________________
ઉપદેશામૃત
વેદની આવે ત્યારે શરીરની ચિંતા ન કરવી કે મને શું થશે. ‘વેદની થાય છે, કોઈ સારવાર કરતું નથી', વગેરે આર્તધ્યાન ન કરવું. એથી ગાઢ કર્મબંધ થાય. પરંતુ તે વખતે, “પૂર્વકર્મનો ઉદય છે તેથી દેહમાં વેદના થાય છે, પણ હું એથી ભિન્ન છું, જાણનારો છું; વેદની આવી છે તેનો અંત આવશે, હું એરૂપ નથી, મારું સ્વરૂપ જ્ઞાનીએ જોયું તેવું છે. માટે તેમને યાદ કરું અને આત્માની શ્રદ્ધા રાખું' એમ સમાધિમાં રહે તો દેહાધ્યાસ છૂટે. કોઈને દોષ ન દે; પણ સહન કરીને સ્મરણમાં રહે અને દૃઢતા સેવે તો છૂટે.
૪૩૨
જીવ જે વસ્તુ નથી ગમતી તે ત્યાગવા તત્પર થાય છે. પોતાને ગમતું હોય, પામ્યો હોય તે છોડતો નથી; તેથી તેવા ત્યાગનું ફળ પણ તેવું જ આવે. એવો ત્યાગ કરીને વનમાં રહે તોપણ વાસના છોડતી નથી અને રાગદ્વેષ ચાલુ રહી કર્મબંઘ કરાવે છે. પરંતુ સમિતીને ઘરમાં રહેવા છતાં પ્રાપ્ત ભોગો પ્રત્યે વૈરાગ્ય છે. તે પોતાને સર્વેથી ભિન્ન માને છે, તેથી રાગદ્વેષ કરતો નથી અને છૂટે છે.
ખરો ત્યાગ તો સમિતીનો જ છે. છતાં જગતમાં લૌકિક ત્યાગનો પ્રવાહ ચાલ્યો છે, તે રોકાય તેવો નથી. માટે વ્યવહાર થવા દેવો અને જોયા કરવું. આત્માનો માર્ગ લૌકિક નથી, અલૌકિક છે, અંતરમાં રહ્યો છે; માત્ર બાહ્ય ત્યાગથી પ્રાપ્ત થાય એવો નથી.
તા.૨૭-૧-૩૫
આ આશ્રમ કેવો છે ! અહીં તો માત્ર એક આત્માની વાત છે. પોતાના આત્માને ઓળખો. એને જ દેવ માનો. હું કહું તે મનાશે ? આત્મા તે જ સિદ્ધ છે, તે જ દેવ છે, તેને જ પૂજવાનો છે. અનંત કાળથી જગતને રૂડું દેખાડવા પરને માટે બધું કર્યું છે, પણ પોતાના આત્માને માટે કંઈ કર્યું નથી. તેનો પ્રભાવ વધાર્યું નથી. જ્ઞાનીને તો પ્રથમ પોતાનો આત્મા દેખાય છે. તેઓ જાણે છે કે મને ઘર, માણસ, સૂર્ય, ચંદ્ર વગેરે જે કંઈ દેખાય છે તે મારા આત્માવડે દેખાય છે. તે આત્મા અનંત ગુણનો ઘણી છે, જ્ઞાન-દર્શન-ચારિત્રમય છે. પરંતુ પરભાવમાં રહીને તેના ગુણો વિસાર્યા છે, તેથી અવરાઈ ગયા છે.
નારદજી તે વૃક્ષ પાસે ગયા અને પોપટના બચ્ચાને પૂછ્યું કે તે પણ તરફડીને મરી ગયું. તેથી નારદજીને એમ લાગ્યું કે મારા પૂછવાથી બધા મરી જાય છે એ પાપનું કારણ છે. તેથી ભગવાન પાસે જઈને કહ્યું કે મને હત્યા લાગે તેવું આપ કેમ બતાવો છો ! ભગવાને કહ્યું કે તમારે સત્સંગનું માહાત્મ્ય સમજવું છે કે નહીં ? ત્યારે નારદજીએ કહ્યું કે સમજવું તો છે. તેથી ભગવાને કહ્યું કે અમુક રાજાને ત્યાં કુંવરનો જન્મ થયો છે તેને જઈને પૂછો.
નારદજી રાજાના દરબારમાં ગયા. રાજાએ સન્માન કરીને તેમને આવવાનું કારણ પૂછ્યું. કુંવરજીને મારે મળવું છે એમ જણાવ્યું એટલે તેમને અંતઃપુરમાં લઈ ગયા. ડરતાં ડરતાં નારદજીએ કુંવરને પૂછ્યું કે સત્સંગનું માહાત્મ્ય શું ? કુંવરે કહ્યું, હજી તમે ના સમજ્યા ? કાંચીડાના ભવમાં તમારા દર્શન થયાં અને શબ્દ સાંભળ્યાં તેના પુણ્યથી હું પોપટ થયો હતો. અને ત્યાં પણ આપનાં દર્શન થયાં તેથી હું આ રાજકુમાર બન્યો છું. આપ જેવા મહાત્માના સત્સંગનું આ ફળ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org