________________
[૮૦] પ્રશસ્તિ
(શિખરિણી) અહો ! આત્મારામી, મુનિવર લઘુરાજ પ્રભુશ્રી, કૃપાળુની આજ્ઞા ઉર ઘરી કરી વ્યક્તિ શિવશ્રી; તમે ઉદ્ધાર્યા આ દુષમ કળિકાળે જન બહુ, કૃપાસિંધુ વંદું, સ્વરૂપ-અનુભૂતિસ્થિતિ ચહ્યું. ૧ કૃપાળુની આજ્ઞા મુજ ઉર વિષે નિશ્ચળ રહો, ગુરુ જ્ઞાનીયોગે ભવજળતણો અંત ઝટ હો; સદા સેવી એને વિમલ વચનામૃત ઋતને, સદાનંદે મગ્ન ભજું હું સહજાત્મસ્વરૂપને. ૨
(વસંતતિલકા) શ્રી રાજચંદ્ર ગુરુવર્યતણા પ્રતાપે, અધ્યાત્મજ્ઞાન પ્રગટાવી પ્રભુશ્રી આપે; વર્ષાવી બોઘતણી અમૃતવૃષ્ટિ આ જે, થાઓ મુમુક્ષુજનને શિવસૌખ્ય કાજે. ૩ જે ભવ્ય આ ર્જીવન જ્ઞાનેંતણું સુણીને, સંભાળશે સહજ_આત્મસ્વરૃપ–શ્રીને; સંસાર-સાગર અપાર તરી જશે તે, શાંતિ સમાધિ સુખ શાશ્વત પામશે તે. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org