SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૧] તથા સાધુવર્ગ આ છ મુનિઓની નિંદા કરતા પણ તેથી યથાર્થ ધર્મ પ્રત્યે છયેની વિશેષ દૃઢતા થઈ. વળી શ્રી લલ્લુજીનો પુણ્યપ્રભાવ એટલો પડતો કે કોઈ તેમને મોઢે કહી શકતા નહીં. વડવાથી શ્રીમદ્ભુ નિડયાદ પધાર્યા. ત્યાં શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર રચ્યું. તેની ચાર નકલ પ્રથમ કરાવી એક શ્રી લલ્લુજી સ્વામી ઉપર સ્વાધ્યાય માટે મોકલી અને સાથે પત્ર લખી જણાવ્યું કે આપને એકાંતમાં સ્વાધ્યાય અર્થે તે મોકલી છે. શ્રી દેવકરણજીને પણ આગળ ઉપર તે હિતકારી થશે, તેમ છતાં તેમને વિશેષ જિજ્ઞાસા જણાય તો સત્પુરુષના પરમ ઉપકારને આ ભવમાં કદી નહીં ઓળવવા જેટલી દૃઢ શ્રદ્ઘા કરાવી તમારા સમાગમમાં અવગાહવામાં હરકત નથી, વગેરે સૂચનાઓ લખી આત્માર્થમાં દૃઢતા કરાવી હતી. શ્રી લલ્લુજી વનમાં એકલા જઈ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનો સ્વાધ્યાય કરતા તે વખતની વાત કરતાં પોતે જણાવ્યું છે કે “તે વાંચતાં અને કોઈ કોઈ ગાથા બોલતાં મારા આત્મામાં આનંદના ઊભરા આવતા. એક એક પદમાં અપૂર્વ માહાત્મ્ય છે એમ મને લાગ્યા કરતું. ‘આત્મસિદ્ધિ’નું મનન, સ્વાધ્યાય નિરંતર રહ્યા કરી આત્મોલ્લાસ થતો. કોઈની સાથે વાત કે બીજી ક્રિયા કરતાં ‘આત્મસિદ્ધિ’ની સ્મૃતિ રહેતી. પરમકૃપાળુદેવની શાંત મુખમુદ્રા કિંવા ‘આત્મસિદ્ધિ'ની આનંદ આપનારી ગાથાનું સ્મરણ સહજ રહ્યા કરતું. અન્ય કશું ગમતું નહીં. બીજી વાતો પર તુચ્છ ભાવ રહ્યા કરતો. માહાત્મ્ય માત્ર સદ્ગુરુ અને તેના ભાવનું આત્મામાં ભાસ્યમાન થતું હતું.’ સં. ૧૯૫૩ નું ચોમાસું ખેડામાં શ્રી લલ્લુજીએ કર્યું. તેમના સ્વાધ્યાય અર્થે શ્રીમદે “મોક્ષમાર્ગ પ્રકાશ'' ગ્રંથ ખેડામાં મોકલ્યો હતો તેમાં સ્થાનકવાસી પંથ વિષે ટીકા આવે છે તે વાંચી શ્રી દેવકરણજીને ગમેલું નહીં, અને ગ્રંથ વાંચવો બંધ રાખેલો. પણ ફરી પત્ર શ્રીમદ્ તરફથી મળ્યો કે કોઈ બાબત માટે ગ્રંથ વાંચતાં ખળી રહેવા યોગ્ય નથી. દોષવૃષ્ટિ તજી ગુણગ્રાહી થવા પ્રેરણા કરી હતી તેથી પૂર્ણ સ્વાધ્યાય થતાં તેની મહત્તા સમજાઈ હતી. ૫ સં. ૧૯૫૪ ના ચાતુર્માસમાં શ્રીમદ્ રાજચંદ્ર નિવૃત્તિ લઈ ચરોતરમાં ફરી પધાર્યા હતા. તે વર્ષે શ્રી લલ્લુજીએ વસોમાં ચાતુર્માસ કર્યું હતું અને શ્રી દેવકરણજીએ ખેડામાં કર્યું હતું. શ્રાવણ માસની શરૂઆતમાં શ્રીમદ્ કાવિઠા પધાર્યા હતા. ત્યાંથી નડિયાદ થઈ વસો પધાર્યા. શ્રી લલ્લુજીને શ્રીમદે પૂછ્યું, “કહો, મુનિ, અહીં કેટલા દિવસ રહીએ ?'' શ્રી લલ્લુજીને મુંબઈ સિવાય બીજે કચાંય અઠવાડિયાથી વધારે સમાગમનો પ્રસંગ મળેલો નહીં, તેથી તેમણે કહ્યું, “એક માસ અહીં રહો તો સારું.’' શ્રીમદ્ મૌન રહ્યા. શ્રી દેવકરણજીને આ સમાચાર મળ્યા તેથી તે પણ શ્રીમદ્ભુને ખેડા પધારવા પત્ર દ્વારા વિનંતિ કરવા લાગ્યા. પણ ભાઈ અંબાલાલની સૂચનાથી શ્રી લલ્લુજીએ શ્રી દેવકરણજીને પત્રથી જણાવ્યું કે ચાતુર્માસ પછી સમાગમ કરાવવા તમે શ્રીમદ્ભુને પત્ર લખો તો આપણને બધાને લાભ મળે તો વિશેષ હિતકારી થાય. શ્રી દેવકરણજીનો તેવા ભાવાર્થનો પત્ર આવ્યો. ત્યારે શ્રીમદ્જીએ શ્રી લલ્લુજીને પૂછ્યું, “મુનિશ્રી દેવકરણજીને પત્ર કોણે લખ્યો ?'' શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005261
Book TitleUpdeshamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2002
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy