________________
[૩૨]
કાયા શાંત રહે છે, જેથી વચનથી ઉચ્ચાર અને મનથી વિચાર એ કામ સાથે લયતારૂપે થયા કરે તો કાયા સ્થિર થઈ આત્મવિચારને જાગૃત કરે છે. તે માટે અલ્પપરિચય, અલ્પપરિગ્રહ, આહારનો નિયમ, નીરસ ભાવ એ બઘાં કર્તવ્ય છે... જેમ જેમ લયતા વિશેષ, તેમ તેમ આત્મજાગૃતિ વર્ધમાન હોય છે, તેમ તેમ કર્મનો અભાવ છે... એ બઘામાં વિચાર જાગૃતિ મુખ્યપણે જોઈએ છે. તે વિચાર જાગૃતિની ઘણી જ ન્યૂનતા જોવામાં આવે છે. તેથી દશા વર્ધમાન થતી નથી; બળથી કરવા જતાં વધુ વખત રહેતી નથી, અને કૃત્રિમ થઈ તે દશા જતી રહે છે.... જો વિચારજાગૃતિ હોય તો, સહજે ઓછા બળે કે વિના પરિશ્રમે તે દશા વર્ધમાન થાય છે.
...... તે વિચારજાગૃતિ શેનું નામ..?..કોઈ પણ શબ્દ, વાક્ય, પદ કે કાવ્યનું વિચારથી કરી વિશેષ અર્થનું ફોરવવાપણું, તે એટલે સુઘી–જેમ જેમ તેનો અર્થ વિશેષ થતાં જતાં મન નિરાશ ન પામતું હોય પણ પ્રફુલ્લિત રહેતું હોય, ઉમંગ વઘતો હોય, આનંદ આવતો હોય, લયતા થતી હોય, મન-વચન-કાયા જાણે એક આત્મરસરૂપ થઈ તે જ વિચારમાં પ્રવર્તે જતાં હોય ત્યાં કેવી મજા પડે ! એવી જે રસલયલીનતા એકરસરૂપ તે વિચારજાગૃતિ આપે છે. તે જ વિચારજાગૃતિની બહુ જ ન્યૂનતા છે. માટે તેવા પુરુષોને જ્ઞાનીઓએ સત્સંગમાં રહેવાની આજ્ઞા કરી છે; કારણકે વિચારશક્તિના ઓછા બળને લીધે સત્સંગ તે તે જીવોને બળરૂપ થઈ પડે છે.
તે વિચારશક્તિ માટે વિદ્યાભ્યાસ, ન્યાય, તર્ક, વ્યાકરણ અને શાસ્ત્રાભ્યાસની મુખ્ય જરૂર છે કે જેથી વિચારશક્તિને તે ઉપકારભૂત થાય છે.
.... જગતનું કલ્યાણ કરવા જેવી દશા નથી, તેવો દંભ રાખવો નથી. જગત પ્રત્યે અનુકંપા વર્તે છે. તે પપદયથાર્થ સ્વરૂપ જ્યાં સુધી યથાર્થ આત્મવિચારપણે સમજાયું નથી, ત્યાં સુધી કોઈ પણ મત મંડન કે ખંડન થઈ શકે તેમ નથી. તે છપદનું સ્વરૂપ જેમ જેમ વિચારજ્ઞાનની પ્રઘાનતા અને ચારિત્રઘર્મની શુદ્ધતા, તેમ તેમ અનુભવરૂપે વિશેષ પ્રકારે સમજાય છે ..”
....એવી લબ્ધિ પ્રગટ કરો કે સહજાત્મસ્વરૂપ થઈ રહો; તમારું આલંબન લઈ અમે પણ તરીએ.”
તે ચોમાસામાં શ્રી અંબાલાલભાઈનું કરમાળા જવું થયું હતું અને કરમાળામાં શ્વેતાંબર, સ્થાનકવાસી અને દિગંબર ત્રણે ય જૈન પક્ષોમાં ત્રીસ વર્ષથી ચાલ્યા આવતા અણબનાવ અને વિરોઘનું સમાઘાન શ્રી લલ્લુજીની સહાયતાથી સંપ જળવાય તેમ કર્યું હતું.
ચોમાસું પૂરું કરી શ્રી લલ્લુજી દક્ષિણમાં વિચરતા વિચરતા ઘોરનદી નામના ગામમાં થોડો કાળ રહ્યા હતા. તે જ ગામની એક બાઈ અને તેની દીકરીએ સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા લીધેલી. તે બીજી આર્જાઓ સાથે ચોમાસામાં ત્યાં રહેલી. પણ તે બાઈને માંદગી બહુ હોવાથી ચોમાસા પછી પણ ત્યાં રોકાવું થયેલું. તેમના સંઘાડાના સાઘુઓને તે આર્તાઓએ પત્ર લખી જણાવેલું કે એક આર્જા માંદી છે તેને સંથારો (મરણ પહેલાંનું તપ) કરાવવા માટે શું કરવું ? તે સાધુઓએ શ્રી લલ્લુજી ઘોરનદીમાં ગયા છે એમ સાંભળેલું અને ખંભાતના અંધાડા પ્રત્યે તેમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org