________________
ઉપદેશસંગ્રહ-૨
૩૨૩ સદી ન રેરૂ પર્વ' એવાં સૂત્રો મોટા પુરુષ કેમ ઉચ્ચારે? એ શાનું માહાત્મ? સમકિતનું. જેમ ચંદનવૃક્ષ પાસેનાં બીજાં વૃક્ષો, લીમડા વગેરેનાં પણ, સુગંધીદાર બને છે તેમ સમકિતીની કષાયવાળી ક્રિયા પણ સમક્તિની હાજરીમાં પુણ્યરૂપ પરિણમે છે. સમકિત એ પુણ્ય છે અને મિથ્યાત્વ એ પાપ છે, એમ “મૂળાચાર” તેમજ “ગોમટ્ટસારજી'માં પણ આવે છે. આવું જેનું માહાભ્ય છે તે મૂકીને આ ભવમાં ઢીંગલા-ઢીંગલીની રમત જેવાં સુખ અને સમૃદ્ધિ પાછળ કાળ ગાળવો સમજુ વિચારવાનને છાજે ? આટલા ભવમાં તો સમકિત જ કર્તવ્ય છે. પછી ભલેને ગમે તેટલા ભવ હોય તેની પંચાત નથી. તે થયા પછી તેની ક્રિયા પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરે અને છેવટે સમકિત તેને મોક્ષે લઈ ગયા વગર મૂકે નહીં. કંઈ અજબગજબ વાત આજે તો આવી છે ! ૧. મુમુક્ષુ–-
સિદ્ધપુરના ગોદડ પારેખ જણાવતા કે આપને મળ્યા પછી આપે હૃદયમાં ચકલું ઘાલી દીધું છે, તે ફડફડ થયા જ કરે છે. પહેલાં તો ખાતા અને નિરાંતે ઊંઘતા, પણ હવે તો કંઈ ચેન પડતું નથી.
પ્રભુશ્રી–એમ જ છે. અમને કૃપાળુદેવ મળ્યા પછી બધા મુનિઓ અમારા સંબંઘી વાત કરતા કે એમની પાસે જશો તો ભૂત ભરાવી દેશે; એમના શબ્દો કાને ન આવવા દેવા, નહીં તો ચોટ લાગી જ જાણવું.
૨. મુમુક્ષુ-હજી અમદાવાદમાં એમ જ કહેવાય છે કે આપને મળે છે તેમને ભૂત વળગ્યું જ જાણો.
પ્રભુશ્રી–એમ જ છે. શું થાય છે તે આપણને શી ખબર પડે ? પણ કેટલાં ય કર્મની નિર્જરા થાય છે, કર્મની કોડ ખપે છે, તે તો જ્ઞાની જાણે છે.
૩. મુમુક્ષુ–મેં ક્યાંક વાંચ્યું છે કે શાસ્ત્ર વાંચેલું સમજણ ન પડે તો પણ જો શબ્દો કાનમાં પડે તોય આવતા ભવમાં પણ તેના સંસ્કાર જાગી તે સમજાય છે અને મોક્ષનું કારણ થાય છે.
પ્રભુશ્રી—એ વાત સાચી છે.
સાંજે
[૧૯૪માં પત્રના સ્વાધ્યાય પ્રસંગે.] “હે આયુષ્યમનો ! આ જીવે સર્વે કર્યું છે. એક આ વિના, તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે સપુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યાં નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી, અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે.”
અમે કૃપાળુદેવને મળ્યા, પછી બીજા સાધુઓ એમ કહેતા કે અમે બગડી ગયા છીએ. તેથી એક સાઘુ, અમારા ઉપર ભાવ રાખતો તે, મારી પાસે આવીને કહે : “તમે જે કરો છો તે મેં સાંભળ્યું છે. તે ગમે તેમ હો, પણ મહાવીરનાં કહેલાં સૂત્રો ઉપર શ્રદ્ધા રાખજો. આટલું મારું કહ્યું માનજો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org