SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ उ४४ ઉપદેશામૃત જ્ઞાનીએ જાણ્યું છે તેવું જ છે. તે જ મને માન્ય છે. તે જ મારું છે, તેમાં જ મારે પ્રેમ, પ્રીતિ, સ્નેહ, ભક્તિ, ભાવ કરવા યોગ્ય છે. તે જ મારે પ્રાપ્ત કરવા યોગ્ય છે, ઇચ્છવા યોગ્ય છે, અનુભવવા યોગ્ય છે. ત્યાં જ તલ્લીનતા કરવા યોગ્ય છે. આવી શ્રદ્ધા થઈ જેને માન્યતા થઈ ગઈ હોય તે દરેક પ્રસંગમાં સુખમાં, દુઃખમાં, આધિમાં, વ્યાધિમાં કે સંકલ્પ-વિકલ્પમાં એક આત્મભાવનામાં જ રહી શકે, પોતાનો અને પરનો ભેદ પાડી શકે. “જડ ને ચેતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે; સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે ય પણ પરદ્રવ્યમાંય છે.” આવી શ્રદ્ધાપૂર્વક માન્યતા નિરંતર વર્તે છે અને પરોક્ષ આત્મભાવનામાં જાગૃત છે તેને સર્વ વ્રત, નિયમ વગેરે આવી જાય છે. તેને કષાયાદિ સર્વ જે કાંઈ આવે છે તે છૂટવા માટે આવે છે. શ્રી તીર્થંકરાદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કહ્યો છે; પણ જીવ દિશામૂઢ રહેવા ઇચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાયે પણ નથી. અને તે સમજવું પણ કંઈ વિકટ નથી, કેમકે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે; અને તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે, તેથી સમજવી ન બને. પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે ? પણ સ્વપ્નદશામાં જેમ ન બનવાયોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાનદશારૂપ સ્વપ્નરૂપયોગે આ જીવ પોતાને, પોતાનાં નહીં એવાં બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે; અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નરકાદિ ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવકલ્પનાના હેતુ છે, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે; અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સપુરુષાદિ સાઘન કહ્યાં છે; અને તે સાઘન પણ જીવ જો પોતાના પુરુષાર્થને તેમાં ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. - વઘારે શું કહીએ ? આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટ્યો એમાં કંઈ સંશય નથી. ફા. સુ. ૯, સં. ૧૯૯૦, તા. ૨૨-૨-૩૪ જીવને કરવા યોગ્ય શું છે? ભૂંડું કર્યું હોય તો તે પ્રેમ-વહાલપ છે તેણે જ કર્યું છે. તે પ્રેમ જગતમાં જ્યાં ત્યાં વેરી નાખ્યો છે. ત્યાંથી પાછો વાળી કોઈ એક જ જગાએ–શાનીમાં કરવો યોગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005261
Book TitleUpdeshamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2002
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy