, તેની જ રમણતા છે. અમારી તો એ જ શ્રદ્ધા અને લક્ષ છે. અમે તો અમારા સમાગમમાં જે જિજ્ઞાસુ આવે છે તેને એ જ રસ્તો બતાવીએ છીએ કે Page #234 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ-૨ ૧૩૭ પરમકૃપાળુદેવની જ આજ્ઞા માન્ય કરો, તેની જ શ્રદ્ધા કરો; તેણે જે સ્વરૂપ જાણ્યું, અનુભવ્યું છે તે જ સાચું છે, તે જ સ્વરૂપ મારું છે એમ તે પુરુષના વચને શ્રદ્ધાએ માન્ય કરો અને તેની જ ભક્તિમાં નિરંતર રહો; બીજી કંઈ કલ્પના ન કરો. આ પરપદાર્થો, તેના સંયોગો તે તમારા નથી. તેને તમારા આત્મસ્વરૂપ તરીકે ન માનો; પણ પરમકૃપાળુ દેવે કહેલ યથાર્થ આત્મસ્વરૂપને ઓળખો તો કલ્યાણ છે. પરમકૃપાળુ દેવનું જ શરણ, આશ્રય, નિશ્ચય ગ્રહણ કરો અને અત્યાર સુધીમાં જે જે કંઈ કર્યું, જે જે કંઈ માન્યું, જે જે કંઈ ઉપદેશ આપ્યા, જે જે કલ્પનાઓ કરી, તે બધી મારી ભૂલ હતી, સ્વચ્છંદ હતો, કલ્પના હતી, અણસમજણ હતી, અજ્ઞાનતા હતી. તેનો ભારે ખેદપૂર્વક પૂર્ણ પશ્ચાત્તાપ કરી તેથી પાછા વળી જ્ઞાનીની ક્ષમા ઇચ્છી આત્માને નિઃશલ્ય કરો. અને હવે તો મારે એક પરમકૃપાળુદેવનું જ શરણ હો, તેની જ આજ્ઞામાં નિરંતર પ્રવર્તન હો, એણે જે સ્વરૂપ અનુભવ્યું છે તે જ મારું સ્વરૂપ છે, અન્ય દેહાદિ સંબંધીમાં પોતાપણાની કલ્પના મિથ્યા છે, એવી સમજણ અને શ્રદ્ધા કર્તવ્ય છે. એમ જીવ પોતે જ કરશે ત્યારે છૂટકો છે. સાચી શ્રદ્ધા આવ્યે સાચો વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. અને જ્ઞાનીઓએ દેહાદિને અનિત્યાદિ કહ્યા છે તે જીવના વિચારમાં સમજણમાં બેસે છે. સાચી શ્રદ્ધા સિવાય સાચો પ્રેમ ઉદ્ભવતો નથી, અને સાચા પ્રેમ સિવાય વસ્તુની પ્રાપ્તિ અસંભવિત છે. સાચી શ્રદ્ધા સહિત પરમકૃપાળુ દેવની ભક્તિમાં ચિત્તને જોડી રાખવું, તેમાં લયલીન બનવું. આ અશાતાવેદનીય તેમજ શાતાવેદનીય તો કર્માનુસાર છે. આત્મસ્વરૂપનો નાશ કરવા વેદનીય સમર્થ નથી, તો પછી તેનો ખેદ કે વિકલ્પ શો કરવો ? શા માટે પરમભક્તિમાં ભાવને વધારી બધાં ય જન્મ-મરણ આદિ દુ:ખોથી સદાને માટે મુક્ત ન થઈએ ? ખેદ કે આર્તધ્યાન કરવાથી તો તે વેદનીય જીવને નવા બંઘનનો હેતુ થાય છે અને તે ભવિષ્યમાં ભોગવવાં પડશે. તો સમજુ પુરુષે પોતાના આત્માની દયા વિચારી, ક્ષમા અને ધીરજથી પોતાના ભાવો સુધારી આ પ્રાપ્ત થયેલ પ્રતિકૂળ પ્રસંગનો લાભ કેમ ન લેવો ? આ મિત્રરૂપ ભાસતા પણ વસ્તુતાએ બળવાન શત્રુ સમાન દેહાદિ સંયોગોમાં કંઈ પણ પ્રીતિ કરવા યોગ્ય છે જ નહીં. તેનાથી પોતાના ભાવોને વાળી લઈ પરમ કૃપાળુદેવે બોધેલ ઉપશમ અને વૈરાગ્યમાં તથા પરમકૃપાળુદેવની અપૂર્વ પરમ આજ્ઞાના આરાધનમાં, ભક્તિમાં, શરણમાં આશ્રયમાં ઐકચતા કરવી યોગ્ય છે. પરમકૃપાળુદેવની શ્રદ્ધા અમારા કહેવાથી કરશે તેનું કલ્યાણ થશે એમ જે જણાવ્યું હતું તથા સંતના કહેવાથી મારે પરમકૃપાળુદેવની આજ્ઞા માન્ય છે એમ પ્રતિજ્ઞાપૂર્વક સર્વેએ પરમકૃપાળુદેવની સમક્ષ કહ્યું હતું તે યાદ લાવીને શ્રદ્ધા જેટલી દૃઢ થાય તેટલી કર્તવ્ય છે. હાથીના પગલામાં બધાં પગલાં સમાય છે, તેમ પરમકૃપાળુદેવની ભક્તિમાં સર્વ જ્ઞાનીઓની ભક્તિ આવી જાય છે; માટે ભેદભાવની કલ્પના દૂર કરી જે આજ્ઞા થઈ છે તે પ્રમાણે, ‘વાળ્યો વળે જેમ હેમ' તેમ પોતાના ભાવ વાળી એક ઉપર આવી જવા યોગ્ય છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત ૨૩ તા. ૩૧-૧૦-૩૫ માયા બધી ખોટી છે. આટલું મારે ધન છે, આ પુત્રપરિવાર છે, આ અધિકાર છે તેથી હવે મારે કંઈ ડરવા જેવું નથી—મારે શી ખામી છે ? આમ જીવ માને છે. અને અહંભાવ-મમત્વભાવ સહિત દાન, દયા, તપ આદિ ધર્મ પાળે છે. પણ તે બધાં તો પાડાને ખેતરમાંથી હાંકી કાઢવા રાડાં લઈને મારે તેના જેવાં છે. પાડો કહે છે કે એવાં તો હું બહુ ચાવી ગયો છું; તેમ આ માયાનાં સાધનો અનંતકાળથી જીવ પામતો આવ્યો છે અને ક્રિયાકાંડમાં પ્રવર્તતો આવ્યો છે, તેનાથી જન્મમરણ ટળતાં નથી. ૧૩૮ પણ કોઈ કાળે પ્રાપ્ત નથી કર્યું એવું તો સમકિત છે, આત્મશ્રદ્ધા છે. તે પ્રાપ્ત કરવાની ભાવના, તીવ્ર જિજ્ઞાસા વારંવાર કર્તવ્ય છે. આત્માનું ઓળખાણ થયે જ કલ્યાણ છે. અને ત્યારે જ મિથ્યાત્વનો નાશ થશે અને મોક્ષનો માર્ગ ખુલ્લો થશે. સ્વચ્છંદ એ મોક્ષમાર્ગને રોકનાર, બંધ કરનાર કમાડ છે. તેને દૂર કરવાનું સાધન પણ આત્મજ્ઞાન અને આત્મભાવના છે. આત્માર્થના લક્ષથી, આત્મભાવનાથી જેટલું પ્રવર્તન, ભાવ થશે તેટલું જીવન લેખાનું છે; બાકીનું બધું માયા-પ્રપંચમાં વહ્યું જાય છે. એમ વિચારી, વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ થાય, મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ ચાર ભાવના સહિત વર્તાય તેમ પુરુષાર્થ કર્તવ્ય છે અને સત્સંગની ભાવના વર્ધમાનપણે કરતા રહેવા યોગ્ય છે. વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, છ પદનો પત્ર, આત્મસિદ્ધિ, વગે૨ે ભક્તિ-સ્મરણમાં નિત્ય નિયમિતપણે અમુક કાળ કાઢવા લક્ષ રાખશો. ⭑ ⭑ ૨૪ માગશર, સં. ૧૯૯૨, તા.૧૪-૧૧-૩૫ આ દુષમકાળમાં આ મનુષ્યભવનાં આયુષ્ય બહુ અનિશ્ચિત છે. કાળનો ભરોસો નથી અને માયાનો પાર આવવાનો નથી. આમ ને આમ જીવ અધૂરાં મૂકીને પરભવથી આવ્યો છે. પણ પૂર્વે કાંઈક જાણ્યે-અજાણ્યે પુણ્ય બાંધેલું તેના ફળરૂપે આ મનુષ્યભવ, ઉત્તમ કુળ, નીરોગી કાયા, નિશ્ર્ચિતપણે આજીવિકા ચાલે તેવાં સાધન, સત્પુરુષનો યોગ અને પરમકૃપાળુદેવ જેવા સાચા પુરુષનું શરણ, સ્મરણ આદિ જોગવાઈ મળી આવી છે. આટલી ઊંચી સ્થિતિએ જીવ આવ્યો છે, છતાં પ્રમાદ કરે તો સર્વ સામગ્રી વહી જતાં વાર લાગે તેમ નથી. નાનું બાળક પણ પથારી કે પલંગથી પડી જવાશે એમ જાણી ડરે છે અને બચવાનો પ્રયત્ન કરે છે. પણ આ મૂઢ જીવ આ ઉચ્ચ દશાથી પડી અધોગતિમાં ક્યાંય ખૂંચી જશે તેનો ભય નથી, તેમ ચેતતો નથી. મનુષ્યભવ આમ ને આમ વહી જશે તો પછી શી દશા થશે તેનું જીવને હજી ભાન નથી. ચાર ગતિમાં અને તેમાં પણ નર– તિર્યંચમાં કેટલાં બધાં દુઃખ છે તે મૃગાપુત્રના ચિરત્રમાં પરમકૃપાળુદેવે ‘ભાવનાબોધ'માં કેટલું બધું વિસ્તારથી લખ્યું છે ? છતાં જીવને સત્પુરુષના વચનની સત્યતા છાતીમાં વાગતી નથી, ત્રાસ આવતો નથી. એ સર્વ મોહનીય કર્મનો છાક છે. સત્સંગ-સમાગમે બોધ શ્રવણ કરવાની, સચોટ થપ્પડ વાગવાની જરૂર છે, તો જ જીવ જાગૃત થાય એમ છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ–૨ ૧૩૯ ચક્રવર્તી જેવા છ ખંડનું રાજ્ય અને ૯૬૦૦૦ સ્ત્રીઓ તજી આત્મહિત કરવા ભિખારીની પેઠે અકિંચન થઈ ચાલી નીકળ્યા તેમનો કેટલો વૈરાગ્ય હશે ? અને આ જીવ આમ નિર્માલ્ય ચીજોમાં વૃત્તિઓ પરોવી રાખી સુખી થવા ઇચ્છે છે; તો આ સુખનો રસ્તો છે કે મહાપુરુષોએ આચરેલો રસ્તો મહા સુખકારી છે ? તે વાતનો ઊંડા ઊતરી વિચાર કરવા યોગ્ય છે. સત્સંગના અભાવમાં અનાદિ મોહનું બળ જીવને કર્મ બંઘાય તેવાં કારણોમાં ફસાવી દે છે અને તેમાં જીવ આનંદ માને છે. પણ તે પ્રત્યે ઝેર, ઝેર અને ઝેર વૃષ્ટિ રાખી સત્સંગની ભાવના રાખીને જીવવા યોગ્ય છે, અને લાગ મળે જરૂર સત્સંગ વિશેષ વિશેષ ઉત્સાહથી કરતા રહેવા યોગ્ય છે. કહેનાર કહી છૂટે, પણ માનવું ન માનવું તમારા હાથની વાત છે. સત્સંગ, ભક્તિમાં ભાવ વધે તેમ સત્સંગના વિયોગમાં પણ મુમુક્ષુઓએ વર્તવા યોગ્ય છે. ૨૫ માગશર, સં. ૧૯૯૨, તા. ૧૪-૧૧-૩૫ ઘણા મુમુક્ષુઓ દૂરદૂરથી આવી, પરમકૃપાળુદેવની ભક્તિમાં રંગાઈ આત્મહિત સાધી જાય છે, અને આપને આટલો સમાગમ થયો હોવા છતાં એવું શું કારણ છે કે સત્સંગ-સમાગમ કરવામાં આટલું બધું વચ્ચે આડું આવે છે? ઘન, કુટુંબ, કાયા આદિને માટે કાંઈ કામ હોય તો તેની કાળજી જેમ રાખો છો અને તે કામ વહેલું મોડું કરી લો છો તો આ આત્માનું હિત થાય તે કામ કરવા માટે સત્સંગની જરૂર નથી લાગતી ? કે આ કામ ઓછું અગત્યનું છે? કે આત્માનું હિત થાય તેવું આ ભવમાં નથી કરવું એવો નિશ્ચય કર્યો છે કે શું ધાર્યું છે ? ઘન, કાયા આદિ પદાર્થો તો કાલે સવારે રાખ થઈ ઊડી જશે. કોઈ કોઈનું સગું નથી. સ્વ. માઘવજી શેઠ માલમિલકતમાંથી શું સાથે લઈ ગયા? ઘર્મ પ્રત્યે જેટલો પ્રેમ તેમને આખરે જાગ્યો હતો તે તેમની સાથે ગયો અને તેમને સારી ગતિમાં લઈ ગયો. સંસારની પ્રવૃત્તિમાં તો જીવ અશુભભાવ કરી અધોગતિએ જવું પડે તેવાં કારણો મેળવી રહ્યો છે. તેમાં જે કોઈ પુરુષનાં વચનો સાંભળી કાન ઘરશે, જાગૃત થશે અને ઘર્મ આરાઘશે તે સુખી થશે. જેને પુરુષનો યોગ થયો છે, જેણે પુરુષની સેવા કરી છે તેવાએ તો આ અસાર સંસારમાં પામર પ્રાણીની પેઠે તેમાં ને તેમાં તણાઈ જવા યોગ્ય નથી. સો-બસો રૂપિયા મળવાના હોય તો જીવ ગાડીએ બેસીને મુંબઈ સુઘી દોડ્યો જાય, પણ સત્સંગમાં જે અલભ્ય લાભ મળે છે, જન્મ-જરા-મરણ છૂટી મોક્ષ થાય તેવા સમકિતનો લાભ થાય છે તેવા જોગનું જીવને માહાસ્ય જ હજી ભાસ્યું નથી. બોઘની જીવને ખામી છે, અને સત્સંગ સિવાય તેની પ્રાપ્તિ થતી નથી; તેથી વારંવાર સમાગમનો જોગ બને તેવો પુરુષાર્થ કર્તવ્ય છે. આપના નિમિત્તે આપનાં માતુશ્રી, ભાઈ વગેરે ઘણા જીવોને આત્મહિતનું કારણ થાય તે પ્રમાદને કારણે કે મોહને લઈને અટકી રહ્યું છે; તો જાગૃત થઈ આત્માની સંભાળ હવે લેવાનું કરશો. વિશેષ શું કહેવું ? કાળનો ભરોસો નથી. લીઘો કે લેશે એમ થઈ રહ્યું છે. ઓચિંતો કાળ આવી પહોંચશે અને સંસારનાં બધાં કામ અધૂરાં મૂકી એકલા ચાલી નીકળવું પડશે. કાયામાં રોગવ્યાધિ પ્રગટ થયે કોઈ લઈ શકશે નહીં, બઘાં તાકી રહેશે અને આ આત્મા એકલાને જ દુઃખ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ઉપદેશામૃત ભોગવવું પડશે. તો કુટુંબ આદિનો પ્રતિબંઘ ઓછો કરી સત્સંગ સમાગમમાં વિશેષ ચિત્તની વૃત્તિ વળે તેમ વિચારી પ્રવર્તવા યોગ્ય છે. | ગમે તેટલાં દુઃખ વેઠવાં પડે, ઘનની હાનિ થતી હોય, અપમાન થતું હોય તોપણ સત્સંગસમાગમ કરતા રહેવા ભલામણ છે, તે ભૂલશો નહીં. હૃદયમાં ઊંડા ઊતરી વિચારશો અને આ જીવ બિચારો મનુષ્ય ભવ હારી ન જાય તે માટે તેની દયા ખાવા યોગ્ય છે. આવો અવસર બીજા કોઈ ભવમાં મળવો અત્યંત દુર્લભ છે. માટે ચેતી જજો. ૨૬ કાર્તિક સુદ ૭, સં. ૧૯૯૨ એક સદ્ગુરુનું શરણ દ્રઢ ગ્રહણ કરી નિર્ભય થઈ જવા યોગ્ય છે. વ્યાધિ, પીડા, પરિષહઉપસર્ગ ગમે તે આવી પડે તે ઘીરજ, સમતા, સહનશીલતાથી ખમીખુંદવાં. તે બઘાં જવા માટે આવે છે. અનંત કાળથી કમ આવે છે અને જાય છે. કોઈ ટકી શક્યાં નથી. નરકનાં દુઃખ પણ જીવે અનંત વાર ભોગવ્યાં, પણ આત્માનો કોઈ પ્રદેશ ઘસાઈ ગયો નથી કે ઓછો થયો નથી. માટે કશાથી ગભરાવું નહીં. આવ્યાં તેથી બમણાં આવો, એમ કહ્યું વઘારે આવવાનાં નથી અને જતાં રહો કહ્યું જતાં રહેવાનાં નથી. ગયાં તે ફરી કદી આવવાનાં નથી. માટે એક અવલંબન સદ્ગુરુનું ગ્રહી તેને શરણે જે થાય તે જોયા કરવું, ગભરાવું નહીં. મંત્રનું સ્મરણ નિરંતર કર્યા કરવા યોગ્ય છે. જ્યાં સુધી ભાન રહે ત્યાં સુધી સ્મરણમાં ભાવ રાખવો. જ્ઞાની પુરુષ જેવો આત્મા જાણ્યો છે, તેવો જ મારો આત્મા છે. આવરણને લઈને મને ખબર નથી પણ જેનું શરણ મેં ગ્રહણ કર્યું છે તેણે નિઃશંકપણે સત્ય આત્મા જાણ્યો છે, એ શ્રદ્ધા અચળપણે મરણ પર્યત ટકાવી રાખવા યોગ્ય છે. આટલી દૃઢતા રહે તો આત્માનો કોઈ વાંકો વાળ કરનાર નથી. “ચિંગ ઘણી માથે કિયા રે, કુણ ગંજે નર એટ ?” ૨૭ તા. ૨૬-૧-૩૬ સત્સંગ, સપુરુષાર્થની જીવને બહુ જરૂર છે. “વાતોએ વડાં નહીં થાય', કરવું પડશે. એક મરણિયો સોને ભારે. ઊઠો, ઊભા થાઓ. મારે તેની તરવાર. તમારી વારે વાર. યોગ્યતા લાવો. પાત્ર વિના શામાં મુકાય ? યોગ્યતા હોય તો વાર નથી. આત્મા જ કરશે. કર્યા વિના છૂટકો નથી. જીવનો જ વાંક છે. વાત છે માન્યાની. “એ મળે, એ સુષ્ય અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.” સપુરુષાર્થ વિષે, વિનય વિષે, લઘુતા વિષે અમૃત સમાન–મરતાને જીવતાં કરે તેવો અત્યુત્તમ બોઘ સાંભળી હૃદયમાં કોતરી રાખવા યોગ્ય છે. મીઠી વીરડીનું પાણી છે; પીશે તેની તરસ છીપશે, ભરી લેશે તેને કામમાં આવશે અને પ્રમાદમાં વહી જવા દેશે તે પસ્તાશે, તરસે મરશે. આ જીવ પ્રમાદમાં ગળકાં ખાઘા કરે છે, ચેતતો નથી એ મોટી ભૂલ છે. ભરત, ચેત !' Page #238 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ–૨ “ જ્ઞાન ગરીબી ગુરુવચન, નરમ વચન નિર્દોષ; ઇનકું કભી ન છાંડિયે, શ્રદ્ધા શીલ સંતોષ.'' ⭑ ⭑ ૨૮ તા. ૮-૨-૩૬ જીવને જન્મ-મરણનાં દુ:ખ જેવું બીજું કોઈ દુ:ખ નથી. અને તૃષ્ણા મૂર્છાને લઈને જન્મ-મરણ થયા કરે છે. કોઈની તૃષ્ણા પૂરી થાય તેમ નથી. ગમે તેટલી કમાણી કરી હોય તોપણ કંઈ સાથે જવાનું નથી. સાડા ત્રણ હાથની જગામાં દેહને બાળી નાંખશે. માથે મરણનો ભય છે, છતાં જીવ જાણે છે કે જાણે મારે મરવું જ નથી. એમ ઘારી આંખો મીંચી આરંભપરિગ્રહમાં પ્રવર્ત્ય કરે છે અને રાતદિવસ કલ્પના, કલ્પના અને કલ્પનામાં જ ગૂંચાઈ રહ્યો છે. “ જહાં કલપના-જલપના, તહાં માનું દુ:ખછાંઈ; મિટે કલપના–જલપના, તબ વસ્તુ તિન પાઈ. '' ‘ક્યા ઇચ્છત ? ખોવત સબે ! હૈ ઇચ્છા દુઃખમૂલ; જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.'' ૧૪૧ આમ પરમકૃપાળુ દેવે તો પોકારી પોકારીને કહ્યું છે, પણ જીવે તે કાને ઘર્યું નથી. ‘કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.’ ‘તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં,' એમ આ જીવે કંઈ લક્ષમાં લીધું નથી. ભણ્યો પણ ગણ્યો નહીં. વાતોએ વડાં ન થાય. વાતોનાં વડાંથી પેટ ન ભરાય. હવે તો કંઈક જાગૃત થાય, ચેતે અને સત્પુરુષાર્થ કરે તો કલ્યાણ થાય. ‘આત્મા છે', એમ સાંભળ્યું છે, વાતો કરી, પણ કંઈ અનુભવ થયો ? જે કરવા યોગ્ય છે તે આ જીવે કર્યું નથી. આરંભ-પરિગ્રહ, વિષય, વાસના, તૃષ્ણાનું અલ્પત્વ ક૨વાથી સમાઘિસુખ પ્રગટે. માત્ર જીવને સમજણની જરૂર છે. તેને માટે સત્સંગ સમાઘિ બોધ અને શ્રદ્ધા સહિત સત્પુરુષાર્થ કર્તવ્ય છે. સમભાવ કોઈ અપૂર્વ ચીજ છે ! તેને તેડાવજો, હ્રદયમાં સ્થાન આપજો. ‘સર્વાત્મમાં સમદૃષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો.' સમભાવની ઓળખાણ, સમજ કરી લેવાની છે. ‘ભાન નહીં નિજરૂપનું તે નિશ્ચય નહિ સાર.' અંતર્મુહૂર્તમાં સમકિત, અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન થાય એમ કહ્યું છે, તે જૂઠું નથી. માત્ર જીવના ભાવ જાગવા જોઈએ. તે કોઈના હાથની વાત નથી. ‘મારે તેની તરવાર.’‘ચતુરની બે ઘડી ને મૂરખના જન્મારા. ' ૨૯ અમદાવાદ, માગશર સુદ, સં. ૧૯૯૧ અમને બ્યાસી વરસ થયાં. હવે આ છેલ્લી શિખામણ લક્ષમાં લેશો તો હિત થશે. અમારી પેઠે શેઠજીને પણ ઉમ્મર થઈ છે, તેમણે પકડ કરી છે તે તમારે સર્વેને કરવાની છે. સંપીને રહેશો તો સુખી થશો. ‘સંપ ત્યાં જંપ.' કષાયનો અભાવ તેટલો ધર્મ સમજવા યોગ્ય છે. ભાઈઓમાં તેમજ બાઈઓમાં જેટલો એકબીજા તરફ સદ્ભાવ રહેશે, આજ્ઞાંકિતપણું રહેશે, વડીલોની મર્યાદા રહેશે Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ઉપદેશામૃત તેટલો સંપ રહેશે. અને ઐક્યનું બળ વહેવાર-પરમાર્થમાં જરૂરનું છે. આપણને ન ગમતું હોય તો પણ વડીલનો વાંક આપણા દિલમાં ન વસે તેમ વર્તવું. તે કાંઈ કહી જાય તો તે મોટા છે, કઠણ વચન કહેનાર જગતમાં કોઈ મળે તેવું નથી, ભલે ! બોલી ગયા. માટે માઠું લગાડવું નહીં. આમ ગંભીરતા રાખીને સહનશીલતા અને વિનય સાચવીને વર્તશો તો સુખી થશો. ૩૦ અમારા આત્મામાં કોઈ જાતનો વિષમ ભાવ નથી. તમે અમારા સાક્ષાત્ આત્મા છો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ ઘો' એ જ માર્ગ. પરમગુરુનાં પરમ હિતકારી વચન સ્મૃતિમાં લાવી ચિત્તવૃત્તિ સપુરુષના વચનમાં બોઘમાં રાખવાથી કોટિ કર્મનો ક્ષય થાય છે. ક્ષમા, ખમીખૂદવું, સહનશીલતા, ઘીરજ, શાંતિ, સમભાવ–આ પરમ ઔષધિ જ્ઞાનીઓએ બતાવી છે, તે વડે અનંત દુઃખથી ભરેલો આ સંસારસમુદ્ર તરી શકાય છે. શારીરિક વેદના વેદનાના ક્ષયકાળે નિવૃત્ત થશે અને અશાતા પછી શાતા જણાશે. તડકા પછી છાંયડો અને છાંયડા પછી તડકો, એમ ભરઢોળ ભરઢોળ ઘટમાળની પેઠે થઈ રહ્યું છે. તેમાં સમજુ પુરુષો હર્ષ-શોક કરતા નથી. ઊલટું અશાતાના પ્રસંગને કસોટીનો વખત ગણી તેની સામે થાય છે, અને વિશેષ વીર્ય ફોરવી અશાતાના વખતને આત્મકલ્યાણનું ઉત્તમ નિમિત્ત બનાવે છે; સંસારની અસારતા જાણી, એકત્વ ભાવના ભાવી અસંગ એવા આત્માનો નિરંતર લક્ષ રાખે છે. અનેક મહા પુરુષોને કષ્ટના પ્રસંગો આવી પડ્યા છે. શ્રી ગજસુકુમારને માથે સગડી કરી અંગારા પૂર્યા તે વખતની અસહ્ય વેદના સમભાવે શ્રી નેમિનાથ ભગવાનના વચનબળે સહન કરવાથી, હજારો ભવ કરવાના હતા તે બઘા પતાવી, મોક્ષમાર્ગે પધાર્યા. તેમજ શ્રી અવંતિસુકમાલ જેવા સુકોમલ શરીરવાળાને, વનમાં શિયાળે ત્રણ દિવસ સુધી પગથી લઈને આંતરડાં સુધી માંસ તોડી ખાધું તે સહન કરવું પડ્યું છે. છતાં ઘન્ય છે તેમની સમતાને કે સદ્ગુરુએ જણાવેલા આત્માને તે સમયે માત્ર પણ વિસર્યા નથી. તેવી જ રીતે પાંડવોને તપાવેલા લોઢાનાં લાલચોળ આભૂષણો પહેરાવ્યાં, છતાં મનમાં કાંઈ પણ નહીં લાવતાં શરીર બળવા દીધું અને આત્મામાં વૃષ્ટિ રાખી કલ્યાણ કરી ગયા. આવાં દ્રષ્ટાંતો યાદ રાખી ધીરજ ઘરવી. આ જીવે નરક-નિગોદાદિ દુઃખોનો અનંત વાર, અનુભવ કર્યો છે. કશું સહેવામાં બાકી રાખી નથી. હિમ્મત હારી જવા જેવું નથી. કાયર થયે પણ કર્મ કાંઈ છોડે તેમ નથી. તો શૂરપણું ગ્રહીને જ્ઞાનીનો સમતાભાવનો માર્ગ ગ્રહણ કરી દેહાદિથી પોતાનું ભિન્નપણું વિચારી, દ્રષ્ટા સાક્ષીભાવે રહેવું કર્તવ્ય છે. બીજું બધું ભૂલી જવા જેવું છે. જે જે સંકલ્પો વિકલ્પો આવી ખડા થાય તેને માન નહીં આપતાં, તેમાં ખોટી ન થતાં, તેમને દુશ્મન જાણી તેથી મન ફેરવી વાળી, સદ્ગુરુના શરણમાં, તેના બોઘમાં, સ્મરણમાં લીન થવું ઘટે છે. કાળનો ભરોસો નથી; લીઘો કે લેશે થઈ રહ્યું છે. આ મનુષ્યનો ભવ ગમે તેવી દશામાં હો, પણ તે દુર્લભ છે; એમ જાણી સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી. એ ભગવાનનાં વચનો વારંવાર વિચારી શુદ્ધ આત્મસ્વરૂપની ભાવનામાં નિરંતર રહેવા પુરુષાર્થ કર્તવ્ય છે. હું કાંઈ જાણતો નથી, પણ Page #240 -------------------------------------------------------------------------- ________________ પત્રાવલિ–૨ ૧૪૩ સત્પરુષે જે જાણ્યું છે, અનુભવ્યું છે અને આપણા પર પરમ કૃપા કરી ઉપદેશ દ્વારા જણાવ્યું છે તે પરમ સત્ય છે; તે જ મારે માન્ય કરવા યોગ્ય છે. બીજી કોઈ પણ પ્રકારની અહંભાવ-મમત્વભાવની કલ્પના મારામાં ન હો. “સત્ જે કંઈ છે તે સત્ જ છે. તેમાં મારી કલ્પના ઉમેરી મારે અસત્ કરવું નથી. તે પરમ સત્ શ્રી સદ્ગુરુએ અનુભવેલું મને માન્ય છે અને તે જ શ્રદ્ધા અને હો ! અત્યારે મને સુખદુઃખરૂપે, શાતા-અશાતારૂપે, ચિત્ર-વિચિત્રરૂપે જે જણાય છે તે મારે માનવું નથી. પણ પરમ આનંદ સ્વરૂપ સર્વ દુઃખનો આત્યંતિક નાશ કરનાર પરમાત્મસ્વરૂપ મારું છે તેમાં મારી સ્થિર અડોલ સ્થિતિ થાઓ એ ભાવનાની વૃદ્ધિ કરવી ઘટે છે. જ્યાં સુધી આ મનુષ્યભવ છે ત્યાં સુધી સદ્ગુરુની આજ્ઞાએ વર્તવાનો નિશ્ચય અને પુરુષાર્થ ચાલુ રાખી કાળ નિર્ગમન કરવા યોગ્ય છે. સત્પરુષનો યોગ અને સદ્ગોઘની પ્રાપ્તિ સફળ થઈ ત્યારે ગણાય કે જ્યારે આપણે સિંહના સંતાનની પેઠે દુ:ખના પ્રસંગોમાં પણ કાયર નહીં થતાં સિંહ જેવું શૂરવીરપણું ઘારણ કરીએ અને તેને પગલે પગલે ચાલી તેની દશાને પામવા ભાગ્યશાલી થઈએ. “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?' એનું વારંવાર બને તેટલા વિચારપૂર્વક સ્મરણ ભાવના કરી તે દશામાં રમણતા થાય તેવો પુરુષાર્થ કર્તવ્ય છે. પરિણામની ઘારા ઉપર જ બંધમોક્ષનો આધાર છે; એ સદ્ગુરુનો બોઘ વિચારી, વિભાવ પરિણતિ અટકાવી, પરમાં એટલે રાગ-દ્વેષ-મોહ-વિષયમાં તન્મયપણું થઈ જાય છે તે બળપૂર્વક વિચારી વિચારી દૂર કરી આત્મભાવનામાં ભાવના રાખવાથી પરમ કલ્યાણ થાય છે. “વૃત્તિને રોકવી, સંકલ્પ-વિકલ્પ પરમાં જતા રોકવા,” એ સત્પરુષની હિતશિખામણ કહેલ છે. “શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો !” * Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ વિચારણા 3 - 28 ઊઠો, ઊભા થાઓ, આત્મભાવમાં. આ શું છે? સંસાર છે; ભ્રમ છે; નિવૃત્ત થાઓ. ચાલો સમભાવમાં. જોયા કરો સ્વપ્નવત્ છે. તમે કોણ છો ? આત્મા છું, બ્રહ્મ છું. શું રાજા છો ? હી. આ રેયત શું કરે છે? સાંભળે છે. તેની દેખરેખ કોણ રાખે છે? વિવેક. આ બીજું કોણ છે? વિચાર, વિચાર પાસે ચાલો. તમે કંઈ કહો છો ? હા, ઉપયોગમાં પહોંચો. ઉપયોગમાં કંઈ જોવાનું છે? ચાલો ત્યારે. દેખો. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ વિચારણા જ્ઞાન, દર્શન, ચારિત્ર, નમસ્કાર કરું છું, નમસ્કાર કરું છું. અસંગ છું, એક છું. શાંતિઃ શાંતિઃ શાંતિઃ વા'લપ સર્વ ઉપર નહીં કરવી. વિભાવ પરિણામથી થાકવું. સર્વ ભ્રમ છે. સર્વ પ્રાણીને આધારભૂત પૃથ્વી છે, તેમ આત્માને કલ્યાણરૂપ શાંતિ. અંતરઆત્માથી બાહ્ય આત્મા છોડું છું અને પરમાત્માનું સ્મરણ કરું છું. બ્રહ્મચર્ય એ સર્વોત્કૃષ્ટ સાઘન છે. ઊંડો વિચાર કરવો. ઘડી વાર જીવને વીલો મૂકવો નહીં; મન કહે એમ નહીં કરવું. અમૂલ્ય આત્મા છે, નિર્મુલ્ય નહીં કરવો. સર્વ તુચ્છ છે, તું અમૂલ્ય છે. સર્વ ભૂલી જવું. સદા સમીપમાં રહેવું. સર્વનો શિષ્ય થવું. ક્રોધાદિ કદી ન કરું. મોહાદિ, રાગાદિ ન કરું. મુક્તિ સિવાય ઇચ્છું નહીં. સાતમી તમતમપ્રભા નરકની વેદના હે ભગવાન ! સંમત કરું; પણ જગતની મોહિની જોઈતી નથી. ક્ષણે ક્ષણે વૃત્તિ બદલાતી જોઈતી નથી. જે રૂપ દૃશ્ય છે તે જાણતું નથી, જાણે છે તે દ્રશ્ય નથી; ત્યારે વહેવાર કોની સાથે કરવો ? વહેવાર તો જાણે તેની સાથે ઘટે. આત્મા અરૂપી ઇન્દ્રિયથી ગ્રાહ્ય નથી, માટે મધ્યસ્થ–ઉદાસીન થાઉં છું. જીવને ભેદજ્ઞાનની જરૂર છે. અતિ ખેદની વાત છે કે વિષયોના આકાર વડે સર્વ જ્ઞાનરૂપી ઘનને હરી લેનાર અને દેહમાં રહેલા ઇન્દ્રિયોરૂપી તસ્કરોએ લોકનો નાશ કર્યો છે. સહજાત્મસ્વરૂપ પરમગુરુ અમે જાણીએ છીએ. અમને ખબર છે. હવે શું છે ? સ્વાર્થબુદ્ધિ કરો છો. સ્વપરહિત કર્તવ્ય છે. જૂનું મૂક્યા વિના ચાલે તેમ નથી. મૂકવું પડશે. ભૂલી જાઓ. અસંગ. અપ્રતિબંઘ. સમભાવ. સમતા. ક્ષમા. ઘીરજ. સદ્વિચાર. વિવેક. સમાધિમરણ. શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #243 -------------------------------------------------------------------------- ________________ १४६ ઉપદેશામૃત તત્ સત્ આત્મા છે—દ્રષ્ટા, સાક્ષી છે. બંઘાયેલો છૂટે છે–સમભાવે જોયાથી. કર સમતા. સંચિત, પ્રારબ્ધ કર્મ ઉદયાથીન ભોગવી મુક્ત થાય છે. તે વિચાર. બંઘાયું કર્મ છૂટે ત્યાં રાજી થવું–આર્તધ્યાન, રૌદ્રધ્યાન કર્તવ્ય નથી. બ્રહ્મ માત્ર બાહ્યથી (એટલે પુદ્ગલથી) જુદું છેજી. શાંતિઃ શાંતિઃ નથી તે છે. છે તે નથી. બધું ય છે. બીજું. વિચાર. સમજો. પોતાની દ્રષ્ટિએ જીવ કલ્પી કલ્પીને પરિભ્રમણ કરે છે. જ્ઞાનીની દ્રષ્ટિએ જીવે વિચાર્યું નથી. જ્ઞાનીને ઘેર ઇજારો છે. બાહ્ય દ્રષ્ટિએ આત્મા ઠામ ઠામ બંઘાય છે. કણિયા વેરી નાખ્યા છે. બગડ્યું સુઘારવું. સુઘરેલું બગાડવું નહીં. ૭ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ ફાગણ વદ ૧૨, ૧૯૮૩ સપુરુષનો માર્ગ, સન્મુખવૃષ્ટિ, જ્ઞાનીનો બોઘ જેને પ્રાપ્ત થયાં છે તેને પૂર્વના પ્રારબ્ધના ઉદયે શાતા-અશાતા આવે છે તે વખતે તે જ્ઞાનીની કસોટી છેજી. Page #244 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવથી શુદ્ધ ચેતના છે. સામાન્ય કરીને શુદ્ધ ચેતના છે. વિશેષે કરીને જ્ઞાન-દર્શન-ચારિત્ર મય શુદ્ધ ચેતના છે. વિચારણા પ્રભુશ્રી–ઉજાગર શું છે ? મુમુક્ષુ–સંપૂર્ણ આત્મોપયોગની જાગૃતિ. પ્રભુશ્રી—જાગૃતિ ક્યારે કહેવાય ? મુમુક્ષુ—વીતરાગતા વર્તે ત્યારે. પ્રભુશ્રી—વીતરાગતા કોને કહેવાય ? વિભાવથી અશુદ્ધ ચેતના છે. તે ભ્રમ છે— તેને લઈને અજ્ઞાન કહેવાય છે. તેથી મિથ્યા મોહ પરિણમી તે ભાવ સ્ફુરી, રાગદ્વેષ જીવમાં આવી જાય છે તેથી વિષયકષાયની સહાયતા લઈ જીવ શુભાશુભ કર્મબંધ બાંધે છે અને ભોગવતાં અભિન્નતા માને છે તે પૂર્વકર્મના ઉદયને લઈને છેજી. તેથી સત્પુરુષથી યથાતથ્ય નિશ્ચય કરી શુદ્ધાત્મા ભિન્ન છે તે માનવું, વારંવાર વિચારવું યોગ્ય છેજી. [પ્રભુશ્રી મૌન રહેતા ત્યારે સ્લેટમાં પ્રશ્નાદિ લખતા અને ચર્ચા થતી તેની નોંધ] (૧) મુમુક્ષુ–સ્વરૂપનો અનુભવ સાચો શુદ્ધ હોય ત્યારે વીતરાગતા હોય. પ્રભુશ્રી—અનુભવ તે ગુરુમુખથી સાંભળીને વેદાય તે કેમ ? મુમુક્ષુ–ગુરુમુખથી શ્રવણ અનુભવ થાય તે સાચો. પ્રભુશ્રી—આ જીવે ગુરુમુખથી જાણ્યું છે ? મુમુક્ષુ જેણે જાણ્યું છે તેણે જાણ્યું છે; તે જ્ઞાની છે. કાર્તિક સુદ ૯, બુધ, સં. ૧૯૮૮ તા. ૧૮-૧૧-૧૯૩૧ ૧૪૭ પ્રભુશ્રી—આ જીવે ગુરુમુખથી જાણ્યું છે, માન્યું છે, પરિણમ્યું છે, અનુભવ્યું છે; પછી કાંઈ છે કે કેમ ? મુમુક્ષુ–બારમા ગુણસ્થાનક સુઘી સાધન અને સદ્ગુરુનું અવલંબન કહ્યું છે. પ્રભુશ્રી—શ્રી મહાવીરે પણ સાડા બાર વર્ષ કર્મક્ષય કરવા પુરુષાર્થ કર્યો છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ઉપદેશામૃત મુમુક્ષુ- અનુભવ પછી પણ પુરુષાર્થ જોઈએ. પ્રભુશ્રી- શ્વાસોચ્છવાસમાં કર્મક્ષય તે કેવા ભાવથી ? મુમુક્ષુ- જ્ઞાની શ્વાસોચ્છવાસમાં જ્ઞાનમય ભાવોથી અનંત કર્મનો ક્ષય કરે છે. પ્રભુશ્રી- જ્ઞાનનો ઉપયોગ કાંઈ ઓર જ છે ! તેથી શ્વાસોચ્છવાસમાં અનંત કર્મ ક્ષય થાય છે. મિથ્યાત્વીનો ઉપયોગ તેથી બીજા પ્રકારનો છે. (૨) કાર્તિક સુદ ૧૦, ગુરુ, ૧૯૮૮ તા. ૧૯-૧૧-૩૧ પ્રભુશ્રી– કર્તવ્ય છે. ચેતવા જેવું છે. પણ તે બઘાનું કારણ એક સપુરુષ પ્રત્યે દ્રઢ શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ, આસ્થા છે. સાંભળવાનું કારણ શું? મુમુક્ષ- યથાર્થ બોઘ વગર શુદ્ધિ નથી. પ્રભુશ્રી– મનુષ્યભવ દુર્લભ છે. તે કેમ કહેવાતો હશે? “ઊઠી નાઠા બોદ્ધા.” “સમકિત સાથે સગાઈ કીથી સપરિવારશું ગાઢી.” (૩) કાર્તિક સુદ ૧૨, રવિ, ૧૯૮૮ તા. ૨૨-૧૧-૩૧ પ્રભુશ્રી અનંતાનુબંધીના સ્વરૂપનું ભાન નથી. મુમુક્ષુ– અનંતાનુબંધીના સ્વરૂપનું ભાન ક્યારે થાય ? પ્રભુશ્રી– સત્સંગે સરુનો બોઘ સરળતાથી સાંભળી રુચિથી મનાય તો સમજાય. પણ મોહનીનું પ્રબલપણું છે. સૂક્ષ્મ માન મહીંથી ભૂંડું કરે છે. બુદ્ધિથી હું સમજું છું એમ પોતાને માને; તેથી સદ્ગુરુનો બોઘ વિરુદ્ધ ભાસે અને કષાય-પોષ થાય. મુમુક્ષુ- દોષ નાશ થવાનો શો ઉપાય ? પ્રભુશ્રી – સદ્ગનો બોઘ. મુમુક્ષુ– ગ્રંથિ ક્યારે છેદાય ? પ્રભુશ્રી– ક્યારે છેદી કહેવાય? તે તો પોતાના આત્માને જાણે ત્યારે બઘોય ઝઘડો છૂટે છે. મુમુક્ષુ– સત્પષના બોઘે અનંતાનુબંધી અને દર્શનમોહનીય જાય; પણ યોગ્યતાની ન્યૂનતાના કારણે બોઘ પરિણમતો નથી. પ્રભુશ્રી– વરસાદ પડે, પણ ઢાંકી માટી પલળે નહીં. મુમુક્ષુ- વરસાદનું પાણી ટાંકામાં ભરી રખાય છે. પાણી પડે છે, પણ ટાંકું ભરાતું નથી, ઢાંકણું છે તેથી. Page #246 -------------------------------------------------------------------------- ________________ વિચારણા ૧૪૯ પ્રભુશ્રી– ઢાંકણું શું ? ઘાતી ડુંગર. મુમુક્ષુ– ઘાતી ડુંગર શું ? પ્રભુશ્રી– ઘાતી કર્મ. મુમુક્ષુ- સમ્યક્ત્વ પરિણમે કેમ? પ્રભુશ્રી– સદ્ગુરુના બોધે. મુમુક્ષુ- વરસાદમાં માટી પલળે, તેમ જીવ બોઘ પરિણયે પલળે ? પ્રભુશ્રી– પરિણમે ત્યારે પલળે. બાહ્યની દોડ છે. “પ્રીતિ અનંતી પરથકી જે તોડે તે જોડે એહ !” પ્રમાદ શું ? મદ, વિષયાદિ પ્રમાદના ભેદ છે. એક એવી કૂંચી છે કે જેથી બધા પ્રમાદ જાય છે, તે ગુરુગમ છે). “ઊઠી નાઠા બોદ્ધા.' (૪) કાર્તિક સુદ ૧૩, સોમ, ૧૯૮૮ તા. ૨૩-૧૧-૩૧ પ્રભુશ્રી– ઉલ્લાસ પરિણામ શું? મુમુક્ષુ– રત્નત્રય જે કલ્યાણનું અપૂર્વ કારણ છે તે પર પ્રમોદ, રુચિ તે. પ્રસન્નચંદ્ર મુનિનાં પરિણામ ફર્યા તેનું કારણ કૃપાદ્રષ્ટિ કે સન્મુખવૃષ્ટિ ? પ્રભુશ્રી- સન્મુખદ્રષ્ટિ છે. આત્મ-ઓળખાણે સન્મુખવૃષ્ટિ કહેવાય કે કેમ? સમપરિણામ શાથી થાય ? ઓળખાણે. વિષમદ્રષ્ટિ છે ત્યાં સમપરિણામ નથી, કલ્યાણ પણ નથી. સહજસ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને જ્ઞાની મોક્ષ કહે છે. કાર્તિક વદ ૨, શુક્ર, ૧૯૮૮ તા. ૨૭-૧૧-૩૧ ચિત્તની નિરંકુશતા” શું હશે તેનો વિચાર કર્તવ્ય છે. તેનો ઊહાપોહ થતો નથી. કાયરપણાની વાત ન કરવી. પૂછતા નર પંડિત.' મૂંઝવણ, ગભરામણ, અશાતા ગમતી નથી. એનું ઓસડ શું? પુરુષાર્થ છે. જેનો કાળ ખોજવામાં, પૂછવામાં જાય છે તેનો કાળ યથાર્થ જાય છે. ગઈ ક્ષણ પાછી આવતી નથી. સમય સમય મરી રહ્યો છે. યથાર્થ બોઘમાં એક દ્રષ્ટિ-વૃત્તિ શા ઉપર કરવી ? સમ્યગ્ ભાવો ભાવી, સમ્યસ્થિતિ ઉપર. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ઉપદેશામૃત (૬) કાર્તિક વદ ૩, ૧૯૮૮ તા. ૨૮-૧૧-૩૧ પ્રદેશવત્વ અગુરુલઘુત્વ પ્રમેયત્વ દ્રવ્યત્વ વિસ્તુત્વ અસ્તિત્વ આ વિષે તમારાથી સમજાય તેટલું કહો. આનો વિચાર કયારે કયારે કર્યો છે ? તેનું સમાઘાન એકમાં આવી જાય તે શું છે ? આખા જગતનું સ્વરૂપ આમાં સમજે જ્ઞાની. જ્ઞાની તેને જાણવોજી. “Uાં નાફ સબં નાડું.” તેનો વિચાર કર્યો છે? ગુરુગમે જીવ જાગૃત થાય છે. અનુભવમાં સર્વ આવી જાય છે. તા. ૨૯-૧૧-૩૧ વૃત્તિ ઉદયમાં આવે તેને સદ્ગુરુના બોઘની સ્મૃતિથી રોકવી. તે વિચારે પુરુષાર્થ કર્તવ્ય છે. અભ્યાસ કર્તવ્ય છે. ચાટવો હલાવ્યાથી ઊભરાઈ જાય નહીં. કષાય કયા વખતે નથી ? ત્યાં શું કરવું? ઉપશમદશા. તે કોને કહીએ ? બાહ્યવૃત્તિ ફર્યો, દ્રષ્ટિ ફર્યો તે ફરે છે. તે કેવા પરિણામથી ? પર્યાયવૃષ્ટિથી બધું દુઃખ છે; ફર્યો છૂટકો–ભાવ, વિચાર. (૮) તા. ૩-૧૨-૩૧ સદ્ગુરુએ યથાતથ્ય સ્વ-રૂપ જાણ્યું છે. આત્મા છે, તે જાણે, તે સાંભળે. શ્રદ્ધાથી માન્ય થયું તો પછી તેને કંઈ બાકી રહ્યું કે કેમ? ઉદયકર્મનો વિપાક વિચિત્ર હોય પણ જો શ્રદ્ધા ફરે નહીં તો આત્માનું કલ્યાણ થઈ ચૂક્યું સમજવું. રૂનો ઢગલો બળી જશે–જરૂર. તા. ૫-૧૨-૩૧ સપુરુષે કહ્યું હોય તે સત્ય છેજી. હું તો કહું જ નહીં. જ્ઞાનીએ કહ્યું તે જ કહું. જ્ઞાની કોને કહીએ ? Page #248 -------------------------------------------------------------------------- ________________ ‘આત્મસિદ્ધિમાંની ગાથા છે તે – “આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય–પ્રયોગ; અપૂર્વ વાણી, પરમશ્રુત, સદ્ગુરુલક્ષણ યોગ્ય.'' ભક્તિનું સ્વરૂપ કહો. જ્ઞાનીને ખબર છે. ભક્તિના અનેક ભેદ છે : “શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ.'' વિચારણા મનને લઈને. મનને લઈને થયું, તે ફર્યું શાથી ? બોઘથી. બોઘ શું ? જીવની દશા શાથી અવરાઈ છે ? મોહથી. શાને લઈને મોહ છેજી ? ⭑✰ (૧૦) સત્પુરુષની વાણી. સત્પુરુષની વાણી ઘણી વાર સાંભળી, પણ મોહ કેમ જતો નથી ? પાત્રતાના અભાવે. કુપાત્ર પણ સુપાત્ર થાય. ‘જો ઇચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ' માટે એક પુરુષાર્થ જ કર્તવ્ય છેજી. નિખાલસ ભાવથી ગુરુગમથી સમજ્યે શલ્ય જાય છેજી. (૧૧) તા. ૮-૧૨-૩૧ હું જાણું તે બધું ખોટું. એવી સદ્ગુરુની દૃષ્ટિએ શ્રદ્ધા થઈ હોય તેવા તો વિરલા હોય. પોતાની પકડ મૂકે તે જિજ્ઞાસુ. “હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ?'' સદ્ગુરુ કહે તે ખરું, પણ આજે ગુરુ ઘણા થઈ પડચા છે. ૧૫૧ તા. ૬-૧૨-૩૧ પગ મૂકતાં પાપ છે. દૃષ્ટિમાં ઝેર છે. ઝેર, ઝેર ને ઝેર છે, એમ વિચારી આજના દિવસમાં પ્રવેશ કરજે. તે શું ? ચેતન જો નિજભાનમાં, કર્તા આપસ્વભાવ; વર્તે નહિ નિજભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ.’’ એ સમ થયું ? યોગ્યતાની ખામી છે. સત્સંગ, સદ્બોધ, સત્પુરુષાર્થ જોઈએ. ગુરુગમ વિના નથી સમજાતું. નહીં તો ખુલ્લું ઉઘાડું છે. ‘ખાજાંની ભૂકરી.’ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ઉપદેશામૃત આ આત્મા, આ ય આત્મા. વૃષ્ટિ ક્યાં ? માત્ર વૃષ્ટિની ભૂલ છે. (૧૨) તા. ૯-૧૨-૩૧ જગત મિથ્યા છે, જગત સંસાર છે. આત્મા સત્ય છે. તે જાણ્યો કોઈએ નથી. જે જાણ્યો એમ કહે તે મિથ્યા છે અને અહંકાર છે. માટે જે મેં જાણ્યું છે તે ખરું છે એમ નહીં, પણ જ્ઞાનીએ જાણ્યું તે સત્ય છે. ખોટું ગ્રહણ થયું છે, તેથી આને બોઘ જોઈએ છે. (૧૩) તા. ૧૦-૧૨-૩૧ જેવા ભાવ તેવા પ્રભુ ફળે. આપણે તપાસો આ જીવના રાગાદિ ગયા છે કે કેમ છે ? આમ છે તે જે જ્ઞાનીના ગયા છે તેનું માનવું. બીજા બોલે છે તે સારું લાગે; તો પણ ખોટું છે તે કેમ? મારામાં ક્રોઘ નથી, માન મૂકીને કહું છું, એમ કહે છે તે સાચું કે કેમ ? ભોમિયો નથી, સુરત, તા. ૧૨-૬-૩૪ વૃત્તિને રોકવી. શ્રી જ્ઞાનીએ જડ અને ચૈતન્યની વ્યાખ્યા આમ કરી છે : “જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતનભાવ; કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ.” આમાં જડ-ચેતન્યની ઓળખાણ કરાવી છે. જડ – એ પુદ્ગલ છે. તેના પરમાણુ છે. તેના પર્યાય છે. તેને જ્ઞાની જાણે છે. જડ છે તે સુખ દુઃખ જાણે નહીં. દ્રવ્ય, ગુણ, પર્યાય જડના પણ છે. કર્મ એ જડ છે. આત્મા - તેને જીવ કહેવાય છે. ચૈતન્ય શક્તિ કહેવાય છે. જાણે છે, દેખે છે, તે જ્ઞાનસ્વરૂપ આત્મા છે. દ્રવ્ય, ગુણ, પર્યાય આત્માના પણ છે. તેને જાગ્યે ભેદજ્ઞાન થાય છે. જડને જડ જાણે, ચેતનને ચેતન જાણે એ ભેદજ્ઞાન. Page #250 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ Page #251 -------------------------------------------------------------------------- ________________ Page #252 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ–૧. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ તા. ૭-૧૧-૩૫, સવારના પત્રાંક પ૩૯ નું વાંચન : સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે.” આ ગ્રહણ નથી કર્યું. આ કાને સાંભળીને આ કાને કાઢી નાખ્યું છે. આ વચન લેખની માફક અંતરમાં લખી મૂકવા જેવાં છે. આ શી રીતે મનાય ? આ જગતમાં સર્વ જીવ ખદબદ થાય છે. આ મનાયું નથી અને વિશ્વાસ આવ્યો નથી. “વિશ્વાસે વહાણ ચાલે છે. આની (આત્માની) વાતો પણ ક્યાં છે? આ તો કૃપાળુની દૃષ્ટિથી, ઘન્યભાગ્ય કે તમારાથી સંભળાય છે. પહેલાં પગ થંભે ત્યારે મનાય. “નિજને વિષે નિજબુદ્ધિ થાય તો પરિભ્રમણદશા ટળે છે.” આ તે કંઈ વચન છે ! “તો પરિભ્રમણદશા ટળે છે ! – આટલો વિચાર કર્યો નથી. આ વિશ્વાસ અને પ્રતીતિ કેમ આવે ? કંઈનું કંઈ સાંભળે, બીજી વાતો સાંભળે; પણ આ આત્માની વાત સાંભળે નહીં. મુમુક્ષુનિજમાં નિજબુદ્ધિ શી રીતે થાય ? પ્રભુશ્રી—અણસમજણનું દુઃખ છે, ત્યાં કડાકૂટો છે. વાત તો ઓળખ્યાની છે. પરિણામ આવ્યું, ઓળખે છૂટકો છે. - મુમુક્ષુ–ભક્તિ વગર જ્ઞાન થાય ? ભક્તિથી તો થાય. દુકાનદારને પૈસા આપે તો માલ આપે જ. વળી લહાણી તો મફત મળે છે; તેમ જ્ઞાન મફત મળે કે નહીં ? [પછી પ્રભુશ્રીએ બધાને પૂછ્યું અને ચર્ચા કરાવી] પ્રભુશ્રી અપેક્ષાએ બધી વાતોની “હા, ના” હોય; પણ એમ નહીં. વાત આમ છે : દાન દે છે તે કોણ લે છે? ત્યાં હાજર હોય તે લે છે. અહીં બેઠા તો સાંભળ્યું. ભક્તિ છે તે વચન છે. ત્યાં લેવાય છે, લે છે. હોય તે ખાય છે. ભક્તિ છે તે ભાવ છે. અહીં બેઠો હોય તે સાંભળે. બીજો તો પૂછે કે શું શું હતું? એવી રીતે દાતાર હોય ત્યાં જાય, ને જાગે તે લે છે અને ઊંઘતો લઈ શકે નહીં. ભક્તિ એ શું છે ? એ જ પુરુષાર્થ છે. જેમ તેમ નથી. એક આત્મા છે અને એક મડદું છે. મડદું સાંભળે નહીં. ભક્તિ એ આત્મા છે. ઇચ્છે તો છે, નહીં તો નહીં. આ વાત કહી શકાય તેવી નથી. ભાગ્યશાળીને સમજાય છે. કાન ઘરે તેનું કામ થાય. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧પ૬ ઉપદેશામૃત - ભક્તિના ભેદ બે છે : અજ્ઞાનભક્તિ અને જ્ઞાનભક્તિ. ભક્તિ તે જ આત્મા છે. સવળું કરી નાખવું. ભાવ, વિચાર અને ભક્તિ. બાકી તો ભક્તિ જગતમાં બધે છે. મુમુક્ષુ“જે સત્પરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે વ્યક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છેદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો !” પ્રભુશ્રી આનો આશય સમજવો જોઈએ, તે વગર કચાશ છે. “જબ જાગેંગે આતમા, તબ લાગેંગે રંગ." જાગે તેને કહેવાનું છે. બાકી બધું કલબલાટ. કહેવાનું છે આત્માને કીધું ન કીધું થશે, સાંભળ્યું ન સાંભળ્યું થશે. બધું એનું એ જ. વાતની સમજ પડવી જોઈએ. થપ્પડ મારીને જગાડ્યા છે. આત્માને જગાડવો છે. તે શાથી જાગે તેની ખબર નથી. શાથી જાગે, કહો. મુમુક્ષુ–સદ્ઘોઘથી. પ્રભુશ્રી–નહીં હાથ આવે. એ તો એક સદ્ગુરુ જાણે. છ ખંડનો ભોક્તા હોય તેને ઘેર નવ નિશાન ચાલ્યાં આવે તેવું છે. થઈ જાઓ તૈયાર. તમારી વારે વાર છે. “માથું વાઢે તે માલ કાઢે.” ભણ્યો, પણ ગણ્યો નથી; ગણ્ય છૂટકો છે. વાત ખરી છે. “રાંકના હાથમાં રતન' એવી વાત આ ૧. એક કુંભાર માટી ખોદતાં એક પૂતળું મળી આવ્યું. તે તેણે રાજાને ભેટ આપ્યું. રાજાએ તેને સભામાં રાખ્યું. તે પૂતળાને ગળે લખેલું હતું કે માથું વાઢે તે માલ કાઢે. જે વાંચે તે સમજતા કે પોતાનું માથું વાઢે તે માલ કાઢે. પણ એક ક્ષત્રિય ત્યાં આવેલો, તેણે વાંચ્યું અને તરવારથી તેણે તે પૂતળાનું માથું કાપ્યું તો તેમાંથી સોનામહોરો નીકળી. ૨. એક કઠિયારો ઘણો ગરીબ હતો, જંગલમાંથી લાકડાં લાવી શહેરમાં વેચતો. પૈસા આવે તેમાંથી તેલ, દાણા ને દીવેલ લાવે. રોજનું રોજ લાવે તે પૂરું થઈ જતું. લાકડાં વેચવા શહેરમાં બધે ફરે, લોકોને મોજશોખ કરતા જુએ ને તેવું સુખ મેળવવાની ઇચ્છા કરે; પણ સાઘન નહીં એટલે નિરાશ થઈ થાક્યો-પાક્યો સૂઈ જાય. એક રાત્રે તે વહેલો જાગ્યો ત્યારે પોતાની કમનસીબીના વિચારો તેને આવવા લાગ્યા. શું કરવાથી વધારે પૈસા મળે તે વિચારવા લાગ્યો. ઉપાય સૂક્યો કે જો સુખડનાં લાકડાં મળે તો ઘણા પૈસા ઊપજે. ચાંદની રાત હતી, એટલે ફરી ઊંધી જવાને બદલે ભાથું લઈને એ તો જંગલમાં નીકળી પડ્યો. સુખડની સુગંધ આવે ત્યાં સુધી ચાલ ચાલ કરું એમ ઘારી એ તો દસેક માઈલ ચાલ્યો. પણ સુખડનો કંઈ પત્તો લાગ્યો નહીં. તેથી થાકીને નદીકિનારે ભાથું ખાવા બેઠો. ત્યાં નદીની ભેખડ તૂટેલી તેમાં કંઈક પથરા જેવું ચળકતું જોયું. છોકરાંને રમવાના કામમાં આવશે એમ જાણી કપડાને છેડે તેને બાંધી લીધું. પછી જે મળી આવ્યાં તે લાકડાં લઈ તે પાછો આવ્યો. શહેરમાં લાકડાં વેચીને દીવેલ વગેરે વસ્તુઓ લઈ સાંજે નિરાશ થઈ ઘેર આવ્યો. આખા દિવસનો થાકેલો તે આડે પડખે થયો, ત્યાં કપડાને છેડે બાંધેલું રતન ખેંચ્યું. તેથી તેણે છોડ્યું કે ઘરમાં અજવાળું થયું. એટલે છોકરાને રમવા આપવાને બદલે તેને તાકામાં મૂક્યું. મનમાં નિરાંત થઈ કે ચાલો રખડપટ્ટી નકામી તો ન ગઈ, રોજ દીવેલના પૈસા તો બચશે. એ તો દરરોજ લાકડાં લાવે ને વેચે. દીવેલના પૈસા બચે તેમાંથી વળી ગોળ લાવે ને રાજી થાય. આમ ને આમ છ મહિના વીતી ગયા. પણ એને રત્નની ઓળખાણ ન પડી. એવામાં એક ઝવેરીને ત્યાં જમણવારનો પ્રસંગ આવ્યો. એટલે એક દિવસ પેલા કઠિયારાને પોતાને ત્યાં લાકડાં નાખવાનું કહેવા ગયો. કઠિયારાને ત્યાં તાકામાં ચિંતામણિ રત્ન જોઈને તેને તો નવાઈ લાગી કે રાંકના હાથમાં રતન ! દયા આવવાથી તેણે તે કઠિયારાને ચિંતામણિ રત્નની ઓળખાણ પાડી, અને કહ્યું કે સવારે પૂજા કરીને એની પાસે જે માગીશ તે મળશે. તેથી તે રાજી રાજી થઈ ગયો, અને સવાર થતાં પૂજા કરીને રત્ન પાસેથી જોઈતું બધું માગી લીધું. Page #254 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૧ ૧૫૭ જગાએ આવી છે. કોઈને ખબર નથી. ઓળખાણે છૂટકો છે. “વાતે વડાં નહીં થાય'. ફક્ત એ જ લય ને એની જ ઇચ્છા, એ જ ભાવના કરવા જેવું છે. તેમાં બીજાનું કામ નથી, પોતાને જ કરવાનું છે અને પોતાને માટે છે. વિનય છે તે વસ્તુ પ્રાપ્ત કરાવે છે, તથા ભક્તિ–આ બે વસ્તુ મોટી છે, મુદ્દાની છે. મહાવીરસ્વામીએ ગૌતમ ગણઘરને કહ્યું – १ संजोगा विप्पमुक्कस्स अणगारस्स भिक्खुणो । विणयं पाउकरिस्सामि आणुपूव्विं सुणेह मे ॥ (ઉત્તરાધ્યયન સૂત્ર પ્ર. અ. ગાથા-૧) વિનય, સાંભળ સાંભળ. ખામી છે યોગ્યતાની. એ પૂરી કર્યા વગર છૂટકો નથી. મેલવું પડશે. મૂકીને આવો. પોતાનું ડહાપણ કાઢી નાખો. તા. ૭-૧૧-૩૫, સાંજના વેદનીના બે ભેદ : શાતા વેદની અને અશાતા વેદની. તે કહેવાય કોને? દેહને ? સ્યાદ્વાદ છે. એક ભોગવ્યાથી જાય અને એક છોડ્યાથી જાય. સૌ ભોગવે છે. બાંધ્યાં તે ભોગવે. છોડ્યું નથી. છોડે ત્યારે ખરું. છોડે કેમ ? ૧. મુમુક્ષુ–કર્તાપણું મટે તો. પ્રભુશ્રી એ તો ખરું. બાપ કરે તો બાપ ભોગવે. ૨. મુમુક્ષુ–સમભાવથી છૂટે. ૩. મુમુક્ષુ–ભાવ અને દૃષ્ટિ ફરે તો છૂટે. પ્રભુશ્રી– અજ્ઞાન છે બધું. જ્ઞાન પામે તો છૂટે. જ્ઞાન આવ્યું ત્યાં રહે નહીં. આ વિચાર કર્યો હશે ? મુમુક્ષુ-જે જાગૃત થયા છે અને પુરુષના બોઘનું જેણે શ્રવણ કર્યું છે તેને એ વિચાર ઊગે. પ્રભુશ્રી જાગૃત થયો કયારે કહેવાય? મુમુક્ષુ “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ-અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ-નિવાસ. દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતરરોગ. આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોઘ સુહાય; તે બોઘે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય.” (શ્રી આત્મસિદ્ધિ) ૧. સંયોગથી વિશેષ કરીને મુકાયેલા અને ઘરબારના બંઘનથી છૂટેલા ભિક્ષુના વિનય(આચાર)ને ક્રમપૂર્વક પ્રગટ કરીશ. તમે ધ્યાનપૂર્વક મને સાંભળો. Page #255 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત પ્રભુશ્રી—તૈયાર થાઓ. ‘ભૂલ્યો ત્યાંથી ફરી ગણ,’‘જાગ્યો ત્યારથી સવાર.' મુકાણું નથી. સમકિત આવે ત્યારે મુકાય. આ કર્તવ્ય છે, આની જ ભાવના. સંસારી સંબંધ, છોકરાંછૈયાં, પૈસોટકો, વગેરે બધું ખોટું છે. પોતાનું કાંઈ નથી. પોતાનો આત્મા છે. મુમુક્ષુ—તેને તો જાણ્યો નથી. ૧૫૮ પ્રભુશ્રીભૂલ આટલી જ છે. ‘સમજ સમજ કર જીવ હી ગયા રોગિયો હો, દુઃખિયો હો, પણ આ ફળ. જેવો ભાવ. આમાં શું વાંકું છે ? માત્ર સૃષ્ટિની અને સમજની ભૂલ છે. અનંતા મોક્ષ.' તૈયાર થઈ જાઓ. મર (ભલે), માંદો હો, એક ‘વાત છે માન્યાની.' એ કર્તવ્ય છે. બીજું તો, ભાવ તેવાં તા. ૮–૧૧–૩૫, સાંજના આ અલૌકિક વાતો છે. લૌકિકમાં કાઢી નાખવા જેવી નથી. એક સત્સંગ છે તે ઠરવાનું ઠેકાણું છે, આ જીવને વિશ્રાંતિનું ઠેકાણું છે. પરિભ્રમણ અને બંધનમાં કાળ જાય છે, તેમાં આત્મતિ નહીં. ઓળખાણ હો ન હો, મલ્યા હો કે ન મલ્યા હો, બધા આત્મા. ફરવું જોઈએ, ચેતવું જોઈએ. તે ક્યાં છે ? એક સત્સંગમાં છે. બીજી વાતો સંસારની જાળ છેફસાઈને મરી જવા જેવું છે. ગફલતમાં જાય છે, બફમમાં જાય છે; ઓળખાણ નથી. વાત કર્તવ્ય છે. નિમિત્ત બનાવે તો બને તેવું છે. કાળ સૌને માથે ભમે છે. કોઈ રહેવાનું નથી, કર્તવ્ય છે તે કર્યું નથી. વાત કોઈ સત્સંગે સમજાય છે. મન અને વૃત્તિ બધાયને છે, ક્ષણે ક્ષણે પલટાય છે. તેમાંથી થપ્પડ મારી જગાડવો છે. મેલ પંચાત. જાણ્યું હવે, બધું થોથાં છે, સંસારનું કામ અધૂરું રહેશે, પૂરું થવાનું નથી. માટે તેમાંથી જે કર્યું તે કામ. જે કરવાનું છે તે અહીં છે. શું કરવાનું છે ? મુમુક્ષુ–સમકિત કરવાનું છે. પ્રભુશ્રીરામનું બાણ છે, કેમ ખોટું કહેવાય ? ગાવો છે કોને ? વરનાં ગાણાં ગાવાનાં છે. સતિ શાથી થાય ? ૧. મુમુક્ષુભાવ ને પરિણામથી. ૨. મુમુક્ષુ સદ્ગુરુના બોધે સમજણ ફરે તો થાય. પ્રભુશ્રીભાવ અને પરિણામ કોઈ વખતે નથી એમ નથી. એક વિભાવનાં ભાવ ને પરિણામ છે અને એક સ્વભાવનાં ભાવ ને પરિણામ છે. માટે સત્સંગ મેળવો. અહીં બેઠા તો કેવું કામ થાય છે ! સૌને મનમાં એવું રહે છે કે કંઈક સાંભળીએ. ભૂંડું કોણે કર્યું છે ? પ્રમાદ ને આળસ વૈરી છે. ભાન નથી. ગફલતમાં જાય છે. કામ શું આવશે ? વિચાર છે તે. વિચારના બે ભેદ છે : એક સદ્વિચાર અને એક અસદ્વિચાર. સદ્વિચારથી આત્મા મનાય છે. આ બધું કાલ સવારે ફીટી જશે, હતા ન હતા થઈ જશો. મોટા પુરુષોએ કહ્યું છે = Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ ઉપદેશસંગ્રહ-૧ “લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, રહ્યું ત-અભિમાન; રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન.” (શ્રી આત્મસિદ્ધિ) કહેવાની વાત એ કે ચેતજો. કોની વાત કરવી છે? આત્માની, પરની નહીં. “હું કોણ છું? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ?” ખરું સ્વરૂપ શું છે ? આ વાતમાં ઊંઘતો ન હોય ને જાગી ઊઠે તો ચોર નાસે. જાગૃત થવાનું છે, ચેતવાનું છે. લીઘો એ લહાવ. કોને ખબર છે કાલ સવારની ? આ કહેવાથી શું છે ? થપ્પડ છે. “ભાન નહીં નિજ રૂપનું.” તે કરવાનું છે. એ વાત રહી જાય છે. હવે, એ ઓળખાણ શાથી થાય ? સત્સંગની બહુ ખામી. વૈરાગ્યમાં બહુ વિધ્ર છે. વહેવારમાં ખોટી થાય, પણ સત્સંગમાં નહીં ! કંઈક છે, પણ કહેવાતું નથી. “જે જાણ્યું તે નવિ જાણું; નવિ જાણ્યું તે જાણું'. હવે કર વિચાર. કયો વિચાર તો કે સત્સંગનો. બીજા વિચાર તો બહુ કર્યા. કબાટને તાળું હોય ત્યાં કૂંચી વગર શું કરે ? આ શું આવ્યું ? મુમુક્ષુ-જેની પાસે કૂંચી હોય તેની પાસે જવું. ' પ્રભુશ્રી-ખોટ નહીં ? ખોટ છે. ડાહ્યા થઈને બેઠા છો, ડહાપણ કરો છો. ભૂલ નથી? જે કામ કરતો હોય તે કામ તેના લક્ષમાં હોય છે. અને આ, તે આવું? તમારા દહાડા ઊડ્યા છે ? આવું? શું આવો આત્મા બધે છે? “જાગ્રત થા, જાગ્રત થા.” રત્નચિંતામણિ જેવો છે. આવી ગાળો છે. સાંભળવાની પહોંચ હોય તેને કહેવું છે. જાગતાને કહેવું હોય, ઊંઘતાને શું કહેવું? બધું અલેખામાં જાય છે. સમજવાનું છે. ઘોચીને, ગોદો મેલીને જણાવવાનું છે. સૌથી મોટો બોઘ છે, તેની જરૂર છે. તૈયાર થઈ જાઓ. કોઈ વસ્તુ પોતા પાસે હોય ને કહે કે મારી પાસે નથી, તો તે જૂઠો છે ને ? છે તો પાસે, પણ ચેતવાનું ખરું ને ? ઊંઘવાનું નથી. જાગ્રત થવું, આપ બઘાને. સ્વાદ તો જુદો હોય, પણ આત્મામાં આવે ત્યારે. તો બંઘથી છૂટે. કેમ ગાફલ રહ્યો ? શા માટે આવું કર્યું? હવે પોતાને માટે કરવું છે. કંઈક છે, વાત ઊંડી છે, પણ વાત મારી જાય છે. તા. ૧૧-૧૧-૩૫, સવારના મનુષ્યભવ દુર્લભ છે. પણ મનુષ્યભવમાં સુખ માને છે ત્યાં સુખ નથી. સુખની ભાવના પણ થઈ નથી. માત્ર બધું બોલી નાખે છે, પણ કર્યું નથી. કરવા જેવું છેમનુષ્યભવમાં, અને તેમાં બને તેવું છે. “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.”(શ્રી આત્મસિદ્ધિ) લ્યો, અર્થ કરો ! “એકેક શબ્દમાં અનંત આગમ સમાયાં છે.” કેવું ચમત્કારી છે? ડહાપણ કરવા જેવું નથી. સમજ્યો નથી અને સમજ્યો છું માને છે, ને ડહાપણ કરે છે. “આત્મસિદ્ધિ કંઈ જેમ-તેમ નથી, એમાં અનંત આગમ સમાણાં છે. જડ તો નહીં સાંભળે. ચેતન છે, પણ “ભાન નહીં Page #257 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત ૧૬૦ નિજ રૂપનું.” બઘા જીવને માટે છે. સૌને ભૂલ કાઢવાની છે. અજબ ગજબ છે ! આવો અવસર ક્યાં મલે? લૂંટાલૂંટ કરવા જેવું છે. ચેતવા જેવું છે. બઘાય આત્મા છે, ગુરુના પ્રતાપે. આત્મા છે, પણ ભાન નથી. બીજા બધા સંબંઘ છે. પ્રકૃતિમાં મતિશ્રત છે અને બીજું માની બેઠો–કાકો, મામો, ભાઈ, વગેરે. જગત આખામાં ખદબદ થઈ રહ્યું છે. કહેવા જેવું નથી, કહ્યું મનાય તેમ નથી. ક્યાં કહીએ ને જઈએ ? આ તો ઉપર ઉપરની વાતો કરીને ઘર્મ માને છે ઘર્મ તો જાણ્યો નથી, “ઘર્મ ઘર્મ સી કો કહે, ઘર્મનો નવિ જામ્યો હો મર્મ જિનેશ્વર !” હું તો સમજ્યો છું એમ માને. ધૂળ પડી તારા સમજવામાં; એના ઉપર મૂક મીંડું ને તાણ ચોકડી. “જગતજીવ હૈ કર્માધીના, અચરજ કછુ ન લીના'. સંસારની ચાર ઉપમા ચમત્કારી છે : સમુદ્ર, અગ્નિ, અંઘકાર અને શકટચક્ર. તેનો વિસ્તાર અગાઘ છે! ક્યાં એની વાત? કોને કહીએ? કાન માંડે ત્યારે ને ? બધામાં શું ભૂલ છે? મુમુક્ષુ–ખરી રુચિ જાગી નથી. પ્રભુશ્રી ભાન નથી. પણ આત્મા છે તો ભાન કહેવાશે. છતાં જાણ્યો નથી. આત્મા જાગ્યો તો કામ થઈ ગયું. આત્મા જાણ્યો તો સમકિત થયું. એ જોયો તો દીવો થયો. જ્ઞાની, અજ્ઞાની બેઉ કર્માધીન છે. આ વાત કોની છે ? તો કે જે બધું મૂકીને સૌની ઉપર આવે એવા જ્ઞાનીની. “સમતા રમતા ઊરઘતા. જ્ઞાયકતા સુખભાસ: વેદકતા ચેતવતા, એ સબ જીવ-વિલાસ.” (સમયસાર નાટક ૫૬) કેટલી બધી શિખામણ છે ? સાંભળી નથી. થોંટ માર્યા જેવી છે. જેવી તેવી વસ્તુ નથી. ખબર નથી. ચિંતામણિને કાંકરો જાણીને નાખી દે છે. કહેવાની વસ્તુ એવી છે કે “છ પદ' અગાઘ છે. યોગ્યતા નથી. મોઢે હોય તેથી શું થયું ? પણ જરા જો દ્રષ્ટિ પડી હોય તો દીવો થાય. આ બધું શું છે ? અજ્ઞાન છે. જ્ઞાન દીવો છે. બોઘની જરૂર છે. સત્સંગની કચાશ છે. સત્સંગ ઇચ્છતો નથી, ગરજ પણ નથી. નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; સબસે ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ.” (શ્રીમદ્ રાજચંદ્ર) બઘાં વચન મર્મનાં જાય છે. અજબ છે ! દીવો ત્યાં થાય એમ છે. જરા દીવાસળી ખેંચે તો અજવાળું થઈ જાય તેવું તે છે. પણ “છ પદના પત્રમાં સ્થિરતા રાખે તો થાય. “કર વિચાર તો પામ.” ઠપકો આપવાનો કે ભણ્યા પણ ગણ્યા નહીં. કોરે કરવું પડશે. કોણ અર્થ સમજે છે ? અર્થ તો એ જ જાણે છે. કોરે કરવું પડશે. કંઈ કરવું જોઈએ ને ? શાથી કરવું ? મુમુક્ષુ–જ્ઞાનથી. પ્રભુશ્રીબડબડ બોલતાં આવડ્યું છે. નિંદા કરવી નથી, પણ એ નહીં. જ્ઞાન શું છે? આત્મા છે. મડદાં હોય તો કોઈ સાંભળે ? એ તો આત્માના પ્રતાપ. તેનું માહાત્મ કેવું હશે ? એને જગાડવો છે. આ બોલવું થાય છે તે મારું ન જાણશો–કે ડહાપણ કરે છે. પણ જ્ઞાનીનું કહેલું કહેવું Page #258 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ ઉપદેશસંગ્રહ-૧ છે. હવે કોને બોલાવું? વહેવારથી શેઠને અગર ફલાણાને બોલાવો, તેમ કંઈક જોઈએ છેને? કોનું કામ છે હવે ? “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.” (શ્રી આત્મસિદ્ધિ) લ્યો, હવે બોલાશે ? બોલીશું ? બોલશો ? કંઈ નહીં, બધું અજ્ઞાન અને મિથ્યાત્વ છે. ફક્ત સત્સંગ કરો, તે કરવાનું છે. પરીક્ષાપ્રઘાની થવું. વચન છે, તેની પરીક્ષા હોય છે. આ અવસર આવ્યો છે. આખો લોક ત્રિવિઘ તાપથી બળે છે. રોગ, શાતા કોને નથી ? શાતા પણ પુલ, એને આત્મા કહેવાશે નહીં. શું કર્યું? તો કહે કે “દળી દળીને કુલડીમાં વાળ્યું' અનર્થ કરી નાખ્યો. એનું વચન એક કાઢો તો ? અજબગજબ છે ! “જે લોકોત્તર દેવ, નમું લૌકિકથી' તેમ લૌકિકમાં કાઢી નાખ્યું છે. કૃપાળુદેવે મને કીધું કે મને મૂંઝવ્યો. હવે શું કરવું ? પછી જાણ્યું કે મુનિ ગભરાયા. ત્યારે કૃપાળુદેવે કહ્યું, “મુનિ, ઊંડા ઊતરો.” બીજા શું કરશે ? “આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં.” ત્યાં ખામી છે–બોઘની અને સમજની. આ ઊંધું વાળ્યું છે. છ પદનો પત્ર” મોઢે છે ? કોઈ, વાત ઉઘાડી કરીને દેખાડે ત્યારે ખબર પડેને ? હજુ ઘણું કરવાનું છે. ઊંડા ઊતરવું' તેમાં તો બહુ સમજવાનું આવ્યું. ભૂંડું કોણ કરે છે ? મન કહો, વૃત્તિ કહો, ચિત્ત કહો, બધું એ ને એ જ. એ શું આત્મા છે? નહીં. એને ઊભો રાખવો છે. છે એને (આત્માને) ઊભો રાખો. “ધિંગ ઘણી માથે કિયા રે ! કુણ ગંજે નર એટ ? વિમલ જિન, દીઠાં લોયણ આજ.” આ સાંભળવાની યોગ્યતા વગર કોની પાસે વાત કરવી ? આમાં ખામી શાની છે ? વિશ્વાસ અને શ્રદ્ધાની ખામી છે. હું કૃપાળુદેવને માનું છું, ભજું છું, એમ કહે; પણ જેમ છે, તેમ છે. ભૂલ થાય છે. કંઈ વાત અજબગજબ કરી છે ! ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે, પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતો નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી, સદા સર્વદા ચેતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ બ્રાન્તિ છે.'' વાત સાંભળી નથી, મનાઈ નથી; સમજ્યાની ખબરે ય નથી. આ વાત કોને કહેવાય ? કોઈને કહેવા જેવી નથી. કહેવાની મતલબ, આની (આત્માની ઓળખાણ કરાવવી છે, પણ બોઘ વગર થાય નહીં, અને તેની તો ખામી છે. કૃપાળુદેવને અમે પૂછેલું, શાની ખામી છે? કૃપાળુદેવ કહે કે બોઘની. ત્યારે અમે કહ્યું કે બોઘ કરો. ત્યારે કૃપાળુદેવ પછી બોલ્યા નહીં. આ અવસર જાય છે. માટે ચેતો, જાગો. લ્યો, હવે ક્યાં છે અંબાલાલભાઈ, સોભાગભાઈ, મુનિ મોહનલાલજી ? લાવો, ક્યાં છે ? જ્ઞાની કેમ છે ? અજબગજબ વાત છે ! એક નિશાન હોય છે તેમાં સર્વ વસ્તુ હોય છે. અંબાલાલભાઈ, સોભાગભાઈ નિશાનની જેમ ભરેલા. વખતે કાઢે Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ઉપદેશામૃત તે વખતે હાજર ! એની વાતો કરનાર પણ કોણ છે ? કૃપાળુદેવે કહેલું જે અમારી દાદ કોણ કરશે ? —‘શુક્લ અંતઃકરણ વિના મારાં કથનને કોણ દાદ આપશે ?’’ સાંભળ, સાંભળ; તારું બધું ઊંધું છે, પોલારિયું છે. અમારાથી જરા આટલું બોલાયું તે કહી દીધું. જ્યાં સુધી સુખસમાઘિ હોય ત્યાં સુધી ધર્મ કરી લે, પછી નહીં બને. કહેવાની મતલબ, જગાડવો છે. જાગતા થાઓ, સાંભળનાર થાઓ. કોને વાતચીત કરવી છે ? ગાંડુંઘેલું, ખોટું લાગ્યું હોય તો ખમાવીએ છીએ. કોઈનો વાંક નથી. કર્મનો વાંક છે. ‘જગતજીવ હૈ કર્માઘીના.' કર્મથી દુઃખ માને છે. આ વાત મોટા પુરુષની. માટે પંડિત વગેરે મોટા હોય તેણે પણ માનવા જેવી છે. આ કર્તવ્ય છે. આત્માને ઓળખવો. અવસર આવ્યો છે. મનુષ્યભવ છે. આ લહાવો જતો રહ્યો તો પછી શું કરશે ? શું થશે ? વૃદ્ધ અવસ્થા હોય—ઘરડો હોય કે સાધુ હોય, ચોથા વ્રતની બાધા તો લાભકારી છે. આ મનુષ્યભવ પામીને બંધાયો છે, ને દુઃખી થાય છે. દીવામાં ફૂદાં પડીને મરે તેમ મરે છે, સુખની હાનિ કરે છે. મહાવ્રત તો મહા લાભકારક છે. ધન્ય છે, ભાગ્ય છે. ચાંલ્લો છે. દેવની ગતિ થાય, કામ થઈ જાય. ઘણા ભવ કર્યા. ભાવથી કામ નીકળી જાય. ‘જેવા ભાવ તેવા પ્રભુ ફળે.' એક શ્રદ્ધા સાથે લઈ જાય તો કામ થાય. ‘સજ્જા પરમ વુન્હા' એક આત્માર્થે થવું જોઈએ. તે કોઈ ભેદી પુરુષ મળ્યો હોય તો બને. આટલો વિશ્વાસ રાખ અને માન કે જ્ઞાનીએ જોયો તે આત્મા. અહીં પ્રમાદ છોડવાનો છે. આ અવસર, મનુષ્યભવ જતો રહ્યો તો ક્યાંથી લેશે ? માટે ત્યાગ અને વૈરાગ્ય ઃ વૈરાગ્ય એ આત્મા છે. આત્માની તરફ ભાવના થઈ ગઈ તો સૂઝે તેમ હો ! એક આત્મા છે, આટલા ભવમાં તે ઓળખવો છે, તે કોઈ ભેદી પુરુષ મારફતે ઓળખાશે. જપતપ,‘વહ સાધન બાર અનંત કીયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો. કરણીનું ફળ છે. મરી જજો, પણ સત્સંગ કરજો. આટલા જીવ બેઠા છે પણ કર્માધીન છે; સંકલ્પ વિકલ્પ કરે છે. : તા. ૧૧-૧૧-૩૫, સાંજના [એક મુમુક્ષુભાઈએ ચોથા વ્રતની બાઘા લીઘી તે પ્રસંગે] - “જહાં કલપના-જલપના, તહાં માનું દુઃખછાંઈ, મિટે કલપના જલપના, તબ વસ્તુ તિન પાઈ.’’ (શ્રીમદ્ રાજચંદ્ર) માટે આટલો દાવ આવ્યો છે. સાટું કરી લ્યો, કંઈ નહીં પણ આત્મા માટે. યથાર્થ જ્ઞાનીએ દીઠો છે એ આત્મા; જ્ઞાનીએ જોયો તે મને માન્ય છે. મારું બધું જૂઠું. જે દી તે દી, વહેલું મોડું પણ મૂક્યા વિના છૂટકો નથી. થપ્પડ થઈ. વાત આ કહું છું તે વાત છે માન્યાની'. કંઈ પણ માન્યતા હોય તો તેનો લાભ. માટે ચેતી લ્યો. સમજ્યો ત્યારથી સવાર. બીજું બધું જવા દે. એક સમજણ છે. ‘કાનમાં પડ્યું પરમાણ.' પર્યાય પડ્યા તે મહા પુણ્ય બંઘાય છે. બીજું બધું માયા છે. ક્ષણે ક્ષણે વૃત્તિ બદલાય છે. શું કામ આવ્યો હતો ને શું કરે છે ? ધૂળ પડી ! જો આટલો ઘૂંટો ઉતાર્યો તો અમૃત છે. સૌના હાથમાં છે. એક વિશ્વાસ કરી લે ને ! પહેલું લેખું જ હાથ નથી આવ્યું; ભણ્યો પણ ગણ્યો નહીં. તારા જ ભાવની વાત છે. તે ભાવ જ્ઞાનીએ જોયો છે. ‘બળ Page #260 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ–૧ ૧૬૩ કરું છું તો મારા ઘણીના બળે', તેમ ઘણી તો જોઈએ ને ? માયાના ફાંસલામાં આખું જગત ફસાય છે, ને તે તો મૂકવું છે. તેની (સરુની) ઓળખાણ થઈ ગઈ હોય, સંગ થઈ ગયો હોય, પરિચય થઈ ગયો હોય, તો કામ કાઢી નાખે. હવે, આ પિંજર જૂનું થઈ ગયું, બોલાતું નથી. જ્યાં સુઘી કરી લેવાય ત્યાં સુધી કામ કરી લેવું, દુઃખ, તાવ, વ્યાધિ આવે છે; પણ તે બંઘન મુકાય છે. હવે ભોગવાઈ ગયેલાં કર્મ તમારી પાસે છે ? નહીં. બાંધ્યાં ભોગવાય છે. “તમે, અમે લૌકિક દ્રષ્ટિએ વર્તશું, તો અલૌકિક દ્રષ્ટિએ કોણ વર્તશે ?” જીવ તો પાસે જ છે, પણ ભાન નથી. આ બધું હું બોલું છું તે સંભળાતું હશે ? “ભાન નહીં નિજ રૂપનું તે નિશ્ચય નહિ સાર.” કૂંચી મળે ત્યારે ઊઘડે છે. પછી માલ જુએ ત્યારે લે છે. “જિસકે હાથમેં ફેંચી', ઝડપ ઉઘાડે એટલી વાર. કયાં લેવા–પૂછવા જવું છે? હાજર છે તૈયારી બધી; યાદ લાવવો જોઈશે. બીજું બધું સાંભરે છે, માર્યો જશે. સંભારવાનો છે તે ક્યાં છે ? લાવ. જરા નવરાશ લાવ. બીજી પંચાત ને વાતો કરશે, પણ આ નહીં ! બીજી હાહો કરશે, પણ આ નહીં ! કરવું પડશે. વહેલું મોડું કરવું પડશે. તા. ૧૨-૧૧-૩૫, સવારના વેદની જશે; આત્મા જશે નહીં. જગતમાં જીવ સૌ ભોગવે છે. લૌકિકમાં કાઢી નાખે છે. તને બીજું કંઈ કહેવું છે, જાગૃત કરવો છે. ખામી બોઘની છે. જીવ બહેરો થઈને બેઠો છે; કંઈ સાંભળતો જ નથી. કંઈ નથી, બઘા સંજોગ છે અને નાશવંત છે. કહેવાનું એટલું કે એક ઘર્મ છે, આત્મા છે; આત્માની સ્મૃતિ આપવાની છે. સ્મૃતિમાં આવે તો કામ થાય છે. મનુષ્ય ભવનો અવસર ફરી ફરી નહીં મળે. ૧. તા. ૧૪-૧૧-૩૫, સવારના [‘ભાવનાબોઘમાંથી મૃગાપુત્ર-ચરિત્ર વંચાત] મૃગાપુત્ર આત્મા છે. આત્માએ આ કામ કર્યું. આ પણ આત્મા છે. સમજે તો કામ થાય. તેમણે સંસાર કંઈ ગણ્યો નહીં. આત્માની વાત આવી. શાં શાં કામ તેમણે કર્યા છે ? આ પણ આત્મા છે. એ આત્માની ક્રિયા નથી થઈ. આ સંસારી ક્રિયા રહી છે. ધૂળ પડી એમાં ! અનાદિ કાળની આંટી પડી છે. ચેતવાનું છે. દુઃખને સુખ માન્યું છે અને સુખને દુઃખ માન્યું છે. મૃગાપુત્રનો વૈરાગ્ય હદપાર છે. આ જીવની ખામી છે, કર્મ રોકી રહ્યાં છે. જેમ સૂર્યને વાદળ આડું આવે છે તેમ રાગ ને દ્વેષ થઈ રહ્યા છે. દ્રષ્ટિની ભૂલ છે. દ્રષ્ટિ ફરવી જોઈએ. આત્મા છે. “પર્યાયવૃષ્ટિ ન દીજિયે.” “આત્મા” “આત્મા' નામ દેવાથી શું થયું ? વચન સાંભળ્યાં નથી, તેની ચોટ નથી; ખામી યોગ્યતાની છે. બરોબર જોગ મળી જાય તો કામ થઈ જાય. બધું બીજું છે, એક આત્મા છે. સપુરુષનું એક વચન મોક્ષે લઈ જાય છે. કૃપાળુદેવે મને કહ્યું કે બધે Page #261 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ઉપદેશામૃત આત્મા જુઓ. પછી ચોટ્યું તે ચોયું. એક જ્ઞાન ચક્ષુ છે, પછી બીજું શી રીતે જોવાય ? બાહ્ય નથી જોવાનું, આત્મા જોવાનો છે. અજબગજબ છે! એક વચન પકડાય તો કામ થઈ જાય. જ્ઞાનીનાં વચનો વૈરાગ્યમય છે. પાણી પડ્યું ને જો ભાજન હતું તો ભરી લીધું. ભાજનની ખામીથી પાણી રહેતું નથી. યોગ્યતા લાવો. જીવ બઘા રૂડા છે. કંઈ કહ્યું જાય તેમ નથી. માત્ર દ્રષ્ટિની ભૂલ છે. વાત છે ખરી, બહુ જબરી છે. આવો મહા લાભનો દહાડો ક્યાંથી આવે ? અલૌકિક વાત છે. જેને પ્રતીતિ ને વિશ્વાસ છે તેનું કામ થશે. જ્ઞાની કહે, રાત છે, તો રાત. તે માનવું કઠણ છે. પોતાનું ખસે નહીં તો કેમ મનાય ? ટૂંકામાં ટૂંકું, કંઈ ન આવડે તો એક શ્રદ્ધા અને માન્યતા છે. ખરેખરી પકડ કરવાની છે. જડ છે એ તું નહીં, તેથી ન્યારો ને ન્યારો છે. એ વાત વિશ્વાસ છે તો મનાય. યોગ્યતાવાળાને અને માન્યતાવાળાને પ્રતીતિ હોય તો માન્ય થાય. બીજી બધી ખોટી વાત, નાશવંત છે, ભૂંસાડિયો છે. “જગતજીવ હે કર્માધીના, અચરજ કછુ ન લેના.' જગત આખું રાગદ્વેષમાં છે. આખો લોક ત્રિવિધ તાપથી બળે છે. ક્યાંય શાંતિ નથી, અને શાંતિ એ વગર નથી. સૂઝે ત્યાં પૂછયા કરો, પણ વાત એક શ્રદ્ધાની અને પ્રતીતિની છે. સદ્ધી પરમ કુહા’ કંઈ નહીં, બીજાં બધાં કર્મ નાશવંત છે. અને તે છે દીવો, તે દીવો; જ્ઞાન તે જ્ઞાન. એના ખપી થવું. ખોજના હશે તેને “છ પદનો પત્ર' ચમત્કારી છે. મોઢે કર્યો હોય પણ ખબર નથી. “ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે, પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતો નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી.” કેટલી બધી ભૂલ છે ? ચેતનનો અનુભવ જરાય નથી. મનુષ્યભવ છે તો સાંભળો છો. આ જીવ જંગલના રોઝ જેવો છે. જે દી તે દી શરણા વગર કામ નહીં થાય. એ જ એક શરણું લેવાનું છે. મારે તેની તલવાર. વાત તો બોલાય, કહેવાય તેટલી બને; બાકી તો અનુભવની વાત છે, તે વગર ખબર પડે નહીં. વાતે વડાં થાય નહીં; ખાધે ખબર પડે. કહેવાય તેવું નથી. “પાયા તેણે છુપાયા.” એના શરણાથી આટલું બોલીએ છીએ. બોલવા લાયક નથી. કોને કહેવું ? જીવ પવિત્ર છે. યોગ્યતાની ખામી. તૈયાર થાઓ. કોઈ ખપી જોઈએ છે, તેને સુગમ છે. શ્રદ્ધા અને ભક્તિ મોટી વાત છે. ભક્તિ કામ કાઢી નાખશે. આ ભૂંડું માને કર્યું છે. તા. ૧૪-૧૧-૩૫, સાંજના [‘ભાવનાબોઘ'માંથી ભરત ચક્રવર્તીનું વૃત્તાન્ત વંચાત] આત્મા છે તે જ્ઞાનીએ જાણ્યો. સર્વ જીવ છે તેમને આવરણ અને સંજોગ છે. તેમાંથી કોઈક જીવને તે સહાયક થયેલ છે. તેને પણ ઉદય કર્મ તો છે, તે કાંઈ મારાં કરશે? તેને માટે વિચાર જ્ઞાનીને ન આવે તો કોને આવે? આડું આવે તે કોરે કરવું પડે છે. કહેવાની મતલબ, અસંગ અને અપ્રતિબંઘ થવાની જરૂર છે. ચેતો ! મહેમાનો, ચેતો ! આ બધું તમારું ના'વે. આખું જગત હાયવોયમાં ખૂલ્યું છે. પુરુષનો બોધ સાંભળ્યો હોય તેને શું થાય ? બધું પરભાવ સમજાય, અને “મૂકું મૂકું થઈ રહ્યું હોય. શાંતિ તો આત્માની છે. તે જીવે જોઈ નથી. Page #262 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૧ ૧૬૫ પૌદ્ગલિક શાંતિને સુખ માને છે. આ બધું જાગ્યા તે આત્માઓએ કર્યું છે. તમે મારું મારું કરી રહ્યા છો. પણ ભગવાને બધું રાખ ને ભૂંસાડિયો ભાળ્યો છે. કંઈક પુણ્ય કર્યાં છે તેથી આટલો મનુષ્યભવ છે. ચોરાશી લાખ યોનિના જીવો પણ આત્મા છે. જેમ ઘાણી શેકાય તેમ દુ:ખી થઈ રહ્યા છે. આ બધું બીજું છે. કંઈક ચેતવાનું છે. જરૂર છે સત્સંગ અને ઘણા, ખરા બોધની. આ કાને સાંભળીને આ કાને કાઢી નાખે છે. બઘી સંસારની ફિકર કરે છે. તે બહુ દુ:ખદાયી ને ભયંકર છે. સમજવાનું કામ છે. માટે ચેતો, ચેતો. વ્યાધિ હોય તો શું સાંભળશો ? કોઈ મહાભાગ્ય હોય તો વચન કાને પડે. ચમત્કારી વચન છે. જાગો, જાગો. ઊંઘતાને ગોદો મારી જગાડવો છે. વૃત્તિ-ચિત્ત ફરતું છે, બંઘન કરાવે છે, ભવ ઊભા કરે એવો આ ધંધો છે. પણ આથી મુકાવું છે, અને આત્માનો મોક્ષ કરવો છે. આ જીવને મુક્ત થવાનું છે. મારે હવે બંઘન ન થાઓ ! “જબ જાયેંગે આતમા, તબ લાગેંગે રંગ.'' જાગવાની જરૂર છે. મોટાં પુરુષોને આલોચના કરતાં કેવળજ્ઞાન થયું. મૂક્યા વિના છૂટકો નથી, પણ સાંભળે ત્યારે ને ? કહેવાનું બધાયને—છે મૂકવાનું. આ બધું બંધન, જાળ, નાશવંત, ભયંકર છે. માર્યો જશે. ચેતો, ચેતો. બીજું જવા દો. આડાં આવે છે તે બધાં કર્મ છે. બધું દુઃખ દુઃખ ને દુ:ખ છે. આ બધું ભેદજ્ઞાનવાળો બોલે. ચક્રવર્તીનું પુણ્ય સર્વ કરતાં વધારે, છતાં તેમાં કંઈ નહીં; એક તેમાંથી આત્મા નીકળ્યો. જે રાજ્યના મોહમાં ખૂંચી રહ્યા તે નરકે ગયા. પૈસોટકો કામ નથી આવવાનો. એક જીવને ભાવ છે. ' एगोहं नत्थि मे कोई, नाहमण्णस्स कस्सइ । एवं अदीणमणसो अप्पाणमणुसासइ ॥ एगो मे सरसदो अप्पा णाणदंसणलक्खणो । सेसा मे बाहिरा भावा, सव्वे संजोगलक्खणा ॥ (સંથારા પોરિસી) વસ્તુ પોતાની બતાવી છે. ३ संजोगमूला जीवेण पत्ता दुक्खपरंपरा । तह्या संजोगसंबंधं सव्वं तिविहेण वोसिरे ॥ (મૂલાચાર ૪૯) ४अरिहंतो महदेवो जावज्जीवं सुसाहुणो गुरुणो । जिणपन्नत्तं तत्तं इअ सम्मत्तं मए गहिअं ॥ ભારે વાત કરી ! આ પામવાને માટે વાત કરી. આ રસ્તે ચાલ્યો જજે, મન, વચન, કાયાથી જે બંધ કર્યા છે તે વોસરાવું છું. એક આત્માને જ માનું. * ૧. હું એક છું. મારું કોઈ નથી. હું અન્ય કોઈનો નથી. એ પ્રમાણે અદીન મનવાળો થઈને હું પોતે પોતાને શિખામણ આપું છું. ૨. એક જ્ઞાનદર્શનવાળો શાશ્વત આત્મા તે જ મારો છે; બાકીનાં સર્વ સંયોગજન્ય વિનાશી પદાર્થો મારાથી પર છે. ૩. આ જીવને પરદ્રવ્યના સંયોગથી દુ:ખપરંપરા પ્રાપ્ત થઈ છે. માટે મન-વચન-કાયાથી સર્વ સંયોગ-સંબંધોને હું છોડું છું. ૪. જીવન પર્યંત અરિહંત મારા દેવ છે, સાચા સાધુ મારા ગુરુ છે અને કેવળી ભગવાને કહેલાં તત્ત્વ તે ધર્મ છે. આ પ્રકારે મેં સમ્યક્ત્વને ગ્રહણ કર્યું છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત તા. ૧૫-૧૧-૩૫, સાંજના ખેદ રહે છે. આ જીવને બોધની ખામી છે. શ્રદ્ધા થાય અને પકડ થાય ત્યારે કામ થાય. જેને મળ્યું છે તેને સામાન્ય થઈ ગયું છે ! માને, શ્રદ્ધા કરે અને પકડ રાખે તો મનુષ્યભવનો બેડો પાર થઈ જાય. આ જીવને આવો અવસર ચૂકવા જેવો નથી. સમાગમ મોટી વસ્તુ છે. સત્સમાગમ કરવો. કંઈ બોધ ન હોય, સાંભળે નહીં; પણ કામ થાય. કોઈ એમ કહે કે આ તો વખાણ કરે છે. પણ નહીં, સાચું કહું છું. કામ થાય છે. આ માર્ગ એવો છે કે જન્મ-મરણ છોડાવી સમિત પમાડે. બીજે સંસારમાં, માયામાં ખોટી થાય; પણ બધું ધૂળ છે. એક ધર્મ સાર છે. એક શ્રદ્ધા, વિશ્વાસ, પ્રતીતિ આવવી જોઈએ, પણ સાંભળે ત્યારે આવે ને ? ૧૬૬ ધંધુકા પાસે એક નાગનેશના વાણિયાએ કૃપાળુદેવને જમાડ્યા હતા. તે જીવ કોરો રહી જતો હતો. પણ કૃપાળુદેવે બોલાવી બોઘ આપ્યો; ધક્કો વાગે તેવા બે બોલ કહ્યા. માટે અંતરમાં લાગી હોય તે ચેતી જાય. બોધ આવે તે અંતરમાં ભાલો વાગે. પછી છોડે નહીં, અંતરમાં જ રાખે ને સ્મરણ કર્યા કરે. બસ તું કર્યા જ કર. આ વાત જુદી છે. એક ઘર્મ સાર છે. ભાળીને ખેદ થાય છે, અ૨૨ ! આવો અવસર ગુમાવો છો ! મૂળ તો, પકડ અને માન્યતા કામ કાઢી નાખશે. બીજું બધું ખોટું છે. એક આત્મા ખરો, ચેતવા જેવું છે. આ ડાહ્યા પુરુષને કહેવું છે. જીવ કોઈ ચેતી જશે, તો હજારો રૂપિયા કમાણો. ‘સન્હા પરમ વુન્ના' બીજું નહીં. કોઈ એક સત્પુરુષને શોધો. જગતમાં માયા છે; બધો કુટારો ! તેને ભાળીને રાજી શેનો થાય છે ? કોઈ હારે આવવાનું નથી. એક સોય પણ હારે નહીં આવે. ધર્મ કરો તો કામ થશે. માટે ભાવના અને પકડ કરવાની છે. કોઈ ઢૂંઢિયા, તપા, વિષ્ણુ, દિગંબર—એ માર્ગ નો'ય. પુણ્ય બાંધે; નિંદા નથી કરવી, પણ એ નોય. મારગ કોઈ જુદો છે. મારું કશું નથી, દેહ પણ મારો નહીં. છોકરાંછૈયાં, સગાં-વહાલાં, પૈસોટકો કોઈનાં થયાં નથી. બધી ભુલવણી છે, દગો છે, લૂંટારા છે. ક્રોધ, માન, માયા, લોભ, મૂર્છા-મમતા તમે નથી. બહુ ભૂલ છે. અત્યારે તો સમતા, ક્ષમા, દયા, ઘીરજ એ રાખવાં. બાંધેલું આવે છે, જાય છે, ફરી નહીં આવે. તારાં નથી તેને તારાં કહે છે એ દુ:ખ છે, તેથી ફરી આવે છે. તારો એક આત્મા, તેનો થઈ જા. આ ગાંઠ અંતરમાં વાળવાની છે. કોઈ સાંભળે છે ? અલેખામાં કાઢી નાખે છે. વિશ્વાસે તો વહાણ ચાલે છે. આવી રીતે આત્માનો ભાવ છે. તે ભાવ ક્યાં કરવાનો છે ? તો કે સાચાં ગુરુને વિષે. મારો આત્મા, બીજું મારું નહીં. આ સમજણ હોય તો કામ થાય. સમજણમાં ભૂલ છે. આ મોટી ખામી. છોકરાને ચિંતામણિ રત્ન આપ્યું, તો સારો કાંકરો જાણે, ઓળખે નહીં. આ કેવું ! ખરેખરી દાઝ કરવા જેવી છે. પૂર્વે પુણ્ય કર્યાં તો આ જોગવાઈ મળી. તેને અણસમજમાં કાઢીશ નહીં. માટે આત્માનો ભાવ કરવાનો છે. ‘મારે તેની તલવાર.' ‘કરે તેના બાપનું.' કરશે ત્યારે મળશે. ભાવના કરવી જોઈએ. બીજા કામમાં ખોટી થાય, પણ ધર્મના કામમાં નથી થતો. આ જ ઊંધું છે. સમજે તો સહજ છે. છોડ્યા વગર છૂટકો નથી. છેવટે દેહ પણ મેલવો પડશે. માટે વાત કંઈક લક્ષમાં લેવી જોઈએ. ખરેખરું ચેતવાનું છે. આ અવસર જવા દેવાનો નથી. માયા અને મોહથી ભૂંડું થાય છે. ‘સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ?'' Page #264 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૧ ૧૬૭ આ તો હૈયાનો હાર છે. એક જ શબ્દ પણ ભાન નથી. કર્યાનું ફળ હોય; પણ આનું પરિણામ જુદું આવશે. જોઈ લેજો, કર્તવ્ય છે. ચેતજો, ફરી આવો દહાડો નહીં આવે–જેવો તેવો નથી, શરત રાખજો. તા. ૧૬-૧૧-૩૫, સવારના મનુષ્યભવ દુર્લભ છે. એકલો આવ્યો ને એકલો જશે. આત્મા એકલો છે. તેની ઓળખાણ કરવાની છે. તે ઓળખાણ સત્સંગમાં થશે. કોઈ પણ પ્રકારે સત્પરુષનો શોઘ કરવો. આ મૂળ પાયો છે. તેનો શોઘ કરવો. બઘા સંજોગ છે અને માયા છે, તે મારાં નહીં. બધું સપુરુષને અર્પણ કરવું. હે પ્રભુ ! હું જાણું નહીં. સત્પરુષે જાણ્યો તે આત્મા અમૂલ્ય છે, તે કોઈએ સાંભળ્યો નથી. માયાનાં સ્વરૂપ સંભારે તે બધું ખોટું છે. આત્માની કાળજી રાખવી; તેના સંબંધી સત્સંગમાં વાત સમજવાની હોય તે સમજવી. હથિયાર છે. તેથી કર્મ દૂર કરાય છે. આડું આવે તે કોરે કરવું. તેવું છે કંઈ ? અત્યારે મનુષ્યભવમાં છે કંઈ ? ૧. મુમુક્ષુ—ભાવ તથા સમજણ છે. પ્રભુશ્રી–ભાવ તે હથિયાર છે, લાકડી છે. સત્સંગે સાંભળીને ભાવ કરવો. ભાવ શુભ છે, અશુભ છે, તે નહીં, પણ શુદ્ધ. તે ભાવ જ્ઞાનીએ કીધો તે કરવો. ભાવના ભાવતાં ભાવતાં કેવળજ્ઞાન પામે. આ જીવને મોટી ખામી બોઘની છે. લૂંટતૂટ લેવા જેવું છે. બે ઘડી દહાડો પાછલો છે. આવો અવસર ફરી ફરી નહીં મળે. ચૂકવા જેવું નથી. જીવને મોટામાં મોટી ખોટ બોઘની છે. સાંભળ્યું નથી. સાંભળે તો જાગૃત થાય. સવળે નાણે વિજ્ઞાળે. સાંભળ્યાથી દેવની ગતિ પામે, પુણ્ય બાંધે છે, બીજા ભવ કરવા મટી જાય. શું ઝાઝું કહેવું ? થોડામાં કહેવાનું કે અનંત કાળથી સમકિત નથી થયું, જપતપનાં તો ફળ મળ્યા. તારી વારે વાર. તૈયાર થઈને આવે તો બેસે એટલી વાર. આઘુંપાછું કરવા રહે તો ગાડી જતી રહે. તૈયાર હોય તો બેસી જવાય. આત્માનો ભાવ કર્તવ્ય છે. પક્ષીનો મેળો છે. એકેક જીવ સાથે અનંતી સગાઈ થઈ ગઈ; બાકી રાખી નથી. બધું મળ્યું ને ગયું. આત્મા તો છે, છે ને છે; રખડે છે પરભાવમાં. તેને (આત્માને) એક ઘર છે, સ્વભાવ તે ઘર છે. તે કયે ઠેકાણે છે ? ૧. મુમુક્ષુ સત્સંગમાં. પ્રભુશ્રી સત્સંગ ઘણો કર્યો. મુનિપણું લીધું. જપ તપ કીધાં, તેનાં ફળ મળ્યાં. ૨. મુમુક્ષુ–એનું સ્થાન એનામાં જ છે–એનો ઉપયોગ. પ્રભુશ્રી–જ્ઞાનીએ કહેલું કહું છું. સમભાવમાં છે. તેથી ઘણા મોક્ષ ગયા છે. ૨. મુમુક્ષુ સમભાવ કરવો છે, તે કેમ થતો નથી ? ૩. મુમુક્ષુ–કાંટો ખાઘીલો છે, તો સમભાવ શી રીતે થાય ? પ્રભુશ્રી–આનો ઉત્તર સુગમ છે. આ બધું કીધું તે અજ્ઞાન છે. અજ્ઞાન ફીટીને જ્ઞાન થાય. બસ આટલું જ. હવે કંઈ ખૂટે છે? કારણ વિના કાર્ય થાય નહીં. શાની ખામી છે ? Page #265 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ઉપદેશામૃત ૨. મુમુક્ષુ–પુરુષાર્થની. પ્રભુશ્રી તે સત્પરુષાર્થ. સત્, આત્મા છે. તે પુરુષાર્થ છે. અહીંથી ઉગમણે જાય તો આથમણે જવાય નહીં. માટે “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.' ભાવ કરો. સંસાર સેવવો અને મોક્ષ જવું બને નહીં. શું કહ્યું? મૂકવું પડશે. વાત જેમ છે તેમ કહી દીઘી. તારી વારે વાર છે. તૈયાર થાય એટલી વાર. અત્યારે અહીં બેઠો છે અને સારા ભાવ કરશે તો નબળું નહીં થાય. સારી દ્રષ્ટિએ જોઈએ તો નબળું કેમ થાય ? કૂંચી નથી, ગુરુગમ નથી. કચાશ ગુરૂગમની છે. આ મનુષ્યભવ તો કામ કાઢી નાખે. તે મળવો દુર્લભ છે. ઘરડો, જુવાન, બાઈ, ભાઈ—એક ફક્ત આત્મા. તેને જોઈએ છે સમજ. સમજ સાર સંસારમેં, સમજુ ટાળે દોષ; સમજ સમજ કરી જીવ હિ, ગયા અનંતા મોક્ષ.” હવે ખામી શું રહી ? કહો. ૨. મુમુક્ષુ ભેદજ્ઞાનની ખામી છે. પ્રભુશ્રી–કેવળજ્ઞાનની ખામી ! એક મૂળ વાત પકડી રાખજો. મૂળ પાયો કહેવાય છે. જ્ઞાનીએ કહ્યું છે, “સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો, સમયે જિનસ્વરૂપ.” (શ્રીમદ્ રાજચંદ્ર). આ કોઈને ખબર નથી, તેનું ભાન નથી. સંભાળ લેતો નથી. જો સંભાળ લે તો ભાર શા? બેડો પાર. ખામી બોઘની છે. સદ્ગુરુ વગર મોક્ષની આશા રાખશો નહીં. જગતમાં ગુરુ ઘણા છે, તે નહીં. તે છે તે જ, બીજો નહીં. ચેતજો, એને જ શોઘો, એનો સંગ કરો. એના દાસ થઈ જાઓ. મારે, કૂટે—ગમે તે કરે. ફિકર નહીં. તે શોધ્યા વગર છૂટકો નથી. ૨. મુમુક્ષુ સદ્ગુરુને શોઘવા શી રીતે ? પ્રભુશ્રી–બધા સામું જોઈને) કહો ને! આવડે છે બધું, પણ ભાન નથી. પૂર્વકૃત અને પુરુષાર્થ વગર કોઈ જીવ મોક્ષ ગયો નથી. આ બે વાત જોઈશે. જીવ માત્રનું રૂડું એથી થયું છે. વાત કીઘેલી છે પણ ભાન નથી. સદ્ગર, પૂર્વકૃત, પુરુષાર્થ. ચેતો, હવે બાકી નથી રાખવું. દોડ આ કરવી છે. બીજી દોડથી થાક્યા. મારગ આ સિવાય સૂઝતો નથી. કૃપાળુદેવે પણ આ જ કહ્યું હતું, તે કહું છું. ગાડા વાંસે ગાડલી જશે. એ જ લક્ષ છે, શ્રદ્ધા પણ એ જ છે. ત્રિકાળમાં આ વાત ફરે નહીં. બીજું કહેનાર કોણ છે ? ૪. મુમુક્ષુ–પુરુષાર્થ કરતાં કર્મ આડાં આવે કે નહીં ? પ્રભુશ્રી–કર્મ છે તે પુદ્ગલ છે, આત્મા નહીં, અને પુરુષાર્થ તો આત્માન છે. ઇન્દ્ર, ચન્દ્ર, નાગેન્દ્ર બઘાએ બાંઘેલું ભોગવ્યું છે. જ્ઞાનીને પણ છોડ્યા નથી. પણ કર્મ કોણ ગણતરીમાં ? રાખ છે. ભારે વાત દાઝની ભરેલી કહું છું. અનંતાં કર્મ ઊડી ગયાં–નાશ થઈ ગયાં પણ આત્માની શક્તિ હતી તે કંઈ ગઈ ? તેનો નાશ થયો નથી, તે ઘરડો થયો નથી. પણ મોટી ભુલવણી છે. તે કહો. શું ભૂલ આવી છે ? કર્મ બકરાં છે, તે નાસી જાય છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૧ ૧૬૯ ૨. મુમુક્ષુ–પોતાને પોતાની ઓળખાણ નથી, ભાન નથી. ૩. મુમુક્ષુ– ભાન નહીં નિજ રૂપનું !' પ્રભુશ્રી–આ તો ન્યાય બોલ્યા, પણ ભૂલ છે. ભાન નથી તે કર્મ છે. તેને બોલાવી ભૂંસીને કાઢી નાખે છે. સમજવા જેવી વાત છે, ઊંડી ગહન વાતો છે. સૌને કાઢનાર આત્મા છે. એની શક્તિ અનંતી છે. કર્મ જવાને આવે, કોઈ ઘણી થઈ બેસે તે ન ચાલે. છે તે છે, બીજું ન થાય. ભણ્યો હોય, ન ભણ્યો હોય; પણ જે ગાડું સળં નાખે. તેને જાણે તો કર્મ નાસવા માંડે છે. રાતદિવસનું અંધારું હોય પણ દીવો આવે તો અંધારું નાસી જાય. માટે જવાનું છે–કર્મ જાય છે, બળે છે, નાશ થાય છે. કોઈનાં અમર રહ્યાં? બધે ઠેકાણે, ચારે ગતિમાં ગયાં. પણ આત્માનો નાશ થયો નથી. કંચી હાથ આવી નથી. ગુરુ ભેદી મળ્યો નથી. “હોત આસવા પરિસવા, નહિ ઇનમેં સંદેહ, માત્ર દ્રષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહિ.” કહેવાનું, ભૂલ માત્ર દૃષ્ટિની છે. મેલો હવે, બોલશો નહીં. આ ચર્મચક્ષુથી શું જોશો ? જ્યાં છે, ત્યાં છે. સૌથી મોટામાં મોટું, ચૌદ પૂર્વનો સાર–દ્ધિા પરમ લુહા” એ કામ કાઢે છે. “ નાડુ સળં ના' આ વાત થાય છે; પણ માને મેલીને મીનીને ઘાવે તો શું વળે? કોઈ નામ દેનાર નથી, વાંકો વાળ કરી શકે તેમ નથી. જગતમાં કર્મ ફરતાં ફરે, પણ બંઘાય નહીં. સાધુનો વેષ પહેર્યાથી સાઘુ ન કહેવાય. બેસતાં, ઊઠતાં, હાલતાં ચાલતાં, ખાતાં, પીતાં સંજમ_એણે જાણ્યું છે. આ તેં જાણ્યું નથી, દ્રષ્ટિ કરી નથી. આસ્રવ કરે ત્યાં સંવર થાય. હોત આસવા પરિવા, નહિ ઇનમેં સંદેહ; માત્ર વૃષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહિ.” કોણ કરનાર છે? આ આત્મા ચાહે તે કરી શકે. વઘારે શું કહીએ ? એક આત્મા જાણો ને! તેની ઓળખાણ કરો. સદ્ગુરુ વગર પત્તો નહીં લાગે. “મલ્યો છે એક ભેદી રે કહેલી ગતિ તે તણી'. તેનાં ઘન્ય ને પૂર્ણ ભાગ્ય કે જે માનશે; તેનું કામ થઈ જશે. આ બઘા કર્મના ચાળા છે. આ વાત કંઈક જુદી છે. સમજાય છે તેને કાંઈ ગણતરીમાં નથી, વાળ વાંકો થાય નહીં. કરવું પડશે, કર્યા વગર છૂટકો નથી. આવો અવસર આવ્યો છે! ફરી નહીં મળે; માટે ચેતો. તા. ૧૬-૧૧-૩૫, સાંજના પત્રાંક ૧૬૬ નું વાંચન – “કોઈ પણ પ્રકારે સદ્ગુરુનો શોઘ કરવો.” આ વચન રામનાં બાણ ! તે લક્ષમાં ય નથી. પાંસરું પડવાને આ ભવ છે. સમજવાની જોગવાઈ સત્સંગમાં છે. ખામી છે બોઘની અને સત્સંગની. “મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરત.” - આ જગતમાં મોહ જેવું ભૂંડું બીજાં નથી. વેરી દુશ્મન મોહ છે. એક સદ્ગુરુથી છુટાય છે, તેને સંભારો. બીજામાં તલ્લીન થાય છે; પણ જ્યાં કર્તવ્ય છે ત્યાં પ્રેમ નથી. રાગ કરવો તો Page #267 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ઉપદેશામૃત સપુરુષ ઉપર કરવો. વચન ગ્રહણ કરતો નથી. અનાદિથી વિષય-કષાય, ભોગ-વિલાસમાં પડ્યો છે. આખો લોક ત્રિવિધ તાપથી બળ્યા કરે છે. દ્રષ્ટિ ફેરવે તો તાળું ઊઘડી પડે. ગજસુકુમારે શું કર્યું? મન, દ્રષ્ટિ ફેરવી કે મને મોક્ષની પાઘડી બંઘાવી. મારું શું ? મારો આત્મા. ઓળખાણ નથી તેથી રખડે છે, માર્યો જાય છે. આ જીવ ભૂલ ખાય છે, થાપ ખાય છે. જવા દો, આટલો ભવ ચેતી લો. રાગ કર, પણ આત્માની સાથે. ત્યાં પ્રેમ પ્રીતિ કર. આમ પ્રેમ ફેરવ ને! આ વાત ભાવ ઉપર છે. ભાવ વિક્રિયાનો હતો, પણ તે તું નહીં. સમજ ફરવી જોઈએ. પ્રેમ-પ્રીતિ મોહમાયા ઉપર થાય છે. પણ એક કૂંચી ફેરવવાની ખબર નથી, ભાન નથી. કૃપાળુદેવની કૃપા કે તેમણે આપેલાં વચનો તે કૂંચી મળી ને કામ થઈ ગયું ! આની ગણતરી ક્યાં છે ? બીજું ગણે ત્યાં ભૂંડું છે, ઊંધું પડ્યું છે. માટે જવા દે હવે. તારે જ ભોગવવું પડશે. માટે ચેતવાનો અવસર આવ્યો છે તો ચેતી લે, નહીં તો માર્યો જઈશ. માબાપ, છોકરાં, સગાંવહાલાં કોઈ છોડાવે નહીં, ઊલટાં બંધાવે છે. સહુ સાઘન બંઘન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્ સાધન સમજ્યો નહીં, ત્યાં બંઘન શું જાય?” (શ્રીમદ્ રાજચંદ્ર) આ એક જ વચન ! ભણ્યો પણ ગણ્યો નહીં. ધ્યાનમાં નથી, લક્ષમાં નથી. પકવાન ખાય તો મોઢામાં આવે. વાત છે માન્યાની. આ ઠેકાણે પુણ્ય બંધાય છે; બીજે ઠેકાણે ચાર ગતિનું કારણ છે. છાંયો હોય ત્યાં બેસાય. ૧. મુમુક્ષુ–“તેની આજ્ઞાનું નિઃશંકતાથી આરાઘન કરવું.” તે કોની આજ્ઞા ? અને આરાઘન શું ? ૨. મુમુક્ષુ સગુરુની આજ્ઞા. પ્રભુશ્રી–વિચાર કરવો પડ્યો ને ? અને વિચાર આત્માને હોય. ભાન નથી, ખબર નથી તેનો ઘબડકો છે. ૧. મુમુક્ષુ ત્યારે જ પૂછવાનું છે ને ?—ખબર નથી એટલે. ૨. મુમુક્ષુ–સદ્ગુરુની આજ્ઞા ઉપાસવાની છે. પ્રભુશ્રી સદ્ગુરુ ક્યાં છે? ૧. મુમુક્ષુ–સત્સંગમાં છે. પ્રભુશ્રી બીજે કયાં છે ? ૩. મુમુક્ષુ–આત્મજ્ઞાન વર્તે છે ત્યાં સદ્ગુરુ છે. ૨. મુમુક્ષુ આત્મામાં છે. ૧. મુમુક્ષુ– “વ્યવહારસે દેવ જિન, નિહચેલેં હૈ આપ; એહિ બચનમેં સમજ લે, જિનપ્રવચનકી છાપ.” ૪. મુમુક્ષુ–વાણીમાં તો બઘા ય બોલે પણ પાતાળ ફૂટ્યું હોય તેનું પાણી કામ આવે. ૧. મુમુક્ષુ—સત્સાઘન શું ? Page #268 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૧ ૧૭૧ પ્રભુશ્રી—કંઈક આંટી આવી છે. આને નિખાલસતાથી સમજવું જોઈએ કે લે આમ; કે પછી બીજાને બોલવાનું ન રહે. બીજો બોલી શકે નહીં તેમ કહો. ૨. મુમુક્ષુ—કાર્ય સિદ્ધ કરવા માટે કારણ સેવાય છે. સત્પુરુષની સેવા કરે છે તો આત્મજ્ઞાન થવું જોઈએ. પોતાના ભાવ સર્વે ફેરવીને સત્પુરુષના ચરણમાં સોંપવા. પ્રભુશ્રી—કહે છે તે ઠીક છે. મારે મારું ક્યાં મનાવવું છે ? પાતાળનું પાણી નીકળે તો થઈ રહ્યું ! તેમ કંઈ કહેવું છે. ૫. મુમુક્ષુસાધન, પુરુષાર્થ, સંગ. તેના બે ભેદ : સત્ ને અસત્. સત્ વસ્તુ સત્પુરુષના યોગ વિના આવી શકતી નથી. પ્રભુશ્રી—બહુ ડહાપણ ! લૂગડું પહેરી—ઓઢીને વાત કરી. વાત કરી તે ઠીક છે, બે વાત ઉઘાડી ફૂલ છે : એક તો બધું મૂકવું પડે અને એક વર વગરની જાન કહેવાય છે : 'अप्पा कत्ता विकत्ता य, दुहाण य अप्पा मित्तममित्तं च दुप्पट्ठिय सुहाण य । सुपट्ठिओ ॥ (ઉત્તરાધ્યયન ૨૦, ગાથા ૩૭) અજ્ઞાન છે ત્યાં આત્મા નહોતો ? પણ કહેવું છે જ્ઞાન આત્મા સંબંઘી. આત્મા વગર કોઈ કરનાર નથી. આત્મા કર્મો કરીને નથી. આત્મા મોક્ષસ્વરૂપ છે. ‘જબ જાયેંગે આતમા, તબ લાગેગે રંગ.’ મૂળ વાત તો પાતાળનું પાણી જોઈએ. આત્મા તો છે. બોધ, સત્સંગ વગેરે વડે અજ્ઞાનનું જ્ઞાન પણ આત્માને થશે; જડને, કર્મને નહીં થાય. કર્મની દોડ છે ! આખો જન્મારો કર્મને વિષે કાઢ્યો છે, તે ભૂલ છે. માટે, પહેલો એકડો જોઈએ; તો બધાં મીડાં લેખાનાં. તે કોણ ઓળખશે ? આત્મા જ. નિશ્ચયે જ્ઞાની, ગુરુ આત્મા છે. તે એ જ ઓળખશે. માટે સત્સંગમાં બોધ, વાણી સાંભળીને નક્કી કરી દો કે ક્યાં જવું અને શું કરવું ? ‘રૂં નાળફ સે સર્વાં ખાળર' એ વગર ડગલું નહીં ભરાય. ગુરુ આત્મા છે, પણ ઓળખાણ જોઈશે. ‘કીલી ગુરુકે હાથ, ન પાયેંગે ભેદ વેદમેં.' વાત તો માન્યાની, સાંભળ્યાની છે. નથી સંભળાતી; કારણ, યોગ્યતાની ખામી છે, ઘણાં વિશ્ર્વ છે. એ સાંભળ્યું, એ સુણ્યે, એ ધ્યે આત્માથી ભણકાર થશે—છૂટવાની વાતનો. માટે ભણકાર થશે—ત્યાંથી, બીજેથી નહીં. પોતે તૈયાર થયે છૂટકો છે; ત્યાં આસ્રવનો સંવર થશે. વાત આટલી. વાદળું ચડ્યું હોય પણ ફાટી જાય તેમ, આ વાત કોણ સાંભળે ? એ (આત્મા) ન હોત તો કોણ સાંભળત ? જેનાં ગાણાં ગાવાં છે, જેને સમજવો છે, તે સમજાણો નથી. ગુરુ તો આત્મા છે; જ્ઞાની, તો આત્મા છે; જગત (મોહવિકલ્પ), તો આત્મા છે. બીજું બધું વર્ણ, ૨સ, ગંધ, સ્પર્શ. તેમાંથી આ નીકળ્યું, બીજું ન નીકળ્યું; કારણ, જડ છે તેમાંથી આત્મા ન નીકળ્યો. સમજ્યાની ભૂલ છે. સાંભળ્યું નથી. કાળ નથી પહોંચતો, બાકી વાત જબરી છે, પૂરી થઈ નથી; સમજવા જેવી હોય. ✰✰ ૧. આ આત્મા પોતે જ સુખ અને દુઃખનો કર્તા અને ભોક્તા છે. અને આ આત્મા પોતે જ સન્માર્ગે રહે તો પોતાનો મિત્ર અને કુમાર્ગે રહે તો પોતે જ પોતાનો શત્રુ છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ઉપદેશામૃત તા. ૧૭૧૧–૩૫, સવારના પત્રાંક ૧૬૬ નું વાંચન અનાદિ કાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્રશ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જિનદિક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર “સત્’ મળ્યા નથી, “સ” સુર્યું નથી અને “સત્' શ્રધ્યું નથી; અને એ મળે, એ સુયે અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.” પ્રભુશ્રી—વાંક તો જીવનો છે; ખામી યોગ્યતાની છે. ૧. મુમુક્ષ–જીવ તો નથી ઇચ્છતો કે હું આમ કરું, ત્યારે કેમ થાય છે ? પ્રભુશ્રી તૃષ્ણા કરે છે. ખામી યોગ્યતાની છે. જડને તૃષ્ણા નથી, જીવને છે. જીવમાં ભૂલ કેટલી છે ? તે શાની ભૂલ છે ? ૧. મુમુક્ષુ–સમજણની ભૂલ છે. પ્રભુશ્રી-અનાદિની ભૂલ તો મિથ્યાત્વની છે. જીવને બધું થયું, પણ સમકિત નથી આવ્યું. એ મળે, એ સુષ્ય અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.” ત્યાર પછી મુકાવું થયું છે, ત્યાં સુધી બધી ખામી. ૨. મુમુક્ષુ—આ મળ્યું છે, સાંભળીએ છીએ, શ્રદ્ધા કરીએ છીએ, ત્યારે હવે બીજું કયું? આ “સત્ય” છે એમ ઘારીને બેઠા છીએ. પ્રભુશ્રી સાંભળ્યું અને સુપ્યું નથી. દર્શન થયાં છે ? ભણ્યો પણ ગણ્યો નથી. અને કરવાનું કર્યું નથી. શું સમજવાનું છે ? સમજ્યો સમજ્યો કરે છે. અનાદિ કાળથી સમજ્યા વગર ક્યાં રહ્યો છે ? પણ જે સમજવું ને જાણવું છે તે જાણ્યું ? “ નારૂ છે સવૅ નાળ. માટે જાણ્યું નથી. કહેવાનું, પ્રતીત અને શ્રદ્ધા. આ કામ છે. જગત આખામાં શ્રદ્ધા અને પ્રતીત કરે છે તે નહીં, જે કરવાની છે તે. જૈસી પ્રીતિ હરામકી, તૈસી હરપર હોય; ચલ્યો જાય વૈકુંઠમેં, પલ્લો ન પકડે કોય.” એવી અહીં સમાં થઈ છે ? પ્રીતિ અનંતી છે. એ વગરનું કોઈ છે નહીં. “પ્રીતિ અનંતી પરથકી, જે તોડે તે જોડે એહ'. જેવી પ્રીતિ આ જગતમાં પૈસાટકા, છોકરાં-છેયાં ઉપર થાય છે તેવી આત્મા ઉપર થઈ નથી. બીજી વાતોમાં પ્રેમ આવે છે, તેવો આત્મા ઉપર નથી આવ્યો. આંટી છે, ભુલવણી આવી છે. આ તો કંઈક (ભુલવણી) છે, જરૂર છે. પાણી (બોઘ) ન મળ્યું હોય ત્યાં સુધી તરસ હોય; આને પાણી નથી મળ્યું. આ જીવમાં ભૂલ અને ખામી છે. ભૂંડું કર્યું પ્રમાદે અને આળસે. આ ચક્ષુથી જુએ છે, દિવ્યચક્ષુ નથી. માટે બહાર દ્રષ્ટિથી બહારનાં ફળ મળ્યાં. અંતરાત્મા જાણ્યો નથી. મુખ્ય વાત આ છે. તેને જાણવો જોઈશે; ત્યાં દર્શન થાય. અનંતવાર સાઘન કીધાં, કંઈ હાથ ન આવ્યું : “વહ સાઘન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો.” (શ્રીમદ્ રાજચંદ્ર). કંઈક રહ્યું. તે જે કર્તવ્ય છે તે રહ્યું. વિધ્ર ઘણાં છે. વિદ્મ એટલે કર્મ. તે આડાં ફરે છે. મુખ્ય Page #270 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૧ ૧૭૩ આ છે. તે ન હોય તો તેને દેખાય એવું છે. મૂળ મતલબ શું છે ? બધી વસ્તુ—જપ, તપ, ક્રિયા, કમાણી—કરી; તેનું ફળ મળ્યું અને મળશે. પણ કરવાનું નથી કર્યું, તે શું છે ? તે શોથી કાઢો. ૧. મુમુક્ષુ–સમ્યગ્દર્શન. પ્રભુશ્રી–જુઓ, આ આવ્યું, તે જ કહેવાશે. આ નથી આવ્યું. ‘સમકિત નવિ લહ્યું રે, એ તો રૂલ્યો ચતુર્ગતિ માંહે.' જપ, તપ, બીજાં સાઘન—બધાં પછી છે. સિદ્ધાંતના સારમાં સાર શું કીધો છે ? શું કરવું ? ૧. મુમુક્ષુ–સશ્રદ્ઘા કરવી. પ્રભુશ્રી—આવી. જુઓ, બીજું ક્યાંથી નીકળશે ? ઓળખાણ નથી. આવે-જાય છે, બેસેઊઠે છે; પણ ઓળખતો નથી. જેમ કોઈ કાંડું ઝાલીને કહે કે લે, જો આ, ઓળખ્યો ? જેમ સંસારમાં રાત દિવસ એક ઠેકાણે ભેગા મળતા હોઈએ; પણ કોઈકની ઓળખાણ ન હોય, અને બીજો ભાઈ બતાવે કે આ ફલાણાભાઈ, ત્યારે કહે કે અરે ! એ તો આપણા ભેગા રહેતા હતા, પણ મેં તો ઓળખ્યા ય નહીં. પછી પસ્તાય, માટે ઓળખાણ મોટી વાત છે. ઓળખ્યું છૂટકો. જપ, તપ—બધાં સાધન પછી છે. પહેલાં ઓળખાણ, સિદ્ધાંતનો સાર : ‘સદ્ધા પરમ વુન્ના.' આ તો ભગવાને ગૌતમ જેવાને કહ્યું છે. કહેવાની મતલબ, સારમાં સાર ‘શ્રદ્ધા' કહેવાની છે. ભણકાર થશે. જ્યાં ચક્રવર્તીની પદવી પામ્યો ત્યાં નવે નિધાન ચાલ્યાં આવે, લેવા જવું ન પડે. માટે ભણ્યો હોય, અભણ હોય; પણ ‘જે જાણ્યું તે નવ જાણું, નવ જાણ્યું તે જાણું.' આ નક્કી નથી થયું. થાય તો પછી ફિકર નહીં. પછી બધી વાતમાં લહેર રહે. ‘જ્ઞાનીના ગમ્મા અને જેમ નાખે તેમ સમા.' મર ! પછી ગાંડો થાય, ઘેલો થાય; રોગ આવે, વ્યાધિ આવે—ફિકર નહીં. ૨. મુમુક્ષુ—‘વિશેષ રોગના ઉદયથી અથવા શારીરિક મંદ બળથી જ્ઞાનીનું શરીર કંપાય, નિર્બળ થાય, મ્લાન થાય, મંદ થાય, રૌદ્ર લાગે, તેને ભ્રમાદિનો ઉદય પણ વર્તે; તથાપિ જે પ્રમાણે જીવને વિષે બોધ અને વૈરાગ્યની વાસના થઈ હોય છે તે પ્રમાણે તે રોગને જીવ તે તે પ્રસંગમાં ઘણું કરી વેદે છે.’’ - પ્રભુશ્રી—આનો અર્થ ચોખ્ખો સમજવો જોઈએ. ભ્રમ આદિ રોગ થયો છે, તો પણ શું વેદે છે ? આટલું ચોખ્ખું કહી દો. ગાંડો ઘેલો થયો તો પણ જીવને વિષે જે પ્રમાણે બોધ અને વૈરાગ્યની વાસના થઈ હોય છે તે પ્રમાણે તે રોગને જીવ વેદે છે. આ વાત મર્મની ગઈ તે સમજાણી ? વૈરાગ્ય આત્મા છે; બોધ આત્મા છે. બીજા બોધ ઘણાં સાંભળ્યાં, અનંત વાર સાધન કર્યાં; પણ તે નહીં. અહીં કહેવો છે - સત્ બોધ. જેને આ ગેડ અને આંટી બેસી ગઈ છે તે ન ફરે. ડાહ્યો માણસ હોય પણ માંદગીના કારણે ગાંડપણથી બોલે ને લવારો કરે; આવું થયું. પણ અંતરમાં એવી ગેડ બેસી ગઈ છે કે બધું આત્માથી ભિન્ન છે—ટાઢ, તાવ બધાને જાણનાર થયો, ભેદી થયો. ભેદનો ભેદ જાણ્યો છે ? તે સંસારની વાસના, વિકલ્પો વગેરેથી આત્માને જુદો પાડે; એટલે એ બધામાંથી પોતે જુદો પડે. માટે, ભેદનો ભેદ સમજ્યું કામ થાય. કોઈ ટુંકારો કરે, મારે, કાપે, છોલે, કકડા કરે; તોપણ કંઈ નહીં. ત્યારે આત્મા સમજાણો કહેવાય. મતલબ, સમજવાની જરૂર છે. આત્માને સમજવો. જેણે જાણ્યો તેણે જાણ્યો. તેને Page #271 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ઉપદેશામૃત સા-નબળું બને, પણ કંઈ પણ લાગે નહીં. બીજું નહીં માને. આવ્યું તે જવા આવ્યું છે, બાંધેલું છૂટે છે. તે કોઈ ભેદીને ખબર છે. જેણે (આત્માને) જાણ્યો તેને બાંઘેલું છૂટે છે; બીજો બંધાય છે. માટે જાયે છૂટકો. વાત આ છે. આગમ-સિદ્ધાંતમાં પણ એ ને એ જ છે. “ નાખવું તે સળં નાડું.” એક ને એક. એ શાશ્વતો છે. एगो मे सस्सदो अप्पा, णाणदंसणलक्खणो । सेसा मे बाहिरा भावा, सव्वे संजोगलक्खणा । એની સગાઈ કોણે કરી છે ? એક સગાઈ કરી દે, તો થઈ રહ્યું. સગાઈ કરી નાખો. અત્યારે મનુષ્ય ભવમાં સગાઈ કરવાનું કર્તવ્ય છે. સમકિત સાથે સગાઈ કીઘી, સપરિવારશું ગાઢી; . - મિથ્યા મતિ અપરાઘણ જાણી, ઘરથી બાહેર કાઢી. હો મલ્લિ જિન” મિથ્યાત્વ વગર કોઈ છે મૂકવાનું ? જ્ઞાનીઓ પોકારીને શું કહે છે ? મિથ્યાત્વ મૂકવું. ત્યારે, કંઈ છે કે નહીં ? મેલવું બહુ કઠણ છે, તેમ સહેલું પણ છે–આંખ ઉઘાડીએ એટલી વાર. કૃપાળુદેવે મને કહ્યું, “મુનિ, હવે તમારે શું છે ? હવે શું છે ? બીજું તમારું નહીં, એક આત્મા.” તરત બેસી ગયું. માટે, છોડવું પડશે, મૂકવું પડશે. કોઈ સાથે નથી લઈ ગયા. આમ છે કે નહીં ? અમને તો થપ્પડ મારીને જણાવ્યું. માટે, જે નવિ જાણ્યું તે જાણ્યું ! હવે શું છે ? શું રહ્યું પછી ? અમને તો આનંદ થયો ! જીવે વાત લક્ષમાં નથી લીધી, તે લેવી. કહેવાની મતલબ, પહેલાં શ્રદ્ધા કરી લો. કોની શ્રદ્ધા કરવી ? જે હોય (સત) તેની. સાચને પકડે તો હાથ આવે. ખોટું કામમાં ન આવે. મૂળ એકડો ભણવાની વાત આટલી જ છે. તે માનો. એ તારું બળ અને ફુરણા. બીજાના હાથમાં નથી; તારા જ હાથમાં છે. માટે થઈ જા તૈયાર, બીજું શું કહીએ ? વાત આટલી છે. તૈયાર થવાની જરૂર છે. કૃપાળુદેવ અમને તથા દેવકરણ મુનિને કહેતા હતા કે તમારી વારે વાર. પણ દેવકરણજી પોતાના ડહાપણમાં રહેતા હતા. તેમને હું કહું ખરો પણ તે (બીજાને) કહે, મુનિ તો ભોળા છે, હું કંઈ છેતરાઉં નહીં. છેલ્લી વાર, આખરે દેવકરણજીના ડહાપણનો ભૂંસાડિયો થઈ ગયો અને કહ્યું કે હવે ગુરુ મળ્યા, ફળ પાક્યું, રસ ચાખ્યો એવું થયું. આમ છે. એ કોની છે વાત? આત્માની. હજારફેરા એથી વઘારે વેદની આવે તોય શું ? બાંધેલું આવે છે. તેને શું કરવું? મૂકવાનું છે; સમયે છૂટકો છે. એ વાત ભેદી તથા જ્ઞાની પુરુષની, હાથ નથી આવી. કહેવાનો અધિકાર કોઈનો નહીં, પણ ભાવના, ઇચ્છા તો કરાવે. પણ પાછું બળ તો એનું પોતાનું જોઈએ છે, તે વગર કામનું નહીં. તા. ૧-૧૧-૩૫, સાંજના [એક વૃદ્ધ બાઈએ ચોથા વ્રતની બાધા લીધી તે પ્રસંગે] વૃદ્ધાવસ્થા હોય પણ વ્રત ક્યાંથી ? તેમ આ સૌથી મોટામાં મોટું વ્રત શીલ છે. એક સત્ અને શીલ આ બે વસ્તુ સર્વને સમજવાની છે. સમુદ્ર-કાંઠો આવ્યો. સમકિત પામવાનો રસ્તો. દેહ Page #272 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૧ ૧૭૫ જાય તોપણ બ્રહ્મચર્ય પાળવું. મનુષ્યભવ પામીને આ શીલવ્રત આવવું મોટું છે. તેને બરાબર પાળ્યું તો દેવગતિ થાય. આ જીવને જે શ્રદ્ધા છે, તે સત્પરુષ, તે સદ્ગુરુ અને તે પોતાનો ઘર્મ છે. ઘરમ ઘરમ કરતો જગ સહુ ફિરે, ઘર્મ ન જાણે હો મર્મ, જિનેસર; ઘરમ જિનેસર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હો કર્મ, જિનેસર. ઘર્મ જિનેસર ગાઉં રંગશું.” (આનંદઘન ચોવીશી) કર્મ ન બાંધે તેને શું થાય છે ? એક સદ્ગુરુ શોઘીને તેનું શરણું લો; પછી દુઃખ-સુખ આવે, દેવ-નરક ગતિ ગમે તે આવે, તો પણ વાળ વાંકો નહીં થાય; કારણ શરણું એક સાચા સદ્ગુરુનું આવ્યું. બીજાં બધાં કરણીનાં ફળ મળ્યાં. શાતા-અશાતાનાં ફળ જીવને ભોગવવાં પડે છે. તેથી આત્મા ભિન્ન છે. મારો એક આત્મા, તે હું નથી જાણતો, પણ યથાતથ્ય જે જ્ઞાની ગુરુએ જામ્યો છે તેનું મને શરણું છે. બાકી બધું “વસરે વોસિરે' કંઈ કંઈ પ્રકારે વેદની આવશે. બથી સહન કરવી. ત્યાં બાંધેલાં કર્મ છૂટે છે. રાજી થવું, ભલે આવો. મનમાં નક્કી કર્યું છે કે મારો આત્મા મરવાનો નથી. સુખ-દુઃખ જશે; આત્માનો નાશ નથી. એક એનું જ શરણું. આટલી પકડ રાખી, સાચાનું શરણું રાખો કે મારો એક આત્મા, બીજાં સગાં-વહાલાં તે નહીં. એક “સહજાત્મસ્વરૂપ પરમગુરુ' આ મંત્ર છે, તે જો જીવને સ્મરણમાં આવી ગયો હોય અને ભાન હોય ત્યાં સુધી બીજું નહીં, એ જ—“એક મત આપડી કે ઊભે માર્ગે તાપડી” તેમ—એક પકડ. બીજા સંસારી પ્રસંગ જુઓ નહીં, અનંત વાર મળ્યા, પણ પોતાના થયા નહીં. એકલો આવ્યો અને એકલો જશે. “શ્રીમદ્ રાજચંદ્રમાંથી વાંચન – વિશેષ રોગના ઉદયથી અથવા શારીરિક મંદબળથી જ્ઞાનીનું શરીર કંપાય, નિર્બળ થાય, મ્યાન થાય, મંદ થાય, રૌદ્ર લાગે, તેને ભ્રમાદિનો ઉદય પણ વર્તે, તથાપિ જે પ્રમાણે જીવને વિષે બોઘ અને વૈરાગ્યની વાસના થઈ હોય છે તે પ્રમાણે તે રોગને જીવ તે તે પ્રસંગમાં ઘણું કરી વેદે છે.” બોઘ અને વૈરાગ્ય એ આત્મા છે. “હીરો, હીરો,” નામ દે તેથી શું થયું ? ઓળખાણ ૧. એક જંગલમાં શિયાળ, સસલું અને સાપ ત્રણ મિત્ર રહેતાં હતાં. તે એક ઝાડ નીચે વાતો કરતાં બેઠાં હતાં. શિયાળ કહે, આપણા જંગલમાં આગ લાગે તો આપણે શું કરીએ ? સસલું કહે, મારી તો સો મતિ છે, જમીનમાં ખાડો ખોદું, દોડીને દૂર ભાગી જાઉં કે ગમે ત્યાં સંતાઈ જાઉં. સાપ કહે, મારી તો લાખ મતિ છે, તેથી ઉંદરના દરમાં પેસી જાઉં, ઝાડ ઉપર ચઢી જાઉં કે કોઈ ન દેખે તેમ અલોપ થઈ જાઉં. પછી શિયાળે કહ્યું કે મારી તો એક જ મતિ છે કે સીધે રસ્તે દોડી જાઉં. એવામાં ચારે તરફ દાવાનલ લાગતો જણાયો. શિયાળ તો “એક મત આપડી કે ઊભે માર્ગે તાપડી’ એમ કહી બેત્રણ માઈલ નાસી ગયું. બે ત્રણ દિવસે જ્યારે અગ્નિ શાંત થયો ત્યારે મિત્રોની તપાસ કરવા શિયાળ પેલા ઝાડ પાસે આવ્યું. જાળામાં સસલાની તપાસ કરી તો એક જગાએ ખાડામાં તેનું પૂછડું દેખાયું એટલે તેને ખેંચી કાઢ્યું અને શોક કરવા લાગ્યું કે સો મત તો સસડી, બિચારું બફાઈ ગયું. પછી સાપની તપાસ કરવા આજુબાજુ જોયું તો ઝાડની છેવાડી ડાળે ઝાળથી બળેલું સાપનું કલેવર લટકતું દીઠું. તે જોઈ બોલી ઊઠ્યું કે સો મત સસડી, લાખ મત લબડી અને-એક મત આપડી કે ઊભે માર્ગે તાપડી, Page #273 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ઉપદેશામૃત જોઈએ. વૈરાગ્ય છે તે આત્મા છે. તે જ્ઞાનીએ જાણ્યો છે. તે સમજવા જેવું છે. બોધ ઘણા પ્રકારના હોય પણ જે બોધથી વૈરાગ્ય થઈ આત્મા જાગે તે બોધ સાચા પુરુષનો કહેવાય. રોગ, વ્યાધિ, પીડા વખતે બોધ હોય તો શું કરે છે આત્મા છે; આત્મા છે તો જાણે છે. અત્યારે અક્ષર જુદા કહું છું. પકડી તે પકડી, છોડે તે બેટ્ટો ! વાત મુદ્દાની. તેની વાત, તેની ઓળખાણ માટે બોધ અને સત્સંગ જોઈએ છે. અહીં બેઠા તો આ વાતો સાંભળો છો; બીજે બીજી વાતો. તમારો આત્મા; બેટ્ટો હોય તે બીજું જુએ, કરે ને માને. જાગતાં-ઊંઘતાં, ખાતાં-પીતાં, હરતાં-ફરતાં, બેસતાં-ઊઠતાં એક આત્મા. તે ખબર નથી. તેમાં ગુરુગમ જોઈએ. ભેદીને મળે તો કામ થાય. એક વિશ્વાસ આવવો જોઈએ. જો કહેનાર મળ્યો અને સાંભળીને વિશ્વાસ કરે તો કામ થાય. તેથી છૂટકો છે. સિદ્ધાંતનો સારમાં સાર એ જ છે. બોધ અને વૈરાગ્યની વાસના થઈ છે તે પ્રમાણે વેદે છે. આથી બીજું ‘આવો, આવો' કહ્યે આવશે ખરું ? એની ઓળખાણ, ઓળખાણે છૂટકો છે. ૧. મુમુક્ષુ— કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.'' (શ્રી આત્મસિદ્ધિ) પ્રભુશ્રી—વીતરાગતા ક્યાંય નથી. ક્યાં છે ? જ્ઞાનીએ જોયો વીતરાગ. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. બીજાને તુંબડીમાં કાંકરા. શ્રદ્ધા, પ્રતીતિ, આસ્થા, માનતા દુર્લભ છે. તે કરવા તૈયાર થઈ જવું. મનુષ્યભવમાં કહેવાય; ઝાડપાન, કાગડા, કૂતરા વગેરેને કહેવાશે ? માટે, આ બધાને કહેવાનો લાગ આવ્યો છે તો કહેવાય છે. માટે ભૂલવું નહીં. ચોટ કરી દેજે—આ મારો ઘણી' એમ માનવાનું કર્તવ્ય છે. રંજન ધાતુમિલાપ,' મળી જાય તો કહેવું નથી, મિલાપ થવા માટે કહેવું છે. માટે આ ન જાઓ; ઘન, વૈભવ, પૈસોટકો જાઓ, પણ આ ન જાઓ. બીજું બધું કર્યું. ભણ્યો ! ભણ્યો પણ ગણ્યો નથી. મેમાન, ભક્તિ કરજો. ‘સાંભળી સાંભળી ફૂટ્યા કાન, તોયે ન આવ્યું બ્રહ્મજ્ઞાન.’ તા. ૧૮-૧૧–૩૫, સવારના પત્રાંક ૧૬૬ માંથી વાંચન : “અનાદિ કાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્રશ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જિનદીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર ‘સત્' મળ્યા નથી, ‘સત્' સુણ્યું નથી અને ‘સત્’ શ્રધ્યું નથી; અને એ મળ્યે, એ સુણ્યે અને એ શ્રવ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.” [‘સત્'ની ચર્ચા થઈ.] પ્રભુશ્રી—વાત બધી સારી કરી, મને ગમી; પણ પરિણામ શું ? પરિણામ એટલે શું ? ૧. મુમુક્ષુ આત્માના પોતાના ભાવ. ૨. મુમુક્ષુ દ્રવ્ય, ગુણ, પર્યાય—દરેકના બે ભેદ વિભાવપર્યાય ને સ્વભાવપર્યાય. વસ્તુની ૧. તુંબડીમાં કાંકરા નાખી કોઈ ખખડાવે તો કયા કાંકરાનો કેવો અવાજ આવે છે તે જેમ ખબર પડે નહીં તેમ બોધ સાંભળ્યો હોય પણ તેનો સાર સમજે નહીં. Page #274 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૧ ૧૭૭ એક સમયની અવસ્થા તે પર્યાય, પરિણામ, વસ્તુનું સ્વરૂપ; જ્યાં સુધી જીવને પરિણામ તથા ભાવ ન આવે ત્યાં સુધી તે રૂપ થવાતું નથી. પર્યાય તે વસ્તુથી (દ્રવ્યથી) જુદા નથી. વસ્તુ એ જ રૂપે છે. વિભાવપર્યાયમાં વિભાવઆત્મા, સ્વભાવપર્યાયમાં સ્વભાવઆત્મા. પ્રભુશ્રી—પરિણામની બહુ સારી વાત આવી. તે પરિણામ ફરતાં હશે કે નહીં ? ૨. મુમુક્ષુ—પરિણામ સમયે સમયે પલટાય છે. દ્રવ્ય પરિણામ વગર ન હોય, તેમજ એક દ્રવ્યને બે પરિણામ ન હોય. પ્રભુશ્રી—વાત તો ઊંચામાં ઊંચી, ગહન ! સમજવા જેવી છે. પરિણામ પણ ફરે છે; પર્યાય પણ પલટાય છે. બધુંય છે તો આત્મા પણ છે. ૩. મુમુક્ષુ—બે અક્ષરમાં માર્ગ રહ્યો છે,' તે શું હશે ? પ્રભુશ્રી—વિચાર કરીને બધા કહેજો. વાત બહુ સારી કરી, ભલી કરી. ૪. મુમુક્ષુ—‘સત્'માં માર્ગ રહ્યો છે. ૫. મુમુક્ષુ—મારાપણું મૂકે તો માર્ગ મળે. ૨. મુમુક્ષુ આત્મામાં આત્માનો માર્ગ રહ્યો છે. ૧. મુમુક્ષુ—‘બોધ' અને ‘શ્રદ્ધા'માં માર્ગ રહ્યો છે. ૬. મુમુક્ષુ—સત્પુરુષની ‘આજ્ઞા’માં માર્ગ રહ્યો છે. ૭. મુમુક્ષુ—‘સમ’માં માર્ગ રહ્યો છે. પ્રભુશ્રી—અનંતા કાળચક્રથી પરિભ્રમણ કરી રહ્યો છે. બેઠાં બેઠાં ખવરાવ ખવરાવ કર્યું છે. ખવરાવ્યું છે અને પરિભ્રમણ કર્યું છે; પણ કલ્યાણ થયું નથી. સદ્ગુરુના શરણાથી વાત કરાય છે. બેઠાં બેઠાં ખા-ખા કર્યું છે અને પોષ પોષ કર્યું છે તે શું છે ? ૪. મુમુક્ષુ—શરીરને પોપ્યું છે. ૨. મુમુક્ષુ—અજ્ઞાનને પોપ્યું છે. ૧. મુમુક્ષુ—મનને પોચ્યું છે. પ્રભુશ્રી—બધું પરિભ્રમણ વિભાવથી થયું છે. આ જીવે અનંતા કાળચક્રથી વિચાર કર્યો નથી. ‘કર વિચાર તો પામ.' પણ તે વિચાર અને આત્મભાવમાં રહે તો, નીકર નહીં. ‘કર વિચાર તો પામ.' આ કામ નથી થયું, જે દી તે દી કામ આથી થશે. આ આવ્યે છૂટકો છે. વિચાર નથી કર્યો. ૩. મુમુક્ષુ આ પત્રમાં આંધળાને મારગ બતાવવા કહ્યું છે માટે માર્ગ બતાવો, કારણ કીલી (કૂંચી) તો ગુરુના હાથમાં છે. પ્રભુશ્રી—વિચાર કરે તો કોઈને પૂછવા લાયક નથી. માટે વિચાર કર્તવ્ય છે. તા. ૧૮-૧૧-૩૫, સાંજના આ જીવનું ભૂંડું કરનાર વૈરી પ્રમાદ અને આળસ છે. ધર્મ કરવામાં શરમ લાગે, આળસ 12 Page #275 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ઉપદેશામૃત આવે; સાચે માર્ગે જતાં ડર લાગે ! કર્તવ્ય તો આટલો ભવ છે. ચેતવા જેવું છે. કાળ જાય છે. ફૂ.... કરીને દેહ છૂટી જશે, વાર નહીં લાગે. કોઈ રહેવાનું નથી. એકલો જશે; સાથે કંઈ નહીં આવે, કોઈ નહીં આવે. આટલો ભવ છે. ‘વાની મારી કોયલ'; ‘પંખીના મેળા.' માટે ચેતવા જેવું છે. મોટા પુરુષોએ આ ચિંતવન કર્યું છે અને કરવાનું કહ્યું છે. હાથમાંથી બાજી ગઈ તો પછી નહીં આવે. આવો અવસર મળ્યો છે; મારા ભાઈ. ચેતી લે. કેવા કેવા હતા ! અંબાલાલભાઈ, સોભાગભાઈ, મુનિ મોહનલાલજી એવા એવા પણ બઘા ગયા. માટે આ મનુષ્યભવમાં ચેતી લે. જગતની માયામાં પ્રીતિ—ઘન, છોકરાં છૈયાં વગેરે જોઈએ. ધૂળ પડી ! તારાં કોઈ થયાં નથી. એકલો આવ્યો ને એકલો જઈશ. તારાં કોઈ નથી. પત્રાંક ૪૩૦નું વાંચન : “કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય એમ નિષ્કારણ કરુણાશીલ એવા ઋષભાદિ તીર્થંકરોએ પણ કર્યું છે, કારણ કે સત્પુરુષોના સંપ્રદાયની સનાતન એવી કરુણાવસ્થા હોય છે કે, સમયમાત્રના અનવકાશે આખો લોક આત્માવસ્થા પ્રત્યે હો, આત્મસ્વરૂપ પ્રત્યે હો, આત્મસમાઘિ પ્રત્યે હો; અન્ય અવસ્થા પ્રત્યે ન હો, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો, અન્ય આધિ પ્રત્યે ન હો; જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હોય છે, તે જ્ઞાન સર્વ જીવો પ્રત્યે પ્રગટ હો, અનવકાશપણે સર્વ જીવ તે જ્ઞાન પ્રત્યે રુચિપણે હો, એવો જ જેનો કરુણાશીલ સહજ સ્વભાવ છે, તે સંપ્રદાય સનાતન સત્પુરુષોનો છે.” સૌનું સારું થાઓ ! આવો અવસર ફરી નહીં મળે. લૂંટટ્યૂટ લેવા જેવું છે. આ જગ્યાએ કૃપાળુદેવની કૃપા છે કે સાંભળવાની જોગવાઈ થઈ. પુણ્યના ઢગલા બંધાય છે. જીવ જો દાઝ રાખે તો કામ થાય. ચાલ્યા વગર આગળ જવાય નહીં. જે દી તે દી માયા મૂકવી પડશે અને આત્માની હારે (સાથે) જાય તે લેવું પડશે; માટે ચેતવું. ‘સર્વ જીવ આત્મસ્વરૂપ પ્રત્યે હો, આત્મસમાધિ પ્રત્યે હો; અન્ય...પ્રત્યે ન હો.' આ વચન ! ઓહો..હો ! કામ નીકળી જાય; પણ પ્રેમ નથી. તારે કરવાનું છે તે કર્યું નહીં, પકડવાનું પકડ્યું નહીં; અલેખામાં ગયું. ધૂળ પડી ! ધર્મ વધાર્યો વધે; માયા-મોહ, જન્મ-મરણ, વગેરે પણ વધાર્યાં વધે અને ઘટાડ્યાં ઘટે. કોને ખબર છે કાલની ? માટે ચૂકવું નહીં. ચેતી લ્યો—કાળજામાં લખી રાખવા જેવી વાત છે. એક સ્મરણ ભૂલવા જેવું નથી; સંભારવું. ખરેખરી વાત છે. આ વાત કોણ જાણે છે ? આવું (મરણ) થાય તો ? માટે ચેતવું; ઢીલું મેલવું નહીં, ગભરાવું નહીં. સૂઝે તેમ થાઓ, પણ આપણે આપણું કરી લેવું. અવસર આવ્યો છે. ભૂલવું નહીં. બાકી બધે ઝેર ઝેર, કોઈ ઠેકાણે સારું નથી; મૂકવા જેવું છે, બધું પ્રતિબંધ છે; માટે ચેતવું. કોઈ કામ ન આવ્યું, માટે આત્માને સંભારવો અને તેને ધ્યાનમાં લેતા રહેવું. ભૂંડું પ્રમાદે અને આળસે કર્યું. તે જીવના દુશ્મન છે. એક ‘આશા', આત્માર્થે કરવાને કહેવું છે. આ જીવને હરખ નથી આવતો. બીજી વાતો ઉપર પ્રેમ-પ્રીતિ આવે છે અને આની ઉપર નહીં. કહેનારો કહી છૂટે અને વહેનારો વહી છૂટે. “જીવ જો અજ્ઞાનપરિણામી હોય તો તે અજ્ઞાન નિયમિતપણે આરાધવાથી જેમ કલ્યાણ નથી, તેમ મોહરૂપ એવો એ માર્ગ અથવા એવા એ લોકસંબંધી માર્ગ તે માત્ર સંસાર છે; તે પછી ગમે તે આકારમાં મૂકો તો પણ સંસાર છે, તે સંસારપરિણામથી રહિત કરવા અસંસારગત વાણીનો અસ્વચ્છંદ Page #276 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૧ ૧૭૯ પરિણામે જ્યારે આઘાર પ્રાપ્ત થાય છે, ત્યારે તે સંસારનો આકાર નિરાકારતાને પ્રાપ્ત થતો જાય છે.” (શ્રીમદ્ રાજચંદ્ર) પોતે માની લે કે હું ઘર્મ કરું છું, અહાહા ! કેટલી ખેદની વાત છે ! ચૂંટિયો ભરીને ઊભો કરવો છે. ઊંઘતો હોય તેને જગાડવાનો છે. પ્રતિબંઘ કર્યો છે તે મૂકો અને આમાં કાળજી ઘો. કૃપાળુદેવે દીપચંદજી મુનિને કહેલું, “તમો સમજો છો કે અમે કરીએ છીએ તે કલ્યાણ છે; એમ સમજો છો તે ખોટું છે.” જુઓ, કાઢી નાખ્યું. માટે આ સમજાય તો કામ થાય. આ શિખામણ કંઈ જેવી તેવી નથી, અગાઘ વાત છે. આટલો ભવ છે. છે શું? પછી પત્તો લાગશે કે ? માટે ફરવું જોઈશે, ફર્યા વગર છૂટકો નથી. તા. ૧૯-૧૧-૩૫, સવારના પત્રાંક ૪૩૦ નું વાચન : કલ્યાણ જે વાટે થાય છે તે વાટનાં મુખ્ય બે કારણ જોવામાં આવે છે. એક તો જે સંપ્રદાયમાં આત્માર્થે બઘી અસંગપણાવાળી ક્રિયા હોય, અન્ય કોઈ પણ અર્થની ઇચ્છાએ ન હોય, અને નિરંતર જ્ઞાનદશા ઉપર જીવોનું ચિત્ત હોય, તેમાં અવશ્ય કલ્યાણ જન્મવાનો જોગ જાણીએ છીએ.” પ્રભુશ્રી આ ચમત્કારી તથા અલૌકિક વચનો છે ! બે ક્રિયા કહી. એક અસંગ આત્માર્થે; બાકી તો ઓઘા-મોમતી (મુહપત્તી), જપતપ, વગેરે સાઘન, ક્રિયા કીઘાં, તેનાં ફળ મળ્યાં નિંદા નથી કરવી. કર્યાનું ફળ મળ્યું. આત્માનો નાશ નથી થયો. આત્મા છે; તેને ઓળખ્યો નથી, માન્યો નથી; જ્ઞાની પુરુષે ઓળખ્યો. એ કૃપાળુદેવ યથાતથ્ય જ્ઞાની. તેના આશ્રિત જીવોનું પણ કલ્યાણ છે. આવો અવસર નહીં મળે; માટે સૌની સાથે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને મધ્યસ્થ ભાવ રાખવો. ઇચ્છાથી તો પરિભ્રમણ છે, તેથી કોઈનો મોક્ષ થયો નથી. આત્મધ્યાન શ્રેષ્ઠ છે. જ્ઞાની પુરુષે છાપ મારી. માટે ચેતજો. આ સંભળાતું હશે ? મુમુક્ષુઓ–હા, સંભળાય છે, પ્રભુશ્રી તો સારું સારું. આટલો ભવ ચેતવાનું છે. સૌ સાથે મૈત્રીભાવ રાખો. આત્મા છે, તે જ્ઞાની પુરુષે જોયો; તે મને માન્ય છે. એ જ હું ઇચ્છું છું, બીજું નહીં, કારણ, બીજાં બધાં બંઘન છે. હવે અવસ્થા ઘડપણની થઈ છે. ‘વાની મારી કોયલ.” સી નાનામોટા આત્મા છે. પૂર્વનાં બાંધેલાં ભોગવ્યા વિના છૂટકો નથી. જ્ઞાની પણ ભોગવે છે. માટે એક આત્મા. સૌ ચેતજો. છેલ્લી અવસરની વાત છે. જે ચેતે એના બાપનું. આત્માને ઇચ્છશે અને પ્રીતિ કરશે તેનું કલ્યાણ છે. “પ્રીતિ અનંતી પરથકી, જે તોડે તે જોડે એહ.” બીજું બધું–છોકરાં હૈયાં, વગેરે વહેવારે. આપણું કંઈ નથી, આપણો આત્મા છે. તે ક્યાં છે ? તો કે જ્ઞાનીએ ભાળ્યો. એની સગાઈને, પ્રીતિને મેળવવા તૈયાર થજો. હું સર્વથી અસંગ છું, પ્રતિબંઘ રહિત. મારું નહીં, આ બઘી માયા છે, તે જોઉં છું—એક જ્ઞાનથી. બે અક્ષરનું “જ્ઞાન” તે શું ? બે અક્ષર કયા કીઘા છે ? ટૂંકામાં, સમજો. તેનો અર્થ જ્ઞાની જાણે છે; પણ સમજો, તમે તો સમજો. “જ્ઞાન” કહ્યું એટલે બધુંયે એમાં સમાણું, બાકી કંઈ ન Page #277 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ઉપદેશામૃત રહ્યું. એ આત્મા છે. જ્ઞાન-અજ્ઞાન, સ્વભાવ-વિભાવ બધું તેમાં સમાણું, આ બે અક્ષર પકડી રાખજો. તે જ્ઞાન જ્ઞાની પાસે છે. તેણે જાણ્યો છે, બોધ્યો છે; એ સમયે છૂટકો. “માત્ર “સત્' મળ્યા નથી, “સત્ય” સુપ્યું નથી અને “સત્ય” શ્રધ્યું નથી; અને એ મળે, એ સુણે અને એ શ્રધ્ધ જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.” બસ, આટલામાં સમજો. ટૂંકામાં ઘણું કીધું. ધ્યાનમાં રાખજો, આ ગાંડાની ઘેલાની વાત છે. બહેરો-બોબડો, ઘરડો, કોણ બોલે છે તે ન જોશો. યથાતથ્ય જ્ઞાનીએ જોયું તે મને માન્ય, તેની શ્રદ્ધા–આટલી ચોટ કરવા જેવી છે. આ વસ્તુ ફરી ફરી નહીં મળે. “પંખીના મેળા.' તારો શું છે ? એક આત્મા. આત્મભાવના મોટી વાત છે. “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે. આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે. આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે. આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.” એ શ્રવણ કરજો, લક્ષ રાખજો, ધ્યાનમાં લેજો. છેલ્લી ભલામણ કહું છું. પકડજો. ફરી આવો અવસર નહીં આવે. જ્ઞાનીનો હું દાસ છું; તેના દાસનો પણ દાસ છું. જ્ઞાનીએ કહ્યું તે કહું છું તે માન્ય કરજો. મારી વાત નથી, જ્ઞાનીની છે. સૂઝે તેટલું દુઃખ, વ્યાધિ, પીડા આવો, બીજી સંસારી પ્રીતિનું સ્નાનસૂતક કરીને ચાલ્યા જવાનું છે. એક કહેલું સ્મરણ મંત્ર, જીવને ભાન હોય, સ્મૃતિમાં હોય ત્યાં સુધી સંભારજો. સૌને છેલ્લો અક્ષર કહી દીધો. તે સંભારજો, ચેતજો. ભાવ કરશો તો કોટિ કર્મ ખપશે. આ વાણી તો પુદ્ગલ છે, પણ જ્ઞાની પુરુષે કહેલું સાંભળશો તો ઘન્યભાગ્ય તમારાં ! આ વાત સાંભળતાં કર્મની કોડ ખપે છે અને દેવની ગતિ બંઘાય. આટલું તો મને માન્ય છે, એમ નક્કી કરવાથી બહુ લાભ છે. ઘેલો-ગાંડો, સારોનબળો, ગમતું-અણગમતું—બધું મૂકી દેજો. પણ જ્ઞાનીએ કહેલું, સત્પરુષે કહેલું તે એક વચન શું છે ? શ્રદ્ધા. “આ જ્ઞાની', “ફલાણો જ્ઞાની' તેમ ન કરશો. સમભાવ રાખજો. માત્ર એક સમ. હું ન જાણું, યથાર્થ જ્ઞાનીએ જાણ્યું તે મને માન્ય છે. આ ભાવ કરું છું, બીજો નહીં. ખીચડીમાં ઘી ઢળે તે લેખામાં છે. બીજી બથીયે ભાવના છે, પણ તે નહીં; એક આત્મભાવના અને તે પણ જ્ઞાનીએ કરી છે તે ભાવના. આ દ્રષ્ટિ જો જીવ રાખશે તો આ ભવમાં અને પરભવમાં કામ આવશે. આ જીવે પ્રમાદ-આળસ, વેપાર-ધંધા, છોકરાં-છેયામાં બધું ખોયું છે. માટે હવે ચેત. “જાગ્યા ત્યારથી સવાર.” આ વાત ખરા અક્ષરની છે. આનું સાંભળવું, તેનું સાંભળવું, ફલાણાનું સાંભળવું બઘાનું સાંભળવું તે નહીં, પણ જ્ઞાનીનું કહેલું સાંભળવું, તે વચન રામનું બાણ, પાછું ફરે નહીં તેવું છે. વાત બરાબર જાણવા જેવી છે. ખરેખરી વાત છે. લક્ષમાં રાખજો. મઘાનાં પાણી વરસે ત્યારે ટાંકાં ભરી લે છે, તેમ પાણી ભરી લેજો અને ભાજન બનજો તો પાણી રહેશે. જ્ઞાનીએ કહેલું માટે મને માન્ય છે, કર્તવ્ય છે. બીજું ન માનશો, આ ૧. એક રાજાના પુત્રને કોઢ થયો હતો. રાજ્યના બઘા વૈદ્યો પાસે ચિકિત્સા કરાવતાં તેમણે એવો અભિપ્રાય આપ્યો કે મઘાનાં પાણીનું એક અઠવાડિયા સુધી સેવન થાય તો આ રોગ મટી જાય. પણ શિયાળો હોવાથી મઘાનાં પાણી મળવાં મુશ્કેલ હતાં. એટલે રાજાએ જાહેરાત કરાવી કે કોઈએ મઘાનાં પાણી સંઘર્યા હોય તો તેને માટે તે જે માગશે તે રાજા આપશે. Page #278 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૧ ૧૮૧ બધું બીજું પ્રવર્તન થયું છે. હવે જવા દો, છોડી દો, ખંખેરી નાખો, મૂકવાનું મૂકી દો. મૂકવા જેવું છે. અનંતા કાળથી બીજું કર્યું, તેનાં ફળ પામ્યો; બીજે બધે ચોરાશીના ફેરામાં ભમ્યો. માટે મનુષ્યભવ પામીને હાલ આ શ્રવણ કરો. ‘એક અસંગ” કહેવાનું થાય છે, માટે ચેતજો. તે જ્ઞાનીએ જાણ્યું તે મને માન્ય. બીજા બધાનાં ફળનરક, દેવલોક વગેરેઅનંતવાર ભોગવ્યાં. માટે હવે જવા દો. હવે તો ‘અસંગપણું' છાપ મારી છે; અમૃત ઢોળ્યું છે ! મઘાનાં પાણી માફક ભરી લેવા જેવું છે, પ્રેમે કરી જાણવા જેવું છે; ભૂલવું નહીં. આવો અવસર ફરી નહીં મળે. એક બાઈએ ચોથા વ્રતની બાધા લીધી તે પ્રસંગે આ વાતો સાંભળી, પણ પાછું દબાવીને કહું છું કે આજ સુધી જપ, તપ, ક્રિયા વગેરે કીધાં તે મારાં નિષ્ફળ ગયાં. હવેથી બધાં એક આત્માર્થે કરું છું, બીજા સુખ માટે નહીં. ભગવાને કહ્યું છે તે કહું છું. જ્ઞાનીએ જાણ્યું તે આત્માર્થે કરું. બાઈની ગતિ દેવની થવાની છે. જ્ઞાનીની કૃપાથી કહેવાય છે. ઘણા જીવો આ ઠેકાણેથી દેવલોકમાં જવાના છે, બીજી ગતિ નહીં. માટે ચૂંટલૂંટ લેવા જેવું છે. આ અવસર ફરીથી નહીં આવે. બીજા ભવમાં નહીં સાંભળો. માટે ચેતી જજો. કામ થઈ જશે. અત્યારથી, હમણાંથી પણ ચેતશો તો કામ થશે. ટેક પકડીને લક્ષ લીધો તેનું કામ થશે. આ સમજીને આત્માર્થે કર્યું તેણે અવતાર સફળ કર્યો. અપૂર્વ વાત છે ! માર્ગ જબરો છે. મહેમાન છો, માટે ચેતજો. હવે તો બળિયા થઈને, શૂરા થઈને ચેતજો. કૃપાળુદેવે કહેલું : ‘હે મુનિ ! હવે બાળી-જાળી, દહાડો-પવાડો કરીને ચાલ્યા જાઓ.' અમે સાત સાધુ હતા. તેમને જોઈ જોઈને કૃપાળુદેવ રાજી થતા હતા. મૂળ પકડ શ્રદ્ધાની હતી. મુખ્ય વાત સમિત પામવું. તે પકડાયું નથી. બીજું બધું હવે બાળી-જાળી નાખો. બધું પર છે; પુદ્ગલ છે. પોતાનો એક આત્મા. હદ વાત કરી છે ! જગાડ્યો છે. જાગે ત્યારે દિવસ વળે. તમારી માન્યતા સાચી થઈ તો અહીં આવી રહો છો. આ અવસર તો પોતાના દિવાળીના દહાડા જાણો. એક વચન કાનમાં પડે તો કામ થઈ જાય. આ જ પારખું નથી, ઓળખાણ નથી. એ જ પકડ. એનું કહેલું, બીજી વાત નહીં. ઘણી એક છે. સંસારમાં બૈરાં એક ઘણી કરે છે તેમ એક જ ઘણી કરી લેવાનો છે. તા. ૧૯–૧૧–૩૫, સાંજના પત્રાંક ૪૩૨નું વાંચન ઃ– “આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે કોઈ પણ મુખ્ય ઉપાય હોય તો આત્મારામ એવા જ્ઞાનીપુરુષનો નિષ્કામબુદ્ધિથી ભક્તિયોગરૂપ સંગ એક વણિકે મઘાનાં પાણીનાં ટાંકાં ભરી રાખેલાં, તેણે જોઈએ તેટલું પાણી લઈ જવા કહ્યું. એક અઠવાડિયા સુધી તે મઘાનાં પાણીનું સેવન કરવાથી રાજપુત્રનો રોગ મટી ગયો. પછી રાજાએ તે શેઠને, જે જોઈએ તે માગો, એમ કહ્યું. તેણે કહ્યું : મારા ગુરુની સૂચનાથી મેં આ પાણી સંઘરી રાખ્યાં હતાં. તેથી મારે કાંઈ જોઈતું નથી. પણ આપ તેમનો સમાગમ કરશો તો આ પાણી કરતાં વધારે લાભ થશે. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ઉપદેશામૃત છે. તે સફળ થવાને અર્થે નિવૃત્તિ ક્ષેત્રમાં તેવો જોગ પ્રાપ્ત થવો એ કોઈ મોટા પુણ્યનો જોગ છે, અને તેવો પુણ્યજોગ ઘણા પ્રકારના અંતરાયવાળો પ્રાયે આ જગતને વિષે દેખાય છે. માટે અમને વારંવાર સમીપમાં છીએ એમ સંભારી જેમાં આ સંસારનું ઉદાસીનપણું કહ્યું હોય તે હાલ વાંચો, વિચારો. આત્માપણે કેવળ આત્મા વર્તે એમ જે ચિંતવન રાખવું તે લક્ષ છે, શાસ્ત્રના પરમાર્થરૂપ છે.” ૧. મુમુક્ષુ આત્મા આત્માપણે વર્તે તે લક્ષ શી રીતે થાય ? ૨. મુમુક્ષુ—સત્પુરુષ મળ્યા નથી, તેની આજ્ઞા મળી નથી. સત્પુરુષની શ્રદ્ધા અને નિશ્ચય કર્યો હોય તો તે લક્ષમાં હોય તેથી સાધન સવળાં થાય છે. “નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવાં સોય.’’ ‘‘વીતરાગનો કહેલો પરમ શાંતરસમય ધર્મ પૂર્ણ સત્ય છે...હે જીવ ! હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે.’' તે જ્ઞાનીપુરુષની પાસે સાંભળીને દૃઢ થવું જોઈએ. પ્રભુશ્રી—આ જડને કંઈ કહેવું નથી. ચૈતન્યને કંઈ જોઈએ કે નહીં ? બોધ, બોધ. જેમ લૂગડું મેલું હોય તો સાબુ લગાડી પાણીથી ઊજળું કરે છે. માટે ફર્યું કે નહીં ? અનંત કાળથી અજ્ઞાન છે. તે જ્ઞાન મળવાથી નાશ થાય. ગુરુગમ નથી, બફમમાં જાય છે. અંતરંગથી કર્યું હોય તો તે કામનું છે. માટે આવો અવસર પામીને કર્તવ્ય છે. સાચા પુરુષ, સદ્ગુરુ મળે તો લેખાનું. તે ધ્યાનમાં નથી. એક વચન હોય તો પણ આ ભવમાં અને પરભવમાં સુખી થાય. વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ''નો પાઠ બોલો. ૩. મુમુક્ષુ—‹વીતરાગનો કહેલો ૫૨મ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી; તોપણ તેના જેવું જીવને સંસારરોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. આ પરમ તત્ત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ !! હે જીવ ! આ ક્લેશરૂપ સંસારથકી વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા ! જાગૃત થા !! નહીં તો રત્નચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ ! હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ’ પ્રભુશ્રી જીવને વિદ્મ ઘણાં. પ્રમાદ અને આળસે ભૂંડું કીધું. રોજ બોલે તો પર્યાય સારા થાય; પુદ્ગલ સારાં બંધાય, હિત થાય. લક્ષ કોને છે ? સામાન્યમાં જાય છે. મને લક્ષમાં છે, મોઢે છે, એમ સામાન્ય કરી નાખ્યું. આ તો જ્ઞાનીપુરુષનું કહેલું, તેથી હિત થાય. જન્મ, જરા અને મરણે કોઈને છોડ્યા નથી; ત્યાં આત્મસુખ નથી. તેથી જન્માદિથી છૂટવું છે. કૂંચી વગર નહીં છુટાય. કૂંચી જોઈએ. તે હોય તો આત્મસુખ મળી આવે. માટે ગુરુગમ જોઈએ. આત્માનું રૂડું થાય તો સાચા ગુરુથી. તેની ઓળખાણ નથી થઈ. ઠેર ઠેર ગુરુ હોય છે અને કરે છે તે નહીં. કરે તેનું ફળ મળે; પણ મોક્ષ ન થાય. જન્મ-મરણથી છૂટીને, મોક્ષ આ જીવ નથી પામ્યો, અને સમકિત પણ તે નથી પામ્યો. બાપ એક જ હોય. હવે સમ વસ્તુ મોટી છે. બધે સાક્ષાત્ મારો આત્મા છે એમ જોવું. પર્યાયસૃષ્ટિમાં આખું જગત છે અને તેથી બંધન છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૧ ૧૮૩ ટૂંકામાં કહ્યું. ઘીંગ ઘણી તો માથે છે. પણ છે તેનો ભુલાવો છે. જ્ઞાની ન હોય, ગુરુ ન હોય તેને ગુરુ કહે ! હવે જવા દે ને બધું ન ખબર પડે તો મધ્યસ્થ રહે. યથાતથ્ય જ્ઞાની હોય તે જ્ઞાની. 'इक्कोवि नमुक्कारो जिणवरवसहस्स वद्धमाणस्स । संसारसागराओ तारेइ नरं व नारी वा ।। –આટલું કરવાનું છે. એકલો આવ્યો ને એકલો જશે. મારું કોઈ નથી. એક ઘર્મ નથી કર્યો. સપુરુષની વાણી દીવો છે. નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે; એ દિવ્યશક્તિમાન જેથી જંજીરેથી નીકળે.”(શ્રીમદ્ રાજચંદ્ર) ડાહ્યો ન થઈશ. સૌથી મોટો સમભાવ છે. આ મોક્ષનો રસ્તો છે. “એકે જીયે જીયે પંચ; પંચે જીયે જીયે દસ.” વાત ઘણી કરવી છે. અવસ્થા થઈ છે. ઘરડું પાન ખરી પડેલ, બગડી ગયેલું છે. જોગ નથી. બીજા બઘા પર્યાય નાશવંત છે, મૂકીને જવાનું છે. તા. ૨૦-૧૧-૩૫, સાંજના પત્રાંક ૭૫૩ નું વાંચન : જે સ્વરૂપજિજ્ઞાસુ પુરુષો છે, તે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા ભગવાનના સ્વરૂપમાં પોતાની વૃત્તિ તન્મય કરે છે, જેથી પોતાની સ્વરૂપદશા જાગ્રત થતી જાય છે અને સર્વોત્કૃષ્ટ યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત થાય છે. જેવું ભગવાનનું સ્વરૂપ છે, તેવું જ શુદ્ધનયની દૃષ્ટિથી આત્માનું સ્વરૂપ છે. આ આત્મા અને સિદ્ધ ભગવાનના સ્વરૂપમાં ઔપાથિક ભેદ છે. સ્વાભાવિક સ્વરૂપથી જોઈએ તો આત્મા સિદ્ધ ભગવાનની તુલ્ય જ છે. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ નિરાવરણ છે; અને વર્તમાનમાં આ આત્માનું સ્વરૂપ આવરણસહિત છે, અને એ જ ભેદ છે; વસ્તુતાએ ભેદ નથી. તે આવરણ ક્ષીણ થવાથી આત્માનું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટે છે. પ્રભુશ્રી–પરમાર્થમાં તન્મય થવાય તો ? આમાં કોઈએ નથી કર્યું એમ નથી. બધા આત્મા છે. આ સંસારની માયામાં, હાયવોય ને કડાકૂટમાં વૃત્તિ તન્મય કરે છે. પણ આ જે આત્મા છે તેની વાત વીસરી ગયા છે. આત્મા છે તેની તો ફિકર નહીં. હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું ?” આત્મા વિષેની વાત કોઈને સાંભરતી નથી. પણ મનુષ્યભવ પામ્યા છો. ભલે ! બાઈભાઈ હો; પણ આત્મા બાઈ-ભાઈ, નાનો-મોટો, સુખી-દુઃખી, ઘરડો-જુવાન નથી. ભેસાડિયો ૧. જિનવરવૃષભ એવા શ્રી વર્ધમાન સ્વામીને કરેલો એક પણ નમસ્કાર સંસારસમુદ્રથી તારે છે–ભલે તે નર હોય કે નારી હોય. ૨. એક મન જિતાય તો પાંચે ઇન્દ્રિયો જિતાય, અને પાંચ ઇન્દ્રિયનો જય થાય ત્યાં મન, પાંચ ઇન્દ્રિયો અને ક્રોધાદિ ચાર કષાય મળી દશેય જિતાય. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ઉપદેશામૃત કરી નાખ. બધું નાશવંત છે. આખો લોક ત્રિવિધ તાપથી બળ્યા કરે છે. માટે આત્મા બાબતની કાળજી નથી તે રાખો. આ પરમાર્થે સવાલ નીકળ્યો છે. કોઈ પણ પરમાર્થે તન્મય થાઓ. બધું પડી રહેશે, કંઈ હારે નહીં આવે. એક આત્મા છે. મનુષ્યભવ સારો કહેવાણો, તેમાં ય દુઃખ ઘણાં : વ્યાધિ, દુઃખ-સુખ, મોં-માથું, હાથપગ દુખે. બઘો દગો ! તે આત્મા નહીં, તેને માની બેઠા આત્મા કે “હું છું', “મને સારો કીઘો, નબળો કીધો,” પણ આ નહીં. આવો દહાડો ફરી નહીં આવે. લીથો તે લહાવો. અહીં બેઠા સાંભળવા તો પુણ્યના ઢગલા બંઘાય. બાકી બધે રાગદ્વેષજગત આખામાં ઘમાધમ ને કડાકૂટ છે, તેની ફિકર કરે છે, અને તે તો જવાનું છે. જ્ઞાની પુરુષે કહ્યું છે કે એ બધું મૂક્યા વગર છૂટકો નથી. માટે તે બાબત સત્સંગમાં બોઘ સાંભળીને માહિત થવું. એને જ સંભારવો અને એની જ ખબર લેવી. માટે ખરું લેવાનું શું છે ? આત્મા; તેની ખબર લો. માટે ચેતી જાઓ. એક આત્મા, બાકી બધો દગો છે. કોઈ કોઈનું છે નહીં. એકલો આવ્યો, એકલો જશે. “પપ્પા વત્તા વિવત્તા , લુહાગ ૨ સુહા ' સુખ દુઃખનો કર્તા પોતે એકલો. માટે તેની ખબર લેવા ઝૂકી જવું, શૂરા થઈ જવું. બીજી જગતની માયાના રંગ જોવા દોડશે; પણ જે છે–આત્મા તેને પડ્યો મેલ્યો. માટે કોઈ એક સપુરુષ શોઘો, તેને ઓળખો. કોઈ ઠેકાણે પ્રીતિ કરવા જેવું નથી. સૌને ખમાવીએ છીએ. કેટલું પોકારીને કહી દીધું ! પણ ચોપડામાં, મોઢે કરીને બેઠા, પણ ત્યાંનું ત્યાં. જગતમાં કહેવાય છે કે પાનું ફરે ને સોનું ઝરે તે સ્વાર્થ છે. માયામાં પ્રીતિ છે, પણ એક જે ભગવાને કહ્યું છે તેમાં પ્રીતિ નહીં. હવે એક થોટ મારીને કહું છું : શુદ્ધ બુદ્ધ ચેતન્યઘન, સ્વયજ્યોતિ, સુખધામ; બીજું કહીએ કેટલું ? કર વિચાર તો પામ.” કર વિચાર તો પામ; માટે વિચાર તો મોટી વસ્તુ છે. પણ તે કયા વિચાર ? બીજા ઘણા વિચાર છે તે નહીં. એક આત્મવિચાર. આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુઆણા સમ પથ્ય નહિ, ઔષઘ વિચાર ધ્યાન.” ઔષઘ વિચાર ને ધ્યાન, આ બે છે. આ ઉઘાડું કીધું. હવે શું કહેવું? બીજે ક્યાંય કોઈ જગ્યાએ કોઈની પાસે આ વાત સાંભળશો ? ક્યાંય નહીં મળે. જાવ તો ખરા, બઘી માયા. આ જગ્યા કેવી છે ? કાનમાં પડ્યું તો પુણ્યના ઢગલા બંધાય છે. બીજે ક્યાંય શોધ, લેવા તો જા; નહીં મળે. માયા મળશે, પણ આ નહીં મળે. અવસ્થા આવી છે. વ્યાધિ બઘી હાજર થાય તે ના કેમ કહેવાય ? આવો, તેથી વધારે આવો. “છૂટે છે, જાય છે...આવું નથી કર્યું. “વીંગ ઘણી માથે કિયા રે, કુણ ગંજે નર એટ; વિમલ જિન, દીઠાં લોયણ આજ.” એક ઘણી કીઘો હોય તો પછી વ્યાથિ દુઃખ પીડા હોય પણ તેને શું થાય છે ? સમજ ફરી છે. આવો, આવો ને બસ આવો–દેવું છૂટે છે. બીજાને એ બધું “મને થાય છે,' “મને દુઃખ થાય છે', “મને વ્યાધિ થાય છે', “મને પીડા થઈ' – મારું-મારું' કરે ! સમજ ફરી છે Page #282 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૧ ૧૮૫ તેને કોઈ ટુંકારો કરે, કડવું કહે, ગાળ ભાંડે તો જાણે કે મારાં કર્મ ખપ્યાંબીજાને “મને ગાળ ભાંડી' “મને કહ્યું “મને” “મને થાય ત્યાં બંઘાય. માટે મહેમાન છો, બે ઘડી દહાડો છે, માટે ચેતી લ્યો અને સોને ખમાવો.. અઘમામ અધિકો પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાઘન કરશે શુંય ?' આ ગાથા રામનું બાણ છે, જેમ-તેમ નથી. અઘમઘમ એટલે પોતે દોષવાળો થયો અને બીજાને માથાના મુગટ બનાવ્યા. બીજું બધું દુઃખ સુખ, ઘરડો જુવાન, નાનો મોટો, બાઈભાઈ–તેને આત્મા નહીં ગણું. સંસારમાં દુઃખ, દુઃખ અને દુઃખ છે–પાર આવે તેવું નથી, અપાર દુઃખથી ભરેલો છે. અહીં આવ્યો તોપણ દુઃખ, હરતાં-ફરતાં પણ દુઃખ ! આટલું કહું છું તે પરમાર્થે, કંઈ સ્વાર્થ નથી; તેમ સંભળાવવા પણ નહીં –કરજો મૈત્રીભાવ, પ્રમોદ, કારુણ્ય અને મધ્યસ્થભાવ. આ લક્ષ રાખે તો બેડો પાર. આ જેવાતેવાનાં વચન નથી. એક કૃપાળુદેવ હાજરાહજૂર બેઠા છે. આ ગયા, તે ગયા, ફલાણાભાઈ મરી ગયા એમ બોલે છે. પણ ઓળખાણ નથી. “સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો.” શું એને ભૂલી જઈશ ? ના, ના. એને (એ કડીને) સંભારવા જેવી છે; ચિંતામણિ છે. તૈયાર થઈ જાઓ, આ કહેવું છે. માટે છૂટકો નથી. મળી મળીને સૌ સૌને રસ્તે પડે છે. પછી થઈ રહ્યું. સમ્યગ્દષ્ટિ જીવ જે કરે તે સવળું. આ શું હશે ? જેમ કરે તેમ સવળું, એ વાત વિચારવા જેવી છે. એ સવળું કેમ? કોઈ કહેશો ? ૧. મુમુક્ષુ–જેની જેવી દ્રષ્ટિ. જેવાં ચશ્માં પહેરે તેવું દેખાય. લીલાં ચશ્માં પહેરે તો લીલું દેખાય. તેમ સમ્યગ્દષ્ટિ પુરુષોએ સમ્યગ્દર્શનરૂપી ચશ્માં પહેર્યા છે તેથી સવળું દેખાય છે. ૨. મુમુક્ષુ-સમ્યવ્રુષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ સર્વથી ભિન્ન એવું પોતાનું સ્વરૂપ જોયું; સમ્યકદ્રષ્ટિએ સમ એવો આત્મા દીઠો -સમ્મદ્દિકી ન કરે પાર્વ' એમને પ્રિય-અપ્રિય કંઈ રહ્યું નહીં. પ્રભુશ્રી–જે જાણ્યું તે નવિ જાણું, જે નવિ જાણ્યું તે જાણું.” માટે સવળું થયું. સમ્યગ્દષ્ટિને પર્યાયવૃષ્ટિ નથી. “પર્યાયવૃષ્ટિ ન દીજીએ.” તે મૂકવાની છે. ૧. મુમુક્ષુ- “હોત આસવા પરિસવા, નહિ ઇનમેં સંદેહ, માત્ર દ્રષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહિ.” પ્રભુશ્રી–આ વચનોએ તો ભેદ પાડી આપ્યો છે. આ તો અમૃત–સાકર, ગોળ જેમ ગળ્યાં હોય તેવું મીઠું ! દૃષ્ટિની ભૂલ એ વાત બરાબર છે, પણ હવે શું છે ? કેમ છે ? શું કરવાનું છે? અને શું રહ્યું છે ? મેં કૃપાળુદેવને કહ્યું કે હું તો બધે “ભ્રમ' જોઉં છું. તો કહે, “બ્રહ્મઆત્મા જુઓ. આમાં મર્મ ગયો છે. “આત્મા જુઓ તે વચનનો બોઘ થયો, તો તે કેમ ? બોલો, જેને કહેવું હોય તે કહો. ૨. મુમુક્ષુ–જગત જે બ્રહ્મસ્વરૂપ છે તેને જોનારો આત્મા છે; માટે પહેલાં તેને જુઓને ! આ બધું જાણનાર, જોનાર આત્મા છે, તો તેને જુઓ. પોતાને ખબર ન હોય તો જ્ઞાનીની શ્રદ્ધાએ જોઉં છું, જાણું છું, એવી ભાવના કરે. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ઉપદેશામૃત ૩. મુમુક્ષુ—ભ્રમ છે તે પર્યાયવૃષ્ટિ છે અને આત્મા છે તે દ્રવ્યદ્રષ્ટિ છે. આત્માના ઉપયોગ માટે દ્રવ્યદ્રષ્ટિ ઉપયોગી છે. બીજે ન જોતાં આત્મા તરફ દૃષ્ટિ કરાવી તે દ્રવ્યવૃષ્ટિ થઈ અને તે કરાવી. પ્રભુશ્રી–જ્ઞાનીએ જોયો છે. યોગ્યતાની ખામી છે, ત્યાં દ્રષ્ટિની ભૂલ છે, તે ફરી નથી. બીજાની નહીં પણ જ્ઞાનીની “દૃષ્ટિ'. બીજાની નહીં કહેવાય. હવે શું કરવું ? કંઈ ઉપાય ? બહુ વાત કરી–કોઈની ઉત્થાપી નથી, મરજાદ રાખીને વાત કરી. ૪. મુમુક્ષુ–કૃપાનાથે આપને હથેળીમાં “બ્રહ્મ' લખીને બતાવ્યું છે. પ્રભુશ્રી–કોણ ના પાડે છે ? પણ એનું એની પાસે. આપણે તો સમજવું ને ? હવે કરવું શું? ૨. મુમુક્ષુ–જ્ઞાનીનો પલ્લો પકડવો. પ્રભુશ્રીએ ના કોણ પાડે છે ? પણ હવે અત્યારે આપણા હાથમાં શું છે ? બીજાં બધાં પુદ્ગલ અને કર્મસંજોગ, હવે શું ? પ.મુમુક્ષુ–સપુરુષાર્થ અને સદ્ભાવ કરવાના બાકી છે. પ્રભુશ્રી–બધું કર્યું છે. પણ હવે છેલ્લું કહી દઉં છું : ભાવ અને શ્રદ્ધા. “સદ્ધી પરમ કુછ.” એણે કહી તે શ્રદ્ધા કરી તો પછી તાળી ! અત્યારે આત્મભાવ અને શ્રદ્ધા આ બે વાત હાથમાં છે. ચેતો ! ચેતો ! મારો તો ભાવ; તે માનું, હવે બીજું ન માનું. વાત છે માન્યાની.” આ વાત આવી. ભાવ અને શ્રદ્ધા કરવી પડશે. માટે ચેતી જાઓ. [દેવવંદન કરવા આવતી વખતે તથા જતી વખતે આત્મા છે. તે જ્ઞાનીએ જાણ્યો છે. નાના મોટા, બાઈ ભાઈ, બઘાઓને આ દેવવંદન કરવા જેવું છે. આ દેવવંદન તો પ્રતિક્રમણ જેવું છે. જીવને ખબર નથી. આવું ક્યાંથી મળે ? તા. ૨૧-૧૧-૩૫, સવારના પત્રાંક ૨૪૯ નું વાંચન : ૐ નમઃ “કરાળ કાળ હોવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિતિ કરવી જોઈએ, ત્યાં તે કરી શકતો નથી. સદ્ધર્મનો ઘણું કરીને લોપ જ રહે છે. તે માટે આ કાળને કળિયુગ કહેવામાં આવ્યો છે. સદ્ધર્મનો જોગ સત્પરુષ વિના હોય નહીં, કારણ કે અસત્માં સત્ હોતું નથી. ઘણું કરીને સયુરુષનાં દર્શનની અને જોગની આ કાળમાં અપ્રાપ્તિ દેખાય છે. જ્યારે એમ છે, ત્યારે સદ્ધર્મરૂપ સમાધિ મુમુક્ષુપુરુષને ક્યાંથી પ્રાપ્ત હોય? અને અમુક કાળ વ્યતીત થયાં છતાં જ્યારે તેવી સમાધિ પ્રાપ્ત નથી થતી ત્યારે મુમુક્ષતા પણ કેમ રહે? Page #284 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૧ ૧૮૭ ઘણું કરીને જીવ જે પરિચયમાં રહે છે તે પરિચયરૂપ પોતાને માને છે. જેનો પ્રગટ અનુભવ પણ થાય છે કે અનાર્યકુળમાં પરિચય કરી રહેલો જીવ અનાર્યરૂપે પોતાને દૃઢ માને છે અને આર્યત્વને વિષે મતિ કરતો નથી. માટે મોટા પુરુષોએ અને તેને લઈને અમે એવો દૃઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે. પોતાની સન્માર્ગને વિષે યોગ્યતા જેવી છે, તેવી યોગ્યતા ઘરાવનારા પુરુષોનો સંગ તે સત્સંગ કહ્યો છે. મોટા પુરુષના સંગમાં નિવાસ છે તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ, કારણ એના જેવું કોઈ હિતસ્વી સાઘન આ જગતમાં અમે જોયું નથી અને સાંભળ્યું નથી. પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે; તથાપિ સ્વરૂપસ્થિતિનું કારણ હોઈ શકતું નથી, કારણ કે જીવે શું કરવું તે તેવા સ્મરણથી નથી સમજાતું. પ્રત્યક્ષ જોગે વગર સમજાવ્યું પણ સ્વરૂપસ્થિતિ થવી સંભવિત માનીએ છીએ, અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે, કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સત્પરુષ છે. મોક્ષે ગયા છે એવા (અહંતાદિક) પુરુષનું ચિંતન ઘણા કાળે ભાવાનુસાર મોક્ષાદિક ફળદાતા હોય છે. સમ્યકત્વ પામ્યા છે એવા પુરુષનો નિશ્ચય થયે અને જોગ્યતાના કારણે જીવ સમ્યકત્વ પામે છે.” આત્મા કરવા જ આવ્યો છે; પણ કર્મ, કર્મ ને કર્મ કરે છે તે બંઘન છે. કૃપાળુદેવનાં વચન–વીસ દોહા અપૂર્વ છે! પણ જીવે સામાન્ય કરી નાખ્યા. અલૌકિક દ્રષ્ટિથી વિચાર નથી કર્યો. આવું ચિંતામણિ રત્ન તે કાંકરાની માફક જાણ્યું. આ વચન ! કૃપાળુદેવની કૃપાથી મળેલા વીસ દોહા આત્મભાવથી બોલવાના છે. અને ઉપયોગમાં રહે તો કર્મની કોડ ખપે છે. “પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરિયે કોણ ઉપાય ?” આ સવાલ નીકળ્યો. તેમાં ઉપયોગ આવી જાય તો કોટિ કર્મ ખપી જાય. આ ભાવના, ઇચ્છા કરે તો બીજી માઠી ગતિનો નાશ થઈ દેવની ગતિ થાય. આવું છે; તે સામાન્યમાં અને લૌકિકમાં કાઢી નાખ્યું. આ સંભળાતું હશે ? ૧. મુમુક્ષુન્હા, સંભળાય છે. પ્રભુશ્રી–બઘાને સંભળાય છે ? ૧. મુમુક્ષુબઘાને ક્યાંથી સંભળાય ? જેને સંભળાય તેને સંભળાય. પ્રભુશ્રી–કહેવાનું કારણ, શ્રવણ થવું જોઈએ. મોટાની વાત કહેવાની થઈ. વસ્તુ આવી છે અને કામ આ કરે છે. સાંભળો છો ? અહીં આવીને તો પુણ્યનાં દળિયાં બંઘાય. વીતરાગ માર્ગમાં અને તેની વાણીમાં તો જરા રજ ન સમાય તેવું છે. તેની વાણીનું પારખું હોય છે જેવી રીતે બીજી કોઈ વસ્તુનું પારખું હોય છે તેમ. હવે આ મનુષ્યભવ હાથમાંથી જતો રહે તો પછી પત્તો ન લાગે. માટે જોગ અપૂર્વ છે. આ કાનમાં પડે છે તો લાભ થાય છે. માટે શું વિશેષ કહેવું ? ટૂંકામાં કહેવાનું કે “ભાવ” છે અને પરિણામ છે. પોતાના ભાવથી જ સમકિત Page #285 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ઉપદેશામૃત અને કેવળજ્ઞાન પામે. અનંતા કાળથી ઓઘા-મોમતી (મુહપત્તી), જપતપ વગેરે સાઘન કર્યા તો તેનાં ફળ મળ્યાં–નિન્દા નથી કરવી. આ કોઈ અપૂર્વ વાત છે. વાત છે કાલાઘેલાની, પણ કાઢી નાખવાની નથી. કોઈ કહે કે મહારાજ તો ઉપદેશ દે, એમનું કામ છે. આમ સામાન્ય કરી નાખે છે તે ન કરશો. આ તો હરખથી કહેવાય છે. તેમાંથી જેમ બને તેમ કરવા યોગ્ય છે, લૂંટંલૂંટ લેવા જેવું છે. આ મોટી આંટી છે. આડે આવે છે તો કોરે કરવું પડે. જેવી તેવી વાત નથી; મહા લાભકારી છે. એમ સમજો કે મારાં ઘન્ય ભાગ્ય કે આ વાત કાનમાં પડે છે. ખરેખરો સાંભળવાનો અવસર આવ્યો છે; બીજા બઘા અવતાર થયા છે, પણ આત્મા નથી મરી ગયો. બીજાં બધાં સાઘન બંધનકર્તા છે. સહુ સાઘન બંઘન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સંત્સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ?" સત્સાઘન ! આ તે કંઈ વાત ! કરવા લાયક તો ખરું. ફરીને આવો અવસર લાખો રૂપિયા આપતાં પણ ન મળે. જ્ઞાની પુરુષે દયા કરી છે. ઘન, પૈસા-ટકા, છોકરાં-છૈયાંની ઇચ્છા કરે ને રાખે છે, તો પછી આની નહીં ? આની ઇચ્છા રાખી હોય તો કામ આવે. કાન ઘર, ધ્યાન રાખ. સત્સંગ અપૂર્વ છે ! ફિકર કરવાની, ચિંતા કરવાની આ છે. અરેરે ! મહા દુ:ખ છે. ભગવાને કહી દીધું : “સમયે નીયમ મા પHIJ' એક સમયનો પણ હે ગૌતમ ! પ્રમાદ કરીશ નહીં. પળ જે ગઈ તે પાછી નહીં આવે. માટે અલેખામાં જાય છે. કરવાનું તે તો રહી ગયું. આ કાળ પંચમ, સૌથી આકરામાં આકરો આવ્યો છે. તે વાત મોટા પુરુષોએ કહી દેખાડી. સમાધિ શાથી હોય ? હવે કંઈ છે ? ૧. મુમુક્ષુ–સપુરુષનાં દર્શન અને જોગ એ બે જોઈએ. પ્રભુશ્રી–ગફલતમાં જાય છે. ચિંતામણિ જેવો આ મનુષ્યભવ તેને આમ સામાન્ય કરી નાખ્યો. ખબર નથી. હીરો બાળકના હાથમાં આવ્યો પણ તેને ખબર નથી, તેમ જગતમાં ઓળખાણ નથી. બીજું બધું માયાનું જોવા દોડે છે. ધૂળ પડી તેમાં ! પણ જે જોવાનું છે તે રહી ગયું છે ! આત્મા જેવી કોઈ વસ્તુ નથી. તેની હવે ક્યાં સંભાળ લેશે ? બફમમાં ગયું. ઘરેણાંગાંઠો, લૂગડાંલત્તાં, વગેરે મારાં મારાં કરે, પણ આત્મા નહીં ! હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું ?” જે કરવાનું છે, જેની વાત સાંભળવાની છે તે રહી જાય છે. બીજી વાતો કાન ઘરી સાંભળશે અને આ નહીં ! આ તો હું જાણું છું, મને ખબર છે. પણ નહીં, ખબર નથી. થપ્પડ વાગી નથી. કંઈ ન આવડે તોપણ “આત્મા છે', “જ્ઞાની કહે છે તે મને માન્ય છે. તેમાં કંઈ પૈસાટકા આપવાના નથી; પણ એક વિચાર કરવાનો છે. “કર વિચાર તો પામ.” આ પ્રત્યક્ષ પુરુષનાં વચન છે. તે સાંભળવામાં લાભ હોય. એ આત્મા તો જ્ઞાનીએ જોયો છે. તે આ ચર્મચક્ષુથી નહીં જોવાય, દિવ્યચક્ષુથી જોવાશે; તે જ્ઞાન છે. જ્ઞાન ચક્ષુ છે. આ બધા કોણ છે ? કોણ સાંભળે છે ? આત્મા. જે વાત કરવા જેવી છે તે પડી રહી છે અને પરવસ્તુ જુએ છે. આ Page #286 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૧ ૧૮૯ જીવ કલ્પનાઓ કરે છે; અને તેનો તો પાર ન આવ્યો. પોકાર કરું છું, હોં ! બીજી જગ્યાએથી છૂટીને આત્માની જગ્યાએ કેમ બેસાય ? વિશ્વાસ ક્યાં છે ? નહીં તો કહી દઈએ. જ્ઞાનીનાં વચન અંતરમાં કોતરીને, ટાંકીને રાખો. જેમ મા કડવું ઓસડ હિતને માટે પાય તેમ કહેવું છે. “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.” આમાં શું કીધું ? પણ તું તે સાંભળ, માન્ય કર. સાંભળ, તો કામ થયું. ભાવ કરે તો કામ થાય. બીજાની ફિકર અને ચિંતા કરે છે, તો આની નહીં ? બેઠો બેઠો કલ્પનાઓ કરશે; પણ તે તો બધા બાંઘેલા સંસ્કાર. “સહુ સાઘન બંઘન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્સાઘન સમજ્યો નહીં, ત્યાં બંઘન શું જાય ?” આવી વસ્તુ છે; ચમત્કારી લીધી. “સત્સાઘન સમજ્યો નહીં સદ્ગુરુનાં વચન છે, પ્રત્યક્ષ પુરુષની વાણી છે; જેવાં તેવાં નથી, કહી શકાય તેમ નથી–આ તો કાલાવાલા થાય છે. દાળ ચઢી ન હોય ત્યાં સુધી જુદી રહે; ચઢી એટલે થયું, મળી જાય. પ્રભુ, સૌનું સારું કરજો. જેમ ચૂંટીઓ ભરીને, વઢીને, મારીને જગાડે, પછી જુએ; તેમ આ જોવાનું છે. વાણી સપુરુષની સાંભળી નથી. કંઈક મારીને, વઢીને, કહીને, ઠપકો દઈને પણ કરાવવું છે, મુકાવવું છે. અવસર આવ્યો છે ! માટે પોતાને માટે તૈયાર થઈ જાઓ. પોતા માટે છે, બીજા માટે નહીં. આ કહી શકાય તેવું નથી. સ તા. ૨૧-૧૧-૩૫, સાંજના જેવી તેવી આંટી નથી. બહુ આંટી આવી છે. પુરુષાર્થનું કામ આવ્યું. “જો ઇચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ.” સમજાય તો સારું; તે વગર નકામું. “કરો સત્ય પુરુષાર્થ' તે શું કીધું? ૧. મુમુક્ષુ-જીવોને સંસારદુઃખથી છૂટવું હોય તો પુરુષાર્થ કરવો. સત્પરુષના આશ્રયે આત્મકલ્યાણનાં સર્વ સાઘન કરવાં તે પુરુષાર્થ. ૨. મુમુક્ષુ–મોક્ષના માર્ગમાં મોટો પહાડ-અંતરાયરૂપી પહાડ આડો પડ્યો હતો, તે કૃપાળુદેવે કાઢીને ફેંકી દીઘો, ઉથલાવી દીઘો, દૂર કરી નાખ્યો. તેમણે કહેલું કે અમારા જેવા તમારે માથે છે તો શી ફિકર છે ? તમો માત્ર પુરુષાર્થ કરો. ૩. મુમુક્ષુ—શાનીનો માર્ગ અંતરનો છે. આ જીવે બાહ્યવૃત્તિથી વિપરીત કલ્પના મોક્ષની કરી તેથી મોક્ષ શું તેની ખબર ના પડી. આત્માનાં અંતર્પરિણામ સદાકાળ સાથે છે, તે જીવે જાણ્યાં નથી. જીવ જો સાચો પુરુષાર્થ કરે તો એને માર્ગ મળે છે. સાચા પુરુષાર્થની ખામી છે. જીવ પોતાની સમજણે માર્યો જાય છે. પ્રભુશ્રી–સાચો પુરુષાર્થ કરે તો મળે. બધી વાત કીથી તે ઠીક છે, સાચી છે; પણ ખામી આવી, કહેવું એટલું છે કે ભાવ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૧૯O ઉપદેશામૃત “ભાવે જિનવર પૂજિયે, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળજ્ઞાન.” બઘા પાપનો બાપ ભાવ છે. જેને જે કંઈ ભાવ આવ્યો તે, ના ન પડાય. બીજા ભાવ કરે છે, તેથી બીજું થાય છે. આત્મભાવ નથી કર્યો. ભાવ કરશે ત્યાં પરિણામ થશે. દાળ મેલી છે તો ચઢશે, તો તેની પાછળ ઢોકળી પણ ચઢશે. પરિણામથી છે. પણ “ભાવ બડો સંસારમેં.” મોટા પુરુષોએ વાત કરી છે તેનું કોઈને ભાન નથી. બેસતા-ઊઠતાં, ખાતાં-પીતાં, જોતાં-કરતાં એક એ જ (આત્મા), તે ભાવની ખબર નથી. બીજું થઈ જાય છે. બીજું બાહ્યમાં જોઈને બાહ્ય ભાવ થાય છે, પણ જોવાનું રહી ગયું. જે કહ્યો છે તે ભાવની ખબર નથી. આટલી જ વાત. ૨. મુમુક્ષુ–આત્મભાવ કહ્યો ને ? પ્રભુશ્રી–નામ લેતાં “સાકર, સાકર' થયું ગળ્યું ? લાગ્યું ? ઘડપણ આવ્યું-ડોહા થયા; સાદ ભારે થયો છે, બોલાતું નથી. ગાડાને બધી સામગ્રી હોય ત્યારે ગાડુ કે'વાણું અને ત્યારે ચાલે છે “આત્મભાવ' નામ તો ચોખ્ખું રૂપાળું દીધું; કોણ ના પાડે છે ? પણ તેની તને ક્યાં ખબર છે ? કંઈ આડું આવ્યું, તો હવે શું કરવું? પુરુષાર્થ અનંતી વાર કર્યો, તેનાં ફળ મળ્યાં; પણ દી વળ્યો નહીં. ૨. મુમુક્ષુ—હવે તો તે લેતા જવાના છીએ. પ્રભુશ્રી બોબડું તોતડું, ગાંડું ઘેલું, મર ! સૂઝે તેવું દેખાય. તે બધું બહારનું જોશે. “જ્યાં લગી આતમાં તત્ત્વ ચિન્યો નહીં, ત્યાં લગી સાઘના સર્વ જૂઠી. મૂંડ મુડાવ્યું, જટા રાખી, રાખ ચોળી, તપ તપ્યો–પુરુષાર્થમાં બાકી ન રાખી; પણ જે કરવાનું છે તે શું ? અને શાથી થાય ? ૨. મુમુક્ષુ– “વહ સાઘન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો; અબ કય ન બિચારત હૈ મનમેં, કછુ ઔર રહા ઉન સાઘનસેં.” પ્રભુશ્રી-સાકર નાખે તો ગળ્યું થાય; મીઠું નાખે તો તો ખારું થાય. આ તો થપ્પડ મારીને ગોદો મેલ્યો છે : “અબ ક્યોં ન બિચારત હૈ મનસેં.” કોઈ વિચારતા જ નથી. આનો અર્થ નથી સમજાણો અને કોણ કહે એમ છે ? “મુખ આગલ હૈ, કહ બાત કહે !” એ શું ? કહી દો. ૨. મુમુક્ષુ—જ્ઞાનીએ જાણ્યો, દેખ્યો તે આત્મા. પ્રભુશ્રી—કોણ ના પાડે છે ? એ જ આત્મા. દિવસ ઊગ્યો તો એ જ ઊગ્યો. ૨. મુમુક્ષુ—એમ તો માથું ફોડતાં પણ પત્તો લાગતો નથી, અને મતિ થાકી જાય છે. કંઈ ઉપાય ચાલતો નથી. પ્રભુશ્રી—“ચુનીભાઈ, ચુનીભાઈ,” કહ્યા કરીએ, પણ ભાળ્યા ન હોય તો ન ઓળખાય; ત્યાં સુધી કચાશ છે, ખામી છે. “પાવે નહિ ગુરુગમ બિના એહિ અનાદિ સ્થિત.” તે વગર Page #288 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ સંગ્રહ–૧ ૧૯૧ નહીં પાવે. માટે કંઈક જોઈશે. ખામી શેની છે? યોગ્યતાની. સાંભળ્યું, સાંભળ્યું કહેવાય છે, પણ સાંભળ્યું નથી. નામ છે, વાતો કરે છે; પણ પરિણમ્યું નથી. વાત છે પરિણમ્યાની, પાપનો મોટો બાપ ભાવ છે. તે વગર કોઈને નહીં થાય. ક્ષણે ક્ષણે વૃત્તિ પલટાય છે, માટે બીજું જુએ છે, તે નોય. “એ મળે, એ સુણ્ય અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.” બીજું શું કહ્યું? “આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું.” “વાતે વડાં ન થાય.” પરિણમ્ય છૂટકો. પરિણમવું શું છે ? અત્યારે પુરુષાર્થ કીઘો પણ અવળો. ઊંઘમાં પણ બોલી ઊઠે : “હું'; પણ આ હાથ લાગ્યો નથી. આ આંખેથી નહીં જોવાય; તે માટે દિવ્ય ચક્ષુ જોઈશે. અને એ જોઈએ છે. એનું નામ જ્ઞાન પાડ્યું. દિવ્ય ચક્ષુ કહો, દીવો કહો–બઘો ય બોઘ છે; પણ સમજાયું નથી. કોઈને કહે કે ભાઈ, આમ થઈને આ તરફથી આવજે તો ત્યાંથી અવાય; બીજેથી અવાય નહીં. “એ મળે, એ સુશ્કે અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.” એ વચન લેવું છે. માન્ય એ છે, ભાવના એ કરાવવી છે. આ કોઈ “ગોકુળ ગામનો પિંડો હિ ન્યારો.' આ દેવવંદન છે તે જેમ-તેમ નથી. આમાં કર્મ ખપે છે. કરવા જેવું છે. પુણ્ય બંઘાય અને દેવગતિ થાય. જીવને ખબર નથી. તા. ૨૨-૧૧-૩૫, સવારના પત્રાંક ૬૪નું વાંચન : “પક્ષપાતો ન મે વીરે, : પવિપુ | ઘુત્તમ નં યસ્થ, તી શાર્વ: રિપ્રદઃ II” –શ્રી હરિભદ્રાચાર્ય શું જોગ ! જાગૃત થઈ ગયો ? વચન અમૂલ્ય છે. એકેક વચનમાં અનંત આગમ સમાયાં છે. તે વચન કહેવાશે. મનુષ્યભવ દુર્લભ છે. તેમાં હાલ પાંચ ઇન્દ્રિય, જાણવું, દેખવું, સાંભળવું તે મનુષ્યભવને લઈને તેમાં સત્સંગ દુર્લભ છે. કાળ જાય છે. “સમર્થ ગોયમ મ મU' આ અલૌકિક વચન છે ! કામ છે ભાવનું. ભાવ થયો ત્યાં પરિણમવું થશે; ભાવ થવો જોઈએ. જેમ સંસારમાં કહે છે, તને તારું ભાન છે કે નહીં ? તેમ આ જીવને ભાન રાખી અવશ્ય શ્રવણ કરવું જોઈએ. સવને નાણે વિજ્ઞાળે” અત્યારે મનુષ્યભવમાં સાંભળવાની જોગવાઈ છે તે બહુ દુર્લભ છે. ફરી ફરી આવો જોગ નહીં મળે. સત્પરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ સમાયાં છે, તે કેમ હશે ? આ જીવનું ભૂંડું કર્યું કલ્પનાએ. ક્ષણે ક્ષણે વૃત્તિ પલટાય છે, સામાન્યપણું કરી નાખ્યું. સત્સંગ છે તે મહા દુર્લભ છે. સત્પરુષનો સમાગમ છે, તેનો બોધ છે, તેથી કર્મની કોડ ખપે છે. જીવને ભાન નથી. કાળ જાય છે અત્યારે, તે અપૂર્વ છે. હવે જવા દે, જવા દે; મરી ગયો અભિમાનમાં. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ઉપદેશામૃત “નથી લઘુતા કે દીનતા, શું કહ્યું પરમસ્વરૂપ ?'' સૌથી શ્રેષ્ઠ લઘુતા છે. શ્રવણ કરવું જ્ઞાનીનાં વચનનું. તેથી આ જીવને અગાઘ નફો આવે છે. માયાના સ્વરૂપમાં સંસારમાં હજારો રૂપિયાનો નફો થાય છે, તેથી આ અધિક છે. કંઈક કર્યું છે તો આ મનુષ્યભવ છે. આ અવસર બફમમાં અને ગફલતમાં જાય છે. વચન સાંભળવા જેવું, હૃદયમાં ઘારવા જેવું છે. મર ! ગમે તેવું કહ્યું; તારે તો સાંભળવા જેવું છે. એક આત્મા ઘર્મ છે. તે અરૂપી છે. પણ ખ્યાલમાં રાખજે, યથાતથ્ય જેણે જાણ્યો તેની વાણી છે અને તે અમૂલ્ય છે. હે પ્રભુ ! મને ખબર નથી, પણ તે મારા કાનમાં પડો. આમ કરવાથી કેટલું કામ થાય છે ? ભવ-બંધ છૂટી જાય છે. ભૂંડું થયું સામાન્ય કરી નાખવાથી. હું એમાં શું? એ તો વાત કરે અને બોલે; પણ જવા દે, વાત અપૂર્વ છે. ચિંતામણિની કિસ્મત થાય નહીં, એવી વાત છે. આમાં શું થાય છે? અનંત કાળથી આ જીવે બધું જાણ્યું, સાઘન અનંત કર્યા છે; પણ આત્મા નથી જાણ્યો. તેમ સમકિત નથી લીધું. તું અલૌકિક દ્રષ્ટિથી જો હે ભગવાન! આ વાણી નીકળે છે જ્ઞાનીની. માટે હે પ્રભુ ! મારું કામ છે તે કહે છે તે કરવાનું. ક્ષણ લાખેણી જાય છે. માટે કર્તવ્ય આ છે–અવસર આવ્યો છે. એક આ વસ્તુ જ્ઞાની પુરુષોએ જગતમાં સૌથી શ્રેષ્ઠ જોઈ છે તે શું? તો કે સમભાવ. તેમાં અનેક રિદ્ધિ આવે છે. ગાંડું ઘેલું, બોબડું તોતડું બોલાય તે ન જોશો. સમભાવ છે તે સ્વભાવ છે, એને બેસવાનું, રહેવાનું ઠેકાણું છે; તે ભૂલીશ નહીં. ચેતજે. “ભૂલ્યો ત્યાંથી ફેર', “જાગ્યો ત્યાંથી સવાર.” અવસર આવ્યો છે, માટે ચેત. નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે; એ દિવ્ય શક્તિમાન જેથી, જંજીરેથી નીકળે.” (શ્રી મોક્ષમાળા) લેવા જેવો છે સમભાવ. અધ્યાત્મજ્ઞાન સંપાદન કરવું. આ ધ્યાનમાં રાખજો હોં! પ્રત્યક્ષ છે તે બોલે છે. આત્મા છે, સત્તા બોલે છે. દહાડો જાય છે, પણ એ વગર અલેખાનું છે. તેની વાત સાંભળવી, સુણવી; સુખદુ:ખ ખમજો, પૂજા, માન, મોટાઈ કરશો નહીં; ઘણાં દુઃખ વેઠ્યાં, પણ કલ્યાણ થયું નહીં, મોક્ષ થયો નહીં. જપ-તપ કીધાં, તેનાં ફળ મળ્યાં. શું કહ્યું? એક આત્મા. ચેતવા જેવું છે. આત્માની, જ્ઞાનની વાત તમે સાંભળી તો કહી શકાય નહીં તેવું કર્મ ખપે છે. કેવો લાગ આવ્યો છે ? દાવ આવ્યો છે; કાળ જાય છે. મનુષ્ય ભવમાં જે વાત ઘર્મની છે તેમાં આત્માને સંભાર્યો તો કોટિ કર્મ ખપે છે. બહુ ચમત્કાર છે ! અપૂર્વ છે ! જે ગાયો છે તેની ખબર નથી. બીજું બધું મિથ્યાત્વ છે. એક ખરું કામ શાનું છે? ઉપયોગનું. જાણે-અજાણે કોઈ વચન સાંભળ્યું તેથી કેટલું કામ થાય છે ! પાપનાં દળિયાં સંક્રમીને પુણ્યનાં બંધાય છે એવી આ જગ્યા છે. એક અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામ્યા; અનાથી મુનિ, શ્રેણિક રાજા વગેરે અંતમુહૂર્તમાં સમકિત પામ્યા. કેવું થયું ? દીવો થયો ! શું થશે ? ભવનિકટ થઈને મોક્ષ. અજ્ઞાન ગયું. આ જીવ જન્મમરણ કરતો આવ્યો છે, મોક્ષ ન થયો. માટે કેવું ચેતવા જેવું છે? લાગ આવ્યો છે. અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરવું. આ ઉપદેશ છે, કહેવું છે; બીજી વાત નહીં. અધ્યાત્મજ્ઞાન જીવને શાથી થાય ? એક જ કૂંચી છે. જીવના ભાનમાં તથા લક્ષમાં નથી. આ બોલે છે, કહે છે તે તો મને ખબર છે, મેં સાંભળ્યું છે, હું જાણું છું એમ કરીને બધું અલેખામાં જાય છે. ક્ષણે ક્ષણે વૃત્તિ ફરે Page #290 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૧ ૧૯૩ છે, માટે મેલને બઘી પંચાત, મેલને પડ્યું. આત્મા જો, તો બીજું થઈ ગયું. જોવાણું નથી, ભાવ તથા પ્રતીતિ નથી. આ બધાં વિન્ન કરનારાં છે. લૂગડું કોરે કરે તો દેખાય. માટે દેખવાનું છે. એક મોટામાં મોટી વાત શુદ્ધભાવની છે, માટે ચેતજો. લાગ આવ્યો છે. તું અસંગ છે. ઘણું કર્યું તે બધું મારું ન જાણ. કુટુંબ-પિરવાર બધું પર છે; મારું ન જાણ. આ સંભળાય છે કે ? ઘ્યાનમાં લે ન લે, ગણે ન ગણે તો ભલે ! મારે શું ? જે છે તે છે આત્મા. તે છે તો ખરો. તેના ઉપર દૃષ્ટિ નથી, ભાવ નથી. ટૂંકામાં કહું તો ‘વાત છે માન્યાની.' માનીશ ? તો કે હા; તો જા, જા; કામ થઈ ગયું. બીજું હવે ન જો; ખાજાંની ભૂક૨ીથી પણ પેટ ભરાય. માટે જ્યાં છે, ત્યાં છે. તે કર્તવ્ય છે. આવો જોગ ક્યાંથી મળે ? નહીં મળે; માટે ચેતો. આત્મા ન હોય તો કોણ સાંભળે ? બધાં મડદાં કહેવાય. વસ્તુ બે : જડ અને ચેતન. ચેતન તે જડ નહીં થાય અને જડ તે ચેતન નહીં થાય. ‘ભણ્યો પણ ગણ્યો નહીં.' ‘આત્મા, આત્મા' વાત કરે છે, પણ જાણ્યો નથી તો દર્શન તો ક્યાંથી ? એક બોધ સાંભળે તો કામ થઈ જાય. કોણ સાંભળે છે ? આત્મા. એક અપૂર્વ દૃઢ કરવા જેવું શું છે ? વિશ્વાસ નથી; પ્રતીતિ નથી. કોઈ વસ્તુ ભીંત ઉપર ચોડે છે તો એક તો ઊખડી જાય છે અને એક તો ચોંટી જાય છે માટે તેવી એક ચોટ છે તે શું છે ? હમણાં ઓહોહો કરી નાખે કે મારે મોઢે છે, હું જાણું છું. થઈ રહ્યું ! જવા દે; તને ખબર નથી. અવસર આવ્યો છે. જ્ઞાનીપુરુષોએ દયા અને કરુણા કરી છે. તે શું છે ? તો કે ‘છ પદનો પત્ર.’ ‘આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે.' અપૂર્વ વાત ભણ્યો, પણ શું છે તેની ખબર નથી, છોકરાના હાથમાં ચિંતામણિ આવ્યો પણ તેને ખબર નથી તેમ. માટે ચેત, અવસર આવ્યો છે. ચિંતામણિ છે. છ પદથી શું થાય છે ? જો રોજ દિનપ્રતિ ભણે, સાંભળે તો તેની સારી ગતિ થાય, દેવગતિ થાય. બીજાં સુખ કંઈ નથી. પણ મનુષ્યભવ દુર્લભ છે. તેમાં સમ્યક્ત્વ પામ્યાનો લાગ છે; તે ચેતવણી. કોઈ વસ્તુ ચૂલે મૂકી હોય અને તેની સંભાળ ન રાખે તો બળી જાય અને ખાવા ન મળે. તેમ આટલા ભવમાં કર્તવ્ય છે પત્રને ફેરવવાનું-મનન તથા સ્મરણ કરવાનું. ફક્ત પા કલાક થાય. તે પણ શું ન બને ? વ્યાધિ વખતે ન બને પણ સુખશાતામાં તો બને ને ? આ તો ઘણા ફેરા કહે છે અને કહેતા આવ્યા છે—આમ કરવાથી આમાં બહુ ભૂલ થાય છે. “તે પત્રમાં આપ દર્શાવો છો કે કોઈ પણ માર્ગથી આધ્યાત્મિક જ્ઞાન સંપાદન કરવું; એ જ્ઞાનીઓનો ઉપદેશ છે, આ વચન મને પણ સંમત છે.' ૧. દુકાળના વખતમાં કેટલાક મજૂરો ટોપલા અને કોદાળીપાવડા લઈને મજૂરી કરવા જતા હતા. તેમને જોઈને કંદોઈની છોકરીએ તેના પિતાને પૂછ્યું કે આ બધા ક્યાં જાય છે ? કંદોઈએ કહ્યું, મજૂરી કરવા જાય છે. તેણે પૂછ્યું, કેમ મજૂરી કરવા જાય છે ? કંદોઈએ કહ્યું, દુકાળમાં ખાવાનું મળે નહીં, માટે મહેનત કરીને પેટ ભરવાનું કરે છે. ત્યારે તે છોકરીએ કહ્યું કે ‘આ ખાજાંની ભૂકરી ખાય નહીં ?' કંદોઈએ કહ્યું, ‘એ તો તને મળે, પણ એમને ક્યાંથી મળે ?' તેમ સત્સંગનો દુકાળ છે. તે શોધ્યો પણ મળવો મુશ્કેલ છે. પણ જેને પૂર્વના પુણ્ય વડે સત્સંગ મળ્યો છે તેને એમ થાય કે ‘બધા આવો સત્સંગ ન કરે ?' પણ પુણ્ય વિના સત્સંગ કરવો ય સૂઝે એમ નથી, તેમ મળવો પણ દુર્લભ છે. 13 Page #291 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ઉપદેશામૃત કોઈએ વાત કરી નથી, દેખાડ્યો નથી; પણ નક્કી છે, જરૂર છે. લાખો રૂપિયા આપો તોય મડદું બોલશે ? જડ બોલશે ? શું છે ? છે; ભાન નથી. આ કહેવું છે. અલોકિક વાત કહેવાય છે. રોજ રોજ એનું એ જ કહે છે', એમ થાય; પણ એક છે તો બીજું શું કહીએ ? જવા દે હવે અને આનો લક્ષ લે. આગમ જેમાં બઘાં સમાયાં તે વસ્તુ શું છે ? આત્મસિદ્ધિજી. વિચારની બહુ ખામી છે. એનો વિચાર કર્યો નથી. “જો જાણે સો માણે... બીજાને ખબર નથી. હીરાની કિસ્મત તો ઝવેરી જાણે. બીજો ન જાણે. માટે કર્તવ્ય છે. વાત ભેદીની અને જ્ઞાનીની છે, બીજાની નોવે. પકડી લેવા જેવી છે. તા. ૨૨-૧૧-૩૫, સાંજના ઉપદેશછાયા' આંક ૧૧ માંથી વાંચન : શરીર ઠીક રહે તે પણ એક જાતની સમાધિ. મન ઠીક રહે તે પણ એક જાતની સમાધિ. સહજ સમાઘિ એટલે બાહ્ય કારણો વગરની સમાધિ. તેનાથી પ્રમાદાદિ નાશ થાય. જેને આ સમાધિ વર્તે છે, તેને પુત્રમરણાદિથી પણ અસમાધિ થાય નહીં, તેમ તેને કોઈ લાખ રૂપિયા આપે તો આનંદ થાય નહીં, કે કોઈ પડાવી લે તો ખેદ થાય નહીં. જેને શાતા અશાતા બન્ને સમાન છે તેને સહજ સમાધિ કહી. સમકિતવૃષ્ટિને અલ્પ હર્ષ, અલ્પ શોક ક્વચિત્ થઈ આવે પણ પાછો સમાવેશ પામી જાય, અંગનો હર્ષ ન રહે, ખેદ થાય તેવો ખેંચી લે. તે “આમ થવું ન ઘટે' એમ વિચારે છે, અને આત્માને નિંદે છે. હર્ષશોક થાય તો પણ તેનું (સમકિતનું) મૂળ જાય નહીં. સમકિતવૃષ્ટિને અંશે સહજપ્રતીતિ પ્રમાણે સદાય સમાધિ છે. કનકવાની દોરી જેમ હાથમાં છે તેમ સમકિતવૃષ્ટિના હાથમાં તેની વૃત્તિરૂપી દોરી છે. સમકિતવૃષ્ટિ જીવને સહજ સમાધિ છે. સત્તામાં કર્મ રહ્યાં હોય, પણ પોતાને સહજ સમાધિ છે. બહારનાં કારણોથી તેને સમાધિ નથી, આત્મામાંથી મોહ ગયો તે જ સમાધિ છે.” (શ્રીમદ્ રાજચંદ્ર) આ બધી વાત છે તે શું છે ? સમજ આવ્યે સમજવાનું છે. તરવાર બાંધીને ફરે છે; પણ મારે તેની તરવાર.' મનુષ્યભવ ચિંતામણિ છે, જેવો તેવો નથી. કેમ ગાફલ રહ્યો ? ગાફલ રહ્યો તો માર ખાય છે. ચેત્યો તો પછી માર ન ખાય. થોથાં ખાંડ્યામાં કાળ જાય છે. લીધો કે લેશે થઈ રહ્યું છે. કોઈ વાત સત્સમાગમમાં પકડી, તો તે જ મારે તેની તલવાર કહેવાણી. આ જગતમાં તરવાનું છે ત્યાગથી. બીજું બધું મોહમમત્વ, મારું તારું કર્યું તે મિથ્યાત્વ. બધું મૂકીને જવાનું છે. કોઈ હારે (સાથે) નહીં આવે. એકલો જશે. “હું અને મારું કરે છે કે “મને દુઃખ થયું, “મને સુખ થયું, પણ તારું કંઈ નથી. આત્મા એકલો આવ્યો અને એકલો જશે. કોઈનું કંઈ થયું નથી. મેલ્યા વગર છૂટકો નથી; માટે સમજીને મૂકી દે ને ! લીઘો તે લહાવ. આ જીવને કર્તવ્ય શું છે ? સત્સંગ. સદ્ગોઘની ખામી છે; માટે તે ભાવના રાખવી. ક્યાં મળશે? નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે.” આ વચન ચમત્કારી છે–જીવને પકડી રાખવા લાયક. જે પાણીથી તરસ છીપે તે કામનું. પાણી વગર મરી જવાય. આ જગતમાં પુરુષોનો બોઘ તે પાણી છે. તે કામ કાઢી નાખશે; માંદો Page #292 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૧ ૧૯૫ હોય તે વખતે કંઈ થશે? દુઃખ આવશે. કોને રહેવું છે? બઘાય મરી ગયા. બિચારા ધૂળધાણી ને વા-પાણી. “આ દુઃખ-સુખ, વ્યાધિ-પીડા મને થાય છે.” મર ! ભૂંડા તારું શું? તારો આત્મા. તેને કોણ મારનાર છે ? આત્મા કદી મરશે ? કંઈક અવતાર અનંતા થયા અને મૂક્યા; પણ આત્મા મર્યો નથી. ખરો લાભ અહીં આ જગ્યાએ લેવાનો છે. કોણ હવે ચૂકે ? કર્યું તે કામ; લીધો તે લહાવ. પ્રતીતિ આવે, વિશ્વાસ અને પ્રેમ આવે તો કામ થાય. “મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરંત,” તેમ પ્રેમ આવવો જોઈએ. “જૈસી પ્રીતિ હરામકી, તૈસી હર પર હોય; ચલ્યો જાય વૈકુંઠમેં, પલ્લો ન પકડે કોય.” ત્યારે શું કરવું? એક વનો (વિનય). તારું ભૂંડું કરે તેનું તારે ભલું કરવું. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ ભાવના કરવી. માટે લખી લે, મારો તો હવે એ જ માર્ગ, બીજો નહીં. મારે ચાલવાનો રસ્તો એ જ. બાંધેલું મારું મારે કોરે કરવું છે. લો, રાખો તો રહેશે ? નહીં રહે. તમારો દેહ પણ નહીં રહે. માટે સર્વ ખોટું નીકળ્યું. ખરી સંભાળ લેવાની છે આત્માની. તેની સંભાળ લીધી નથી. તે જાણ્યો જ્ઞાનીએ; તે મને માન્ય. સારું, ભૂંડું-માઠું તારું કર્યું નહીં થાય. ત્યાં તો સાત સાંધે અને તેર તૂટે.’ તેની દવા કોણ કરશે? કોઈ કરશે ? મુમુક્ષુ–પોતાનાં પરિણામ જેવાં થાય તેવું થશે. પ્રભુશ્રી–ભગવાનનું વચન છે : “પપ્પા જત્તા વિછત્તા' અહીં કોણ લાવ્યું છે તને ? સુખનો અને દુઃખનો કર્તા આત્મા છે. માટે, હે જીવ! આત્માને સંભાળ. સ્નેહી, ભાઈબંઘ, સગાંવહાલાં વગેરેથી પ્રીતિ સંસારમાં જોડી છે, પણ તે કોઈ સુખ આપનાર નથી. અંબાલાલભાઈ, સોભાગભાઈ જેવા બઘા ગયા, પણ હારે કંઈ ગયું ? મુમુક્ષુ-ધર્મનું આરાધન હતું તે સાથે ગયું. જેવી વાસના અને પરિણામ. પ્રભુશ્રી–આત્માન સાથે કોઈ નથી. કંઈ છે કે ? તો શું છે ? સમજ. તે ખોટી આવે, સારી આવે. તે પ્રમાણે ગતિ થાય છે. માટે “ભૂલ્યો ત્યાંથી ફેર ગણ.” “સમજ્યો ત્યાંથી સવાર.' આ પકડવા જેવી વાત છે. આ તો કોઈક બેઠા છે અને વાત કરે છે; તેમ ન કર. વાત જ્ઞાનીની છે. આપણે તો જ્યાંથી વસ્તુ મળે ત્યાંથી લઈ લેવી. તા. ૨૩-૧૧-૩૫, સવારના [ તા.૧૪-૧૧-૩૫ (સં. ૧૯૯૨) ના “જન્મભૂમિ'માંથી પરમકૃપાળુદેવની જયંતી ઉપરનો લેખ વંચાયો.] આ બઘી આત્માની વાત છે. તે આત્માને સામાન્ય કરી નાખ્યો છે. તે શું છે ? જ્ઞાનીઓએ તેમાં ચમત્કાર ભાળ્યો છે. એ માહાસ્ય જબરું છે. આ બધું વાંચ્યું તે અમે કાણુંબોબડું સાંભળ્યું. આ આશ્ચર્ય તે કોને કહેવું. ? કાંઈ કોઈનામાં કોઈ ઘાલી શકે છે ? એ તો એને પોતાને તૈયાર થવાનું છે; અને એ જ તૈયાર થશે, ખપી થશે, જિજ્ઞાસુ થશે ત્યારે કામ આવશે. તમો બધું કામ છોડીને અહીં આવીને બેસો છો તે ખપને માટે ને? ભાવ છે તો અવાય છે. ભાવનું કારણ કોઈ ચમત્કારી છે ! તે જ્ઞાનીઓએ જોયું છે; કહ્યું જાય તેવું નથી. એ તો તે, એનો ભાવ અને પ્રેમ. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ઉપદેશામૃત જેમ રંગની ચટકી હોય તેવું છે. કયું કથાય તેમ નથી. આવું છે તો હવે શું કરવું ? મનુષ્યભવ પામીને કર્તવ્ય છે રંગ વિશ્વાસનો, પ્રતીતિનો, શ્રદ્ધાનો, આસ્થાનો; તેમાં જ તણાઓ. કોઈ કપડાને રંગમાં બોળે, બે, ચાર, પાંચ, આઠ વખત બોળે ત્યારે રંગે રંગ ચઢતો જાય છે. એક વખત બોળવાથી રંગ નથી ચઢતો, વધારે બોળાય તો ચઢે છે. માટે વાત સાંભળો, ફરી ફરીને સાંભળો. કહેવાનું કે જેને બહુ શ્રદ્ધા પ્રતીતિ આવી છે તેનું કામ થશે. સૌને વિશ્વાસ, પ્રતીતિ અને શ્રદ્ધાનું કામ છે. જોઈ જોઈને જોયું તો આ આવ્યું. બધી સામગ્રી જોઈએ છે. બહુ અજબગજબ છે ! સમજવાની વાત ખરેખરી છે; તેમાં વિઘ્ર ઘણાં હોય. બહુ ખામી છે માટે સમજજો. બોલવા જેવું રહ્યું નથી; શું કહીએ ? કછ્યું જાય તેવું નથી. “જબ જાગેંગે આતમા, તબ લાગેંગે રંગ.'' માટે જાગો. આ મતિશ્રુત છે પણ તેની ન્યૂનતા છે અને તેના ભેદ ઘણા છે. જિન, તેની તો અપૂર્વ વાત છે !—મન:પર્યવ જિન ! અવધિ જિન ! તેની ખબર નથી, તે હોય તો જાણે. માટે કરવું જોઈશે. આ કોઈનો દોષ જોવો નથી, ખામી કાઢવાની છે; પણ કરશે તો એ જ (આત્મા) પોતે. હવે આ સહજ વાત કરું છું, સમજવા માટે : સંસારમાં પૈસો ટકો, હોદ્દો, ખાવાપીવાનું, બધી મોજ હતી. તે છોડીને દીક્ષા લીધી. તેમાં શ્વેતાંબર, દિગંબર તે નહીં; અમે તો એક ઢુંઢિયા એમ થયું. અને તેમાં અહંકાર અને માન વધ્યું કે અમે સાધુ થયા છીએ, બધું ત્યાગ્યું છે. આવું થયું અને તેવું જ કરીને બેઠા અને તેમાં ને તેમાં જ અદ્ધર ઘક્કે પાંચ વરસ થઈ ગયાં. એકાંતરિયા ઉપવાસ વગેરે ત્યાગની ક્રિયા કરીએ; પણ કંઈ ન મળે—અહંકાર અને માન વધ્યું. મોટાં મોટાં શ્રાવક-શ્રાવિકાઓ બહુમાન, પૂજા-સત્કાર કરે. શાસ્ત્રનું બડબડ બોલી જઈએ, વાંચી જઈએતેનો વળી મનમાં અહંકાર રાખીને. લો, આવાં કામ કર્યાં ! કહેવાની મતલબ કે કોઈ અક્કરચક્કર વાત બની. નહીં વાત, નહીં વિગત; ઓળખાણ નહીં, પિછાણ નહીં; પણ સૂર્ય ઊગે અને પહેલાં ભાંભરડું (પ્રભાત) થાય તેમ પહેલાં સાંભળ્યું. પૂરો સૂર્ય ઊગે ત્યારે દિવસ થાય. અંબાલાલભાઈ પાસેથી પરમકૃપાળુદેવ સંબંધી જૂઠાભાઈની વાતો સાંભળી. પણ તેમાં હજુ અહંકાર અને અભિમાન પોતાનું ઊભું જે હતું. મનમાં થયું કે વાત તો એની જ છે; પણ આવું કંઈ ન મળે. છતાં વિશ્વાસ તો બેઠેલો કે કંઈક છે. તેમાંથી સહજ મળતાં અંબાલાલભાઈ બેઠેલા અને અચાનક કૃપાળુદેવની વાત કરી, અમે કાન ધર્યો અને સાંભળી. આ શું છે ? કોને કહે છે ? બીજી વાત સાંભળીએ તેમ આ પણ સાંભળી અને સાંભળતાંની સાથે જ વાત જુદી થઈ ગઈ ! આ હું મારી જાત-અનુભવની વાત કરું છું. જેમ સંસાર છોડીને દીક્ષા લીધી હતી તેમજ આ વાત સાંભળતાં જ બધું ફરી ગયું ! પછી તો, તે વાતો જ સાંભળ્યા કરી. જૂઠાભાઈનો પત્ર વંચાણો. તે વાંચીને પછી મનમાં થયું કે જઈશ ક્યાં ? ત્યારથી ફર્યું તે ફર્યું, તે આજની ઘડી અને કાલનો દહાડો. નહીં બોધ, નહીં સમાગમ કે નહીં કંઈ કહેવું; પણ તરત એકલો નીકળી પડ્યો, સંઘ વગેરે બધાથી જુદો પડ્યો. આમને (જેસંગભાઈ શેઠને) જોયેલા અને મળેલા, બાકી જૂઠાભાઈને ભાળેલા પણ તે વખતે કંઈ ભાન નહીં. પછીથી ઉગરીબાને ઓળખું, પહેલાં ખબર નહીં; કારણ બાઈની હારે શું કામ હોય ? વાત તો પૂછવાની અને સાંભળવાની હોય, અને ૧. એક દિવસ ઉપવાસ અને એક દિવસ આહાર એમ વારાફરતી ઉપવાસ-આહાર કરવાનું વ્રત. Page #294 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૧ ૧૯૭ તેની જ હોંશ. મનમાં લાગ્યું કે આમાં કંઈક છે ખરું, અને પછી બધું બેસી ગયું. હવે ક્યાં જઈશ ? બકરાંના ટોળામાં સિંહ હોય પણ પોતાને બકરું માની ફર્યા કરે. પણ જાતિભાઈ મળી ચેતાવે અને જણાવે કે તું તો સિંહ છે, નોય બકરું. સિંહ હોય એને ચેત્યા પછી તેની ગણતરી ન રહે. પછી તો, એનાં વચન પડ્યાં અને વધારે વાત સંભળાણી; તેથી પાકું થતું ગયું તે થયું. પણ આ સાચી વાત કોઈને કહેવાય નહીં–બધા મોટા મોટા સાધુ થઈ બેઠેલા. લો, આ ચમત્કાર કોણે કર્યો ? કોણે કહ્યું? માટે, તેમાં પૂર્વકૃત અને પુરુષાર્થ જોઈશે. આ મનુષ્યભવ તે પૂર્વકૃત. હવે તેનાથી પુરુષાર્થ કર્તવ્ય છે. માટે તૈયાર થવાનું છે પોતાને. એની વારે વાર. એ છાનું નહીં રહે. વઘારે કહેવાય નહીં. કહેવાથી તેમાં ખામી આવી જાય છે. કોઈ બે ભવે અથવા કોઈ એક ભવે મોક્ષે જશે; તેની ખબર હોય, પણ કહેવાય નહીં. આ પ્રારબ્ધમાં “દહીંનો ઘોડો' અને ફાલકાની માફક ફરે છે; તે તો કર્મ છે તે ભોગવ્ય છૂટકો. જાણવાનું જે છે તે જ કર્તવ્ય છે; માટે નક્કી, ચોક્કસ, પર્ક કરી લેવા જેવું છે. ખાનગી કહેવાનું, દબાવીને, ચાંપીને પણ આ જ ઘાલી દેવાનું છે. પૂનામાં ભગવાન આગળ બધા ભાઈઓને પોકાર કરીને કહ્યું હતું, એ ને એ જ; અત્યારે પણ એ જ આ ચિત્રપટ. આને બીજું બધું મુકાવવું છે અને કરાવવું છે એક આત્માનું. તૈયાર છે? તારી વારે વાર. બધાય મુમુક્ષુઓને માનવા લાયક છે. જોજે હોં, પકડ ન છોડીશ અને બીજું ન જોઈશ. એક પકડ અને માન્યતા કર. એક આત્મા જોવો છે. ૧. એણધેણની રમતમાં દાવવાળો છોકરો. ૨. એક ધનાઢય શેઠને જિનરક્ષિત અને જિનપાલિત એમ બે દીકરા હતા. તે મોટી ઉંમરના થયા, ત્યારે વેપાર કરી સ્વાવલંબનથી ઘન કમાઈ આત્મસંતોષ મેળવવા ઇચ્છા થતાં માતાપિતાના પ્રેમ અને ઘેર રહેવાના આગ્રહને અવગણી હઠ કરી પરદેશ ગયા. ઘણો માલ ભરી, વહાણ દૂર દેશમાં લઈ જઈ વેચી ત્યાંથી મસાલા વગેરે ઉત્તમ વસ્તુઓ ખરીદી. પાછા દેશમાં આવવા નીકળ્યા. રસ્તામાં તોફાનથી વહાણ ભાંગી ગયાં. પણ એક બેટ ઉપર બન્ને આવી ચઢ્યા. ત્યાં એક રયણાદેવી રહેતી હતી. તેણે બન્નેને લલચાવી પોતાને સ્થાને રાખ્યા. ઘણા વિલાસમાં તેમને મગ્ન કરી દીધા. ઘર પણ ન સાંભરે તેમ તેમના ઉપર કૃત્રિમ પ્રેમ દર્શાવી વિષયસુખમાં લીન કરી દીધા. એક દિવસે ઇન્દ્રની આજ્ઞા મળતાં તેને સમુદ્ર સાફ કરવા જવાનું કામ આવી પડ્યું. એટલે તે બન્ને ભાઈઓને કહ્યું કે ખાસ કામ અર્થે મારે ત્રણ દિવસ જવાનું છે. પણ તમને અહીં કંઈ અડચણ પડવાની નથી; જ્યાં બેટમાં ફરવું હોય ત્યાં ફરવું, પણ એક ઉત્તર દિશામાં ન જવું. એમ કહી તે કામે ચાલી ગઈ. બન્ને ભાઈઓ બધે ફરીને બાગ આદિ સ્થળો જોઈ રહ્યા એટલે ઉત્તર તરફ જવા નિષેઘ કરેલો તેથી જ ખાસ જિજ્ઞાસા થઈ કે જોઈએ તો ખરા ત્યાં શું છે. એમ ઘારી તે દિશામાં ચાલ્યા. ત્યાં હાડકાં આદિ દુર્ગથી પદાર્થોના ઢગલા જણાયા. દૂર જતાં એક માણસને શૂળી ઉપર ચઢાવેલો હતો તેથી બૂમો પાડતો હતો, તેની પાસે તે બન્ને પહોંચી ગયા, તેનો અંત નજીક જણાતો હતો. તે બન્નેએ પૂછ્યું, “આપનું અમે શું હિત કરીએ ?” તેણે કહ્યું, “ભાઈ, હું હવે મરણની નજીક છું, તેથી બચી શકું તેમ નથી. પણ તમારી આવી જ દશા થનારી છે. તમારી પેઠે મેં બહુ વિલાસ એ રયણાદેવી સંગે ભોગવ્યા, પણ તેને દરિયો સાફ કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે તમે તેને મળી ગયા એટલે મારી આ દશા તેણે કરી. હાલ તે નથી એટલે જ તમે આ પ્રદેશમાં આવ્યા લાગો, છો. બીજા કોઈ મળતાં તમે પણ શૂળીના ભોગને પ્રાપ્ત થશો.” આ સાંભળી બન્નેએ તેને હાથ જોડી વિનંતિ કરી કે કોઈ ઉપાય અમારા છુટકારાનો હોય તો કૃપા કરી જણાવો. તેણે કહ્યું કે દરિયા કિનારે એક યક્ષ રહે છે, તે Page #295 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ઉપદેશામૃત તા. ૨૩-૧૧-૩૫, સાંજના ઉપદેશછાયા'માંથી વાંચન : આત્માને નિંદવો; અને એવો ખેદ કરવો કે જેથી વૈરાગ્ય આવે, સંસાર ખોટો લાગે. ગમે તે મરણ પામે, પણ જેની આંખમાંથી આંસુ આવે, સંસાર અસાર જાણી જન્મ, જરા, મરણ મહા ભયંકર જાણી વૈરાગ્ય પામી આંસુ આવે તે ઉત્તમ છે. પોતાનો છોકરો મરણ પામે, ને રુએ તેમાં કાંઈ વિશેષ નથી, તે તો મોહનું કારણ છે.' પોતાની વાત છે. વાત આત્માની જ છે. તે નથી કર્યું. જીવને ખરેખરું કર્તવ્ય એ જ છે. બીજે પ્રેમ-પ્રીતિ કરે છે. પુરુષાર્થ તો કરે છે; પણ બહારનો, આનો નહીં. આત્મા ઉપર જેની દ્રષ્ટિ પડી તેનો બેડો પાર. પરિણામ શું નીકળે ? સમકિત; વિશેષ પુરુષાર્થ કરે તો કેવળી થાય. જન્મ-જરામરણ થઈ રહ્યાં છે, તેમાં સુખ અને દુઃખ, બીજું નથી. “પ્રીતિ અનંતી પર થકી, જે તોડે તે જોડે એહ.” આ બધું મૂક ! મૂક્યા વગર છૂટકો નથી. વહેલું મોડું મુકાય છે. કામ કરવાનું પડ્યું રહ્યું ! બહારના કામમાં જશે; પણ આ વિષેનું ભાન નથી. આ ભુલવણી કેવી ? કાળનો ભરોસો નથી. આપણી નજરે કૈંક ચાલ્યા ગયા તેનો વિચાર નથી. “હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું ?” (અમૂલ્ય તત્ત્વવિચાર, “મોક્ષમાળા') તેનો વિચાર નથી. આ બીજું બધું શું છે? તે આત્મા નથી. આમાં વાત વૈરાગ્યની છે. બીજું મૂકવું છે–પરનો ત્યાગ. વિચાર નથી થયો. છે અસંગ તેની સંભાળ નથી લીધી. ખરું તો દરરોજ બપોરે પોકારે છે કે કોને તારું, કોને પાર ઉતારું ? તે વખતે તેનું શરણ ગ્રહણ કરી, “આપ ગમે તે કહેશો તે માટે માન્ય છે. પણ મને બચાવો અને અમારે દેશ પહોંચાડો” આમ કહેવાથી તે મચ્છનું રૂપ ધારણ કરી તમને પીઠ પર બેસાડશે અને સૂચના આપશે તે પાળશો તો સાગર ઓળંગી સ્વદેશ પહોંચશો. - આ ઉપાય અજમાવવા તે બીજે દિવસે ગયા. યક્ષને વિનંતિ કરી ત્યારે તેણે કહ્યું કે તમને લલચાવવા રયણાદેવી આવશે પણ તેના સામું પણ જોશો નહીં. જે તેના પ્રત્યે પ્રેમવંત બની લલચાશે તેના મનને જાણી લઈ હું પીઠ ઉપરથી ઉછાળી તેને દરિયામાં નાખી દઈશ. બન્નેએ એક તરવાના લક્ષથી તેની શરત કબૂલ કરી. ત્યાં તો તે મચ્છ થઈ કિનારે આવ્યો એટલે બન્ને તેની પીઠ ઉપર બેસી ગયા અને સપાટાભેર દરિયો કાપવા લાગ્યા. - ત્રીજે દિવસે રયણાદેવી આવી ત્યારે તેમને ઘેર દીઠા નહીં તેથી જાણી ગઈ કે તેમને કોઈ ભેદી મળ્યો છે. તેથી તેમની શોઘમાં તે દરિયામાં ચાલી અને આકાશમાં રહીને વિલાપ કરતી બન્નેને વીનવવા લાગી. જિનરક્ષિત ગંભીર અને સમજુ હતો. તે તો તેના તરફ પીઠ દઈને બેઠો, ગમે તેવા ચાળા કે વિનવણી કરે તેની કાળજી કરી નહીં. મરણરૂપ જ તેની કપટજાળ તે લેખતો. તે તો નહીં જ ફસાય એમ ખાતરી થવાથી તે હવે માત્ર જિનપાલિતનું નામ દઈ વારંવાર કહેવા લાગી : “મેં તમને શું દુઃખ દીધું છે? મારા સામું જરા જોવાથી મને આશ્વાસન મળશે. પૂર્વની વાત સંભારી કૃપા કરી મારો સ્નેહ યાદ કરી, આવા નિષ્ફર ન થાઓ; અબળા ઉપર દયા લાવો.” એવાં વચનોથી નાનો જિનપાલિત લલચાયો; “બિચારી આટલું કલ્પાંત કરે છે તો તેના સામું જોવામાં શો દોષ છે?” એમ કરી જ્યાં દ્રષ્ટિ કરી ત્યાં યક્ષે તેને ઉછાળી નાખી દીધો કે તરત તેની નીચે ત્રિશૂલ મૂકી દેવીએ તેના ત્રિશૂલથી કટકેકટકા કરી દરિયામાં નાખી દીધો. પણ જિનરક્ષિત લલચાયો નહીં, તો સ્વદેશ પહોંચી ગયો. આ ઉપરથી બોધ લેવાનો કે જગતની માયા, પુદગલ અનેક રીતે ભોળવી તેની પ્રીતિમાં આ આત્માને ફસાવે છે; પણ પોતે ન ઠગાતાં, એક મારો આત્મા જ સાચો છે એમ જાણી, તેને જ ખરો માનવો. બાકી સર્વ માયા છે. દેહાદિ પરવસ્તુમાં મોહ ન કરવો. Page #296 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ–૧ ૧૯૯ બીજું નહીં. જ્ઞાનીએ કહી દીધું : “અસંગ-અપ્રતિબંઘ'; પણ તેનું ધ્યાન નહીં. આત્મા કેમ જોવાતો હશે ? કેવો હશે ? હવે આપણે શું કરવું ? ૧. મુમુક્ષ-આત્માનો જેને પરિચય હોય તેનો સમાગમ કરવો, તેની પાસેથી સમજવો, તેના બોઘને વિચારવો, તેવા પ્રકારે પરિણામ લાવવું. પ્રભુશ્રી–આ તો એક જાતનો ઉદ્યમ આવ્યો. એમ પણ કરી ચૂક્યો; પણ હાથ નથી આવ્યો. ૧. મુમુક્ષુ–એમ કર્યું નથી. નહીં તો હાથ આવે. પ્રભુશ્રી અધૂરાં સીએ મેલ્યાં; પણ પૂરાં કોઈએ કીધાં ? નિવેડો કેમ આવે ? ૨. મુમુક્ષુ–કર્યું ખરું, પણ ભાવ અને પરિણામ તેવાં કીધાં નહીં; માટે કચાશ રહી. પ્રભુશ્રી–હા, એ તો ખામી બતાવી. ઠીક, બધી વાત મૂકો પડતી. એક કંઈક કરવું રહ્યું તે શું? ૨. મુમુક્ષુ સમજણ કરવાની રહી. પ્રભુશ્રી–અપેક્ષાએ વચન ખોટાં નથી. “પાવે નહિ ગુરુગમ બિના, એહિ અનાદિ સ્થિત'. જે દી તે દી પણ ગુરુ વિના જ્ઞાન નહીં, ગુરુ વિના ધ્યાન નહીં. પછી વાર ન લાગે. મોટાં મોટાં કામ અંતર્મુહૂર્તમાં થયાં. અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન ! ગુરુ વગર આગળ ચાલે તેમ નથી. તેની જરૂર છે. ૨. મુમુક્ષુ–ગુરુગમ શું છે ? કોઈ વસ્તુ છે ? ક્યાં રહે છે ? પ્રભુશ્રી–પાવે નહિ ગુરૂગમ બિના” તે શું છે ? ૨. મુમુક્ષુ-વ્યાકરણ પ્રમાણે કહું છું, તેનો અર્થ–ગુરુ બતાવે તે. પ્રભુશ્રી–એટલું તો નક્કી કરો. જગતમાં વસ્તુ છે બે : જડ અને ચેતન. કોઈ કાળે, કોઈ ઠેકાણે સાંભળ્યું છે કે જડ જાણશે ? આત્મા શું છે ? આત્મા છે તેની સાથે વાત થશે, બીજા સાથે થાય ? ભાઈ કહો, દાદા, મામા, બાપ વગેરે કહો–ભૂંડું થયું છે કલ્પનાથી. ક્ષણે ક્ષણે કલ્પના છે. એક આત્માને જાણ્યો એટલે સૌ જાણ્યું. તે ન જાણ્યો તો કંઈ જાણ્યું નહીં. બોલશો નહીં, જ્ઞાની જાણે છે. કચ્યું જાય તેવું નથી. મોટી વાત છે ભાવની. ભાવ વગર કંઈ કરી શકાય નહીં. આ મુદ્દાની વાત કીઘી. અત્યારે આત્મા છે એ જ ગુરૂગમ છે. જડને કશું છે ? એક ભાવ છે. ભાવ વગર મોળું છાણ જેવું મીઠું નાખ્યું ન હોય તો મોળું હોય તેમ. માટે આપણે તો એક જ ભાવ. સૌ સૌના ભાવ પ્રમાણે કામ થાય. રાગ-દ્વેષ, મોહ, શાંતિ, ક્ષમા જેમાં જે પ્રમાણે હોય તે પ્રમાણે બને. ભાવ વગર વાત નથી. બીજાનું પરિણામ આવે તો આનું નહીં ? ભાવ તેવું પરિણામ આવશે. માટે આ કર્તવ્ય છે. “નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે; એ દિવ્યશક્તિમાન જેથી જંજીરેથી નીકળે.' જીવનું પ્રમાદ અને આળસે ભૂંડું કર્યું છે, આ વિઘ છે. શું બતાવ્યું ? સત્સંગમાં જવું. ગમે ત્યાં જાઓ, એક સત્સંગ. તેથી રૂડું છે. પાપનો બાપ જાણો. શું નીકળ્યું ? આને જાણવાનું શું છે ? એક સત્, સત્ અને સત્. આ નીકળ્યું,-આ પરિણામ આવ્યું. “જાગ્યા ત્યાંથી સવાર.” જાગ્યો Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ઉપદેશામૃત નથી. આટલી ખામી. જગાડવો પડશે. મોટા મોટાએ કામ કર્યા છે, જગાડ્યો ત્યારે—જેમ કુંભકરણને નિદ્રામાંથી જગાડ્યો તેમ. આની પાસે માગો, તેની પાસે માગો, ફલાણાની પાસે માગો તેથી દી નહીં વળે; એક અહીં. “જબ જાએંગે આતમા, તબ લાગેંગે રંગ.” આ વચન જ્ઞાનીનાં છે; ફરે નહીં. માટે કરવા જેવું છે. “સાંભળી સાંભળી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.” આ ને આ શું ? આ શું છે ? ઓળંભા દે છે. બેઠા તો કંઈ સંભળાય. કચાશ છે, ખામી છે, મોટી ખોટ છે. રૂપિયાવાળો વાપરે; ન હોય તે શું કરે ? આ કહેવું થયું છે. જાણ્યું નથી. જેની પાસે હોય તે કરી શકે. આ વસ્તુ સની છે, ગુરુગમની છે. ગુરુનાં દર્શન તથા બોઘ નથી થયાં. આ મોટી ખામી છે. અજબ ગજબ છે ! વાત તો બહુ છે. જ્ઞાની, હે ભગવાન ! અજબ ગજબ ! અપૂર્વ વાત છે ! મનુષ્યભવમાં જેટલું બને તેટલું; ભૂલીશ નહીં, ચૂકીશ નહીં. તા. ૧-૩૬, સાંજના શિથિલતા અને પ્રમાદ ઝેરરૂપ છે, વૈરી છે, ભૂંડું થયું તેથી. મનુષ્યભવ પામ્યા તો આ લક્ષમાં રાખવાનું છે, પોતા માટે છે. જીવનું ભૂંડું વિષયોએ કર્યું છે; તે દુશ્મન છે. “જાગ્યા ત્યારથી સવાર.” સમય નીયમ મા પમg' હવે ક્યાં સુઘી પડી રહીશ ? આ બધું માયાનું છે, તે નોય. ખબર લેવી છે આત્માની. તે આત્મા જામ્યો છે જ્ઞાનીએ. તેને માટે સત્સંગ અને બોઘ લેવો જોઈએ, તે સાંભળવું જોઈએ. બઘો વર્ષોનો ભોગવટો છે, કર્મ આવે છે અને જાય છે. કર્માઘાન ક્રોઘ-કષાય આવે, પણ બોઘ હોય તો તેને વાળી દે છે. આ તો “વાની મારી કોયલ,” માટે હવે બે ઘડી બેસ ને સત્સમાગમ કર. આ અવસર જતો રહ્યો તો પછી શું કરીશ ? બધું બીજું જોશે. ઘરડો, જુવાન, રોગી, વાણિયો, બ્રાહ્મણ બધો કલબલાટ છે. જે જોવાનું છે તે નથી જોયું. તે ગુરુગમે જોવાય છે. તારા સ્વચ્છંદથી કરવા જેવું નથી. ગુઆજ્ઞાથી કામ થઈ જાય. ભલા માણસ, લહાવો લેવાનો તો આ છે. વહેવારે પરદેશ કમાવા જાય અને કહે, “આ હું કમાણો'; પણ કર્મ બાંધ્યાં ! તો તે આ નહીં. ગુઆજ્ઞાથી, ગુરુગમથી તો કરેલાં કર્મબંઘ જાય; કર્મ આવવાનાં દ્વાર બંધ થાય. હવે ક્યાં ઊભું રહેવું ? સત્સંગની ઉપાસના કરે, બોઘ સાંભળે તો પછી જાણે કે આ મારી જગ્યા ઊભા રહેવાની; બાકી આ જગતમાં તો પગ મૂકતાં પાપ છે, દ્રષ્ટિમાં ઝેર છે, માથે મરણ રહ્યું છે. તેથી (બોઘથી) દ્રષ્ટિ ફરી જાય. હોત આસવા પરિવા, નહિ ઇનમેં સંદેહ; માત્ર તૃષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહ.” તારી તો કમળાવાળી આંખ છે એટલે પીળું દેખાય. એક દ્રષ્ટિ તો વિકારની છે. અને એક વૈરાગ્યની છે. તારા જો ભાવ ફરી જાય તો કમાણી અપાર છે. આ સંસારમાં તો માયા છે અને તેમાં થોથાં ખાંડ્યા જેવું છે. જીવનું ભૂંડું કરે છે માન. માનનો તો જાણે હોદ્દો લઈ બેઠો છે ! તેને તો મારી નાખ હવે. “અધમાધમ અઘિકો પતિત, સકળ જગતમાં હંય; એ નિશ્ચય આવ્યા વિના, સાઘન કરશે શુંય ?” Page #298 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૧ ૨૦૧ લઘુતા આવે તો પછી કેવું કામ થાય ? આ તો માનમાં ને મનમાં રહ્યો, કે આને કંઈ આવડતું નથી, આ કંઈ જાણતો નથી; લાવોને હું વાત કરું. ભૂંડું કરી નાખ્યું છે. સત્સંગની તો બલિહારી છે ! આ અવસર આવ્યો છે, ચેતવા જેવું છે. કૂંચી નથી તો તાળાં શી રીતે ઊઘડે ? તે આવવું જોઈએ. તેમ ગુરુ વિના જ્ઞાન નથી અને થાય નહીં. બીજે જાઓ, ભલે ! ભટકો–તેથી તો તાળાં ભટકાય પણ ઊઘડે નહીં. તે ગુરુ પાસેથી મળશે. હવે ક્યારે લેવાશે ? “અઘમામ અધિકો પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાઘન કરશે શું ? પ્રભુ, પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગરુપાય; દિીઠા નહિ નિજ દોષ તો, તરિકે કોણ ઉપાય ?' માટે લઘુતા જોઈએ. આ જીવને અનંત કાળચક્રથી માન મુકાણું નથી; તે હવે મૂકી દે અને પાણીથી પાતળો થઈ જા. અહંકારથી કરીશ તો તે લેખામાં નહીં આવે. હું સામાયિક કરી આવ્યો, હું અપાસરે ગયો–આમ કર્યું, તેમ કર્યું. અને ત્યાંથી નવરો પડ્યો એટલે પછી બધું બીજું ન કરવાનું કરે ! “નવરો બેઠો નખોદ વાળે.' નખોદ વળ્યું છે અણસમજણથી. “સરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; . સમજ્યા વણ ઉપકાર શો ? સમયે જિનસ્વરૂપ.' બાપ થઈને ખવાય ? ન ખવાય; પણ દીકરો થઈને ખવાય. તેમ લોકમાં કહેવાય છે ને ? આ તો સંઘવી છે, મોટા છે, ડાહ્યા છે, જાણકાર છે; શું અમે નથી સમજતા ? આ બધું માન પૂજા છે, અહંકાર છે. ઘર્મ ક્યાં છે ? ઘર ઘરમ કરતો જગ સહુ ફિરે, ઘરમ ન જાણે હો મર્મ, જિનેસર; ઘરમ જિનેસર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હો કર્મ, જિનેસર. ઘર્મ જિનેસર ગાઉં રંગશું.” ગુફામાં હજારો વર્ષનું અંઘારું હોય, પણ દીવો આવે એટલે અજવાળું. આ તે કંઈ વાત ! ચમત્કાર છે ! ૧. મુમુક્ષુ–જિનેશ્વરના ચરણ એટલે શું કે જેથી કર્મ ન બાંધે ? ૨. મુમુક્ષુ ચરણનો અર્થ અહીં જ્ઞાની પુરુષની યથાર્થ આજ્ઞાનું આચરણ-આરાધન. તે પ્રમાણે થાય તો કર્મ બંધાતું નથી; તેથી વિમુખ હોય તો બંધાય. ૧. મુમુક્ષુ ચરણ ગ્રહણ થયા પછી, “પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે દેખે પરમ નિશાન જિનેસર.' તે અંજન શું ? પ્રભુશ્રી–ગુરુગમ આવી તો તેમાં બધું આવ્યું; પણ મર્મ સમજાણો નથી. ૧. મુમુક્ષુ-મર્મ શું? પ્રભુશ્રી યોગ્યતાની કચાશ છે. ચરણમાં જ્ઞાનીનાં આચરણ વગેરે કહ્યું, તોપણ હવે બેસ. એ તો યથાતથ્ય ઓળખાણ થયે જો તે તેના ઉપયોગમાં આવ્યો, યથાતથ્ય બોઘ થયો અને તે ગ્રહણ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ઉપદેશામૃત કર્યો એટલે તે જ આત્મા. આ કચાશ છે તેની યોગ્યતાની, તેથી નથી કહી શકતા. ખબર નથી, ઓળખાણ નથી. ૧. મુમુક્ષુ– “છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ; પ્રભુશ્રી– “એમ જાણે સગુરૂઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ,'' ખાસ, ખાસ. આવા પુરુષોને કોણ માને ! કર્મ ફૂટ્યાં તારાં ! વાત કોની હતી ? તો કે આત્માની અને આત્માની ઓળખાણ તો પડી નથી. તે છે, જ્ઞાની પાસે છે; ક્ષણવાર પણ તેથી જુદો નથી. ૧. મુમુક્ષ–“સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે; શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી.” પ્રભુશ્રી–આને ઓળખનાર કોણ ? ઘન્યભાગ્ય કે જે એને જાણશે. કહેવાની વાત એક આત્મા. બીજું બધું જોયું પણ આત્મા નથી જોયો. ને બીજું બધું જોયું તે પણ આત્માએ જ જોયું. ૧. મુમુક્ષુ-આપ અમને જુઓ અને અમે તમને ન જોઈએ અને અમનેય ન જોઈએ એ કેવી ખૂબીની વાત ! પ્રભુશ્રી–અંજન થવું જોઈએ. તે નથી થયું. ૩. મુમુક્ષુ –ત્યારે ચશ્માં ફેરવી આપો, ઊંધાંનાં સવળાં કરી આપો. પ્રભુશ્રી–પ્રભુની કૃપાળુની કૃપા છે ! આપ મોટા છો. રહેતે રહેતે એવો થઈ ગયો; મારો વહાલો જબરો છે ! - આ બધું કોણ દેખશે ? આત્મા : જ્ઞાની, અજ્ઞાની. ભુલવણી છે કે આત્મા છે તેને જાણ્યો નથી. જાણવાથી આમ્રવનો સંવર થાય છે અને સંવર તે આત્મા છે. “પુદ્ગલ ખાણો, પુદ્ગલ પીણો, પુદ્ગલથુંથી કાયા, વર્ણ સંઘ રસ સ્પર્શ સહુ એ, પુદ્ગલકી માયા. સંતો દેખિયે વે પરગટ પુદ્ગલ-જાલતમાસા.” મોટા પુરુષો બિચારા પોકાર કરીને વહ્યા ગયા. જેણે જાણ્યું છે એવો ભેદી મળશે તો કામ થઈ જશે. તે વગર છૂટકો નથી. સાટું જેમ વહેવારમાં કરે છે, તેવું થવું જોઈશે; તે વગર છૂટકો નથી. તા. ૮-૧-૩૬, સાંજના આ જીવ તો પૈસાન, પૂજા, માન વગેરેનો ભિખારી છે. પણ જે ચૈતન્ય પોતાનો આત્મા છે, તેનું તો ભાન નથી, કાળજી પણ નથી. તેનો શો ઘર્મ છે તે જાણવો જોઈએ. તેથી કામ થાય, દેવગતિ થાય. વહેવારમાં કમાઈ કરીને જે ભેગું કરે છે તે પણ કર્મમાં હોય તો જ રહે. બધું અજ્ઞાનથી અને મિથ્યાત્વથી ભૂંડું થયું છે. તે મારું નહીં. ‘વાની મારી કોયલ.” આત્માની સાથે એક Page #300 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૧ ૨૦૩ સોય પણ નહીં જાય. મૂરખો હોય તે ન ચેતે. ખાસ ઊંડી દાઝ રાખીને ચેતવાનું છે. વેરી અને દુશ્મન તો કર્મ છે, તે આત્માની ઘાત કરનાર છે; અને તેની હારે જ ભાઈબંઘી રાખી છે ? કુસંગ થઈ ગયો છે. જવા દે હવે, લાગ આવ્યો છે. મનુષ્યભવ દુર્લભ છે. બીજા અવતારમાં નહીં સંભળાય. મનુષ્યભવ દુર્લભ કીઘો, તે લેખામાં ન આણે તો પશુવત્ છે. આ સંસારમાં મનુષ્યભવ પામીને શું કીધું ? બીજું બધું ચિત્ર-વિચિત્ર, આત્મા નોય, બધું પુદ્ગલ. સંતો, દેખિયે વે પુગલજાલ તમાશા. એ નો'ય તારું; માટે સમજ, ચેતી લે. ગણતરી કર પોતાના આત્મા માટે. છોકરાં-છૈયાં તારાં નથી અને થવાનાં પણ નથી; આખર એકલો જશે. માટે વિચાર કરવા જેવું છે. ભૂલ્યો ત્યાંથી ફેર ગણ. અવસર આવ્યો છે. આ બધા બેઠા છે અને સાંભળે છે, તેમાંય પુણ્યના દળિયાં. તેની કોઈને ખબર નથી. તે ખબર હોય તો કામ થઈ જાય. બહુ ભૂલ છે અને ખોટમાં જાય છે. અજાણ્યો ને આંધળો ! જગત અજાણ્યું અને આંધળું છે. ખપી થશે તેના કામનું છે. આવનામાંથી આમાં જેટલો કાળ ગયો તેટલો લેખામાં છે. જાણેઅજાણે પણ આમાં કાળ જશે તે લેખાનો છે. પણ સામાન્યપણામાં કાઢી નાખ્યું. બધું એકસરખું ભરડી નાખે છે તે અજ્ઞાન છે. માટે આ કરવાનું છે તેમાં કાળજી રાખ. એને સંભારે તો કામ નીકળી જાય. આ તો બધું ભેળસેળ કરી નાખ્યું; માટે ચેતો. આવો દાવ ફરી ક્યાંથી આવે ? બહુ લાભ છે; કરવા જેવો અવસર આવ્યો અને કરે નહીં તો પછી શું? ગફલતમાં ગયું તો થઈ રહ્યું ! વૃત્તિનું સ્વરૂપ નથી જાણ્યું. જ્ઞાનીએ તો ઘણું કહ્યું. ભણી જાય છે; પણ ગણ્યું નથી. જે પળ જાય છે તે ફરી નહીં આવે. “સમયે યમ મા પાણ’ આ બોલ્યા તેઓ શું ગાંડા હતા ? “સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે.” તે બોલો. ૧. મુમુક્ષુ- “સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે. શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી.” પ્રભુશ્રી–આ બધું તુંબડીમાં કાંકરા. આનો મરમ નથી જાણ્યો, ભેદ નથી જાણ્યો, સમજાણું નથી. આ ચમત્કારી વાત છે ! આ તો મહાન મંત્ર છે; કથા નથી. પહેલાં વિશ્વાસ પુરુષનો રાખ, પછી માન્ય કરીને જેમ જગતનાં કામ કરે છે, તેમ આ કામ કર. આ બધું બતાવ્યું તેમાં એક માનવાપણું કર. બીજું કાંઈ શોઘ મા. માત્ર એક સત્પરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વર્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.” લો, આ બધા સંસારને માથે વજમય તાળાં દીઘાં કે ફરી ઊઘડે નહીં, અને ઝેર ઉતારે તેવું છે. સપુરુષ શું ? ૧. મુમુક્ષુ–આત્મા. પ્રભુશ્રી_સપુરુષ કોણ ? ૨. મુમુક્ષુ–“મળ્યો છે એક ભેદી રે, કહેલી ગતિ તે તણી' પ્રભુશ્રી બારોબાર. ઉઘાડો, ઉઘાડો. ૨. મુમુક્ષુ–આપને ભેદી મળ્યો છે, એ તો નક્કી છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ઉપદેશામૃત પ્રભુશ્રી–તે તો ના ન કહું, પણ વાત છે ભાવ ઉપર. કરવું જોઈશે. ભાવ વઘારે તો આત્મા અને ઘટાડે તોય આત્મા. આત્માને ભાવ છે. પહેલી જોઈએ ઓળખાણ; તે વગર કચાશ છે, સવ, નાળે, વિન્નાઓ.” વિજ્ઞાનપણું આવે તો પૂછવા જવું ન પડે. જેનું કામ છે તેનું છે, બીજાનું નહીં. “જબ જાએંગે આતમા, તબ લાગેંગે રંગ.” કહી શકાય નહીં તેવું છે. વાત તો હદપાર કરી છે ! યોગ્યતાની ખામી છે અને તાળાં ઊઘડ્યાં નથી. બઘાં જ્ઞાન, કેવળ સુઘી એક આત્માને જ થશે. અહીં આગળ કામ વિચારવાનું છે; બીજાનું નથી, આત્માનું છે. ગોળ ખાશે તેને ગળ્યું લાગશે. હવે આનો ઉપાય જોઈએ ને ? – કે આ રસ્તો. માટે કહો, શો રસ્તો? ૩. મુમુક્ષુસપુરુષના સમાગમે બોઘ શ્રવણ કરી સન્દુરુષાર્થ કરવો. પ્રભુશ્રી–વાત તો ઠીક કીધી; પણ, “પણ” આવ્યું ત્યાં બાકી રહ્યું. કોઈને અપમાન ફેમ દેવાય? માટે પણ કહ્યું તો કંઈક કહેવું પડશે. અત્યારે બરાબર કહેવડાવું છું, માટે કહો. ૪. મુમુક્ષુ પણ કહ્યું એટલે ત્યાં પરિણમવું જોઈએ; તે બાકી છે. ૧. મુમુક્ષુ–હું તો કૃપાળુદેવનું વચન કહું છું : “ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષનાં ચરણારવિંદ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક્ પ્રતીતિ આવ્યા વિના સસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી અને આબેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે તેની દશાને પામે છે.” પ્રભુશ્રી–આ વાત તો રોમ રોમ સાચી; કોણ ના કહે છે? ૧. મુમુક્ષુ—ત્યારે શું કરીએ ? શું કરવું ? માથે ઘણી રાખીને પરિણમવું. ૨. મુમુક્ષુ–સપુરુષના વચનમાં શ્રદ્ધા કરવી. બીજું નહીં. પ્રભુશ્રી–કંઈ ઉથાપવું છે? તે તો પરમ કુર્જહીં. ત્યાં પણ કંઈક બાકી રહ્યું. ભાવ વગર પરિણામ નહીં થાય. “ભાવે જિનવર પૂજિયે, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળ જ્ઞાન.” આતમભાવના ભાવમાં જીવ લહે કેવળ જ્ઞાન રે.” ૧. મુમુક્ષુ–આત્મભાવના ભાવીએ તોય બીજું, તે નહીં, તો શું કરવું ? પ્રભુશ્રી–એમ કહેવાય છે કે સમજીને ગા; ત્યાં છૂટકો. મારું ગાયું ગાશે તે ઝાઝા ગોદા ખાશે; સમજીને ગાશે તે વહેલો વૈકુંઠ જાશે.” (નરસિંહ મહેતા) ૧. મુમુક્ષ–અનાદિકાળથી મિથ્યાત્વના, અજ્ઞાનતાના ભાવ છે, તે શી રીતે જાય ? પ્રભુશ્રી–પણ તે મળી આવશે. ૧. મુમુક્ષુ—તો બસ, એ જ જોઈએ છે; બીજું નહીં. તો થયું. પ્રભુશ્રી–જીવનું અવલંબન જ્ઞાનીએ જાણ્યું. પહેલા ભાવ ફરે છે તે મોટી વસ્તુ છે; તેથી બધું થશે. ‘ભાવે જિનવર પૂજિયે.’ જિનવર તે આત્મા, તેને પહેલો લીઘો; અને ગાણાં ગાય તો પણ Page #302 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૧ ૨૦૫ એનાં જ, એને જાણીને ગાય. જાનમાં ગાણાં વરનાં ગાય છે, તેમ પહેલો અહીં આત્મા, તેનાં ગાણાં ગાવાનાં છે તે વાત જ્ઞાનીને ખબર છે. તે જાણે છે. આ બધા ભાઈઓ, બાઈઓ, ઘરડા, જુવાન, બાળક બઘા આત્મા; પણ જાણ્યો નથી. “માત્ર “સત્” મળ્યા નથી, “સત્” સુપ્યું નથી અને “સત્” શ્રધ્યું નથી; અને એ મળે, એ સુણ્ય અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.” પહેલો આવ્યો આત્મા. જડ અને ચેતન, જેમ છે તેમ બે ભેદ જાણવા જોઈશે. જીવ-અજીવ તત્ત્વ શાસ્ત્રમાંથી ભણે છે, વાંચે છે; પણ અહીં શું આડું રહ્યું ? અહીં તો ભેદનો ભેદ જાણવો છે. ભેદનો ભેદ સમજ્યા હો તો કહો. ૧. મુમુક્ષુ–ભેદના ભેદની વાત આવી ત્યાં હવે અમારે બોલવાનું બંઘ થયું. પ્રભુશ્રી–કેમ, બોલો ને હવે ! બોલાય તો બોલો. ભેદનો ભેદ કહેનાર થયો, ત્યાં બીજું જડ થયું. “હું તો ન જાણું; પણ જ્ઞાનીએ જાણ્યું,' એમ માથે રાખે અને વાત કરે તો કર્મનો બંધ ન થાય. ભેદનો ભેદ જાણો તો આમ થાય છે. કહેવું પડશે, આત્મા છે. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. ભેદનો ભેદ તો જાણવો પડશે . ૧. મુમુક્ષુ—ભેદનો ભેદ સમજાય શી રીતે ? ૪. મુમુક્ષ–એક બાળકના માથા ઉપર દશ મણનો બોજો મૂકે તો તે દબાઈ જ જાય. તેમ અમારું તો એ ગજું નથી. કેઈ કઈ મર ગયા ગોતાં.' પ્રભુશ્રી એ તો જ્ઞાની જાણે. ૧. મુમુક્ષુ–જ્ઞાનીએ જાણ્યું હવે અમે પણ તેની પાસેથી જ જાણીશું; ત્યાં સુધી ઊઠવાના નથી, જાણવાના જ. પ્રભુશ્રી–આત્મા જાણશે, જડ તો નહીં જાણે, તે જ જવાબ દેશે; આત્મા સિવાય જવાબ દેનાર કોઈ નથી. માટે તે જ કરવાનું છે. કૃપાળુદેવે મને કહ્યું કે જવાબ મળશે. હું તો વિચારમાં પડી ગયો કે આ શું કહ્યું ! અને અંદર ઊથલપાથલ થાય કે હવે ક્યાં જાઉં ? કોની પાસે જાઉં ? પછી સમજાણું. માટે યોગ્યતાની ખામી છે. આ બધું આવરણ છે, તે ખસવાથી જ થશે. “એ મળે, એ સુયે અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.” હજુ એ જોયું નથી, નમસ્કાર થયા નથી. બધું તુંબડીમાં કાંકરા જેવું. માટે કંઈક કરવું પડશે અને કંઈક છે ખરું. આ જીવને આડે આવે છે તે કોરે કરવું પડશે. ૨. મુમુક્ષુ–“ભારી, પીળો, ચીકણો એક જ કનક અભંગ રે;” પણ પર્યાયવૃષ્ટિ ખસે ત્યારે ને? પ્રભુશ્રી–પર્યાયવૃષ્ટિ, બધો સંબંઘ છે. માટે મૂક્યા વગર છૂટકો નથી. કરવું પડશે. ૨. મુમુક્ષુ-હવે આની તો દયા જ કરો. કૃપાળુદેવે સૌભાગ્યભાઈ ઉપર ઘણી દયા કરી છે, તો મારી પણ આ અરજ છે, બાપજી. પ્રભુશ્રી–વાર કોની છે ? તારી વારે વાર. મને પણ કૃપાળુદેવે કહેલું કે મુનિ, તમારી વારે વાર; એટલે હું તો ગભરાખો. ત્યારે કૃપાનાથ કહે કે “હવે શાના ગભરાઓ છો ? હવે શું છે? હવે શું બાકી Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ઉપદેશામૃત રહ્યું?' કંઈ બાકી રહ્યું નથી. કાળદોષ તો, આ છે એવો છે. તે જ દિવસ કહેવાય કે દિવાળી થઈ ! તો ના ન કહેવાય. કોઈથી ઝાલ્યું રહ્યું કે ના અમે નહીં આવીએ ? “સદ્ધ પરમ કુટ્ટા' એ કોઈના હાથમાં નથી–મારા કે તમારા. જેનું કામ જેનાથી થાય તે કરશે; જડનું ચેતન નહીં કરે અને ચેતનનું જડ નહીં કરે. મુખ્ય પાયો શ્રદ્ધા—ગુરુની શ્રદ્ધા, આત્માની શ્રદ્ધા. બધી વાત એમાં છે, અને એ છે પોતાનું રાંઘણું; ચાખી જો, ચઢી ગયું હોય તો ખાઈ જા. વાત જોઈએ આટલી : અધમાધમ અઘિકો પતિત, સકળ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાઘન કરશે શુંય ?' કૃપાળુનું વચન માન્ય કરો. संजोगा विप्पमुक्कस्स, अणगारस्स भिक्खुणो । विणयं पाउकरिस्सामि, आणुपुब्बिं सुणेह मे ॥ બધાનો સાર વિનય. વનો વેરીને પણ વશ કરે. દીકરો થઈને ખવાય; બાપ થઈને ન ખવાય. વનાની અને લઘુતાની વાત કરે આત્માર્થી પહેલાં વિનયને ઘરમાં લાવશે તો કામ થશે. મોટા કરોડપતિમાં પણ વનો હોય તો તેના દાસ છીએ. ‘લઘુતા તો મેરે મન માની' (ચિદાનંદજી) માન ન હોય તો અહીં જ મોક્ષ છે. તે મુકાણું તો કામ થયું. સમાધિસ્થ બાહુબલજીને તેમની બહેનો–બ્રાહ્મી સુંદરી–એ જંગલમાં જઈને કહ્યું : “વીરા, ગજથકી હેઠા ઊતરો.” ત્યાં બાહુબલજી વિચારમાં પડી ગયા અને જાગ્યા કે ખરી વાત છે, અહંકારરૂપી ગજ ઉપર હું બેઠો છું. નાના ભાઈને હું નમવા હવે તો જાઉં એમ વિચારીને ઊઠ્યા કે તરત કેવળજ્ઞાન થયું. આટલા જ માનના અહંકારથી કેવળજ્ઞાન અટક્યું હતું. આ જીવનું માન-અહંકારે ભૂંડું કર્યું છે. તે મૂક્ય છૂટકો છે. તા. ૯-૧-૩૬, સવારના મોક્ષનું અસંતું સુખ તે મુનિ વીતરાગ ભોગવે છે. અને તે સમકિતી જાણે છે. બઘા ઉપસર્ગ સહન કીધા મુનિઓએ, અને સમભાવનું મોટું સુખ તેમાં જ ઠર્યા. કારણ, બીજું મારું નહીં; “હું” અને “મારું” નીકળી ગયું. એવી વસ્તુ તો કોઈકે જ જાણી. કોણે દેખાડી ? અને કોણ દેખાડે ? એને તો ભેદી મળ્યો છે. વાત જાણીને પકડી લીધી; હવે તે કંઈ થોડો નાખી દે ? એના ઉપર મોટા પુરુષો સ્તવનમાં કહી ગયા છે. હું મારું હૃદયેથી ટાળ, પરમારથમાં પિંડ જ ગાળ.” અને એને (આત્માને) બોલાવ્યો. કૃપાળુદેવે અમદાવાદમાં રાજપર મુકામે દેરાસરમાં અમને બોલાવ્યા, પોતે પણ બારોબાર ત્યાં આવ્યા. અમે તો વાટ જોઈને જ બેઠેલા. વાતો કરતા જાય અને બોઘ પણ થતો જાય વાતોમાં જ. પછી ભોંયરામાં ગયા અને મુનિ દેવકરણજીને પ્રતિમા સામી નિશાનીવૃષ્ટિ કરી કહ્યું કે જુઓ, આ આત્મા. હું ભોળો તે બોલી ઊઠ્યો અને કહ્યું : “ક્યાં છે, બાપજી?” પછી મારી સામું જ જોઈ રહ્યા. કંઈ “હા” કે “ના” ન કીધી. હું તો મુઝાણો કે એમને શું કહેવું હશે ? મને વિકલ્પ ન રહે તેથી મને બોઘમાં જણાવ્યું કે મુનિ, તમે જોશો. માટે ઉતાવળ તેટલી કચાશ છે. છે ખરું, ફિકર શી રાખો છો ? Page #304 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ--૧ “થિંગ ઘણી માથે કિયા રે, કુણ ગંજે નર ખેટ ? વિમલ જિન દીઠાં લોયણ આજ.’' ઠરીને હિમ થઈ ગયા, માહિત થઈ ગયા, ભેદી થઈ ગયા. કંઈક કહે છે ને કે : “રંગરસિયા રંગ રસ બન્યો, મનમોહનજી; કોઈ આગળ નવિ કહેવાય; મનડું મોહ્યું રે મનમોહનજી. વેધકતા વેધક લહે, મનમોહનજી; બીજા બેઠા વા ખાય. મનડું મોહ્યું રે મનમોહનજી.’’ તેવું થયું ! આ ભાવ છે અને પ્રેમની વાણી તેને પ્રેમ કરાવે છે. યોગ્યતા પ્રમાણે દેખે છે. અરે ! વાણીમાં તો કંઈ કંઈ ભાવ થઈ જાય. .. એક માણસની સાથે કોઈએ રૂપિયા બસોની શરત મારી કે આ કૂવો થકી જાય તો રૂપિયા બસો આપું. પેલા માણસે હા કહી; પણ કૂવા પાસે આવે અને વિચારમાં પડી જાય કે રખેને કૂવામાં પડી જઈશ, તેથી પાછો પડી જાય. ત્યાં એક બીજા માણસે હિમ્મત આપી કે ભલા માણસ, વિચાર શું કરે છે ? એમાં તે શું થેકવું છે ? માર થેકડો, જુએ છે શું ? જેવો કૂવા પાસે આવ્યો કે તરત પેલા માણસે ખોંખારીને હિમ્મત આપી : ‘હાં સાબાશ ! માર છલંગ' એટલે પેલો હિમ્મતથી થેકી ગયો અને રૂપિયા લીધા. પેલો હિમ્મત આપનાર કહે કે ભાઈ, અડઘા રૂપિયા મને મળવા જોઈએ, કારણ કે હિમ્મતનું બળ તો મારું હતું. ૨૦૭ તેમ સમજણ કરવાની છે, થઈ તો કામ થયું. માટે પોતે કર્યા વગર નહીં બને. અસંગ થવું પડશે, મેલવું પડશે—છૂટકો નથી. માટે સાંભળીને ઊભા થઈ જવું. તો કેવી વાત બની જાય ! પ્રેમ આગળ શું નેમ ? એક ભરવાડ હતો. જંગલમાં ગાયો ચરાવે. એક દિવસ તેણે નારદજીને જોયા. તેમને સાદ કરી બોલાવીને પૂછ્યું કે ક્યાં જાઓ છો ? તો કહે, ભગવાન પાસે જાઉં છું. ભરવાડે કહ્યું : “પ્રભુને મારી આટલી વાત પૂછી લાવશો ? નારદજી—શી ? ભરવાડ—હું રોજ પ્રભુને ઝૂમરો (સવારનો નાસ્તો) ઘરાવીને ખાઉં છું. તે તેમને પહોંચે છે કે નહીં ? બીજું, મને પ્રભુનાં દર્શન ક્યારે થશે ? નારદજી—સારું, હું પૂછીશ. પછી નારદજીએ પ્રભુને તે વાત પૂછી તો પ્રભુ કહે, “ઠૂમરો મને પહોંચે છે; પણ દર્શન તો તે જે આમલીના ઝાડ નીચે બેઠો છે તેનાં જેટલાં પાન છે તેટલા યુગ ગયા પછી થશે.'' નારદજી તો વિચારમાં પડી ગયા કે આ દર્શનની વાત જો હું ભરવાડને કહીશ તો બિચારાને આઘાત લાગશે. તેથી પાછા વળતાં એ તો ભરવાડને મળ્યા વિના પરબારા જ જવા લાગ્યા. પણ ભરવાડે દૂરથી જોયા કે સાદ કરીને બોલાવ્યા, અને પૂછ્યું : શું ઉત્તર છે પ્રભુનો ? : નારદજી—ઠૂમરો પોતે આરોગે છે. ભરવાડ—અને દર્શનનું શું કહ્યું ? Page #305 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત નારદજી—આ આમલીનાં પાંદડાં છે ને ? તેટલા યુગ ગયા પછી દર્શન થશે. આ સાંભળીને ભરવાડને તો આઘાત થવાને બદલે ઊલટો એવો ઉલ્લાસ ને પ્રેમ આવ્યો કે નાચતો કૂદતો ગાવા લાગ્યો : “મને પ્રભુનાં દર્શન થાશે હોં !'' ૨૦૮ આવા પ્રેમના ઊભરાથી તરત પ્રભુએ દર્શન આપ્યાં. તે જોઈ નારદજીને આશ્ચર્ય થયું. પછી ધીમેથી પ્રભુને કહ્યું : “તમે આવું જ સાચું બોલો છો ?'' 66 પ્રભુતમે એ વાત ન સમજ્યા. ભગતને આવ્યો પ્રેમ તો મારે શો નેમ ? આમ છે. માટે હવે તારી વારે વાર. થઈ જા તૈયાર. જ્ઞાનીનું વચન છે કે શ્વાસોચ્છ્વાસમાં કોટિ કર્મ ખપે છે અને અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન થાય છે. આ વાત પોતાના હાથમાં છે. હાથ પકડ્યો પણ પાછો છોડી દે છે. માટે હાથ બરાબર પકડવો જોઈશે; ત્યારે હાથમાં આવશે. ખૂબી છે પકડવાની; પકડાણું તો કામ થઈ ગયું ! હવે પૂછે છે શું ? ચોળ-મજીઠનો રંગ લાગ્યો તો થઈ રહ્યું. ત્યાં આસ્રવમાં સંવર છે. આવી તો જેની ખૂબી છે ! બહુ કામ થાય છે. આખો ભવસમુદ્ર તરી જાય. પણ ખામી છે કંઈક, એટલે નથી કહેવાતું. મુમુક્ષુકૃપાળુદેવે અમને આઠ દૃષ્ટિમાંની એક દૃષ્ટિની ગાથાના અર્થ સંભળાવ્યા છે. માટે હવે આપ કંઈક આપો. પ્રભુશ્રી—કૃપાળુ જ આપશે. બધું છે; માત્ર સમજણમાં કચાશ છે. હજુ બાળ અવસ્થા કીધી; નહીં તો કંઈ કહેવું ન પડે. કોણ કરનાર છે ? પોતે જ કરશે. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. આટલી ઉઘાડી વાત કરી તોય ઝેર નથી ઊતરતું; ઊતરવું જોઈએ. અનંતી વાર આ બધી સગાઈઓ થઈ, તે ક્યાં સાચું છે ? જૂઠાને સાચું માન્યું તેમાં નહીં વળે. ભલે સૂઝે તેમ હો પણ એક સાચું છે તે માન. માટે, ખપી જોઈએ છે. ખપી હજુ થયો નથી. છે તે છે, નથી તે નથી. જેમ છે તેમ જ છે ‘ાં નાળફ સે સર્વાં નાળડ્.' માટે જાણવું પડશે, માનવું પડશે અને કરવું પડશે. આ બધા મારા સાક્ષાત્ આત્મા છે; તેવી દૃષ્ટિ નથી ફરી. ‘માત્ર તૃષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહ.'' ઉતાવળ કરવાથી દી વળે તેમ નથી. એ તો ક્યાં છે ? તે ઉઘાડીને આપશે. શાસ્ત્રનો મર્મ તો સમજવો પડશે અને સમજશો ત્યારે જ છૂટકો છે. તા. ૯-૧-૩૬, સાંજના પત્રાંક ૭૮૩ માંથી વાંચન : “સત્પુરુષનો યોગ પામવો તો સર્વકાળમાં જીવને દુર્લભ છે, તેમાં પણ આવા દુષમકાળમાં તો ક્વચિત જ તે યોગ બને છે. વિરલા જ સત્પુરુષ વિચરે છે. તે સમાગમનો લાભ અપૂર્વ છે, એમ જાણીને જીવે મોક્ષમાર્ગની પ્રતીતિ કરી, તે માર્ગનું નિરંતર આરાધન કરવું યોગ્ય છે.’’ આ તો હું જાણું છું, હું સમજું છું, મેં સાંભળ્યું છે. તે જ ભૂંડું થયું છે. સાચી પકડ થાય તો દેવની ગતિ તેમાંથી થાય. એટલા બળવાળું આ વચન છે. આ જ સંગ કરવા જેવો છે : ‘લીધો તે Page #306 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૧ ૨૦૯ લહાવ.” જબરી વાત કહી ! પણ વિશ્વાસ ક્યાં? અને કોને આવે ? તેની બહુ જરૂર છે; બેડો પાર થાય તેવું છે ભલે પાપકર્મ કરતો હોય પણ સવળું થઈ જશે, અજ્ઞાન ફીટીને જ્ઞાન થઈ જશે. ખરો આત્માર્થી હોય તે તો ન જ ભૂલે. જ્ઞાનીએ જોયો તે જ મને માન્ય; તે જ મારો આત્મા. ક્યાંથી મળે ? જેનાં પૂર્ણ ભાગ્ય તેને જ ચોંટે, જેમ મજીઠનો રંગ થાય છે, ફાટે પણ ફીટે નહીં મજીઠનો રંગ ન જાય. આટલું કહેવું છે કે સૌનું હિત થાય. માનવું ન માનવું પોતાનું કામ છે. અત્રે તો જ્ઞાનીનું કહેલું કહેવું છે. જ્યાં આત્માર્થ હોય ત્યાં આત્માર્થે ખોટી થવું–બરછી અને ભાલા વરસતા હોય તો પણ ત્યાં ખોટી થવું; પણ અસત્સંગમાં મોતીના વરસાદ વરસતા હોય તો પણ ન જવું. વિરલા જ સપુરુષ વિચરે છે. તે સમાગમનો લાભ અપૂર્વ છે, એમ જાણીને જીવે મોક્ષમાર્ગની પ્રતીતિ કરી, તે માર્ગનું નિરંતર આરાઘન કરવું યોગ્ય છે.” આ જેવું તેવું નથી, સમજવા જેવું છે. ક્યાંથી હાથ આવે ? જબરી વાત છે ! આટલું સમજે તો પણ કામનું છે. પુણ્યનાં દળિયાં બંઘાય! આ તો કંદોઈની દુકાનની ખાજાંની ભૂકરી, સપુરુષનાં વચનામૃત છે તે સિદ્ધાંતના સારનો સાર, ચિંતામણિ જેવાં. જો બે વચન ગ્રહણ કર્યા તો અનંતો લાભ છે. માનશે તેનું કામ થશે. એક વચન પણ ક્યાંથી ? મળવું બહુ કઠણ. આવો જોગ સત્સંગનો ક્યાંથી હોય ? સહુ સાઘન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્સાઘન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ?” સી બંધનનો નાશ થવાનો અવસર આવ્યો છે. ભિખારીના હાથમાં ઘેબર આવ્યું છે ! અનંતા કાળથી ભટકતો આવ્યો છે. માટે હવે સમજવાથી કામ થશે. પૈસા ટકા વગેરેની દ્રષ્ટિ છે તે તો ઝેર છે; હવે મારી આ દ્રષ્ટિ (આત્માની), એમ થવું જોઈએ. પોતાની હારે એક ઘર્મ આવશે, બીજું કંઈ નહીં આવે. “સવળે નાણે વિન્નાથે' તેનું કામ થઈ ગયું. જેવી તેવી વાત નથી. અજાણમાં જાય છે. વિશ્વાસ અને પ્રતીતિ નથી આવી. વાંચે પણ અલૌકિક દ્રષ્ટિ નહીં, લોકિક ને લૌકિક. તેમાં ગુરુગમ જોઈએ. એના જ ગુણગ્રામ, એની જ સ્તુતિ. એક મનુષ્યભવ પામીને કરવા જેવું શું છે? કહો. મુમુક્ષુ સમકિત. પ્રભુશ્રી–ભક્તિ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે, મુકામે જવાનો રસ્તો છે. ભક્તિભાવથી કલ્યાણ થાય છે; પણ ઘેર બેઠે ન થાય. આ ભાવ કરો. ફરીથી દાવ નહીં આવે, માટે ભક્તિ કરવાની છે. તા. ૧૦-૧-૩૬, સવારના આંટી ઊકલી જાય તો ખબર પડે. માટે વિચાર કરવા જેવું ખરું. કોણ સાંભળશે ? એ જ (આત્મા), બીજો સાંભળશે નહીં. જડને કંઈ વિચાર થશે? શાંતિ આવશે? એને આત્માને) મૂકો તો બધું પડ્યું રહે. નથી દેખાતું; કારણ આંખમાં કમળો છે. હું તો આ સમજવાને માટે કહું છું. કમળો હોય તો બીજું દેખાય. જે ઠેકાણેથી વૈરાગ્ય થવો જોઈએ તે ઠેકાણેથી વિકાર થાય છે. અને 14 Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ઉપદેશામૃત આને (જ્ઞાનીને) તો વિકારને ઠેકાણેથી વૈરાગ્ય થાય છે. કૃપાળુદેવે કહ્યું છે કે આ બધું મનને લઈને છે. મન વગર કોઈ ગ્રહણ નહીં કરી શકે. ૧. મુમુક્ષુ—મન કોને લઈને છે ? આત્માને લઈને ? પ્રભુશ્રી—મન વશ ન વર્તતું હોય તોય આત્મામાં વર્તે છે. ૧. મુમુક્ષુ—આત્માનો ઉપયોગ મનમાં જાય તો કામ કરે છે. પ્રભુશ્રી–મન, વચન, કાયા ત્રણ જોગ છે. વીતરાગના પ્રતાપે તપો, ઢુંઢિયો, વૈષ્ણવ કાંઈ રહ્યું નથી. આ તો આત્માની વાત. આત્મા વગર મન કંઈ ન કરી શકે. તે તો જડ છે. ચૈતન્ય છે તે ચૈતન્ય છે. ૧. મુમુક્ષુ‘ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે, પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતો નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી. સદા સર્વદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે.’' —શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુશ્રી—તારો પાયો ક્યાં છે ? હજુ ડોલતું છે. છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ; મૂળ૦ એમ જાણે સદ્ગુરુ-ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ જે જ્ઞાને કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત; મૂળ કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત. મૂળ॰ જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ; મૂળ॰ તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ મૂળ મારગ સાંભળો જિનનો રે.'' (શ્રીમદ્ રાજચંદ્ર) સાંભળ્યા વગર, જાણ્યા વગર શું કહેશે ? સાંભળ્યું તો થયું. પટ ઊભો થઈ જાય. દીવો થાય તેવું છે. ‘વળે નાળે વિજ્ઞળે.' આ તો મંત્ર જેવું છે. સામાન્ય કરી નાખ્યું કે આ તો મને ખબર છે, હું જાણું છું, મેં સાંભળ્યું છે. આ ભોગ મળ્યા આ (આત્મા) તો જ્ઞાનીએ જોયો છે. બીજાને નહીં કહેવાય. જોયો તેણે જોયો. એને લઈને બધું છે. ‘ગોકુલ ગામકો પિંડો હિ ન્યારો !'' બધેથી ન્યારું થવું પડશે. માટે તે કરવાને તૈયાર થઈ જાવ. હથિયાર તમારું પોતાનું જ છે; અને તે કામ આવશે. ઊભો થઈ જા; તારી વારે વાર. આ તો કૃપાળુનું પાણી પાયેલું, તો ખબર પડી. બધી યોગ્યતાની કચાશ છે. આવરણ બઘાં છે; અને તે તો કર્મ છે—આઠ કર્મના પાટા છે. બીજું મનાવવું નથી, બીજાની વાત કરવી નથી. આટલું બોલીશ કે જીવનો જ વાંક છે. આ તો આટલું જાણીએ છીએ તે પણ એના પ્રતાપે. બધાંથી જુદું છે એક સમતિ, અને તે જ મોક્ષે લઈ જવાનું છે. વ્યવહારમાં જેમ મોટા નગરશેઠ જેવા માણસ હોય અને કોઈ માણસ ફાંસી ઉપર ચડેલો હોય ત્યાં તેની ગાડી નીકળી અને દર્શન થયાં કે ફાંસીથી છૂટી જાય; તેમ છે. અહીં તો રુષ કે તુષ કંઈ નથી. તમારી વારે વાર. અમે બધા સાત સાધુ હતા. જેના નસીબમાં હતું તેને આવ્યું. જાણે તે Page #308 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૧ ૨૧૧ માણે. માટે એ કર્તવ્ય રહ્યું. અને આ જ કરવું છે. હવે બીજે રસ્તે જવું નથી અને જવાય પણ શી રીતે ? ન જ જવાય. અને બીજો રસ્તો હવે છે જ ક્યાં ? બધી વાતો પણ એની એ જ. ઠામ ઠામ આત્મા, આત્મા ને આત્મા જ ! પછી બીજું કંઈ માનો તો તમે જાણો. એ જ કર્તવ્ય છે. ૨. મુમુક્ષુ કૃપાળુદેવે બધા મુનિઓમાંથી આપને કહ્યું કે મુનિ, તમે આત્મા જોશો. માટે કોઈક ઉપર કૃપા કરજો. પ્રભુશ્રી–વાત તો ખરેખરી ! તે વાત સૌએ સાંભળી અને અમે પણ સાંભળી. આ જીવને સમજ છે અને તે આત્માને છે. આ બધા બેઠા છે તે પણ આત્મા જ છે ને ? સૌ સાંભળે છે; પણ બઘાનું સરખું નથી. કેટલો ફેર પડ્યો છે ? માટે ઊઠ; તે આવવું જોઈએ. એ સુશ્કે, એ સમયે અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. બે અક્ષરમાં માર્ગ ! કોઈ ભાવિક આત્મા આ વચન સાંભળી પ્રતીતિ અને શ્રદ્ધા રાખશે, તો ચાંલ્લો છે. શી ફિકર પછી ? તે પણ કોના હાથમાં છે ? પોતાના. માટે તૈયાર થઈ જાઓ. આ તે કંઈ કોઈના માટે થોડું છે ? પોતાના માટે છે. છોડવું તો પડશે. મૂક્યા વગર છૂટકો નથી. અપ્રતિબંઘ અને અસંગ ! તે જ આપણો રસ્તો. બાકી બીજું તો કર્મ છે. કરવું છે પોતાના આત્માને જ માટે. તા. ૧૦-૧-૩૬, સાંજના પત્રાંક ૯૩૫ નું વાંચન : “ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંત વાર ધિક્કાર હો ! જેમણે પ્રમાદનો જય કર્યો તેમણે પરમપદનો જય કર્યો.” વાત શું આવી ? કરવું, કરવું અને કરવું. કર્યા વગર નહીં થાય. મનુષ્યભવનો એક સમય ચક્રવર્તીની રિદ્ધિ કરતાં પણ દુર્લભ કહ્યો. જન્મ-મરણમાંથી છૂટવા આ જીવને ચેતવા જેવું છે. કંઈક સમું કરવું પડે. કર્યા વગર છૂટકો નથી. રાજાએ ભોંયરામાં કેટલાકને ઉતાર્યા હતા, અને બધા ભૂખ્યા-તરસ્યા બેસી રહ્યા હતા. પણ તેમાંથી એક ઉદ્યમી હતો. તેણે ઉદ્યમ કર્યો તો શોઘતાં ખાવાનો ડબો અને પાણી મળ્યાં. મોટા શેઠની નોકરીમાં ઘણાં માણસો હોય; પણ શેઠે ય કંઈક કરેલું તો ખરું ને? ૧. મુમુક્ષુ-આપ તથા અનંતા જ્ઞાનીઓ વચન કહો છો તે યથાતથ્ય, જેમ છે તેમ છે અને ગ્રહણ કરવા જેવાં જ છે. પણ આ હૃદય તે તરફ વળતું નથી અને કરવાની ઇચ્છા થતી નથી તેનું શું કારણ ? પ્રભુશ્રી વિચારો, કંઈક જોઈએ ને ? ૧. મુમુક્ષુ-કારણ શોધીએ છીએ તો જડતું નથી. અને વિચાર પણ ચાલતો નથી. Page #309 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત પ્રભુશ્રીવિચાર જ નથી થયો. કંઈક છે. કંઈ જ કરે નહીં, તો બેઠા બેઠા ક્યાંથી ખવાય ? આત્મા ન હોય તો બધાં મડદાં; માટે કંઈક છે તો ખરું. માબાપ વગર દીકરો ક્યાંથી થાય ? મા છે તો દીકરો છે. ભગવાને પાંચ સમવાય કારણ કહ્યાં છે—કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત અને પુરુષાર્થ એક હાથે તાળી ન પડે, બેઉ હાથ જોઈએ. દેહને ઝૂરવી નાખીને, તપ-જપ કરીને, બાળીઝાળીને પણ આખરે આત્માનો મોક્ષ થયો. તે પણ એના ભાવે જ. ૨૧૨ ૧. મુમુક્ષુ—હાથીના હોદ્દે કેવળજ્ઞાન થયું. તો ત્યાં તેણે શું કર્યું ? પ્રભુશ્રી—એ જ. હાથીને હોદ્દે થઈ ગયું તે જ કર્યું છે. લૂગડું મેલું હોય પણ ઘોઈ આવે તો ઊજળું થાય. કર્યા વગર નહીં બને; કરવું પડશે. એક પૈડે ગાડી ન ચાલે; બે પૈડાં જોઈએ. એક પૈડે ચાલ્યું તો તેનો કરનારો તો હતો ને ? અહીં બેઠા છો, તો તે પણ કંઈક કરીને આવ્યા છો તો ને ? ચિત્ર-વિચિત્ર બધો દેખાવ દે છે અને થાય છે. પણ એ વગર નહીં. પણ છે. ભેદનો ભેદ જાણવો છે. ૧. મુમુક્ષુ—પરમ દહાડે આપ કહેતા હતા કે ભેદનો ભેદ જાણવો; પણ આજ સુધી અમને તો એનો અંશ માત્ર પણ જણાતો નથી. પ્રભુશ્રી—હવે શું સમજવું ? અને ભેદનો ભેદ કેમ ? ૨. મુમુક્ષુ ભેદનો ભેદ તો પર્યાયસૃષ્ટિ ખસે ત્યારે જણાય ને ? પ્રભુશ્રી—ભેદનો ભેદ કહી ચૂક્યા છીએ. બધું શું દેખાય છે ? પર્યાય. તે પણ વસ્તુ (આત્મા) વગર દેખાશે ? ભગવાને કહ્યું કે અરૂપી. તેને પછી દેખશો ? ભલે કહો જોઈએ ‘કાકા’. દેખાશે ? નહીં દેખાય. માટે કરી લે એક ઓળખાણ. ‘એક આત્માને જાણ, તેની કરી લે ઓળખાણ.' ૨. મુમુક્ષુ દિવ્યચક્ષુ આપો ત્યારે ને ? પ્રભુશ્રી કૃપા જોઈએ; તે તો કૃપાળુની કૃપાથી કલ્યાણ થશે. રાજાની રહેમ નજરથી જેમ ૨ળી ખાય છે; તેમ જીવને થવું જોઈએ. રહેમ નજર મેળવવી જોઈએ. એ જ નજર. કરી લે ઓળખાણ. ‘એક મત આપડી કે ઊભે માર્ગે તાપડી.' ચમત્કાર છે, પ્રભુ ! ‘આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.'' બાળકથી બોજો નહીં ઊપડે, ગજા પ્રમાણે ઊપડે. “બાળધૂલિઘર-લીલા સરખી, ભવચેષ્ટા ઇહાં ભાસે રે.’” માટે હવે તો એક જ ભજો. તૈયાર થાઓ; કેડ બાંધો. હવે શું ? મારાથી હવે વધારે બોલાતું પણ નથી. .. ૧. મુમુક્ષુ આપે હમણાં કહ્યું કે મારાથી બોલાતું પણ નથી; પરંતુ કૃપાળુદેવ લખે છે કે નિગ્રંથ મહાત્માનાં દર્શન-સમાગમ મોક્ષની પ્રતીતિ કરાવે છે. માટે ન બોલો તો પણ આમ છે. પ્રભુશ્રી—કહું ? અને કહેવું પડશે કે વાંચ્યું નથી, ઉકેલ્યું નથી અને દર્શન પણ થયું નથી. આ કહ્યું, તો તે માટે કંઈક ખામી હશે. બહુ ભૂલ છે. જેમ બાળક ભૂલે છે એટલી ભૂલ આવી છે અને ભૂલમાં જ છે. કોઈને ડાહ્યું થવા જેવું નથી. કૃપાળુદેવે મને કહ્યું કે જોયા કરો ને ! પણ આ જીવ Page #310 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૧ ૨૧૩ માંહ્ય માથું ઘાલી દે છે, તો પછી શીંગડામાં ભરાય ને ? ૧. મુમુક્ષુ આપને કૃપાળુદેવે કહ્યું કે જોયા કરો, તો આપ શું જોતા હતા ? પ્રભુશ્રીને કહ્યું એ. કરવું તો જોઈએ. એ સુણે, એ શ્રધ્યે જ છૂટવાની વાતનો આત્માથી ભણકાર થશે; યોગ્યતાની ખામી છે. માટે તૈયાર થઈ જાઓ. તા. ૧૧-૧-૩૬, સવારના પત્રાંક ૬૪ માંથી વાંચન : पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ॥ -શ્રી હરિભદ્રાચાર્ય ૧. મુમુક્ષુ તું ગમે તે ઘર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી; પણ જેથી આત્મા આત્મભાવ પામે તે ઘર્મ આત્માનો છે. પ્રભુશ્રી–આત્મા છે. તૈયાર થઈ જવાનું છે. તે જૂનો કે નવો નથી, ડાહ્યો કે ગાંડો નથી; તેમ ભણાવવો પણ નથી. જે માન્યું છે તે મૂકવાનું છે. હવે ટૂંકો હિસાબ શું છે? છે ખબર ? હોય તો કહો. ૧. મુમુક્ષુ–સમકિત કરી લેવું તથા શ્રદ્ધા કરવી. ૨. મુમુક્ષુ-“જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે છે તે પ્રકાર ઘર્મના છે.” તે કરી લેવાનું છે. બાકી બીજું પરરૂપ છે. પ્રભુશ્રી મૂકવું હોય તો મુકાય છે. મૂક્યા વગર છૂટકો નથી. મુકાશે ત્યારે કામ થશે. ૨. મુમુક્ષુ–મુકાય તો છે પણ પાછાં નવાં બંઘાય છે તે દુઃખ છે. હાથી હોય તે નાહીને ચોખ્ખો થાય અને પાછો શરીર ઉપર ધૂળ નાખે અને મેલો થાય તેવું છે. પ્રભુશ્રી–ગ્રહવાથી બંઘાય છે, તે મૂકી દે. ૩. મુમુક્ષુ–વસોમાં કૃપાળુદેવને કોઈ વ્યક્તિએ કહ્યું કે ભગવાન, તમે અમારાં બધાં કર્મ લઈ લો. તો કૃપાળુદેવે કહ્યું કે હા, ફરી નવાં ન બાંધો તો. કાવિઠામાં પણ એવું જ બનેલું. એકે કહ્યું કે મને હવે મુક્ત કરો. તો કૃપાળુદેવ કહે કે એક જ ઠેકાણે બેસી રહો અને ભક્તિ કરો. બીજે ક્યાંય બહાર જવું નહીં. બારીમાં પણ જોવા જવું નહીં. તેવું બનશે ? તો તે ભાઈ કહે, પ્રભુ એમ તે કેમ બને કે ક્યાંય જવું નહીં? કૃપાળુદેવે કહ્યું, તો થયું ! ૧. એક શેઠ દરરોજ દાતણ કરવા ઓટલા ઉપર બેસતા. ત્યારે ભેંસો પાણી પીવા જાય. તેમાંથી એક ભેંસનાં શીંગડાં બહુ ગોળ હતાં તે જોઈને શેઠને રોજ વિચાર આવે કે આમાં માથું આવે કે નહીં ? રોજ છ મહિના સુધી એ ને એ વિચાર થયા કર્યો. પછી એક દિવસ નક્કી કર્યું કે માથું ઘાલી જ જોઉં. પછી ઊઠીને સામે જઈને તે ભેંસના શીંગડામાં માથું ઘાલ્યું. એટલે ભેંસ તો ભડકીને દોડી, શેઠ ઘસડાયા. પછી લોકોએ એમને છોડાવ્યા અને ઠપકો આપ્યો કે ભલા માણસ, વિચાર તો કરવો 'તો કે આમ થાય ? શેઠે કહ્યું કે છ મહિનાથી હું વિચાર કરતો હતો, વિચાર કરીને તો કર્યું છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ઉપદેશામૃત પ્રભુશ્રી–બંઘ તે બંઘ છે; મોક્ષ તે મોક્ષ છે. જેટલો બંઘ છે તે મૂકવો પડશે. મૂકતાં વાર શી? પણ ફરી ગ્રહણ ન કરે તો થાય. પણ પહેલાં તો તે ગ્રહે છે, માટે શું બને? ૨. મુમુક્ષુ-જે માન્યતાથી કર્મ બંઘાય છે તે માન્યતા કેવી રીતે જાય? નવાં કર્મ ન બંઘાય તેવી માન્યતા જ્યારે થાય, ત્યારે પુરુષનો બોઘ સમજાય. સરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો ? સમજ્ય જિનસ્વરૂપ.” નથી બાંધવું પણ બંઘાય છે. પ્રભુશ્રી–પકડ નથી, સમજણ નથી. તે થાય તો સહેલ છે. જીવને ભાવ થયો નથી. તે આત્મભાવમાં હોય ત્યાં બંધ ક્યાં છે ? એટલે જ્ઞાનીઓ બંઘાતા નથી. તે કેમ હશે ? તેમણે શું કર્યું? ખબર હોય તો કહો. ૧. મુમુક્ષુ–જગતમાં બે પ્રકારના જીવો છે : જ્ઞાની અને અજ્ઞાની. હવે તેમાંથી એક “અ” કાઢી નાખ્યો એટલે જ્ઞાની થાય. પ્રભુશ્રી–આવું તે હોય ? અને કહેવાય? કાઢવાનું તો “હું” અને “મારું' છે. તેને કાઢ્યું તો ગયું અજ્ઞાન. તે કાઢ્યું નથી ત્યાં અજ્ઞાન છે. ૨. મુમુક્ષુઅબંઘપણાનો હેતુ અવિષમભાવ છે. માટે અહીંયા પણ “અ” કાઢી નાખો. (મુમુક્ષુ પ્રત્યે) “અ” કાઢવાથી તો ઊલટો અહીં અનર્થ થયો, એટલે વિષમભાવ થયો. ૧. મુમુક્ષુ-બથે “અ” કઢાતો નથી. ક્યાંક કઢાય અને ક્યાંક ન કઢાય એવો વ્યાકરણનો નિયમ છે. પ્રભુશ્રી–ગપ્પાં મારો નહીં. કંઈ આશ્ચર્ય છે ? તુલના નથી થઈ. જ્ઞાની કર્મ ન બાંધે તે શું ? ૧. મુમુક્ષુ ત્યાં વૃષ્ટિ ફરે છે. જેમ આપ કહો છો ને ? કે, હોત આસવા પરિસવા, નહિ ઇનમેં સંદેહ; માત્ર દૃષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહ.” પ્રભુશ્રી એ જ સમજો હવે. દ્રષ્ટિની ભૂલ તે શું ? ૧. મુમુક્ષુ–એક કહે છે, “મારું છે,” અને બીજો કહે છે, “મારું નથી; પણ જાય છે.” આ બેમાં કેટલો બધો ફેર છે ? પ્રભુશ્રી–આ જ કહ્યું ને ? તો પછી હવે જ્યાં બંઘ નથી ત્યાં શું છે? ૧. મુમુક્ષુ–ત્યાં શુદ્ધ આત્મા છે; સંસાર નથી. જ્ઞાની ત્યાં જ્ઞાનરૂપે જ છે. બાકી અમને તો કંઈ ખબર નથી પડતી. ૨. મુમુક્ષુ જ્યાં સુધી કચરો છે, ત્યાં સુધી ઉપાધિ છે અને રહેશે. તે કાઢવો પડશે. પછી કિંઈ કરવાપણું નહીં રહે. પરભાવમાં પોતાપણું જે થયું છે તે મૂકવું પડશે. સંસારરૂપી મહેલનો પાયો પરને પોતાનું માનવું તે છે અને મોક્ષમહેલનો પાયો પોતાને પોતાનું માનવું તે છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ–૧ ૨૧૫ ૧. મુમુક્ષુ–પ્રભુ, હવે તો આપ કહો કે શું બાકી રહી જાય છે ? પ્રભુશ્રીકંઈક તો રહે છે. મેલીને આવ, ચોખો થઈને આવ એમ કહ્યું તો તે ઊલટો લઈને આવે છે. એટલે શું બને ? આટલું જ, મેલ્ય છૂટકો છે. મેલવું પડશે. ત્યાં પછી બીજું શું કહેવાય? દેવકરણજી મુનિને કૃપાળુદેવે કહ્યું કે જુઓ, આ આત્મા. તો વચમાં તરત મેં કહ્યું કે ક્યાં છે પ્રભુ? પછી કૃપાળુદેવ મારી સામે જોઈ જ રહ્યા અને કંઈ ન બોલ્યા. પછી મને પશ્ચાત્તાપ થયો. પછી બોઘમાં જણાવ્યું કે મુનિ, આત્મા જોશો, ત્યારે ઠંડક વળી. એ તો એની સાને સમજાય તેવું છે. પ્રજ્ઞાવાળાને સમજાય અને કહેવાય. તે વિનાનાને શું કહેવાય? તા. ૧૧-૧-૩૬, સાંજના પત્રાંક ૩૨૧ નું વાંચન – “અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય, તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે.” ૧. મુમુક્ષુ જ્ઞાની સર્વ અવસ્થામાં અબંઘપરિણામી છે, તે કેમ હશે ? પ્રભુશ્રી–જ્ઞાની જ્ઞાનમાં રહે છે. બીજી અવસ્થામાં હોય તો પણ બંધ નથી. શુભ-અશુભથી બંઘ તો થાય છે તેમાંનો એકે જ્ઞાનીને નહીં. માટે એવું એને શું આવી ગયું અને શું છે એવું ? ૧. મુમુક્ષ-વૈદ્ય હોય અને ઝેર ખાય તોય મરે નહીં, બીજો કોઈ ખાય તો દેહ છૂટી જાય. તેમ જ્ઞાની પ્રવૃત્તિમાં હોય પણ પ્રવૃત્તિનો ઉપાય જે નિવૃત્તિ તેને તે બરોબર જાણે છે; અને પ્રવૃત્તિ પણ કર્મભનિત છે, કર્મ છે એવી દૃઢ માન્યતા છે તેથી તેમને તેમાં કર્તાપણું નથી, અહં-મમત્વ નથી. તેથી કર્મ ચોટતાં નથી; કારણ રાગ-દ્વેષ તેમને નથી. ૨. મુમુક્ષુ જ્ઞાની જ્ઞાની કહેવાય છે. તેમણે આત્મા જામ્યો છે. માટે આત્માને જાણ્યો તો ઉપયોગમાં રહી શકે છે; પરભાવનો સ્વામી નથી, એટલે બંઘ નથી. માટે જ્ઞાનીની ગતિ તો જ્ઞાની જ જાણે. શબ્દોમાં કહી શકાય તેવું નથી. ૩. મુમુક્ષુ–અનુભવી પુરુષની માન્યતા દૃઢતાપૂર્વક ફરી ગઈ, માટે બીજું માનતા નથી. તે ૨. મુમુક્ષુ સમ્યકત્વ આત્માને બંઘ થવા દેતું નથી. પરિણામ અને ભાવથી બંઘ-મોક્ષ થાય છે. પરિણામ જે ફરી ગયાં છે અને સવળાં થયાં છે તે અબંઘનું કારણ છે. ૧. મુમુક્ષુ–પોતાના સ્વરૂપમાં જ્ઞાની છે તેથી મોક્ષ સ્વરૂપ છે, ત્યાં બંઘ નથી. જ્યાં પોતાના સ્વરૂપથી વિમુખતા છે, ત્યાં બંઘ છે. - ૨. મુમુક્ષુ–સમ્યકત્વની અપેક્ષાએ બંઘ નથી; બાકીનાં મોહપરિણામની અપેક્ષાએ બંઘ છે. ઠેઠ સુધીની દશા થાય પછી બંઘ નથી, અબંધ પરિણામ છે. ભાવ ઉપર જ પરિણામની ઘારા છે. પ્રભુશ્રી–ભાવ તો મુખ્ય કારણ છે–જેવો ભાવ તેવું બંઘન. બંઘન રાગદ્વેષથી થાય છે. હાસ્ય, રતિ-અરતિ, ઊંઘ-આળસ તે બઘાં કર્મ અને બંઘન. તેનું નામ પાડ્યું પુદ્ગળ; તેના પર્યાય, પરિણામ હોય તેને ગ્રહે છે તે બંઘ. જ્ઞાનીનું બળ કેવું છે કે તે ગ્રહણ ન કરે ? કારણ, અસંગ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ઉપદેશામૃત રહ્યા. બીજું બધું ભલે હોય, પણ મારું નહીં. મારો એક આત્મા. તે જાણનાર છે. બધું ભેદવાળું તેને દેખાય છે, તેને પણ જાણનારો થયો. કેટલું માહાત્મ્ય છે ? એ થયા વગર ખબર નહીં પડે, વાતે વડાં નહીં થાય. ૨. મુમુક્ષુ “શાસ્ત્ર ઘણાં મતિ થોડલી, મનમોહન મેરે; શિષ્ટ કહે તે પ્રમાણ રે. મનમોહન મેરે.'' માટે તેમાં મતિ પહોંચતી નથી. પ્રભુશ્રી—આ વાત વિચારવા જેવી છે, કરવા જેવી છે. બધેથી ફરવું પડશે. થયે છૂટકો. “અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય, તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે.’’ પ્રભુશ્રી—તેણે કર્મ જાણ્યું, તેથી ભિન્ન-અસંગ સ્વરૂપે રહી ભેદ રાખ્યો. વાત તો ભેદજ્ઞાનની છે. ૧. મુમુક્ષુ—જ્ઞાનીઓ આત્મામાં રહે છે; માયાને તો એક ક્ષણ માત્ર પણ હૃદયમાં પેસવા દેતા નથી. માયાનું બળ પણ ઘણું છે અને એવી છે કે જો તેનું મહત્વ લાગે તો સમકિત પણ જતું રહે. ૨. મુમુક્ષુ—ઉદાસ પરિણામ એ અબંધતાનું કારણ છે. પ્રભુશ્રી—વાત તો કરી પણ તેમાં, બીજામાં જો ભાવ ન હોય તો બંધ નથી; પણ માંહી ભાવ હોય તો બંધ થાય છે. ૩. મુમુક્ષુ—જે રાગવાળો હોય તે બંધ પામે અને જે વૈરાગ્યવાળો હોય તે ઊલટો મુક્ત થાય છે, આ ભગવાને શાસ્ત્રનો સાર કહ્યો છે. માટે તું રાગ ન કર એમ સમયસારમાં એક ઠેકાણે જણાવ્યું છે. પ્રભુશ્રી—એકનો ભાવ નથી અને એકનો ભાવ છે, તેમાં ફેર પડ્યો. ભાવ વગર બંઘ નથી. ક્રિયા કરે પણ ભાવે બંઘ થાય. મુદ્દે વાત બધી ભાવ ઉપર આવી. ભગવાને કહ્યું કે ભાવે બંધન થાય છે. ભાવે જિનવર પૂજિયે, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળ જ્ઞાન.'' માટે ભાવ મોટી વસ્તુ છે. જૈનધર્મનો માહિત હોય તેને કહેવાય કે આ ધર્મ. જીવ–અજીવ, પુદ્ગલ, પર્યાય વગેરે કહીએ તો સમજે; બીજાને કહીએ તો ન માને. તેમ માન્યતામાં ફેર. પકડ્યું તે છોડવું છે. બધાય જીવ માત્રને માનવા ઉપર છે, એમ નક્કી થયું. જેવા ભાવ-પરિણામ તેવું બંઘન થાય, તેવી લેશ્યા થાય અને તેવો ભવ થાય—ચાર ગતિ લેશ્યા પ્રમાણે થાય. ડાહ્યા સમજુ હોય તે જુએ છે કે આનું આવું પરિણામ છે. ચાર ગતિનાં પરિણામ જાણી લે છે. સમજણ જોઈએ, તેમાં કચાશ છે. બીજો બધો સંબંધ છે. ‘જે જાણ્યું તે નવ જાણું અને જે નવિ જાણ્યું તે જાણું.' અહીં આંટી ઊકલી ગઈ. વાત છે માન્યાની. માટે ‘વાની મારી કોયલ,' ‘પંખીના મેળા.’ સૌ સૌને રસ્તે. એકલો આવ્યો અને એકલો જશે, માટે ચેત. ⭑ Page #314 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ–૧ ૨૧૭ તા. ૧૨-૧–૩૬, સવારના [યતિ જિનચંદ્ર અને મુનિ માનસાગર આવેલા. પ્રભુશ્રીને તેમની ઓળખાણ કરાવીને નામ જણાવ્યાં.] પ્રભુશ્રી–આત્મા છે–આ જીવને ઓળખાણ કરવાની છે. જિનચંદ્રને કહો, આપે વચનામૃત વાંચ્યું છે ? જિન થોડું ઘણું વાંચ્યું છે. માન–મેં નથી વાંચ્યું. [પત્રાંક ૩૭ નું વાંચન મુમુક્ષુ–-માનસાગરને) આમાં શું સમજાય છે ? માન–જગતમાં અનંતવાર ભમ્યા, પણ શુદ્ધ સમ્યદ્રષ્ટિ નથી થઈ, તેથી પરિભ્રમણ થાય છે. મુમુક્ષુ–અનાદિ કાળથી તે દ્રષ્ટિ કેમ નથી આવી? કારણથી કાર્ય થાય છે અને વ્રતપચખાણ બધું છૂટવા માટે કરે છે તો શું રહ્યું ? માન–સંસારની વાસના અનંતકાળથી લાગેલી છે તે દૂર કરવાનો તો આ પ્રયત્ન છે. પણ કર્મનો ઉછાળો આવે છે, તેનો ખ્યાલ નથી રહેતો. તે રહે તો કંઈક થવા યોગ્ય છે. બાહ્ય ભાવ છોડીને અંતરભાવમાં આવે તો થાય. મુમુક્ષુ—ત્યારે કારણ સેવવામાં ભૂલ શું છે ? માન–શુદ્ધ દ્રષ્ટિ નથી આવી. તે આવવાનું કારણ તો હોવું જોઈએ, તે મહારાજને (પ્રભુશ્રીને) પૂછો. | [પ્રભુશ્રીને ઓછું સંભળાતું હોવાથી આ વાત સાંભળી નહોતી.] પ્રભુશ્રી સાથુજીને એમ પૂછો કે અનંતવાર સાઘુપણું આવ્યું છે અને વ્રતપચખાણ કર્યા છે તો પછી શું રહી ગયું છે ? માન—દ્રવ્યથી તો સાધુપણું અનંતવાર આવ્યું છે. પ્રભુશ્રી–જીવને બાકી શું રહ્યું? માનપદ્ગલિક સુખ માટે સાધુપણું માન્યું કે સુખશાતા મળે, માનકીર્તિ મળે; આવા ભાવને બદલે શુદ્ધ સાધુપણું આવે અને બાહ્યભાવમાં તલ્લીન ન થાય તો કલ્યાણ થાય. અભવ્યને સમકિત હોતું નથી, તોપણ સાધુપણું લે છે; અને એવી ઉત્કૃષ્ટ ક્રિયા કરે છે કે નવમા ગ્રેવેયક સુધી જાય છે; પણ તે બધું બીજાને રંજન કરવા માટે છે; પોતાના આત્માને માટે કંઈ નથી કર્યું. તેણે આત્માનું સ્વરૂપ ઓળખ્યું નથી. પ્રભુશ્રી– “જિહાં લગે આતમદ્રવ્યનું લક્ષણ નવિ જાણ્યું; તિહાં લગે ગુણઠાણું ભલું કેમ આવે તાણ્યું ?” મુમુક્ષુ–ભૂલ એ થાય છે તે આત્મતત્ત્વ જાણવામાં જ થાય છે. સર્વ દર્શન આત્માની જુદી જુદી કલ્પના કરે છે. જેમકે, ક્ષણિકવાદી, શૂન્યતાવાદી, ક્રિયાવાદી, જડવાદી વગેરે. પ્રભુશ્રી–મોક્ષ ગયા તે તો આત્માને જાણીને ગયા. તે શી રીતે ગયા? અને શી રીતે કીધું? આ જીવે અનંતવાર સાધુપણું, જપ, તપ, ક્રિયા, વગેરે કર્યા. “વહ સાઘન બાર અનંત કિયો, Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ઉપદેશામૃત તદપિ કછુ હાથ હજુ ન પર્યો.” આટલું કર્યું, તો હવે ખામી શી રહી ? માન–આત્માને ઓળખ્યો નહીં. પ્રભુશ્રી–આત્મા શાથી ઓળખાય ? માન–ઓળખવા માટે તો સાધુપણું લીધું છે અને તેનો પ્રયત્ન છે. પ્રભુશ્રી–તો હવે ખામી કંઈ આવે છે? મુમુક્ષુ જિનચંદ્રજીને) તમે કંઈ કહો છો ? જિનમને તો સાંભળવાની ઇચ્છા રહે છે. પ્રભુશ્રી—એ તો ઠીક, પણ કંઈ સાંભળ્યું હોય તો તે કહેવું. જે હોય તે, એમાં શું ? વાત તો કરવી. જિન–એવું જણાય છે કે આ જીવને મુખ્ય આઠ આત્મા છે; બીજી બાજુ અઢાર પાપસ્થાનક છે. પાપસ્થાનકમાં મિથ્યાદર્શનશલ્યની પ્રકૃતિ જ્યાં સુધી ઉદયમાં હોય ત્યાં સુધી પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ બંધ થાય છે અને તે આત્માની સાથે જોડાયેલી છે. મિથ્યાત્વનું ઉપશાંતપણું કે લાયકપણું કરીને જો આત્માને ઓળખવા જાય તો બને. પ્રભુશ્રી—એમણે કહી દીધું : “મિથ્યાત્વ.” હવે એનો પ્રતિપક્ષી કોણ છે અને શું છે ? [જિનચંદ્રજીને પ્રશ્ન પૂછ્યો; ત્યાં વચમાં જ] મુમુક્ષુ–પ્રતિપક્ષી સમકિત છે. પ્રભુશ્રી—એમને કહેવા દો. વચમાં ડાહ્યા થાઓ છો એ શું ? અનંત કાળથી સમકિત આવ્યું હશે કે નહીં ? જિન—ભવ્યને કોઈ વખતે આવ્યું હશે. સન્મુખપણું દેખાય ત્યારે વિશ્વાસરૂપે આવ્યું હશે. મોક્ષની ઇચ્છા થાય ત્યારે અનુમાન થાય કે આવ્યું હશે. પ્રભુશ્રી–સક્ઝાયમાં આવે છે કે, “સમકિત નવિ લહ્યું રે, એ તો રૂલ્યો ચતુર્ગતિમાંહે ત્યાં સમકિતની ના કેમ પાડી છે ? જિન—આ ગાથાના જે શબ્દો છે તે સામુદાયિક છે. સમકિત પામેલો પણ અર્ઘપુદ્ગલ પરાવર્તન રૂલી શકે છે, કંઈ એકાંત નથી; જેમ કે શ્રેણિક રાજા. પ્રભુશ્રી–આ જીવનું ભૂંડું કરનાર રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા અને લોભ છે. વીતરાગ મારગ સમ છે. આપણે તો સાચના ખપી થવું. જીવ અને ભવની વાત છે. સમક્તિ અસંખ્યાતી વાર આવે અને જાય; પણ યથાતથ્ય આવે ત્યારે મોક્ષે જાય છે, તે વગર ન જવાય. અભવીની વાત નથી, ભવાની છે. અને સમકિત આવ્યું તો મોક્ષે લઈ જાય. તે તો મોટી વાત છે. આ જીવ કરણી કરે છે તેનું ફળ મળે છે; તેથી નવ ગ્રેવેયક તથા બાર દેવલોકે જાય છે, તે પણ જીવને જ થાય છે. અને મોક્ષ પણ જીવને થાય છે. આ જીવનું ભૂંડું થાય છે સંકલ્પ-વિકલ્પથી અને પરભાવથી. સ્વભાવમાં રહે તો તે ન થાય. જ્ઞાની Page #316 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૧ ૨૧૯ કહે છે કે આ ભવમાં જો આત્મભાવમાં રહે તો ઘણાં કર્મ ખપી જાય છે. આ જીવ માત્રને બધાં બંધન કર્મનાં છે. જેટલું મુકાય તેટલું શ્રેષ્ઠ, તે કર્તવ્ય છે. સારા-નબળાનું તો ફળ છે; પણ બંધનથી મુક્ત થવાય એવું સર્વ કરવું, બીજા ભવ ઊભા થાય તેવું ન કરવું. સમાઘિ પામતો હોય, બંધન રહિત થતો હોય તે કરવું. આપણે બેઠા છીએ છૂટવાને માટે, માટે બંધન થાય તેવું ન કરવું. જગત તો એમ કહે કે આ રૂડા છે, આ ભૂંડા છે. તે તરફ કંઈ જોવું નહીં. રૂડા-ભૂંડા કહેવાથી કંઈ તેમ થતું નથી, પણ પોતાના ભાવનું ફળ છે. બધા બેઠા છે તે સૌ આત્મા છે. તેની પાસે સંકલ્પ-વિકલ્પ તો હોય. કોઈ તો ધ્યાન, વૈરાગ્ય, નિવૃત્તિ વગેરેમાં હોય અને કોઈ વિકારમાં હોય. સારા-નબળા કહેવાયાનું ફળ નથી, પણ પોતાના ભાવનું ફળ છે. બીજાના કહેવાથી કંઈ થતું નથી, પોતે કંઈ કરે તો થાય છે. તમે કલ્પના કરશો નહીં. મર ! સારો કહે, નબળો કહે, તેની તમારે જરૂર નથી. આપણે તો આત્માનું, જ્ઞાન-દર્શન-ચારિત્રનું કામ છે. શુભ-અશુભ ભાવ થાય છે તેમ શુદ્ધ ભાવ પણ થાય છે. માટે પોતાના ભાવને વિચારશો. પોતાના ભાવનું ફળ છે. મુમુક્ષુ—આ જગત સ્વાર્થમય છે. જો જગતની ઇચ્છા પ્રમાણે જીવ વર્તે તો તેને માન આપી હાથી ઉપર બેસાડી દે અને જો તેથી વિરુદ્ધ વર્તે અને તેમનો સ્વાર્થ ન સધાય તો ગધેડા ઉપર બેસાડી દે. માટે જગતની ચિંતા શ્રેષ્ઠ પુરુષો કરતા નથી. પ્રભુશ્રી—જેણે જેવું કર્યું તેવું થયું. જે દિશા ભણી જોયું તે દિશા દેખાણી. માટે કરે તેનું ફળ છે. ભગવાનનું વચન છે કે જે કરે તે ભોગવે, બીજો ન ભોગવે બાપ કરે તો બાપ ભોગવે, દીકરો કરે તો દીકરો ભોગવે, બીજો ન ભોગવે. બધાય બાંધીને આવ્યા છે તે ભોગવે છે. પોતાનું કરવું છે. કોઈ ગમે તેમ બોલે, તેનો હરખ-શોક ન કરવો. ભલે ! પારસનાથ કહો, રીખવદેવ કહો, શાંતિનાથ કહો, તે તો નામ પાડ્યું; પણ બધા આત્મા. એનું કર્યું એને ફળ, આપણું કર્યું આપણને ફળ. એ તો કરે એ ભોગવે તે પોતાના હાથમાં છે. વીતરાગ માર્ગ અપૂર્વ છે. કરશે તે પામશે. કોઈને કહેવા જેવું નથી. સૌને ચેતવા જેવું છે અને ચેતવું. સમજીને શમાવું. સમજવાનો લક્ષ લેવો. તા. ૧૨-૧-૩૬, સાંજના પત્રાંક ૮૪૩ નું વાંચન ઃ— “શ્રીમદ્ વીતરાગ ભગવતોએ નિશ્ચિતાર્થ કરેલો એવો અચિંત્ય ચિંતામણિસ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુઃખનો નિઃસંશય આત્યંતિક ક્ષય કરનાર, પરમ અમૃતસ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તો, ત્રિકાળ જયવંત વર્તો. "" અલૌકિક વાણી છે, લૌકિક નથી. વીતરાગ માર્ગનું માહાત્મ્ય જીવે લૌકિકમાં કાઢી નાખ્યું. ભવી જીવે માહાત્મ્ય કરી ઘારવું. ગણતરી સમકિતની છે. મિથ્યાત્વ છે ત્યાં સુધી જીવને અજ્ઞાન છે. આત્મજ્ઞાનીએ જાણ્યો છે આત્મા. બીજું કોઈ ઠેકાણું સારું નથી. આ અવસ્થા થઈ ગઈ છે. દુ:ખ અને વેદની બધી. બીજો તેમાં પરિણમી જાય. એને દુ:ખ છે ? વેદની છે ? જેમ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ઉપદેશામૃત છે તેમ છે. જ્ઞાનીએ જાણ્યો. બાકી બધાં સૌ સાધન સંસારમાં બંધનરૂપ છે. તેથી છૂટવાને જ્ઞાનીની દૃષ્ટિએ આત્મસ્વભાવ, આત્માનો વિચાર કરવો. આ બધા બેઠા છે. સૌના ભાવ અને ઉપયોગ છે. પરભાવમાં વર્ષે બંધન થાય. સ્વભાવ છે તે આત્મા છે તે ઉપયોગે પુણ્ય બંઘાય તથા નિર્જરા થાય. તેમાં લૂંટટ્યૂટ લેવાનું છે. સારો, નબળો, વાણિયો, બ્રાહ્મણ, પાટીદાર, બાઈ, ભાઈ તે જોવાનું નથી; બધા આત્મા. હવે તો અહીંથી છૂટવું. સંબંઘ અને સંજોગ છે. તે આત્મા નો'ય. આત્માને પરભાવથી મુકાવવો. તે કેમ થાય ? પ્રતિબંધ જેમ બને તેમ ઓછો કરવો. બધા સાથે ચાર ભાવનાએ વર્તવું—મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થભાવના. જીવ સજ્ઝાયમાં, જ્ઞાન-ધ્યાનમાં, ધર્મધ્યાન, ચર્ચા, વાંચવા વિચારવામાં રહે તે ઉત્તમ છે. સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આ કાળને વિષે સત્સંગ છે. ત્યાં ધર્મની વાત હોય. બીજી કથા-વાર્તા કરે ત્યાં પાપ છે. સત્સંગમાં આત્માની વાત છે અને ત્યાં ઉપયોગ જાય છે. તે કર્તવ્ય છે. સત્પુરુષ કહે છે કે ગુણગ્રામ તો જ્ઞાનીના, વીતરાગ માર્ગના કર્તવ્ય છે. બીજી ચાર કથા–સ્રીકથા, ભોજનકથા, રાજકથા, દેશકથા; તેથી તો બંધન છે. આત્મધર્મની વાત, જ્ઞાન, ઘ્યાન, વૈરાગ્યની વાતો પોતાને હિતકારી છે અને પુણ્ય બંધાય છે. “તે શ્રીમત્ અનંત ચતુષ્ટયસ્થિત ભગવતનો અને તે જયવંત ઘર્મનો આશ્રય સદૈવ કર્તવ્ય છે.” જુઓ, બીજી વાત ન આવી. આ માયાના સ્વરૂપથી બંધન થાય છે. માટે ચેતવાનું છે. ક્ષણ લાખેણી જાય છે. મનુષ્યભવ દુર્લભ છે. લીઘો કે લેશે થઈ રહ્યું છે. વેદની અને અશાતા આવી તો કંઈ નહીં થાય. જાણે છે જીવ. માટે ઓળખાણ કરી લે. ઓળખ્યું છૂટકો. “જેને બીજું કંઈ સામર્થ્ય નથી એવા અબુધ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખહેતુ એવાં અદ્ભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે, અધીરજથી ખેદ કર્તવ્ય નથી.’ આવા ભગવાનના ગુણગ્રામ કરવાથી, ભક્તિભાવનાથી આવા પણ સમ્યક્ત્વ પામે અને ક્રમે કરીને મુક્ત થાય. બીજી વાતો જવા દે; તે કાંઠાથી પાર ન આવે. આખો લોક ત્રિવિધ તાપથી બળી રહ્યો છે. કોઈ પુન્યાઈથી મનુષ્યભવ પામ્યા છો તો સાંભળો છો. ઢોરથી તે નહીં બને, માટે આ ભવમાં જેમ બને તેમ કરી લેવું. ‘લીધો તે લહાવ.’ ‘આજનો લહાવો લીજિયે રે, કાલ કોણે દીઠી છે ?'' ‘સમય ગોયમ મા પમાણુ.' એક આ જ શરણું, ભાવના આત્મભાવની કરી તો કેવળજ્ઞાન પમાડે. પ્રમાદ છોડીને હવે લક્ષ લેવા ભૂલવું નહીં. પ્રારબ્ધ આડું આવે—ખાવું પીવું, બોલવું ચાલવું, વગેરે તે તો બધાં આઠ કર્મ છે, તેને આત્મા ન જાણ. તેથી છૂટવાની ભાવના કરે તો બંધનથી મુકાવું થાય. ‘દેહ છૂટી જશે,’ ‘હું મરી જઈશ' એમ ભય રાખે છે; પણ અનંતી વાર દેહ છોડ્યો છતાં જન્મ-મરણથી છૂટ્યો નથી. તે શાથી છૂટે ? તો કે સમિતથી. આ પહેલું પામ્યો તો ગતિ સારી થઈ; પછી નરક-તિર્યંચમાં જવું ન થાય, જેવી તેવી કમાણી નથી. માટે ગફલતમાં ન રહે. ‘મારું મારું' કરીને મરી રહ્યો છે. ગુરુચેલા, હાટ હવેલી, પૈસો ટકો, છોકરાં છૈયાં તે તારું નથી; બધું મૂકવાનું છે. માટે ‘મારું, મારું' કરે Page #318 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૧ ૨૨૧ છે ત્યાંથી મુકાવું કર. તારો તો આત્મા. તે તો જ્ઞાન-દર્શન-ચારિત્રમય છે. તેની ભાવના કર. ભગવાને કહ્યું કે જ્યાં સુધી શાતા છે, દુઃખ-વ્યાધિ-વેદની નથી અને સુખ છે ત્યાં સુધી ધર્મ કરી લે; પછી નહીં બને. હાથમાંથી બાજી ગઈ તો નહીં બને. જ્યાં સુઘી મનુષ્યભવ અને શાતા છે, ત્યાં સુધી કરી લે. બધું ચિત્રવિચિત્ર છે. વેદની થાય, દુ:ખ-વ્યાધિ થયા કરે. માટે આ મનુષ્યભવ પામી કોઈ આત્મા સંબંઘી વાત સાંભળ, કાન ઘર; બીજી વાતો ઘણી થઈ છે, પણ આત્મા સંબંધી નથી થઈ તે કર. મોટા પુરુષે આ ઉપાય બતાવ્યો તે અમૃત જેવો છે. ‘મારું મારું' કર્યે પોતાનું થવાનું નથી. યથાતથ્ય એક જ વાત માનવાની છે. માને તો કામ થાય. કોઈ મારુંતારું, સારું નબળું, વાદવિવાદ તે કંઈ નહીં. ભાવ ચોખ્ખો કર. બીજા ભાવ ન લાવ. ‘વાની મારી કોયલ.’ ‘પંખીના મેળા,' આમ જતો રહેશે, વાર નહીં લાગે. માટે અવસર ગયો હાથ નહીં આવે. કર્તવ્ય આટલું છે. હવે અવસ્થા થઈ, ૮૨-૮૩ વર્ષ થયાં. શરીરના સાંધા દુઃખે, સંભળાય નહીં, વેદના ખમાય નહીં, માંડ માંડ આટલે સુધી અવાય છે. જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવીએ, દહાડા પૂરા કરવા છે. વાત કરવી છે સમભાવની ! ત્યાં રાગ-દ્વેષ ન આવે. જગત સામે દૃષ્ટિ નથી મેલવી. તે જોયે પાર નથી આવવાનો. સંકલ્પવિકલ્પ ત્યાં દુ:ખ છે, તેથી બંધાય છે. મુમુક્ષુ “ઊપજે મોહવિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર.’’ પ્રભુશ્રી—આના ખપી થવું, એ જ જોવું. આત્મા ન હોય તો મડદું. જે જાણે છે એનો ઉપયોગ, વિચાર હોય તો ભાવના થઈ. જેવા ભાવ તેવા પ્રભુ ફળે. કંઈ નથી. સૌને ખમાવીએ. કોઈનો દોષ જોઈશ નહીં. બધાય રૂડા. પોતાને શું કરવું ? આત્મભાવ. ‘મા વિક્રૃત્ત, મા નંબē, મા ચિંતનૢ િવિ, ખેળ હોર્ થિરો । अप्पा अप्पम्मि रओ इणमेव परं हवे झाणं ॥ " આત્મભાવમાં રહ્યો તો તે જ કર્તવ્ય છે અને કામનું છે. તા. ૧૩-૧-૩૬, સવારના આઠમી દૃષ્ટિ વિષે ચર્ચા. ૧. મુમુક્ષુ આ દૃષ્ટિમાં બોધ અને ઘ્યાન અગ્નિ જેવાં હોય. પોતાનાં કર્મ તો બાળી નાંખે, પણ સમસ્ત જગતનાં કર્મ તેમાં હોમવામાં આવે તો પણ બાળીને ભસ્મ કરી નાખે એવું નિર્મળ અને બળવાન ઘ્યાન હોય છે; જો કે તેમ બનતું નથી, કોઈ કોઈનાં કર્મ લેતું દેતું નથી, એ તો સૌ સૌનાં પોતે જ ભોગવે છે. અહીં તો પોતાનાં કર્મ બાળીને કેવળજ્ઞાન થાય છે. ૧. હે વિવેકી જનો ! કાયાથી કંઈ પણ ચેષ્ટા ન કરો, વચનથી કંઈ પણ ઉચ્ચાર ન કરો, મનથી કંઈ પણ ચિંતવન ન કરો, જેથી ત્રણે યોગ સ્થિર થાય. આત્મા આત્મસ્વરૂપને વિષે સ્થિર થાય, રમણતા કરે તે જ નિશ્ચયથી પરમ ઉત્કૃષ્ટ ધ્યાન છે. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૨ ઉપદેશામૃત પ્રભુશ્રી—કંઈ સમાધિની વાત જેવી તેવી છે ? પણ લૌકિકમાં કાઢી નાખ્યું. અજબગજબ વાત છે ! આ તો સંસારનું માહાભ્ય જાણ્યું છે. તે તો બધું આવરણ છે. તે આડું આવ્યું છે. તે બઘાથી મુક્ત એક ચૈતન્ય, આત્મા ! ભારે વાત કરી છે. ૧. મુમુક્ષુએ આઠમી દ્રષ્ટિવાળાની તો વાત જ જુદી હોય, અને પરિણામની ગતિ જ જુદી હોય ! આ દૃષ્ટિની વાત તો અમારાથી થાય તેવી નથી. તે તો અનુભવી જ જાણે. ૨. મુમુક્ષુ-અનંતા કાળથી અનંતા જીવો મોહમાં પરિભ્રમણ કરે છે, તે જેને ખસેડી શક્યા નથી તેને અહીં ક્ષીણ કરી નાખ્યો. પ્રભુશ્રી–“વાત છે માન્યાની'. સને માનવું. અને એને માન્યો તો કંઈક ફરે છે અને થાય છે. ૨. મુમુક્ષુ–આઠ કર્મમાં મોહનીય કર્મ બળવાન છે, તે કર્મપુદ્ગલ ગ્રહણ કરીને આઠેયને વહેંચી આપે છે. તે જ બંધ કરે છે અને કર્મ બંધાવે છે. બીજામાં તેવું બળ નથી. મોહનીય કર્મના બે ભેદ છે. : દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. ત્યાં વિપરીત માન્યતા થાય છે તે દર્શનમોહ. તે માન્યતા પુરુષના સંગે ફરે તો બધું ફરી જાય છે. ૧. મુમુક્ષુ યથાર્થ માન્યતા થાય ત્યાં સમકિત છે. અને તે આવ્યું તો પછી કેવળને આવવું પડે. સત્પરુષના જોગે વસ્તુને વસ્તુસ્વરૂપ માને તો થયું. પ્રભુશ્રી–જુઓને, આ બધે શરીરે વા છે અને દુઃખે છે. તે જાણ્યું. આ બઘી જરા અવસ્થાની વાત દેખાય છે. આ વાતોમાં જડ કંઈ સાંભળશે ? એ તો એ જ. શું એને માન્ય ન કરવો ? આટલું કરવાનું કામ તે નથી કર્યું. સર્વ જ્ઞાનીઓ થઈ ગયા. તેમણે આ કર્યું. ઓળખાણ કરવાની અને માનવાનું. વહેવારમાં પણ કહેવાય છે કે આટલું માનને, ભાઈ, તો સારું થશે. તો કહે, બહુ સારું, માનીશ. તેમ આ પણ માન્ય કરવાનું છે. “વાત છે માન્યાની.” તેમાં ઊંડું રહસ્ય છે. મનુષ્યભવનું રહસ્ય ન જાણ્યું તો પશુવત્ છે. ભગવાનને પૂછ્યું કે હું ભવી છું કે અભવી ? તો કે ભવી. તમે બોલ્યા કેમ ? થઈ રહ્યું. તે તો ભવી જ હોય. આ કેટલી સામગ્રી છે ? જનાવર કંઈ સાંભળશે ? કોની બઘી સત્તા ? એ તો એની જ. બોલો : ચંદ્ર ભૂમિને પ્રકાશે છે...” ૧. મુમુક્ષુ–“ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે, પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતો નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી, સદા સર્વદા ચેતન્ય સ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે.” પ્રભુશ્રી-કેવી વાત આ કરી કે ઠરીને હિમ થઈ જાય ! કોઈ પાસે આ સામગ્રી છે ? પદાર્થ માત્ર જડ અને તેના વળી અસંખ્યાતા ભેદ કહ્યા, પણ તે જડના જ. લૌકિક દ્રષ્ટિથી માન્ય કરે છે પણ અલૌકિક દ્રષ્ટિથી જોયું નથી. અહીં માર્ગ મૂક્યો તે ખબર પડે છે ? સરળતા. તે હોય તો ત્યાં મોક્ષ આવે; આવો માર્ગ છે. કામ થઈ જશે ! વાર કેટલી ? તો કે તારી વારે વાર. ૧. મુમુક્ષુ અમારે શી રીતે તૈયાર થવું ? Page #320 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૧ ૨૨૩ પ્રભુશ્રી—કૃપાળુદેવને અમે વાત પૂછેલી તો કહે, “હવે શું છે ?” થપ્પડ મારી. હું તો શાંત થઈ ગયો કે વાહ ! પ્રભુ વાહ ! બહુ આનંદ થયો. આ જીવ બધું સાંભળેલું, વાંચેલું ભૂલી જાય છે પણ તે તો બધું આવરણ. જ્ઞાન છે તે તો આત્મા છે, તે ભુલાય નહીં. બાકી બીજું બધું મૂકવાનું છે. આ બધા બેઠા છે તેને કહીએ કે આત્મા મૂકીને આવો તો મુકાશે ? નહીં મુકાય. બીજાં બઘાં આવરણનાં તાળાં છે. અને જો કૂંચી હાથ આવી તો તાળાં ઊઘડશે. વહેવારમાં મોટા માણસ શેઠિયાની ઓળખાણ હોય તો અડચણ ન પડે. તેમ ઘણી સાચો કરવાનો છે. ૧. મુમુક્ષુ–અમારો ઘણી મોટો છે. પ્રભુશ્રી“ધિંગ ઘણી માથે કિયા રે, કુણ ગંજે નર પેટ ? વિમલ' આ વાત કોણ ગણે છે ? મર્મ ન સમજે ત્યાં તુંબડીમાં કાંકરા, આ તો પાતાળનું પાણી; તે નીકળે તો થઈ રહ્યું. કર્તવ્ય તો છે. આવો અવસર ક્યાં મળશે ? “આજનો લહાવો લીજિયે રે કાલ કોણે દીઠી છે ?” ગાંડી ગાંડી વાતો છે અને કહેશે કે એમાં શું ? પણ એમ નથી કરવાનું. વાત ખરેખરી છે, રામનું બાણ પાછું ન ફરે તેમ. આમ કે આમ કશું જોવાનું નથી અને ગભરાવા જેવું નથી. જગતમાં મોતથી ભૂંડું કંઈ છે ? પણ તેને તો મહોત્સવ માન્યો ! કેટલું ફરી ગયું ? તમે ગમે ત્યાં જાઓ પણ આત્મા હોય તો શું લેવું છે ? શહેરમાં જોવા જાય તો આ લેશે તે લેશે; પણ અહીં તો આત્મા. તે હોય તો બીજાની શી જરૂર છે ? “જ્યાં લગી આતમા તત્ત્વ ચિન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી” (મુનિ માનસાગરજીને) કેમ મુનિ, કેમ વાત થાય છે ? ઠીક છે ને ? કંઈ બીજું હોય તો કહેજો. માન–ઠીક છે, બરોબર છે. પ્રભુશ્રી- “જિહાં લગે આતમ દ્રવ્યનું લક્ષણ નવિ જાણ્યું, તિહાં લગે ગુણઠાણું ભલું કેમ આવે તાણ્યું?' યોગદૃષ્ટિ બઘા બોલતા હોય; પણ બોલવા બોલવામાં ય ફેર છે. તેમાં મેળવણ જોઈએ. કોઈ ચીજમાં એવું મેળવણ નાખે છે કે જેથી બળ-વીર્ય બધું વધે. તેમ તેવી વસ્તુ છે. શી વસ્તુ છે ? કોનાં ગાણાં ગાવાં છે ? મોટા પુરુષે તો વાત કરી દેખાડી; પણ તેમાં ભાવના અને માનવું કે તમારું કામ છે. તો કે વાત સમજ્ય છૂટકો. બીજું સમજ્યો તે નહીં. અહીં બીજું જુદું સમજવું છે. સદ્ગુરુની આજ્ઞા અને જિનદશા. તમારી વારે વાર. એ સાચું છે. વચન પાછું ન ફરે. કેવળજ્ઞાન થયું તેણે જાણ્યું. તેમ આ વચન છે. ૧. મુમુક્ષ“તમારી વારે વાર' તે તો ખરું; પણ અમારે શી રીતે તૈયાર થવું ? પ્રભુશ્રી–કારભારી ખરો ને ? કેવી વાત કાઢે છે ? ૧. મુમુક્ષુ–અમારી ગુંજાશ નથી. કૃપાળુદેવ જ તૈયાર કરે છે પણ અમારે શું કરવું ? પ્રભુશ્રી આ પ્રશ્નનો ઉત્તર સુગમ છે–વાત માન્યાની છે. એની વારે વાર છે. તૈયાર થવું જોઈએ ને ? વહેવારમાં જેમ કોઈને કહ્યું હોય કે જવાનું છે માટે તૈયાર થઈને આવજે; અને Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ઉપદેશામૃત પછી આવે ને કહે, હું તો મારી બચકી ભૂલી ગયો. તે લેવા જાય તો રહે. તેમ અહીં બરોબર તૈયાર થઈને આવે તો થયું, નહીં તો પછી રામ રામ ! તેવું છે; વિચારવા જેવું છે. વાંચી જાય તેમ નહીં; વિચારશે તો માંહી માગ આપશે. કૃપાળુદેવ કહેતા કે વિચારો; પણ બીજું કંઈ કહે નહીં. માટે એ તો એ જ. ૧. મુમુક્ષુ–એમાં જ માહાભ્ય છે ! પ્રભુશ્રી–ભૂતભાઈ જાણે ! કોણ માને ? પણ જ્ઞાનીની ગતિ તો જ્ઞાની જ જાણે. તા.૧૩-૧-૩૬, સાંજના પત્રાંક ૮૧૯ નું વાંચન : “ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે.” ૧. મુમુક્ષુ –આ જીવને આર્ત-રીદ્ર ધ્યાન વર્તે છે તે ખેદ છે. સંસારના અનેક કારણોને લઈને ખેદ થઈ જાય છે, તે આર્તધ્યાન છે. ત્યાંથી જ્ઞાની બચાવે છે. પ્રભુશ્રી–વેદનીનું દુઃખ કંઈ ઓછું છે ? તે દુઃખ કોઈ વૈદ પણ મટાડવાને સમર્થ નથી. ૧. મુમુક્ષુ–તે તો કર્મનો રોગ ! જ્ઞાની મોટા વૈદ છે, તે જ મટાડશે. પ્રભુશ્રી–ખામી છે સમજવાની, પકડવાની. કોઈ દ્રષ્ટિ પડી તો પછી પકડવા જેવી છે, મૂકવા જેવી નથી. દુઃખ, વ્યાધિ વગેરે દેહમાં થાય છે. ઘણા પ્રકારના રોગ થાય છે તે કોઈ મટાડવા સમર્થ નથી. કહો, મટાડશે ? ૨. મુમુક્ષુ-જ્ઞાની કર્મરોગ મટાડશે. રોગ બે પ્રકારના : દ્રવ્યરોગ અને ભાવરોગ. દ્રવ્યરોગ શરીરને થાય; ભાવરોગ મનનો છે, તે ઠેઠ સુધી છે. તે ગયા વગર દ્રવ્યરોગની શક્તિ ઘટતી નથી અને તે ગયા પછી દ્રવ્યરોગની શક્તિ ટકતી નથી. ભાવરોગ મટાડનાર જ્ઞાની છે; માટે આપ જ તે મટાડી શકો, બીજા નહીં. પ્રભુશ્રી–તાવ આવે, માથું દુઃખે, ચૂંક આવે, પીડા થાય, ઊંઘ ન આવે તેવું શરીરના સંબંધે થાય છે. પછી તે ભાવ જો મટી ગયો તો બધું મટી ગયું. તે કોઈ કહેનાર છે ? કહેનાર કોઈ ન મળે. જાણવાવાળો કહે. જાણવાવાળો હોય અને ભાન ન હોય તો ન કહી શકે. તેને કોણ કહે ? એક જ્ઞાની; તેનાથી કંઈ છાનું નથી. તે ક્યાં છે ? કહો. ૩. મુમુક્ષુ-જ્યાં જ્ઞાન છે ત્યાં જ્ઞાની છે. પ્રભુશ્રી–જ્ઞાની વેદે જ્ઞાનમાં. જ્ઞાન ક્યાં છે ? શાનીમાં. “મા વિટ્ટદ, મા સંપૂદ, મા વિંદ જિં વિ, ને તો થિરો | अप्पा अप्पम्मि रओ इणमेव परं हवे झाणं ॥" ત્યાં છે; કોઈ ઠેકાણું, બીજું નથી. આ જીવ માત્રને શું શોઘવાનું? તે વિચારો. Page #322 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૧ ૧. મુમુક્ષુ- “રે આત્મ તારો, આત્મ તારો, શીઘ્ર એને ઓળખો; સર્વાત્મમાં સમવૃષ્ટિ દ્યો, આ વચનને હ્રદયે લખો.'' તેને જ ઓળખવાનો છે. પ્રભુશ્રી—આ વાત તો ખરી ને ? ૨. મુમુક્ષુવાત તો ખરી છે; પણ પ્રથમ તો સત્પુરુષને શોધવા પડશે. તે સિવાય બનતું નથી. ૧. મુમુક્ષુ ઉપરની ગાથામાં તે બધો ખુલાસો કર્યો છે. “હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું ? એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો કર્યાં; તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં. તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માનો ‘તેહ' જેણે અનુભવ્યું.' તે વચન માનો. શું માનવું ? તો કહે, “રે! આત્મ તારો, આત્મ તારો, શીઘ્ર એને ઓળખો; શી રીતે ઓળખવું ? સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો.'' ૩. મુમુક્ષુ—પહેલાં ‘નમુન્થુળ' ના પાઠમાં ‘નીવવયાળ' એમ બોલતા હતા; પણ જીવનો દાતા હવે મળ્યો ત્યારે સમજાય છે. શરૂઆત તો દાતાથી થઈ. પ્રભુશ્રી—આ ‘બહુ પુણ્યકેરા'નું પદ શું આશ્ચર્યકારક વાત નથી ? એની સમજણ જુઓ ! એનો ઉલ્લાસ જુઓ ! એની વાતુ જુઓ ! કેવો મર્મ ! શું સમજવા જેવું નહીં ? ત્યાં નિર્જરા કીધી. આ જીવને તે કરવાલાયક છે. વસ્તુનું માહાત્મ્ય નથી જાણ્યું. દરેક વચન એકે એક માહાત્મ્યવાળું છે. આ ‘અમૂલ્ય તત્ત્વવિચાર'ની પાંચ ગાથાનું માહાત્મ્ય મર્મવાળું છે. પહેલાં અમે બધા બોલતા અને લોકો વાહ વાહ કરે; પણ કાંઈ નહીં ‘તુંબડીમાં કાંકરા' જેવું. ન લેવા, ન દેવા અને ઊલટા ક્યાં જવાય ? તો કે માનમાં. દેવકરણજી જેવાને માન પોષાય કે મારો કંઠ કેવો સારો છે, મારા જેવું કોણ બોલી ને ગાઈ શકે અને તેથી બધું કેવું શોભે છે ? લો, આ બગડ્યું અને બીજું જ માંહી ઘાલ્યું. જે સમજવું છે તે ન સમજાણું. ઘણી વખત બોલવું થાય પણ કંઈ નહીં. પછી જ્યારે કૃપાળુદેવ મળ્યા અને કહે કે આનો મર્મ શું છે તે વિચારો. પછી સમજાણું. એમના કહેવાથી તે મીઠું સાકર જેવું લાગ્યું. કહેનાર કોણ છે ? સમજાવનાર કોણ છે ? અને શું છે ? તેની ખબર નથી. જેમ ઊંડાણમાંથી ગ્રહણ કર્યું હોય એવું કહેનાર ના મળે. પાંચ ગાથાનો અર્થ અને તેમાં કીધેલો બધો સમાસ, વિસ્તાર જેવો તેવો નથી, ભારે છે હોં ! 15 ૨૨૫ “મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ; હોતા સો તો જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ.’ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૬ ઉપદેશામૃત બોલી ગયા, પણ મર્મ સમજાય નહીં તો શું કામનું ? આવું બોલનાર અને કહેનાર કોણ છે ? આ તો રાંકના હાથમાં રત્ન આવ્યું. લૌકિકમાં ન કાઢો, અલૌકિક દ્રષ્ટિથી ગ્રહણ કરો. ફેણાવમાં અમે ગયેલા. ત્યાં છોટાલાલભાઈ હતા, તેના ભાઈઓ વગેરે હતા. તેનો મેળાપ થયેલ. અંબાલાલભાઈ (ખંભાતના મુમુક્ષુ) છોટાલાલ પાસે અવારનવાર જતા, કૃપાળુદેવની વાતો કહેતા અને સમજાવતા, માનવાને કહેતા; પણ સમજાય નહીં અને માન્ય ન થાય. પછી અમારો મેળાપ થયો અને અમારા ઉપર વિશ્વાસ એટલે અમને પૂછ્યું : “અંબાલાલભાઈ કહે છે કે આ માનો અને જ્ઞાની પુરુષના વચન પર લક્ષ દો. તે કેમ હશે ?” પછી મેં કહ્યું કે ભાઈ, આપણે ભૂલ્યા છીએ. અમે તે વખતે સ્થાનકવાસી વેષમાં અને અમારા ઉપર વિશ્વાસ એટલે કહે, “એમ કેમ ? આપણે ભૂલ્યા એમ કેમ કહો છો ?” અમે કહ્યું, “ભાઈ, આ મારગ જુદો છે ! સાચો છે; આત્મજ્ઞાનીનો છે અને સમજવા જેવો છે. માટે તે કહે છે તે કરવા જેવું છે.” મારી ઉપર વિશ્વાસ એટલે માની ગયો. મેં તેને આ “અમૂલ્ય તત્ત્વવિચાર'ની પાંચ ગાથા મોઢે કરવાની કહી, અને તે તેણે કરી. લક્ષ લીઘો અને બોલ્યા કરે. દેહ છૂટી ગયો ત્યાં સુધી એ જ ભાવ રહ્યો. ગતિ સારી થઈ. બીજાં કર્મનો ભૂંસાડિયો થયો અને ગતિ સુધરી ગઈ. આવી વસ્તુ, તેની જીવને ગણતરી નહીં અને લક્ષ નહીં ! વાત કહેવાની મતલબ શું છે! એક શ્રદ્ધા. જીવને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કરવાનું આટલું : પ્રતીતિ, વિશ્વાસ અને શ્રદ્ધા. કોઈ સ્વરૂપને પામેલા પુરુષે કહેલું હોય તો તે ગળી જવું, ઉતારી દેવું રોમરોમમાં; આ મોક્ષનો રસ્તો છે. મારી તો સમજ આ છે અને તે કહી બતાવી. આવું છે ! માટે લક્ષમાં રાખજો. આ ટાણે તો કૃપાળુદેવે ઠામઠામ રત્ન પાથરી દીધાં છે માટે શું કહું ? આટલામાં આનંદ કરીએ છીએ. અમને કહેલું કૃપાનાથે કે તમારે ક્યાંય પૂછવા જવાનું નથી. માટે કંઈ વિચાર કે ફિકર કરવા જેવું નથી રહ્યું. ફિકરકા તો ફાકા ભર્યા. મને કહેલું કે “હવે છે શું ?” કારણ, ઓળખાણ પાડી દીધી અને સ્મૃતિ આપી દીઘી, બતાવી દીધું થિંગ ઘણી માથે કિયા રે, કુણ ગંજે નર એટ; વિમલ જિન દીઠાં લોયણ આજ.” અભિમન્યુ કુમારને ભીમસેને મોકલ્યો કે તું જા કોઠા જીતવા, હું પણ આ આવ્યો. અભિમન્યુ બઘા કોઠા જીત્યો, પણ છાણ-માટીનો કોઠો હતો ત્યાં મૂંઝાણો અને ભીમસેનને બોલાવ્યો પણ તેને આવતાં વાર થઈ. અભિમન્યુ આવો બળવાન તેને છાણમાટીના કોઠામાંથી નીકળવું તેમાં શું ? પણ નીકળાણું નહીં. નીકળવાની ખબર ન હોવાથી મૂંઝાણો કે કેમ જીતવો અને તેથી નીકળણું નહીં. તેમ કંઈક સાચી સમજ જોઈએ છે અને કંઈક જોઈએ. વાણિયાઓ માટે કહેવાય છે કે “પાનું ફરે ને સોનું ઝરે.” શોધ્યું, પાનાં ફેરવ્યાં અને ખાતાં તપાસ્યાં તો કંઈક મળ્યું, હાથ આવ્યું; પણ જો ચોપડા મૂકી રાખે અને તપાસે નહીં તો કંઈ હાથ આવે ? ન આવે. તેમ આ જીવને વિચાર કરવાનો છે અને તેથી બેઠો થઈ જા. આટલો અવસર નીકળી ગયો તો થઈ રહ્યું. Page #324 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૧ ૨૨૭ તા. ૧૪-૧-૩૬, સવારના ૧. મુમુક્ષ-ચોથી દ્રષ્ટિમાં એમ કહ્યું છે કે “ઘર્મ ક્ષમાદિક પણ મટેજી, પ્રગટ્ય ઘર્મસંન્યાસ અને આઠમી દ્રષ્ટિમાં એમ કહ્યું કે “ચંદનગંઘ સમાન ક્ષમા ઇહાં, વાસકને ન ગવેષેજી તો તે કેમ ? અને શું સમજવું ? ૨. મુમુક્ષુદશલક્ષણ યતિધર્મ અને ક્ષમા તે બેનાં લક્ષણ સમજાય તો પ્રશ્ન ન રહે. પ્રભુશ્રી–ત્રણ ગુતિ અને દશ યતિઘર્મ તે વસ્તુ ક્યાં હોય ? ૨. મુમુક્ષુ ક્રોઘ ન હોય તો ક્ષમા ગુણ પ્રગટ્યો. સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્ર આત્મામાં છે. પણ ક્ષમા તે આત્માનો મૂળ ગુણ નથી, તે અહીં કહેવું છે. ઘર્મસંન્યાસ તે યોગ છે. ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ એમ ત્રણ યોગ છે. ઘર્મસંન્યાસ સામર્થ્યયોગમાં સમાય છે. સંપૂર્ણ ઘર્મસંન્યાસ તો સયોગી કેવળી સુધી છે. જેટલો આત્માનો ગુણ પ્રગટ્યો તેટલી ક્ષમા છે. પૂરી ક્ષમા નથી આવી. આત્માનો ગુણ તો જ્ઞાન-દર્શનચારિત્ર છે. અહીં ક્ષમા મૂળભૂત ગુણ નથી. ૩. મુમુક્ષુ આત્માનો ત્રણ પ્રકારે ઉપયોગ છે : શુભ, અશુભ અને શુદ્ધ. શુદ્ધમાં તો આત્મામાં રમણતા છે. મારે ક્રોધ ન કરવો, ક્ષમા રાખવી, આમ કરવું, તેમ કરવું તે તો શુભ થયો. ક્ષમા ઘર્મ છે તે તો મુનિનો ઘર્મ છે. શુદ્ધ ઉપયોગમાં તો આત્માની સ્થિરતા છે. મુનિને શુદ્ધ ભાવનો લક્ષ હોવાથી તે શુભ (ક્ષમા) પણ કાર્યકારી છે. સંસારમાં શુભ કહેવાય છે તે નહીં. શુદ્ધના લક્ષે શુભ કાર્યકારી છે. તેથી ઉપચારથી ખરો ક્ષમાઘર્મ ત્યાં નથી એમ કહ્યું. આત્માના બે પ્રકારના ગુણ છે : અનુજીવી અને પ્રતિજીવી. હવે સિદ્ધના આઠ ગુણ. તેમાંથી ચાર-અનંત જ્ઞાન, દર્શન, વીર્ય અને સુખ તે–અનુજીવી ગુણ થયા. બીજા ચાર–સૂક્ષ્મત્વ, અગુરુલઘુત્વ, અવ્યાબાઘતા, અવગાહના એ પ્રતિજીવી. એક વસ્તુમાંથી ડાઘ જતો રહ્યો તો તે ડાઘ હતો, પણ મૂળ વસ્તુના સ્વભાવમાં ડાઘ ન હતો. અહીંયાં બે અપેક્ષા લીધી : એક સ્વભાવની અને બીજી આવરણની. ૨. મુમુક્ષુ–કેવળીમાં સંજ્વલન કષાય નહીં તેથી ક્ષમા કહેવાણી, પણ આત્માનો ક્ષમા ગુણ નથી. પરિણામની વાત તો આત્મા જાણે અને ભોગવે. વાત તો ગુણની અને વ્યવહારધર્મની થાય છે. પ્રભુશ્રી–વ્યવહાર, તે પણ લેવો પડશે. ૩. મુમુક્ષુ–ક્ષમાં બે પ્રકારની કહી : વ્યવહારધર્મ ક્ષમા અને આત્માના પરિણામરૂપ ક્ષમા. મોહનીયના ક્ષયથી જેટલા ગુણો પ્રગટે તે આત્માના સ્વભાવરૂપ જ છે. અહીં સ્વભાવની ક્ષમા કહેવી છે અને બીજી વ્યવહાર ક્ષમા. પ્રભુશ્રી–મૂળ વસ્તુ તોડી ફોડીને જોવું છે. આ વાત બરોબર છે? એમ કેમ ન હોય? એ કેવી રીતે સમજવું ? શું કાઢી નાખવું ? (મુમુક્ષુને) કેમ, બેસે છે ? ૪. મુમુક્ષુ–મને બરાબર બેસતું નથી. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ઉપદેશામૃત પ્રભુશ્રી–જેમ છે તેમ સમજવું. ક્ષમાનું નામ મોટું આવ્યું. વસ્તુગતે વસ્તુ છે. બીજો બોલે ક્ષમા' તે ક્ષમા નહીં. શુભ, અશુભ અને શુદ્ધ-ભેદ પડ્યા છે ને ? માટે વાત બરોબર વિચારી લક્ષમાં લેવી પડશે. ૧. મુમુક્ષુ મૂળ વસ્તુના બળ વગર ક્ષમા થતી નથી. સમભાવને લઈને ક્ષમા વગેરે બઘા ગુણ કહ્યા. પ્રભુશ્રી–સમભાવ આત્મામાં છે. શુભ અને શુદ્ધમાં આભજમીનનો ફેર પડ્યો! તે માન્યા વગર છૂટકો નથી તે તો ખરું ને? ૪. મુમુક્ષુ–મને બેસતું નથી. અને બેઠા વગર કેમ મનાય ? શાસ્ત્રની રીત પ્રમાણે બેસતું આવતું નથી. પ્રભુશ્રી–વીતરાગે જે કહ્યું તે સત્ છે. મૂળ વસ્તુ, વાત શું આવી છે ? ઘર્મ-સંન્યાસ તે આત્મા છે. “ઘર્મ ક્ષમાદિક પણ મટે' કહ્યું તેથી ઘર્મ મટી ગયો ? નહીં. લાયોપથમિક ક્ષમાદિક ગુણધર્મ મટ્યા, કારણ હવે ધ્યાન માંડ્યું, તેમાં બીજાં ધ્યાન મૂકી દીઘાં, પણ શુક્લ ધ્યાન લીધું. બીજાં કાઢી નાખ્યાં. દશા વધી ગઈ એટલે બીજું થઈ ગયું. એટલે ધ્યાન બીજું છેવટનું જ થાય છે. ઘર્મસંન્યાસથી ક્ષાયિક ભાવે ક્ષમાઘર્મ તો પોતે આત્મા આવ્યો. ૨. મુમુક્ષુ-સિદ્ધભગવાનને જે ધ્યાન હોય તેમાં તો બીજું કોઈ ધ્યાન રહ્યું નહીં. ચારે ધ્યાન મટી ગયાં–આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ. પ્રભુશ્રી– “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેમ; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.” મુદ્દાની રકમ શી છે તે જોવી પડશે. તેનું નામ દીધું તો કબૂલ કરવું પડશે. આ સાધુ થઈને બેઠા અને વહેવાર વહેવાર કરે છે. એક ગિરધરભાઈ હતા તે કહે, “શું આમ નહીં ? તેમ નહીં ? આમ હોય !” વાહ! તારું સમકિત! સાચું ભાઈ, પણ મનમાં કહ્યું, “વાહ ! મૂર્ખ, આ શું ? જે કરવાનું છે તે મૂકી દે છે ” વાત તો અપૂર્વ છે ! જીવને રુચિ કરવાની છે. સમજણમાં ફેર હોય તો પણ માન્યતા તો ઘણીની છે. તો તે માન્યતાએ માન. માન્યતા તો કામ કાઢી નાખે. “સદ્ધી પરમ .” કોઈ પૂછે, માથે ઘણી છે ? તો કહે, હા. તો ફિકર નહીં. માથે ઘણી તો રાખવો. તા. ૧૪-૧-૩૬, સાંજના ઉપદેશછાયા'માંથી વાંચન : - વેદાંત વિષે આ કાળમાં ચરમશરીરી કહ્યા છે. જિનના અભિપ્રાય પ્રમાણે પણ આ કાળમાં એકાવતારી જીવ થાય છે. આ કાંઈ થોડી વાત નથી; કેમકે આ પછી કાંઈ મોક્ષ થવાને વઘારે વાર નથી. સહેજ કાંઈ બાકી રહ્યું હોય, રહ્યું છે તે પછી સહેજમાં ચાલ્યું જાય છે. આવા પુરુષની દશા, વૃત્તિઓ કેવી હોય? અનાદિની ઘણી જ વૃત્તિઓ સમાઈ ગઈ હોય છે, અને એટલી બધી શાંતિ થઈ ગઈ હોય છે કે, રાગદ્વેષ બઘા નાશ પામવા યોગ્ય થયા છે, ઉપશાંત થયા છે.” Page #326 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૧ ૨૨૯ ૧. મુમુક્ષ–આ કાળમાં મોક્ષ નથી એમ કહીને બઘાને શિથિલ કરી નાખ્યા છે. તેનો આ ભેદ તોડી નાખ્યો. વેદાંતમાં ચરમશરીરી અને અહીં એકાવતારીપણું કહ્યું તો સહેજમાં મોક્ષે ચાલ્યો જાય તેવું છે. પ્રભુશ્રી–પાંચ સમવાય કારણો કહ્યાં : કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વત અને પુરુષાર્થ. તે હોય તો કર્મ મોટાં જબરાં હોય પણ તે ઊડી જાય અને મોક્ષ થાય. શોઘવાનું આ મનુષ્યભવ પામીને આટલું છે. વ્યવહારમાં દરેક પ્રકારના રસ્તા શોધે છે, કમાવા વગેરેના, તે બધું કરવા જ્ઞાની પુરુષે કહ્યું નથી. તે તો બઘાં કર્મ અને પૂર્વનો સંચય છે. અત્યારે મનુષ્યભવ છે, તે વળી મેમાન જેવો. માટે સમજો. કાગડા-કૂતરા નહીં સમજે. પૂર્વત અને પુરુષાર્થની સામગ્રી જોઈએ. તે હોય તો સમજાય તેવું છે. કહેવાની મતલબ કે કાલ સવારે ભેસાડિયો થઈ જશે. એ તો થાવું હોય તે થાશે. તમને બધાને અહીં કોણ લાવ્યું છે ? એ તો એ જ. સમજાય ત્યારે આત્મહિત થશે. “હું” અને “મારું” મઢ્યું નથી. તે જ કર્યા કરે છે. વેપાર ધંધાની દોડ કરે છે પણ મૂકીને જવાનું છે બધુંય. પછી આ બાજી હાથ નહીં આવે. આ જોગવાઈ સામગ્રી કેટલી આવી મળી છે? માટે તે સામગ્રી વખતે ભૂલવા જેવું નથી. ભરત, ચેત ! ભરત રાજાએ એક માણસ રાખેલો તેને સવારના સામે આવીને એટલું કહેવાનું કે ભરત ચેત. એવા માહિતગાર હતા, જાણકાર હતા પણ ચેતવાનું નિમિત્ત રાખેલું. શરીર વિષે અશાતા બહુ છે અને તેને સારું નરસું થઈ જવાથી તેને જ માનવું થયું છે : “આ મારો હાથ, આ મારો પગ– બધું “મારું” “મારું”. અત્યારે શાતા અશાતા વેદે છે આત્મા. તે માન્ય નથી થયું. આત્મા કેવો છે ? કોઈએ નક્કી કર્યો છે? જગતમાં મા-બાપ, કુટુંબ-પરિવાર, પૈસો-ટકો મળ્યાં તેથી શું વધ્યું? એ જાણનાર છે તેને જાણ્યો? એકાવતારીપણું છે એમ કહ્યું તો આશા આવી કે છે. માટે ખાસ કરીને આ દોડ કરવાની છે. દોડ કરે છે પણ બીજી અને બધું બફમમાં જાય છે. નથી કરવાનું તે કરે છે. અને કરવાનું પડ્યું રહે છે. બીજામાં દોડ કરે છે તે બધાં થોથાં. પ્રારબ્ધમાં હોય તે મળે; પણ દોડ ત્યાં જ કરે છે. કરવું છે તેની સમૂળગી ખબર નથી. બીજું બધું માને છે તે ખોટું. જેની ખોજ કરવાની છે તે શું છે ? “હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ?” આ વિચારે તો કામ થાય. બીજું બધું પડ્યું રહેશે. કોઈ સાથે નહીં આવે. મૂકવું પડશે. કર્મની વિચિત્ર ગતિ છે. આ કાળમાં કામ કરી લેવું હોય તો છાતીમાં આટલું લખી રાખો : “સત્સંગ અને બોઘ'. તે કર્યા કરવું. કંઈ ન સંભળાતું હોય, ગાંડીઘેલી વાતો હોય પણ તે સત્સંગ. અનાદિકાળથી આત્માને આત્મારૂપે જાણ્યો હોય તેમ નથી થયું. જ્ઞાનીએ જાણ્યો, તે વગર કોઈ ધેવા સમર્થ નથી. આ ભવમાં એનો ખપી થાય અને શોધક થાય તો ઘન્યભાગ્ય ! પ્રત્યક્ષ પુરુષનું કહેલું અને જેણે જાણ્યો અને જેને મળ્યા તેનું કહેવું મને માન્ય છે, એ જ માન્યતા. મને તો કંઈ મળ્યા નથી અને ખબર નથી તેથી એની માન્યતાએ માન્ય; તે જ કર્તવ્ય છે અને તેથી કામ થઈ જાય. તે હિતકારી થશે. ભલે જાણતો હોય, ન જાણતો હોય પણ તેની માન્યતા કયાં છે? અને તેનું અંતઃકરણ પણ ક્યાં છે? એ જ એક ઘારણા સાચાની રહી, તો તે કામ કાઢી નાખે. આ ભવમાં પામવાનું આટલું છે. ઓળખાણ કરી લે; ઓળખ્યો તો જીત્યો. જેમ તેમ વાત નથી, મહા દુર્લભ છે. કરવું જોઈએ. Page #327 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત ૨૩૦ મુમુક્ષુ-બાપે ઘન દાઢ્યું હોય અને છોકરાને કહ્યું હોય તેને તેની ખબર હોય અને સાથે આજ્ઞા પણ કરી હોય તો તે જ બતાવે. માટે અહીં તો માથું મૂકીને કામ કરવા જેવું છે. જરાય ફિકર નથી અને નિરાંત છે. માટે તેને મળે તો છૂટકો થાય. બારોબાર પત્તો નહીં લાગે. મળવું જોઈએ. પ્રભુશ્રી–આ વાંચો : “હે ગૌતમ! તે કાળ અને તે સમયમાં છદ્મસ્થ અવસ્થાએ, હું એકાદશ વર્ષની પર્યાયે, છઠ્ઠ છઠું, સાવઘાનપણે, નિરંતર તપશ્ચર્યા અને સંયમથી આત્મતા ભાવતાં, પૂર્વાનુપૂર્વીએ ચાલતાં, એક ગામથી બીજે ગામ જતાં, જ્યાં સુષુમારપુર નગર, જ્યાં અશોક વનખંડ બાગ, જ્યાં અશોકવર પાદપ, જ્યાં પૃથ્વીશિલાપટ્ટ, ત્યાં આવ્યો; આવીને અશોકવર પાદપની નીચે, પૃથ્વીશિલાપટ્ટ પર અષ્ટમભક્ત ગ્રહણ કરીને, બન્ને પગ સંકોચીને, લાંબા કર કરીને, એક પુલમાં દ્રષ્ટિ અડગ સ્થાપીને, અનિમેષ નયનથી, જરા શરીર નીચું આગળ ઝૂકી રાખીને, યોગની સમાધિથી, સર્વ ઇન્દ્રિયો ગુપ્ત કરીને, એક રાત્રિની મહા પ્રતિમા ઘારણ કરીને, વિચરતો હતો. (ચમર)” પ્રભુશ્રી–લખ્યું તે વાંચી ગયો, પણ જે ભેદી છે તેની પાસેથી મર્મ ખૂલી જાય તેમ થવું જોઈએ. એમાંથી પોતે પકડી બેસે, પોતાની કલ્પનાએ તો એ નહીં; પણ એ તો એ કહે તે જ ખરું એમ કરે તો થાય. ૧. મુમુક્ષુ-આમાં કંઈ સમજાતું નથી. સમજવા જઈએ તો તે બધી કલ્પના. પ્રભુશ્રી–અમે પણ ઈડર ગયેલા અને ત્યાં બઘી કલ્પના કરેલી, તે શિલા અને તે ડુંગરી જોયેલી. તેના ઉપર સોનેરી રેતી હતી, નદી હતી. દિગંબર મુનિની છત્રીઓ હતી. તે બધું જોઈને આશ્ચર્ય પામેલા. ૧. મુમુક્ષુ-કૃપાળુદેવે આપને જણાવેલું કે અમે મહાવીર સ્વામી સાથે અહીં વિચરેલા હતા. તે સિદ્ધશિલા, તે પુઢવી શિલા વગેરે પણ તમને બતાવેલ છે. તો આપને તે ખબર છે, તો તે આપ જ કહો. પ્રભુશ્રી–જેટલું કહેવાય તેટલું કહેવાય. જે જગ્યા જોઈ તે વિષે કહી આપ્યું. શિલા તે પુઢવી શિલા કહેવાણી. ત્યાં વિચરેલા ય ખરા. પણ અહીં તો આત્માને જાણવો છે. બીજાથી ઉકેલ આવે તેવું નથી. ૧. મુમુક્ષુ–તેથી તો કલ્પના થાય અને આશાતના ય થાય. પ્રભુશ્રી–એક વચન એવું આવ્યું કે, “વહ સાઘન બાર અનંત કિયો; તદપિ કછુ હાથ હજુ ન પર્યો. અબ ક્યોં ન બિચારત હૈ મનમેં; કછુ ઔર રહા ઉન સાઘનસેં. બિન સદ્ગુરુ કોય ન ભેદ લહે; મુખ આગલ હૈ, કહ બાત કહે ?” Page #328 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૧ એની ‘હા’ એ ‘હા’, અને એની ‘ના’ એ ‘ના' એવો વિશ્વાસ આવવો જોઈએ. ૧. મુમુક્ષુ—એમ જ છે. પ્રભુશ્રી—જો એમ જ થયું હોત તો પછી શું થયું ? શું આવો આત્મા જોશો ? ૧. મુમુક્ષુ જેવો છે તેવો જણાવશે. પ્રભુશ્રી—એવો જણાવે છે. એ છે આત્મા. પર્યાયસૃષ્ટિ ન દીજીએ, એક જ કનક અભંગ રે.’ એ જ છે; માટે હવે સમાધાન થાઓ, ચેતો હવે. બહુ કલ્પના અને મુઝવણ છે, પણ છેડો ન આવ્યો. ૨૩૧ ૧. મુમુક્ષુ પર્યાયસૃષ્ટિ એવી છે કે સાતમા છાણમાટીના કોઠામાં અભિમન્યુ મરાયો છે. ખબર ન હોવાથી ત્યાં મરાયો, તેમ ગૂંચવાઈ જવાય. માટે પર્યાયદૃષ્ટિ કેમ છૂટે ? પ્રભુશ્રી—છ કોઠા વજ્ર જેવા જીત્યા પણ હાર ન ખાધી, ત્યાં છાણમાટીના કોઠામાં હાર ખાધી. ત્યાંના અજાણ ! તે હવે નથી રહેવું, જાણ થવું. વાત છે માન્યાની. ૨. મુમુક્ષુ મહાવીર ભગવાને કૃપાળુદેવને જણાવ્યું અને કૃપાળુદેવે આપને જણાવ્યું તો તે મર્મ આપના સિવાય ભાંગે તેમ નથી. ઈડરમાં છત્રીઓ, પ્રતિમા જોઈ; પણ એ બધાનો ભાવાર્થ અને મર્મ તો આપની પાસે રહ્યો. પ્રભુશ્રી—જ્ઞાનીની પાસે. આપણને તો જે મનાવ્યું તે માનવાનું અને જાણવાનું. માનવું તે પોતાના હાથમાં છે. જે દી તે દી ભાવથી થશે. ભાવ જોઈએ. કોનું કામ છે ? તારી વારે વાર. પકડ આવવી જોઈએ. ૧. મુમુક્ષુ આપ કહો છો કે અનાદિ કાળથી અજ્ઞાન છે અને અજાણ્યો છે. કેમ કરવું તે ખબર નથી. પણ માનવું તો એ જ છે જે કહો છો તે જ; અને તે તો મનાતું નથી, અને આવડતું નથી. તેનું શું કારણ ? પ્રભુશ્રી—અનાદિથી પરભાવમાં છે, તે ફીટીને સ્વભાવમાં આવવાનું. ફીટીને પલટાવું; તે કર્યા વગર છૂટકો નથી. તે કોનું કામ છે ? “માનો, માનો’ કહેવાથી વળશે ? માટે તું પોતે સાચો થઈ જા. ૧. મુમુક્ષુ ચોખ્ખો થાય તો કૃપાળુદેવ તૈયાર છે. ‘જિન થઈ જિનને જે આરાધે, તે જિનવર હોવે રે.' પણ ચોખ્ખો કેમ થવું તે પ્રશ્ન હતો. પ્રભુશ્રીતમો ડાહ્યા છો, સમજુ છો માટે સમજો. જનકવિદેહી પાસે શુકદેવજી આવ્યા તો કહે, “ચોખ્ખો થઈને આવ. પછી નાહી ઘોઈને આવે; પણ કહે “હજી ચોખ્ખો થઈને આવ. આમ સાત વખત આવ્યો તોપણ કહે કે “હજી ચોખ્ખો થઈને આવ.'' તેમ એ જ સમજશે અને એ જ કરશે. કંકુના કોને વહાલા ન હોય ? માટે તૈયાર થઈ જવું. સામગ્રી તો જોઈશે અને તે સામગ્રી હાથમાં છે. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ઉપદેશામૃત તા. ૧૫-૧-૩૬, સવારના [આઠમી દ્રષ્ટિ આટલું બધું તેમાં બળ છે ? તે કંઈ જેમ તેમ છે ? અનંત સત્તાનો ઘણી આત્મા છે અને તે જ કરશે. એને જાણે તો દીવો અને સમકિત કહેવાય; એને જાણ્યા વગર બધું કાચું છે. આ જે જીવ ખપી રહેશે તેને થશે. આટલાં આવાં વચન અમૂલ્ય તે કાનમાં પણ ક્યાંથી પડે ? આત્મા અનંત શક્તિનો ઘણી, કેવળજ્ઞાનવાળો છે ! આવો તે છે. કોટિ કર્મ ખપી જાય. એની જ તે તાકાત છે. કૃપાળુદેવનું વચન અમને સાંભરે છે, અમને કહે : હવે શું છે ? બીજી વાતો હવે શું કરવી ? માટે હવે જાગો, જાગ્યે છૂટકો. વસ્તુ વિષેનો વિચાર થયો નથી, મહા પુણ્ય વધે ત્યારે તે આવે છે. અનંતા કાળથી આવરણ કરીને ભાન ભૂલ્યો છે, આત્માની સત્તા તો બઘાની પાસે છે પણ જો અટક્યું હોય તો આવરણે કરીને. ૧. મુમુક્ષુ–બધો બોજો ઉતારીને હલકો થઈ જાય ત્યારે ને ? એમ આપ જ કહો છો. પ્રભુશ્રી–મને લાગે છે કે કંઈક ઘક્કો વાગવો જોઈએ. ૧. મુમુક્ષુ–અમે એની જ વાટ જોઈએ છીએ. પ્રભુશ્રી–કેવળીએ, જ્ઞાનીએ ઘક્કો માર્યો ત્યારે થયું. ૧. મુમુક્ષુ–“પ્રવચનઅંજન જો સગુરુ કરે દેખે પરમ વિઘાન, જિનેશ્વર.” છે ખરા. અને એને જ ખોળી કાઢવા છે. પ્રભુશ્રી—“વ્યવહારસે દેવ જિન, નિહસે હૈ આપ.” પ્રતીતિ અને વિશ્વાસની ખામી છે; કહેશો? એક આ જ એમ નથી થયું, થાય તો કામ થઈ જાય. એ પ્રવચનઅંજન જ્ઞાની કોઈ જુદું જ ભોગવે છે; બીજા જેવું નય. કંઈક રંગ બદલાય, બદલાય છે ખરું. સારી હવામાં બેઠા હોઈએ તો સારી હવા આવે છે. ધન્યભાગ્ય કે આવો વીતરાગનો માર્ગ હાથ આવ્યો ! “અપૂર્વ વાણી તાહરી, અમૃત સરખી સાર' એવું પદ છે ને ? ૧. મુમુક્ષુ- “અનંત કાળ હું આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત; દુષમ કાળે તું મળ્યો, રાજ નામ ભગવંત.” પ્રભુશ્રી–આ કાળ છે, તો તેમાં આત્માને એમ છે કે ન મળું? નહીં મળે એમ કંઈ છે ? મળી શકે; પણ તૈયાર થાઓ. ૨. મુમુક્ષુ-આપને તો સાક્ષાત્ પ્રભુ મળ્યા ! પ્રભુશ્રી–એટલી જ જરૂર છે—મળ્યાની, ઓળખાણની, બોઘની અને સત્સંગની. આ વાતના જ ખપી, ખપી અને ખપી થવું. સત્સંગ કર્યો છે ? તારી વારે વાર. કેવળજ્ઞાન થયું. તેની બીજાને કંઈ ખબર પડી ? ન પડી. એ તો એને જ, પોતાને ખબર પડી. ભાવના તો હવે એની જ કરવી; બીજી નહીં. કૃપાળુદેવે મને લખી દેખાડ્યું, “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે." આમ થોડામાં ઘણો મર્મ સમજાય, પણ એ ઉકેલ આપે તો દી વળે. આત્મા વગર કોઈ આપી શકશે ? એ તો એ જ બોધ આપશે અને એનું જ કામ છે, બીજાનું નહીં. બીજા ઘણા ભવ Page #330 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૧ ૨૩૩ પામ્યા, રિદ્ધિસિદ્ધિ દેવલોક વગેરે પામ્યા. ઘણા ઘણા ભવ પામ્યા પણ એક આત્મા તેને ન જાણ્યો. તે જાણવાની જરૂર છે. આઠમી દૃષ્ટિનું બળ જબરું છે. જબરી છે તે દ્રષ્ટિ ! ૧. મુમુક્ષુ-એ તો આ જગાયે જબરી છે. સંપ્રદાયમાં હતા ત્યારે વાંચતા હતા; પણ આવું નહોતું સમજાતું. પ્રભુશ્રી–પહેલાં અમે પણ વાંચતા હતા, પણ અંજન ભરી આપ્યું ત્યારે સમજાણું. ૧. મુમુક્ષુ-જેની લખેલી હોય છે કે તેવા પ્રત્યક્ષ જ્ઞાની હોય ત્યારે તેની સન્મુખ તે સમજાય તેવું છે. પ્રભુશ્રી—એમ જ છે. એક આત્મા ન હોય તો કંઈ કામ કરે ? કંઈ ખપ આવે? કશુંયે નહીં. આનો કંઈક ઊંડો વિચાર કરવા લાયક છે. શું કહીએ ? “કહ્યા બિના બને ન કછુ, જો કહીએ તો લwઈએ.” ૩. મુમુક્ષુ–પહેલાં સંપ્રદાયમાં એ જ વાંચતા હતા, ત્યારે શું આત્મા નહોતો ? ત્યાં રસ કેમ નહોતો આવતો ? અને હવે કેમ રસ આવે છે ? પ્રભુશ્રી–કોઈને તાવ આવતો હોય અને માંદો હોય ત્યારે કંઈ ભાવે નહીં, રુચિ ન થાય, ગમે નહીં અને ખવાય નહીં, પણ બીજો નીરોગી હોય તેને કહો તો ? બેઉમાં ફેર પડી ગયો ને? આના ખાવામાં, પીવામાં, સ્વભાવમાં, રુચિમાં ફેર પડ્યો ને ? તેમ છે. એ તો એને ખબર નથી પડી અને આડો પડદો આવ્યો છે, આવરણ આવ્યું છે. વચમાંથી આવરણરૂપી પડદો જાય તો ખબર પડે. જુઓને, આ દેહમાં બેઠો છે તો બધું છે અને કેવો લાગે છે ! અને તે ન હોય તો ? વર્ણ, રસ, ગંઘ બધું ફરી જાય. એ જતો રહે તો મરણ થયું કહે અને બાળી મૂકે. ૧. મુમુક્ષુ–તો તો ઘરના ને ઘરના ઉતાવળ કરે કે એને જલદી લઈ જાઓ અને ઝટ બાળી આવો. પ્રભુશ્રી–આ તો કોઈ અમૂલ્ય વાત છે. એને જાણવાની અને જોવાની વાત થશે ત્યારે અજબ ગજબ લાગશે. ૧. મુમુક્ષુ–ખરો ઉપકાર જ્ઞાનીનો શું છે, તે ત્યારે જ ખબર પડશે. ષટું સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; માનથકી તરવારવતું, એ ઉપકાર અમાપ.” પ્રભુશ્રી યોગી (સદેહી) હોય તે અયોગી (મુક્ત) થઈ જાય. એની વાત અને એનું માહાત્ય તો એનામાં જ ! શું કહેવાય ? એ જ. આપ છો, અત્યારે બેઠા છો; એ છે તો બેઠા છો. બાકી આ દેહમાંથી બીજું કંઈ કાઢો જોઈએ ? જડ સિવાય શું નીકળશે ? વર્ણ, રસ, ગંઘ, સ્પર્શ સિવાય બીજું નહીં નીકળે. “જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ; પ્રગટ અનુભવરૂપ છે, સંશય તેમાં કેમ ?” આ તે શું કહેવું ? અને ક્યાં જવું ? Page #331 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત ૧. મુમુક્ષુ આપ કહો ત્યાં. પ્રભુશ્રી—કેમ કરવું? કહો. આણે તો પ્રશ્ન કરી નાખ્યો. તેનો ઉત્તર તો કહેશો ને ? હવે ક્યાં જવું ? કહ્યું તે તો ખરું, ૨૩૪ ૪. મુમુક્ષુસેનાનો નાયક જ્યાં લઈ જાય ત્યાં જઈએ. ૧. મુમુક્ષુ—અમારાથી ના બને તે અમારો દોષ. જેમ કહો તેમ કરીએ અને જઈએ. પ્રભુશ્રી—જ્ઞાની કહે તેમ. ૫. મુમુક્ષુ—ત્યારે જીવ જવામાં વાર શું કરવા લગાડે છે ? જ્ઞાનીએ તો કહેવામાં બાકી નથી રાખ્યું અને વળી કહે છે કે ક્યાં જઈએ અને શું કરીએ ? ૧. મુમુક્ષુદોષ તો અમારો છે તેમાં ના નહીં. પણ આશરો છે તેને કંઈ કાઢી નખાય છે ? પ્રભુશ્રી—આવા બધા બેઠા છો, તો કહો કે હવે કોની પાસે જવું કે જેથી ‘હાશ’ એમ થાય ? ૧. મુમુક્ષુ આત્માની પાસે, બીજે ક્યાં ? પ્રભુશ્રીએ કોણે જાણ્યો અને ભાળ્યો ? જ્ઞાનીએ. તો તેની પછવાડે જવાય. અને પૂછવાનું પણ એ જ છે. ૧. મુમુક્ષુ ‘પાયાકી એ બાત હૈ, નિજ છંદનકો છોડ; પીછે લાગ સત્પુરુષકે, તો સબ બંધન તોડ.'' જવાનું તો સત્પુરુષની પછવાડે. પ્રભુશ્રી—છે એમ, પણ આત્મામાં; બીજે ક્યાં જવું હવે ? જેમ જગતમાં શહેરમાં, ગામડામાં, બાગ-બગીચા વગેરે ઠેકાણે જાય અને આનંદ માને, તેમ અહીં ક્યાં જવું છે ? અને કરવું છે શું ? ૧. મુમુક્ષુબીજામાં છે ત્યાંથી પોતામાં, ૪. મુમુક્ષુ આપ જ કહો છો કે એંજિન છે તેને ડબ્બા જોડાય તો લઈ જાય છે; જોડાયો ન હોય તે પડ્યો રહે. માટે જો સાંકળ ભરવાઈ ગઈ તો જવાનો. પ્રભુશ્રી—એમ જ છે. કેટલી વાર ? તો કે તારી વારેવાર. બીજું કંઈ કામ નથી, આટલું જ છે. સ્ત્રી, પુરુષ, ઘરડો, જુવાન, સુખી, દુઃખી—બધું દુ:ખ જ; માત્ર આત્મા છે, એ વસ્તુ છે. ત્યાં મળવું, આવવું-જવું, બેસવું-ઊઠવું. એની કૃપા થઈ જાય તો અત્યારે, વાર ક્યાં છે ? આની ઉપર જે દી તે દી એની કૃપા થશે ત્યારે વળશે. એના વગર એક સળીના બે કકડા નહીં થાય. એ હોઈને બધું છે. બોલીએ ચાલીએ એને લઈને; બાકી બધું ધૂળ ! જડ છે, આત્મા નથી. કચાશ છે યોગ્યતાની, ત્યાં અટક્યું છે. ૨. મુમુક્ષુ—ગુરુની નાવમાં બેસી જવું. પ્રભુશ્રી—ખરું કહે છે, એના જ ઉદ્ધાર થયા છે, એમ ન કર્યું હોય તો ન જવાય. ૧. મુમુક્ષુબેસી જાય તો ને ? સાંકળ જોડાય તો ને ? પ્રભુશ્રી—તેર મણનો તત્તો આડો આવ્યો. મૂક્યા વગર છૂટકો નથી; મૂકવું પડશે. Page #332 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૧ ૧. મુમુક્ષુ—“અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અંહભાવ-મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાનીપુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય. સમ્યગ્દર્શનને પ્રાપ્ત થઈ સ્વ-સ્વભાવરૂપ મોક્ષને પામે.'' પ્રભુશ્રી—જેને ખબર પડી, પછી મળ્યા અને માહિત થયો તો થયું. જેને ન મળ્યા હોય તેણે માહિત થવું. કૃપાળુદેવે મને બધેથી મીઠું મુકાવ્યું કે તમે ક્યાંય જશો નહીં; બધા તમારી પાસે આવશે. હવે છે શું ? માટે આ બધો વ્યવહાર કરીએ તે આનંદમાં ! બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી. ૨૩૫ ૧. મુમુક્ષુ અમારે ‘“તો પછી અન્ય ઉપાધિને આધીન થઈ પ્રમાદ શું ઘારણ કરવો ?'' પ્રભુશ્રી–પ્રમાદને ધારણ ન કરવો એ તો એનું વીર્ય કહ્યું. તે વીર્ય તો નથી મૂકવું. જ્ઞાની હોય, સૂઝે તેવી વ્યાધિપીડા આવે પણ એનું માનેલું છે તે બીજું ન થાય. આ તો સહજ સમજવાને માટે કહું છું. એમ કહ્યું હોય કે માંસ ન ખાવું, દારૂ ન પીવો, બ્રહ્મચર્ય પાળવું; તો તે શું ન પાળવું? આ વગર બીજી વાત હોય ? માટે તે વસ્તુમાં ફેર પડે એમ નથી. કૃષ્ણ મહારાજને દેવે લડાઈમાં કીધું કે આપણે પૂંઠેપૂંઠ લડીએ. તો કહે, “ચાલ, ચાલ; એમ નહીં. સામે મોઢે આવી જા.'' સામે મોઢે લડાય. મૂકો, મૂકો, અને મૂકવાનું કહ્યું, તો શું આત્મા મૂકવો છે ? ૧. મુમુક્ષુના, ના. પર છે તે મૂકવું. આત્મા તો કંઈ થોડો મુકાય છે ? તે તો છે જ. પત્રાંક ૭૧૦ નું વાંચન :— “આત્મા સચ્ચિદાનંદ.’ મુમુક્ષુજીવ આત્મપ્રાપ્તિ માટે ઘણો પ્રયત્ન કરે છે, પણ સત્પુરુષના આશ્રય વગર તે બનતું નથી અને ઊલટી કલ્પના થાય. માટે સત્પુરુષો અહીં આત્માનો લક્ષ કરાવે છે. તા. ૧૫-૧-૩૬, સાંજના તું સત્ ચિત્ આનંદરૂપ છું, તું એક છે, બીજા કોઈ તારી સાથે નથી, એમ જ્ઞાની પુરુષો આત્માનો નિશ્ચય કરાવે છે. આવી દૃઢ પ્રતીતિ થાય ત્યારે સમ્યગ્દર્શન થાય. પ્રભુશ્રી—જીવ લૌકિક દૃષ્ટિમાં પ્રવર્તે છે, અલૌકિકમાં પ્રવર્તતો નથી. બાઈ હોય, ભાઈ હોય, પણ મનુષ્યભવ ખરો ને ? માટે તારાથી બને તે કરી લે. કાગડા-કૂતરાના અવતારમાં નહીં બને. જન્મ, જરા અને મરણ, બધી વ્યાધિ, વ્યાધિ અને પીડા છે. જીવ એમ વિચારે કે મારા વંશમાં કોઈ નથી, એક દીકરો હોય તો ઠીક. મેર ! ભૂંડા, તારું કંઈ નથી. ‘મારું, મારું' કરીને દોડ કરી રહ્યો છે. Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ઉપદેશામૃત “આત્મા સચ્ચિદાનંદ.” આ વાણી તો જાણે તે જાણે અને જાણે તે માણે. મોટાં પુસ્તકો “ભગવતી' જેવાં હોય, પણ તે કરતાં ય આ (“શ્રીમદ્ રાજચંદ્ર' પુસ્તક) મોટું સિદ્ધાંતના સાર જેવું. પણ ભોળો ચેતતો નથી. કાલ સવારે મોત આવીને ઊભું રહેશે. “લીઘો કે લેશે થઈ રહ્યું છે. કોણ અમરપટો લખાવી આવ્યું છે? માટે ચેતો, આવો અવસર ફરી નહીં મળે. એક ઘર્મ સાર છે. કહો, આ જીવની સાથે શું છે ? મુમુક્ષુ–ભાવ અને પરિણામ છે. પ્રભુશ્રી–પહેલાં મૂળ જોઈએ. તે સત્ છે; આત્મા છે અને તેના ભાવ હોય. જડના ય ભાવ હોય પણ તે જડ, અને ચેતનના હોય તે ચેતન. ભાવ તો ખરા, પણ એક સના (આત્માના). હવે મેમાન, પરોણા, ચેતી લે. અમારી આટલી ઉમ્મર સુધીમાં કેટલા કેટલા ગયા તે સાંભરે પણ છે અને ભૂલી પણ ગયા. આખો લોક ત્રિવિધ તાપથી બળી રહ્યો છે, ક્યાંય સુખ નથી. વીતરાગ માર્ગ અપૂર્વ છે ! “શાંતિ પમાડે તેને સંત કહીએ.' સંત ક્યાં છે? “સત્' માં. અને “સત્' ક્યાં છે ? આત્મામાં. ભૂલ્યો ત્યાંથી ફેર ગણ. સમજ્યો ત્યાંથી સવાર. કરવા માંડને ભૂંડા ! દહાડા જાય છે, ક્ષણે ક્ષણે બધું છૂટી જશે. જીવને વૈરાગ્યની ખામી છે. જેવી કાળજી વેપારઘંઘામાં, પૈસાટકામાં, ખાવા પીવામાં હોય અને પાંચ ઇંદ્રિયના ભોગનો લોભ હોય–તેમાં તલ્લીન ! –તેવી કાળજી આત્મા માટે નથી; આત્મામાં, ઘર્મમાં તો પ્રમાદી ! વેરીમાં વેરી પ્રમાદ અને આળસ છે. માટે કર્તવ્ય છે તે કર; આવો દહાડો ફરી નહીં આવે. “જ્ઞાનાપેક્ષાએ સર્વ વ્યાપક, સચ્ચિદાનંદ એવો હું આત્મા એક છું એમ વિચારવું, ધ્યાવવું.” | મુમુક્ષુ–આટલા જ શબ્દો અદ્ભુત છે! પણ આ તો દવા સોંઘી જેવું થયું. જેમ લોઢાના તપેલા તવા ઉપર પાણીના થોડા છાંટા પડે તો તરત જ બળી જાય, તેમ અનાદિકાળથી રાગદ્વેષથી તપેલો આ આત્મા, તેને આ શબ્દો તરત અસર કરતા નથી. જ્યારે અસર કરશે ત્યારે અપૂર્વ આનંદ આવશે. આપ કહો છો કે યોગ્યતા નથી તો પોતાના હૃદયને પૂછે કે યોગ્યતા શું, તો હૃદય કહેશે કે તું પાત્ર નથી. જે જાતના આત્માના ગુણો જોઈએ તે હજુ નથી પ્રગટ્યા. પ્રભુશ્રી–રણ હોય અને તેમાં જાય છે ત્યારે ખૂબ પાણી ભરી લે છે ને ? વચમાં, અધવચમાં જો પાણી ન રહ્યું તો પછી ઝાવા મરે, કંઠ સુકાય અને કેવી વેદના થાય ? તે તો વેદે તેને જ ખબર. અઘવચમાં હોય એટલે ન આમ જવાય કે ન તેમ જવાય અને પાણી, પાણી” કરે તેવા સમયને વિષે જો એક મેઘવૃષ્ટિ થઈ અને પાણી ભરાયું તો પછી ત્યાં તરસ રહી? ન રહી. તેમ આ જીવને જોગવાઈ છે માટે ચેતવું; તે ઠેકાણે પાણી તો થાય છે એને અવસરે. તે અવસરે પાણી ભરી લેવું જોઈએ. તો પછી ખપમાં આવે, નહીં તો મોત થાય. મુમુક્ષુ–અહીં મને પોતાને ત્રણ વર્ષ થયાં. પણ પરમકૃપાળુદેવની કૃપાથી એમ કહી શકાય છે કે હવે મને બીજી કંઈ આશા રહેતી નથી. એ જ ઇચ્છા છે કે પુરુષનાં વચનમાં દૃઢ શ્રદ્ધા થાય. ગરદન જાય તો ભલે, પણ તે જ વૃઢ થાઓ. Page #334 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૧ ૨૩૭ પ્રભુશ્રી—આ ભાવ છે અને ઇચ્છા છે તો મળે છે. જડને થશે ? સુખ-દુઃખ ભોગવતા હો તો, તે ઇચ્છેલું છે તે મળ્યું. જેવી ઇચ્છા અને ભાવ થાય તેવું મળે. માટે બીજું બધું મેલી દે હવે. બાપ વગર બેટો નહીં. તે વગર કામ થશે નહીં. માટે એટલી જ કચાશ છે. “નહીં છોડું રે દાદાજી, તારો છેડલો.” આટલી ઓળખાણ કરી લે. પોતાને પોતાના આત્માને માનવો છે. આમાં કોને કરવું છે ? વિશ્વાસ રાખવો ન રાખવો તે કોને કહેવું છે ? આ જીવને મનુષ્યભવ દુર્લભ કહ્યો, તે પામી કંઈ કરે છે તો ફળ મળે છે. ત્યાગ અને વૈરાગ્ય બે મોટી વસ્તુ છે. ત્યાગ કરે તો તેનું ફળ ત્રિકાળમાં મળ્યા વગર ન રહે. હાથમાંથી બાજી ગઈ તો પત્તો નહીં લાગે. આ જીવને અવશ્ય કર્તવ્ય છે ત્યાગ અને વૈરાગ્ય. મનુષ્યભવમાં જેટલું ત્યાગ થયું તે સંચિત, સાથે આવશે; બીજું નહીં આવે. માટે એ કર્તવ્ય છે. [એક બાઈએ ચોથા વ્રતની બાધા લીધી] આ મનુષ્ય ભવ પામીને મોટામાં મોટું વ્રત ચોથું મહાવ્રત (પૂર્ણ બ્રહ્મચર્ય) છે તે લીધું અને ત્યાગ-વૈરાગ્ય કરે તેને ગતિ દેવની થાય. ભૂલ્યો ત્યાંથી ફેર ગણ. અઘટિત કૃત્ય કર્યા હોય તો તે ન કરવા પ્રતિજ્ઞા લઈ ફરીથી વ્રત લે. મારું મારું કરી રહ્યા છો, ભાઈ-બાઈ ક્યાં છે? એક આત્મા છે. જ્ઞાનીએ તે જાણ્યો છે અને તેની સામગ્રી છે તે, તે જાણે છે. બીજું અજ્ઞાનતા છે. કોઈ કોઈનું થયું નથી. માયા છે; મૂક, જવા દે. અત્યારથી સમજ તો કલ્યાણ છે. અહીં ઘણા જીવો રૂડા છે તેમનું કલ્યાણ થશે. એના લક્ષમાં આવ્યું અને નક્કી થયું ત્યાંથી ત્યાગ થયો. આ મહા વ્રત છે, તે મોટામાં મોટું વ્રત છે. સર્વને બાદ કરતાં કરતાં જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે.” આ માવતરના જેવું બતાવ્યું. આ માન્ય કરવું જોઈએ. ચોખ્ખું લખી દેખાડ્યું. આ મોહની જાળ છે, તેમાં ફિકર કરે છે અને કાળજી દે છે. આત્માની તો જરાય કાળજી નથી કે હું કોણ, ક્યાંથી આવ્યો, મારું સ્વરૂપ શું છે અને મારું શું થશે. એ તો જેવું ગોળ નાખે તેવું ગળ્યું થાય. કંઈ બાકી નથી રાખ્યું. હદ વાત કરી છે! જેટલું બને તેટલું ત્યાગવું. બીજું પોતાનું નથી, તેથી કહેવું છે. કર્યું છૂટકો. કોની હારે જવાનું છે કે આ “મારું મારું' કરે છે ? તા. ૧૬-૧-૩૬, સવારના ૧. મુમુક્ષુ–ઢેફાંની પ્રતિમા ન થાય. પથ્થરની પ્રતિમા થાય. ૨. મુમુક્ષુ–પણ જ્ઞાની ગુરુના વચનરૂપી ટાંકણાથી ઢંકાય તો થાય. ૧. મુમુક્ષ-હરિભદ્રસૂરિજીએ આ આઠ દ્રષ્ટિરૂપી નકશો તૈયાર કર્યો છે. જેને આત્મારૂપી મકાન બાંઘવું હોય તેને માટે આ આઠ દૃષ્ટિરૂપી નકશો–પ્લાન તૈયાર છે. મકાન બાંઘવાનો નકશો તૈયાર થયા પછી ઈટ, માટી, ચૂનો, લાકડાં વગેરે સામગ્રી લાવવી જોઈએ તેમ આત્માર્થીએ આત્મગુણરૂપી સામગ્રી મેળવવી જોઈએ, તે બાકી રહી. આ તો નકશો તૈયાર કરી દેખાડ્યો. Page #335 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત તેમજ કૃપાળુદેવે આત્મસિદ્ધિજીરૂપી ખજાનો-નવ નિધાનનો ભંડાર બતાવ્યો છે તે મહાન ઉપકાર કીધો છે. આત્મસિદ્ધિજી પણ આત્મારૂપી મકાન બાંધવાનો મહાન નકશો છે. આવું થયું હોય તો કાળો નાગ દેખીને પણ જરાય ડરે નહીં. ૩. મુમુક્ષુ ૨૩૮ વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; વિચારવા આત્માર્થાને, ભાષ્યો અત્ર અગોપ્ય.’’ સમાગમ છે તે જીવની વૃત્તિ, ભાવ વગેરે ફેરવી નાખે છે. શ્રવણ અને બોધથી થશે. તે ઉપર ભાવના કરે તો પ્રીતિ જાગે. માટે મોહ ટાળ્યા વગર મોક્ષે ન જવાય. ૧. મુમુક્ષુ—સત્સંગ વગર રંગ ન લાગે તે તો તદ્દન સાચી વાત છે, અને આત્માર્થી માટે છે તે પણ ખરું. પણ આત્માર્થી એમ કરીને બેસી જાય તેમાં દી ન વળે. આ તો આત્માર્થીને માથે મોટી જવાબદારી છે. જેને કૃપાળુદેવની માન્યતા થઈ તેને તો એમ થાય કે હું જ્યાં જ્યાં જાઉં ત્યાં કૃપાળુદેવનો ડંકો વગાડું—અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? જ્ઞાની મુમુક્ષુને જ્ઞાન આપે તો મુમુક્ષુ આત્મા આપી દે છે – “શું પ્રભુ ચરણ કને ઘરું, આત્માથી સૌ હીન; તો પ્રભુએ આપિયો, વર્તુ ચરણાધીન.'' આંબાને પાણી પાય તો આંબો રસ આપે છે; ગાયને ચારો અને દાણ આપે તો ગાય દૂધ આપે છે; તેમ મુમુક્ષુને જ્ઞાન મળવાથી તે પોતાના પ્રાણ આપી દે. તે એમ સમજે છે કે મને જે વસ્તુ અનંત કાળથી નથી મળી તે આપી ભગવાને અનહદ ઉપકાર કીધો; માટે તે પ્રાણ પણ આપી દે છે. જ્યાં ભોળા અને અણસમજુ લોકો ધર્મ સમજતા નથી ત્યાં ત્યાં પ્રભુશ્રીજીની પધરામણી કરાવીને શ્રીમંતોએ પૈસાનો સદુપયોગ કરી વાપરવો અને ભોળા લોકોને આત્માનો અપૂર્વ લાભ અપાવી આ આશ્રમરૂપી ઝૂંપડીમાં આવતા કરવા. પ્રભુશ્રી—એક બાઈ છે—નાની ઉંમરની છે અને ભાવ સારો છેતેને ચોથા વ્રતની બાઘા લેવી છે. આત્મા છે. બાઈ હો, ભાઈ હો; પણ મનને લઈને બધું છે. ભાવ અને લક્ષ ચોંટ્યો તો બેડો પાર. મોટામાં મોટું એ મહાવ્રત છે. ધન્ય છે તેને જે આ વ્રત લેશે. આ વ્રત અમને અંતરથી ગમે છે અને કરવા જેવું છે, માટે એ જ કરવું. આ મનુષ્ય ભવ તો કાલ સવારે જતો રહેશે. બાઈને અહીં બ્રહ્મચારિણી બહેનો સાથે રહેવાની પણ વૃત્તિ છે. પુદ્ગલ વિણસી જશે; નાશવંત છે તેને માની બેઠો આત્મા. તે તો ક્યાં ય ન મળે; તે જાણ્યો જ્ઞાનીએ. જ્ઞાનીઓએ મનુષ્યભવ દુર્લભ બતાવ્યો તે વાત શ્રેષ્ઠ છે. તે ભવમાં આત્મા જ જે દી તે દી મોક્ષ કરશે, જડ નહીં કરે. જીવને કર્તવ્ય છે. ફરી ફરી આવો અવસર નહીં મળે. અનંત કાળથી રઝળતો આવ્યો છે. બધા પાસે સંજોગ અને સામગ્રી છે. તેમાં જ લોલીભૂત-એકાકાર થઈ ગયો છે, જેમ દૂધમાં માખણ રહ્યું છે તેમ. આત્મા તેમ નથી, જુદો છે. જ્ઞાનીપુરુષો કેટલું કહે ?– ‘આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે.' આ પદ રામનાં બાણ. ચેતી જાય તો ભાગ્યશાળી. પૂર્વભવનું આરાધકપણું હોય અને ભાગ્યશાળી હોય તો ચેતી જાય. બાઈ, ભાઈ વગેરે કંઈ ન જોશો, પણ જોજો આત્માજ્ઞાની પુરુષોએ જોયો તે. Page #336 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૧ ૨૩૯ મેં કૃપાળુદેવને કહ્યું કે આ બધું જગત “ભ્રમ' છે, તો કહે “આત્મા' જુઓ. પછી આંટી પડી કે આ શું કહ્યું. તો કે વિચારો. આત્મા વગર કોઈ કરશે ? અને સાંભળશે ? “જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ; પ્રગટ અનુભવરૂપ છે, સંશય તેમાં કેમ ?” માટે લાગ આવ્યો છે, કરવા જેવું છે. માટે તેની ઓળખાણ-પિછાણ કરશો તો કામ થશે. ૧. મુમુક્ષ-હવે તો હું બઘા મારા મિત્રોને જણાવી દઉં છું કે હું ફરી ગયો છું અને કૃપાળુદેવને તથા પ્રભુશ્રીજીને માન્ય કીઘા છે, તો બીજા લોકો માનતા નથી કે એમ હોય નહીં. તો હું તેમને છાતી ઠોકીને કહું છું કે એમ જ છે અને એમ જ સમજજો, બીજું નથી. હું જવાનો છું. આજે બધા મુમુક્ષુભાઈઓને કહી જાઉં છું કે હવેથી મને પ્રભુશ્રીજીની કૃપાથી બહુ બળ રહ્યા કરે છે. મારા અહીં આ વખત દિવસો બહુ જ આનંદ અને ઉત્સાહમાં ગયા છે, કારણ હવે મારી પાછળ ઘણી છે. “મને મળ્યા ગુરુવર જ્ઞાની રે, મારી સફળ થઈ જિંદગાની; શ્રીમદ્ દેવસ્વરૂપે દીઠા, લઘુરાજ પ્રભુ લાગ્યા મીઠા; આત્મિક જ્યોતિ પિછાની રે મારી સફળ થઈ જિંદગાની. ભાગ્યોદય થયો મારો આજે, ચોટી ચિત્તવૃત્તિ ગુરુરાજે; ખરી કરી મેં કમાણી રે, મારી સફળ થઈ જિંદગાની. દુસ્તર ભવસાગર તરવાન, દિલમાં લેશ નહીં કરવાનો; મળ્યા સુજાણ સુકાની રે, મારી સફળ થઈ જિંદગાની. મન, વચન, કાયા લેખે લગાડું, ભક્તિસુધારસ ચાખું ચખાડું; ભક્તિ શિવ-કર જાણી રે, મારી સફળ થઈ જિંદગાની.” બોલો, શ્રી સદ્ગુરુદેવકી....જય ! અહીં મને ન ઘારેલો, ન કલ્પેલો એવો ખૂબ આનંદ આવ્યો છે. આખી જિંદગીમાં આવો આનંદ નથી આવ્યો. પ્રભુશ્રી–મુખ્ય વાત તો આત્મા, ભાવ અને પરિણામ. બીજું કોનું સગપણ કરવું છે ? ૨. મુમુક્ષુ–“સવિ જીવ કરું શાસનરસી, એવી ભાવદયા મન ઉલ્લસી.” પ્રભુશ્રી–જીવ રૂડો છે. મને અંતરથી ગમે છે. કંઈ નથી, મનુષ્ય ભવમાં આ સાર છે. તા.૧૬-૧-૩૬, સાંજના ૧. મુમુક્ષ–“મનરૂપી યોગમાં તારતમ્ય સહિત જે કોઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે.” તે શું ? ૨. મુમુક્ષ-ભાવચારિત્ર આરાઘવાથી, છૂટી જઉં, છૂટી જઉં' એવા ભાવ થાય છે. પ્રભુશ્રી–મુદ્દાની વાત ભાવ છે : Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૪) ઉપદેશામૃત “ભાવે જિનવર પૂજિયે, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન.” | મુખ્ય બે વાત છે : ભાવ અને પરિણામ. અને તે સામગ્રી આત્મા પાસે છે. જડનાં જડ પરિણામ અને ચેતનનાં ચેતન પરિણામ–આ સમજવાનું છે. એક વિશ્વાસ અને તેવી પ્રતીતિ આ જીવને નથી. મર્મમાં વાત કરી છે કે “સદ્ધી પરમ કુહીં.” તે બરાબર છે અને માન્ય છે. એ જ મોટી વાત છે. કૃપાળુદેવે કહ્યું છે, તારી વારે વાર. મડદું તો નથી ? આત્મા છે. ભાવ થવો જોઈએ. “જેવા ભાવ તેવા પ્રભુ ફળે, ભલ્પા ભજન થકી ભય ટળે.” ૨. મુમુક્ષુ–સ્તવનમાં આવે છે, “રુચિ અનુયાયી વીર્ય, ચરણઘારા સધે.” રુચિ હોય તેવા ભાવ પ્રગટે. પ્રભુશ્રી–ભગવાને કહ્યું છે અને જ્ઞાની જાણે છે. જેવા ભાવ અને રુચિ થાય તે જ્ઞાની જાણે છે. કોઈ તો થોડી વારમાં કોટિ કર્મ ક્ષય કરી નાખે છે, તે પણ ભાવથી જ. ૩. મુમુક્ષુ ચારિત્ર એ આત્માનો ઘર્મ છે. તે સમરૂપ છે. મોહ એટલે દર્શનમોહ અને ક્ષોભ પમાડનાર ચારિત્રમોહ બન્નેથી રહિત સમભાવ છે. ભાવમન તે તો આત્મા છે. તે મન શ્રદ્ધા તરફ વળે છે પછી ચારિત્ર પ્રગટે છે. કષાય ચારિત્રને આવરણ કરનાર છે, તેને તો હેય જાણે છે અને મૂકે છે તેમ તેમ ચારિત્ર પ્રગટે છે. બાહ્ય અને અત્યંતર ક્રિયાઓનું અટકી જવું તે ચારિત્ર. ત્યારે યથાર્થ ભાવચારિત્ર હોય છે. મનને લઈને બધું છે, મન બાહ્યમાં હોય ત્યાં લગી ચારિત્ર આવતું નથી. મનની સ્થિરતા તે ચારિત્ર; ત્યાં મન વશ વર્તે છે. ૨. મુમુક્ષુ-અંતરાય કર્મનો ક્ષય થાય ત્યારે લાભ અને કેવળજ્ઞાન પ્રગટે છે. ૩. મુમુક્ષુ અંતરાય કર્મ નાશ પામે ત્યારે અનંત લાભ, અનંત ભોગ, અનંત વીર્ય, અનંત દાન, અનંત ઉપભોગ હોય છે. ત્યાં એક ઠેકાણે શંકાકારે ટીકા કરી છે કે જ્ઞાનીએ તો બધું છોડ્યું છે અને આ તો અનંતે ભોગવે છે એવું થયું. તો તે શું સમજવું ? ભોગ બે પ્રકારના છે. બાહ્ય અને અત્યંતર. તે બેઉથી ભગવાન તો રહિત છે. જેવી રીતે, ઘીનો ઘડો. ઘડો કહેવાયો ઘીનો; પણ વાસ્તવિક રીતે ઘી અને ઘડો બન્ને જુદાં છે, ઘડો તો માટીનો છે. તેમ સમવસરણમાં ભગવાનની જે વિભૂતિઓ હોય છે તે તો પુણ્યની વિભૂતિ છે. તે ભોગવે છે તેમાં તેમને કંઈ લેવાદેવા નથી. તે તો સહજ સ્વભાવે પુણ્યાનુસાર બન્યા કરે છે અને પૂર્વનું બાંધેલું આવીને જાય છે, તેમાં તેઓ તદ્દન ઉદાસીન છે, તેમને કંઈ પણ હર્ષશોક છે નહીં. ૪. મુમુક્ષુ–મને લાગે છે કે અત્યાર સુધી જે શરીરના ભોગ હતા તેને બદલે જે અંતરના ગુણ પ્રગટ્યા, તે પ્રગટવાથી આત્મિક ભોગ ભોગવે છે–જે અનંત લાભ, અનંત વીર્ય વગેરે ફુરે છે તે ભોગવે છે, બીજા પૌલિક ભોગ નહીં. ૫. મુમુક્ષુ–પુણ્યની પ્રકૃતિના ભોગ અહીં કહેવા નથી. વીર્ય તો આત્માનો ગુણ છે. પહેલાં ભાવ પરવશ હતા તે કર્મ આવરણ જવાથી સ્વવશ થયા; કારણ, અનંત વીર્ય પોતામાં પ્રગટ્યું. તે કહેવું છે. સ્તવનમાં આવે છે કે “દાન વિઘન વારી સૌ જનને, અભયદાન પદ દાતા.” જે Page #338 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૧ ૨૪૧ પોતાના પરિણામનું દાન બીજામાં થતું હતું તે હવે પોતામાં થાય છે અને બીજાનાં સંસાર પરિણામ ફેરવી પોતામાં (આત્મામાં) કરાવે છે, માટે અભયદાન દે છે. કેવળજ્ઞાન તો બઘાનું સરખું, પણ પોતાના સ્વરૂપના વીર્ય અંતરાયનો ક્ષય કહેવો છે. પ્રભુશ્રી–હાથીના પગલામાં બધાં ય સમાય. ચેતન અને જડ બે વાત છે; તેમાં બધું સમાય. શું કહેવું ? “સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય.” સમજ્યા વગર બધું કાચું, વ્યવહારે કર્મની વાત છે. તા. ૨૪-૧-૩૬ પ્રભુશ્રી–એ સુણે, એ શ્રધ્ધ, એ જ કર્યો છૂટકો છે. “એક મરણિયો સોને ભારે,” તેમ જો જીવ તૈયાર થાય તો તે બધું કરી શકે. ૧. મુમુક્ષુ–સાહેબ, કોઈ વરસથી, તો કોઈ બે, પાંચ, પંદર વરસથી સમાગમ કરે છે તોય હજી યોગ્યતાની ખામી કેમ રહી ? પ્રભુશ્રી–બઘાને એક કાંટે શી રીતે તોળાય ? જુદા જુદા કાંટા હોવા જોઈએ, એટલે કે કાંટો તો એક હોય પણ તે દરેક જુદી રીતે તોળાય છે. ક્યાં નાખવું સે સવૅ . કંઈ ક્રિયા કરે તેનું ફળ મળે. ક્રિયા કંઈ વાંઝણી નથી. ઘણાં સાઘન કર્યા. “તદપિ કછુ હાથ હજુ ન પર્યો.' મુમુક્ષ—સિદ્ધશિલાની વાત કરવી અને ઊભા થવું નહીં એ શી રીતે બને ? પ્રભુશ્રી—એ તો પગલું ભરે તો જ ત્યાં જવાય. સાધુપણું લે, બધું કરે તો તેનું પણ ફળ મળે. “પલમેં પ્રગટે મુખ આગલસે.” આ બધું સાંભળી ઊભો થઈ જા ને ! પેટમાં કટાર મારી મરી જવું જોઈએ. સંસાર સેવવો અને મોક્ષ જવું એ ના બને. બધું મૂકવું જ પડશે. મૂક્યા વિના છૂટકો નથી. પત્રમાં વાંચીએ છીએ કે કોઈ એક પુરુષને શોઘો. પછી, હવે શું બાકી રહ્યું ? એ શ્રધ્ધ, એ સુયે એ થઈ રહેશે. નિમિત્ત બને તો બધું ય થાય. બહાર બેઠા હોઈએ તો અહીંના વેણ સંભળાય ? અહીંનું નિમિત્ત છે તે અહીંયાંના પર્યાય પડે. એ તો આસ્રવમાં સંવર અને સંવરમાં આસ્રવ છે. આ કંઈ ખોટું છે ? આ બઘી ગાંડા જેવી વાતો કરીએ છીએમાથે ઘણી છે, ઘણી કર્યો છે એટલે પછી બોલાય તો ય વાંધો નથી. વીતરાગ માર્ગ છે. બધા મત, ગચ્છ છે, પણ આ સર્વથી શ્રેષ્ઠ છે. બીજે આવું નથી. આ સાઘુ છે. એમને રૂપિયા બે હજાર આપે તો ય આવે ? મતિથી આવ્યા. પણ એ ય આત્મા છે ને ? અમે નાની ઉંમરમાં દીક્ષા લીઘી એટલે બધે ભલી ભલી થઈ ગઈ. અત્યારે તે ય કાળું થઈ ગયું. ઘોળામાં ડાઘો દેખાય, પણ કાળામાં ના દેખાય; તેમ આ બધું કાળું છે, માત્ર એક સપુરુષ જ ઊજળો છે. ચંદ્રમાં કલંક છે એ બધા ય કહે છે પણ કલાડાને કોઈ કહેતા નથી. “IT, ધો HTTU તવો’ એમાં જ બધું આવી ગયું છે; કંઈ બાકી રહેતું નથી. પરમકૃપાળુ દેવની સાધુ સંબંધી બધી વાતથી અમોને સંતોષ થયો છે. સાધુ કોણ ? “આત્મજ્ઞાન ત્યાં મુનિપણું'. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ઉપદેશામૃત તા. ૨૫-૧-૩૬, સવારના પત્રાંક ૭૨૭ નું વાંચન – “આયુષ્ય અલ્પ અને અનિયત પ્રવૃત્તિ, અસીમ બળવાન અસત્સંગ, પૂર્વેનું ઘણું કરીને અનારાધકપણું, બળવીર્યની હીનતા, એવાં કારણોથી રહિત કોઈક જ જીવ હશે, એવા આ કાળને વિષે પૂર્વે ક્યારે પણ નહીં જાણેલો, નહીં પ્રતીત કરેલો, નહીં આરાધેલો તથા નહીં સ્વભાવસિદ્ધ થયેલો એવો ‘માર્ગ’ પ્રાપ્ત કરવો દુષ્કર હોય એમાં આશ્ચર્ય નથી; તથાપિ જેણે તે પ્રાપ્ત કરવા સિવાય બીજો કોઈ લક્ષ રાખ્યો જ નથી આ કાળને વિષે પણ અવશ્ય તે માર્ગને પામે છે.’’ જીવને વિચાર આવ્યો નથી. કામ કાઢી નાખે એટલું બધું છે; છતાં આ ઠેકાણે કંઈ કરે તો અત્યારે કંઈ કરવા જેવું છે. ફક્ત આ જીવનો જ વાંક છે. હવે બોલશો નહીં. આટલું સમજવા લાયક છે. એ જો કંઈ કર્યું તો બસ; એ જ કૂંચી છે. આ વાત જબરી આવી. તૈયાર થઈ જા, તારી વારે વાર; હવે શું ? જેમ તેમ નથી. મરતાને જીવતો કરે છે. સત્પુરુષોએ મરેલાને જીવતા કર્યા છે. હિમ્મત હારવી નહીં. ૧. મુમુક્ષુ—હિમ્મત હારવાની નથી, હવે મરણિયા થવાનું કામ છે. આપે કહ્યું હતું કે માથે સત્પુરુષ છે, સાથે છે અને એની હિમ્મત છે તો પછી હિમ્મત શું કરવા હારે ? પ્રભુશ્રી—એ જ કર્તવ્ય છે. હિંમત હારવા લાયક નથી. ૨. મુમુક્ષુવીતરાગ માર્ગમાં પ્રવૃત્તિ છે તો હિમ્મત શું કરવા હારીએ ? પ્રભુશ્રી—પડ્યા તો ઊભા થઈ જવું, પછી કેમ નહીં ચલાય ? ચલાશે. ખબર નથી. કોઈ જો પડ્યો તો ઊભા થઈ જવું. હવે શું છે ? પડ્યું રહેવાશે જ નહીં. ઊભો થઈ જા, ભૂલ્યો ત્યાંથી ફેર ગણ; સમજ્યો ત્યાંથી સવાર, ફે૨ મંડી પડ ને ? સ્વચ્છંદે ભૂંડું કર્યું છે. બીજા કોઈનો વાંક નથી. બેઠો ત્યાંથી હવે ઊભો થઈ જા. જે અત્યારે હાલ છે તે પડેલો છે, ત્યાંથી ઊભા થવાનું છે. જાગૃત થયા સિવાય છૂટકો જ નથી. ‘સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો ? સમજ્યું જિનસ્વરૂપ.’’ ચમત્કાર છે ! એ તો ચિંતામણિ છે ! કોઈને ખબર નથી. ‘ઓહો ! આમાં શું છે ?' એમ કહે પણ એ તો નિધાન છે, સાંભળવા જેવું છે, રાખવા જેવું છે. બળ રાખવા જેવું છે. એ આવ્યું તો અજવાળું થઈ જશે, ભવ ટળી જશે. ચિત્તમાં કચરો છે, ખામી છે. જીવ તો રૂડા છે પણ યોગ્યતાની ખામી છે. એ જ કરશે. એ વગર બીજો કોઈ નથી. એ તો છે જ, હાથ આવ્યો તો થઈ રહ્યું ! તત્તો તેર મણનો છે. આવી જાય તો કંઈ નહીં, વાર નહીં. વાત બે જોઈએ છે : નિમિત્ત અને ઉપાદાન. બેઉ આવે તો થાય. એક પૈડે ગાડી ન ચાલે, બે પૈડાં હોય તો ગાડી ચાલે. આ પંચમકાળમાં સત્પુરુષ, એની આજ્ઞા વગેરે મળ્યાં; પણ આ જીવ કરતો નથી. એ તો એનો જ વાંક છે. જીવ તૈયાર થયો નથી. તૈયાર થાઓ. ખામી છે. ઊભા થાઓ, માનો. શું માર ખાવો છે ? હવે અહંકારમાં અને અહંકારમાં જ રહ્યો છે. જો એક “જ્ઞાન, ગરીબી, ગુરુવચન, નરમ વચન નિર્દોષ; ઇનકું કભી ન છાંડિયે, શ્રદ્ધા, શીલ, સંતોષ.'' Page #340 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ સંગ્રહ-૧ ૨૪૩ સૌથી નમી જવું જોઈએ. કરડાશવાળાને મોક્ષ નથી. માર ખાઓ, મારે કૂટે તોપણ ખમવું–બીજી વાત નહીં. એના વગર બીજે તો છૂટકો નથી. નહીં તો મેર ! ખા ગોદા. (આત્મા) છે' એમ તે જોવાય? છે; જાણે કોઈ કુદરતી ઊગી નીકળ્યો હોય ! જાયે ય નહીં; બને ય નહીં. મીઠી વીરડીનું પાણી, તે ખારું કોઈ કાળે થશે ? અને ખારીનું કોઈ કાળે મીઠું થશે ? બસ, સમજી જાઓ. “આખા જગતના શિષ્ય થવારૂપ દ્રષ્ટિ જેણે વેદી નથી તે સરુ થવાને યોગ્ય નથી.” એ ચમત્કારી વાક્ય છે ! હજુ વિચાર કર્યો નથી. મને આખા જગતનો શિષ્ય થવા દો. “આત્મા વિનયી થઈ, સરળ અને લઘુત્વ ભાવ પામી સદેવ સપુરુષના ચરણકમળ પ્રતિ રહ્યો, તો જે મહાત્માઓને નમસ્કાર કર્યા છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ય કરી શકાય.” આ ચિંતામણિ કહેવાય ! આ લે અને આ લે એમ નથી. ચેતો હવે; જાગૃત થાઓ, જાગૃત થાઓ ! આ ભંડો, આ નબળો એમ જોવું નથી. જેમ છે તેમ છે. રાત તે રાત છે અને દિવસ તે દિવસ છે. રાત તે દિવસ નથી અને દિવસ તે રાત નથી. નરમ થવું પડે, કઠણ ન થવું. તા. ૨૫-૧-૩૬, સાંજના માવતરના જેવી શિખામણ છે. આત્માને જન્મ-મરણ છૂટવાની વાત છે. સંસારમાં મોહ છે. આ સ્ત્રી, પુત્ર, મકાન, પૈસો, હોદો, વગેરેમાં “મારું મારું થઈ રહ્યું છે એ જ બંધન છે, પરભવમાં રઝળાવનારું છે. ક્રોઘ, માન, માયા અને લોભનો જીવે જો અભ્યાસ બહુ રાખ્યો, તો તે અભ્યાસ નરકે લઈ જવાનો છે. આવો મનુષ્ય ભવ પામ્યા છો,—ઢોર, કાગડા, કૂતરા હોય તો કહેવાય નહીં, માટે ચેતવા જેવું છે. સ્ત્રી, પુત્ર ને પૈસામાં રચ્યો રહી માથું કૂટ ! ચાર ગતિમાં રઝળીશ. જીવે તરવા માટે જેટલો બને તેટલો, યથાશક્તિ ત્યાગ કરવો. ત્યાગ વગર મોક્ષ નહીં થાય. મૂકવું પડશે. દેહ છૂટશે ત્યારે કંઈ હારે નહીં જાય. માટે ત્યાગ મોટી વસ્તુ છે. પરદેશમાં ઘર્મ હશે, વાતો થતી હશે; પણ આ જગ્યા જુદી છે. માર્ગ જુદો છે. મર્મ સમજવાનો છે. ઉદય કર્મ હોય-ઘર, બાંયડી, છોકરાં, પૈસો હોય; પણ તેમાંથી જેટલું બને તેટલું મૂકવું. બધું ન છોડાય તો થોડું પણ ત્યાગવું. એ જ પાયો છે. એ મર્મ કોઈને સમજાયો નથી. મર્મને છાતીમાં-હૃદયમાં રાખવો. સાડાત્રણ હાથની જગામાં બાળી મૂકશે. ઘર્મ સાથે આવશે અને એ જ સહાય છે; નહીં તો ભવોભવ રઝળીશ. સર્વથી શ્રેષ્ઠ મનુષ્યભવ પામીને બઘાએ અવશ્ય મૂળ પગ ભરવો. પરસ્ત્રીનો ત્યાગ કરવો, તેમાં વળી ચોથું મહાવ્રત મોટું કીધું; તે માટે તૈયાર થઈ જવું. આ જગતને વિષે બીજા વિષયભોગ, હસવા બોલવાના કરે તે દુઃખદાયી અને ઝેર છે. ભાઈ હોય તો સ્ત્રી તરફ નજર રાખવી ન જોઈએ. આ જીવને જે મૂકવાનું છે તે જુદું છે. અત્યારે દેખાય કે આ ભોગવે છે, પણ નથી ભોગવતા; અને નથી ભોગવતા, તો પણ ભોગવે છે. માટે વિષયનો ત્યાગ કરવો. વીતરાગે–પરમ કૃપાળુદેવે અનંતી દયા લાવીને બતાવ્યું છે કે આટલું તો સમજજો : Page #341 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત “નીરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન; ગણે કાષ્ઠની પૂતળી, ભગવાન સમાન. ૧’' આ જીવ કંઈને કંઈ સમજી બેઠો છે. તેમ ન કરતાં બરાબર વિચારવું. આ દેહમાં પરુ, પાચ, લોહી, હાડકા, વિષ્ટા વગેરે છે. એમાં આત્મા માની લીઘો એ જ અજ્ઞાન : ‘આ ભાઈ છે, આ બાઈ છે;' એ અજ્ઞાન. એ બધું મૂકવાનું છે. તારા ભાર નથી કે તું જાણે, એ તો જ્ઞાની જ જાણે. માત્ર ત્યાગ, ત્યાગ અને ત્યાગ જ. દેહ પડે તો ભલે પડે. આ (અજ્ઞાન) મૂકવાથી અજર, અમર થશો. ૨૪૪ “આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ; એ ત્યાગી, ત્યાગ્યું બધું, કેવળ શોકસ્વરૂપ. ૨' આની મોકાણ, હોળી પહેલી કરવી છે ! “એક વિષયને જીતતાં, જીત્યો સૌ સંસાર; નૃપતિ જીતતાં જીતિયે, દળ, પુર ને અધિકાર. ૩’ એ વિષયને જ જીતવો, બીજું કામ નથી. અત્યારે કહે છે કે મેં ખાધું, મેં પીધું એ આત્માને સુખ નથી. એ પુદ્ગલ છે. એને મારાં માન્યાં એ જ જન્મ મરણ છે. ‘વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન; લેશ મદિરાપાનથી, છાકે જ્યમ અજ્ઞાન. ૪'' મદિરાપાન પીવે તો છાક અને ઝેર ચઢે, બીજું ગાંડું બોલાય; તેથી જ્ઞાન અને ધ્યાન જે વસ્તુ છે તેની ખબર પડે નહીં. શાનો મંડ્યો રહ્યો છું ? જ્ઞાન અને ધ્યાન કોઈ ગુરુગમથી, ભેદી માણસ પાસેથી સમજી લે અને ચેત. “જે નવ વાડ વિશુદ્ધથી, ઘરે શિયળ સુખદાઈ; ભવ તેનો લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ, પ’ ખેતરમાં વાડથી ઢોર, જાનવર, માણસ સચવાય છે; તેમ આ નવ વાડ કરી છે. જબરું કામ છે ! આ સંસારની માયા છે તે તું નહીં. તારો આત્મા છે. આ બધું મૂક. લક્ષ લેવા જેવું છે. તે (બ્રહ્મચર્ય) મોટામાં મોટું વ્રત છે. દૃષ્ટિ, વાતચીત, બોલવા-હસવાથી પાછો વળ; એ તું નહીં. તું એમ કરવા જાય તે મરી જાય છે. તને ખબર નથી. જાણે કે આમાં શું ? બોલું છું એટલે કંઈ નહીં પણ જ્ઞાનીએ આત્મા જાણ્યો છે તેવો ભેદ બીજાએ જાણ્યો નથી. માત્ર ભેદ જાણવાની જરૂર છે. જ્યાં સુધી આત્મા નથી જાણ્યો ત્યાં સુધી બીજાને જ આત્મા માની બેઠો છે; અને તેથી નરક, તિર્યંચ વગેરેમાં રઝળે છે. માટે ત્યાગ જ કરવો. ચોથું વ્રત મોટામાં મોટું છે. “સુંદર શિયળ સુરતરુ, મન વાણી ને દેહ; જે નર નારી સેવશે, અનુપમ ફળ લે તેહ. ૬'' સુરતરુ—કલ્પવૃક્ષની જેમ ફળ આપે તેવું છે. મન, વાણી, દેહ એ ઝેર છે. વ્રતની ભાવના કરશે તે અનુપમ ફળ લેશે. “પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન. ૭’ નર નારી તે Page #342 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૧ ૨૪૫ પાત્ર વિના વસ્તુ નહીં રહે; કારણ કે વસ્તુ માટે ભાજન જોઈશે. પાણી આદિ માટે પાત્ર જોઈએ, તેમ પાત્રતા માટે બ્રહ્મચર્ય છે. એ મોટો થંભ છે. જો મન વિષયવિકારમાં જાય તો કટાર લઈને મરી જજે, ઝેર ખાજે. જીવને આત્માનું ભાન નથી, ખબર નથી. એક સાર વસ્તુ મોટામાં મોટી બ્રહ્મચર્ય છે–પોતાની કે પારકી સ્ત્રી સેવન ન કરવી. આખો લોક સ્ત્રીથી બંધાણી છે; અને તેથી જન્મમરણ થશે. માટે એ મૂક. મૂક્યા વગર છૂટકો નથી. એ ચમત્કારી વાત છે ! માટે એ વ્રત લેશે તેનું કામ થઈ જશે. વીતરાગ માર્ગ અપૂર્વ છે ! જેટલું કરે એટલું ઓછું છે ! “સમયે પોયમ મા પમા–ફરી અવસર આવતો નથી. પોતાથી જેટલો બને તેટલો ત્યાગ કરવો. તા. ૨૬-૧-૩૬, સવારના વૃત્તિ ભૂંડું કરી નાખે છે, જીવને આત્મહિત થવા દેતી નથી. અત્યારે તો વિશેષ કરવું જોઈએ. આનંદઘનજી ભગવાને કહ્યું છે કે “ઘાર તરવારની સોહલી, દોહલી ચૌદમા જિન તણી ચરણસેવા; ઘાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા.' પોકાર કર્યો છે ! કુટુંબ, વિષય, કષાય મહા અનર્થ છે. એ બધું તો અનર્થ કરી નાખે તેવું છે. બોઘ જો ગ્રહણ કર્યો તો તેનું કામ થયું અને જો ન કર્યો તો થઈ રહ્યું. “સહુ સાધન બંઘન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્સાઘન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ?' બધુંય રહી જાય છે. આત્માને ભાવના, વિચારણા, આલોચના કરવાની છે. પણ જીવ બહારનું જોઈ રાચી પડ્યો, ખસી પડ્યો–આ જ ભુલાવો છે! “મુખ આગલ હૈ, કહ બાત કહે? આ વાતની કચાશ રહી છે, એટલે કે એટલું ભાજન નથી તેથી એ નાખતા નથી. ભાજન હોય તો અત્યારે નાખી દે; એની ખામી છે. મને તો એ જ જોવામાં આવ્યું છે. કંદોઈની છોકરીને ખાજાંની ભૂકરી મળે, એટલે તે (દુકાળ હોય ત્યારે) ગરીબને જોઈને કહે કે “આ બઘા કેમ ભૂખે મરે છે? ભૂકરી ખાય તો ?” તેમ આ જીવની કચાશ છે. સત્સંગનો દુકાળ છે. હવે શું કરવું? કહો, કંઈક વાત કહો. ૧. મુમુક્ષુ ભૂતકાળનાં સાધન નકામા ગયાં પણ વર્તમાનનાં ન જાય એટલું કરવાનું છે. ૨. મુમુક્ષુ યોગ્યતા લાવ્યા સિવાય, તૈયાર થયા વગર છૂટકો નથી. સત્સંગનો જોગ વિશેષ આરાઘવો. “પરમ શાંતિપદને ઇચ્છીએ એ જ આપણો સર્વસંમત ઘર્મ છે. અને એ જ ઇચ્છામાં ને ઇચ્છામાં તે મળી જશે, માટે નિશ્ચિત રહો. હું કોઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું; એ ભૂલશો નહીં.” પ્રભુશ્રી–શું નથી? કઈ વસ્તુ નથી? આત્મા પાસે શું નથી ? બીજો કોઈ, બાપ આપે એવો હોય તો કહો. માત્ર એક આત્મા જ આપશે, નક્કી જ કરવો. એ નક્કી નથી થયું, એટલી ભૂલ છે. આ કરવાનું છે. એ નક્કી થાય એટલી જરૂર છે. એ વાત એવી છે. “ભરત Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ઉપદેશામૃત ચેત !' એમ કોઈ આવીને કહેતો હતો. એના જેવો તૈયાર નથી, બધી સમજવાની વાત છે. વાત અજબ-ગજબ છે ! ‘સવળે નાળે વિજ્ઞાળે’ કંઈ ઓછું કીધું છે ? અરે ! તમારું કામ થઈ ગયું ! રોજ રોજ વાત કરતા હોય તો કોઈક વાર નીકળે, તે પણ અજાણમાં જાય ! આ બરાબર છે, સત્ જાણજો. કહેવાની મતલબ કે તૈયાર થઈ જાઓ. શુકદેવજીને કીધું કે ચોખ્ખો થઈને આવ. એમ ખબર પડ્યે બધું થશે. આ બધું સત્સંગ વગર નહીં થાય. આ વચન જ્ઞાનીનાં છે; આ વાત કરી તે પણ એ જ. કોઈના ભાર નથી કે સત્સંગ વગર પામે. સમાગમમાં આવે, ખાસડાં પડે, ભાલોડાનો વરસાદ પડે તો પણ ન ખસે ત્યારે બને. ‘વાની મારી કોયલ', ‘પંખીના મેળા !' આ ભાઈ, બાઈ, માબાપ ન જોશો. એ નહીં; માત્ર એક આત્મા. આ વાત બીજી થાય છે. આ તમે નથી. આ વાણિયો, બ્રાહ્મણ, પાટીદાર કહેવાય છે એ નથી. કંઈ બીજું કરવું છે અને એ જોવરાવવું છે—એ વાત અદ્ભુત છે ! કંઈક બીજું કરવાનું છે. શું? દૃષ્ટિ ફેરવાવવી છે. તૈયાર થઈને આવ, યોગ્યતા તો જોઈશે જ. આ વાત કરતાં તો પર્યાય પેસે છે અને વાત કામ આવે છે, લાભ થશે–કાનમાં પડી કની? એ વાત બહુ જબરી છે, અજબ ગજબ છે ! લોકદૃષ્ટિમાં કાઢી નાખે છે. સત્સંગને તો જ્ઞાનીએ પણ વખાણ્યો છે; તો પછી આપણે પણ એ જ આધારે બેસી રહેવું. હવે કંઈ ઉપાય છે ? ૨. મુમુક્ષુ ઉપાય તો જેનો જે હોય તે જ હોય, બીજો નહીં. યોગ્યતા લાવવા માટે આરંભથી તે ઠેઠ સુધી સત્સંગ અને સત્પુરુષ જ છે. પ્રભુશ્રીવાત ના તો કેમ કહેવાય ? કાઢી ન નંખાય. પણ, અહીં આગળ બીજું કંઈ કહેવું છે, એ શું રહ્યું ? ૩. મુમુક્ષુવીતરાગ માર્ગ આત્મભાવસ્વરૂપ અગર પરિણામસ્વરૂપ છે. તે અસત્સંગને લીધે વિપરીત પ્રવર્તે છે તો આત્મભાવના કેવી રીતે કરવી? ભાવ ફેરવવાના છે અને તે ફેરવ્યે જ થશે. પ્રભુશ્રી— “મા વિદૃહ, મા ઝંપ૪, મા ચિંતદ્ઘ િવિ નેળ હોર્ થિરો। अप्पा अप्पम्मि रओ, इणमेव परं हवे झाणं ॥ " કર્મ છે એને ભૂત કહો. ભૂતને કાઢે, પછી માણસ સારું થાય. ૪. મુમુક્ષુ ભૂતને કાઢવા ભૂવો જોઈએ, તે બતાવો. પ્રભુશ્રી—તમારું અજાણ્યું નથી. બેધડક વાત કરી છે: ‘પાવે નહિ ગુરુગમ બિના' એ જ છેડો, એ જ નિવેડો. એ વાત બહુ ઊંડી છે, હજુ સમજવા લાયક છે. ગુરુ શું છે ?–એ સમજવા લાયક છે. આ બધી વાત કીધી તે સોનામહોર જેવી છે. “સત્સંગ કરું, સત્સંગ કરું'' એમ નથી થયું આ જીવને. શાથી ? તો કે આથી, એમ નથી થયું. આ દેખંત આડું આવ્યું છે એમ જીવને નથી થયું. તે શું છે ? આ જીવને એક જ જોઈશે; શું ? તમે જાણો છો. જીવો ત્યાં સુધી કર્યા કરજો લક્ષમાં રાખજો, ભૂલશો નહીં. જ્ઞાનીનું કહેલું છે—‘સત્પુરુષાર્થ’. એ વગર કંઈ થાય એવું હોય, તો કહો. અને એ જ માર્ગ છે. આ બધાનો સાર છે, બહુ ચમત્કારી, આબેહૂબ અને સમજવા લાયક છે ! ભાજન વગર આવે નહીં. સત્પુરુષાર્થથી Page #344 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૧ ૨૪૭ જ આવે. આ વાત ગોળ ગોળ કીઘી છે—કોઈને ખબર પડે એમ નથી. સમજવું પડશે, કરવું પડશે. કર્યા વગર છૂટકો નથી. ઝૂરો, માર ખાઓ, કપાઈ જાઓ; પણ એ જ કરવું. એની ભાવના, ચાહના કરો. એ જ કરવું છે. કરવું પડશે જ. એની વાંસે પડો, નહીં તો એ બઘી ભૂલ છે. વાત જબરી કરી ! બાળા-ભોળાથી સમજાય એવું નથી, વાત ઊંડી છે. તા. ૨૬-૧-૩૬, સાંજના ઉપદેશછાયા' માંથી વાંચન : “છ ખંડના ભોક્તા રાજ મૂકી ચાલી ગયા અને હું આવા અલ્પ વ્યવહારમાં મોટાઈ અને અહંકાર કરી બેઠો છું' એમ કેમ વિચારતો નથી?” પ્રભુશ્રી ચક્રવર્તીની પુણ્યા ઘણી જબરી છે, પણ તેને તૃણ સમાન ગણીને ચાલી નીકળ્યા. ચક્રવર્તીની સાહ્યબી આગળ કોઈની સાહ્યબી નથી. ચૌદ રત્ન અને નવ નિઘાનની સાહ્યબી જેની પાસે! પણ તે ગણી નહીં. ભરતને પણ અરીસાભુવનમાં કેવળજ્ઞાન થયું. વસ્તુ જુએ તો શું છે? તો આત્મા. વાંકું શું છે? તો વિભાવ. સ્વભાવમાં હોય તો બધું સીધું. માટે પોકાર કરીને કહે છે કે “આપ સ્વભાવમાં રે અબઘુ સદા મગનમાં રહેના', જીવ બીજું જોવા જાય છે ! “પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.” મનુષ્યદેહ પામીને આ ગ્રહણ કરવાનું છે. જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી બધું થશે. મે'માન છો. કોના માટે કરવું છે? માટે ચેતવા જેવું છે. આજે નહીં તો કાલે, તારા કુટુંબ પરિવાર બધાં ય ગયાં છે તેમ, જવાનું છે. તો હવે શું કરવાનું છે ? કંઈ નહીં. આ જીવને વૈરાગ્ય આવ્યો નથી. વૈરાગ્ય આવે તો બધું પાંસરું થઈ જાય. ખામી વૈરાગ્યની છે. જેને ત્યાગવૈરાગ્ય છે તેનું પાંસરું, આટલું સમજી લેજો. ત્યાગ અને વૈરાગ્ય બેઉ જોઈએ છે. એ નિમિત્ત બનાવવું, ખોટું નિમિત્ત કાઢવું. આટલું જ કર્તવ્ય છે, એમાં જ લાભ છે. એ કરતાં કરતાં કર્મ માર્ગ આપશે, લાભ થશે. “આયુષનાં આટલાં વર્ષો ગયાં તો પણ લોભ કાંઈ ઘટ્યો નહીં, ને કાંઈ જ્ઞાન પ્રાપ્ત થયું નહીં, ગમે તેટલી તૃષ્ણા હોય પણ આયુષ પૂર્ણ થાય ત્યારે જરા પણ કામ આવે નહીં, ને તૃષ્ણા કરી હોય તેથી કર્મ બંઘાય. અમુક પરિગ્રહ-મર્યાદા કરી હોય, જેમકે દશ હજાર રૂપિયાની તો સમતા આવે. આટલું મળ્યા પછી ઘર્મધ્યાન કરીશું એવો વિચાર પણ રાખે તો નિયમમાં અવાય.” ૧. મુમુક્ષ-હાથમાં કોડી હોય નહીં અને લાખ રૂપિયાની મર્યાદા કરે તો ? પ્રભુશ્રી એ પરિણામથી થાય છે. પરિણામ કલ્પનાવાળું હોય તો જ એવું થાય. અપેક્ષા લઈને કહે કે મેં પણ એ પ્રમાણે કર્યું છે કની? પણ એ ખોટું છે. સમજવામાં એમ છે કે દશ હજારની કમાણી થાય એવું નથી, અને લાખ રૂપિયાની મર્યાદા કરે એ ખોટું છે. સમજ્યા વગર કલ્યાણ થાય નહીં. ટૂંકામાં બધું ય પર છે; પોતાનું નથી. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ઉપદેશામૃત ૨. મુમુક્ષુ—પરને તજવું અને પોતાનું કરવું. ૩. મુમુક્ષુ ‘શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું ? કર વિચાર તો પામ.'' પ્રભુશ્રી—આ બધું પડી મૂકો. હજારો વાતો છે; પણ ટૂંકામાં એક આત્મા. હજારો લાખો વાર વાતો કરી, પણ એ નહીં. “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.'' એ થાય તો સમજાય. મનુષ્યભવ પામ્યા છો તો દેહ રહે ત્યાં સુઘી સારું નિમિત્ત રાખ્યા કરવું; છોડવું નહીં. એથી લાભ થશે. આ નિમિત્ત મેળવ્યું તો સાંભળ્યું. મનમાં ભાવના કરવી કે સાંભળ સાંભળ કરું. ‘હું સમજું છું, હું જાણું છું,' એમ થાય; પણ અલૌકિક દૃષ્ટિથી સમજવાનું નથી કર્યું. શું કરીએ ? તા. ૨૭–૧–૩૬, સવારના ખામી પ્રમાદથી છે. પ્રમાદે ભૂંડું કર્યું છે. પુરુષાર્થ આવ્યો હોત તો કલ્યાણ થઈ જાત. પૂર્વે જ્ઞાનીઓ મળ્યા હતા, પણ પુરુષાર્થ વગર યોગ નિષ્ફળ ગયો. પુરુષાર્થ વગર ખામી છે. અહીંથી બીજે જવું હોય તો ડગલાં ભરવાં પડે, પુરુષાર્થ કરવો પડે. કાગડા-કૂતરાના અવતારમાં પણ આત્મા છે. એક પૂર્વકૃત, મનુષ્યભવ છે માટે કહેવાનું કે ચેતો. હવે પુરુષાર્થની જરૂર છે. સ્ત્રી, છોકરાં, માન, મોટાઈમાં જેવી કાળજી છે તેવી આની નથી. એ જ ભૂંડું કરનાર, અનર્થ કરનાર છે. માટે ચેતો ! જેવી તેવી વાત નથી; રત્નચિંતામણિ છે! ‘વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખવો.’’ વીતરાગનો કહેલો એવો બીજો કોઈ નથી. શ્વેતાંબર, સ્વામીનારાયણ, દિગંબર આદિ ભલે હો, પણ વીતરાગના માર્ગની વાત છે. ‘તું ગમે તે ધર્મ માનતો હો તેનો મને પક્ષપાત નથી.'' ‘જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી.'' આ વચનો ભાલોડાં જાણો; ઘૂંટીને પી જવાં. ‘આ તો મેં જાણ્યું' એમ કરે છે. પણ જા મૂર્ખ ! આ તો ચિંતામણિ છે; જેવી તેવી વાત નથી. સત્પુરુષ વિના સમજાતું નથી—આ જ ખામી, આ જ અવગુણ, આ જ ભૂલ, આ જ અંધારું, જે કહો તે. સમજણ આવવી જોઈએ. આથી ભવ સુધરશે. તારું કામ થશે. ઘણું હિત થશે. આ વાત વિચારવા જેવી નહીં ? ‘હું જાણું છું’ એ પડી મૂક. કોતરી કોતરીને વચનો લખ્યાં છે. ખબર નથી ‘તુંબડીમાં કાંકરા !' આ સવાલ જેવો તેવો નથી. તૈયા૨ થાઓ. ભલેને કકડા થાઓ, સૂઝે તેમ થાઓ; પણ તૈયાર થાઓ. અહીં મરી જવું. લાખો રૂપિયા ખાલી થઈ જાય; દેહ પડી જાય; પણ તૈયાર થાઓ. આ પૈસાદાર છે, ડાહ્યો છે; પણ ધૂળ પડી એમાં ! સમજું શાનો ? આમાં કોઈના ઉપર વિષમભાવ નથી. આ વાત કરવાની છે. અહો ! કંઈ જેવી તેવી કમાણી છે? ચિંતામણિ છે ! ભૂંડું કોનાથી થયું ? પરભાવે. પરભાવ જેવું બીજું કોઈ વૈરી નથી. આ પડ્યા છો તે ઊભા થાઓ. તમારી નજરે આ પ્રત્યક્ષ છે કે કંઈક કર્યું તો કૂતરા-બિલાડાના અવતાર Page #346 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૧ ૨૪૯ છૂટી મનુષ્યભવ આવ્યા કની? એથી તો સારું છે ને? એ પ્રત્યક્ષ દેખો. કૂતરા-બિલાડાને ઘર્મની જોગવાઈ નથી. અત્યારે મનુષ્યભવમાં જોગવાઈ છે, ત્યારે ડહાપણ કૂટે છે. થપ્પડ મારવાની છે. નાક કાપી નાખવાનું છે. લપડાક મારવાની છે. ભૂંડામાં ભૂંડો પ્રમાદ છે. આપણું શું છે? આ બધા મે'માન નહીં? કોઈની ઉપર દ્વેષ નથી. કોઈ અમરપટ્ટો લઈને આવ્યો છે? ચમત્કારી છે ! ભૂલ્યો ત્યાંથી ફેર ગણ. આગળ કોઈક દેવું કર્યું હોય તો તમારે આપવું પડે કની? લેણું દેવું આપવું પડે છે; તેમ આ જીવને બધું સુખ, દુ:ખ—જેણે જેવું કર્યું તેને તેવું ફળ–મળે છે. બાઈ હોય તો બાઈને અને ભાઈ હોય તો ભાઈને ભોગવવું પડશે. હવે શું કરવું છે? તૈયાર થયું છે. કાગડા-કૂતરાને નથી કહેવું. આટલા સુધી આવ્યા છો. સાંભળવા બેઠા છો તો સાંભળો છો. વાતો કરે છે વેપારવણજની પણ તે બઘાં બંઘનો છે. સહુ સાઘન બંઘન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્સાઘન સમજ્યો નહીં, ત્યાં બંઘન શું જાય?” જગતમાં બધી દોડાદોડ અને તોફાન છે. કંઈક મરી ગયા બિચારા ! માણેકજી શેઠ તમારા જેવા હતા પણ ગયા ને ? હવે ક્યાંથી લાવે ? આજે દાવ આવ્યો છે. છ ખંડના ભોક્તા ભરતને કહ્યું કે ભરત ચેત. ચેતાવ્યો ને ? આ તો જાણે કેટલા ય પૈસાવાળો છે. તેને કંઈ તમા ય નહીં. છેયાં છોકરાં, ખાવાપીવાનું હોય તો સુખીઓ ગણે; પણ તે તો ચાર દિવસનું ચાંદરણું ! એ તો જતું રહેશે. ખરું દુઃખ શાનું છે ? જન્મ-જરા-મરણનું. તે કોઈને નથી એમ છે? એ બાબતનો વિચાર કરવો કે આ બહુ દુઃખ છે. “ તુવો શું સંસારો' એમ કહ્યું છે તે ચમત્કારી છે ! ભૂલ્યો ત્યાંથી ફેર ગણ. ઋષભદેવના પુત્રો જન્મ-જરા-મરણથી ત્રાસ પામી ગયા; કારભારીને રાજ્ય સોંપી ચાલ્યા ગયા. અને તે અઠ્ઠાણું જણ કેવળજ્ઞાન પામ્યા. કંઈ જડને કહેવાનું છે? ભરતને કહ્યું કે ચેત. એમ ચેતવાનું છે. આ વાત લક્ષમાં લેતો નથી. એટલે, કહેવાની મતલબ કે વાત લક્ષમાં લો. હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા. હું સર્વથા અસમર્થ છું વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છો, જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપનાં ચરણારવિન્દમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ઘર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગ્રત રહો એટલું માગું છું તે સફળ થાઓ. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ આ વાત મુખે રાખજો. આ વાત ગળી જજો. આ વાત ઉઘાડી ન કરશો. કોઈને કહેશો નહીં. ચિંતામણિની પેઠે ધ્યાનમાં લેશો. એ પરમકૃપાળુ દેવ જ્ઞાનીએ ભાળ્યો. જુએ છે? તો હા. જ્ઞાની એની સાથે વાતો કરે છે. એ વાત જડની નથી. અહીં આગળ જેટલા આત્મા હોય તેટલા સાંભળો. કહેવાનું કોને ? આત્માને; જડને નહીં. મારે તેની તરવાર. એ જ કર્તવ્ય છે. “પરમકૃપાળુદેવ' જેવી તેવી વાત Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ઉપદેશામૃત છે? ઘણાં મોઢે બોલે છે : “એ શાનો પરમકૃપાળુ દેવ ?' પણ એની જે દયા વર્તે છે તે અજબગજબ છે ! પૈસાથી, સોનાથી, રૂપાથી, મહેલથી કામ થશે નહીં. ઘણાં ભવ પૈસા મળ્યા; પણ અનંતા ભવ કરવા પડ્યા-નરકમાં જઈને આવ્યો, જન્મ-જરા-મરણ કર્યા તે ભોગવતો આવ્યો. જીવ કહો કે ચેતન કહો, એને આ વાત છે : “હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું ?' આ વાત લક્ષમાં નથી. કેટલી ભૂલ છે ? આ જેવી તેવી વાત નથી. આટલો અવસર આવ્યો છે માટે વાત કહેવાય છે. આ કંઈ જેવો તેવો છે? કોઈ ભિખારીને ખાવું મળી આવે તો રાજી થાય, તેમ આ દેખાવ છે–આવું બની આવ્યું છે ! જુઓ ને બેઠા છે બધાય ! નિંદા નથી કરવી, ટક ટક સાંભળે છે. આ તો દીકરાની, બાઈની, મુકામની ફિકર; ઘન નથી એની ચિંતા. જગત આખું આશામાં છે–ભીખ, ભીખ અને ભીખ! તૃષ્ણા છે; તૃષ્ણા મટી નથી. કલ્પનાનો કોથળો ભરી બેઠો, ઇચ્છા જ કર્યા કરે છે. આ એના ઘંઘા છે ! કલ્પના, વિકલ્પ, માન-મોટાઈની ઇચ્છા; મનથી ક્રોઘ પણ આવી જાય. આપણું શું? ધિક્કાર પડ્યો! જ્ઞાનીને જુદું કહેવું છે. નાટક, સિનેમા વગેરે જોવાની રમૂજ છે એમ કરીને જોવા જાય. તેમાં તારા અવતારને ધિક્કાર પડ્યો ! કાલે ઘરડો થઈ જઈશ; કોઈ વચન સાંભળશે ય નહીં. ભૂંડું મોહે કરી નાખ્યું છે. બઘાય ઉપર મોહ; મહેલ, ઘરેણું, બાંયડી, છોકરાં ભાળે કે મોહ, મોહ ને મોહ જ ! આ બધું મેળવવાનું કરે પણ એ બધું તો ધૂળઘાણી ને રાખ પાણી! આવી ભાવનાઓ કરી અનર્થ કરી નાખ્યો. જે વસ્તુ ખરેખરી છે, જેની વાત કરવાની છે તે નહીં! વખાણ (વ્યાખ્યાન) સાંભળે માનાર્થે. સૌ માનના ભૂખ્યા. શેઠ તમે છો કે? આગળ બેસો. મોટા ખરા ને? એટલે આગળ બેસે; વાતોચીતો કરે. આ માને જ ભૂંડું કરી નાખ્યું છે, નહીં તો મોક્ષ અહીં જ છે. જ્ઞાની પુરુષોએ બહુ વાતો કરી છે. અમે બહુ વાતો કરેલી; જ્ઞાની હાથ આવી ગયેલા. આઠ નવ જણા સાધુ હતા. નાના મોટા બધા સરખા ન હોય. આ જગતમાં ચેતવાનું શું છે? કોઈને ખબર છે? શું છે? ડાહ્યા છો, કહો ને. મુમુક્ષુ–એક સમ્યગ્દર્શન કરી લેવું. પ્રભુશ્રી–ઠીક, એ. એની કોણ ના પાડી શકે? જીવને કરવાનું એ જ છે. બીજું છે શું? સાચું છે; સાચાને ખોટું કેમ કહેવું? કરવાનું એ જ છે. એના અત્યારે બહુ ભેદ પડ્યા છે. આ મેં માન્યું એ ખરું, આ નહીં. આ માન્યું એ ખરું? ઠાર ઠાર સૌ માની બેઠા. એવું થઈ ગયું છે. એની ખોજમાં કોઈ વિરલા ! તો કેમ હશે એ ? મુમુક્ષુ ઘરનું સમકિત કરવાનું નથી. ભગવાનનું હોય તે જ કામનું છે. લોકો માને, પણ અનુભવ નહીં એટલે નામ સમકિત, ભાવ સમકિત નથી. સમકિત એમ નથી. પ્રભુશ્રી—એ સુગમ છે. હમણાં આમ (દુર્ગમ) કહ્યું, અને આમ કેમ કે સુગમ છે? જ્ઞાનીનાં વચન કાઢી કેમ નંખાય? તમારી પાસે લાખો રૂપિયા હોય તોય સમકિત મળશે? ભાવ અને પરિણામથી મળશે. એ તમારી પાસે છે. નાનો મોટો જોવો નથી. ભાવ અને પરિણામમાં રહ્યું છે. એટલું તો ખરું કે કારણ વિના કાર્ય નહીં થાય-કારણ અને કાર્ય કહેવાય છે, ત્યાં થશે; નહીં તો નહીં થાય. એની ખામી છે. એ મેળવવું જોઈશે. એ શાથી મળે? પુરુષાર્થથી. Page #348 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ–૧ ૨૫૧ મુમુક્ષુદાન, શીલ, તપ, ભાવ.” પ્રભુશ્રી–પુરુષના સમાગમ થાય તે સવળું છે. જીવ મરણિયો થઈ પુરુષાર્થ કરે તો મિથ્યાત્વ જાય. પુરુષાર્થ કરે તો તેને મળે જ. કંઈ પુરુષાર્થ કરવો જોઈએ. તા.૨–૧-૩૬, સાંજના પોતાને સમજવું છે; કોઈ વાત શ્રવણ કરીને વાતનો સાર સમજવો. વાત બહુ ભારે કહી ! પછી ચિંતામણિ લાગે. અસારરૂપ સંસાર છે. તેમાં મનુષ્યભવ પામી સંસાર ડહોળી ડહોળી નરકે જાય છે ! ઘન મળે, પૈસાટકા મળે; પણ આત્મા મળવો એ ચિંતામણિ છે. પૈસાટકા મળે; પણ સાડાત્રણ હાથની જગામાં બાળી મૂકશે. પૈસો ટકો, બૈરાં છોકરાં, કોઈ સાથે જવાનું નથી. કોઈ કોઈનું નથી. છે શું? મારું ઘર? પણ તે ય રહેવાનું નથી. જે “મારું મારું કર્યું છે તે મૂકવું પડ્યું છે. સોય પણ હારે ન જાય, પૈસોટકો પડ્યો રહે. એક આ જીવને જે કર્તવ્ય છે તે સમજતો નથી. કરવાનું તો એક જ છે. મુખ્ય વાત છે : સૌની પાસે ભાવ છે. ભાવ તે સત્સંગ, સદ્ગોઘ–પાણી પીધે તરસ છીપે. ભૂખ્યો હોય તે ઘરાયો કહે; પણ કદી આત્મા ખાતો નથી, મરતો નથી, જન્મતો નથી. આત્માની ઓળખાણ કરવાની ખાસ જરૂર છે. બીજું બધું કર્યું છે; આટલું નથી કર્યું. પૂરણ ભાગ્ય હોય તો થાય. પાણીમાં ડૂબતાં ડૂબકાં માર્યા જેવું છે. આ સંસારમાં જ બૂડ્યા છે. સંસારમાંથી કોઈ નીકળે નહીં. એક જેણે ભાવના કરી છે, શરણ ગ્રહણ કર્યું છે એ જહાજ મળે તો તે પાર નીકળે. બીજું કોણ નીકળે એવું છે? કોઈ નીકળશે? (ઊઠીને જનાર સંબંઘી) મે'માન છે. ચેતી લો–બે ઘડી દહાડો છે. “વાની મારી કોયલ.” બેઠા છો એ ય બધા મેમાન. એ કંઈ જવાના અને એ ય કંઈ જશે. આ મારી મા-માસી કહેવાય છે, પણ આત્મા કોઈનો દીકરો-બાપ થયો છે? બધો મોહ છે; મમત્વ માયા છે, જૂઠું છે. તેને સાચું માની રાફડો ફૂટ્યો છે ! ટૂડહાં ફૂટ્ય દાણા ન નીકળે. પાણી વલોવે માખણ ન નીકળે. ખોટાને ખરું માન્યું છે. જે કરવાનું છે તે શું કરવાનું છે? મુમુક્ષુ-“બીજું કાંઈ શોઘ મા. માત્ર એક સપુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વલ્ય જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.” પ્રથમ સત્સંગ, શ્રવણ અને અવઘારણ કરી પરિણામ અને ભાવ કરવા જોઈએ. પ્રભુશ્રીજો જીવ પુરુષાર્થ કરે તો બઘાનો પરોગ આવી જાય. કોઈ મોટા પુરુષની કહેલી શિખામણ છે : “બીજું કાંઈ શોઘ મા. માત્ર એક પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વત્યે જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.” ખાસ લખાણ કરી રાખી મૂકવા જેવું છે. એવું કરવું જોઈએ. કોઈ તારું થવાનું નથી. માટે જીવને કરવાનું એ છે કે સત્સંગ. એના જેવી કમાણી કોઈ નથી. બે ઘડી ખોટી થાય તો એ કંઈ ગણતરીમાં નહીં. આપણે સત્સંગમાં વાત સાંભળી એમ કહે પણ એની ખબર નથી, એની કિસ્મતની ખબર નથી. જીવે બરાબર વિચાર કરવાનો છે. બીજાં કામ કરવાનાં હોય અને રૂપિયા Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ઉપદેશામૃત પચાસ કમાવાના હોય તો દોડીને જાય; પણ કાલ સવારે મરી જવું છે. ફરી ફરી આવો દાવ ક્યાં આવે ? માટે લાવ કરી લઉં એવો હજી વિચાર નથી આવ્યો. બધું ય મળ્યું છે તે કોઈ રહેવાનું નથી, જવાનું છે. જે કરવાનું છે એ ખબર નથી. અને એની કાળજી નથી; કાળજી બીજાની છે. આ તો જાણે એ કરીને બેઠો છે ! કરવાનું રહી જાય છે અને ન કરવાનું આગળ કરે છે. વેપારવણજ, છોકરાં પરણાવવાં વગેરે કરે છે. અને દોડાદોડ કરી માથું કૂટે છે ! પાણી વલોવ્યે માખણ નીકળે નહીં. મહા દુઃખ છે ! કોને કહેવું ? વાત કંઈ કહી જાય તેમ નથી. કોને કહીએ ? કોઈ આત્માર્થી હોય તો વાત થાય. આ સંબંધે જ કાળજી રાખવાની છે. રાતદિવસ જાય છે; પણ બધું અલેખામાં ! કંઈ ગણતરીમાં નથી. સત્સમાગમ થયો હોત તો ગણતરી થાત. પાંચ-પંદર મિનિટ સત્સમાગમ થાય તો ભાગ્ય ! અને કહે કે વખાણ સાંભળી આવ્યો; પણ ફૂટ માથું. કહેવાનું બીજું છે; સમજાયું નથી. અંતરમાં વિચાર કરી પકડ કરવાની છે. જો ખોટી થાય, તો થાય. આ શિખામણ છે. આટલું તો પકડ. એક હજાર રૂપિયા મેળવે પણ પાપ કરી નરક તિર્યંચગતિમાં જાય. પણ આથી તો દેવગતિ થાય; બીજી નહીં. અહીંથી છૂટ્યા એટલી વાર ! રમવાનું છે એ ન ૨મવું? કરવાનું છે એ ન કરવું? હું કરીશ એમ કહે; પણ એ તો તારી મોકાણ ! અવસ૨ ગયો એટલે થઈ રહ્યું ! મઘાનાં પાણી વરસે છે, વાસણ હતાં તેણે ભરી લીધાં. તે જ પીવે. મઘાનાં પાણી મીઠાં, રોગ ન થાય, સારું થાય; તેમ જીવે કર્યું નથી; તે કર્તવ્ય છે. આ આને માટે, આને માટે એમ નથી; આત્માને જ માટે છે. ‘ચેત ભરત, ચેત !'' એમ કહેતા હતા, તેમ ચેતવાનું છે. એક ફક્ત ભાવ. અહીં પાંચ મિનિટ બેઠા તેમાં પૈસોટકો આપ્યો કે લો, લઈ જાવ આટલા ? માત્ર કોઈ એક વાત આત્માના હિતની ગ્રહણ થઈ ગઈ તો તેનું કામ થાય. આ વાત સારી થઈ ગઈ છે. “આપણે ફલાણું કરવું છે હોં,” આમ આ જીવે હજારો બીજાં કામ કર્યાં છે; પણ આ (સત્સંગ) કરશે તો દેવની ગતિ થશે. નહીં તો પછી ધૂળ ફાક, ધુમાડાના બાચકા ભર ! આ તો તારું કામ થશે; અવતાર સફળ થશે. ‘મનખા દેહનું ટાણું રે ફરી ફરી નહીં મળે.' માટે ચેત. જે મારે એની તરવાર; કરે એના બાપનું. જો તારા ભાવ ! તને આત્માની દયા આવતી હોય તો કરી લે. ફરી ફરી અવસર નહીં મળે. સમજ્યા ? સમજવા જેવું છે. સહુ વાત કરે છે : “હદ વાત કહી !’’ પણ ‘તુંબડીમાં કાંકરા.’ આ વાત કીધી તે કોનાથી સમજાય ? વાત ચમત્કારી છે ! આનો ખપી કોણ છે ? ‘અસંગ, નિર્મોહ’આ વાતો કદી સાંભળી નથી. મોઢે બડબડ બોલે પણ તેથી કંઈ કલ્યાણ થાય ? કલ્યાણ તો સમજ્યું, પકડચે, ભાવ્યે થાય છે. ભાવ “ભાવે જિનવર પૂજિયે, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળજ્ઞાન,’’ કંઈ આવું કોઈ ઠેકાણે છે ? કોઈને સો-પાંચસો રૂપિયા આપ્યું કોઈ આપશે ? આ કેવી વસ્તુ છે ? આટલા મનુષ્ય ભવનું ટાણું, લાગ ઘણો જબરો છે. ઘણા દિવસે આ વાત સાંભળી, તે ગાળ ભાંડી કંઈ ? વાત કીધી તો સાચી કીધી. પકડ થાય તો કામ કાઢી નાખે. અહીં પુણ્યશાળી જીવ આવે છે, લક્ષ રાખે છે, લક્ષ છોડતા પણ નથી. છોકરા છોકરી હોય તોય શું Page #350 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૧ ૨૫૩ તે ન હોય તોય શું? માત્ર એક મનુષ્યભવ મળ્યો એટલે એને સત્સમાગમમાં વાપરવો છે. જો સત્સંગની પકડ થઈ ગઈ તો દેવની ગતિ થઈ જાય. એવી કોઈ વાત છે? જેણે જાણ્યો આત્મા તે કરી શકે. કોને આત્માની ખબર છે? “જ્યાં લગી આતમા તત્ત્વ ચિન્યો નહીં, ત્યાં લગી સાઘના સર્વ જૂઠી.” “જિહાં લગે આતમ દ્રવ્યનું, લક્ષણ નવિ જાણ્યું; તિહાં લગે ગુણઠાણું ભલું, કેમ આવે તાણ્યું ?' બધુંય એના હાથમાં છે; એ કરે તે થાય. આસ્રવમાં સંવર અને સંવરમાં આસ્રવ કરે. બાંધે એને બાંધે અને છોડે એને છોડે. જેણે જાણ્યો આત્મા, તેને પછી પંચાત શાની? સર્વ મૂકવું છે. આ મારું રહેલું છે એમ ક્યાં છે? પ્રમાદે આળસે બધું ખોયું છે. આત્માની સંભાળ કોણે લીધી છે? તેની ગણતરી નથી ત્યારે માથું ફોડ ! જવા દે, દીકરો થઈને ખવાય. “મારા બાપની બૈરી, પાણી પા' એમ કહે તો ન પાય; પણ “માજી, પાણી પાઓ” એમ કહે તો પાય. માટે આ જીવને ચેતવા જેવું છે. વાત અમૂલ્ય ચમત્કારી છે ! અર્થ સાંભળ્યા નથી. સત્સંગ તો અમૃત છે! જેનાં ભાગ્ય હશે તે સમજશે. શું કરવું તેની ય ખબર નથી. શું કરવું? કહો. ૧. મુમુક્ષુ–સુગુરુની તબ્બયનસેવા કામવમવંડ પ્રભુશ્રી તુંબડીમાં કાંકરા ! મોઢે બોલી ગયા એટલું; અર્થની ખબર નથી. એની કાળજી ક્યાં છે? હૈયાં-છોકરાંની કાળજી? એની કાળજી નથી લીધી. છોકરું માંદું હોય તો ડૉક્ટર પાસે દોડે, પાંચ-પચાસ રૂપિયા ખર્ચ પણ આત્મા વિષે નથી કર્યું. “હું કોણ છું? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું?” જેવા ભાવ તેવા પ્રભુ ફળે. જેવો ભાવ કરે તેવું ફળ મળે. ભાવ બાહ્ય એટલે શું મળે? ચેત, સમજ્યો ત્યાંથી સવાર. કરી લે. આવો અવસર ક્યાંથી આવશે? કંઈક કરી લેવું. કરે એના બાપનું. થોડામાં ઘણું : સત્સંગ કરવો. એ ભૂલવો નહીં. એમાં લાભ છે. થોડો કર્યો હશે, તોપણ એનું ફળ મળશે. સાર લેવો. હિત હોય તે કરવું. મનુષ્યભવમાં લક્ષ લેવો. મનુષ્ય ભવ પામી સત્સંગ, જેથી આત્માનું હિત થતું હોય તેવો કરવો. જીવને ખબર નથી. કામ થઈ જાય તેવું છે. આ જેવી તેવી વાતો નથી. મનુષ્યભવ હોય તો સાંભળે, કાગડા-કૂતરા સાંભળે? બીજા ભવ હોય તો સાંભળે ? એક ફક્ત ગફલત અને પ્રમાદે ભૂંડું કર્યું. બીજું કરે છે પણ ઘર્મને માટે નહીં કરે. તેમાં પ્રમાદ આળસ થાય છે. ૨. મુમુક્ષુ–જીવ વહેલો મોક્ષે શી રીતે જાય? પ્રભુશ્રી–પ્રશ્ન જબરો છે! માહિત થવાનું છે. વહેલો મોક્ષ કેમ થાય ? ૩. મુમુક્ષુ–અમેરિકા જવા માટે વિમાનમાં બેસે તો ઝટ જાય. તેવી રીતે સપુરુષાર્થરૂપ વિમાનમાં બેસે અને ગુરુ અનુકૂળ થાય તો જલદી પહોંચે. પ્રભુશ્રી–પ્રથમ સંસાર મૂકે તો રસ્તો વહેલો આવી જાય. પહેલા માહિત થવું. ગાડીમાં બેસીને જવાશે, વિમાનમાં બેસીને જવાશે, એ બઘી વાતો કરીએ છીએ. એ એવું નથી. આ મોક્ષ કેવો છે તે ખબર છે? વાતે વડાં ન થાય. ૧. સદ્ગુરુનો યોગ, તેમનાં વચન અને સેવા ભવપર્યત અખંડ મને હો ! Page #351 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ઉપદેશામૃત ‘સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો ? સમજ્યું જિનસ્વરૂપ.’' સમજ્યું છૂટકો છે. પહેલું શ્રવણ કરાશે; પછી કરવાનું છે. સૌ જાણે ત્યારે માલ લે છે ને ? વગર જાણ્યે ઘબધબ કોઈ લે છે ? આ વાત તો પોતાને ‘અસંગ, અપ્રતિબંધ' શ્રવણ કર્યે થશે. પહેલાં ‘એકડે એક' એમ ભણે છે. ભણ્યા વગર કહે કે વાંચ, શું વાંચે ? જીવને તેમ અવશ્ય જાણવાનું છે. આ મારો દીકરો, બાપ, બાયડી, દેહ. એ કોણ કરે છે ? ભાવ કરે છે : આ મારું, મારું ઘર, એ બધું. બંધ અને મોક્ષ એ બે વાત છે. વાત પહેલી બંઘ. ‘સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્સાઘન સમજ્યો નહીં, ત્યાં બંઘન શું જાય ?'' વીસ દોહા, ક્ષમાપનાનો પાઠ એ મહા મંત્ર છે ! તાલપુટ વિષ ઉતારે એવો મહા મંત્ર છે ! જો એનો ભેદી મળે અને માહિત થાય તો બધું થાય. જીવને, શ્રવણ કરે તો વિજ્ઞાનપણું આવે. તેમ શ્રવણ કરવાથી ખબર પડે. તેથી કર્મ મૂકીને મોક્ષ થાય. આપણા બાપદાદા કરતા આવ્યા છે તે કંઈ મૂકીએ ? તો કે તેમાં ધૂળ પડી ! કરવાનું છે તે કર્યું નથી. પુરુષ, સ્ત્રી એ કોણ છે ? આત્મા છે. આત્મા પુરુષ, સ્ત્રી, ઢોર નથી; એ બધાં વળગણ છે, એ તો મૂકવાનાં છે. માત્ર એક આત્મા જ છે. આ ઠપકો નથી, પણ શિખામણ છે. વીસ દોહા અને ક્ષમાપનાનો પાઠ કરવા જેવા છે. પત્રાંક ૧૮૭ નું વાંચન :– “છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી. જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. સર્વ પ્રકારનો એક દેશ બાદ કરતાં બાકી સર્વ અનુભવાયું છે. એક દેશ સમજાયા વિના રહ્યો નથી; પરંતુ યોગ (મન, વચન, કાયા) થી અસંગ થવા વનવાસની આવશ્યકતા છે; અને એમ થયે એ દેશ અનુભવાશે, અર્થાત્ તેમાં જ રહેવાશે...'' તા.૨૮-૧-૩૬, સવારના વાત વસ્તુતઃ એક સત્ છે અને એક પર છે. પરને બાદ કરતાં સત્ન લીધું એટલે કંઈ બાકી રહ્યું નથી. જાણ્યું તો ખરું પણ અહીં કહેવું શું છે ? ‘એક દેશ સમજાયા વિના રહ્યો નથી’ શું કહ્યું ? એણે તો મૂક્યું છે. શું મૂક્યું? તો પર. પોતાનું મૂક્યું નથી અને મુકાય પણ નહીં. એણે કહ્યું છે અસંગ, ત્યાં હવે સંગવાળો કેમ કહેવાય ? કોઈ પ્રકારે કહેવાય તરતમતાએ. પ્રજ્ઞામાં કચાશ છે એટલે બધું ન સમજાય. પણ મૂળ વાત તો એમ છે કે જાણનાર છે તે જાણે છે. તેનો જાણનાર છે. આત્માને જાણનાર જ્ઞાન છે. જાણે છે તે જાણે છે. પણ જડ નહીં જાણે—સૂઝે એમ કરો, કૂંચીઓ મેળવો, બોલાવો, જંતર મૂકો પણ એ જાણે નહીં અને જુએ ય નહીં. ભેદનો ભેદ શું એ જાણવું છે અને તેને તે જ જાણે છે. જેને જાણવું છે તેન જાણે છે એવું છે કંઈ ? સિદ્ધમાં કહો, બીજી ચોરાશી લાખ જીવયોનિમાં કહો પણ તે જાણનાર તો છે જ. તે જાણે, બીજો કોઈ ન Page #352 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૧ ૨૫૫ જાણે. એની ખામી કેટલી કહેવાય? તો યોગ્યતાની યોગ્યતા આવી તો સમજાશે. સ્યાદ્વાદ માર્ગ છે. વચન આત્મા, કાયા આત્મા, મન આત્મા એમ કહીએ અને ન ય કહીએ. એકને સમજાય અને એકને ના સમજાય, તે યોગ્યતાની ખામી છે. કોઈ સમજે, કોઈ ન સમજે તેનું કારણ એ છે. જેને છે એને છે, બીજાને નથી. ઘણા, આત્મા છે અને નથી માનતા, આ દેહને લઈને આત્મા છે એમ કહે છે, જેમ ખુશીમાં આવે એમ બોલે છે. [ચર્ચા ચાલી] વાત બહુ રૂડી કીધી, જરાય વિચાર્યું નથી. શું આપે કહ્યું તે જરા જાણવું છે. મુમુક્ષુ–આત્માનું કર્તાપદ ત્રણ પ્રકારે : “પરમાર્થથી સ્વભાવ-પરિણતિએ નિજસ્વરૂપનો કર્તા છે. અનુપચરિત એટલે અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંઘ સહિત વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. ઉપચારથી ઘર-નગર આદિનો કર્તા છે.” હવે એ નિજસ્વરૂપનો આત્મા કર્તા થયો તો પરસ્વરૂપનો કર્તા નથી તેથી પૂર્વે બાંધેલું નિર્જરી જાય છે. હવે બીજી ઇચ્છા શી ? પણ એમ જ બન્યું જાય. પ્રભુશ્રી–જેમ ઝાડને પહેલાં પાણી પાય છે ત્યારે ફળ મળે. આટલું તો પહેલું કરવું પડશે. વાત પરમાર્થ કીધો તે છે; વાત તેથી ચાલી છે. શરૂઆતમાં એ ન હોય તો કંઈ નથી. જડને કંઈ કહેવાશે? ચેતનને કહેવાશે. કોણ છે? આત્મા છે. આમાં ફેર ન રહે. એનું ભાન અને ઓળખાણ નથી એટલી ભૂલ છે. મુમુક્ષુ- “ચેતન જો નિજભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ.” પ્રભુશ્રી–આટલું જ છે એવું જાણવું જોઈશે. એટલે આવ્યો જોઈશે. આવ્યા વગર શી રીતે જોવાય ? આટલા ઉપર બેઠા હતા તેનાથી જોવાયું, હેઠળવાળાને શી રીતે દેખાય? મુમુક્ષુ–ઉપર આવવું તો છે, પણ છાતી ઉપર પડેલું ખસતું નથી. પ્રભુશ્રી–જે દી તે દી ખસેડ્યા વગર છૂટકો છે ? એ મળવું જોઈએ. જો એ ખસેડનાર મળ્યો હોય તો દીવો; વાર નહીં. એ કંઈક ખામી છે. એથી આ અટક્યું છે. એ મેળવે ત્યારે થશે, નહીં તો કોઈ ઉપાય નથી. એનો ઉપાય શો ? મુમુક્ષુ–સત્સંગ અને સપુરુષનો યોગ વારંવાર કરવો એટલે સપુરુષાર્થ કરવો. પ્રભુશ્રી–આ વાત એક નય અપેક્ષાએ હા કહેવી પડશે. પણ જીવે અનંતી વાર આ બધું કર્યું, પણ કંઈક બાકી રહ્યું છે. એટલે તમારી વાત નીકળી ગઈ–બરાબર ખામી છે. એ તો વાત પ્રત્યક્ષની સાંભળેલી, અનુભવમાં આવેલી કહેવાય છે. આ બેઠેલા છે તેમણે ઓરા આવવાની જરૂર છે. મરણિયો થવું પડશે. એક મરણિયો સોને ભારે. “માથું વાઢે તે માલ કાઢે.' મુમુક્ષુ-“સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે.” એટલે સમીપ તો આવવું જ પડશે. Page #353 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત પ્રભુશ્રી—વાત તો એ જ કરવી છે. બીજે પગલું દેવાની જરૂર કયાં છે ? બીજે પગ મૂકવાની જરૂર શી છે ? બીજે દૃષ્ટિ મૂકવાની શી જરૂર છે ? જે છે તે છે. જાણ્યો છે આત્મા તે જ ભેદ પડ્યો છે. આ બીજું બધું જોવાય તેમાં ભેદ પડ્યો. આ દૃષ્ટિ નહીં. દૃષ્ટિ ફેરવવી પડે તેની ખબર નથી. એટલું આવી જાય તો એનું બળ કેટલું વધી પડે ? તો બાકી નહીં. અને આમ કર્યું તો નફો મળે ફરી ગયું! બધું હતું તે ફરી ગયું ! સમજણ પડે ત્યાં સમકિત કહેવાય; ફરી ન ગયું તો સકિત શાનું ? આમ બંધાતું હોય તો ફર્યું ન કહેવાય. અને સમિકતીને ભેદ પડ્યો છે તે અન્ય ભાવમાં ન ભળે એવું પ્રગટ જોઈએ છીએ, એમ સમજાય છે, એ જ કર્તવ્ય છે. જ્ઞાની છે. લેવા જવા નથી. એ જ જણાવશે. આટલા બધા તમે બેઠા છો અને જગતમાં બીજા ઘણા બેઠા છે – કેવા કેવા પૈસાવાળા, હોશિયાર; પણ કંઈ ને કંઈ મગન હોય છે ! એને કંઈ લેશ ખબર છે ? અને તમને આ વાત ! કામ થશે. એક જરા દૃષ્ટિ નાખેલી છે તેથી તેમને લાભ થાય. કંઈક વાત કરી, ભાગીઓ કર્યો એટલે રિદ્ધિ આવ્યા જ કરે. વસ્તુ તો એ જ છે; એ જ કરવું છે; એ જ રમવું છે; એ જ કરાવવું છે. “એ સુણ્યે અને એ ધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે–'' બીજું શું કહેવું? વાતે વડાં કરવાં નથી. નાનો મોટો કોઈ નથી. જવા દો. એ બધા મરવાના અહંકાર છે ! એ બધું ઝેર છે. મરી જવાના ! ૨૫૬ “ધરમ ઘરમ કરતો જગ સહુ ફિરે, ધરમ ન જાણે હો મર્મ, જિનેસ૨; ઘર્મ જિનેસર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હો કર્મ, જિનેસર.’’ આટલા જ અક્ષરમાં સમજો. પછી કર્મ ન બાંધે. વાત તમોને કરી કે ફલાણી વસ્તુ; ભાળો તો તરત જ ખબર પડે. સોનું તે સોનું જ છે. શુદ્ધ સ્વરૂપ! એ જ સમજવાનું છે, અને એ જ કર્તવ્ય છે. કરવું એ જ છે. બીજું હવે નથી. માયાથી રાચવું નહીં, રાજી થવું નહીં અને માનવું ય નહીં. દહાડા જાય છે પણ એનાથી જે દી તે દી થશે. એ વગર કંઈ કરવું નથી. Page #354 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૨ ✩ તા. ૨૬-૬-૧૯૨૨ ગમે તેવો પ્રતિબંધ હોય, મરણ સમાન વેદના હોય, ગમે તેવા માયાના ફંદમાં ફસાઈ જવાનું બને, પણ આત્મહિત કદી ન વીસરવું. આ ડોસા સંદેશરથી રોજ આવી શકે છે, તો પાસે રહેનારે આ અમૂલ્ય લાભ આટલા જીવનમાં જેટલો લઈ લેવાય તેટલો ફાકોમૂઠી લઈ લેવો. હાથ જોડીને કહું છું કે આ એકાંતે નથી. સ્યાદ્વાદ વાણીને કોણ સમજશે ? સમજાય ન સમજાય તો પણ હિતકારી છે. આ અમૂલ્ય અવસરે તમ સર્વેના કર્મનાં દળિયાં સત્પુરુષની કૃપાથી ખંખેરાય છે. જીવે દોડ કરતાં અટકવું અને પાછા વળીને જે જે પ્રારબ્ધ આવી બન્યું હોય તેથી કંટાળ્યા વિના સંજોગોમાંથી સાર ગ્રહવો. એક ગંધાતું કૂતરું રાજમાર્ગ પાસે પડેલું તેની દુર્ગંધથી બધી સેના કંટાળી ગઈ, પણ શ્રીકૃષ્ણે તો હાથી પરથી ઊતરી તપાસીને જોયું. તેના દાંત અને નખ કેવા સાબૂત છે ! એમ કહી ગુણ ગ્રહ્યો. આ તો લૌકિક વાત છે; પણ પરમાર્થે આ દેહ તેવો જ ગંધાતો છે. તેમાં નિત્ય કાયમ રહેનાર તત્ત્વ તો આત્મા છે તેના ગુણ ગ્રહવા યોગ્ય છે; તેને પિછાનવો. સત્પુરુષનું શરણ સ્વીકારી અહંકાર તજતા જવો અને કાર્ય કર્યે જતાં ‘સહજાત્મસ્વરૂપ'નો જાપ જપ્યા કરવો. એ રીતે આસ્રવનો સંવર થઈ જશે. મહાત્મા પુરુષના બાહ્ય દેખાવ ચેષ્ટા તરફ લક્ષ ન આપતાં તેમના આત્માની ચેષ્ટા તરફ લક્ષ આપવો. જ્ઞાની અને અજ્ઞાનીનાં કાર્યોમાં ભેદ વાસનાક્ષયનો છે. અંતરની વાસનાનું મૂળિયું જ્ઞાનીએ ક્ષય કરેલું છે. તે દૃષ્ટિ ભૂલી ન જવી. વળી બધા સત્પુરુષ સરખા ગણી ગુરુભાવના ગૌણ ન કરવી; પણ તેમાં દૃઢતા જ કરવી. એક જણના ઉપદેશથી આત્મહિત સઘાયું છે, સઘાય છે અને સધાશે. એવી દૃઢ માન્યતા રાખવાથી આ ભવ સફળ થશે. આખા જગતના તરફ શિષ્યભાવ રાખવા જતાં મૂળ જે નિમિત્ત દ્વારા આત્મહિત ત્વરાથી થતું હોય તે અને જે જીવન સદ્ગુરુને અર્પણ થયું છે તે નિરર્થક ફાંફાં મારવામાં વ્યર્થ ન જતું રહે તે ધ્યાન રાખવા યોગ્ય છે. ⭑ ⭑ ⭑ 17 ૨૫૭ તા. ૨૩-૭-૨૨ બહુ દોડ કરવામાં ધર્મ નથી તેમજ બહુ ઢીલ કરવામાં પણ નથી; માર્ગ મધ્યસ્થતાનો છે. * Page #355 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ઉપદેશામૃત તા. ૬-૯-૨૨ આ અવસર ચૂકવા જેવો નથી. પરમ દુર્લભ માનવ દેહ અને આવી જોગવાઈ મળવી સહેલ નથી. મહા પુણ્યના ભોગે જે લાભ પ્રાપ્ત થયો છે તે ન ચૂકવો. આટલો મનુષ્યભવ એ (ભક્તિ) ખાતે જ ગાળવો. जे एगं जाणइ से सव्वं जाणइ, जे सव्वं जाणइ से एगं जाणइ । (આચારાંગ ૪, ૧૨૩) એ વાક્ય કેટલું બધું કિંમતી છે ! તેમાં સર્વ શાસ્ત્રોનો સાર સમાયો છે, તે કહી શકાય તેમ નથી. તેનો અર્થ કર્યો એટલે આવડી ગયું એમ માને છે; પણ તે મિથ્યા છે. તે નહીં, અનુભવવું એ જ ખરું છે. સૌ સૌના ક્ષયોપશમ પ્રમાણે સમજે; પણ જેની ઇંદ્રિયો વિષયવ્યાપાર તજી એક જ આત્મા તરફ વળી છે તેને તેમાં પરમ અદ્ભત રહસ્ય-ચમત્કારી વાતો જણાય છે. આપ સ્વભાવમેં રે ! અબધુ સદા મગનમેં રહેના.” [ભક્તિમાં ગાયેલું પદ]. અબઘુ' એ આત્મા. હીરા, માણેક, મોતી, પૈસા બોલાવે ત્યારે આ જીવ દોડી દોડીને જાય છે; પણ આત્મા આત્માને ઉદ્દેશીને જે બૂમ મારે છે તે ધ્યાનમાં લેતો નથી, “નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે; એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે.” આત્માનું લક્ષણ—જાણવું, દેખવું ને સ્થિર થવું તે–નિરંતર સ્મરણમાં, અનુભવમાં રાખવું. પછી ભલેને મરણ સમયની વેદના આવી પડી હોય, પણ “જાણું દેખું તે હું'; બીજું તો જાય છે. ચાહીને તેને હાથ જોડી અતિથિ પેઠે વિદાય થતું જ જોવાનું માત્ર છે. તેમાં આત્માને કંઈ વળગે તેમ નથી–નહીં લેવા કે દેવા ! જે જે ઉદય દેખાય છે તે જવાને વાસ્ત–આવ્યું કે ચાલ્યું. વજતાળાં વાસીને કહેવું કે જે આવવું હોય તે આવોને-મરણ આવો, અશાતા આવો, સુખ આવો, દુઃખ આવો, ચાહે તે આવો; પણ તે મારો ધર્મ નથી. મારો ઘર્મ તો જાણવું, દેખવું અને સ્થિર થવું એ જ છે. બીજું બધું પુદ્ગલ, પુદ્ગલ અને પુદ્ગલ. ચકરી ચઢે, બેભાન થઈ જવાય અને શ્વાસ ચઢે એ બધું દેહથી જુદા થઈને બેઠા બેઠા જોવાની મજા પડે છે. | પ્રિભુશ્રીને તે અરસામાં ચક્કર, મૂર્છા આવતાં] જાગૃત, જાગૃત, ને જાગૃત રહેવું. હાય ! હાય ! હવે મરી જવાશે; આ તે કેમ સહેવાય ? એવું એવું મનમાં ન આવવું જોઈએ. વસ્તુ જાણ્યા પછી ભૂલી કેમ જવાય ? દેહ તે હું નહીં, એ નિશ્ચય થઈ જવો જોઈએ. આગળ ઘણા એવા થઈ ગયા છે જેમને ઘાણીમાં ઘાલી પીલેલા, પણ તેમનું ચિત્ત વિભાવમાં નહીં ગયેલું. સંજોગ, સંજોગ અને સંજોગ ! તે સિવાય આપણી આજુબાજુ શું છે ? પહેરેલાં કપડા, માણસો, સુખદુઃખ, વગેરે સંયોગવશાત્ પ્રાપ્ત થયાં અને તેનો નાશ થતો કે તે દૂર થતાં જણાય છે. કોણ કોની સાથે અંતે આવે છે? સર્વથી ઉદાસપણે વ્યવહાર કરવો. Page #356 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૨ ૨૫૯ પણ આ તો અક્કડ ઊભા રહેવું છે ! સંસાર ભોગવવો છે અને મોક્ષ મેળવવો છે, તે તો ત્રિકાળ નહીં બને. માર્ગ એક જ છે. જ્યારે ત્યારે તે જ માર્ગ મોક્ષ મળશે. “મારું મારું' કરતાં તો મરી જવાનું છે. જોતાં ઝેર છે, માથે મરણ છે, પગ મૂકતાં પાપ છે; પણ દીનબંધુની મહેરનજરથી સ સવળાં વાનાં છે. સદા “ઊણો, ઊણો ને ઊણો' એવી ભાવના રાખવી. અહંકાર તો મારી નાખે એવો છે. અમે “સહજાન્મસ્વરૂપ પરમગુરુ' મંત્રના જાપની રાત ને દિવસ ધૂન લગાવેલી, પણ વિકલ્પ ઊઠે કે “હજી કેમ કંઈ જણાતું નથી? આત્મા હોય તો કંઈક દેખાય ને ?' પણ અરૂપી આત્મા દેખાય? પછી કૃપાળુદેવને વાત કરી કે મંત્રનો જાપ ખૂબ કર્યો પણ તમે કહો છો તેવું કેમ કંઈ જણાતું નથી ? “કંઈ નહીં, હજી જારી રાખો.” એવો જવાબ મળ્યો. આ જડ જેવા દેખાતા દેહમાં ચેતન જણાય છે પણ વિશ્વાસ અને વૃઢતાથી ગુરુઆજ્ઞાનું પાલન કરવું અને જોવા કરવાની ઇચ્છા પણ ન રાખવી. યોગમાં તો માત્ર શ્વાસ સૂક્ષ્મ થાય છે. જ્ઞાનીએ આત્મા જાણ્યો છે તે જ મારે માન્ય છે, એવી શ્રદ્ધા જ કામ કાઢી નાખે છે. મુમુક્ષુ–અહીં બેઠાં છે તેમનું તો કલ્યાણ થશે ને? પ્રભુશ્રી–ગોશાળા જેવાને, વિષમભાવ ઘારીને આવેલાને જ્ઞાની પુરુષની પ્રતીતિ થતાં મોક્ષ મળ્યો તો (બઘા તરફ આંગળી કરીને) આ બિચારા જીવોએ શો દોષ કર્યો છે? પણ આવું જાણવું એ આત્મહિત નથી; અહંકાર આવી જાય. સુખદુઃખ તો જ્ઞાની, અજ્ઞાની બન્નેને કર્મવશાત્ ભોગવવાં પડે; પણ દ્રષ્ટિ જ બદલવાની જરૂર છે. સર્વ સવળું કરી લેવું. “આપ સ્વભાવમાં રે ! અબઘુ સદા મગનમેં રહેના.” શાંતિપૂર્વક નિશ્ચિતપણે “સહજાત્મસ્વરૂપ પરમગુરુ'ના જાપમાં કાળ વ્યતીત કરવો. તેથી નિર્જરા થાય. * * તા. ૯-૨૨, પર્યુષણ પર્વ. ત્યાગ, ત્યાગ અને ત્યાગ. “શ્રદ્ધા, સતુશ્રદ્ધા, શાશ્વતશ્રદ્ધા.” “સદ્ધ પરમ સુન્ઝહી' એ મહાવીર સ્વામીનું પરમ વિચારણીય વાક્ય છે. આવતા પર્યુષણ સુધી વિચારવું. તા. ૨૧-૯-૨૨ “દુર્જનનો ભંભેર્યો મારો નાથ છે; ઓળવશે નહીં ક્યારે કીથી ચાકરી રે લોલ.” [સ્તવનમાં ગવાયું પ્રભુશ્રી–એનો શો પરમાર્થ હશે? ૧. મુમુક્ષુબરીઝયો સાહેબ સંગ ન પરિહરે રે !' એક વાર કૃપા થઈ હોય તો પછી કોઈ દોષ થઈ જાય પણ કરેલી ચાકરી ભૂલી જાય નહીં. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ઉપદેશામૃત પ્રભુશ્રી–બરાબર છે ભાઈનું કહેવું. તમે કહેશો? ૨. મુમુક્ષુ–સપુરુષ કરેલી સેવા વિસરતા નથી અને કોઈનું કહ્યું સાંભળતા નથી. પ્રભુશ્રી–દુર્જનનો ભંભેર્યો એ તમારા વિચારમાં શું આવે છે? ૩. મુમુક્ષુ–કામ, ક્રોધ, માન વગેરે દુર્જન, તેથી આત્મા ઘેરાયો છે; પણ સત્પષની ચાકરી કરી હોય તો રખડવાનું રહે નહીં. પ્રભુશ્રી–બઘાનું કહેવું કાંઈ ખોટું નથી.–સર્વ નય સાચા છે. આપણે તો સવળું લેવું છે, પછી શું? આ કાયા એ જ દુર્જન છે. કેટલાય ભવ થઈ ગયા પણ આત્માને ઓળખાણ થયું નહીં. દેહના ઘર્મ તો જ્ઞાની અને અજ્ઞાની બન્નેને હોય છે, પણ અંતરની ચર્યાથી જ જ્ઞાની ઓળખાય છે, બાકી બહારથી કશો ફેર ન હોય. શરીર સારું હોય ત્યારે તો કંઈ નહીં, પણ મરણ વખતની વ્યાધિ અને પીડા વખતે જ્ઞાની અને અજ્ઞાનીની પરીક્ષા થાય છે. જીવ ઘણાં વલખાં મારે છે; આવો રૂડો પાંચ ઇન્દ્રિયોવાળો દેહ છોડી તેને જવું પાલવતું નથી. “મારું મારું' કરી જેમાં જેમાં રાચી રહ્યો હોય છે તે બધું તે વખતે આડે આવે છે, અને જ્ઞાનીને તો કંઈ તેમાં સાર જણાયો જ નથી હોતો, તેથી તેને તજતાં શી વાર? કૃપાળુદેવને સૂકો રોગ હતો. તે તો બઘા સમજો છો. કેટલાકને મરણ વખતે ઝાડો થઈ જાય છે, કેટલાકની આંખો ફાટી જાય છે; કેટલાકનો શ્વાસ રૂંઘાય છે; કોઈને સન્નિપાત થાય છે, પણ તે બઘી બાહ્ય ચેષ્ટાઓ છે. શ્વાસ ચાલે ત્યારે કેમ થાય છે તે અમને અનુભવ છે. તે વખતે તો બીજું કંઈ સૂઝે નહીં. પણ જ્ઞાનીને ત્યાં સમતા હોય છે. કૃપાળુદેવે તેમના ભાઈને કહ્યું, “મનસુખ, માતપિતાની સેવા કરજે. હવે હું સમાધિ લઉં છું' કહી પાસું ફેરવ્યું. આવા મરણના પ્રસંગે, પહેલેથી સમતા સાચવી હોય તે જ તે વખતે સ્થિર રહી શકે. જરા પણ માયા રાખી હોય તો તેની અસર કેવી થાય? એક મહારાજ કથા કરતા તે સાંભળી બઘા દિંગ થઈ જતા. સત્ય સંબંધી બોલવાનું આવે તો અસત્યની ધૂળ કાઢી નાખે. બ્રહ્મચર્ય સંબંધી બોલે તો બેઘડક ગર્જી ઊઠે. અહિંસામાં પણ એવી સૂક્ષ્મતા અને દયાભાવ દર્શાવી શકે કે બઘા વ્યાખ્યાન થઈ રહ્યા પછી કહે, “ઘન્ય ! મહારાજ, આજે તો ખૂબ કરી !” પણ પરિગ્રહ સંબંઘી બોલતાં મોળા પડી જતા. તે ઉપરથી એક શિષ્ય વિચાર્યું કે “આમ કેમ થાય છે? લાવને, તેમની ગાદી કે ગંડળિયો (ઝોયણી) જોઉં.' તેથી જ્યારે તે ઝાડે ફરવા બહાર ગયા ત્યારે તેમનો ગંડળિયો ખીંટીથી ઉતારી અંદર તપાસી જોયું પણ કંઈ જડ્યું નહીં. પછી ઓશીકાં તપાસ્યાં તો એક સોના મહોર ચીંથરે બાંધીને સંતાડેલી દીઠી. તેથી તેને ખાતરી થઈ કે આ વસ્તુ જ તેમને પરિગ્રહ સંબંધી બોલવા નથી દેતી. તેથી તે કાઢી લઈને ઓશીકું બાંધી દીધું અને જતો રહ્યો. પછી મહારાજ આવીને બેઠા તો ઓશીકું કોઈએ બાંધ્યું હોય તેવું જણાયું, તેથી છોડી જોયું તો મહોર ન દીઠી. પણ જ્ઞાની એટલે સમજી ગયા કે ઠીક થયું, બલા ગઈ! –ત્યાં ને ત્યાં જીવ રહેતો હતો; તે હવે લપ મટી. બીજે દિવસે પરિગ્રહ ઉપર બોલતાં જરા પણ આંચકો આવ્યો નહીં, અને બધાંને ઘણો આનંદ થયો. Page #358 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૨ ૨૬૧ પછી બઘા જતા રહ્યા, પણ પેલો મહોરવાળો શિષ્ય બેસી રહ્યો. તેણે કહ્યું, “મહારાજ, આજ તો પરિગ્રહ ઉપર હદ કરી !” એટલે મહારાજ સમજી ગયા; અને હસીને કહ્યું “તારાં જ કામ લાગે છે ! બહુ સારું કર્યું.” તા. ૨૨-૯-૨૨ “ગુરુ દીવો, ગુરુ દેવતા, (ગુરુ) રવિશશી કિરણ હજાર; જે ગુરુવાણી વેગળા, રડવડિયા સંસાર.” જ્ઞાનદીપક થતાં અંઘકાર ક્યાં ઊભો રહે? જેના વડે જોઈ શકાય તે દેવતા– સ્વર્ગીય કહો તો પણ દેવ છે; અને જેમાં તદ્રુપ કરવાનો ગુણ છે તે દેવતા, અગ્નિ ગણીએ તોપણ બરાબર છે. લીલાંસૂકાં ગમે તેવાં લાકડાં, લોઢું વગેરેને પોતાના જેવા અગ્નિ કરી દે છે, તેમ ગુરુ પણ આત્મામય બનાવે છે, મોક્ષ અપાવે છે. સમકિત પ્રગટ્યા પછી મોક્ષે ન જવું હોય તોપણ તે લઈ જ જાય છે. રવિનાં અનંત કિરણોથી અંઘકારનો નાશ થાય છે, તેમ સદ્ગુરુની અનંત શક્તિથી સર્વ દોષ દૂર થાય છે. જેના પ્રકાશ વડે આંખો દેખી શકે છે તેવા સૂર્ય સમાન પ્રભાવશાળી સદ્ગુરુ છે; વળી સંસારતાપમાં શીતળતા આપનાર શશી સમાન પણ સદ્ગુરુ છે. વાત ઘણી ઝીણી છે–કેમ સમજાય છે ને? પણ આત્માને હિતકારી છે. તા. ૨૨-૯-૨૨ એક વખત ખંભાત અંબાલાલભાઈની ખડકીને મેડે કૃપાળુદેવને મેં કહ્યું “મેં બે સ્ત્રીઓ, બે છોકરાં, સાહ્યબી વગેરે તર્યું તો હું ત્યાગી નહીં? હવે, મારે શું ત્યાગવાનું રહ્યું છે?” પછી કૃપાળુદેવે તો મને લેવા માંડ્યો, “મુનિ, બે છોકરાં છોડી કેટલા બધા શ્રાવકો અને સંઘાડામાં જીવ પરોવ્યો છે ! પોતાની સ્ત્રી છોડી બીજી કેટલી બઘી બાઈઓ પર નજર નાખો છો? એમાં તમે શું ત્યાગું? એક ગયું ને બીજુ આવ્યું !” ત્યાં તો મને થયું : “હાય ! હાય ! આવું? ખરે ! હું મુનિ નહીં. મારી પાછળ તો બહુ લપ વળગી છે.” ત્યારે કૃપાળુદેવે કહ્યું, “હવે તમે મુનિ. મનમાંથી મેં છોડ્યું છે, મેં ત્યાખ્યું છે એવો અહંકાર નીકળી ગયો ત્યાં તમે મુનિ.” તા.૩૧-૫-૨૩ માનવદેહ દુર્લભ છે. તેમાં પુરુષનો યોગ બહુ દુર્લભ છે અને તે પ્રાપ્ત થયે પણ આયુષ્યની જોગવાઈ મળવી એ પણ દુર્લભ છે. શ્રી દેવકરણજી અને શ્રી જૂઠાભાઈ, એમને સપુરુષનો યોગ મળ્યો પણ આયુષ્યની ખોટ આવી. એક શેઠને ઘણી દુકાનો હોય તેમાં કોઈમાં ખોટ હોય તો કોઈમાં નફો, એવા દ્રષ્ટાંતવાળા એક પુસ્તકમાં ઘર્મના જુદા જુદા ચાર ભાગ પાડ્યા છે, પછી તેના દશ ભાગ પાડ્યા છે. તે Page #359 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ઉપદેશામૃત અમે પહેલાં વાંચેલું અને દરેકમાં ક્યાં ક્યાં ખોટ આવે છે તે વિચારેલું. બધી દુકાનોની ખોટ ભાગે તેવી એક દુકાન પરમ કૃપાળુની કૃપા થવાથી સમજાઈ. (મુનિ મોહનલાલજીને) વચનામૃતમાં છે કે જો તું સ્વતંત્ર હોય તો નીચે પ્રમાણે દિવસના ભાગ પાડજે ભક્તિકર્તવ્ય, ઘર્મકર્તવ્ય, વગેરે. તેમાં ઘર્મ અને ભક્તિ આવે છે તેનો ભેદ શું? મુનિ મોહનલાલજી–જે મંત્ર મળ્યો છે તે તથા પુરુષની મુખાકૃતિ વગેરે ચિંતવવું, ક્ષમાપના, વીસ દોહરા, વગેરે જે સત્પરુષે કહ્યું હોય તે બોલવું એ ભક્તિ; અને સ્વરૂપનું ચિંતવન તે ઘર્મ. પ્રભુશ્રી–અમે કૃપાળુદેવની હયાતીમાં આમ દિવસો ગાળતા હતા. દિવસે જુદા જુદા ગ્રંથો વાંચ્યા હોય તેની રાત્રે ચર્ચા કરતા પણ દિવસે ઊંઘવાની મનાઈ હતી એટલે રાત્રે સૂવાનો વખત થયાની રાહ જોતા. બે પ્રહર નિદ્રાના “પુષ્પમાળા'માં છે, પણ એક પ્રહર જ મળતો અને ચાર વાગે ઊઠતા. પ્રતિક્રમણ વગેરે આવશ્યક કરી સવારે કેટલાક ગોચરી માટે જતા અને અમે વાંચતા. આખો પહોર ન બને તો ગમે તેમ કરી ઘડી બે ઘડી નિયમિત રીતે તેમાં કાળ ગાળવો, ઘર્મનું સ્વરૂપ તો અનુભવ થશે ત્યારે સમજાશે. વિષય, કષાય, પ્રમાદ અને સ્વચ્છેદ ટાળવા અને એ ટળશે. “ઘર્મ કહે આત્મસ્વભાવકું એ સત્ મતકી ટેક.' “ભગવત્ મુક્તિ આપવામાં પણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે એમ લાગે છે.” (પત્રાંક ૨૮૩) આનું શું સમજવું? [પછી ચર્ચા થઈ] હમણાં રહેજે રહેજે' કહ્યું હતું; પણ કહેવું હતું તે ચાલ્યું ગયું. (પછી થોડી વારે કહ્યું) મુક્તિ એટલે છૂટવું; તું કર્મ બાંઘ અને હું છોડું એમ ચાલ્યા કરે છે. પણ પાત્રતા વિના ભક્તિ (આત્મા) આપવામાં કૃપણ છે. એક બાળકૃષ્ણ નામના જૈન મુનિ હતા. એક વખત સૌરાષ્ટ્રમાંના એક રાજાને તેમણે વરસાદ આવશે એવું જણાવેલું. રાજા ઉપાશ્રયમાંથી ઘેર પહોંચ્યાં કે તરત વરસાદ થયેલો. એટલે તેમના ઉપર તે રાજાની આસ્થા થયેલી અને તેના રાજ્યમાં શિકાર કરવાની મનાઈ કરેલી. તે મહારાજને દીક્ષા લેતાં પહેલાં અમે મળેલા. વટામણમાં તે કોઈ કોઈ વખત આવતા. દેવકરણજી અને અમે સાથે હતા. દેવકરણજીને એવા મહારાજને નમવાનું ઠીક નહીં લાગેલું; પણ અમે સરળભાવે નમસ્કાર કર્યા હતા અને તેમણે આશીર્વાદ આપ્યો હતો કે તને જ્ઞાન થશે. છે કે Page #360 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૨ ૨૬૩ વટામણમાં એક વખત બઘા આગેવાન વાણિયા અને ભાવસાર બેઠા હતા. એટલામાં કોઈ મોટા સાહેબ માટે બે બોકડા સિપાઈ લઈ જતા હતા. તે તેમની પાસેથી પડાવી લઈ પાંજરાપોળમાં મોકલાવી દીધા. સિપાઈને કંઈ લાલચ બતાવી; પણ પૈસા ઓછા પડ્યાથી તે મનાયા નહીં અને દશપંદર જણને પકડીને સાહેબના તંબુ આગળ લઈ ગયા. પછી સિપાઈ ઘમકાવવા લાગ્યા એટલે અમે એક યુક્તિ કરી, બઘાએ બૂમરાણ કરી મૂક્યું. સાહેબે બહાર આવી તપાસ કરી કે શું છે અને આમને શા માટે આપ્યા છે એમ પૂછ્યું એટલે બધાએ કહ્યું કે બોકડા કંઈ જતા રહ્યા હશે તે માટે અમને પકડી આપ્યા છે. તે સાંભળી સાહેબે છોડી મૂકો” કહીને કાઢી મૂક્યા. છું.” તા. ૩૧-૫-૨૩ “અભિનિવેશના ઉદયમાં ઉસૂત્રપ્રરૂપણા ન થાય તેને હું મહાભાગ્ય, જ્ઞાનીઓના કહેવાથી, કહું (વચનામૃત) મુમુક્ષુ-અભિનિવેશ એટલે આગ્રહ. એક શાસ્ત્રીય અભિનિવેશ અને બીજો લૌકિક અભિનિવેશ. પ્રત્યક્ષ જ્ઞાની છતાં શાસ્ત્ર ઉપર બહુમાન રાખવું તે શાસ્ત્રીય અભિનિવેશ અને લૌકિક તો પોતાની સમજને ખરી કરવા મથવું તે. પ્રભુશ્રી–પોતાની પકડ (કલ્પના) ખરી સાબિત કરતાં મૂળ માર્ગ દુભાય, તેમ ન બને તો મોટું ભાગ્ય ગણાય. કોઈ સાધુથી અમુક આચાર ન પળાતો હોય તો તે એમ કહે કે શાસ્ત્રમાં આમ છે પણ મારાથી તે બનતું નથી, તો તે ભાગ્યશાળી કહેવાય. મરીચિના ભવમાં મહાવીર સ્વામીએ “ઘર્મ ઋષભદેવ પાસે છે અને અહીં પણ છે' એવું એક મિશ્ર વચન, તેમની પાસે દીક્ષા લેવા માટે આગ્રહ કરનારને, કહ્યું તેથી ઘણું લાંબું કર્મ બાંધી તેમને જન્મોજન્મ પરિભ્રમણ કરવું પડ્યું હતું. મુમુક્ષુ–પોતાની ઇચ્છા ન હોય છતાં પ્રભુ, એવા ઉદયને લઈને બોલી જવાય તો શું ? [તેના સમાધાનમાં પત્રાંક ૪૦૩ વંચાવ્યો] પ્રભુશ્રી મુમુક્ષુઓએ તો સપુરુષના ગુણગ્રામ કરવા; પણ ઘર્મ તો પુરુષ પાસેથી જ સાંભળવો. કંઈ ડહાપણ કરવા ગયો તો ઝેર ખાઘા જેવું છે. સપુરુષના બોઘની અસર જણાય નહીં; પણ કામ કર્યું જાય છે, અને પરિણમતો જાય છે. ઘર્મરાજા અને બીજા પાંડવો હિમાલય ગયા હતા. ત્યાં કર્મ પ્રમાણે સૌ બરફમાં ખૂંતી ગયા–કોઈ ઢીંચણ સુઘી, તો કોઈ કેડ સુધી અને કોઈ ગળા સુધી, ઘર્મરાજાની માત્ર છેલ્લી આંગળી પેસી રહી ત્યારે તેમને પોતાના દોષ જણાયા; પછી આગળ ગયા. તેમાં કોઈ ને કોઈ બહાને જીવ મળી રહ્યા છે. આવો અપૂર્વ જોગ મળવો દુર્લભ છે. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ઉપદેશામૃત તા ૩૧-૫-૨૩ અગાસી ઉપર એક વિચાર સ્ફર્યો હતો તે જાણવા જેવો છે – સંતથી, સત્સંગથી, પ્રત્યક્ષ પુરુષની વાણીથી અને પ્રત્યક્ષ પુરુષથી શ્રદ્ધા જેને થઈ છે, તેની આજ્ઞાએ વર્તનાર તે જ્ઞાતપુત્ર (જ્ઞાનીનો પુત્ર) છે. તે બઘાં સમકિત પામવાનાં સાધન છે. આથી આત્મઘર્મ પોષાય છે. કોઈને તેમાં શંકા જેવું હોય તો કહો. મુમુક્ષુ–પ્રત્યક્ષ પુરુષ અને તેમની વાણી તો સમજાય છે; પણ સંત અને સત્સંગ, એમાં સંત એટલે આત્મા ન પામ્યા હોય છે કે કેમ? પ્રભુશ્રી–સદ્ગુરુ, સંત અને પરમાત્મામાં ભિન્નભાવ નથી; સર્વ આત્મા છે. તા. ૩૧-૫-૨૩ મુનિ મોહનલાલજી મુમુક્ષુને) તમે સમાધિ અને બોધિ સંબંધી વિચાર કર્યો હતો? મુમુક્ષુ–પ્રભુશ્રીના ચરણકમળના યોગથી બધું પતી જશે. એમની કૃપાથી સર્વ વાનાં સવનાં છે. પ્રભુશ્રી એક વાક્ય બોલ્યા, પછી મોહનલાલજીને) યાદ રહ્યું? ટાંકી લેવા જેવાં વચન છે ! [મોહનલાલજીને યાદ ન રહેવાથી ‘ના’ કહી ઇંતેજારી બતાવી] પ્રભુશ્રી–પણ એ તો જતું રહ્યું!. [ફરી ગોઠવીને લખાવવા લાગ્યા. પોતાને પોતાનો બોઘ થવાથી પોતાને પોતામાં સમાઈ જવું–ભાવથી અને વિચારથી, બીજા વિકલ્પો મૂકીને. આ વિચાર સમાધિને આપે છે. અપ્રતિબંઘ (પ્રતિબંઘ રહિત), અસંગ (સર્વ સંગથી રહિત), શાંતિનો માર્ગ આ છે. પુરુષાર્થ કર્તવ્ય ભક્તિ છે–સ્વચ્છંદ, પ્રમાદ મૂકીને. જાગૃત થા, જાગૃત થા. સત્સંગ-સપુરુષના બોઘે વિચાર કર્તવ્ય છે, રત્નચિંતામણિ જેવો આ મનુષ્યભવ મળે આ જીવને જે લક્ષમાં લેવા જેવું છે તે જીવે જાણ્યું નથી. અનાદિની ભૂલ થતી આવી છે તે શું? અને શાથી ટળે? તેનો જ્ઞાની પુરુષોએ વિચારી વિચારી નિશ્ચય કર્યો છે તે અવઘારવું કર્તવ્ય છેજી. ઘન્યભાગ્ય, અહીં જે છે તે બઘાનાં; આવો વખત મળવો દુર્લભ છે ! જન્મ, જરા અને મરણના ત્રિવિધ તાપથી સંસાર બધો બળી રહ્યો છે. તેમાં આવી જોગવાઈ—સત્સંગની–મળવી દુર્લભ છે. કોને ઘર્મની ગરજ છે? અહીં આ બઘાને કોણે બોલાવ્યા હતા? કોઈક Page #362 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૨ ૨૬૫ ભાગ્યશાળીને જ જિજ્ઞાસા જાગે છે. કોને કહીએ અને કોણ સાંભળે? નહીં તો પ્રભુ, (ગળું બતાવીને) આટલા સુધી ભર્યું છે ! હવે વખત થયો છે, પઘારો. સર્વ ઘર્મનાં અંગ જૈનમાં આવી જાય છે. કોઈ માર્ગની નિંદા નથી કરવી. જે રાહથી સંસારમળ દૂર થાય તેવી ભક્તિ કરવી. ક્ષમાપનાનો પાઠ, વીસ દોહરા અને “મૂળ મારગ' રોજ ભણવાં અને બને તો અપૂર્વ અવસર. તા. ૧-૬-૨૩ “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી વાંચન : “આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ, વિયોગ, સુખ, દુઃખ, ખેદ, આનંદ, અણરાગ, અનુરાગ, ઇત્યાદિ યોગ કોઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યાં છે.” (“વચનામૃત'). પ્રભુશ્રી– વ્યવસ્થિત કારણ” એટલે શું ? મુનિ મો–નિર્માણ થયું છે. પ્રભુશ્રી–અશુદ્ધ ચેતના–વિભાવ–મોહનીય કર્મ, તેને લીઘે સંયોગ વિયોગ, વગેરેની ભાવના થયેલી તે અનુક્રમે દેખાવ દે છે. મુમુક્ષુ–સપુરુષ ઉપર સાચી શ્રદ્ધા આવી છે એમ ક્યારે સમજાય? પ્રભુશ્રી–આ આત્માને હિતકારી પ્રશ્ન છે. તેનો ઉત્તર એમ આપો કે આમ હોય ત્યારે સાચી શ્રદ્ધા આવી ગણાય. (મુનિ મોહનલાલજીને) વિચારમાં આવે તે કહો. મુનિ મો–બઘાને કહેવા દો. પછી હું તો મારે કહેવાનું છે તે કહીશ. ૧. મુમુક્ષુ–કઠિનમાં કઠિન આજ્ઞા પણ વિના સંકોચે આરાઘવા તૈયાર થાય ત્યારે. ૨. મુમુક્ષુ–સંસાર કરતાં પુરુષ પર વઘારે પ્રેમ આવતો હોય ત્યારે. ૩. મુમુક્ષુકુગુરુ ઉપરથી આસ્થા ઊઠે અને સત્પરુષ ઉપર પ્રેમ આવે ત્યારે. ૪. મુમુક્ષુ–સ્વાદથી સંસાર ભજાતો તેને બદલે સંસાર ભજવાનો ભાવ મોળો પડે ત્યારે. ૫. મુમુક્ષુ–અનાદિ કાળથી રાગદ્વેષથી જીવ રઝળે છે, તે માટે ત્યારે. મુનિ મો–એક તો સત્પષની આજ્ઞાનો આરાધક બને અને પોતાના દોષ ટળે–પદાર્થનું અજ્ઞાન, પરમ દીનતાની ઓછાઈ અને સંસારના અલ્પ પણ સુખની ઇચ્છા એ દોષો ટળે ત્યારે. પ્રભુશ્રી–પુરુષ છે એમ શાથી જણાય? નહીં તો વાસદ આગળ કેટલાક માણસ કૂવામાં પડ્યા હતા તેમ આજ્ઞા આરાઘવાનું ફળ મળે. મુનિ મો–સોનાની પરીક્ષા જેમ કસોટી, છેદન અને તાપથી થાય છે તેમ સત્પરુષનો પ્રભાવ પોતાને ખબર પડે. Page #363 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત પ્રભુશ્રી—આસપુરુષનો બોધ અને સત્પુરુષની દૃષ્ટિએ અંતરાત્મા થવાથી સાચી શ્રદ્ધા આવી જણાય. અંતરાત્મા ક્યારે થવાય ? તેનું માન્યે માન્ય (સત્પુરુષના માન્યા પ્રમાણે માનવાથી) સત્પુરુષની દૃષ્ટિએ રહેવાથી. એમ શાથી રહેવાય ? તો સત્પુરુષના બોધથી. માત્ર બોધની કચાશ છે. નહીં તો બોધથી અંતરાત્મા થવાય. ૨૬૬ સંસારનો ભાવ સત્પુરુષમાં હોઈ શકે જ નહીં. સામાન્ય મુમુક્ષુ સાંસારિક કાર્યને ઠેલી શકે છે તો સત્પુરુષથી તો સંસાર દૂર જ રહે. વજ્રભીંત જેવો તેને ભેદ પડી ગયો હોય છેતેને ખોટું તે ખોટું નિરંતર ભાસે છે. તો પછી જાણીને તેમાં તે લબદાય ? “એહ દૃષ્ટિમાં નિર્મળ બોધે, ધ્યાન સદા હોય સાચું; દૂષણ રહિત નિરંતર જ્યોતિ, રત્ન તે દીપે જાચું.'' આશાતના અને અશુચિથી સાવચેત રહેવું. જ્યાં સમાઘિ-મરણની તૈયારી કરવા આવતા હોઈએ ત્યાં કોઈને વિક્ષેપ થાય તેમ વર્તવું નહીં. કોઈના મનમાં આપણા નિમિત્તથી ખેદ થાય તો તે હિંસા છે. નાનાં છોકરાં, ભક્તિમાં લઈને આવવાથી તે મળ મૂત્ર કરે કે અવાજ કરીને બોધમાં અંતરાય પાડે તો મહા દોષ લાગે છે. પ્રભુ, છૂટવા આવતાં બંધન થાય છે; તેના કરતાં દૂર બેસી નામ જપવાનું કે ભક્તિભાવના કરવાનું રાખે તો તેનું ઓછું ફળ નથી. પરમકૃપાળુદેવે અમને કેટલો વિરહ સહન કરાવ્યો હતો, તે તો અમારું મન જાણે છે. માત્ર પાસે બેસીને ભક્તિભજન જ કરવાની ભાવના હતી. ‘આપણે તો હવે શુદ્ધિ પાળીએ કે ન પાળીએ તોયે ચાલે', એવું ન ચાલે. શુદ્ધિ અશુદ્ધિ બધું સરખું હોય તો વિષ્ટા અને ખાવાનું પાસે રાખી જુઓ જોઈએ ! સંસાર સ્વપ્ન જેવો છે. જનક રાજાને ‘આ ખરું કે આ ખરું ?' એમ થયું હતું, તેનો નિવેડો અષ્ટાવક્ર વિના મળ્યો નહોતો. બધું ભવાઈના વેશની પેઠે કે મૃગજળ પેઠે ખોટું છે. તેમાં નકામા બધા દોડ કરી રહ્યા છે. ‘વચનામૃત'નું વાંચન : “આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ-વિયોગ, સુખ-દુ:ખ, ખેદ-આનંદ, અણરાગ-અનુરાગ, ઇત્યાદિ યોગ કોઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યાં છે.’’ ૧. મુમુક્ષુ—કેટલાક કહે છે કે સ્ત્રી તે સ્ત્રી અવતરે અને પુરુષ તે પુરુષ અવતરે; જેમ કે બાજરી વાવે તો બાજરી ઊગે અને ઘઉં વાવે તો ઘઉં. પ્રભુશ્રી—આત્માને તો બધા ય પર્યાયો સરખા છે. જેવી ભાવના થાય તેવા જન્મ મળે. ખેતર છે, તેમાં બાજરી વાવીએ તો બાજરી ઊગે અને ઘઉં વાવીએ તો ઘઉં ઊગે. તેમ જીવ તે Page #364 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૨ ખેતર છે. આત્મા જેવાં કર્મ બાંધે તેવું ફળ મળે. પુરુષવેદ બાંધે તો પુરુષ થાય; સ્ત્રીવેદ બાંધે તો સ્ત્રી થાય. કોઈને સુખી કરવાથી આપણા આત્માનું જ હિત થાય છે. ટૂંકામાં, જેની તૃષ્ણા ઓછી, રાગદ્વેષ ઓછા તેને તેટલા ઓછા ભવ કરવા પડશે. અને તૃષ્ણાનો નાશ થતાં મોક્ષ મળશે. તા. ૧૫-૬-૨૩ જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે તે સદ્ગુરુ; શુદ્ધ આત્મા બન્યા છે તે સદૈવ અને જ્ઞાન જેથી પરિણમે તેવાં બધાં સાધન–ભક્તિ, આજ્ઞાનું આરાધન વગેરે તે ઘર્મ. ૧. મુમુક્ષુ–કૃપાળુદેવ એટલે શું? અને તે મળ્યા છે એટલે શું? અને તેમને કેવી રીતે ઓળખ્યા? દરેક શું સમજીને અહીં આવે છે અથવા વળગી રહ્યા છે? અનાદિ કાળથી ખોટાને વળગી રહેવાથી પરિભ્રમણ ચાલુ છે; પણ હવે જેને વળગ્યા છીએ તે સાચા છે એ કેમ જાણ્યું? ૨. મુમુક્ષુ પૂછવાથી) મને આવડતું નથી. સત્પરુષની પરીક્ષા મને શી ? પ્રભુશ્રી–જે મતિમાં આવે તે કહેવું જોઈએ. ૨. મુમુક્ષુ–હું પહેલાં ભક્તિ કરતો, પણ કંઈ ચિત્ત ઠરતું નહીં. એવામાં શ્રીમદ્ રાજચંદ્ર સંબંઘી સાંભળ્યું અને તત્ત્વજ્ઞાન વાંચવા મળ્યું. એ પછી આપને એમનો સમાગમ છે એમ સાંભળ્યું અને કાવિઠા તથા સીમરડા આપનો સમાગમ થયો. ત્યારથી આ વચનો કંઈ અપૂર્વ છે એમ સમજાયું. ૩. મુમુક્ષુ–સપુરુષની મુખમુદ્રા, નયન અને વચનની દર્શન કરતાં જ છાપ પડે છે. ૪. મુમુક્ષુ–સપુરુષનાં વચન આત્મામાંથી નીકળતાં હોવાથી ચોટી જાય એવાં હોય છે. “નિર્દોષ નરનું કથન માનો, તેહ જેણે અનુભવ્યું.” ૫. મુમુક્ષુ-જ્ઞાની પાસેથી જ્ઞાનની તું ઇચ્છા રાખે છે, પણ ભક્તિ નથી તો જ્ઞાન કેવી રીતે પરિણમશે? એવું વચનામૃતમાં છે તો જ્ઞાન કરતાં ભક્તિમાં જ રહેવું. - પ્રભુશ્રી–તે સાચું છે, જ્ઞાનીની ખાતરી થયા પછી ભક્તિ કર્તવ્ય છે, પણ જ્ઞાની ઓળખાય શાથી એ પ્રશ્ન છે. ૬. મુમુક્ષુતુલસીદાસે જ્ઞાનીનાં લક્ષણ કહ્યાં છે : “તનકર મનકર વચનકર, દેત ન કાહુ દુઃખ; કર્મ રોગ પાતિક જરે, દેખત વાકા મુખ.” વળી જ્ઞાની સ્વપરહિતના સાઘક હોય–તેમજ કૃપાળુદેવે પણ “આત્મજ્ઞાન સમદર્શિતા” વાળી ગાથામાં સરુનાં લક્ષણ કહ્યાં છે. તે પ્રમાણે જોવાથી જણાય. ૭. મુમુક્ષુ-લોહચુંબકની પેઠે આકર્ષણ થાય છે, સંદેસરી જવું હોય અને અહીં આવી જવાય. એક વખત બળદ ખોવાઈ ગયેલો તે ખોળવા જતાં નડિયાદ આપની પાસે અવાયું. Page #365 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ઉપદેશામૃત ખેતરમાં જવું હોય અને અહીં આવતું રહેવાય છે. એ ઉપરથી અમે તો જાણીએ કે આ સાચું છે. ૮. મુમુક્ષુ—સંસારભાવ મોળો પડે તે ઉપરથી જણાય. મુનિ મોહનલાલજી—દેવકરણજીના બોથથી હું સંસાર છોડી સાધુ થયો. આપના ઉપર પણ પૂજ્યભાવ ખરો. પણ પછી કૃપાળુદેવ સાથે આપનો સંબંધ થયા પછી આપ અને આપના શિષ્ય દેવકરણજી બન્ને ઉપરથી ભાવ ઊઠી ગયો અને આપનાં વગોણાં કરતો. પછી એક ભાવનગરના સાધુ પાસે આચારાંગ સૂત્ર ભણવા રહ્યો. તેમણે કહ્યું કે આપણને સમજવું આટલું મુશ્કેલ પડે છે પણ શ્રીમદ્ રાજચંદ્ર કરીને એક પુરુષ છે તે તો જાણે મહાવીરનું હૃદય જાણ્યું હોય તેમ તેનો અર્થ કરે છે. એટલે મેં કહ્યું કે એમ ? તો કહે, ‘એમ !' એટલે પશ્ચાત્તાપ કરવા લાગ્યો કે દેવકરણજી અને મોટા મહારાજને અવગણ્યા તે ખોટું થયું. એટલે તે સાધુએ કહ્યું કે એમની જો આશાતના કરી તો માર્યા ગયા જાણજો. તેથી એકદમ આપને મળવાની ઇચ્છા જાગી. એક પરમ સ્નેહી સાધુ હતો. તેને મેં આગળ મોકલ્યો કે આપની ચર્યા જુએ અને તેને જે લાગે તે કહે. પછી હું એકાદ માસ બાદ ખંભાત તરફ ગયો. ત્યાં તો રસ્તામાં પેલો સાધુ એક માસ આપનો સમાગમ કરી મને મળ્યો. તેને પૂછ્યું પણ કંઈ કહે નહીં, પછી વધારે પૂછ્યું એટલે કહ્યું કે ચોથા આરાના બન્ને પુરુષ છે. એટલે વળી જિજ્ઞાસા વધી. બીજા બધા ખેડા ગામમાં ગયા. હું તો આપને મળવા એક બંગલામાં રોજ આપ જાઓ છો એમ મને ખબર મળી કે ત્યાં ગયો. નદી કિનારે વિશ્વાસીનો ચાર માળનો બંગલો હતો. તેના ઉપલા માળે આપ કંઈ બોલતા હતા. મેં દાદરામાં રહી આપ શું કરો છો તે જોયું. 'ઘડીક પ્રણામ કરતા, કોઈ વખત ગાથા બોલતા, કોઈ વખત ઊભા જ રહેતા. એ બધી ચર્ચા ઉપરથી આપની કોઈ અલૌકિક દશા લાગતી હતી ! પછી ગામમાં જવાનો વખત થવા આવ્યો હતો. એટલે પ્રણામ કરી બેઠો અને પછી ગામમાં ગયો. ત્યાં કોઈની સાથે આપ બોલતા નહીં, માત્ર સાધુ સાથે જ કંઈ પૂછે તો બોલો; નહીં તો શાંત જ રહેતા. પછી ખંભાત પધાર્યા ત્યારે સાથે ચોમાસું ગાળવાનો લાભ મળ્યો. અંબાલાલભાઈની વૈરાગ્યદશા અને આપની સાથે આખી રાત તેમને વાતો ચાલતી તે બધું જોઈને મને ચમત્કાર લાગી ગયો અને તે જ ચોમાસામાં શ્રીમદ્ રાજચંદ્ર-કૃપાળુદેવ પધાર્યા અને એક અઠવાડિયું મુનિઓને બોધ આપ્યો. આપે પહેલાં મુમતી નાખી દીધી અને પછી થયું, “શું કહેશે ? પૂછ્યા વગર કર્યું તે ઠીક કહેવાય ?’’ એ વિચારથી એક કલાક સુધી આપને આંસુની ઘાર ચાલી અને કૃપાળુદેવની આંખમાંથી પણ આંસુ ઝરવા લાગ્યા ! બધા સ્તબ્ધ થઈ ગયા. પછી પરમ કૃપાળુદેવે દેવકરણજીને કહ્યું કે મહારાજને મુમતી આપો અને જણાવો કે હજી પહેરવાની જરૂર છે. પછી દેવકરણજીએ મને એક બાજુ બોલાવી કહ્યું : “જેમણે દોઢ માસનો દીકરો અને બ્યાશી વરસની ડોસી છોડી, સાધુપણું લીધું તે જે પુરુષને ગ્રહણ કરે તે અમથા કરતા હશે ? જે એમનું થાય તે મારું થજો, એમ આજથી ગણી લે અને તેમાં તારું કલ્યાણ થશે.'' એટલે તે દિવસથી કૃપાળુ દેવ પર આસ્થા થઈ. Page #366 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૨ ૨૬૯ તા ૧૮-૬-૨૩, સાંજના સદ્ગુરુ, સદૈવ, સદ્ધર્મ એ આત્મારૂપ જ છે. સ્થિતિકરણ - કોઈ સ્થિર વસ્તુ સાથે કોઈ ડોલતી વસ્તુ બાંધે તો ડોલતી બંઘ થાય, થાંભલા સાથે હાલતી વસ્તુ બાંધે તો તે સ્થિર થાય; તેમ સપુરુષ સાથે સંબંઘ-સહવાસ રહેવાથી સ્થિરતા આવે છે. બોઘની અસર થાય છે. સેવા કરવી અને આજ્ઞા ન ઉઠાવવી એ પગ દાબવા અને જીભ ઉપર પગ મૂકવો એના જેવું છે. સ્ત્રીઓમાં સરળતા હોય છે, તેમના મનમાં ગાંઠો હોતી નથી. જે પંચાધ્યાયી વંચાય છે તે જેનાથી સમજાય તેણે શરત રાખવું તે અન્યને પણ હિતકારી છે. મુમુક્ષુ–“શુભ શીતળતામય છાંય રહી' એ પદમાં “નવકાર મહાપદને સમરો” એને બદલે સહજાન્મસ્વરૂપ સદા સમરો' એમ કેમ બોલાય છે ? પ્રભુશ્રી નવકાર' અને “સહજાત્મસ્વરૂપમાં ભેદ નથી. અને એનું ઉત્થાપીને અમારે કાંઈ અમારું કશું કરવું નથી. જ્યાં ત્યાં ભજન વગેરેમાં એના વિચારમાં કાળ ગાળવો છે. અમે તો કાંઈ સમજતા નથી, પણ તેની કેટલેક અંશે આજ્ઞા ઉઠાવી છે. બાકી આશાતના કરશો તો માર્યા જશો. “હે હરિ! હે હરિ! શું કહ્યું? દીનાનાથ દયાળ' તેને બદલે “હે પ્રભુ! હે પ્રભુ!” બોલવાની આજ્ઞા થયેલી. પછી તે પ્રમાણે કહ્યું ન કરે તો સ્વચ્છેદ ગણાય. કૃપાળુદેવ ઉપર પ્રેમ ઢોળવો. આપણે બધા સાઘક છીએ. વિકથામાં ન રોકાવું. એ કર્મ તો મોહનીય કર્મનો છાક છે. મહામોહનીય કર્મથી બૂડે ભવજળમાંહિ'—જેમણે મુડાવ્યું છે તેમણે ચેતવા જેવું છે. “મોક્ષ કહ્યો નિજશુદ્ધતા–કર્મ આવી આવીને પડે છે પણ શુદ્ધતા સમતા સાચવવી. સહજાત્મસ્વરૂપ પરમગુરુ દેવકી જય કે ત્રિલોકના નાથની જય બોલાય ત્યારે ગલગલિયાં આવે; પણ ધૂળ ઊડતી હોય ત્યારે કોઈ આંખ ફાડે? તેમ ઘર જાણી લીધું એટલે ઘરમાં પેસી જાય કે કપડું આંખ પર ઢાંકે. તા. ૧૯-૬-૨૩, સવારના આ જગા કેવી છે, જાણો છો? દેવસ્થાનક છે! અહીં જેણે આવવું તેણે લૌકિકભાવ બહાર, દરવાજા બહાર મૂકીને આવવું, અહીં આત્માનું યોગબળ વર્તે છે; જુવાનનું કામ નથી. ખપી હશે તે રહેશે. જે ખપી હોય તેણે ભક્તિ-ભજનમાં કાળ ગાળવો, પણ ચિત્રપટ અને શુભસ્થાનકો છે તેની આશાતના ન કરવી. પૂના, શ્રાવણ વદ ૯, તા. ૧૮-૬-૨૪, સાંજના આ ભાઈઓ ચરોતર-ગુજરાતમાંથી આવે છે. અહીં શું તેમણે વેપાર કરવો છે? આટલે Page #367 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ઉપદેશામૃત દૂર ડુંગર ઓળંગી આત્મકલ્યાણ માટે આવ્યા છે. અહીંથી કંઈક લાભ લઈને જાય તો સારું. દુષમકાળમાં સત્સંગ દુર્લભ છે. આત્મહિત વિસારે ન પડે માટે પુરુષાર્થ કર્તવ્ય છે. તા. ૨૨-૬-૨૪ આ તે શું કહેવાય? શું સ્વામીનારાયણની ગોડે સંસારીને ગાદી ઉપર બેસાડી તેને સંન્યાસી નમે એવો માર્ગ ચલાવવો છે? માર્ગ આવો હશે ? અનંત સંસાર રઝળવાનું કારણ આવું ક્યાંથી સૂછ્યું? તમારામાંથી પણ કોઈ ન બોલ્યું? એ ગાદી ઉપર પગ કેમ મેલાય? અમે પણ નમસ્કાર કરીને એની આજ્ઞાએ બેસીએ, ત્યાં આમ સ્વચ્છંદ! પરાણે દાબીને બેસાડ્યો એમાં એનો શો વાંક? પણ કોઈને ના સૂછ્યું કે આમ તે થાય ? અમે તો હવે છૂટી જવા માગીએ છીએ. જેવું છે તેવું ચોખ્ખું કહી દેવાના છીએ. જેને માનવું હોય તે માને. બિચારા જીવો પરાણે તણાઈને ખર્ચ કરી ભક્તિભાવ માટે આવે અને એમાં આવું જાગે ! અમને તો એ ગમતું નથી. મોહનીય કર્મ છે. પ્રભુ, હવે પઘારો. મોહનીય કર્મે તો મારીને ભૂંડું કરી નાખ્યું છે. હવે ચેતવા જેવું છે, પ્રભુ! તા. ૨૩-૬-૨૪ ઘન્ય ! તે નગરી, ઘન્ય ! વેળા ઘડી; માતપિતા કુલ વંશ જિનેશ્વર.” [સવારે સ્તવનમાં ગવાયું.] એમાં શો મર્મ રહ્યો છે? લૌકિક વાતમાં એ કડી સમજવાની છે કે અલૌકિક રીતે? કુલવંશ અને એ સગાઈ બઘી તે શું આ શરીરની? એમ તો આખો સંસાર કરી જ રહ્યો છે. એ તો સમક્તિ સાથેની સગાઈની વાત; અને સમકિતથી પ્રગટેલા ગુણ તે વંશ. જુઓ, પેઢી ખોળી કાઢી ! સંસારીને ગાદીએ બેસાડી સંન્યાસી પણ એને પગે લાગે એવો સ્વામીનારાયણ અને વૈષ્ણવના જેવો માર્ગ કરી નાખવો છે? એ તો એનું યોગબળ છે, તે એ જગાનો દેવ જાગશે ત્યારે થશે. “કર વિચાર તો પામ” એમ કહ્યું છે તે અમથું? વિચાર વગર તો, સુવિચાર વિના, ઘર્મ પમાતો હશે? “એસાને મળ્યા તેસા, તેસાને મળ્યા તાઈ; ત્રણેએ મળીને તતૂડી બજાઈ.” એ વાત તો લૌકિક છે; પણ પરમાર્થ સમજવા કહું છું. એક હતો મોચી. તે ઘર છોડીને ફરવા નીકળ્યો. જતાં જતાં કાશી બનારસ જઈ પહોંચ્યો. ત્યાં સંસ્કૃત વગેરે ભણી પંડિત થઈને આવ્યો. એટલે હવે તેના જોડા સીવવાનું કંઈ ગમે ? તે તો પાછો દૂર દેશ નીકળી પડ્યો, એક નાના ઠાકોરના દરબારમાં જઈને શ્લોક બોલ્યો અને સભાને રાજી કરી. તેથી તેને પંડિતની જગા ઠાકોરે આપી. એટલે ત્યાં જ તે રહેવા લાગ્યો. ત્યાંના રાજગોરની કન્યા સાથે તેનાં લગ્ન પણ થયાં. ૧. પૂનામાં પ્રભુશ્રીના પૂર્વાશ્રમના ચિરંજીવી મોહનભાઈને કેટલાક મુમુક્ષુઓએ પ્રભુશ્રીની ગેરહાજરીમાં રાત્રે તેમની ગાદી ઉપર પરાણે બેસાડી ભક્તિ કરેલી તે સંબંધી. Page #368 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૨ ૨૭૧ થોડા દિવસ પછી પેલા મોચીના ગામનો એક વેપારી તે દેશમાં માલ લઈને આવ્યો. તેણે તેને ઓળખ્યો. પણ પંડિત ચેતી ગયો; અને પોતાની લાગવગથી તે વેપારીને જકાતના પૈસા ભરવાના માફ કરાવ્યા. પછી વેપારીને કહ્યું કે કોઈને મારા વિષે અહીં વાત કરીશ નહીં. વેપારી તો માલ વેચી કરી પોતાને ગામ ગયો. ત્યાં પેલા પંડિતના પિતા મોચીને તેણે વાત કરી કે તમે અહીં જોડા શું કરવા સીવી ખાઓ છો? જાઓને તમારા છોકરાને ત્યાં. એ તો ફલાણા શહેરમાં રાજાનો મોટો અમલદાર થયો છે. એટલે મોચી તો ત્યાં ગયો અને છોકરાને મળ્યો. પછી છોકરે તેના બાપને બધી વાત કરી અને કહ્યું કે અહીં કોઈ જાણે નહીં તેમ તમે રહો અને બેઠા બેઠા ખાઓ. એમ થોડા દહાડા તો ચાલ્યું. પૂછે ગાછે તો બઘાને કહે કે એ તો અમારું માણસ છે; છોકરાં હિંદોળવા રાખ્યું છે. પેલા પંડિતને ત્યાં રોજ જે માણસો આવે તે બારણા આગળ જોડા કાઢી ઉપર જાય. પણ પેલા ડોસા તો ઘોડિયા પાસે બેઠા બેઠા જોડા જ તપાસે અને બબડે કે આના જોડાને એકવડું તળિયું છે; આનો સીવનારો કુંભાર જેવો છે; આના કરતાં પેલા જોડાની સિલાઈ સારી છે. એવામાં એક જેણે પંડિતની વહુને પૂછ્યું કે બાઈ, આ કોણ છે? ત્યારે તેણે કહ્યું કે અમે આ માણસને છોકરાં હિંદોળવા રાખ્યો છે. તે સાંભળીને ડોસો બોલી ઊઠ્યો કે હું તો તારી સાસુનો વર થાઉં. આથી તે બાઈ સમજી ગઈ કે આ કંઈ તરકટ જેવું જ લાગે છે. તેથી તે તો એકદમ છોકરું લઈ પોતાના પિતાને ઘેર ગઈ. અને “મને મોચીની સાથે તપાસ કર્યા વગર પરણાવી. દીઘી ?' એમ કહીને રોઈ પડી. પછી પંડિતે એ વાત જાણી એટલે એ તો શહેરમાંથી જતા રહેવાની તૈયારી કરવા લાગ્યો. બધો સામાન વગેરે તૈયાર કરતો હતો તેવામાં રાજગોર પોતાની કન્યાને લઈને આવ્યો અને કહ્યું, કેમ શાની તૈયારી કરો છો ? એટલે પંડિતે કહ્યું, મારે આ શહેરમાં રહેવું નથી. તેનું કારણ રાજગોર જાણી ગયો હતો તેથી તેણે કહ્યું, હું પણ તમારી સાથે આવું છું; કારણ કે તમારી વાત થાય એટલે પછી મારી વાત પણ નીકળે. હું પણ તમારી પેઠે તાઈતંબોળી હતો અને અહીં આવી રાજગોર બન્યો. રાજાને મળીને આપણે ગામ જવું છે કહીને, ચાલો આપણે બીજા દેશમાં જઈએ. તેથી બન્ને રાજા પાસે ચાલ્યા. રાજા હોંશિયાર હતો. તેણે કહ્યું કે બન્ને વિદ્વાનો મારા દરબારમાંથી કેમ જાઓ છો તે મારે જાણવું છે. પહેલાં તો તેમણે કંઈ કહ્યું નહીં. પછી રાજાએ કહ્યું કે તમારો ગમે તેવો ગુનો પણ હું માફ કરીશ. એટલે હિમ્મત આવ્યાથી તેમણે વાત કરી કે એક જણ તાઈ અને બીજો મોચી હતો. પણ હવે એ વાત જણાઈ જાય માટે જવાનું યોગ્ય ઘાર્યું છે. પછી રાજાએ પણ પોતાની વાત જાહેર કરી અને આરસી દેખાડીને કહ્યું કે હું પણ પહેલાં હજામ હતો અને આમ આરસી બતાવતો હતો. માટે ડરશો નહીં. આમ લેભાગુથી માર્ગ ચાલે નહીં. સાચ ઉપર વાત આવી છે. જેમ છે તેમ ઉઘાડું હવે તો કહી દઈશું. જેને માનવું હોય તે માનો અને ન માને તો તેનો અધિકાર છે. અમારે તો હવે છૂટી પડ્યું છે. પૂજા ને ફૂલ ને સેવા એ બધું અમે થવા દીધું તે અમારી ભૂલ. આ બધા સંઘ આગળ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ઉપદેશામૃત અમે તો કહી છૂટીએ છીએ કે નાની ઉંમરથી સંયમ લીધો હતો તે આવા ને આવા હઈશું? ભૂલો પણ થઈ હશે. પણ હવે તો એ સાચ ઉપર જ જવું છે. અમને આશ્રમનો ય શો પ્રતિબંધ છે ? એ આશ્રમમાં હવે અમારે માથું મારવું નથી. ભલે ત્યાં ઢોરાં ને ગધેડાં ફેરવો. એક નિવૃત્તિનું કાળ ગાળવાનું, ભક્તિભજન કરી ખાવાનું ઠામ કર્યું હતું ત્યાં તો શુંનું શું થઈ પડ્યું! અમે જાત્રામાં આમ બધે વિચર્યા છીએ ત્યાં ઘણી જગાઓ જોઈ રાખી છે. વૃદ્ધાવસ્થા છે એટલે વિરકલ્પીને ઘટે તેમ કોઈ સ્થાનક જોઈએ તે પુણ્યના જોગે એવું બીજું કોઈ થઈ પડશે. પણ ત્યાં કોઈએ અમારી રજા વગર આવવું નહીં. અને પત્ર વગેરે લખવાની પણ જરૂર નથી. ગુરુને શરણે, અમે તો જ્યારે આશ્રમ સુધરશે, બધાં સારાં વાનાં થશે ત્યારે જાણીશું અને તે વખતે પધારવાને પણ હરકત નથી. ત્યાં આશ્રમમાં એકાદ મુનિ રહેશે અને જે ખપી હોય તેણે ભક્તિભજનમાં કાળ ગાળવો. પણ ત્યાં ચિત્રપટ અને શુભ સ્થાનકો છે તેની આશાતના ન કરવી અને નાગાઈવેડા ન કરવા. બીજું બધું કામ બંધ રાખવું. અમને એમ જણાયું છે કે આશ્રમના ગ્રહ હમણાં ઠીક નથી. અનુકૂળતાએ ઘીમે ઘીમે મંદુ મંદું બધું થઈ રહેશે. કોઈના ભણી કાંઈ જોવા જેવું નથી. પોતે પોતાનું કરી વહ્યા જવાનો માર્ગ છે. અમારે અમારું સંભાળવું જોઈએ કે નહીં? અમે તો અજ્ઞાતપણે જડભરત પેઠે વિચરતા હતા. તેમાં આણે (રણછોડભાઈએ) પેણું ફોડ્યું. એવા કાળમાં કંઈક એની સેવાભક્તિને લીધે સંતની આંતરડી ઠરી. તેની દુવાને લીધે આ જે કંઈ છે તે પણ આ કાળમાં જીરવવું મુશ્કેલ છે. અમને તો કોઈ સેવાભક્તિ કરે ત્યારે ગલગલિયાં આવતાં. કેમ ભાઈ, તમને આમ થાય છે ? રણછોડભાઈ_થાય છે, પ્રભુ પ્રભુશ્રી–જ્ઞાન તો અપૂર્વ વસ્તુ છે (પરમકૃપાળુદેવના ચિત્રપટ તરફ આંગળી કરી) એને શરણે અમે તો બેઠા છીએ. કેમ ભાઈ, તમને જ્ઞાન થયું છે ? થયું હોય તો કહી દેજો. રણછોડભાઈ—(ડોકું ધુણાવી) ના પ્રભુ. પ્રભુશ્રી–નિષ્પક્ષપાતપણે એક આત્મહિતની ખાતર અમે એક વાત જણાવવા ઇચ્છીએ છીએ. તેમાં નથી અમારો સ્વાર્થ, નથી કોઈને આડો રસ્તો બતાવવો કે નથી પૂજાસત્કાર સ્વીકારવાની વાત. બધા સંઘની સાક્ષીએ એ વાત કહીએ છીએ. જે ભરી સભામાં સંઘ આગળ જૂઠું કે છેતરવાને બોલે તેનું શાસ્ત્રમાં મહાપાપ વર્ણવ્યું છે. તેવા બોબડા જન્મે છે, વાચા બંઘ થઈ જાય; મૂઢ પણ થાય. અમે જે કહીએ છીએ તેના ઉપર જેને વિશ્વાસ હોય તે જ ઊભા થાય. બીજા ભલે પોતાની જગાએ રહે. પણ અમે કહીએ તેમ કરવું હોય તો ઊભા થઈ કૃપાળુદેવના ચિત્રપટ આગળ હાથ મૂકે અને કહે કે સંતના કહેવાથી મારે કૃપાળુદેવની આજ્ઞા માન્ય છે. અમને તો ભલા એમ થયું કે જે વચન અમને આત્મહિતનું કારણ થયું તે વચન બીજા પણ સાંભળે, શ્રદ્ધે તો કલ્યાણ થાય. તેથી તેની આજ્ઞા “સહજાત્મસ્વરૂપ પરમગુરુ' જે અમારી પાસે આવ્યા તેમને કૃપાળુની દ્રષ્ટિએ કહી સંભળાવી. Page #370 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૨ ૨૭૩ પણ અણસમજણે કોઈક તો પોપટલાલને, કોઈક રતનરાજને, કોઈક આ ભાઈશ્રીને (રણછોડભાઈને) અને અમને દેહદ્રષ્ટિએ વળગી પડ્યા ! ઝેર પીઓ છો ઝેર; મરી જશો. ન હોય એ રસ્તો. જ્ઞાની તો જે છે તે છે. એની દૃષ્ટિએ ઊભા રહો તો તરવાનો કંઈક આરો છે. અમને માનવા હોય તો માનો, ન માનવા હોય તો ન માનો; પણ જેમ છે તેમ કહી દેવું છે. અમે તો ઘાર્યું હતું કે હમણાં જ ચાલે છે તે છો ચાલે, વખત આવ્યે બધું ફેરવી નાખીશું. કંઈ અમને ફૂલ-હાર, પૂજા-સત્કાર એ ગમતાં હશે? પણ ન ગમતા ઘૂંટડા જાણીને ઉતારી જતા. હવે તો છુપાવ્યા વગર ખુલ્લું કહી દઈએ છીએ કે પૂજા-ભક્તિ કરવા લાયક એ કૃપાળુદેવ; હા, ભલે! ઉપકારીનો ઉપકાર ન ભૂલવો–કોઈ મેળાપી મિત્રની પેઠે તેની છબિ હોય તો વાંધો નથી. પણ પૂજા તો એ જ ચિત્રપટની થાય. ઠીક થયું, નહીં તો તમે કૃપાળુદેવની સાથે ચા દેહની મૂર્તિ પણ દેરાસર થાત ત્યારે મૂકી દેત. એવું કરવાનું નથી. બારમા ગુણઠાણા સુધી સાઘક, સાઘક અને સાઘક રહેવાનું કહ્યું છે, આડુંઅવળું જોયું તો મરી ગયા જાણજો. હવે એકે એકે અહીં આવી કૃપાળુદેવના ચિત્રપટની પાટ પર હાથ મૂકી “સંતના કહેવાથી કૃપાળુદેવની આજ્ઞા માટે માન્ય છે,” એમ જેને ઇચ્છા હોય તે કહી જાય. ઊઠો ભાઈ, તમને આ રુચે છે કે નહીં? મુમુક્ષુહા, પ્રભુ. [ પછી બધા વારાફરતી ઊઠી કહ્યા પ્રમાણે ચિત્રપટ આગળ કહીને પ્રભુશ્રીને નમસ્કાર કરીને પાછા બેઠા. કેટલાક નવીન જીવો પણ ત્યાં હતા. તેમને જોઈને પ્રસન્ન વદને પ્રભુશ્રી બોલ્યા : ] આ ભદ્રિક નવા જીવો પણ ભેગાભેગા લાભ પામી ગયા. કોણ જાણતું હતું? ક્યાંથી આવી ચઢ્યા ! ટકી રહે તો કામ કાઢી નાખે ! અમે આ કહ્યું છે તે માર્ગ ખોટો હોય તો તેના અમે જામીનદાર છીએ. પણ જે કોઈ સ્વચ્છેદે વર્તશે અને “આમ નહીં, આમ' કરી દૃષ્ટિફેર કરશે તેના અમે જવાબદાર નથી. જવાબદારી લેવી સહેલી નથી. પણ એ માર્ગમાં ભૂલ નથી. જે કોઈ કૃપાળુદેવને માનશે તેને કંઈ નહીં તો દેવગતિ તો છે જ. પૂના, તા. ૧૮-૧૨-૨૪, ગુરુ પ્રભુશ્રી—કેટલાય ભવ કર્યા હશે. છે તેની ખબર? પહાડ, વૃક્ષ, વનસ્પતિ, તિર્યંચનાકશાની ખબર છે? મર્યા પછી આ દેહમાં આટલાં વર્ષથી રહ્યો તેનું કશું ભાન રહેવાનું છે? મરણનો ભય નથી લાગ્યો. મુમુક્ષુ–પરમકૃપાળુદેવનો આપનો પરિચય; આપનું તે પહેલાંનું ગૃહસ્થાવસ્થાનું, આચાર્ય તરીકેનું તે પછીનું ચરિત્ર; આપ દરેકને ક્ષમાપના અને વીસ દુહાની આજ્ઞા કરો છો તેનું રહસ્ય? પ્રથમ મુમુક્ષુએ શું જાણવું જોઈએ? સનાતન જૈન એટલે શું? સનાતન જૈનીમાં કેવા ગુણ, કેવું વર્તન હોવું જોઈએ? આપણે આપણું કરી રહ્યા જવું કે ઘર્મ વિસ્તારમાં પડવું? તેમાં મુનિ હોઈ શકે કે નહીં ? – વગેરેનું વિસ્તારથી વર્ણન હોય તો ઘણા વચનામૃત વાંચી, “એ તો વાંચ્યું છે' એમ કરે છે તેમને આ જાણ્યા વગર એકલું વાંચી ગયે ન સમજાવા યોગ્ય છે, એમ સમજાય. 18 Page #371 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ઉપદેશામૃત પ્રભુશ્રી–પ્રભુ, આ તો કોઈ અપૂર્વ ગ્રંથ થાય ! પ્રથમ પ્રશ્ન તમે જણાવ્યો તે મહતું પુણ્યના ઉદયે તમને સૂઝયો છે. કાળ તો પ્રભુ, જાય છે; પણ એના નિમિત્તે કાઢ્યો હોય તો લેખે લાગે. મુમુક્ષુ-ઘર્મના વિસ્તારમાં પડવું કે આપણે આપણું કરી વહ્યા જવું–મૌન રહેવું? પ્રભુશ્રી સ્યાદ્વાદ માર્ગ છે, પ્રભુ આખા જગતને ચામડે ન મઢાય; માત્ર પગમાં જોડા પહેરાય અને માર્ગમાં કાંટા પડ્યા હોય તે દૂર કરવામાં વાંધો, હાનિ નથી. પણ કૃપાળુદેવનું વચન છે કે કાંટે ફાળિયું ભરાયું હોય તો ફળિયા માટે આગળ જતા અટકવું નહીં. છૂટે તે છોડી લેવું, નહીં તો પડી મૂકીને આગળ વધવું. તા. ૧૯-૧૨-૨૪ ઇબ્દોપદેશ'માંથી વાંચન : “क्षोभरहित एकान्तमें तत्त्वज्ञानथित लाय ।। सावधान हो संयमी निजस्वरूपको भाय ॥३६॥ ક્ષોભરહિત–ખળી ન રહે; મને ગમે તેટલી અડચણ આવે; પણ દૂર કરે. આત્માનુભવની, ગુરુના સાચા શરણની ખૂબી ઓર છે ! ગળું રંધાતું હોય, શ્વાસોશ્વાસ માતો ન હોય, ચક્કર આવતાં હોય, મૂંઝવણ થતી હોય પણ તેથી શું થયું? ગમે તો ભલેને મોત આવે; પણ સાચ તે સાચ જ છે. હવે તને (વેદનાને) ન માનું. અનાદિ કાળથી આમ ને આમ ભુલવણી થતી; પણ હવે સદ્ગુરુનાં વચન હૃદયમાં કોતરી રાખ્યાં છે. દેહ પડી જાય પણ તેને ન મૂકું. આ પલ્લો પકડેલો છોડે નહીં તો ભાર છે કે મોહરાજા તેના સામું જોઈ શકે ? મોહરાજા ક્રોઘને કહે, “ભાઈ તું જા, જા. એ તો કંઈક જુદું જ સાંભળવા, સમરવા બેઠો છે. પછી આપણો મટી જશે. માટે ઝટ જા.” પણ તરવાર કે ફરશી લઈને ઊભેલા પાસે જતાં સૌ ડરે. તેમ ક્રોઘ કહે, “હમણાં તો તે વેગમાં છે, તે મને નહીં ગાંઠે.” માનભાઈને કહે, “તમે તો મોટા તે તમારો ભાર પડશે'; પણ તેને પણ ડર લાગ્યો કે મોટાને આશરે છે એટલે હમણાં મારો લાગ નહીં ખાય. માયાને કહ્યું તો તે પણ ડરવા લાગી કે તેને લગની લાગી છે બીજી, એટલે મારું કાંઈ નહીં ચાલે. એટલે છેવટે લોભભાઈ ચાલ્યા. રિદ્ધિ અને સિદ્ધિ જ્યાં દેખાય એટલે લાગે કે બીજાના કરતાં મારામાં કંઈક વિશેષ છે. એમ લોભભાઈ પાછળ માનભાઈ પણ પેસે અને માયા વગેરે પણ આવે. પણ પહેલેથી જ માનપૂજા, બડાઈ, લાલસા વગેરેને બાળી દીઘાં હોય અને એકમાત્ર મોક્ષની અભિલાષા રાખી હોય તો પછી જોઈ લ્યો એનું બળ ! પ્રભુ, કરી મૂકેલું ખપમાં આવે છે; અને ડગે નહીં તો તો એનું–કૃપાળુદેવનું—એવું યોગબળ છે કે ગમે તેવાં કર્મ હોય તેને બાળીને ભસ્મ કરી નાખે. કર્મના શા આશરા ? પણ એને શરણે રહે તો. ગાંઠ એવી પાડી દે કે વછૂટે જ નહીં. તે તો જે આવે તેને ફટ દેવા માંડે, તું ય આવી જા. શૂરવીરની પેઠે શસ્ત્ર ચલાવે અને કર્મ ખપાવે. ગમે તેવી વેદની હોય, પણ એનો એ જ લક્ષ રહે. ચક્રવર્તી રાજાને ત્યાં કામધેનુ ગાય હોય છે. દશ હજાર ગાયોનું એક ગોકુળ ગણાય. એવાં Page #372 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૨ ૨૭૫ ઘણાં ગોકુળ તેને ઘેર હોય. માત્ર બીજી ગાયોનું દૂઘ પીને રહેનારી જે ગાયો હોય તેવી ગાયોનું માત્ર દૂઘ જ પીનારી હજાર ગાયો હોય, તેનું દૂઘ પીને રહેનારી સો ગાયો હોય, તેનું દૂઘ પીને રહેનારી દશ ગાયો હોય, તેનું દૂઘ પીનારી એક કામધેનુ ગાય. તેના દૂઘની ખીર તેનો વાછડો કે ચક્રવર્તી જ પી શકે. ચક્રવર્તીની પટરાણી પણ તે જીરવી ન શકે. તેની દાસી રાંઘવાના વાસણે ચોટી રહેલાં બબડાં બળેલો માવો વાસણ સાફ કરતાં ખાતી તેને લીધે તેનામાં એટલું સામર્થ્ય આવતું કે જેને ઘણની ચોટ દેતાં કે ખલમાં નાખીને વાટતાં પણ ન ભાગે તેવા હીરા તે ચપટીમાં દાબીને ચૂરા કરી નાખતી. તો ચક્રવર્તીનું કેટલું જોર? શાને માટે દ્રષ્ટાંત દીધું તે વાત જતી રહી. કંઈ જોર વિષે હશે. કર્મ, કર્મ ને કર્મ ! કર્મરૂપી મદારી જીવરૂપી માંકડાને રમાડી રહ્યો છે. બીજું શું? આ દેખાય છે તેવો જીવ હશે? આત્માનું સ્વરૂપ શું? જ્ઞાન, દર્શન, ચારિત્ર–જાણવું, દેખવું, સ્થિર થવું. કૃપાળુદેવનું વચન છે, હૃદયમાં લખી રાખ્યું છે : “મુનિ, જડભરત થઈને ફરજો.” ગાંડિયા થઈ જવા જેવું છે. પણ કહેશે, મુનિ ખાય છે, પીએ છે ને આમ કેમ કરે છે? બીજે કંઈ ચેન પડતું નથી. જેથી ગમત પડે તે તો હોય નહીં. ઉદાસ, ઉદાસ, ઉદાસ ! મૂંઝવણ, મૂંઝવણ ને મૂંઝવણ રહે છે. કંઈ સાતું નથી. સદ્ધી પરમ ટુહીં.” એ આવી ગઈ તો કામ કાઢી નાખે. સાચા પુરુષની ઓળખાણ, શ્રદ્ધા એ સમ્યકત્વ. આજે કે પચાસ વર્ષે પણ તેને જે વળગી રહેશે તેનો બેડો પાર. કર્મ કોઈને છોડે છે? ગમે તેટલી ગભરામણ થતી હોય પણ સત્સંગ, સન્શાસ્ત્ર અને એવામાં જ કૂટકૂટ કરીએ તો કાળ તો એમે ય જાય અને એમે ય જાય; પણ એકમાં નિર્જરા છે અને બીજો બંધનરૂપ છે. શું કરીએ? કર્મ ઘેરી લે છે તે પાપ વેઠીએ છીએ. ગમે તેમ થાય પણ એ જ કર્તવ્ય છે. અમારે અમારું ય સાચવવું જોઈએ ને? જ્યારે જ્યારે ફુરસદ હોય ત્યારે એ જ સાઘનમાં, સમરણમાં, ધ્યાનમાં પ્રવર્તીએ છીએ. સૌને એ જ કર્તવ્ય છે. અનંતી પુયાઈનો ઉદય હોય તો પુરુષના મુખથી આત્મા સંબંધી વાત સાંભળવાનો યોગ મળે. આ લાખેણી ક્ષણ જાય છે. આખું જગત ઘડકૂટમાં પડ્યું છે. કાળને માથે ધિક્કાર છે ! પ્રભુશ્રી એક વિદ્યાર્થીને) શું વાંચતા હતા, પ્રભુ? વિદ્યાર્થી—નૉવેલ. એમાં કંઈ જાણવા જેવું નથી. “ફોર્થ રીડરમાંથી એક વાત છે. પ્રભુશ્રી–એમાંથી શું વાંચ્યું? વિદ્યાર્થી—પાંચ વહાણ લઈ એક માણસ અમેરિકા શોઘવા ગયો. તેમાંથી ચાર તણાઈ જઈ ગૂમ થયાં. અને બાકીનું એક, એક બેટ આગળ જઈને પાછું ફરતાં બૂડી ગયું. પણ ત્યાં બેટમાં સંસ્થાન સ્થાપ્યું ત્યાં તેનું નામ રહ્યું. પ્રભુશ્રી–(પુસ્તક મંગાવી, હાથમાં લઈ) આ ચિત્રવાળું કંઈક વાંચતા હતા અને આડા પડ્યા હતા. તે શું વાંચતા હતા એમ પૂછવાનો વિચાર થયો હતો તે પૂછ્યું. કહો, એમાં શું મળ્યું? Page #373 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત શરીર નહીં ઠીક હોવાથી મન રોકવા બિચારાએ વાત વાંચી, પણ ઊલટું મોહનીય કર્મ વધાર્યું. કાળ તો એમાં ય ગયો; પણ આવું કોઈ ધર્મપુસ્તક વાંચવામાં કાળ ગાળ્યો હોય તો શુભ નિમિત્તથી નિર્જરાનું કારણ થાય. અમનેય વૃદ્ધાવસ્થામાં વેદનીયને લીધે ચેન ન પડે ત્યારે કંઈક શુભ નિમિત્ત ગોઠવીએ છીએ. આજે કંઈ ઊંઘ ન આવી, ચેન ન પડયું એટલે આમ વાંચવામાં કાળ ગાળ્યો તે કાંઈ ખોટ ગઈ ? ૨૭૬ આ કંઈ તમને કે આમને જ કહું છું એમ નહીં. ખોટું લગાડવા નહીં, પણ આખું જગત આમ ને આમ દારૂના છાકમાં ગાંડું બન્યું હોય તેમ મિથ્યાત્વ જ વધાર્યા કરે છે. તો હવે કંઈ વિચારવું કે નહીં ? અનાદિકાળથી ઇન્દ્રિયોના વિષયોમાં જ ફસાઈ પરિભ્રમણ કર્યું. “અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ. અહંભાવ અને મમત્વભાવ, અહંભાવ અને મમત્વભાવ! બસ, આમાં બધું આવી ગયું પશુપંખી, ઝાડ-પહાડ, ઇંદ્ર-ચંદ્ર વગેરે. મેં જાણ્યું, મેં ખાધું, મેં પીઘું, બધામાં ‘હું' ને ‘મારું'—એ મિથ્યાત્વનું મૂળ છે. છ પદનો પત્ર અમૃતવાણી છે. પત્રો તો બધાય સારા છે; પણ આ તો લબ્ધિવાક્ય જેવો છે ! છ માસ સુધી એને ફેરવે તો પ્રભુ, કંઈનું કંઈ થઈ જાય ! ગમે તે અડચણ, વિઘ્ન આવે, તે હડસેલી મૂકવું. એ દિવસ પ્રત્યે એક વખત વિચારી જવાનો રાખ્યો તો પછી જોઈ લો. સતિનું કારણ છે. "" “એ સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય. સમ્યગ્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે.'' આ મોક્ષમાર્ગ ! હવે, બીજું મારે ક્યાં માન્ય છે ? એવી પકડ થઈ ગઈ એટલે વહેલું મોડું એ રૂપ થયે જ છૂટકો. “જન્મ, જરા, મરણ, રોગ આદિ બાધારહિત સંપૂર્ણ માહાત્મ્યનું ઠેકાણું એવું નિજસ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે.” કંઈ બાકી રહ્યું ? જન્મ, ઓછું દુઃખ ? જરા, આ ઘડપણના (પોતા તરફ આંગળી કરી) દુઃખ ઓછાં ન જાણશોહરાય ફરાય નહીં; ખાવું પીવું ગમે નહીં અને રોગ, દુ:ખ, દુ:ખ ને દુઃખ; હલાય નહીં, બોલાય નહીં, ગમતું થાય નહીં, ગમત ચેન ન પડે—એ સર્વ બાઘાપીડાથી રહિત, બાદ કરતાં ‘સંપૂર્ણ માહાત્મ્યનું ઠેકાણું એવું નિજસ્વરૂપ,' હાશ ! બીજું મરને ગમે તે થાઓ, પણ એમાં ક્યાં બીજું થવાનું છે ? “જે જે પુરુષોને એ છ પદ સપ્રમાણ એવાં પરમ પુરુષનાં વચને આત્માનો નિશ્ચય થયો છે તે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે; આધિ, વ્યાધિ, ઉપાધિ સર્વ સંગથી રહિત થયા છે, થાય છે અને ભાવિ કાળમાં પણ તેમ જ થશે.’ છાપ મારી છે છાપ! શ્રદ્ધાની જરૂર છે, નિશ્ચયની જરૂર છે. સન્ધા પરમ વુન્નન્હા કહી છે, પ્રભુ ! Page #374 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૨ સાચા પુરુષની શ્રદ્ધા, પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા એ જ “સનાતન ઘર્મ.” [‘તત્ત્વજ્ઞાન'માંથી “વચનાવલિ'માંથી વંચાવ્યું :] શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને યોગ્ય થવા માટે કહી છે; મોક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાઘવી જોઈએ.” પ્રભુશ્રી એ એ. મુમુક્ષુ–પ્રત્યક્ષ એટલે? પ્રભુશ્રી–આટલું સ્પષ્ટ છતાં ન સમજાય તો આ કાળનું એક વધારાનું અચ્છેરું ગણાવું જોઈએ. પ્રત્યક્ષ એટલે જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે તે. શાસ્ત્રમાંથી મળેલું જ્ઞાન અને પ્રત્યક્ષ જ્ઞાની દ્વારા મળેલા ઘર્મમાં મોટો ભેદ છે. શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ જ્ઞાનીના હૃદયમાં રહ્યો છે. કાગળ ઉપર “અગ્નિ' શબ્દ લખી કરોડો માણસ પોતપોતાની એવી ચિઠ્ઠીઓ રૂની વખારમાં નાખે તેથી રૂ બળે ? પણ પ્રત્યક્ષ સાચા અગ્નિની એક નાની ચિનગારી લાખો મણ રૂમાં પડી હોય તો તે બાળીને ભસ્મ કરી નાખે. તેથી શાસ્ત્રનું જ્ઞાન ગમે તેટલું હોય અને ગમે તેવો ક્ષયોપશમ હોય પણ તે કાગળમાં લખેલી અગ્નિ સમાન છે; પરંતુ આત્માના અનુભવની એક ચિનગારી હોય તો પણ તે સાચા અગ્નિની પેઠે કોટિ કર્મનો ક્ષય કરી મોક્ષ આપે છે. - એક ડોશી હતી. તેણે રૂનું ગાડું ભરેલું દીઠું. તે તો ગાંડી થઈ ગઈ કે મારાથી રોજ પાશેર પૂણીઓ પણ કંતાતી નથી તો આટલું બધું ગાડું ભરેલું રૂ ક્યારે કાંતી રહીશ ? પછી એક ડાહ્યા માણસે તે ગાંડી થઈ ગયેલી ડોશીને કહ્યું કે ડોશીમા, ગાડામાં દેવતાનો તણખો પડ્યો તે બધું રૂ બળી ગયું. એટલે “હાશ' કરીને તે ભાનમાં આવી. આમ કર્મ ગમે તેટલાં હોય પણ તેથી ગભરાવું નહીં, ઘીરજથી સહેવાં. “કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય.” તેમ જ્ઞાન થતાં તે કર્મના ભાર નથી કે તે જ્ઞાનની અગ્નિ આગળ ટકી શકે. સમજવા માટે અજ્ઞાનનું એક ખોટું દ્રષ્ટાંત દઉં છું. બધું સ્વપ્ના જેવું છે ત્યાં સાચું શું ? વટામણ પાસે એક ગામ હતું. ત્યાં એક નથુ બાવો રહેતો હતો. અને તે જ ગામમાં એક નથુ દરજી પણ હતો. એક દિવસ તે નથુ બાવાએ “તારા નામ ઉપર ધૂ' એમ કહીને એક મોટા અમલદારનું અપમાન કર્યું. એટલે દરબાર તરફથી હુકમ નીકળ્યો કે નથુ બાવાને ફાંસીએ ચઢાવવો. પણ પેલો બાવો તો કયાંનો ક્યાંય જતો રહ્યો. રાજ છોડીને ગયેલાને કોણ પકડે ? પણ ગામના મુખી ઉપર દરબારનો હુકમ આવ્યો. તેનો ઉત્તર એમ લખ્યો કે બાવો તો જતો રહ્યો છે, તો ફરી હુકમ મળ્યો કે ગમે તે નથુને ફાંસીએ ચઢાવો. એટલે અંધેરી નગરીના ગંડુ રાજાની પેઠે બિચારા નથુ દરજીને વગર વાંકે ફાંસીએ ચઢાવેલો. આમ કોઈને બદલે કોઈ કુટાઈ મરે. કેળ વળુંધો એરંડો પાણી પીએ તેમ પણ બને છે. આ મોહનલાલજીની સેવામાં રહ્યો તો કૃપાળુની દયાથી અહીં આવવાનું બન્યું. ૧. ન બનવા જોગ બને તે અચ્છેરું, આશ્ચર્ય, નવાઈ. Page #375 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ઉપદેશામૃત તા.૨૬-૧૨-૨૪ કોઈને ઘક્કો ન દેવો. કૃપાળુદેવે કહેલું અમને સાંભરે છે. એમની સેવામાં ખંભાતના શ્રી અંબાલાલભાઈ રહેતા હતા. તે તેમનાં પત્ની સાથે બિલકુલ સંબંઘ રાખતા નહીં. તેથી તેમનાં માબાપને ખોટું લાગેલું અને કૃપાળુદેવના આગળ વાત આવી એટલે તેમને સેવામાંથી જવાની આજ્ઞા કરી અને કહ્યું કે તેમના મનને સંતોષો. ગમે તે રીતે સામાને સમજાવીને રાજી રાખીને ઘર્મ સાઘવો; દુભવણી ન કરવી. આશ્રમમાં નથી જવું એવો કોઈ પ્રતિબંઘ અમને નથી. અને એ જગા પણ રૂડી એકાંતની છે. પણ કૃપાળુદેવની દૃષ્ટિએ વિચરવું છે; અને હમણાં આશ્રમ ઉપરથી મન ઊઠી ગયું છે. ત્યાં મોહનલાલજી રહેશે. અહીં પણ કાંઈ હરકત જેવું નથી, પણ સવારસાંજ જાળ લઈને માછીલોક જાય છે તે ગમતું નથી. કૃપાળુદેવે અમને ના કહી છે. “જ્યાં અનાર્ય કે અભક્ષ્ય આહાર લેનાર રહેતા હોય ત્યાં મુનિ, ન રહેવું, ન વિચરવું.” એવું કૃપાળુદેવનું કહેલું સાંભરે છે. એટલે એવા પર્યાયવાળા ક્ષેત્રમાં રહેવું ન બને તે ઠીક. [‘ઇબ્દોપદેશ'નું વાંચન – ચોથે પાંચમે ગુણસ્થાનકે ગૃહસ્થાશ્રમી પ્રત્યાખ્યાનાવરણીય કષાયસહિત હોય તે કર્મો આદરે છે પણ તે બાંધેલા ભગવી ખપાવે છે.] પ્રભુશ્રી–આમાં શું સમજવું? ૧. મુમુક્ષ લક્ષ બીજો છે એટલે કર્મોને ભોગવતાં છતાં તે ન ભોગવતો હોય એવું પરિણામ આવે છે. ભોગવીને તેનાથી મુક્ત થાય છે. પ્રભુશ્રી તમે શું સમજ્યા? ૨. મુમુક્ષુ–પૂર્વે બાંધેલાં કર્મો તે આવવાનાં તો ખરાં જ; પણ આસક્તિ રહિત ભોગવી તેને બાળી દે છે. પ્રભુશ્રી–વાત સાચી છે. તમારું કહેવું સાચું છે અને એમનું કહેવું ય સાચું છે. પણ મર્મ કોઈ રહી જાય છે. ઘણા એમ કહે છે કે અમે તો ભોગવીને કર્મ ખપાવી દઈએ છીએ. વૃત્તિ કંઈ ઊઠી તેને પૂર્વકર્મ જાણી સ્ત્રી વગેરે ભોગવી પછી એમ માને કે મેં કર્મ ખપાવ્યું. પણ એમ નથી; એ તો મોહ છે. વૃત્તિને રોકવી, સૂકવી નાખવી. બાકી એમ સંતોષ્યાથી કર્મથી છુટાતું નથી. એ તો અગ્નિમાં લાકડાં નાખવાનો કે બળતામાં ઘી હોમીને હોલવી નાખવાના જેવો પ્રયત્ન થયો; તેમ કોઈ દિવસ થયું નથી. સમ્યગ્દષ્ટિની વાત જુદી છે. પણ હું ભોગવું અને છૂટી જાઉં', એમ ન બને. એને તો રોકવી, ક્ષય કરવી. “વૃત્તિઓનો ક્ષય કરજો, મુનિ,” એવું અમને કૃપાળુદેવે કહેલું. ફરશી લઈને ૧. કોઈનું દિલ દુભાય એવું ન કરવું. Page #376 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૨ ૨૭૯ ઊભા રહેવું, જેવી વૃત્તિ જાગે કે તેના કટકા કરવા; જે કર્મ આવે તેને આવવા દેવું અને લગાવવી. બિચારાં કર્મ “મને ખપાવો, મને ખપાવો' કરીને ડોકાં નમાવીને રજૂ થશે. તે દરેકને કહેવું, “તમે આવોને, હું જોઉં છું,’ એમ કરીને વીરની પેઠે ખડા રહેવું, નમ્યું ન આપવું. [વાંચનમાં ‘ઉપેક્ષા વ ઉદાસીનતા' એ શબ્દો આવ્યા]. પ્રભુશ્રી બન્નેમાં ફેર છે. ઉદાસીનતા એ તો વીતરાગતા અને ઉપેક્ષા એ ત્યાગ. બન્નેમાં એ ભેદ છે કે “વીતરાગતા'માં શાંતિ છે અને ત્યાગમાં શૌર્ય છે. સમષ્ટિ શૂરવીર હોય. કર્મ ખપાવવામાં બળ જોઈએ છે. કાળ દુષમ છે. આયુષ્યનો ભરોસો નથી. જેટલું કરી લીધું તેટલું કામનું છે. સંસાર અને સગાંની માન્યતા થઈ ગઈ છે. તે છેવટે સાંભરે છે અને તેમને છેવટે કંઈક કહી જવાની ઇચ્છા થાય છે. જો સાચું સુખ, સત્ય વાત પોતાની સમજાઈ હોય, સગાઈ બંઘાય તેટલી દૃઢ થઈ હોય તો તે કેમ ખડી ન થાય? ખોટું દ્રષ્ટાંત છે પણ સમજવા જેવું છે. જેમ બૈરાં બલૈયાં પહેરી પોતાના ઘણીને જ પોતાનો જાણે છે તેમ તેના નામનાં જ બલૈયાં પહેરવાં ઘટે છે. આ જન્મારો તો તેના ખાતર જ ગાળવો છે. એવો પુરુષ પ્રત્યે વિશ્વાસ થઈ જવો જોઈએ; અને કાળ તેની તે વાતમાં જ ગાળવા જેવો છે. બીજું બધું ખોટું નીકળ્યું ત્યાં હવે શું કરવું? પત્રાંક ૩૭૩ નું વાંચન :– “મનને લઈને આ બધું છે.” મન શું? ભાવમન અને દ્રવ્યમાન એવા બે ભેદ છે. ભાવમન તે આત્મા. આત્મા વગર મન શાનું? ‘તેને લઈને તેના પણ એ રીતે બે ભેદ પડે. દ્રવ્યમનને લઈને અને ભાવમનને લઈને. આ બધું છે.” શું? સ્વભાવ અને વિભાવ. આત્મા ન હોય તો આ બધું શું જણાય? ‘તેનો નિર્ણય – એ પણ બાહ્યાભંતર બે ભેદે આત્માને લઈને છે. ઘણા કાળના બોઘ વિના એ સમજાવું મુશ્કેલ છે. એક ગામના પટેલ ઉપર દરબારની ઇતરાજી થવાથી એક જોડી બળદ, ગાડું અને દાણા આપી કુટુંબ સાથે તેને રાજ્યની હદબહાર કાઢી મૂક્યો. ત્યાં જંગલમાં તેની સ્ત્રીએ બાળક જગ્યું. વરસાદ વરસવા લાગ્યો અને લૂંટારા લૂંટવા આવ્યા. એટલે ગાડા ઉપર ચઢી ફાળિયું વીંઝતાં વીંઝતાં તે બોલાવવા લાગ્યો કે આવજો, આવજો—જેનાથી અવાય તે આવજો. લૂંટારાઓએ કહ્યું, “કોને બોલાવે છે? ઊતર, નહીં તો ડાંગ મારી મારી નાખીશું” એટલે તેણે પોતાને વીતેલી વાત કહી, “હું તો આખા ગામને ઘણી હતો. ઈર્ષાવાળાએ દરબારમાં જણાવ્યું કે મારા Page #377 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ઉપદેશામૃત ગામમાંથી ફરિયાદ દરબાર કને જતી નથી. એટલે તેમને પૈસા મળતા નથી. તેથી મને આમ કાઢી મૂક્યો. વરસાદ આવ્યો. સ્ત્રીએ છોકરું જણ્યું અને તમે આવ્યા. તો જેટલાં દુઃખ આવવાનાં હોય તે બધાંને બોલાવું છું તે આવી જાય.'' આમ જેને સંસાર દુઃખરૂપ જણાયો હોય; પણ દુઃખમાં કે સુખમાં જેને સમતા વર્તે છે તે પ્રભુ પાસે દુ:ખ જ માગે છે. અમને સારણગાંઠ છે. ઝાડા વખતે હરસમાં કાચું રહી જવાથી આંતરડું ખસે છે. તે પ્રસૂતિની વેદના જેટલું દરરોજ વેઠવું પડે છે. વૃદ્ધાવસ્થા, કફ, મુઝવણ, વાયુ વગેરેમાં પણ બાંધેલાં વેદવાનાં છે તે વેદીએ છીએ; અને જવા આવેલાં જાય છે. એમ જોઈએ છીએ. [મુમુક્ષુને ‘તત્ત્વજ્ઞાન’ આપતાં] આ ‘તત્ત્વજ્ઞાન’માં જે વસ્તુ છે તે અપૂર્વ છે ! તમે જે માનતા હો તે ધર્મનો વાંધો નથી. પૂજા કરો, દાન કરો તો તેનું ફળ છે, પુણ્ય બંધાય. પણ આ તો મોક્ષનો માર્ગ આપે તેવું છે. ગમે તેટલી પ્રવૃત્તિમાં હોઈએ પણ તેને વિસારવો નહીં. સાચો ધર્મ, સત્પુરુષોનો ધર્મ શાસ્ત્રોમાં નથી હોતો. શાસ્ત્રો યોગ્યતા આપે છે. આટલો ભવ એ ખાતે ગાળવો. બધાનું ફળ મળે છે તો એનું ન હોય ? ચૂકવા જેવો વખત નથી. સ્મરણમાં રહેજો. પત્રાંક ૧૧૭ નું વાંચન :– “એ પાવન આત્માના ગુણોનું શું સ્મરણ કરવું ? જ્યાં વિસ્મૃતિને અવકાશ નથી, ત્યાં સ્મૃતિ થઈ ગણાય જ કેમ ?” પ્રભુશ્રી—આનો શો પરમાર્થ ? મુનિ મો—બોધબીજની વાત છે, જ્યાં મનવાણીની ગતિ નથી ત્યાં સ્મૃતિ વિસ્મૃતિ જે મનને લઈને છે તેની ગતિ ક્યાંથી હોય ? આપ કંઈ ફરમાવો. પ્રભુશ્રી—નય અનંતા છે. નય અપેક્ષાએ ખોટું નથી. પણ એના શરણાથી અત્યારે જે સ્મૃતિમાં આવે છે તે જણાવું છું. સત્ પુરુષના યોગે ગેડ બેસી જાય, સમજણમાં વસ્તુ આવી જાય અને તેને ગ્રહણ કરી છોડે નહીં, તેને જ માટે જીવે, એવો કોઈ સમિતનો રંગ છે ! કોઈ વસ્તુને ડાઘ લાગી જાય તે જતો નથી; તેમ તે ભુલાય નહીં. તા. ૨૮-૧-૨૫ “એહિ નહીં હૈ કલ્પના, એહિ નહીં વિભંગ; જબ જાયેંગે આતમા, તબ લાગેંગે રંગ.’ એવો રંગ સૌભાગ્યભાઈને, જૂઠાભાઈને, અમને લાગેલો. કાગળમાં લખેલો અગ્નિ અને સાચા અગ્નિમાં આભજમીનનો ફેર છે. એક વખત એનો સ્પર્શ થયા પછી ગમે તેવા પ્રસંગો આવે તો પણ એને જુદું ને જુદું જ લાગે. જુઠાભાઈને ત્યાં પણ વેપાર, સગાઈ સંબંધ વગેરેના Page #378 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૨ ૨૮૧ પ્રશ્નો ઘણા આવેલા; પણ તે પોતાના ન હોય તેમ જ ગણે. આત્મહિતમાં જ લક્ષ રહે એવી દશાનાં વખાણ કર્યાં છે. ‘ક્યા ઇચ્છત ? ખોવત સર્બ, હૈ ઇચ્છા દુઃખમૂલ.” તા.૨૫-૫-૨૫ આ, આ, તમે, બધા એકઠા થયા છીએ તે સંસ્કાર જ ને ? ઋણાનુબંધે બધા એકઠા મળે છે અને જુદા પડે છે. ખરો વૈરાગ્ય જ ક્યાં સમજાયો છે ! સમજાશે ત્યારે તો ઘડી પણ ગમશે નહીં. હાથી, ગાય, ભેંસના બચ્ચાં જન્મે છે ત્યારે પોટો આવે છે. તેમાંથી બચ્ચાને બહાર કાઢવું પડે છે, ઓરમાંથી બચ્ચાને છૂટું કરવું પડે છે. તેમ કર્મના પોટાથી બિચારો જીવ વીંટાયો છે. ત્યાં તેને શાની ગમત આવે ? કેમ ગમે ? જે ગમે તેને ન ગમાડવું અને ન ગમે તે ગમાડવું, એવું જ્ઞાની પુરુષનું વચન છે. દુઃખ આવો, મોત આવો, ગમે તે આવો, ભલેને તેથી વધારે આવો, જેટલું આવવું હોય તેટલું આવો ! એ ક્યાં આત્માનો ધર્મ છે? એ બોલાવ્યું આવવાનું નથી અને ‘ના આવે, મટી જાય, સારું થાય' એમ કહ્યું ઓછું થવાનું નથી, તો પછી તેનાથી ડરવું શું ? જેમ જ્ઞાની પુરુષે દીઠું છે તેવું મારું સ્વરૂપ છે. એણે માનેલું મારે માન્ય છે. પછી બીજું ચાહે તે આવે. તેને મારું માનું ત્યારે મને દુ:ખ છે ને ? એક સાચા પુરુષ મળવાથી આ સમજાય છે; નહીં તો કોણ જાણે આત્માનું સ્વરૂપ શું છે અને કેવું છે ? ⭑ ⭑ મોઢે થઈ ગયું હોય તે ગગડાવી જઈએ; ડિકમણું પડપિડયું કરી જઈએ; અથવા ઉપયોગ ન હોય કે કાચું હોય, બરાબર મોઢે થયું ન હોય તે બોલવાનું હોય તો બીજું બોલી જવાય. તે બન્ને બરાબર નથી. મોઢે તો એવું કરવું જોઈએ કે ઊંઘમાં હોઈએ અને કોઈ કહે તો એક પણ ભૂલ વિના ઊઠતાં જ બોલી જઈએ. ધ્યાન રાખીને બોલાય માટે—ઉપયોગ-શૂન્ય ન બોલાય માટે કેટલીક વાર ઊલટેથી બોલવું, ‘૧, ૨, ૩, ૪' ને બદલે ‘૪, ૩, ૨, ૧'ની પેઠે; જેમ કે ‘આત્મસિદ્ધિ’ બોલવી હોય અને બહુ મોઢે થઈ ગઈ હોય તો છેલ્લી ગાથાથી શરૂ કરી પહેલી સુધી બોલવી. એમ પ્રયત્નથી અભ્યાસ કરે તો ઉપયોગસહિત બોલાય. ઘડી વાર જો મનને વીલું મૂક્યું તો નખ્ખોદ વાળશે. કંઈ ને કંઈ કામમાં તેને જોડવું. ભગવાનની આજ્ઞા છે કે સમય માત્ર પણ પ્રમાદ કરવો નહીં. આમાં અપૂર્વ વાત જણાવેલી છે. તા.૧૪-૬-૨૫ [પાંચ સમિતિ વિષે પત્રાંક ૭૬૭ વંચાતાં.] Page #379 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ઉપદેશામૃત “પ્રવચન અંજન જો સરુ કરે દેખે પરમ વિઘાન, જિનેશ્વર.” એમાં પ્રવચન અંજન કહ્યું છે તે આ પત્રમાં છે. ત્રણ ગુણિ-મન, વચન, કાયાની અને પાંચ સમિતિ–આજ્ઞાના ઉપયોગપૂર્વક બોલવું, ચાલવું, આહાર ગ્રહણ કરવો, વસ્ત્રાદિ લેવાંમૂકવાં અને નિહારક્રિયા (મળત્યાગ વગેરે) આમ આઠે બાબતોમાં આજ્ઞાનો ઉપયોગ રાખીને વર્તે તે પ્રવચન અંજન.” ઘટપટ વિષે બોલતા પહેલાં આત્મા તરફ ઉપયોગ રહે. પહેલો આત્મા અને પછી બીજું. જ્યાં જુઓ ત્યાં આત્મા, આત્મા, આત્મા. રોમેરોમ એ સાચો, સાચો, સાચો થઈ રહ્યું છે. અઢાર દૂષણથી રહિત કેવો એ દેવ ! ક્રોઘ નહીં, માન નહીં, માયા નહીં, રતિ-અરતિ નહીં વગેરે દોષોથી રહિત ! એ કદી તરસ્યો થયો છે ? ભૂખ્યો થયો છે? રોગી છે? બ્રાહ્મણ છે? સ્ત્રી છે? પુરુષ છે? એક સમજ ફરે તો ચમત્કાર જેવું છે. “પણે હું ગયો' કહે ત્યાં મિથ્યાત્વ. હું', અને “તું જુદું થયું છે તેને થયું છે. બાકી બીજા કહે તેમાંનું કશું ગમતું નથી. મોટા કાશીના પંડિત હોય કે ગમે તે હોય પણ એક સાચાની માન્યતા થઈ ગઈ છે તેથી બીજો કોઈ ગમતો નથી. અને એ જ કર્તવ્ય છે. “વાત છે માન્યાની.” સપુરુષની યથાયોગ્ય પ્રતીતિ વિના જીવાજીવનું જ્ઞાન થતું નથી તે સત્ય છે. રાત્રે પાણી ઢંઢિયા ન રાખે, જરૂર પડે તો માતૃ કે રાખથી ચલાવે. શાસ્ત્રમાં તેવી સંકડાશ કેમ રાખી હશે? તેવી આચારાંગ વાંચતાં શંકા અમને થયેલી તે દેવકરણજી અને અમે પુછાવેલ તેનો આ ઉત્તર. એમાં તો અપૂર્વ વાતો રહી છે ! તોડી ફોડીને કહેવાય તો ખરી ખૂબી આવે. બાવળીએ બાથ ભીડીને કહે છે કે મને છોડાવો, મને કોઈ છોડાવો. છોડી દે એટલે છૂટો થઈશ. પુરુષ તો કહી છૂટે. ગોર તો પરણાવી આપે. શું ઘર પણ માંડી આપે? તા. ૫-૧-૨૬ [‘ગોમટ્ટસાર”માંથી કષાયમાર્ગણા વંચાતાં.] કૃપાળુદેવે ચાર કષાયને ચાર ચક્રવર્તી કહ્યા છે. તેમને જીતવા તે ચક્રવર્તીઓને જીતવા સમાન છે. રાગદ્વેષરૂપ બળદ લઈ કષાયખેડૂત મિથ્યાત્વબીજ વાવી રહ્યો છે. તે કેવું ફળ આપે છે? અરરર! અનંત સંસાર રઝળાવે છે. આ વેરી, એને ન મારવા? મરો ! મરો! ઠેકાણે ઠેકાણે મરી જવા જેવું છે. હા, મોત ન હોત અને ભલે જરા, રોગથી જર્જરિત થયેલું પણ શરીર આમ ને આમ ચાલવાનું હોત તો ઠીક, ઘીરજ રખાય. પણ આ બે ઘડી દહાડો આ મનુષ્યભવ મળ્યો છે તેનો શો ભરૂસો ? કેટલું જીવવું છે? રોજ બેસી રહેવું છે? તો હવે મોતને કેમ ભુલાય? સમ્યકત્વને, આત્માના શુદ્ધ પરિણામને ઘાતે તે કષાય. અરરર ! તે તો કસાઈ જ. તેનાથી મોટું પાપ શું? મોહનલાલજી બોલતા હોય કે અમે બોલતા હોઈએ અને મનમાં વિચાર આવે કે એ તો એમ કહે છે પણ આમ હોવું જોઈએ. એ મોટા છે એટલે શું કહેવું? નહીં તો ખરું તો Page #380 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૨ ૨૮૩ આમ છે. આવો ભાવ આવે તે શું ? જીવે સામાન્ય કરી નાખ્યું છે. એ ચંદનવૃક્ષનો વા વાવો પણ દુર્લભ છે. આ કાળમાં એ મળવું મહા દુર્લભ છે. એક જ્ઞાનીની દૃષ્ટિએ સાચું છે તે સાચું છે. બાકી તો બહારથી શીતળ દેખાતો હોય અને જ્ઞાની કહે કે તે રાગી છે, તો તે ખરું અને બહારથી ક્રોધ દેખાતો હોય પણ અંતરપરિણામ સમ્યક્ હોય. એક શીતળદાસ બાવા હતા. તેને એક જણે આવીને નામ પૂછ્યું તો કહે, શીતળદાસ; ફરી પૂછ્યું તો કહે, શીતળદાસ, એમ બે ત્રણ વાર તો ઉત્તર આપ્યો; પણ પાંચ સાત વાર પૂછ પૂછ કર્યું એટલે એ તો ઊઠ્યો ચીપિયો લઈને મારવા. એટલે પેલા માણસે કહ્યું, શીતળદાસ તમારું નામ નથી, ખરી રીતે તો અગ્નિદાસ છે. આમ હોય છે. મુમુક્ષુ આ અવિનનું કર ભલું' એમ પરમકૃપાળુદેવે પ્રાર્થના કરી છે, તે પ્રમાણે કૃષિ, કામિની અને કંચનના ત્યાગ દ્વારા ટૉલ્સ્ટૉય અને લેનીને રાગદ્વેષના ત્યાગનાં નિમિત્ત આદર્યાં છે. તો તે પણ ધર્મ પામવાને પાત્ર થતા જાય છે પ્રભુશ્રી—ત્યાં રાજા છે કે નહીં ? મુમુક્ષુ–રાજાને ત્યાં ફાંસીએ ચઢાવ્યો. પ્રભુશ્રી—ત્યારે તો ત્યાં રાગદ્વેષ હજી છે અને તે ય તીવ્ર. તે કારણે જ જ્ઞાનીએ તે દેશો અનાર્ય કહ્યા છે. બહારથી ગમે તે દેખાય પણ જ્ઞાનીની દૃષ્ટિએ સાચું છે તે સાચું; બીજું મારે માન્ય નથી. ગમે તેવું ચમત્કાર જેવું ભલેને લાગે, પણ જ્ઞાનીને જે સાચું જણાયું છે તે જ મારે માન્ય છે. એટલું આટલા ભવમાં કરવા જેવું છે. એક ત્યાગી હતો. તે ખાય દ૨૨ોજ છતાં ‘કદી નિહાર કરતો નથી' એવી વાત બધે ફેલાવા લાગી. તે વાત એક જૈનના જાણવામાં આવી. તેથી તેની પરીક્ષા કરવા મીઠાઈ લઈને તે ત્યાગી પાસે ગયો. ભાવ દેખાડી, બરાબર જમાડી અને સેવામાં હાજર રહેવા રજા માગીને રહ્યો. આખો દિવસ કંઈ જણાયું નહીં. પણ સવાર થવા આવ્યું ત્યારે બાવાજી નાહવા જવા નીકળ્યા ત્યારે પેલો માણસ પણ સાથે ગયો. બાવાજી નાહતાં નાહતાં ડૂબકી મારી ગયા એટલામાં ઉપ૨ વિષ્ટા તરી આવી. એટલે તે જૈને કહ્યું, બાવાજી હવે બહાર નીકળો, લીંડી ઉપર દેખાઈ. આમ લોકોને તમાસો દેખાડી તેણે ‘આહાર હોય તેને નિહાર હોય જ' એ વાત જણાવી પોગળ બહાર પાડ્યું. તેમ ગમે તેવાં બહાર ચિહ્ન દેખાય પણ સાચું તે જ સાચું છે. હું સમજું છું, અને મને સમજાય છે તે સાચું છે અને આનું ખોટું છે એ બઘી વાતો મૂકી એક જ્ઞાનીએ જોયું છે તે સાચું છે—એ ઉપર રહેવાની જરૂર છે. કોઈ કહે કે હું એમ સમજું છું; તો પણ ભૂલ છે. જ્ઞાનીની છાપ જોઈએ. પોતાની મેળે માની લેવા જોગ નથી. Page #381 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ઉપદેશામૃત તા.૬-૧-૨૬ પ્રભુ, જીવ હજી ક્યાં થાક્યો છે? સ્વચ્છંદ અને સ્વચ્છંદમાં જ નિજકલ્પનાએ દોડ્યા જ કરે છે. કંઈ કહેવા જેવું નથી. આ વખત કોઈ અપૂર્વ છે, ચેતી લેવા જેવું છે. આમ કરું અને આમ થાય, આમ કર્યું તે ઠીક, વગેરે અણસમજ છે. કર્મ છે તે ક્યાં છોડે તેમ છે? ગુરુના શરણથી અમને તો શાતાવેદનીય હોય તો પણ ગમતી નથી અને અશાતા પણ તેવી જ છે. એ ક્યાં આત્માનો ઘર્મ છે? ક્યાં ય ખળવા જેવું નથી. મુમુક્ષ-બે દિવસ થોડો મંદવાડ હતો ત્યાં સુધી તો મંત્રનું સ્મરણ થયું પણ ત્રીજે દિવસે વિશેષ દુઃખ થતું ત્યારે મંત્રના જાપની ઇચ્છા, ભાવના તો રહેતી. પણ બાપ રે! અરેરે ! એમ બોલાઈ જતું તેનું કેમ હશે ! પ્રભુશ્રી–જે ભાવના રહે છે તે કંઈ ઓછું નથી. અપરિણામિક મમતા જેવું છે. પણ પછી શરીર ઠીક થવા આવ્યું એટલે તો પાછો બીજા કર્મનો પ્રવાહ બંધ પડ્યો હતો તે શરૂ થયોને?— આ બોલાવે છે, આ અમુક લાવ્યા, આ કામ છે, ને આ લેશોને? એ ગડમથલમાં સ્મરણ પણ રહેવું કઠણ થઈ પડે. માટે મંદવાડ પણ હિતકર્તા થઈ પડે છે. મટ્યા પછી ઠીક થયું એમ તમને લાગતું હશે પણ આ પાછી ઉપાધિ આવીને વળગી, લફરાં બાંધેલાં તે બઘાનું દેવું ચૂકવવું પડે ને? પણ જેટલો વખત સ્મરણમાં અને ભાવનામાં ગયો તે લેખામાં ગયો. અમને તો હવે વૃદ્ધાવસ્થા થઈ, દુઃખ પણ ચાલતું રહે છે. અત્યારે ગઈ કાલ કરતાં તાવલી વિશેષ છે, તો ય લવરી થતી હોય તેમ, આ જોને બોલાઈ જાય છે. તેથી કશું ગમતું નથી. મરણ ન હોય તો તો કંઈ વાંધો નથી; પણ આવું આવું ય શરીર કેટલો કાળ રહેવાનું? અને અમારા એકલા ઉપર ક્યાં છે? કોઈનેય ક્યાં એમ છે કે આટલાં વર્ષ સુધી તો મોત નથી જ આવવાનું? ઘડીમાં શુંનું શું થઈ જાય છે ! તેથી અમને તો એના શરણાથી કશામાં ગમ્મત નથી આવતી. એક દેવે વેરભાવને લઈને એક સમકિતીને દરિયામાં નાખ્યો ત્યાંથી તેનો મોક્ષ થયો એમ કંઈ વાત છે ને ? પણ નિમિત્ત હંમેશાં સારાં રાખવાં. મુનિ મોઘારશીભાઈના અંતકાળ વખતે ચોવીસે કલાક તેમની સમીપ શુભ નિમિત્ત રાખવામાં આવ્યાં હતાં. કોઈ વખત વંચાય તો કોઈ વખત મંત્રનો જાપ કરનાર રાખી મૂક્યો હતો. “સહજાત્મસ્વરૂપ, સહજાત્મસ્વરૂપ, કેવળજ્ઞાનદર્શનમય સહજાન્મસ્વરૂપ.” એવો જાપ ચાલુ જ રહેતો. જ્યારે વેદનીનું જોર વિશેષ હોય ત્યારે જીવનું વીર્ય મંદ પડી જાય. અને દબાઈ જાય તે વખતે સ્મૃતિ આપનાર હોય તો વિશેષ લાભ છે. પ્રભુશ્રી–સૌભાગ્યભાઈના મરણ વખતે અંબાલાલભાઈ “સહજત્મસ્વરૂપ” સંભળાવતા હતા. ત્યારે પોતાના ધ્યાન ઉપયોગમાંથી બહાર આવી તેમાં સૌભાગ્યભાઈને ઉપયોગ જોડવો પડ્યો. તેથી તે વખતે કંઈ ન બોલવાનું તેમણે સૂચવ્યું હતું. એમ સ્યાદ્વાદ પણ છે. Page #382 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૨ ૨૮૫ મુનિ મો—તેમ છતાં અંબાલાલ વિચક્ષણ હતા. તે જ્યારે વિશેષ વેદનાનાં ચિહ્ન જણાય ત્યારે પાછા સ્મૃતિ આપતા રહેતા. તા.૭-૧-૨૬ [‘મોક્ષમાળા' શિક્ષાપાઠ ૧૦૦ “મનોનિગ્રહનાં વિદ્ય' વંચાતાં.] મુમુક્ષુલક્ષની બહોળતા એટલે શું? પ્રભુશ્રી–ઉપયોગનું વિભાવમાંથી મુકાવું, વિશાળપણું થવું તે. ઉપયોગની નિર્મળતા માટે, ચૂકી જવાય નહીં તે માટે કાંઈ બહુ શ્રવણ વગેરેની ખાસ જરૂર નથી. [‘એકે ઉત્તમ નિયમ સાધ્ય ન કરવો’ એ અઢારમા દોષના વિવેચન પ્રસંગે દૃગંત.] ફેણાવના છોટાલાલ કપૂરચંદ, અંબાલાલના સહિયારી હતા. તેમને “બહુ પુણ્યકેરા પુંજથી” એ કાવ્યની પહેલી કડીની બે લીટી વારંવાર સ્મરણમાં રહેતી. જ્યારે જોઈએ ત્યારે તે તેમના મુખમાં હોય જ. તેના ઉચ્ચાર વગરનો કોઈ સમયે અમે તેને દીઠો નથી. તેથી તેના મતિજ્ઞાનની નિર્મળતા થવાથી તેને પોતાના મરણની કંઈક ખબર પડી. તે જાતે બહુ પાકો હતો. અંબાલાલભાઈના કુટુંબનું ઘણું ખરું કામ ઉપાડી લેતો; અને સ્વાર્થી એટલો બધો કે તેની ગમે તે ક્રિયામાં બીજાને સ્વાર્થની ગંધ આવ્યા વિના ન રહે. એક દિવસ સાંજે બધા ભક્તિમાં બેસતા ત્યાં આવી બઘાને તે નમસ્કાર કરવા મંડી પડ્યો. બઘાને લાગ્યું કે કંઈ કારણ વિના તે આમ કરે નહીં. તેથી ભાઈ અંબાલાલે પૂછ્યું કે છોટાભાઈ, તમો આજે આમ કેમ કરો છો ? તેણે કહ્યું કે મારે તમારી પાસેથી આજે વચન લેવું છે. એટલે તમારે જોઈતું હોય તે કહો, એવું કહ્યું. તો પણ ફરી કહ્યું કે વચન આપો કે આપીશું, તો માગું. પછી અંબાલાલભાઈએ હા પાડી એટલે તેણે તેમની પાસેથી અને પાસે બેઠેલા નગીનદાસ પાસેથી પોતાના મરણ વખતે હાજર રહી મરણ સુધારવા અને સ્મરણ અપાવવાની માગણી કરી. તેમણે તે કબૂલ્યું. એકાદ અઠવાડિયા પછી તે ભાઈને પ્લેગની ગાંઠ નીકળી. એટલે એક તો વ્યાવહારિક ઉપકારને લઈને અને વચન આપેલું તે કારણે અંબાલાલભાઈ ત્રણેય દિવસ તેમની પાસે ને પાસે જ રહ્યા. અને કંઈ વાંચન, ભક્તિ, બોઘ વગેરેથી તેનો ઉપયોગ તેમાં જ જોડાઈ રહે તેમ પ્રવર્તતા. બીજા, નગીનદાસ પણ સાથે રહેલા અને તેનો ભત્રીજો પોપટભાઈ પણ તેમની સેવામાં રહેલો. એ ત્રણેને ચેપ લાગુ પડ્યો. અને ત્રણેનાં સાથે મરણ થવાથી ત્રણેને સાથે બાળેલા. આ મનોનિગ્રહનો “મોક્ષમાળા'નો પાઠ યોગ્યતા આપે તેવો છે. તેમાં કેટલી બધી વાતો સમાઈ છે ! આળસ, ઊંઘનો ત્યાગ અને સંયમ એ બઘાં કર્તવ્ય છે. મુમુક્ષુલક્ષની બહોળતામાં લક્ષ એટલે શું? પ્રભુશ્રી–લક્ષ શું? “લક્ષ, લક્ષ' એટલે ઘસી નાખવું, એનું એ, એનું એ—નિરંતર લક્ષમાં રાખવું. બીજું કંઈ ગમે નહીં. જ્યાં સુધી આ પાઠમાંના દોષ હોય ત્યાં સુધી મન કેમ વશમાં આવે? “મન, તેને લઈને, Page #383 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ઉપદેશામૃત આ બધું અને તેનો નિર્ણય’ એ પત્ર ૩૭૩ માં એ જ વાત આવી છે. ૪૩૦ મા પત્રમાં જણાવેલા પ્રતિબંઘ દરેકને વિચારવા જોગ છે. “અસંગપણું એટલે આત્માર્થ સિવાયના સંગપ્રસંગમાં પડવું નહીં, સંસારના સંગીના સંગમાં વાતચીતાદિ પ્રસંગ શિષ્યાદિ કરવાના કારણે રાખવો નહી, શિષ્યાદિ કરવા સાથે ગૃહવાસી વેષવાળાને ફેરવવા નહીં. દીક્ષા લે તો તારું કલ્યાણ થશે એવાં વાક્ય તીર્થકરદેવ કહેતા નહોતા. તેનો હેતુ એક એ પણ હતો કે એમ કહેવું એ પણ તેનો અભિપ્રાય ઉત્પન્ન થવા પહેલાં તેને દીક્ષા આપવી છે; તે કલ્યાણ નથી. જેમાં તીર્થંકરદેવ આવા વિચારથી વર્યા છે, તેમાં આપણે છ છ માસ દીક્ષા લેવાનો ઉપદેશ જારી રાખી તેને શિષ્ય કરીએ છીએ તે માત્ર શિષ્યાર્થ છે, આત્માર્થ નથી. પુસ્તક છે તે જ્ઞાનના આરાઘનને અર્થે સર્વ પ્રકારના પોતાના મમત્વભાવ રહિત રખાય તો જ આત્માર્થ છે, નહીં તો મહાન પ્રતિબંઘ છે. તે પણ વિચારવા યોગ્ય છે. આ ક્ષેત્ર આપણું છે, અને તે ક્ષેત્ર જાળવવા ચાતુર્માસ ત્યાં રહેવા માટે જે વિચાર કરવામાં આવે છે તે ક્ષેત્રપ્રતિબંઘ છે. તીર્થંકરદેવ તો એમ કહે છે કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એ ચારે પ્રતિબંઘથી જો આત્માર્થ થતો હોય અથવા નિગ્રંથ થવાતું હોય તો તે તીર્થંકરદેવના માર્ગમાં નહીં, પણ સંસારના માર્ગમાં છે.” આ વાત કોઈ વાંચે તો કેવું પરિણામ થાય? કોઈ પણ સાધુને પોતાના દોષ જાણવાનું આ સાઘન છે. [‘ગોમટ્ટસાર’માંથી જ્ઞાનમાર્ગણા વંચાતાં.] મિથ્યાત્વ જતાં શ્રદ્ધા થાય. પણ શ્રદ્ધા આવ્યા પહેલાં શું કરવું? મનોનિગ્રહના પાઠમાં આવ્યું હતું તે યોગ્યતા આપે તેવું છે. “એક મત આપડી કે ઊભે માર્ગે તાપડી', એ તો શ્રદ્ધા આવ્યા પછી થાય. પણ તે પહેલાં તો યોગ્યતા લાવવા, તે ટકાવી રાખવા મહેનત કરવી પડે. દવા આપતા પહેલાં રેચ આપીને પછી ચરી પાળવાની હોય છે. તેવી યોગ્યતા કે દશા લાવવાની વાત છે. જો પોતાનામાં ગુણ પ્રગટ્યો છે એમ જોવા જાય તો પાછું જેમ બાળકને ખજૂરની ચરી હોય ને તે ખાઈ ગયો હોય તો અરર! ફરી રેચ આપવો પડશે અને બધું નકામું ગયું એમ ગણાય છે, તેમ પાંગરો ન રહે, લાંબાટૂંકા હાથપગ કરે તેને માબાપ કહે કે સમો રહેને હવે; તેમ ઘર્મમાં પણ માત્ર કંગાલ, રાંકની પેઠે દીન થઈ પડી રહેવા જેવું છે. ઉપદેશ આપવા કે ડહાપણ કરવા જેવું નથી. પણ એક સપુરુષે માન્ય કર્યું છે, તેણે દીઠું છે તે જ ખરું છે એ નિશાન, લક્ષ રાખવા જેવું છે; તે ભૂલી જવા જેવું નથી. જો પોતાનામાં જોવા જાય તો શું દેખે ? અંધારું, તર્કવિતર્કનું જાળું. જ્યાં એટલી દશા આવી નથી, યોગ્યતા થઈ નથી ત્યાં શું જણાય? એ તો જરા મોટો થાય, વયે આવે ત્યારે સમજાય એવું હોય, તેનું કેમ કરવું? “સાકર આવી હોય, એમ કહ્યું તેનો ખ્યાલ ન આવે, પણ જેમ એકે ચાખી હોય તેમ બીજો ચાખે ત્યારે ખબર પડે કે તે આવી હોય. પરીક્ષાપ્રઘાનપણું વયે, યોગ્યતાએ આવે છે. ત્યાં સુધી તે શી રીતે પરીક્ષા કરશે? કયા માપે માપશે? ઊંઘી માણે પાણી ભરાય? ગઈ કાલે એક ભાઈ વાત કરતા હતા, કે પશ્ચિમમાં રાગ-દ્વેષ મટવાનાં ચિહ્ન જણાય છે; પણ જ્ઞાનીએ જોયું છે તે સાચું છે. એટલે જ Page #384 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૨ ૨૮૭ ઊભા રહેવા જેવું છે. એ ભાઈ તો મનમાં એમ માને છે કે મારી સમજ સમ્યક છે. પણ જો, શું નીકળ્યું! પુણ્યના ભોગે બધું મળી આવે, પણ સમજની વાત ન્યારી છે ! તે ઉદાર છે તેની ના નહીં અને કંઈક તેવા જોગે જ આ જે છે તે દેખાય છે. મુનિ મો—જે મિથ્યાત્વમાં હોય છે તે ઉદારતા બતાવે કે ગમે તે પ્રવૃત્તિ કરે તો પણ કર્મ વઘાર્થે જાય છે; અને સમકિતી જીવને નિર્જરા થયે જાય છે. ઊલટું વઘારે ક્ષયોપશમવાળાની પાસે વઘારે કચરો હોય. ગણતરી તો સમકિતની છે. મુમુક્ષુપ્રભુ, કોઈ જીવને મૂકવું હોય પણ મુકાતું ન હોય, સમજાતું ન હોય કે કેમ મૂકવું; તેનું કેમ? પ્રભુશ્રી–કંઈક એ જ રહ્યું છે. મૂકવાનું એવું ક્યાં દેખાય એવું છે કે, નખ વધેલો હોય તો તેને કાપી નાખીએ તેમ, દૂર થાય? પણ જે જ્ઞાનીની દૃષ્ટિએ સાચું નથી તેને સાચું માનવું નહીં. પછી ભલેને બધું પડ્યું રહ્યું ! એ તો એનો કાળ આવ્યું જશે. પરંતુ કોઈ વીસ વર્ષનો પુત્ર મરી જાય તો એમ ન થવું જોઈએ કે હાય ! હાય ! છોકરો મરી ગયો. પણ પહેલેથી નક્કી કરી મૂકવું કે “મરણ તો છે જ; અને આ બધું ખોટું છે, સ્વપ્ન જેવું છે. જીવે તો ય શું ને મરે તો ય શું?' કોઈ ગાળ ભાંડે તો ઊલટું “મારું પાપ ધોવાય છે, કર્મ જાય છે', એમ એકને થાય છે અને બીજાને “મને કહ્યું” એમ લાગે છે; પણ એવી સમજ ફર્યો ખોટું ન લાગે ત્યારે સમજવું કે શ્રદ્ધા જ્ઞાનીએ કહી તેમ છે. નહીં તો “મને શ્રદ્ધા છે' એમ કહે તેથી શું વળે? ભેદ પડવો જોઈએ. કામ કરતા છતાં તે ખરું નથી, રાખનાં પડીકાં જેવું છે, એમ લાગે. કોઈ એમ જણાવે કે કાલે તારું મરણ છે તો પછી બીજામાં તેનું મન રહે? મન પાછું ઓસરે, ઉદાસ રહે. તેમ મરણને યાદ રાખ્યા કરવાથી યોગ્યતા આવે છે. મમતા ઓછી થાય તેમ કરવું. ઠાર ઠાર મરી જવા જેવું છે. જ્ઞાની પુરુષનો આશ્રય મહાભાગ્ય પ્રાપ્ત થાય છે. આપણને કૃપાળુદેવનો આશ્રય પ્રાપ્ત થયો છે તે કોઈ ને કોઈ પૂર્વકર્મના સંયોગે થયો છે ને? તે જો સાચી દ્રષ્ટિ થઈ હોય તો એક કુટુંબ જેવું લાગે. કુટુંબમાં જેમ એક વઘારે કમાય એક ઓછું કમાય, પણ બધા કુટુંબીઓ ગણાય; તેવું રહે. મરણ વખતે શોક કે ખેદ થવો ન જોઈએ. જેમ ઢોરને નવે ઘેર કે નવે ખીલે બાંધે ત્યાં તેને પણ ગમતું નથી, તેમ આ દેહમાંથી નીકળવું જીવને ગમતું નથી. વસ્ત્રના જેવો સંબંધ જીવને દેહ સાથે છે. તે તો જ્ઞાનીએ જાણ્યો છે. મુનિ મો—કોઈ માણસે ઘન દાઢ્યું હોય અને ચોર લઈ ગયા પછી જમીન સરખી હતી તેવી કરે તો ખબર ન પડે ત્યાં સુધી ખેદ થતો નથી, પણ જાણે છે ત્યારે ખેદ થાય છે. તેમ ક્ષણે ક્ષણે મરણ થાય છે તેની ખબર નથી પણ મરણ વખતે દેહ છૂટતી વખતે ખેદ કરે છે. પ્રભુશ્રી–તેનો હોય તો છૂટે શાનો? પારકું હોય તેટલું જાય. મરણ સંભારનારમાં એવા પણ સ્યાદ્વાદી હોય છે કે મરણ આવશે તો એકઠું કરેલું છોકરાં ખાશે એમ કહે પણ વૈરાગ્ય Page #385 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ઉપદેશામૃત પામતા નથી. આત્મા ક્યાં કોઈનો છોકરો થયો છે? પણ વ્યવહારે હોય તે કહેવાય. રાખનાં પડીકાં જેવો વ્યવહાર કરી નાખવો. કારણ કે તે બધું ખોટું નીકળ્યું છે, તેમાં સાર નથી. તે ક્યાં આત્માના ગુણ છે ? આત્મા જ સત્ય છે. તા. ૧૧-૧-૨૬ [‘મૂળાચાર' વંચાતાં] શંકા - તત્ત્વની સમજ એ સમકિતનું કારણ છે અને તેમાં શંકા તે સમકિતનો ઘાત કરે છે. તેવું નહીં કરવું. કાંક્ષા – ત્રણ પ્રકારે : (૧) આ લોકની સંપત્તિની ઇચ્છા, (૨) પરલોકની સંપત્તિની ઇચ્છા અને (૩) કુળઘર્મની (લૌકિક ઘર્મની) ઇચ્છા. (૧) “આ લોકની અલ્પ પણ સુખેચ્છા' હોય તો સમકિત જ નથી. આખી રાત એનો વિચાર કર્યો હોયખાવાની ઇચ્છા, પહેરવાની ઇચ્છા, ઊંઘવાની ઇચ્છા, સુખની ઇચ્છા; ઘન, પુત્ર વગેરે સંબંધી વિચાર કરે–તો ભુલવણી સમજાય. (૨) પરલોકની–દેવતાના સુખની વૈભવની ઇચ્છા. અને (૩) લૌકિક ઘર્મ–માતાપિતા-પુત્રના ઘર્મ, ફરજ, કહેવાતા ઘર્મ એ કંઈ આત્માના ઘર્મ છે? સમ્યજ્ઞાન-દર્શનચારિત્ર એ આત્માના ઘર્મ છે. અહો ! એ પુરુષનો ઉપકાર ! એક “આ લોકની અલ્પ પણ સુખેચ્છા'માં કેટલો અર્થ સમજાવ્યો છે? તેના એક શબ્દનો પણ ક્યાં વિચાર થયો છે? વિચિકિત્સા–એ ત્રીજો દોષ. તેમાં મુનિરાજનાં મળમૂત્રાદિ વિષે ગ્લાનિ કર્તવ્ય નથી, પણ વિનય એ મોટો ગુણ છે, ઘર્મ પામવાનું કારણ છે. અમે તો માત્ર બે બોલ કાનમાં પડે તેટલા માટે પરાણે સભામાં આવીએ અને જરૂરનું લાગે તો ભલે બોલીએ. પણ હવે અમારે ભાષાનાં પુદ્ગલ કંઈ વ્યવસ્થિત જોઈએ તેવાં છે? પરાણે ખેંચીને કંઈક બોલીએ, તેમાંય ખારાશ વર્તે છે. અમારે તો એમાં જ કાળ ગાળવો છે. કૃપાળુદેવે જણાવ્યું છે તેમ તેના ઉપર જેની દ્રષ્ટિ હોય તેમણે હવે અમારી સંભાળ રાખવી ઘટે, છોકરા જેમ ડોસાની અવસ્થા થતાં સંભાળ લે તેમ કરવું જોઈએ. અમારાથી હવે કાંઈ બોલાય છે? નહીં તો દોડ પણ કરીએ. પણ પહેલેથી અમારી તો ભાવના જ એવી છે કે કંઈક સાંભળીએ; કોઈ સંભળાવે તો સાંભળ સાંભળ કરીએ એવું રહેતું અને હજી રહે છે. કાળ તો જાય છે ને? બીજું હવે શું કરવું છે? એક બ્રાહ્મણ હતો. તે ભણવા ગયો. ભણીને બીજા બ્રાહ્મણોની સાથે તે પાછો જંગલમાં થઈ ઘેર આવતો હતો. રસ્તામાં એક વાઘ દીઠો. બીજા બઘા તો નાસી ગયા. પણ પેલો બ્રાહ્મણ પશુની ભાષા પણ બોલી જાણતો. તેણે વાઘને તેની ભાષામાં ઘર્મનો ઉપદેશ કર્યો અને કથા કહી. તેથી વાઘ પ્રસન્ન થયો. તેથી તેણે મરેલાં માણસો વગેરેના શરીર ઉપરનાં ઘરેણાં, માલ, Page #386 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૨ ૨૮૯ ઘન વગેરે બોડ આગળ જ્યાં પડેલું હતું ત્યાં તેને લઈ જઈ એક સોનામહોર આપી, અને કહ્યું કે રોજ આવજે અને ધર્મકથા સંભળાવી જજે. એટલે તે બ્રાહ્મણ રોજ આવતો અને ધન લઈ જતો. આમ બીજો કાંઈ તે ધંધો કરતો નહીં, છતાં પૈસા ખૂબ ખર્ચતો. તેથી બધા તેને પૂછવા લાગ્યા કે તમે પૈસા ક્યાંથી લાવો છો ? તેમને પેલી વાત તેણે કહી; પણ તે માને શાના ? વાઘ કંઈ માર્યા વગર રહે ? પછી તપાસ કરતાં તે વાત સાચી લાગી. એટલે બધા તેની અદેખાઈ કરવા લાગ્યા. એક જણે તેના નાશનો ઉપાય શોધી કાઢ્યો. તેને વાઘ સાથેની વાત પૂછી. તે માણસે કહ્યું કે વાઘ તમને કોઈ દિવસ ન મારે ? તેણે કહ્યું, કદી ન મારે. ત્યારે તેણે કહ્યું કે આજે તમે વાઘને કૂતરો કહેજો જોઈએ ? તે વેદિયા બ્રાહ્મણને કંઈ અનુભવ નહીં એટલે તેણે કહ્યું, કહીશ. પછી બોડ પાસે વાઘ સૂતો હતો ત્યાં જઈ તેને તેણે કહ્યું, ઊઠ કૂતરા. વાઘને તો ખૂબ રીસ ચઢી. અને બોડમાં પેસી ગયો. બીજો હોત તો મારી નાખત પણ આને શું કરવું ? તેને પણ હું શિખામણ આપું એમ ધારી એક સોનામહોર આપી તેને કહ્યું : કાલે આવો ત્યારે એક કુહાડો લેતા આવજો. બીજે દિવસે બ્રાહ્મણે કુહાડો આણ્યો ત્યારે વાઘે તેને પોતાના માથામાં જોરથી મારવા આગ્રહ કર્યો. બ્રાહ્મણે આનાકાની કરી પણ વાઘે ખૂબ હઠ કરી એટલે તેણે વાઘના માથામાં ઘા કર્યો. પછી વાઘ બોડમાં જઈ મહોર લઈ આવ્યો, અને તે આપીને બ્રાહ્મણને કહ્યું કે થોડા દિવસ પછી હવે આવજો. થોડા દહાડામાં ઘા રુઝાઈ ગયો. પછી બ્રાહ્મણ આવ્યો ત્યારે વાઘે કહ્યું કે ઘા તો રુઝાઈ ગયો પણ તે દિવસે કૂતરો કહ્યો હતો તેનો ઘા હજી રુઝાઈ ગયો નથી. હવે આજે જા અને ફરી જો આવ્યો તો તારું મોત આવ્યું જાણજે. આ વાત તો અમથી દૃષ્ટાંત રૂપ છે. પણ તે ઉપરથી સમજવું કે સત્પુરુષનાં વચનનો ઘા એવો લાગવો જોઈએ કે કદી રુઝાય નહીં. બીજાં બધાં કામ, ધર્મ, ફરજો બધું ભૂંસાઈ જાય, રુઝાઈ જાય; પણ સત્પુરુષે કહેલું એવું ઊંડું કાળજામાં કોતરી રાખવું કે કોઈ ગાળ ભાંડ્યા પછી ગમે તેટલી ઉપરથી ભાઈબંધી કરવા આવે પણ તેનો ડાઘ નથી ભૂંસાતો તેમ વચનનો ડાઘ-રંગ લાગવો જોઈએ કે તેની અસર સદાય રહે, કદી જાય નહીં. તા. ૧૨-૧-૨૬ [‘મૂળાચાર’ વંચાતાં.] દેવ, ગુરુ, ધર્મ વિષેની મૂઢતા હોય ત્યાં સુધી સમિકત ન ગણાય. ઉપગ્રહનમાં એવો કોઈ ગુણ છે કે સમકિતની શુદ્ધિ થાય છે. સમ્યગ્ જ્ઞાન-દર્શન-ચારિત્રમાં ગ્લાનિ, મંદ ઉત્સાહ, અભાવો, અણગમો ઉત્પન્ન થાય તેને ઘર્મભક્તિ વડે દૂર કરવાથી સમકિતની શુદ્ધિ થાય છે. બીજાના કરતાં પોતાના ઉપર જ તે વાતનો લક્ષ લઈ સમકિત શુદ્ધ કરવા રત્નત્રયમાં મંદ ઉત્સાહ, અભાવ, પ્રમાદ, ગ્લાનિ ટાળવાં. જ્યાં બીજી બીજી વસ્તુમાં ભાવ રહ્યા છે ત્યાં સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્રમાં પ્રમાદ જ છે. તે ટાળવાની જરૂર છે. તે ટાળવાથી સમકિતની શુદ્ધિ થાય છે. 19 Page #387 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ઉપદેશામૃત સ્થિતિકરણ —પરમકૃપાળુદેવે આ પામર જીવ ઉપર કેટલા ઉપકાર કર્યા છે ! કેવા કેવા મિથ્યાત્વમાંથી છોડાવી ક્યાં ઊભો રાખ્યો છે ? તેનાં સુખનાં નિમિત્તભૂત, હિતમિત વચનોથી કેટલો ઉપકાર થયો છે? તે ઉપકારનો બદલો કોઈ પણ રીતે વળી શકે તેમ નથી. સ્થિતિકરણમોક્ષમાર્ગમાં ઊભો રાખવો, સ્થિર કરવો. અહો ! કેવો ગુણ છે ! આખું જગત ક્યાં ઊભું છે? [મોહનલાલજી મહારાજ સભામાંથી આવ્યા તેમને ઉપગૂહન અને સ્થિતિકરણ સંબંધી વંચાવ્યું અને તેનો અર્થ પૂછ્યો] પ્રભુશ્રી–ગ્લાનિ એટલે શું? મુનિ મો–વિચિકિત્સા, દુર્ગચ્છા. પ્રભુશ્રી–સમ્યજ્ઞાનાદિમાં ગ્લાનિ શું? મુનિ મો–-પ્રમાદ, મંદ ઉત્સાહ, અભાવ, અણગમો વગેરે. પ્રભુશ્રી–એ પ્રમાદ, મંદ ઉત્સાહ, અધીરજ, કોઈ પ્રશ્ન પૂછે તો કંટાળી જવું, વગેરે દોષો છે. તે દૂર કરવાથી સમ્યત્વની શુદ્ધિ થાય છે. સભામાં શું વંચાયું? મુનિ મો–“સપુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાઘે છે, તેને જ જ્ઞાન સમ્યપરિણામી થાય છે, એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષમાં રાખવા યોગ્ય છે. અમે જે આ વચન લખ્યાં છે, તેના સર્વ જ્ઞાની પુરુષો સાક્ષી છે. અનંત વાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વ દેહાર્થની કલ્પના છોડી દઈ, એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો, એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ.” (પત્રાંક ૭૧૯) મને જ્ઞાનાવરણીય કર્મના આવરણે શું કરવું યોગ્ય છે તે સમજાતું નથી તો કરવા યોગ્ય બાબત સૂચવવા કૃપા કરશો. પ્રભુશ્રીને અમે ક્યારે નથી જણાવતા? એ પુરુષના ઉપર શ્રદ્ધા છે એટલે લાગી આવે છે. નહીં તો અમારે શાનું કહેવું થાય ? જે કષાય છોડવાનાં નિમિત્ત તે નિમિત્તે કષાય બાંધવાનું થાય અને મનમાં એમ ને એમ કષાય રહ્યા કરે, તે મનુષ્યભવ છે એટલે ખબર તો પડેતો. અમારે તો હવે કાનમાં બે શબ્દો તેની આજ્ઞા પ્રમાણે પડે તેવાં નિમિત્તમાં રહેવું છે એટલે એવાં કષાયનાં નિમિત્ત ઉપર ખારાશ આવે છે. પૃચ્છના :– પ્રશ્નો પૂછવામાં ખેંચતાણ કરવી યોગ્ય છે? મતિમાં એમ લાવવું કે આ તો સમજતા નથી, મારું ઘારેલું સાચું છે અને તેને આઘારે પકડ રાખી ચર્ચા કરવામાં કે કષાય કરવામાં માલ છે? અહીં કેવું વિનયનું સ્વરૂપ આવ્યું છે? કોઈ આબેહૂબ વર્ણન કર્યું છે! આત્માને સનો રંગ ચઢાવે તે સત્સંગ કે કષાયનો રંગ ચઢાવે છે? Page #388 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૨ ૨૯૧ કોઈ પ્રશ્ન કરે તો ધીરજથી જે આપણને ઉત્તર સૂઝે તે કહેવામાં શી અડચણ છે ? મરને પછી તર્કથી ગમે તેવો પ્રશ્ન કરેને. ખોટે ખોટો પ્રશ્ન ઊભો કર્યો હોય, તો પણ તેનો સરળતાથી પોતાને સમજાય તેવો દિલ ખોલીને ખુલાસો થાય તો સત્સંગમાં રંગ આવે. નહીં તો સત્સંગ શાનો? આપણે ક્યાં પકડ રાખવી છે? સમજમાં આવે તે કહેવું અને છેવટનું તો તે જ્ઞાની જ જાણે છે. [‘ગોમટ્ટસારમાંથી પર્યાય સમાસ જ્ઞાન અને અર્ધાક્ષર એ શ્રુતજ્ઞાનના ભેદોના પુનરાવર્તન પ્રસંગે.] શાસ્ત્રવાંચન મરતી વખતે યાદ રહે પણ ખરું અને ન પણ રહે. પણ સમ્યદ્રષ્ટિ, સપુરુષ પ્રત્યે સન્મુખવૃષ્ટિ, તેના મંત્રનું સ્મરણ અને ભાવના એ જ કામ કરે છે. જેનો ક્ષયોપશમ વઘારે હોય તેની પાસે એટલો વિશેષ પરિગ્રહ છે. કોઈને શાસ્ત્રનું જ્ઞાન ન હોય, ક્ષયોપશમ કાચો હોય, ઘણી વાર સાંભળે ત્યારે યાદ રહે તેવું હોય પણ જો શ્રદ્ધા વૃઢ છે તો તે કામ કાઢી નાખે છે. જેની પાસે વિશેષ સામગ્રી હોય તે તેનો ઉપયોગ કરી શકે, દ્રઢતાનાં તે કારણ છે. પણ તેનો ગર્વ હોય તો વધારે પૈસાવાળા સટ્ટામાં ખોઈ નાખે છે તેવું થાય. ગામડા ગામમાં થોડી પૂંજી હોય તો ય મોટો પૈસાદાર ગણાય પણ કૂવાના દેડકા, તને ક્યાં ખબર છે કે કૃપાળુદેવ અને એવા સમર્થ જ્ઞાની આગળ આ ક્ષયોપશમનો શો હિસાબ? કંઈ ગર્વ કરવા જેવું નથી. સમ્યકત્વના સ્પર્શથી લોઢાના પાટાની દુકાન હોય તો તે સો ટચના સોનાની પાટોવાળી દુકાન થઈ જાય. મુમુક્ષુ–કોઈ શાસ્ત્ર વગેરે કાંઈ વાંચે નહીં ને માત્ર મંત્ર-સ્મરણ મળ્યું હોય તેનું જ આરાઘન કરે તો જ્ઞાન થાય કે નહીં? મુનિ મોમા રુષ, મા તુષ' એટલો મંત્ર યાદ રાખવા જેટલો પણ જેનો ક્ષયોપશમ ન હતો; છતાં તેની શ્રદ્ધા અડગ હતી તો તેને જ્ઞાન થયું. ગૌતમ ગણઘરદેવ જેવા શાસ્ત્રો રચનાર રહી ગયા અને ભિખારી જેવાને પણ કેવળ જ્ઞાન થયું હતું. પ્રભુશ્રી–સ્યાદ્વાદ રાખો. “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.” મુનિ મો–“ચૌદપૂર્વઘારી દેશે ઊણાવાળો પ્રશ્ન કૃપાળુદેવે ચર્યો છે. તેમાં ચોક્કસ ઉત્તર સ્યાદ્વાદસહિત છે. પ્રભુશ્રીમાર્ગ કોઈ અપૂર્વ છે; મોક્ષે પહોંચાડે તેવો માર્ગ કૃપાળુદેવે કરી દીધો છે. એ દ્રષ્ટિ ઉપર આવવું એ પૂરણ ભાગ્ય છે ! “પ્રભુ પ્રભુ' શબ્દ બોલવાની ટેવ મને છે; તે વિષે એક ભાઈએ મને જણાવ્યું કે એવું શું બોલો છો? પણ તેની આજ્ઞાએ દીનપણું અંગીકાર કરી પ્રવર્તવું છે એટલે એ શબ્દ ઉપયોગપૂર્વક બોલાય તો સારું. એમાં કંઈ વાંઘા જેવું છે? “અલ્યા અને એવું બોલાઈ જવાય Page #389 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ઉપદેશામૃત તેના કરતાં બંગડીના વેપારીની પેઠે અભ્યાસ કરી મૂક્યો હોય તો મોઢે સારી જ વાણી નીકળે. કિંઈ નહીં તો પુણ્ય બંઘાય. “પ્રભુ' એ તો બહુ સરસ શબ્દ છે. આપણને તો એની આજ્ઞાએ એ શબ્દ હિતકારી છે. પ્રભુત્વ એને અર્ધી આપણે દીનત્વ, દાસત્વ, પરમ દીનત્વમાં રહેવું ઘટે છે. ગમે તેમ પણ કષાય ઘટાડવો છે. અવસ્થાને લઈને બેસી શકાય નહીં, આમ સૂઈ જવું પડે; પણ ભાવ બીજો હતો? ગુરુ કહે તેમ કરવું, કરે તેમ ન કરવું. તા.૧૬-૧-૨૬ [“મોક્ષમાળા' શિક્ષાપાઠ ૮ “સદેવ” ના વાંચન પ્રસંગે.] આ બધું ખોટું છે, રાખનાં પડીકાં જેવું છે. આ કેડિયું, આ મકાન, આ શરીર એ બધું છે તેવું ને તેવું રહે તેમ છે? જૂનું થઈ જાય છે ને ? ફાટી જાય છે, બચકાઈ જાય છે, નાશ થાય છે; તો એમાં શું રાખવા જેવું છે? શામાં મમતા કરવા જેવું છે? શું હારે લઈ જવાનું છે? બધુંય પડી રહેવાનું છે. મારાં સગાં, મારાં વહાલાં, મારા હાથ, મારા પગ એ બધું મારું મારું કરેલું ક્યાં રહેવાનું છે? એટલું જ કરવાનું છે કે મારું કશું નથી. જ્યાં ત્યાં દહાડા પૂરા કરવાના છે, હેડ પૂરી કરવાની છે. ખાવું પીવું પડે તે હડકાયા કૂતરાની પેઠે આમ ખાધું ન ખાધું કરી બાંઘેલાં પૂરાં કરવાનાં છે. અંતરમાંથી બધું કાઢી નાખવા જેવું છે. કોનાં છોકરાં અને કોનાં સગાં ? આત્મા સિવાય કોઈ સહાય કરે તેવું નથી. અને તે તો એક સપુરુષે જાણ્યો છે. તો એવા એક સપુરુષમાં જ ચિત્ત રાખવું. આત્મારૂપ થયા હોય તે જ સત્ય છે. તેણે જાણ્યું છે તે જ સાચું છે. તેની પ્રત્યક્ષ વાણી ઉપરથી કોઈ સંતસમાગમથી તેની પ્રતીતિ કરી તેની ઓળખાણ કરી લેવા જેવી છે. બીજે બધેથી તો મરી જવા જેવું છે. મરી જવાનો હોય તેને શી ચિંતા હોય? અહીંથી જવાનું હોય તો પછી અહીંની ચિંતાઓ શું કામ રાખવી? જ્યાં ત્યાંથી ઊઠી જવા જેવું છે અને ઘર જાણી લેવા જેવું છે. જેમ નાનું છોકરું હોય તે તેની માને ઓળખે એટલે બીજાં “આવ આવ' કહે પણ કહે “ના ના.” કોઈ તેડે તો પણ નજર તેની મા તરફ જ રાખે છે. પણ ઓળખતું ન હોય ત્યાં સુધી આની પાસે ય જાય અને આની પાસે ય જાય. પણ પછી તો બીજો બોલાવે તો ય ના કહે. મારું તારું મૂકી, કોઈ ગમે તે કહે તે સહન કરવું. દુઃખ પડે તે સહન કરવું. ખમી ખૂંદવું. એમાં બધુંય–તપ કહો, ક્ષમા કહો, ચારિત્ર કહો, બધુંયઆવી જાય છે. ખોટું લગાડવું નહીં. ૧. એક બંગડીઓનો વેપારી ગઘેડી ઉપર બંગડીઓ, ચૂડીઓ વગેરે લાદીને વેચવા માટે ગામડે જતો. તે ગધેડીને હાંકતાં લાકડી મારીને બોલતો કે માજી ચાલો, બેન ચાલો, ફઈબા ઉતાવળે ચાલો. એમ માનભર્યા શબ્દો વાપરી લાકડી મારતો. વાટમાં બીજો કોઈ માણસ મળ્યો તેને એમ લાગ્યું કે “આ આમ કેમ બોલતો હશે ?' એટલે તેણે તેને પૂછ્યું ત્યારે બંગડીના વેપારીએ કહ્યું કે “અમારે ગામડામાં ગરાસિયા વગેરેની બાઈઓ સાથે બંગડીઓનો ધંધો કરવો પડે છે, તેથી આવું સારું બોલવાની ટેવ પાડી મૂકી હોય તો અપશબ્દો બોલી જવાય નહીં. જો ભૂલે ચૂકે ગઘેડી જેવા શબ્દો બોલી જવાય તો ગરાસિયા લોકો અમારું માથું કાપી નાખે માટે સારો અભ્યાસ પાડવા આમ બોલું છું.” Page #390 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૨ ૨૯૩ ઘીરજ રાખવી. આત્માની દયા ખાવી. એને ડાઘ ન પડવા દેવો. જે સત્પુરુષે જાણ્યો છે તે જ આત્મા છે. પાપથી ડરતા કહેવું. ઉપયોગ રાખવો. જેથી વિભાવ પરિણામ ન થાય તે જ અહિંસા. અને મમતા, રાગ-દ્વેષ વડે આત્માને ભુલાય, તેની ઘાત થાય તે જ હિંસા. પહેલાં કહેતા કહેતીથી ‘આ ઠીક છે, આ ઠીક છે,' એમ દરેકને હોય; પણ સાચું નીકળી આવે તો કલ્યાણ થાય. ↑કૂતરા અને કીડાના દૃષ્ટાંતમાં કીડાનો ઉદ્ધાર થાય છે પણ પૂર્વે ગુરુ હતો તે કૂતરો રહી જાય છે; તેમ ખોટું છોડી દે તેને ફાયદો થાય છે. બતાવનારને વળગી ન પડવું, સાચ ઉપર જ રહેવું. સમકિતીનાં લક્ષણ : ૧. પહેલો આત્મા જુએ. ૨. કંઈ પણ ક્રિયામાં પહેલી દયાની ભાવના રાખે. તા. ૧૯-૧-૨૬ અંતરાય કર્મની પરીક્ષા માટે મહામુનિ કેવું કેવું કરે છે ! અમુક પ્રકારનો આહાર, અમુક આપનાર, અમુક વાસણમાં હોય તો જ લેવો વગેરે. અભિગ્રહમાં શું આવ્યું ? આ દેહને જુદો જાણી તેને ન ગણવો, ન ચાલ્યે બાંધેલાં કર્મનો ભોગવટો હોય તો જ તેને પોષણ આપવું. પણ આ જીવ તો તેને માટે કેટકેટલા સંકલ્પ વિકલ્પ, તૃષ્ણાઓ અને અનર્થદંડથી કર્મ બાંધ્યા કરે છે? જે સુખ માટે તે ફાંફાં મારે છે તે તો અંતરાય તૂટ્યું પ્રાપ્ત થાય છે. તે વગર તો ભલે બળ કરીને તૂટી જાય તો ય બનતું નથી. શાતા, વૈભવ, છૈયાં-છોકરાં, સ્ત્રી, ઘન, કુટુંબ, પરિગ્રહ વગેરે માટે જેટલી ઝંખના કરે તે બધાં બંધનાં કારણ છે. અંતરાય તૂટ્યા વગર તેની પ્રાપ્તિ થતી નથી, પણ અણસમજથી મિથ્યા દંડાય છે. એક સત્પુરુષ વિના ક્યાંય સુખ નથી. એણે જાણ્યું તે જ ખરું સુખ છે. તેનું શરણ, તેની ભાવના કર્તવ્ય છે. યોગ, કષાય અને ઇંદ્રિયો રાક્ષસ જેવાં છે. તેમને હણવાની જરૂર છે. શ્રી કૃષ્ણમહારાજે રાક્ષસો હણ્યા તેમાં એક રહ્યો હતો તા. ૧૭-૧-૨૬ ૧. એક ગુરુ હતા. તે શિષ્યો પાસેથી પૈસા પડાવતા. શિષ્યો ભાવિક હોવાથી મહંત જાણી તેને આપતા. તે ગુરુ મરીને અયોધ્યામાં કૂતરો થયેલો, તેના શિષ્યો તેના માથામાં કીડા થઈ પરું પાચ ખાતા હતા. જ્યારે રામ સ્વધામમાં જવાના હતા ત્યારે તેમણે બધા અયોધ્યાવાસીઓને ગંગાને કિનારે આવવા સૂચવ્યું. બધા આવ્યા પછી નગરમાં માણસોને મોકલ્યા કે જે કોઈ પ્રાણી અયોધ્યામાં હોય તેને અહીં લાવો. માત્ર પેલો કૂતરો નહોતો આવ્યો. તેને રાજસેવકોએ નદીકિનારે આણ્યો. પણ તે પાછો જતો રહેવાને પ્રયત્ન કરતો હતો. તેથી રામે કહ્યું, તેને ગંગામાં ઝબોળો. એટલે તેના માથામાંથી કીડા થયેલા શિષ્યો બહાર નીકળી પડચા અને રામની સાથે સ્વધામમાં ગયા; પણ કૂતરો રહી ગયો. Page #391 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ઉપદેશામૃત તેણે આ બધું તોફાન કર્યું, એવી આ વાત છે. અનાદિ કાળના આ દુશ્મનો સાથે લડાઈ કરી તેમનો પરાજય કરવાનો છે. આત્માએ જ આ બધું કર્યું છે ને ? કોણે કર્મ બાંધ્યા ? કોઈનો બીજાનો વાંક કાઢવા જેવું નથી. તે જ જ્યારે શૂરો થશે ત્યારે કામનું છે. તા.૨૦-૧-૨૬ [‘ગોમટ્ટસાર'માંથી લેણ્યા માર્ગણાના ગતિ અધિકારના વાંચન પ્રસંગે] મરણનો વિચાર કર્યા વિના મંડી પડવું. મરણ જેવું આવવું હોય તેવું આવે. કરેલું કંઈ અફળ જવાનું છે? એકેન્દ્રિયમાંથી આવી એક ભવમાં મોક્ષે ગયા તે જીવે કંઈ કમાણી કરેલી, કંઈ ભરી રાખેલું તે ફૂટી નીકળ્યું ને? કોઈ કોઈ કેવા કેવા સંજમ પામીને પણ આખરે હરણના કે એવા ભવમાં જાય છે. તેવી વેશ્યા મરણ વખતે આવવાથી કે આયુષ્ય બંઘાઈ જવાથી તેમ થાય છે. પણ કરેલું નકામું જતું નથી. ત્યાંથી મનુષ્યભવ પામી તે ભવે મોક્ષે જાય છે. કંઈ કંઈ કુદરત છે, કહી શકાય તેમ નથી ! માટે મંડી પડવું, પુરુષાર્થ કરીને લઈ મંડે તો બધું થાય. બાકી આડુંઅવળું જોવા જતાં પાર આવે તેમ નથી. સાઘર્મી ભાઈનો એક ટુકડો પણ ન ખાવો જોઈએ. કૃપાળુદેવના વખતમાં કેવું વર્તન હતું! સંસારીકા ટુકડા, ગજ ગજ જૈસા દાંત; ભજન કરે તો તો પચે, નહિ તો કાઢે આંત.” એના જેવું, સાધુને ય આમ છે. તો બીજાને કેટલું બંઘન થાય? મુનિ મો–અંબાલાલભાઈના સહિયારી છોટાલાલભાઈના ઘરનો પાયો ખોદતાં પ્રતિમાજી નીકળ્યાં હતાં તેથી તે જમીન નાતવાળાઓએ માગી. તે જમીન મંદિર (દેરાસર) માટે આપવાનો તેનો વિચાર હતો, પણ તેમણે માગી, આગ્રહ કર્યો એટલે તે સામો થયો અને આખી વાત સામે પડી જીત્યો. એવો ખટપટી પણ તેનું મરણ સુધર્યું હતું. પ્રભુશ્રી–દેખાય ગમે તેવો, પણ તેનું અંતઃકરણ સરળ હતું, હસમુખો ને ઉદાર હતો. અમારી પાસે એક વખત આવીને સરળતાથી કહે, પ્રભુ, અંબાલાલ કહે છે તેનું મારા માનવામાં નથી આવતું પણ તમે જેમ હોય તેમ કહો તો હું માનું. અમારે તો બીજું શું કહેવું હોય? અમે તો જણાવ્યું કે તે સાચું કહે છે, હવે મંડી પડને. એટલે તે લઈ મંડ્યો. ગમે તેવા ક્ષયોપશમવાળા અંબાલાલ દેખાતા પણ તેમના કરતાં આની સરળતા ઓછી નહીં. એને લઈને બઘાની દેવગતિ થઈ. તેનું મરણ સુઘારવાના પ્રયત્નમાં અંબાલાલ વગેરેનું મરણ પણ સુધર્યું. અમારા ઉપર કૃપાળુદેવના પત્રો છે તેમાં બઘાં આગમનો સાર ખેંચી ખેંચીને ભર્યો છે; અને જણાવ્યું છે, “આમ શીદને કરો છો ? ઝંપોને હવે.” એમ વાર્યા છે. હું તો દોષ અનંતનું Page #392 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૨ ૨૯૫ ભાજન શું કરુણાળ,’ અને ‘વૃત્તિને રોકો’ એવાં એવાં વાક્યો મોક્ષે લઈ જાય તેવાં છે. પોતાના દોષ જોવા, પશ્ચાત્તાપ કરવો. ગોશાળાએ ઘણાં પાપ કરેલાં મુનિઘાત, તીર્થંકરના અવર્ણવાદ આદિ–છતાં છેવટમાં પસ્તાવાથી તેને ઉચ્ચ દેવગતિ પ્રાપ્ત થઈ હતી. પરિણામ શુદ્ધ કરવાની જરૂર છે. તા. ૨૧-૧-૨૬ સર્વ શાસ્ત્રોનો સાર અને મોક્ષ પામવાનો માર્ગ કે સમકિતનું કારણ એ વિનય છે. વિનયથી પાત્રતા યોગ્યતા આવે છે. ઘર્મનું મૂળ વિનય છે. સેવાની ભાવના રાખવી, લઘુતા રાખવી, ગુરુથી અતિ દૂર નહીં તેમ અતિ પાસે નહીં તેમ બેસવું, નીચે આસને બેસવું, આજ્ઞા સિવાય શરીરે પણ અડવું નહીં. એ બધા વિનયના રસ્તા છે. પ્રાયશ્ચિત્ત વડે દોષોની શુદ્ધિ કરવી. ઋદ્ધિગારવ, રસગારવ અને શાતાગારવ તજવાં. [એક કાંચીડાનું બચ્ચું દરવાજાના કમાડથી કચરાયેલું હતું તેને એક ભાઈએ પૂંછડી ઝાલી ફેંકી દીધેલું - તે પ્રસંગે.] દરેક પ્રાણી ઉપર દયા રાખવી. તેનું એવા કર્મબંઘના ઉદયથી મરણ તે પ્રકારે હશે. તેની પાછળ કોઈ રડનાર, કકળનાર છે? તેની સેવાચાકરી કરનાર છે? એની સાથે આપણે કેટલા ભવ કર્યા હશે તે ખબર છે? અનંતી વાર તેની સાથે માતપિતાની, સગાંસંબંધીની સગાઈ થઈ હશે. કોઈનો પણ પ્રાણ દુભાય તેમ વર્તવું નહીં, જાળવીને જત્નાથી કામ કરવું. તા. ૨૨-૧-૨૬ [‘મૂળાચાર'માંથી “ઉદીરણા ના વાંચન પ્રસંગે] અપક્વ-પાચનરૂપ ઉદીરણા...કેરી સાખરૂપે પાકીને ગરે છે અને ખવાય છે. અને કોઈને તો કાચી તોડીને, આંબા ઉપર પાકત તેના કરતાં વહેલી પરાળમાં રાખીને પકવવામાં આવે છે. કશું કાચું કાંઈ આપણે ખાઈએ છીએ? શાક હોય તે ય લાવ્યા પછી સમું કરી તેને પકવી રાંધીને ખાઈએ છીએ. તેમ કર્મમાં પણ તપ એ તાપ છે. મકાઈ, પંકનાં કૂંડા વગેરે જેમ શેકીને ખવાય છે તેમ સત્તામાં પડેલાં કર્મ જે અમુક વખત પછી ઉદયમાં આવવાનાં હોય તેને તપ વડે પકવી લે છે. ચોરી કરી હોય; પાપ કર્યા હોય તે આ ભવનાં તો આપણને યાદ હોય તેનો વિચાર કરીને પશ્ચાત્તાપ કરે કે અરેરે ! મેં ક્રોઘ સેવીને, માન સેવીને, માયા સેવીને, લોભ સેવીને, આરંભપરિગ્રહ સેવીને, હિંસા કરીને ઘણાં પાપ ઉપાર્જન કર્યા છે. એવાં અનિષ્ટ દુઃખનાં કારણ હવે નથી સેવવાં એવો નિશ્ચય કરે અને જે ઉદરપોષણ નિમિત્તે પાપ કર્યા હોય તેના પશ્ચાત્તાપમાં ઉપવાસ કરવા, ઊણોદરી કરવી, રસત્યાગ કરવો કે એવાં તપ આદરે તો જે પાપનું ફળ Page #393 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ઉપદેશામૃત આવવાનું હતું તે નિકાચિત ન હોય તે તે નિર્જરી જાય અને ઉદય આવે તે પણ ઓછો રસ આપે. પરિણામ મોળાં પડવાથી નવો બંઘ પણ નજીવો થાય. સ્વાધ્યાયના પાંચ ભેદ – ૧. વાંચનાપઢવું, વાંચન. ૨. પૃચ્છના–બીજાને પૂછવું; શાસ્ત્રમાં પૂછવા જેવું હોય તેનો વિનયપૂર્વક પ્રશ્ન કરવો. ૩. પરાવર્તન–વાંચેલું ફરી પઢી જવું. ૪. ઘર્મકથા–વાંચેલું વિચારેલું કહી બતાવવું. ૫. અનુપ્રેક્ષા–વારંવાર ભાવના કરવી. તા.૨૩-૧-૨૬ મુમુક્ષુ–પ્રભુ, જીવનું કલ્યાણ કેમ થાય? જીવનું સ્વરૂપ શું અને ઈશ્વરનું સ્વરૂપ શું? પ્રભુશ્રી–તે સંબંધી કંઈક તમને કહેવા વિચાર હતો. પણ તમે કાંઈ પૂછ્યું ન હતું ત્યાં સુધી એ વાત નહોતી બોલાઈ. જીવનો શિવ થાય છે, એ તો પ્રભુ, સાંભળ્યું છે ને? ઘણા બોઘે સમજાય તેવી આ વાત છે; પણ જો બીજી મહેનત કરેલી અલેખે નથી જતી તો કોઈ આત્મા પામેલ પુરુષને આશરે પુરુષાર્થ કરેલો કેમ અફળ જશે ? તમે બહુ સારો પ્રશ્ન કર્યો છે, કલ્યાણનું કારણ છે, પ્રભુ, એની જ ગવેષણા કરવા જેવી છે. આ બધું તો પરપોટાની પેઠે ફૂહ દઈને ફૂટી જશે. પણ જે સદાય રહેવાનું છે તે સ્વરૂપ સમજવાની જરૂર છે. અહીં બઘાને કોણે તેડ્યા છે? સી સીના સંસ્કારે આવી મળ્યા છે. કંઈક પૂર્વે કરેલું હોવું જોઈએ ને? અમને કોઈ પૂર્વના પુણ્ય ભેદી પુરુષ મળ્યો અને તેના વચનથી અમને જે શાંતિ મળી તેથી એમ રહ્યા કરે છે કે સર્વ જીવનું કલ્યાણ થાઓ ! અમે તો ગુરુ થતા નથી. પણ સદ્ગુરુને બતાવી દઈએ છીએ. અમારું કહ્યું માની તેની કહેલી આજ્ઞા ઉઠાવશે તેનો અવશ્ય મોક્ષ થશે. પણ તે વગર સમજ્ય “વાટ બતાવનારને વળગી પડે.” કહે છે ને કે “પાંખનારીને પરણી બેસે' એના જેવું કરે તો અમે જોખમદાર નથી. બતાવનારને જોખમ છે. ગુરુ થવું મહા જોખમદારીનું કામ છે. તમે વાત સાંભળી હશે. અયોધ્યામાં એક કૂતરો હતો. તેના માથામાં કીડા પડ્યા હતા. તે પૂર્વભવમાં કુગુરુ હતો. તે કીડાને ગંગાજીમાં ધોઈ તેમનો મોક્ષ રામે કરાવ્યો, પણ કુગુરૂના ભોગ છે. અવળો રસ્તો બતાવે તેના જેવું મોટું જોખમ એકે નથી. પણ શ્રદ્ધા આવવી જોઈએ. નહીં તો “ઓહો !'માં કાઢી નાખે તો સાચા મંત્રથી પણ સિદ્ધિ નથી. એક ભારે યોગીએ એક જણને રામ રામ જપવાનો મંત્ર આપ્યો. પછી તે જપતો જપતો જતો હતો. તેણે રસ્તામાં ભરવાડને વાતો કરતા જોયા. તે પણ છૂટા પડતાં “રામ રામ' બોલતા હતા. તે જોઈ તેનો વિશ્વાસ પેલા મહાત્મા પુરુષના શબ્દો ઉપરથી ઊઠી ગયો. પાછો જઈ ગુરુજીને તે કહે કે તમે આપ્યો એ મંત્ર તો ભરવાડો ય જાણે છે. એવો મંત્ર શો આપ્યો? આત્મા આત્મા કે ઘર્મ ઘર્મ તો આખું જગત કહે છે. પણ એક જણ તેને ઓળખીને તે રૂપ થઈને કહે, શબ્દમાં આત્મા આરોપીને મંત્ર આપે અને એક જણ વગર સમજ્ય પોપટની પેઠે બોલે એમાં ભેદ હોય કે નહીં ? એ કોઈ અપૂર્વ વાત છે, પ્રભુ, કલ્યાણ થઈ જાય એવું છે, પણ જીવ વળગ્યો રહે તો; કંઈ સ્વચ્છંદ કે સ્વાર્થ રાખે નહીં તો. Page #394 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૨ ૨૯૭ તત્ત્વજ્ઞાન કાલે લાવજો. તેમાંથી અવસરે પાઠ કરવા જેવું થોડું બતાવીશું. નાહીને જેમ ચંડીપાઠ બોલે છે, તેમ ક્ષમાપનાનો પાઠ અને વીસ દુહા બતાવીશું તે દરરોજ ભણવા તથા સહજત્મસ્વરૂપ પરમગુરુ” એનો જાપ કરવો. [‘ઉપમિતિ ભવપ્રપંચ કથામાં અપુણ્યકની કથાના પ્રસંગે.] ઇંદ્રિયના વિષયભોગ અને કષાયનું કદન્ન ખાઈને અપુણ્યક નામના ભિખારીને રોગ થયા છે. તોપણ તે છોડવાનું તેને મન થતું નથી. ખા, ખા; હજી ખા ખા કર. કેટલાય કાળથી ખાધાં છતાં ઘરાયો નહીં. તેની (સપુરુષની) કરુણા તો આખા જગતને તારવાની હોય છે; પણ અભાગિયો જીવ તેને માને ત્યારે ને? પાંચ ઇન્દ્રિયોના વિષય અને કષાય એ મનરૂપી ઘરના માલિક થઈ પડ્યા છે. આ દુશ્મનોને કાઢે ત્યારે જ આત્માનું કલ્યાણ કરનાર સત્ દયા અને બુદ્ધિરૂપી દેવીઓની પધરામણી થાય, એ વસે તો જ કલ્યાણ છે. કંઈક વાંચતાં આવડ્યું કે ભણેલો હોય કે યાદ રહેતું હોય તો તેનું અભિમાન કરે કે મારે તો બુદ્ધિ છે ને? મારામાં દયા છે ને ? પણ મિથ્યાત્વને લઈને ફરે છે. અતિશ્રુતજ્ઞાન અને કુમતિકુશ્રુતમાં ભેદ છે તેની ક્યાં ખબર છે? ભીખના ઠીકરામાં આ કુબુદ્ધિ લઈને ફરે છે, તેના ઉપર મોહ કરે છે અને તેનો ગર્વ કરે છે. [‘મૂળાચાર'માંથી સ્વાધ્યાયના પાંચ ભેદના વાંચન પ્રસંગે.] પ્રભુશ્રી–આમાં પરાવર્તન સંબંધી આવ્યું તેમ કરવાનું હશે કે બીજું કાંઈ? મુનિ મો–એ ય ખરું અને બીજું પણ ખરું. પ્રભુશ્રી–બીજું શું? મુનિ મો–કોઈ સત્પરુષે વ્યક્તિગત આજ્ઞા કરી હોય તે પણ ખરું. પ્રભુશ્રી તેને વળી બીજું કહેવું હશે? જો તેને મૂળ વસ્તુ વગર બીજી કહેવી હોય તો તે પણ અમારે માન્ય નથી. ઊઠ, ગમે તેટલા જ્ઞાની હોય પણ તેમને કંઈ બીજું બીજું કહેવું હોય છે કે મૂળ એક જ હોય છે? પણ આય વિચારશો કે નહીં? પરાવર્તન એટલે પઢેલા પાઠનું પઢી જવું, ફરી બોલી જવું એ જરૂરનું છે કે નથી ? બીજું વાંચન જરૂરનું છે કે નથી ? મુનિ મોતે ક્યાં હું ના કહું છું? પણ વ્યાખ્યાન કરવા જતાં બંઘન થાય કે નહીં ? પ્રભુશ્રી–જો ઉપદેશ દેવા જાય તો તો બંઘ છે જ. પણ સ્વાધ્યાયની ખાતર પોતાને જે યાદ હોય તે કહી જતાં તાજું થાય, ભૂલી ન જવાય અને તેમાં કાળ જાય. બાકી તો ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે એ યાદ છે ને ? તમે કહ્યું તે પણ જાય છે. પણ અલ્પત્વ, લઘુત્વ અને પરમ દીનત્વ ક્યારે આવે ? હજી એકડો ઘૂંટવો પડશે. પોતે જાણે છે તે સાચવીને ગોપવી રાખે ૧. બગડી ગયેલું વાસી અનાજ. Page #395 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ઉપદેશામૃત તેનો કે જે યાદ હોય તે સરળતાથી બોલી જાય તેનો કે જે યાદમાં હોય કે સ્મૃતિમાં હોય તેનો— એકેનો ગર્વ ક૨વા જેવું ક્યાં છે ? એનું શું મહત્વ છે ? પણ આપણા સ્વાઘ્યાયમાં કોઈ સાંભળી જાય તો કાંઈ નુકસાન થવાનું છે ? ભલેને બધાય વહેલા વહેલા મોક્ષે જતા. કોઈ અધિકારી જીવ હોય તેનું કલ્યાણ થાય. કાંઈ ગર્વ કરવા જેવું નથી. કોઈ કોઈ તો નિકટભવી આમ કાને વાત પડતાં પકડ કરી મોક્ષે ચાલ્યા જાય છે. અને કેટલાંકને કેટલુંય સંઘર સંઘર કર્યું હોય છતાં પરિભ્રમણ કરવું પડે છે. ‘હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ.' એમાં શું આવ્યું ? હું બોલ બોલ કરું છું; પણ મારી ભૂલ હશે તે મારે કાર્ચે છૂટકો છે; તમારી ભૂલ હશે તે તમારે કાઢ્ય છૂટકો છે અને આની ભૂલ હશે તે એણે કાર્ચે છૂટકો છે. [‘મૂળાચાર'માંથી ‘અજીવ દયા'ના વાંચન પ્રસંગે] અહીં અઠ્ઠાવીસ પ્રકારે ઇંદ્રિયસંયમ અને ચૌદ પ્રકારે જીવદયા તથા અજીવદયા કહી. તેમાં સૂકાં તૃણ, લાકડાં વગેરે ગમે તેમ તોડવાં નહીં, પછાડવાં નહીં. પણ ઉપયોગ રાખવો. તા. ૨૫-૧-૨૬ તા. ૨૬-૧-૨૬ [‘મૂળાચાર'માં ઇંદ્રિયસંયમ અને કષાય રોકવા વિષેનું વાંચન થતાં.] પ્રભુશ્રી (મુનિ મોહનલાલજીને) નીચે સભામાં આજે શું વંચાયું ? મુનિ મો—ઇંદ્રિયવિષયથી ઉપરામ પામીને સત્શાસ્ત્રનો અભ્યાસ કરાય તો તે ફલદાયી નીવડે. એ ભાવાર્થનો પત્ર વંચાયો હતો. પ્રભુશ્રી—અહીં પણ એ જ રાડો પાડવામાં આવી. ઇંદ્રિયોને જીતવી એ જ વાત વારંવાર કહી. પંચ પરાવર્તનમાં જ્ઞાની ભગવાનને આપણી સમક્ષ શું સમજાવવું છે તેનો તમે શો વિચાર કર્યો હતો ? મુનિ મો—આજ એટલું વિચારાયું હતું કે અનંત અનંત વાર ભવભ્રમણ આ જીવે કર્યું તે માત્ર એક જિન ભગવાને બોધેલા તત્ત્વોની સમ્યક્ શ્રદ્ધા ન થઈ તેને લીધે છે, તે જણાવવાનો હેતુ જણાય છે. પ્રભુશ્રી—વાજબી છે. બધામાં અમૂલ્ય વસ્તુ સમકિત છે. તેનાં શાં વર્ણન થાય ! તેની ઓર ખૂબી છે ! મહા દુર્લભ છે. તે પ્રાપ્ત થવાથી મોક્ષ અવશ્ય થાય અને ભ્રમણનો અંત આવે. નિપુણ્યકની વાત યાદ રાખવા જેવી છે. તેણે અંતરદયા અને સબુદ્ધિને પોતાનું ઠીબકું ધોઈને સાફ કરી આપવા વિનંતિ કરી કે દુર્ગંધીવાળું બધું અન્ન કાઢી નાખીને તે સાફ કરી આપો, પછી પરમાત્ર આપો. પાત્રતા વિના શામાં ભરે ? આ ઠીબ જોને ! સિંહણનું દૂધ Page #396 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૨ ૨૯૯ ઠીકરાના વાસણમાં લેવાશે ? ફટ દઈને ભાંગી જશે. જોર હોય તેટલું ઝીલે તેથી વિશેષ ભાર આવતાં ભાંગી જાય. પહેલી પાત્રતા લાવવાની જરૂર છે; યોગ્ય થવાની જરૂર છે. તારી વારે વાર. એમાં ક્યાં સિફારસ ચાલે એમ છે? _ 'एगं जाणइ से सव्वं जाणइ सव्वं जाणइ से एगं जाणइ' એ જ, એક આત્માને જાણવાની જરૂર છે. એને જાણતાં બધું જણાશે. [ગોમટ્ટસારજીમાં દ્રવ્યના છ અધિકારનું વર્ણન છે. તેમાં નામ અધિકાર પછી ઉપલક્ષણ અધિકારમાંથી પરમાણુ રૂપી છે, અવિભાગી, નિરંશ છે; છતાં તેનો આકાર છ ખૂણાવાળો ગોળ છે' તે સંબંધી વાંચન.] ૧. મુમુક્ષુ અવિભાગી કે નિરંશ હોય તેને છ ખૂણા કેમ સંભવે? છ ખૂણા થયા તો છે અંશ કેમ ન ગણાય ? ૨. મુમુક્ષુ-દ્રવ્યાર્થિક નયે તે નિરંશ કહેવાય અને પર્યાયાર્થિક નયે તે છ ખૂણાવાળો, છે અંશવાળો પણ કહી શકાય છતાં તે છ ખૂણા સદાય હોય છે, કોઈ વખત તેથી ઓછા ખૂણાવાળો તે હોતો નથી. તથા તેથી નાની બીજી કોઈ વસ્તુ વિશ્વમાં નથી કે જેની ઉપમા વડે તેના ભાગ માપી કલ્પી શકાય. પ્રભુશ્રી–એ છ ખૂણા કયા કે શાથી રહ્યા છે? [ કોઈને ઉત્તર જડ્યો નહીં. અંદર કાંઈ કારણ કહ્યું નથી અને બીજું કાંઈ બેસતું નથી એમ બીજા બઘાએ કહ્યું]. ૩. મુમુક્ષ-છ બાજુએ છ ખૂણા હોઈ શકે : ચાર દિશામાં ચાર, એક ઉપર અને એક નીચે; ઘનની છ બાજુઓની પેઠે ખૂણા (શીંગોડાને હોય છે તેમ) હોવા સંભવ છે. પ્રભુશ્રી–કંઈક બેસે છે. દર્શન ષટે સમાય છે, આ ષ સ્થાનક માંહીં; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ.” એમાં કહ્યા પ્રમાણે જેમ (૧) આત્મા છે, તેમ જડ ( પુલ પરમાણુ) પણ છે. (૨) આત્મા નિત્ય છે, તેમ જડ નિત્ય છે. (૩) આત્મા કર્તા છે, તેમ જડ પણ નિજસ્વભાવનો અને તેના વિભાવનો કર્તા છે. (૪) તે ભોક્તા છે. કર્તા છે તો તે જડ સ્વભાવનો ભોક્તા પણ છે. (૫) આત્માનો મોક્ષ છે. તેમ જડને પણ સંસ્કાર કે વિભાવથી મુક્ત થવારૂપ મોક્ષ છે. (૬) મોક્ષનો ઉપાય છે. તે પણ બન્નેને લાગુ પડે છે. તે ઘટે કે નહીં? વળી બીજી રીતે – છ દ્રવ્ય છે ને? જ્યાં લોકાકાશ છે ત્યાં છયે દ્રવ્યો છે. તો જ્યાં જડ છે ત્યાં ચેતન પણ છે ને ? ત્યાં ઘર્મ-અધર્મ પણ છે ને? બીજા જડ પરમાણુ પણ છે ને ? કાળ પણ છે ને? બધા લોકાકાશમાં પુદ્ગલ પરમાણુ ખીચોખીચ ભર્યા છે, એમ આગમમાં કહ્યું છે. તો આમ છયેનો જ્યાં સ્પર્શ છે તેને છ ખૂણાવાળો ગોળ કહ્યો હશે ? Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ઉપદેશામૃત એક સર્વ જે કહ્યું હોય અને દીઠું હોય તે માન્ય રાખી કલ્પના કરવામાં દોષ નથી. કોઈ બાળકને કહીએ કે આ દાબડી છે. પણ તેના માબાપ ભણી દ્રષ્ટિ કરે અને તે કહે કે ચશ્માં છે. તો તે કહે, “ચશ્માં છે. હા! ચશ્માં, ચશ્માં” એમ સ્વીકારીને તેને મોઢે કરી દે છે. તેમ એક સર્વજ્ઞની શ્રદ્ધા હોય તેને બીજાનું માન્ય તો ન હોય; પણ તેને માથે રાખીને કલ્પના, ચર્ચા કરવામાં હરકત નથી. મારું ઘારેલું સાચું છે અને આ કહે છે તે ખોટું છે, એવું માત્ર ન ઘારવું. પણ જેમ સર્વ જોયું છે તેમ જ છે, અને તે જ સાચું છે; પણ આ તો તેનું કહેલું સમજવાને પ્રયત્નો છે. કાંટે ફાળિયું ભરાય ત્યાં ખળી રહેવા જેવું નથી, રાત ગાળવા જેવું નથી. સર્વ જોયું હોય તે સત્ય ગણી આગળ ચાલવું; યોગ્યતા વધારવી. તા.૨૯-૧-૨૬ [ગોમટ્ટસારજીમાં ભાવમન અને દ્રવ્યમનનું સ્વરૂપ તથા શ્વાસોચ્છવાસને પૌદ્ગલિક વર્ણવી શરીરરૂપી જડ પૂતળાને હલાવનાર ચલાવનાર (પ્રેરક) કોઈ ચેતનસત્તા હોવી જોઈએ એમ બતાવી આત્માના અસ્તિત્વની સિદ્ધિ સૂક્ષ્મ વિચારણા સાથે કરી છે તે સંબંઘી વાંચન પ્રસંગે.] મુનિ મોહનલાલજી–અહોહો ! આવું વર્ણન ક્યાંય બીજા શાસ્ત્રમાં નથી. પ્રભુશ્રી– “ગ્રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત; જીવ બંઘન જાણે નહીં, કેવો જિનસિદ્ધાંત !” આમાં શું કૂંચી મૂકી છે? કોઈ માત્રા કે ઘાતુપુષ્ટિની દવા તલ જેટલી ખાધી હોય; પણ તેને લગતું અનુપાન વગેરે મળતાં શિયાળામાં કેવી પુષ્ટિ દે છે? આ તો ખોટું દ્રષ્ટાંત માત્ર વાત સમજાવવા કહ્યું છે, તેમ કૃપાળુદેવે એવો એવો મર્મ મૂક્યો છે કે તેની ખૂબી હવે સમજાય છે. મોટો ઉપકાર એનો; નહીં તો આ સ્થિતિ ક્યાંથી? આ બધું એને લઈને છે. એથી સમકિતનું પોષણ થાય છે. જેમ હોય તેમ કહેવું ઘટે છે. બાકી, બીજા મહાપુરુષોનો ય ઉપકાર માનવો છે; પણ એણે કહેલું તો કંઈ અપૂર્વ છે. પછીની કડીમાં કહ્યું છે : પ્રથમ દેહદૃષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ; હવે દૃષ્ટિ થઈ આત્મમાં, ગયો દેહથી નેહ.” કેવી વાત મૂકી છે! યોગ્યતા હોય તેટલું સમજાય. કોઈ નાટક જોવા જાય અને તાળીઓ પાડે અને “અહોહો ! આજનો ખેલ કેવો સરસ છે' એમ કહે ત્યાં બંઘન છે; અને અહીં “અહોહો” કહે તેમાં ક્યારામાં પાણી જાય છે, પોષણ થાય છે. મુનિ મો– “હોય ને ચેતનપ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ? જડ સ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ઘર્મ.” એમાં પ્રેરણા શબ્દ છે તે આ સાંભળ્યા પછી વિશેષ સમજાયો. પહેલાં ફુરણા કે એવો અનિશ્ચિત અર્થ સમજાયો હતો; તે હવે આ પૂતળાંના દ્રષ્ટાંતથી “હલાવનાર, ચલાવનાર' એમ ચોક્કસ સમજાયો. Page #398 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૨ ૩૦૧ અમને તો કૃપાળુદેવની હયાતીમાં એટલો ઠપકો મળ્યો છે કે કંઈ બાકી નથી. કંઈનું કંઈ અમે ઘારી બેઠેલા. પ૩૪મો પત્ર દિશામૂઢવાળો અને એવા પત્રથી એટલું બધું લાગી આવેલું કે એના શરણાથી હવે તે વિચાર જ આવતો નથી. એ બધું કંઈ કહેવાય છે? નહીં શરમાયા જેવું? નીચું ઘાલવા જેવું અમે ય કરેલું. કંઈને કંઈ માની બેસતા. પણ એ સાચા પુરુષની હયાતી હતી તે ચોકઠું ઠેકાણે બેઠું. માર્ગ કોઈ અપૂર્વ છે ! આજ સુધી અમારી પાસેથી અમારો ચિત્રપટ લઈ જતા અને આમ માળા તથા તત્ત્વજ્ઞાન અમારા હાથે આપેલી; પણ એ બધું અમે હવે કાઢી નાખ્યું છે. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ એ પણ પોતાના ચિત્રપટ પડાવેલા અને પોતે તો કેમ કરીને આપે? એટલે અમારી પાસે મોકલાવ્યા. પણ અમે તો કહ્યું; અમે એ જોખમ ન લઈએ. અમારાથી કોઈનો ચિત્રપટ અપાય નહીં. હા, એ આપે તો ભલે ! તમને પાલવે તો લો. પછીથી અમે અમારો ચિત્રપટ પણ આપવો બંધ કર્યો. અને બઘાને કહી દીધું કે અમારા વચન ઉપર વિશ્વાસ હોય તો કૃપાળુદેવનો ચિત્રપટ રાખવો અને એની આજ્ઞા (મંત્રો અમારા થકી મળી તે ઉઠાવવી. તે ખોટો નીકળે તેનું જોખમ અમારા માથે છે. કોઈ પણ વસ્તુનો આગ્રહ કરવા યોગ્ય નથી. દૃષ્ટિરાગને લીધે અમેય કૃપાળુદેવને કહેલ કે ચિત્રપટ નહીં તો કાગળ ઉપર માત્ર આમ હાથ પગના લીટા જેવું કરીને આપશો તો પણ મારે ચાલશે. કંઈક ભક્તિનું સાઘન અને આજ્ઞા મળે એટલે બસ. આગ્રહ કરવાથી પ્રતિબંઘ થાય છે. આ વસ્તુ, ગમે તેમ થાય તોપણ, મને મળવી જોઈએ એવું કહે ત્યાં પ્રતિબંઘ પડે છે. તેવી વસ્તુ અમને કૃપાળુદેવ ન આપતા. મુમુક્ષુ–આ વીંટી હું આપના ચરણે મૂકું છું; તેનો જ ઉપયોગ કરવો હોય તે કરજો. પ્રભુશ્રી તમારે લોભ છોડવાની ઇચ્છા હોય તો અહીં ઘણાં ખાતાં છે–જ્ઞાન ખાતું છે, સાધારણ આશ્રમ ખાતું છે, સાધુ સમાધિ ખાતું છે. જે ખાતે તમારે આપવી હોય તે ખાતે આપજો. અમારે એને શું કરવી છે? મુમુક્ષુ–પ્રભુ, મને એની ખબર નથી. આપને જે સારું લાગે તેમાં તેનો ઉપયોગ કરજો. પ્રભુશ્રી–અમારાથી કશું ન કહેવાય. આ વીંટી લઈ લો અને તમારે રાખવી હોય તો તેમ અને વેચવી હોય તો તેમ, પણ પૈસા કરીને આવો ત્યારે જે ખાતામાં જેટજેટલા આપવા હોય તેટલા વિચાર કરીને આપી દેજો. અહીં ઘણી બાઈઓ અને ભાઈઓ આમ બંગડીઓ કે જણસો મૂકે છે તેને અમારું આ જ કહેવું થાય છે. ભાવની વાત છે. જેટલો લોભ છૂટે તેટલો સારો. પણ અમારા ચરણ અમારે પૂજાવવા નથી. પહેલાં તે થતું હતું તે બધું બંધ કરી દીધું છે. અમને થપ્પડો પડી છે. કેટલીય વાત થઈ ગઈ છે; યાદ રહી છે. તેથી અમારે એવું બંઘન કરવું નથી. ગુરુ છે તે છે. જે જેનો અઘિકાર. અમે તો સાધક છીએ. માર્ગ બતાવી દઈએ. માન્ય કરવું ન કરવું તમારો અધિકાર છે. પણ અમને બંઘન થાય તેવું અમે કરવાના નથી. Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ઉપદેશામૃત [ગોમટ્ટસારજીનું વાંચન ચાલુ. પુદ્ગલને રૂપી અને અરૂપી તરીકે વર્ણવ્યું હતું તે અટપટું હતું ત્યારે બધા ગૂંચવાતા હતા તે પ્રસંગે.]. પ્રભુશ્રી–કંઈ ખળી રહેવા જેવું નથી. કશી ખેંચતાણ કર્યા વગર, આત્મહિતને અર્થે પુલનું વર્ણન કર્યું છે–પરમાણુરૂપે અરૂપી અને અંઘમાં રૂપી–ગણી આગળ ચલાવો. મુમુક્ષુ–મારી એક બેગ ગાડીમાં ખોવાઈ તેમાં કૃપાળુદેવનો અને આપનો ચિત્રપટ તથા. તત્ત્વજ્ઞાન' પણ સાથે ખોવાયાં. તેથી બીજો ચિત્રપટ, અને તત્ત્વજ્ઞાન આપના હસ્તાક્ષર પાડી, આપવા કૃપા કરો. પ્રભુશ્રી–એક આરજા વડોદરામાં ચોમાસું રહેલાં. તેમને સ્લેટની જરૂર હોવાથી એક વકીલે પોતાના છોકરાની સ્લેટ આપી. પણ પાટી ઉપર પગ પડવાથી પાટી ભાંગી ગઈ એટલે તે આરજાને ખોટું લાગવાથી રડવા લાગી. તે જ્યારે તે વકીલે જાણ્યું ત્યારે બીજી સ્લેટ આણીને આપવા ગયો; પણ આપતાં તેણે કહ્યું કે પાટી જેવી બાબતમાં ઉપયોગ નથી રહેતો તો સંયમમાં કેમ કરી રહે? તે સાંભળીને તેને નીચું જોવું પડ્યું હતું. એમ ઉપયોગ ન રાખવાથી વસ્તુ ખોવાય કે બગડે. ચિત્રપટ વગેરે ખોવાય તે તો આશાતનાનું કારણ છે. જો દર્શન કરવા મુસાફરીમાં રાખવાની ઇચ્છા હોય તો તેને જીવની પેઠે સાચવવાં જોઈએ. [સવારમાં રૂપી અરૂપી પુલની વાત ફરી વંચાઈ અને કંઈ કંઈ સમજાઈ.]. પ્રભુશ્રીકંઈ ડહાપણ કરવા જેવું નથી. અમે કૃપાળુદેવને કહેલું કે અમે શાસ્ત્રો, સૂત્રો વગેરેનું વાંચન કર્યું છે. પણ તે પુરુષની શી ગંભીરતા! માત્ર જરાક માથું ડોલાવ્યું અને પછી જણાવ્યું કે જાણ્યું જાણ્યું હવે, કૂવાના દેડકાની પેઠે થોડું જાણીને છલકાઈ જવાની જરૂર નથી. અશાતામય જ બધું છે. શાતા વેદનીય ભોગવાય છે, તેય અશાતા જ છે, પણ ભાન નથી. જેટલો પૈસો, પરિગ્રહ તે બધી અશાતા વેદનીય છે, છોડવા યોગ્ય છે. શરીર એ વેદનાની મૂર્તિ જ છે. સુખ લાગે તે પણ એક જાતની વેદના જ છે. જીવને તો તે બધું વેદવું જ પડે છે. એ કાંઈ સુખ-દુઃખ ગણવું એ જીવનો સ્વભાવ છે? “જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુઃખ, મૃત્યુ, દેહનો સ્વભાવ જીવપદમાં જણાય છે.” તા.૩૦-૧-૨૬ [મૂળાચારમાં કૃત્રિમ અને અકૃત્રિમ જિનાલય જે લોકમાં વિદ્યમાન છે તે “સ્થાપના લોક' એવો લોકના નવભેદમાંનો ભેદ ફરી વંચાતો હતો, તે પ્રસંગે.] આમાં કંઈ જુદી વાત આવી છે. અકૃત્રિમ એ તો આત્મા અને કૃત્રિમ તે સંજોગ. ભાઈ, Page #400 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૨ ૩૦૩ મામા, છોકરા, કાકા—બઘા સંજોગ છે. ચોરી કરી હોય, પારકું ગ્રહણ કર્યું હોય તે પચે કે ? કાચો પારો ખાવું અન્ન, તેવું છે ચોરીનું ધન; કાચી ખાવી છે હરતાલ, તેવો છે ચોરીનો માલ.' આમાં સાચું શું ? પચાસ-સો વરસનાં આયુષ્ય, તેમાં શું કાયમ રહેવાનું ? કશું હારે જવાનું છે ? પંખીના મેળાની પેઠે બધાને જતા દેખીએ છીએ કે નહીં ? ‘મારું, મારું' કરે છે; પણ તારો તો આત્મા. પરમાર્થે દેહ ગાળવો. આ ભવનાં સગાં તે જ સગાં ? બીજાની સાથે અનંત વાર સગાઈ થઈ તે નહીં ગણે ? ‘પરમારથમાં પિંડ જ ગાળ' એટલે બધાં આવી ગયાં. કોઈ માનવાજોગ માનવું તે તારું નહીં ? ચોવિહારનું પચખાણ સારું છે. હવે એને આટલો વખત તો ખાવા ન જ આપું. ક્યાં એ ખાય છે કે પીએ છે ? એ ધર્મ એનો ક્યાં છે ? જે એ (શરીર) માગે તેનાથી ઊલટા જવા જેવું છે, સામા પડવાની જરૂર છે. તે (પચખાણ) અભયદાન છે. તડ બદલી નાખવાની જરૂર છે. બહુ દહાડા તેની સંભાળ લે લે કરી તોય ભવભ્રમણ મટ્યું નહીં. હવે તો કોઈ માળા, પુસ્તક કે ચિત્રપટ જોઈને ભાવના શી કરવાની છે ? યાદ શું લાવવાનું છે ? આત્મા. એ આત્મભાવનાના હેતુથી બધી ક્રિયા કરવાની છે. મનુષ્ય ભવ બહુ દુર્લભ છે. તેમાંથી આ જોગ અને આવખાની (આયુષ્યની) ટૂંકી સ્થિતિ. તેથી ચેતવા જેવું છે. ‘આ જ્ઞાની છે ને આ જ્ઞાની છે' એમ માન્યે કલ્યાણ છે ? કયે કાટલે તોલ કરવો છે ? તું જ્ઞાનીની પરીક્ષા કરનાર ! ત્યારે તો તું જ જ્ઞાની. ‘મા વિવૃદ્ઘ, મા ગંપન્ન, મા ચિંતદ્દ હ્રિવિ નેળ દોડ્ થિરો, अप्पा अप्पम्मि रओ, इणमेव परं हवे झाणं. " २" मा मुज्जह मा रज्जह मा दुस्सह इट्ठणिट्ठअट्ठेसु, थिरमिच्छह जइ चित्तं विचित्तझाणप्पसिद्धिए.' ખમી ખૂંદવું, સમભાવ રાખવો; ક્ષમા રાખવી. જેટલા વધારે ખમનાર તેટલા મોટા. કોઈને વાગ્યું હોય ત્યારે પાટો બાંધવામાં કે એવા પરમાર્થમાં વખત જાય તે ખોટું નથી, તે કર્તવ્ય છે. એમાં ક્યાં મારાપણું કરવાનું છે ? મારું મારું કરે ત્યાં બંધન છે. ‘અરેરે ! કશુંક કરડ્યું, ચટકો ભર્યો, કરડે છે, વલૂરવું છે, દુઃખ થાય છે', એમ કરે, શ૨ી૨ને પોતાનું ગણે ત્યાં બંધન છે પણ આત્માને ક્યાં દુ:ખ થવાનું છે કે ક્યાં તે કરડાવાનો છે ? ભેદનો ભેદ જાણવાનો છે. દેહથી ભિન્ન આત્મા છે, એમ જાણનાર છે ને ? તેને જાણવો છે. એક આત્માને જાણવાથી બધું જણાશે. મોક્ષનો માર્ગ ખુલ્લો છે. ચોગાનમાં તરવાર પડી છે. મારે તેના બાપની. રાગ-દ્વેષ ન કરવો, મોહ ન કરવો, ખમી ખૂંદવું. એમાં કોઈ શાસ્ત્ર ના પાડી શકે તેમ છે? મોક્ષનો માર્ગ આ છે અને તે જ કરવાનું છે. સર્વ જ્ઞાનીઓએ એ જ કહેલું છે. અમે ઉપદેશ નથી કરતા, પણ એનું કહેલું સ્વાધ્યાય થાય તેમ કહી બતાવીએ છીએ. એ મીઠી વીરડીનું પાણી છે. કશાનો ગર્વ કરવા જેવું નથી. કોઈને વધારે યાદ રહેતું હોય કે બોલી ૧-૨. અર્થ માટે જુઓ પૃષ્ઠ ૧૧૬. "" Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ઉપદેશામૃત દેખાડતાં આવડતું હોય પણ તેનું પાછું ઊંટિયું (અભિમાન) ઊભું થાય. મોક્ષનો માર્ગ એવો નથી કે જેને સમજણ પડે, યાદ રહે કે ઘણી બુદ્ધિ પહોંચે તે જ મોક્ષમાર્ગ પામે અને બીજા બાળાભોળા ન જ પામે. ઊલટું ક્ષયોપશમવાળાને વઘારે સાચવવાનું છે. તેની નિંદા નથી કરવી. તેણે તેના ગજા પ્રમાણે ક્ષયોપશમનો ઉપયોગ કરવાનો છે. જેમ પાના પડ્યાં છે, જે બાંધ્યું છે તે બધું હવે ગમે તેમ કરીને પૂરું કરવું છે. કાળ કાઢવો છે. આટલા બધા ભવ એળે ગયા તો છે જ; ત્યારે આટલો ભવ–ટૂંકા આયુષ્યનાં બાકી રહેલાં વર્ષ હવે તો એની ખાતર જ ગાળું, એમ કર્તવ્ય છે. જે જ્ઞાનીએ જોયું છે તેણે કહ્યું છે તે માટે સંમત છે. તેની માન્યતા માન્ય કરવા જેવી છે; અને એ તો ગમે તે ઓછા ક્ષયોપશમવાળો પણ કરી શકે. તેનું માળે માન્ય કરવામાં ક્ષયોપશમવાળાને ઊલટી મુશ્કેલી આવે. પણ બાળા ભોળા જીવ તો તે રીતે જ કામ કાઢી નાખે તેમ છે. આવડ ઉપરથી આ તો જ્ઞાની છે અને મોટો છે એવું ન કરવું. ભલેને આવરણ હોય; પણ શ્રદ્ધા કામ કાઢી નાખે. બારે ય માસ બેઠો બેઠો સાંભળતો હોય પણ કોઈક વખત આવો જોગ આવતા જો હૃદયમાં બેસી જાય તો કલ્યાણ થઈ જાય. દશપંદર રૂપિયાનો લોભ છોડ્યો અને આ આમ આશ્રમમાં આવ્યા કરે છે, તો તેમાં કંઈ બગડી ગયું? પૈસા તો કાંકરા છે, મેલ છે, નાશવંત છે. પણ આવો જોગ મળવો દુર્લભ છે. દયા, ક્ષમા, ઘીરજ એ એનાં વચનો વિચારવા જેવાં છે. શાસ્ત્ર, માળા, પુસ્તક, ધ્યાન એ બધું કરીને કરવું છે શું ? આત્માની ભાવના. એ લક્ષ ન રહ્યો તો જન્મ મરણથી છુટાતું નથી. ભલેને જ્ઞાની કહેવાતો હોય, પણ તેની સિફારસ ત્યાં ચાલતી નથી. આમાં કંઈ બીજું આવતું હોય તો કહેવું. મુમુક્ષુબીજું કંઈ નથી. પણ ગઈ કાલે અકૃત્રિમ દેરાસર વિષે કહ્યું હતું તે બેઠું ન હતું. પ્રભુશ્રી—કેટલાંક દેરાસર બનાવેલાં તે તો કૃત્રિમ કહેવાય. અને જેમ મેરુ પર્વત છે તેનાં રૂપ, રસ, સ્પર્શ આદિમાં ફેરફાર થાય પણ તે શાશ્વતો કહેવાય છે, તેમ દેરાસર, વિમાન, વગેરેમાં પણ ગણાય. ખાડા-ટેકરા પુરાતા જાય છે ને? એમ વગર કર્યું પણ અકૃત્રિમ બનેલાં હોય છે. આજે વાત બહુ સારી આવી ગઈ. “નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નોય; નિશ્ચય રાખી લક્ષમાં, સાઘન કરવાં સોય.” “અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોએ સવ્યવહારને, સાઘનરહિત થાય.” એમાં કહ્યું છે તેમ એકલા નિશ્ચયનયની વાત સાંભળી સાઘન, સવ્યવહાર ન છોડવો નિશ્ચયનયની વાત સાંભળી એકાંત ન ગ્રહવો. વિચક્ષણનો માર્ગ છે. ને ? તા. ૧-૨-૨૬ બોઘ કંઈ થયો હોય તેવો અને તેટલો, ગમે તેવો ક્ષયોપશમ હોય તો પણ ન લખાય. એ સપુરુષનાં ઘરનાં વચનો તે અન્યરૂપે થવાથી એંઠાં થાય. સક્ઝાય માટે પોતાનો કાળ ગાળવા Page #402 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૨ ૩૦૫ માટે લખવામાં હરકત નથી, પણ તે એંઠ ગણાય. મૂળની હારે આવે ? વીતરાગપણે બોલાયેલી વાણી રાગરૂપે પ્રદર્શિત થાય તો દૂઘ કડવી તૂમડીમાં ભરીને પીવા જેવું છે. તા.૨-૨-૨૬ [વિનય એ મોક્ષમાર્ગ છે. તેનું નામ કૃતિકર્મ છે. મૂળાચારમાં તે વિષેના વાંચન પ્રસંગે દ્રષ્ટાંત.] એક ગામમાં એક જ્ઞાની મુનિ ઘણા શિષ્યો સાથે પધાર્યા હતા. તે મુનિનો સ્વભાવ ક્રોધી હતો; તે પોતે પણ જાણતા હતા. તેથી ક્રોઘનું નિમિત્ત ન બને માટે બધાથી દૂર એક ઝાડ નીચે જઈ બેઠા. બીજા શિષ્યો પણ પોતપોતાનાં આસન પસંદ કરી દિવસ કોઈ કોઈ કાર્યમાં ગાળતા હતા. તે વખતે સાંજના હાથે મીંઢળ બાંધેલો એક યુવાન પરણીને મિત્રો સાથે મુનિનાં દર્શનાર્થે આવ્યો. તેના મિત્રો મશ્કરા હતા. તેમણે એક સાધુ પાસે જઈ કહ્યું “મહારાજ, આને સાધુ કરો.” એક વાર બે વાર કહ્યું તે સાધુ ન બોલ્યા છતાં તેમણે કહેવું જારી રાખ્યું. એટલે સાઘુએ કહ્યું, અમારા કરતાં મોટા પેલા સાધુ છે તેમની પાસે જાઓ. બીજા સાધુ પાસે જઈ તેમણે જણાવ્યું તો તેમણે વળી બીજાને બતાવ્યા. એમ કરતાં છેવટે તેઓ મોટા મુનિ મહારાજ–ગુરુની પાસે ગયા અને દર્શન કરી તેમણે પેલી વાત વારંવાર કહ્યા કરી. ગુરુ થોડી વાર તો સાંખી રહ્યા પણ ફરી ફરી ખૂબ આગ્રહ કરવાથી તે ક્રોધે ભરાયા. એટલે તેમણે પેલા નવીન પરણેલાને પકડી વાળ ઉપાડી નાખી મુનિ બનાવ્યો. તે સમજી ગયો અને મહારાજે મોટી કૃપા કરી એમ ગણી કંઈ બોલ્યો નહીં. પણ બીજા તો તેનાં માબાપને કહેવા ઘેર દોડી ગયા. તેથી તેણે ગુરુજીને જણાવ્યું કે હવે જો આપણે અહીં રહીશું તો આપને પરિષહ પડશે. માટે અત્યારે અહીંથી વિહાર કરવો ઠીક છે. તેમણે કહ્યું, રાત પડી જશે અને અત્યારે ક્યાં જઈશું? શિષ્ય કહે, આપનાથી વૃદ્ધાવસ્થાને લઈને ન ચલાય તો હું આપને ખભે બેસાડી લઈશ. આમ નક્કી થવાથી બધા પર્વત તરફ ચાલી નીકળ્યા. ગુરુની આંખે ઓછું સૂઝતું તેથી તેમણે કહ્યું, ભાઈ, હવે દેખાતું નથી એટલે તેણે તેમને ખભે લઈ લીધા. પર્વત ઉપર ચઢવાનું અને ખાડા, પથરા વગેરેને લીધે પગ ખસે કે હેલકારો આવે તેથી ગુરુજી તો તેને ઉપર બેઠા બેઠા લોચ કરેલા માથામાં મારવા લાગ્યા. પણ તે શિષ્યના મનમાં ગુરુના દોષ ન વસ્યા. ઊલટું તેને એમ લાગ્યું કે હું કેવો અભાગિયો કે મારે લીધે તેમને વિહાર કરવો પડ્યો અને આમ વૃદ્ધાવસ્થામાં તેમને અડચણ પડે છે. ગુરુ તો તેના ઉપર ક્રોઘ કરે, કે દેખાતું નથી? કેમ આમ ચાલે છે? વગેરે કહે ત્યારે ખાડાને લીધે પગ ખસી જાય છે એવું કહી પોતાનો દોષ કાઢે, પણ ગુરુજી ઉપર અણરાગ ન થયો. પછી વધારે સાચવવા વાંકો વળી નીચે હાથથી તપાસતો ઉપર ઘીમે ઘીમે ચડવા લાગ્યો. એવામાં શિષ્યને એ પરિષહ સહન કરતાં કેવળજ્ઞાન થયું. ગુરુને મનમાં થયું, હવે કેમ કંઈ ખાડા પથરાથી હેલ્લા આવતા નથી ? તેથી પૂછ્યું, કેમ અલ્યા, હવે કંઈ ભૂલ થતી નથી? જ્ઞાન ઊપસ્યું કે શું ? તેણે કહ્યું, આપના પસાયે. ગુરુએ પૂછ્યું, મતિજ્ઞાન ઊપસ્યું? તેણે કહ્યું, આપના પસાથે. ફરી પૂછ્યું, શ્રુતજ્ઞાન ઊપજ્યું? તેણે તે જ 20 Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ઉપદેશામૃત ઉત્તર આપ્યો. ફરી પૂછ્યું, અવધિજ્ઞાન ઊપજ્યું? તો કહે, આપના પસાથે. ફરી પૂછ્યું, મન:પર્યય ઊપજ્યું? તેણે કહ્યું, આપના પસાયે. ગુરુને તો આશ્ચર્ય વધ્યું, ફરી પૂછ્યું, કેવળજ્ઞાન ઊપસ્યું કે શું? તેણે કહ્યું, આપના પ્રસાદે. એટલે તો ખભા ઉપરથી ગુરુ ઊતરી પડ્યા અને તેને પગે પડી ક્ષમા માગવા લાગ્યા કે હે ભગવાન! મેં આપને ઘણું દુઃખ દીધું અને પોતાની નિંદા કરવા લાગ્યા ત્યાં તો ગુરુજીને પણ કેવળજ્ઞાન પ્રગટ્યું. વિનય વશીકરણ છે. વનો વેરીને વશ કરે, એમ વ્યવહારમાં પણ કહેવાય છે. વિનય ન છોડવો. તા.૩-૨-૨૬ બધા હોય ત્યારે ઉપમિતિ ભવપ્રપંચ' થોડું વાંચવું, વાંચેલો વિષય હોય તે પણ ફરી લેવો. સ્યાદ્વાદ છે. નમસ્કાર સૂતાં સૂતાં પણ થાય. તેમ પરિણામ-ભાવ ઉપર વાત છે. મુમુક્ષુ- મુનિ મોહનલાલજીને વારંવાર ઉથલાવીને) હૃદયકમળમાં ભાવમનની ઉત્પત્તિનું વિવેચન વાંચનમાં આવ્યું, પણ વિચાર તો મગજમાં કરતાં હોઈએ તેમ લાગે છે. અને પુસ્તકજીમાં હૃદયમાં કહે છે. તે કેમ હશે ? પ્રભુશ્રી–આ બઘા પર્યાય અહંકારના છે, પ્રભુ! એ શબ્દો બઘા કષાયના પર્યાય છેને? તે છોડવાના છે ને ? એમાં કાંઈ બોલવા જેવું નથી. પૂછો બડા ચચાને કે બડી ચચીને એમ વાત છે, તેમ અમને પૂછો છો અને અમે કહીએ તે માન્ય કરો તેના કરતાં જ્ઞાનીનું કહેલું માન્ય કરવું. હું જોઉં છું કે કેટલીક બાબતોમાં મારા કરતાં તમારો ક્ષયોપશમ સારો છે. ક્ષયોપશમ હોય તેટલું બોલાય. આ કાને હવે નથી સંભળાતું તેટલો ક્ષયોપશમ ઓછો ને? હમણાં સમજાય છે એટલું કહી દઈએ તો હાશ ! ઠીક કહ્યું, એમ ટાઢું હિમ જેવું લાગે. પણ કેટલીક વાતો બોલવા જેવી નથી, ડહાપણ કરવા જેવું નથી. સાંજે મૂળાચારમાં નહોતું આવ્યું કે વ્યાખ્યાનાદિથી આકુળ થયેલા ચિત્તવાળાને નમસ્કાર કરવા નહીં ? વીતરાગવાણી ! તેની ખૂબી તો ઓર છે! આ (મૂળાચારની) વીતરાગ વાણી કહેવાય. જ્ઞાનીનું કહેવું માન્ય રાખવું અને ક્ષયોપશમ હોય તેમ સમજવું. પણ હું સમજું છું તેમ જ છે એમ કોઈએ માની બેસવા યોગ્ય નથી. કોઈને વધારે ક્ષયોપશમ હોય તો થોડું વધારે કહે, પણ એટલું જ જ્ઞાનીને કહેવું છે? જ્ઞાનીના એક એક શબ્દમાં અનંત આગમ સમાય છે. યોગ્યતાની કચાશ છે. તા.૪-૨-૨૬ [‘મૂળાચાર'માંથી પ્રતિક્રમણ અધિકાર વંચાતાં પ્રભુશ્રી આત્મા સિવાય બઘા ભાવોમાં જ્યાં જ્યાં મમતા જીવે કરી છે–આ મારો છોકરો છે, આ કોઈકનો છોકરો છે; આ મારું ઘર છે, આ મારાં કપડાં છે; ટૂંકામાં “હું” ને “મારું” જ્યાં Page #404 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૨ ૩૦૭ અંતરમાં રહ્યું છે ત્યાં મિથ્યાત્વ છે. અસંયમ તે અવિરતિ કે વ્રત નહીં. વૃત્તિ રોકાણી નથી તે છે. વૃત્તિનો રોઘ તેને તપ કહ્યું છે. રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ–વિષયો અને કષાયો આ ઠીબકામાં (કાયામાં) લઈને જીવ ભમે છે. જ્યાં જાય છે ત્યાં તે ગંઘા, અન્ને સાથે લઈને, ઉપમિતિ ભવપ્રપંચ ના નિપૂણ્યકની પેઠે જાય છે, અને રસ્તામાં ભાથું ખાવા બેસે છે તેમ ખાયા કરે છે. શુભાશુભ યોગો–સંજોગોમાં પ્રમાદ કર્તવ્ય નથી. સમય માત્રનો હે ગૌતમ, પ્રમાદ કર્તવ્ય નથી, એમ શાસ્ત્રમાં કહ્યું છે. લીઘો કે લેશે એમ થઈ રહ્યું છે, ઠીબકું ફૂટી જશે. પછી આમાંનું કંઈ કામનું છે? જેટલો કાળ સારાં નિમિત્તમાં ગયો તેટલો ખપનો છે. ૧. મુમુક્ષ–ઉપમિતિ ભવપ્રપંચમાં નિપુણ્યકને “કર્મવિવર' દ્વારપાળ સુસ્થિત મહારાજાના દરવાજામાં પ્રવેશ કરવા દે છે તેનો શો અર્થ? ૨. મુમુક્ષુ– કર્મવિવર” એટલે “કર્મનો વિચ્છેદ' થતાં અંતર-આત્મામાં પ્રવેશ થાય છે. સાત પ્રકૃતિનો ઉપશમ થાય ત્યાર પહેલાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય વગેરે સર્વ કર્મપ્રકૃતિનો કાળ એક કોડાકોડીમાંથી કંઈ ઊણો રહે ત્યારે કર્મ તેને માર્ગ આપે છે તે વખતે સુસ્થિત રાજાની તેના ઉપર દ્રષ્ટિ પડે છે. પછી તેને દર્શન થાય છે. ઘર્મબોઘકરની ત્રણ દવાઓ (૧) શલાકા અંજન, (૨) તત્ત્વપ્રીતિકર પાણી અને (૩) પરમાન્ન તેનો પાત્ર નિપુણ્યક જીવ બને છે. અઘપ્રવૃત્તિકરણાદિ સામગ્રી મેળવી જીવ પુરુષાર્થ કરે તો સદ્ભાગ્યે સદ્ધર્મમાં તેનો પ્રવેશ થાય છે. ઘણી વાર તે દ્વાર આગળ તે આવે છે પણ કાં તો પોતે ચૂકી જાય છે કે કાં તો કર્મ તેને પેસવાની રજા આપતું નથી. પ્રભુશ્રી મનુષ્યભવ દુર્લભ છે. તેમાં આવો જોગ, વીતરાગ વાણીનું સાંભળવું થાય તે વિશેષ દુર્લભ છે. ભલેને સમજાય કે ન સમજાય; પણ આપણા કાનમાં શબ્દો પડવા મહત્ દુર્લભ છે. તા. ૪-૨-૨૬ [‘મૂળાચાર'માંથી આલોચના ગુરુ આગળ વિનય સહિત કરવી, અન્યજન આગળ કરવી અને પોતાની મેળે પશ્ચાત્તાપરૂપે એકાંતમાં કરવી એ ત્રણ પ્રકાર વિષે વંચાતાં]. બીજા આગળ એટલે સભા સમક્ષ પોતાના દોષની ક્ષમા માગવી તે વઘારે દીનતા દર્શાવે છે. એમ પંચ કે સંઘની સમક્ષ માફી માગવાથી હૃદય વઘારે હલકું થાય અને ફરી તેવું પાપ થવાનો ઓછો સંભવ છે. તા.૬-૨-૨૬ “ગોમટ્ટસારમાંથી કર્મકાંડનું વાંચન : - पयडी सील सहावो जीवंगाणं अणाइसंबंधो । વળોટું મરું વા તાત્થિરં સર્વ સિદ્ધ છે (ગાથા બીજી) Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ઉપદેશામૃત जो अन्य कारण बिना वस्तुका सहज स्वभाव होई जैसे अग्निका ऊर्ध्वगमन, पवनका तिर्यग्गमन, जलका अधोगमन स्वभाव है ताको प्रकृति कहीए वा शील कहीए वा स्वभाव कहीए ये सब एकार्थ है। પ્રભુશ્રી ‘સહજ' શબ્દ સાંભળતાં) એણે શાં કામ કર્યા છે! કેવો “સહજત્મસ્વરૂપ પરમગુરુ” મંત્ર યોજી કાઢ્યો છે, પ્રભુ ! તે વખતે તો કંઈ ખબર ઓળખાણ નહીં પણ હવે સમજાય છે કે અહો હો ! કેટલો ઉપકાર કર્યો છે ! કાળ વહ્યો જ જાય છે; કંઈ થોભતો નથી. એના ઉપકારનો તો બદલો વળે તેમ નથી, ચામડી ઉતરાવી તેના જોડા સિવડાવીએ તોય બદલો વળે તેમ નથી. મારો વાલો ઘણો ઊંડો ઊતર્યો છે. આમાં તો ભારે વાત આવે છે. ઘાતિયાં અઘાતિયાં છતાં આઠ કર્મ એક બીજાની સાથે કેવા ક્રમમાં ગોઠવ્યાં છે ! સંસાર સ્વપ્નવત્ છે. પગ મૂકતાં પાપ છે; મરણને ત્રાસ સાથે છે. જો મરવું ન હોય તો ભલે આળસ કરો; પણ તે તો છોડવાનું નથી. ઘણા પુણ્યને લઈને મનુષ્ય જન્મ મળે છે તે એળે ન જવા દેવો. ચેતવા જેવું છે. ઘડીવારમાં ફૂટી જાય એવો દેહ છે. તેનો ભરોસો કરવા જેવું નથી. પાપ અને પુણ્ય સાથે આવે છે, બીજું બધું પડ્યું રહે છે; એ આપણે નજરે જોઈએ છીએ. ત્યાગ અને વૈરાગ્યની જરૂર છે. કમાવા માટે કે ઘંઘા આબરૂ માટે આટલું બધું કરીએ તો આ જીવને અનાદિકાળથી પરિભ્રમણ થતું આવ્યું છે તે ટાળવા માટે કાળજી નહીં રાખવી ? એની (જીવની) નોકરી-ફરજ પણ બજાવવી, “આત્મઘાતી તે મહાપાપી'. બધાં દર્શનોમાં આ વાત માન્ય છે. વિષ્ણુ, મહાદેવ કે માતા એ માળે મોક્ષ થવાનો નથી. કરણીનાં ફળ મળશે. પણ ખરા દેવને, આત્માને ઓળખ્યા વિના મોક્ષ નથી. સનાતન જૈન, વેદાંત, બધે ય આત્માનો જ લક્ષ રાખ્યો છે. પાપથી છૂટવાનો રસ્તો સાચા દેવ, સાચા ગુરુ, સાચા ઘર્મની ઓળખાણે છે. આમાં તો કોઈ અપૂર્વ વાત આવે છે. આટલા ભવ એળે ગયા તો આટલો ભવ ઘર્મ ખાતર જતો કરવા જેવું છે. એમાં કાળ જશે તે અલખે તો નહીં જાય. એની જ શોઘ, એની જ ખોજ, એના જ વિચારમાં રહેવું. પ્રભુ! કેવા કેવાના ઉદ્ધાર થઈ ગયા છે ! તા.૭-૨-૨૬ (‘ઉપમિતિ ભવપ્રપંચના વાંચન પ્રસંગે) આ આત્મા ક્યારથી બંઘાયો છે તેનો કંઈ પત્તો નથી. આમ ને આમ અનાદિ કાળથી રઝળ્યા કરે છે. તેમાંથી મનુષ્યભવ પામ્યો તો પણ ભિખારીનો ભિખારી સુખની ભીખ, પૈસાની ભીખ, વૈભવની ભીખ, માનની ભીખ, આમ વિષય, કષાય અને તૃષ્ણાઓથી જીવ ઘેરાઈ રહ્યો છે. તેનો કંઈ પત્તો જ નથી. મહા પુણ્યના ઉદયે કોઈ સંતનો જોગ થાય છે. ઠામ ઠામ ભુલવણી થાય તેમ છે. તે ભિખારી કેટલીય વાર સુસ્થિત રાજાના મહેલ પાસે આવ્યો; પણ પોલિયો પેસવા જ દે નહીં. જ્યારે સ્વકર્મવિવર નામના પોળિયે દયા લાવી અંદર જવાની રજા આપી ત્યારે અંદર જઈ જુએ તો... અહો ! ત્યાં—કેટલાય તપસ્વી, યોગી અને મહાત્માઓ મુક્તિને Page #406 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૨ ૩૦૯ માટે પ્રયત્ન કરતા, ધર્મધ્યાન-શુક્લધ્યાનમાં પ્રવર્તતા જણાયા. તેમનો આત્મિક વૈભવ દેખી તે તો દિગ્મૂઢ થઈ ગયો. છતાં તેને તો ભાંગેલા ઘડાનું ઠીબકું હતું તેના ઉપર ઘણો મોહ હતો. ‘અહીં હું આવ્યો છું તે આ મારું ઠીબધું કોઈ લઈ લેશે તો ? અહીંથી જતો રહ્યું કે શું કરું ?’ એમ કરી આંખો મીંચી જતો, પણ સુસ્થિત રાજાની તેના ઉપર નજર પડેલી તેથી ધર્મબોધકર ગુરુ તેને વિમલાલોક નામનું અંજન આંજે છે ત્યારે ડોકું હલાવે છે અને આંખો ઉઘાડતો ય નથી. તો પણ જરા દવા આંખમાં લાગતાં તેને ઠીક લાગે છે અને બધું નિહાળી આનંદ પામે છે. પણ પાછું તેનું ઠીબધું યાદ આવે છે, તેને સંતાડતો ફરે છે. આમ જીવ કંઈ કંઈ પુણ્યના જોગો પામીને પણ ચેતે નહીં તો આ મનુષ્યભવ ગુમાવી બેઠા જેવું છે. ગમે તેટલી સાહ્યબી હોય પણ સાથે કશું આવવાનું છે ? આ દેહ છોડચો એટલે એમાંનું કશું ખપનું છે ? મુનિ મોહનલાલજી ભાવનગરનો એક રાજા બહુ જ દાન દેતો. તેની સયાજીવિજયમાં ટીકા થઈ કે આટલું બધું રાજાએ ખર્ચ ન કરવું જોઈએ. પણ તે ગણકાર્યું નહીં. થોડા દહાડા પછી તે રાજા મરણ પામ્યો. જે તેણે દાન કર્યું તે તેની સાથે ગયું ને? પાછળ પડી રહ્યું તેમાંથી તેના ખપનું કંઈ છે ? દાન પુણ્યમાંય બે ભેદ છે એકથી તો પુણ્યનો જોગ હોય ત્યારે પુણ્ય બંધાય; અને એક પુણ્ય ખપી જાય અને પાપ બંઘાય. જેના જોગે નવું પુણ્ય બંધાય તે જ પુણ્યાનુબંધી પુણ્ય અને તે ખપનું છે. પ્રભુશ્રી—તે ગાદી ઉપર બીજો રાજા આવ્યો. તે શિકારી અને પાપી હતો. તે ઊંઘમાં પણ હરણિયાં ભાળે અને ભય, ભય અને ભય દેખે. તેણે સભામાં ડાહ્યા માણસો આગળ તે વાત જણાવી અને ચર્ચા થયે તેને ખાતરી થઈ કે પાપ કર્યાં છે તે બધાં તેને ઘેરી લે છે. એક પૈસાદાર વાણિયો ગરીબ થઈ જતાં ગામડામાં જઈ વસ્યો અને ત્યાં અનીતિથી પૈસા મેળવી લોકોને રીબતો તેથી મરીને બોકડો થયો. તે ગામડિયામાંનો એક કસાઈ થયો. તે કસાઈ તે બોકડાને લઈ જતો હતો ત્યાં એક મુનિની નજર પડી એટલે તેમને હસવું આવ્યું. તે જોઈ તે વાતનો ખુલાસો પૂછવા લોકો અપાસરે ગયા. તેમને મુનિએ કહ્યું કે આ જ ગામનો વાણિયો જે પરગામથી અહીં આવીને રહ્યો હતો તે જ આ બોકડો થયો છે. આ તો તેનો હજી પહેલો ભવ છે. પણ તેવા તો કેટલાય ભવ લેવા પડશે, ત્યારે લોકોનું લોહી ચૂસ્યું હતું તે પૂરું પતી રહેશે. આવાં પાપથી ત્રાસ છૂટવો જરૂરનો છે. પૂનામાં એક નારણજીભાઈએ મને પૂછ્યું, ‘મહારાજ સાહેબ, આ માણેકજીને આપે શું કર્યું છે? પહેલાં તો રોજ હજામત કરનાર હવે અઠવાડિયે ય કરાવતા જણાતા નથી.' મેં કહ્યું, ‘પ્રભુ ! તેમને મરણનો ભય લાગ્યો છે.' બીજું શું કહેવાય ? તેમને (નારણજીને) ય અહીં આવવા વિચાર રહે છે પણ અંતરાયને લઈને આવી શકતા નથી. આ બધું કંઈક કર્યાથી આવી મળે છે ને ? મુનિ મો—કલેક્ટર અને વાઈસરૉય વિલાયતથી આવે તે પહેલાં તેમને માટે બંગલા, ફર્નિચર વગેરે તૈયાર હોય છે, તેમ જીવ જે કર્મ ઉપાર્જન કરે છે તેને લઈને તેને બધું મળી આવે છે. Page #407 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત ૩૧૦ પ્રભુશ્રી–પૈસાદારને ઘેર જન્મ થવો તે તેના જેવું જ છે. ક્યાં મહેનત કરવી પડે છે ! પિતા કમાઈ ગયેલા તે બધું તેને મળે છે. નહીં તો, બીજાને એક પૈસો મેળવતાં કેટલી મહેનત કરવી પડે છે? પૈસાદારને વધારે ચેતવા જેવું છે. તેને મોજમઝા અને અનીતિમાં ગુમાવવાના ઘણા પ્રસંગ મળી આવે છે. કારણ કે પુણ્ય છે તેને લઈને તે જોગો તો મળે અને ઠાર ઠાર બંઘાવાનાં સ્થાનક તો ખડાં છે. જો ચેતી ન લેવાય તો આવો ભવ ફરી મળતો નથી. મનુષ્ય ભવ મહાદુર્લભ છે. કોઈ ઢોર કે બળદને લાવીને ઊભું રાખો જોઈએ. તે કંઈ સમજશે? આ મનુષ્યભવ છે તો કહેવાનું છે કે આ જોગ વહી જવા દેવા જેવો નથી. પેથાપુરમાં એક કારભારી હતો તે રોજ અમારી પાસે આવતો. તેણે “મોક્ષમાળા' પૂરી વાંચી અને અમે તે સાંભળતા. શી તેની સમજ! તેની આંખમાં આંસુ આવી જતાં. ઋણાનુબંધે બધું આવી મળે છે. માણેકજી શેઠને લઈને આ ભાઈ (લશ્કરી) અને તેમને લઈને આ ઇજનેર સાહેબ અહીં આવ્યા. આમ જ પહેલાં ઓળખાણ કહેતા-કહેતીથી જ થાય છે. આ દુર્ગાપ્રસાદ અને માણેકજી શેઠને તો ઘર જેવું જ. એ કંઈ પૂર્વના સંબંઘ વગર છે ? અમારાથી કંઈ કહી શકાય નહીં. પણ દ્રષ્ટિમાં આવે તેવું અને સૌને સમજાય તેવું છે કે કંઈ પૂર્વે કર્યું હશે ત્યારે આ મનુષ્ય જન્મ, આર્યદેશ અને આવો જોગ પ્રાપ્ત થયો છે. કંઈ ત્યાગેય કરવાની જરૂર નથી અને બાવાય થવાની ખાસ જરૂર નથી; પણ સમજણ ફેરવવાની જરૂર છે. સમજુનો માર્ગ છે. ત્યાગે તેને તો આગે; પણ એ પુણ્ય-પાપથી છૂટવાની જરૂર છે. આત્માની દયા ખાવાની છે. આત્મઘાતી તે મહાપાપી. સમજીને અસંગ થવાનો માર્ગ છે. જો આ મનુષ્ય ભવ ગુમાવ્યો, તો ક્યાં ઢોર પશુમાં જન્મ થશે તેનું ઠેકાણું નથી. પછી કંઈ સમજાય તેમ છે ? ચેતવાનું છે, પ્રભુ. બીજું શું કહીએ ? [પ્રભુશ્રીએ ‘તત્ત્વજ્ઞાન'માંથી ક્ષમાપનાનો પાઠ કાઢી, એક મુમુક્ષુને કહ્યું :]. પ્રભુ, આ એક ચંડીપાઠની પેઠે રોજ, દિન પ્રતિ નાહીધોઈને ભણવાનો પાઠ છે. મોઢે થઈ જાય તો કરવા જોગ છે. બને તો રાત્રે સૂતા પહેલાં પણ તેના વિચારમાં જ રહેવું. - ભરત ચક્રવર્તી હતા તે દરરોજ ઊઠતી વખતે એમ કહેવરાવતા હતા કે ભરત ચેત, ભરત ચેત, ભરત ચેત–આમ ત્રણ વાર કહેવરાવતા. મોટા ચક્રવર્તી હતા; નરકે જાય તેવાં કામ કરતા હતા. પણ સમજ બીજી હતી. પુણ્ય બાંધેલું ભોગવતાં પણ શ્રી ઋષભદેવની આજ્ઞા ચૂકતા નહીં. નહીં તો, જો એટલો વૈભવ છેવટે છોડે નહીં તો નરકે જ જાય. તેમણે એક દિવસે શણગાર સજી રાજસભામાં જતાં અરીસામાં જોયું ત્યાં એક આંગળીમાંથી એક વીંટી સરી પડી એટલે તે આંગળી અડવી જણાવા લાગી. તે જોઈ તેમણે બીજી કાઢી લીધી તો બીજી આંગળી પણ અડવી દેખાઈ. એમ બઘા અલંકાર અને વસ્ત્રો કાઢી પોતાના દેહ અને સ્વરૂપના વિચારમાં પડી ગયાં. અને એમને એમ વિચારતાં વિચારતાં કેવળજ્ઞાન પ્રગટ થયું. તેથી રાજપાટ તજી ચાલી નીકળ્યા. તેની સાહ્યબી આગળ આપણે કોણ માત્ર ? આ તત્ત્વજ્ઞાનમાંથી દુહા વીસ છે. તે મુખપાઠ કરવા અને રોજ બોલવા. બોલતાં એવી ભાવના કરવી કે હે પ્રભુ ! હું તો અનંત દોષનો ભરેલો છું ક્રોધ, માન, માયા, લોભ, વિષય, Page #408 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૨ ૩૧૧ પ્રમાદ વગેરેથી હું તો ભરેલો છું. એવી દીનત્વની ભાવના કરવી. બહુ સમજવા જેવા આ વીસ દુહા છે. બધું થઈને દશપંદર મિનિટ બોલતાં લાગે. બધાં શાસ્ત્રોનો સાર આ પુસ્તકમાં દોહન રૂપે આવી જાય છે. “સપુરુષના ચરણકમળનો ઇચ્છક', “મૂળ માર્ગ – એ બઘામાં સત્, ચિત્ ને આનંદ કહો કે જ્ઞાન, દર્શન ને ચારિત્ર કહો તેની સમજ છે. આમાં “આત્મસિદ્ધિ' નામનું શાસ્ત્ર છે; તે પણ બહુ સમજવા જેવું છે. સમાગમ રાખતા રહેવું. તમે બ્રાહ્મણ છો ? મુમુક્ષુન્હા જી. પ્રભુશ્રી_બે સગા બ્રાહ્મણ ભાઈઓ હતા. તેમાંથી મોટો ભાઈ પરણેલો નહીં તેને ઘર્મ ઉપર વિશેષ પ્રેમ તેથી નાના ભાઈને કહીને ઘર છોડીને તીર્થયાત્રાએ જવા અને કોઈ સંતને શોધીને આત્માના કલ્યાણ અર્થે ઉદ્યમ કરવા ચાલી નીકળ્યો. ખોળે તેને જગતમાં મળી આવે છે, તેમ કોઈ પહાડી મુલકમાં એક સાચા મહાત્મા આત્મજ્ઞાન પામેલા તેને મળ્યા. તેની સેવામાં તે રહ્યો. તે મહાત્માની કૃપાથી તેને આત્મજ્ઞાન થયું એટલે તેને બધું સ્વપ્નવત્ જણાયું. એક વખત તેને વિચાર આવ્યો કે ગુરુકૃપાથી મને લાભ થયો; પણ મારો નાનો ભાઈ બિચારો મોજશોખમાં પડી ગયો છે. બાઈડીનું ચામડું ઘોળું હોવાથી તેના મોહમાં જ તેની સાથે ને સાથે જ બેસવા-ઊઠવામાં બઘો કાળ ગાળે છે. તેથી દયાભાવે તેણે એક વૈરાગ્યભર્યો પત્ર લખ્યો અને ટપાલમાં નાખ્યો. તેના ભાઈએ ભાઈને પત્ર જાણી ઉપર ઉપરથી જોયો, પણ વિષયમાં રચીપચી રહેલાને વૈરાગ્યની વાત કેમ રુચે ? એટલે તાકામાં કાગળ નાખ્યો. એક એનો મિત્ર આવતો તેને તે પત્ર બતાવેલો. એમ તેના ભાઈએ અઢાર પત્ર ઉપરાઉપરી લખ્યા; પણ નાના ભાઈને તો એ તો એવું લખલખ જ કરે છે એમ થઈ ગયું તેથી આવે તે બઘા પત્રો તે તાકામાં પધરાવતો ગયો. પછી કાળ જતાં બઘા જોગ કંઈ પાંશરા રહે છે? તેની સ્ત્રી મરણ પામી એટલે તે તો ગાંડો થઈ ગયો. બઘા લોકો સમજાવે પણ તે તો ખાય નહીં, પીવે નહીં અને “મરી જ જવું છે,” એમ બોલ બોલ કરે. તેનાં સગાંવહાલાંને ચિંતા થઈ એટલે તેના મિત્રને જઈને કહ્યું કે સોમલ અઠવાડિયાથી ખાતો નથી, તમે જરા સમજાવોને ! તેથી તેનો મિત્ર આવ્યો એટલે સોમલ રડી પડ્યો અને બઘી વૈભવની વાત વર્ણવવા લાગ્યો. તેના મિત્રે કહ્યું, તમારા ભાઈના કાગળોનું કંઈ ઠેકાણું છે? તેણે તાકું બતાવ્યું. તેમાંથી તેના મિત્રે કાગળ કાઢીને એકે એકે વાંચવા માંડ્યાં. કંઈક નિમિત્ત બદલાય એટલે ચિત્ત તેમાં રોકવું પડે. એક સમયે કાંઈ બે ક્રિયા થાય છે ? તે પત્રો સાંભળવામાં તેનું મન રોકાયું એટલી વાર તેની સ્ત્રીની ચિંતા તે ભૂલી ગયો, અને બધા પત્રો વંચાતાં તેને સમજાયું કે તેનો ભાઈ કહે છે તેમજ સંસાર ક્ષણભંગુર અને દુઃખદાયી છે. એટલું થયું એટલે બધું મેલ્યું પડતું અને કાગળમાંના સરનામા પ્રમાણે ભાઈને શોધવા નીકળી પડ્યો. તેનો ભાઈ જંગલમાં પહાડી જગામાં રહેતો હતો. ત્યાં જઈ તેના ચરણમાં મસ્તક મૂકી મોક્ષનો માર્ગ બતાવવા વિનંતિ કરી. તે બન્ને ભાઈએ ઘર્મ આરાધ્યો અને એ સોમલ બ્રાહ્મણ મરીને દેવ થયો. શુક્રનો તારો ઉગમણી આથમણી દિશામાં ચકચકતો દેખાય છે ત્યાં જ એનો જીવ છે. એ તેનું વિમાન છે. દુર્ગાપ્રસાદ પાસે તત્ત્વજ્ઞાન છે અને બહેન પાસે પણ છે તેમાંથી તે વાંચતા રહે એમ કહેજો Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ઉપદેશામૃત અને મહારાજશ્રીએ ધર્મવૃદ્ધિનું જણાવ્યું છે એમ જણાવજો. એ શબ્દો સાંભળતાં પણ જીવ પુણ્ય બાંધે એવું નિમિત્ત છે. ભાવ ઉપર બધી વાત રહી છે ને ? સારું નિમિત્ત હોય તો પુણ્ય બંધાય અને તેવું નિમિત્ત આવી મળે તો પાપ બંઘાય. કર્મના સંજોગે પ્રવૃત્તિમાં પડવું પડે તે જુદી વાત છે; પણ નહીં લેવા કે નહીં દેવા તોય માત્ર સંકલ્પ-વિકલ્પ ને નિંદામાં વર્તી જીવ કેટલાં બધાં કર્મ બાંધી લે છે ? [‘ઉપમિતિ ભવપ્રપંચ'નું વાંચન ચાલુ] “પવિત્ર પુરુષોની કૃપાદૃષ્ટિ એ જ સમ્યક્દર્શન છે.'' એવું વચનામૃત કૃપાળુદેવનું છે. તેવી આ ગહન વાત આવી. કર્મવિવર જગા આપે ત્યારે કોઈ સત્પુરુષ સન્મુખ થવાય. મુનિ મો—વસોમાં એક ભાવસારનો છોકરો સાત વ્યસનનો સેવનાર પણ કૃપાળુદેવની સેવામાં રહેવાની માગણી કરવા તત્પર થયો તે સત્પુરુષની દૃષ્ટિનું કેટલું બળ ! પ્રભુશ્રી—કેવા કેવાના આગળ ઉદ્ધાર થઈ ગયા છે ! ગુણકા, મહાપાપી, ચંડાળ અને ઘોર કર્મ કરનારના પણ ઉદ્ઘાર થઈ ગયા છે. સત્પુરુષોની કૃપાદૃષ્ટિ વગર આવું કેમ બને ? એ પુરાણ પુરુષની કૃપાદૃષ્ટિ કર્મવિવરથી માર્ગ મળે ત્યારે પડે છે. પછી તો તે માર્ગે ચઢ્યો, તે મોક્ષે જવાનો જ. કોઈ અદ્ભુત વાત છે ! પ્રભુશ્રી—આવશ્યક શું ? મુમુક્ષુ—આવશ્યક એટલે જરૂરનું. પ્રભુશ્રી (મુનિ મોહનલાલજીને) તમે શું સમજ્યા ? મુનિ મો—મોક્ષને માટે કરવા યોગ્ય ક્રિયા. પ્રભુશ્રી—પુસ્તકમાંથી વાંચો. મૂળાચારનું વાંચન : અવશ—કષાય અને રાગદ્વેષને વશ નહીં તે અવશ. તેનું આચરણ તે આવશ્યક. પ્રભુશ્રી—ઘીમે ઘીમે સાંભળવામાં આવે તેમ માહિત થવાય. આ વૈષ્ણવ હતો પણ અમને સ્મૃતિમાં ન રહે તે એ કહી દેખાડે, પૂર્તિ કરે એવો આ વાંચીને માહિત થયો છે. આ ગુડગુડિયો ય શું જાણતો હતો ? પણ વાંચીને એય માહિત થયો તે કહી બતાવે છે. ક્ષયોપશમ છે તે સવળો વપરાય તે હિતકારી છે; નહીં તો અવળો વપરાય તેટલું બંઘન છે. બહુ સાચવવાનું છે. શાસ્ત્ર તે શસ્ત્ર થઈ પડે; પણ કોઈ સત્પુરુષની દૃષ્ટિએ વેંચાય તો લાભદાયી છે. તા.૯-૨-૨૬ છ પ્રકારનાં આવશ્યક કહ્યાં : (૧) સામાયિક, (૨) ચોવીશ તીર્થંકરના સ્તવન, (૩) વંદના, (૪) પ્રતિક્રમણ, (૫) પ્રત્યાખ્યાન, (૬) કાયોત્સર્ગ. છેલ્લું કાયોત્સર્ગ ચાલે છે તેમાં આસન Page #410 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ--૨ ૩૧૩ બતાવ્યાં. પલાંઠી, સુખાસન વગેરે ચોરાશી આસન છે. પદ્માસનમાં પહેલો ડાબો પગ જમણી જાંઘ ઉપર મૂકી જમણો પગ ઉપર રહે તેમ બન્ને પગનાં તળિયાં જાંઘ ઉપર ૨ખાય છે. તેમાં પહેલો ડાબો હાથ બે પગની વચ્ચે છતો મૂકી તેના ઉપર જમણો હાથ છતો મુકાય છે, એમ શા માટે ? પગે કરીને ઘણાં પાપ કર્મ બંધાય છે તેથી થોડો વખત (બે ઘડી) પગને સંયમમાં રાખવા; તેવી જ રીતે હાથે કરીને ઘણાં કર્મ બંધાય છે તેનો સંવર કરવા હાથ પણ તે આસનમાં ઉપરાઉપરી મુકાય છે. હવે બીજી ઇંદ્રિયો તો કોઈ વસ્તુ અડે ત્યારે જાણે; પણ મન અને આંખ તો દૂરથી પણ કર્મ બાંધે છે. તેથી દૃષ્ટિને નાક ઉપર સ્થિર કરવી એટલે નજર રખડતી ન ફરે અને કર્મ ન બાંધે. હવે રહ્યું મન. તેને માટે, કોઈ સત્પુરુષના વચન ‘“હે ભગવાન ! હું બહુ ભૂલી ગયો. મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં,'' એ મનથી લક્ષમાં લઈ તે ઉપર વિચાર, બુદ્ધિ પહોંચે ત્યાં સુધી કરવો; કે ‘હે પ્રભુ, હે પ્રભુ, શું કહું ?' કે ‘છ પદ’ ના પત્ર વિષે વિચારમાં મન રોકવું. એમ જેટલું બને તેટલું પણ દિવસમાં ઘડી બે ઘડી અવશ્ય કર્તવ્ય છે. આવાં પવિત્ર વચનોના ઉપયોગમાં મન રહ્યું હોય તો પાપ કરતું–નવરું બેઠું નખોદ વાળતું—અટકે. તા. ૧૦-૨-૨૬ [કયાં નિમિત્તો (નોકર્મ) મતિ, શ્રુત આદિ જ્ઞાનને તથા નિદ્રા આદિ દ્વારા દર્શનને રોકવામાં સહાય કરે છે તે વિષે શ્રી ‘ગોમટ્ટસાર'માંથી વંચાયું તે પ્રસંગે) મુમુક્ષુ જ્યાં ભાવ રાગ-દ્વેષનાં પરિણામવાળા હોય ત્યાં બંધ છે. સંક્લેશ પરિણામથી બંધ થાય છે. પ્રભુશ્રીવિચારવા માટે કહું છું. ભાવ તો એમ હોય કે જાણે આ કામ મારે કદી કરવું નથી. તેને દૂર કરવા બને તેટલો પ્રયત્ન થતો હોય છતાં તે આવીને ઊભું રહે છે અને તેનો ભાવ ભજવી જાય છે. ત્યાં કેમ સમજવું ? મુનિ મો—પુરુષાર્થ જેટલો ઓછો તેટલો બંધ. આત્માની શક્તિ (વીર્ય) જ્યાં વિશેષ પ્રગટી હોય ત્યાં કર્મ દેખાવ આપી નિર્જરી જાય છે. જ્યાં કર્મનું જોર આત્માની પ્રગટ શક્તિના પ્રમાણમાં વધારે હોય ત્યાં બંધ પડે છે, પણ તેને માટે કરેલા પ્રયત્ન જેટલો મોળો પડે છે. તીર્થંકરને બંધ........ પ્રભુશ્રી(અટકાવીને) ‘સદ્દિદી ન રેફ્ પવં' એવા તો બોલ શાસ્ત્રમાં આવ્યા છે. તો તમે કહેવા જાઓ છો તે યોગ્ય નથી. દૂર ક૨વાનાં પરિણામ હોય છે તેને ભોગવતી વખતે ખેદ, ખેદ અને ખેદ હોય છે, છતાં કર્મ છોડતું નથી; તો તે ઉદય જાણીએ છીએ. ધ્યાનમાં બેઠા હોઈએ ત્યાં નથી ચિંતવવું હોતું તે આવીને ખડું થાય છે. વાંદરાની પૂંછડીની પેઠે, જેને ન લાવવું હોય તે મનમાં દેખાવ દે તો તેનું કેમ ?–એ પૂછવું છે. Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ઉપદેશામૃત (“મૂળાચારમાંથી “નિષિઘકા' અને આસિકાના વાંચન પ્રસંગે.) આસિકા અને નિષિકા એમ ક્રમ સમજવો યોગ્ય છે. ગુરુ પાસેથી ઊઠવું પડે, કોઈ શરીરના કે ઘંઘાના નિમિત્તે, તો શું મનમાં રહે? બળ્યું આ કામ કે મારે તેને માટે ખોટી થવું પડે છે ! જેમ સીતાએ પદ્મપુરાણમાં જણાવ્યું છે કે બળ્યો આ સ્ત્રીવેદ કે જેને લીધે આટઆટલું સહન કરવું પડ્યું, પરિભ્રમણ કરવું પડ્યું! “હે પ્રભુ! આત્માર્થ સિવાય કોઈ પણ કામમાં મારું ચિત્ત ન રોકાઓ,” એમ સર્વ પ્રકારની અભિલાષાઓથી રહિત થઈને ઊઠવું તે આસિકા. “હે ભગવાન! ન છૂટકે મારે પરાણે ઊઠવું પડે છે.” આસિકા (આવર્સાહિ) કહેતાં ઊઠવું પડે છે, જવું પડે છે. પણ જે કામ માટે ઊઠે તે કામમાં કેવી કાળજીપૂર્વક પ્રવર્તે તેનું સ્વરૂપ કેવું સુંદર આપ્યું છે ! પાંચ ઇંદ્રિયો અને ચાર કષાય મળી એ નવને વશ ન થાય, તેમને રોકે તથા ચિત્તનાં પરિણામની વિશુદ્ધતા સાચવીને સંસારનાં કામ ઉદાસીનભાવે કરી પાછો આવે અને કહે કે હે ભગવાન, હું પ્રવેશ કરું? એ નિષિદ્યકા. આચારાંગસૂત્ર વગેરે સ્થળે આનું વિશેષ વર્ણન છે. આજ્ઞામૂળ ઘર્મ કહ્યો છે. “બાપાઘો બાપ તવો’ તેથી કંઈ પણ કામમાં પ્રવર્તવું પડે તો ગુરુની આજ્ઞા લઈ, ઉપર કહ્યું છે તેમ પરિણામની ચંચળતા થાય નહીં અને વિષયકષાયમાં લબદાઈ-ખરડાઈ ન જવાય તેવી ઉદાસીનતા રાખી પ્રવર્તવાનો ઉપદેશ આમાં છે. મહામુનિઓના આચારની આ વાત છે. એ મહાપુરુષોના આચાર ઉપરથી આપણે પણ શીખવાનું છે. નાનું છોકરું હોય તેને ગમે તેણે તેડ્યું હોય પણ તેની માને ઓળખે એવડું થયું હોય તો તેની નજર તેની મા તરફ રહે છે. તેમ સદ્ગુરુની આજ્ઞાએ, સદ્ગુરુ દ્વારા જાણીને, તેના બતાવ્યા પ્રમાણે (સ્વચ્છેદે નહીં) આત્માનો લક્ષ રહે; તેની નજર, બતાવ્યું હોય તેના ઉપર ઠરે, તો કલ્યાણ થાય. ઠાર ઠાર જીવ પરિણમે છે, તો આમાં સત્પરુષે બતાવેલા રસ્તે જીવ પ્રવર્તે તો તેમાં કંઈ બગડી જવાનું છે? એમાં કોઈની કંઈ સિફારસ ચાલવાની છે? જીવે જેટલી અંતરાય પ્રકૃતિ બાંઘી હોય તેટલી તેને વિઘન પાડે જ ને? અત્યારે જ કોઈને ઊંઘ આવતી હોય કે ચિત્ત ક્યાંય ભટકતું હોય તો કશું ધ્યાનમાં રહે ? પ્રભુ, ક્ષણ લાખેણી જાય છે. અમને તો હવે એમ રહે છે કે કાળે લીઘો કે લેશે એમ થઈ રહ્યું છે. આવખાનો (આયુષ્યનો) કંઈ ભરૂસો છે ? કાલે શું થશે તે કોઈ જાણે છે? ઘન્ય ભાગ્ય આપણાં જાણવાં કે આ બોલ આપણા કાનમાં કૃપાળુની કૃપાથી પડ્યા ! આટલો કાળ તો એમાં ગયો ! બીજું શું કરવું છે? “જાગૃત થા, જાગૃત થા.” “સમય માત્રનો પણ હે ગૌતમ ! પ્રમાદ કર્તવ્ય નથી' એમ મોટા પુરુષોએ કહ્યું છે, તે અમથું કહ્યું હશે ! એની જ ચિંતવણામાં, એના જ વિચારમાં, એને જ માટે જેટલો કાળ ગળાશે તેટલો લેખામાં ગણાશે. બાકીનો કાળ એળે ગયો. કંઈક વ્યાધિઓ અને દુઃખ હોય તે પણ ઠીક છે કે આપણને ચેતતા રાખે. લાય લાગી છે તેમાંથી જેટલું બચાવી લેવાય તેટલું આપણું. આખરે દગો છે–ઠગારું પાટણ હોય તેમ દગો, દગો અને દગો નીકળ્યો છે; ક્યાંય ઊભું રહેવા જેવું નથી. રાખનાં પડીકાં કે સ્વપ્રા જેવો સંસાર છે. તેમાં આ ઘર્મ સાધવાનો લાગ આવ્યો છે તે ચૂકવા જેવો નથી. મોટા પુરુષની વાતો છે. Page #412 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૨ ૩૧૫ તેમાં વિચારીએ તો ક્યાંય ફેર નથી. આચારાંગ કહો કે મૂળાચાર કહો–આત્માના હિતને અર્થે ગહન વાતો મોટા પુરુષો તેમાં કહી ગયા છે. તેમાં મુદ્દામાં કંઈ વાંઘો, તકરાર કે વિવાદ જેવું હોય ? પછીથી નાની નાની વાતો લઈને તર્ક ઉઠાવી મતભેદ ઉત્પન્ન કરવા એમાં શો માલ? એમાં આત્માનું કલ્યાણ હોય ? વીતરાગના માર્ગમાં આત્માના કલ્યાણના માર્ગમાં ભેદ હોય? એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ' આટલું જે કોઈ સમીપમુક્તિગામી જીવને હૈડે વસી જશે તેનું કલ્યાણ થઈ જાય તેવો આ વીતરાગ માર્ગ છે. તા.૧૨-૨-૨૬ (મૂળાચારમાંથી અન્યત્વભાવના વંચાતાં.) ક્ષણ લાખેણી જાય છે, પ્રભુ. આ મનુષ્યભવ અને આ જોગમાં ચેતી લેવા જેવું છે. વૈરાગ્ય અને બોઘની જરૂર છે. એ વૈરાગ્ય કેવો હશે? કંઈ ગમે નહીં. ખાવું પીવું, લેવું દેવું એ આત્માનો ધર્મ છે? તેનાથી તો કંઈ જુદું જ નીકળ્યું ? જીવનું સ્વરૂપ તો જ્ઞાનીએ જાણ્યું; અને આપણે આમાં ને આમાં જ રાચી રહીએ તો કાંઈ જાણ્યું ગણાય ? રામચંદ્રજીનો કેવો વૈરાગ્ય હતો ! “યોગવાસિષ્ઠ માં વર્ણન એવું સરસ આપ્યું છે કે તે વાંચીને એમ થઈ જાય કે અહોહો ! ક્યાં એ દશા અને ક્યાં આપણો હીનપુરુષાર્થ અને ઊલટી પ્રવૃત્તિ! એમનો એટલો વૈરાગ્ય જ્ઞાન થયા પહેલાં હતો, વસિષ્ઠ દ્વારા વસ્તુનું–આત્માનું સ્વરૂપ સમજ્યા પહેલાં હતો; તો જ્ઞાનીનો તેથી કેટલાગણો હોવો ઘટે છે? ઘન્ય છે એ પુરુષને, કૃપાળુદેવને ! કોઈ પુણ્યના જોગે કોઈ સપુરુષનો સમાગમ થાય છે. તેમાં ચેતી લેવાય તો કામ નીકળી જાય. પુષ્યના સંજોગે જ માણસની ઉન્નતિ થતી જાય છે, આગળ આગળ વધતો જાય છે. આ જે આજે સંજોગો મળ્યા. છે તે પહેલાં કરેલાં કંઈ કર્મનું પરિણામ છે. આ મિસ્ત્રી પહેલાં કેટલીય વખત અહીં રહ્યો, પણ કહેવું થતું નહીં. આજે અચાનક તેને આ જોગ મળી આવ્યો. અમારે કહેવું હોય તોય કંઈ કહેવાતું નથી. અને કોઈ વખત જાણે એક અક્ષરે ય નથી બોલવો એમ કરીને આવીએ છીએ પણ ભાષાનાં પુદ્ગલ બાંધેલાં તે મનમાં બોલવા ઉપર ખારાશ હોય છતાં બોલાઈ જવાય છે. મિસ્ત્રી–આપણે આ જે કર્મ કરીએ તેનું ફળ આ ભવમાં મળે કે આવતા ભવમાં ? પ્રભુશ્રી–કોઈ મહાત્મા તપની મુદત પૂરી થયા પછી પારણા માટે વસ્તીમાં આવેલા. તે વખતે એક કઠિયારે બોલાવી તેમને બે રોટલા પોતાના ભાણામાંથી આપ્યા. તે ઊભા ઊભા જમીને તે તો ચાલ્યા ગયા. પછી તેની સ્ત્રી રોટલા ઘડતી હતી તેના મનમાં એમ થયું કે આ ક્યાંથી આવ્યો કે મારે વધારે રોટલા ટીપવા પડશે. પણ કઠિયારાના છોકરાને એમ વિચાર આવ્યો કે બાપાએ પોતાના ભાણામાંથી બે ય રોટલા આપ્યા તેથી હું મારા રોટલામાંથી અડઘો રોટલો બાપાને આપું એમ વિચારી તેણે અડઘો રોટલો આપ્યો અને નવો રોટલો ચઢે ત્યાં સુધી ખાવાનું ચાલતું કરવા કહ્યું. તેની બહેન પણ ખાવા બેઠી હતી. તેણે પણ ભાઈની પેઠે પિતાને અડધો રોટલો આપ્યો. Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ઉપદેશામૃત તે ભવ પૂરો થતાં કઠિયારો દેવ થઈને બીજે ભવે રાજા થયો. તેણે એક વખત સભામાં જનકરાજાની પેઠે પ્રશ્ન પૂછ્યો કે દત્તાનું ફળ શું અને અદત્તાનું ફળ શું ? મોટા મોટા પંડિતોમાંથી કોઈ જવાબ આપી શક્યો નહીં. પછી રાજા પાસેથી પંડિતોએ મુદત માગી કે અમુક મુદતમાં અમે તમને જવાબ આપીશું. તે મુદત પૂરી થવા આવી પણ કંઈ ઉત્તર નહીં જડવાથી “શું મોઢું રાજાને દેખાડીશું' એમ થવાથી આખો દિવસ નિરાશ થઈને રાજપંડિત ઊતરેલે મોઢે ઘરમાં આંટા મારતો હતો. તેને જોઈ તેની પુત્રી બોલી : પિતાજી, તમને આવડી શી ચિંતા છે કે રોજ તમારું શરીર સુકાતું જાય છે? પંડિતે કહ્યું, કંઈ નહીં બહેન, તારે જાણીને શો ખપ છે? છતાં તેણે જાણવાની ઇચ્છા દર્શાવવાથી તેણે રાજાના પ્રશ્નની વાત કહી, તે સાંભળતાં તે મૂછ પામી. પછી જાગૃત થતાં તે પુત્રીએ કહ્યું : પિતાજી, આનો ઉત્તર તો હું પણ આપું. એટલે રાજા આગળ પંડિતે વાત કરી કે એ પ્રશ્નનો ઉત્તર તો મારી પુત્રી પણ આપી શકશે. તેથી તેની પુત્રીને સભામાં બોલાવી. તેણે રાજાને કહ્યું : રાજાજી, તમારે ત્યાં થોડા કાળમાં એક કુમારનો જન્મ થશે તેને તમે પૂછશો એટલે ઉત્તર મળશે. રાજાને પુત્ર નહોતો તેથી તે સાંભળી તે રાજી થયો અને પુત્રીને શિરપાવ આપી રજા આપી. પુત્રનો જન્મ થતાં બધા રાજી થયા. રાજા પ્રશ્નનો ઉત્તર સાંભળવા જન્મતાં જ તેની પાસે ગયો; અને તેને પ્રશ્ન પૂછ્યો કે કુંવર મૂછ પામ્યો. પછી જાગૃત થઈ કુંવરે ઉત્તર આપ્યો, “અમુક દેશમાં એક ગામમાં એક ગરીબ ડોશી છે. તે રોજ બાર વાગે ગામ બહાર નદીમાં પાણી ભરવા આવે છે. તે વખતે તેની પાસે જઈ તેને બેડું ચડાવજો અને પ્રશ્ન પૂછશો, તો તેનો તે ઉત્તર આપશે. પછી રાજાએ તે પ્રમાણે કર્યું અને ડોશીને પ્રશ્ન પૂછ્યો કે તે પણ મૂછ પામી. પછી જાગૃત થઈ તેણે કહ્યું, હું તમારા કુંવર પાસે આવીને વાત કરીશ. પછી બઘાં એકઠાં થયાં. મૂછ વળતાં જાતિસ્મરણજ્ઞાન ત્રણેને થયું હતું. એટલે પૂર્વ ભવની વાત તેમણે જાણી હતી. પછી કુંવરે રાજાને પૂર્વભવની વાત કરી. ત્યાં રાજા પણ બેભાન થઈ ગયો. અને તેને પણ જાતિસ્મૃતિજ્ઞાન થયું. એટલે કુંવરે કહ્યું : “રાજાજી, તમે હવે તમારા આત્માનું કલ્યાણ કરો અને મને રાજ સોંપી જાઓ. પણ બાર વર્ષ પછી આવીને મને બૂજવજો, ચેતવજો. આ ડોશીને એના પેટપૂરતું વર્ષાસન બાંધી આપો. પંડિતની પુત્રી પણ સાધ્વી થવાની છે.” પૂર્વ ભવનો કઠિયારો તે મર્યા પછી દેવ થઈ તે દેવ આયુષ પૂરું કરી રાજા થયો હતો. કઠિયારાની સ્ત્રી મરીને ઢોર પશુના અનેક જન્મો કરી ચંડાળને ત્યાં જન્મી હતી. તે પેલી ડોશી હતી. કઠિયારાની પુત્રી પણ સારા ભવ કરી પંડિતને ત્યાં જન્મી હતી. કેટલાંક કર્મ જે તીવ્ર હોય છે તે તરત પણ ઉદયમાં આવે છે. ક્રોધ કરે તેનું ફળ તરત પણ મળે છે. અને કેટલાંક કર્મ હજારો વર્ષે પણ ઉદયમાં આવે ત્યારે ફળ દે છે. પણ કરેલાં કર્મ ભોગવ્યા વગર છૂટકો નથી. ઘર્મરાજાને ચોપડે લખાય છે એમ કહેવાય છે, તેમ આત્મા કમને લઈને ભવોભવમાં ભટક્યા કરે છે. કોઈ સંતને શોધીને તેના કહ્યા પ્રમાણે જો આટલો મનુષ્યભવ ગાળે તો કલ્યાણ થઈ જાય તેમ છે. આ મિસ્ત્રીને ક્ષયોપશમ પૂર્વભવના સુકૃત્યને લઈને સારો છે. તત્ત્વજ્ઞાન તમારે લેવા જેવું છે. Page #414 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૨ મિસ્ત્રી—પ્રભુ, હું લાવ્યો છું. પ્રભુશ્રી(તેમાંથી ક્ષમાપનાનો પાઠ કાઢી) ચંડીપાઠની પેઠે રોજ આ પાઠ નાહીધોઈને બોલી જવો અને મોઢે કરી લેવો. દુહા છે અને આત્મસિદ્ધિ છે—બધું જેમ જેમ સમાગમ થશે તેમ તેમ અમૂલ્ય જણાશે. આટલામાં તો પ્રભુ, બધાં શાસ્ત્રોનો સાર આવી જાય છે. એનું એક પણ વાક્ય કલ્યાણ કરી નાખે તેમ છે. કોઈ સંતના જોગે વાત સાંભળીને તેમણે બતાવ્યું હોય તે લઈ મંડવું. એક મત આપડી કે ઊભે માર્ગે તાપડી–' એ વાત સાંભળી છે ? મિસ્રી—નાજી. પ્રભુશ્રી—શિયાળ, સસલું અને સાપને ભાઈબંધી હતી. દવ લાગ્યો ત્યારે શિયાળે પૂછ્યું : સાપ ભાઈ, તમે શું કરશો ? તેમણે કહ્યું : એમાં શું ? આપણી પાસે તો લાખ મત છે. આ ઝાડ ઉપર ચઢી જઈશું તોય કશું નહીં થાય. સસલાભાઈને પૂછ્યું તો તેણે કહ્યું : મારે તો સો મત છે તો આ જાળામાં પેસી જઉં તો પછી આગ શું કરવાની છે ? પછી શિયાળ તો ‘આપણે કંઈ સંતાવાની જગા નથી અને લાય તો લાગતી લાગતી આવી, તેથી લાવ જે બાજુ નથી લાગતું તે બાજુ દોડી જાઉં' એમ વિચારી તે એક બે ગાઉ દૂર દોડી ગયું. સાપ તો ઊંચે ઝાડ પર ચઢી ગયો. સસલું જાળામાં થઈ દરમાં પેસી ગયું. બે દિવસ પછી આગ શાંત થતાં શિયાળ મિત્રની સંભાળ-ખબર લેવા આવ્યું. તેણે ઝાડ તો ઓળખ્યું પણ સાપ મળે નહીં, ઊંચે જોયું તો આંટી પાડીને લબડેલા સાપનું ખોખું-મડદું દીઠું. પછી સસલાની શોધ જાળામાં કરી પણ ત્યાં તો રાખ હતી. તે કાઢીને જોયું તો દરમાં પૂંછડી જેવું જણાયું. ખેંચી કાઢ્યું પણ તે તો સસડી ગયેલું મડદું હતું. તેથી શિયાળ બોલ્યું : “લાખ મત લબડી, સો મત સસડી; એક મત આપડી કે ઊભે મારગે તાપડી.’’ આ તો પરમાર્થ સમજવા દૃષ્ટાંત છે. ગમે ત્યાં બાઝી ન પડવું. એક સાચા પુરુષે બતાવેલા ઉપર જ લક્ષ રાખીને વહ્યો જાય તો મોક્ષે જતાં તેને કોઈ રોકનાર નથી. એક રીતે જોતાં માર્ગ કેવો સરળ અને સુગમ છે ! તેમ છતાં અનાદિ કાળથી આજ સુધી રઝળવું થયું તે માત્ર બોઘના અભાવે. તમે બધા મનમાં મૂંઝાતા હતા કે કેમ કંઈ બોલતા નથી ? એ ખબર તો પ્રભુ, પડે. પણ અમને તો હવે કાંઈ નથી કરવું એમ જ રહ્યા કરે છે. મરણનો કાંઈ ભસો છે ? અને કોઈને કેમ લાભ હોય, કોઈને કેમ લાભ હોય; કોઈને દૂર રાખવાથી લાભ હોય અને કોઈને તો પાસે રાખવાથી લાભ હોય—એ બધા ભેદ પણ સમજવા જેવા છે. હવે શરીર જૂનું શીંકું થયું, તે ધાર્યું કામ કંઈ થઈ શકે ? મુમુક્ષુ—અમારા ય કર્મના અંતરાય ખરા ને, પ્રભુ ? પ્રભુશ્રી—તે ય ખરું. ૩૧૭ * તા.૧૩-૨-૨૬ [મિથ્યાવૃષ્ટિ ગુણસ્થાનને અંતે કઈ કઈ પ્રકૃતિઓની ભુચ્છિત્તિ થાય છે તે વિષે ‘ગોમટ્ટસાર'માંથી વંચાતાં.] Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ઉપદેશામૃત પ્રભુશ્રી–અહો ! મિથ્યાત્વ ગયું એટલે આટલા ભવ હવે રઝળવાનું નહીં, એવું સરકારી પેન્શન જેવું થઈ જાય છે. મરણ વખતે કંઈ ભાન નથી રહેતું, આમ બોલાવે કે ભા..ઈ તોય આંખ ઊંચી ન કરે, તે શું હશે ? કંઈ યાદ નહીં રહેતું હોય તેનું શું કારણ? ચેતન કંઈ જડ તો ઓછો થઈ જાય છે? પણ તે વખતે કશુંય જાણે ખબર નહીં ! શું વેદનામાં ઘેરાઈ જતો હશે ? આવરણ આવતું હશે? સમકિતીને કેમ થતું હશે ? મુનિ મોન્સમકિતીને તો ખબર રહે, પરિણામ સપુરુષે જણાવેલા લક્ષને અનુસરતાં રહે. ભેદ પડ્યો હોય એટલે પોતે વેદનાદિથી જુદો છે એમ રહે અને બીજા બોલાવતા હોય તે ય સાંભળે, પણ પોતાની ગતિ સુધારવાના પ્રયત્નમાં તે હોવાથી સગાંવહાલાં બોલાવે તો ય ન બોલે–એ કોઈ આત્માને મદદ કરી શકે તેમ નથી એમ તે જાણે છે. તેથી જે સાચું શરણ કે સપુરુષે આપેલું સ્મરણ તેમાં જ તેનો ઉપયોગ રાખવા તે પ્રયત્નશીલ હોય. સૌભાગ્યભાઈએ અંત વખતે અંબાલાલને જણાવ્યું હતું કે અંબાલાલ, સૌભાગ્યને બીજું ધ્યાન ન હોય, પણ તમે મંત્ર સ્મરણ મોટેથી બોલો છો તેમાં, મારે મારો તાર જોડાયો હોય તેમાંથી વિક્ષેપ પામીને જોડાવું પડે છે. પ્રભુશ્રી– “શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયજ્યોતિ સુખધામ; બીજું કહિયે કેટલું? કર વિચાર તો પામ.” છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ, નહિ ભોક્તા તું તેહનો, એ જ ઘર્મનો મર્મ.” આ ગાથાઓનો વિચાર કર્તવ્ય છે. તા. ૧૪-૨-૨૬, સવારે “છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ; નહિ ભોક્તા તું તેહનો, એ જ ઘર્મનો મર્મ.” “શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહિયે કેટલું ? કર વિચાર તો પામ.” આ ગાથાઓનો વિચાર વારંવાર કર્તવ્ય છે. સાંજે ઊઠ્યા પછી આમ ને આમ જાગતાં જ રાત કાઢી છે. હવે આવો જોગ મળ્યો છે તો વિચાર કરી નક્કી કરી લેવું ને ? સૌભાગ્યભાઈના મરણ વખતે તેમનો ઉપયોગ આ “શુદ્ધ, બુદ્ધ.....” ગાથામાં હતો. મુનિ મો–અંબાલાલભાઈની આંગળી महादेव्याः कुक्षिरत्नं शब्दजितवरात्मजम् । राजचंद्रमहं वंदे तत्त्वलोचनदायकम् ।। Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ ઉપદેશસંગ્રહ-૨ આ શ્લોકનાં ચાર ચરણ બોલતાં ચાર આંગળીના ટેરવાં પર રહેતી. અને બે શબ્દનું સ્મરણ મળ્યા પછી બે આંગળી ઉપર ફરતી આમ જોયેલું. મરણ વખતે ભાન ન હતું, પણ તે ક્રિયા ચાલતી હતી. ધારશીભાઈના મરણ વખતે મંત્રનું સ્મરણ આપનાર માણસ ચોવીસે કલાક તેમના ઓરડામાં બોલ્યા જ કરે એમ ગોઠવણ કરી હતી. પ્રભુશ્રી–ઘારશીભાઈનો ક્ષયોપશમ સારો હતો. અમારા તરફ પ્રાણ પાથરે તેવો તેનો પ્રેમ હતો. ઘણી વખત અમને ખુલ્લા દિલથી વાતો કરે કે આવું ને આવું ભાન મરણ પછી પણ રહે તો કેવું સારું ! ગુણ, પર્યાય, કેવળજ્ઞાન અને એ બધી વાતો તે સારી કરી જાણતા હતા. એ પૂર્વનો ઉપાર્જન કરેલો ક્ષયોપશમ છે. પણ સમજણ કોઈ જુદી જ વસ્તુ છે. તેમને આંખનું દરદ હતું. તેથી ઝાટકો નાખે ત્યારે આંખ દાબી રહે. વેદનીય કર્મને વેદનીય તરીકે જ્ઞાનીઓ જુદું જ જાણે છે. તે આત્માનો ઘર્મ નથી. કૃપાળુદેવના સમાગમની તો બલિહારી છે ! દ્રવ્ય, ગુણ, પર્યાયની વાતો કરી ન જાણતા હોય તેનું પણ કલ્યાણ થાય, એવો ઘર્મનો માર્ગ છે. મરણ વખતે સાચવવાનું શું ? જો સપુરુષમાં તેની દ્રષ્ટિ રહી તો તેનું કલ્યાણ છે. એ જ એ તો એક વખત જેમ સ્ત્રી નક્કી કરે છે કે આ મારો ભરથાર અને તેનાં બલૈયાં પહેરે છે, તેમ હરતાં ફરતાં, કામ કરતાં તેનું ચિંતવન, સ્મરણ, ભજન, ગુણકીર્તન રહ્યા કરે અને આખરે પણ તેમાં જ ચિત્ત રાખે તો બેડો પાર ! “ગોમટ્ટસાર'માં પણ આવે છે ને કે કેવળી કે શ્રુતકેવળીના ચરણસમીપ લાયક સમકિત થાય છે ? એ (કૃપાળુદેવના તરફ નજર કરીને ) શ્રુતકેવળી એને છોડી બીજાને વળગવું તે આંચળ છોડી ગોભળે (બકરીના ગળાના આંચળે) વળગ્યા જેવું છે. તેથી કાંઈ દૂઘનો સ્વાદ આવે ? સપુરુષ કે સંત કહે તેમ કરવું; કરે તેમ કરવામાં હંમેશા કલ્યાણ ન હોય. અહંકાર રાખ્યામાં જીવ મરી જાય છે. આંખ મીંચવી પણ અહંકાર વગર થતી નથી. પણ જ્ઞાનીની ગત તો જ્ઞાની જાણે. એની વાત તો બાજુ ઉપર મૂકવી. બાકી આપણા જેવાનાં બાહ્ય આચરણ જોઈ કોઈ બાહ્ય અનુકરણ કરે એમાં કલ્યાણ હોય ? અંબાલાલભાઈ આંગળીઓ પર અંગૂઠો ફેરવતા તેમ હું કોઈ વખત આંગળાં હલાવું છું તે જોઈ કોઈ તેમ કરીને પોતાને જ્ઞાની માને તો ઊંટિયું ઊભું થાય અને માર્યા જવાનો પ્રસંગ આવે ને ? કશાનો ગર્વ કરવા જેવો નથી. આ તો જૂના છે અને આ તો હમણાંના સમાગમી છે એમ પણ કરવા જેવું નથી. એ તો જૂના પડ્યા રહે અને આ આગળ થઈ જાય, કામ કાઢી જાય એવો માર્ગ છે. દીનપણું અને દાસત્વપણું ભૂલવા જેવું નથી. હું તો દોષ અનંતનું ભાન છું કરુણાળ.” અરે પ્રભુ ! એનાં વચનો યાદ આવે છે કે શું અજબગજબ એની વાણી ! હવે સમજાય છે. પણ તે વખતે કંઈ આટલી સમજ હતી ? ઘારશીભાઈએ છેવટે મને કહેલું કે તમને કૃપાળુદેવે જે કહ્યું હોય તે કહો; પણ મેં કહ્યું કે તે તો પુસ્તકોમાં તમે વાંચ્યું હશે; પણ મારાથી કેમ કહેવાય ? આજ્ઞા વિના ન બોલાય; અમારું મોઢું બંધ કરી દીધું છે. પછી તેણે કપાળે હાથ દીઘો અને ડાહ્યો હતો તે સમજી ગયો કે યોગ્યતા વિના વસ્તુ મળે નહીં. જ્ઞાનીઓ તો રસ્તે જનારને, યોગ્યતા હોય તો બોલાવીને, આપે એવા કરુણાળુ હોય છે. કેટલાકની તો પ્રકૃતિ છે કે જેને ને તેને વાત કરવી; પણ તેમ કર્તવ્ય નથી. થાક્યાનો માર્ગ Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ઉપદેશામૃત છે. જેને પડી હશે, ખરો ખપ હશે તે તો ખોળતો જ હશે અને એવો ખપી હોય તેને જ લાભ થાય છે. ઉપમિતિ ભવપ્રપંચમાં કેટલી વાત આવે છે ? તેમાં તો ભારે કરી છે ! એક સપુરુષ ઉપર દ્રષ્ટિ રાખવાની જ વાતો આવે છે. એ જ હું તો જોયા કરું છું કે આ શું લખી ગયો છે ! પણ યોગ્યતા વગર કેમ સમજાય ? તા.૧૫-૨-૨૬ સર્વ ઘર્મમાં જે તત્ત્વ રહ્યું છે તે જિનદર્શનમાં સમાય છે. મહાવીર સ્વામીની આજ્ઞા રાગદ્વેષ તજી સમભાવમાં આવવું તે છે. ખમીખૂદવું. જેટલા વિશેષ ખમી ખૂંદે તે વધારે મોટા. કોઈ અપૂર્વ યોગે અને આ બઘાના અંતરાય તૂટેલા તેથી આજે આટલું બોલી શકાયું, નહીં તે પ્રભુ, કંઈ આપણું ઘાર્યું થતું જ નથી. ખરું કહું તો મારે તો બોલવું જ નહોતું પણ એ મીઠી વીરડીનું પાણી છે. એણે (પરમ કૃપાળુદેવે) કહેલાં વચનો સ્મૃતિમાં હોય તે કહેવાં છે. કંઈ શાસ્ત્ર કે સત્પરુષની વાણીથી વિરુદ્ધ જાય તેમ હોય તો કહેવું. આમાં તો સર્વ ઘર્મ સંમત છે. ક્યાં વાડો વાળવો હતો ? જ્યાં આત્માની જ વાત હોય ત્યાં ભેદ શો ? વેદાંત હો કે જૈન હો, સચિત્ અને આનંદ કહે કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર કહે, ચોખા કહે કે ચાવલ કહે, તેમાં કાંઈ મૂળ વસ્તુમાં ફેર પડવાનો છે? ગમે તેમ કરીને શુભ નિમિત્તમાં રહેવું છે અને કાળક્ષેપ કરવો છે. બીજું કરવું છે શું ? એના શરણાથી પુસ્તક, પાનાં, જગા, મુકામ, ચેલા, ચેલી, બઘામાં ખારાશ કરી મૂકી છે. એના સમાગમ પહેલાં એમાં જ પ્રવર્તન હતું. પણ એવું કોઈ એનું યોગબળ કે કયાંય ઊભા રહેવા ન દીઘા! પ્રભુ, દગો દગો ને દગો નીકળ્યો છે. જગામાં અંત વખતે જીવ રહે તો ઘરોળાં કે જીવડાં થવું પડે; સ્ત્રી-પુત્ર કે ચેલા ચેલીમાં જીવ રહે તો તેને પેટે અવતાર લેવો પડે; મહેલમકાનમાં કે બાગ-બગીચામાં જીવ રહે તો દેડકાં કે અળશિયા થવું પડે અને ખેતર કે જમીનમાં વૃત્તિ રહે તો ઘાતુ કે પથ્થરમાં ઉત્પન્ન થવું પડે. “પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે અને માથે મરણ રહ્યું છે.' “ચરણ ઘરણ નહીં ઠાય,” એમ મોટા પુરુષો કહી ગયા છે. એ બધું અમે તો ઝેર જેવું કરી મૂક્યું છે. એટલે એની ઇચ્છા કેમ થાય ? જ્યાં સુધી એમાં મીઠાશ છે ત્યાં સુધી નિષ્ણુણ્યકને જેમ રોગ મટતો નહોતો તેમ બધું બંઘનરૂપ થાય છે. જીવ પરીક્ષા કેવી રીતે કરી શકે ? પરીક્ષા-પ્રઘાનપણું, યોગ્યતા જોઈએ ને ? અહીં તો આત્માની જ વાત છે. તેમાં ભેદ નથી. અમને તો હવે મરણના વિચારો આવ્યા કરે છે; અને દરેકે તે સંભારવું ઘટે છે. પછી જઈને ઊભું ક્યાં રહેવું ? કંઈ નક્કી કરી મૂકવું ને ? ઘર જોઈ મૂક્યું હોય તો ત્યાં જવાય; પણ ભાન ન હોય તો ક્યાં જાય ? આટલો ભવ તો આ ખાતર ગાળવા જોગ છે. આટલી પુણ્યાઈ ચઢી છે, મનુષ્યભવ મળ્યો છે તો કહેવાનું થાય છે. કોઈ ઢોર કે બળદને બોલાવીને કહીએ તો કંઈ સમજી શકે ? લાગ આવેલો ચૂકવા જેવો નથી. Page #418 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ સંગ્રહ-૨ ૩૨ ૧ આખર બધું જ્યાંનું ત્યાં પડી રહેશે. આમ ને આમ બધું રહેવાનું નથી. ભલે, મરણ ન હોય તો કંઈ કહેવું નથી, પણ તે તો છે. તો હવે કેમ જાગવું નહીં ? નોકરી, ઘંઘા બઘા માટે ચિંતા કરીએ તો આ આત્મા માટે કંઈ નહીં કરો ? તેને માટે આટલો કાળ હવે તો ગાળું, એમ નિશ્ચય કર્તવ્ય છે. એક શરણું લઈ ગમે તે કરે તો હરકત ન આવે, એવી ચમરેન્દ્ર અને શક્રેન્દ્રની વાત છે. અમરેન્દ્ર અભિમાનથી શકેન્દ્રના સ્વર્ગમાં જવાનો વિચાર કર્યો. ત્યારે ડાહ્યા પ્રઘાનોએ શરણું લઈને જવાની સલાહ આપી. તેથી મહાવીર સ્વામીનું શરણ લઈ તે ત્યાં ગયો અને ઘડૂકો કર્યો કે શક્રેન્દ્ર વજ ફેંક્યું. પણ તરત તેને વિચાર આવ્યો કે કદાચ કોઈ મહાપુરુષનું શરણ લઈને આવ્યો હશે અને જો વજ તેને વાગશે તો આશાતના થશે એમ જાણી તેની પાછળ દોડી વજ ઝાલી લીધું. તેટલા વખતમાં તે ચમરેન્દ્ર મહાવીર સ્વામીના પગ તળે કંથવો થઈ સંતાઈ ગયો હતો. ત્યાં આવી શક્રેન્દ્ર મહાવીર પ્રભુની ક્ષમાપના માગી અને ચમરેન્દ્રને કહ્યું કે હવે નીકળ. તેણે નીકળીને ક્ષમાપના માગી. આમ શરણ હતું તો તે બચી ગયો. આનંદઘનજીને વ્યાખ્યાન વંચાવવા સંઘે તેમના ગુરુ પાસે માગણી કરી. તે વૈરાગ્યમાં વિશેષ હતા. તેથી બઘાને પ્રિય હતા. કોઈ કારણસર આગેવાન શેઠ મોડા આવ્યા તોપણ આનંદઘનજીએ બીજા બઘાને આવેલા જાણી વ્યાખ્યાન શરૂ કર્યું. પછી શેઠ આવ્યા. તેની સાથે વાતચીત થતાં “અમે છીએ તો તમે છો,” એમ શેઠે કહ્યું એટલે કપડાં મૂકી નગ્ન થઈ ગુરુ પાસે જઈ તે ચાલી નીકળ્યા. કોઈનું કહ્યું માન્યું નહીં. તેમના ગુરુ કાળ કરી ગયા પછી એક પીંજારો વિદ્યાના બળે આકાશમાં રહી બોલતો કે હે બાદશાહ ! એક કર, એક કર. તેથી બધાને મુસલમાન કરવા બાદશાહે લોકોને કનડવા માંડ્યા. સંઘે મુસલમાન થવા ના પાડી, તેથી કેદમાં નાખી તેમની પાસે દળણાં દળાવવા માંડ્યાં. પછી બધા સાધુઓએ વિચાર કરી આનંદઘનજી પાસે જઈને તેમને વાત કરી. જેમ લબ્ધિધારી વિષ્ણુકુમારે બઘાને ઘર્મમાં પડતી મુશ્કેલી દૂર કરી હતી અને પછી પ્રાયશ્ચિત્ત લીધું હતું તેમ શાસનને નિર્વિધ્ર કરવા આનંદઘનજીને તેમણે વિનંતિ કરી તે તેમણે સ્વીકારી અને એક સોટી આપી. તેમણે કહ્યું કે તે ઘટીને અડાડજો, તેથી ઘંટીઓ ચોટી જશે. “આમ કોણે કર્યું ?” એમ પૂછે, તો એમ કહેવું કે અમારા ગુરુએ. અને જણાવ્યું કે અમુક જગાએ હું બપોરે બાર વાગે આવીશ. ત્યાં બાદશાહને આવવા જણાવજો. બાદશાહ ત્યાં આવ્યો પણ તેણે આનંદઘનજી પાસે પોળિયા જેવા બે વાઘ દીઠા. તેથી તે આગળ જઈ શક્યો નહીં. તેને બોલાવ્યો તોપણ ન જઈ શક્યો. એટલે વાઘની પાસે થઈ આનંદઘનજી બાદશાહ પાસે ગયા અને કહ્યું, બઘાને કેમ પડે છે ? તેથી બાદશાહે કહ્યું, બાર વાગે ખુદાનો હુકમ સંભળાય છે. એટલામાં તો બાર વાગ્યા અને આકાશમાંથી અવાજ આવ્યો એટલે આનંદઘનજીએ એક વસ્ત્ર ઊંચુ કર્યું કે પીંજારો નીચે પડ્યો અને કરગરવા લાગ્યો. તેમણે બાદશાહને કહ્યું, આ તો તારા ગામનો પીંજારો છે, હવે કોઈને ઘર્મ બાબત કનડીશ નહીં, અને પીંજારાને કહ્યું, આમાં તારું કલ્યાણ નથી. 21 Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ૨ ઉપદેશામૃત અંજનની જરૂર છે. યશોવિજયજીને આનંદઘનજીના સમાગમે તે થઈ ગયું. ત્યાર પછીના ગ્રંથો મધ્યસ્થ વૃષ્ટિથી લખાયા છે. સાંજે સમભાવ, ઘીરજ, ક્ષમા, ખમીખૂદવું—એ વીતરાગની આજ્ઞા છે. સમજની જરૂર છે. ગમે તેવા પાપી, ગુણકા અને ચંડાળ જેવાના પણ ઉદ્ધાર થઈ ગયા છે. ચીલો બદલવાની જરૂર છે. ગાડાનો ચીલો બદલતાં મુશ્કેલ તો પડે; પણ પછી ચીલો બદલાયો એટલે દિશાફેર જ થઈ જાય છે. આભ જમીનનો ફેર પડે છે. અનાદિકાળથી લોભથી જ જીવ અટકી રહ્યો છે. તે વેરીને મારવાની ખાતર, લોભ છોડવાની સમજથી ખર્ચ થાય તો તેનું ફળ રૂડું છે. એમ જ કરવાજોગ છે. તા. ૧૬-૨-૨૬ [સવારે ચાર વાગે “પરમશ્રુતપ્રભાવક મંડળ' તરફથી છપાતી “શ્રીમદ્ રાજચંદ્રની બીજી આવૃત્તિ માટે લખેલી પ્રસ્તાવનાનું પ્રફ વંચાયું તે પ્રસંગે.] એ પ્રસ્તાવનામાં પરીક્ષકવૃત્તિ છે. કોઈ પરીક્ષા લઈને છોકરાને ઈનામ આપે કે નંબર ઠરાવે તેવી પુરુષની પરીક્ષા કરવાનો પ્રયત્ન છે. પણ પરીક્ષક તો જેની પરીક્ષા લેવાની હોય તેનાં કરતાં ચઢિયાતો હોવાની જરૂર છે. એટલે પોતાની સમજની કિસ્મત વિશેષ ગણીને સપુરુષની દશા તેમાં સમાય તેવી ગણીને તેને સરપાવ આપતા હોય તેમ “આટલી બક્ષિશને પાત્ર તે છે' તેવી વૃત્તિ એ શબ્દો ઉપરથી જણાય છે. સપુરુષની પરીક્ષા કરવાનું કોનું ગજું ? સપુરુષને બરાબર ઓળખે તે પુરુષ જેવો જ હોય. તા. ૧૭--૨૬, સવારે [તીર્થકર પ્રકૃતિની સ્થિતિનો ઉત્કૃષ્ટો બંઘ ક્યારે પડે તે સંબંધી ‘ગોમટ્ટસારજીના કર્મકાંડના બીજા અધિકારના વાંચન પ્રસંગે]. સમકિતનું કેટલું માહાભ્ય છે ! અસંયત સમ્યગૃષ્ટિ મનુષ્યનાં ઉત્કૃષ્ટ સંક્લેશ પરિણામ નરકગતિની સન્મુખ તે થાય ત્યારે હોય છે. અને તે વખતે તીર્થંકર પ્રકૃતિની સ્થિતિનો ઉત્કૃષ્ટ બંઘ પણ પડે છે. સમકિત છે એટલે તેની હાજરીમાં જે જે ક્રિયા થાય તે પુણ્યરૂપ પરિણમે છે. મોટી લોહીની નદીઓ વહે તેવા ભરતના સંગ્રામ પ્રસંગે ગણઘર ભગવાન પુંડરીકે ઋષભદેવ ભગવાનને પૂછ્યું, અત્યારે ભરત ચક્રવર્તીનાં પરિણામ કેવાં હશે ? ભગવાને કહ્યું, તારા જેવાં; કારણકે તેની સમજ બદલાયેલી હતી. એટલે દર્શનમોહ વગરની ક્રિયા થતી હતી. નહીં તો Page #420 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૨ ૩૨૩ સદી ન રેરૂ પર્વ' એવાં સૂત્રો મોટા પુરુષ કેમ ઉચ્ચારે? એ શાનું માહાત્મ? સમકિતનું. જેમ ચંદનવૃક્ષ પાસેનાં બીજાં વૃક્ષો, લીમડા વગેરેનાં પણ, સુગંધીદાર બને છે તેમ સમકિતીની કષાયવાળી ક્રિયા પણ સમક્તિની હાજરીમાં પુણ્યરૂપ પરિણમે છે. સમકિત એ પુણ્ય છે અને મિથ્યાત્વ એ પાપ છે, એમ “મૂળાચાર” તેમજ “ગોમટ્ટસારજી'માં પણ આવે છે. આવું જેનું માહાભ્ય છે તે મૂકીને આ ભવમાં ઢીંગલા-ઢીંગલીની રમત જેવાં સુખ અને સમૃદ્ધિ પાછળ કાળ ગાળવો સમજુ વિચારવાનને છાજે ? આટલા ભવમાં તો સમકિત જ કર્તવ્ય છે. પછી ભલેને ગમે તેટલા ભવ હોય તેની પંચાત નથી. તે થયા પછી તેની ક્રિયા પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરે અને છેવટે સમકિત તેને મોક્ષે લઈ ગયા વગર મૂકે નહીં. કંઈ અજબગજબ વાત આજે તો આવી છે ! ૧. મુમુક્ષુ–- સિદ્ધપુરના ગોદડ પારેખ જણાવતા કે આપને મળ્યા પછી આપે હૃદયમાં ચકલું ઘાલી દીધું છે, તે ફડફડ થયા જ કરે છે. પહેલાં તો ખાતા અને નિરાંતે ઊંઘતા, પણ હવે તો કંઈ ચેન પડતું નથી. પ્રભુશ્રી–એમ જ છે. અમને કૃપાળુદેવ મળ્યા પછી બધા મુનિઓ અમારા સંબંઘી વાત કરતા કે એમની પાસે જશો તો ભૂત ભરાવી દેશે; એમના શબ્દો કાને ન આવવા દેવા, નહીં તો ચોટ લાગી જ જાણવું. ૨. મુમુક્ષુ-હજી અમદાવાદમાં એમ જ કહેવાય છે કે આપને મળે છે તેમને ભૂત વળગ્યું જ જાણો. પ્રભુશ્રી–એમ જ છે. શું થાય છે તે આપણને શી ખબર પડે ? પણ કેટલાં ય કર્મની નિર્જરા થાય છે, કર્મની કોડ ખપે છે, તે તો જ્ઞાની જાણે છે. ૩. મુમુક્ષુ–મેં ક્યાંક વાંચ્યું છે કે શાસ્ત્ર વાંચેલું સમજણ ન પડે તો પણ જો શબ્દો કાનમાં પડે તોય આવતા ભવમાં પણ તેના સંસ્કાર જાગી તે સમજાય છે અને મોક્ષનું કારણ થાય છે. પ્રભુશ્રી—એ વાત સાચી છે. સાંજે [૧૯૪માં પત્રના સ્વાધ્યાય પ્રસંગે.] “હે આયુષ્યમનો ! આ જીવે સર્વે કર્યું છે. એક આ વિના, તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે સપુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યાં નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી, અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે.” અમે કૃપાળુદેવને મળ્યા, પછી બીજા સાધુઓ એમ કહેતા કે અમે બગડી ગયા છીએ. તેથી એક સાઘુ, અમારા ઉપર ભાવ રાખતો તે, મારી પાસે આવીને કહે : “તમે જે કરો છો તે મેં સાંભળ્યું છે. તે ગમે તેમ હો, પણ મહાવીરનાં કહેલાં સૂત્રો ઉપર શ્રદ્ધા રાખજો. આટલું મારું કહ્યું માનજો.” Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ઉપદેશામૃત સૂત્રાભિનિવેશ એ પણ મિથ્યાત્વ છે. નહીં તો અમારે વીતરાગનાં વચનનો ક્યાં અનાદર છે ? પણ પોતાની સમજે સમકિત માનવું યોગ્ય નથી. આજે તો ઘરઘરનું સમકિત થઈ ગયું છે. પણ સમકિતનો મહિમા તો ઓર છે! અમે કૃપાળુદેવને મળ્યા પહેલાં સૂત્રો ભણતા તે ઉપર પાછા ચર્ચા કરતા અને જેને વધારે યાદ રહે તથા વધારે વર્ણન કરે તે મોટો ગણાતો. એ પણ મિથ્યાત્વ છે. સદ્ધ પરમ સુદ ભગવાને કહી છે. સાચી શ્રદ્ધા–સમક્તિનું માહાત્મગોમસારજી' અને “મૂળાચાર' વંચાય છે તેમાં વર્ણવેલું છે. “સમકિત તે જ પુણ્ય છે; અને સમકિતી જે જે ક્રિયા કરે તે પુણ્યરૂપ જ પરિણમે છે.” તે વાંચતા કૃપાળુદેવથી સાંભળેલાં વચનો પ્રમાણે શાસ્ત્રો પણ શાખ પૂરે છે, તે સમકિતને પોષે છે. ભરતરાજા અને શ્રેણિકરાજાનાં દ્રષ્ટાંતે, સમકિતની હાજરીમાં સંક્લેશ પરિણામ હતાં તે પુણ્યરૂપ નીવડેલાં છે. સમકિતીની ક્રિયાનું પરિણામ કાં તો નિર્જરારૂપ હોય, કાં તો પુણ્યના બંઘરૂપ હોય; પણ પાપ તો સમકિતી કરી શકે જ નહીં. મિથ્યાત્વ તે જ પાપ છે. મિથ્યાત્વીનાં શુભ પરિણામ દેખાતાં હોય પણ તેનું ફળ મોક્ષમાર્ગમાં સહાય કરનાર પુણ્યરૂપ નથી તેથી સંસારપરિભ્રમણ કરાવનારું હોવાથી તેનાં શુભ પરિણામ પણ પાપરૂપ છે. કોઈ ક્યાંક અને કોઈ ક્યાંક અટક્યા છે; પણ ક્યાંય ખળી રહેવા જેવું નથી. બેરાં, છોકરાં, ઘન, મિલકત, આમાં કે તેમાં–કોઈ જગાએ અટક્યા વગર આત્મા જ ઉપાદેય, ધ્યેય ગણવો. એની શ્રદ્ધા આવી એટલે કામ થઈ ગયું. ગમે તેવાં કર્મ દેખા દે પણ તે તો ચૂકવું જ નહીં. બાંધેલાં છે તે તો આવે–મહેમાન જમીને ચાલ્યો જાય. પણ સંજોગોને તો સંજોગો ગણવા. ધ્યાન કરવા બેસે ત્યાં સંકલ્પો તો આવે; પણ તેને જુદા જાણવા, તન્મય ન થવું. બધું ઝેર કરી મૂકવા જેવું છે, નહીં તો, ભવ ઊભા કરાવે તેવી સામગ્રીઓ આવી આવીને પડે. તેને આત્માનો ઘર્મ ન જાણવો. ન છૂટકે તેનો સંજોગ થાય તેને વેઠી લેવો. લાગ્યું તે ભોગવ્ય છૂટકો; પણ ઇષ્ટ ન ગણવું–તો બંધ નથી. આમ ભેદ પડે તો બહિરાત્મા મટી અંતરાત્મા થાય. અને એમ કરતાં કરતાં “દીનબંધુની મહેર નજરથી આનંદઘન પદ પાવે.” તા.૧૮-૨-૨૬, સવારે પ્રભુશ્રી–કોઈ સાંભળે અને સમજણ ન પડે તો કેમ ? મુનિ મોસમકિતીને બધું સવળું છે. પ્રભુશ્રી–સાંભળવાનો ભાવ હોય, તેમાં નજર રાખે; પણ પૂર્વભવનાં અંતરાય કે આવરણને યોગે સંભળાય નહીં તો તે નિષ્ફળ જાય ? આ માણેક ડોશીમા રોજ આવે છે. તેમને સમજાય કશું નહીં, પણ સાંભળવાની ઇચ્છા કરે તો કંઈ ફાયદો થાય કે નહીં ? જો તેમાં ને તેમાં માથાં મારે તો કર્મ જગ્યા આપે છે. જ્ઞાની અંતર્મુહૂર્તમાં કોટિ કર્મનો ક્ષય કરે છે. તેમ કોઈ સમકિતી-શ્રદ્ધાવાળો જીવ હોય તેને શાસ્ત્ર સાંભળવાનો લક્ષ છતાં સમજાય નહીં તો ય કંઈ તે ક્રિયાનું ફળ થતું હશે કે નહીં? Page #422 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૨ ૩૨૫ મુમુક્ષુ–પહેલાં માગધી ભાષાની ખબરે ય નહીં. હવે તે ગાથા વાંચતાં કરતાં ઠીક ફાવે છે. તે ન સમજાયા છતાં માથાં માર્યાનું પરિણામ છે. પ્રભુશ્રીએ ગુડગુડિયો વૈષ્ણવ. તેથી તેને પહેલાં તો બઘાંની પેઠે વૈકુંઠ, ગોલોક અને એવો ખ્યાલ હશે. પણ હવે શાસ્ત્રમાં કેવી ગમ પડે છે ? આ ય કેવો હતો ? પણ વાંચીને માહિત થયો તે જાણ્યું ને ? એમ શું થાય છે તે આપણને શું ખબર પડે ? પણ જ્ઞાની જાણી રહ્યા છે. કંઈ અજબ વાત છે ! ઘના શ્રાવકનો જીવ કેવો હતો ? ઢોરાં ચારે તેવો. તેને મુનિનો યોગ થયો, ત્યાં બોઘ સાંભળ્યો; અને સમજાય ન સમજાય પણ મારે તેમણે કહ્યું તેમ કરવું છે–આ વ્રત લઉં, આ વ્રત લઉં—એમ ભાવના રહી હતી અને કંઈ કર્યું ન હતું છતાં એટલામાં (ભાવનામાં ને ભાવનામાં) મરણ થવાથી દેવ થઈને ચવીને ઘનો શ્રાવક થઈ મોટો લક્ષાધિપતિ થયો, કેટલીય કન્યાઓ પરણ્યો અને મોક્ષની તૈયારી કરી. જ્ઞાનીની આજ્ઞાએ શ્રુતજ્ઞાન સાંભળતાં પરોક્ષ જ્ઞાન થાય છે અને દીનબંધુની કૃપાનજરથી પછી પ્રત્યક્ષ જ્ઞાન થાય છે, પુદ્ગલ અને જીવ જુદાં જણાય છે. સાંજે (“મૂળાચારમાંથી “સંસારભાવનામાં અશ્રદ્ધાનરૂપ મિથ્યાત્વ વિષે વંચાતાં.) શ્રદ્ધાથી ઊલટી અશ્રદ્ધા. શ્રદ્ધા કોની ? તો, સદૈવ, સદ્ગુરુ અને સદ્ઘર્મની. એમાં સત્ તે આત્મા છે. તેથી આ આત્મા એ જ દેવ, આત્મા એ જ ગુરુ અને આત્મા એ જ ઘર્મ, એમ ગણાય. અને એ આત્માની હાજરી હોય, શ્રદ્ધા હોય, તો કર્મ બંઘાય નહીં. મરણ ન હોય તો કંઈ વાંઘો નહીં. પણ તે તો ક્યારે આવશે તેનો ભરોસો નથી. તો જેટલો કાળ હાથમાં છે તે નકામો જવા દેવા જેવો નથી. આટલું આયખું તો તે ખાતર જ ગાળવા જેવું છે. બધાને ખાતર કાળ ગાળો છો તો આને ખાતર, આત્માને ખાતર આટલું નહીં કરો ? સમજુ માણસને તો તેની જ ગવેષણા હોય, તે વગર બીજું ગમે જ નહીં–ન બને તેનો ખેદ રહેવો જોઈએ. કૃપાળુદેવે અમને કહેલું કે અમને મળ્યા પછી તમારે હવે શો ભય છે? “થીંગ ઘણી માથે કિયા રે, કુણ ગંજે નર એટ? વિમલ જિન, દીઠાં લોયણ આજ.” એમ મોટા પુરુષોએ પણ કહ્યું છે. શરણાની ય બલિહારી છે ! એ જ કર્તવ્ય છે. એને જ સમકિત કહ્યું છે. તા.૨૨-૨૬,સાંજે [‘મૂળાચારમાંથી સંસારભાવનાનો પહેલો શ્લોક ફરી વંચાતાં.] અશ્રદ્ધાનરૂપ મિથ્યાત્વ–આત્માની શ્રદ્ધા નહીં તે મિથ્યાત્વ, તે અશ્રદ્ધાન. મારું શરીર, મારું ઘર, મારું કુટુંબ–એ મારાં માન્યાં છે તે એક જાતની શ્રદ્ધા છે; પણ સાચી શ્રદ્ધા નથી, મિથ્યા છે. સંજોગ છે તે દેખાવ તો દે છે. આપવીતી કહું કે પરવીતી ? Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ ઉપદેશામૃત મુનિ મો—આપવીતી, પ્રભુ ! પ્રભુશ્રી–શરીરમાં કંઈ ચાવી ફરી જાય તો બધું ફરી જાય છે. કળતર, કળતર અને કળતર. શ્વાસ લેતાં મૂંઝવણ થાય અને કંઈ સુવાણ ન રહે. આ બધું શું ? નોકર્મ દ્રવ્યકર્મનો સંજોગ. તેમાં જીવ પરિણમે છે. તે વખતે ભાવના તો બીજી હોય, તેમાં લક્ષ રાખવો હોય અને વેદનામાં લક્ષ ન રાખવો હોય, પણ ચાલે? મુમુક્ષુઓ તેમ બનતું તો નથી. મુનિ મો–પરમકૃપાળુ દેવને કોઈએ જોડા આપેલા. તે પહેરીને ચાલતાં પગ લોહીલુહાણ જેવા થઈ ગયા અને બીજાએ તે ધ્યાન ખેંચ્યું ત્યારે તેમણે કહ્યું, તમે કહ્યું ત્યારે જાણ્યું કે ફોલ્લા થયા છે અને લોહી નીકળ્યું છે. પ્રભુશ્રી–તે વાત જુદી છે. આપણે જતા હોઈએ અને કંઈક હાથમાં વાગે કે ઉઝરડો ભરાય અને ભાન ન હોય તો જણાતું નથી. તે વાત અત્યારે નથી. અત્યારે અહીં ઢોલ અને વાજાં વાગતાં હોય અને આ શાસ્ત્ર વાંચે છે તે સાંભળવું હોય તો સંભળાય? તેમ અત્યારે જરાનાં દુઃખ આવી લાગ્યાં હોય અને ખળભળી ઊઠ્યાં હોય તે ન જણાય? વેદના ઘેરી લે ત્યારે કંઈ બનતું નથી, એ તો અનુભવ છે પણ ભાવ ત્યાં (આત્મામાં) હોય છે. જો ઘર દીઠું હોય તો ત્યાં પેસી જવાય. છોકરું માને ઓળખે એવડું હોય તો વેદના વખતે “મા મા’ કરે તેમ અંતર્યા તેવી રહે છે. જ્ઞાનીને મળ્યા પછી ભાવ ફરી જાય છે. તે અંતચર્યા–ભાવના આત્માની રહે. સંજોગ દેખે પણ તેમાં પરિણમે નહીં તે અંતરાત્મા. અંતરાત્મા કંઈ પરગામ ગયો છે? પણ ભાન નથી, તે કરવાનું છે. અંતરાત્મા, અંતચર્યા, ભાવના–એ તો જ્ઞાન છે. અને જ્ઞાન શાનાથી થાય છે ? જ્ઞાનીથી. સગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો ? સમયે જિનસ્વરૂપ.” દેખે પરમ વિઘાન' એમ પણ મોટા પુરુષોએ કહ્યું છે. જિનદેવ–આત્મા! તેમનો ઉપદેશેલો મોક્ષમાર્ગ–મુકાવું–તે નહીં દેખવાથી સંસાર પરિભ્રમણ છે. આગળથી અભ્યાસ કરી મૂકવાની જરૂર છે. કૃપાળુદેવે પત્ર ૪૬૦ માં કહ્યું છે તે પ્રમાણે ચેતવાની જરૂર છે. આગ લાગેઘર લાગે ત્યારે કૂવો ખોદાવે તો એ આગ કેમ કરીને હોલવાશે? કંઈક કરી મૂક્યું હોય તો વેદનીય વખતે ખપમાં આવે. બીજું બધું મરતી વખતે સાંભરે છે–શરીર, કુટુંબ, છોકરાં. એનો અભ્યાસ પડી ગયો છે તો વેદના ઘણી હોય છતાં તે સાંભરે છે તો તેને બદલે બીજો અભ્યાસ કરી મૂક્યો હોય તો એમાં કંઈ વગ (લાગવગ) ચાલે છે કે એ યાદ આવે અને આ ના આવે? જરૂર આવે. શરીરની કળ બગડતાં ક્યાં વાર લાગે છે ? જ્યાં ગળફો તો છૂટતો ન હોય, શ્વાસ jઘાયો હોય અને પાઠ ભણવો હોય કે એવી ઘર્મક્રિયા કરવી હોય તે કેમ બને? પણ અભ્યાસ કરી મૂક્યો હોય તો અંતરૂપરિણામ–અંતર્યા–તેમાં જ રહે. મારું કશું ય નથી, એવું કરી. મૂકવાની જરૂર છે. મારું મારું મનાય તે મિથ્યાત્વ છે. Page #424 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૨ ૩૨૭ તા. ૨૧-૨-૨૬ એટલી બઘી વેદના સાથે લાગી (સામટી) આવે છે અને દિન પ્રતિદિન કળતર, નબળાઈ વઘતી જાય છે કે જાણે હતું ન હતું થઈ જશે. કાલે સાંજે એવી ગભરામણ થઈ ગયેલી તેથી નીચે નહોતું આવી શકાયું. (મુનિ મોહનલાલજીને) કહો, તે વખતે વેદના જણાય કે નહીં? મુનિ મોજ્ઞાનીને વેદના થાય પણ તેની ગણતરી તેને ન હોય. કૃપાળુદેવ અને મુનિઓ તથા બધા લોકો બપોરે નરોડામાં જતા હતા. ત્યારે દેવતા કરતાં વધારે તપેલો રેત હતો. ત્યાં થઈને બઘા જંગલમાં જવા નીકળ્યા. ત્યાં બધા દોડાદોડ કરે, કપડાં નાખીને ઊભા રહે કે ચપચપ પગ ઉપાડે. પણ કૃપાળુદેવે ચાલમાં બિલકુલ ફેર કર્યો નહોતો, ઘીમે ઘીમે ચાલતા હતા. કોઈના પગમાં જોડા યે નહોતા. બઘાને તે વખતે થયેલું કે દેવકરણજી સ્વામી વ્યાખ્યાન સુંદર આપે છે; પણ સાચા જ્ઞાની તો આ જ છે. ત્યાં બેસવાના સ્થાનકે ગયા ત્યારે પણ કૃપાળુદેવે પગ ઉપર હાથ સરખો ફેરવ્યો નહીં. પગે લાલ લાલ ચાઠાં પડી ગયાં હતાં. કોમળ શરીર અને જોડા વિના તડકામાં ચાલવાની ટેવ નહીં. એટલે વેદના તો ઘણી થતી હોવી જોઈએ. પ્રભુશ્રી એ તો દશાની વાત છે. ઉત્તરસંડે બંગલે રહેતા ત્યારે પાસે સેવામાં મોતી ભાવસાર રહેતો તે ઘોતિયું ઓઢાડે, ઢાંકે; પણ પાછું ખસી જાય. મચ્છર, મોટા ડાંસ તો ત્યાં ખૂબ હતા પણ પોતે હાલેય નહીં ને ચાલેય નહીં, પડ્યા જ રહેતા. કૃપાળુદેવના પ્રથમ સમાગમમાં આત્માનો નિશ્ચયનયે બોથ થવાથી બાહ્ય દયા અને ક્રિયા છોડી દીધેલાં. સૌ-સૌના ગચ્છમાં જેમ આગ્રહ હોય છે તેમ પહેલાં તો આગ્રહ બહુ હતો. દેવકરણ સ્વામીના કરતાં વધારે દયા પાળવાની, સરખામણી કરવાની અને મોટા ગણાવાની ઘણી હોંશ હતી. તેથી તેમના કરતાં વઘારે તપ કરવાનું થતું; અને ક્ષયોપશમ તો મળે નહીં, પણ શરીરનું બળ ખરું એટલે જોર કરીને પણ ગોખવાનું, મોઢે કરવાનું કરેલું. હાલ તો હાંસી આવે છે !–થાંભલો ઝાલીને “ભક્તામરની ગાથાઓ ગોખીને એવી મોઢે કરી કે બધા અક્ષરો શુદ્ધ બોલાય. બીજા જોડેલા અક્ષરોનો સ્પષ્ટ ઉચ્ચાર “સખ્યત્વ'ની પેઠે થઈ શકતો નહોતો, પણ મહેનત કરી એટલે તેમાંના બઘા જોડાક્ષરો શુદ્ધ બોલાતા. ચતુરલાલજીને વેદાંતની અસર હજી રહી છે તેથી તે તદન શુષ્કજ્ઞાની થઈ ગયો છે. ઓછી સમજવાળાને વેદાંત-એકલા નિશ્ચયનયનું એટલે ઠીક ગોઠી જાય છે. અને તેની પકડ કરી બેસે છે. અનેકાંતવૃષ્ટિ સૂક્ષ્મ છે. અમારી વાત બધી તે પરમકૃપાળુદેવ) તો જાણે; એનું શું અજાણ્યું હતું? તેથી એક વખત કીડી આમ જતી હતી તેને હળવે રહીને હાથ ઉપર ચઢાવી આમ એક બાજુ જાળવીને મૂકી. ત્યારથી મને થયું કે આ આમ દયા પાળે છે તો તો આપણે તે જ કર્તવ્ય. એટલે ત્યારથી દયાનો પુનર્જન્મ થયો હોય તેમ થયું. નહીં તો, એમ થતું કે ઘણી દયા પાળી પણ તેણે કલ્યાણ નથી. પણ જેમ છે તેમ સમજીને કરવાનું તે જ છે. ત્યારથી એમણે દયા મારામાં ઘાલી દીધી. તે આજની ઘડી સુધી તે જ દ્રષ્ટિ છે. પાણીમાં કેમ ચાલવું તે કૃપાળુદેવે બતાવેલું કે મુનિઓ, આગળ પાણી આવે છે, ઉપયોગપૂર્વક ચાલજો. આમ આમ વલોણાની પેઠે પગથી પાણી Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ઉપદેશામૃત ડહોળીને ન ચલાય; પણ કેડસમું પાણી હોય તો પણ પગ જાળવીને ઊંચો લઈ પછી પાછો જાળવીને આગળ મૂકવો, પાણી ડહોળાય નહીં અને અપકાયના જીવો દુભાય નહીં તેમ ચાલતાં પણ તેમણે શીખવ્યું હતું. નદી ઊતરવાની હોય ત્યારે સંથારો કરે કે જો તે દરમિયાન મગર કે એવું કોઈ ઢસડી જાય તો “વાવઝીવ વોવિહાર' અને પાર જઈ શકાય તો સામા કાંઠા સુધી. આમ કરીને પ્રતિક્રમણ, ખમાસણું કરીને નદી ઊતરતા. ઊતરીને પાણી નીતરી જતાં સુધી ઊભું રહેવું જોઈએ. કપડું નીચોવાય તો નહીં. લીલોતરી સમારતી-મોળતી વખતે જ્ઞાનીને કેટલી દયા વર્તે છે તે તે જ જાણે છે | મુમુક્ષુ–કાવિઠે મચ્છરમાં બેસતા પણ ઉડાડતા નહીં. ચાર(લીલા ઘાસ)ના ભારા પર એક જણ બેઠેલો. તેને કૃપાળુદેવે કહેલું કે નીચે બેસો તો ભાઈ, જીવ દબાય છે. મુનિ મો–એ પુરુષે તો ઠેઠ મોક્ષનો માર્ગ બતાવી દીધો છે. માત્ર આપણી કચાશ છે. “અમે દેહઘારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ' એવી જેની દશા હોય તેની શી વાત કરવી? અમે બધા તો એમની દશા જોઈને ચકિત જ થઈ જતા. [‘વિમલપુરાણમાંથી શ્રેણિકરાજાનું ચરિત્ર વંચાતાં.] આ વાત ભારે છે ! ઘણા મર્મવાળી વાત છે. શાસ્ત્ર ઘણી વખત શસ્ત્ર થઈ પડે છે. અહીં વંચાય અને એમ ને એમ વાંચી લે એમાં ઘણો ભેદ છે. અહીં ભૂલ નીકળે; મૂળ વાત તરફ, આત્મા તરફ લક્ષ રહે. શ્રેણિક રાજા કહે કે તેની રાણી કહે; પણ બઘાં કર્મ અને તેનો જીવને સંજોગ કે બીજું? કર્મ ફૂટી નીકળેલાં દેખાય. નહીં તો વાર્તાઓ વાંચતાં સાંભળતાં તો જીવ કેવાં કેવાં કર્મ બાંધે છે? અહીં તો વાત ફોડીને તેનો વિસ્તાર થાય અને ગ્રહણ કરવા યોગ્ય વિચારાય. અહીં આત્મા વગર બીજું હોય ? આ જગા તમે કેવી જાણો છો ? આ ઘર્મની જગાનું કોઈ અપૂર્વ બળ છે! યોગ્યતાની માત્ર ખામી છે, વૈરાગ્યની ખામી છે. આવો જોગ મળવો દુર્લભ છે. ચેતવા જેવું છે. પછી કંઈ બનવાનું છે? અમારે અત્યારે ગમે તેવું તણાઈને ઘર્મધ્યાનમાં પ્રવૃત્તિ કરવાનું મન હોય પણ ક્યાંથી બળ અને સ્થિરતા લાવીએ? જો કંઈ હઠ, બળ કરીને કરવા જઈએ તો વળી કંઈ આડું ફાટે તો સમું નમું કરવામાં કંઈ થોડું ઘણું થતું હોય તેય અટકે. જ્યાં સુધી શાતા છે ત્યાં સુધી ચેતી લેવા જેવું છે. આ અવસર ચૂકવા જેવો નથી; ચેતી લેવાની જરૂર છે. એકના એક ખેતરમાં જેવો પાક કરવો હોય તેવો થાય–શેરડી કરવી હોય તો ય થાય અને તમાકુ કરવી હોય તો ય થાય. આટલું બધું ઘંઘા વગેરે માટે કરીએ છીએ, ત્યારે જે આપણા આત્માને ઓળખ્યો નથી તેને માટે હવે નહીં કરીએ ? તમાકુ માટે જમીન કેવી ચોખ્ખી કરવી પડે છે અને કેટલી બધી મહેનત લેવી પડે છે, તો ઘર્મની પ્રાપ્તિ માટે પુરુષાર્થ ન કરવો જોઈએ ? જો મરણ ન હોત તો તો ઠીક, પણ ઘડીકમાં ફૂટી જાય એવું આ પરપોટા કે શીશી જેવું શરીર છે ત્યાં સુધીમાં ‘ઝબકે મોતી પરોવી લે” તેમ આત્મહિત સાધી લેવાની જરૂર છે. Page #426 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૨ ૩૨૯ તા. ૨૨-૨-૨૬ [‘પરમાત્મપ્રકાશ” વંચાતાં આ ચાર બાબત ઉપર વિજય મેળવવો દુષ્કર કે દુર્લભ છે : (૧) જિહા–સર્વ ઇંદ્રિયોમાં પ્રઘાન ઇંદ્રિય જિહા. તે જિતાતાં બધી ઇંદ્રિયો જિતાય છે. (૨) મોહ–આઠ પ્રકારનાં કર્મમાં મુખ્ય મોહનીય. તે જિતાતાં બઘાં કર્મ જિતાય છે. (૩) બ્રહ્મચર્ય—પાંચ મહાવ્રતોમાં મુખ્ય બ્રહ્મચર્ય. તેમાં અપવાદ નથી. “એક વિષયને જીતતાં, જીયો સી સંસાર; નૃપતિ જીતતાં જતિયે, દળ પુર ને અઘિકાર. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય અતિમાન.” (૪) મનોગુણિ–ત્રણેય ગુતિમાં પ્રધાન મનોગતિ. મનને લઈને આ બધું. આ ચાર શા વડે જિતાય ? મુનિ મોહનલાલજી– ઇન્દ્રિયદમનકું સ્વાદ ત્યજ, મનદમનકું ધ્યાન.” પ્રભુશ્રી–જ્યાં મનમાં વિચાર આવે કે આ ઠીક લાગશે કે આમ હોય તો ઠીક, તો તેની સામા જ પડવું કે એ તો નહીં જ. તેવી રીતે મોહની વૃત્તિ ઊઠે કે કામની વૃત્તિ જાગે કે સંકલ્પવિકલ્પ કોઈ પ્રિય વસ્તુના આવ્યા કરતા હોય ત્યાં કટાક્ષવૃષ્ટિ રાખવી અને તે વૃત્તિને રોકવી. જ્યાં ત્યાં એ જ કરવાનું છે. જડ અને ચેતનનો ભેદ પાડવાનો છે. મુમુક્ષુ–“કૃષ્ણ બાળબ્રહ્મચારી હોય તો જમનામૈયા, માગ આપજો.” એમ કામ કરતાં લેપાય નહીં તેનું કેમ ? પ્રભુશ્રી–સાધન તો જોઈશે–વરસાદ, જમીન અને બીજનો સંજોગ થાય ત્યારે બીજ ઊગી નીકળે; તેમ ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ તો જોઈશે જ. એક સાધુએ હિમાલયની ઠંડીમાં તે ઠંડી સામે પડીને પાસાં બદલી બદલી રાત કાઢી અને સવાર થતાં સૂર્યોદયે ઊઠ્યો અને ખભો થાબડતાં બોલ્યો કે ઠંડી સાથે લડાઈ કરી તેમાં વિજય મેળવ્યો છે. પુરુષાર્થની જરૂર છે. “જો ઇચ્છી પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ.” “નિશ્ચય વાણી સાંભળી, સાઘન તજવાં નોય; નિશ્ચય રાખી લક્ષમાં, સાઘન કરવાં સોય.” (શ્રી આત્મસિદ્ધિ) શુષ્કજ્ઞાની થઈ જવાની જરૂર નથી. “અથવા નિશ્ચયનય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોએ સવ્યવહારને, સાધનરહિત થાય.” Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ઉપદેશામૃત કૃષ્ણની વાત તો જ્ઞાનીના સંબંધે કહેવાશે. પણ જો તું તેમ કરવા ગયો તો રખડી પડીશ. એ માર્ગ નથી. જ્ઞાન તો છે ત્યાં છે. હશે તો “નથી' કહેવાથી જતું રહેવાનું નથી અને નહીં હોય તેમ છતાં “છે' એમ કહેવાથી આવી જવાનું નથી; પણ મહામોહનીય કર્મ બાંધે. જ્ઞાનીએ જાણ્યો છે તેવો આત્મા છે. ભૂલ હોય તે બતાવવી પડે. ચાલતા બળદને કોઈ આર મારે ? ઉન્મત્તતા, સ્વચ્છંદ, પ્રમાદ છોડવાનાં છે. અંકુશ તો સારો–અમે તો પણે–છેલ્લા–જઈ બેઠા છીએ તે બોલીએ છીએ. કોઈએ “લઘુ' નામ આપ્યું છે તે સારું કર્યું છે. લઘુતા જ રાખવાની જરૂર છે. પણ મનમાં માન વેદાય તો લઘુ કહો કે ગમે તે કહો પણ કંઈ કામનું નથી. “વૃતાઘાર પાત્ર વા પાત્રાઘાર વૃત' એમ કરનાર પંડિત જેવા કે “પ્રાસને હાથી મારે છે કે અપ્રાતને એવો વાદ કરનાર જેવા ભણેશ્રી થવાનું નથી. મનમાં એમ રહે કે “આ મહારાજ પધાર્યા એટલે એ બોલશે. એ કેમ બોલતા નથી ? શું ઓછું થઈ જવાનું છે? એ બોલે તો સારું, મારે બોલવું ના પડે.” એ બધું છોડવા જેવું છે. ઊલટું, બોલવાથી સ્વાધ્યાય થાય, લબ્ધિ વધે, પ્રમાદ જાય. બે બોલ બોલવાથી કંઈ બગડી જવાનું હતું ? કોઈનું અહિત થઈ જવાનું હતું ? પરિણામ ઉપર મોટો આધાર છે. તમે અને હું અહીં બેઠા છીએ પણ જેનાં પરિણામ આગળ ગયાં તે મોટો. માગશર સુદ ૧૩, શુક્ર, સં. ૧૯૮૩ જેમ મરતી વખતે શ્રાવકો મરનારને એમ કહે છે કે અરિહંતનું તને શરણ હજો. શાંતિનાથનું શરણ હજો; તેમ અમારી પથારી પાસે તે વખતે જેટલા હાજર હો તેટલાએ સહજાન્મસ્વરૂપ પરમગુરુના ઉચ્ચારથી, એ શબ્દોનાં પુદ્ગલોથી આખો ઓરડો ભરી દેવો. એવો કોણ અભાગિયો હોય કે એ મંત્ર એને એ વખતે ન રુચે ? એ સાંભળતાં એમાં વૃત્તિ જાય. ક્ષણે ક્ષણે મૃત્યુ સંભારવું ઘટે છે. અત્યારે મારી જ રહ્યો છે. સમાધિમરણ કરાવનારને પણ મહાલાભ થાય છે. પોષ વદ ૬, સોમ, સં. ૧૯૮૩ [‘અમિતગતિ શ્રાવકાચારમાંથી શ્રાવકની અગિયાર પ્રતિમાઓમાં આઠમી આરંભત્યાગની અને નવમી પરિગ્રહત્યાગની પ્રતિમાઓના વાંચન પ્રસંગે.] જીવે હજી ઘર્મ જાણ્યો નથી. ત્યાગનું ફળ મળે છે. “ત્યાગે તેની આગે અને માગે તેથી ભાગે,” એમ કહેવાય છે. કંદમૂળ-લસણ, ડુંગળી, બટાકા વગેરે, લીલોતરી, ઉમરડાં, વડના ટેટા, પીંપળના ટેટા, પીપળાના ટેટા–એવાં અભક્ષ્ય ફળ ખાવાથી ખરાબ ગતિ થાય છે, બુદ્ધિ બગડે છે. કેટલો કાળ જીવવું છે ? કેટલાય લોક ઘર કરાવી ભોગવ્યા પહેલાં મરી જાય છે. મનુષ્યભવ પામીને જો ચેતી ન લેવાય તો નરકતિર્યંચના ભવમાં દુઃખ ભોગવવાં પડશે. Page #428 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૨ ૩૩૧ ઊંઘિયું, પોંક વગેરેમાં ઇયળો વગેરે બફાઈ જતાં હશે ! માંસ ખાવા જેવાં તે અભક્ષ્ય છે. આશ્રમની જગામાં આવાં પાપનાં કામ કદી ન કરાય. કોઈએ ઊંઘિયું અહીં લાવવું નહીં અને બાળવું પણ નહીં. પકવાન, પતાસાં એવો પ્રસાદ વહેંચવો હોય તો વહેંચવો. પણ જામફળ જેવાં ઘણાં બિયાંવાળાં ફળનો અને જેમાં જીવ હોય તેવી ચીજોનો પ્રસાદ ન કરવો. શ્રાવકો તો જાવજ્જીવ ઊંધિયું ખાવાનાં પચખાણ લે છે કે હે ભગવાન ! જીવું ત્યાં સુધી એવી અભક્ષ્ય વસ્તુ મોઢામાં ન ઘાલું. એના વગર ક્યાં મરી જવાય છે ? ખાવાની બીજી ચીજો ક્યાં ઓછી છે? ટૂંકાં પચાસ-સો વર્ષનાં આજકાલનાં આવખાં ! તેમાં ધર્મ કરી લેવો અને ગમે તેમ થાય તોપણ વ્રતનિયમ લીધાં હોય તેનો ભંગ ન થાય તેની કાળજી રાખવી. મોટી વાત ભાવની છે. બહારથી બ્રહ્મચર્ય વ્રત પાળતો હોય અને મન ભટકતું હોય ! ‘શેઠ ક્યાં ગયા છે ? તો કહે, ઢેડવાડે' એવું ન થવું જોઈએ. બહારથી મોટો બ્રહ્મચારી થઈને ફરતો હોય તોપણ શું થયું ? પણ જો અંત૨માં દયા ન હોય તો તે શા કામનું છે ? બ્રહ્મચર્યનું વ્રત લેનારે બહુ જાળવવાનું છે. સ્વાદ કરવા ન જોઈએ; ટાપટીપ શરીરની ન કરવી જોઈએ; સ્નિગ્ધ, ભારે ખોરાક ન ખાવા જોઈએ; ખરાબ વાતો ન સાંભળવી જોઈએ. નવ વાડો સાચવવી જોઈએ. નહીં તો, ખેતરની વાડ કરીને સંભાળ ન કરે તો ભેલાઈ જાય તેમ, વ્રત ભંગ થાય. નહોતો જાણતો ત્યાં સુધી જે થયું તે થયું; પણ હવે તો વ્રત ભંગ કરે તેવી બાબતો ઉપર ઝેર વરસવું જોઈએ. કોળિયામાં માખ આવે તો ઊલટી કરી કાઢી નાખવું પડે છે, તેમ આત્માની ઘાત થાય તેવાં માઠાં પિરણામ વમી નાખવાં જોઈએ. બ્રહ્મચર્યને તમે કેવું જાણો છો ! બ્રહ્મચારી તો ભગવાન તુલ્ય છે ! ‘બ્રહ્મ’ એ આત્મા છે. આટલો ભવ લક્ષ રાખીને ખમીખૂંદે અને બ્રહ્મચર્ય સંપૂર્ણ પાળે તો બેડો પાર થાય. એ વ્રત જેવું તેવું નથી. સત્પુરુષને આશ્રયે આવેલું વ્રત જેવું તેવું ન જાણવું. બીજાં બધાં કામ માટે અનંત ભવ ગાળ્યા તો આને માટે આટલો ભવ તો જોઈ લઉં, જોઈએ શું થાય છે ?– એમ કરીને ત્યાગ અને વૈરાગ્યમાં વર્તવું જોઈએ. દિવસે દિવસે ત્યાગ વર્ધમાન થવો જોઈએ. શ્રીકૃષ્ણ અને શ્રેણિક મહારાજથી કાંઈ વ્રતનિયમાદિ બનતું ન હતું; પણ સત્પુરુષને બોધે સમજણ આવી હતી. તેથી પરિણામ કેવાં વર્તતાં હશે ! –કે હે ભગવાન ! મારાથી કંઈ પળતું નથી; પણ આત્મા સિવાય બીજા કશાને હું મારું હવે માનું નહીં, કશામાં મારું મન પરોવું નહીં. આ કરવાની જરૂર છે. દેવના ઉપસર્ગથી એક મુનિને એક બાજુ કાંટા અને એક બાજુ કીડા અને પાણીવાળી જગા વગર જવાનો બીજો કોઈ રસ્તો નહોતો. ત્યાં કાંટાવાળે રસ્તે જતાં દેવમાયાથી થયેલા રાજાના નોકરોએ તેને કીડાવાળી જગામાં ધક્કો માર્યો; પણ પડતાં પડતાં ય જીવ બચાવવા જમીન સાફ કરવા પ્રયત્ન કર્યો. તે વખતે તેનાં પરિણામ જેમ અહિંસક હતાં તેવાં પરિણામ રાખવાં. અમારાથી ન પળે તેનો અમને ખેદ રહે છે, તેમ બધા જીવ માત્રને પણ કર્તવ્ય છે. હે ભગવાન ! મને નહીં તો મારા પાડોશીને હજો. એમ જાણીને ખરી વાત બતાવી દઈએ છીએ. કોઈનાય દોષ જોવા એ ઝેર ખાવા જેવું છે. માત્ર ચેતાવવાને કહેવાનું થાય છે. ✰✰ Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ઉપદેશામૃત મહા સુદ ૧, સં.૧૯૮૩, સવારે [‘અમિતગતિ શ્રાવકાચાર'માંથી ‘દાન અધિકાર'ના વાંચન પ્રસંગે] કોઈ પણ હલકી વર્ણ જેવા કે ઢેડ, ભંગી, વાઘરી એમનો આપેલો પ્રસાદ અત્રે વહેંચવો નહીં. નારિયેળ અને પૈસા કેટલાક ઢેડ મૂકી જાય છે તેમને નારિયેળ પાછાં આપવાં અને પૈસા ભંડારમાં નાખવા, તે સાધારણ ખાતામાં મંદિર મકાન બંધાવવામાં વપરાય; પણ પ્રસાદ તરીકે કશું ન લેવું. એક ગુણકાએ કાશીમાં બ્રાહ્મણ જમાડી પાપ દૂર કરવા બ્રાહ્મણોને આમંત્રણ કરેલું. તેમાં બ્રાહ્મણોને બદલે, દુકાળ હોવાથી જનોઈના તાંતણા નાખી કાશીમાં પેટ ભરવા ગયેલા પાંચર્સે હીજડા ત્યાં જમ્યા. દક્ષિણા આપતાં ગુણકાએ પોતાનાં પાપ છૂટવા તે બ્રાહ્મણો સમીપ પોતાની વાત કહી. ત્યારે તે બ્રાહ્મણના વેશધારી હીજડાઓએ પણ પોતાની સાચી વાત કહી. આમ ‘જેસાને મળ્યા તેસા, તેસાને મળ્યા તાઈ; ત્રણેએ મળી તતૂડી બજાઈ' એમ કહેવાય છે તેમ થાય. ફાગણ વદ ૧૧, સં. ૧૯૮૩ અનંત કાળથી આ જીવને રખડાવનાર પાંચ ઇન્દ્રિયના વિષય અને ક્રોધ, માન, માયા અને લોભરૂપ કષાય છે. તેના જેવા બીજા કોઈ વેરી નથી. તેમાં ક્રોધ વડે પ્રીતિનો નાશ થાય છે, માને વિનયનો નાશ થાય છે, માયાથી મૈત્રીનો નાશ થાય છે; પણ લોભથી તો સર્વ વિનાશ પામે છે એવું સૂત્રમાં કહ્યું છે. તેથી, અનાદિકાળનો લોભ છૂટતો નથી તે ઓછો કરવાને અર્થે હે ભગવાન ! જે આ સો સવાસો રૂપિયા મારા ગણતો હતો તેને હું તજું છું, તે લોભપ્રકૃતિ છોડવાને અર્થે દાન કરું છું. પુણ્ય મળે કે સ્વર્ગનાં સુખ પરભવમાં પ્રાપ્ત થાય એ માટે હવે હું દાન નહીં કરું. કોઈ કૂતરાને બચકું રોટલો નાખું કે ભિખારીને મૂઠી દાળિયા આપું તે પણ ભગવાન ! એટલો લોભ છોડવાને આપું. લોભ છૂટે તો જ અપાય છે. પણ જો ભિખારીને આપીને મનમાં પરભવમાં પામવાની ઇચ્છા રાખે તો તે દાન આપનાર પણ ભિખારી જ છે. કોઈ કરણી વાંઝ નથી હોતી, કરણીનું ફળ તો મળે છે. પણ જે લૌકિકભાવથી આજ સુધી દાન કર્યાં તેનું ફળ પામી દેવલોકની રિદ્ધિસિદ્ધિ ભોગવી પણ તે પુણ્ય ક્ષય થતાં પૃથ્વી, પાણી, વનસ્પતિ, પશુપંખી, નોળ-કોળ, કૂતરાં-બિલાડાંના ભવ ઘરી પરિભ્રમણ કરવું પડે છે. માટે કોઈ સંતના યોગે, હે ભગવાન! હવે જે દાનપુણ્ય કરું તે અલૌકિક દૃષ્ટિથી કરું, જન્મમરણ છૂટવા કરું એવી ભાવના કર્તવ્ય છે. આ દેરાસરની ટીપમાં જે જે ભરે છે તેને અમે તો ચેતાવી દીધા છે અને આ જ વાત કહીએ છીએ કે હવે જન્મમરણ છૂટવા સિવાય બીજી ઇચ્છા રાખવા લાયક નથી. વળી જે ધાન્ય અર્થે ખેતી કરે તેને ઘાસ તો અવશ્ય થાય જ. તેમ મોક્ષની ઇચ્છાથી જે ક્રિયા કરે છે તેને પણ મોક્ષમાર્ગમાં મદદ કરે તેવું પુણ્ય બંઘાય છે. તે પુણ્યાનુબંધી પુણ્ય તેને Page #430 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૨ ૩૩૩ સ્વર્ગનાં સુખ ભોગવાવી મનુષ્ય ભવ પ્રાપ્ત કરાવી મોક્ષનું કારણ બને છે. આ ભેદ અવશ્ય લક્ષમાં રાખી અલૌકિક દ્રષ્ટિથી દાન કર્તવ્ય છે. + અક્ષયતૃતીયા, સંવત ૧૯૮૩ માઘવજી શેઠ બધું મૂકીને ચાલી નીકળ્યા. નારના હરિભાઈનો દેહ પણ છૂટી ગયો. અને તમે આ બઘા ક્યાં બેસી રહેવાના છો ? માટે ચેતી લેવાનું છે. મનુષ્યદેહ મળવો દુર્લભ છે. ક્ષણમાં વિણસી જાય એવો દેહ છે. કશું સાથે આવવાનું નથી. આ ભવ ચિંતામણિ રત્ન જેવો છે. તેમાં તમારે તો જો સાચવો તો બ્રહ્મચર્યવ્રત આવ્યું છે તે મહાકલ્યાણનું કારણ છે. બાહ્યથી પણ સચવાય તો તેનું મહા ફળ છે. “જે ત્યાગે તેની આગે અને માગે તેથી ભાગે,’ એમ કહેવાય છે. આવી આવીને આગળ પડશે, પણ “હું-મારું હૃદયેથી ટાળ.” હવે કશું મારું કરવું નહીં. આત્મસ્વરૂપથી તો સર્વ ભિન્ન છે; તો હવે તે પરવસ્તુને પોતાની ન ગણવી—એ સમજ કામ કાઢી નાખે છે. રાગ-દ્વેષમાં ન આવવું. જે આવી પડે તે સમતાથી જોયા કરવું; તેમાં તણાઈ જવાય છે, તેમ ન થવા દેવું. મહાપુરુષો–ગજસુકુમાર આદિ–ને યાદ લાવી ખમીખૂંદતાં શીખવું. ક્રોઘ કરવો નહીં. ક્રોઘથી, કરેલાં પુણ્યનો, જપતપના ફળનો નાશ થાય છે. હવે, માત્ર પુણ્ય થશે એ આશાથી ક્રિયા કરવી તે કરતાં માત્ર જન્મમરણ કેમ છૂટે તેનો લક્ષ રાખવો. પુણ્ય કરીને પાછું તેને ભોગવવું પડે અને પુણ્ય ભોગવતાં તૃષ્ણાથી નવાં કર્મ બાંધી પરિભ્રમણ ને પરિભ્રમણ કર્યા કરવું પડે. તેની હવે ઇચ્છા પણ ન કરવી. હવે તો એ લક્ષે જ્ઞાન, ધ્યાન, વિચાર, સત્સંગ, સાસ્ત્રમાં વૃત્તિ રાખવી. જીવ વાંદરા જેવો છે. અને કર્મરૂપી મદારી તેને નચાવી રહ્યો છે તેમ તે નાચે છે. ખાવું પીવું, ઊંઘવું સુંઘવું, હરવું ફરવું બધું કર્મ, કર્મ ને કર્મ જ છે. એક ઘડી પણ ક્યારે તે ક્રિયા વિના રહ્યો ? ઊંઘમાં પણ ક્રિયા કર્યા જ કરે છે. તેવી ક્રિયામાંથી પાછું વાળી સ્મરણ, પાઠ વગેરેમાં મનને જોડવું. આ વંચાય છે તેમાં કેવું આત્માનું સ્વરૂપ આવ્યું છે ! કોણ મરે છે ? આત્મા મરે છે ? ત્યારે હવે શાની ચિંતા ? આ બધું દેખાય છે તે બઘાનો તો વહેલોમોડો નાશ થવાનો છે. પારકું છે તે મૂક્યા વગર છૂટકો નથી; મેલવું પડશે–એવાં જ્ઞાનીપુરુષનાં વચન છે. પણ “નિશ્ચય વાણી સાંભળી, સાઘન તજવાં નોય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.” વ્યવહાર તજી શુષ્કજ્ઞાનીની પેઠે લૂખા ન થવું. સાદ્વાદ છે. ખેદ કર્તવ્ય નથી. ઉદાસ (અનાસક્ત) રહેવું; ઉદાસી (શોક) ન રાખવી, એટલે કે સમતા, નિર્લેપપણું, વૈરાગ્ય રાખવાં પણ શોક, ખેદ, હાયવોય કર્તવ્ય નથી. સામાન્ય ગુણના છ બોલ છે તે મુખપાઠ કરી રાખવા. (૧) અસ્તિત્વ, (૨) વસ્તુત્વ, (૩) દ્રવ્યત્વ, (૪) પ્રમેયત્વ, (૫) અગુરુલઘુત્વ, (૬) પ્રદેશવત્વ–એ અનુપૂર્વી અને (૬) પ્રદેશવત્વ, (૫) અગુરુલઘુત્વ, (૪) પ્રમેયત્વ, (૩) દ્રવ્યત્વ, (૨) વસ્તુત્વ, (૧) અસ્તિત્વ–એ “પચ્છાનુપૂર્વી Page #431 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત ૩૩૪ એમ બોલાય છે. ઊંઘમાં પણ કડકડ બોલી જવાય તેવા એ છ બોલ મુખપાઠ કરી દેવા. બીજું કિંઈ ન સમજાય તો, “હે ભગવાન, તારી ગતિ તું જાણે હો દેવ,” એમ મોટા પુરુષ પણ કહી ગયા છે તો મારું શું ગજું? પણ તેં જે આત્મસ્વરૂપ જાણ્યું છે તે માટે માન્ય છે; અને મને જે આ દેખાય છે, ઇષ્ટ-અનિષ્ટપણું ઘડીઘડીમાં લાગે છે, તે હવે હું નહીં માનું. હે પ્રભુ ! તારું સંમત કરેલું મને પ્રાપ્ત થાઓ; મને કાંઈ સમજ પડતી નથી, પણ તેં જાણ્યું છે તે સત્ છે'—એવો આશ્રયભાવ રાખવો. આ સમકિતનું કારણ છે. પહેલાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અગુરુલઘુ, ગુણ-ગુણી, અવ્યાબાઘ એવા બોલ અમે મોઢે કરેલા, પણ કંઈ સમજાય નહીં. પણ તે આત્માના ગુણ છે, બીજરૂપ છે. સદ્ગુરુશરણાથી જેમ કાળ ગયો તેમ તેમ તેના વિચાર થતા ગયા! તેમ, દ્રવ્યત્વ શું? અગુરુલઘુત્વ કોને કહીએ ? તેના ભેદ ? તે ન માનીએ તો શું ? એવા કંઈ કંઈ વિચાર તે ઉપરથી આવે અને ભવસ્થિતિ આદિ કારણ પ્રાપ્ત થઈ સમ્યકત્વનું કારણ થાય. માટે આ બોલ મુખપાઠ કરી રાખવા અને એની વિચારણામાં રહેવાનું કરવું. આ વિચારો લખી લેવા જેવા છે; કારણ કે તે આત્માના ઘરના છે, આત્મહિતકારક છે. હવે એ વસ્તુની ખોજમાં, વિચારમાં રહેવું. મર ! કર્મના ઉદયે ચિત્તવૃત્તિ સ્થિર ન રહે અને ખસી જાય તો પણ પાછી તેમાં લાવવી, અને ભાવના એ જ રાખવી. ભાવના મોટી વસ્તુ છે. જાગૃત રહેવાની જરૂર છે. લોભ છોડવાની વૃત્તિ થઈ તો આ પુદ્ગલ કાનમાં પડ્યાં. કાર્તિક સુદ ૭, મંગળ, સં. ૧૯૮૪ પરમકૃપાળુદેવની કૃપાથી આનંદ છે ! અહો ! તેનો ઉપકાર કે તેણે સાચે માર્ગે ચઢાવ્યા. “મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ; હોતા સો તો જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ. સમજ, પિછે સબ સરલ હૈ, બિનૂ સમજ મુશકીલ; વે મુશકીલી ક્યા કહું ? ખોજ પિંડ બ્રહ્માંડકા, પત્તા તો લગ જાય; યે હિ બ્રહ્માંડી વાસના, જબ જાવે તબ..... આપ આપકું ભૂલ ગયા, ઇનમેં ક્યા અંધેર ? સમર સમર અબ હસત હૈં, નહીં ભૂલેંગે ફેર. જહાં કલપના-જલપના, તહાં માનું દુઃખ છાંઈ; મિ. કલપના-જલપના, તબ વસ્તુ તિન પાઈ. હે જીવ ! ક્યા ઇચ્છત હવે? હે ઇચ્છા દુઃખમૂલ; જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.” શો મર્મ આમાં રહ્યો છે ! કોઈ વિરલાને જ તે સમજાશે. તેને આશરે રહેનારનું પણ Page #432 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૨ ૩૩૫ કલ્યાણ છે. જે કોઈ તેને માનનાર હોય તેના તો અમે દાસ છીએ. હવે તો અવસ્થા થઈ એટલે પ્રભુ, મરણ વારંવાર સાંભરે છે. જો કે ગુરુકૃપાથી મરણભય નથી, ખેદ નથી કે આર્તધ્યાનનું કારણ નથી. શરીરનો સ્વભાવ તે સડવું, પડવું, વિણશી જવું છે. તેમાં પર્યાયવૃષ્ટિ રાખી આ જીવ “મારું મારું' કરી બંધાયો છે. જો કે ગુરુકૃપાથી સંસાર, શ્રેયાંછોકરાં, ઘન ઘંઘો એવું તો સહેજે મુકાયું છે; પણ સર્વ પ્રકારે અસંગ એવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે' એવું થવાની જરૂર છે, પણ તેને માટે જોઈતી સામગ્રી ક્યાં ? માટે જાગૃત રહેવાની જરૂર છે. નિમિત્તે સારું બનાવવું. અહીં આવ્યા તો પુણ્યના યોગે કંઈ વાત કાનમાં પડી. લાખો રૂપિયાનું આ ઘન છે. મનુષ્યભવ મળવો મહા દુર્લભ છે. ભલે પછી તે રોગી હો, અશક્ત હો, સ્ત્રી હો, પુરુષ હો; પણ જો મનુષ્યભવ હોય તો સમજણ કરી લેવાય છે. મહાભાગ્યનો ઉદય હોય ત્યારે પુરુષનો યોગ થાય છે. એકદેશી (સત્સંગી) નો જોગ પણ ક્યાંથી મળે ? હમણાં પુરાણ વંચાય છે તેમાં એ જ વાત વારંવાર આવે છે કે કોઈ પુરુષનો જોગ થયો અને જીવની દિશા બદલાઈ ગઈ. જેમ કોઈ હવા સારી હોય તો રોગ મટી જાય છે અને કોઈ હવાથી રોગ ફાટી નીકળે છે, તેમ સપુરુષના યોગબળની વાત છે. ભારતનો જીવ સિંહ હતો ત્યારે તેને જાતિસ્મરણ થયું હતું. તે કોઈ ચારણમુનિના પ્રતાપ ! બીજા ચાર જીવ ભરતના ભાઈ થવાના હતા તેવાંદરો, ભૂંડ, વાઘ અને નોળિયો–જાતિસ્મરણ જ્ઞાન પામ્યા તે પણ મુનિયુગલનો પ્રભાવ ! મહાવીર સ્વામીના જીવને ય સમ્યત્વ સિંહના ભાવમાં થયું તે બે ચારણમુનિની કૃપા ! એમ ઠાર ઠાર મહાપુરુષના યોગથી જીવનાં કલ્યાણ થયાં છે. ક્રોઘથી શું શું થાય છે તથા પુણ્યના યોગથી શું શું થાય છે તે આ “ઉત્તર પુરાણ'માં ચંદનાના જીવની પૂર્વભવની કથામાં આવે છે. મરણનાં દુઃખ વખતે પરિણામ સાચવવા જાગૃતિ રાખવી. મુનિ મોહનલાલજી–પ્રભુ, મરણ વખતે કોઈ જીવને ખબર પડે કે કોઈને ન પણ પડે. પણ તે વખતે શું અવશ્ય કરીને કરી લેવું ઘટે છે ? શી વાતમાં ઉપયોગ જોડવો જોઈએ ? શું લક્ષ રાખવો જોઈએ ? પ્રભુશ્રી–પ્રશ્ન બહુ સારો કર્યો છે. સત્ય વાત તો જ્ઞાની જાણે; પણ આપણે તો મતિમાં આવે તે વિચારમાં લેવા માટે તે વાત ધ્યાનમાં લઈએ. હમણાં વંચાય છે તેમાં એક વાત છે. રાક્ષસવિદ્યા સાથીને એક વિદ્યારે એક બેટનું આખું ગામ ઉજ્જડ કરી નાખ્યું, ત્યાં ત્રણ વણિકપુત્રો વહાણ લઈ આવી ચઢ્યા. તેમાંનો એક અંદર શહેરમાં ગયો પણ કોઈ જણાયું નહીં, માત્ર એક રાજકુંવરી હતી. તેની મારફતે તેણે બધી વાત જાણી. ત્યાં એક તરવાર હતી તે તેણે લીધી અને જ્યારે રાક્ષસીવિદ્યાઘર આવ્યો ત્યારે તરવારથી તેને મારી નાખ્યો. મરતાં મરતાં તે નવકારમંત્ર બોલ્યો. તેથી તે શ્રાવકપુત્રને પસ્તાવો થયો કે મેં મારા ઘર્મબંધુનો જ ઘાત કર્યો. તેણે તેની પાસે ક્ષમા માગી. તેણે કહ્યું કે ક્રોથને વશ થઈને મેં આ બધું નગર ઊજાડી મૂક્યું છે, પણ હું શ્રાવક છું. ક્રોઘનાં ફળ માઠાં છે એમ જિનેંદ્રદેવે કહ્યું છે તે ખરું છે. Page #433 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત કહેવાની મતલબ એ હતી કે આવાં પાપ કર્મ કરનારને પણ છેવટે મરતાં મરતાં ય જે શ્રદ્ધા હતી તે પ્રમાણે સ્મરણ કરવાનું સૂઝ્યું. તો પહેલેથી પુરુષાર્થ કરી મૂક્યો હશે તે છેવટે કામમાં લાગશે. ૩૩૬ બીજું, ક્ષણે ક્ષણે જીવ મરી રહ્યો છે. ‘ક્ષણ ક્ષણ ભયંકર ભાવ-મરણે, કાં અહો ! રાચી રહો ?’ ભગવાને કહ્યું છે કે સમયે ગોયમ મા પમા, તો ક્ષણે ક્ષણે મૃત્યુને સંભારવા યોગ્ય છે. જો આમ મરણની તૈયારી કરી હશે તો કામ લાગશે, આખરે આવીને હાજર થશે. અમને કૃપાળુદેવે પણ ૧૯૫૧ની સાલમાં પત્ર લખ્યો હતો કે મરણ પહેલાં તૈયારી કરી મૂકવી અને મરણસમયે તો અવશ્ય તેમ કરવું. વળી કર્મની ગતિ વિચિત્ર છે ! શ્રેણિકરાજા અને કૃષ્ણ મહારાજ પણ ક્ષાયિક સમકિતના ઘણી હતા, અને મરણ વખતે પણ ભગવાનનું કહેલું અન્યથા ન થાય એમ માનતા હતા. મારનાર જરાકુંવરને શ્રીકૃષ્ણે કહ્યું કે જા, જતો રહે; નહીં તો બળદેવ આવીને તને મારી નાખશે. પણ તે જ્યારે દૂર ગયો કે લેશ્મા ફરી, વિચાર થયો કે અનેક સંગ્રામમાં ન હારેલો તેને મારીને દુશ્મન એમ ને એમ જાય છે ! આ વિચાર આવ્યો. ગતિ પ્રમાણે મતિ થઈ કે મતિ પ્રમાણે ગતિ થઈ, જે કહો તે. પૂર્વે નરક આયુષ્ય બાંધ્યું હતું, તેવી લેશ્યા આવીને ખડી થઈ. કહેવું તો ન જોઈએ, પણ સમજવા માટે કહું છું. અમે જ અહીં પાટ પર સાંજે બધાં બારણાં વાસી બેસીએ છીએ. વિચારીએ છીએ કે જાણે કે મરી ગયા હતા; હવે બીજી કોઈ વાત ધર્મ સિવાય ક૨વી નથી. તે વિચારનું જોર ચાલે ત્યાં સુધી થોડી વાર તો નિર્વિઘ્ર રહેવાય, પણ થોડી વાર પછી ગોળો આવીને ઘબ પડે ! અને થાય કે અરે ! તને કોણે બોલાવ્યો છે ? પણ સદ્ગુરુના શરણાથી તેને વિદ્યકર્તા જાણી તેને દૂર કરી નાખીએ; નહીં તો તે વિચારમાં તણાઈ જવાય, તો પ્રસન્નચંદ્ર રાજર્ષિની પેઠે ક્યાંનું ક્યાં જતું રહેવાય ! પૂર્વે બાંઘેલાં કર્મો અમને કે આમને-સર્વને આવ્યા વગર રહેવાનાં નથી. જે અધ્યાસ પડી ગયો છે તેમાં પુરુષાર્થ કર્યો ઘસારો પડે છે અને બીજું થાય છે. સારાં કે ખોટાં કર્મ, શાતા કે અશાતા તડકા-છાંયડાની પેઠે આવવાનાં જ. પણ પુણ્ય કે પાપ કોઈનો ખપ નથી, એમ રાખવું. સમકિતી પુણ્યક્રિયા કરે છે તે ઇષ્ટ ગણીને કરતો નથી. કોઈ રાજાએ હજાર રૂપિયા દંડ કર્યો હોય તો પણ તે જો પચાસ રૂપિયા આપતાં પતતો હોય તો રાજી થવા જેવું છે; પણ દંડ કાંઈ ઇષ્ટ વસ્તુ નથી. તેમ સમકિતી પુણ્યક્રિયામાં, ભક્તિમાં ઉલ્લાસ રાખે છે છતાં તે ક્રિયાને પણ આખરે મૂકવાની ગણે છે, શુભ બંધનું કારણ ગણે છે. ઇષ્ટ તો મોક્ષનો ભાવ જ છે. આસો, ૧૯૮૫ દિવાળી ઉપર ૧ત્રણ દિવસ થઈને ૧૦૮ માળા ગણવી જોઈએ. એકી વખતે ૧૦૮ ગણવી ૧. સં. ૧૯૮૬માં ૫. પૂ. પ્રભુશ્રીએ ત્રણ દિવસને બદલે ચાર દિવસ એટલે તેરસ, ચૌદશ, દિવાળી અને એકમના દિવસે રાત્રે છત્રીસ છત્રીસ માળાઓ ફે૨વવાનો ક્રમ જણાવ્યો હતો. Page #434 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૨ ૩૩૭ હોય તે તેમ કરે–ત્રણ પહોર જાગીને કરે. તેમ ન કરી શકે તેણે પાખીને દિવસે એટલે ચૌદશને દિવસે ૩ માળા “સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્રની, ૨૮ માળા “પરમગુરુ નિગ્રંથ સર્વશદેવ' મંત્રની અને પ માળા “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે' મંત્રની એમ છત્રીસ માળા ફેરવવી. તેટલી જ (૩૬) દિવાળીને દિવસે સાંજે અને છત્રીસ એકમની સાંજે, એમ ૧૦૮ માળા ત્રણ દિવસ થઈને ફેરવવી. તે છત્રીસ માળા સુધી પણ જે સામાયિકમાં બેઠા હોય તેમ ન બેસી શકે તે સવાર-સાંજ થઈને ૩૬ માળા ફેરવી લે. એમ ૧૦૮ માળા માત્ર સમાધિમરણની ઇચ્છાથી ફેરવે. કોઈ પણ પ્રકારની આ લોક પરલોકની વાંછાનિયાણું ન કરે; ત્રણ દિવસ યથાશક્તિ તપ કરે; ઉપવાસ, એકટાણું કે નરસ આહારથી ચલાવે તથા બ્રહ્મચર્ય પાળે. શુભ ભાવનામાં ત્રણ દિવસ ગાળે તો તે સમાધિમરણની તૈયારી છે. જૈનવ્રતકથામાં જેમ ઘણા દુઃખિયાઓએ દુઃખથી મુક્ત થવા ઉપાય પૂછેલા છે અને સાધુમુનિઓએ જણાવેલાં વ્રતથી લાભ મેળવી જેમ કલ્યાણ તેમણે સાધ્યું છે, તેમ આ વ્રત પણ તેવું જ છે. દરરોજ–ત્રણેય દિવસ “આત્મસિદ્ધિ' વગેરેનો નિત્યક્રમ પણ ચાલુ રાખવો. અષાડ વદ ૦)), મંગળ, સં.૧૯૮૮, તા. ૨-૮-૩૨ આત્મા ઉપયોગસ્વરૂપ છે. ઉપયોગ સદાય નિરંતર છે. તે ઉપયોગ ઉપર ઉપયોગ રાખવો. સૂર્ય-ચંદ્ર વાંદળાં આડે ન દેખાય તોપણ છે એમ પ્રતીતિ છે; તેમ શુદ્ધ સ્વરૂપ છે એ પ્રતીતિ ભૂલવાયોગ્ય નથી. ઉપયોગ ભૂલી જવાય છે એ ભૂલ મહાવીરસ્વામીએ દીઠી. તે ઠામ ઠામ આગમમાં ઉપદેશી છે. એ સર્વ ભૂલની બીજભૂત ભૂલ છે. કાર્તિક સુદ ૪, સં. ૧૯૮૯ સમભાવ. ‘ડેમો ડે' સમ્યત્વ પહેલાં પણ સમભાવની પ્રાપ્તિ અર્થે સમભાવ કરવાનો અભ્યાસ કરવાથી તેરૂપ થવા યોગ્ય છે, તેનું–અભ્યાસ વખતના સમભાવનુંતેવું ફળ. પણ જ્ઞાનીની કૃપાથી ભાવસમતા થવા પુરુષાર્થની જરૂર છે. ભૂલી જવા યોગ્ય નથી. કાર્તિક સુદ ૧૧, સં. ૧૯૮૯ “વસ્તુસ્વભાવ વિચારતાં, શરણ આપકું આપ; વ્યવહારે પણ પરમગુરુ, અવર સકળ સંતાપ.” વ્યવહારસેં દેવ જિન, નિહચેલેં હૈ આપ; એહિ બચનમેં સમજ લે, જિનપ્રવચનકી છાપ.” આ પ્રમાણે નિશ્ચય સદ્ગુરુ પોતાનો આત્મા છે. 22 Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ઉપદેશામૃત સMા છત્તા વિરુત્તા ય, લુહાણ ) સુદીન ' આત્મા જ સુખનો અને દુઃખનો દેનાર છે. સદ્ગુરુ ઉપદેશ આપી ઊભા રહે. બ્રાહ્મણ પરણાવી આપે, પણ ઘર ન ચલાવી આપે.' પોતે બોઘ પ્રમાણે પ્રવર્તે નહીં અને અવળો ચાલે તો સદ્ગુરુ શું કરે? “જબ જાએંગે આતમા, તબ લાગેંગે રંગ.” પોતાનો આત્મા જ બોઘને પણ ગ્રહણ કરનાર છે. અને તે મંડી પડશે ત્યારે કામ થશે. “તમે તારો, તમે બધું કરશો,” એવું કૃપાળુદેવને અમે કહેલું. તો કહેલું કે આટલું તમારે કરવું પડશે–વાસના, રાગદ્વેષ જીંડવા પડશે; તે કોઈ નહીં કરી આપે, પોતાને જ બળ કરવું પડશે. મહા સુદ ૧૨-૧૩, મંગળ-બુઘ, સં. ૧૯૮૯ આજ્ઞા એટલે શું ? સન્દુરુષ ઉપર એવી શ્રદ્ધા કે તે કહે છે તે સાચું છે, તેના ઉપર પ્રેમ થાય, તેના વચનનું શ્રવણ થાય; તે સાંભળીને સાચું માને અને તે પ્રમાણે વર્તવાના ભાવ થાય; એ પ્રમાણે ભાવનું પલટવું તે આજ્ઞા છે. ચૈત્ર વદ ૪, સં. ૧૯૮૯ જગત આત્મારૂપ માનવામાં આવે.' પરને પુદ્ગલમાં કાઢી નાખી આત્માને જોવો. જોનાર હોય તો જોવાય છે. તેને પડી મૂકીને જોવાની ટેવ છે તે બદલી નાખવી. ફરવું પડશે. જેઠ વદ ૧૩, સં. ૧૯૮૯, તા.૨૦-૬-૩૩ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્રનું સ્મરણ નિરંતર કર્તવ્ય છે. હાલ તે બની શકે તેમ છે. પછી જે બાકી રહે છે તે પણ અવશ્ય પ્રાપ્ત થશે. શ્રાવણ વદ ૦)), સોમ, સં. ૧૯૮૯, તા. ૨૧-૮-૩૩ [‘સમયસારના ‘આસ્રવ અધિકારના વાંચનમાં “જ્ઞાની શાથી કહેવાય છે ?' એ પ્રશ્ન પ્રસંગે.] તેનો શું મર્મ છે ? શું રહસ્ય જાય છે ! સપુરુષ ઉપર શ્રદ્ધા થાય, શાસ્ત્રના વાંચનથી તે શ્રદ્ધાને પોષ મળે અને આત્મા ઓળખવા જીવને તીવ્રતા જાગે ત્યારે પુરુષના બોઘે એવી શ્રદ્ધા થાય કે આ આત્માનું સ્વરૂપ છે. એટલે ૧. ૨૦, ૩–ઉત્તરાધ્યયન. Page #436 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૨ ૩૩૯ જ્ઞાનીને આત્માની શ્રદ્ધા છે તેવી શ્રદ્ધા થાય તે સમ્યકત્વ છે. તેથી કરીને જ્ઞાની કહેવાય છે અને તેમને નિરાસ્રવ કહ્યા છે. ભાદરવા સુદ ૧૩, સં. ૧૯૮૯, તા. ૧-૯-૩૩ [‘સમયસારના “બંઘ અધિકારના વાંચનમાં “અભવ્યને અગિયાર અંગ ભણ્યા છતાં સમકિત નથી” એ પ્રસંગે ] દુઃખ આદિ પ્રસંગે જોનાર તે હું છું, કર્મફળરૂપ દુઃખ તો શરીરમાં છે–એમ ભેદજ્ઞાન સદ્ગ દ્વારા ન થયું તેથી અગિયાર અંગનો અભ્યાસ નિષ્ફળ થયો. દુઃખાદિ વખતે દેખનાર જુદો રહે તો સમકિત છે. આસો વદ ૭, સં. ૧૯૮૯ [‘ઉત્તરાધ્યયન'ના “મોક્ષમાર્ગગતિ' અધ્યયનમાં સામાયિકનું સ્વરૂપ વંચાત] ઘણી વાર સાંભળ્યું હશે, પણ સામાયિકનું સ્વરૂપ શું ? આત્મા, સમતાભાવ, સમ–એ સામાયિક છે. કોઈ વખતે કહ્યું નથી. આ વચન નીકળી ગયું છે તે સર્વ શાસ્ત્રોનો, આત્મસિદ્ધિ આદિ સર્વ સાઘનોનો સાર છે ! તે જ મોક્ષનો માર્ગ છે. એ બે અક્ષરમાં બધું આવી ગયું. કોઈને કહીએ તો “ઓહો !”માં કાઢી નાખે કે અમને પણ તે ખબર છે. પણ સર્વ મતાંતર, આગ્ર–બધું છોડી આ જ ગ્રહણ કર્તવ્ય છે. કાર્તિક વદ ૧, શુક્ર, સં. ૧૯૯૦ [‘ઉત્તરાધ્યયનમાં કેશીસ્વામીએ ગૌતમસ્વામીને પ્રશ્ન કર્યો છે કે ભયંકર અશ્વ તમને ઉન્માર્ગે કેમ લઈ જતો નથી ? તે પ્રસંગે ]. એક શ્રદ્ધા કરવા યોગ્ય છે કે આ સપુરુષે આત્મા જામ્યો છે તે માટે માન્ય છે. બીજા ગમે તે વિકલ્પો આવે તે ખબર પડે છે, તો તે જાણનારો તે સર્વથી જુદો ઠરે છે. તે જાણનારને માનવો. સદ્ગુરુએ કહ્યું છે તેવું તેનું સ્વરૂપ છે; મને અત્યારે ભાન નથી તો પણ મારે બીજું કંઈ પણ માનવું નથી, એ તો મારા હાથની વાત છે. એમ વૃઢ નિશ્ચય થાય તો જે સંકલ્પ-વિકલ્પ, સુખદુઃખ આવે છે તે જવા માટે આવે છે. ભલે ! બમણું આવે, પણ તેને માનવું નથી. એટલી પકડ થવી જોઈએ. અરીસામાં સામેના પદાર્થ જણાય, પણ અરીસો અરીસારૂપ જ છે; તેમ ભલે ગમે તે મનમાં આવે, તો પણ આત્મા આત્મારૂપ જ છે, બીજું બધું પહેલાંના કર્મના ઉદયરૂપ ભલે આવે તે બધું જવાનું છે, પણ આત્માનો કદી નાશ થનાર નથી તેમાં માથું મારવા જેવું, ઇષ્ટઅનિષ્ટપણે માની હર્ષશોક કરવા જેવું નથી. આટલી ઉમ્મર થતા સુધીમાં અનેક સંકલ્પ Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ઉપદેશામૃત વિકલ્પ થઈ ગયા, પણ કોઈ રહ્યા નથી–બઘા ગયા. તો નાશવંત વસ્તુની ફિકર શી કરવી? એની મેળે જ જે નાશ પામવાની છે તેથી મૂંઝાવું શું ? ફિકરના ફાફા મારી જવા જેવું છે. સ્મરણનો અભ્યાસ વિશેષ રાખવો. સંકલ્પ-વિકલ્પ આવે કે સ્મરણનું હથિયાર વાપરવું અને માનવું કે ઠીક થયું કે મારે સ્મરણમાં જતું રહેવાનું નિમિત્ત બન્યું, નહીં તો પ્રમાદ થાત. સદ્ગુરુએ મંત્ર આપ્યો છે તે આત્મા જ આપ્યો છે. તે પ્રગટ થવા માટે પ્રેમની જરૂર છે. પ્રેમમાં બધું આવી ગયું. હરતાં-ફરતાં, બેસતા-ઊઠતાં એક આત્મા જ જોવો, બેટ્ટો હોય તે બીજું જુએ. આવો દૃઢ અભ્યાસ થઈ જાય તેને પછી જે ઉદયમાં આવે તે કંઈ હાનિ કરતું નથી, મરવા આવે છે; પછી તેને કંઈ ફિકર નથી. પોષ સુદ ૧૨, સં.૧૯૯૦, તા.૨૮-૧૨-૩૩ જીવે આજ્ઞા ઉઠાવી નથી. વિશ દુહા, ક્ષમાપનાનો પાઠ, “હે પરમકૃપાળુદેવ! જન્મ-જરામરણાદિનો નાશ કરનાર' એ પત્ર, “વીતરાગનો કહેલો પરમ શાંતરસમય ઘર્મ' એ સામાન્ય કરી નાખ્યું છે. “આત્મસિદ્ધિ'માં ચમત્કાર છે. “કર વિચાર તો પામ.” યોગ્યતાની ખામી છે. મહા વદ ૬, સં. ૧૯૯૦, તા.પ-ર-૩૪ પ્રભુશ્રી–કંઈ પૂછવું હોય તે પૂછો. મુમુક્ષુ–મારે શું કરવું? પ્રભુશ્રી તારે શું કરવું? (બીજી થોડી વાત થયા પછી) સર્વ શાસ્ત્રોનો સાર એટલો જ છે કે “બ્રહ્મચર્ય'. એથી યોગ્યતા વગેરે બધું મળી રહેશે. એક એ જ ઇચ્છા જેની રહી તેને તે મળી રહેશે. આત્મામાં વિષય-વિકાર વગેરે કંઈ નથી. બે જ વસ્તુ છે : જડ અને ચેતન, પરને પોતારૂપે કે પોતાનાં માને છે તે વ્યભિચાર છે. ચૈત્ર સુદ ૧૪, ગુરુ, સં. ૧૯૯૦ કેમ છુટાય ? શું સાધન છે? ત્યાં કેમ જવાય? ભાવ એ સદા હાજરાહજૂર છે. ભાવથી બંઘન કે મોક્ષ થાય છે. તે ભાવનું ઓળખાણ કરી લેવાની જરૂર છે. મુનિ મોહનલાલજીને આખરે ઘણી વેદના હતી, તો પણ ઓળખાણ થઈ હોય તો ભાવ તો સાથે જ હતો. સપુરુષ પાસેથી સાંભળેલી મહાઅગત્યની આ વાત છે; પણ સમજણ જોઈએ, ઓળખાણ જોઈએ. Page #438 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ–ર ૩૪૧ જેઠ વદ ૧૪, સં.૧૯૯૦, તા. ૧૦-૭–૩૪ સમ્યક દર્શન-જ્ઞાન-ચારિત્ર સિવાય મારું કોઈ નથી.” આ જ્ઞાનીનું કહેવું માન્ય કરવાની પ્રતિજ્ઞા કર્તવ્ય છે. એ જ વારંવાર ચિંતવવા યોગ્ય છે. મહા વદ ૧૦, સં.૧૯૯૧, તા.૨૮-૨-૩૫ આત્મા જોવા પ્રત્યે પ્રેમ, કાળજી રાખવી. સત્પષના બતાવ્યા વિના બને તેમ નથી. બોઘની જરૂર છે. સપુરુષ પાસે અજબ ચમત્કારી કળા છે! કઈ વખતે આત્મા નથી ? તેને વિચારવા યોગ્ય નથી. શૂરવીર થવાની જરૂર છે. “એક મરણિયો સોને ભારે' તેમ આત્માની સ્કૃતિ અનેક કર્મોનો નાશ કરનાર છે. સ્મરણ કરતા રહેવાની ટેવ પાડવી. બોઘ છે તે ગમ છે. ભાદરવા સુદ ૬, બુધ, સં૧૯૯૧ આત્મા જોવો. શ્રેણિક રાજાને અનાથીમુનિ પાસેથી આ જ પકડ થઈ હતી. પરમકૃપાળુદેવે અમને તે કહ્યું હતું. તેમાં પોતે પણ આવી ગયા, એમ કહ્યું હતું. અને તે પકડ થવાથી પડદો દૂર થઈ ગયો. મીઠી વીરડીનું પાણી તરસ છિપાવે છે. ખારો સમુદ્ર આખો ભરેલો હોય, પણ કંઈ કામનો નથી. આસો સુદ ૨, રવિ, સં.૧૯૯૧, તા.૨૯-૯-૩૫ સંજોગ સર્વે મૂકવાના છે. આત્મા જોવો. એકાંતમાં કહેવા યોગ્ય કહું છું. સંજોગોને માનીને જીવ ભૂલ્યો છે. વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, આલોચના, છ પદનો પત્ર, આત્મસિદ્ધિ, દેવવંદન–એ અપૂર્વ વચનો છે ! તે મુખપાઠ કરી લેવાં. પ્રમાદ ન કરવો. દેવવંદનના શ્લોકોનો અર્થ સમજવો. બઘા આત્મા છે. સ્ત્રી-પુરુષ, નાનો-મોટો જોવા લાયક નથી. પુરુષનું વર્તન છૂટવા માટે હોય છે. તે કરે તેમ ન કરવું, કહે તેમ કરવું. એક દિવસ બઘાને મરી જવાનું છે. માટે પ્રમાદ તજવો. જે કરશે તેના બાપનું છે. સપુરુષનાં વચનો મુખમાં બોલાતાં રહેશે તો પણ હિતકારી છે. ભાવ અને પરિણામ એ જ અત્યારે હાથમાં છે. તે અશુભમાં વાપરે તો પાપ બંઘાય અને શુભમાં વાપરે તો પુણ્ય બંઘાય, શુભ ગતિ થાય; અને આત્મભાવમાં વપરાય તો જન્મમરણ ટળે. આ અવસર ચૂકવા યોગ્ય નથી. સર્વનું કલ્યાણ થશે. સમકિત સિવાય કંઈ ઇચ્છવું નહીં. Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ૨ ઉપદેશામૃત કાર્તિક વદ ૯, સં. ૧૯૯૨, તા. ૧૯-૧૧-૩૫ હવે વ્યાશી વર્ષ થઈ ગયાં. છેવટની ભલામણ. મઘાનાં પાણી ટાંકામાં ભરી રાખે તેમ જ્ઞાનીનું કહેલું કહું છું તે લક્ષમાં લેશે તેનું કામ થશે. “આ જ્ઞાની કે આ જ્ઞાની” એમ કરવું નહીં. કોઈની નિંદા કરવી નહીં. પણ પરમકૃપાળુદેવની એક શ્રદ્ધા રાખવી. અને તેમનું જણાવેલું સ્મરણ કરતી વખતે જ્યાં સુધી ભાન રહે ત્યાં સુધી હૃદયમાં રાખવું. અસંગ, અપ્રતિબંધ થવાનો માર્ગ છે. બે અક્ષરમાં માર્ગ રહ્યો છે. તે “જ્ઞાન” એ બે અક્ષરો છે. જ્ઞાનમાં સર્વ સમાય છે. પત્ર ૪૩૦ અમૃતતુલ્ય છે. જે કંઈ કરવું તે આત્માર્થે કરવું. “મેં આત્મા જાણ્યો નથી; પણ જ્ઞાની પરમકૃપાળુદેવે આત્મા નિઃશંકપણે જાણ્યો છે તેવો મારો આત્મા છે. મને તેની ઓળખાણ થઈ નથી પણ તેની ભાવના હું કરું છું.' જ્ઞાનીએ જોયો છે તેવા આત્માની ભાવના કરતાં કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. નાનો મોટો, બાઈ ભાઈ, ઘરડો જુવાન, રોગી નીરોગી જણાય છે તે તો દેહ છે; તેને ન જોવો. જ્ઞાનીએ જોયો છે તેવો આત્મા છે. તેને અર્થે ઘર્મ આદિ હું કરું છું; દેવલોક આદિ ઇંદ્રિયસુખને અર્થે કંઈ કરવું નથી. આજ સુધી જે ઘર્મને નામે કર્યું હોય તે સર્વ ફોક થાઓ ! આત્માને અર્થે હવે કરવું છે. Page #440 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-3 તા. ૩-૧૧-૧૯૩૩ મુમુક્ષુ—કષાય, સંકલ્પ-વિકલ્પ, વગેરેથી અંતરમાં થતી બળતરા શાંત કરવાનો ઉપાય શો ? પ્રભુશ્રી–મનમાં સંકલ્પ-વિકલ્પ થાય તેથી બળતરા થાય છે. પરંતુ અમે આ જે વાત બતાવીએ છીએ તે રામબાણ છે. તે જો શ્રદ્ધાથી માન્ય થાય તો માન્ય કરનારનું જરૂર કલ્યાણ થાય. પરંતુ જીવને વિશ્વાસ હોવો જોઈએ, શ્રદ્ધા થવી જોઈએ. આ સ્થળે અમે જે કહીએ છીએ તેટલા ઉપર જે કોઈ શ્રદ્ધા રાખી માન્યતા કરશે તેનું કામ થઈ જશે. જ્ઞાની છે, આ ગુરુ છે એવી પોતાની કલ્પના છોડી એક દેવદેવીની માન્યતા અથવા આ સાચા સદ્ગુરુ ઉપર દૃઢ થવું. ૩૪૩ મનમાં સંકલ્પ-વિકલ્પ આવે છે તેથી ગમે તો બમણા આવોને! પરંતુ તે સંકલ્પ-વિકલ્પ આવ્યા કોને ? તો કે મને. એમ જે કહે છે તે ‘હું’ સંકલ્પ-વિકલ્પથી કેવળ ન્યારો છું; હું અને તે એક નથી. આકાશ અને ભૂમિને જેટલું અંતર છે તેટલું જ તેને અને મારે અંતર છે. મન, ચિત્ત, વિષય, કષાય—એ સર્વ જડ છે. તેમાં હું અને મારાપણાની માન્યતા હતી તે જ મિથ્યાત્વ કે અજ્ઞાન. હું તે બધાને જાણનાર તેથી જુદો એવો આત્મા છું. હવે આટલી જ માન્યતા કરી વૃઢ વિશ્વાસ જેને થશે તેનું કામ થઈ જશે. આટલાં બધાં બેઠાં છે, પરંતુ સાંભળીને તે પ્રમાણે માન્યતા કરી હૃદૃઢ શ્રદ્ધાપૂર્વક પ્રવર્તશે તેનું કામ થઈ જશે. હું તે મનથી, સંકલ્પથી, વિકલ્પથી, કષાયથી, દેહથી, સ્ત્રીથી, પુત્રથી, ધનથી, ધાન્ય વગેરે સર્વથી કેવળ જુદો છું. રોગ થયો હોય, રહેવાતું ન હોય તો પણ એમ જાણવું કે જેનો બહુ નજીક સંબંધ હોય તે પોતાને દેખાય છે. જેમ પાડોશીનું ઘર બળતું હોય તો આપણા ઘરમાંથી ભડકા દેખાય છે, તેમ વ્યાધિ, રોગ, શોક, ખેદ, કષાય, વિષય એ બધાં પુદ્ગલમાં થઈ રહ્યાં છે. દેહનો ધર્મ દેહ કરે છે; મનનો ધર્મ મન કરે છે; વચનનો ધર્મ વચન કરે છે. તે સર્વ પુદ્ગલ છે. હું આત્મા તે સર્વથી ન્યારો છું. માત્ર તેનો જોનાર, જાણનાર છું. તેના નાશથી મારો નાશ નથી. શરીરમાં શાતા કે અશાતાથી મને શાતા કે અશાતા નથી. ગમે તેમ થાઓ, ગમે તો નરક તિર્યંચ ગતિ થાઓ, ગમે તો મરણ થાઓ; પરંતુ એવી શ્રદ્ધા અચળ રહો કે હું તે બધાંથી ન્યારો, માત્ર જોનાર–જાણનાર આત્મા છું. તે આત્મા એક જ્ઞાનીએ જાણ્યો છે, તેવો છું. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખમય જે મારું સ્વરૂપ તે યથાતથ્ય જ્ઞાની એવા સદ્ગુરુ ભગવાને જાણ્યું છે. જે આત્મસ્વરૂપ શ્રી સદ્ગુરુએ જાણ્યું છે, જોયું છે, અનુભવ્યું છે તેવું જ પૂર્વે થઈ ગયેલા સર્વ જ્ઞાનીઓએ જોયું છે, જાણ્યું છે, અનુભવ્યું છે. મારું અને સર્વ જીવનું શુદ્ધ સ્વરૂપ તે Page #441 -------------------------------------------------------------------------- ________________ उ४४ ઉપદેશામૃત જ્ઞાનીએ જાણ્યું છે તેવું જ છે. તે જ મને માન્ય છે. તે જ મારું છે, તેમાં જ મારે પ્રેમ, પ્રીતિ, સ્નેહ, ભક્તિ, ભાવ કરવા યોગ્ય છે. તે જ મારે પ્રાપ્ત કરવા યોગ્ય છે, ઇચ્છવા યોગ્ય છે, અનુભવવા યોગ્ય છે. ત્યાં જ તલ્લીનતા કરવા યોગ્ય છે. આવી શ્રદ્ધા થઈ જેને માન્યતા થઈ ગઈ હોય તે દરેક પ્રસંગમાં સુખમાં, દુઃખમાં, આધિમાં, વ્યાધિમાં કે સંકલ્પ-વિકલ્પમાં એક આત્મભાવનામાં જ રહી શકે, પોતાનો અને પરનો ભેદ પાડી શકે. “જડ ને ચેતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે; સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે ય પણ પરદ્રવ્યમાંય છે.” આવી શ્રદ્ધાપૂર્વક માન્યતા નિરંતર વર્તે છે અને પરોક્ષ આત્મભાવનામાં જાગૃત છે તેને સર્વ વ્રત, નિયમ વગેરે આવી જાય છે. તેને કષાયાદિ સર્વ જે કાંઈ આવે છે તે છૂટવા માટે આવે છે. શ્રી તીર્થંકરાદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કહ્યો છે; પણ જીવ દિશામૂઢ રહેવા ઇચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાયે પણ નથી. અને તે સમજવું પણ કંઈ વિકટ નથી, કેમકે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે; અને તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે, તેથી સમજવી ન બને. પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે ? પણ સ્વપ્નદશામાં જેમ ન બનવાયોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાનદશારૂપ સ્વપ્નરૂપયોગે આ જીવ પોતાને, પોતાનાં નહીં એવાં બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે; અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નરકાદિ ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવકલ્પનાના હેતુ છે, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે; અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સપુરુષાદિ સાઘન કહ્યાં છે; અને તે સાઘન પણ જીવ જો પોતાના પુરુષાર્થને તેમાં ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. - વઘારે શું કહીએ ? આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટ્યો એમાં કંઈ સંશય નથી. ફા. સુ. ૯, સં. ૧૯૯૦, તા. ૨૨-૨-૩૪ જીવને કરવા યોગ્ય શું છે? ભૂંડું કર્યું હોય તો તે પ્રેમ-વહાલપ છે તેણે જ કર્યું છે. તે પ્રેમ જગતમાં જ્યાં ત્યાં વેરી નાખ્યો છે. ત્યાંથી પાછો વાળી કોઈ એક જ જગાએ–શાનીમાં કરવો યોગ્ય છે. Page #442 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૩ ૩૪૫ વૈરાગ્ય વઘારવા યોગ્ય છે. રામચંદ્રજીએ વસિષ્ઠગુરુને કહ્યું કે આ સંસાર, ભોગ આદિ સર્વ પદાર્થો તે ત્રિવિધ તાપનાં કારણ હોવાથી તેથી મને શાંતિ થતી નથી. તે સર્વ જન્મમરણાદિ દુઃખનાં કારણ છે. સલ્લાંતિમાં આપ નિરંતર રહો છો; તેથી તે શાંતિમાં રહેવાની કોઈ કળા આપની પાસે છે તે બતાવો. નહીં બતાવો તો ખાવું-પીવું, હરવું-ફરવું, બોલવું-ચાલવું આદિ સર્વ પ્રવૃત્તિ હું બંઘ કરીશ. આ શ્વાસોચ્છવાસ પણ તેની મેળે પૂરા થઈ જશે. માટે મને શાંતિ થાય તે જ બતાવો તો કરું. જોઈએ શું? તો કે આવો વૈરાગ્ય. જીવ હજુ ખપી ક્યાં થયો છે? ઇચ્છા ક્યાં છે? જીવે સમાગમ માન્યતા કરી છે. પણ હજુ તે માન્યતા યથાતથ્ય સાચી ક્યાં છે? શું માન્યું છે? શું માનવું છે ? એ માનવું બહુ મુશ્કેલ છે. વૈરાગ્ય શાથી આવે ? પુરુષાર્થથી. પુરુષાર્થ કરે તો વૈરાગ્યને તેડવા જવું પડે નહીં. કોઈ જીવ આટલું એક જ વચન પકડી લઈ પુરુષાર્થ કર્યે જાય તો તેનું કામ થઈ જાય. પુરુષાર્થ કરો. પુરુષાર્થ કર્યો તે જ મોક્ષે ગયા છે. વૈરાગ્યથી જ મોક્ષે ગયા છે. વિષય-વિકાર લઈ કોઈ મોક્ષ ગયા નથી. આટલો ભવ દેહ પડી જાય, ગમે તેમ થઈ જાય; પણ એ જ કરવું. ભવસ્થિતિ કે બીજી કોઈ કલ્પના કરવી નહીં. મુમુક્ષુ–પુરુષાર્થ શું કરવો? પ્રભુશ્રી–પુરુષાર્થ સત્ અને શીલ છે. સત્ એટલે આત્મા. આત્મા સંબંધી જ વાત, વિચાર, લક્ષ તે સત્. અને શીલ એટલે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય યથાર્થ તો જ્ઞાનીએ જ જાણ્યું છે. પરંતુ દ્રવ્ય પણ પળાશે તો તે મહા લાભનું કારણ છે. મન, વચન, કાયાથી પાળો. પાળનાર જાણતો નથી, પણ આપનાર સાચો જ્ઞાની છે તે જાણે છે, તેથી સુપ્રત્યાખ્યાન હોવાથી કામ થયા વિના રહેશે નહીં. જ્ઞાનીનાં વચનોમાં આગમો સમાઈ જાય તેવો પરમાર્થ હોય છે. તેથી એક પણ વચન જ્ઞાનીનું પકડી લઈ કોઈ જીવ વર્યો જશે તો તેનું કલ્યાણ થશે. મૂકવું પડશે. ત્યાગ-વૈરાગ્ય જોઈશે જ. મૂક્યા વગર કોઈ મોક્ષે ગયા નથી. કલ્પનાઓ, માન્યતાઓ મૂકવી પડશે. ચક્રવર્તી વચન બોલે, વાસુદેવ વચન બોલે કે કોઈ રાજા વચન બોલે તે સી સીનાં પુણ્ય પ્રમાણે માન્ય કરાય છે–મહત્તા લાગે છે, સરખાં ગણાતાં નથી. તો જ્ઞાનીનાં વચન તો તેથી પણ અપૂર્વ માહાત્મવાળાં છે. માહાભ્ય લાગ્યું નથી. પ્રત્યક્ષ પુરુષનું સામાન્યપણું થઈ ગયું છે. કલ્પના થાય કે કંઈ તીર્થકરનાં વચન છે ? કંઈ ગણઘરનાં છે ? પણ તેની ખબર નથી; બધુંય છે. ગણધર શું, તીર્થકર શું, આત્મા શું, તે જાણ્યું છે? Page #443 -------------------------------------------------------------------------- ________________ - ૩૪૬ ઉપદેશામૃત તા.૨૩-૨-૩૪ વૈરાગ્યનાં નિમિત્તથી વૈરાગ્ય થાય છે. સત્સંગ વૈરાગ્યનું નિમિત્ત છે. વિષય-વિકારનાં નિમિત્તથી વૈરાગ્ય થાય નહીં, પણ વિકાર થાય. અહીં સત્સંગમાં જ્ઞાની પુરુષનાં વચનો વંચાય છે, વિચારાય છે ત્યાં શું થાય છે ? ભવ કપાઈ જાય છે, હજારો ભવ નાશ થાય છે. જીવને માહાભ્ય લાગ્યું નથી. લૌકિક ભાવ કરી નાખ્યો છે. સામાન્યપણું થઈ ગયું છે. ઓળખાણ થઈ નથી. ઓળખાણ થાય ત્યારે જ માહાન્ય લાગે. તો જ કામ થઈ જાય. “જે લોકોત્તર દેવ નમું લૌકિકથી,' તેવું થઈ ગયું છે. જન્મ મરણ કોની છે ? જે તૃષ્ણા રાખે છે તેનાં.” આ જ્ઞાનીનાં વચનો વંચાય છે, વિચારાય છે, ત્યાં અપૂર્વ હિત થાય છે. પણ માહાભ્ય લાગ્યું નથી, તેથી અપૂર્વ ભાવ આવતા નથી. ચેતી જવા જેવું છે. કાળનો ભરૂસો નથી. પંખીના મેળા છે. ઘર, કુટુંબ, ઘન, ઘાન્યાદિ કોઈ તમારાં નથી. સોય સરખી પણ સાથે લઈ જવાશે નહીં. દેહ પણ તમારો નથી. આત્માની ઓળખાણ કરી લેવાનો અવસર આવ્યો છે. દેહાદિને માટે જેટલી ચિંતા રાખો છો તેથી અનંતગણી ચિંતા આત્માને માટે રાખવા યોગ્ય છે. આ (આશ્રમ) તીર્થક્ષેત્ર સાથી છે? અહીં આત્માની જ વાત થાય છે. સૌથી પ્રથમ જરૂર શાની છે? શ્રવણની. “સવને નાળે વિન્નાને' શ્રવણથી વિજ્ઞાનપણું થાય છે. સત્સંગથી બોઘ શ્રવણ થાય છે. સત્સંગમાં અલૌકિક ભાવ જોઈએ. લૌકિક ભાવ થઈ જાય ત્યાં અપૂર્વ હિત થાય નહીં. તા. ૨૪-૨-૩૪ પરોક્ષમાંથી પ્રત્યક્ષ થશે. પરોક્ષમાંથી પ્રત્યક્ષ થતાં વાર નહીં લાગે. પ્રત્યક્ષ કર્યે જ છૂટકો છે. મનુષ્ય દેહ ચિંતામણિ છે. મરણિયા થઈ જાઓ. દ્રઢ શ્રદ્ધા કરી દો. ડહાપણવાળા, પંડિતાઈવાળા પણ શ્રદ્ધા પ્રતીત વગરના રહી જશે. અને છેલ્લા બેઠેલા બાળા-ભોળા અભણ પણ શ્રદ્ધાની પકડ કરી દેશે તેનું કામ થઈ જશે. પરમકૃપાળુદેવથી ઘણાં જીવોનો ઉદ્ધાર થશે. નિશ્ચયથી આત્મા જુએ તો શુદ્ધ આત્મા જ દેખાય. એટલે ત્યાં કર્મ નથી. નિશ્ચયનયનું અવલંબન છોડે ત્યાં કર્મબંઘ થાય છે. સત્સંગમાં અલૌકિક ભાવ હોય તો કલ્યાણ જરૂર થાય. તા.૬-૩-૩૪ આંટી પડી ગઈ છે તે ઉકેલવી જોઈએ. વિષયવિકારવાળી દ્રષ્ટિ છે. તે પલટાવીને હાડકાં, ચામડાં, માંસ, પરુ, લોહી, મળમૂત્ર, વિષ્ટા આદિ તુચ્છ પદાર્થોમય દેહની મલિનતા વિચારાય ત્યાં પુરુષાર્થ મંડાય છે. આંટી ઉકેલવા માંડે છે પણ બળ વઘારે ચાલતું નથી; એટલે અખંડ તે પુરુષાર્થ ચાલુ રહેતો નથી, પાછો વિષયવિકારમાં વહેવા માંડે છે. ત્યાં આંટી ઊકલવા માંડેલી પાછી વળ દઈ ગૂંચવાવા માંડે છે. Page #444 -------------------------------------------------------------------------- ________________ उ४७ ઉપદેશસંગ્રહ-૩ પુરુષાર્થ ચાલુ રહે તો તો વૈરાગ્ય વૃદ્ધિ પામી આંટી ઊકલી જાય જ. તા.૭–૩–૩૪ ‘सद्धा परम दुल्लहा' શ્રદ્ધા બે પ્રકારે છે : એક સમ્યમ્ શ્રદ્ધા અને બીજી વિપરીત શ્રદ્ધા. સંસારમાં સુખ છે એવી માન્યતા, તથા દેહ, સ્ત્રી, પુત્ર, ગૃહ, ઘન, ઘાન્ય, રોગ, શોક, ક્લેશ, ક્રોધ, માન આદિ પરમાં હું અને મારાપણાની શ્રદ્ધા, માન્યતા તે સંસારની શ્રદ્ધા છે, વિપરીત શ્રદ્ધા છે. તે ફરીને “છે દેહાદિથી ભિન્ન આતમારે, ઉપયોગી સદા અવિનાશ” એવી શ્રદ્ધા થાય તે પરોક્ષ શ્રદ્ધા છે. દેહ, સ્ત્રી, પુત્ર વગેરે મારાં નથી, રોગ આદિ મને નથી; હું માત્ર જ્ઞાતાદ્રષ્ટા, જોનાર-જાણનાર, સર્વથી ભિન્ન, અવિનાશી, જ્ઞાનીએ જોયો, જાણ્યો, અનુભવ્યો તેવો આત્મા છું– એ પરોક્ષ શ્રદ્ધા. પ્રત્યક્ષ શ્રદ્ધાવાળો જીવ કોઈ સ્ત્રી, પુરુષ કે પદાર્થ ભાવે ત્યાં પ્રથમ આત્મા જુએ છે; પછી પર દ્રવ્ય જુએ છે. જેમકે, શ્રેણિક તે આત્મા છે તેવો પહેલો લક્ષ રાખી, શ્રેણિક “રાજા', ચેલણા રાણી', રાજગૃહી નગરી', વગેરે વર્ણન કરે છે. પરોક્ષવાળો પહેલાં દ્રશ્ય પદાર્થને જુએ છે. પછી વિચાર કરી, “દૃશ્ય અને આત્મા જુદા છે', એમ ભેદ પાડે છે. પ્રત્યક્ષ આત્માનો અનુભવ થાય તેને પ્રત્યક્ષ શ્રદ્ધા છે. આ બન્નેની શ્રદ્ધા સમ્યક્ શ્રદ્ધા છે. પરોક્ષ શ્રદ્ધાવાળો દ્વારની બહાર ઊભો છે; પ્રત્યક્ષ શ્રદ્ધાવાળો અંદર પ્રવેશ્યો છે. પરોક્ષવાળો પગલું મૂકે તો અંદર, પ્રત્યક્ષમાં પ્રવેશે. પરોક્ષના ઘણા ભેદ છે. કહેવામાત્ર પરોક્ષથી કામ થાય નહીં. પરોક્ષ શ્રદ્ધાવાળાને રોગ, વેદનીય આદિ પ્રસંગોમાં કસોટી થાય છે. તેને પ્રસંગે પરોક્ષ શ્રદ્ધા બળવાન રહે અને ઉપયોગ જાગૃત રહે કે હું આ વેદનીય આદિનો માત્ર જ્ઞાતા-દ્રષ્ટા છું. આકાશ અને ભૂમિને જેટલું છેટું છે તેટલું રોગાદિને અને મારે છેટું છે, તે મારા આત્માથી ભિન્ન છે; એવું ભેદજ્ઞાન ત્યાં બળવાન થાય ત્યારે પરોક્ષમાંથી પ્રત્યક્ષમાં આવે છે. તા.૧૨-૩-૩૪ જેટલી કાળજી વ્યવહારને માટે રાખી છે, તેથી અનંતગણી કાળજી આત્માને માટે રાખવી. જપ, તપ, ક્રિયા અનંત કરી; પણ મોક્ષ થાય તેવું સાઘન કર્યું નહીં. પોતાની સમજણ ઉપર મીડું વાળી ચોકડી તાણ. આત્માની ઓળખાણ નથી, માટે તે વિષયમાં હું તદ્દન મૂર્ખ છું, અજાણ છું એમ માન. પછી સાચા જ્ઞાનીએ જે જાણ્યું છે, જોયું છે તે માટે માન્ય છે, એમ Page #445 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ઉપદેશામૃત વિશ્વાસ, પ્રતીતિ રાખ અને જ્ઞાની કહે તે સદાચરણ પાળ. સદાચરણ હોય નહીં અને મોક્ષ થશે એમ ત્રિકાળમાં માનીશ નહીં. સત્સંગ, સોઘની જરૂર છે. તેથી ભેદવિજ્ઞાન થશે. દેહ, સ્ત્રી, સગાંસંબંધી, ઘનઘાન્ય, પુત્ર, મિત્ર–કોઈ તારાં નથી. વાણિયો, બ્રાહ્મણ, પાટીદાર–કોઈ તું નથી. તું આત્મા છું. તારાં જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ અનંત અક્ષય નિધિ છે. “તારું તારી પાસ ત્યાં, બીજાનું શું કામ? દાણ દાણા ઉપરે, ખાનારાનું નામ.” આમ અંતરથી મારું કાંઈ નથી, મારો એક આત્મા છે એમ દૃઢ કરી દે. બધો દગો છે, સ્વમું છે, ધુતારું પાટણ છે. નક્કી માનજો કે આ બધું એક દિવસ મૂકવું પડશે. ભેદજ્ઞાન વડે અંતરથી પોતાનું માનવું કાઢી નાખો. અહીંથી નીચે ઊતર્યા એટલે પુત્રપિતા, સાનરસું, માતારું વગેરે શરૂ થાય છે માટે ભેદ પાડવાનો અભ્યાસ કરવો. બોઘ હોય તો થાય. કર્મ જુદા છે અને આત્મા જુદો છે. એવો ભેદ યથાર્થ બોઘ પ્રાપ્ત થયે થાય. આટલો ભવ મરી ગયા છો એમ સમજો. દગો છે, સ્વપ્નવત્ છે. “આત્મા સત, જગત્ મિથ્યા.' વિષયનાં ફળ-નરકાદિનાં દુઃખ કડવાં છે. વિષય ભોગવવા આ દેહ નથી મળ્યો. પુરુષાર્થથી મનને જીતો, ઇચ્છાનો નાશ કરો. વાસનાએ જ ભૂંડું કર્યું છે. * તા. ૧૮-૩-૩૪ “સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે.” શ્રી રામ તીર્થયાત્રા કરી આવ્યા. આખું જગત ત્રિવિધ તાપે બળતું જોયું. જ્યાં જુઓ ત્યાં આધિ, વ્યાધિ ને ઉપાધિ, જન્મ, જરા ને મરણ, દુઃખ, દુઃખ ને દુઃખ એટલે એ તો ઉદાસ થઈ ગયા. એવો વૈરાગ્ય કે ન ખાય, ન પીવે. કશું ય ગમે નહીં. મન ક્યાંય ચોટે નહીં. ગુરુ વસિષ્ઠમુનિ જ્ઞાની હતા. તેમને ચિત્તશાંતિનો ઉપાય પૂછવા લાગ્યા. ગુરુએ બોઘ દ્વારા શાંતિ કરાવી. | સર્વ જીવો અનંતી કર્મવર્ગણાના ભારથી દુઃખી થઈ રહ્યા છે. તેમાં મુખ્ય આઠ કર્મ છે. તેમાં મુખ્ય મોહનીય છે. તે હણવાનો અચૂક ઉપાય બોધ અને વીતરાગતા–સમતા છે. બોધ સત્સંગ-સગુરુથી જ પ્રાપ્ત થાય છે. સત્સંગમાં એક આત્માની જ વાત હોય છે. સત્સંગમાં કોટિ કર્મનો ક્ષય થાય છે, હજારો ભવનો નાશ થઈ જાય, એવી અપૂર્વ કમાણી સત્સંગમાં થાય છે. પણ જ્ઞાનીનાં વચનનું અલૌકિક દ્રષ્ટિએ માહાત્મ સમજાવું જોઈએ. વિચાર, વિનય, વિવેક અને સત્સંગ એ ચાર આત્મજ્ઞાન પમાડી શકે છે. ચારમાંનું એક હોય તો ચારેય આવે છે. સ્ત્રીને જોઈને વિકાર થાય છે; પણ સ્ત્રીને જોઈને તો વૈરાગ્ય થવો જોઈએ. હાડકાં, માંસ, ચામડું, લોહી, પરુ, વિષ્ટા, મળમૂત્રાદિ ગંઘથી ભરેલો તે કોથળો છે, એમ વિચાર, વૃષ્ટિ થાય ત્યાં વૈરાગ્ય થાય છે. આખું જગત એક સ્ત્રીમાં મોહ પામ્યું છે પણ ત્યાં તો વિવેકીને, વિચારવાનને વૈરાગ્ય થઈ આત્મા ઉપર દ્રષ્ટિ થાય છે. તે તો ત્યાં દેહ અને આત્માનો ભેદ પાડે છે. Page #446 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૩ ૩૪૯ કરોડો રૂપિયા આપતાં ન મળે એવો આ મનુષ્ય દેહ છે. તેમાં રાજપાટ કે કરોડો રૂપિયા મળવા સહેલા છે. પણ તે સાથે જનાર નથી; એક ઘર્મ સાથે જનાર છે. તેને માટે જ આ મનુષ્યભવ ગાળવો. સમકિત થયું નહીં ત્યાં સુધી સંસારદુઃખ ઊભાં જ છે. સમકિત થયું તેનો મનુષ્ય ભવ સફળ છે. “આશા ત્યાં વાસા.” માટે સમકિતની જ આશા, ઇચ્છા, જિજ્ઞાસા રાખવી. યોગ્યતા લાવો. જ્ઞાનીનાં જ્ઞાનદાનનાં દ્વાર અખંડ ઉઘાડાં છે. જે આવે તેને આપવા જ બેઠા છે. પરંતુ લેનાર યોગ્યતાવાળા જોઈએ. સદ્ગુરુની શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ એ બઘાનું મૂળ છે. તા.૧૮-૩-૩૪ મનુષ્ય ભવ મહા દુર્લભ છે. તેમાં હુકમ હોદ્દા મળવા સહેલા છે. નોકરી ઘંઘા એ બધું પ્રારબ્ધ પ્રમાણે મળ્યું છે. અને એ બધું તો એક દિવસ મૂકીને જવું પડશે. એકલો ઘર્મ સાથે આવશે. આત્માનો ઘર્મ સાચો શું છે ? તે તો સત્સંગથી જણાય છે. કોઈ સંત પાસેથી આત્માના હિત માટે સાઘન–પાઠ, વચન—મળેલ છે તે દરરોજ સંભારવું. દશ મિનિટ લાગે. એટલો વખત જરૂર યાદ કરવું. પરમાત્મા અરૂપી છે. તે અરૂપી પરમાત્માની ઓળખાણ વચનોથી થાય છે. માટે સંતે બતાવેલું સાધન–મંત્ર, ક્ષમાપનાનો પાઠ વગેરે—ઓહોમાં કાઢી નાખવું નહીં. ‘આ તો હું જાણું છું, આ તો મને મોઢે છે,' એમ લૌકિક ભાવ ન રાખવો. એમાં જે માહાભ્ય રહ્યું છે તે કહી શકાય એવું નથી, જ્ઞાની જ જાણે છે. સૌભાગ્યભાઈએ તે સાઘન મુમુક્ષુને આપવા પરમકૃપાળુ દેવ પાસેથી રજા માગી ત્યારે તે મૌન રહ્યા. અમે કહ્યું ત્યારે અમને તે બીજાને આપવા રજા આપી. તેથી અમે તો જે કોઈ જીવો અમારી પાસે આવે છે તેને એ સાઘન તેના આત્માને અનંત હિતનું કરનાર જાણી આપીએ છીએ. માટે તે અલૌકિક ભાવે આરાઘવું. વધારે વખત મળે તો આલોચનાનો નિત્યક્રમ રાખવો. વચન ઉપર જો શ્રદ્ધા થશે તો સંગનું ફળ અવશ્ય થશે. તા.૧૪-૩૪ પ્રભુશ્રી–જીવ છે તો શુદ્ધ, પણ દારૂના છાકથી મત્ત થયો છે. મુમુક્ષુદારૂ પીધો શાથી ? પ્રભુશ્રીવિભાવથી, અજ્ઞાનથી. મુમુક્ષુ—વિભાવ ટાળવા શું કરવું ? વિભાવ ટાળવા કંઈ આપો. પ્રભુશ્રી–જ્ઞાનીની આજ્ઞા એ ભવકૂપમાં ડૂબતા પ્રાણીને તારવા દોરડા સમાન છે. તેથી વિભાવ જશે. મુમુક્ષુ–દોરડું તો મળ્યું છે. હવે આપ ખેંચી લો ત્યારે ને ? પ્રભુશ્રી બૂડનારે પગ ગોઠવવા જોઈશે. જોર કરવું પડશે. પુરુષાર્થ કરવો પડશે. Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩પ૦ ઉપદેશામૃત મુમુક્ષુ–જ્ઞાન શાથી થાય ? પ્રભુશ્રી–ત્રિકાળમાં પણ જ્ઞાનીને શોધવા પડશે. સત્પરુષને શોધી તેના ઉપર શ્રદ્ધા અને તેની આજ્ઞાનું આરાધન. આ બે કર્યું જાઓ. વિશેષ કરવા જશો, આત્મા જોવા જશો તો પોતાની મેળે કંઈ જણાય તેમ નથી. - સદાચાર એટલે સત્ અને શીલ. સત્ એટલે આત્મા, આત્માનો વિચાર, વાત, લક્ષ. શીલ એટલે મુખ્યત્વે બ્રહ્મચર્ય. તે દ્રવ્ય પણ પળાય તો તે મોટી વાત છે. સાચું તો સર્વ પર ભાવનો ત્યાગ તે છે. સદાચાર પૂર્વે બહુ પાળ્યા. પરંતુ વળાવો, સદ્ગુરુની આજ્ઞારૂપ, હતો નહીં, માટે કામ થયું નહીં. આજ્ઞાથી સદાચાર એક આત્માર્થની ઇચ્છાએ થાય છે અને સ્વચ્છેદથી તો તે પુણ્ય, સ્વર્ગ કે કલ્પિત મોક્ષની ઇચ્છા થાય છે. માટે આજ્ઞાથી જ કામ થાય છે. સુરત, તા. ૧૧-૬-૩૪ મુમુક્ષ-સમકિતી ઉદયને ભોગવે છે; મિથ્યાત્વી પણ ઉદયને ભોગવે છે. એક બંઘાતો નથી અને બીજો બંધાય છે. તો સમદ્રષ્ટિ પાસે એવું શું છે કે તે બંઘાતો નથી ? પ્રભુશ્રી–સમ્યવ્રુષ્ટિ એવા જ્ઞાની ગૃહસ્થ હોય તોપણ મુનિ છે. મિથ્યાત્વી સાધુ હોય તોપણ સંસારી છે. ઉપર વેશ અચ્છો બન્યો, માંહી મોહ ભરપૂર છે.” એમ ઉપરથી તો ચારિત્ર ઘરીને હજારો મનુષ્યોને ઉપદેશ આદિ વાકચાતુર્યથી રંજન કરતો હોય છતાં કુગુરુ છે. સમકિતી કાંઈ બોલતો પણ ન હોય છતાં મુનિ છે, જ્ઞાની છે. એવું સમકિતી પાસે શું છે ? સમકિતીનો સંગ આત્મગુણ પ્રગટ કરનાર છે. મિથ્યાત્વી કુગુરુનો સંગ, ઉપદેશ આદિ સર્વ સંસારવૃદ્ધિનાં કારણ છે. તેથી ત્યાગવા યોગ્ય છે. માયા શલ્ય, મિથ્યાત્વ શલ્ય અને નિયાણ શલ્ય–આ ત્રણમાંથી એક પણ શલ્ય હોય ત્યાં સુઘી ઘર્મ ફળદાયક થાય નહીં; અને કુગુરુમાં તો ત્રણે શલ્ય હોય છે. ઉપરથી સાધુનો વેશ હોય અને બાહ્ય ચારિત્રાદિથી જનરંજન કરી સાધુ કહેવરાવવા તથા માનપૂજા આદિ કારણે દેખાડવું કાંઈ–સાધુપણું, અને અંતરથી વર્તન કાંઈ–વિષય-કષાય-મોહથી ભરપૂર, એવું હોય તો તે માયાશલ્ય કહેવાય. પોતાના આત્મા અર્થે ઘર્મ નહીં કરતાં, અંતરશ્રદ્ધા વગર જગતને ઠગવા ગુપણા આદિની અજ્ઞાનક્રિયા તે માયાશલ્ય છે. ઘર્મ આરાઘતાં જીવને સંસારફળની ઇચ્છા છે તે નિયાણશલ્ય છે. વિષયભોગની ઇચ્છાથી, ઘનની, પુત્રની ઇચ્છાથી કે સ્વર્ગાદિ સુખની ઇચ્છાથી ઘર્મમાં પ્રવર્તન તે નિયાણશલ્ય છે. દેહને આત્મા માનવ, આત્માને દેહ માનવો, સ્વદ્રવ્ય આત્માને પરદ્રવ્ય-જડ માનવું, પદ્રવ્યને સ્વદ્રવ્ય માનવું, એ આદિ મિથ્યાત્વ એટલે વિપરીત માન્યતા છે. તે શલ્ય સમાન દુ:ખ દેનાર છે તેથી તે મિથ્યાત્વ શલ્ય કહેવાય છે. તેથી તે ત્રણે શલ્યથી રહિત થવું. Page #448 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૩ ૩૫૧ આપણે આત્મા જાણ્યો નથી. પરંતુ જે સદ્ગુરુનું શરણ લીધું છે. તેણે તો જડચેતન યથાર્થ જાણ્યું છે–પથાર્થ આત્મસ્વરૂપ તે સદ્ગુરુ દેવે જાણ્યું છે–તો તેની શ્રદ્ધા છે તે પણ સમકિત છે. પરમકૃપાળુદેવ ઉપર શ્રદ્ધા કરો. શ્રદ્ધા એ જ આત્મા છે. આટલો મનુષ્યભવ પામી એક સત્પરુષને શોધી તેની સાચી શ્રદ્ધા થઈ જશે તો કામ થઈ જશે. બીજું કાંઈ શોઘ મા. માત્ર એક પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વર્યો જા.” આત્મા જાણ્યો છે એવા સદ્ગુરુની શ્રદ્ધા છે તે સમકિત છે. માટે અવિચળ શ્રદ્ધા કરો. સાચાની શ્રદ્ધાએ સાચાનું ફળ થશે. ખોટાની શ્રદ્ધાએ તેવું ફળ થશે. સુરત, તા.૧૨-૬-૩૪ અહીં આવ્યા છો તો ઘણો લાભ થશે. ઓળખાણ થઈ નથી. ઓળખાણ કરી લેવી જોઈએ. જડ-ચેતનની ઓળખાણ થયે સમકિત કહ્યું. નવે તત્ત્વ જડ-ચેતનમાં સમાય છે. શ્રી જ્ઞાનીએ જડચેતનની વ્યાખ્યા આમ કરી છે – જડભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ—આ પદ મુખપાઠ કરવું. આમાં જડ-ચેતનની ઓળખાણ કરાવી છે. જડ એ પુદ્ગલ છે. તેના પરમાણુ છે, તેના પર્યાય છે. તેને જ્ઞાની જાણે છે. જડ છે તે સુખદુઃખ જાણે નહીં. દ્રવ્ય, ગુણ, પર્યાય જડના પણ છે. કર્મ એ જડ છે. આત્મા તેને જીવ કહેવાય છે, ચૈતન્ય શક્તિ કહેવાય છે. જાણે છે, દેખે છે તે જ્ઞાનસ્વરૂપ આત્મા છે. દ્રવ્ય, ગુણ, પર્યાય આત્માના પણ છે. તેને જાગ્યે ભેદજ્ઞાન થાય છે. જડને જડ જાણે, ચેતનને ચેતન જાણે એ ભેદજ્ઞાન. આ વાત મોઢે કરવી. લક્ષમાં રાખશો તો જડચેતનની ઓળખાણ થશે. સુરત, તા.૧૨-૬-૩૪ ‘સહજાન્મસ્વરૂપ' એ મહા ચમત્કારિક મંત્ર છે. સંભારતાં, યાદ કરતાં, બોલતાં, વૃત્તિ તેમાં વાળતાં કોટિ કર્મ ખપે છે, શુભ ભાવ થાય છે, શુભ ગતિ અને મોક્ષનું કારણ થાય છે. મરણ સમયે ચિત્તવૃત્તિ મંત્રસ્મરણમાં કે તે સાંભળવામાં જોડાય તો ગતિ સારી થઈ જાય. અને જન્મમરણથી મુક્ત થવાનું તે સમર્થ કારણ થાય છે. વૃત્તિ એ વેરી છે, દુશ્મન છે, ભૂંડું કરનાર છે. તેને રોકવી. વૃત્તિને રોકી સ્મરણમાં રહેવું એ તપ છે. એ જ ઘર્મ છે. સપુરુષાર્થમાં રહેવું. “MU થો, મUITS તવો' જ્ઞાનીની શ્રદ્ધા કરી તેની આજ્ઞા પ્રમાણે ચાલો. કુગુરુ ઇચ્છા, વાસના, તૃષ્ણા સહિત છે. “ક્યા ઇચ્છત ? ખોવત સબે, હૈ ઇચ્છા Page #449 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ૨ ઉપદેશામૃત દુઃખમૂલ.” તે પોતે બૂડે છે, બીજાને બુડાડે છે. સ્નાનાદિકમાં ઘર્મ નથી. બિલાડીનાં બચ્ચાં ઘાણીમાં પિલાઈ ગયાં હતાં તેમ દેખાદેખી ઘર્મ કરવા જતાં અઘર્મ જ થાય છે. શીલ છે તે મહા તપ છે. જેને શીલવ્રત આવ્યું છે તે સંસારસમુદ્રને કાંઠે આવ્યા છે. સત્ય, શીલ, ત્યાગ, વૈરાગ્ય કર્તવ્ય છે. મુમુક્ષુ–મોક્ષ એટલે શું? પ્રભુશ્રી–મૂર્તિમાન મોક્ષ તે સપુરુષ છે. મુમુક્ષુ–સપુરુષ એટલે શું? પ્રભુશ્રી–સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે. આત્મામાં પરિણમે મોક્ષ છે. વાણિયો-પાટીદાર, યુવાન-વૃદ્ધ, સ્ત્રી-પુરુષ આદિરૂપે પરિણમી અહીં બેઠા છો તે બધેથી ઊઠી, એક આત્મા છું એમ, કહેવા માત્ર નહીં પણ પરિણામ પામે ત્યારે મોક્ષ. વૃત્તિ બધામાંથી ઉઠાવી આત્મામાં વાળવી. આત્મામાં પરિણમ્યા છે એવા જ્ઞાનીની શ્રદ્ધા તે સમકિત છે; એ મોક્ષનું બીજ. ૧. એક બાઈ દરરોજ સવારમાં વહેલી ઊઠી નદીએ નાહવા જતી. ત્યારે રસ્તામાં ભજન બોલતી બોલતી જતી. એક દિવસ કોઈ વહોરાને અગત્યનું કામ હોવાથી વહેલા ઊઠવાની ઇચ્છા હતી. તેવામાં પેલી બાઈ ભજન ગાતી ગાતી તેના ઘર પાસેથી બહુ વહેલી નીકળી. તે સાંભળી તેણે જાણ્યું કે સવાર થઈ ગયું હશે, એટલે વહેલો વહેલો ઊઠ્યો. ઉતાવળમાં ને ઉતાવળમાં જોયા વિના ઘાણીમાં તલ નાખ્યા ને ઘાણી જોડી. ઘાણીના ખાડામાં રાત્રે બિલાડી વિયાયેલી તેની તેને ખબર નહીં એટલે તલ સાથે બિલાડીનાં બચ્ચાં પણ પિલાઈ ગયાં. તેલ બધું લોહીવાળું રાતું રાતું થઈ ગયું. પણ અંધારામાં એને કંઈ ખબર ન પડી, એણે તો તેલ ભરી દીધું ડબામાં. પછી સવારે પેલી બાઈ નદીએ નાહીને આવી. આવીને માથું ઓળવા બેઠી. ઓળતાં ઓળતાં વાળમાંથી નાના માછલાં નીકળ્યાં. તે જોઈ તેને થયું કે આજે તો બહુ પાપ થયું, માટે લાવ કોઈ જ્ઞાની ગુરુ પાસે જઈને જણાવું અને પ્રાયશ્ચિત્ત લઉં. તેથી એક જ્ઞાની મુનિ પાસે જઈ તેણે તે વાત જણાવી. મુનિએ જ્ઞાનથી જાણ્યું કે એને આટલું જ પાપ નથી લાગ્યું, પણ બીજાં વધારે પાપ પણ લાગ્યું છે. તેથી તે બાઈને કહ્યું કે અમુક વહોરાને ત્યાંથી બે પૈસાનું તલનું તાજું તેલ લઈ આવો. એટલે તે બાઈ પેલા વહોરાને ત્યાં ગઈ. વહોરે રાત્રે પીલેલું તેલ ડબામાંથી કાઢ્યું કે લાલ દીઠું. તેથી બોલ્યો કે કોઈ રાંડ વહેલી ઊઠીને બોલતી બોલતી જતી હતી તેથી સવાર થઈ ગયું હશે એમ જાણી મેં ઉતાવળમાં જોયા વગર ઘાણી જોડી, કંઈક પિલાઈ ગયું લાગે છે. એમ કહી ખોળ તપાસ્યો તો હાડકાં દેખાયાં, પાસે બિલાડી બેઠી બેઠી રોતી હતી. એટલે વહોરો અફસોસથી બોલ્યો “અરર ! આ બિચારી બિલાડીનાં બચ્ચાં પિલાઈ ગયાં !” પેલી બાઈ સમજી ગઈ કે મને આ પાપ પણ લાગ્યું છે. તેથી મુનિ પાસે જઈ વહોરાએ કહેલી બધી વાત જણાવી અને એનું પણ પ્રાયશ્ચિત્ત માગ્યું. મુનિએ દયા લાવી પ્રાયશ્ચિત્ત બતાવી કહ્યું કે આવા સ્નાનમાં ઘર્મ નથી. મહાભારતમાં પણ કહ્યું છે કે : "आत्मा नदी संयमतोयपूर्णा सत्यावहा शीलतटा दयोर्मिः । तत्राभिषेकं कु पाण्डुपुत्र न वारिणा शुद्ध्यति चान्तरात्मा ।।" -સંયમરૂપી જલથી ભરપૂર, સત્યમય પ્રવાહવાળી, શીલરૂપ કાંઠાવાળી, દયારૂપી મોજાંઓથી રમ્ય એવી આત્મારૂપ નદી છે તેમાં હે પાંડુપુત્ર (યુધિષ્ઠિર), તું સ્નાન કર; બાકી પાણીથી તો આત્માની અંતરશુદ્ધિ થાય તેમ નથી. Page #450 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૩ ૩૫૩ અજ્ઞાનીને વ્યાધિ કે રોગ થઈ આવે ત્યારે હું માંદો છું, મરી જાઉં છું, દુઃખી થાઉં છું એમ ગભરાઈ જાય છે; અને સમકિતીને વ્યાધિ કે દુઃખ થાય છે ત્યારે આ રોગાદિ દેહમાં થાય છે, તેને હું તો જાણનાર માત્ર તેનાથી જુદો છું એમ જ્ઞાતા-દ્રષ્ટા રહે છે. સુરત, તા.૧૩-૬-૩૪ સદ્ગુરુ એટલે શું ? “આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય.” આત્મજ્ઞાન શાથી થાય? આત્મજ્ઞાનીના પરિચયથી. સત્સંગ, સદ્ગોઘની કચાશ છે. સાચાની શ્રદ્ધા થઈ તે વ્યવહાર સમકિત છે. “જગતજીવ હે કર્માઘીના.' સૌ કોઈ ઉદય વેદે છે. ભરતજી તથા ગાંઘીજી બન્નેને ઉદય હતો. પરંતુ સમતા–સમતિ છે તેનો ઉદય નવીન બંઘનો હેતુ નથી; બીજાનો ઉદય સંસાર વધારનાર છે. પરિણામ, ભાવ એ આપણી પાસે હાલ મૂડી છે. તે શુદ્ધતા પામે તેવાં નિમિત્તો સત્સંગ, સદ્ગોઘ આરાઘવાં. સમકિતથી મોક્ષ છે; બાહ્યચારિત્રથી મોક્ષ નથી. સુરત, તા. ૧૪-૬-૩૪ મોક્ષ એટલે શું ? બંઘથી છૂટવું તે મોક્ષ. સત્સંગ, સદ્ગોઘથી વસ્તુની ઓળખાણ થાય છે. જડ-ચેતનની વહેંચણી કરવી જોઈએ. પુરુષનો વિશ્વાસ, શ્રદ્ધા, પ્રતીતિ એ એકડો છે. અસગુરુથી આખું જગત સંસારસમુદ્રમાં ડૂળ્યું છે. મતમતાંતર-આગ્રહરહિત “આત્મજ્ઞાન ત્યાં મુનિપણું' એવા જ્ઞાની ગુરુની પ્રાપ્તિ, તેની શ્રદ્ધા એ જ જડ-ચેતનની ઓળખાણ કરાવશે. પછી જડને ચેતન નહીં માને અને ચેતનને જડ નહીં માને. અનંતાનુબંઘી શાથી ટળે ? જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી ક્રોઘ, માન, માયા, લોભ ઘટવાનો પ્રકાર બનવા યોગ્ય છે. સૂર્ય ઊગે ત્યાં અંધારું નામે છે. તેમ જ્ઞાની પુરુષનો સમાગમ, ઓળખાણ એ અનંતાનુબંધી ટળવાનો ઉપાય છે. બાપનો કૂવો માટે બૂડી મરાય નહીં. તેમ બાપદાદાએ માન્યો તે મારો ઘર્મ, તે મારા ગુરુ એવો આગ્રહ તે અનંતાનુબંધી. આત્મા શ્વેતાંબર નથી, દિગંબર નથી, વૈષ્ણવ નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, વૃદ્ધ નથી, યુવાન નથી. આમ પર્યાયવૃષ્ટિ દૂર કરી, હું આત્મા છું–જ્ઞાની એવા સદ્ગુરુએ જાણ્યો તેવો, એમ આત્મા ભણી નજર ક્યારે કરશો ? ચેતન છે તે નિર્વિકલ્પ છે. પણ હાલ કલ્પનાના કોથળા સહિત છે. નિર્વિકલ્પ દશા લાવવા સત્સંગ, સદ્ગોઘ નિરંતર સેવવા યોગ્ય છે. 23 Page #451 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત જ્ઞાની ઉદયને વેદે છે ત્યાં કર્મ ખપાવે છે; અજ્ઞાની કર્મ વધારે છે. ૩૫૪ સુરત, તા. ૧૮-૬-૩૪ મનુષ્યભવ બહુ દુર્લભ છે. સત્ અને શીલ એ મુખ્ય છે. બાધા લીધી હોય છતાં મનથી સાચવવાનું છે. મનને મારી નાખવું, ઘક્કો મારી મારી નાખવું. કલ્પના છે. હાડકાં, માંસ, લોહી, પરુ આદિ ચામડામાં રાચવા જેવું શું છે ? આ બધું દેખાય છે તે કંઈ આત્મા છે ? વિશ્વાસ રાખવો. શ્રદ્ધા રાખવી. એમાં ચમત્કાર છે ! દેખાય છે તે બધું જડ છે. જોનાર આત્મા જુદો છે. તેના ઉપર દૃષ્ટિ કરો. પર્યાય જોવામાં આવે છે, તે જડ છે. જડને દ્રવ્ય, ગુણ, પર્યાય છે. આત્માને પણ દ્રવ્ય, ગુણ, પર્યાય છે. આત્માના સ્વપર્યાય અને જડના ૫૨૫ર્યાય છે. પરપર્યાયમાંથી આત્મા ઉપર દૃષ્ટિ કરવી છે. વારંવાર એને સંભારવો. જગતમાં દેખાય છે તેને જડ જોવું, પુદ્ગલ જોવું—તેના પર્યાય જાણવા. પુદ્ગલને પુદ્ગલ જોવાથી આત્મા ઉપર દૃષ્ટિ થશે. પુદ્ગલ એ આત્મા નથી; પુદ્ગલ એ પોતાનું નથી. આત્માનું જ રટણ અહોનિશ નિરંતર રાખવું. “પરિણતિ સબ જીવનકી, તીન ભાત બરની; એક પુણ્ય, એક પાપ, એક રાગ-હરણી.’ શુભ પિરણિત, અશુભ પરિણતિ અને શુદ્ધ પરિણતિ. વીતરાગ પરિણતિમાં આવવું જોઈએ. 66 તા. ૩૦-૬-૩૪ એક વખત વાંચી, પછી યાદ રહેલું વિસ્તારથી કહી જવું. એવો અભ્યાસ પાડવો. એ સ્વાધ્યાય છે. એ તપ છે. એથી વાક્યલબ્ધિ વધે છે. સમ્યગ્દષ્ટિ વ્રત કરે તે જ વ્રત મિથ્યાવૃષ્ટિ કરે છે. પહેલાને નિર્જરા થાય છે; બીજાને બંધ થાય છે. "" સમ્યગ્દષ્ટિ એવું શું કરે છે ? સમ્યગ્દષ્ટિ અવળાનું સવળું કરી દે છે. યોગ્યતાની કચાશ છે. સૌથી પ્રથમ, માર્ગના જાણનાર એવા જ્ઞાનીના સમાગમે શ્રદ્ધા પ્રતીતિ કરો. નવ પૂર્વ ભણ્યો તો પણ મિથ્યાત્વ. ત્યારે સમ્યદૃષ્ટિમાં એવું વધારે શું છે ? સમ્યગ્દષ્ટિ આત્મામાં પરિણમ્યા છે; મિથ્યાત્વી પરિણમ્યા નથી, પરમાં પરિણમ્યા છે— બોલવા માત્ર જ્ઞાન છે. Page #452 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૩ ૩૫૫ યોગ્યતા એટલે પરિણામ–પરિણમ્પ જ યોગ્યતા કહી છે. ખીચડી ચઢીને તૈયાર થઈ, તેમ પરિણમ્પ જ યોગ્યતા થઈ, ત્યાં સુધી કચાશ છે. મુમુક્ષુ–પરિણમય કેમ ? પ્રભુશ્રી–વૃષ્ટિ ફર્યો. સમકિતીની દ્રષ્ટિ ફરી છે. આ નાના, મોટા, વાણિયા, બ્રાહ્મણ, બાઈ, ભાઈ આદિ દેખાય છે, પણ દ્રષ્ટિ ફરી છે તેને આત્મા દેખાય છે કે આ તો આત્મા છે. તે બધાથી ન્યારો છે. એમ દ્રષ્ટિ ફરી આત્મામાં પરિણામ થયાં છે. ખાતાં-પીતાં, હરતાં-ફરતાં જ્યાં નજર પડે ત્યાં આત્મા પ્રથમ દેખાય છે. એમ દ્રષ્ટિ ફેરવવાની જરૂર છે. એટલે પછી પરિણામ થયે જ છૂટકો છે. વ્યાધિ આવે, રોગ આવે, મરણ આવે તો પણ સમકિતીને મહોત્સવ છે. તા. ૧-૭૩૪ “જગત આત્મારૂપ જોવામાં આવે.”—ષ્ટિ ફરે તો વિકારનાં સ્થાનોમાં વૈરાગ્ય થાય. સ્વચ્છેદ અને પ્રમાદ આડાં આવે છે. * તા. ૩૪ સૌ પરમાં પરિણમીને બેઠા છે. આત્મામાં પરિણમે જ છૂટકો છે. ઉદાસીનતા-સમતા-રાગદ્વેષરહિત પરિણતિ તે આત્માની છે. આ કાળો છે, આ ગોરો છે; આ નાનો છે, આ મોટો છે; આ શત્રુ છે, આ મિત્ર છે— એમ બાહ્ય દ્રષ્ટિ છે. તે પલટાવી આ મારો સાક્ષાત્ આત્મા, આ ય મારો સાક્ષાત્ આત્મા–એમ બઘામાં આત્મા ક્યારે જોશો ? આત્મા જોવાની જ્ઞાની પાસેથી દ્રષ્ટિ મળે તો જ રાગ-દ્વેષ મટે. જેમાં હોય તેમાં હું અને મારાપણું થઈ ગયું છે તે જ મિથ્યાત્વ. કદાચ કોઈ ઉપર ઉપરથી આ દેહાદિ મારાં નથી એમ કહે; તો પણ મારું શું છે તે જાણ્યું છે? મારું જે છે તે આત્મસ્વરૂપ યથાર્થ તો જ્ઞાનીએ જ જાણ્યું છે. માટે તે જ્ઞાનીની શ્રદ્ધાએ આત્મા જોવાની દ્રષ્ટિ કરો. વૃષ્ટિ ઝેરમય છે, તત્ત્વ તરફ કરો. તા. ૨૯-૭૩૪ જ્ઞાની પાસેથી દ્રવ્ય પણ શીલ એટલે બ્રહ્મચર્યવ્રત આવ્યું છે તેને સમકિત થવાનું કારણ છે. સત્ અને શીલ જેની પાસે છે તેને સમકિત અવશ્ય થશે. સમકિત નથી થયું ત્યાં સુધી તેને માટે જ ઝૂરવું. તેની જ ઇચ્છા, વાંછા રાખવી. Page #453 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત તા. ૩૦-૭-૩૪ કષાયનું સ્વરૂપ જ્ઞાની જ જાણે છે. મરણ સમયે કષાય તોફાન મચાવે છે, લેશ્યા બગાડે છે. માટે પહેલો પાઠ શીખવાનો છે. તે એ કે ‘ઘીરજ.' ઓહો ! એ તો હું જાણું છું, એમ નહીં કરવું. ઘીરજ, સમતા અને ક્ષમા—આ ત્રણનો અભ્યાસ વધારવો. રોગ કે વેદની ખમી ખૂંદવાનો અભ્યાસ કરવો. ૩૫૬ મેં તો આત્મા જાણ્યો નથી; પરંતુ પૂર્વના અનંત જ્ઞાનીઓએ તે આત્મા યથાતથ્ય જાણ્યો છે, તેવો જ તે આત્મા, જેનું મને શરણ છે એવા જ્ઞાની સદ્ગુરુ ભગવંતે યથાતથ્ય જાણ્યો છે, તે મારે માન્ય છે. તેવો જ સિદ્ધ સમાન મારો આત્મા શુદ્ધ છે. તે જ મારું સ્વરૂપ છે. તે જ મને પ્રાપ્ત હો! જ્ઞાનીને જે છે તે મને હો! આટલી અપૂર્વ વાત છે. તા. ૧૭-૯-૩૪ ગુણાનુરાગી થાઓ મુખ્ય કરવાનું એ જ છે. આત્મા જોવાય તો જ ગુણાનુરાગી થવાય. દ્રષ્ટિ ફર્મે તેમ થવાય. “પ્રભુ, પ્રભુ લય લાગી નહીં'’ “હે જીવ! ક્યા ઇચ્છત હવે ? હૈ ઇચ્છા દુઃખમૂલ; જબ ઇચ્છાક્રા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.'' કૂતરાંને લાકડીનો માર પડે છે તો પછી ફરી આવતાં નથી તેમ કર્મના ઉપર જ્ઞાનીપુરુષનાં વચનરૂપ લાકડીનો પ્રહાર થાય તો જે કર્મ આવ્યાં છે તે ભાગી જવા માટે, ફરી આવવાનાં નથી. તા. ૯-૧૦-૩૪ જીવને સત્સંગનું માહાત્મ્ય લાગ્યું નથી, સામાન્યપણું થઈ ગયું છે. ઓળખાણ થઈ નથી. કોઈ કહે કે આ અહીંથી ગયા તે તો રાજા હતા, ત્યારે આશ્ચર્ય પામી પૂછે કે હેં ! શું રાજા હતા ? પાછળથી તેનો પસ્તાવો કરે. તેમ જ્ઞાનીને અને સત્સંગને જીવે યથાર્થ ઓળખ્યા નથી. પાછળથી પસ્તાય છે. સત્સંગમાં શું થાય છે? આત્મા જાણ્યો છે એવા, આત્મામાં રમણ કરતા જ્ઞાની—તેનાં દર્શન કે સમાગમનો જોગ. એ મળવો ઘણો દુર્લભ છે ! ‘એનું સ્વપ્ન જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે !' જોગ મળ્યે પણ ઓળખાણ થાય તો જ અપૂર્વ ભાવ આવે છે. અપૂર્વ ભાવ આવ્યે જ કલ્યાણ થાય છે. સત્સંગમાં આત્માના ભાવ છે તે વિશુદ્ધતા પામે છે. ‘આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.' આત્મભાવ જીવે જાણ્યો નથી. સંકલ્પ-વિકલ્પે જ જીવનું ભૂંડું કર્યું છે. સંકલ્પ Page #454 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૩ ૩૫૭ વિકલ્પ વડે કર્મની પ્રકૃતિને અનુસરીને કર્મના ઢગલા બાંધી નાખે છે. સત્સંગમાં—શીતળ શાંત મહાત્માની વિદ્યમાનતામાં—આત્માનો ભાવ, ઉપયોગ સંકલ્પવિકલ્પ તજી જ્ઞાનીનાં વચનમાં જોડાય, તેમાં લીન થાય ત્યાં કોટિ કર્મ ખપે છે. આત્મા કેવી અપૂર્વ વસ્તુ છે ! બીજા નાશવંત પદાર્થો માટે જેટલી કાળજી છે, તેટલી પણ આત્મા માટે નથી. યુગલિયાનું સુખ, ચક્રવર્તીનું, ઇન્દ્રનું અને અહમિન્દ્રનું જે સુખ છે તે બધા કરતાં અનંતગણું સુખ સિદ્ધને એક સમયમાં છે. સિદ્ધ સમાન સર્વ આત્મા છે, પણ પોતાના સુખને પામવા કાળજી ક્યાં છે ? વિશ્વાસ, શ્રદ્ધા ક્યાં છે ? કેટલાં બધાં પુણ્ય વધ્યાં ત્યારે મનુષ્યભવ મળ્યો છે ! તેથીય કેટલી બધી પુણ્યાઈ વઘી ત્યારે સત્પુરુષનો જોગ મળ્યો છે ! હવે દાવ આવ્યો છે, લાગ આવ્યો છે. જાગૃત થઈ જાઓ. પ્રમાદથી અનંત કમાણી હારી ન જાઓ. આત્માને ઓળખી લેવા પુરુષાર્થ કરો. દુર્લભ સત્સંગ સફળ કરી લો. આત્માને ઓળખવા ગુરુગમ જોઈએ. દિવ્યચક્ષુથી આત્માની ઓળખ થાય. આ ચર્મચક્ષુથી તો આ મોતીભાઈ, આ માણેકભાઈ, આ ભાઈ, આ બાઈ, આ નાનો, આ મોટો, આ વાણિયો, આ બ્રાહ્મણ આદિ દેખાય છે. પણ દિવ્યચક્ષુ આવે છે તેને તો આ બધું જે દેખાય છે તે પુદ્ગલ, જડ દેખાય છે. તેને જોનાર-જાણનાર આત્મા બધામાં પ્રત્યક્ષ જુદો સૌથી પ્રથમ ભાસે છે. હેડમાં પુરાયા છો. બંદીખાને પડચા છો. જેમ તેમ કાળ પૂરો કરો છો. બહુ દુ:ખ છે સંસારમાં. ત્યાં જો આત્મજ્ઞાન ન થયું તો દુ:ખ મટનાર નથી. માટે મળેલો જોગ સફળ કરવા જાગૃત થાઓ. મોહનિદ્રાને દૂર કરો. ઇંદ્રિયોરૂપી શત્રુઓને શત્રુ જાણી તેમનો પરાજય કરો. જ્ઞાન, ધ્યાન તે આત્મા છે. વિચાર, ઘ્યાન તે આત્મા છે. સત્સંગમાં બોધ સંભળાય છે, ત્યાં જે લાભ થાય તે દેખાતો નથી. હમણાં હજાર બે હજાર રૂપિયાનો લાભ થાય તો તે દેખાય છે. એવા લાભ લેવા માટે જીવ દોડીને જાય. પણ અહીં કર્મો નાશ થઈ જાય, ભવ કપાઈ જાય, તેવી કમાણી છે તે દેખાતી નથી. એટલે જીવને સત્સંગ પ્રત્યે વિશ્વાસ, પ્રેમ, ઉલ્લાસ, અલૌકિક ભાવ આવતો નથી. સંકલ્પ-વિકલ્પે ભૂંડું કર્યું છે. જરા વાર મન નવરું નથી. કર્મના ઢગલા બાંધ્યા કરે છે. કોઈ વેપારી હોય તે કાગળ લખે કે પચાસ માટલાં ગોળનાં મોકલજો, બસો પાંચસોનો અમુક માલ મોકલજો. એમ આખો કાગળ અમુક અમુક વસ્તુઓ મોકલજો એવા લખાણથી ભર્યો હોય; પણ છેલ્લી એક લીટી એમ લખે કે ઉપર લખેલી કોઈ ચીજ મોકલશો નહીં, તો ? આખો કાગળ લખેલો નકામો કર્યો. તેમ આ જીવ સંકલ્પ-વિકલ્પથી કર્મના ઢગલા બાંધ્યા કરે છે કે આમ કરું ને તેમ કરું. તેવામાં સત્સંગમાં સાંભળેલું એક વચન જો યાદ આવી જાય તો મન તે કલ્પનાઓ કરતું મોળું પડી જાય કે ઉદાસીન થઈ જાય. ત્યાં આત્મભાવ તરફ વળે તો આસ્રવમાં સંવર થાય. કમાણીના ઢગલા થઈ જાય. સત્સંગમાં સાંભળેલ બોધ એવી રીતે જીવને અપૂર્વ હિત કરનાર છે. * Page #455 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ઉપદેશામૃત તા. ૧૦-૬-૩૪ ઉપયોગ એ આત્મા છે. માટે તેને ઓળખો. સહજ સુખ આત્મામાં છે. ઉપયોગ આત્મા તરફ વાળો ત્યારે સહજસુખ પ્રગટે છે. તે ઉપયોગ હાલ શુભ કે અશુભ છે, શુદ્ધ નથી. જગતમાં જ્યાં ત્યાં પરપદાર્થોમાં ઇન્દ્રિય-વિષયોમાં ભટકે છે. તેથી બંઘન થયાં છે, ભવભ્રમણ થયાં છે. મન, વૃત્તિ જ્યાં ત્યાં ભટકે છે; તો મનને જીતો, વૃત્તિઓને રોકો. જગતના પદાર્થોમાંથી ઉપયોગને આત્મા ઉપર વાળો. “સહુ સાઘન બંઘન થયાં.” આત્મા જોવો. હાડકાં ચામડાં લઈને સી ફરો છો; તો હાડકાં, ચામડાં, વગેરે બાહ્ય પદાર્થો ન જોતાં તે બધાને જોનાર અને જાણનાર એવો આત્મા જોવો. તો લાભના ઢગલા થશે, રાગદ્વેષ થશે નહીં. | મુમુક્ષુ–ઉપયોગને આત્મામાં લાવવો શી રીતે ? આત્મા તો જાણ્યો નથી. ત્યારે બધેથી ઉઠાવી વાળવો ક્યાં ? પ્રભુશ્રી–ઉપયોગને વાળવો આત્મામાં–આત્મા જાણ્યો નથી ત્યાં સુધી આત્મા જાણ્યો છે એવા જ્ઞાનીમાં વિશ્વાસ રાખો–તેવા ભેદી બતાવે ત્યાં. પણ ખામી શાની છે ? વૈરાગ્યની, બોઘની, પ્રમાદ, આળસ અને વૃત્તિઓ ભટકતી ફરે છે તે રોકો. “કર વિચાર તો પામ.’ ‘જબ જાએંગે આતમા, તબ લાગેંગે રંગ.' મોહનિદ્રામાં સૂતો છે, તેને જાગૃત કરો. ઉપયોગ શુભ-અશુભ થાય છે, ત્યારે શું શુદ્ધ નહીં થાય ? અવશ્ય થશે. સિદ્ધ સમાન સર્વ આત્મા છે. પુરુષાર્થ કરો, સપુરુષાર્થ કરો. ભવસ્થિતિ આદિ તોફાન જવા દો. સપુરુષાર્થ કરો. દીપોત્સવી, સં. ૧૯૯૦ અમે અમારું હૃદય જણાવીએ છીએ. અમને તો રોમરોમ એક એ જ પ્રિય છે. પરમ કૃપાળુદેવ એ જ એક અમારી જીવનદોરી છે. તેમના ગુણગ્રામ થાય ત્યાં અમને ઉલ્લાસ આવે છે. અમારું તો સર્વસ્વ એ જ છે. અમને એ જ માન્ય છે. તમારે એવી માન્યતા કરવી એ તમારો અધિકાર છે. મહાભાગ્ય હશે તેને એ માન્યતા થશે. સરળતાથી જણાવીએ છીએ કે જેને એ માન્યતા થશે તેનું કલ્યાણ થઈ જશે–બાળાભોળાનું કામ થશે. શ્રદ્ધા, વિશ્વાસ, પ્રતીતિ થશે તેનું ભવભ્રમણ મટી જશે. એમ દ્રઢ કરવું કે મેં તો આત્મા જાણ્યો નથી, પરંતુ યથાતથ્ય જ્ઞાની પરમકૃપાળુદેવે અને અનંતા જ્ઞાનીએ જામ્યો છે તેવો મારો આત્મા છે. પરમકૃપાળુદેવે જે આત્મા દીઠો છે, તે જ મારે માન્ય છે. તે પ્રાપ્ત કરવા તેમનું જ શરણ મારે પકડવું છે. આટલો ભવ મારે તો એ જ કરવું છે, એ જ માનવું છે, કે પરમકૃપાળુએ જે આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો તેવો મારો Page #456 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૩ ૩૫૯ આત્મા શુદ્ધ, સિદ્ધ સમાન છે. તેથી હવે મારે માન્યતા, વિશ્વાસ, શ્રદ્ધા, પ્રતીતિ રોમરોમ એ જ કરવી છે. આટલો ભવ એટલી જો શ્રદ્ધા થઈ ગઈ તો મારું અહોભાગ્ય ! પછી ગમે તો દુ:ખ આવો, રોગ આવો, ગમે તો દેહ છૂટી જાઓ પણ મારી એ શ્રદ્ધા અચળ રહો. સમકિત સાથે સગાઈ કીધી, સપરિવારશું ગાઢી; મિથ્યાતિ અપરાઘણ જાણી, ઘરથી બાહેર કાઢી.” ગમે તો નરકે જવાય તો આ ઘડીએ, પણ મારી શ્રદ્ધા બીજી નહીં થાય. વ્રત-નિયમ કરવાં એ તમારો અધિકાર છે. એ કર્મની પ્રકૃતિ છે. તે આત્મા નથી. “બ્રહ્મ સત્ય નાતુ મિથ્ય'– આત્મા સત્ અને જગત મિથ્યા. જ્ઞાની એ આત્મા છે, તેમની શ્રદ્ધા તે સમકિત છે, એ એક જ સત્ય છે. દિવસ હોય છતાં જ્ઞાની રાત કહે તો તે પ્રમાણે, પોતાના વિકલ્પો મૂકીને, રાત કહે એવી શ્રદ્ધાવાળા જીવો કૃપાળુદેવના વખતમાં હતા. એવી શ્રદ્ધા જોઈએ. જે જીવોને પરમકૃપાળુદેવની શ્રદ્ધા થઈ છે તેમના પ્રત્યે અમને પૂજ્યભાવ થાય છે, કારણ, સત્યને વળગ્યા છે. તેથી તેમનું કલ્યાણ થવાનું છે. તા. ૧૦-૧૧-૩૪ “અંતરંગ ગુણ ગોઠડી રે, જનરંજન રે લોલ; નિશ્ચય સમકિત તેહ રે, દુ:ખભંજનો રે લાલ.” “અંતરંગ ગુણ ગોઠડી' એટલે શું ? “બહિરાતમ તજી અંતર આતમ-રૂપ થઈ થિર ભાવ, સુજ્ઞાની, પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અર્પણ દાવ, સુજ્ઞાની. સુમતિચરણકજ આતમ અરપણા.” પરમાત્મા કંઈ ગામ ગયો છે? બધાની પાસે છે. ચમત્કાર છે, ચેતી જાઓ. શ્રદ્ધા આવી ગઈ તેનો વઘારેમાં વધારે અર્થપુલ પરાવર્તનમાં મોક્ષ થવાનો જ. માટે શ્રદ્ધા અચળ કરો. મુમુક્ષુ-શ્રદ્ધા તો અત્રે છે તે બઘાને છે. પ્રભુશ્રી–બઘાને શ્રદ્ધા છે તો મોક્ષ પણ બઘાનો છે. શ્રદ્ધા સાચી જોઈએ. મુમુક્ષુસાચી શ્રદ્ધા કોને કહેવી ? પ્રભુશ્રી–જેવો જ્ઞાનીએ આત્મા જાણ્યો છે તેવો મારો આત્મા છે, તે માટે માન્ય છે, અને હું તો જ્ઞાનીનો દાસ છું, એમ સાચા જ્ઞાનીની શ્રદ્ધા થાય તેનો મોક્ષ થાય જ. ઘણા જીવોનો ઉદ્ધાર થઈ જશે. હજુ એક પણ નમસ્કાર કર્યો નથી. એક વાર પણ દર્શન કર્યા નથી. બોઘ સાંભળ્યા છતાં હજી સાંભળ્યો નથી. યોગ્યતાની કચાશ છે. યોગ્યતા આવે જ્ઞાની બોલાવીને આપી દેશે. આત્મા તો જ્ઞાની જ આપશે. દ્રષ્ટિ ફરે તો બીજું જ જણાય; જગત આત્મા રૂપ જોવામાં આવે. ચર્મચક્ષુએ જણાય છે તે પર્યાયવૃષ્ટિ છે. જ્ઞાનચક્ષુ આવ્ય આત્મા જોવાય. Page #457 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ઉપદેશામૃત ‘સમાં ગોમ મા પHE' સમય માત્રનો પ્રમાદ કર્તવ્ય નથી. ઉપયોગ આત્મા તરફ વળે, સ્મરણ તરફ વળે ત્યાં કોટિ કર્મ ક્ષય થઈ જાય. માટે સમય માત્ર પણ ઉપયોગ અન્ય સ્થળે ન ભમે તે માટે પુરુષાર્થ કરો. વહી જતા અમૂલ્ય સમયને ઉપયોગમાં લેવા જાગૃત થાઓ. કોટિ કર્મ ક્ષય કરવાનો આ અવસર છે. તા. ૧૩-૧૧-૩૪ આ જીવ સપુરુષનો-જ્ઞાની પુરુષનો પ્રગટ ચોર છે એમ કહેવાય છે, એ વાત તમને કેમ લાગે છે? | (ચર્ચા થયા પછીનો ઉપદેશ) શુદ્ધ આત્મસ્વરૂપ છે તે પોતાનું છે. તે જ્ઞાનીએ જાણ્યું છે. તે છોડીને મારો હાથ, મારો પગ, મારું શરીર એ આદિ પર વસ્તુનું અને પર ભાવનું ગ્રહણ તે ચોરી છે. પોતાની વસ્તુ મૂકી પારકાની ગ્રહણ કરવી તે ચોરી છે. શુભ-અશુભ ભાવ તે ચોરી છે. માત્ર શુદ્ધભાવ પોતાનો છે. આખું જગત મોહનિદ્રામાં સૂતું છે, ઊંઘે છે. સત્પરુષનાં વચન તે ઊંઘમાંથી જાગૃત કરનાર છે. સત્સંગમાં તે વચનો-બોઘ સાંભળતાં કોટિ ભવ નાશ પામે છે. પાપનાં દળિયાં સંક્રમી જઈ પુણ્યરૂપ થઈ જાય છે. “ઝબકે મોતી પરોવી લે, નહીં તો ઘોર અંધાર.' માટે ચેતી લેવું. જ્ઞાનીને તો હવે તમને ઉઠાડવા છે, ઊંઘવા દેવા નથી. માટે જાગૃત થાઓ, ચેતી જાઓ, આત્માને ઓળખો. જન્મ, જરા ને મરણ; જન્મ, જરા ને મરણ—એ જેવાં બીજાં કોઈ દુઃખ નથી. આમાંથી કોને એ દુઃખ નથી? ચક્રી, ઇન્દ્ર આદિ સર્વ દુઃખી જ છે. આખો લોક ત્રિવિધ તાપથી બળે છે. મારું મારું માન્યું છે. પણ એક કાળે તો જરૂર બધું મૂકવું પડશે. સોય સરખી સાથે આવશે નહીં. બધાં કામ અધૂરાં મૂકીને જવું પડશે. પૂરાં કોઈનાં થયાં નથી. માટે ચેતી લો. કાચની શીશી ફૂટી જાય તેમ આ દેહ ફટાક થઈ ફૂટી જશે. પછી આવો જોગ ક્યાંથી લાવશો? મનુષ્ય ભવ બહુ દુર્લભ છે. તમારી પાસે શું છે ? ભાવ છે, ઉપયોગ છે, આત્મા છે. આ રકમ તમારી છે, મુદ્દાની છે. તમારી દરેકની પાસે છે. તેની ઓળખાણ કરો. તેની ઓળખાણ અહીં સત્સંગમાં જ થશે. સ્વભાવ મૂકી વિભાવમાં પરિણમ્યા છો, શુદ્ધ ઉપયોગ મૂકી અશુદ્ધ ઉપયોગમાં રમો છો અને પરમાત્મસ્વરૂપ મૂકી બહિરાતમતામાં રમણતા છે, તે બધું પરનું ગ્રહણ એટલે ચોરી છે. સત્સંગ પ્રત્યે અલૌકિક ભાવ થાય તો જ આત્માની ઓળખાણ થાય. એક આત્મા, આત્મા ને આત્માની જ વાત. આટલો ભવ આત્માને માટે જ ગાળવો. આત્માને સંભાળો. સત્પરુષને શોધી તેના એક પણ વચનને ગ્રહણ કરો, પકડ કરી લો. એ તમારી સાથે આવનાર છે. આજ્ઞાથી જે જે સાઘન મળ્યાં છે તે મોક્ષ આપનાર થશે. સામાયિક લૌકિક રીતે ભલેને Page #458 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ--૩ ૩૬ ૧ હજારો કરો; પણ જ્ઞાનીની આજ્ઞાથી તો પાંચ-દશ મિનિટ પણ આત્માને માટે ગળાય તે દીવો કરશે. “વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ઘર્મ પૂર્ણ સત્ય છે.” વીતરાગ કહેતાં મતમતાંતર કોઈ રહ્યો નહીં. આ પાઠ ચમત્કારી છે, રોજ ભણવા જેવો છે. મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ.” આ એક દોહરામાં ય ચમત્કાર છે ! પડપડિયું, ઉપર ઉપરથી મોઢે કર્યું હશે તો પણ સપુરુષથી કોઈક વખત મર્મ સમજાયે દીવો થઈ જશે. એવાં ચમત્કારિક આ પુરુષનાં– પરમકૃપાળુનાં વચનો છે. “આત્મા છે' એ આદિ છ પદનો પત્ર અપૂર્વ છે ! અલૌકિક ભાવ થવા જોઈએ. “સમ્મી ન રેડ્ડ પાવ' જ્ઞાની આત્મા છે. કર્મ જડ છે. જ્ઞાની જડને પર જાણી ગ્રહણ કરતા નથી. “જિન સોહી હૈ આતમા, અન્ય હોઈ સો કર્મ; કર્મ કરે સો જિનબચન, તત્ત્વજ્ઞાનીકો મર્મ.” આ જીવને જરૂર છે ભેદજ્ઞાનની. વજની ભીંત પડે તો આ પાણી આ બાજુ અને પેલાં પાણી પેલી બાજુ, જુદાં ને જુદાં. બોઘ જોઈએ. તો જડ ને ચેતન એક મનાય નહીં, જુદાં ને જુદાં જ ભાસે. અંધારામાં દીવો લાવે તો અજવાળું થતાં વાર ન લાગે. આ મારો દેહ, આ મારું ઘર—બધું મારું મારું' કરતો હતો તે ફર્યું. અને મારું તો ચેતન્ય, જડ કોઈ કાળે મારું નહીં; તેમાંથી હું ભિન્ન ભિન્ન ભિન્ન–એમ ભેદજ્ઞાન થયું તેનો મોક્ષ થયો. સમજણ ફરી જવી જોઈએ. જ્યાં ત્યાં જોઈએ છે બોઘ. તે હોય તો સમજણ ફરશે. સમજ્ય છૂટકો છે. સમજે તો સુગમ છે, નહીં તો મહા દુષ્કર છે. સમજણ સત્સંગથી થાય છે. અનાદિથી સંજોગને આત્મા માન્યો છે. તે પકડ મૂકવી પડશે. ફક્ત આત્મા, આત્માની પકડ. આત્માની કેવી સત્તા છે ! આત્મા કેવો છે ! આત્માને જાણવાનો અવસર આવ્યો છે. એક ભાઈ સામાયિકમાં ગયો. સામાયિક પૂરું થાય એટલે નાટક જોવા મિત્રની સાથે જવાના વિકલ્પમાં સામાયિકી કાળ ગયો. બીજો ભાઈ વ્યાવહારિક કામને લઈને સ્મશાનમાં ગયો, પણ ભાવ સામાયિકના, તેની જ ચિંતના. બીજે દિવસે ગુરુએ કહ્યું : સામાયિક તો સ્મશાનમાં ગયો તેને થયું, તપ તેને થયું. પહેલાને કર્મ બંઘાયાં. નવરાશ મળી ત્યારે નખોદ વાળ્યું! તા. ૧૬-૧૧-૩૪ શ્રીમદ્ રાજચંદ્રમાંથી વાંચન : - જે જીવો મોહનિદ્રામાં સૂતા છે તે અમુનિ છે. મુનિ તો આત્મવિચાર કરી સદાય જાગૃત રહે. પ્રમાદીને સર્વથા ભય છે; અપ્રમાદીને કોઈ રીતે ભય નથી.” પ્રમત્ત કોને કહેવાય? અપ્રમત્ત કોને કહેવાય ? Page #459 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ ઉપદેશામૃત આત્મભાવમાં રહે તે અપ્રમત્ત. વસ્તુને પામેલા એવા આત પુરુષમાં વૃત્તિ, પરિણામ લઈ જવાં તે અપ્રમત્ત થવાનું કારણ છે. સત્સંગમાં બોઘ સાંભળ્યો હોય તે પ્રમાણે આ મારું નહીં, આ મારું નહીં, એમ ભેદ પાડે એટલે ભેદજ્ઞાન હોય તો અપ્રમત્ત થવાય. વિષય-કષાય મોટા શત્રુ છે. વિષયો બહારથી ત્યાગ્યા તેનું ફળ છે. પણ અંતરથી ત્યાગ ન થાય ત્યાં સુધી કામ થાય નહીં. ઝાડ ઉપર ઉપરથી કાપવામાં આવે તો મૂળ રહે ત્યાં સુધી ફરી ઊગે, નાશ ન પામે; પણ મૂળમાંથી છેદ થાય તો જ ફરી ઊગે નહીં. તેમ વિષયકષાય અંતરના નિર્મળ કરવા, વૃત્તિનો ક્ષય કરવા પુરુષાર્થ કરવો. એહી નહિ હૈ કલ્પના, એહી નહીં વિભંગ; જબ જાગેંગે આતમાં, તબ લાગેંગે રંગ.' દીવાથી દીવો થશે. આપ્તપુરુષ એ દીવો છે. તેમાં વૃત્તિ, પરિણામ કરવાથી દીવો થશે. આળસમાં, પ્રમાદમાં, ગફલતમાં જાય છે. “પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.” કાલ કરતો હોય તો આજ કર. કાળનો વિશ્વાસ નથી. આત્મા જોવો હોય; પણ ગુરુગમ વિના શી રીતે જવાય? ત્યાં તો તાળાં દીધાં છે. એટલે ચાવી વગર દરવાજા શી રીતે ખૂલે? ‘પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત.” આ વાત ત્રિકાળમાં ફરે એમ નથી. ગુરૂગમ જોઈશે જ. તા. ૧-૧૧-૩૪ મોટામાં મોટા શત્રુ પાંચ વિષય અને ચાર કષાય છે. તેના પ્રત્યે કટાક્ષ દ્રષ્ટિ રાખવી. છ બારીઓવાળા એક મકાનમાં ઊભા રહી આખો દિવસ એક મૂકી બીજી, બીજી મૂકી ત્રીજી, એમ બારીઓમાંથી બહાર જ જોયા કરે તો અંદર શું છે તે દેખાય નહીં. તેમ પાંચ ઇંદ્રિયો અને મનથી આત્મા બાહ્ય વિષયમાં જ રત રહે છે ત્યાં અંદર શું છે તે શી રીતે જણાય? ઊભો છે અંદર, પણ દ્રષ્ટિ છે બહાર. તે દૃષ્ટિ અંદર કરવી. આત્મા જોવો. તો પોતાની વિભૂતિ સર્વ જણાય. પોતાની વસ્તુ તો આત્મા છે. સંકલ્પ-વિકલ્પ આદિ પોતાનાં નથી. આત્મા જુઓ, અંતરમાં જુઓ. બહાર જોવાથી બંઘન થયાં છે. મહેમાન છે, પરોણો છે. “વાની મારી કોયલ', એકલો છે, એકલો જશે. અત્યારે પણ હેડમાં છે. મહાપુણ્ય તે મનુષ્યભવ મળ્યો છે. બંઘનથી છૂટવાનો ઉપાય તે સત્સંગ અને સત્પરુષનો બોઘ છે. આત્માની વાત, વિચાર તે મનુષ્ય ભવમાં થાય છે. કોટિ ભવ નાશ થાય છે. બધું કલંક છે, સંજોગ છે, નાશવંત છે. એકલો આવ્યો ને એકલો જશે. હવે આત્માની સગાઈ કરો, તેને ઓળખો. સદ્ગુરુ વિના જ્ઞાન નથી. Page #460 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ--૩ ૩૬૩ તમે સિદ્ધ સમાન છો, આત્મા છો. ભાઈ નથી, બાઈ નથી. ‘પર્યાયવૃષ્ટિ ન દીજીએ.' જ્યાં દૃષ્ટિ નાખો ત્યાં આત્મા જોવો. જગત આત્મારૂપ જોવામાં આવે તો કેવું થઈ જાય ! પણ ગુરુગમ જોઈએ. વિષયકષાય તે તું નહીં. તું તો આત્મા છું. તારું એ કંઈ નથી, એ તો સંબંધ છે. સંબંધ છે તે છૂટી જાય. આત્મા છે, ભાવ છે, ઉપયોગ છે–દરેક પાસે. ખામી શાની છે ? ભાન નથી તેની. દૃષ્ટિ ફેરવ્યે જ ભાન થાય. વિકારવાળી દૃષ્ટિ થાય ત્યાં વૈરાગ્યવાળી દૃષ્ટિ કરવી જોઈએ. તે જ પુરુષાર્થ કર્તવ્ય છે. ‘નહીં, નહીં, નહીં,’ કરતાં બાકી રહે તે તું. જેને જોવો છે તેના ઉપ૨ ભાવ કરો તો તેવું પરિણમન થાય. ઉપયોગની બહુ જરૂર છે. ઉપયોગ ઓળખાણ પાડે છે. આ જડ અને આ ચૈતન્ય, એમ ઓળખાણ નથી. સર્વ ભૂલમાં મૂળ ભૂલ શું ? મિથ્યાત્વ. સંસારનું મૂળ મિથ્યાત્વ છે. જડને પોતાનું માનવું તે મિથ્યાત્વ. વસ્તુની ઓળખાણ નથી. હોય એ કહેવાણું નહીં અને બીજું કહેવાણું એ મૂળ ભૂલ, તે જ અજ્ઞાન. આત્મા સત્ છે તેને બદલે મિથ્યા જગત છે તેને સત્ કહે છે. આત્મા જોવાણો હોય તો જ્ઞાન કહેવાય. અન્યને પોતાનું માનવું અને પોતાને ભૂલી જવો, છે બીજું અને જોવું બીજું, એ ભૂલ નહીં ? આત્મા વગર આ બધું જોવાય ? માટે એને જુઓ. એના ઉપર ભાવ થાય તો તરત પરિણમે જ. એ જ જીવને કાળજી રાખવાની જરૂર છે. એને સંભાળવો, સ્મરણમાં યાદ લાવવો, એમાં ને એમાં ચિત્ત રાખવું. આ જ કર્તવ્ય છે. ચેતવા જેવું છે. દગો છે. આ બધું સાચું નથી. માયાની રોશની અસલ નથી, બનાવટ છે; પતંગનો રંગ છે, મજીઠનો નથી. જીવને સમજણ હોય તો મજીઠનો રંગ લાગે. આ કર્તવ્ય છે. ‘કર વિચાર તો પામ.’ વાત ચમત્કારિક છે ! ‘આત્મસિદ્ધિમાં બહુ વાત કરી છે. તા. ૩૦-૧૧-૩૪ “છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ; નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ.’ જેને દેહાધ્યાસ છૂટ્યો તે કરે છે છતાં નથી કરતા—ખાય છે છતાં નથી ખાતા, બોલે છે છતાં નથી બોલતા, ભોગ ભોગવે છે છતાં નથી ભોગવતા—આ આશ્ચર્ય તો જુઓ ! ત્યારે એને ભેદજ્ઞાન થયું ને ? છે જગતમાં અને જગતમાં નથી, છે દેહમાં અને દેહમાં નથી ! એ સમજણમાં ફેર પડી ગયો ને ! આ તો ‘સુખ આવ્યું, દુ:ખ આવી પડ્યું; પૂજા થઈ, સત્કાર થયો; વ્યાધિ આવી, મરણ આવ્યું' એમ માની બેઠો ત્યાં કર્તાભોક્તા થયો. કેવો છે પોતે ? સિદ્ધ સમાન—નહીં નાનો, નહીં મોટો. દૃષ્ટિ મેલીશ ? માત્ર સૃષ્ટિની ભૂલ છે. આ ભૂલ નથી નીકળી. બાળકની પેઠે બહાર જુએ Page #461 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ ઉપદેશામૃત છે; આ નથી જોતો. પર્યાય દેખીને તેને આત્મા માન્યો. “ઘરડો છું, દુખિયો છું'—એ બધું ખોટું માન્યું છે. તે મોક્ષસ્વરૂ૫ છો. એ જ ઘર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ.” તું આવો નથી. બાઘાપીડારહિત, અનંત જ્ઞાનદર્શનવાળો તું છું. વિશ્વાસ આવશે? ખોટું એને સાચું માનવું એ કેવી મોટી ભૂલ ! મૂળ વસ્તુ વિચારી નથી. અજર, અમર, અવિનાશી, શાશ્વતો ! નથી સ્ત્રી, નથી પુરુષ એવો તું આત્મા છું. અમે કહીએ છીએ તે સાચું માન. વિચાર આવ્યો તો આનંદ આનંદ થઈ જાય. શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ, સુખધામ; બીજું કહિયે કેટલું ? કર વિચાર તો પામ.” આ ત્રણ ગાથાઓમાં આમ પકડાવી દીધો છે. મરણકાળે આ ત્રણ ગાથાઓમાં ઉપયોગ જોડાયો તો કામ થઈ જાય. એનો ભેદી મળે અને પકડ થાય, વિચાર કરે તો પામે, સમાધિમરણ આવે. એક દિવસ દેહ તો પડશે, મરણ તો આવશે ત્યારે જોઈ લો ! જિહા સુકાઈ જશે, કાને સંભળાશે નહીં, આંખની સત્તા જતી રહેશે. અધૂરાં મૂકીને આવ્યો છે, અધૂરાં મૂકીને જવાનો, બઘા ગયા મૂકી મૂકીને. કાળ કોઈને છોડે છે ? મહેમાનો, અવસર આવ્યો છે. આ ચમત્કારિક ગાથા આત્માને સમજવા માટે છે. લોકદ્રષ્ટિમાં કાઢી નાખ્યું. અલૌકિક દ્રષ્ટિએ ના જોયું. મરણની વેદની છે ત્યાં બોઘ સાંભરી આવે તો કામ થઈ જાય. આવું દુઃખ ભલેને રહ્યું. પણ મારું તો આવું–શુદ્ધ, બુદ્ધ, ચેતન્યઘન, સ્વયજ્યોતિ સુખધામ, એવું–આત્મસ્વરૂપ છે. વેદની, રોગ, મરણ કોઈ મારાં નથી. એને જોનાર-જાણનાર જુદો પડ્યો–ભેદવિજ્ઞાનથી. “કર વિચાર તો પામ.” રોગ તો જ્ઞાની અજ્ઞાની બન્નેને ભોગવ્યે જ છૂટકો છે. પરંતુ જ્ઞાની કહે છે : “આથી બમણી વેદની આવને, તારા ઘરમાં હું રહીશ ત્યારે ને ? ક્ષમા, સહનશીલતા, સંતોષ, ઘીરજ, સમતા એ સુંદર આત્માના ઘરમાં હું રમણ કરીશ. પછી વેદની મને શું કરવાની છે ?” જ્ઞાની ભેદવિજ્ઞાનથી પરમાં પરિણમી જતા નથી. પરંતુ જ્ઞાતા-દ્રષ્ટા-સાક્ષી રહે છે, જ્યારા ને ન્યારા રહે છે. તા. ૨૬-૧૨-૩૪ આત્મા એ આખા જગતમાં સર્વોત્કૃષ્ટ વસ્તુ છે. આત્મામાં જે સુખ છે તે સંસારમાં ક્યાંય નથી. ઇન્દ્રનાં, ચંદ્રનાં સુખ પણ નાશવંત છે, માયા છે. ખરા સુખી એક જ્ઞાની છે. તે આત્મામાં રમણતા કરી રહ્યા છે. જ્ઞાની પાસે દિવ્યચક્ષુ છે. તેથી તે આત્મા જુએ છે. અન્ય જીવો બાહ્યદ્રષ્ટિથી પર્યાયને જુએ છે. ચર્મચક્ષુથી આત્મા જોવાય નહીં. આત્મા જોવાય શી રીતે ? Page #462 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ--૩ ૩૬૫ પૂર્વકર્મ અને પુરુષાર્થથી. પૂર્વકર્મ છે તો આ મનુષ્યભવ મળ્યો છે; સત્સંગ, સત્પુરુષનો જોગ આ બધું મળ્યું છે. તેથી હવે લાગ આવ્યો છે. તૈયાર થઈ જાઓ. પુરુષાર્થ કરો. સત્ અને શીલ એ પુરુષાર્થ છે. શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, અનંત સુખમય મોક્ષસ્વરૂપ પરમાત્મા-સિદ્ધ-સમાન સર્વ જીવો છે. જ્ઞાનીની ભક્તિસહિત સત્સંગમાં આત્માની વાત સાંભળવી એ પુણ્યનું કારણ છે—કોટિ કર્મનો નાશ થાય છે. માટે પુરુષાર્થ કરો. ઝબકે મોતી પરોવી લો. મરણ તો બધાને એક વખત આવશે. તે પહેલાં ચેતી જાઓ. ‘સમય ગોયમ મા પમાણુ' એ વાક્ય ચમત્કારિક છે. સમય માત્ર પ્રમાદ કર્તવ્ય નથી. ✰✰ તા. ૨૭-૧૨-૩૪ શાં શાશ્વતાં સુખ આત્માનાં છે ! કહ્યાં કહેવાય તેવાં નથી ! ઇન્દ્ર, ચક્રવર્તી આદિનાં સુખ, સર્વાર્થસિદ્ધિનાં સુખ પણ કંઈ હિસાબમાં નથી. સાંસારિક સુખ બધાં નાશવંત છે, પરાધીન છે. આત્માનું સુખ અનંત છે, સ્વાધીન છે. મોહનું પ્રાબલ્ય એટલું બધું છે કે આ શ્રદ્ધા અચળ થવા દે જ નહીં. મનુષ્યભવની દુર્લભતા કેટલી બધી છે ? ભાવ ફર્યા તો કેવળજ્ઞાન ! તે મનુષ્ય ભવમાં જ થાય છે. માટે આ મનુષ્યભવ સફળ કરી લેવા જાગૃત થાઓ, જાગૃત થાઓ. આ રોગ થયો છે, અશાતા વેદનીનો ઉદય થયો છે તે વખતે જો એવી સમજ રહે કે “આ રોગ તો દેહમાં થાય છે; તે તો કર્મ છે. તેને જોનાર જાણનાર એવો હું તો આત્મા છું. હું તો રોગાદિથી કેવળ ન્યારો છું. તે કર્મ ખપે છે ત્યાં મને થાય છે, એમ મારે કર્તવ્ય નથી. જ્ઞાનીએ જોયો છે, અનુભવ્યો છે એવો આત્મા તે મારો છે, તે હું છું. તે તો રોગાદિથી કદી પણ વિનાશ પામવા યોગ્ય નથી.'' આવી સમજ રહે, પોતાને દેહાત્મબુદ્ધિ છૂટી જ્ઞાતા-દ્રષ્ટા ભાવ રહે તો કર્મક્ષય થાય. પણ જો પોતાને થાય છે એમ માને, હર્ષ શોકયુક્ત થાય તો તે દેહાત્મબુદ્ધિથી નવીન એવી અનંત અશાતાનો બંધ પાડે. સમજ મોટી વાત છે. ભેદવિજ્ઞાન કર્મઅરિને છેદવા પ્રબળ અસિધારા છે. તા. ૨૫-૧-૩૫ રાગ-દ્વેષ અને મોહ એણે આખા જગતને વશ કર્યું છે. જન્મ-મરણ કરાવનાર મોટામાં મોટા શત્રુ એ છે. કોના ભાર છે કે એનો જય કરી શકે ? એક વીતરાગે એ અનાદિકાળના શત્રુ–રાગદ્વેષ અને મોહતેનો ચોટલો ઝાલીને ઝીંક્યા છે, ચૂરેચૂરા કરી નાખ્યા છે. ધન્ય છે તે અરિહંત વીતરાગને ! “ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયો, છતાં સિદ્ધિ થઈ નહીં.’’ તો કર્મ હવે ન બંધાય તે માટે શું કરવું ? જ્ઞાની પાસેથી ચાવી શું મળી છે જેથી કર્મબંધ ન થાય ? ‘સદ્દિદી ન રેફ પાવં' ચિંતામણિ જેવો આ મનુષ્ય દેહ મળ્યો છે. તેમાં ચહાય તે Page #463 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ ઉપદેશામૃત કરી શકાય છે. કોઈ એક ભેદી મળવો જોઈએ. તેનાથી સમજણ આવવી જોઈએ. “જ્ઞાની શ્વાસોચ્છવાસમાં કરે કોટિ કર્મનો છેદ.' સમયે ગોમ મા માઉસમય માત્રનો પ્રમાદ કર્તવ્ય નથી. જીવ ઊંઘમાં છે, તેથી કર્મ બંધાય છે. જાગૃત થાય તો કર્મ બંઘાય નહીં. “હે જીવ ! પ્રમાદ છોડી જાગૃત થા, જાગૃત થા. નહીં તો રત્નચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે.” કર્મ ન બંધાય તેનો ઉપાય હશે ને ? “હું” ને “મારું” જ્યાં મનાય છે ત્યાં કર્મ બંધાય છે. “હું” ને “મારું” જેને ટળી ગયું છે તેને કર્મબંઘ થતો નથી. આંટી પડી ગઈ છે તેને ઉકેલવી પડશે. યોગ્યતા નથી, નહીં તો આંખ મીંચીને ઉઘાડીએ એટલી વારમાં સમકિત થાય છે. પણ સિંહણનું દૂઘ માટીના વાસણમાં રહી શકે નહીં. સોનાનું વાસણ જોઈએ. માટે યોગ્યતા લાવો. યોગ્યતા એટલે સદાચરણમાં વર્તો. સદાચરણ તે સત્ શીલ અને આત્મભાવનાને પુરુષાર્થ કર્યા કરો. ચર્મચક્ષુથી જોવાય છે. તે મૂકીને દિવ્ય ચક્ષુ જોઈએ. “જગત આત્મારૂપ જોવામાં આવે આત્મા પહેલો હોય તો જગતમાં આ બધું જોવાય-જણાય છે. આત્મા ન હોય તો આ બઘાં મડદાં છે. તે આત્મા યથાર્થ તો અનંતા જ્ઞાની જે મોક્ષે ગયા, સિદ્ધ થયા તેમણે જાણ્યો છે. તેવો જ યથાર્થ આત્મા જ્ઞાની એવા સદ્ગુરુએ જાણ્યો છે. તેવી જ સિદ્ધ સમાન શુદ્ધ મારો આત્મા છે, તે જ મારું સ્વરૂપ છે. તેથી અન્ય આ જગતમાં કાંઈ મારું નથી. એમ “આતમભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે.' “વૃત્તિને ક્ષય કરવી.” “ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી.” સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય ભક્તિ છે, સ્મરણ છે. શ્રવણ કરવું તે પણ ભક્તિ છે. સ્મરણ છે તે હરતાં, ફરતાં, દરેક કામ કરતાં કરવાથી પણ ભક્તિ છે, આસ્રવમાં પણ સંવર થાય છે. ક્રોધ વખતે પણ આત્મા છે એમ સંભારાય; વઢવાડ થાય, તકરાર થાય, માંદો થાય, રોગ આવે–બઘી વખતે આત્મા છે' એમ આત્મા જોવાય તો કામ થઈ જાય. બઘાને જોનાર ને જાણનાર, બઘાથી ન્યારો ને ન્યારો જ છે તે જ આત્મા છે. તે મેં જાણ્યો નથી, પણ અનંતા જ્ઞાનીઓએ અને સદ્ગુરુએ જાણ્યો છે તે માટે માન્ય છે, એમ દૃઢ કરવા યોગ્ય છે. “હોત આસવા પરિવા, નહિ ઇનમેં સંદેહ, માત્ર તૃષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહ.” એમ હરતાં ફરતાં આસ્રવમાં પણ આત્મા સંભારાય તો સંવર થાય છે. જ્ઞાની પાસે એવી ચાવી છે કે દરેક પ્રસંગમાં હાલતાં ચાલતાં, બેસતાં ઊઠતાં, પગ મૂકતાં આત્મા જોવાય છે. “જગત આત્મારૂપ જોવામાં આવે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે.” રોગ આવે, મરણ આવે તોપણ જ્ઞાનીને મહોત્સવ છે. યોગ્યતા આધ્યે ચાવી મળે તો આત્મા દેખાય. “માત્ર દ્રષ્ટિકી ભૂલ હૈ” આત્મા સંભાળાય, સ્મરણ, ભક્તિ, એક શબ્દ “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળ જ્ઞાન રે' એમ સ્મરણમાં ઉપયોગ જોડાય તો કોટિ કર્મ ખપે છે. એક શબ્દ Page #464 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૩ ૩૬૭ સત્સંગમાં સાંભળતાં દશ હજાર વર્ષનું નરકનું આયુષ્ય તૂટે છે અને દશ હજાર વર્ષનું દેવનું આયુષ્ય બંઘાય છે. રચના જિન ઉપદેશકી, પરમોત્તમ તીનુ કાલ; ઇનમેં સબ મત રહત હૈ, કરતે નિજ સંભાલ.” પારકી પંચાત મૂકી જિન એટલે આત્માનો ઉપદેશ ત્રણ લોકમાં ઉત્તમ છે તેને સાંભળ અને કર લે નિજ સંભાળ. જિન સો હી હૈ આતમા, અન્ય હોઈ સો કર્મ; કર્મ કરે સો જિનબચન, તત્ત્વજ્ઞાનીકો મર્મ.” જિન છે એ આત્મા છે. અન્ય સર્વ જગતમાં દેખાય છે તે પુદ્ગલ છે; કર્મ છે. જિનવચન, જ્ઞાનીનાં વચન કર્મ કાપવામાં સમર્થ છે. એ તત્ત્વજ્ઞાનીનો મર્મ છે. જબ જાન્યો નિજરૂપકો. તબ જાન્યો સબ લોક; નહિ જાન્યો નિજરૂપકો, સબ જાન્યો સો ફોક.” આખા ગામની ફોઈ,' “પંચાતિયાનાં છોકરાં ભૂખે મરે.” એમ વિકથામાં કાળ ગુમાવી દેવામાં પોતાના રૂપને જાણ્યું નહીં તેથી જે જાણ્યું તે બધું ફોક. હવે તો તારા આત્માને સંભાળ. પર વસ્તુને સંગ્રહીને બેઠા છો તે ચોર છો. પોતાની વસ્તુ સંભાળો. સર્વ જીવ પ્રત્યે મૈત્રીભાવ, પ્રમોદભાવ, મધ્યસ્થભાવ, કરુણાભાવ ભાવો. હાલતાં ચાલતાં આત્મા જુઓ, સ્મરણ કરો. એહિ દિશાકી મૂઢતા, હૈ નહિ જિનપે ભાવ; - જિનસે ભાવ બિનુ કબૂ, નહિ છૂટત દુ:ખદાવ.” ભાવ જગતમાં છે તે ઉઠાવી જિન, શુદ્ધ આત્મા ઉપર કરો. જિન ઉપર ભાવ નથી, આત્મા જોવા લક્ષ નથી એ જ દિશાની મૂઢતા છે. આત્મા સંભાળો. તે ઉપર ભાવ વગર દુઃખદાવ છૂટશે નહીં. “વ્યવહારસે દેવ જિન, નિહચર્સે હૈ આપ; યે હિ બચનસે સમજ લે, જિન-પ્રવચનકી છાપ.” વ્યવહારથી જિન એ દેવ છે. નિશ્ચયથી “આપ–શુદ્ધ એવો પોતાનો આત્મા એ જ દેવ છે. એ વચનથી જિન પ્રવચનની છાપ સમજી લે. પરમ કૃપાળુદેવના આવા નાના નાના ટુકડામાં એવા એવા મર્મ ભર્યા છે, પણ ઘોળીને પી જવાયા નથી. તોપણ વિશ્વાસ અને પ્રતીતિ રાખશે એવા હજારો જીવોનું પણ કામ થશે. હાલતાં, ચાલતાં, હરતાં, ફરતાં, એક પગલું પણ ભરતાં, ગમે તો આસ્રવમાં પણ જો આત્મા જોવાશે તો સમાધિમરણ થશે. જોનાર ને જાણનાર આત્મા બઘાથી ન્યારો ને ન્યારો જ રહે છે તે અજર છે, અમર છે, અવિનાશી છે. એ જ્ઞાનીએ જાણ્યો છે, એવો જ મારો આત્મા છે તે માટે માન્ય છે. તેને સંભાળવો. Page #465 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ ઉપદેશામૃત આબુ, તા. ૨૬-૩-૩૫ આત્માનું અનંત સુખ છે. આત્માને ગષવો. તેનો વિચાર કર્યો નથી. નિવૃત્તિમાં આત્મવિચાર અને અપૂર્વ આત્મલાભ થઈ શકે છે. જ્ઞાનીઓ એટલા માટે નિવૃત્તિને જ ઇચ્છે છે. આબુ, તા. ૨૯-૩-૩૫, ફાગણ વદ ૯, ૧૯૯૧ “શ્રીમદ્ રાજચંદ્રમાંથી પત્રાંક ૪૩૧ નું વાંચન : આત્માપણે કેવળ ઉજાગર અવસ્થા વર્તે, અર્થાત્ આત્મા પોતાના સ્વરૂપને વિષે કેવળ જાગ્રત હોય ત્યારે તેને કેવળજ્ઞાન વર્તે છે એમ કહેવું યોગ્ય છે, એવો શ્રી તીર્થકરનો આશય છે.” ઉજાગર અવસ્થા એટલે શું ? સપુરુષના એકેક વાક્યમાં અનંત આગમ સમાયા છે. આ પત્રમાં ગહન અર્થ રહ્યો છે. સર્વ જીવો મોહનિદ્રામાં ઊંધે છે. જ્ઞાની જાગૃત થયા છે. જડ અને ચેતન બે પદાર્થો જ્ઞાનીએ જુદા જાણ્યા છે. અનાદિથી આ જીવ મોહનિદ્રામાં સૂતો છે. જ્યાં જ્યાં જન્મ્યો છે, ત્યાં ત્યાં લોલીભૂત, તદાકાર થઈ ગયો છે. દેહને પોતાનો માની તેની સાથે એકાકાર થઈ વર્યો છે. સંજોગ છે તેમાં હું ને મારાપણું જ્યાં ત્યાં કરી બેઠો છે. હું વાણિયો છું, પાટીદાર છું, બ્રાહ્મણ છું, સ્ત્રી છું, પુરુષ છું, સુખી છું, દુઃખી છું, દરજી છું, સુથાર છું એમ સંજોગ અને ઘંઘાને લઈને જે નામ પડ્યાં તેમાં હું ને મારાપણું કરી બેઠો છે. શું આ આત્માનું સુખ છે? આત્માનું સુખ તો અનંત છે. તે જ્ઞાનીએ જાણ્યું છે. “હું કોણ છું? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ?" આત્માની સંભાળ કદી લીધી નથી. એને સંભાળ્યો નથી. હવે ચેતી જવા અવસર આવ્યો છે. મનુષ્યભવ મહા દુર્લભ છે. આત્માની ઓળખાણ વગર અનંત ભવ ગયા. આ ભવમાં ઓળખાણ કરી લેવા અવસર આવ્યો છે. શીલવ્રત મહાવ્રત છે. સંસારસમુદ્રને કાંઠે આવી પહોંચેલાને તે વ્રત આવે છે. “નીરખીને નવયૌવના લેશ ન વિષયનિદાન—એ પદ અલૌકિક છે. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય અતિમાન.” યોગ્યતા વિના અટક્યું છે. ગુરુગમની સર્વ જીવોને જરૂર છે. તે વિના તાળાં ઊઘડે નહીં. સપુરુષની પ્રતીતિ, શ્રદ્ધા, વિશ્વાસની ખામી છે. “આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષઘ વિચાર ધ્યાન.” આત્મસિદ્ધિ' ચમત્કારિક છે, લબ્ધિઓથી ભરેલી છે. મંત્ર સમાન છે. માહાસ્ય સમજાયું નથી. છતાં દરરોજ ભણવામાં આવે તો કામ કાઢી નાખે તેમ છે. કેવળજ્ઞાન, પરમાર્થ સમ્યકત્વ, બીજરુચિ સમ્યકત્વ તો શું, પણ માર્ગાનુસારીપણું પણ હજી Page #466 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૩ ૩૬૯ આવ્યું નથી તો સમતિની શી વાત ? છતાં સમકિત સરલ છે, સુગમ છે, સહેલું છે. “સવને ના વિજ્ઞા’ સત્સંગમાં પરોક્ષ આત્માની શ્રદ્ધા થાય છે. તેમાંથી પ્રત્યક્ષ થાય છે. પ્રથમ પરોક્ષ કરવા સત્સંગ, સદ્ગોઘની જરૂર છે. આબુ, તા.૩૧-૩-૩૫ ‘જે જાણું તે નવિ જાણું, નવિ જાણ્યું તે જાણું'—જાણવા યોગ્ય એક આત્મા છે. અન્ય સર્વ છાંડવા યોગ્ય છે. હરતાં ફરતાં, બોલતાં ચાલતાં, જ્યાં નજર પડે ત્યાં એક આત્મા જોવાય તો કામ થઈ જાય. પરોક્ષ પણ માન્યતા એમ રહે કે મેં નહીં પણ મારા જ્ઞાનીએ તો આત્મા જોયો છે, બસ તેવો જ મારે માન્ય છે. આત્મા સિવાય અન્ય કાંઈ મારું નથી. એમ પરોક્ષ લક્ષ રહે તો તેમાંથી પ્રત્યક્ષ થઈ જશે. સંસાર આખો ત્રિવિઘ તાપથી બળી રહ્યો છે. તેમાંથી બચાવનાર એક સમકિત છે. તે કરી લેવા જાગ્રત થવા આ અવસર આવ્યો છે. તેની ભાવના રાખવી. સંત પાસેથી જે કંઈ સમજ મળે તે પકડી તે પ્રમાણે વર્તવા લક્ષ રાખવો. વીસ દુહા, ક્ષમાપના–આટલું પણ જો સંત પાસેથી મળ્યું હોય તો ઠેઠ ક્ષાયિક સમકિત પમાડશે; કારણકે આજ્ઞા છે, તે જેવી તેવી નથી. જીવે પ્રમાદ છોડી યોગ્યતાનુસાર જે જે આજ્ઞા મળી હોય તે આરાઘવા મંડી પડવું; પછી તેનું ફળ થશે જ. સત્ અને શીલા એ યોગ્યતા લાવશે. અને છેવટમાં કહી દઉં ? આ છેલ્લા બે અક્ષર ભવસાગરમાંથી બૂડતાને તારનાર છે. તે શું છે? તો ભક્તિ, ભક્તિ અને ભક્તિ. સ્વરૂપભક્તિમાં પરાયણ રહેવું. આબુ, તા.૧-૪-૭પ જ્યાં સુધી કાયા સારી છે ત્યાં સુધી ઘર્મ કરી લો; પ્રમાદ કર્તવ્ય નથી. મનુષ્યભવ મહા દુર્લભ છે. એકલો આવ્યો છે અને એકલો જશે. એક ઘર્મ સાથે છે. માટે ચેતી જાઓ. આવો જોગ ફરી મળવો દુર્લભ છે. આ શરીર સારું છે, ત્યાં સુધી તેનાથી કામ કરી લેવું. ભક્તિ કરવામાં આ મનુષ્ય દેહનો ઉપયોગ કરી લેવો. આ હાડકાં, ચામડાં, લોહી એ કાંઈ આત્મા છે? આત્મા અપૂર્વ વસ્તુ છે. તેનું સુખ અચિંત્ય છે. ખાતાં, પીતાં, હરતાં, ફરતાં એક ચાવી આવી ગઈ છે એવા જ્ઞાની બંઘાતા નથી. ક્રોધ, માન, માયા અને લોભ એ મોક્ષમાર્ગમાં જનારે મૂકવાનાં છે. લાખ વર્ષનું ચારિત્ર હોય, પણ ક્રોઘથી બળીને ભસ્મ થઈ જાય અને નરકે લઈ જાય એવો મહા વેરી ક્રોઘ છે. માન છે તે પણ મોટો વેરી છે. વિનય એ ઘર્મનું મૂળ છે. વિનય છે, લઘુતા છે–છોટા છે તે 24 Page #467 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ ઉપદેશામૃત મોટા થશે. માયાથી મૈત્રીનો નાશ હોય છે. જે સરળ છે એ ઘર્મ પામવાના ઉત્તમ પાત્ર છે. ઢોહો સવ્ય વિસ' લોભથી સર્વ નાશ પામે છે. લોભ છૂટ્યો તેને સમકિત પામવાનું કારણ થાય છે. ચારે કષાયોનો વિસ્તાર કરવામાં આવે તો પુસ્તક ભરાય. મોક્ષમાર્ગમાં આગળ વઘનારે તે બઘા મૂકવાના છે. હર્ષ-શોક કરવો નહીં. બધાંને ચાલ્યા જવાનું છે. સંયોગ છે તેનો વિયોગ થવાનો જ છે. આત્મા મરતો નથી. પર્યાયનો નાશ થાય છે. આત્મા અવિનાશી છે. તેની ઓળખાણ કરવાનો આ અવસર આવ્યો છે. દરરોજ નિયમિત ભક્તિ કરવી. વીસ દુહા, ક્ષમાપના, છ પદનો પત્ર, આત્મસિદ્ધિ, સ્મરણ, “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે' દરરોજ ફેરવવું. અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે.” તેનો અર્થ વિચારવો. ચમત્કારિક છે ! ભક્તિમાં મંડ્યા રહો. આ કાળમાં એક સમકિત સુલભ છે, સહેલું છે. શ્રદ્ધા, પ્રતીતિ, વિશ્વાસથી પકડ કરી લો. કાળનો ભરૂસો નથી; પંખીના મેળા છે. ઘર્મ થાય તેટલો કરી લો. આબુ, તા. ૨-૪-૩૫, રાત્રે આત્મસિદ્ધિ” અને “છ પદ'નો પત્ર ચમત્કારિક છે. લબ્ધિઓ પ્રગટે તેવું છે. રોજ ફેરવો તો પણ કર્મની કોડ આપે છે. નવે નિદાન અને અષ્ટસિદ્ધિ એમાં રહી છે. રાંકને હાથ રતન—બાળકને હાથ જેમ સોનામહોર હોય અને કાંકરો હોય તો બે ય સરખાં છે; તેમ યોગ્યતા વિના, અઘિકારીપણા વિના જીવોને તેનું માહાત્ય સમજાતું નથી. અલૌકિક ભાવે, અલૌકિક દ્રષ્ટિએ જોવું જોઈએ, તે જોવાતું નથી. કૃપાળુદેવે પ્રથમ ચાર જણને જ આત્મસિદ્ધિ આપી હતી, બીજા કોઈને વંચાવવાની, સંભળાવવાની, મુખપાઠ કરવા આપવાની મનાઈ હતી. માત્ર સૌભાગ્યભાઈએ એનું માહાસ્ય જાણ્યું હતું. આત્મા આમાં આપ્યો છે એમ તેમને સમજાયું હતું. અલૌકિક માહાભ્ય તેનું યોગ્યતા વિના લાગતું નથી. પાંચસો પાંચસો ગાથાઓનો સ્વાધ્યાય કરે તેના કરતાં આ સ્વાધ્યાય અલૌકિક છે ! ઝવેરીને જ નંગની કિસ્મત હોય છે; બાળકને તેની કિસ્મત હોય નહીં. આજ જેને હોય તેને મુખપાઠ કરવા આજ્ઞા મળી છે; કારણ કાળ કઠિન છે. યોગ્યતા આવે તો કામ થાય. જિજ્ઞાસા વઘારો, ખામી દૂર કરો. જિજ્ઞાસા જોઈએ તેવી નથી. એનો જ ખપી થાય તો એક ગાથામાં પણ ચમત્કાર છે. તેનું માહાત્મ સમજાય, અલૌકિક ભાવ આલે. ઓહો ! આ તો મારે મોઢે છે, એમ સામાન્ય કરી નાખી ભૂંડું કર્યું છે. ગહન અર્થથી ભરપૂર છે તે કોણે જામ્યો છે ? છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ, નહિ ભોક્તા તું તેહનો, એ જ ઘર્મનો મર્મ. Page #468 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૩ ૩૭૧ એ જ ઘર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાઘ સ્વરૂપ.” તેનો વિચાર ક્યાં કર્યો છે ? “કર વિચાર તો પામે.” આ લબ્ધિવાક્ય છે. જે લોકોત્તર દેવ, નમું લૌકિકથી,' એમ થયું છે. અલૌકિક ભાવે નમવું જોઈએ, અલૌકિક ભાવે જોવું જોઈએ. તેનું સામાન્યપણું થઈ ગયું છે. તેથી અલૌકિક ફળ કેમ થાય ? અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં તે જાગ્રત થઈ સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય.”–સમ્યગ્દર્શન આમ સુલભ છે! પણ વિચાર નથી આવ્યો. રોજ બોલી જાય છે, પણ ઊંડો ઊતરી વિચારતો નથી. લાખો કરોડો રૂપિયા હશે પરંતુ એક પાઈ પણ સાથે લઈ જવાનો નથી. આમાંનું કંઈ મુખપાઠ કર્યું હશે, રોજ ફેરવવાનું રાખ્યું હશે તો તે ધર્મ સાથે લઈ જશે. આબુ, તા. ૪-૪-૩૫ ભેદવિજ્ઞાનથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. આવાં હથિયાર છે; પણ લઈને વાપર્યા નથી. ચોખાં અને છોડાં જુદાં છે એમ જાણે છે તે છોડાં મૂકીને ચોખાને પ્રાપ્ત કરે છે. તેમ આત્મા અને કર્મ જુદાં છે એવા ભેદજ્ઞાનના અભ્યાસથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. આત્મા મરતો નથી, બળતો નથી, છેદાતો નથી, ભેદાતો નથી. આત્મા મરતો નથી એવો નિશ્ચય થઈ જાય તો કેવી નિરાંત થઈ જાય ! આ વચનો કાને પડે છે તે કેવાં મહાભાગ્ય ! કોટિ કર્મ અહીં ખપે છે. આ ભક્તિ છે. ભક્તિ એ જ ભવથી તારનાર છે. મનુષ્યભવ મહા દુર્લભ તેથી જ કહ્યો છે. વ્યાધિ થઈ નથી, વૃદ્ધાવસ્થા આવી નથી ત્યાં સુધી આત્માની સંભાળ લઈ લે. પૈસાટકા, માન-મોટાઈ, માસ્મતારું એ બઘી રાખે છે. પોતાનો એક આત્મા છે. લાખો રૂપિયા એકઠા કરશો તોપણ અહીં મૂકીને જશો; કોઈ સાથે લઈ ગયા નથી અને લઈ જવાના નથી. કમાણીના ઢગલા અહીં સત્સંગમાં થાય છે. વચનો સંભળાય છે તે પ્રમાણે આત્મા પરિણમી જાય ત્યાં કોટિ કલ્યાણ થાય છે. એકલો આવ્યો છે, એકલો જશે. લૂંટંલૂંટ લહાવો લઈ લેવાનો આ જોગ આવ્યો છે ! શું કરીએ ? અધિકારી નથી. ખામી શાની છે ? આ બધા ઊંઘે છે. હજુ જાગતા નથી. મોહનિદ્રામાં ઊંઘે છે એ ખામી છે. “જબ જાએંગે આતમા, તબ લાગેંગે રંગ.' લૌકિક ભાવમાં કાઢી નાખ્યું છે. અલૌકિક ભાવ આવ્યો નહીં. અનાદિથી ઊંઘમાં ગયું. હવે જાગૃત થાઓ. લૂંટંલૂંટ લહાવો લઈ લો. સમય માત્રનો પ્રમાદ કર્તવ્ય નથી. “સમર્થ ગોયમ મા પમાણ’ ફટાક લઈને શીશી ફૂટી જાય તેમ દેહ છૂટી જશે. Page #469 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ ઉપદેશામૃત “જાગ્યા ત્યાંથી સવાર;” ભૂલ્યા ત્યાંથી ફરી ગણો. આત્મા તો મરવાનો છે નહીં. ત્યારે તેની સંભાળ હવે લો. “સબ સબકી સંભાલો મેં મેરી ફોડતા હૂં.” પોતાની–પોતાના આત્માની સંભાળ આટલો એક ભવ લો. પાંડવોને શત્રુંજય પર્વત ઉપર શત્રુઓએ લોઢાનાં તપાવેલાં બખ્તરો પહેરાવ્યાં, ભયંકર ઉપસર્ગ કર્યો. પરંતુ પાંડવો દેહાધ્યાસ છોડી આત્મધ્યાનમાં તલ્લીન રહ્યા, આત્મધ્યાનમાં અચળ રહ્યા અને શિવપદને પામ્યા. પાંડવોએ શું કર્યું ? “આત્મા પોતાનો છે; તે તો અજર, અમર, દેહાદિ કર્મ નોકર્મથી ભિન્ન, જ્ઞાતા-દ્રષ્ટા, જ્ઞાન-દર્શન-ઉપયોગમય, શુદ્ધ બુદ્ધ એક સ્વભાવવાળો છે અને ઉપસર્ગ આદિ શરીરને થાય છે; આત્માને અને તેને આકાશ અને ભૂમિના જેટલું છેટું છે.” એમ ભેદજ્ઞાનથી આત્મધ્યાનમાં અચળ રહ્યા. - આપણા ઉપર પણ એવા ઉપસર્ગો આવશે. મરણ તો એક કાળે બઘાને આવશે. તો તે માટે તૈયાર થઈ જવું. ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો. સોનાને ગમે તેટલું અગ્નિમાં તપાવો તોપણ સોનાપણું તજતું નથી. તેમ જ્ઞાનીને રોગ, દુઃખ, કષ્ટ, ઉપસર્ગ, મરણ આદિના ગમે તેટલા તાપ આવી પડે તોપણ પોતાનો જ્ઞાનસ્વભાવ તે તજતા નથી. આબુ, તા.૫-૪-૩૫ બોઘની ખામી છે. સાંભળવાની જરૂર છે. સાંભળ સાંભળ કર્યો કોઈ વખત કરવા મંડી પડાશે અને કામ થઈ જશે. એક રાજા મરણ પામ્યો. તેનો કુમાર નાની ઉંમરનો હતો. તેને મારી નાખી રાજ્ય લઈ લેવાની પિત્રાઈઓએ જાળ રચી. પ્રધાને રાણીને વાત જણાવી. રાણી કુમારને લઈ નાસી છૂટી. કોઈ ગામમાં ખેડૂતને ત્યાં આવી રહી. તેનું કામ તે કરતી. કુમાર ખેડૂતનાં વાછરડાં ચારવા જંગલમાં ગયો. વાછરડાં છૂટાંછવાયાં જંગલમાં જતાં રહ્યાં. કુમાર તેમને ખોળતો ખોળતો એક ગુફા પાસે આવી પહોંચ્યો. ત્યાં એક મુનિને જોયા. તે મુનિ કેટલાક શિષ્યોને બોધ આપી રહ્યા હતા. તે સાંભળવા કુમાર બેઠો. બોધ બહુ મીઠો લાગ્યો. “આ બહુ સારું કહે છે, લાવ હું ય એમ કરું, એમ જ મારે કરવું છે.' એવા ભાવમાં તેના પરિણામ ઉત્તમ થયાં. વાછરડાં તો બઘાં પાછાં વળી ગયાં હતાં. તે ગુફામાંથી નીકળી ઘર તરફ આવતો હતો. ભાવ પરિણામ બોઘમાં હતાં, વેશ્યા ઉત્તમ હતી. ત્યાં રસ્તામાં વાથે પકડી મારી નાખ્યો. ઉત્તમ વેશ્યાના બળે મરીને દેવ થયો. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થયે ઘનાભદ્ર નામનો સુપ્રસિદ્ધ શ્રેષ્ઠીનો કુમાર થયો. તે ભવે ચારિત્ર પામી મોક્ષે ગયો. ૧. કેટલાક પુરબિયા ઉજાણી કરવા નદી-કિનારે ગયા હતા. દરેકે પોતપોતાનો જુદો ચોકો કરી રસોઈ કરી. પછી નદીમાં નાહવા માટે બધા ગયા. નાહીને પાછા આવ્યા ત્યારે એક પુરબિયાને શંકા પડી કે મારો ચોકો કયો હશે. તે નક્કી કરવા તેણે એક પથરો ઉપાડી બઘાને કહ્યું, “સબ સબકી સંભાલો મેં મેરી (હાંડી) ફોડતા હું, એટલે સી પોતપોતાની હાંડીઓ સંભાળી બેઠા. એટલે એણે પથરો નાખી દઈને પોતાનો ચોકો સંભાળી લીધો. Page #470 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૩ ૩૭૩ એક જ સત્સંગ થયો હતો. પરંતુ ભાવ, પરિણામ તે સત્સંગમાં ઉત્કૃષ્ટ થવાથી કામ થઈ ગયું. તેમ અહીં પણ સાંભળ સાંભળ કરતાં ભાવ પરિણામ તદ્રુપ થતાં કામ થઈ જાય એવો મહા દુર્લભ સત્સંગ છે. એવાં ભાગ્ય ક્યાંથી હોય કે જ્ઞાનીનાં વચનો કાને પડે ? “રાંકને હાથ રતન !' આબુ, તા.૨૪-૪-૩૫ શ્રીમદ્ રાજચંદ્ર'માંથી પત્રાંક ૫૭૦ નું વાંચન : અનિત્ય પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિયત્વ અને અવ્યાબાદ સમાધિસુખ ભાનમાં આવતું નથી.” સહજ સ્વરૂપ પોતાનું છે. આ દેખાય છે તે તો અનિત્ય છે, પુલ છે, જડ છે. ત્યારે હવે કોઈ છે ? બઘાને જાણનાર અને જોનાર છે તે આત્મા છે. તે નિત્ય છે. તેનું ઐશ્વર્ય અનંત છે. તેને કદી સંભાળ્યો નથી. તેની સંભાળ પડી મૂકી પારકી પંચાતમાં જગત આખું પડી ગયું છે. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ અસહજ થઈ ગયો છે. અનાદિથી પોતાને ભૂલી ગયો છે. મરણ આવશે. પોતાનું માનેલું બધું મૂકવું પડશે. પોતાનું શું છે ? તે ઓળખી લેવા આ મનુષ્યભવ એ દાવ આવ્યો છે. ૦ ૦ ૦ ઠાકોર ગઈ કાલે આવ્યા હતા. આ ય ઠાકોર છે, આ ય ઠાકોર છે. બઘા આત્મા છે. કોઈ સ્ત્રી નથી, પુરુષ નથી, ઠાકોર નથી; આત્મા છે. ગઘેડાનું પૂંછડું પકડ્યું તે કેમ છોડાય ? મતિ અને શ્રુત અજ્ઞાન તો હજામ જેવાં છે તેની સલાહ લે છે. પોતાનું પકડેલું મૂકવું કઠણ છે. એ કરતાં તમે બધા ભાગ્યશાળી છો કે વસ્તુને પ્રાપ્ત કરેલ પુરુષને વળગ્યા છો. જહાજની પાછળ નાવડાં જોડ્યાં હોય તો તે ઠેઠ જહાજ જાય ત્યાં જાય છે. ગાડીની પાછળ ડબો જોડાયો, આંકડો ભરવાયો તો જ્યાં ગાડી જશે ત્યાં જવાશે. તેમ જેના હાથમાં દોર આવ્યો છે તે સંસારકૂપમાં ડૂબશે નહીં, પણ બહાર નીકળશે. શ્રદ્ધા એ ઘર્મનું મૂળ છે. આખો સંસાર ત્રિવિઘ તાપથી બળી રહ્યો છે. સર્વ જીવો જન્મમરણાદિ દુઃખમય પરિભ્રમણમાં રખડી રહ્યા છે. ત્યાં હવે શું કરવું ? તેમાંથી બચવા શું કરવું ? ૧. મુમુક્ષુ–સત્સંગ. ૨. મુમુક્ષુ–સસ્કુરુષની ભક્તિ. ૩. મુમુક્ષુ–સપુરુષના આશ્રયે વાસનાનો ક્ષય કરવાનો પુરુષાર્થ. ૪. મુમુક્ષુ–આત્માનો નિશ્ચય કરી લેવો. ૫. મુમુક્ષુ બાહ્ય અને અંતર પરિગ્રહને ત્યાગી જ્ઞાનીનાં ચરણમાં વાસ કરવો. Page #471 -------------------------------------------------------------------------- ________________ 3७४ ઉપદેશામૃત ૬. મુમુક્ષુ-સદ્ગુરુએ આપેલું સ્મરણ તેમાં આત્માને જોડેલો રાખવો. પ્રભુશ્રી–અપેક્ષાએ આપ સર્વેનું કહેવું યોગ્ય છે. અને આપ સર્વ જે પ્રમાણે બોલ્યા છો તે પ્રમાણે કરશો તો કલ્યાણ થશે. પરંતુ સર્વથી મોટી વાત એક જ છે. તે અનંતા જ્ઞાનીઓએ કહેલી કહીશું, તે અમને પણ સંમત છે. “સદ્ધી પરમ ’ સપુરુષની શ્રદ્ધા એ સર્વથી મોટામાં મોટી વાત છે. જો તે થઈ ગઈ તો જપ, તપ, ભક્તિ કંઈ ન થાય તો પણ ફિકર નહીં. શ્રદ્ધા એ મહા બળવાન છે. શ્રદ્ધા છે ત્યાં જપ, તપ, ભક્તિ આદિ સર્વ છે જ. માટે એક શ્રદ્ધા આ ભવમાં અવિચળ કરી લેવી. આ એક પકડ કરી લેશો તો કામ થઈ જશે. હજારો ભવ નાશ પામી જશે. દેવગતિ થશે. અનુક્રમે મોક્ષ થશે. કુળધર્મ કે કોઈ માનેલા ઘર્મ મારા નથી. બઘા સાથે લટકસલામ રાખવી. મારો ધર્મ આત્મા છે. સગાં કુટુંબી, પૈસાટકા કોઈ મારું નથી. ઘર્મ એક મારો છે. તે મારી સાથે આવશે. રોગ થાય, વ્યાધિ થાય તોય તેથી ભિન્ન, તેને જાણનાર એવો આત્મા જે સદ્ગુરુએ યથાર્થ જાણ્યો છે તે હું છું એમ આત્મભાવના રાખવી. આજથી નવો અવતાર આવ્યો છે એમ જાણવું–જાણે મરી જઈ ફરી જન્મ્યા. હવે મફતિયું જોઉં. કાંઈ મારું નથી, તો તેમાં લેપાઉં નહીં. જે આવે તેને જોનાર-જાણનાર તેથી ભિન્ન હું છું, એમ માની મફતિયું જોઉં. સત્સંગ અને બોઘ એ બે મોટી વાત છે. તેની ઇચ્છા રાખવી. તેથી સમજણ આવે છે, સાચી પકડ થાય છે. સમભાવથી મોક્ષ થાય છે. સત્સંગ, બોઘથી સમભાવ આવે છે. આબુ, તા.પ-૬-૩૫ જેણે સંકોચી લીધું છે તેને દેહમાંથી નીકળતાં વાર નહીં લાગે. જેણે જ્યાં ત્યાં પ્રેમ, પ્રીતિ, વાસના વિસ્તારી છે તે રિબાઈ રિબાઈને દેહમાંથી નીકળશે. યોગ્યતાનું વર્ણન થાય તેમ નથી. સત્પરુષાર્થ કર્યા રહો અને ઘીરજ રાખો. સંસારમાં દુઃખ, દુઃખ ને દુઃખ છે. તમે આ નથી. તમે આ સર્વથી જુદા જ્ઞાતા-દ્રષ્ટા આત્મા છો. તેને માનો. આ રાખનાં પડીકા ઉપર પ્રેમ, પ્રીતિ, મોહ ન કરો. પ્રેમ જ્યાં ત્યાં ઢોળી નાખ્યો છે, તે સર્વ સ્થળેથી ઉઠાવી એક આત્મા ઉપર લાવો. તમે એકલા જ છો. સોય સરખી પણ તમારી સાથે આવશે નહીં. માટે પરવસ્તુઓને પર જાણી તે પ્રત્યેથી મોહ મટાડો. વિકારનાં સ્થાનોમાં વૈરાગ્ય થાય તેવી પુરુષાર્થવૃષ્ટિ કરો. Page #472 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૩ ૩૭૫ આબુ, તા.૬-૬-૩૫ આત્મા જોવો હોય તો બઘામાં આત્મા જોવાય. નહીં તો આ વાણિયો, બ્રાહ્મણ, પાટીદાર, ઘરડો-જુવાન, સુખી-દુઃખી, રંક-રાજા, સ્ત્રી-પુરુષ, સારા-નરસો એમ જણાય ત્યાં કર્મ બંઘાય. આત્મા જોવાની દ્રષ્ટિ થયે અબંઘ દશા થાય. “માત્ર દ્રષ્ટિકી ભૂલ હૈ.' એ દ્રષ્ટિ આવે ક્યાંથી ? તો કે પુરુષના બોઘથી. પુરુષાર્થ કર્યા વિના કંઈ થતું નથી તો દ્રષ્ટિ ફેરવવાનો પુરુષાર્થ કરો. લવ સત્સંગનુંય માહાભ્ય અલૌકિક છે. સત્સંગથી, સદ્ગોઘથી વૃષ્ટિ ફરે છે; હાડકાં, ચામડાં, લોહી, પરુ આદિ દુર્ગઘમય દેહાદિ ઉપર વૈરાગ્ય આવે છે. વૈરાગ્ય એ આત્મા છે. વૈરાગ્ય, ઉપશમ એ મુમુક્ષુના હૃદયમાં સદાય જાગૃત હોય. ઠામ ઠામ આત્મા જોવો. આમ્રવના કામમાં સંવર થાય, દ્રષ્ટિ ફરી હોય તો. આબુ, તા. ૬-૩૫ દૃષ્ટિ ફેરવવાની જરૂર છે. દ્રષ્ટિ ફરે તો તેમ પરિણાય. “કથા સુણી સુણી ફૂટ્યા કાન.” ભણ્યો પણ ગણ્યો નહીં.” બોલ્યો પણ ન બોલવા જેવું કર્યું. વિચાર કર્યો નહીં. ખામી છે યોગ્યતાની, ભાવ ફેરવવાની. ભાવ ફેરવી નાખે તો કમાણીના ઢગલા થાય. ડગલું ભરે તો મુકામે જવાય. બેઠો રહે અને ત્યાંની વાતો કરે છે તેથી મુકામે જવાય નહીં. ચાલવા ડગલું ભરે તો મુકામ આવે. “સાકર, સાકર' કર્યું સ્વાદ આવે નહીં, મોંમાં મૂક્યું સ્વાદ આવે. તેમ સિદ્ધ સમાન છું, અજર છું એમ બોલ્ય કામ થાય નહીં. ઠામ ઠામ દ્રષ્ટિ પડતાં ભેદ પડે, ઠામ ઠામ દ્રષ્ટિ પડતાં ભેદ પડે, ભેદજ્ઞાન હોય તો જ પરમાં પરિણમાય નહીં. ભેદજ્ઞાનથી ભેદ પાડવાનો પુરુષાર્થ ન કરે ત્યાં સુધી આત્મામાં પરિણમાય નહીં. વૃષ્ટિ દિવ્ય જોઈએ. ચર્મચક્ષુથી માર્ગ દેખાય નહીં; દિવ્યચક્ષુથી માર્ગ દેખાય. ભેદજ્ઞાન થાય, તે દિવ્યચક્ષુ, તે વિચાર છે. તેની જરૂર છે. પુરુષનો બોઘ પ્રાપ્ત થાય છે તેમાં ઊંડા ઊતરો, વિચાર કરો. ભાવ ફેરવી નાખો. ઠામ ઠામ ભેદજ્ઞાનથી ભેદ પાડો. શત્રુ-મિત્ર, બાઈભાઈ, સગાં-સંબંઘી, રોગ-શોક, ક્રોધ, માન, સંકલ્પ-વિકલ્પ વગેરે જે કંઈ આવે છે તે સર્વને જાણનાર તેથી ભિન્ન એવો આત્મા જ્ઞાની સદ્ગુરુએ જાણ્યો તેવો હું છું. આવે છે તે સર્વ જાય છે. રોગ આવે, વેદની થાય, મરણ આવે તો પણ સર્વ જાય છે; તેને જોનાર હું જુદો છું. માત્ર તેને જોયા કરવું. સંજોગો સર્વ આવે છે તે જશે. આત્મા કંઈ જવાનો છે ? તે આત્મા મારો છે. “ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે, પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતો નથી. એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી, સદા સર્વદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે.” એમ ભેદજ્ઞાનથી દિવ્યદ્રષ્ટિએ જોવાય ત્યાં કર્મ બંઘાય નહીં અને આત્માનું સુખ પ્રાપ્ત થાય. માટે કરવા યોગ્ય તો એક જ છે. તે શું ? તો કે પુરુષાર્થ. પુરુષાર્થ કર્યા કરો, ઉદ્યમ કરો–કામ થશે જ. ભરત ભર્યું હોય તે જેટલું ભરાયું તેટલું તો કામ થયું જ. તેમ પુરુષાર્થ કર્યો તે અલેખે નહીં જાય. ઘીરજ રાખવાની જરૂર છે. છેલ્લી વાત, એક પુરુષાર્થ જ કર્તવ્ય છે. Page #473 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ઉપદેશામૃત સમજીને સમાઈ જાઓ. પારકી પંચાતમાં ખોટી થયો છે. તું તારી પંચાતમાં પડ. મન, વચન, કાયા તારી પાસે છે; તેને જેમનું કરાવે તેમનું કરે. હવે તારી વારે વાર છે, એમ જ્ઞાની કહે છે. એક સપુરુષ શોઘો. તેમાં બધું આવી ગયું. વેપારીઓ જેમ કહે છે કે માલ ભર્યો છે તેને હવે ભાવ આવ્યો છે તો વેચી નાખવાની જરૂર છે. તેમ જેવા ભાવ તેવા પ્રભુ ફળે. નરદમ પુરુષાર્થની જરૂર છે. આબુ, તા.૮-૬-૩૫ “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી વાંચન “ભાઈ, આટલું તારે અવશ્ય કરવા જેવું છે.” આત્માની વાત થાય છે. તે સિવાય બીજી વાત નથી. બાહ્ય આત્મા છે, અંતરાત્મા છે અને પરમાત્મા છે. તેની ઓળખાણ કરવી જોઈએ. આત્માને ચેતાવ્યો છે. અંતરાત્માથી વિચાર કરવાનો છે; પરમાત્માની ભાવના કરવાની છે. જડનો ભાવ તે ચેતન નહીં અને ચેતનનો ભાવ તે જડ નહીં. સંજોગો મુકાય છે, પણ જીવપણું નહીં મુકાય. અજ્ઞાન શું છે? પોતાના શુદ્ધ સ્વરૂપનું ભાન નહીં તે. પણ તે ય આત્મા છે. અજ્ઞાન તે આત્મા, જીવ તે આત્મા, ભાવ તે આત્મા. પણ જડનો ભાવ આત્મામાં છે ? “ભાઈ, આટલું તારે અવશ્ય કરવા જેવું છે.” આ શુદ્ધ આત્મા જણાવે છે. બીજી તો બઘી માયા છે. માયા મૂકવી પડશે. માયાને મારું માન્યું છે તે મૂકવું પડશે. સંજોગ, સંબંઘ મારા માન્યા છે તે મૂકવા પડશે. કેવળ એક આત્મા છે. તેની સામગ્રી જાણવી જોઈએ. સર્વને જાણે છે તે એક આત્મા છે. પોતાનો સ્વભાવ શો છે ? જાણવાનો. જેમ છે તેમ નથી જાણ્યો એટલે સ્વભાવ મૂકી વિભાવવાળો થયો. નિર્મળ પાણી ન રહ્યું. મેલું રહ્યું. ત્યાં સંબંઘ એ અનાદિ કાળનો મેલ છે. તેથી છૂટવું છે. સ્વભાવમાં આવવું. તે માટે બોઘ જોઈશે, કાળજી જોઈએ. જીવને જાણવું શાથી થાય છે? જપ તપ કર્યા, સાઘન અનંત કર્યા– “યમ નિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો; વનવાસ લિયો, મુખ મૌન રહ્યો, દ્રઢ આસન પદ્મ લગાય દિયો. મનપીન નિરોઘ, સ્વબોઘ કિયો, હઠજોગ પ્રયોગ સુતાર ભયો; જપ ભેદ જપે, તપ ત્યોંહિ તપે, ઉરસેહિ ઉદાસી લહી સબપે.” “સબ શાનકે નય ઘારી હિયે, મત મંડન ખંડન ભેદ લિયે; વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પય.” Page #474 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૩ ૩૭૭ આટલું બધું કર્યું ! આ મનુષ્યભવ દુર્લભ છે. એવા મનુષ્યભવ પણ મળ્યા. ત્યારે ખામી શી રહી ગઈ ? નહિ ગ્રંથમાંહીં જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિ કવિચાતુરી, નહિ મંત્રતંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિ ભાષા ઠરી; નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવો સાંભળો.” જ્ઞાન તો જ્ઞાનીમાં જ કહ્યું. આત્મા આત્મામાં જ છે. અત્યારે તો કર્મ, પ્રકૃતિ, સંબંધ, વેદ કહેવાય. શુદ્ધ આત્મામાં જ્ઞાન કહેવાય. એ સ્વરૂપ કેવી રીતે જણાય ? આંખો હોય તો જણાય. અંધારામાં દીવો હોય તો જણાય. ‘પાત્ર વિના વસ્તુ ન રહે સિંહણનું દૂઘ સોનાના પાત્રમાં જેમ રહે તેમ એટલી દશા, હદ જોઈએ. આત્મા જોવાય જ્ઞાનચક્ષુથી. તે જ્ઞાનચક્ષુ ક્યાં ? જ્ઞાનચક્ષુ આવ્યાં શી રીતે ? અજ્ઞાની હતા તે જ્ઞાની શી રીતે થયા ? અજ્ઞાન ફીટીને જ્ઞાન થાય. તે શી રીતે થાય ? “ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે, પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતો નથી. એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી, સદા સર્વદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે.” ચૈતન્યપણું આત્મામાં છે. આ સંજોગ મળ્યા છે. આ બધું જોવાય શાથી? જ્ઞાનવિચારથી. પ્રથમ શું જોઈએ? સત્સંગ અને બોઘ. ભણ્યા તે વાંચી શકે; તેમ સત્સંગ અને બોઘથી અજ્ઞાનનાં વાદળાં ખસીને જ્ઞાનસૂર્ય દેખાય. દ્રષ્ટિ તો ફેરવવી જ પડશે. યોગ્યતાની ખામી છે. યોગ્યતા મેળવવી જોઈએ. યોગ્યતા કેમ મેળવાય? યોગ્યતા સમજણ વિના મળે નહીં. બોઘ થાય ત્યાં સમજણ આવે. ત્યાં યોગ્યતા આવે. “નવને બાળ વિUIળે’ શ્રવણ કરતાં વિજ્ઞાનપણું આવે. મુમુક્ષુ-શ્રવણ કરાવો. પ્રભુશ્રી–જ્ઞાનીએ કહેલું કહું. અમે તો જ્ઞાનીના દાસ છીએ. “આત્મસિદ્ધિ શાસ્ત્ર' શ્રવણ કરવા અવકાશ મેળવવો જોઈએ. અલૌકિક દ્રષ્ટિએ સંભળાય, સામાન્યપણું ન થઈ જાય તે લક્ષ રાખવા યોગ્ય છે. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.” સમજીને નમસ્કાર થાય એ જુદો. “જે સ્વરૂપ” તે આત્મા છે. તે સમજ્યા વિના સી ‘આત્મા' કહે છે તે ઓઘસંજ્ઞાએ. જે સ્વરૂપ સમજ્યા વિના “આત્મા, આત્મા' કહે છે તેના ભવ ઊભા થાય છે. અને આ તો સમજીને કહે છે તો જન્મમરણ છૂટવાનો માર્ગ છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. અંતરાત્માથી વચનો લખાયાં છે; તે અપૂર્વ છે. તેને નમસ્કાર કરવા યોગ્ય છે. Page #475 -------------------------------------------------------------------------- ________________ 3७८ ઉપદેશામૃત તમે આત્મા જોજો. તમે ઘરડા-જુવાન, નાના-મોટા, બાઈ-ભાઈ એ ન જોશો; પણ આત્મા જોશો. એમ કરો તો ભાવ ફરી જાય. જ્યાં ભાવ ફરી જાય ત્યાં કામ થઈ જાય. ધ્યાનમાં લેજો, આ વાત સામાન્ય કરી નાખશો નહીં. જે સ્વરૂપ સમજ્યા વિના અનંત દુ:ખ પામ્યો, તે સ્વરૂપ સમજાવ્યું તેને નમસ્કાર. જ્યાં આત્મા જોયો ત્યાં સમદ્રષ્ટિ કરવી પડી. સમજણમાં બીજું કર્યું. વૃષ્ટિ બીજી કરી. જેમ જેમ આત્મા જુઓ તેમ તેમ કર્મ ન બંઘાય; નહીં તો રાગદ્વેષ, ઇષ્ટ-અનિષ્ટ થાય છે, તેથી કર્મ બંધાય છે. વાત સમજણમાં છે. સમજ આવ્યું અને ધ્યાનમાં લેવાય ત્યારે આત્માની વાત સમજાશે. આત્મા પ્રત્યક્ષ કરવો છે. જ્ઞાનીને પ્રત્યક્ષ છે. ભાવથી કલ્યાણ થવાનું છે. ભાવે જિનવર પૂજિયે, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળજ્ઞાન.' ભાવ મોટી વાત છે. “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.” આત્મા તે જ ગુરુ છે. નિશ્ચય ગુરુ પોતાનો આત્મા છે. એના સામી દ્રષ્ટિ નથી આવી, ભાવ નથી આવ્યો; આવે તો કામ થઈ જાય. જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં; ત્યાં લગી સાઘના સર્વ જૂઠી.” એક ભેદી મળવો જોઈએ. તે જ સદ્ગુરુ ભગવંત છે. શાસ્ત્રમાં ગુરુગમ રહી ગઈ, તે ગુરુગમ અહીં કહેવાય છે. અસંગ અપ્રતિબંઘ એક આત્મા જ બતાવવો છે. એ ઉપર ભાવ જાય માટે એ ઉપર દ્રષ્ટિ નખાવવી છે. અનાદિકાળથી આમાં ગૂંચવાઈ રહ્યો છે. તે ગૂંચાળામાંથી આત્મા ઉપર દ્રષ્ટિ નખાવવી છે. દ્રષ્ટિ ફેરવવાની જરૂર છે. જ્યારે ત્યારે મૂકવું પડશે. વૃત્તિ ફરતી જ છે. હવે વૃત્તિને સ્થિર કરવી છે. બાહ્યવૃત્તિમાં રહી, બાહ્ય આત્મામાં રહી કામ શું વળે ? આત્મામાં વૃત્તિ વળે, અંતર આત્મામાં પરિણામ થાય અને તેથી સેંકડો ભવ છૂટી જાય એમ કરવાની જરૂર છે. માટે સમાગમ, સત્સંગ, બોઘ–એ મેળવવાની કામના રાખવી, એની ભાવના રાખવી. જીવ ખોટી થઈ રહ્યો છે બધેય. ક્યાંય ખોટી થઈ રહેવા જેવું નથી. એક આત્માને શાંતિ કરવી છે. “શાંતિ પમાડે તેને સંત કહીએ.” ખોજતાં ખોજતાં મળી આવશે. કાળ જાય છે. મનુષ્ય ભવ દુર્લભ છે. ક્ષણ લાખેણી જાય છે. આત્મા જોયો નથી. જ્ઞાનીના શરણાથી ભાવ સારા થાય. આબુ, તા.૯-૬-૩૫ જગતમાં માયાનું સ્વરૂપ છે. તેની બધી વાતો કરી પણ એક આત્મા વિષે “હું કોણ છું? Page #476 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૩ ૩૭૯ ક્યાંથી થયો ?' તે વાત મળવી દુર્લભ છે. કાનમાં પડે છે ત્યાં પાપનાં દળિયાં નાશ પામે છે અને પુણ્ય બંધાય છે. આત્માની વાત આમાં (આત્મસિદ્ધિમાં) કહે છે તે હવે આપણે સાંભળવી જોઈએ. વર્તમાન આ કાળમાં મોક્ષમાર્ગ બહુ લોપ થઈ ગયો છે; મોક્ષમાર્ગ બહુ દુર્લભ થઈ પડ્યો છે. પણ કોઈ આત્માર્થી, આત્માને ખપી હોય તેને માટે અહીં કહીએ છીએ. આપણે જોઈએ છીએ તે બધું માયા, મોહ, કર્મ, સ્વપ્ન. એ આત્મા ન હોય. આત્મા હવે જણાવવો છે. જે વિચક્ષણ હશે તે આ લક્ષમાં લેશે. અહીં બે ઘડી બેસવાનું થશે તેમાં કોટિ કર્મ ખપી જશે. બધું મૂકવાનું છે, તે આપણું નહીં. આપણો તો આત્મા. આત્માનું સુખ અનંત છે. તે સદ્ગુરુ જણાવે તો જણાય અને જન્મ-મરણથી મુક્ત થવાય. આખું જગત બાહ્યમાં પડ્યું છે; આત્મામાં કોઈ નથી. આત્માની ઓળખાણ કરવી છે. આત્મા સિવાય હુકમ, હોદ્દા, માન, મોટાઈ કંઈ પોતાનું નથી. તે તો બધું મૂકવું પડશે. દગો છે. આ જીવને અનંતા કાળથી પરિભ્રમણ થયું છે. પણ ધ્યાનમાં લીધું નથી. અંતરમાં આત્મા છે. મને કરી વિચાર કરે ત્યારે સમજ આવશે. અંતરમાં આત્માનો વિચાર કરાવવો છે. નહીં નહીં તું આ નહીં, તે આત્મા, આ બઘાથી જુદો છે. તેનો વિચાર કર. અનંત પ્રકારનાં કર્મ છે. તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય. જગત આખામાં તેનું રાજ્ય વર્તે છે. માન મોટાઈ, પૂજા સત્કાર એ કંઈ મારું નહીં. મારો એક આત્મા. જે ખપી છે તે તો ખાશેય નહીં અને પીશેય નહીં. તેનું ચિત્ત તો એક એમાં ને એમાં જ રહેશે. “પ્રીતિ અનંતી પરથકી, જે તોડે તે જોડે એહ.” પ્રેમ બધે વેરી નાખ્યો છે. તે બધેથી એકઠો કરી એક આત્મા ઉપર કરવો છે. “મારું મારું કહે છે તે ભૂલ છે, માયા છે, મોહ છે. અત્યારે મળેલો મનુષ્યભવ મહા દુર્લભ છે. તો આત્માની ઓળખાણ થાય એ જગા ઉપર જઈને ચેતી લેવું. - આબુ, તા. ૧૦-૬-૩૫ જ્ઞાની પુરુષના એક વચનની પકડ થાય તો ઠેઠ મોક્ષે લઈ જાય, સમતિ થાય. ઘણી વાર અમે કહ્યું છે, પણ કોઈએ હજુ પકડી લીધું નથી, વિશ્વાસ કર્યો નથી, પ્રતીતિ કરી નથી. પ્રેમ પ્રીતિ ત્યાં જ કરવી જોઈએ. પણ કોઈએ પકડી લીધું નથી. ઓહોમાં કાઢી નાખ્યું છે. અથવા તે વખતે આ સારું છે એમ કહી, પછીથી હરતાં, ફરતાં, ખાતાં, પીતાં, ઊઠતાં, બેસતાં બધે એ જ કરવાનું છે, તે ધ્યાનમાં લીધું નથી. ત્યાં કહ્યું ન કહ્યા જેવું કર્યું છે. આ ચર્મચક્ષુ છે, તેને બદલે દિવ્ય ચક્ષુ જોઈએ. “માત્ર તૃષ્ટિકી ભૂલ હૈ.' જ્ઞાનીઓ ચોખ્ખા શબ્દોમાં મર્મ કહી વહી ગયા છે. ખપી હોય તે તેની પકડ કરી લે. Page #477 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦. ઉપદેશામૃત આબુ, તા.૧૧--૩૫ આ સ્વપ્નાને સ્વપ્ન જાણવું. એક આત્માની વાત, તેમાં લક્ષ રાખવું. “આત્મસિદ્ધિ'માં વિશેષ ધ્યાન કાળજી રાખશો. જ્ઞાનીને તો તમને રોમેરોમ જગાડી દેવા છે. હું રાજા, હું રંક, હું મનુષ્ય, હું સુખી, હું દુખી આદિ અહંમમત્વથી જીવો છો તેમાંથી એક વખત તો મારી નાખવા છે. એક વખત મારી નાખી, જ્ઞાની ફરી જીવતા કરે છે–મફતિયું જોવાય એવું જીવન જીવતા કરે છે ! આત્મા જોયો નથી. આત્મા નકરો જુદો એક જોવાનું કરવું જોઈએ. તે શાથી થાય ? ભક્તિના ‘વસ દુહા” યમનિયમ' બહુ પુણ્ય કેરા પુંજથી” “ક્ષમાપનાનો પાઠ વગેરે રોજ ભક્તિ કરવામાં આવે તેથી કોટિ કર્મ ખપી જશે, સારી ગતિ થશે. એકલો આવ્યો છે, એકલો જશે. ભક્તિ કરી હશે તે ઘર્મ સાથે જશે. આત્માને સુખ પમાડવું હોય તો પૈસો ટકો કાંઈ સાથે આવશે નહીં. એક ભજનભક્તિ કરી હશે તે સાથે આવશે. ઘણા ભવ છૂટી જશે. માટે આ કર્તવ્ય છે. તેથી મનુષ્યભવ સફળ થશે. આખો લોક ત્રિવિઘ તાપથી બળી રહ્યો છે. સૌને માથે જન્મ, જરા ને મરણ રહ્યાં છે. સત્સંગ અને બોઘની જરૂર છે. જો સાંભળે તો ચેતી જાય. એક દિવસ તો દગો જ! તે દિવસે કોઈનું ચાલે એવું નથી. આવું દેવું જીવ માત્રને છે. માટે અત્યારે જ્યાં સુધી સુખશાતા છે ત્યાં સુધી કરી લેવું. એ કંઈ બીજાને માટે નથી. પોતાના આત્માને માટે છે. ભાવ બીજેથી લઈ આ ભાવ કરવા. અહીં સત્સંગમાં પુણ્ય બંઘાય, કર્મની કોડ ખપે, જન્મ-મરણ ઓછાં થાય. જગતની માયાથી તો ભવ વધે છે, દુઃખ ઊભાં થાય છે. એક આડું આવે છે. શું? તો કે પ્રમાદ, નિમિત્ત બનાવતો નથી તે. અહીં આ નિમિત્ત જોયું તો આ વાત થાય. એક આત્માને સંભારી આપ્યો. એની કાળજી લેવી જોઈએ. સૌથી શ્રેષ્ઠ બોઘ છે. સાંભળ સાંભળ કરે તો સંગ એવો રંગ લાગશે જ. પણ ખામી શાની છે? પૂર્વકર્મ અને પુરુષાર્થની. આટલી વાત સાંભળવાની મળે છે તે કંઈ જેવી તેવી વાત છે? કેટલાં પુણ્ય વધ્યાં ત્યારે આ વાત હાથમાં આવી છે ! માટે ડાહ્યા પુરુષે ચેતી જવું, વાત ધ્યાનમાં લેવી. ભૂલ્યો ત્યારથી ફરી ગણ–જાગ્યો ત્યારથી સવાર. બઘી વાત પડી મૂકીને એક “આત્મા, આત્મા ને આત્મા” એ જ ભાવના કરવી છે. ભરત ચેત, કાળ ઝપાટા દેત.” જ્યાં સુધી શાતા છે ત્યાં સુધી સત્સંગ, બોઘ અને આવી કોઈ પકડ, જે જ્ઞાનીએ કહી છે તે, કરીને મંડી પડો. આબુ, તા.૧૩-૬-૩૫ - ભક્તિ, ધ્યાન, સ્વાધ્યાય, એક દ્રષ્ટિ, ભાવ, આતમભાવના એ પોતાનું ઘન છે. વેદની આવે છે ત્યારે ઘાડપાડુઓ, ચોર લૂંટારાઓ તે ઘન લૂંટી લે છે. તો તેવે વખતે પોતાનું ઘન Page #478 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૩ ૩૮૧ લૂંટાઈ ન જાય તે માટે શું કરવું? વેદની રોગ આવે છે ત્યારે ભિખારી ભીખના ટુકડા જેવી શાતાને ઇચ્છે છે. સામાયિક, કાયોત્સર્ગ, ધ્યાન, ભક્તિ, ત્યાગ, વૈરાગ્ય, સ્વાધ્યાય કરવા દે નહીં. વેદની વિઘન પાડે ત્યારે કરવું શું? લૂંટારા તો છે. ઘન છૂટું મૂકો તો તો લૂંટારાને લઈ જતાં વાર લાગે નહીં. પણ કોઈ તિજોરીમાં મૂક્યું હોય તો લઈ જવાય નહીં. તેમ ઉપાય શું કરવો? તપ, જપ, ક્રિયા માત્ર કરી ચૂક્યો. ફક્ત એક આ જીવને સમકિત હોય તો બધું આવ્યું. બઘાને ઉપાય એક સમક્તિ છે. સમક્તિ આવ્યું હોય તો કંઈ લૂંટાય નહીં. બેઠા બેઠા જોયા કરીએ. માટે જ્યાં સુધી વેદની નથી આવી ત્યાં સુધી સમકિત, ઘર્મ કરી લે. ઘર્મ એટલે શું? જીવે તે જાણ્યો નથી. સમતા, ઘીરજ, ક્ષમા એ અદ્ભુત છે. વેદની આવે ત્યારે સમતામાં રહે; ક્ષમામાં, ઘીરજમાં રહે આબુ, તા. ૧૫-૬-૩૫ વસિષ્ઠાશ્રમમાં શું જોયું? શાની ઇચ્છા કરી? આત્મા જોયો? કોઈએ આત્મા જોયો? જીવનો ધંધો બાહ્યનો થઈ પડ્યો છે. અંતરદ્રષ્ટિ થઈ નથી. જીવને રંગ લાગ્યો નથી; પ્રેમ આવ્યો નથી. “પરપ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં' બોલી જાય છે, કહે છે; પણ બધું લૂખું, મોળું, ભાવ-પ્રેમ વગરનું થાય છે. પ્રેમ બીજે વેરી નાખ્યો છે. ભેદજ્ઞાનથી ભેદ પાડતો નથી. એક વચન મળ્યું હોય તેનું સામાન્યપણું કરી નાખ્યું, અલૌકિકપણું રાખ્યું નહીં. “એક મત આપડી કે ઊભે માર્ગે તાપડી', એમ મંડી પડ્યો નહીં. દ્રષ્ટિ ફેરવવી જ જોઈશે. ધ્યાનમાં લેતો નથી. સાંભળી સાંભળી ફૂટ્યા કાન, એવું કર્યું. ચતુરની બે ઘડી, મૂરખના જન્મારા. જ્યાં જુઓ ત્યાં “તુંહિ તુહિમાંદો થાય, સારો થાય, રોગ થાય, ઝઘડો થાય, ટંટો થાય, ક્રોઘ થાય, માન થાય, રાગ થાય, દ્વેષ થાય ત્યાં બધેય “Úહિ તૃહિ—એક જ ચોંટ નથી થઈ, શ્રદ્ધા નથી થઈ. મળ્યો છે એક ભેદી રે, કહેલી ગતિ તે તણી, મનજી મુસાફર રે ચાલો નિજ દેશ ભણી; મુલક ઘણા જોયા રે મુસાફરી થઈ છે ઘણી.” નિજ દેશને પછી છોડે ? આ તો બહાર ભમે છે. પોતાનો દેશ છોડી બહાર ભમે છે ત્યાં બંઘન થયાં છે. Page #479 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ઉપદેશામૃત આબુ, તા. ૧૭-૬-૩૫ આત્મા મુખ્ય ત્રણ પ્રકારે છે : બાહ્યાત્મા, અંતરાત્મા, પરમાત્મા. તેમાં પરમાત્મા છે તે સમજવા યોગ્ય છે. ‘બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત.” બાહ્યની વસ્તુ જોવા જેમ ચક્ષુ જોઈએ, તેમ જ્ઞાનચક્ષુથી અંતરની વસ્તુ જોવાય. જ્ઞાનચક્ષુ વિના આત્મા જોવાય નહીં. આત્મા અરૂપી છે, એ રૂપી તો છે નહીં. દેવતા હોય તેને ચીપિયો હોય તો ઝલાય; તેમ આત્મા ચર્મચક્ષુથી ન જણાય. તો એને જોઈએ શું? તો કે દિવ્યચક્ષુ. એ દિવ્યચક્ષુ જ્ઞાની પાસે છે. એ ચકું ચડાવે ત્યારે આત્મા દેખાય. યોગ્યતા હોય તો જ્ઞાની માર્ગે જતો હોય તેને બોલાવીને આપી દે. યોગ્યતા એટલે શું? યોગ્યતા એટલે ભાવ, પ્રેમ. એના ઉપર જ ભાવ પ્રેમ આવે તો કામ થઈ જાય. પૂર્વત અને પુરુષાર્થથી તે થાય. કારણ વિના કાર્ય ન થાય. શ્રી આશ્રમ, અગાસ. તા. ૧૩-૭-૩પ ઠામઠામ આત્મા જુઓ. બેટ્ટો હોય તે બીજું જુએ. કાળું-ઘોળું જોવા ગયા ત્યાં માર્યા ગયા સમજજો. આ મારો સાક્ષાત્ આત્મા, આય મારો સાક્ષાત્ આત્મા. “તુંહિ તૃહિ' એક એ જ. આત્મા ઉપર પ્રેમ, પ્રીતિ, ભક્તિ નથી થઈ તે કરવી છે, તે માટે આ દાવ આવ્યો છે; માટે ચેતી જાઓ. એટલો નિશ્ચય રાખજો કે આ મનુષ્ય ભવ તો સફળ થઈ ગયો, કારણ અપૂર્વ જોગ મળ્યો છે. હવે શ્રદ્ધા એક ઉપર કરવી. જ્યાં ત્યાં શ્રદ્ધા કરશો તો માર્યા જશો. સ્વરૂપને પામેલા એક સપુરુષ પરમ કૃપાળુ ઉપર શ્રદ્ધા દૃઢ થશે તો જપ, તપ, ક્રિયા માત્ર સફળ થઈ, મનુષ્યભવ સફળ થઈ ગયો, દીવો થયો, સમકિત થયું સમજજો. તારી વારે વાર. જેમાં એક એક ગાથા ચમત્કારિક છે એવી “આત્મસિદ્ધિ' અપૂર્વ છે ! છૂટે દેહાધ્યાસ તો નહિ ર્તા તું કર્મ.” વિચાર ક્યાં કર્યો છે? “અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે.” વિચાર ક્યાં કર્યો છે ! વિચાર કરે તો હમણાં પ્રાપ્તિ થાય. સમયે સોયમ મા પHID' સમય માત્ર પ્રમાદ કર્તવ્ય નથી. તા. ૧૪-૮-૩૫, શ્રાવણ સુદ પૂર્ણિમા આજે અહીં આવ્યા છો તો કમાણીના ઢગલા થાય છે. દર્શન કરવા મળશે, આત્મહિત માટે સત્સંગમાં આત્માની વાત સાંભળવા મળશે, એવા ભાવથી સમાગમ માટે અહીં આવવા ભાવ કર્યા ત્યાં ડગલે ડગલે જગનનું ફળ કહ્યું છે. તીર્થયાત્રા ઘણી કરી, પણ સાચો દેવ કયો? આત્મા. તે જાણ્યો છે જેણે એવા પુરુષની વાણી સાંભળતાં કોટિ કર્મ ખપી જાય છે, પુણ્યના ઢગલા બંધાય છે. Page #480 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૩ ૩૮૩ ભાવ તમારી પાસે છે. તે જેવા કરો તેવા થાય. આ મનુષ્યભવ મહા દુર્લભ છે. લૌકિક કાર્યોમાં, જગતને રૂડું દેખાડવા ઘણું કર્યું. આટલો ભવ પોતાના આત્મા માટે ગળાય, તેની ઓળખાણ કરવા ગળાય તો જ મનુષ્યભવની સફળતા છે. આત્મા ઉપર ભાવ કરવા છે. ‘માત્ર દૃષ્ટિકી ભૂલ હૈ' – અવળાનું સવળું કર્યું નહીં, ભાત સવળી કરી નાખી નહીં; નહીં તો ઝેરનું અમૃત થાય. આ બાઈ, આ ભાઈ; આ સારો, આ નરસો; આ વાણિયો, આ બ્રાહ્મણ—એમ માયા જોઈ. બાહ્ય દૃષ્ટિએ સાચું જોવાયું નહીં. ઊંડા ઊતરો તો સાચું જોવાય. સાચું જોવું જોઈએ. તે શું ? તો કે આત્મા. મુમુક્ષુ—જાણ્યા વગર આત્મા શી રીતે જોવાય ? તે તો જ્ઞાનીએ જાણ્યો છે. પ્રભુશ્રીભાવના તો કરાય. તેમ કરતાં કરતાં યોગ્યતા આવ્યે જ્ઞાની કપાળમાં ચાંલ્લો કરી દેશે. ઠામ ઠામ આત્મા જોવાય તો ઝેરનું અમૃત થઈ જાય. જ્ઞાની પાસે દીવો થયો છે. ઠામ ઠામ એક જ જોવાય ત્યાં નિધાન છે. દૃષ્ટિ તો ફેરવવી જ પડશે. તારી વારે વાર. દૃષ્ટિ ફરે તો હાલ, નહીં તો હજુ વાર છે. જાગ્રત થઈ જાઓ; તૈયાર થઈ જાઓ; મરણિયા થઈ જાઓ. દૃષ્ટિ ફેરવી નાખો. નાશવંત જગતની માયામાંથી પ્રીતિ ઉઠાવી એક આત્મા ઉપર ભાવ, પ્રીતિ, પ્રેમ કરો. મોહનિદ્રામાં આખું જગત સૂતું છે. તેમાંથી ગોદા મારીને જ્ઞાનીને તો તમને જગાડવા છે, હવે ઊંઘવા દેવા નથી. તમે આત્મા છો. જ્ઞાનીએ ઠામ ઠામ આત્મા જોયો છે. તેવો શુદ્ધ આત્મા તે મારો છે, તે હું છું; તેથી અન્ય તે હું નથી, તેથી અન્ય તે મારું નથી. એવો વિશ્વાસ કરી દો. આત્માનું માહાત્મ્ય સમજાયું નથી, તેથી આત્મા જોવાની દૃષ્ટિ થતી નથી. સત્સંગમાં બોધ જેમ જેમ સાંભળ સાંભળ કરશો તેમ તેમ સમજ આવશે. સમજણ આવ્યે દૃષ્ટિ ફરે. સાંભળતાં પુણ્ય બંધાય છે. કરવા મંડી પડો તો કામ થઈ જાય. કાનમાં પડતાં પુણ્યના ઢગલા કમાણી થાય છે. પણ કરવા મંડી પડે તો કામ થઈ જાય. દૃષ્ટિ તો ફેરવવી જ પડશે. અનંત જ્ઞાનીઓએ એમ જ કર્યું છે. તેમ કરીને જ મોક્ષે ગયા છે. ઠામ ઠામ ઝેરનું અમૃત કર્યું છે. તમારી વારે વાર છે. તૈયાર થઈ જાઓ. દૃષ્ટિ ફેરવાય તો હમણાં જ; નહીં તો હજુ વાર છે. ‘મારું, મારું' કરો છો તે કોને માટે ? એક સોય પણ તમારી સાથે નહીં આવે. સાડા ત્રણ હાથ જગામાં બાળી મૂકશે. તમારો તો આત્મા છે તેને ઓળખવા આ અવસર આવ્યો છે. માટે ચેતી જાઓ. તેને સંભાળો, તેના ઉપર ભાવ, પ્રેમ કરો. જ્યાં દૃષ્ટિ પડે ત્યાં એક એને જ આગળ જુઓ. એ જોનાર જાણનાર ન હોય તો બધાં મડદાં છે. ‘ચિત્રકૂટકે ઘાટ પર, ભયી સંતનકી ભીડ; તુલસીદાસ ચંદન ઘસે, તિલક કરે રઘુવીર.’’ Page #481 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ ઉપદેશામૃત તુલસીદાસ ચંદન ઘસે છે. સંતોની ભીડ છે. ત્યાં રામને ઓળખવા સાન કરી છે કે ચંદન ઘસીને તુલસીદાસ ભક્ત સર્વને તિલક કરે છે–સર્વમાં આત્મા જુએ છે. એટલે જેને તિલક કરે તેને રામ જાણે છે. તેમ આત્મા જોવાની દ્રષ્ટિ કરો. ભેંસને દાણનો ટોપલો મૂકવા બાઈ આવે છે. ત્યાં ભેંસની દ્રષ્ટિ બાઈ ઉપર નથી હોતી. તેણે કેવાં કપડાં પહેર્યા છે, કેવાં ઘરેણાં પહેર્યા છે, તે જુવાન છે કે વૃદ્ધ તે કાંઈ તે જોતી નથી. તેની દ્રષ્ટિ માત્ર એક ટોપલા ઉપર છે. તેમ બીજેથી દ્રષ્ટિ ફેરવી એક આત્મા ઉપર દ્રષ્ટિ કરવી જોઈએ. જેવા ભાવ તેવા પ્રભુ ફળે, ભમ્ભા ભજન થકી ભય ટળે; ભેખ ઘર્યે જો સિદ્ધિ થાય, ભાંડ ભવૈયા વૈકુંઠ જાય.” તમારા ભાવ તમારી પાસે છે. ભાવ આત્મા ઉપર થાય તો કામ થઈ જાય. તા.૧૫-૮-૩૫ અવળું કર્યું ત્યાં જગત દેખાયું. સવળું કર્યું ત્યાં આત્મા જોવાયો. જે દેખાય છે તે બધું પર છે. જે ભળાય છે તેને માન્યું છે એ જ અવળી દ્રષ્ટિ. દ્રષ્ટિ ફરે તો બઘાને જાણનાર-દેખનાર એવો જે આત્મા તેના ઉપર દ્રષ્ટિ જાય; ત્યાં પરપદાર્થોમાં મારું મારું થઈ ગયું છે તે ટળે. બધું મૂકવું પડશે. જ્યાં જ્યાં મારું મારું કર્યું છે ત્યાંથી ઊઠી જવું પડશે. મારો એક આત્મા છે. તે સિવાય જગતમાંની વસ્તુઓમાંથી એક પરમાણુ પણ મારું નહીં. આત્માનો વાળ વાંકો થવાનો નથી. માત્ર તેનો નિશ્ચય કર્યો નથી, પકડ થઈ નથી. તે કરી લો. આ બીજું બધું તો કલંક છે. તેને માન્યું છે. પુરુષાર્થ કરો. પડદો પડ્યો નથી. પડદો પડે તો બીજું જણાય. “જે જાણે તે નવિ જાણું અને નવિ જાણ્યું તે જાણું” આવું તમારું સ્વરૂપ છે? કેવું અપૂર્વ તમારું સ્વરૂપ છે ! તેને કોઈ દિવસ સંભાર્યું નહીં. આત્માને સૂતો મૂક્યો છે, તેને સંભાળ્યો નથી. તેના ઉપર ભાવ, પ્રેમ, પ્રીતિ કરવાની છે. આ બધું મેલો પડ્યું. જ્યાં હોય ત્યાં આ કલંકને આગળ કરો છો તે પડ્યું મેલો અને આત્માને આગળ કરીને બધું કરો. પહેલો એ ન હોય તો બીજું કાંઈ થતું નથી, તેવો આત્મા ! તેના ઉપર ભાવ કરો, તેને આગળ કરો. ભાવ ફેરવવાનો પુરુષાર્થ કર્તવ્ય છે. નિજદેશ ગયા વગર છૂટકો નથી. આ તમારો દેશ નથી. બહુ દોષ છે આ જીવમાં. આ ઘોળો છે, આ કાળો છે; આ ભણેલો છે, આ સમજુ છે; આ બાઈ છે, આ ભાઈ છે–એ જોવાનું છોડી દો. એક પોતાના ઉપર આવો. પોતાનામાં અનંત દોષ છે તે હવે કાઢવા છે. માટે પોતાના દોષ જ જોવા અને કાઢવા. પારકા દોષ જોવાનું જવા દો. ‘તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે.” Page #482 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૩ ૩૮૫ ખીલે બાંધ્યું નથી, મનને ખીલે બાંઘવું જોઈએ. આવો જોગ મળ્યો છે ત્યાં જીવ ખીલા પાસે આવ્યો છે, પણ હજુ બંઘાયો નથી. બંઘાય તો નુકસાન કરતો અટકે અને માર ખાતો બચી જાય. આત્મભાવનો પુરુષાર્થ કરો. સત્ અને શીલના ભાવ રાખો. આડું આવે છે તે કોરે કરવું. કૂતરાં પેસી જાય છે તેને મારી હાંકી કાઢો–પરભાવરૂપી કૂતરાં બોઘરૂપી લાકડીથી હાંકી કાઢો. તા. ૨૮-૩૫ જ્ઞાનીઓએ ઘણું કહ્યું છે, પણ જીવને ગરજ નથી. કહેલી વાત વહી જાય છે. લક્ષમાં લઈ લે તો કામ થઈ જાય. ટૂંકામાં ટૂંકું કહી દઉં ? આસ્રવમાં સંવર થાય, વિકારનાં સ્થાનોમાં વૈરાગ્ય થાય, “સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો” એમ સર્વમાં આત્મા જોવાય, આ તુંબડાં (દેહ) છે, કર્મ છે, કલંક છે તે ન જોવાય; બાઈ છે તે આત્મા છે એમ પહેલો આત્મા જોવાની મનમાં રુચિ થાય ત્યાં કામ થઈ જાય. એવો અભ્યાસ કર્તવ્ય છે. ભાવના એક એ જ કર્તવ્ય છે. તા. ૯-૩૫ પોતાનો વહાલામાં વહાલો છોકરો મારી નાખ્યો હોય તો તેના ઉપર અંતરથી કેટલું ઝેર વર્તે? “એનું ક્યારે ભૂંડું કરી નાખું?” એમ અંતરમાં ઝેર, ઝેર અને ઝેર વર્તે. તેમ પોતાને અનંત કાળથી દુઃખના દેનારા દુશ્મનો કયા છે? પાંચ ઇન્દ્રિય, ચાર કષાય તથા મન—આ દશ. તેમના ઉપર અંતરથી ઝેર વર્તવું જોઈએ. દુશ્મનોને “આવો, પઘારો” એમ આવકાર કોઈ આપે? શૂર ક્ષત્રિય સ્વભાવે દુશ્મનોને મારી હઠાવવા તૈયાર થઈ રહેવું જોઈએ. અને લાગ આવ્યે માર મારતાં રહેવું જોઈએ. તો જ જય થાય. એક મન જીતતાં દશેય શત્રુ જિતાય છે, અને આત્મસુખ પ્રાપ્ત થાય છે. વિભાવ તે દુશ્મન છે; સ્વભાવ તે મિત્ર છે. વિભાવ પ્રત્યે ઝેર વર્તવું જોઈએ. અનાદિથી અહિતના કરનારા તેમને મિત્ર માન્યા તે જ ભૂલ છે. હવે તે દુશ્મન છે એમ જાણી તેમના પ્રત્યે અંતરથી ઝેર રાખવા યોગ્ય છે. દ્રષ્ટિ ફેરવવા યોગ્ય છે. કાળકૂટ ઝેર છે તેને અનાદિથી અમૃત માન્યું. હવે અમૃતને અમૃત મનાય અને ઝેરને ઝેર મનાય તો જ કલ્યાણ છે. દ્રષ્ટિ ફરે તો જ ઝેર મૂકી અમૃત જોવાય, આસ્રવમાં સંવર થાય, દુશ્મને ભાગી જાય, બંઘન થાય નહીં, દોષમાત્ર નાશ પામે. આત્મા ઉપર પ્રેમભાવ વઘારી દેવો જોઈએ. તેનું માહાત્ય લાગ્યું નથી. સમજ મોટી વાત છે. સમજ્ય છૂટકો છે. સમજ આવ્યે આ ઝેર ને આ અમૃત એમ જણાય છે. પછી અમૃતને મૂકી ઝેર કોણ ગ્રહણ કરે ? આ જડ અને આ ચેતન એમ જ્ઞાનીને ભેદ પડી ગયો છે. આત્માની રિદ્ધિ, આત્માનું સુખ કહ્યું જાય તેમ નથી. 25. Page #483 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ ઉપદેશામૃત “સમકિત સાથે સગાઈ કીધી, સપરિવારશું ગાઢી; મિથ્થામતિ અપરાઘણ જાણી, ઘરથી બાહિર કાઢી.' બહિરાત્મપણે પ્રવર્તન કર્યું છે, તે મૂકી અંતરાત્મા થવાનો આ અવસર આવ્યો છે. નિશ્ચયનયથી જેવું પોતાનું સ્વરૂપ છે, તેનો નિશ્ચય થયો નથી. તે નિશ્ચય કરી લેવો. દરેકની શ્રદ્ધામાં ભેદ છે. સર્વને ભાવ પ્રમાણે ફળ છે. ભાવ ચડતા કરવા પ્રેમ, સ્નેહ, ભાવ વધારી દેવા. પાવે નહિ ગુરુગમ બિના.” ગુરુ તે દીવો છે, તેનાથી જ દીવો થશે. એક ચોરને ફાંસીની શિક્ષા થઈ. પ્રધાન વિચક્ષણ હતો. તેણે શૂળી ઉપર મરણની સન્મુખ થયેલા ચોરને પૂછ્યું, “તને કોઈનું શરણ છે? સંસારમાં જે કાંઈ તારું માનતો હતો તેમાંનું કોઈ અત્યારે શરણ છે?” ચોરે કહ્યું, “અત્યારે તો મને કોઈનું શરણ નથી.” પ્રધાને કહ્યું “હું એક વાત કહું તે લક્ષમાં લઈશ? લઈશ તો તારું કામ થઈ જશે.” ચોરે કહ્યું, “જરૂર લક્ષમાં લઈશ, મને કૃપા કરીને કહો.” દુઃખના વખતમાં હિતશિક્ષા ઘણી આતુરતાથી ગ્રહણ થઈ શકે છે. એટલે પ્રધાને કહ્યું, “સમભાવ.” ગમે તેટલું દુઃખ આવે તો આવો, મરણ આવે તો આવો, પણ હું તેને સમભાવથી સહન કરીશ. તે દુઃખ નાશ પામશે, પણ મારું સ્વરૂપ નાશ પામે તેવું નથી, માટે સમભાવમાં રહેવું. ચોરે સમભાવનું શરણ ગ્રહણ કર્યું. તે મરણ પામી દેવગતિ પામ્યો. પ્રઘાને શૂળી ઉપર ચડેલા ચોર સાથે વાત કરી, એમ રાજાએ જાણ્યું ત્યારે તેને કેદ પકડવા તથા તેનાં ઘર લૂંટાવી મંગાવવા સિપાઈઓ મોકલ્યા. સિપાઈઓ પ્રઘાનને ઘેર લૂંટવા આવ્યા. ત્યાં કોઈ એક અજાણ્યો રક્ષક થઈ બેઠો હતો, તેણે બઘા સિપાઈઓને મારી હઠાવી કાઢી મૂક્યા. પછી રાજા પોતે આવ્યો. તેણે જોયું કે આ રક્ષક જણાતો માણસ તે મનુષ્ય નથી, પણ દેવ છે. તેણે પૂછ્યું, “તું કોણ છે ?” રક્ષકે કહ્યું, “હું ચોર તે મરીને દેવ થયો છું. તે પ્રતાપ પ્રઘાનના છે, માટે તેનું ઘર લૂંટવા નહીં દઉં.” રાજા ખુશી થયો, પ્રઘાનને માન આપી શિરપાવ આપ્યો. એમ એક શબ્દ સાંભળવાથી આવું હિત થયું તો જ્ઞાની પુરુષના શબ્દો વારંવાર સાંભળવા મળે તે કેવા મહાલાભનું કારણ થાય! માટે સામાન્યપણું ન કરી નાખતાં અપૂર્વ અલૌકિક ભાવે જ્ઞાનીનાં વચનોનું બહુમાનપણું રાખી આત્મહિત સાઘવા જાગૃત થઈ જાઓ, ચેતી જાઓ. તા.૧૬-૯-૩૫ મરણ અચાનક આવી પહોંચશે. મરણ આવે ત્યારે બધું મૂકી જવું પડશે. આખો ઘણી થઈને બેઠો છે–દેહાદિ સર્વ પર વસ્તુનો, તે છોડવું પડશે. માટે અત્યારથી ચેતી લો. મનુષ્યભવ અને તેમાં પણ સત્પરુષનો સમાગમ એ બહુ દુર્લભ જોગ મળ્યો છે, માટે ચેતી જાઓ. Page #484 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૩ ૩૮૭ એક આત્માને ઓળખાય તો ફિકરના ફાકા માર્યા. આત્મા ઓળખ્યો તે બોલી ઊઠ્યા : “અબ હમ અમર ભયે, ન મરેંગે.' કાળ તો તેનો કિંકર થઈ રહ્યો ! મૃત્યુ તેને મહોત્સવ થઈ પડે છે. એ તો તેને ઘેર વાજાં વાગ્યાં; બાકી બીજાને મરણ આવે ત્યારે જોઈ લો ! મરણ આવશે જ. ત્યારે હવે આ બધું દુ:ખ ટાળવા બોલાવવો કોને ? કયા સ્થળમાં જઈ રહેવું કે દુ:ખ માત્ર ચાલ્યું જાય ? મોટા પુરુષો હોય તે સારા ઉત્તમ સ્થાનમાં રહે છે, પાયખાનામાં રહેતા નથી; તેમ આખું જગત પાયખાનામાં રહે છે, પણ જ્ઞાનીઓનું સ્થાન કર્યું છે ? ‘સમભાવ.' આ એમનું સ્થાન છે. આ જગાનું કેટલું સુખ, કેટલી સાહ્યબી છે તે કથ્થું જાય તેમ નથી. આ જગાએ જવાથી દુઃખ માત્ર નાશ પામી જાય છે. ચંડાળ જેવા નીચ ઘેર, હલકા ભાવમાં જ્ઞાની રહેતા નથી, તેથી તેમને ભય માત્ર નાશ પામી ગયા છે. એક આત્માને જાણ્યો તેણે સર્વ જાણ્યું.'' તેની શ્રદ્ધા, વિશ્વાસ, પ્રતીતિ થયે પણ કામ થઈ જશે. ‘છ પદ'નો પત્ર અમૂલ્ય છે, ઊંડા ઊતરવું જોઈએ. પકડ થવી જોઈએ. બધાની વચમાં કહ્યું છે; પણ ‘સમભાવ'ની પકડ કરી લેશે તેનું કામ થશે. તા. ૨૭૯-૩૫ વાત કહેવાની ઘણી છે; પણ કહેવાઈ નથી. સાંભળી સાંભળીને ફૂટ્યા કાન, સાંભળ્યું પણ ન સાંભળ્યા બરોબર કર્યું; કારણ કે ઉપયોગ, પરિણમન તેમાં થયું નહીં, બાહ્ય રહ્યું. પરિણમન થવું જોઈએ. ક્ષયોપશમ જોઈએ. વિચારની ખામી છે. વિચાર ધ્યાન છે. અંતરપરિણમન વિચારથી કરવું જોઈએ. પલટાવી નાંખવું જોઈએ. હવે તો આત્મા જોવાનું કરો. બીજું જોવાનું કર્યું છે તેથી ફરીને એક આત્મા જોવાનું કરો. દૃષ્ટિમાં ઝેર છે, તે અમૃત થાય તેમ કરો. ‘માત્ર તૃષ્ટિકી ભૂલ હૈ.' જ્ઞાનીઓએ એ જ કર્યું છે, એ જ જોયું છે. કર વિચાર તો પામ. વિચાર વડે દૃષ્ટિ પલટાવી અંતર દૃષ્ટિ કરવાની જરૂર છે. તા. ૨૮૯૦૩૫ ‘પર્યાયસૃષ્ટિ ન દીજિયે, એક જ કનક અભંગ રે.' જે મોટા પુરુષો મોક્ષને માટે ઉદ્યમ કરી રહ્યા છે, તે તો બધું અવળાનું સવળું જ કરે છે. આત્મા ઉપર ભાવ, પ્રેમ, પ્રીતિ અત્યંત કરવી જોઈએ. ખાતાં-પીતાં, બોલતાં-ચાલતાં, બેસતાં-ઊઠતાં દરેક સમયે એને સંભાળવો જોઈએ. એનું સ્વરૂપ કેવું અદ્ભુત છે ? એનું સુખ Page #485 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ ઉપદેશામૃત અનંત છે. એની રિદ્ધિ અનંતી છે. એને માટે ગાંડા થઈ જવું. ભલે જગત ગાંડા કહે. પણ એક એ જ ! એને માટે ગાંડા થઈ જવું. સર્વ જ્ઞાનીપુરુષો એક જ વાટે મોક્ષે ગયા છે. તે વાટ ‘સમતા' છે. બહુ અદ્ભુત છે ! વિષમભાવ છે ત્યાં બંધન છે. સમભાવ છે ત્યાં અબંધતા છે. પત્રાંક ૬૭૦નું વાંચન : ૐ સદ્ગુરુપ્રસાદ “જ્ઞાનીના સર્વ વ્યવહાર પરમાર્થમૂળ હોય છે, તોપણ જે દિવસે ઉદય પણ આત્માકાર વર્તશે તે દિવસને ધન્ય છે.” તા.૨૯-૯-૩૫ સર્વ શાસ્ત્રોનો સાર, તત્ત્વોનો સાર શોઘીને કહી દીધો છે. બહુ દુર્લભ, આ કાળમાં કામ કાઢી નાખે તેવું કૃપાળુદેવે આપ્યું છે. વિશ્વાસ હોય તો કહું. ‘વીસ દુહા' ભક્તિના છે તે મંત્ર સમાન છે. સો વખત, હજાર વખત બોલાય તો પણ ઓછું છે. લાભના ઢગલા છે. ક્ષમાપનાનો પાઠ', 'છ પદ'નો પત્ર, ‘યમનિયમ', ‘આત્મસિદ્ધિ’આટલાં સાધન અપૂર્વ છે, ચમત્કારિક છે ! રોજ ભણવાં જરૂરનાં છે. જીવતાં સુધી આટલી ભક્તિ રોજ કરવી જ. ‘દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે.' એ તો ખોટી વાત છે; પણ તમે જીવતાં સુધી આટલું તો કરજો જ. તેથી સમાધિમરણ થશે, સમકિતનો ચાંલ્લો થશે. વધારે શું કહું ? બીજું એક દેવવંદન છે તે પણ અપૂર્વ છે! પ્રત્યક્ષ દેવને બોલાવ્યો છે. માટે તે પણ દરરોજ કરવા યોગ્ય છે. જ્ઞાનીના સર્વ વ્યવહાર પરમાર્થમૂળ છે તે શાથી ? જ્ઞાની પાસે એવું શું છે કે જેથી તે જે કરે તે સવળું ? ખાય છે તો ખાતા નથી, સંસારમાં છે તો ય સંસારી નથી, આસ્રવના કામમાં સંવર થાય છે એવું શું મળ્યું છે? તેમને ‘ગુરુગમ' મળી છે. તેથી તે આત્મામાં પરિણમ્યા છે. એક આત્મા ઓળખવાની સર્વને જરૂર છે, ત્યાં સુધી સંસારમાં ક્યાંય સુખ નથી. ગુરુગમ કેમ મળે ? આત્મા કેમ ઓળખાય ? તમારી વારે વાર છે, ભાવ તે પામવાના રાખો. ભાવ ને પરિણામ બહુ મોટી વાત છે. તે વસ્તુને મેળવવાના ભાવ વિના, તેની ઝૂરણા વિના કોઈ પામ્યા નથી. એની મેળે એ વસ્તુ આવીને મળી જવાની નથી. તેની પ્રાપ્તિ માટે ભાવ વધારો. મરણ તો બધાને એક કાળે જરૂર આવશે; કોઈને છોડવાનું નથી. સંજોગ છે તે બધા છૂટશે. આવા દેહો, આવા સંજોગો અનંતી વાર છોડ્યા, પણ એક આત્મા છોડ્યો નથી. તે મરવાનો નથી. ફક્ત તેની ઓળખાણ કરી લેવાનો અવસર આવ્યો છે. માટે ચેતી જાઓ, તૈયાર થઈ જાઓ. એક એને માટે જ જીવવું. ખાતાં પીતાં, બોલતાં-ચાલતાં, ઊઠતાં બેસતાં દરેક પ્રસંગે એક ‘આત્મભાવના'. તે સિવાય Page #486 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૩ ૩૮૯ બીજું બધું ઝેર છે; હળાહળ, કાળકૂટ ઝેર છે. આ બાહ્ય આંખો ફોડી નાખવી, અંતરની આંખો ઉઘાડવી. જ્યાં ત્યાં એક ‘તુંહિ તુંહિ'—આત્મા જ જોવો. આ અવસર જેવો તેવો જાણશો નહીં. વાત સાંભળતાં પરિણમી જવાય છે ત્યાં કોટિ કલ્યાણ થાય છે. આત્મા કેવી અપૂર્વ વસ્તુ છે ? તેનું માહાત્મ્ય કથ્થું જાય તેમ નથી. જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહિ પણ તે શ્રી ભગવાન જો.'' એની વાત, એનો વિચાર, એના ઉપર પ્રેમ, પ્રીતિ, ભાવ થાય છે ત્યાં કોટિ કર્મ ખપે છે. “પર્યાયદૃષ્ટિ ન દીજીએ, એક જ કનક અભંગ રે; નિર્વિકલ્પ રસ પીજીએ, શુદ્ધ નિરંજન એક રે.'' આત્મા, ચૈતન્ય એ કંઈ જ્યમન્ત્યમ વાત છે ! એનું માહાત્મ્ય તો કોઈ અલૌકિક છે ! કછ્યું જાય તેમ નથી. એને જ પૂજવો છે. એને જ નમસ્કાર કરવા છે. એ જ પૂજ્ય છે. એને સંભાળો. એની વિચારણા કરો, એની ભાવના ભાવો. એના ઉપર પ્રેમ, પ્રીતિ, ભાવ કરો. “અહો ! અહો ! હું મુજને કહ્યું, નમો મુજ નમો મુજ રે; અમિત ફળ-દાનદાતારની, જેહની ભેટ થઈ તુજ રે. શાંતિ’ આત્માને લઈને બધું છે; તે ન હોય તો કોઈ પૂજા-સત્કાર, માન-મોટાઈ આપે નહીં. પણ સાડા ત્રણ હાથ જમીનમાં બાળી મૂકે. આવું જેનું અચિંત્ય તો માહાત્મ્ય છે ! અને જે સર્વને જાણવામાં, માનવામાં પહેલો છે, એવો પોતાનો આત્મા તે પડી મૂક્યો, તેને સંભાળ્યો નહીં, તેના ઉપર ભાવ, પ્રેમ, પ્રીતિ કરી નહીં અને મિથ્યા માયાના પ્રસંગોમાં પ્રેમ કર્યો. નવાં પરણેલાં વર-વહુ હોય તેને મનમાં એકબીજા ઉ૫૨ પ્રેમ વધતો જાય છે, પ્રેમની ઊર્મિઓ ઊભરાય છે. એ તો માયાનું સ્વરૂપ છે, બંધનનું કારણ છે. પણ તેવો પ્રેમ, તેવી રુચિ, તેવી ઊર્મિઓ આત્મા ઉપર આવી નહીં. જૈસી પ્રીતિ હરામકી, તૈસી હર પર હોય; ચલ્યો જાય વૈકુંઠમેં, પલ્લો ન પકડે કોય.'' જ્યાં પ્રેમ, પ્રીતિ કરવાની છે તે પડી મૂકીને માયામાં ખાટી થઈ રહ્યો છે. કાચની શીશી ફૂટી જાય, તેમ આ તુંબડાં, દેહ ફૂટી જશે. આત્માની ઓળખાણ વગર પરિભ્રમણનાં દુઃખ મટશે નહીં. જ્યાં હોય ત્યાં આત્મા જોતાં શીખો તો રાગ-દ્વેષ કર્મ નહીં બંધાય. કર્મનો કચરો જોશો નહીં. દિવ્યચક્ષુથી તે દેખાય. જ્ઞાની દિવ્યચક્ષુથી જુએ છે. “પ્રવચન-અંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન, જિનેશ્વર; હૃદયનયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન, જિનેશ્વર.'' હૃદયનેત્રે નિહાળે તો ઠામ ઠામ નિધાન, આત્મા દેખાય. મોટા વ્રતપચખાણ લઈને બેઠા છે; પણ ઊર્મિ જાગી નહીં. ઝંખના, ભાવ, પ્રેમ, રુચિ તે થઈ નહીં. Page #487 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ ઉપદેશામૃત જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહિ પણ તે શ્રી ભગવાન જો.'' આવું પરમ સુખધામ આત્માનું સ્વરૂપ છે, ત્યારે આપણે અત્યારે શું કરવું ? શ્રદ્ધા. સદ્ઘા પરમ વુદ્દા–ભગવાનનું વચન છે. કેડ બાંધીને તૈયાર થઈ જઈ, નાચીકૂદીને પણ એક શ્રદ્ધા પકડ કરી દો. પછી જપ, તપ, ત્યાગ, વૈરાગ્ય બધું થશે. સૌથી પહેલી શ્રદ્ધા. એ બહુ મોટી વાત છે. મહાભાગ્ય હશે તેને તે થશે. વરસાદ તો ઘણો વરસે છે. તેમાં મઘાનાં પાણી જ્યારે વરસે છે ત્યારે સૌ ટાંકા ભરી રાખે છે, કે જેથી પછી બારેય માસ તે પાણી વપરાય. તેમ અહીં પણ ભાજન પ્રમાણે પાણી ઝીલી લેજો. જેટલાં પાણી ઝીલી લીધાં હશે તેટલાં આગળ ઘણાં કામમાં આવશે. જ્ઞાનીપુરુષનો બોધ અદ્ભુત છે ! મરેલાને જીવતા કરે છે ! સમ્યક્ત્વ તેથી જ થાય છે. ખાવું ને ઊંઘવું આ ધંધો થઈ પડ્યો છે. આળસ અને પ્રમાદે જીવનું ભૂંડું કર્યું છે. ખાવું ને ઊંઘવું એ આત્માનો ધર્મ છે ? બધું ખોટું છે. દુશ્મન હોય તેના પર કેટલું ઝેર આત્મામાં વર્તે છે કે ક્યારે મારી નાખું, કાપી નાખું ? તો અનંતકાળથી અનંત દુઃખના કારણરૂપ પાંચ ઇન્દ્રિયો, મન અને ચાર કષાયો એ દશ શત્રુઓ છે, એમ જાણ્યું હોય તો તેના પ્રત્યે કેટલું ઝેર વર્તે ? વિભાવોમાં કે માયામાં રાગ, પ્રેમ, પ્રીતિ તે પરમ નિધાન એવા આત્મામાં રાગ નથી થવા દેતા. તો તે શત્રુઓ ઉપર કેટલું ઝેર અંતરમાં વર્તવું જોઈએ ! આત્માને હિતસ્વી એક સત્સંગ છે. તેને જ્ઞાનીપુરુષોએ પણ ઇછ્યો છે; કારણ કે ત્યાં જ આત્મા ઉપર ભાવ, રુચિ, પ્રીતિ, ભક્તિ થાય તેવું શ્રવણ પ્રાપ્ત થાય છે. સત્સંગ ચિંતામણિ સમાન મહા દુર્લભ છે, કારણકે નિમિત્ત છે તે મોટી વાત છે. ⭑ ‘ફિકરકા ફાકા ભર્યા, તાકા નામ ફકીર.' સૌ ફિકરના ફાકા મારો, એક આત્મભાવમાં રહો. દુઃખ આવે તો આવો, રોગ આવે તો આવો, ઘન જતું રહે તો જાઓ; છેવટે, આ દેહ જતો હોય તો જાઓ. તેથી મારું કંઈ જવાનું નથી, મને કંઈ નુકસાન થવાનું નથી. એમાંનું કાંઈ પણ મારું નથી. મારું છે તે જ મારું છે. ‘તારું તારી પાસ છે, ત્યાં બીજાનું શું કામ ?' બીજું બધું તો કર્મકલંક છે. જે આવે છે તે જવા માટે, તેથી ભાર હલકો થાય છે. દેવું પતે છે. જ્ઞાની મહા સુખમાં રહે છે, આનંદમાં રહે છે. ફિકર માત્રના ફાકા મારો; એક સત્, શીલ અને ભક્તિમાં મંડ્યા રહો. ‘આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.' આત્મભાવનાનો પુરુષાર્થ રાખવો. Page #488 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૩ ૩૯૧ તા.૧૭-૧૧-૩પ સત્ અને શીલ એ જ કર્તવ્ય છે. શીલવ્રત મહાવ્રત છે. સંસારને કાંઠે આવી પહોંચેલાને જ તે પ્રાપ્ત થાય છે. દેહ પડી જાય તો ભલે, દેહ જતો હોય તો જવા દેવો પણ બ્રહ્મચર્ય પાળવું. વૃદ્ધાવસ્થામાં પણ એ વાત આવે તો મહાભાગ્ય સમજવું. તેની દેવની ગતિ નિશ્ચયે થાય છે. મરણ તો બઘાને અવશ્ય આવશે જ. આટલા બઘા બેઠા છો તે સર્વને કંઈ કંઈ પ્રકારની વેદની તે વખતે આવશે. બધાને એક પ્રકારની નહીં આવે. ત્યાં આટલો લક્ષ રહે તો કામ થઈ જાય : વેદની આવે છે તેથી હજાર ગણી આવો; જે આવે છે તે જાય છે, બાંઘેલાં કર્મ આવીને છૂટે છે. તેને જોનાર એવો આત્મા હું છું. મેં તો એવો નિશ્ચય કરેલો છે કે હું આત્મા કોઈ કાળે મરવાનો નથી. કર્મ તો બાંઘેલાં બધાં આવીને જવાનાં છે. પણ જોનાર આત્મા છે, આત્મા છે, આત્મા છે; તે નિત્ય છે, નિત્ય છે, એ આદિ છયે પદનો નિશ્ચય કર્યો છે. “વિશેષ રોગના ઉદયથી અથવા શારીરિક મંદ બળથી જ્ઞાનીનું શરીર કંપાય, નિર્બળ થાય, પ્લાન થાય, મંદ થાય, રૌદ્ર લાગે, તેને ભ્રમાદિનો ઉદય પણ વર્તે; તથાપિ જે પ્રમાણે જીવને વિષે બોઘ અને વૈરાગ્યની વાસના થઈ હોય છે તે પ્રમાણે તે રોગને જીવ તે તે પ્રસંગમાં ઘણું કરી વેદે છે.” બોઘ અને વૈરાગ્ય એ આત્મા છે. સદ્ગુરુનું શરણ માથે છે. સદ્ગુરુ એ પોતાનો આત્મા છે અને દરેકની પાસે છે. મેં આત્મા જાણ્યો નથી, પરંતુ સદ્ગુરુએ આત્મા યથાર્થ જામ્યો છે તેવો આત્મા તે મારો છે; તેથી અન્ય કંઈ પણ મારું નથી. “સહજાત્મસ્વરૂપ મહામંત્ર છે. ભાન રહે ત્યાં સુધી તેમાં ઉપયોગ રાખવો, તેને સંભારવો. ભાન ગયા પછી ફિકર નહીં. પણ ભાન રહે ત્યાં સુધી સદ્ગુરુનું શરણ, તેનું ધ્યાન રાખવું. સમકિત થવાનું એ કારણ છે. હાલતાં ચાલતાં, ખાતાં પીતાં, બેસતાં ઊઠતાં ઠામ ઠામ આત્મા છે. “જૈસી પ્રીતિ હરામકી, તૈસી હર પર હોય; ચલ્યો જાય વૈકુંઠમેં, પલ્લો ન પકડે કોય.” આત્મા ઉપર પ્રેમ પ્રીતિ ભાવ થયો નથી; તે કર્તવ્ય છે. “ઘરમ ઘરમ કરતો જગ સહ ફિરે, ઘર્મ ન જાણે હો મર્મ જિનેશ્વર; ઘર્મ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હો કર્મ જિનેશ્વર. ઘર્મ જિનેશ્વર.” “સમકિત સાથે સગાઈ કીધી, સપરિવારશું ગાઢી, મિથ્થામતિ અપરાઘણ જાણી, ઘરથી બાહિર કાઢી.” આત્માની ઓળખાણ કરી લો. તેની સાથે સગાઈ કરી લો. બીજી સગાઈ છોડી દો. જડને મૂકીને આત્માની સાથે જે સગાઈ કરશે તેનું કામ થશે. Page #489 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત તા. ૧૯-૧૧-૩૫ આ બધાંને મરણ તો એક વખતે જરૂર આવશે. તો તે વખતે શું કરવું તે કહું છું, જેને સાંભળવું હોય તે સાંભળજો, ગ્રહણ કરવું હોય તે ગ્રહણ કરજો, પકડ કરી લેવી હોય તે પકડ કરી લેજો. કહેનાર કહી છૂટે, વહેનાર વહી છૂટે. ‘પ્રીતિ અનંતી પરથકી જે તોડે તે જોડે એહ.' ૩૯૨ સગાંસંબંઘી, પૈસાટકા, ઘરબાર, બૈરાંછોકરાં એ બધેથી પ્રીતિ ઉઠાવી, અહંભાવ મમત્વભાવ ઉઠાવી લઈ, દેહ આદિ સર્વ પ્રત્યેથી મોહમૂર્છાભાવ બાળી જાળી, ભસ્મ કરી, સ્નાનસૂતક કરી ચાલ્યા જવું છે. તો સ્ત્રી છું, પુરુષ છું, નાનો છું, મોટો છું એ સર્વ પર્યાયવૃષ્ટિ છોડી શ્રી સદ્ગુરુએ જાણ્યો છે એવો એક શુદ્ધ આત્મા હું છું એવી આત્મભાવના રાખવી. જ્યાં સુઘી ભાન રહે ત્યાં સુઘી ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મહામંત્રનું સ્મરણ રાખવું. ઉપયોગ બધામાંથી ઉઠાવી તેમાં રાખવો. એના જેવું કોઈ બીજું શરણ નથી. તો જ કલ્યાણ થશે. બધેથી પ્રીતિ ઉઠાવી જેટલી આત્મા ઉપર પ્રીતિ કરી હશે તેટલું કલ્યાણ થશે. આત્મા સદ્ગુરુએ જાણ્યો છે. માટે સદ્ગુરુનું શરણ, શ્રદ્ધા, તેના ઉપર ભક્તિ, ભાવ, રુચિ, પ્રીતિ વધારી હશે તે જ કામ કરશે. તા.૧૨-૧-૩૬ મનુષ્યભવ મહા દુર્લભ છે. જ્યાં સુધી વ્યાધિથી શરીર ઘેરાયું નથી ત્યાં સુધી ચેતી જાઓ, ધર્મ કરી લો; પછી કંઈ થશે નહીં. લૂંટલૂંટ લહાવો લેવાનો અવસર આવ્યો છે. ડાહ્યા થશો નહીં. જોયા કરવું. મહીં માથું ઘાલવા જવું નહીં. ‘‘એક મત આપડી કે ઊભે માર્ગે તાપડી.' આ રૂડો છે, આ ભૂંડો છે એમ કાંઈ ન કરો. સંકલ્પ-વિકલ્પે જ આ જીવનું ભૂંડું કર્યું છે. એનું એને ભારે છે. આપણે અત્યારે પ્રતિબંધ ઓછા કરી આતમભાવ કરવા યોગ્ય છે. તેમાં પ્રમાદ કર્તવ્ય નથી. સમય માત્ર પ્રમાદ કર્તવ્ય નથી. બીજો કરશે તેનું તેને ફળ. સમદૃષ્ટિ રાખવી. મૈત્રી, પ્રમોદ, કરુણા, માઘ્યસ્થ ભાવના ભાવવી. જ્ઞાન, ઘ્યાન, સ્વાઘ્યાયાદિ સારાં નિમિત્તો જોડવાં. આત્મભાવના ભાવવા પુરુષાર્થ કરવો. સમયમાત્ર પણ પ્રમાદ કર્તવ્ય નથી. समयं गोयम मा पमाए. પરોક્ષમાંથી પ્રત્યક્ષ થશે. પરોક્ષનો અભ્યાસ વિશેષ હશે તો પ્રત્યક્ષ થતાં વાર લાગશે નહીં. માટે પુરુષાર્થ કરો. મૂકવું તો પડશે જ. અન્ય ભાવ મૂકો; આત્મભાવનો અભ્યાસ વધારો જે જાણું તે નવિ જાણું, નવ જાણ્યું તે જાણું.' તા.૧૩-૧-૩૬ હજારો જડ પદાર્થ એકઠા કરો તો પણ તે સાંભળી શકશે ? સાંભળે છે તે એક આત્મા Page #490 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૩ ૩૯૩ છે. કેવું અપૂર્વ એનું માહાભ્ય છે ! એ ન હોય તો બઘાં મડદાં છે. સર્વને જોનાર, જાણનાર અને તેથી ન્યારો સર્વ અવસ્થામાં રહેનાર આત્મા છે. તેની માન્યતા થઈ નથી. વાત છે માન્યાની. અનંત કર્મોથી આત્માની શક્તિઓ આવરિત છે. તેમાં મુખ્ય આઠ કર્મો છે. તે સર્વ એક મોહનીય કર્મને આધારે ટક્યાં છે. તે મોહનીયના દર્શનમોહ અને ચારિત્રમોહ એમ બે ભેદ છે. દર્શનમોહ એટલે વિપરીત માન્યતા. તે ટળે અને યથાર્થ માન્યતા થઈ ત્યાં કર્મ સર્વ ક્ષય થયા વિના રહેવાનાં નહીં. ‘ચિંગ ઘણી માથે કિયા રે, કુણ ગંજે નર પેટ, વિમલ' થિંગ ઘણી તે આત્મા. તે પામવા, ઓળખાણ કરી લેવા આ અપૂર્વ અવસર છે. પરમ કૃપાળુદેવે કહ્યું હતું કે હવે શું છે? તમારી વારે વાર. તે સાચું છે. હવે તમારી વારે વાર છે. મુમુક્ષુ અમારી વારે વાર છે તે વાત સાચી છે. પણ અમારે તૈયાર થવા શું કરવું? પ્રભુશ્રી ઘેરથી કપડાં પહેરી તૈયાર થઈ આવ્યા હો તો ફરી ઘેર જવાનું રહે નહીં. પણ બચકો લેવા જવાનું રાખ્યું હોય તો? તેમ તૈયાર થઈ આવ્યા હોય તો વાર નથી. સર્વ મૂક્યા વિના છૂટકો નથી. પોતાનું છે તે મૂકવાનું નથી. બાકીનું સર્વ વહેલું મોડું મૂકવાનું જ છે, તો આજથી સર્વ પરભાવ પ્રત્યે ઉદાસીન થઈ પોતાના સ્વરૂપ તરફ ભાવ-પ્રેમ, પ્રીતિ-ભક્તિ વધારવા યોગ્ય છે. આત્મભાવનો પુરુષાર્થ નિરંતર જાગૃત રાખવા યોગ્ય છે. તા.૧૪-૧-૩૬ કાગડા કૂતરા, ઢોર પશુ એ બઘા આત્મા છે. પણ એનાથી અત્યારે કંઈ થઈ શકશે? મનુષ્યભવમાં સમજણ થઈ શકે છે. રોગ થઈ આવશે ત્યારે કંઈ બનશે નહીં. અત્યારે જાગૃત થઈ જવું. સત્સંગ અને બોઘથી સમજણ આવે છે, માટે તેને હંમેશાં આરાઘવો. જ્ઞાનીએ આત્મા યથાર્થ જાણ્યો છે. તેવો આત્મા તે મારો છે, તેથી અન્ય કંઈ પણ મારું નથી. આત્મા પ્રત્યે ભાવ થાય, આત્મા જ્ઞાનીએ જામ્યો છે તેવો માન્ય થાય ત્યાં કામ થાય છે. વાત છે માન્યાની. પોતે જ પોતાની મેળે માન્યતા કરશે ત્યારે થશે. બીજા તો કહી છૂટે. કરવાનું તમારા હાથમાં છે. જ્ઞાનીની “હા” એ “હા” અને “ના” એ “ના” કરનારનું કામ થશે. મુમુક્ષુ-હા' એ હા અને “ના” એ “ના” કરવા જ નિશ્ચય છે. બીજું કાંઈ કરવું નથી. તે કરવા જ બેઠા છીએ. પ્રભુશ્રી–તેમ કરવા બેઠા છે તેનું તો સારું જ થશે. પણ તેમ કરવા બેઠા હોય તે આવા આત્મા જોશે કે ? આ બાઈ, આ ભાઈ, આ સારો, આ નરસો, એમ જોશે? કે જ્ઞાનીએ જોયા એવા શુદ્ધ આત્મા સર્વે છે એમ જોશે? “પર્યાયવૃષ્ટિ ન દીજીએ, એક જ કનક અભંગ રે.” Page #491 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ ઉપદેશામૃત તા.૧૭-૧-૩૬ લૌકિક દ્રષ્ટિમાં કાઢી નાખ્યું છે; અલૌકિક દ્રષ્ટિ કરવી જોઈએ. યોગદ્રષ્ટિ બોલવામાં આવે છે તે અલૌકિક દ્રષ્ટિએ બોલાય તો એક એક ગાથા બોલતાં લાભના ઢગલા થાય. ભક્તિના વસ દુહા છે. એક એક ગાથા બોલતાં કોટિ કર્મ ક્ષય થઈ જાય, પુણ્યના ઢગલા બંઘાય. તેમાં ભાવ ભક્તિ પ્રેમ જોઈએ. કોઈ પણ ગાથા, કોઈ પણ પદ, ગમે તો એક જાણતા હો તો એક પણ અલૌકિક દૃષ્ટિએ સંભારો, ગાઓ, બોલો. મનુષ્યભવ મહાદુર્લભ છે. મહેમાન છો. જોતજોતામાં દેહ જતો રહેશે. અત્યારે અપૂર્વ કમાણી કરી લેવાનો અવસર ચાલ્યો જાય છે. માટે જાગૃત થાઓ. પ્રમાદ ન કરો. ભૂંડું કર્યું હોય તો લૌકિક દ્રષ્ટિથી જ કર્યું છે– “જે લોકોત્તર દેવ નમું લૌકિકથી.” કેવળજ્ઞાન થશે તો આ ભીંતને તો નહીં જ થાય, જીવને થશે. સમક્તિ પણ જીવને જ થશે. આ બેઠા છે તેમાં કોની પાસે તે નથી? બઘાની પાસે છે. માત્ર આવરણ છે તેથી પ્રગટ થતું નથી. તે આવરણ દૂર કરવા પુરુષાર્થ કરો. “ધિંગ ઘણી માથે કિયા રે !' સદ્ગુરુ ભગવાને જેવો આત્મા જાણ્યો છે, જોયો છે, અનુભવ્યો છે તેવો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું એવી શ્રદ્ધા કરો. તે શુદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરવા તથા આવરણને દૂર કરવા જ્ઞાની એવા સગુરુની આજ્ઞા અનુસાર પુરુષાર્થ કરો. તમે જેવા તેવા નથી, આત્મા છો; આવા નથી, જ્ઞાનીઓએ જોયા તેવા છો–એવી શ્રદ્ધા કરો. ભાવ અને પરિણામ જ્ઞાનીની આજ્ઞા અનુસાર કરો. ‘આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.' આત્મભાવનાનો પુરુષાર્થ કર્તવ્ય છે. આ બેઠા છે તે બઘાને સૌથી પ્રથમ કરવા યોગ્ય છે તે શું ? શાસ્ત્રમાં પણ એ જ કરવાનું કહ્યું છે તે શું? તો કે વિનય. ભૂંડું કર્યું હોય તેનું પણ ભલું થાઓ. સર્વ કોઈ પ્રત્યે વિનય, નમ્રતા, લઘુતા રાખો. વિનય કરનારનું જ ભલું થશે. માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. તા. ૧૮-૧-૩૬ આખો સંસાર દુઃખથી ભરેલો છે. તેનો પાર પામવા આપણે શું કરવું? ઓહોમાં કાઢી નાખ્યું છે. તેનું માહાસ્ય જાણ્યું નથી. પણ એક આભરણ જાણી સાથે રાખવા યોગ્ય છે કે આવો દેખાય છે તેવો આત્મા નથી. ખાવું પીવું, બોલવું ચાલવું બધું ખોટું છે. એ મારું નથી, એ હું નથી. જ્ઞાનીએ જામ્યો છે એવો આત્મા તે હું છું, તે આત્મસ્વરૂપ મારું છે. બીજી બધી ક્રિયાનો જોનાર હું રહું, મહીં ભળી ન જાઉં, મફતિયું જોઉં તો કર્મ બંઘાય નહીં. આત્મા જોવાનો લક્ષ થાય, આત્માને સંભારવાનો લક્ષ થાય, આત્મભાવનાનો પુરુષાર્થ થાય તો આસ્રવમાં સંવર થાય છે. ઝેરનું અમૃત થાય છે, કોટિ કર્મ ક્ષય થાય છે. માટે પુરુષાર્થ નિરંતર કર્તવ્ય છે. Page #492 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૩ ૩૯૫ પોષ વદ ૦)), ૧૯૫૨, તા. ૨૪-૧-૩૬ મુમુક્ષુ–સાહેબ, કોઈ નવો આવે છે, કોઈ પાંચ વર્ષથી આવે છે, કોઈ પંદર વર્ષથી સત્સંગ કરે છે–એ સર્વને આપ કહો છો કે યોગ્યતા નથી, યોગ્યતા લાવો. તો તે કેમ સમજવું? પ્રભુશ્રી–શું કહીએ ? વૃષ્ટિ ફરી નથી ત્યાં સુધી યોગ્યતા કેમ કહેવાય ? વૃષ્ટિ ફરી જાય ત્યારે જ કામ થાય. મૂક્યા વગર છૂટકો નથી. તારી વારે વાર છે. મૂકવું તો પડશે જ. એમ પરમકૃપાળુદેવે કહ્યું હતું. આ ચર્મચક્ષુ મૂકવા પડશે; બાહ્યવૃષ્ટિ, પર્યાયવ્રુષ્ટિ મૂકવી પડશે. દિવ્ય ચક્ષુ જોઈએ. તે પ્રાપ્ત થવાને આવરણ હોય ત્યાં સુધી યોગ્યતા કેમ કહેવાય? એક મરણિયો સોને ભારે છે. તેમ મરણિયો થઈ જાય ત્યારે કામ થાય. સમક્તિ વગર મોક્ષ નથી. સમક્તિ સુલભ છે, સહેલું છે. દ્રષ્ટિ ફેરવવી જ પડશે. તા. પ-ર-૩૬ ભૂંડું થયું હોય તો પ્રમાદથી થયું છે. પ્રમાદ, આળસ છોડીને હવે ચેતી જાઓ. આ મનુષ્યભવ રહ્યો છે, તો અત્યારે ચિંતામણિ જેવો ગણીને ચેતી જાઓ. “માણ થો સાIT તવો– આજ્ઞાનું આરાઘન એ જ ઘર્મ અને આજ્ઞાનું આરાઘન એ જ તપ. જીવને આત્માની ઓળખાણ થઈ નથી, લક્ષ થયો નથી. તે કર્યો છૂટકો છે. મુમુક્ષુ તે કરવા જ અહીં બેઠા છીએ. પ્રભુશ્રી–તે તો જ્ઞાની જાણે છે. તે કરવા જ બેઠા છે તેનું કામ તો થશે જ. ધીરજ રાખો. ધૈર્ય રાખવાની જરૂર છે. કામ થઈ જશે. સમજણ અને પકડ જોઈશે. થિંગ ઘણી માથે કર્યો છે, માથે સરુ કર્યા છે તો ફિકર શી છે ? અહીં બોઘ સાંભળતાં તો કોટિ કર્મ ખપી જાય છે, પુણ્યના ઢગલા બંઘાય છે, અને ટૂંકડું અવાય છે, પાસે અવાય છે. - આ જીવ રાંક પણ થયો છે, રાજા પણ થયો છે, હાથનાં કોઈ બે બોર ન લે તેવો પણ થયો છે. તો હવે અત્યારે જે આવે તે સમતા રાખી ખમી ખૂંદતા શીખો. જે આવે છે તે જાય છે. રહેવાનું ક્યાં છે ? તમારું ક્યાં છે ? સુખદુઃખ આવવું હોય એટલું આવોને ! ભેદજ્ઞાનથી ઝટકો મારી કાપી નાખો, ઉડાવી દો–ભલેને દૂર જઈ પડે. જે દેખાય છે તે પુદ્ગલ છે, પર્યાય છે; તે હવે નથી જોવું. તેને ઘક્કો મારી પાડી નાખો. જ્ઞાની તો આત્મા જુએ છે. આવા નાનામોટા, સારાખોટા જોતા નથી. પુદ્ગલને પુદ્ગલરૂપ, પર જાણે છે. પોતાનો આત્મા છે, તેની સાથે સગાઈ કરી છે. “સમકિત સાથે સગાઈ કીથી, સપરિવારશું ગાઢી; મિથ્યાતિ અપરાઘણ જાણી, ઘરથી બાહિર કાઢી. હો મલ્લિ જિન” Page #493 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ ઉપદેશામૃત તા. ૬-૨-૩૬ આ બઘા જીવની પાસે છે શું ? “ભાવ'; છે કે નહીં ? ભાવ કોઈની પાસે નથી એમ છે ? શું કરવું હવે ? આ વાત જેવી તેવી નથી. ચમત્કાર છે. એક વચનમાં મોક્ષ થાય છે. નાના, મોટા–કોઈ પણ કરે તો થઈ શકે તેવું શું છે ? તો કે ભાવ. ભાવ વડે જ ભૂંડું થાય છે; ભાવ વડે જ ભલું થઈ શકે છે. જન્મ, જરા, મરણ થઈ રહ્યાં છે, તે ય ભાવ વડે જ. ત્યારે હવે શું કરવું ? “ભાવે જિનવર પૂજિયે, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળજ્ઞાન.” આ ટૂંકામાં ટૂંકું છે. જપ, તપ, ક્રિયા, કમાણી, સંજમ, માનવું ન માનવું એ બધું ભાવમાં આવી ગયું. આ જીવ અનાદિનો ભમતો છે. તેના ઉપર દયા લાવી પરમકૃપાળુદેવે બોલાવી લખી આપ્યું : “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.” આટલો જ સવાલ બસ છે. પરને પોતાનું માન્યું છે ત્યાં જ દુઃખ થયું છે. “મારું માથું દુઃખે છે, તાવ આવ્યો છે, પેટમાં દુઃખે છે'મહીં તણાઈને માનવા જાય છે ! એ “તારું માથું” અને “તારી ચૂંક' એ તારાં છે ? એ તો કર્મ છે. તે બાંધેલાં આવ્યાં છે તે જાય છે. તેને જોનાર, જાણનાર, તેથી ન્યારો આત્મા તું છે. તે આત્મા તારો છે. તેના ઉપર ભાવ એ જ ઠરીને શાંત થવાનું ઠેકાણું છે. આતમભાવ થયો ત્યાં ચિંતા, ફિકર બધું જતું રહે. કહો, આવો આતમભાવ હવે કોણ મૂકે ? આખા ગામનો બેટ્ટો હોય તે આતમભાવ મૂકે, હું તો મૂકું નહીં. આટલું જ કરવાનું છે. આમ ન કરવું હોય તો ફર્યા કર સંસારમાં. “સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે તે વાત કેમ હશે ?” ખબર નથી તેથી ભોળો ભટકે છે. મારો દીકરો, મારું ઘન, મારું ઘર–“મારું મારું' કરો ને ભટકો. જુઓ છો બાહ્ય દ્રષ્ટિથી. કર વિચાર તો પામ.' વિચાર કર્યો નથી. આનું પરિણામ શું આવશે ? સુખ-દુઃખ, પૈસાટકા, દીકરા-છોકરાં, “માતા” કશું રહેતું નથી. બધું રાખ છે. આંટી ઊકલી નથી. મૂકવું પડશે. સાથે લીધું તો ઊભું થયું. ન લે તો થાય ? આમ જુઓ, તેમ જુઓ; જ્યાં જુઓ ત્યાં તુંડિતુંહિ—એક આત્મા જ જુઓ. આ ય આત્મા, આ ય આત્મા, એમ આત્મા જોવાય તો કામ થઈ જાય. તેને બદલે આ તો વાણિયો છે, આ તો પાટીદાર છે, સારો છે, ખોટો છે, નાનો છે, મોટો છે એમ જોયું ત્યાં કૂટ કપાળ ! આત્મા જોયો નથી. “જે જાણું તે નવિ જાણું, નવિ જાણ્યું તે જાણું.” આ બધી મર્મની વાત છે. આંટી ઊકલે તો સવળું થઈ જાય. પાછું વળવું પડશે, મૂકવું પડશે; કરવું પડશે. આતમભાવના ભાવતાં પરિણામ બીજું આવે તો કહેજે. સાકર ખાય તો અફીણનું ફળ નહીં થાય, સાકરનું જ ફળ મળશે. Page #494 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૩ ૩૯૭ હવે તારા હાથમાં છે, તારી વારે વાર છે. ચેત, ચેત ભરત, ચેત. બોઘ શ્રવણ કર્યો નથી–કર્યો હોય તો પણ તુંબડીમાં કાંકરા ! બાહ્યને માની બેઠો છે. આ તો ફલાણા ભાઈ બેઠા છે, એ ભુલવણી છે. એ જોવાનું નથી. પડદો ખસ્યો નથી, ત્યાં શું ભાળે ? પડદો ખમ્યો હોય તો બીજું દેખાય. આ બધામાં આત્મા નથી ? શું આત્મા જ નથી ? છે, છે. તો કોને માનવો છે ? હવે કોને ગણવો છે ? કોને ઓળખવો છે ? પંચાત કોની છે હવે ? ખાવું પીવું, બેસવું ઊઠવું એ નોય આત્મા. માર્ગ શું છે ? ત્યાગ. ઉઘાડી તરવાર, બૈરાં છોકરાં, ઘન, હાથપગબધું ત્યાગ. ત્યારે રહ્યું શું ? બધું મૂકતાં બાકી રહ્યું શું ? જે ન મુકાય એવું પોતાનું સ્વરૂપ તે સમજાણું નથી. તા.૮-ર-૩૬ આત્માને ઓળખવો છે. આત્મા જોવાની દ્રષ્ટિ કરવી છે. જ્ઞાની ઠામ ઠામ આત્મા જુએ છે. જ્ઞાની પાસે જ દિવ્યચક્ષુ છે. બીજા બઘા સંસારી જીવો ચર્મચક્ષુથી જુએ છે અને તેથી કર્મબંઘન કરી રહ્યા છે. જ્ઞાનીને તેથી જ બધું સવળું છે. જ્ઞાનીના ગમ્મા અને જ્યમ નાખો તેમ સમ્મા. જ્ઞાની ગમે તેમ વર્તે છે છતાં બંઘાતા નથી. તેમનું વર્તન માત્ર સવળું જ થાય છે. અજ્ઞાનીનું બધું વર્તન અવળું જ છે. ત્યારે આત્મા જોવાય શી રીતે ? તે માટે શું કરવું ? સત્સંગમાં બોઘ શ્રવણ કર્યો છતાં વિચાર કર્યો નહીં. વાતે વડાં થાય નહીં. કરવું પડશે. તમારી વારે વાર છે. ત્યારે હવે કરવાનું શું છે ? આટલા બઘા બેઠા છે, પણ કોઈએ એકાંતમાં બેસીને નક્કી કર્યું છે ? શ્રદ્ધા કરી છે ? શ્રદ્ધાવાળો ઘનવંત છે. તેનું કામ થશે. એક શ્રદ્ધા દ્રઢ કરી હોય તો બધું સવળું થઈ જાય. આત્માના સ્વરૂપની શ્રદ્ધા થઈ ગઈ હોય તો તેનું બધું જ સવળું થઈ જાય છે. તા.૨૦-ર-૩૬ નાનો, મોટો સર્વ આત્મા છે. ઠામઠામ એક આત્મા જ જોવો. અંજન થવું જોઈએ. પણ કોણ સાંભળે છે ? કોણ લક્ષ લે છે ? કોને કહીએ ? તા.૨૮-૨-૩૬ સત્ અને શીલ એ મુખ્ય છે. સતું એટલે આત્મા છે. શીલ એટલે બ્રહ્મચર્ય છે. “અમે વ્રત લીધું છે. બ્રહ્મચર્ય પાળીએ છીએ.” એ શું સાચું છે ? બ્રહ્મચર્ય વ્રતવાળા તો Page #495 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ ઉપદેશામૃત ઘણા જગતમાં ફરે છે. તેમને શું યથાર્થ બ્રહ્મચર્યવ્રત છે ? તે તો જે મહાભાગ્ય હોય તે જ જ્ઞાની પાસેથી તે વ્રત પામે છે. જ્ઞાનીનાં વચન પ્રમાણે માન્યતા કરે કે આ હું નહીં, હું તો આ સર્વને જાણનાર, જોનાર, એવો આત્મા છું–સદ્ગુરુએ યથાર્થ જાણ્યો છે તેવો આત્મા હું છું. તે આત્મા અર્થે વ્રત પાળું છું. જગતમાં સારો, મોટો કહેવરાવવા કે પૂજા-સત્કાર પામવા કંઈ વ્રત પાળવાં નથી. મારા આત્માના હિત માટે, આત્માર્થે કરવાં છે. ભોગ ભોગવવા, વિષયોમાં રાચવું એ ઝેર છે, કાળકૂટ ઝેર છે. ‘મેં ખાધું, મેં પીછું; મેં ભોગ ભોગવ્યા !’–એ શું સાચું છે ? એ તો બંધન છે. એ બધું ત્યાગવાનું છે. મારું છે તે જ (આત્મસ્વરૂપ) મારું છે. બીજું મારું નથી. ઝેરનો વાટકો પીવો, કટારી મારીને મરી જવું; પણ વ્રતનો ભંગ ન કરવો. નીરખીને નવયૌવના,લેશ ન વિષયનિદાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન’’ નારી કાષ્ઠની પૂતળી સમાન ગણવી. બધાં પૂતળાં જ છે. આત્મા જુદો છે. એક વિષયને જીતતાં બધો સંસાર જીત્યો. મરણિયા થઈ જવાનું છે. ‘એક મરણિયો સોને ભારે.' જ્ઞાન એ આત્મા છે; ઘ્યાન એ આત્મા છે. વિષયથી જ્ઞાન અને ધ્યાનનો નાશ થાય છે. એક વાડથી જેમ ખેતરનું રક્ષણ થાય છે તેમ આ બ્રહ્મચર્યરૂપી કલ્પવૃક્ષનું નવ મહાવાડથી રક્ષણ થાય છે. બઘી વાડ સાચવવી. મન, વચન, કાયાથી બ્રહ્મચર્યરૂપી કલ્પવૃક્ષને સેવે છે તેનો સંસાર શીઘ્ર નાશ પામે છે. પાત્ર થવા માટે બ્રહ્મચર્યને બુદ્ધિમાનો નિરંતર સેવે છે. પત્રાંક ૫૬૯ નું વાંચન :– “સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં અને અસત્સંગ તથા અસત્પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત્માત્ર સંશય નથી.” તા.૨૯-૨-૩૬ બઘી સંભાળ લીધી છે, એક આત્માને જાણ્યો નથી. હવે આ જીવને મનુષ્યભવ પામીને દુર્લભમાં દુર્લભ જોગ મળ્યો છે. તેમાં કર્તવ્ય એક આ છે, આત્મજ્ઞાન. ખરું આ કરવાનું છે. વાસના, પૈસાટકા, સામગ્રી માયાની મેળવી હોય તે આ જીવને આત્મહિતમાં કામ નથી આવતી. એ મૂર્છા છે. એથી બંઘન થાય છે. મનુષ્યભવ પામીને ચેતવાનું છે. શું ? તો કે આતમભાવના. બીજી ભાવના થઈ પણ એ ભાવના નથી થઈ. ‘પંખીના મેળા,' ‘વનવનની લાકડી.' લીધો કે લેશે, મહેમાન છો. બધું અહીં પડ્યું રહેશે. સોય સરખી પણ સાથે જશે નહીં. સાથે જાય એવું શું છે તેનો ડાહ્યા પુરુષે વિચાર કરવો. ‘સમયં ગોયમ મા પમાણ્.' એ વીતરાગનું વચન છે. દુર્લભમાં દુર્લભ આ મનુષ્યભવનો જોગ છે. આ અવસર મળ્યો છે. તેમાં સૌથી મોટી વાત, સૌથી બળવાન અમને તો સત્સંગ Page #496 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૩ ૩૯૯ લાગે છે. જેને જેવો સંગ રંગ તેવો બેસે. સત્સંગ જોઈએ. બોઘની ખામી છે. મનુષ્યભવ પામીને કરવાનું શું છે ? વળે નાણે વિUTIછે, પવરવાળે સંયમે.” શ્રવણ સત્સંગમાં મળે છે. સત્સંગથી કર્મક્ષય થઈ મોક્ષ થાય. “હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ?' મુંડા મૂંડાવ્યાં, સાઘુ થયાં, જપ તપ કર્યા, તેનાં ફળ મળ્યાં. ક્રિયા કંઈ વાંઝણી નથી. મનુષ્યભવ અલેખામાં જાય છે, પશુવતું જાય છે. શ્રવણ કરવાથી વિજ્ઞાનપણું આવે. પછી ભાવના થાય. ભાવ આવ્યા પછી કરવા મંડે. જપ, તપ એમાં આવી જાય. કર્મ ક્ષય થઈ સિદ્ધિ થાય. આવી વસ્તુ સત્સંગમાં રહી છે. સત્સંગમાં કોઈ અપૂર્વ વાત હોય છે ! ગાડરિયા પ્રવાહે, રૂઢિ માર્ગે ઘર્મ કહેવાય છે એવો ઘર્મ ન હોય. સમ્યગ્રજ્ઞાન, દર્શન, ચારિત્ર એ જ આત્માનો ઘર્મ છે. એ આત્માની વાત સત્સંગમાં હોય છે. બજારમાં વસ્તુ બધી ભરી હોય છે. ત્યાં પોતાને જરૂર હોય તે વસ્તુ લે છે. તેમ આ મનુષ્યભવ પામીને તારું શું છે? તે જાણ્યું નથી. પહેલું તે જાણીને પછી તે પ્રાપ્ત કરવા યોગ્ય છે. સમાં જોયમ મા પમાઈ' ક્ષણે ક્ષણે આયુષ્ય ઓછું થાય છે. અહીં કોઈ બેસી રહેવાના છે? બઘાને ચાલ્યા જવાનું છે. ડાહ્યા પુરુષો હંસની માફક દૂઘ દૂઘ ગ્રહણ કરે છે, પાણી છોડી દે છે. વાણિયો છે, બ્રાહ્મણ છે, નાનો છે, મોટો છે એમ જોવું નહીં. વાત બઘાની શ્રવણ કરવી; પણ આત્માના હિતની હોય તો ગ્રહણ કરવી. ‘ભરત, ચેત, કાળ ઝપાટા દેત !” એનું ફળ અરીસાભવનમાં કેવળજ્ઞાન થયું છે. કોણ કામ કરશે ? ભાવ– ભાવે જિનવર પૂજિયે, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળ જ્ઞાન.” પૈસાટકા કોને કામ આવે તેમ છે ? ભાવ અને પરિણામે, બે તમારી પાસે છે. આશા, વાસના, તૃષ્ણા તો માયા છે. મૂકીને આવ્યો છે, મૂકીને જવાનું છે. સાડા ત્રણ હાથ જમીનમાં બાળી મૂકશે. ત્યારે કરવા જેવું શું છે ? એક સત્સંગ. એમાં આત્માની વાત છે. બધી સંભાળ લીધી છે, જે લેવાની છે તે રહી જાય છે–એ સારું ? સત્સંગથી જ તેની સંભાળ લેવાશે. તેમાં ખોટી થા. ત્યાં પાપ સંક્રમી પુણ્ય સહેજે થાય છે, વૃત્તિ રોકાય છે. વૃત્તિ રોકવી છે. જો જીવ ભાવના કરશે તો તેનું ફળ મીઠું આવશે. જીવને ભાન નથી. આવો અવસર ચૂકવા જેવો નથી, ચેતવા જેવું છે. ક્રોઘ, માન, માયા, લોભ એ આપણો આત્મા નહીં. પાંચ ઇંદ્રિયો એ આપણાં નહીં. એ બંઘન કરાવનારાં છે. માટે તેનો ત્યાગ ઉપદેશ્યો છે. વિષય કષાય મૂકવા જોઈશે. “ઓ હો ! આ તો જાણું છું, મેં સાંભળ્યું છે,” એમ ન કરવું. Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ ઉપદેશામૃત સત્સંગે સમાગમે વાણી સાંભળવામાં આવે છે તેથી હિત થાય છે. સત્સંગમાં આવી કંઈ લઈ જવું જોઈએ. શું ? કર્તવ્ય શું છે ? ભક્તિ. ભક્તિ જેવું કોઈ સાધન નથી. એ બહુ મોટી શ્રેષ્ઠ વસ્તુ છે. મુમુક્ષ-ભક્તિ યે ઘણા કરે છે. તો ભક્તિ કઈ કરવી ? પ્રભુશ્રી–હૃદયમાં ટેક રાખવો. વીસ દુહા ભક્તિના એકાંતમાં બેસી આખા દિવસમાં એક વાર પણ બોલવા. આ મંત્ર છે, જાપ છે. સાપનું ઝેર જેમ મંત્રથી ઊતરે છે તેમ આ જીવને ભક્તિથી કર્મનું ઝેર ઊતરે છે. “હે પ્રભુ ! હે પ્રભુ ! શું કહું ? દીનાનાથ દયાળ.” લઘુત્વ, ગરીબાઈ, ગુરુવચન એ ક્યાંથી હોય ! આત્માનો નાશ નથી. આત્મા છે. કેવો છે ? જ્ઞાનીએ દીઠો છે તેવો. કેવો દીઠો છે ? જ્ઞાન-દર્શનમય, જ્ઞાનીએ કહ્યો તેવો. તે માટે માન્ય છે. “સદ્ધી પરમ દુહા—“વીતરાગનો કહેલો પરમશાંતરસમય ઘર્મ પૂર્ણ સત્ય છે.” ઉપયોગ એ ઘર્મ છે. વાત કોઈ અજબગજબ છે ! વાત જ્ઞાનીની કહેલી છે. મીઠી વીરડીનું પાણી છે. સબસે ઊંચી બાત, દો નૈનનકે બીચમેં; કલી ગુરુકે હાથ, ભેદ ન પાવે વેદમેં.” કર્યા વગર નહીં થાય. આખરે મૂકવું પડશે. વાત અજબગજબ છે ! “પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.” જગત આત્મારૂપ જોવામાં આવે.” આ અજબગજબ વચન પકડાતું નથી. “પાવે નહિ ગુરુગમ વિના.” ગુરુગમ જોઈશે. ભેદી મળવો જોઈશે જ. મોટું જહાજ હોય, એની સાથે આંકડો ભરાવી દે છે તો નાવડાં બઘાં જોડે તણાયાં જાય છે. આવો રસ્તો છે. ખૂબી છે ! વાત જ્યમત્યમ નથી. આ અવસરે વસ્તુ લેવા જેવી છે. વાર કેટલી છે ? તમારી વારે વાર છે. કોઈને શ્રવણ થયા વિના કામ થવાનું નથી. શ્રવણ કરશે ત્યારે જાણશે. “જો મે તો ગપ્પા, વંસળવવો | सेसा मे बाहिरा भावा, सव्वे संजोगलक्खणा ॥' મોટા પુરુષો કહી ગયા છે બધું. પણ શ્રદ્ધા, પ્રતીત નથી. ભણ્યો પણ ગણ્યો નહીં. સમજ્યો તેનું કામ થશે. સમજ્ય છૂટકો છે. “સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો ? સમજ્ય જિનસ્વરૂપ.” ઘન્યભાગ્ય આપણાં કે આવો જોગ મળ્યો છે. મૈત્રીભાવ, પ્રમોદભાવ, કરુણાભાવ, માધ્યસ્થભાવ એ ચાર આપણે ન છોડવાં. આ ભાવનાથી કામ થઈ જાય. Page #498 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ–૩ ૪૦૧ તા.૩૧-૩-૩૬ મૂળ માર્ગ વીતરાગ માર્ગ છે. કર્મ છે, આત્મા છે. બન્નેને જ્ઞાની જાણે છે. આત્મા જ્ઞાનીએ યથાતથ્ય દીઠો છે, એમ કહેવાશે. છોકરાં, હૈયાં, પૈસો એ આદિ પુદ્ગલ, કર્મ છે. કર્મ તો મુકાય છે. અનંત કાળથી મુકાતાં આવ્યાં છે. કોઈને ય મુકાયા વગર રહ્યાં છે ? પણ આત્માની ઓળખાણ થઈ નથી. આ બધો વ્યવહાર કર્મ સંજોગ-સંબંઘને લઈને કરવો પડે છે. આત્માની ભાવના તો કોઈ જ્ઞાનીએ ભાવી, તે પરિચય કરવો છે. તે પરિચય જ્ઞાની જ જાણે છે. ક્ષેત્ર ફરસના નાસિકની તે જવું થયું. કર્મપુદ્ગલ જે દી તે દી તો મૂકવાનાં છે, મુકાશે. અનંતા ભવથી મૂક્તો આવ્યો છે. છતાં આત્મા તો તેવો જ છે. તેને કંઈ થયું છે? મનુષ્યભવ દુર્લભ છે. તેમાં એક સત્સંગ અને સપુરુષનો બોઘ એ બે જોઈએ. તો કંઈ ફિકર નહીં. ‘ફિકરકા ફાકા ભર્યા તાકા નામ ફકીર.' આત્મા શું છે? આત્મા કેવો છે? હવે કંઈ ફિકર છે નહીં. દિવસ પણ થયા, અવસ્થા પણ થઈ. જન્મ-મરણ, એ વિકલ્પ જ ન કરવો. જન્મ-મરણ તો વ્યવહાર છે. જન્મ-મરણ હોય તોય શું? ન હોય તોય શું? એ તો કર્મ છે. આત્માને શું? આત્મા તો જુદો છે. નિશ્ચયથી આત્મા જેમ છે તેમ છે. તેમાં કંઈ ભેદ પડ્યો છે? આવું છે, તો પછી શું? કંઈ નહીં. મળ્યા હોય તે સાંભરે. ક્ષેત્ર ફરસના. આ જગા મળી તો આ, નાસિક તો નાસિક, હે પ્રભુ ! મુંબઈએ તો તોબા, જુલમ કર્યો છે! કોણ જાણે ક્યાંથી એટલાં બધાં માણસો આવ્યાં હશે, સ્ટેશન ઉપર. પણ બઘાને સમજણ ક્યાં ? સમજણમાં હોય તે હોય. સમજણ જ કામ કરે છે. સમજી લેવાનું છે. હે ભગવાન ! શું કરું ? હું તો થાક્યો; હું કંઈ જ જાણતો નથી; ગુરુનો જ પ્રતાપ છે! તેથી કદાચ દુઃખ હોય તો ય શું ? તે ન હોય તો ય શું ? સમજણ જોઈએ. હે ભગવાન! હું કંઈ જ જાણતો નથી. “એક વિઠ્ઠલવરને વરીએ.” બસ થઈ રહ્યું ! તે જે છે તે છે. આત્મા સિવાય તે બીજાને કહેવાય ? આત્મા સિવાય તે બીજાને મનાય ? સમજણ જેટલી હોય તેટલી ખરી. આત્માને જ કહેવાય. બીજાને કહેવાય કે મનાય ? સૂઝે તેટલો ક્ષયોપશમ હોય, પણ તેમાંય ભેદ–ક્ષયોપશમથી ખબર પડે ? ક્ષયોપશમ તે આત્મા ન હોય. તેને આત્મા માની બેસે છે. તે તો બઘા સંજોગો. આત્મા નો છે ઢીંગલાઢીંગલીની રમત ! ત્યારે સંકલ્પ-વિકલ્પ કેમ આવે છે? સંકલ્પ-વિકલ્પ તો આવે, કર્મ હોય ત્યાં સુધી આવે તે કર્મના, આત્માના નહીં. કર્મ ન હોય તો કંઈ નહીં; કર્મ હોય તો હોય–બધાયને વેદવાં પડે. કર્મ હોય તે બઘાયને વેદવાં પડે. જેટલી લેવડદેવડ કરવાની હોય તે કરવી પડશે. છપ્પનકોટિ જાદવ,તેમણે પણ ચિત્રવિચિત્ર જોયું, વેધું ! તે તરફ જોવું જ નહીં. એક આત્મા જ જોવો. અને બીજું તો “થાવું હોય તે થાજો, રૂડા રાજને ભજીએ.” શાતા-અશાતા તો બાંધી છે તે જીવને આવ્યા કરે, દિવસ ને રાત જેમ આવ્યા કરે છે તેમ. જેમ દિવસ તે દિવસ છે, દિવસ તે રાત નહીં અને રાત તે દિવસ નહીં, તેમ શાતા 26 Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ ઉપદેશામૃત અશાતા તે આત્મા નહીં અને આત્મા તે શાતા-અશાતા નહીં—કર્મનો ભોગવટો કહેવાય. જીવ તેને પોતાનો માની બેઠો છે. કોઈ એક સદ્ગુરુ મળે ને બાણથી વીંધીને મારે તો સોંસરું ઊતરી જાય. " एगोहं णत्थि मे कोइ, नाहं अन्नस्स कस्सइ । एवं अदीणमणसो अप्पाणमणुसासइ || एगो मे सस्सदो अप्पा णाण- दंसणलक्खणो । सेसा मे बाहिरा भावा सव्वे संजोगलक्खणा || " આત્મા શાશ્વત છે, એનું આ કોઈ નથી એમ નિશ્ચય જાણો. એ આત્મા તો સમ્યગ્દષ્ટિ સમદૃષ્ટિ જ્ઞાનીપુરુષોએ જાણ્યો છે. તે જ્ઞાની પુરુષે જે દર્શાવ્યું છે, દેખાડયું છે તે સાચું છે. જડ તે જડ અને ચેતન તે ચેતન. જડ તે ચેતન નહીં થાય અને ચેતન તે જડ નહીં થાય, એ નક્કી જાણજો. બધાય દહાડા કાઢે છે. આટલાં વર્ષ ગયાં ને જાય છે. આત્મા તો છે તેવો જ છે. આત્મામાંથી શું ઓછું વત્તું થયું ? એક વાર કેટલી ?—સમજણ જોઈએ. ‘“સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો ? સમજ્યું જિનસ્વરૂપ.’ સમજણ તો જોઈશે જ. આ અમારું કાલું-બોબડું બોલવું થાય છે, પણ તેમાં ફેરફાર ન જાણશો. ગુરુકૃપાથી, શરણથી સમજણમાં આવે છે. તમારો પ્રશ્ન−‘ગુરુગમ શું ?' એ સાંભરે છે. એનો અર્થ સમજ્યા વગર શું ખબર પડે ? એ સમજણ સદ્ગુરુના બોધના શ્રવણે આવે. બોધ સાંભળે એને થાય. યોગ્યતા પ્રમાણે તે સમજી જાય છે; યોગ્યતાએ સમજાય છે, બીજાને નહીં. જીવની યોગ્યતા હોય તેટલું સમજાય છે. યોગ્યતા જોઈએ. સૌથી મોટી વાત એ છે કે સત્સંગ અને બોધ એ બે રાખજો. ગમે તેમ ગમે ત્યાંથી એ બે લેવાં. આ જ મુખ્ય કામ છે. એમાં જ બધું છે, તો જ સમજાય. આત્મા છે; આત્માની સત્તા છે તો આ જણાય, દેખાય. દુ:ખ થાય તે કર્મ છે. કર્મ તો જાય છે, મુકાય છે, તે આત્મા નથી; પણ સમજાતું નથી; કારણ, ખામી છે. બોધ અને સમજણની જરૂર છે. બોધ જોઈએ. ‘માં બાળફ સે સવ્વ નાળŞ.' એક સદ્ગુરુથી આત્માને જાણ્યો તો બસ, બધું જાણ્યું. આત્માને જાણી લેવો. આ બધા તો સંજોગ છે; બાંધેલા છે. વીતરાગમાર્ગ સૌથી મોટો છે. કર્મ તો જવાનાં, જાય છે—એનો સ્વભાવ એ જ છે. આત્મા તો શાશ્વત છે. એ આત્મા જાય નહીં. બનવાકાળ તે આટલું બોલાયું, વાત સંભળાવી. અશક્તિ એટલી છે કે બોલી શકાય નહીં. આયુષ્યની દોરી હોય તો બચે. કશુંય પાંસરું નહીં. દેહ તો છૂટી જાય; આત્મા શાશ્વત છે. અમારે તો એક સદ્ગુરુનું શરણું છે, તેથી આત્માની વાત કરીએ તે પાછી ફરે નહીં. Page #500 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૩ ૪૦૩ 'आणाए धम्मो आणाए तवो ।' સદ્ગુરુનાં વચનો–પરમકૃપાળુદેવનાં વચનામૃતો તે જ આઘાર છે. તે જ વાંચવાં, વિચારવા અને હૃદયમાં ઉતારી દેવાં. આત્મા થઈને આત્મા બોલ્યો, આરાધ્યો તો બસ. કહેવું કોને ? અધિકારીને કહેવાય. તમે દૃષ્ટિવાળા છો તે માનશો, માન્ય થશે. એક પરમકૃપાળુદેવની જ શ્રદ્ધા પકડ કરી લેવી, તે જ એક કર્તવ્ય છે. એ ભૂલશો નહીં. તે જ પકડ કરી લેવાની, ડાહ્યા થયા વગર. “હું કંઈ જ જાણું નહીં, હું કંઈ જ ન સમજું; એણે કહ્યું તે સાચું.” એમ પકડ કરી લો. આ આવે અને પરિણમી જાય તો થાય. બસ એ જ. પરમકૃપાળુદેવની શ્રદ્ધાની પકડ કરી લો. બીજું માનશો નહીં. બીજું તો પર છે, કર્મ છે, પર્યાય છે, આત્મા નથી. બધું મુકાશે, આ છોડશો નહીં. તમે બઘા એકત્ર થઈ પરમકૃપાળુદેવનાં વચનામૃતો વાંચો, વિચારો તે સત્સંગ છે. તે જ કર્તવ્ય છે. તા.૧૦-૪-૩૬ જાગૃતિ છે. એક, બોલાય કે ન બોલાય તોય શું ? પુગલ-કર્મ છે. પાવર સંજોગને લઈને ફર્યો છે. તેનું કંઈ નહીં. બાકી બીજી બધી જાગૃતિ છે. કંઈ ફિકર નથી. ચૈત્ર વદ ૫, રવિ, સં. ૧૯૯૨, તા.૧૨-૪-૩૬ મુખ્ય માર્ગ છે ભક્તિ. જે કરશે એ ઊગી નીકળશે. કર્તવ્ય છે. ભક્તિનું ફળ મળશે. પોતાનું કર્તવ્ય છે; આખર બીજાનું કામ નથી. ઓળખાણ જ્ઞાની પુરુષની યથાતથ્ય તે માન્ય; મારી કલ્પના ખોટી. મારે તો શ્રી સદ્ગુરુ કૃપાળુદેવે આત્મા યથાતથ્ય જાણ્યો છે તે માન્ય છે. તેમણે આત્મા જાણ્યો છે, તે કોઈની કૃપાદ્રષ્ટિ થઈ તેણે જણાવ્યો, તે જાણ્યો તો યથાતથ્ય છે. તે વગર બીજું છે નહીં. મૂળ વાત–વસ્તુ આત્મા, ભાવના જેમ બને તેમ રાગ દ્વેષ કર્તવ્ય નથી. જીવ બઘા રૂડા છે. પુદ્ગલ છે તે આત્મા ન હોય. આત્મા જ આત્મા છે. જ્ઞાનીએ જ આત્મા જાણ્યો છે. જ્ઞાની વગર કોઈ કહેશે કે જામ્યો છે તે મિથ્યા છે. યાદ રાખવા લાયક છે. એક ભક્તિ માત્ર કર્તવ્ય છે. મનુષ્યભવ દુર્લભ છે. આતમજ્ઞાની હોય તે આત્મા જણાવે. પકડવા લાયક છે. એક વિશ્વાસ, પ્રતીતિ; અવશ્ય ત્યાં કલ્યાણ. ડાહ્યા ન થવું. વિસ ભક્તિના દુહા મહામંત્ર છે, યમનિયમ સંયમ, ક્ષમાપનાનો પાઠ–ત્રણ વસ્તુ સ્મરણ કરવા, ધ્યાન કરવા, લક્ષ-ખ્યાલમાં રાખવા યોગ્ય છે. આત્મા જોવો. આત્મા છે. જેમ છે તેમ જ્ઞાનીએ જાણ્યો છે. જ્ઞાનીએ જોયો તે આત્મા. પ્રત્યક્ષ જ્ઞાની કૃપાળુ દેવે ચાંદ જેને ચોડ્યો છે તેનું આત્મહિત થવાનું છે. સ્મૃતિ કરવી. આત્મા છે; આત્મા છે, આત્મા નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે—તે સર્વ ભાવ જ્ઞાનીએ જાણ્યા તે યથાતથ્ય સત્ય છે. તે મંત્ર બહુ જબરો છે, આત્માને લક્ષ રાખવા જોગ છે. Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ ઉપદેશામૃત ડૉક્ટર તો નિમિત્ત છે. કર્મ ભભક્યાં છે, તે કર્મ જાણો. વહેવારે કરવાનું છે, નિશ્ચયે નહીં. પ્રકૃતિ છે. સૌ સાઘન બંધન થયાં છે. મનુષ્યભવ, દુર્લભ છે પુરુષ ઉપરની શ્રદ્ધા. કાલાઘેલાની વાત છે; કહેવાશે હા હા ગોટીલા. પણ સત્ જે આત્મા છે તે માનશે તેનું કલ્યાણ છે. મુદ્દે રકમ શ્રદ્ધા. “સદ્ધી પરમ કુહા' ચૈત્ર વદ ૬, સોમ, સં. ૧૯૯૨, તા.૧૩-૪-૩૬ આત્માને મૃત્યુમહોત્સવ છે, એક મૃત્યુમહોત્સવ છે. “વિશ્વભાવવ્યાપી તદપિ એક વિમલ ચિટૂપ; જ્ઞાનાનંદ મહેશ્વરા, જયવંતા જિનભૂપ.” એક આત્મા, બીજું કંઈ નહીં. તેનો મહોત્સવ, મૃત્યુ-મહોત્સવ ! આત્મા, ઘર્મ; આજ્ઞાએ ઘર્મકૃપાળુદેવની આજ્ઞા. પરમકૃપાળુનું શરણું છે. તે માન્ય છે. સૌ સંપે મળીને રહેજો. મતમતાંતર, ભેદભેદ, પક્ષપાત નથી. વાત છે માન્યાની. કૃપાળુદેવે મને કહ્યું છે એ વગર વાત નથી. ગુરુદેવ સહજાત્મસ્વરૂપ રાજચંદ્રજી કૃપાળુદેવ છે. આત્મા છે, જેમ છે તેમ છે. આત્મા કોને કહીએ ? જ્ઞાનીએ આત્મા જોયો છે. એમણે જેને જણાવ્યો તે માન્ય કરવો, એ વગર નહીં. એક મૃત્યુમહોત્સવ છે. બીજે કોઈ ઠેકાણે મળે તેમ નથી. એક મૃત્યુમહોત્સવ. ધિંગઘણી માથે કિયારે, કુણ ગંજે નર એટ ?' બીજો હવે નથી. એ વસ્તુ જેમ છે તેમ છે. તે તો તે જ જાણે છે. એની શ્રદ્ધા અને પ્રતીતિ, બસ ! “MID થપ્પો માળા, તવો,' મુદ્દો એ જ. વાત એ જ છે; બીજી લીધી નથી. દૃષ્ટિની ભૂલ નથી. જે છે તે છે. સૂઝે એમ કહેજો, એક પરમકૃપાળુદેવ. “થાવું હોય તેમ થાજો રૂડા રાજને ભજીએ,’ એ જ. આ પુલ છે, આત્મા નથી; સંજોગ છે, સંજોગનો નાશ છે. વિરામ પામું છું, વિરામ પામું છું. ખમાવું છું. એક આત્મા સિવાય બીજી વાત નથી. પરમ કૃપાળુદેવે કહ્યું હતું : “મુનિઓ, આ જીવને પ્રભુશ્રીને) સમાધિમરણ સોભાગભાઈની પેઠે થશે.” અને સોભાગભાઈને ધ્યાન હતું તે જ છે. બીજું કંઈ માન્ય નથી, બીજું કંઈ સમજીએ નહીં. પણ પરમ કૃપાળુદેવ માન્ય છે. પુદ્ગલની અથડામણી, રાખનાં પડીકાં નાખી દેવા યોગ્ય છે. બઘાય પરમકૃપાળુદેવની દ્રષ્ટિવાળાનું કલ્યાણ છે. ભાવના છે એ મોટી વાત છે. “ફૂલ નહીં ને ફૂલની પાંખડી.” કૃપાળુદેવની વૃષ્ટિ ઉપર બઘા આવે છે; સૌનું કામ થઈ જશે. બીજા લાખો હોય તોય શું ? આટલી સામગ્રી પુદ્ગલની છે; આત્મા નહીં. આત્મા જે છે તે છે. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. ચમત્કારી વચન છે ! દયા કરી છે. ઘણા જીવોનું હિત થશે. ઘણાના હિત સાથે પોતાનું પણ હિત છે. સૌ સારું હોં ! આ તો માયા છે, પુદ્ગલ છે, એ નોય. આત્મા છે, જ્ઞાનીએ જામ્યો છે. યથાતથ્ય જ્ઞાનીએ જામ્યો છે તે માન્ય છે. છેલ્લો સવાલ કીઘો. જબરામાં જબરી વાત, તેવી બીજી કોઈ ના મળે; ખબર નથી. પકડ Page #502 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ લઘુરાજ સ્વામી જન્મ દેહોત્સર્ગ વિ. સં ૧૯૯૨, વૈશાખ સુદ ૮ વિ. સં. ૧૯૧૦, આસોજ વદ ૧ Page #503 -------------------------------------------------------------------------- ________________ Page #504 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૩ ૪૦૫ છે. શ્રદ્ધા છે તેનું કલ્યાણ છે. માયા છે. પુદ્ગલ છે. એક આત્મા છે, એક સત્સંગ છે. હું તો રાંકમાં રાંક, એના દાસનો દાસ છું. બહુ સારું થયું. મારે લેવું દેવું નથી. સમ છે. મારે કાંઈ નથી, “વિંગ ઘણી માથે કિયા રે, કુણ ગંજે નર ખેટ ?' તા. ૧૩-૪-૩૬, સાંજના આત્મા સિવાય બીજું કંઈ જોવું નથી. છે તે છે, કાઢ્યો જાય તેમ નથી. સમ વિના બીજી વાત નથી. ફક્ત એક છે, તે હથિયાર. સર્વ સંઘને ખમતખામણાં–વડવામાં, ખંભાતમાં. સમ એક હથિયાર છે. કોઈ ખસેડે તેમ નથી, હઠે તેમ નથી, કપાય તેમ નથી, છેદાય તેમ નથી. એક પરમકૃપાળુદેવની શ્રદ્ધા કરવા યોગ્ય છે. સમ જગા છે, બીજી નથી. ચૈત્ર વદ ૭, મંગળ, સં. ૧૯૯૨ તા.૧૪-૪-૩૬, સવારે સમ છે, દુષ્કર છે, દુષ્કર છે, દુર્લભ છે. મહોત્સવ, મૃત્યુ મહોત્સવ છે ! તા.૧૪-૪-૩૬ | (બ્રહ્મચારીને) દર્શન કરીને જાય એમ ભાઈઓને કહેવું. તમારે ખ્યાલમાં રાખવું : વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, આઠ ટોટક છંદ, સમરણ તમારે આપવાં. સમ છે. આત્મા છે. આત્મા જોવો, બીજું કંઈ જોવું નહીં. પરમ કૃપાળુદેવ માન્ય છે, એ સ્થંભ છે. સાંજના અવસ્થા આવી છે. વેદની કર્મ ભોગવવું પડશે. ઉદયકાળ. શક્રેન્ડે કહ્યું કે ભસ્મગ્રહ છે માટે “માત્ર બે ઘડીનું આખું વીર, વઘારજો રે !” વળતાં વીર બોલ્યા, “એ મારી શક્તિ નથી; એ થયું નથી ને થવાનું નથી.” (બઘાની સામે આંગળી કરીને) બઘા ભોગવશો. શું ભોગવશો નહીં ? નહીં ભોગવે એમ છે ? 'कडाणं कम्माणं न मुक्ख अत्थि' નરકની વેદની ભોગવી છે. 'कडाणं कम्माणं न मुक्ख अत्थि' Page #505 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત કરેલાં કર્મ ભોગવ્યા વિના છૂટકો નથી; બાપ કરે તે બાપ ભોગવે. દીકરો કરે તો દીકરો ભોગવે. ૪૦૬ કર્મ પુદ્ગલ તે આત્મા નથી, તે નથી. ચૈત્ર વદ ૮, સં. ૧૯૯૨, તા.૧૫-૪-૩૬ ‘આતમભાવના ભાવતાં જીવ લહે કેવળ જ્ઞાન રે' તે છે. મૃત્યુમહોત્સવ, ઓચ્છવ ! પુદ્ગલ બાંધ્યાં છે બોલાય એવાં, સંબંધ છે, કર્મ છે. જે જે પુદ્ગલન્ફરસના, નિશ્ચય ફરસે છે. અન્નજળ બાંધ્યું હોય તે લેવાય છે. એક સમ. તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ.'’ “શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું ? કર વિચાર તો પામ.'' કર્મ ભોગવ્યા વગર છૂટકો નહીં. બધાને કરમ હોય; ભોગવ્યા વગર છૂટકો નહીં. ⭑ ⭑ Page #506 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ–૪ તા.૨૪-૫-૨૮ વીલો મૂકવો નહીં. રાતદિવસ મંત્રનું સ્મરણ કરવું અને વખત મળ્યે વાંચન પઠન કરવું. અમૂલ્ય વખત આળસમાં કે ૫૨૫રિણતિમાં ન ખોવો. નિત્ય છ પદના પત્રનું સ્મરણ કરવું અને મનન કરવું. મોટા પુસ્તક (શ્રીમદ્ રાજચંદ્ર) માંથી જે જે પત્રો સમજાય તે મનન કરવા. અઢાર પાપસ્થાનકમાંથી રિત-અતિ ન થાય તે ઉપર ખાસ લક્ષ આપવું. અત્યારે તો બધું સુખ છે. પરંતુ જ્યારે રોગ આવશે ત્યારે અકળામણ થશે, કંઈ ગમશે નહીં. ક્યાં જવું ? શું કરવું ? જીવ નીકળી જશે ? એમ થશે. તે વખતે શ્રદ્ધા હશે, જ્ઞાન હશે તો સમભાવથી રહી શકાશે. તા. ૩૦-૧૦-૨૮ અત્યંત દુર્લભ પ્રસંગ પ્રાપ્ત થયો છે. કરોડો રૂપિયા આપતાં આ સત્ય મળી શકે તેવું નથી. દેહ, વૈભવ, માન પાન—બધું વિનાશી છે, ક્ષણિક છે. ઘડપણ આવશે, રોગ આવશે અને મરણ તો આવવાનું જ છે. આવા કંઈક ભવ કર્યા. હવે ચેતવું. વાચન, મનન, વિચારણા ખૂબ રાખવાં. ધર્મની શ્રદ્ધા દિવસે દિવસે દૃઢ કરી, વઘારવી. એ જ સાથે આવશે. આવો જોગ ફરી નહીં આવે; સંસારમાં પડતાં તો અનેક પ્રકારની જંજાળ વળગે. ચેતવાનું છે. જગત પર્યાયરૂપ અને દગાથી ભર્યું છે. ૪૦૭ * યથાયોગ્ય ઉપયોગ એ આત્મા છે. વિચાર એ જીવ છે. ‘કર વિચાર તો પામ.' આત્મા અરૂપી છે; જ્ઞાનચક્ષુથી જણાય છે. જ્ઞાન એ યથાયોગ્ય આત્મા છે. તા. ૩-૧૧-૨૯ તા.૧૦-૧૦-૩૦ Page #507 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત યથાયોગ્ય દેખવું એ દર્શન છે. યથાયોગ્ય સ્વરૂપમાં સ્થિરપણું થવું તે ચારિત્ર છે. ઉપયોગ એ ધર્મ છે. તે આત્મા છે. ४०८ જ્ઞાન એ ચક્ષુ છે. ઉપયોગ એ દર્શન છે. દર્શન એ સમકિત છે. ઉપયોગ એ આત્મા છે. નિજરૂપ એટલે જ્ઞાન-દર્શનચારિત્ર. ‘ભાન નહીં નિજ રૂપનું, તે નિશ્ચય નહિ સાર.' ૨ તૃષ્ણા, વાસના, ઇચ્છા, વાંચ્છા તે અજ્ઞાન છે. પરભાવના પરિણમનથી અજ્ઞાન થાય છે. મોહનીયકર્મથી વિકાર થાય છે, સંકલ્પ-વિકલ્પ થાય છે. પરભાવમાં પ્રીતિ કરે છે તે મોહથી—અજ્ઞાન-આત્માથી થાય છે. નિજભાવમાં જાય તે જ્ઞાન અને પરભાવમાં જાય તે અજ્ઞાન. શુદ્ધ ભાવમાં પરિણમે તે જ્ઞાન છે. અશુદ્ધ ભાવમાં પરિણમે તે અજ્ઞાન છે. બાહ્યાત્મા, અન્તરાત્મા, પરમાત્મા. પરભાવમાં પરિણમે ત્યાં બંઘન થાય છે. સ્વભાવમાં પરિણમે ત્યાં મોક્ષ એટલે મુકાવું થાય છે. પરમાં પ્રીતિ કરું નહીં. પરભાવમાં પ્રીતિ કરું નહીં. સ્વભાવમાં પ્રીતિ કરું. બ્રહ્મચર્યનું સ્વરૂપ :— આત્મસ્વરૂપે રહેવું. બ્રહ્મમાં સ્થિર રહે તે બ્રહ્મચર્ય. પરભાવમાં જાય તેટલો ભંગ. તા.૨૩-૧૦-૩૦ Page #508 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૪ ૪૦૯ સંકલ્પ-વિકલ્પ, વિષય-કષાય, રાગદ્વેષમાં વૃત્તિ ન જવી જોઈએ. ઇચ્છા, આકાંક્ષા, તૃષ્ણા કોઈ પણ પ્રકારની થાય ત્યાં વૃત્તિમાં અબ્રહ્મચર્ય કહેવાય. વચન શાંત, મધુર, પ્રિય અને હિતકર બોલવું. એથી અન્યથા થાય ત્યાં બ્રહ્મચર્યમાં દોષ લાગે. પાંચ ઇન્દ્રિયનાં વિષયને રોકવા. આળસ ત્યાગવી. શરીર આત્માથી ભિન્ન છે. તેના ઉપર પૂર્ણ કાબૂ અને સંયમ રાખવાં. વેદનામાં ઉદાસીનતા, નિર્મોહતા રાખવી. આ જીવ અનાદિ કાળથી રખડ્યો અને હજી ચેતશે નહીં, માયામાં લપટાશે તો પત્તો લાગશે ? આવા અનેક વેષ કર્યા. ભાઈ બહેન, મિત્ર, સગા સ્નેહી–એમાંનું કોણ સગું થશે ? બહેનપણાં, ભાઈપણ કંઈ કરવાનું પ્રયોજન નથી. એથી ચેતતા રહેવું. આ જીવ અનંત કાળથી શરણરહિત દુ:ખી છે. આખરે કોઈ અપૂર્વ પુણ્યને લીઘે સત્ય આશ્રય આવી મળ્યો છે, તેને જ પકડી લેવો. તેને ઘડી પણ ન વિસરવો. એ જ આખી દુનિયાનો સાર છે. આવું સત્ય ત્રિકાળે મળે એમ નથી. કોઈ જાતની ઇચ્છા ન રાખવી. એક જન્મમરણથી છૂટવું. તે માટે ત્યાગ, વૈરાગ્ય અને તપ કરવું. કોઈ પરિષહ કરે તેનો ઉપકાર માનવો. એથી કર્મ ક્ષય થાય છે. આ કાળે બહુ સમજવાનું છે. જ્ઞાનની પ્રાપ્તિ દુર્લભ છે. દરેક જાતના કામકાજમાં વૃત્તિ ખેંચાઈ જાય. આખા દિવસના દિવસ પરવૃત્તિમાં જાય એ ઘર્મ નથી. આત્માનું સ્મરણ, ચિંતવન, વાચનમનનાદિ આત્માર્થે કરેલું એ જ ખરું છે. બીજું માત્ર ઉદય આવ્યે વચનકાય પ્રવર્તાવવાં, પણ એમાં મન પરોવવું નહીં, ચિંતા કરવી ત્યાં દગો છે. જેટલો વખત ઘર્મમાં ગાળીએ એટલું જ જીવતર; બાકી વૃથા કાળ જાય તેટલું પસ્તાવાનું કારણ. મરણ આવતાં વાર નથી. અને વીલો મૂકીશું તો પછી શું હાથ લાગશે ? ગુપ્ત વાત એ આત્માની. આત્મસ્વરૂપનું ધ્યાન. બીજામાંથી વૃત્તિ ખેંચી ગુપચુપ આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે” નો જાપ જપ્યા જ કરવો. બીજા ભલે ઘારે કે કંઈ ગમ વગરના છે. ગાંડામાં અને અજ્ઞાનીમાં ખપવું. કોઈને કંઈ કહેવા જેવું નથી. કોઈનો આપણે માટે સારો મત મેળવવાની જરૂર નથી. પ્રારબ્ધ પ્રમાણે બધું મળે છે, એ દ્રઢ શ્રદ્ધા ઘારણ કરવી. પછી કોઈ જાતની ચિંતા આ દુનિયા સંબંધીની શા માટે ? અંતરથી ત્યાગ કરવો. બહારથી ભલે જગતમાં વર્તવું; અંતરમાં એકાંત શીતળીભૂત રહેવું. સદ્ગુરુમાં શ્રદ્ધા એક સતી સ્ત્રીની માફક રાખવી. કોઈ બીજામાં વૃત્તિ જરા પણ ન જવી જોઈએ. એ શ્રદ્ધા, એ પ્રતીતિ જ આત્માને પરમ સુખનું કારણ છે. એ સુખ તો અનંત આનંદરૂપ છે. એના આગળ આ દુનિયાનું, સ્વર્ગનું સુખ ઘણું તુચ્છ છે. માટે બધી જાતની તુચ્છ ઇચ્છાઓ ત્યાગવી. કોઈ પણ જાતની આત્મપ્રશંસા સાંભળી ઘણું ચેતવું, કેમકે એ મહા હાનિકારક છે. દરરોજ આત્મભાવમાં અને પરભાવમાં કેટલી પ્રવૃત્તિ કરી તેનો હિસાબ રાખવો. Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ ઉપદેશામૃત તા. ૧૮-૧૧-૩૦ એક જીવ હતો. તે ઘોડાનો રખેવાળ હતો. તેમાં પોતાને પૂરો કૃતકૃત્ય માનતો અને પ્રમાદ સેવતો. પછી તે ઊંટ થયો. તે ભવમાં પણ તેમ જ વર્તતો. આમ દરેક જન્મમાં આત્મા મળેલા દેહમાં તદ્રુપ થઈ રહે છે; તેથી જ્ઞાન પામવું મહા દુર્લભ છે. આ ભવ તો ખૂબ બળ કરી સાર્થક કરવો, નહીં તો અનંત ભવ સુધી પસ્તાવો થશે. અનંત કાળથી આત્મા ભૂલો પડી ભમ્યો છે. કોઈમાં રાગ કે મોહ કરવા જેવું નથી. સગાંસ્નેહી કે એક સોય જેવી ચીજ પણ સાથે આવશે નહીં. આત્મા જ જ્યાં બંઘનમાં છે ત્યાં તેના હાથમાં શું છે? માટે સુષુપ્ત ન રહેતાં જાગૃત થવું જોઈએ. જેટલા ભવ કર્યા તે દરેકમાં આત્માએ મમત્વ કર્યું છે. માટે આ ભવમાં દરેક બહારની વસ્તુ પરથી મમત્વ દૂર કરી શ્રી સપુરુષની આજ્ઞાએ વર્તવું. દરેકને રોગ આવશે, વ્યાધિ થશે, મનોવ્યથા ઉદ્ભવશે; ત્યારે આત્મશાંતિ હશે તો કામ આવશે. છેવટે આત્મા તો ફ્... કરતાં ઊડી જશે. તા. ૩૦-૧૨-૩૦ જીવને ભૂખ લાગી નથી. યોગ્યતા જોઈએ. સત્પરુષનો યોગ, જિનઘર્મ, વગેરે દુર્લભ છે. સત, શીલ, ટેક, બ્રહ્મચર્ય લોકોને બતાવવા કંઈ કરવું નહીં. પુરુષાર્થબળ સતત કરવું. દરરોજ એક કલાક ઓછામાં ઓછો આત્માર્થે ગળાય તો જ કંઈક પમાય. “એ તો ઠીક, રોજ કરીએ જ છીએ ને? એમાં શું?’ એમ કરી કાઢી નાખવું નહીં. જ્યાં સુધી મુમુક્ષતા પ્રગટી નથી, ભૂખ લાગી નથી, “તુંહિ, તુહિ” નું રટણ થતું નથી, ત્યાં સુધી બધું ઉપરછલ્લું છે. શિષ્યને દૃઢ મોક્ષેચ્છા ન થાય ત્યાં સુધી ગુરુ શું કરી શકે ? આ જીવ અનંત કાળથી રખડ્યો છે, જન્મ, મરણ, જરા, રોગ, ભોગવિલાસ, અશાતા, પ્રપંચ આદિ કરતો અનેક સંકલ્પ વિકલ્પ વડે કર્મથી બંઘાયેલો છે. તેમાં ઘણું દુઃખ વેક્યું છે. પણ આવું અદ્ભુત શરણ પ્રાપ્ત થયું છે તે કોઈ દરિદ્રીને હીરાની ખાણ પ્રાપ્ત થયા જેવું થયું છે. આવો યોગ ત્રિકાળે દુર્લભ છે તો આ દુષમકાળમાં તો તેનું માહાભ્ય અત્યંત છે. રાગદ્વેષ, સંકલ્પવિકલ્પને રોકવા. મનને ભક્તિભાવમાં, મુખપાઠ કરેલું ફેરવવામાં પરોવવું. શાળાનું ભણતર બધું લૌકિક છે. એ જ્ઞાન શાશ્વત નથી. એવી કેળવણી તો ઘણા જન્મમાં લીધી અને વિસ્મરણ થઈ. માટે તેમાં કંઈ વિશેષતા નથી. ખરું તો આ જ્ઞાન પામવાનું છે, તેની લૌકિક કિમ્મત કરાવવાની નથી, કારણ કે એ આત્મહિત સંબંધી છે. યોગ્યતા લાવવામાં ટેક અથવા સત્ અગત્યનું છે. આત્મામાં સત્, ટેક જોઈએ કે આમ જ વર્તવું, આમ ન જ થાય. શીલ વૃઢ પાળવું. પરમ કૃપાળુદેવે કહ્યું છે કે અલ્પ આહાર કરજે, ઉપવાસ કરજે, એકાંતર કરજે, છેવટે ઝેર ખાઈને મરજે; પણ બ્રહ્મચર્ય ભાંગીશ નહીં. કારણ, શીલ એ જ બધાનો આધાર છે. Page #510 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૪ તા.૩૧-૧૨-૩૦ જીવને શું કર્તવ્ય છે ? આજ્ઞાપાલન, શ્રદ્ધા, સમકિત. આટલો જન્મ તો એ માટે જ કાયા ગાળી નાખવી. ઉપયોગમાં રહેવું. તેમાં ઘણું સમાય છે ! ४११ તા.૪-૩-૩૧ સમજો કે આજે ગળું દાબી મરી ગયા. હવે કોઈ બાબતમાં વૃત્તિ ન રોકતાં વૈરાગ્યભાવે વર્તવું. બધું ક્ષણિક છે, ક્ષણભંગુર છે, ત્યાં પ્રીતિ, હર્ષશોક શા માટે ? એ બધાથી છૂટવા આ લાગ આવ્યો છે. તો મંડી પડવું. તા.૧-૩-૩૧ વીસ દોહરા, આત્મસિદ્ધિ, ક્ષમાપના, વગેરેનું મહત્વ અત્યંત છે ! એ તો આત્મસ્વરૂપ પામેલા, આ કળિકાળમાં દુર્લભ, એવા પુરુષની વાણી છે. એનાથી યથાર્થ સમજ્યું આત્મસ્વભાવ પ્રગટે છે. દેવચંદ્રજીનાં સ્તવનો પણ એક આત્મજ્ઞની વાણી છે. છતાં પરમ કૃપાળુદેવની વાણી એનાથી ચઢિયાતી છે. એવા પુરુષ ઘણે કાળે થયા. એમની દશા ઘણી ઊંચી હતી. આ સમયમાં એમનું થવું એ ચમત્કારરૂપ હતું. મહાપુણ્યથી તેમનો પરોક્ષ જોગ થયો, તો તેમને ગુરુ કરી સ્થાપવા, દૃઢ શ્રદ્ઘા કરવી. કોઈ પણ જાતની ઇચ્છા સુખ, મોટાઈ, પદવી, વગેરેની ન કરવી. ‘મારે આમ હોય તો સારું, કે હું આમ કરું' વગેરે સંકલ્પ-વિકલ્પમાં મતિને ન જવા દેવી. એથી બંધન થાય છે. આપણે તો છૂટવું છે. જે થવાનું હશે તે થશે. તેમાંથી કોઈ છોડાવવાનું નથી. ઘડપણ પણ આવશે. અત્યારે તો ખુશીથી ઉઠાય બેસાય છે. પછી તો જીવન અકારું થઈ જશે. જીવ કાઢી નાખવાનું મન થશે. છતાં જે કાળ નિર્માયો છે તે પૂરો કર્યે જ છૂટકો. જે દુઃખ પડે તે સમતાથી સહન કરવાં તો જ કર્મ નિર્જરે. ‘સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં.’ સીતા જેવી સતીને માથે દુ:ખ પડવામાં કંઈ બાકી રહી હતી ? છતાં તેને સહન કરીને સમભાવ અને શ્રદ્ધા રાખી તો દેવલોકમાં પ્રતીન્દ્રની પદવી મળી અને મોક્ષે જશે. માટે મનમાં કંઈ જ ન લાવવું. મન ધર્મમાં પરોવવું. વીલો ન મૂકવો. તા.૨૮-૪-૩૧ બોધ – વિચાર – પ્રતીતિ – સમકિત – ચારિત્ર – કર્મનિર્જરા – મોક્ષ એ શ્રેણિમાં કામ કરવાનું Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ ઉપદેશામૃત છે. આત્મજ્ઞાનની ભવ્ય ઇમારત ચણવી છે. તે કર્મક્ષય વગર કેમ થાય ? તે માટે વિષયકષાયને જીતવા. એકાગ્રતાથી ભક્તિપૂર્વક આપ્તપુરુષનો બોઘ શ્રવણ કરી, મનન કરી દૃઢ આચરણ કરવું. ઉપયોગ સ્થિર કરવો. દૂઘ છે તેનું દહીં થવું જોઈએ, સંકલ્પ-વિકલ્પ મટી સ્થિરતા આવવી જોઈએ. સમયે ગામ મા પમg' ક્ષણ ક્ષણ કરતાં આયુ ચાલ્યું જાય છે, ત્યાં અમૂલ્ય સમય માત્ર પણ વૃથા જવા દેવાથી ભવ હારી જવા જેવું થાય. માટે ઉપયોગ વૃઢ કરવો. મંત્રનું સ્મરણ સતત રાખવું. તા.૩૧-૫-૩૧ હવે પકડ કરી લેવી. વૃઢતા, નિશ્ચય, શ્રદ્ધા, વિશ્વાસ એવાં કરવાં કે કોઈ પણ પ્રસંગમાં તેનું વિસ્મરણ ન થાય અને નિઃશંકતા આવે તો મરણ સમયે નિર્ભય રહેવાશે. તા.૭-૯-૩૨ દરેક પ્રકારનો મોહ છોડવો. નહીં તો બંઘ થશે અને તે અનંત સંસારમાં રખડાવશે. દરરોજ નિયમિત રીતે ઘર્મવૃદ્ધિ કરવામાં વખત ગાળવો. તે સિવાય જે કાળ જાય છે તથા જશે, એ બધો વૃથા છે. હવે તો જન્મ-મરણથી છૂટવું છે. તે માટે આ ભવ હાથ આવ્યો છે. કાળ ક્ષણે ક્ષણે ચાલ્યો જાય છે તે પાછો આવતો નથી. દરેક પળ અમૂલ્ય છે. તે બધી અંતર ચિંતવન, મનન તથા સદ્ગુરુસ્મરણમાં ગાળવી. આ આત્મા એકલો આવ્યો છે, એકલો જશે. પોતાનાં બંઘન એકલો ભોગવી દુઃખ પામશે. કોઈ બચાવી નહીં શકે. તા.૨૩-૧૦-૩૨ કરવાનું એ છે કે સૂક્ષ્મ પ્રકારે પણ મોહ, મમત્વ પોતામાં હોય તે વિચારી વિચારી છોડવાં. અને એક જ્ઞાનીનું અખંડ શરણું લઈ તેને જ આરાઘવું. ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ ન મૂકવું. બહુ જ સાવધાન રહેવું. કોઈનો પ્રતિબંધ ન કરવો. આ સારા, આ ખરાબ એમ ન કરવું. કોઈની સાથે માયા, પ્રીતિ, ઓળખાણ, દોસ્તી, વગેરે કરી તો બંઘ થશે. અને અનેક જન્મ ભમાવી મળેલો જોગ વૃથા કરશે. માટે કોઈનો પ્રતિબંઘ ન કરતાં અસંગતા પ્રાપ્ત કરવી. “વાની મારી કોયલ' જેવું છે. એક પછી એક કાળ પૂરો કરી ચાલ્યા જવાના છે. કોઈ ફરી મળે કે ઓળખે એમ નથી. તો પછી વૃથા પ્રતિબંઘરૂપી અનર્થદંડ કરવાથી કેટલું અહિત થાય ! એક Page #512 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૪ ૪૧૩ સપુરુષનું જ સતત ધ્યાન કરવું. અને જેમ સતી સ્ત્રી એક ભરથારને જ વરે છે અને તેને જ ચિંતે છે તેમ આખી દુનિયાને પર માની એક સપુરુષમાં જ વૃત્તિને પરોવવી. તા. ૨૪-૧૦-૩૨ મુમુક્ષુ-જીવને સપુરુષ સમીપ હોય ત્યારે બુદ્ધિ, વિચાર સ્ફરે છે. પણ તે પછી જરા વારમાં પાછો બહિર્મુદ્ધિ કેમ બની જાય છે ? પ્રભુશ્રી-અનાદિનો અભ્યાસ છે; તેથી તે તરફ વૃત્તિ દોરાઈ જાય છે. પરવસ્તુ પર—બાહ્ય દેખાતી અનેક વસ્તુ પર જે પ્રીતિભાવ થાય છે તેવો સપુરુષ પ્રત્યે યથાર્થ રીતે થયો નથી. મનથી માની લે છે કે હું સમજ્યો, દેહાદિ મારાં નથી, હું આત્મા છું, દેહાદિથી ભિન્ન છું; પરંતુ તે તેની માન્યતા જ છે–અંતરથી તેવું પરિણમ્યું નથી, તેવી દશા આવી નથી. કારણ કે ઊંડા ઊતરી વિચાર્યું નથી. આ પર્યાયને માનવાનો અનાદિનો અભ્યાસ છે તે છૂટવા તેવો સતત અભ્યાસ જોઈએ. સપુરુષનો બોધ ઘણો સાંભળી તે ઊંડો ઉતારવો જોઈએ. તે માટે પુરુષ પર અપૂર્વ પ્રતિભાવ પ્રગટવો જોઈએ. જેના પર પ્રીતિ હોય તે તો ઘડી ઘડી સ્મૃતિમાં રે. તા.૨૭-૧૦-૩૨ મિથ્યાત્વી છે તે કુટુંબ વગેરેમાં લીન થઈ સુખ માને છે. અને તેનો વિયોગ થતાં માથું ફૂટે છે–સ્ત્રી, પુત્ર હોય તેમાંથી કોઈ માંદું પડે કે મરી જાય, ઘન હોય તે જતું રહે કે દેવું થાય, શરીરમાં રોગ થાય, વૃદ્ધાવસ્થા આવે ત્યારે તેની ચિંતામાં ને ચિંતામાં અનેક રીતે બંઘન કરે છે. એને શ્રદ્ધા નથી કે આ બધું પૂર્વ કર્મથી મળ્યું છે. કેમ થશે ? શું થશે ? એવી ચિંતા મિથ્યાત્વી કરે છે. સમકિતી જાણે છે કે પૂર્વકર્મ પ્રમાણે લખ્યા લેખ છે તે ભોગવવાના છે અને તે મુજબ થઈ રહે છે. તે પ્રયત્ન કરે છે, વ્યવહારમાં વર્તે છે પરંતુ તેથી પર રહીને–જેમ ઘાવ બાળક ખેલાવે તેમ–તેમાં લીન ન થાય. લીન તો આત્મામાં રહે. શ્રદ્ધા રાખે કે બધું થઈ રહેશે, તેને કોઈ પ્રકારની ચિંતા ન હોય. માટે મિથ્યાત્વીની રીતે કોઈ પ્રકારની ચિંતા ન કરવી. બધું પ્રભુને સમર્પણ કરવું. સંજોગવશ બઘું બન્યા કરે છે. એમ ભવોભવ કાળ ગયો છે અને બનતું આવ્યું છે. તેમાંથી છૂટવું હોય તો તે પર છે એવી બુદ્ધિ રાખવી. સદ્ગુરુની આજ્ઞા વિચારી આત્મસાઘનનો પુરુષાર્થ કરવો. સમકિતી છે તે આત્માનું સુખ શું છે તે સમજી શકે છે. મિથ્યાત્વીને તેનો લક્ષ નથી. તેથી તે સમજે છે કે સાધુ-મુનિને ઘન, સ્ત્રી વગેરે કંઈ નથી તો તેમને સુખ શું? પણ શું સાધુ-મુનિને તેની વાસના હોય? તેમને એ તરફ દ્રષ્ટિ પણ ન હોય, એને તો વિષ્ટા સમાન ત્યાગેલું સમજે છે. ત્યારે તેમની પાસે શું હોય ? કંઈ હોય તો ખરું જ ને ? તે તો તેમનામાં રહેલો પાવરઆત્મસુખ. જેણે તે અનુભવ્યું છે તે જ તે સમજે અને સમજે તો પછી તેને જ ઇચ્છે. તે Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ ઉપદેશામૃત મિથ્યાવૃષ્ટિ કેમ જોઈ શકે ? તે તો જરામરણાદિ સહિત આ સંસારસુખમાં લપટાયો છે તે સુખ તો ક્ષણિક છે, મહાબંધનમાં અને ચોરાશીના ફેરામાં લઈ જનાર છે. મોટા મોટા શેઠ સાહુકાર અને યુરોપના લોકો જે સુખ ભોગવે છે તે પૂર્વોપાર્જિત છે. પરંતુ તેમનું મિથ્યાત્વ ગયું નથી, તેથી તે સુખમાં મગ્ન રહી અનંત ભવ વધારે છે. તે સુખથી ભિન્ન ખરું આત્મસુખ જરા પણ જેમને પ્રાપ્ત થયું છે તે ઉપરોક્ત સુખ નહીં ઇચ્છે. ગમે તેવો જ્ઞાની હોય અને વૃત્તિનો સંયમ ન હોય તો વૃત્તિ ફરી જતાં વાર ન લાગે અને વાત કરતાં નિયાણું થઈ જાય. એક પૈસાધુને ઇયળ થવું પડ્યું હતું. માટે વૃત્તિ ઉપર લક્ષ રાખી નિયાણું તો ન જ કરવું. સંસારમાં ચાહે તેવું સુખ હોય પણ તે આત્મા સિવાયનું છે તેથી તે ખરું નથી અને તેને ત્યાગ્યે જ છૂટકો છે. તા. ૨૯-૧૦-૩૨ આત્મા પોતાને ભૂલી ગયો છે. સગાંસંબંધી, માબાપ તેને સારો સારો કહી પંપાળે છે. પોતે દેહને અને પોતાને એક સમજે છે. આ જગતમાં કેળાં, કેરી, દ્રાક્ષ વગેરે જેમ ફળ છે તેવાં જ આ માબાપ, સ્ત્રી, પુત્ર આદિ સંજોગ પણ ફળ છે. તે સંજોગ અમુક કાળ માટે છે, એ તારાં નથી એમ કોઈ કહે તો મનાય નહીં. પરંતુ સત્પુરુષ મળે અને સમજાવે કે તું આ નહીં; તું સ્ત્રી નહીં, પુરુષ નહીં; ઘરડો નહીં, જુવાન નહીં; વાણિયો બ્રાહ્મણ નહીં; તું તો સિદ્ધસ્વરૂપ આત્મા છું તો મનાય. તેમના કહ્યા પ્રમાણે સમજે તો દૃઢ પ્રતીત આવે અને એ જ સમિત. તેથી તે બાહ્યાત્મા મટી અંતરાત્મા બને અને પોતાને સર્વથી ભિન્ન જાણે. આ સંસારમાં મારું કશું નથી, બધું સ્વપ્નવત્ છે એમ માને. બ્રાહ્મણનો દીકરો કોળીને ત્યાં ઊછર્યો અને પેાતાને કોળી માનતો ૧. એક સાધુ ઘણું પવિત્ર જીવન ગાળતા હતા. તેમને વચનલબ્ધિ પ્રાપ્ત થઈ હતી તેથી તે બોલે તે ખરું પડતું હતું. આખર વખતે તેમણે શિષ્યોને કહ્યું કે મારું મરણ થશે ત્યારે વાજાં વાગશે અને મારી સદ્ગતિ થશે. મરણ-પથારી સામે એક બોરડી હતી તેના ઉપર પાકેલા મોટા બોર ઉપર તેમની દૃષ્ટિ પડી. તે બોર બહુ સુંદર છે એવા વિચારમાં જ હતા અને આયુષ્ય પૂરું થયું. તેથી તે બોરમાં ઇયળ થવું પડયું. મરણ થયું પણ વાજાં ન વાગ્યાં એટલે શિષ્યોને શંકા પડી કે ગુરુની શી ગતિ થઈ હશે. કોઈ જ્ઞાની પુરુષ તે અરસામાં ત્યાં આવી ચઢ્યા. શિષ્યોએ પોતાના ગુરુનાં વખાણ કરી તે મહાત્માને કહ્યું કે અમારા ગુરુનું કહેલું બઘું ખરું પડતું પણ આખરની વાત ખરી પડી નહીં. તે મહાત્માએ પૂછ્યું કે તેમને આખર વખતે ક્યાં સુવાડચા હતા ? શિષ્યોએ તે જગા બતાવી. એટલે મહાત્મા ત્યાં સૂઈ ગયા,અને બોરડી તરફ એમની નજર જતાં પેલું પાકું બોર તેમણે દીઠું. તેથી તે બોર નીચે પાડ્યું અને ભાંગીને જોયું તો તેમાંથી મોટી ઇયળ નીકળી. તે તરફડીને મરી ગઈ. તે વખતે વાજાં વાગ્યાં અને તેમની સદ્ગતિ થઈ. ૨. એક બ્રાહ્મણ હતો. તે ઘણો દરિદ્ર હતો. તેને વિદ્યાભ્યાસ કરવાની ઇચ્છા હતી. પરંતુ આખો દિવસ ભીખ માગે ત્યારે પતિ-પત્નીનું પરાણે પૂરું થતું. એક રાત્રે તે વહેલો જાગ્યો ત્યારે એમ થયું કે અર્ધી જિંદગી તો આમ ને આમ વહી ગઈ ! કેટલું જીવવાનું છે તે ખબર નથી. અને નહીં ચેતું તો વિદ્યાભ્યાસની અભિલાષા અધૂરી રહેશે. તેથી ઘરમાંથી નાસી Page #514 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૪ ૪૧૫ હતો; પછી તેના બાપે સમજાવ્યો ત્યારે ચેતીને સાઘુ થઈ ગયો, તેમ ચેતવાનું છે. વિલો મૂક્યો તો સત્યાનાશ વળશે. ક્ષણ ક્ષણ સહજત્મસ્વરૂપ પરમગુરુ” એટલે પોતાનું આત્મસ્વરૂપ જે છે તેને સંભાળવું અને પરમાં વૃત્તિ જતી રોકવી. નહીં તો નજર કરતાં મોહ થાય. અને તે મહાબંઘનમાં લઈ જાય. તા.૩૦-૧૦-૩૨ ઇન્દ્રિયનાં સુખ એ ખરાં સુખ નથી, પણ દુઃખ છે. એમ કેમ ? સુખને દુઃખ કહ્યાં એ વિરોધ થયો. તો કહેવાનું કે ઇન્દ્રિયના વિષયો પરિણામે દુઃખરૂપ છે. સ્વાદ એ રોગનું કારણ છે, એ રીતે ભોગથી રોગ કહ્યો છે. દરેક જાતનાં ઇન્દ્રિયસુખ ઝાંઝવાનાં નીર જેવાં છે, સંતોષ આપતાં નથી, તેમ તેનો પૂર્ણ ઉપભોગ પણ થઈ શકતો નથી. આત્મસુખ તેથી ઊલટું છે. તે આત્માને ખરી શાંતિ આપે છે. અને તેનું પરિણામ પણ અતિ સુખમય આવે છે. આત્મા છે તે સર્વ પદાર્થથી ભિન્ન છે, અરૂપી છે. એ ન હોય તો બઘાં મડદાં છે. માટે એ છે. જ્ઞાની તેના સાક્ષી છે. માટે એને માનવો અને એ સિવાય પરમાં વૃત્તિ ન રોકવી. જ્ઞાનીની આજ્ઞા છે કે છૂટવું સારું છે. એ વિચારે તેને ઊંઘ આવી નહીં. વળી વિચાર થયો કે સ્ત્રીને કહીને જવું ઠીક છે. તેથી સવારે પોતાનો વિચાર તેની પત્નીને તેણે જણાવ્યો. તે સુશીલ હતી. તેથી તેણે તે વિચારમાં અનુમોદન આપ્યું. પણ કહ્યું કે મને પ્રસવ થવાને હવે બે જ માસ બાકી છે, તો બે માસ પછી તમે જવાનું રાખો તો ઠીક. બ્રાહ્મણે તેની સંમતિ મળતાં રાજી થઈ બે માસ રહેવાનું કબૂલ કર્યું. બે માસ પૂરા થતાં તે બાઈએ છોકરાને જન્મ આપ્યો. પરંતુ અકસ્માત્ તે બાઈનો દેહ છૂટી ગયો. તેથી છોકરો ઉછેરવાનું કામ બ્રાહ્મણને માથે પડ્યું. એક તો વૈરાગ્ય હતો અને આ છોકરાને ઉછેરવાનું અઘરું કામ માથે પડ્યું તેથી તેનો વૈરાગ્ય વધ્યો. એક દિવસ તે છોકરાને રમાડતો હતો. તે વખતે ઘરોળીના ઈડામાંથી એક બચ્યું નીકળી નીચે પડ્યું, તે જોઈ બ્રાહ્મણને દયા આવી કે આટલું નાનું બચ્ચું શું ખાશે ? એટલામાં તે બચ્ચા ઉપર એક માખ બેઠી, તેને તેણે પકડી લીધી. આ જોઈ બ્રાહ્મણને એમ લાગ્યું કે હું તેની નકામી ફિકર કરતો હતો. તેને તો તેના પ્રારબ્ધ પ્રમાણે ખાવાનું મળી આવ્યું. તો આ છોકરાનું પ્રારબ્ધ નહીં હોય ? મારે પણ એના પ્રારબ્ધ ઉપર મૂકીને મારો નિશ્ચય પૂર્ણ કરવા ચાલી નીકળવું જોઈએ. પણ પોતાના ગામમાં છોકરાને મૂકીને ચાલી નીકળવું ઠીક નથી, એમ વિચારી યાત્રાનું નામ દઈ તે છોકરાને લઈ તે પરગામ ગયો. ત્યાં એક ચોતરા ઉપર રાતે રહ્યો. વહેલો ઊઠીને છોકરાને કપડું ઓઢાડીને પોતે ચાલતો થયો. - પ્રભાતે બાળક રડવા મંડ્યું એટલે કોઈ દિશાએ જનાર માણસે ત્યાં કોઈ બીજું માણસ જોયું નહીં તેથી તે ઊભો રહ્યો. થોડી વારમાં ઘણાં માણસ ત્યાં એકઠાં થઈ ગયાં. માબાપ વગરનું છોકરું જોઈ કોઈને સોંપવા તેમણે વિચાર કર્યો. એક કોળીએ તે છોકરાને ઉછેરવાનું માથે લીધું. તેને મદદ કરવા મહાજને તેને અમુક રકમ કરી આપી તેથી તે છોકરો તે કોળીને ત્યાં ઊછરી મોટો થયો. પેલો બ્રાહ્મણ ત્યાંથી ચાલીને કાશી ગયો. ત્યાં વિદ્યાભ્યાસ કરીને આચાર્ય થયો. વિહાર કરતાં કરતાં તે પેલો છોકરો હતો તે ગામમાં આવ્યો. અને કોઈ વૃદ્ધને પૂછ્યું, થોડાં વર્ષ પહેલાં આ ચોતરા ઉપર એક બાળક માબાપ વગરનું હતું તે હજી જીવે છે ? ત્યારે તે વૃદ્ધ હા પાડી અને કહ્યું, તેને બોલાવી લાવું? ત્યારે તે આચાર્યું હા કહી. તેથી તે વૃદ્ધ તે છોકરાને બોલાવી લાવ્યો. તેને આચાર્યે બધી વાત કહી સંભળાવી કે તું કાળી નથી પણ બ્રાહ્મણ છે. તેથી તેને પણ પૂર્વસંસ્કાર જાગવાથી તે પણ આચાર્ય સાથે સાધુ થઈને ચાલ્યો ગયો. Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ ઉપદેશામૃત ઊંડો ઊતરીને વિચાર; મનને વિષય-વિકારમાંથી દૂર ખેંચી લે; એ ક્ષણિક પરદ્રવ્યમાં તો અનાદિકાળથી રહ્યો અને દુઃખ પામ્યો. હવે જાગ અને તારું ખરું સ્વરૂપ ઓળખ, ધ્યાન કર તો આત્માની ઓળખાણ થાય. પણ એમ થાય ક્યારે કે ત્યાગ-વૈરાગ્ય આવે ત્યારે. તે ન હોય અને પરમાં વૃત્તિ હોય તો આત્મજ્ઞાન પામી શકાય નહીં. જગત અનંત આત્માઓથી ભરેલું છે. તે સર્વ પર પરિણતિમાં પડ્યા છે. તેમાં આ થોડાકને પૂર્વ પુણ્યથી સત્સંગનો લાભ મળ્યો છે. તો આ દુર્લભ યોગ સાર્થક કરી લેવો. આત્મા જ ખરો છે; બાકી સર્વ નાશવંત છે, કાળે કરી નાશ થતું આવે છે. આત્મા જ્ઞાનીએ જોયો છે. તેની ઓળખાણે ઓળખાણ કરવી. તા.૩૧-૧૦-૩૨ સમકિતી તથા મિથ્યાત્વી બન્ને પંચેન્દ્રિયના વિષય ભોગવતા હોય ત્યારે ઉપરથી તો સરખા જ લાગે–જ્ઞાનીને ભેદ દેખાય, પણ બીજાને તો તેવો ભેદ દેખાય નહીં. પણ બન્ને સરખા હોય? તો કે એમ નથી. સમકિતીની સમજણમાં ફેર છે. તે વસ્તુને વસ્તુતાએ જુએ છે. પકવાનની થાળી ભરી હોય અને તે બન્ને જમે, પણ બન્નેની દ્રષ્ટિમાં ફેર છે. પછી તેને ઓકી નાખવામાં આવે તો બીજાને અભાવ થાય. સમકિતી બન્ને સ્થિતિમાં સમભાવે જુએ છે; અને તેથી ભોગવે છે છતાં નથી ભોગવતા, એટલે તેમાં લુબ્ધ થતા નથી. તેમને સમભાવ છે. તેવી જ રીતે દરેક બાબતમાં સમકિતીની નજર આત્મા તરફ છે અને બીજું છે તેનાથી પોતે પર છે એમ જાણે છે. તે બંઘ તથા મુક્તપણાને સમજે છે. ઉદય શું તે સમજે છે. તેને ઇચ્છા ઉપાધિ નથી. આ રીતે મિથ્યાત્વી તથા સમકિતીના પરિણામમાં ઘણો તફાવત છે. મિથ્યાત્વીને માન અપમાન, સારું ખોટું, રાગદ્વેષ, હર્ષશોક તથા વાસના વર્તે છે. સમકિતીને કોઈ ગાળ દે તો પણ જાણે કે ક્યાં આત્માને લાગે છે? એ તો ભાષાનાં પુદ્ગલ છે. તેવી જ રીતે દરેક પ્રસંગમાં તે જાગૃત રહે છે અને એ રીતે તેના ભાવ આત્મા તરફ હોવાથી તેને કર્મથી મુકાવું થાય છે. પણ મિથ્યાત્વી તપ કરતાં છતાં બંધાય છે. સમકિતી જીવ પશ્ચાત્તાપ કરે છે પણ ખેદ નથી કરતો. જે થયું તે અજ્ઞાનથી થયું, એમ યથાતથ્ય જુએ છે, અને ફરી એમ ન થાય એ વિચારે છે. જેમાં એક માણસ આખી રાત અંધારામાં ભટક્યો હોય અને સૂર્યોદય થતાં રસ્તો મળે તો વિચારે કે હું કેટલું નકામું આથડ્યો ! સમકિત થયું હોય તો સમભાવ હોય, કોઈ તરફ રાગદ્વેષ ન થાય; કારણ કે, પોતાને દેહથી પર જાણ્યો છે એટલે આત્મા જામ્યો છે, તેવા જ બીજાને જુએ અને પરવસ્તુથી પર રહે. આ સારો, આ નરસો; આ ગમે છે, આ નથી ગમતું એમ ન થાય. એની દૃષ્ટિ આત્મા તરફ હોય. વ્યવહારમાં વર્તતો હોય છતાં તેથી પર રહે. Page #516 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૪ ૪૧૭ અંતરદ્રષ્ટિ રાખે, પોતાને દેહથી ભિન્ન જ્ઞાનીએ કહ્યા મુજબ માને, પોતે આત્માને જોયો નથી પણ જ્ઞાનીએ કહ્યું તે સત્ય માને અને જ્ઞાનીએ કહ્યું કે રાગદ્વેષમાં ન જઈશ તો સ્મરણ રાખી તેમાં ન જાય, પોતાનું ડહાપણ મૂકી જ્ઞાનીની આજ્ઞાએ ચાલે, તો જ રસ્તો મળે. સ્વચ્છંદ રોકવો એ મોટી વાત છે. એ જીવથી મુકાતો નથી ત્યાં સુધી જીવ જે અનંત દોષથી ભર્યો છે તે દોષો ટળી શકવાના નથી. સ્વચ્છેદ મૂકી શ્રદ્ધા કરવી જોઈએ, અને આજ્ઞા પાળવી જોઈએ. તા.૩-૧૧-૩૨ સપુરુષ દ્વારા પચખાણ મળ્યાં હોય તો મહા ઉપકારી છે. પરભાવમાં જવાથી આત્મા બંઘાય; પણ વ્રત લીધું એટલે ‘આનો મારે ત્યાગ છે' એમ થવાથી હું ભિન્ન છું એવો વિચાર આવે અને તેથી પરભાવથી મુકાય. શીલનું માહાભ્ય તો અનંત છે! પોતે આત્મા છે; દેહથી ભિન્ન છે. દેહનો ઘર્મ તે પોતાનો ઘર્મ નથી. પોતે વ્યવહારમાં વર્તે છતાં અંતરથી ન્યારો રહે. એવો અંતરનો ત્યાગ થાય, આત્મા ઓળખાય અને આત્મભાવમાં સ્થિતિ થાય ત્યારે શીલ પાળ્યું કહેવાય. પણ કોઈ પરભાવમાં એટલે રાગદ્વેષ, વિષયકષાયમાં પરિણતિ કરી પોતાનું વિસ્મરણ ન થવું જોઈએ. આત્માને તો સન્દુરુષના વચનથી માન્ય કરે, છતાં રાગદ્વેષ આવે છે તેનું કારણ શું? તો એ કે અનાદિનો અભ્યાસ એટલો છે કે દેહાધ્યાસ દ્રઢ થઈ ગયો છે. સ્વપ્નમાં પણ સાપ જુએ તો ભય માને; કારણ દેહરૂપ પોતાને સમજ્યો છે. તે જેમ જેમ પુરુષનો બોઘ સાંભળે, તેને વિચારે તથા માન્ય કરે, તેમ તેમ દેહાધ્યાસ ઘટે અને આત્મભાવ જાગે. ભાવ પર બધો આધાર છે. શુભાશુભ બન્ને ભાવ બંઘ અથવા પાપરૂપ છે. શુદ્ધ અથવા આત્મભાવ એ જ એક છૂટવામાં સહાયક છે. તા.૧૦-૧૧-૩૨ તું આત્મા છે, એમ જાણ; અને સર્વમાં આત્માને જ જો. આ હાડ ચામડાં છે તેમાં મોહ પામી બંઘાઈશ નહીં. તું તને ઘડી ઘડી યાદ કર. તારું સ્વરૂપ જે જ્ઞાનીએ કહ્યું છે તેનો સાક્ષાત્કાર કરે. આ બ્રહ્મચર્યવ્રત દ્રવ્યભાવે ગ્રહણ થયું છે તે ઘણું શુભ થયું છે તે જરૂર મોક્ષ કરાવશે. તે પાળવા દ્રવ્યભાવે પણ કાળજી રાખવી. નિમિત્ત ખરાબ ન બનવા દેવાં, સાવચેત રહેવું. આ દેહ છે તેટલો કાળ તો ટેક દ્રઢ રાખવી. જે ત્યાગ કર્યો છે એ આત્મભાવે અંતરથી થવો જોઈએ. મનથી મોહ, રાગ ન થાય તે માટે ઉદય આવ્ય, ચિત્તવૃત્તિ વાંચવા-વિચારવામાં અથવા આત્મચિંતવનમાં રોકવી. વૃઢતાથી વ્રત લીધું તેથી આ જીવ સંસારસમુદ્ર ઓળંગી કાંઠે આવી પહોંચ્યો છે. હવે માત્ર એક આત્માને ઓળખવાનો છે. ખરું સુખ છે તે બહારનું નથી; આત્મામાં છે. માટે તેને પામવા આત્મચિંતવન કરવું. પ્રીતિ પરમાંથી કાઢીને જેણે આત્માનું ઓળખાણ કરાવ્યું તેવા પરમ પુરુષમાં જોડવી. 21. Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ ઉપદેશામૃત તા. ૧૧-૧૧-૩૨ આત્મા એ જ પરમાત્મા છે—એ નિશ્ચયનું તત્ત્વવચન સાંભળી કોઈ પોતાને પ૨માત્મા માની બેસે તો તે ખોટું છે. જ્યાં સુધી પરમાત્માના ગુણ ન પ્રગટે ત્યાં સુધી માત્ર મોઢેથી કહ્યું કંઈ ન વળે. ‘સમાધિશતક’ જેવું શાસ્ત્ર એટલા માટે માત્ર યોગ્યતાવાળા જીવને જ વાંચવા યોગ્ય છે. નહીં તો અભિમાન, જેને કાઢવાનું છે તે જ વઘી જાય અને તરવાને બદલે બૂડે. એટલા સારુ માત્ર ગુરુગમે જ રસ્તો કહ્યો છે. આત્માના અનંત ગુણ જેમ જેમ પ્રગટે તેમ તેમ અહંભાવ મટી ભક્તિ, વિનયભાવ પ્રગટે, તા.૪-૫-૩૩ અત્યંત દુ:ખે કરી આર્ત હોઈએ, કોઈ આરો ન હોય ત્યારે શરણું કોનું ? તો કે આત્માનું. પોતાનો આત્મા એ જ ખરો છે. આ બધો સંજોગ છે—સર્વ સંજોગ છે. વેદની, દુ:ખ ગમે તેવું આવે તો પણ જાણવું કે તે પોતાનું સ્વરૂપ નથી, તેથી જુદું છે અને કાળ પાક્યું ચાલ્યું જશે. પૂર્વે કરેલાં કર્મનું તે ફળ છે. હવે ચેતવું. એક આત્માને ઉપાસવો. બીજાં બધાં ઋણ સંબંઘે મળ્યાં છે, કોઈથી પ્રીતિ, માયા ન કરવી, એ વિભાવ તો નાશવંત તરફ દોરી જાય છે. આ દેહ કે કાઈ મારું સ્વરૂપ નથી. હું ન્યારો છું અને મારું સ્વરૂપ જ્ઞાનીએ જાણ્યું અને બોલ્યું તેવું છે. તે એક શ્રદ્ધા રાખવી અને તેમાં જ સ્થિર રહેવું. જગતના ઓળખીતા જીવો સગાં-સ્નેહીને માત્ર ઉપરથી મળવું; પણ તેમાં જરા પણ વૃત્તિ ન રોકવી. દુનિયામાં તો અસંખ્ય લોકો છે. થોડાની ઓળખાણ થઈ, સંજોગ થયો તેથી તેમય થઈ જવું? પોતાના આત્માને વીસરવો ? એમ તો ઘણા ય ઉત્તમ મોટા લોકો છે જેને આપણે ઓળખતા નથી. માટે કોઈ પર મોહ, રાગ કે દ્વેષ ન કરવો. સર્વ ૫૨ સમાન વૃષ્ટિ રાખવી. પરમ જ્ઞાની કૃપાળુદેવ પર સદ્ગુરુ તરીકે હૃદયપૂર્વક જેટલો બને તેટલો ભાવ કરવો. એ જ આત્માનું સર્વસ્વ છે, એમ આજન્મ માનવું. બીજા અનેક દેવોને છોડીને એ એકમાં જ વૃત્તિને સતત પરોવવી અને એમનામાં જ પ્રીતિને જોડવી. ⭑ ⭑ તા. ૧૦-૫-૩૩ સકિત મેળવવા મમતા મૂકવી જોઈએ. મમતા કેમ મુકાય ? સમતા આવે તો. સમતા કેમ આવે ? સત્પુરુષની ઓળખાણ યથાતથ્ય થાય ત્યારે સમતા આવે. પછી પોતાના આત્માની ઓળખાણ થાય, તો તે સર્વથી ભિન્ન છે એમ જાણે, સંજોગ વગેરેને ઇચ્છે નહીં અને પરભાવમાં જાય નહીં, તે માટે સદા જાગૃતિ રાખવી જોઈએ. તે કેવી રીતે રહે ? પુરુષાર્થ કરવાથી. અનેક કામ, ધંધા માટે કરે છે, તેમ આ આત્મા માટે મંડી પડવું જોઈએ. દેહ વગે૨ે પારકાનું કર્યા કરે છે, કેટલી મૂર્ખતા ! હવે પોતાનું કરવું જોઈએ. Page #518 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૪ ૪૧૯ બીજું બધું જે કરવું પડે તે ઉપર ઉપરથી કરવું, પરંતુ અંતરથી તો આત્મહિત કરવા તરફ લક્ષ આપવું. કોઈ બાબતની–ઘન, સત્તા, દેહ, વગેરેની મમતા ન કરવી. મમતા એ જ બંઘન છે અને તે આત્માને મહા દુઃખમય છે, માટે ક્ષણ ક્ષણ બહુ સંભાળવું. સર્વ પર સમભાવ રાખી સર્વનું પારમાર્થિક રીતે શુભ ઇચ્છવું, તા.૧૨-૫-૩૩ 'सद्धा परम दुल्लहा' અનંત કાળથી ભ્રમણ કર્યું, બોઘ પણ સાંભળ્યો છતાં કેમ નિવેડો ન આવ્યો ? શી ભૂલ રહી ? તો કે વાસના ન ગઈ. કોની ? તો કે મનની. મન શું? આત્મા વિચારે પરિણમે છે. તેને વશ કરવું જોઈએ. તે શાથી થાય? તો કે સત્પષના બોઘમાં શ્રદ્ધા આવે અને તે મુજબ વર્તે, મનને બીજે જતાં રોકે અને આત્મામાં સ્થિર કરે તો. તે માટે શ્રદ્ધા જ જોઈએ, અને તેમાં જ રંગ લાગે તો મનડું બાઝે. તા.૧૩-૫-૩૩ અનંત કાળથી જીવે જન્મમરણ કર્યા છે. તેમાં દરેક વખતે સગાંસ્નેહી, ઘનસંપત્તિ પામ્યો છે, અને તેમને “મારાં' માન્યાં છે, તેમને માટે દુઃખ ભોગવવામાં બાકી રાખી નથી, પણ કંઈ સાથે આવ્યું નથી, છતાં હજી “મારું મારું' કરે છે. સ્વપ્ન છે તેને ખરું માન્યું છે, પોતાનો આત્મા જે એકલો આવ્યો છે તેની તલાશ નથી લીઘી, તેની કંઈ દરકાર કરી નથી. એ એક જે ખરો છે તેને મૂકી બીજાની પંચાત કરી છે. એ ભૂલ તે કેટલી ! અને હજી ચેતતો નથી ! ચેતે તો બધું પર માને, મમત્વ મૂકી નિજસ્વરૂપ વિચારે; પણ આત્મા ઓળખવો સહેલો નથી. સ્વચ્છેદે ગમે તેટલું કરે તો પણ ભ્રમણામાં પડે. સુગમ હોત તો અનેક વિદ્વાન થઈ ગયા તેને તે હાથ લાગત; પરંતુ તે એમ ને એમ પ્રાપ્ત ન થાય, તે માટે બધું મૂકી એક જ્ઞાનીનું શરણું લેવું જોઈએ. તા.૧પ-પ-૩૩ આ દેહમાં જીવ મમતા ભાવ કરે છે તે મહા બંઘનરૂપ છે. આ દેહ સુંદર છે; દેહને સુખદુઃખ થાય તે મને થાય છે એમ માનવું તે મમતા છે, તેનો ત્યાગ કરવો. મુમુક્ષુ–ત્યારે શું એને સૂકવી નાખવો? પ્રભુશ્રી–એમ નથી. એનાથી આત્માનું સાર્થક કરવાનું છે. માટે જ્યારે તે સ્વસ્થ હોય ત્યારે તે દ્વારા ભક્તિભજન કરવાં. જ્યારે નિર્બળ કે અશાતામાં હોય ત્યારે અન્ય પાસે ભક્તિ-ભજન Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ ઉપદેશામૃત સાંભળવું અથવા આત્મચિંતન કરવું. નકામો સૂકવી નાખે એ ભક્તિભજન કરવા દે તેમ નથી. માટે તેને જરૂરપૂરતું પોષણ આપી યોગ્ય સંભાળ રાખવી, જેમ બળદને ચારો નાખી તેની પાસે કામ લઈએ તેમ. પરંતુ તેમાં મોહ, મૂર્છા તો ન જ કરવાં. દેહ પોતાનો છે નહીં અને થવાનો પણ નથી, એવો નિશ્ચય કરી લેવો. તે સડી જશે, પડી જશે, રોગ આવશે, વૃદ્ધ થશે, કુરૂપ બનશે; પણ તેથી ન મૂંઝાવું; કારણ, આપણો હેતુ તો તેથી કોઈ પણ રીતે આત્માર્થ સાધવાનો છે, નહીં કે તેને શાશ્વત કરવાનો. તેમ ખાવું પીવું, પહેરવું ઓઢવું વગેરે મોહથી, સ્વાદથી દેહ પર મૂચ્છ લાવીને, પોતાને દેહરૂપ માનીને કર્યું તો તે ઝેરરૂપ છે. તેમ થતું હોય તે કરતાં મરી જવું બહેતર છે કે નવા ભવ ઊભા થતા તો અટકે ! એ રીતે દેહની સંભાળ રાખવામાં આત્માર્થ જાણવો અને મૂચ્છનો સર્વથા ત્યાગ કરવો; કારણ, દેહને પોતારૂપ જાણ્યો તેટલો આત્માને વિચાર્યો. ભેદજ્ઞાન કરી લે તો જ આ વાત સુગમ છે. સ્વસ્ત્રી સિવાય બીજી સર્વ પ્રત્યે મા-બહેનના ભાવે જોવું. ખરાબ ભાવથી કોઈથી દ્રષ્ટિ ન મેળવવી અને સંયમપૂર્વક વર્તવું. સત્ અને શીલ એ મહાન છે. એ હોય ત્યાં જ ઘર્મ હોઈ શકે છે. માટે પુરુષે પરસ્ત્રીનો અને સ્ત્રીએ પરપુરુષનો સર્વથા ત્યાગ રાખવો. તા. ૧૬-૫-૩૩ આ જીવે પરને પોતાનું માન્યું છે. હું સ્ત્રી, હું વાણિયો, હું બ્રાહ્મણ, હું પુરુષ, એમ હિંદુ, પારસી વગેરે કહેવાતો હોય તે રૂપે પોતાને માની બેઠો છે; પણ તે ખોટું છે. આવા તો તેણે અનેક ભવ કર્યા છે અને તેને નાશ થયો છે, છતાં પાછો ભૂલે છે. સગાં વગેરેને પોતાનાં માને છે તેથી દુઃખી થઈ ગાઢ કર્મબંઘ કરે છે. તેને બદલે એમ સમજો કે એ બધું પોતાના સ્વરૂપથી જુદું છે. હું તો આત્મા છું. આમાંનું કંઈ મારું નથી. આ દેહ તે પણ હું નથી. મારું તો એક આત્મસ્વરૂપ છે. આમ જ્ઞાનીઓએ કહ્યું છે માટે સત્ય છે. આ બધા સંજોગો છે, તે મોહ કરાવે છે; પણ હું તેને ખરા ન માનું. તા. ૧૫-૩૩ દેહથી આત્મા ભિન્ન છે; દેહ છે તે મારું સ્વરૂપ નથી, તે મારો નથી, તેને થાય છે તે મને નહીં એમ વિચારી એ સંબંઘી સર્વ મોહ ત્યાગવો. જડ અને ચેતન ભિન્ન છે, એમ શ્રદ્ધા રાખી આત્માની ઓળખાણ કરવી. અત્યારે આત્મસ્વરૂપ જાણ્યું નથી અને અનાદિનો અભ્યાસ હોવાથી દેહરૂપી પોતાને માને છે. પરંતુ જ્ઞાનીઓએ કહ્યું કે તું ભિન્ન છે, તારું સ્વરૂપ તો ઓર છે ! તે શ્રદ્ધા રાખી, દેહાધ્યાસ મૂકી, હવે તે સંબંધી કોઈ વાતમાં મોહ ન કરતાં આ ભવ તો આત્માર્થે જ ગાળવો. Page #520 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ સંગ્રહ-૪ ૪૨૧ તા.૧૯-૫-૩૩ આ જીવ કેવા અનર્થદંડ કરે છે તે જોવા જેવું છે. કોઈ પુરુષ કે સ્ત્રી કોઈ તરફ કુદ્રષ્ટિ કરી ભોગ ભોગવવાના વિચાર કરે, એવી ઇચ્છા કરે તો તે કુભાવથી પાપ બાંધી કુગતિએ જાય. આ ભાવમાં ખરેખર કંઈ કરવામાં આવતું નથી, ભોગ ભોગવી શકાતો નથી છતાં વિચાર માત્રથી કર્મ બાંધે છે તે અનર્થદંડનો પ્રકાર છે. વળી કોઈ એવા ભાવ કરે કે મને સંયમ હોય તો કેવું સારું ! એવા સંયમવંત જીવો તરફ દ્રષ્ટિ રાખી એવી ભાવના કરે તો પુણ્ય બાંધી દેવલોકમાં જાય. એક અશુભ ભાવ છે; બીજો શુભ ભાવ છે. આ બે સિવાય ત્રીજો શુદ્ધ ભાવ છે. જેને મોક્ષ માટે પ્રયત્ન કરવો છે તેણે તો શુદ્ધ ભાવ જ સમજવો જોઈએ અને તે માટે પુરુષાર્થ કરવો જોઈએ. કોઈ પ્રત્યે ઇષ્ટ કે અનિષ્ટ ભાવ ન કરતાં મધ્યસ્થભાવે, સમતાભાવે રહેવું. તપ, જપ માત્ર આત્મપ્રાપ્તિ માટે નિષ્કામપણે કરવાં. કોઈ બાબતની ઇચ્છા રાખવી નહીં. તેમ સુકૃત્ય કરવામાં પણ આત્માના હિતનો લક્ષ રાખવો. પોતાના અનંત દોષો શોધી શોથી દૂર કરવા પ્રયત્ન કરવો; અને સદ્ગુરુના ચરણમાં સર્વ અર્પણ કરી તેની આજ્ઞા આરાધવી. સમભાવમાં સર્વ સમાય છે. મળી આવેલા પ્રસંગોમાં રતિઅરતિ ન કરવી. સહનશીલતા રાખવી. સુખ તેમ જ દુઃખમાં સમતોલ રહેવું. સર્વ જીવ પ્રત્યે નાના-મોટા, સારા-ખોટા, ગમતા-અણગમતા, ઊંચનીચનો ભેદ દૂર કરી, મનથી સર્વ તરફ સમદ્રષ્ટિ રાખી સર્વનું પારમાર્થિક રૂડું ચિંતવવું. દેહની અને તે સંબંધી વિષયોની મમતા દૂર કરવી. તા. ૨૪-૫-૩૩ હવે પકડ કરી લેવી. આત્મા અનાદિકાળથી રખડ્યો છે પણ હજી નિવેડો આવ્યો નથી અને નહીં આવે; માટે જન્મમરણથી છૂટવાની સતત ભાવના કરી જ્ઞાનીના શરણમાં રહેવું. તા.૨૬-૫-૩૩ મન, વચન, કાયાના યોગથી નિવર્તી આત્માને આત્મામાં સ્થિર કરવો, એને ઉત્કૃષ્ટ ધ્યાન કહ્યું છે. આત્માનો એ રીતે બીજે બધેથી ઉપયોગ નિવર્તાવી આત્માનું ધ્યાન કરવું. તે કેવું ? તો કે જેમ સૂર્યનો પ્રકાશ સર્વત્ર છે તેમ આ આત્મા સમસ્ત વિશ્વનો પ્રકાશક છે. જેમ ચંદ્ર ભૂમિને પ્રકાશે છે તેમ આ શરીરના અણુઅણુમાં વ્યાપ્ત છે તેવો આત્મા ચિંતવવો. “આત્મસિદ્ધિમાં “આત્મા છે' એ પદની ગાથાઓમાં વર્ણવ્યો છે તેમ આત્માનું ધ્યાન કરવું. તેમ જ છે દેહાદિથી ભિન્ન આતમા રે ઉપયોગી સદા અવિનાશ;” એવું ધ્યાન કરવું. જ્યારે તે સ્વરૂપમાં જ સ્થિરતા થાય ત્યારે ચારિત્ર કહેવાય; નહીં કે માત્ર સાધુનો વેશ અંગીકાર કરવાથી. Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ૨ ઉપદેશામૃત સર્વ જીવ છે તે સિદ્ધ જેવા જાણવા. નાનો-મોટો, અભણ-ભણેલો, સ્ત્રી-પુરુષ, બાળવૃદ્ધએ ભેદો ખરા નથી. સર્વ સરખા છે અને પોતાના સમાન છે. પોતાનો આત્મા તે જ પરમાત્મા જેવો છે, એમ જાણી તે પરમાત્મસ્વરૂપનું ધ્યાન કરી રાગ-દ્વેષમાં ન જવું. કોઈ પર મોહ કરી રાગ ન કરવો અને કોઈને તુચ્છ ગણી દ્વેષ ન કરવો. એ રીતે પુરુષાર્થ કરતાં વૃત્તિ પરમાં જતી અટકે અને ધ્યાનમાં રહી શકાય. તા.૨૫-૩૩ ચારે ગતિમાં અનંત દુઃખ છે. નરકગતિ અને તિર્યંચગતિ તો અસહ્ય છે. મનુષ્યગતિમાં પણ ભૂખ, નિર્ધનતા, માન-અપમાન, દરિદ્રતા, રોગ અને જરાનું દુઃખ છે. શરીર છે તે દિવસે દિવસે ક્ષીણ થાય છે અને વિષયકષાયથી તેમજ પાંચ ઇન્દ્રિયના મૃગજળ જેવા સુખની વાંછનાથી આ આત્મા અનંત દુઃખનો ભાગી થાય છે. દેવગતિમાં શરીરનું સુખ છે ત્યારે માનસિક દુઃખ બીજી ત્રણે ગતિ કરતાં વિશેષ છે. એકબીજાના સુખની ઈર્ષ્યા અને અપહરણની ઇચ્છા થાય છે. ત્યાંનું સુખ પણ કેવું છે ? તુચ્છ ભોગ તે જ ત્યાં ભોગવાય છે. તેય ક્ષણિક અને નાશવંત જ છે. જરા લાંબો કાળ ભોગવી તેનો અંત થાય છે અને કષાયથી ફરી નીચગતિમાં દેવને જવું પડે છે. જ્યારે શરીર ત્યાગ કરવાનો વખત આવે છે ત્યારે એ ભોગ છોડતાં અત્યંત આર્તધ્યાન કરી હલકી ગતિમાં જઈ પડે છે. માટે એ દેવના ભોગ પણ ત્યાગવા યોગ્ય છે, ઇચ્છવા યોગ્ય નથી. એ સુખ છે તે પરિણામે દુઃખરૂપ થાય છે. માત્ર આત્મજ્ઞાની દેવો હોય છે તેમને જ કંઈક ખરું સુખ હોય; કારણ કે તેમને આત્મજ્ઞાનને લઈને તેવા કષાય થતા નથી, અને આયુષ્ય પૂર્ણ કરી વહેલામોડા મોક્ષ પામે છે. ચારે ગતિ માત્ર દુઃખરૂપ છે. તેમાં આત્મા બંઘાયો છે તેને હવે છોડાવવો. આ માનવદેહ પ્રાપ્ત થયો છે તેમાં જ તે બની શકે તેમ છે. આ જન્મની દરેક પળ મહા અમૂલ્ય છે. માટે સદ્ગુરુની આજ્ઞા વિચારી, તેમનાં વચનો ગાંઠે બાંધી પોતાના આત્મામાં તે પરિણાવવાં. તા.૩૧-૫-૩૩ બીજે બધેથી દ્રષ્ટિ ફેરવી એક સ્વ-આત્મામાં જ રહેવું. વ્યવહારમાં બહારથી વર્તવું પડે, પરંતુ પોતાના આત્માને ઘડી પણ ન વિસરવો. ઉપયોગમાં રહેવું અને આત્માને જ સર્વસ્વ માની રાગદ્વેષ ન કરવો. જે કંઈ ભાવ, અનુરાગ કરવો તે આત્મામાં જ કરવો. એને લઈને જ આ દેહ, મન ઇત્યાદિ તથા સંબંઘી, સંજોગો પ્રાપ્ત થયા છે; માટે એમાં જ સ્થિર રહેવું. Page #522 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૪ ૪૨૩ તા.૮-પ-૩૪ મુમુક્ષુ–જીવ આટઆટલું સાંભળે છે છતાં કેમ પરિણમતું નથી ? પ્રભુશ્રી–એક કાનેથી સાંભળી બીજેથી કાઢી નાખે છે. મુમુક્ષુ–બે કાન છે તેથી તેમ થાય છે. એક જ કાન હોય તો બધું અંદર રહે ! પ્રભુશ્રી–ત્રણ પૂતળીઓની પરીક્ષા વિક્રમ રાજાએ કરી જોઈ. એકના કાનમાં નાખેલી સોય તેના બીજા કાનથી સોંસરી નીકળી ગઈ. બીજીના કાનમાં નાખી તો જરા વાર રહી તેના મોઢામાંથી નીકળી ગઈ. અને ત્રીજીના કાનમાં નાખી તે તો નીકળી જ નહીં; તો તેની કિસ્મત એક લાખ રૂપિયા અંકાઈ. તેમ જે બોધ મળે તે મનમાં ઘારણ કરે અને વિચારે તો આત્મામાં પરિણમે. જે કરવાનું છે તે બાહ્યમાંથી નિવર્સીને આત્મામાં પરિણમવાનું છે. એક માણસ શાસ્ત્ર ઘણાં ભણ્યો હોય અને બધું સમજાવી શકે, પણ આત્માનો અનુભવ ન થયો હોય તો તે બધું નકામું છે. શાસ્ત્રજ્ઞાન ન હોય પણ શ્રદ્ધા તથા અનુભવ હોય તો તે બીજે જન્મે પણ સાથે જાય, અને જીવને મોક્ષ પમાડે. તા.૧૧-૫-૩૪ યોગ્યતા હોય નહીં અને પોતાને છઠું ને સાતમું ગુણઠાણું માની માન પામે. ખ્યાલ કયાં છે કે સમકિતી જીવની કેવી દશા હોય ? આ તો જાણે કંઈ નહીં અને બોધ આપવા નીકળે, જ્ઞાની થઈ બેસે. તેથી માત્ર ભવ રઝળવાનું થાય. “નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; સબસે ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ.” જે વાત પોતે અનુભવી નથી છતાં જાણે અનુભવી હોય એમ બતાવી કહે તે મિથ્યાત્વી કહેવાય. એવું કરી કેટલો કાળ કાઢવો છે ? માટે હવે બીજી બધી પંચાત ન કરતાં આત્માને ઓળખી લેવો અને એક આત્માર્થે સઘળું કરવું. આત્મા છે તે નાનો, મોટો, ઘરડો, જુવાન, સ્ત્રી, પુરુષ નથી. તે બઘા પર્યાય છે. અને પર્યાયવૃષ્ટિ મૂકી સ્વરૂપમાં આવે તો કર્મબંઘ અટકે. તા.૧પ-પ-૩૪ જે વાત પૂનામાં થઈ હતી તે જ સર્વેએ માન્ય કરવી. કૃપાળુદેવ ઉપર પ્રેમ થવો જોઈએ. બીજેથી પ્રીતિ તોડે તે ત્યાં જોડે. માટે બધેથી સંકેલી તેમાં પ્રેમ આત્માર્થે કરવો. એ પ્રેમ તે જ શ્રદ્ધા છે. અને એ શ્રદ્ધા થયે જ્ઞાનીનો બોઘ પરિણમે તથા જ્ઞાન થાય. Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ૪ ઉપદેશામૃત તા. ૧૩-૧૧-૩૪ જીવે શું કરવાનું છે ? ભેદજ્ઞાન. તે કેવી રીતે ? તો કે આ કાયા તે મારી નથી, વચન, મન પણ મારાં નથી. હું એથી ભિન્ન આત્મા છું. તો શું તેને ન રાખવાં ? તો કે રાખવાં પરંતુ તે એક આત્માર્થે. જે કરવું તે ન છૂટકે આત્માર્થે કરવું. ખાવું, પીવું, કપડાં પહેરવાં, દિશાએ જવું, બોલવું, હસવું, રડવું, ચાલવું, મૂકવું, લેવું, જોવું વગેરે સર્વ શા માટે ? એક આત્માર્થે કરવું. હું એથી ભિન્ન છું, પણ ઉદય આવ્યે વેદવું પડે છે. મારે તો એક આત્માર્થ જ કરવો છે. આત્માર્થમાં લક્ષ રાખવો કે જેથી તેવા ઉદય ફરી ન આવે. ખાવું તો શા માટે કે ફરી ન ખાવા. તેમ સર્વ કંઈ કરવું તે ફરી ન કરવા, છોડવા અને મૂકવા. એક આત્મા જ મારો છે અને તે જ્ઞાનીએ જોયો છે; માટે જ્ઞાનીની આજ્ઞા આરાઘવી. આત્માનું હિત થાય તે જ કરવું તે વિવેક છે. રાગદ્વેષ ન કરવા, દેહાદિ પરપદાર્થમાં અહંભાવ, મમત્વભાવ ન કરવો. અભિમાન મૂકવું આત્માનું કંઈ નથી, આત્મા સર્વેથી ભિન્ન છે. વિનય સર્વનો કરવો. આત્માને સર્વથી ભિન્ન સ્પષ્ટ જોવો. જેમ ઉત્તર ને દક્ષિણ બે જુદાં છે, અંઘકાર અને પ્રકાશ જેમ ભિન્ન છે તેમ આત્મા ભિન્ન છે. તેને પામવા સર્વ કાંઈ કરવું. તા. ૧૭-૧૧-૩૪ દેહાધ્યાસ ટાળવો. આત્મા આ દેહમાં પગથી તે માથા સુધી રહેલો છે, તેમાં વૃત્તિ પરોવવી. પાંચ ઇંદ્રિય અને છઠું મન એરૂપી છે બારીઓ છે. તે દ્વારા વૃત્તિ બહાર જાય છે ત્યાંથી ખેંચી આત્મામાં લાવવી. જે જોવાય છે તે, આત્મા છે તો જોવાય છે. માટે તેને વિસ્તૃત ન કરવો. આત્મા પાસે ભાવ અને ઉપયોગ છે તે છૂટવા, સંસારથી મુક્ત થવા પ્રવર્તાવવો. પ્રેમ કરવો તો સત્પષ પર કરવો. તેમ જ પોતાના આત્મા પ્રત્યે પ્રીતિ, દયા, પ્રેમભાવ, વગેરે બધું કરવું; કેમકે અનાદિકાળથી પરભાવમાં જવાથી તે બંધનમાં પડ્યો છે. અનંત દુઃખ ક્ષણે ક્ષણે ભોગવે છે અને પોતાની અનંત સમૃદ્ધિ ભૂલી ગયો છે. તેના પર દયા કરી કર્મબંઘનથી મુકાવા આત્મભાવમાં આવવું. આત્મભાવ પામવા માટે ગુરુગમ જોઈએ; કારણ જેમ તિજોરી ચાવી વગર ખૂલે નહીં તેમ આત્મ-ઓળખાણ તો સદ્ગુરુ કરાવે ત્યારે થાય. માટે તેમની આજ્ઞા બરાબર સમજી વૃઢતાથી આરાઘવી. બફમમાં ન રહેવું. કોઈ પર રાગદ્વેષ ન કરવા. સર્વ પર સમભાવ રાખવો, મૈત્રીભાવ સર્વ પ્રાણી પર સમાન રાખવો. ચાર ભાવનાઓ ભાવી વ્યવહારમાં વર્તવું. Page #524 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૪ ૪૨૫ તા.૧૮-૧૧-૩૪ [ઘર્મધ્યાનની પૃથ્વી આદિ પાંચ ઘારણાઓ વંચાત] આ કલ્પનાઓ ચિત્તને એકાગ્ર કરવા કહી છે કે જેથી જીવ વૃત્તિને બધેથી સંકેલી આત્મામાં આણે. પરંતુ ધ્યાન થવા તો ગુરુગમ જોઈએ. કૂંચી વગર તાળું ન ખૂલે. કૃપાળુદેવે ગુરુઆજ્ઞાપૂર્વક વિચાર ધ્યાન કરવા કહ્યું છે. | મુખ્ય વાત સત્ અને શીલ પાળી શ્રદ્ધા દ્રઢ કરવી. દોરડું હાથ આવે તો કૂવામાંથી બહાર નીકળાય. માટે શ્રદ્ધારૂપી દોરડું પકડ્યું તે હાથમાંથી ક્ષણવાર પણ છૂટવા ન દેવું–વિસ્મૃતિ ન કરવી. શ્રદ્ધા કોની કરવી ? ક્યાં કરવી ? ઘરઘરનાં સમકિત છે કે નહીં. પણ ખરા જ્ઞાની બતાવે તે જ પકડ કરી લેવી. તો જ આ ત્રિવિધ તાપથી છુટાય. સદ્ધ પરમ કુછંદ.” એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય' એ લક્ષમાં રાખવું. અને આજ્ઞાને વિચારી આરાઘવી, સર્વત્ર આત્મા જોવો. સદ્વર્તન આચરવું. તા. ૧૮-૧૧-૩૪ હવે દ્રષ્ટિ ફેરવવાની છે. જીવ આ બાજુ જઈ રહ્યો છે ત્યાંથી ફરીને સામી બાજુ જવું છે. જવું છે મોક્ષે અને કરણી સંસારની કરે છે–રાગ-દ્વેષ-મોહ કરે છે, પ્રીતિ-અપ્રીતિ કરે છે, અહંતા મમતા કરે છે તે બંઘન છે. જ્ઞાની છે તે વ્યવહારમાં બાળકોને ખેલાવે છે, પ્રવર્તન કરે છે પરંતુ તેમનું પરિણમન આત્મામાં છે. તેમને સર્વ પ્રત્યે સમભાવ છે. આત્મા જુએ છે અને તેનું શ્રેય ઇચ્છે છે. જે અવળી બુદ્ધિ થઈ ગઈ છે તે મૂકવાની છે. દેહથી માંડીને બધે પરવસ્તુમાં પ્રીતિ કરે છે. ત્યાંથી ફેરવીને આત્મામાં પ્રીતિ કરવાની છે. એનો સતત અભ્યાસ કરવાનો છે. એ માટે ભણવાનું, શીખવાનું છે. માટે તેનો ઉપયોગ રાખવો. ગાડી ઘોડા વગેરે ઘમાલ જોતાં વિચારવું કે તે માયા છે, નાશવંત છે. તેને જોનાર મારો આત્મા તો અવિનાશી છે. માટે તે જ રાગ કરવા યોગ્ય છે. સપુરુષથી ભેદ રાખવો નહીં. મન-વચન-કાયાએ તેમની આજ્ઞા આરાઘવી. સપુરુષ પર શ્રદ્ધા રાખવી. એ કહે તે સત્ય માનવું–રાતને દિવસ કહે તોપણ. અને સર્વ પ્રકારના આગ્રહ ત્યાગવા. પત્રાંક ૮૧૦નું વાંચન : - “જે અનિત્ય છે, જે અસાર છે અને જે અશરણરૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રિદિવસ વિચારવા યોગ્ય છે.” જો આત્માને સુખી કરવો હોય, અનંત ભવનો ક્ષય કરવો હોય, અને સાચું સુખ પામવું હોય તો આ માર્ગ છે. નહીં તો પછી ચોરાશીના ફેરામાં ફર્યા કરવું અને માયાના બંધનમાં સુખ માનવું. Page #525 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ ઉપદેશામૃત તા.૪-૧-૩૫ બોઘ સર્વને એકસરખો મળે છે. પરંતુ કોઈ તેને અંતરમાં ઊંડો ઉતારી વિચારે અને કોઈ તેને ગ્રહણ કરે પણ વિચારે નહીં અથવા ગ્રહણ જ ન કરે. એમ સી યોગ્યતા પ્રમાણે લાભ મેળવે છે. મહાદુર્લભ બોઘ કૃપાળુદેવે બોધ્યો છે પણ તે સમજવો જોઈએ. બે ભાઈ દુકાનમાંથી ભેળસેળ થયેલ દાણો અર્ધા ભાગે વહેંચી લેતા. તેમાંથી એકની સ્ત્રી ભડકું ને રોટલા બનાવે; બીજાની સ્ત્રી દાળ-ભાત, શાક ને રોટલી બનાવે. “દરરોજ ભડકું ને રોટલા કેમ બનાવે છે ? ભાઈને ઘેર તો દરરોજ દાળભાત રોટલી થાય છે,” એમ પતિએ ઠપકો આપ્યો ત્યારે પેલી સ્ત્રીએ ઘણીને કહ્યું, “તેને તમારા ભાઈ બધું લાવી આપતા હશે.” એટલે તપાસ કરી તો ખબર પડી કે તે તો મહેનત કરી બધું જુદું પાડી સુંદર રસોઈ બનાવતી હતી જ્યારે ફૂવડ બૈરી ટેલટપ્પામાં વખત કાઢી, ભરડી નાખી રાંઘી આપતી હતી. એમ જ્ઞાની જે આપે તેનો યોગ્ય વિચાર કરવો જોઈએ અને બઘાથી આત્માને જુદો પાડી પરિણમવું જોઈએ. ભાજન પ્રમાણે બોઘ ગ્રહણ થઈ શકે છે. હાથી હોય તે બે ઘડા પાણી પીએ તો આપણાથી એક પ્યાલો પિવાશે. તેમ કોઈ વધુ ગ્રહણ કરે, કોઈ થોડું. છતાં સર્વને સ્વાદ તો એક જ આવે. તા.૫-૧-૩૫ આત્માનો મૂળ સ્વભાવ સ્થિરતા છે. પાણીનો સ્વભાવ સ્થિર રહેવાનો છે, પરંતુ પવન વાય છે એટલે છોળો ઊડે છે અને ઊછળતું નજરે પડે છે. તેમ આત્મામાં મોહરૂપ પવન વાય છે, અને અસ્થિર દેખાવ આપે છે. આત્મા પોતે તેવો નથી, પરંતુ સંજોગને લઈને તે રૂપ થાય છે. લૂગડું સ્થિર છે પરંતુ પવન વડે હાલે છે. તેમ અજ્ઞાનજનિત મોહથી આત્મા બીજરૂપે પરિણમે છે અને પોતાને તરૂપ માને છે. અજ્ઞાન અને મોહ મટે તો આત્મા સ્થિર થાય. તા.૮-૧–૩પ દેહાભિમાન ઘટાડવું. જીવે નરક, તિર્યંચ વગેરે અનેક નીચ યોનિમાં જન્મ લઈ દુઃખ ભોગવ્યાં છે, તે ભૂલી ગયો છે; અને જ્ઞાની કહે છે તો પણ મનાતું નથી ! કારણ, અભિમાન આડું આવે છે. આ જન્મની બાલ્યાવસ્થાની સ્થિતિ પણ વીસરી ગયો છે અને અત્યારની અવસ્થામાં માન કરે છે. આ માન ઘણું દુષ્ટ છે. તે જીવને જ્ઞાનીથી દૂર રાખે છે. તો માન મૂકવા પ્રયત્ન કરવો. કોઈને પોતાથી હલકું ન ગણવું. હું અધમાધમ છું એવી સમજણ રાખવી. નમ્રતા, વિનય રાખવાં. Page #526 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૪ ૪૨૭ તા.૯-૧-૩૫ સમકિતી અને મિથ્યાત્વીમાં કેવો ભેદ છે ! મિથ્યાત્વી બે, ચાર, છ એમ ઉપવાસો કરે, રાત્રે ઊંઘે પણ નહીં; છતાં કર્મ જ બાંધે. સમકિતી ખાય, પીએ, ભોગ ભોગવે, સંસારમાં વર્તે, ઊંઘે કે ગાંડો વા ઉન્મત્ત બની જાય, છતાં કર્મથી છૂટે છે; કારણ કે, તેમનું લક્ષ આત્મામાં છે. માટે આત્મામાં લક્ષ રાખવું. આત્મા સિવાયનાં કાર્યમાં માત્ર શરીર અને વચનથી વર્તવું, પરંતુ મનથી એટલે વિચારે કરી પરોવાવું નહીં,તો બંધ ન થાય. મોક્ષના માર્ગમાં કાંટા-કાંકરા, ખાડાટેકરા, કૂવા જેવાં વિધ્રો ઘણાં છે. તેમાં આંધળો માણસ ચાલે તો ઘણી મુસીબત પડે અને માર્ગમાં ચાલી જ ન શકે. અથવા સ્વચ્છંદે ચાલતાં જરૂર પતન થાય; પરંતુ તેમાં માર્ગ બતાવનાર મળે અને તેમને આધારે ચલાય તો જ સહેલાઈથી આગળ ચાલી શકાય તથા ભયનાં સ્થાનક વટાવી જવાય. તેમ સકિત એટલે શ્રદ્ધા હોય તો માર્ગ સ્પષ્ટ દેખાય અને તેમાં આગળ વઘી શકાય. માટે મુમુક્ષુને સમકિતની આવશ્યકતા છે. કોઈ લખપતિ હોય તેને ઘેર ખાતું પડાવ્યું હોય તો ખપને વખતે જોઈતાં નાણાં મળી શકે અને પછી લેવડદેવડ છૂટથી કરી શકાય. પરંતુ ખાતું ન હોય ત્યાં સુધી કંઈ ન થઈ શકે. માટે ખાતું પડાવવા મહેનત કરવી જોઈએ; કારણ આપણો સ્વાર્થ છે. થોડા રૂપિયા પણ મૂકવા જોઈએ. એમ પ્રયત્ન કરવો જોઈએ. ખુશામત પણ કરવી પડે, કારણ ગરજ છે. પરંતુ પછી ઘણો લાભ થાય. આ દેહ, હાથપગ તે હું નહીં; દેહમાં વ્યાધિ થાય, પીડા થાય તે મને નહીં; તેમ જ આ ભવનાં સગાં-વહાલાં તે મારાં નહીં. હું એ સર્વથી જુદો આત્મા છું, એમ જાણવું. તે જ્ઞાનીની આજ્ઞા છે. દેહને સ્વપ્ને પણ પોતાનું સ્વરૂપ ન માનવાનો અભ્યાસ કરવો. મન તે પણ હું નહીં. હું અરૂપી ચેતન છું અને મારું સ્વરૂપ જ્ઞાનીએ જાણ્યું છે. તા.૧૦-૧-૩૫ આત્માની વાત કેટલી દુર્લભ છે ? મા કે બાપ પાસે આત્માની વાત સાંભળી હતી ? દુનિયામાં ક્યાંય આવી વાત સાંભળવા મળે એમ છે ? માટે આ યોગ મહા દુર્લભ સમજવો. એનું માહાત્મ્ય ઘણું ગણવું. ⭑ પાંચ ઇન્દ્રિયોના વિષયોથી વિરક્તભાવ, વિનય તથા સદાચાર સહિત આત્મચિંતવન કરવાથી જ્ઞાન પામવા યોગ્ય થવાય છે. મુમુક્ષુ—પાંચ ઇન્દ્રિયોથી વિરક્ત થાય એટલે સદાચાર હોય જ. Page #527 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ ઉપદેશામૃત પ્રભુશ્રી–વિરક્તિ એ તો શું ન કરવું એ બતાવે છે અને સદાચાર શું કરવું તે સમજાવે છે, જેમકે સત્સંગ, ભક્તિ, શાસ્ત્રાધ્યયન વગેરે શુભ પ્રવૃત્તિમાં રોકાવું. સમતા, ઘીરજ, શાંત મનથી વચન બોલવું, બોલાવવું, માન આપવું એ વિનય છે. તેને બદલે તોછડાઈ, ઉદ્ધતાઈ, ઊંચે અવાજે બોલવું એ યોગ્ય નથી. આ બાબત લક્ષમાં રાખવા યોગ્ય છે. કોઈનો પણ અવિનય ન થવો જોઈએ. ખાસ કરીને સત્સંગમાં તે ઉપયોગ બહુ રાખવો જોઈએ. બોલવામાં વિનય શીખવાની જરૂર બહુ છે. આપણે સર્વેથી નાના, નમ્ર બની જવું અને નમીને ચાલવું. તા. ૧૧-૧-૩૫ સદાચરણ સેવવું, ભગવાનનું નામ લેવું, કુસંગથી દૂર રહેવું વગેરે કંઈ ખોટું નથી. વસ દોહરા, ક્ષમાપના શીખે અને રોજ બોલે તો ઘણું કલ્યાણ થાય. મનમાં સ્મરણ રાખે તો તેની કોઈ ના પાડે એમ તો નથી. માટે તે કરવું. એથી ભવ ઓછા થાય અને અંતે જન્મમરણથી છુટાય. તો શા માટે આત્માનું એટલું હિત ન કરવું ? વ્યવહારના કામમાં કોઈ ઢીલ કરતું નથી. પરંતુ પરમાર્થના કામમાં પ્રમાદ કરે છે, કે પછી કરીશ, આજે વખત નથી, એમ ન કરતાં ઊલટું પરમાર્થ તો જેમ બને તેમ ત્વરાથી કરવા યોગ્ય છે; કારણ કે મનુષ્યભવ પામીને એ જ કર્તવ્ય છે. બીજું કંઈ સાથે આવવાનું નથી. માટે સત્સંગે આત્માર્થ સાઘવો. તા.૧૩-૧-૩૫ અયથાર્થ આત્મજ્ઞ છે તે આત્માની વાતો કરે, કહે કે તે છેદતો નથી, ભેદતો નથી, બંધાતો નથી, ભોગવતો નથી, વગેરે; છતાં બંઘાય છે. તેણે અંતરથી ત્યાખ્યું નથી તેથી તે શુષ્કજ્ઞાની છે. પરંતુ યથાર્થ જ્ઞાની માત્ર વાત જ નથી કરતા પણ તેમને આત્મામાં રમણતા કરવી પ્રિય છે. આત્માનું સુખ તે જાણે છે અને તેમાં રમણતા કરે છે. શુષ્કજ્ઞાનીને એ અનુભવ ન હોવાથી અધ્યાત્મમાં કંઈ રસ ન પડે છતાં પોતાને સંસારસુખનો ત્યાગી માને. જ્ઞાની તો બીજા બઘા કરતાં વધુ આનંદ ભોગવે છે, તેથી અત્યંત સુખી છે. તા.૧૩-૧-૩૫ જ્ઞાની અને અજ્ઞાનીની વાણી જુદી પડે છે. મુમુક્ષુ એટલે જિજ્ઞાસુ હોય તે તેની પરીક્ષા કરી શકે. ખરી મુમુક્ષતા તો સત્પરુષના યોગે પ્રગટે છે. પુરુષ મળવામાં પુરુષાર્થ અને પ્રારબ્ધ બન્ને કારણ હોય છે. અજ્ઞાનીની વાણી જ્ઞાની તો તરત જ પારખે. અજ્ઞાની જ્ઞાનીનાં વચન ટાંકીને બોલતો હોય છતાં તેનો આશય તરત સમજાય. કારણ કે જ્ઞાનીનો આશય હંમેશાં Page #528 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૪ ૪૨૯ આત્મજ્ઞાન હોય છે. તેમને આત્માનું જ્ઞાન થયું હોવાથી હંમેશાં તેને લક્ષીને જ તેમને બોઘ હોય છે તેથી જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોઘ કહેવાય છે. પરંતુ અજ્ઞાની એ જ વાતો કરતો હોય છતાં તેનું લક્ષ નિરંતર આત્મા તરફ નથી રહેતું અથવા હોતું જ નથી. તે તો માનાદિ કષાય પોષવા બોલતો હોય છે; પણ જ્ઞાની કંઈ માનાદિ કષાય પોષવા બોલતા નથી. જ્ઞાની તો તેને એક શબ્દમાં ઓળખી કાઢે. જ્ઞાની બોલે નહીં છતાં સામાનાં પરિણામ ફેરવી શકે અને તે એટલે સુધી કે જ્ઞાન પમાડી શકે. કોઈ ધ્યાનમાં બેઠો હોય અને કોઈ માત્ર જોતો હોય તો કોઈને એમ લાગે કે ધ્યાનમાં છે તે ખરો યોગી છે; પરંતુ ઉઘાડી આંખવાળાને કેવળજ્ઞાન પણ પ્રગટે, કારણ તેને તેનાં પરિણામ વર્તતાં હોય છે. જ્ઞાની બોલે છે તે અનુભવનું હોય છે. તે અંતર પરિણામ ઓળખે છે. મોહાદિ દૂર કરવાના ઉપાયો પણ જાણે છે. તેથી તેમનું બોલવું તલસ્પર્શી હોય છે; અને તેની અજબ અસર થાય છે ! અજ્ઞાનીનાં વચનો તેવી અસર નથી કરતા. તા.૧૪-૧-૩૫ મને સુખ છે એમ માને ત્યાં પણ વેદની છે. શાતા અને અશાતા બન્ને વેદની છે. તે ભોગવે છે અને મેં સુખદુઃખ ભોગવ્યું એમ માને છે; પરંતુ તેનો તો નાશ છે. પણ કોઈએ આત્માનો નાશ જોયો? દરેક આત્મા, તેના ગુણો, અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય સહિત અમર છે. તે મરતો નથી. તેનું જે સુખ છે તે તો જ્ઞાનીએ જાણ્યું છે; અને જેણે જાણ્યું છે તે જ જણાવી શકે છે. અનાદિની જે અવળી સમજ છે તે સવળી કરવી. તેથી અનિત્ય, રૂપી પદાર્થોનો મોહ ટળી આત્મસુખ પમાય. પછી તો માથે અંગારા ભરે તોપણ “મારું શું બળે છે?' એમ લાગે ! ઘાણીમાં પીલે તો પણ શાંત રહે. એવી અદ્ભુત દશા થાય છે. કારણ કે સમકિત હોવાથી તેમણે પોતાનું સ્વરૂપ દેહથી પર અનુભવ્યું છે. તેમને કોઈ ગાળ ભાંડે તો વિચારે કે મને કયાં લાગી છે? એ તો ભાષાનાં પુદ્ગલ હતાં તે ઊડી ગયાં. એમ સમજે કે એ તો મારે માથે બોજો હતો તે હલકો કર્યો. મારાં એટલાં કર્મો ખપ્યાં. પરંતુ અજ્ઞાની તો તેનું વેર લેવા માથું ભાંગી નાખે. સમકિતી અથવા આત્મજ્ઞાની સવળો વિચાર કરે છે; કારણ કે એ બધું અનિત્ય જુએ છે. ક્ષણ ક્ષણ બધું ચાલ્યું જાય છે એમાં મોહ શો કરવો ? પોતાના આત્માનું સુખ જે ખરું છે, શાશ્વત છે તેને જ અનુભવવું યોગ્ય છે. પ્રભુશ્રી–સમ એટલે શું? મુમુક્ષુ–રાગદ્વેષ એ ચારિત્રમોહનીય અને અજ્ઞાન એટલે દર્શનમોહનીય તેનો અભાવ થાય ત્યાં સમભાવ પ્રગટે છે. Page #529 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત પ્રભુશ્રી—છ દ્રવ્ય છે તે દરેક જુદાં જ છે. તે એકમેકમાં પરિણમી શકે જ નહીં. તેથી જડ અને ચેતન પણ એકમેકમાં પરિણમે નહીં. કૃપાળુદેવે કહ્યું છે કે ચેતનનાં પરિણામ ચેતન છે અને જડનાં પરિણામ જડ છે : એક પરમાણુ છે તે જોઈ શકાય નહીં. પરંતુ તે ત્રિકાળે તેરૂપ છે. તેમાં પર્યાયભેદ થાય છે, તે પણ જડરૂપે હોય છે. તેમ આત્માના ગુણપર્યાય ચેતન છે. કર્મનો લેપ છે તેથી કંઈ તેના ગુણપર્યાયનો કોઈ કાળે નાશ થયો નથી, તેમ થવાનો નથી. માટે સર્વ જીવો સિદ્ધસ્વરૂપી છે એમ જાણે તો કોઈ પ્રત્યે રાગદ્વેષ ન થાય. અને રાગદ્વેષ અને મોહ એટલે અજ્ઞાનવૃષ્ટિ જાય ત્યારે પોતાના સ્વરૂપમાં સ્થિર થાય અર્થાત્ આત્મા જે સ્થિરરૂપે છે તેનો અનુભવ કરે. તેથી સર્વે પર સમાનતૃષ્ટિ એટલે સમભાવ આવે. ત્યારે તો ‘આખું જગત આત્મારૂપ માનવામાં આવે, થાય તે યોગ્ય જ માનવામાં આવે.' ૪૩૦ સમતારસના પ્યાલા રે, પીવે સો જાણે; છાક ચઢી કબહૂ નહિ ઊતરે, તીનભુવનસુખ માણે.’’ ⭑ તા.૧૭–૧–૩૫ વાસના અને કામસેવનના અનેક પ્રકાર છે. દેહમાં આત્મબુદ્ધિ કરવી, સારાં કપડાં વગેરેથી દેહને શણગારવો, સારા સારા પૌષ્ટિક પદાર્થો દેહને પુષ્ટ કરવા ખાવા, દેહને વારંવાર નિહાળવો, તેના વિચારમાં રાચવું—એ સર્વ કામસેવનના જ પ્રકાર છે. પરંતુ દેહથી હું ભિન્ન છું; દેહ જન્મજરા-મરણ અને વેદનીનું કારણ છે, તેને આત્માર્થે ગાળવા કષ્ટ વેઠવું અને આત્માર્થમાં જ વૃત્તિ ક્ષણ ક્ષણ રાખવી એવી ચર્યા તે બ્રહ્મચર્ય. તા.૨૩-૧-૩૫ જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે બધું કેમ ફરી જાય છે ? અંધકાર હોય ત્યાં દીવો આવે અને બધું યથાતથ્ય દેખાય, તેમ જ્ઞાની પુરુષ મળ્યે જે જોવાય છે તે બધું જુદી રીતે જોવાય છે. મારાપણું મટી જાય, પોતાને ભિન્ન જાણે તેથી વિષયકષાય છૂટે. ત્યારે જીવ જે પુરુષાર્થ પ્રથમ પાંચ ઇંદ્રિયોના વિષયો માટે કરતો હતો તેને બદલે આત્માની ખોજ કરવામાં લાગે. સંસારનાં સુખ તેને અગ્નિની ખાઈ જેવા લાગે. તેથી તે તરફ ન જાય. અને હું કોણ ? ક્યાંથી થયો ? મારું સ્વરૂપ કેવું છે ? વગેરે જાણવા યત્ન કરે. ટૂંકામાં જીવ અનાદિથી ઊંઘે છે તે જાગે. અત્યાર સુધી જે જે સાધન કર્યાં તે સર્વ નિષ્ફળ, લક્ષ વગરનાં બાણ જેવાં લાગે. જ્ઞાનીપુરુષને ઓળખ્ય લક્ષ ક્યાં કરવો તે સમજાય. તેથી તેનાં સાધનો—સર્વ વ્રત, નિયમ–સફળ થાય. અત્યાર સુધી આ લોકનાં સુખ કે પરલોકનાં સુખ અર્થે સાધન કર્યાં. હવે માત્ર આત્માને છોડાવવા, બંધનથી મુક્ત કરવા જ્ઞાનીની આશાએ વર્તે તો સર્વ સાધન સફળ થવા યોગ્ય છે. અનંત જ્ઞાની થઈ ગયા તેમણે કહ્યું છે, અને હાલ જ્ઞાની છે તે પણ એમ જ કહે છે કે તારો એક આત્મા જ છે. માટે એમ માનવું કે આસ્રવ, બંધ, સંયોગ-વિયોગ આવે છે ને જાય Page #530 -------------------------------------------------------------------------- ________________ ४३१ ઉપદેશસંગ્રહ-૪ છે, તે મારું સ્વરૂપ નથી; તેને જોનારો હું છું, પરંતુ તેરૂપ હું નથી–આ હૃદયમાં કોરીને લખી રાખવું, ભૂલવું નહીં. બાંધ્યું છે તે ભોગવવું પડે. પણ તેમાં તન્મય ન થવું. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એમ ચિંતવી તેમાં ઇષ્ટ-અનિષ્ટપણું ન કરવું. જ્ઞાની સર્વમાં આત્મા જ જુએ છે. દરેક વસ્તુ દેખાય છે તેને જોનારો આત્મા છે. ઝાડ, પાન, માણસ, જંતુ સર્વ જે દેખાય છે તે તો પુલ છે, કર્મ છે, પર્યાય છે. તેમાં જે આત્મા રહ્યો છે તેને જ્ઞાની જાણે છે અને જુએ છે. માટે મને તે માન્ય છેઃ મન, વચન, કાયા અને અનેક સારા ખોટા ભાવ જે ક્ષણે ક્ષણે આવે છે તે કર્મ છે, પુલ છે. તા. ૨૪-૧-૩૫ સર્વ પર સમભાવથી જોવું. મારો આત્મા છે તેવો જ સર્વનો આત્મા છે, એમ જાણે તો માન ન આવે. પર્યાવૃષ્ટિ છોડવી. - ઘર, પૈસો, બૈરાંછોકરાં કંઈ મારું નથી. આ દેહ પણ મારો નથી. એવા તો કંઈક ઘારણ કર્યા અને મૂક્યા છતાં નિવેડો આવ્યો નહીં. ઘન, દોલત, અધિકાર, સગાંસંબંધી એ રૂપ હું નહીં. હું એ સર્વેથી ભિન્ન આત્મા છું, જ્ઞાનીએ જોયો તેવો જ્ઞાનમય છું; અને એ જ એક મારું ઘન-દોલત સર્વસ્વ છે, એમ શ્રદ્ધા કરી લેવી. આ દેહ છે તે વિષ્ટા, મળમૂત્ર, હાડકાં, માંસ, લોહી, પરુ, ચામડાનો માળો છે. તેમાં હવે મમત્વ ન કરું. હું તેથી ભિન્ન જ્ઞાનમય છું. સુંદર ભોજન ખાઈએ તે પણ મળમૂત્રરૂપ બની જાય છે, તે આ દેહને લઈને છે. એવા અશુચિ દેહને પોતાનું સ્વરૂપ ન માનું, તેમ તેને મારો ન માનું. જેમ ભાડાનું ઘર હોય તેનો જેટલો લાભ લેવાય તેટલો લઈ છોડી દેવાય છે તેમ આ દેહને આત્માર્થે પ્રમાદરહિતપણે ગાળી છેવટે તો મૂકી દેવાનો છે. મૃત્યુ પછી તેને બાળે, દાટે કે પાણીમાં બુડાડે, એ રીતે તેનો નાશ અવશ્ય છે; માટે તેને મારો ન માનું. એવું ભેદજ્ઞાન કરી લેવું. એવો દેહ તે પાંચ ઇન્દ્રિયોના વિષયભોગ માટે નથી, પરંતુ એ અમૂલ્ય મનુષ્યદેહથી તો આત્માર્થ સાઘી લેવો. બીજા ભવમાં તેમ બની શકશે નહીં. જે મનુષ્યદેહમાં જ્ઞાનીનો બોઘ પમાય છે તે અત્યંત અમૂલ્ય છે. લવ સત્સંગ હોય તો તે ઉચ્ચ ગતિ કરાવી મોક્ષ પમાડે. માટે સત્સંગને ક્ષણ પણ ન વિસરવો. એક કાંચીડો લવ સત્સંગથી પોપટ થઈને રાજાના કુંવર થયો હતો. ૧. એક વખત વૈકુંઠમાં નારદજી ગયા હતા. તે વખતે તેમણે વિષ્ણુ ભગવાનને પ્રશ્ન કર્યો કે સત્સંગનું માહાભ્ય શું? ત્યારે ભગવાને કહ્યું કે અમુક જગાએ વડની ડાળ ઉપર એક કાંચીડો છે તેને જઈને પૂછો. નારદજી તે વૃક્ષ પાસે ગયા અને કાંચીડો જોયો એટલે તેને પૂછ્યું કે સત્સંગનું માહાભ્ય શું ? ત્યાં તો તે કાંચીડો તરફડીને મરી ગયો. તેથી નારદજીએ ભગવાન પાસે આવીને બન્યું હતું તે કહ્યું. ફરી ભગવાને કહ્યું કે અમુક ઝાડ ઉપર પોપટનું બચ્યું છે તેને જઈને પૂછો. Page #531 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત વેદની આવે ત્યારે શરીરની ચિંતા ન કરવી કે મને શું થશે. ‘વેદની થાય છે, કોઈ સારવાર કરતું નથી', વગેરે આર્તધ્યાન ન કરવું. એથી ગાઢ કર્મબંધ થાય. પરંતુ તે વખતે, “પૂર્વકર્મનો ઉદય છે તેથી દેહમાં વેદના થાય છે, પણ હું એથી ભિન્ન છું, જાણનારો છું; વેદની આવી છે તેનો અંત આવશે, હું એરૂપ નથી, મારું સ્વરૂપ જ્ઞાનીએ જોયું તેવું છે. માટે તેમને યાદ કરું અને આત્માની શ્રદ્ધા રાખું' એમ સમાધિમાં રહે તો દેહાધ્યાસ છૂટે. કોઈને દોષ ન દે; પણ સહન કરીને સ્મરણમાં રહે અને દૃઢતા સેવે તો છૂટે. ૪૩૨ જીવ જે વસ્તુ નથી ગમતી તે ત્યાગવા તત્પર થાય છે. પોતાને ગમતું હોય, પામ્યો હોય તે છોડતો નથી; તેથી તેવા ત્યાગનું ફળ પણ તેવું જ આવે. એવો ત્યાગ કરીને વનમાં રહે તોપણ વાસના છોડતી નથી અને રાગદ્વેષ ચાલુ રહી કર્મબંઘ કરાવે છે. પરંતુ સમિતીને ઘરમાં રહેવા છતાં પ્રાપ્ત ભોગો પ્રત્યે વૈરાગ્ય છે. તે પોતાને સર્વેથી ભિન્ન માને છે, તેથી રાગદ્વેષ કરતો નથી અને છૂટે છે. ખરો ત્યાગ તો સમિતીનો જ છે. છતાં જગતમાં લૌકિક ત્યાગનો પ્રવાહ ચાલ્યો છે, તે રોકાય તેવો નથી. માટે વ્યવહાર થવા દેવો અને જોયા કરવું. આત્માનો માર્ગ લૌકિક નથી, અલૌકિક છે, અંતરમાં રહ્યો છે; માત્ર બાહ્ય ત્યાગથી પ્રાપ્ત થાય એવો નથી. તા.૨૭-૧-૩૫ આ આશ્રમ કેવો છે ! અહીં તો માત્ર એક આત્માની વાત છે. પોતાના આત્માને ઓળખો. એને જ દેવ માનો. હું કહું તે મનાશે ? આત્મા તે જ સિદ્ધ છે, તે જ દેવ છે, તેને જ પૂજવાનો છે. અનંત કાળથી જગતને રૂડું દેખાડવા પરને માટે બધું કર્યું છે, પણ પોતાના આત્માને માટે કંઈ કર્યું નથી. તેનો પ્રભાવ વધાર્યું નથી. જ્ઞાનીને તો પ્રથમ પોતાનો આત્મા દેખાય છે. તેઓ જાણે છે કે મને ઘર, માણસ, સૂર્ય, ચંદ્ર વગેરે જે કંઈ દેખાય છે તે મારા આત્માવડે દેખાય છે. તે આત્મા અનંત ગુણનો ઘણી છે, જ્ઞાન-દર્શન-ચારિત્રમય છે. પરંતુ પરભાવમાં રહીને તેના ગુણો વિસાર્યા છે, તેથી અવરાઈ ગયા છે. નારદજી તે વૃક્ષ પાસે ગયા અને પોપટના બચ્ચાને પૂછ્યું કે તે પણ તરફડીને મરી ગયું. તેથી નારદજીને એમ લાગ્યું કે મારા પૂછવાથી બધા મરી જાય છે એ પાપનું કારણ છે. તેથી ભગવાન પાસે જઈને કહ્યું કે મને હત્યા લાગે તેવું આપ કેમ બતાવો છો ! ભગવાને કહ્યું કે તમારે સત્સંગનું માહાત્મ્ય સમજવું છે કે નહીં ? ત્યારે નારદજીએ કહ્યું કે સમજવું તો છે. તેથી ભગવાને કહ્યું કે અમુક રાજાને ત્યાં કુંવરનો જન્મ થયો છે તેને જઈને પૂછો. નારદજી રાજાના દરબારમાં ગયા. રાજાએ સન્માન કરીને તેમને આવવાનું કારણ પૂછ્યું. કુંવરજીને મારે મળવું છે એમ જણાવ્યું એટલે તેમને અંતઃપુરમાં લઈ ગયા. ડરતાં ડરતાં નારદજીએ કુંવરને પૂછ્યું કે સત્સંગનું માહાત્મ્ય શું ? કુંવરે કહ્યું, હજી તમે ના સમજ્યા ? કાંચીડાના ભવમાં તમારા દર્શન થયાં અને શબ્દ સાંભળ્યાં તેના પુણ્યથી હું પોપટ થયો હતો. અને ત્યાં પણ આપનાં દર્શન થયાં તેથી હું આ રાજકુમાર બન્યો છું. આપ જેવા મહાત્માના સત્સંગનું આ ફળ છે. Page #532 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૪ ૪૩૩ સી ઘર્મ કરે છે. પોતપોતાના સંપ્રદાય પ્રમાણે જપ, તપ, ત્યાગ, દાન, વગેરે કરે છે. પરંતુ ત્યાં આત્માનું જ્ઞાન નથી. તે બધું પુણ્યબંઘ કરાવી પાછું ચાર ગતિમાં જ રખડાવે છે. અહીં જે કરવાનું છે તે આત્માર્થે કરવાનું છે. અનંતકાળથી અજ્ઞાનપણે રખડ્યો છે તે ભ્રમણ મટાડી સત્ય સુખ, અવિનાશી સુખ, સ્વાધીન સુખ પ્રાપ્ત કરવાનું છે. આ સમજણ પામવી ઘણી દુર્લભ છે. સાચી સમજણ તો ઊંડો ઊતરી વિચારે અને પ્રથમ સત્પરુષ કહે તે માન્ય કરે ત્યારે જ બને તેમ છે. પરંતુ જીવની ભૂલ ક્યાં થાય છે ? તો કે સર્વ લૌકિક ભાવમાં કાઢી નાખે છે. કારણ કે અનાદિનો એવો અભ્યાસ છે. આત્મા તો અલૌકિક, અપૂર્વ, અરૂપી વસ્તુ છે. કોઈ એક મોટો મહાત્મા કહેવાય ને ધ્યાનમાં બેઠો હોય છતાં જ્ઞાની ન હોય અને બીજો બધું કરતો હોય છતાં જ્ઞાની હોય. એટલે બહારનું જોવાનું નથી. જ્ઞાની ખાતાં, પીતાં, બેસતાં, સૂતાં બધે પ્રથમ આત્માને અને પછી બીજું જુએ છે, આત્મા સિવાય કશાયમાં સ્વપણું માનતા નથી. આત્માનું નિરંતર ધ્યાન કે અનુભવ હોય છે. - કૃપાળુદેવ સંસારમાં હતા પરંતુ આત્મજ્ઞાની હતા. તેથી દેવોને પણ પૂજ્ય હતા. જે જોવાનું છે તે ઉપરનો દેખાવ કે વર્તન નહીં પરંતુ આત્માની દશા; અને તે હોય ત્યાં પછી શ્રદ્ધા જ કરવાની છે. આ આશ્રમમાં કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રની આણ વર્તે છે. તે મહાન અદ્ભુત જ્ઞાની છે. આ પુણ્યભૂમિનું માહાત્મ જુદું જ છે. અહીં રહેનારા જીવો પણ પુણ્યશાળી છે. પણ તે ઉપરથી દેખાય તેમ નથી; કારણ કે ઘન, પૈસો નથી કે લાખ બે લાખ દેખાય. અહીં તો આત્માના ભાવ છે. આત્માના ભાવ છે તે જ ઊંચામાં ઊંચી દશા પમાડે તેમ છે. અનેક ઠેકાણે ભાઈબંઘી, દોસ્તી, ઓળખાણ કરી પ્રેમ વેરી નાખ્યો છે ત્યાંથી બધેથી છૂટવું પડશે; કારણ આ તો વીતરાગ માર્ગ છે. વ્યવહારે બધું કરવું પડે, પરંતુ અંતરથી બધું તોડી નાખવું અને આત્માર્થે જ જીવવું. જાણો કે આજે મૃત્યુ થઈ ગયું, તો સર્વ છોડવું પડે ને? તેમ વગર મૃત્યુએ મમત્વ છોડી દેવું. ઘર્મ પાળવા ગમે તેવા પરિષહ સહન કરવા જોઈએ. ઊભા ને ઊભા બળી જવાનો પ્રસંગ આવે તો ય આત્મભાવ ચૂકવો નહીં. તા.૨૭-૧-૩૫ સત્સંગનું માહાસ્ય સમજવું જોઈએ. પોતાની પાસે કોઈ કિસ્મતી વસ્તુ હોય, દાગીને હોય તો માને કે મારી પાસે આ છે. તેનું તેને માહાભ્ય લાગે કે મારી પાસે આ સુંદર, ભારે કિસ્મતની ઉપયોગી વસ્તુ છે; અને તેમાં મમત્વ કરે. તેમ આત્માને પરમ હિતકારી આ સત્સંગ છે તેનું માહાભ્ય સમજાય તો તેને હૈયાનો હાર ગણે અને તેનું જ માહાભ્ય સર્વથી અધિક લાગે, 28 Page #533 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ ઉપદેશામૃત ત્યારે દશા પ્રગટે. મોક્ષની અભિલાષા જાગે તેવા ભાવ પ્રગટે. મોક્ષે જવું હોય, આત્માને દુઃખથી મુક્ત કરી અનંત સુખ પામવું હોય, સદ્ગતિ પામવી હોય તો સત્સંગને જરૂર ઇચ્છે અને તેનું બહુમાન કરે. * તા. ૨૯-૧-૩૫ ક્રોઘ કરવો તો પોતાના કર્મવેરી પ્રત્યે કરવો. માન સન્દુરુષની ભક્તિનાં પરિણામમાં કરવું. માયા પરનાં દુઃખ નિવારણ કરવામાં કરવી. લોભ ક્ષમા ઘારણ કરવામાં કરવો. રાગ સપુરુષ પ્રત્યે અથવા દેવ-ગુઘર્મ પ્રત્યે કરવો. વેષ, અણગમો વિષયો પ્રત્યે કરવો. વિષય વિકારની બુદ્ધિ પ્રત્યે દ્વેષભાવ કરવો. મોહ સર્વ જીવો પ્રત્યે સમભાવ રાખવામાં કરવો. એમ એ દોષરૂપ છે તેને સવળા કરી ગુણરૂપ કરી નાખવા. સમકિતી જીવને આત્મા સિવાય બાકી બધું પર છે, પોતાથી ભિન્ન છે; દેહ છે તે પણ પોતાનો નથી; તેથી જેમ પરવસ્તુ બળતી હોય તો આપણને કંઈ લાગે નહીં, તેમ દેહનું દુઃખ પોતાને લાગતું નથી. તે દુઃખ વખતે તેમને આત્મવીર્ય વધુ ફુરે છે તેથી દુઃખ છે તે લાભનું કારણ થાય છે. ભેદજ્ઞાનના પ્રભાવે દુ:ખ છે તે સમભાવે વેચે છે તેથી બાંધેલાં કર્મથી છૂટે છે અને નિર્જરા થાય છે. જે વિષમભાવ લાવે અને ખેદ, મોહ અને દેહબુદ્ધિમાં વર્તે તે નવીન બંઘ કરી અશાતા ઉત્પન્ન કરે છે. તા.૩૦-૧-૩૫ આખું જગત સુખદુઃખની કલ્પનામાં પડ્યું છે. અનંતકાળનું પરિભ્રમણ ચાલુ છે. તેમાં આ માર્ગ હાથ આવવો એ કંઈ સામાન્ય નથી. જેનું મહાભાગ્ય હોય તેને જ મળે છે! ત્યાં બીજાની પંચાતમાં પડે, બીજાને આ ઘર્મનો લાભ અપાવવા ચિંતા કરે તો પોતાનું ખોઈ બેસે. માટે કૂવામાં પડેલાને દોરડું હાથ આવે તે જેમ પકડી રાખે તેમ પકડ કરી લેવી કે મારો આત્મા જ ખરો છે. મને બીજું કંઈ લાગતું વળગતું નથી. આવા ભોગાદિ અનંતકાળ સુઘી ભોગવ્યા પરંતુ તૃષ્ણા, ઇચ્છા ઘટી નહીં. માટે બીજાની ચિંતા ન કરતાં મને જે મળ્યું છે તે મારે માટે વૃથા ન જાય તેની અખંડ ચિંતા રાખવી જોઈએ. આ સારો, આ ખોટો એમ ઇષ્ટ અનિષ્ટ કોઈ જગ્યાએ ન કરવું. તેને બદલે પોતે અનંત દોષનો ભરેલો છે એમ માનવું. હે ભગવાન ! મારા જેવો કોઈ પાપી નથી, એમ અજ્ઞાન ટાળવા વિચારવું. તા.૧-૨-૩૫ જ્ઞાનીનું સ્વરૂપ કેવું છે? તો કે આ બહાર દેખાય તે નહીં. પરંતુ તે સ્વરૂપની ઓળખાણ તો આત્મા ઓળખે ત્યારે જ થાય છે. આત્મા જ આત્માને ઓળખે છે. જ્ઞાની કેવા છે ? તો કે Page #534 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ–૪ ૪૩૫ તે કરે છે સર્વ, પરંતુ તેમને વજની ભીંત પડી છે. તેઓ ચેતન અને જડ વચ્ચે સ્પષ્ટ ભેદ રાખે છે. તેઓ કદાપિ ભૂલમાં હોતા નથી; પણ અજ્ઞાનીનું તો કંઈ જ સાચું નથી. જ્ઞાનીને શરણે કેમ જવાય ? તો કે બધું મૂકે તો—માથું વાઢે તે માલ કાઢે. એટલું કરે તો સરળ છે, સુગમ માર્ગ છે. આત્મા જ્ઞાનીએ જોયો છે. તે વાત તેઓ ગુપ્ત રાખે છે. યોગ્ય જીવ હોય તો બોલાવીને પણ કહે. સાંજના શ્રેણિક રાજા શિકારે ગયા હતા. ત્યાં મુનિનો સમાગમ થવાથી જ્ઞાન પામ્યા. ગજસુકુમારને એક હજાર ભવ જેટલાં કર્મ હતાં તે ભગવાન નેમિનાથના સમાગમે મળેલી આજ્ઞા આરાધતાં નિર્જરા થઈ નાશ પામ્યાં અને તત્કાળ મોક્ષે ગયા. તેથી માર્ગ પ્રાપ્ત થવામાં તો જીવની યોગ્યતા, પુરુષાર્થ મુખ્ય છે. તે હોય તો પૂર્વ પુણ્યના ઉદયે જ્ઞાની તો જ્ઞાન આપવા તૈયાર છે. તારી વારે વાર ! પરંતુ પાત્રતા, ભાજન વગર શું આપે ? પોતાનું આગળનું ગ્રહણ કરેલું, માનેલું જે મિથ્યાત્વ છે તે મૂકી દે અને હું કંઈ જ જાણતો નથી એમ સમજે તો બોઘ યથાર્થ પરિણમે; પણ મલિન વાસણમાં વિપરીત પરિણમે. આત્મા તો સર્વ પાસે છે પરંતુ તે બહાર જોઈ રહ્યો છે. હું વાણિયો, બ્રાહ્મણ, સ્ત્રી વગેરે છું, અને ઘર વગેરે દેખાય છે તે મારું છે એમ માની પરિણમી રહ્યો છે. જ્યારે અંતરાત્મા થાય ત્યારે બાહ્ય વસ્તુઓથી પોતાને ભિન્ન માને તથા દેખે. કૃપાળુદેવે અમને કહેલું કે બાહ્ય દેખાય છે ત્યાં પણ આત્મા જ જોવો. એટલે ઘર, શરીર, આકાશ વગેરે જે જોવાય છે તે આત્માના જ્ઞાન ગુણે કરીને જોવાય છે. જો આત્મા ન હોય તો હાથ નીચેથી ઊંચો ન થઈ શકે. બઘી સત્તા છે તે આત્માની જ છે. આત્મા તો છે જ, પરંતુ જે નાશવંત છે તેમાં હુંપણું મારાપણું કરે છે તે મૂકી દેવું. અને મારું સ્વરૂપ જ્ઞાનીએ જોયું તેવું છે એમ શ્રદ્ધા કરવી તા.૨-૨-૩૫ મુમુક્ષુએ પ્રથમ કંઈક ગ્રહણ કર્યું હોય, પછી સત્પુરુષ કહે કે એમ નહીં પણ આમ માન. પરંતુ તે પોતાનું પ્રથમ માનેલું—આગ્રહ છોડે નહીં અને સત્પુરુષનું કહેવું પણ માને નહીં અને કહે કે એ તો અમસ્થા કહે, અમે તો એમને જ માનીશું અને એમની જ ભક્તિ કરીશું. એમ પોતે કરે અને બીજાને પણ તેમ વર્તવા કહે. એક મહાત્મા હતા તેની પાસે કોઈ ભોજન લઈને આવ્યો. ત્યારે મહાત્મા કહે કે કૂતરાને નાખી દે. ત્યારે તે કહે કે આપ પ્રથમ આરોગો. તેથી મહાત્માએ કહ્યું કે ચાલ્યો જા, તારું કામ નથી. એમ જે આશા-આરાધનને બદલે પોતાનું ડહાપણ કરે તે કામ ન આવે. ગૌતમસ્વામીએ પંદરસો તાપસોને જ્ઞાન પમાડ્યું ત્યારે ગૌતમસ્વામીને ગુરુ માનવા લાગ્યા. Page #535 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ ઉપદેશામૃત પણ ગૌતમસ્વામી તેમને મહાવીર પ્રભુ પાસે લઈ ગયા અને તેમને જ માનવા કહ્યું. એમ જે સપુરુષ ઉપકારી છે તેમના કહેવાનો આશય સમજવો અને આજ્ઞા આરાઘવી; કારણ કે આ જીવની સમજણ અલ્પ છે. તેથી પોતાની મતિ-કલ્પના ન દોડાવતાં સપુરુષ જે સાચા છે અને જેમના પર શ્રદ્ધા છે તે કહે તેમ માનવું અને કહે તેમ કરવું. વેદની આવે ત્યારે ગભરાવું ન જોઈએ. આના કરતાં દેહ છૂટી જાય તો સારું, એમ આકુળવ્યાકુળ ન થવું. દુઃખમાં સમતા રાખી, સદ્ગુરુની શ્રદ્ધા રાખી આત્માનું ચિંતવન વૃઢ કરવા પુરુષાર્થ કરે તો બની શકે તેવું છે. બાકી ખોટી કલ્પનાઓ કર્યું કંઈ વળે નહીં. અનેક ભવમાં આધિ, વ્યાધિ અને ઉપાધિ, જન્મ-જરા-મરણ આ જીવે ભોગવ્યાં છે. તે સર્વથી છૂટવાનો ઉપાય સમતા-સમભાવ છે અને જ્ઞાની પુરુષની આજ્ઞા આરાઘવી તે છે. છૂટવાની કામના જેને મુખ્ય હોય તે દુઃખમાં સમતા ન ભૂલે. મારો આત્મા શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્રરૂપ છે તે જ્ઞાનીએ જોયો છે; તેવો જ સર્વ જીવોનો છે. પર્યાય વિનાશી છે, દ્રવ્ય અવિનાશી છે; માટે દ્રવ્ય તરફ લક્ષ આપી સમતા ઘારણ કરવી. તા. ૨-૨-૩૫ બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એ ત્રણ પ્રકારે આત્મા પરિણમે છે. આત્મા છે તે ક્યાં રહ્યો છે? નિશ્ચયનયે તે આત્મામાં જ અથવા નિર્વાણમાં રહ્યો છે–વ્યવહારે તે શરીરી કહેવાય પરંતુ નિશ્ચયનયે તે અશરીરી, અસંગ છે. તે આત્મા પોતે જાણ્યો નથી. જ્ઞાની દ્વારા સમજાય ત્યારે તે રૂપે પરિણમાય, જેમ દૂઘ હોય તેમાં મેળવણ પડે તેથી દહીં થાય અને જામી જાય; તેમ જ્ઞાની જ્ઞાનરૂપી અંજન કરે ત્યારે મુમુક્ષુને પોતાનું ભાન જાગે. જ્ઞાની જે રૂપે છે તે રૂપે ઓળખાય ત્યારે પોતે પણ તે રૂપ થાય. પરંતુ તે માટે ઘાતુમિલાપની જરૂર છે, એટલે કે પૂર્ણ પ્રેમથી, એક રસથી તેને જ ભજે અને યથાતથ્ય જુએ ત્યારે બને એમ છે. તા.૩-૨-૩૫ આ સંસારભ્રમણનું કારણ શું? તો કે રાગ, દ્વેષ અને મોહ. એમાં જીવ એવો આઘીન થઈ ગયો છે કે પોતાનું સ્વરૂપ ભૂલી ગયો છે. હજી પણ તે મામા, કાકા, ભાઈ ઇત્યાદિ માન્યા કરે છે અને આ જીવનને જ મહત્વ આપી રહ્યો છે. પણ આવા તો કંઈક ભવ કર્યા અને દુઃખ પામ્યો; માટે તેથી છૂટવાના ભાવ જાગવા જોઈએ. નજર મૂકતાં રાગદ્વેષ થયા જ કરે છે. તેને કેમ રોકવા? મેં ખાધું, પીધું, આ કર્યું, તે કર્યું એમ માને છે; પણ ત્યાંથી તેણે પાછા હઠવાની જરૂર છે. આત્માની સમજણ પ્રાપ્ત કરવા તો આ બઘાથી નિવર્તવું પડશે, બધું મૂકવું પડશે, કંઈ મારું નથી એમ માનવું પડશે. કર્મના ઉદયે Page #536 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૪ ૪૩૭ મોહાદિ થાય છે; પરંતુ ત્યાં ઉપયોગ વૃઢ કરવો કે તે મારું સ્વરૂપ નથી. એ જ પુરુષાર્થ કરવાનો છે. તેને બદલે જાણે કંઈ જ કરવાનું ન હોય તેમ બફમમાં રહે છે તે યોગ્ય નથી. તા.૪-૨-૩૫ જીવને હજુ ઘક્કો લાગ્યો નથી. જીવને ચોટ થઈ હોય તેના પ્રમાણમાં બળ કરી શકે. નહીં તો ઉદયકર્મ તો કોઈને છૂટવા દે તેવાં નથી. તેમાં પોતાનું બળ હોય તો કામ લાગે. પરમકૃપાળુદેવનાં વચનો છે તે જીવને સંસારમાં ઘક્કો મારે તેવાં છે. પરંતુ તે લાગવાં જોઈએ. વિચારમૂઢ જીવો જે પોતાની માન્યતા મુજબ પરમાર્થ કરી રહ્યા છે તેમને જ્ઞાનીનાં વચનથી ઘક્કો લાગે છે અને વિચાર જાગે છે. પછી સત્ય સમજાતાં પૂર્વનું ત્યાગી જ્ઞાનીનું ગ્રહણ કરે છે. તા.પ-ર-૩૫ એક વખત ભક્તિના પાઠ બોલ્યા તો બીજી વાર ન બોલાય? અમે તો બોલીને આવ્યા એમ માને તેમાં શું? એ તો ગમે તેટલી વાર બોલે તો પણ લાભ જ છે. ખાવાનો પ્રસાદ મળે તો દેખાય કે મને આપ્યો. પરંતુ અહીં ભાવના કરવાથી જે મળે છે તે ઘણું હોવા છતાં દેખાતું નથી. આખું જગત ઘન, પૈસો, લેવડદેવડ કરે છે, પુદ્ગલની માયામાં વહ્યું જાય છે. તેમાં ન તણાવું. જ્ઞાનીએ કહ્યું કે આત્મા તારો છે; તે અજર, અમર, અવિનાશી સર્વથી ભિન્ન છે; તેને રાગ દ્વેષ મોહ નથી એમ નિશ્ચયનયે માન. તો શું ન માનવું? તેને યાદ ન કરવો ? એ જ એક સાચો, બાકી બધું ખોટું એમ માનવા કહ્યું તો માની લેવું જોઈએ અને વીસરવો ન જોઈએ. આત્માને બંઘ કે મોક્ષ કંઈ નથી એ નિશ્ચયનય જ્ઞાનીએ જાણ્યો છે. તો તે માન્ય કરવો અને તેના સુખને જ ખરું માની સંભારવું. દેહને પોતાનો માને છે, પોતે તેરૂપ છે એમ માને છે; તેથી સ્ત્રી-પુરુષ, ઘરડો-જુવાન, કાળો-ગોરો એમ જુએ છે અને રાગદ્વેષ કરે છે. આત્માને પોતે નથી જોયો પરંતુ જ્ઞાનીએ નિશ્ચયનયે કહ્યો તેવો છે. એને જ યાદ કરવો અને મોક્ષની, સિદ્ધિની ભાવના કરવી. બધેથી છૂટવાની ભાવના કરવી. જ્ઞાની કૃપાળુદેવની શ્રદ્ધા કરી લેવી. તેમનું શરણ આ કળિકાળમાં એક જ તારણહાર છે માટે તે કૃઢતાથી પકડવું. ચાંલ્લો થાય તો પછી વાંધો નહીં. સમકિત એટલે આત્માની શ્રદ્ધા એવી દ્રઢ કરવી કે તે કોઈ કાળે ન ચળે. હું આત્મા જ છું, આ દેહાદિ કંઈ મારું નથી; સર્વ દ્રવ્યથી હું ભિન્ન છું એમ દ્રઢતા થવા સદા તે જ વિચારમાં અને જ્ઞાનીના સ્મરણમાં રહેવું. સંસારમાં ઘન, સાહ્યબી, એશઆરામ, હરવું ફરવું એ સુખ લાગે પરંતુ એ ખરું સુખ નથી, આત્માને બંઘનકર્તા છે. પોતાનું સ્વરૂપ ભુલાવી પરમાં રાગદ્વેષ કરાવી તે બંધ કરાવે છે. જેને છૂટવું છે તેને માટે એ રસ્તો નથી. ઉદય હોય તો પણ તે પ્રત્યે ઉદાસીન રહેવું તથા આત્માના સ્વરૂપની વિચારણા કરવી તે જ ખરું સુખ છે, એ શ્રદ્ધા ન ભૂલવી. આ બધું તો Page #537 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ ઉપદેશામૃત વિનાશી છે. સુખ પછી દુઃખ, રોગ, મૃત્યુ આદિ આવવાનાં છે. માટે એને ખરું સુખ માનવું એ મિથ્યાત્વ છે. સમકિતી તો આત્માને જ સુખરૂપ માને. સમ્યગ્દર્શન તે આત્મા જ છે. તે એક પ્રાપ્ત કરી લેવું. એક આત્મા જ સાચો. એને જ માનવો. તેમ જ સપુરુષ જે તે પ્રાપ્ત કરાવે તેમને જ માનવા, બીજાને નહીં. બ્રહ્મચર્યથી પુણ્યબંધ થાય છે. બીજી ક્રિયાની માફક તે પણ શુભ બંઘ દ્વારા તેનો ભોગવટો આપે પરંતુ આપણે તે ભોગવટો નથી જોઈતો. આપણે તો માત્ર છૂટવા જ બધું કરવું છે. તેનો ખરો અર્થ તો બ્રહ્મ એટલે આત્મા, તેમાં ચર્યા એટલે રહેવું, અને તે જ બ્રહ્મચર્ય ગણવું. ઇચ્છા પણ તેની ઊંડી કરવી, આત્મામાં જ રહેવાની. આત્મા તરફ જ ચિત્ત રાખવું. કોઈ મારું નથી. મરી જઈશ. વ્યાધિ આવે તે પોતે જ ભોગવશે એમ વિચારી ઉત્કૃષ્ટ ભાવ, આત્મભાવ આદરવા પુરુષાર્થ આદરવો. તેનું જ ચિંતન મનન કરવું. જીવને પોતાનો વિચાર નથી આવતો. બીજા બઘા વિચાર કરે છે, પરંતુ આત્મા સંબંધી વિચાર કરતો નથી. સમકિતી તો બહારથી બધું કરે છતાં તેમને આત્માનો જ ઉપયોગી હોય છે, તેથી તેઓ બંધાતા નથી. આ આત્મજ્ઞાન છે તે જ મુનિપણું છે. આત્મજ્ઞાન–ઉપયોગ તેમનો જાગૃત છે તેથી તેમને બંઘ નથી. માત્ર પૂર્વનું બાંધેલું ઉદયમાં આવે છે તે ફળ આપીને છૂટે છે. કારણ કે તેઓ તેનાથી ભિન્ન પોતાને જાણે છે, જુએ છે. પરંતુ અજ્ઞાની જે કરે છે તેમાં પોતાને તે રૂપ માને છે. જ્ઞાનીના ભાવ-પરિણામ આત્મામાં છે, આત્માર્થે છે. અજ્ઞાનીના ભાવ-પરિણામ પરપદાર્થો માટે છે. જેના પરિણામ તેવા બંઘ થાય છે. જ્ઞાની છૂટે છે, અજ્ઞાની બંઘાય છે. ભવ્ય અને અભિવ્ય એટલે શું? તે કોઈને જ સમજાય છે. જેના ભાવ પુણ્ય અને પાપ બન્ને પ્રકારના બંઘથી છૂટવાના છે તે પ્રાણી છૂટે છે અને તેને ભવ્ય જ જાણવો. કારણ કે તેને છૂટવાનો માર્ગ હાથ લાગ્યો છે તેથી તે મુક્તિ ભણી પ્રયાણ કરે છે, મુક્ત થવાનો છે, એમ કહી શકાય. એક પંદર રૂપિયાનો પગારદાર સિપાઈ હતો તેમાંથી મહાન નેપોલિયન સર્વ રાજાને ધ્રુજાવનારો સમર્થ સમ્રાટ બન્યો. તેની પ્રથમ સ્થિતિ તથા પછીની મહાન સ્થિતિમાં તે તો એક જ હતો. જેમ એક બાળક હોય, પછી મોટું થાય, પછી વૃદ્ધ થાય એમ અવસ્થા ફરે છે તેમાં આત્મા તો તે જ છે. તેવી રીતે જીવ સમકિતી એટલે દ્રઢ નિશ્ચયવાળો બને અને આત્મજાગૃતિ પામે. પછી તે જ્ઞાન નિરંતર વધે છે અને તે પંદર ભવે તો અવશ્ય મોક્ષે જાય. તેમ થવા પ્રથમ વિચાર ધ્યાન જોઈએ. પણ ત્યાં પ્રમાદ આડે આવે છે. અન્ય પરિણામમાં જેટલી તાદાસ્યવૃત્તિ છે તેટલો જીવથી મોક્ષ દૂર છે. જ્યારે બોઘથી ભાવને ફેરવી આત્મહિતમાં આણે ત્યારે સવિચાર જાગે. પાસે પૈસા હોય તો એવા મીઠાઈ ખરીદી શકાય, બાકી દુકાનમાં તો ઘણુંય હોય તે એમ ને એમ કેમ મળે? તેવી રીતે જ્ઞાની પાસે ભંડાર ભર્યો છે, પરંતુ જીવના ભાવ જાગવા જોઈએ કે મારે તો જગતમાં કોઈ સાથે કોઈ પ્રકારે સંબંધ નથી, કોઈ પદાર્થની ઇચ્છા નથી, દેહ રહો કે Page #538 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૪ ૪૩૯ જાઓ, ગમે તે થાઓ તે મને નહીં, પણ મારો આત્મા છે તે જ મારે પામવો છે, તેને અનંત દુ:ખથી છોડાવવો છે. તા.૬-૨-૩૫ પ્રભુશ્રી–નમસ્કાર કોને કરો છો? ૧. મુમુક્ષુ–આત્માને નમસ્કાર કરવાના છે. ૨. મુમુક્ષુ–મેં આત્મા જાણ્યો નથી, સપુરુષે જાણ્યો છે માટે તેમનો વિનય કરવા નમસ્કાર કરવા. પ્રભુશ્રી–વિનય તો અવશ્ય કરવાનો છે. એ દ્વારા જ ઘર્મની પ્રાપ્તિ છે. માટે સર્વનો વિનય કરવો. તે અર્થે નમસ્કાર કરાય છે. પરંતુ તેમાં સમજવાનું એ કે મારો આત્મા સિદ્ધ સમાન છે તેને યાદ કરીને, આગળ કરીને નમસ્કાર કરવા. પછી ગમે તેને નમીએ પરંતુ ઉપયોગ પોતાના શુદ્ધ આત્માને યાદ કરવા તરફ આપવો. આત્માવડે આત્માને નમસ્કાર કરવા. પ્રથમ પોતાના આત્માને યાદ કરી પછી નમવું. એ સિદ્ધસ્વરૂપ મારો આત્મા તેને મેં જાણ્યો નથી, પરંતુ જ્ઞાનીએ કહ્યું છે તે માટે માન્ય છે, એમ સ્મરણ અવશ્ય કરવું. નમસ્કારવિધિ પોતાના આત્મસ્વરૂપને યાદ કરવા નિમિત્તે છે. તા.૬-૨-૩૫ આ જગતમાં પ્રેમ એ મહાન વસ્તુ છે. પરંતુ તે શુદ્ધ આત્મા દ્વારા આત્મા માટે થાય તે જ ઉત્તમ છે. એવો પ્રેમ જ્ઞાનીને પોતાના આત્મા પ્રત્યે હોય છે. તેથી તેઓ આત્માનું ધ્યાન છોડીને બહાર જતા નથી. બધા પદાર્થ જાણતાં પ્રથમ આત્માને યાદ કરે છે. પ્રથમ આત્મદર્શન પછી તે દ્વારા પદાર્થ જોવાય એમ તેમનો ક્રમ હોય છે, પરંતુ તે તો યથાર્થ દર્શન પ્રાપ્ત થયે બને છે. આત્માનું દર્શન જ્ઞાનીને પ્રથમ હોય છે, આગળ હોય છે. તેથી તેઓ કોઈમાં તલ્લીન થતા નથી અને બંધાતા નથી. તેમને આત્મા ભિન્ન સ્પષ્ટ ભાસે છે; ઊંઘમાં પણ વિસારી દેતા નથી. આવું તેમને સમ્યજ્ઞાન છે અને તે જ્ઞાનપૂર્વક ચારિત્ર છે. આવા જ્ઞાન-દર્શનચારિત્રરૂપ સત્પરુષ છે. તેથી તેમને ઓળખીને નમસ્કાર કરવાના છે. તેવો જ પોતાનો આત્મા પણ જ્ઞાન દર્શન ચારિત્રરૂપ છે. તા.૭-૨-૩૫ પાત્રતા જોઈએ. બીજ હોય, ઊગે એવું હોય પછી તેને માટી પાણી મળે તો ફણગો ફૂટે અને ઝાડ થાય; દીવાસળી બાકસને ઘસાય તો સળગે. ક્યાંથી ઘસવી તે ખબર ન હોય અને Page #539 -------------------------------------------------------------------------- ________________ ४४० ઉપદેશામૃત ઊંઘી ઘસે તો કેમ સળગે ? તેમ જ્ઞાનીની આરાધના જેમ કરવાની છે તેમ જ આજ્ઞા સમજીને કરે તો તો આત્મજ્ઞાન પ્રગટે. પરંતુ સમજે નહીં અને પોતાની માન્યતા મુજબ કર્યા કરે તો ફળ આવે નહીં. બંદૂકમાં સામગ્રી મળે ત્યારે ભડાકો થાય. પુરુષના યોગે પાત્રતા આવ્યે માન્યતા અને પરિણામ થાય છે. મુમુક્ષુ–માન્યતા અને પરિણામમાં શો ફેર ? પ્રભુશ્રી-સાકર, સાકર' કર્યું મોટું ગળ્યું થાય? “રવિ, રવિ' કર્યે રજનીનો નાશ થાય? તેમ પરિણામ છે તે અંતરનો અનુભવ છે; માન્યતા છે તેમાં અનુભવ નથી. પરંતુ યથાર્થ માન્યતા થયે તે અનુભવ, પ્રગટ કરવાનો પુરુષાર્થ થાય. તેથી પરિણામનું તે નિમિત્ત છે. પરિણામ થવામાં આવું શું આવે છે? ધ્યાનમાં બેસે અને જ્યાં એકચિત્ત થવા જાય ત્યાં સંકલ્પ-વિકલ્પ આડા આવે જ. આમથી કાઢે તો આમથી આવે; રોકાય જ નહીં. લાકડી લઈને બેસે ને કૂતરાને હાંકે છતાં પાછાં આવે તેમ થાય છે. પરંતુ બારણાં બંધ કરી દે તો ન આવે મુમુક્ષુ સાહેબ, ત્યાં બારણાં જ નથી તેથી તે કેમ રોકાય ? ન રોકાય. ચાલ્યા જ આવે. પ્રભુશ્રી–બરાબર છે, બારણાં નથી, પરંતુ ઉપયોગ આત્માનો છે તે બહાર જાય છે તેને ત્યાંથી ફેરવીને આત્મામાં જોડે તો એક વખતે બે ઉપયોગ ન હોય તેથી બહાર જતો અટકે. એ ઉપયોગ તે મન છે; તેને આત્મામાં લગાડવાનું છે, બહારથી ખેંચી લેવું છે. “મનડું કિમ હિ ન બાઝે' એ સ્તવનમાં કહ્યું છે કે એ બહુ મુશ્કેલ છે, ઘોડા જેવું છે. તેને જ્ઞાનરૂપી લગામથી જ્ઞાનીઓએ વશ કર્યું છે. એટલે આત્મજ્ઞાન પ્રગટે ત્યારે જ મન વશ થાય છે. જેટલા પ્રમાણમાં આત્મજ્ઞાન હોય તેટલા પ્રમાણમાં ઉપયોગ બહારથી અંતરમાં આવે. આ જ સર્વ યોગીઓને સાઘવાનું હોય છે. સર્વ તપ જપ ક્રિયા આ જ અર્થે છે. જીવ છે તેનો શિવ આમ જ થાય છે. જડને તેમ ન થાય. પરંતુ જીવ છે અને ઉપયોગ આપે તો પોતાની અનંત સિદ્ધિઓ પ્રગટે અને કૃતકૃત્ય થાય. આ જ સાઘના છે. બાકી પુલ, પુદ્ગલ ને પુગલની જ સર્વત્ર દ્રષ્ટિ છે! તેમાંથી ફરીને અહીં આવવાનું છે. આ મહા ગૂઢ વાત છે. તા.૭-૨-૩૫ દેવ-ગુરુની ભક્તિથી પુણ્ય પ્રાપ્ત થાય છે. પણ જો તે આત્માર્થે થાય તો ઉત્તમ, નહીં તો મિથ્યાત્વસહિત તે પુણ્ય તો ભ્રમણ કરાવે છે. માટે સમકિત પ્રાપ્ત કરી લે તો પુણ્ય અને પાપ બન્ને સવળાં પડે–છૂટવા માટે થાય. દેવ-ગુરુની અવજ્ઞા પાપ કરાવે છે, નરક-તિર્યંચ ગતિ આપે છે. પુણ્ય અને પાપ બન્ને હોય તો મનુષ્ય ગતિ આપે. જો જીવ પુણ્ય અને પાપ બેમાંથી એકેય નથી બાંધતો તો મોક્ષ થાય છે. માટે પુણ્ય અને પાપ બન્નેને મૂકવાં અને પ્રીતિ આત્મામાં કરવા સપુરુષમાં જોડવી. Page #540 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૪ ૪૪૧ સ્વભાવમાં રહેવાથી મોક્ષ થાય છે અને વિભાવરૂપ પુણ્યપાપથી સંસારમાં સુખદુઃખની પ્રાપ્તિ થાય છે. માટે સ્વભાવ પ્રાપ્ત કરવા રાગદ્વેષ મૂળમાંથી કાઢવા જોઈએ. પુણ્યબંધથી સુખ સામગ્રી પામે છે. તેથી તેમાં મોહ થાય છે; મોહથી મદ થાય છે અને મદથી પાપબંધ થઈ નીચ ગતિએ જાય છે અને અનંત કાળ ભ્રમણ કરે છે. એવા પુણ્યને ઇચ્છવું એ સમકિતીનું લક્ષણ નથી. ખરો ત્યાગ તે અંતરનો ત્યાગ છે. એકલો બાહ્ય ત્યાગ મોક્ષ અર્થે થતો નથી. તા.૧૧-૨-૩૫ કૃપાળુદેવની શક્તિ અનંતી હતી અને અમે એમને પકડી બેઠા હતા. પરંતુ તેમણે કહ્યું કે પોતે જ બળ કરવું પડશે. બીજાને આધારે કંઈ નહીં થાય. પોતાનો આત્મા છે તે જ આધારરૂપ છે; તે જ સર્વ સુખદુ:ખ પ્રાપ્ત કરાવનાર છે. બીજા પર આધાર રાખી બેસી રહ્યુ કંઈ નહીં વળે. ‘આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં.’ ‘જો ઇચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ' એમ કહ્યું છે તે બહુ સમજવાનું છે. બળ, પુરુષાર્થ, વિચાર, સમજણ કરી પોતે જ પોતાને છોડાવવાનો છે. સંસારના સુખ પણ આત્મા કંઈક પુરુષાર્થ કરે છે ત્યારે પામે છે. કોઈ બીજાના બળથી નથી મળતું. તેમજ મોક્ષને માટે પણ પોતે પુરુષાર્થ કરવાનો છે. કૃપાળુદેવે પોતે કેવો પુરુષાર્થ કર્યો હતો ! અન્ય જ્ઞાનીઓએ શું શું કર્યું ! તેમણે કર્યું તેમ દેહાધ્યાસ મૂકો. મન, વચન, કાયાના યોગથી નિવર્તો. સંકલ્પ-વિકલ્પ રહિત થાઓ. રાગદ્વેષ, ઇષ્ટાનિષ્ટ છોડો. તા.૧૫-૨-૩૫ જ્ઞાની મળ્યા અને બોધ પણ સાંભળ્યો. છતાં રખડ્યો. કારણ કે પોતાના આત્મામાં તે બોધ યથાર્થ પરિણમ્યો નહીં. એટલે પ્રતિબોધ થવો જોઈએ તે ન થયો. પરિણમે ત્યારે બોધ થયો કહેવાય. યથાર્થ જ્ઞાની મધ્યે જીવ સન્મુખ થયે તેમ બને છે અને મોક્ષમાર્ગમાં પ્રવેશ થાય છે. પ્રથમ અમે નવલકથાઓ, રાસ વગેરે સંસારમાં રહી વાંચતા. પછી દીક્ષા લીધી ત્યારે ધર્મને અંગે રાજાઓ ઇત્યાદિની કથાઓ વાંચતાં રસ પડતો. કૃપાળુદેવ મળતાં તે પણ વાંચવાની ના કહી; અને માત્ર આત્મા સંબંઘી અને તત્ત્વ સંબંઘી વાંચવા કહ્યું. તેમાં પ્રથમ ૨સ ન આવ્યો; પરંતુ ઘીમે ઘીમે તેમાં સમજણ પડતાં રસ પડતો ગયો. હવે સતત તે જ ગમે છે. અને આત્મા પણ બીજું બધું કરતાં કોઈ અપૂર્વ આનંદમાં રમણ કરે છે. તે તો અનુભવે જ સમજાય. સર્વ જીવો પોતપોતાની સમજણે જે માન્યું છે તે પકડી બેઠા છે. શ્વેતાંબર, દિગંબર, Page #541 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ ઉપદેશામૃત રામાનંદી, ઢુંઢિયા ઇત્યાદિ સર્વેને પોતાના ઘર્મની પકડ હોય છે તેને જ સતુ માને છે. પરંતુ સતની પ્રાપ્તિ તો કોઈ અપૂર્વ પુણ્યના ઉદયે થાય છે. તે મહા દુર્લભ છે. તે પ્રાપ્ત થયે, જીવ બીજું બધું મૂકી એક એ જ જાણવા સમજવા યત્ન કરે. તે માટે સત્સંગ ઘણો કાળ આરાધે ત્યારે કંઈક સમજાય અને સમજાય ત્યારે પકડ અથવા સશ્રદ્ધા થાય. પણ જ્ઞાનીને યથાર્થ ઓળખે આ સમજણ આવે. ત્યારે જીવ સમજે કે ગૃહકુટુંબ તે મારું નહીં. મારો તો આત્મા છે. માટે વ્યવહાર કરું પરંતુ તેનાથી અંતર્ભેદ રાખું. આમ જીવને મોક્ષની ભાવના, છૂટવાની ભાવના જાગે છે. એ જ લય સતત રહે છે. તેથી તે બંધાતો નથી. “Hદકી ન રેડ્ડ પાવં' તેમ છૂટવાની ઇચ્છાવાળાને કર્મ બંધાતાં નથી. તા. ૧૦-૨-૩૫ પાંચ ઇન્દ્રિય સુધીના જે જીવો છે, તેમ જ ઈડામાં કે ગર્ભમાં છે, ત્યાં પણ આત્મા તો છે જ. જેમ ઈડાનો આત્મા કે મૂર્શિત અવસ્થાનો આત્મા છે; તેમ એકેન્દ્રિયનો આત્મા જે ઝાડ પહાડમાં રહ્યો છે તે તેવી અવસ્થામાં છે, પરંતુ છે તો ખરો જ. આ જીવ પણ એકેન્દ્રિયથી માંડી સર્વ ભવ–નારકી જુગલિયા અને દેવોના પણ–કરી આવ્યો છે, પણ તેને પોતાનું સ્વરૂપ ન માનવું. આત્મા દેહથી ભિન્ન છે. માટે પુલરૂપ જે દેહ, ઇંદ્રિયો અને ઇંદ્રિયોથી દેખાતા વિષયો તેને સ્વપણે કે મારાપણે ન માનવા. રાગદ્વેષ ને મોહ સર્વથા ત્યાગવા. ઇંદ્રિય અને દેહ દ્વારા જે ભોગવાય તે મેં ભોગવ્યું એમ ન માનવું. તે સર્વને ભૂલી જવું. અને આત્મા સિવાય કંઈ ન ઇચ્છવું. આત્મા તો છે. તેને કેમ પમાય ? તો કે જેણે તે જાણ્યો છે તેને શરણે જા. એ જ સિદ્ધાંત પોતાનો મિત્ર, બાંઘવ જે કહો તે છે. અને એમ કર્યે જ આત્માનું હિત છે. તા.૨૪-૨-૩૫ વિષય કષાય મૂકવા. ક્રોધ, માન, માયા અને લોભ એ ન કરવા. ઉદય આવેલા વિષયો ભોગવવા પડે–ખાવું, કરવું પડે–તો પણ તેથી આત્મા ભિન્ન છે એમ ઉપયોગ રાખવો. અને ત્યાગ-ભાવ કરવો. જેનો ત્યાગ કર્યો છે તે કદી ન ઇચ્છવું. એમ ભાવથી ત્યાગ રાખવો. કોઈ કહે કે માંસ ખા, તો ખાય ? તેમ જે ત્યાગવું તે તરફ અભાવ જ રાખવો. તે તરફ વૃત્તિ ન જ જાય એમ કરવું. | મુમુક્ષુ-દેહ અને આત્મા ભિન્ન છે તે એક કેવી રીતે થયા ? અને તે હવે ભિન્ન શી રીતે થાય ? પ્રભુશ્રી–ભાવ અને પરિણામથી એકરૂપ થઈ ગયા ભાસે છે. હવે વિચાર કરે, તેને જુદાં માને અને તેમાં શ્રદ્ધા કરે તો ભેદજ્ઞાન થાય. કૃપાળુદેવે તો ચોખ્ખું સમજાવ્યું છે. છ પદનો પત્ર Page #542 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૪ ૪૪૩ અને આત્મસિદ્ધિ મહા ગહન છે. તે પાત્ર જીવને જ આપતા. પરંતુ હવે મોઢે કરી સામાન્ય કરી નાખ્યું. આવડ્યાનું અભિમાન કરે અને અર્થ વિચારે નહીં, એમ થયું છે. તેમાં તો કહ્યું છે– શુદ્ધ, બુદ્ધ, ચેતન્યઘન, સ્વયંજ્યોતિ, સુખધામ; બીજું કહિયે કેટલું? કર વિચાર તો પામ.” નિધાન છે તે ખોલવાને ઉપયોગ, વિચાર ત્યાં લઈ જવાનો છે. પરમાંથી, બાહ્યમાંથી ઉપયોગને ખેંચી લઈ ત્યાં આત્મામાં જોડવાનો છે. તે જ ખરો પુરુષાર્થ છે. અભેદ અને ભેદ એમ બે રીતે ભક્તિ જાણવી. અભેદરૂપે એટલે ભક્તિમાં પરમાત્માથી અભેદરૂપે, જેની ભક્તિ કરે છે તેમનું અને પોતાનું સ્વરૂપ એક છે એમ ઓળખીને એક થઈને આત્મસ્વરૂપ થાય તે જ સહજાત્મસ્વરૂપ છે. તે જ ખરી ભક્તિ છે. મંત્રનો અર્થ એમ છે કે હે સદ્ગુરુ ! તમે મારા સહજાત્મસ્વરૂપ છો, તમારામાં ને મારામાં ભિન્નતા, ભેદ નથી. એમ અભેદરૂપે ભક્તિમય રહેવું. તા.૨૫-૨-૩૫ જેને છૂટવાની કામના થાય તેને જ આત્મભાવના જાગે. જ્યાં સુધી વાસના આત્મા સિવાય બીજે છે ત્યાં સુધી મોક્ષની ભાવના ન જાગે. પરમાંથી વૃત્તિ મટે ત્યારે સ્વમાં આવે. તે પછી તેને મુક્ત કરવાનાં સાઘનો ભક્તિ, વિચાર, શ્રદ્ધા પરિણમે. નહીં તો માત્ર ઉપરનું જ થાય. આત્માનું સુખ સમજાયે પરમાંથી નિવર્ત અને આત્મા માટે પુરુષાર્થ આદરે. માટે વાસના તજવી. આત્મા અને કર્મો ભિન્ન છે. વ્યાધિ થાય, ભોગવવી પડે; પણ તે હું નહીં. એથી ભિન્ન આત્મા છે; તે દેહરૂપ નથી. દેહરૂપ ઘરમાં છે; ઉંબરામાં ઊભો છે પણ તેથી ભિન્ન છે. દુઃખ, વ્યાધિ, શાતા મારું સ્વરૂપ નહીં. એ જડ છે ને જવાનું છે, સાથે રહેવાનું નથી. તેને નિજરૂપ ન માને તો કર્મબંધ ન થાય. ત્યાં આત્મજાગૃતિ, બોઘબળની જરૂર છે. આત્મા છે તે ઇંદ્રિયરૂપ નથી, પરંતુ પ્રત્યેક ઇંદ્રિયનું આત્માને શાન થાય છે. આત્મા તો જ્ઞાનરૂપ જ છે. આંખ, કાન જે દેખાય છે તેને આત્મા ન માનવો. તેને પુલ માનવું અને જે પુદ્ગલ છે તેમાં રાગદ્વેષ કરી બંઘાવું નહીં. તા. ૨૬-૨-૩૫ મુમુક્ષુ–પાપ દોષ તો અનંત કાળથી અનેક પ્રકારના કર્યા છે, તે નાશ કરવાનો મુખ્ય ઉપાય કયો ? પ્રભુશ્રી–ભક્તિ, સ્મરણ. પશ્ચાત્તાપના ભાવ કરે તો સર્વ પાપનું નિવારણ થાય. ઉપવાસ આદિ તપ તો કોઈથી ન પણ થાય. કદાચ કષ્ટ આપે. પરંતુ સ્મરણ-ભક્તિ પ્રેમપૂર્વક કરે ને ભગવાનનું રટણ કરે, સદ્ગુરુમંત્રમાં રહે તો કોટિ કર્મનો ક્ષય થાય. એવો એ ભક્તિનો મહિમા છે. Page #543 -------------------------------------------------------------------------- ________________ ४४४ ઉપદેશામૃત વિકાર ઇત્યાદિ સત્તામાં છે તે ઉદય આવે તે વખતે સ્મરણમાં પડી જવું અને એ રીતે તેનો ક્ષય કરવો. પ્રીતિ સપુરુષ કૃપાળુદેવ જે સાચા છે તેમના ઉપર જોડવી. દેહથી આત્માને ભિન્ન જાણવો. તે મેં જોયો નથી પણ જ્ઞાનીએ જોયો છે તે જ એક મારો છે, માટે તેને માટે પુરુષાર્થ કરવો. ખાવું, પીવું ઇત્યાદિ તે હું નહીં. તેથી ભિન્ન એવો અણાહારી આત્મા છે, એમ ચિંતળે ઉપવાસ કરતાં પણ વધુ ફળ મળે. ઉપવાસ કરે અને ખાવામાં ચિત્ત રાખે તો ભાવ તેવું ફળ મળે. જ્ઞાનીએ આજ્ઞા આપી હોય કે રાગદ્વેષ ઇત્યાદિ ન કરીશ, તો આત્માર્થી તો ઉપયોગ રાખી તે ન જ કરે. તેમ ભક્તિ, સ્મરણ જેમ કરવા કહ્યું હોય તેનો લક્ષ ન ચૂકે અને બોઘ વિચારે. એમ નિરંતર આજ્ઞામાં વર્તે તો માર્ગમાં રહી શકે. જ્ઞાનીનો જોગ કંઈ નિરંતર રહેતો નથી. પરંતુ તેમણે જે કરવાનું કહ્યું છે તે કરવું જોઈએ. તેનું જ રટણ કરે તો ભક્તિ પ્રેમ, વિયોગે પણ, બમણાં થાય અને પોતાના આત્માનું હિત સમજાય. ભક્તિ જીવે કર્તવ્ય છે. સર્વ ઘર્મમાં ભક્તિને પ્રઘાનપદ આપ્યું છે. વૈષ્ણવ હોય, મુસલમાન હોય, ખ્રિસ્તી હોય; કોઈ ભક્તિમાં નથી માનતા એમ નથી. એનાથી પાપનો નાશ થાય છે. પાપી છે તેને આર્તભક્તિ કરવાનો અધિકાર છે. બાકી ભક્તિના ઘણા પ્રકાર છે. બોઘ સાંભળવો, વાંચન, વિચારણા, સદ્ગુરુમાં પ્રેમ, ભાવ–એવી ભક્તિ ઉત્તમ છે. તા. ૨૭-૨-૩૫ પરમકૃપાળુદેવ પરમાત્મા પ્રત્યે અખંડ પ્રેમ, એક્તારપણું ઇચ્છતા હતા. એવી એકતાર ભક્તિ એ જ માર્ગ છે. પોતાને આત્મા જાણવો છે તે માટે જેણે જામ્યો છે તેના સ્મરણપણે એકતાર થવાનું છે. પરમજ્ઞાની કૃપાળુદેવ એક ગાથા કલાકના કલાક સુધી એક ધૂનથી બોલતા. કઈ બેઠું હોય તેને સાંભળવું હોય તો સાંભળે. પણ બીજી વાત કરતા નહીં. એમ એક લયથી સ્વરૂપનું રટણ કરતા કે તેમના બોલવાના પડછંદા પડે. અમે પણ એવી ઉમ્મર હતી ત્યારે આવેશપૂર્વક અખંડ ધ્યાન આપતા અને અપૂર્વ ભક્તિ થતી. વનમાં એકલા જઈને, ચિત્રપટની ભક્તિ કરતા. એમ એ ભક્તિની લય હતી. હવે ઘડપણને લઈને નમસ્કાર પણ થઈ શકતા નથી, થાકી જવાય છે. તમારી તો હજુ યુવાવસ્થા છે, તો થાય તેટલી ભક્તિ, ભક્તિ ને ભક્તિ કરી લો. અહીં તો લૂંટેલુંટ કરવાની છે ! જે ભાવ કરે તેના પોતાના છે. હમણાં પ્લેગ ચાલે છે તેથી માણસો મરણના ભયને લીધે ગામ બહાર તંબુ ઠોકીને રહ્યા છે; પણ ભક્તિ કરતા નથી ! વીમો ઉતારી લેવો. તો પછી ફિકર નહીં. તેમ પરમ કૃપાળુદેવ સાચા છે. જેવા અનંતા જ્ઞાની થઈ ગયા છે તેવા જ તેઓ પણ યથાર્થ જ્ઞાની હતા, અને યથાર્થ બોઘ કરી ગયા છે એમ માની તેમનું શરણ લેવું અને તેમને જ પોતાનું સર્વસ્વ માનવું. પોતાના સ્વામી પણ તે જ. બાકી Page #544 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૪ ૪૪૫ બધા પ્રત્યે આત્મદૃષ્ટિ રાખવી કે મારાં કોઈ નહીં. સર્વ આત્મા છે તે સરખા છે. કોઈ પર રાગદ્વેષ ન કરવો. એમ સમભાવથી વર્તાય તો તે વીમો ઉતાર્યો કહેવાય. વીમો ઉતાર્યો હોય તો દર માસે કે વર્ષે અમુક રૂપિયા ભરવા પડે, તેમ અહીં દ૨૨ોજ કે આખો વખત જેટલી ભક્તિ, વાંચન, વિચારણા, આત્માની ઓળખાણ સદ્ગુરુસાક્ષીએ થાય તેટલું લેખે છે. જે જેટલું વધારે કરે તેટલો તેનો વીમો મોટો. તા.૪-૯-૩૫ ધર્મવૃદ્ધિ કરવી. વાંચવું, વિચારવું. વીસ દોહા, ક્ષમાપના, આત્મસિદ્ધિ, છ પદનો પત્ર, આલોચના રોજ ફેરવવાં. જેટલો મળે તેટલો કાળ તેમાં ગાળવો. એ જ સાથે આવશે. બાકી સર્વ સંસારાર્થે છે. જે ભોગ શરીરથી ભોગવાય છે તેને આત્મા ન જાણવો. કાર્તિક સુદ ૬, સં.૧૯૯૨ શ્રદ્ધા એવી દૃઢ કરવી કે હવે હું કોઈ બીજાને ન માનું. મારો આત્મા જે જ્ઞાનીએ જોયો છે તેવો જ છે. મેં જોયો નથી; પણ જ્ઞાનીએ જોયો છે. તેમની આજ્ઞાએ મને ત્રિકાળ માન્ય છે. તે જ્ઞાની એ પ૨મ કૃપાળુ સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ છે; તે મને સદા કાળ માન્ય હો. હવે તે જ મારું સર્વસ્વ માનું. તેમના સિવાય બધું પર માનું. તા.૨૩-૨-૩૬ સત્સંગ મુખ્ય છે તે કરવો. સત્સંગ એ જ આત્મા જાણવો. આત્માનો સંગ એ જ સત્સંગ છે. અનાદિ કાળથી આ જીવ રખડ્યો છે; પણ આ મળ્યું નથી. બીજું બધું જે કરે તે વૃથા છે, નાશવંત છે. એવું અનંતવાર કર્યું છે. આ જન્મમાં મહા દુર્લભ યોગ મળ્યો છે. તો સત્સંગ કરી લેવો. છેલ્લી શિખામણ છે. ચૂંટિયો ખણે તેમ ચૂંટિયો ખણીને હૃદયમાં માન્યતા કરી લેવી કે હું આત્મા છું, બીજું કંઈ નહીં. દેહવિકાર, વિષયભોગ તે હું નહીં, હું તો આત્મા છું—આટલું ગમે તેમ કરીને ક૨વાનું છે. તે માટે સાંજ–સવાર-બપોર જ્યારે બને ત્યારે મુખપાઠ કરેલું તે ફેરવવું, અને એ જ રટણ રાખવું. મૃત્યુનો ભય લાગે છે ? મૃત્યુ તો પ્રતિક્ષણ સંભારવું. Page #545 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ ઉપદેશામૃત આપણે કોઈ કાર્ય કરતાં ‘આનું આમ થાય કે તેમ થાય, આનું સારું થાઓ કે બૂરું થાઓ, આનું આ ફળ આવો કે આનું અમુક ફળ આવો” એવી મનમાં, પરિણામમાં કંઈ રાગ કે દ્વેષ સંબંથી વ્યક્ત કે અવ્યક્ત ભાવના ન આવે એ ખાસ લક્ષ રાખવું. લક્ષ અને ઉપયોગ એવો રાખવો કે સંતસમાગમે મને જ્ઞાની પુરુષની કહેલી આત્મઉપયોગમાં રહેવા આજ્ઞા મળી છે, તે સત્ છે. કારણ કે અન્યથા કહેવાને સંતને કંઈ પ્રયોજન નથી. અને એ જે કહે છે તે મને હિતકર છે, એમ મારે માનવું. નિરંતર એમ લક્ષમાં રાખવું કે શ્રી સંતસમાગમે મળેલ મંત્ર સહજાત્મસ્વરૂપ” એ આત્મા જ છે; અને એ જ હું છું. બીજું કંઈ મારું નથી. તેમ મને તે બાબત કંઈ જ્ઞાન કે ખબર નથી. એમ સતત ઉપયોગ રાખવો. વૃત્તિ ક્ષણે ક્ષણે ફરતી છે; અસ્થિર છે. માટે તે ઉપયોગ રાખવા નિરંતર લક્ષ પ્રેરવું અને એ જેટલું ન ભુલાય તેટલું કરવું. Page #546 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-પ ✩ મુનિ મો—જ્ઞાનીને દેહ સંબંધી કેવા ભાવ થાય તે વાત જ્ઞાનીના ઘરની છે; આપણે તોલના કરવા જેવું નથી. પ્રભુશ્રી—તેમ નહીં. વક્તવ્ય હોય તે કહી શકાય, તે કહેવું. અવક્તવ્ય છે તે કહી શકાય નહીં. ભાવ અને શ્રદ્ધા બે મુખ્ય છે. લાડવા કરવા માટે બધી સામગ્રી હોય, પણ દેવતા ન હોય તો કામ ન બને; તેમ બધાં કારણો જોઈએ. દોરડું બાંધી કોઈ કૂવામાં પડે અને તરતાં ન આવડતું હોય તો પણ ડૂબે નહીં; તેમ શ્રદ્ધાથી તરી જવાય છે. એક માણસ જુવાન હોય અને તેની પાસે તીક્ષ્ણ કુહાડો હોય તો ગાંઠ કાપતાં વાર લાગતી નથી. પણ કોઈ ઘરડો હોય, કુહાડો બુઠ્ઠો હોય અને ગાંઠ સખત હોય તો ગમે તેટલા ઘા કરે પણ કંઈ વળતું નથી. તેમ શરીર સારું હોય, ક્ષયોપશમ સારો હોય, ઇંદ્રિયો કામ કરતી હોય તેવા વખતમાં આત્મસાધન કરી લેવું, ઘડપણમાં મુશ્કેલ થઈ પડશે. સમકિતીનું લક્ષણ એ કે અવળાનું સવળું કરે. ⭑ * ૪૪૭ પ્રભુશ્રી—એકમાં બધું આવી જાય તે શું ? મુમુક્ષુ–સમભાવ. બે લડતા હોય ત્યારે શાંત પાડવા માટે કહેવામાં આવે છે ને ?–ભાઈ, સમતા રાખો.’ નવસારી, તા.૧૫-૫-૩૩ પ્રભુશ્રી—સમભાવનું સ્વરૂપ બહુ ઊંડું છે. ખરો સમભાવ તો ગજસુકુમા૨ જેવાનો કહેવાય. દેવને` ઢોલકી વળગી હતી, તેમ કર્મ છે. તે કંઈ છૂટે નહીં. તમે દેહ જુઓ છો પણ જ્ઞાની આત્મા જુએ છે તેવો ભેદ પડવો જોઈએ. ભેદ ન પડ્યો હોય ત્યાં સુધી વિશ્વાસ રાખો. ૧. એક સોનીને પાંચસો સ્ત્રીઓ હતી, તોપણ વિષયાસક્તિ ઓછી ન હતી. હાસા-પ્રહાસા નામની બે દેવીઓનો દેવ ચ્યવી જવાથી ભવિષ્યમાં તેમના પતિ થનાર તે સોનીને તે દેવીઓએ દર્શન આપ્યાં. તેમને જોઈને તે સોનીને મોહ થયો. તેથી તેમની પ્રાપ્તિ માટે તેમણે જણાવ્યા પ્રમાણે લાકડામાં બળી મર્યો. અને અકામ નિર્જરાથી દેવ થઈ તે દેવીઓનો પતિ થયો. એક વખત ઇન્દ્રની સભામાં તે દેવને વાજાં વગાડવા જવાનું હતું. તેથી તેના ગળામાં એક ઢોલકી વિક્રિયાથી વળગી. તે લઈને તે ઇન્દ્રની સભામાં ગયો. ત્યાં તેણે તેના પૂર્વભવના શ્રાવકમિત્રને મહર્ષિક દેવ તરીકે જોયો. તેથી તેને ઢોલકીની શરમ આવી. એટલે તેણે ઢોલકીને ગળામાંથી નાખી દેવા માંડી. પણ તે પાછી આવી આવીને વળગવા માંડી. ત્યારે તે મહર્ષિક દેવે કહ્યું કે હવે જે પૂર્વકર્મ છે તે ભોગવો. પહેલાં વીતરાગ માર્ગ આરાધવા સંબંધી અમારી શિખામણ તમે માની નહીં તેથી હલકા દેવ થયા છો. Page #547 -------------------------------------------------------------------------- ________________ ४४८ ઉપદેશામૃત વહેવારમાં આત્માને જડ પણ કહેવાય, ચેતન પણ કહેવાય; પણ નિશ્ચય લક્ષમાં રાખવો. હું દેહ નથી એટલું કહેતાં પણ અનંત સમય વહી જાય છે; પણ સમજણ તો એક સમયમાં ફરે છે. આ જીવ પાસે બધું છે; માત્ર ભાવ ફેરવવાનો છે. તે ફર્યે આ સંસાર તરફ દ્રષ્ટિ કરે તો વૈરાગ્ય આવે જ. જ્ઞાનીએ જોયું છે કે સંસાર બળી રહ્યો છે. તે શું ખોટું છે ? પણ અજ્ઞાનીને જોતાં નથી આવડતું. ભાવ કરવા તારા હાથમાં છે. ભાવ ત્યાં પરિણામ. જન્મથી જ આ જીવ કષાયની પ્રકૃતિ લઈને આવે છે, “હું સમજું છું' તેવું મૂળથી જ હોય છે. સ્વચ્છંદ છોડવો જોઈએ. આ સંસારમાં મુખ્ય છે બે : વિષય અને કષાય. આ જીવ આત્માને સંભાળતો નથી; લાજ વિનાનો છે, નકટો છે–દુશ્મનને પોતાને ઘેર બોલાવે છે, તેની જ સેવા કરે છે–પછી તેનું સારું ક્યાંથી થાય ? પોકાર કરીને કહીએ છીએ કે મનુષ્યભવ અમૂલ્ય છે, ચિન્તામણિ છે. તેને કોડી માટે વેચી નાખ્યો છે. સમકિત સહેલું પણ છે અને મુશ્કેલ પણ છે. માન્યતા આ દેહની અને તેના સંબંધીઓની છે. માન્યતા ફેરવી નાખ. સમજણ ફેરવી નાખ. જેવા ભાવ કર્યા હોય તેવું ફળ આવે. ભાવ ફેરવી નાખ. આણે “મને' ગાળ દીઘી તેવો એક ભાવ અને આણે ગાળ દીઘી પણ મને કંઈ લાગી વળગી નથી તેવો એક ભાવ; જેવો ભાવ કરવો હોય તેવો થઈ શકે. પણ તે બે ભાવમાં કેટલો ફેર ? અભ્યાસ કરી નાખવો. છોકરાઓ ઊંઘમાં પણ પાઠ બોલે છે, વેપારીને વેપાર સાંભરે છે; તેમ ભાવ કર્યા હશે તેવું થશે. બઘા સંબંધ છે તે ઝરડા જેવા છે, ઝરડું ભરાયું છે. આડું આવે તે કોરે કરવું. જ્ઞાનીઓને અનંત દયા હોય છે. સમજણ કરી લેવી. ભાવ કરવો, ઓળખાણ કરવી. કોઈને કહેવાય નહીં કે તું આ કર અને આ ન કર. માત્ર, સમજણ કરવી. આ જીવ માંદો થાય છે ત્યારે મંદવાડ સંભારે છે તેવી રીતે સંયોગને જ સંભારે છે. આત્માને સંભારતો નથી. તે તો જાણે છે જ નહીં એવી રીતનું જીવન કરી નાખે છે; નહીં તો આત્મા હાજર છે. ઉપયોગ છે તો આત્મા છે. પરમ કૃપાળુદેવ સાચા છે, તે આત્મા છે; બીજે દ્રષ્ટિ નાખવી નહીં, એવું થાય તો બીજું જાલતમાસા જેવું લાગે. વિશ્વાસ કરી નાખવો. મન, વચન, કાયાના યોગ તે મુનીમ છે, પણ શેઠ થઈ પડ્યા છે. જ્ઞાનીની આગળ વિકાર આવવાની હિમ્મત કરતા નથી; પણ મિથ્યાત્વીને ત્યાં શેઠ થઈ બેસે છે, ત્યાં તેને આદર મળે છે. + મુમુક્ષુ–ઉપવાસ તપ હું કરું ? પ્રભુશ્રી હા પણ ન કહેવાય, ના પણ ન કહેવાય. સ્યાદ્વાદ છે. “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે.” જો કોઈ મોટો શેઠ હોય અને પાશેર ખીચડીનું દાન આપવાનું પૂછવા Page #548 -------------------------------------------------------------------------- ________________ ४४८ ઉપદેશસંગ્રહ-૫ જાય તો હા પણ શું કહેવી અને ના પણ શું કહેવી ? તેમ યમનિયમ ગૌણ કરીને આત્મા ઓળખવા અહીં પુરુષાર્થ કર્તવ્ય છે. અહીં જેણે આવવું તેણે લૌકિક ભાવ બહાર–દરવાજા બહાર મૂકીને આવવું. અહીં આત્માનું યોગબળ વર્તે છે. સત્ત્વશીલ સાચવવાનાં છે. કોઈની જોડે હસીને વાત કરવી નહીં, તેના કરતાં ભજનમાં વખત ગાળવો. અમે એકને માટે બધું મૂક્યું છે એટલે આત્મા સિવાય અમને કંઈ રુચતું નથી. વિષય-કષાયના અમે શત્રુ છીએ. વિષય-કષાય જાય નહીં તો પણ તેમને દૂર રાખવાનો ભાવ કરવો. આત્મા મરતો નથી; પણ આ જીવ વિષય-કષાયના ભાવથી ભવ ઊભા કરે છે. બઘાને કહેવાનું કે જો અહીં આવી કોઈ આત્માના હિત સિવાય બીજું કંઈ કરે તો તેને સંઘે બહાર કાઢી મૂકવો. વિષય-કષાયમાં જીવ ક્યારે પડે છે? જ્યારે આત્માને ભૂલે ત્યારે. અમારે આત્મા ઉપર લક્ષ કરાવવો છે. આત્મા છે તે જ પરમાત્મા છે. તે જ અહીં છે. બીજું હવે જવા દો. અમારો લક્ષ તે છે એટલે અમને બીજો કોઈ બીજું કરે તે ગમતું નથી. આત્માને ભૂલી જવા દેવો નથી. હસવાની વાતમાં તે ભૂલી જવાય છે, ભવ ઊભા થાય છે. તે જ આત્માની ઘાત છે. તમને ખબર નથી, પણ બધાનું કલ્યાણ થશે. શ્રદ્ધા રાખવી. જગતને આત્મભાવે જુઓ. આત્મા અરૂપી છે તેથી તે દેખાય નહીં, પણ ભાવ તેવો રાખવો. કેટલાયનો અહીં ઉદ્ધાર થયો છે, કેટલાયની ગતિ ફરી ગઈ છે, પણ તે બધું કહેવાય નહીં. ભાવ થયા કરે છે; ખોટા નહીં કરવા, સારા કરવા. તે તમારા હાથમાં છે. તે ગુણ તપ છે. તેમાં કોઈની જરૂર નથી. ગરીબ તવંગર બધા પાસે ભાવ છે. એક જાતનો ભાવ કરે તો નરકગતિ બંધાય; બીજી જાતનો કરે તો દેવગતિ. માટે હવે આટલો ભવ બધે આત્મા જોતો થઈ જા. બધે તારો આત્મા જોઈશ તો પછી ખોટું લાગશે નહીં. કંઈ તારું ખોટું થતું નથી. જનક વિદેહીને તરત વાત બેસી ગઈ કે આત્મા સતુ, જગત મિથ્યા. તે થયા પછી તેને થતું કે તેનું કંઈ જતું નથી કે આવતું નથી. “પુદ્ગલજાલ તમાસા' જોયા કર. આત્મા છે તેવો ભાવ લાવે તે આર્ય, બીજો ભાવ લાવે તે અનાર્ય. અમે તમને રોજ કહીએ છીએ કે ઘણું પુણ્ય બાંઘો છો. આ વાત મનાય નહીં. શ્વાસોચ્છવાસમાં જ્ઞાની કોટી કર્મ ખપાવે છે. તેને શ્રદ્ધા છે, વિશ્વાસ છે કે આત્મા છે. તે વાત તમે માન્ય કરો તો પુણ્ય થાય. ઉપયોગ તે મોટામાં મોટી તરવાર; મરણિયો થઈ જા. જ્ઞાનીએ આત્મા જોયો છે. આમને આમ ફેરવવાનું છે. સમકિતીની પુદ્ગલરૂપ વિષ્ટામાં વૃષ્ટિ જાય નહીં. તે દેવલોકનાં સુખ પૌદ્ગલિક માને છે. આત્માનો આનંદ છે. વાત છે માન્યાની. શ્રવણ કર; સમજણ આવશે. કોઈ મરી ગયું હોય અને તારું કંઈ સગું ન હોય તો તું કહે છે કે મને સ્નાનસૂતક આવતું નથી; તેમ બધે કરી નાખ. આત્મા મરતો નથી. જ્ઞાની આત્મા છે. આને જ્ઞાની, આને જ્ઞાની માની ન બેસ. સમજણ લાવ, વિશ્વાસ લાવ, હમણાં કરી લે; પછી નહીં થાય. 29 Page #549 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ ઉપદેશામૃત ઉપયોગ, ભાવ તારી પાસે છે. આ વાત મનાતી નથી. સત્વશીલ, ત્યાગ-વૈરાગ્ય, વગેરે હોય છે ત્યારે તે દ્વારે વાત પેસી જાય છે. તે દ્વાર છે. તા.૧૮-૨-૩૪ મનુષ્યભવ દુર્લભ છે. આ શરીર તે તો સંબંધ છે. આત્મા છે તેની માન્યતા કરી લેવાની છે. શ્રદ્ધાનું કામ છે. મુમુક્ષુ–આત્મા ક્યાં રહેતો હશે? પ્રભુશ્રી-કોઈએ ગાળ દીઘી. એક કહે, મને ગાળ લાગતી નથી, અને બીજો કહે, મને ગાળ લાગી, અને મારામારી કરી. ગાળ ક્યાં લાગવાની હતી? એકે અજ્ઞાનભાવ કર્યો તેથી અજ્ઞાની કહેવાયો; બીજાએ જ્ઞાનભાવ કર્યો તેથી જ્ઞાની કહેવાયો. ફેરવવાનું શું છે? સમજણ. એકે દેહને પોતાનો માન્યો, ઘર કુટુંબ પોતાનું માન્યું. “મારું' કહેવા છતાં તેનું થયું નથી, થતું નથી, માત્ર માન્યું છે તેથી અજ્ઞાની કહેવાયો. તે માન્યતા જેને ન હોય તે જ્ઞાની કહેવાય. બેય આત્મા. એકને જ્ઞાની કહ્યો, એકને અજ્ઞાની કહ્યો. વિચારી જુઓ, આત્મા ક્યાં રહ્યો છે? માન્યતા ફેરવવાની છે, શ્રદ્ધા કરવાની છે. કરોડો રૂપિયા મળે તેથી પણ સમજણ વઘારે કિમ્મતની છે. સત્સંગથી સમજણ ફરે છે. તેની કિસ્મત કહેવાય તેવી નથી. રૂપિયા મળ્યા તે સાથે આવવાના નથી; સમજણ સાથે આવે છે. તેની કિસ્મત અપાર છે. તે કરી લેવાની છે. સ્ટેશને જવું હોય તો શું કરવું જોઈએ? ચાલવું પડશે; પુરુષાર્થ કરવો પડશે. તો સ્ટેશન આવશે. પહેલાં શું જોઈએ? સત્ અને શીલ. સત્ એટલે આત્મા, શીલ એટલે બ્રહ્મચર્ય. ખરું બ્રહ્મચર્ય તો જ્ઞાની પાસેથી આવશે. વિષય-કષાયથી છુટાય તો બ્રહ્મચર્ય આવશે. આ બધું શું છે? પાંચ વિષય છે અને ઇંદ્રિયો છે. તે મૂકવાનું છે. મોડું વહેલું મૂકવું તો પડશે જ, તો હમણાંથી જ કરી લે; ન થાય તો ભાવના રાખ. “જગતને રૂડું દેખાડવા અનંત વાર પ્રયત્ન કર્યું.” આ જીવે ઝૂરવું જોઈએ, શાના માટે? પરિભ્રમણથી છૂટવા માટે. જીવ શું ભૂલી ગયો છે? પોતાને જ ભૂલી ગયો છે. ડગલું ભરાય ક્યારે? મુમુક્ષુ-જિજ્ઞાસા હોય તો. પ્રભુશ્રી–જિજ્ઞાસા થાય ક્યારે ? પૂર્વકૃત અને પુરુષાર્થ જોઈશે. આ બધું સાંભળતાં કોઈ એમ વિચારે કે આમાં શું? આવું તો મેં ઘણી વાર સાંભળ્યું છે. પણ એમ સામાન્યપણું નહીં કરી નાખવું. જ્ઞાનીની વાણી છે. “આત્મસિદ્ધિ' જેવી તેવી નથી. સામાન્યપણું ન થવું જોઈએ. સત્સંગ સમાગમ કરવો, તેથી ભાવના થશે. ભાવના થશે તો તે રૂપ થઈ જવાશે. તા. ૨૫-૨-૩૪ શ્રદ્ધા કરો. ઘરની બહારની શ્રદ્ધા છે તે મૂકી એક આત્માની શ્રદ્ધા કરો. તે તો થઈ શકે Page #550 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૫ ૪૫ ૧ તેવું છે. જ્ઞાનીઓ સમજણ આપી ચાલ્યા જાય છે. જીવને સમજણની પકડ કરવી એ તેના હાથમાં છે. કોઈએ થપ્પડ મારી હોય છે તો રોજ સાંભરે છે કે નહીં? તેમ આત્માને સંભારો. સાપ કરડ્યો હોય, ઝેર ચડ્યું હોય, મરી જતો હોય અને તે સાજો થાય તેવી આ વાત છે. ક્યાંથી ક્યાંથી આ મનુષ્યભવમાં આવ્યો છે ? કર્તવ્ય છે તે કરી લેવું. ઊંઘમાં સાકર ખાધી હોય તોપણ ગળી લાગે. વાત શ્રદ્ધામાં છે. ગુરુ તે આત્મા છે, પણ ભેદી જોઈશે. એકની શ્રદ્ધા કરી લે. ઘાડ પડવાની બીક હોય ત્યારે જેમ કોઈ રતન ભોંયમાં સંતાડી મૂકે છે તેમ ચારે તરફ ભય છે તો શું કરવું? કયો રસ્તો કાઢવો? ક્યાં જવું? શ્રદ્ધા. બઘાં વચન સરખાં નથી હોતાં. કોઈ કહે, ક્રોઘ નહીં કરવો, અને જ્ઞાની કહે, ક્રોઘ નહીં કરવો તેમાં આસમાન-જમીનનો ફેર હોય છે. તા.૨૬-૨-૩૪ ભીખ માગવાનો વખત આવે તો પણ ગભરાવું નહીં. આત્માં કયાં ભિખારી છે? આ ભાઈ નાના હતા, જુવાન થયા, આજે ઘરડા છે; પણ તેથી તે શું બદલાઈ ગયા? તે તો છે તેના તે જ છે; શરીર ઘરડું થયું, તેમ બધું બદલાય તેથી શું આત્મા બદલાય છે ? [દવા પીતાં પીતાં] આ જીવને આ ભોગવવાનું છે. તમારે કાંઈ આ દવા પીવાની છે? તેમ સી સીનાં કર્મ બાંધેલા છે તે ભોગવવાનાં છે. દરેકનાં કર્મ જુદાં છે. તેથી કહ્યું છે કે તેની સામું જોવું નહીં, સમકિત કરી લેવું. સમકિત એટલે આત્મા છે. બીજું બધું ભૂલી જવું. ક્ષમા રાખવી. આવ્યું તે તો જાય છે. વ્યાસજીએ શુકદેવજીને બોઘ આપ્યો. શુકદેવજી કહે, આ તો હું જાણું છું. ત્યારે વ્યાસજીએ કહ્યું, વઘારે જાણવું હોય તો જનક વિદેહી પાસે જાઓ. તેથી ત્યાં ગયા. જનકે આઠ દિવસ ખૂબ આગતા-સ્વાગતા કરાવી, પણ મળ્યા નહીં. પછી મળ્યા, પૂજા કરી ઉપદેશ આપ્યો, જ્ઞાન કરાવ્યું. શુકદેવજીએ કહ્યું, આ તો વ્યાસજીએ મને કહ્યું હતું. ત્યારે જનકે કહ્યું, મેં વ્યાસજી પાસેથી જાણેલું તમને કહ્યું છે. હવે તમે તમારા ગુરુ થયા. પૂજા કરી હતી તે કોની ? આત્માની. જ્ઞાની બઘાને પગે લાગે છે. તે શું દેહને લાગે છે? સમજવાનું છે. આખું પુસ્તક વાંચી જાય, પણ ગુરુગમ ન હોય તો કંઈ સમજાય નહીં. શુકદેવજીને વૈરાગ્ય હતો. તેથી તરત સમજણમાં આવી ગયું. બધી પકડ શાથી થાય છે? મનથી. મનથી બંધાય છે અને મનથી મુકાય છે. અમારે બધું મુકાવવું છે અને આત્માની માન્યતા કરાવવી છે. તા.૨૭-૨-૩૪ લોકિક દ્રષ્ટિએ આ બધું માયાનું સ્વરૂપ દેખાવ દે છે. આ તો એક ભવની સગાઈ છે. કેટલાય ગયા અને કેટલાય જશે. એ કંઈ ખરું છે? ઇન્દ્રજાળ છે. માટે આત્માને ઓળખવો. Page #551 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ૨ ઉપદેશામૃત લોકોમાં કહેવાય છે કે મારે ફલાણા શેઠ જોડે ઓળખાણ છે, જ્યારે જોઈએ ત્યારે પૈસા લઈ આવું તેમ છે. તેમ આત્માની ઓળખાણ થઈ હોય તો પછી બધું મળી આવે. તા.૨૮-૨-૩૪ પ્રત્યક્ષ દેખાય છે કે શરીર હાડ, માંસ ને ચામડાનું છે. તેમાં કાંઈ સારરૂપ નથી; છતાં વિકલ્પ કરી કરી “મારું” માને છે. આ દેહ ત્રીસ વરસનો હતો, આજે ઘરડો થયો. આત્મા ઘરડો થયો છે? આવી જ રીતે બઘા મહેમાન છે. ઋણ સંબંધે બઘા આવી મળ્યા છે. કોઈ તેડવા ગયું નથી–તમે મારાં માબાપ થજો કે દીકરા થજો એવું કોઈ તેડવા ગયું નથી. આવું છે, છતાં અહંભાવ-મમત્વભાવ થઈ જવાથી આખરે રડાકૂટ કરે છે, “મારું' માની દુઃખી થાય છે. અહંભાવ છોડવા જ્ઞાની કહે છે તે વિશ્વાસ રાખ. વહેવારે વાણિયો, મા, બાપ માન; પણ મનમાં નક્કી કરી નાખ કે તે સ્વપ્ન છે, ખરું નથી. તેવું માનવા માટે કોઈ ના કહી શકે તેવું છે? અમારે મનમાંથી માન્યતા કઢાવી નાખવી છે. સ્વપ્ન છે–જોયા કર, નહીં તો ફર્યા કર. આવ્યું છે તે જશે જ. તેની ફિકર શાની? જોનાર અને જાણનાર જુદો છે. તે જ્ઞાનીએ જાણ્યો છે; તે માન ને બીજા બધાની હોળી કરી નાખ. તા. ૨૯-૨-૩૪ સ્વરૂપની શ્રદ્ધા કરી નાખો. આ બધા વિકલ્પો જવા દો. કંઈ નથી. તેણે જાણ્યું તે મને માન્ય છે, તેવી માન્યતા રાખો. “હું જાણું છું' એમ ન થવા દેવું. બધું ખોટું છે. આ જાત્રાએ જઈ આવ્યા, માને છે કે પુણ્ય કર્યું. તે બધું ધૂળ છે. બાકી ઉપર કહી તે માન્યતા થાય તો બઘી નિઘિ આવી ગઈ. હવે કંઈ જોઈતું નથી તેવું થવું જોઈએ. દેવલોક વગેરે કશું જોઈતું નથી. માન્યતાનું કામ છે. પંડિત હોય તે રહી જાય; પણ કોઈ આઘો બેઠો હોય અને સાચી માન્યતા કરી નાખે તો પામી જાય. સાકર જે ખાય તેને ગળી લાગે. સોભાગભાઈ, અંબાલાલભાઈ, વગેરેની માન્યતા જુદી હતી. તેવું થવું જોઈએ. ગ્રહણ કરે તેવા મુમુક્ષુ ક્યાં છે? તેવા હોય તો વાત થાય. વડું ચારે બાજુથી જેમ તેલ ચૂસી લે છે તેમ બોઘ આતુરતાથી ગ્રહણ કરે તેવાનો સમાગમ હોય તો વાત નીકળે. મનુષ્યભવ ચિંતામણિ છે. માન્યતા થઈ, પ્રતીત થઈ કે થયું. સાચું માનજો, માન્યતા થઈ નથી, દૃષ્ટિ કરી નથી. માન્યતા થઈ હોય તો આ બધી જંજાળ છે તે છૂટી જાય. પછી ગાળ કેમ લાગે ? શરીર છૂટ્ય દુઃખ કેમ થાય? મંદવાડમાં બૂમ પાડે તો પણ દ્રષ્ટિ બીજી છે. બઘાનું કલ્યાણ થશે. સપુરુષ ભલે ન બોલતા હોય, પણ તેમનાં દર્શન પણ ક્યાં છે? તે જેવું તેવું ન માનશો. એવું થવું જોઈએ કે હવે તો મારે કંઈ જોઈતું નથી. “આત્મસિદ્ધિ મળી કે બધું મળ્યું, કંઈ બાકી નથી. “સદગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. Page #552 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-પ ભાસ્યું નિજ સ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ; અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ.'' અહોહો ! ચમત્કાર છે ! મનુષ્યભવ ચિંતામણિ છે. ચેતવા જેવું છે. માથે કાળ ચઢી આવ્યો છે. માન્યતા, માન્યતા કહ્યું કંઈ માન્યતા થતી નથી. પકડ થવી જોઈએ. દૃષ્ટિ ફેરવવી જોઈએ. તા.૪-૩-૩૪ શોઘ શાની કરવી ? આત્માની. પણ ભોમિયો જોઈએ. અઘોર વનમાં જવું હોય અને ભોમિયો હોય તો અડચણ આવે નહીં. તે કેમ ઓળખાય ? સાચો મને મળો, એમ ભાવ રાખવો તો મળી આવશે. સત્સંગમાં આત્માની વાત થાય છે. માહિત થયા પછી ફસાઈ પડતો નથી. નહીં તો ગલીકૂંચીમાં પેસી જાય. કહેવાય છે કે કોઈ રસ્તાનો માહિત હોય તો સીધા પહોંચી જવાય. કરવાનું શું છે ? જગત મિથ્યા; આત્મા સત્. મિથ્યા છે તે મૂકવાનું છે. માહિત થયા પછી બધું મુકાઈ જાય છે. ૪૫૩ સદ્ગુરુને અર્પણ કરવું તે શું? મિથ્યા સમજાય તો મમતા મુકાઈ જાય છે, પછી આત્માની શ્રદ્ધા થાય છે તે અર્પણ. માટે શ્રદ્ધા કરવાની છે. તેથી માયાના સ્વરૂપમાં ખળી રહેવાય નહીં. મનુષ્યભવ કેમ સફળ થાય ? સત્ની શ્રદ્ધા થાય તો. તેથી અસત્ની શ્રદ્ધા છૂટી જાય; અવળી પકડ થઈ ગઈ છે તે છૂટી જાય. આ બધું શાને લઈને મનાઈ રહ્યું છે ? મનથી. ભગવાન કાંઈ આઘે નથી. પ્રાર્થના તે તેને બોલાવવારૂપ છે. ‘મારું મારું' મનાઈ રહ્યું છે તે પછી નહીં રહે. તેને માટે પ્રાર્થના વગેરે છે. પુરુષાર્થ કરવો—સત્પુરુષાર્થ. આ વચનામૃત છે તે અમૃત છે. પણ ગુરુગમ જોઈએ તો બધાં તાળાં ઊઘડે. માહિત થયો હતો તો છ કોઠા અભિમન્યુ જીત્યો; પણ છેવટના કોઠામાં માહિત ન હતો તેથી ખળી રહ્યો. સત્સંગથી માહિત થવાય છે. પ્રભુશ્રી—આંટી પડી છે તે ઊકલે તો સુતર ૧(સૂતર) છે. મુમુક્ષુ—આંટી કેમ ઊકલે ? પ્રભુશ્રી—જેમ વળ ચઢે તેમ જીવ વર્તે છે. તેથી બંધ થાય છે. વળ અવળાને બદલે સવળો પડે તો આંટી ઊકલી જાય. વિકાર અને કષાયથી વળ ચઢે છે. દેહ છે તેને સારો ખોટો કરવામાં રહે તો વળ અવળો ચઢે છે; પણ વિચાર કરી માંસ, હાડકાં, ચામડાં જુએ તો વળ ઊકલી જાય છે. તે વધારે વખત ટકતું નથી. થોડો વિચાર આવે, પછી પાછો વળ અવળો ૧. સુતર=સહેલું. સૂતર=ધાગા. તા.૬-૩-૩૪ Page #553 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ . ઉપદેશામૃત ચડવા માંડે છે, માટે પુરુષાર્થ કરવો. અવળા પુરુષાર્થથી વિકાર થાય છે, સવળા પુરુષાર્થથી વળ ઊકલી જાય છે. તે ચાલુ રહેતો નથી; નહીં તો સાવ સહેલું છે. અનાદિનો અભ્યાસ છે તે છોડવો જોઈએ, સવળો પુરુષાર્થ કરવો. ઘર્મના નામે અવળી પકડ થઈ ગઈ છે, તેથી સમજાઈ ગયું છે કે હું ઘર્મ કરું છું. દાતરડાં ગળ્યાં છે તે નીકળવા મુશ્કેલ છે. ઘર્મના નામે જે અવળી પકડ થઈ છે તે અનંતાનુબંધી કષાય છે. અમારે પણ સાચી માન્યતા થઈ તેથી બધું સવળું થયું. અમારો સાત પેઢીનો ટુંઢિયાનો ઘર્મ, તેની પકડ હતી. પણ સાચી માન્યતા થયા પછી તે પકડ છૂટી ગઈ. આત્માને ઘર્મ માન્યો. તા.૯-૩-૩૪ પ્રભુશ્રી–જ્ઞાની કહે છે તે માન્ય કરે તો જ રસ્તો આવે. મુમુક્ષુ–બધું જ્ઞાની કરશે. પ્રભુશ્રી–અમે પણ પરમ કૃપાળુદેવને આમ કહેતા હતા. તેમણે કહેલું કે પુરુષાર્થ કરવો પડશે, પોતાની માન્યતા મૂકવી પડશે. એકલી સમજણ શું કામની? પરિણમવું જોઈએ. અસાર વસ્તુઓ પાછળની દોડ મૂકવાની છે. બે દ્રવ્ય જુદાં છે. ખોટી માન્યતાથી જ ફસાઈ ગયો છે, અંદર પેસી જાય છે. તા.૧૦-૩-૩૪ જ્ઞાનીને ભેદજ્ઞાન છે. તેમને રાગદ્વેષ થઈ જાય, પણ તેથી કરી તે એકરૂપ થઈ જતા નથી. તેમને તેવી માન્યતા મટી ગઈ છે. પાપ ને પુણ્યને દીવાસળી મૂકી સળગાવી દો. સારું લાગે છે એટલે જીવ પોતાને સુખી માને છે, પણ તે ક્યાં રહેવાનું છે ? શાનો એમાં રાચે છે ? એમ કરવાથી આશામાં તણાઈ જાય છે. જ્ઞાનીને આશા નથી. સુખદુઃખ વખતે ભેદજ્ઞાનની સ્મૃતિ થવી જોઈએ. લડાઈમાં હથિયાર વાપરવાનું સાંભરી આવે તો જીતી જાય. તેમ સ્મૃતિ થવી જોઈએ. સમજ છે તે સમકિત છે. સમજ બોધથી આવે છે. કોઈ કહેશે, રોજ આની આ વાત કરે છે. હા, તેમજ છે. અમારે સતની પકડ કરાવવી છે, ચોટ કરાવવી છે. અનાદિનો અભ્યાસ છે તેથી વિસ્મૃત થઈ જાય; પણ સમજ બીજી થઈ હોય તો કામ થઈ જાય. મુમુક્ષુ–તેવી સમજની સ્મૃતિ રહેતી નથી. પ્રભુશ્રી–બોઘ જોઈશે. બોઘ હશે તો હથિયાર મૂઠથી પકડાય તેવું થશે; નહીં તો હાથ કપાઈ જાય. સંવરથી આસ્રવ રોકાય છે. સંવર તે આત્મા. પારકી પંચાતમાં પડશે તો ભૂખે મરશે. તેમ પરની પંચાતમાં પડવું નહીં. ચોટ થવી જોઈએ. પ્રતીતિ આવવી જોઈએ. “આત્મા Page #554 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૫ ૪૫૫ સતું, જગત મિથ્યા.' આત્માની યથાર્થ વાત થતી હોય ત્યાં ગમે તે ભોગે જવું. કોડી સાટે રતન ન ગુમાવો. તા.૧૨-૩-૩૪ ભેદજ્ઞાન થયા પછી આનંદઘનજીની માફક કહી શકાય કે “અબ હમ અમર ભયે, ન મરેંગે.” જ્ઞાનીનું સ્વરૂપ આમાં વર્ણવ્યું છે. દેહ, માંદગી વગેરેને જ્ઞાનીએ તેનું માન્યું નથી. પછી કાળ કોને પકડે ? કાળ નાસી જાય છે. જગત આત્મારૂપ માનવામાં આવે છે, તેવા જ્ઞાનીને કાળ શું કરે ? અમને કૃપાળુદેવે હાથમાં લખીને કહ્યું હતું કે આ ભ્રમ અને આ બ્રહ્મ. ભેદજ્ઞાન થયું, પછી રાગદ્વેષ થાય કેમ ? જડ ને ચેતન કેમ મનાય ? માન્યતા ફરી ગઈ. વાણિયા, બ્રાહ્મણ, કંઈ નથી; આત્મા છે. તે જ માનવાનો છે. ઓળખાણ થવા માટે સાંભળવું જોઈશે. ઓળખાણ વિના ખબર ન પડે. જડ-ચેતનની વાત કરી તેથી કંઈ લાભ નથી; પણ ઓળખાણ થવું જોઈએ. એક જણે દૂઘમાં નીલમ (રત્ન) જોઈ લીધું પછી દૂઘ નીલું દેખાય પણ દૂઘને નીલું નહીં માને. તેમ આત્માની માન્યતા થઈ ગઈ. પછી રોગને, દેહને પોતાનો નહીં માને. ભેદનો ભેદ સમજવો જોઈએ. સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો ? સમજ્ય જિનસ્વરૂપ.” આત્મા છે એવું મનાય, પછી પોતાને તે ઘરડો માનશે ? અવસ્થા પલટાઈ. બાળક હતો, જુવાન હતો, ઘરડો થયો; પણ જાણનાર તો હતો જ. આ જીવને ખબર નથી એટલે મૂંઝાઈ જાય છે; પણ શ્રદ્ધા છે તે બધું છે, શ્રદ્ધા છે તે તપ છે, શ્રદ્ધા છે તે સંયમ છે. આત્મા અરૂપી છે એટલે ન દેખાય, પણ છે ખરો. મારું સ્વરૂપ આવું નથી. મારું સ્વરૂપ જ્ઞાનીએ જોયું તેવું છે તેવી શ્રદ્ધા રાખવી. જીવને ખબર નથી. રોગથી ઘણી નિર્જરા થાય છે. પણ શ્રદ્ધાના ભાવ ન ફરવા જોઈએ. આ તો બઘી અવસ્થા છે. એક વખત શરીર કેવું ભરેલું હતું ? અત્યારે કેવું ક્ષીણ થઈ ગયું છે ? અવસ્થા તો ફર્યા જ કરે છે. પણ જાણનાર તો તેનો તે જ રહે છે. શરીર રહો” કે “પડી જાઓ' તેવું ન ઇચ્છવું. મનુષ્યભવ દુર્લભ છે. તે હશે તો ભાવ થઈ શકશે. પછી કંઈ નહીં થાય. માટે રોગ ન આવ્યો હોય ત્યાં સુધી કરવાનું કરી લેવું. તા.૨૯-૫-૩૪ સપુરુષ શોઘો એટલે શું ? સત્ એટલે આત્મા. તેની ભાવના કરવી. આત્મા જોવો. માયાનું સ્વરૂપ ન જોવું. Page #555 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત અનધિકારીપણું શું ? વાસના બીજી થઈ રહી છે, તેથી અન્—અધિકારીપણું છે. આત્મામાં ભાવ થશે તો અઘિકારીપણું આવશે; ત્યાં સુધી તેની ભાવના રાખવી. જેનો અભ્યાસ થઈ ગયો હોય તે ઊંઘમાં પણ સાંભરે છે; માટે અભ્યાસ કરી નાખવો. ૪૫૬ સમજાતું નથી તેનું કારણ શું ? મન ભટકી રહ્યું છે તેથી સમજાતું નથી. પછી અભ્યાસ થશે ત્યારે સમજાશે. મનને બાંધ્યું કે પછી પરિણમન થશે. પરિણમન થયું કે સમજાશે. આ જીવને સત્સંગ અને બોધની જરૂર છે. આત્માની વાત બીજે સાંભળવા નહીં મળે. તે સાંભળવાથી મન બીજે ભટકતું અટકી જાય છે, પાપ સંક્રમણ થઈ પુણ્ય થાય છે. તે બધાનું કારણ ભાવ ફરે છે તે છે. મન બીજે ભટકતું અટકી જાય છે એટલે હજારો ભવ અટકી જાય છે. તન, મન, ઘન અર્પણ કરવાં એટલે તે પોતાનાં ન માનવાં. ગુરુનું સ્વરૂપ સમજવું જોઈએ. ગુરુ કંઈ લેતા નથી; પણ તેમાંથી પોતાપણું છોડાવે છે. ‘વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે.' વીતરાગે કહ્યો એટલે તે વાતમાં કોઈ વિરોઘ આવે નહીં રાગ નહીં કરવો, દ્વેષ નહીં કરવો તે બધાને સંમત છે. પછી બીજી મારામારી ક્યાં રહી ? ધર્મને નામે બધા ઝઘડા કરે છે તે ધર્મ નહીં. ધર્મ તો રાગદ્વેષથી મુકાવું તે છે. કંઈ અમારે કંઠી બંઘાવવી નથી કે બીજું કંઈ મનાવવું નથી. આત્માને મનાવવો છે. ઉદય પ્રમાણે આ બધું બની આવ્યું છે. તે કંઈ મુકાય તેમ નથી; પણ મારાપણાની માન્યતા મુકાવવી છે. આત્મા અરૂપી છે, તે દેખાતો નથી; પણ જ્ઞાનીના કહેવાથી તે વાત માન્ય છે. તે માન્યતા કરાવવી છે. વિશ્વાસ હોય તો આજ્ઞા પળાય. મોટું ગામ હોય પણ તે કંઈ કામમાં આવે નહીં, પણ એક ઓળખાણ હોય તો ખાવાપીવા મળે. વનમાં ભીલનો વળાવો હોય તો તે લૂંટાય નહીં, તેમ સત્પુરુષમાં વિશ્વાસ હોય તો ધર્મને નામે ઠગાય નહીં. ઉપયોગ તો છે જ. ઉપયોગ હોય ત્યાં આત્મા છે. શ્રદ્ધા હોય તો આમનું આમ ફરે, પશ્ચિમને બદલે પૂર્વ દેખાય. તેમ વિશ્વાસ હોય તો જડને બદલે આત્મા દેખાય. એ ચમત્કાર છે, પણ વિશ્વાસ, શ્રદ્ધા નથી. તા.૯-૬-૩૪ ગાડીને આંકડો જોડાય છે, વહાણની સાથે નાનું વહાણ ચાલે છે; તેમ સદ્ગુરુનું અવલંબન હોય તો જ મોક્ષમાર્ગે જવાય છે. અવલંબન તે આંકડો છે. સદ્ગુરુ શું આપે છે ? સમજ. સમજ ફરે છે, ભાન ફરે છે તે જ મોટામાં મોટી કમાણી છે. ફરે છે તે ખબર ન પડે. માટે વિશ્વાસ જોઈએ; વિશ્વાસ, શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ આ ક્રમ છે. છોકરો નાનો હોય અને બાપનું કહ્યું માને તો બધું સહેલું થઈ પડે છે, તેમ સદ્ગુરુનું વચન માન્ય રાખવામાં લાભ થાય છે. આત્માની વાત તો ઘણા કરે છે; પણ સદ્ગુરુ તો ચોટ કરાવે છે. બીજી રીતે ચોટ થતી નથી. Page #556 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૫ ૪૫૭. ઈશ્વર કોણ ? આત્મા. તેનાથી મોટો ઈશ્વર કોઈ નથી. ભીંત ઉપર ઘોડાના ભાવ કર્યા હોય તો ઘોડો જણાય છે. તેમ “સહજત્મસ્વરૂપનું સ્મરણ કર્યું હોય તો કાળે કરીને તેરૂપ થવાય છે. તેવા ભાવ થયા કે બધેથી ઊઠી જવાય છે. કોઈ વાત સાંભળતાં “હા, હા' કહેવાઈ જવાય છે; તેમ સત્સંગમાં આત્માની વાત સાંભળી તેમાં પરિણમન થાય છે. કેટલાક પ્રસંગે એમ કહેવાઈ જાય છે કે હવે નહીં ભૂલું, કદી નહીં ભૂલું; તેમ આત્માની વાતનું થવું જોઈએ. શ્રેણિક રાજાને અનાથી મુનિનો ઉપદેશ સાંભળતાં સમકિત આમ થયેલું. શ્રદ્ધા, સત્ શ્રદ્ધા, આત્માની શ્રદ્ધા કરવી. તે જ કરવાનું છે. જ્ઞાની મળ્યા, વચન સાંભળ્યાં, બધું કર્યું પણ કોરો રહ્યો; કારણ, શ્રદ્ધાની ખામી. આત્મસિદ્ધિ'માં બધું છે. કોઈને કંઈ પૂછવા જવું પડે તેમ નથી. શુભ, અશુભ, શુદ્ધ ભાવ. ઘર છે તેમાં કૂતરાં આવતાં હોય તે હાંકી કાઢીએ તેમ અશુભ ભાવ કાઢવા. સારા માણસો આવે તેમ શુભ ભાવ આવવા દેવા. પણ ઘર છે તે બંધ કર્યું હોય તો કોઈ આવે નહીં, તેમ શુભાશુભ ભાવ આવતા બંધ થાય તે શુદ્ધ ભાવ. ઘર છે તે કંઈ જતું રહેતું નથી. સૂરજ છે, વાદળ આવે ને જાય; તેમ સૂરજ તે શુદ્ધ ભાવ, વાદળ તે શુભાશુભ ભાવ. આત્માનું વીર્ય જાગે તો વાદળ ચાલ્યાં જાય છે. વાદળ હોય ત્યારે પણ સૂરજ કંઈ જતો રહેતો નથી. તા.૨૭-૮-૩૪ બધું વિનાશી છે. બઘા મમતા કરી કરીને ચાલ્યા ગયા છે. માટે હવે ચેતી જાઓ. આત્માની શ્રદ્ધા કરી લો. શ્રદ્ધા એવી કરો કે વજની ભીંત જેવી. બીજું તે આત્મા મનાય નહીં અને આત્મા તે બીજું મનાય નહીં. બીજે પરિણમી ગયો છે, આમ પરિણમી જવાનું છે. અનંતાનુબંઘી ગયા હોય ત્યારે ખબર પડે, બધું મોળું લાગે, બધું કરે પણ રસ આવે નહીં. ભાવના કરવાની છે. લોકો શ્રાવણ મહિનામાં કથા બેસાડે છે; પણ અહીં તો રોજ શ્રાવણ મહિનો છે. આત્મા ક્યારે નથી ? તેની વાત કરવી છે. મુમુક્ષુ–ખંભાતમાં સાંભળેલું કે આપનો સંગ કરવો નહીં. પ્રભુશ્રી–વાત ખરી છે. અમે ઉઘાડું કહી દેખાડીએ છીએ. ખરું ગ્રહણ થઈ જાય, પછી ફરે કેમ ? આ બધા હવે જાણી ગયા કે અહીં આત્માની જ વાત છે, તો બેઠા છે. પણ સાંભળ્યું ન હોય ત્યાં સુધી દોડાદોડ કરે; તેમ બઘાનું થાય છે. વાત તો એક છે : “આત્મા'. પણ તેટલું કધે રસ પડે નહીં તેથી તેની વિસ્તારથી વાત કરવી પડે છે ને તેથી રસ આવે છે. પડદો નાખ્યો હોય અને અંદર બઘા જા-આવ કરે પણ રસ ન આવે. જ્યારે પડદો ઊઘડે, બઘા ખેલ કરે ત્યારે રસ પડે. પણ આંખ જોઈએ. આંખ ન હોય તો શું દેખાય ? એક આંધળો હતો તેને ખેલ જોવાનું મન થયું. બધાને કહે, મને લઈ જાઓ. બઘા કહે, તું શું જોશે ? આંધળાએ કહ્યું, Page #557 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ ઉપદેશામૃત તમે ગોદો મારજોને એટલે હું હસીશ. ખેલ થયો, બઘા હસ્યા; પણ ગોદો નહીં આવેલો તેથી તે હસ્યો નહીં. પછી એક જણાએ ગોદો માર્યો એટલે તે એકલો હસવા લાગ્યો. તેવું ન થાય માટે આંખ જોઈશે. તા. ૨૯-૮-૩૪ દેવગતિમાં માનસિક દુઃખ ઘણાં છે, એવો વિચાર સમકિતીને જ હોય છે. સમકિતી આત્મા ઉપર લક્ષ રાખે છે. આત્મા છે એવું જરૂર માનો. આત્મા છે ? મુમુક્ષુન્હા, જ્ઞાનીએ જોયો છે. પ્રભુશ્રી જ્ઞાનીએ તો આત્મા જોયો છે; પણ આ પ્રતીતિ આવે છે કે આત્મા ન હોય તો આ સાંભળે કોણ ? તેને ભૂલવાનો નથી. મિથ્યાવૃષ્ટિ દેહ જ જુએ છે. તે ભૂલી જાઓ. આત્માની ઓળખાણ રાખો. તા.૩૦-૮-૩૪ સમ્યવૃષ્ટિ આત્મા સિવાય કંઈ પોતાનું ગણે નહીં. ગજસુકુમારે શું કર્યું ? ઘીરજ. ગાંઠે બાંધી લો ધીરજ, સમતા, ક્ષમા. વેદની વખતે વિચારવું કે મારું છે તે જવાનું નથી; અને જે જાય છે તે તડકાછાયાં જેવું છે પણ તેને મારું માનું જ નહીં. ગજસુકુમારને જ્ઞાની મળ્યા હતા. તેમણે જે માન્ય કરાવ્યું હતું તે જ પોતાનું માન્યું; બાકી બધું પર જાણ્યું. બધાયે જવાના છે– પર્યાયને કેમ મારા માનું ? જ્ઞાનીએ શું કર્યું છે ? રાગ, દ્વેષ અને મોહ કાઢ્યા છે. આ જીવનું ભૂંડું કોણ કરે છે ? પૂજાની ઇચ્છા, પુદ્ગલની, પારકાની ઇચ્છા શું રાખવી ? હવે શામાં મોહ કરવો ? મોહ કર્યો કે ફસાયો. નારકીને દુઃખ ભોગવતી વખતે કોણ બચાવવા આવે છે ? કોઈ કોઈનું નથી. તા.૧-૯-૩૪ બઘાની કાળજી કરી છે, બઘાની સંભાળ રાખી છે, બઘાની ચિંતા કરી છે; પણ આત્માની કાળજી, ચિંતા, સંભાળ કરી નથી. ચારે ગતિમાં બધે દુઃખ, દુઃખ ને દુઃખ છે. ઋષભદેવ ભગવાન આગળ અઠ્ઠાણું પુત્ર ગયા હતા તેમણે પૂછ્યું તે વાતના જવાબમાં એક જ કહ્યું છે : "संबुज्झहा जंतवो माणुसत्तं दछु भयं बालिसेणं अलंभो एगंतदुःक्खे जरि एव लोए सक्कम्मणा विपरियासु वेइ" Page #558 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-પ ૪૫૯ : કરવાનું એક જ છે ઃ સમકિત, શ્રદ્ધા. તે થઈ જાય તો કામ થઈ જાય. રૂપિયા હોય તો દેખાડાય, પણ આ દેખાડાય તેવું નથી. ધર્મ, આત્મા તે અહીં છે; તે સિવાય બીજે ધર્મ નથી. ધર્મના નામે ભલે ગંગા નાહવા જાય, કથા વાંચે; પણ ધર્મ તો આત્મા છે. અમે કહીએ છીએ તે હા, હા કહી જાઓ છો પણ ગળે ઊતરતું નથી. તમે સાંભળ્યું તે ન સાંભળ્યા જેવું છે. તુંબડીમાં કાંકરા—ખુલ્લું કહેવાતું નથી. ‘કીલી ગુરુકે હાથ.’ મુમુક્ષુ—તમે માનવાનું કહો છો પણ બધા ય મહાવીરને માને જ છે. પ્રભુશ્રી—ક્યાં માન્યો છે ? જોડે પંદરસો લફરાં રાખ્યાં છે. જો એકને માનો તો કામ થઈ જાય, પણ આ તો બીજું માન્યું છે, તેથી તકરાર, વાંઘા, ગચ્છ ઊભા થયા છે. જો આત્મારૂપે જગત જોવામાં આવે તો બધાને નમસ્કાર થાય કે નહીં ? પણ આ તો જાણે નમસ્કાર કરતા ય ભડકી જાય ! ક્યાં એકને માન્યો છે ? એકને માને તો તો કંઈ કરવાનું રહેતું નથી. જુઓ, દૃષ્ટિમાં ફેર છે કે નહીં ? એક માણસ સ્ત્રીને હાડકાં-માંસરૂપે જુએ અને એક ઉપરની ચામડી જુએ. બેની દૃષ્ટિમાં કેટલો ફેર ? એક નરકની ગતિમાં જાય તેવા વિકાર કરે અને બીજો પુણ્ય ઉપાર્જન કરે. તેમ સમ્યગ્દષ્ટિથી મહાવીરને માને તો કામ થાય. દૃષ્ટિફેર છે. આ જીવ માયાના સ્વરૂપમાં કેવી રીતે ફસાઈ જાય છે ! માયાના સ્વરૂપમાંથી પાછો વળ. બધાનો વિચાર કર્યો, પણ મરણ ક્યારે આવશે તેનો વિચાર કર્યો ? આ જીવ ઘડી નવરો પડતો નથી. સંકલ્પ વિકલ્પમાંથી નવરો થતો નથી. આત્માને સંભાળતો જ નથી. બધે આત્મા આત્મા છે. આત્મા દેખાતો નથી; પણ ભાવ કર. તેમાં કંઈ મહેનત નથી. તે જોવા માંડ. તેની શ્રદ્ધા કરવાની છે. સત્ અને શીલ : સત્ આત્મા, શીલ તે ત્યાગ. બધું મૂકીને હવે આ લક્ષ રાખો. માયાના સ્વરૂપમાં ખળી જઈ શું થાય છે તે જોયું ? આ મનુષ્યભવ જશે, પછી શું કરશો ? હવે બીજું બધું મૂકી દો. આનો વિચાર કરો. રાજા મરીને કીડો થાય, કીડો ઇન્દ્ર થાય, ઇન્દ્ર વનસ્પતિમાં પણ જાય ! બધું દુઃખ, દુઃખ ને દુ:ખ છે. આત્માની માન્યતા કરવામાં કંઈ આપવું પડતું નથી. હવે ચેતી જાઓ, જાગૃત થઈ જાઓ. કહેવામાં બાકી રાખી નથી, ચેતાવ્યા છે. બુદ્ધિમાન ચેતી જશે. પ્રભુશ્રી—પાપક્રિયા ચાલી આવે છે તે મોહથી. પણ મોહ કેમ જાય ? મુમુક્ષુ—શાનથી. પ્રભુશ્રી—જ્ઞાન કેમ થાય ? મુમુક્ષુ સત્પુરુષની કૃપાથી. પ્રભુશ્રી—કેવળી પાસે કોરો કેમ રહ્યો ? મુમુક્ષુ—અવળી આરસી રાખી, એટલે સન્મુખ સૃષ્ટિ ન થઈ. તા.૨૯-૩૪ Page #559 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત પ્રભુશ્રી—વૃષ્ટિ ફરી નહીં. દૃષ્ટિ ફરી હોય તો ભવાયાનો વેષ સમજે. ખેલમાં રમવા ભળી ન જાય. આત્મા દેખાય તો મોહ રહે નહીં, બોઘ સાંભળીને ભાવ કરે ત્યારે પરિણમન જુદું થાય. આત્મા ભલે ન દેખાય, પણ માને કે જ્ઞાનીએ તો આત્મા જોયો છે, તેવો જ છે એમ શ્રદ્ધા રાખે. વેષ ઉતારી નાખવો સહેલો છે. આપણા બાપ, તેના પણ બાપ હતા કે નહીં ? છતાં અત્યારે શું મનાયું છે ? જે દેખાય છે તે મનાયું છે. ઝાડતળે બેઠો વિસામો ખાવા ત્યાં ઝાડને પોતાનું માની લીધું. ૪૬૦ મુમુક્ષુમિથ્યા શું ? જડ ને ચેતન બે જુદા છે તે બન્ને સત્ છે, પછી મિથ્યા કેમ કહ્યું ? પ્રભુશ્રી—જેમ છે તેમ સમજવું જોઈશે. જ્ઞાનીએ કહ્યું છે : જડ ને ચૈતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન; સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે.'' સુપ્રતીતિપણે સમજાવું જોઈએ. સમજણ આવ્યે પરિણમન થાય. સમકિત કરી લેવાનું છે. આત્મા દેખાતો ન હોય, પણ શ્રદ્ધાએ સમકિત કહ્યું છે. આત્માની શ્રદ્ધા થયા પછી આત્મા દેખાશે. પરોક્ષનું પ્રત્યક્ષ થાય છે. તા.૩-૯-૩૪ પ્રભુશ્રી—ગાળાણુ ધમ્મો, બાળાÇ તવો.' બે પ્રકારે આજ્ઞા છે. નિશ્ચયથી ગુરુ આત્મા છે; પણ વહેવારમાં પણ ગુરુ કરવા જોઈએ. વહેવાર કાઢી નાખ્યું ચાલે તેમ નથી. માન્યતા, શ્રદ્ધા કોની કરવાની છે ? કોણ કરે છે ? જડ કંઈ માન્યતા કરે તેમ નથી. શ્રેણિકે શું કર્યું ? ‘ઝબકે મોતી પરોવી લે’આનો શું અર્થ ? ૧. મુમુક્ષુ—અનાદિકાળથી જીવ અંઘકારમાં જ ચાલ્યો આવે છે. હવે મનુષ્યભવ આદિ સામગ્રી મળી છે તે વીજળીના ઝબકારા જેવી છે. તેવામાં જો મોતી પરોવાઈ ગયું તો ખોવાશે નહીં. ૨. મુમુક્ષુ—મોતી શું ? સોય શું ? ઝબકારો શું ? ૧. મુમુક્ષુ—સત્પુરુષનો જોગ તે ઝબકારો. મોતી તે ભાવ. તૈયાર થઈ રહેવું જોઈએ. પ્રભુશ્રીભાવ કરવાના છે. જડથી ભાવ નહીં થાય. જ્ઞાની તો સાગરવરગંભીરા છે. તેમણે તો બધે આત્મા કહ્યો. ક્રોધ આત્મા, માન આત્મા, કષાય આત્મા, અજ્ઞાન આત્મા. દુર્લભ સામગ્રી છે. ચેતવા જેવું છે. તા.૧૩–૧૧–૩૪ જેમ દાળ અને ચોખા જુદા છે તેમ અમારે આત્મા જુદો જણાવવો છે. આત્મા છે તો આ બધું છે. આવો દેહ દેખાય છે તે પણ આત્માને લઈને, નહીં તો બાળી મૂકે. વ્યાધિ થાય ત્યારે Page #560 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-પ ૪૬૧ વિચારવું કે તે દુ:ખ દેહને થાય છે, તેને જાણનાર તે હું છું. પણ તેની મને ખબર નથી. જ્ઞાનીએ આત્મા જોયો છે તેવો મારો આત્મા છે; મને તે માન્ય છે. ગમે તેટલું દુઃખ આવે તો પણ શ્રદ્ધા રાખવી કે જાણનાર તે જુદો જ છે. દુઃખ દેહને થાય છે. જમીન ઉપર સૂર્યનો પ્રકાશ પડે છે; પ્રકાશ તે સૂર્ય નથી, સૂર્ય જુદો છે. ‘વાત છે માન્યાની.' શ્રી વીતરાગ ભગવાને કહ્યું છે, ‘સીં પરમ વુદ્ધહા.' શ્રદ્ધા રાખવાની છે. તમારી પાસેથી અમારે કંઈ લેવું નથી, અમારા કરવા નથી, કંઠી બાંધવી નથી કે બીજો ધર્મ મનાવવો નથી. તમારું છે તે તમારે માનવાનું છે. વિશ્વાસ છે તેથી કહેવાનું થાય છે. વિશ્વાસ ન હોય તો સામાન્યપણું થઈ જાય—એમ થાય કે આમાં શું કહ્યું ? આવું તો ઘણીય વાર સાંભળ્યું છે. તેમ ન કરવું. અહીં આત્માની વાત છે. આ વાત જુદી જ છે. જેનું ચિંતવન કર્યું હોય તે દેખાય છે. આત્મા જેવો ચિંતવ્યો હોય તેવો દેખાય છે. પણ તે અરૂપી છે, આંખે દેખાય તેમ નથી. જ્ઞાનવૃષ્ટિથી દેખાય તેમ છે. તે ન થાય ત્યાં સુધી શ્રદ્ધા રાખવાની છે કે મને મારો આત્મા દેખાતો નથી પણ તે છે, જ્ઞાનીઓએ જોયો તેવો મારો આત્મા છે. “દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે.’’ ‘અપૂર્વ અવસર'માં અપૂર્વ વાત છે ! તેમાં જણાવ્યું છે તે પ્રમાણે ભાવના કરવી. જોતાંની સાથે રૂપ દેખાય છે; પણ આત્મા છે તો આંખો જોઈ શકે છે. માટે પહેલો આત્મા જોવો. દેખાય છે તે તો જડ છે, આત્મા નથી. “જગત આત્મારૂપ જોવામાં આવે.'' તે કેમ દેખાશે ? ફેરવવાનું શું છે ? સમજણ. જનકવિદેહીને શું કર્યું હતું ? સમજણ. ઝૂંપડાં બળતાં જોઈ બધા ‘સંન્યાસીઓ તુંબડી વગેરે લેવા દોડ્યા; પણ જનકવિદેહીએ વિચાર્યું કે નગરી બળતાં મારું કંઈ બળતું નથી. ‘દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે''–સમજણ ફેરવવાની છે. બીજું બધું છે તે ય પડી રહેવાનું છે. શ્રેણિક રાજાને અનાથી મુનિનો બોઘ થયો, સમજણ ફરી. ‘મારું' મનાતું હતું તે મારાપણું મટી ગયું. બાકી બધું રાજપાટ, વૈભવ, સ્ત્રી, વગેરે જે પ્રારબ્ધ હતું તે પ્રમાણે રહ્યું. પહેલો વિશ્વાસ જોઈશે, પ્રતીત જોઈશે. બધા મંત્ર લઈ જાય છે તે પુણ્યનું કારણ છે. પણ કલ્યાણ થવા માટે સાચા થવાની ભાવના જોઈશે. દુકાળ પડ્યો હોય છે ત્યારે દયાળુ શેઠિયાઓ ગરીબોને ખાવાનું મળે તેવી સગવડ કરે છે. તેમ આ કાળ તે કળિયુગ છે. પરમાર્થનો દુકાળ પડ્યા જેવું છે. આવા કાળમાં જ્ઞાનીપુરુષોનો ૧. જનકવિદેહીના ગુરુ જ્યારે જનક રાજા સભામાં આવે ત્યારે વ્યાખ્યાન શરૂ કરતા હતા. શ્રોતાઓમાં ઘણા સંન્યાસીઓ પણ હતા. તે નદીકિનારે ઝૂંપડાં બાંધીને રહેતા હતા. તેમને ઈર્ષા થવા લાગી કે અમે ત્યાગી છીએ અને આ જનકરાજા ગૃહસ્થ છે, છતાં ગુરુ તેમનું બહુમાનપણું કેમ રાખે છે ? તે વાત ગુરુના સમજવામાં આવી. તેથી એક દિવસે ગુરુએ નદીકિનારા ઉપરનાં ઝૂંપડાં બળતાં હોય તેવો ચમત્કાર બતાવ્યો. તે જોઈ બધા સંન્યાસીઓ પોતાના તુંબડાં, કપડાં, માળા, આસન વગેરે લેવા દોડ્યાં. બીજે દિવસે જનક રાજા સભામાં આવ્યા પછી મિથિલા નગરી બળતી દેખાડી, પણ જનક રાજાએ કહ્યું કે મારું કંઈ બળતું નથી. એમ કરી વ્યાખ્યાનમાં શાંતિથી બેસી રહ્યા. Page #561 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ ઉપદેશામૃત બોઘ તે સદાવ્રત જેવું છે, તે જ આધાર છે, એવું દૃઢ થવું જોઈએ. જ્ઞાનીપુરુષનાં વચનામૃત કેવા આશયથી લખાયાં છે તે તો દશા આવ્યે ખબર પડે. તેનું તોલન કરવા જેવું આપણું સામર્થ્ય નથી. આત્મા સિવાય તેમાં બીજું કંઈ નથી. તે લક્ષમાં રાખવા જેવું છે. ૫રમાર્થ સમજાય નહીં અને મતિકલ્પનાથી અર્થ કરવો તે મહા ભયંકર છે. સમજવાની ભાવના રાખવી; પણ મતિકલ્પનાના કાટલે જ્ઞાનીપુરુષનાં વચનની તુલના ન કરવી. પરમકૃપાળુદેવે ઈડરમાં કહેલું કે નીચેવાળો માણસ પહાડ ઉપર આપણે બેઠા છીએ ત્યાં શું છે તે જાણી ન શકે. ઉપર ચઢીને જુએ તો ખબર પડે. પણ ઉપરવાળો માણસ નીચે શું થાય છે તે જોઈ શકે, તેમ ઊંચી દશાવાળા જ્ઞાની બધું જાણી શકે. પણ નીચી દશાવાળાને જ્ઞાનીનો આશય સમજાય નહીં. માટે સમજવાની ભાવના રાખવી. તા.૨૭-૩-૩૫ મનુષ્યભવ ચિંતામણિ છે. ચિંતવ્યું હોય તે મળે. મનથી જેવો ભાવ કર્યો હોય તેવું ફળ મળે છે. ચિંતામણિ કહેવાય કે નહીં ? જીવની પાસે મન, વચન, કાયા છે, તે રૂપી છે; પણ આત્મા ન હોય તો મડદાં છે. જુઓ, આત્મા અરૂપી છે. કેવો ગુપ્ત રહ્યો છે ! જીવની સાથે શું આવે છે ? ધર્મ. ધર્મ ક્યાં રહ્યો છે ? બધા પાસે શું છે ? ભાવ. ભાવથી પરિણમન થાય છે. કાને શબ્દ પડ્યો તે પરિણમે છે. તેનું ફળ આવે છે. ⭑ ⭑ તા.૨૯-૩-૩૫ આત્મા અરૂપી છે. દેખાય કે નહીં ? આત્માથી આત્મા દેખાય. પહેલાં ભણે; પછી વાંચતાં આવડે. પરોક્ષ થવું જોઈએ. પછી પ્રત્યક્ષ થાય. ઊંઘે છે, ૫૨માં મમત્વ છે; જાગ્યો નથી. ઘરમાં જાય તો બેસાય; ત્યાં સુધી ભટકવાનું છે. આ જીવ ભટકે છે સંકલ્પ-વિકલ્પ, વાસનાથી. ઉપાય શું ? સમિકત. ઘંઘો હોય તેવું કહેવાય, દરજીનો હોય તો દરજી કહેવાય, એક આંખ ફૂટી તો બાડો કહેવાય; પણ આત્મા તેવો છે ? સંયોગ છે. તા.૩૦-૩-૩૫ શાંતિ, સમતા, ક્ષમા ક્યાં હોય ? ધર્મ હોય ત્યાં. ધર્મ ક્યાં હોય ? હમણાં કહીશું; તમને ખબર છે, સામાન્ય કરી નાખ્યું છે. “ઉપયોગ તે ધર્મ છે.' વિચાર કોને આવે ? જડને ન આવે. ઉપયોગ રાખતાં મહેનત પડે છે; કારણ કે કર્મ છે, આવરણ છે, વિશ્ર્વ છે. Page #562 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ–૫ ૪૬૩ સમય માત્રનો પ્રમાદ ન કર. સમય તે આત્મા છે. પ્રમાદમાં વિષયકષાય છે, મમત્વભાવ છે. ભાવ ફરી જાય છે તે ન ફરી જવા દેવા. બધી મુશ્કેલીઓનો ઉપાય–સીઘામાં સીધો, સરળમાં સરળ ભક્તિ છે. પુણ્યાઈ છે તે સૂર્ય જેવી છે તે આમ વળ્યો કે અંઘકાર. પુષ્પાઈ છે ત્યાં સુધી કરી લેવું. આત્મા બધે છે. કાગડા-કૂતરા આત્મા છે; પણ તેને વાત ન કહેવાય. મનુષ્યભવ દુર્લભ છે. કરી લેવું. સમકિતી છે તે વિસામો લે; તેને રસ્તાની ખબર છે તેથી ઘર આગળ પહોંચે. સમકિત ક્ષાયિક કરવાનું છે. તા. ૪-૪-૩૫ રાંકના હાથમાં રતન આવ્યું છે. તેની કિમત નથી. નહીં તો “આત્મસિદ્ધિનાં વચનો લબ્ધિરૂપ છે ! કેવું ઘન ! કેટલી કમાણી ! કંઈ ફિકર નથી. આત્મા આત્મામાં છે, કર્મ કર્મમાં છે. પાણી મેલું થયું તેથી પાણી અને મેલ એક નથી. સોનું ગમે તેટલું તપે પણ તે સોનું છે. ગમે તેટલા કર્મના ઉપસર્ગ આવે પણ આત્મા તે આત્મા છે. સંબંઘથી વેદના જણાય; પણ સંબંઘ તે સંબંધ છે. કહ્યું છે તે ધ્યાનમાં છે ? તેનો જ વિચાર રાખવો. આત્મા જ જોવો. બીજું જોયું તો આસ્રવ; આત્મા જોયો તો સંવર. આસ્રવમાં સંવર તે આમ છે. તમે અહીં બેઠા છો તેથી આ દેખાય છે. મુંબઈ જાઓ ત્યારે મુંબઈ દેખાય; તેમ આ સંબંઘ મળી આવ્યા છે તેથી આ દેખાય, પણ તે ભિન્ન છે. તા. ૧૨-૪-૩૫ મુમુક્ષુ–મોક્ષ કેમ મળે ? પ્રભુશ્રી–આત્મા અરૂપી છે. તેની ઓળખાણ કરવી જોઈએ, માહિત થવું જોઈએ. ભણ્યા પછી વાંચતાં આવડે છે; તેમ ભેદી મળવો જોઈએ, પછી સમજણ આવે. તા. ૧૪-૪-૩૫ ભાવ ત્યાં ભગવાન છે. તમે ભક્તિ કરશો ત્યાં ભગવાન હાજર છે. ભાવ રાખવાનો છે; પછી બીજું. “મૂળ મારગ સાંભળો જિનનો રે.” મૂળ માર્ગ શું ? આત્મા. જન એટલે લોક અને જિન એટલે આત્મા. વૃત્તિ ચારે તરફ ફરે છે તેને અટકાવીને હવે સાંભળો. જ્ઞાની કહે છે, અમને કંઈ પૂજાની સ્પૃહા નથી, અમને ભવનું દુઃખ ગમતું નથી, અમારે પ્રતિબંધ કરવા નથી. તમને આવડતું હોય તો સિદ્ધાંત ઉપરથી આ વચનની તુલના કરજો. હવે બઘી ભેદ ફોડીને વાત કરી છે. Page #563 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત ‘જ્ઞાન', ‘દર્શન’, ‘ચારિત્ર' નામ પાડ્યાં છે. પણ વસ્તુ એક જ છે. આત્મા સિવાય જોનાર, જાણનાર કોણ છે ? દુનિયામાં સ્થિર રહેનાર કોણ છે ? મરે નહીં, ઘરડો થાય નહીં તેવો આત્મા છે. કોઈ કહે, આ મરી ગયો; પણ આત્મા મરતો નથી, દેહ પડી જાય છે. ૪૬૪ તા.૧૬-૮-૩૫ કરવાનું એક જ છે—સમકિત. બધું મૂકવું પડશે. બધાની પકડ થઈ ગઈ છે તે મૂક્યા વિના છૂટકો નથી. જડ કદી ચેતન થયું નથી; ફક્ત પકડ થઈ છે. અહંભાવ, મમત્વભાવ તે મૂકવાના જ છે. તેની સ્મૃતિ આપવા માટે રાખેલો એક માણસ રોજ સવારે ભરત ચક્રવર્તીને કહી આવતો : ‘ભરત ચેત; કાળ ઝપાટા દેત.’' તે શું ? બધી સામગ્રી તે સંયોગ છે, રાણીઓ, વૈભવ બધું પર છે તેવી સ્મૃતિ આપતો. નાટકમાં પુરુષ વેષ લઈને આવે છે પણ જોનાર જાણે છે કે આ સ્ત્રી નથી. તેમ આ બધો વેષ છે. આત્મા તેરૂપ થયો નથી. આત્મા માંદો, ઘરડો, પુરુષ થતો નથી. મનુષ્યભવ છે. ચેતી લો. પશુ પણ આત્મા છે; પણ સામગ્રી નથી. મનુષ્ય ભવમાં સમજ થઈ શકે છે, સમજ કરી લેવાની છે, સમજ્યો કે થઈ રહ્યું. જડ ને ચૈતન્ય બન્ને દ્રવ્યનો સુપ્રતીતપણે બન્ને જેને સ્વભાવ ભિન્ન; સમજાય છે. '' વિશ્વાસ લાવો. બોઘ સાંભળવાથી ચાવી ફરે છે. માન હોય તો તે મુકાય છે. અવળું તેનું સવળું કરવાનું છે. જ્ઞાની આ જ કરે છે. જ્ઞાની ખાય છે, પણ ખાતા નથી; ઊંઘે છે છતાં ઊંઘતા નથી. તમને કહેવામાં આવે છે તે એક જાતનો માર છે. પાડો બેઠો હોય તેને રાડાવતી માર્યો હોય તો ઊઠે નહીં તેવું થઈ રહ્યું છે. ડફણાં માર્યાં હોય તો તરત ઊઠે. બાળકને ઠપકો આપ્યો હોય તો રોવા માંડે, પણ કહ્યું હોય કે આ તને નહીં, પણ બીજાને કહ્યું છે તો હસી પડે. આ બધું તો તમને કહેવામાં આવે છે. ભરત ચેતી ગયો તેથી તમને શું ? તમારે ચેતવા માટે વાત છે. કોઈ કહે છે, ‘કહો તે કરીએ.' દેવકરણજી મહારાજ પણ આમ કહેતા : “મરમમાં શું કરવા કહેતા હશે ? ઉઘાડું કહી દે તો કેવું !'' જ્ઞાની તો સાગર જેવા ગંભીર હોય છે. યોગ્યતા આવ્યે કહે. તેમને પણ ઘણા વરસે આ વાત સમજાઈ. નદીમાં પૂર આવે છે, દરિયામાં મોજાં આવે છે—મોટા હાથી જેવડાં હોય; પણ તે વેગ છે. તેમ કર્મ છે; તે આત્મા નથી, પણ વેગ છે. તે તો વધે ને ઘટે પણ આત્માને જોવો. ‘જે જાણું તે નવ જાણું, નવ જાણ્યું તે જાણું' તેવું કરી નાખવું જોઈએ. કોઈના બાપ થઈને તેની પૂંજી ન લેવાય. દીકરો થાય તો પૂંજી મળે. જ્ઞાન માગવાની રીત છે. બાપની બૈરી પાણી આપ, એમ કોઈ છોકરો કહે તો પાણી ન મળે. ‘માજી, પાણી આપો.' એમ કહે તો પાણી આપે. તેવું કરવું જોઈએ. માન છે તે મોટો શત્રુ છે. “માન ન હોત તો અહીં જ મોક્ષ હોત.” તેનો પ્રતિપક્ષી લઘુતા, વિનય છે. Page #564 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-પ ૪૬૫ કોઈને રતનની પરીક્ષા ન હોય તો રસ્તામાં રતન પડ્યું હોય તો પણ તેને નકામું છે. બાળક લે તો રમવા માંડે, પણ બીજો કાંકરો મળે તેમાં તેને ગમ્મત હોય તો રતન મૂકી તે કાંકરો લે. આંધળો હોય તેને રતન દેખાય નહીં. રતન શું ? આત્મા. તે મનુષ્યભવમાં મળી શકે છે. વિષય-કષાય તે કાંકરા છે. ઓળખાણ કરો. ખીચડી કરી હોય તેમાં રંગ હળદરનો છે, ખારાશ મીઠાની છે; આ દાલ, આ ચોખા એમ ઓળખાણ હોય તો જુદું કરે. ચાખે ત્યારે મીઠાની ખબર પડે. તેમ ઓળખાણ તો કરવી જોઈશે. કોઈની વસ્તુ હોય અને ખબર પડી કે આ મારી નહીં તો તે તરત મૂકી દેશે. તેમ ઓળખાણ થયેથી જે તારું નથી તે તરત મૂકી દેવાશે. જીવની પાસે શું છે? ભાવ, પરિણામ. જેવા ભાવ કરે છે તેવું પરિણમવું થાય છે. બધાની પાસે ભાવ છે. છોકરાની પાસે લાકડું હોય તેની ઉપર તેનો ભાવ હોય છે, રતન આપ્યું હોય તો પણ લે નહીં. તેમ બધાના ભાવ છે. જેને જેવી પકડ તેવા ભાવ થાય છે. વાત સાંભળતાં ભાવ થાય છે. માટે આત્માની વાત સાંભળવી. બીજી વાતોમાં આત્મા નથી. જ્ઞાનીની વાણી જુદી હોય છે. સાંભળવાથી ભાવ થાય. પછી ચોટ થાય તો પરિણમન થાય. કહ્યું છે— “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળ જ્ઞાન રે.'' તા.૨૮-૮-૩૫ આત્મા જાણે છે જ નહીં તેવી રીતે તેને વિસારી દીધો છે. સાચું માનજો, આત્મા છે. તે ન હોય તો આ બધાં મડદાં છે. તેને જ સંભાળવો. લોકો કહે છે ને કે આ માણસ મરી ગયો, પણ તેને અને અમારે કંઈ સગપણ નથી, અમારે સ્નાનસૂતક ન આવે. તેવું પરભાવને માટે થઈ જવું જોઈએ. દેહને કંઈ થાય તેમાં મારે શું? સંયોગ છે, સંબંધ છે. તે કંઈ આત્મા નથી. તા.૩૧-૮-૩૫ ત્યાગ, તપ તે ભક્તિ છે. અનાદિ કાળથી આડું શું આવે છે? વિષય અને તેને લીધે કષાય. સત્ અને શીલ—સત્ તે આત્માની ભાવના, શીલ તે ત્યાગ. ત્યાગની જરૂર છે, તે ભક્તિ છે. તા.૪-૯-૩૫ આત્મા છે. આત્માની રિદ્ધિ કહી જાય તેમ નથી. વાત અપૂર્વ છે ! તેનાં જ ગાણાં ગાવાનાં છે. હાલતાં-ચાલતાં, બેસતાં-ઊઠતાં તે જ ભાવ કરવાનો છે. તે સુખ કહ્યું જાય તેમ નથી. જેને 30 Page #565 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ ઉપદેશામૃત તેની જાણ થઈ છે તેની પ્રતીત થઈ જાય, તેની માન્યતાએ માન્યતા બંધાઈ જાય તો દીવો થાય. તેમાં બ્રહ્મચર્ય તે બહુ પાત્રતા આપનાર સાધન છે. તેથી દેવગતિ પામે. સત્ શ્રદ્ધા કરવી તે મુખ્ય વાત છે. તેવી જ આસ્થા હિતકારી છે. બીજી વસ્તુ ઉપરથી પ્રેમ છે તે ઉઠાડી એક આત્મા ઉપર પ્રેમ લાવે તો કલ્યાણ થાય. તે ઉપર લક્ષ દેવા જેવો છે. આ અપૂર્વ અવસર આવ્યો છો. આત્મા છે, ભાવના તે જ કરવાની છે. ઘણા જીવોને કલ્યાણનું કારણ થશે. ત્યાગની બલિહારી છે! બને તેટલો ત્યાગ કર્તવ્ય છે. જીવના અનંત દોષ છે. જેટલો ત્યાગ કર્યો તે હિતકારી છે. દ્રવ્ય પચખાણ, ભાવ પચખાણ તે આત્મા કરવાથી વિશેષ હિતકારી છે. ભાવ પ્રમાણે ફળ છે, તે ભગવાનનું વચન બઘાને લક્ષમાં રાખવાનું છે. ઘણાનું કલ્યાણ થશે, કામ થઈ જશે. આત્માર્થે બધું કરવું જોઈએ. વિકલ્પનો ત્યાગ થયો એટલે અમૃત થયું, આત્માનું હિત થયું. બાળાભોળા જીવો ઘણા આવ્યા છે, લાભ ઘણાને થયો. કહેવાની મતલબ કે આત્માર્થે કરવું, દેહ અર્થે નહીં. ત્રણ યોગ બંઘન છે. જ્ઞાનીએ જાણ્યો તે આત્મા માન્ય થાય તો કલ્યાણ છે. યોગ્યતાની ખામી છે. જીવે કરવું જોઈએ. કર્યા વગર છૂટકો નથી. સ્વભાવ પલટાવવો જોઈએ. હાંસી વઘારી વધે અને ઘટાડી ઘટે. જીવે સપુરુષાર્થ કરવો પડશે. પકાવવું તો જોઈશે. પૂર્વકૃત કંઈ જોઈએ છે. દુર્લભ શ્રદ્ધા છે. પ્રમાદ, આળસને વશ જીવ કંઈ કરી શકતો નથી. દિવસે કામ કરવાનું તે અંધારામાં કરે તેથી દહાડો ન વળે. મનુષ્યભવમાં બધું સમજાય. જીવને જાગવું જોઈએ. જીવે પલટાવું તો પડશે. “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળ જ્ઞાન રે.” પ્રમાદ અને આળસે ભૂંડું કર્યું છે. તા. ૧૨-૯-૩૫ પ્રમાદથી અને વૈરાગ્ય વિના અટકી પડ્યું છે. કરવાનું બહુ સહેલું છે; વળી બહુ મુશ્કેલ પણ છે. માનવાનું, જોવાનું આટલું જ કરવાનું છે. જડ ને ચેતન્ય બે જાણવાના છે. આટલી ઓળખાણ પડવી જોઈએ; પછી વાંધો નહીં. તમે બઘા બોલી ગયા બરાબર, કંઈ ના કહેવાય નહીં. પણ બધું વાંકું કરવાનું શું? સમક્તિ. લોકો મથી મથીને મરી ગયા, હાથ ન આવ્યું. સમકિત થયું કે બધું થયું. દીવા વિના અંઘારું કેમ જાય ? દીવો થયા પછી સાપ, વીંછી બધું દેખાય. ઢાંકી દીઘો છે. દીવો ક્યાં નથી? પ્રમાદ, આળસ અને થોથાં ખાંડવામાં દિવેલ બાળ્યું ! “આત્મસિદ્ધિ' ચિંતામણિ છે. અહો ! જ્ઞાની કેવું કહી ગયા ! “જગતને, જગતની લીલાને બેઠાં બેઠાં મફતમાં જોઈએ છીએ.” ભૂલ મૂકવી પડશે. “દરવાજો, દરવાજો' કહ્યું દરવાજો નહીં આવે. ચાલવું પડશે. ગળિયો બળદ થઈ બેસી ગયો છે. રસ્તો ક્યાંથી કપાય? મારી કૂટીને ઉઠાડવો પડશે. કેવા ગોદા માર્યા છે ! આ બધું દેખાય છે તે મિથ્યા છે, કલ્પના છે. આત્માને ઓળખો. Page #566 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૫ ૪૬૭ તા.૧૮-૯-૩૫ આ જીવે એકમેક કરી નાખ્યું છે. દેહ જુદો છે; આત્મા જુદો છે. આત્મા રાજા છે, પણ જાણે તે છે જ નહીં તેવું કરી નાખ્યું છે. તેને સંભાળવાનો છે, પણ કોઈ સંભાળતું નથી. બધા કહે છે, મારું માથું દુઃખે છે, મને રોગ થયો છે. તે વાત તદ્દન સાચી દેખાય છે; પણ જુઓ તો તદ્દન જૂઠી છે. દેહને અને આત્માને મુદ્દલ સંબંધ નથી, પણ જીવ માની રહ્યો છે, મને થયું એમ બોલ્યા કરે છે. તે જાણે છે કે મરી ગયા પછી મારું કંઈ રહેવાનું નથી, છતાં મારાપણાની માન્યતા મુકાતી નથી. તેને ચોટ નથી. પરિણમન બીજું થઈ રહ્યું છે. બોલે છે તે વાતની ના કેમ કહેવાય ? પણ તે સાવ ખોટી છે. તમારી પાસે ઉપયોગ છે. જ્યાં ઉપયોગ છે ત્યાં આત્મા છે. - એક વખત બઘાનું સ્નાનસૂતક કરી નાખો. પછી કોઈનું સ્નાન કરવાનું રહે નહીં. આ જીવ એકલો છે; પણ આણે મારું આ ન કર્યું ને તે ન કર્યું, એમ બોલ્યા કરે છે અને કહે છે કે હું એકલો પડી ગયો. આ બધા સંયોગ છે. તે બધા છૂટવાના છે. કદી આત્મા છૂટી ગયો છે ? કર્મનો વાંક કાઢે છે; પણ તે બઘાં છૂટવા આવે છે. બઘાને કર્મનો ઉદય છે. જીવ તેમાં પરિણમી જાય છે. મોહનીય કર્મ ભૂંડું કરે છે. તા. ૧૯-૯-૩૫ વીસ દોહા ચિંતામણિ છે. જેમ વહેવારમાં પરસાદી વહેંચવામાં આવે છે તેમ પરસાદી છે. ઉઘાડું પાડીને અંદર કહ્યું છે. કોઈ એવી દવા હોય છે કે માંદો ખાય તો પણ ગુણ કરે અને સાજો ખાય તો પણ ગુણ કરે; તેવી આ ઉદ્ધાર થવા માટે દવા છે. દવા માટે દૂઘ પાણીની જરૂર પડે છે તેમ આને માટે શું જરૂરનું છે? [ચર્ચા થયા પછી] બઘાની વાત સાચી છે. પણ કોઈએ ગાળ દીધી હોય તો વારે ઘડીએ સાંભર્યા કરે; તેમ તમે બધા જાણો છો છતાં ભાર દઈને કહેવાનું કે “ભાવ” જોઈએ. આ ખાસ લક્ષમાં રાખજો. બઘા સામાયિક કરે છે, પણ પૂણિયા શ્રાવકનું જ સામાયિક વખણાયું. તેમ ભાવ ભાવમાં ફેર છે. “સાધુને હંમેશાં સમતા હોય—આનું નામ ચારિત્ર, સમભાવ. સાધુ બઘે આત્મા જુએ, સિદ્ધ સમાન જુએ. થઈ રહ્યું આટલું સમજાય તો થઈ રહ્યું! ભક્તામર' વગેરે સ્તોત્ર છે. પણ વીસ દોહા બઘાનો સાર છે. કોણે આપ્યા છે? તા. ૨૫-૯-૩૫ પરમકૃપાળુદેવે અમને કહ્યું હતું, આત્મા જુઓ. માની લીધું, થઈ ગયું. દૃષ્ટિમાં ઝેર છે તેથી બીજું દેખાય છે. “તે સત્ છે', “તે પરમાનંદરૂપ જ છે' એવો નિશ્ચય Page #567 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ ઉપદેશામૃત હોય તો બાકી રહે ? આ તો બધી શાતાવેદની છે, સુખ નો'ય. સુખ તો આત્માનું છે તે સાચું. તમને બધાને ભાવ, પરિણામ કરાવવાં છે. ચૂંટી ખણીને જગાડવો છે. હમણાં મનુષ્યભવ છે, અહીં સમિકત થાય તેવું છે. પછી ક્યાંથી લાવશો ? પશુ, ઢોરના ભવમાં શું કરશો ? જેમ લોકો ઘન સંતાડે છે તેમ સમભાવરૂપી ઘન રાખી મૂકો. તેમાંથી બધું મળશે. સમકિત છે, ચાંલ્લો છે; પ્રમાદ ન કરો, કરી લો. જાગ્યા ત્યાંથી સવાર, સમજ્યા ત્યારથી સવાર. માટે ભૂલમાં ન જવા દો. પદાર્થનો નિર્ણય થવામાં કચાશ તેટલી કચાશ. માન્ય કરી લો, પકડ કરી લો. પ્રમાદ ભૂંડું કરે છે. શૂરા હોય છે તે તરવાર લઈને, દુશ્મનને મારવાની દૃષ્ટિ રાખે છે, તેમ કરવું. મેમાન છો, પંખીનો મેળો છે. એકલો જશે. હું કોણ છું ? તેનો વિચાર જ નથી કર્યો. આ બઘી રિદ્ધિ-સિદ્ધિ તેની જ છે અને તેને જ વિસારી મૂક્યો છે ! હવે કરવું શું ? સાંભળે છે કોણ ? એક આત્મભાવનામાં રહેવું. બાકી બધી કડાકૂટ છે. કંઈ જોવા જેવું નથી. પરમકૃપાળુદેવે કહેલું, ‘ભૂલી જાઓ.’ સમજ્યા તે સમાઈ ગયા. બધે લાય છે. ત્યાં હવે જોવું શું ? સ્ત્રી, પુરુષ–વેશ ભૂલી જાઓ. અંઘારામાં દીવો કરો. સમભાવ. આસ્રવમાં સંવર. દ્વારકા બળી ગઈ. બધું ગયું. પછી બળદેવ કહે, ‘‘ક્યાં જઈશું ?’’ ‘પાંડવ પાસે ? તેનું પણ આપણે બગાડ્યું છે !'' કહેવાની વાત કે સમજવાનું છે, સમભાવ. બધે લાય લાગી રહી છે. બધા ભાવ કરતાં સમભાવને બોલાવો. શાંતિ કરો. તા.૨૮-૯-૩૫ એકલો હોય ત્યાં પણ આત્મા છે. આત્મા ન હોય તો બીજું શું છે ? પણ જીવને ખબર નથી. તેથી જ્ઞાનીઓએ કહ્યું છે, ઓળખાણ કરો. બાકી તો “સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો ? સમજ્યું જિનસ્વરૂપ.’' આ વાત સાવ ઉઘાડી કરી નાખી છે. લીંબુંનું પાણી બધામાં ભળી જાય છે. તેમ જેવી વાત નીકળી હોય તેમાં જીવ ભળી તેવો થઈ જાય છે. સત્સંગની વાતમાં તેરૂપ થઈ જાય છે. ભલે સમજ ન પડે; પણ પર્યાય પડે છે. કામ કોણ કરે છે ? શ્રદ્ધા. તેથી કહ્યું છે કે આત્માનું કલ્યાણ આત્મા કરે છે. જીવને ખબર નથી. નહીં તો આ બધું શું છે ? કર્મ છે, કચરો છે. ૦૦૦ એક માણસને વેશ પહેરાવીને બેસાડ્યો હોય, સાધુ જેવો વેશ હોય, તેને જ્ઞાની કહેવાશે ? તેમ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦નું સાંભળીએ છીએ. પણ છાશબાકળા જેવી વાત લાગે છે. અમારી પાસે કાંટો છે. બધા ઉપર સમદૃષ્ટિ છે. કોઈ નાનો મોટો કહેવો નથી, તેવું મનમાં થતું ય નથી. પણ સત્ ન હોય, ત્યાં સત્ કેમ કહેવાય ? Page #568 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-પ ૪૬૯ બધે જવાના રસ્તા હોય; તેમ આત્મામાં જવાનો રસ્તો સમભાવ છે. તે વિના જવાય નહીં, તે જોવાનું છે. અમારે કોઈને નાના મોટા કરવા નથી. કર્મ જોવાં નથી. ‘પર્યાયવૃષ્ટિ ન દીજીએ, એક જ કનક અભંગ રે.’ જ્યાં જ્યાં આ જીવ જન્મ્યો છે, ભવના પ્રકાર ધારણ કર્યાં છે, ત્યાં ત્યાં તથાપ્રકારના અભિમાનપણે વર્તો છે, જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે તે દેહનો અને દેહના સંબંધમાં આવતા પદાર્થોનો આ જીવે ત્યાગ કર્યો છે; એટલે હજી સુધી તે જ્ઞાનવિચારે કરી ભાવ ગાળ્યો નથી અને તે તે પૂર્વસંજ્ઞાઓ હજી એમ ને એમ આ જીવના અભિમાનમાં વર્તી આવે છે, એ જ એને લોક આખાની અધિકરણક્રિયાનો હેતુ કહ્યો છે.''આટલી જ આંટી ઉકેલવાની છે. તા.૨૯-૯-૩૫ જ્ઞાનીની વાત અપૂર્વ છે ! જીવ કેવો છે—સરળ પરિણામી છે કે કેમ, સમિકતી છે કે નહીં— તે જ્ઞાની જોઈને કહી શકે. સમજાવું જોઈએ. સમજાયું હોય તો ખબર પડે ને કામ થાય. શરીર ઘણી થઈ પડ્યું છે. તેની ખબર લેવાય છે. ખરેખરી રીતે તો તે દુશ્મન છે, તે જાણવું જોઈએ. લૂંટટ્યૂટ લેવાનો વખત આવ્યો છે તેનો અર્થ એ કે ભાવ કરવા, આત્માના ભાવ કરવા. ‘શરીર નહીં તે નહીં,' એવું થવું જોઈએ. તેને ઝેરરૂપ ગણ્યા વિના બીજો ઉપાય નથી. બધા જ્ઞાનીઓએ એમ જ કર્યું છે.—આ તો ચમત્કાર છે, ચમત્કાર ! બધેથી ઉઠાડી આત્મામાં ભાવ કરાવ્યો છે. ‘મારું' નથી તેને ‘મારું' કરવા ફરવું નહીં. તે થવાનું નથી. જે કરવાનું છે તે આજે કહી દઉં છું : સમજ. વધારામાં કહેવાનું—ભાવ. ચોટ થવી જોઈએ. પિરણામ, ભાવ કરતાં કરતાં તે ફળીભૂત થશે. આ સંબંધ છે તો શું તે નથી ? છે જ. અમને મળેલું આપીએ છીએ : વીસ દોહા, ક્ષમાપના, આઠ ત્રોટક છંદ, છ પદનો પત્ર, આત્મસિદ્ધિ. કોઈ દહાડો આ ભૂલશો નહીં. કરવાનું શું છે ? સમિત. સમકિત. સમાધિમરણનું આ કારણ છે. કંઈ ન બને તો ભાવ રાખશો. ભાવથી શ્રદ્ધા થશે. માન્ય હોય તો ભાવ થાય છે. “તે આત્મજ્ઞાન થતાં સુધી જીવે ‘મૂર્તિમાન આત્મજ્ઞાનસ્વરૂપ' એવા સદ્ગુરુદેવનો નિરંતર આશ્રય અવશ્ય કરવા યોગ્ય છે, એમાં સંશય નથી.’’ જ્ઞાની શું કરે છે કે જેથી તેને બંધન થતું નથી ? કોઈએ જાણ્યું હોય તો કહો. [ચર્ચા થયા પછી] આ બધું તો સાંભળેલું કહો છો; પણ કહેવાય તેવું નથી. પરમ કૃપાળુદેવે કહેલું, કોઈને કહેતા નહીં. છેવટે સમજશે કોણ ? આત્મા. Page #569 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત વીસ દોહા તે બધું કરાવશે. તે મંત્ર છે. ઘણી મુશ્કેલીએ જ્ઞાનીઓ પાસે સાંભળવાનું કદીક મળતું તે અમે ઉઘાડી રીતે કહીએ છીએ. ખબર ન પડે, પણ જ્ઞાનીઓ બધું કહી દે છે. આ બધું શું છે ? કર્મ ફૂટ્યા છે, કર્મ ઉદયમાં આવે છે; સંકલ્પ-વિકલ્પ આવે છે તે જણાય છે. ખાધું હોય તેવા ઓડકાર આવે. વીસ દોહા મંત્ર છે, તેથી તેરૂપ થવાશે. ગંભીરતા, ઘીરજ રાખવી. એક માણસ માંદો હોય, ગાંડો થયો હોય ને મંદવાડમાં બકે તેમ આ જીવનું વર્તન છે. આત્મા જોવાય તો બધા યે સરખા છે, તેમાં ભેદ નથી. ૪૭૦ ‘હે ભગવાન ! હું આત્માર્થે કરું છું,' એવી ભાવના કરવી. અમે તો આત્મકલ્યાણ સિવાય બીજું કંઈ સાધન બતાવતા નથી, અમારી આજ્ઞા તે સિવાય બીજી હોય નહીં. તા.૧-૧૦-૩૫ તા.૨-૧૦-૩૫ બૈરાંને ઘણી સાંભર સાંભર થાય છે, તેમ આત્મા સાંભર સાંભર થવો જોઈએ. આ તો એને ભૂલી જ ગયો છે ! એને લઈને આ બધું છે, એ ન હોય તો કંઈ નથી; છતાં તેને સંભારતો ય નથી. બધા જવાના છે, મહેમાન છે. આ બધા બોલાવે છે તે પણ શાને લીધે ? એને લીધે. બધાં શાસ્ત્ર છે, છતાં આ કેમ વંચાય છે ? હૈયે હોય તે હોઠે આવે. ઉદય છે. બઘાને ઉદય છે; પણ તે સામું ન જુઓ. પત્રાંક ૪૩૦ નું વાંચન – “કલ્યાણ જે વાટે થાય છે તે વાટનાં મુખ્ય બે કારણ જોવામાં આવે છે. એક તો જે સંપ્રદાયમાં આત્માર્થે બઘી અસંગપણાવાળી ક્રિયા હોય, અન્ય કોઈ પણ અર્થની ઇચ્છાએ ન હોય, અને નિરંતર જ્ઞાનદશા ઉપર જીવોનું ચિત્ત હોય, તેમાં અવશ્ય કલ્યાણ જન્મવાનો જોગ જાણીએ છીએ.’’ તા.૩-૧૦-૩૫ આટલું ગળે ઊતરી જાય તો બસ છે. અસંગપણાવાળી ક્રિયા શું? તેનો જવાબ અપાય તેવું નથી. આ બધું જોવાનું નથી. અમને તો આત્માની વાત પ્રિય છે. બીજું ગમતું નથી. આ બધો કચરો છે. બધા મરી જવાના છે, પછી કોઈનો પત્તો નહીં. તેમાં શું જોવું? કેટલાય માણસો હતા. તે ક્યાં ગયા ? આ બધું જોવું ગમતું નથી. માત્ર આત્માની વાત સાંભળતાં પ્રેમ આવે છે. તા.૭-૧૦-૩૫ શું ભાવ કરશો ? શું પુરુષાર્થ કરવો ? બધું જોઈશે. સામગ્રી જોઈશે. લાકડાં મૂક્યાં હોય Page #570 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-પ ૪૭૧ અને તપેલામાં પાણી ન હોય તો ગરમ શું થાય ? તેમ ભાવરૂપી પાણી જોઈશે. તો સામગ્રી કામની છે. અહીંની વાત જુદી છે. અહીં આસ્રવમાં સંવર થાય છે. બોધ હોય તો તે પ્રમાણે ભાવ થાય. તે ભાવસહિત પુરુષાર્થ કરશો તો પિરણમશે. બાકી એકલો પુરુષાર્થ નકામો છે. સત્પુરુષાર્થ કરવો. નિમિત્ત જોઈશે. બોધ પ્રમાણે ભાવ થાય છે. મરે પણ ફરે નહીં એવી શ્રદ્ધા છે, છતાં ઉદય હોય. આ બધું દેખાય છે તે કચરા જેવું લાગે છે, ઝેર જેવું લાગે છે. મુમુક્ષુઓ ક્યાં ગયા ? બધા મરી ગયા. આ છે તે પણ જશે. કોઈને કહેવાનું નથી, વાત કરવાનું સ્થાન નથી. કહેવા જઈએ તો કંઈનું કંઈ પકડી લે. “તારું તારી પાસ છે, ત્યાં બીજાનું શું કામ ? દાણે દાણા ઉપરે, ખાનારાનું નામ.'' પત્રાંક ૩૭૧ નું વાંચન :–– કરવાનું શું છે ? સમજ. કામમાં શું આવશે ? સમજ. દેહ તો ઘરડો થતો જશે. અમારો દેહ જુઓ—કાન, આંખ અત્યારે કામમાં આવતાં નથી. તેથી શું થયું, પૂંજી હોય તો કામમાં આવે. પૂંજી કરી લેવી, તે સમજ છે. દેહ છે તે જતો રહેશે, પણ સમજ જતી રહેવાની નથી. ભાવ હતા તે ઉઠાડી જ્યાં કરવાના છે ત્યાં કરવા. સમજ પ્રમાણે ભાવ થશે. આ પત્રમાં બધો ખુલાસો છે, કંઈ બાકી રાખ્યું નથી. તા.૯-૧૦-૩૫ લઘુપણું એટલે પર્યાયદૃષ્ટિ ન કરવી તે. પર્યાયદૃષ્ટિ હશે ત્યાં સુધી લઘુપણું આવતું નથી. પર્યાયદૃષ્ટિ હોય તેનાથી આત્મભાવના થાય તે માત્ર અભિમાન છે. જેનું જેનું આ જીવ અભિમાન કરે છે તે પુદ્ગલ છે. તેમાં આત્મા ક્યાં છે ? તો પછી તેનું અભિમાન શા કામનું ? ‘પર્યાયવૃષ્ટિ ન દીજિયે.’ સ્વધામમાં જતાં રામે કહેલું કે બધા વિમાનમાં બેસી જાઓ; તેમ વખત આવ્યો છે. સમજ કરી લો. પછી ભય શાનો ? ભય થતો હોય તો જાણવું કે ખોટી ગતિ થવાની છે. પુદ્ગલ તો જવાનું છે. પૂંજી એકઠી કરી હોય તો કામમાં આવે. પૂંજી શું ? સમજ. બધું જવાનું છે. ભાવ જ્ઞાની પ્રત્યે વાળો. જેમાં ભાવ જશે તેવું થશે. ભાવ ફેરવવા હાથમાં છે. પુદ્ગલ રાખ્યું રહેવાનું નથી. સત્સાઘન સમજ્યા પછી બંધન કેવી રીતે થાય ? પુદ્ગલ ગ્રહણ ન કર્યાં હોય તો દુઃખ આવે ? ભલેને મન-વચન-કાયાના યોગ રહ્યા; પણ જીવ તેને ગ્રહણ ન કરે તો તે શું કરે ? કેવી રીતે બંધન કરે ? દીવો હોય ત્યાં અંધારું કેવી રીતે રહે ? આત્મા તમે જોયો નથી. પણ ભેદીએ જોયો છે—ભેદનો ભેદ. ભાવ તેના ઉપર કરો. ‘થિંગ ઘણી માથે કિયા', પછી ભય શાનો ? પરમ કૃપાળુદેવે ‘સમાધિશતક' આપ્યું તેમાં સ્વહસ્તે લખી આપ્યું : ‘આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે' Page #571 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ ઉપદેશામૃત આટલું મળ્યું કે બધું મળ્યું–ભાવ ક્યાં રાખવો તે મળ્યું. આ પત્રમાં બધું આપવાનું આપી દીધું છે. ગુખ ઘન આપી દીધું છે. તા.૧૦-૧૦-૩૫ બધું માયા છે. ઘણા ગયા. બધાં જવાના છે. ચેતી જવાનું છે. માયાથી મુકાવાનું કરવું, બંઘાવાનું ન કરવું. બધું શોકરૂપ છે. “એ તત્ત્વવેત્તાઓએ સંસારસુખની હરેક સામગ્રીને શોકરૂપ ગણાવી છે.” મનુષ્ય ભવ દુર્લભ છે; તૈયાર થઈ જાઓ. આ નહીં, દ્રષ્ટિ ફેરવો. વૈરાગ્યની બલિહારી છે, અમૃત છે ! સત્સંગથી સુખ છે. આ બધા સંગ છે–આત્મા અસંગ છે. તા.૧૪-૧૦-૩૫ કર્મ તો છૂટી જ રહ્યાં છે. વિકલ્પ કરીને જીવ બીજાં નવાં કર્મ બાંધે છે, નહીં તો છૂટી જ જાય. માંદા પડવાનું, મરવાનું કર્મને લઈને. “આવ” કહ્યું કર્મ વઘતાં નથી, “જા” કહ્યું જતાં નથી. છૂટવાનો ઉપાય “સમભાવ' છે. કર્મનાં પોટલાં છે તેને જીવ “મારાં મારાં' કરી ગ્રહી રાખે છે. તેથી કહ્યું છે, “તારી વારે વાર.” તું મારું માનવું મૂકી દઈશ તો કર્મ પાછળ પડી વળગતાં નથી. તું જ ભેગા કરવા દોડ કરે છે. ‘ફિકરકા ફાકા ભર્યા તાકા નામ ફકીર.' બધું જવાનું છે. “મારું' માનીશ તોપણ જશે, રહેવાનું નથી. કોઈને કહેવાનું નથી; પણ ભાવ કરવાનો છે. થવાનું હોય તે થાય. પૈસાનો કેફ હોય છે, સાંભળ્યા પછી સમજણનો કેફ હોય છે; તેમ ન કરવું. જે છે તે છે. કોઈને કહો કે જીવને મારી નાખો. કોઈનાથી મારી નખાશે? તેને ચગદો તો ચગદાશે ? પછી ફિકર શાની? માયાનું પોટલું એકઠું કરે છે; પછી “મારું મારું કરી તેમાં બળવા લાગે છે. તા.૧૬-૧૦-૩૫ બધું ખોટું છે. તેમાં મારું, મારું માની શાનો એ છે ? દુઃખરૂપ છે તેમાં સુખ ક્યાંથી હોય ? આત્મામાં દુઃખ છે ? પછી શાનો બીએ છે ? વેદની આવી હોય તે જોયા કર. સમકિતી તેને શાતા માને છે. તે શું કરે છે? જોયા કરે છે. તેનામાં શું આવ્યું ? સમજ. સમજ્ય છૂટકો છે. “જ્ઞાનીના ગમ્મા, જેમ નાખે તે સમા,' તે શું ? જ્ઞાની જેમ છે તેમ જુએ છે. બૈરાં પારકાની કાંણ પોતાને ઘેર લાવે છે અને એ છે; તેમ બધી દુનિયા કરે છે. પારકાને ઘેર મરણ, તેમાં મારે શું ? જેની ગણતરી કરવાની છે તેની ગણતરી કરતો નથી અને પારકાની પોક મૂકે છે. છોકરું થયું, પછી રમાડીને સુખ માને છે ! તેને કહ્યું હોય કે આ તો તારો વેરી છે, તો હા કહે, પણ પાછો રમાડવા માંડે; તેમ જીવ કહે છે ખરો, પણ માનતો નથી. સમજીને સમાઈ જવાનું છે. કોઈને કંઈ કહેવાનું નથી. Page #572 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૫ ४७३ વેદનીને કહ્યું હોય, તું બે મિનિટ ઊભી રહે તો તે ઊભી નહીં રહે; પૈસાને કહ્યું હોય, તમે બે મિનિટ રહો તો નહીં રહે. જે જવા આવ્યું છે તેને માટે તું શાની રડાકૂટ કરે છે ? કરવાની છે સમજ. સમજ્ય છૂટકો છે, બીજો ઉપાય નથી. બઘા ઘણા મરી ગયા. તું મરી જવાનો છે. તેથી આત્મા મર્યો ? ના. તો પછી તું કોને રડે છે ? કોની પોક મૂકે છે ? આ જ ભૂલ છે. ભૂલ તો કાઢવી જ પડશે. “થિંગ ઘણી માથે કિયો.” તે કરી લે. “નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય; કાં એ ઔષધ ન પીજિયે, જેથી ચિન્તા જાય.” તે ઓસડ પી જા. ફલાણાભાઈ ન આવ્યા, તે ચિંતા શાની કરે છે ? શું કરવા પોક મૂકે છે? બધું માનવું મૂકી દો; આત્માને માનો. કંઈ રહેવાનું નથી. તો પછી તે તારું કેમ થશે ? તા.૧૭-૧૨-૩૫ મુમુક્ષુ–વસ્તુ બે છે તેવું સાંભળીએ છીએ, જડ અને ચેતન; છતાં દેહાધ્યાસને લઈને આત્મા તરફ લક્ષ રહેતું નથી. દેહાધ્યાસ કેમ ઓછો થાય ? - પ્રભુશ્રી-અનાદિ કાળથી જીવે દેહને જ સંભાળ્યો છે, આત્માને સંભાળ્યો નથી. તે તો જાણે છે જ નહીં એમ કરી નાખ્યું છે. વાસ્તવિક રીતે તે ન હોય તો બઘાં મડદાં છે. ભાવ કરવા. જેમ કોઈ મહામંત્ર હોય તેમ “વીસ દોહા” ઝેર ઉતારવા મહામંત્ર છે. એ અમૃત છે. વિશ્વાસ અને પ્રતીતિ જોઈએ. તા. ૨૭-૧૨-૩૫ ભ્રાંતિપણે આત્મા પરભાવનો કર્તા છે, એ જ્ઞાની પુરુષનું વચન છે. મિથ્યાત્વ, મોહને લઈને અજ્ઞાન છે. એ ફીટી જ્ઞાન થાય છે. પણ ફીટવામાં જ્ઞાનીપુરુષ, સપુરુષની આજ્ઞા, સદ્ગોઘ એ નિમિત્તકારણ છે. ઔષઘ લઈ ચરી ન પાળે તો તેથી રોગ મટતો નથી, જોકે ઔષધિ વિક્રિયા ન કરે, પણ રોગ મટે નહીં, તેમ મંત્ર સાથે સત્ શીલના વર્તનરૂપ ચરી ન પાળે તો કર્મરૂપ રોગ મટે નહીં. ઇચ્છાને રોઘ કરવો. વિષય, કષાય એટલે ક્રોધાદિ, રાગદ્વેષ ઓછા કરવારૂપ વર્તન ન થાય તો મંત્રરૂપી ઔષઘથી અન્ય વિક્રિયા તો ન થાય, પણ કર્મરૂપ રોગ મટે નહીં. અષાડ સુદ ૪, બુધ, ૧૯૯૧ આત્મા અસંગ છે, અપ્રતિબંઘ છે, અજર છે, અમર છે, અવિનાશી છે. આવા દેહ તો Page #573 -------------------------------------------------------------------------- ________________ ४७४ ઉપદેશામૃત ઘણા ઘર્યા, તે બઘાનો નાશ થયો છે. તેથી દેહ પર મોહ કરવો નહીં. એક આત્મા ઉપર લક્ષ રાખવો. આ મહામંત્ર છે. તા. ૨૩-૧-૩૬ સત્સંગનું માહાભ્ય અથાગ છે. સત્સંગમાં શું છે ? આત્માની શ્રદ્ધા થાય છે, પરિણમન થાય છે. તા.૩-ર-૩૬ મનુષ્ય ભવ દુર્લભ છે. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, મધ્યસ્થ ભાવના કરવા યોગ્ય છે. મોટામાં મોટી વાત સત્સંગ છે. સત્સંગમાં બોઘ અમૃતસમ છે. ત્યાં સમાગમે કોઈ વાણી સંભળાય તો સહેજે પુણ્ય બંઘાય. જ્ઞાની પુરુષની વાણી સંભળાય અને કદાચ ન સંભળાય તો પણ પુણ્ય બંધાય. મેમાન છો; મનુષ્યભવ દુર્લભ છે. “હે જીવો ! તમે બૂઝો, સમ્યક્ પ્રકારે બૂઝો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે, અને ચારે ગતિને વિષે ભય છે, એમ જાણો. અજ્ઞાનથી સવિવેક પામવો દુર્લભ છે, એમ સમજો. આખો લોક એકાંત દુઃખે કરી બળે છે, એમ જાણો; અને સર્વ જીવ પોતપોતાના કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે તેનો વિચાર કરો.” આ મારો દીકરો, આ મારી સ્ત્રી, આ મારું ઘર—એ બધું બંધન છે. “સહુ સાઘન બંઘન થયા, રહ્યો ન કોઈ ઉપાય; સત્સાઘન સમજ્યો નહીં, ત્યાં બંઘન શું જાય?” કંઈ નહીં તો “વીસ દોહરા' ચંડીપાઠની પેઠે રોજ બોલે તો પણ કામ થઈ જાય. સંગ બળવાન છે. આખો લોક એકાંત દુઃખે કરીને બળે છે. જન્મ, જરા, મરણ જેવું કોઈ ભૂંડું નથી. રસ્તામાં જેમ મેળાવડો થાય તેમ આ મેળાવડો છે. તેમાં રાજી શાનો થાય છે? સુખ અને દુઃખ શાનાં માને છે? એ તારો ઘર્મ નથી. અનંતા ભવ થયા, તોય તે આત્મા ને ઓળખ્યો; તો હવે ક્યારે ઓળખીશ ? માટે સત્સંગ અને ત્યાગ વૈરાગ્ય કર. પહેલાં સત્સંગ બહુ આકરો લાગશે; પણ એ જ અંતે સુખ આપશે. સંસારથી કર્મબંઘ થાય છે, વૈરાગ્યથી હિત થાય છે. આ અવસર આવ્યો છે. સર્વ જીવ પોતાનાં કર્મોથી વિપર્યાસ ભોગવ્યા કરે છે. મનુષ્ય ભવ દુર્લભ છે. ચારે ગતિ અતિ દુ:ખદાયી છે. જન્મ, જરા, મરણ–એ બધાં દુઃખદાયી છે. “હું” ને “મારું” સૌ બંધન છે. માર્યો જઈશ. એ તારું નહીં. આ જોગ તો કાંઈ જેવો તેવો છે? હવે ક્યારે જોઈશ? જેને બંઘનમુક્ત થવું છે તેણે આત્માને ગષવો. વાણિયો છે, બ્રાહ્મણ છે, પાટીદાર છે—તે કંઈ નહીં. “જ્યાં લગી આતમાં તત્ત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાઘના સર્વ જૂઠી.” Page #574 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૫ ૪૭૫ કંઈ નહીં. મન ફરતું, ભટકતું રાખે છે. પછાડ માથું, પથરાથી ફોડ. ઘાંચીનો બળદિયો ફર ફર કરે; તેમ પરિભ્રમણ કરે છે. તારું કોઈ ન મળે. નો'ય તારો દીકરો, નો ય તારો પૈસો, નો'ય તારું ઘર. તું તો મેમાન છે. સુખદુઃખ ભોગવીને ચાલ્યો જા. સુખ દુઃખ મનમાં ન આણિયે, ઘટ સાથે રે ઘડિયાં; ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં.” જગત આખું કર્માધીન છે. દુઃખ દુઃખ–મહા ભયંકર છે. લક્ષ રાખો. “આત્મસિદ્ધિ' કંઈ જેવી તેવી છે ? એકેક ગાથા વિચારે તો કામ કાઢી નાખે; તેનું ભાને ય નથી. મેં તો મોઢે કરી છે, મને આવડે છે, ખબર છે એમ કરી સામાન્ય કરી નાખે છે. સામાન્ય કરે છે તે જ દુઃખ ને વ્યાધિ છે. આત્માનું સ્મરણ કર્યા કર. ભગવાને કહ્યું છે કે સુખ દુઃખ આવશે જ, તે ખરું છે. કર્યાનું ફળ છે. કહ્યું જાય તેમ નથી. “આત્માને ગષવો હોય તેણે યમનિયમાદિક સર્વ સાધનનો આગ્રહ અપ્રઘાન કરી સત્સંગને ગષવો તેમજ ઉપાસવો. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો.” ગમે તેટલા રૂપિયા આપીશ તોય તને કોઈ આટલી શિખામણ આપશે? સ્થિરતા કરી બહુ ભૂલ છે. અલેખામાં જાય છે. એક સત્સંગની આજ્ઞાને ઉપાસવી. પ્રારબ્ધ પહલે બન્યા, પીછે બન્યા શરીર; તુલસી અચરજ એ બડી, મન ન બાંધે ધીર.” માટે ચેત. આ વાત કોઈ ઠેકાણે મળતી નથી. મૃત્યુનું આવવું અવશ્ય છે. એમ છતાં આ જીવ વારંવાર ભૂલી જાય છે. આ વાત કોઈ નહીં સાંભળો કે? તોબા ! તોબા ! આખો લોક ત્રિવિઘ તાપથી બળે છે. “હોદ્દો છે, પૈસો છે, ઘર છે, મકાન છે, ગાડી છે, ઘોડો છે. બધું સુખ છે, મારે કંઈ કમી છે?' એમ માને છે ને મગ્ન રહે છે. પણ પરવશ છે; રાજા અને રંક સોને મૃત્યુ છે. ખમવું; સમતા રાખવી અને ભગવાનનું નામ ન છોડવું આવ્યું એ જવાનું. શ્રદ્ધા, લક્ષ અને પ્રતીતિ હોય તો તે ચિંતામણિ છે. સામાન્ય ન કરવું. હું તો જાણું છું, એમ કહે છે. કર્મ ફૂટ્યું તારું! બહુ ભૂલ થાય છે હોં ! ચેતવા જેવું છે. આ જીવાદોરી છે તે કામ લાગશે. કાળજી અને સમજણ રાખે તો આ અનંતગણી કમાણી છે. વીસ દોહા ચંડીપાઠ ગોડે રોજ ભણે તો ચિંતામણિ છે. અહીં તો ઘર્મ છે અને તે જ કર્તવ્ય છે. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી બોલીશ. પરાણે બોલું છું; પહોંચ નથી તોય પરમાર્થ જાણીને બોલું છું. અમે ટૂંઢિયા હતા, મોટા સાધુ હતા; પણ પરમ કૃપાળુદેવના સમાગમથી સમજી ગયા કે એક આત્મા મારો, સૌ મેમાન છે. કાલે સૌ જતા રહેશે, માટે એ જ કરવાનું છે. “આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય.” Page #575 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત આત્મજ્ઞાન હોય તે જ સત્. કંઈ કોઈને દેખાડવા માટે કહેવું નથી. સદ્ગુરુની પ્રાપ્તિથી કંઈ જુદી જ લહેર અને લહેજત આવે છે. ‘આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં.' માટે પોતે જ કરવું પડશે એમ પકડ્યું, તે પકડ્યું; હવે કેમે કરી છૂટે નહીં. આત્મજ્ઞાન ઉપર જાય તો કામ થઈ જાય અને પાસા સવળા પડે. “વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે.'' અજબ ગજબ વાત ! નરદમ હિતની શિખામણ. ફક્ત હૃદયમાં આત્મા માટે રોવું, તૈયાર થવું. અમૃત છે, પણ બહારનો કમળો તે કાઢવો પડશે, દૃષ્ટિ ફેરવવી પડશે. આત્માર્થ જોશો તો આત્માનું હિત થશે. વાણી અપૂર્વ છે. જેટલું ન થાય તેટલું થોડું. કર્તવ્ય છે. જે કર્યું તે ખરું. લક્ષ લેવો અવશ્યનો છે. ૪૭૬ નબળા ભાવ કરે તો સારું થશે ? સારા ભાવ કર્યા હશે તો નબળું થશે ? “ભાવે જિનવર પૂજિયે, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળ જ્ઞાન.'' આથી કોઈ ટૂંકો રસ્તો બતાવશો ? રસ્તો એ જ છે; ખબર નથી પડી. તેથી દુ:ખ, ફિકર, ચિંતા છે. બીજા કયા ઠેકાણે જવું? આત્મભાવ રાખવો. ફરવા નીકળ્યો છે તો ફર, નહીં તો ઠેકાણે બેસી જા. તા.૫-૨-૩૬ ‘કર વિચાર તો પામ’ એનું શું પરિણામ આવે છે તે જોઈ લેજે. સુખ-દુઃખ, પૈસાટકા, મારું તારું, બધું રાખ છે. આત્મા સિવાય કોઈ બીજી વસ્તુ ખરી રીતે ગમે એમ છે ? પણ આંટી પડી છે તે ઊકલી નથી. અમે શું કર્યું છે ? મૂકવું પડ્યું છે. જ્ઞાનીએ કહ્યું છે, બધું મૂકવું પડશે. કંઈ છે નહીં, પણ જો સાથે લીધું તો ઊભું થશે. ન લે તો થાય ? માટે મૂકવું પડશે. મૂક્યું તો ઊભું નહીં થાય. આત્મા, આત્મા બધે આત્મા જુઓ. બીજુ કંઈ નહીં. આત્મા જોયો નથી, અને નહીં જાણવાનું તે જાણ્યું છે. જે જોવાનું છે તે જોયું નથી, અને નહીં જોવાનું તે જોયું છે. કોઈ કહેશે, હાથી, ઘોડા, સ્ત્રી, દેખાય છે તે ખોટું છે? તે જોવું હોય તો લખચોરાશીમાં ફરી આવ. આ બધી વાત મર્મની છે. કોઈ સમજતું નથી. બઘી આંટી છે. પાછું વળવું પડશે, મૂકવું પડશે, કરવું પડશે; નહીં તો દહાડો નહીં વળે. એ જ છે. એ ભાવ ભાવતાં બીજું કંઈ થાય તો કહેજે. સાકર ખાવાથી સાકર, ઝેર ખાવાથી ઝેર. તારા હાથમાં, તારી વારે વા૨; ભરત ચેત, ભરત ચેત. આટલું જ છે. જાણ્યું નથી. બોધ શ્રવણ કર્યો નથી. તુંબડીમાં કાંકરા. તારી મોકાણ, તારી હોળી-૫૨ વસ્તુઓ જ જોવી છે ? ભુલવણી છે. પડદો નથી પડ્યો તેથી ભાળ્યો નથી. ત્યારે હવે શું કહેવું ? આ બધામાં શોધો. આત્મા ક્યાંય નથી. તો હવે ગણવો છે કોને ? ઓળખવો છે કોને ? ત્યારે પંચાત કોની ? ખાવાની પીવાની ? ખરી પંચાત તો એ જ–માર્ગ જુદો છે, ગહન છે-ત્યાગ. Page #576 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૫ ૪૭૭ બાયડી, છોકરાં, હાથ, પગ બધું ત્યાગ. પછી કંઈ રહ્યું? આત્મા. હજુ સમજાયું નથી. તા.૬-૨-૩૬ તમારી બઘાની પાસે શું છે ? ભાવ. આત્મા છે તો ભાવ છે. કોના હાથમાં વાત રહી ? જીવ સારા ભાવ કરે તો સારું ફળ આવે છે, નબળા ભાવ કરે તો નબળું ફળ આવે છે. આત્મા ક્યાં નથી ? બધે છે. જેવું જોવું હોય તેવું દેખાય. હાથી જોવો હશે તો હાથી દેખાશે; આત્મા જોશો તો આત્મા દેખાશે અને વાણિયો, પાટીદાર જોશો તો તેમ દેખાશે. જીવની ગણતરીમાં ભૂલ થાય છે. આત્માની ગણતરી નથી અને દેહની ગણતરી કરે છે. આત્માની ગણતરી કરે નહીં અને મંદવાડની ગણતરી કરે તો મંદવાડ છે. આ રખડતા જીવને પરમ કૃપાળુદેવે બોલાવીને લખી આપ્યું : “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.” મુમુક્ષુ–આ તો બહુ સુગમ રસ્તો. પ્રભુશ્રી–વાત સાચી છે, પણ તે ભાવમાં રહેવાતું નથી. ભટકવું હોય તો જા, આંટો મારી આવ–ભટકી આવ. બધું હાથમાં છે. જ્ઞાનીના એક વચનમાં અનંત આગમ છે. શું કરવું ? નિશ્ચય કરવો. બધું તો કહ્યું છે, પણ વાત તો આ જ છે. બઘાની પાસે ભાવ છે કે નહીં ? કોઈની પાસે નથી એમ છે ? શું કરે હવે ! આ વાત જેવી તેવી નથી; ચમત્કાર છે ! એક વચનમાં મોક્ષ છે ! સૌ કહે છે, પણ કોઈ કરે અને કોઈ ન કરે; જેવું કર્યું તેવું થાય. ભાવે ભૂંડું કર્યું છે, જન્મ, જરા, મરણ અને ભવ ઊભા કર્યા છે. શુદ્ધ ભાવ હોય તો ભટકવું થાય નહીં. “ભાવે જિનવર પૂજિયે, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળજ્ઞાન.” તા.૮-૨-૩૬ આ જગત તે આત્મા નથી. ઓળખાણ આત્માની કરવી. આત્માની, સત્સંગની ભાવના રાખવી. આત્મા છે; તેની ગણતરી રાખવી. તે સુખદુઃખને જાણનાર છે. સુખ જેથી થાય છે તે વિષેનું ભાન નથી. આરંભપરિગ્રહ માટે જીવમાત્રની ઇચ્છા છે, તે માયા છે. તે મૂકવા જેવી છે. જ્ઞાનીને મૂછ નથી. ઢોર, પશુપંખીને કંઈ ખબર પડે ? મનુષ્યભવ છે તો ખબર પડે. બઘી માયા છે. મારો ભાઈ, મારો બાપ એ બધું કંઈ નથી. એક આત્મા જાણો. જેટલી તૃષ્ણા વધારે તેટલા જન્મ વઘારે. ભૂંડામાં ભૂંડી છે તૃષ્ણા. ભૂંડું કર્યું તૃષ્ણાએ. ક્યા ઇચ્છત? ખોવત સબ ! હૈ ઇચ્છા દુઃખમૂલ; જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.” Page #577 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશામૃત ઇચ્છા ભૂંડી છે. એમ તો ભવોભવ કર્યા કર્યું છે. આ બધું સમજ્યું છૂટકો. સમજે તો ભવ કાપી નાખે અને ન સમજે તો ભવ ઊભા કરે. દોડાદોડ કરી રહ્યો છે. જવાનું છે, એમાં ફેર નથી. ૪૭૮ અત્યાર સુધી જીવે ચામડાંનો વેપાર કર્યો છે, આત્માનો નથી કર્યો. ‘મારું મારું' કરી રહ્યો છે. તેની ભાવના કરે છે. મોટા પુરુષનાં વચનો છે : “જહાં કલપના-જલપના, તહાં માનું દુઃખછાંઈ.’’ પોતાનું નથી તેને મેળવવાની ભાવના કરે છે. આ જગતમાં ઇચ્છાનો રોગ કોઈને મટ્યો એમ છે ? ઇચ્છા, ઇચ્છા ને ઇચ્છા. કામ ક્યાં થાય છે ? વિચાર કર્યો ઇચ્છાનો નાશ થાય છે. આ બઘા બેઠા છે, પણ કોઈએ આત્મા જોયો ? ચમત્કાર છે ! આત્મા જુઓ. આ કૂંચી, કોઈને ખબર પડી નથી. કોઈએ જાણ્યું છે ? કોઈએ માન્યું છે ? કોઈએ સ્વીકાર કર્યો છે ? કોઈને મળ્યું છે ? ફક્ત આ વાણિયો, આ નાનો, આ મોટો એ વાત થઈ છે ને થાય છે. ‘આત્મા છે, આત્મા છે' એમ થયું નથી. ‘‘સર્વાત્મમાં સમવૃષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો.' ભૂંડું કોણ કરે છે? રાગ ને દ્વેષ. જગત આખું આથી દુ:ખ સહન કરે છે. સમભાવ કરો જોઈએ ! જુઓ તો ખરા ! હવે એનો જરા વિચાર કરો. શું થયું સમભાવે ? અજબ ગજબ થયું ! હજારો ભવ ટળી ગયા. કેવળજ્ઞાન થયું. સમભાવ કરી મોક્ષે ગયા. આ તો તાળી તાળી ! કંઈ અજબગજબ છે ! ચમત્કાર છે! ભેદી મળ્યા નથી. ‘‘સાંભળી સાંભળી ફૂટ્યા કાન, તો ય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.’’ જે ગણવું છે તે પડી મૂક્યું. ભણ્યો છે, પણ ગણ્યો નથી. વાત ખરી કરી. સમ એ શી વસ્તુ છે ? શામાં લેશો ? શામાં રહે છે ? જરા વિચાર તો કરો, તુંબડીમાં કાંકરા ! વિચાર નથી કર્યો, સમજ્યો નથી, ઓળંભા દેવા જેવી વાત કરું છું; પણ સાચી છે. ‘સમતા રસકા પિયાલા ૨ે પીવે સો જાણે' આમ ગાય, વાતો કર્યા કરે; પણ વાતોએ વડાં થાય ? મનુષ્યભવ ચમત્કાર છે, મહા કમાણી છે. પૈસા મળ્યા—બસો, ચારસો; તેથી શું થયું ? સાડાત્રણ હાથની જગામાં બાળી મૂકશે. ક્ષમા એ શું છે? બોલતાં આવડ્યું છે, એનું નામ દેતાં આવડ્યું છે; પણ એનું ભાન નથી. ⭑ ✰ તા.૧૬-૨-૩૬ મનુષ્યભવ દુર્લભ છે. મહાપુણ્ય કર્યાં છે તો આ પામ્યા છો. સંબંધે સૌ મળી આવ્યું છે— દેહ, પૈસો, સુખ, વગેરે. અમારું કહેવું કંઈ બીજું જ છે. આ માથું વાઢી નાખે, દેહ રહે કે ન રહે; પણ બીજું મારું નહીં. અમારે તો વાત આત્માની જ કહેવી છે. કોઈ શિખામણ આપીએ તો એક આત્માની જ, બીજી નહીં. અત્યારે હાલ વાત થાય છે તે નરદમ આત્માની છે. તમને એની કંઈ ઓળખાણ નથી. આ મારો હાથ, પગ, મોઢું; મને દુઃખ થયું, સુખ થયું એમ ગણે છે; પણ એ તો સૌ જડ છે, આત્મા નહીં. આ વાત આત્માના હિતની છે. કાગડા-કૂતરા સાંભળે ? Page #578 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-પ ૪૭૯ ઘૂંટડો પીને ઉતારી દો. અનંતા ભવ કર્યા અને રખડ્યો. પણ ત્યાં સુખ નથી. ફક્ત એક વાત છે—‘સત્ અને શીલ.' સત્ એટલે આત્મા. શીલ એટલે બ્રહ્મચર્ય. મારો આત્મા તે મારો ગુરુ. તે જ્ઞાનીએ જાણ્યો છે તે ખરો. જેણે જાણ્યો છે તે મારો ગુરુ અને તેણે આપેલી ભક્તિ‘છ પદનો’ પત્ર, વીસ દોહા વગેરે ચિંતામણિ ગણી સંઘરી રાખવું. બીજું બધું જતું રહેવાનું છે; તે મારું નથી. મારો તો આત્મા. જે એણે કહ્યું છે તે કરવું. જીવતા સુધી; શાતા હોય, ભાન હોય ત્યાં સુધી કરવું. પછી કંઈ થઈ શકે તેમ નથી. આ વાત સંભળાય છે ? આ ઝટકા મારીને વાત કરું છું, તો માફ કરશો. મારો તો આત્મા, એ આત્માની પકડ અને તે જ મારો ગુરુ અને તે જ મારે માન્ય. દબાવીને કહેવાનું થાય છે. બ્રાહ્મણ, વાણિયા, પાટીદાર એનો ભેદ ન રાખવો. આતમભાવ ભાવ્યે જન્મ-મરણનો ફેરો છૂટી જાય. હું વાણિયો, હું બાઈ, હું ભાઈ, નાક, હાથ વગેરે મારું મારું ગણે છે; પણ બધું તારું નથી. તું તો એક આત્મા અને એ તો જ્ઞાનીએ જોયો તે માન્ય. આની પકડ કરજો. આ તો મારો આત્મા જ. ખામી બોધની છે. તે સંભળાય તો પકડ થાય. અજાણ્યો ને આંધળો બરાબર. સમજણની જરૂર છે. તા.૨૦-૨-૩૬ એક આત્મા છે; બીજું ફના છે. સંબંધ છે—આવે છે, જાય છે; સુખ છે, દુ:ખ છે. પણ એક આત્મા. આત્મા વિના કોણ જોતું હશે ? પહેલો છે તે મૂકી દીધો છે. તે ભૂલ છે. એક આત્મા જ છે. આ દેહ માનવાનો છે? આ મનુષ્યભવ છે તો કામ થઈ જાય. પશુપંખી, કાગડા, કૂતરા કંઈ સમજે ? ઢુંઢિયા, તપા તે કંઈ ધર્મ નથી. ધર્મ તો એક આત્માનો છે. આ તો બાઈ છે, ભાઈ છે, ઘરડો છે, જુવાન છે એ બધું ખોટું છે. એક આત્મા છે. કોઈ ભેદી પુરુષ મળી જાય તો મનુષ્યભવનું સાર્થક થઈ જાય. અનંતા ભવ થઈ ગયા છે; પણ સાર્થક થયું નથી. બફમમાં જાય છે. બધી દવા કરે છે, રોગો મટાડ્યા, સારા ય થયા, નબળા ય થયા, આખરે બધા મરી ગયા. મા-બા, છોકરાં—છૈયાં મૂઆં; આત્મા મૂઓ નથી. એની ખબર નથી. એની ખબર કરવી છે. હજાર રૂપિયા મળતા હોય તો દોડ્યો જાય, ત્યાં ખોટી થાય. એક આત્મા જ; તેની ઓળખાણ કરવી. વિશ્વાસ નથી, પ્રતીત નથી. આ તો હું જાણું છું, મને ખબર છે એમ માને છે. માંદો પડે તો ઘરમાં પડ્યો રહે, પણ આત્માના કામ માટે એક ઘડીય ન રોકાય. પકડ કરવાની જરૂર છે. તેની કાળજી નથી કરી. પકડ કરે તેનું કામ થઈ જાય. આત્માની સંભાળ નથી લીધી. ઠેર ઠેર આ તો ખોટું લાગે છે. આત્માર્થે કરવું. ‘આ મારી બાયડી' ‘આ મારી બા'બધું આંધળું ! આખરે એક આત્મા છે, તે જ કામનો છે, કર્મને લઈને આ મારુંતારું થાય છે. ગફલતમાં જાય છે, બફમમાં જાય છે. ખબર નથી; પણ કંઈક છે. એકને નહીં; પણ સૌને એ રીત છે. ચેતવા જેવું છે. જે એ રસ્તો શોધશે તેનું કામ થઈ જશે. કાનમાં બે Page #579 -------------------------------------------------------------------------- ________________ ४८० ઉપદેશામૃત સવાલ પડ્યા એ સારું થયું અને તે કામના છે. માટે ઊભા થશો તો કામનું. માંદા હોય, કામ હોય તો ખોટી થાય, પણ એક આત્મા માટે કંઈ નહીં. વાઢી નાખે તો પણ એક આત્માનું જ કામ કરવું. વિવાહ માટે, સારું લગાડવા માટે ખોટી થશે. પરણાવવાનું હોય તો નોકરીમાંથી રજા લઈને જઈ આવે, પણ આત્માને માટે ખોટી થાય નહીં. તેની જરાય કાળજી નથી. વાત બહુ સમજવા જેવી છે. તા. ૧૧–૩–૩૬ આત્માર્થે તો કરવું જ. આત્માનો જ વેપાર–સત્સંગ. આ સંસાર જેવું ખોટું કોઈ નથી. આખું જગત ત્રિવિધ તાપથી બળે છે. સુખ ક્યાં છે? બઘાં તોફાન છે, મહા દુઃખરૂપ છે. અમે તો બીજું કંઈ કહેતા નથી. આત્માની વઘારે સંભાળ રાખજો. આત્માની કાળજી, સમાગમ, પરિચય કરો. છ પદ' નો પત્ર, વીસ દોહા, વગેરે ભણજો. કોઈ સાથે આવશે નહીં. મારો આત્મા જ કામનો, તે એકલો જ કામનો છે. આત્માર્થે કર્યું તે હિતાર્થે કર્યું, તે જ લેખામાં. માટે આત્માને સત્સંગ કરવો ઘટે. તા.૧૨-૩-૩૬ “આજનો લહાવો લીજિયે રે, કાલ કોણે દીઠી છે?” જ્ઞાનીની વાત જ્ઞાની જાણે. વાત તો સમજવાની છે. વાત તો દશાની છે. મુમુક્ષુ—શાનો લહાવો ? પ્રભુશ્રી બહુ તાકીદથી. મુમુક્ષુએ શું? પ્રભુશ્રી–પોતાના આત્માનું કંઈક સાઘન કરી લેવું, એ જ. જ્યાં બેઠો ત્યાં આત્મા, આત્મા ને આત્મા–એક આત્મા જ. વાત હતી ખુદ એક આત્મા સમજવાની. એ જ–આત્મા. “સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો.” “આજનો લાવો લીજિયે રે કાલ કોણે દીઠી છે?” ચિંતામણિ છે, હોં! બીજી બઘી માયા છે. “વિંગ ઘણી માથે કિયા.” એક ઘણી કર્યો. બીજું કંઈ નથી. માયા, સંબંઘ, પૈસોટકો, કાયા, વગેરે બધું મળવું તે કર્માઘાન છે. જીવ વસ્તુ આત્મા છે તેનો નાશ નથી. માથે ઘણી કર્યો એટલે થઈ રહ્યું. મૂળ વસ્તુ તો જ્ઞાન-દર્શનચારિત્ર તે આત્મા, એ જ છે. એ જ ઘણી છે. એને માની લેવો. એ મળી આવ્યો હોય અને વિશ્વાસ ને પ્રતીતિ આવી તો બધું મળી ગયું. આટલો ભવ મનુષ્યનો છે તે ચિંતામણિ છે. ખરો લહાવો ઘર્મનો લેવાનો છે. કંઈ નહીં; એક ઓળખાણ આત્માની, બીજું નહીં હોં ! એક આત્માની ઓળખાણ થઈ તો બસ. Page #580 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-પ ४८१ આંધળો ને અજાણ્યો બરાબર. ભેદી ખાસ બતાવે કે જમણે હાથે જજે, તેમ ભેદી હાથ આવ્યો તો થઈ ગયું. આજનો અવસર તો કોટી કર્મ ખપાવી નાખે. કુદરતનો રસ્તો એવો છે ! આત્મા છે. તેની એક ઓળખાણ કરવી, પકડ કરવાની છે. કર્તવ્ય છે, માન્ય છે, શ્રદ્ધા છે, પ્રતીતિ છે. ખાવું પીવું, બધાં ય સંબંધ–કાંઈ નહીં; એ નહીં. એ બધા હવે પ૨ છે. એ જ છે બાપ. એ જાણવાની જરૂર છે. એટલું જ કર્તવ્ય છે. પણ વિશ્વાસ ક્યાં ? પ્રતીત ક્યાં ? તે ઓળખાણનું ઠેકાણું ક્યાં ? ઓળખાણ ક્યાં ? અનાદિ કાળની ભુલવણી. અમે તો એક માનવા યોગ્ય તે માન્યા છે; જડને ઇષ્ટ માનતા નથી. તા.૧૯-૩-૩૬ આ જીવને કંઈક ભૂલ છે, અને આંટી આવે છે તે કાઢવી છે. ભૂલ છે, પણ ભણેલ હોય તેને પૂછે તો ઝટ કાઢી નાખે. જીવને એમ થાય કે ‘વાત બહુ સારી કરી, વાહ !' ત્યાં શું આવ્યું ? આત્મહિત. ‘હું કંઈ જાણતો નથી. તે વસ્તુ તો જ્ઞાની જાણે', એવું થાય ત્યાં દ્વાર ઊઘડે ને મનાય. ત્યાં જ આંટી છે. ધન્ય ભાગ્ય કે આ કાળે, આ માર્ગમાં, આ દેશમાં આ જોગ બની આવ્યો ! તે કોઈક વિરલા પુરુષ માટે છે. પૂર્વકૃત તો જોઈએ. તે ન હોય તો ક્યાંથી સાંભળે ? તે બધી જોગવાઈ મળી આવી. જીવ બીજે બધે દોડશે. પણ હજુ કંઈ ખબર છે કે મારે કંઈક સાંભળવું ? જ્યાં રજિસ્ટર થવાનું હોય ત્યાં માન્યતા થઈ ગઈ તો થઈ રહ્યું. કૃપાળુએ મને કહેલું કે તમારે ક્યાં ય જવું નહીં પડે. ‘વાત છે માન્યાની' ‘સદ્ધી પરમ વુજ્જા' આ મનુષ્યભવ ન હોય તો કાગડા-કૂતરાના ભવમાં બને કંઈ? એ તો મહાપુણ્યની જોગવાઈ હોય ત્યારે મળે. મહા આંટી ને ગૂંચવી નાખે તેવું છે. તા.૧૯-૩-૩૬ શાતા છે, બાંઘેલાં કર્મ છે તે ભોગવવાનાં છે. હવે અવસ્થા થઈ. કાંઈ ગોઠતું નથી. એક આત્મા છે. આપણે એક જ છે—સમભાવ, મૈત્રીભાવ. આ સૌ મૂકીને જતા રહેવાનું છે; સૌ કાલે જતા રહેશે. તમે બધા બહુ રૂડા, સારા છો. તમારા પ્રત્યે એક આત્મભાવ છે. ચમત્કાર છે ! શું? એક કર્તવ્ય છે, જે આ વસ્તુ જીવે જાણી નથી તે, એક જ છે. શું નથી જાણ્યું એ વિચારવું કર્તવ્ય છે. યથાતથ્ય ઓળખાણ નથી પડી. ‘માતારું' મતભેદ મૂકવાના છે. જો તબિયત ઠીક હોય તો વાત વિસ્તારથી એવી કરવી છે કે આ જીવને સર્વ સાથે મેળાપ, અને ‘સર્વાત્મમાં સમદ્રષ્ટિ’ થાય, ‘આ તો મારો અને આ તો તારો,' ‘સારો ને ખોટો' એમ થઈ રહ્યું 31 ‘જહાં કલપના જલપના, તહાં માનું દુઃખ છાંઈ; મિટે કલપના જલપના, તબ વસ્તુ તિન પાઈ.’ Page #581 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ ઉપદેશામૃત છે; પણ ગુરુ કે ચેલો સર્વમાં વસ્તુ ખરી તો આત્મભાવના. “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.' આ એક મંત્ર હાથ આવે તો જીવાદોરી. તો શું હાથ નહીં આવે ? એક કરવો આત્મભાવ; મૂકવો પરભાવ. પરભાવથી અનંતા બંઘ અને ભવ કરે છે. ભાવ અને પરિણામ મુખ્ય વાત છે. જેવા ભાવ કરે તેવા પ્રભુ ફળે. ભેદી મળે સિદ્ધિ થાય. પ્રસન્નચંદ્ર રાજર્ષિ અંતરુમુહૂર્તમાં કેવળજ્ઞાન પામ્યા. એક ઓળખાણ નથી તે થવાની જરૂર છે. એક ભૂલ છે મોટી; સત્સંગ, બોઘ અને પકડ નથી. લીંબડી અને ફલાણા સંઘાડા મારા છે એમ ગણે છે. તેનું તેવું ફળ હોય. એ બઘા સંબંધ છે. પહેલી વસ્તુ સમકિત છે. તે વિના “લ્યો ચતુર્ગતિમાંય.” આ તો જ્ઞાની પુરુષના વચન છે. સૌ મહેમાન છે. આત્મા જાણો. “પાવે નહિ ગુરુગમ બિના.” ગુરુગમ' કીધું તે તો ચમત્કાર ! જવા દે, જવા દે, જવા દે. ખબર નથી. મહેમાન છે. વાની મારી કોયલ છે, લૂંટૅલૂંટ પકડ કરવાની છે. “ઉપયોગ એ ઘર્મ, પરિણામ એ બંઘ”, એ આખા ઘર્મનો સાર. સત્સંગ જોઈએ કે નહીં? ગચ્છ, મત, પુસ્તક, ચેલા એ સૌ મળી આવશે. પણ એ નહીં. એક ગુરુગમ; તે વગર નહીં. વિચાર તો ખરો. ખબર નથી. ગુરુગમ શું છે તે જાણવાની જરૂર છે. જાણ્યા વગર છૂટકો નથી. ‘સદ્ધા પરમ દુહા.” માટે સત્સંગ અને બોઘ જોઈએ કે નહીં? ગચ્છ મત કંઈ નહીં. જ્ઞાનીએ “ગુરુગમ' કહ્યું તેની બરોબર પકડ કરવાની જરૂર નથી ? ખામી તે યોગ્યતાની, બઘા સાંભળે છે. યોગ્યતા મેળવ્યા વિના થાય નહીં. આત્માના સમાગમમાં રહેજો. જીવ રૂડા છો. આત્માને જાણવાની જરૂર છે. સૂઝે એમ કરીને પણ આત્માને જાણવો. ભાવના–બાર ભાવના કર્તવ્ય છે. હવે તો દહાડા પહોંચ્યા છે. ઘણા જીવોને મળી જોયા. કશું હારે આવશે? પૈસાટકા હારે નહીં આવે. અસંગ-અપ્રતિબંધ આત્મા છે. એની રિદ્ધિ શું? અનંત ચતુષ્ટય, અનંત દર્શન-જ્ઞાન-વીર્ય-સુખ, એની રિદ્ધિ છે. સૂઝે એને પૂછો, સૌથી મોટામાં મોટી વસ્તુ તોઆત્મજ્ઞાનથી ઉદ્ધાર છે. ત્યાં શું છે? આત્માને જાણવો છે. અનંત મોક્ષ ગયા તે પ્રથમ સમ્યત્વ વગર નથી ગયા. સમતિ જેવી કોઈ વસ્તુ નથી. સમકિતનાં પાંચ લક્ષણમાં “શમ' કીધું, એમાં તે સુખ કેવું હશે ? ભગવાન પણ વાણીમાં કહી શક્યા નહીં તેવું. શમ આવ્યું સમકિત. જ્ઞાનદર્શન તે કલ્યાણરૂપ છે. જેવો જ્ઞાનીએ જોયો તેવો આત્મા છે. ચેતી લો. એક આત્માને ઓળખો. કામ થશે. નાસિક, તા.૨૯-૩-૩૬ સંકલ્પ-વિકલ્પ, કલ્પનાથી પર અબાધ્ય અનુભવ છે. “જો જો પુદ્ગલ-ફરસના, નિશે ફરસે સોય; મમતા-સમતા ભાવસે, કર્મ બંધ-ક્ષય હોય.” “જબ જાકી જૈસી ઉદે, તબ સોહે તિહિ થાન; શક્તિ મરોરે જીવકી, ઉર્દ મહા બલવાન.” (સમયસાર નાટક : બંઘદ્વાર, ૭) Page #582 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૫ ૪૮૩ આ બાઈ છે, આ ભાઈ છે, સારું છે, ખોટું છે એ બધો સંબંધ છે. આત્મા તો છે તેમ છે–જ્ઞાનીએ જોયો તેવો છે. પુદ્ગલનો નાશ છે; આત્માનો નાશ નથી. એમ જાણજો કે વીસ દોહા મહા મંત્ર છે, ચમત્કાર છે ! આ બધું પુદ્ગલ નાશવંત છે, તેમાં મોહ છે. પણ એક મોક્ષની ઇચ્છા રાખવી. મારો દેહ નથી. “આત્મસિદ્ધિ' અને છ પદના પત્રનું મનન કર્યા કરવું. ખૂબ વિચારીને તેનું જ ધ્યાન રાખવું. સદ્ગુરુના કહેવાથી બસ એટલું જ કરવું અને તે જ માન્યતા રહેશે તો સૌ મળશે. એક વીતરાગનો માર્ગ, બીજું નહીં. હું ખાવું છું જે જે કર્યું તે માટે, પણ છૂટવા માટે ને પરમાર્થે. કરવાની વાત એક જ છે, ઘર્મ, ગુરુગમ છે, કૂંચી હાથ છે, પણ એની કૃપા થવી જોઈએ. કૃપા થઈ તો એ જ. એની કૃપા થઈ તો બસ. પછી કંઈ નહીં. કૃપાળુની કૃપા છે. એ માટે તૈયાર થયા વિના છૂટકો ક્યાં છે? ન થાઓ તો જાઓ; જો થયા તો થઈ ગયું. આ જીવાદોરી છે. આ કળિયુગમાં વિશ્વાસ અને પ્રતીતિ રાખજો. ખબર નથી, ચમત્કાર છે ! જ્ઞાનીએ કહ્યો તે આત્મા માટે માન્ય છે. એ ખોટી વાત નો'ય. માથે એક ઘણી, ગુરુ કરો. પછી કોણ કહેનાર કે ભૂલવનાર છે ? બસ આટલામાં સમજે તો ઘણી વાત થઈ. મારો એ જ ગુરુ છે. બીજું બધું મફતિયું છે. એક આત્મા જ મારો છે. એક આત્માની પકડ કરાવવી છે. માન્યાની વાત છે. ન માન્યું તો કંઈ નહીં. ગફલતમાં જાય છે. આ વાત ચમત્કાર છે ! અમે પકડ કરીએ, બીજો ઘણી નહીં–ગુરુ નહીં. ઘણી તો એ એક જ. ગુરુએ કહી તે એક પકડ રાખવી જોઈએ. જે પકડશે એમનું છે. પકડ્યું તો થયું. વજલેપ છે. પકડી તેના બાપની–લાખો કરોડો રૂપિયાની વાત છે. જેમતેમ નથી. ગફલતમાં ન જવા દેવું. સ્મરણ સતત રાખવું. એક આત્મા સત્ છે. મનુષ્યભવ એ ચિંતામણિ પામ્યા છો. હાડકાં ચામડાં એ આત્મા નથી. આત્મા જ્ઞાનીએ જોયો છે. બીજું બધું ચાલ્યું જશે. અત્યારે કોઈ ઉપાય નથી. એક ભાવ. દીકરો, મા, બાપ, પૈસા, સ્ત્રી વગેરે બધા ઢેખાળા ને રાખનાં પડીકાં છે. કોઈ હારે લઈ ગયું છે? ફકત આત્મા જ છે. બાઈએ ય નથી ને ભાઈએ ય નથી. એ બઘામાં મૂક દીવાસળી ! એક આત્મા જે જ્ઞાનીએ જોયો તે મને માન્ય. “સદ્ધ પરમ ટુવ્હી' એક જ વચન માનવાનું છે, લક્ષમાં લેવાનું છે. તારું માન્યું તે ન માન્યું કરવાનું છે. મારો તો એક આત્મા જ છે, એમ માનવાનું છે. પણ બોઘ નથી, ગુરુગમની કૂંચી નથી. કોને પૂછે ? ભાને ? પ્રતીતિ નથી, વિશ્વાસ નથી, પકડ નથી. કરવા જેવું છે એક, તે એ કે “બીજું કાંઈ શોઘ મા. માત્ર એક પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વન્ય જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.” આ ચર્મચક્ષુ છે, ભવોભવ ગયા અને નખોદ વાળ્યું એ ચક્ષુએ. “સેવે સદ્ગુરુ ચરણને, ત્યાગી દઈ નિજપક્ષ; પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ.” Page #583 -------------------------------------------------------------------------- ________________ ४८४ ઉપદેશામૃત આ વાંચી કહેશે, “મને આવડે છે.” ભાવ આત્માનો કરવાનો છે, ઓળખાણ કરવાની ખબર નથી. ભાવ તો આત્માનો, મુદ્દે વાત આત્માની. ભાવ તો ક્યાં નથી ? “છ પદ' નો પત્ર ચિંતામણિ છે. હારે આવે એવું છે, બહુ સરસ છે. દેહ છે તે કંઈ આત્મા છે ? દેહ તો નિશ્ચયે નાશવંત છે, સંબંઘ છે. દેહ ટકવા માટે જરૂર પડતું કરવું. દેહમાં આ વેદની છે તે તો કરમ છે, ગુરુના પ્રતાપે આત્માને જાણ્યો તેથી અમને તો કાંઈ લાગે નહીં. આત્માની સાથે દેહને કે વેદનીને કાંઈ લેવાદેવા નથી, જવા માટે છે. દેહ તો સૌનો પડશે જ. કોઈનો રહેશે ? કેટલીય વાર દેહ ઘારણ કર્યા ને કેટલીય વાર પડ્યા. સુખદુ:ખ સૌ કલ્પના છે. જન્મ, જરા ને મરણ તે ચાલતું આવ્યું છે. હાડકાં, ચામડાં, માંસ, લોહી, પરુનું બનેલું આ શરીર તેમાં ‘આ હાથ મારો, પગ મારો, મોટું મારું' એમ “મારું મારું કરી બેઠો છે ને મોહનિદ્રામાં પડ્યો છે. મુમુક્ષુ છ પદના પત્રમાં મોક્ષનો ઉપાય “સમાઘિ' કહ્યો છે, તે કેમ થશે ? પ્રભુશ્રી સદ્ગુરુનો લક્ષ રાખવો અને એમનો જે લક્ષ છે તે લક્ષ રાખવો. “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.' તે ભાવના રાખવી તો થશે. એક મુલ્લાં હતો તે એક માણસને રોજ કુરાન સંભળાવવા જતો; પણ નવરાશ ન હોવાથી તે તેને રોજ પાછો કાઢતો. પછી તે માણસ મરી ગયો ત્યારે કબરમાં દાટતી વખતે મુલ્લાં કુરાન સંભળાવવા લાગ્યો. બધા કહે, આમ કેમ કરો છો ? મુલ્લાએ જવાબ આપ્યો : “આજ સુધી તેને ફુરસદ નહોતી તેથી હવે સંભળાવું છું” ત્યારે બધા કહે કે તે તો મરી ગયો છે, ત્યારે મુલ્લાં કહે, “તે તો મરી ગયો છે; પણ તમે તો સાંભળો છો ને ?' પ્રભુશ્રી (બઘાને) મરણ આવે ત્યારે શું કરવું ? ૧. મુમુક્ષુ-પહેલેથી તૈયારી રાખવી. થોડે થોડે સહનશીલતાનો અભ્યાસ કરવો. ૨. મુમુક્ષુ–લડવૈયો હથિયાર વાપરતાં શીખ્યો હોય તો લડાઈ વખતે કામ આવે. પ્રભુશ્રી–આ વાત બહુ ગહન છે. આ જીવ સમયે સમયે મરી રહ્યો છે, માટે સમયે સમયે જાગૃતિ રાખવી. એક સમયનો પણ પ્રમાદ ન કરવો. રોજ મૃત્યુ સંભારવું. તેથી મમત્વ ભાવ નહીં રહે. જીવ ઘેરાઈ જશે ત્યારે તો કંઈ નહીં બને. જેવો ભાવ, શુભ કર્યો તો તે પ્રમાણે થશે અને શુદ્ધ કર્યો તો તે પ્રમાણે થશે. તાત્પર્ય એ કે બઘાથી લઘુ થઈ જવું; વિનય કરવો. ટૂંકો રસ્તો વિનય. વિનયમાં બધું સમાય છે. નમ્યો તે પરમેશ્વરને ગમ્યો. સહનશીલતા અને ક્ષમા એ મોટામાં મોટો ઉપાય છે. ગમે તે થાય પણ ભાવ ક્ષમાનો રાખવો. સમકિતીનું લક્ષણ શું? અવળાનું સવળું કરે. “મારુંતારું' મૂકે તો સમકિત આવે. સન્મુખ દ્રષ્ટિ જોઈએ. સમકિતી પાસે રાગ-દ્વેષ જતા જ નથી. તેની સમજણ ફરી ગઈ છે. તેને Page #584 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-પ ૪૮૫ ઓળખાણ પડી ગઈ છે. આડી વજ્રની ભીંત પડી ગઈ છે. સમિતી પોતાના દોષ, દોષ ને દોષ જુએ છે. તે વિચારે છે કે તે જે કંઈ કરે છે તે બાહ્ય છે, ત્યાં કાંઈ આત્મા નથી, અને બીજા તો જે કંઈ કરે તેમાં અહંભાવ કરે. કેટલો ફેર ? ભાવ, ઉપયોગ એ ન હોય તો મડદાં. એ છે કે નહીં ? ક્યાં આઘો લેવા જવાનો છે ! રોગ આવે, પૈસા જાય, ક્રોધ આવે ત્યારે ઉપાય શો ? સમભાવ, સદાચરણમાં પહેલો સમભાવ. તે પહેલાં વિનય, શ્રદ્ધા, પ્રતીતિ આવવી જોઈએ. રુચિ જોઈશે. રુચિ હોય તો પટપટ ખાવાનું ભાવે છે. આત્મા છે; ઓળખાણ જોઈએ. તેને પકડતાં આવડવું જોઈએ. કાળ કહે છે કે હું બધે જાઉં છું, ઇન્દ્રલોકમાં પણ જાઉં છું. પણ સમભાવ આગળ મારું કંઈ ચાલતું નથી. પ્રતિબંધ કરી બેસે છે, પુદ્ગલમાં ચોટી પડે છે. દૃષ્ટિમાં ઝેર છે. જ્ઞાન હોય ત્યાં વિષયકષાય હોય ? કષાયથી તે જુદો પડ્યો. કષાય તે કર્મ છે; તે તો પડ્યાં છે. તેમાં આત્માને શું ? જ્ઞાનને શું ? ઘણું ભણ્યો હોય, પૂર્વનું જ્ઞાન હોય પણ સકિત ન પણ હોય. ઘ્યાનમાં રાખવું કે હવે કંઈ અપૂર્વ કરી લેવું. તે એ કે દેહ છે તો આ બધું થયું છે, દેહ જ વૈરી છે, તેથી બધેથી પ્રેમ ઉઠાડી આત્મા ઉપર જોડી દેવો. લો, સમભાવ, સામાયિક. કેવળજ્ઞાન સુધીનું તેમાં છે. ક્ષમા અને આજ્ઞા પણ જોઈશે. ‘રત્નકદંડ શ્રાવકાચાર'માંથી સમિતિનાં આઠ અંગ, બાર ભાવના, સંલેખના, વગેરે છપાવવા જેવાં છે. હાલના લોકોની મતિ થોડી એટલે થોડામાં સમજાય તેવું તેમાં છે. એમાં મર્મની વાત પણ છે. વાંચ્યું હોય, પર્યાય પડ્યા હોય તો યાદ આવે. મંદવાડ વખતે પડાય નહીં તેવા તેમાં ટેકા મૂક્યા છે. ટેકા હોય તો પડાય નહીં. ર‘સમયસાર'નો પણ અનુવાદ કરવા જેવો છે. અમે બધાં પુસ્તક વાંચ્યાં છે તેમાં આ બે ઠીક લાગ્યાં છે. અમે તો બધાને આત્મા જોઈએ છીએ. સાત વ્યસનનો ત્યાગ કરવો. ક્ષમાપના, વીસ દોહા, આત્મસિદ્ધિ, છ પદ રોજ ભણવાં, વિચારવાં. પ્રાર્થના બોલતી વખતે એવું નહીં માનવું કે ભગવાન આઘે છે; પણ અહીં પાસે જ છે એવું મનમાં લાવીને બોલવું. વિશ્વાસ રાખવાનો છે. વિશ્વાસ હશે તો કામ થઈ જશે. આ સાચી હુંડી છે, જેવી તેવી નથી. બાહ્ય વેશ જોવો નહીં. ૧. ‘સમાધિસોપાન’માં પ્રભુશ્રીની હસ્તીમાં જ આ છપાયાં છે. ૨. ‘સમયસાર'નો અનુવાદ પણ આશ્રમ તરફથી પ્રકાશિત થયો છે. Page #585 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ ઉપદેશામૃત વ્યવહારમાં એવું બને છે કે કોઈની સાથે તમારે ઓળખાણ હોય તો તેની સાથે લેણદેણ શરૂ થાય છે. પછી વધારે ઓળખાણ થાય ત્યારે તેની સાથેના વહેવારની કાંઈ ધાસ્તી લાગતી નથી. તેમ આ જીવે હજુ આત્માનો વહેવાર કરવા માંડ્યો નથી. તેમ કરવા માંડે તો વિશ્વાસ બેસી જાય અને ઓળખાણ થાય. ઓળખાણ થયા પછી શ્રદ્ધા આવે એટલે પછી કંઈ ફિકર થાય નહીં. અત્યારે આ જીવ મિથ્યાત્વમાં પરિણમી રહ્યો છે, સુખદુઃખની મિથ્યાત્વથી માન્યતા થઈ રહી છે; બાકી સુખદુ:ખ મિથ્યા છે. એક વખત શ્રદ્ધા થઈ જાય તો બઘો બોજો ઊતરી જાય. તાપ સખત પડતો હોય, માથે બોજો હોય, ત્રાસ-ત્રાસ થઈ રહ્યો હોય તેવા માણસનો બોજો ઊતરી જાય અને તેને છાયામાં આનંદથી બેસવાનું સ્થાન મળે તો કેવી નિરાંત થાય ? તેમ આનંદમય આત્માની શ્રદ્ધા થવાથી સુખ-દુઃખનો બોજો ઊતરી જઈ નિરાંત થાય. દ્રવ્ય બે છે : જડ અને ચેતન. પણ મિથ્યાત્વના કારણને લઈ આ જીવ જડને જડ ઓળખતો નથી અને ચેતનને ચેતન જાણતો નથી. જેમ આંધળો અને અજાણ્યો બરાબર છે તેવો થઈ ગયો છે. જે જે વસ્તુ જુએ છે તેને જડરૂપે માનતો નથી. તેની પર્યાયબુદ્ધિ છે, એટલે પર્યાય જુએ છે અને તેના નિમિત્તથી રાગ-દ્વેષ થઈ જાય છે. Page #586 -------------------------------------------------------------------------- ________________ ४८७ ઉપદેશસંગ્રહ-૬ જેઠ વદ ૩, સં. ૧૯૭૯ અમારે તો સત્ય કહેવું છે. પોતાની મતિએ શાસ્ત્રો વાંચી, મારી મતિમાં આમ આવે છે ને તેમ આવે છે, એમ સમજી ખોટું કરો છો. જ્ઞાની પુરુષની દ્રષ્ટિએ રહેવું. અમારે તો એક દ્રષ્ટિ રાખવી છે, રખાવવી છે, તેનાથી જરા પણ જુદા પડવું નથી. બધું મૂકી દઈ એક મંત્રનું સ્મરણ કરવું અને શાસ્ત્રો પણ દ્રષ્ટિ વધારવા વાંચવાં. જ્ઞાની પુરુષ સિવાય અન્યને મોઢે ઘર્મની વાત સાંભળવી નહીં. આમ બધે પ્રેમ વેરી નાંખે છે તેને બદલે એક ઉપર આવી જવું. પૂના, તા.૨-૯-૨૪ અન્ય કોઈના દોષ નહીં જોવા અને માત્ર પોતાના જ દોષ જોવા પ્રત્યે દ્રષ્ટિ રાખવી. કોઈ પણ વ્યક્તિના છૂપા દોષો, છિદ્રો બહાર નહીં પાડવાં. તેમાં મહા જોખમ છે. કોઈ આચાર્યનો શિષ્ય એક બાઈના પ્રસંગમાં આવ્યો. પોતાને વિકાર થવાથી તે શિષ્યને પોતાની સાથે સંબંઘ રાખવા તે બાઈએ માગણી કરી. પણ શિષ્યના અડગ રહેવાથી બાઈને બેઆબરૂનો ભય થયો અને શિષ્યને કટારથી મારી નાખ્યો અને છૂપી રીતે તેને જમીનમાં દાટી દીધો. આચાર્યને કોઈ રીતે શિષ્યનો પત્તો લાગ્યો નહીં. બાઈને પાછળથી પોતાના કાર્ય માટે પશ્ચાત્તાપ થયો, એટલે આચાર્ય પાસે પ્રાયશ્ચિત્ત લેવા ગઈ. બાઈને બીજે દિવસે આવવા આચાર્યું જણાવ્યું. શિષ્યનો પત્તો લાગવાનો પ્રસંગ આવ્યો છે એમ કહી બીજે દિવસે બાઈના આવવા વખતે આચાર્ય સંઘવીને આવવા જણાવ્યું. બીજે દિવસે સંઘવી આવ્યો ત્યારે તેને પેટીમાં પૂરી આચાર્ય પેટી પોતાની પાટ પાસે રાખી. પછી બાઈ આવી. પ્રાયશ્ચિત્ત લેવા બાઈએ શિષ્યને મારવાનો પોતાનો ગુનો કબૂલ કર્યો. આચાર્ય તૂર્ત જ પેટી ઉપર હાથ ઠોકી સંઘવીને સાંભળવા ઇશારો કર્યો. સંઘવી–પોતાનો સસરો ત્યાં હોવાની શંકા બાઈને થવાથી તે શરમાઈને ચાલી ગઈ. બાઈએ આપઘાત કર્યો. અપકીર્તિના ડરે તેના સસરાએ, સાસુએ અને પતિએ આપઘાત કર્યો. આમ બઘાના આપઘાતનું પાપ આચાર્યને શિર આવી પડ્યું. આચાર્યે પણ આપઘાત કર્યો. અન્યનાં છિદ્રો બહાર પાડવામાં આ પ્રમાણે મહા જોખમ છે. . Page #587 -------------------------------------------------------------------------- ________________ ४८८ ઉપદેશામૃત પૂના, તા.૨-૯-૨૪ પરમ કૃપાળુદેવે પ્રરૂપેલ સનાતન જૈન વીતરાગ માર્ગની પુષ્ટિ માટે જ આ આશ્રમ છે. આશ્રમ નજીક રહેતા સમજુ મુમુક્ષુઓને સાથે રાખી ટ્રસ્ટીઓને સંભાળવાનું છે કે આશ્રમમાં પવિત્ર સનાતન જૈન માર્ગને આંચ ન આવે. આશ્રમમાં રહેનારે બ્રહ્મચર્ય અવશ્ય પાળવું. સ્ત્રીઓએ એકલાં રહેવું નહીં. વ્યવહારશુદ્ધિ બરાબર રાખવી. કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રની સેવાપૂજા કરવી. અમને તો કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યક્ષ જ છે. તે શ્રી કૃપાળુદેવ સિવાય અમને કશું જ નથી. રોમરોમ તે જ છે. ફક્ત તેના પ્રત્યે જ સર્વેને લઈ જઈએ છીએ. આ આશ્રમની શરૂઆતમાં અમારી સેવાપૂજા થયેલ, પુષ્પો પણ ચડાવવામાં આવેલ. તે જ વખતે અમને તે ઝેરરૂપ જ હતું. પરમાર્થના હેતુવશાત્ તે ચલાવવામાં આવેલું. વખત આવ્યું દાવ લેવા લક્ષમાં રાખેલું. સંઘ અમારા માબાપ છે, એટલે તેમની પાસે આજે આ જણાવી દઈ અમે છૂટા થઈએ છીએ. કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રના વચનાનુસાર એક માત્ર સનાતન જૈન ઘર્મની પુષ્ટિ આશ્રમમાં થવી જોઈએ. સદાચરણથી કૃપાળુદેવની આજ્ઞાએ ન વર્તવું હોય તો પછી તમારા સ્વચ્છેદે ગમે તેમ આશ્રમમાં વર્તી શકો. આશ્રમ ટ્રસ્ટીઓને સોંપી અમે તો મુક્ત થયા છીએ. સનાતન જેન માર્ગની પુષ્ટિ અર્થે ટ્રસ્ટીઓએ નીડરપણે વર્તવું. કોઈનું પણ અસત્ વર્તન ચલાવી લેવું નહીં. સાધુને પણ સ્ત્રી-પરિચયમાં જોવામાં આવે તો આશ્રમમાં સ્થાન આપવું નહીં. અમારા દોષ પણ સંઘે અમને જણાવવા. યુવાન અવસ્થામાં અમારાથી થઈ શકે તેટલો ઉત્કૃષ્ટ ત્યાગ સેવેલો છે. વૃદ્ધાવસ્થાને લીધે કોઈ અપવાદ લીધેલ છે. પણ તેને વાસ્તે અમને પશ્ચાત્તાપ જ છે. - આ વ્યવસ્થા કરી હવે અમે એકાંત સેવવા માગીએ છીએ. શ્રી સંઘને વિનંતિ છે કે અમારી આજ્ઞા મળ્યા સિવાય કોઈએ અમારા સમાગમે આવવું નહીં. આશ્રમમાં કેવા પ્રકારનું વર્તન ચાલે છે તેની અમે જ્યાં હોઈશું ત્યાં ખબર પડશે. અને આવવા જેવું જણાશે તો ભાવના રહેશે. ફાગણ સુદ પૂર્ણિમા, સં. ૧૯૮૬ આજે કોઈ આંતરિક ફુરણાથી, પુરાણ પુરુષની કૃપાથી અમે તમને અમારું અંતર ખોલીને વાત કરવા બોલાવ્યા છે. તે વાત નથી સંસારની કે સ્વાર્થની કે નથી વેપારની; પણ માત્ર આત્મહિતાર્થની, પરમાર્થની છે. આ દેહનો શો ભરોસો ! અવસ્થા થઈ એટલે અમારું અંતર ખોલી આ ખુલ્લેખુલ્લી વાત અમે તમને જણાવીએ છીએ. આ હજુ અમે કોઈને કહી નથી. આ શબ્દો તો પ્રથમ કહેવાયા હોય, પરંતુ જે તે અવસરની પ્રેરણાશક્તિ અને તેનું યોગબળ એ નવું છે. તમને કહેવા યોગ્ય જાણી કહેવા પ્રેરણા થવાથી આજે ચારપાંચ દિવસથી બોલાવું બોલાવું Page #588 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૬ ૪૮૯ એમ થતું હતું અને આજે અવકાશ મળતાં બોલાવ્યા છે. આ અમે કહીએ છીએ તે બરાબર લક્ષમાં રાખશો. દિન પ્રતિદિન, સમયે સમયે ઉપયોગમાં રાખશો. એ જ કરવાનું છે. આ બધું આજે ન સમજાય, પણ શ્રદ્ધા છે તેથી માન્ય રાખવાનું છે; અને તે આગળ ઉપર અવસરે સમજાશે. શ્રી મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને આજ્ઞા કરી હતી કે જાઓ, અમુકને આમ કહેજો. પરમકૃપાળુદેવે સૌભાગ્યભાઈને કહીને મોકલ્યા કે મુનિને આ પ્રકારે કહેજો. એમ અમને પરમકૃપાળુદેવે નથી કહેલ કે તમે આ પ્રમાણે કહેશો. (આ વ્યક્તિગત વાત છે. કૃપાળુશ્રીએ પત્રોમાં તો સામાન્યપણે ‘આમ આત્માર્થીને કહેવું, આ પ્રકારનો ઉપદેશ કર્તવ્ય છે' આદિ જણાવેલ છે જે ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ જોતાં સમજાશે.) પરંતુ આજ્ઞા કોઈ જીવાત્માને પ્રત્યક્ષ પુરુષથી સ્વમુખે પ્રાપ્ત થઈ હોય છે; કોઈને પ્રત્યક્ષ પુરુષના કહેવાથી કોઈ અન્ય જીવાત્મા આજ્ઞા કરે છે અને કોઈ જીવ પ્રત્યક્ષ પુરુષથી પ્રાપ્ત આજ્ઞાને આરાધતા જીવાત્માને જોઈ ‘તે આરાધક સાચા પુરુષની સત્ય રીતે આજ્ઞા ઉપાસે છે' એવા વિશ્વાસથી તદનુસાર તે પ્રત્યક્ષ પુરુષની આજ્ઞા-આરાધકને થયેલ આજ્ઞા પોતાના આત્માને હિતકારી જાણી તે આરાધક પાસેથી જાણી, સમજી ઉપાસે છે; જેમકે વણાગ નટવરને પ્રત્યક્ષ પુરુષથી આજ્ઞા પ્રાપ્ત થયેલ અને તેની તે ઉપાસના જોઈ, વણાગ નટવર સાચા પુરુષની સાચી રીતે આજ્ઞા ઉપાસે છે એવી શ્રદ્ધાથી, તેનો દાસ ‘આ વણાગ નટવર જે અને જેમ ઉપાસે છે તે મને હો ! હું કાંઈ સમજતો નથી' એમ વિચારતો થકો આજ્ઞા-આરાધક થઈ કલ્યાણને પ્રાપ્ત થયો. આ પ્રમાણે અમને જે પરમકૃપાળુદેવે આજ્ઞા કરી છે અને જે અમે આરાધીએ છીએ, જેની અમને દૃઢ શ્રદ્ધા છે તે અમે તમને આજે સ્પષ્ટ અંતઃકરણે ખુલ્લા શબ્દોમાં કહીએ છીએ; કારણ કે અમારાં વચન ઉપર તમને વિશ્વાસ છે, શ્રદ્ધા છે કે આ જે પોતે આરાધે છે તે જ કહે છે. પરમકૃપાળુદેવની આજ્ઞા પ્રત્યે પરિણામપૂર્વક દૃઢ શ્રદ્ધાથી ઉપાસના કરશો તો કલ્યાણ જ છે. એ આજ્ઞા તે ‘સહજાત્મસ્વરૂપ’ એ છે; અને એ જ આત્મા છે, એમ દૃઢ શ્રદ્ધા રાખવી. આ તો સાંભળ્યું છે, એમાં બીજું નવું શું છે ? એ પ્રકારના વિકલ્પથી સામાન્યપણામાં ન કાઢી નાખતાં, આમાં કોઈ અલૌકિકતા રહી છે એમ માની દૃઢ શ્રદ્ધાથી આરાધન કરવું. મરણ તો સર્વને જ; દેહ ધર્યો ત્યારથી જ મરણ છે અને મરણ સમયની વેદના પણ અસહ્ય હોય છે. ભલભલા ભાન ભૂલી જાય છે. તે વખતે કંઈ પણ યાદ આવી શકતું નથી. માટે અત્યારથી જ તેની તૈયારી કરી રાખવી કે સમાધિમરણ થાય. ‘મરણ અવસરે મને બીજું કંઈ ના હો, આ જ આજ્ઞા માન્ય હો ! હું કંઈ પણ જાણતો નથી, પરંતુ આ જે કહે છે તે જ સત્ય છે અને તે જ આજ્ઞા માન્ય હો !' એમ તૈયારી કરી રાખવી. સમયે સમયે જીવ મરી રહ્યો છે. માટે સમય માત્રનો પણ પ્રમાદ ન કરતાં, ‘સમય ગોયમ મા પમાÇ' એ વાકય યાદ રાખીને સમયે સમયે આજ્ઞામાં પરિણામ કરવાં. મારું તો એ પુરાણપુરુષ પરમકૃપાળુદેવે જે કહ્યું છે તે એક માત્ર ‘સહજાત્મસ્વરૂપ' જ છે, અન્ય કાંઈ મારું નથી. અંતરાત્માથી ૫રમાત્માને ભજાય છે. માટે અંતરથી (અંતરાત્મા થઈ પરમાત્મામાં જેને દૃઢ, સત્ય શ્રદ્ધા છે તે અંતરાત્મા છે) દૃઢ Page #589 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ ઉપદેશામૃત શ્રદ્ધા રાખીને આજ્ઞા ઉપાસવી. આ સંજોગ-સંબંઘ સ્ત્રી-પુત્ર, માતા-પિતા, ભાઈ આદિ સર્વ પર્યાય છે (કર્મજન્ય પદ્ગલિક અને વૈભાવિક પર્યાય છે) અને નાશવંત છે. માટે તે કોઈ મારાં નથી. મારા તો એક સસ્વરૂપી પરમ કૃપાળુદેવ છે, અને તેમણે જે આજ્ઞા કરી છે અને કહ્યો છે તેવો સહજાન્મસ્વરૂપી એક આત્મા જ છે. તે સહજત્મસ્વરૂપ આત્મા છે, નિત્ય છે, એ આદિ છ પદ જે પરમ કૃપાળુદેવે કહ્યાં છે તે સ્વરૂપવંત છે. એ મારો છે એમ માનવું. અત્યારથી તૈયારી કરી રાખવી કે મરણ સમયે આ આજ્ઞા જ માનીશ, બીજું કંઈ નહીં માનું. એ માનવાથી જ, એ માન્યતા રહેવાથી તે સાથે જે મરણ છે તે સમાધિમરણ છે. જ્ઞાન-દર્શનચારિત્રમય સહજત્મસ્વરૂપ આત્મા એ જ આપણો છે, એમ માનવું. જીવ પોતાની મેળે શ્રદ્ધા, ભાવના કરે એના કરતાં આ તો સાક્ષી થઈ, અમારી સાક્ષીયુક્ત થયું. એક ચક્રવર્તી રાજા હોય તો તે જીતી શકાવો અઘરો છે, તો આ તો ચાર ચક્રવર્તી ક્રોધ, માન, માયા, લોભરૂપ–રાજ ચલાવી રહ્યા છે. તે કષાય અને વિષયરૂપી કર્મરાજાની અનીતિ સામે ખરો સત્યાગ્રહ કરવાનો છે. અને તે વિષય-કષાયથી જુદું મારું સ્વરૂપ તો પરમકૃપાળુદેવે જે કહ્યું છે તે આજ્ઞા સહજાત્મસ્વરૂપ જ છે, એમ સમયે સમયે દૃઢ શ્રદ્ધાપૂર્વક વર્તવું અને તેમ કરતાં જે કંઈ આવે તે સહન કરવું. સહનશીલતાનો માર્ગ છે, અને એ પ્રકારનો સત્યાગ્રહ તે ખરો સત્યાગ્રહ છે, અને તે કરવાનો છે. આપણે આ સત્યાગ્રહમાં સ્વયંસેવક તરીકે નામ નોંઘાવવાનું છે. ખરો આત્મકલ્યાણરૂપ આ સત્યાગ્રહ કરો. પરમકૃપાળુદેવ પ્રબોધિત આજ્ઞા સહજાન્મસ્વરૂપ એ જ આત્મા છે અને તે જ મારો છે, એમ ભાવના, દ્રઢ શ્રદ્ધા પરિણામ કરો. પાંચ સમવાય કારણ મળે ત્યારે કાર્ય-નિષ્પત્તિ થાય છે, અને તેમાં પુરુષાર્થ શ્રેષ્ઠ છે. માટે પુરુષાર્થ એ કર્તવ્ય છે. આજ્ઞા ઉપાસવી અને તેમ કરતાં સદા આનંદમાં રહેવું. મારું સ્વરૂપ તો જ્ઞાન-દર્શનચારિત્રમય આત્મા એ જ છે. અને તેનાથી અન્ય છે તે વિનાશી છે, તો તેનો ખેદ શો ? માટે ખેદ ન કરતાં સદા આજ્ઞામાં લક્ષ-ઉપયોગ રાખી વર્તતાં આનંદમાં રહેવું. આ જ કરવું છે એમ નિશ્ચય કરવો. અને આ જ ખરું વ્રત છે. આજ્ઞામાં ઉપયોગ, તેની ઉપાસના એ જ ખરું વ્રત આરાઘવા યોગ્ય છે. અનંતા જ્ઞાની જે થઈ ગયા છે તેનો બઘાનો આ જ માર્ગ છે, આ જ આજ્ઞા છે; અને તે જ પ્રત્યક્ષપણે પરમકૃપાળુદેવે જણાવી છે. માટે પરમકૃપાળુદેવની આજ્ઞા આરાધતાં સર્વ જ્ઞાનીની ઉપાસના આવી જાય છે. આ બરાબર સ્મરણમાં રાખશો; ઉપયોગમાં રાખશો અને એ જ માન્યતા એવી તો દ્રઢ કરવી કે મરણ સમયે તે જ આપણને હો ! એ જ લક્ષ રાખવો. આ રોજ પ્રત્યે સંભારશો, વિચારશો. અમારી આ જ તમને સૂચના છે; અને એ જ કરવાનું છે. આ કોઈ પુરાણપુરુષની અત્યંત કૃપા છે. “કાલ સ્વભાવ ઉદ્યમ નસીબ, તથા ભાવિ બળવાન; પાંચે કારણ જબ મિલે, તબ કાર્યસિદ્ધિ નિદાન.” Page #590 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૬ ૪૯૧ શ્રાવણ સુદ ૧૪, સં. ૧૯૮૮, સાંજના સાડા સાતે [મુનિશ્રી મોહનલાલજીની માંદગી વખતે સહજાત્મસ્વરૂપ પરમગુરુ,” સહજાત્મસ્વરૂપ પરમગુરુ, સહજાત્મસ્વરૂપ પરમગુરુ,” આત્મા છે, ભિન્ન છે, ટંકોત્કીર્ણ છે, અસંગ છે. જડ તે જડ છે; ચેતન તે ચેતન છે. જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ; કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ.” કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. વેદની વેદનીના કાળે ક્ષય થાય છે. મોક્ષ છે. નિર્જરા જ થાય છે. આત્મા શાશ્વત છે, ત્રિકાળ જ રહેશે. સહજાત્મસ્વરૂપ પરમગુરુ,” ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ,” ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ,” રાતના સાડાદસ પ્રભુશ્રી–સાંભળી શકાય છે કે કેમ ? મુમુક્ષુ સાંભળી શકે છે. બહુ ભાન છે. પ્રભુશ્રી– સહજાત્મસ્વરૂપ પરમગુરુ, સહજાત્મસ્વરૂપ પરમગુરુ,” સહજાત્મસ્વરૂપ પરમગુરુ.” ઉપયોગ છે તે આત્મા છે. વિચાર છે તે આત્મા છે. ઉપયોગ છે, વિચાર છે તે આત્મા છે. ઉપયોગ, વિચાર છે તે જો નિશ્ચયનયે આત્મા પર જાય તો કોટિ કર્મનો ક્ષય થઈ જાય છે. માટે તે ઉપર લક્ષ રાખવું. અથવા પુરુષ મળ્યા હોય, બોઘ થયો હોય, ભાન થયું હોય તો તેને કંઈ અડચણ નથી. વેદની મહા દુઃખ જન્મજરામરણનું છે. વેદની વઘુ આવવાનું કહીએ તો આવે તેમ નથી અને ઘટી જાય એમ કહેવાથી ઘટી જાય એમ નથી. માટે રાગ-દ્વેષ કરવા નહીં. એ તો ભિન્ન જ છે. પુરુષનો બોઘ, તેની આજ્ઞામાં રહેવું. ન પળાય તો મારા કર્મનો દોષ છે, પણ સત્પરુષે જાણ્યો છે તેવો જ મારો આત્મા છે. એમ શ્રદ્ધા, માન્યતા હશે તો પણ તેનું વણાગ નટવરના દાસની પેઠે કામ થશે. આ જગા જુદી છે. ઘણાનાં કામ થઈ જશે. બાકી સંસારમાં તો “તમે જાઓ, અમે આવીએ છીએ,” “ઊભો તે પડવાનો. મતલબ કે બઘાને મરણ તો છે જ. માટે પર્યાયવૃષ્ટિ ન રાખવી. આ બઘા પર્યાય જ છે. પ્રકૃતિ-સ્વભાવ છે, તે ઉપર જોવું નહીં. ઉપયોગપૂર્વક, વિચારપૂર્વક જોવું. બાકી ખરેખરું તો જ્ઞાની જ જાણે છે અને તે જ Page #591 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ ઉપદેશામૃત કહી શકે. આપણાથી “આત્મા છે' એમ જાણ્યા વગર ન કહી શકાય. પણ જ્ઞાનીએ જાણ્યું છે એ શ્રદ્ધાએ કહે તો વાંધો નથી. બ્રહ્માગ્નિ છે ત્યાં બધું બળી જાય છે; કર્મો નાશ પામે છે. ઉપયોગ, વિચાર જો આત્મા પર ગયો તો કરોડો કર્મ નાશ પામે છે. આ મુનિએ તો બધું કરી લીધું છે. ક્ષમાપના પણ સર્વ જીવ પ્રત્યે માગી લીઘેલી છે. સારા વખતમાં કરી લેવું. પરવશતાએ કંઈ થશે નહીં. શ્રાવણ વદ ૦)), સં. ૧૯૮૮ આત્મા ત્રણ લોકમાં સાર વસ્તુ છે. આત્મા શા વડે ગ્રહાય? ઉપયોગ વડે ગ્રહાય. આત્મા જ્ઞાનીએ જાણ્યો તે માટે માન્ય છે. આ શ્રવણ, બોઘ પ્રત્યે અવિચલ શ્રદ્ધા રહેશે તેનું કલ્યાણ છે. પર્યાયવૃષ્ટિ એટલે દેહ, વચન, મન અને તેથી પ્રહાયેલ પૌલિક ભાવ, તે હું નહીં. પર્યાયવૃષ્ટિ છોડવી. પર્યાયવૃષ્ટિમાં ઉપયોગ પરોવાય તે સમયે દેહાદિ તજી મરવું સારું છે. અને ઉપયોગ આત્મવૃષ્ટિ ઉપર જતો હોય તો દેહને રત્નના કરંડિયા સમાન ગણી સાચવવા યોગ્ય છે. ઘર સળગવા લાગે તે વખતે વિચક્ષણ પુરુષ સારી વસ્તુ બહાર કાઢી લઈ બાકી ન બચાવાય તે બળી જવા દે છે; ને અણસમજુ જીવો નજીવી વસ્તુઓ કાઢી લેવા પ્રયત્ન કરે છે. તે દૃષ્ટાંતે આ મનુષ્યદેહ છે તે ક્રોધાદિ ભાવથી બળતો છે અને ક્ષણભંગુર છે. તો તેમાંથી રત્નત્રયરૂપી ત્રણ રત્ન સાધ્ય કરી લેવા યોગ્ય છે. કંઈ ન સમજાય તો મારા ગુરુએ કહ્યું તે માટે માન્ય છે, એમ ઉપયોગ રાખવો. અંજન આદિ ચોર મહાપાપના કરનારાઓનો પણ તે શ્રદ્ધાથી ઉદ્ધાર થયો હતો; માટે વચન પ્રત્યે અડગ પ્રતીતિ રાખવી. * નવસારી, મે, સં.૧૯૩૩ આસ્રવમાં સંવર થાય એવી કોઈક રમત જ્ઞાની પુરુષ પાસે છે. તે જે જે જુએ, જે જે કંઈ કરે ત્યાં પ્રથમ આત્મા જુએ છે. તેના વિના તરણાના બે કટકા પણ થઈ શકે તેમ નથી. પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે આત્માને મૂકીને કંઈ થતું નથી. મારી નાખ આત્માને, તે મરી શકશે? માત્ર ઓળખાણ નથી. ઝવેરીને હીરાની ઓળખાણ છે તો તેની કિંમ્મત સમજાય છે. કઠિયારાના હાથમાં રત્નચિંતામણિ આવે તો તેને પણ કાંકરો જાણીને ફેંકી દે છે. રત્નચિંતામણિ તો આ મનુષ્યભવ છે. આવો યોગ પુણ્યાનું ફળ છે, તે પણ જોઈએ. પુણ્યાઈ છે તો અત્યારે આ નિવૃત્તિના યોગે આત્માની વાત કાનમાં પડે છે અને પરિણમે છે. પરિણામ પરિણામમાં પણ ઘણા ભેદ છે. ભાવ અને પરિણામ વારંવાર કહીએ છીએ તે વિચારવા યોગ્ય છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર બહુ અમૂલ્ય છે, રિદ્ધિ સિદ્ધિઓ અને ચમત્કારોથી ભરેલ છે ! પણ સમજાય કોને? અને Page #592 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૬ ૪૯૩ સમજાય તેને તે રિદ્ધિ-સિદ્ધિનું કામ નથી. પણ એ અપૂર્વ વચનો છે, વિશ્વાસ કરવા યોગ્ય છે. ભલે મને ન સમજાય, પણ પરમકૃપાળુદેવને તો સમજાયું છે ને ? એટલો વિશ્વાસ તો અવશ્ય કર્તવ્ય છે. “કર વિચાર તો પામ,” એમાં સર્વ ક્રિયા-જ્ઞાન માત્ર આવી જાય છે. પણ તેનું માહાસ્ય લાગવું જોઈએ. વિચાર થવો જોઈએ. શું કહીએ? યોગ્યતાની ખામી છે. છતાં કહેવામાં તે પુરુષે કચાશ રાખી નથી. છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ, નહિ ભોક્તા તું તેહનો, એ જ ઘર્મનો મર્મ.” આત્માનું સુખ અનંતું છે. જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં,—એ સુખનો સ્વાદ આવવો જોઈએ. તે વિષે પ્રથમ સપુરુષ દ્વારા શ્રવણ થાય તો પણ મહા ભાગ્ય ગણવું જોઈએ. એ વાત બીજે કયાં મળે ? સત્સંગમાં જ આત્માની વાત થાય. કંઈ પૈસાટકાની પેઠે આ બોઘનો લાભ જણાતો નથી, દેખાતો નથી, પણ જ્ઞાની જાણી રહ્યા છે. પૈસા તો માટી છે, અહીં જ પડી રહેવાના છે. પણ આત્માનો ઘર્મ આત્માની સાથે જનાર છે, માટે તેની ઘણી કાળજી રાખી સાંભળ્યા કરવું. સાંભળતાં સાંભળતાં આત્મસ્વરૂપનું ભાન થશે. કંઈ ગભરાવા જેવું નથી. “કંઈ ગમતું નથી. ચાલો ઊઠી જઈએ, જતા રહીએ,” એમ કરવા યોગ્ય નથી. ગમે તેટલાં કષ્ટ પડે તો પણ તે વિષેની વાત સાંભળવી ઘટે છે; શાતાઅશાતા તો કર્મ છે, તેનાથી કંઈ ગભરાવું નહીં. એ આપણું છે જ નહીં, સર્વ જવાનું છે; આત્માનો કદી નાશ થવાનો નથી. તેની ઓળખાણ કરી લેવાની છે, સત્સંગે તે થાય છે. સહજ મિલ્યા સો દૂઘ બરાબર, માગ લિયા સો પાણી; ખેંચ લિયા સો રક્ત બરાબર, ગોરખ બોલ્યા વાણી.” આબુરોડ, સં. ૧૯૩૫ હવે જોગ આવ્યો છે. માટે આત્માનો વિચાર કરવો. હું આત્મા છું. જ્ઞાન, દર્શન, ચારિત્ર એ બધું આત્મામાં છે. આત્મા અજર, અમર, અવિનાશી શાશ્વતો છે. આત્મા સ્ત્રી, પુરુષ, નપુંસક કોઈ નથી, તેથી જુદો છે. આવો જોગ મળવો દુર્લભ છે. જો જીવ ચેતે અને ઘાર્યું હોય તો આત્માને પણ પ્રાપ્ત કરે. બહુ પુણ્યકેરા પુંજથી આ મનુષ્ય દેહ મળ્યો છે. “જન્મ, જરા અને મરણ; જન્મ, જરા અને મરણ” રૂપી સંસાર છે. તેમાં રાગ-દ્વેષ થયા કરે છે. ઘન, પૈસો, સ્ત્રી–કોઈ રહેવાનું નથી. આ ભવચક્રનો આંટો શાથી ટળે? આશા તૃષ્ણા ટળે કે નહીં? આ મનુષ્યભવમાં જન્મમરણ વઘાર્યાં વધે ને ઘટાડ્યાં ઘટે. શાથી? તો ભાવથી. જેવા ભાવ તેવા પ્રભુ ફળે. કોઈ વાતે મુઝાવું નહીં. સમજણની જરૂર છે. અપૂર્વ સામગ્રી મળી છે. માટે લહાવો લઈ લેવા ચૂકવું નહીં. આખો લોક ત્રિવિઘ તાપથી બળી રહ્યો છે. તેમાંથી બચવું હોય તો સત્સંગ અને સદ્ધોધ જોઈએ. અધિકારીપણું હોય અને ભેદી મળે તો માર્ગ બતાવે. Page #593 -------------------------------------------------------------------------- ________________ ४८४ ઉપદેશામૃત “જાણ આગળ અજાણ થઈએ, તત્ત્વ લઈએ તાણી; આગલો થાય આગ, તો આપણે થઈએ પાણી.” આત્માની વાત કાઢી હોય તો તે થાય અને બીજી વાત કાઢી હોય તો તે નીકળે; માટે જેટલી કાળજી સંસારની રાખે છે તેટલી કાળજી આત્માની રાખે તો જન્મમરણ ટળે. આબુ, તા.૪-૬-૩૫ કર્મરૂપી વાદળાં ગોટેગોટ આવે છે ત્યાં સુધી અંધારું; પણ વાદળાં ખસી ગયાં એટલે અજવાળું. સત્સમાગમ થાય, એટલે કર્મરૂપી વાદળાં ખસી અજવાળું થાય. જ્ઞાની પુરુષો કહે છે કે આત્મા સૌથી છૂટો છે, બંઘાયેલો નથી. પણ અન્ન એવા ઓડકાર આવે છે. નવરો બેઠો બેઠો કલ્પના કર્યા કરે છે. કલ્પનાનો કોથળો છે. બધું ખોટું છે; એ માનવા જેવું નથી. જ્ઞાની જે બોલે તે માન્ય, પ્રમાણ છે. જે મળ્યું તેનાથી સંતોષ રાખવો. દેહનો નાશ થશે, પણ આત્માનો નાશ નહીં થાય. માટે આત્માની ઓળખાણ કરવી. બીજું બધું તો અનંતી વાર જોયું. સારમાં સાર શું છે? રાજા હો કે રંક હો, પણ સારામાં સાર ભક્તિ છે. એ હારે જશે. બીજું બધું તો પંખીના મેળા જેવું છે. તો બીજું કંઈ જોવું નહીં. જ્યાં લગી આત્માને જાણ્યો નહીં ત્યાં સુધી બધી સાઘના જૂઠી છે. લાખો કરોડો રૂપિયા મળે પણ આ નહીં મળે. રાજા હો કે રંક હો પણ બધા આત્મા સરખા છે. આખરે સર્વને દેહ મૂકવો પડશે; કોઈનો રહ્યો નથી. માટે જ્ઞાનીનું એક વચન પણ પકડી લેવું; તો કામ થઈ જશે. ઘરડો જુવાન, નાનો મોટો એ તો પર્યાય છે. મોહ અને અજ્ઞાન એ દુઃખ દે છે. એ જ મારું ઘન, મારી સ્ત્રી, મા, ઘર, વગેરે કરાવે છે. એ તો માયા છે માટે ચેતજો. અવસર આવ્યો છે. પકડે એના બાપનું છે. હૈયે તે હોઠે આવશે. માટે આત્માની ભાવના રાખવી; તો કર્મની કોડ આપશે. આ જ્ઞાનીનાં વચન છે. જ્ઞાની આનું ભલું થાય, આનું ભૂંડું થાય એમ ઇચ્છતા નથી; સર્વનું ભલું જ ઇચ્છે છે. આબુ, તા.પ-૬-૩૫ જીવને દુઃખ, દુઃખ ને દુઃખ છે. સુખ ક્યાંય નથી. પગ મૂકતાં પાપ છે; જોતાં ઝેર છે. બધું વાંકું, વાંકું ને વાંકું છે; સીધું કશું નથી. વિધ્ર ઘણાં છે. વિશ્વામિત્રે યજ્ઞ કર્યો ત્યારે રાક્ષસોએ વારે વારે વિધ્ર કરી યજ્ઞ નિષ્ફળ કર્યો. પણ જ્યારે રામ આવ્યા ત્યારે બધું સફળ; એ જ રામ છે. જ્યાં સુધી દિવસ ઊગ્યો ન હોય ત્યાં સુધી અંધારું જ રહેશે. જ્યારે દિવસ ઊગશે ત્યારે અજવાળું થશે. જીવને સ્ત્રી-પુત્ર, ઘનમાલ, કુટુંબ-પરિવાર મળ્યાં એટલે એ સુખ માની બેસે કે બસ થયું. પણ એ તો દુઃખ, દુઃખ ને દુઃખ છે. શ્રેણિક રાજા જંગલમાં ઘોડે બેસી ફરવા ગયા. ત્યાં એક મુનિનું વચન સાંભળ્યું એટલે બધું ફરી ગયું. દી ઊગ્યો; અંઘારું મટી અજવાળું થઈ ગયું, સમકિત થયું. કોને કહેવું? અને કોને સંભળાવવું? Page #594 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૬ ૪૯૫ આત્મસિદ્ધિ,” ભક્તિભજન તો કર્યા પણ ક્યારામાં પાણી ન ગયું, બહાર ઢળી ગયું. એ હવે કેમ કહેવાય? કાણાને કાણો કહે તો ખોટું લાગે. શ્રદ્ધા પ્રતીત કરવી. આ જ રસ્તે સર્વનું કલ્યાણ છે. ભિખારીની પેઠે ઠીબધું લઈ ફરે છે. પણ એ ફેંકી દેવું પડશે. સારું ભાજન હોય તો એમાં સારી વસ્તુ રહે. ખરાબ ભાજન હોય તો તેમાં સારી વસ્તુ નાખે તો પણ ખરાબ થઈ જાય. માટે ભાજન સારું રાખવું. હીરાનો હાર હોય તે બાળકનાં હાથમાં આવે તો તેને ચોળે, તોડે અને રમે; કારણ એને એની કિંમત નથી. તેમ આત્મસિદ્ધિમાં મહા ચમત્કાર છે; પણ જીવે સામાન્ય કરી નાખ્યું છે. ભણ્યા ન હો તો ભણવું તો પડશે જ. સ્વચ્છેદે જે થયું છે તે જ જીવને બંધન છે; તે મૂકવું પડશે; પુરુષાર્થ કરવો પડશે. દાળ ઓગળે નહીં ત્યારે અંદર કંઈ નાખે એટલે ઓગળી જાય, તેમ અંદર કંઈ નાખવું પડશે. કર્યું થશે. ખાય તો જ ઘરાય. ન ખાય તો શું ઘરાય ? “ભક્તિ ભક્તિ કરે છે પણ ફેર છે. સમજીને ભક્તિ કરવી. પોતાની સમજે કરશો તો કંઈ વળશે નહીં, માટે સપુરુષની સમજે કરશો તો જરૂર ફળ મળશે. બીજું બધું બંધન છે, માયા છે; એ કરવા જેવું નથી. આ કંઈ પોપાબાઈનું રાજ નથી. એનું સ્વપ્ન જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે; થાય સદ્ગુરુનો લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારીનો સંગ રે.” બધે દગો છે. માટે આત્માના થઈ જાઓ. એક સોય પણ સાથે જાય તેમ નથી. હરણિયાં હોય છે તે પારધીના વાજિંત્રમાં લયલીન થઈ જાય છે ત્યારે પારથી તેને બાણથી મારે છે. તેમ આ જીવ સંસારમાં લયલીન થઈ મરણને શરણ થાય છે. આબુ, તા.૧૦-૬-૩૫ પરદેશ જાય ત્યાં ભાવું હોય તો ખાય; નહીં તો શું ખાય! તેમ મનુષ્યભવ પામી પૂર્વનું ભાથું ખાય છે. તે થઈ રહ્યા પછી શું ખાઈશ? માટે કંઈ કરી લેવું જોઈએ. કરેલું અલેખે નહીં જાય. અવસર આવ્યો છે. સમયે સમયે મરી રહ્યો છે. ભૂલ માત્ર અજ્ઞાનની કાઢવી છે. ક્ષણે ક્ષણે જાગ્રત રહેવાની જરૂર છે. સત્સંગમાં ભક્તિમાં કોઈ ગાંડો ઘેલો જ્ઞાનીનાં વચનો બોલતો હોય કે પત્ર ફેરવતો હોય તો કાન દઈ સાંભળવાં. એવાં કયાં ઘન્ય ભાગ્ય હોય કે તેનું વચન આપણે કાને પડે? તે સાંભળવું મહા લાભનું કારણ છે. પણ આ જીવ બીજી બહારની વાતો કાન દઈ સાંભળીને રાગ-દ્વેષ કરી કષાયનાં નિમિત્ત ઊભાં કરી પાપ બાંધે છે. સ્ત્રીઓ પાણી ભરવા જાય ત્યાં બેડું માથા ઉપર મૂકીને બીજી વાતોમાં કલાક સુધી ખોટી થઈ રહે; પણ સત્સંગમાં આવે ત્યાં બેસવું ગમે નહીં અને અરુચિ થાય. ભણવામાં, શીખવામાં આળસ, પ્રમાદ થાય કે કંટાળો આવી જાય. તે વખતે ગમે તેમ કરીને પણ પ્રમાદ, આળસ ન થવા દેવાં. મનુષ્યભવનો એક સમય પણ રત્નચિંતામણિથી અધિક છે. Page #595 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ ઉપદેશામૃત જ્ઞાની પુરુષ પાસેથી જે કંઈ સ્મરણ કે સાઘન થોડું પણ મળ્યું હોય તેટલું શ્રદ્ધા રાખી કર્યા કરે તો તેનું ફળ કોઈ જુદું જ આવશે, ઠેઠ લઈ જશે. બહુ પુણ્ય કેરા પુંજથી' એ પદ જીવે વિચારવું. બ્રહ્મચર્ય વ્રત આવ્યું તો મનુષ્યપણાનું સફળપણું છે. તે વ્રત લઈને કોઈની સાથે પ્રતિબંધ, દ્રષ્ટિરાગ કે પ્રસંગ કરવા નહીં; જાગ્રત રહેવું. કદી એ વ્રત લઈ ભાંગવાનો પ્રસંગ આવે ત્યારે પેટમાં કટાર મારી કે ઝેરનું પવાલું પીને મરી જવું, પણ વ્રત ભાંગવું નહીં–આટલો ટેક રાખવો. વ્રત લઈને ભાંગે તો નરકની ગતિ થાય. આ વ્રત પાળવાથી પાત્રતા, સમકિત, વગેરે આવશે; કેમકે, તમને ખબર નથી પણ જેની સાક્ષીએ વ્રત લીધું છે તે પુરુષ સાચો છે, માટે દુઃપચખાણ નથી પણ સુપચખાણ છે—જાણીને આપેલું છે. લક્ષ એક આત્માર્થનો રાખવો. - કૃપાળુદેવનું વચન છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે. ઉપદેશ, સત્સંગ જેવું સંસારથી તરી જવાને બીજું કોઈ સાધન નથી. સત્સંગના યોગે તિર્યંચગતિના જીવો પણ સપુરુષના બોઘે દેવગતિ પામી, સમકિત પામી મોક્ષપ્રાપ્ત થયા છે, તેવી શાસ્ત્રમાં કથાઓ છે. માટે જીવને સત્સંગ જ કર્તવ્ય છે. તેથી સમકિત આવે છે અને મોક્ષ પણ થાય છે. સત્સંગ પ્રાપ્ત થયા છતાં જીવને તે સત્સંગની ઓળખાણ થઈ નથી. તેનો જીવે વિચાર કર્યો નથી. વિચાર કરી નિશ્ચય કર્યો નથી કે આ જ આત્મા છે. જીવે શ્રવણ કરી તે વચનોનું પરિણમન કર્યું નથી; નહીં તો ફળ આવ્યા વિના રહે નહીં. ખામી યોગ્યતાની છે. તા. ૯--૩૬ આત્માની ઘાત કરનાર આરંભ અને પરિગ્રહ છે. આ જગતમાં કંઈ નથી. એક આત્માની ઓળખાણ કરવાની છે. છોકરાં ન હોય તો તેની ઇચ્છા, ઘન ન હોય તો તેની ઇચ્છા, ઘણી ન હોય તો ઘણીની ઇચ્છા રાખ્યા કરે છે. સુખ-દુઃખને જાણનાર આત્મા છે. બંઘ અને મોક્ષ પણ તેથી થાય છે. આરંભ અને પરિગ્રહથી જીવનું ભૂંડું થયું છે. જીવ માત્ર આથી અટક્યો છે. તેની ઇચ્છા છે, માયા છે એ મૂકવા જેવી છે. તે ઘણી હાનિ કરનાર છે. જેને આરંભ અને પરિગ્રહ ઉપર મમતા અને મૂછ છે તે ઘણો દુઃખી છે. આટલા મનુષ્યભવમાં ચેતવા જેવું છે. વાની મારી કોયલ છે. પંખીનો મેળો છે. “મારા બાપ, મારી મા, મારું ઘન, મારું કુટુંબ” એ માયા છે. ભૂંડામાં ભૂંડી તૃષ્ણા છે. “ક્યા ઇચ્છત ? ખોવત સર્બ, હૈ ઇચ્છા દુઃખમૂલ; જબ ઇચ્છાકો નાશ તબ, મિટે અનાદિ ભૂલ.” ઇચ્છાનો નાશ કરવાનો છે. સમજણ હોય તો ભવનો નાશ થાય છે. તેનું ભાન નથી. જેને માટે પોતે મોહ-મૂછ કરી દોડાદોડ કરી રહ્યો છે તે જવાનું છે તેનું ભાન નથી. આ બધી વાત અણસમજની છે. જન્મ-જરા-મરણનાં વઘારે દુઃખ છે. આખો લોક ત્રિવિધ તાપથી બળ્યા કરે Page #596 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશસંગ્રહ-૬ ૪૯૭ છે. બીજાનું લેવા ઇચ્છે છે તે ભિખારી છે. એક સંતે રાજાને કહેલું કે તું ભિખારી છે. પોતાનું રાજ મૂકી બીજું લેવા જાય છે તેથી ભિખારી છે. તેમ આ જીવને પણ ઇચ્છા, ઇચ્છા અને ઇચ્છા. આત્માનો વેપાર કર્યો હોત તો નફો થાત, પણ ચામડાનો વેપાર કર્યો છે. આ મારું નાક છે, મારા હાથ છે' એમ ભાવના કરે છે. જે પોતાનું નથી તેને મેળવવાની ઇચ્છા કરે છે. જહાં કલપના-જલપના, તહાં માનું દુઃખ છાંઈ; મિટે કલપના-જલપના, તબ વસ્તુ તિન પાઈ.” આમ કૃપાળુદેવે પોકારી પોકારીને કહ્યું છે. આ જગતમાં કોઈની ઇચ્છાની ભૂખ મટી ? એ કોઈના હાથમાં છે ? ઇચ્છા માટે ઊંડો વિચાર કરવો. અંદર કંઈ નથી. વિચાર કરે તો તેનોઇચ્છા, તૃષ્ણાનો-નાશ થાય છે. આ બઘા બેઠા છો, પણ આત્મા કોઈએ જોયો ? આ કોઈને ખબર છે ? આનો ભેદી મળ્યો છે ? વાણિયો, બ્રાહ્મણ, મોટો, નાનો, રોગી છે ? આ ય આત્મા છે, આ ય આત્મા છે. સર્વાત્મમાં સમદ્રષ્ટિ ઘો, આ વચનને હૃદયે લખો. ભૂંડું કોણ કરે છે ? આખું જગત રાગ અને દ્વેષને ઘરમાં તેડે છે; જો સમભાવને તેડે તો ? એનો વિચાર કરો. શું થયું ? અજબ-ગજબ થયું ! હજારો ભવનો નાશ થયો. સમ આવ્યું ત્યાં જુદું થયું. ભેદી મળવો જોઈએ. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તો ય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.” “તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં.” એમ આ જીવે કંઈ લક્ષમાં લીધું નથી. જે ભણવું છે તેને પડી મૂક્યું. “ભણ્યો પણ ગણ્યો નહીં.' સમ એ શી વસ્તુ છે ? તે કયે ઠેકાણે રહે છે ? જરા વિચારો તો ખરા. તુંબડીમાં કાંકરા. આ નખ્ખોદ વાળ્યું. વાતો કરે કે “સમતા રસના પ્યાલા રે, પીવે તો જાણે; છાક ચઢી કબહુ ન ઊતરે, તીનભુવન સુખ માણે.” પીવે સો જાણે. “તુંબડીમાં કાંકરા.” વાતો કરો, વાતોનાં વડાં ખવાય ? કંઈ કહેવાય તેમ નથી. અજબ છે ! ચમત્કાર છે ! આ મનુષ્યભવમાં હજારો ભવ કપાઈ જાય. કોઈ સાથે આવવાનું નથી. એકલો આવ્યો છે, એકલો જશે. સાડાત્રણ હાથની જગામાં બાળી મૂકશે. સમતા, ક્ષમા એ શું છે ? બોલતાં આવડ્યું છે; આનું ભાન નથી. આ વાણિયો, બ્રાહ્મણ, પાટીદાર, નાનું, મોટું, યુવાન, વૃદ્ધ–બધું છે, પણ આત્મા છે કે નહીં ? આત્માને જોયો નથી, તેની ખબર નથી. કેવો રસ્તો છે ? ગુરુગમની ખબર નથી. જ્ઞાનીને બોલવું ચાલવું, ખાવુંપીવું બધું સવળું છે; અજ્ઞાનીને જે જે કરે તે બધું બંઘન છે, ઝેર છે. એ શું છે? કંઈ કહો તો ખરા ? આ જીવને મનુષ્યભવ હોય તો સાંભળે; કાગડા, કૂતરા કંઈ સાંભળે ? સત્સંગ કર્યો નથી, બોઘ સાંભળ્યો નથી. ખામી છે આની. આ જીવે જે કરવાનું છે તે કર્યું નથી. શું કરવાનું છે ? તો કે આત્માને ઓળખો. એને નથી જાણ્યો. અમે ઘણા ફેરા કહીએ છીએ. આ જગા ઉપર બેઠા છીએ તો આટલું ભાળીએ છીએ. અહીંથી સાતમા માળ ઉપર હોય એ કંઈ 32. Page #597 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ ઉપદેશામૃત ભળાય? દશા વધે તો વિશેષ દેખાય. એક કરવાનું છે સમતા અને ક્ષમા. મોઢામાં સાકર નાખી હોય તો ગળ્યું થાય, પણ ઝેર નાખ્યું હોય તો ? કેટલી વાર છે? તો કે તારી વારે વાર. તૈયાર થઈ જાઓ. અંતમુહૂર્તમાં સમકિત, અંતમુહૂર્તમાં કેવળજ્ઞાન થાય છે કે નહીં ? ઓળખાણ નથી. “ભાન નહીં નિજરૂપનું તે નિશ્ચય નહિ સાર.” “જ્ઞાનીના ગમ્મા, જેમ નાખે તેમ સમા.' આમ નાખે કે આમ નાખે–જ્ઞાનીનું બધું સવળું છે, દ્રષ્ટિ ફરી ગઈ છે. એ કેવી ખૂબી છે ! કંઈ ફેર તો ખરો ને ? આ ચક્ષુએ જોવું અને દિવ્યચક્ષુએ જોવું એમાં ફેર તો ખરો ને ? જરૂર છે. થઈ જાઓ તૈયાર, ચેતો, જાગૃત થાઓ, ખાધું એ ખરું. વાતોએ વડા નહીં થાય, કરવું જોઈશે. આ બધી વાતો ઉપર ઉપરથી કરી. એમાં કંઈ સાર છે કે નહીં ? આ બઘા જીવનું કલ્યાણ થશે, લેતાં આવડવું જોઈએ. શ્રદ્ધા હશે તેનું કામ થશે. જબરામાં જબરી આટલી વાત છે–એક શ્રદ્ધા. આટલું નક્કી કરી લેવાનું છે; એ કર્યું નથી. એક જ વચન “શ્રદ્ધા છે. તે જપ તપ બધું છે. તો આટલા ભવમાં હવે અવસર આવ્યો છે તો ભૂલવું નહીં. જરૂર શ્રદ્ધા કરી લેવી, સત્સંગ અને સત્પરુષાર્થ કરવો. Page #598 -------------------------------------------------------------------------- ________________ ૪૯૯ કેટલાંક છૂટક વયનો ૧ આ જગતમાં ઘણા જીવો એવા છે કે જે ઘર્મ, પુણ્ય, પાપ, વ્યવહાર, વિવેક કશું સમજે નહીં. તે પશુ જેવા સમજવા. ૨ ઘર્મ ના સમજ્યો, ઓળખાણ ના પડી તો મનુષ્ય છે તે પણ પશુવત્ છે. ૩ ઓહો ! લૌકિકમાં કાઢી નાખ્યું છે. મનુષ્યપણું ફરી ક્યાં મળશે? ૪ મેમાન છો, પરદેશી છો. પંખીનો મેળો છે. વાની મારી કોયલ છે. માટે કંઈક કરજે. ૫ જગત આંઘળું છે, બહેરું છે; જગત દેખે છે તે ખોટું છે, સાંભળે છે તે પણ ખોટું છે. ૬ જગતમાં ગુરુ ઘણા છે, સાધુ ઘણા છે; પણ કૂંચી તો સદ્ગુરુના હાથમાં છે. ૭ જે માણસને પુરુષનો બોઘ સાંભળવાનો મળ્યો તેને નવે નિદાન મળી ચૂક્યાં. ૮ જ્ઞાનીને શી ખોટ છે ? સમકિત આપે, મોક્ષ આપે, પણ જીવનો વાંક છે. ૯ ચાર પ્રકારે જીવ ઘર્મ પામે છે : નમસ્કારથી, વિનયથી, દાનથી અને બોઘથી. ૧૦ સપુરુષનો બોઘ સાંભળે અને સમજે નહીં તો પણ અનંતા ભવ તોડે, પાપનાં દળિયાં જાય અને પુણ્ય બંધાય. ૧૧ પતિવ્રતા સ્ત્રી પોતાના પતિમાં ચિત્તનું સ્થાપન કરે છે તેવી રીતે મુમુક્ષુ સપુરુષમાં, તેના બોઘમાં ચિત્તનું સ્થાપન કરે તો દાળ ભેગી ઢોકળી ચઢે, ગાડા પાછળ ગાલ્લી જાય. ૧૨ આત્મા કેવો હશે અને કેમ જણાય ? ગુરુગમથી. હું કાંઈ સમજું નહીં, પણ જ્ઞાનીએ જાણ્યું હોય તે માટે માન્ય છે એમ રહે તો તે ચાંલ્લો થયો. ૧૩ બે અક્ષરમાં માર્ગ રહ્યો છે તે શું ? જ્ઞાન. જ્ઞાન એટલે જ્ઞાનીએ જ્ઞાનમાં જોયું હોય તે મારે માન્ય છે. ૧૪ મન જોડેલું છે બહાર પાપ બાંધવામાં, પણ જો આત્મામાં જોડે તો વાર શી ? ૧૫ આત્માને ઓળખે છૂટકો છે. મારે કે તમારે ઓળખાણ પડ્યા વિના છૂટકો નથી. ૧૬ આત્મા ઉપર દ્રષ્ટિ મૂકતાં સમકિત; સમકિત પછી કેવળજ્ઞાન છે. ૧. એક મુમુક્ષુએ સ્મૃતિ અનુસાર નોંઘેલાં છૂટક વચનોમાંથી. Page #599 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ ઉપદેશામૃત ૧૭ આત્માથી આત્મા ઓળખવો છે. જેવો સિદ્ધનો આત્મા છે તેવો જ મારો છે. ૧૮ “સહજાન્મસ્વરૂપ' એ તો ચૌદ પૂર્વનો સાર છે. ૧૯ જગતમાં શું છે ? જડ અને ચેતન છે. તેમાં જડ જાણતું નથી, જાણે છે તે ચેતન. ૨૦ જડ કોઈ કાળે ચેતન થશે ? ચેતન કોઈ કાળે જડ થશે ? એ બે જુદાં છે કની ? તો પછી હવે અધિક શું કહેવું ? ૨૧ મારી પાડોશમાં કોણ છે ? શરીર છે. તેને ને મારે કોઈ સગાઈ નથી. તે મારાથી ભિન્ન છે. ૨૨ નામથી આત્મા ઓળખાશે નહીં. અંતરદ્રષ્ટિ કરો. ચર્મચક્ષુથી તો આત્મા નહીં જોવાય. ૨૩ “અંતવૃત્તિ રાખતાં અક્ષેપદ પાવે.” ૨૪ ભાવ તે આત્મા છે, પરિણામ તે આત્મા છે. ૨૫ જીવ નરકે જવાનો હોય પણ જરાક ભાવ કરી લે તો દેવગતિમાં જતો રહે. (બળતો સાપ શ્રી પાર્શ્વનાથે બચાવી ઘરણેન્દ્ર કર્યો.) ૨૬ મન ના જોઈતા વિકલ્પ કરતું હોય તો તેને જૂઠું ગણી કાઢી નાખવું. ૨૭ દેહ મારો, ભાઈ મારો, બાપ મારો, કાકો મારો, ઘર મારું એમ કહેતાં, માનતાં ગળામાં ફાંસી આવશે. ૨૮ મોક્ષ એ શું હશે ? સર્વથી મુકાવું તે મોક્ષ. મૂકે તે કેટલો ભાગ્યશાળી ! ૨૯ સઘળાનું સ્નાનસૂતક કરી દહાડો-પવાડો કરી ચાલ્યા જાઓ. મરણિયા થઈ જાઓ. ૩૦ “ખાંડાની ઘારે ચઢવું છે, સત્ સંગ્રામે લઢવું છે.' શ્રીમદ્ લઘુરાજસ્વિામી_પ્રભુશ્રી ઉપદેશામૃત Page #600 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ સૂચિ ૧ આગમ સૂત્રો અને ગાથાઓ (અંક પૃષ્ઠના છે. કૌંસમાં આપેલા અંક જીવનચરિત્ર પુષ્ઠના છે) * अनादरं यो वितनोति धर्मे अप्पा कत्ता विकत्ता य ९२ ૬૨ ૧૭૧, ૧૮૪, ૧૯૫, ૩૩૮ અરિહંતો મહાવેવો * ૧૬૫ ગળિવો હતુ મુથ્થો * ૧૧૫ આળાએ થમ્પો આળાએ તવો (૭૮), ૩૧, ૫૮, ૭૬, ૯૪, ૧૩૩, ૨૪૧, ૩૧૪, ૩૫૧, ૩૯૫, ૧૪૦૩, ૪૦૪, ૪૬૦ इक्को वि नमुक्कारो १८३ એને નળરૂં સૌ સર્વ બાળÍ (આત્માને જાણ્યો તેને સર્વ જાણ્યું) ૨૫, ૩૦, ૩૬, ૪૧, ૧૫, ૧૬૯ ૧૭૧, ૧૭૨, ૧૭૪, ૨૦૮, ૨૪૧, *૨૫૮, ૨૯૯, ૪૦૨ આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું ૧૯૧, ૧૯૯, ૩૮૭ એનો ને સસ્સો અપ્પા *૧૬૫, ૧૭૪, ૪૦૦, ૪૦૨ એનોદ ખથ્યિ મેં હો; ૧૬૫, ૪૦૨ कडाणं कम्माणं न मुकख अतिथ ४०५ कडेमाणे कडे 399 कम्मदव्वेहिं सम्मं * १८ સમમિ મબ બીવે ૨૯, ૧૧૬ ત્તારિ પરમળિ *૧૧૫ નમ તુરતં, ખરા તુરતં *૪૭, ૨૪૯ ગરા ગાવ ન પીત્તેર *૪૮ નં િિવવિ ચિન્તતો (૧૫) जं संमंति पासहा ९० નવયને અનુરના ૪૭, ૧૫૭, "પ જ્ઞા કાર્ડ મળ્યા ૧૧૫ નિષેવતે યો વિષય *૬૨ पयडी सील सहावो 309 પરોવાય સતાં વિકૃતવ: (૬૬) પક્ષપાતો ન મે વીરે ૧૯૧, ૨૧૩ બ્રહ્મ સત્યં નાનું મિથ્યા *૩૫૯ આત્મા સહ, જગત મિથ્યા ૩૪૮, "૪૪૯, ૪૫૩, ૪૫૪, ૪૫૫ भिषण नरयगई મહાવ્યા: ક્ષિરત્ન ૩૯, ૩૧૮ મા વિર માં ઝંપદ (૧૫), * ૧૧૬, મા મુાહ મા રખ્ખ૪ (૧૫), * ૧૧૬, ૩૦૩ નો ભવ્ય વિમો *૩૦૦ લોભથી સર્વ વિનાશ પામે છે *૩૩૨ વોસિરે, વોસિરે ૧૭૫ આ પૃષ્ઠો ઉપર સૂત્ર અને ગાયાના અર્થ વિવેચન ઇ. આપ્યા છે. ૫૦૧ * મા પરમ પુના ૧૪, ૧૧૧, ૧૧૨, ૧૬૨, ૧૬૪, ૧૬૬, ૧૬૯, *૧૭૩, ૧૮૬, ૨૦૪, ૨૦૬, ૨૨૮, ૨૪૦, ૨૫૯, ૨૭૫, ૨૭૬, ૩૨૪, *૩૪૭, ૧૩૩૪, ૩૯૧, ૪૦૦, ૪૦૬, ૪૧૯, ૪૨૫, ૪૬૧, ૪૮૧, ૪૮૨, ૪૮૩ સમય ગોયમ મા પમાએ (સમય માત્રનો પ્રમાદ કર્તવ્ય નથી) ૧૬, ૬૧, ૭૯, ૮૨, ૮૫, ૧૦૫, ૧૮૮, ૧૯૧, ૨૦૦, ૨૩, ૨૨૦, ૨૪૫, ૩૩૬, *૩૬૦, ૩૬૫, ૩૬૬, ૩૭૧, ૩૮૨, ૧૩૯૨, *૪૧૨, "૪૮૯ ૨૨૧, ૩૦૩ સમય માત્રનો પ્રમાદ કર્તવ્ય નથી *૧૪૨, *૨૮૧, ૩૦૭, ૩૧૪, ૪૬૩, ૪૮૪, સમ્મદિની ન બાદ પર્વ ૧૮૫, ૩૧૩, ૧૩૨૩, ૩૬૧, ૩૬૫, ૪૪૨ સવળે નાળે વિનાળે (શ્રવણ કરતાં વિજ્ઞાનપણું આવે) *૧૬૭, *૧૯૧, ૨૦૪, ૨૦૯, *૨૧૦, ૨૪૬, *૩૪૬, *૩૬૯, *૩૭૭, *૩૯૯ શ્રવણ કરતાં વિજ્ઞાનપણું આવે ‘૨૫૪ સંનોમૂલા બાવેળ *૧૬૫ મંડોળા વિમુક્ષ્મ ૧૫૭, ૨૦૬ સંમુન્દ્રાના અંતનો માશુમત્તે *(૭), ૪૫૮ મુદ્ગુરુનોનો તજ્યળસેવળા *૨૫૩ Page #601 -------------------------------------------------------------------------- ________________ પ૦૨ પરિશિષ્ટ ૧ સૂચિ ૨ દૃષ્ટાંત તથા પ્રસંગ સૂચિ (કૌસમાના આંક તે પૃષ્ટોના છે જેના પર એ જ બોધકથાનો સંદર્ભ આપ્યો છે) અભિમન્યુ કુમાર- છાણમાટીનો કોઠો ૨૨૬ (૨૩૧, જનક વિદેહી અને સંન્યાસીઓની કથા–“મિથિલામાં ૪૫૩) મારું કંઈ બળતું નથી.’ ૪૬૧ અંબાલાલભાઈ (ખંભાત) ૨૭૮ જિનરક્ષિત, જિનપાલિત અને રયાણાદેવી ૧૯૭ આચાર્યનું દાંત-છૂપા દોષ પ્રગટ કરવા ઉપર ૪૮૭ ટોલ્સટોય અને લેનિન–ચમત્કાર જેવું ભલેને લાગે આનંદઘનજી અને આગેવાન શેઠની વાત ૩૨૧ પણ જ્ઞાનીની દૃષ્ટિએ સાચું છે તે સાચું, તે ઉપર આનંદઘનજી-પીંજારાનું દષ્ટાંત ૩૨૧ એક ત્યાગીનું દૃષ્ટાંત ૨૮૩ એક કાંચિડાનું બચ્ચે કચડાયેલું હતું ૩૦૧ એક મત આપડી કે ઊભે માર્ગે તાપડી ૧૩૫, ૩૧૭ ઢોલકીઓ દેવ-વિષયાસકત સોનીની કથા ૪૪૭ (૨૧૨, ૨૮૬, ૩૮૧, ૩૯૨). ત્રણ પૂતળીઓ–બોધ મનમાં ધારણ કરે અને વિચારે એસાને મળ્યા તેસા... તનૂડી બજાઈ ૨૭૦ (૩૩૨) તો આત્મામાં પરિણમે તે ઉપર. ૪૨૩ ઓ...હો!' માં કાઢી નાખે તો સાચા મંત્રથી પણ દંતાલીવાળા ત્રિકમભાઈ ૧૦૪ સિધ્ધિ નથી. એક ભારે યોગીનું દષ્ટાંત ૨૯૬ દેવકીર્ણજી મુનિ ૪-૫, ૧૭૪, ૨૦૬, ૨૧૫, ૪૬૪ કુગુરુ-કૂતરો અને કીડાની કથા ૨૯૩ (૨૯૬) કૂવો થેકવાની શરત-અસંગ થવા, અહંતા મમતા મેલવા ધનાભદ્ર-ધનાશ્રાવકના પૂર્વભવની કથા- જ્ઞાનીની આજ્ઞાએ શ્રુતજ્ઞાન સાંભળતાં પરોક્ષ જ્ઞાન થાય છે હિમ્મતના બળ ઊપર ૨૦૭ અને દીનબંધુની કુપા નજરથી પછી પ્રત્યક્ષ જ્ઞાન કોઈને ધક્કો ન દેવો અંબાલાલ ભાઈનો પ્રસંગ ૨૭૮ થાય છે. પુદ્ગલ અને જીવ જુદાં જણાય છે. ૩૨૫, કોઈ ગામના પટેલ ઉપર દરબારની ઇતરાજી થઈ ૨૭૯ ૩૭૨ કોડી સાટે રતન ખોવે ૨૪, (૯૨, ૧૨૩, ૪૫૫) ધર્મરાજા અને બીજા પાંડવો હિમાલય ગયા ૨૬૩ ખાજાની ભૂકરી ૧૯૩ (૧૫૧, ૨૦૯, ૨૪૫) ધારશીભાઈ ૩૧૯ ગુણકાની કથા-એસાને મળ્યા તેમા ૩૩૨ નથુ બાવો અને નથુ દરજી ૨૭૭ ગૌતમસ્વામી અને પંદરસો તોપસો-જે પુરુષ નવાં પરણેલા વર-વહુ-આત્મા ઉપર કેવો પ્રેમ, કેવી ઉપકારી છે તેમના કહેવાનો આશય સમજવા અને રૂચિ અને કેવી ઊર્મિઓ આવવી જોઇએ તે ઉપર આજ્ઞા આરાધવા ઊપર ૪૩૫ ૩૮૯ ચક્રવર્તી રાજા અને કામધેનુ ગાયના દૂધની ખીર ૨૭૫ નારણજીભાઈ (પૂના) ૩૦૯ ચમરેન્દ્ર અને શકેન્દ્રની કથા ૩૨૧ પરિગ્રહ ઉપર સોનામહોરવાળા મહારાજનું દષ્ટાંત ચિત્રપટ–અમે એ જોખમ ન લઈએ ૩૦૧ ૨૬૦ ચિત્રપટ અને તત્ત્વજ્ઞાન ખોવાયાના પ્રસંગે એક પરિણામ અહિંસક રાખવા ઉપર મુનિનું દષ્ટાંત ૩૩૧ આરજાની વાત ૩૦૨ પંથકજી વિનીત-વિનય ન છોડવા ઉપર ૫૬ ચોર’ અને વિચક્ષણ પ્રધાન-સમભાવનું શરણ ૩૮૬ ‘પાનું ફરે અને સોનું ઝરે' ૨૨૬ છોટાલાલભાઈ (કણાવ) ૨૨૬, ૨૮૫, ૨૯૪ પુરુબીયાની વાત-મૈ મેરી ફોડતા હું ૩૭૨ પૂનાનો પ્રસંગ-સંતના કહેવાથી કપાળદેવની આજ્ઞા જનક વિદેહી અને શુકદેવજીની કથા ‘ચોકખો થઈને મારે માન્ય છે (૬૩)-(૬૫), ૨૭૦-૨૭૩ આવ' ૨૩૧ (૨૪૬, ૪૫૧) પેથાપુરનો કારભારી ૩૧૦ Page #602 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧- સૂચિ ૨ ૫૦૩ ‘પ્રભુ, પ્રભુ’ બોલવાની ટેવ ૨૯૧ મઘાના પાણી વરસે ત્યારે ટાંકા ભરી લેવા ૧૮૦ પ્રસન્નચંદ્ર રાજર્ષિ ૧૪૯, ૩૩૬, ૪૮૨ મરીચિના ભવની વાત ૨૬૩ બકરાંના ટોળામાં સિંહ હોય પણ પોતાને બકરું માની ન મહાવીર સ્વામીના જીવને સિંહના ભવમાં સમ્યકત્વફર્યા કરે. જાતિભાઈ મળીને ચેતાવે ૧૯૭ મહાપુરુષના યોગબળનું મહાત્મ ૩૩૫ બંગડીનો વેપારી“માજી ચાલો’ ૨૮૨ માણેક ડોસીમા ૩૨૪ બાટી સાટે ખેતર ખોવે ૨૪ માણેકજી શેઠ ૩૦૯ બાહુબળજીની કથા ૨૦૬ માધવજી શેઠ ૧૩૯ બાલકૃષ્ણ નામના જૈન મુનિ ૨૬૨ ‘માથું વાઢે તે માલ કાઢ’ ૧૫૬ (૨૫૫, ૪૩૫) બાળક અને તેના માબાપનું દૃષ્ણત-અજ્ઞાન દશા અને મુનિ મોહનલાલજી; કૃપાળુદેવ ઉપર આસ્થા થઈ ૨૬૮ સંત ઉપર ૧૨૯ રયણાદેવી ૧૯૭ બિલાડીના બચ્ચાં ઘાણીમાં પિલાયા ૩૫૨ રાંકના હાથમાં રતન ૧૫૬, (૨૨૬, ૩૭૦, ૩૭૩, બે બોકડાને બચાવ્યાનો પ્રસંગ ૨૬૩ બે ભાઈઓની સ્ત્રીઓનું દષ્ટાંત-બોધ સર્વને એક વણાગ નટવર રાજાના દાસની કથા ૪૮૯ (૪૯૧) સરખો મળે છે, પણ સૌ યોગ્યતા પ્રમાણે લાભ વિદ્યાધરની કથા-મરણ વખતે શી વાતમાં ઉપયોગ મેળવે છે તે ઉપર ૪૨૬ જોડવો જોઇએ? ૩૩૫ (શ્રી બ્રહ્મચારીજીને) વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, " વિનય એ મોક્ષમાર્ગ છે. વિનય ન છોડવો. વિનય ઉપર આઠ ત્રાટક છંદ, સમરણ તમારે આપવાં ૪૦૫ ગુરૂ-શિષ્ય નું દૃષ્ટાંત ૩૦૫ બ્રાહ્મણ અને વાઘ-વચનનો ઘા ૨૮૮ વેદના વખતે અંતરાત્માની અંતરચર્યા–ભાવના બ્રાહ્મણનો દીકરો કોળીને ત્યાં ઊછર્યો ૪૧૪ આત્માની રહે છે, તે ઉપર- નાનું છોકરું અને તેની ભગતને આવ્યો પ્રેમ તો મારે શો નેમ? ૨૦૭. માનું દષ્ટાંત ૩૨૬ ભરત ચક્રવર્તીની અન્યત્વ ભાવના ૩૧૦ શકેન્દ્ર અને મહાવીરસ્વામી ૪૦૫ ભરત ચક્રવર્તીના સંગ્રામ પ્રસંગે પરિણામ કેવા હતાં શીતળદાસ બાવા ૨૮૩ તેની કથા ૩૨૨ શુકનો તારો-બે બ્રાહ્મણ ભાઈઓની કથા ૩૧૧ ભરત ચક્રવર્તીનો જીવ સિંહ હતો ત્યારે ... સપુરુષના યોગબળના મહાત્મ ઉપર ૩૩૫ શ્રી કૃષ્ણ અને ગંધાતું કતરું ૨૫૭ ભરત ચેત! ભરત ચક્રવર્તીની કથા ૨૨૯, ૩૧૦ શ્રી કૃષ્ણ અને જરાકુંવર ૩૩૬ ભાવ તેવું ફળ-બે ભાઈઓની સામાયિકની વાત ૩૬૧ શ્રી રામના વૈરાગ્યની કથા ૩૪૫, ૩૪૮ ભાવનગરના દાનવીર રાજાની વાત ૩૦૯ સત્સંગના મહાત્મ ઉપર કાંચિડો અને નારદજી'નું ભેદજ્ઞાનથી આત્મધ્યાનમાં અચળતા ઉપર–પાંડવો દૃષ્ટાંત ૪૩૧ ઉપર ઉપસર્ગનું દૃષ્ટાંત ૩૭૨ સમકિતીની પુણ્યક્રિયા ઉપર-રાજાના દંડનું દષ્ટાંત ભેંસના શીગડામાં માથું ઘાલ્ય ૨૧૩ ૩૩૬ ભેંસને દાણનો ટોપલો મૂકવા આવતી બાઈનું સંકલ્પ-વિકલ્પ કરવાથી થતા કર્મના આશ્રવમાં સંવર દાંત-બીજેથી દષ્ટિ ફેરવી એક આત્મા ઉપર કેમ થાય તે ઉપર-વેપારીના કાગળનું દષ્ટાંત ૩૫૭ કરવા વિશે ૩૮૪ સાધુને બોરમાં ઇયળ થવું પડયું–વૃત્તિને લીધે ૪૧૪ Page #603 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ પરિશિષ્ટ ૧ સૂચિ ૩ સુવાક્યો- ઉકિતઓ-કહેવતો-બોધવચનો અજાણ્યો ને આંધળો ૨૦૩, ૪૭૯, કરે તેના બાપનું ૧૬૬, ૨૫૨, ૨૫૩, ૩૪૧ આગ લાગે ત્યારે કૂવો ખોદાવે ૩૨૬ કર્મની કોડ ખપે છે ૨૬, ૧૮૦, ૧૮૭, ૧૯૧, ૩૨૩, આખા ગામની ફોઈ ૩૬૭ - ૩૭૦, ૩૮૦, ૪૯૪. આડું આવે ૨૫, ૬૪, ૧૬૩, ૨૨૨, ૩૫૫, ૩૮૦, ૪૨૬, કર્યું તે કામ; લીધો તે લહાવ ૧૮૪, ૧૯૫ ૪૩૮, ૪૪૦, ૪૬૫ કશાનો ગર્વ કરવા જેવું નથી ૨૯૧, ૨૯૮, ૩૦૩, ૩૧૯ આડું આવે તે કોરે કરવું ૧૬૪, ૧૬૭, ૧૪૮, ૨૦૫, કહેનારો કહી છૂટે વહેનારો વહી છૂટે ૧૩૬, ૧૭૮, ૩૯૨ ૩૮૫, ૪૪૮ કહ્યા બિના બને ન કછ, જો કહિયે તો લજજઇએ ૧૪, ૨૦, આત્મઘાતી મહાપાપી ૩૦૮, ૩૧૦ ૪૮, ૨૩૩ આત્મા એકલો આવ્યો એકલો જશે ૪૯,૭૦, ૮૨, ૮૭, કંઠી બાંધવી નથી ૪૫૬, ૪૬૧ ૯૨, ૧૬૭, ૧૭૫, ૧૭૮, ૧૪૩, ૧૮૪, ૧૯૪, કાનમાં પડવું પરમાણ ૧૬૨ ૨૧૬, ૩૬૨, ૩૬૯, ૩૭૧, ૩૮૦, ૪૧૨ કારણ વિના કાર્ય ન થાય ૭૧, ૧૬૭, ૨૫૦, ૩૮૨ આત્માની યથાર્થ વાત થતી હોય ત્યાં ગમે તે ભોગે જવું લિી ગરકે હાથ ૧.૦૧ જ કીલી ગુરુકે હાથ ૧૭૧ ૧૭૭, ૪૦૦, ૪૫૯ ૧૪૦, ૨૦૯, ૨૪૬, ૪૫૫ કોટી કર્મ ખપે– ક્ષય થાય-નાશ થાયછેદ થાય આપ સમાન બળ નહી, મેઘ સમાન જળ નહી ૬૩, ૯૨, ૧૪૨, ૧૮૦, ૧૮૭, ૧૯૨, ૨૦૮, ૨૩૨, ૨૪૦, ૧૦૪, ૧૬૧, ૪૪૧, ૪૭૬ ૨૭૭, ૩૨૪, ૩૪૮, ૩૫૧, ૩૫૭, ૩૬૦, ૩૬૫, આભ ફાટયાને થીગડું કયાં દેવું? ૭ ૩૬૬, ૩૬૭, ૩૭૧, ૩૭૯, ૩૮૦, ૩૮૨, ૩૮૯, આશા ત્યાં વાસા ૩૪૯ ૩૯૪, ૩૯૫, ૪૪૩, ૪૪૯, ૪૮૧, ૪૯૧, ૪૯૨. આંખમાં કમળો ૨૦૦, ૨૦૯ કોડી સાટે રતન ખોવે ર૪, ૯૨, ૧૨૩, ૪૪૮, ૪૫૫. આંધળો ને અજાણ્યો બરોબર ૪૮૦, ૪૮૬ ક્ષણ લાખણી જાય છે. ૬૧, ૧૦૫, ૧૯૨, ૨૨૦, ૨૭૫, ઉતાવળ તેટલી કચાશ ૬૯, ૨૦૭ ૩૧૪, ૩૧૫, ૩૭૮ ઉતાવળે આંબા પાકે નહીં ૨૬ ખબર ન પડે ત્યાં મધ્યસ્થ રહેવું ૧૮૩ ઊભો તે પડવાનો ૪૯૧ એ સત્પષના ઘરના વચનો તે અન્યરૂપે થવાથી એંઠા થાય ગાડા વાંસે ગાડલી જશે ૧૬૮, ૪૯૯ (૩૦૪ ગોર તો પરણાવી આપે ૨૮૨ એક પણ વચન જ્ઞાનીનું પકડી લઈ કોઈ જીવ વર્યો જશે તો ગોળ નાખે તેવું ગળ્યું થાય ૨૩૭ તેનું કલ્યાણ થશે ૧૬૩, ૩૪૫, ૪૯૪ ધૃતાધાર પાત્ર વા પાત્રાધાર વૃત ૩૩૦ એક મત આપડી કે ઊભે માર્ગે તાપડી ૧૭૫, ૨૧૨, ૨૮૬, ૩૧૭, ૩૮૧, ૩૯૨ ચતુરની બે ઘડી, મૂરખના જન્મારા ૮૨, ૧૪૧, ૩૮૧ એક મરણીયો સોને ભારે ૧૪૦, ૨૪૧, ૨૫૫, ૩૪૧, જાવિધ રાખે રામ તા વિધ રહીએ ૩૪, ૯૧ - ૩૯૫, ૩૯૮ જાગ્યા ત્યાંથી સવાર ૧૫૮, ૧૮૦, ૧૯૨, ૧૯૯, ૨૦૦, એકે જીયે જીયે પંચ; પંચે જીયે જીયે દસ ૧૮૩ ૩૭૧, ૩૮૦, ૪૬૮ એસાને મળ્યા તેસા ૨૭૦, ૩૩૨ જાણે તે માણે ૧૯૪, ૨૧૦ કહ્યું કથાય તેમ નથી કહ્યું-લખ્યું જાતું નથી ૧૮, ૧૯૬, જીભ પર પગ મૂકવો ૧૨૮, ૨૬૯ જીવ તો રૂડા છે પણ યોગ્યતાની ખામી છે ૨૪૨ ૧૯૯, ૩૮૭, ૩૮૯ Page #604 -------------------------------------------------------------------------- ________________ જીવનો શિવ થાય છે ૬૩, ૨૯૬, ૪૪૦ જીવતા નર ભદ્રા પામશે ૧૫ જેવા ભાવ તેવા પ્રભુ ફળ ૨૨૧, ૨૪, ૨૫૭, ૩૭૬, ૩૮૪, ૪૮૨, ૪૯૩ પરિશિષ્ટ ૧-સૂચિ ૩ ૧૯૧, ૩૪૫, ૪૭૭ જ્ઞાનીના ગમા જેમ નાખે તેમ સમ્મા ૧૭૩, ૩૯૭, ૪૭૨, ૪૯૮ જ્ઞાનીની છાપ ૨૭૬, ૨૮૩ સબકે મોતી પરોવી કે ૩૨૮, ૩૬૭, ૩૬૫, ૪૬૭ હૂંડલા કૂટપે દાણા ન નીકો ૨૫૧ તત્તો તેર મણનો છે ૨૩૫, ૨૪૨ તમારી વારે વાર છે ૧૪૭, ૧૬૭, ૧૬૮, ૧૭૪, ૧૨૯૭, ૨૦૫, ૨૩૯, ૨૧૦, ૨૨૨, ૨૨૩, ૨૩૨, ૨૩૪, ૨૪૦, ૨૪૨, ૨૯૯, ૩૭૬, ૩૮૨, ૩૮૩, ૩૮૮, ૩૯૩, ૩૯૫, ૩૯૭, ૪૦૦, ૪૩૫, ૪૭૨, ૪૭૬, ૪૯૮. ને જ્ઞાનીના એક વચનમાં અનંત આગમ સમાયા છે ૧૫૯, પાનું ફરે ને સોનું ઝરે ૧૮૪, ૨૨૬ પાયા તેને છુપાયા ૧૬૪ પૂજા માન મોટાઈ કરશો નહીં ૮૭, ૧૯૨ પૂંઠ પાદશાહની છે ૧૪ પોતાના આત્માને ઘડી પણ ન વિસરવો ૪૦૬, ૪૨૨, થોથા ખાંડવા ૧૯૯૪, ૨૭, ૪૬૬૨ દળી દળીને કુલડીમાં વાળું ૧૬૧ દાળ ચઢી ન હોય ત્યાં સુધી જુદી ઓ ૧૮૯ દાળ વાંઢે ઠોકળી ચઢે (૭૭), ૧૯૦, ૪૯૭ ૪૬૮, ૪૯૪, ૪૯૬, ૪૯૯ પંચાતિયાનાં છોકરાં ભૂખે મરે ૩૬૭ પાઘડીને છેડે કસબ ૯૦ પાણી વલોવ્યે માખણ ન નીકળે ૨૫૧, ૨૫૨ ૪૨૪ પોંખનારીને પરણી બેસે ૨૯૬ બાટી સાટે ખેતર ખોવે ૨૪, ૯૨ બાપનો કૂવો માટે બૂડી મરાય નહીં ૩૫૩ નિક કરતાં ત્રેપન વહ્યા ૧૪૧ બાવળીએ બાથ ભીડીને કહે છે કે મને કોઈ છોડાવો ૨૮૨ બીજે બધેથી મરી જવા જેવું છે ૨૮૭, ૨૯૨ તૂંબડીમાં કાંકરા ૧૭૬, ૨૦૩, ૨૦૫, ૨૨૩, ૨૨૫, ૨૪૮, બેડો હોય તે બીજુ જુએ ૧૩૧, ૧૭૬, ૩૪૦, ૩૮૨ ૨૫૧, ૨૫૩, ૩૯૭, ૪૫૯, ૪૭૬, ૪૭૮, ૪૯૭ તૈયાર થઈ જાવ ૧૫૬, ૧૬૭, ૧૭૪, ૧૭૬, ૧૮૯, ૧૯૯૫, બ્રાહ્મણ પરણાવી આપે ૩૩૮ ૧૯૭, ૨૦૦, ૨૧૧, ૨૧૨, ૨૧૩, ૨૨૩, ૨૩૧, ૨૩૨, ૨૪૧, ૨૪૨, ૨૪૬, ૨૪૮, ૩૬૫, ૩૮૩, ૩૮૮, ૪૯૮ ત્યાગે તેની આગે ૩૧૦, ૩૩૦, ૩૩૩ ૫૦૫ ફિરકા ફાકા ભર્યા તાકા નામ ફકિર ૧૦, ૧૭, ૩૧, ૮૬, ૧૧૦, ૧૧૭, ૧૩૨, ૨૨૨, ૩૪૦, ૩૮૭, ૩૯, ૪૦૦, ૪૭૨ ફૂલ નહીં તો ફૂલની પાંખડી ૪૦૪ ભણ્યો પણ ગણ્યો નહીં ૧૪૧, ૧૫૬, ૧૬૦, ૧૬૨, ૧૩૦, ૧૭૨, ૧૭૬, ૧૬૩, ૨૦૩, ૩૭૫, ૪૦૦, ૪૭૮, ૪૯૭ ભરત ચૈત! ૧૪૦, ૨૨, ૨૪૬, ૨૪૯, ૩૧૦, ૩૮૦, ૪૬૪, ૪૭૬ ભવ ઊભા થાય ૨૧૯, ૩૩૭, ૪૨૩, ૪૪૯, ૪૭૭, ૪૭૮ ભવ નાશ પામે ૩૪૬, ૩૬૦, ૩૬૨, ૩૭૩, ૩૭૮, ૪૨૫, ૪૭૮, ૪૯૭ ભાવ તેવા ફળ ૧૫૮ ભૂલ્યા ત્યાંથી ફેર ગણો ૨૭, ૬૭, ૯૧, ૧૦૨, ૧૫૮, ૧૯૨, ૧૯૫, ૨૦૩, ૨૩૬, ૨૩૭, ૨૪૨, ૨૪૯, ૩૭૧, ૩૮૦ નમ્યો તે પરમેશ્વરને ગમ્યો ૯૮, ૧૦૪, ૪૮૪ નવરો બેઠો નખોદ વાળે ૨૦૧, ૩૧૩, ૩૬૧ પરિષ દષ્ટ ન દીજીએ. ૭, ૯૨, ૧૧૬, ૧૬૩, ૧૮૫, ૨૩૧, ૩૬૩, ૩૮૭, ૩૮૯, ૩૯૩. પશિષ પડવા ૧૬૨, ૨૪૧, ૪૬૮, ૪૮૫ પંખીના મેળા ૭૬, ૯૦, ૧૦૨, ૧૬૭, ૧૭૮, ૧૮૦,મરણ ન હોય તો કંઇ વાંધો નહીં ૩૦૮, ૩૨૫, ૩૨૮ ૨૧૬, ૨૨૧, ૨૪૬, ૩૦૩, ૩૪૬, ૩૭૦, ૩૯૮, માત્ર દષ્ટિકી ભૂલ હૈ ૨૮, ૩૨, ૬૯, ૧૦૯, ૧૬૯, ૧૮૫, મફતિયું જોવું ૩૭૪, ૩૮૦, ૩૯૪, ૪૮૩ મન હોય ચંગા તો ઘેર બેઠા ગંગા ૩૪ Page #605 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ પરિશિષ્ટ ૧-સૂચિ ૩ ૨૦૦, ૨૦૮, ૨૧૪, ૩૬૬, ૩૭૫, ૩૭૯, ૩૮૩, ૧૯૧, ૨૧૬, ૨૫૩, ૨૫૬, ૩૯૭, ૪૭૮, ૪૯૮ ૩૮૭ વાની મારી કોયલ ૩૦, ૭૦, ૧૭૮, ૧૭૯, ૨૦૦, ૨૦૨, માત્ર દષ્ટિની ભૂલ છે ૧૨૦, ૧૫૨, ૧૫૮, ૧૬૩, ૧૬૪, ૨૧૬, ૨૨૧, ૨૪૬, ૨૫૧, ૩૬૨, ૪૧૨ ૧૬૯, ૧૮૫, ૧૮૬, ૨૧૪, ૩૬૩ વાળ્યો વળે જેમ તેમ ૧૩૩, ૧૩૭ માથું વાઢે તે માલ કાઢે ૧૫૬, ૨૫૫, ૪૩૫ વિકારના સ્થાનોમાં વૈરાગ્ય થાય તેવી પુરુષાર્થ દષ્ટિ ૩૪૮, માને મેલીને મીનીને ધાવે તો શું વળે ? ૧૬૯ [૩૫૫, ૩૬૩, ૩૭૪, ૩૮૫ મારે તેની તલવાર ૧૪૦, ૧૪૧, ૧૬૪, ૧૬૬, ૧૯૪, વિનય વેરીને વશ કરે ૯૯, ૩૦૬ ૨૪૯, ૨૫૨, ૩૦૧ વિશ્વાસે વહાણ ચાલે, ૧૫૫ મૂક મીંડું ને તાણ ચોકડી ૧૬૦, ૩૪૭ વૃથા થોથા ખાંડવા જેવું ૨૮, ૩૨ યોગ્યતા આબે જ્ઞાની બોલાવીને આપી દેશે. આત્મા તો પુરુષ કહે તેમ કરવું; કરે તેમ કરવામાં હંમેશ કલ્યાણ ન જ્ઞાની જ આપશે ૩૧૯, ૩૪૯, ૩૫૯, ૩૮૨, ૪૩૫ હોય ૨૯૨, ૩૧૯, ૩૪૧ રાંકના હાથમાં રતન ૧૫૬, ૨૨૬, ૩૭૦, ૩૭૩, ૪૬૩ સર કહે તે ખરું પણ આજે “ગુરુ” ઘણા થઈ પડ્યા છે. ૧૫૧ લાખ મત લબડી, સોમત સસડી ૩૧૭ સમજ્યો ત્યાંથી સવાર ૨૭, ૩૨, ૬૭, ૯૧, ૧૬૨, ૧૯૫, લીધો કે લેશે ૨૭, ૨૮, ૩૦, ૩૨, ૪૧, ૪૬,૪૮, ૨૩, ૨૩૬, ૨૪૨, ૨૫૩, ૪૬૮ ૫૪, ૭૭, ૮૫, ૮૬, ૯૦, ૧૧૯, ૧૪૨, ૧૯૪, સમયે સમયે (ક્ષણે ક્ષણે) જીવ મરી રહ્યો છે. ૬૫, ૬૮, ૨૩૬, ૩૦૭, ૩૯૮ ૧૨૦, ૨૮૭, ૩૩૦, ૩૩૬, ૪૮૪, ૪૮૯, ૪૯૫ વચનથી ઉચ્ચાર મનથી વિચાર ૨૭, ૩૨, ૪૮ સંપ ત્યાં જંપ ૧૪૧ વન વનની લાકડી ૭૬, ૩૯૮ સાડા ત્રણ હાથ જગામાં બાળી મૂકશે ૧૪૧, ૨૪૩, ૨૫૧, વર વગરની જાન ૧૭૧ (૩૮૩, ૩૮૯, ૩૯૯, ૪૭૮, ૪૯૭ વાટ બતાવનારને વળગી પડે ૨૯૬ સાત સાંધે અને તેર તૂટે ૧૯૫ વાત છે માન્યાની ૧૪૦, ૧૫૮, ૧૬૨, ૧૭૦, ૧૭૧, સાધુને હંમેશા સમતા હોય ૪૬૭ ૧૮૬, ૧૯૩, ૨૧૬, ૨૨૨, ૨૨૩, ૨૩૧, ૨૮૨, સિંહણનું દુધ સોનાના પાત્રમાં રહે ૨૯૮, ૩૬૬, ૩૭૭ ૩૯૩, ૪૦૬, ૪૪૯, ૪૬૧, ૪૮૧, ૪૮૩ સેવા કરવી અને આજ્ઞા ન ઉઠાવવી ૧૨૮, ૨૬૯ વાતે વડાં ન થાય; કરવું જોઈશે ૧૪૦, ૧૪૧, ૧૫૭, ૧૬૪, હાથીના પગલાંમાં બધા પગલાં સમાય છે ૧૩૭, ૨૪૧ Page #606 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત ક્રમાંક ૨/૭ ૧૭૨ ૮ ૧૭૩૪ ૨૧/૧ ૨૧/૯૧ ૩૭ ૪૦ ૬૪ ૧૭૨૬૭ ‘બહુ પુણ્યકેરા પુંજથી’ ૧૭/૧૦૦ ‘લક્ષની બહોળતા' એક્કે ઉત્તમ નિયમ સાધ્ય ન ૭૬ ૮૪ ૧૧૭ ૧૬૬ .. ૧૮૭ ૧૯૪ ૨૦૦ ૨૪૯ પરિશિષ્ટ ૨ સૂચિ ૧ શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત વાંચન-સ્વાધ્યાય વિષય ભક્તિવ્ય અને ધર્મકર્તવ્યમાં ભેદ સદેવ ‘નીરખીને નવયૌવના' પદનો અર્થ - કરવો આ તો અખંડ સિદ્ધાંત માનજો કે.... અભિનિવેશના હૃદયમાં ઉત્સૂત્ર-પ્રરૂપણા ન થાય.... પત્રાંક ૩૭ નું વાંચન વિશાળબુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા.... પક્ષપાતો ન મે વીરે .... સત્પુરુષ એ જ કે નિશદિન જેને.... ભાઈ, આટલું તારે અવશ્ય કરવા જેવું છે. એ પાવન આત્માના ગુણોનું શું સ્મરણ કરવું? કોઈ પણ પ્રકારે સદ્ગુરુનો શોધ કરવો.... અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર... છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં.... કે આયુષ્યમનો! આ જીવે સર્વે કર્યું છે. દાસમાં કહેલી આશાઓ પરોક્ષ છે.... કરાળ કાળ હોવાથી જીવને ઉપદેશામૃત વચનામૃત કૃષ્ટ અંક ક્રમાંક ૨૬૨ ૨૯૨ ૨૪૩-૪ ૨૨૫-૬ ૨૮૫ ૨૬૫-૬ ૨૬૩ ૨૧૭ ૧૧૯ ૧૯૧, ૨૧૩ ૨૦૨-૩ ૩૭૬ ૨૮૦ ૧૬૯ ૧૩૧, ૧૭૬ ૨૫૪ ૩૨૩ ૨૭૭ ૧૮૬ ૨૬૫ ૨૮૩ ૩૨૧ ૩૭૧ ૩૭૩ ૪૦૩ ૪૩૦ 39 ૪૩૧ ૪૩૨ ૫૩૯ ૫૬૮ ૫૬૯ ૫૭૦ ૬૭૦ ૭૧૦ ૭૧૮ 64 વિષય ‘મુખ આગલ હૈ કહુ બાત કહે' ભગવત્ મુક્તિ આપવામાં પણ નથી પણ.... અત્યંત ઉદાસ પરિણામે રહેલું.... પત્રાંક ૩૭૧ નું વાંચન મનને લઈને આ બધું છે.... મુમુક્ષના પ્રમ્પના સમાધાનમાં પત્રાંક ૪૦૩ વંચાવ્યો કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અશપણે..... કલ્યાણ જે વાટે થાય છે તે..... આત્માપણે કેવળ ઉજાગર અવસ્થા વર્તે..... આત્માને વિભાવથી અવાશિત કરવાને અર્થે.... સર્વ જીવ આત્માપણે સમસ્યભાવી છે.... વિશેષ રોગના ઉદયથી અથવા શારીરિક મંદબળથી.... જે જીવો મોહ નિદ્રામાં સૂતાં છે તે અમુનિ છે.... અનિત્ય પદાર્થ પ્રત્યે મોહ બુદ્ધિ હોવાને લીધે.... જ્ઞાનીના સર્વ વ્યવહાર પરમાર્થમૂળ હોય છે આત્મા સચ્ચિદાનંદ ગાથા ૧૧૫-૬-૭ નો અર્થ તથા માહાત્મ્ય ગાથા ૧૩૦ ‘કરો સત્ય પુરુષાર્થ' ૫૦૭ ઉપદેશામૃત પૃષ્ઠ અંક ૧૯૦ ૨૬૨ ૨૧૫ ૪૭૧ ૨૭૯ ૨૬૩ ૧૭૮ ૪૭૦ ૩૬૮ ૧૮૧ ૧૫૫ ૧૭૩, ૧૭૫ ૐ ૩૬૧ ૩૭૩ ૩૮૮ ૨૩૫ ૩૬૩-૪ ૧૮૯ Page #607 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ પરિશિષ્ટ ૨– સૂચિ ૧ વચનામૃત ક્રમાંક વિષય ઉપદેશામૃત વચનામૃત પૃષ્ઠ અંક કમાંક વિષય ઉપદેશામૃત પૃષ્ઠ અંક ૭૨૭ આયુષ્ય અલ્પ અને અનિયત પ્રવૃત્તિ... જે સ્વરૂપજિજ્ઞાસુ પુરુષો ૭૫૩ - ૨૨૮ ૨૨૮ ૭૬૭ ૧૯૪ ७८३ વેદાંત વિષે આ કાળમાં ૨૪૨ ચરમશરીરી.... (વચનામૃત પૃ. ૬૯૧) ૧૮૩ ૯૫૭/ ૧૧ શરીર ઠીક રહે તે પણ એક જાતની સમાધિ.... ૨૮૧ ૨૮૨ (વચનામૃત પૃ. ૭૨૧) આત્માને નિંદવો; અને એવો ૨૦૮ ખેદ કરવો કે જેથી વૈરાગ્ય આવે (વચનામૃત ૪૨૫ પૃ. ૭૨૪) ૯૫૭/૧૨ છ ખંડના ભોકતા રાજ મૂકી ૨૨૪ ચાલ્યા ગયા.... (વચનામૃત પૃ. ૭૨૭) ૨૧૯ ૯૬૦, ૧૪ હોત આસવા પરિસવા' પદનો અર્થ ૨૧૧ ૮૧૦ પાંચ સમિતિ વિષે પત્રાંક ૭૬૭ વાંચતાં સપુરુષનો યોગ પામવો તો | સર્વકાળમાં... જે અનિત્ય છે, જે અસાર છે અને... % ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને... શ્રીમત્ વીતરાગ ભગવતોએ નિશ્ચિતાર્થ કરેલો.... ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતા.... ૧૯૮ ૮૧૯ ૮૪૩ ૨૪૭ ૯૩૫ ૩૬૬ Page #608 -------------------------------------------------------------------------- ________________ ૨૧ અથવા નિશ્ચય નય ગ્રહે (૨૯) ૩૦૪, ૩૨૯ અસદ્ગુરુ એ વિનયનો (૨૧) ૨૬૯ અહો ! અહો! શ્રી સદ્ગુરુ (૧૨૪) આત્માજ્ઞાન ત્યાં મુનિપણું (૩૪) આત્મજ્ઞાન સમદર્શિતા (૧૦) આત્મભ્રાંતિ સમ રોગ નહિ (૧૨૯) આ દેહાદિ આજથી (૧૨૬) આવે જ્યાં એવી દશા (૪૦) એક હોય ત્રણ કાળમાં (૩૬) એ જ ધર્મથી મોક્ષ છે (૧૧૬) કર્મ મોહનીય ભેદ બે ભ (૧૦૩) ૧૭૬ કષાયની ઉપશાંતતા (૩૮) ૧૫૭ કોટિ વર્ષનું સ્વપ્ન પણ (૧૧૪) ૨૭૭ ગચ્છ મતની જે કલ્પના (૧૩૩) ૧૫૭ ૩૬૪, ૩૭૧ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની ગાથાઓના અવતરણો (અંક પૃષ્ઠના છે. કૌંસમાના અંક ગાથા ક્રમાંક સૂચવે છે) ૨૧ ૨૪૧, ૩૫૩, ૪૭૫ ૧૫૧, ૨૬૧ ૧૮૪, ૩૬૮ ૩૧૫ પરિશિષ્ટ-૨ સૂચિ – ૨ ૧૬૩, ૧૬૯, ૪૦૮, ૪૯૮ ચેતન જો નિજ ભાનમાં (૭૮) ૧૫૧, ૨૫૫ છૂટે દેહાધ્યાસ તો (૧૧૫) ૨૪, ૧૪૧, ૧૫૯, ૧૧૧ ૩૭૦, ૩૮૨, ૪૯૩ જાતિવેષનો ભેદ નહીં (૧૦૭) ૨૪ જે દષ્ટા છે દષ્ટિનો (૫૧) જે સ્વરૂપ સમજ્યા વિના (૧) જો ઈચ્છો પરમાર્થ તો (૧૩૦) ૩૨૯, ૪૪૧ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે (૮) ૨૯૧, ૪૪૮ ૬૩, ૧૩૨, ૩૧૮, ૩૬૩, ૨૨, ૩૭૭ ૧૧૯, ૧૫૧, ૧૮૯, ૨૬૯ તે તે ભોગ્ય વિશેષના (૮૬) ત્યાગ વિરાગ ન ચિત્તમાં (૭) દર્શન ટે સમાય છે (૧૨૮) દશા ન એવી જ્યાં સુધી (૩૯) દેહ છતાં જેની દશા ૧૪૨) નિશ્ચય વાણી સાંભળી (૧૩૧) ભાસ્યું નિજ સ્વરૂપ તે (૧૨૦) મહામોહનીય કર્મથી (૨૧) મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા (૧૨૩) રોકે જીવ સ્વચ્છંદ તો (૧૫) લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું (૨૮) વર્તમાન આ કાળમાં (૨) શુધ્ધ બુધ્ધ ચૈતન્યઘન (૧૧૭) ૯, ૨૫, ૭૯, ૮૨, ૧૩૨, ૧૬૦, ૧૮૪, ૧૮૮, ૨૪૮, ૨૭૦, ૩૧૮, ૩૪૦, ૩૫૮, ૩૬૩, ૩૬૪, ૩૭૧, ૩૮૭, ૩૯૬, ૪૦૬, ૪૦૭, ૪૪૩, ૪૭૬, ૪૯૩ શું પ્રભુ ચરણ કને ધરું (૧૨૫) ષટ્ સ્થાનક સમજાવીને (૧૨૭) સદ્ગુરુના ઉપદેશ વણ (૧૨) ૧૨૪, ૨૩૮ ૪૦૬ ૬૪ ૨૯૯ ૨૨ ૧૫૭ ૩૦૪, ૩૨૯, ૩૩૩ ૪૫૩ ૨૬૯ ૫૦૯ ૧૨૭ ૧૫૯ ૨૪૨, ૨૫૪, ૩૨૬, ૪૦૦, સદ્ગુરુના ઉપદેશથી આવ્યું (૧૧૯) સદ્ગુરુના ઉપદેશથી સમજે (૧૨) સર્વ જીવ છે સિધ્ધ સમ (૧૩૫) ૧૫૯, ૧૬૧, ૨૨૮, સેવે સદ્ગુરુચરણને (૯) ૪૮૩ હોય ન ચેતન પ્રેરણા (૭૪) ૩૦૦ ૨૧, ૨૩૮ ૨૧, ૨૩૩ ૧૬૮, ૨૦૧, ૨૧૪, ૪૦૨, ૪૫૫, ૪૬૮ ૪૫૨ ૧૮ ૮૩, ૨૪૧ Page #609 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ પરિશિષ્ટ- ૨ સૂચિ-૩ વચનામૃત અવતરણ કમાંક સૂચિ (કૌસમાં આપેલા અંક જીવનચરિત્ર પૃષ્ટ સૂચવે છે). ઉ૫. ઉપ. ઉપ. પૃષ્ઠ વચનામૃત કમાંક અંક પૃષ્ઠ વચનામૃત કમાંક પૃષ્ઠ વચનામૃત કમાંક અંક અંક (૮) ૫૮૮ (૧૨) ૯૫૬/૩૬ (૧૮) ૫૦૧ (૧૯) ૫૦૧ (૨૧) ૭૫૦ (૨૮) ૩૦૮; ૭૦૯ (૩૦) ૯૩૯ (૩૪) ૪૯૩; ૭૧૮; ૭૩૮ (૪૭) ૨૧૭ (૬૧) ૨૧-૩૦; ૪૭ (૬૨) ૩૭૩ (૬૭) ૭૧૫ (૬૮) ૭૧૫-૧૦ (૭૧) ૭૩૮; ૭૮૧ (૭૨) ૧૫-૧ (૭૬) ૨૦૧; ૪૭૫; ૭૧૫-૧ (૭૮) ૭૩૮ ૫ ૮૩૩, ૯૩૨, ૯૩૯ ૬ ૫૯; ૯૧૩ ૭૧૮-૧૧૭ ૭૫૫ ૧૬ ૬૪૩, ૯૬૦/૧૪ ૧૮ ૨૧૨; ૩૦૧; ૭૧૮-૧૨ ૨૦ ૧૭/૬૭; ૨૫૮; ૮૬૦ ૧/૧૪ ૨૧ ૫૬૯; ૭૧૮-૧૨૪, ૧૨૫, ૧૨૬, ૧૨૭, ૭૫૩ ૨૨ ૨૬૪-૨૦; ૨૬૬-૧૧; ૭૧૮-૧, ૧૪૨ ૨૪ ૩૭; ૭૧૮-૧૦૭, ૧૩૩ ૨૫ ૭૧૮-૧૧૭; ૯૫૭/૫ ૧. પૃ; ૬૯૬ ૨૬ ૧૦૭; ૧૨૫; ૧૪૩; ૨૨૬; ૪૧૪; ૪૮૭; ૪૯૪, ૮૧૯; ૯૬૦/૧૨ ૨૭ ૪૭ ૨-૫૧; ૨૧૦; ૭૧૦; ૯૬૦/૧૪ ૨૯ ૨-૫૧ ૩૦ ૧૪૧ ૩૨ ૪૭; ૨૧૦; ૭૧૦; ૯૬૦/૧૪ ૩૩ ૪૭ ૩૫ ૧૬-૧૦ ૩૬ ૩૦૧ ૩૮ ૪૭; ૧૫૪; ૭૧૦ ૩૯ ૯૬૦/૧૧/૧૨; ૯૬૧/૭; ૯૬૨/૧૪/૧૫ ૪૦ ૯૬૦/૨૮; ૯૬૨/૧૫ ૪૭ ૮૨૭, ૮૬૮; ૮૭૮ ૪૮ ૫૦૫; ૯૬૦/૧૨ ૪૯ ૭૭; ૭૯; ૯૫૪-૮, ૯; ૯૬૦/૧૨ ૫૩ ૯૨૭ ૫૭ ૧૬/૧૦ ૫૮ ૩૨૬,૪૭૫, ૯૬૦/૧૨ પ૯ ૪૭ ૬૦ ૨૫૮-૨; ૨૬૪-૧૭; ૪૮૩; ૭૧૮-૩૪ ૬૨ ૫૩૯ ૬૩ ૪૭; ૭૧૮-૧૧૫ ૬૪ ૪૯૫; ૭૧૮-૭ ૬૬ ૪૭ ૬૯ ૧૪૩; ૯૬૦/૧૪ ૭૦ ૮-૩; ૨૧૩, ૨૫૮-૪ ૭૧ ૪૭; ૧૨૮; ૪૫૦ ૭૨ ૩૭૩; ૪૫૦ ૭૩ ૮૫ ૭૬ ૨૬૪-૧૭ ૭૮ ૨૫૮-૨; ૯૫૧/૫ વ. પૂ. ૬૯૬; ૯૫૭/૧૧ વ. પૂ. ૭૨૨; ૯૬૦/૩૭ ૭૯ ૧૬/૧; ૩૭૩; ૭૧૮ ૧૧૭ ૮૦ ૬૯૨ ૮૧ ૧૫-૫ ૮૨ ૩૭૩; ૭૧૮-૧૧૭ ૮૩ ૭૧૮-૧૩૫; ૮૦૨-૧ ૮૫ ૨૬૫-૮; ૪૯૩ ૮૬ ૮-૩,૧૫-૫ ૮૭ ૪૭; ૧૨૮; ૪૫૦ ૯૩ ૬૯૨ ૯૬ ૨૬૪-૧૯ ૯૭ ૪૭ ૯૮ ૧૭/૬૭ ૧૦૦ ૧૬/૧; ૧૬/૨ ૧૦૧ ૪૬૦ ૧૦૩ ૧૭/૬૭ ૧૦૬ ૪૭ ૧૦૯ ૪૬૦/૧૪ ૧૧૦ ૨૬૪-૧૬, ૧૭, ૧૮ Page #610 -------------------------------------------------------------------------- ________________ ઉપ. પૃષ્ઠ વચનામૃત ક્રમાંક * ૧૧૧ ૧૭/૬૭૩; ૭૧૮-૫૧ ૧૧૪ ૭૧૦, ૯૬૧ ૯ ૧૧૫ ૩૭૩ ૧૧૮ ૧૫-૩ ૧૧૯ ૧૭૨૩૪ ૪૦, ૭૧૮ ૧૩૦ ૧૨૦ ૯૬૦/૧૪ ૧૨૧ ૪૭ ૧૨૨ ૬૯૨ ૧૨૩ ૪૯૧ ૧૨૪ ૭૧૮-૨, ૯૬૦/૧૨ ૧૨૬ ૧૬૬ ૧૨૭ ૨૧-૧૦-૨૨૩-૨ ૭૧૮-૧૫ ૧૨૮ ૯૬૦૧૨ ૧૩૨ ૭૧૮-૧૧૫, ૧૧૭:૩૭૩૮-૨૦ ૧૩૪ ૧૭/૬૭ ૧૩૫ ૧૭૬૭ ૧૩૮ ૧૬ ૬ ૧૪૦ ૧૬૬ ૧૪૧ ૧૭/૬૭૭૧૮ ૧૩૩; ૯૬૦/૧૨ ૧૪૨ ૧૭૦૬૭ ૧૪૩ ૨૧૧; ૬૯૨; ૭૩૮-૧ ૧૪૯ ૬૦૯ ૧૫૧ ૨-૩૫ ૧૭/૬૭૭૧૮ ૧૦, ૭૮, ૭૧૮-૧૩૦ ૧૫૨ ૨૬૬-૧; ૯૬૦/૧૪ ૧૫૫ ૧૩૯ ૧૫૬ ૪૯૩; ૯૬૦/ ૧૪ ૧૫૭ ૧૮-૩૮,૩૯, ૪૦ ૧૫૯ ૧૭/૬૭; ૧૬૬; ૭૧૮૮, ૨૮, ૧૩૩ ૧૬૦ ૧૭/૧૯,૨૦૦ ૨૫૮ ૪; ૪૩૮; ૭૧૮-૧૧૩ ૭૧૮-૮; ૮૩૩ ૧૬૧ ૧૬૨ ૨૧:૪૦ ૨૬૫-૩: ૯૬૦ ૧૨ પરિશિષ્ટ ૨ –સૂચિ ૩ ઉપ. પૃષ્ઠ વચનામૃત ક્રમાંક અંક ૧૬૩ ૧૬/૬; ૩૨૨; ૩૩૩; ૭૧૮-૧૩૩ ૧૬૪ ૧૬/૪; ૮૩૩ ૧૬૫ ૯૬૦૦૧૪ ૧૬૬ ૨૬૪-૧૭ ૧૬૭ ૧૬૬ ૧૬૮ ૭૧૮-૧૨ ૧૬૯ ૨૧-૨૭ ૧૬૬; ૯૬૦/૧૪ ૧૩૦ ૧૬૬ ૨૬૪-૧૭; ૯૬૦/૧૪ ૧૭૧ ૧૬૬; ૯૬૦૧૪ ૧૭૨ ૨૬૫-૩ ૧૭૩ ૫૬૮ ૧૭૫ ૫૬૮ ૧૭૬ ૧૬૬, ૭૧૮-૧૦૩ ૧૭૭ ૧૬૬ ૧૭૮ ૪૩૦ ૧૭૯ ૪૩૦ ૧૮૦ ૧૬૬ ૧૮૧ ૪૩૨ ૧૮૨ ૫૦૫ ૧૮૩ ૧૭ ૬૭ ૭૫૩ ૧૮૪ ૭૧૮-૧૧૭, ૧૨૯ ૧૮૫ ૧૭/૬૭ ૨૬૪૦૧૯ ૯૬૦/૧૪ ૧૮૬ ૨૪૯ ૧૮૭ ૨૪૯; ૨૬૪-૧૮ ૧૮૮ ૧૭/૬૭, ૨૬૪-૧૭ ૭૧૮-૧૧૭ ૧૮૯ ૨૬૪-૧૭, ૭૧૮-૧૩૦ ૧૯૦ ૨૫૮-૨; ૨૬૫-૩, ૪ ૧૯૧ ૬૪, ૧૬૬ ૧૯૨ ૧૭/૬૭, ૨૬૪-૨ ૧૯૩ ૬૪ ૧૯૪ ૧૭/૬૭, ૯૫૭ ૧૧ ૧. પૃ. ૭૨૧ ૧૯૬ ૯૬૦૧૪ ૧૯૮ ૧૭/૬૭, ૯૫૭/૧૧ ૧. પૃ. ૭૨૪ ઉપ. પૃષ્ઠ વચનામૃત ક્રમાંક અંક ૧૯૯ ૧૭/૬૭ ૨૫૮-૨ ૨૦૦ ૨-૩૫; ૨૬૪-૧૯; ૯૬૦/૧૪ ૨૦૧ ૨૬૪-૧૮, ૧૯; ૭૧૮ ૧૨ ૨૦૨ ૭૬;૦૧૫-૬ ૨૦૩ ૭૬ ૨૦૪ ૧૯૪,૯૬૦ ૧૪ ૨૦૬ ૨૬૪-૧૯ ૫૧૧ ૨૦૮ ૭૮૩; ૯૬૦/૧૪ ૨૦૯ ૨૬૪-૧૭; ૭૮૩ ૨૧૦ ૩૭૩; ૭૧૫૬, ૭, ૮:૮૩૩ ૨૧૧ ૯૩૫ ૨૧૨ ૯૨૯ ૨૧૩ ૬૪, ૧૬૬; ૪૦૩ ૨૧૪ ૭૧૮-૧૨; ૯૬૭/૧૪ ૨૧૫ ૩૨૧ ૨૧૬ ૩૨૧ ૨૧૭ ૩૭ ૨૧૮ ૨૬૫૩ ૨૧૯ ૮૪૩ ૨૨૦ ૮૪૩ ૨૨૧ ૨૨૨ ૮૩૩ ૨૨૪ ૮૧૯ ૨૨૫ ૧૭ ૬૩, ૯૬૦/૧૨ ૨૨૬ ૧૭૬૩ ૨૨૮ ૭૧૮-૮; ૯૫૭૪૪ ૧. પૂ. ૯૫૪-૧૩ ૬૯૧ ૨૨૯ ૧૭ ૬૭ ૨૩૦ ૧૫૭૪૩; ૨૬૫-૩, ૪ ૨૩૨ ૯૯૦૪૧૪ ૨૩૩ ૨૬૬-૨; ૭૧૮-૧૨૭ ૨૩૪ ૨૫૮-૬ ૨૩૫ ૪૭ ૪૯૩, ૭૧૦ ૨૩૬ ૭૧૦ ૨૩૮ ૩૭૩; ૭૧૮-૨, ૧૨૫ ૨૩૯ ૨૬૬-૨, ૭૧૦ ૨૪૦ ૩૭૩ Page #611 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ પરિશિષ્ટ ૨– સૂચિ ૩ ઉ૫, પૃષ્ઠ વચનામૃત ક્રમાંક અંક ઉ૫. પૃષ્ઠ વચનામૃત ક્રમાંક અંક ૨૪૧ ૨૬૫-૩, ૫, ૭૧૮-૩૪, ૧૩૫ ૨૪૨ ૭૧૮-૧૨; ૭૨૭ ૨૪૩ ૧૭/૩૪; ૨૧-૯૭; ૫૫ ૨૪૪ ૧૭/૩૪ ૨૪૫ ૧૭/૩૪, ૩૭; ૨૬૪ ૧૭; ૨૬૫-૪ ૨૪૬ ૨૫૮-૨ ૨૪૭ ૨-૩૫, ૯૫૭/૧૨ વ. પૂ. ७२७ ૨૪૮ ૨-૧૫; ૫૦૫; ૭૧૮ ૧૧૭ ૨૪૯ ૨૬૪-૧૭; ૪૧૭ ૨૫૦ ૧૭/૬૭ ૨૫૧ ૭૬ ૨૫૩ ૧૭/૬૭ ૨૫૪ ૧૮૭; ૨૬૪-૧૭; ૭૧૮-૧૨ ૨૫૫ ૪૯૩; ૭૧૮-૧૮ ૨૫૬ ૧૬૬ ૨૫૮ ૧૭/૬૭ ૨૫૯ ૨-૩૫ ૨૬૨ ૨-૭; ૨૮૩ ૨૬૩ ૨૧-૯૧; ૪૦૩ ૨૬૫ ૨૧-૧; ૭૩૮ ૨૬૬ ૨૧-૧ ૨૬૭ ૧૭/૬૭ ૨૬૯ ૧૭/૧૫; ૨૧-૭૨; ૨૬૪-૧ ૭૧૮-૨૧, ૧૨૩ ૨૭૪ ૯૫૮-૨૯ ૨૭૬ ૪૯૩ ૨૭૭ ૨૦૦; ૭૧૮-૧૧૪ ૨૭૯ ૩૭૩ ૨૮૦ ૧૧૭; ૨૫૮-૩ ૨૮૧ ૭૬૭, ૯૬૦/૧૨ ૨૮૩ ૧-૧૮ ૨૮૫ ૧૭/૬૭/૧૦૦ ૨૮૬ ૩૭૩; ૪૩૦ ૨૮૮ ૨૫૪ ૨૯૦ ૭૧૯ ૨૯૧ ૧૩૯; ૭૧૮-૮ ૨૯૨ ૧૭/૧૮ ૨૯૪ ૨૬૪-૧ ૨૯૫ ૯૫૭/૧૧ ૧. પૃ. ૭૨૨ ૨૯૮ ૨૬૪-૧ ૨૯૯ ૭૧૮-૧૨૮ ૩૦૦ ૨૬૬-૬, ૭; ૭૧૮-૭૪; ૯૫૮-૨૯ ૩૦૧ ૫૩૪ ૩૦૨ ૦૦૨-૨ ૩૦૪ ૭૧૮-૨૯, ૧૩૧ ૩૧૧ ૧૦૫ ૩૧૫ ૭૧૮-૩૬ ૩૧૮ ૭૧૮-૧૧૫, ૧૧૭ ૩૧૯ ૨૬૪-૧ ૩૨૦ ૨-૩૫ ૩૨૩ ૧૯૪ ૩૨૬ ૪૬૦; ૭૧૮-૧૨ ૩૨૯ ૧૭/૩૪; ૭૧૮-૨૯, ૧૩૦, ૧૩૧ ૩૩૩ ૭૧૮-૧૩૧ ૩૩૪ ૯૬૦/૧૨ ૩૩૫ ૭૧૫-૮ ૩૩૭ ૯૬૦/૧૪ ૩૩૮ ૯૬૦૧૪ ૩૪૦ ૪૧૭ ૩૪૧ ૯૫૬/૧૧ ૩૪૨ ૧૬૬; ૪૩૦ ૩૪૪ ૫૩૭, ૯૦૨-૧ ૩૪૬ ૫૭૪ ૩૪૭ ૭૧૫-૬ ૩૪૮ ૫૬૯ ૩૫૧ ૭૬; ૨૬૬-૧; ૬૦૨-૧; ૯૬૦/૧૨ ૩૫૨ ૭૬; ૨૪૯ ૩૫૩ ૨૪૯; ૫૨૨; ૭૧૮-૩૪ ૩૫૫ ૩૦૧ ૩૫૬ ૧૬૮; ૨૬૪-૧૮; ૯૬૦/૧૨ ઉ૫. પૃષ્ઠ વચનામૃત ક્રમાંક અંક ૩૫૮ ૨૬૪-૧૭; ૯૬૦/૧૪ ૩૬૧ ૫૦૫; ૫૬૯; ૯૬૦/૧૨/૧૪ ૩૬૨ ૨-૩૫ ૨૫૮-૨, ૩ ૩૬૩ ૩૦૧; ૭૧૮ ૧૧૫,૧૧૭ ૩૬૪ ૭૧૮-૧૧૬, ૧૧૭ ૩૬૫ ૨૪ ૩૬૬ ૧૨૮; ૩૦૧; ૫૦૫; ૯૫૭/૪ વ. પૂ. ૬૮૮; ૯૬૦/૧૪ ૩૬૭ ૯૬૦/૧૪ ૩૬૮ ૧૭/૩૪/૬૭; ૪૩૧,૭૧૮-૧૨૯ ૩૭૦ ૪૯૩; ૭૧૮-૧૧૫ ૩૭૧ ૪૯૩; ૭૧૮-૧૧૬, ૧૧૭; ૯૬૦/૧૪ ૩૭૩ ૫૭૦; ૬૦૯ ૩૭૫ ૮૩૩; ૯૬૦/૧૪ ૩૭૬ ૮૪;૨૬૫-૧, ૨,૩ ૩૭૭ ૧૭/૩૪; ૨૬૭-૨; ૭૧૮-૧; ૮૩૩ ૩૭૮ ૧૭/૬૭ ૩૭૯ ૩૬૦/૧૪ ૩૮૧ ૨૬૫-૮ ૩૮૨ ૨૫૮-૧; ૪૯૩; ૭૧૮ ૧૧૫ ૩૮૩ ૯૬૦/૧૪ ૩૮૪ ૧૦૮ ૩૮૫ ૧૭/૬૭ ૩૮૬ ૨૫૮-૨ ૩૮૭ ૬૪; ૭૧૮-૧૧૭; ૯૬૦/૧૪ (૩૮૮ ૩૦૧; ૬૭૦ ૩૮૯ ૭૩૮-૨૦ ૩૯૦ ૭૩૮-૨૦ ૩૯૧ ૨૬૮ ૩૯૪ ૨૧-૮૩ ૩૯૫ ૧૯૪ ૩૯૬ ૧૬૬, ૭૧૮-૧૧૭ Page #612 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨-સૂચિ ૩ ૫૧૩ ઉપ, પૃષ્ઠ વચનામૃત કમાંક અંક ઉ૫. પૃષ્ઠ વચનામૃત ક્રમાંક અંક ઉ૫. પૃષ્ઠ વચનામૃત કમાંક અંક ૩૯૯ ૧૭/૬૭ ૪૦૦ ૨-૩૫, ૨૫૮-૨; ૩૦૧ ૫૦૫; ૭૧૮-૧૨ ૪૦૨ ૭૧૮-૧૨ ૪૦૬ ૭૧૮-૮૬, ૧૧૭ ૪૦૭ ૭૧૮-૧૧૭ ૪૦૮ ૭૧૮-૧૩૩ ૪૧૦ ૯૫૭/૧૦ વ. પૂ. ૭૧૫ ૪૨૧ ૭૧૫-૬ ૪૨૩ ૨૫૮-૪ ૪૨૫ ૮૧૦. ૪૨૮ ૧૭/૫૬ ૪૩૦ ૩૦૧ ૪૩૮ ૫૬૯ ૪૪૩ ૭૧૮-૧૧૭ ૪૪૮ ૭૧૮-૮ ૪૫૦ ૩૭ ૪૫૨ ૭૧૮-૧૧૯ ૪૫૩ ૭૧૮-૧૧૯ ૪૫૫ ૭૧૮-૧૨ ૪૫૬ ૫૦૫ ૪૫૯ ૩૦૧ ૪૬૦ ૦૦૨-૧ ૪૬૧ ૩૦૧; ૭૩૮-૩ ૪૬૨ ૬; ૨૧-૭૨ ૪૬૩ ૭૧૫-૧ ૪૬૪ ૨૧-૮૩, ૯૦૨-૧ ૪૬૬ ૧૬૫ ૪૬૭ ૨૫૪ ૪૬૮ ૬૫૧; ૭૧૮-૧૨ ૪૬૯ ૫૨૨; ૬૭૦ ૪૭૦ ૪૩૦ ૪૭૧ ૩૭૧ ૪૭૨ ૧૬/ઉપોદઘાત ૪૭૩ ૭૧૦ ૪૭૪ ૨૬૪-૧૭; ૪૯૧ ૪૭૫ ૪૯૧; ૭૧૮-૩૪ ૪૭૬ ૫૬૯, ૭૧૮-૧૧૭ ૪૭૭ ૯૬૦/૧૨ ૪૭૮ ૧૭/૬૭; ૯૬૦/૧૨ ૪૮૦ ૧૭/૬૭ ૪૮૧ ૧૭/૬૭; ૯૬૦/૧૨ ૪૮૨ ૨૧-૭૨; ૧૩૫; ૨૫૮ ૪૮૩ ૭૬; ૭૧૮-૯ ૪૯૧ ૨૬૬-૧; ૬૦૨-૧ ૪૯૩ ૭૧૮-૧૧૫, ૧૧૭; ૭૩૮-૨૦ ૪૯૬ ૧૭/૬૭, ૯૬૦/૧૨ ૪૯૭ ૧૭/૬૭; ૯૬૦/૧૨ ૪૯૮ ૭૧૮-૧૩૩ Page #613 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ પરિશિષ્ટ ૩ પત્રો વિષે વિશેષ માહિતી પત્રાવલી-૧ આંક કોના પ્રત્યે ક્યા સ્થળેથી ક્યા સ્થળે મિતી/તારીખ ૧ શ્રીમદ્ રાજચંદ્ર ૨ શ્રીમદ્ રાજચંદ્ર ૩ શ્રીમદ્ રાજચંદ્ર ૪ મુનિશ્રી લક્ષ્મીચંદજી આદિ મુનિવરો. ૫ (મુનિશ્રી મોહનલાલજી મહારાજ?) ૬ મુનિશ્રી રત્નરાજસ્વિામી ૭ મુનિશ્રી રત્નરાજસ્વિામી (સુરત)? સુરત ખેડા કરમાળા મુંબઈ મુંબઈ મુંબઈ અમદાવાદ ૧૯૫૧ ચૈ. સુ. ૬ ૧૯૫૨ કા. સુ. ૫ ૧૯૫૩ શ્રા. વ. ૫ ૧૯૫૮ (ચાતુર્માસ) ૧૯૫૮ ભા. વ. ૭ ૧૯૭૦ અ. સુ. ૬ ૧૯૭૦ અ. વ. ૧૧ તા. ૧૯-૭-૧૯૧૪ ૧૯૭૧ માગશર નડિયાદ નડિયાદ ડીસા ટાઉન ડીસા કેમ્પ ઉમરેઠ ડીસા ટાઉન ચક્લાસી વડાલી નડિયાદ (નાર?) ૮ મુનિશ્રી રત્નરાજસ્વિામી ૯ મુનિશ્રી મોહનલાલજી મહારાજ તથા | મુનિ પદ્મવિજયજી ૧૦ રણછોડભાઈ લખાભાઈ પટેલ ૧૧ મણિલાલભાઈ કલ્યાણજીભાઈ શેઠ ૧૨ રણછોડભાઈ તથા છોટાલાલભાઈ ૧૩ મુનિશ્રી લક્ષ્મીચંદજી મહારાજ ૧૪ મુનિશ્રી રત્નરાજસ્વામી મુંબઈ ૧૯૭૧ માં. વ. ૨ ૧૯૭૧ ઈ. સ. ૧૯૧૫ ૧૯૭૧ તા. ૧૦-૩-૧૯૧૫ ૧૯૭૧ જે. વ. ૧૨ ૧૯૭૧ અ. વ. ૯ નાર સુણાવ વીરક્ષેત્ર (વડોદરા) ડભોઈ નાર ૧૫ વૈદ્ય હીમચંદ મોહનલાલ શાહ ૧૬ રણછોડભાઈ લખાભાઈ પટેલ કણીસા ૧૭ મણિલાલભાઈ કલ્યાણજીભાઈ શેઠ ૧૮ આશાભાઈ કલ્યાણભાઈ જૂનાગઢ ૧૯ કલ્યાણભાઈ મુલજીભાઈ તથા આશાભાઈ ૨૦ મુનિશ્રી રત્નરાજસ્વામી ૨૧ આશાભાઈ કલ્યાણભાઈ ૨૨ મુનિશ્રી રત્નરાજસ્વિામી ૨૩ ગિરધરભાઈ વેણીરામ આદિ ૨૪ રણછોડભાઈ તથા છોટાલાલભાઈ ૨૫ કલ્યાણજીભાઈ મુલજીભાઈ ૨૬ રણછોડભાઈ તથા છોટાલાલભાઈ ૨૭ મનસુખભાઈ તથા ઝવેરભાઈ ૨૮ રાણછોડભાઈ લખાભાઈ પટેલ ૨૯ રણછોડભાઈ લખાભાઈ પટેલ ૩૦ રણછોડભાઈ લખાભાઈ પટેલ ૧૯૭૧ ૧૯૭૧ ૧૯૭૨ ૧૯૭૨ ૧૯૭૨ ૧૯૭૨ ૧૯૭૨ ૧૯૭૨ ૧૯૭૨ ૧૯૭૨ ૧૯૭૨ ૧૯૭૨ ૧૯૭૨ ૧૯૭૨ ૧૯૭૨ ૧૯૭૨ ૧૯૭૨ આ. સુ. ૮ તા. ૯-૮-૧૯૧૫ ચું. સુ. ૪ તા. ૭-૫-૧૯૧૬ જે. સુ. ૭ અ. સુ. ૫ અ. વ. ૮ અ. વ. ૧૦ શ્રા. સુ. ૯ શ્રા. વ. ૨ મુંબઈ કાવિઠા કાવિઠા ઉમરદશી કાવિઠા ઉમરદશી સરડોઈ (નાર?) કાવિઠા (નાર?). કાવિઠા નાર (નાર?). (નાર?) શ્રા.વ. ૧૫ ભા. વ. ૭ ભા. વ. ૮ આ. વ. ૮ આ. ૧. ૧૧ Page #614 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ ૫૧૫ આંક કોના પ્રત્યે ક્યા સ્થળેથી ક્યા સ્થળે મિતી/તારીખ ૩૧ રણછોડભાઈ લખાભાઈ પટેલ ૩૨ કલ્યાણજીભાઈ કુંવરજી શેઠ ૩૩ માધવજીભાઈ રેવાજીભાઈ શેઠ રણછોડભાઈ લખાભાઈ પટેલ ૩૫ છોટાલાલભાઈ ધોરીભાઈ ૩૬ સોમાભાઈ ચતુરભાઈ ૩૭ હરખચંદભાઈ કરમચંદભાઈ ૩૮ મણિલાલભાઈ કલ્યાણજીભાઈ શેઠ ૩૯ મુનિશ્રી રત્નરાજસ્વામી ૪૦ હરખચંદભાઈ કરમચંદભાઈ ૪૧ મુનિશ્રી મોહનલાલજી મહારાજ જૂનાગઢ બગસરા બગસરા બગસરા નાર સીમરડા નાર બગસરા વડાલી ગરડેસર મુંબઈ 'ડભોઈ જૂનાગઢ મુંબઈ ડીસા ટાઉન જૂનાગઢ રાજનગર (અમદાવાદ) ડભોઈ સીમરડા જૂનાગઢ મુંબઈ ૧૯૭૨ આ. વ. ૧૧ ૧૯૭૩ કા. સુ. ૭ ૧૯૭૩ ફા. સુ. ૮ ૧૯૭૩ ફા. સુ. ૧૩ ૧૯૭૩ ફા. સુ. ૧૩ ૧૯૭૫ તા. ૩૦-૬-૧૯૧૮ ૧૯૭૫ તા. ૨૧-૯-૧૯૧૯ ૧૯૭૫ તા. ૧-૧૦-૧૯૧૯ ૧૯૭૬ હૈ. વ. ૧૪ ૧૯૭૬ ઇ. સ. ૧૯૨૦ સાવદ ૧૯૭૬ ૧૯૭૬ ૧૯૭૬ ૧૯૭૬ ૧૯૭૬ ૧૯૭૬ તા. ૧-૬-૧૯૨૦ તા. ૨૬-૭-૧૯૨૦ અ. સુ. ૧૦ અધિક શ્રા. સુ. ૧૩ અધિક શ્રી. સુ. ૧૪ અધિક શ્રા. સુ. ૩ અધિક શ્રા. સુ. ૧૦ તા. ૩-૯-૧૯૨૦ સંદેશર મુંબઈ ૪૨ વૈદ્ય હીમચંદ મોહનલાલ શાહ ૪૩ મણિભાઈ તથા અન્ય મુમુક્ષુઓ ૪૪ હરખચંદ કરમચંદ તથા તારાચંદ લક્ષ્મીચંદ આદિ ૪૫ મણિલાલભાઈ કલ્યાણજીભાઈ શેઠ ૪૬ ભાઉલાલભાઈ પુનશી ભાટે ૪૭ ચતુરભાઈ હાથીભાઈ ૪૮ પરશોતમભાઈ ઝવેરભાઈ ૪૯ પરશોતમભાઈ ઝવરભાઈ ૫૦. રણછોડભાઈ લખાભાઈ પટેલ ૫૧ ઝવેરબેન ૫૨ કલ્યાણભાઈ તથા આશાભાઈ આદિ ૫૩ ગિરધરભાઈ વેણીરામ મંડાળા ૫૪ દલપતભાઈ તથા અંબાલાલભાઈ આદિ સાવદ ૫૫ કાલીદાસભાઈ જીજીભાઈ ૫૬ ચતુરભાઈ હાથીભાઈ નાર તા. ૬-૧૦-૧૯૨૦ તા. ૨૦-૧૦-૧૯૨૦ કાવિઠા સરડોઈ કાવિઠા સંદેશર અગાસ ૧૯૭૬ ૧૯૭૬ ” ૧૯૭૬ ૧૯૭૬ ૧૯૭૬ ૧૯૭૬ આશ્રમ ૧૯૭૬ ૫૭ અગાસ આશ્રમ ૫૮ જેસંગભાઈ ઊજમશીભાઈ શેઠ ૫૯ મણિલાલભાઈ લાલાજી ૬૦ જેસંગભાઈ ઊજમશીભાઈ શેઠ ૬૧ વૈદ્ય હીમચંદભાઈ મોહનલાલ શાહ આદિ ૧૯૭૬ ધનતેરશ તા. ૫-૧૧-૧૯૨૦ ૧૯૭૭ કા. સુ. ૧૦. તા. ૧-૩-૧૯૨૧ ૧૯૭૭ ચૈ. સુ. ૬ સાવદ અમદાવાદ મંડાળા ધર્મજ અમદાવાદ અગાસ આશ્રમ સુરત રાજનગર (અમદાવાદ) ૧૯૭૭ તા. ૩૦-૫-૧૯૨૧ ૬૨ વૈદ્ય હીમચંદભાઈ મોહનલાલ શાહ આદિ તા. ૧૫-૧-૧૯૨૨ Page #615 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ પરિશિષ્ટ ૩ આંક કોના પ્રત્યે ક્યા સ્થળેથી ક્યા સ્થળે મિતી/તારીખ ૧૯૭૮ પો. વ. ૭ મુંબઈ તા. ૨-૫-૧૯૨૨ મીગામ તા. ૪-૭-૧૯૨૨ ૬૩ ચુનીલાલભાઈ ધરમચંદભાઈ શાહ આદિ ૬૪ મણિલાલભાઈ કલ્યાણજીભાઈ શેઠ તથા અગાસ કુટુંબીજનો આશ્રમ ૬૫ ચુનીલાલભાઈ ધરમચંદભાઈ શાહ તથા કુટુંબીજનો ૬૬ મણિલાલભાઈ કલ્યાણજીભાઈ શેઠ તથા કુટુંબીજનો ૬૭ ભાઈલાલભાઈ લક્ષ્મીદાસભાઈ સુણાવવાલા ૬૮ બેન વીજીબા ૬૯ રવજીભાઈ દેવકરણ ૭૦ મણિલાલભાઈ કલ્યાણજી શેઠ તથા અગાસ કુટુંબીજનો આશ્રમ ૭૧ મેઘજીભાઈ થોભણ ૭૨ જેચંદભાઈ આશારામ ૭૩ મુનિશ્રી ચતુરલાલજી મહારાજ ૭૪ મગનભાઈ લલ્લુભાઈ (તાર માસ્તર, આણંદ) પૂના ૭૫ ચુનીલાલભાઈ ધરમચંદભાઈ શાહ આદિ મુંબઈ ઈન્દોર સુરત મુંબઈ ૧૯૭૮ ૧૯૭૮ ૧૯૭૮ ૧૯૭૮ અ. સુ. ૧૦ ભા. સુ. ૩ ભા. ૧. ૮ ભા. વ. ૧૪ (મુંબઈ?) મુંબઈ અમદાવાદ ૧૯૭૯ ૧૯૭૯ ૧૯૭૯ ૧૯૮૦ તા. ૬-૧૨-૧૯૨૨ પો. વ. ૭ જે. ૧. ૧૩ અ. વ. ૩ ભા. વ. ૭ આણંદ અગાસ આશ્રમ સંદેશર ૭૬ કાલીદાસભાઈ જીજીભાઈ , મગનભાઈ આદિ ૧૯૮૦ ૧૯૮૦ ૭૭ વનરાજભાઈ આદિ ૭૮ ગિરધરભાઈ મથુરભાઈ ૭૯ છગનભાઈ બાબરભાઈ ૮૦ સોમચંદભાઈ કલ્યાણજીભાઈ શેઠ ૮૧ સોમચંદભાઈ કલ્યાણજીભાઈ શેઠ આદિ ૮૨ મણિભાઈ કલ્યાણજીભાઈ શેઠ આદિ જૂનાગઢ કાવિઠા બાંધણી સના વદ (નાવદ?) (મુંબઈ?) ૧૯૮૦ ૧૯૮૦ ૧૯૮૧ ૧૯૮૧ ભા. વ. ૭ આ. સુ. ૪ તા. ૧-૧૦-૧૯૨૪ આ. સુ. ૭ આ. સુ. ૮ કા. સુ. ૧૪ માં. ૧, ૯ તા. ૧૧-૧૨-૧૯૨૪ મા. સુ. ૧૫ તા. ૮-૨-૧૯૨૫ પેથાપુર ૧૯૮૧ પૂના ૮૩ ત્રિકમભાઈ રણછોડભાઈ ૮૪ મુનિશ્રી રત્નરાજસ્વિામી ૧૯૮૧ ૧૯૮૧ સિધ્ધપુર ફા. વ. ૬ પેથાપુર અગાસ આશ્રમ ૮૬ રણછોડભાઈ લખાભાઈ પટેલ તા. ૨૩-૫-૧૯૨૫ તા. ૧-૮-૧૯૨૫ તા. ૬-૧૨-૧૯૨૫ ૮૮ રાવજીભાઈ છગનભાઈ દેસાઈ નાર મુંબઈ કમ્પાલા (ઇ. આફ્રિકા) (નાર ?). તા. ૨૪-૪-૧૯૨૬ ૮૯ રણછોડભાઈ લખાભાઈ પટેલ ૯૦ હરિલાલભાઈ કલ્યાણજીભાઈ શેઠ ૯૧ વૈદ્ય હીમચંદભાઈ મોહનલાલ શાહ મુંબઈ ૧૯૮૨ ૧૯૮૨ ૧૯૮૨ ઈં. વ. ૧૨ શ્રા. સુ. ૮ ડભોઈ Page #616 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ ૫૧૭ મિતી/તારીખ ૧૯૮૨? ૧૯૮૨ આ. વ. ૧૧ ૧૯૮૩ કા. વ. ૧૧ ૧૯૮૩ ચે. સુ. ૭ આંક કોના પ્રત્યે ક્યા સ્થળેથી ક્યા સ્થળે ૯૨ હીરાલાલભાઈ (મુંબઈ?) ૯૩ મણિલાલભાઈ કલ્યાણજીભાઈ શેઠ અગાસ આશ્રમ (મુંબઈ?) ૯૪ મણિલાલભાઈ કલ્યાણજીભાઈ શેઠ આદિ (મુંબઈ?) ૯૫ માધવજીભાઈ રેવાભાઈ, નાનચંદભાઈ આદિ ” વડાલી ૯૬ રાવજીભાઈ છગનભાઈ દેસાઈ, જેઠાભાઈ આદિ ” કમ્પાલા (ઈ. આફ્રિકા) ૯૭ મનસુખભાઈ દેવસી લીમડી ૯૮ હીરાલાલભાઈ આદિ મુંબઈ ૯૯ રુકમણીબા જેસંગભાઈ શેઠ (અમદાવાદ?) ૧૦૦ માધવજીભાઈ રેવાભાઈ ૧૦૧ મણિભાઈ ૧૦૨ મોહનલાલભાઈ આદિ વટામણ ૧૯૮૩ ૧૯૮૩ તા. ૫-૬-૧૯૨૭ જે. સુ. ૮ ભા. વ. ૩ તા. ૨૦-૧૦-૧૯૨૭ વડાલી ૧૯૮૩ ૧૯૮૪ ૧૯૮૪ શ્રા. સુ. ૩ ભા. સુ. ૭ તા. ૨૧-૯-૧૯૨૮ ભા. ૧, ૫ ૧૯૮૪ ૧૯૮૪ ૧૯૮૫ મા. સુ. ૩ ૧૯૮૫ ફા. વ. ૧૧ ૧૦૩ મુનિશ્રી રત્નરાજસ્વિામી સિધ્ધપુર ૧૦૪ ચુનીલાલભાઈ વીરચંદભાઈ, મોહનભાઈ આદિ મુંબઈ ૧૦૫ ચુનીલાલભાઈ ધરમચંદભાઈ શાહ ભાદરણ અગાસ આશ્રમ ૧૦૬ મુનિશ્રી રત્નરાજસ્વિામી સિધ્ધપુર ૧૦૭ નગીનભાઈ દલપતભાઈ આદિ અગાસ આશ્રમ ૧૦૮ મુનિશ્રી રત્નરાજસ્વિામી સિધ્ધપુર ૧૦૯ મુનિશ્રી રત્નરાજસ્વામી ૧૧૦ માણેકજીભાઈ, જેઠાભાઈ, વર્ધમાનભાઈ આદિ મુંબઈ ૧૧૧ રણછોડભાઈ લખાભાઈ પટેલ નાર ૧૧૨ જેસંગભાઈ ઊજમશીભાઈ શેઠ આદિ અમદાવાદ ૧૧૩ નગીનભાઈ દલપતભાઈ આદિ એડને એડને સિધ્ધપુર ૧૧૪ મુનિશ્રી રત્નરાજસ્વિામી ૧૧૫ મુનિશ્રી રત્નરાજસ્વિામી ૧૯૮૫ જે. સુ. ૧૫ ૧૯૮૫ જે. ૧. ૩ ૧૯૮૫ અ. સુ. ૧૪ ૧૯૮૫ ભા. ૧ ૨ ૧૯૮૫ ભા. વ. ૩ ૧૯૮૬ તા. ૭-૧૨-૧૯૨૯ ૧૯૮૬ કા. સુ. ૫ (જ્ઞાન પંચમી) ૧૯૮૬ કા.વ. ૫ ૧૯૮૬ કા. વ. તા. ૨૯-૧૧-૧૯૨૯ ૧૯૮૬ પો. સુ. ૬ ૧૯૮૬ માહ વ. ૮ ૧૯૮૬ ફા. વ. ૮ ૧૯૮૬ હૈ. સુ. ૭ ૧૯૮૬ તા. ૭-૭-૧૯૩૦ તા. ૨૨-૮-૧૯૩૦ ૧૧૬ મુનિશ્રી રત્નરાજસ્વામી ૧૧૭ માણેકજીભાઈ વર્ધમાન શેઠ ૧૧૮ મુનિશ્રી રત્નરાજસ્વિામી ૧૧૮ રતનબેન પુનશીભાઈ ૧૨૦. ૧૨૧ ભોગીલાલભાઈ ગુલાબચંદ શાહ ૧૨૨ ત્રિભોવનભાઈ ધરમચંદભાઈ શાહ ઇન્દોર સિધ્ધપુર અંધેરી (મુંબઈ) મુંબઈ Page #617 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ પરિશિષ્ટ ૩ ક્યા સ્થળે મિતી/તારીખ ધૂળિયા મુંબઈ ૧૯૮૬ ૧૯૮૬ તા. ૨૬-૮-૧૯૩૦ શ્રી. સુ. ૪ તા. ૮-૮-૧૯૩૦ ભા. ૧. ૧ ૧૯૮૬ આંક કોના પ્રત્યે ક્યા સ્થળથી ૧૨૩ ભાઈલાલભાઈ લક્ષ્મીદાસભાઈ ૧૨૪ હરિલાલભાઈ કલ્યાણજીભાઈ શેઠ અગાસ આશ્રમ ૧૨૫ મુનિશ્રી રત્નરાજસ્વામી ૧૨૬ રાવજીભાઈ છગનભાઈ દેસાઈ, રામભાઈ આદિ ' મુમુક્ષુ ભાઈઓ ૧૨૭ રાવજીભાઈ છગનભાઈ દેસાઈ, જેઠાભાઈ આદિ ” ૧૨૮ સોમાભાઈ, પ્રભુદાસભાઈ, તથા સનાભાઈ આદિ ૧૨૯ ભાઉલાલ મુનશી ભાટે તથા કુંવરબા ૧૩૦ વૈદ્ય હીમચંદભાઈ, નગીનભાઈ આદિ ૧૩૧ વૈદ્ય હીમચંદભાઈ મોહનલાલ શાહ આદિ સિધ્ધપુર કમ્પાલા (ઇ. આફ્રિકા). તા. ૨૯-૯-૧૯૩૦ ૧૯૮૭ પો. સુ. ૪ ૧૩૨ સૌભાગ્યભાઈ ચુનીલાલભાઈ આદિ ૧૩૩ સૌભાગ્યભાઈ ચુનીલાલભાઈ આદિ અંધેરી ૧૩૪ જેસંગભાઈ ઊજમશી, મણિલાલભાઈ, અગાસ કલ્યાણજીભાઈ આદિ આશ્રમ ૧૩૫ રાવજીભાઈ છગનભાઈ દેસાઈ, જેઠાભાઈ આદિ ” ઈન્દોર ૧૯૮૭ પો. સુ. ૮ જખૌ (કચ્છ) ૧૯૮૭ પો. વ. ૧૧ સુરત તા. ૨૫-૨-૧૯૩૧ ૧૯૮૭ શૈ. સુ. ૧૧ તા. ૩૦-૩-૧૯૩૧ મીગામ ૧૯૮૭ હૈ. વ. ૧૫ ૧૯૮૭ જે. સુ. ૨ તા. ૧૯-૫-૧૯૩૧ અંધેરી ૧૯૮૭ અ. સુ. ૨ તા. ૧૮-૬-૧૯૩૧ કમ્પાલા ૧૯૮૭ શ્રા. (ઇ. આદિકા). તા. ૨૧-૮-૧૯૩૧ વટામણ કમ્પાલા (ઇ. આફ્રિકા) ૧૯૮૭ હૈ. સુ. ૧૫ નડિયાદ ૧૯૮૭ ભાદ્રપદ મુંબઈ ૧૯૮૭ ૧૩૬ મોહનલાલભાઈ લલ્લુભાઈ ૧૩૭ રાવજીભાઈ છગનભાઈ દેસાઈ અંધેરી. - ૧૩૮ મુનિશ્રી ચતુરલાલજી મહારાજ ૧૩૯ માણેક્લાલભાઈ કુંવરજી (બગસરાવાળા) ૧૪૦ મણિલાલભાઈ કલ્યાણજીભાઈ શેઠ અગાસ આશ્રમ સિધ્ધપુર ૧૯૮૭ ૧૯૮૮ કા. સુ. ૧૪ ૧૯૮૮ વૈસાખપૂર્ણિમા અગાસ આશ્રમ જખો (કચ્છ) ૧૯૮૮ અ. વ. ૮ ૧૪૧ મુનિશ્રી રત્નરાજસ્વિામી ૧૪૨ મુનિશ્રી રત્નરાજસ્વામી ૧૪૩ ભાઉલાલભાઈ પુનશી ભાટે તથા કુંવરબેન આદિ ૧૪૪ ભાઉલાલભાઈ પુનશી ભાટે તથા કુંવરબેન આદિ. ૧૪૫ નારાયણભાઈ લક્ષ્મીદાસભાઈ ૧૪૬ નારાયણભાઈ લક્ષ્મીદાસભાઈ ૧૪૭ મણિભાઈ વાઘજી ૧૪૮ નારાયણભાઈ, ભાઈલાલભાઈ, ડાહ્યાભાઈ આદિ ૧૪૯ વૈદ્ય હીમચંદ મોહનલાલ શાહ નવસારી ધૂળિયા ૧૯૮૮ ૧૯૮૮ તા. ૨૨-૫-૧૯૩૩ ૧૯૮૯ હૈ. વ. ૧૨ 5. નાર અગાસ આશ્રમ ૧૯૮૯ ધૂળિયા સુરત ભા. સુ. ૭ તા. ૧૪-૧૧-૧૯૩૩ Page #618 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ ૫૧૯ આંક કોના પ્રત્યે ક્યા સ્થળેથી યા સ્થળે વટામણ ૧૫૦ ગુલાબચંદભાઈ મોહનલાલ મિતી/તારીખ ૧૯૯૦ ફા. સુ. ૮ તા: ૨૧-૨-૧૯૩૪ ૧૯૯૦ પ્ર. વૈ. સુ. ૧૫ (ભાવનગર ?) ૧૯૯૦ ૧૫૧ શાંતિલાલભાઈ મોહનલાલ અગાસ આશ્રમ ૧૫૨ મુનિશ્રી રત્નરાજસ્વામી ૧૫૩ શાંતિલાલભાઈ મોહનલાલ ૧૫૪ જેસંગભાઈ ઊજમશીભાઈ શેઠ સુરત ૧૫૫ મુનિશ્રી ચતુરલાલજી મહારાજ ૧૫૬ વાસુદેવભાઈ તથા શાંતિલાલભાઈ મોહનલાલ અગાસ આશ્રમ ૧૫૭ સુરજબેન અગાસ આશ્રમ ૧૫૮ વાસુદેવભાઈ તથા શાંતિલાલભાઈ મોહનલાલ ૧૫૯ જેસંગભાઈ ઊજમશીભાઈ શેઠ ૧૬૦ શાંતિલાલભાઈ મોહનલાલ સિધ્ધપુર ભાવનગર અમદાવાદ (નડિયાદ?) ભાવનગર અ. વૈ. વ. ૮ તા. ૮-૫-૧૯૩૪ તા. ૯-૬-૧૯૩૪ ૧૯૯૦ ૦. મુંબઈ ૧૯૯૦ ભાવનગર વઢવાણ કેમ્પ ૧૯૯૦ ૧૯૯૦ ૧૬૧ પ્રેમચંદભાઈ રવજીભાઈ કોઠારી ૧૬૨ શાંતિલાલભાઈ મોહનલાલ ૧૬૩ મુનિશ્રી રત્નરાજસ્વામી ૧૬૪ ગુલાબચંદભાઈ આદિ ૧૬૫ મુનિશ્રી રત્નરાજસ્વામી ૧૬૬ જેસંગભાઈ ઊજમશીભાઈ શેઠ ૧૬૭ સાકરબેન ૧૬૮ શાંતિલાલભાઈ મોહનલાલ ૧૬૯ ગુલાબચંદભાઈ મોહનલાલ ભાવનગર સિધ્ધપુર વટામણ સિધ્ધપુર એ. સુ. ૭ તા. ૮-૭-૧૯૩૪ એ. સુ. ૧૪ તા. ૧૫-૭-૧૯૩૪ તા. ૧૭-૭-૧૯૩૪ તા. ૧૯-૭-૧૯૩૪ શ્રા. સુ. ૪ તા. ૧૪-૮-૧૯૩૪ તા. ૧૮-૮-૧૯૩૪ તા. ૨૭-૯-૧૯૩૪ ભા. સુ. ૫ તા. ૨-૧૦-૧૯૩૪ આ. ૧, ૨ તા. ૧૦-૧૧-૧૯૩૪ તા. ૨૯-૧૧-૧૯૩૪ તા. ૩-૨-૧૯૩૫ ફા. સુ. ૧૦ તા. ૧૪-૩-૧૯૩૫ તા. ૨૨-૩-૧૯૩૫ શ્રા. સુ. ૧૫ તા. ૧૩-૧૧-૧૯૩૫ મુંબઈ ભાવનગર ૧૯૯૧ ૧૭૦ મનસુખભાઈ દેવસીભાઈ ૧૭૧ વૈધ હીમચંદ મોહનલાલ શાહ ૧૭૨ ગોકુળભાઈ તથા નરસિંહભાઈ આદિ ૧૭૩ જેસંગભાઈ શેઠ તથા સૌભાગ્યભાઈ આદિ લીમડી સુરત આસુંદર અગાસ આશ્રમ નાસિક ૧૯૯૨ ચે. સુ. ૭. ૧૭* ૧૭૫ છોટાલાલ મલકચંદ શાહ અગાસ વટવા આશ્રમ (અમદાવાદ) ૧૭૬ કેસરબેન મણિલાલભાઈ શેઠ મુંબઈ ૧૭૭ ત્રિભુવનભાઈ ધરમચંદભાઈ આશ્રમ નાસિક * આ પત્ર ભાદરણવાળા ચુનીભાઈને મળેલો, પ્રભુશ્રીના હસ્તાક્ષરમાં છે. ઉપર તારીખ નથી વૈદરાજ ઉપર લખેલો હોય તેમ લાગે છે અગાસ Page #619 -------------------------------------------------------------------------- ________________ ૫૨૦ પરિશિષ્ટ ૩ પરિશિષ્ટ-૩ પત્રો વિષે વિશેષ માહિતી પત્રાવલી-૨ આંક કોના પ્રત્યે ક્યા સ્થળેથી કયા સ્થળે ૧ વૈધ હીમચંદ મોહનલાલ શાહ આદિ અગાસ આશ્રમ ડભોઈ ૨ માધવજીભાઈ રેવાભાઈ, તથા મણિભાઈ આદિ ” વડાલી ૩ નરસિંહભાઈ તથા મગનભાઈ આદિ ભાદરણ મિતી/તારીખ તા. ૨૪-૧-૧૯૨૬ તા. ૪-૨-૧૯૨૭ ૧૯૮૩ ચે. સુ. ૯ તા. ૧૦-૪-૧૯૨૭ મુંબઈ ૧૯૮૭ ૪ મણિલાલભાઈ કલ્યાણજીભાઈ તથા શેઠ કેશવજી માણેકજી ૫ કુલચંદભાઈ તથા કુંવરજીભાઈ આદિ ૬ મણિલાલભાઈ કલ્યાણજીભાઈ તથા કસુંબાબેન આદિ , ૧૯૮૭ ૧૯૮૮ આ. ૧.૮ કા. વ. ૧ જીભાઈ આદિ વટામણ મુંબઈ ૧૯૮૮ જે. સુ. ૧૪ T ૧૦ મુનિશ્રી નેમસાગરજી મહારાજ ૧૨ ડાહ્યાભાઈ ભગાભાઈ ૧૩ ડાહ્યાભાઈ નાથુભાઈ પટેલ ૧૪ ડાહ્યાભાઈ ભગાભાઈ આદિ ૧૫ ભોગીલાલભાઈ ગલાબચંદભાઈ શાહ ૧૬ ગિરધરલાલભાઈ રાયચંદભાઈ દફતરી તા. ૩-૧૧-૧૯૩૨ ૧૯૮૯ પો. વ. ૭ જખૌ (કચ્છ) ૧૯૮૯ માહ. સુ. ૧૧ નવસારી અગાસ આશ્રમ ૧૯૮૯ જે. સુ. ૨ અગાસ કેપ ટાઉન આશ્રમ (દ. આફ્રિકા) તા. ૮-૬-૧૯૩૩ વલસાડ તા. ૧૯-૬-૧૯૩૩ કેપ ટાઉન (દ. આફ્રિકા) તા. ૨૩-૬-૧૯૩૩ મુંબઈ ૧૯૮૯ અ. વ. ૩ મુંબઈ ૧૯૯૦ કા. વ. ૨ તા. ૪-૧૧-૧૯૩૩ માઉન્ટ આબુ અગાસ તા. ૨૬-૩-૧૯૩૫ અગાસ આશ્રમ તા. ૧૯-૩-૧૯૩૫ માઉન્ટ આબુ અગાસ આશ્રમ ૧૯૯૧ સૈ. વ. ૪ તા. ૨-૪-૧૯૩૫ તીર્થક્ષત્ર આબુ – તા. ૨-૬-૧૯૩૫ અગાસ આશ્રમ સુરત તા. ૨૦-૧૦-૧૯૩૫ ૧૭ અગાસ આશ્રમસ્થિત મુનિવરો તથા મુમુક્ષુ ભાઈ બહેનો ૧૮ વૈદ્ય હીમચંદ મોહનલાલ શાહ આદિ આશ્રમ ૧૯ સૌભાગ્યભાઈ આદિ ૨૦ સૌભાગ્યભાઈ આદિ મુમુક્ષુ મંડળ ૨૧ ૨૨ વૈદ્ય હીમચંદ મોહનલાલ શાહ Page #620 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ ૫૨૧ કયા સ્થળે મિતી /તારીખ આંક કોના પ્રત્યે ક્યા સ્થળેથી ૨૩ સોમાભાઈ પ્રભુદાસભાઈ, અંબાલાલભાઈ અગાસ તથા જેસંગભાઈ આદિ આશ્રમ ૨૪ તલકચંદભાઈ તથા મણિભાઈ આદિ ઇન્દોર વડાલી ૨૫ મણિભાઈ આદિ તા. ૩૧-૧૦-૧૯૩૫ ૧૯૯૨ માગસર તા. ૧૪-૧૧-૧૯૩૫ ૧૯૯૨ માગસર, તા. ૧૪-૧૧-૧૯૩૫ કા. સુ. ૭ તા. ૨૬-૧-૧૯૩૬ તા. ૨૮-૨-૧૯૩૬ ૨૬ વીરચંદભાઈ આદિ ૨૭ વનેચંદભાઈ દેવજીભાઈ ૨૮ ચુનીલાલભાઈ વીરચંદ ૨૯ મંગળભાઈ, મણિભાઈ તથા કુટુંબીજનો ” બોટાદ વાંકાનેર ” નાંદેડ શાહીબાગના બંગલે (અમદાવાદ) અગાસ આશ્રમ આશ્રમ નડિયાદ ૧૯૯૧ માગશર સુદ ૩૦ મુનિશ્રી ચતુરલાલજી મહારાજ – Page #621 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ૨ પરિશિષ્ટ ૪ તળપદી ભાષાના તથા અન્ય કેટલાક શબ્દોના અર્થ અચ્છેરુ–ન બનવા જોગ બને તે; આશ્ચર્ય: નવાઈ ગોભણ–બકરીના ગળાના આંચલ આર-પરોણાની છેડે લોઢાની આણી ચાંલ્લો-સમકિત આવખુ- આયુષ્ય ચૂકાવો-ભૂલ આવડ–બોલી દેખાડવાની આવડત-કુશળતા ચોટ-ચોટી જવું, ચોટવું તે ઉદાસ-અનાસકત ઉદાસી-શોક છાક-નશો; કેફ; તોર; દારૂ પીને મસ્ત બનવું ઊઠી જવું-મરી જવું (૨) વૈરાગ્ય પામવો ઝરડું–કાંટાવાળું લીલું કે સૂકું ડાંખળું, ઝાંખરૂ ઊંટિયું-અભિમાન ઘૂમરો-સવારનો નાસ્તો એકદેશી- સત્સંગી ઓખર-વિષ્ટાહાર ડાણું-નાનો જાડો દંડૂકો-ધોકો ડોહા-ડોસા ઓસરવું–પાછા હઠવું તાકું-ભીંતમાંનો મોટો ગોખલો; બારણાવાળો ભીંતમાં કદન-બગડી ગયેલું વાસી (રાંધેલુ) અનાજ કરેલ કબાટ કલાડું-રોટલા શેકવાનું શાણકં; માટીની તાવડી નંબડીમાં કાંકરા-મર્મ ન સમજવો; બોધ સાંભળ્યો હોય કાન ધરવા-ધ્યાનથી સાંભળવું કાન માંડવા-એકાગ્ર ચિત્તથી સાંભળવું પણ તેનો સાર સમજાય નહી તે. કીલી-ચાવી; કૂંચી દીવો થવો-સમકિત થવું ખાંપવું-છોડ કાપ્યા પછી રહેલાં અણખોદાયેલાં જડિયાં ધક્કો ન દેવો- કોઈનું દિલ દુભાય એવું ન કરવું (ખાંપા) કાઢી નાખવા. ધક્કો મારવો-જાગૃત કરવો; સાવધ કરવો. ભાવાર્થ: “વિષયકષાય મોટા શત્રુ છે. વિષયો ધડકૂટ-એનું એ જ મંડયા રહેવું બહારથી ત્યાગ્યા તેનું ફળ છે. પણ અંતરથી ધૂળ પડવી-વ્યર્થ જવું (૨) ધિક્કાર હોવો ત્યાગ ન થાય ત્યાં સુધી કામ થાય નહિ. ઝાડ ધૂળધાણી ને રાખપાણી-છેક બરબાદ ઉપર ઉપરથી કાપવામાં આવે તો મૂળ રહે નિબંછવા-તુચ્છ ગણવા ત્યાંસુધી ફરી ઊગે, નાશ ન પામે; પણ નોધારું-આધાર વગરનું મૂળમાંથી છેદ થાય તો જ ફરી ઊગે નહીં, તેમ વિષય કષાય અંતરના નિર્મૂળ કરવા, વૃત્તિનો પડી મૂકવું–છાંડવું; જવા દેવું ક્ષય કરવા પુરુષાર્થ કરવો.”- ૩૬૨ પરોગ–અંત; આખર ખળી રહેવું – અટકવું પાનું પડવું–સંબંધ થવો; જીવનમાં સાથે રહેવાનું થવું. ખમીખૂદવું-ક્ષમતા રાખવી, સમભાવમાં રહેવું પાંસરું-સીધું; ડાહ્યું; પાધરું પાંસરું પડવું-કોઈ કામ સારી રીતે પુરુ થાય તેમ થવું (૨) ગફલત- બેદરકારી, અસાવધાતા (૨) ભૂલ અનુકુળ થવું; સરખાઈ આવવી ગવેલવું- શોધવું; ખોળવું; ગવેષણ કરવું પણું ફોડયું–પ્રસિધ્ધિમાં આપ્યા ગળિયો બળદ-બેઠો ઊઠે નહીં એવો બળદ પોતાની પકડ પોતાની કલ્પના, સ્વછંદ ગાફલ-અસાવધ (૨) વિચારરહિત પોતીકું–પોતાનું ગેડ બેસવ-વસ્તુ બરાબર સમજવી પોલારીયું-અંધેર; અવ્યવસ્થા; ગોટાળો (૨) પોલું (૩) ગોડે- પેઠે અસાર ગોટીલા-એ નામની એક રમત; દમ ગોટીલો ફનાનાશ પામેલું Page #622 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪ ૫૨૩ કાકોઠી-થોડું ઘણું કીટણ-પ્રલય જેવો ફીટી જવું-ટળવું; મટવું (૨) નાશ પામવો (૩) પતવું ફેશે ફાંટો આંટો ફેરો; ધક્કો ખાવો તે બક્રમમાં રહેવું-હું સમજું છું, હું કરું છું તે ઠીક છે તેવા ખોટા ખ્યાલમાં રહેવું; પોતાની ભૂલભરેલી સમજ પ્રમાણે વર્તવું; સમજાયું છે, જાણ્યું છે એવી ભૂલમાં વહ્યા જવું. બાજ-બાહ્ય ભણેશ્રી- પોથી પંડિત, પુસ્તકિયો જ જ્ઞાનવાળો ભાલોડું-તીર કે તેનું પાનું ભાંભરડું-પ્રભાત ભેસાડિયો થવો-ભૂસાઈ જવું; નાશ થવો ભેલાઈ જવું-બરબાદ થવું; નુકશાન થવું; બગડી જવું; નાશ થવો. મગન-મગ્ન; તલ્લીન; ગરક થયેલું (૨) રાજી મર-ભલે મૂકવું–છોડવું; તજવું મૂકી દેવું છોડી દેવું; તજી દેવું; જવા દેવું મોમતી–મુહપત્તી રાડું, રાડો-જુવાર, બાજરીનો સાંઠો રાફડો ફૂટવો-ફોગટ મહેનત કરવી વખાણ-વ્યાખ્યાન વગ-લાગવગ વનો- વિનય વયે આવવું-પાત્ર થવું; યોગ્ય થવું (૨) ઉમરલાયક થવું; જુવાનીમાં આવવું. વિપ્ન-કર્મ વીલો મૂકવો-છૂટો મૂકવો; અંકુશમાં ન રાખવો; કાબૂમાં ન રાખવો. શરત (સરત) રાખવું–ધ્યાન રાખવું; લક્ષ રાખવું સમો-સમય; વખત સમો રહે-સીધો રહે સરધા-શ્રધ્ધા સંચવું-એકઠું કરવું; ભેગું કરવું સાજકાર-સહાયકારક સાટું-વસ્તુ વિનિમય (૨) કરાર સાથે લાગી–સામટી સાંસત-ધીમું પડવું તે સુતર-સહેલું, સુગમ સૂતર (સૂત્ર)-ધાગા હઈડ વસી જવું- હૈયામાં-હૃદયમાં વસી જવું હારે-સાથે હેડ-ગુનેગાર અને ગાંડાઓને નાસી જતા અને તોફાન કરતા અટકાવવા માટે લાકડાને કોચીને બનાવેલું પગમાં ભરાઈ રહે એવું વજનદાર જંત્ર; લાકડાની બેડી (૨) જેલ; કેદ લટક સલામ- શિષ્ટાચાર ખાતર ભરવાની સલામ; ખાલી સલામ; ઉપર ઉપરની સલામ Page #623 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ પરિશિષ્ટ ૫ સૂચિ ૧ ગ્રંથનામસ્તોત્ર-વર્તમાન પત્ર લેખ (અંક પૃષ્ટના છે. કૌસમાના અંક જીવનચરિત્ર પૃષ્ટના છે.) અમિતગતિ શ્રાવકાચાર ૩૦૦, ૩૩૨ નમો–(૫), ૨૨૫ આચારાંગસૂત્ર ૨૬૮, ૨૮૨, ૩૧૪ પદ્મનંદી પંચવિંશતિ ૭૧ આત્માનુશાસન (૧૭) પદ્મપુરાણ ૩૧૪ આત્મસિધ્ધિ-આત્મસિધ્ધિશાસ્ત્ર (૧૧), (૩૪), પરમાત્મપ્રકાશ ૩૨૯ (૪૦), (૪૮), (૬૦), (૭૧), (૭૫), (૭૬), ૨૧, પંચાધ્યાયી ૨૬૯ ૫૪, ૫૮, ૯૦, ૯૩, ૧૦૨, ૧૦૭, ૧૧૧, ૧૧૨, પાર્શ્વપુરાણ ૮૦ ૧૧૯, ૧૨૮, ૧૨૯, ૧૩૨, ૧૩૩, ૧૩૫, ૧૩૮, પુરાણ ૧૩૫ ૧૫૦, ૧૫૧, ૧૫૯, ૧૯૪, ૨૩૮, ૨૮૧, ૩૧૧, પુષ્પમાળા (શ્રીમદ્ રાજચંદ્ર) ૨૬૨ ૩૧૭, ૩૩૭, ૩૩૯, ૩૪૦, ૩૪૧, ૩૬૩, ૩૬૮, ૩૭૦, ૩૭૭, ૩૭૯, ૩૮૦, ૩૮૨, ૩૮૮, ૪૧૧, બ્રહ્મચારીજીની નોંધપોથી (૭૮) ૪૨૧, ૪૪૩, ૪૪૫, ૪૫૦,૪૫૨, ૪૫૭, ૪૬૩, ભકતામર ૩૨૭, ૪૬૭ ૪૬૬, ૪૬૮, ૪૭૫, ૪૮૩, ૪૮૫, ૪૯૨,૪૯૫ ભકિતરત્ન ચિંતામણિ (શ્રી રત્નરાજકુત) (૪૨) આત્યંત નોંધપોથી (શ્રીમદ્ રાજચંદ્ર) (૧૩) ભગવતી આરાધના (૪૮) ઈબ્દોપદેશ ૨૭૪, ૨૭૮ ભગવતીસૂત્ર (૫) ઉત્તર પુરાણ ૩૩૫ ભરતેશ્વર બાહુબલી વૃત્તિ ભાષાન્તર કથાગ (૪૮) ઉત્તરાધ્યયન સૂત્ર (૧૪), ૩૩૯ ભાવનાબોધ (શ્રીમદ્ રાજચંદ્ર) ૯૯, ૧૩૮, ૧૬૩, ૧૬૪ ઉપદેશ છાયા (શ્રીમદ્ રાજચંદ્ર) (૪૦), (૪૩) મહાભારત ૧૩૫, ૩૫ર ઉપદેશામૃત (૭૯). મુંબઈ સમાચાર વર્તમાનપત્રમાં લેખ (૨૬) ઉપમિતિ ભવપ્રપંચ કથા ૨૯૭, ૩૦૬, ૩૦૭, ૩૦૮, મૂળાચાર ૨૮૮, ૨૮૯, ૨૯૫, ૨૯૭, ૨૯૮, ૩૦૨, ૩૧૨, ૩૨૦. ૩૦૫, ૩૦૬, ૩૦૭, ૩૧૨, ૩૧૪, ૩૧૫, ૩૨૩, કુરાન ૪૮૪ ૩૨૪, ૩૨૫. ગોમટ્ટસાર ૨૮૨, ૨૮૬, ૨૯૧, ૨૯૪, ૨૯૯, ૩૦૦, મોક્ષમાર્ગ પ્રકાશ (૧૧) ૩૦૨, ૩૦૭, ૩૧૩, ૩૧૭, ૩૧૯, ૩૨૩, ૩૨૩, મોક્ષમાળા (શ્રીમદ્ રાજચંદ્ર) ૮૭, ૯, ૧૦૬, ૨૭૫, ૩૨૪. ૨૯૨, ૩૧૦, ૩૧૧. ચંડીપાઠ ૨૯૭, ૩૧૦, ૩૧૭, ૪૭૪, ૪૭૫ યોગદષ્ટિ (સઝઝાય) ૩૯૪, ૨૨૩ યોગપ્રદીપ (૨૪) જન્મભૂમિ વર્તમાનપત્રમાં લેખ ૧૯૫ યોગવાસિષ્ટ ૭૧, ૩૧૫ જૈનવ્રતકથા ૩૩૭ રત્નકરંડ શ્રાવકાચાર ૪૮૫ શાનાર્ણવ (૨૪) રત્નસંચય કાવ્ય (શ્રી રત્નરાજ) (૪૨) તત્ત્વજ્ઞાન (શ્રીમદ્ રાજચંદ્ર) ૨૧, ૩૬, ૨૭, ૨૬૭, વચનામૃત (જુઓ શ્રીમદ્ રાજચંદ્ર) ૨૭૭, ૨૮૦, ૨૯૭, ૩૦૧, ૩૦૨, ૩૧૦, ૩૧૧, વિમલપુરાણ ૩૨૮ ૩૧૬ વૈરાગ્યમણિમાળા ૯૧ દેવચંદ્ર ચોવીસી ૨૫, ૨૬, ૨૭ શ્રી સદ્ગુરુપ્રસાદ ૮૯ દ્રવ્યસંગ્રહ (૧૫), (૧૬), (૧૭) Page #624 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૫– સૂચિ ૧ ૫૨૫ મોટું વચનામૃત ૫૭ માટો ગ્રંથ ૫૧ વચનામૃત (૪૫), ૧૦, ૧૪, ૧૮, ૩૩, ૧૨૧, ૨૬૫, ૪૫૩ શ્રીમદ્ રાજચંદ્ર (૨૮), (૩૮), (૪૦), (૪૩), (૪૫), (૫૭), ૭, ૧૦, ૧૪, ૧૬, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૪, ૨૬, ૩૦, ૩૩, ૩૬, ૪૦, ૪૨, ૪૫, ૪૭, ૪૮, ૪૯, ૫૦, ૫૧,૫૨, ૫૪, ૫૭, ૫૮, ૧૯, ૬૫, ૭૦, ૭૧, ૭૮, ૮૬, ૮૭, ૮૯, ૯૨, ૧૦૦, ૧૦૬, ૧૨૧, ૧૨૮, ૨૧૭, ૨૩૬, ૨૬૫, ૨૮૮, ૩૨૨, ૪૦૩, ૪૦૭, ૪૫૩, ૪૮૯,૪૯૫. શ્રીઅંબાલાલભાઈએ ઉતારી આપેલ હસ્તલિખિત વચનામૃત (૩૮). કૃપાળુદેવનું પુસ્તક ૧૦૦ પરમકૃપાળુદેવની અમૃતવાણી ૨૬ પરમકૃપાળુદેવનું વચનામૃત (૩૮), ૩૧, ૮૭. પરમ પુરુષની વાણી ૧૩૪ પ્રત્યક્ષ પુરુષના વચનામૃત ૪૨, ૪૮ પ્રત્યક્ષ શ્રીમદ્ સરુના વચનામૃત ૩૦ શ્રીમદ્ રાજચંદ્ર કૃપાળુદેવ દેવાધિદેવના વચનામૃત ૪૫ શ્રીમદ્ રાજચંદ્ર પરમાત્માના વચનામૃત ૧૨૧ શ્રીમદ્ રાજચંદ્ર સંબંધી હસ્તલિખિત સાહિત્ય (૪૧) સપુરુષના વચનામૃત ૭૦ સદગુરુ દેવાધિદેવશ્રીના વચનામૃત ૪૦ સદગુર દેવાધિદેવ પરમકૃપાળુના વચનામૃત ૪૦ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા (૬૯). સમયસાર ૨૧૬, ૩૩૮, ૩૩૯, ૪૮૫ સમાધિ શતક (૮), (૭૧), ૪૧૮, ૪૭૧ સમાધિસોપાન ૪૮૫ સૂયગડાંગસૂત્ર (૬), (૭) સિનીતિ બોધક ગરબાવળી (શ્રીમદ્ રાજચંદ્ર) ૭૧ બોધના પત્રનું પુસ્તક ૧૯ મોટું પસ્તક ૧૬, ૪૫, ૧૨૮ Page #625 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ પરિશિષ્ટ ૫ સૂચિ ૨ શબ્દ અને વિષય સૂચિ (અંક પૃષ્ઠના છે કૌસમાં આપેલા અંક જીવન ચરિત્ર પૃષ્ઠના છે) અનાદિકાળના દુશ્મનો ૨૯૪ અકળાવું ૫૦, ૫૧, ૭૪, ૯૧, ૯૫, ૯૬, ૯૭, ૧૦૬ અનાદિકાળનો મેલ ૩૭૬ અગિયાર અંગનો અભ્યાસ નિષ્ફળ ૩૩૯ અનાદિનો અભ્યાસ ૪૧૩, ૪૧૭, ૪૨૦, ૪૩૩, ૪૫૪ અગ્નિની ખાઈ ૪૩૦. અનધિકારીપણું ૪પ૬ અજ૨ ૩૬૪, ૩૬૭, ૩૭૨, ૩૭૫, ૪૩૭ અનાર્ય ૪૪૯; ૦ દેશ ૨૮૩ અજાણ ૨૦૯, ૩૪૭ અનિત્ય - ૪૨૯; ૦ નુપ્રેક્ષા ૩૯ . અજીવ દયા ૨૯૮ અનિષ્ટ ભાવ ૪૨.૧ અજ્ઞાન ૧૧૫, ૧૪૭, ૧૬૭, ૩૭૬, ૪૦૮; વક્રિયા અનુજીવી ગુણ ૨૨૭ ૩૫૦ના વાદળાં ૩૭૭; ૦ પણું ૪૩૩ અનુપ્રેક્ષા ૩૯ અજ્ઞાની ૪૫૦; ૦ ના વચનો ૪૨૯; ૦ નો આશય અનુભવ ૪૨૩, ૪૪૦, ૪૪૧ ૪૨૯; ૦ ની વાણી ૪૨૮ અનુરાગ ૪૨૨ અઠ્ઠાવીસ પ્રકારે ઈન્દ્રિયસંયમ ૨૯૮ અનેકાન્ત ભાગ - ૯૦; ૦ દૃષ્ટિ ૩૨૭. અઢાર પાપસ્થાનક ૨૧૮, ૪૦૭ અન્યભાવ ૩૯૨ અણસમજ ૯૬ અપક્વ પાચનરૂપ ઉદીરણા ૨૯૫ અણસમજણ ૧૩૭ અપમાન ૪૧૬ અણસમજુ ૧૦૭ અબધુ ૨૫૮ અણાહારી આત્મા ૪૪૪ અબંધતા ૩૮૮ અતિથિ ૨૫૮ અબંધદશા ૩૭૫ અધ:પ્રવૃત્તિકરણ ૩૦૭ અબ્રહ્મચર્ય ૪૦૯ અધમાધમ ૪૨૬ અભક્તિ ૩૬ અધિકાર ૨૭૧, ૩૦૧, ૩૫૮, ૩૫૯ અભક્ષ્યફળ ૩૩૦ અધિકારી ૪૦૩ અભક્ષ્યવસ્તુ ૩૩૧ અધિકારીપણું ૪૨૮ અભયદાન ૨૪૧, ૩૦૩ અધ્યાસ ૩૩૬ અભિગ્રહ ૨૯૩ અનંત અક્ષયનિધિ - ૩૪૮; ૦ અશાતાનો બંધ ૩૬૫ અભિનિવેશ ૩૪, ૨૬૩, ૩૨૪ ગુણનો ધણી ૪૩૨; ૦ દયા ૪૪૮; ૦ દોષ ૪૧૭, ૪૨૨; અભિમાન ૧૬, ૧૯૧, ૩૨ ૧, ૪૧૭, ૪૨૪, ૪૨૬, ૦ સંસાર ૪૧૨; ૦ સંસાર રઝળવાનું કારણ (૬૪), ૪૪૩ ૨૭૦ અભેદ ભક્તિ ૪૪૩ સુખ ૪૩૪. અભ્યાસ ૩૨૬, ૪૪૮, ૪૫૪, ૪૫૬ અનંતાનુબંધી ૭૦, ૧૪૮, ૩૫૩, ૪૫૪, ૪૫૭; 2કષાય અમર ૩૬૪, ૩૬૭, ૩૭૨, ૪૨૯, ૪૩૭ ૪૫૪; ૦ ટળવાનો ઉપાય ૩૫૩ અમારું સર્વસ્વ ૩૫૮ અનર્થદંડ ૨૯૩, ૪૧૨, ૪૨૧ અમારું હૃદય ૧૩૬, ૩૫૮ અમૃત ૩૮૩, ૩૮૫, ૩૮૭, ૩૯૪ Page #626 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૫-સૂચિ ૨ ૫૨૭ અયથાર્થ આત્મજ્ઞ ૪૨૮ અયોગી (મુક્ત) ૨૩૩ અરિહંત ૩૩૦ અરિહંત વીતરાગ ૩૬૫ અર્ધપુલ પરાવર્તન ૨૧૮, ૩૫૯ અર્પણ ૪૫૩ અર્પણ કરવું ૪૫૬ અલૌકિક દૃષ્ટિ ૩૩૨, ૩૩૩, ૩૪૮, ૩૬૪, ૩૭૦, ૩૭૭, ૩૯૪ અલૌકિક ભાવ ૩૪૬, ૩૪૯, ૩૫૭, ૩૬૦, ૩૬૧, ૩૭૦, ૩૮૬ અલૌકિક માહાભ્ય ૩૭૦ અવધિજિન ૧૯૬ અવરાઇ જવું ૪૩૨ અવળાનું સવળું કરવું ૩૮૩, ૩૮૪, ૩૮૭ અવિનય ૪૨૮ અવિનાશી – ૩૬૪, ૩૬૭, ૪૩૬, ૪૩૭; ૦ સુખ ૪૩૩, અશરણાનુપ્રેક્ષા ૩ અશાતના ૨૬૬, ૨૬૮, ૨૬૯, ૩૦૨, ૩૨ ૧ અશુદ્ધ ઊપયોગ ૩૬૦ અશુદ્ધ ભાવ ૪૦૮ અશુભ - ઊપયોગ ૩૫૮; ૦ પરિણતી ૩૫૪; ૦ ભાવ ૧૬૭, ૩૬૦, ૪૨૧, ૪પ૭. અસંગ અને અપ્રતિબંધ ૧૧૪, ૧૪૫, ૧૭૯, ૧૮૧, ૨૧૧, ૨૫૪, ૩૪૨, ૩૭૮, ૪૮૨ અસંયત સમ્યગ્દષ્ટિ ૩૨૨ અસત્ની શ્રધ્ધા ૪૫૩ અસત્સંગ ૭૮, ૨૦૯ અસદગુરુની ભ્રાન્તિ (૧૪) અસિધારા ૩૬૮ અહંકાર ૧૦૭, ૧૫૨, ૧૯૬, ૨૦૧, ૩૦૬ અહંતા મમતા ૪૨૫ અહંપણું ૪૩૫ અહંભાવ – ૭૪, ૪૮૫; ૦ મમત્વભાવ ૮૭, ૧૧૩, ૧૩૮, ૧૪૩, ૩૯૨, ૪૧૭, ૪૨૪, ૪૫૨, ૪૬૪. અહંમમત્વ ૭૭, ૩૮૦ અહિંસા ૨૯૩ અંજન ૨૦૨, ૨૩૩, ૩૦૯, ૩૨૨, ૩૯૭, ૪૩૬ અંતરથી ત્યાગ ૩૬૨ અંતરાત્મા ૧૭૨, ૨૬૬, ૩૨૪, ૩૨૬, ૩૭૬, ૩૭૭, ૩૮૨, ૩૮૬, ૪૦૮, ૪૧૪, ૪૩૫, ૪૩૬, ૪૮૯ અંતરાય કર્મ ૪૫, ૫૨, ૭૧, ૯૫, ૩૦૭ અંતચર્યા ૩૨૬ અંતભેદ ૪૪૨ અંધારું ૨૪૮ આ આકાંક્ષા ૪૦૯ આગમ ૧૫૯, ૧૭૪, ૨૯૪, ૩૦૬, ૩૩૭, ૩૪૫, ૩૭૬ આજ્ઞા - (૬૪), (૬૫), ૧૦, ૩૫, ૪૪, પ૦, ૫૪, ૫૬, ૭૩, ૭૭, ૯૦, ૧૧૩, ૧૨૬, ૨૨૩, ૨૬૯, ૩૦૧, ૩૨૦, ૩૩૮, ૩૪૯, ૩૫૦, ૪૭૦, ૪૭૩; ૦ (પ્રભુશ્રીની) ૧૦, ૪૭૦; ૦ ના પ્રકાર ૪૮૯; ૦ આરાધન ૪૩૫, ૩૪૬; ૦ ની ભાવના ૧૨૬; ૦ નો ઊપયોગ ૨૮૨; ૦ પાલન ૪૧૧; ૦ રૂપ ધર્મ ૧૨૯. આઠ ત્રોટક છંદ જુઓ પરિ-૭ સૂચિ-૪ આડો રસ્તો ૨૭૨ આતમ ભાવના ભાવતા જુઓ પરિ-૭ સૂચિ-૪ આતુરતા ૪૫૨ આત્મચિંતવન ૪૧૭, ૪૨૦, ૪૨૭ આત્મજાગૃતિ - ૪૪૩; ૦ જ્ઞની વાણી ૪૧૧; જ્ઞાન ૩૪૮, ૩૨૩, ૩૯૮, ૪૧૨, ૪૧૬, ૪૨૦, ૪૩૩, ૪૩૮, ૪૪૦; ૦ જ્ઞાની દેવ ૪૨૨; ૭ ધ્યાન ૧૭૯, ૪૨૧; ૦નું સ્વરૂપ ૭૨, ૪૨૦, ૪૩૭, ૪૩૯; ૦ પ્રશંસા ૪૦૯) ૦ ભાવના ૩૩, ૫૪૫૭, ૮૦, ૯૩, ૯૪, ૧૨૨, ૧૨૩, ૧૪૩, ૧૮૦, ૩૦૩, ૩૪૨, ૩૮૮, ૩૯૨, ૩૮૦, ૩૯૮, ૪૭૧; ૦ ભાવમાં સ્થિતિ ૪૩૩; ૭ ભ્રાંતિ ૬૧, ૧૮૪; ૦ વીર્ય ૪૩૪, ૪૫૭; ૦ શાંતિ ૪૧૦; ૦ સાધન ૪૪૭; ૦ સિદ્ધિશાસ્ત્ર જુઓ પરિ-૭ સૂચિ-૪; ૦ સુખ ૩૬૫, ૩૭૫, ૩૭૯, ૩૮૫, ૪૧૪, ૪૬૫, ૪૬૮, ૪૨૯, ૪૪૩; ૦ સ્વરૂપનું ધ્યાન ૪૦૯; ૦ હિત ૨૪, ૨૫, ૫૧, ૫૮, ૧૯, ૭૫, ૮૪, ૮૫, ૯૦, ૯૩, ૧૦૩, ૧૩૬, ૨૫૭, ૩૦૪, ૩૮૮, ૩૮૯, ૪૯૪. આત્મા - ૧૫૨, ૨૦૨, ૩૨૫, ૩૩૯, ૩૫૧, ૩૫૭, ૩૬૪, ૩૭૦, ૩૭૧, ૩૭૨, ૩૭૪, ૩૭૬, ૩૭૭, ૩૯૦, ૩૯૧, ૪૦૨, ૪૦૪, ૪૦૭, ૪૦૮; ૦ જોવાની દૃષ્ટિ ૩૫૫, ૩૭૫; ૦ ભાવના ૨૮, ૩૨; વિચારણા ૧૪૪; ૦ જ સર્વસ્વ ૯૨, ૪૩૨; ૦ની અધમદશા વિચારણીય ૧૨૦; Oજુઓ એટલે શું? ૧૮૫-૬; ૦શુદ્ધ સિદ્ધ સમાન Page #627 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ પરિશિષ્ટ ૫-સૂચિ ૨ ૩૫૬, ૩૫૮; ૦જ્ઞાની પુરુષનો પ્રગટ ચોર ૩૬૦; ૦નું માહાભ્ય ૩૮૯, ૩૯૨, ૪૬૦; ૦નું ધ્યાન ૪૨૧; ટુઅર્થે બધું કરવું ૪૨૪; પ્રથમ ૪૩૯; કેમ પમાય? ૪૪૨; ૦ક્યાં રહે? આત્માનંદ ભાવના ૧૧૪; ૦ નાગુણ ૩૩૪; ૦ નો માર્ગ ૪૩૨; ૦ ની ખોજ ૪૩૦; ૦ ની ઘાત ૨૦૩, ૩૩૧, ૪૪૯; ૦ ની દયા ૭૨, ૧૨૦, ૧૩૭, ૩૧૦, ૪૨૪; ૦ ની દશા ૪૩૩; ૦ ની પરિણતી ૩૫૫; ૦ ની ભાવના ૧૦૫, ૧૬૨, ૧૬૭, ૪૫૫, ૪૯૪; ૦ ની રિદ્ધિ ૩૮૫; ૦ ની વાત ૪૩૨; ૦ ની શ્રદ્ધા ૧૩૮, ૪૩૨, ૪૫૦, ૪૫૩, ૪૫૭,૪૬૦, ૪૭૪, ૪૮૬; ૦ ની સત્તા ૪૦૨; ૦ ની સમજણ ૪૩૬; ૦ ની સાથે સગાઈ ૩૯૧; ૦ નું ધ્યાન ૪૩૩;૦ નું લક્ષણ ૨૫૮; ૦ ને વિસારવો ૪૨૦; ૦ નો મુળસ્વભાવ ૪૨૬; ૦ માં જવાનો રસ્તો ૪૬૯; ૦ માં રમણતા ૪૨૮. આત્માર્થ ૫૧, ૫૫, ૧૦૫, ૨૦૯, ૪૦૩, ૪૩૩, ૪૪૨, ૪૪૪ આત્માર્થી ૧૧૫ આત્મોપયોગ ૪૪૬ આત્મભાવ ૧૮૬, ૧૯૦, ૩૪૧, ૩૯૦, ૪૨૪, ૪૩૩ આગમનો સાર ૨૯૪ આધાર ૪૦૩, ૪૪૧, ૪૬૨ આધારરૂપ ૪૪૧ આધિ, વ્યાધિ અને ઊપાધિ ૪૩૬ આનંદ ૩૨૮ આપણો રસ્તો ૨૧૧ આપ્તપુરુષ ૧૧૭ આરંભ ૨૦ આરંભ અને પરિગ્રહ ૧૪૧, ૨૯૫, ૪૭૭, ૪૯૬ આરાધના ૪૪૦ આર્ત - ૪૧૮; ૮ ધ્યાન ૨૬, ૫૨, ૧૩, ૬૯, ૭૨, ૭૫, ૮૦, ૯૧, ૧૩૬, ૧૩૭, ૧૪૬; ૦ ધ્યાનનું કારણ ૩૩૫; ૦ ભક્તિ ૪૪૪. આર્ય ૪૪૯ આર્યદેશ ૮૪ આલોચના ૩૦૭, ૩૪૯ આલોચના જુઓ પરિ-૭, સુચિ-૪ આલોકના સુખ ૪૩૦ આલોચના ૯૬, ૧૦૩, ૧૦૬, ૨૪૫, ૩૦૭, ૩૪૧, ૩૪૯, ૪૪૫ આવરણ ૨૨૨, ૨૨૩, ૩૯૪, ૩૯૫ આવશ્યક ૨૬૨, ૩૧૨ આવશ્યકના છ પ્રકાર ૩૧૨ આવસ્યહિ ૩૧૩ આશા ૮૭, ૩૯૯, ૪૫૪ આશીર્વાદ ૧૧૩ આશ્રમ - (૨૬), (૨૯), (૪૨), (૬૦), (૬૨), (૬૩), (૬૬), (૬૭), (૬૮), (૬૯), (૭૦), (૭૧), (૭૨),. (૭૪), (૭૫), (૭૭), (૭૯), ૭૯, ૮૩, ૧૦૪, ૨૬૬, ૨૬૯, ૨૭૨, ૨૭૮, ૩૦૪, ૩૩૧, ૩૪૫, ૪૩૨, ૪૩૩, ૪૪૯, ૪૮૮; ૦ આશાતના અશુચિથી બચવું ૨૬૬; ૦નું માહાભ્ય ૨૬૯, ૪૩૨-૩, ૪૪૯; વીતરાગમાર્ગની પુષ્ટિ માટે ૪૮૮ . આશ્રયભાવ ૩૩૪ આશ્રવ ૧૦૯, ૧૩૨, ૧૭૧, ૨૪૧, ૩૩૮, ૩૬૭, ૪૩૦, ૪પ૪ આશ્રવમાં સંવર ૧૬૯, ૨૦૨, ૨૦૮, ૨૫૩, ૨૫૭, ૩૫૭, ૩૬૬, ૩૭૫, ૩૮૫, ૩૮૮, ૩૯૪, ૪૬૩, ૪૬૮, ૪૭૧, ૪૯૨ આસિકા (આવસ્સહિ) ૩૧૩, ૩૧૪ આસ્થા ૮૪, ૧૦૪, ૧૧૩, ૧૨૨, ૧૪૮, ૧૭૬, ૧૯૬ આહાર વિષે ૧૧૯, ૨૩૫, ૩૩૦, ૩૩૧, ૩૩૨ આંટી - ૧૬૩, ૧૭૧, ૧૭૨, ૧૭૩, ૧૮૮, ૧૮૯, ૨૩૯, ૩૪૭, ૩૬૬, ૩૯૬, ૪પ૩, ૪૬૮, ૪૭૬, ૪૮૧. આંટી ઊકલવી ૨૦૯, ૨૧૬, ૩૪૬ ઇન્દ્ર ૩૫૭, ૩૬૪, ૩૬૫ ઇન્દ્રજાળ ૪૫૧ ઇન્દ્રિયના વિષય ૧૧૬, ૧૧૭, ૨૯૭,૩૩૨, ૪૦૯, ૪૧૫, ૪૧૬, ૪૨૭, ૪૩૦, ૪૩૧; યો ૧૮૩, ૨૯૮, ૩૬૨, ૩૮૫, ૩૯૦, ૩૯૯, ૪૨૪, ૪૪૨, ૪૪૩, ૪૪૬, ૪૫૦; યોના સુખ ૧૧૮, ૪૧૫, ૪૨૨; યોરૂપી શત્રુ ૩૫૭; સંયમ ૨૯૮; યોરૂપી તસ્કરો ૧૪૫. ઈચ્છા ૬૯, ૩૫૦, ૩૫૧, ૪૦૮, ૪૦૯, ૪૧૧, ૪૨૧, ૪૩૪, ૪૫૮, ૪૭૮, ૪૯૭ ઈચ્છાનો રોગ ૪૭૮ ઈષ્ટ - ૩૩૬; ૦ ફેરવવાનો પુરુષાર્થ ૩૭૫; ૦-અનિષ્ટ ૪૩૧, ૪૩૪, ૪૪૧; ૦ ભાવ ૩૩૬, ૪૨૧. ઇંડાનો આત્મા ૪૪૨ Page #628 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૫-સૂચિ ૨ ૫૨૯ D એક પરમકૃપાળુદેવ-૫૮, ૬૯, ૮૬, ૯૦, ૯૬, ૧૨૯, ૧૩૩, ૧૩૬, ૩૦૧, ૪૦૩, ૪૧૮ એકટાણું ૩૩૭ એકતારપણું ૪૪૪ એકત્વભાવના ૧૪૨ એકત્વનુપેક્ષા ૩૯ એકદેશી (સત્સંગી) ૩૩૫ એકબીજાના સુખની ઈર્ષા ૪૨૨ એકમેક કરી નાખવું ૪૬૭ એકમેકમાં પરિણમવું ૪૦૩ એકરૂપ ૪૪૨, ૪પ૪ એકાંતરા ઉપવાસ (૫), (૬), (૯), ૧૯૫ એકાકાર ૩૬૮ એકાગ્રતા ૪૧૨ એકાવતારી જીવ ૨૨૮, ૨૨૯ એકેન્દ્રિય ૪૪૨ એંઠ ૩૦૫ ઓધસંજ્ઞા ૩૭૭ ઉજાગર અવસ્થા ૩૬૮ ઉણોદરી ૨૫ ઉત્કૃષ્ટ ધ્યાન ૪૨૧ ઉત્તમાં સ્વાત્મચિંતા સાત ૮૨ ઉસૂત્ર પ્રરૂપણા ૨૬૩ ઉદય - ૧૩૧, ૩૨૩, ૪૪૩; ૦ કર્મ ૮૬, ૮૭; ૦ કર્મનો વિપાક ૧૫૦. ઉદાસીન - સમભાવ ૪૧, ૬૨, ૭૧, ૮૬, ૩૯૩; હતા ૮,૧૮, ૪૧, ૪૪, ૬૨, ૨૭૯, ૩૧૪, ૩૫૫; –ને ઉપેક્ષા ૨૭૯; 0 ભાવ ૩૧૪. ઉદીરણા ૨૯૫ ઉદ્ધતપણું ૧૧૭ ઉદ્ધતાઈ ૪૨૮ ઉધિયું ૩૩૧ ઉન્મત્તતા ૩૩૦ ઉપકાર ૪૦૯ ઉપગૂહન ૨૮૯ ઉપદેશ ૧૬૦, ૨૯૭, ૩૦૩ ઉપયોગ – (આત્મા) જોવાની ભાવના ૧૧૪; ૦ ૧૭, ૧૮, ૫૧, ૨૩, ૬૮, ૧૩૧, ૧૩૪, ૧૪૪, ૩૫૭, ૩૫૮, ૩૬૩, ૩૯૧, ૩૯૨, ૪૦૦, ૪૦૭, ૪૦૮, ૪૧૧, ૪૨૨, ૪૩૮, ૪૪૦; ૦ ઊપર ઊપયોગ ૩૩૭; ૦જાગૃત રહેવો ૩૪૭; ૦ શૂન્ય ૨૮૧; ૦ સ્વરૂપ ૩૩૭. ઉપલકિયા ગુણગ્રામ ૭૫, ૧૨૮ ઉપવાસ ૨૯૫, ૩૩૭, ૪૬૭, ૪૪૩, ૪૪૪, ૪૪૮ ઉપશમ ૧૬, ૬૦, ૭૦, ૧૧૯, ૧૨૧, ૧૩૫, ૧૩૭, ૧૫૦, ૨૧૮, ૩૨૯, ૩૭૫ ઉપસર્ગ (૪૧), ૧૩૬, ૩૭૨ ઉપાસના ૪૯૦ ઉપેક્ષા ૨૭૯ ઉમરડા ૩૩૦ ઉર્મિ ૩૮૯ ઉલ્લાસ ૩૫૭ ઉંચે અવાજે બોલવું ૪૨૮ ઉંચામાં ઊંચી દશા ૪૩૩ ઉડું રહસ્ય ૨૨૨ ઋણસંબંધ ૪પર ઋણાનુબંધ ૨૮૧, ૩૧૦ કટાક્ષ દૃષ્ટિ ૩૨ કટાર ૨૪૧, ૨૪૫, ૪૯૬ કટારી ૩૯૮ કપાય ૨૮૨, ૩૬૨, ૪૬૫ કમળો ૨૦૯, ૪૭૬ કર્તાભોક્તા ૩૬૩ કર્મ - ૪૩૧; ૦ આવવાના દ્વાર ૨૦૦; ૦ અરિ ૩૬૫; ૦ કલંક ૩૯૦; ૦ પુદગલ ૨૨૨, ૪૦૩, ૪૦૬; ૦ ક્ષય ૩૯૯, ૪૦૯, ૪૧૨; ૦ નો કચરો ૩૮૯; ૦ નો લેપ ૪૩૦; ૦ નિર્જરા ૪૧૧; ૦ ની પ્રકૃતિ ૩૫૭, ૩૫૯; ૦ નું ઝેર ૪00; ૦ બંધ ૨૦૦, ૨૦૫, ૩૬૫, ૪૨૦, ૪૨૩, ૪૩૨, ૪૪૩; ૦ રૂ૫ વાદળાં ૪૯૪. ૦ રૂપરોગ ૪૭૩; ૦ વૈરી ૪૩૪. કલંક ૩૮૪, ૩૮૫ કલ્પના ૫૪, ૫૫, ૭૨, ૮૬, ૯૦, ૯૩, ૩૦૦, ૪૬૨ કલ્યાણ ૧૧, ૧૫, ૧૬, ૫૧,પ૬, ૫૮, ૯૦, ૯૨, ૯૩, ૧૧૩, ૧૨૬, ૧૨૯, ૧૪૫, ૨૫૧, ૨૯૭, ૩પ૬, ૩૫૮, ૩૫૯, ૩૯૨ Page #629 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ પરિશિષ્ટ ૫-સૂચિ ૨ ૪૪૨ ક્રોધાદિ ચાર કષાય ૧૮૩ ક્રિયા ૩૨૭, ૩૩૬, ૩૪૭, ૩૯૬, ૩૯૯ કૃપા ૧૭૦, ૨૩૪, ૪૦ ક્ષ ક્ષમાં ૨૨૭-૮ ક્ષમા ૭૭, ૮૬, ૧૧૬, ૧૨૨, ૧૯૯, ૨૨૭, ૩૦૭, ૩પ૬, ૩૨૨ ક્ષમાપના ૧૯, ૪૯૨ ક્ષમાપનાનો પાઠ જુઓ પરિ-૭, સૂચિ-૪ ક્ષયોપશમી પુરુષ ૧૨૪ ક્ષયોપશમ ૪૧, ૫૯, ૭૭, ૯૦, ૨૫૮, ૨૭૭, ૨૮૭, ૨૯૪, ૨૯૭, ૩૦૩, ૩૦૪, ૩૭૬, ૩૧૨, ૩૧૬, ૩૧૯, ૩૮૭, ૪૦૧, ૪૪૭, ૪૫ર ક્ષાયિક ભાવ ૨૨૮ ક્ષાયિક સમકત્વ ૧૨૫, ૩૬૯ ક્ષાયોપથમિક ક્ષમાદિક ગુણધર્મર ૨૮ કલ્યાણ કેમ થાય? ૨૯૬ કળિકાળ ૪૧૧ કળિયુગ ૪૬૧ કેવળી ૪૫૯ કષાય ૨૮૨, ૩૬૯; સવળાં કરવા ૪૩૪ કંઠી ૪૫૬, ૪૬૧ કંદમૂળ ૩૩૦ કાઉસગ્ગ (૫૪) કાટલે ૪૬૨ કાન ધરવો ૧૯૬ કામની વૃત્તિ ૩૨૯ કામસેવન ૪૩૦ કાયોત્સર્ગ (૫), (૬), (૧૨), (૨૫). (૫૪), ૧૧૪, ૩૧૨, ૩૧૩, ૩૮૧ કાર્ય-નિષ્પત્તિ ૪૯૦ કાળજી ૪૫૮ કાળલબ્ધિ ૧૮ કાંક્ષા ૨૮૮ કાંચીડાનું બચ્ચું ૨૯૫ કાંચીડો ૪૩૧ કોરું રહેવું ૪૫૭, ૪૫૯ કીર્તિસ્થંભ (૬૩) કુગતિ ૪૨૧ કુગુરુ ૨૬૫, ૨૯૬, ૩૫૦, ૩૫૧ કુદૃષ્ટિ ૪૨૧ કુપાત્ર ૧૫૧ કુબુદ્ધિ ૨૯૭ દ્ભાવ ૪૨૧ કુળધર્મ ૧૨૩ કુસંગ ૨૦૩, ૪૨૮, કુસંસ્કારી ૩૪ કૂળધર્મ ૧૨૩, ૩૭૪ કૂવાનો દેડકો ૩૦૨ કૂંચી ૧૩૫, ૧૪૯, ૧૬૮, ૨૨૩, ૩૬૬, ૪૭૮ કૃતિકર્મ ૩૦૫ કૃત્રિમ જિનાલય ૩૦૨ કોઈના દોષ જોવા ૩૩૧ ક્રમ ૪૬૬૫ ક્રોધ, માન, માયા અને લોભ ૩૩૨, ૩૬૯, ૩૯૯, ૪૩૪, ખપી ૧૬૪, ૨૩૨, ૩૪પ ખમતખામણ ૪૦૫ ખમાવવું ૧૬૨ ખમી ખૂંદવું ૩૧, ૯૫ ખરાબ નિમિત્ત ૪૧૭ ખવ્રત ૪૯૦ ખરું સુખ ૪૧૭, ૪૩૭ ખારાશ ૩૨૦ ખાસડાં ૨૪૬ ખોટાની શ્રદ્ધા ૩૫૧ ખ્રિસ્તિ ૪૪૪ ગ ગચ્છ ૪૫૯ ગણધર ૩૪૫ ગફલત ૭૦, ૭૧, ૧૫૮, ૨૦૩, ૨૨૦, ૩૬૨ ગમ વગરનું ૪૦૯ ગરીબાઈ ૪૦૦ ગર્વ ૨૯૧, ૨૯૭, ૨૯૮, ૩૦૩, ૩૧૯ ગલી કૂંચી ૪૫૩ ગવષવું ૩૬૭, ૪૭૪ Page #630 -------------------------------------------------------------------------- ________________ વેષણા ૨૯૬, ૩૨૫ ગાડરિયો પ્રવાહ ૩૯૯ ગાફલ ૭૭, ૧૯૪ ગાળ ૪૨૯ ગુણ અવરાઈ જવા ૪૩૨ ગુણકા ૩૨૨ ગુસપર્યાય ૪૩૦ ગુણરૂપ ૪૩૪ ગુણાનુરાગી ૩૫૬ ગુપ્ત ૪૬૨ ગુપ્ત વાત ૪૦૯, ૪૩૫ ગુરુ -(નિશ્ર્ચયથી) ૧૭૧, ૩૩૭, ૩૭૮, ૪૫૧, ૪૬૦; ૦ (વ્યવહારથી) ૪૬૦, ૦ ૧૫૧, ૧૬૮, ૧૮૨, ૧૮૩; ૦૪૩, ૬૩, ૭૬, ૯૭, ૨૦, ૨૦૧, ૨૩૪, ૨૬૧, ૨૯૨, ૨૯૩, ૨૯૬, ૩૦૧, ૩૨૧, ૩૨૫, ૩૪૩, ૩૪૮, ૩૫૩, ૩૭૮, ૩૮૬, ૪૧૧, ૪૩૫, ૪૫૬, ૪૭૯; ૦આશા ૨૫૯; ૦ ગમ ૧૪૯, ૩૪૧, ૩૭૮, ૪૨૫; ૦ ની શ્રધ્ધા ૨૦૬; ૦ ને નામ ઠગાવું ૬૯; ૦ ભાવ ૨૫૭; ૦ મંદિર (૬૯); ૦ સ્મરણ ૪૧૨. ‘ગુરુ' થવામાં મહાજોખમ ૨૯૬ ઘ પરિશિષ્ટ ૫-સૂચિ ૨ ઘર ૧૬૭, ૨૯૨, ૨૯૭, ૩૨૬, ૩૨૦ ૩૩૪, ૩૪, ૪૫૭, ૪૬૨, ૪૬૩ ઘરઘરનું સમકિત ૨૫૦, ૩૨૪, ૪૨૫ ધો ૧૦ પાણીમાં પીલવું ૪૨૯ ઘાંચીનો બળદિયો ૪૭૫ ચ ચક્રવર્તી ૧૩૯, ૨૪૭, ૩૧૦, ૩૨૨, ૩૪૫, ૩૫૭, ૩૬૫ ચરણ પુજાવવા ૩૦૧ ચરમશરીરી ૨૨૯, ૨૨૮ ચર્મચક્ષુ ૧૬૯, ૧૮૮, ૩૫૭, ૩૫૯, ૩૬૪, ૩૬૬, ૩૭૫, ૩૭૯, ૩૯૫, ૩૯૭, ૪૮૩, ૪૯૬, ૫૦૦ ચંડાળ ૩૨૨ ચંડીપાક ૩૧૦, ૪૭૪, ૪૭૫ ચંદ્ર ૩૬૪ ચાર - કથા ૨૨૦; ૦ કષાય ૧૮૩, ૩૮૫, ૩૯૦; ૦ ગતિ દુઃખમય ૪૨૨; ૦ પુરુષાર્થ ૫૭ ચારણમુનિ ૩૩૫ ચારિત્ર ૧૮, ૧૮૦, ૩૮૯, ૪૦૮, ૪૧૧, ૪૨૧, ૪૬૭ ચારિત્ર મોહનીય ૨૨૨, ૩૯૩, ૪૨૯ ચાવી જૂઓ કૂંચી ચાંલ્લો ૧૫૨,૨૧૧, ૩૮૩, ૩૮૮, ૪૩૭, ૪૬૮, ૪૯૯ ચોર ૩૬૦ ચૌદ પ્રકારે જીવદયા તથા અજીવદયા ૨૯૮ ચિત્ત - ૮૪, ૯૨, ૧૧૬, ૧૯૧, ૨૪૨, ૩૪૩, ૩૪૮, ૪૨૫૬ ૦ ના પરિણામની વિશુદ્ધતા ૩૧૪; ૦ પ્રસન્નતા ૨૧. ચિત્રપટ (૭), (૨૩), (૨૪), (૬૩), (૬૪), (૬૫), (૭૧), (૭૪), (૩૫), ૮, ૧૬, ૪૫, ૫૧, ૮૯, ૧૨૮, ૧૯૭, ૨૬૨, ૨૬૯, ૨૭૨, ૨૭૩, ૩૦૧, ૩૦૨, ૩૦૩, ૪૪૪, ૪૫૨ ચિંતવવું ૪૬૧, ૪૬૨ ચેતન ૩૫૧ ચેલો ૪૯૨ ચૈતન્ય શક્તિ ૩૫૧ ચૈતન્યધન ૩૬૪, ૩૬૫ ચૈતન્યપણું ૩૭૭ ચોકઠું ઠેકાર્ડો બેસવું ૩૦૧ ચોકડી તાણવી ૧૬૦, ૩૪૭ ચોખા અને છોડાં ૩૭૧ ૫૩૧ ચોખ્ખા થવું ૨૧૫, ૨૩૧, ૨૪૬ ચોટ ૪૩૭, ૪૫૬, ૩૮૧ ચોથું મહાવ્રત ૨૪૩ ચોથુંવત ૧૬૨, ૧૭૪, ૧૮૧, ૨૩૭, ૨૩૮, ૨૪૪, ૨૪૫ ચોર ૩૬૦, ૩૦૭, ૩૮૦ ચોરાશીના ફેરા ૧૮૧, ૪૧૪, ૪૨૫, ચોરી ૨૫, ૩૦૨, ૩૬૦ ચોવિહાર ૩૦૩, ૩૨૮ ચોવીશ તીર્થંકરના સ્તવન ૩૧૨ £9 છ દ્રવ્ય ૪૩૦ છ પદનો પત્ર જુઓ પરિ-૭, સૂચિ-૪ છ બારીઓ ૪૨૪ છત્રીસ માળાનો ક્રમ જુઓ પરિ-૭, સુચિ-૪ Page #631 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ છપ્રકારના આવશ્યક ૩૧૨ છબી જુઓચિત્રપટ' છાપ ૨૭૬, ૨૮૩ છાશ બાકળા ૪૬૮ છૂટવાની કામના ૪૪૩ છેલ્લી શિખામણ ૪૪૫ છોડવું ૧૬૬, ૨૧૬, ૪૪૧ છોડાવવું ૪૪૧ of પરિશિષ્ટ ૫-સૂચિ ૨ જગત-મો વિકલ્પ ૧૭૧ જગાડવું ૧૮૯ જડ-ચેતન ૪૧, ૧૫૨, ૧૯૯, ૨૦૫, ૩૨૯, ૩૪૦, ૩૫૧, ૩૫૩, ૩૬૩, ૩૬૮, ૩૮૬, ૪૦૨, ૪૨૦, ૪૩૦, ૪૩૫, ૪૬૬, ૪૮૬, ૪૯૧, ૫૦૦ જડભરતવત્ ૧૧૨ જત્ના ૨૯૫ જન્મ મરણથી છૂટવાની ભાવના ૪૨૧ જન્મ-જરા-મરણ ૨૪૯, ૨૫૦, ૪૦૧ જન્મમરણ છૂટવાનો માર્ગ ૩૭૭ જપતપ ૧૨, ૭૯, ૧૬૭, ૧૭૨, ૧૭૩, ૧૭૯, ૧૮૧, ૧૮૭, ૨૧૮, ૩૪૭, ૩૦૩, ૩૭૬, ૩૮૧, ૩૦, ૩૯૬, ૩૯૯, ૨૪૨૧, ૪૩૨, ૪૪૭ જરાનું દુ:ખ ૨૭૬ જંજાળ ૪૫૨ જાગૃત ૯૨, ૧૫૮, ૧૬૭, ૪૧૬ જાગૃત થાઓ ૩૬૫ જાગૃતિ ૭૪, ૯૦, ૪૦૩ જાણનાર ૪૩૨, ૪૬૦ જાત્રા ૪૫૨ જાન ૨૦૫ જામફળ ૩૩૧ જાલતમાસા ૪૪૮ જાવજજીવ પચ્ચખાણ ૩૩૧ જોખમ ૨૯૬, ૩૦૧ જોખમદારી ૨૯૬ જોગ ૨૪, ૫૨, ૫૫, ૫૯, ૧૧૩ જોનાર ૪૩૧ જોનાર-જાણનાર (જુઓ સાક્ષીદૃષ્ટ, જ્ઞાતાં દૃ) ૩૪૩, ૩૬૪, ૩૬૫, ૩૬૬, ૩૬૭, ૩૭૩, ૩૭૪, ૩૭૫, ૩૮૩, ૩૮૪, ૩૯૨, ૩૯૬, ૪૫૨, ૪૬૪, ૪૯૭ જિજ્ઞાસુ ૧૫૧, ૪૨૮ જિતેન્દ્રિયપણું ૧૧૯ જિન - ૧૯૬, ૩૬૭; ૦ દર્શન ૩૨૦; ૦ ધર્મ ૪૧૦; ૦ પ્રતિમા (૨); (૧૬); ૦ પ્રવચન ૩૬૭; ૦ માર્ગ (૨૭). જિવતર ૪૦૯ જીવન ૯, ૧૨૦, ૧૩૮, ૪૩૬ જીવાઘેરી ૪૮૩ જીહ્વા ૩૨૯ જુગલિયાનો ભવ ૪૪૨ જુગાર ૧૧૦ જૈન - (૪૦), (૬૯), ૨૬૫, ૩૨૦; ૦ ધર્મ ૨૧૬; ૦ મુનિ ૨૬૨. જ્ઞ જ્ઞાતા દેષ્ટા ૩૪૭, ૩૫૩, ૩૬૪, ૩૬૫, ૩૭૨, ૩૭૪ જ્ઞાન - ૧૭૯, ૩૪૨, ૪૦૮, ૪૨૩; ૦ દીપક ૨૬૧; ૦ - દર્શન ચારિત્ર (૩૧), ૨૪, ૪૮, ૫૭, ૬૩, ૮૦, ૮૬, ૧૧૪, ૧૧૫, ૧૧૮, ૧૨૨, ૧૪૫, ૩૧૧, ૩૪૧, ૩૯૯, ૪૦૮, ૪૩૯, ૪૬૪, ૪૯૦; ૦ ખાતું ૩૦૧; ૦ ચક્ષુ ૭૯, ૮૨, ૧૧૪, ૧૬૩, ૧૮૮, ૩૫૯, ૩૭૭, ૩૮૨, ૪૦૮ દાન ૩૪૯; ૦ મંદિર (૨૫), (૨૮). ૭ મથ ૪૩૧: ૦ વિચા૨ ૩૭૭; ૦ સૂર્ય ૩૭૭; ૦ સ્વભાવ ૩૭૨. જ્ઞાનાવરણીય કર્મ ૬૯, ૨૯૦, ૩૦૭ જ્ઞાની - ૩૫૦, ૨૭, ૪૦૦, ૪૦૬, ૪૨૭, ૪૩૩; ૦ અને અજ્ઞાનીની વાણીનો ભેદ ૪૨૮, ૪૨૯; ૦ ગુરુ ૫૬, ૮૯, ૧૭૧; ૦ ના દાસ ૩૭૭; ૦ ના દાસનો દાસ ૧૯૦; ૦ ના વચન ૩૪૫, ૩૮૬; ૦ ની આજ્ઞા ૪૨૭; ૦ ની છાપ ૨૭૬, ૨૮૩; ૭ ની પરિક્ષા ૩૦૩, ૦ નું સ્વરૂપ ૪૩૪; ૦ નો આશય ૪૨૯ ဘ ઝબકે મોતી પરોવી કે ૪૦ ઝરડું ૪૪૮ ઝંખના ૩૮૯ ઝાંઝવાના નીર ૪૧૫ ઝૂંપડું ૪૬૧ ઝૂરવું ૩૫૫, ૪૫૦ ટ ગ્રા ઝેર ૭૧, ૨૬૩, ૪૦૦ Page #632 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૫-સૂચિ ૨ ૫૩૩ ૩૬૨, ૩૬૮, ૪૨૫, ૪૫૩ તિર્યંચ ઠગારું ૯૪ તીર્થકર ૩૪૫ ઠગારુંપાટણ ૩૧૪ તીર્થંકર પ્રકૃતિ ૩૨૨ ઠગાવું ૬૯, ૪૫૬ તીર્થક્ષેત્ર ૩૪૬ ઠપકો ૩૦૧ તીર્થયાત્રા (૩૫), (૪૧), ૨૫, ૩૧૧, ૩૪૮, ૩૮૨ તુલના ૪૬૨ ડહાપણ ૫૪, ૧૫૭, ૧૫૯, ૧૭૧, ૧૭૪, ૨૪૯, ૨૬૩, તુંહિ-તુંહિ” ૩૮૧, ૩૮૨, ૩૮૯, ૩૯૬, ૪૧૧ ૨૮૬, ૩૦૬, ૪૧૭, ૪૩૫. તૃષ્ણા ૨૬૧, ૪૦૮, ૪૦૯, ૪૭૭ તૈયાર થવું યોગ્ય થવું, પાત્ર થવું, અધિકારી થવું. ડાહ્યા થવું ૧૫૯ ડાહ્યા ન થવું ૧૮૩, ૩૯૨, ૪૦૩ તોછડાઈ ૪૨૮ તોલન ૪૬૨ ડાહ્યું ૨૦૧, ૨૧૮, ૨૫૦ ત્યાગ ૨૩૭, ૨૪૩, ૨૪૪, ૨૪૫, ૨૫૯, ૩૦૮, ૩૨૯, ડુંગળી ૩૩૦ ૩૩૧, ૩૫૦, ૩૫૨, ૩૯૭, ૩૯૯, ૪૦૯, ૪૧૬, ૪૧૭, ૪૩૨, ૪૪૧, ૪૪૨, ૪૬૫ ત્યાગ વૈરાગ્ય ૫૮, ૬૪, ૨૩૭, ૨૪૭, ૩૩૧, ૩૪૫, ઢીંગલા-ઢીંગલીની રમત ૩૨૩, ૪૦૧ ૪૫૦, ૪૭૪ ટુંઢિયા (૨), (૯), (૪૧), ૧૬૬, ૧૯૬, ૨૧૦, ૨૮૨, ત્રણ પાઠ - ૩૧૦, ૩૮૦, ૪૦૩; ૦ ગારવ ૨૯૫; ૦ ૪૪૨, ૪૫૪, ૪૭૫, ૪૭૯ ગુપ્તિ ૨૨૭, ૨૮૨, ૩૨૯; વેદોષ ૨૮૮; ૦ શલ્ય ૧૫૧, ૩૫૦. તકરાર ૪પ૯ ત્રિવિધ તાપ - ૮૬, ૧૮૪, ૧૭૦, ૩૬૩, ૩૬૯, ૩૭૩, તડકો છાંયો ૪૫૮ ૩૮૦, ૪૨૫, ૪૮૦, ૪૯૩; ૦ તાપના કારણે ૩૪૫. તદાકાર ૩૬૮ તરૂપ ૪૨૬ થાક્યાનો માર્ગ ૩૧૯-૩૨૦ તન્મય ૪૩૧ થોથા ખાંડવા તપ ૯૧, ૯૫, ૯૬, ૧૨૬, ૧૨૮, ૧૩૦, ૧૩૮, ૨૯૨, ૨૯૫, ૩૦૭, ૩૩૭, ૩૫૧, ૩૫૪, ૩૬૧, ૪૦૯, ૪૧૬, દગો ૧૦૮, ૧૬૬, ૧૮૪, ૩૧૪, ૩૨૦, ૩૩૮, ૩૪૮, ૪૩૩, ૪૪૩, ૪૪૯, ૪૫૫, ૪૬૫ ૩૬૩, ૩૭૯, ૩૮૦, ૪૦૭, ૪૦૯, ૪૯૫ તપા (૯), ૧૬૬, ૨૧૦, ૪૭૯ દયા ૬૦, ૭૨, ૧૨૦, ૧૩૭, ૨૯૩, ૨૯૫, ૩૨૭, તરવાને બદલે બૂડવું ૪૧૮ ૩૩૧, ૪૨૪ તરવાર ૧૬૪, ૧૬૬, ૧૯૪, ૩૦૩, ૪૪૯, ૪૬૮ દર્શન - ૫૧, ૩પ૬, ૪૦૮; ૦ ભક્તિ ૮૯; ૦ મોહ તે રૂપ ૪૨૬, ૪૩૧, ૪૩૫, ૪૩૭, ૪૩૮, ૪૫૦, ૪૫૭, ૪૬૧; ૦ મોહનીય ૫૪, ૭૧, ૧૪૮, ૨૨૨, ૩૨૨, ૪૬૮, ૪૭૦ ૩૯૩, ૪૨૯. તલ્લીન ૪૩૯ દર્શનાવરણીય કર્મ ૩૦૭ તાપસ ૪૩૫ દવા ૧૨૮ તાર જોડાવો ૩૧૮ દશ યતિધર્મ ૨૨૭ તારણહાર ૪૩૭ દશ શત્રુ ૧૮૩, ૩૮૫, ૩૯૦ તાળી ૧૮૬, ૪૭૮ દશા ૪૬૨ તાળું ૧૩૫, ૧૫૯, ૧૭૦, ૨૦૧, ૨૦૩, ૨૦૪, ૨૨૩, Page #633 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ પરિશિષ્ટ ૫-સૂચિ ૨ દેવવંદન જુઓ પરિશિષ્ટ-૭ સૂચિ-૪. દેહ – ૧૩૬, ૪૧૯, ૪૨૦, ૪૨૧, ૪૨૭, ૪૩૦, ૪૩૧, ૪૩૨. ૦ મૂછ અકર્તવ્ય ૪૧૯-૨૦, ૪૩૧; ૦માં સાર શું? ૪૯૨; ૦ થી ભિન્ન ૪૩૨; ૦ બુદ્ધિ ૪૩૪ દેહાત્મબુદ્ધિ ૩૬૫ દેહાધ્યાસ ૧૧૯, ૩૬૩, ૪૧૭, ૪૨૦, ૪૨૪, ૪૩૨, ૪૪૧ દોરડું ૩૪૯, ૩૭૩, ૪૨૫, ૪૩૪, ૪૪૭ દોષ ૩૬, ૪૨, ૯૨, ૧૧૭, ૩૮૪, ૪૮૭, ૪૮૮ દોસ્તી ૪૧૨, ૪૩૩ દ્રવ્ય - ૪૩૬; ૦ પચ્ચખાણ ૪૬૬; ૦ કર્મ ૩૨૬; દૃષ્ટિ ૧૩૦, ૧૮૬; ૦ ભાવે બ્રહ્મચર્યવ્રત ૪૧૭; ૦ મન ૨૭૯, ૩૦૦. દ્રષ્ટા - ૨૮, ૪૫, ૫૦, ૭૮, ૧૦૫; ૦ ભાવ ૬, ૩૩, ૪૫. દ્વાર ૪૫૦, ૪૮૧ દષ્ટિ - ૨૮, ૫૬, ૮૫, ૮૬, ૮૮, ૧૪૬, ૧૬૦, ૧૬૩, ૨૦૦, ૩૭૫, ૩૭૮; ૦ ફરવી ૪૫૨, ૪૬૦; ૦ ફેરવી નાખવી ૪૨૫; ૦ રાગ ૩૦૧, ૪૯૬ દહાડો પવાડો ૧૮૧, ૫૦૦ દાતરડું ૪૫૪ દાન - ૭૫, ૧૩૮, ૨૮૦, ૩૭૯, ૩૩૨, ૩૩૩, ૪૩૩, ૪૯૯; ૦ શીલ, તપ અને ભાવ ૭૬, ૨૫૦. દાસ ૧૬૮, ૨૦૬, ૩૫૯, ૪૮૯ દાસના દાસ ૨૬, ૯૬, ૩૩૫ દિગંબર – (૧૬), (૨૩), (૨૬), (૨૭), (૨૮), (૩૨), ૧૬૬, ૧૯૬, ૪૪૧; ૦ આચાર્ય (૨૩); 0 ગ્રંથો (૩૮); ૦ દેરાસર (૧૬); ૦ ધર્મશાળા (૪૦), (૪૫); ૦ પ્રતિમાઓ (૬૯); ૦ ભટ્ટાચાર્ય (૨૪); ૦ માર્ગ (૨૮); ૦ મુનિ (૧૬); ૦ મુનિની છત્રીઓ ૨૩૦. દિગંબરી - પુસ્તક (૨૪); ૦ વિદ્વાનો (૩૮). દિવાળી ૨૦૬ દિવાળીનો બોધ ૩૫૮ દિવ્ય ચક્ષુ ૧૧૪, ૧૭૨, ૧૮૮, ૧૯૧, ૨૧૨, ૩૫૭, ૩૬૪, ૩૬૬, ૩૭૫, ૩૭૯, ૩૮૨, ૩૮૯, ૩૯૫, ૩૯૭ દિવ્યદૃષ્ટિ ૩૭૫ દિશાની મૂઢતા ૩૬૭ દીન - શિષ્ય ૨૬; ૦પણું ૩૧૯; ૦ બંધુ ૩૨૪, ૩૨૫. દીવો થવો ૧૬૦, ૧૯૨, ૩૬૧, ૩૬૨, ૩૮૬, ૪૬૮ દુ:ખ ૩૬૦, ૪૦૨, ૪૧૧, ૪૧૮, ૪૩૪ દુ:પચ્ચખાણ ૪૯૬ દુકાળ ૪૬૧ દુનિયાનો અર્થ ૩૫ દુર્જનનો ભંભેર્યો મારો નાથ જો ૨૫૯-૬૦ દુશ્મન ૧૨૭, ૧૬૯, ૧૭૮, ૨૦૦, ૨૦૩, ૨૯૪, ૨૯૭, ૩૫૧, ૩૮૫, ૩૯૦, ૪૬૮, ૪૬૯, ૪૪૮ દુષમકાળ ૪૧૦ દુષ્ટ સમાગમ ૯૪ દેખા દેખી ધર્મ ૩૫૨ દેરાસરની ટીપ ૩૩૨ દેવ ગુરુ ધર્મ વિષેની મૂઢતા ૨૮૯ દેવ-ગુરુ ૪૪૧ દેવતા ૨૬૧ દેવ -નું આયુષ્ય ૩૬૭; ૦ નો ભવ ૪૪૨; ૦ માયા ૩૩૧; ૦ લોકના સુખ ૪૪૯. ધક્કો ૪૩૭ ધનવંત ૩૯૭ ધન્ય તે નગરી ધન્ય વેળા ઘડી ૨૭૦ ધર્મ – ૩૫, ૪૮, ૫૮, ૭૯, ૧૧૪, ૧૪૧, ૧૬૦, ૨૫૭, ૨૬૨, ૨૬૩, ૨૬૭, ૨૭૭, ૩૫૦, ૩૭૫, ૩૮૦, ૩૯૯, ૪૦૦, ૪૦૮, ૪૨૦, ૪૩૯; ૦ આરાધન પ૩, ૯૪, ૧૦૧, ૧૨૯; ૦ કર્તવ્ય ૨૬૨; ૦ ક્રિયા ૩૨૬; ૦ધ્યાન ૫૮, ૮૧, ૨૨૦, ૩૦૯, ૪૨૫; ૦ ના નામે ૪૫૯; ૦ ની શ્રદ્ધા ૪૦૭; ૦ નું મૂળ ૨૫, ૩૭૩; ૦ નું સ્વરૂપ ૨૬૨; ૦ ને નામે ઠગાવું ૪પ૬; ૦ પામવાના ઊત્તમ પાત્ર ૩૭૦;૦ વિસ્તાર ૨૭૩, ૨૭૪; ૦ વૃદ્ધિ ૨૯, ૪૧૨, ૪૪૫; ૦ સંન્યાસ ૨૨૮; ૦ સાધન ૧૨૧. ધાડપાડુઓ ૩૮૧ ધાતુમિલાપ ૧૭૬ , ૪૩૬ ધિંગ ધણી ૩૯૩, ૩૯૫, ૪૦૪, ૪૦૫ ધીરજ ૧૨૨, ૩૨૨, ૩૫૬ ધૂતારું પાટણ ૩૪૮ ધ્યાન - (૧૬), ૮૬, ૧૦૯, ૧૧૪, ૧૧૫, ૧૧૬, ૧૩૦, ૩૫૭, ૩૯૮, ૪૨૧, ૪૨૫; ૦ વિચાર ૭૧, ૨૭૧ નમસ્કાર ૧૦૩, ૨૦૫, ૩૦૬, ૩૭૭, ૩૭૮, ૩૮૯, Page #634 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૫-સૂચિ ૨ ૫૩૫ ૪૩૯,૪૫૯, ૪૯૯ નમીને ચાલવું ૪૨૮ નમ્ર ૪૨૮ નમ્રતા ૧૦૪, ૩૯૪, ૪૨૬ નરક ૩૫૯, ૩૬૯ નરકની વેદના ૪૦૫ નરકનું આયુષ્ય ૩૬૭ નવ રૈવેયક ૨૧૭, ૨૧૮ નવ પૂર્વ ૩૫૪ નવકાર ૨૬૯ નવકારમંત્ર ૨૬૯, ૩૩૫. નવવાડ ૩૩૧, ૩૯૮ નાટક ૧૧૮, ૨૫૦, ૩OO, ૩૬૧, ૪૬૪ નારકીનો ભવ ૪૪૨, ૪૫૮ નાવડાં ૪૦૦ નાસિકનો બોધ ૪૦૧ નિઃશંકતા ૪૧૨ નિંદા ૩૧૨ નિકટભવી ૨૯૮ નિજ - દેશ ૩૮૧, ૩૮૪; ૦ ભાવ ૪૦૮; ૦ ૩૫ ૪૦૮; ૦ સ્વરૂપ ૪૧૯. નિયમ ૪૩૦ નિયાણશલ્ય ૩૫૦ નિયાણું ૩૩૭,૪૧૪ નિરાશ્રવ ૩૩ નિર્જરા પ૩, ૫૪, ૮૪, ૧૦૪, ૧૦૮, ૨૨૦, ૨૨૫, ૨૫૯, ૨૭૫, ૨૭૬, ૨૮૭, ૨૯૬, ૩૨૩, ૩૨૪, ૩૫૪, ૪૧૧, ૪૩૪, ૪૩૫, ૪૫૫. નિર્મોહતા ૪૦૯ નિર્લેપપણું ૩૩૩ નિર્વિકલ્પ દશા ૩૫૩ નિશ્રચયનય - ૮૦, ૧૧૦, ૩૦૪, ૩૨૭, ૩૪૬, ૩૬૭, ૩૮૬,૪૦૧, ૪૧૮, ૪૩૬, ૪૩૭, ૪૬૦, ૪૯૧; ૦ નું તત્ત્વવચન ૪૧૮. નિષિદ્યકા ૩૧૩, ૩૧૪ નિષ્કામ ભક્તિ ૧૨૪ નીરસ આહાર ૩૩૭ નોકર્મ ૩૨૬, ૩૭૨ પકડ (૬૫), ૧૧૨, ૧૩૨, ૧૫૧, ૧૬૪, ૧૮૧, ૧૯૭, ૨૩૧, ૨૯૮, ૩૪૧, ૩૭૯, ૩૮૭, ૩૯૨, ૩૯૫, ૪૦૩, ૪૨૫, ૪૩૪, ૪૪૨ પકવાન ૩૩૧ પચ્ચખાણ ૧૨૮, ૩૦૩, ૩૧૨, ૩૨૮, ૩૩૧, ૩૪૫, ૪૧૭, ૪૬૬, ૪૯૬ પડપડીયું જાઓ પડિકમણું પંચ પરાવર્તન ૨૯૮ પંડિત ૪૫૨ પડિકમણું ૨૮૧, ૩૬૦ પડદો ૨૩૩, ૩૪૧, ૩૯૭ પતંગનો રંગ ૩૬૩ પતાસાં ૩૩૧ પતિ પ્રત્યે કર્તવ્ય ૭૬ પદવી ૪૧૧ પદ્માસન ૩૧૩ પરદેશી ૪૯૯ પર પરિણતિ ૪૦૭, ૪૧૬ પરપુરુષ ૪૨૦ પરભાવ ૪૦૮, ૪૦૯, ૪૧૭ પરમગુરુ નિર્ગથ સર્વશદેવ જુઓ પરિ. ૭ સૂચિ ૪ પરમ સુખનું કારણ ૪૦૯ પરમકૃપાળુદેવની વાણી - ૪૧૧; ૦ નું માહાત્મ ૧૨૧, ૧૨૪, ૪૧૧, ૪૩૩, ૪૪૪. પરમાત્મસ્વરૂપનું ધ્યાન ૪૨૨ પરમાત્મા ર૬૪, ૩૫૯, ૩૬૦, ૩૭૬, ૩૭૭, ૩૮૨, ૩૮૬, ૪૦૮, ૪૧૮, ૪૩૬, ૪૪૪, ૪૪૯,૪૮૯ પરમાર્થ - ૩૧, ૫૦, ૫૧, ૧૦૫; ૦ સમ્યક્ત ૩૬૮; ૦ નો દુકાળ ૪૬૧. પરલોકના સુખ ૪૩૦ પરવસ્તુ ૪૩૪ પરવૃત્તિ ૪૦૯ પરસ્ત્રી ૨૪૩, ૨૪૫, ૪૨૦ પરાવર્તન ૨૯૬, ૨૯૭ પરિગ્રહ ૨૦,૪૮ પરિણમન ૪૫૬, ૪૫૭, ૪૬૦, ૪૬૨ પરિણમવું ૨૬૩, ૪૪૧ પરિણામ ૧૭૬, ૧૭૭, ૪૩૦, ૪૩૮, ૪૪૦, ૪૪૬, Page #635 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ પરિશિષ્ટ ૫-સૂચિ ૨ ૪પ૬, ૪પ૭, ૪૬૦ પરિભ્રમણ ૧૪૬ પરિભ્રમણ દશા ૧૫૫ પરિષહ ૧૩૬, ૪૦૯, ૪૩૩ પરોક્ષ ૬૩, ૧૨૫, ૨૭૭, ૩૨૫, ૩૪૪, ૩૪૬, ૩૪૭, ૩૬૯, ૩૯૨, ૪૧૧, ૪૬૦, ૪૬૨; ૦ આત્માની શ્રદ્ધા ૩૬૯; ૦ નાન્યતા ૩૬૯; ૦ લક્ષ ૩૬૯; શ્રદ્ધા ૩૪૭. પરોણો ૯૨, ૨૩૬, ૩૬૨ પર્યાય - ૧૭૬, ૧૭૭, ૧૮૨, ૧૮૩, ૨૧૨, ૨૧૬, ૪૨૩, ૪૩૦, ૪૩૧, ૪૩૬, ૪૮૯; ૦ પડવા ૧૬૨, ૨૪૧, ૪૬૮, ૪૮૫; ૦ દૃષ્ટિ ૭, ૫૮, ૮૨, ૯૨, ૧૧૨, ૧૩૦, ૧૫૦, ૧૮૨, ૧૮૬, ૨૦૫, ૨૩૧, ૩૩૫, ૩૫૩, ૩૮૭, ૩૯૨, ૩૯૫, ૪૨૩, ૪૩૧, ૪૭૧, ૪૮૬, ૪૯૧, ૪૯૨; ૦ બુદ્ધિ ૪૮૬. પર્યુષણપર્વ ૧૬, ૨૮, ૨૯ પર્યુષણ પર્વ-ત્રણે કર્તવ્ય ૨૮ પશુ ૪૯૯ પશુવત્ ૨૦૩, ૨૨૨, ૪૯૯ પશ્રચાત્તાપ ૨૯૫, ૪૧૬, ૪૪૩, ૪૮૭, ૪૮૮ પસ્તાવાનું કારણ ૪૦૯ પસ્તાવો ૨૯૫ પાંચ - ઈન્દ્રિયોના વિષય ૨૯૭; ૦ વિષય ૪૫૦; ૦ સમવાય કારણ ૨૧૨, ૨૨૯, ૪૯૦; ૦ સમિતિ ૨૮૧, ૨૮૨. પાતાળનું પાણી ૧૭૦, ૧૭૧, ૨૨૩ પાત્ર-પાત્રતા ૧૨૧, ૧૨૫, ૧૫૧, ૨૬૨, ૨૯૫, ૨૯૮, ૨૯૯, ૪૩૯, ૪૪૦, ૪૪૨, ૪૬૬, ૪૯૬ પાપ - ૨૯૫, ૩૦૭, ૩૦૮, ૩૦૯, ૩૧૦, ૩૧૨, ૩૧૩, ૩૨૪, ૩૪૧, ૪૨૧, ૪૪૦, ૪૪૩, ૪૪૪, ૪પ૪, ૪૯૯; ૦ ક્રિયા ૪૫૯; ૦ નાદળિયા ૧૯૨, ૩૬૦, ૩૭૯, ૪૯૯; ૦ બંધ ૪૪૧. પાપી ૪૪૪ પારસી ૪૨૦. પૌદગલિક ભાવ ૪૯૨ પૌદગલિક શાંતિ ૧૬૫ પીંપળાના ટેટા ૩૩૦ પુણ્ય - ૧૦૫, ૧૦૬, ૧૬૭, ૧૯૨, ૨૨૦, ૨૩૨, ૩૦૯, ૩૧૫, ૩૨૪, ૪૪૦, ૪૪૧, ૪૪૯; ૦ ક્રિયા ૩૩૬; ૦ ના ઢગલા ૧૮૪, ૩૮૨, ૩૮૩, ૩૯૪, ૩૯૫; ૦ ના દળિયાં ૧૮૭, ૨૦૩; ૦ નું કારણ ૩૬૫, ૪૬૧; ૦ નો યોગ ૩૩૫, ૪૪૧; ૦ રૂપ ૩૨૪. પુણ્યાનુબંધી ૨૯, ૫૭, ૧૩૮, ૩૦૯, ૩૨૩, ૩૩૨ પુદગલ - ૨૩, ૪૧, ૯૮, ૧૦૯, ૧૧૪, ૧૧૫, ૧૩૬, ૧૪૬, ૧૫૨, ૧૬૧, ૧૬૮, ૧૮૦, ૧૮૧, ૧૮૨, ૧૮૬,૨૦૩ ૨૧૫, ૨૧૬, ૨૨૨, ૨૯૯; ૦ પર્યાય ૯૮; ૦ ફરસના ૪૦૬; ૦ રચના ૧૩૧; ૭ જાલ તમાશા ૨૦૩, ૪૪૯; ૦ ની અથળામણી (૭૮), ૪૦૪; ૦ ની માયા ૪૩૭; ૦ રૂ૫ ૪૪૨. પુદગલાનંદી ૩૦, ૩૧, ૪૮, ૧૨૦ પુદગલિક - શાંતિ ૧૬૫; ૦ સુખ ૩૪, ૬૦, ૧૩૦, ૨૧૭, ૪૪૯. પુરાણપુરુષ ૩૧૨, ૪૯૦ પુરુષાર્થ – ૧૮, ૧૯, ૨૭, ૧૫૫, ૩૨૯, ૩૩૭, ૩૪૬, ૩૪૭, ૩૬૩, ૩૬૫, ૩૬૬, ૪૪૦, ૪૪૧, ૪૪૩, ૪૪૯, ૪૭૧, ૪૯૦; ૦ અને કર્મ ૧૬૮; ૦ અને પ્રારબ્ધ ૪૨૮; ૦ -સમભાવ ૩૪; ૦ બળ ૪૧૦. પૂજા - ૧૯૨, ૨૦૨; ૦ ની ઈચ્છા ૪૫૮; ૮ સત્કાર ૧૯૬, ૨૭૨, ૨૭૩, ૩૬૩, ૩૭૯, ૩૮૯, ૩૯૮. પૂજ્ય ૩૮૯ પૂનાનો બોધ ૨૭૦ પૂર્વ - કર્મ ૩૬૫, ૪૧૩, ૪૧૮, ૪૩૨; ૦ અને પુરુષાર્થ ૩૬૫, ૩૮૦; ૦ કૃત અને પુરુષાર્થ ૧૬૮, ૧૯૭, ૨૧૨, ૨૨૯, ૨૪૮, ૩૮૨, ૪૫૦; ૦ કૃત ૧૧૪, ૨૪૮, ૪૮૧; ૦ ભવના જ્ઞાનથી આનંદ ૧૬. પૂર્વાપર અવિરોધવાણી ૪૨૯ પૂંજી સમજ ૪૭૧ પોકાર કરીને કહીએ છીએ ૪૪૮ પોંક ૩૩૧ પોતપોતાની સમજણ ૪૪૧ પોતપોતાનો સંપ્રદાય ૪૩૩ પોતા-ના દોષ ૩૬, ૧૨૭, ૨૬૨; ૦ ના ધર્મની પકડ ૪૪૨; ૦ ની પકડ (કલ્પના) ૨૬૩; ૦ ની વિભૂતિ ૩૬૨; ૦ નું આત્મસ્વરૂપ ૪૩૯; ૦ નું રાંધણુ ૨૦૬; ૦ નું વિસ્મરણ ૪૧૭; ૦ નું સ્વરૂપ ૩૮૬, ૪૧૮, ૪૨૦, ૪૨૭, ૪૨૯, ૪૩૦, ૪૩૧, ૪૩૬, ૪૩૭, ૪૪૨, ૪૪૩; ૦ નો આત્મા ૪૩૯; ૦ નો દેશ ૩૮૧. પૃથ્વી આદિ પાંચ ધારણાઓ ૪૨૫ પ્રકૃતિ ૩૭૭, ૪૦૪ Page #636 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૫-સૂચિ ૨ ૫૩૭ પ્રતિક્રમણ (૧૨), (૭૧), ૧૮૬, ૩૦૬, ૩૧૨, ૩૨૮ પ્રતિજીવી ગુણ ૨૨૭ પ્રતિબંધ ૩૦૧, ૪૧૨ પ્રતિબોધ ૪૪૧ પ્રતીતિ ૬, ૫૨, ૫૮, ૯૦, ૧૦૯, ૧૧૩, ૧૧૫, ૧૨૫, ૧૯૬, ૨૦૪, ૨૨૬, ૨૪૦, ૨૫૯, ૩૪૯, ૩૫૮, ૩૫૯, ૪૦૯, ૪૧૧, ૪૧૪, ૪૫૬ પ્રત્યક્ષ – ૩૪, ૪૪, ૫૦, ૫૯, ૬૩, ૭૪, ૧૦૩, ૧૧૮, ૧૨૫, ૧૩૬, ૧૮૮, ૧૮૯, ૧૯૨, ૨૨૯, ૨૪૮, ૨૭૭, ૨૯૨, ૩૨૫, ૩૪૫, ૩૪૬, ૩૪૭, ૩૫૭, ૩પ૯, ૩૬૯, ૩૭૮, ૩૮૮, ૩૯૨, ૪૦૩, ૪૬૦, ૪૬૨, ૪૮૮, ૪૮૯, ૪૯૦; ૦ આત્માની શ્રદ્ધા ૩૬૯; ૦ શ્રદ્ધા ૩૪૭. પ્રત્યાખ્યાન જૂઓ પચ્ચખાણ પ્રભુ' (૬૩), ૨૯૧, ૨૯૨ પ્રભુને સમર્પણ કરવું ૪૧૩ પ્રભુશ્રી (૬૩). પ્રમાદ ૯૦, ૧૦૬, ૧૪૯, ૨૮૯, ૩૩૦, ૪૩૮ પ્રવચન અંજન ૨૩૨, ૨૮૨ પ્રસાદ ૩૩૧ પ્રાયશ્રિત ૨૯૫, ૪૮૭ પ્રારબ્ધ ૧૦૩, ૧૦૬, ૧૧૧, ૨૨૦, ૪૦૯ પ્રાર્થના ૧૫, ૨૧, ૨૨, ૧૨૫, ૨૮૩, ૪૫૩, ૪૮૫ પ્રીતિ ૪૦, ૬૧, ૯૩, ૯૬, ૧૭૦, ૧૭૨, ૧૭૮, ૧૭૯, ૧૮૪, ૧૯૫, ૧૯૮, ૩૪૪, ૩૭૪, ૩૮૩, ૩૯૨, ૪૦૮, ૪૧૧, ૪૧૨, ૪૧૩, ૪૨૪, ૪૬૫, ૪૪૦, ૪૪૪ પ્રીતિ-અપ્રીતિ ૪૨૫ પ્રેમ ૪૦, ૬૯, ૮૬, ૧૨૧, ૧૨૪, ૨૬૯, ૩૩૮, ૩૪૦, ૩૪૪, ૪૧૩, ૪૨૩, ૪૨૪, ૪૩૯, ૪૪૪ પ્રેમ જ્યાં ત્યાં ઢોળી નાખવો ૨૬૯, ૩૭૪ પ્રેમ બધે વેરી નાખવો ૪૦, ૩૪૫, ૩૭૯, ૩૮૧,૪૩૩, ૪૮૭ ૩૧૧, ૩૬૨, ૩૮૧, ૩૮૮, ૩૮૯, ૩૯૮, ૩૯૯, ૪૦૮, ૪૧૧, ૪૧૨, ૪૧૩, ૪૧૯, ૪૨૪; ૦ કર્તા ૪૩૭; ૦ થી છૂટવાનો ઉપાય ૩૬૨; ૦ નું કારણ ૩૮૯; વરૂપ ૨૭૫, ૩૨૦. બંધાવું ૧૦૯, ૧૮૫, ૨૧૪, ૨૨૧, ૪૩૯ બટાટા ૩૩૦ બધા આગમનો સાર ૨૯૫ બનાવટ ૩૬૩ બફમ ૩૦, ૪૬, ૭૦, ૭૧, ૭૫, ૭૭, ૭૮, ૮૪, ૮૭, ૯૨, ૧૫૮, ૧૮૨, ૧૮૮, ૧૯૨, ૨૨૯, ૪૨૪, ૪૩૭, ૪૭૯ બરછી ૨૦૯ બળ ૪૪૧ બહારથી ત્યાગ ૩૬૨ બહિરાતમતામાં રમણતા ૩૬૦ બહિરાત્મા ૩૨૪, ૩૬૦, ૪૦૮, ૪૧૪ બહિરાત્મા-અંતરાત્મા-પરમાત્મા ૩૭૬, ૩૭૭, ૩૮૨, ૩૮૬, ૪૦૮, ૪૩૬ બહિબુદ્ધિ ૪૧૩ બહુ પુણ્યકેરા પદ ૨૨૫-૬ બહુ મોટી શ્રેષ્ઠ વસ્તુ ૪00 બહેરો-બોબડો ૧૮૦ બાંધવ ૪૪૨ બાધા ૨૩૭ બાર દેવલોક ૨૧૮ બાર ભાવના ૪૮૫ બાળાભોળા જીવ ૨૪૭, ૩૦૩, ૩૦૪, ૩૪૬, ૩૫૮, ૪૬૬ બાહ્યચારિત્ર ૩૫૦, ૩૫૩ બાહ્યત્મા ૩૮૨, ૪૦૮, ૪૧૪ બાહ્યભાવ ૧૯૦, ૨૧૭ બિલાડીનાં બચ્ચાં ૩૫૨ બીજ-ભૂત ભૂલ ૩૩૭; ૦ રુચિ સમ્યકત્વ ૩૬૮. બીજાની પંચાત ૪૧૯ બુદ્ધિ ૧૪૮, ૪૧૩ બુદ્ધિમાન ૪પ૯ બે અક્ષરમાં માર્ગ ૧૮૦, ૧૭૯, ૨૧૧, ૩૪૨ બે કાર્ય ૩૫૦ બે મોટી વાત ૩૭૪ ફરશી ૨૭૮ ફાળિયું ૩૦૦ બંધ ૪૧, ૧૦૯, ૧૫૯, ૧૬૫, ૨૧૪, ૨૧૫, ૨૧૬, ૨૧૮, ૩૧૩, ૪૧૨, ૪૨૭, ૪૩૦, ૪૩૪, ૪૩૭. બંધન - ૧૧૩, ૧૧૫, ૧૨૬, ૩૦૦, ૩૦૧, ૩૦૩, Page #637 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ પરિશિષ્ટ પસૂચિ ૨ બોધ - (૧૩), ૨૮, ૮૪, ૯૦, ૧૧૩, ૧૨૪, ૧૨૬, ૧૬૭, ૧૭૬, ૨૦૦, ૨૬૬, ૩૭૪, ૩૭૫, ૩૭૬, ૩૭૭, ૩૯૧, ૩૯૫, ૩૯૭, ૪૦૨, ૪૧૧, ૪૨૩, ૪૨૬, ૪૪૧, ૪૫૪, ૪૬૦, ૪૬૫, ૪૭૧, ૪૯૯; ૦ બીજરૂપ સમ્યકત્વ ૧૨૩; ૦ પરિણામ પામવાનું કારણ ૧૧૯; ૦ બળ ૪૯૩; ૦ બીજ ૮૪, ૮૯, ૧૨૩. બોબડા ૬૪, ૧૮૦, ૨૭૨ બોબડું-તોતડું ૧૯૦, ૧૯૨ બોલવા માત્ર જ્ઞાન ૩૫૪, ૩૫૫ બ્રહ્મ-આત્મા ૧૮૫, ૩૩૧ બ્રહ્મચર્ય - ૭૮, ૭૯, ૧૪૫, ૧૭૪, ૨૩૭, ૨૩૮, ૨૪૪, ૩૨૯, ૩૩૧, ૩૩૩, ૩૩૭, ૩૪૦, ૩૪૫, ૩૫૦, ૩૫૫, ૩૯૧, ૩૯૭, ૩૯૮, ૪/૮, ૪૦૯, ૪૧૦, ૪૧૭, ૪૨૦, ૪૩૦, ૪૩૮, ૪૫૦, ૪૭૯, ૪૯૬; ૦ નું વ્રત ૩૩૧; ૦ નું સ્વરૂપ ૪૦૮; ૦ વ્રત ૪૧૭. બ્રહ્મચારિણી ૨૩૮ બ્રહ્મચારી ૩૨૯ ભક્તિ – ૧૫૬, ૨૦૯, ૩૬૯, ૩૭૧, ૪૦૦, ૪૪૪, ૪૬૫: ૦કર્તવ્ય અને ધર્મકર્મવ્ય ર૬૨; Oના બે ભેદ ૪૪૩ ૨૨૧, ૩૩૨, ૩૩૪, ૩૩૭, ૩૭૮, ૩૮૩, ૩૮૫, ૩૯૯, ૪૨૧, ૪૩૭, ૪પ૦, ૪૭૦ ભાવમન ૨૭૯, ૩૦૦ ભાવમરણ ૧૨૦ ભાવસમતા ૩૩૭ ભિખ ૨૫૦, ૨૯૭, ૩૦૮, ૩૮૧ ભિખારી (૭૨), ૬૯, ૨૦૨, ૨૫૦, ૩૦૮, ૩૩૨, ૩૮૧, ૪૫૧, ૪૯૭ ભૂંસાડીયો ૧૬૫, ૧૬૯, ૧૭૪, ૧૮૪, ૨૨૬, ૨૨૯ ભૂલ ૪૨, ૫૪, ૯૩, ૧૧૩, ૧૧૫, ૧૨૦, ૧૫૮, ૧૬૬, ૨૪૮, ૩૩૭ ભૂલવણી ૧૬૬, ૧૬૮, ૧૯૮, ૨૦૨, ૩૦૮, ૩૯૭, ૪૭૬, ૪૮૧ ભૂલાવો ૧૮૩, ૨૪પ ભેદ – ૨૦૩, ૨૪૪, ૨૫૬; ૦ પાડવો ૩૪૭, ૩૪૪, ૩૪૮, ૩૬૨, ૩૭૫; – જ્ઞાન ૪૧, ૧૩૪, ૧૫૨, ૧૬૭, ૩૪૭, ૩૪૮, ૩૫૧, ૩૬૨, ૩૭૨, ૩૭૫, ૪૩૧; ૦ નો ભેદ ૧૧, ૧૭૩, ૨૦૫, ૨૧૧, ૨૫૪, ૨૬૨, ૩૦૩, ૪૫૫, ૪૭૧; ૦ ભક્તિ ૪૪૩; ૦ વિજ્ઞાન ૩૬૪, ૩૬૫, ૩૭૧, ૩૮૫, ૪૪૮. ભેદી ૧૧, ૧૬૯, ૧૭૩, ૨૦૭, ૨૯૬, ૩૭૮ ભેદી પુરુષ ૧૩૫, ૧૬૨, ૧૭૪, ૨૪૪, ૨૯૬, ૪૭૯ ભોમિયો ૧૫૨, ૪૫૩ ભ્રમ (૭), ૩૦, ૫૪, ૭૪, ૧૪૭, ૧૭૩, ૧૮૫, ૧૮૬ ભ્રમણ ૨૯૮ ભ્રમણા ૨૮, ૩૨ ભ્રમણે ૪૩૩ ભ્રાંતિ (૧૪), ૧૪, ૬૧, ૭૪, ૧૮૪, ૪૧૯ મ મઘાના પાણી ૧૮૦, ૨પર, ૩૪૨, ૩૯૦ મઘાના મેહ ૧૩૬ મડદુ ૧૨૦, ૨૨૧, ૪૬૫, ૪૬૫ મતિ - અને શ્રુત અજ્ઞાન ૩૭૩; ૦ અજ્ઞાન ૩૭૩; ૦ કલ્પના ૩૧,૫૪, ૬૦, ૬૭, ૭૦, ૮૪, ૯૨, ૧૧૪, ૧૨૩, ૧૨૯, ૧૩૩, ૧૩૬. મદ ૪૪૧ મંત્રનો અર્થ ૪૪૩ મધ્યસ્થ – ૯૩, ૧૮૩; ૦ દૃષ્ટિ ૯૬; ૦ તા ૭૮, ૧૨૯; ૦ પણું ૧૨૪; ૦ ભાવ ૪૨૧. ભજન ૪૪૯, ૨૬૯ ભણેશ્રી ૩૩૦ ભવ ઊભા થવા ૩૭૭ ભવભ્રમણ ૩૫૮ ભવસ્થિતિ ૩૩૪, ૩૪૫, ૩૫૮ ભવ્ય ૪૩૮ ભસ્મગ્રહ ૪૦૫ ભાઈબંધી ૨૦૩, ૪૩૩ ભાડાનું ઘર ૪૩૧ ભાલું ૨૦૯ ભાલોડાં ૨૪૬, ૨૪૮ ભાલોડાનો વરસાદ ૨૪૬, ભાવ - અને ઊપયોગ ૨૧૫, ૨૧૬, ૨૨૦ ૩૬૦, ૪૨૪, ૪૮૫; ૦ પરિણામ ૧૮, ૬૨, ૧૩૨, ૧૫૮, ૧૮૭, ૧૯૦, ૧૯૧, ૧૯૯, ૨૦૪, ૨૪૦, ૨૫૦, ૩૪૧, ૩૮૮, ૩૯૪, ૩૯૯, ૪૬૦, ૪૬૨,૪૮૨, ૪૯૨, ૫OO; ૦ દર્શન ૧૭, ૫૧ ભાવના ૬, ૨૬, ૫૧, ૫૪, ૫૭, ૭૦, ૭૪, ૧૮૦, છે Page #638 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૫-સૂચિ ૨ ૫૩૯ મન - ૨૫, ૬૩, ૭૭, ૮૦, ૧૩૪, ૧૬૧, ૧૮૩, ૩૬૨, ૩૮૪, ૩૮૫, ૩૯૦, ૪૧૯, ૪૨૪, ૪૬૭, ૪૪૦, ૪૪૬, ૪૯૯, ૫૦૦; ૦ વશ કેમ થાય? ૧૩૪; ૭ વચન અને કાયા ૧૬૫, ૨૫૫, ૩૯૮, ૪૨૧, ૪૨૫, ૪૩૧, ૪૪૧, ૪૪૮, ૪૬૫, ૪૬૬, ૪૭૧, ૪૯૨, મનઃ પર્યવ જિન ૧૯૬ મનન ૪૦૭ મનને ખીલે બાંધવું ૩૮૪ મનને લઈને આ બધું ૭૨, ૭૯, ૮૨, ૧૧૫, ૧૫૧, ૨૦૯, ૨૧૦, ૨૩૮, ૨૪૦, ૨૭૯, ૩૨૯ મનને વીલું મૂકવું ૨૮૧ મન ભટકવું ૩૩૧ મનુષ્ય - દેહ ૫૨, ૫૩, ૧૦૩, ૧૦૪, ૧૨૫, ૧૩૨, ૧૩૬, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૪૯૨; ૦ પણું ૮૪, ૧૦૧, ૧૧૫, ૧૨૩, ૪૯૯; ૦ ભવ ૮૮, ૧૩૮, ૧૪૨, ૧૫૯, ૨૪૮, ૩૦૮, ૩૧૦, ૪૯૨. મનોવ્યથા ૪૧૦ મમતા ૧૦૪, ૧૧૪, ૧૧૫, ૪૧૯ મમત્વ ૫૮, ૭૪, ૮૭, ૨૫૧, ૪૧૦, ૪૧૨, ૪૧૯, ૪૩૧, ૪૩૩, ૪૫૨, ૪૬૫, ૪૮૪ મરણ ૧૯, ૬૫, ૧૦૧, ૧૧૯, ૧૨૦, ૩૨૫, ૩૬૪, ૪૩૧, ૪૩૩, ૪૮૪, ૪૮૯ મરણ - કાળે (મરણ સમય-મરણના દુઃખ વખતે-મરતી વખતે-મૃત્યુની વેળા) ૨૬૦, ૨૮૭, ૨૯૧, ૨૯૪, ૩૨૬, ૩૩૦, ૩૩૫, ૩૩૬; ૦ વખતે ઉપયોગ ૩૧૮, ૩૧૯; ૦ નો ભય ૪૪૪, ૪૪૫. મરણાંતિક યાતના ૧૩૪ મર્મ ૧૭૩, ૨૦૧, ૨૦૩, ૨૦૮, ૨૨૩, ૨૨૫, ૨૨૬, ૨૩૦, ૨૩૧, ૨૩૨, ૨૪૦, ૨૪૩, ૩૩૪, ૩૩૮, ૩૬૧, ૩૬૭, ૩૭૯, ૩૯૬ મહા - ઉપકારી ૪૧૭; ૦ જોખમ ૪૮૭ ; ૦ દુ:ખમય ૪૧૯; ૦ દુર્લભ યોગ ૪૨૭; ૦ બંધનરૂપ ૪૧૯; ૦ ભયંકર ૪૬૨; ૦ અગત્યની વાત ૩૪૦; ૦ અમુલ્ય ૪૨૨; ૭ કલ્યાણનું કારણ ૩૩૩; ૦ ગહન ૪૪૩; ૦ ગૂઢવાત ૪૪૦; ૦ જોખમ ૪૮૭; ૦ તપ ૩૫૨; ૦ દુર્લભ ૪૪૨; ૦ દોષ ૨૬૬; ૦ પા૫ (૬૪), ૨૭૨; ૦ પુણ્યના યોગે ૧૧૩, ૩૦૮; ૦ બંધન ૪૧૪, ૪૧૫; ૦ મુનિઓના આચાર ૩૧૪; ૦ મોહનીય કર્મ ૩૩; ૦ લાભ ૩૩૦. મહાલાભનું કારણ ૩૪૫, ૩૮૬ મહાદેવ્યા : કુષિરત્ન ૩૯, ૩૧૮ મહાવીર સ્વામીની આજ્ઞા ૩૨૦ મહાવ્રત ૩૯૧ મહા હાનિકારક ૪૦૯ મહોત્સવ ૩૧, ૯૫, ૧૧૨, ૧૫૯, ૨૨૩, ૩૨૫, ૩૬૬, ૩૮૭ માઠાં પરિણામ ૩૩૧ માથું ઘાલવું ૨૧૩, ૩૩૯, ૩૯૨ માથું મારવું ૩૨૪ માથે અંગારા ભરે ૪૨૯ માન ૨૦૦, ૨૦૧, ૨૦૨, ૨૦૬, ૨૧૭, ૨૧૯ માનસિક દુ:ખ ૪૨૨, ૪૫૮ માન્ય ૩૧, ૮૩, ૧૧૦, ૧૨૨, ૧૩૧, ૧૪૩, ૧૬૯, ૧૭૪, ૨૦૩, ૨૦૬, ૨૨૨, ૨૨૯, ૨૪૦, ૩૪૩, ૩૪૪, ૩૫૮, ૩પ૯, ૩૯૩, ૪૦૩, ૪૦૪, ૪૨૩, ૪૪૫, ૪૫૩, ૪૫૪, ૪૫૬, ૪૫૮ માન્યતા ૯૦, ૧૨૨, ૧૬૪, ૧૭૬, ૧૮૧, ૨૧૬, ૨૨૮, ૩૦૪, ૩૪૩, ૩૪૪, ૩૪૭, ૩૫૮, ૩૫૯, ૩૯૩, ૪૪૫, ૪૪૮, ૪૫૦, ૪પ૧,૪૫૨, ૪૫૪, ૪૮૧, ૪૮૩, ૪૯૦, ૪૯૧ માયા - ૧૫, ૫૯, ૬૬, ૬૯, ૧૬૨, ૧૬૩, ૧૭૦, ૧૮૩, ૧૮૪, ૨૧૬, ૨૪૪, ૨૫૬, ૩૭૬, ૩૮૩, ૩૮૯, ૩૯૦, ૩૯૮, ૩૯૯, ૪૦૪, ૪૬૫, ૪૫૯, ૪૭૭, ૪૯૬; ૦ નું બંધન ૪૨૫; ૦ નું સ્વરૂપ ૧૯૨, ૩૭૮, ૩૮૯, ૪૫૩, ૪૫૫, ૪૫૯; ૦ શલ્ય ૩૫૦. “મારું તારું' ૨૯૨, ૩૭૧, ૪૦૬, ૪૭૯, ૪૮૧, ૪૮૪ મારું મારું” ૧૮૫, ૩૨૬, ૩૭૯, ૩૮૪, ૪૧૯ મારું સ્વરૂપ' ૫૧, ૬૨, ૬૯, ૧૧૮, ૧૨૨, ૧૫૯, ૩૫૬, ૩૬૬, ૪૧૮, ૪૨૦, ૪૨૭, ૪૩૧, ૪૩૭, ૪૪૩, ૪૫૫ “મારું” ૪૫૦, ૪પર, ૪૬૧ મારાપણું ૪૩૦, ૪૩૫, ૪૫૬, ૪૬૫, ૪૬૭ મારો વહાલો! ૨૦૨, ૩૦૮ માર્ગ ૨૭૩, ૪૩૪, ૪૪૪ માર્ગ બતાવનાર ૪૨૭ માર્ગાનુસારીપણું ૩૬૮ માળા (૧૩), ૧૧૪, ૩૦૧, ૩૦૩, ૩૦૪, ૩૩૬, ૩૩૭ માહિત થવું ૬૪, ૧૮૪, ૨૦૭, ૨૧૬, ૨૨૯, ૨૩૧, Page #639 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ પરિશિષ્ટ પ–સૂચિ ૨ ૨૩૫, ૨૫૩, ૨૫૪, ૩૨૫, ૪૫૩, ૪૬૩ મોક્ષ-વહેલો કેમ થાય? ૨૫૩-૪ મિત્ર ૧૦૭, ૩૮૫, ૪૪૨ મિથ્યા માન્યતા ૭૭-૭૮ મિથ્યાત્વ - ૪, ૪૮, ૭૭-૭૮, ૧૭૪, ૧૯૪, ૨૮૨, ૩૦૭, ૩૧૮, ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૩૨૬, ૩૪૩, ૩૫૦, ૩૫૪, ૩૫૫, ૩૬૩, ૪૧૪, ૪૩૫; ૦ શલ્ય-મિથ્યાદર્શનશલ્ય ૨૧૮, ૩૫૦; ૦ નું મૂળ ૨૭૬; ૦ સહિત પુણ્ય ૪૪૦. મિથ્યાત્વી ૧૨૩, ૧૪૮, ૩૫૦, ૩૫૪, ૪૧૩, ૪૧૬, ૪૨૩, ૪૨૭, ૪૪૮ મિથ્યાદૃષ્ટિ ૧૦૯, ૩૫૪, ૪૧૪, ૪૫૮ મીઠી વીરડીનું પાણી ૨૪૩, ૩૦૩, ૩૨૦, ૩૪૧, ૪૦૦ મીઠું ૧૭૧ મીડું મૂકવું ૧૬૦, ૨૩૫, ૩૪૭ મુખમુદ્રા જુઓ ‘ચિત્રપટ' મુખ્ય માર્ગ ૪૦૩ મુદ્રાછબી જુઓ ચિત્રપટ મુદ્રા જુઓ ચિત્રપટ મુનીમ ૪૪૮ મુમુક્ષુ - ૩૭૫, ૪૨૭, ૪૬૮, ૪૩૫, ૪૩૬; ૦ પ્રત્યે દાસભાવ ૨૬, ૯૬, ૧૮૦, ૩૩૫, ૪૦૫; ૦ તા ૧૧૭, ૪૧૦, ૪૨૮. મુસલમાન (૪૭), ૪૪૪ મૂંઝવણ ૭૩, ૯૨, ૧૪૯ મૂંઝવવું ૯૨, ૧૨૧, ૨૦૬ મૂંઝાવું ૭૩, ૯૫, ૧૦૬, ૧૨૧, ૧૨૨, ૧૨૩, ૧૨૮, ૨૨૬ મૂકવું ૧૪૫, ૧૬૮, ૧૭૧, ૧૭૪, ૧૮૪, ૧૯૮, ૨૦૫, ૨૦૬, ૨૧૧, ૨૧૯, ૨૨૩, ૨૨૯, ૨૩૭, ૨૪૧, ૨૪૩, ૨૪૪, ૨૪૫, ૨૮૭, ૩૬૯, ૩૭૦, ૩૯૫, ૩૯૬, ૪૪૧ મૂકાવું ૩૩, ૩૨૬, ૪૦૮, ૪૭૨, ૫OO મૂરખ ૨૦૩ મૂર્ખતા ૪૧૮ મૂળ પાયો ૧૬૭ મૂળ માર્ગ ૪૦૧ મૂળ વાત-વસ્તુ ૪૦૩ મે'માન ૯૨, ૧૦૨, ૧૩૧, ૧૬૪, ૧૭૬, ૧૮૧, ૧૮૫, ૨૨૯, ૨૩૬, ૨૪૭, ૨૪૯, ૨૫૧, ૩૬૨, ૩૬૪, ૩૯૪, ૩૯૮, ૪૫૨, ૪૭૦, ૪૭૫, ૪૯૯ મેલવું ૫, ૪૦, ૧૫૬, ૧૫૮, ૧૬૨, ૧૬૪, ૧૬૫, ૧૭૮, ૧૮૦, ૨૧૩, ૨૧૫, ૨૩૫, ૩૩૩, ૩૪૧, ૩૪૫, ૩૬૧, ૩૭૬, ૪૪૨, ૪પ૧, ૪૫૪ મૈત્રી આદિ ચાર ભાવના ૩૯, ૭૦, ૭૩, ૯૯, ૧૦૮, ૧૨૫, ૧૩૮, ૧૭૯, ૧૮૫, ૧૯૫, ૨૨૦, ૩૬૭, ૩૯૨, ૪૦૦, ૪૨૪, ૪૭૪ મૈત્રીભાવ ૯૬, ૧૦૪, ૧૦૫, ૧૦૬, ૧૦૭, ૧૧૬, ૪૨૪, ૪૮૧ મોક્ષ - ૨૨૬, ૩૦૮, ૩૫૨, ૩૨૩, ૩૫૯, ૩૬૦, ૩૬૧, ૩૭૪, ૪૦૮, ૪૧૧, ૪૨૧, ૪૩૧, ૪૪૦, ૪૪૧; ૦ સ્વરૂપ ૩૬૪, ૩૬૫; ૦ ની અભિલાષા ૪૩૪; ૦ નું કારણ ૩૨૩, ૩૩૩, ૩૫૧; ૦ નું બીજ ૩૫૨; ૦ નો માર્ગ ૧૧૭, ૨૯૫, ૩૧૧, ૩૩૯, ૩૭૯, ૪૨૦, ૪૪૧, ૪૫૬. મોટા મોટા શેઠ શાહુકાર ૪૧૪ મોટાઈ ૨૪૮, ૨૫૦, ૩૩૦, ૩૪૭, ૩૫૦, ૩૬૯, ૩૭૧, ૩૭૯, ૩૮૯, ૩૯૪, ૪૦૭, ૪૧૬, ૪૨૬, ૪૨૮, ૪૨૯, ૪૩૧, ૪૬૪ મોટાઈ ભાવ ૪૫, ૮૭, ૪૧૧ મોટામાં મોટી તરવાર ૪૪૯ મોટામાં મોટું વ્રત ૨૩૭ મોતીનો વરસાદ ૨૦૯ મોહ - ૫૮, ૭૩, ૮૯, ૯૩, ૧૧૦, ૧૧૪, ૧૧૬, ૧૧૯, ૧૨૦, ૧૨૧, ૧૨૭, ૧૩૦, ૧૩૯, ૧૪૫, ૧૪૭, ૧૫૧, ૧૬૫, ૧૬૬, ૧૬૯, ૧૭૦, ૩૨૯, ૩૭૪, ૪૦૮, ૪૨૬, ૪૪૧, ૪૬૦; ૦ નિદ્રા ૧૦૩, ૧૩૪, ૩૫૭, ૩૫૮, ૩૬૦, ૩૬૮, ૩૭૧, ૩૮૩, ૪૮૪; ૦ ની જાળ ૬૯, ૨૩૭; મોહનીય કર્મ ૫૪, ૬૯, ૭૨, ૭૩, ૭૪, ૯૩, ૧૨૯, ૧૩૮, ૧૪૮, ૨૨૨, ૨૨૭, ૨૬૫, ૨૬૯, ૨૭૦, ૨૭૬, ૩૨૯, ૩૪૮, ૩૭૯, ૪૦૮, ૪૬૭. મૃગજળ ૧૧૮, ૪૨૨ મૃત્યુ મહોત્સવ (૭૮) ૩૦, ૩૩, ૬૨, ૬૩, ૧૦૪, ૪૦૪, ૪૦૫, ૪૦૬ મૃત્યુ-૦વખતે કર્તવ્ય ૩૯૧-૨; ૦આવે ત્યારે શું કરવું? ૪૮૪; ૦ મહોત્સવ ૬૨-૩; ૦ ૮૧. યથાયોગ્ય દેખવું ૪૦૮ Page #640 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૫-સૂચિ ૨ ૫૪૧ રૂપી પદાર્થ ૪૨૯ રોગ ૩૬૪, ૩૬૫, ૩૬૬, ૩૭૨, ૩૭૪, ૩૭૫, ૩૮૧, ૩૩૫, ૩૫૬, ૩૯૩, ૪૦૭, ૪૧૦, ૪૨૨. રૌદ્ર ધ્યાન પર, ૫૩, ૭૫, ૮૦, ૧૪૬, ૨૨૪ યથાયોગ્ય સ્વરૂપમાં સ્થિરપણું ૪૦૮, યથાર્થ માન્યતા ૩૯૩ યથાર્થ જ્ઞાની ૪૨૮ યમનિયમ ૪૪૯ યમનિયમ (આઠ ત્રાટક છંદ) જુઓ પરિ. ૭ સૂચિ ૪. યાત્રા (૪૯), (૬૩), (૬૬), ૪૦ યુગલિયાનું સુખ ૩૫૭ યુરોપના લોકો ૪૧૪ યોગી (સદેહી) ૨૩૩ યોગ્યતા ૧૬, ૯૨, ૧૦૪, ૧૦૯, ૧૧૨, ૧૧૮, ૧૧૯, ૧૨૫, ૨૪૬, ૨૮૦, ૨૮૬, ૨૮૭, ૨૯૫, ૨૯૯, ૩૧૯, ૩૨૦, ૩૪૮, ૩૫૫, ૩૬૬, યોગ્યતાની ખામી - કચાશ ૧૦૪, ૧૬૦, ૧૬૧, ૧૬૪, ૧૭૧, ૨૦૧, ૨૦૨, ૨૦૫, ૨૧૦, ૨૪૦, ૨૫૪, ૩૨૦, ૩૨૮, ૩૪૦, ૩૭૦, ૩૭૫, રતિ-અરતિ ૪૦૭, ૪૨૧ રત્નના કરંડિયા સમાન ૪૯૨ રમણ કરવું ૪૪૧ રમણતા ૩૨૮, ૩૬૦, ૪૨૮ રસ પરિત્યાગ ૧૧૯ રસત્યાગ ૨૯૫ રહસ્ય ૨૨૨ રાખ ૧૩૯, ૧૬૮, ૩૭૧, ૩૯૬, ૪૭૬ રાખના પડિકાં (૭૮), ૨૮૭, ૨૮૮, ૨૯૨, ૩૧૪, ૩૭૪, ૪૦૪, ૪૮૩ રાગ - ૪૧૦, ૪૧૭, ૪૨૫; ૦ દ્વેષ અને મોહ ૩૬૫, ૪૨૫, ૪૩૦, ૪૩૪, ૪૩૬, ૪૩૭, ૪૪૨; ૦ દ્વેષરહિત પરિણતી ૩૫૫; ૦ દ્વેષ ૨૨૧, ૩૫૫, ૪૦૩, ૪૦૯, ૪૧૦, ૪૧૬, ૪૩૦, ૪૩૬, ૪૪૧. રાચવું ૪પ૪ રાજમાર્ગ ૩૪, ૯૫ રાજવૈદ ૧૧૮ રામનું બાણ ૧૬૯, ૧૮૦, ૧૮૫, ૨૨૩, ૨૩૮, ૩૪૩ રામાનંદી ૪૪૨ રુચવું ૪૪૯ રુચિ ૯૦, ૧૧૩, ૨૨૮, ૨૩૩, ૨૪૦, ૩૪૯, ૩૮૫, ૩૮૯, ૩૯૦, ૩૯૨, ૪૫૬, ૪૮૫ રૂઢિ માર્ગ ૩૯૯ લક્ષ ૪૪૬, ૪૪૯ લક્ષ વગરના બાણ જેવાં ૪૩૦ લક્ષની બહોળતા ૨૮૫ લઘુ - ૧૦૭, ૩૩૦, ૪૮૪; ૭ તા ૧૯૨, ૨૦૧, ૨૦૬, ૨૯૫, ૩૩૦, ૩૬૯, ૩૯૪, ૪૬૪; ૦ ૦ ૪૦૦; ૦પણું ૪૭૧; ૦ ર્ભાવ ૧૦૭. લફરાં ૪પ૯ લબ્ધિ - (૧૮), (૩૧), (૩૨), ૩૨૧, ૩૩૦, ૩૬ ૮, ૩૭૦; ૦ વાક્ય ૧૩૫, ૨૭૬, ૩૭૧; ૦ ધારી ૩૨ ૧; ૦ રૂપ ૪૬૩. લય ૪૪૨, ૪૪૪ લસણ ૩૩૦ લાકડી ૧૬૭ લાભ - ૯૨, ૯૩, ૧૦૩, ૧૦૭, ૧૦૯, ૧૧૮, ૧૨૬, ૧૨૮, ૧૨૯, ૧૬૨, ૧૬૪, ૧૮૮, ૨૪૭, ૨૪૮; ૦ ના ઢગલા ૩૯૪; ૦ નું કારણ ૪૩૪. લીલોતરી ૩૨૮, ૩૩૦ લૂંટારાઓ ૩૮૦, ૩૮૧ લેશ્યા ૨૧૬, ૨૯૪, ૩૩૬ લોક પચ્ચખાણ (૧૯) લોકદષ્ટિ ૩૬૪ લોભ ૩૦૧, ૩૩૨ લોભપ્રકૃતિ ૩૩૨ લોલીભૂત ૨૩૮, ૩૬૮ લૌકિક દૃષ્ટિ ૩૯૪ લૌકિક ભાવ ૩૪૯,૩૪૬, ૪૪૯ વંદના ૩૧૨ વચન ૪૦૯ વજની ભીંત ૩૬૧, ૪૩૫, ૪૫૭, ૪૮૪ વજલેપ ૪૮૩ વટામણનો પત્ર ૯૫ Page #641 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ વડના ટેટા ૩૩૦ વનો ૨૦૬ વર્તવું ૪૧૯ વળગણ ૨૫૪ વળગી પડવું ૨૭૩, ૨૯૬, ૧૩૩ વસુધૈવ કંદમ્બકમ (૬૭) વહાલપ ૪૦, ૯૫, ૩૪૫ વાંચન ૪૩ પરિશિષ્ટ ૫-સૂચિ ૨ વાંચવું વિચારવું ૧૫, ૧૯, ૨૦, ૪૦, ૪૫, ૫૪, ૬૮, ૭૧, ૧૦૩, ૧૦૪, ૧૦૬, ૨૨૦, ૪૦૭, ૪૪૫ વાંચ્યા ૪૯ વાંદરો ૩૩૩ વાંધા ૪૫૯ વાક્ચાતુર્ય ૩૫૦ વાક્ય લબ્ધિ ૩૫૪ વાટ બતાવનાર ૨૯૬ વાદળ ૪૫૭ વાસના (૫), ૧૭, ૪૪, ૪૫, ૮૦, ૮૩, ૧૨૮, ૧૪૧, ૧૭૩, ૧૭૫, ૧૭૬, ૨૧૭, ૨૫૭, ૩૩૮, ૩૪૮, ૩૫૧, ૩૭૪, ૩૯૮, ૩૯૯, ૪૦૮, વાસનાક્ષય ૨૫૭ વાસુદેવ ૩૪૫ વિકા ૨૬૯, ૩૬૭ વિકલ્પ ૪૩, ૭૦, ૭૯, ૮૦, ૮૨, ૧૦૬, ૧૩૭, ૧૭૩, ૨૦૬, ૨૫૯, ૩૫૯, ૩૬૧, ૪૦૧, ૪૫૨, ૫૦૦ વિકાર (૫), ૬૩, ૧૨૭, ૨૦૦, ૨૦૯, ૨૧૦, ૨૧૯, ૩૪૮, ૩૫૫, ૩૬૩, ૩૭૪, ૩૮૫, ૪૦૮, ૪૪૪, ૪૪૫, ૪૪૮, ૨૪૫૩, ૪૫૪, ૪૫૯, વિચક્ષણ ૩૭૯, ૩૮૬ વિચાર - ૬૩, ૧૪૪, ૧૫૮ ૧૭૬, ૧૭૭, ૨૨૧, ૩૧૩, ૩૩૩, ૩૪૮, ૩૫૭, ૩૭૫, ૩૭૯, ૩૮૭, ૪૦૭, ૪૧૧, ૪૩૭, ૪૩૮, ૪૪૧, ૪૪૩૬ ૦ ધ્યાન ૧૮૪; ૩ ણા ૨૪૫, ૪૦૭, ૪૩૭, ૪૪૫ ૦ મૂઢ ૪૩૭; ૦ વું ૩૦, ૩૩, ૪૨, ૧૧૧, ૧૧૪, ૧૧૫, ૧૨૨, ૧૨૩, ૨૦૪, ૨૨૦, ૨૨૪, ૪૪૪, વિચિકિત્સા ૨૮૮, ૨૦ વિજ્ઞાનપણું ૩૯૯ વિદ્વાન ૪૧૯ વિનય ૫૬, ૨૦, ૨૯૫, ૩૯૪, ૪૨૮, ૪૩૯ વિનયપર્વ ૧૦૭, ૨૦૬, ૨૯૫, ૩૯૪; ૦ ઉપર ગુરુશિષ્યનું દૃષ્ટાંત ૩૦૫ વિપરીત માન્યતા ૩૫૦, ૩૯૩ વિપરીત શ્રધ્ધા ૩૪૭ વિભાવ ૧૯, ૩૩, ૩૫, ૪૪, ૪૮, ૧૨, ૧૪૫, ૧૪૭, ૧૫૮, ૧૮૦, ૨૯૩, ૩૬૦, ૪૧૮ વિભૂત્તિ ૩૨ વિમો ૪૪૪, ૪૪૫ વિરક્તભાવ ૪૨૭ વિરક્ત ૪૨૮ વિરહ ૨૭ વિવેક ૪૨૪ વિવેક ૮૦, ૧૧૪, ૧૪૪, ૧૪૫, ૩૪૮, ૪૨૪, ૪૯૯ વિશ્વાસ ૯૦, ૧૬૬, ૧૭, ૧૯૬, ૨૩૧, ૩૦૧, ૩૫૮, ૩૫૯, ૩૮૮, ૪૪૮, ૪૪૯, ૪૫૬, ૪૬૧, ૪૮૯ વિશ્રવાસરૂપે સમક્તિ ૨૧૮ વિશ્વમભાવ ૩૮૮, ૪૩૪ વિષય - ૬૬, ૯૪, ૧૧૬, ૧૨૫, ૧૪૧, ૧૪૫, ૨૦૦, ૨૬૨, ૩૦૮, ૩૧૧, ૩૬૨, ૩૯૮, ૪૩૪, ૪૪૭, ૪૬૫, ૪૯૦; ૦ વ્યાપાર ૨૫૮; ૦ કષાય ૭૪, ૭૮, ૧૨૧, ૧૨૫, ૧૨૭, ૧૨૮, ૧૪૭, ૧૭૦, ૨૪૫, ૩૧૪, ૩૫૦, ૩.૨, ૩૦૩, ૩૦૦૦૯, ૪૯, ૪૧૧, ૪૧૭, ૪૨૨, ૪૩૦, ૪૪૨, ૪૪૮, ૪૪૯, ૪૫૦, ૪૬૪, ૪૭૩, ૪૮૫, ૪૯૦; ૦ભોગ ૬૯, ૯૪, ૨૪૩, ૨૯૭, ૪૪૫, ૦ વિકાર ૯૯, ૨૪૪, ૩૪૦, ૩૪૫, ૩૪૬, ૪૧૬. વિષ્ણુ ૧૬૬ વીતરાગ – ૩૬૫, ૩૯૮, ૪૮૫ ; ૦ પરિણતી ૩૫૪; ૦ ભગવાન ૪૬૧; ૦ માર્ગ ૧૦૫, ૧૮૭, ૨૧૮, ૨૧૯, ૨૩૨, ૨૪૧, ૩૧૫, ૪૦૧, ૪૦૨, ૪૩૩, ૪૩૪, ૪૮૩, ૪૮૮; ૦ વાળી ૩૦, ૩૦૭; ૦ ના ૩૪૮; ૦ ની આજ્ઞા ૩૨૨; ૦ પણ બોલાયલી વાણી ૩૦૫. વીર્ય અંતરાયનો ક્ષય ૨૪૧ વીલો મૂકવો ૨૬, ૪૪, ૪૬, ૪૮, ૫૪, ૫૬, ૬૯, ૮૦, ૮૩, ૧૦૩, ૧૪૫, ૨૮૧, ૪૦૭, ૪૦૯, ૪૧૧, ૪૧૫ વીશ દોહરા જુઓ પિર. ૭ સૂચિ ૪ વૃત્તિ - ૬૩, ૭૭, ૧૬૧, ૪૨૪; ૦ છેતરે છે ૨૪, ૨૫, ૩૦, ૪, ૬૧, ૭ ને બધેથી સંકેલવી ૪૨૫; ૦ નો સંયમ ૪૧૪. વૃંદના ૩૧૨ Page #642 -------------------------------------------------------------------------- ________________ વેદ ૩૭૭ વેદના ૪૩૨ વેદની ૫૩, ૫૪, ૧૫૭, ૨૮૪, ૪૨૯, ૪૬૮ વૈદનીય કર્મ-વૈદનીકર્મ જુઓ વેદની વેદાન્ત - (૯), ૬૪, ૨૨૯, ૩૦૮, ૩૨૦, ૩૨૭; ૦ ના ગ્રંથો (૮), (૩૯); ૦ માર્ગ (૨૭); ૦ શાસ્ત્રો (૪૦); ૦ તીઓ (૮). વૈરાગ્ય - ૧૭૬, ૨૦૦, ૨૦૯, ૨૪૭, ૩૨૯, ૩૩૩, ૩૪૬, ૩૪૮, ૩૫૫, ૩૬૩, ૩૭૪, ૩૭૫, ૩૮૫, ૪૩૨, ૪૪૮, ૪૫૦, ૪૫૧; ૦ ઉપશમ ૧૧૯, ૧૩૮: ૦ પરિશિષ્ટ ૫-સૂચિ ૨ ભાવ ૪૧૧. વેરી ૧૫૮, ૧૦૯, ૧૭૭, ૨૦૦, ૨૩૬, ૨૪૮, ૨૮૨, ૩૨૨, ૩૩૨, ૩૫૧, ૩૬૯, ૪૮૫ વૈષ્ણવ (૧), ૨૧૦, ૨૭૦, ૩૧૨, ૪૪૪ વૃત્તિ રોકવી ૫૪, ૮૬, ૯૧, ૯૩, ૧૧૪, ૧૪૩, ૧૫૦, ૧૫૨, ૩૨૯, ૩૫૧, ૩૫૮, ૩૯૯ વૃત્તિનો ક્ષય ૩૦૨, ૩૬૬ વ્યક્ત કે અવ્યક્ત ભાવના ૪૪૬ વ્યભિચાર ૩૪૦ વ્યવહાર (ધર્મ; અસાંસારિક) ૨૨૭, ૪૮૬, ૪૯૯ વ્યવહાર (નય) ૩૬૭, ૪૩૬ વ્યવહાર (લોક; સાંસારિક) ૧૫૯, ૨૦, ૨૨૨, ૨૨૩, ૪૦૧, ૪૧૬, ૪૧૭, ૪૨૨, ૪૨૪, ૪૨૫, ૪૨૮, ૪૩૨, ૪૪૨ વ્યવહાર નય ૪૬૦ વ્યવહાર સમકિત ૩૫૩ વ્યવહારધર્મ ૧૨૩ વ્યાખ્યાન ૪૬૧ વ્રત - ૩૯૧, ૩૯૭, ૪૧૭, ૪૩૦; ૦ પચ્ચખાણ ૨૧૭; ૦ નિયમ ૩૩૧; ૦ પચ્ચખાણ ૩૮૯; ૦ ભંગ થવું ૩૩૧ શ શંકા દ રાત્ર ૩૦, ૩૧, ૨૯૭, ૩૫૫, ૩૫૭, ૩૬૨, ૩:૫ ૩૯૦, ૪૪૯, ૪૬૪ શબ્દોના પુદ્દગલ ૩૩૦ શરણ ૩૨૧, ૩૯૨ ૫૨ણ ૩૪, ૩૯, ૮૯, ૯૬, ૧૦૯, ૧૬૪, ૧૩૫, ૧૯૭, ૨૨૦, ૩૮૬ શરણાનું બળ ૪, ૮, ૩૨૧ શરીનો સ્વભાવ ૩૩૫ શાંતમન ૪૨૮ શાંતિ ૪૩, ૭૭, ૧૪૫, ૧૬૪, ૨૯૬, ૩૪૩, ૩૪૮, ૩૭૯, ૪૧૫ ૪૯૮ શાળાનું ભળતર ૪૧૦ શાશ્વતપદ ૧૩૪ શાવતાં સુખ ૩૨૯, ૩૬૫ શાવતો ૩૬૪ શિવ ૨૦૧૬, ૪૪૦ શીલ ૧૦૬, ૩૫૨, ૩૫૫, ૪૧૦, ૪૧૭ શીલ-જુઓ બ્રહ્મચર્ય શીલન ૩૫૨, ૩૬૮, ૩૯૧ શુક્રનો તારો ૩૧૧ ખાન ૨૨૮, ૩૦૯ ૫૪૩ શુદ્ધ - આત્મસ્વરૂપ ૩૬૦; ૭ આત્મા ૩૬૭, ૩૭૬, ૩૭૭, ૩૯૨; ૦ ઉપયોગ ૩૫૮, ૩૬૦; ૦ પરિવતી ૩૫૪; ૦ પરિણામ ૨૮૨, ૦ ભાવ ૧૭, ૧૯૩, ૨૧૯, ૩૬૦, ૪૦૮, ૪૧૭, ૪૨૧, ૪૫૭, ૪૭૭; ૦સ્વરૂપ ૨૫૬. શુભ - ઉપયોગ ૩૫૮; ૦ પરિણતી ૩૫૪; ૦ ગતિ ૩૪૧, ૩૫૧; ૦ પ્રવૃત્તિ ૪૨૮; ૦ બંધનું કારણ ૩૩૬; ૦ ભાવ ૩૫૧, ૩૬૦, ૧૬૭, ૪૧૭, ૪૨૧, ૪૫૭. શુભાશુભ ભાવે ૨૧૯, ૪૧૭, ૪૫૭ શુખન્નાની ૪૨૮ શેઠ ૪૪૮ શ્ર શ્રધ્ધા - ૨૯, ૪૭, ૫૪, ૮૪, ૮૫, ૮૬, ૯૦, ૧૦૪, ૧૦૫, ૧૦૬, ૧૦૯, ૧૧૧, ૧૨૪, ૧૩૧, ૧૮, ૨૦૦, ૨૨૬, ૨૫૯, ૨૬૬, ૨૮૬, ૨૮૭, ૩૦૪, ૩૩૮, ૩૪૭, ૩૪૯, ૩૫૦, ૩૫૧, ૩૫૮, ૩૫૯, ૩૭૩, ૩૭૪, ૩૯૦, ૩૯૨, ૩૯૭, ૪૦૦, ૪૦૪, ૪૨૫, ૪૪૭, ૪૫૫; ના પ્રકાર ૩૪૭; થી ઉદ્ધાર ૪૯૨; ૦ વાળો ૩૯૭. શ્રવણ ૪૪, ૧૧૫, ૧૧૮, ૧૪૭, ૧૭૧, ૧૭૨, ૧૮૦, ૧૯૨, ૧૯૭, ૨૫૧, ૨૫૪, ૩૭૮, ૩૪૬, ૩૬૬, ૩૭૭, ૩૯૦, ૩૯૭, ૩૯૯, ૪૦૦, ૪૦૬, ૪૪૯, ૪૯૨ શ્રાવક ૩૩૦, ૩૩૧, ૩૩૫ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ-૦નું માહાત્મ્ય ૧૯, ૨૩૬; ૦કેમ વાંચવો? ૫૧; ૦પ્રસ્તાવના સંબંધી ૩૨૨ Page #643 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ પરિશિષ્ટ પ–સૂચિ ૨ શ્રીમદ્ લઘુરાજ સ્વામી-૦ ઉદાસીન દશા ૨૭, ૫૫, ૧૦૯; ૦ યાત્રાવૃત્તિ સંકોચ ૪૦; ૦ કૃપાળુ દેવનો સમાગમ ૧૯૬, ૩૨૭; ૦ રાજપર દેરાસરનો પ્રસંગ ૨૦૬; ૦ મંત્રનો જાપ-કેમ કંઈ દેખાતું નથી? ૨૫૯; ૦ “મેં બધું ત્યાગ્યું છે' ૨૬૧; ૦ બાળકૃષ્ણ મુનિ-‘તને જ્ઞાન થશે, ૨૬૨; ૦ બોકડાને બચાવ્યાનો પ્રસંગ ૨૬૩; “પ્રભુ પ્રભુ બોલવાની ટેવ ૨૦૧; ૦ મરણ પ્રસંગે મંત્રથી ઓરડો ભરવો ૩૩૦; ૦ મૃત્યુ મહોત્સવ ૪૦૪; ૦ બ્રહ્મચારીજીને ધર્મની સોંપણી ૪૦૫; ૦ છાશબાકળા જેવી વાત...૪૬૮. શ્રુત અજ્ઞાન ૩૭૩ શ્રુતકેવળી ૩૧૯ શ્રુતજ્ઞાન ૩૨૫ શ્રેણી ૪૧૧ શ્રેષ્ઠવસ્તુ ૪૦૦ શ્વેતાંબર – (૧૬), (૨૬), (૨૭), (૨૮), (૩૨), (૩૯), (૫૯), ૧૯૬, ૨૪૮; ૦ આચાર્યો (૨૩); ૦ પ્રતિમાઓ (૬૯); ૦ માર્ગ (૨૮); ૦ શ્રાવકો (૩૮). સ સંકલેશ પરિણામ ૩૨૩, ૩૨૪ સંકલ્પ ૯૫, ૩૨૪ સંકલ્પ વિકલ્પ - ૧૨૮, ૧૩૧, ૨૧૯, ૩૩૯, ૩૪૩, ૩૫૬, ૩૫૭, ૩૭૫, ૪૦૮, ૪O૯, ૫૦૦; ૦ કેમ મટે? ૧૩૧, ૩૪૦, ૩૪૩. સંકેલવું ૪૨૩ સંક્રમણ ૩૬૦, ૪૫૬ સંક્રમવું ૧૯૨, ૩૯૯ સંઘ (૬૪), ૨૭૨, ૪૪૯, ૪૮૮ સંઘવી (૫), ૨૦૧ સંચિત ૨૩૭ સંજમ ૩૯૬, ૪૦૯, ૪૨૧ સંત - (૬૪), (૬૫), (૬૬), (૭૦), ૫, ૪૪, ૫૨, ૫૮, ૧૯, ૮૪, ૮૬, ૯૦, ૯૩, ૧૧૮, ૧૧૯, ૧૨૨, ૧૨૪, ૧૨૫, ૧૨૯, ૧૩૩, ૧૩૬, ૧૩૭, ૨૨૯, ૨૬૪, ૩૬૯, ૪૪૬; ૦ સમાગમ પર ૮૪, ૧૧૯, ૧૨૧, ૧૨૨,. ૧૨૪, ૨૯૨, ૪૪૬; ૦ ના કહેવાથી (૬૪), (૬૫), ૪૪, ૧૩૭, ૨૨૯, ૨૭૨, ૨૭૩; ૦ ના યોગે ૩૦૮, ૩૩૨; ૦ નું બતાવેલું સાધન ૩૪૯. સંતોષ ૭૪, ૭૬, ૯૭, ૧૦૪, ૧૦૫, ૧૨૩, ૩૬૪ સંથારો (૩૨), (૩૩), (૩૪), (૭૧), ૩૨૮ સંપ ૯૫, ૯૭ ૯૯, ૧૦૮, ૧૪૧ સંબંધ ૩૭૬, ૩૭૭, ૪૦૧, ૪૦૬, ૪૪૮, ૪૫૦ સંયમ ૧૬૯, ૪૫૫ સંલેખના ૪૮૫ સંવર ૧૦૯, ૧૩૨, ૧૬૯, ૨૦૨, ૨૦૮, ૨૪૧, ૨૫૩, ૨૫૭, ૩૧૩, ૩૫૭, ૩૬૬, ૩૭૫, ૩૮૫, ૩૮૮, ૩૯૪, ૪૫૪, ૪૬૩, ૪૬૮, ૪૭૧, ૪૯૨ સંસાર - ૬૯, ૧૨૧, ૧૩૦, ૧૩૫, ૧૩૬, ૨૬૬, ૪૯૨; ૦ પરિભ્રમણ ૩૨૪, ૩૨૬; ૦ ભાવના ૩૨૫; સમુદ્રનો કાંઠો ૩૬૮; ૦ કૂપ ૩૭૩; ૦ થી છૂટવાની ભાવના ૧૨ ૧, ૪૪૨; ૦ ની શ્રદ્ધા ૩૪૭; ૦ નુપ્રેક્ષા ૩૯; ૦ વૃદ્ધિના કારણે ૩૫૦; ૦ સમુદ્ર ૪૧૭; ૦ સુખ ૩૬૫, ૪૧૪, ૪૬૮, ૪૪૧, ૪૭૨; ૦ ની જાળ ૧૫૮, ૨૯૬, ૩૦૧, ૩૧૧, ૩૧૪, ૩૧૭, ૩૪૯. સંસારી પ્રીતિ ૧૮૦ સંસ્કાર (૬), ૨૩, ૨૪, ૨૭, ૧૨, ૮૯, ૧૧૮, ૧૨ ૧, ૧૮૯, ૨૮૧, ૨૯૬, ૩૨૩ સગાઈ (૬૪), ૧૪૮, ૧૬૭, ૧૭૪, ૧૭૯, ૨૭૦, ૩૫૯, ૩૬૨, ૩૮૬, ૩૯૧, ૩૯૫, ૪૫૧, ૫૦૦ સજઝાય સ્વાધ્યાય ૪૪ સજઝાય-જુઓ સ્વાધ્યાય સત્ પગલાં ૮૩ સતીસ્ત્રી ૪૦૯, ૪૧૩ સની પ્રાપ્તિ ૪૪૨ સત્ ૨૯૨, ૪૧૦ સત્ અને શીલ ૮૦, ૧૭૪, ૩૪૫, ૩૫૦, ૩૫૪, ૩૫૫, ૩૯૦, ૩૯૧, ૩૯૭, ૪૫૦, ૪પ૯, ૪૭૩ સત્-ચિ-આનંદ ૨૮, ૩૧૧, ૩૨૦ સદેવ, સદ્ગુરુ અને સધર્મ ૪૩, ૧૭૫, ૨૬૭, ૨૬૯, ૨૮૯, ૩૨૫, ૪૩૪ સત્પર્વ ૨૯ સપુરુષ-ના ઘરના વચનો ૩૦૪; ૦ ની કરુણા ૨૯૭; ૦ ની કૃપા ૪૫૯; ૦ ની પ્રતીતિ, શ્રધ્ધા, વિશ્વાસની ખામી ૩૬૮; ૦ નો બોધ ૨૬૩, ૨૬૬, ૪૧૯. સપુરુષાર્થ ૧૬૮, ૨૪૭, ૩૭૪, ૪૫૩, ૪૭૧, ૪૯૮ સત્ય ૨૯૨, ૩૫૨, ૩પ૯, ૪૦૩, ૪૦૭, ૪૦૯, ૪૧૭, ૪૨૦, ૪૨૫, ૪૩૭ સત્યસુખ ૪૩૩ સત્યાગ્રહ ૪૯૦ Page #644 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૫-સૂચિ ૨ ૫૪૫ સત્ક્રાંતિ ૩૪૫ સશ્રધ્ધા ૧૭૩, ૧૭૪, ૩૪૭, ૪૪૨, ૪પ૩, ૪પ૭ સત્સંગ -૨૧, ૫૯, ૭૭, ૯૦, ૯૩, ૧૦૫, ૧૦૬, ૧૨૮, ૧૪૦, ૧૫૮, ૧૯૯, ૨૨૦, ૨૨૯, ૨૫૧, ૩૪૬, ૩૪૮, ૩૫૬, ૩૫૭, ૩૭૪, ૩૯૦, ૩૯૮, ૩૯૯, ૪૦૦, ૪૦૩, ૪૨૮, ૪૭૧, ૪૩૩, ૪૩૪, ૪૪૨, ૪૪૫, ૪૫૦, ૪૫૩, ૪૯૬; ૦ અને બોધ ૧૫૧, ૧૭૬, ૨૩૨, ૩૭૫, ૩૭૭, ૩૮૦, ૩૯૩, ૪૦૧, ૪૦૨, ૪પ૬, ૪૮૨, ૪૯૩; ૦ ની ગરજ સારવી ૧૨૮; ૦ નો દુકાળ ૨૪૫. સત્સમાગમ ૯૦, ૯૩, ૧૨૩, ૧૪૭, ૧૯૪, ૨૦૦, ૨૫૨, ૩૫૬, ૪૦૦, ૪૫૦, ૪૭૪, ૪૯૪ સદ્ગુરુ ૧૧, ૨૬, ૨૭, ૨૧, ૬૩, ૭૭, ૮૫, ૯૦, ૯૩, ૧૧૮, ૧૬૮, ૧૮૨, ૨પ૭, ૨૬૧, ૨૬૪, ૨૬૭, ૨૬૯, ૨૯૬, ૩૨૫, ૩૨૩, ૩૯૧; ૦ સાક્ષીએ ૪૪૫; ૦ ના સ્મરણથી શાંત દશા ૪૨; ૭નું માહાભ્ય ૨૬૧; ૦ ઉપર શ્રદ્ધા ક્યારે કહેવાય? ૨૬૫-૬; ૦ કેમ ઓળખાય? ૨૬૭-૮; ૦ નું સ્વરૂપ ૪૪; ૦ નો બોધ ૧૪૩; ૦ નું શરણ ૩૯૧, ૩૯૨; ૦ સ્મરણ ૪૧૨. સદૈવ ૨૬૭, ૨૬૯, ૩૨૫ સદ્ધર્મ ૨૬૯, ૩૦૮, ૩૦૭, ૩૨૫ સદ્દબુદ્ધિ ૨૯૮, ૨૯૭ સદાચરણ ૩૪૮, ૩૬૬ સદાચાર ૯૪, ૯૭, ૧૦૩, ૧૦૭, ૧૨૫, ૩૪૮, ૩૫૦, ૪૨૫, ૪૬૭, ૪૨૮ સદાવ્રત ૪૬૨ સબોધ ૧૩૪, ૧૪૩, ૧૪૮, ૧૪૯, ૧૫૦, ૧૫૧, ૧૭૩, ૨૦૦, ૩૨૩, ૩૬૯, ૩૭૫, ૪૭૩ સવિચાર ૪૪, ૫૦, ૬૩, ૧૦૬, ૧૧૯, ૧૫૮ સવિચાર ધાર ૭૯, ૮૨, ૧૧૪, ૧૪૫ સવિવેક ૬૪, ૧૦૨, ૧૨૩ સવ્યવહાર ૩૦૪ સનાતન જૈન (૬૩), ૨૭૩, ૩૦૮, ૪૮૮ સનાતન જૈન શાસન ૮૫ સનાતન ધર્મ ૨૭૭ સનાતન સધર્મ (૬૯) સન્મુખ થવું ૪૪૧ સન્યાસી (૬૪), ૨૭૦, ૪૬૧ સમ-૩૩૯ સમકિત-૦ ની શુદ્ધિ ૨૮૯, ૨૯૦; ૦ નું લક્ષણ ૪૪૭; ૦ ૪૪, ૫૬, ૫૭, ૬૦, ૭૮, ૯૦, ૧૦૩, ૧૦૬, ૧૦૯, ૧૧૩, ૧૨૧, ૧૨૩, ૧૨૫, ૧૨૭, ૧૩૩, ૧૩૮, ૧૬૦, ૧૮૧, ૧૯૮, ૨૨૦, ૨૫૦, ૨૫૬, ૨૭૫, ૨૮૮, ૨૮૯, ૨૯૩, ૩૧૨, ૩૨૪, ૩૨૫, ૩૩૬, ૩૩૭, ૩૩૯, ૩૫૧, ૩૫૨, ૩૨૩, ૩૨૫, ૩૬૮, ૩૭૧, ૩૮૧, ૩૮૨, ૪૦૮, ૪૧૧, ૪૧૪, ૪૧૬, ૪૨૭, ૪૩૮, ૪૪૮, ૪૫૪, ૪૯૯; ૦ પામવાના સાધન-કારણ ૨૬૩, ૨૬૪, ૨૭૬, ૨૯૫, ૩૩૪, ૩૫૫, ૩૬૯, ૩૭૦, ૩૯૧; ૦ ના આઠ અંગ ૪૮૫. સમક્તિી - ૮૬, ૧૦૪, ૧૦૮, ૧૨૫, ૧૮૫, ૨૦૬, ૨૫૬, ૩૫૦, ૩૨૩, ૩૫૫, ૪૧૩, ૪૧૬, ૪૨૩, ૪૨૭, ૪૩૨, ૪૩૪, ૪૩૭; ૦ ની નજર ૪૧૬; ૦ ની પુણ્યક્રિયા ૩૩૬; ૦ ની સમજણ ૪૧૬; ૦ નું માહાભ્ય ૩૨૨, ૩૨૪; ૦ નું લક્ષણ ૨૯૩, ૪૪૧, ૪૪૭. સમજ ૪૧, ૫૧, ૧૧૭, ૧૨૬, ૧૫૧, ૧૬૮, ૧૭૧, ૧૭૨, ૧૯૫, ૧૯૬, ૨૦૯, ૨૨૬, ૩૬૫, ૩૭૮, ૩૭૯, ૩૮૫, ૪૫૪, ૪૬૦, ૪૬૧ સમજણ ૩૬૧, ૩૭૪, ૩૭૭, ૩૯૩, ૩૯૫, ૪૦૧, ૪૦૨, ૪૪૧, ૪૪૯, ૪૫૦, ૪૬૩ સમજની ભૂલ ૧૨૫, ૧૫૮ સમજાવું ૧૪૮, ૨૦૮, ૨૨૬, ૪૪૨ સમતા ૫૩, ૭૭, ૩૩૯, ૩૮૮, ૪૧૮, ૪૨૧, ૪૩૬ સમતાભાવ-૩૩૯ સમતોલ રહેવું ૪૨૧ સમદષ્ટિ ૩૭૮, ૩૮૫, ૩૯૨, ૪૦૬, ૪૨૧ સમભાવ - ૦૪, ૩૪, ૪૬, ૫૧, ૨૩, ૬૫, ૯૦, ૯૧, ૯૫, ૧૦૫, ૧૪૧, ૧૪૨, ૧૬૭, ૧૮૩, ૧૯૨, ૩૨૦, ૩૨૨, ૩૩૭, ૩૭૪, ૩૮૬, ૩૮૭, ૩૮૮, ૪૧૬, ૪૩૬, ૪૪૫, ૪૪૭, ૪૮૫; ૦નું શરણ લેવાથી દેવ ૩૮૬; ૦કેમ આવે? ૪૨૯; ૦ નું શરણ ૩૮૬, સમય તે આત્મા છે ૪૬૩ સમાધિ ૩૪,૪૩૨, ૪૬૯ : સમાધિમાર્ગ ૨૬૪ સમાનદૃષ્ટિ ૪૩૦ સમિતિ ૨૮૧, ૨૮૨ સમ્યકદૃષ્ટિ જુઓ સમક્તિ સમ્યક્ શ્રધ્ધા ૨૯૮, ૩૪૭ સમ્યકત્વ - ૪૪, ૫૭, ૧૦૯, ૨૧૮; ૦પામવાના સાધન ૨૬૪; નું માહાભ્ય ૩૨૨-૩, ૩૫૦; કેમ સુલભ? Page #645 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ ૩૭૧; પામેલાની દશા ૪૧૬; ૦ જુઓ સમક્તિ; ૦ પહેલાં ૩૩૭; ૦ ની ભાવના ૧૩૩, ૧૩૮. સમ્યક્દષ્ટિવાન જુઓ સમક્તિી સમ્યજ્ઞાન ૪૩૯ સમ્યગ્દર્શન જુઓ સમક્તિ સરળતા ૨૬૯ સર્વ દોષના બીજભૂત મૂળ દોષ ૧૧૭ સર્વ ભૂલની બીજભૂત ભૂલ ૩૩૭ સર્વશાસ્ત્રનો સા૨ ૨૯૫ સર્વાર્થસિદ્ધિનાં સુખ ૩૬૫ સાજસુખ ઉપ સહજસ્વરૂપ ૩૭૩ પરિશિષ્ટ ૫-સૂચિ ૨ સહાત્મસ્વરૂપ ૪૪૩ સહજામસ્વરૂપ પરમગુરુ જુઓ પરિ ૭ સૂચિ ૪ સહજાત્મસ્વરૂપની ભાવના ૧૦૬ સહનશીલતા ૬૯, ૭૨, ૩૫, ૭૭, ૭૯, ૮૧, ૮૩, ૮૪, ૮૬, ૮૯, ૯૧, ૯૫, ૧૨૨, ૧૪૦, ૧૪૨, ૩૬૪, ૪૨૧ સાંભળવું ૧૧૨, ૧૫૫, ૧૫૯, ૧૬૩, ૧૬૪, ૧૬૭, ૧૭૧, ૧૮૦, ૧૯૧, ૧૯૨, ૧૯૬, ૨૪૮, ૩૮૦, ૩૮૬, ૩૮૯, ૪૯૫ સાક્ષાત્કાર ૪૧૭ સાક્ષી (જુઓ દૃષ્ટા; શાના દેરા, જોનાર-જાણનાર) ૭, ૩૩, ૭૪, ૧૪૬, ૩૬૪, ૪૧૫, ૪૯૬ સાક્ષીભાવ ૧૪૨ સાક્ષીયુક્ત ૪૯૦ સાગરવરગંભીરા ૪૬૦ સાચા ગુરુ ૧૬૬, ૧૮૨, ૩૦૮ સાચી શ્રદ્ધા ૩૨૪, ૩૨૫ સાચાની શ્રહો ૩૫૩ સાત અભક્ષ્યનો ત્યાગ જુઓ પરિ ૭ સૂચિ ૪ સાત વ્યસનનો ત્યાગ જુઓ પિ૨ ૭ સૂચિ ૪ સાધક (૬૫) ૩૦૧, ૨૭૩, ૨૬૯ સાધન ૩૦૪, ૩૬૦, ૪૦૦, ૪૩૦, ૪૪૩ સાધના ૪૪૦ સાધારણ આશ્રમ ખાતું ૩૦૧ સાધુ - ૩૫૦; ૦ નો વેશ ૪૨૧; ૦ પણું ૨૪૧, ૦ સમાધિ ખાતું ૩૦૧, સનાતન જૈન માર્ગ ૬૪ સાપનું ઝેર ૪∞ સામાન્ય ગુજના સામાન્યપણું ૪૫૦ સામાયિક ૨૦૧, ૨૦૨, ૩૧૨, ૩૩૭, ૩૩૯, ૩૬૦, છે બોલ ૧૫૦, ૩૩૩ ૩૬૧, ૩૮૧, ૪૬૭, ૪૮૫ સામાયિક પાઠ ૬, ૧૦૩ સારાખોટા ભાવ ૪૩૧ સાાનિમિત્ત ૩૯૨ સાવધાન ૪૧૨ સાર ૩૮, ૬૮, ૧૧૯, ૧૩૫, ૧૬૯, ૧૭૩, ૧૭૬, ૨૩૯, ૨૫૧, ૨૫૩, ૨૫૭, ૨૫૮, ૨૬૦,૨૯૪, ૨૯૫, ૩૧૧, ૩૩૯, ૩૪૦, ૩૮૮, ૪૦૯, ૪૮૨, ૪૯૨, ૫૦૦ સિંહણનું દૂધ ૨૯૮, ૩૬૬, ૩૭૭ સિદ્ધના આઠગુણ ૨૨૭ સિદ્ધસ્વરૂપ આત્મા ૪૧૪, ૪૩૦ સિદ્ધિ ૩૯૯, ૪૪૦ સિનેમા ૨૫૦ સુખ ૩૬૪, ૪૧૧, ૪૬૮, ૪૭૨ સુખ સામગ્રી ૪૪૧ સુખ-દુ:ખ ૪૨૧, ૪૪૧ સુજ્ઞેયુ કિં બહુના ૮૨ સુપખાણ ૪૯૬ સુપ્રત્યાખ્યાન ૩૪૫ સૂક્ષ્મ માન ૭૫, ૧૪૮ સૂત્ર ૩૨૩ ત્રાભિનિવેશ ૩૨૪ સૂરજ ૪૫૭ સેવાપૂજા ૪૮૮ સોય ૩૪૬, ૩૬૦ સૌથી મોટી વાત ૪૦૨ સ્ત્રી ૨૪૩, ૨૬૯, ૩૪૮ સાંભ ૪૦૫ સ્થાનકવાસી - ૦ (૨૪), (૩૦), (૩૨), (૩૬), (૩૭), (૩૮), (૩૯); ૦ જૈન (૧); ૦ પંથ (૧૧); 0 મુનિઓ (૧૬); ૦ વેષ (૩૯), (૪૧), ૨૨૬; ૦ સંઘ (૫), (૩૬); ૦ સંપ્રદાય (૪); ૦ સંપ્રદાયના સાધુ (૧), (૩૫). સ્નાન તકે ૧૮૦, ૩૯૨, ૪૪૯, ૪૫, ૪૬૭, ૫૦૦ સ્નેહ ૪૦, ૯૧, ૩૪૪, ૩૮૬ સ્નેહપાશે ૪૦ સ્મરણમંત્ર જુઓ પરિ-૮, સૂચિ-૬ Page #646 -------------------------------------------------------------------------- ________________ સ્યાદવાદ - ૭ ૧૫૭, ૨૮૪, ૨૮૭, ૨૯૧, ૩૦૬, ૩૩૩, ૪૪૮; ૦ માર્ચ ૨૫૫, ૨૭૪; ૦ વાળી ૨૫૭. સ્વચ્છંદ ૫૫, ૬૦, ૯૦, ૯૩, ૧૦૬, ૧૧૫, ૧૧૭, ૧૨૬, ૧૨૭, ૧૩૩, ૧૩૭, ૨૬૯, ૪૧૭, ૪૧૯, ૪૪૮, ૪૮૮ સ્વદયા ૭૨ સ્વપ્નું ૧૧૦, ૩૦૮, ૩૪૮, ૩૭૯, ૩૮૦, ૪૧૩, ૪૧૯, ૪૫૨ સ્વભાવ ૮૬, ૧૪૭, ૧૫૮, ૧૮૦, ૧૯૨, ૨૧૯, ૨૭૯, ૩૬૦, ૩૭૬, ૩૮૫, ૪૦૮, ૪૨૬, ૪૪૧ સ્વયંસેવક ૪૦ સ્વરૂપ ૩૭૭, ૩૩૮ સ્વરૂપભક્તિ ૩૬૯ સ્વસ્ત્રી ૪૨૦ પરિશિષ્ટ ૫-સૂચિ ૨ સ્વાદ ૧૧૯, ૩૩૧, ૪૧૫ સ્વાધીન સુખ ૪૩૩ સ્વાધ્યાય (સજઝાય) (૧૧), (૧૨), (૨૦), ૧૦૬, ૧૪૦, ૨૧૮, ૨૨૦, ૨૯૬, ૨૯૭, ૨૯૮, ૩૦૦, ૩૦૩, ૩૦૪, ૩૩૦, ૩૫૪, ૩૦૦, ૩ સ્વાધ્યાયના પાંચ ભેદ ૨૦, ૨૭ સ્વામી-વત્સલતા ૨૯ સ્વામીનારાયજ્ઞ (૨) સ્વામીનારાયણ સંપ્રદાય (૨) સ્થિતિકરણ ૨૬૯, ૨૦ સ્થિરતા ૨૬૯, ૪૧૨, ૪૨૬ સ્થિરરૂપ ૪૩૦ હથીયાર ૧૦૭, ૧૦૮, ૧૩૩, ૧૬૭, ૨૧૦, ૩૪૦, ૩૭૧, ૪૦૫, ૪૫૪ હર્ષશોક ૪૧૬ હાજરા હજુ૨ ૧૨૭, ૧૮૫, ૩૪૦ હાથીનું પગલું ૧૩૭, ૨૪૧ હાલતાં ચાલતાં મડદાં ૧૨૦ હિંસા ૨૬૬, ૨૯૩ હિન્દુ ૪૨૦ હિમ્મત ૬૯, ૨૪૨ હીરાની ખાણ ૪૧૦ ૫૪૭ ‘હું સમજું છું’-‘હું જાણું છું’-‘મને ખબર છે’-‘મેં સાંભળ્યું છે' ૪૨, ૭૦, ૭૫, ૯૪, ૧૦૭, ૧૪૮, ૧૬૦, ૨૦૮, ૨૧૭, ૨૪૮, ૨૪૭, ૪૪૮, ૪૫૨ ‘હું' અને મારાપણાની શ્રધ્ધા ૩૪૭ ‘હું’ અને મારું ૯૩, ૧૦૯, ૨૦૬, ૨૧૪, ૨૨૯, ૩૦૬, ૩૩૩, ૩૪૩, ૩૪૭, ૩૫૫, ૩૬૬, ૩૬૮, ૪૭૪ બ્રેડ ૭૪, ૯૮૯, ૩૫૭ હૈયાનો હાર ૪૩૩ હોળી કરવી ૪૫૨ Page #647 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ પરિશિષ્ટ ૫ સૂચિ ૩ વિશેષનામ (અંક પૃષ્ટના છે. કૌસમાના અંક જીવનચરિત્ર પૃષ્ટના છે.) અખેચંદ (૩૮). કૌરવ ૧૩૧ અનાથી મુનિ ૧૯૨, ૩૪૧, ૪૫૧, ૪૬૧. ગંગાજી ૨૯૩, ૨૯૬, ૪૫૯. અપુણ્યક ૨૯૭ ગજસુકુમાર (૭૧) ૧૪૨, ૧૭૦, ૩૩૩, ૪૩૫, ૪૪૭, અભિમન્યુ ૨૨૬, ૨૩૧, ૪૫૩. ૪૫૮. અવંતિસુકુમાલ ૧૪૨. ગાંધીજી (૫૪), ૩૫૩. અવિચળભાઈ દેસાઈ (૨૧). ગીરધરભાઈ ૨૨૮. અષ્ટાવક ૨૬૬. ગુગ્ગડયો વચ્ચેવ ૩૧૨, ૩૨૫. અંજન ચોર ૪૯૨. ગુણભદ્રાચાર્ય (૧૭). અંબાલાલભાઈ (૫), (૬), (૭), (૯), (૧૦), (૧૧), ગોદડ પારેખ ૩૨૩. (૧૨), (૧૩), (૧૭), (૧૯) (૨૦), (૨૧) (૨૫), ગોરખ ૮૧. (૩૧) (૩૨), (૩૭), (૩૮), (૪૮), ૧૬૧, ૧૭૮, ગોરજીભાઈ લધાભાઈ ૨૮. ૧૯૫, ૧૯૬, ૨૨૬, ૨૬૧ ૨૬૮, ૨૭૮, ૨૮૪, ગોવર્ધનદાસ કાળિદાસ પટેલ (શ્રી બ્રહ્મચારીજી) (૫૧) ૨૮૫, ૨૯૪, ૩૧૮, ૩૧૯, ૪૫૨. ગોશાળો ૨૫૯, ૨૯૫. અહમિન્દ્ર ૩૫૭. ગૌતમ સ્વામી (ગૌતમ ગણધર) (૩૦), ૧૯, ૧૫૭, આગાખાન (૨૪). ૧૭૩, ૧૮૮, ૨૩૦, ૨૯૧, ૩૦૭, ૩૧૪, ૩૩૯, આનંદઘનજી (૨૩), (૧૯), ૬, ૨૪૫, ૩૨૧, ૩૨૨, ૪૩૫, ૪૩૬, ૪૮૯. ૪૫૫. ચતુરલાલજી મુનિ (૧૨), (૩૦), (૩૫), (૪), (૪૮), ઉગરીબા ૧૯૭. (૫૧), ૩૨૭. ઉધ્ધવજી (૪૨). ચમરેન્દ્ર ૩૨૧. ભુરાજા ૧૩૬. ચંદના ૩૩૫. ઋષભદેવ ભગવાન ૧૨૩, ૨૧૯, ૨૪૯, ૨૬૩, ૩૧૦, ચિદાનંદજી મહારાજ (૪૮), (૭૯), ૨૦૬. ૩૨૨, ૪૫૮. ચુનીભાઈ (૭૭), (૭૮), ૧૯૦. કયવન્નાજી ૧૯. ચેલણા રાણી ૩૪૭. કલ્યાણજી કુંવરજી (૫૪), (૫૬), (૬૦), ૨૦. છગનજી મુનિ (૨૦), (૨૧). કસલીબા (કુશલાબાઈ) (૨), (૪). છગનલાલ બેચરદાસ (૫) ‘કાકા’ ૨૧૨. છોટાભાઈ (૬૦). કાભઈ મુનદાસ (૫૪). છોટાલાલ કપુરચંદ ૨૨૬, ૨૮૫, ૨૯૪. કાળિદાસકાકા (૪૬). છોટાલાલ મુલકચંદ શાહ ૧૧૩. કુંભકરણ ૨૦૦. જડભરત (૫૯), (૬૨), (૬૪), ૨૭૨, ૨૭૫. કુંભનાથ મહાદેવ (૪૯) જનકરાજા (જનક વિદેહી) ૨૩૧, ૨૬૬, ૩૧૬, ૪૪૯, કુમાર બ્રહ્મચારી (૨૪) ૪૫૧, ૪૬૧, કૃષ્ણ જુઓ શ્રી કૃષ્ણ જમનામૈયા ૩૨૯. કૃષ્ણદાસ ગોપાલજી (૨). જયવિજયજી (૫૫). કેશીસ્વામી ૩૩૯ જરાકુમાર ૩૩૬ Page #648 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૫-સૂચિ ૩ ૫૪૯ જસદણના રાજા (૭૬) ધરણેન્દ્ર ૫૦૦ જિનચંદ્રજી ૨૦૧૭ ધર્મબોધકર ૩૦૭, ૩૦૯ જિનપાલિત ૧૯૭ ધર્મરાજા ૨૬૩ જિનરક્ષિત ૧૯૭ ધારશીભાઈ (૩૭), ૨૮૪, ૩૧૯ જીજીભાઈ કુબેરદાસ પટેલ (જીજીબાપા) (૫૯), (૬૦), ધુંધલીમલ્લ (૩૯) ૩૮, ૫૦. નગીનદાસ ૨૮૫ જૂઠાભાઈ ઉજમશીભાઈ (૫), ૬, ૧૦૯, ૧૯૬, ૧૯૭, નથુ દરજી ૨૭૭ ૨૬૧, ૨૮૦. નથુ બાવો ૨૭૭ જેઠાલાલ પરમાનંદ શેઠ (૪૦), (૪૫). નમિરાજેશ્વર, નમિરાજર્ષિ (૩૬), ૯૦. જેસંગભાઈ ઉજમશી શેઠ (શેઠજી) (૬૬), (૭૫), (૭૭), નરસિંહ મહેતા ૨૦૪. (૭૮), ૧૪૧, ૧૯૭. નરસિંહરખ (નરસીરખ) મુનિ (૧૫), (૨૪). જ્ઞાતપૂત્ર (જ્ઞાનીનો પુત્ર) ૨૬૪. નવાબશ્રી (પાલણપુરના) (૪૭) ઝવેરચંદભાઈ ભગવાનદાસ શેઠ (૨૫). નાટાજી (૭૫). ટોલ્સટોય ૨૮૩ નાથાભાઈ અવિચળભાઈ દેસાઈ (૬૬) ઠાકરશી (શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈ ના ભાણેજ) નાથીબાઈ (૩), (૪). (૧૫), (૧૬) નાના સાહેબ (૪૯) ઠાકોર (૭૮) ૩૭૩ (લીમડીના) નારણજીભાઈ ૩૦૯. ડાહ્યાભાઈ દેસાઈ (૬૬) નારદજી ૨૦૭, ૨૦૮, ૪૩૧, ૪૩૨. ડુંગરશીભાઈ (૧૦) નિપુણ્યક ૨૯૮, ૩૦૭, ૩૨૦. તુલસીદાસ ૩૮૩ નૂરભાઈ પીરભાઈ ૧૩૩. ત્રિભોવનભાઈ (૫), (૪૩) નેપોલીયન ૪૩૮ ત્રીકમભાઈ (દંતાલીવાળા) ૧૦૪ નેમિનાથ (૭૯), ૧૪૨, ૪૩૫. દરબાર સાહેબ (પાલણપુરના) (૪૭) પરિખ (અમૃતલાલ) (૭૮). દામજીભાઈ (૪૧) (૫૮). પવિત્રબેન ૧૦૧ દામોદરભાઈ (૫) ડૉ. પંડિત (૭૪), (૭૫). દીપચંદજી મુનિ ૧૭૯. પંથકજી વિનીત ૫૬. દુર્ગાપ્રસાદ ૩૧૦, ૩૧૧. પટ્ટણી (પ્રભાશંકર પટ્ટણી. ભાવનગરના દિવાન) દેવકરણજી મુનિ * દિવકીર્ણ) (૩) (૪), (૫), (૬), (૭) (૩૬). (૮), (૧૦) (૧૧), (૧૨), (૧૪), (૧૫), (૧૬), પદ્મપ્રભુ (૨૩). (૧૭), (૧૯), (૨૦), (૨૧), (૨૩), (૨૪), પારસનાથ (પાર્શ્વનાથ પ્રભુ) (૨૩), ૨૧૯, ૫૦૦. (૨૫), (૨૬), (૨૭), (૨૯)*, (૩૦), (૩૩), પાંડવો ૧૩૧, ૧૪૨, ૨૬૩, ૩૭૨, ૪૬૮. (૪૦), (૪૮), ૪, ૫, ૬, ૧૭૪, ૨૦૬, ૨૧૫, પાંડુપુત્ર (યુધિષ્ઠિર) ૩૫૨ ૨૨૫, ૨૬૧, ૨૬૨, ૨૬૮, ૨૮૨, ૩૨૭, ૪૬૪. પીતાંબરદાસ મહેતા (૩૬) દેવચંદ્રજી મહારાજ (૨૩), (૭૯), ૨૫, ૨૬, ૨૭, પુણ્ડરીક ગણધર ૩૨૨. ૪૧૧. પૂંજાભાઈ મોટા (૫૨), (૫૪) ધનપાલ ૧૨૭ પૂણિયો શ્રાવક ૪૬૧ ધનો શ્રાવક ૩૨૫ પોપટલાલભાઈ મહોકમચંદ (૪૦), (૫૫), (૬૫), ૧૩૩, ધન્નાભદ્ર ૧૯, ૩૭૨ ૨૭૩. Page #649 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ પરિશિષ્ટ ૫- સૂચિ ૩ બાલક (), ૨૦ ૫૫, ૪૦ ) (૬૧), પોપટભાઈ (નગીનદાસભાઈનો ભત્રીજો)૨૮૫. મહાવીર પ્રભુ (મહાવીર સ્વામી) (૨૩), (૨૬), (૨૮), પોપાબાઈ ૪૯૫ (૩૦), ૧૪૭, ૧૫૬, ૨૩૦, ૨૩૧, ૨૫૯, ૨૬૩, પ્રતીન્દ્ર ૪૧૧ ૨૬૮, ૩૨૦, ૩૨૧, ૩૨૩, ૩૩૫, ૩૩૭, ૪૦૫, 'પ્રભુશ્રી(૪૨), (૬૩) ૪૩૬, ૪૫, ૪૮૯. પ્રસન્નચંદ્ર રાજર્ષિ ૧૪૯, ૩૩૬, ૪૮૨. મંગળભાઈ ૧૦૧. પ્રેમાભાઈ નગરશેઠ (૨૩) માણેક ડોશીમા ૩૨૪ ડૉ. પ્રાણજીવન (૧૫) માણેકભાઈ ૩૫૭. ડૉ. પ્રાણલાલ (૫૭) માણેકચંદ ફતેહચંદ (૫) પ્રીતમદાસ મહારાજ (૬૦), (૬૨). માણેકજી વર્ધમાન શેઠ (૬૩), (૭૦), ૧૩૯, ૨૪૯, પ્રેમાભાઈ (નગરશેઠ) (૨૩). ૩૦૯, ૩૧૦. બનારસીદાસજી ૧૧૧ માધવ (૫૯) બળદેવ ૩૩૬, ૪૬૮ માધવજી રેવાજી શેઠ (૩૮), ૧૩૯, ૩૩૩ “બાપા” (૪૨) માનસાગરજી ૨૧૭, ૨૨૩ બાબરભાઈ (૫૩). મીસ્ત્રી ૩૧૫, ૩૧૬, ૩૧૭ બાલકૃષ્ણ મુનિ ૨૬૨ મૃગાપુત્ર ૧૬૩ બાહુબલીજી (૬૬), ૨૦૬. મોતીભાઈ ૩૫૭. બ્રહ્મ ૩૩૧, ૧૮૫, ૧૪૫, ૪૫૫, ૪૦૮, ૪૩૮ મોતીભાઈ ભગત (૫૭). બ્રહ્મચારીજી' (ગોવર્ધનદાસ કાળિદાસ પટેલ) (૬૧), મોતીલાલ ભાવસાર ૩૨૭. (૬૮), (૭૦), (૭૭), (૭૮), ૪૦૫ મોહનભાઈ (પ્રભુશ્રીના પૂર્વાશ્રમના પુત્ર) (૪), (૬૪), બ્રહ્મદત્ત ચક્રવર્તી ૧૨૭ ૨૭૦. બ્રાહ્મી ૨૦૬ મોહનલાલજી મુનિ. (૧૨), (૧૫), (૧૭), (૨૩), ભગવાનજીભાઈ (બાંધણીવાળા) (૫૭), (૬૭). (૨૪), (૨૯), (૩૫), (૩૬), (૩૯), (૪૪), ભગવાનભાઈ પ૨, ૫૪. (૪૬), (૪૭), (૫૫), (૭૧), (૭૨), ૮, ૧૦, ભણેશ્રી ૩૩૦. ૧૧૮, ૧૬૧, ૧૭૮, ૨૬૨, ૨૬૩, ૨૬૫, ૨૬૮, ભરત (દસરથ રાજાના પુત્ર) ૮૧, ૮૬ ૨૭૭, ૨૭૮, ૨૮૦, ૨૮૨, ૨૮૪, ૨૮૫, ૨૮૭, ભરત ચક્રવર્તી ૧૯, ૧૬૪, ૨૨૯, ૨૪૭, ૨૪૯, ૨૫૨, ૨૯૦, ૨૯૧, ૨૯૪, ૨૯૭, ૨૯૮, ૩૦૦, ૩૦૯, ૩૧૦, ૩૨૨, ૩૨૪, ૩૮૦, ૩૯૭, ૩૯૯, ૪૬૪, ૩૧૨, ૩૧૩, ૩૧૮, ૩૨૪, ૩૨૬, ૩૨૭, ૩૨૮, ૪૭૬, ૩૨૯, ૩૩૫, ૩૪૦, ૪૪૭, ૪૯૧. ભાઈલાલભાઈ વલ્લભભાઈ (૫૬). યશોવિજયજી મહારાજ (૧૮), (૭૯), ૩૨૨. ભાણજીરખજી મુનિ (૧૯), (૨૦), (૨૧). યાદવ ૧૩૧ ભીમસેન ૨૨૬. યુધિષ્ઠિર ૩૫૨ ભૂતભાઈ ૨૨૪. રઘુનાથ ૮૧, ૮૬ મગનભાઈ લલ્લુભાઈ (૪૭) રણછોડભાઈ (ભાઈશ્રી) (૩૯), (૪૦), (૪૩), (૪૪), મણિભાઈ કલ્યાણજી શેઠ (૫૫), (૫૬), (૫૭), (૭૭), (૪૯), (૫૦), (૫૩), (૫૪), (૫૬), (૫૭), (૭૮) (૫૮), (૫૯), (૬૩), (૬૪), (૬૫), ૨૭૨, ૨૭૩. મનસુખભાઈ રવજી (૫૨), ૨૬૦. રતનચંદભાઈ શેઠ (૨૫) મરીચિ ૨૬૩ ડૉ. રતિલાલ (૫૭) મહાગોપ (૪૮) રતિલાલ મોતીચંદ (૫૫) મહાદેવ ૩૦૮. રત્નરાજ સ્વામી (૩૮), (૩૯), (૪૦), (૪૧), (૪૨), Page #650 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૫- સૂચિ ૩ ૫૫૧ (૪૩), (૪૫), (૪૬), (૪૭), (૪૮), (૪૯), (૫૦), (૫૧), (૫૨), (૫૪), (૫૫), (૫૬), (૫૭), (૫૮), (૫૯), (૬૫), (૭૭). રાણાદેવી ૧૯૭ રવજીભાઈ કોઠારી (૭૧), ૮૨ રાજેમતિ (૭૯) રામ (જુઓ શ્રીરામચંદ્રજી) રામજી વેલજી ૧૧૩ રાવણ ૧૩૧ રીખદેવ ૨૧૯ રુકમિણિબા ૧૦૧. લક્ષ્મી ૧૨૭ લક્ષ્મીચંદજી મુનિ (૧૬), (૨૪), (૩૦), (૪૦), (૫૪), ૪, ૫, ૧૭. ‘લઘુ’ ૩૩૦ લઘુરાજ સ્વામી (૪૨) લલ્લુજી મહારાજ (૮) લલ્લુજી સ્વામી (૪) લલ્લુભાઈ (લલ્લુજી સ્વામી લઘુરાજ સ્વામીનું સંસારી નામ) (૨), (૪), (૫). લલ્લુભાઈ ઝવેરી (૯) લાલચંદ વખતચંદ સંઘવી (૫) લાલભાઈ સાહેબ (૪૭). લીમડીના ઠાકોર (૭૬), ૩૭૩ લેનિન ૨૮૩ વગડાઉ મુનિ (૬૩) (શ્રીલઘુરાજ સ્વામી) વણાગ નટવર ૪૮૯, ૪૯૧ વનમાળીભાઈ ૬. વનેચંદ દેવજીભાઈ (વાંકાનેરના નગરશેઠ) (૭૫), (૩૮) વસિષ્ઠ મુનિ ૩૧૫, ૩૪૫, ૩૪૮. વિકટોરિઆ રાણી (૧૨) વિક્રમ રાજા ૪૨૩ વિશ્વામિત્ર ૪૯૪ વિઠ્ઠલવર ૪૦૧ વિષ્ણુ ૩૦૮ વિષ્ણુમાર મુનિ ૩૨૧ વેલસીભાઈ (૨૨) વેલસીરખ મુનિ (૧૭), (૨૨) વ્યાસજી ૪૫૧ કેન્દ્ર ૩૨૧, ૪૦૫ શનાભાઈ (નારવાળા) (૫૧) શંકર (૪). શાન્તિ ૧૦૮. શાન્તિનાથ પ્રભુ ૨૧૯, ૩૩૦ ડૉ. શારદાબેન પંડિત (૭૪), (૩૫). શાલિભદ્ર ૧૯ શિવજીભાઈ (૪૧), (૪૨) શીતળદાસ ૨૮૩ શીલંગાચાર્ય ૫૬ શુકદેવજી ૨૩૧, ૨૪૬, ૪૫૧ શ્રીકૃષ્ણ (૪૨), (૭૯), ૭૧, ૭૨, ૮૭, ૨૩૫, ૨૫૭, ૨૯૩, ૩૨૯, ૩૩૦, ૩૩૧, ૩૩૬. શ્રી રામચંદ્રજી ૯૧, ૧૩૧, ૧૫૮, ૨૨૩, ૨૯૩, ૨૯૬, ૩૧૫, ૩૪૫, ૩૪૮, ૩૮૩, ૪૭૧, ૪૯૪. શ્રેણિક રાજા (૭૫), ૧૨૭, ૧૯૨, ૨૧૮, ૩૨૪, ૩૨૮, ૩૩૧, ૩૩૫, ૩૩૬, ૩૪૧, ૩૪૭, ૪૫૭, ૪૬૦, ૪૬૧, ૪૯૪. શ્રેયાંસ પ્રભુ ૨૭. સનતકુમાર ચક્રવર્તી ૭. સાણંદના રાજા (૭૬) સીતા ૩૧૪, ૪૧૧. સુમતિનાથ પ્રભુ (૧૮), (૩૦), ૬. સુસ્થિત રાજા ૩૦૭, ૩૦૮, ૩૦૯ સુંદરી ૨૦૬. સોભાગભાઈ ચુનીલાલ (૭૮) સોભાગભાઈ લલ્લુભાઈ (૧૦), (૩૭), (૭૧), (૭૮), ૮૯, ૧૬૧, ૧૭૮, ૧૯૫, ૨૦૫, ૨૮૦, ૨૮૪, ૩૧૮, ૩૪૯, ૩૭૦, ૪૦૪, ૪૫૨,૪૮૯. સોમચંદભાઈ ૪૭. સ્વકર્મવિવર ૩૦૭, ૩૦૮ સોમચંદ કલ્યાણજી (૬૩) સોમલ બ્રાહ્મણ ૩૧૧. હરખચંદજી મહારાજ (૪), (૫), (૬), (૯). હરિભદ્રસૂરિ (૨૭), (૩૯), ૨૩૭. હરિભાઈ (નારના) ૩૩૩. હીરાલાલ ઝવેરી (૬૬), (૭૮). હીરાલાલ શાહ (૭૪), (૭૫), (૭૬) હેમચંદ્રાચાર્ય (૨૭), (૭૯). Page #651 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨ પરિશિષ્ટ ૫ સૂચિ ૪ સ્થળ સૂચિ (અંક પૃષ્ટના છે. કૌસમાના અંક જીવનચરિત્ર પૃષ્ટના છે.) અગાસ–શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ (૨૯) (૪૨), (૪૭), ઉત્તરસંડા (૪૯) (૫૬), (૬૨), (૬૭), (૭૨), (૭૪), (૭૫), ૩૯, ઉત્તરસંડા બંગલો ૩૨૭ ૪૩, ૪૪, ૪૫, ૪૬, ૪૭, ૪૯, ૫૬, ૫૮, ૧૯, ૬૦, ઉત્તરસંડા વનક્ષેત્ર (૧૪) ૬૧, ૬૨, ૬૩, ૬૪, ૬૫, ૬૬, ૬૭, ૬૮, ૬૯, ૭૦, ઉમરદશી (૪૨), (૪૭), (૪૯), (૫૬) ૭૧, ૭૨, ૭૩, ૭૪, ૭૭, ૭૮, ૭૦, ૮૧, ૮૨, ૮૩, ઉમરેઠ (૪૯), (૫૦), ૭ ૮૫, ૮૬, ૮૮, ૮૯, ૯૧, ૯૪, ૯૫, ૯૭, ૯૮, ૯૯, ઓડ (૬૦) ૧૦૨, ૧૦૩, ૧૦૪, ૧૦૫, ૧૦૬, ૧૦૦, ૧૦૮, એલીસબ્રીજ (અમદાવાદ) (૭૪) ૧૦૯, ૧૧૦, ૧૧૧, ૧૧૩, ૧૧૪, ૧૨૩, ૧૨૪, કચ્છ (૨૧) ૧૨૫, ૧૪૬, ૧૫૫, ૩૮૨. કઠોર (૫), (૧૮) અચળગઢ (આબુ પહાડ) (૭૬) કબીરવડ (૭૦) અઠવા લાઇન્સ (સુરત) (૭૪) કરમસદ (૩૦) અમદાવાદ (૫), (૧૪), (૨૦), (૨૧), (૨૩), (૨૪), કરમાળા (૨૯), (૩૦), (૩૧), (૩૨), ૪. (૨૫), (૨૯), (૩૦), (૩૫), (૩૭), (૩૯), કસુંબા (૩૫) (૪૦), (૫૪), (૫૭), (૫૮), (૬૦), (૬૬), કંસારાની ધર્મશાળા (કુંભનાથ મહાદેવ) (૪૯) (૬૭), (૭૪), (૭૫), (૭૭), ૧૪૧, ૨૦૬, ૩૨૩. કાઠિયાવાડ (૪), (૨૯), (૫૪) અયોધ્યા ૨૯૩, ૨૯૫. કાણિસા (૫૩), (૫૫), ૧૦ અરીસાભુવન ૨૪૭, ૩૯૯ કામનાથ મહાદેવ ક્ષેત્ર (કાણિસા) (૫૩) અંધેરી (૭૦), ૮૪, ૮૭ કાવારાણાનો બંગલો (નવસારી) ૪૯૨ આગાખાનનો બંગલો (અમદાવાદ) (૨૪), (૨૫) કાવિઠા (૯), (૧૧), (૨૫), (૫૬), (૫૭), (૫૯), આણંદ (૨૯), (૫૭), (૬૭) (૬૦), (૬૨), (૭૦), ૨૧૩, ૨૬૭, ૩૨૮. આબુ (૭૬), (૭), ૧૩૨, ૧૩૩, ૧૩૪, ૧૩૫, ૩૬૮, કાશી (૬૮), ૨૭૦, ૨૮૨, ૩૩૨ ૩૬૯, ૩૭૦, ૩૭૧, ૩૭૧, ૩૭૩, ૩૭૪, ૩૭૫, કુંકાવાવ (૫૪) ૩૭૬, ૩૭૮, ૩૭૯, ૩૮૦, ૩૮૧, ૩૮૨, ૪૯૪, કુંભનાથ મહાદેવનું સ્થળ (નડિયાદ) (૪૮), (૪૯). ૪૯૫. ખંભાત (૧), (૪), (૫), (૬), (૯), (૧૦), (૧૪), આબુ રોડ ૪૯૩. (૧૮), (૧૯), (૨૧), (૨૫), (૩૨), (૩૫), આયદિશ ૩૧૦ (૩૭), (૩૮), (૩૯), (૪૦), (૪૨), (૪૩), આર્યાવર્ત (૭૯) (૪૫), (૪૯), (૫૫), (૬૦), ૨૨૬, ૨૬૧, ૨૬૮, આહીર (૭૬) ૨૭૮, ૪૦૫, ૪૫૭. ઇડર (૧૪), (૧૫), (૧૬), (૧૭), (૧૮), (૨૩), ખેડા (૧૧), (૧૪), (૨૧), ૨૬૮ (૩૧), (૩૮), (૪૦), ૨૩૦, ૨૩૧, ૪૬૨. ખેરાળુ (૧૮), (૩૮), (૩૯). ઇન્દોર (૩૦) ગિરનાર પર્વત (જૂનાગઢ) (૩૬) ઇન્દ્રલોક ૪૮૫ ગુજરાત (૧), (૩૫), (૩૮), (૭૯), ૨૬૯ ઉત્તર ગુજરાત (૪૦) ગુરુનો ભોંખરો (૩૯) Page #652 -------------------------------------------------------------------------- ________________ ગોકુળ (૪૨) ગોધરા (૪) ગોધાવી (૬૦) ગોલોક ૩૨૫ ઘોરનદી (૩૨), (૩૪) ચકલાસી (૫૦), ૮. ચરોતર (૯), (૧૧), (૨૯), (૪૦), (૪૨), (૪૪), (૪૫), (૫૩), (૫૫), (૫૬), (૬૩), ૨૬૯ ચાણોદ (૭૪) ચારણિયા (૫૬) જસદણ (૭૬) જૂનાગઢ (૩૬), (૫૪), (૫૫), ૧૧, ૧૨, ૧૩, ૧૪, ડભોઇ (૫૯) (૬૦) ડીસા (૪૨), (૫૦) વેંઢાંનો બંગલો (નડિયાદ) (૪૯) તારંગા (૩૯) તારાપુર (૫૭) (૬૨) દંતાલી (૭૦), ૧૦૪ દાઓલ (૭૦) દિગંબર ધર્મશાળા, બોરસદ (૪૦) દેલવાડા (આબુ પહાડ) (૭૬) પરિશિષ્ટ ૫-સૂચિ ૪ ૧૫, ૧૬, ૧૭, ૧૮, ૧૯, જેઠાભાઈ પરમાનંદ શેઠનો બંગલો (બોરસદ) (૪૦) (૪૫) પુઢવી શિલા ૨૩૦ ઝગડિયા (૭૦) દ્વારકા ૪૬૮ ધર્મજ (૬૯) ધર્મપુર (૨૯) ધંધુકા (૩૬), (૩૭), (૩૯), ૧૬૬ ધાણધાર (૩૯) ધામણ (૪૨) ધુંધલીમલ્લનો ભોંખરો (ધાણધાર) (૩૯) નડિયાદ (૧૧), (૧૪), (૧૮), (૨૧), (૨૩), (૨૯), (૪૬), (૪૭), (૪૮), (૪૯), (૫૧), (૫૨), (૫૩), (૫૪), (૫૫), (૬૦), (૬૬), (૭૦), ૭, ૮, ૯, ૧૦, ૨૬૮. નરોડા (૨૩), (૨૯), (૩૫), (૪૬), (૪૭), (૬૦), (૬૬), (૬૭), ૩૨૭. નરોડા આશ્રમ (૪૬), (૪૭) નવસારી (૭૪), ૯૩, ૪૪૭, ૪૯૨. નાગનેશ ૧૬૬ નાના કુંભનાથનું સ્થળ (નડિયાદ) (૪૬), (૪૮), ૭. નાની મારવાડ (૩૫) નાર (૪૦), (૪૩), (૪૪), (૫૪), (૫૬), (૫૭), (૫૮), (૫૯), (૬૦), (૬૨), (૬૩), (૭૦), ૧૧, ૨૧, ૩૩૩. નાસિક (૭૭), ૧૧૧, ૪૦૧, ૪૮૨ નિકોરા (૭૦) પણસોરા (૫૦) પાનસર તીર્થ (૫૦) પાલણપુર (૩૬), (૩૮), (૪૨), (૪૭), (૫૪). પાલીતાણા (૩૬), (૪૦), (૪૧), (૪૨) પાંડવ ગુફા (આબુ પહાડ) (૭૬) ૫૫૩ પૂના (૬૩), (૬૪), (૭૦), ૫૦, ૫૧, ૫૨, ૫૩, ૫૪, ૧૯૭, ૨૬૯, ૨૭૦, ૨૭૩, ૩૦૯, ૪૨૩, ૪૮૭, ૪૮૮. પેટલાદ (૭૦) પેથાપુર (૬૬), ૫૩, ૫૫, ૩૧૦ પ્રકાશપુરી (જૂનાગઢ) (૫૪). પ્રેમાભાઈ નગરશેઠનો બંગલો (અમદાવાદ) (૨૩) ફેણાવ (૩૯), (૪૦), ૨૨૬, ૨૮૫. બગસરા (૫૪), (૫૫), (૫૬), (૫૯), (૬૦), ૧૯, ૨૦. બનારસ ૨૭૦ બરવાળા (૪૦) બાંધણી (૫૭), (૬૦), (૬૭) બોરસદ (૨૯) (૪૦), (૪૫), (૫૮), (૬૦), (૩૦) ભરૂચ (૫૧), (૭૦) ભાદરણ (૨૯) (૫૮) (૬૦), (૬૯) ભાલપ્રદેશ (૧). ભાવનગર (૩૭), ૨૬૮, ૩૦૯ ભાવસારની વાડી (અમદાવાદ) (૨૪). મધ્ય ગુજરાત (૧) મહેતરાણા (૪૧) મંડાળા (૫૯), (૬૦), ૩૬, ૪૧, ૪૨ મારવાડ (૩૮) માળવા (૧૯) માંગરોળ (૬૦) Page #653 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ પરિશિષ્ટ ૫-સૂચિ ૪ મિથિલા નગરી ૪૬૧ વિરમગામ (૨૩), (૩૭), (૩૯) મીગામ (૫૯) વેરા (૩૦) મુંબઈ (૭), (૮), (૯), (૧૪), (૧૮), (૨૯), (૫૫), વૈકુંઠ ૩૨૫ (૫૬), (૫૮), (૫૯), (૬૦), ૧૩૯, ૪૦૧, ૪૬૩. શત્રુંજ્ય પર્વત ૩૭૨ મેરુ પર્વત ૩૦૪ શ્રબરી બંગલો (માઉન્ટ આબુ) (૭૬), ૧૩૪. મેવાડાની દિગંબર ધર્મશાળા, બોરસદ (૪૫) શ્રીમદ્દ દેહોત્સર્ગ ભૂમિ (રાજકોટ) (૫૬) મોરબી (૩૫) સનસેટ પોઇન્ટ (આબુ પહાડ) (૭૬) રાજકોટ (૨૫), (૩૭), (૫૫), (૫૬) શ્રીમદ્ રાજચંદ્ર મંદિર (નાર) (૫૬) રાજગૃહી ૩૪૭ સમાવદ (૫૯), (૬૩), ૨૩, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, રાજપુર (અમદાવાદ) (૨૩), ૨૦૬. ૩૦, ૩૧, ૩૨, ૩૩, ૩૪, ૩૬, ૩૭, ૩૮, ૪૦. રામકુંડ (આબુ પહાડ) (૭૬) સમેતશિખરજી (૬૩), ૪૦ રાણકપુર (૩૫) સર્વાર્થસિધ્ધિ ૩૬૫ રાળજ (૯), (૧૦), (૧૧), (૧૯). સંદેસર (૫૯), (૬૦), (૬૨), ૨૫૭, ૨૬૮ લીમડી (૭૬), ૪૮૨ સાદડી (૧૦), (૩૫) વટવા (અમદાવાદ પાસે) ૧૧૩ સાણંદ (૭), (૨૩), (૩૬) વટામણ (૧), (૩), (૪), (૩), (૩૭), (૩૮), (૩૯), સાયલા (૪) (૫૭), (૬૦), ૨૬૨, ૨૬૩, ૨૭૭. સુણાવ (૫૪), (૫૮), (૬૦), (૩૦) વડવા (૧૦), (૧૧), (૪૩), (૪૪), ૪૦૫. સુરત (૪), (૭), (૮), (૯), (૧૮), (૧૯), (૫૯), વડાલી (૩૮), (૪૦), (૬૦) (૬૦), (૭૪), ૧૦૦, ૧૫૨, ૩૫૦, ૩૫૧, ૩૫૩, વડોદરા (૫૧), (૫૩) (૫૭), ૩૦૨ ૩૫૪. વઢવાણ (૨૪) સુષુમારપુર નગર ૨૩૦ વઢવાણ કેમ્પ (૪), (૨૫), (૭૫) સિધ્ધપુર (૪૦), (૪૨), (૪૭), (૫૫), (૭૭), ૩૨૩ વણસોલ (૫૦) સિધ્ધપુર આશ્રમ (૪૨) વરતેજ (૩) સિધ્ધપુર રાજમંદિર (૪૭). વવાણિયા (૨૩), (૪૨), (૭૫) સિદ્ધશિલા (૧૭), ૨૩૦, ૨૪૧ વશિષ્ઠ આશ્રમ (આબુ પહાડ) (૭૬), ૩૮૧. સીમરડા (૫૬), (૫૭), (૫૮), (૫૯), (૬૦), (૬૨), વસો (૧૧), (૧૩), (૧૪), (૨૧), (૨૫), (૩૯), (૭૦), ૨૨, ૨૩, ૨૬૭. (૪૦), (૪૪), (૬૦), ૨૧૩, ૩૧૨, ૩૮૧. સોજીત્રા (૨૪), (૬૦) વાંકાનેર (૭૫) સોલાપુર જીલ્લો ૪. વાસદ ૨૬૫ સૌરાષ્ટ્ર ૨૬૨ વ્યાસનો બેટ (૭૪) હિમાલય ૨૬૩. વિશ્વાસીનો ચાર માળનો બંગલો (ખેડા) ૨૬૮ Page #654 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૬ ૫૫૫ સૂચિ ૧ શ્રીમદ્દ લઘુરાજ સ્વામી (પ્રભુશ્રી) નો સંક્ષિપ્ત જીવનક્રમ (કૌંસમાં આપેલા અંક જીવનચરિત્ર પૃષ્ઠના છે.) ૧. પૂર્વાવસ્થા સંવત ૧૯૫૨: શ્રીમદ્ રાજચંદ્રનું ચરોતરમાં આગમન ૨. પરમ કૃપાળુદેવ સાથે સમાગમ કાવિઠા-રાળજ-વડવા. ખંભાતમાં શ્રી સૌભાગ્યભાઈ ૩. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસના પ્રાણ ઉપાશ્રયે આવ્યા, પરમ કૃપાળુદેવે જણાવેલ ‘સ્મરણમંત્ર’ અને પાંચ માળાની આજ્ઞા જણાવી. ૧. પૂર્વાવસ્થા વડવામાં શ્રી લલ્લુજી અને બીજા પાંચ મુનિઓ સાથે જન્મ : સંવત ૧૯૧૦ આસો વદ પડવો (૨) શ્રીમદ્જીનો સમાગમ. નડિયાદમાં પરમ કૃપાળુદેવે જન્મ સ્થળ : વટામણ (ભાલપ્રદેશ) આત્મસિધ્ધિશાસ્ત્ર રચ્યું. તેની ચાર નકલ પ્રથમ માતા : શ્રી કુશલાબાઈ (કસલીબાઈ) કરાવી. એક શ્રી લલ્લુજી સ્વામી ઉપર સ્વાધ્યાય માટે પિતા : શ્રી કૃષ્ણદાસ ગોપાલજી ભાવસાર મોક્લી. (૧૧) નામ : શ્રી લલ્લુભાઈ કૃષ્ણદાસ ભાવસાર સંવત ૧૯૫૩: ખેડામાં ચાતુર્માસ, શ્રીમની આજ્ઞાથી લગ્ન : પ્રથમ પત્નીના મૃત્યુ બાદ બીજી પત્ની “મોક્ષમાર્ગ પ્રકાશક' ગ્રંથનો સ્વાધ્યાય. (૧૧) શ્રી નાથીબાઈ (૩). સંવત ૧૯૫૪ : શ્રીમતું ચરોતરમાં આગમન. વસોમાં એક સંવત ૧૯૩૭ : ગંભીર માંદગીમાંથી સાજા થવાય તો સાધુ માસનો શ્રીમદ્ સાથે સમાગમ. આત્માર્થ-સાધન થવાનો સંકલ્પ. (૩). બતાવવાની શ્રીમદુની આજ્ઞા મળી. (૧૨) સંવત ૧૯૪૦ : જેઠ વદ ત્રીજ ને મંગળવારે ખંભાતમાં ગુરુ દષ્ટિરાગ પલટાવી આત્મદષ્ટિ કરાવી. (૧૩) હરખચંદ્રજી પાસે દીક્ષા ગ્રહણ. (૪) સંવત ૧૯૫૫ : ઇડરના જંગલમાં અન્ય મુનિઓ સહિત શ્રીમજીનો સમાગમ. (દ્રવ્યસંગ્રહ' ગ્રંથ પરિપૂર્ણ ૨. પરમ કૃપાળુદેવ સાથે સમાગમ સંભળાવ્યો, સમજાવ્યો. સાતે મુનિઓએ શ્વેતાંબર સંવત ૧૯૪૬ : શ્રી અંબાલાલભાઈ મારફતે ખંભાતમાં પ્રથમ અને દિગંબર દેરાસરમાં સરુ-આજ્ઞાથી મિલન, શ્રીમજીની ના હોવા છતા પોતાને લઘુ માની જિનપ્રતિમાના પ્રથમ દર્શન ઇડરમાં કય. (૧૬) ત્રણ સાષ્ટાંગ નસ્કાર કર્યા. સમકિત (આત્માની ચાતુર્માસ પછી મુનિઓને સંઘાડા બહાર મૂક્યા. (૨૧) ઓળખાણ) અને બ્રહ્મચર્યની દઢતાની માંગણી કરી. સંવત ૧૯૫૬ : ચાતુર્માસ સોજીત્રા સોનીની ધર્મશાળામાં કર્યું. દિગંબર ભટ્ટાચાર્યનો સમાગમ. (૨૪) અમદાવાદમાં આગાખાનને બંગલે મુનિશ્રીને કાર્તિકેયાનું સંવત ૧૯૪૯: મુંબઈમાં ચાતુર્માસ કર્યું. શ્રીમદ્ સાથે પ્રેક્ષા' ગ્રંથ વહોરાવ્યો અને તેનો સ્વાધ્યાય કરવાની સમાગમ. ‘સૂયગડાંગ ' સૂત્ર તથા ‘સમાધિ-શતક' માંથી શ્રીમદજીએ આજ્ઞા કરી. (૨૪) સત્તર ગાથાનું શ્રીમદ્ભા શ્રીમુખે શ્રવણ. (૭), (૮) સંવત ૧૯૫૭ : ચૈત્ર વદ પાંચમને મંગળવારે રાજકોટમાં સંવત ૧૯૫૦/૧૯૫૧ : શ્રીમદ્ પાસેથી મૌનપણાનો શ્રીમદ્જીનો દેહોત્સર્ગ. મુનિશ્રી કાવીઠા હતા, આ બોધ ગ્રહણ કરી ત્રણ વર્ષ મૌન ધાર્યું. સાધુઓ સાથે સમાચાર સાંભળી પાછા જંગલમાં ચાલ્યા ગયા, ખપ પૂરતું અને શ્રીમદ્ સાથે પસ્નાદિ પૂરતું બોલવાની એકાંતમાં કાયોત્સર્ગ, ભક્તિ આદિમાં તે દિવસ છૂટ. “છ પદ' ના પત્રની પ્રાપ્તિ. શ્રીમના શ્રીમુખે તે જંગલમાં કાઢયો. (૨૫) પત્રના વિવેચન અને પરમાર્થનું શ્રવણ. (૮), (૯) શ્રીમદ્જીએ દેહ છૂટતાં પહેલાં શ્રી ધારસીભાઈને કહેલું કે “શ્રી અંબાલાલભાઈ, શ્રી સૌભાગ્યભાઈ અને શ્રી Page #655 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬ પરિશિષ્ટ ૬ –સૂચિ ૧ લલ્લુજી મુનિને તેઓશ્રીની હયાતીમાં અપૂર્વ સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત થયું છે.’’ (૩૭) સંવત ૧૯૫૮ : ઘોરનદી ગામમાં આર્જાજી (સાધ્વીજી)નું સમાધિ-મરણ કરાવ્યું. (૩૩) સંવત ૧૯૬૦ : રાણકપુર તિર્થમાં પરિષહ. (૩૫) ગિરનાર પર્વત ઉપર ગુફામાં ત્રણ રાત્રી ગાળી. (૩૬) ધંધુકા ચાતુર્માસ : શ્રી ધારશીભાઈનું મુનિશ્રીના દર્શનસમાગમ અર્થે આવવું. (૩૭) સંવત ૧૯૬૧ : વડાલી ચાતુર્માસ નિષ્પક્ષપાતી બોધ કર્યો સંવત ૧૯૭૨ : દૂર કોઈ જંગલમાં એકલા ચાલ્યા જવાનો મુનિશ્રીએ નિર્ણય કર્યો. જુનાગઢ ચાતુર્માસ. (૫૪) સંવત ૧૯૭૩ : પ. પૂ. પ્રભુશ્રી જૂનાગઢથી બગસરા પધાર્યા. એક માસ ભાઈ રતિલાલ મોતીચંદના જિનમાં અને ત્યાર પછી ભાઈ મણિભાઈ કલ્યાણજીને ત્યાં એમ આખું વર્ષ બગસરામાં સ્થિરતા કરી. (૫૫) સંવત ૧૯૭૪ : ભાઈ રણછોડભાઈ, ભાઈ ભાઈલાલભાઈ વલ્લભભાઈ, ભાઈ મણિભાઈ કલ્યાણજી આદિનો એવો વિચાર થયેલો કે પ. પૂ. પ્રભુશ્રીની વૃધ્ધાવસ્થા તથા વ્યાધિગ્રસ્ત સ્થિતિ હોવાથી એક પર્ણકુટી જેવા સ્થાયી મકાનની જરૂર છે. તેને માટે સાધુ-સમાધિ ખાતું ખોલી તેમાં જેને રકમ આપવી હોય તે આપે એવું નક્કી કર્યું. (૫૬) ૩. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ; અગાસના પ્રાણ સંવત ૧૯૭૬ : કારતક સુદ ૧૫ પરમ કૃપાળુદેવ જન્મ મહોત્સવની સંદેશ્વર ગામે ઉજવણી. (૫૯) અગાસ સ્ટેશન પાસે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની સ્થાપના. (૬૨) સંવત ૧૯૮૦ : યાત્રાર્થે સમેતશિખર ગયા. (૬૩) સંવત ૧૯૮૧: પૂ. બ્રમ્હચારીજી પ. પૂ. પ્રભુશ્રીજીની સેવામાં જોડાયા. (૬૮) સંવત ૧૯૮૪: આશ્રમમાં શિખરબંધી ભવ્ય જિનાલયમાં પ્રતિષ્ઠા. શ્રીમદ્જીનાં બોધવચનો અનુસાર શ્વેતાંબરદિગંબર પ્રતિમાઓની પ્રતિષ્ઠા. પ્રભુશ્રીજીએ ભૂમિગૃહના ગુરુમંદિરમાં શ્રીમદ્ભુની પ્રતિમાની સ્વહસ્તે અંજનશલાકા કરીને પ્રાણપ્રતિષ્ઠા કરાવી. એક બાજુ પ્રણવમંત્ર ૐ કારજીની સ્થાપના. (૬૯) સંવત ૧૯૮૫ : ભાદરણ, ધર્મજ, ભરૂચ, નિકોરા, ઝધડિયા, કબીરવડ, માંદગી છતાં બોધાર્થે પર્યટન. (૬૯), (૭૦) સંવત ૧૯૮૬ : કરમસદ, સુણાવ. (૭૦) સંવત ૧૯૮૭ : કાવીઠા, સીમરડા, નાર, નડિયાદ, અંધેરી, નાર મંદિરની પ્રતિષ્ઠા. (૭૦) સંવત ૧૯૮૮ : પેટલાદ, દંતાલી, કાવીઠા, સીમરડા. (૭૦) અગાસ આશ્રમના મુખ્ય દરવાજા ઉપરની દેરીમાં શ્રીમદ્જીની ઊભા કાઉસગ્ગુની પંચધાતુની પ્રતિમાજીની પ્રતિષ્ઠા. (૬૯) સંવત ૧૯૯૧ : ૫. પૂ. પ્રભુશ્રી આબુ પધાર્યા. ‘શ્રબરી બંગલા'માં ત્રણેક માસ સ્થિતી કરી. (૭૬) "" સંવત ૧૯૯૨ : ચૈત્ર વદ ૫. પ. પૂ. પ્રભુશ્રીએ સોંપણી કરતાં જણાવ્યું. ....મુખ્ય બ્રહ્મચારી સોંપણી. (બ્રહ્મચારીજીને) કૃપાળુદેવ આગળ જવું. પ્રદક્ષિણા દઈને સ્મરણ લેવા આવે તો ગંભીરતાએ લક્ષમાં રાખી લક્ષ લેવો. પૂછવું. કૃપાળુદેવની આજ્ઞાએ ને શરણાએ આજ્ઞા માન્ય કરાવવી.'' (૭૭) સંવત ૧૯૯૨ : ચૈત્ર વદ ૬ ‘‘આત્માને મૃત્યુ મહોત્સવ છે. એક આત્મા. બીજું કશું નહીં. તેનો મહોત્સવ. પરમકૃપાળુદેવનું શરણ’’–એવો બોધ. (૭૮) વૈશાખ સુદ ૮ રાત્રીના ૮ કલાક ને ૧૦ મિનિટે ૮૨ વર્ષની વયે આશ્રમમાં આ મહાપુરુષનો પવિત્ર આત્મા પરમ સમાધિમાં સ્થિત થયો. નાશવંત દેહનો ત્યાગ કરી પરમ પદ પ્રત્યે પ્રયાણ કરી ગયો. (૭૮), (૭૯) વૈશાખ સુદ ૯ ના સવારે મુનિશ્રી લઘુરાજ સ્વામીના દેહને પાલખીસ્થિત કરી, ઘણા ભાવપૂર્વક ઘણા મુમુક્ષુઓએ આશ્રમની પ્રદીક્ષણા કરીને આશ્રમની પાછળના આશ્રમના ખેતરમાં અત્યંત ભક્તિભાવપૂર્વક અગ્નિ સંસ્કાર કર્યા. અને તે દિવસે મુનિશ્રીજીની આજ્ઞા પ્રમાણે આત્મસિદ્ધિની પૂજા ભણાવી. સંવત ૧૯૯૩ : મુનિશ્રી લલ્લુરાજ સ્વામીના અગ્નિસંસ્કારને સ્થાને આરસની દેરી બનાવી. તેમાં તેમનાં પાદુકાજીની સ્થાપના કરી. અનંતાનંત વિનયવંદન હો એ કલ્યાણમૂર્તિ પ્રભુશ્રીજીના પદારવિન્દને! એમને દર્શાવેલ પરમ કૃપાળુદેવ પ્રબોધિત શ્રી સનાતન જિન વીતરાગ માર્ગને ! “ધન્ય તે મુનિવરા રે, જે ચાલે સમભાવે રે; જ્ઞાનવંત જ્ઞાની શું મલતાં તનમનવચને સાચા, દ્રવ્ય ભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચારે, ધન્ય તે મુનિવરા રે, જે ચાલે સમભાવે રે.’ Page #656 -------------------------------------------------------------------------- ________________ વિક્રમ સંવત ૧૯૪૬* ખંભાત ૧૯૪૭ વટામણ ૧૯૪૮ સાણંદ ૧૯૪૯ મુંબઈ ૧૯૫૦ સુરત ૧૯૫૧ સુરત ૧૯૫૨ ખંભાત ૧૯૫૩ ૧૯૫૪૧ ૧૯૫૫ ૧૯૫૬ ૧૯૫૭ ૧૯૫૮ ૧૯૫૯ ૧૯૬૦ ૧૯૬૧ ૧૯૬૨ ૧૯૬૩ ૧૯૬૪ ૧૯૬૫ ૧૯૬૬ ૧૯૬૭ ૧૯૬૮ પરિશિષ્ટ ૬ સૂચિ ૨ શ્રીમદ્ લઘુરાજસ્વામી (પ્રભુશ્રી) ના ચાતુર્માસ ક્ષેત્ર ક્ષેત્ર ક્ષેત્ર ખેડા વસો * નડિયાદ સોજીત્રા વસો કરમાળા નરોડા ધંધુકા વડાલી ખેરાળુ વસો બોરસદ વડાલી પાલીતાણા ખંભાત વસો જીવનચરિત્ર વિક્રમ પૃષ્ટ સંવત (૫) (6) (૭) (6) (૮) (૮) (૧૯) (૯) (૧૮) (૧૯) (૧૧) (૧૧) (૧૮) (૨૪) (૨૫) (૨૯) (૩૫) (૩૬) (૩૮) (૩૮) (૪૦) (૪૦) (૪૦) (૪૧) (૪૧) (૪૪) ૧૯૬૯ ૧૯૭૦ ૧૯૭૧ ૧૯૭૨ ૧૯૭૩ ૧૯૭૪૪ ૧૯૭૫ ૧૯૭૬ ૧૯૭૭ ૧૯૭૮ ૧૯૭૯ ૧૯૮૦૬ ૧૯૮૧ ૧૯૮૨ ૧૯૮૩ ૧૯૮૪ ૧૯૮૫ ૧૯૮૬ ૧૯૮૭ ૧૯૮૮ ૧૯૮૯ ૧૯૯૦ ૧૯૯૧ બોરસદ નડિયાદ (નાના કુંભનાથ) નડિયાદ જૂનાગઢ બગસરા નાર સીમરડા સનાવદ અગાસ આશ્રમ 39 પૂના અગાસ આશ્રમ 99 33 33 99 "" 39 "" 23 ૫૫૭ જીવનચરિત્ર પૃષ્ટ (૪૫) (૪૮) (૫૨) (૫૪) (૫૫) (૫૬) (૫૬) (૫૯) (૬૩) (૬૩) (૬૭) "" 39 (૬૩) (૭૦) (૬૭) 95 39 97 27 ::::: 93 સંવત ૧૯૪૦ થી ૧૯૪૫ દરમ્યાન પ્રભુશ્રીએ ચાતુર્માસ ક્યા ક્ષેત્રે કર્યા તેની માહિતી અપ્રાપ્ય. ૧ પૂ. મુનિશ્રી દેવકરણજી મહારાજનું ચાતુર્માસ ખેડામાં (૧૧) ર પૂ. મુનિશ્રી દેવકરણજી મહારાજનું ચાતુર્માસ વસોમાં (૨૧) ૩ પૂ. મુનિશ્રી દેવકરણજી મહારાજનું સં. ૧૯૫૮ નું ચાતુર્માસ બોરસદમાં કરવાનું હતું, પણ ભાદરણમાં કાંટો વાગવાથી પગ પાક્યો અને હાડકું સડવા લાગ્યું એટલે અમદાવાદ ખાતે ચોમાસું નક્કી કર્યું (૨૯) (૩૦). ૪ શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, નાર "3 ૫ સોમચંદ કલ્યાણજી શેઠને ત્યાં ૬ શેઠ શ્રી માણેકજી વર્ધમાનને ત્યાં ૭ પૂ. બાળ બ્રહ્મચારી મુનિદેવ શ્રી મોહનલાલજી મહારાજનો ભાદ્રપદ સુદ ૬ તા. ૬-૯-૧૯૩૨ ના રોજ અગાસ આશ્રમમાં દેહોત્સર્ગ (૭૨) ૮ મુની શ્રી દેવ મોહનલાલજીની ચાર્તુમાસ નોંધના ઉતારા તથા શ્રી રણછોડભાઈ એકરેલી શ્રી. લઘુરાજ સ્વામીના ચાર્તુમાસ નોંધના ઉતારા-તથા-પૂ.શ્રી. બ્રહ્મચારીજીની નોંધપોથી નંબર-૧ માંથી Page #657 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ અમદાવાદમાં રાજપુરના દહેરાસરે...‘‘દેવકરણજી જુઓ, જુઓ આત્મા” (૨૩), ૨૦૬, ૨૧૫ આત્મસિધ્ધિ અને તેના મહાત્મ્યની વાત....૩૭૦ ઇડરમાં પહાડ ઉપર...‘નીચેની દશાનો જીવ ઊંચી દશાવાળા જ્ઞાનીનું સ્વરૂપ જાણી શકતો નથી. પણ યોગ્યતા પ્રાપ્ત થાય અને ઉચ્ચદશામાં આવે તો દેખી શકે” (૧૭), ૪૬૨ એક વખન કીડી આમ જતી હતી. તેને....૩૨૭ ઉત્તરસંડાના બંગલે મોતી ભાવસાર ધોતિયું ઓઢાડે, ઢાંકે; પણ ....૩૨૭ કાવિઠામાં એકે કહ્યું કે મને હવે મુકત કરો....૨૧૩ કાવિઠે પરમકૃપાળુદેવ મચ્છરમાં બેસતા....૩૨૮ કાવિઠામાં .... “નીચે બેસો તો ભાઈ, જીવ દબાય છે” ....૩૨૮ www. પરિશિષ્ટ ૬ સૂચિ ૩ પ્રસંગો – પરમ કૃપાળુદેવના (અંક પૃષ્ઠના છે. કૌંસમાં આપેલા અંક જીવનચરિત્ર પૃષ્ઠના છે) ખંભાતમાં અંબાલાલભાઈની ખડકીને મેડે .... “હવે તમે મુનિ’. ....૨૬૧ દીપચંદજી મુનિ....૧૭૯ નરોડામાં બપોરે નિવૃત્તિ સ્થળે જંગલમાં.... “સાધુના પગ દાઝતા હશે’’ (૨૩), ૩૨૭ મુનિશ્રી દેવકરણજી મહારાજ (૨૯), (૩૦), ૪૫ શ્રી અંબાલાલભાઈ (૩૮), ૨૮૫, ૨૯૪, ૩૧૮, ૩૧૯ શ્રી ધારસીભાઈ ૨૮૪, ૩૧૯ એક આજી (સાધ્વીજી) (૩૨) નાગનેશના વાણિયાએ કૃપાળુદેવને જમાડયા હતા ....૧૬૬ પરમકૃપાળુદેવ એક ગાથા કલાકના કલાક સુધી એક ધૂનથી બોલતા ....૪૪૪ પરમકૃપાળુદેવના પગે પગરખાં ડંખેલા ....૩૨૬ પરમકૃપાળુ દેવે સૌભાગ્યભાઈને કહીને મોકલ્યા કે મુનિને આ પ્રકારે કરજો ....૪૮૯ “મનસુખ, માતપિતાની સેવા કરજે” ....૨૬૦ મુંબઇમાં શ્રીમદ્ની પેઢીએ.... ‘સમાધિ શતક' ગ્રંથના પહેલા પાન ઉપર અપૂર્વ લીટી લખી આપી. “ આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.' (૮), ૩૯૬, ૪૭૧, ૪૭૭ વસોમાં એક ભાવસારનો છોકરો ....૩૧૨ વસોમાં કોઈ વ્યક્તિએ કૃપાળુદેવને કહ્યું કે ભગવાન અમારા બધા કર્મ લઈ લો ....૨૧૩ પરિશિષ્ટ ૬ સૂચિ ૪ પ્રસંગો – સમાધિમરણના શ્રી સોભાગભાઈ ૨૮૪ ૩૧૮ શ્રી ડાહ્યાભાઈ દેસાઈ (૬૬) પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર (૨૫), (૨૬), એક મુમુક્ષુબાઈ (૬૭) (૨૭), (૨૮) શ્રી માણેકજીશેઠ (૭૦) શ્રી રવજીભાઈ કોઠારી (૭૧) મુનિદેવ મોહનલાલજી મહારાજ (૭૨), ૩૪૦ શ્રી પંડિત (૭૫) શ્રીમદ્ લઘુરાજસ્વામી (પ્રભુશ્રીજી) (૭૮) Page #658 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૬ સૂચિ ૫ પરમ કૃપાળુદેવે અમને (પ્રભુશ્રીને) કહ્યું “હે ! મુનિ “અમને મળ્યા પછી તમારે હવે શો ભય છે?' ....૩૨૫ ‘‘આગળ પાણી આવે છે ઊપયોગપૂર્વક ચાલ’ ....૩૨૭ “આ જીવને (પ્રભુશ્રીને) સમાધિમરણ સોભાગભાઈની પેઠે થશે” ....૪૦૪ ... “આટલુ તમારે કરુવું પડશે-વાસના, રાગદ્વેષ છોડવા પડશે; તે કોઈ નહીં કરી આપે, પોતાને જ બળ કરવું પડશે' ....૩૩૮ “આનો (અમૂલ્ય તત્ત્વવિચારની પાંચ ગાથાનો) મર્મ શું છે તે વિચારો’ ....૨૨૫ “આમ શીદને કરો છો? ઝંપોને હવે’ “ઊંડા ઉતરો” બીજા શું કરશે?'' ....૧૬૧ “કંઈ નહીં, હજી જારી રાખો' ....૨૫૯ "" “વાના દેડકાની પેઠે થોડું જાણીને છલકાઈ જવાની જરૂર નથી” ....૩૦૨ “કોઈને કહેતા નહિ'' ....૪૬૯ ...૨૦૫ “જવાબ મળશે’’ ‘જોયા કરોને’ ....૨૧૩ “જ્યાં અનાર્ય કે અભક્ષ્ય આહાર લેનાર રહેતા હોય ....૨૭૮ ત્યાં ન રહેવું, વિચરવું ... ન ....૨૯૪ 99 “તમારી વારેવાર. હવે શાના ગભરાઓ છો ? હવે શું છે? હવે શું બાકી રહ્યું?' ....૧૭૪, ૨૦૫ ૫૫૯ ૨૨૩, ૨૨૬, ૨૩૨, ૨૪૦, ૩૯૩, ૩૯૫ “તમારે કયાંય પૂછવા જવાનું નથી; બધા તમારી પાસે આવશે” ....૨૨૬, ૨૩૫, ૪૮૧ “દુષમકાળ છે માટે જડભરત જેવા થઈને વિચરજો; રિધ્ધિ-સિધ્ધિ પ્રગટશે તેને ઓળંગી જજો.'' ....(૬૨), ૨૭૫ “પુરુષાર્થ કરવો પડશે, પોતાની માન્યતા મૂકવી પડશે.” ....૪૫૪ “બહાર દષ્ટિ કરશો તો વિક્ષેપનો પાર નથી, માટે અંતર્દષ્ટિ કરો” ....(૨૩), ૬૧ “બ્રહ્મ-આત્મા છે એમ જોયા કરો" (૭), ..... ૧૬૩, ૧૮૫, ૨૩૯, ૩૪૧, ૪૩૫, ૪૫૫, ૪૬૭ “બોધની ખામી’ ....(૮), ૧૬૧ “ભૂલી જાઓ; સમજ્યા તે સમાઇ ગયા' ....૪૬૮ “વિચારો” ....૨૨૪ “વૃત્તિનો ક્ષય કરજો” ...૨૭૮ “વૃત્તિને રોકજો” ....૭૮ ‘“હવે બાળી-જાળી, દહાડો-પવાડો કરીને ચાલ્યા જાઓ’' ....૧૮૧ Page #659 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ અમને કૃપાળુદેવે પણ ૧૯૫૧ ની સાલમાં પત્ર લખ્યો હતો કે મરણ પહેલા તૈયારી કરી મૂકવી અને ૩૩૬ અમને તો કૃપાળુદેવની હયાતીમાં એટલો ઠપકો મળ્યો છે કે ૩૦૧ અમારી પથારી પાસે તે વખતે જેટલા હાજર હો તેટલાએ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' ના ઉચ્ચારથી, એ શબ્દોના પુદ્ગલથી આખો ઓરડો ભરી દેવો ૩૩૦ અમારે તો સત્ય કહેવું છે ... અમારે તો એક દષ્ટિ રાખવી છે, રખાવવી છે; તેનાથી જરા પણ જુદા પડવું નથી ... આમ બધે પ્રેમ વેરી નાખે છે તેને બદલે એક ઉપર આવી જવું . અમારે પણ સાચી માન્યતા થઈ તેથી બધું સવળું થયું ૪૫૪ અમે ઉપદેશ નથી કરતા, પણ એનું કહેલું સ્વાધ્યાય થાય તેમ કહી બતાવીએ છીએ.... અત્રે તો જ્ઞાનીનું કહેલું કહેવું છે ૭૦, ૧૨૪, ૧૩૬, ૧૫૦, ૧૬૦, ૧૭૪, ૧૮૦, ૨૦૯, ૨૮૬, ૨૯૭, ૩૦૩, ૩૩૦. અમે એકને માટે બધું મૂક્યું છે ૪૪૯ ૪૮૭ .... અમને મળેલું આપીએ છીએ. વીસ દોહા, ક્ષમાપના, આઠ ત્રોટક છંદ, છ પદનો પત્ર, આત્મસિધ્ધિ. કોઈ દહાડો આ ભૂલશો નહીં. કરવાનું શું છે? સમકિત. સમાધિમરણનું આ કારણ છે. કંઈ ન બને તો અમારા ચરણ અમારે પૂજાવવા નથી અમારે એવું બંધન કરવું નથી ..... ગુરુ છે તે છે. જે જેનો અધિકાર, અમે તો સાધક છીએ. માર્ગ બતાવી દઇએ ૩૦૧ અમારા દોષ પણ સંઘે અમને જણાવવા. યુવાન અવસ્થામાં અમારાથી થઈ શકે તેટલો ઉત્કૃષ્ટ ત્યાગ સેવેલો છે. ૪૬૯ વૃધ્ધાવસ્થાને લીધે કોઇ અપવાદ લીધેલ છે. પણ તેને અમે કૃપાળુદેવને મળ્યા, પછી બીજા સાધુઓ એમ કહેતા કે ૩૨૩ વાસ્તે અમને પશ્ચાતાપ જ છે. ૪૮૮ અમારાથી ન પળે તેનો અમને ખેદ રહે છે ૩૩૧ અમારું કહ્યું માની તેની કહેલી આજ્ઞા ઉઠાવશે તેનો અવશ્ય મોક્ષ થશે. ... ૨૯૬ અમારા કહેવાથી...... સંતના કહેવાથી સંત પાસેથી ..... સંતના મુખથી શ્રવણ કરી સંત સમાગમે સંતના યોગે .... પરિશિષ્ટ ૭ સૂચિ ૧ પરમ કૃપાળુદેવ તથા મહામુમુક્ષુઓના સંસ્મરણો અને પ્રાસંગિક પોતાની વાત (અંક પૃષ્ઠના છે. કૌંસમાં આપેલા અંક જીવનચરિત્ર પૃષ્ઠના છે) .... ..... .... અમે ઢૂંઢિયા હતા, મોટા સાધુ હતા; પણ પરમ કૃપાળુદેવના સમાગમથી સમજી ગયા કે ૪૭૫ અમે તો આ યથાતથ્ય સદ્ગુરુના ભકતના દાસના દાસ છીએ ૨૬, ૮૨, ૯૬, ૧૮૦, ૩૩૫, ૪૦૫ પરમ પુરુષના આશ્રિતના સમાગમે ..(૬૪), (૬૫), અમે તો ગુરુ થતા નથી. પણ સદ્ગુરુને બતાવી દઇએ છીએ (૬૩), (૬૪), (૬૫), ૮૨, ૯૩, ૯૬, ૯૭, ૧૩૩, ૨૫૭, ૨૭૦, ૨૭૧, ૨૭૨, ૨૭૩, ૨૯૩, ૨૯૬, ૩૦૧, ૪૩૫, ૪૩૬. ૪૪, ૫૨, ૫૮, ૮૪, ૮૬, ૯૦, ૯૩, ૧૧૮, ૧૧૯, ૧૨૧, ૧૨૨, ૧૨૪, ૧૨૯, ૧૩૬, ૧૩૭, ૧૯૭, અમે તો ત્રણે પર્યુષણ પર્વ કર્તવ્ય સમજીએ છીએ ૨૮ ૨૨૯, ૨૭૨, ૨૭૩, ૨૯૨, ૨૯૬, ૩૦૧, ૩૦૮, ૩૧૬, ૩૧૭, ૩૩૨, ૩૪૯, ૩૫૮, ૩૬૯, ૪૦૩, ૪૧૮, ૪૪૬. અમે તો માત્ર બે બોલ કાનમાં પડે તેટલા માટે પરાણે સભામાં આવીએ અને ૨૮૮ અમે કૃપાળુદેવને મળ્યા પહેલાં સૂત્રો ભણતા તે ઉપર પાછા ચર્ચા કરતા અને .... ૩૨૪ અમે કૃપાળુદેવની હયાતીમાં આમ દિવસો ગાળતા હતા ૨૬૨ .... Page #660 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૭-સૂચિ ૧ ૫૬૧ અમે પણ પરમકૃપાળુદેવને આમ કહેતા હતા .... ૪૫૪ કહેવું તો ન જોઇએ, પણ સમજવા માટે કહું છું. અમે જ અંબાલાલભાઈ આંગળીઓ પર અંગુઠો ફેરવતા તેમ હું કોઇ અહીં પાટ પર સાંજે બધા બારણા વાસી બેસીએ છીએ. વખત આંગળા હલાવું છું તે જોઈ કોઈ તેમ કરીને પોતાને વિચારીએ છીએ કે જાણે મરી ગયા હતા; ૩૩૬ જ્ઞાની માને તો .... ૩૧૯ કોઈ પણ વસ્તુનો આગ્રહ કરવા યોગ્ય નથી. દષ્ટિરાગને અંબાલાલભાઈ, સોભાગભાઈ જેવા બધા ગયા પણ હારે લીધે અમેય કૃપાળુદેવને કહેલ કે ચિત્રપટ નહીં તો કાગળ કાંઈ ગયું? ૧૯૫ ઉપર માત્ર .... ૩૦૧ અંબાલાલભાઈ સોભાગભાઈ નિધાનની જેમ ભરેલા હતા. કોઈને ધક્કો ન દેવો. કૃપાળુદેવે કહેલું અમને સાંભરે છે. જે વખતે કાઢે તે વખતે હાજર! એની વાતો કરનાર પણ એમની સેવામાં ખંભાતના શ્રી અંબાલાલભાઈ રહેતા હતા કોણ છે? ૧૬૧-૨ તે .... ૨૭૮ આ અવસર જાય છે. માટે ચેતો, જાગો ..... હવે ક્યાં છે. કૃપાળુદેવ અમને તથા દેવકરણ મુનિને કહેતા હતા કે તમારી અંબાલાલભાઈ, સોભાગભાઈ, મુનિ મોહનલાલજી? વારે વાર. પણ દેવકરણજી પોતાના ડહાપણમાં રહેતા લાવો, ક્યાં છે? ૧૬૧ હતા. તેમને હું કહું ખરો પણ... છેલ્લી વાર આખરે આ આશ્રમની શરૂઆતમાં અમારી સેવાપૂજા થયેલ, પુષ્પો દેવકરણજીના ડહાપણનો ભૂસાડીયો થઈ ગયો અને કહ્યું પણ ચડાવવામાં આવેલ. તે જ વખતે અમને તે ઝેરરૂપ કે હવે ગુરુ મળ્યા, ફળ પામ્, રસ ચાખ્યો .... ૧૭૪ જ હતું. પરમાર્થના હેતવશાતુ. તે ચલાવવામાં આવેલ. કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રની સેવાપૂજા કરવાં તે શ્રી સંઘ અમારા માબાપ છે, એટલે તેમની પાસે આજે આ કુપાળદેવ સિવાય અમને કશું જ નથી. રોમરોમ તે જ છે. જણાવી દઈ અમે છૂટા થઈએ છીએ. ૪૮૮ ફક્ત તેના પ્રત્યે જ સર્વેને લઈ જઈએ છીએ. ૪૮૮ ‘આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે' એ શ્રવણ કૃપાળુદેવના પ્રથમ સમાગમમાં આત્માનો નિશ્ચય નયે કરજે, લક્ષ રાખજો, ધ્યાનમાં લેજો ૧૮૦.. બોધ થવાથી બાહ્ય દયા અને ક્રિયા છોડી દીધેલાં આત્મજ્ઞાન હોય તે જ સત્. કંઈ કોઈને દેખાડવા માટે કહેવું .... ૩૨૭. નથી ૪૭૬ કૃપાળુદેવની કૃપા કે તેમણે આપેલા વચનો તે કૂંચી મળી ને આત્મા જેવો .... પરમકૃપાળુદેવે અમને તે કહ્યું હતું. તેમાં કામ થઈ ગયું! ૧૭૦ પોતે પણ આવી ગયા એમ કહ્યું હતું ૩૪૧ કૃપાળુદેવની શક્તિ અનતી હતી અને અમે એમને પકડી બેઠા આત્મા સિવાય બીજું કંઈ જોવું નથી. છે તે છે. કાઢયો જાય હતા. પરંતુ તેમને કહ્યું કે .... ૪૪૧ તેમ નથી ૪૦૫ કૃપાળુદેવે પ્રથમ ચાર જણને જ આત્મસિધ્ધિ આપી ૩૧ આત્માના હિત માટે સાધન-મંત્ર, ક્ષમાપનાનો પાઠ વગેરે– હતી, બીજા કોઈને વાંચવાની સાંભળવાની, મુખપાઠ સૌભાગ્યભાઈએ તે સાધન મુમુક્ષને આપવા કરવા આપવાની મનાઈ હતી. માત્ર સૌભાગ્યભાઈએ પરમકૃપાળુદેવ પાસે રજા માગી ત્યારે તે મૌન રહ્યા. એનું માહાત્મ જાણ્યું હતું. આત્મા આમાં આપ્યો છે અમે કહ્યું ત્યારે અમને તે બીજાને આપવા રજા આપી એમ તેમને સમજાયું હતું ૩૭૦ ૩૪૯ કૃપાળુદેવે એવો એવો મર્મ મૂક્યો છે કે તેની ખૂબી હવે આત્માને મૃત્યુમહોત્સવ છે, એક મૃત્યુમહોત્સવ છે ૪૦૪ સમજાય છે. મોટો ઉપકાર એનો; નહીં તો આ સ્થિતી આશ્રમમાં નથી જવું એવો કોઈ પ્રતિબંધ અમને નથી, અને કયાંથી? આ બધું એને લઈને છે .... ૩૦૦ એ જગા પણ રૂડી એકાત્તાની છે. પણ કપાળુદેવની કેવા કેવા પાગ કપાળદેવની કેવા કેવા હતા! અંબાલાલભાઈ, સોભાગભાઈ, મુનિ દષ્ટિએ વિચરવું છે; અને... ૨૭૮ મોહનલાલજી એવા એવા પણ બધા ગયા માટે .... ૧૭૮ ... એ મીઠી વીરડીનું પાણી છે. એણે (પરમકૃપાળુદેવે) કોઈએ ‘લઘુ” નામ આપ્યું છે તે સારું કર્યું છે. લઘુતા જ કહેલાં વચનો સ્મૃતિમાં હોય તે કહેવાં છે. કંઈ શાસ્ત્ર કે રાખવાની જરૂર છે. પણ મનમાં માન વેદાય તો લઘુ કહો સપુરુષની વાણીથી વિરુધ્ધ જાય તેમ હોય તો કહેવું કે ગમે તે કહો પણ કંઈ કામનું નથી ૩૩૦ ગમે તેમ કરીને શુભ નિમિત્તમાં રહેવું છે અને કાળક્ષેપ કરવો ‘એહિ નહીં હૈ કલ્પના.... તબ લાગેંગે રંગ' એવો રંગ છે. બીજું કરવું છે શું? ૩૨૦ સૌભાગ્યભાઈને, જઠાભાઈને અમને લાગેલો ૨૮૦ ગમે તેવો ભયોપશમવાળા અંબાલાલ દેખાતા પણ તેમના ૩૨૦ Page #661 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ કરતાં આની (છોટાલાલભાઈની) સરળતા ઓછી નહીં. એને લઈને બધાની દેવગતી થઈ ૨૯૪ ચતુરલાલજીને વેદાન્તની અસર હજી રહી છે તેથી તે તદ્દન શુષ્કજ્ઞાની થઈ ગયો છે. ઓછી સમજવાળાને વેદાન્ત એકલા નિશ્ચયનયનું એટલે ઠીક ગોઠી જાય છે. અને તેની પકડ કરી બેસે છે. અનેકાન્તદષ્ટિ સૂક્ષ્મ છે. ૩૨૭ જે જીવોને પરમકૃપાળુદેવની શ્રદ્ધા થઈ છે તેમના પ્રત્યે અમને પૂજ્ય ભાવ થાય છે, કારણ સત્યને વળગ્યા છે. પહેલાં અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અગુરુ લઘુ... એવા બોલ મોઢે કરેલા, પણ ૩૩૪ પહેલાં અમે પણ વાંચતા હતા, પણ અંજન ભરી આપ્યું ત્યારે સમજાણું .. .... ૨૩૩ ૩૫૯ જો તબીયત ઠીક હોય તો વાત વિસ્તારથી એવી કરવી છે કે આ જીવોને સર્વ સાથે મેળાપ, અને ‘સર્વાત્મમાં સમદષ્ટિ, થાય ૪૮૧ પ્રથમ અમે નવલકથાઓ રાસ વગેરે સંસારમાં રહી વાંચતા. પછી દીક્ષા લીધી ત્યારે... કથાઓ વાંચતા રસ પડતો. કૃપાળુદેવ મળતાં તે પણ વાંચવાની ના કહી ૪૪૧ જ્ઞાની પુરુષનો આશ્રય મહાભાગ્યે પ્રાપ્ત થાય છે. આપણને કૃપાળુદેવનો આશ્રય પ્રાપ્ત થયો છે તે કાંઇ ને‘પ્રભુ' એ તો બહુ સરસ શબ્દ છે. આપણને તો એની કાંઇ પૂર્વ કર્મના સંયોગે થયો છે ને? તે જો સાચી દષ્ટિ થઈ હોય તો એક કુટુમ્બ જેવું લાગે. કુટુમ્બમાં જેમ એક .... ૨૯૨ ૨૮૭ આજ્ઞાએ એ શબ્દ હિતકારી છે ભરતજી તથા ગાંધીજી બન્નેને ઉદય હતો. પરંતુ સમતાસમકિત છે તેને ઉદય નવીનબંધનો હેતુ નથી; બીજાનો ઉદય સંસાર વધારનાર છે. .... ૩૫૩ ભાવ એ સદા હાજરાહજુર છે. ભાવથી બંધન કે મોક્ષ થાય તમારી પાસેથી અમારે કંઈ લેવું નથી, અમારા કરવા નથી, કંઠી બાંધવી નથી, કે બીજો ધર્મ મનાવવો નથી ૪૬૧ દેવકરણજી જેવાને માન પોષાય કે મારો કંઠ કેવો સારો છે, મારા જેવું કોણ બોલી ને ગાઈ શકે... લો, આ બગડયું અને બીજું જ માંહી ઘાલ્યું. જે સમજવું છે તે ન સમજાણું ૨૨૫ છે. તે ભાવનું ઓળખાણ સત્પુરુષ પાસેથી સાંભળેલી મહાઅગત્યની આ વાત છે; પણ .... ૩૪૦ માનવદેહ દુર્લભ છે; ... શ્રી દેવકરણજી અને શ્રી જૂઠાભાઈ, એમને સત્પુરુષનો યોગ મળ્યો પણ આયુષ્યની ખોટ આવી. .... ૨૬૧ પરિશિષ્ટ ૭-સૂચિ ૧ દેવકરણજી મહારાજ પણ આમ કહેતા ‘“મરમમાં શું કરવા કહેતા હશે ? ઉધાડું કહી દે તો કેવું!'' જ્ઞાની તો સાગર જેવા ગંભીર હોય છે. યોગ્યતા આવ્યે કહે ૪૬૪ ધર્મ તો રાગદ્વેષથી મુકાવું તે છે. કંઇ અમારે કંઠી બાંધવી નથી કે બીજું કંઇ મનાવવું નથી. આત્માને મનાવવો છે ૪૫૬ ધારશીભાઇનો ક્ષયોપક્ષમ સારો હતો. અમારા તરફ પ્રાણ પાથરે તેવો તેનો પ્રેમ હતો ૩૧૯ પરમકૃપાળુનો માર્ગ જયવંત વર્તો એ જ અમારી દષ્ટિ છેજી... ૫૫ પરમકૃપાળુદેવ પરમાત્મા પ્રત્યે અખંડ પ્રેમ, એકતારપણું ઇચ્છતા હતા. એવી એકતાર ભક્તિ એ જ માર્ગ છે ૪૪૪ પરમકૃપાળુદેવે અમને કેટલો વિરહ સહન કરાવ્યો હતો, તે તો અમારું મન જાણે છે ૨૬૬ પરમકૃપાળુદેવે કહ્યું હતું “મુનિઓ, આ જીવને (પ્રભુશ્રીને) સમાધિમરણ સોભાગભાઈને પેઠે થશે'' .... ૪૦૪ સોભાગભાઈને ધ્યાન હતું તે જ છે પરમકૃપાળુદેવે ‘સમાધિશતક' આપ્યુ તેમાં સ્વહસ્તે લખી આપ્યું : ‘આતમભાવના ભાવતા જીવ લહે કેવળજ્ઞાન .... ૪૭૧ રે' પરમકૃપાળુદેવે સૌભાગ્યભાઈને કહીને મોકલ્યા કે મુનિને આ પ્રકારે કહેજો .... ૪૮૯ મુનિ મોહનલાલજીને આખરે ઘણી વેદના હતી, તો પણ ઓળખાણ થઈ હોય તો ભાવ તો સાથે જ હતો ૩૪૦ મુનિવર શ્રી દેવકીર્ણજી આત્માર્થી, મોક્ષ-અભિલાષી હતા. તેમને આત્મસ્વરૂપનો લક્ષ લેવાની ઇચ્છા હતી, તે ગુરુગમથી મળી હતી. ..... પ ... રાત્રે પાણી ટૂંઢિયા ન રાખે જરૂર પડે તો .... શાસ્ત્રમાં તેવી સંકડાશ કેમ રાખી હશે ? તેવી આચારાંગ વાંચતા શંકા અમને થયેલી તે દેવકરણજી અને અમે પુછાવેલ તેનો આ ઉત્તર .... ૨૮૨ વીસ દોહા તે બધું કરાવશે. તે મંત્ર છે. ઘણી મુશ્કેલએ જ્ઞાનીઓ પાસે સાંભળવાનુ કદીક મળતું તે અમે ઉઘાડી રીતે કહીએ છીએ .... ૪૭૦ સમાગમ કરતાં વિરહમાં વિશેષ લાભ છે, એમ પણ જ્ઞાની પુરુષે જોયું છે; તે અમે પણ સદ્ગુરુ સમીપે સાંભળ્યું છેજી .... ૨૭ Page #662 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૭-સૂચિ ૨ સર્વશાસનો સાર, તત્ત્વોનો સાર શોધીને કહી દીધો છે. બહુ દુર્લભ ....કૃપાળુદેવે આખ્યું છે વિશ્વાસ હોય તો કર્યું, .... ૩૮૮ સ્થિતિકરણ !-પરમકૃપાળુદેવે આ પામર જીવ ઉપર કેટલો ઉપકાર કર્યો છે ! કેવા કેવા મિથ્યાત્વમાંથી છોડાવી કયાં ઊભો રાખ્યો છે! .... ૨૯૦ ૫૬૩ સોભાગભાઈ, અંબાલાલભાઈ વગેરેની માન્યતા, જુદી હતી. તેવું થવું જોઇએ. ૪૫૨ સોભાગભાઈના મરણ વખતે તેમનો ઉપયોગ આ ‘શુદ્ધ, બુધ્ધ,' ગાથામાં હતો .... ૩૧૮ સોભાગ્યભાઈના મરણ વખતે ‘સહજાત્યસ્વરૂપ’ સંભળાવતા .... ૨૮૪ અંબાલાલભાઈ .... પરિશિષ્ટ ૭ સૂચિ ૨ સંતની શિખામણ એક પરમાણુદેવ - 99 Q ભકિતભાવ-ઓળખાણ-સ્મરણ-સાંભર-ચિંતવન શ્રવણ કરતાં વિજ્ઞાનપણું આવે. રુચિ-વહાલપ-પ્રીતિભાવ-પૂંમભાવ-ઉલ્લાસભાવપરમકૃપાળુ સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના વચનવાર્થી-શબ્દનું શ્રવણ-માગવું– સાંભળવું-કાને પડવું ૪૪, ૧૧૬, ૧૧૫, ૧૧૮, ૧૪૭, ૧૫૫, ૧૫૯, ૧૬૩, ૧૬૪, ૧૬૭, ૧૩૧, ૧૭૨, ૧૮૦, ૧૮૧, ૧૯૧, ૧૯૨, ૧૯૬, ૧૯૭, ૨૪૮, ૨૫૧, ૨૫૪, ૩૩૮, ૩૪૬, ૩૬૬, ૩૭૭, ૩૮૦, ૩૮૨, ૩૮૬, ૩૮૯, ૩૯૭, ૩૯૭, ૩૯૯, ૪૦૬, ૪૨, ૪૪૯, ૪૯૨, ૪૯૩, ૪૯૫. પરપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રની વાણી-વચન-બોધ શિખામણ નમસ્કાર ધ્યાન. (૬૫), (૩૯), ૫, ૬, ૮, ૯, ૧૫, ૧૮, ૪૦, ૪૨, ૪૩, ૪૫, ૪૭, ૫૨, ૫૮,૬૩, ૬૫, ૭૪, ૮૩, ૮૪, ૮૯, ૯૦, ૯૩, ૯૬, ૧૦૧, ૧૦૪, ૧૦૫, ૧૦૬, ૧૦૯, ૧૧૧, ૧૧૩, ૧૧૪, ૧૨૧, ૧૨૪, ૧૨૭, ૧૨૯, ૧૩૨, ૧૩૩, ૧૩૭, ૧૩, ૧૯૬૪, ૧૬૯, ૧૭૪, ૧૭૯, ૨૦૩, ૨૦૬, ૨૬૯, ૨૭૩, ૨૭૯, ૨૯૧, ૨૯૨, ૩૩૮, ૩૩૯, ૩૪૨, ૩૪૯, ૩૫૦, ૩૫૧, ૩૫૮, ૩૫૯, ૩૬૫, ૩૬૭, ૩૬૮, ૩૭૪, ૩૭૯, ૩૮૨, ૩૯૨, ૩૯૩, ૪૦૩, ૪૦૪, ૪૦૫, ૪૦૯, ૪૧૩, ૪૧૭, ૪૧૮, ૪૧, ૪૨૩, ૪૨૫, ૪૩૩, ૪૩૭, ૪૪૪, ૪૪૫, ૪૫૧, ૪૮૦, ૪૮૯, ૪૯૩, ૪૯૬. ૭, ૨૬, ૪૮, ૫૦, ૬૪, ૬૩, ૩૩, ૭૪, ૭૮, ૭૯, ૮૨, ૯૦, ૯૫, ૧૦૩, ૧૧૯, ૧૨૦, ૧૨૩, ૧૨૪, ૧૨૮, ૧૩૪, ૧૩૭, ૧૩૮, ૧૪૩, ૧૪૨, ૧૮૭, ૧૮૯, ૧૯૧, ૧૯૨, ૨૦૦, ૨૦૮, ૨૧૦, ૨૩૬, ૨૪૩, ૨૭૪, ૨૮૨, ૨૯૨, ૩૧૨, ૩૧૯, ૩૨૭, ૩૪૦, પરમકૃપાળુ સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનો નિશ્ચય આશ્રય શરણ આશરો-આધાર. (૬૪), (૭૯), ૩, ૪, ૫, ૧૧, ૧૩, ૪૨, ૪૫, ૭૦, ૩૪૧, ૩૪૫, ૩૪૬, ૩૪૮, ૩૬૦, ૩૬૧, ૩૬૨, ૩૬૭, ૩૭૯, ૩૮૨, ૩૮૬, ૩૯૨, ૪૦૨, ૪૦૩, ૪૧૦, ૪૧૧, ૪૧૩, ૪૨૫, ૪૨૬, ૪૩૦, ૪૩૭, ૪૪૪, ૪૫૦ ૪૫૧, ૪૬૨, ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૪૭૩, ૪૭૪, ૪૮૨, ૪૯૧, ૪૯૨, ૪૯૩, ૪૯૪, ૪૯૬, ૪૯૭. આત્મા જાણ્યો છે એવા સદગુરૂની શ્રધ્ધા છે તે સમકિત ૭૪, ૭૯, ૮૬, ૮૮, ૮૯, ૯૬, ૧૦૯, ૧૨૪, ૧૨૫, ૧૩૩, ૧૩૭, ૧૩૮, ૧૪૭, ૧૪૨, ૧૭૫, ૧૭૯, ૨૫૧, ૨૫૭, ૨૭૨, ૨૭૪, ૨૮૭, ૨૯૩, ૨૯૬, ૩૨૦, ૩૨૫, ૩૩૪, ૩૫૧, ૩૫૬, ૩૫૮, ૩૧, ૩૯૨, ૩૯૩, ૪૦૨, ૪૦૩, ૪૦૪, ૪૧૨, ૪૧૯, ૪૨૧, ૪૩૫, ૪૩૭, ૪૪૨, ૪૪૪, ૪૬૯. પરમકૃપાળુ સદ્ગુરૂ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણમાં સર્વ યોગ અર્પણ-સમર્પણ છે. માટે અવિચળ શ્રદ્ધા કરો. સાચાની કધ્ધાએ સાચાનું ફળ થશે. ખોટાની શ્રધ્ધા એ તેવું ફળ થશે. ૩૫૧ ૬, ૬૫, ૧૬૭, ૨૫૭, ૪૧૩, ૪૨૧, ૪૫૩, ૪૫૬. પરમકૃપાળુ સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ પ્રત્યે વિશ્વાસ-શ્રધ્ધા-પ્રતીતિ-આસ્થા-માન્યતા પકડ પરમકૃપાળુ સદ્ગુરૂ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુની આજ્ઞા શિક્ષા—ભલામણ Page #663 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪ પરિશિષ્ટ ૭-સૂચિ ૨. શિક્ષા-ભલામણ મેં તો આત્મા જાણ્યો નથી, પરંતુ પૂર્વના અનંત (૬૪), (૬૫), ૫, ૨૫, ૨૮, ૩૦, ૩૪, ૩૫, ૪૪, જ્ઞાનીઓએ તે આત્મા યથાતથ્ય જામ્યો છે, તેવો જ તે ૪૯, ૫૦, ૫૧, ૫૮, ૬૩, ૭૨, ૭૩, ૭૪, ૭૭, આત્મા, જેનું મને શરણ છે એવા જ્ઞાની સદગુરુ ભગવંતે ૧૧૩, ૧૧૮, ૧૩૭, ૧૪૩, ૨૦૦, ૨૨૩, ૨૫૯, યથાતથ્ય જાણ્યો છે, તે માટે માન્ય છે. તેવો જ સિધ્ધ ૨૭૨, ૨૭૩, ૨૯૧, ૨૯૨, ૩૩૮, ૩૪૯, ૩૫૦, સમાન મારો આત્મા શુધ્ધ છે. તે જ મારું સ્વરૂપ છે. તે ૩૫૧, ૩૬૯, ૩૯૪, ૪૦૪, ૪૧૩, ૪૧૫, ૪૧૭, જ મને પ્રાપ્ત હો! જ્ઞાનીને જે છે તે મને હો! આટલી ૪૨૧, ૪૨૨, ૪૨૪, ૪૬૫, ૪૪૦, ૪૪૨, ૪૪૫, અપૂર્વ વાત છે. ૩૫૬ ૪૪૬, ૪૭૩, ૪૮૯, ૪૯૦, ૪૯૬. ૩૩, ૬૫, ૭૨, ૧૦૯, ૧૧૦, ૧૧૨, ૧૧૮, ૧૩૧, તે જ્ઞાની પરમકૃપાળુ સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનો ૧૩૨, ૧૪૭, ૧૪૩, ૧૬૨, ૧૭૫, ૧૭૯, ૧૮૦, પ્રતાપ- પસાય-કુપા-કરુણા-દયા- બલિહારી- ૨૦૫, ૨૨૯, ૨૫૯, ૨૮૧, ૨૮૬, ૩૩૯, ૩૪૧, ઉપકાર. ૩૪૨, ૩૪૩-૪, ૩૪૭, ૩૫૧, ૩૫૫, ૩૫૬, ૩૫૮, ૮ ૧૧, ૧૩, ૧૬, ૨૩, ૪૯, ૭૪, ૭૯, ૮૯, ૧૦૯, ૩૫૯, ૩૬૬, ૩૬૩, ૩૬૯, ૩૯૧, ૩૯૩, ૪૦૩, ૧૨૧, ૧૩૦, ૧૭૦, ૧૭૮, ૧૮૭, ૨૦૨, ૨૧૨, ૪૧૭, ૪૩૯, ૪૪૪, ૪૪૫, ૪૪૬, ૪૫૬, ૪૬૦, ૨૩૬, ૨૪૩, ૨૪૯, ૨૫૦, ૨૫૭, ૨૬૨, ૨૯૦, ૪૬૧, ૪૮૯, ૪૯૦, ૪૯૩, ૪૯૯. ૨૯૧, ૨૯૭, ૩૦૦, ૩૦૮, ૩૧૨, ૩૧૪, ૩૧૯, હરતાં ફરતાં, બોલતાં ચાલતાં, જ્યાં નજર પડે ત્યાં એક ૩૨૫, ૩૩૪, ૩૩૫, ૩૪૬, ૪૦૧, ૪૦૨, ૪૦૩, આત્મા જોવાય તો કામ થઈ જાય. પરોક્ષ પણ માન્યતા ૪૦૪, ૪૮૩, ૪૮૮, ૪૯૦. એમ રહે કે મેં નહિ પણ મારા જ્ઞાનીએ તો આત્મા જોયો પરમકૃપાળુ સદ્ગુરૂ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનો છે, બસ તેવો જ મારે માન્ય છે. આત્મા સિવાય અન્ય મહિમા- માહાતમ્ય – ગુણ ગામ – સતુ તિ – કાંઈ મારું નથી. એમ પરોક્ષ લક્ષ રહે તો તેમાંથી પ્રત્યક્ષ સ્તવના-અહોભાવ. થઈ જશે. ૩૬૯. ૩, ૪, ૧૧, ૨૬, ૫૫, ૭૩, ૮૩, ૧૨૭, ૨૪૯, ‘હુ તો ન જાણું પણ જ્ઞાનીએ જાણ્યું' એમ માથે રાખે ૨૬૩, ૨૯૧, ૩૦૦, ૩૦૮, ૩૧૫, ૩૧૯, ૩૨૮, અને વાત કરે તો કર્મનો બંધ ન થાય. ૨૦૫ ૩૩૦, ૩૩૪, ૩૫૮, ૪૧૧, ૪૩૩, ૪૩૭, ૪૪૧, હું કાંઈ સમજું નહીં, પણ જ્ઞાનીએ જાણ્યું હોય તે મારે ૪૪૪, ૪૬૫, ૪૮૯, ૪૯૦. માન્ય છે એમ રહે તો તે ચાંલ્લો થયો. ૪૯૯ શ્રીમદ્ પરમકૃપાળુ દેવાધિદેવ સદ્ગુરૂદેવ શ્રી રાજચંદ્ર શુધ્ધ ચૈતન્યસ્વામી સહજાત્મસ્વરૂપ પરમગુરને ત્રિકાળ નમસ્કાર હો! ૩૭, ૩૯, ૬૫, ૮૩, ૧૦૧, ૧૧૨, ૧૧૩, ૧૧૪ ૩૫૯, ૪૩૯, ૪૯૯, Page #664 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૭ સૂચિ ૩ સંતનો સંદેશો-એક પરમકૃપાળુદેવ પરમાર્થનો દુકાળ આ જેવું તેવું નથી, સમજવા જેવું છે. આ તો કંદોઈની દુકાળ પડ્યો હોય છે ત્યારે દયાળુ શેઠિયાઓ ગરીબોને દુકાનની ખાજાંની ભૂકરી, સત્પષનાં વચનામૃત છે તે ખાવાનું મળે તેવી સગવડ કરે છે. તેમ આ કાળ તે ... આવો જોગ સત્સંગનો કયાંથી હોય? ૨૦૯ કળિયુગ છે. પરમાર્થનો દુકાળ પડડ્યા જેવું છે. આવા ગમે તેટલા દુ:ખ વેઠવાં પડે, ધનની હાની થતી હોય, કાળમાં જ્ઞાની પુરુષોનો બોધ તે સદાવ્રત જેવું છે. તે જ અપમાન થતું હોય તો પણ સત્સંગ-સમાગમ કરતા આધાર છે, એવું દઢ થવું જોઇએ. .... ૪૬૧-૨ રહેવા ભલામણ છે. તે ભૂલશો નહિ. હૃદયમાં ઊંડા ઊતરી ખાની ભૂકરી વિચારશો અને આ જીવ બિચારો મનુષ્ય ભવ હારી ન દુકાળના વખતમાં કેટલાક મજૂરો ટોપલા અને કોદાળી લઈને જાય તે માટે તેની દયા ખાવા યોગ્ય છે. આવો અવસર મજૂરી કરવા જતા હતા. તેમને જોઈને કંદોઈની બીજા કોઈ ભવમાં મળવો અત્યંત દુર્લભ છે. માટે ચેતી છોકરીએ તેના પિતાને પૂછયું કે ... ત્યારે તે છોકરીએ જજો. ૧૪૦ કહ્યું કે ‘આ ખાજાંની ભૂકરી ખાય નહિ?' કંદોઈએ ગુરુ કહ્યું, ‘એ તો તને મળે, પણ એમને ક્યાંથી મળે?” ગુરુને નામે જીવ ઠગાયો છે ૬૯ તેમ સત્સંગનો દુકાળ છે, તે શોધ્યો પણ મળવો મુશ્કેલ છે, ... ધીંગ ધણી તો માથે છે. પણ છે તેનો ભૂલાવો છે. જ્ઞાની પણ જેને પૂર્વના પુણ્યવડે સત્સંગ મળ્યો છે તેને એમ ન હોય, ગુરુ ન હોય, તેને ગર કહે! ૧૮૩ થાય કે, બધા આવો સભંગ ન કરે ? પણ પુણ્ય વિના જગતમાં ગુરુ ઘણા છે, સાધુ ઘણા છે; પણ કૂંચી તો સત્સંગ કરવો ય સૂઝે એમ નથી, તેમ મળવો પણ દુર્લભ સદ્ગુરુના હાથમાં છે. ૪૯૯ છે. ૧૯૩ આત્માનું રૂડું થાય તો સાચા ગુરુથી. તેની ઓળખાણ નથી સતસંગ થઈ. ઠેર ઠેર ગુરુ હોય છે અને કરે છે તે નહિ. કરે તેનું ફળ સત્સંગ, સત્સંગ ઘણા કહેવાય છે; પણ નામ લક્ષ્મી, નામ મળે; પણ મોક્ષ ન થાય ૧૮૨ ધનપાલ એમ નહિ, પણ યથાર્થ સત્સંગ છે, ત્યાં સદ્ગુરુ કહે તે ખરું. પણ આજે ગુરુ ઘણા થયા પડ્યા છે. આત્મા છે. .... ૧૨૭ બોધ જોઇશે, બોધ હશે તો હથિયાર મૂઠથી પકડાય તેવું થશે; .. સદગુરુ વગર મોક્ષની આશા રાખશો નહીં, જગતમાં ગુરુ નહીં તો હાથ કપાઈ જાય. .... ૪૫૪ ઘણા છે, તે નહિ. તે છે તે જ, બીજો નહિ. ૧૬૮ આ બધું સત્સંગ વગર નહીં થાય. આ વચન જ્ઞાનીનાં છે; અમે તો ગુરુ થતા નથી..... આ વાત કરી તે પણ એ જ, કોઈના ભાર નથી કે સત્સંગ અમે તો ગુરુ થતા નથી. પણ સરને બતાવી દઇએ વગર પામે. સમાગમમાં આવે, ખાસડાં પડે, ભાલોડાંનો છીએ .... ૨૯૬ વરસાદ પડે તો પણ ન ખસે ત્યારે બને ... ૨૪૬ ધીંગો ધણી એક પરપાળદેવ અમે જે કર્યો છે તે તમારા આત્માની યથાર્થ વાત થતી હોય ત્યાં ગમે તે ભોગે જવું. ગુરુ છે; અમે પણ તમારા ગુરુ નહીં, પણ અમે જે ગુરુ કોડી સાટે રતન ન ગુમાવો ૪૫૫ કર્યા છે તે તમારા ગુરુ છે ... ૯૭. માનવ ન માનવું પોતાનું કામ છે. અત્રે તો જ્ઞાનીનું કહેલું (૬૩), (૬૪), (૬૫), ૮૨, ૯૩, ૯૬, ૯૭, ૧૩૩, કહેવું છે. જ્યાં આત્માર્થ હોય ત્યાં આત્માર્થે ખોટી ૨૫૭, ૨૭૦, ૨૭૧, ૨૭૨, ૨૭૩, ૨૩, ૨૯૬, થવું–બરછી અને ભાલા વરસતા હોય તો પણ ત્યાં ૩૦૧, ૪૩૫, ૪૩૬. ખોટી થવું; પણ અસત્સંગમાં મોતીના વરસાદ વરસતા અમે ઉપદેશ નથી કરતાં.... હોય તો પણ ન જવું. “વિરલા જ સપુરુષ વિચરે છે. અમે ઉપદેશ નથી કરતા, પણ એનું કહેલું સ્વાધ્યાય થાય તે સમાગમનો લાભ અપૂર્વ છે, એમ જાણીને જીવે.” તેમ કહી બતાવીએ છીએ..... ૩૦૩ (વચનામૃત કમાંક ૭૮૩) ૨૦૯ ૭૦, ૧૨૪, ૧૩૬, ૧૫૦, ૧૬૦, ૧૭૪, ૧૮૦, ૧૫૧ Page #665 -------------------------------------------------------------------------- ________________ ૫૬૬ પરિશિષ્ટ ૭-સૂચિ ૩ ૨૦૯, ૨૮૬, ૨૯૭, ૩૦૩, ૩૩૦. આ (આશ્રમ) તીર્થક્ષેત્ર સાથી છે? અહીં આત્માની જ વાત અમારુ કહ્યું માની.... થાય છે. સૌથી પ્રથમ જરૂર શાની છે? શ્રવણની. અમારું કહ્યું માની તેની કહેલી આજ્ઞા ઉઠાવશે તેનો અવશ્ય વળે નાણે વિનાને' શ્રવણથી વિજ્ઞાનપણું થાય છે. મોક્ષ થશે. ... ૨૯૬ સત્સંગથી બોધ શ્રવણ થાય છે. સત્સંગમાં અલૌકિક અમારા કહેવાથી.. ભાવ જોઈએ. લૌકિક ભાવ થઈ જાય ત્યાં અપૂર્વ હિત સંતના કહેવાથી ... થાય નહિં. .... ૩૪૬ સંત પાસેથી ..... આ જગા કેવી છે, જાણો છો? દેવસ્થાન છે! અહીં જેણે સંતના મુખથી શ્રવણ કરી ...... આવવું તેણે લૌકિકભાવ બહાર, દરવાજા બહાર મૂકીને સંત સમાગમે ..... આવવું, અહીં આત્માનું યોગબળ વર્તે છે ૨૬૯ સંતના યોગે ..... પરમકૃપાળુ દેવે પ્રરૂપેલ સનાતન જૈન વીતરાગ માર્ગની પરમ પુરુષના આશ્રિતના સમાગમે .....(૬૪), (૬૫), પુષ્ટિ માટે જ આ આશ્રમ છે .... ૪૮૮ ૪૪, ૫૨, ૫૮, ૮૪, ૮૬, ૯૦, ૯૩, ૧૧૮, ૧૧૯, આ આશ્રમ કેવું છે! અહીં તો માત્ર એક આત્માની વાત છે. ૧૨૧, ૧૨૨, ૧૨૪, ૧૨૯, ૧૩૬, ૧૩૭, ૧૯૭, પોતાના આત્માને ઓળખો .... ૪૩૨ ૨૨૯, ૨૭૨, ૨૭૩, ૨૯૨, ૨૯૬, ૩૦૧, ૩૦૮, આ આશ્રમમાં કપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રની આણ વર્તે છે. ૩૧૬, ૩૧૭, ૩૩૨, ૩૪૯, ૩૫૮, ૩૬૯, ૪૦૩, તે મહાન અદ્ભુત જ્ઞાની છે. આ પુણ્યભૂમિનું મહાત્મ ૪૧૮, ૪૪૬. જૂદું જ છે. અહીં રહેનારા જીવો પણ પુણ્યશાળી છે... એક પરમકૃપાળુ દેવ.. અહીં તો આત્માના ભાવ છે. આત્માના ભાવ છે તે જ .... બધા પુરુષ સરખા ગણી ગુરુભાવના ગૌણ ન કરવી; ઊંચામાં ઊંચી દશા પમાડે તેમ છે. ૪૩૩ પણ તેમાં દઢતા જ કરવી. એક જણના ઉપદેશથી આ જગ્યાએ કપાળુદેવની કૃપા છે કે સાંભળવાની જોગવાઈ આત્મહિત સધાયું છે, સધાય છે અને સધાશે. એવી દઢ થઈ. પુણ્યના ઢગલા બંધાય છે. જીવ જે દાઝ રાખે તો માન્યતા રાખવાથી આ ભવ સફળ થશે. આખા જગતના તરફ શિષ્યભાવ રાખવા જતાં મૂળ જે નિમિત્ત દ્વારા સન્દુરુષનું યોગબળ આત્મહિત ત્વરાથી થતું હોય છે અને જે જીવન દુષમકાળ છે. તેમાં ઘણા જીવનું લ્યાણ થશે-એક સદગુરુને અર્પણ થયું છે તે નિરર્થક ફાંફાં મારવામાં વ્યર્થ શ્રદ્ધાએ; જે કંઈ કર્તવ્ય છે તે પુરુષની દષ્ટિએ ન જતું રહે તે ધ્યાન રાખવા યોગ્ય છે. .... ૨૫૭ કરવા યોગ્ય છે. શ્રદ્ધા-કુશળતા થાય તેવું, ગુરુ સદ્ગુરુ પરમકૃપાળુદેવનું શરણ રાખવું. અમે પણ એના કુપાળુના યોગબળથી શાસન અત્રે વતશિ. કાળ અણુ દાસના દાસ છીએ. પોતાની કલ્પનાએ કોઈને ગુરુ માની ફિટણ (પ્રલય જેવો) આવ્યો છે. પણ આત્માર્થીને લેવા નહીં, કોઈને જ્ઞાની કહેવા નહીં: મધ્યસ્થ દષ્ટિ વૈરાગ્યનું નિમિત્ત બની જાય તેવું સનાતન જૈન શાસન રાખવી એક પરમાત્મા પરમકૃપાળુદેવને માનવા; તે જયવંતું, શાશ્વત છે. તેથી પાંચમા આરાના છેડા શ્રદ્ધા કરવી. તેને અમે પણ માનીએ છીએ, અમારા સુધીમાં ઘણા જીવનું કલ્યાણ થાય તેવું છે, હિત થાય અને તમારા ધણી જુદા ન કરવા. એ એક જ છે. એ તેવું છે. શું લખું? કહ્યું જાય તેમ નથી. એક આ જીવને ઉપર પ્રેમ કરવો, પ્રીતિ કરવી. .... ૯૬ જેમ બને તેમ શ્રદ્ધાના બળનું બહુ પોષણ કરવા જેવો ૫૮, ૬૯, ૮૬, ૯૦, ૧૨૪, ૧૨૯, ૧૩૩, ૧૩૬, અવસર આવ્યો છે. કરવું, કરાવવું અને અનુમોદવું ૧૩૬, ૨૫૭, ૩૦૧, ૩૫૮, ૩૮૨, ૪૦૩, ૪૧૧, કર્તવ્ય છે. ... ૮૫ ૪૧૮, ૪૪૪, ૪૪૫, ૪૮૭, ૪૮૮. (૬૪), ૭૯, ૮૫, ૨૬૯, ૨૭૦, ૨૭૪, ૩૨૦, ૩૩૫, આશ્રમ ૩૪૯ .. આ આશ્રમની જે વ્યવસ્થા થઈ છે તે એની (પરમકૃપાળુદેવની) કૃપાથી એના યોગબળે બન્યું છે. ૭૯ Page #666 -------------------------------------------------------------------------- ________________ પ૬૭ પરિશિષ્ટ- ૭ સૂચિ ૪ આત્માર્થ સાધન (અંક પૃષ્ટોના છે. કૌસમાં આપેલા અંક જીવનચરિત્ર પૃષ્ઠ સૂચવે છે.) સહજત્મસ્વરૂપ પરમગુર” (૬૫), ૪૮, ૧૨, ૬૩, આત્મસિધ્ધિશાસ્ત્ર (૧૧), ૯૦, ૧૦૨, ૧૨૮, ૧૨૯, ૬૫, ૧૦૫, ૧૨૯, ૨૫૯, ૩૦૮, ૩૩૦, ૩૩૭, ૧૩૨, ૧૩૫, ૧૫૯, ૩૬૮, ૩૭૦, ૩૮૮, ૪૧૧, ૩૩૮, ૩૯૨ ૪૧૫ ૪૮૧ ૪૬૯, ૪૮૫,૪૯૨ “સહજાત્મસ્વરૂપ” ૧૩, ૧૮, ૨૮, ૩૨, ૩૮, ૪૪, સાત વ્યસનનો ત્યાગ (૧૨), (૬૯), (૭૮), ૮૮, ૧૨૮, ૪૫, ૪૮, ૨૩, ૨૮૪, ૩૫૧, ૪૩૯,૪૪૩, ૪૪૬, ૪૮૫ ૪૮૯, ૪૯૦, ૫૦૦ સાત અભક્ષ્યનો ત્યાગ (૧૨), (૧૩), (૬૯), (૭૮), સ્મરણ મંત્ર-સદ્ગમંત્ર-મહામંત્ર-મંત્ર-મંત્ર પ્રસાદી ૩૩૦, ૩૩૧ (૧૦), (૧૩), ૪૪, ૫૧, ૧૨, ૧૦૫, ૧૮૦ ૩૧૮, ચિત્રપટ-મુદ્રા-મુદ્રા છબી-મુખમુદ્રા-મુખાકૃતિ૩૧૯, ૩૪૦, ૩૪૯, ૩૫૧,૪૮૯ છબી (૬૪), (૬૫), (૭૧), ૮, ૧૬, ૪૨, ૫૧, સ્મરણ-સમરણ-સદ્ગુરુ સ્મરણ-સ્મૃતિ ૧૮, ૨૮, ૧૨૮, ૧૯૭, ૨૬૨, ૨૬૯, ૨૭૨, ૨૭૩, ૩૦૧, ૩૨, ૪૫, ૧૨, ૬૫, ૯૦, ૧૦૫, ૧૧૨, ૧૧૪, ૩૦૨, ૩૦૩, ૪૪ ૧૨૮, ૧૭૫, ૧૯૨, ૨૨૬, ૩૧૮, ૩૪૦, ૩૬૬, “આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે” (૮), ૩૬૭, ૪૦૫, ૪૧૫, ૪૪૩, ૪૪૪, ૪૮૯. ૧૮૦, ૧૮૯, ૨૦૪, ૨૩૨, ૨૪૮, ૩૩૭, ૩૬૬, ભક્તિના વીસ દોહરા (દુહા) ૧૨૮, ૧૨૯, ૧૮૭, ૨૬૨, ૩૭૮, ૩૯૪, ૩૯૬, ૪૬૫, ૪૭૧, ૪૭૭, ૪૮૨, ૩૧૦, ૩૮૮, ૪૦૦, ૪૧૧, ૪૬૭, ૪૬૮, ૪૭૩, ૪૮૪ ૪૭૯, ૪૮૫. “પરમગુર નિગ્રંથ સર્વશદેવ” ૩૩૭ યમ નિયમ (આઠ ત્રોટક છંદ) ૩૮૮,૪૬૯ દિવાળી ઉપર છત્રીસ છત્રીસ માળાઓનો કમ ૩૩૬, ક્ષમાપનાનો પાઠ (૧૩), ૧૨૮, ૧૨૯, ૨૬૨, ૩૪૯, ૩૩૭ ૩૮૮,૪૧૧, ૪૬૯,૪૮૫ દેવવંદન (૭૮), ૧૮૬, ૧૯૧, ૩૪૧, ૩૮૮ છ પદનો પત્ર-છ પદની દેશના છ પદ (૯), ૩૯, ૧૨૮, ૧૨૯, ૧૯૩, ૨૭૬, ૩૭૦, ૩૮૮, ૪૬૮, ૪૭૯, આલોચના ૯૬, ૧૦૩, ૧૦૬, ૨૪૫, ૩૦૭, ૩૪૧, ૩૪૯, ૪૪૫ ૪૮૫, ૪૯૦. Page #667 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ પરિશિષ્ટ-૮ લઘુરાજપ્રશ્ન સૂચિ-૧ (વાંચન-સ્વાધ્યાય-ચર્ચા વખતે થયેલા પ્રસ્નોત્તરની સમિપવ મુમુક્ષુઓએ યથાશક્તિયથાસ્મૃતિ લીધેલી નોંધના સંગ્રહમાંથી) (પ્રશ્નના અંતે દર્શાવેલ આંક પૃષ્ઠના છે) અજ્ઞાન છે ત્યાં આત્મા નહોતો? ૧૭૧ છે! અમુક પ્રકારનો આહાર...... વગેરે અભિ અજ્ઞાન શું છે? ૩૭૬ ગ્રહમાં શું આવ્યું? ૨૯૩ અજ્ઞાની હતા તે જ્ઞાની શી રીતે થયા? ૩૭૭ અંબાલાલભાઈ, સોભાગભાઈ જેવા બધા ગયા, પણ અઢાર દૂષણ રહિત કેવો એ દેવ!? ૨૮૨ હારે કંઈ ગયું? ૧૯૫ અત્યંત દુઃખે કરી આર્ત હોઈએ, કોઈ આરો ન હોય આ આશ્રમ કેવું છે? ૪૩૨ ત્યારે શરણું કોનું? ૪૧૮ આ (આશ્રમ) તીર્થક્ષેત્ર શાથી છે? ૩૪૬ અત્યારે મનુષ્યભવમાં છે કંઈ? ૧૬૭ આ આત્મા, આ ય આત્મા, દ્રષ્ટિ કયાં? ૧૫ર અધૂરાં સૌએ મેલ્યા; પણ પૂરાં કોઈએ કીધાં? નિવડો આ કાયા તે મારી નથી, વચન, મન પણ મારા નથી. કેમ આવે? ૧૯૯ હું એથી ભિન્ન આત્મા છું. તો શું તેને ન રાખવાં? અધ્યાત્મજ્ઞાન જીવને શાથી થાય? ૧૯૨ ૪૨૪ અનધિકારીપણું શું? ૪૫૬ આ ચાર બાબત ઉપર વિજય મેળવવો દુષ્કર કે દુર્લભ અનંતકાળથી ભ્રમણ કર્યું, બોધ પણ સાંભળ્યો છતાં છે. આ ચાર શા વડે જિતાય? ૩૨૯ કેમ નિવડો ન આવ્યો? ૪૧૯ આ છેલ્લા બે અક્ષર ભવસાગરમાંથી બૂડતાને તારનાર અનંત કાળથી સમકિત આવ્યું હશે કે નહીં? ૨૧૮ છે. તે શું છે? ૩૬૯ અનંતાનુબંધી શાથી ટળે? ૩૫૩ આ જગતમાં કોઈની ઈચ્છાની ભૂખ મટી? એ કોઈના અનાદિ કાળથી આડું શું આવે છે? ૪૬૫ હાથમાં છે? ૪૯૭ અનુભવ તે ગુરૂમુખથી સાંભળીને વેદાય તે કેમ? આ જગતમાં ચેતવાનું શું છે? ૨૫૦ ૧૪૭ આ જગતમાં પ્રેમ એ મહાન વસ્તુ છે!? ૪૩૯ અપ્રમત્ત કોને કહેવાય? ૩૬૧ આ જીવ અનાદિ કાળથી રખડુયો અને હજી ચેતશે “અબ ક્યોં ન વિચારતી હૈ મનમેં.' કોઈ વિચારતા જ નહીં, માયામાં લપટાશે તો પત્તો લાગશે? ૪૦૯ નથી. આનો અર્થ નથી સમજાણો. અને કોણ કહે આ જીવ ભટકે છે - સંકલ્પ વિકલ્પ, વાસનાથી. એમ છે? ૧૯૦ ઉપાય શું? ૪૬૨ અમે પણ પરમ કૃપાળુ દેવને આમ કહેતા હતા. આ જીવ સત્પરુષનો - જ્ઞાની પુરુષનો પ્રગટ ચોર છે તેમણે કહેલું કે પુરુષાર્થ કરવો પડશે, પોતાની એમ કહેવાય છે, એ વાત તમને કેમ લાગે છે? માન્યતા મૂકવી પડશે. એકલી સમજણ શું ૩૬૦ કામની? ૪૫૪ આ જીવનું ભૂંડું કોણ કરે છે? ૪૫૮ અમે વ્રત લીધું છે. બ્રહ્મચર્ય પાળીએ છીએ.” એ શું આ જીવને કર્તવ્ય શું છે? ૧૯૪ સાચું છે? ૩૯૭ ‘આ જ્ઞાની છે તે આ જ્ઞાની છે” એમ માન્ય કલ્યાણ અલ્પત્વ, લઘુત્વ અને પરમ દીનત્વ કયારે આવે? છે? કયે કાટલે તોલ કરવો છે? ૩૦૩ આ બધા જીવની પાસે છે શું? ૩૯૬ અસંગ-અપ્રતિબંધ આત્મા છે. એની રિદ્ધિ શું? ૪૮૨ આ બધાને મરણ તો એક વખતે જરૂર આવશે. તો તે અહીં માર્ગ મૂક્યો તે ખબર પડે છે? ૨૨૨ વખતે શું કરવું? ૩૯૨ અહીં સત્સંગમાં જ્ઞાની પુરુષના વચનો વંચાય છે, આ બધું કોણ દેખશે? ૨૦૨ વિચારાય છે ત્યાં શું થાય છે? ૩૪૬ આ બધું શાને લઈને મનાઈ રહ્યું છે? ૪૫૩ અંતરાત્મા કયારે થવાય? ૨૬૬ આ બધું શું? ૩૨૬ અંતરાય કર્મની પરીક્ષા માટે મહામુનિ કેવું કેવું કરે આ બધું શું છે? ૪૫૦ Page #668 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૮-સૂચિ ૧ ૫૬૯ આ “બહુ પુણ્ય કેરાનું પદ શું આશ્ચર્યકારક નથી? આત્મા ઉપર જેની દ્રષ્ટિ પડી તેનો બેડો પાર. ૨૨૫ પરિણામ શું નીકળે? ૧૯૮ આ બીજું બધું શું છે? ૧૯૮ આત્મા કેમ ઓળખાય? ૩૮૮ આ બેઠા છે તે બધાંને સૌથી પ્રથમ કરવા યોગ્ય છે તે આત્મા કેમ જોવાતો હશે? કેવો હશે? હવે આપણે શું શું? ૩૯૪ કરવું? ૧૯૯ આ ભવચક્રનો આંટો શાથી ટળે? ૪૯૩ આત્મા કેવો હશે અને કેમ જણાય? ૪૯૯ આ મનુષ્યભવ જશે, પછી શું કરશો? ૪૫૯ આત્મા, ચૈતન્ય એ કંઈ જ્યમયમ વાત છે!? ૩૮૯ આ મનુષ્યભવમાં જન્મ-મરણ વધાર્યાં વધે ને ઘટાડ્યા આત્મા છે? ૪૫૮ ઘટે શાથી? ૪૯૩ આત્મા છે - આ જીવને ઓળખાણ કરવાની છે. આ સંસાર ભ્રમણનું કારણ શું? ૪૩૬ જિનચંદ્રને કહો, આપે વચનામૃત વાંચ્યું છે? આ સંસારમાં મનુષ્યભવ પામીને શું કીધું? ૨૦૩ ૨૧૭ આખો સંસાર ત્રિવિધ તાપથી બળી રહ્યો છે. સર્વ આત્મા છે એવું મનાય, પછી પોતાને તે ઘરડો જીવો.... રખડી રહ્યા છે. ત્યાં હવે શું કરવું? માનશે? ૪૫૫ તેમાંથી બચવા શું કરવું? ૩૭૩ આત્મા છે તે કયાં રહ્યો છે? ૪૩૬ આખો સંસાર દુ:ખથી ભરેલો છે. તેનો પાર પામવા આત્મા છે, ભાવ છે, ઉપયોગ છે- દરેક પાસે ખામી આપણે શું કરવું? ૩૯૪ શાની છે? ૩૬૩ આગ લાગે-ઘર લાગે-ત્યારે કૂવો ખોદાવે તો એ આગ “આત્મા જાણ્યો તેણે સર્વ જાણું.’ ‘વાતે વડા ન થાય.” કેમ કરીને હોલવાશે? ૩૨૬ પરિણમે છૂટકો. પરિણમવું શું છે? ૧૯૧ આગમ જેમાં બધાં સમાયાં તે વસ્તુ શું છે? ૧૯૪ આત્મા જોવાની દ્રષ્ટિ આવે કયાંથી? ૩૭૫ આજ્ઞા એટલે શું? ૩૩૮ આત્મા જોવાય શી રીતે? ૩૬૪ આટલું બધું કર્યું! આ મનુષ્યભવ દુર્લભ છે. એવા આત્મા જોવાય શી રીતે? તે માટે શું કરવું? ૩૯૭ મનુષ્યભવ પણ મળ્યા. ત્યારે ખામી શી રહી આત્મા જોયો નથી. આત્મા નકરો જુદો એક જોવાનું ગઈ? ૩૭૭ કરવું જોઈએ. તે શાથી થાય? ૩૮૦. ‘માTU Nો, ગાળીતવો.’ બે પ્રકારે આજ્ઞા છે. આત્મા તો છે, છે ને છે: રખડે છે પર ભાવમાં તેને નિશ્ચયથી ગુરૂ આત્મા છે. પણ વહેવારમાં પણ (આત્માને) એક ઘર છે, સ્વભાવ તે ઘર છે. તે ગુર કરવા જોઈએ. વહેવાર કાઢી નાખે ચાલે તેમ કયે ઠેકાણે છે? ૧૬૭ નથી માન્યતા શ્રદ્ધા કોની કરવાની છે? ૪૬૦ આત્મા તો છે. તેને કેમ પમાય? ૪૪૨ આત્મજ્ઞાન શાથી થાય? ૩૫૩ આત્મા ત્રણ લોકમાં સારી વસ્તુ છે. આત્મા શા વડે આત્મજ્ઞાનની ભવ્ય ઈમારત ચણવી છે. તે કર્મક્ષય ગ્રહાય? ૪૯૨ વગર કેમ થાય? ૪૧૨ આત્મા શાથી ઓળખાય? ૨૧૮ આત્મભાવ' નામ તો ચોખ્ખું રૂપાળું દીધું; કોણ ના આત્મા સિવાય જોનાર, જાણનાર કોણ છે? દુનિયામાં પાડે છે? પણ તેની તને કયાં ખબર છે? કંઈ સ્થિર રહેનાર કોણ છે? ૪૬૪ આડું આવ્યું, તો હવે શું કરવું? ૧૯૦ આત્માએ જ આ બધું કર્યું છે ને? કોણે કર્મ બાંધ્યા? આત્મા અરૂપી છે. દેખાય કે નહિ? ૪૬૨ ૨૯૪ આત્મા આત્મા કે ધર્મ ધર્મ તો આખું જગત કહે છે. આત્માની વાત કેટલી દુર્લભ છે? ૪૨૭ પણ એક જણ તેને ઓળખીને તે રૂપ થઈને આત્માની સાથે કોઈ નથી. કંઈ છે કે? તો શું છે? ૧૯૫ કહે,.... અને એક જણ વગર સમજ્ય પોપટની આત્માનું બળ વધારે કે કર્મનું બળ વધારે હશે? ૧૩૫ પેઠે બોલે એમાં ભેદ હોય કે નહિ? ૨૯૬ આત્માનું સ્વરૂપ શું? ૨૭૫ Page #669 -------------------------------------------------------------------------- ________________ પ૭૦ પરિશિષ્ટ ૮-સૂચિ ૧ • ૧૬ આત્માને જગાડવો છે. તે શાથી જાગે તેની, ખબર ઊંધિયું અહીં... મોંઢામાં ન ઘાલવું. એના વગર નથી. શાથી જાગે કહો. ૧૫૬ કયાં મરી જવાય છે? ખાવાની બીજી ચીજો કયાં આત્માને તો સન્દુરુષના વચનથી માન્ય કરે, છતાં ઓછી છે? ૩૩૧ રાગદ્વેષ આવે છે તેનું કારણ શું? ૪૧૭ એ કંઈક ખામી છે. એથી આ અટક્યું છે. એ મેળવે આત્માને પરભાવથી મૂકાવવો છે તે કેમ થાય? ૨૨૦ ત્યારે થશે, નહીં તો કોઈ ઉપાય નથી. એનો આત્માને સત્ નો રંગ ચઢાવે તે સત્સંગ કે કષાયનો ઉપાય શો? ૨૫૫ રંગ ચઢાવે તે? ૨૯૦ એ દૃષ્ટિ (આત્મા જોવાની) આવે કયાંથી? ૩૭૫ આત્માનો નાશ નથી. આત્મા છે. કેવો છે? 800 એ પાવન આત્માના ગુણોનું શું સ્મરણ કરવું? જ્યાં આને (સપુરુષને ઓળખનાર કોણ? ૨૦૨ વિસ્મૃતિને અવકાશ નથી, ત્યાં સ્મૃતિ થઈ ગણાય આને (જીવન) જાણવાનું શું છે? ૧૯૯ જ કેમ?” આનો શો પરમાર્થ? ૨૮૦ આપણું કંઈ નથી, આપણો આત્મા છે. તે ક્યાં છે? એક આ વસ્તુ જ્ઞાની પુરુષોએ જગતમાં સૌથી શ્રેષ્ઠ ૧૭૯. જોઈ છે તે શું? ૧૯૨ આપણે તપાસો આ જીવના રાગાદિ ગયા છે કે કેમ એક આડું આવે છે શું? ૩૮૦ છે? ૧૫૨ એક કંઈક કરવું રહ્યું તે શું? ૧૯૯ આવશ્યક શું? ૩૧૨ એક ખરું કામ શાનું છે? ૧૯૨ આવા બધા બેઠા છો, તો કહો કે હવે કોની પાસે જવું એક જે કરવા સમજવાનું છે તે શું? ૪૧ કે જેથી હાશ, એમ થાય? ૨૩૪ એક મત આપડી કે ઊભે માર્ગે તાપડી-' એ વાત આવું જેનું (સમકિતનું) માહાભ્ય છે તે મૂકીને સાંભળી છે? ૩૧૭ ઢીંગલા-ઢીગલીની રમત જેવા સુખ સમૃદ્ધિ પાછળ એક મનુષ્યભવ પામીને કરવા જેવું શું છે? કહો, કાળ ગાળવો સમજુ વિચારવાનને છાજે? ૩૨૩ આવું પરમ સુખધામ આત્માનું સ્વરૂપ છે, ત્યારે એક માણસ સ્ત્રીને હાડકાં-માંસરૂપે જુએ અને એક આપણે અત્યારે શું કરવું? ૩૯૦ ઉપરની ચામડી જુએ. બેની દૃષ્ટિમાં કેટલો ફેર? આશા તૃષ્ણા ટળે કે નહિ? ૪૯૩ આસિકા અને નિષદ્યકા એમ ક્રમ સમજવો યોગ્ય છે. એક વખત ભક્તિના પાઠ બોલ્યા તો બીજીવાર ન ગુરુ પાસેથી ઊઠવું પડે..... તો શું મનમાં રહે? બોલાય? ૪૩૭ ૩૧૪ (‘સહજ' શબ્દ સાંભળતાં) એણે (પરમકૃપાળુદેવે) શાં ઈશ્વર કોણ? ૪૫૭ કામ કર્યા છે!? ૩૦૮ ઈબ્દોપદેશ'નું વાંચન:- ચોથે પાંચમે ગુણસ્થાનકે એકમાં બધું આવી જાય તે શું? ૪૪૭ ગૃહસ્થાશ્રમી.... ખપાવે છે. આમાં શું સમજવું? ૨૭૮ કર વિચાર તો પામ'; માટે વિચાર તો મોટી વસ્તુ ઉજાગર શું છે? ૧૪૭ છે. પણ તે કયા વિચાર? ૧૮૪ ઉજાગર અવસ્થા એટલે શું? ૩૬૮ કરવા જેવું શું છે? ૩૯૯ ઉલ્લાસ પરિણામ શું? ૧૪૯ કરવાનું નથી કર્યું, તે શું છે? તે શોધી કાઢો. ૧૭૨ ઊંડા ઊતરો તો સાચું જોવાય, સાચું જોવું જોઈએ તે કરવાનું શું છે? ૪૫૩, ૪૬૯ ૪૭૧ શું? ૩૮૩ કર્મ ન બંધાય તેનો ઉપાય હશે ને? ૩૬૬ ઊંધિયું, પોંક, વગેરેમાં ઈયળો વગેરે બફાઈ જતાં કર્મ હવે ન બંધાય તે માટે શું કરવું? ૩૬૫ હશે! માંસ ખાવા જેવાં તે અભક્ષ્ય છે. આશ્રમની “કરો સપુરુષાર્થ' તે શું કીધું? ૧૮૯ જગામાં આવા પાપના કામ કદી ન કરાય. કોઈએ કષાય કયા વખતે નથી? ત્યાં શું કરવું? ૧૫૦ Page #670 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૮-સૂચિ ૧ પ૭૧ ખરું દુઃખ શાનું છે? ૨૪૯ ખામી શાની છે? ૭૬, ૧૯૧, ૩૫૮, ૩૬૩, ૩૭૭, ૩૮૦ ખાવું, પીવું, કપડાં પહેરવાં, દિશાએ જવું, બોલવું, હસવું, રડવું, ચાલવું, મૂકવું, લેવું, જોવું વગેરે શા માટે? ૪૨૪ ગજસુકુમારે શું કર્યું? ૪૫૮ ગળિયો બળદ થઈ બેસી ગયો છે. રસ્તો કયાંથી કપાય? ૪૬૬ ગાવો છો કોને? ૧૫૮ ગુરુગમ કેમ મળે? આત્મા કેમ ઓળખાય? ૩૮૮ ગુરુગમ શું? ૪૦૨ ગોમટ્ટ સાર'માં આવે છે ને કે કેવળી કે શ્રુતકેવળીના ચરણ સમીપ ગ્લાયક સમકિત થાય છે? ૩૧૯ ગોર તો પરણાવી આપે. શું ઘર પણ માંડી આપે? ૨૮૨ કહેવાની વાત એ કે ચેતજો કોની વાત કરવી છે? ૧૫૯ કયા સ્થળમાં જઈ રહેવું કે દુ:ખ માત્ર ચાલ્યું જાય? ૩૮૭ કંદમૂળ- લસણ, ડુંગળી, બટાકા, વગેરે- લીલોતરી ઉમરડાં, વડના ટેટા, પીંપળના ટેટા.. બુદ્ધિ બગડે. કેટલો કાળ જીવવું છે? ૩૩૦ કાગડા, કૂતરા, ઢોર પશુ એ બધા આત્મા છે. પણ એનાથી અત્યારે કંઈ થઈ શકશે? ૩૯૩ કામ કોણ કરે છે? ૪૬૮ કામ શું આવશે? ૧૫૮ કામમાં શું આવશે? ૪૭૧ કારણ વિના કાર્ય થાય નહીં. શાની ખામી છે? ૧૬૭ કેમ છૂટાય? શું સાધન છે? ત્યાં કેમ જવાય? ૩૪૦ કેવળી પાસે કોરો કેમ રહ્યો?૪૫૯ કેવો છે પોતે? ૩૬૩ કોઈ એમ જણાવે કે કાલે તારું મરણ છે તો પછી બીજામાં તેનું મન રહે? ૨૮૭ કોઈ જીવને મૂકવું હોય પણ મૂકાતું ન હોય, સમજાતું ન હોય કે કેમ મૂકવું. તેનું કેમ? ૨૮૭ કોઈ પ્રશ્ન કરે તો ધીરજથી જે આપણને ઉત્તર સૂઝે. તે કહેવામાં શી અડચણ છે? ૨૯૦ કોઈ માળા, પુસ્તક કે ચિત્રપટ જોઈને ભાવના શી - કરવાની છે? યાદ શું લાવવાનું છે? ૩૦૩ કોઈ સમકિતી-શ્રદ્ધાવાળો જીવ હોય તેને શાસ્ત્ર સાંભળવાનો લક્ષ છતાં સમજાય નહીં તો ય તે ક્રિયાનું ફળ થતું હશે કે નહીં? ૩૨૪ કોઈ સંતના યોગે, હે! ભગવાન, હવે જે દાન પુણ્ય કરું તે અલૌકિક દૃષ્ટિથી કરું, જન્મ મરણ છૂટવા કરું- એવી ભાવના કર્તવ્ય છે. ૩૩૨ કોઈ સાંભળે અને સમજણ ન પડે તો કેમ? ૩૨૪ કોઈનો આપણા માટે સારો મત મેળવવાની જરૂર નથી. પ્રારબ્ધ પ્રમાણે બધું મળે છે, દ્રઢ શ્રદ્ધા ધારણ કરવી. પછી કોઈ જાતની ચિંતા આ દુનિયા સંબંધીની શા માટે? ૪૦૯ કોણ કરનાર છે? ૧૬૯ કોણ કામ કરશે? ૩૯૯ કોના છોકરાં અને કોનાં સગાં? ૨૯૨ કોની શ્રદ્ધા કરવી? ૧૭૪ ચારે તરફ ભય છે તો શું કરવું? કયો રસ્તો કાઢવો? ૪૫૧ ચેતન કોઈ કાળે જડ થશે? ૫૦૦ ચૈતન્યપણું આત્મામાં છે. આ સંજોગ મળ્યા છે. આ બધું જોવાય શાથી? ૩૭૭ છેલ્લી વાર, આખરે દેવકરણજીના ડહાપણનો ભેસાડીયો થઈ ગયો અને કહ્યું કે હવે ગુરુ મળ્યા... આમ છે. એ કોની છે વાત? ૧૭૪ છેવટમાં કહી દઉં? આ છેલ્લા બે અક્ષર ભવસાગરમાંથી બૂડતાને તારનાર છે. તે શું છે? ૩૬૯ છેવટે સમજશે કોણ? ૪૬૯ “જગત આત્મારૂપ જોવામાં આવે” તે કેમ દેખાશે? ૪૬૧ જગત આત્મારૂપ માનવામાં આવે છે, તેવા જ્ઞાની ને કાળ શું કરે? ૪૫૫ જગતમાં શું છે? ૫૦૦ જડ કોઈ કાળે ચેતન થશે? 500 Page #671 -------------------------------------------------------------------------- ________________ ૫૭૨ “જડ તે જડ ત્રણ કાળમાં.... સંશય તેમાં કેમ” આ તે શું કહેવું? અને કર્યાં જવું? ૨૩૩-૪ જનક વિદેહીને શું કર્યું હતું ? ૪૬૧ “જન્મ મરણ કોના છે? જે તૃષ્ણા રાખે છે તેના.’ ૩૪૬ જરા પણ માથા રાખી હોય તો તેની અસર દૈવી થાય ૨૬૦ જાગૃત થયું ક્યારે કહેવાય? ૧૫૭ જાગૃતિ ક્યારે કહેવાય? ૧૪૭ જાગૃતિ રાખવી જોઈએ. તે કેવી રીતે રહે? ૪૧૮ જાણો કે આજે મૃત્યુ થઈ ગયું, તો સર્વ છોડવું પડેને? ૪૩૩ પરિશિષ્ટ ૮-સૂચિ ૧ જિજ્ઞાસા થાય કયારે? ૪૫૦ જીવ પરીક્ષા કેવી રીતે કરી શકે? પરીક્ષા પ્રધાનપણું, યોગ્યતા જોઈએને? ૩૨૦ જીવ શું ભૂલી ગયો છે? ૪૫૦ જીવ હજી કાં થાક્યો છે? ૨૮૪ જીવ હજુ ખપી કર્યા થયો છે? ૩૪૫ જીવની દશા શાથી અવરાઈ છે? ૧૫૧ જીવની પાસે શું છે? ૪૬૫ જીવની ભુલ કાં થાય છે? ૪૩૩ જીવની સાથે શું આવે છે? ૪૬૨ જીવને એમ થાય કે ‘વાત બહુ સારી કરી, વાહ!” ત્યાં શું આવ્યું? ૪૮૧ જીવને ક૨વા યોગ્ય શું છે? ૩૪૪ જીવને જાણવું શાથી થાય છે? ૩૭૬ જીવને બાકી શું રહ્યું? ૨૧૭ જીવને શું કર્તવ્ય છે? ૪૧૧ જીવમાં ભૂલ કેટલી છે? તે શાની ભૂલ છે? ૧૭૨ જીવે શું ક૨વાનું છે? ૪૨૪ જે કરવાનું છે તે શું કરવાનું છે? ૨૫૧ જે છે તે છે- આત્મા, તે છે તો ખરો. તેના ઉપર દૃષ્ટિ નથી.. ભાવ નથી. ટૂંકામાં કહું તો વાત છે માન્યાની' માનીશ? ૧૯૩ જે રૂપ દૃશ્ય છે તે જાણતું નથી, જાણે છે તે દૃશ્ય નથી; ત્યારે વહેવાર કોની સાથે કરવો? ૧૪૫ જે માન્યું છે તે મૂકવાનું છે. હવે ટૂંકો હિસાબ શું છે? છે ખબર હોય તો કર્યો. ૨૧૩ જે વાત પોતે અનુભવી નથી છતાં જાણે અનુભવી હોય એમ બતાવી, કહે તે મિથ્યાત્વી કહેવાય એવું કરીને કેટલો કાળ કાઢવો છે? ૪૨૩ “જે સ્વરૂપજિજ્ઞાસુ પુરૂષો છે તે.... પોતાની વૃત્તિ તન્મય કરે છે. જેથી.... સિદ્ધ સ્વરૂપ પ્રગટ છે.” પરમાર્થમાં તન્મય થવાય તો? ૧૮૩ જેની ખોજ કરવાની છે તે શું છે? ૨૨ જેને જાણવું છે તેને જાણે છે એવું છે કંઈ? ૨૫૪ જેમ જગતમાં શહેરમાં, ગામડાંમાં, બાગ-બગીચા વગેરે ઠેકાણે જાય અને આનંદ માને, તેમ અહીં કયાં જવું છે? અને કરવું છે શું? ૨૩૪ જેમ રંગની ચટકી હોય તેવું છે, કથ્ય કથાય તેમ નથી. આવું છે તો હવે શું કરવું? ૧૯૬ “જેસી પ્રીતિ હારામકી.... પલ્લો ન પકડે કોય.'' એવી અહીં સતુ માં થઈ છે? ૧૭૨ જો આત્મા રૂપે જગત જોવામાં આવે તો બધાને નમસ્કાર થાય કે નહિ? ૪૫૯ જો પોતાનામાં જોવા જાય તો શું દેખે? ૨૮૬ જોઈએ શું? ૩૪૫ જ્ઞાન કેમ થાય? ૪૫૯ જ્ઞાન કયાં છે? ૨૨૪ જ્ઞાન તો જ્ઞાનીમાં જ કહ્યું. આત્મા... માં જ છે. અત્યારે કર્મ, પ્રકૃતિ, સંબંધ, વેદ કહેવાય. શુદ્ધ આત્મામાં શાન કહેવાય. એ સ્વરૂપ કેવી રીતે જણાય ૩૩૩ જ્ઞાન શાનાથી થાય છે? ૩૨૬ જ્ઞાનચક્ષુ આવ્યાં શી રીતે? ૩૭૭ જ્ઞાની કર્મ ન બાંધે તે શું? ૨૧૪ જ્ઞાની કેવા છે? ૪૩૪ જ્ઞાની પાસે એવું શું છે કે જેથી તે જે કરે તે સવળું? ૩૮૮ જ્ઞાની પાસેથી ચાવી શું મળી છે જેથી કર્મબંધ ન થાય? ૩૬૫ જ્ઞાની પુરુષનું ઓળખાવ થયે બધું કેમ ફરી જાય છે? ૪૩૦ જ્ઞાની પુરુષોએ દયા અને કરુણા કરી છે. તે શું છે? ૧૯૩ Page #672 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૮-સૂચિ ૧ જ્ઞાની વૈદ જ્ઞાનમાં. જ્ઞાન કર્યાં છે? ૨૨૪ ‘જ્ઞાની શાથી કહેવાય છે?' તેનો શું મર્મ છે? શું રહસ્ય જાય છે? ૩૩૮ જ્ઞાની શું કરે છે કે જેથી તેને બંધન થતું નથી? કોઈએ જાણ્યું હોય તો કહો. ૪૬૯ જ્ઞાનીએ કહેલું, સત્પુરુષ કહેલું તે એક વચન શું છે? ૧૮૦ જ્ઞાનીએ તો આત્મા જોષી છે; પણ આ પ્રતીતિ આવી છે કે આત્મા ન હોય તો આ સાંભળે કોણ? ૪૫૮ જ્ઞાનીએ શું કર્યું છે? ૪૫૮ જ્ઞાનીઓએ ઘણું કહ્યું છે, પણ જીવને ગરજ નથી. કહેલી વાત વહી જાય છે. લક્ષમાં લઈ લે તો કામ થઈ જાય. ટૂંકામાં ટૂંકું કહી દઉં? ૩૮૫ જ્ઞાનીઓનું સ્થાન કયું છે? ૩૮૭ જ્ઞાનીના સર્વે વ્યવહાર પરમાર્થમૂળ છે તે શાથી? ૩૮૮ જ્ઞાનીને શરણે કેમ જવાય? ૪૩૫ જ્ઞાનીને શી ખોટ છે? ૪૯૯ ‘ઝબકે મોતી પરોવી લે' -આનો શું અર્થ? ૪૬૦ ટૉલ્સટૉય અને લેનીનના દેશમાં રાજા છે કે નહિ? ૨૮૩ ડગલું ભરાય કયારે? ૪૫૦ ઢાંકણ શું? ૧૪૯ તમારી પાસે શું છે? ૩૬૦ તમારી બધાની પાસે શું છે? ૪૭૭ ત્રણ ગુપ્તિ અને દશ યતિધર્મ તે વસ્તુ કયાં હોય? ૨૨૭ દ્રષ્ટિ ફેરવવી પડે તેની ખબર નથી. એટલું આવી જાય તો એનું બળ કેટલું વધી પડે? ૨૫૬ દૃષ્ટિની ભૂલ એ વાત બરાબર છે, પણ હવે શું છે? કેમ છે? શું કરવાનું છે? અને શું રહ્યું છે? ૧૮૫ સૃષ્ટિની ભૂલ તે શું? ૨૧૪ દાનપુણ્ય કરતા કેવી ભાવના કર્તવ્ય છે? ૩૩૨ “દુર્જનનો ભભર્યો મારી નાથ જ..... કીધી ચાકરી રે લોલ.' એનો શો પરમાર્થ હશે? ૨૫૯ ૫૭૩ દુશ્મન હોય તેના ઉપર કેટલું ઝેર આત્મામાં વર્તે છે કે કયારે મારી નાખું, કાપી નાખું? તો અનંત કાળથી અનંત દુ:ખના કારણરૂપ પાંચ ઈન્દ્રિયો, મન અને ચાર કપાથી એ દા.... તેના પ્રત્યે કેટલું ઝેર વર્તે ? ૩૦ દીવા વિના અંધારું કેમ જાય? ૪૬૬ કૈંક છે તે દઈ આત્મા છે? ૪૮૪ ધર્મ એટલે શું ? ૩૮૧ ધર્મ કયાં રહ્યો છે? ૪૬૨ ધર્મ કયાં હોય ૪૬૨ ધર્મ શું? ૧૩૪ થિંગ ધણી માથે કર્યો છે, માથે સદ્ગુરુ કર્યા છે તો ફિકર શી છે? ૩૫ નજર મૂકતાં રાગ દ્વેષ થયા જ કરે છે. તેને કેમ રોકવા ૪૩૬ નમસ્કાર કોને કરો છો? ૪૩૯ નવ પૂર્વ ભણ્યો તો પણ મિથ્યાત્વ. ત્યારે સમ્યગ્દષ્ટિમાં એવું વધારે શું છે? ૩૫૪ નારકીને દુ:ખ ભોગવતી વખતે કોણ બચાવવા આવે છે ૪૫૮ પગ મૂકતાં પાપ છે. દૃષ્ટિમાં ઝેર છે. ઝેર, ઝેર ને ઝેર છે, એમ વિચારી આજના દિવસમાં પ્રવેશ કરજે. તે શું? ૧૫૧ પદ્માસનમાં પહેલો ડાબો પગ જમણી જાંઘ ઉપર મૂકી જમણો પગ ઉપર રહે તેમ બન્ને પગના તળિયાં જાંઘ ઉપર રખાય છે. તેમાં પહેલો ડાબો હાથ .... છતો મૂકાય છે. એપ શા માટે? ૩૧૩ પરાવર્તન એટલે પહેલા પાઠનું પઢી જવું, ફરી બોલી જવું એ જરૂરનું છે કે નથી? બીજું વાંચન જરૂરનું છે કે નથી? ૨૯૭ પરિણામ થવામાં આડું શું આવે છે? ૪૪૦ પરિણામ એટલે શું? ૧૭૬ Page #673 -------------------------------------------------------------------------- ________________ ૫૭૪ પરિશિષ્ટ ૮-સૂચિ 1 પરિણામની બહુ સારી વાત આવી તે પરિણામ ફરતાં હશે કે નહીં? ૧૭૩ પરિક્ષાપ્રધાનપણું વયે, યોગ્યતા આવે છે, ત્યાં સુધી તે શી રીતે પરીક્ષા કરશે? કાં માપ માપશે? પી માણે પાણી ભરાય? ૨૮૬ પહેલાં શું જોઈએ? ૪૫૦ પહેલો એકડી જોઈએ; તો બધાં મીંડા લેખાના. તે કોણ ઓળખશે? ૧૭૧ પંચ પરાવર્તનમાં જ્ઞાની ભગવાનને આપણી સમક્ષ શું સમજાવવું છે તેનો તમે શો વિચાર કર્યો હતો? ૨૯૮ પાપક્રિયા ચાલી આવે છે તે મોહથી. પણ મોહ કેમ જાય ૪૫૯ તે ‘પાવે નહીં ગુરુગમ વિના' તે શું છે? ૧૯૯ પાંડવોએ શું કર્યું? ૩૭૨ (જનકે) પૂજા કરી હતી તે કોની? ૪૫૧ પૂર્વકૃત તો જોઈએ. તે ન હોય તો કયાંથી સાંભળે? ૪૮૧ પોતાને અનંત કાળથી દુ:ખના દેનારા દુશ્મનો કયા છે? ૩૮૫ પોતાને શું કરવું? ૨૨૧ પોતાનો સ્વભાવ શો છે? ૩૭૬ પોતે બોધ પ્રમાણે પ્રવર્તે નહીં અને અવળો ચાલે તો સદ્ગુરુ શું કરે? ૩૩૮ પ્રત્યક્ષ પુરુષનું કહેલું અને જેણે જાણ્યો અને જેને મળ્યા તેનું કહેવું મને માન્ય છે, એ જ માન્યતા. મને તો કંઈ મળ્યા નથી અને ખબર નથી તેથી એની માન્યતાએ માન્ય; તેજ કર્તવ્ય છે અને તેથી કામ થઈ જાય. તે હિતકારી થશે. ભલે જાણતો હોય, ન જાણતો હોય પણ તેની માન્યતા કાં છે? અને તેનું અંતઃકરણ પણ કર્યાં છે? ૨૨૯ પ્રથમ શું જોઈએ? ૩૭૭ પ્રભુ, જીવ હજી કયાં થાક્યો છે? ૨૮૪ પ્રમત્ત કોને કહેવાય? અપ્રમત્ત કોને કહેવાય ૩૬૧ પ્રમાદ શું? ૧૪૯ ફેરવવાનું શું છે? ૪૫૦, ૪૬૧ બધાનો વિચાર કર્યો પણ મરણ કયારે આવશે તેનો વિચાર કર્યો? ૪પ બધી પકડ શાથી થાય છે? ૪૧ બધું બદલાય તેથી શું આત્મા બદલાય છે? ૪૫૧ બધું મૂકતાં બાકી રહ્યું શું? ૩૯૭ બધું હતું તે ફરી ગયું! સમજણ પડે ત્યાં સમકિત કહેવાય; ફરી ન ગયું તો સમકિત શાનું? ૨૫૬ બહારથી મોટી બહ્મચારી થઈને ફરતો હોય તો પણ શું થયું? પણ જો અંતરમાં યા ન હોય તો તે શા કામનું છે? ૩૩૧ બાંધ્યાં તે ભોગવે. છોડ્યું નથી. છોડે ત્યારે ખરું. છોડે *મ? ૧૫૭ બોધ કંઈ થયો હોય તેવો અને તેટલોગમે તેવો ક્ષયોપશમ હોય તો પણ ન લખાય. એ સત્પુરુષના ઘરનાં વચનો તે અન્યરૂપે થવાથી એંઠા થાય. સજઝાય માટે... લખવામાં હરકત નથી, પણ તે એંઠ ગણાય, મૂળની હારે આવે? ૩૦૪ બ્રહ્મચર્ય વ્રતવાળા નો પણા જગતમાં ફરે છે. તેમને શું યથાર્થ બ્રહ્મચર્યવ્રત છે? ૩૯૭-૩૯૮ કે ભગવાનને પૂછ્યું કે હું ભવી છું કે અભવી? ૨૨૨ ભક્તિ એ શું છે? ૧૫૫ ભક્તિનું સ્વરૂપ કહી, ૧૫૧ ભરત ચેત, કાળ ઝપાટા દેત! એનું ફળ અરીસાભવનમાં કેવળજ્ઞાન થયું તે. કોન્ન કામ કરી ૩૯ ભરત ચેતી ગયો તેથી તમને શું? ૪૬૪ ભવ્ય અને અભવ્ય એટલે શું? ૪૩૮ ભાવ કર્યો કરવાનો છે? ૧૬૬ ભાવ તો એમ હોય કે જાણો આ કામ મારે કદી કરવું નથી. તેને દૂર કરવા બને તેટલો પ્રયત્ન થતો હોય છતાં તે આવીને ઊભું રહે છે અને તેનો ભાવ ભજવી જાય છે. ત્યાં કેમ સમજવું? ૩૧૩ “ભાવે જિનવર પૂજિયે,.. ભાવે કેવળજ્ઞાન." આથી કોઈ ટૂંકો રસ્તો બતાવશો? ૪૭૬ ભૂલ આટલી જ છે. આમાં શું વાકું છે? ૧૫૮ ભૂલ હોય તે બતાવવી પડે. ચાલતા બળદને કોઈ આર મારે ૩૩૦ ભૂંડું કોણ કરે છે? ૧૬૧ Page #674 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૮-સૂચિ ૧ ૫૭૫ ભૂંડું કોણે કર્યું છે? ૧૫૮ ભૂંડું કોનાથી થયું? ભેદજ્ઞાન. તે કેવી રીતે? ૪૨૪ ભેદજ્ઞાન થયું, પછી રાગ દ્વેષ થાય કેમ? ૪૫૫ ભેદનો ભેદ સમજ્યા હો તો કહો. ૨૦૫ ભોમિયો જોઈએ અઘોર વનમાં જવું હોય અને ભોમિયો હોય તો અડચણ આવે નહીં. તે કેમ ઓળખાય? ૪૫૩ મન શું? ૨૭૯, ૪૧૯ મન કહો, વૃત્તિ કહો, ચિત્ત કહો, બધું એ ને એજ. એ શું આત્મા છે? ૧૬૧ મન જોડેલું છે બહાર પાપ બાંધવામાં, પણ જો આત્મામાં જોડે તો વાર શી? ૪૯૯ મન વશ કેમ થાય? ૧૩૪ મનને લઈને થયું, તે કર્યું શાથી? ૧૫૧ મનમાં સંકલ્પ-વિકલ્પ આવે છે તેથી ગમે તો બમણા આવોને! પરંતુ તે સંકલ્પ-વિકલ્પ આવ્યા કોને? ૩૪૩ મનુષ્યભવ કેમ સફળ થાય? ૪૫૩ મનુષ્યભવ દુર્લભ છે. તે કેમ કહેવાતો હશે? ૧૪૮ મનુષ્યભવ પામીને કરવાનું શું છે? ૩૯૯ મનુષ્યભવ પામીને ચેતવાનું છે. શું? ૩૯૮ મમતા કેમ મુકાય? ૪૧૮ મરણ આવે ત્યારે શું કરવું? ૩૯૧, ૩૯૨, ૪૮૯,૪૯૦ મરણ આવશે જ. ત્યારે હવે આ બધું દુ:ખ ટાળવા બોલાવવો કોને? ક્યા સ્થળમાં જઈ રહેવું કે દુ:ખ માત્ર ચાલ્યું જાય? ૩૮૭ મરણ વખતે કંઈ ભાન નથી રહેતું. આમ બોલાવે કે ભા...ઈ તોય આંખ ઊંચી ન કરે તે શું હશે? ૩૧૮ મરણ વખતે સાચવવાનું શું? ૩૧૯ મરણનો વિચાર કર્યા વિના મંડી પડવું. મરણ જેવું આવવું હોય તેવું આવે. કરેલું કંઈ અફળ જવાનું છે? ૨૯૪ માણેક ડોશીમાં રોજ આવે છે. તેમને સમજાય કશું નહીં, પણ સાંભળવાની ઈચ્છા કરે તો કંઈ ફાયદો થાય કે નહીં? ૩૨૪ માન્યતા, શ્રદ્ધા કોની કરવાની છે? કોણ કરે છે? ૪૬૦ માયાના સ્વરૂપમાં ખળી જઈ શું થાય છે તે જોયું? ૪૫૯ મારી પાડોશમાં કોણ છે? ૫૦૦ મારું શું? ૧૭૦. માર્ગ પ્રાપ્ત થવામાં તો જીવની યોગ્યતા, પુરૂષાર્થ મુખ્ય છે. તે હોય તો... તારી વારે વાર! પરંતુ પાત્રતા, ભાજન વગર શું આપે? ૪૩૫ “મિથ્યાત્વ.” હવે તેનો પ્રતિપક્ષી કોણ છે અને શું છે? ૨૧૮ મિથ્યાત્વ જતાં શ્રદ્ધા થાય. પણ શ્રદ્ધા આવ્યા પહેલાં શું કરવું? ૨૮૬ મિથ્યાત્વ વગર કંઈ છે મૂકવાનું? જ્ઞાનીઓ પોકારીને શું કહે છે? ૧૭૪ “મુખ આગલ હૈ, કહ બાત કહે?” એશું? કહી દો. ૧૯O મુંડ મુંડાવ્યું, જટા રાખી, રાખ ચોળી, તપ તપ્યો - પુરૂષાર્થમાં બાકી ન રાખી; પણ જે કરવાનું છે તે શું? અને શાથી થાય? ૧૯૦ મૂળ મારગ સાંભળો જિનનો રે'. મૂળ માર્ગ શું? ૪૬૩ “મૂળાચાર'માં સ્વાધ્યાયના પાંચ ભેદના વાંચનમાં પરાવર્તન સંબંધી આવ્યું તેમ કરવાનું હશે કે બીજું કાંઈ? ૨૯૭ મૂંઝવણ, ગભરામણ, અશાતા ગમતી નથી. એનું ઓસડ શું? ૧૪૯ મૃત્યુનો ભય લાગે છે? ૪૪૫ મેલીને આવ, ચોખ્ખો થઈને આવ એમ કહ્યું તો તે ઊલટો લઈને આવે છે. એટલે શું બને? ૨૧૫ મોક્ષ એટલે શું? ૩૫૩ મોક્ષ એ શું હશે? ૫૦૦ મોક્ષ ગયા તે તો આત્માને જાણીને ગયા તે શી રીતે ગયા? અને શી રીતે કીધું? ૨૧૭-૮ મોટા પુરુષની વાતો છે. તેમાં વિચારીએ તો ક્યાંય ફેર નથી. આચારાંગ કહો કે મૂળાચાર કહોઆત્માના હિતને અર્થે ગહન વાતો મોટા પુરુષો Page #675 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૮-સૂચિ ૧ તેમાં કહી ગયા છે. તેમાં મુદ્દામાં કંઈ વાંધો, વાત કોની હતી? ૨૦૨ તકરાર કે વિવાદ જેવું હોય? ૩૧૪-૫ વાત સાંભળી નથી, મનાઈ નથી; સમજ્યાની ખબરે ય મોટી લોહીની નદીઓ વહે તેવા ભરતના સંગ્રામ નથી. આ વાત કોને કહેવાય? ૧૬૧ પ્રસંગે ગણઘર ભગવાન પુણ્ડરીકે ઋષભદેવ વાર કેટલી છે? ૪૦૦ ભગવાનને પૂછ્યું, અત્યારે ભરત ચક્રવર્તીનાં વાંકું શું છે? ૨૪૭ પરિણામ કેવો હશે? ૩૨૨ વિચાર કોને આવે? ૪૬૨ મોઢે બડબડ બોલે પણ તેથી કંઈ કલ્યાણ થાય? ૨પર વિશ્વાસ છે તેથી કહેવાનું થાય છે. વિશ્વાસ ન હોય તો સામાન્યપણું થઈ જાય-એમ થાય કે આમાં શું યથાર્થ બોધમાં એક દૃષ્ટિ-વૃત્તિ શા ઉપર કરવી? કહ્યું? ૪૬૧ ૧૪૯ વિષય-કષાયમાં જીવ ક્યારે પડે? ૪૯ યોગ્યતા એટલે શું? ૩૮૨ વીતરાગતા કોને કહેવાય? ૧૪૭ યોગ્યતા કેમ મેળવાય? ૩૭૭ વિતરાગના માર્ગમાં - આત્માના કલ્યાણના માર્ગમાં યોગ્યતા હોય નહીં અને પોતાને છઠ્ઠું ને સાતમું ભેદ હોય? ૩૧૫ ગણઠાણું માની માન પામે. ખ્યાલ ક્યાં છે કે વૃદ્ધાવસ્થા હોય પણ વ્રત ક્યાંથી? ૧૭૪ સમકિતી જીવની કેવી દશા હોય? ૪૨૩ વેદની વિઘન પાડે ત્યારે કરવું શું? ૩૮૧ વેદનીના બે ભેદ છે: શાતા વેદની અને અશાતા રાગ-દ્વેષ અને મોહ એણે આખા જગતને વશ કર્યું છે. વેદની. તે કહેવાય કોને? દેહને? ૧૫૭ જન્મ-મરણ કરાવનાર મોટામાં મોટા શત્રુ એ છે. વૈરાગ્ય શાથી આવે? ૩૪૫ કોના ભાર છે કે એનો જય કરી શકે? ૩૬૫ “વ્યવસ્થિત કારણ' એટલે શું? ૨૬૫ રાગ દ્વેષ રૂપ બળદ લઈ કષાય ખેડૂત મિથ્યાત્વબીજ વાવી રહ્યો છે. તે કેવું ફળ આપે છે? ૨૮૨ શાંતિ પમાડે તેને સંત કહીએ'. સંત ક્યાં છે? ૨૩૬ રામચંદ્રજીનો કેવો વૈરાગ્ય હતો!? ૩૧૫ શાને લઈને મોહ છેજી? ૧૫૧ રોગ આવે, પૈસા જાય, ક્રોધ આવે ત્યારે ઉપાય શો? શાસ્ત્ર, માળા, પુસ્તક, ધ્યાન એ બધું કરીને કરવું છે ૪૮૫ શું? ૩૦૪ રોગ વ્યાધિ, પીડા વખતે બોધ હોય તો શું કરે છે? શાંતિ, સમતા, ક્ષમા ક્યાં હોય? ૪૬૨ ૧૭૬ શું કરવું? ૪૭૭ શું કરવાનું છે? ૧૫૮ લક્ષની બહોળતા એટલે શું? ૨૮૫ શું કહીએ? દૃષ્ટિ ફરી નથી ત્યાં સુધી યોગ્યતા કેમ લઘુતા આવે તો પછી કેવું કામ થાય? ૨૦૧ કહેવાય? ૩૯૫ (મુનિ મોહનલાલજીને) વચનામૃતમાં છે કે જો તું શું ભૂલ આવી છે? ૧૬૮ સ્વતંત્ર હોય તો નીચે પ્રમાણે દિવસના ભાગ શુદ્ધ આત્મામાં જ્ઞાન કહેવાય. એ સ્વરૂપ કેવી રીતે પાડજે - ભક્તિકર્તવ્ય, ધર્મકર્તવ્ય, વગેરે. તેમાં જણાય? ૩૭૭ ધર્મ અને ભક્તિ આવે છે તેનો ભેદ શું? ૨૬૨ શુભ-અશુભથી બંધ તો થાય છે તેમાંનો એકે જ્ઞાનીને નહિ. માટે એવું એને શું આવી ગયું અને શું છે. વશિષ્ઠાશ્રમમાં શું જોયું? શાની ઈચ્છા કરી? આત્મા એવું? ૨૧૫ જોયો? કોઈએ આત્મા જોયો? ૩૮૧ શોધ શાની કરવી? ૪૫૩ વસ્તુ જુએ તો શું છે? ૨૪૭ શ્રદ્ધા કોની? ૩૨૫ વાત (છોટલાલભાઈની) કહેવાની મતલબ શું? ૨૨૬ શ્રદ્ધા કોની કરવી? ક્યાં કરવી? ૪૨૫ Page #676 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૮- સૂચિ ૧ પ૭૭ શ્રદ્ધાથી માન્ય થયું તો પછી તેને કંઈ બાકી રહ્યું કે કેમ? ૧૫૦ શ્રેણિકે શું કર્યું? ૪૬૦ શ્વાસોચ્છવાસમાં કર્મક્ષય તે કેવા ભાવથી? ૧૪૮ સક્ઝાયમાં આવે છે કે, “સમકિત નવિ લલ્લુરે, એ તો રૂલ્યો ચર્તુગતિમાંહે' ત્યાં સમકિતની ના કેમ પાડી છે? ૨૧૮ સતું ક્યાં છે? ૨૩૬ સપુરુષ કોણ? ૨૦૩ સપુરુષ છે એમ શાથી જણાય? ૨૬૫ સપુરુષ ભલે ન બોલતા હોય, પણ તેમનાં દર્શન પણ ક્યાંથી? ૪૫ર સપુરુષ શું? ૨૦૩ સત્પરુષ શોધો એટલે શું? ૪૫૫ સપુરુષની કરુણા તો આખા જગતને તારવાની હોય છેઃ પણ અભાગિયો જીવ તેને માને ત્યારે ને? ૨૯૭ સપુરુષની પરીક્ષા કરવાનું કોનું ગજું? ૩૨૨ સપુરુષની વાણી ઘણીવાર સાંભળી પણ મોહ કેમ જતો નથી? ૧૫૧ સત્પરષનો બોધ સાંભળ્યો હોય તેને શું થાય? ૧૬૪ સત્સંગ વસ્તુ શું છે? ૯૨ સત્સંગનું માહાત્મ અથાગ છે. સત્સંગમાં શું છે? ४७४ સત્સંગમાં આવી કંઈ લઈ જવું જોઈએ. શું? કર્તવ્ય શું છે? ૪૦૦ સત્સંગમાં જ્ઞાની પુરુષનાં વચનો વંચાય છે, વિચારાય છે ત્યાં શું થાય છે? ૩૪૬ સત્સંગમાં બોધ, વાણી સાંભળીને નક્કી કરી દો કે કયાં જવું અને શું કરવું? ૧૭૧ સત્સંગમાં શું થાય છે? ૩૫૬ સદ્ગુરુ એટલે શું? ૩૫૩ સદ્ગુરુ ક્યાં છે? ૧૭૦ સદ્ગુરુ શું આપે છે? ૪૫૬ સદ્ગુરુને અર્પણ કરવું તે શું? ૪૫૩ સદ્ગુરુના શરણથી વાત કરાય છે. બેઠા બેઠા ખા-ખા કર્યું છે અને પોષ પોષ કર્યું છે તે શું છે? ૧૭૭ સમ એટલે શું? ૪૨૯ “સમકિત નવિ લહ્યું રે, એ તો રૂલ્યો ચર્તુગતિ માંહે.' જપ, તપ, બીજાં સાધન-બધાં પછી છે. સિદ્ધાંતના સારમાં સાર શું કીધો છે? શું કરવું?૧૭૩ સમકિત શાથી થાય? ૧૫૮ સમકિતનાં પાંચ લક્ષણમાં ‘શમ' કીધું, એમાં તે સુખ કેવું હશે? ૪૮૨ સમકિતનું કેટલું માહાભ્ય છે!? ૩૨૨ સમકિતી અને મિથ્યાત્વીમાં કેવો ભેદ છે!? ૪૨૭ સમકિતી છે તે આત્માનું સુખ શું છે તે સમજી શકે છે. મિથ્યાત્વીને તેનો લક્ષ નથી. તેથી તે સમજે છે કે સાધુ-મુનિને ધન, સ્ત્રી, વગેરે કંઈ નથી તો તેમને સુખ શું? ૪૧૩ સમકિતીનાં લક્ષણ શું? ૨૯૩,૪૮૪ સમજણ પડે ત્યાં સમકિત કહેવાય; ફરી ન ગયું તો સમકિત શાનું? ૨૫૬ સમજાતું નથી તેનું કારણ શું? ૪૫૬ સમતા કેમ આવે? ૪૧૮ સમપરિણામ શાથી થાય? ૧૪૯ સમયે જોયમ મા પHI.’ ક્ષણે ક્ષણે આયુષ્ય ઓછું થાય છે. અહીં કોઈ બેસી રહેવાના છે? ૩૯૯ ‘સમયસાર'ના “આસવ અધિકાર’ ના વાંચનમાં “જ્ઞાની શાથી કહેવાય છે?' એ પ્રશ્ન પ્રસંગે - તેનો શું મર્મ છે? શું રહસ્ય જાય છે? ૩૩૮ સમાધિ શાથી હોય? હવે કંઈ છે? ૧૮૮ સદ્દિકી ક પાર્વ’ એવાં સૂત્રો મોટા પુરુષ કેમ ઉચ્ચારે? એ શાનું માહાત્મ? ૩૨૩ સમ્યગુજ્ઞાનાદિમાં ગ્લાનિ શું? ૨૯૦ સમ્યગ્દષ્ટિ એવું શું કરે છે? ૩૫૪ સમ્યગ્દષ્ટિ જીવ જે કરે તે સવળું. આ શું હશે? ૧૮૫ સંકલ્પ-વિકલ્પ આવે છે, દુ:ખ દે છે, એ કોને ખબર પડે છે? ૧૩૧ સંકલ્પ-વિકલ્પ કેમ આવે છે? ૪૦૧ સંકલ્પ-વિકલ્પ ભૂંડું કર્યું છે. જરાવાર મન નવરું નથી. કર્મના ઢગલા બાંધ્યા કરે છે. કોઈ વેપારી હોય તે કાગળ લખે કે.... અમુક માલ મોકલજો. એમ આખો કાગળ... ભર્યો હોય. પણ છેલ્લી એક લીટી એમ લખે કે ઉપર લખેલી કોઈ ચીજ Page #677 -------------------------------------------------------------------------- ________________ પ૭૮ પરિશિષ્ટ ૮-સૂચિ ૧ કયાં છે? ૪૫૨ સૌથી પ્રથમ કરવા યોગ્ય છે તે શું? શાસ્ત્રમાં પણ એ જ કરવાનું કહ્યું છે તે શું? ૩૯૪ સૌથી પ્રથમ જરૂર શાની છે? ૩૪૬ સૌથી શ્રેષ્ઠ બોધ છે. સાંભળ સાંભળ કરે તો સંગ એવો રંગ લાગશે જ. પણ ખામી શાની છે? ૩૮૦. સ્ટેશને જવું હોય તો શું કરવું જોઈએ? ૪૫૦ મોકલશો નહિ, તો? ૩૫૭ સંત કયાં છે? ૨૩૬ સાચું જોવું જોઈએ. તે શું? ૩૮૩ સાત સાંધે અને તેર તૂટે.’ તેની દવા કોણ કરશે? કોઈ કરશે? ૧૯૫ સાધમ ભાઈનો એક ટૂકડો પણ ન ખાવો જોઈએ. કૃપાળુદેવના વખતમાં કેવું વર્તન હતું? ૨૯૪ સાધુ કોણ? ૨૪૧ સાધુજીને એમ પૂછો કે અનંતવાર સાધુપણું આવ્યું છે અને વ્રતપચ્ચખાણ કર્યા છે તો પછી શું રહી ગયું છે? ૨૧૭ સામાયિકનું સ્વરૂપ શું? ૩૩૯ સારમાં સાર શું છે? ૪૯૪ સાંભળવાનું કારણ શું? ૧૪૮ સાંભળવાનો ભાવ હોય, તેમાં નજર રાખે; પણ પૂર્વ ભવના અંતરાય કે આવરણને યોગે સંભળાય નહીં તો તે નિષ્ફળ જાય? ૩૨૪ (કોઈ) સાંભળે અને સમજણ ન પડે તો કેમ? ૩૨૪ સિંહણનું દૂધ ઠીકરાના વાસણમાં લેવાશે? ૨૯૮ સુખ લાગે તે પણ એક જાતની વેદના જ છે. જીવને તો તે બધું વેદવું જ પડે છે. એ કાંઈ સુખ-દુ:ખ ગણવું એ જીવનો સ્વભાવ છે? ૩૦૨ સોભાગભાઈ, અંબાલાલભાઈ, વગેરેની માન્યતા જુદી હતી. તેવું થવું જોઈએ. ગ્રહણ કરે તેવા મુમુક્ષુ હજારો જડ પદાર્થ એકઠા કરો તો પણ તે સાંભળી શકસે? ૩૯૨. હવે કયાં ઊભા રહેવું? ૨૦૦ હવે તો કોઈ માળા, પુસ્તક કે ચિત્રપટ જોઈને ભાવના શી કરવાની છે? યાદ શું લાવવાનું છે? ૩૦૩ હવે શું કહેવું? બીજે કયાંય કોઈ જગ્યાએ કોઈની પાસે આ વાત (વિચારને ધ્યાન) સાંભળશો? ૧૮૪ હવે શું સમજવું? અને ભેદનો ભેદ કેમ? ૨૧૨ હું કહું તે મનાશે? ૪૩૨ ! પ્રભુ, ઉધ્યાધીન વૃત્તિ ચલિત થઈ જાય છે, પણ હરીફરીને શાની સામે જોયું? ૬૭ હે! પ્રભુ મને ખબર નથી, પણ તે (વાણી) મારા કાનમાં પડો. આમ કરવાથી કેટલું કામ થાય છે? ૧૯૨ Page #678 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૮ મુમુક્ષુ ચર્ચા-પ્રશ્ન સમાધાન પ૭૯ સૂચિ-૨ (વાંચન-સ્વાધ્યાય-ચર્ચા વખતે થયેલા પ્રશ્નોત્તરની સમિપવર્તી અમાઓએ યથાશક્તિ યથાસ્મૃતિ લીધેલી નોંધના સંગ્રહમાંથી) (પ્રશ્નના અંતે દર્શાવેલ આંક પૃષ્ઠના છે) અનંતાનુબંધીના સ્વરૂપનું ભાન ક્યારે થાય? ૧૪૮ અનાદિ કાળથી તે દૃષ્ટિ (શુદ્ધ સમ્યગુદૃષ્ટિ) કેમ નથી આવી? ૨૧૭ અનાદિકાળથી મિથ્યાત્વના અજ્ઞાનતાના ભાવ છે, તે શી રીતે જાય? ૨૦૪ “અભિનિવેશના ઉદયમાં ઉત્સુત્ર પ્રરૂપણા ન થાય તેને હું મહાભાગ્ય, જ્ઞાનીઓના કહેવાથી, કહું છું.” ...પોતાની ઈચ્છા ન હોય છતાં પ્રભુ એવા ઉદયને લઈને બોલી જવાય તો શું? ૨૬૩ અમારી વારે વાર છે તે વાત સાચી છે. પણ અમારે તૈયાર થવા શું કરવું? ૩૯૩ અમારે શી રીતે તૈયાર થવું? ૨૨૨, ૨૨૩ અહીં બેઠા છે તેમનું તો કલ્યાણ થશે ને? ૨૫૯ “આ દેહમાં જીવ મમતાભાવ કરે છે તે મહા બંધનરૂપ છે. આ દેહ સુંદર છે; દેહને સુખ-દુ:ખ થાય તે મને થાય છે એમ માનવું તે મમતા છે, તેનો ત્યાગ કરવો.” ત્યારે શું એને સૂકવી નાખવો? ૪૧૯ આ મળ્યું છે, સાંભળીએ છીએ, શ્રદ્ધા કરીએ છીએ ત્યારે હવે બીજું કયું? ૧૭૨ આત્મા કયાં રહેતો હશે? ૪૫૦ આપ અમને જુઓ અને અમે તમને ન જોઈએ અને અમનેય ન જોઈએ એ કેવી ખૂબીની વાત? ૨૦૨ આપ કહો છો કે અનાદિ કાળથી અજ્ઞાન છે અને અજાણ્યો છે. કેમ કરવું તે ખબર નથી. પણ માનવું તો એજ છે- જે કહો છો તે જ; અને તે તો મનાતું નથી અને આવડતું નથી. તેનું શું કારણ? ૨૩૧ આપણે આ જે કર્મ કરીએ તેનું ફળ આ ભવમાં મળે કે આવતા ભવમાં ? ૩૧૫ “આંટી પડી છે તે ઊકલે તો સુતર (સુતર) છે.” . આંટી કેમ ઊકલે? ૪૫૩ ઉપયોગને આત્મામાં લાવવો શી રીતે? આત્મા તો જાયો નથી. ત્યારે બધેથી ઉઠાવી વાળવો કયાં? ૩૫૮ ઉપવાસ તપ હું કરું? ૪૪૮ કષાય, સંકલ્પ-વિકલ્પ, વગેરેથી અંતરમાં થતી બળતરા શાંત કરવાનો ઉપાય શો? ૩૪૩ કારણ સેવવામાં ભૂલ શું છે? ૨૧૭ કૃપાળુદેવ એટલે શું? અને તે મળ્યા છે એટલે શું? અને તેમને કેવી રીતે ઓળખ્યા? દરેક શું સમજીને અહીં આવે છે અથવા વળગી રહ્યા છે. અનાદિ કાળથી ખોટાને વળગી રહેવાથી પરિભ્રમણ ચાલુ છે; પણ હવે જેને વળગ્યા છીએ તે સાચા છે એ કેમ જાણ્યું? ૨૬૭ “કૃષ્ણ બાળ બ્રહ્મચારી હોય તો જમનામયા, માર્ગ આપજો.” એમ કામ કરતાં લેપાય નહીં તેનું કેમ? ૩૨૯ કેટલાક કહે છે કે સ્ત્રી તે સ્ત્રી અવતરે અને પુરુષ તે પુરુષ અવતરે; જેમ કે બાજરી વાવે તો બાજરી ઊગે અને ઘઉં વાવે તો ઘઉં!? ૨૬૬ કોઈ શાસ્ત્ર વગેરે કાંઈ વાંચે નહિ ને માત્ર મંત્ર-સ્મરણ મળ્યું હોય તેનું જ આરાધન કરે તો જ્ઞાન થાય કે નહિ? ૨૯૧ ગ્રંથિ કયારે છેદાય? ૧૪૮ ગુરુગમ શું છે? કોઈ વસ્તુ છે? ક્યાં રહે છે? ૧૯૯ ઘાતી ડુંગર શું? ૧૪૯ ચરણ ગ્રહણ થયા પછી, ‘પ્રવચન અંજન જો સદ્દગુરુ કરે દેખે પરમ નિધાન જિનેસર.” તે અંજન શું? ૨૦૧ ચોકખો થાય તો કપાળદેવ તૈયાર છે. જિન થઈ જિનને જે આરાધે તે જિનવર હોવે રે. પણ ચોકખો કેમ થવું તે પ્રશ્ન હતો. ૨૩૧ ચોથી દષ્ટિમાં એમ કહ્યું છે કે “ધર્મ ક્ષમાદિક પણ મટેજી, પ્રગટે ધર્મસંન્યાસ' અને આઠમી દૃષ્ટિમાં એમ કહ્યું કે “યંદનગંધ સમાન ક્ષમા ઈંહા, વાસકને ન ગવેજી” તો તે કેમ? અને શું સમજવું? ૨૨૭ Page #679 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ પરિશિષ્ટ ૮-સૂચિ ૨ છ પદ'ના પત્રમાં મોક્ષનો ઉપાય સમાધિ' કહ્યો છે; તે કેમ થશે? ૪૮૪ જાણ્યા વગર આત્મા શી રીતે જોવાય? તે તો જ્ઞાનીએ જાણ્યો છે? ૩૮૩ જિનેશ્વરના ચરણ એટલે શું કે જેથી કર્મ ન બાંધે? ૨૦૧ જીવ આટઆટલું સાંભળે છે છતાં કેમ પરિણમતું નથી? ૪૨૩ ‘જીવ છે તો શુદ્ધ, પણ દારૂના છાકથી મત્ત થયો છે.” - દારૂ પીધો શાથી? ૩૪૯ જીવ તો નથી ઈચ્છતો કે હું આમ કર્યું. ત્યારે કેમ થાય છે? ૧૭૨ જીવ વહેલો મોક્ષે શી રીતે જાય? ૨૫૩ જીવને પુરુષ સમીપ હોય ત્યારે સદ્બુદ્ધિ વિચાર સ્કુરે છે. પણ તે પછી જરા વારમાં પાછો બહિબુદ્ધિ કેમ બની જાય છે? ૪૧૩ જે માન્યતાથી કર્મ બંધાય છે તે માન્યતા કેવી રીતે જાય? ૨૧૪ સમજાય છે? ૨૧૭ પરમ કૃપાળુ દેવનો આપનો પરિચય; આપનું તે પહેલાનું ગૃહસ્થાવસ્થાનું, આચાર્ય તરીકેનું તે પછીનું ચરિત્ર; આપ દરેકને ક્ષમાપના અને વીસ દુહાની આજ્ઞા કરો છો તેનું રહસ્ય?. તેમાં મુનિ હોઈ શકે કે નહિ? –વગેરે વિસ્તારથી વર્ણન હોય તો ઘણા વચનામૃત વાંચી, “એ તો વાંચ્યું છે' એમ કરે છે તેમને આ જાણ્યા વગર એકલું વાંચી ગયે ન સમજાવા યોગ્ય છે, એમ સમજાય. ૨૭૩ પરિણમાય કેમ? ૩૫૫ પર્યાયદૃષ્ટિ કેમ છૂટે? ૨૩૧ પાપ દોષ તો અનંતકાળથી અનેક પ્રકારના કર્યા છે, તે નાશ કરવાનો મુખ્ય ઉપાય કયો? ૪૪૩ પુરુષાર્થ કરતાં કર્મ આડાં આવે કે નહિ? ૧૬૮ પુરુષાર્થ શું કરવો? ૩૪૫ પ્રત્યક્ષ એટલે? ૨૭૭ પ્રત્યક્ષ પુરુષ અને તેમની વાણી તો સમજાય છે; પણ સંત અને સત્સંગ, એમાં સંત એટલે આત્મા ન પામ્યા હોય તે કે કેમ? ર૬૪ પ્રભુ, જીવનું કલ્યાણ કેમ થાય? જીવનું સ્વરૂપ શું અને ઈશ્વરનું સ્વરૂપ શું? ૨૯૬ *પ્રભુ, મરણ વખતે કોઈ જીવને ખબર પડે કે કોઈને ન પણ પડે. પણ તે વખતે શું અવશ્ય કરીને કરી લેવું ઘટે છે? શી વાતમાં ઉપયોગ જોડવો જોઈએ? શું લક્ષ રાખવો જોઈએ? ૩૩૫ પ્રભુ, હવે તો આપ કહો કે શું બાકી રહી જાય છે? ૨૧૫ જ્ઞાન શાથી થાય? ૩૫૦ જ્ઞાની સર્વ અવસ્થામાં અબંધપરિણામી છે, તે કેમ હશે? ૨૧૫ | ‘તેની આજ્ઞાનું નિઃશંકતાથી આરાધન કરવું' તે કોની આજ્ઞા? અને આરાધન શું? ૧૭૦ દેહ અને આત્મા ભિન્ન છે તે એક કેવી રીતે થયા? અને તે હવે ભિન્ન શી રીતે થાય? ૪૪૨ દોરડું (જ્ઞાનીની આજ્ઞા) તો મળ્યું છે. હવે આપ ખેંચી લો ત્યારે ને? ૩૪૯ દોષ નાશ થવાનો શો ઉપાય? ૧૪૮ બે દિવસ થોડો મંદવાડ હતો ત્યાં સુધી તો મંત્રનું સ્મરણ થયું પણ ત્રીજે દિવસે વિશેષ દુ:ખ થતું ત્યારે મંત્રના જાપની ઈચ્છા, ભાવના તો રહેતી પણ બાપરે! અરેરે! એમ બોલાઈ જતું તેનું કેમ હશે? ૨૮૪ ધર્મના વિસ્તારમાં પડવું કે આપણે આપણું કરી વહ્યા જવું-મૌન રહેવું? ૨૭૪ નિજમાં નિજબુદ્ધિ શી રીતે થાય? ૧૫૫ ભક્તિ યે ઘણા કરે છે. તો ભક્તિ કઈ કરવી? ૪00 ભક્તિ વગર જ્ઞાન થાય? ૧૫૫ ભેદને ભેદ તો પર્યાયદૃષ્ટિ ખસે ત્યારે જણાય ને? ૨૧૨ પત્રાંક ૩૭નું વાંચન-(માનસાગરને) આમાં શું Page #680 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૮-સૂચિ ૨ ૫૮૧ ભેદનો ભેદ સમજાય શી રીતે? ૨૦૫ સપુરુષ ઉપર સાચી શ્રદ્ધા આવી છે એમ કયારે સમજાય? ૨૬૫ મન કોને લઈને છે? આત્માને લઈને? ૨૧૦ સદ્ગુરુને શોધવા શી રીતે? ૧૬૮ મનમાં સંકલ્પ-વિકલ્પ થયા કરે છે અને મનનાં સમકિતી ઉદયને ભોગવે છે; મિથ્યાત્વી પણ ઉદયને ચંચળપણાને લઈને સંતાપ થાય છે, તે શાથી ભોગવે છે. એક બંધાતો નથી અને બીજો બંધાય માટે? ૧૩૧ છે. તો સમ્યગ્દષ્ટિ પાસે એવું શું છે કે તે બંધાતો “મનરૂપી યોગમાં તારતમ્ય સહિત જે કોઈ ચારિત્ર નથી? ૩૫૦. આરાધે તે સિદ્ધિ પામે છે.” તે શું? ૨૩૯ સમભાવ કરવો છે, તે કેમ થતો નથી? ૧૬૭ મર્મ શું? ૨૦૧ સમ્યકત્વ પરિણમે કેમ? ૧૪૯ માન્યતા અને પરિણામમાં શો ફેર? ૪૪૦ સાહેબ, કોઈ નવો આવે છે, કોઈ પાંચ વર્ષથી આવે મારે શું કરવું? ૩૪૦ છે, કોઈ પંદર વર્ષથી સત્સંગ કરે છે- એ સર્વને મોક્ષ એટલે શું? ૩૫ર આપ કહો છો કે યોગ્યતા નથી, યોગ્યતા લાવો. મોક્ષ કેમ મળે? ૪૬૩ તો તે કેમ સમજવું? ૩૯૫ મોતી શું? સોય શું? ઝબકારો શું? ૪૬૦ સાહેબ, ત્યાં (મનમાં) બારણા જ નથી તેથી તે મિથ્યા શુ ? જડ ને ચેતન બ જુદા છ ત સ છે, (સંકલ્પ વિકલ્પ) કેમ રોકાય? ન રોકાય. ચાલ્યા પછી મિથ્યા કેમ કહ્યું? ૪૬૦ જ આવે. ૪૪૦ સિદ્ધશિલાની વાત કરવી અને ઊભા થવું નહીં એ લક્ષની બહોળતામાં લક્ષ એટલે શું? ૨૮૫ શી રીતે બને? ૨૪૧ વરસાદમાં માટી પલળે, તેમ જીવ બોધ પરિણમે પલળે? ૧૪૯ હાથમાં કોડી હોય નહીં અને લાખ રૂપિયાની મર્યાદા વસ્તુ બે છે તેવું સાંભળીએ છીએ, જડ અને ચેતન; કરે તો? ૨૪૭ છતાં દેહાધ્યાસને લઈને આત્મા તરફ લક્ષ રહેતું હાથીના હોદ્દે કેવળજ્ઞાન થયું. તો ત્યાં તેણે શું કર્યું? નથી. દેહાધ્યાસ કેમ ઓછો થાય? ૪૭૩ ૨૧૨ વિભાવ ટાળવા શું કરવું? વિભાવ ટાળવા કંઈ આપો. (મુનિ મો. વારંવાર ઉથલાવીને) હૃદયકમળમાં ૩૪૯ ભાવ મનની ઉત્પત્તિનું વિવેચન વાંચનમાં આવ્યું, *વ્યાખ્યાન કરવા જતાં બંધન થાય કે નહિ? ૨૯૭ પણ વિચાર તો મગજમાં કરતા હોઈએ તેમ લાગે છે. અને પુસ્તકમાં હૃદયમાં કહે છે. તે કેમ સપુરુષ એટલે શું? ઉપર હશે? ૩૦૬ મુનીદેવ મોહનલાલજી મહારાજ Page #681 -------------------------------------------------------------------------- ________________ નામ શ્રી ક્રિશ્નાબેન રસીકભાઇ શેઠ શ્રી ભુલાભાઇ વનમાળીભાઇ પટેલ તથા પરિવાર હા. શ્રી પ્રમોદભાઈ રમણભાઈ ભુલાભાઈ પટેલ શ્રીમદ્ રાજચંદ્ર મુમુક્ષુ સંધ શ્રી અરવિંદભાઈ મોહનભાઇ પટેલ તથા પ્રભાબેન અરવિંદભાઇ પટેલ શ્રી સ્મિતાબેન વસંતભાઇ શાહ સ્વ. શ્રી સાકરબેન માવજીભાઈ લધા હા. શ્રી. પ્રવીણભાઈ માધવભાઈ ભક્ત શ્રી વલ્લભભાઈ વિઠ્ઠલભાઈ પટેલ શ્રી. મનુન કિશોરભાઈ પટેલ તથા શ્રી કિશોરભાઈ છીનુભાઈ પટેલ શ્રી જયાબેન વસનજી મારૂ શ્રી સુમન હસમુખભાઈ શાહ શ્રી વિનોદભાઈ પ્રેમજીભાઈ શાહ શ્રી ડી. કે. અજમેરા ફાઉન્ડેશન ટ્રસ્ટ, હા. શ્રી કુસુમબેન કાનાની શ્રીમતી રતનબેન મોતીલાલ પટેલ શ્રીમતી નીતાબેન સેલેક્સ શ્રી ચંદ્રિકાબેન કાન્તીલાલ શાહ શ્રી પંકજભાઈ કામદાર શ્રી કોકીલાબેન પ્રવીણભાઈ મોદી સ્વ. શ્રી નિકુંજકુમાર સતીષભાઈ ભક્ત શ્રી દિવ્યાબેન અરવિંદભાઈ ભક્ત ડૉ. શ્રી કાન્તીભાઈ લલ્લુભાઈ શામ શ્રી ચિમનભાઈ મોતીભાઈ પટેલ શ્રી મનોજભાઈ કાન્તીભાઈ પટેલ શ્રી પલ્લવીબેન મનોજભાઈ કાન શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદીર યવતમલ હા. શ્રી પ્રેમરાજજી પોકરણા સ્વ. શ્રી નારણભાઈ કશીભાઈ પટેલ સ્વ. શ્રી પ્રભાબેન સોભાગચંદ્ર શાહ હ. શ્રી નવીનચંદ ત્રિભોવનદાસ શાહ વડોદરા શ્રી જીતેન્દ્રભાઈ અમૃતલાલ શાહ પરિવાર મુંબઈ સ્વ. શ્રી માધવભાઈ ખુશાલભાઈ ભક્ત સ્વ. શ્રી દિવાળીબેન માધવભાઈ ભક્ત હા. શ્રી શાંતાબેન કશીભાઈ પટેલ શ્રી. જીનેશભાઈ વિનોદભાઈ શાહ શ્રી પ્રિયંકાબેન કૌશિકભાઈ મહેતા શ્રી ઉર્મિલાબેન રતીલાલભાઈ પટેલ શ્રી ઉપદેશામૃત છપાઈ ખાતે દાન ગામ રકમ, રૂ।. નામ ૫૧,૦૦૦ મુંબઈ આસ્તા U.S.A. ૩૦,૧૧૧ અગાસ ૧૯,૦૦૦ શ્રમ you U.S.A. ૧૧,૫૫૫ બોરીવલી ૧૧,૧૧૧ મુંબઈ ૧૧,૧૧૧ આશ્રમ ૧૧,૦૦૦ નનસાડ આસ્તા પલસોદ U.S.A. ૧૧,૦૦૦ ૧૦,૦૦૧ ૧૦,૦૦૧ ૬,૦૦૦ મુંબઈ ૫,૫૫૫ મુંબઈ ૫,૦૦૧ બોરીવલી ૫,૦૦૧ મુંબઇ ૫,૦૦૦ ટીંબા ૫,૦૦૦ U.S.A. ૫,૦૦૦ લંડન ૩,૦૦૦ ઘાટકોપર ૨,૫૦૦ ૨,૧૨૧ મુંબઈ નનસાડ ૨,૦૦૧ ઘામણ ૨,૦૦૦ આશ્રમ ૨,૦૦૦ આણંદ ૨,૦૦૦ નારીઓ ૧,૫૦૧ ઈ ૧,૧૧૧ યવતમલ ૧,૧૧૧ ૧ પેટલાદ ૧,૧૦૧ બોરીવલી ૧,૧૦૦ જર્મની ૧,૦૨૧ U.S.A ૧,૦૧૧ નવસારી શ્રી વિકાસભાઈ કિશોરભાઈ પટેલ શ્રીમની ટીનુબેન સતિષભાઈ પટેલ શ્રી કલાબેન દિનેશચંદ્ર પટેલ થી. મરભાઈ ગોપાલભાઈ પટેલ શ્રી. રાત્રેશભાઈ હીરજીભાઈ છેડા સ્વ. શ્રી ભાનુબન હીરાભાઈ છેડા હા. રાજેશભાઈ શ્રી બીનાબેન રાજેશભાઈ છેડા શ્રી રાશી રાજેશભાઈ છેડા શ્રી ક્રિશા રાજેશભાઈ છેડા સ્વ. શ્રી બાબુભાઈ મયાચંદભાઈ મહેતા સ્વ. શ્રી શાંતાબેન બાબુભાઈ મહેતા શ્રી મહેન્દ્રભાઈ સોમાભાઈ પટેલ ઉમરાખ શ્રી સુધાબેન મહેન્દ્રભાઈ પટેલ ઉભરાખ શ્રી પ્રતિભાબેન ભરતેશભાઈ બંદા એક મુબેન સ્વ. શ્રી તુલસીભાઈ ગોવિંદભાઈ ભક્ત હા. શ્રી ગોકળભાઈ તુલશીભાઈ ભક્ત શ્રી ડાહીબેન ગોકળભાઈ ભક્ત સ્વ. શ્રી મકનભાઈ તુલશીભાઈ ભક્ત શ્રી ઠાકોરભાઈ ગોકળભાઈ ભક્ત તથા શ્રી મનહરભાઈ ગોકળભાઈ ભક્ત શ્રી માયાબેન ચંદ્રકાન્તભાઈ દેસાઈ શ્રી ચંદ્રેશભાઈ દામજીભાઈ શાહ સ્વ. શ્રી રેવાબેન છોટાભાઈ પટેલ શ્રી પુષ્પાબેન અશોકચંદ્ર શાહ શ્રીમતી સુરજ્બન ગાંધી શ્રી રૂપાબેન સંજીવભાઈ શાહ શ્રી પ્રેમીલાબેન વસંતલાલ શાહ શ્રી અમિષભાઈ શાહ શ્રી મરૂતભાઈ દિનુભાઈ પટેલ સ્વ. શ્રીછોટાલાલ નાનદભાઈ ભીમાણી શ્રી છગનરાજ સમરથમલજી શ્રી ધ્વની નીતિન ગાંગજી શ્રી શ્વેતા શાંતિલાલ ગાંગજી પલસોદ U.S.A દેરોદ ૧,૦૧૦ ૧,૦૦૧ N.J.U.S.A નવસારી બોરીવલી ૧,૦૦૧ ૧,૦૦૧ એક મુમુક્ષુભાઈ શ્રી સુબોધભાઈ તથા હિતેષભાઈ-ગોસક્રિયા શ્રી નીલેશભાઈ વી. દોશી શ્રી મનુભાઈ ડાલાભાઈ પટેલ શ્રી પદમાબેન મણીભાઈ પટેલ તા. કુસુમબેન ગામ હા. શ્રી રળિયાતબેન મકનભાઈ ભક્ત આસુંદ૨ બોરીવલી ૧,૦૦૧ બોરીવલી ૧,૦૦૧ બોરીવલી ૧,૦૦૧ બોરીવલી ૧,૦૦૧ આશ્રમ ૧,૦૦૦ આશ્રમ ૧,૦૦૦ U.S.A, ૧,૦૦૦ U.S.A. ૧,૦૦૦ ૧,૦૦૦ ૧,૦૦૦ સુરત આશ્રમ આસુંદર આસુંદર આસુંદ૨ મુંબઈ ઇન્દોર કાવીઠા વાંચ સેવગાંવ રકમ, રૂ।. ૧,૦૧૧ મુંબઈ બોરસદ હૈદ્રાબાદ બોરસદ કલકત્તા બેંગ્લોર નાસિક મુંબઈ દેવા મુંબઈ દ કાવિઠા ૧,૦૦૦ ૧,૦૦૦ ૧,૦૦૦ ૧,૦૦૦ ૧,૦૦૦ ૭૫૧ ૭૦૦ ૬૪૪ ૫૭૦ ૫૨૧ ૫૧૧ ૫૧૧ ૫૦૫ ૫૦૨ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ Page #682 -------------------------------------------------------------------------- ________________ નામ શ્રી રજનીકાન્ત મણીભાઈ પટેલ સહ પરિવાર શ્રી જશોદાબૅન ઇન્દુભાઈ પટેલ શ્રી શ્રદ્ધાબેન રાજેશભાઈ મહેતા શ્રી. નિલભાઈ રાજાભાઈ કહેના શ્રી આરતીબેન દિગંતભાઈ શાહ શ્રી દિગંતભાઈ વિજયભાઈ શાહ શ્રી લીનાબેન રમણીકભાઈ મહેતા શ્રી પાબેન કમલેશકુમાર શાહ સો. મોહનીબેન, સૌ. અરૂણાબેન, સૌ. ભારતીબેન – મુથા પરિવાર શ્રી સી. એમ. કોઠારી શ્રી ભારતીબેન હરેનભાઈ છેડા શ્રી. નિકિતા મિહિન શાહ. હા. શ્રી હરીશભાઈ સ્વ. શ્રી પુષ્કરલાલ માણેકલાલ ટીંબડીયા શ્રી મગનભાઈ જેસીંગભાઈ પટેલ શ્રી. ચંચળબેન મગનભાઈ પટેલ શ્રી ચીમનભાઈ મગનભાઈ પટેલ બોરીઆ શ્રી પ્રવીણભાઈ મગનભાઈ પટેલ બોરીઆ શ્રી જયેશભાઈ મગનભાઈ પટેલ બોરીઆ શ્રી જીમીતકુમાર ઇશ્વરભાઈ પટેલ શ્રી ભારતીબેન હસમુખલાલ માસ્તર શ્રી લાલજીભાઈ સાકરચંદ શ્રી ચંદ્રિકાબેન વ્રજલાલ શાહ શ્રી નિલેશભાઈ કાન્તીલાલ રાંદેરી શ્રી કમલાબાઈ મોહનલાલજી ગામ કમ, રૂ।. હુબલી પીજ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ પ્રદા અહમદનગર ૧૦૧ ૫૦૧ ૫૦૧ અજમેર મુબ ઘાટકોપર મુંબઈ બોરીઆ આશ્રમ બોરીઆ આશ્રમ U.S.A. U.S.A. U.S.A. પૂણા સુત બોરીવલી અંધેરી ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ સુ મદ્રાસ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૦ P નામ શ્રી કમલાબાઈઉનાલાલજી શ્રી મુકુન્દભાઈ મહેતા શ્રી ઝવેરબેન ટોકરશીભાઈ શાહ શ્રી હેમલતાબેન નેમચંદ છેડા શ્રી. અનસુધાબેન નિક્ષેશકુમાર પટેલ શ્રી પાન નિકુંજકુમાર પટેલ શ્રી. મદીરાભાઈ પી. મહેતા શ્રી રંજનબાલા પી. મહેતા શ્રી સંજીવભાઈ પ્રવીણચંદ્ર મહેતા શ્રીમતી હિનાબેન સંજીવભાઈ મહેતા કુમારી પૂજા સંજીવભાઈ મહેતા કુમારી કેશવી સંજીવભાઈ મહેતા કુમારી સંજના સંજીવભાઈ મહેતા શ્રીમતી કુંદનબાલા કૌશીકલાલ મહેતાં શ્રીમતી સૌદામિનીબેન વિ ભાઈ બેદરકર શ્રી જગદીશભાઈ શાંતિલાલ સંઘવી શ્રી અનુપાબેન જગદીશભાઈ સંઘવી શ્રી મયંકભાઈ જગદીશભાઈ સંઘવી શ્રી મમતાબેન મયંકભાઈ સંઘવી શ્રી ગૌતમભાઈ જગદીશભાઈ સંઘવી શ્રી. નવિનચંદ્ર ત્રિભુવનદાસ શાહ શ્રી ગાંગજીભાઈ ભાણજીભાઈ શાહ ગામ કમ, ૩. ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ મદ્રાસ મુંબઇ આશ્રમ U.S.A. દાવોલ U.S.A. મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ આશ્રમ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ વડોદરા પરિવાર શ્રી હેમલબેન શાહ શ્રી દિપ્તીબેન નીતીનભાઈ શાહ નાસિક શ્રીમતી સુમતીબેન મુલતાનમા ભણસાલી. આશ્રમ શ્રીમતી લીલાબેન જે. રાવઅમીન વીરસદ શ્રીમતી વનલીલાબેન કાન્તીલાલ રાંદેરી સૂરત આશ્રમ હૈદ્રાબાદ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ Page #683 -------------------------------------------------------------------------- ________________ Page #684 -------------------------------------------------------------------------- ________________