SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ઉપદેશામૃત વ્યવહારકાળ–નિશ્ચયકાળ “વ્યવહાર કાલ સબસે સૂક્ષ્મ “સમય” નામવાલા હૈ, સો ઉપજે ભી હૈ, વિનસે ભી હૈ, ઔર નિશ્ચયકાલકા પર્યાય ઉત્પાદ, વ્યયરૂપ સિદ્ધાંતમેં કહા ગયા હૈ. ઉસમેં અતીત, અનાગત, વર્તમાનરૂપ અનેક ભાવ છે. નિશ્ચયકાલ અવિનાશી હૈ.” કાળલબ્ધિ લઈ પંથ નિહાળશું.” પુરુષાર્થ, તે સ્વસમય ઉપયોગ, તે કર્તવ્ય છે; પરસમય ઉપયોગ કર્તવ્ય નથી–રાગદ્વેષ જેમ બને તેમ કર્તવ્ય નથી. ઉદય જોઈ ઉદાસીન (દિલગીર) થવું તે ચુકાવો (ભૂલ) છે. ઉદાસીનતા એટલે સમભાવ, તે જ વીતરાગતા, એ જ ચારિત્ર છે. એ જ કર્તવ્ય છે. અમૃતની સમૂલી નાળિયેરી–દ્રષ્ટાભાવ, ભેદજ્ઞાન અંતરવૃત્તિથી કર્તવ્ય છે; મૂળ આત્મા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ; ઉપયોગ તે આત્મા; તે ભાવ પરિણામમાં ભાવવું તે કર્તવ્ય છે. બાકીનું ભૂલી જવું. “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે,” જીવ લહે કેવળજ્ઞાન રે. અંતરવૃત્તિ ઉપર ઉપયોગ રાખી બાહ્ય વહેવારે પ્રવર્તતાં આત્મા સન્મુખ છે. “જગત આત્મવત્ જોવામાં આવે.” શું લખવું ? કાંઈ આવડતું નથી. વૃત્તિ સંકુચિત થવાથી લખવા વૃત્તિ થતી નથી. પત્ર ૨૧૨ વિચારશોજી. “સદ્ગુરુના ઉપદેશથી, સમજે જિનનું રૂપ; તો તે પામે નિજદશા, જિન છે આત્મસ્વરૂપ.” १“कम्मदव्वेहिं सम्मं संजोगो होइ जो उ जीवस्स । सो बंधो नायव्यो, तस्स वियोगो भवे मुक्खो ॥" [૩૧ જૂનાગઢ, આસો વદ ૧૧, શનિ, ૧૯૭૨ ઘીરજ રાખવી. સમભાવે વેદવું. અવિષમ થવું, રહેવું યોગ્ય છે. વિષમ ભાવ થશે તો, આર્તધ્યાન, રૌદ્રધ્યાન થશે તો કર્મ બંઘાશે. માટે સમભાવ રાખવો. સમતા ક્ષમા દયા ભાવે સદ્ગુરુ સમરણ “સહજાત્મસ્વરૂપ' કર્તવ્ય છેજી. હે પ્રભુ! તે સ્વરૂપનું ઓળખાણ સત્સંગથી થાય છેજી. સદ્ગઓળખાણ નથી તેથી જીવ ભમે છેજ. આ તો જીવ કંઈને સાટે કંઈ બાઝી જાય છે. માટે સક્શાસ્ત્ર વચનામૃત તથા સત્સમાગમથી સમજાશે; ભાવના રાખવાથી હરિગુરુ તેવો અવસર મેળવી આપશેજી. ધીરજ કર્તવ્ય છે. ક્ષણે ક્ષણે સહજાત્મસ્વરૂપનું સમરણ કરશોજી, વિચારવા જેવું નથી. કાળલબ્ધિ આવી મળશેજી; સમય સમય ઉપયોગ કર્તવ્ય છેજી. - ૧. જીવનો કર્મદ્રવ્યની સાથે જે સંયોગ છે તે બંઘ જાણવો, અને તેનો વિયોગ તે મોક્ષ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005261
Book TitleUpdeshamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2002
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy