SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશસંગ્રહ–૪ તા.૨૪-૫-૨૮ વીલો મૂકવો નહીં. રાતદિવસ મંત્રનું સ્મરણ કરવું અને વખત મળ્યે વાંચન પઠન કરવું. અમૂલ્ય વખત આળસમાં કે ૫૨૫રિણતિમાં ન ખોવો. નિત્ય છ પદના પત્રનું સ્મરણ કરવું અને મનન કરવું. મોટા પુસ્તક (શ્રીમદ્ રાજચંદ્ર) માંથી જે જે પત્રો સમજાય તે મનન કરવા. અઢાર પાપસ્થાનકમાંથી રિત-અતિ ન થાય તે ઉપર ખાસ લક્ષ આપવું. અત્યારે તો બધું સુખ છે. પરંતુ જ્યારે રોગ આવશે ત્યારે અકળામણ થશે, કંઈ ગમશે નહીં. ક્યાં જવું ? શું કરવું ? જીવ નીકળી જશે ? એમ થશે. તે વખતે શ્રદ્ધા હશે, જ્ઞાન હશે તો સમભાવથી રહી શકાશે. તા. ૩૦-૧૦-૨૮ અત્યંત દુર્લભ પ્રસંગ પ્રાપ્ત થયો છે. કરોડો રૂપિયા આપતાં આ સત્ય મળી શકે તેવું નથી. દેહ, વૈભવ, માન પાન—બધું વિનાશી છે, ક્ષણિક છે. ઘડપણ આવશે, રોગ આવશે અને મરણ તો આવવાનું જ છે. આવા કંઈક ભવ કર્યા. હવે ચેતવું. વાચન, મનન, વિચારણા ખૂબ રાખવાં. ધર્મની શ્રદ્ધા દિવસે દિવસે દૃઢ કરી, વઘારવી. એ જ સાથે આવશે. આવો જોગ ફરી નહીં આવે; સંસારમાં પડતાં તો અનેક પ્રકારની જંજાળ વળગે. ચેતવાનું છે. જગત પર્યાયરૂપ અને દગાથી ભર્યું છે. Jain Education International ૪૦૭ * યથાયોગ્ય ઉપયોગ એ આત્મા છે. વિચાર એ જીવ છે. ‘કર વિચાર તો પામ.' આત્મા અરૂપી છે; જ્ઞાનચક્ષુથી જણાય છે. જ્ઞાન એ યથાયોગ્ય આત્મા છે. For Private & Personal Use Only તા. ૩-૧૧-૨૯ તા.૧૦-૧૦-૩૦ www.jainelibrary.org
SR No.005261
Book TitleUpdeshamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2002
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy