________________
૧/૪
ઉપદેશામૃત કરશો. આત્મા એકલો આવ્યો અને એકલો જશે. સુખદુઃખ, શાતા-અશાતા જીવને બાંધ્યા પ્રમાણે આવે છે તે કોઈના હાથમાં નથી. માટે સમતા અને ઘીરજ વઘારે રાખતાં શીખવું. નબળા માણસોનો સંગ ન કરવો. નાની ઉંમરના છો પણ ઘરડા સમજુ માણસ જેવી બુદ્ધિથી વર્તવું અને મોટા સમજુ માણસની મુલાકાત પ્રસંગ રાખવો, ઓળખાણ તેમની સાથે રાખવી. સૌની સાથે મૈત્રીભાવથી નમ્રતાથી વિનય સહિત બોલવા ચાલવાનો વ્યવહાર રાખવો. ગરીબાઈ રાખી વર્તવું. નમ્યો તે પરમેશ્વરને ગમ્યો. અહંકાર રાખવો નહીં.
“જ્ઞાન ગરીબી ગુરુવચન, નરમ વચન નિર્દોષ;
ઇનકું કભી ન છાંડિયે, શ્રદ્ધા શીલ સંતોષ.” આ લખેલ દુહો મુખપાઠ રાખી તેમાંનો વિચાર, શિખામણ છે તે મનમાં રાખી આપણે વર્તવું. અવકાશ પ્રસંગે ઘર્મનું વાંચવું, વિચારવું.
આ સમજ આ ભવ પરભવના હિતને માટે જણાવી છે. ઉપર લખ્યા પ્રમાણે જેમ આત્મહિત થાય તેમ વર્તવા યોગ્ય છે. આપણું ભૂરું કર્યું હોય તેમનું પણ ભલું કરવું એવો સ્વભાવ રાખવો. એમનો તિરસ્કાર કરવો નહીં. તેમને સારું લાગે તેવું માન આપી સારું થાય તેમ કરવું. “આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં.' એમ કહેવત છે; માટે પોતાથી બને તેટલું આ સંસારમાં આયુષ્ય રહે ત્યાં સુધી ભલું થાય તેમ કરવું. જેમ બને તેમ સદ્વર્તન કરશો. વિનય વેરીને વશ કરે છે. જે મળે તેટલાથી સંતોષ રાખવો. ખમી ખૂંદવું. જૂઠું બોલવાની ટેવ કદી પાડવી નહીં. નમનતાથી વર્તવું.
૧૫૯ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
તા. ૧૯-૭-૩૪, ગુરુ દંતાલીવાળા ત્રિકમભાઈનું શરીર ક્ષયને લીધે સુકાઈ ગયું છે. તે હાલ આશ્રમમાં રહે છે. પરમ કૃપાળુદેવ ઉપરની શ્રદ્ધા વૃઢ થાય અને શરીર ઉપરની મમતા ઓછી થાય તેવો બોઘ, પત્ર આદિ બોલાવીને, તેમને સંભળાવવાનું નિમિત્ત રાખ્યું છે. એ રોગમાં શરીર ક્ષીણ થઈ જવા છતાં ભાન, સુરતા સારી રહે છે. વૃદ્ધાવસ્થા હોય, મંદવાડ હોય, તોપણ મનુષ્યદેહ છે ત્યાં સુધી સત્સંગ આદિ આત્મહિતનું કારણ બની શકે છે. રોગના વખતે સમકિતી જીવને વિશેષ નિર્જરા થાય છે. દુઃખના વખતમાં સામાન્ય રીતે ભગવાન વઘારે સાંભરે અને સુખના વખતે સંસાર સાંભરે છે. માટે જ્ઞાની પુરુષો તો વેદના વખતે રાજી થાય છે કે આ કર્મનો બોજો હલકો થાય છે. એટલા સુધી કે મૃત્યુવેળાને મહોત્સવ ગણે છે. જે કોઈ જીવની સાચા દિલથી પરમ કૃપાળુદેવ ઉપર આસ્થા થઈ છે તે સર્વનું કામ થઈ જવાનું છે. ખામી માત્ર બોઘની અને જીવની યોગ્યતાની છે. તે ખામી પૂરી કરવા સપુરુષાર્થ કર્તવ્ય છેજી.
આપ તો અવસરના જાણ છો અને એવાં સારાં નિમિત્તો મેળવતા રહો છો એટલે આપને શું જણાવવાનું છે ? આપને કાંઈ કહેવાનું નથી. “ખાતાં રહ્યું તે બી અને મરતાં રહ્યું તે ઘરડું.” અમારે તો તમારો સત્સંગ સંબંઘી મોટો આધાર છે. આપને શું લખવું ? આપ અવસરના જાણ છો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org