SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૦] ખંભાતમાં વીસ સાઘુઓ એકઠા થયા. તે વિષે ટૂંકામાં શ્રી અંબાલાલભાઈએ શ્રીમદ્જીને પત્ર લખ્યો છે, તેમાં તે જણાવે છે – મુનિશ્રી ભાણજીરખજીએ તેડાવવાથી કુલ સાધુ વીસ એકઠા થયા છે. મુનિશ્રી લલ્લુજી આદિ ઠાણાં છ આજ્ઞાનુસાર વર્તે છે. તે લોકો તો વિશેષ ચેષ્ટામાં, નિંદામાં આવી ગયા છે. અત્રેના સૌ મુમુક્ષુઓ આજ્ઞાનુસાર વર્તે છે. હવે તો તે લોકોએ હદપાર પ્રરૂપણા અને નિંદા કરવા માંડી છે. તે પ્રસંગે જો જરા કહેવા જાય છે કે મુનિનો માર્ગ કેવો હોવો જોઈએ, વગેરે સહજ કહે છે તો તે પણ તે લોકોને અવળું ભાસે છે...અનેક પ્રકારે અન્યાયથી પ્રરૂપે છે, ત્યાં મુનિ વગેરે સી અત્યારે તો સમપણે રહ્યા છે. કોઈ કાંઈ બોલતું નથી. જરા વાત કરવા જઈએ તો અન્યાયપણે જ બોલવું, ત્યાં આ જીવનો શો આશરો ? હવે તો હે પ્રભુ ! આપનું શરણ એક આધારભૂત છે. જે સાધુ સન્માર્ગની ઇચ્છાવાળા છે તેમાંથી એકેક એકેકને બોલાવીને વિશેષ પ્રકારે દબાવે છે, માર્ગથી પાડવાનું પ્રયત્ન કરે છે. અને લોકસમુદાય વખતે અન્ય અન્ય પ્રકારે હાસ્યાદિક ચેષ્ટા કરે છે. તેઓ છ મુનિઓ તો સમપણે રહ્યા છે. મુનિ દેવકરણજીને સાચી વાતમાં શૂરવીરપણું આવી જાય છે. પણ મન દબાવીને બેસી રહ્યા છે. હવે તો તે લોકોને વિશેષ આગ્રહ થઈ પડ્યો છે. ત્યાં વગર પૂછ્યું એકદમ આ સાધુઓને સંઘાડા બહાર મૂકી દે ત્યાં આ છ મુનિઓએ શી રીતે વર્તવું ? કદાપિ સંઘાડા બહાર ન મૂકે અને એકેકને જુદા પાડીને પોતાના સંગમાં રાખીને વિષમપણે દબાવે અથવા પાડવાનો પ્રયત્ન કરે ત્યાં આ મુનિઓએ શી રીતે વર્તવું ? કેટલાક થતી જિજ્ઞાસાવાળા મુનિઓને તો આ પ્રસંગે વિશેષ દૃઢ થયું છે અને થાય છે તો પણ હવે તો ડરે છે કે આ સંગ ભંડો છે અને તેમાં રહેવું થશે તો કેમ કરવું ? એ વિષે ખુલાસો ઇચ્છે છે. પત્રથી લખવાનું વિશેષપણે બન્યું નથી. પણ અદ્વેષપરિણામે જ વર્તવાનું રાખ્યું છે. તોપણ અગ્નિઝાળ આગળ રહેવાથી ઉષ્ણપણું થયા વિના રહેતું નથી. છતાં દાબી દાબીને રાખી રહ્યા છે. હવે તો આપ પરમ કૃપાળુદેવશ્રીની પરમ કૃપાથી જગતનું કલ્યાણ થાઓ. આ સંસર્ગથી ગમે તેટલું હોય તોપણ ચિત્ત વિક્ષેપ પામી જાય છે. હવે તે મુનિઓને ઊઠવા દે એમ લાગતું નથી. તેમ તે લોકો અમારા સાથે તો કંઈ વાત જ કરતા નથી... અત્યંત વૃઢ પરિણામે રહી શકવા જેટલી મારી સ્થિતિ નથી એટલે સત્યની વાતમાં યુવાનપણું આવી જાય છે. અને જે સાચી વાત કરીએ છીએ તેને હાસ્યમાં અન્યાયપણે કાઢી નાખે છે. એ વળી ફરી પાછી અનુકંપા આવી જાય છે.” શ્રીમદ્જીની સલાહ-સંપથી રહેવાની સૂચનાથી આવી સતામણીમાંય મોટા ગણાતા સાધુના કહ્યામાં રહેવા જેટલી નમ્રતા અને લઘુતા શ્રી લલ્લુજી ઘારણ કરી સ્વાધ્યાયાદિમાં કાળ ગાળતા તેની છાપ સર્વ સાધુઓ પર પડ્યા વિના રહેતી નહીં. અને લોકોને પણ તેમની શાંત પ્રભાવિક મુખમુદ્રા તેમ જ ભક્તિ, વૈરાગ્યાદિ ગુણથી તેમની મહત્તા સમજાતી વળી શ્રી દેવકરણજીના વ્યાખ્યાનથી તો નિંદક-વર્ગ પણ પ્રાયે પલટાઈ જતો. સં. ૧૯૫૪ ના માગશર વદ બીજે શ્રી લલ્લુજીએ શ્રીમજી ઉપર પત્ર લખેલો તેમાં પોતે લખે છે : “હે નાથ ! શ્રી ખંભાતથી મુનિ છગનજીએ એક પત્ર લખાવેલ અને તે ભાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005261
Book TitleUpdeshamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2002
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy