Book Title: Siddharshi
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/002147/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સિ દ્ધ હું સ્તન્યૂ ગ ધા ન શ્રી સિ દર્દ ર્ષિ. s જિલી. નાસાહE arti લેખકે: માતા ગિરધરલાલ કાપડિયા Page #2 -------------------------------------------------------------------------- ________________ STD mડા |||||||||||| III TIફા|||||||||||||IIST શ્રી સિદ્દષિ શ્રી ઉપમિતિ ભવપ્રપંચ કથાના સમર્થ લેખક શ્રી સિદ્દષિગણિ મહારાજનાં ચરિત્ર અને સમય સંબંધી શોધખોળનાં પરિણામે અને સદર ગ્રંથને ઉપઘાત એ ઉપમિતિ ભવપ્રપંચા સ્થાને MEKEIKEIKEUK ગ્રંથકાર પંથકારને સમય લેખક અને સંગ્રાહક મિતીચંદ ગિરધરલાલ કાપડીઆ સેલિસિટર અને નેટેરી પબ્લિક હાઇકોર્ટ–મુંબઈ. પ્રકાશક શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર - પ્રથમવૃત્તિ :વીર સં. ૨૪૬૫ : વિક્રમ સં. ૧૯૯૫ : સને ૧૯૩૯ મૂલ્ય રૂા. ૩-૦-૦ EIKEIKEIKEIKIRANA KER Printed by Gulabchand Lallubhai Shah At Mahodaya Printing Press, Bhavnagar. a KEKUATAN AGAHERREKLUTER EMERKER બી નni ન માન ન હોવા KEN Page #3 -------------------------------------------------------------------------- ________________ ૬ = ' iા श्रीसिद्धर्षिः श्रियो देया-द्धियामध्यानधामभूः। निर्ग्रन्थग्रन्थतामापु-र्यद्ग्रन्थाः सांप्रतं भुवि ॥१॥ श्रीसिद्धर्षिप्रभोः पान्तु, वाचः परिपचेलिमाः । अनाद्यविद्यासंस्कारा, यदुपास्तेर्भिदेलिमाः ॥२॥ –શ્રીટમાવરિત્ર અસાધારણ તેજસ્વી અને બુદ્ધિના સ્થાનરૂપ એવા શ્રી છેસિદ્ધર્ષિ તમને સંપત્તિ આપો કે જેમના બનાવેલા પ્રથે છે અત્યારે પૃથ્વી પર મુનિઓને મિલ્કત રૂપ થઈ પડ્યા છે. (૧) શ્રી સિદ્ધષેિ પ્રભુની પરિપકવ વાણી તમારું રક્ષણ કરો કે છે જેની ઉપાસના કરવાથી અનાદિ અજ્ઞાનના સંસ્કાર ભેદાય છેજે નાશ પામે છે. (૨)” Tre - 1 - મામ Page #4 -------------------------------------------------------------------------- ________________ 1109 આ શ્રી સિદ્ધર્ષિં નામની બુક એક ગ્રંથ જ છે. એને માટે તેના લેખક ભાઇ મેાતીચંદ્રે જે પ્રયાસ કર્યાં છે તેને માટે કયા શબ્દોમાં તેને અભિનંદન આપવું તે લક્ષમાં આવતું નથી. ગ્રંથની અંદર કર્તાના ચરિત્રને અંગે કેટલી બાબતા લીધી છે તે પ્રારંભમાં આપેલી અનુક્રમણિકા ઉપરથી સમજી શકાય તેમ છે. પરંતુ ગ્રંથ પૂર્ણ થયા બાદ પાછળ સેા પાનામાં જે અનુક્રમા આપ્યા છે તેના પરિશ્રમની । ગણના જ થઈ શકે તેમ નથી. પૃષ્ઠ ૫૦૪ માં ગ્રંથ પૂર્ણ થયા બાદ ૪ પૃષ્ઠમાં અંતિમ વક્તવ્ય આપ્યા પછી ઉપમિતિભવપ્રપંચા કથાના ત્રણે ભાગમાં-આઠે પ્રસ્તાવાના ભાષાવતરણમાં આવેલા સ્થાનાના અક્ષરાનુક્રમ આઠ પૃષ્ઠમાં આપ્યા છે, પછી એક પૃષ્ઠમાં ઉદ્યાનાના અક્ષરાનુક્રમ આપ્યા છે, પછી ૪૨ પૃષ્ઠમાં પાત્રા અને રૂપકાને અક્ષરાનુક્રમ આપ્યા છે અને છેવટે વ્યંજનાના વિષયાનુક્રમ ૪૭ પૃષ્ઠમાં સ્વર સાથેના અનુક્રમથી આપવામાં ઘણા પ્રયાસ કર્યાં છે. આ અનુક્રમની વિષયસખ્યા ૧૫૪૭ ની થયેલી છે. તે વાંચતાં લેખકના પ્રયાસનું કાંઇક ભાન થઇ શકે તેમ છે. આ બુકના વિષયાનુક્રમ પણ પ્રારંભમાં પૃષ્ઠ ૨૨ માં આપ્યા છે. આમુખ પણુ લેખકે લખ્યું છે. આર્થિક સહાયક શેઠે વાડીલાલભાઈ પુનમચંદનું જીવન પણ તેમણે જ લખ્યુ છે. નિવેદન આ બધી બાબતમાં લેખક ભાઈ માતીચંદ્રના પ્રયાસ જોતાં આજસુધી સભા તરફથી છપાયેલા અનેક પુસ્તામાં આ ગ્રંથનું સ્થાન પ્રથમ પંક્તિમાં આવે છે. આ બધા પ્રયાસ ચિત્તના ઉત્સાહથી અને આ ગ્રંથની વસ્તુ પરના અસાધારણ પ્રેમથી થયેલ હાવાથી તેને માટે વખતને કે મગજને ભાગ આપવામાં તેની લેખકે પાછી પાની કરી નથશે. આર્થિક સહાયક ભાઇશ્રી વાડીલાલભાઇના અને ચિરંજીવીએ રતિલાલભાઈ અને ધીરજલાલભાઇ સદ્ગુણી હાવા સાથે પિતાના પગલે ચાલનારા હાવાથી તે જૈનવ'માં સારી અને ઉચ્ચ પરંક્તિમાં ગણાવાને ભાગ્યશાળી થયા છે. અમે આ પ્રસંગે તે બધુની સરખે સરખી જોડના પણ આભાર માનીએ છીએ. પ્રારંભમાં આ ગ્રંથ વાંચવાની વાચકની જિજ્ઞાસાને ન રોકતાં આ નિવેદન ટૂંકામાં જ સમાપ્ત કરવામાં આવે છે. શ્રી જૈનધમ પ્રસારક સભા ભાવનગર. પ્ર. શ્રાવણ શુદિ ૧૫ વિ. સં. ૧૯૯૫ } Page #5 -------------------------------------------------------------------------- ________________ શેઠ વાડીલા લ પુનમ ચંદ જન્મ : વિક્રમ સંવત ૧૯૨૨ દેહોત્સર્ગ : વિક્રમાર્ક ૧૯૮૮ ચૈત્ર વદ ૧ ખારાપાટમાં આવેલા શ્રી રાધણપુરના આ વ્યવસાયરસિક વિશિષ્ટ ધર્મચિવાળા સજજનને જન્મ વિ. સંવત ૧૯૨૧ માં થયો હતો. રાધણુપુરમાં જૈનધર્મની જાહોજલાલી છે. એને સિતારે ઉત્તરોત્તર ચઢી આવે છે. એ શહેરે અનેક લક્ષ્મીપતિઓને જન્મ આપે છે. રણને કાંઠે આવેલ એ નવાબી રાજયના રેલ્વેથી દૂર પડેલા શહેરે પિતાના અનેક સુપુત્રોને વ્યાપારની શોધ માટે મુંબઈ મોકલી આપ્યા છે, તેમાંના એક શ્રીયુત વાડીલાલ પુનમચંદ હતા. ખૂદ શહેરમાં સામાન્ય ધંધાને કારણે એ રણકંઠાળના ભદ્રશહેરે જૈનપુરીનું સુરમ્ય નામ ધારણ કરી અનેક ધર્મસ્થાનો અને મંદિરોથી ભરપૂર બનાવી જનતા પાસે એક આકર્ષક ચિત્ર રજૂ કર્યું છે. ત્યાંની સુંદર હવેલીઓ કે સ્થાને મુંબઈની સારી કમાણીનું જવલંત ચિત્ર રજૂ કરી પરદેશ ખેડતા સાહસિકોની ધર્મભાવના અને સુરુચિનું પ્રદર્શન કરી રહેલ છે અને દૂર છતાં અનેક પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે. આવા રેલ્વેથી દૂરના શહેરમાં શેઠ વાડીલાલભાઈનો જન્મ સદ્વિચારશાળી ધર્મભાવનાપ્રધાન કુટુંબમાં થયો. તેમના પુરોગામી વડીલબંધુ શ્રીયુત હરગોવનદાસ પુનમચંદના પરિચયમાં જેઓ આવેલા છે તે સર્વે તેમની ધર્મશ્રદ્ધાની અને ત્રતનિયમાદિની મુક્તકંઠે પ્રશંસા અદ્યાપિ પર્યત કરે છે. સુરુચિ અને વિશુદ્ધ શ્રદ્ધાવાળા આપ્તવર્ગની વચ્ચે ધર્મ સમ્મુખ કુટુંબમાં જન્મ થે એ પણ સુપુણ્યના યોગે જ બની આવે છે. શ્રી વાડીલાલ શેઠને એ લાભ સારી રીતે મળે અને તેને પરિણામે તેઓ આજીવન વિશુદ્ધ શ્રદ્ધાપૂર્વક ધર્મમય જીવન તરફ પ્રેરાતા રહ્યા અને બનતી સર્વ રીતે એને દ્રવ્ય અને ભાવથી સ્વીકાર કરી એની આજ્ઞાનો અમલ કરવામાં જીવનસફળતા માનતા રહ્યા. આ રીતે તેમના આ મનુષ્યભવની સુંદર શરૂઆત રાધણુપુર શહેરમાં થઈ. પિતાનું નામ શેઠ પુનમચંદ માણેકચંદ હતું. તેઓની રાધણપુર શહેરમાં સ્થિતિ મધ્યમ પ્રકારની હતી, છતાં સમાજમાં સ્થાન ઉચ્ચ હતું. Page #6 -------------------------------------------------------------------------- ________________ 來分多 શેઠ વાડીલાલ પુનમચંદ જન્મ વિ. સ. ૧૯૨૧ શ્રી મહેાદય પ્રેસ-ભાવનગર. સ્વર્ગવાસ વિ. સ. ૧૯૮૮ ચૈત્ર હિંદ ૧ 公交 *111 www.jalnelibrary.org Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરગોવનદાસ અને શ્રી વાડીલાલ ભાઈએ પિતાનું નામ વધારે દીપાવ્યું અને સમાજમાં તેમજ ધર્મક્ષેત્રમાં આગળ પડતો ભાગ લઈ પિતાની આબરૂમાં વધારો કર્યો. એક મધ્યમસરનું જીવન વ્યવહારમાં કુશળ રહી, ધર્મભાવનાથી જાગ્રત રહી, સેવાભાવમાં સવિશેષ રસ લઈ ઔદાર્ય અને ઉત્સાહથી કેવી રીતે પ્રગતિ કરી શકે છે તે જાણવા લાયક હોઈ શેઠ શ્રી વાડીલાલ ભાઈને જીવનપ્રવાહ આપણે અવકી જઈએ. તેમનું વિદ્યાર્થીજીવન રાણપુરમાં વ્યતીત થયું. ઇગ્લિશને અભ્યાસ પણ તે યુગના પ્રમાણમાં તેમણે કર્યો. વડીલ બંધુ હરગોવનદાસના સ્થાનિક જાહેર જીવનનો અભ્યાસ કર્યો. ધર્મને પ્રાથમિક અભ્યાસ તે વખતનાં સાધનને અનુરૂપ ઠીક પ્રમાણમાં કર્યો. સાથે ધર્મરુચિ જાગ્રત રહે તેવા અનેક પ્રસંગે પ્રાપ્ત થયા. રાધણપુરમાં ધર્મશ્રદ્ધા અત્યારે પણ સારા પ્રમાણમાં જોવામાં આવે છે. ત્યાં કોઈ જૈન રાત્રે ભજન કરે કે તિથિએ લીલું શાખા બનાવે એ અત્યારે પણ અશક્ય બનાવ ગણાય છે, તે વીસમી શતાબ્દિની શરૂઆતમાં તો એને માટે સવાલ જ ન હોય. નિત્ય દેવપૂજન, ચાતુર્માસમાં દરરોજ પ્રતિક્રમણ અને પર્યુષણમાં યથાશક્તિ તપ અને વ્યાખ્યાનશ્રવણ આદિ તો ત્યાં પરિપાટીથી જ ચાલ્યા આવે છે. એમાં વળી વિશેષ શ્રદ્ધાવાન કુટુંબમાં એની જ્યોતિ અખંડ અને સવિશેષ રૂપે જાગતી રહે તેમાં કાંઈ નવાઈ જેવું નથી. આ રીતે ધર્મભાવના અને વર્તમાન કેળવણીનું એકીકરણ કરી શ્રી વાડીલાલભાઈ મુંબઈ આવ્યા. મુંબઈની શેરબજાર તે વખતે લગભગ નવીન તૈયારીમાં હતી. તેમણે શેરબજારને છેડે વખત અનુભવ લઈ તેના દલાલ તરીકે કાર્ય શરૂ કર્યું. શરૂઆતમાં ચંપાગલીમાં વાસ કર્યો. આ વખતમાં તેઓની પ્રતિષ્ઠા અને આવક ક્રમે ક્રમે વધતાં જ ચાલ્યાં. તેઓ સાદાઈમાં માનનાર હતા અને આબરૂ જળવાય તે રીતે ખૂબ ચીવટથી ધંધો કરનાર હતા. તેમના પર ગ્રાહકને નિર્ભેળ વિશ્વાસ હોઈ તેઓ ઉત્તરોત્તર વધતા ગયા અને સાથે ધર્મક્રિયામાં અને શાસનસેવામાં પણ વધતા ગયા. કુટુંબના ધાર્મિક સંસ્કાર અને શ્રદ્ધાનું મજબૂત વાતાવરણ તેમને આખા જીવનમાં સહાય કરતું રહ્યું અને તેઓની નિત્ય નૈમિત્તિક ક્રિયા સદૈવ વધતી ચાલી. તેમણે પોતે મધ્યમ કેળવણી લીધેલી હતી, છતાં તેમને કેળવણી તરફ સદ્ભાવ એટલો સમય હતો કે તેમણે અનેક કેળવણી લેનારને પ્રચ્છન્ન તથા પ્રગટ મદદ આપી હતી અને કેળવણી આપનાર કે તેમાં સહાય કરનાર Page #8 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાઓ તરફ તેમણે સારી સહાયતા કરી હતી. એવી મદદની રકમને સરવાળો ઓછામાં ઓછી ગણનાએ રૂા. ૫૦૦૦૦ ઉપર થવા જાય છે. પાલીતાણા જૈનશ્રાવિકાશાળા અને જેનગુરુકુળમાં તેમણે બહુ સુંદર ફાળો આપ્યો હતો તે તે જાહેર હકીકત છે, તદુપરાંત બીજી અનેક સંસ્થાઓને તેમણે યથાશક્તિ ઉત્તેજન હૃદયના પ્રેમપૂર્વક આપ્યું હતું. તેમણે રાધણપુરના વિદ્યાથીભુવનને પણ સારી સહાય આપી હતી અને આવી વિવિધ રીતે તેમણે કેળવણી તરફ સુરુચિ દાખવી હતી. જીવદયા એ તો જેનોને વારસો છે. બાળપણથી જીવદયાના સંસ્કાર જેનોમાં જાગૃત રહે છે. શ્રી વાડીલાલભાઈએ મુંબઈ જીવદયા મંડળીના આજીવન સભ્ય થઈ તેને સંતોષી અને રાધણપુરની પાંજરાપોળને તો ધન ઉપરાંત સેવાથી પણ નવાઇ. આ પ્રકારે તેમની સેવાભાવનાને વિકાસ થતો ગયો તે તેમણે આજીવન ટકાવી રાખે. સાધમભાઈઓ તરફ તેમનો પક્ષપાત જાણીને તે કોઈપણ જૈન એમને આંગણે જાય તો ખાલી હાથે પાછો ન આવે એવી એમણે પ્રવૃત્તિ રાખી હતી અને ગુપ્તદાનને પ્રવાહ નિયમિત રીતે ચાલુ રાખ્યું હતું સ્વધર્મી બંધુનું સેવાભાવે વાત્સલ્ય કરવું એ તે જીવનનો લહાવો છે અને એ લહાવો એમણે ખૂબ પ્રેમથી, અંતરની શ્રદ્ધાથી અને હૃદયના આનંદથી લીધો હતા એમ તેમના પરિચયમાં આવનાર આજે પણ મુક્તકંઠે પ્રશંસાત્મક શબ્દોમાં ઉચ્ચારણ કરે છે, એ તેમની મનુષ્યત્વ ભાવનાને ખરેખર અનુમોદના કરાવે તેવી ગંભીર પણ સાદી વાત છે. તેમનો ધર્મપ્રેમ સદેવ જાગતો અને વધતા હતા. એમણે પૂજ્યપાદ મુનિરાજશ્રી નીતિવિજયજી( હાલના શ્રી વિજયનીતિસૂરીશ્વરજી)ના ઉપદેશથી એક સુંદર ઉદ્યાપન સંવત ૧૯૮૪ માં કરી તે રીતે પોતાનો ધર્મપ્રેમ બતાવ્યો હતું અને જ્ઞાન, દર્શન, ચારિત્રની ત્રિવિધ આરાધના કરી જીવન સફળતા કરી હતી. તેમને યાત્રાનો અજબ શોખ હતો. તેઓ સર્વ તીર્થોએ અનેક વાર જઈ આવ્યા છે. ત્યાં તેમની પૂજનસામગ્રી, પૂજનપ્રેમ અને ચિત્યનું અવલંબન એટલું આકર્ષક જેવાઈ શકાતું કે આજે પણ તેમની રસવતી ધર્મભાવનાની પ્રશંસા થયા કરે છે. આ ઉપરાંત રાધનપુરમાં તેમણે ઉપધાન વહેવરાવ્યા અને નાનાં મોટાં અનેક ધર્મકાર્યોમાં પ્રેરણા, સહાય અને સહકાર આપી ધર્મભાવનાને પ્રાધાન્ય આપ્યું અને અપાવ્યું. Jain Education Interational Page #9 -------------------------------------------------------------------------- ________________ વ્યાપારની અપેક્ષાએ તેઓ શેરબજારના ડીરેકટર પદે લાંબા વખત સુધી રહ્યા અને ત્યારપછી પણ તેમના તરફ શેરબજારના કાર્યકરોનુ ચાલુ માન રહ્યા કર્યું. જેનામાં સેવાભાવ અને ધર્મશ્રદ્ધા હોય છે તેને ઉત્તરોત્તર માંગલિક્યમાળા વિસ્તરે છે એનું જીવતું દષ્ટાંત આ શ્રી વાડીલાલ ભાઈનું ચરિત્ર છે. એમની સેવા અને શ્રદ્ધાનું ફળ તેઓ સમાજમાં જે ઉચ્ચ સ્થાન દીપાવતા રહ્યા અને તેમાં વધારો કરતા રહ્યા તેમાં જ યોગ્ય પરિણામ પામ્યું. આવાં ધર્મકાર્યો ઘરની અનુકૂળતા હોય ત્યારે ભારે શોભા આપે છે. શેઠ શ્રી વાડીલાલને સુભાગ્ય યોગે શ્રી મેનાબહેન સાથે વિવાહગ થયે હતું. આ પુરાતન કાળના વ્યવહારુ આર્યપત્ની–આદર્શ જેવા હતા, તેમણે શેઠ વાડીલાલભાઈના દરેક કાર્યમાં સહકાર આપે, પ્રેરણા આપી, ઉત્સાહ પૂર્યો, આ રીતે સેના સાથે સુગંધને વેગ થતાં વાત વધારે દીપી, જીવન વધારે રસમય થયું અને માન પ્રતિષ્ઠાને ફાલ વધતે ચાલે. ભાવનગરની શ્રી જૈનધર્મ પ્રસારક સભા તરફ તેમને પૂર્ણ પ્રેમ હતે. એ સભાના કાર્યવાહક સાથે પરમ પ્રીતિવાળા હતા. એ સભાના લાઈફ મેમ્બર થયા હતા અને શ્રી મુંબઈમાં એ સભાની શાખા સ્થાપવામાં સદ્ગુણસંપન્ન મહું શેઠ ફકીરભાઈ સાથે તેમનો પૂરેપૂરે ફાળો હતો. એમને અભાવ થવાથી એ સભાને એક લાયક સભાસદની ન પૂરાય તેવી ખોટ પડી છે. એમના બને ચિરંજીવીઓ પણ એમને જ પગલે ચાલી એ સભા તરફ પ્રેમ ધરાવતા રહે એ ઈચ્છનીય છે. શ્રીયુત વાડીલાલભાઈને રતિલાલભાઈ અને ધીરજલાલભાઈ–બે પુત્રો થયા. પિતાને પગલે ચાલવાનો પ્રયત્ન કરનાર આ બન્ને પુત્રો અત્યારે જૈનવર્ગમાં આગળ પડતું સ્થાન ધરાવે છે અને શ્રી વાડીલાલ શેઠે મેળવેલ પ્રતિષ્ઠામાં વધારો કરે છે. શ્રી રતિલાલભાઈ તો મુંબઈ માંગરોળ સભાના અને પાલીતાણું જૈન શ્રાવિકાશાળાના સેક્રેટરી હોવા ઉપરાંત લગભગ દરેક જૈન સંસ્થાની એક યા બીજે પ્રકારે સેવા કરી રહ્યા છે. તેઓને કેળવણી પરનો પ્રેમ, સેવાની ધગશ અને ઉદારતા એ પૂજય પિતાને વારસે જ છે અને તેમાં તેઓ આગળ વધે તે તેમાં પિતૃઋણું જ અદા કરે છે એમ ધારી શકાય. આ બન્ને ભાઈઓ પાસેથી સમાજ ઘણી આશાઓ રાખે છે અને તેમાં કોઈ જરા પણ છેતરાશે નહિ એવી અત્યાર સુધીના તેમના વર્તનથી ખાતરી થઈ ચૂકી છે આવી રીતે એક ધર્મમય કુટુંબના ઉત્તમ નબીરા શેઠ વાડીલાલની જીવન-વહનિકા પૂરી થાય છે. સં. ૧૯૮૮ ના ચૈત્ર વદિ ૧ ને રાજ એમણે છનીય છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ પિતાની આંખો ૬૭ વર્ષ પછી સદાને માટે બંધ કરી. એ વાતને સાત વર્ષો વહી ગયા છતાં તેમને સુવાસ હજુ ચોમેર પ્રસરતો જણાય છે. એમના સુપુત્રો હજુ પણ એને વધારે વિકસાવશે એવાં અનેક ચિહ્નો જણાય છે અને જનસેવાના તથા ધર્મનાં વિશિષ્ટ પરિણામો હજુ અનેક પ્રકારે અને અનેક રીતે જોવાની તમન્ના પૂરી કરવામાં આવશે એમ દેખાય છે. વ્યવહારુ જીવનમાં અનેક બનાવો ચાલુ આકારમાં બન્યા કરે છે તેની ધ રાખવાની આપણને ટેવ નથી, છતાં જે મળે છે તે પરથી મનુષ્યની અંતરદશા સમજવા પૂરતી તે આપણને સાધનસામગ્રી સાંપડે છે. આ રીતે વિચારતાં શેઠ વાડીલાલ પુનમચંદનું જીવન વ્યવહારુ, ઉચ્ચગ્રાહી, સેવાભાવી અને ધર્મમય હતું એમ વગરશંકાએ કહી શકાય તેમ છે. એવા સાદા જીવનમાં ભલે બનાવોની સંકીર્ણતા ન હોય, ભલે એમાં ચમત્કારના તરંગે ન હેય, ભલે એમાં નાટકીઆ ફેરફાર ન હોય, પણ એમાં રસ છે, એમાં સતિષ છે, એમાં સેવા છે, એમાં સુખ છે, એમાં હૃદય છે, એમાં ભાવના છે અને એમાં વ્યવહારની ચાવીઓ છે. સાદા અને સેવામય તથા ધર્મમય જીવનની બલિહારી છે, એ ચાલુ હોય ત્યારે આનંદ આપે છે, એ હાલતું હોય ત્યારે છાયા આપે છે, એ વિશીર્ણ થઈ જાય ત્યારે દાખલ મૂકી જાય છે. ભાવના અને ધર્મમય, સેવા અને ક્રિયામય જીવનની બલિહારી છે અને તે દષ્ટિએ શેઠ વાડીલાલ પુનમચંદના જીવનની સફળતા છે. એમના આત્માને શાંતિ હો ! છે. ગિ. કાપડિયા Page #11 -------------------------------------------------------------------------- ________________ મારી આસુ ખ છે સંસ્કૃત સાહિત્યમાં અભિનવ છાપ પાડનાર શ્રી સિદ્ધષિ ગણિની ઉપમિતિભવપ્રપંચા કથાના પીઠબંધનું ગુજરાતી ભાષામાં અવતરણુ “શ્રી જૈન ધર્મ પ્રકાશ માસિકમાં કટકે કટકે સં. ૧૯૫૬ ના જેઠ થી સં. ૧૯૫૯ ના ફાગણ સુધીમાં પૃ. ૧૮૮ માં પ્રકટ થયું છે. પ્રથમના ત્રણ પ્રસ્તાનું ભાષાવતરણ સંવત ૧૯૭૭ માં પ્રકટ કરવામાં આવ્યું. (પ્રથમ વિભાગ). એ જ પ્રસ્તાવને સુધારી વધારી સં. ૧૯૮૧ માં એ પ્રથમ વિભાગની બીજી આવૃત્તિ બહાર પાડવામાં આવી. એનાં પૃષ્ઠ ૬૯૨૪૦ મળી કુલ ૭૩ર થયાં. ચોથા અને પાંચમા પ્રસ્તાવનું ગુજરાતી ભાષામાં અવતરણ કરી સંવત ૧૯૮૦ માં શ્રી જૈન ધર્મ પ્રસારક સભા મારફત બહાર પાડયું. (દ્વિતીય વિભાગ), એના પૃષ્ઠ ૭૬૮+૩૬ મળીને ૮૦૪ થયાં. અને છઠ્ઠા, સાતમા અને આઠમા પ્રસ્તાવનું ગુજરાતી અવતરણ સદર સંસ્થા મારફત સં. ૧૯૮૨ માં બહાર પાડવામાં આવ્યું. (તૃતીય વિભાગ). તેના પૃષ્ઠ ૬૨૮૪ મળી કુલ ૬૨ પૃષ્ઠ થયાં. આ પ્રમાણે સદર ત્રણે વિભાગ મળી સમુચ્ચય ભાષાવતરણમાં એની આનુષગિક બાબતે સાથે થઈને કુલ પૃષ્ઠ ૨૨૦૮ ને ગ્રંથ થયે. અવતરણના પ્રથમ વિભાગની પ્રસ્તાવનામાં જણાવ્યું હતું કે “આ ગ્રંથના કત કયારે થયા, એમનું જીવનવૃત્ત કેવું હતું, એમને આદર્શ કેટલે શુદ્ધ હતા, એમણે ગ્રંથકર્તા તરીકે કેટલું બુદ્ધિચાતુર્ય બતાવ્યું હતું, એમને અનુભવ કેટલે સર્વગ્રાહી હતા, એમનું જ્ઞાન કેટલા વિષયમાં વ્યાપી રહેલું હતું અને એમને જનસમાજને અભ્યાસ, માનસશાસ્ત્રની ઊંડાઈએ ઉતરવાની શક્તિ અને ભાષા પરનો કાબૂ કેટલા મજબૂત હતા તે ઉપર એક સવિસ્તર ઉપદ્યાત ત્રીજા ભાગમાં આપવામાં આવશે.” આ ઈચ્છા ત્રીજો વિભાગ બહાર પાડતી વખતે પૂરી થઈ નહિ. મને કે પ્રકાશયિત્રી સંસ્થાને ખ્યાલ નહેતિ કે ઉપઘાત વિભાગ એક ગ્રંથ જેવડે થઈ જશે. ધારણા કરતાં ગ્રંથનું દળ ઘણું વધી ગયું છે એટલે જેમણે Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અગાઉથી તેની કીમતને અંગે આઠ આના વધારે એટલે રૂા. યાા આપેલા છે તેમને તે આ ગ્રંથની કીંમતમાંથી મજરે આપવમાં આવશે, એટલે કે તેમને અઢી રૂપિયે આ ગ્રંથ મળી શકશે. વિલાયતથી આવ્યા પછી આ ઉદ્ઘાત માટે સાધનો એકઠાં કરવા માંડ્યાં. ગ્રંથની વિશિષ્ટતા બતાવવી હતી, ગ્રંથકારના ચરિત્ર પર ચર્ચા કરવી હતી, શ્રીમાન હરિભદ્રસૂરિ અને ગ્રંથકાર મહાત્માના સમય પર ઉપલબ્ધ સાધતાને ઉપયાગ કરવા હતા, લેખકના સમયમાં જનતાની વ્યાવહારિક, સાંસારિક, આર્થિક, નૈતિક, ધાર્મિક, યુદ્ધવિષયક પરિસ્થિતિ કેવી હતી તેની તપાસ કરવી હતી. તે કરતાં ગ્રંથમાંથી જ ધણાં સાધના મળી આવ્યા. એ સ વિચારણાને એકત્ર કરવામાં અને તેને આકાર આપવામાં લગભગ પાંચ વ નીકળી ગયા. ઉપોદ્ઘાત લગભગ તૈયાર થયા ત્યાં બે વર્ષ જેલમાં જવાનું થયું. આટલે લાંખે ગાળે આ ઉપાદ્ધાત જનતા સમક્ષ મૂકવાનુ અને છે, તેમાં મને તેા આનંદ થાય છે, પણ તે સાથે થયેલ ઢીલ માટે મારે ક્ષમા યાચવાની છે અને તે વગરસાચે માણું છું. ઉપમિતિ કથાગ્રંથ ખરેખર અદ્ભુત છે. એમાં મહાકથાના સર્વ અંગે છે: એમાં કાવ્ય છે, ચમત્કાર છે, રૂપક છે, ભવ્યતા છે, વિશાળતા છે, સાપેક્ષ ભાવ છે અને એમાં વિમળાલાક અંજન (જ્ઞાન), તત્ત્વપ્રીતિકર જળ (દર્શન ) અને મહાકલ્યાણક ભાજન ( ચારિત્ર ) હાંસી ઠાંસીને ભર્યાં છે, છતાં એને શોધવાં પડે તેમ છે. એ કાંઈ રેખીઅન નાઇટ્સ કે રાખીન્સન ક્રુઝ જેવી કથા નથી કે એ રઘુ, માધ કે કિરાત જેવું કાવ્ય નથી, એ માત્ર રૂપક કથા નથી કે ન્યાયના ગ્રંથ નથી, એ અમુક નથી કે તમુક નથી એમ વધારે કહેવા કરતાં એ સર્વ છે, એમાં સર્વ છે એમ કહેવું વધારે સાચુ છે. મનુષ્ય સ્વભાવને ઊંડા અભ્યાસ, આંતર અને બાહ્ય જીવનના નાના મેાટા પ્રસંગેાને વણી દેવાની વિશિષ્ટ આવડત અને અસાધારણ પ્રતિભાદ્રારા એ સર્વને વિચારસ્પષ્ટતાપૂવ ક બતાવવાની કળા–આ સ` બાબત આ ગ્રંથના પ્રથમ વિભાગમાં બતાવી છે. ગ્રંથની મહત્તા સૂચક સાળ ખાખતો મેં તારવી કાઢી છે તે માત્ર દિગ્દર્શન રૂપે છે. વિશેષ અભ્યાસી એમાં ઘણા વધારા કરી શકે તેમ છે. એમના ગ્રંથને મહાકથા ગણવાનાં કારણેા, એમાં રહેલુ કાવ્યત્વ અને લેખકની શાસ્ત્રશૈલીને અનુસરવાની વિશિષ્ટ ભાવનાને સફળ બનાવવાની રોચક પદ્ધતિ Page #13 -------------------------------------------------------------------------- ________________ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. નાની બાબતને અત્ર નિર્દેશ કરવા જતાં તે ઉપધાતને ઉપઘાત થઈ જાય. સૂળ વાત એ છે કે આ અભિનવ ગ્રંથ સામાન્ય વાંચનને યોગ્ય નથી. એમાં રહસ્ય છે તે વાંચતા વાંચતાં ખૂલતું જશે. રૂપક કથાકાર તરીકે શ્રી સિદ્ધર્ષિ મહારાજનું સમસ્ત સંસ્કૃત સાહિત્ય-જન અને જૈનેતર-માં અનેરું સ્થાન છે એ બતાવવા પ્રયત્ન કર્યો છે. વાર્તા અને તત્વજ્ઞાનને વણવાની તેમની કળા અસાધારણ છે એ વાતની ચોખવટ કરી છે. (પૃ. ૧૭ થી ૧૦૧) ગ્રંથની ભાષા અને શૈલી એ પણ એટલા જ મહત્ત્વનો વિષય છે. ગ્રંથવિચારણું કે ચર્ચામાં રેલી અગત્યનું સ્થાન ભોગવે છે. તેમને સંસ્કૃત ભાષા પર કાબૂ અસાધારણ હવા સાથે તેઓ શબ્દની પસંદગીમાં ભારે પ્રભાવ બતાવી શકયા છે અને તેઓએ ભાષાની સાદાઈ સાથે ઉચ્ચતા સ્વીકારવામાં અદ્ભુત નિપુણતા દાખવી છે-એ ગ્રંથવિચારણને અંગે બીજે અગત્યને વિભાગ છે (પૃ. ૧૦૨ થી ૧૪૧) ગ્રંથમનનમાં અનેક વિષયનું જ્ઞાન પ્રાપ્ત થાય છે એ લેખકની જ્ઞાનવિવિધતા છે અને એ દ્વારા એમણે ગ્રંથને અતિ ઉચ્ચકોટિએ મૂક્યો છે. ધર્મશાસ્ત્રઆગમજ્ઞાન ઉપરાંત તેમણે નિમિત્તજ્ઞાન કે તિષ ને વૈદક જેવા વિષયને પણ છેડ્યા નથી, જ્ઞાનમય વિનદના પ્રસંગને બહલાવ્યા છે અને વ્યાપાર, લન તેમજ રાજનીતિ કે યુદ્ધનીતિ પણ પ્રસંગે વણી દીધેલ છે. માનસવિદ્યા (Psychology) તે તેમને ખાસ ઘરને જ વિષય જણાય છે. આ રીતે ગ્રંથચર્ચાના ત્રીજા વિભાગમાં ગ્રંથમાં બતાવેલ વિવિધ વિષયના અસાધારણ જ્ઞાનની ચર્ચા કરી છે (પૃ. ૧૪૨ થી ૨૨૫). આ રીતે શરૂઆતગ્રંથ સંબંધી વિચારણું આ ઉપઘાતમાં કરી છે. ગ્રંથકાર તરીકે શ્રી સિદ્ધષિ કેવા ફતેહમંદ થયા છે તેનું સ્પષ્ટ દર્શન કરાવવા તેઓ લેખક અને કળાકાર કઈ નજરે હતા તે પર ચોથો વિભાગ લખે છે. એ ભાગ ગ્રંથને પણ લાગે છે અને ગ્રંથકારને પણ લાગે છે. એક રીતે ગ્રંથ અને ગ્રંથકાર વચ્ચે કાર્યકારણભાવ હોઈ ગ્રંથ અને ગ્રંથકાર સંબંધી સર્વ બાબતે એક બીજાને લાગે છે એમ માનવામાં કાંઈ પણ વાંધો નથી. પાત્રોનાં નામે યોજવામાં કળા, એને ચિતરવામાં કળા, એ જાણે આપણું આંખ સમુખ ખડાં થતાં હોય એવું એનું શબ્દચિત્ર, એને પ્રાગતિક ક્રમશઃ વિકાસ અને પાત્રને યથાવસર બહાર લાવવાની કળામાં લેખકે કમાલ કરી છે. એમનાં ગ્રંથ પ્રસંગનાં સ્થળો અને નામોની પસંદ Page #14 -------------------------------------------------------------------------- ________________ ગીમાં સર્જનશક્તિ છે અને કથામાં કથા કહેવાની અને સંક્ષેપવાની રીતિમાં આકર્ષક તત્ત્વ છે. કળાકાર તરીકે તેમનું અતિ ઉચ્ચ સ્થાન છે. ગ્રંથ કળામયે છે એ બતાવવા ચોથ વિભાગ ગ્રંથને અંગે લખ્યો છે અને તેને છેડે અનુસુંદરના પાત્રની ઐતિહાસિકતા પર ચર્ચા કરી છે (પૃ. ૨૨૬ થી ૨૭૧) આવી રીતે ગ્રંથની વિશિષ્ટતાસૂચક બાબતે તારવી કાઢવાનો પ્રયાસ કર્યો છે, તેમાંની કોઈ કોઈ બાબત ગ્રંથકારના શીર્ષક નીચે મૂકવા જેવી જરૂર છે. એમ કરવામાં મને વાંધો જણાયો નથી. આ રીતે ચોથે ગ્રંથવિભાગ પૃ. ૨૭૧ સુધીમાં ચરર્યો છે. ગ્રંથકાર શ્રી સિદ્ધગિણિના સંબંધની હકીકતના પાંચ વિભાગો પાડ્યા છે. (૧) ગ્રંથ પ્રશસ્તિ લેખ, (૨) ગ્રંથમાંથી ગ્રંથકારના ચરિત્રને અંગે મળતાં સાધનો, (૩) પ્રભાવક ચરિત્રમાંનું ગ્રંથકર્તાનું ચરિત્ર, (૪) કુવલયમાળાના કર્તા દાક્ષિણ્યચિહ્ન માટે મળતી હકીક્ત અને (૫) શ્રીમદ્ હરિભદ્રસૂરિના સમયની ચર્ચા. ગ્રંથકારના ચરિત્રને અંગે આ પાંચ બાબત પર વિચારણા કરી છે, શોધખોળ કરી છે, પત્રવ્યવહાર કર્યો છે અને તે સર્વનું પરિણામ અત્ર રજૂ કર્યું છે. ગ્રંથકારના શીર્ષક નીચે ગ્રંથકારના ચરિત્રનો વિષય જ લેવામાં આવ્યો છે એટલે ગ્રંથના શીર્ષક સાથે ઘુંચવાડો ન થાય. શ્રી સિદ્ધષિ મહારાજે ગ્રંથને છેડે પ્રશસ્તિ લખી છે. તેમાં પિતાની ગુરુપરંપરા સંક્ષેપમાં આપી છે. લેખક તરીકે પિતાનું નામ સિદ્ધ એટલા અક્ષરે આપ્યું છે, શ્રી હરિભદ્રસૂરિનો આભાર માન્યો છે, ગ્રંથ પ્રકાશન સ્થાનને નિર્દેશ કર્યો છે અને ગ્રંથની પ્રથમ નકલ કરનાર ગણુ સાધ્વીનું નામ ઐતિહાસિક કરી જીવતું રાખ્યું છે. (પૃ. ૨૭૨ થી ૩૧૧). ગ્રંથકર્તા મહાશયના ચરિત્રને અંગે ગ્રંથમાંથી શી શી હકીકત મળે છે તે પર ચર્ચા ત્યારપછી એ જ વિભાગમાં કરી છે (પૃ. ૩૧૨–૩૧૬ ), અને ત્યારપછી પ્રભાવક ચરિત્રમાં ચૌદમો પ્રબંધ લખ્યો છે તેની શાહદત આપી (તે ચરિત્ર અને તેનું ભાષાંતર તે ગુજરાતી ભાષાવતરણમાં બીજા વિભાગમાં પૃ. ૧૪૩૦ થી ૧૪૬૦ સુધીમાં આપી દીધેલું હતું તેથી અત્ર તે તેને નિર્દેશ જ કર્યો છે) તેના પ્રત્યેક વિભાગ પર વિસ્તારથી સુગ્રાહ્ય ચર્ચા કરી છે. તેમાં ખાસ કરીને કવિવર માઘના સમયની ચર્ચા પર ખાસ ધ્યાન ખેંચવામાં આવે છે. ગ્રંથ લખવાને પ્રસંગ સદર ચરિત્ર અનુસાર કયો છે તે પર શક્યાશક્યતાની વિચારણું કરવામાં આવી છે. પૃ. ૩૧૬ થી ૩૫૦ સુધીની આ હકીકત પર ખૂબ વિસ્તારથી ચર્ચા થવાની જરૂર છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ગ્રંથકારના ચરિત્રને અંગે દાક્ષિણચંદ્ર અને સિદ્ધર્ષિના સમયની ચર્ચા ત્યાર પછી છઠ્ઠી વિભાગમાં હાથ ધરવામાં આવી છે, અને ત્યાં ચરિત્રના એ વિભાગને અંગે વિચારણાનાં પરિણામ રજૂ કરવામાં આવ્યાં છે. (પૃ. ૩૫૧ થી ૩૫૮) ગ્રંથકાર અને હરિભદ્રસૂરિના સમયનિર્ણયનો મહત્ત્વને વિષયે આ ગ્રંથકારના શીર્ષક નીચે સાતમા વિભાગમાં ચર્યો છે. અનેક સ્થાને જોયાં પછી આ વિભાગને અંતે બન્ને મહાત્માઓના સમયને નિર્ણય ઉપલબ્ધ સાધનને આધારે કરી જનતાની વિચારણા માટે મૂકે છે (પૃ. ૩૫૯ થી ૩૮૮). ત્રીજો અને છેલ્લો વિભાગ ગ્રંથકારના સમયનો છે. એને માટે આ ગ્રંથનો આઠમો વિભાગ કરે છે (પૃ. ૩૮૯ થી ૫૦૪). આ વિભાગમાં દશમી શતાબ્દિમાં જનતાની રાજકીય, નૈતિક, ધાર્મિક, યુદ્ધવિષયક, કળાવિષયક રમતગમતાદિને અંગે કેવી સ્થિતિ હતી તે સંબંધી બાહ્ય સાધનોથી તેમજ ગ્રંથની અંદરનાં સાધનોથી કેટલીક હકીકત રજૂ કરી છે. આમાં તે સમયની યુદ્ધની રીતિ, લોકેનું સમૂહવર્તન, સમાજમાં સ્ત્રીઓનું સ્થાન અને ધર્મના મતમતાંતરોની બાબત ઘણી વિચારવા જેવી છે. આ રીતે તૈયાર કરતાં ઉપધાતને બદલે એક ગ્રંથ થઈ ગયે, છતાં એમાં ઘણી બાબતે અધૂરી રહી ગઈ છે. હરિભદ્રસૂરિના સમય પર હજુ વધારે પ્રકાશ પાડી શકાય તેમ છે, દાક્ષિણ્યચિહ્નની વાત અધૂરી રહી છે અને ગ્રંથકારના સમયના ઈતિહાસને અંગે પ્રાચીન શિલાલેખો અને બીજા સાધનોને જોઈએ તેટલે ઉપયોગ થઈ શકયો નથી. આ શ્રી સિદ્વર્ષિ નામક ઉપદ્યાત સર્વગ્ય છે તેમ તે ન જ કહેવાય, કારણ કે એમાં રસમય વાર્તાઓ નથી આવતી, પણ રસથી–પ્રેમથી આત્મદૃષ્ટએ મૂળ કથાગ્રંથ વાંચે તેને ઘણા પ્રકારની સહાય મળે તેમ છે, એટલું મને અવશ્ય લાગે છે. જેમને ફુરસદ હોય તેમણે પ્રથમ તે ઉપમિતિ કથાના આઠે પ્રસ્તાવ પ્રથમ વાંચી જવા, સાત પ્રસ્તાવ સુધી એને વાર્તાનવલકથા જેવું લાગશે, આઠમો પ્રસ્તાવ વાંચતાં પ્રકાશ પડવા લાગશે. ત્યારપછી આ ઉપઘાત ગ્રંથ વાંચો અને પછી બીજી વાર આખી ઉપમિતિ કથા વાંચવી-આ રીતે થાય તે લેખકને ઉદેશ અને ભાષાવતરણના પ્રયાસની સફળતા થાય. ઉપરટીઆ નજરે આ ગ્રંથ વાંચી જવાથી સામાન્ય લાભ થાય તેમ છે, બાકી જે એના રહસ્યમાં ઉતરવું હોય તે પુષ્કળ વિચારણું માગે તે એ ગ્રંથ છે. લેખક મહાશયે એક પણ શબ્દ નકામો Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૪ લખ્યો નથી, એમનું દૃષ્ટિબિન્દુ પિતાની આત્મખ્યાતિ કરવાનું હતું નહિ. એમને પોતાની વિદ્વત્તા બતાવવાની ઈચ્છા પણ નહતી; એમને તે શેય, શ્રદ્ધેય અને અનુડેય બાબતે રેચક ભાષામાં સંગ્રહ કરીને જનતા સમક્ષ અનુપમેય શબ્દચિત્ર રજૂ કરવું હતું અને તેમાં તેઓ ખૂબ ફતેહમંદ થયા છે એ બતાવવાને આ ઉપઘાત ગ્રંથને આશય છે. પ્રાચીન લેખકનું દૃષ્ટિબિન્દુ પ્રાયઃ આધ્યાત્મિક હોય છે. એમને આત્મખ્યાતિ માટે વિચાર પણ ભાગ્યેજ હોય છે. અનંત કાળના ભવચક્રમાં કયાંથી ક્યાં ઘસડાઈ જનાર પ્રાણીની ખ્યાતિ કેવી? અને બીજે ઘસડાયા પછી અહીં નામ રહી ગયું છે તેથી શું ? અને નામ કોનાં રહ્યાં છે ? ભવપ્રપંચ સમજનારને તે આ સત્ય દીવા જેવું લાગે એમ જણાવવા જેટલી જરૂર પણ ભાગ્યે જ હોય. મુદ્દો એ છે કે આ ગ્રંથ વિદ્વત્તા શોધવાની નજરે જોવા કરતાં આત્માની નજરે જો. તે ખૂબ પ્રાપ્ત થાય એવો એ ગ્રંથ છે. ગ્રંથકર્તાએ અસાધારણ વિદ્વત્તા બતાવી છે અને તેની થોડી હકીકત આ ઉપોદઘાતમાં રજૂ પણ કરી છે, પણ ગ્રંથની વિશિષ્ટતા હું એમાં માનતા નથી, મને તે એનું સંસારપ્રપંચસ્વરૂપ બહુ આકર્ષક લાગે છે, એની ચિત્તવૃત્તિ અટવીમાં મોહરાયનું સિંહાસન કે એના વિવેકપર્વત પરના ચારિત્રધર્મરાજ અક૯ય છે, અસાધારણ છે, આકર્ષક છે, હૃદયને વીંધી નાખે તેવા છે અને મુમુક્ષને વિચારમાં પાડી દે તેવા છે. મામા ભાણેજ સાથે એક વાર ભવચક્રની મુલાકાત લે, કે પ્રબોધનરતિ જેવા આચાર્ય કેવળીને સાંભળો ત્યાં અંતરચક્ષુ ઉઘડી જાય તેમ છે અને વિદ્યાકન્યા સાથે લગ્ન કરવાનું મન થઈ જાય તેમ છે. એની પુણ્યોદય-પાપોદયની ગોઠવણ, ભવિતવ્યતાનો દેર અને મહારાજા કર્મપરિણામ અને દેવી કાળપરિણતિનાં નાટક સમજવા ગમે તેવાં છે. તમને ખાત્રીથી કહું છું કે આવું શબ્દચિત્ર તમે અન્યત્ર કોઈ પણ સ્થાને જોઈ શકશે નહિ. આમાં મારો લેખક મહાત્મા તરફ પક્ષપાત નથી, પણ મને લાગ્યું તેવું અત્રે જણાવ્યું છે. આ ઉપધાત પ્રકાશન સાથે મારે એ આનંદ આપનાર કુશળ પાત્રો-અગૃહીતસંકેતા અને પ્રજ્ઞાવિશાળાથી માંડીને અનુસુંદર પર્યતના સર્વ સાથે સંબંધ ખતમ થશે, એના બાળ, મધ્યમ મનીષિ કે સદુધ મંત્રી કે સમ્યગુદર્શન સેનાપતિ વિગરે સર્વ દિગંતમાં ચાલ્યા જશે એના વિચારથી મને ખેદ થાય છે, એનાં નિજવિલસિત ઉદ્યાન કે ચિત્તવૃત્તિ અટવી જેવાં સ્થાને માત્ર વિચારપંથમાં જ રહેશે એથી Page #17 -------------------------------------------------------------------------- ________________ ગ્લાનિ થાય છે. તમે અમુક લેખકના લેખનું મનન કરે અને પછી તેમાં જીવ પવો ત્યારે તેની સાથે તમારી એકાત્મતા થાય છે. એવો ભાવ મને ઘણી વાર સ્પર્યો છે. હું તે હજુ પણ બનશે ત્યારે એ પાત્રની નામાવળી તે જોયા જ કરીશ. આ ગ્રંથ બરાબર વંચાશે તે સંસારમાં જે જે ચિત્ર અનુભવાશે તેના ઊંડાણમાં ઉતરવાનું મન થશે, માત્ર એના બાહ્ય વર્ણનમાં કે વર્તનમાં રાચી જવાની બાબતથી દૂર રહેવાની વિદ્યા આવડશે-અને તેમ થાય તો સંસારને ઓળખવાની રીતિમાં બહુ મોટો ફેર પડી જશે. એના દાખલામાં રસનાની વાત જ લઈએ. વદનકટરમાં રહેનાર રસના તે સર્વને હોય છે, પણ એની સાથે લોલતાને જોડવામાં આવે ત્યારે કામ ઘણું ચીક્કટ બની જાય છે અને રસના જાતે લેગિની હોવા છતાં એ એની દાસી લેતા સાથે આવે છે ત્યારે પ્રાણને પરવશ-પરભાવમાં રમણ કરતે બનાવી દે છે. એવી જ રીતે ઘાણ સાથે ભુજંગતા આવે કે કૃતિ સાથે સંગ આવે ત્યારે ઇકિય આસક્તિ થાય છે અને તે ખરી સંસારવૃદ્ધિ છે એ વાત માનસવિદ્યાના અસાધારણ જ્ઞાન વગર સૂઝે કે સમજાય તેવી નથી સર્વને સ્પર્શન, રસ, ઘાણ, ચહ્યું કે કાન હોય છે, પણ તેના ઉપયોગને અંગે તેમાં જે રસ પડે છે, તેમાં આસક્તિ થાય છે, તે સંસારનું કારણ છે, એ વાત આ ગ્રંથ વાંચતાંવિચારતાં સમજાય તેમ છે. આવા પ્રકારનું માનસિક વલણ થઈ જાય, બનાવ કે દેખાવના ઊંડાણમાં ઉતરતાં આવડી જાય, ઉપર ઉપરના ખ્યાલમાં પરિપૂર્ણતા માનવાની ટેવ દૂર થઈ જાય, તે સંસારને પાર પામવાની એક અતિ મૂલ્યવાન ચાવી હસ્તગત થઈ જાય તેમ મને લાગ્યું છે. એમ થાય એટલે કેટલીક વાર સામાને આપણે નમ્રતા બતાવવા જતાં અભિમાન પોષીએ છીએ, માફી માગવા જતાં અંતરમાં ક્રોધથી ભરપૂર દશામાં હોઈએ છીએ, અમે કાંઈ નથી એમ કહેવા જતાં દંભથી ભરપૂર હોઈએ છીએ, છૂટછાટ મૂકવા જતાં લેભમાં તણાયેલા હોઈએ છીએ—એને ખ્યાલ આવી જાય. આ પ્રમાણે થાય તે વિચારકના હાથમાં સંસારચક્રની એક ભારે મહત્તવની ચાવી આવી જાય તેમ છે. અને આ સામે રમાતું નાટક શું છે, એમાં રમનારા પાત્રો સાથે આપણે સંબંધ કે છે, આપણે પિતે એ નાટકમાં કેટલે અને કેવો ભાગ ભજવી રહ્યા છીએ અને આખી દેડતી દુનિયા કેવા ચકરાવામાં પડી ગઈ છે-એ નાટક જોતાં અને અનુભવતાં આવડે તે આપણે નાટકમાંથી તુરતમાં નીકળી તે ન જઈએ, પણ એ નાટકથી અતીત-દૂર અને એની અસર Page #18 -------------------------------------------------------------------------- ________________ વગરના શાંત સ્થાનને શોધવાની તજવીજ તો જરૂર કરીએ. આખા નાટકને સિનેમાની ફિલમ (ફીમ) ની માફક પસાર થતાં અને તેમાં આપણને પણ પાઠ ભજવતાં જોતાં આવડે અને થોડે તટસ્થ ભાવ અનુભવાય તે સંસારચિત્રમાં એક સાધારણ પરિસ્થિતિ અનુભવી એનાથી તદ્દન દૂરની દશા પ્રાપ્ત કરવાનું મન થયા વગર રહે તેમ નથી. આખા ગ્રંથને શબ્દચિત્રમાં ઉતરવાનું આ રહસ્ય છે. સમજવા યોગ્યને સમજ્યા પછી, તજવા યોગ્યને તજવા અને આદરવા યોગ્યને આદરવા–એ એનો આશય છે. આખા ગ્રંથને સાર સ્વપરનું વિવેચન અને ઓળખાણ” એટલા શબ્દમાં આવી જાય છે. પરિણતિની નિર્મળતાપૂર્વક પ્રગતિ કરવામાં એ શબ્દચિત્ર અનુપમેય સાધન છે. ઉપર ઉપરથી કે નવલકથાની માફક અથવા છાપાના લેખની જેમ વાંચી જવા યોગ્ય આ ગ્રંથ નથી. એને તે વર્ષો સુધી વાંચવા ગ્ય છે, મનન કરવા યંગ્ય છે, જીવવા યોગ્ય છે, વારંવાર વિચારવા યોગ્ય છે અને જીવન વ્યવહારના પ્રત્યેક પ્રસંગ સાથે વણી દેવા યોગ્ય છે. એને ઉપર ઉપરથી વાંચી નાખવામાં નુકસાન નથી, પણ ખરો લાભ તે એને રસ જમાવવામાં છે અને તે તે ખૂબ નિદિધ્યાસન પછી જ આવે તેમ છે. જે આખા સંસારનું મૂળ જાણવું હોય, આ ચાલી રહેલી ધમાધમને મર્મ વિચારો હોય, અનેક પ્રવૃત્તિની પાછળ કશો હેતુ નથી એ સમજવું હોય, જીવનના આદર્શ કેવા હોઈ શકે તેનો નિર્ણય કરવો હોય અને આખા જીવનવ્યવહારમાં સરખામણી લાવવાની જરૂરીઆત ભાસતી હોય તે તેને સ્પષ્ટ વ્યક્ત કરે અને ઊંડા સદ્વિચારમાં નાખી દે તેવી અનેક બાબતો આમાંથી મળી આવે તેમ છે. બાકી અર્થ કે હેતુ વગરની દોડાદોડી કે સમજ્યા વગરની આલસ્યમય જિંદગી ચાલુ રાખવી હોય, એક ખાડામાંથી બીજામાં પડવાની ચિરકાળની સ્કૂલનાને સુધારી લેવાની જરૂર ન ભાસી હોય, જીવનનાં ઊંડાણમાં પિસવાની હોંશ ન થતી હોય તેવાઓને માટે આ ગ્રંથ બહુ ઉપયોગી તે ન જ ગણાય. આટલી વિગત જણાવી અત્ર વિરમું છું. આ આખો ચર્ચા અને ચરિત્ર વિભાગ સાઘત જોઈ જવા માટે મારા મુરબ્બી કાકાશ્રી કુંવરજી આણંદજીને અને પ્રકટ કરવા માટે શ્રી જૈન ધર્મ પ્રસારક સભાને આભાર માનું છું. મુંબઈચપાટી સીફેસ. મલબાર વ્યુ. સં. ૧૯૯૫. મે. ગિ, કાપડીઆ પ્ર. શ્રાવણ શુક્લા પંચમી. Page #19 -------------------------------------------------------------------------- ________________ in one does up were વિષ ચાનુ ક્રમ છે ૧૦ ૧૧ ઉદ્દઘાટન-પ્રાસ્તાવિક, ચાર અનુગ. ૩ | કથાના વિવિધ પ્રકારે. (૧) દ્રવ્યાનુયેગ. ૩] સંકીર્ણ કથા. (૨) ગણિતાનુયોગ. ૪ શ્રોતાના પ્રકાર (શ્રી હરિભદ્ર). ૧૨ (૩) ચરણકરણનુગ. ૫ | અપેક્ષાએ સંકીર્ણ કથાની આદેતા.૧૩ (૪) ધર્મસ્થાનુયોગ. ૬ | સંકીર્ણ કથા–સકથા. ૧૪ કથાનુયોગની વિશિષ્ટતા. કથાસાહિત્યનો મુદ્દો અને રહસ્ય ૧૫ કલ્પિત કથા અને કથાનુયોગ. | કથાસાહિત્યનું સર્વશ્રેગ્યત્વ. ૧૬ ૨૩ ૨૪ વિભાગ ૧ લે. ગ્રંથ ઉપમિતિભવપ્રપંચા સ્થા. ૫. ૧૭ થી ૧૦૧ ગ્રંથ મહત્ત્વ વિચારણના મુદ્દા. ૧૭ | નિપુણ્યક ભિખારી તરીકે સ્વનું અભ્યાસક દષ્ટિ. વિદ્રોગ્ય. ૧૮ ઓળખાણ. સેળ મુદ્દાઓ પર વિચારણું. ૧૮ ગ્રંથવાચન-એલેખક પર ઉપકાર. ૨૪ ૧) ગ્રંથપ્રયજન અને વિષય ૧૮ | આપીએ તે મળે. અર્વાચીન પદ્ધતિને “આમુખ. ૧૮ અદ્વિતીય ઉચ્ચભાવના. ૨૫ ગ્રંથકનું ચરિત્ર. ૧૮ | દંભવૃત્તિનો અભાવ. ૨૫ ગ્રંથની અભિનવ શરૂઆત. કાષ્ટપાત્રોગ્ય કહ્યો, છતાં અદ્વિતીય.૨૫ પરોપકાર તે પકાર. | (૩) રૂપક મહાકથા Allegory૨૫ જ્ઞાન દર્શન ચારિત્ર. ૨૧ | રૂપકકથામાં આંતર આશય ૨૫ શેય શ્રધેય અનુશ્કેયને વણાટ, ૨૧ સર્જકશક્તિ અને રૂપકકથા ૨૬ (૨) ગ્રંથકર્તાની નમ્રતા. ૨૧ (૪) ગ્રંથના નામ પર કાછપાત્રમાં મૂકવા ગ્ય. રર | પર્યાલોચના, વિશાળ દૃષ્ટિની નમ્ર વિચારધારા. ૨૩ | “ભવ’ શબ્દપર વિવેચન Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ૨૭ | આખા સંસારને બતાવી દેવાની ૨૭ ઈચ્છા. પ્રપંચ' શબ્દના ભાવ. ‘ઉપમિતિ' શબ્દનું રહસ્ય. ગ્રંથકારે રચેલું ‘ કથાશરીર ' ઉપમાદ્રારા ભવપ્રપંચ વ્યાખ્યાન. ભવપ્રપંચ અનુભવાય છે છતાં પરાક્ષ છે. ‘ઉપમિન' અને ‘ઉપમિતિ' અને શબ્દ પર ચર્ચા. ‘ઉપમાન' એટલે શુ? ઉપમાન છે માટે રૂપક કથા. ઉપમાનના આશ્રયનું રહસ્ય. કથાઘટનાની નૂતનતા. (૫) કથાનુયાગના આશ્રય. સદ્ગુદ્ધિ સાથે વિચારણા. નવીન સર્જનશક્તિની યોજના. ભાવદયા અને પરાપકાર વૃત્તિ લઘુતા બતાવવામાં આકર્ષણ. સંપ્રદાય પદ્ધતિ છેડવી ન હેાતી. અને છતાં તદ્દન નવીનતા લાવવીહતી.૩૩ એમાં અસાધારણ મૌલિકતાનાં મૂળ.૩૩ સ્વભાવ અભ્યાસની બારીકાઈદૃષ્ટાંત. ઉપદેશકની શાંતિ. ૨૭ ૨૭ તા અને સત્બુદ્ધિના પાત્રે. | તદ્યાનુ કન્ય. સદ્ગુદ્ધિનું સ્થાન. ૨૭ । ‘સદ્ગુદ્ધિ’ વાપરવાના અધિકારી ૨૮ | સત્બુદ્ધિના સાચા એક. ૨૯ | ત્યારપછીની મૌલિકતા મૂળમાર્ગે ૪૧ ૪૧ ૩૦ જ્ઞેય શ્રદ્ધેય અનુયને વિભાગ, ૪૧ ૩૦ સાચી શ્રદ્ધા કરાવવી–અનન્ય ૩૦ ઉપકાર. ૪૨ ૩૧ ૩૨ આથી તેમણે નવીન પદ્ધતિ સ્વીકારી,૪૨ (૭) નવીન પદ્ધતિના બચાવ. ૪ર ૩૨ | તેઓ સપ્રદાયમાં માનનાર હતા. જર ૩૨ | ચીલા છેાડ્યો છે ત્યારે માર ખાધેા છે. ૪ર ૩૨ | શાસનપદ્ધતિના મહાન પ્રશ્ન. ઉપમાન પતિના તેમણે કરેલા ૪૩ ૩૩ ૩૩ બચાવ. ૩૪ અભાવ. ૩૫ | (૮) સાત્રિક નવીનતા. ૩૫ | મૌલિકતા માટે સપ્રદાય શૈલીથી ૩૬ કળાકાંક્ષાની ગેરહાજરી. સીધા અભ્યાસ-ઉપદેશ નિષ્ફળ. માટે સકીણું કથાના આશ્રય. ૩૬ (૬) ઉપમાનની સૈાલિક પદ્ધતિ કથાના પ્રકાર અને તદ્રુચિવાળા, સાર્વત્રિક રુચિ કરવાની ઇચ્છા, ૩૭ તદ્દન નવીન પ્રથાની ઘટના. માધી ઉપદેશ પદ્ધતિ ખીન ૩૬ ૩૭ 3'9 અસરકારક. ૩૭ આવશ્યકાદિના દાખલા. અનુમાન સ્વીકારની શરતે. શરતા સ્વીકારે તે શૈલીદોષના | ૩૮ ૩૮ ૩૯ ૩૯ ૪૦ ૪૩ ૪૪ ૪૪ ૪૪ ૪૪ અચાવ. અને છતાં મૂળમાર્ગને અનુસરવું હતું. ૪૫ એમને નામનાના માઢ નહાતા. ૪૫ વિશિષ્ટ દષ્ટિએ પરાપકાર. સિદ્ધાન્તના તેમના દાખલાની ૪૧ ૪૪ અપેક્ષા. ૪૫ છતાં મૌલિક નવીનતાતું નયન, ૪૫ Page #21 -------------------------------------------------------------------------- ________________ સ્થળ-પાની નવીનતામાં || કથાને અદ્દભુત કથા રહેવા દીધી છે. પ૭ મૌલિક્તા. ૪૬ (૧૦) સાહિત્યમાં સિદ્ધર્ષિનું નામાભિધાનમાં જ મૌલિક્તા. ૪૬) સ્થાન, રૂપક કથાકાર તરીકે, પ્રથમ પ્રસ્તાવ પ્રસ્તાવના તરીકે. ૪૭ | જૈન જૈનેતર, પિતાની કથાની વિચિત્રતા. ૪૭ જૈન સાહિત્યમાં ત્યાં સુધી કઈ ઉપનય” એટલે શું ? ૪૮ | થયેલ નથી. પ૭ નવીન શિલીની દીક્ષા–પ્રથમ રૂપકને બચાવ એ જ મૌલિ. પ્રસ્તાવે, ૪૮] કતાની અને પ્રથમતાની સિદ્ધિ. પ૭ સંકેતની સમજણ. પ્રથમ પ્રસ્તાવલેખન પણ એ જ ઉપોદઘાતદ્વારા મહાગ્રંથ પ્રવેશ. ૪૯ બતાવે છે. છતાં વચ્ચે વચ્ચે સંકેત સ્પષ્ટતા. ૫૦ | જૈનેતર સાહિત્યમાં તપાસ. ૫૮ અગ્રહીતસંકેતાના પાત્રનું સર્જન. ૫૦ ભાગવતનું પુરંજના ખ્યાન. પ્રસ્તાવિશાળાના પાત્રનું કાર્ય. ૫૦ ] રૂપકા ખરાં, પણ રૂપકકથા નહિ. ૫૯ ૯) રૂપક કથાકારની અદૂ- એ વ્યાક્તિ કે અન્યોક્તિ હોય ભુત કળા, ૫૧ ! પણ રૂપક મહાથા કોઈ નથી. ૫૯ નવીન શૈલીના શોધક. ૫૧ | અહીં ગૂઢાર્થ વગરનું એક વાક્ય નથી. ૬૦ પ્રાચીન ઉપમાનની નમ્રતા, ૫૧ | એ એને મહાકથા બનાવે છે. ૬૦ સરખામણીમાં ચોથા પ્રસ્તાવનો. માટે રૂપક કથાકાર તરીકે પ્રસંગ. પર | અપૂર્વ સ્થાન. ચિત્તવૃત્તિ અને સાત્વિકમાનસપુર પર (૧૧) તેમની શૈલીનું અનુકરણ ૬૧ સંસારને રૂપકઠારા બતાવવાની લેખક તરીકે સિદ્ધર્ષિનું ભવ્ય સ્થાન. ૬૨ નૂતનતા. ૫૩ | મારો સ્વાનુભવ. કલ્પનાની ભવ્યતા છતાં રસ- અનુકરણ એમનું ત્યારપછી ક્ષતિને અભાવ. ખૂબ થયું છે. મૌલિક્તા લાવવા અભુતકથા પરંતુ એકપણ લેખક તેમની (રોમાન્સ ). ૫૩ કક્ષાએ નથી. સમરાઈથ્ય કહા ' સાથે પ્રબંધચિંતામણિ. જયશેખરસૂરિ. ૨ સરખામણી. ૫૪ મેહવિવેકને રાસ. ધર્મમંદિર. ૬૩ કથામાં અવાંતર કથા પદ્ધતિ, ૫૪ ભુવનભાનું કેવલી ચરિત્ર. મામા ભાણેજનું અદ્ભુત કાર્ય. ઇદ્રરંસગણિ. સંકેતદર્શનના પ્રસંગોની નોંધ. ૫૫ | ભવભાવના. માલધારી શ્રી હેમખુલાસાઓ બ્રેક રૂપે છે. પ૬ | ચંદ્રસૂરિ. ૫૩ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ભુવનભાનું રાસ. ઉદયરત્ન. ૬૪ ! નવ રસની પિોવણું. વરાગ્યકલ્પલતા. યશોવિજય. ૬૫ | એનાં રસમય દષ્ટાન્ત. ઉપમિતિ “કદ્ધાર -સંક્ષેપ. ૬ ૬ . શાંતરસ છાતનું વૈવિ. ૮૧ ગુર્જર વાર્તિક. ૬૭ | માટે એને “મહાકાવ્ય ગણાય, ૮૨ ઉપમિતિ સ્તવન. વિનયવિજયજી (૧) એ Epic એપિક ઉપાધ્યાય. ૬૭ ગ્રંથ ગણાય? (૧૨) સરખામણી અને | એપિક એટલે શું? ૮૨ મુકાબલો, ૬૮ લડાઈ-વિગ્રહનાં પ્રસગાનું પ્રચુરત્વ. ૮૨ બનીઅનનું પલ્ટીમ્સ પ્રોગ્રેસ. ૬૮ | નાયકની અંતરંગ લડાઈ ૮૪ રૂપકોની સરખામણી. ૬૮] બાહ્ય લડાઈઓના અનેક પ્રસંગો. ૮૪ છે. યાકેબીને અભિપ્રાય. ૬૯ વીરરસ પ્રધાન નહિ, પણ સર્વએને એ ભારતનું દેવીનાટક | રસમય. ૭૦ | એનું કથાશરીર-એપિક માટે પૂરતું. ૮૫ એમના અભિપ્રાય પર ચર્ચા. ૭૧ | સર્વ રસ અને ભાવ બતાવનાર દરેક પાત્રોમાં રૂપકતા છે. ૭૨ | અદિતીય એપિક.” ૮૫ રૂપક કથાને અભૂત ગ્રંથ. ૭૨ છેવટને નિર્ણય વિદ્વગમ્ય. ૮૬ (૧૩) એ કાવ્યને ગ્રંથ છે, | (૧૫) તત્વજ્ઞાનનો કથા ગ્રંથ, ૮૬ નવ રસ. ૭૩ | વાર્તામાં તત્વજ્ઞાનની ફૂલગૂંથણ. ૮૬ સોળ હજાર ગ્રંથને ભાવાર્થ. ૭૩ Theory of Evolution. કાવ્યમાં ગદ્ય પદ્ય બ હોય. ૭૩ | વિકાસક્રમ. “કાવ્ય” એટલે શું ? કર્મના સિદ્ધાન્તની તલસ્પર્શી ગૂંથણી૮૮ કલ્પના ભવ્ય, નૂતન અને મૌલિક. ૭૪ પ્રયત્નસિદ્ધ કર્મમુક્તિ. ૮૯ એના છૂટાછવાયા દાખલા. ૭૪ | કાળ. સ્વભાવ. ભવિતવ્યતા. કર્મ. વર્ણનમાં કાવ્યત્વ. પુરુષાર્થ–પાંચ સમવાયી કારણે. ૯૦ એના છૂટા દાખલાઓ. વા થા દાખલા. ૭૫ | પુણ્યદય. પાદિય. ચિત્ર રજૂ કરવાની કળા. ૭૬ 42614. Transmigration એનું સફળ ગ્રાહત્વ. ૭૬ of soul. એનાં વર્ણનમાં જીવંત પ્રાણ. ૭૬ ઉપદેશ આપવાની પદ્ધતિ. ૯૨ છતાં વર્ણનમાં પણ ગૂઢ રહસ્ય. ૭૭ | સર્વવિરતિને પ્રાધાન્ય. બોધના પ્રસંગ (સાતમે પ્રસ્તાવે) ૭૭ | તેની અશક્તિવાળાને ગૃહસ્થ ધર્મ. ૯૨ એમાં પણ વાસ્તવત્વ અને કાવ્યત્વ. ૭૭ | પરિણતિની નિર્મળતા; પર વિશિષ્ટ કાવ્યત્વ. ૭૮ | વિવેચન. ૭૫ Page #23 -------------------------------------------------------------------------- ________________ - ૯૮ -તત્વ વાર્તાના વિવિધ પ્રસંગે. ૯૩ એમણે ચુસ્તપણે શાસ્ત્રાનું સરણ દ્રવ્યાનુયોગ અને ચરણનુયોગની | કર્યું છે. વાતા. ૯૪ | એના વિવિધ દાખલાઓ. ૯૮ એનું અપૂર્ણ પણ આકર્ષક પત્રક. ૯૪. એ દષ્ટાંતની ઘટનાઓ. એના ૫૯ પ્રસંગેની યાદી. ૯૪ એ ખૂબી સમજવાનું રહસ્ય. ૧૦૦ છતાં વાતમાં ક્ષતી ન આવી. ૯૭ | ઊંડા ઉતરનાર અનેક પ્રસંગો (૧૬) પ્રવચન શૈલીનું તારવે. ૧૦૦ અનુસરણ ૯૮ | એની સ્પષ્ટતા માટે શાસ્ત્રાભ્યાસ. ૧૦૧ શાસ્ત્રશૈલી અને કવિનું નિરંકુશ7. ૯૮ II વિભાગ ૨ જે. (ગ્રંથની ભાષાશૈલી) પૃષ્ઠ ૧૦૨ થી ૧૪૧ સંસ્કૃત અને પ્રાકૃત. ૧૦૨ | દુર્વિદગ્ધતા અને સંસ્કૃત ભાષાવાપરેલ સંસ્કૃત ભાષાની સાદાઈ. ૧૨ | પ્રગ. (૧) પ્રાકૃતનું સ્થાન, ૧૦૨ | જૈન લેખકેને ભાષાપ્રયોગ. ૧૦૭ પ્રાતના પ્રાધાન્યનું કારણ. ૧૦૨ | સિદ્ધર્ષિના સમયમાં પ્રાકૃતિને પ્રાત–જનતાની સામાન્ય ભાષા ૧૦૩ | ઉપયોગ. ૧૦૭ સમજવાની સરળતા-લેકમેગ્યતા.૧૦૩ સર્વજનમનરંજનને ઉપાય. ૧૦૭ સંસ્કૃત શબ્દ જ સંસ્કાર બતાવે છે.૧૦૩ ભાષાને એ વિચારવહનનું પ્રાકૃત–પ્રકૃતિસિદ્ધ છે. ૧૦૪ | સાધન ગણતા. ૧૦૮ ઘઉં પ્રાકૃત-રોટલી સંસ્કૃત, ૧૦૪ | સર્વ ભોગ્ય કરવાને આશય. ૧૦૮ બન્નેનું સહગામિત્વ. ૧૦૪ (૨) અસલ ગ્રંથની શૈલી પ્રાત-જૈનની આર્ષ ભાષા. ૧૦૫ (style). ૧૦૯ વિચારવહનમાં પ્રાકૃતની મુખ્યતા. ૧૦૫ એમના ભાષાપ્રયોગનું બળ. ૧૦૯ સરળ ઉપદેશમાં એનો ઉપયોગ. ૧૦૫ | શૈલીમાં પ્રસાદપૂર્ણતા. ૧૦૯ પ્રાતની સર્વદેશિયતા. ૧૦૬ | રમણીયતાનો સાક્ષાત્કાર. ૧૦૯ શ્રી વિરથી આઠ સદી સુધી. ૧૦૬ | રસાસ્વાદ અધિકારાનુસાર, ૧૦૯ સિદ્ધસેન દિવાકરથી સંક્તને ! એજિસ અને પ્રસાદના દાખસ્વીકાર. ૧૦૬) લાઓ. ૧૧૦ ૧૦૬ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ "ના ૨૨ (૧) ગદ્ય વિભાગે – ૧૧૦ , છંદના નિયમોની જાળવણી. ૧૨૩ એનું લાક્ષણિક કાવ્યત્વ. ૧૧૧ | ભાષાપ્રવાહ અને દૃષ્ટાંનોચિય. ૧૨૩ હિમભવન ચક્ષુ સન્મુખ થાય છે. ૧૧૧ ભાવા પર કાબૂ અને વિવેચન ભાષાપ્રયોગની સાદાઈ, ૧૧૧ સરળતા.. ૧૨૪ સ્વરૂપદર્શનની સ્પષ્ટતા. ૧૧૧ કર્મપરિણામ રાજાનું વર્ણન. (a)૧૨૪ સરળ ભાષાપ્રયોગનાં દાંત ૧૧૧ | ગઘમાંથી પદ્યમાં ઉતરવાની | સરળતા. ૧૨૫ (૪) ક્રિયાપદના પ્રયોગો. ૧૧૧ | મહામહનું વર્ણન. (b) ૧૨૫ (૪) કૃદંતના સુંદર ઉપયાગ. ૧૧૨ * . (૨) વિશેઘણે આપી વિવરણ. ૧૨૭ (૧) સમાનાર્થી શબ્દબહુલતા. ૧૧૩ ગદ્યમાં સ્થાપના-પદ્યમાં વિસ્તાર. ૧૨૭ (૪) નિકા (pot. participe). રોદ્રચિત્તના વર્ણનનું દષ્ટાંત. ૧૨૮ ને સુંદર પ્રયોગ. ૧૧૪ ) વિશેને સમજાવવાની નૂતન (૪)સતિસમી-પ્રગવિશિ વ્યવસ્થા. છતા. ૧૧૫ અન્ય દાખલા. શાંતિકુમારી. ૧૩૦ (૪) ક્રિયાપદને ગતિમાન | એનાં ચાર વિશેની સમજણ. ૧૩૦ પ્રયોગ. ૧૧૬ | ચોથાવિશેષણ વર્ણનમાં કમાલ. ૧૩૧ (૪) વહન કરતો ચમત્કારી ચિત્તસંદર્યનાં વિશેષણે. પ્રયાગ. ૧૧૭ | શુભપરિણામનાં વિશેષણ. ૧૩૨ એમનાં સંભાષણે (Dilo- નિષ્પકંપતાનાં વિશેષણો. gues) સ્પષ્ટ અને અસરકારક દુષ્ટાભિસધિનાં વિશેષણો. ૧૧૮-૧૧૯ | નિકરુણતાનાં વિશેષણ. ૧૩૩ (૨)પ્રકર્ષ-વિમર્શના સંભા- હિંસાપુત્રીનાં વિશેષણ. ૧૩૩ ૧૧૯! (૩) અનુટુપની રચના. ભવ્ય(૪) નિર્મળાચાર્ય ગુણધાર- ! તાના બીજા પ્રસંગો. ૧૩૪ ણનાં સંભાષણ. સાત પિશાચી-વિરોધમાં આઠે આવા અનેક પ્રસંગને નિર્દેશ. ૧૨૧ | કર્મો. ૧૩૪ ગદ્ય સાહિત્યનું બળ. ૧૨૨ યૌવન-જરાનાં અદ્દભુત વણને.૧૩૪-૫ (b) પદ્ય વિભાગે, અન્ય છંદની રચના. ૧૩૬ ગદ્ય પદ ઉપગ-લગભગ ત્રાટકને ચમત્કાર. ૧૩૭ અરધોઅરધ. ૧૨૨ કુતવિલંબિત અને અગ્વિણું. ૧૩૮ પદ્યની ખૂબીઓ. ૧૨૩ | પાના બીજા દાખલાઓ. ૧૩૯ (૧)અનુબ્રુપને બહોળો પ્રયાગ. ૧૨૩ | કેરસને પ્રગ. ૧૩૨ ૧૩૩ ૧૭૩ .....ધાર ૧૨૨ ૧૪૧ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૩ I વિભાગ ૩ જો. ગ્રંથમાં દાખવેલું વિષયવૈવિધ્ય, ( આ વિભાગ ગ્રંથ અને ગ્રંથકર્તા બન્નેનુ કળાવિશારદä બનાવે છે, એને ગ્રંથના શીક તળે મૂકેલ છે, પણ એ ગ્રંથકારના શાક નીચે પણ જઇ શકે છે. ) પૃષ્ઠ ૧૪૨ થી ૨૫ પ્રાસાદિક ગ્રંથ અને લેખક. (૧) ન્યાય. ( Logic ). પ્રમાણ. કાર્ય સાધક કારણો. (૨)દર્શન, (Philosoply), ૧૪૪ | ediction ). દાનિક તરીકે ભાષાસમૃદ્ધ. ૧૪૫ | અષ્ટાંગ નિમિત્ત. કુષ્ટિદેવી વર્ણન. મત-ભેદના સાત પ્રકાર, ૧૯૨ | બાહુયષ્ટિ પર વિવરણુ. ૧૪૨ | નારીશરીર લક્ષણ. ૧૪૨ અધૂરું કર્યુ-ચર્ચા. ૧૪૩ ( ૬ ) નિમિત્તશાસ્, ( Pr ૧૪૫ આયના આર્ડ પ્રકાર. ૧૪૬ ૧૪૬ | ( ૭ ) સ્વપ્નશાસ્ત્ર ( Sence of Dreams ). ૧૪૭ – એના વિવિધ પ્રસ ંગેા. ( ૮ ) ધાતુવિદ્યા ( Mine ૧૪૯ ! «logy ). ૧૫૧ ધનની શોધ અને કેશુડા. ખન્યવાદ. ભુસ્તરવિદ્યા. ૧પર | (૯) વિનાદ. ( Wit & ૧૫ર | Humour ). સાતે પ્રકારના દાખલા. તત્ત્વચર્ચા. પરમતત્ત્વ. (૩) આયુર્વેદ, વૈદુ: ( Medicine ). આયુર્વેદનુ સમાહી દાહન. ૧૫૦ વ્યાધિનાં ચિહ્નો. સમયજ્ઞ વૈદ્ય. જન્મમરણ પ્રસંગ. (૪)જ્યાતિષ (Astrology).૧૫૩ ' મિત્રાની વિજ્ઞાકી, 1 ચારુ પ્રશ્નાવલિ, ફળાદેશ વિભાગ. રાશીઓ પર ફળાદેશ. એ અતીદ્રિય જ્ઞાન છે. એ વિભાગ પર ચર્ચા. ( ૫ ) સામુદ્રિક ( CŃromaney ). ૧૫૫ પ્રત્યેક અંગ ઉપાંગ પર વિવેચન. ૧૫૬ ૧૫૩ ૧૫૪ અત્યાક્ષરિકા. ૧૧૪ ૧૫૫ રાજસભામાં વિનાદ. મિથુન દ્વય બેવડાયા. ભચક્રના કોતુકનું દર્શન, ૧૫૭ ૧૫૮ ૧૫૮ ૧૬૬ 19 ૧૭ ૧૬૮ ૧૬૮ રખડુના વિદ્વાનને તમાચા ૧૭૦ । વિનાદનુ ગમન આપે તેવુ ચિત્ર. ૧૭૧ ' ist î ૧૫૯ ૧૫૯ ૬૦ ૧૬૨ ૧૬૩ ૧૬૪ ૧૫ ૧૬૫ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૧૯૩ રિપુદારનું નાટક. ૧૭૨ ) લગ્નપ્રસંગોનું વૈવિધ્ય. ૧૮૮ અંકરાતીઓ કુમાર (બ્રહલ | પસંદગીમાં વડીલને અંકુશ ૧૮૮ કથામાં). ૧૭૨ ખ્યાતિશ્રવણે લગ્નપ્રકાર. ૧૮૯ વામદેવનો દંભ. ૧૭૩ લશ્કરી લગ્ન યુદ્ધવિજયે. ૧૯૦ (૧૦) વ્યાપાર (Trade). ૧૭૩ આદર્શ લગ્ન. ૧૯૦ વ્યાપારીના વિચારતરગે. ૧૭૪ | સ્નેહ–આદર્શ લગ્ન. ૧૯૧ પરદેશ પ્રમાણે જતા પુત્રને શિક્ષા. ૧૭૪ | પ્રથમ મેળાપે લગ્ન મેહ પ્રકાર. ૧૯૧ ધનપાલકની સત્વશીલતા. ૧૭૫ અનેક લગ્નપ્રસંગે. ૧૯૧ પાર્જિત ધનની મહત્તા. ૧૭૬ જીવન પ્રશ્નો સાથે લગ્ન સંબંધ ૧૯૨ તદુગના વેપાર–વેપારીઓ. ૧૭૬ | (૧૩) યુદ્ધનીતિ.(Military Sc.) લેભી વાણીઆની વિચારસરણી. ૧૭૭ દેશપરદેશને વ્યાપાર. ૧૭૮ લેખકની અત્ર નિષ્ણાતતા. ૧૯૩ ચાર વ્યાપારી કથાનક નિર્દેશ. ૧૭૯ વિગ્રહનીતિ-ખાસ વિષય. ૧૯૩ ભવચક્રના વ્યાપારીને નિર્દેશ. ૧૭૯ | લડનારા લશ્કરનું વર્ણન, ૧૯૪ ગાદીએ બેઠેલા શેઠની શેઠાઈ ૧૮૦ | મુત્સદ્દીના મગજનું સમતલત્વ. ૧૫ (૧૧) દુર્વ્યસન, (Ms- રચનાત્મક નીતિનાં તર. ૧૯૫ behaviour ). શાસ્ત્રજ્ઞાન સાથે વ્યવસ્થાજ્ઞાન. ૧૯૬ હિસા. મૃષા. ચેરી. ૧૮૧ લશ્કરી માણસને તરવરાટ. ૧૯૭ (a) વેશ્યાગમન. ૧૮૧ વિચારશીલ મંત્રીની દીર્ઘવિચારણા ૯૮ (6) વ્રત-જુગટું. ૧૮૧ સદાગમની જરૂરીઆત. ૧૯૯ (૯) મૃગયાશિકાર. સદાગમ. મહામહ. પરિગ્રહ. ૨૦૦ (d) માંસભક્ષણ, ૧૮૨ | એ ત્રણેની સલાહ રીતિ. ૨૦૧ (e) ચોરી. યુદ્ધનીતિને ચિતાર. ૨૦૧ (f) પરસ્ત્રીગમન. ૧૮૩ ખટપટની વિચારણું. ૨૦૨ (9) સુરાપાન. પટ્ટરાણીની સલાહ. ૨૦૩ –દારૂ પીનારની સ્થિતિનું વર્ણન ૧૮૪ યુદ્ધનીતિ વિષયની ભરપૂરતા. ૨૦૩ -દારૂના પીઠાનું વર્ણન. ૧૮૫ | આ ગ્રંથ યુદ્ધને જ છે(અપેક્ષા)૨૦૪ (A) મિત્ર-દોહ. ૧૮૬ | (૧૪) રાજનીતિ. (Potatics)૨૦૪ (i) કૃતધનતા. ૧૮૬ | (a) સંધીઆ રાજાઓનું સ્થાન. ૨૦૫ (6) વિશ્વાસઘાત. ૧૮૭ | (6) વૃદ્ધ રાજાને રાજભ. ૨૦૫ અનેક દુર્ગુણોને નિર્દેશ. ૧૮૭ | () થાણુઓનું સુરક્ષિતપણું. ૨૦૬ (૧૨) લગ્ન (Marriage) ૧૮૮ | (d) ઊગતા શત્રુને દાબી દે. ૨૦૧૬ ૧૮૨ ૧૮૩ ૧૮૩ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ () રેટ. (૯) સર્વભેગે આત્મરક્ષા. ૨૦૭ | (0) સ્પર્શનકાસ-ગશક્તિ. ૨૧૬ (f) લશ્કર ભરતી નિયમ. ૨૦૭| સ્પર્શન વિચારણામાં ગાભ્યાસ. ૨૧૭ (g) ગૂંચવણ થાય તે વખત કાઢવો.૨૦૦ (6) રસના પ્રસંગમાં લેવાતા. ૨૧૭ (A) માનીતા થવાની યુક્તિઓ. ૨૦૮ | એના મૂળ શોધનમાં અભ્યાસ. ૨૧૮ માનીતા માણસો ધન કેમ છે (c) નાસિકા વર્ણનમાં મૌલિકતા.૨૧૯ એકાવે છે? ૨૦૮ | (d) શ્રવણના બે ઓરડાઓ. ૨૧૯ રાજનીતિના પ્રસંગોનું વૈવિધ્ય. ૨૦૯ | (e) અંતરંગરાયે વૈશ્વાનર. ૨૨૦ (૧૫) અવલોકન, (Observation) કૂચિત્ત વડાંની ભવ્યતા. ૨૨૧ ૨૦૯ (f) શૈલરાજને સ્તબ્ધચિત્તલેપ. ૨૨૨ (a) આગ. (g) ૧. અસત્ય બોલનાર (5) દાનું પીઠું. ૨૧૦ | ૨૨૩ ૨૧૧ ૨. સાત પિશાચી વનનિર્દેશ. ૨૨૩ (4) નદી. ૨૧૧ ) ૩. હિમભવન યોજના. ૨૨૪ (૯) નગર. ૨૧૨ | ૪. વનદેવી ધૂણી. ૨૨૪ (f) જન્મોત્સવ. ૨૧૩ ૫. હરિકુમારને વાર્તાલાપ. ૨૨૪ (g) છોકરાના ન્હાવા. ૨૧૪ | ૬. લેભીઓને સાધુ પ્રતારણ (૧૬) માનસવિદ્યા. (Psychology) પ્રકાર ૨૨૪ ( ૨૧૫ (h) નિઃસ્પૃહતા, ઔદાર્ય, માનસને પ્રખર અભ્યાસ. ૨૧૫ | દાક્ષિણ્ય. IV વિભાગ ૪ થો. લેખક અને કળાકાર, (આ વિભાગ ગ્રંથકારના શીર્ષક તળે પણ મૂકી શકાય તેમ છે.) પૃષ્ટ રર૬ થી ર૦૧ (૧) પાત્રાલેખન, (Delin- ( એવાં નામનાં વર્ણનમાં કળા. ૨૨૮ eation.) ૨૨૬ | મેહ અને રાગદેષના પાત્ર. ૨૨૮ સિદ્ધર્ષિને વિશાળ લેખનપ્રદેશ. ૨૨૭ | દીકરાનું રાજ્ય, પણ વૃદ્ધની વક્તવ્યને દેશકાળની મર્યાદા. ૨૨૭ | દેરવણું. ૨૨૮ કળાવિધાન સમજવાની ચાવી. રર૭ | ચારિત્રરાજનું નગર પર્વત પર. ૨૨૮ (૦) અભિધાન કરણ. ૨૨૭ ભાવવાહી નૂતન નામજના. ૨૨૯ શાસ્ત્ર-સંપ્રદાયનાં નામ. ૨૨૭ ! સુંદર પેજનાનું નાનું ચિત્ર. ૨૨૯ ૨૨૫ Page #28 -------------------------------------------------------------------------- ________________ ર૬ ૨૪૪ (b) પાત્રો જીવતા છે. ૨૩૦ | (૩) સમયસંક્ષેપ, ૨૪૧ નાના પાત્રોને પણ બહલાવ્યા છે. ૨૩૦ | સમય પસંદગીમાં કળા. ૨૪૧ ( ૯ ) ક્રાંતિક વ્યક્તીકરણ. | બનાવોને કેંદ્રસ્થ કરવાની કળા. ૨૪૧ ( Evolutionary mani- અનંતભાવ-અનંતસમય–અનેક festation.) ૨૩૧ | વક્તવ્ય અને સર્વભાવ નિરૂપણ. ૨૪૧ પાત્રના વિકાસ અને પ્રસાર. ૨૩૧ | સર્વગ્રાહી વિષયમાં પ્રવેશ. ર૪૧ એના પ્રકટીકરણમાં કળા. ૨૩૧ | | સદારામ અને પ્રજ્ઞાવિશાલા મોટા પાત્રોનું વ્યક્તીકરણ. ૨૩૨ યોજના, ર૪ર (d) પાત્રોનું વ્યક્તિત્વ (In- એ યોજનાનું રહસ્ય. ૨૪૨ dividuality.) ૨૩૨ અનંતકાળને સંકલિત કરવાની છતાં અવાંતર સંકલના. ૨૩૩ બીજી યોજના. ૨૪૩ (e) સર્જનશક્તિ. ૨૩૩ જાતિસ્મરણ અવળ્યાદિનો ઉપમોહરાજાની તૃષ્ણ વેદિકા. ૨૩૪ ] | યોગ. કળા, ઔચિત્ય અને પ્રસાદ. ૨૩૪(૪) મહાન સત્ય: અર્થા(f) યથાવસર આવિર્ભાવ. ૨૩૪ તરન્યા. ૨૪૫ એમાં લેખકની વ્યવસ્થાશક્તિ. ૨૩પ એનાં થોડા દાખલા. ૨૪૫-૭ ૨) સ્થળવૈવિધ્યમાં કળા. ૨૩૬ | સત્યામાં સમાવેલા વિષયે. ૨૪૮ બાહ્ય અને અવાંતર. ૨૩૨ | (૫) અવાંતર કથાઓ. ૨૪૯ બાહ્ય સ્થળોમાંનાં ચેડાં ૨૩૬ અનંત વિષયને પહોંચી વળવા અવાંતરમાંનાં થેડાને નિર્દેશ. ૨૩૭ | અવાંતર કથાની યોજના. ૨૪૯ શાંતિ થાય તેવાં નામ. ૨૩૭ પાંચ ઇન્દ્રિયને બતાવવા કથાઓ ૨૪૯ ઉદ્યાનનાં રોચક નામે. ૨૩૮ ].બીજી સાત અવાંતર કથાનિર્દેશ.૨૫૦–૧ કેવળી કે આચાર્યના દિલ- એ મુખ્ય, બાકી નાની અનેક ચસ્પ નામ. ૨૫૧ બગીચામાં જવાનું મન થાય કથામાં કથા-છતાં ગૂંચવણ નહિ. ૨૫૧ એવાં વર્ણન. ૨૩૯ કથાઓ સચોટ અને મુદ્દામ. ૨૫૨ આચાર્ય સમીપે પહોંચવાની ચાવી.૨૩૦ (૬) મનુષ્યના પ્રકારઃ ૨૫૩ વાર્તાસ્થાન ક્ષેમપુરી. ૨૩૯ મનુષ્યના ત્રણ વિભાગ. ૨૫૩ મહાવિદેહમાં મૂકવામાં કળા. ૨૩૯ | ત્રણ કુટુંબે. ૨૫૩ મનુજગતિ નગરીને પ્રાધાન્ય. ૨૩૯ | ચાર પ્રકારના પુરુષો. ૨૫૩ વાર્તામંડાણ તે મનુજાતિ- પર્યુષ કથાનક. ૨૫૩ માં જ છે. ૨૪૦ ! કળાકાર સિદ્ધર્ષિ. ૨૫૪ ૨૩૮) કથા. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ગ્રંથને અંગે પ્રકીણુ (૧) અનુસુંદરનુ પાત્ર, ૨૫૫ | (દ્વિતીયે) અગૃહીતસ દેતાપાત્ર. ૨૬૦ એ ઐતિહાસિક કે કલ્પિત! ૨૫૫ | ( તૃતીયે ) માનસી વિદ્યા. પ્રત્યેક પ્રાણીનું ચરિત્ર જુદું ૨૬૦ ૨૬૧ દેખાય છે તે નાટક જ છે. ચરિત્રનાં અનંત પરિવૃતા. પ્રત્યેક જીવન–મહાન ઇતિહાસ ભૂમિકા. સ્વધમ વિધમનાં તા. વૈધમ માં સામાન્ય તા. ભિન્નતામાં રહેલી એકતા. અનુસુંદરી પાત્ર પર વિચારણા પુસ્તકની અંદર તે માટેનાં તત્ત્વ. (a) શુ બતાવે છે? • સકલ્પિત અનુમાન . (b) · મતિ વિકાસનકારી ’ ૨૫૫ | ચિત્તવૃત્તિ પરિવાર. ( પંચમે ) સોજન્ય દો . ૨૬૧ ૨૫૫ | ૨૧ ૨૬૧ ૨૫૬ | ( ષષ્ઠે ) ષપુરુષ ચરિત્ર. ૨૫૬ | દરેકને એક વર્ષ માટે રાજ્ય. ૨૬૧ ૨૫૬ ) ( સપ્તમે ) મુનિવૈરાગ્ય પ્રસંગેા. ૨૬૨ ૨૫૬ | સામાન્યમાંથી સાચા ઉપદેશ. ૨૬૨ ૨૫૬ | ( અમે ) સ સમીલીકરણુ. ૨૬૨ ૨૫૭ વિદ્યા સાથેના લગ્નનું દન. ૨૬૨ (૩) પરાકાષ્ઠા. Climate. ૨૬૩ પ્રત્યેક પ્રસ્તાવે—સ્થાનદશન. ૨૬૩ શું બતાવે છે ? ( ૧ ) તત્ત્વપ્રીતિકર પાણી પાય છે ત્યારે. ૨૫૭ - જાત ' શબ્દ ગૂંચવણ કરે છે. ૨૫૮ | ( ૨ ) અત્ર પરાભૂમિના આભાસ જ છે. ( ૭ ) અનુસુ′દરમહાભદ્રા વાત સાથે સુમતિસમંતભદ્રા વાત— વિરૂદ્ધ અનુમાને લઈ જાય છે. ૨૫૮ (d) કૃત્રિમતા બતાવનાર વાક્ય. ૨૫૮ બાહ્ય નજરે કાર્ય ગ્રંથમાં ચરિત્ર નથી | " ( પ્રથમ પ્રસ્તાવ ) વમાન પદ્ધતિની પ્રસ્તાવના, ઉપેા ધાતમય. ( ચતુર્થે ) મામા ભાણેજ. અટવી. માહરાય ૨૫૭ ( ૩ ) ત્રણ પ્રસંગે. (a) મદનક`દળીના પલ`ગેથી પડતા બાળ. (b ) નવિન કનકપુર વે૨૫૮ | શાહ્સવ. ૨૬૪ કર્ણાપક ચાલતી કથા હેાય. ૨૫૯ | (૦)ન દિવ ને કરેલા કુટુંબનાશ. ૨૬૪ મારા નિષ્ણુય છેવટના નથી. ૨૫૯ ( ૪ ) પ્રકર્ષી વિમ –ઉત્તમ ૨ પ્રસ્તાવ વિશિષ્ટતા. ૨૫૯ પરાકાષ્ઠા. ૨૬૪ દરેક પ્રસ્તાવે એક સવિશેષતા. ૨૫૯ | આખાગ્રંથની પરાકાષ્ઠા અહીં છે. ૨૬૪ ૨૬૩ ૨૫૯ | ધકેલે છે ત્યાં. ૨૩ ૨૬૪ (૫) ત્રણ નાના પ્રસ ંગા. ૨૬૫ ( ૬ ) હિરકુમારને દરિયામાં ૨૬૪ ૨૬૬ Page #30 -------------------------------------------------------------------------- ________________ (૭) બાલીશ ગાન સાંભળતાં | લેખક પર દયા કરવાની માગણું. ૨૬૭ પછાડી ખાય છે. ૨૬૬ | એ ચારે ધ્યાનમાં રાખે તે (૮) બને લશ્કર આકાશમાં આખા ગ્રંથને બરાબર સમજે. ૨૭ થંભાય છે ત્યાં. ૨૬૬ | એને વિષય જ્ઞાનદર્શનચારિત્ર. ૨૬૮ આખા ગ્રંથની પરાકાષ્ટા-વિવેક લેખક જે નિભંગીકાઈલાગત પર્વત પરની અવલોકનામાં છે. ૨૬૭] નથી એમ કહેવામાં રહેલી નમ્રતા. ૨૬૮ ઝ, લેખકને સમજવાની વિશાળ ચરિત્ર લખવાને આશય. ર૬૯ ચારી, ૨૬૭ ! એ સર્વ જીવનું ચરિત્ર છે. ૨૬૯ ગ્રંથ લખવાને ઉદ્દેશ. ૨૬૭ એની લાક્ષણિક પ્રેરણરીતિ. ૨૭૦ આપે તે મળે' નું સુત્ર. ૨૬૭ અનેક નાનીમોટી લક્ષણાનું દર્શન. ૨૭૧ લાકડાની પેટીમાં ભરવાની વાત. ૨૬૭ | વિભાગ પ ગ્રંથકાર શ્રી સિદ્ધર્ષિ (ઐતિહાસિક નજરે) , ર૭૨ થી ૩૫૦ લેખકના ઇતિહાસના જ્ઞાનની જરૂર.૨૭ર | એને માટે પ્રેમ હોવો જોઈએ. ૨૭૫ વેજ્ઞાનિક પદ્ધતિએ ઈતિહાસ. ૨૭ર | પરિણામ જાહેર કરવાની હિમત. ૨૭૫ ઈતિહાસ સંબંધી સ્થિતિ, ૨૭૨ | આગ્રહવૃત્તિ કે પૂર્વગ્રાહ. ૨૭૬ નામ રાખી જવાની લાલસા એને શોધખોળમાં સ્થાન ન ઘટે. ૨૭૬ નહોતી. ૨૭૩ જેને અને ઇતિહાસ ર૭૬ ઉપલબ્ધ ઇતિહાસ-સાધનોની સ્થિતિ પ્રમાણમાં સારી ગણાય. ૨૭૬ અપના. ૨૭૩ | વૈજ્ઞાનિક પદ્ધતિના ઉપયોગની બને તેટલુ લખી જવાની જરૂર. ૨૭૩ જરૂર. ૨૭૭ બેદરકારીનાં પરિણામે ર૭૩ દશમી સદી પહેલાં તે અધેર છે. ૨૭૭ ઈતિહાસનાં સાધનો. ૨૭૪ સત્યશોધનની ખરી ધગશ નથી. ૨૭૭ શિલાલેખ. પ્રશસ્તિ સિકકા વિગેરે. ર૭૪] શ્રી સિદ્ધર્ષિ. ૨૭૮ થોડાં અતિહાસિક પુસ્તક. ર૭૪ ઉપલબ્ધ હકીકતના પાંચ વિભાગ. ર૭૮ અને અનુમાનનાં પ્રસગે. ૨૪ " ૧, પ્રશસ્તિ ૨૭૮ શેખેળની ધૂન ૨૭૫ | પ્રશસ્તિ (ઉપમિતિની)-ચાર પુરાતત્વ પ્રયાસમાં અ૫ લા. ર૭૫ ' વિભાગ. ૨૭૮ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ૨૭૯ ૮ ભાવતા ગુરુ ’ ના ભાવાર્થ. (૧) ૨૯૩ ૨૭૯ | એના પર વિકલ્પ ચર્ચા. ૨૮૧ ૨૮૨ ૨૮૨ ૨૮૩ ૨૮૩ २८४ (૧) ગ્રંથકર્તાના પૂર્વપુરુષો. પ્રથમના તેર શ્લેાકેા. તેમાંની હકીકતને સંક્ષેપ. સૂરાચાર્યના ઈતિહાસ, ગગ ત્રિ –ઐતિહાસિક. પ્રશસ્તિના કૃલિતા. સિદ્ધ િના ગુરુ કાણુ ? ચર્ચા. દીક્ષા આપનાર ગિ સદ્દષ્ટિ અને સિદ્ધિ પ્રશસ્તિ પર ચર્ચા. પ્રશસ્તિ પર મારા અભિપ્રાય. પ્રભાવક ચરિત્રને દિગ્મ ધ. નિવૃતિ શાખામાં લેખક ચરણુરેણુકલ્પ ’નું નિદર્શન. અગત્યની ચર્ચા પર વિચારણા. ૨૮૮ (૨) લેખકનુ’ નામ. પ્રશસ્તિના બીજો વિભાગ. સિદ્ધર્ષિ નમ્રતાપૂર્ણાંક નામ ૨૮} ૨૮૭ ૨૮૮ ૩૮૮ નિર્દેશ. २८४ નથી. ૨૯૭ ૨૮૪ | નિપુણ્યક ચરિત્ર પર ચર્ચા. (૪) ૨૯૮ ધમ ખેાધકરને કેવા બતાવ્યા ? ૨૯૮ ૨૮૫ ૨૮૫ | સિદ્ધવિ પાતે જ તેને કાળ દેશથી ૨૮૮ | સદ્ધિ અને સિદ્ધિ જુદા હતા. ૨૮૯ દુસ્વામીના કાળ પછી એ મુખ્ય થયા. ૨૮૯ | કથા બનાવનારનું નામ સિદ્ધ ૨૯૦ (૩) હરિભદ્રસૂરિ અને સિદ્ધ િ૨૯૦ પ્રશસ્તિના ત્રીજો વિભાગ ૨૯૦ ઘણી અગત્યની બાબત અત્રે છે. ૨૯૧ ડા. જૅકાખી અને ડા. હ્યુમાન. ૨૯૧ જૅકૈાખી–ઉપમિતિ પ્રસ્તાવના. ટાંચણુ. ૨૯૨ હરિભદ્ર દીક્ષાગુરુ હોઇ શકે ? ૨૯૩ બન્ને સમકાલીન ન હેાવાનાં કારણા. | ૨૯૩ ૨૯૪ ‘ સુવાસના ' મદાશયે ' (૨) ૨૯૪ અનાગત પરિસાય. ( ૩ ) એના અ પર ચર્ચા. ૨૯૪ ૨૯૫ જૅકૈાખી અને સદર શ્લોક. ૨૯૬ ૨૯૬ એ સંબધી વિસ્તૃત ચર્ચા. એ શ્લાકને ઉડાડી શકાય તેમ જુદા પાડે છે. ૨૯૯ અને ગુરુને વિશિષ્ટ જ્ઞાની કહે છે. ૨૯૯ એ ચરિત્રના સાર્વત્રિક ઉપયાગ. ૩૦૦ તદ્યાનું પાત્ર કેમ જમાવ્યું? ૩૦૧ એ પાત્ર શું નિદર્શોન કરે છે ? ૩૦૧ સમકાલીનતાને અસભવ. ૩૦૨ ( ૪ ) પ્રશતિના બાકીને ભાગ, ૩૦૨ ભિન્નમાલ નગરે. ( ૪ ) ૩૦૩ નગરવ ન. ૩૨૩ અશ્રમડપમાં કથાવાચન. ૩૦૪ ગુર્જર–ગુજરાતમાં એનુ’ સ્થાન. ૩૦૫ શુદ્ધ નકલ. ( ) ૩૦૬ ગણા સાવી--દુર્ગાસ્વામી શિષ્યા. ૩૦૬ આદર્શ-કાપીતા ભાવા. ૩૦૬ સરસ્વતી દેવીનું અનુકરણ કરનારી. ३०७ સંસ્કૃત ભાષાની અભ્યાસી. ३०७ ગણા મહાપુરુષયુગમાં થઇ ગઈ. ૩૦૮ એટલે હજાર વર્ષે પણ જીવતી રહી.૩૦૮ ગ્રંથના સમય ( ૭ ) ૩૦૮ Page #32 -------------------------------------------------------------------------- ________________ સં. ૯૬૨. જે શુદિ ૫. ૩૦૮ | ગુર્જર દેશે ભિલ્લમાલનગર. ૩૧૭ ગુરુવારે. પુનર્વસુનક્ષત્રે. ૩૦૮ ગુજરાતની તે યુગની સીમા. એ સંવત કર્યો? ૩૦૮ | વર્મલાત રાજા. ૩૧૭ ઇ-ડીઅન એકીમીરીસ. ૩૦૮ શિશુપાલવધ-માધકવિ. ૩૧૮ એ વીરસંવત નથી-કારણો. ૩૦૯ | રાજાના નામની દશા. ૩૧૮ છે. પીટરસનમાં એકસેની ભૂલ. ૩૦૯ ! માધે કરેલ કવિવંશ વર્ણનઃ ૩૧૮ પીટરસનની ગણતરી પર ચર્ચા. ૩૦૯ | કવિવર માઘને સમય. ૩૨૦ ગુત કે શક સંવત અશક્ય છે. ૩૧૦ તે માટેના આધાર ઉલ્લેખ. ૩૨૦ ૧લી મે ૯૦૬. ઈ. સ ૩૧૦ ભિન્નમાલનું ભિલ્લમાલ. ૩૨૧ ગ્રંથાગ્ર. (d) ૩૧૧ | માધના સમય પર ઊહાપોહ. ૩૨૨ સોળ હજાર. ૩૧૧ વિવિધ ચર્ચાના પ્રસંગે. ૩૨૩ ૨. લેખકના ચરિત્ર સંબંધી વસંતગઢનો લેખ. ૩૨૪ ગ્રંથમાંથી મળતી હકીકત, ૩૧૨ ! માઘ અને સિદ્ધર્ષિનો સમય. ૩૨૫ આત્મકથા લખવાનું સાહસ. ૩૧૨ | સમયચર્ચા-સમભાવે. ૩૨૬ પ્રથમ પ્રસ્તાવ–એ કર્તાનું ચરિત્ર ૩૧૨] પૂર્વગ્રાહને આ ચર્ચામાં સ્થાન એ ઉલ્લેખને આશય. ૩૧૩ ન ઘટે. ૩૨૬ ભવપ્રપંચ બતાવનાર ચરિત્ર. ૩૧૩ સિદ્ધનું બાલ્ય. ૩૨૭ એ ચરિત્રના બે વિભાગ. ૩૧૩ | ધન્યા સાથે લગ્ન, ૩૨૭ સર્વ સામાન્ય કથાવિભાગ. ૩૧૪ | જુગટામાં લપટાવું. ૩૨૭ આ ગ્રંથ રચવાનાં કારણોને વ્યસનને ભોગ. ૩૨૭ વિભાગ. ૩૧૪ | પતિપરાયણ આર્યો. ३२७ કર્જાનું ચરિત્ર તારવવું મુશ્કેલ. ૩૧૪ | પુત્રવત્સલા માતા. ૩૨૮ એ રીતે એ સ્વચરિત્ર છે જ નહિ,૩૧૫ | ઉપાય ઊંધો પડયો. ૩૨૮ ગ્રંથસ્પત્તિ વિભાગ. ૩૧૫ ઘરબહારથી ચાલી નીકળ્યો. ૨૮ એમાંની શાશક્યતા પર વિચાર. ૩૧૫ | ઉઘાડાદ્વારે પહોંચ્યો મને તો એ વિભાગ “બોધક” યોગ્યતાનાં અનુમાન. ૩૨૯ લાગે છે. શ્રુતજ્ઞાનનો ઉપયોગ. ૩૨૯ ૩. પ્રભાવક ચરિત્ર-સિર્ષિ દીર્ધદષ્ટિ-સીધી વાત. ૩૨૯ પ્રબંધ, ૩૧૬ દીક્ષાપાલનની મુશ્કેલી. સદર ગ્રંથનો ચૌદમે પ્રબંધ. ૩૧૬ પિતાને ખબર આપી. ૩૩૦ અન્યત્ર છાપો છે તેને ઉલ્લેખ. ૩૧૬ | શુભંકર શેઠનું ઊંચું મન ૩૩૧ એ ગ્રંથ સં. ૧૩૩૪માં બનેલ છે. ૩૧૭ | ગુરુમંદિરે પિતા (મંત્રી) ૩૨૭ ૩૩૦ 0 ૩૩ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૩૩૨ ૩૪૧ ૩૩૨ ૩૪૨ પુત્ર માતાની આજ્ઞાને વળગી રહ્યો.૩૩૨ | પ્રતિજ્ઞાપાલન, ગુરુને ચરણે. ૩૪૦ કુશળ મંત્રી સમજી ગયા. પાટ ઉપરથી ઊતરા–' આધાત. ૩૪૧ પુત્રને દીક્ષા આપવા વિજ્ઞપ્તિ કરી. ૩૩૨ | લલિતવિસ્તરાને પ્રયાગ. દીક્ષા. દિગ્ધ. ઉપદેશમાળા ટીકા. સિદ્ધ્કૃતિ. ૩૩૩ ઉપમિતિ ગ્રંથલેખન-પ્રસંગ. દાક્ષિણ્યચિહ્ન સાથે વિનેદ. દાક્ષિણ્યચિહ્નના સમય. કુવલયમાળાના લેખક, ૩૩૩ ૩૩૩ ૩૩૪ ૩૩૫ ૩૩૫ ૩૩ ૩૩ ૩૩૮ ૩૩૯ | ગ૰પતિ શ્રી સિદ્ધÉિ. અન્નેના સંબધની અશકયતા. વિશેષ અભ્યાસની તાલાવેલી. ગુરુ શિષ્ય વચ્ચે વાતચીત. ગુરુની ગ્લાનિ, લીધેલુ વચન. છટયા પશુ વચન પાળ્યુ. રજોહરણુ પાછું આપવા આવ્યા. ૩૪૦ કુવલયમાળા કથાના વિષય, કુવલયમાળા–સમરાઇä કહા. બન્ને આદર્શો લેખક સામે હતા. સમરાસ્થ્યમાં ક્રમિક વિકાસ. એના મુખ્ય પાત્ર એ જીવે. કુવલયમાં કષાયપરિચય. સિદ્ધષિ એ સમસ્ત સંસાર લીધા. મેાહરાજાને ખૂબ અપનાવ્યો. VI સંસ્કારની જાગૃતિ. ૩૪૩ ગ્રંથવાંચનથી મહા ઉપકાર. કયા વિભાગ વાંચનથી લાભ થયા ? ૩૪૪ ૩૪૪ ૩૪૬ તે કહેવાની મુશ્કેલી. ઉપમિતિમાં તેનાં એ અવતરણા. ૩૪૫ અકલ્યાણ મિત્રને ત્યાગ. આગ લાગેલા ધરરૂપ સંસાર. ૩૪૬ ગ્રંથરચના પ્રથમ કે બૌદ્ધોને ત્યાં જવાનું પ્રથમ ધાટ ખેસતા નથી. ૩૪૮ ગુરુમેળાપ અને સસ્થિતિ. ૩૪૯ ૩૫૦ વિભાગ ૬ શ. દાક્ષિણ્યચંદ્ર અને સિદ્ધિ પૃ. ૩૫૧ થી ૩૫૮ ૩૫૧ | સિદ્ધિ એ મનુજગતિ આખી ૩પર | ચીતરી. ૩પર | ઉદ્યોતનસૂરિની પ્રશસ્તિ. ૩૫૩ પ્રશસ્તિના કલિતા, ૩૫૩ | ઉદ્યોતનરના સમય, ૩૧૩ શક સંવત ૭૦૦ માં ૩૫૩ દિન કમ. ૩૫૩ | વિચારણાનું પરિણામ. . એક ૩૫૩ ૩૫૪ ૩૫૬ ૩૫૭ ૩૫૦ ૩૧૮ Page #34 -------------------------------------------------------------------------- ________________ કર VII વિભાગ સાતમા. શ્રી હરિભદ્રસૂરિ અને સિિ પૃ. ૩૫૯ થી ૩૮૫ ડા, જેકાી સાથે પત્રવ્યવહાર. ૩૫૯ | એમ ધડ બેસાડવાનાં કારણો. ૩૭૭ (૪)ન્યાય પરિભાષાવાળી દલીલ. ૩૭૮ એના સંબંધમાં શેાધખાળ. ૩૭૮ એને ફલિતા. ૩૭૮ હરિભદ્ર સમયનિર્ણયના સાધનો. ૩૬૦ શ્રી જિનવિજયના લેખ, ૩૬૦ પ્રો. પીટરસનને ઉલ્લેખ. ગણતરીમાં સે। વર્ષની ભૂલ. મેસ્તુગની વિચારશ્રેણિ. ૫૮૫ની શાલના તેમાંના ઉલ્લેખ. ૩૬૨ રિભદ્ર સમય સબંધી ઉલ્લેખા. ૩૬૪ ૩૬૦ ૩૬૧ ( ૫ ) દિત્ર ચૂર્ણિ, જિન ૩૬૨ હરિભદ્ર ( ૧ ) પ્રભાવક ચરિત્ર. ( ૨ ) વિચારસારસંગ્રહે. (૩) ચતુર્વિ શતિ પ્રબંધ. (૪) પ્રકીણું ઉલ્લેખા. ચૌદમી સદીને સમયનિ ય. તે સ્વીકારવામાં વાંધાઓ (૧) અનાગતવાળા શ્લોક, એના ચાર વિકલ્પ અર્થા. (૨)તે જ શ્લાકના ખીજા શબ્દો, (૩) પ્રથમ પ્રસ્તાવના લેખકુના શબ્દો. ધમ ખેાધકર અને સિિ અન્ને સમકાલીન નહિ. - કાલવ્યવહિત ’ શબ્દ શું બતાવે છે? ૩૭૬ ‘ વિશેષજ્ઞાન ’ શબ્દોથી ગૂંચવણુ, ૩૭૭ વિશેષજ્ઞાની અને વિશિષ્ટ શ્રુતજ્ઞાની. ૩૭૭ ૩૬૪ ૩૬૫ ૩૬૭ ૩૬૯ ૩૭૧ ૩૭૨ ૩૭ર ૩૭૨ ૩૭૪ ૩૭૫ ૩૭૬ ૩૭૬ દાસ મહત્તર. ૩૦૮ તેનેા સમય શક ૫૯૮ : વિ. ૭૩૩,૩૭૯ | તેનુ ટાંચણુ હારિભદ્દોય નંદી ટીકામાં. એટલે સ. ૫૮૫ તો કાષ્ટ રીતે શકય નથી. હરિભદ્રસમયનિણ ય વિશેષ સમુચ્ચય. સદર વ્યાકરણના સમય વિ૦ સ. ૭૦૬ ૩૭૯ સાધના. ૩૭૯ ( ૮ ) ભતૃહિર વૈયાકરણ. ૩૮૦ અનેકાંતજયપતાકા, શાસ્ત્રવાર્તા ૩૭૯ ૩૮૦ ૩૮૦ ૩૮૦ (b) કુમારીલ મીમાંસક. : શાસ્ત્રાવાર્તામાં તેની આલાચના. ૩૮૦ કુમારીય સમય : આઠમીની શરૂઆત. એટલે આઠમી પહેલાં હિરભ૬સૂરિના સમય ન હોય. ૩૮૧ ( ૦) બૌદ્દાચાય ધર્મ પાળ, ૩૮૧ એ ઇ. સ. ૬૩૫ માંનિવ્રુત્ત હતા. ૩૮૧ ૩૮૧ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ૩૮૬ ૩૮૭ એનાં ટાંચણ અનેકાંત, પતાકામાં. એટલે વિ. સં. ૭૫૬ થી ૮૨૬ ૩૮૩ એટલે વિ૦ ૬૯૧ પહેલાં તે | સિદ્ધષિ સમયનિર્ણય, ૩૮૪ હોઈ ન શકે. ૩૮૧ | વિ. સં. ૯૬૨. ૩૮૪ (d) મહામતિ ધર્મકીર્તિ૩૮૧ | એટલે હરિભદ્રસિદ્ધ િવચ્ચે અનેકાંત અને શાસ્ત્રવાર્તામાં. ૩૮૧ | આંતર સે વર્ષ રહે. ૩૮૪ ઈસીંગના સમયમાં જાણીતા. ૩૮૨ | હી.અ. શાહના મતે ગુપ્ત સંવત્સર.૩૮૫ એટલે સાતમી સદીના પૂર્વાર્ધ પહેલાં | ગણતરીનાં કારણો, ૩૮૫ હરિભદ્રને સમય સંભવે નહિ. ૩૮૨ ! એ પ્રમાણે ૫૮પને ગુપ્ત ગણુએ. ૩૮૫ () કુમારીલ. ધર્મ પાળ. ધર્મ તે સર્વ વિરોધ શમી જાય છે. ૩૮પ કીર્તિ. ૩૮૨ | પૂરવણી. દાક્ષિણ્યચિહ્ન અને ઉપલબ્ધ સાધનોથી હરિભદ્ર સિદ્ધર્ષિ. સમયનિર્ણય, ૩૮૨ ઉપદેશમાળા ટીકા. ઉપરનાં સાધનોનું સમુચ્ચયી- ત્યાં પણ હરિભદ્રને નમસ્કાર. ૩૮૭ ૩૮૨ | ટીકાનું નામ. પાદેયા. ૩૮૮ નિર્ણય. ઈ. સ. ૭૦૦ થી ૭૭૦ ૩૮૩ ' કૃતિ પર ચર્ચા અને વિવેચન. ૩૮૮ VIII વિભાગ ૮ મે. ગ્રંથકારનો સમય. દશમી શતાબ્દિ દશમી શતાબ્દિ. ૩૮૯ ગ્રંથ લેખન વખતે ચામુંડરાજ. ૩૯૫ ભિન્નમાળ ગુજરાતે. ૩૮૯! એ સદીની સાંસારિક સ્થિતિ. ૩૯૬ (બાહ્ય સાધન.) એ યુગની રાજવ્યવસ્થા. ૩૯૭ ચૈત્યવાસનું જોર ૩૮૯ ઓઝા-રાજપૂતાનેકા ઈતિહાસ. ૩૯૭ પ્રભાવક ચરિત્ર. ૧૯મો પ્રબંધ. ૩૯૦ રાજ્યપ્રબંધ-યુદ્ધપ્રણાલિકા. ૩૯૮ સદરની પ્રસ્તાવનામાં કલ્યાણ વિ. ૩૯૦ | આઠ કૌસલ. ૩૯૮ ચૈત્યવાસનું સ્વરૂપ. ૩૯૧ને તેમનાં નામ અને કાર્ય. આ સદીનું રાજકીય વાતાવરણ. ૩૯૨ | સેના અને યુદ્ધ સંબંધી સ્થિતિ, ૪૦૦ ગુજરાતના રાજ્યમાં જૈનોનું ચતુરંગિણી સેના. ૪૦૦ ૩૯૨ લશ્કરનાં આયુધો. ૪૦૧ ચાવડા વંશ અને પાટણ. ૩૯૨ યુદ્ધના નિયમે. ૪૦૨ ઐતિહાસિક જૈન કૃતિઓ. ૩૯૩ | હ્યુએનત્સંગનું રાજવર્ણન. સ્થાન. ૪૦૨ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ૪૨૫ પરદેશી મુસાફરની નજરે. ૪૦૩ | માથું સુંધવાનો રિવાજ. રાજ્યોને અંદર અંદરનો સંબંધ. ૪૦૪ [ કપડાંને ખીસાં નહોતાં. ૪૨૧ એ યુગમાં સ્ત્રીઓનું સ્થાન. ૪૦૪ તિષ સંબધી માન્યતા. ૨૨ સ્વદેશભક્તિ અને સ્વામી ધર્મ. ૪૦૫ | લગ્નવિધિ. ક્ષત્રિયોની પડતીનાં કારણે. ૪૦૬ ૪. લેકેનું સમૂહવર્તન કરવું (ગ્રંથમાંથી તારણ.) ૪૦૭ વસંતઋતુમાં નગર બહાર. ૪૨૩ ૧. યુદ્ધની ભૂમિકા ४०७ નાચવું, કૂદવું, અવાજો વિ. ૪૨૪ રાજનીતિ. ગુણ. અંગ. શક્તિ. ૪૦૮ આગ વખતની દોડાદોડી. ૪૨૫ સધ મંત્રીની સલાહ. ૪૦૯ ગામગપાટા. યુદ્ધના પ્રસંગોને ઉલેખ. ૪૧૦ | વિવિધ પ્રકારની જનતા, ૪૨૬ હથિયારનો નામનિર્દેશ. ૪૧૧ | છ પ્રકારના પુરુષોનું વર્ણન. ૨૬ બાતમીદાર. સેનાનાયક. ૪૧૨ ૫, તે સમયની કેટલીક યુદ્ધ વખતે ઘવાટ. ૪૧૨ માન્યતાઓ ૪૨૮ ૨. સાંસારિક રિવાજે, ૪૧૨ મીઠું ખાવાથી ઘડપણ. ૪૨૮ અનેક સ્ત્રીને રિવાજ. ૪૧૩ | પુ–સ્ત્રીનાં અંગાદિલક્ષણજ્ઞાન. ૪૨૮ મહોત્સવ ઉજવવાની રીત. ૪૧૩ | પાદુકાજ્ઞાન. ૪૨૮ મિત્રને મેળાપ. ૪૧૪ | કેશુડાના ઝાડને ધનસંબંધ. ૪૨૮ પ્રયાણસમયની વિધિ. ૪૧૫ ૬નીતિ વ્યવહારના ખ્યાલ,૪૨૯ ચાંડાળને અસ્પૃશ્ય ગણતા. ૪૧૫ | સાધુતા અને ખળતા. ૪૨૯ પિતાને વંદન કરવાની રીતિ. ૪૧૬ | ચાર પ્રકારના મનુષ્યો. ४३० લગ્નમહોત્સવની રીતિ. ૪૧૬ ચંડાળ સ્ત્રી અસ્પૃશ્ય. ૪૩૧ મરણ પછીની સ્થિતિ. ૪૧૬ કેની સ્તુતિ ક્યારે કરવી ? ૪૩૧ ધનવાનના પુત્રો. લગ્નની વય. ૪૧૬ ! સુંદર સ્ત્રી અને એકાંત.. ૪૩૨ ૩, રિવાજો અને પ્રસંગો, ૪૧૭ | પરદેશ જતા પુત્રને ઉપદેશ. ૪૩૨ રિવાજોને પાર નથી. ૪૧૭ | સમાજવાદના વિચારે. ૪૩૩ ૪૧ વિષય અહીંતહીંથી લીધા છે. ૪૧૭ | ૭, સાંસારિક મનોરાજ્ય, ૪૩૩ પ્રત્યેકનું લિસ્ટ જરૂરી નથી. ૪૧૭ | સંસારસુખના ખ્યાલે. ૪૩૪ મુખ્ય રિવાજનું જ દર્શન. ૪૭ | ૮પુત્રપ્રાપ્તિ માટે તીવ્ર ઇચ્છા ૪૩૪ ચેરને ફાંસી, તે વખતનો દેખાવ, ૪૧૮ | એના જુદા જુદા પ્રસંગે ૪૩૪ આપઘાતની રીતે. ૪૧૯ તેના પર અંગુલીનિર્દેશ. ૪૩૫ ગુલામની પ્રથા. ૪૨૮ | ૯. રાજા-રાજ્ય-રાજસેવકદૂરના સમાચારનાં સાધન. ૪૨૦] રિયત, ૪૩૫ Page #37 -------------------------------------------------------------------------- ________________ ? ૩૫ ૪૪૮ ૧૪. દાસ-દાસીની સ્થિતિ. ૪૪૮ ૪૩૬ દાસીએ નિમકહલાલ હાય. ૪૩૬ | દાસીનું સમાજમાં સ્થાન. ૪૩૦ | ૧૫ તે યુગમાં સ્ત્રીઓનુ ૪૩૭ સ્થાન ૪૪૯ ૪૩૭ ૪૩૮ ૪૩૮ રાજસેવાના વિચિત્ર ખ્યાલા. ૪૩૫ રાજમદિરમાં પ્રવેશ માટે રજા. રાજ્યવિરુદ્ધ કાય અતિનિવ. ખાસ સેવક રાજવલ્લભ. રાજસભા સાંજના મળે. ગુનેગારને વગર તપાસે સજા. સજાના જુદા જુદા પ્રકારો. સલાહકાર કૌસીલની પદ્ધતિ, એકહથ્થુ સત્તાના દોર. ૪૩૯ ચારને દેહાંત દંડની સજા. સલાહકાર મંત્રીનું સ્થાન. ડાંડી પિટાવવાની જાહેરાત રીતિ.૪૩૯ લાસ્થિતિ જાણવા રાજાના પ્રયાસ. હતી. ૪૫૦ ૪૫૧ ૪૫૧ ૧૦ રાજનીતિ. ૪૫૫ ૪૫૬ ૪૫૬ સ્ત્રીવર્ગોના અભ્યાસ. પતિને નચાવનાર સ્ત્રી. | માતાની પુત્રસ’સ્કાર પર અસર ૪પર મેાજશેાખપ્રધાન સ્ત્રીઓ. ૪પર ૪૪૦ એક સ્ત્રીની હયાતીમાં બીજી. ૪૫૩ ૪૪૦ | પુરુષાની સહ સ્વાધીન વ્રુત્તિ. ૪૫૪ દૂતનું કાય અને ચાલાકી. ૪૪૦ દોષસમૂહેાના પુજ સ્ત્રીઓ. ૪૫૪ દીવાની મંત્રી અને લશ્કરી સલાહ. ૪૪૧ પતિપરાયણ સ્ત્રીભાવના. ૧૧ ધન અને ધનવાનાના ઢાર,૪૪૧ વેવિશાળ-પુત્રીઇચ્છા પિતાસંમતિ ૪૫૬ ભવાં ચઢાવી ખેઠેલા શેઠના મિજાજ૪૪૧ | સ્ત્રીસાદ ના ખ્યાલ, ધનવાન અને રાજવની તુમાખી.૪૪૨ દીકરીનું સમાજમાં સ્થાન. ધનવાનેાના વિચારતરગા. ૧૬. પ્રેમ કરવાના ધનપ્રાપ્તિ માટેનાં સાહસેા. ધન મેળવવાનાં સાધના. ગુરુ તરફ હસનારા બિનકા. ૧૨. ધનના હાલહવાલ ગણિકાના છંદમાં નાટિયા, ૪૪૫ ધનવાનને જુદા જુદા ભયેા. ૪૪૫ જમીનમાં ધન દાટવાનેા રિવાજ, ૪૪૬ ૧૩. તે સમયની ગરીબાઇ ૪૪૬ ભિખારીનું તાદ્દશ્ય વર્ણન. ૪૪૬ દરિદ્રતા લાવનાર ખાદ્ય કારણો. ૪૪૭ મુર્ખ્ખીવટ અને સમાજવાદ. વિવિધ ૪૪૫ | | | ૪૪૮ ૪૪૯ પડદાના રિવાજ લાગતા નથી. ૪૪૯ તે વખતે પણ્ડસ્ત્રીઓ હતી. કુળવધૂઓ હતી—છૂટી સ્ત્રી પણ ૪૫૦ ૪૩૮ ૪૩૯ ૪૪૩ ૪૪૩ પ્રકાશ. ૪૫૭ ૪૪૪ પ્રેમલગ્નની વિવિધ રીતિ ૪૫૭ ૪૫૭ ૪૫૭ ૪૫૮ ૪૪૪ | ચિત્રદર્શીનદ્વારા પ્રેમ. તારામૈત્રકથી પ્રેમ. સ્વયંવર મંડપના રિવાજ, ૧૭ દશમી સદીના વિલાસે ૪૫૮ ઇંદ્રિયભાગાના અનેક પ્રકાર. તેને તૃપ્ત કરવાની રીતિ. ઋતુવણુ ન. વિલાસ દૃષ્ટિએ. ૪૬૦ મદ્યપાનના ચાલુ રિવાજ, ૧૮. બાળકાનાં તાાા. ૪૬૧ ૪૫૮ ૪૫૯ ૪૬૦ Page #38 -------------------------------------------------------------------------- ________________ ४७७ ૪૭૭ તેફાની નિશાળીઓ. કદર | પાર્જિત દ્રવ્ય મેળવવાની વૃત્તિ,૪૭૩ ૧૯ રમતગમત, sports ૪૬૨ | ચામડાને વ્યાપાર-દરિયાની સફર.૪૭૩ વસંતે પાનગોષ્ટિ. ૪૬૨ વ્યાપારમાં નિમગ્નતા. ૪૭૪ અંગહાર” નામનો નાચ. ૪૬૩ | ૨૮, પરદેશગમન, ૪૭૪ ૨૦૦ જુવાનીના ચાળા, ૪૬૩ | ગમનનાં સાધનની અલ્પતા. ૪૭૪ કુટી પ્રાવેશિક રસાયણ. છતાં ગમનાવશ્યક્તાને સ્વીકાર.૪૭૪ તરુણપણના ચેનચાળા. ૪૬ ૩ તૈયારીની રીતિઓ. ૪૭૫ યુવાનીને તેર. ૪૬૪ | વહાણને અગત્યનું સ્થાન. ૪૭૫ ચૌવન વર્ણન. ૪૬૪ | ૨૯ વિજ્ઞાન, ૪૭૫ ૨૧, મહેસે. ૪૬૫ | આયુર્વેદ. શુકનશાસ્ત્ર. ૫ ઉજવવાના પ્રકારે. ૪૬૫ | આઠ પ્રકારનાં નિમિત્તે. ૪૭૫ અઠ્ઠાઈ મહોત્સવ. સ્વપ્નફળ. તિષ ४७६ લગ્નવખતને ઉત્સવ. શરીરલક્ષણ સર્વ સ્થળનિર્દેશ. ૪૭૬ ૨૨, મેલી વિદ્યા, ૪૬૬] ૩૦૦ કુટુંબપ્રેમ, ४७६ છ માસની આસેવના. ૪૬૬ | તેની રીતિ અને પ્રસગે. ગચૂર્ણથી શૂન્યતા. ૪૬૭ | વિવિધ પ્રસંગ-સ્થળનિર્દેશ. નિધાનપ્રાપ્તિ માટે વિદ્યા. ૪૬૭ ૩૧ સેજન્ય-દર્જન્યના ૨૩, શેક વખતે વર્તન. ૪૬૭ | ખ્યાલ, ४७८ તુરતના જન્મેલ પુત્રનું મરણ. ૪૬૭ | સજ્જનગુણદષ્ટાંત. ४७८ તે વખતની રડારોળનું વર્ણન. ૪૬૭ દુર્જનના દુર્ણને નિર્દેશ. ४७८ પત્નીમણે શેક-વર્ણન. ૪૬૮ ] સજજનતા-દુર્જનતાનું કાર્ય ૪૭૯ ૨૪, વ્યાધિ અને ઉપાય, ૪૬૮ એના નાના મોટા પ્રસંગો. ૪૭૯ વ્યાધિઓનાં નામે. ૩ર, નાટક, ४८० ઊંટવૈદાના પ્રસંગે. ૪૭૦ નાટકનાં સાજ અને પાત્ર. ૪૮૦ વાત, પિત્ત અને કફ. ૪૭૦ નાટકનાં પ્રસંગ, સ્થળ, દર્શન. ૪૮૦ ૨૫. દુર્વ્યસને, ૪૭૧ ૩૩ નગરરચના. ૪૮૧ તેનાં નામસ્થાનને નિર્દેશ. ૪૭૧ એની વિવિધતા. કિલ્લા. ૪૮૧ ૨૬, વ્યાપારના પ્રકારે ૪૭૧ ખાઈ. પિળ. સ્થાન. ૪૮૧ તે યુગના વ્યાપારો. ४७१ ૩૪ ગુહરચના, ૪૮૩ નામોનું નિદર્શન. ૪૭૧ પ્રાસાદ. પ્રસાધનશાળા. ૪૮૨ રહ, વ્યાપાર પદ્ધતિ, ૪૭૨ | હિમJહ. સમરહાઉસ. બજારે. શ્રેણી. કરીઆણાં. ૪૭૨ ) ૩૫, કળા, અભ્યાસ, ૪૮૨ ૪૮૩ Page #39 -------------------------------------------------------------------------- ________________ કળામણ માટે ચીવટ. આમ વર્ષ અભ્યાસારભ ગુસ્ને પુત્રનુ સાંપવુ. ગુને પગાર કે ફી નિç. કન્યાશિક્ષણુપ્રબંધને અભાવ. છતાં રાજકુંવરીઓ ભણતી. ચિત્રપટની કળા. ૩૬. યોગરાતિ માટે માન્યતા. rev સામાની ઇચ્છારાક્તિનું ધન, ૪૮૫ પરપુરપ્રવેશ. ૪૮૫ નેત્રાંનથી. આંતર રમ્ય. :૫ ૩૯. અર્થાતર ન્યાસ અને ઉપમાતા અભિસાંસ્કારિક કુવિકા. આસ્તિક તીથી એ. ૩૯. જૈનધર્મશાસનની સ્થિતિ. 3'9 તેના વિવિધ દાખલાઓ. ઉપમાનની વિવિધતા. ૩૮. તત્સમયના ધર્મામાન્યતા. see તેના વિસ્તૃત નામનિર્દેશ ભેદના છે પ્રકાનિર્દેશ. ધર્મ સંબંધી વિવિધ વિકલ્પો. ૬૮૯ છ દર્શનની માન્યતા-સ્થળદર્શન, ૮૮૯ બાહ્યસ્વરૂપા. ઢાંગ ધીંગા. દવાના પ્રસંગાની નેધા. ૮૯ v ૮ર ૪૮૩ ૪૮૩ ૪૮૪ x''l ૪૮૪ જૈન હૃદયની આંતર ભાવના. ૪૫ ૪૮: જૈનેતર તરફ ઉદાસીનભાવ, ૪૯ ver 7-9 e ve 1219 Y(9 ret ૪૯૨ શ્રાવકની ઘણી મોટી સંખ્યા. ૧૯૨ સાધર્મીવાત્સલ્યને માન. ૪૩ ઉપદેશ મ. ૪૯૩ ઉધાનમાં ગુસ્સોનિ. Yex જૈન ધર્મના સાર. ગચ્છાધિપતિ. ગબ્બાનુજ્ઞા. ૪૦. જૈનધર્મધર્મીઓની સ્થિતિ. 1 દીક્ષા દેવાની બાબતમાં, ઉપદેશ આપવાની રોલી. Y9 અસાધ્ય, કષ્ટસાધ્ય, સુસાધ્ધ, ૮૯૬ ઉપલકી વૈરાગ્યની સ્થિતિ, રૃક્ષ્ ‘ સદ્ગુદ્ધિના ' પાત્રની યોજના. ૪૯૮ દીક્ષામાં પ્રલાભન કે | લાલચ નડી. 1 ''' --+ ૪૯૨ ઉપાશ્રયમાં તથા ભુખ્તમાં ઉપદેશ. ૯૮ ગુગ્મહારાજ સભાને ખાલી પણ કરાવે. દીક્ષા અને અપ્રમાય ત્ર, દીક્ષા વખતે સસારીની દિલગીરી.૪૯૯ રાન્ત આચાય પામે જાન પર અમે. તિમા કાષ્ઠ ગત, ઉદ્યાનમાં કાણુ ધર્મરત અને સાધુતની યોગ્યતા ક્યારે 1 ૪૯૨ ગુરુ કે દૈવની નિઃ કુન્નારના 7-2 re re ૧૦૦ ગુરુ પાસે દંભ કરનાર પણ હતા. ૬૦૦ ૧૦૦ સાવ. શ્રુતવારી કલ્પના લગાવતા નટુાના. ૫૧ . દાતા પહેલાં પ્રાથમિક તૈયારીઓ, ૧૦૧ +9 આચાર્ય પૃથ્વીના મઢુત્સવ. ૫૧ શિથિલાચારી સાધુનું વર્તન, ૫૦૧ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૮ આચાર્ય અને પ્રવર્તિની પદકોને? ૫૦૧ | શિવમંદિરમાં બઠર ગુરુ. ૫૦૨ શ્રાવકનાં ઘરમાં “ધંધશાળા.” ૫૦૧ | મઠાધિપતિનો દર. ૫૦૩ બાળવય અને દીક્ષા. પ૦૨ | યોગવિદ્યાને દુરુપયેગ. ૫૦૩ વિચારની વિશાળતાના પ્રસંગે. ૫૦૨ | ધર્મને નામે ધાંધલ. ૫૦૪ ૪૧. ધર્મને નામે ઘેલછાએ, ૫૦૨ | અન્ય દર્શનીની ધર્મમાન્યતા. ૫૦૪ મઠમાંના ચઢો. ૫૦૨ | સર્વ પરિસ્થિતિનું સમુચ્ચયીકરણ ૫૦૪ ૫૦૫ ૫૦૯ ૫૧૬ અંતિમ વક્તવ્ય ભાષાવતરણનાં સ્થાનને અક્ષરાનુક્રમ ઉદ્યાનને અક્ષરાનુક્રમ પાત્રરૂપકાદિને અક્ષરાનુક્રમ આખા ગ્રંથને મહદ્ વિષયાનુક્રમ ગ્રંથસમાપ્તિ ૫૧૭ ૫૧૮ ૬૦૫ Page #41 -------------------------------------------------------------------------- ________________ Extracts from Prof. Harman Jacobi's Preface to Upamitibhava Prapancha Katha Upamitibhava Prapancha Katha is the first extensive and elaborate Allegory in Indian Literature; it precedes, by nearly two centuries, Křsạmiśpras famous play, the Prabhodbachandrodaya, which has ever since been regarded as a model of allegorical composition by a host of imitators. It is a narrative consisting of a series of birth-stories, i. e, the hero of all stories is the same person in different births. This is an old device common to Buddhists and Jainas; and it had been employed with great success by Haribhadra in constructing his Samaraichcha Kabā. In that work the history of two persons, of whom the one of bad character had conceived a most intense hatred of, and desire of revenge towards, an essentially good person, is followed up through nine of their births in which they again happen to be brought together. (P. XV.) From this bare outline of the plan of the Upmi. tibhava Prapancha Kathā it will be seen that it is the intention of the author to illustrate the Jaina religion, not however as a dogmatist but as a moralist. This same purpose serves several moral stories and lengthy sermons by saints inserted in proper places. Page #42 -------------------------------------------------------------------------- ________________ Every thing is of course in strict accordance with Jaina orthodoxy as might he expected from so eminent a Yati; but he is not a narrow-minded zealot. Though he does in no way spare the heterodox systems, still he is of a truly catholic spirit, especially in an admirable passage (p. 1220-7) where he eloquently declares that all truly religious men adore the same Supreme God, seek the same Law and strive after the same Highest Good, though they may use different words for expressing these true ideas. (P. XVII) 40 X X As a specimen of popular sanskrit style, as understood a thousand years ago, the Upamitibhava Prapancha Katha is of great interest, and it is worth while to notice some of the linguistic peace-liorities found in this work,... ...In this respect Siddharsi went further than most Jain writers, and he did so on purpose. For to him the subject matter, the moral truths he wanted to inpart to his reader, were of paramount importance, and everything else, style, and language, was subordinate to it. He likens his work to a wooden bowl, not to one of costlier materials, 'since it lacks high-flower words and ideas.' It is a proof of his original and independent spirit that he adopted his speech to the understanding of the general reader and employed idioms and words which no Pandit would ever have used in a sanskrit composition. (P. XX & XXI) X Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધાર્થ 6 - nurs= Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપમિતિ ભવપ્રપંચા કથા 'ઉપાડ્વાત ચાર અનુયાગ— જૈન શાસ્ત્રગ્રંથાના ચાર મેટા વિભાગ પાડવામાં આવ્યા છે. તે લક્ષ્યમાં રાખી એની ઉપયેાગિતા, એનુ સ્થાન, એની વર્તમાન સ્થિતિ અને એના અધિકારી સધી ખ્યાલ કરીએ. 6 આત્મા ( ૧ ) દ્રવ્યાનુયાગ—આમાં ષડ્વવ્ય સંબંધી વિચારણા આવે (૧) છે. દ્રવ્ય એટલે પૈસા નહિ પણ ચીજ. જેને નામ આપી શકાય એવી સર્વ ચીજો. મૂળ વસ્તુઓને ‘ દ્રવ્ય ’ કહેવામાં આવે છે. જેમકે વૈશેષિકા · પૃથ્વી, અપ્, તેજ, વાયુ, આકાશ, કાળ, દિગ્, અને મન ’ એ નવને ‘ દ્રવ્યા’ માને છે. જૈન શાસ્ત્રકારોએ દ્રવ્યની વ્યાખ્યા કરી છે તેમાં જીવ અને અજીવ પદાર્થોના સમાવેશ કર્યો છે. અજીવમાં પુગળ જેવા મૂત્ત દ્રવ્ય સાથે ગતિસહાયક ખળ ધ, સ્થિતિસહાયક બળ અધમના સમાવેશ કરી તેમાં Force ના પણ સમાવેશ કર્યો છે. કાળ અને આકાશ (Time & Space ) જેવા અમૃત્ત અને વિવિક્ત (Abstraet) પદાર્થોના પણ સમાવેશ અજીવમાં કર્યો છે. આવી રીતે સચરાચર અખિલ લેાક અલાકના સર્વ મૂત્ત અમૂત્ત પદાર્થના સમાવેશ ‘ દ્રવ્ય ’ની વિચારણામાં કર્યો છે. આત્મા છે, તે નિત્ય છે, કર્મનો કર્તા છે, તેનો ભાક્તા છે, આત્માના પરભવ છે, આત્મા કર્મ થી લેપાયલા હાય ત્યાં સુધી અને સંસાર છે, આત્મા કર્માંથી ઉપાયેાવડે મુક્ત થઈ શકે છે—એ સર્વ વિચારણા ‘ જીવ ’ દ્રવ્યને અંગે કરી:આત્માને અને કર્મના સખ ધ અને તેના અચળ કાયદાઓને પ્રખર વિચાર આ ‘દ્રવ્ય’ની વિચારણામાં ૧. ઉપાઘ્ધાતમાં ભાષાવતરણનાં પૃષ્ઠોના જ્યાં નિર્દેશ થાય ત્યાં પ્રથમ વિભાગમાં આવેલા પ્રસ્તાવ ૧-૨-૩ તે અંગે ખીજી આવૃત્તિના સમજવેા અને ખીજા ત્રીજા વિભાગમાં આવેલા બાકીના કુલ પ્રસ્તાવાને અગે પ્રથમાવૃત્તિના સમજવેા. ૧ Page #45 -------------------------------------------------------------------------- ________________ Page #46 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી સિદ્ધર્ષિ :: ઉપાદ્ઘાત ઃ × કરતાં આત્મા નવાં કમેનેિ કેવી રીતે મેળવે છે ? કઈ રીતે આવતાં અધ કરી શકે છે ? અને અગાઉ મેળવેલાં કમેને કેવી રીતે આત્માથી દૂર કરી શકે છે ? વિગેરે અનેક વિચારણા આ દ્રવ્યાનુયોગમાં કરવામાં આવેલ છે. આત્મા કર્મોવૃત્ત હેાય ત્યારે એની દશા કેવી હાય છે ? શામાટે હાય છે? અને એના વિકાસમાં પુરુષાર્થને કયું સ્થાન છે? અને તે કેમ પ્રાપ્તવ્ય છે ? વિગેરેની વૈજ્ઞાનિક વિચારણા આ અનુયોગમાં કરવામાં આવી છે. દ્રવ્યાનુયાગમાં માનસશાસ્ત્ર ( સાઇકાલેાજી ), તર્કશાસ્ત્ર( લેાજિક )ને પણ સમાવેશ થાય છે. એથીકસ( નીતિશાસ્ત્ર )ને કેટલેાક વિભાગ દ્રવ્યાનુયાગમાં આવે છે અને કેટલેાક વિભાગ ચરણકરણાનુયાગમાં આવે છે. જૈન સાહિત્યના એક સુંદર વિભાગ દ્રવ્યાનુયાગ ’ની વિચારણામાં આવી જાય છે અને એ વિભાગમાં નય પ્રમાણુના સિદ્ધાન્તા, કર્મના સિદ્ધાન્તા, સસભંગીની વ્યાખ્યાઓ, નિગેાદ અને મેાક્ષનું સ્વરૂપ અને આત્માના વિકાસના માર્ગોએ એની અન્ય દ નકારાથી સ્પષ્ટ જુદી પડે એવી પ્રવાહપદ્ધતિ છે. દ્રવ્યાનુયોગના ઉપયોગ આ ગ્રંથના લેખકે ( શ્રી સિદ્ધર્ષિં ગણિએ ) કેવી સુંદર માર્મિક હાર્દિક પદ્ધતિએ કર્યા છે તે વિચારતાં આ દ્રવ્યાનુયાગની વિશિષ્ટતા ખતાવવાના પ્રસંગે આગળ ઉપસ્થિત થશે. આ અનુયાગ જીવતા છે અને એના અભ્યાસીઓ અત્યારે પણ સારી સંખ્યામાં સુલભ્ય છે. 6 ( ૨ ) ગણિતાનુયાગ—આમાં જૈન દષ્ટિએ પૃથ્વીની રચના, ચાદ રાજલેાકની વ્યવસ્થા, વિમાનાનાં સ્થાના, નરકનાં પાથડા અને આંતરા, જ છૂટ્ટીપ, ભરતક્ષેત્ર, અઢીદ્વીપમાં મનુષ્યલાક વિગેરે વિશ્વવ્યવસ્થા( Cosmology )ના સમાવેશ થાય છે. ગણિતમાં સરવાળા આદમાકીથી માંડીને વર્ગમૂળ, ઘનમૂળ અને શીષ પ્રહેલિકા સુધીના અકાની ગણતરીઓ આવે છે. આગળનાં પ્રમાણા અને ક્ષેત્રની ગણતરી, પતાની ઊંચાઈ ને પહેાળાઈ, ચક્રવતીના ષ′′ડ સાધવાના ગમનાગમનના માર્ગો વિગેરે અનેક ખાખતા એ અનુયાગમાં આવે છે. એ અનુયાગ એકંદરે ઘણા શુષ્ક લાગે છે. તેને રસમય બનાવવાના પ્રયત્ન આ કાળમાં વૈજ્ઞાનિક પદ્ધતિએ કેાઈએ કા હાય એવું જાણવામાં નથી. એક જૈન ગણિતાનુયાગના દક્ષ–પ્રવિણ ( Expert ) સાથે મળવાનુ થતાં તેઓ એમ કહેતા હતા કે ભૂમિતિ Page #47 -------------------------------------------------------------------------- ________________ ચાર અનુયાગ ] તેમજ બીજગણિતની અનેક રચનાનાં બીજ જૈન ગણિતમાં લભ્ય છે. એમણે મને સંશ્લેષ અને વિનિમય ( Permutations અને Combination)ની એવી સુ ંદર ગણતરીએ બતાવી હતી કે હું તા તેની વિગત સાંભળીને જ છક્ક થઈ ગયા. ક્ષેત્ર સબંધી ઉપરચાટીઆ જ્ઞાનને બાજુએ મૂકીએ તે જૈનના ગણિતાનુયાગ તદ્ન લુપ્ત ન થઈ ગયેા હાય અગર તેા થઇ જવાની અણી ઉપર હેાય તેમ દેખાય છે. એ સંબંધમાં કઈ અભ્યાસીનું લક્ષ્ય દેખાતુ નથી. (૩) ચરણકરણાનુયાગ—આમાં ચર્ચા અને ક્રિયાના સમાવેશ થાય છે. જૈન શાસ્ત્રગ્રંથાના એક મોટા ભાગ આ અનુયાગની વિચારણા કરે છે. ચારિત્ર એટલે Charaeter. એમાં ઘનાવૃત્ત સ્થિતિવાળા આત્માથી શરૂ કરીને એના વિકાસક્રમના માર્ગો બતાવતાં જ્યારથી એ અન્ય પુગળપરાવમાં આવે ત્યારથી એની દશા કેવી રીતે બદલાય છે ? એ એધસંજ્ઞા છેાડી ચેાગષ્ટિમાં કેવી રીતે આવે છે? ત્યાં એના ક્રમસર વિકાસ કેમ થાય છે ? એ માર્ગ પર આવતા જાય ત્યારે એમાં માર્ગાનુસારીના ગુણેા કેમ વધતા જાય છે ? તે ગુણેા કયા કયા છે ? પછી તે યથાપ્રવૃત્તિકરણ અને અપૂર્વકરણ કરી અનાદિ મેહગ્રંથીના કેવી રીતે ભેદ કરે છે ? જુઓ( નેટ પૃ. ૮૬–૮૮ પ્રથમ વિભાગ ) એને વેદ્ય–સંવેદ્ય પદ કેમ પ્રાપ્ત થાય છે ? સમિત એ શી ચીજ છે? આત્મવિકાસમાં એનું શું સ્થાન છે? દેશિવરિત પદ શું છે? એમાં દ્રવ્ય અને ભાવના ભેદ કેવા છે ? ચારિત્રમાં સર્વ વિરતિ કાણુ થઈ શકે છે? એની અપ્રમત્ત પ્રમત્તદશામાં શા તફાવત છે? એમાં દ્રવ્ય ભાવપણું કેવું હાય છે? ત્યાંથી પ્રગતિ કરતાં ક્ષીણમેાહ કેમ થાય છે ? મન-વચન-કાયાના યાગના આત્મવિકાસ સાથે કેવા સંબંધ છે? કષાયનુ અથવા આખા માહનીયક તુ સંસારમાં શું સ્થાન છે ? કૈવલ્યજ્ઞાન કેને અને ક્યારે મળે છે ? મુક્તિ શી ચીજ છે ? વિગેરે પ્રગતિ માર્ગ ના રસ્તાઓને અંગે આખા આત્મવિકાસક્રમ આ અનુયાગમાં અનેક રીતે ખતાા છે. એના પેટાભેદોના પાર નથી. કર્મ ગ્રહણ કરવાના માર્ગો, છેડવાનાં માર્ગો, નીતિ વિભાગ અને કર્મ સાહિત્ય આ અનુયાગ સાથે આડકતરી રીતે જોડાયલુ રહે છે. એમાં ક્રિયાવિભાગને અંગે દ્રવ્યક્રિયા અને ભાવક્રિયાનાં સૂત્રા જોડાયલાં રહે છે. એમાં આઠ, સત્તર, Page #48 -------------------------------------------------------------------------- ________________ || શ્રી સિહર્ષિ : ઉપધાતઃ એકવીશ, એક સો આઠ પ્રકારની જિનપૂજા, દેવદર્શન વિધિ, સામાયિકના પ્રકારે, છ આવશ્યક, પર્વદિને કરવાની વિશેષ ક્રિયાઓ, પ્રતિષ્ઠા વિધિ, ભજન વિધિ, પ્રત્યાખ્યાનના લાભ અને પ્રકારે, ગુરુવંદનની વિધિઓ અને લાભે વિગેરે આત્મવિકાસના અનેક ક્રિયામાગે બતાવવામાં આવે છે. શ્રાવકના બાર વતે, સાધુના પાંચ મહાવ્રતા, સંવરના માગે અને બાર પ્રકારના બાહ્ય અત્યંતર તપન વિધિ, પ્રકાર અને પરિણામે પર તેમાં વિચારણું આવે છે અને નિત્ય નૈમિત્તિક ક્રિયાના રસ્તા સવિસ્તર જણાવવામાં આવે છે. દ્રવ્યાનુયોગ અને આ ચરણકરણાનુયોગ તદ્દન વિવિક્ત-ભિન્ન છે, છતાં અરસ્પરસ જોડાયેલાં હેઈ કેટલીક વાર ઉપલક દષ્ટિએ ભેળસેળ થઈ ગયેલા લાગે છે, પણ સમાધાન નજરે જોઈએ તે પૃથક્કરણપૂર્વક બરાબર જુદા પાડી શકાય તેવી રીતે સંકળાયેલા દેખાય છે. અભ્યાસની નજરે દ્રવ્યાનુયોગની મહત્તા સાથે પ્રગતિને અંગે આ ચરણકરણનુગની મહત્તા એટલી જ છે અને જ્ઞાનક્રિયાનો સહભાવ સમાનભાવે દેખનાર અને ઉપદેશનાર બન્નેનું સાહચર્ય બહુ ઉપયોગી અને ખાસ જરૂરી પંગુ-અંધ ન્યાયે બતાવે છે. આ બાબતના અભ્યાસી અને ક્રિયા કરનાર મેટી સંખ્યામાં લભ્ય છેજે કે યોગનું જ્ઞાન સંપ્રદાયથી લુપ્તપ્રાય થઈ ગયું જણાય છે. (૪) ધર્મસ્થાનુયોગ–ચરિત્રો, કથાઓ, વાર્તાઓ, પ્રબંધ, જીવનચરિત્ર, રાસ-એને એક જુદે જ અનુયોગ છે. સાધારણ રીતે ધર્મની હકીકત શુષ્ક લાગે છે, પણ દાખલા દષ્ટાંત સાથે જ્યારે તેને બતાવવામાં આવે ત્યારે સર્વ જીવો પર તે બહુ અસર કરે છે અને બાળજી ઉપર તે તેના ઉપકારનો પાર રહેતે નથી. જેના કથા સાહિત્ય વિભાગ હિંદમાં મશહુર છે અને ચૂરેપીય ઓલરે પણ એની મુક્તક કે પ્રશંસા કરી રહ્યા છે. કથાસાહિત્યનો વિકાસ જેનોએ બહુ મોટા પાયા પર ક્યા છે. જ્ઞાતાધર્મકથાસૂત્રમાં પૂર્વે સાડાત્રણ ક્રોડ કથાઓ હતી એમ કહેવાય છે. અત્યારે જે કથાસાહિત્ય લભ્ય છે તે પણ ગેરવાન્વિત છે અને એની ખાસ ખૂબી એ છે કે તે નીતિની પિષણે માર્મિક રીતે કરે છે. છેલ્લા ત્રણ વર્ષમાં “રાસા નું સાહિત્ય ખૂબ વિસ્તાર પામ્યું તે આ કથાસાહિત્યની રસમયતા સમજી સમાજના લાભને અર્થે વિદ્વાનોએ Page #49 -------------------------------------------------------------------------- ________________ ચાર અનુયાગ કરેલ અભ્યાસના પરિણામ દર્શાવનાર પ્રયાસનું ફળ છે અને તે સર્વ પ્રકારે અધિકારીને લાભકારક નીવડે છે અને નીવડેલ છે. સંસ્કૃત ભાષામાં અનેક સુપ્રસિદ્ધ ચરિત્ર ગ્રંથે છે, પ્રાકૃતમાં એનો પાર નથી અને ગુજરાતીમાં ગદ્યપદ્ય બન્નેમાં સેંકડે-હજારે ચરિત્રો છે. મૂળ ગ્રંથના ટીકાકારોથી માંડીને સર્વ લેખક ધર્મકથાનુયાગની મહત્તા સ્વીકારતા આવ્યા છે અને તેટલા માટે દરરોજ વ્યાખ્યાનપ્રવચન થાય છે જેમાં સર્વ અધિકારીઓ સમજી શકે તે માટે પાછળના (ભાવના અધિકારમાં) વ્યાખ્યાનમાં એક રસભરી કથા વાંચવાને પ્રબંધ પ્રચલિત છે. આ ચાર અનુયોગમાં જૈનધર્મનાં કુલ સાહિત્યને સમાવેશ થાય છે. એ સર્વ અનુયોગની જરૂરીઆત અને ઉપયોગિતા આ ગ્રંથના કત્તા શ્રી સિદ્ધર્ષિગણિને જણાયેલી હતી અને એને એમણે કઈ રીતે ઉપયોગ કર્યો છે તે આપણે જોઈએ. કથા કહેવાની જેન પદ્ધતિ તદ્દન સ્વતંત્ર અને સચોટ છે એમ છે. હટલે અનેક રીતે સિદ્ધ કર્યું છે. ( જુઓ કૅન્ફરન્સ હેરલ્ડ. પુ. ૧૧. સાહિત્ય અંક જુલાઈ, ૧૯૧૫ પૃ. ૨૨૭. ) તેઓ કહે છે કે “દ્ધ ભિખુઓને અભ્યાસ અને સાહિત્ય રસ મધ્યકાળમાં ઉતરત જ ગયો અને આખરે ભારતવર્ષમાંથી ધર્મ અદશ્ય થઈ ગયો જ્યારે જેનો શાસ્ત્રના પૂર્ણ અભ્યાસથી અને સંસ્કૃત પ્રાકૃત ભાષા પરના અસાધારણ કાબૂથી પોતે જે સ્થાન વ્યાપારી વર્ગને કસાયલા વિભાગમાં અને ક્ષત્રિયોમાં પ્રાપ્ત કરી શક્યા હતા તેને ટકાવી શક્યા અને ઉત્તર પશ્ચિમના રાજાઓ ઉપર જે અસર નીપજાવી શક્યા હતા તેને જાળવી રાખી શક્યા અને તેથી અત્યારના વખત સુધી જેનો સારામાં સારા વાર્તા કહેનારા હતા અને રહી શક્યા તેમાં જરા પણ આશ્ચર્ય પામવા જેવું નથી. ” કથાસાહિત્યનું આ સ્થાન જૈન શાસ્ત્રગ્રંથમાં છે અને તે મહત્ત્વ જેનોના પૂર્વ પુરુષને જાણીતું હતું તેના શાસ્ત્રગ્રંથમાં અનેક પુરાવાઓ છે. બાળજીવન કથા સાથે સંબંધ તેઓ અનેક રીતે સુસ્પષ્ટ પણે કહેતા આવ્યા છે અને તેનું ઉપયોગીપણું સ્વીકારતા રહ્યા છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ It શ્રી સિહર્ષિ : ઉપધાતા કથાનુગની વિશિષ્ટતા ધર્મકથાનુયોગનું આ સ્થાન જૈન ત્રાષિ મુનિઓને સુવિદિત હાઈ એમણે કથાનુયોગને બહુ ઝળકાવ્યો છે. કથાની મારફતે દાખલા દષ્ટાન્તથી કહેવાનો મુદ્દે અસરકારક રીતે ઠસાવી શકાય છે તે વાતની સ્પષ્ટતા આગમન સમયથી જૈન ધર્મ ગ્રંથમાં સારી રીતે જાણીતી અને સ્વીકારાયેલી હોવાથી પ્રાકૃત ભાષામાં પણ અદ્ભુત કથાસંગ્રહ જોવામાં આવે છે. “ તરંગલોલા ”, “સમરાઈશ્ચકહા” અને ‘પઉમરિયમ ” એનાં જાણીતાં ઉદાહરણ છે. એ કથાઓ પ્રસિદ્ધ થયા પછી સાહિત્યરસિકોનું ધ્યાન જૈન કથાઓ તરફ સારી રીતે ખેંચાઈ રહ્યું છે. અમુક અનુયોગ વધારે ઉપયોગી છે કે ઓછો ઉપયોગી છે એમ કહી શકાય તેમ નથી. કિયારસિક છાને ચરણકરણનુયોગની ઉપયોગિતા વધારે લાગે, ત્યારે જ્ઞાનપિપાસાવાળા જિજ્ઞાસુને દ્રવ્યાનુયોગ વધારે ઉપયોગી જણાય. વિકાસક્રમમાં જે પ્રાણી જે સાધનધર્મો આદરે અને પિતાને ઉપકારક જાણે કે માને તેને અનુસારે તેને ચાર પૈકી અમુક અનુયોગ વધારે ઉપયોગી લાગે. ધર્મકથાનુયોગ એકંદરે એ સુંદર છે કે એ સર્વ પ્રકારના અધિકારીને બહુ લાભપ્રદ થઈ પડે. કથાને લેખક અથવા કથક કથારસિક અને અનુભવી હોય, લેખના જેમામાં મુદ્દા ચૂકનાર ન હોય, તે તે અંતરપટ ઉપર અસાધારણ અસર ઉપજાવી બહુ સુકોમળ રીતે પિતાનું કામ સાધી શકે છે, એના કાર્યક્ષેત્રમાં એને બહુ દલીલ કે ચર્ચાઓ કરવી પડતી નથી અને એ પિતાનું વક્તવ્ય એવી સરળતાથી દબાણ કર્યા વગર કે નિરસ થયા વગર કહી શકે છે કે એની સરખામણી અન્ય અનુયોગનાં લખાણે સાથે થઈ શકે નહિ. જ્યારે લેખક પિતાનું કાર્ય શુષ્ક થયા વગર સાધી શકતો હોય ત્યારે તેમાં એક અનેરી મજા આવે છે અને માનસશાસ્ત્રનો વિશુદ્ધ અભ્યાસી કથનકાર હોય તો તે આ ધોરણે શુષ્ક થયા વગર સુંદર પરિણામે નીપજાવી શકે છે. જૈન લેખકેએ કથાનુયોગની આ વિશિષ્ટતા જોઈ લીધી છે, સમજી લીધી છે અને તે હકીકતને તેમણે પૂરતો લાભ લીધે છે. અનુભવના ઉગારે, મહાન સત્ય અને સામાન્ય વિશેષ નીતિનાં સૂત્રને વિચાર Page #51 -------------------------------------------------------------------------- ________________ ૯ કથાનુયાગની વિશિષ્ટતા ] કથાદ્વારા તેમણે બહુ સારી રીતે કરી સમાજ ઉપર ભારે ઉપકાર કર્યા છે અને તેથી કથાસાહિત્ય આજે પણ ઘણા રસથી વંચાય છે. વિશિષ્ટતામાં વિશિષ્ટતા કથાનુયાગની આ વિશિષ્ટતા ચેાગ્ય છે અને તેના પૂરા લાભ જૈન સાહિત્યકારોએ લીધા છે, પણ તેમાં એક ખાસ વિશિષ્ટતા છે તે જરૂર લક્ષ્યમાં રાખવા યાગ્ય છે. જૈન લેખકા કલ્પિત કથા( Fietion )માં માનતા નથી, તેઓ મનથી ઉઠાવેલી વાતા કરવા ઈચ્છતા નથી, તેઓ જીવનચિરત્રાને ખૂબ બહલાવે છે. બનાવટી વાત વાંચતાં તે ખાટી કે ઊભી કરેલી છે એવા ખ્યાલ હાવાથી તે વાંચનારનાં મન ઉપર પૂરી અસર કરતી નથી આવી તેમની માન્યતા છે, તેથી તેઓ ગમે તે વાર્તા લખે તે ખનેલી જ લખે છે. પૂર્વપુરુષાથી સાંભળેલી અથવા શાસ્ત્રગ્રંથેામાં લખેલી વાર્તા હાય તને ભાષામાં દીપાવવા અને તેને આભૂષણા પહેરાવવામાં તેને વાંધા નથી, પણ આખી વાત તદ્ન નવીન ઊભી કરવાની પદ્ધતિ તેમણે સ્વીકારી હાય એમ જણાતુ નથી. ભાષામાં રાસેની રચના થઇ તેમાં પણ ક્રમ એ જ જણાય છે કે વાર્તાની અસલ વસ્તુ કાઇ પણ શાસ્ત્રગ્રંથમાંથી લેવામાં આવે અને તેને દીપાવવામાં આવે. શ્રીપાળરાજાના કે ચંદરાજાનેા કે ખીજા કાઇ પણ રાસ જોઇએ તેા તેની મૂળવસ્તુ નાના પાયા ઉપર શાસ્ત્રગ્રંથામાંથી મળી આવે, અને એમ છતાં એ દરેક ભાષાગ્રંથામાં કર્તાનુ વ્યક્તિત્વ, કવિત્વ અને વિશિષ્ટત્વ જરૂર આવે. એક વાર્તાને આગળ પાછળ એપ આપવામાં અને એના પર કવિતાની ધૂન લગાવવામાં વાંધેા નથી, પણ મૂળવસ્તુને કે વાતને વિરાધ ન આવે તેવી જ રીતે અને તેટલી જ છૂટ કવિએથી લઈ શકાય છે. આ સાર્વત્રિક નિયમને ખરાખર અમલ થયેા છે તે અનેક ગ્રંથાના પારચયથી સમજાય તેમ છે અને આ ગ્રંથના લેખકે તેના ભંગ કર્યા છતાં તે નિયમ ખરાબર જાળવ્યેા છે તે આગળ જોવાશે. ૧ આ ચરિત્રાને અંગે હકીકત છે. પંચતંત્ર જેવી વાતા તદ્દન જુદી કક્ષામાં આવે છે. તેને આ હકીકત સાથે સંબંધ નથી. એવી કથાએ નીતિ કથા કહેવાય છે. ત્યાં બનાવટથી વાર્તા કહેવાય છે, પણ તેમાં શ્રેતા અને વક્તા બન્ને તે વાતને નીતિના અમુક મુદ્દાના પાષક તરીકે જ સમજે છે, ર Page #52 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી સિદ્ધર્ષિ ઉપાઘાત ! કથાના પ્રકારે કથાનુગની વિશિષ્ટતા અને જેન કથાનુયોગની ખાસ વિશિષ્ટતા જાણ્યા પછી આપણે કથાના પ્રકારો જોઈ લઈએ. સામાન્ય રીતે કથાના ચાર પ્રકારો પાડવામાં આવે છે: ધર્મકથા, અર્થકથા, કામકથા અને સંકીર્ણકથા. અર્થકથામાં પૈસાની વાત આવે છે અને કામકથામાં ઇન્દ્રિયના વિષયભેગની અને ખાસ કરીને સ્ત્રી સંબંધી કથા આવે છે. આ બન્ને પ્રકારમાં જે કાંઈ ખાસ મુદ્દો ન હોય અને માત્ર વખત ગાળવા કે સંસારરસ જમાવવા પૂરતી જ કથા થતી હોય તો આત્મવિકાસની નજરે એ કથા ત્યાજ્ય ગણવામાં આવે છે. આ નજરે અત્યારના નોવેલો અને નવલિકાઓ કયા સ્થાનમાં આવે છે તે વિચારી લેવા જેવું છે. એમાં પણ કાંઈ અંતિમ સાધ્ય આત્મવિકાસને અંગે હોય તો દષ્ટિભેદે તેને અમુક અંશે સ્વીકાર પણ થઈ શકે. લેખકનો આશય અને વાંચનારના મન પર તે કેવી અસર ઉપજાવી શકશે તત્સંબંધી તેની પ્રભુતા પર આ દષ્ટિએ કથાનું સદસપણું નિર્ણિત થાય છે. કથાસાહિત્યના સંબંધમાં વિસ્તારથી વિચારે શ્રીહરિભદ્રસૂરિએ સમરાઈશ્ચકહા ની શરૂઆતમાં કર્યા છે તે ખાસ વિચારવા યોગ્ય છે. તેનો સાર નીચે પ્રમાણે છે – પૂર્વાચાર્યોના સંપ્રદાય (પ્રવાદ) પ્રમાણે કથાની વસ્તુ ત્રણ “પ્રકારની હોય છે. દિવ્ય, દિવ્યમાનુષ્ય અને માનુષ્ય. “દિવ્ય “વસ્તુમાં દેવતાનું ચરિત્ર વર્ણવવામાં આવે છે. “દિવ્યમાનુષ્યમાં દેવ અને મનુષ્ય બન્નેનું વર્ણન કરવામાં આવે છે. મનુષ્ય માં “માત્ર મનુષ્યોનું ચરિત્ર વર્ણવાય છે. કથા ચાર પ્રકારની હોય છે. અર્થકથા, કામકથા, ધર્મ“સ્થા અને સંકીર્ણકથા. પૈસા કેમ ઉપાર્જન કરવા–મેળવવા એની જેમાં વાતે આવે, “જેમાં અસિ, મણિ, કૃષિ, વાણિજ્ય (વ્યાપાર) અથવા શિલ્પની “હકીકતે આવે, જેમાં ધાતુવાદ વિગેરે મહાઆરંભની વાત આવે, જેમાં સામ, દામ, ભેદ, દંડ આદિ નીતિઓની વાત હોય તેને “ અર્થ કથા” કહેવામાં આવે છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ સ્થાના પ્રકારા ] ૧૧ '' “ જેમાં કામભાગની પ્રાપ્તિની વાતા હાય, જેમાં ચિત્ત, શરીર, વય, કળા અને દક્ષતાના વિચારે કરવામાં આવ્યા હાય, જેમાં અનુરાગ “ કેમ કરવા ? શરીરમાં રુંવાડાં ક્યારે ઊભા થાય ? સામણી કેમ કરાય ? જોગ કેમ મેળવાય ? વિગેરે વાતા હાય, જેમાં દૂતી મારફત “ સંદેશા કેમ મેકલવા ? આનંદના ભાવો કેમ બતાવવા ? વિગેરે “ ચેષ્ટાદિની વાતા આવતી હાય તેને કામકથા' કહેવામાં આવે છે. 66 '' “ જેમાં ધર્મના ઉપાદાનની વાતાની ચર્ચા હાય, ક્ષમા, નિર“ ભિમાનતા, સરળતા, નિભિપણુ, તપ, સંયમ, સત્ય, શાચ, “ નિષ્પરિગ્રઢુંપણું અને બ્રહ્મચર્યની વાતા હાય, જેમાં અવ્રત, “ દિશિપરિમાણુ, ભગાપભાગ પરમાણુ અને અનર્થ 'ડથી પાછા “ હુઠવાપણું. હાય, જેમાં સામાયિક, પૌષધાવાસ, ઉપભાગ–પરિ“ ભેાગના પિરમાણુનો સંક્ષેપ અને અતિથિસ વિભાગની વાતા હાય “ અને જેમાં અનુકંપા, અકામસકામનિર્જરા વિગેરેની ચર્ચા હાય “ તેને ‘ ધર્મકથા ' કહેવામાં આવે છે. " 66 “ જેમાં ધર્મ, અર્થ અને કામ–ત્રણે વર્ગ ના ઉપાદાનનો સંબંધ “ આવતા હાય, કાવ્ય કથા કે ગ્રંથાનો જેમાં વિસ્તાર હાય, જે લોકિક વેદ અથવા સમયમાં પ્રસિદ્ધ હોય અને જે કાઈ ખાખતના ઉદાહરણ તરીકે અપાતી હાય અને જેમાં હેતુ અને કારણ સમ“ જાતાં હોય તેને ‘સંકીણ કથા ’ કહેવામાં આવે છે. 66 હરિભદ્રસૂરિ મહારાજ સદર ગ્રંથમાં ત્યારપછી શ્રેાતાના અધમ, મધ્યમ અને ઉત્તમ એમ ત્રણ પ્રકાર પાડે છે. કથારચનામાં એ વિભાગ પણ ઉપયોગી છે અને આપણા લેખક શ્રી સિદ્ધષિગણુિએ એ વિષય પણ પેાતાના ઉપાધ્ધાતમાં ચર્ચ્યા છે તેથી તે પણ અત્ર પ્રસ્તુત ગણવામાં આવ્યો છે. શ્રીહરિભદ્રસૂરિ સમરાઇચ્ચકા શરૂ કરતાં કહે છે કે:~ “ ક્રોધ, માન, માયા અને લેાલથી ઘેરાયેલી બુદ્ધિવાળા, પરલેાક દ નથી પરામ્મુખ, આ ભવમાં જ સર્વ ખાખત પરમાર્થ સમજનારા, જીવા તરફ્ અનુકંપા વગરના અને તામસી પ્રકૃતિવાળા અધમ પુરુષા દુર્ગંતિમાં જવાની બીજભૂત અને સુગતિની દુશ્મન તથા પરમા ષ્ટિએ અનેક અનર્થાથી ભરેલી અસ્થામાં રસ લે છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી સિદ્ધર્ષિ :: ઉપેા બાત : tr શબ્દ વિગેરે વિષયરૂપ વિષમાં માહિત થઇ ગયેલા ભાવશત્રુરૂપ ઇંદ્રિયાને અનુકૂળ વર્ત નારા અને પરમાના માર્ગ ને નહિ સમજનારા, અમુક વસ્તુ સુંદર છે, અમુક વધારે સુંદર છે, એમ સુંદર અસુંદરમાં કોઇ જાતના નિશ્ચય પેાતાની બુદ્ધિથી નહિ કરનારા, રાજસી પ્રકૃતિવાળા મધ્યમ પુરુષા–સમજુ માણસાને ઉપહાસ કરવા ચેાગ્ય અને માત્ર વિડંબન કરાવે તેવી અને આ ભવમાં પણ માત્ર દુ:ખને જ વધારનારી કામકથામાં રસ લે છે. ૧૨ “ કાંઇક સુંદર લેાકેા જે ઉભય લેાક તરફ સાપેક્ષ દૃષ્ટિવાળા હાય છે, જેએ વ્યવહારકુશળ ગણાય છે, પરમાર્થ નજરે જેએ સાર વિજ્ઞાનથી રહિત હાય છે, જે ક્ષુદ્ર ભાગને માટા કરીને માનનારા નથી પણુ ઉદાર ભાગમાં વિશેષ તૃષ્ણારહિત છતાં તેને તજી શકતા નથી તેવા કાંઇક સાત્ત્વિક મધ્યમ પુરુષા ચાક્કસ આશય નજરમાં રાખી સુગતિ અને દુર્ગતિને માગે લઇ જનારી જીવલેાકના સ્વભાવ અને વિભાવ બન્નેને રજૂ કરનારી પણુ સકળરસના સારભૂત અને અનેક પ્રકારના ભાવાને જગાડનારી સંકીણુ કથામાં રસ લે છે. “ જે લેાકેા જન્મ, જરા, મરણુથી ઉત્પન્ન થતા દુઃખને સમજનારા હાઇ પરભવ તરફ ખરાખર નજર રાખનારા, કામભોગથી વિરક્ત રહી પાપના લેપથી લગભગ મુક્ત રહેનારા અને પરમપદના સ્વરૂપને સમજનારા હાઇ સિદ્ધિસ`પત્તિની નજીક આવી પહેાંચેલા હાય છે તે સાત્ત્વિક ઉત્તમ પુરુષા સ્વર્ગ અને મેાક્ષના માર્ગે વનારી અને તત્ત્વજ્ઞ ડાહ્યા માણસેાથી પ્રશંસા પામેલી સર્વ કથાઓમાં શ્રેષ્ઠ મહાપુરુષસેવિત ધમ કથામાં રસ લે છે. ” આ કથાસ્વરૂપ, વિભાગ અને શ્રોતાના પ્રકાર ખાસ લક્ષ્યમાં રાખવા જેવા છે. વિકથાના એક સ્થાનકે ચાર વિભાગ પાડ્યા છે: રાજકથા, દેશકથા, સ્ત્રીકથા અને ભાજનકથા. આપણે છાપાએ વાંચીએ તેમાં રાજકથા કે દેશકથા હાય છે, ચાલુ નવલા કે નવવિલકાઓ વાંચીએ તેમાં વિશેષત: સ્રીકથા હાય છે અને પ્રાકૃત મનુષ્યા બાજનની વાતે–તેના પ્રકાર–તેની તૈયારીની વાતમાં ખૂબ રસ લે ” અને ત સંબંધી વાતા કરે છે, તે ભાજનકથા કહેવાય છે. આ સર્વ વિકથા હાઇ કરવા યેાગ્ય નથી. અત્ર તે પર વિશેષ ઉલ્લેખ નહિ કરીએ, કારણ કે ઉપરની વ્યાખ્યા પ્રમાણે એ સ્વત: ત્યાજ્યના Page #55 -------------------------------------------------------------------------- ________________ કથાના પ્રકારે ]. ૧૩ વિભાગમાં આવી જાય છે. એનું વિશેષ વર્ણન શ્રાદ્ધદિનકૃત્યાદિકમાં છે. શ્રી સિદ્ધર્ષિગણિએ ચાલુ જમાનામાં લખાય તે પ્રકારનો ઉપઘાત લખતાં શરૂઆતમાં કર્તવ્યસૂચવન કરતાં ચાર વાત કરી છે. તજવા યોગ્યનો ત્યાગ કરે (હેય વિભાગ), કરવા યોગ્ય કરવું (કર્તવ્ય વિભાગ), પ્રશંસા કરવા યોગ્યનાં વખાણ કરવા (લાધ્ય વિભાગ) અને સાંભળવા ગ્યનું સાંભળવું (શ્રોતવ્ય વિભાગ). આ શ્રોતવ્ય વિભાગમાં કથાનુયેગને સમાવેશ કર્યો છે. (ભાષાં. પૃષ્ઠ ૩-૪) ત્યારપછી લગભગ શ્રી હરિભદ્રસૂરિ પ્રમાણે તેમણે કથાના ચાર વિભાગ પાડ્યા છે. તેમણે પણ મુખ્યત્વે કરીને તે “ધર્મકથા” કરવાનું જ કહ્યું છે પણ તેમણે સંકીર્ણકથાને કાંઈક સારું-કાંઈક ઊંચું સ્થાન આપ્યું હોય એ ભાવ નીકળે છે. એમણે પોતાની કથાને–આ ગ્રંથને “ધર્મકથા” કહી છે પણ સાથે એમણે જણાવી દીધું છે કે આ કથા કઈ કઈ સ્થાનકે સંકીર્ણ રૂપ લે છે ત્યાં તે ધર્મકથાના ગુણની અપેક્ષા રાખે છે. એમણે સ્પષ્ટ જણાવ્યું નથી છતાં આખા પુસ્તકનું બંધારણ જોતાં આ કથાને “સંકીર્ણ કથાની કક્ષામાં મૂકવામાં આવે તે મને વધારે યોગ્ય લાગે છે. એ રીતે “સમરાઈકહા” પણ એ જ કક્ષામાં મૂકવી જોઈએ એ મારે આધીન મત છે. સંકીર્ણકથા સંકીર્ણકથા કરવામાં તેમને આશય ઘણો વિશાળ છે તે આપણે બે સ્થાનકે બરાબર જોઈ શકીએ છીએ. તેઓ પોતાની પ્રસ્તાવનામાં જણાવે છે કે “સંસારરસિક મહાસક્ત મુગ્ધ પ્રાણીઓનાં મનમાં શરૂઆતમાં ધર્મ ભાયમાન થતું નથી–ઝળકતો નથી. તેના તરફ આકર્ષણ થતું નથી અને તેમ હોવાથી કામ અને અર્થ સંબંધી વાતો કરીને તેઓનાં મનનું આકર્ષણ કરી શકાય છે. આ રીતે વિક્ષેપઢારથી સંકીર્ણકથાને સત્કથા કહેવામાં આવે છે.” (ભા. પૃ-૭) આ તેમને અભિપ્રાય મનુષ્ય સ્વભાવના બારિક અવલોકનનું પરિણામ છે. પ્રથમ સાધુ સમીપે આવનાર પાસે એકદમ ધર્મની–ત્યાગનીસંવરની વાતો કરવામાં આવે તો તે કેટલીક વાર બીજે દિવસ ગુરુ પાસે આવતા અટકી જાય. એ વાત એમણે પ્રથમ પ્રસ્તાવમાં નિપુણ્યકના ચરિત્રમાં સ્પષ્ટ કરી છે. ત્યાં એ ગુરુમહારાજ પાસે આવનારના મનમાં કેવા કેવા ભાવો થાય છે તે બરાબર બતાવેલ છે. એના ઉપનય Page #56 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી સિહર્ષિ : ઉપધાત : વિભાગમાં પૃ. ૧૩૬ થી એમણે ભારે યુક્તિપૂર્વક મનુષ્યની માનસ સ્થિતિ (સાઈકેલેંજી) પર વિચારણા કરી છે. જ્યારે “અર્થ ની વાત ધર્મબંધકર કરે છે. અથવા “કામ”ની વાત કરે છે ત્યારે એને ભારે મજા આવે છે. પછી તત્ત્વજિજ્ઞાસા થાય છે ને ગુરુમહારાજ એની પાસે ધર્મ અને સમ્યક્ત્વ દર્શનનું સ્વરૂપ કહે છે તે એને ધીમે ધીમે રુચતું જાય છે. પ્રથમ પ્રસ્તાવને પૃષ્ઠ ૧૩૬–૧૪૯ સુધીનો આખો ૨૦ મે વિભાગ બહુ સારી રીતે માનસ પરિવર્તન ( હ્યુમન સાઈકલૈંજી)નો અભ્યાસ બતાવે છે. એમની ઉપદેશપદ્ધતિ સીધી નથી પણ આડકતરી છે. તે રીતે એક વાર આકર્ષણ થાય એટલે પ્રાણીમાં જિજ્ઞાસા વધે છે અને એ પ્રકારે આક્ષેપદ્વારથી સંકીર્ણકથાને પણ એને આશય લક્ષ્યમાં રાખીને સત્કથા કહેવી જોઈએ. તે રીતે આખા ગ્રંથની ઉપયોગિતા સિદ્ધ થાય છે. આ “આક્ષેપક” પદ્ધતિ છે. એમાં સીધી રીતે સમાધાન કરવાનું કાર્ય મુલ્લવી રાખવામાં આવે છે, પણ એના ઉપર લક્ષ બરાબર રાખવામાં આવે છે. તેના ઉપર ઉપકાર બુદ્ધિએ એક સૂત્ર લગાવવામાં આવ્યું છે કે “જે કોઈ પ્રકારે પ્રાણીને બોધ આપી શકાય તે પ્રકાર આદરીને તેને ઉપદેશ આપવાનો પ્રયત્ન હિતેચ્છુઓએ કરવા યોગ્ય છે.” (પૃષ્ઠ ૭ ભાષાંતર ) અને તે પદ્ધતિ પ્રમાણે સંકીર્ણકથાને સત્કથા કહેવામાં આવે છે. આ જમાનામાં સીધી વાત કરવાને કેટલાકને મત પડવા સંભવ છે. જે કહેવાનું હોય તે સીધું કહી દેવું, પછી શ્રોતાના પ્રારબ્ધ ઉપર આધાર રાખવે. એની સાથે જ્યારે સંસારની ગાઢતા, ઇંદ્રિયોનું જોર, અનાદિને અભ્યાસ અને પરભાવ રમણની ટેવ ઉપર વિચાર કરવામાં આવશે ત્યારે સમજાશે કે ઉપદેશ આપવાની બાબતમાં તો ઘણી સંભાળ રાખવાની જરૂર પડે છે. મુંબઈમાં વ્યાખ્યાન (પ્રવચન) વાંચતાં જે ગ્રંથ ઉપયોગી ગણાય તે વડોદરામાં ન ચાલે, મુંબઈની ધમાલવાળી જીવનસરણીમાં અમુક પ્રકારની શૈલીને ઉપદેશ વધારે સચેટ થાય છે અને ત્યાં સૂત્ર સિદ્ધાન્તનું તત્ત્વજ્ઞાનમય વાંચન એકંદરે શુષ્ક નીવડવાનો સંભવ વધારે રહે છે. એ વાતનો અનુભવ જેને છે તે સમજી શકશે કે દેશ કે સ્થળની અપેક્ષાએ પણ જેમ ઉપદેશપદ્ધતિમાં ફેરફાર કરવો પડે છે તેમ વ્યક્તિગત ઉપદેશમાં તો ખાસ ફેરફાર કરવો પડે છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ કથાના પ્રકારે ] ૧૫ એક દરે કથાસાહિત્યના ઉપાસકેાએ માત્ર ઉપકારની બુદ્ધિએ તેટલા માટે બહુ પ્રકારનાં સાધનોના ઉપયાગ કર્યા છે, છતાં પેાતાનુ લક્ષ્ય ચૂકવા નથી. સત્કથા લેખકના હેતુ આંતર જીવન સુધારવાના હાઇ એના અધિકારી જે રીતે સુધરી શકે, વિભાવ દશાના ત્યાગ થઈ સ્વભાવના આદર તેનાથી થાય તે માળે પેાતાની શક્તિ, પેાતાનુ જ્ઞાન, પેાતાની આવડત અને પેાતાના અભ્યાસ અનુસાર સવે એ પ્રયત્ન કર્યો છે. જૈન કથાકારે સાધ્ય નિરંતર લક્ષ્યમાં રાખ્યું છે તે તે તેમના આજીવન ત્યાગ અને ઉપકારબુદ્ધિથી સ્વીકારેલ કાર્યના પરિણામ રૂપે સમજી શકાય તેમ છે, પરંતુ એક બીજી વાત ખાસ લક્ષમાં રાખવા યાગ્ય છે તે એ છે કે એમના અભ્યાસ પણ આજીવન ચાલુ રહેલા હેાય છે. કથાસાહિત્યની ખીલવણીમાં તેમણે લાકિક દૃષ્ટાન્તા, લોકિક કહેવતા, લાકિક કથાઓ અને લૈકિક સંગીત કે છંદના પૂરતા ઉપયાગ હેતુને લક્ષ્યમાં રાખી કર્યાં છે. પરિણામે નીતિની અદ્ભુત પાષણા આપવા સાથે તેએ આખા વખત સમાજ સુધારણા અને ઉચ્ચ ગૃહસ્થ જીવનનાં આદર્શો અનેક પ્રકારે સમાજને આપી શક્યા છે. કથાઓ કેવી યુક્તિથી રચાઈ છે એ પર ઘણું કહી શકાય તેમ છે, પણ આ કથા તદ્ન વિલક્ષણ છે એટલે એ ઘણા આકર્ષક વિષય ખીજા કાઇ પ્રસંગ ઉપર મુલતવી રાખી હાલ કથા શાસ્ત્રરહસ્યની ચર્ચા કરી લઇએ. કથા શાસ્ત્રરહસ્ય જૈન થાકરાએ એક પણ કથા લેાકરજન કે મનેારંજન માટે કરી નથી. એમણે કાઈ મુદ્દો લક્ષ્યમાં રાખી કથા કહી છે અને આખી કથામાં તે મુદ્દો ચૂક્યા નથી. જૈન કથાકારાએ કથાના ઉપયેાગ દૃષ્ટાન્ત તરીકે કર્યો છે એટલે એક મૂળ મુદ્દો લઈને તેના જીવંત દાખલા કથાદ્વારા આપી તે સત્યનું સમર્થન કર્યું છે. એ સત્યસમર્થનમાં પણુ બનાવટી વાર્તા તેમણે માટે ભાગે કરી નથી. નવલ અથવા નવલિકાની પદ્ધતિ તેમણે કદી સ્વીકારી Page #58 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી સિદ્ધર્ષિ : ઉપધાત : નથી. પૂર્વ પુરુષના સંપ્રદાયથી ચાલ્યા આવેલા દાખલાઓને તેમણે કવિત્વમાં જેડી મલ્હાવ્યા છે, દીપાવ્યા છે, વધારે સ્પષ્ટ કર્યા છે. કવચિત્ મુખપરંપરાની વાત સાથે શાશ્વપ્રસિદ્ધ રચાયેલીલખાયેલી વાતાને પણ તેમણે ઉપગ કર્યો છે. સાધારણ રીતે વાર્તામાં પેટા વાર્તાઓ તેમણે સદર હેતુ લક્ષ્યમાં રાખી દાખલ કરી છે. ભાષા-બનતા સુધી તે વખતે પ્રચલિત લોક-ભાષા વાપરવાનો તેમણે ઉપયોગ રાખ્યો છે. આ બાબતમાં સકારણ તમણે ફેરફાર કર્યો છે તેમ કઈ કઈ વાર જોવામાં આવે છે, છતાં એવા ફેરફાર તેમણે કારણ વગર કર્યો નથી તે ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. આ કારણોને લઈને કથાસાહિત્ય જૈન દર્શનમાં પૂર્વકાળથી ઘણું માનવંતુ સ્થાન ભોગવે છે. જેના દર્શનની મહત્તા અને વિશિછતા તો એના દ્રવ્યાનુગ પર છે, એનું તત્વજ્ઞાન અને ખાસ કરીને એના નય નિક્ષેપના સિદ્ધાન્ત, એની સપ્તભંગી, એને કર્મવાદ, એની નિગદની પ્રતિપાદના અને એની આત્માની સિદ્ધિ એને બીજા દર્શનથી જુદા પાડે છે. એના સ્યાદ્વાદમાં રહેલા રહસ્ય અત્યારે પણ ખાસ વિચારણીય સ્થાન ભેગવે છે અને ન્યાય(Logic)ના આકરામાં આકરા વિમર્શ (Tests)ની સામે પણ ઊભું રહી શકે છે, ટકી શકે છે, છતાં એ વિશેષ કરીને વિદ્રોગ્ય છે. કથાસાહિત્ય સર્વગ્ય છે, જિજ્ઞાસુને એ ઈષ્ટ હકીક્ત સુંદર રીતે આપે છે, મધ્યમ પ્રવાહ પર રહેલા રહસ્યના ઊંડાણમાં ઉતરવાની તાકાત ન ધરાવનારને એ નીતિમાર્ગ પર રાખી ધર્મમાં સ્થિર કરે છે અને એ રીતે કથાનુગ ધર્મપ્રવૃત્તિ અને ધર્મસ્થિરતામાં અપૂર્વ સ્થાન ધારણ કરે છે. દર્શન સિદ્ધાન્તમાં મુખ્ય સ્થાન તો દ્રવ્યાનુયેગને જ મળે, પણ મનસ્થિરતામાં અને બાળ તથા મધ્યમ જીના ઉપકારની નજરે જોઈએ તો કથાસાહિત્ય વધારે ઉપયોગી થઈ પડવાનો સંભવ રહે છે. 1. ઉપમિતિ ભવપ્રપંચ કથા કથાનુગની એ વિશિષ્ટતા અને મહત્તા શ્રી સિદ્ધર્ષિગણિના લયમાં હોય એમ જણાય છે. એ આ ઉપઘાત વાંચતા સહજ Page #59 -------------------------------------------------------------------------- ________________ વિચારવાના મુદ્દાએઁ। ] ૧૭ પ્રતીત થશે. આ ગ્રંથને અંગે નીચેના મુદ્દા પ્રથમ વિચારીએ. નીચેના મુદ્દાઓ આખા ગ્રંથને સમુચ્ચયે અવલખીને લખ્યા છે. ૧. ગ્રંથ પ્રયાજન અને વિષય. ૨. ગ્રંથકર્તાની નમ્રતા. ૩. રૂપક મહાકથા. ૪. એના નામ ( અભિધાન) પર વિચારણા. ૫. કથાનુયાગના આશ્રય. ૬. ઉપમાનની માલિક પદ્ધતિ. ૭. નવીન શૈલીના ખચાવ. ૮. છતાં સાત્રિક નવીનતા. ૯. રૂપકકથાના કથક તરીકે અદ્ભુત કળા. ૧૦. સમસ્ત સ ંસ્કૃત સાહિત્યમાં તેમનું રૂપક કથાકાર તરીકેનું સ્થાન. ૧૧. સમાન ગ્રંથામાં તેમની શૈલીનું અનુકરણ. ૧૨. સરખામણી અને મુકાબલા. અ ંગ્રેજી ગ્રંથ. ૧૩. એ કાવ્ય ગ્રંથ છે. એમાં નવે રસની પાષણા છે. ૧૪. એમના ગ્રંથ એપીક ( Epic ) ગણાય ? ૧૫. એ તત્ત્વજ્ઞાનના કથા ગ્રંથ છે. ૧૬. એ જૈન શાસ્ત્ર શૈલીને ચીવટથી વળગી રહ્યા છે. આ મુદ્દા પર પ્રથમ વિચાર કરવાથી ગ્રંથની વિશિષ્ટતા ખરાખર ખ્યાલમાં આવશે. પછી આપણે ગ્રંથની ભાષાશૈલી પર, ભાષાની સાદાઈ છતાં સચાટતા પર અને ભાષાની મધુરતા–મીઠાશ પર વિચાર કરશું. પછી ગ્રંથકર્તાના જ્ઞાનની વિવિધતા પર વિચાર કરશું. છેવટે એમની પાત્રાલેખનની વિશિષ્ટ કળા પર, એમના વિશેષનામેાની રચના પર અને અંતે એમના જન્મચરિત્ર અને સમય આદિ ખાખતા પર વિચાર કરી આ ઉપાદ્ઘાત પૂરા કરશું. ઉપાઘાત બહુ વધારે પડતા માટેા લાગશે, પણ એમાં કોઈપણ ખામત નકામી નહીં આવે કે પુનરાવર્તન નહિ થાય અને છેવટે જણાશે કે આવા ૩ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૧૮ [ શ્રી સિદ્ધર્ષિ :: ઉપેદ્માત અપૂર્વ વિદ્વાનને ન્યાય આપવા માટે પૂરતું તેા લખાઈ શકાયું નથી જ. એમાં મૂળ ગ્રંથ લખનારની કળા એવી વિવિધ છે કે અને જેમ જેમ જુદા જુદા દષ્ટિકાણથી જોવામાં આવે છે તેમ તેમ આ વાત રહી ગઈ અને તે વાત રહી ગઈ અમજ લાગે છે. ધીરજથી આ ઉપાઘાત વાચવા વિજ્ઞપ્તિ છે. શરૂઆતમાં જણાવવું ચેાગ્ય ગણાશે કે આ ઉપાધ્ધાત અભ્યાસીની દૃષ્ટિથી અને અભ્યાસી માટે લખાયે છે તેથી ઉપરચાટીયું વાંચવાની ટેવવાળાએ આ ઉપાદ્ઘાત વાંચવાની તસ્દી લેવી યાગ્ય થઈ નહિ પડે. ૧. ગ્રંથ પ્રયાજન અને વિષય— આ મુદ્દા પર વિચાર કરવા માટે આ ગ્રંથ લખવાના મુદ્દો શે છે તે પર લેકના-ગ્રંથકાના કેંદ્રસ્થ વિચારે જોઈ લઈએ એટલે અને મુદ્દો સમજવામાં આવશે. કાઈ પણ જૈન લેખક માત્ર લખવા ખાતર કે જનમનર જન માટે કદી લખતા નથી એ નિશ્ચિત તત્ત્વ નિર ંતર લક્ષ્યમાં રાખવાનું છે અને તેની સાથે જરૂર કરતાં એક શબ્દ પણ વધારે લખતા નથી એ બીજી વાત લક્ષમાં રાખવાની છે. “ એક અક્ષર એ લખાય અને તેમ કરવાથી આશય સમજાવવામાં જરાપણું સ્ખલના થતી ન હેાય તા તને તેઓ પુત્રજન્મ સમાન લાભકારક ગણે છે.” અને તે હકીકત ગ્રંથને સહાનુભૂતિથી વાંચી લેખકના આશય અને એજસમાં ઉતરવા સાચા પ્રયત્ન કરીએ ત્યારે બરાબર બેસી જાય છે. અત્યારની લેખનપદ્ધતિથી તદ્ન જુદી જ રીતે પૂર્વ પુરુષા લખતા હતા અને લખવાને ખાતર કે આત્મખ્યાતિ માટે કદી લખતા નહિ. હવે જ્યારે સિદ્ધષિગણ જેએ આ ગ્રંથના લેખક છે અને જેએના સબંધમા વિસ્તારથી વિચાર તેઓના સમય, જીવનચર્યા આદિને અંગે આગળ ઉપર કરવાના છે ત્યારે તેઓને આ ગ્રંથ લખવાના હેતુ શેા છે એ પ્રથમ જોઈ લઈએ. એ સંબંધમાં તેઓ પોતે જ કેટલાક પ્રકાશ પાડે છે તેના સંક્ષિપ્ત સાર અહીં આપીએ. આખા પ્રથમ પ્રસ્તાવ ઉપેાઘાત રૂપે છે અને આધુનિક કાળમાં ( વીશમી સદીમાં ) જે રીતે ‘ આમુખ ’ અથવા ઉપાદ્ઘાત લખાય છે તે રીતે લખેલેા છે. એમાં ગ્રંથકર્તાએ પેાતાનું જ ચરિત્ર આપ્યું : Page #61 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ પ્રયાજન મૈં વિષય. ] ૧૯ છે. અનેક વ્યાધિયુક્ત ભિખારીને વેશે સુસ્થિત મહારાજાના મહેલમાં તેઓ દાખલ થાય છે, તેના વ્યાધિ એછા કરવા તેની આંખે વિમળાલોક અજનના પ્રયાગ કરી તેની શાંતિ માટે તત્ત્વ પ્રીતિકર પાણી તેને ધમ ધર રસોડાના અધિકારી રસવતી– પતિ પાય છે અને તેને મહાકલ્યાણક નામનું ખીરખાંડનું ભાજન ખવરાવે છે. આ અંજન, જળ અને ભાજનના તેને પ્રથમ અલ્પ પરિચય થાય છે, પછી તેના તરફ પ્રેમ વધે છે અને તેને સમજાય છે કે એ જ્ઞાન, દન અને ચારિત્ર છે. ધીમે ધીમે અનેક સમજાવટ પછી એ ભિખારી પેાતાનું ભિખ માંગવાનું ઠીકરું છેાડી દે છે અને અંજન, જળ અને ભાજનના વધારે ઉપયોગ કરે છે. આ સર્વ સ્થિતિ પ્રાપ્ત થતાં પહેલાં તે અનેક જાતની કલ્પનાજાળામાં ઘુ ચવાઈ જાય છે પણ ધર્મ ખેાધકરના પ્રયાસથી અને પ્રેમથી એ આખરે માર્ગ પર આવે છે અને પછી તા જનના, જળના અને ઈચ્છાપૂર્વક લેાજનના ખૂબ ઉપયાગ કરે છે. C ત્યારપછી એની સાથે · સત્બુદ્ધિ ' પરિચારિકા તરીકે જોડાય છે અને તેની સાથે વિચાર કરીને એ જેમ જેમ અંજન, જળ અને ભાજનના ઉપયોગ વધારે કરે છે તેમ તેમ તેના વ્યાધિઓ નાશ પામતા જાય છે. વ્યાધિનાશનું કારણ તે ખરાખર સમજ્યા એટલે એણે ત્યારપછી એક દિવસ સત્બુદ્ધિને પૂછ્યું કે પેાતાને એ અજન, જળ અને ભેાજન ભવિષ્યમાં ખૂબ મળ્યા કરે તેના ઉપાય શે?’ તેના જવાખમાં સદ્ગુદ્ધિએ જણાવ્યું કે જે વસ્તુનુ ખૂબ દાન કરીએ તે ભવિષ્યમાં સારી રીતે મળે ’( પૃષ્ઠ ૨૦૮ ). આથી તેણે નક્કી કર્યું કે હવે જે કાઇ પેાતાની પાસે આવશે તેને દાનમાં સદર ત્રણે ચીજો પાતે આપશે. એણે ઘણેા વખત રાહ જોઇ પણુ ખીજા દાન દેનારા વિશિષ્ટપદધારી મેાજીદ હાઇ તેની પાસે કાઇ દાન લેવા આવ્યું નહિ (પૃ. ૨૧૦). વળી તેણે સમુદ્ધિને પૂછ્યુ કે ‘ એમ થવાનું કારણ શું હશે ? અને પોતે દાન કઇ રીતે આપવું ? ’ એટલે સત્બુદ્ધિએ તેને જવાબ આપ્યા કે ‘ઘેર ઘેર જઇ ઘાષણાપૂર્વક જાહેર કરીને સદર ત્રણે વસ્તુનુ તેણે દાન આપવુ. ’ એક દરે તેમાં પણ તેને ત્તેહ ન મળી, કેમ કે કેાઇ સારા માણસે તેની પાસેથી એ વસ્તુ લેતા નહિ. હવે ગ્રંથકર્તાને તેા પરાપકાર જ કરવા હતા Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨૦ [ શ્રી સિદ્ધર્ષિ :: ઉપાશ્ચાત : ' અને તે દ્વારા પેાતાને મહાસ્વાર્થ સાધવા હતા એટલે તેણે ફ્રી વાર સદ્ગુદ્ધિને પૂછ્યું કે ‘ હવે મ્હારે પાતે શું કરવું ?' પછી તેને વિચાર સૂઝયા ( સદ્બુદ્ધિએ તેને વિચાર સૂઝાડ્યો ) તે નીચેના શબ્દોમાં તેમણે પોતે જ મતાન્યેા છે ( પૃ. ૨૧૩ ). “ પેાતાના ઉપદેશ તદ્ન મંદ બુદ્ધિવાળા પ્રાણીએ જ ગ્રહણ કરે છે એવી સ્થિતિ જોઇ ઉચ્ચ કાટીના પ્રાણીઓ ગ્રહણ કરે એવા અનુકૂળ કેવી રીતે થઇ શકે તે માટે આ પ્રાણી વિચાર કરે છે. વિચાર કરતાં અને સમુદ્ધિ સાથે અભિપ્રાય મેળવતાં આ પ્રાણીને આ પ્રમાણે રસ્તા સૂઝે છે: ‘હું સર્વ પ્રાણીઓને આવી રીતે ઉપદેશ આપુ છું તે સ લેાકેા લે એમ જણાતું નથી, કારણ કે તેઓ મારી જાત તરફ નજર કરે છે અને મારી ચેાગ્યતા જોયા કરે છે; માટે હવે હું એમ કરું કે આ ભગવાનના મતના સારભૂત જ્ઞાન, દર્શીન અને ચારિત્ર જે હું સર્વ લેાકેાને બતાવવા ઇચ્છું છું તેના જાવા ચેાગ્ય ( જ્ઞેય–જ્ઞાનના વિષય ), શ્રદ્ધા કરવા ચેાગ્ય ( શ્રદ્ધેય-દનના વિષય ) અને આદરવા અથવા આચરવા યેાગ્ય ( અનુòય–ચારિત્રના વિષય ) અની એક ગ્રંથના આકારમાં રચના કરું અને તેમાં વિષય અને વિષયીના અભેદ છે એમ બતાવી આપું. એવી વ્યવસ્થા એ ગ્રંથમાં કરીને તે ગ્રંથને આ જૈન શાસનમાં ભવ્યજીવા સમક્ષ ખુલ્લા મૂકી દઉં. આ પ્રમાણે કરવાથી તેમાં રહેલાં જ્ઞાનાદિ સર્વ જીવાને ગ્રહણ કરવા યેાગ્ય થશે. હું ગ્રંથ બનાવુ છું તે સને ઉપયાગી થાય તા બહુ સારું, પણ છેવટે સર્વ જીવામાંથી એક જીવને પણ તે ભાવપૂર્વક પરિણમશે તે મારા કરેલા સર્વ પ્રયત્ન સફળ થયા છે એમ હું માનીશ.' આ પ્રમાણે વિચાર કરીને યથાનામ તથા ગુણવાળી આ ઉપમિતિ ભવપ્રપંચા કથા કે જેમાં આખાં સંસારના પ્રપંચનું ઉપમાન કરવામાં આવ્યું છે તેની રચના કરી.” આ કારણે શ્રીસિષિણિએ આ ગ્રંથ લખ્યા છે. પેાતાના ઉપેદ્ઘાતમાં ( પ્રથમ પ્રસ્તાવમાં ) એમણે બહુ સારી વાત કરી દીધી છે. આ ગ્રંથમાં કયા વિષય કેવી રીતે ચચ્ચેચ્યું છે તેનું અત્ર દિગ્દર્શન કરાવી દીધુ છે અને તે કાર્ય તેમણે અત્યંત નમ્રભાવે કરી ખજાવ્યું છે. પ્રથમ અત્યંત સ ંસારઆસક્ત દશા, પછી પેાતાને જ્ઞાન, દર્શન, ચારિત્રની પ્રાપ્તિ, તે લેતાં પેાતાને થયેલા ક્ષેાભ, છેવટે Page #63 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકર્તાની નમ્રતા ] ૨૧ કરેલો સ્વીકાર, પછી અન્યને તે મોટા પ્રમાણમાં આપવાની આતુરતા, તે તેમની પાસેથી લેવામાં જનતાને થયેલો સંકેચ અને છેવટે તેને એક ગ્રંથમાં ભરીને તે જાહેર મૂકી દેવાની તૈયારી-એ સર્વ અતિ નવીન, અતિ માલિક, અતિ આશ્ચર્યકારક લાગે છે, પણ આ ગ્રંથના લેખકના ચરિત્રમાં જ એવી નવીનતાઓ છે કે તેની સાથે વિચાર કરતાં તેઓ આ રીતે દેરવાય એમાં કોઈ ખામીવાળું એમની નજરે લાગતું નથી. આ લંબાણ ટાંચણ ઉપરથી એક વાત ખાસ જોવામાં આવે છે અને તે આખા ગ્રંથમાં શોધતાં જડી આવે તેવી છે. તે એ છે કે એમના કહેવા પ્રમાણે એમણે આ ગ્રંથમાં શેય, શ્રદ્ધેય અને અનઠેય બાબતોનો સંગ્રહ કરી તેવા સંગ્રહરૂપ રચના કરી છે એટલે તદ્દન સાદી ભાષામાં કહીએ તો તેમણે આ ગ્રંથમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર ઠાંસીઠાંસીને ભર્યા છે. વાંચનાર જોઈ શકશે કે આ મુદ્દો તેમણે કેવી યુક્તિથી પાર પાડ્યો છે. આખા ગ્રંથમાં એ ત્રણે શબ્દોનાં નામ બહુ ઓછી જગ્યાએ આવશે, આખા ગ્રંથમાં શેય, શ્રદ્ધેય કે અનુદ્ધેયની વ્યાખ્યા પણ નહિ આવે અને છતાં આખા ગ્રંથમાં, એની પ્રત્યેક પંક્તિમાં એમણે જ્ઞાન, દર્શન, ચારિત્રની જ વાત કરી છે, એમની પદ્ધતિ જ વિલક્ષણ છે એટલે એમણે તદ્દન નવીન શેલી સ્વીકારી છે અને તે રીતે તેમણે નવીન માર્ગ ઉઘાડ્યો છે જે આગળ જોશું. અહીં તેમના શબ્દોમાં ગ્રંથને વિષય શો છે તે બતાવવા પ્રયત્ન કર્યો અને તેમના કહેવા પ્રમાણે ગ્રંથ લખવાનું પ્રયજન શું છે તેનું લેખક મહાશયની ભાષામાં પ્રતિપાદન કર્યું. ૨ ગ્રંથકર્તાની નમ્રતા – * અહીં ગ્રંથકર્તાને અંગે વાતો ખાસ કરીને આ ગ્રંથને અંગે વિચારતાં લેખકની નમ્રતા પર પણ સાથે જ વિચાર કરી લેવો યોગ્ય છે. અહીં ગ્રંથકર્તાના શબ્દમાં બે વાત વિચારવા યોગ્ય છે. ગ્રંથકર્તા પિતે પૃ. ૨૧૩ માં કહે છે કે “આ કથામાં ઊંચા પ્રકારના શબ્દાર્થ ન હોવાથી તે સુવર્ણપાત્રમાં મૂકેલી ન કહી શકાય, પરંતુ કાષ્ઠના વાસણમાં મૂકવા યોગ્ય ગણાય એવી તેની ઘટના કરી છે. તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ત્રણે ઔષધોને મારા સાધારણ શબ્દમાં બતાવવા મેં પ્રયત્ન કર્યો છે. મારી રચના સુવર્ણ કે રત્ન Page #64 -------------------------------------------------------------------------- ________________ |શ્રી સિદ્ધર્ષિક ઉપધાત પાત્રને યોગ્ય નથી, પણ કાષ્ટપાત્રને યોગ્ય છે, તે હું અત્ર સ્પષ્ટ રીતે જણાવી દઉં છું.” (પૃ. ૨૧૪) આ હકીક્ત બહુ મુદ્દાસર રીતે વિચારવા યોગ્ય છે. ગ્રંથકર્તાને દાવે એ નથી કે પોતાનો ગ્રંથ અસાધારણ પ્રકારનો છે અને તેટલા માટે તેને વાંચવો. તેઓ કહે છે કે એ કાંઈ રત્નપાત્ર કે સુવર્ણપાત્રમાં મૂકવાને ગ્ય નથી. પિતે તેને કાષ્ઠપાત્રમાં મૂકવા ગ્ય કહે છે. આ વાત તેમણે પૃ. ૪૬ માં વધારે સ્પષ્ટ કરી છે તે વિચારવા યોગ્ય છે સબુદ્ધિ મનમાં નિર્ણય કરીને બોલી કે સર્વ પ્રાણીઓ તારાં ઔષધે ગ્રહણ કરે તે એક જ ઉપાય છે અને તે એ છે કે જે રાજમાર્ગમાં લેકની આવજા બહુ થતી હોય ત્યાં લાકડાના વિશાળ પાત્રમાં આ ત્રણે ઔષધો મૂકીને પછી પોતાના મનમાં વિશ્વાસ રાખીને તારે દૂર બેસી રહેવું. તારું અગાઉનું દરિદ્વીપણું સંભારીને જે લેકે આ ઔષધે તારા હાથથી ગ્રહણ કરતા નથી તેમાંથી કઈ કઈ તેના અથ હશે તે ત્યાં કેઈને નહિ દેખવાથી પિતાની મેળે જ પાત્રમાંથી ઔષધો ગ્રહણ કરશે. તેમાંથી કઈ એકાદ ખરે ગુણવાનું પ્રાણુ તારું ઔષધ લેનાર નીકળી આવે તે તું તારી ગયે એમ હું માનું છું, કારણ કે કઈ જ્ઞાનમય પાત્ર આવશે, કે તપમય પાત્ર આવશે એમાંથી ગમે તે પાત્ર આવશે તે તને તારશે.” આ અવતરણમાં કાષ્ઠમય પાત્ર, લેખકનું દૂર બેસવું, રાજમાર્ગમાં ઔષધને મૂકી દેવા અને યંગ્ય પાત્ર આવી તેને ગ્રહણ કરે તેથી ૧ મૂળ ગ્રંથમાં નીચેના શબ્દપ્રયોગ આ માટે ગ્રંથકર્તા કરે છે. तदिदमवधार्यानेन जीवेनेयमुपमितिभवप्रपश्चानाम कथा यथार्थाभिधाना प्रकृष्टशब्दार्थविकलतया सुवर्णपाच्यादिव्यवच्छेदेन काष्ठपात्रीस्थानीयाभिहितज्ञानदर्शनचारित्रमेषजत्रयात्तथैव विधास्यते॥ પ્રકૃષ્ટ એટલે મુખ્ય વ્યવચ્છેદ એટલે કાપવું તે અને સુવર્ણપાત્રી એટલે સેનાનું વાસણ. એમ જણાય છે કે અગાઉ દવાઓ કાછપાત્રમાં રાખવામાં આવતી હશે. સુવર્ણપાત્રમાં મૂકવા યોગ્ય વાત તો સર્વજ્ઞ કહે અથવા શ્રુતકેવળી કહે એ ઊંડે ભાવ છે પણ “દવા” ભેષજનું રૂ૫ક લઈ તેમણે કમાલ કરી છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકર્તાની નમ્રતા. ] લેખકને થનારે લાભ-એ સર્વ વાત ખૂબ વિચારવા જેવી છે. કેવી વિશાળ દષ્ટિ અને નમ્ર ભાવનામાંથી આ વિચારધારા છૂટી હશે તે પર લખવાની જરૂર ન હોય. અત્યારે સાધારણ જેડકડાં કે વિષયાસક્ત સ્ત્રી પુરુષોની વાતો અવ્યવસ્થિત રીતે લખી ગમે તેમ છપાવી તેનાં સારાં અવેલેકને લેવરાવવાની જે આકાંક્ષા ચારે તરફ જોવામાં આવે છે અને નિર્માલ્ય લેખના લેખકે પોતે આપેલી જાહેર ખબરોમાં ભારોભાર વખાણ કરવામાં આવે છે તેની સાથે આ મહાભારત પ્રયાસ સાથે લેખકની નરમાશ-કુણાશ-ભવભીતા અને પ્રગતિ વિકાસની આકાંક્ષા સરખાવીએ ત્યારે અંદરથી આશ્ચર્યના ઉદ્ગાર નીકળ્યા વગર રહે તેમ નથી. મારું પુસ્તક રત્નપાત્રને યોગ્ય નથી, પણ કાષ્ઠપાત્રને એગ્ય છે એવી કલ્પના આધુનિક લેખકના મનમાં આવવી પણ મુશ્કેલ છે તે પછી એને એ પ્રમાણે મૂકવાની વાત તે કયાંથી થઈ શકે ? એક કલ્પના શક્ય છે કે પ્રશંસા મેળવવા ખાતર કેટલીક વાર ખાટી નમ્રતા બતાવાય છે. દુનિયાદારીનાં માણસના મનમાં આ કલ્પના ઉઠવી તદ્દન શક્ય છે, કારણ કે કેટલીક વાર અમારું પુસ્તક સાધારણ છે એમ કહી તે દ્વારા તે બહુ સુંદર છે એમ કહેવરાવવાની વૃત્તિ દેખાય છે. પિતાની નિંદા કે અલ્પતા તે કેટલી વાર પ્રશંસાનું આમત્રણ છે, પણ શ્રી સિદ્ધર્ષિગણિના સંબંધમાં એ મનેવિકાર સંભવતો નથી. જે પિતાના ચરિત્રમાં રૂપક તરીકે પોતાની જાતને નિપુણ્યકના નામે ઓળખાવે, એના શરીર પરના ભયંકર વ્યાધિ વર્ણવે અને પછી પિતાની આપવાની ઈચ્છા છતાં કોઈ લેનાર આવતું નથી તેથી પોતાનું નામ ગોપવી તે દ્વારા માત્ર ઉપકાર બુદ્ધિએ આ લેખ લખે તે દાંભિક નમ્રતાને યોગ્ય ન જ હોય. એમના હૃદયને વિકાસ અને એમની વિશાળતા અને સરળતા એટલી સ્પષ્ટ તરી આવે છે કે એ પ્રતિને લેખક દંભને પ્રગ કરે એ અશકય જ છે. એક બીજો મુદ્દો વિચારતાં એ વાત વધારે સ્પષ્ટ થાય છે. તેઓ કહે છે કે તેમના ઉપર ઉપકાર કરવા માટે તેમની ઉપર કૃપા કરીને આ ગ્રંથ વાંચવો. સાધારણ રીતે લેખકે દુનિયા ઉપર ઉપકાર કરવાના વિશાળ હેતુ તળે લેખ લખે છે કે રચના કરે છે. નિદાન Page #66 -------------------------------------------------------------------------- ________________ ૨૪ [ શ્રી સિદ્ધર્ષિ : ઉપઘાત ? તેઓને દા તો બહુધા એવા જ પ્રકારને હેય છે. આ ગ્રંથના લેખક કહે છે કે ધર્મબંધકર મંત્રીના પ્રતાપથી પિતાને અંજન, જળ અને ભેજન ખૂબ મળ્યાં છે અને પોતાની બુદ્ધિને પૂછતાં એમને એમ જણાયું છે કે જે વસ્તુ બીજાને ખૂબ આપવામાં આવે છે તે વારંવાર સારા જથ્થામાં મળ્યા કરે છે. પોતે અન્યને આપવા પ્રયાસ કર્યો, ઘેર ઘેર જઈ આપવા ઈચ્છા બતાવી પણ એનું પૂર્વનું દારિદ્રય સંભારી એના અથી “કઈ નીકળ્યા નહિ. છેવટે અજ્ઞાતસ્વરૂપે એક લાકડાની પેટીમાં ભરીને બજારમાં મૂકી દેવાને નિર્ણય તેમણે એટલા માટે કર્યો કે કાળ અનંત છે અને પૃથ્વી વિશાળ છે. કઈ પાત્ર એમની એ દાન આપવા ગ્ય ચીજોને ગ્રહણ કરશે તે તેથી પોતાને લાભ થશે.” આ ઈરાદાથી કાઝપાત્રમાં અંજન, જળ અને ભેજન ખૂબ ભરીને બજારમાં મૂક્યાં અને પિતા ઉપર ઉપકાર કરવા માટે સર્વને લેવા માટે તેઓશ્રીએ આમંત્રણ કર્યું. તેમ કરતાં એક બહુ મજાની વાત તેઓ કરી નાખે છે-કબૂલ કરે છે. તેઓ પોતે ભૂખ્યા છે, આથી છે, પ્રગતિવિકાસના ઈચ્છક છે; પણ પોતે જે જ્ઞાન, દર્શન, ચારિત્ર આપવાની ઉત્સુકતા બતાવે છે તે ત્રિકાળસિદ્ધ છે, મહાપુરુષના બતાવેલા છે અને અનુભવસિદ્ધ છે. વાચ્ય પદાર્થ પિતાનું કાર્ય જરૂર કરે છે, એમાં કહેનારના ગુણદોષની અપેક્ષા રહેતી નથી. એક ભૂખ્યા નેકર રસે બનાવી શેઠને પીરસે તે શેઠની ભૂખ તે ભાગે જ છે. ભેજનમાં ક્ષુધાદેષ નાશ કરવાની જે શક્તિ છે તે રસોઈ બનાવનાર કે પીરસનારના ક્ષુધાતુરપણુથી નાશ પામી જતી નથી. જેમ રચના કરનારમાં તે ગુણે પૂરતા વિકાસ પામ્યા હોય વા ન પામ્યા હોય તે પણ જે તે સિદ્ધ સર્વજ્ઞ વચન હોય તે એને લાભ જરૂર આપે છે. એટલા માટે તેમના ઉપર ઉપકાર કરવા–તેમને અંજન, જળ અને ભેજન વારંવાર મળ્યા કરે તેટલા માટે તેમના ઉપર કૃપા કરીને આ પુસ્તક લેકએ વાંચવું માત્ર વાંચવું નહિ પણ જીરવવું. એમને આગ્રહ વાંચન કે શ્રવણનો નથી એ ખાસ યાદ રાખવા જેવું છે. એમનો આગ્રહ આ પુસ્તકમાં ભરેલ જ્ઞાન, દર્શન, ચારિત્રને ગ્રહણ કરાવવાનો છે. જે અતિ ઉચ્ચ ભાવનાથી આ પુસ્તકની યોજના થઈ છે અને Page #67 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકર્તાની નમ્રતા. ] ગ્રંથકર્તાએ જે ઉચ્ચ કક્ષા પર એ ભાવનાને મૂકી છે તે મારા માનવા પ્રમાણે અદ્વિતીય છે. આવી વિશાળ દષ્ટિથી લખનાર લેખકની નમ્રતામાં દંભ હોય એ કઈ રીતે માનવામાં આવી શકતું નથી. એમને ગુરુકૃપાથી જ્ઞાન, દર્શન, ચારિત્ર મળ્યાં તે તેઓ તત્કાળ પરે પકારની નજરે અને પરંપરાએ પોતાના આત્મવિકાસના સાધનની નજરે–ઉત્કૃષ્ટ પ્રશસ્ત સ્વાર્થની નજરે તેઓ અન્યને આપવા ઈચ્છે છે. એ ભાવ એમની પ્રત્યેક પંક્તિમાં તરી આવે છે અને આ ઉપઘાત આખો જોઈ ગયા પછી એ વાત બરાબર બેસી જશે, જચી જશે એમ ચોક્કસ લાગે છે. અતિ નમ્રભાવે અને મહાઉપકારક દષ્ટિએ આ ગ્રંથ લખાયે છે અને તે નજરે જ તે વાંચવા યોગ્ય છે. તે પર છેવટે ઉલ્લેખ ફરી વાર કરવામાં આવશે. ઉપઘાતની શરૂઆતમાં પ્રસ્તાવનારૂપે સકારણ આ બાબતને નિર્દેશ કર્યો છે. સાથે એક વાત બીજી પણ કહેવા જેવી છે અને તે એ છે કે ગ્રંથકર્તા નમ્રભાવે ભલે પોતાના ગ્રંથને કાષ્ઠપાત્રમાં મૂકવા યોગ્ય કહે. આ ઉપઘાતમાં આપણે બતાવશું કે એ ગ્રંથ આખો સંસ્કૃત સાહિત્યમાં અદ્વિતીય બન્યો છે અને અદ્વિતીય જ રહ્યો છે. એ ખરેખર રત્નપાત્રમાં મૂકવા ગ્ય છે, એના દરેકે દરેક શબ્દ પચાવી રાખવા યોગ્ય છે અને અસાધારણ કૈશલ્યથી કાવ્યરૂપે લખાયલા છે. એ ચિરસ્મરણીય અદ્ભુત ગ્રંથની આ દિશાના સંબંધમાં જ્યાં ત્યાં આ ઉદ્યાતમાં ઘણું કહેવાનું પ્રાપ્ત થશે અને છેવટે તે મુદ્દા પર ભાર મૂકવામાં આવશે. ૩ રૂપક મહાકથા – એને આંગ્લ ભાષામાં Allegory કહે છે. જ્યારે આ ગ્રંથ અમુક અંતરને ઊંડે આશય રાખી કથારૂપે લખાયો હોય ત્યારે ઉપર ઉપરથી વાંચનારને તે માત્ર રસભરી વાર્તા રજૂ કરે છે પણ એના શબ્દ શબ્દમાં આશય હોય છે, હેતુ હોય છે, રહસ્ય હોય છે. આવા પ્રકારની અંદરના આશયવાળી કથાને “રૂપકકથા ” અથવા એલીગરી” કહેવામાં આવે છે. ઉપર ઉપરથી એનું બંધારણ જેતા એ કાં તો આખ્યાયિકા-અદ્ભુત કથા( રોમાન્સ)નું રૂપ લે Page #68 -------------------------------------------------------------------------- ________________ ૨૧ [ શ્રી સિદ્ધર્ષિં :: પાપાત ઃ છે અથવા નવલકથા( નાવલ )ના આકાર ધારણ કરે છે, પણ નવલ– કથા કે અદ્ભુત કથામાં વાતના પ્રવાહ ચાલ્યા જાય છે ત્યારે રૂપક કથામાં તે ભાવ માત્ર આગ ંતુક હાય છે, પણ પ્રત્યેક વાકયમાં અને કેટલીક વાર તા અના પ્રત્યેક શબ્દમાં ચમત્કાર ભરેલા હેાય છે. અને કાઇ કાઇ વાર તા તે એટલેા ઊંડા હાય છે કે પ્રથમ વખતના વાચનમાં વાર્તાના રસપ્રવાહમાં ઘસડાઈ જતાં એ પર ધ્યાન પણ રહેતુ નથી અને જ્યારે આખી વાત વહેંચાઇ રહે છે ત્યારે જ એના ખ્યાલ આવે છે, પણ પછી અનુ બીજી વાર વાંચન થાય ત્યારે એમાંથી રસના ઊંડા પ્રવાહ છલકાતા ઉછળે છે અને ત્યારપછીના પ્રત્યેક વાંચનમાં એ નવું નવું નહિ કલ્પેલું સત્ય રહસ્ય બતાવતી જાય છે. પ્રત્યેક વાચનમાં નૂતનતા અને વધારે વિચારણામાં અધિકતર માધુર્ય એ રૂપકકથાની મહાસિદ્ધિ છે. અસાધારણ શક્તિકળા અને સર્જકશક્તિ વગર રૂપકકથા લખવાનું કાર્ય કાઇપણ લેખક સફળ રીતે હાથ ધરી શકતા નથી. સાધારણ આખ્યાયિકા કે નવલ નવલિકા લખનાર પણ રૂપકકથા લખવાના અધિકારી હેાય એમ ધારવા જેવું નથી. પોતાના વિષય પર અસાધારણ કાબૂ અને લેખનશક્તિ પર મહાવિજય પ્રાપ્ત કરનાર કાઇ વિરલ લેખક જ રૂપકકથા મેટા સ્વરૂપે લખી શકે છે એ આપણે આગળ જોશું. ૪ એના નામ ( અભિધાન ) પર ચર્ચા: આ ગ્રંથનું નામ “ ઉપમિતિ ભવપ્રપોંચા કથા ” એ શુ ખતાવે છે તે વિચારી પછી એ રૂપકકથા કેવા પ્રકારની ઇં તે મુદ્દા પર વિચાર કરીએ. ‘ ભવ ’એટલે સંસાર, જેમાં આપણે હાલ છીએ, જે નિરંતર પ્રસાર પામતા જાય છે, ગતિમાન સ્થિતિમાં રહે છે તે જુ ધાતુ પરથી થયેલેા સંસાર. એમાં ગતિ એટલે પ્રગતિ સમજવાની નથી, પણ જે નિરંતર ચાલ્યા કરે તે સંસાર–ભવ શબ્દ જૂ ધાતુ પરથી આવ્યા છે અને તેમાં હાવાપણાને થવાપણાના ભાવ રહેલા છે. આપણે આપણી ચારે બાજુ દૂર અને નજીક જે જોઇએ તે આખા ‘ સંસાર ’( ભવ ) છે, એમાં પ્રાણીઓનુ જીવન, એના અંતરંગ અને બહારના ભાવા, વસ્તુ સાથેના તેને સંબ ંધ, તેનું તાદાત્મ્ય, છતાં તેના વિરહ વિગેરે સ્થૂળ તેમજ અંદરના સર્વ ભાવા-મનાવે, ગમનાગમન આદિ સના સમાવેશ સંસાર–મયમાં થાય છે. - Page #69 -------------------------------------------------------------------------- ________________ એના નામ પર ચર્ચા. ] ર૭ “પ્રપંચ” એટલે વિસ્તાર અથવા ફેલાવ. એ શબ્દના બીજા અનેક અર્થ છે. દાખલા તરીકે વિપરીત પાણું, ઠગાઈ ફસાવટ, સંસાર વિગેરે. અહીં વિસ્તાર અર્થની ચેજના કરવી એટલે આ સંસારનો. વિસ્તાર કેવા પ્રકાર છે, એને ફેલાવો કેવી રીતે અને શા માટે થયેલ છે અને તે વસ્તુત: કેવા પ્રકાર છે. એ “ભવપ્રપંચ ” શબ્દને ભાવ છે. ઉપમિતિ” એને અર્થ ઉપમાન છે. એને અર્થ–સરખાપણાના જ્ઞાનનું સાધન થાય છે, અથવા “સરખાપણાનું જ્ઞાન એવો” અર્થ પણ થાય છે. (જુઓ શબ્દચિંતામણિ પૃ. ૧૯૪) સંસારના વિસ્તારના સરખાપણુનું જ્ઞાન જેથી થાય તેવી કથા અથવા સરખાપણુના જ્ઞાનના સાધનવાળી કથા તે “ઉપમિતિ ભવપ્રપંચી કથા.” સંસ્કૃત સમાસમાં રસ લેનારને સમજણ પડે તે માટે કહીએ તે નિતિकृतो नरकतिर्यङ्नरामरगतिचतुष्करूपो भवः तस्य प्रपश्चो यस्मिन् ત્તિ એટલે નારકી, તિર્યચ, મનુષ્ય અને દેવગતિરૂપ સંસારને વિસ્તાર જે કથામાં સરખામણીને વિષય કરવામાં આવ્યું છે તે કથા. એને આશય એ છે કે આ કથામાં ચતુર્ગતિરૂપ સંસારને વિસ્તાર ઉપમા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. શ્રી સિદ્ધર્ષિગણિના પિતાના શબ્દોમાં કહીએ તે कथा शरीरमेतस्या, नाम्नैव प्रतिपादितम् । भवप्रपश्चो व्याजेन, यतोऽस्थामुपमीयते ॥ ५५ ॥ यतोऽनुभूयमानोऽपि, परोक्ष इव लक्ष्यते। अयं संसारविस्तार-स्ततो व्याख्यानमर्हति ॥५६॥ “કથા શરીર આ કથાના નામથી જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ કથાનું નામ ઉપમિતિ ભવપ્રપંચો કથા છે. તેને એ ભાવ છે કે કેઈ પ્રકારના બહાનાએ કરીને આ સંસાર( ભવ)ને વિસ્તાર (પ્રપંચ) બતાવે; એટલે કે કેઈ હકીક્તદ્વારા આ સંસારને વિસ્તાર કે છે, કેમ થાય છે અને કેવી રીતે થાય છે? તેને ઉપમાનન્તોલન થઈ શકે તેવી હકીક્ત શ્રોતા સમક્ષ રજા કરવી. આ સંસારને પ્રપંચ-વિસ્તાર છે કે દરરાજના અનુભવને વિષય છે, સર્વ પ્રાણીઓ તેને અનુભવે છે, તે પણ જાણે તે પરોક્ષ Page #70 -------------------------------------------------------------------------- ________________ ૨૮ [ શ્રી સિદ્ધર્ષિ :: ઉપેાદ્લાત : હાય, જાણે તેની સાથે પાતાના કાંઇ સંબંધ ન હાય તેમ લાગે છે અને તટલા માટે તના ઉપર વિસ્તારથી વર્ણન કરવાની અને તેના સંબ ંધમાં વ્યાખ્યાન કરવાની જરૂર લાગે છે. ” ( પૃષ્ઠ ૮ ) ઉપરનું અવતરણ જોશે। તા ઘણું છૂટુ (ક્રી) કરવામાં આવ્યું છે અને તે પદ્ધતિ આખા ગ્રંથમાં રાખી છે. ગ્રંથકર્તાના આશય અક્ષરશ: ભાષાંતર કરવામાં ઘણી વાર તે બહુ અસ્પષ્ટ અને કેટલીક વાર કિલષ્ટ કે અસંગત થઈ જાય છે એવાં સ્થાને મેં મખ છૂટ લીધી છે; પણ ગ્રંથકર્તાના આશય જરા પણ ક્રૂ નહિ તેની પૂરતી ચીવટ રાખી છે. અવતરણુ કેવા પ્રકારનુ અને કયે ધેારણે થયું છે વિગેરે ખાખત પર આ ઉપેાદ્ઘાતમાં વિવચન થશે. અત્ર પ્રસ્તુત ખાખત એ છે કે ગ્રંથકર્તા પાત કહે છે કે આ ગ્રંથમાં અમુક મિષ—મ્હાનું ( વ્યાજ ) લઇને તે દ્વારા આ સંસારના વિસ્તાર ઉપમા દ્વારથી કહેવામાં આવશે. મતલબ એ છે કે, એમાં સંસારના વિસ્તારના વાત સીધી રીતે કહેવામાં આવી નથી, પણ ઉપમા દ્વારથી કહેવામાં આવી છે. એની વ્યવસ્થા ગ્રંથકર્તાના શબ્દોમાં બતાવીએ તે પહેલાં ગ્રંથના નામને અ ંગે એક પ્રાસંગિક હકીકત રજૂ કરવાની છે તે આટાપી દઈએ. બેંગાલ રાયલ એશીઆટિક સાસાયટીવાળા ગ્રંથની ઉપાદ્ઘાત લખનાં પ્રેા. ડા. જેકેાખી પૃ. ૧૫ ઉપર એક નેટ લખે છે તેમાં જણાવે છે કે: Upamitibhavaprapnacha katha. The proper from of the title is doubtful. The first part of the compound is usually given as Upamiti, but in the Prasasti, at the end of the 2nd & 3rd Prastāvas and in the Prabhavakacharitra as Upamita. I should have preferred the latter; but the title chosen by Prof. Peterson is not altogether wrong and may therefore be retained. એમના કહેવાના આશય એ છે કે આ ગ્રંથના નામની સાચી સંજ્ઞા જરા શંકાસ્પદ છે. ગ્રંથકર્તા પાતે બીજા ત્રીજા પ્રસ્તાવને છેડે અને Page #71 -------------------------------------------------------------------------- ________________ એના નામ પર ચર્ચા. ] ૨૦ પ્રશસ્તિમાં એનુ નામ ‘ ઉપમિત ભવપ્રપંચા કથા' લખે છે અને પ્રભાવક ચરિત્રકાર પણ તે જ અભિધાન આપે છે તેથી આ સવાલ ઊભા થાય છે. પ્રા. પીટર્સને આ ગ્રંથ છપાવવા શરૂ કર્યો ત્યારથી તેનુ નામ · ઉપમિતિ ભવપ્રચા કથા ' આપ્યું અને તે કાંઈ ખાસ ખાતુ ન હેાવાથી મે તે નામ રાખ્યું છે. " ઉપમિત શબ્દ લઈએ તે સમાસ વધારે સારી રીતે છૂટી શકે છે. ઉપમા વિષય કર્યો છે. ભવના પ્રપંચ જેમાં મિતઃ મવપ્રો ચાં સા૩૫મિતમવપંચા થા. ઉપમિત કૃદંત છે અને ઉપમિતિ નામ છે. આ કારણને લઇને અને કચિત્ એવા પાઠ અસલ પ્રતિઓમાં લભ્ય છે તેથી આ સવાલ ઊભા થયા છે, છતાં જૈન ગ્રંથામાં, સૂચિઓમાં અને સ’પ્રદાયમાં ‘ ઉપમિતિ ’ શબ્દથી જ આ ગ્રંથનુ ઓળખાણ એટલું બધું જાણીતું થયેલુ છે કે એમાં ફેરફાર કરવાની જરા પણ જરૂર નથી. અસલની જૂની પ્રતામાં પણ ‘ઉપમિતિ’ અભિધાનપૂર્વક જ આ ગ્રંથના નિર્દેશ થયા છે અને મારું તે ચેાક્કસ અનુમાન છે કે ગ્રંથકર્તાએ પાતે પણ એ જ શબ્દ વાપ હશે. વિકલ્પે એમણે આખા ગ્રંથમાં ત્રણ જગ્યાએ ‘ ઉપમિત ’ શબ્દ વાપર્યો હાય એમ લાગે છે, પણ એમણે કરેલ નામાભિધાન તા ઉપમિતિ જ લાગે છે. એ શબ્દ ઉપમિત કરતાં ઘણી વધારે વખત પ્રતિઓમાં વપરાયા છે અને કેટલીકમાં તા. લગભગ દરેક પાના પર ‘ ઉપમિતિ ’ કે ‘ ઉપમિતા ’ વપરાયેલ છે જે બતાવે છે કે ગ્રંથના એ શબ્દ છે. એ સંબંધમાં વધારે ચર્ચા કરવા જેવું કાંઈ નથી રહેતું, કારણ કે ગ્રંથકર્તાએ એ ત્રણ વાર ‘ ઉપમિત ’ શબ્દ વાપર્યો છે તે વિકલ્પે વાપયે હાય એમ સંધ પરથી જણાય છે. પ્રભાવક ચરિત્રકાર તા ઉપમિતિ શબ્દ જ વાપરે છે તે સદર ગ્રંથની પ્રતિ જોવાથી જણાશે. નિણું યસાગરવાળી પ્રભાવક ચરિત્રની છાપેલી ચાપડીના પૃ. ૨૦૨ માં ૯૬ મા લેાકમાં • ઉપમિત ’ શબ્દ વપરાયા છે તે અશુદ્ધ છે એ શેઠ દેલા.વાળી ચાપડીના બીજા ભાગની પ્રસ્તાવનાના પૃષ્ઠ ૧૪ ઉપરથી જોઈ શકાશે. ત્યાં પણ એની લેાકસંખ્યા ૯૬ ની જ છે. આ ચર્ચા ઉપરથી · ઉપમિતિ ’શબ્દનુ મહત્ત્વ સમજાયું હશે. એની ખરી ખૂબી એ શબ્દમાં રહી છે. આખા ગ્રંથને સમજવા માટે Page #72 -------------------------------------------------------------------------- ________________ ૩૦ [ શ્રી સિદ્ધર્ષિ ઃઃ ઉદ્દઘાત ઉપમા એ શી ચીજ છે તે જાણવાની જરૂર છે. ઉપમામાં હમેશાં સરખામણી હોય છે. જ્યાં બે વસ્તુઓમાં સામ્ય દેખવામાં આવે ત્યાં સરખામણી દ્વારા વસ્તુનું કે ભાવનું જ્ઞાન કરાવાય તે ઉપમા છે. દા. ત. આકાશ જે તે પદાર્થ વિશાળ છે. આમાં વિશાળતાનું ભાન આકાશ સાથે સરખામણું કરવાથી થાય છે. જે વસ્તુનું ભાન કરાવવું હોય તેને “ઉપમેય ” કહેવામાં આવે છે અને જે વસ્તુ સાથે સરખામણી કરવાની હોય તેને “ઉપમાન” કહેવામાં આવે છે. સંસારને વિસ્તાર આપણે દરજ જોઈએ છીએ છતાં આપણે તેને બરાબર યથાસ્વરૂપે અવલોકી શકતા નથી, આપણે તેમાં ઊંડા ઉતરતા નથી અને દરરોજના એના અતિ પરિચયથી આપણે એની સાથે એવા ગાઢ સંબંધ ધરાવી બેઠા છીએ કે એનું ખરું રહસ્ય શું છે તે જાણવાની આપણે દરકાર કરતા નથી. આ વાત મનુષ્યના મેટા ભાગને બરાબર લાગુ પડે છે. એ સંસારનો વિસ્તાર ઉપમાનદ્વારા જણાવવાને આ ગ્રંથકર્તાને આશય છે. એમાં ભવપ્રપંચ ઉપમેય છે અને કથા કહેવામાં આવશે તેનાં પાત્રો અને સ્થાને ઉપમાન સ્થાને છે. આ પ્રમાણે હકીકત હોવાથી આ ગ્રંથને allegory રૂપકકથા કહેવામાં આવી છે. એમાં કથાદ્વારા સંસારને પ્રપંચ વિસ્તારથી કહેવામાં આવશે એ ગ્રંથકર્તાએ નામ ઉપરથી કરેલી પ્રતિજ્ઞા અથવા સૂચવન છે. કથાદ્વારા સંસારવિસ્તાર બતાવવાનો હેતુ સ્પષ્ટ છે. ખાલી લુખી વાત કરવામાં આવે, ઇંદ્રિયોનાં નામ કે કોપાયમાન માયાનું સ્વરૂપ કહેવામાં આવે તે લોકોને એ વધારે અસરકારક નીવડતું નથી, કારણ કે એવી વૈરાગ્યની વાત છે તે ઘણી વાર સાંભળ્યા કરતા હોય છે. કેઈનવીન પદ્ધતિએ લેક પાસે વાત કરાય છે તેઓ ખરી વસ્તુસ્થિતિ સમજે એવું આત્મમંથન ગ્રંથકર્તાને થયું તેવું જોઈએ. તેમણે ચારે તરફ અવલોકન કરીને જોયું ત્યારે તેમને જણાયું હશે કે ચેતરફ ચારિત્રરાજની અને મહરાજાની લડાઈ દરરોજ ચાલ્યા કરે છે, વ્યક્તિગત શક્તિના આવિર્ભાવ પ્રમાણે બેમાંથી એક પક્ષની ઓછીવતી હારજીત થાય છે અને કર્મરાજ કાળ પરિપકવ થયે કઈ જાતની દયા વગર શુભ અશુભ વિપાકે ભેગવાવે છે અને અચિંત્ય શક્તિવાળા આત્માની તે એવી દશા Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૧ એના નામ પર ચર્ચા. 3 થઈ ગઈ છે કે એને પિતાને તો કઈ ભાવ પૂછતું નથી. ટૂંકામાં એનું વ્યક્તિત્વ સિદ્ધાન્તમાં સ્વીકારાયું છે પણ વસ્તુત: એ દબાઈ ગયું છે, શોધ્યું જડતું નથી. એ વિચારને પરિણામે એમણે પોતાના મંતવ્ય, અનુભવ અને આદર્શો પુસ્તકાકારે મૂકવાનો વિચાર કર્યો હોય એમ જણાય છે. એમ કરતાં એમણે પિતાના મનમાં વિચાર કર્યો જણાય છે કે ખાલી વાતે મહાન સત્યરૂપે લેકે પાસે કહેવામાં કાંઈ ખાસ વળે તેમ નથી. લેકે એવી વાત ખૂબ સાંભળી રહ્યા છે. કાંઈક નવીન પ્રકારની ચમકૃતિરૂપ કૃતિ થાય તો કે તેના વાંચન શ્રવણ તરફ ઢળે અને તેમ થાય તો તેમના જીવનને આદર્શ સફળ થાય. આ હકીક્ત તેમને ચરિત્રમાંથી જ નીકળી આવે છે તે આપણે ઉપરના ગ્રંથ પ્રયજનના શિર્ષક નીચે જોઈ ગયા. પ્રથમ પ્રસ્તાવના ૩૮-૩૯-૪૦ એવાં ત્રણ અંતર પ્રકરણે મેં પાડ્યાં છે તેને ઉપનય તેમણે પોતે પ્રથમ પ્રસ્તાવને છેડે આપે છે ત્યાંથી આ વાત બરાબર દેખાઈ આવે છે. પોતાને જ્ઞાન, દર્શન, ચારિત્ર (વિમળાલોક અંજન, તત્ત્વપ્રીતિકર પાણી અને મહાકલ્યાણક ભજન ) ખૂબ મન્યા પછી તે હંમેશાં કેમ બન્યા બન્યા રહે અને પોતાને મળ્યા કરે તેની વિચારણામાં બુદ્ધિ તેને કહે છે કે (જુઓ પૃ. ૨૧૨) “મન ધારણ કરીને બેસી રહેવાથી કેઈને જ્ઞાન, દર્શન, ચારિત્ર આપવાનું બની શકે તેમ નથી અને બીજા પ્રાણીઓને જ્ઞાન, દર્શન, ચારિત્ર સંપાદન કરાવવારૂપ ઉપકાર કરે એ જ પરમાર્થથી પરોપકાર છે, તેના જેવા અન્ય પરોપકાર કેઈ હાય એમ સંભવતું નથી. પ્રાણુને સન્માર્ગ પ્રાપ્ત થઈ ગયા હોય તે તે સન્માર્ગ જન્માંતરમાં પણ પિતાને આંતરા વગર કે અગવડ વગર મળી શકે એવી જેની અભિલાષા હોય તેણે ઉપર જણાવ્યું છે તેવા પ્રકારના પાપકાર કર્યા કરો, કારણ કે પરોપકારનો સ્વભાવ એવો છે કે........તે કરનાર પ્રાણી જન્માંતરમાં ઉત્તરોત્તર વધારે સારા માર્ગને આદર કરે છે.” અને આગળ પૃ. ૨૧૩ માં પોતે લખે છે કે– આ પ્રમાણે પિતાનો ઉપદેશ તદ્દન મંદબુદ્ધિવાળા જ ગ્રહણ કરે છે એવી સ્થિતિ જોઈ પોતાને ઉપદેશ સર્વ પ્રાણીઓ ગ્રહણ કરે એવો અનુકૂળ તે કઈ રીતે થઈ શકે તે માટે આના કર્તા વિચાર કરે છે.” આ વિચારને પરિણામે એમણે ઉપમાદ્વારા આખા સંસારનો Page #74 -------------------------------------------------------------------------- ________________ ૩૨ [ શ્રી સિહર્ષિ :: ઉપોદ્ઘાત : વિસ્તાર સમસ્ત જનસમાજના સમજવામાં આવે એ પદ્ધતિ આદ રવાનો વિચાર કર્યા. તે વખતે વળી તેમના મનમાં ઘણું આત્મમંથન થયું હેાય એમ જણાય છે તે પણ જોઇ લઇએ. ૫ થાનુયોગના આશ્રયઃ— ગ્રંથકર્તાને સદ્દબુદ્ધિ એટલે પાતાની બુદ્ધિ સાથે વિચાર કરતાં એવા ખ્યાલ થયેા જણાય છે કે ઉપાશ્રયમાં બેસી રહેવાથી લેાકે એની પાસે જ્ઞાન, દર્શન, ચારિત્ર લે તેમ નથી અને ઘેર ઘેર જઇ આઘાષણા કરવાથી પણ કાઇ લે તેમ નથી અને જ લે છે તે તદ્ન સામાન્ય વર્ગના હાય છે અને આ સમર્થ લેખકને પાતાના આત્મવિકાસ માટે તન નાના વર્તુળથી સ ંતાષ થાય તમ નહાતું. એણે રત્નત્રયના સ્વાદ લીધા હતા અને ઘણાં મનુષ્યા તેના લાભ લે તેવી તેમની ઇચ્છા હતી. આ ઉપકારપરાયણ મહાપુરુષ તેટલા માટે કાઇ અપૂર્વ પદ્ધતિ શોધવાના વિચાર કર્યા. ( આવી ભાવનાને ‘ ભાવદયા ’ કહેવામાં આવે છે અને તે એના ઉત્કૃષ્ટ આકારમાં હાય તા તીર્થંકર નામકર્મ બાંધવાનું કારણભૂત થાય છે એ પ્રાસંગિક વાત છે. ) દશમા સૈકામાં અપૂર્વ ગ્રંથરચના કરવી એ કાંઇ નાનીસૂની વાત નહાતી. વળી એમને તે સંપ્રદાયની માન્યતાએની હદમાં રહી વાતા કરવાની હતી. એક અદ્ભુત કથા કે વીરરસની કથા લખી નાખવી હોય તેા તે તેનાં ભવ્ય કલ્પનાને જ માત્ર સ્થાન આપવાનુ હાય. પછી તેમાં તેા કલ્પનાની ભવ્યતા, ઉડ્ડયનનુ ઉચ્ચપણું અને ભાષા પરને કામૂ એટલી જ ખાખતા જોવાની રહે; પણ આ ગ્રંથકર્તાને અપૂર્વ વિદ્વત્તાને લાભ દુનિયાને આપવાની ઈચ્છા પ્રશંસા મેળવવાને અગે કે સાહિત્યમાં નામ કાઢી જવાને અંગે નહેાતી. એમને તે એક જ મુદ્દો હતા અને તે તેમના શબ્દોમાં ઉપર જણાવ્યેા છે તે પ્રમાણે પેાતાને જે જ્ઞાનાદિ રત્નત્રય મળ્યાં છે તે દાનદ્વારા ભવિષ્યમાં વધારે મળ્યાં કરે એને માર્ગ શોધવાના હતા. જે વિશાળ ભાષા, જ્ઞાન અને કાવ્યસર્જકશક્તિ તેમણે આ ગ્રંથમાં વારંવાર બતાવ્યાં છે તે પ્રમાણે તેઓ તત્સમય પ્રચલિત ચાલુ રીતિના માત્ર કાવ્ય ગ્રંથ કે કથા કાવ્ય જરૂર આપી Page #75 -------------------------------------------------------------------------- ________________ કથાનુયોગના આશય. ] શકત, એકથી ઘણી વધારે સંખ્યામાં આપી શકત; પણુ એ તેમના મુદ્દો જ નહાતા. એમને તા પરોપકાર કરવા હતા અને તે દ્વારા પણ પાછો પાતાના પરમ સ્વાર્થ સાધવા હતા. ગ્રંથકર્તાને ગ્રંથમાં અપૂર્વતા જરૂર લાવવી હતી, કારણ કે તેને જણાયું હતુ કે ‘ મદતર મનવાળા ` મનુષ્યેા જ તેના ઉપદેશ સાંભળતા હતા અને મહામતિવાળાને તા આ લેખકના ઉપદેશ હસવાનુ સ્થાન થઇ પડ્યો હતા. અહીં ગ્રંથકર્તા પાતાની જાતને અને પેાતાના ઉપદેશને એકઠા કરી નાખી પાતાની જાતને હસવા યેાગ્ય ગણાવે છે ત્યારે વાંચનારને એક જાતના શાંત મીઠા આનંદ થાય છે અને ગ્રંથકર્તાનું અલ્પતા બતાવવાનુ ચાતુર્ય જોઇ તેના તરફ વધારે આકર્ષીણ થાય છે. ( પૃ. ૨૧૩ ) પણ એ આત્મમંથનમાં કાઇ અપૂર્વ રચના કરવાનું અને તે દ્વારા વાંચનાર કે શ્રવણુ કરનારને પાતા તરફ આણુ કરવાનું આંતર કાર્ય બરા ચાલી રહ્યું છે એ સામાન્ય વાંચનાર પણ સમજી શકે તેવું છે. 33 ગ્રંથમાં શ્રોતાને ઉદ્દેશીને જ શબ્દો આવે છે તેનું કારણ એ જણાય છે કે તે વખતે વાંચનારને વર્ગ આછો હતો, સાંભળનારના વર્ગ માટેા હતા. એ ત વખતની દેશસ્થિાતની હકીકત પણ ધ્યાનમા રાખવા જેવી છે. અપૂર્વ ગ્રંથરચના કરવાની અને છતાં શાસ્ત્રસંપ્રદાયની પદ્મતિને નહિં ત્યજવાની અતિ આકરી પ્રતિજ્ઞા કરવી સહેલી છે, પણ એના નિર્વાહ દુ:શકય છે; કારણ કે અપૂર્ણતામાં નવીનતા છે અને નવીનતા સાંપ્રદાયિક હાઇ શકે નિહ. એટલે ગ્રંથકત્તાએ અર્વ માલિકતાના બચાવ કેવી સુંદર રીતે કર્યા છે તે આપણું આગળ હમણા જ જોશું. એમની નવીનતા કઇ હતી તે અને તેના બચાવ ( સાંપ્રદાયિક નજરે ) તેમણે કેવા કર્યા છે તે આપણે જોઇએ લેખક મહાત્માને બરાબર ખ્યાલ જણાય છે કે આ પ્રાણીન ઉપદેશ આપવાની તે સમયે ચાલતી ચાલુ પદ્ધતિ પુરતુ કામ કર નારી થઈ પડે તેવા સંભવ નથી. માનસાવદ્યાના એ મહાઅભ્યાસીએ એ વાત પેાતાને અંગે જ પ્રથમ પ્રસ્તાવમાં કડી નાખી છેં તે Page #76 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી સિહર્ષિ : ઉઘાત ! વિસ્તારથી વાંચતાં એમને મનુષ્યસ્વભાવને એની વર્તમાન દશામાં કેવા વિપર્યાસ થઈ ગયેલ છે તેને બારીક અભ્યાસ ચાખે જણાઈ આવે છે. પ્રથમ પ્રસ્તાવના ચિદમા અંતર પ્રકરણમાં તયા એને જળ અંજનાદિ આપે છે ત્યારે ઊલટી એના મનમાં આશંકા આવે છે. (પૃ. ૧૨૧) એને મનમાં એમ થાય છે કે એ રીતે ધર્મબોધકર એના ડાંકરાને લઈ લેવાની જાળ પાથરી રહ્યા છે. તદ્યા જેમ જેમ વધારે આગ્રહથી એને ભેજન આપે છે તેમ તેમ એની અંતર અદશામાં વધારો થતો જાય છે, એના હેમને એની નજરમાં વધારે પુષ્ટિ મળે છે ( પૃ. ૧૨૩ ). એને તે એમ જ થાય છે કે “ અહીં આવી ભરાણો શું પણ હવે નાસી છૂટાય કેમ?” પછી મહાદયાના સમુદ્ર ધર્મબોધકરે એની ઈચછા નહોતી છતાં એના પર આંજણને પ્રયોગ કર્યો, કાંઈક જળ પાયું અને ભેજન ખવરાવ્યું. એ વખતે એ જે આઠ ઉત્તરે આપે છે (પૃ. ૧૩૩) તે ખરેખર સંસારરસીઓના પ્રતિરૂપક છે. એ જ્ઞાનદર્શનના કાળવ્યયને કે ગણે છે તે વિચારવું, છતાં અંજનપ્રગથી એના પર જરા સારી અસર થાય છે એટલે એ અવારનવાર ગુરુ પાસે આવે છે. ગુરુ જ્યારે વાર્તા દરમ્યાન અર્થની વાત કરે છે ત્યારે તે એને બહુ ગમે છે (પૃ. ૧૩૭ ) તેવી જ રીતે જ્યારે કામની વાત કરે છે ત્યારે એ મહારાજને ધન્યવાદ આપે છે (પૃ. ૧૪૦) અને દરરોજ આવી વાત કરવા વિજ્ઞપ્તિ કરે છે, પણ પછી જ્યાં ધર્મ પુરુષાર્થની વાત ચાલી (પૃ. ૧૪૧), મનુષ્યજાતિના ઉચ્ચનીચ તફાવતની વિચારણાઓ પર વિવેચન થયાં, એ તફાવતનાં કારણે પર મુદ્દામ વિચારે બતાવાયા (પૃ. ૧૪૩) અને ધર્મસર્વસ્વની ભાવનાની રેલમછેલ ચાલી ત્યાં આ ભાઈશ્રીની વૃત્તિ બદલાવા માંડે છે; છતાં એ સવાલો પૂછયા કરે છે અને બહુ ધ્યાન આપ્યા વગર આખું ધર્મનું તત્ત્વજ્ઞાન, સમ્યગ્દર્શનનું સ્વરૂપ સાંભળે છે. એને એથી સહજ શાંતિ થાય છે, પણ બાવીશમાં પ્રકરણમાં (પૃ. ૧૫૩ ) સ્પષ્ટ જણાય છે કે એને હજુ પણ અંદરની ઊંડી બીક ગઈ નથી અને હવે એને કાંઈક સન્મુખ વૃત્તિ થઈ છે પણ પોતાનું રાખીને કાંઈક બની આવે તે ધર્મબોધકર કહે તેમ કરવું છે. પછી બાવીશમાં પ્રકરણમાં Page #77 -------------------------------------------------------------------------- ________________ ૩૫ કથાનુગને આરાય. ] ધર્મ બેધકર પણ વખત જોઈ જરા ઉપર ઉપરને ક્રોધ કરે છે પણ આ ભાઈશ્રી તેવીશમાં પ્રકરણમાં પિતાની વાત છોડતો નથી. ઉપદેશકની શાંતિને પણ ધન્ય છે! એ ઉપદેશ આપવાની પદ્ધતિ–પ્રયાસ ઉપર આખું ચોવીશમું પ્રકરણ લખાયું છે. (પૃ. ૧૬૦) પ્રસંગે અહીં એટલું લખી નાખવું ચગ્ય છે કે એમાં એક વાત બહુ જબરી કહી દીધી છે અને તે સમાજ કે દેશના કાર્ય કરનારાએ વારંવાર ધ્યાનમાં રાખવા જેવી છે. એ વાત એ છે કે કે મહાન કામ હાથમાં લેવું ત્યારે સાધ્ય ભવ્ય રાખવું અને પછી પરિણામની પૃહા રાખ્યા વગર તેમાં ઝંપલાવવું. એમાં જે ધારેલ કામ થઈ આવે તો તે કરનારને અપાર–અનવધિ આનંદ થાય છે અને કદાચ સિદ્ધિ ન થાય તે પણ એક બહાદુર માણસને છાજે તેવું કાર્ય કરવાને એને સંતોષ થાય છે. મહાતમર્શમાત્ય ચો વિધરે परिश्रमम् । तत्सिद्धौ तस्य तोषः स्यादसिद्धो वीरचेष्ठितम् (पृ. ૧૬૧) આ સૂત્ર બહુ સારી રીતે યાદ રાખવા જેવું છે, પ્રેરક છે, ભવ્ય છે. શ્રીભગવદ્દગીતામાં જર્મથેવાય તે મા રજુ વેવાર એને અને આને ભાવ એક જ આવી શકે, પણ એમાં મુદ્દામ પ્રશ્નને હાથ ધરવાની પદ્ધતિમાં ઘણે મુદ્દાસરને ફેર છે. આ પ્રાસંગિક વાત છે. ધર્મબંધકર એના પ્રયાસમાં પાછા હઠ્યા નહિ અને એને વધારે પ્રતીતિ કરવા માટે વધારે પ્રયત્ન કરે ચાલુ રાખ્યો, પણ આ પ્રાણું મક્કમ રહ્યો. એની શરત એ હતી કે પિતાનું ઠીકરું રહે અને સાથે ધર્મબોધકરનું ભોજન પણ પિતે લે. (પૃ. ૧૬૫). એની ખરી ખૂબી ૨૯ માં પ્રકરણમાં આવે છે. ત્યાં તે (નિપુશ્યક) ખુલ્લી કબુલાત કરે છે કે આખા ભાષણ દરમ્યાન તેનું મન તે અન્યત્ર ભટકતું હતું અને તેથી હકીક્ત એક કાનેથી પસી બીજે કાને નીકળી જતી હતી. આવા પ્રકારનું નિરસ અને નિષ્ફળ સંભાષણ ન થઈ જાય તે લેખકની મુખ્ય ચિંતાનો વિષય હતો. મનુષ્યસ્વભાવને આટલે ઊંડે અભ્યાસ અન્યત્ર ભાગ્યેજ જોવામાં આવશે. બહ બારીક અભ્યાસને પરિણામે એમને આખા ભવપ્રપંચની બાબત કેઈ નવીન પદ્ધતિએ ઉપાડવાની–સમજાવવાની–સ્પષ્ટ કરવાની જરૂર લાગી. એમને વિચાર કરતાં જણાયું કે સત્ય બોલવું Page #78 -------------------------------------------------------------------------- ________________ ૩૬ [ શ્રી સિહર્ષિ ઉપઘાત : જોઈએ, પ્રમાણિક જીવન ગાળવું જોઈએ, અહિંસામય જીવન કરવું જોઈએ, ક્રોધ કર નહિ, અભિમાન કરવું નહિ–આવી આવી વાતો લકા ચાલુ ઉપદેશમાં સાંભળે છે, પણ એક કાને સાંભળીને બીજે કાનેથી કાઢી નાખે છે, માટે કઈ નવીન પદ્ધતિને આદર થાય તે લેકે તે વાતે રસથી સાંભળે અને સમાજ ઉપયેગી કાર્ય કરીને તે દ્વારા લોકોને જ્ઞાન, દર્શન, ચારિત્રને અભ્યાસ કરાવાય તે તેથી પોતાને પણ વિચારની ગોઠવણ કરવા દ્વારા સારે ક્ષયેશમ થાય અને એ ક્ષયે પશમ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને મોહનીય કર્મના ઉદયને મંદ કરવાથી પિતાને ભવાંતરમાં એ રત્નત્રયી ખૂબ મળ્યા કરે. આ રીતે સ્વાર્થ અને પરમાર્થ વચ્ચે હળા ખાતું એ મહાપુરુષનું મન (એમના પિતાના શબ્દોમાં કહીએ તે “સબુદ્ધિ”) વિચાર કરવા બેઠું. (બેઠી.) બહુ બહુ વિચાર કરતાં એમને અમુક પ્રકારને ભાસ થયેલ હોય એમ જણાય છે. તેમણે ચરણકરણનુગ અને દ્રવ્યાનુયોગનું મિશ્રણ થાય તેવી કથા કરવાનો વિચાર કર્યો. કથાનુગ સામાન્ય અને મધ્યમ પ્રવાહના માણસને વધારે આકર્ષણ કરે છે તેને તો તેમને ખરેખર ખ્યાલ હતો અને તેમની સામે શ્રીમદ્દ હરિભદ્રસૂરિની “સમરાઈચ કહા ” દષ્ટાંતરૂપે મેજુદ હતી. એટલે એમણે ત્રણે અનુયેગને એકઠા કરવાને હિસાબે કથાનુયોગનો આશ્રય લેવાને વિચાર કર્યો. એ સર્વ હકીક્ત પ્રથમ પ્રસ્તાવ વાંચતાં મન ઉપર અસરકારક રીતે જામે છે. માત્ર એમાં અંદરને આશય તારવી કાઢ જોઈએ. ૬ ઉપમાનની માલિક પદ્ધતિ કથાનુયોગને આશ્રય કરવાને નિર્ણય થયા પછી તેમણે સર્વ પ્રકારના અધિકારીને ઉપયોગી થાય એવો ગ્રંથ કરવાનો વિચાર ક્ય જણાય છે. એમને જણાયું કે કનિષ્ઠ વર્ગના લોકેને અર્થ ૧ આ સર્વ મારાં અનુમાનો છે. માનસવિદ્યાના નિયમાનુસાર આ મારી કલ્પનાઓ છે. “એમને જણાયું' એ પદ્ધતિએ લખ્યું છે ત્યાં એમને જણાયું હોવું જોઈએ' એમ લખવું વધારે સમીચીન ગણાય, - પણ એમાં સંકલના તૂટે છે એટલે અનુમાનને અનુમાન તરીકે સમજી લેવાની વાચનાર પ્રત્યે વિજ્ઞપ્તિ છે–લેખક. Page #79 -------------------------------------------------------------------------- ________________ ઉપમાનની મૌલિક પદ્ધતિ. ] કથા બહુ ગમે છે, મધ્યમ વર્ગના લોકોને કામકથા પસંદ આવે છે અને માત્ર ઉત્તમ વર્ગના લેકેને જ એકલી ધર્મકથા રુચે છે. એમને તો સર્વ પ્રકારના અધિકારીને ઉપયોગી થાય તેવો ગ્રંથ બનાવવો હતો, કારણ કે ધર્મકથાના ગ્રંથો તે મોજુદ હતા અને તે માટેના ઉપદેશકે પણ મોટી સંખ્યામાં હતા. આટલા ઉપરથી તેમણે “સંકીર્ણ કથા ”ની પદ્ધતિ સ્વીકારી. સંકીર્ણ કથા શી છે તે આપણે ઉપર જોઈ ગયા. તેમના શબ્દોમાં કહીએ તે “જેઓ આ લેક અને પરલેક બનેની અપેક્ષાવાળા છે અને કાંઈક સત્ત્વવાળા (તેજી) હોય છે તેઓ સંકીર્ણ કથા સાંભળવા ઈચ્છા રાખે છે. તેવા પ્રાણુઓને “વર મધ્યમ” મનુષ્ય ગણવા.” (પૃષ્ઠ. ૬) આ વિશાળ ઘટનાની ભીતરમાં તેમણે આખા મનુષ્ય સમાજનો સમાવેશ બહુ યુક્તિપૂર્વક કર્યો છે. આખા મનુષ્ય વર્ગને રસ પડે તેવી થા લખવી એ તેમને આશય હતો છતાં તે કથામાં માત્ર વાર્તા લખવી એવો ખ્યાલ નહોતે, પણ તેમાં તેમને દ્રવ્યાનુગ અને ચરણકરણાનુયેગને અવાંતર સમાવેશ કરવો હતો. ધર્મસૂત્રના પ્રત્યેક અંગમાં ચારે અનુયોગને સમાવેશ કરવામાં આવ્યો છે, એવી પ્રાચીન પદ્ધતિ તેમણે જાણ હતી, પણ એ સૂત્ર સિદ્ધાન્તની પદ્ધતિ તે પૂર્વને કાળ વીસરાળ થતાં તેની સાથે જ નાબૂદ થઈ ગઈ હતી. એમણે એટલા ઉપરથી કથાની મુખ્યતા રાખવી અને કથામાં જ બીજા બને ઉપયોગી અનુગને સમાવેશ કરવો એ વિચાર કર્યો. આ વાત લગભગ તદ્દન નવીન હતી. જેટલી કથાઓ લખાતી હતી તેમાં એક મૂળ મુદ્દો ઊભું રહે અને તેના સમર્થનમાં આખી વાર્તા થાય. સ્થૂળભદ્ર મુનિની કથા વાંચીએ તો તેમાં “બ્રહ્મચર્યને મહિમા સમજાય, શ્રેયાંસકુમારની કથા વાંચીએ તો તેમાં “દાનને મહિમા બહાર આવે, તેવી જ રીતે ગજસુકુમાળમાં “ધેય, ” મૃગાપુત્રમાં “કર્મને વિપાક,” શ્રીપાળમાં “સિદ્ધચકને મહિમા” આદિ એક મહાન સત્ય પ્રકટ થાય. એમણે એ પદ્ધતિ જોઈ હતી, વિચારી હતી, પણ એમને એવી કથાદ્વારા લોકોમાં કથાનુયોગ તરફ ૧ પૃષ્ઠ ૬(ભાષાંતર)માં આપેલ શ્રોતાના પ્રકારનો આશય. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૩૦ [ શ્રી સિદ્ધર્ષિ :: ઉપાદ્બાત : જે રસ રહ્યો હતેા ત રસાત્મક વૃત્તિનેા ઉપયાગ કરવાની ઇચ્છા હતી. એમને કથા કરવાના પ્રસંગને લઇને અથવા એક બનેલા બનાવના વણું ન કરવાની શૈલીને લઇને એકાદ મહાન્ સત્ય કહીને બેસી રહેવું નહાતુ', પણ કથાદ્વારા દ્રવ્યાનુયાગ અને ચરણુકરણાનુયોગનુ મિશ્રણ કરી તે માગે આખા સંસારસ્વરૂપનું પ્રદર્શન કરવું હતું. આ વિચાર ખરેખર ભવ્ય હતા, જનસ્વભાવના દીર્ઘ અભ્યાસના પરિણામરૂપ હતા અને અમલમાં આવી શકે તેા સફળ પ્રયત્નના આદર્શ પરિણામના પરમાધિ સ્થાનરૂપ હતા. એ ભવ્ય કલ્પનાને અમલ કરવા સારુ તેમણે ઉપમાનને અશ્રય સ્વીકાર્યો. તેમણે એમ વિચાર કર્યાં જણાય છે કે કાઇ ભવ્ય કલ્પના કરી ઉપમાનને ઉપયાગ કરી તે દ્વારા ધર્મશાસ્ત્રોનાં મહાન સત્યાને જીવતાંજાગતાં બતાવી શકાય તા ભારે લાભ થાય. એમાં ખાસ કરીને અંતરમાં જે મેટાં યુદ્ધ આખા વખત ચાલ્યાં કરે છે, આ પ્રાણી વારવાર સંસાર તરફ ખેંચાય છે, અથડાય છે, કૂટાય છે અને રખડપટ્ટીએ ચઢે છે એ વાર્તા ખરાખર કહેવામાં આવે તે પ્રાણીની આંખ ઉઘડી જાય. આ વિચારને અમલ ઉપમાનના ઉપયાગથી થઇ શકશે એમ તેમની બુદ્ધિશક્તિ( સબુદ્ધિ )એ સૂચવ્યું. સત્પુદ્ધિ એ ગુરુએ કરી આપેલી પરિચારિકા છે, પણ ખરાખર ઊંડા ઉતરતાં તા ઉપરાંત તેની હાજરીની જે જરૂરીઆત બતાવી છે તે ગ્રંથકોની માલિકતા ( Originality ) ખતાવે છે. આમાં ગેરસમજૂતી થવી ન જોઇએ. મારે મુદ્દો એ નથી કે સમુદ્ધિનું પાત્ર પ્રથમ પ્રસ્તાવમાં રચવામાં 'મૈાલિકતા બતાવી છે. એ વાત તેા છે જ, પણ તે બીજા સર્વ પાત્રાને પણ એટલી જ લાગુ પડે છે; પણ અહીં જે વાતની હું સ્થાપના કરવા માગું છું તે એ છે કે તદ્યા સાથે સલાહ કરવા ઉપરાંત સત્બુદ્ધિ સાથે જ્યારે જ્યારે આ પ્રાણી વિચાર કરે છે ત્યારે ત્યારે તે વિચારણામાં જ માલિકતા બતાવે છે. સમુદ્ધિનું પાત્ર તેા માલિક છે જ, અને તેવાં તેા બીજા સેંકડા પાત્રા આવશે, પણ સત્બુદ્ધિ સાથે જે વિચારણા થાય તે પણ માલિક છે. એ વાત જો સાચી હેાય તે આ ગ્રંથ તેમના પેાતાના જ શબ્દોમાં એમની માલિક પદ્ધતિ બતાવે છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ઉપમાનની મૌલિક પદ્ધતિ. ] ૩૯ આ હકીકતની સ્પષ્ટ સિદ્ધિ માટે પૃ. ૧૮૭ માં તયાના વ્યવસાયો કેટલા બધા છે તે પ્રથમ વિચારવું. ત્યાં કહેવામાં આવ્યું છે કે – આ પ્રાણીમાં વધારે ઉજજવળ પરિણામ ન હોવાને લીધે જ્યારે ગુરુમહારાજ તને પ્રેરણ કરે છે ત્યારે જ માત્ર તે પિતાનું ખરું હિત કરનારી બાબતમાં પ્રવૃત્તિ કરે છે, પરંતુ જેવી ગુરુમહારાજની પ્રેરણું બંધ થાય છે અથવા ગુરુમહારાજને જોગ બનતું નથી કે તરતજ પિતાનું વાસ્તવિક કર્તવ્ય કરવામાં આ પ્રાણી શિથિળ થઈ જાય છે અને પાછા આરંભ-પરિગ્રહની જ જાળમાં પડી જાય છે. જેવી રીતે વારંવાર પ્રેરણ કરીને ગુરુમહારાજ આ જીવને શુદ્ધ માર્ગ પર લઈ આવે છે તેવી રીતે પ્રેરણા કરીને ઠેકાણે લાવવાના બીજા અનેક જીવો હોય છે. સર્વ પ્રાણુઓ ઉપર કૃપા કરવાની બાબતમાં તત્પર રહેલા ગુરુમહારાજા તો કઈ કઈ વખત જે જીવના સંબંધમાં હાલ વાત ચાલે છે તેને પ્રેરણા કરી શકે છે, પણ બાકીના વખતમાં આ જીવ છૂટ રહેતો હોવાથી તેને કોઈ વારતું નથી. ” ત્યારપછી ગુરુમહારાજ આ જીવની સાથે સદબુદ્ધિ નામની પરિચારિકા કરી આપે છે. એ પ્રસંગે પૃ. ૧૯૦ માં આ જીવ ગુરુમહારાજ પાસે એકરારે (Confessions) કરે છે અને પછી ગુરુમહારાજ તેને (પૃ. ૧૯૧) કહે છે કે – “ભદ્ર! બીજા નિવારણ કરે તેથી અને તેના પર વિશ્વાસથી અકાર્ય વર્જવાનું અને તે તે માત્ર કઈ કઈ વાર જ બની આવે છે... અને અનેક પ્રાણીઓ ઉપર ઉપકાર કરવાનો હોય છે, તેઓને ઉપદેશ આપવાનું હોય છે અને તેઓને યેગ્ય રીતે સમજાવવાના હોય છે તેથી તારી પાસે આખો વખત રહીને દરેક બાબતમાં તેને નિવારણ કરવાનું અમારાથી બની શકે નહિ. આ પ્રમાણે હેવાથી જ્યાં સુધી તારી પોતાની બુદ્ધિ જાગ્રત થાય નહિ ત્યાં સુધી તારા આચરણેનું નિવારણ કરવાનું બની શકશે નહીં અને તને જે ન કરવાનો ઉપદેશ આપીએ છીએ તેવા આચરણ ઉપર તારી આસક્તિ હોવાને લીધે તેનાથી થતી અનર્થ પરંપરા રેકી શકાશે નહિ. બુદ્ધિ જ એક એવી વસ્તુ છે કે જે અન્ય તરફની Page #82 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી સિહર્ષિ : ઉપધાત : પ્રેરણાની અપેક્ષા રાખ્યા વગર જ પોતાના પ્રયત્નથી–જાતપ્રેરણાથી જ જીવને અકાર્ય કરતાં નિવારણ કરે છે અને અસરકારક રીતે નિવારણ કરી શકે છે. એના પ્રતાપથી પ્રાણુ અનર્થોથી બચી શકે છે.” એટલે બુદ્ધિ એ પ્રાણુની અંતરપ્રેરણા થઈ એને માટે અંગ્રેજીમાં કોસ્યન્સ Conscience શબ્દ છે અને તેને માટે કેશકાર સંસ્કૃત ભાષામાં “સદસદ્વિચારશક્તિ” શબ્દ વાપરે છે (આ ઈંગ્લીશ સંસ્કૃત કેશ પૃ. ૬૮) એ સદબુદ્ધિ શુદ્ધ થઈ હોય તો તેની પ્રેરણાને અનુસરવાનું ફરમાન છે. પૃ. ૧૨ માં જે લંબાણ વિવેચન કર્યું છે તેમાં સદબુદ્ધિની મહત્તા એટલે સુધી સ્થાપના કરી છે કે ગમે તેટલાં અનુષ્ઠાને કરવામાં આવે પણ સદ્દબુદ્ધિ વગર તે નકામાં છે અને એવી બુદ્ધિ-વિચારશક્તિ વગરના મનુષ્યમાં અને પશુમાં કશે તફાવત નથી એમ પણ કહેવામાં આવ્યું છે. અહીં ગુરુમહારાજના ચાલુ ઉપદેશ પછી જે સદબુદ્ધિ પ્રાપ્ત થાય છે તે અંતરની પ્રેરણા સમજવી અને તેમાં ઘણું માલિક્તા રહેલી છે તે બતાવવા આ પ્રયત્ન છે. એનું કારણ એ છે કે સાધ્યપ્રાપ્તિના રાજમાર્ગો તે ગુમહારાજ બતાવે છે, શાસ્ત્રકારે બતાવે છે અને વ્યવહારમાં પ્રચલિત હોય છે, પણ સાધ્યપ્રાપ્તિના વ્યક્તિગત માર્ગો અનેક હાઈ પ્રત્યેક પ્રાણુએ પિતાને માર્ગ શોધી લેવાનો હોય છે. એ બાબતમાં સ્વતંત્ર છૂટ આ પ્રાણને ગુરુમહારાજની દયા ત્યારે જ આપે છે કે જ્યારે એનામાં શુદ્ધ પ્રેરણું વ્યક્ત કરવાનું અંતરબળ-આત્મિકબળ પ્રાપ્ત થાય. એ પહેલાં જે એને સ્વતંત્રતા આપવામાં આવતા એનામાં સ્વચ્છંદતા આવી જવાને ભય રહે છે અને એ એને અહિત કરનારી હાઈ વિનાશક છે. તેથી યોગ્ય સમયે સદબુદ્ધિ” સાથે વાતચિત કરી તેના પ્રેરણાત્મક જવાબ પ્રમાણે કાર્ય ઘટના કરવાને વિધિ સર્વત્ર સ્વીકાર્ય છે. પાં હિ જેતપુરતુનુ પ્રમાણમા જાય: પુરુષને સંદેહવાળી બાબતમાં એનું અંતઃકરણ જ બાબતમાં પ્રવૃત્તિ કરવા કહે તે પ્રમાણ છે; પણ એ પુરુષને પ્રાપ્ત હક્ક છે, સામાન્ય અધિકારી માટે એ વાત નથી. વિષયવિકારમાં રાચી રહેલા, કષાયમાં લપટાયેલા પ્રાથમિક અધિકારી અંત:કરણને પૂછે ત્યાંથી શુદ્ધ સાત્વિક જવાબ મળે પણ ખરો અને ન પણ મળે. એટલે સાબલિના Page #83 -------------------------------------------------------------------------- ________________ ઉપમાનની મૌલિક પતિ. ] ૪૧ હુકમ પ્રમાણે વર્તવાની છૂટ વિશિષ્ટ અધિકારીને જ મળે છે. અને એ અધિકાર પ્રાપ્ત થયા પછી એનામાં મૌલિકતા આવ છે. એ પેાતાના માર્ગ શોધે છે અને સંદેહ પડે ત્યારે એકાંતમાં એસી ‘ સત્બુદ્ધિ ' સાથે કલાકા સુધી વાતા કરે છે અને એને અંદરથી જવાબ મળે છે. એ જવાખમાં ઘણી વાર માલિકતા હાય છે, નવીનતા હાય છે, વિશિષ્ટતા હાય છે, અને છતાં એ જવામ મૂળ મા`થી વિભિન્ન હેાવા છતાં તેને અનુરૂપ હેાય છે. બુદ્ધિને અમુક પ્રકારના ઝોક મળી ગયા પછી એમાં સદશ આવી જાય છે અને ત્યારપછી એની પદ્ધતિ માલિક નહાય તા પણ એ મૂળ માથી દૂર જતી નથી. આવી સબુદ્ધિ પ્રાપ્ત કરનાર આ ગ્રંથના લેખકને જ્ઞાન, દર્શીન, ચારિત્ર મોટા પાયા ઉપર અન્યને ઉપકાર બુદ્ધિએ આપવાના વિચાર થયા એટલે એણે સબુદ્ધિ સાથે વિચારણાઓ કરી. પ્રથમ એમણે જે આવે તેને રત્નત્રય આપવા વિચાર કર્યા, એમાં એ ન ફાવ્યે ( પૃ. ૨૧૦ ), એણે ઘેર ઘેર ભટકી આપવા માંડ્યુ. પણ એનાં અંજન, જળ અને અન્ન કૈાઇએ લીધાં નહિ ( પૃ. ૨૧૧) એટલે વળી એણે સત્બુદ્ધિ સાથે વિચારણા કરી, એના અગાઉના રખડુપણાના ભાવ યાદ કરીને કેાઈ એનાં રત્નત્રય લેતા નથી એ એને સમજાઈ ગયું, પણ એને તા દાન આપવાને તરવરાટ લાગ્યા હતા. સદ્ગુદ્ધિએ એને બુદ્ધિ સૂઝાડી કે એક ગ્રંથના આકારમાં જ્ઞેય, શ્રદ્ધેય અને અનુષ્ઠેય અર્થની ચૈાજના કરવી અને પછી સદર ગ્રંથને જૈન શાસનમાં ભવ્ય જીવા સમક્ષ ખુલ્લા મૂકી દેવા. ( પૃ. ૨૧૩ ) એ પ્રમાણે કરવાથી તેમાં રહેલાં જ્ઞાનાદિ સર્વ જીવાને ગ્રહણ કરવા યેાગ્ય થશે. આ વિશાળ ભાવના ઉપર તેમણે ખૂબ વિચાર કર્યો જણાય છે. કથાનુયાગની ઉપયેાગિતા તા તેમને ધર્મ આધકર(શ્રીહરિભદ્રસૂરિ)ના ગ્રંથથી જણાઇ હતી; પણ એમને તેા તે ગ્રંથમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર ઠાંસી ઠાંસીને ભરવાં હતાં અને સાથે તેમને ખ્યાલ હતા કે કાઇ નવીનતા થાય તે લેાકેા તેમના ગ્રંથ વાંચે અને તે દ્વારા તેઓ ઉપકારના નિમિત્ત કારણુ અને. Page #84 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી સિદ્ધર્ષિ :: ઉપાદ્લાત : આ વિચારણામાં ઉત્કૃષ્ટ પરમાર્થ વૃત્તિ છે. જૈન શાસ્ત્રના એક જાણીતા સિદ્ધાન્ત છે કે કાઇ પણ પ્રાણીને જૈનશાસન પર સાચી શ્રદ્ધા કરાવી શકાય તેના જેવા અન્ય ઉપકાર નથી, કારણ કે એક પ્રાણીને અહિસાપ્રધાન ધર્મમાં લાવવાથી ચાદ રાજલાકના સ જીવાને તેટલા પૂરતું અભય મળે છે. એના સમર્થનમાં ઉપદેશમાળાના કર્તા શ્રી ધર્મદાસણ એક સુ ંદર વાત કહે છે. માતપિતાને ઉપકાર આ પ્રાણી પર એટલા છે કે અના બદલે પેાતાના ચામડાના જોડા કરાવી આપવાથી પણ વળે નહિ, માત્ર એક જ રીતે વળે છે અને તે એ કે જો પુત્ર માબાપને ધર્મના ઉપદેશ આપી સાચા જૈન બનાવ તા બદલે વળે. ( જીએ ઉપદેશમાળા ) આ વાત તેઓ બરાબર જાણતા હતા. ( તઆએ ઉપદેશમાળા ગ્રંથ પર પણ ટીકા કરી છે. ) ૪૨ આ સર્વ વચાર કરી તેમણે કથાનુયોગદ્વારા ઉપમાનના આશ્રય કરવાની મૌલિક પદ્ધતિ સ્વીકારી. વાર્તા લખ્વી તા કાંઇક ચમત્કાર થાય અને સર્વ વાંચ, વાંચવા લલચાય અને છતાં માત્ર તે ઢીંગલા ઢીંગલીની કે લાગણી ઉશ્કેરનારી ન હોવી જોઇએ પણ અક્ષરે અક્ષરમાં અગારવથી ભરપૂર હાવી જોઇએ. આ વિચારને અમલ કરવામાં તેમને જે અગવડ જણાઈ તેના તેઓએ પ્રથમ વિચાર કર્યો જણાય છે. ૭ નવીન શૈલીના બચાવ— ગ્રંથકર્તાને પોતાના ગ્રંથ અપૂર્વ કરવા હતા, છતાં એ શાસ્ત્રસંપ્રદાયને માનવાવાળા હતા, એને પૂર્વ પુરુષાના અપૂર્વ જ્ઞાનમાં પૂર્ણ વિશ્વાસ હતા અને નવીનતા કરવી હતી, છતાં પૂજ્યપાદાને પગલે ચાલવુ` હતુ`. એમની એ ચિંતા આ જમાનામાં જરા વધારે પડતી લાગે, પણ શાસન ચલાવવામાં એ રીતિનુ અનુકરણ અનિવાર્ય છે. સંપ્રદાયપદ્ધતિને અનુસરવાથી એકવામ્યતા રહે છે અને તેમ ન થાય તે શાણું વિશી બિન્દુએ અસ્તવ્યસ્ત થઇ જાય છે. ધ ક્રિયાઓનું અનુશાસન એક પદ્ધતિએ અને આ ધેારણે જ થાય છે. પ્રચલિત લશ્કરી નિયમન (Military disoipline ) આ ધેારણ પર રચાયલુ છે અને સમજણુ વગર જ્યારે Page #85 -------------------------------------------------------------------------- ________________ નવીન કલીને બચાવ.] જ્યારે એ સિદ્ધ વ્યવસ્થાને મૂકી દેવામાં આવે છે ત્યારે માર ખાધો છે એમ આપણે ઈતિહાસ બતાવે છે. આચારના મતભેદ દુરાગ્રહનું રૂપ લે ત્યારે યાદવાસ્થળીનાં કારણ બને છે, પણ ઈરાદાપૂર્વક વિશેષ કારણ વગર માર્ગ પતિત થવામાં એક વાર રસ્તો ચૂક્યા પછી કયાં અટકશે તે જણાતું નથી. એ આખો શાસનપદ્ધતિનો મહાપ્રશ્ન છે અને આ ગ્રંથના લેખક શ્રીસિદ્ધષિને તો એ ગુંચવણ ઘણું આકરી લાગે છે એટલે એમણે તે ગ્રંથની શરૂઆતમાં જ ખુલાસો કરી દીધો છે. એમને ચારિત્રરાજ અને મહરાજનાં યુદ્ધો વર્ણવવાં હતાં, એમને સંતોષ અને ધનલાભનાં સ્વરૂપો ચીતરવાં હતાં, એમને મહારંભ અને મહાપરિગ્રહની કુટિલતા બતાવવી હતી, એમને રાગ અને દ્વેષની પાથરેલી આખી જાળ બતાવવાની હતી, એમને ક્રોધ, માન, માયાનો ક્રમિક વિકાસ અને સંયમપૂર્વક તેનો વિનાશ કઈ પદ્ધતિએ થાય તે બતાવવું હતું. એને આખા સંસારનું નાટક પ્રત્યક્ષ બતાવવું હતું એટલે એમણે તો શરૂઆતમાં કહી દીધું કે : આ કથામાં અંતરંગ લોકેાનાં જ્ઞાન, અરસ્પરસ બોલચાલ, ગમન, આગમન, વિવાહ, સગપણ વિગેરે સર્વ લોકસ્થિતિ કહેવામાં આવી છે તેને કોઈપણ પ્રકારે ગેરવ્યાજબી ન ધારવી; કારણ કે ગુણાન્તરની અપેક્ષા રાખીને ઉપમાદ્વારથી બંધ કરાવવા માટે તેનું નિવેદન કરવામાં આવ્યું છે. એનું કારણ એ છે કે પ્રત્યક્ષથી કે અનુભવથી જે સિદ્ધ થતું હોય અને યુક્તિથી જેમાં કોઈપણ પ્રકારને દોષ આવતો ન હોય તે સત્કલ્પિત ઉપમાન કહેવાય છે અને શ્રીસિદ્ધાન્તમાં પણ એવા ઉપમાને પ્રાપ્ત થાય છે, એને ઉપયોગ થતો જોવામાં આવે છે. ” (પૃ. ૧૧) એમને અંદરનાં રાગદ્વેષ તથા ચારિત્ર અને ત્યાગ વિગેરેને બેલતાં કરવા હતા અને તેટલા માટે તેમણે કહ્યું કે ઉપમાનની પદ્ધતિ આપણામાં તે પૂર્વ કાળથી ચાલી આવે છે. એના એમણે ચાર દાખલાઓ મૂક્યા છે. ૧ શ્રી આવશ્યક સૂત્રમાં મગશેળીઆ પાષાણ અને પુષ્પરાવર્ત વરસાદની હરીફાઈ બતાવવામાં આવી છે. ૨ શ્રી આવશ્યક સૂત્રમાં ક્રોધમાનાદિને સર્પાકારે જીવતા કર્યા છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૪૪ [ શ્રી સિદ્ધર્ષિ : : ઉપદ્માત : ૩ શ્રી પિંડૈષણા અધ્યયનમાં માછલીએ પાતાનું ચરિત્ર કહે છે. ૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં સૂકાં પાંદડા સ ંદેશા કહે છે. આ ચારે હકીકત શાસ્ત્ર-સિદ્ધાન્તમાં બતાવી છે. એ કેવી રીતે તાવી છે તે માટે પ્રસ્તાવ પ્રથમનું પરિશિષ્ટ ૪ જોવુ’. (પૃ.૨૧૯–૨૪૬) એ ઉપરથી જણાશે કે પથ્થર કે પાંદડાં પાસે ખેલાવવાની વાત નવીન નથી, સર્પાદિના રૂપક ક્રોધ, માન આદિ કષાય માટે આપવા ત ચાલી આવતી વાત છૅ, અટલે અનુમાન કે રૂપના આશ્રય આપણ પૂર્વકાળથી લેતા જ આવ્યા છીએ, પણ એમાં ઘેાડી શરતા છે અને તે એ છે કે— ૧ અવુ અનુમાન:પ્રત્યક્ષથી સિદ્ધ થવું જોઇએ. ૨ પ્રત્યક્ષથી સિદ્ધ ન થાય તા અનુભવથી સિદ્ધ થવુ જોઇએ. ૩ યુક્તિથી એવા અનુમાનમાં કાંઇ દોષ આવવા ન જોઇએ. મતલબ એ અનુમાન અક્કલવાળુ હાવુ જોઇએ, એ રૂપક ધ્યાનમાં ઉતરે તેવું હાવુ જોઇએ. એક ઘડિયાળ જોઇને તને હાથી સાથે સરખાવવી એ પણુ રૂપક કહેવાય પણ એ બંધ ન બેસે તેવી વાત છે, અનુભવથી ખેાટી પડે તેવી વાત છે અને યુક્તિથી અગમ્ય છે. આ ધેારણુ રાખી તે જણાવ છે કે ‘ રૂપક કથા કરવાની વાત હું આદરું છું તે મારી પાતાની પદ્ધતિ નથી, મારી નવી શેાધખાળ નથી, પણ શાસ્ત્રમાં એ પદ્ધતિ સ્વીકારાયલી છે અને તેથી પેાતાને ત પદ્ધતિનું અનુકરણ કરવામાં વાંધા લાગતા નથી. ’ તએની દલીલ એમ છે કે ઉપદેશ અપવા માટે સિદ્ધાન્તમાં મૂળ સૂત્રામાં વરસાદ અને મગશેળીઆ પાષાણને મેઘલતા કર્યા છે, સૂકાં પાંદડાં અને નવી કુપળાને ખેલતી કરી છે, ક્રોધાદિને સર્પનાં રૂપકે આપ્યાં છે તે પછી એ પદ્ધતિ આદરવામાં અને તે દ્વારા અંતર ંગમાં રહેલા ભાવાને ખેલતા કરી તેમને જીવતું રૂપ આપી તેમની પાસે જ તેમની વાતા કરાવવી એમાં કેાઈ જાતના શૈલીદ્વેષ થતા નથી. ૮ છતાં સાત્રિક નવીનતા— આ પ્રમાણે તદ્દન માલિક પદ્ધતિ આદરવા છતાં સંપ્રદાયથી એમણે એ શૈલીના બચાવ કર્યા છે. એમને ગ્રંથ લખવા ખાતર Page #87 -------------------------------------------------------------------------- ________________ છતાં સાર્વત્રિક નવીનતા ] ગ્રંથ લખવા નહાતા, પણ પ્રત્યેક વ્યક્તિને ઉપયાગી અને ઉપદેશક થાય અને તેના હૃદયના ઊંડા તાર હલાવે અને તે નિમિત્તે પાતાને લાભ થાય એવા ગ્રંથ લખવાના તેમના આશય હતા. તેમના શબ્દોમાં કહીએ તા “ મારી જેવા પ્રાણી ઉપર ભગવાનની કૃપોનજર થવાને પિરણામે ગુરુમહારાજના પ્રસાદથી અને તેને લઇને તેમના પ્રતાપથી પ્રાટ થયેલી સદ્દબુદ્ધિના આવિર્ભાવથી આ કથામાં જે જ્ઞાન, દર્શન, ચારિત્રની રચના કરવામાં આવી છે તેને જે ભવ્ય સત્ત્વા ગ્રહણ કરશે તએના રાગદ્વેષ વિગેરે ભાવરાગી જરૂર નાશ પામી જશે એમાં જરા પણ સંદેહ જેવું નથી. ( પૃ. ૨૧૪ ) આ એમના ખરા આશય છે. અમને ગ્રંથકાર તરીકે નામના કાઢવી નહેાતી, પણ તમને વિશિષ્ટ દષ્ટિએ પરોપકાર કરવા હતા, ત માટે તેઓએ સર્વ તૈયારી કરી હતી અને તેને અંગે આ તદ્ન માલિક પદ્ધતિ આદરી હતી. તેમણે જે સિદ્ધાન્તના દાખલાઓ ટાંકયા છે તે અમુક અપેક્ષાને આશ્ચર્યાને છે, પણ તેમણે જે પદ્ધતિએ ગ્રંથ લખ્યું અને આખા સંસારની રચના સંક્ષેપમાં બતાવી તેમાં માલિકતા છે, નવીનતા છે, ભવ્યતા છૅ. એ માલિકતા તેમના ઉપરના શબ્દો ઉપરથી જ જણાઇ આવે છે. તેમણે અમુક ગ્રંથના આશ્રય કર્યા નથી પણ તે જણાવે છે કે ગુરુમહારાજની કૃપા( તા )થી જે સત્બુદ્ધિના તમને આવિર્ભાવ થયા તને લઇને આ કથામાં જ્ઞાન, દર્શન, ચારિત્રને ઠાંસી ઠાંસીને ભરી ભરબજારમાં મૂકી દીધા છે. આ સમુદ્ધિના આવિર્ભાવમાં જ નવીનતા છે. ત સમય સુધીના સંપ્રદાયથી પ્રાપ્ત થયેલા જ્ઞાનને વિરેાધ ન આવે તે માટે ગુરુમહારાજની પ્રસાદીની અને ભગવતની કૃપાનજરની જરૂર તમણે સ્વીકારી લીધી છે. એ બન્નેના સાન્નિધ્યથી આડાઅવળા ચાલ્યા જવાનું ન અને તેટલા માટે તની જરૂર હતી, પણ રૂપકની શૈલી આવા મ્હાટા પાયા ઉપર કરવી એ તદ્દન નવીન હકીકત હતી, મૈાલિક રચના હતી અને ભવ્ય કલ્પના હતી. વાત એ છે કે તમણે ‘ઉપમાન અલંકાર ' નવીન શાધ્યેા નથી, પણ આખા સંસારની વાતે રૂપક રૂપે તૈયાર કરવી અને તેમાં Page #88 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી સિહર્ષિ : ઉપધાત સર્વ કર્મો, સર્વ ભાવે અને બાહ્ય તેમજ અંતર ખટપટ અને મવિકારે કથારૂપ આવી જાય, સર્વ અંતરના આવિર્ભાવાને રૂપક અપાય અને સર્વથી ન સમજાય તેવી અંદરની ગુપચુપ ચાલતી હિલચાલ સમજી શકાય એ આખી કલ્પના જ ભવ્ય હતી, એ રૂપક તદ્દન મલિક હતું અને એના પ્રત્યેક વિભાગમાં નવીનતા હતી. એની સાબિતી માટે તે આ ગ્રંથ રજૂ કરવા પડે, પણ એટલું ન કરીએ ને એનાં સ્થળો અને પાત્રોનાં નામે જ વાંચી જઈએ તે પણ બસ થાય તેવું છે. આપણે થોડાં મુદ્દાનાં રૂપકે અત્ર રજૂ કરી તે વાત સાબિત કરીએ, એટલે એમાં સાર્વત્રિક મૈલિકતા જણાયા વગર નહિ રહે. નીચનું પત્રક ( લીસ્ટ) ગ્રંથમાંથી ગમે તે નામે લઈ તૈયાર કર્યું છે, કારણ કે પ્રત્યેક પાત્ર કે સ્થળ એ વાત સાબિત કરી રહે છે, તે પરથી એ મિલિક્તાની ખાત્રી થશે. (ભાવ) (રૂપક) (ભાવ) (રૂપક) તામસી મન તામસચિત્ત નગર લિપ્સા મોહરાજ રાગ રાગકેસરી રાજપુત્ર માયા બહલિકા દ્રષગજેદ્ર રાજપુત્ર રસ્તે ચઢવું માર્ગનુસરિતા મન ચિત્તવૃત્તિ અટવી ભેળા થતા અગ્રહિતસંકેતા તરંગ ચિત્તવિક્ષેપ મંડપ સંસાર અદૃષ્ટમૂળપયેન્દ્રનગર વૈશ્વાનર દુષ્ટાશય જઘન્યતા વિપર્યાસ મતિમોહ કર્મસમૂહગ્રહણ મળસંચય શૈલરાજ વિચારવાળો માણસ બુધ વર્તન ચારિત્રરાજ રસમૃદ્ધિ લેલતા બુદ્ધિ આ પત્રક જેટલું મોટું કરવું હોય તેટલું થાય. એના પાત્રનું લીસ્ટ દરેક પ્રસ્તાવની શરૂઆતમાં આપ્યું છે તે જોવાથી જણાશે કે માત્ર પાત્રોનાં કે સ્થળોનાં નામની યોજના કરવામાં જ અસાધારણ મૌલિક્તા છે. એક વખત એ નામે વાંચી જવાય તો પણ ભારે આહલાદ કરે તેવાં છે અને જ્યારે જ્યારે એ નામાવલિ કેઈપણ વિચક્ષણ માણસે વંચાતી સાંભળી છે અથવા વાંચી છે ક્રોધ માન વિદ્યા Page #89 -------------------------------------------------------------------------- ________________ છતાં સાર્વત્રિક નવીનતા. ] ४७ ત્યારે તેની સાથે જ તેના મુખમાંથી આશ્ચર્યને ઉગાર પણ તે જ વખતે નીકળતો સાંભળ્યો છે. આવી રીતે પાત્રાલેખન અને નામાભિમાન નિર્ણય કરવામાં મલિક્તા છે. એમની મલિકતા અનુમાન કે ઉપમાનની શોધ કરવાની નથી, પણ તેમના કહેવા પ્રમાણે ઉપમાનની પ્રચલિત શૈલી હતી તે તેમણે સ્વીકાર્યા પછી તે ઉપમાનને આખા સંસારવિસ્તાર સાથે લાગુ કરવામાં રહેલી છે. એ મૌલિક્તા સિદ્ધ કરવાનું બીજું ઘણું મુદ્દામ કારણ પ્રાપ્તવ્ય છે અને તે પ્રથમ પ્રસ્તાવની રચના છે. એ પ્રથમ પ્રસ્તાવની રચના બીજા પ્રસ્તાવથી શરૂ થતી મહારૂપક કથાની મૌલિકતા સિદ્ધ કરે તેમ છે. તેની યેજના આ પ્રમાણે લાગે છે તે વિચારવી – ગ્રંથકર્તાએ પ્રથમ પ્રસ્તાવમાં સામાન્ય પ્રસ્તાવના (Preface) પ્રથમ ચોદ પૃષ્ઠમાં (લેક ૧૧૧ વડે ) કરી. તેમાં એક નિપુણ્યક નામના જીવનું ચરિત્ર કહ્યું. અદૃષ્ટમૂળપર્યત નામના નગરમાં એક દીન દુઃખી રેગી અપુણીઓ જીવ રહેતો હતો. તે એકદા સુસ્થિત મહારાજની સાત માળની હવેલી પાસે આવ્યો. સુસ્થિત મહારાજની તેના પર નજર ગઈ. તે જોઈને એ ભિક્ષા માટે રખડતા રેગીને સ્વકર્મવિવર નામના દ્વારપાળે મંદિરમાં દાખલ કર્યો, એની આંખમાં વિમળોલેક નામનું અંજન ધર્મબંધકર નામના રડાના ઉપરીએ આંર્યું, એને તત્ત્વપ્રીતિકર પાણી પાયું અને એને મહાકલ્યાણ નામનું ભજન કવરાવ્યું. એને ભીખ માગવાના ઠીંકરા ઉપર બહુ પ્રીતિ હતી તેથી ધર્મબેકરની પરિચારિકા તયાની વાત એ સાંભળ નહિ. આખરે એને અંજન, જળ અને ભજનના પ્રગથી વ્યાધિઓ ઓછા થયા. પછી એને બુદ્ધિ પરિચારિકા કરી આપી અને છેવટે એણે અન્યને અંજન, જળ ને ભેજન આપવા વિચાર કર્યો. છેવટે એક લાકડાની પેટીમાં એ ત્રણે ચીજો ભરીને ભરબજારમાં મૂકી. આવી અતિ વિચિત્ર વાર્તા ગ્રંથકર્તાએ કહી. એ વાર્તા પૃષ્ઠ ૧૩ થી ૪૭ સુધી ચાલે છે. (શ્લોક ૧૧૨-૪૫૯). પછી ત્યાં ઉપર જણાવ્યું તેમ એક ઘણું અર્થસૂચક વાત કહી છે. “જે હકીક્ત અહીં કહેવામાં આવી છે તે તમામ જીને માટે કહી છે અને તે ગ્રહણ કરવાથી રચનાર ઉપર ઉપકાર થાય Page #90 -------------------------------------------------------------------------- ________________ ૪૮ [ શ્રી સિદ્ધર્ષિ :: ઉપાદ્બાત : તેમ છે, માટે તે ખાખતમાં મારી ઉપર કૃપાવાળા સર્વેએ તે ત્રણે વસ્તુઓ લેવાની કૃપા કરવી. સર્વ તે લેવા ચેાગ્ય છે.” (પૃ. ૪૭). આ વિજ્ઞપ્તિ કરીને પછી ગ્રંથકર્તા કહે છે કે “ આ પ્રમાણે દૃષ્ટાંત આપની પાસે ટૂંકામાં કહી સંભળાવ્યું. હવે તેને ઉપનય કહેવામાં આવે છે તે સાંભળે.” ( પૃષ્ઠ ૪૭). આ ‘ ઉપનય ’ શબ્દના અર્થ વિચારવા જેવા છે. 6 એ સંસ્કૃત ની ધાતુને ઉપસર્ગ ૩પ લાગવાથી બનેલું નામ છે. એના અર્થ પાસે લાવવું ’એમ થાય છે. કાશકાર આપ્ય એના અર્થ Bringing near એમ આપે છે. એના અર્થ ઉપનયન સંસ્કાર પણ થાય છે. ઉપનયન એટલે મૂળ વસ્તુની પાસે જવું, વધારે નજીક જવું, વધારે મારિકીથી એના અંતરપટમાં જઈ એ વસ્તુને આળખવી, એ વસ્તુનું ઊંડાણ વિચારવું, એના રહસ્યમાં પ્રવેશ કરવા એવા ધ્વનિ એમાંથી નીકળે છે. જેમ ઉપનયન સંસ્કારથી ધર્મના જન્મ થાય છે અને પ્રાણી ધર્મની નજીક આવે છે, તેમ ઉપનયદ્વારા વસ્તુના અંતરના જ્ઞાનથી પ્રાણી વાર્તાનું રહસ્ય સમજે છે. શ્રી સિદ્ધર્ષિ ગણિને તદ્ન નવીન શૈલી આદરવી હતી એટલે પેાતાના શ્રોતાવર્ગને એ નવીન શૈલીની દીક્ષા આપવી જોઇએ, શ્રોતાના એક પ્રકારે ‘ ઉપનયન ’ સંસ્કાર કરવા જોઇએ અને તેમને વાર્તાના ઊંડાણુમાં રહસ્યાર્થ માં ઉતારવા જોઇએ. એટલા માટે તેમણે સંસ્કાર કરવા સારુ ઉપેાઘાતરૂપે પાતાનુ ચિરત્ર કહી સંભળાવ્યું અને પછી પાતે જ લખાણ ઉપાદ્ઘાતદ્વારા પ્રત્યેક શબ્દના રહસ્યાર્થ કહી બતાવ્યા: પાતે અષ્ટમૂળપર્યંત નગર શા માટે કહ્યુ ? તેમાં પેાતાના જીવ નિપુણ્યકનું નામ શા માટે ધારી રહ્યો હતા ? તેના અનેક વ્યાધિએ વસ્તુત: શા શા હતા? સ્વકવિવર તે કાણુ ? સુસ્થિત મહારાજા કાણુ ? ધ એધકર મત્રી કાણુ ? અંજન, જળ અને અન્ન શા ? વિગેરે સંપૂર્ણ વાર્તા બહુ વિગતપૂર્વક પોતે જ કહી આપી. પરિણામે જે વાર્તા પાતે લેાક ૧૧૨-૪૫૯ સુધીમાં કહી હતી તેના અંદરનેા આશય સમજાવવામાં લગભગ બે હજાર શ્લાક જેટલી ગદ્ય રચના કરી. એમાં જરાપણ ગેરસમજૂતી ન થાય તેટલા માટે મે ૪૦ અંતર પ્રકરણ પાડ્યા છે અને અનુસંધાના ( Cross reference ) બતાવ્યાં છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ છતાં સાર્વત્રિક નવીનતા. ] ગ્રંથકર્તાએ આ રીતિ બહુ વિચાર કરીને આચરી છે. તેઓ પોતે જ આ આખા ઉપઘાતને અંતે (પ્રથમ પ્રસ્તાવને છેડે ) કહે છે કે भवत्येव गृहीतसङ्केतानामुपमानदर्शनादुपमेयप्रतीतिरत एवेदं कथानकमादावस्यैवार्थस्य दर्शनार्थमुपन्यस्तं यतोऽस्यां कथायां न भविष्यति प्रायेण निरूपनयः पदोपन्यासस्ततोऽत्रशिक्षितानां सुखेनैव तदवगतिर्भविष्यति । જેઓ સંકેત સમજી ગયા હોય છે તેઓને ઉપમાન બતાવવાથી ઉપમેય સમજવું મુશ્કેલ પડતું નથી, એ બતાવવા માટે આ ગ્રંથની શરૂઆતમાં ઉપમાન રૂપ કથાની રચના કરવામાં આવી છે. હવે જે કથા રચવામાં આવે છે તેમાંનું એક પદ પણ બનતા સુધી ઉપમેય વગરનું નહિ આવે. તેને રહસ્યભાવ કેવી રીતે સમજાવો તેની પદ્ધતિ અત્ર જણાવાઈ ગઈ છે તેથી એ કથામાં તમારી સારી રીતે પ્રવૃત્તિ (જ્ઞાન) થઈ શકશે.” (પૃ. ૨૧૬.) મતલબ એ છે કે – – આખી કથા સંકેતરૂપ છે, રહસ્યગર્ભ છે. એ સંકેતને પ્રથમથી જણાવવાની જરૂર હતી. એ જણાવવા માટે પ્રથમ પ્રસ્તાવમાં કથાનક કહ્યું. હવે પછી કથા કહેવાની છે તેમાં ઉપમાન જ બતાવાશે. સંકેત સમજ્યા છો તો ઉપમેય શેધી કાઢજે. હવેની કથામાં પ્રાય: એક પદ પણ રહસ્યાર્થ વગરનું નથી. એમાં તમારે પ્રવેશ થાય તે માટે આ સકિત બતાવ્યો છે. બીજી બાબત ઉપર એના સ્થાને ચર્ચા થશે, પણ સંકેત બતાવવાની પદ્ધતિ એક શિષ્ટ લેખકને ત્યારે જ આદરવી પડે કે જ્યારે તેની શૈલી તદ્દન નવીન હોય. એ પદ્ધતિએ ગ્રંથ લખાઈ ગયા હોય તે આટલી બસો પૃષ્ઠ જેટલી ઉપોદઘાત ગ્રંથકર્તાને પોતાને કરવી પડે નહિ. એ પદ્ધતિ સ્વીકારી સકેત બતાવ્યો છે તેમાં જ એમની મૌલિકતાનું દર્શન છે અને તે વાતમાં ગુંચવણ ન થાય Page #92 -------------------------------------------------------------------------- ________________ ૫૦ [ શ્રી સિદ્ધર્ષિ ઃ ઉપમિતિ ગ્રંથ : તેટલા માટે પેાતાનું ચિત્ર જ ઉપોદ્ઘાતમાં આપી તેના આશય પોતે સ્પષ્ટ કર્યો છે. એમ છતાં ગ્રંથકર્તાને એમ લાગ્યું કે વચ્ચે વચ્ચે કેાઇ વાર સ્પષ્ટતા કરવાની જરૂર તા પડશે જ, કારણ કે એમને તે આખા સ'સાર દનરૂપે વ્યક્ત કરવા હતા અને નાટક બતાવતાં મેાજ કરાવવી નહેાતી, પણ એના ઊંડાણમાં ઉતરવુ હતુ અને વાંચનાર કે શ્રોતાને તેમાં ઉતારવા હતા. એટલા માટે વાર્તા સાંભળનારમાં એમણે બહુ ચાતુર્ય થી અગ્રહીતસ કેતાનું પાત્ર સાથે રાખ્યું છે. ઉપર ‘ ગ્રહીતસ ંકેત ’ શબ્દ (પૃ. ૪૯ સ ંસ્કૃત ટાંચણુ પંક્તિ ૩–૬) વાપર્યા છે તે જોયા હશે; છતાં એક અગ્રહીતસ કેતાને સાથે રાખી, વચ્ચે વચ્ચે પાંચેક જગ્યાએ તેને માટે અથવા તેની દ્વારા ખુલાસા કરાવ્યા છે. સકેત અને પ્રજ્ઞા એ બન્ને ભવ્ય શબ્દો છે અને સંકેતનું જ્ઞાન ખતાવનારા છે. ગ્રહીત, સકેત, શિક્ષિત અને અવગતિ એ ચાર શબ્દો ઉપરના મૂળ ટાંચણમાં છે એને અત્ર ખુલાસા થઇ જાય છે. ' શૈલીની માલિકતાના આ અચૂક પુરાવા છે. એમણે ઉપાદ્ઘાતરૂપે પ્રથમ પ્રસ્તાવ લખ્યા અને ‘ અગ્રહીતસ કેતા ’ અને ‘ પ્રજ્ઞાવિશાળા ' ના પાત્રાને સાથે રાખ્યા એ બતાવે છે કે એમની આ પદ્ધતિ તદ્ન નૂતન હતી. ઉપમાનના ઉપયેાગદ્વારા આવી આખી સંસારલીલા ખતાવવી એ કાય એમણે પ્રથમજ આદર્યું અને તેટલા માટે સ ંકેતના ખુલાસા અતાવી વાર્તા શરૂ કરી. જો તેમ કર્યું' ન હાત તા કથાનું ઉપયાગીપણું રહેત નહિ એમ મને લાગે છે. આખી વાર્તામાંથી પ્રથમ પ્રસ્તાવ બાદ કરીએ અને વચ્ચે વચ્ચે અગ્રહીતસ કેતાની ગુંચવણાને નિકાલ થતા ન જોઇએ તેા વાર્તામાં આટલું ઊંડું રહસ્ય છે એમ સૂજે નહિ અને અત્યારે તે કદાચ સૂજે, પણ જ્યારે એ પદ્ધતિ તદ્દન નવીન હાય, જ્યારે શ્રોતાવ એ દૃષ્ટિબિન્દુથી સાંભળવાની પદ્ધતિમાં આવ્યા ન હેાય, જ્યારે એ પ્રકારની મનેાદશા ઉપસ્થિત જ થઇ ન હેાય ત્યારે ગ્રંથકર્તાને પેાતાને જ રહસ્યાર્થ પ્રકટ કરવાનું કાર્ય સર્જનકળાના વિશિષ્ટ ધેારણને બાજુએ મૂકીને કરવું પડે છે અને એ કરવાના પ્રયત્ન એ એમની ઉપમાન પદ્ધતિના સ્વીકારની માલિકતા બતાવે છે. સાથે ઉપ Page #93 -------------------------------------------------------------------------- ________________ થાકથકની કળાઃ ] ગિતાને ભાગે એને કળાદર્શનમાં જરા ન્યુનના લાગે તે એ વાતનું એમના મનમાં સાપક્ષ દષ્ટિએ સ્થાન નથી, અને એની દર. કાર નથી એમ બનાવે છે. અત્ર તે એક જ મુદ્દો છે કે સંસ્કૃત સાહિત્યના અત્યાર સુધીના જાણપણાને અંગે આપણે એટલું કહી શકીએ છીએ કે આ ઉપમાનના ઉપયોગદ્વારા રૂપક કથાના મેટા પાયા ઉપર પ્રચાર કરનાર શ્રી સિદ્ધવુિં ગણિ પહલા હતા અને તેથી એમની પદ્ધતિમાં સાર્વત્રિક નવીનતા છે. ૯ રૂપક કથાથક તરીકે શ્રીસિદ્ધર્ષિની અદભુત કળા રૂપક કથા કહેવાની તમણે તદ્દન નવીન શૈલી શોધી કાઢી અને આદરી અને ઉપમાનને ખૂબ ઉપયોગ ક્યાં એ વાત આપણે જાઈ. એ ઉપરથી આપણે એમ કહી શકીએ કે જે કે તેઓ પોતાની શૈલીને બચાવ શાસ્ત્રસિદ્ધાન્તના અમુક અમુક દાખલાઓ આપીને કરે છે પણ તે માત્ર તમની નમ્રતા જ બતાવે છે. જે નમ્રતાથી તેઓ ગ્રંથનું વાચન કરવા પ્રાર્થના કરે છે, જે નમ્રતાથી તેઓ પોતાના ગ્રંથને કાછપાત્રમાં મૂકવા યોગ્ય કહે છે, જે વિશાળનાથી તેઓ પાતાને ગ્રંથ રત્નપાત્ર કે સુવર્ણ પાત્રમાં મૂકવા ગ્ય નથી અને કહે છે તજ નમ્રતા તમના મલિક મગજમાં સંપ્રદાય અનુસરણની વાતે લાવી મૂકે છે છતાં જે દાખલા તેઓ આપે છે તેનું ઉપમાન અને જે ઉપમાન તેઓ કથામાં વાપરે છે તેની ભવ્યતા જોઇએ ત્યારે જણાય છે કે એ તમના નમ્રતાના અને વિવેકના શબદો છે. એ અનુકરણથી તેમની મૌલિક્તાને જરા પણ બાધ આવતા નથી. પ્રથમ મગરોળી આ પાપાણ સંબંધી દષ્ટાન લઈએ. ( પૃષ્ઠ. ૨૨૦-૨૨૨, પ્રથમ પ્રસ્તાવ, પરિશિષ્ટ જ. ) ત્યાં મગળીઆ અને પુષ્કરાવર્તની પધાં તદ્દન સાદી છે, એમાં કાંઈ કપનાની ખાસ ભવ્યતા કે વાનના પ્રત્યેક શબ્દમાં ઉપમાન જેવી ચીજ નથી. એમાંથી શ્રીસિદ્ધર્ષિ ગણિને ઉપયોગી વાત તો એક જ મળી આવી લાગે છે કે મગરોળી આ પાષાણ જેવી અજીવ ચીજને ખાસ ઉદ્દેશના લક્ષ્યાર્થથી જીવતી-બેલી કરી શકાય છે. નાગદત્તની કથાનું દહન બીજું આપવામાં આવ્યું છે. ( પૃ. ૨૨૨-૮ સદર) એમાં નાગ અને નાગણીનું વર્ણન કરી તેને Page #94 -------------------------------------------------------------------------- ________________ પર [ શ્રી સિદ્ધર્ષિક ઉપમિતિ ગ્રંથ છે ક્રોધ, માન, માયા, લેભ સાથે સરખાવ્યા છે. વસ્તુત: એમાં રૂપક જેવું કાંઈ નથી, ઉપમાન પણ નથી, માત્ર એને એક પ્રકારની વ્યાક્તિ કહી શકાય. એમાં કલ્પનાની ભવ્યતા નથી. ત્રીજું દષ્ટાંત માછલાનું છે. એમાં માછીમાર માછલાને પકડવા આંકડો પાણીમાં નાખે છે, પણ અનુભવી માછલ ત્રણ ત્રણ વાર માંસ ખાઈ જાય છે છતાં સપડાતો નથી અને પોતે કેવી રીતે સપડાયો નહોતે તેની વાર્તા કહે છે. (પૃ. ૨૨૮-૩૦ સદર). આમાં માછલું બેલે છે તેટલા પૂરતું જ નવીનત્વ છે, બાકી એમાં રૂપક ભાવ ઉઘાડે પડી જાય છે. ચેથી ધૂમપત્રની વાર્તા ઉત્તરાધ્યયનના દશમાં અધ્યયનમાંથી કહી છે. તેમાં ખરતાં પાંદડાં કહે છે કે–અમારો અત્યારે જેવો વખત છે તેવો તમારો ( કંપળને ) આવશે ( પૃ. ૨૪૩ ) માટે તમે અમને હસે છે તે નકામું છે. આમાં પાંદડાં બોલે છે એટલી જ વાતો જાણવા જેવી છે. એ ચારે દષ્ટાન્તમાં કાંઈ ૫નાની ભવ્યતા નથી, રૂપકનું અપૂર વત્વ નથી, ઉપમાનનું ગૌરવ નથી, માત્ર બેધ કરવા સારુ અસલ જેમ પંચતંત્રાદિ ગ્રંથો અથવા ઈસન્સ ફેબસ (Esop's Tables)માં જનાવર કે પક્ષી પાસે વાત કરાવવામાં આવતી હતી તે રીતિનું અનુકરણ છે. એ ચારે દષ્ટાન્ત સાથે ઉપમિતિના ચેથા પ્રસ્તાવને એક જ પ્રસંગ વિચારીએ. એમાં ચિત્તવૃત્તિ અટવી, તેમાં પ્રમત્તતા નદી, એ નદીમાં તદ્વિલસિત નામને દ્વીપ, એ દ્વીપમાં ચિત્તવિક્ષેપ નામને મંડપ, એ મંડપમાં તૃષ્ણ નામનું પ્લેટફોર્મ વ્યાસાસન અથવા વેદિકા અને તે વેદિકા ઉપર માંડેલ વિપર્યાસ નામનું સિંહાસન અને એ સિહાસન ઉપર મહરાજી બેઠેલા, એના રાગકેસરી અને દ્વેષગજેંદ્ર છોકરાં, ત્યાં બીજા સાત રાજાઓ અને મહરાયને આખો પરિવાર એ વિશાળ મંડપમાં બેઠે છે અને સોળ છોકરાઓ એની પાસે રમી રહ્યા છે. એ કલ્પના એક બાજુ પર કરી લો. તેની સામે તે જ પ્રસ્તાવમાં આપેલ સાત્વિકમાનસપુરની કલ્પના કરે, તેમાંથી વિવેક પર્વત નીકળે, એ પર્વત ઉપર અપ્રમત્તત્વ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૫૩ કથાચકની કળાઃ ], શિખર હાય, એ શિખર ઉપર જૈનપુર નામનું નગર દેખાય, એ ( સીમલા જેવા પર્વત પરના ) નગરની વચ્ચે કાઉન્સિલ હાલ જેવા મોટા ચિત્તસમાધાન મંડપ નાખ્યા હાય, એના ઉપર નિ:સ્પૃહતા નામની વેદિકા હાય, એના ઉપર જીવવીય નામનું સિંહાસન હાય અને તેના ઉપર ચારિત્રધર્મ નામના રાજા બેઠા હાય અને ચારે માજી તેના પરિવાર હાય. આ કલ્પનાની ભવ્યતા અસાધારણ છે, અદ્ભુત છે, અપૂર્વ છે. આ ખાખત તા ખીજે પ્રસંગે અને ખીજા સંબંધમાં વિચારવાની છે. અત્ર કહેવાની હકીકત એ છે કે રૂપક કથાના કહેનાર તરીકે તેઓ જો કે શાસ્ત્રના દાખલા આપે છે, છતાં તેમની કલ્પનાની ભવ્યતા અસાધારણ છે. તેમના વખત સુધીમાં કેઇએ એવા પ્રકારની આખા સંસારને લાગુ પડે તેવી આખી વાર્તા રૂપઢ્ઢારા લખી હાય તેમ જણાતું નથી એ પણ આપણે હવે પછી જોશું. વાર્તા કહેનાર ( કથાકથક ) તરીકે તેમણે ભવ્ય કલ્પના તદ્દન નવીન ઢબે કરી છે એ અત્ર વક્તવ્ય છે. એમાં વધારે ખૂમીની હકીકત એ છે કે એમણે કલ્પના ચલાવ્યા છતાં વાર્તાના રસ અગડવા દીધા નથી અને અપૂર્વ કથા એક રીમાન્સ ( અદ્ભુત કથા ) તરીકે કરી છે. એમાં એમના મનુષ્યની માનસિક દશાને અભ્યાસ પણ અસાધારણ છે એ ખાખત પણ પ્રસંગે અન્યત્ર જોવાશે. એક કથા કહેનાર તરીકે તેમણે અસાધારણ માલિકતા બતાવી વાતાના રસ તૂટી ન જાય તે રીતે વાત કરી છે અને તેમ કરવામાં અંતર કથાની પદ્ધતિના ઉપયોગ કર્યો છે. કથાકથકની એ અસાધારણ વિશિષ્ટતા છે તે આપણે જોઇએ. કથા કહેવાની પદ્ધતિમાં માલિકતા લાવવા માટે એક માટુ રેશમાન્સ ( અદ્ભુત કથા ) તેમણે ખડું કર્યું. એક છ ખંડ પૃથ્વી સાધનાર મહાત્ ચક્રવતીને રસ્તા પર જતા કલ્પીને તેને ફાંસીએ ચડાવવા લઇ જવાતા કલ્પ્યા અને તેની પાસે તેની આખી વાતા કહેવરાવી. તે કાળના ગ્રંથામાં વાર્તાકથનની આ પદ્ધતિ હતી. શ્રી આણુ કવિએ આખી કાઢખરીની કથા પોપટના મુખમાં મૂકી ત્યારે શ્રી સિદ્ધર્ષિગણિએ આખી કથા એક વચ્ચસ્થાનકે લઈ જવાતા સંસારીજીવના મુખમાં મૂકી. વાસ્તવિક રીતે એ મહાન ચક્રવતી છે Page #96 -------------------------------------------------------------------------- ________________ ૫૪ [ શ્રી સિહર્ષિ :: ઉપમિતિ ગ્રંથ : જે બાબત આગળ સ્પષ્ટ થાય છે. અનેક ભવની કથાનું ચિત્ર તે તેની પાસે મેાજૂદ હતું. એમને મન શ્રીહરિભદ્રસૂરિનુ અનુકરણુ એ તે જાણે ઘરની વાત હતી, એ એમના પરમ ઉપકારક હાઈ એનું અનુકરણ કરવામાં એ પેાતાની જાતને ધન્ય માનતા હતા; પણ શ્રી હરિભદ્રસૂરિ ત ‘ સમરાઇÁકહા ’ માં એક જીવની વાત કરી એક મનેાવિકારને ન્યાય આપી શકયા હતા, શ્રી સિદ્ધર્ષિને વિષય તા આખા સંસાર હતા. એટલે પેાતાની રૂપક કથાને અનુફળ થાય તેવી ચેાજના સારુ એમણે કેટલીક વાત સંસારી જીવે અનુભવી તે કહી અને કેટલીક તેણે સાંભળી તે કહી. તેટલા માટે તેમણે દરેક પ્રસ્તાવમાં અ ંતરકથા કહી અને તે રીતે તેમણે સ્પશે - દ્રિયને ત્રીજા પ્રસ્તાવમાં, રસેન્દ્રિયને ચેાથા પ્રસ્તાવમાં, ઘ્રાણેંદ્રિયને પાંચમા પ્રસ્તાવમાં, ચક્ષુરિંદ્રિયને છઠ્ઠા પ્રસ્તાવમાં અને શ્રોત્રે ંદ્રિયને સાતમા પ્રસ્તાવમાં આકાર આપ્યા. એ ઉપરાંત એમણે કથામાં ( અંતર ) કથા અને તેમાં પણ ( અવાંતર ) કથાએ મૂકી છતાં કાઇ પણ જગ્યાએ જરાપણ અસ્તવ્યસ્તતા થવા દીધી નથી. દાખલા તરીકે પાંચમા પ્રસ્તાવમાં સંસારી જીવ વામદેવ તરીકે પેાતાના અનુભવ કહે છે, ત્યાં બુધસૂરિ ધવળરાજ સમક્ષ જે સ્વાનુભવ બતાવી રહ્યા છે તેની વાર્તા અંતરકથારૂપે ચાલે છે, એમાં વળી ખઠર ગુરુનું કથાનક ચાલે છે અને અંતે સર્વને સાર સમજાવવામાં આવે છે. આ અંતરકથાની પદ્ધતિ એમણે ખાસ કારણસર સ્વીકારી જણાય છે. કાઈ કાઈ વાર કથામાં કથા, તેમાં અંતરકથા અને તેમાં અવાંતર કથા આવે છે અને છેવટ ખરાખર મેળ મળી જાય છે. તેમને આખી દુનિયા તપાસવી હતી અને તે કાય જો તેહમંદીથી કરવું હેાય તે! અંતરકથાના ઉપયાગ જરૂર કરવા જ પડે, કારણ કે તેઓ પેાતાની પાસે પડેલા શ્રી સમરાઈચ્ચકહાના આદર્શોથી જોઈ શકયા હતા કે એક વ્યક્તિના ચરિત્રમાં આખી દુનિયાને બતાવવી અશકય છે. એમણે ચેાથા પ્રસ્તાવમાં વિમર્શ ને પ્રક ની ભવ્ય કલ્પના કરી, અન્નેને રસનાના મૂળની શોધ કરવા માકલ્યા, એ મામા ભાણેજને એક વર્ષના સમય કાર્ય સિદ્ધિને અંગે આપ્યા પણ તે બન્નેએ છ માસમાં પોતાનું કામ આટોપી નાખ્યું. Page #97 -------------------------------------------------------------------------- ________________ કથાકથકની કળાઃ ]. ૫૫ (પ્ર. ૪. પ્ર. ૨૦. પૃ. ૯૧૧) ત્યારપછી તેઓ ભવચક્ર જેવા નીકળી પડ્યા. પછી સપ્ત દુર્વ્યસનનું સ્વરૂપ બતાવી દીધું, એનાં જીવતા દાખલાઓ આપ્યા, વસંતરાજને ઉન્માદ બતાવ્યા, ધનગર્વનાં દષ્ટાંત બતાવ્યાં અને અતિ અદ્ભુત કલ્પના કરી સાત પિશાચીઓને બતાવી. એ જરા, જા, મૃતિ, ખલતા, કુરૂપતા, દરિદ્રતા અને દર્ભમતાને એવી યુક્તિથી ગોઠવી દીધી અને એની સામે એના સાત વિધી ભાવ એવી સરસ રીતે ગોઠવ્યા કે એમાં આખી મનુષ્યગતિની સર્વ મેટી પુણ્ય પાપ પ્રકૃતિનું દશ્ય આવી જાય. (જુઓ પૃ. ૧૦૧૧ નીચે કરેલી નેટ ના. ૧.) આવી અંતરકથાની યોજના ત્રીજાથી માંડીને સાતમાં પ્રસ્તાવ સુધી બહુ વૈજ્ઞાનિક પદ્ધતિએ કરી છે. આ તેમની રૂપક કથા કહેવાની માલિકતા છે. તેમણે પ્રથમ પ્રસ્તાવમાં પોતાનું ચરિત્ર લખી પ્રત્યેક શબ્દ અને વાક્યનું રહસ્ય ઉતારી આપી સંકેત બતાવી દીધું અને પછી કથા શરૂ કરી એટલે ઉપનય ઉતારવાનું કે રહસ્ય જણાવવાનું રહેતું નહોતું, છતાં વાર્તા ઘણી ઊંડી એટલે એમણે અવારનવાર પ્રસંગે લઈ ઉપનય ઉતાર્યો છે તે માટે પણ એમણે ભવ્ય યોજના કરી છે. એમણે પ્રથમ પ્રજ્ઞાવિશાળ અને અગૃહીતસંકેતા નામની બે સખીઓ ઊભી કરી. એક અતિ બુદ્ધિશાળી, વિચારશીલ અને કપનાભરપૂર વિદુષી સ્ત્રી કલ્પી અને બીજી તદ્દન સાદી–ભેળી અને ઊંડાણમાં ન ઉતરી શકે તેવી ચાલુ સ્ત્રી કપી. પ્રથમનું નામ પ્રજ્ઞાવશાળ એટલે વિશાળ બુદ્ધિવાળી એમ આપ્યું અને બીજીનું નામ અગ્રહીતસંકેતા એટલે ઊંડાણ ન સમજનારી–સંકેત ન સમજનારી એવું આપ્યું. દરેક પ્રસ્તાવને છેડે અને એકાદ વખતે ચાલુ કથામાં પ્રજ્ઞાવિશાળ દ્વારા કેટલાક ખુલાસા કરાવ્યા છે અને કેટલાક મુલતવી રખાવ્યા છે. તે માટે નીચેના મુદ્દા તપાસવા. બીજા પ્રસ્તાવને છેડે ભવ્ય પુરુષના સવાલના જવાબમાં પ્રજ્ઞાવિશાળા ખુલાસા કરે છે. (પ્ર. ૨. પ્ર. ૧૦. પૃ. ૩૨૯-૩૦) ત્રીજા પ્રસ્તાવને છેડે પ્રજ્ઞાવિશાળા ચિંતવન કરી ખુલાસો કરે છે. (પ્ર. ૩. પ્ર. ૩-૪. પૃ. ૬૮૮-૯) ચોથા પ્રસ્તાવના અગિયારમાં પ્રકરણમાં સંસારી જીવે વેલ Page #98 -------------------------------------------------------------------------- ________________ ૧૬ [ શ્રી સિહર્ષિ : ઉપમિતિ ગ્રંથ : હલની કથા કહી પ્રજ્ઞાવિશાળા પાસે ચિત્તવૃત્તિ અટવી આદિને વિસ્તારથી ખુલાસો કર્યો છે (પ્ર, ૪. પ્ર. ૧૧. પૃ. ૮૧૮-૮૪૩.) - સદર ચોથા પ્રસ્તાવના પ્રકરણ ૮માં કેટલાક ખુલાસો સંસારી જીવ કરે છે તેને સવાલ ખાસ વિચારવા ચોગ્ય છે. (જુઓ પ્ર. ૪. પ્ર. ૮ પૃષ્ઠ ૭૯–૮૦૦.) એમાં એક મુદ્દાની વાત કરી છે કે આ આખા ચરિત્રમાં ગૂઢાર્થ વગરનું એક પણ વાકય નથી. ન સમજાય તો પ્રજ્ઞાવિશાળ જનેને પૂછવું. પાંચમા પ્રસ્તાવને છેડે ભવ્ય પુરુષની વિચારણા દ્વારા કેટલાક ખુલાસા કર્યા છે. (જુઓ પ્ર. ૫. પ્ર. ૨૨. પૃ. ૧૩૩૮–૧૩૪૧.) સાતમા પ્રસ્તાવને છેડે મહામહને મહાપરિગ્રહ સંબંધી કેટલીક વિચારણા પ્રજ્ઞાવિશાળાએ બહુ સુંદર રીતે કરી છે. (પ્ર. .... ૧૭ પૃ. ૧૮૪૦-૪૨). આઠમે પ્રસ્તાવ તે ખુલાસાથી ભરપૂર છે. આ પ્રમાણે ખુલાસા કરાવવાનો હેતુ એ જણાય છે કે વાંચનાર માત્ર કથાના રસમાં દોડ્યો જાય અને આગળ-પાછળને વિચાર ન કરે તે તો એને એક નવલકથા કે અભુત ચરિત્ર વાંચવા જેવું થઈ જાય; પણ વચ્ચે વચ્ચે જે આવી બ્રેક મૂકી હોય તો પાછો એ જરા ઊભો રહે, અટકે, થેલે અને વિચારમાં પડી જાય. વાર્તાની ગોઠવણને અને કળાવિધાનને ક્ષતિ ન આવે તેવી રીતે આ અવાંતર રૂપે ગોઠવણ કરી છે. આટલા મોટા પુસ્તકમાં એવી ગોઠવણની ખાસ જરૂર હતી. રૂપકકથા કહેવાની તેમની યુક્તિ બહુ ભવ્ય છે. એમણે એક જીવન ચરિત્ર સાથે બીજી અનેક બાબતે પ્રસંગે પ્રસંગે એવી રીતે ગોઠવી દીધી છે કે એના રહસ્યનો જેમ જેમ વિચાર કરવામાં આવે તેમ તેમ તેમાં મહાન સત્યે ભરાયેલાં દેખાઈ આવે અને જે એટલા ઊંડા ઉતરી શકે તેમ ન હોય તેમને કાંઈ નહિ તો કથાશ્રવણને લાભ કે રસ તો જરા પણ નરમ પડે જ નહિ. આખા સંસારને પિતાનો વિષય કરવા માટે તેમણે આ સર્વ રીતિઓ સ્વીકારી એક નવીન શેલીનું પ્રાથમિક દર્શન તેના ભવ્ય સ્વરૂપમાં કરાવ્યું છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ રૂપક કથાકાર તરીકે, સિદ્ધર્ષિનું સ્થાનઃ ] ૫ કથનકાર ( કથા કહેનાર ) તરીકેની તેમની એક બીજી પણ વિશિષ્ટતા છે. તેમણે પાતાની કથાને રેશમાન્સ( ભવ્ય કથા )ની કેટિમાંથી કદી પણ ખસવા દીધી નથી. મોટા પર્વતા, દિરયાઓ, શિખરો, નદીઓ, અટવી, જંગલા, ચૈત્યા, વિમાન, આકાશઉડ્ડયના, લગ્નમંડપા, વરઘેાડા, મહેાત્સવે। આ સર્વના ભવ્ય પ્રસંગે। એમણે વખતેાવખત હાથ ધર્યા છે અને કલ્પનાની ભવ્યતા એ અદ્ભુત કથાનું ( રામાન્સનું ) ખાસ અંગ હેાઇ એમણે રસની ક્ષતિ ન થાય અને રૂપકમાં વિરોધ ન આવે તે રીતે બન્ને હેતુ :એકીસાથે પાર પાડ્યા છે. રેશમાન્સ અને એલીગરી ( ભવ્ય કથા અને રૂપક કથા ) હંમેશાં અનિવાર્ય રીતે:સાથે જોડાયલા રહે જ છે, પણ અને લેખક ખરા કળાકાર ન હેાય તાલ્પના કરવા જાય ત્યાં રૂપક ખેંચાઈ જાય છે અથવા ખરી પડે છે. એક પણુ પ્રસંગે આખા ગ્રંથમાં આ સિદ્ધ લેખકે તેમ થવા દીધું નથી એ રૂપકકથાના કથક તરીકેની તેમની ખાસ વિશિષ્ટતા છે. ૧૦ સમસ્ત ( જૈન અને જૈનેતર) સ ંસ્કૃત સાહિત્યમાં રૂપક કથાકાર તરીકે સિદ્ધૃષિનું સ્થાન. રૂપક કથાકાર તરીકે ગ્રંથકર્તાની વિશિષ્ટતા જોઇ, હવે સ`સ્કૃત સાહિત્યમાં તેમનુ સ્થાન શુ છે તે તપાસીએ. તેમના વખત સુધીમાં રૂપક કથાકાર તરીકે તેમનુ સ્થાન વિચારતાં પ્રથમ સંસ્કૃત સાહિત્યના બે વિભાગ પાડીએ: જૈન સંસ્કૃત સાહિત્ય અને જૈનેતર સંસ્કૃત સાહિત્ય. તે બન્નેને અંગે તેમનું સ્થાન વિચારીએ. જૈન સંસ્કૃત સાહિત્યમાં રૂપક કથાને કાઇએ આવે! પ્રયાસ આટલા મેાટા પાયા ઉપર તેમની પહેલાં કર્યા હાય એમ જણાતું નથી. એમને રૂપકથા લખવા પહેલાં તેના બચાવ કરવા પડ્યો, સિદ્ધાન્ત ગ્રંથામાં પાંડાંને ને વરસાદને ખેલતાં કર્યા છે એમ જણાવુ પડ્યું અને ખીજુ કાઈ જાણવાલાયક માટું દૃષ્ટાન્ત આપ્યું નહિ તે જ બતાવે છે કે તેમના પહેલાં કાઈ પણ જૈન લેખકે મોટા પાયા ઉપર રૂપકકથા લખવા પ્રયત્ન કર્યો નથી. એ પ્રમાણે ८ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૫૮ [ શ્રી સિહર્ષિ ઉપમિતિ ગ્રંથ : સ્વીકાર કરવાનું એક બીજું કારણ એ પણ છે કે એમણે પોતે એક આખો (પ્રથમ) પ્રસ્તાવ લખી તેમાં રૂપક કથાને કેવી રીતે છોડવી, તેનો ઉપનય કેમ ઉતારે, તેમાં રહેલ રહસ્યાર્થ કેવી રીતે ઘટાવે તે સર્વે તેમને જ બતાવવું પડયું. જે એ રીતિ પ્રચલિત હોત તો એવી લંબાણ વાર્તા કરવાની જરૂર તેમને પડત જ નહિ. પ્રથમ પ્રસ્તાવ લખવા ઉપરાંત આગલા મુદ્દામાં (મુદ્દો ૯. પૃ. ૫૧ થી ) જે વિગતો મેં બતાવી છે તે પ્રમાણે “અગ્રહીતસંકેતા” અને “પ્રજ્ઞાવિશાળા” દ્વારા તેમને વારંવાર ખુલાસાએ કરાવવા પડ્યા છે. એ સર્વ પદ્ધતિ એક જ વાત બતાવે છે કે તેમની પહેલાના કોઈ પણ લેખકે આખા સંસારને રૂપકદ્વારા બતાવવાને પ્રયત્ન કર્યો નહિ જ હોય. સકિત બતાવવા માટે તેમણે બીજી અનેક ઘટનાઓ વારંવાર કરી છે જે સર્વ ઉપરની હકીકતને વધારે સ્પષ્ટ રીતે સાબિત કરે છે એટલે કે એ બતાવે છે કે રૂપક કથાને આવા મોટા પાયા ઉપર પ્રાગ આદરનાર તેઓ પ્રથમ હતા. અનેક સંસ્કૃત સાહિત્યના અભ્યાસીઓને મેં પૂછયું, તપાસ કરતાં જણાયું કે “આવી મેટી રૂપકકથા તો કેઈ સ્થાનકે છેજ નહિ, માત્ર એને” મળતી શરૂઆત બહુ નાના પાયા ઉપર શ્રીમદ્ ભાગવત (વેદવ્યાસ પ્રણિત)ને ચોથા સ્કંધમાં પુરંજન આખ્યાનમાં થઈ હોય એમ જણાય છે. ત્યારપછી હું એ વિભાગ વાંચી ગયો. એમાં પચીશમા અધ્યાયમાં આત્માના અનેક જન્મ સંબંધી કારણનો સવાલ નારદ પાસે કરવામાં આવે છે તેના જવાબમાં નારદ મુનિ પુરંજનનું ચરિત્ર કહે છે. એમાં ચાર અધ્યાયના અનુક્રમે ૬૨-૨૬-૩૦–૬૫ લોકો છે. પુરંજન એ જીવ છે. નગરી અને પ્રમદાનું વર્ણન છે. એમાં બુદ્ધિ, જ્ઞાનેંદ્રિય અને કમેંદ્રિયનાં રૂપકે આપ્યાં છે, પ્રાણે, વૃત્તિઓ, સુષુપ્તિ, સ્વપ્નાવસ્થાને રૂપક આપ્યાં છે, શરીરનાં નવ દ્વારને રૂપકો આપ્યાં છે અને પુરંજનની વિષયાસક્તિથી તેનું સંસાર-ભ્રમણ બતાવ્યું છે અને સ્ત્રી ઉપરની વાસનાથી એ અન્ય ભવમાં સ્ત્રી થઈ જાય છે એમ બતાવ્યું છે. એ સ્વસ્વરૂપને વીસરી જઈ બુદ્ધિદ્વારા સંસાર પર રુચિ કરે છે. એમાં મૃત્યુ અને વૃદ્ધાવસ્થાનાં રૂપકો અપાયાં છે અને પછી બ્રહ્મસ્વરૂપ હંસ પોતે છે તેને બે પતિ વિયોગે તેને થતો બતાવ્યો છે. ઓગણત્રીશમાં Page #101 -------------------------------------------------------------------------- ________________ રૂપક કથાકાર તરીકે સિદ્ધર્ષિનું સ્થાનઃ ] અધ્યાયમાં નારદ પિતે જ એ આખી વાર્તાનું રહસ્ય અને રૂપકેના ભાવ સ્પષ્ટ કરે છે. | નાના પાયા ઉપર પરિમિત બાબતે જ લઈએ તે આમાં જે રૂપકે લેવાયાં છે તે સારાં લાગે છે, બેસતાં આવે છે, પણ એને વિસ્તાર ઘણે જ ટૂંકે છે અને એને રૂપકકથા કહી શકાય તેમ નથી. એમાં કળાવિધાન જેવું કાંઈ નથી. નારદને પિતાને જ એના ખુલાસા કરવા પડે છે. એમાં શ્રી સિદ્ધર્ષિની વિશાળતા કે વિસ્તૃતતા આવતા નથી, છતાં આવા પ્રકારની કથા પણ કહી શકાય છે એમ બતાવવા પૂરતું એ ગ્રંથમાં સ્થાન છે એની બહુ નાના પાયા ઉપર ભૂમિકા ત્યાં છે. એને મૂળ સૂત્રમાં પુંડરીક અધ્યયન કે દ્રુમપત્ર અધ્યયન જેટલું જ લગભગ સ્થાન મળે તેમ છે. અનેક બહવિદેને પૂછતાં ઉપરોક્ત લઘુ ચરિત્રને બાદ કરતાં સમસ્ત સંસ્કૃત સાહિત્યમાં શ્રી સિદ્ધર્ષિના સમય સુધીમાં આવો કે ગ્રંથ લખાયો હોય તેમ જણાતું નથી. એક વિદ્વાને ચર્ચા કરતાં મને સવાલ કર્યો હતો કે પંચતંત્રમાં પશુ તથા પક્ષીની વાત કરી તે દ્વારા મનુષ્યને જ્ઞાન આપ્યું છે તે તેને રૂપક કહેવાય કે નહિ ? આને જવાબ સીધે છે. કઈ પણ વાર્તા લઈએ તો તેમાં પ્રત્યેક બનાવ કે વાક્યમાં રહસ્યાર્થ નથી હોતો, પણ વાતને સાર હોય છે અને તે મનુષ્યને પણ લાગુ પાડી શકાય છે. એ વાર્તાપદ્ધતિ બહુ સુંદર છે અને પ્રસંગે એમાં “વ્યાક્તિ” કે “અતિ ” આવે છે, પણ એને રૂપકકથા (એલિગરી) કહી શકાય નહિ. એ પશુ પક્ષીની વાર્તાઓ જેવી જ અંગ્રેજીમાં “ઇસન્સ ફેબલ્સ” આવે છે. તે એક નવીન વાર્તાપદ્ધતિ છે અને બહુ ઉપયોગી હોઈ સફળ થયેલી છે, પણ એનો વિભાગ તદ્દન જુદે જ છે. એને રૂપક કથા કહી શકાય નહિ. આ પ્રમાણે જેન કે જેનેતર સમસ્ત સંસ્કૃત સાહિત્ય દશમાં શતક સુધીનું તપાસતાં કોઈ પણ લેખકે આખા સંસારને નજરમાં રાખી વિશિષ્ટ ભવ્ય કહ૫નાદ્વારા આખી વાર્તા રૂપક તરીકે નીપજાવી હોય એવું જાણવામાં આવતું નથી. ખુદ પુરંજન આખ્યાન ઉપર શ્રીધરે ટીકા લખી છે ત્યાં તે કહે છે કે પ્રત્યેક પદની અધ્યાત્મ વિષયમાં યોજના કરવી કઠણ અને નિષ્ણજન છે. વાર્તાને કેટલેક ભાગ તે કથા પ્રસંગ જળવાઈ રહે અને રસ તૂટી ન જાય તે Page #102 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી સિહર્ષિ ઉપમિતિ સંય : માટે જ કરવો પડ્યો છે અને તે પણ વાર્તા ઘણુ જ ટૂંકી રહેવા છતાં તેની સાથે શ્રી સિદ્ધર્ષિની પ્રતિજ્ઞા તેમના પાત્રને મુખે કેવી થઈ છે તે જરા સરખાવીએ. પ્રસ્તાવ ૪, પ્રકરણ ૮, પૃ. ૯ માં તેઓએ નીચેને ખુલાસો સંસારીજીવને મુખે કરાવ્યો છે. ત્યાં પ્રજ્ઞાવિશાળાએ તેને પૂછ્યું કે “જ્યારે એનું ચરિત્ર વિચક્ષણાચાર્ય તેને (પતે રિપુદારૂણ હતું ત્યારે) સમજાવતા હતા તે વખતે તેને અવિક્તિાની જુદે જુદે સ્વરૂપે ઓળખાણ થઈ હતી?” તેના જવાબમાં સંસારીજીવે કહ્યું કે “મને તે વખતે કાંઈ પણ વાત સમજવામાં આવી ન હતી. અને આ કહેવામાં આવતે મારે એક પછી એક અનેક અનર્થો સાથેને સંબંધ મારા અજ્ઞાનનું જ પરિણામ હતું. હું તો તે વખતે એમજ વિચારતો હતો કે એ સાધુ મારા પિતાને કઈ મજાની વાર્તા કહે છે. એ વાર્તાની અંદર રહેલ ભાવાર્થ કે રહસ્યને જેમ અત્યારે અગૃહીતસંકેતા સમજતી નથી તેમ હું પણ જરાએ સમજતો નહોતે.” અગૃહીતસંકેતાએ કહ્યું: “ ત્યારે શું આ વાર્તા કહો છો તેમાં અંદર કાંઈ ખાસ રહસ્ય છે? કઈ ઊંડો ભાવાર્થ રહેલે છે? સંસારીજીવે જવાબમાં કહ્યું: “હા, એમાં ઘણે ભાવાર્થ રહેલો છે. મારા ચરિત્રમાં ઘણે ભાગે ગૂઢાર્થ વગરનું એક પણુ વાકય નથી, માટે તારે વાર્તા માત્ર સાંભળીને તેટલાથી સંતોષ ન પકડી લે, પણ તેને ગૂઢાર્થ પણ સમજ. એને ગૂઢાર્થ બરાબર સ્પષ્ટ રીતે સમજાય તેવા જ છે, છતાં પણ અJહસંકેતા! જે કઈ જગ્યાએ એ ભાવાર્થ તારા સમજવામાં ન આવે તે તારે પ્રજ્ઞાવિશાળાને પૂછી જેવું. તે મારા વચનનો ભાવાર્થ બરાબર સમજે છે.” આમાં બે વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. હું ! नास्ति प्रायेण मदीयचरिते भावार्थरहितमेकमपि पचनम् भने બીજી વાત સુર માણા ગ્રંથર્તાની પ્રતિજ્ઞા એ છે કે સંસારીજીવના આખા ચરિત્રમાં એક વચન પણ ઊંડા ભાવાર્થ વગરનું નથી. તેમણે ક્યા કહેવા ખાતર કે કળાપ્રદર્શનને અંગે એક વચન પણ નકામું વાપર્યું Page #103 -------------------------------------------------------------------------- ________________ તેમની શૈલીનું અનુકરણ ] નથી. બીજી હકીક્ત કથાનો ભાવાર્થ સમજાય તેવો છે તે અત્ર પ્રસ્તુત નથી. આગળ તે પર ધ્યાન ખેંચવામાં આવશે. હજારે શ્લોકનું ચરિત્ર અભુત કથાના આકારમાં લખવું અને સાથે એક પણ વાક્ય ભાવાર્થ-રહસ્યાર્થ વગરનું આવવા ન દેવું એ અજાયબીભરેલી વાત છે અને છતાં તે તદ્દન સાચી છે. કેઈ સ્થાનકે આપણને તે વાત ન બેસે તે વિશાળ બુદ્ધિવાળાને પૂછવું. આમાં ગ્રંથકર્તાએ પ્રાયઃ શબ્દ સાપેક્ષ નજરે વાપર્યો છે તે તેમની નમ્રતા, વિશાળતા અને ભાવભીસ્તા બતાવે છે. આટલા ઉપરથી એમ જણાય છે કે જેન તેમજ જૈનેતર સાહિત્યમાં રૂપક કથાકાર તરીકેનું શ્રી સિદ્ધર્ષિનું સ્થાન અપૂર્વ છે. એમને એમના ઉક્ત સ્થાનથી મૃત કરે તે કઈ દાખલો મને મળ્યો નથી અને અનેક વિદે અને બહુશ્રુતે મને એ સંબંધમાં કઈ દષ્ટાન્ત ઘણી તપાસ કરવા છતાં આપી શક્યા નથી. આખા સંસ્કૃત સાહિત્યમાં તેમણે કથાકાર તરીકેનું અદ્ભુત સ્થાન મેળ વ્યું છે તેના બીજા પણ ભાષાશૈલી આદિ અનેક કારણે છે જે આગળ વિચારશું. તે તે વિષયમાં તેમની સરખામણીમાં મૂકાય તેવા બીજા લેખકે મળી શકે છે, પણ રૂપક કથાકાર તરીકેનું તેમનું સ્થાન અદ્વિતીય છે, તેમનું કામ અદ્વિતીય છે અને તેમનું માન અનુપમેય છે. ૧૧ સમાન ગ્રંથમાં તેમની શૈલીનું અનુકરણ. તેમના સમય પછી તેમની રૂપક કથા કહેવાની પદ્ધતિનું અનુકરણ કેટલાક લેખકેએ કર્યું છે પણ તેમના જેવી કેઈએ ફતેહ મેળવી નથી. મારે અનેક પંડિતે અને બહુશ્રુત જેન તેમજ જેનેતરની સાથે આ સંબંધમાં વાતચિતના પ્રસંગે પડ્યા છે, તેઓને મત જાહેર કરવાને મને અધિકાર હોય તો તેમના મતે આખા સંસ્કૃત સાહિત્યમાં આ ગ્રંથની ટિમાં મૂકી શકાય એ રૂપકકથાગ્રંથ બન્યું નથી. તેમની પદ્ધતિનાં જે અનુકરણે થયાં છે તે પણ સામાન્ય કૃતિઓ છે, એમાં શ્રી સિદ્ધષિની ભવ્યતા કે સર્વગ્રાહિતા આવી શકી નથી. Page #104 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી સિદ્ધર્ષિ :: ઉપમિતિ ગ્રંથ : અમુક ગ્રંથકો કે લેખક સંબંધી આપણે લખવા બેસીએ ત્યારે તેને વધારે પડતી અતિ ઉચ્ચ કક્ષામાં મૂકી દેવાની સ્ખલના કરી નાખીએ છીએ–એ વાત મારા લક્ષ્ય બહાર નથી. તેમની કોઈ કાર્ય બાબતમાં અલ્પતા પણ છે તે આગળ આ જ ઉલ્લેખમાં બતાવીશ. પણ એ સર્વ છતાં હું વિનાસ કાચે મારા મત પ્રમાણે એટલુ કહી શકું તેમ છું કે ઉપમાનના ઉપયોગની જે અસાધારણ માલિકતા આ ગ્રંથકર્તાએ ખતાવી છે તે અન્યત્ર અલભ્ય છે. મારે આ ગ્રંથના બહુ વખત ઊંડા ઉતરી અભ્યાસ કરવા પડ્યો છે. એનાં પ્રકરણેા પાડતાં, શિષ કૈા ખાંધતાં, નેટ લખતાં, મુદ્રણ વસ્તુ ( પ્રેસ મેટર ) તૈયાર કરતાં, મુદ્દે જોતાં અને તેવા બીજા અનેક પ્રસંગે મારે એ ગ્રંથની ઘણી વિગતામાં ઉતરવું પડ્યુ છે અને તેવા દરેક પ્રસંગે મને તે અતૃપ્ત આનંદ થયા છે અને કેટલીક વાર તેા એ આનંદની મીઠાશ એ કાર્ય છેાડી દીધા પછી કલાકા સુધી મે` અનુભવી છે. આ કારણે મારા ગ્રંથકર્તા તરફ પક્ષપાત હા કે ગમે તે કારણ હા, પણ તે તે પ્રસંગે મારા મનમાં જે આનંદ થયેા હતા તે મુદ્દાઓ યાદ કરીને આ ઉપેદ્ઘાત લખ્યા છે. આ આખા ઉપેાદ્ઘાત વાંચી ગ્રંથકર્તા માટે મત આપવા મારી વિશેષજ્ઞોને વિજ્ઞપ્તિ છે. હું એમ માનુ છું કે લેખક તરીકેની એ મહાન ગ્રંથકર્તાની વિશિષ્ટતાની તુલના કરવા કેટલાંક સાધના અત્ર રજૂ કર્યા છે. વિશિષ્ટ અભ્યાસીએ એમાં સુધારા વધારા કરી શકે છે, પણ આખી હકીકત પૂરી વાંચી રહેવા સુધી અભિપ્રાય આપવાનું મુલતવી રાખે એટલી પ્રાર્થના છે. ૬૨ તેમની શૈલીનુ' નાના મેાટા પાયા ઉપર ત્યારપછી અનુકરણ થયું છે તેમાંના મારા જાણવામાં નીચેના ગ્રંથૈા આવ્યા છે. એ ગ્રંથા જોયા પછી પણ મારા મત તે એક જ રહ્યો છે કે શ્રીસિદ્ધષિની કક્ષામાં બેસી શકે એવા એક પણ રૂપકકથાના લેખક ત્યારપછી પણ થયા નથી. હું માત્ર એવા ગ્ર ંથાના નામ અને વિષયે જણાવી તે પર સહજ વિવેચન કરીશ. એ મારા અભિપ્રાય સાથે મળતા થવાના આગ્રહ કરવાની હું ભાગ્યેજ ધૃષ્ટતા કરી શકું, પણ મારા મુદ્દો મારા કિષ્ટબિન્દુથી બતાવતો રહીશ. પ્રાચિ'તામણિ—આ ગ્રંથનુ` ભાષાંતર શ્રીજૈનધર્મ પ્રસારક Page #105 -------------------------------------------------------------------------- ________________ તેમની શૈલીનું અનુકરણ. ! સભા (ભાવનગર) તરફથી બહાર પડયું છે. અસલ ગ્રંથ સંસ્કૃતમાં છે તે પણ એ જ સભાએ બહાર પાડેલ છે. એના કર્તા શ્રીજયશેખરસૂરિ મહારાજ છે. એ ગ્રંથ પંદરમા સૈકામાં (સંવત ૧૪૬૨) લખાયેલું છે. એકંદરે ગ્રંથ બેધપ્રદ છે અને વાંચતા આહલાદ થાય તે છે. એમાં રૂપક છે પણ ગૂઢતા નથી. રહસ્ય તારવી કાઢીને હાથમાં આપેલ છે એટલે વાંચનારની કલ્પનાને જેર આપવું પડતું નથી અને કલપનાના તરંગ વગર રૂપકથામાં ચેતન આવતું નથી. એ ગ્રંથમાં શ્રીસિદ્ધર્ષિની કલ્પના કે કલમ, ભાષાશૈલી કે ઉડ્ડયન આવતાં નથી. બધપ્રદ ગ્રંથ હોવા છતાં કળાની દષ્ટિએ તદ્દન પ્રાથમિક દશામાં છે. એમાં સર્જનશક્તિ કે ઉપમાનની સુઘટ્ટતા લગભગ નહિવત્ હાઈ એને રૂપકથાની પ્રથમ કક્ષામાં ભાગ્યેજ મૂકી શકાય તેવો એ ગ્રંથ છે. એને શ્રી ઉપમિતિ કથા સાથે સરખાવવાની ખાસ જરૂર પણ નથી, કારણ કે એમાં સરખામણી કરવા જેવું કાઈ સમાન વિશિષ્ટ તત્ત્વ સાંપડતું નથી. સામાન્ય રીતે એ ગ્રંથ વાંચવાલાયક છે, બાકી સિદ્ધર્ષિના અભેદ્ય કિલ્લાને એ ભેદી શક્યો નથી. એમાં મેહ અને વિવેકની તુલના બહુ સુંદર રીતે કરી છે પણ એકંદરે એને વિસ્તાર ઘણે મર્યાદિત છે. મેહવિવેકને રાસ–ઉપર જણાવેલા શ્રી જયશેખરસૂરિના પ્રબંધચિંતામણિ ” નું ગુજરાતી ભાષામાં અવતરણ ધર્મમંદિર ગણિએ સં. ૧૭૪૧ માં કર્યું છે. રચના મુલતાન શહેરમાં થઈ છે અને કર્તા ખરતરગચ્છના હતા એમ સદર રાસની પ્રશસ્તિ પરથી જણાય છે. એમાં રાસના લેખક જણાવે છે કે ગીવાણુ ભાષાના સદર ગ્રંથની પોતે મંદમતિઓ માટે ઢાળમાં પધબંધ રચના કરી છે. એની ભૂમિકા આવતી ચોવીશીના પ્રથમ તીર્થકરના સમયમાં થનાર એક ધર્મરુચિ નામના મુનિના પ્રશ્ન પર રાખી છે અને આ ગ્રંથ એક ગ્રામણિના પ્રશ્નના ઉત્તર પર આ ધમ. રુચિના મુખમાં મૂક્યો છે. આ ગ્રંથમાં મેહ-વિવેકને સંગ્રામ, હંસ રાજાની પરમપદપ્રાપ્તિને કમ અને બ્રહ્મસ્વરૂપનું વર્ણન આપ્યું છે. આ રાસમાં ગાથા ૧૭૧૨ છે. એ આખો રાસ શ્રી જૈનકારત્નમેષ ભાગ ત્રીજામાં પૃ. ૧ થી ૧૦૬ માં છપાયેલ છે. એમાં મેહના આવિર્ભાવો અને વિવેકની તે પર વિચારણાઓ Page #106 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી સિદ્ધર્ષિ ? ઉપમિતિ ગ્રંથ : બતાવી છે. એમાં રૂપક કથા જેવું કાંઈ નથી. ઉપર જે ટીકા મૂળ ગ્રંથ–પ્રબોધચિંતામણિમાટે લખી છે તે આને પણ લાગુ પડે છે. ભુવનભાનુ કેવલી ચરિત્ર–શ્રી ઇંદ્રહંસગણિએ લગભગ ૧૮૦૦ લોક પ્રમાણ આ ચરિત્ર સંસ્કૃત ગદ્યબંધ લખ્યું છે. એમાં ચરિત્રનાયક બલિરાજા છે અને તે જ ભુવનભાનુ કેવળી છે. વિજયપુરના ચંદ્રમૈલી રાજા પાસે તે પોતાનું ચરિત્ર કહે છે. એમાં કોધ, માન, માયા, લોભથી અને કામરાગ, દષ્ટિરાગ તથા સ્નેહરાગથી પ્રાણું સંસારમાં ભમે છે તેને આખો ક્રમ બતાવ્યો છે. મિથ્યાત્વ દશામાં તે કેવી રીતે પરિભ્રમણ કરે છે અને અનંત સંસારચકમાં એ એક એક મનોવિકારને લઈને કેવી રીતે ભટકે છે એની વાતો કરી છે. એમાં કુદષ્ટિ, વિકથા, રાગ, દ્વેષનાં વિરૂપ પરિણામો બતાવ્યાં છે. એ ગ્રંથમાં સદાગમ, કર્મપરિણામ, કુદષ્ટિ, રગકેસરી વિગેરે ઉપમિતિના પાનાં નામ આવે છે. એટલા પૂરતા આપણા ગ્રંથને એની સાથે સંબંધ છે. લેખક વિદ્વાન જણાય છે. પ્રશસ્તિ આપેલ ન હોવાથી એની રચનાને સંવત્ મળતો નથી, પણ ચાદમી શતાબ્દિને ગ્રંથ જણાય છે. એ ગ્રંથનું ભાષાન્તર જુદા પુસ્તકરૂપે શ્રી જૈનધર્મ પ્રસારક સભાએ સં. ૧૯૭૨ માં બહાર પાડયું છે. રૂપકકથા તરીકે એની ખાસ ઉપયોગિતા ન હોવાથી આ ઉપોદઘાતમાં તે માત્ર તેને નામનિર્દેશ જ કર્યો છે. આ આખું ચરિત્ર ભવભાવના ગ્રંથને અનિત્યભાવનાને વિભાગ છે. ભવભાવના ગ્રંથ મહુધાથી શ્રી હેમચંદ્રસૂરિએ બનાવ્યો છે, એ ભુવનભાનુ ચરિત્ર ઉપરથી ભુવનભાનુ કેવળીને રાસ બનેલો છે તેની નોંધ નીચે આવશે. આ ગ્રંથ સ્વતંત્ર હોય તેમ લાગે છે. ગ્રંથ બેધક છે, પણ એને રૂપક કથાની કક્ષામાં મૂકી શકાય તેમ નથી. ભુવનભાનુ કેવળીને રાસ-ઉદયરત્નની આ કૃતિ શ્રી જેનકથારત્નમેષના પાંચમા ભાગમાં પૃ. ૧૬૯-૨૮૧ માં છપાયેલ છે. આના કર્તા છેવટે જણાવે છે કે એ રાસ ભવભાવના ગ્રંથને અનુસાર રચવામાં આવ્યો છે, તેથી આ રાસની કૃતિ તો તે ગ્રંથને અનુસરે છે એમાં શક નથી. મલધારીગચ્છીય શ્રી હેમ Page #107 -------------------------------------------------------------------------- ________________ તેમની શૈલીનું અનુકરણ ] ચંદ્રસૂરિના બનાવેલ સદર ભવભાવના મૂળ ગ્રંથ હાલમાં છપાય છે. તેને પહેલો ભાગ છપાઈને બહાર પડેલ છે. તેની શરૂઆતમાં ૨૩૮ પૃષ્ઠ સુધી નેમિનાથનું ચરિત્ર છે. પછી તેમના મુખમાં ભવભાવના મૂકી છે, તેમાં પ્રથમ અનિત્યભાવના ઉપર બલિરાજાનું ચરિત્ર પૃ. ર૭૫ થી શરૂ કરવામાં આવ્યું અને તે પૃ. ૩૬૦ સુધી પ્રથમ ભાગમાં પૂર્ણ થયેલ છે. આ બલિરાજા તે જ ભુવનભાનુ કેવળી છે. આ ગ્રંથમાં ઉપર જણાવ્યું છે તેમ રૂપથા જેવું કાંઈ નથી, માત્ર ઉપમિતિના નામે ને ઉપયોગ છે. એને ઉપમિતિ ગ્રંથ સાથે સરખાવવા ગ્ય નથી. શ્રી સિદ્ધર્ષિની શૈલીનું અનુકરણ આ ગ્રંથમાં થયું છે, પણ એમાં કાંઈ ખાસ તત્વ ન હોવાથી તે પર વધારે વિવેચનની આવશ્યક્તા લાગતી નથી. વૈરાગ્યકપલતા–એના કર્તા સમર્થ તત્વજ્ઞાની અને અપૂર્વ વિદ્વાન શ્રીમદ્યશવિજય ઉપાધ્યાય છે. અઢારમા સૈકાને એ ગ્રંથ છે. એ ગ્રંથમાં ઉપમિતિ ભવપ્રપંચને ટૂંક સાર જાણે ગ્રંથકર્તાએ પોતે લખ્યો હોય તેવી પદ્યરચના કરી છે. એમાં વર્ણને પણ અવારનવાર આવે છે. ગ્રંથનું પૂર ઉપમિતિથી કાંઈક ઓછું થયું છે. આખો ગ્રંથ વાંચતાં શ્રી સિદ્ધગિણિની બીજી આવૃત્તિ હોય એવું લાગે છે અને જ્યાં જ્યાં શ્રી સિદ્ધષિની ભવ્ય કલ્પનાને આશ્રય લેવામાં આવ્યો છે ત્યાં ત્યાં સુંદરતા સ્પષ્ટ દેખાઈ આવે છે. એ ગ્રંથમાં કઈ પ્રકારની નવીન મૈલિક્તા જોવામાં આવતી નથી. શ્રી સિદ્ધર્ષિ વાંચનારને વાર્તાના પ્રવાહમાં ખેંચી જઈ શકે છે તે તાકાત આ ગ્રંથમાં જેવામાં આવતી નથી. એ ગ્રંથ માત્ર અનુકરણરૂપ હોઈ, શેલીની વિચારણાને અંગે ખાસીઅત ધરાવતે ન હોઈ, એની વસ્તુ ઉપર ખાસ વિચાર કરવાની બહુ જરૂર રહેતી નથી. એમણે ત્રણે ઔષધિઓ, દ્રમક, અનુસુંદર ચક્રવતી, નંદિવર્ધન, પ્રકર્ષ, વિમર્શ વિગેરે તેમજ સ્થળ આદિનાં નામે ઉપમિતિ પ્રમાણે જ રાખ્યાં છે; છતાં લેખકશ્રી અત્યંત વિદ્યારસિક અને અસાધારણ જ્ઞાનધનવિપુલ હોવાથી વચ્ચે વચ્ચે અનેક વાત કરી છે, સમતા તથા સમાધિનાં સ્વરૂપે રજૂ કર્યા છે અને કેટલીક નવીન વાત કરી છે. આપણે પ્રસ્તુત વિષય રૂપકથાની શૈલીને છે. તેને અંગે તેમાં ખાસ નવીનતા જણાતી નથી એટલી વાત અત્ર પ્રાસંગિક છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી સિહર્ષિ ઉપમિતિ અધઃ આ ગ્રંથનું પૂર્વાર્ધ શ્રાવક ભીમશી માણેક તરફથી સને ૧૯૦૧ માં પ્રકટ થયું છે. સાથે હોઈ જરૂર વાંચવા લાયક છે. એ આ ગ્રંથ પદ્યબંધ છે. એને બીજો ભાગ (બાકીને ગ્રંથ) હજુ સુધી બહાર પડ્યો નથી. એમના ટ્રસ્ટી સાહેબેને આ અધૂરો ગ્રંથ પૂરો કરવાની વિજ્ઞપ્તિ છે. વૈરાગ્યકલ્પલતા જેવો ગ્રંથ લખીને શ્રીઉપાધ્યાયજીએ આવા ગ્રંથની અને આવી શૈલીની જરૂરીઆત સ્વીકારી છે તે એક જ હકીક્ત ઉક્ત શૈલીની ઉપયોગિતાના પુરાવારૂપે બહુ ઉપયોગી છે. જે અસાધારણુ બળવાન લેખકે સિદ્ધાન્તના સેંકડે વર્ષના વાંધાઓના નિકાલ કરી આપ્યા, જેઓ પૂર્વકાળની ભાવના નવા સ્વરૂપે વ્યક્ત કરવાને ઝંડા લઈને ચાલ્યા તેઓ આ રૂપકકધાની શૈલીનો સ્વીકાર કરે એટલે સિદ્ધાન્તથી તે એ પદ્ધતિને બાધ ન જ આવે એમ સિદ્ધ થઈ ગયું ગણાય. અવારનવાર બુદ્ધિવૈભવ અને યોગજ્ઞાનના અનેક ચમકારા એ ગ્રંથમાં છે, છતાં એમાં માલિકના છે જ નહિ અને વિશિષ્ટતા કઈ જગ્યાએ દેખાય છે તેનું સર્વ માન શ્રીસિદ્ધર્ષિને જ ઘટે છે. એ ગ્રંથમાં ભાષાસમૃદ્ધિ સારી છે. આટલી ટીકા સાથે એની સમાલોચના સમાપ્ત કરીએ. આ સિવાય આ ગ્રંથનાં (ઉપમિતિનાં) છૂટાછવાયાં અનુકરણે દેખાય છે, એના તે નામ-નિર્દેશ જ કરવા ઉચિત ગણાય. એમાં મૌલિકતાને સવાલ જ રહેતા નથી. બીજાં અનુકરણે નીચે પ્રમાણે મારા જાણવામાં આવ્યાં છે. ઉપમિતિ ગ્રંથ ઘણો મોટો ધારીને એના ઉપરથી સંક્ષેપમાં શ્રી રત્ન નામના સાધુએ સંસ્કૃતમાં એને સાર લખ્યો. ભાષા, શબ્દો. નામે અસલ પ્રમાણે રાખ્યા પણ ગ્રંથને વિસ્તાર છઠ્ઠા ભાગ જેટલો કરી નાખે. એ નાના ગ્રંથને તેઓશ્રી “કિયોહાર' કહે છે. એમને સંવત જણાય નથી. આખા ગ્રંથને છે કે તેમણે લખ્યું છે કે “ અધ્યાત્મરૂપ અમૃતના સમુદ્ર શ્રીસિદ્ધર્ષિગણિના મુખથી નીકળેલી વેરાગ્ય અને સંવેગાદિ રૂપ અનેક તરંગે કરી ગહન અને ગંભીર તમજ અપ શક્તિવંત જીવને દુઃખે અવગાડવારૂપ શ્રીઉપમિનિભાવપ્રપંચ નામે સમુદ્રની મર્યાદારૂપ પાણીની ભરતીવાળા ગ્રંથમાંથી મારા જેવા અદપ શક્તિવાળા પ્રાણીના અનુગ્રહને Page #109 -------------------------------------------------------------------------- ________________ તેમની શૈલીનું અનુકરણ : } અર્થે લેશમાત્ર ઉદ્ધાર કરીને આ કેવળ વાર્તારૂપ કથા મેં લખી છે.” એમણે શ્રીસિદ્ધર્ષિની વાણુને “અમૃતના સમુદ્ર” જેવી કહી છે. સદર ટૂંકી ઉપમિતિ ભવપ્રપંચા-કથા સંસ્કૃત ગદ્યમાં શ્રીહંસરને લખી તેનું ગુર્જર ભાષામાં વાર્તિક શ્રી અમૃતસાગર ગણિએ કર્યું છે, સંવત જણાતું નથી. એ ગુર્જર વાર્તિક શ્રાવક ભીમશી માણેકે શ્રી પ્રકરણરત્નાકરના પ્રથમ ભાગમાં છપાવ્યું છે. તેની ભાષા સુધારી શ્રી જૈનધર્મપ્રસારક સભાએ સંવત્ ૧૫૩ માં સુંદર આકારે છપાવ્યું. મને આ ગ્રંથનું અવતરણ કરવાનું સાધન પ્રકરણરત્નાકર ગ્રંથ બન્યો હતો તેથી તેની નેધ કરવી આવશ્યક છે. હકીકત એમ બની કે સંવત્ ૧૯૫૦ માં મારા કાકાશ્રી કુંવરજી આણંદજીએ સદર ગુજરાતી વાર્તિકનું વાચન ૨૦૦ માણસ સમક્ષ દરોજ સાંજરે શ્રી આદિનાથના દેરાસર (ભાવનગરમોટા દેરાસર)ના ઉપાશ્રયમાં લગભગ દેઢ માસે પૂર્ણ કર્યું અને વાંચતાં વાંચતાં વાર્તા સમજાવતા ગયા. મને પ્રકષ વિમર્શની વાત બહુ યાદ રહી ગઈ. એ મામા ભાણેજ ડુંગર ને નદીઓમાં ફર્યા એટલે મારે જાગૃત સ્વપમાં મેટા મામા અને તેની આંગળીએ ભાણેજને ફરતે હું જઈ શકતો હતો. એ વખતે મારે પ્રશ્નો પૂછવાની ટેવ પણ ઘણું હતી. એટલે જાણે મામા સાથે હું જ હોઉં એવું મને લાગતું હતું. તે વખતે મારી ઉમર કલ્પનામય હતી. અપ્રાસંગિક વાત ઉપકારને નિર્દેશ કરવા કહી નાખી. હવે તો મને એમ લાગે છે કે શ્રીસિર્ષિને બરાબર સમજવા માટે એમને આખે ગ્રંથ જ વાંચવા જોઈએ, છતાં સદર નાના ગ્રંથો પણ મારા જેવા બાળજાને માટે જરૂરી છે. એમાં કાંઈ નવીનતા કે મૌલિકતાનો સવાલ જ નથી. મૂળ ગ્રંથને એ ટૂંક સાર છે, એને Epitome–સંક્ષેપ કહી શકાય. શ્રીવિનયવિજય ઉપાધ્યાયે શ્રીઉપમિતિભવપ્રપંચનું એક સ્તવન લખ્યું છે તે શ્રીનકારત્નમેષના ત્રીજા ભાગમાં (પૃ. ૧૦૬–૧૧૪) છપાયું છે. સુરતમાં રહી સં. ૧૭૧૬ માં બનાવ્યું છે. એમાં ચોથા પ્રસ્તાવના પાત્રોને ખૂબ બહલાવ્યા છે. ૧૩૭ દુહા એપાઈ છે. છેવટના ચોવીશ દુહા સુંદર છે. મેહરાય અને ચારિત્રધર્મના પરિવારને ઠીક ચીતર્યા છે. એમાં ખાસ નવીનતા નથી. ગુજરાતી ભાષા જાણુ Page #110 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી સિહર્ષિ ઉપમિતિ ગ્રંથ : નારને અપૂર્વ ગ્રંથનો પરિચય કરાવવાની જે શૈલી અઢારમા અને ઓગણીશમા સૈકામાં અનુકરણીય ગણાઈ હતી તેને તે એક નમૂન છે. ૧૨ સરખામણુ અને મુકાબલે. અગ્રેજી પુસ્તક બીજ ચાર્લ્સ રાજાના સમયમાં જ્હોન બની અને પીલગ્રીમ્સ પ્રોગ્રેસ (Pilgrim's Progress) નામનું પુસ્તક ઈ. સ. ૧૬૬૦ માં બેડફર્ડ જેલમાં લખ્યું, તે પુસ્તકને આપણું ગ્રંથ સાથે અનેક પ્રકારનું સામ્ય હોવાથી બનેની સરખામણી કરવા છે. અંગ્રેજી ભાષામાં આવી શૈલીએ 2 થ લખાયા છે એ વાત આનંદ આપે તેવી છે. તેમાં એક ગરીબ માણસ મુસાફરી કરીને દેવી શહેર ”જતો બતાવ્યો છે અને તેમાં તેને રસ્તામાં અનેક પ્રકારની લાલચ, નિરાશાઓ, અગવડો અને પ્રત્યવાયો નડે છે; પણ તે તેના નિશ્ચયમાં દઢ હવાથી આગળ મક્કમપણે વધતો જાય છે. સંસારીજીવને આપણું ગ્રંથમાં જે કડવા અનુભવ થાય છે તેવા તેને પણ ખૂબ થાય છે. એમાં નિરાશાની ખાઈ, મોતની સામે ફાંફા, સેતાનની દગલબાજી, વાતો કરનારાની નકામી વટો અને આસ્તિકની ધર્મ તરફ રુચિ અને અડગતા બહુ ધ્યાન ખેંચે તેવા છે. એમાં કેટલાક પાત્રો તો આબાદ ઉપમિતિ સાથે સરખાવવા જેવા છે. એને ઈન્ટર પ્રીટર એ સ્વકર્મવિવર” દ્વારપાળ સાથે બંધ બેસે તેવો છે, એને ટેકેટીવ (Talkative) દુર્મુખ સાથે સરખાવવા યોગ્ય છે (પ્ર, ૪, પ્ર. ૨૬) એને Worldly wiseman વિમધ્યમ (પ્ર, ૬. પ્ર. ૧૩) સાથે સરખાવવા ગ્ય છે, અને એ જ પ્રમાણે એના Prudence, Piety, Charity વિગેરે દરેક પાત્ર કે ભાવોની સાથે સરખાવાય તેવા પાત્રો ઉપમિતિમાં છે. જે પૂર્ણ અવકાશ હોત તે લગભગ દરેક પાત્રોની સરખામણુનું પત્રક રજૂ કરત-કરી શકાય તેમ છે. શ્રી સિદ્ધર્ષિને તે આખો સંસાર ચીતરે હતું એટલે એમનામાં પ્રાયે કઈ ભાવ બાકી રહ્યો નથી, જ્યારે બનીઅનને તે માત્ર એક આસ્તિક શ્રદ્ધાળુને માર્ગ બતાવવો હતો. બનીઅનની આખી બુક allegory છે અને શ્રી સિદ્ધષિને પ્રત્યેક શબ્દ allegory ને જ છે. ડો. યાકેબી બાહ્ય અને આંતર ચરિત્રને તફાવત કરી આંતર જીવનને જ રૂપક કથામાં સમાવેશ કરે છે, પણ ત્યાં તેઓની સમજફેર જણાય છે. મારા મતે તે બીજા પ્રસ્તાવમાં સંસારી જીવનું ચરિત્ર શરૂ Page #111 -------------------------------------------------------------------------- ________________ સરખામણી ને મુકાબલે છે - થાય છે ત્યાંથી આઠમાના બીજા ભાગ સુધી પ્રત્યેક શબ્દ રૂપક જ છે. એનું બાહ્ય જીવન તે રૂપક કથાને ભાવ સવિશેષ ભજવે છેઘનવાહન કે નંદિવર્ધનના ભવો એના બાહ્ય જીવનને અંગે ખાસ રૂપક જ છે. એમાં આખા સંસારનું અને અમુક ભાવનું જે વર્ણન છે તે પણ રૂપક છે અને ખૂદ ગમનાગમન, લગ્ન અને વ્યવહાર એ પણ રૂપક છે. આ બાબત ગ્રંથના જરા ઊંડાણમાં ઉતરતાં સ્પષ્ટ થઈ જાય તેમ છે અને એ દષ્ટિએ આખો ગ્રંથ ખાસ લક્ષ્યમાં રાખવા ગ્ય છે. એમની પિતાની પ્રતિજ્ઞા પણ એ જ છે કે “હવે જે કથા રચવામાં આવે છે તેમાંનું એક પદ પણ બનતા સુધી ઉપમેય વગરનું નહિ આવે” (પૃ. ૨૧૬) અને આ તેમની પ્રતિજ્ઞા તેમણે બરાબર જાળવી છે એમ બતાવી શકાય તેમ છે. કહેવાની વાત એ છે કે ઉપમિતિ ગ્રંથ સર્વાગ રૂપક કથા છે જ્યારે બનીઅનનું સદર પુસ્તક ઘણું સુંદર છે પણ એનું ક્ષેત્ર અતિ મર્યાદિત છે. જેટલા પૂરતું તે લખાયું છે તેટલા પૂરતું તેને પણ રૂપક કથા ની કક્ષામાં બરાબર મૂકી શકાય. ડે. યાકોબી ઉપમિતિ ગ્રંથની પ્રસ્તાવના લખતાં કહે છે કે “ગ્રંથના નામ ઉપરથી દાખવવામાં આવ્યું છે તે પ્રમાણે ઉપમા દ્વારથી આ સંસારની જુદી જુદી જીવનલીલાઓ બતાવવાને આ ઉપમિતિ ભવપ્રપંચ કથાને ઉદ્દેશ છે. એ ગ્રંથ “પીસ્ત્રીમ્સ પ્રોગ્રેસને વિસ્તાર અને ઉદ્દેશમાં મળતી આવે છે છતાં તે તદ્દન આખી રૂપક કથા નથી, કારણ કે એ વાર્તામાં જે પાત્રના આજુબાજુના સંયને લગતી વાર્તા આવે છે ત્યાં, તેમજ તેમના જીવનપ્રસંગેની હકીક્તમાં અને બીજી તેવી બાબતમાં તે એ જ અર્થમાં જેમ બીજી વાર્તામાં હોય છે તેમ સમજવાના છે, પરંતુ સંસારીજીવના આંતર જીવનની વાત આવે, જ્યાં તેના અંદરના મનેવિકાર, દુર્ગણે, સદગુણે, કર્મો અને તેના વિપાકે ની વાર્તા આવે ત્યાં રૂપક કથા તરીકે તેને સમજવાની છે. આ રૂપકે, તેમનાં કાર્યો અને સંસારીજીવ સાથે તે જે સંબંધમાં રહે છે તે આખી વાર્તાના ક્રમમાં રૂપક તરીકે છે. એટલા માટે સિદ્ધર્ષિની વાર્તામાં એક પ્રકારના પુરુષો આવે છે અને જે દરેક પ્રસ્તાવમાં જુદા પડે છે તેને સાચા પ્રાણીઓ ગણવાના છે અને બીજા પ્રકારના પુરુષો આવે છે તે રૂપક તરીકે Page #112 -------------------------------------------------------------------------- ________________ ૭ [ શ્રી સિદ્ધર્ષિં : : ઉપમિતિ ગ્રંથ : ગણવાના છે. સિદ્ધર્ષિ પાતે એ બન્ને પ્રકારના પાત્રાને જુદા પાડે છે: એકને ‘ અહિર’ગ’ પાત્રા અથવા મુખ્ય પાત્રના સહચારી મિત્રા કહે છે અને બીજાને સંસારી જીવના ‘ અંતરંગ ’ મિત્રા કહે છે. અંતર’ગ પાત્રા રૂપક રૂપે હેાઇને જુદા જુદા ભવની વાર્તામાં એકના એક રહે છે અને દરેક પ્રસ્તાવમાં અંદરથી ચાલુ લડાઇ ચાલ્યા કરે છે અને તે લડાઇમાં અંદરની બન્ને પાટીએ લડ્યા કરે છે; એક માજીએ રાગકેસરી અને મહામેાહની સરદારી નીચે ખરાખ ટેવા ( દુર્ગુણા ) રહે છે અને બીજી બાજુએ ચારિત્રધર્મની સરદારી નીચે સદ્ગુણા રહે છે. ક પરિણામ તથા કાળપરિણતિ એક મધ્યસ્થ પક્ષ ઊભા કરે છે. આ રીતે કથાને રૂપક વિભાગ એક એવી સાંકળના ઊભી કરે છે કે જેની દ્વારા પૃથક્ પૃથક્ ભવાની વચ્ચે તે જોડાણ કરી આપે છે અને એ સર્વ ને એક તરીકે જોડી આપે છે. એ જાણે કે નાટકના આખા પ્લેટ હાય તેવું લાગે છે, એ ખરેખર ઇન્ડીયન ડીવાઈના કામીડીઆ (ભારતનું દૈવી નાટક) છે જેમાં સંસાર નાટકને અગે પૃથક્ પૃથક્ ભવા જુદા જુદા ક જેવુ કામ કરે છે.૧ " 1. ‘‘As indicated Ły the title of the work, the pamitibhava prapancha katha proposes to describe mundane existence in all its diversity by means of allegory (upamadwaratah). It is however not an entirely allegorical story like the Pilgrim's Progress which it resembles in scope and spirit; for that part of the story which relates to the actual circumstances of the persons figuring in the story, the events of their life, and similar things, is to be understood literally, i. e., in the same sense as in any other story. But every thing which relates to the inner life of Samsarijiva, his passions, vices and virtues, fate and retribution, is personified. These personifications, their actions, and the relation in which they stand to each other and to Samsarijiva, form the allegorical part of the plot. Therefore one part of the persons that figure in Siddharshis' narrative are real men and women, who are different in several prastavas Page #113 -------------------------------------------------------------------------- ________________ સરખામણી ને મુકાબલે ]. ૭૧ 3. યાકોબીએ રજૂ કરેલ આ ચિત્ર વિચારવા લાયક છે. તેઓ બનીઅનના પીલગ્રીમ્સ પ્રોગ્રેસ સાથે આ ગ્રંથની સરખામણું કરે છે, પણ જ્યાં તેઓ માત્ર અંતરંગ કથાને જ રૂપક કથા (એલીગરી) કહે છે ત્યાં આપણે ભાગ્યે જ તેમના મત સાથે મળતા થઈ શકીએ. અંતરંગ પાત્રો શુભ અને અશુભ બે પક્ષમાં વહેચાઈ જઈ દરેક પ્રસ્તાવમાં કામ કરે છે અને પાઠ ભજવે છે એ ખરું, પણ એટલામાં જ રૂપકકથાનું ઈતિકર્તવ્ય થતું નથી. મેહ અને ચારિત્રના હાથ નીચેના પાત્રે મોટા ભાગે આખી કથામાં કામ કરે છે અને તેઓ ખરેખરા રૂપક છે એ વાત તો તદ્દન યોગ્ય છે, પણ તે ઉપરાંત નંદિવર્ધન અને રિપુદારણ અથવા પ્રકર્ષ અને વિમર્શ પણ રૂપકે જ છે. બાહ્ય પાત્રો પણ રૂપક જ છે. એ પ્રકારનું ચરિત્ર સર્વ જીવનું ઘટતા ફેરફાર સાથે થાય છે તેથી તે પણ રૂપક જ છે. એમાં ઉપનય વગરને એક શબ્દ કે with the exception of Samsarijiva; the other part, the personifications, are to be understood allegorically. Siddharsi distinguishes these two sets of persons, the former as bahira nga or external companions of the hero, the latter as the antaranga or internal companions of the Samsarijiva. The internal companions being personifications of his vices, virtues etc. remain the same throughout the several birth stories, and so in all of them a continued war is carried on, in which the two' internal' parties are engaged; on the one side are bad qualities under Rajeshria and Mahamoba, on the other the good qualities under Charitradharma and a neutral party is constituted by Karmaparinama and Kalapa rinati. Thus the allegorical part of the narritive is the bond that holds together the various birth-stories and combines them into one whole; it is as it were the plot of the drama, an Indian Divide Comedia, in which the various births of the hero are but as many acts or scenes of the whole play: the Samsararanalatta." (P. XVIII, XIX Introduction.. Page #114 -------------------------------------------------------------------------- ________________ ७२ [ શ્રી સિહર્ષિ : ઉપમિતિ ગ્રંથ છે વાક્ય નથી એ લેખકની પ્રતિજ્ઞા છે અને ઉપનય એ જ રૂપક છે. ગ્રંથકર્તાની પ્રતિજ્ઞા રૂપક વગરને એક પણ શબ્દ ન લખે એવી છે અને તેને તેઓ બરાબર વળગી રહ્યા છે. અંતરંગ પાત્રો જુદા જુદા પ્રસ્તાવમાં ફરતા જાય છે, પ્રત્યેકમાં એક એકની મુખ્યતા છે અને તેવી જ રીતે બહિરંગ પાત્ર પણ ફરતા જાય છતાં વસ્તુત: એ સંસારી જીવના જુદાં જુદાં રૂપકે જ છે. સંસારનાટકમાં ખેલ ખેલતાં એ પાત્રો જેમ જુદા જુદા ખેલ કરે છે તેમ સંસારી જી સર્વ ખેલ કર્યા કરે છે. દરેક વખત જુદા જુદા રૂપ લે છે, પણ એ કર્મ પરિણામ અને કાળપરિણતિને વશ રહે છે અને છતાં એનામાં વ્યક્તિત્વ છે, પ્રભુતા છે, પિરુષ છે અને કર્મપરિણામના અધિકારમાંથી નીકળી જવાની શક્તિ છે. એ પ્રચ્છન્ન શક્તિને વ્યક્ત કરનાર પણ છવો હોય છે અને તે સર્વથી ઉપરને સ્થાનકે ચાલ્યા જાય છે. આ આખું નાટક બતાવવું એ મહારૂપક છે અને તેને રૂપક કથા ન કહેવી એ વાત ચાલે તેમ નથી. શ્રી સિદ્ધષિનો ખરો આશય સંસારીજીવને ચીતરવાને છે અને જે રૂપક દ્વારા અંજન, જળ અને અન્નને પ્રયોગ કરવાનું છે, એની વિપુલતા દાખવી એને રજૂ કરવાનું છે અને તે સર્વ પાસે રજૂ કરી તેને ઉપયોગ કરવાનું છે. આથી બહિરંગ પાત્રને રૂપક કથામાંથી બાદ કરી શકાય તેમ નથી. તેઓ જીવતાજાગતા પાત્ર છે, પણ છતાં તે પણ રૂપક જ છે અને તે રૂપક નથી એમ કહેવામાં તે લગભગ આખી વાર્તાને આશય ઊડી જાય તેમ છે. આ રીતે વિચાર કરતાં આ કથાનું પૂર, રૂપકોની સટતા, આખી સંસારઘટનાને રૂપક કરવાનો પ્રયત્ન અને તેમાં કર્તાએ મેળવેલ ફતેહ જોતાં આ ગ્રંથને રૂપક કથાને અદ્દભુત ગ્રંથ કહી શકાય તેમ છે. આ સર્વ હકીક્ત બનીઅનના સદર ગ્રંથ સાથે તેની સરખામણીને અંગે નિશ્ચિત થાય છે અને પ્રસંગેપાત 3. યાકેબીના અભિપ્રાય પર ચર્ચા પણ થઈ જતાં તેને રૂપક કથાને સ્વાંગ વિશેષ સ્પષ્ટ થાય છે. રૂપક કથા શી વસ્તુ છે અને તેને અંગે શ્રી સિદ્ધર્ષિમાં માલિતા કેટલી છે અને રૂપકથાકાર તરીકે તેમનું સ્થાન શું છે તે વિચાર્યું. હવે આ ગ્રંથની બીજી ખાસી અને તપાસી જઈએ. Page #115 -------------------------------------------------------------------------- ________________ એ કાવ્યગ્રંથ છે : ] 193 ૧૩. એ કાવ્યગ્રંથ છે, એમાં નવે રસની પાષણા છે— કાવ્યની વ્યાખ્યા જાણ્યું સાભળે યામ્ કરી છે. જે ગ્રંથમાં રસાત્મક વાચેાના જથ્થા હાય તે કાવ્યના ગ્રંથ કહેવાય છે. શ્રી સિદ્ધર્ષિની રચના ગદ્ય અને પદ્ય રસમય વાકયેાથી ભરપૂર છે. એમાં લગભગ સેાળ હજાર લેાક છે એમ જે એમણે ગ્રંથની આખરે લખ્યુ છે તેના અર્થ એમ સમજવાના છે કે જો ત્રીશ અક્ષરને એક લેાક ગણવામાં આવેતા એ ગ્રંથનુ દળ સેાળ હજાર Àાકપ્રમાણ થાય. અગાઉ અમુક ગ્રંથનું પ્રમાણ ખત્રીશ અક્ષરના એક શ્લાકને હિસાબે જ થતું હતું અને પાથીઓનું વેચાણુ કે લખામણી જ્યારે નક્કી કરવાં હેાય ત્યારે પુસ્તકમાંથી ગમે તે એક પાનું ઉચકી એક પંક્તિમાં કેટલા અક્ષરા છે અને આખા પાનામાં કેટલી પક્તિ છે તેના ગુણાકાર કરી તેને ૩૨ વડે ભાંગી જે આવે તેને આખી પ્રતના પાનાવડે ગુણી કિંમત કરવામાં આવતી હતી. અત્યારે પણ લિખિત પ્રતનું ક્રયવિક્રય એ જ ધેારણે થાય છે. લખનાર ધંધાદારી લહીઆની કલમ એક સરખી એવી ચાલતી કે એ હિસાખમાં ઘણે ભાગે ભૂલ થતી નહિ.૧ ' એ ધેારણે સાળ હજાર લેાકપ્રમાણ ગ્રંથમાં લગભગ અરધા ભાગ ગદ્યના છે અને અરધે! પદ્યના છે. સાહિત્યની નજરે જેમાં કલ્પનાની ભવ્યતા હાય અને સર્વ રસની પુષ્ટિ જેમાં થતી હાય તે કાવ્ય ’ ગણાય છે—પછી તે ગદ્ય હા કે પદ્ય હા. કાદ ખરી ગ્રંથ આખા ગદ્યમાં છે, છતાં એનાં વર્ણનામાં વિશિષ્ટ ભવ્યતા હાઇને એ કાવ્યના ગ્રંથ ગણાય છે. એવી રીતે ગદ્ય કે પદ્ય અને કાવ્યની વ્યાખ્યામાં આવવાનાં ખીજા અનેક દૃષ્ટાન્તા આપી શકાય, પણ તે ખિનજરૂરી છે, કારણ કે એ નિર્ણય સત્ર સ્વીકારાયલે છે. આ ગ્રંથના પ્રત્યેક વાર્તાવિભાગમાં કલ્પનાની ભવ્યતા છે એ ૧ છાપેલ ગ્રંથની પક્તિ ગણતાં મારે હિસાબે બાવીશ હજાર ઉપર લેાકા થાય છે, પણ શ્લોકા છાપતાં જગા ખાલી રહે છે તેને હિસાબે સત્તર હજાર ઉપર Àાક થવા જાય છે. મને સેાળ હજાર મ્લાકના હિસાબ મધ્યમસરના લાગે છે. ܙ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૭૪ [ શ્રી સિદ્ધર્ષિ : ઉમિતિ ગ્રંથ : મમત જરૂર ધ્યાન ખેંચે તેવી છે. રૂપક કથા કરવા માટે ભવ્ય કલ્પના કરી તે વાત તદ્ન પૃથક્ છે. એ કલ્પના તા ભવ્ય હાવા ઉપરાંત તદ્ન નૂતન, માલિક અને અતિ વિશિષ્ટ છે તે આપણે ઉપર વિચારી ગયા; પણ એના કાવ્યત્વની ચર્ચા કરતાં વર્ણનની ભવ્યતા ઉપર ધ્યાન આપવાનું છે. એનાં દાખલા અનેક છે, પણ ગ્રંથમાંથી નીચેના પ્રસંગે। માત્ર તેના છૂટાછવાયા દાખલા તરીકે વિચારીએ તેા કલ્પનાની ભવ્યતા અને રસની રેલમછેલ જોઇ શકાશે. ૧. ચેાથા પ્રસ્તાવમાં ચિત્તવૃત્તિ અટવીને નાકે પ્રમત્તતા નદીની વચ્ચે તદ્વિલસિત દ્વીપમાં ચિત્તવિક્ષેપ મંડપ નાખી તેમાં તૃષ્ણાવેદિકા પર વિપર્યાસ સિ ́હાસન મૂકી તે પર મહામેાહ રાજાને બેસાડી તેના પિરવારનું વર્ણન કર્યું છે (પ્ર. ૪, પ્ર. ૯ ) તે આખું વર્ણન ભવ્ય કલ્પનામય છે. એ રૂપકની નજર માજી ઉપર રાખતાં માત્ર ચિત્રની નજરે પણ ખરેખર અદ્ભુત છે. ૨. ધનશેખરના ચરિત્રમાં (૫. ૬, પ્ર. ૭) હિરકુમારને દિરયામાં ફેંકી દેવાના પ્રસંગ અને તેને જ પરિણામે એ સમુદ્રદેવની સહાયથી રાજ્યગાદીએ બેસે છે એ આખું પ્રકરણુ− ભર દિરચેથી રાજ્યસિંહાસને ’અદ્ભુત કલ્પનાથી ભરપૂર છે અને વણું ન પણ રસાત્મક છે. એ ચિત્ર તરીકે પણ મહાન્ છે. ૩. ગુણુધારણના ચરિત્રમાં (પ્ર. ૮, પ્ર. ૩ ) તારામૈત્રક થયા પછી બીજે દિવસે ગુણુધારણુ અને મદનમાંજરીના મેળાપ થાય છે, ત્યાં કનકેાદર તેમના આહ્લાદમદિર બગીચામાં સૂક્ષ્મવિધિએ લગ્ન કરે છે, તે વખતે ચાલતે લગ્ન આકાશમાં બૂમ પડે છે, કનકેાદર અને તેના વિરોધી વિદ્યાધરાને લડાઇ શરૂ થાય છે—એ સર્વ વર્ણ નમાં બનાવાની સત્વરતા અને કલ્પનાની ભવ્યતા અપ્રતિમ છે. તે ભવ્ય ચિત્ર રજૂ કરે છે. ૪. ખઠરગુરુ કથાનક (પ્ર. ૫, પ્ર. ૧૬ ) ના ઉત્તર ભાગમાં ગુરુ રાત્રે શિવાલયમાં જઇ ચારા ઊંઘતા હતા ત્યારે દીવેા સળગાવે છે અને પછી હાથમાં વજદંડ લઈને સ ચારાને ટકાવે છે. એ આખી પના અસરકારક છે. રાત્રિના ખાર વાગે મંદિરમાં દીવા સળગાવવાની વાત સ્વત: વિશિષ્ટ પનાથી ભરપુર છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ એ કાવ્યગ્રંથ છે : ] ૭૫ ૫. બાળ કામદેવના મંદિરમાં જાય છે, સામાન્યબુદ્ધિ દરવાજા પર ખડે રહે છે, કામદેવની ખાલી શય્યા પર તે સુવે છે, મંદિરમાં જ એને અતિ સ્વરૂપવાળી યુવાન મદનકંદળીને સ્પર્શ થાય છેતે આખું વર્ણન (પ્ર ૩, પ્ર. ૮) અને ત્યારપછી દશમાં પ્રકરણમાં એ મદનકંદળીના વાસભવનમાં દાખલ થાય છે અને કમળ શય્યા પર ઊંઘી જાય છે, પછી રાજાના આગમન શબ્દથી જાગી જઈ પછાડી ખાઈ જમીન પર પડે છે. (પ્ર. ૩, પ્ર. ૧૦). એ આખું વર્ણન ક૯૫ના ભવ્ય હોવા સાથે અત્યંત આકર્ષક છે. આવાં અનેક દષ્ટાન્તો આપી શકાય તેમ છે. ગ્રંથકર્તાની કલ્પનાની ભવ્યતા એટલી ઉત્તમ પ્રકારની છે કે એનું વર્ણન કરવું મુશ્કેલ છે. એમાં મેહરાય અને ચારિત્રરાજની આખી લડાઇનાં રસાત્મક વર્ણને તે લેખકની કલ્પનાને ઉત્કૃષ્ટ આકારમાં બતાવે છે. કાવ્યને બીજે ગુણ કલ્પનાની ભવ્યતા ઉપરાંત વર્ણનમાં આવે છે. એમાં જે વર્ણન આવે તે હૃદયંગમ અને સ્પષ્ટ હોવાં જોઈએ અને છતાં ગૌરવથી ભરપૂર હોવાં જોઈએ. કાવ્યની નજરે વર્ણનેને તો કાંઈ આખા ગ્રંથમાં પાર નથી, પણ આપણે નીચેનાં વર્ણને દાખલા તરીકે જોઈએ. એ વર્ણન વાંચતાં આ કાવ્યગ્રંથ છે એમ જરૂર જણાશે. ૧. શરદ્રર્ણન (પ્ર. ૪, પ્ર. ૮, પૃ. ૭૮૫-૬). હેમંતવર્ણન (પ્ર. ૪, પ્ર. ૮, પૃ. ૭૮૭-૯). શિશિરવર્ણન (પ્ર. ૪, પ્ર. ૨૦, પૃ. ૯૧૨–૫). વસંતવર્ણન (પ્ર. ૪, પ્ર. ૨૧, પૃ. ૯૨૧-૪). ગ્રીષ્મવર્ણન (પ્ર. ૪, પ્ર. ૩૭, પૃ. ૧૯-૧૧૦૦). વર્ષોવર્ણન(પ્ર. ક, પ્ર. ૩૭, પૃ. ૧૧૦૧–૩). ૨. અદૃષ્ટમૂલપર્યતનગર વર્ણન (પ્ર. ૧. પીઠબંધ પૃ. ૫૧–૩.) ૩. મનુજગતિનગરી વર્ણન (પ્ર. ૨. પ્ર. ૧. પૃ. ૨૧ર-૭) ૪. કર્મપરિણામના સંસારનાટકનું વર્ણન (પ્ર.૨.પ્ર. ૨.પૃ. ૨૬-૨) પ. આગનું વર્ણન. તે વખતની લેકનાં મનની સ્થિતિ (પ્ર. ૭, પ્ર. ૨, પૃ. ૧૬૫૮-૯) ૬. સંસારબજારમાં બન્ને ચક્રોનું વર્ણન (પ્ર. ૭,પ્ર.૮,પૃ. ૧૭૪૩–૪ Page #118 -------------------------------------------------------------------------- ________________ ૭૬ [ શ્રી સિહર્ષિ : ઉપમિતિ ગ્રંથ આમાં વર્ણનની નજરે જ ઉપરની હકીકત વિચારવાની છે. એનાં રહસ્યો કે ભાવાર્થો વિચારવાને પ્રસંગ જુદે છે. અહીં કહેવાની હકીકત એ છે કે શ્રી સિદ્ધર્ષિ ગણિએ ઉપરનાં (તેમજ બીજાં અનેક) વર્ણને એવી સુંદર રીતે કર્યો છે અને કલ્પનાચિત્રો એવાં સુંદર રજૂ કર્યા છે કે એ વાંચતાં આપણે જાણે તે સ્થાન પર હાજર જ હઈએ એમ આપણું મન પર છાપ પડી જાય છે. જે આપણુમાં કલ્પનાનો છાંટો પણ હોય તો આપણે બરાબર ચિત્તવૃત્તિને છેડે ઊભા રહી પ્રકર્ષ ને વિમર્શની જેમ આખી મેહરાયની ચાળવણી જોઈ શકીએ અને ઊડીને જૈનપુરમાં વિવેક પર્વતના શિખર ઉપર પણ જઈ આવીએ અને એ જૈનપુરના જીવવીર્ય સિંહાસનને અને તે પર બેઠેલા શાંતમૂર્તિ ધર્મરાજાને (ચારિત્રરાજને) જોઈ આવીએ. જે આપણને ગ્રંથકર્તા આવી રીતે પિતાની સાથે રાખી શકે, એની મરજીમાં આવે ત્યાં એ આપણને લઈ જઈ શકે તો એનું વર્ણન સફળ છે અને એ સફળતામાં “કાવ્યત્વ” છે. ક૫નાની ભવ્યતા અતિ ઉચ્ચ હોય, પણ તે વાચકને અગ્રાહ્ય હોય કે કલ્પનાતીત હોય તો તે કાવ્ય અલનાત્મક છે. એ વિશિષ્ટ અભ્યાસીને ભલે ઊંચે ઉડાવે, પણ પ્રાત જનતાને એ અનભિગમ્ય હાઈ નિરર્થક છે. શ્રી સિદ્ધર્ષિની કલ્પના અને તેમનાં વર્ણન અતિ વિશિષ્ટ હોવાં છતાં બહુ સાદાં અને પ્રાકૃત મનુષ્યની કલપનાને પણ ડોલાવનારાં હોઈ તેની સાથે જ ભવ્ય કલ્પના કરનારને વિશિષ્ટ અસર ઉપજાવનારાં છે. આવું બેવડું કાર્ય કઈ રીતે બની શકયું હશે તેને વિચાર કરવા સાથે તેનું પરિણામ જોઈએ એટલે આ ગ્રંથનું કાવ્યત્વ બરાબર સ્પષ્ટ થઈ જાય છે. એમણે વર્ણનેમાં પ્રાણ મૂક્યાં છે. એમનાં વર્ણને માત્ર વર્ણન ખાતર નથી. એમને વર્ણન ખાતર એક વાક્ય પણ લખવું નહોતું. એમણે સંસારીજીવની પાસે પ્રતિજ્ઞા કરાવી છે કે “મારા ચરિત્રમાં ઘણે ભાગે ગૂઢ અર્થ વગરનું એક પણ વાકય નથી.” (પ્ર. ૪. પ્ર. ૮. પૃ. ૮૦૦ ) એ હકીક્ત ઉપર અગાઉ વિવેચન કર્યું છે એ જ પ્રતિજ્ઞા એમને વર્ણનમાં પણ જાળવવાની હતી અને સાથે તેમાં પ્રાણ પણ મૂકવા હતા. એમની નજરમાં એક પર્વત કે નદી, સરવર કે વિમાન, મંડપ કે મંચો અજીવ પદાર્થો હતાં. એ ડુંગર Page #119 -------------------------------------------------------------------------- ________________ એ કાવ્યગ્રંથ છે ? ] રના પ્રત્યેક પથ્થરમાં, પ્રત્યેક શિખરમાં તેમજ નદી કે અટવીમાં પ્રાણ જઈ રહ્યા હતા અને એ પ્રાણ એમને કળાની નજરે અથવા કળા સાથે બતાવવા હતા. એ સિપ્રા નદી જુએ તો એમાં માળવાની વિલાસિનીઓનાં કુચતને નદીના પ્રવાહ સાથે અફળાતા બતાવવામાં સાર્થકતા માનતા ન્હોતા, પણ એમના મનમાં સિમા ઓર હતી, માલવીઓ ઓર હતી, કુચતટ ઓર હતા, ઊર્મિમાળાઓ ઓર હતી અને આસ્ફાલન એર હતાં. એ દરેકમાં ગૂઢ ભાવ જોઈ રહ્યા હતા અને એ વ્યક્ત કરવાની એમનામાં તાકાત હતી. આમાં અન્ય કાવ્ય કરનાર ઉપર આક્ષેપ કરવાનો આશય નથી. મારો ઈરાદે શ્રી સિદ્ધર્ષિના પ્રત્યેક વર્ણનમાં રહેલ ગૂઢ ભાવ વ્યક્ત કરવાનો અને તે ભાવ બતાવતાં તેમણે કળાકાર તરીકે જે સફળતા મેળવી છે તે બતાવવાનું છે. એમણે અરઘટ્ટ ઘટ્ટી–ટ જોયો (પ્ર. ૭, પ્ર. ૪) અને આપણે પણ અનેક વાર જોઈએ છીએ, પણ એમણે એમાં શું જોયું તે વિચારવા જેવું છે, છતાં રેંટનું વર્ણન કળાકાર તરીકે જરા પણ એમણે નરમ પડવા દીધું નથી. એમણે દારુની શાળા-પીડું જોયું ( પ્ર. ૭, પ્ર ૩. ) તે ત્યાંથી પણ બંધ શેાધી કાઢ્યો. સંસાર પરથી વૈરાગ્ય પ્રાપ્ત કરવાનું સાધન દારુના પીઠામાંથી પ્રાપ્ત થાય એ તો કલ્પનાની અવધિ છે. વેશ્યાવાડેથી શિખામણ લઈ આવનારની જેવી એ તે દુર્લભ વાત થઈ છતાં એમને તો કઈ પણ વસ્તુ તત્વજ્ઞાનીની નજરે જોવી હતી એટલે એ ચાલ્યા ત્યારે જે વસ્તુ એમની નજરમાં આવી, તેને એમણે ઉપયોગ કર્યો છે અને તે પણ ઘણું સફળ રીતે કર્યો છે. મને એમ લાગે છે કે એક દિવસ શ્રી સિદ્ધર્ષિ ઉપાશ્રય બહાર નીકળ્યા હશે અને જે બનાવ બને તેમાંથી વૈરાગ્ય લેવાના પ્રસંગે ઉપસ્થિત કરવાને તેમણે નિશ્ચય કર્યો હશે. આપણે એક કલપના કરીએ. તેઓ ઉપાશ્રયમાંથી બહાર નીકળ્યા ત્યાં આગની બૂમ પડી હશે, દોડાદેડ ચાલી હશે, સમય સવારના પાંચ છ વાગ્યાને હશે, તેઓશ્રી Úડિલ જતા હશે, આગળ ચાલતાં રાત્રે દારુ પી મસ્ત બનેલાના થયેલા હાલહવાલ નજરે જોયા હશે, નગર બહાર નીકળ્યા ત્યાં અણેદય થઈ ગયો હશે, ખેતરમાં સેંટ શરૂ થઈ ગયા હશે, Úડિલ કાર્યથી પરવારી પાછા ફરતા હશે, ત્યાં દરવા Page #120 -------------------------------------------------------------------------- ________________ P [ શ્રી સિંહર્ષિ : ઉપમિતિ ગ્રંથ : જાને નાકે મઠમાં ભેજનના વ્યવસાય ચાલી રહેલા જોયા હશે, બજારમાં વ્યાપારી લેાકની ધમાલ જોઇ હશે, એમના તાત્કાળિક અસર થાય તેવા મગજ ( impressionable brain ) પર એ સર્વ બનાવની છાપ પડી હશે અને પછી તે જ વખતે સાતમા પ્રસ્તાવના ખીજાથી નવમા સુધીના પ્રકરણેાની સંકળના કરી નાખી હશે. છ મુનિના વૈરાગ્યપ્રસંગમાં અસાધારણુ ખળ છે, એમાં ઊંડુ જ્ઞાન છે, જનસ્વભાવને વ્યવહારુ અભ્યાસ છે અને પનાની ભવ્યતા સાથે હકીકતને મુદ્દાસર ચર્ચવાનું જોમ છે. આવી રીત અસાધારણ જોમ લાવવા સાથે પ્રાણવાહી હકીકત બનાવવાની તાકાતમાં તેમના ગ્રંથનું વિશિષ્ટ ‘કાવ્યત્વ’ છે. એ કાવ્યત્વને અંગે ભાષાશૈલીના ઉપયોગ પણ એટલા જ વિશિષ્ટ અને ઉપયાગી ભાવ બજાવે છે તે હવે પછી આગળ વિચારવામાં આવશે. કાવ્યાત્મક વણું નમાં પ્રાણ મૂકવાની પદ્ધતિ અને ભાષા પરના અસાધારણ કાબૂને લઇને એમના ગ્રંથની ગણના કાવ્ય ’ તરીકે ખરાખર થાય છે, એની પ્રતીતિમાં એમની કલ્પના અને વર્ણન તરફ ખાસ લક્ષ્ય ખે ંચાય છે. તેમની વિચારદનની શક્તિ અને ભાષા પરને કાબૂ તેમજ શૈલી પર વિચારણા આગળ થશે જેની ગણના પણ એમના ગ્રંથને ‘કાવ્ય ’ તરીકે બતાવવાના વિભાગ તરીકે સમજી લેવાની છે. ' ' આ ગ્રંથમાં નવે રસની પાષણા છે તે ખતાવવાની જરૂર ન હાય. આખા ગ્રંથ રસમય છે. નીચેનાં દૃષ્ટાન્તા માત્ર અહીંતહીંથી ચૂંટીને કાઢ્યાં છે તે પરિપૂર્ણ નથી, માત્ર દોરવણી કરવાપૂરતાં જ છે. એ વિચારતાં આ ગ્રંથ મહાકાવ્ય છે એટલું ચાક્કસ જણાશે એ એના આશય છે. ૧. ન ંદિવર્ધન અને વગરાજના યુદ્ધવર્ણનમાં વીરરસની પાષણા છે. (પ્ર. ૩. પ્ર. ૨૬. પૃ. ૬૨૧–૨.) ૨. હિરકુમારને ભરદરણે સમુદ્રમાં નાખવાના પ્રયત્નના પ્રતિકાર અને તેને મહારાજ્યસિ ાસનની પ્રાપ્તિમાં અદ્ભુતરસ જામે છે. (પ્ર. ૬, પ્ર. ૭.) ૩. લડાઈ જીતી નંદિવર્ધન કુશાવર્ત નગરમાં પેસે છે તે વખતે કનકમંજરી સાથે એને તારામૈત્રક થાય છે અને તે પછી તે Page #121 -------------------------------------------------------------------------- ________________ એ કાવ્યગ્રંથ છે : ] ૭૯ રાત્રિએ તેની અને નંદિવર્ધનની જે વિરહ દશા વર્ણવી છે તેમાં ખરા શૃંગારરસ જામે છે. તારામૈત્રક પૃ. ૫૮૯ માં થાય છે અને વિરહદશા વર્ણન પૃ. ૫૯૮-૬૦૧ સુધીમાં પિંજલા કરે છે તે ખરેખર શૃંગારના પ્રખર કવિને ભૂલાવે તેવું છે. ( પ્ર. ૩, પ્ર. ૨૪.) ૪. સાત પિશાચીઓનું આખુ વર્ણન રીદ્ર રસના નમૂના છે. (૫. ૪, પ્ર. ૨૮, પૃ. ૯૯૪–૧૦૧૧. ) ૫. મેહરાય ને ચારિત્રરાજના યુદ્ધના એ પ્રસંગેા ધમવીર રસના નમૂના છે. પ્રથમ વર્ણન માટે જુએ ( પ્ર. ૫, પ્ર. ૧૯, પૃ. ૧૩૧૬–૭. ) અને ખીજા વર્ણન માટે જુએ. (પ્ર. ૮, પ્ર. ૮, પૃ. ૧૯૩૭–૯. ) હરિકુમારના મિત્રા મન્મથ, પદ્મકેસર, લલિત, વિલાસ, વિભ્રમ અને કપાલ જે ગૂઢ મશ્કરી અને વાર્તાવિને બુદ્ધિપૂર્વક કરે છે તે ઉચ્ચ પ્રકારના હાસ્યરસના નમૂના છે. (પ્ર. ૬. પ્ર. ૩. પૃ. ૧૪૯૧–૧૫૦૩. ) ૭. તુગશિખર ઉપર ખાલિશ અને કેાવિદ ચઢે છે, કિન્નરનાં મધુર ગાન સાંભળે છે અને રસડાલનમાં પડી જતાં પકડાઇ જાય છે એ અદ્ભુતરસ છે. (પ્ર. ૭. પ્ર. ૧૨. પૃ. ૧૭૮૨–૩.) ૮. વિવેક પ તપરથી અવલેાન કરતાં વાસવ શેઠના ઘરમાં આનંદસ્થાને એકદમ શાક થઇ જાય છે એમાં કરુણરસના ભાવ આવે છે. (પ્ર. ૪. પ્ર. ૨૬. પૃ. ૯૮૦–૧. ) ૯. વસંતરાજ લેાલાક્ષના પ્રકરણમાં કુદરતનું વર્ણન કર્યું છે તેમાં અદ્ભુતરસના ભાવ આવે છે. (પ્ર. ૪. પ્ર. ૨૧. પૃ. ૯૨૧-૨૪.) એમાં સુરાપાનગષ્ટિનું વર્ણન આવે છે તે હાસ્યરસમાં પણ જાય છે. ( પૃ. ૯૪.) ૧૦. લાલાક્ષ રાજાના ત્યારપછીના પ્રકરણમાં પ્રથમ નાચ વખતે હાસ્યરસ, ત્યારપછી મર્યાદાભંગ વખતે બીભત્સ રસ અને બન્ને ભાઇઓને લડાઇ થાય છે ત્યાં રીદ્ર રસ આવે છે. (પ્ર. ૪. પ્ર. ૨૩.) Page #122 -------------------------------------------------------------------------- ________________ ૮ [ શ્રી સિદ્ધષિ : ઉપમિતિ ગ્રંથ : ૧૧. ચિત્તસમાધાન મંડપની આખી રચના અને ચારિત્રરાજના ચાર મુખનું વર્ણન અદ્દભુત રસનું દૃષ્ટાંત છે ( મ. ૪, ૫. ૩૩ પૃ. ૧૦૪૩ અને પ્ર. ૪. પ્ર. ૩૪. પૃ. ૧૦પ૯ ૬૩. ). ૧૨. બુધસૂરિના ઉગ્ર દિવ્ય દર્શનમાં અદ્ભુત રસ અને ધ વીર રસની સહયેાજના જણાય છે ( ૫. પ, પ્ર. ૧૧ અને પ્રકરણ ૧૨. ). ૧૩. ખડર ગુરુ કધાનડમાં બીભત્સ રસના આવિર્ભાવ:છે ( પ્ર. ૫, પ્ર. ૧૫.). ૧૪. મિથુનન્દ્વય અંતર કથામાં હાસ્યરસ અને અંદરખાને શૃંગાર રસની પ્રચુરતા જણાય છે ( પ્ર. ૩. પ્ર. ૬. પૃ. ૪૦૮–૪૧૬. ) અને તેમાં પ્રતિાધકાચાય સમક્ષ ત્રણ બાળકો નીકળે છે, તેમાંના છેલ્લાં એ બીભત્સ રસ પૂરા પાડે છે (પ્ર. ૩. પ્ર ૭. પૃ. ૪૨૩. ). ૧૫. અંતરંગ રાજ્યમાર્ગ–દાસિન્ય રાજ્યમાર્ગ થી માંડીને સમતા નામની ચેગનાલિકા સુધીને—અદ્ભુત રસનું દૃષ્ટાંત પૂરુ ં પાડે છે. (પ્ર. ૬. પ્ર. ૧૪. પૃ. ૧૬૦૧-૮. ) ૧૬. મનીષી નિષ્ક્રમÊાત્સવ અને દીક્ષા સમયના પ્રતિમાષ શાંત રસનું ભવ્ય વર્ણન પૂરું પાડે છે ( ૫. ૩. પ્ર. ૧૭. પૃ. ૫૩૬ અને ૫૪૨ થી. ) ૧૭. રિપુદારણને તપન ચક્રવર્તીના સેવકા ફટકા મારે છે તે બીભત્સ રસ વન છે. ( પ્ર. ૪. પ્ર. ૪૦. પૃ. ૧૧૨૪ થી. ) ૧૮. લેાકેાદરમાં આગનું પ્રકરણ વર્ણનમાં ભયાનક રસ અને ઉપનયમાં શાંત રસની જમાવટ કરે છે (૫, ૭. પ્ર. ૨. ) ૧૯. દારૂના પીઠાના વર્ણનમાં બીભત્સ રસ અને ઉપનયમાં શાંત રસની જમાવટ કરે છે (૫, ૭, પ્ર. ૩. ) એ જ ધેારણે અરઘટ્ટઘટીનું પ્રકરણ વર્ણનમાં શૂદ્ર અને ઉપનયમાં શાંત રસ જમાવે છે. ( ૫, '૭. પ્ર. ૪. ) ચાર વ્યાપારી વર્ણનમાં અદ્ભુત રસ અને ઉપનયમાં શાંત રસ જમાવે છે. (પ્ર. ૭. પ્ર. ૬. અને ૭.) સંસારમજારનું પ્રકરણ વનમાં હૈદ્ર અને ઉપનયમાં શાંત રસ જમાવે છે ( મ. છ. પ્ર. ૮. અને ૯) Page #123 -------------------------------------------------------------------------- ________________ એ કાવ્યગ્રંથ છે] ૨૦. અરઘટ્ટઘટી યંત્રના પ્રકરણમાં અદૂભુત રસ છે. (પ્ર. ૭. પ્ર.૪.) ૨૧. પાંચ કુટુંબના ભેજનના પ્રકરણમાં બીભત્સ અને બંને રસ છે. (પ્ર. ૭. પ્ર. ૫.) ૨૨. ચાર વ્યાપારીના કથાનકમાં અદૂભુત રસ અને ઉપનયમાં શાંત રસ છે. (પ્ર. ૭. પ્ર. ૬ અને ૭.). ૨૩. શાંત રસ તો આખા ગ્રંથમાં ભરેલું છે, પણ નીચના દાખ લાને માત્ર નિર્દેશ કરવામાં આવે છે. (ક) ઉત્તમ રાજ્યના પ્રકરણમાં શાંત રસની રેલમછેલ છે. (પ્ર. ક. પ્ર. ૧૪.) (8) સ્વપ્નવિચાર પ્રકરણમાં શાંત સાથે અભુત રસ છે. (પ્ર. ૮. પ્ર. ૫.) (૪) હિમભવનની આખી યેજના અને પ્રતિબંધન રચના એ જ રસને આવિર્ભાવ છે. (પ્ર. ૫. પ્ર. ૧૦.) (૪) બઠર ગુરુના કથાનકને ઉત્તર વિભાગ અને ખાસ કરીને રાત્રે બાર વાગે મંદિરમાં દીવા સળગાવે છે તે વિભાગ શાંત રસની ભાવનાથી ભરપૂર છે. (પ્ર. પ. પ્ર. ૧૬.) () વિમળકુમારની દીક્ષાને પ્રસંગ શાંતરસ પ્રગટ કરે છે. (પ્ર. ૫. પ્ર. ૨૦.) (૪) નિજવિલસિતઉદ્યાનપ્રભાવવર્ણન શાંત રસથી ભરેલું છે. (પ્ર. ૩. પ્ર. ૧૬) (૪) મલવિલય ઉદ્યાનમાં વિવેક કેવળી દેશના આપે છે ત્યારે શાંત રસ જામે છે. (પ્ર. ૩. પ્ર. ૩૦.) (૪) પ્રથમ કુટુંબનું વર્ણન શાંત રસનું જીવન છે. (પ્ર. ૩. પ્ર. ૩૨. પૃ. ૬૭૦.). (૪) સદાગમ શાંત રસના જીવતા રૂપક છે. (પ્ર. ૨. પ્ર. ૫. પૃ. ૨૮૨ થી.) Page #124 -------------------------------------------------------------------------- ________________ ૮૨ [ શ્રી સિદ્ધર્ષિ : ઉપમિતિ ગ્રંથ : (૪) નિપુણ્યકની દીક્ષા અવસરે શાંતરસ પ્રસરી રહે છે. (ક, ૧. પૃ. ૨૦૪.) (૪) ભવજતુ સદાગમની પર્યાલચનાનું જે વર્ણન સ્પર્શન કરે છે તે શાંત રસથી ભરપૂર છે. (પ્ર. ૩. પ્ર. ૩. પૃ. ૩૭૬-૮.) આ તે સામાન્ય ઉપરટપકેની નોંધ છે. બાકી આખો ગ્રંથ નવ રસથી ભરેલો છે અને એને મહાકાવ્ય ગણવાને દાવા એ ઉપરથી બરાબર સિદ્ધ થઈ શકે છે. ઉપરના રસપ્રગના વર્ણન સંબંધી વ્યાખ્યાના ફેરફારને અંગે મતભેદ થઈ શકે તે પર ચર્ચા કરવી અસ્થાને છે. મારે કહેવા આશય એ છે કે આખા ગ્રંથમાં ન સની પાષણ ખૂબ થઈ છે. આ મુદ્દામાં મતભેદ પડવાને મને સંભવ લાગતા નથી અને મારા મત અને મહાકાવ્ય ગણવા માટે એટલી વાત પૂરતી છે. ૧૪. એ ગ્રંથ એપિક (Epio ) ગણાય? પ્રથમ “એપિક” એટલે શું તેને ખ્યાલ કરીએ. એનો અર્થ કાશકારો “વીરચરિત વર્ણન, મહાકાવ્ય અથવા વીરપુરુષઈતિહાસ” એમ કરે છે. અત્યારે ઈંગ્લીશ સાહિત્યમાં “ઇલીયડ” ( Illiad) નું ભાષાવતરણ અને સંસ્કૃતમાં “મહાભારત”ને એપિકની કક્ષામાં ગણવામાં આવે છે. એમાં એક જબરજસ્ત લડાઈનું વિસ્તૃત વર્ણન આવે છે અને તેને અંગે નાયકના પરાક્રમનું વર્ણન સાથે હોય છે. એ ઉપરાંત કાવ્યની નજરે એમાં મહાકાવ્યના સર્વ ગુણે હોય છે. કેટલાક મત પ્રમાણે એવા ગ્રંથની લંબાઈ પણું ઘણી મેટી હાય એ વાત પણ અગત્યની ગણવામાં આવે છે. વીર રસને એમાં પ્રાધાન્ય આપેલ હોય છે અને કલ્પનાની ભવ્યતા અને ઉડ્ડયન એવા ગ્રંથમાં ઠામ ઠામ જોવામાં આવે છે. શ્રી ઉપમિતિ ભવપ્રપંચ કથાને નાયક અનુસુંદર ચક્રવતી છે. એના આખા ચરિત્રનું વર્ણન એના મુખથી કહેવરાવવામાં આવ્યું છે, અને તે પણ અમુક આશયને લક્ષમાં રાખીને કહેવામાં આવ્યું છે. આશયને આપણે હાલ આ પ્રસ્તુત બાબતને અંગે જરા દર રાખીએ તે, એના ચરિત્રમાં લડાઈના વર્ણન સિવાય Page #125 -------------------------------------------------------------------------- ________________ એ ગ્રંથ એપિક ગણાય ? ] બીજું કાંઈ નથી. એની આંતર રાજધાનીમાં બે લશ્કર ગેઠવાઈ ગયા છે અને બન્નેના જબરા પડા મોરચા માંડીને પડેલા છે. ચિત્તવૃત્તિ અટવીના એક નાકા ઉપર મેહરાજાના સૈન્યને પડાવ જમાવ્યો છે અને બીજી બાજુએ ચારિત્રરાજને પડાવ જામ્યો છે. ચોથા પ્રસ્તાવમાં એમના પડાવનું વર્ણન જ કર્યું છે. એને આપણે સામસામાં લશ્કરનું વર્ણન કહીએ. એના પ્રકરણ ૯ થી ૧૮ સુધીમાં એક બાજુના (મોહરાયને ) આખા લશ્કરને વર્ણવ્યું છે. એ જ પ્રસ્તાવમાં પ્રકરણ ૩૩ થી ૩૬ સુધીમાં બીજી બાજુના ચારિત્રરાજાના લશ્કર અને તેનાં સ્થાનાદિનું વર્ણન આવે છે. આ આખી જના “એપિક ની યોજના( placing )ને અનુરૂપ છે. મેહરાજા પોતાનું કાર્ય પ્રથમ મંત્રી દ્વારા સાધે છે. એ વિષયાભિલાષ મંત્રી પોતાના પાંચે બાળકોને સ્પર્શન, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રોત્રને-એ કાર્યમાં યોજે છે. એ લડાઈની રાજનીતિમાં કુટનીતિ બરાબર અનુરૂપ છે. એ પાચ વિષયાભિલાષ સંબંધીજનનું કાર્ય ત્રીજાથી સાતમા પ્રસ્તાવ સુધી બરાબર ચાલે છે અને એ અંતરવાર્તા લડાઈના મામલાને અંગે જ થયેલી છે તે અંદરખાનેથી મુદ્દાની અંતરવાર્તા સમજી ખ્યાલમાં રાખવી. પાંચમા પ્રસ્તાવમાં લડાઈને મરચા મંડાય છે. ઓગણીશમાં પ્રકરણમાં પ્રથમ ચારિત્રરાજને સુભટ ઘવાય છે. લડાઈની પહેલા કરવી જોઈતી ઘરમાં અંદરઅંદરની સલાહ, પિતાનાં બળની વિચારણું, સામાના બળની તુલના, લશ્કરી માણસોને જુસ્સો, વિનીત (Civilian) ને સંયમ અને હૂતને મોકલવાની વાત એ સર્વ લડાઈના મોરચા મંડાવાના પગરણ છે. દૂતના સંદેશા ભાંગી પડે છે, લડાઈ જામે છે. નાયક પોતાના હાથમાં ન હોવાથી ચારિત્રરાજાના લશ્કરમાં ભંગાણ પડે છે, નાશભાગ થાય છે અને આવી ભયંકર લડાઈનાં મૂળ કારણ જેમ હમેશાં તદ્દન નામના હોય છે તેમ સંતે લીધેલ વલણ તેની કારણભૂત જણાય છે. પ્રથમ લડાઈમાં ચારિત્રરાજાની હાર થાય છે. છઠ્ઠા પ્રસ્તાવમાં છ વર્ષના રાજ્યને અંગે મહારાજાના દરબારમાં અને ચારિત્રરાજાના દરબારમાં જે વિચારણાઓ ચાલે છે, સલાહ લેવાય છે અને કાર્ય થાય છે તે સર્વ લડાઈનાં તંત્રના આવિર્ભાવ છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી સિદ્ધર્ષિ : : ઉપમિતિ ગ્રંથ : સાતમા પ્રસ્તાવમાં લડાઇ વધારે આકરું રૂપ લે છે. માહરાજાને જણાય છે કે એમણે જાતે જ મેદાને જ ંગમાં ઉતરવુ જોઇએ. એને જણાયું કે પેાતાના મિત્ર રાજા જ્ઞાનસ ંવરણુ પાછેા હઠ્યો છે, માટે શત્રુને મૂળથી ઉખેડી નાખ્યા વગર હવે છૂટકા નથી. પછી આખા લશ્કરને તૈયાર રાખ્યું અને પરિગ્રહને સાથે લઈ માહરાજા પોતે જ રસ ગ્રામમાં ઉતરી પડ્યા. ( પ્ર. ૭. પ્ર. ૧૧ ) માહરાજાની મદદે સાગર-મહલિકા—પરિગ્રહ આવ્યા, છતાં એનુ જોર નરમ પતુ જતુ હતું એમ ચાક્કસ લાગવા માંડ્યું, એટલે મહામેાડુરાજાએ જાતે જ મહા આક્રમણ કર્યું " ( પ્ર. ૭. પ્ર. ૧૫ ) અને એમાં એમણે પેાતાના મિત્રરાજાએ અને પેાતાના આખા લશ્કરના ઉપયાગ કરી નાખ્યા. આ અતિ આકરા આક્રમણમાં એ ફાવ્યો અને ચારિત્રરાજને છૂપાવુ પડ્યું. ૮૪ આઠમા પ્રસ્તાવને પ્રથમ વિભાગ લડાઇના જ છે. આઠમા પ્રકરણમાં ભયંકર આંતરયુદ્ધ થાય છે અને નવમા પ્રકરણમાં આખરે મેહરાજાના પરાજય થાય છે. આમાં દશ કન્યા સાથે લગ્ન, સુખાપલાગ વિગેરે સર્વ લડાઈના પેટામાં આવે છે. આ રીતે જોઇએ તા નાયકની અંતરંગ લડાઈની વાર્તા આપ્યા ગ્રંથમાં આવે છે. પાંચમા પ્રસ્તાવમાં ૧૯ મા પ્રકરણમાં લડાઇને અંગે રાજનીતિના આખા શાસ્ત્રનું બહુ મુદ્દાસર વર્ણન કર્યું છે. એમાં છ ગુણા, પાંચ અંગો, ત્રણ શક્તિ, ત્રણ ઉદય સિદ્ધિ, ચાર નીતિ અને ચાર રાજવિદ્યાનું જે મુદ્દાસર વર્ણન કર્યું છે તેના વિસ્તારમાં લડાઇની સર્વ હકીકતાના સમાવેશ થઈ જાય છે. એમાં સંધિ વિગ્રહના પ્રસંગ અને સામ-દાનાદિ નીતિ ખાસ વિચારવા યેાગ્ય છે (પૃ. ૧૩૦૬–૧૩૧૦ ). એ ઉપરાંત પ્રેષણ, શત્રુ સંબંધી તપાસ, લશ્કરી ખાતાના જુસ્સા, સીવીલિયનની ચારે બાજુની તપાસ, લશ્કર ઉપર દિવાની અકુશની જરૂર વિગેરે અનેક લડાઈની વાતા અને ખુદ લડાઈ થાય છે તે સર્વ એ ગ્રંથની વીરરસ પાષણુતા બતાવે છે. એ રીતે જોતાં લડાઈની હકીકતૈાથી આખા ગ્રંથ ભરપૂર છે એમ કહી શકાય. એના દાખલા આપવાની જરૂર નથી, કારણ કે આખા ગ્રંથમાં ગમે ત્યાં જોવામાં આવશે તા ત્યાં અંતરંગ અને ખાહ્ય યુદ્ધની વાતા પ્રચુર દેખાશે. ખુદ લડાઇના પ્રસંગેાના પાર નથી: Page #127 -------------------------------------------------------------------------- ________________ એ ગ્રંથ એપિક ગણાય ? ] ૮૫ પાંચમા પ્રસ્તાવમાં ચારિત્રરાજ અને મેહરાય વચ્ચે ભારે યુદ્ધ થાય છે; ( ઞ. ૫. પ્ર. ૧૯. પૃ. ૧૩૧૬ ) ક્રી વાર આઠમા પ્રસ્તાવમાં ભયંકર આંતરયુદ્ધ થાય છે; (૫. ૮. પૃ. ૧૯૩૭ ) એ ઉપરાંત નંદિવર્ષોંન અને વિભાકરનું યુદ્ધ પણ ઘણું સારું વર્ણવ્યું છે (૫. ૩. પ્ર. ૨૩. પૃ. ૫૮૪ ) અને એક પ્રસંગે આકાશમાં યુદ્ધ પણ ઘણું મજાનું વર્ણવ્યું છે. (પ્ર. પ. પ્ર. ૩. પૃ. ૧૧૬૪૭ ). આ સ શું ખતાવે છે તે વિચારવા જેવું છે. વીરરસનું પ્રાધાન્ય આ ગ્રંથમાં હાવાનું કહી શકાય તેમ નથી, પણ સરસ છે અને વીર રસને અંગે ધર્મવીર રસની પાષણા અદ્ભુત થઇ છે. કાપાકાપી પૂરતી વીરરસની વાતા તા ઘણી આવે છે, પણ એમાં અઢાર દિવસ સુધી કુરુક્ષેત્રનું જે ભયંકર યુદ્ધ મહાભારતમાં વર્ણવ્યું છે એટલું તેા આવતું નથી. એપિકને અંગે અત્ર કઇ કઇ વસ્તુ છે તે બતાવી. તેના નિ ય આપવાની જવાબદારી હું લઈશ નહિ. એપિકને અંગે મહાકાવ્યત્વના ગુણુ હેાવા જોઇએ તે એમાં છે એ આપણે ઉપર જોઇ ગયા. એમાં ઇતિહાસ જોઇએ તે એક જ નાયકના છે એ કથાશરીર જોવાથી જણાય છે, એ એક જ ભવના હાવા જોઇએ એવા કેાઇ નિયમ નથી. એ ગ્રંથ લાંબા હાવા જોઇએ તા તેને માટે એટલું જ કે આ ગ્રંથ મહાભારત જેટલા માટે તે નથી, પણ મીલ્ટનના પેરેડાઇઝ લેાસ્ટથી તે જરૂર મેટા છે. એટલે લખાઇ એ જો ‘ એપિક ’ત્વનું માપક હોય તે તેમાં ખાસ વાંધા જણાતા નથી. એક હજુ પણ વધારે અગત્યની વાત વિચારવા જેવી છે અને તે એ છે કે આખા ભાષાસાહિત્યમાં, પછી તે સંસ્કૃત કે અંગ્રેજી કે કોઇપણ ભાષાનું સાહિત્ય લઇએ એમાં, એક જ વ્યક્તિને અવલ બીને દુનિયાના સર્વ સારા અને ખરાબ ભાવાને દર્શાવનાર કાઇપણ પુસ્તક નિહ મળી આવે. એમાં વીરરસ હશે તેા કરુણા નહિ હાય, મારામારી હશે તેા સ્થિરતા નહિ હાય, દોડાદોડી હશે તે શાંતિ નહિ હાય, એક વાત વિસ્તારથી કહેવા જતાં સત્તર વાત રહી જશે, પણ્ સ સારા ખરાબ અનેાવિકાર અને ખાધુ આંતરરચનાને પુરુષાકાર આપી વ્યક્ત કરનાર કોઇ ગ્રંથ અન્યત્ર અપ્રાપ્ય છે. સ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૮૬ [ શ્રી સિદ્ધર્ષિ ઃ : ઉમિતિ ગ્રંથ : 6 , દશાને ચનાર ગ્રંથને · અપિક ' કહેવાય કે નહિ, અથવા એથી એના એપિકપણામાં હાય તેથી પણ વધારા થાય છે કે નહિ તે વાત હું વિદ્વાનેાની ચર્ચા ઉપર છેડુ છું, પણ એક વાત તા જરૂર કહીશ અન ત એ કે અત્યાર સુધી આપણે અમુક ગ્રંથ્થાને જ એપિક માનતા આવ્યા હુઇએ અને આપણે આપણા મતથી કાઇ અપ્રચલિત ગ્રંથ માટે ઢાર જ અંધ કરી દીધાં હાય એમ થવું ન જોઇએ. આપણને લાગે કે અમુક ગ્રંથ જે અત્યાર સુધી આપણા જાણવામાં નહાતા ત એપિક છે અને તના તવા હેાવાની આપણી ખાતરી થાય તા માત્ર પૂર્વના અભિપ્રાયને ફેરવવાની અગવડ ખાતર એને વળગી રહેવાની જરૂર ન ગણાય. સ ંસ્કૃત ભાષાને અંગે શોધખાળે! ઘણી અપૂર્ણ હાવાથી આપણે હજી પરિવર્તન કાળમાં છીએ. હજુ અનેક ગ્રંથે! આપણે અવગાહ્યા નથી તેથી આપણા નિયા છેવટના છે એમ ધારવું નહિ, અને યાગ્ય ગ્રંથ જણાય તા તેને અંગે વિચાર ફેરવવા પડે કે ખાંધેલા નિણુ ચેામાં ફેરફાર ( Mlodification ) કરવા પડે તા તે વિનાસ કાર્ચે સ્વીકારવા. મને આ ગ્રંથમાં એપિકના ઘણાં તત્ત્વા લાગે છે એમ તા મારે કહ્યા વગર ચાલતું નથી, પણ એ સંબ ંધી છેવટના નિર્ણય હું આપતા નથી. એ સબધમાં એપિકને અગે અન્યત્ર કેવા વિચારા થયા છે તે તરફ ધ્યાન ખેંચીશ અને છેવટના નિણૅય વિદ્વાનેાને સોંપીશ. ૧૫. તત્ત્વજ્ઞાનના કથાગ્રંથઃ— કળાની નજરે એ ગ્રંથના રૂપક કથા, મહાકાવ્ય અને એપિકપણાની વાત કરી. હવ ધની નજરે જોઇએ તેા એ તત્ત્વજ્ઞાનના મહાગ્રંથ છે. એમણે વાર્તાએ જ લખી છે, છતાં એની ફૂલગૂંથણીની ફ્ળા સાથે એ ગ્રંથકન્તોએ તત્ત્વજ્ઞાનની વાર્તા કરી છે. વાર્તામાં તત્ત્વજ્ઞાન ગૂંથવાનું કા સ થી વધારે મુશ્કેલ અને અટછે. આપણે એક સાદું ચરિત્ર લઇએ તે તેમાં જોવામાં આવશે કે તેના લેખક મૂળ મુદ્દો લક્ષમાં તેા રાખે જ છે પણ પછી વાર્તા ચાલે ત્યારે તે વાર્તાની ધૂનમાં જરૂર તણાઈ જાય છે. આપણે ચંદ રાજાના કે પમ્મિલના રાસ વાંચીએ તે એમાં વાર્તાના રસ જામતા ખરાખર દેખાશે, પણ પછી ગુણાવલીનાં સાહસેામાં કે ચંદના પ Page #129 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વજ્ઞાનને કથાગ્રંથ :]. ૮૭ કુકડાપણામાં અભુત રસની જમાવટ જ દેખાશે. ધમ્મિલના રાસમાં અગડદત્તનું ચરિત્ર ગેય કાવ્ય છે, પણ એ તત્ત્વજ્ઞાનને વિષય ન કહી શકાય. ઉપમિતિના ગ્રંથકર્તાએ તો એના પ્રત્યેક વાક્યમાં તત્વજ્ઞાન મૂકયું છે અને ખૂબી એ કરી છે કે શ્રોતામાં કે વાંચનારમાં જેટલી આવડત હોય તેટલું એ તત્ત્વજ્ઞાનામૃતનું પાન કરી લે અને નહિ તો અદ્ભુત વાર્તા તે ચાલી જ આવે. એમણે નીચેના વિષયે મુખ્ય લીધા છે પણ અંદરના વિષયોને તો પાર નથી, કારણ કે એના પાત્રોની પ્રત્યેક ચર્ચા તત્વજ્ઞાનની વાર્તા છે. પ્રથમ મુદ્દાના સિદ્ધાતેની રચના જોઈ જઈએ. (૪) સંસારીજીવનું ચરિત્ર એટલે જૈન દર્શનના અભિપ્રાય આત્માના વિકાસકમ, એને એક નજરે Theory of Evolution કહી શકાય, પણ ઈલ્યુશનમાં દષ્ટિ સમષ્ટિ તરફ હોય છે અને અહીં દષ્ટિ પ્રત્યેક આત્માના વિકાસ તરફ છે. ઈલ્યુશનનો સિદ્ધાન્ત માનનાર સર્વદા આગળ પ્રગતિ જ દેખે છે અને જૈન વિકાસકમમાં બીજા વિરુદ્ધ બળાના સદુભાવે પશ્ચાદ્દગતિ પણ થાય છે એ જૈન નજરે વિકાસકમમાં અને ઈવોલ્યુશનવાદમાં મેટો તફાવત છે. દાખલા તરીકે ચોથા પ્રસ્તાવને છેડે સંસારીજીવ (રિપુદારણ) સાતમી નરકે જાય છે એ છેલ્યુશનવાદને મતે અશકય છે. જૈન મતને કર્મવાદ સમજતાં એ સ્પષ્ટ થઈ જાય તેવી હકીકત છે. પાંચમા પ્રસ્તાવને છેડે સંસારીજીવ ( વામદેવ ) પંચાક્ષપશુસંસ્થાન(તિયચ)માં જાય છે એ એને પશ્ચાતુકમ છે; અને સાતમાં પ્રસ્તાવના સોળમા પ્રકરણમાં એ માછલે, વાઘ, બિલાડે થાય છે એ સર્વ જૈન નજરે વિકાસક્રમના માર્ગો બતાવે છે. આ પ્રાણી અસલ અસંવ્યવહાર નગર(સૂમ નિગોદ)માં પડ્યો હોય છે ત્યાંથી એને વિકાસ કઈ વખત અકામ નિર્જરા થઈ જાય અને લેકસ્થિતિ Eternal laws of nature એ એને બહાર નીકળવા વારો આવે ત્યારે એ અત્યંત અબોધ (ભયંકર અજ્ઞાન) અને તીવ્ર મહોદયના પંજામાંથી છૂટી સંવ્યવહાર નગરે આવે. એકેદ્રિયના પૃથ્વી, અપ, તેજ, વાયુ અને વનસ્પતિમાં ફરે, એમ કરતાં એને બે ઇંદ્રિય પ્રાપ્ત થાય, ત્રણ થાય, ચાર થાય. આ વિકલેંદ્રિય દશામાં અથડાતાં કૂટાતાં એ વળી પંચાક્ષપસંસ્થાને આવે એટલે પંચંદ્રિય તિર્યંચ થાય. • Page #130 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી સિહર્ષિ ઃ ઉપમિતિ ગ્રંથ : એ વળી પાંચ ઇંદ્રિયવાળા જળચર, સ્થળચર અને ખેચરના ભેદમાં જાય. એમ કરતાં એ મનુષ્ય થાય. પચેંદ્રિય અવસ્થામાં પુણ્યોપાર્જન કરે તો દેવગતિમાં જાય, પાપ કરે તે નરકગતિમાં (પાપી પંજરમાં) જાય. આવી રીત રખડપટ્ટી થયા કરે છે અને પ્રાણી વાસના કર્મ (અથવા સ્વાપાર્જિત કાર્યનાં પરિણમે) નાં ફળો ચાખતા ચારે તરફ રખડયા કરે છે. છેવટે જે બરાબર વસ્તુસ્થિતિ સમજી ત્યાગ કરે, વિવેકપૂર્વક સ્વમાં ઉતરે અને અને દર કરે તા અને મોક્ષ થાય છે. આ આખા વિકાસક્રમના માર્ગોને બતાવવાને આ ગ્રંથનો મુખ્ય ઉદ્દેશ મને જણાયો છે. એ નજરે જતાં એ તત્ત્વજ્ઞાનને ગ્રંથ છે. (મા) જેનેના મૂળ ગ્રંથમાં તેમજ ત્યારપછીના પ્રકરણ ગ્રંથમાં કર્મનો સિદ્ધાન્ત ખૂબ મજબૂત અને બહુ ઊંડાણમાં ઉતરીને ચર્ચાય છે. એના મુખ્ય આઠ વિભાગે: જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય છે અને એ પ્રત્યેકના પિટા ભેદ કરતાં ૧૫૮ થાય છે. (જુઓ પ્રથમ કર્મગ્રંથ) એ પ્રત્યેકનું કાર્ય શું છે અને પ્રાણીને એ કેવી રીતે સંસારમાં જકડીને બાંધી રાખે છે એની બહુ વાતે અનેક ગ્રંથમાં જૈન શ્રાષિ મુનિઓએ કરી છે. એમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મો છે અને બાકીના બીજાં ચાર અઘાતી છે. સર્વે સંસારમાં રખડાવનાર છે અને એ સર્વમાં રાજાનું સ્થાન મોહનીય કર્મને છે. એ કર્મો કેવી રીતે કામ કરે છે અને પ્રાણુને એના સ્વભાવ ધર્મોમાં કેવી રીતે જવા દેતા નથી અને જાય તે કેવા પ્રયત્નોથી એને પાછો પિતાને ત્યાં ખેંચી જાય છે-એ સર્વ ખેંચતાણ ખરેખર સમજવા જેવી છે. કર્મના સિદ્ધાન્તને આ પુસ્તકમાં બહુ સારી રીતે ખીલવ્યા છે. એટલા માટે બીજા પ્રસ્તાવની શરૂઆત જ કર્મ પરિણામ રાજાના વર્ણનથી થાય છે. એ મહાબળવાન રાજાનું તેજ, એનું બળ, એને પ્રચંડ પ્રતાપ અને એને નાટક જેવાને શોખ એ સર્વ આશ્ચર્યમાં નાખે તેવું, પણ રૂપકથી ભરપૂર અને બરાબર એગ્ય છે. કર્મના સિદ્ધાન્તના જ્ઞાનને ઉત્કૃષ્ટ ઉપયોગ અને આવિર્ભાવ પ્રમત્તતા નદીના કાંઠા પર ચિત્તવિક્ષેપ મંડપમાં થાય છે અને એની પરાકાષ્ઠા કર્મ પરિણામ અને ચારિત્રધર્મરાજની લડાઈમાં Page #131 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વજ્ઞાનના કથાંથ : ] ૮૯ આવે છે. એમાં બન્ને પક્ષની હાર જીતનાં કયાં કયાં કારણેા પ્રવર્તે છે એના પેટામાં આખા કર્માંના સિદ્ધાન્ત ગ્રંથકર્તાએ ચચ્ચેચ્ચું છે. આખા પુસ્તકમાં કર્મની ચર્ચા, કર્યાંના કાર્યની ચર્ચા, કના આવિોવાની ચર્ચા એટલી છે કે એના એક સ્થાને કે એક પ્રકરણમાં નિર્દેશ થઈ શકે તેમ નથી. આખા ગ્રંથ કર્મના સિદ્ધાન્તને પ્રતિપાદન કરનારા છે એમ કહેવામાં જરાપણ વાંધા નથી. આ તત્ત્વજ્ઞાનના ગ્રંથ છે એમ બતાવતાં જૈન સિદ્ધાન્તની નજરે એમાં કર્મ ના સિદ્ધાન્તની તલસ્પશી ફૂલગૂથણી ખતાવી. (૬) આત્મા કર્મ થી આવૃત્ત હેાવા છતાં એની મૂળ સ્થિતિમાં એ સર્વ કર્મથી પર રહી મૂળ સ્વભાવે શુદ્ધ છે, એની શુદ્ધતા સેાનાની શુદ્ધતા માટી સાથે હેાવા છતાં સત્તાગતે રહેલી છે પણ પ્રયત્ન કરીને પ્રકટ કરવી પડે છે. તવા પ્રકારની છે. એ હકીકત અતાવવા ચારિત્રધર્મ રાજ અને માહરાયનાં યુદ્ધો વર્ણવ્યાં છે. આત્માની મૂળ મુદ્દતા બતાવવા અને એના મેાક્ષ થઇ શકે છે અને ત તનાથી જ સાધ્ય છે એ હકીકતની કળાની નજરે આખા ગ્રંથમાં ગૂંથણી કરી છે. મનુષ્યત્વમાંથી દેવત્વ પ્રાપ્ત કરી શકાય છે Rising of manhood to Godhood એ આખી વાર્તાના આંતરપ્રવાહ ( undercurrent) સČત્ર પ્રસરે છે અને એ તત્ત્વજ્ઞાનની મુદ્દાસર વાત કરવામાં આખા ગ્રંથના ઉપયોગ કર્યો છે. આ રહસ્ય વધારે ઊંડા ઉતરવાથી પ્રાપ્ય છે. એનું ખાસ વર્ણન સાત રાક્ષસીના દ્વારનું પ્રકરણ લખી (૫. ૪. પ્ર. ૨૮) તેનાથી નિવૃત્તિ કેવી રીતે થાય અને થાય ત્યારે શું થાય એ તેના પછીના પ્રકરણમાં ( ૫. ૪. પ્ર. ર૯ ) બતાવ્યું છે અને એના તાદૃશ્ય ચિતાર ખાળ અને મનીષી રમતા હતા તે વખતે સ તાષથી કટાળેલા સ્પર્શન ભવજંતુના સંબંધભંગથી ફાંસીએ લટકાતા હતા ત્યાં જોવામાં આવે છે. (પ્ર. ૩. પ્ર. ૩ ) આ ખાસ મુદ્દામ હકીકત છે, અને બહુ કળાપૂર્ણાંક લગભગ દરેક ઈંદ્રિયાના પ્રસંગમાં એને ગૂંથી છે, અને એ ઊંડા ઉતરવાથી જ સમજાય તેવી છે. આઠમા પ્રસ્તાવને છેડે પ્રકરણ ૨૨ મામાં આ તત્ત્વજ્ઞાન પરાકાષ્ઠાને પામે છે. મનુષ્ય દેવ થઇ શકે છે અને સ મુક્ત થઈ શકે છે એ તત્ત્વરહસ્યની ગૂંથણી કરી આ કથાને તત્ત્વજ્ઞાન કથા અનાવી છે. ૧૨ Page #132 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી સિદ્ધર્ષિ : ઉપમિતિ ગ્રંથ : (૬) કેઈ પણ કાર્ય થવાને અંગે પાંચ સમવાયી કારણેની હાજરીની જરૂર છે: કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ અને પુરુષાર્થ. અમુક વસ્તુ થવાને અથવા બનાવ બનવાનો સમય પાકો જોઈએ, એમ થવાને એને સ્વભાવ હોવો જોઈએ, એમ થવું સંભવિત હેવું જોઇએ, તદ્યોગ્ય પૂર્વ કિયા થયેલી હોવી જોઈએ અને તે માટે પ્રયત્ન હોવો જોઈએ. આ પાંચ સમવાયી કારણેની ઘટના ઘણી વિલક્ષણ રીતે સ્પષ્ટતાપૂર્વક આખા ગ્રંથમાં કરવામાં આવી છે. કર્મની સત્તા બતાવવા એને સર્વને ઉપરી રાજા (કર્મ પરિણામ) બનાવ્યા. (પ્ર. ૨. પ્ર. ૨.) એને અનંત પુત્રો હોવા છતાં એને અપુત્રીઆ તરીકે જાહેર કર્યો અને એની સ્ત્રી કાળપરિણતિને એ જ પ્રકરણમાં વંધ્યા બતાવી. બન્નેને નાટક જેવાના શોખીન બતાવ્યા. ભવિતવ્યતાની જના સંસારીજીવની સાથે તેની પત્ની તરીકે કરી દીધી. (પ્ર. ૨. પ્ર. ૭). એ ભવિતવ્યતા આખા ગ્રંથમાં વારંવાર ગળીઓ (એકભવવેદ્ય) આપે છે તે, તે ભવમાં ભેગવવા ગ્ય કર્મોનો સમૂહ છે (પૃ. ૩૩૦). સ્વભાવને માટે લોકસ્થિતિ નામના પાત્રની ઘટના કરી છે અને શરૂઆતમાં તત્તિયાગ ત પણ એ જ કાર્ય બજાવે છે (પ્ર. ૨. પ્ર. ૭) અને પુરુષાર્થને કેઈપણ રૂપક આપ્યું નથી તે બહુ અર્થસૂચક વાતો છે. એનું બરાબર સ્થાન પ્રબંધનરતિ આચાર્યના ઉપદેશ (પ્ર. ૩. પ્ર. ૧૨. પૃ. ૪૯૧)માં સ્પષ્ટ આવે છે. આ સર્વ કાર્ય થાય છે તેના અંતરમાં પુરુષાર્થ જ છે. કર્મને ઉપજાવનાર એ જ છે અને એ કર્મના ચૂરા કરનાર પણ એ જ છે. આ પાંચ સમવાયી કારણેને બહુ યુક્તિપૂર્વક આખા ગ્રંથમાં કથારૂપે ગૂંથી દીધા છે. દરેક ભવ પૂરો થાય ત્યાં નવી ગોળી આપવાની પદ્ધતિ નૂતન છે, અને તેથી જ એ ગ્રંથકર્તાની અજબ કળા બતાવે છે. આ રીતે પાંચે કારણોને કળાપૂર્વક ગોઠવી દઈ ગ્રંથíએ તત્ત્વજ્ઞાનની વાર્તા કરી છે. (૩) ગ્રંથકર્તાએ જોયું કે સંસારમાં ઘણી વખત અતિ પાપી માણસે સુખ ભોગવતાં દેખાય છે. સારા માણસો હેરાન થતાં દેખાય છે–તે વાતને પ્રકટ ખુલાસો થવાની જરૂર છે. એટલા માટે કર્મ પરિણામ મહારાજાને રાજાધિરાજના સ્થાનકે રાખી તેમણે દરેક જન્મ પ્રસંગે સંસારીજીવની સાથે “ પુણ્યોદય” મિત્રને જન્મ બતાવ્યા છે. એને પ્રથમ નામ નિર્દેશ સંસારી જીવ Page #133 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વજ્ઞાનને કથાગ્રંથ: ] મનુજગતિએ જવા નીકળે છે ત્યારે થાય છે (પ્ર. ૨. પ્ર. ૧૦ પૃ. ૩૨૮) પછી નંદિવર્ધન સાથે જ એને જન્મ થાય છે (પ્ર. ૩. પ્ર. ૧. પૃ. ૩૪૫) પણ એ નંદિવર્ધનના પાપાચારથી પાતળો પડતો જાય છે. નંદિવર્ધન એને ઓળખાતો નથી. ( પ્ર. ૩. પ્ર. ૨૬. પૃ. ૬૨૪. ) અને આખરે પુણ્યોદય કંટાળીને ચાલ્યો જાય છે (પૃ. ૬૩૬ ). આ સર્વ બાબત બહુ વિચારવા યોગ્ય છે. એવી જ રીતે વળી એને પુણ્યદય સાથે મૈત્રી થાય છે (પૃ. ૬૮૯) અને રિપુદારણ તરીકે એ રાજસભામાં આવે છે ત્યારે પુણ્યદય પાતળો પડી જાય છે (પ્ર. ૪.પ્ર.૩. પૃ.૭૨૭). પછી એ વધારે વધારે પાતળા પડતો ગયો છે. (પ્ર. ૪. પ્ર. ૪૦. પૃ. ૧૧૨૦) એવી જ રીતે પાંચમા પ્રસ્તાવમાં વામદેવ સાથે પુણ્યોદયને જન્મ થાય છે (પૃ. ૧૧૪૨). આવી રીત પદયને દરેક પ્રસંગે સાથે જન્મ, અધમ કાયો થતાં તેનું દુબળ થવું અને તે દૂર થતાં સંસારીજીવ પર પડતી વિપત્તિઓ બહુ વિચારવા યોગ્ય છે. એ પદય એક મહાતજ્ઞાનની વાર્તા રજૂ કરવા નિમોયેલ અંતરંગ પાત્ર છે. આ પુદયનું કાર્ય શું છે તે સ્પષ્ટ કરવા માટે અનેક નાના મોટા પ્રસંગે ઉપસ્થિત કરવા ઉપરાંત ગ્રંથકર્તાએ આઠમા પ્રસ્તાવમાં બે આખાં પ્રકરણે લખ્યાં છે. જુઓ સદર પ્રસ્તાવના પ્રકરણ ૫ અને ૬. એમાં કનકદર રાજાને સ્વપ્નમાં ચાર પુરુષે આવે છે અને કુલંધરને સ્વપ્નમાં પાંચ પુરુષો આવે છે. એ નિમિત્ત લઈને સાર્વભૌમ મહારાજા કર્મપરિણામના સેનાપતિ તરીકે પુણ્યોદય અને પાપેદયને બતાવ્યા છે. (પ્ર. ૮. પ્ર. ૬. પૃ. ૧૦૬–૭) અને ત્યાં પુણ્યદયનું કાર્ય બહુ વિસ્તારથી બતાવવા માટે લગભગ પુણ્યદયના અનેક પ્રસંગોના તેમજ પાપોદયનાં અનેક પ્રસંગેના દાખલા આપી આ પ્રશ્ન ખૂબ ચર્યો છે અને છેવટે જીવની પિતાની યોગ્યતાનું એ સર્વને અંગે શું સ્થાન છે તેનું ત્યાં જ વર્ણન કર્યું છે. આ પુણ્યદય મિત્રને સહજન્મ અને એની શક્તિ અને એનું કાર્ય આખી કથારચનામાં ઓતપ્રેત વીંટળાઈ રહ્યું છે એ આ ગ્રંથને તત્ત્વવાર્તાને ગ્રંથ બનાવે છે. (૪) આત્માને પરભવ ન મનાય તે અનેક હકીક્ત ખુલાસા વગરની જ પડી રહે છે. અંતે જે લાભાલાભ– સંગ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૯૨ [ શ્રી સિદ્ધર્ષિ :: ઉપમિતિ ગ્રંથ : વિયાગ થાય છે તેની પછવાડે કાંઇ કારણ મળી આવતું નથી, પણુ પૂર્વ કૃતક ના સિદ્ધાંત જેટલા ઉપયાગી છે તેટલે જ પરભવમાં આત્માનું ગમન ઉપયાગી છે અને એ માનવાથી કૃતનાશ અને અકૃતઅભ્યાગમ નામનાં એ મેટાં દૂષણ દૂર થઇ જાય છે. તે આખી કથામાં સંસારીજીવનાં ગમનાગમનદ્વારા બહુ ગૂઢ રીતે દર્શાવી દીધું છે. ( ૪ ) જ્યારે જ્યારે ઉપદેશ આપવાના પ્રસંગ આવે ત્યારે ચરણકરણાનુયાગને અંગે પ્રથમ સર્વવિરતિપણાના ઉપદેશ આપવા અને તેમાં જેની અશક્તિ હાય તેને માટે પછી ગૃહસ્થધમ બતાવવા. મેાક્ષમાં જવાની અને માર્ગમાં ચેાગ્યતા છે, છતાં વધારે નજીકના સીધા અને સરલ માતા સવરતિપણાના સ્વીકારમાં જ છે. પ્રથમ પ્રસ્તાવમાં નિપુણ્યક પેાતાનું ઢીંકરું રાખીને ત્રણ ઔષધ લેવાના વિચાર કરે છે ત્યાં પણ તને પ્રથમ ઉપદેશ તા ઢીંકરાને ત્યાગ કરવાને જ આપવામાં આવે છે. ત્યાં ધર્મ આધકર સ્નેહપૂર્વક જે ઉપદેશ આપે છે તે ખાસ વિચારવા ચેાગ્ય છે ( પ્ર. ૧. પૃ. ૧૫૬-૭) અને પછી પૃ. ૧૬૭ માં ઉપદેશના ક્રમ બતાવતાં પ્રથમ સર્વવિરતિના ઉપદેશ શા માટે આપવા. તેની વિગતવાર ચર્ચા કરી છે. ત્રીજા પ્રસ્તાવમાં મનીષીને સર્વવિરતિને જ ઉપદેશ આપે છે, અરિદમનને પણ સÖવરિતને જ ઉપદેશ આપે છે ( પ્ર. ૩. પ્ર. ૩૩ ), બુધસૂરિના આખા ઉપદેશમાં એ જ આશય છે, એમણે જે પ્રતિમાધ રચના કરી, ઉગ્ર દિવ્ય દર્શન કરાવ્યું ( પ્રસ્તાવ ૫. પ્રકરણ ૧૧ અને ૧૨ ) અને છેવટે ધવલરાજ અને વિમલકુમારની દીક્ષા થઈ ત્યાં પણ એ જ મુદ્દો રજૂ થયા છે. ( ૫. પ. પ્ર. ૨૦ ); ષડ્પુરુષકથાનકમાં પાંચમા પુત્ર ઉત્તમનું રાજ્ય ત્યાં જ લઈ જાય છે (પ્ર. ૬. પ્ર. ૧૪ ) અને તે એ જ કારણે રાજ્ય તજી દીક્ષા લે છે. સાતમા પ્રસ્તાવમાં છ મુનિના વૈરાગ્યપ્રસંગે એ જ મુદ્દાને ઉદ્દેશીને રચાયા છે અને ગુણધારણુ દશ કન્યાને પરણે છે, તેની સાથે સંપૂર્ણ સુખ ભાગવે છે ત્યાં પણ એ જ મુદ્દાની રચના થઈ છે (૫. ૮. પ્ર. ૭). મતલબ સર્વ વિરતિપણાના ઉપદેશની મુખ્ય અગત્ય આખા ગ્રંથમાં વિસરાઇ નથી. એ વાર્તા તત્ત્વજ્ઞાનની ન કહેવાય પણ ચરણકરણાનુયાગને અંગે શાસ્રદેશ અથવા નિયમન કહેવાય, Page #135 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વજ્ઞાનને કથાગ્રંથ : ] ૯૩ અને વિસ્તૃત અર્થાંમાં તત્ત્વજ્ઞાન શબ્દ વાપરીએ તે શાસ્ત્રવાર્તા કે તત્ત્વવાર્તા પણ કહેવાય. ( ) આખા ગ્રંથમાં એક બીજી વાર્તાના ગુપ્ત પ્રવાહ ચાલે છે; તેનું રહસ્ય એ વાકયમાં આવી જાય છે અને તે એ છે કે “ પરિતિની નિર્મળતા કરવી અને સ્વપરનુ` વિવેચન વિવેકપૂર્વક કરી સ્વને આદરવું અને પરને તજવુ. ” જૈન આધ્યાત્મિક ગ્રંથાને આ સાર છે. આખા શાસ્ત્રનું રહસ્ય એક વાકયમાં રજૂ કરવુ હાય તા ઉપરના વાકયમાં તેના ખરાખર સમાવેશ થઇ જાય છે. પરિણતિની નિર્મળતા કરવી એટલે ચિત્તવૃત્તિને મેલ વગરની ચાખ્ખી રાખવી અને આત્માની નજરે એનું પેાતાનું શું છે? એની સાથે રહેનાર શું છે? એને લાભ કરનાર શું છે ? એ બરાબર એળખવું અને તેમાં પણુ એના તાત્કાળિક અથવા વિભાવિક સુખ સગવડની નજરે ન જોવું પણ પરિણામે લાભ કયાં છે તે જોવું, અને જોઇને એને ખરે લાભ કરનાર એની વસ્તુ હાય એને આદરવી, તેમજ પરભાવના, પરસ`ખ ધને, ઉપરઉપરના સ્નેહીએના કે અનિત્ય સંધાને ત્યાગ કરવા. આમાં રાગ, દ્વેષ, રતિ, શાક, ભય સ પરભાવમાં આવે છે. જ્યારે જ્યારે સંસારીજીને પરભાવમાં રમણતા કરી છે ત્યારે ત્યારે એના પાત થયા છે. પ્રસ્તાવ આઠમાના છઠ્ઠા પ્રકરણમાં સુસ્થિત મહારાજની ત્રિકાળ સ્પષ્ટ આજ્ઞા પૃ. ૧૯૧૪ માં બતાવી છે. તેમાં એ જ વાત છે. સંસારીજીવના પ્રત્યેક વખતે અધ:પાત આ નજરે જોવા યાગ્ય-વિચારવા યાગ્ય છે, પણ મારા મતે એની પરાકાષ્ઠા આઠમા પ્રસ્તાવના દેશમા પ્રકરણમાં થાય છે. ત્યાં એ આચાર્ય બને છે અને પછી એને ગૈારવ થાય છે, એ અભિમાને ચડે છે અને ભણેલું ભૂલે છે; (પૃ. ૧૯૬૨-૩ ) તેથી છેવટે એના જખરા પાત થાય છે અને એ એકાક્ષનિવાસ નગરે પહોંચી જાય છે. આ ભણેલાના અધ:પાત જખરા છે અને પરભાવરમણુતાનું અતિ વિશિષ્ટ દષ્ટાન્ત પૂરું` પાડી અજબ રીતે તત્ત્વવાર્તામાં રમણ કરાવે છે. બાકી તત્ત્વવાર્તાના નાના પ્રસંગેાના તેા પાર નથી. ઉપરની ખામતાના પ્રવાહ તે આખા ગ્રંથમાં ચાલે છે એટલે અને તારવી કાઢી ઉપર જુદી બતાવી; ખાકી નાની નાની તત્ત્વવાર્તાઆથી તેા આખે Page #136 -------------------------------------------------------------------------- ________________ ૪ [ શ્રી સિદ્ધર્ષિ : : ઉપમિતિ ગ્રંથ : ગ્રંથ ભરેલા છે. એને તારવવાની જરૂર જણાતી નથી છતાં કેટલીક મુદ્દાની વાત જોઇ લઇએ. આ નીચેનું પત્રક પરિપૂર્ણ નથી, ઘણું અધૂરું છે, એ ખાસ ધ્યાનમાં રાખવું. એમાં દ્રવ્યાનુયાગ અને ચરણકરણાનુયાગની વાતા આવશે, પણ તત્ત્વજ્ઞાનના વિશિષ્ટ અર્થમાં એ બન્નેના સમાવશ થાય છે, તથી એ પત્રક તત્ત્વજ્ઞાનના શિક નીચે જ આપી દેવામાં આવ્યું છે. ૧. જ્ઞાન-દર્શન-ચારિત્રના આરાધનથી મહારાજ્ય પ્રાપ્તિ. (પ્ર. ૧. પૃ. ૧૬૯. ) ૨. સાધુની નિ:સ્પૃહતા (પ્ર. ૧. પૃ. ૧૨૫. ) ૩. અધિકારીના સુસાધ્ધ, કષ્ટસાધ્ય, અસાધ્ય વિભાગ. પ્ર. ૧. પૃ. ૧૭૭–૯. ) ૪. સંશયયુક્ત હકીકત હાય ત્યાં કાળક્ષેપ કરવા. ( પ્ર. ૩. પ્ર. ૬. પૃ. ૪૦૭. ) ૫. સ્પેનસુખની લાલસામાં મર્યાદાને ત્યાગ (પ્ર. ૩. પ્ર. ૮) તેમજ ( પ્ર. ૩. પ્ર. ૧૩) ૬. ચાર પ્રકારના પુરુષા. (પ્ર. ૩. પ્ર. ૮.) ૭. અપ્રમાદ યંત્રના અદ્ભુત પ્રયાગ. (મ. ૩. પ્ર. ૧૪. ) ૮. મનુષ્ય ભવની દુર્લભતા. (પ્ર. ૩. પ્ર. ૩૧. ) ૯. માહ્ય, અંતરંગ અને આગંતુક ત્રણ કુટુ એ. ( શ્ર, ૩. પ્ર. ૩ર. ) ૧૦. હિંસાની અસરથી થતા રખડપાટા. ( .પ્ર. ૩. પ્ર. ૩૪. ) ૧૧. કુષ્ટિની અસર બતાવતાં પાખ’ડીની ગણના. (પ્ર. ૪. પ્ર. ૧૨ પૃ. ૮૫૯-૬૦. ) ૧૨. સ્નેહરાગ, દૃષ્ટિરાગ, કામરાગ. ( સદર. ) ૧૩. સાત રાજાનું સામાન્ય વિશેષ સ્વરૂપ. મૂળ ઉત્તર પ્રકૃતિ. (૫, ૪. પ્ર. ૧૮. પૃ. ૮૯૫. ) ૧૪. સાત પિશાચીની ચેાજનામાં મુખ્ય પુણ્ય પાપ પ્રકૃતિના સમાવેશ. (પ્ર. ૪. ૫–૨૮ પૃ. ૧૦૧૧ નેટ. ) Page #137 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વજ્ઞાનને કથાગ્રંથ : ] ૧૫. અવશ્ય ભાવભાવ-પરિપાટીની વ્યવસ્થા. (પ્ર. ૪. પ્ર. ૨૯. પૃ. ૧૦૧૪-૬.) ૧૬. પ દર્શનના નિવૃત્તિ માર્ગો. (પ્ર. ૪. પ્ર. ૩૧.) ૧૭. દાન–શીલ-તપ-ભાવ–ચારિત્રરાજનાં ચાર મુખો. (પ્ર. ૪. પ્ર.૩૪. પૃ. ૧૦૫૯-૬૩.) ૧૮. ચારિત્રરાજના સામાયિકાદિ પાંચ મિત્રો. (પ્ર. ૪. પ્ર. ૩૪. મૃ. ૧૭૬૪–૫). ૧૯ યતિ ધર્મના દશ મનુષ્ય. વિભાગ.(પ્ર.૪.પ્ર.૩૫, પૃ.૧૦૬૭-૭૭) ૨૦. ગૃહિધર્મના બાર મિત્ર–વિભાગ. (સદર પૃ. ૧૦૭૮-૮૬.) ૨૧. યતિધર્મમાં સંતોષનું સ્થાન.(પ્ર. ૪. પ્ર. ૩૬ ૫. ૧૭.) ૨૨. દેવપૂજનમાં જુદી જુદી મુદ્રાઓ. (પ્ર, પ, પ્ર ૭. પુ. ૧૧૯૨.) ૨૩. સજજન પુરુષોની મહાનુભાવતા-સોજન્ય. (પ્ર.પ.પ્ર.૮.પૃ. ૧૨૦૭) ૨૪. પુણ્યાનુબંધી પુણ્ય-પાપાનુબંધી પુણ્ય.(પ્ર.પ.પ્ર.૧૦. પૃ.૧૨૨૦.) ૨૫. ઇંદ્રિયતૃપ્તિ છતાં સુખને અભાવ. (પ્ર.પ. પ્ર. ૧૪. પૃ. ૧૨૫૭.) ૨૬. આત્મિક હદ્ધિ પ્રાપ્ત થયા પછી પ્રગતિના માર્ગે. (પ્ર. ૫. પ્ર. ૧૬. પૃ. ૧ર૭૯-૮૦.) ર૭. આત્મકથા કરવાનેનિષેધ કયારે કરાય? (પ્ર.પ.પ્ર.૧૭. પૂ.૧૨૮૪) ૨૮. દર્શનમાં જુસ્સો, બેધમાં ઠરેલપણું.(પ્ર. પ.પ્ર. ૧૯ પૃ.૧૩૧૩) ૨૯. સજજનને કષ્ટમાં પાડવાના ઉપાયથી તેને ઊલટે લાભ. (પ્ર. ૬. પ્ર. ૭.) ૩૦. ભીની ઈચછા લાભ મળે વધતી જ જાય છે. (પ્ર. ૬. પ્ર. ૨. મૃ. ૧૪૭૯-૮૧.) ૩૧. ધનેચ્છના ફાંફા. (પ્ર. ૬. પ્ર. ૮. પૃ. ૧૫૪૬-૮.) ૩૨. સુખદુઃખનું કારણ રાજ્ય. એના પ્રો .(પ્ર. ૬.પ્ર.૧૦ અને પછી) ૩૩. અંતરંગ રાજ્યપ્રવેશના ઉપાય અને રાજ્યમાર્ગોને અદ્ભુત પ્રયાગ. (પ્ર. ૬. પ્ર. ૧૪.) ૩૪. ત્રિપદી જ્ઞાનથી સિદ્ધાન્ત રચના. (પ્ર. ૬. પ્ર. ૧પ. પૂ. ૧૬૧૪.) Page #138 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી સિહર્ષિ ઉપમિતિ ગ્રંથઃ ૩૫. અષ્ટ મહાપ્રાતિહાર્ય સ્વરૂપ (પ્ર. ૬. પ્ર. ૧૫. પૃ. ૧૬૧૭–૮.) ૩૬. ચોત્રીશ અતિશયનું સ્વરૂપ. (પ્ર. ૬. પ્ર. ૧૫. પૃ. ૧૬૨૧-૪.) ૩૭. ધર્મતીર્થની તીર્થકરકૃત યોજના (અલંકારિક) (પ્ર. ૭. પ્ર. ૨. પૃ. ૧૬૬૨.) ૩૮. દારૂ પીનારાના શિર્ષક નીચે સર્વ સંસારીજીવ વર્ણન. (પ્ર. ૭. પ્ર. ૩. પ. ૧૬૬૮-૭૧. ) ૩૯. સંસાર સન્નિપાત અને ઉન્માદના ચાળા. (અલંકારિક) (પ્ર. ૭. પ્ર. ૫. પૃ. ૧૬૯૪૫. ) ૪૦. પરભાવરમણતા અને સંયમ ચારિત્ર. ( પ્ર. ૭. પ્ર. ૭. પૃ. ૧૭૧૬–૭.) ૪૧. શ્રાદ્ધધર્મ અને સાધુધીની માર્ગ પ્રાપ્તિના ઉપાય. (પ્ર. ૬. પ્ર. ૭. પૃ. ૧૭૨–૩.) ૪૨. બુદ્ધિના આઠ ગુણો, શિક્ષા સ્વાધ્યાયાદિ મોક્ષગમન ગ્ય ગુણે. (પ્ર. ૭. પ્ર. ૭. પૃ. ૧૨૬ થી.) ૪૩. ચિત્તવાનરને ભય. ( અલંકારિક ) ( પ્ર. ૭. પ્ર. ૮. પૃ. ૧૭૩૭ થી) ૪૪. ખરું સુખ કયારે પ્રાપ્ત થાય ? અતિ સુંદર કદશક. (પ્ર. ૭. પ્ર. ૧૦. પૃ. ૧૭૬૪. ) ૪૫. પરિગ્રહનું સ્વરૂપ અને તેનું જેર. (પ્ર. ૭. પ્ર. ૧૧. પૃ. ૧૭૭૩.) ૪૬. મહામહના પિતાના લશ્કરની અને મદદગાર લશ્કરની શક્તિ. (પ્ર. ૭. પ્ર. ૧૫. પૃ. ૧૮૦૩ થી.) ૪૭. સબોધની સલાહમાં દર્શન-જ્ઞાનને સ્થાન. (પ્ર. ૭. પ્ર. ૧૬. પૃ. ૧૮૨૫.) ૪૮. સદાગમનું જેર અને ગેરહાજરી–તફાવત. (પ્ર. ૭. પ્ર. ૧૬. મૃ. ૧૮૨૨ થી.) ૪૯. પ્રબળ પુણ્ય જાગતું હોય ત્યારે સર્વે અનુકૂળ થઈ જાય છે. (પ્ર. ૮. પ્ર. ૩. પૃ. ૧૮૮૦.) Page #139 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વજ્ઞાનને ગામ, : ] ૭ ૫૦. ચક્રભ્રમણમાં દુ:ખ–સાધુતામાં મુખ. (પ્ર. ૮. પ્ર. ૫, પૃ. ૧૮૯૮ થી. ) ૫૧. દશ કન્યાપ્રાપ્તિ ઉપાય, અદ્દભુત વર્ણન. ( મ. ૮. પ્ર. ૭, પૃ ૧૯૨૧૯. ) પર. દ યતિમાં. નવ કન્યા. શુબ વૈશ્યા. (પ્ર. ૮. પ્ર. ૭ અને પ્ર. ૮.) ૫૩. અષ્ટ માતૃકા. પ્રવચન માના ( પ્ર. ૮. પ્ર. ૯. પૃ. ૧૯૬૭-૮.) ૫૪. સમજી પણ ભૂલે, જાણકાર પણ રખડે. (૫. ૮. પ્ર. ૧૦ રૃ ૧૯૬૦-૧. ) ૧૫. અકુશળવ્ય, પાપકર્મ વણા. (પ્ર. ૮. પ્ર. ૧૫. પૃ. ૧૯૯૮.) ૫૬. જ્ઞાનની આશાતનાથી વૈરાગ્ય થતા અટકે છે. ( મ. ૮. પ્ર. ૧૭. પૃ. ૨૦૧૮–૯. ) પછ. જ્ઞાની શ્વાસેાશ્વાસમાં કરેાડા ભવનાં ઉપાર્જિત કરેલાં કમાના નાશ કરે છે. ( ૫. ૮. પ્ર. ૧૭, પૃ. ૨૦૨૧-૨૨. ) ૫૮. ઉપશમ શ્રેણી, (૫. ૮. પ્ર. ૧૮. પૃ. ૨૦૨૭. ) ક્ષપકશ્રેણી કેવળી સમુધાત, શૈલેશીકરણ. ( સદર ) ૫૯. તપાવિધાનથી ચીકણાં ( નિકાચીન ) કર્મના નાશ. ( ૫.૮. પ્ર. ૧૯. પૃ. ૨૦૩૫. ) આ તા ઉપર ઉપરથી પૃષ્ઠો ફેરવી જઇ લખેલ યાદી છે, બાકી શાસની અનેક વાતા અંદર એવી રીતે કર્તાએ ગૂંથી છે કે કેટલીક વાર તા આપણે ઊંડા ઉતરીએ નહિ તા તેના પત્તી પણ ન લાગે. જેમ જેમ શાસ્ત્રના બેધ વધારે તેમ તેમ એના પ્રત્યેક વિભાગમાં, પ્રત્યેક પ્રકરણમાં અને પ્રત્યેક વાક્યમાં ગર્ભિત આશય અને શાસ્ત્રનાં ઊંડાં રહસ્યો માલૂમ પડી આવશે. એના કેટલેક સ્ફેટ નીચે નેટમાં ર્યો છે, પણ ઘણા આધાર તા વાંચનારના પાતાના જ્ઞાન ઉપર અને વિચારણા ઉપર જ રહે છે. એમાં ખરી ખૂબી એ છે કે શાસ્ત્રની વાતા આવી રીતે કરવા છતાં કાઇપણ જગ્યાએ ક્યાની ભવ્યતા અને રસને અતિ આવવા દીધી નથી. ગ્રંથકર્તાના આખા વિષય ઉપર કેટલેા અદ્ભુત કાબૂ હશે એના ખ્યાલ કરાવવા માટે ભા 13 Page #140 -------------------------------------------------------------------------- ________________ ૯૮ [ શ્રી સિદ્ધર્ષિ : : ઉપમિતિ ગ્રંથ : એક જ વાત ખસ છે. આ સર્વ હકીકત સિદ્ધ કરે છે કે આ તત્ત્વવાર્તાના ગ્રંથ છે. ’ શબ્દમાં અહીં સુવિહિત આગમ અને ખાસ કરીને તેમાંને દ્રવ્યાનુયાગ તથા ચરણુકરણાનુયાગ સમજવાના છે એ વાત ધ્યાનમાં રાખવી. -p ૧૬. પ્રવચન શૈલીનું ચુસ્ત અનુસરણ — કથાને રૂપક ગ્રંથ હાવા છતાં અને કાવ્યની પદ્ધતિને સ્વીકાર કર્યા છતાં ગ્રંથકર્તા કાઇપણ સ્થાને શાસ્ત્રશૈલી ચૂકચા હેાય તેવુ જણાતું નથી. એમના ગ્રંથ ઉપર ત્યારપછી અનેક વિદ્વાનેાએ વિચાર કર્યા છે, વ્યાખ્યાનમાં એ ગ્રંથ વાંચ્યા છે, એના ટૂક સાર સ ંસ્કૃત ભાષામાં તેમજ ગુજરાતી ભાષામાં થયા છે, એનાં અનુકરણ થયાં છે, એનાં મુદ્રણેા થયાં છે; પરંતુ તેમના એક પણ વાકયને શાસ્ત્રશૈલીની વિરુદ્ધ અતાવવાની કાઇએ સૂચના સરખી પણ કરી નથી. શાસ્ત્રશૈલીના ભંગ કેમ કરવા પડે તે વાત કરીએ એટલે આ વાતની મહત્તા સહજ સ્પષ્ટ થઇ જશે. જ્યારે એક લેખક કથા લખવા બેસે છે ત્યારે એના મનમાં કથાની દૃષ્ટિએ જમાવટ કરવાની ચિંતા હેાય છે એટલે એ તે પેાતાના કાર્ય માં ચાલ્યા જાય છે, પછી તેટલા ખાતર કાઈ વાર મૂળ વાતને ક્ષતિ આવી જાય કે નવા પ્રયાગા દાખલ કરવા પડે તે ‘ કવીનાં નિરંકુશત્વમ્ ’ ના એઠાં નીચે એનું એ કાર્ય નભાવી લેવુ પડે છે. એ તે સાધારણ કથાકથનકારની વાત થઇ, પણુ અહીં તે અંતરના ભાવાને ખેલાવવા હતા, તેમને જીવતા હાલતાચાલતા કરીને તેમની પાસે કામ લેવાનું હતું, છતાં શાસ્ત્રશૈલીને કાઇ પણ જગ્યાએ વાંધા આવવા દીધા હાય એમ મને જણાયું નથી. વિકાસક્રમના માર્ગમાં જ્યાંસુધી પ્રાણી મિથ્યાત્વ દશામાં છે ત્યાંસુધી તેને તેવા જ ચીતર્યા છે. એ આગળ વધે છે ત્યારે એનામાં દ્રવ્યગુણાની ખીલવણી થાય છે, પણ ભાવગુણુના વાંધા છે; તે વખતે એનામાં અવારનવાર થઈ આવતું મહામેાહનું જોર ખરાખર ચીતર્યુ છે અને માનસિક ફેરફારા બરાબર યાગ્ય સ્થાનકે બતાવ્યા છે. એમના ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણીના ખ્યાલ ચેાગ્ય રીતે ગેાઠવાઇ ગયેલેા છે, એમના ધર્મ ધ્યાન શુકલધ્યાનના ખ્યાલે ખરાખર સ્પષ્ટ છે, એમની શૈલેશી Page #141 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન શૈલીનું ચુસ્ત અનુસરણ : ] કરણની વાર્તા યથાયેાગ્ય સ્થાને આવી છે અને એમના નિવૃŚત્તિ નગરીના ખ્યાલ ભબ્ધ હાવા સાથે શાસ્ત્રશૈલીમાં જરાપણુ તફાવત ન પાડે તેવા છે. એમણે વરિષ્ટ રાજ્ય. ( પ્ર. ૬ ) માં તીથંકરપણાની કલ્પના અતિ ઉચ્ચ કક્ષામાં મૂકી દીધી છે, તે આલંકારિક હાવા છતાં શૈલીને બરાબર અનુરૂપ છે અને તેમણે ધ્યાન યાગ આઠમા પ્રસ્તાવને છેડે (પ્ર. ૮. પ્ર. ૧૯ ) બહુ આદરણીય આકારમાં બતાવ્યા છે, છતાં એમાં શાસ્ત્રશૈલીને જરાપણ ક્ષતિ આવવા દીધી નથી. જૈન દનની વ્યાપકતા બતાવવામાં એમની વિશેષતા ભવ્ય છે, સકુચિતતા વગરની છે (પ્ર. ૮. પ્ર. ૨૧) છતાં એવી ઉદારતા બતાવનાર લેખક શાસ્ત્રશૈલીને તાણીતાડીને આગળ પડ્યા નથી. એમના મગજમાં નિગાને સિદ્ધાન્ત ખરાખર જચી ગયા છે અને એમણે તન્નિયેાગ ક્રૂત અને લેાકસ્થિતિના પાત્રા ઊભા કરવામાં સિદ્ધાન્તની વાર્તાને બહુ સુ ંદર રૂપક આપ્યું છે. તેમના ધ્યાનમાં હતુ` કે જેટલા જીવ મેાક્ષે જાય તેટલા જીવ નિગેાદમાંથી બહાર નીકળે અને એ વાત તેમને જરૂર કરવી હતી; એટલે એ વાતને તેમણે અપૂર્વ રીતે ગેાઠવી છે. સદાગમની કર્મ પરિણામ રાજા સાથે દુશ્મનાઇ હાવાથી અનેક જીવાને નિવૃતિ નગરે પહોંચાડી કપિરણામની વસતી ઘટાડવાની ઘટના કરીને વસતી ન ઘટે તેટલા સારુ લાકસ્થિતિને ભારે ખૂબીથી તેની ગાઠવણુ કરવા માટે યેાજી દે છે. (પ્ર. ર. પ્ર. ૭. પૃ. ૩૦૪. ) ચેાથા પ્રસ્તાવમાં મેહરાયનું આખું લશ્કર ગાઠવવામાં અને અંતરંગ ફેરફારા સમજવામાં ભારે ખૂખી વાપરી ચિતવૃત્તિ અટવીમાં ચિત્તવિક્ષેપ મંડપ ખડા કરી દે છે, છતાં એમને મનમાં થયું કે માહરાજા મુખ્ય સિંહાસને તે મૂકાય, પણ બીજા સાતે રાજાનાં સિંહાસન પણ તેની સાથે જ હેાવા જોઈએ તેથી એમને મિત્ર રાજા તરીકે રાખી શાસ્ત્રશૈલીને તેઓએ બરાબર જાળવી છે. સામાન્ય લેખક ત્યાં સાતે રાજાને લાવી ન શકત અને તે વગર વાત અધૂરી રહેત. એમને મિત્રરાજા બનાવવામાં યુદ્ધકળાનું વિજ્ઞાન છે અને વાર્તાનું પાષણ છે. તે જ પ્રસ્તાવમાં ચારિત્રરાજના લશ્કરને ગેાઠવવામાં તેમને એમ જરૂર લાગે છે કે જૈનપુરને કાઇ મોટા પર્વતનાં શિખર ઉપર ગઠવવું જોઇએ. પર્વતનાં શિખર વગર વાતાવરણની શુદ્ધિ હાય નહિ એટલે તેમને ત્યાં સાત્ત્વિક . Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ [ શ્રી સિહર્ષિ : ઉપમિતિ ગ્રંથ : માનસપુરમાં પર્વતની કલ્પના કરવી પડી. એની ઘટનામાં ચિત્તસમાધાન મંડપ અને જીવવીય સિંહાસન ભારે અભુત કલ્પના બતાવે છે. એમાં યતિધર્મ, ગૃહીધર્મની ભવ્યતા અને ખાસ કરીને લડાયક જુસ્સાવાળા સમ્યગદર્શન સેનાપતિ અને સધ મહામાત્યની ઘટના કરવામાં અસાધારણ કપનાની ભવ્યતા બતાવી છે, પણ એમાં વિશિષ્ટ ખૂબી તો એ છે કે એની પ્રત્યેક ચર્ચા અને ઠવણ શાસ્ત્રશૈલીને અનુરૂપ છે. એ ઉપરાંત નાની નાની વાતોને પાર નથી. એમણે આપેલું ગારનું સ્થાન (પ્ર. ૮. પ્ર. ૧૦ ) ઉચિત છે. દશ કન્યાઓ સાથે લગ્ન કરવામાં વિદ્યા સાથે પ્રથમ લગ્ન થાય છે ( પ્ર. ૮. પ્ર. ૮) અને નવ કન્યા સાથે લગ્ન ત્યારપછીના બીજા પ્રકરણમાં થાય છે એ વાત બરાબર શાસ્ત્રશૈલીને અનુરૂપ છે અને સંતોષ સુભટ સાથે જે બીયાબારું મહરાજના સેનાનીઓને રહે છે તે ત્રીજા પ્રસ્તાવથી ગોઠવવામાં ભારે ઊંડાણ અને બરાબર શેલીનું અનુસરણ છે. મનની અસ્થિરતા, એનું વાનરપણાનું રૂપક અને એને અંગે આખી ચક્રઘટના બહુ આહલાદક હોવા ઉપરાંત બરાબર શાસ્ત્રશૈલીને અનુરૂપ છે. ( પ્ર. ૭. પ્ર. ૮ ). આવા બીજા ઘણું વધારે દાખલાઓ આપી શકાય તેમ છે, પણ તની આવશ્યકતા નથી. જ્યાં જરૂર લાગી છે ત્યાં નેટ આપી છે, છતાં મારી એટલી ખાતરી છે કે શાસ્ત્રશૈલીના વિશેષ જાણકાર એમાંથી ખૂબ હકીકતો તારવી શકશે. એમણે એક પ્રાણીની સર્વ અવસ્થામાં થતી અંતર તથા બહારની વૃત્તિઓ સમજાવવામાં કાંઈ મણ રાખી નથી, એટલે એમના પ્રત્યેક પ્રસંગમાં ચમત્કાર છે, પણ જે તદ્વિત હોય ત તે જાણે, નહિ તે કથાના પ્રવાહમાં ખેંચાઈ જાય. એક દાખલો આપી આ વાત સ્પષ્ટ કરું. ચોથા પ્રસ્તાવમાં વિમર્શ પ્રકર્ષ અંતરંગ રાયે જાય છે ત્યાં તામસચિત્તનગરે જતાં તેમને કહેવામાં આવે છે કે દેવી અવિક્તિા એમના પતિ દ્વેષગચંદ્ર સાથે લડાઈમાં ગયા નથી ( મ. ૪. પ્ર. ૮. પૃ. ૭૯૮) પણ રૌદ્રચિત્તપુરે સુવાવડ સારુ ગયા છે. ત્યાં થોડા વખત પહેલાં એમણે એક પુત્રને તે જન્મ આપ્યો હતો અને ત્યારપછી પતિને વેગ થતાં બીજા પુત્રને જન્મ આપ્યો છે. હવે જે કથાનું રહસ્ય સમજાયું Page #143 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન શૈલીનું ચુસ્ત અનુસરણ ] ૧૦૧ ન હોય તે આ એક વાર્તારૂપે ચાલ્યું જાય, પણ એમાં કર્તાને વૈશ્વાનર (ક્રોધ) અને શૈલરાજ (માન)ના જન્મની સિદ્ધિ કરવી હતી. એ દ્વેષના બે પુત્રને અવિવેકિતા જણે છે. આ વાત બરાબર શાસ્ત્રશૈલીને અનુરૂપ છે, પણ વાર્તાના પ્રવાહમાં પકડાવી મુશ્કેલ છે. એટલા માટે ત્યાં જરા ઉપવાક્ય-અનાન્વિત વાક્ય (પેથીસીસ) મૂકી ગ્રંથકર્તાઓ પ્રજ્ઞાવિશાળા પાસે ખુલાસો કરાવી લીધો છે. આવા કેડલાંક સ્થાને ગ્રંથમાં છે કે જેને ખુલાસો કરવાની જરૂર પડી છે. વધારે વિચારતાં વધારે ખુલાસાઓ જરૂર થાય છે. સમજુ વિચારક સાથે એની ચર્ચા થાય છે તેથી પણ વધારે ખુલાસા થાય છે. અહીં વાત કહેવાની એ છે કે તત્વજ્ઞાનની કથા રૂપક તરીકે કહેવા જતાં ગ્રંથકર્તાએ શાસ્ત્રોલીના કેઈપણ સ્થાનકે જરાપણ ભેગ આપ્યો હોય એમ લાગતું નથી. ગ્રંથને વારંવાર વાંચવાથી આ વાત બેસશે, પણ તે શાસ્ત્રબોધ અને ઘટનાશક્તિ ઉપર તો આધાર જરૂર રાખશે. શાસ્ત્રશૈલીની સ્કૂલના થઈ નથી એ મુદ્દો અત્ર વક્તવ્ય છે. આ પ્રમાણે ગ્રંથ સંબંધી વિચારો બતાવ્યા. હવે ગ્રંથની ભાષા પર વિચાર કરીએ. Page #144 -------------------------------------------------------------------------- ________________ મૂળ ગ્રંથની ભાષાશૈલી ૧, ગ્રંથની ભાષા. આ ગ્રંથની અસલ ભાષા સંસ્કૃત છે. એના સંબંધી શ્રી સિદ્ધર્ષિગણિનો ઉલેખ ઘણે વિચારવા યોગ્ય છે. તેઓશ્રી લખે છે કે “સંસ્કૃત અને પ્રાકૃત બને ભાષાઓ પ્રાધાન્યને ગ્યા છે, તેમાં પણું દુર્વિદગ્ધ મનુષ્યનાં હૃદયમાં સંસ્કૃત ભાષા તરફ વધારે વલણ હોય છે. પ્રાકૃત ભાષા જે કે બાળકને સુંદર બોધ કરનારી અને કાનને સુંદર લાગે તેવી છે, છતાં દુર્વિદગ્ધ પ્રાણીઓને તે (પ્રાકૃત) ભાષા તેવી લાગતી નથી. ઉપાય જે વિદ્યમાન હોય તે સર્વનાં મનનું રંજન કરવું ચોગ્ય છે, તેટલા માટે આ કથા સંસ્કૃત ભાષામાં રચવામાં આવી છે, પણ તે મોટાં મોટાં વાક્યો અને અપ્રસિદ્ધ શબ્દોથી અતિ ગૂઢ અર્થવાળી નથી તેથી તે સર્વ મનુષ્યોને ઉપયોગી થાય તેવી છે.” (પ્ર. ૧. પૃ. ૮.) ૧. પ્રાકૃતનું સ્થાન– આમાં ઘણું મહત્ત્વના પ્રશ્નો ઊભા થાય છે. ભાષામાં સંસ્કૃત અને પ્રાકૃતનાં સ્થાને ક્યાં છે તે બહુ વિચારવા લાયક પ્રશ્ન છે. જેનોની “આર્ષ ભાષા પ્રાકૃત છે. બાળ, સ્ત્રી, મંદ, મૂર્ખ અને ચારિત્રના આકાંક્ષીઓ ઉપર ઉપકાર કરવાના હેતુથી તત્ત્વજ્ઞાનીઓએ જેન સિદ્ધાન્ત ગ્રંથો પ્રાકૃત ભાષામાં રચ્યા છે.” એટલે બાળજીવો અને મંદબુદ્ધિવાળા જીને સહેલાઈથી સમજી શકાય તેવી ભાષા પ્રાકૃત છે. કહ્યું છે કે बालस्त्रीमन्दमूर्खाणां, नृणां चारित्रकाक्षिणां । उपकाराय तत्त्वज्ञः, सिद्धान्तः प्राकृतः कृतः ॥ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ ભાષાશૈલી : ] સંસ્કૃત નાટકામાં રાજા, પ્રધાન કે શિષ્ટ પાત્રાનાં મુખમાં સંસ્કૃત ભાષા મૂકેલી હેાય છે જ્યારે દાસી, સામાન્ય સ્ત્રીઓ અને નાકરા પ્રાકૃત ભાષા આલે છે. એ પ્રાકૃત ભાષામાં કરેલી વાત રાજા વિગેરે શિષ્ટ પાત્રા ખરાખર સમજી શકે છે. એટલા ઉપરથી એમ સમજવામાં આવે છે કે અસલ પ્રાકૃત ભાષા સાર્વજનિક અથવા સાÖત્રિક હશે અને સંસ્કૃત શિષ્ટ પુરુષાનાં મુખમાં શાલતી હશે. અત્યારે આપણા જનસમાજની ચાલુ ગુજરાતી ભાષા લઇએ અને શિષ્ટ લેખકેાની સાક્ષરી ગુજરાતી ભાષા લઇએ તા શૈલી, રચના, મરેાડ, પ્રાસ વિગેરેમાં ઘણા આંતર દેખાય છે અને ગામડાઓમાં પ્રચલિત ગુજરાતી ભાષા અને શિષ્ટ લેખકેાની ભાષામાં તે વધારે પડતા તફાવત દેખાય છે. કેટલીક વાર એ શિષ્ટ શૈલીને અન્ય સાદા લેખકા વિચક્ષણેાની ભાષા કહે છે. આપણે અત્યારે પ્રત્યેકના ગુણુદોષ પર વિચાર કરતા નથી, પણ વાત એ છે કે સામાન્ય જનભાષા વિદ્વાનેાની ભાષા કરતાં જુદા પ્રકારની હાય છે. હવે જો આપણે શિષ્ટ પુરુષાની ભાષાને સંસ્કાર પામેલી સુધરેલી ભાષા ગણીએ અને સામાન્ય ચાલુ વ્યવહારની ઘરગથ્થુ ભાષાને સમાજની ભાષા ગણીએ તે પ્રથમ દૃષ્ટિએ અતિ વિચિત્ર લાગે તેવું પણ વિચારતાં સત્ય જણાય તેવું પરિણામ તેમાંથી પ્રાપ્ત થાય છે અને તે એ છે કે સંસ્કૃત ભાષા વિદ્વાનાની, રાજપુરુષાની તથા સંસ્કારવાળાઓની ભાષા હતી જ્યારે પ્રાકૃત ભાષા જનભાષા હતી, સર્વ સામાન્ય ભાષા હતી, લેાકભાગ્ય ભાષા હતી અને સ થી સમજી શકાય તેવી ભાષા હતી. સસ્કાર વિ॰,સામાન્યતા એ અનુમાન ખીજી ઘણી રીતે અંધબેસતું આવે છે. એક તેા સંસ્કૃત ભાષાના અટપટા રૂપે, ગુંચવણુવાળા જોડાક્ષરા અને લાંખા સમાસેા, એના સ ંધિના નિયમે અને વિભક્તિનાઃ પ્રયાગા એને સમાન્ય ભાષા તરીકે થતાં અટકાવે તેવા જણાય છે અને બીજી ‘સસ્કૃત” શબ્દ જ એ ભાવ સૂચવે છે. ‘ સંસ્કૃત’ ના અ કાશ પ્રમાણે ‘સંસ્કાર કરેલ, ભૂષિત ' એમ થાય છે. સંસ્કાર કે શેાધ કાઇ અસલની મૂળ ચીજ ઉપર જ શકય છે તેથી મૂળ ભાષા , 1 Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ [ શ્રી સિદ્ધર્ષિ : - ઉપમિતિ ગ્રંથ : ‘સ’સ્કૃત’ ન હેાઇ શકે; ત સંસ્કાર પામીને કોઇ ભાષામાંથી થયેલી, શોધીને વિશુદ્ધ થયેલી ભાષા છે. આપણે ઘઉં કે શાકને સ ંસ્કાર કરી ઉપભાગ્ય મનાવીએ છીએ. ‘ સ’સ્કાર ' શબ્દ જ અસંસ્કારવાળી સ્થિતિની પૂર્વ સ્થિતિના કાર્ય અનેરા શબ્દની અપેક્ષા જરૂર રાખે છે. ( આની સામે ‘ પ્રાકૃત ’ શબ્દના અર્થ વિચારતાં ઘડ બેસી જાય છે. પ્રાકૃત એટલે પ્રકૃતિસિદ્ધ ’–સ્વભાવસિદ્ધ, કુદરતી. એટલે પ્રાકૃત ભાષા તદ્દન સ્વભાવસિદ્ધ જણાય છે, સાર્વત્રિક જણાય છે અને કુદરતી જણાય છે. પ્રાકૃત ઉપર સંસ્કાર થાય તે સંસ્કૃત. ઘઉંને દળાવી એમાં જળાદિ નાખી, પિડ કરી, અગ્નિ પર સંસ્કાર આપી, રાટલી બનાવીએ તે સંસ્કાર પામેલ ચીજ. આમ હાય તા ઘઉંને સ્થાન પ્રાકૃતને મૂકાય ને રોટલીને સ્થાને સંસ્કૃતને મૂકી શકાય. પ્રાકૃત ભાષામાં જોડાક્ષરના સાદાં રૂપે, વિભક્તિના વપરાશમાં છૂટછાટ અને સરળતા પ્રમાણમાં એટધા બધા છે કે એના પ્રયાગા એક વાર જાણ્યા પછી એના ઉપયાગમાં બહુ મૂંઝવણુ થતી નથી. એની સરળતા અને ઉચ્ચારની સ્પષ્ટતા અને સભાગ્ય બનાવે છે. આટલા ઉપરથી આપણે એવા અનુમાન પર આવી શકીએ કે પ્રાકૃત ભાષામાંથી સંસ્કાર પામીને વિદ્ભાગ્ય ભાષા થઇ તે સ ંસ્કૃત, એટલે અસલ પ્રાકૃત અને પછી તેમાંથી સંસ્કાર પામી થયેલી ભાષા તે સંસ્કૃત. અને ભાષાનું સહગામિત્વ છેલ્લું અનુમાન સાચું છે કે નહિ તેને માટે ઐતિહાસિક પુરાવા કાંઇ મળતા નથી, પણ વધારે સહીસલામત અનુમાન એ લાગે છે કે સંસ્કૃત ભાષા વિદ્વાનેાની-શિષ્ઠોની ભાષા રહેલી અને તે જ વખતે સમાન્ય અને સર્વવ્યાપક ભાષા તે પ્રાકૃત જ રહેલી. એટલે અને ભાષાએ એક ખીજા પર આધાર રાખનારી કે આગળ પાછળ થયેલી એમ નહિ પણ એકી વખતે જ બન્ને વપરાતી હશે. આ અનુમાન વધારે ઠીક લાગે છે અને સર્વ વિરાધને શમાવનાર જણાય છે. એના ગર્ભમાં એકના સંસ્કાર અને ખીજીની સ્વભાવસિદ્ધતાને અંગે પ્રાકૃત ભાષાનું અસલીપણું હાવું સંભવિત તા Page #147 -------------------------------------------------------------------------- ________________ E ભાષાશૈલી : ] ૧૦૫ રહે છે જ, પણ એ નિર્ણય ઈતિહાસ પહેલાની બાબત માત્ર અનુમાનને અવલંબીને જ રહે છે. પ્રાચીન જૈન આર્ષ ભાષા. જૈન ધર્મના પ્રાચીન પુરુષને અમુક મર્યાદાનું અનુકરણ કરવાની જરૂર નહોતી; એમને તે પોતાના સંદેશા આખા જગતને પહોંચાડવા હતા, એમને પિતાના ઉપદેશને માટે પ્રમાણપત્ર મેળવવા કરતાં એમનો ઉપદેશ સર્વ સમજીને અનુસરી શકે તેવો કરવો હતો અને એમને ઐહિક પ્રશંસા કે કવિના બિરુદની ઉષણું કરતાં વ્યવહારની કે તત્ત્વની, કથાની કે કિયાની સાદી કે અઘરી વાતો સાદા શબ્દોમાં અને મોટા ભાગને સમજાય તેવી કરવાની હતી. એમનું કેન્દ્ર તથા સાધ્ય “સવિ જીવ કરું શાસનરસી” હતું, એમને દુનિયાનાં દુઃખદર્દો જોઈ સર્વ પ્રાણીઓ ઉપાધિથી મૂકાય અને એ મહાકાર્યમાં પોતાને બનતા ફાળે કેમ આપી શકાય એ એમને મુખ્ય ઉદ્દેશ હતો. એથી એમણે પિતાની ભાષા વિદ્રોગ્ય બનાવવા કરતાં ચાલતો માણસ સમજી શકે તેવા આકારમાં પોતાના સંદેશા જગતને કહી શકાય તેવી ચાલુ ભાષાના પ્રગોને વધારે ઉપયેગી ધાર્યા અને તેટલા માટે તેઓએ ગ્રંથની ભાષાને વિચારની વહનિકા (Vehicle of impression) તરીકે જ ગણું. તેઓને સંસ્કૃતનો અભ્યાસ પરિપૂર્ણ હતો, છતાં તેમને ઉપદેશ સર્વગ્ય થાય તે ઈરાદાથી તેમણે પ્રાકૃત ભાષામાં વચનનો ઉપયોગ કર્યો, તેમજ લેખિત ઉપદેશ પણ તે ભાષામાં આપવાની ઉદાર નીતિ સ્વીકારી. તીર્થકર મહારાજની ભાષાને જે ગુણ મુખ્ય ગણાય છે તે એનું સર્વગ્રાહિત્વ છે, એટલે પ્રત્યેક પ્રાણી એ સમજી શકે તેવી ભાષામાં બોલવાની તેમની સરળતા છે. એમાં અતિશયનું તત્ત્વ બાજુ ઉપર રાખીએ તો પણ એની સફળતા એની સાર્વભેગ્યતામાં છે અને એ વાત બહુ ઉપયોગી મુદ્દો પૂરા પાડે છે. ભાષાનું કાર્ય વિચારવહનિકા તરીકેનું છે, એમાં ચાતુર્ય કે ચમત્કાર હોય તો તે તેની શોભામાં વધારો કરે છે; પણ સમજવાની સરળતા અને સર્વદેશિયતાને જ્યાં નાશ થતો હોય ત્યાં મૂળ મુદ્દો ઊડી જાય છે અને જૈન ગ્રંથકારેએ એ વાત કદી વિસારી ન ૧૪ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ [ શ્રી સિદ્ધર્ષિ :: ઉપમિતિ ગ્રંથ : હાય એ એમના ત્યારપછીના અપભ્રંશ તથા ગુજરાતી ભાષાના ખેડાણ પરથી સ્વત: સિદ્ધ થાય છે. ગુજરાતી ભાષાના ઇતિહાસ વિચારતાં જૈન સાહિત્યકારાએ આ મુદ્દો ખરાખર લક્ષમાં રાખ્યા હાય એમ જણાયા વગર રહેતું નથી. ગુજરાતી ભાષા પરના એમના કામૂ અને તેને અંગે તેનું કરેલું ખેડાણ ઉપરની હકીકતને લગભગ સ્વયંસિદ્ધ પુરવાર કરે તેવાં છે. પ્રાકૃત તરફ પ્રેમ પ્રાકૃત ભાષાનું વ્યાકરણ એક વાર વાંચી જવાથી એ ભાષાની સરળતાને બરાબર ખ્યાલ આવશે. આધુનિક ભાષામાં વપરાતા શબ્દોની વ્યુત્પત્તિ વિગેરે જાણવા માટે અને તેના ખરાખર મુદ્દાસર રીતે ઉપયાગ સમજવા માટે પ્રાકૃત ભાષાના જ્ઞાનની જરૂર છે પણ તે પ્રશ્ન અત્ર અપ્રસ્તુત છે. મુદ્દાની વાત એ પ્રાપ્ત થાય છે કે શ્રી સિદ્ધર્ષિં જેવા સુપ્રસિદ્ધ જૈન સાહિત્યક પ્રાકૃત ભાષાને વિક્રમના દશમા શતકમાં પણ મુખ્ય સ્થાન આપે છે. શ્રી વીરપરમાત્માના સમયમાં અને ત્યારપછી લગભગ આઠ શતક સુધી તે પ્રાકૃત ભાષા જેનેાની આ ભાષા રહી અને માટે ભાગે સર્વ કૃતિએ પ્રાકૃતમાં જ બની અને ત્યારપછી પણ કાઇ શ્રી સિદ્ધસેન દિવાકર જેવા સંસ્કૃતના પક્ષકાર નીકળ્યા તે તેને સમાજે આજુ પર રાખ્યા; પરં તુ ત્યારપછીના સમયમાં પણ પ્રાકૃત ભાષા તરફ આટલા પ્રેમ રહ્યો, એ ઘણી વિચારવા લાયક હકીકત છે. દુર્વિદગ્ધતાના ભાવા— એ સંબંધી વિશેષ વિચાર કરવાનું કારણ એ છે કે એ હાર વર્ષ દરમ્યાન પ્રાકૃત ભાષા જનભાષા તરીકે બંધ થઇ, તેનું સ્થાન અપભ્રંશ વિગેરે ભાષાએ લીધું અને તેના નવા નવા કાંટા નીકળતા ગયા તેમ તેની સાથે જ ધર્મ શાસ્ત્રના ગ્રંથા સંસ્કૃતમાં લખાવાની પ્રવૃત્તિ વધતી ગઇ. અસલમાં મૂળ સૂત્ર પર નિયુક્તિ, ભાષ્ય, સૂણિ આદિ પ્રાકૃત ભાષામાં થતા હતા તેને ૧. આ સંબંધમાં જુઓ મારું' આઠમી ગુજરાતી સાહિત્ય પરિષદ્ભુ શ્રીમાન હેમચદ્રાચાર્યનું પ્રાકૃત વ્યાકરણ. ’ k 29 ભાષણ Page #149 -------------------------------------------------------------------------- ________________ ભાષાશૈલીઃ ] ૧૦૭ સ્થાને સંસ્કૃતમાં ટીકાઓ રચાવા લાગી અને વિશિષ્ટ ગ્રંથે પણ સંસ્કૃતમાં મોટી સંખ્યામાં રચાવા લાગ્યા; છતાં શ્રી સિદ્ધર્ષિગણિ કહે છે કે “સંસ્કૃત ભાષા કુર્વિદગ્ધ મનુષ્યને વધારે ગમે છે.” એ દુર્વિદગ્ધ” શબ્દનો અર્થ અભિમાની, ગર્વ કરનાર, પંડિતમન્ય થાય છે એટલે એમનાં કહેવાનો આશય એમ સમજાય છે કે અર્ધદગ્ધ અભિમાનીઓને સંસ્કૃત ભાષા તરફ મેહ વધારે રહે છે. પછી “જે આપણી પાસે ઉપાય હાય તો તેમને પણ રાજી કરવા એ ન્યાયે તેમના તરફ કાંઈક પ્રેમ અને કાંઈક દયા અને અંદર સહજ તિરસ્કારના મિશ્રભાવથી સંસ્કૃત ભાષામાં ગ્રંથ રચ્યું. એ તેઓ તરફ કરેલ ઉદાર બક્ષીસ અથવા પ્રેમ નિમંત્રણું છે પણ એને આકાર અભ્યપગમ (concession ) જેવો છે. પ્રાકૃત ભાષાના ઉચ્ચાર સહેલા, એની રચના સરળ અને એમાં કેાઈ પણ રાગ, છંદ કે આલાપ ઉતારી શકાય એવી એની સરળતા છે. એ ભાષા સર્વ સમજી શકે તેવી છે, તેથી એ પૂર્વ કાળમાં જેનોની ઉપદેશ દેવાની ભાષા હતી. જેનધર્મના સિદ્ધાન્તમાં સ્થિતિસ્થાપક ભાવ ઘણે છે. એના દેશ, કાળ, ભાવને અનુસરવાના સૂત્રો અને વ્યવહાર તથા નિશ્ચયના દેખાતા વિરોધમાં રહેલ એકતા એને અસાધારણ સગવડભરેલી સ્થિતિમાં મૂકે છે. જે કાળે પ્રાકૃત ભાષાની જરૂર હતી, જ્યારે તે ભાષા સાર્વત્રિક હતી, ત્યારે જેનોના પ્રાચીન પુરુષોએ એને વિચારવાહિનીનું સ્થાન આપ્યું, પણ જેવી એ ધીમે ધીમે સર્વસામાન્ય થતી બંધ પડી કે સંસ્કૃત ભાષા પર કાબૂ જેનોએ એટલો જ પ્રબળ દાખવ્યું. ત્યારપછી ગુજરાતી ભાષાને અંગે પણ એ જ વલણ ચાલુ રાખ્યું, જેને માટે ગુજરાતી ભાષાનો ઈતિહાસ અને તેને અંગે જૈન લેખકને ફાળે અન્યત્ર જરૂર વિચારવા લાયક છે. મૂળ ગ્રંથની ભાષા શ્રી સિદ્ધર્ષિ ગણિના સમયમાં પ્રાકૃત ભાષા બાળજીવોને બાધ કરનારી અથવા સર્વને કાનને સુંદર લાગતી હોય તે તો તેઓ પોતાને ગ્રંથ બીજી ભાષામાં બનાવે જ નહિ. અસલના આ વિચારે જણાય છે. મૂળ સિદ્ધાન્તકારોએ ઉપરનાં બન્ને કારણથી તેમનાં Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ [ શ્રી સિહર્ષિ :: ઉપમિતિ ગ્રંથ ઃ પુસ્તકે પ્રાકૃત ભાષામાં લખેલાં હોય એમ સહજ અનુમાન થાય છે અને તેમનાં જે કારણે હતાં તે ઉપરનાં વાક્યમાં શ્રી સિદ્ધષિી ગણિએ ફરી વાર ગણાવ્યા જણાય છે, પણ શ્રી સિદ્ધર્ષિ ગણિના સમયમાં એ ભાષા પ્રચલિત રહેલી ન હોવાને લીધે અને તે ભાષાવડે. સર્વ જનમનરંજન કરવું અશકય લાગવાથી દુર્વિદગ્ધ મનુષ્યાને રાજી રાખવા પિત તે વખતની ભાષાસ્થિતિનો વિચાર કરી પિતાને ગ્રંથ સંસ્કૃત ભાષામાં લખ્યો એમ તેમના કહેવાનો આશય મને લાગે છે. ભાષા ઉપગનું લાક્ષણિક પરિણામ: એ ઉપરાંત એમને ગ્રંથની રચનામાં પિતાના ઉપકારક શ્રી હરિભદ્રસૂરિનું અનુકરણ કરવું હતું. શ્રી હરિભદ્રસૂરિએ લખેલી સમરાઈ કહા” એમનો આદર્શ હતા. તે કથા પ્રાકૃત ભાષામાં લખાયેલ હતી અને તેનાથી પિતાને જુદે માર્ગ લેવાના હતા. એને બચાવ કરવાની એમની ફરજ હતી. આ વિચાર–વાતાવરણના ફેરફાર બને મહાત્માઓના સમય અને અંતરને અંગે પણ ઉપયોગી છે જે એના ચગ્ય સ્થાનકે વિચારવામાં આવશે. અત્ર એક વાત ચોક્કસ જણાય છે કે તેમના સમયમાં અર્ધ પંડિતો અથવા સાંસારિક નજરે કામ કરનારા પંડિત સંસ્કૃત ભાષા તરફ વધારે લલચાઈ ગયા હતા અને બની શકે તે લેખકશ્રીને પિતાને ગ્રંથ જેમ બને તેમ વધારે મનુષ્યને ઉપયોગી થાય તેવો બનાવ હતો. આ ઈચ્છાના ગર્ભમાં રહેલ મનની વિશાળતા, ઔદાર્ય અને દીર્ધદષ્ટિ ખાસ ધ્યાન ખેંચે તેવાં છે. લાકડાની પેટીમાં ત્રણે ઔષધ ભરીને બજારમાં મૂકનારની અંતરદશા એના પ્રત્યેક શબ્દમાં ઝળકી ઊઠે છે, એ ખરેખર હૃદયને આનંદ પમાડે તેવું છે. સાર્વભેગ્યતાને આશય તેઓ ભાષાની બાબતમાં ઘણા ચોક્કસ હોય એમ જણાય છે. તેઓ લખે છે કે તેઓ પોતાની વિદ્વત્તા બતાવવા માટે ખોટા આડંબરવાળી ભાષા નહિ વાપરે અથવા એવા પ્રયોગો ભાષામાં નહિ કરે કે જેને અર્થ કરાવવા વિદ્વાનોની મોટી મેદિની એકઠી કરવી પડે. આ તેમની ઈચ્છા તેઓ ખરેખર પાર પાડી શકયા છે. તેમને મુખ્ય ઉદ્દેશ પિતાને ગ્રંથ સર્વગ્ય કરવાનું હતું. કેઈ દુનિયા Page #151 -------------------------------------------------------------------------- ________________ ભાષાશૈલી : ] ૧૦૯ દારી માણસો સંસ્કૃત જ્ઞાનને લઈને સમાજમાં સ્થાન પ્રાપ્ત કરે તે કારણે અથવા તો તેમના સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ વધારે થઈ ગયો હશે તે કારણે આ ગ્રંથને લાભ સાર્વત્રિક કરવાના શુભ ઉદ્દેશથી તેમણે સંસ્કૃત ભાષામાં ગ્રંથ બનાવ્યો જણાય છે. ૨ મૂળ ગ્રંથની શૈલી આ વિષયની સાથે અતલગને સંબંધ ધરાવનાર ઘણે મહત્વને વિષય શ્રી સિદ્ધર્ષિ ગણિની શૈલી( style)ને છે. બળ, પ્રસાદ, જેસ એમની શૈલીમાં ઘણું બળ છે, ભાષા સાદી પણ ઓજસવાળી છે અને વિચાર બતાવવાની તેમની પદ્ધતિ પ્રસાદપરિપૂર્ણ છે. એમણે પોતે લખ્યું છે તે પ્રમાણે તેમણે લાંબા લાંબા સમાસવાળી ભાષા વાપરી નથી કે અપ્રસિદ્ધ અર્થવાળી ગૂઢ ભાષા વાપરી નથી. આ ગ્રંથ એટલી સરળ ભાષામાં લખાયા છે કે જેઓ મૂળ ગ્રંથ વાંચી શકતા હોય તે તેની ભાષાને પ્રસાદ લેવા ચૂકે નહિ એવા એને પ્રભાવ છે. એક વાર ગ્રંથ હાથમાં લીધા પછી લેખકની રસ જમાવવાની શક્તિ અને વાર્તા કહેવાની પદ્ધતિ એવી મનમોહક છે કે એ ગ્રંથને સાદ્યત વાંચ્યા સિવાય તૃપ્તિ થાય નહિ. એથી પણ વધારે ખૂબીની વાત એ છે કે એક વાર ગ્રંથ વાંચ્યા પછી ફરી ફરીને વાંચતાં નવીનતા જણાય, નવા આશા સૂઝે અને ગ્રંથ વિશેષ રમણીય લાગે. “ક્ષણે ક્ષણે જે નવીનતા પામે તે રમણીયતાનું રૂપ છે ” એ સૂત્રને અત્ર સાક્ષાત્કાર થાય છે. સરળતા સાથે ભાષામાં જેસ આણવું એ બહુ મુશ્કેલ કાર્ય છે અને ભાષા પર અસાધારણ કાબૂ ન હોય તે કાં તો વિષય તદ્દન શુષ્ક થઈ જાય છે અથવા તે તે વ્યવસ્થા વગરને થઈ જાય છે અથવા અતિ સામાન્ય થઈ જઈ વિશિષ્ટ વાંચનારને નકામો થઈ પડે છે. આ ગ્રંથની રેલી એવી સુંદર રહી છે કે એમાં જેસ હેવા છતાં એ વિશિષ્ટતાને એક પણ જગ્યાએ વીસરી નથી અને એથી તદ્દન સામાન્ય વાંચનારને તેમાં તેના અધિકાર પ્રમાણે રસ પડે છે ત્યારે અસાધારણ બુદ્ધિવેવવાળાને એમાં વધારે રસ પડે છે અને બળવાન હૃદયવાળાને એમાંથી સારગ્રાહી તત્વ પ્રત્યેક પંક્તિમાંથી Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ [ श्री सिर्षि : : उपनिति अंय : મળી આવે છે. એના જુદા જુદા અધિકારીઓને એ કેવી રીતે રસ પમાડે છે તે અન્યત્ર વિચારવાનું છે. અહીં શૈલીના ઓજસ, પ્રસાદ અને જેસના કેટલાક દાખલાઓ વિચારીએ અને સાથે તેની વિશિષ્ટતા જોતાં જઈએ. આખા ગ્રંથમાં સર્વત્ર એ પ્રસાદ દૃશ્યમાન થાય છે જેથી ઘણું દષ્ટાન્ત ચુંટવાની મને જરૂર લાગતી નથી. પુસ્તક ઉઘાડતાં જે હાથમાં આવ્યાં તે દષ્ટાન્ડે આપી હું આ મુદ્દા પર વિવેચન કરવા માગું છું. પ્રથમ એમનું ગદ્ય વિચારીએ તો તેની સરળતા પંચતંત્ર જેવી સરળ હોવા ઉપરાંત એનું બળ ભારે જબરું છે. જુઓ: (A) अविना (૧) પ્રસ્તાવ પ. પ્રકરણ ૧૧. પ્રસંગ વિમળકુમારની વિરક્તિને અંગે પિતાએ કરેલી હિમભવનની યોજના. ततस्तत्र भनोनन्दने गृहोपवने सजीकारितमतिविशालं नरेन्द्रेण हिमगृहं । तच्चाच्छादितं निरन्तरं नलिनीदलैः समन्तादुपगूढं मरकतहरितैः कदलीवनैर्वेष्टितं सततवाहिन्या कर्पूरपूरितोदकप्रवाहया गृहनद्या, विलपितं मलयजकर्पूरक्षोदगार्या कृतविभागमुशीरमृणालनालकल्पितैर्भित्तिविभागैः। ततस्तत्र तादृशे ग्रीष्मसन्तापहारिणि शिशिरसुखोत्कम्पकारिणि महति हिमभवने विर. चितानि शिशिरपल्लवशयनानि, कल्पितानि शिशिरसुखदमृदून्यासनानि, प्रवेशितः सह लोकसमूहेन विमलकुमारः। ततः समस्ते. नापि जनसमुदयेन सहित एव विलिप्तः सरसचन्दनेन, गुण्डितः कर्पूररेणुना, मालितः सुरभिपाटलादामभिर्विराजितो मल्लिकाकुसुमस्तबकैरालिङ्गितः स्थूलमुक्ताफलकलापेन, निवसितः सूक्ष्मको. मलवसनैर्वीज्यमानः शिशिरबिन्दुवर्षिभिस्तालवृन्तैर्लालितः स्वादुकोमलेनाहारेण, प्रीत इव सुरभिताम्बूलेन, प्रमोदित इव मनोहारिकाकलिगीतेन, सानन्द इव विविधकरणाङ्गहारहारिणा नृत्तेन, साहलाद इव ललितविलासिनीलोककुवलयदललोललोचनमालावलोकेन, प्रविष्ट इव सह लोकेनावगाहितुं रतिसागरम् । १. पाना भाषा अवत२९ मारे जुम. ५. प्र. ११. ५. १२२६-२७ (પૃ. ૧૨૨૬ પંકિત ૫ થી પૃષ્ઠ ૧૨૨૭ ની પંકિત ૯ સુધી.) Page #153 -------------------------------------------------------------------------- ________________ ભાષાશૈલી : ] ૧૧૧ આ વાક્યમાં જેસ છે, પ્રસાદ છે, ચમત્કાર છે, કાવ્ય છે અને રસ છે. ગામની બહાર સુંદર ઉદ્યાનમાં સમ્ર ઉન્હાળામાં આનંદ ઉપજાવવા માટે હિમગ્રહની ચેજના જેમણે અનુભવી હશે તેઓ આના પ્રત્યેક શબ્દમાં રહેલ આનંદ અને મેજ (અને સાથે વિમનકુમારની ગિક અલિપ્તતા) અનુભવી શકશે. એ આખા વર્ણનમાં એક પણ અપરિચિત શબ્દ નથી અને છતાં એ હિમગ્રહની વિશાળ ઘટનાનું વર્ણન વાંચતા ચિત્રપટ રૂપે અંત:ચક્ષુ સન્મુખ ખડી ન થાય અને જે શાંતિ લોકેએ અનુભવી તેને બરાબર ખ્યાલ ન આપે તે પિતાની કલ્પનાશક્તિના અભાવ સિવાય બીજું કોઈ પણ કારણ વચ્ચે આવી શકે તેમ નથી. શરીર પર ચંદનને લેપ, ગળામાં પાટલની માળા, ચાલતા સુગંધી પંખાઓમાંથી નીકળતાં શીતળ સીકરે, આજુબાજુ થતું નૃત્ય, વિલાસિની સ્ત્રીઓના કટાક્ષ સાથે કુમાર પ્રવેશ કરે, સખ્ત ઉન્હાળામાં શિશિર ઋતુના ભાવો ભજવાય અને આસન તથા વાતાવરણ સખ્ત ગરમીમાં ઠંડીનું ભાન કરાવે ત્યારે મારવાડની ગરમીના સમયમાં સીમલા, મહાબળેશ્વરની એકાદ વાટિકામાં કે ઉદ્યાનમાં સંતપ્ત વાચકને લઈ ગયા વગર રહે જ નહિ એવો આ સુંદર ભાષાપ્રવાહ છે. ( ૨ ) ગદ્યને અંગે નીચેના વાક્યપ્રયેાગ તદ્દન સાદી પણ અતિ પ્રઢ ભાષામાં છે, એમાં સ્વરૂપદર્શનની સ્પષ્ટતા અને ક્રિયાપદને પ્રયોગ ખાસ લક્ષ્યમાં રાખવા જેવો છે. એવા અનેક સ્થાને આખા ગ્રંથમાં આવે છે. આપણે એવા સરળ પ્રયોગના થોડાં દષ્ટાન્ત જોઈએ. (૪) બુધસૂરિએ પ્ર. ૫. પ્ર. ૧૩ માં સ્વરૂપદર્શન કરાવ્યા પછી ચાદમાં પ્રકરણમાં સાંસારિક સુખ કેવા પ્રકારનું છે તે બતાવતાં કહ્યું છે કે – एवं च स्थिते महाराज ! य इमे जिनवचनामृतबहिर्भूताः संसारोदरवर्तिनो जन्तवोऽनवरतं वराका बध्यन्ते दृढकर्मसन्तानरज्वा, पीड्यन्ते विषयासन्तोषबुभुक्षया, शुष्यन्ति विषयाशापि. ૧. એના ભાષાંતર માટે જુઓ વિભાગ ૨ જે પ્ર. ૫. પ્ર. ૧૪. પૃ. ૧૨૫૬-છ. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ [ श्री सिद्धर्षि: : उपभिति ग्रंथ : पासया विद्यन्ते निरन्तरभवचक्रभ्रमणेन सततोपतप्ताः कषायधर्मोप्मणा, गृह्यन्ते मिथ्यात्वमहाकुष्ठेन, तुद्यन्ते परेर्षा लेन, जीर्यन्ते दीर्घ संसारावस्थानेन, दन्दान्ते रागमहाज्वरेण, अन्धीक्रियन्ते कामकाच पटलेन, आक्रम्यन्ते भावदारिण, अभिभूयन्ते जराराक्षस्या, आच्छाद्यन्ते मोहतिमिरेण, आकृष्यन्ते हृषीकतुरङ्गमैः, पापच्यन्ते क्रोध तीव्रवह्निना, अवटुभ्यन्ते मानमहापर्वतेन, वेष्यन्ते मायाजाल - कया, प्लाव्यन्ते लोभसागरप्लवेन, परिताप्यन्त इष्टवियोगवेदनया, दो दूयन्तेऽनिष्टसङ्गम तापेन, दोलायन्ते कालपरिणतिवशेन, तन्तम्यन्ते कुटुम्बपोपणपरायणतया, कदर्थ्यन्ते कर्मदानग्रहणिकैः, अभियन्ते महामोहनिद्रा, कवलीक्रियन्ते मृत्युमहामकरेण । આનું પ્રત્યેક ક્રિયાપદ બહુ સુંદર રીતે વપરાયેલ છે. લગભગ સમાન અર્થવાળા ક્રિયાપદના ભાવ બહુ વિચારવા યાગ્ય છે. શબ્દસમૂહ કેટલેા બળવાન હશે તે જોવા જેવું છે. ભાષાપ્રયાગ પ્રેરક છે. ( ख ) नीयेना वाऽथभां दृढतो व सुंदर उपयोग थयो छे તે જુએ. એવા અનેક વાકયો આપા ગ્રંથમાં છે. એને અ ંગ્રેજીમાં Potential passive participles उडे छे. प्रयोग मडु लोववाही છે અને ગ્રંથકર્તાના વિશાળ શબ્દકાષ બતાવે છે— सेवनीया दयालुता, न विधेयः परपरिभवः, मुक्तव्या कोपनता, वर्जनीयो दुर्जनसंसर्गः विरहितव्याऽलीकवादिता, अभ्यसनीयो गुणानुरागः, न कार्या चौर्यबुद्धिः, त्यजनीयो मिथ्याभिमानः, वारणीयः परदाराभिलाषः परिहर्तव्यो धनादिगर्वः, विधेया दुःखितदुःखत्राणेच्छा, पूजनीया गुरवः, वन्दनीया देवसङ्घाः, सन्माननीयः परिजनः, पूरणीयः प्रणयिलोकः, अनुवर्तनीयो मित्रवर्गः, न भाषणीयः परावर्णवादो, ग्रहीतव्याः परगुणाः, लज्जनीयं निजगुणविकत्थनेन, स्मर्तव्यमणीयोऽपि सुकृतं, यतितव्यं परार्थे, सम्भाषणीयः प्रथमं विशिष्टलोकः, अनुमोदनीयो धार्मिकजनः, न विधेयं परमर्मोद्घट्टनं, भवितव्यं सुवेषाचारैः, ततो भविष्यति भवतां सर्वज्ञोपशसद्धर्मानुष्ठानयोग्यता | આ આખી વાકયરચના અહુ મનન કરવા લાયક છે. એના પ્રત્યેક શબ્દ પરના કાબૂ, વિચારની સ્પષ્ટતા, વિચારદનની સર Page #155 -------------------------------------------------------------------------- ________________ लाषाशैली:] ૧૧૩ ળતા અને ભાષાની પ્રોઢતા સાથે શબ્દસમૃદ્ધિ મુગ્ધ કરે તેવી છે. ભાષા ઉપર અસાધારણ કાબૂ હવા વગર આવો વાક્યપ્રયોગ અશક્ય છે. (૪) ક્રિયાપદને સમાન અર્થ હોય ત્યાં અનેક નવા શબ્દ વાપરવા છતાં તેઓએ જે ભાષાચમત્કાર બતાવ્યા છે તે પણ તેવો જ ભાવવાહી અને સુંદર છે. પ્રસ્તાવ ૪, પ્રકરણ ૩૩ માં જૈનપુરના લોકોનું વર્ણન કરતાં કહે છે કે એ ભવચકના લેકે જેવી રીતે મહામહ વિગેરેમાં આસક્ત છે તેવી જ રીતે જેનપુરના લોકે પણ આસક્ત જણાય છે એ વાત જણાવતાં ભાણેજ પ્રકર્ષ બોલે છે કે तथाोतेष्वपि जैनलोकेषु दृश्यन्ते सर्वाणि तत्कार्याणि । यस्मादेतेऽपि मूर्छन्ति भगवम्बेिषु, रज्यन्ते स्वाध्यायकरणेषु, स्निह्यन्ति साधर्मिकजनषु, प्रीयन्ते सदनुष्ठानेषु, तुष्यन्ति गुरुदर्शनेषु, हृष्यन्ति सदर्थोपलम्भेषु, द्विषन्ति व्रतातिचारकरणेषु, क्रुध्यन्ति सामाचारीविलोपेषु. रुष्यन्ति प्रवचनप्रत्यनीकेषु, माद्यन्ति कर्मनिर्जरणेषु, अहंकुर्वन्ति प्रतिज्ञातनिर्वाहणेषु, अवष्टम्भन्ति परीषहेपु, स्मयन्ते दिवाद्युपसर्गेषु, गृह्यन्ति प्रवचनमालिन्यं, वञ्चयन्तीन्द्रियधूर्तगण, लुभ्यन्ति तपश्चरणेषु, गृध्यन्ति वैयावृत्याचरणेषु, अभ्युपपद्यन्ते सध्यानयोगेषु, तृष्यन्ति परोपकारकरणेषु, निघ्नन्ति प्रमादचौरवृन्द, बिभ्यति भवचक्रभ्रमणात् , जुगुप्सते विमार्गचारिता, रम्यन्ते निर्वृतिनगरीगमनमार्गे, उपहसन्ति विषयसुखशीलतां, उद्विजन्ते शैथिल्याचरणात्, शोचन्ति चिरन्तनदुश्चरितानि, गर्हन्ते निजशीलस्खलितानि, निन्दन्ति भवचक्रनिवासं, आराधयन्ति जिनाज्ञायुवति, प्रतिसेवन्ते द्विविधशिक्षाललनाम् । ઉપરના વાક્યમાં સંસારી સામાન્ય પ્રાણીઓના વ્યવહાર અને જૈન લોકેના વ્યવહાર બતાવ્યા છે. મૂચ્છ, રંજન, સ્નેહ, પ્રેમ, १. भाषांत२ मई २५ष्ट भने श्वै२ ( free ) 2. तुम। . ४, अ. 33, पृ. १०५०-१. ૧૫ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ [ શ્રી સિદ્ધ િ:: ઉપમિતિ ગ્રંથ : ક્રોધ આદિ સર્વ મનેાવિકારો અન્નેમાં દેખાય છે વિગેરે વાતા કરી છે. તે પર અન્ય પ્રસ ંગે આ જ ઉપાધ્ધાતમાં ધ્યાન ખેંચતુ. અહીં તે ક્રિયાપદના–ધાતુઓને કેવા સુંદર ઉપયાગ કર્યો છે તે ખાસ જોવા જેવું છે. એ વાકય વાંચતાં એમ લાગશે કે વિચારે એક પછી એક સડસડાટ ચાલ્યા આવે છે અને જાણે લેખકને બહુ બહુ કહેવાનુ છે તેમાંથી તે બહુ અલ્પ જ કહે છે. અસાધારણ ભાષાકુશળતા અને વિચારની સ્પષ્ટતા વગર આવું અનેક ભાવેાથી ભરપૂર અને સાથે વિચારસમૃદ્ધિથી ભરપૂર વાકચ નીકળતુ નથી અને આવાં વાકયેા તા આખા ગ્રંથમાં ઠામ ઠામ છે અને અનેક છે. C (ઘ) પોટેન્શીયલ પાર્ટીસીપલ ( નિષ્ઠા ) ના મહુ સુંદર ઉપયોગ ગ્રંથમાં અનેક સ્થાને દેખાય છે. પ્રસ્તાવ ૬, પ્રકરણ ૧૪ મું. ઉત્તમ રાજ્યનું વર્ણન કરતાં તત્ર મો: વિરાતાન્તનાચે નपतिना प्रथममेव प्रष्टव्या गुरवः सम्यगनुष्ठेयस्तदुपदेशः, विधेयाहिताग्निनेवाग्नेस्तदुपचर्या, कर्तव्यं धर्मशास्त्रपारगमनं विमर्शनीચક્તાર્યેળ તનાવાય, જ્ઞયિતવ્યસ્તેન ચેતલોટ્ટમઃ થી શરૂ થતું જે લખાણુ વાકય આપ્યું છે તે આખું મૂળ અને તેનુ ભાષાંતર પૃષ્ઠ ૧૫૯૬–૧૬૦૧ સુધી આપેલ છે તેથી અત્ર તેનુ પુનરાવન કરવામાં આવ્યું નથી. તે આખું વાકચ જરૂર વિચારવા લાયક છે. એના અંદરના ભાવા પર વિચારણા જુદા પ્રકારની હાઇ અત્ર અપ્રસ્તુત છે. એ વાકયમાં કૃદન્તના ઉપયાગ કેવા સુંદર રીતે થયા છે તે બહુ વિચારવા ચેાગ્ય છે. એવી સુંદર વાકયપદ્ધતિ અને રચના કવચિત જ જોવામાં આવે છે. ખાસ કરીને જ્યાં એવી રચના વાંચવામાં આવે છે ત્યાં એ બહુ કર્ણ પ્રિય લાગે છે. વળી તે ભાવવાહી પણ એટલી જ છેતે સદર વાકય ખરાખર વિચારવાથી જણાશે. " ત્યારપછી એ જ વાકયની નીચે બીજી માટું વાકય સદર પ્રસ્તાવ ૬ ઠ્ઠામાં પૃષ્ઠ ૧૬૦૧ થી શરૂ થાય છે. વત્સ ! ઘેવું તતો भविष्यति तत्र राज्ये तव प्रवेशः केवलं ग्रहीतव्यस्त्वयायमन्तકોમ્પાસનામાં સ્વાન્તિઃ સદાય: એમાં અભ્યાસ અને વૈરાગ્યની સહાય લેવાની સૂચના કરતાં જે આખા વાકયપ્રયાગ કર્યો છે તે ભાષાવતરણમાં પૃષ્ઠ ૧૬૦૧–૩ સુધી મૂળ સાથે આપ્યા છે. એમાં જે કૃદન્તના પ્રયાગ છે તે ઉપર જણાવ્યું તેવા જ સિદ્ધ અને આકષ ક Page #157 -------------------------------------------------------------------------- ________________ ભાષાશૈલી : ] ૧૧૫ હોવા સાથે ભાષાપ્રસાદને નમૂને છે. એ ઉપરાંત એ આખા વાકયપ્રયોગમાં બીજું પણ ઘણું આકર્ષક તત્ત્વ છે. એમાં એક શહેરથી બીજે શહેર જતાં રાજમાર્ગો આવે, સાવર, વાવડી અને નદી આવે, નાના રસ્તા આવે, કેડીઓ આવે, ટૂંકા મોટા માર્ગે આવે અને છેવટે જે સ્થાને પહોંચવું હોય તે આવે–તેનો માર્ગ અને તેનું વર્ણન અત્યંત ચેખવટથી અતિ ભવ્ય ભાષામાં કહ્યું છે, તે જેઓએ પગપાળા મુસાફરી કરી હોય તેને બહુ મજા આપે તેવું છે. આજકાલ રેલવેની મુસાફરીમાં તે એવાં દૃશ્યો આવે છે અને ચાલ્યા જાય છે કે જેથી એને નિરધાર કરી મન પર જમાવવાને સમય જ મળતું નથી, પણ ગાડામાગે કે પગે ચાલીને મુસાફરી કરનારને માનિ જે અનુભવ થાય છે તેનો ખ્યાલ કરવા જેવો છે. એ ખ્યાલ પણ આ વાકયમાં આવે છે. એને ભાષાપ્રભાવ અને પ્રવાહ અને હૃદય પર સચોટ અસર કરે તેવા છે. કોઈ પણ લેખકની સફળતા અને જે કહેવું હોય તે વાંચનારના મન પર ચિત્રરૂપે આળેખાઈ જવામાં જ રહેલી હોઈ, એવી અસર ભાષાપ્રયોગથી આ સિદ્ધ લેખક જરૂર ઉપજાવી શક્યા છે એમ સદર પ્રયોગથી લાગ્યા વગર રહેતું નથી. (૪) “સતિ સપ્તમી” નામને બહુ સુંદર ભાષાપ્રગ સંસ્કૃત ગ્રંથમાં થાય છે. એ પ્રયોગ સાધારણુ લેખકો કદી કરી શકતા નથી અને કરે છે તેમાં સ્કૂલના થયા વગર રહેતી નથી. આ સિદ્ધ લેખકે એને ભવ્ય પ્રાગ ઠેકાણે ઠેકાણે કરીને ગદ્યને અતિ સમૃદ્ધ બનાવ્યું છે. એનાં દષ્ટ તેને પાર નથી. દાખલા તરીકે પ્રસ્તાવ ૭ ના સાતમા પ્રકરણમાં ચાર વ્યાપારી કથાનકની વાર્તા ચાલતાં ગુરુમહારાજ એને ભાવાર્થ કહી બતાવે છે. ચારુને હિતજ્ઞ ખરી વસ્તુ ઓળખવાની હકીકત કહે છે તે પ્રસંગે ભેગાવંચતા કેમ થાય તે બતાવતાં હિંસક કાર્યોથી ધર્મસાધન ન થાય એમ બતાવી ગુરુ કહે છે કે તમારે ધર્મ બુદ્ધિએ કદી અધર્મનું સેવન કરવું નહિ. પછી કહે છે કે यत्पुनथ यूयं यथ: सुखेन वयं तिष्ठामो यतो भश्नयामो मांस, मित्यादि तदपि मुग्धताविज़म्भितमेव भवतां हास्यप्रायं विवेकि ૧. એને અંગ્રેજીમાં Locative Absolute instruction કહે છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ [ શ્રી સિદ્ધર્ષિ : ઉપમિતિ ગ્રંથ : नाम् । यतः सन्निहिताशेषापाये काये, वलगत्सु विविधरोगेषु, त्वरागामिन्यां जरायां, मनःशरीरसन्तापकारिषु राज्याधुपद्रवेषु, यायावरे यौवने, सर्वव्यसनकारिणीषु सम्पत्सु, मनोदाहिनीष्टवियोगे, चित्तवैधुर्यकारिणि विप्रियसम्प्रयोगे, सततमागामुके मरणे, सर्वथाशुचिनिधाने शरीरे, पुदगलपरिणाममात्रनिःसारेषु विषयेषु, असङ्ख्यदुःखलक्षपरिपूरिते जगति, वर्तमानानामसुमतां कीदृशं नाम सुखं? તેમજ બે પંક્તિ પછી ત્યાં જ ચાલતા આગળના વાક્યમાં– भो भद्राः ! कृच्छ्रेण प्राप्ते मनुष्यभवे, सन्निहितायां सामग्यां; सत्यस्मदुपदेशे स्वाधीने गुणाधाने, प्रकटे ज्ञानादिमोक्षमार्गे, अनन्तानन्दरूपे जीवे, तस्य स्वरूपलाभलक्षणे मोक्षे, ज्ञानश्रद्धानुष्ठानमात्रायत्ते तल्लामे, न युक्तं भवतामीदृशमात्मवञ्चनं कर्तुम् ! આ વાક્યમાં અસાધારણું બળ સાથે કર્તાએ પોતાને ભાવ બતાવ્યો છે. એમાં જે સતિ સપ્તમીને ઉપયોગ કર્યો છે તે હૃદયને બેસી જાય અને મનને જાગૃત કરી દે તેવી પદ્ધતિએ કર્યો છે છતાં એમાં દીનતા નથી, યાચકભાવ નથી, નિર્માલ્યતા નથી. આવા પ્રયોગો આખા પુસ્તકમાં સેંકડે છે. એ ગ્રંથકર્તાને ભાષા પર કામ અને સ્વરૂપદર્શનનું ગ્ય સામર્થ્ય બતાવે છે. એમને જે વાત કરવી છે તે આત્માના મૂળ ગુણે પ્રકટ કરવાની છે, એ તેઓ કેવા કેવા જુદા આકારમાં પુનરાવર્તન ન લાગે તેમ કરી શકે છે તે પણ સાથે જ વિચારી લેવા જેવું છે. શરૂઆતમાં અંજન જળ અને ભેજનથી જે વાત શરૂ કરી છે તે જ વાત આખા ગ્રંથમાં અનેક રૂપે કરી છે, છતાં એ એક જ વાત સર્વત્ર કહી છે એમ કદી લાગશે નહિ, એ ગ્રંથકર્તાને ભાષારચનાનો ચમત્કાર છે, શબ્દસમૃદ્ધિનું વિશાળપણું છે અને શેલીનો સદુપયેાગ હોવા સાથે પૃથકૃત્વ છે. આવા સિદ્ધ પ્રાગના વધારે દાખલા આપવાની આવશ્યકતા નથી. મૂળ ગ્રંથમાં તે સ્થાને સ્થાને માલુમ પડી આવશે. (૪) વિચારના વહેતા પ્રવાહ સાથે ક્રિયાપદને સુંદર ઉપગ નીચેના વાક્યમાં જોવા લાયક છે – ૧ આના ભાષાંતર માટે જુઓ પ્ર. ૭. પ્ર. ૭. પૃ. ૧૭ર૧. Page #159 -------------------------------------------------------------------------- ________________ ભાષાશૈલી : ] ૧૧૭ નિપુણ્યકના વર્ણનમાં કદન્ન વધે તેમ વધારે મેળવવાની અભિલાષા કેવી રીતે વધતી જાય છે તે બતાવતાં ભાવપરિપૂર્ણ શબ્દોમાં લખે છે કે – तथा हि-यदि कथञ्चिद्रविणशनं सम्पद्यते ततः सहस्रमभिवाञ्छति । अथ तदपि सजायते ततो लक्षमाकांक्षति. तत्सम्पतावपि कोटीमभिलषति, तल्लाभे राज्यं प्रार्थयति! अथ राजा जायते ततश्चक्रवर्तित्वं मृगयते, तत्सम्भवेऽपि विवुधत्वमन्विच्छति । अथ देवत्वमप्यास्कन्देत्ततः शक्रत्वमन्वेपयते। अथेन्द्रनामपि लभते ततोऽप्युत्तरोत्तरकल्पाधिपतित्वपिपासापर्यासितचेतसो नास्त्येवास्य जीवस्य मनोरथपरिपूर्तिः।। એ વાક્યમાં એક વિચારની પછવાડે બીજો વિચાર કેવા નેસગિક અનુક્રમમાં સ્થિર પ્રવાહની માફક ચાલ્યો આવે છે અને તે બતાવવા ક્રિયાપદે કેવા અનુરૂપ નીકળી આવે છે તે પારેખર જેવા જેવું છે. એ પ્રત્યેક ક્રિયાપદને ઉપગ બહુ યેગ્ય રીતે તેની તેળીને કર્યો છે તે ઊંડા ઉતરવાથી સમજાશે. ભાષાપ્રસાદ વગર આ ઉચિત શબ્દપ્રયોગ કદી જોવામાં આવતા નથી. (૪) વિચારના વહેતા પ્રવાહ અને ચમત્કારિક શબ્દપ્રયોગ સાથે વિશિષ્ટ ક્રિયાપદના ઉપયોગ સારુ એક વધારે દષ્ટાંત આપી એ પ્રકાર પૂર્ણ કરીએ. પ્રસંગ એક અઠર ગુરુના કથાનકને લઈ તેને ઉપનય ઉતાર્યા પછી બુધસૂરિ ધવળરાજના એક પ્રશ્નના જવાબમાં આખી સ્થાઘટના રાજાના સંબંધમાં કેમ બને છે તે સમજાવતાં વર્ણન કરે છે. ત્યાં પ્રાણના રાગાદિ જરા ઓછા થતાં એનામાં જ્ઞાનદીપક જાગે છે, એ સમ્યગ દર્શન જળ પીએ છે અને તેને ગુરુ ચારિત્રદંડ આપે છે. પછી ततोऽयं जीवलोकः सज्ज्ञानप्रदीपोद्योतितस्वरूपशिवमन्दिरे महाप्रभावसम्यग्दर्शनसलिलपाननष्टकर्मोन्मादो गृहीतचारित्रदण्ड ૧. ભાષાંતર માટે જુઓ પ્રસ્તાવ પ્રથમનું પૃઇ ૭૯. એને એ જ ભાવ ગુજરાતી ભાષામાં ઉપાધ્યાયશ્રી યશોવિજ્યજી બહુ સુંદર રીતે લાવ્યા છે તે સદર પૃષ્ઠની નેટ પરથી જોઈ શકાશે. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ भासुरो गुरुवचनेनैव निर्दलयति सस्पर्धमाहूय महामोहादिधूर्ततस्करगणः । तं च निर्दलयतोऽस्य जीवलोकस्य विशालीभवति कुशलाशयः क्षीयन्ते प्राचीनकर्माणि न बध्यन्ते नूतनानि, विली - यन्ते दुश्चरितानुबन्धः, समुल्लसति जीवधीर्य, निर्मलीभवत्यात्मा, परिणमति गाढमप्रमादो, निवर्तन्ते मिथ्याविकल्पाः, स्थिरीभवति समाधिरत्नं, प्रहीयन्ते भवसन्तानः । ततः प्रविघाटयत्येष जीवलोकचित्तापवरकावरणकपाटं । ततः प्रादुर्भवति स्वाभाविकगुणकुटुम्बं विस्फुरन्ति ऋद्धिविशेषाः, विलोकयति तानेष जीवलोको विमलसंवेदनालोकेन । ततः सञ्जायते निरभिष्वङ्गानन्दसन्दोहः, समुत्पद्यते बहुदोषभवग्रामजिहासा, उपशाम्यति विषयमृगतृष्णिका, रूक्षीभवन्त्यन्तर्यामी, विचरन्ति सूक्ष्मकर्मपरमाणवः, व्यावर्तन्ते चिन्ता, सन्तिष्ठते विशुद्ध ध्यानं, दृढीभवति योगरत्नं, जायते महासामायिकं, प्रवर्तते ऽपूर्वकरणं, विजृम्भते क्षपकश्रेणिः, निहन्यते कर्मजालशक्तिः, विवर्तते शुक्लध्यानानलः, प्रकटीभवति योगमाहात्म्यं, विमोच्यते सर्वथा घातिकर्मपाशेभ्यः क्षेत्रज्ञः, स्थाप्यते परमयोगे, देदीप्यते विमलकेवलालोकेन, कुरुते जगदनुग्रहं, विधत्ते व केवलिसमुद्घातं, समानयति कर्मशेषं, सम्पादयति योगनिरोधं, समारोहति शैलेश्यवस्थां त्रोटयति भवोपग्राहिकर्मबन्धनं विमुञ्चति सर्वथा देहपञ्जरं, ततो विहाय भवग्राममेष जीवलोकः सततानन्दो निराबाधो गत्वा तत्र शिवालयाभिधाने महामठे सारगुरुरिव सभावकुटुम्बकः सकलकालं तिष्ठतीति । [ श्री सिद्धर्षि : : : उपभिति ग्रंथ : , આ વાકયની પ્રખર ભાષા, ક્રિયાપદના ઉપયાગ, વિચારસરણીનુ વહન, ભાષાની પ્રૌઢતા, શબ્દની ઉપયેાગિતા અને સરળતા સર્વ એકી સાથે વિચારવા યાગ્ય છે. એ હૃદયના તલસ્પર્શ કરે છે એ વાત હાલ તુરત ખાજુએ રાખીએ તે પણ સાહિત્યની નજરે એના પ્રત્યેક શબ્દપ્રયાગમાં ચમત્કાર અને સાર્થકત્વ ખતાવે છે અને એ મુખ્યત્વે કરીને સિદ્ધ લેખકની સફળતા છે. 3. खेभना संभाषणे। ( dialogues ) महु सरण भने योग्य " ૧. આના ભાષાવતરણ માટે જુએ પ્રસ્તાવ પ, પ્રકરણ ૧૬, પૃષ્ઠ १२७८ - १२८१. Page #161 -------------------------------------------------------------------------- ________________ भाषाशैली : ] ૧૧૯ શબ્દોમાં છે. એને અવતરણમાં મે ડાયાલાગ આલાપસ લાપ–સભાષણના આકાર આપ્યા છે. એ સંભાષણાના ભાષાપ્રયોગ મહુ સ્પષ્ટ અને અસરકારક આખા ગ્રંથમાં છે. એક એ દાખલા આપી તેના નામિન શ કરીએ એટલે તે પર લેખકની ભાષાસમૃદ્ધિને અંગે લક્ષ રહે. ( क ) अर्ष ने विमर्श मे 'भिथ्यालिमान ' नामना पुरुषने જુએ છે ત્યારે તેમની વચ્ચે નીચે પ્રમાણે વાતચિત થાય છે. अन्यदा मानवावासपुरे राजकुलासन्ने दृष्टस्ताभ्यां पुरुषः । प्रकर्ष -: माम ! स एष मिथ्याभिमानो दृश्यते ! 39 विमर्श - " सत्यं स एवायं ! प्रकर्ष - " ननु राजसचित्तनगरे किलाविचलोऽयं, तत्कथमि हागतः ? " विमर्श - “ एवं नाम मकरध्वजस्योपरि सप्रसादो महामोहराजो येनास्य राज्ये यदवलं निजबलं तदप्यानीतं । केवलं कामरूपितयायं मिथ्याभिधानो मतिमोहश्च यद्यपीहानीतौ दृश्येते तथापि तयोरेव राजसचित्ततामसचित्तपुरयोः परमार्थतस्तिष्ठन्तौ वेदितव्यौ ! " प्रकर्ष - " माम ! कुत्र पुनरेषोऽधुना गन्तुं प्रवृत्तः ? " विमर्श - " भद्राकर्णय ! योऽसौ दृष्टस्त्वया रिपुकम्पनः स निहते लोलाक्षेऽधुना राज्येऽभिषिक्तः ! तस्य चेदं भवनं । अतोऽयं मिथ्याभिमानः केनचित्कारणेनेदं राजसदनं प्रवेष्टुकाम इव लक्ष्यते । ,, प्रकर्ष - " ममापीदं नरपतिनिकेतनं दर्शयतु मामः " विमर्श - " एवं करोमि " ततः प्रविष्टौ तौ नृपतिगेहे ॥ આ વાકયની ભાષાસ્પષ્ટતા, એનું ભાષાસાષ્ઠવ અને એની ભાષાસફળતા વિચારવા યાગ્ય છે. એનુ ભાષાવતરણ પ્રસ્તાવ ૪. પ્રકરણ ૨૩. પૃ. ૯૪૪ માં જોવું. એ વાંચતાં ગ્રંથકર્તાના ભાષાપર આબાદ કાબૂ જરૂર જણાઈ આવશે. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ [ श्री सिर्षि : : अपमिति अंय : આખા ગ્રંથમાં આવાં વચનવિલાસો તે અનેક છે. એક વધારે દાખલે આપી આ રસમય વિષય પૂરે કરીએ. વિશેષ જિજ્ઞાસુએ ગ્રંથમાં જોઈ લેવું. સગવડ માટે એવી વાતચિત અર્વાચીન પદ્ધતિએ ભાષાંતરમાં આપી છે. ( ख ) प्रस निभाया भने गुराधा२५ शुभारना छे. સંપૂર્ણ સુખ પ્રાપ્ત કરાવવાનાં કારણે પર ગુરુએ ખૂબ વિવેચન કર્યું. સંપૂર્ણ સુખ કેવા પ્રકારનું હોય તેની સમજણ આપવા ગુણધારણે વિજ્ઞપ્તિ કરી, તે વખતે નીચેને આલાપસંલાપ આચાર્ય અને ગુણધારણ વચ્ચે થાય છે. એનું ભાષાસષ્ઠવ વિચારવું – गुणधारण-" यद्ययमपि सुखलवस्तर्हि कीदृशं पुनस्तत्संपूर्ण सुखं स्यादिति सातो मे मनसि वितर्कः । ततः कथयन्तु भगवन्तः कीदृशं पुनः शरीरिणस्तत्सम्पूर्ण सुखमिति ।" निर्मलसूरि-" महाराजगुणधारण ! स्वानुभवेनैव विज्ञास्यसि त्वं तत्स्वरूपं किं तस्य कथनेन ? ” । गुणधारण-" भदन्त ! कथम् ? " निर्मलसूरि-“ महाराज! परिणेष्यसि त्वं दश कन्यकाः । भविष्यति ताभिः सह सद्भावसारस्ते प्रेमाबन्धः । ततस्तदोद्दामलीलया विलसतस्ते तन्मध्ये यत्सुखं संजनिष्यते तदपेक्षया सुखलव एवायमधुनातनो वर्तते ।" गुणधारण-"भगवन्नवधारितमिदानीं मया यथाहमेनामपि मदनमञ्जरी परित्यज्य भगवत्पादमूले प्रव्रजितको भविष्यामि तत्कथमहं कन्यकादशकं परिणेष्ये ? " निर्मलसूरि-" अवश्यं त्वया परिणेतव्यास्ताः कन्यकाः । किं च युक्तमेव ताभिः प्रवाजयिष्यामो भवन्तं । न विरुध्यत ताभिः साधं प्रव्रज्या । किं वा तद्रहितस्य ते प्रव्रजितेन ? न वलते हि प्रवजितो विरहितस्तादृशकुटुम्बिनीभिः । ततस्ताः परिणीय नियमाद्भवता प्रव्रजितव्यमिति । १. भाषापत२५ माटे गुमा ५. ८. प्र. ७. पृ. १४२०-१. Page #163 -------------------------------------------------------------------------- ________________ ભાષાશૈલી : ] ૧૨૧ गुणधारण एतच्चाकर्ण्य किमेवं भगवान् भाषत इति विमर्शन स्थितो विस्मितः । कन्दमुनिनोक्तं । कन्दमुनि-" भदन्त ! कतमास्ताः कन्यकाः याः परिणेतव्या महाराजेन ? निर्मलाचार्य-" यास्ताः पूर्व निवेदिता मयास्यैव चिरन्तनवृत्तान्तं कथयता ता एव कन्यकाः, नान्याः। ____ कन्दमुनि-" भदन्त ! विस्मृतास्ता मेऽधुना । अतो ममानुग्रहेण यत्र ता वर्तन्ते यस्य वा सम्बन्धिन्यः यन्नामिका वा सर्वमिदं નિવેદિતુમતિ મોવત્તા ! ”. નિર્મઢાવ-માવાયા ત્યારપછી દશે કન્યાઓનાં નામ, તેનાં માતપિતાનાં નામ, તેમનાં સ્થાને અને તેમને જરૂરી સંબંધ ત્યાં બતાવ્યા છે. એ દશ કન્યાનાં નામે અનુક્રમે શાંતિ, દયા, મૃદુતા, સત્યતા, ઋજુતા, અચરતા, બ્રહ્મરતિ, મુક્તતા, માનસિવિદ્યા અને નિરીહતા છે. એના પ્રસંગની વાત જુદી છે. અત્ર તો સંભાષણમાં ભાષાની સરળતા અને ભાષા પર કાબૂ ખાસ વિચારવા એગ્ય છે. એમાં જે સરળતાથી ભાષાપ્રવાહ ચાલ્યો જાય છે તે ખરેખર એમ બતાવે છે કે જાણે અંદર પદાર્થ ઠાંસીઠાંસીને ભય હોય અને તેમાંથી એક પછી એક બરાબર જોઈએ ત્યારે ખપા શબ્દ નીકળી આવતા હોય. સંભાષણની આ પદ્ધતિના સેંકડે દષ્ટાન્ડે આપી શકાય. સગવડ માટે મેં એને આલાપસંલાપના આકારમાં મૂકી દીધા છે. ગદ્ય કથાવિભાગમાં ભાષા પરનો કાબૂ કે અસાધારણ છે એ બતાવવા આ બાબત રજૂ કરી. (૪) ગદ્ય વિભાગનો વિચાર કરતાં એક વાત લક્ષ્યમાં રાખવા ચોગ્ય લાગે છે તે એ છે કે તેઓ સંસ્કૃત ભાષાના સંસ્કૃતિ સમય (classical period) પછી થયા છે એટલે સંસ્કૃત સાહિત્યના ઈતિહાસના જે સમયમાં મધ્યકાલીન મહાન લેખકે થઈ ગયા તે ૧૬ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ [ શ્રી સિદ્ધર્ષિ :: ઉપમિતિ ગ્રંથ : પછી તેઓ આવે છે, છતાં તેમની ભાષા પ્રથમવગીય લેખકોના જેવી જ વિશિષ્ટ અને કોઇ પણ પ્રકારની ભૂલાવગરની તથા અલંકારમય છે. સંસ્કૃત ભાષાના ઇતિહાસ જેમણે ખરાખર વાંચ્ચે હશે તેઓ સમજી શકશે કે એના સ ંસ્કૃતિ સમય પછી જે જે લેખકેા થયા છે તેઓ એક સરખી રીતે ભાષામળ કે મૈાલિકતા અવિચ્છિન્ન જાળવી શકયા નથી. જો કે સંસ્કૃતિ સમયના આપણી બાજુના બીજા છેડા પર આ મહાન્ લેખક આવે છે તેથી તેને એ સમયથી બહુ દૂર ન ગણી શકાય, છતાં તેઓ શ્રેષ્ઠ પક્તિના લેખકેાની સ વિશિષ્ટતા જાળવી શકયા છે અને એક પણ અક્ષર ન્યૂનાધિક લખ્યા વગર તેએ સાહિત્યની નજરે અતિ ઉત્તમ ગદ્ય નીપજાવી શકા છે, એ તેમની મહત્તામાં ખાસ વધારા કરનારી હકીકત છે. એમના ગદ્ય ભાષાપ્રયાગને અંગે પ્રેા. યાકોષીએ એક ધ્યાન ખેંચનારા મુદ્દો રજૂ કર્યો છે અને તે તેમના ભાષામાં ચાલતા શબ્દપ્રયાગ છે. તેમણે ઉપાદ્ઘાતમાં એવા શબ્દોનું એક પત્રક આપી તે પરથી તેમના ભાષા પરના કાબૂ કેવા અસાધારણ હતા તે મતાવ્યું છે. આ વિષય તેમની ભાષાને લગતા હેાવાથી એ પર આગળ વિવેચન કરવામાં આવશે. એવા પ્રયાગ ગદ્ય પદ્ય અને વિભાગમાં છે તેથી તેને અંગે ખાસ આગળ વિવેચન કરવામાં આવશે. ( b ) પવિભાગ શ્રી ઉપમિતિ ભવપ્રપંચા કથા ગ્રંથમાં ગદ્ય અને પદ્ય બન્નેને વારાફરતી ઉપયાગ લેખકે કર્યો છે. આખા ગ્રંથને ઉપર ઉપરથી જોતાં એમ જણાય છે કે તેમણે આખા ગ્રંથના લગભગ અ ભાગ ગદ્યમાં અને બાકીના અધ ભાગ પદ્યમાં લખ્યા છે. એમણે એ ઘટનામાં પણ કળા વાપરી છે. ગદ્ય નિરસ થવા દીધા સિવાય પદ્ય ઉપાડ્યું છે અને પદ્યરચના ચાલતી હાય ત્યાં આનંદ થાય તેવી રીતે ગદ્યના ઉપાડ કર્યા છે. ગદ્યમાંથી સફળ રીતે તે પદ્યમાં ગયા છે અને તેમજ ઊલટી રીતે તે પદ્યમાંથી પાછા ગદ્યમાં આવ્યા છે. જ્યારે ગદ્ય વિભાગ જોઇએ ત્યારે તેમને ભાષા પર જે કામૂ જણાય છે તેવા જ તેમણે પદ્ય વિભાગમાં કામૂ બતાવ્યા છે. ગદ્ય Page #165 -------------------------------------------------------------------------- ________________ ભાષાસલી : ૧૨૩ કરતાં પદ્ય ચઢે કે પદ્ય કરતાં ગદ્ય ચઢે એવા પ્રશ્ન થાય તે મને તે એમ લાગે છે કે બન્ને એક બીજા સામે ટક્કર મારે તેવા છે; છતાં એને ખુલાસે જ કરવા હોય તે મને તમને ગદ્ય વિભાગ ભાષા સાહિત્યની નજરે વધારે બળવાન એકસવાળો અને કળામય લાગ્યો છે. જે વિચારપ્રવાહ તેમણે ગદ્યમાં જાળવ્યું છે તેવા જ પદ્યમાં કર્યો છે, છતાં ગદ્યમાં મને કળા અને ભાષાનું જોમ વધારે લાગ્યાં છે. હવે આપણે તેમના પદ્ય વિભાગની કેટલીક ખૂબીઓ તપાસી જઈએ. (૧) તેમણે પદ્ય વિભાગને ઘણે ભાગ લોક અથવા અનુટુપમાં જ લખે છે. બત્રીશ અક્ષરના એ લેકમાં તેમણે છંદશાસ્ત્રની નજરે એક પણ ખલના કરી હોય એવું પ્રા. યાકેબી જેવા છંદશાસ્ત્રના અથંગ અભ્યાસીને પણ જડયું નથી. તેટલા માટે તઓ ઉપોદઘાતના પૃષ્ઠ ૨૪ માં લખે છે કે શ્લોકને લગતા છંદશાસ્ત્રના નિયમે શ્રી સિદ્ધષિએ બરાબર જાળવ્યા હોય એમ લાગે છે. એમણે હેમચંદ્રાચાર્યના પરિશિષ્ટ પર્વની પ્રસ્તાવનામાં એક વખત કોની છંદશાસ્ત્ર પ્રમાણે ટીકા કરી કેટલીક સ્કૂલના બતાવી હતી, જો કે ત્યારપછી જ્યારે છંદશાસ્ત્રના વિશેષ નિયમો તેમના ધ્યાન પર લાવવામાં આવ્યા ત્યારે તેમના ખ્યાલમાં આવ્યું હતું કે અમુક નિયમો પ્રમાણે લોકના એક પાદમાં આઠને બદલે સાત અક્ષર પણ આવી શકે છે. આ સર્વ હકીક્ત તેઓએ જાણું એટલે આ ગ્રંથના ઉપોદઘાતમાં તેનો સહજ ખુલાસો કર્યો છે જે અત્ર અપ્રસ્તુત છે. મુદ્દાની વાત એ છે કે તેમણે શ્રી સિદ્ધર્ષિના લોકમાં છંદશાસ્ત્રના તેમની જાણમાં નિયમો આવ્યા છે તેને અંગે કોઈ પ્રકારનો ભંગ કે સ્કૂલના તેઓ જોઈ શક્યા નથી. અને હિદના છંદશાસ્ત્ર ઉપર તેઓને અભ્યાસ એટલે આદર્શ ગણાય છે કે તેઓને એ અભિપ્રાય વાંચનારના ખ્યાલમાં લાવવાની જરૂર જણાય. શ્લોકેની રચનામાં ભાષાપ્રવાહ કે સુંદર તેઓ રાખી શક્યા છે તેના કાંઈક દાખલા આપવા ગ્ય ગણાય. ગમે તે સ્થાનેથી આ દાખલા બતાવ્યા છે. એમાં કઈ વિશિષ્ટતા છે તે સંબંધી Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ [ શ્રી સિદ્ધર્ષિ : : ઉમિતિ ગ્રંથ : વિવેચન ક્યું છે. પણ દરેકમાં ભાષા પર કામૂ અસાધારણ છે તે સાથે માલૂમ પડી આવશે. ( 4 ) કર્મ પરિણામ રાજાનું વર્ણન દ્વિતીય પ્રસ્તાવની શરૂઆતમાં કરે છે. એના શબ્દપ્રયાગ અને વર્ણ નરોલી મૂળ પુષ્પથી લચી પડતી અથવા મુખમાંથી પ્રવાહરૂપે સરી પડતી દેખાશે. ભાષાપ્રવાહ પણ એના અદ્વિતીય છે. तस्यां च मनुजगतौ नगर्यामतुलबलपराक्रमः स्ववीर्याक्रान्तभुवनत्रयः शकादिभिरप्रतिहतशक्तिप्रसरः कर्मपरिणामो नाम महानरेन्द्रः । यो नीतिशास्त्रमुलंध्य प्रतापैकरसः सदा । तृणतुल्यं जगत्सर्व विलोकयति हेलया ॥ निर्दयो निरनुक्रोशः सर्वावस्थासु देहिनां । स चण्डशासनो दण्डं पातयत्यनपेक्षया ॥ स च केलिप्रियो दुष्टो लोभादिभटवेष्टितः । नाटकेषु परां काष्ठां प्राप्तोऽत्यन्तं विचक्षणः ॥ नास्ति मल्लो जगत्यन्यो ममेति मदविह्वलः । स राजोपद्रवं कुर्वन्न धनायति कस्यचित् ॥ ततो हास्यपरो लोकान् नानाकारैर्विडम्बनैः । सर्वान्विडम्बयन्नुचैर्नाटयत्यात्मनाग्रतः ॥ तेsपि लोका महान्तोऽपि प्रतापमसहिष्णवः । तस्य यद्यदसौ वक्ति तत्तत्सर्वं प्रकुर्वते || ત્યારપછી લેાકાને એ કેવા કેવા વેશે લેવરાવે છે, તેમની પાસે એ કેવાં કેવાં નાટકા કરાવે છે, એ નાટક કેવાં વિચિત્ર હાય છે અને એ જોવામાં તેને કેવી મજા આવે છે, એમાં નાંદિ, વિષક વિગેરેની ગોઠવણ કેવી સુ ંદર થાય છે—એસ મહુ મજબૂત ભાષામાં ખતાવ્યું છે. આ આખા ગ્રંથમાં સંસારનાટકની રચના બતાવી છે. તેની યાજના કરનાર, તે જોવામાં રસ લેનાર અને છતાં તેમાં ૧ એના ભાષાવતરણ માટે જુઓ પ્ર. ૨. પ્ર. ૨. પૃ. ૨૫૮–૯. Page #167 -------------------------------------------------------------------------- ________________ ભાષાશૈલી :] ૧૨૫ જરા પણ ભેળાઇ નહિ જનાર અને દુનિયામાં અપુત્રીયા તરીકે જાણીતા થયેલા એક પરિણામ મહારાજાનું આખું વર્ણન ભાષાસાહિત્યના નમૂના છે. લખાણુ ટાંચણુ કરવાનું સ્થળકાચથી બની શક્યું નથી પણ જિજ્ઞાસુએ મૂળ ગ્રંથમાંથી જરૂર જોઈ જવા જેવુ છે. ( b ) મહામાહ રાજાનું વર્ણન તૃતીય પ્રસ્તાવમાં કર્યું છે તેમાં એના વ્યાપકભાવ અને સર્વગ્રાહીપણું ખતાવતાં જે ભાષાસાજીવ બતાવ્યું છે તે ખરેખર સાહિત્યની નજરે બહુ ઉત્તમ છે. એ શૈલી ખાસ નમૂનેદાર છે. સ્પર્શનની શેાધે ગયેલા મેધ ને વિપાક સાથે વાત થતાં એ રાગકેસરીની તૈયારીએ જુએ છે. પછી એ કાણુ છે એમ જણાતાં એના પિતાનું નામ પૂછે છે-એ વાર્તાલાપમાં ગદ્યમાંથી એકદમ પદ્યમાં કેવી સરળતાથી ગ્રંથ' ઉતરી જાય છે એ પણ જોવા જેવું છે. 'मयाभिहितं भद्र कः पुनरस्य ( रागकेसरिणः ) तातस्ततो विपाकेनाभिहितं " आर्य ! अतिंमुग्धोऽसि यतस्त्वमेतावदपि न जानीषे यतोऽस्य देवस्य रागकेसरिणो बालाबलादीनामपि सुप्र तीतोऽनेकाद्भुतकर्मा भुवनत्रयप्रकटनामाभिधानो महामोहो जनकः । તથા દિ महामोहो जगत्सर्वे भ्रामयत्येव लीलया । शक्रादयो जगन्नाथा यस्य किङ्करतां गताः ॥ अन्येषां लंघयन्तीह शौर्याविष्टम्भतो नराः । अज्ञानं तु जगत्यत्र महामोहस्य केचन ॥ वेदान्तवादिसिद्धान्ते परमात्मा यथा किल । चराचरस्य जगतो व्यापकत्वेन गीयते ॥ महामोहस्तथैवात्र स्ववीर्येण जगत्त्रये । द्वेषाद्यशेषलोकानां व्यापकः समुदाहृतः ॥ तत एव प्रवर्तन्ते यान्ति तत्र पुनर्लयम् । सर्वे जीवाः परे पुंसि यथा वेदान्तवादिनाम् ॥ ૧ આ વિભાગનું ભાષાવતરણ પ્ર. ૩. પ્ર. ૪. પૃ. ૩૯૧ માં પંક્તિ ૭ થી શરૂ થાય છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ अन्यच्च । [ श्री सिद्धर्षि: : उपभिति ग्रंथ : महामोहात्प्रवर्तन्ते तथा सर्वे मदादयः । लीयन्तेऽपि च तत्रैव परमात्मा स वर्त्तते ॥ यज्ज्ञातपरमार्थोऽपि बुध्वा सन्तोषजं सुखम् । इन्द्रियैर्बाध्यते जन्तुर्महामोहोऽत्र कारणम् ॥ अधीत्य सर्वशास्त्राणि नराः पण्डितमानिनः । विषयेषु रताः सोऽयं महामोहो विजृम्भते ॥ जैनेन्द्रमततत्त्वज्ञाः कषायवशवर्तिनः । जायन्ते यन्नरा लोके तन्महामोहशासनम् ॥ अवाप्य मानुषं जन्म लब्ध्वा जैनं च शासनम् । यत्तिष्ठन्ति गृहासक्ता महामोहोऽत्र कारणम् ॥ विश्रब्धं निजभर्त्तारं परित्यज्य कुलस्त्रियः । परेषु यत्प्रवर्तन्ते महामोहस्य तत्फलम् ॥ विलंध्य च महामोहः स्ववीर्येण निराकुलः । कांश्चिद्विडम्बयत्युच्चैर्यतिभावस्थितानपि ॥ मनुष्यलोके पाताले तथा देवालयेष्वपि । विलसत्येष महामोहो गन्धहस्ती यथेच्छ्या ॥ सर्वथा मित्रभावेन गाढं विश्रब्धचेतसाम् । कुर्वन्ति वचनं यच्च महामोहोऽत्र कारणम् ॥ विलंध्य कुलमर्यादां पारदार्येऽपि यन्नराः । वर्त्तन्ते विलसत्येष महामोहमहानृपः ॥ यत एव समुत्पन्ना जाताश्च गुणभाजनम् । प्रतिकूला गुरोस्तस्य वशे येऽस्य नराधमाः ॥ अनार्याणि तथान्यानि यानि कार्याणि कर्हिचित् । चौर्यादीनि विलासेन तेषामेष प्रवर्त्तकः ॥ હજી પણ આગળ એ જ માહરાજાનું વર્ણન ચાલે છે. એમાં જે અનેક દૃષ્ટાન્તા આપ્યાં છે તે લેખકન્તુ વિશાળ જ્ઞાન અને અવલેાકન શક્તિ બતાવે છે. અનેકદેશીય જ્ઞાન અને વિસ્તૃત અનુભવ વગર આટલા જુદી જુદી જાતિના દાખલા આવે નહિ. એમાં Page #169 -------------------------------------------------------------------------- ________________ ભાષાશૈલી : ] ૧૨૭ શબ્દસમૃદ્ધિ અવલેાકી હાય તા તેને! પાર નથી, એમાં ઊંડાઇ જોઈ હાય તા તેના છેડા નથી અને એની વિવિધતા વિચારી હાય તે તેમાં થાગ લાગે તેમ નથી. આવાં પ્રત્યેક મુખ્ય પાત્રના વર્ણના આવે છે અને તે તેમને ખરાખર આળખવા માટે જરૂરી છે. એવાં વ નાનાં ટાંચણા આપવા માંડીએ તેા આ વિષયની હદ રહે નહિ. ભાષાસમૃદ્ધિ અને ચેાગ્ય સ્થાને ચેાગ્ય શબ્દ જ વાપર્યો છે. એટલું જણાવી પદ્યવિભાગની બીજી ખાસીઅતા વિચારીએ. આવા પ્રકારના સુંદર વણું નાનું લીસ્ટ અહીં આપી દેવું પ્રાસંગિક ગણાય. નીચે કેટલાક દાખલાજ મૂકયા છે. એમાં પદ્યને કેવા સુંદર ઉપયેાગ થયા છે તે જોવા માટે મૂળ જોવું. ( ૨ ) શ્લેાક( અનુષ્ટુપ )ના એક બીજો ઉપયાગ બહુ સુંદર રીતે કર્યો છે. એક નગર, રાજારાણી અને પુત્રીનું નામ આપી પ્રત્યેકના ચાર ચાર વિશેષણા આપે તે ગદ્યમાં અને તેને વિસ્તાર શ્લાકમાં કરે. આની મીઠાશ અદ્ભુત અને અસર સીધી છે. એક આખા દાખલેા આપુ અને ખીજાઓના નિર્દેશ કરું એટલે સદર વક્તવ્ય લક્ષમાં આવી જશે. ૧ આવા વ્યકિતગત વનેામાં નીચેના વિચારવા. ગ્રંથમાં તે સાÖ ત્રિક હાવાથી અત્ર તેના નિર્દેશ માત્ર જ કર્યાં છે અને તે પણ સંપૂ નથી, માત્ર અહુ થોડા દાખલા રજૂ કર્યાં છે. જુએ. ( = ) નિપુણ્ય દરિદીવન. ( પ્ર. ૧. પૃ. ૧૬. ) ( લ ) મનુજગતિ વન. ( પ્ર. ૨. પ્ર. ૧ પૃ. ૨૫૫ ૭ ) ( 1 ) ક`પરિણામ નરેંદ્રવર્ષોંન. (પ્ર. ૨. પ્ર. ૨. પૃ. ૨૫૮-૬૨.) ग ( ૬ ) સદાગમનુ` રૂપ વર્ણન. ( પ્ર. ૨. પ્ર. ૧. પૃ. ૨૮૮–૯૧. ) (૪) યતિધમ, ગૃહીધ. ( પ્ર. ૪. પ્ર. ૩૫. પૃ. ૧૦૬૬ થી.) ( ૬ ) ચિત્તવિક્ષેપમંડપ. (પ્ર. ૫. પ્ર. ૧૨ રૃ. ૮૫૩-૪.) ( ૪ ) ભાગતૃષ્ણા સ્વરૂપ. ( પ્ર. ૩. પ્ર. ૭, પૃ. ૪૧૯–૨૧.) (ન ) અજ્ઞાન આળ–પાપ-આવ. (પ્ર. ૩. પ્ર. ૭. પૃ. ૪૨૫.) ( જ્ઞ ) રાગકેસરી વન. ( પ્ર. ૪. પ્ર. ૧૩. પુ. ૮૬૩–૪.) ( ૬ ) સેાળ કષાય વર્ણન. ( પ્ર. ૪. પ્ર. ૧૬. પૃ. ૮૭૮ થી. ) ( ૪ ) સાતષશાચી વર્ષોંન. (પ્રુ. ૪ પ્ર. ૨૮. આખું પ્રકરણ. ) Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ [ श्री सिर्षि : : अपमिति अय : પ્રસ્તાવ ૩, પ્રકરણ ૨૧ માં રેદ્રચિત્ત નગરે દુષ્ટાભિસન્ધિ રાજા તેની નિષ્પકંપતા દેવી અને તેની હિંસાપુત્રીનું વર્ણન પૃ. ૫૭૧ થી શરૂ છે. જુઓ એ કેવી સુમનહર રીતે વર્ણન ઉપાડે છે. પ્રથમ દ્રચિત્તપુરને ઓળખાવતાં કહે છે કે___ इतश्च निवासं दुष्टलोकानां, उत्पत्तिभूमिरनर्थवेतालानां, द्वारभूतं नरकस्य, कारणं भुवनसन्तापस्य, तस्करपल्लिप्रायमस्ति रौद्रचित्तं नाम नगरम् । આમાં રેંદ્રચિત્ત નગરને ચાર વિશેષણ આપ્યાં: (૧) દુષ્ટલેકનું निवासस्थान, (२) मन वैतागनी भाभूभि, (3) न२४नु द्वार અને (૪) ભુવનસંતાપ કારણ. હવે એ ચાર વિશેષણોને વિસ્તારવા નીચેના લેકો આપ્યા. પ્રથમ વિશેષણ માટે નીચે પ્રમાણે વર્ણન કરે છે – उत्कर्तनशिरश्छेदयन्त्रपीडनमारणैः । ये भावाः सत्त्वसङ्घस्य घोराः सन्तापकारिणः ॥ ते लोकास्तत्र वास्तव्या रौद्रचित्तपुरे सदा। तस्मात्तदुष्टलोकानां निवासस्थानमुच्यते ॥ બીજા વિશેષણ માટે નીચે પ્રમાણે વર્ણન કરે છે – कलहः प्रीतिविच्छेदस्तथावैरपरम्परा । पितृमातृसुतादीनां मारणे निरपेक्षता ॥ ये चान्येऽनर्थवेताला लोके सम्भवनातिगाः । ते रौद्रचित्ते सर्वेऽपि सम्पद्यन्ते न संशयः॥ उत्पत्तिभूमिस्तत्तेषां पत्तनं तेन गीयते । ત્રીજા વિશેષણ માટે નીચે પ્રમાણે વર્ણન કરે છે – यथा च नरकद्वारं तथेदानी निगद्यते ॥ ये सत्त्वा नरकं यान्ति स्वपापभरपूरिताः । ते तत्र प्रथमं तावत्प्रविशन्ति पुराधमे ॥ अतः प्रवेशमार्गत्वात्तस्य निर्मलमानसैः । गीतं तं नरकद्वारं रौद्रचित्तपुरं जने ॥ Page #171 -------------------------------------------------------------------------- ________________ મૂળ ગ્રંથની ભાષા અને શૈલી : ] ૧૨૯ ચેથા વિશેષણ માટે નીચે પ્રમાણે વર્ણન કરે છે – ये जीवाः क्लीष्टकर्माणो वास्तव्यास्तत्र पत्तने । ते स्वयं सततं तीव्रदुःखग्रस्तशरीरकाः ॥ तथा परेषां जन्तूनां दुःखसङ्घातकारिणः । अतो भुवनसन्तापकारणं तदुदाहृतम् ॥' આ વર્ણનમાં ભાષા ઉપરને કાબૂ, સરળતા અને વિશેષણોને બરાબર સમજાવવાની ગોઠવણ એવી સુંદર છે કે એક વાર જે પ્રાણી રિદ્રધ્યાન બરાબર સમજ્યો હોય તે એની ખૂબી પારખી શકે. એના ચારે વિશેષણે બહુ અર્થસૂચક છે. એનો ખુલાસો તદ્દન સમજી શકાય તેવો છે. એમાં વધારે ખૂબી એ છે કે યોગના અભ્યાસીને એના પ્રત્યેક શબ્દમાં ભારે ચમત્કાર લાગે તેમ છે. આવું ભાષાસૌષ્ઠવ અન્યત્ર કવચિત જ લભ્ય છે એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. આવો જ એક સારો દાખલે લઈ આવા પ્રકારના પદ્યવિભાગને નામનિર્દેશ માત્ર કરી દઈએ. સારે દાખલે સાથે બતાવવાનું કારણ એ છે કે રૈદ્રચિત્તનગરનું વર્ણન વાંચતાં મનમાં જે વૃણું થઈ હોય તેના જેમમાં ભાષાસૌંદર્ય પર ધ્યાન ન રહે. એટલા માટે મનને પસંદ આવે તેવું એ જ પ્રસ્તાવમાં ક્ષાંતિ પુત્રીનું વર્ણન છે તે પણ સરખામણું ખાતર ભાષાસછવને અંગે વિચારી લઈએ. નંદિવર્ધનનો ક્રોધી સ્વભાવ કેમ દૂર થાય તેને ઉપાય તેના પિતા પદ્ધરાજા (પૃ. ૩૬૧ માં) જિનમતજ્ઞ નામના નિમિત્તિયાને પૂછે છે. તેના જવાબમાં તે જણાવે છે કે એક ચિત્તોંદર્ય નામે નગર છે. તેને શુભ પરિણામ રાજા છે. તેને નિષ્પકંપતા રાણી છે. તેમનાથી ક્ષતિ નામની દીકરી થઈ છે. એ દીકરીના લગ્ન નંદિવર્ધન સાથે થાય તો વૈશ્વાનર મિત્ર સાથે તેની દોસ્તી છૂટે. (પૃ. ૩૬૮). આ ચારે વર્ણને બહુ સુંદર છે અને પ્રત્યેકના ૧ આના ભાષાવિવેક માટે જુઓ પ્ર. ૩. પ્ર. ૨૧. પૃ. ૫૭૧-૨. ૨ એને ખ્યાલ સમુચ્ચયે કરવા જુઓ જૈન દષ્ટિએ યોગ” પ્રથમ વિભાગ પૃ. ૧૩૫–૧૪ર. ૧૭ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ [ श्री सिबि : • अपमिति अय: ચાર ચાર વિશેષણે પદ્યમાં ખુલાસામાં સાથે ત્યાં આપ્યા છે(પ્ર. ૩. પ્ર. ૨.) તે પૈકી આપણે શાંતિકુમારીનું વર્ણન વિચારી જઈએ. ગ્રંથર્ના જિનમતજ્ઞ નૈમિત્તિક દ્વારા ક્ષાંતિકુમારીની ઓળખાણ ४२२qdi : छे: तयोश्च निष्पकम्पताशुभपरिणामयोदेवीनृपतयोरस्ति प्रकर्षः सुन्दराणामुत्पत्तिभूमिराश्चर्याणां भञ्जूषागुणरत्नराशेः वपुर्वैलक्षण्येन मुनीनामपि मनोहारिणी क्षान्ति म दुहिता । આ વાક્યમાં કુમારી ક્ષાંતિનાં ચાર વિશેષણે બતાવ્યાં: (૧) સુંદર વસ્તુઓમાં પણ સુંદર, (૨) અનેક આશ્ચર્યનું જન્મસ્થાન, (3) गुरत्नानी पे मने (४) शरीरनी विलक्षणताथी भुनिએનાં મનને પણ પોતાની તરફ ખેંચનારી. એ વિશેષ ઘટાવતાં કે સુંદર પદ્યરચનાને સરળ પ્રયોગ કર્યો છે તે વિચારે. પ્રથમ વિશેષણને અંગે નીચે પ્રમાણે વર્ણન છે – यतः सा सततानन्ददायिनी पर्युपासिता। स्मरणेनापि निम्शेषदोषमोषविधायिनी ॥ निरीक्षते विशालाक्षी यं नरं किल लीलया। पण्डितैः स महात्मेति कृत्वा गाढं प्रशस्यते ॥ आलिङ्गनं पुनस्तस्या मन्ये यो लप्स्यते नरः। स सर्वनरवर्गस्य चक्रवर्ती भविष्यति ॥ अतश्चारुतरं(रा) तस्या नान्या जगति विद्यते । प्रकर्षः सुन्दराणां सा विद्वद्भिस्तेन गीयते ॥ બીજા વિશેષણને અંગે નીચે પ્રમાણે વર્ણન છે – सध्यानकेवलज्ञानमहद्धिप्रशमादयः। लोकानामद्धता भावा ये चमत्कारकारिणः ॥ ते भवन्ति भविष्यन्ति भूताश्चानन्तशो यतः। तत्प्रसादेन सत्त्वानां तामाराधयतां सदा ॥ ૧ આનું ભાષાવતરણું પ્ર. ૩. પ્ર. ૨. પૃ. ૩૬૫-૬ સુધીમાં આવેલ છે તે જુઓ. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ भूण अयनी भाषा भने शैक्षा : ] उत्पत्तिभूमिः सा तस्मादाश्चर्याणामुदाहृता । ત્રીજા વિશેષણ માટે નીચે પ્રમાણે વર્ણન છે – यथा च रत्नमजूषा तथेदानीं निबोधत ॥ दानशीलतपोज्ञानकुलरूपपराक्रमाः । सत्यशौचार्जवालोभवीर्यैश्वर्यादयो गुणाः ॥ ये केचित्सुन्दरा लोके वर्तन्ते रत्नरूपिणः । क्षान्तिरेव हि सर्वेषां तेषामाधारतां गता ॥ तेनासौ रत्नमञ्जूषा विद्वद्भिः परिकीर्तिता। क्षान्तिहीना गुणाः सर्वे न शोभन्ते निराश्रयाः ॥ અને ચોથા વિશેષણ માટે તે કમાલ કરી છે – शान्तिरेव महादानं क्षान्तिरेव महातपः । शान्तिरेव महाज्ञानं क्षान्तिरेव महादमः ॥ क्षान्तिरेव महाशीलं क्षान्तिरेव महाकुलम् । क्षान्तिरेव महावीर्य क्षान्तिरेव पराक्रमः॥ शान्तिरेव च सन्तोषः क्षान्तिरिन्द्रियनिग्रहः । शान्तिरेव महाशौचं क्षान्तिरेव महादया ॥ क्षान्तिरेव महारूपं क्षान्तिरेव महाबलम् । शान्तिरेव महैश्वर्य क्षान्तिधैर्यमुदाहृता ॥ शान्तिरेव परं ब्रह्म सत्यं क्षान्तिः प्रकीर्तिता। क्षान्तिरेव परा मुक्तिः क्षान्तिः सर्वार्थसाधिका ॥ शान्तिरेव जगद्वन्द्या क्षान्तिरेव जगद्धिता । क्षान्तिरेव जगज्ज्यष्ठा क्षान्तिः कल्याणदायिका ॥ शान्तिरेव जगत्पूज्या क्षान्तिः परममङ्गलम् । शान्तिरेवौषधं चारु सर्वव्याधिनिबर्हणम् ॥ क्षान्तिरेवारिनिर्माशं चतुरङ्गं महाबलम् । किं वात्र बहुनोक्तेन क्षान्तौ सर्वे प्रतिष्ठितम् ॥ अत एव तु सा कन्या मुनिलोकमनोहरा । कुर्यादीशरूपायां को न चित्तं सचेतनः ।। Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ [ શ્રી સિહર્ષિ : ઉપમિતિ ગ્રંથ આ લંબાણ ટાંચણ ખાસ સકારણ આપ્યું છે, લેખકની ભાષાપ્રઢતા, ભાષાસ્પષ્ટતા અને ભાષા પરનો કાબુ અસાધારણ છે તે બતાવવા આ એક દષ્ટાન્ત તારવી કાઢયું છે. એમણે ક્ષાંતિદેવીનાં ચારે વિશેષણો ઘણું સુંદર રીતે ઘટાવ્યાં છે, અને તેમાં જોવાની મજા તેમની કળા છે. એમની ભાષા સમૃદ્ધિ અલોકિક છે અને શબ્દસમૃદ્ધિ અમાપ છે. આવી રીતે પ્રત્યેક વ્યક્તિ કે સ્થાનનાં ચાર ચાર વિશેષણ સમાસાન્તર્ગત આપી તે પર પદ્યમાં યોગ્ય વિવેચન આપવાનાં અનેક દૃષ્ટાન્ત છે તેને અંગે નીચેના દાખલાઓ વિચારવા. અહીં તે પર વધારે વિસ્તૃત લંબાણ ટાંચણે સ્થળસંકેચથી અપાય તેમ નથી. એમાં વાકયોનાં નિબંધ અને શબ્દરચના ખરેખર જેવા લાયક છે. એનું યથાતપણું એથી પણ વધારે આકર્ષક છે પણ અત્યારે કળાની નજરે એમના પદ્યને આપણે વિચાર કરીએ છીએ તેથી તેટલા પૂરતું જ અત્ર ધ્યાન ખેંચ્યું છે. બાકી ચિત્તસંદર્યનગર કે એના શુભ પરિણામ રાજા કે એની નિષ્પકંપતા રાણી અને એમને પેટે થયેલી શાંતિ દીકરી પર તો પુસ્તકે લખાય તેમ છે. યથાસ્થાને એ બાબત જોઈ લેવી. અત્ર પદ્યરચનાની પ્રઢતાનાં બીજાં કેટલાંક દષ્ટાન્તને માત્ર નિર્દેશ કરી અટકી જઈએ. (a) ચિત્તસંદર્યનગરના ચાર વિશેષણે પર પદ્યરચના જેવા યોગ્ય છે. એ નગર (૧) સર્વ ઉપદ્રવથી રહિત છે, (૨) સર્વ ગુણાનું નિવાસસ્થાન છે, (૩) કલ્યાણ પરંપરાનું કારણ છે અને (૪) મંદભાગી પ્રાણીઓને દુર્લભ છે. એના ભાષાવતરણ વિવેક માટે જુઓ પ્ર. ૩. પ્ર. ૨. પૃ. ૩૬૧. (b) શુભપરિણામ રાજાનાં નીચેનાં ચાર વિશેષણે પર પદ્ય રચના જુઓ—એ રાજા (૧) સર્વ લેકેનું હિત કરનાર છે, (૨) દુને દાબી દેવામાં ખાસ ઉદ્યમ કરનાર છે, (૩) સારાને પાળવામાં ખાસ ધ્યાન આપનાર છે અને (૪) કેશ અને દંડની સમૃદ્ધિથી પરિપૂર્ણ છે. એ ચાર વિશેષણની પદ્યરચનાના ભાષાવતરણ માટે જુઓ ક. ૩. પ્ર. ૨. પૃ. ૩૬૨–૩. Page #175 -------------------------------------------------------------------------- ________________ મૂળ ગ્રંથની ભાષા અને શૈલી : ] ૧૩૩ (૦) એ રાજાની મહારાણી નિષ્પકંપતા દેવી માટે નીચેનાં ચાર વિશેષણે આપ્યાં છે. એ દેવીએ (૧) શરીરની સુંદરતામાં વિજયધ્વજ પ્રાપ્ત કરેલ છે, (૨) કળાઓમાં કુશળતા મેળવેલી હોઈ તે વડે એણે ત્રણ ભુવનને જીતી લીધેલાં છે, (૩) પિતાના નાના પ્રકારના વિલાસને લીધે એણે કામદેવની પ્રિયા રતિના વિશ્વમેને હસી કાઢ્યા છે અને (૪) પિતાના પતિ તરફ અપૂર્વ ભક્તિને લીધે એણે અરૂંધતીના માહાતેઓને તિરસ્કારી કાઢયું છે. એના ભાષાવતરણ માટે જુઓ પ્ર. ૩. પ્ર. ૨. પૃ. ૩૬૪–૫. (d) રેદ્રચિત્ત નગરમાં દુષ્ટાભિસન્ધિ રાજા હતા. તેને માટે ચાર વિશેષણે આપ્યાં છે: (૧) ચોરેને એકઠા કરનાર, (૨) સારા માણસને દુશ્મન, (૩) સ્વભાવથી વિપરીત પ્રકૃતિવાળો અને (૪) નીતિના રસ્તાઓને લેપ કરનારે એને વર્ણવ્યો છે. પછી એ ચારે વિશેષણો માટે સમર્થ ભાષામાં પ્રત્યેક માટે બે બે પદ્ય ( કે) આપ્યા છે. એના ભાષાવતરણ માટે જુઓ પ્ર. ૩. પ્ર. ૨૧. પૃ. ૫૭૨. (૭) દુષ્ટાભિસન્ધિ રાજાને નિષ્કરુણતા રાણું છે. એને માટે ચાર વિશેષણે આપ્યાં છે. (૧) પારકી પીડાઓને નહિ જાણનારી, (૨) પાપના રસ્તાઓમાં કુશળ, (૩) ચેરી ઉપર પ્રેમ રાખનારી અને (૪) પિતાના પતિ ઉપર અનુરક્ત, પછી એ પ્રત્યેક વિશેષણ પર બહુ સુંદર શબ્દપ્રગ કરી બે બે પદ્યબંધ રચનાના કે આપ્યા છે. જુઓ પ્ર. ૩. પ્ર. ૨૧. પૃ. ૫૭૩–૪. (f) એની હિંસા દીકરીનું વર્ણન બહુ સુંદર કર્યું છે. એના ચાર વિશેષણે આ પ્રમાણે (૧) રોદ્રનગરની હીન સમૃદ્ધિમાં વધારે કરનારી,(૨) નગરવાસીઓને ભેટે ચાહ મેળવનારી, (૩) માતપિતા તરફ વિનયવાળી અને (૪) ભયંકર આકૃતિવાળી. એના સ્પષ્ટીકરણમાં અગિયાર પદ્ય લેકે બહુ સુંદર ભાષામાં અને જનસમાજના મનના અભ્યાસીને ખાસ વિચારવા ચોગ્ય આખ્યા છે. જુઓ છે. ૩. પ્ર. ૨૧. પૃ. ૫૭૪–૫. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ [ શ્રી સિદ્ધર્ષિ ઃ ઉપમિતિ ગ્રંથ આ સર્વના મૂળ કે ખાસ વાંચવા ગ્ય છે. એમાં મનુષ્યસ્વભાવને ઊંડો અભ્યાસ અને ભાષા પર અસાધારણ કાબૂ જોવામાં આવશે. ઉપરાંત એમાં રચનાની પદ્ધતિ કળાની નજરે બહુ સુંદર અને વિચારવા જેવી છે અને બહુ સ્પષ્ટ હોવા સાથે પ્રઢ છે. (૩) અનુટુપની રચનાની ભવ્યતા માટે નીચેના દાખલા ખાસ વિચારવા લાગ્ય મળ્યા છે. સાત સ્ત્રીઓ-પિશાચીઓ ભવચકનગરમાં વર્ણવી છે એમાં એવી યુક્તિ છે એ સાત પિશાચી અને તેની સામેનાં વિરોધી તમાં આઠે કર્મની કુલ પ્રકૃતિનો સમાવેશ થઈ જાય. ચોથા પ્રસ્તાવનું એ આખું અઠાવીશમું પ્રકરણ રેકે છે. (પૃ. ૪૧૦૧૧). જનસ્વભાવને અભ્યાસ અને ભાષા પર અસાધારણ કાબૂ ધરાવતું એ રૌદ્ર ચિત્રપટ છે. જરાનું વર્ણન એ નીચેની પ્રઢ ભાષામાં કરે છે. (પ્ર. ૪. પ્ર. ૨૮. પૃ. ૫-૬). सा कालपरिणत्याख्या भार्या या मूलभूपतेः । तया प्रयोजिता तावजरेयं भवनोदरे ॥ बाह्यान्यपि निमित्तानि वर्णयन्तीह केचन । अस्याः प्रयोजकानीति लवणाद्यानि मानवाः ॥ वीर्य पुनरदोऽमुष्या यदाश्लेषेण देहिनाम् । हरत्यशेषसद्वर्णलावण्यबलशालिताम् ॥ गाढाश्लेषात्पुनर्वत्स ! विपरीतमनस्कताम् । कुरुते शोच्यतां लोके देहिनां वीर्यशालिनी ॥ वलीपलीतखालित्यपिप्लुव्यङ्गकुवर्णताः । कम्पकर्कशिकाशोकमोहशैथिल्यदीनताः ॥ गतिभङ्गान्ध्यबाधिर्यदन्तवैकल्यरीणताः। जरापरिकरः प्रौढो वायुरत्र बलाग्रणीः ॥ अनेन परिवारेण परिवारितविग्रहा । जरेयं विलसत्यत्र मत्तावद्गन्धहस्तिनी ।। ત્યારપછી એના વિરોધી થવનનું તેના સંબંધમાં જ અદભૂત વર્ણન આવે છે – Page #177 -------------------------------------------------------------------------- ________________ મૂળ ગ્રંથની ભાષા અને શૈલી : ] तस्या एव महादेव्या विद्यतेऽनुचरः परः । यौवनाख्यो महावीर्यश्चरट उद्दामपौरुषः ॥ स च योगी तदादेशात्प्रविश्याङ्गेषु देहिनाम् । तनोति बलमौर्जित्यं बन्धुराकारधारिताम् ॥ । विलासहासबिब्बोकविपर्यासपराक्रमैः वल्गनोत्लबनोल्लासलासधावनसम्मदैः ॥ गर्वशोण्डीर्यखिङ्गत्वसाहसादिभिरुद्धतैः । युतः पदातिभिर्लोकैर्लीलया स विजृम्भते ॥ तत्सस्वधादमी भोगसम्भोगसुखनिर्भरम् । आत्मानं मन्वते लोका भवचक्रनिवासिनः ॥ ततस्तं निजवीर्येण यौवनाख्यमियं जरा । मृद्नाति सपरीवारं क्रुद्धा कृत्येव साधकम् ॥ ततस्ते जरसा वत्स ! जना मर्दितयौवनाः । परिता दुःखकोटीभिर्जायन्ते दीनविक्लवाः ॥ स्वभार्ययाप्यवज्ञाताः परिवारावधीरिताः । उत्प्रात्स्यमानाः स्वापत्यैस्तरुणीभिस्तिरस्कृताः ॥ स्मरन्तः पूर्वभुक्तानि कासमाना मुहुर्मुहुः । श्लेष्माणमुद्गिरन्तश्च लुठन्तो जीर्णमञ्चके ॥ परतप्त (प्ति ) पराः प्रायः क्रुध्यन्तश्च पदे पदे । आक्रान्ता जरया वत्स! केवलं शेरते जनाः ॥ જરા–ઘડપણનું આવું સ્વરૂપ અન્યત્ર વાંચ્યું નથી. એના પ્રત્યેક શબ્દો અત્યંત વિશિષ્ટ અવલેાકનને પિરણામે લખાયેલ છે. મનુષ્યજીવનના ખરાખર અભ્યાસ કર્યો હાય તા જ આ વણું ન થઇ શકે. એમાં ઘડપણમાં થતી શરીરની સ્થિતિ, કુટુંબીઓ તરફથી થતા તિરસ્કાર, મન ઉપર થતી દીનતાની અસર, નાકમાંથી નીકળતુ શ્લેષ્મ, કાળા વાળને સ્થાને આવતાં પળિયાં, કાનની બહેરાશ, આંખનું અધપણું, દાંતનું ઓખાપણું વિગેરે વિગેરે સચાટ શબ્દોમાં લખ્યુ છે અને જુવાનીના ચાળા, વૈભવ, સાહસ, ધમાલ ટૂંકા પણ મુદ્દામ શબ્દોમાં લખ્યા છે. એના પર વર્ણ ન કરતાં પૃષ્ઠો ભરાય એવા એક એક શબ્દ છે, ૧૩૫ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ [ શ્રી સિદ્ધર્ષિ ઉપમિતિ ગ્રંથ : પ્રત્યેક શબ્દ સૂચક છે, અર્થથી ભરેલું છે અને અનેક વિચાર અને અનુભવને જાગ્રત કરે તેવો છે. આ પદ્યરચના એવી પ્રઢ અને મુદ્દાસરની છે કે એ જે કાઈ ખરા અભ્યાસીના હાથમાં આવે તો એને વાંચીને એ ગજ ગજ ઉછળે. એવું જ સુંદર વર્ણન બાકીની છએ પિશાચીઓનું એ પ્રકરણમાં આવે છે. એમાં રૂજા (વ્યાધિ) સાથે જે વ્યાધિઓનાં નામ ગણાવ્યાં છે તે તેમનું વૈદકશાસ્ત્રનું જ્ઞાન બતાવે છે અને મૃત્તિ (મરણ) ના વર્ણનમાં એ દેવ અને દરિદ્રમાં, જુવાન અને વૃદ્ધમાં ગતિ કરી શકે છે એનું વર્ણન કરતાં અભુત શબ્દપ્રયોગ કર્યો છે. મને એમની ખલતા ભારે અભુત (વર્ણનમાં) જણાઈ છે. તેઓ એને વર્ણવતાં એને પાપોદયની પ્રેરણાનું પરિણામ કહી પછી એના પરિચારમાં શાઠય, પશૂન્ય, દુશીલ, વૈભાગ, ગુરુવિપ્લવ, મિત્રદ્રોહ, કૃતનતા, નિર્લજપણું, મદ, મત્સર, મર્મોદ્દઘાટન, યાત્ય, (બેશરમ પણું ), પરપીડનનિશ્ચય અને ઈષ્યને જણાવે છે. એ શબ્દસમૂહ અભુત છે, એને ઓળખવામાં સંસારયાત્રાનું સાફલ્ય છે અને એને સમજવામાં ચાતુર્ય છે. ગરીબાઈ (દરિદ્રતા) એમણે અદ્દભુત વર્ણવી છે અને એકંદરે આ આખું પ્રકરણ ખાસ પદ્યરચનાને સુંદર નમૂનો પૂરો પાડે છે. એ સર્વથી તદ્દન જુદી પડે એવી પદ્યરચના છે અને તે પર ધ્યાન ખેંચવાની ખાસ જરૂર ભાષાપ્રયોગની નજરે જ લાગે છે. માત્ર સ્થળસંકોચને કારણે વધારે ટાંચણે આ મુદ્દા પર મેં આપ્યા નથી, બાકી એ આખું પ્રકરણ મૂળરૂપે ખાસ આપવા યોગ્ય છે. (૨) પદ્યવિભાગે બીજા છની રચના. અનુષ્ણુભ કલેકેની અવેલેના એ પ્રમાણે થઈ. પદ્યરચનાને અંગે છૂટા છૂટા બીજા પણ છેદે આવે છે, પણ એકંદરે તેની સંખ્યા ઘણુ અલ્પ છે તેથી તેના અવલોકનમાં બહુ કહેવા જેવું રહેશે નહિ. દરેક પ્રસ્તાવને છેડે તેમણે બે અથવા ત્રણ કો અન્ય છંદમાં લખ્યા છે તે સુંદર છે અને ભાષાવતરણમાં પણ તે લખ્યા છે. ઉપરાંત વચ્ચે વચ્ચે તેમણે દ્રતવિલંબિત વધારે પ્રમાબુમાં લખ્યા છે. તેમને ભાષાપ્રયાગ તેમાં પણ બહુ સુંદર છે. મને Page #179 -------------------------------------------------------------------------- ________________ મૂળ ગ્રંથની ભાષા અને શૈલી : ] ૧૩૭ તેમના ત્રાટક અને ક્રુતવિલમ્મિત છ ંદો બહુ ગમ્યા છે. એના પ્રસંગેચિત શબ્દપ્રયાગ ખાસ ધ્યાન ખે ંચે તેવા છે. ઉપરાંત શા લવિક્રીડિત વિગેરે ખીજા છ ંદોના પણ અવારનવાર શ્રી સિદ્ધર્ષિએ ઉપયેગ કર્યો છે. છ ંદો સ શુદ્ધ છે. એક સ્થાનકે મને છ ંદ સમજાયા નથી. ત્રાટકના દાખલા એક આપવા ઉચિત છે. પ્રસંગન દિવ - નના ભવમાં તને વિભાકર સાથે યુદ્ધના છે. યુદ્ધ વર્ણવતાં લેખક મહાત્મા કહે છે કે: तावत्समालग्नमायोधनम्, तच्च कीदृशम्: शरजालतिरस्कृतदृष्टिपथं पथरोधसमाकुलतीव्रभटम् । भटकोटिविपाटितकुम्भतटं नटविभ्रमहस्तिशरीरचितम् ॥ रचितप्रथितोरुसुहस्तिघटं घटनागतभीरुकृतार्तग्वम् । रखपूरितभूधरदिग्विवरं वरतिनिवारणखिन्ननृपम् ॥ नृपभिन्नमदोद्धुरवैरिगणं गणसिद्धनभश्चरघुष्टजयम् । जयलम्पटयोधशतैश्चटुलं चटुलाश्वसहस्रविमर्दकरम् ॥ करसृष्टशरौघविदीर्णरथं रथभङ्गविवर्द्धितवोलवलम् । बलशालिभटेरितसिंहनदं नदभीषणरक्तनदीप्रवहम् । આ યુદ્ધનું અદ્દભુત વર્ણન છે. એમાં શબ્દાલ’કાર પણું બહુ મજાના છે. એના પ્રત્યેક ચરણના છેલ્લા બે કે ત્રણ અક્ષરા લઇ તેને ખીજા જ અર્થમાં ત્યારપછીના નવા ચરણમાં ગેાડવ્યા છે અને છતાં અ ચમત્કૃતિ વધારે સુંદર થવા પામી છે. ત્રાટક તરીકે ગાવામાં તેમાં મજા આવે તેમ છે અને એમાં પ્રેરકભાવ છે. આવી શબ્દસમૃદ્ધિ બહુધા અન્યત્ર અપ્રાપ્ય છે. જે લેખકે સે કડા હજાર અનુષ્ટુપ–àાકા લખ્યા તે આવા અન્ય છંદો લખી શકે તેમાં નવાઇ નથી, પણ નવાઇ શબ્દાલંકાર અને અર્થાલંકારની છે. આ દાખલેા ખાસ વિચારવા ચેાગ્ય છે. કાવ્ય અને સાહિત્યમાં રસ લેનારને તે! અંદરથી જાગૃત કરી દે તવા છે અને તે અર્થમાં પણ ખરાખર સમજવા ચેાગ્ય અને એના સ્થાન પર તદ્ન પ્રાસંગિક છે. ૧ જુએ પ્ર. ૩. પ્ર. ૨૩. પૃષ્ઠ ૫૮૪–૫. ૧૮ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ [ શ્રી સિહર્ષિ : ઉપમિતિ ગ્રંથ ? ત્રાટક છંદના શબ્દાલંકાર અને અર્થાલંકારના ઘણા બીજા દાખલાઓ આખા ગ્રંથમાં છૂટાછવાયા છે. એક વધારે દાખલો આપીએ. આઠમા પ્રસ્તાવમાં સંસારીજીવને ગુણધારણ તરીકે જન્મ થાય છે ત્યારે રાજ્યમંદિરમાં કે આનંદ થાય છે તે વર્ણવતાં કવીશ્વર સિદ્ધ લેખક કવે છે – विहितं च नरेश्वरतोषकरं वरराससलासविलासधरम् । बहुवादनखादनगानपरं मदिरामदघूर्णितचारुनरम् ।। विलयाजननर्तितवामनकं कृतकुब्जककञ्चुकिहासनकम् । विहितार्थिमनोरथपूरणकं कृतलोकचमत्कृतिवर्धनकम् ॥' આ બને દાખલાઓ જેશે તો માલમ પડશે કે એમાં પ્રત્યેક શબ્દ યોગ્ય રીતે મુકાય છે અને એમાં શબ્દચમત્કૃતિ અતિ સુંદર છે. ખૂબી એનું નામ કહેવાય છે કે એની જગ્યાએ બીજે શબ્દ મૂકો જડે નહિ અને જડે તો ભળે નહિ. જાણે ખાલી જગા પર ચેટી જાય તેવી શબ્દરચના હોય એ કળાકારની કારિગરી છે અને એ પ્રત્યેક શબ્દમાં જોવામાં આવશે. શ્રી સિદ્ધર્ષિને ટોટક ઉપરાંત દ્રતવિલંબિત અને અગ્વિણી બહુ પસંદ હોય એમ મને લાગ્યું છે. એ લખતાં તેઓશ્રી જરૂર ડેલ્યા હશે એમ લાગે, કારણ કે સહદય વાંચનાર એ સમજતાં કે વાંચતાં ડેાલ્યા વગર રહે તેમ નથી. એના કોઈ જરૂરી દાખલાઓ આપીએ. સગ્વિણનો એક દાખલો તામસચિત્ત નગરના વર્ણનમાં ચોથા પ્રસ્તાવમાં છે. જુઓ પ્ર. ૪. પ્ર. ૮. પૃ. ૭૯૫. नाशिताशेषसन्मार्गमामूलतस्तेन दुर्ग न लक्ष्यं परेषां सदा। सर्वदोद्योतमुक्तं च तद्वर्तते चौरवृन्द तु तत्रैव संवर्धते ॥ वल्लभं तत्सदा पापपूर्णात्मनां निन्दितं तत्सदा शिष्टलोकैः पुरम् । कारणं तत्सदानन्तदुःखोदधेरणं तत्सदाशेषसौख्योन्नतेः ॥ આ છંદ બેલતાં એક જુદી જ જાતની અસર થાય છે અને લેખ ઉપજાવનારની ચમત્કૃતિ નમનને છે એમ જરૂર લાગી આવે છે. ૧ એના ગુજરાતી અર્થ માટે જુઓ પ્ર. ૮. પ્ર. ૧. પૃ. ૧૮૫૫. ત્યાં પંક્તિ ૨૪ થી અર્થ શરૂ થાય છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ મૂળ ગ્રંથની ભાષા અને શૈલી : ] ૧૩૯ શરદ્વણું નમાં બહુ સુંદર સગ્વિણી ત્રણ આવે છે. જુઓ પ્ર. ४. अ. ८. पृ. ७८५–६. मे त्यां सभी छे भेटले मात्र तेनु पुनरावर्तन यु नथी. દ્રુવિલંબિત એમના એટલા જ પ્રિય છંદ છે. તેઓ ક્રુતિયેલખિત અને ત્રાટક લખતાં જરૂર ડાલ્યા હશે એમ મને લાગ્યું છે. સમજીને વાંચવાથી એ ભાવ જરૂર જણાશે. એના કાઇક દાખલા साथी. શરદ્વણું ન કરતાં તેઓશ્રી ક્રુતવિલંબિત લખે છે:— ( ૫. ૪. प्र. ८ पृ. ७८६. ) शिखिविरावविरागपरा श्रुतिः श्रयति हंसकुलस्य कलस्वनम् | न रमते च कदम्बवने तदा विषमपर्णरता जनदृष्टिका ॥ लवणतिक्तरसाच्च पराङ्मुखा, मधुरखाद्यपरा जनजिह्निका । स्फुटमिदं तदहो प्रियताकरो, जगति शुद्धगुणो न तु संस्तवः ॥ તેવી જ રીતે હેમંતવર્ણ ન કરતાં લખે છે (સદર પૃ. ૭૮૯ ) प्रियवियोगभुजङ्गनिपातितान् शिशिरमारुतखण्डितविग्रहान् । पशुगणानिव मर्मुरराशिभिः पचति किं निशि भक्षणकाम्यया ॥ એના અર્થ અને એને ચમત્કાર શબ્દમાં પણ વિચારવા ચાગ્ય છે. આ છંદના એક સુંદર દાàા આપી મૂળગ્રંથ વાંચવાની ભલામણ કરીએ. वस ंतनु वाशुन उरतां उवि उ छे (अ. ४. प्र. २१.५.८-२३.) विकसिने सहकारवने रतः कुरुबकस्तबकेषु च लम्पटः । मलयमारुतलोलतया वने, सततमेति न याति प्र ( गृ ) हे जनः ॥ इदमहो पुरलोकशताकुलं, प्रवरचूतवनावलिमध्यगम् । विलसतीह सुरासवपायिनां ननु विलोकय भद्र ! कदम्बकम् ॥ मणिविनिर्मितभाजनसंस्थितैरतिविनीतजनप्रविढौकितैः । प्रियतमाधरमृष्टविंदंशनैश्चषकरत्नमयूखविराजितैः ॥ सुरभिनीरजगन्धसुवासितैः, सुवनितावदनाम्बुरुहार्पितैः । विविधमद्यरसैर्मुखपेशलः, कृतमिदं तदहो मदनिर्भरम् ॥ Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ( શ્રીસિહર્ષિ : ઉપમિતિ ગ્રંથ આમાં રમણીય પત્નીના મુખકમળનું વર્ણન કરતાં સિદ્ધ કવિ કેવા શૃંગારરસમાં ઉતરી ગયા છે એ પણ જોઈ લેવા જેવું છે. કેટલાક એમ માને છે કે શુંગારરસ પર જૈન કવિ લખી શક્તા નથી તેમણે આ પ્રસંગે વિચારવા યોગ્ય છે અને લેખક જે પ્રસંગ લે તે તેણે ચીતરવો જ જોઈએ એ હકીકત સ્થિતિચુસ્ત જનોએ પણ વિચારવા ચોગ્ય છે. અત્રે પ્રસ્તુત હકીકત એ છે કે કવિ તરીકે આ વર્ણન એમને મહાકવિનું સ્થાન સ્વત: પ્રાપ્ત કરાવે છે. આ કૂતવિલંબિતના આવા અનેક દાખલાઓ આપી શકાય. અત્ર તો માત્ર નિર્દેશ કર્યો છે. ઉપરાંત ગ્રંથકર્તાએ શાર્દૂલવિક્રીડિત, વંશસ્થવિલ વિગેરે છ દે વાપર્યા છે. એ દરેક પ્રયોગમાં વસ્તુરચના વિગેરે ખાસ જોવા લાયક છે. કે કોઈ પ્રસંગે એમણે ચાલ દેશી રાગ વાપર્યો છે તે પણ સુંદર છે. એમાં હાસ્યરસ પરાકાષ્ઠા પામે છે. બઠર ગુરુ કથાનકમાં (પ્ર. ૫. પ્ર. ૧૫. પૃ. ૧૨૬૩) એવા પ્રસંગે છે – वठरो गुरुरेष गतो वशतां, वसतिं वयमस्य सरत्नशताम् । निजधूर्ततया प्रकटं जगतां, खादेम पिबेम च हस्तगताम् ॥ આમાં ભારે મજા છે! એને લય સાથે સમજાય તો બોલતાં પણ લટકા થાય તેવી તેમાં મસ્તી છે. રિપુદારણના ગર્વને પ્રતાપે તપન ચકવતી તેની જે દશા કરે છે તે ભારે આકર્ષક છે. એને શરીરે ગરમાગરમ ચૂર્ણ લગાવી તપનના સેનાનીઓ એના ગર્વના બદલામાં એંટીઓ ફટકાવતા જાય છે અને ગાતા જાય છે. એને રાસ આ સાંભળવા લાયક છેગાવા લાયક છે. પરમાધામીઓ કેવી મજા કરતા હશે એનો બિભત્સ ખ્યાલ આપનાર છે. (પૃ. ૪. પ્ર. ૪૦. પૃ. ૧૧૨૫.). यो हि गर्वमविवेकभरेण करिष्यते। बाधकं च जगतामनृतं च वदिष्यते ॥ नूनमत्र भव एव स तीव्रविडम्बना । प्राप्नुवीत निजपापभरेण भृशं जनः॥ પછી એક પદ્ય બેલી પાછા કેરસની પેઠે સર્વ ઉપરનું ધ્રુપદ– Page #183 -------------------------------------------------------------------------- ________________ મૂળ ગ્રંથની ભાષા અને શૈલી = ] ૧૪૧ ધુવક બેલે છે. એમાં રાસ ખરો જામે છે. એનો અંદરનો ભાવાર્થ પણ સુંદર છે અને ટીખળી લોકો એવા સંગમાં કેવી રમત કરે અને બીજાને ભેગે કેવો રસ મેળવે એને પણ ત્યાં ખ્યાલ આવે છે. એના કરસના સદર પદ ઉપરાંત ચારે કવિ બિભત્સરસના નમૂના છે. એ ચેથા કવનમાં તો ભારે રસ ઊભો કરે છે. યોગેશ્વર પોતે રાસના કુંડાળામાં આવી બેસે છે – न नतोऽसि पितृदेवगणं न च मातरं, कि हतोऽसि रिपुदारण ! पश्यसि कातरम् । नृत्य नृत्य विहिताहति देव! पुरोऽधुना, निपत निपत चरणेषु च सर्वमहीभुजाम् ॥ કહે છે કે બાજી! કઈ દિવસ બાપને નમ્યા નથી ! કે દિવસ માતાને નમ્યા નથી ! તો હવે રાંકડા કેમ બની ગયા ? જા બચ્ચા ! હવે ખૂબ નાચ અને સર્વ મહારાજાઓને પગે પડ! આમ બોલી રહે છે એટલે પાછા સર્વ સેનાનીઓ જે દિ ગર્વવિવેકમ વાર બોલીને આખું ધ્રુવપદ બોલતા જાય છે, એની ફરતાં ફેરા મારતા જાય છે અને સેટીએ ટકાવતા જાય છે અને પગની પાટુઓ અને લાતો લગાવતા જાય છે. આ સુંદર રીતે મહાગવષ્ટ રાજાની દશાનું જે ચિત્ર ખડું થાય છે તે કોઈ પણ સહુદય માનવી ઉપર અસર કર્યા વગર રહે તેવું નથી. આવી રીતે પદ્યરચનામાં અર્થ અને અલંકારના અનેક ચમત્કારે, કવિશ્રીએ ઠામ ઠામ કર્યા છે. દરેક પ્રસ્તાવને છેડે એમણે બહુ સુભાષિત રીતે પદ્યરચનાદ્વારા આખા પ્રસ્તાવને મુદ્દો અને ભાવ કહી દીધો છે અને તેની ભાષા પણ પ્રઢ છે. આવા ઘણાખરા દાખલાઓ ભાષાવતરણમાં લખી લીધા છે તેથી અત્ર તેનું પુનરાવર્તન કર્યું નથી. તે સ્થાનેથી જોઈ લેવા. અહીં કહેવાનું એ છે કે એ સર્વ મૂળના ટાંચણે જ્યાં જ્યાં કર્યા છે ત્યાં ત્યાં હેતુસર કર્યા છે અને તેને આ દષ્ટિએ વાંચવાથી ટાંચણ કરવાને આશય જરૂર પાર પડશે એ બાબત પર ધ્યાન ખેંચવાની આવશ્યક્તા છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ I કર્તાનું અનેકવિષયગ્રાહી જ્ઞાન શ્રી સિદ્ધર્ષિ ગણીએ અનેક વિષયાનુ જ્ઞાન પુસ્તકમાં બતાવ્યું છે. જે વિષયા લીધા છે તે બાબત સ ંક્ષેપમાં ઘણું બતાવી શકવાની કુશળતા તેમની કલમમાં છે. આવા પ્રતાપી લેખકા અહુ અલ્પ હાય છે. આના કેટલાક દાખલાઓ જરૂર બતાવવા યાગ્ય છે. એથી જણાશે કે તએ કેટલા વિષયાને ન્યાય આપી શકે છે. X X X ( ૧ ) ન્યાય. ( Logic ) (a) ન્યાયનું જ્ઞાન આખા ગ્રંથમાં ભારાભાર રજૂ થાય છે. એક પ્રસંગ ખાસ જોવા જેવા છે. ચેાથા પ્રસ્તાવમાં ષપુરનાં નિવૃત્તિમા અતાવતાં વિમ` મામા જે વાર્તા કરે છે ત્યાં ન્યાય ઉપરના લેખકને કાબૂ જણાય છે. પ્રમાણુ સબંધમાં તેમની પેાતાની પરિભાષા જોઇએ. ... ... તાજમહેતુઃ પ્રમાળમ્ । તચતુર્થાં । તદ્યથા । પ્રત્યક્ષાनुमानोपमानशब्दाः प्रमाणानि । तत्र प्रत्यक्षमिन्द्रियार्थसनिकर्षोत्पन्नं ज्ञानमव्यपदेश्यमव्यभिचारि व्यवसायात्मकं प्रत्यक्षम् । तत्पूर्वकं त्रिविधमनुमानम् । तद्यथा । पूर्ववत्शेषवत्सामान्यतो दृष्टुं च । तत्पूर्ववत्कारणात्कार्यानुमानं यथा मेघोनतेर्भविष्यति वृष्टिरिति । शेषवत्कार्यात्कारणानुमानं यथा विशिष्टान्नदीपूरदर्शनादुपरि वृष्टो देव इति । सामान्यतो दृष्टं नाम यथा देवदत्तादौ गतिपूर्विकां देशान्तरप्राप्तिमुपलभ्य दिनकरेऽपि सा गतिपूर्वकैव समधिगम्यते । प्रसिद्धसाधर्म्यात्साध्यसाधनमुपमानं यथा गौस्तथा गवय इति । आप्तोपदेशः शब्द आगम इत्यर्थः । तदेवमिदं चतुर्विधं प्रमाणमभिहितम् । www આ પદ્ધતિએ હકીકત આગળ નૈયાયિકદન માટે લખી છે. ન્યાયના અભ્યાસીને એ સમજાય તેવી છે. એના શબ્દા Page #185 -------------------------------------------------------------------------- ________________ એમનું અનેકવિષયગ્રાહી સાન ઃ | ૧૪૩ માટે જુઓ ૫, ૪. પ્ર. ૩૧. પૃ. ૧૦૨૭. એ વિભાગ એટલે અર્થસૂચક છે કે એના વિવેચન માટે આખું પરિશિષ્ટ નં. ૩ દાખલ કર્યું છે. (જુઓ દ્વિતીય વિભાગ પૃ. ૧૩૬૨ થી આગળ.) ત્યાં છ દર્શનનું જ સ્વરૂપ મૂળમાં આપ્યું છે તે તર્કની દષ્ટિએ વિચારવું. એનાં પ્રત્યેક લક્ષણ બહુ મુદ્દાસર આખ્યાં છે, જે બતાવે છે કે લેખક મહાશયને ન્યાયને અભ્યાસ ઘણે વિસ્તૃત હતો. મુદ્દાની વાત એમનો ન્યાયની પરિભાષા પરને કાબૂ કે સુંદર હતો તે તરફ ધ્યાન ખેંચવાની છે. (b) આઠમા પ્રસ્તાવમાં કાર્યસાધક કારણ સમાજનું આખું પ્રક રણ બહુ સારી રીતે તર્કની પરિભાષામાં મૂકયું છે. એમાં કનકેદરને સ્વપ્નમાં ચાર વ્યક્તિઓ આવે છે અને કુલંધરને પાંચ આવે છે તે પ્રસંગે ઉપસ્થિત કરીને નિર્મળાચાર્ય કેવળીદ્વારા પાપોદય, પુણ્યદય, કર્મ પરિણામ, કાળપરિણતિ, સ્વભાવ, નિયતિ અને ભવિતવ્યતાનું વર્ણન અજબ રીતે કર્યું છે. એમાં ખૂબી એ છે કે આખું પ્રકરણ ન્યાયનો વિષય છે છતાં સર્વ હકીકત ન્યાયની પદ્ધતિએ સમજાવવા છતાં ન્યાયની પરિભાષિક પરિભાષાનો ઉપયોગ એક પણ જગ્યાએ કર્યો નથી. એ વિષયની પરાકાષ્ઠા બહુ સુંદર રીતે ગ્રંથકારે આપ્યું છે. એ ગ્રંથકારને વિશાળ ભાવ અને શક્તિ બતાવે છે. એમનું ચિંતવન કેટલું સ્પષ્ટ છે તે બતાવવા એ વિભાગ બહુ સુંદર નમૂનો પૂરો પાડે છે. કારણામાં કર્મ, સ્વભાવ, કાળ વિગેરે આવ્યા એટલે ગુણધારણને સવાલ થયો કે આમાં પિતે તે કાંઈ ગણાતો જ નથી એટલે એણે પોતે ક્યાં છે? પિતાનું સ્થાન શું છે? એ પર સવાલ કર્યો. मयोक्तं " भगवन्नत्र विधातव्ये शुभाशुभे । किमकिञ्चित्करो वर्ते सर्वथाहं बतात्मना ॥" આ તદ્દન સ્વાભાવિક પ્રશ્ન છે. ગુરુમહારાજ કેવળી એને ન્યાયની ૧. જુઓ પ્ર. ૮. પ્ર. ૬. પૃષ્ઠ. ૧૯૧૧. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ [ શ્રી સિદ્ધષિ : લેખક પરિભાષા ન આવે તેવી રીતે પણ સંપૂર્ણ ન્યાયના ઉપયોગથી ભરપૂર જવાબ આપે છે – मूरिराह " महाराज ! मैवं मंस्थाः कदाचन । पग्विारस्तवामूनि भवानेवात्र नायकः ॥ તથાદિ भवतां योग्यतापेक्षं चेएन्ते सर्वकर्मसु । ने कर्मपरिणामाद्यास्त्वच्छुभाशुभहेतवः ॥ नतस्ते निजयोग्यत्वं प्रधानं भूप ! कारणम् । सुन्दरतरवस्तूनां ते पुनः सहकारिणः॥ राजन्ननादिरूढा सा विद्यते तव योग्यता । यया सम्पादितः सर्वः प्रपञ्चोऽयममूदृशः ॥ नया विना पुनः सर्वे सुन्दरेतरवस्तुएं । ते कर्मपरिणामाद्याः किं कुर्वन्तु वराककाः। ततस्त्वमत्र प्राधान्यात्कारणत्वेन गीयसे । सुन्दरेतरकार्याणां सर्वेषामात्मभाविनाम् ॥ આ પરિભાષામાં ઓજસ્ છે, તર્ક છે, વિચારણા છે અને ખુલાસે છે. એમાં પ્રાણના પુરુષાર્થને શું સ્થાન છે, એની ચેગ્યતા પર પાંચ કારણે કેટલો આધાર છે એ અસરકારક ભાષામાં આળખાયેલ છે. આવી અસાધારણ મહત્વની ન્યાયની વાર્તા બહુ સુંદર ભાષામાં સારી રીતે મૂક્યાનું કેશલ્ય ખરેખર અભિનંદનીય છે. આખા ગ્રંથમાં આવા અનેક પ્રસંગે આવે છે જે બતાવે છે કે લેખકનું ન્યાયનું જ્ઞાન ઘણું વિશાળ હતું અને એની પરિભાષાને તેઓ છૂટથી ઉપયોગ કરતા હતા. (૨) દશન. ... ... . (Philosophy) લેખક મહાશયનું છએ દર્શનનું જ્ઞાન ઘણું ઉત્તમ પ્રકારનું હતું. એને સીધો પુરા ચોથા પ્રસ્તાવનું ૩૧ મું પ્રકરણ પૂરા પાડે છે. ત્યાં તેઓશ્રીએ પહુરના નિવૃતિમાર્ગો પર જે ખડી ભાષામાં વિવેચન કર્યું છે તે તેના વિશાળ અભ્યાસ Page #187 -------------------------------------------------------------------------- ________________ એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ] ૧૪૫ અને અવલેાકનનુ પરિણામ છે. દાર્શનિક તરીકેની એમની ભાષાસમૃદ્ધિના દાખલા નુઆ:— ( ૩ ) લેાકાયત-નાસ્તિકેનાં મૂળ તત્ત્વનું વર્ણન કરતાં લેખક મહારાજશ્રી જણાવે છે કે— लोकायनैः पुनर्वत्स ! सा निर्वृतिनगरी नास्तीति प्रख्यापितं लोकायते । अमी ब्रुवते । नास्ति निर्वृतिर्नास्ति जीवो नास्ति परलोको नास्ति पुण्यं नास्ति पापमित्यादि । किं तर्हि पृथिव्यापस्तेजो वायुरिति तत्त्वानि तत्समुदाये शरीरेन्द्रियविषयसंज्ञा । तेभ्यश्चैतन्यं मद्याङ्गेभ्यो मदशक्तिवत् । जलबुद्बुदवज्जीवाः । प्रवृत्तिनिवृत्तिसाध्या प्रीतिः पुरुषार्थः । स च काम एव नान्यो मोक्षादिः । तस्मान्नान्यत्पृथिव्यादिन्यस्तत्त्वमस्ति दृष्टहान्यदृष्टकल्पनासम्भवादिति । प्रत्यक्षमेव चैकं प्रमाणमिति लोकायतमतसमासः । ' આની ભાષા વિચારવા ચેાગ્ય છે. એમાં વિશેષ ખૂબી એ છે કે એટલા શબ્દોમાં ચાર્વાકમતનુ` લગભગ સંપૂર્ણ નિરૂપણુ આવી જાય છે. ( b ) કુષ્ટિ દેવી એ મિથ્યાદર્શન સેનાપતિની પત્ની થાય. એ પતિ જેવા જ પરાક્રમવાળી છે. એના પાખડા બતાવવા લેખક મહાત્મા નીચેનાં નામે આપે છે તે તેમને વિશાળ અભ્યાસ અને અવલેાકન બતાવે છે. शाक्यादण्डिकाः शैवा गौतमाचरकास्तथा । सामानिकाः सामपरा वेदधर्माश्च धार्मिकाः ॥ आजीविकास्तथा शुद्धा विद्युहन्ताश्च चुञ्चुणाः । माहेन्द्राञ्चारिका धूमा बद्धवेषाश्च खुखुकाः ॥ उल्काः पाशुपाताः कौलाः काणादाश्वर्मखण्डिकाः । सयोगिनस्तथोलूका गोदेहा यज्ञतापसाः || घोषपाशुपताश्चान्ये कन्दच्छेदा दिगम्बराः । कामर्दकाः कालमुखाः पाणिलेहास्त्रिराशिकाः ॥ १. मेना अर्थ भाटे ५.४. प्र. ३१. ५. १०३१-२. ने परिशिष्ट उ. पू. १३८४-९. ૧૯ Page #188 -------------------------------------------------------------------------- ________________ १४६ [ श्री सिर्वि: : म: कापालिकाः क्रियावादा गोव्रता मृगचारिणः । लोकायताः शङ्खधमाः सिद्धवादाः कुलंतपाः ॥ तापसा गिरिरोहाश्च शुचयो राजपिण्डकाः । संसारमोचकाश्चान्ये सविस्थास्तथापरे ॥ अज्ञानवादिनो शेयास्तथा पाण्डुरभिक्षवः । कुमारप्रतिकाश्चान्ये शरीररिपवस्तथा ॥ उत्कन्दाश्चक्रवालाश्च पवो हस्तितापसाः । चित्तदेवा बिलावासास्तथा मैथुनचारिणः ॥ अम्बरा असिधाराश्च तथा माठरपुत्रकाः । चन्द्रोद्गमिकाश्चान्य तथैवोदकमृत्तिकाः ॥ एकैकस्थालिका मखाः पक्षापक्षा गजध्वजाः । उलूकपक्षा मात्रादिभक्ताः कण्टकमर्दकाः ॥ એ સર્વ મતામાં ભેદ ક્યાં કારણોથી પડે છે તે બાબતનું તેમનું પ્રથકકરણ વધારે મનનીય છે. તેનાં તેઓ સાત પ્રકાર मायतो वे छ । १ पलेह, २ पाहले (तृत्वाहि ), 3 देशभिन्नता,४६५लेह (लक्ष्यालयलेह), ५ भाक्षसह, विशुद्धिભેદ (પ્રાયશ્ચિત્તાદિ) અને ૭ વૃત્તિભેદ ( ઉદરનિર્વાહ કેમ કરવા તે)એ સાત કારણથી મતભિન્નતા થઈ છે. આ સાત કારણની તારવણ કરવાની પ્રથકકરણ શક્તિ મેં અન્યત્ર જોઈ નથી. મોટા મોટા દર્શનકારે ભેદ બતાવે છે, પણ એની જડ કયાં છે તે શોધી શક્યા નથી. આ સાત કારણેમાંના એક બે કે વધારેમાં મતભેદ એ દર્શનકારેની ભિન્નતાનું કારણ છે. આ સાત ભેદની ધ કરવાનું માન મારા જાણવા પ્રમાણે શ્રી સિદ્ધર્ષિને જ ઘટે છે. એ ઊંડા અભ્યાસ અને દાર્શનિક તરીકેની તેમની વિશિષ્ટતા બતાવે છે. એ સાતે મુદ્દા પરનાં તેમનાં દૃષ્ટાન્તો નીચે પ્રમાણે છે. देव-रुद्रेन्द्रचन्द्रनागेन्द्रबुद्धोपेन्द्रविनायकाः । नीजाकूतवशादेतैरिष्टा देवाः पृथक् पृथक् ॥ वाद-ईश्वरो नियतिः कर्म स्वभावः काल एव वा । जगत्कर्तेति वादोऽयं सर्वेषां भिन्नरूपकः ॥ Page #189 -------------------------------------------------------------------------- ________________ એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ] वेष - त्रिदण्डकुण्डिकामुण्डवल्कचीवरभेदतः । वेषः परस्परं भिन्नः स्फुट एवोपलक्ष्यते ॥ कल्प-कल्पोऽपि भक्ष्याभक्ष्यादिलक्षणः स्वधिया किल । अन्योऽन्यं भिन्न एवैषां तीर्थिनां बत वर्तते ॥ मोक्ष - विध्यातदी परूपाभः सुखदुःखविवर्जितः । एषां पाषण्डिनां भद्र ! मोक्षो भिन्नः परस्परम् ॥ विशुद्धि - निजाकृतवशेनैव विशुद्धिरपि तीर्थिकैः । अमीभिर्भद्र ! सत्त्वानां भिन्नरूपा निवेदिता ॥ वृत्ति - कन्दमूलफलाहाराः केचिद्धान्याशिनोऽपरे । वृत्तितोऽपि विभिद्यन्ते ततस्ते भद्र ! तीर्थिकाः ॥ આ સાત àાક ઉપર વિવેચન લખનાર હોય તે પુસ્તકા ભરાય એટલી એમાં વાત કરી નાખી છે. એના સાધારણુ અ વિવેચન માટે જુએ પ્ર. ૪. પ્ર. ૧૨. પૃ. ૮૬૦–૧. એ હકીકત અત્ર તેનુ દાર્શનિક તરીકેનું વિશાળ જ્ઞાન બતાવવા આપી છે. દાર્શનિક તરીકેના જ્ઞાન સાથે જ તેઓની પ્રથક્કરણ શક્તિ કેટલી ઊંડી છે એ પણ સાથે જ જોવા જેવુ છે. (૯) એમનું દાનિક તરીકેનું સ્પષ્ટ જ્ઞાન ગ્રંથના અંત ભાગમાં બહુ મજાનું દેખાઈ આવે છે. ત્યાં પુંડરીક મુનિ પરમ તત્ત્વ કર્યું ? એવા પ્રશ્ન કરતાં પેાતાને નાનપણમાં કેવા કેવા પ્રકારનાં તત્ત્વા જણાવાયાં હતાં તે કહેતાં પરમ તત્ત્વાના ભેદ જણાવી દે છે. તે તત્ત્વે નીચે પ્રમાણે છે. એના કયા મત સાથે મેળ કરવા એ અભ્યાસ અને અવલાયન ઉપર આધાર રાખે છે. એને મળતા અભિપ્રાયા અધુના પ્રચલિત છે એ અવલેકનકારા જોઈ શકશે. મારા મુદ્દો એના સત્યાસત્યાન્વેષણને નથી, પણ લેખકશ્રીનુ દાર્શનિક તરીકેનું વિશાળ જ્ઞાન બતાવવાના છે. તેએ તેમના સમયમાં નીચેના ‘ પરમ તત્ત્વા’ પ્રચલિત હેાચ એમ બતાવે છે— १ एके प्राहुर्यथा सर्व हिंसादि क्रियतामिति । केवलं वुद्धिलेपोऽत्र रक्षणीयो मुमुक्षुणा ॥ यतः । यस्य बुद्धिर्न लिप्येत हत्वा सर्वमिदं जगत् । आकाशमिव पङ्केन नासौ पापेन लिप्यते ॥ ૧૪૭ Page #190 -------------------------------------------------------------------------- ________________ १४८ [ श्री सिर्षि : • लेम २ अन्ये प्राहुर्यथा सर्व पापं कृत्वा हि मानवाः । मुच्यते क्षणमात्रेण ये स्मरन्ति महेश्वरम् ।। यतः । छित्वा भित्त्वा च भूतानि कृत्वा पापशतानि च । स्मरेदेकं विरूपाक्षं सर्वपापैः प्रमुच्यते ॥ ३ अन्यैस्तु पापशुद्धयर्थं विष्णुध्यानमुदाहृतम् । तद्धयशेषमलक्षालि यतः प्रोक्तमिदं वचः ॥ यतः । अपवित्रः पवित्रो वा सर्वावस्थं गतोऽपि वा । यः स्मरेत्पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरः शुचिः ॥ ४ अन्ये पापाशनं मन्त्रं प्राहुः पापनिबर्हणम् । ५ अन्ये वायुजय प्राज्ञाः प्राहुः मोक्षस्य साधनम् ॥ यथा। ध्यानेनोद्वर्तते यत्तत्पौण्डरीकं हृदि स्थितम् । विघाटितदलं रम्यं मनोलिसुखदं परम् ॥ तद्वारेण निलीयेत मनोलिः परमे पदे । तस्य यो लक्ष्यते नादस्तत्तत्त्वमपरे जगुः ॥ ६ तथान्ये पूरकं प्राहुः कुम्भकं रेचकं तथा । तस्यैव पुण्डरीकस्य पवनं प्रविघाटकम् ॥ ७ अन्ये प्राहुः पुनर्विन्दुं कुन्देन्दुस्फटिकप्रभम् । तिर्यगूर्ध्वमधश्चैव सर्पन्तं ज्ञानकारणम् ॥ ८ अन्ये परां शिखां प्राहुरूर्वाधो लेपितां किल । परमाक्षरमात्रा सा सैवामृतकलोच्यते ॥ नासाने धूलतामध्ये बिन्दुं देवमथापरे । तुषारहारधवलं ध्येयमाहुश्चलस्थिरम् ॥ आग्नेयमण्डले स स्यान्मीलिते रक्तवर्णकः । माहेन्द्रे पीतकः कृष्णो वायव्ये वारुणे सितः ॥ तत्र-पीतः सुन्दरचित्तेन रक्तस्तापेषु चिन्त्यते । कष्णोऽभिचारिके कार्य पुष्टिदो धवलो मतः ॥ ९ अन्येऽप्याहुर्यथा साध्यो नाडीमार्गो मुमुक्षुणा । इडापिङ्गलयो यं नाड्योः सञ्चारकर्म च ॥ Page #191 -------------------------------------------------------------------------- ________________ એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ] नाडीचक्रस्य विज्ञेयः प्रचारो दक्षिणेतरः । तद्द्वारेण च मन्तव्यं बहिष्कालबलादिकम् || १० पद्मासनं विधायोच्चैर्घण्टानादायनं कलम् । ॐकारोचारणं प्राहुरपरे शान्तिदायकम् ॥ तथान्ये प्राहुर्यथा । ११ आ नाभः सरलं प्राणं विसतन्तुसमं शनैः । मूर्धान्तस्तालुरन्ध्रेण निर्गच्छन्तं विचिन्तयेत् ॥ १२ आदित्यमण्डलस्थं वा वक्षोराजीवसंस्थितम् । आद्यं पुमांसमपरे तथा ध्येयतया विदुः ॥ १३ हृद्व्योम्नि संस्थितं नित्यं पुमांसं परमं तथा । लसदंशुशताकीर्ण ध्येयमाहुर्मनीषिणः ॥ १४ आकाशमात्रमपरे विश्वमन्ये चराचरम् । (१५) १६ आत्मस्थं चित्तमित्याहुरपरे ब्रह्म शाश्वतम् ॥ 1 આ દરેક અભિપ્રાયા અનેક અવલેાકન, અભ્યાસ અને પૃથક્કેરણનું પરિણામ છે. ઉપનિષદોના અભ્યાસ, દશનનેા પરિચય અને મુદ્દા શેાધી તને બહાર લાવવાની આવડતનુ એ પિરણામ છે. દર્શોનકાર તરીકેનું ગ્રંથકર્તાનું વિશાળ જ્ઞાન બતાવવા આટલા મુદ્દા પૂરતા ધાર્યા છે. બાકી તા આખા ગ્રંથમાં અવારનવાર એની છાયા આવ્યા કરે છે તે તે સ્થાનકે તેના નિર્દેશ કર્યા છે. X * * ( ૩ ) આયુવે દ—વૈદુ ( Medicine) લેખકનું અનેકવિષયગ્રાહી જ્ઞાન હતું તે અનેક રીતે અનેક ખખતમાં તરવરી આવે છે. વૈદકની બાબતમાં ખૂબી એ છે કે આખા વૈદ્યક ગ્રંથાના સાર તમણે એક સ્થાનકે બતાવી દીધા છે. મારે એક વિદ્વાન વૈધરાજ સાથે આ વિભાગ સબધમાં વાત થઈ. તેઓએ કહ્યું કે આ વિભાગમાં કુલ વૈદ્યક ગ્રંથના સંક્ષેપમાં મુદ્દામ રીતે કુલ સાર આવી ગયા છે. પ્રસંગ હરિકુમારની મન્મથ વ્યાકુ ળતાના હતા. છઠ્ઠા પ્રસ્તાવના ચાથા પ્રકરણમાં પૃ. ૧૫૦૯ થી ૧. એનું વિવેચન પ્ર. ૮, પ્ર. ૧૯. પૃ. ૨૦૪૦~૨ માં મળશે. ... ૧૪૯ www Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ [ શ્રી સિદ્ધર્ષિ : લેખક : કળિના મુખમાં આખું વૈદ્યક ગ્રંથનું_આયુર્વેદનું દેહન આપ્યું છે. ૧૫૧૫ પાને એ વિભાગ પૂરે થાય છે. એને અર્થવિભાગ બરાબર સમજીને લખ્યો છે અને શંકાસ્થાન પણ બતાવેલ છે. એમની ભાષાને રસ જાણવા આ વિભાગમાંથી કાંઈક ઉદ્ધરી અત્ર અસલ વાંચી લઈએ. (a) અજીર્ણના ચાર પ્રકાર કહ્યા: अजीर्णप्रभवा रोगास्तञ्चाजीर्णं चतुर्विधम् । आमं विदग्धं विष्टब्धं रसशेषं तथापरम् ॥ એના વર્ણનમાં કહે છે કે – आमे सदृशगन्धः स्याद्विदग्धे धूमगन्धता । विष्टब्धे गात्रभङ्गश्च रसशेषेऽन्नद्वेषता ॥ એના ઉપાય કહે છે आमेषु वमनं कुर्याद्विदग्धे चामलकं पिबेत् । विष्टब्धं स्वेदनं कुर्याद्रसशेषे तथा स्वपेत् ॥ અનેક વ્યાધિનું મૂળ–સર્વ વ્યાધિનું મૂળ અજીર્ણ હોઈ એની ચર્ચા ખાસ જરૂરી છે, પણ એના કરતાં નિદાન ઉપર ખાસ ધ્યાન આપવાની વાત બહુ મુદ્દાસરની કહી છે. વેષે શું તપાસવું? ___“ वैद्येन ह्यातुरं निरूपयता रोगनिदानमेवमुपलब्धव्यं । आदित एवातुरस्य समुपलक्षणीया प्रकृतिः, पर्यालोच्यं शरीरसारं, विचार्य संहननं, विज्ञातव्यं प्रमाणं, लक्ष्ययितव्यं सात्म्य, वेदितव्यं सत्त्वं, मन्तव्याहारशक्तिः, बोद्धव्यं व्यायामसौष्टवं, परिकलनीयं वयःप्रमाणमिति ॥ अन्यञ्च । सञ्चयं च प्रकोपं च प्रसरं स्थानसंश्रयम् । व्यक्तिभेदांश्च यो वेत्ति दोषाणां स भिषग्वरः ॥ એ ઉપરાંત જીતુભેદ, વાત, પીત્ત, કફના ભેદ, આદાનકાળ અને વિસર્ગકાળ સંબંધી મુદ્દામ ચર્ચા ખાસ મુદ્દામ શબ્દોમાં એવી રીતે કરી છે કે એવી ચર્ચા જે વેદ્યકજ્ઞાનને સંપૂર્ણ ખ્યાલ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ] હોય, અભ્યાસ હોય તે જ એ શબ્દમાં બની શકે તેમ છે. આ હકીક્ત કેઈ પણ નિષ્ણાત વૈદ્યરાજ હોય તે બરાબર કહી શકે. એવા અભ્યાસી વૃદ્ધ વૈદ્યના કહેવાથી મેં આ વિષયમાં તેમનું નિષ્ણતપણું અનુભવસિદ્ધ ગયું છે. એવી પરિભાષા જ પૂરા અભ્યાસ અને સમન્વયશક્તિ વગર રજૂ કરવી અશક્ય છે. (b) વૈદકના વિષયનું વિશિષ્ટ જ્ઞાન તેઓ એક બીજા પ્રસંગે પણ બતાવે છે. પ્રથમ પ્રસ્તાવમાં નિપુણ્યનું વર્ણન કરતાં જણાવે છે કે – सोन्मादः सज्वरः कुष्टी सपामः शूलपीडितः । निलयः सर्वरोगाणां वेदनावेगविह्वलः ॥ २६ ॥ (પ્ર. ૧. પૃ. ૧૬.) પછી એની ખરી મજા તો એના વર્ણનમાં-વિવેચનમાં આવે છે. (જુઓ પ્ર. ૧. પૃ. ૬૦.) यत्तून्मादादयस्तस्य द्रमकस्य रोगा निर्दिष्टास्तस्य जीवस्य महामोहादयो विज्ञयाः । तत्र मोहो मिथ्यात्वं तदुन्माद इव वर्तते समस्ताकार्यप्रवृत्तिहेतुतया, ज्वर इव रागः 'सर्वाङ्गीणमहातापनिमित्ततया, शूलमिव द्वेषो गाढहृदयवेदनाकारणतया, पामेव कामस्तीवविषयाभिलाषकण्डूकारितया, गलत्कुष्टमिव भयशोकारतिसम्पाद्यं दैन्यं जनजुगुप्साहेतुतया चित्तोद्वेगविधायितया च, नेत्ररोग इव अज्ञानं विवेकदृष्टिविघातनिमित्ततया, जलोदरमिव प्रमादः सदनुष्ठानोत्साहघातकतयेति । આમાં ખૂબી એ છે કે પ્રત્યેક વ્યાધિનાં ચિહ્નો એના નિર્દિષ્ટ સાદસ્યને પહોંચી વળે છે. વૈધકના ઊંડા જ્ઞાન વગર આવી સરળતા અને સામ્યતા આવવી અશકય છે અને વૈદકીય ભાષા પર કાબૂ એમની વિવિધતા બતાવવા માટે વજનદાર પુરાવો પૂરો પાડે છે. ત્યારપછીના દશ પાના વૈદકનાં જ્ઞાનથી ભરપૂર છે. પ્રત્યેક વ્યાધિની વ્યાખ્યાને જીવના વર્તન સાથે સરખાવતાં ભારે ચમત્કાર કર્યો છે. વળી વેધક વિષયના છૂટાં છૂટાં રૂપકે તે આખા ગ્રંથમાં એટલાં આવે છે કે તેને સંગ્રહ કરતાં પાર ન આવે. મતલબ એ છે કે Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ [ श्रीसिद्धर्षि: : सेम : વૈદ્યકના વિષયનું તેમનું વિશિષ્ટત્વ તેમણે ખતાવી આપ્યુ છે અને તે હકીકત તેમના જ્ઞાનની વિવિધતા ખતાવે છે. (૦) વેલ્લલની કથામાં સમયજ્ઞ નામના વૈધ આવે છે. (अ. ४. प्र. ११. पृ. ८२१. ) से अवाजा उभारने वैद्य સમજાવે છે— देव ! न युक्तं तव भोक्तुं । प्रबलज्वरं ते शरीरं वर्तते । यतोऽत्यन्तमातुराघूर्णते दृष्टिः । आताम्रस्निग्धं वदनकमलं । द्रगद्रगायेते शङ्खौ । धमधमायन्ते सन्धिस्थानानि । ज्वलतीव बहिस्त्वग् । दहतीव हस्तं । ततो निवर्तस्व भोजनात्। गच्छ प्रच्छन्नापवरके । भजस्व निवातं । कुरुष्व लङ्घनानि । पिब क्वथितमुदगं । समाचर विधिनास्य सर्वा प्रतिक्रियामितरथा सन्निपातस्ते भविष्यति । આ વાક્ય વાંચનાર વૈદકમાં જરા પણ કુશળ હાય તા લેખકશ્રીનું કાશલ્ય દીવા જેવુ સમજી શકે તેમ છે. નદી પણ કેવા કરી પાળનારા છે તે જુએ અને આપણા અનુભવ अभे लगा. साथै थेनी लाषानी सिद्धता पशु वियारो. (पृ. ८२२.) स तु वेल्लहलो दत्तदृष्टिः पुरतो विन्यस्ते तस्मिन्नाहार विस्तारे एतदेतच्च भक्षयामीति भ्रमयन्नपरापरेषु खाद्यप्रकारेषु स्वीयमन्तःकरणं नाकर्णयति तत्तदा वैद्यसुतभाषितं, नाकलयति तस्य हितरूपतां न चेतयते तं वारणार्थ लगन्तमपि शरीरे । ततो वारयतो वचनेन धारयतो हस्तेन तस्य समयज्ञस्य समक्षमेव बलात्प्रवृत्तो भक्षयितुमाहारं वेल्लहलः । ततः समुत्कटतयाऽजीर्णस्य प्रबलतया ज्वरस्य न क्रमतेऽसौ गलकेनाहारः । तथापि बलादेव क्रामित: कियानपि वेल्लहलेन । ततः समुद्धृतं हृदयं सञ्जातः कलमलकः सम्पन्नं वमनं विमिश्रितं च तेन वमनेन सर्वमपि पुरतो विन्यस्तं भोजनम् । આમાં પિરભાષા અને શબ્દ પરના અંકુશ ખરાખર જોવા જેવા છે. આ વાકય વાંચવાથી વૈદ્યકીય વિષયની લેખકશ્રીની પૂરતી માહિતી જણાયા વગર નિહુ જ રહે. (d) सेवन से प्रसंग अ. ४. अ. २३ भी रानडुभारना જન્મ-મરણને અંગે રિપુકંપનના સંબંધમાં આવે છે. લેાલાક્ષનુ Page #195 -------------------------------------------------------------------------- ________________ એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ] ૧૫૩ રાજ્ય રિપુકંપનને મળ્યું. તેને પુત્ર થયે, ખૂબ વધામણીઓ થઈ અને આખું રાજમંદિર ઝળઝળાયમાન થઈ ગયું. (પૃ. ૯૪૬.) નાટક અને રાસડા ચાલતા હતા ત્યાં સુતિકાગ્રહમાંથી મેટો કલકલાટ થો, દોડાદોડી થઈ સમજાયું કે ન જન્મેલ કુંવર એકદમ માં થઈ ગયેલ છે અને ગળે પ્રાણુ આવી ગયા છે. ત્યાં તે રાજાએ વૈદ્યમંડળ બેલાવ્યું. પૂછ્યું કે કુમારને શું થયું છે? વૈદ્યમંડળે જવાબ આપ્યો-(પૃ. ~૦.) ___ 'देव ! समापतितोऽस्य कुमारस्य सद्योघाती बलवानातंकः। स च प्रचण्डपवन इव प्रदीपमेनमुपसंहरति लग्नः पश्यतामेवाમા મનમાથાનાં ” नृपतिराह । 'भो भो लोकाः ! शीघ्रमुपक्रमध्वं यथाशक्त्या । कुमारं यो जीवयति तस्मै राज्यं प्रयच्छामि स्वयं च पदातिभावं प्रतिपद्येऽहं ।' तदाकर्ण्य सर्वादरेण लोकैः प्रयुक्तानि भेषजानि वाहिता मन्त्राः निबद्धानि कण्डकानि लिखिता रक्षा कृतानि भूतिकर्माणि नियोजिता विद्या वर्तितानि मण्डलानि संस्मृता देवता विन्यासितानि तन्त्राणि। तथा कुर्वतामपिच गतः पञ्चत्वमसौदारकः॥ આમાં સઘોઘાતી આંતક (જીવલેણ તાવ) અને મંદવાડ વખતે લેકે કેવા કેવા ઉપચાર, તંત્રો, જંત્રો કરતા હતા તેનું આબેહૂબ વર્ણન મળી આવે છે. એની પરિભાષા વિચારવા ગ્ય છે અને સિદ્ધવૈદ્ય અને અનુભવી અવલોકનકારના મુખ વગર અન્યત્ર અલભ્ય છે. (પ્ર. ૪. પ્ર. ૨૩. પૃ. ૫૦–૧.) (૪) જોતિષ-ફલાદેશ વિભાગ.............( Astrology) આર્યાવર્તમાં તિષને વિષય પ્રથમથી ઘણે આકર્ષક મનાય છે. ભવિષ્ય જાણવાના જ્ઞાનનો અભાવ, ભવિષ્ય જાણવાની જિજ્ઞાસા અને આશાસ્ત્રને અવલંબન કરતું જીવન એનું કારણ છે. એને લઈને અષ્ટાંગ નિમિત્તો-ભવિષ્ય જાણવાનાં સાધને લેક ઘણુ મહત્વના ગણે છે. અનેક વિભાગો પૈકી ક્યા નક્ષત્ર, એગ કે રાશિમાં અમુક પ્રાણીને જન્મ થયેલ છે અને તેને બીજા ગ્રહો કેવી અસર કરશે એ વિભાગને જ્યોતિષને ફલાદેશ વિભાગ ગણવામાં આવે છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી સિદ્ધર્ષિ ઃ : લેખક સાહ્લાદ નગરે જીમૂત રાજાને ત્યાં સંસારીજીવને જન્મ થાય છે ( પ્રસ્તાવ ૭), એ પ્રસંગને લાભ લઇ જ્યાતિષના આ વિષય ગ્રંથકર્તા જણાવી દે છે. એ પણ જ્યાતિષ ગ્રંથના સાર જેવા વિભાગ છે. પ્રથમ કેટલી ચીવટથી જોશી મહારાજને પ્રશ્નોત્તર થાય છે તે જોઈએ. ૧૫૪ જીમૂતરાજ પૂછે છે:—નિવેદ્યસ્વાર્થ માઽન્મનક્ષત્રણ શીશી ग्रहावलोकनेति ? જોશીરાજ સિદ્ધાર્થ કહે છે:ચવાશપતિ મેષ: 1 સમાજળત તાવત્। આચમાનમ્ સંવત્સરઃ । તુઃ જિ: । માલ: જાતિ तिथिर्द्वितीयेतिभद्रा | वारो ब्रहस्पतिः । नक्षत्रं कृतिका । राशिर्वृषः । योगो धृतिः । सौम्यग्रहनिरीक्षितं लग्नं । उच्चस्थानस्थिताः सर्वे ग्रहाः । ऊर्ध्वमुखा होरा । एकादशस्थानस्थिता शुभेतराः पापग्रहा इति । । ત્યારપછી રાશિ શી ચીજ છે અને એના ગુણ શું છે તે વિગતવાર જોશીમહારાજ રાજાને કહે છે. એનું વર્ણન પૃ. ૧૬૫૦-૫૪ સુધીમાં ( પ્ર. ૭. પ્ર. ૧ માં ) આપ્યુ છે. એમના ભાષા પરના કામૂ બતાવવા એક રાશિફળ મૂળગ્રંથમાં આપ્યુ છે તેને નિર્દેશ કરીએ. સિંહરાશિમાં જન્મેલ માટે કહે છે કે :~ क्षमी मानी क्रियायुक्तो वत्सलो मद्यमांसयोः । देशभ्रमणशीलश्च विनीतः शीतभीरुकः ॥ क्षिप्रकोपी सुपुत्रश्च जननीजनकप्रियः । व्यसनी प्रकटो लोके सिंहे जातो मनुष्यकः ॥ पञ्चाशत्को म्रियेतासौ यदि वा शतिको मधौ । मघासु जीवितं मुञ्चेत्पुण्यक्षेत्रे शनैश्वरे ॥ આ જમાનામાં પેાતાની રાશિ જોઇને આ રાશિઓના લાદેશની વાતે લેાકેા ન માને અથવા અસત્ય માને એ બનવાજોગ છે. લેખકના સમયમાં પણ શંકા થતી જ હશે તે માટે જોશી મહારાજે પ્રથમથી જ કહી દીધું છે કે ज्योतिर्ज्ञानं निमित्तं च यश्चान्यदपि तादृशम् । अतीन्द्रियार्थे तच्छास्त्रं सर्व सर्वशपूर्वकम् ॥ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ] ततोऽत्र व्यभिचारः स्यात् केवलं नरदोषतः। विभागं हि न जानीते शास्त्रस्याल्पश्रुतो नरः ।। આવી રીતે જ્યાં મેળ ન ખાય ત્યાં પિતે અલ્પશ્રુત છે, એના વિભાગ–પેટાવિભાગ પિતે સમજતો નથી એમ જાણવું. એ સર્વ વાત સર્વજ્ઞોએ પોતાના શિષ્યોને કહેલી છે. એમાં “જે તે” ઘણું આવે છે એટલે જ્યાં મેળ ન ખાય ત્યાં “જે” ઉપર જવાનું જણાય છે. પછીના જ લેકમાં કહે છે કે – क्रूरग्रहैर्न दृष्टाश्चेद्बलवन्तश्च राशयः । __ ततोऽमीषां गुणाः सत्या नान्यथेत्यवधारय ॥ રાશિઓ બળવાન હોય અને જે તેના ઉપર ક્રૂર ગ્રહની નજર ન પડી હોય તો ઉપર લખેલા ગુણે બરાબર સાચા પડે છે એમાં જરા પણ શક નથી. આ પ્રમાણે વાત કરી છે એટલે રાશિ જ્યાં પોતાના ગુણ ન બતાવે ત્યાં ક્રૂર ગ્રહોની નજર આડી આવતી હશે એમ સમજવું. અંગત અનુભવથી આ ઘણે ચર્ચા યોગ્ય વિષય છે. એમાં લાગે ત્યાં તીર નહિ તે થોથું” જેવું થતું હશે કે કેમ ? એવી પણ કેટલાકે શંકા કરે છે. એ અતિ રસપ્રદ વિષયને આ ઉપઘાતમાં સ્થાન નથી. અત્ર વકતવ્ય એ છે કે ગ્રંથકર્તા પોતે આ જ્યોતિષના વિષયના પૂરતા અભ્યાસી છે, એની પરિભાષા સમજી શકે છે અને વાપરી શકે છે. આ ટૂંકા લેખમાં આખા જ્યોતિષ વિષયનું પલ્લવગ્રાહી જ્ઞાન (superficial view ) આવી જાય તેવું મુદાસરનું લખાણ કરી શકે છે. એક લેખકને સર્વગ્રાહી બતાવવા માટે આ ઘણી ગૌરવ લેવા જેવી હકીક્ત ગણાય. જૈન શાસ્ત્રકાર જ્યોતિષના ફલાદેશ વિભાગનો ઉપગ સાધુને કરવા ઉત્તેજન આપતા નથી. માત્ર મહાન ધર્મક્રિયાને અંગે ઉપયોગ કરે છે એટલે એમણે મુદ્દાસર ટૂંકામાં પતાવ્યું જણાય છે; પણ જે થોડી વાત તેમણે જણાવી છે તે પરથી તેમને તિષના વિષયમાં સારે પ્રવેશ જણાઈ આવે છે. ૫. સામુદ્રિક-નરનારી શરીર લક્ષણ (Body mark Reading) ગમે તેવો વિચારવાન વિદ્વાન મનુષ્ય જે વિભાગ વાચતાં કે સાંભળતાં પોતાનાં નખ કે હાથનાં તળી વિગેરે તપાસ્યા વગર Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ [ શ્રી સિહર્ષિ ઃ લેખક : ન રહે તે આ વિભાગ છે. કાચમાં મુખ જોતાં સમજુ પણ ચાળા કરતાં દેખાય છે. એ પાઘડીને ઠીક કરશે, મુખને મલકાવશે અને કાંઈક વાંકું તેવું જરૂર કરશે એવો આ વિભાગ છે. નરનારીનાં શરીરલક્ષણને સામુદ્રિક કહેવામાં આવે છે. એમાં પગનાં તળીઆથી માંડીને માથાના બાલ સુધીના સર્વ અંગ પ્રત્યંગની સ્થૂળતા, રંગ આદિ પરથી એ મનુષ્ય કેવું હશે એના પર વિવેચન કર્યું છે. એનાં પગનાં તળી, નખ, પગની જાડાઈ, જંઘાનું કદ, ગતિ, ઢીંચણ, પુરુષચિહ્ન, વૃષણ, કેડ, પેટ, કુક્ષી, ડુંટી, છાતી, પીઠ, હાથ, હથેળી, સ્કંધ, ગળું, હોઠ, દાંત, જીભ, તાળવું, સ્વર, નાક, આંખ, ભમ્મર, કાન, કપાળ અને બાલના રૂપરંગાદિ પરથી એ કેવા હશે એનું અવલકન પરિણામ બતાવ્યું છે. પછી કેટલી ચીજે ગંભીર સારી, કેટલી વિસ્તૃત સારી, કેટલી સૂક્ષ્મ સારી વિગેરે પર વર્ણન આપ્યું છે. આ સર્વ વિભાગ પ્રત્યેકને લાગુ પડતો હાઈ ઘણું રસપ્રદ છે. એના પર અનેક ગ્રંથો લખાયેલા છે. રામદેવ અને વિમળકુમાર (પ્ર. ૫. પ્ર. ૨.) કીડાનંદન વનમાં ગયા છે. ફરતાં ફરતાં તેઓએ લતામંડપમાં મધુર અવાજ સાંભળ્યો (પૃ. ૧૧૯). કુતૂહલથી મિત્રો એ અવાજ તરફ ગયા ત્યાં એક સુંદર સ્ત્રી-પુરુષનું જોડલું જોયું. એમને પ્રણયસમય હતું અને એ વાર્તામાં મસ્ત હતા. એમને નખથી શીખસુધી જોઈ અને મિત્રો પાછા ફર્યા. એ પ્રસંગ લઈને નરનારીનાં શરીરલક્ષણનું વર્ણન વિમળે કર્યું છે. એ શાસ્ત્રનું વર્ણન કરવાને ઉપઘાત કરતાં વિમળકુમાર જણાવે છે. लक्षग्रन्थसमाख्यातं विस्तरेण वरानन !। पुंलक्षणं झटित्येव कस्तद्वर्णयितुं क्षमः॥ तथैवलक्षणं नार्या विज्ञेयं बहुविस्तरम् । तद्वर्णनं हि को नाम पारयेत्कोऽवधारयेत् ॥ વચ્ચે સુલક્ષણ કુલક્ષણને અંગે તે જ કુમાર કહે છે – लक्ष्यते दृष्टमात्रस्य नरस्येह शुभाशुभम् । येन तल्लक्षणं प्रोक्तं तवेधा सुन्दरेतरम् ॥ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ मेमर्नु भने विषयमाडी शान : ] ततः सर्व समासेन सुखदुःखनिवेदकम् । शरीरसंस्थितं चिह्न लक्षणं विदुषां मतम् ॥ तेनापलक्षणस्यापि यदिदं प्रतिपादनम् । युक्तं तद्भद्र ! जानीहि प्रस्तुते नरलक्षणे ॥ આવી રીતે એ વિષય સર્વ લેકેને રસપ્રદ થાય છે. એમાં અપલક્ષણનો પણ સમાવેશ થઈ જાય છે. અમુક શરીરલક્ષણવાળા ખૂની, દ્વેષી, લુચ્ચા હોય છે અને ફોજદારી ગુન્હા શોધકખાતું તેમને તુરત પારખી શકે છે. આંખ, કાન, નાક, હડપચી એ સર્વના આકાર અંદરના ગુણને બતાવનાર છે. એમની એ સંબંધી ભાષા કેવી સરલ છે તે જોવા તેમને કાંઈક પરિચય કરાવીએ. બાહુ-હાથ માટે લખતાં કહે છે કે – उद्बद्धबाहवो दुष्टा दासास्तु लघुबाहवः। प्रलम्बबाहवो धन्याः प्रशस्ता दीर्घबाहवः॥ (अ. ५. प्र. २. पृ. ११५४) સ્વર માટે કહે છે– हंससारसनादानुकारिणः सुस्वरा नराः। भवन्ति सुखिनः काकखरनादास्तु दुःखिताः॥ (पृ. ११५६) દષ્ટિ માટે બહુ વાંચવા જેવી વાત કરે છે. नीलोत्पलदलच्छाया दृष्टिरिष्टा मनस्विनाम् । मधुपिङ्गाप्रशस्तैव पापा मार्जरिसन्निभाः॥ सदृष्टिजिह्मदृष्टिश्च रौद्रदृष्टिश्च केकरा। दीनातिरिक्तारुक्षा च पिङ्गला च विगर्हिता ॥ इन्दीवरामा धन्यानां गम्भीरा चिरजीविनाम् । विपुला भोगिनां दृष्टिरुच्छला स्तोकजीविनाम् ॥ काणाद्वरतरोऽन्धः स्यात्केकरादपि काणकः। वरमन्धोऽपि काणोऽपि केकरोऽपि न कातरः॥ अबद्धलक्ष्या सततं घूर्णते कारणं विना । रूक्षामा ग्लानरूपा च सा दृष्टिः पापकर्मणाम् ॥ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ [ શ્રી સિહર્ષિ લેખકઃ अधो निरीक्षते पापः सरलं ऋजुरीक्षते। उर्व निरीक्षने धन्यस्तिरश्चीनं तु कोपनः। (પૃ. ૧૧૫૭) આની સાથે જાતિઅનુભવ સરખાવવા ગ્ય છે. માથાના વાળ સુધી નરલક્ષણ બનાવી પછી વળી જાડા, લાબા, ક્યા સારા વિગેરે વિશેષણે સાથે અંગપ્રત્યંગ બનાવ્યા છે. उगेमुखललाटानि पृथूनि सुखभागिनाम् । गम्भीगणि पुनस्त्रीणि नाभिः सत्वं स्वरस्तथा ॥ (પૃ. ૧૧૫૯) વળી ધનસુખ લેગ વિગેરેનાં સ્થાને પણ બતાવ્યાં છે. अस्थिष्वर्थाः सुखं मांसे, त्वचि भोगाः स्त्रियोऽक्षिषु । गतौ यांनं, स्वरे चाज्ञा, सर्व सत्वे प्रतिष्ठितम् ॥ (પૃ. ૧૧૫૯-૬૦ ) આ સામુદ્રિક વર્ણન કરીને સત્ત્વસંવર્ધન ઉપાય બતાવ્યો છે. તમાં તેમણે જ્ઞાન, વિજ્ઞાન, ધૈર્ય, સ્મૃતિ, સમાધિ, બ્રહ્મચર્ય, દયા, દાન,નિઃસ્પૃહતા, તપ, ઉદાસીનતાને સત્ત્વનાં કારણ તરીકે ગણાવ્યાં છે. પછી નારીશરીરનાં લક્ષણોનું વર્ણન કરતાં પગથી જંઘા સુધીનું વર્ણન કરીને અતિ આશ્ચર્યજનક રીતે એ ચાલતો વિષય પડતું મૂકી દીધો છે. તે વખતે ભયંકર આકાર ધારણ કરનારા બે પુરુષો આકાશમાં ઊડતાં અને એ જેડલું કલ્લોલ કરતું હતું ત્યાં ઉતરતાં જણાયા. બનને વચ્ચે બેલચાલ થઈ અને આકાશમાં યુદ્ધ ચાલ્યું (મ, ૫. પ્ર. ૩ પૃ. ૧૧૬૪–૫). વાત વચ્ચેથી અટકી પડી. ગમે તે કારણે ચાલતો વિષય છોડી દીધો છે, ઘણી અજબ રીતે છોડી દીધો છે, રસમય વિભાગ છોડી દીધો છે. મારું એમ માનવું છે કે આ વિભાગ લખવો સાધુની દષ્ટિએ લેખકને ઉચિત લાગે નહિ હોય, સાધુ સ્ત્રીઓનાં અંગપ્રત્યંગનું વર્ણન કરે એ અનુચિત લાગ્યું હશે. ગમે તેમ હોય પણ સકારણ આ આખો બાકીન વિભાગ લો રહી ગયો છે. છતાં જેટલો ભાગ લખાય છે તે પરથી સામુદ્રિકના વિષયમાં શ્રીસિદ્ધર્ષિ ગણીને અભ્યાસ ઘણે સારો દેખાઈ આવે છે. એમની Page #201 -------------------------------------------------------------------------- ________________ એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ] ૧૫૯ ભાષાની સરળતા અને સફળતા અપૂર્વ છે અને થાડા શબ્દોમાં વિચારો બતાવી દેવાની શૈલી અનુકરણીય છે. સામુદ્રિકના અન્ય ગ્રંથા સાથે મેં એ વિભાગને સરખાવી જોયા છે અને મને જણાયુ છે કે લેખકનું એ વિષયમાં અપૂર્વ જ્ઞાન હતુ એવા ઝળકાટ એમણે જે મુદ્દાસરની મીત વાર્તા કરી છે તે પરથી ચાક્કસ જણાઇ આવે છે. આ વિષયના અનેક ગ્રંથાનુ દાહન કરીને તેમણે સામુદ્રિક ગ્રંથાના પાણા ભાગના સાર આપ્યા છે. આખા આપ્યા હાત તે વિજ્ઞાનની નજરે વધારે ઉપયાગી થાત. જે ભાગ આપ્યું છે તે પરથી તેમનુ વિષયને ટુંકાણમાં મુદ્દાસર રીતે ખતાવવાનું અદ્ભુત લેખનકૃત્ય ખરેખર પ્રશંસાપાત્ર છે. આવા નિમિત્તના વિષયે પેાતાની માન્યતાને અનુરૂપ થાય છે કે કેમ તે ષ્ટિએ જોવાનું નથી. લેખક એ વિષયને કેવી સુંદર રીતે ઝળકાવી શકે છે તે વાત ખાસ વિચારવાની છે. અને એ બાબતમાં લેખક અવલ ૫ક્તિમાં પદ પ્રાપ્ત કરે છે એ વાત ખારીકીથી મૂળ લેખ તપાસતાં જણાઇ આવે તેમ છે. X * X (૬) નિમિત્તશાસ્ત્ર. અષ્ટાંગ નિમિત્ત ગણાય છે. એટલે ભવિષ્ય જાણવા માટે આઠ પ્રકારનાં નિમિત્તો જુદી જુદી રીતે વણુ બ્યાં છે. એ સંબંધી કેટલાંક પુસ્તકા પણ છપાયાં છે. જૈન શાસ્ત્રકાર પણ એ વાત કવચિત્ બતાવે છે. પ્રવચનસારાદ્ધાર ગ્રંથના ૨૫૭ મા દ્વારમાં એના આઠ પ્રકાર આ રીતે વર્ણ વ્યા છે:—— ... ૧. અ'ગ-શરીરના અંગે માથું, આંખ, પગ ફરકે તેના લાભાલાભ. સ્ત્રી–પુરુષને ૨. સ્વપ્નસ્વપ્નમાં અમુક ચીજ દેખે, અમુક સમયે દ્વેષે તેનાં ફળની વિચારણા. ૩. સ્વર-તિિદ સાત પ્રકારના સ્વર તથા ગાય, ગધેડા અને સ્ત્રીના શબ્દથી ભવિષ્ય નિણૅય. ૪. ઉત્પાત અંગારાની વૃષ્ટિ, હાડ, માંસ વિગેરેની વૃષ્ટિરૂપ ઉત્પાત જોઈ ભવિષ્યના ભયના નિણું ય. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ [ શ્રી સિહર્ષિ :: લેખક : ૫. અંતરિક્ષ-આકાશમાં અમુક ગ્રહચાર થાય તેના બળાબળને વિચાર કરી ભવિષ્યકથન. ૨. ભેમ-ભૂમિકંપ, જમીનમાંથી અવાજ નીકળે વિગેરે જમીનની હકીક્તથી ભયકથન. છે. વ્યંજન-તલ અને મસાના શરીર પર સ્થાન જોઈ લક્ષણ બાંધવું તે. ૮. લક્ષણ-શરીર પર સ્વસ્તિક, ધ્વજા વિગેરેનાં ચિહ્ન અથવા રેખાના વિચારથી ગુણવર્ણન. આ ઉપરાંત બીજી રીતિએાએ પણ ભવિષ્યકથન કહેવાનું વિજ્ઞાન અસલ કાળમાં પ્રચલિત હતું. નિમિત્તશાસ્ત્રને આય એક પ્રકાર છે. “આય” સંબંધી વિદ્યા ભુંસાતી જાય છે એટલે કેઈ આય જાણનારને જાતે મળ્યા વગર એની પરિક્રિયા માલૂમ પડે તેમ નથી. એમાં આઠ આય હાય છે. ધ્વજ, ધૂમ, સિંહ, શ્વાન, બળદ, ખર, હાથી અને કાગ. એનું વર્ણન જોવા માટે એની વિગત જુઓ (પ્ર. ૧. પ્ર. ૫. પૃ. ૧૫૧૯-૨૧) એ આઠે પ્રકારની આયના આઠ પ્રકારના બળ હોય છે તેથી નીચેની હકીક્તો જાણી શકાય છે. ૧. અમુક હકીક્ત કેટલામે દિવસે બનશે (કાળ) ૨. તે હકીકત ક્યા વારે (અઠવાડિયાના) બનશે. (વાસર). ૩. તે બાબત કેટલા વાગે (કેટલામે ચેઘડીએ કે પહેરે થશે. (વેળા) ૪. તે ચોઘડીયામાં પણ કેટલી પળ–વિપળ ગયે બનશે. (મુહૂર્ત.) ૫. એ વાત કઈ દિશાએ બનશે. (દિશા-વિદિશા). ૬. એ વખતે ચંદ્રનક્ષત્રનું બળ કેવું રહેશે (નક્ષત્ર). ૭. એ વખતે જેનું નિમિત્ત જેવાય છે તેનું ગ્રહબળ કેવું રહેશે (ગ્રહબળ). ૮. થવાની હકીકતનું પોતાનું બળ કેવું રહેશે (નિસર્ગબળ) એના સંબંધમાં લેખકશ્રી કહે છે કે – Page #203 -------------------------------------------------------------------------- ________________ એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન :] ૧૬૧ ध्वजो धूमस्तथा सिंहः, श्वा बलीवर्द इत्यपि। खरो गजेन्द्रो ध्वांक्षश्च, अष्टायाः परिकीर्तिताः ॥ एतेषां चाष्टानामप्यायानामष्टविधं बलं भवति । तद्यथा कालावसरवेलानां, मुहूर्तककुभोस्तथा । नक्षत्रग्रहयोश्चैव, निसर्गबलमष्टमम् ॥ એ પ્રત્યેક આય એક ઉપર બીજો આવે, તેના ફળ આઠે બાબતને અંગે કેવા થાય એ વાત ત્યારપછી બતાવી છે. આય નિમિત્તશાસ્ત્રને પારિભાષિક શબ્દ છે. મને આ આય વિભાગનું દાર્શનિક બિલકુલ જ્ઞાન નથી, છતાં જે થોડી વાત ગ્રંથકર્તાએ લખી છે તે વાંચતાં એમ જણાય છે કે તેમને આય સંબંધી શાસ્ત્રનું જ્ઞાન પણ ઘણું સારું રહેવું જોઈએ. એમના સામાન્ય અન્ય વિષયના જ્ઞાનને આધારે આ નિર્ણય પર હું આવ્યો છું. જે ડી હકીકત બતાવી છે તેથી એમ જણાય છે કે આ શાસ્ત્ર પણ ઘણું છુંચવણવાળું હોવું જોઈએ. આપણે લેખકને લેખક તરીકે અત્ર સમજવા પ્રવર્તમાન થયા છીએ ત્યાં તો એટલું જ જણાવવું પૂરતું થશે કે એમણે આયશાસ્ત્રના વિષયમાં પણ ઘણે કાબૂ બતાવ્યો છે. ટૂંકામાં મુદ્દાની વાત કરી છે અને જે સર્વગ્રાહી અભ્યાસી તરીકે એમની ગણના અગાઉ કરી છે તેને આ એક વધારે પ્રરાવે છે. મહાન દાર્શનિક અને અદ્દભુત શાસ્ત્રાભ્યાસી જ્યારે આવા આવા સમાજને ઉપયોગી પરંતુ સરખામણીમાં અ૯૫ ઉપગવાળા વિષયમાં પણ સંપૂર્ણ સારગ્રાહીતા અને નિષ્ણાતપણું બનાવે ત્યારે એમના જ્ઞાનની વિવિધતા જરૂર હૃદય પર અસર કર્યા વગર રહે નહિ. એ નજરે આ વિભાગ પણ ખરેખર આશ્ચર્ય પમાડે તેવો છે. એમાં સમયને કેવી યુક્તિથી પળવિપળ સુધી લઈ આવવાની રચના ઘડી છે તે વિચારવા યોગ્ય છે. આયશાસ્ત્ર સમજનાર આ વિષયમાં વધારે પ્રકાશ પાડે તે ઈચ્છવા ગ્યા છે. વિષય નવરાશના વખતમાં આનંદ પમાડે તેવા અને લેખકના અનેકવિધ જ્ઞાન માટે માન ઉત્પન્ન કરે તેવો છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ [ શ્રી સિહર્ષિ : લેખક : ૭ સ્વપ્નશાસ્ત્ર- .. .. (Science of Dreams). સ્વપ્નવિચાર અષ્ટાંગ નિમિત્તને એક ભાગ છે. અત્યારે પણ સ્વપન શી ચીજ છે તે સંબંધમાં અનેક ચર્ચા ચાલે છે. માનસશાસ્ત્રના અભ્યાસીઓ અને નિર્ણય કરવા અનેક ચર્ચા કરે છે અને અભિપ્રાયો ગોઠવે છે. સ્વપ્નવિચાર પર અનેક શાસ્ત્રો લખાયેલાં છે. તીર્થકર મહારાજની માતા ચાદ સ્વપ્ન દેખે છે તે પ્રસંગને લઈને જન શાસ્ત્રકારોએ સ્વપ્નના સંબંધમાં બહુ લખ્યું છે. કેવા પ્રકારનું સ્વપન આવે ત્યારે અમુક ફળ થાય ત પર હજારો પંક્તિઓ આળેખી છે. કયે સમયે આવે ત્યારે તેનું ફળ ક્યારે મળે ? એક સ્વપ્ન પછી બીજુ આવ તા કાનું ફળ મળે? વિગેરે પર અનેક ઉલેખો થયા છે. અને ખૂદ તીર્થકર ને ચક્રવત્તાની માતાને ચાદ મહાસ્વને આવે છે તેમજ બીજા મહાપુરુષોની માતાને એક, બે, ચાર કે સાત સ્વપ્ન આવે છે. એનો ઉલ્લેખ શાસ્ત્રમાં થયેલો હાઈ પ્રત્યેક થતા એ સંબંધમાં કાંઈકાંઈ હકીકત જરૂર જાણતા હોય છે. તદ્દન સામાન્ય ઉલ્લેખ કરે એવા સામાન્ય પ્રતિના લેખક શ્રી સિદ્ધર્ષિ નહોતા. એમને સ્વપ્નવિચાર તે હદયંગમ હતો, પણ એમને સ્વપ્નવિચારને ઉપગ એક અતિ મોટા પ્રશ્નને નિર્ણય કરવામાં કરવો હતો એટલે આ વિષયમાં તેમણે તદ્દન જુદી જ દિશા(લાઈન) લીધી જણાય છે. સ્વપ્નવિચારમાં સ્વપ્નમાં હાથી આવે તે અમુક ફળ થાય અને ઘેડો આવે તો અમુક ફળ થાય એ વાર્તા તેમણે ન કરતાં કનકદર વિદ્યાધરને પિતાની પુત્રી મદનમંદરી માટે પતિશોધનની ચિંતા ઉત્પન્ન કરી. પ્રથમ એને માટે સ્વયંવર ર તે ભાંગી પડ્યો, પિતા કનકેદરને દુઃખ થયું અને આખી રાત પથારીમાં પછાડા માર્યો. લગભગ સવારે તેના સ્વપ્નમાં ચાર મનુષ્યબે પુરુષ અને બે સ્ત્રી આવ્યા અને કહી ગયા કે તેમણે મદનમંજરી માટે વર શોધી રાખે છે. આ હકીક્ત અહીં રહી ગઈ, પણ મદનમંદરી કોણ છે એની વિગતવાર વાર્તા સંસારીજીવ– ગુણધારણને જ્યારે દાસીએ કહી ત્યારે સાથેસાથે આ વાર્તા પણ કહી દીધી હતી. (પૃ. ૧૮૬૪). ૧. પ્ર. ૮. પ્ર. ૨. પૃ. ૧૮૬૪. Page #205 -------------------------------------------------------------------------- ________________ એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ] ૧૬૩ પછી ગુણધારણ-મદનમંજરીના લગ્ન થઈ ગયા, લડવા આવેલા વિદ્યારે સ્તંભી ગયા અને નગરપ્રવેશ આનંદથી થયો. તે રાત્રે કુલંધરના સ્વપ્નમાં પાંચ મનુષ્યો આવ્યા અને તેમણે ગુણધારણને જે સારું થાય છે તે સર્વનાં કારણ તરીકે પોતાને બતાવ્યાં. કુલધર મિત્રે એ વાર્તા ગુણધારણને કહી. એ ચાર મનુષ્ય કનકેદર રાજાના સ્વપ્નમાં આવનાર છે અને એ પાંચ મનુષ્યો કુલંધરના સ્વપ્નમાં આવનાર કેણ ? એ બાબત સમજવાની તીવ્ર જિજ્ઞાસા ગુણધારણને થઈ સભાજનેએ ઉપરટીઆ થોડી વાત કરી (પૃ. ૧૮૮૫) પણ એથી ગુણધારણને પૂરે સંતોષ થયે નહિ. કંદમુનિને પૂછતાં તેમણે કેવળી શ્રી નિર્મળાચાર્યને હવાલો આપ્યો (પૃ. ૧૮૯૪.). છેવટે પ્ર. ૫. પ્ર. ૫ માં કેવળી મહારાજ જ્યાં પધારે છે ત્યાં આ મુદ્દા પર ખૂબ વિચાર ચાલે છે અને અમુક કાર્ય થવામાં કાળ, સ્વભાવ, કર્મ, ઉદ્યમ અને ભવિતવ્યતાને શું સ્થાન છે એ આખો પાંચ કારણને મહાપ્રશ્ન ત્યાં ઊકેલવામાં આવે છે. આ આખો વિભાગ નિમિત્તજ્ઞાન હોવા છતાં એની આખી ઘટના તત્ત્વચર્ચામાં ઉતારી દીધી છે અને તે ખાસ વાંચવાસમજવા યંગ્ય છે. (જુઓ પૃ. ૧૦૧ થી ૧૯૧૬.) અત્ર કહેવાનો મતલબ એ છે કે સ્વપ્નવિચાર જેવા સામાન્ય વિષયના પ્રસંગને લાભ લઈ આ કાર્યકારણભાવ લેખકે લખી નાખ્યો છે. એમાં એક વધારે અગત્યના પ્રશ્નને પણ નીકાલ કરી આપ્યો છે. એમાં સુસ્થિત મહારાજાએ ત્રણ આજ્ઞાઓ-ત્રિકાળાબાધિત નિયમ ઘડી આપ્યા છે તે ખાસ વિચારવા ગ્ય છે. એ નિયમો વિગતવાર મૃ. ૧૯૧૪ માં આપ્યા છે. એને સાર એ છે કે – “ચિત્તવૃત્તિને અંધકાર વગરની અને ચેખી રાખવી, મહામહ રાજના લશ્કરને શત્રુ તરીકે ઓળખવું ને તેને હણવું અને ચારિત્રરાજના લશ્કરને હિત કરનાર ગણવું અને તેને પોષવું.” આ આજ્ઞાપાલન-વિધિનિષેધની અસર અને એના ઉલ્લંઘનનાં ફળ વિગેરે અનેક બાબતે ચચી છેવટે એ આજ્ઞાના બતાવનાર ૧. પ્ર. ૮. પ્ર. ૪, પૃ. ૧૮૮૪. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ [ શ્રી સિદ્ધર્ષિ:: લેખક : સિદ્ધ જીને અને એ સુસ્થિત મહારાજને સર્વ કાર્યોનાં કારણ તરીકે બતાવ્યાં છે. આ સ્વપનવિદ્યાનો અદ્ભુત પ્રસંગ ખરેખર મન પ્રસન્ન કરનાર છે અને એક અપૂર્વ લેખક સાધારણ બનાવને કેટલો ઉગ્રાહી બનાવી શકે છે તેને નાદર નમૂનો પૂરો પાડે છે. પછી એ પ્રસંગને લાભ લઈ સાતમા પ્રકરણમાં સંપૂર્ણ સુખ ઉપર વિવેચન કરી પોતાના દશ પાત્રે-ક્ષાંતિ, દયા, મૃદુતા, સત્યતા, ઋજુતા, અચોર્યતા, બ્રહારતિ, મુક્તતા, વિદ્યા અને નિરીહતાને યોગ્ય સ્થાન આપી દે છે. આ મુદ્દા પર આખું પ્રકરણ લખી નાખે છે અને એ દશે કન્યાઓને પ્રાપ્ત કરવાના અનુશીલનોય ગુણેનું વર્ણન પણ કરી આપે છે. આ આખો પ્રસંગ અદ્ભુત છે અને લેખકની અદભુત કળાને નમૂને છે. એક સાધારણ પ્રસંગને ઘટાવવાની આવી શક્તિ કવચિત જ જોવામાં આવે છે. સ્વપ્નવિચાર તો માત્ર પ્રાસંગિક છે. બાકી લેખકનું ઊંડાણ અનેરું જ છે અને એ આ ગ્રંથની ચાવી છે. એ સમજે તેને આ વાત જચે તેમ છે. લેખકના બુદ્ધિભવ અને ભાષાસૌષ્ઠવને આ વિભાગ ખાસ વિચારવા યોગ્ય પ્રસંગ પૂરો પાડે છે. ૮. ધાતુવાદ-ભુસ્તરવિદ્યા . . (Mineralogy). જમીનમાં શું છે તે જાણવાની વિદ્યા અસલ કાળમાં સારી રીતે જણાયલી હતી. ગામડાંઓમાં અત્યારે પણ જમીન પર કાન દઈ કૂવો ખોદતાં અંદરથી પાણી નીકળશે કે નહિ તે કહેનારા સાંભળ્યા છે. અમુક પ્રકારના વૃક્ષો ઊગે તો તેની નીચેથી ન નીકળે. અમુક આકારે વૃક્ષ ઊગેલ હોય તે તેની નીચેથી સેનામહારના ચરુ નીકળે વિગેરે બાબતો વહેમ તરીકે નહિ પણ વિજ્ઞાન તરીકે અસલ જણાયેલી હતી. વચ્ચેના વખતમાં એવી ઘણી વાતો ભૂલાઈ ગઈ અને લુપ્તપ્રાય થઈ ગઈ એ ખેદની વાર્તા છે. ધાતુવાદબન્યવાદની જે થોડી વાર્તા આ ગ્રંથમાં કરી છે તે પરથી લેખકને એ વિષયનો ઊંડે અભ્યાસ જણાય છે. ૧. પ્ર. ૮. p. . પૃ. ૧૯ર૦-૧૯૩૩. Page #207 -------------------------------------------------------------------------- ________________ मेमनु मने विषयमाडी ज्ञान :] ૧૬૫ ધનની શોધમાં નીકળી પડેલા ધનશેખરને સ્વપરાક્રમથી દ્રવ્ય મેળવવું હતું. એ ધનના વિચારમાં નિમગ્ન થઈ ઉધાનમાં બંદર કિનારે બેઠો હતો ત્યાં કેશુડા( કિશુક)ના ઝાડને અંકુરે (પ્રાહ) શાખામાંથી નીકળીને પાતળો થતો થતો જમીન સુધી ગયેલે એણે જે. तं च किंशुकपादपप्रारोहमवलोक्य स्मृतो मयाभिनवशिक्षितः खन्यवादः । चिन्तितं च । नूनमस्त्यत्र किंचिद्धनजातम् । यतोऽभिहितं खन्यवादे नास्त्येव क्षीरवृक्षस्य प्रारोहो धनवर्जितः । स्तोकं वा भूरि वा तत्र ध्रुवं विल्वपलाशयोः ।। प्रारोहे भूरि तत् स्थूले तनुके स्तोकमुच्यते । रात्री ज्वलति तद्भरि सोष्मणि स्वल्पमीरितम् ॥ विद्धे तत्र भवेद्रक्तं यदि रत्नानि लक्षयेत् । अथ क्षीरं ततो रूप्यं पीतं चेत्कनकं भवेत् ॥ प्रारोहः स्यादुपर्युच्चैर्यन्मात्रेऽधोऽपि तावति । प्रदेशे निहितं नूनं विद्यते तन्निधानकम् ॥ उपरिष्टात्तनुश्चेत्स्यादधस्तात् पृथुलो यदि । प्रारोहोऽसौ निधि प्राप्तो विपरीतस्तु सोऽन्यथा ॥ મને સમજણ પડી તે પ્રમાણે મેં આનો અર્થ કર્યો છે (પ્ર. १. प्र. २. पृ. १४७५); पशु मेनु भू स्थ भने भन्यु नथी.. એ વિષય પર ઘણું લખાયેલું હોવું જોઈએ એમ જણાય છે. શ્રી સિદ્ધર્ષિ જણાવે છે કે થોડમિતિ જેવા એટલે “ખન્યવાદમાં કહ્યું છે.” એટલા ઉપરથી તમને બન્યવાદને સારી રીતે અભ્યાસ જણાઈ આવે છે. એ કેટલી સહેલાઈથી વાત પકડી લે છે તે જુઓ. ततो निरूपितोऽसौ मया पलाशपादपप्ररोहो यावत्तनुकः तत्र चिन्तितं मया। स्तोकमत्र द्रविणं । ततो नखशुक्त्या विद्धोऽसौ मया यावन्निर्गतं पीतवर्ण क्षीरं ततः स्थितं मम मानसे यथा कनकेनात्र भवितव्यम् । ततः प्रेरितोऽहं सागरेण तस्योत्खननार्थ । ततो नमो धरणेन्द्राय नमो धनदाय नमो धनपालायेति मन्त्रं पठता खातः प्रदेशो मया । दृष्टं दीनारभृतं ताम्रभाजनम् । परिगणितं प्रयत्नेन यावत्सहस्त्रमात्रम । Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ [ શ્રી સિહર્ષિ : લેખક : જે સહેલાઈથી આ વાક્યપ્રયોગ થયે છે તે જોતાં લેખકશ્રી સિદ્ધષિને આ વિષયમાં ઘણો ઊંડો અભ્યાસ હોવો જોઈએ. સાધારણ રીતે આવા પ્રાસંગિક વિષય ઉપર લખતાં ઘણે સંકેચ થાય છે, પણ જ્યારે એ વિષયને બારિક અભ્યાસ હોય ત્યારે જ સ્પષ્ટતાથી અને સરળતાથી વાત મૂકાય છે. એ વિચારસ્પષ્ટતા અને વિવેચનસ્પષ્ટતા લેખકે આ મુદ્દામાં બતાવી પિતાનું બન્યવાદનું જ્ઞાન બતાવી આપ્યું છે. લેખકના જ્ઞાનની વિવિધતા બતાવવાનો જે પ્રસંગ અત્ર ઉપસ્થિત કર્યો છે તેમાં આ બાબત એક અગત્યનો મુદ્દો પૂરો પાડે છે. ચાલુ વાતોનું જ્ઞાન શિષ્ટ લેખકમાં હોય છે પણ વિશિષ્ટ લેખકો ચાલુ વાત ન હોય તેવી વિજ્ઞાનની વાતોને પણ સરળ ભાષામાં મૂકવાની શક્તિ ધરાવે છે અને એ આ સાદી પણ નાની બાબતથી બરાબર જણાઈ આવે છે. શ્રી સિદ્ધર્ષિના જ્ઞાનવિધ્યને અંગે આ બાબત ખાસ લક્ષમાં રાખવા યોગ્ય લાગે છે. ધાતુવાદને અન્યત્ર સુવર્ણાદિ ધાતુ બનાવવાની વિદ્યા અથવા શાસ્ત્ર કહેવામાં આવે છે તેથી તે પર પણ અનેક ગ્રંથ વિજ્ઞાનની નજરે લખાયેલા હોવા સંભવિત છે. ૯. વિદ. .. ... ... (Wit and Humour). શ્રી સિદ્ધર્ષિ લેખક તરીકે ઘણું ગંભીર વિષયને રમતા રમતા બહલાવી શકે છે. તે ઉપરાંત તેઓ વિનાદી પણ ઘણું છે. તત્ત્વજ્ઞાનના અતિ ઊંડા વિષયમાં રમણ કરનાર સાથે સામાન્ય વિદ પણ કરાવી શકે એવા યોગ થવા લગભગ અસંભવિત છે. અનુપમ ગાંભીર્ય સાથે પિષક વિનોદ કરનાર લેખકની વિરલતા છે એ બહુ જાણીતી વાત છે. આ તેમની અનુપમ ગંભીરતા સાથે સાદા વિનદના બે ચાર પ્રસંગે આપી તે પર ધ્યાન ખેંચવાનું કારણ તેમનું વૈવિધ્યદર્શન છે. તમને વિનોદ ઘણે ઊંચા પ્રકારને વિદગ્ધતામય અને રસમય છે તે પણ સાથે જણાવવું યોગ્ય ગણાશે. આપણે ત જરા જોઈ લઈએ – () હરિકુમાર વિનાદ (પ્ર. ૬. પ્ર. ૩.) હરિકુમારને મદનમંજરી તરફ આકર્ષણ થયું છે, મદનમંજરીને હરિકુમાર તરફ થયું છે. દેશ આર્યાવર્ત છે. સંવનનને સમય છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ] ૧૬૭ લજ્જામર્યાદાના ખ્યાલેા અત્યારની નવીન પ્રજાને ન સમજાય તેવા છે. તે પ્રસંગે તેનાં હૃદયના મર્મ કાંઈક સમજનાર અને કાંઈક ન સમજનાર છ મિત્રા તેની પાસે આવે છે. નામથી જ તે ઓળખાઈ જાય તેવા છે: મન્મથ, લલિત, પદ્મકેસર, વિલાસ, વિભ્રમ અને કપાળ. એ નામ સાંભળ્યા પછી તેઓ કેવા આની હશે તે સમજી લેવું. પ્રસંગ ફાગણના વસંત જેવા છે છતાં લેખકે એમાં જરા પણુ બિભત્સતા ન આવવા દેતાં એને નમ્ ભાષી ( witty ) બનાવી રસ જમાન્યેા છે. પ્રથમ ચિત્રપ્રસંગમાંથી જમાવટ શરૂ કરે છે ( પૃ. ૧૪૯૨. ) ત્યાં ચિત્ર શબ્દના બે અર્થ પર પ્રથમ ગમત શરૂ થાય છે. જુઓ ( પૃ. ૧૪૯૩–૪. ) पद्मकेसरः दः प्राह - यदनया कन्यकया दुर्गममन्यनारीणां दुर्लहृध्यमम्बरचरीणामहार्य किन्नरीणां असाध्यममरसुन्दरीणां अवियो गन्धर्वादिपुरन्ध्रीणां मदनातुराणामपि सत्वैकसारमपहस्तितरजस्तमोविकारं कुमारमानसं चित्रविन्यस्त रूपयापि दृढमवगाहित इदमनया कन्यकया चित्रं विहितं । तच्च मयैव न केवलभवलोकितं किं तर्हि स्फुटतरं भवद्भिरपि । विभ्रमः प्राह - नन्वाश्चर्यमिदं कथं चित्रं । पद्मकेसरेणोक्तं-ननु मूर्खचूडामणे ! आश्चर्यमेव चित्रशब्देનોજ્યતે । ખેલ; પ્રાદ। વિગેરે આ આખા સવાદ વિનેાદથી ભરપૂર છે. ટોળટપ્પા કરનાર મિત્રા મળીને મજાક ઊડાવે તેવા છે, છતાં એમાં, અમર્યાદિત ભાગ જરાપણ નથી. કુમારને પેાતાના મનની વાત વખત પહેલાં બહાર પડે તે ગમતુ નહાતુ એટલે એણે વાત ઊડાવી અને ચાપ્રશ્નોત્તર કરવા સૂચના કરી. કુમારની સૂચના પ્રમાણે પદ્મકેસરે સવાલ કર્યો— पश्यन् विस्फारिताक्षोऽपि वाचमाकर्णयन्नपि । कस्य को याति नो तृप्तिं किं च संसारकारणम् ॥ કુમારનું મન તે કન્યામાં લાગેલુ, એટલે સાંભળે કાણુ ? ફરી વાર ખેલ્યા, પણ જવાબમાં માત્ર હોંકારા. મિત્રા હસી પડ્યા અને એક ખીજા સામી ઇસારત કરી, અર્થસૂચક ઇસારા આંખથી કર્યો. એ જોઈ કુમાર ચાંકયા, જાગ્યા અને ખાંખારા ખાધે. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ [ શ્રી સિહર્ષિ : લેખક : જાગે એટલે તે તુરત જવાબ આપે. આ આ પ્રસંગે વિદમય છે, માનસિક રસિકતાને છે. પછી બીજો પ્રશ્ન થાય છે, પછી પ્રશ્નપ્રહેલિકા થાય છે, પછી ખૂબ ચર્ચા જામે છે અને માનસિક ઝીણવટના નમૂના પૂરા પાડે છે. અત્ર તેનું પુનરાવર્તન ન થાય. ગ્રંથના મૂળ લેકે પણ અવતરણમાં સાથે આવ્યા છે ત્યાંથી વિચારી લેવા. એમાં છાગ વાળ લોક (પૃ. ૧૪૯૭ ) ખૂબ આનંદ આપે તેવી છે. આનું નામ ખરે વિનેદ કહેવાય. એ વાંચતાં બાળપણમાં અંત્યાક્ષરિકા વિગેરે અમે કરતા તે યાદ આવે છે, તેની સાથે ગાળેલા નિર્દોષ દિવસે યાદ આવે છે અને આ માનસિક વિનાદની સરસતા સમજાય છે. એક શબ્દાલંકારવાળો પ્રસંગ મૂળમાંથી વાંચવા યોગ્ય છે તે પર જરા ધ્યાન ખેંચીએ – मन्मथेनोक्तं । कुमार ! मया स्पष्टान्धकद्वयं चिन्तितं । कुमारेणोक्तं । झटिति पठत्वार्यः । पठितं मन्मथेन । दास्यसि प्रकटं तेन गृणामि न करात्तव । भिक्षामित्युदिता काचिद्भिक्षुणा लजिता किल ॥ तथा । करोति कठिनो राजन्नरीभकटघट्टनम् । विधत्ते करपालस्ते निर्मूलां शत्रुसंहतिम् ॥ ततो विहस्योक्तं हरिकुमारेण । प्रथमं तावदेवं भज्यते । दासी असि गणिका भवसि नेन कारणेन तव हस्ताद्भिक्षां न गृहामि । शेषं स्फुटमेव द्वितीयस्य पुनरेष भङ्गः । करो हस्तोऽतिकठिनो गाढनिष्ठुरस्तव हे राजन् ! अरीभकटघट्टनं शत्रुकरीकुम्भास्फालनं विधत्ते कुरुते तथा करवालस्ते निर्मूलां शत्रुसंहतिं विधत्त इति सम्बन्धः । આમાં ભાષાની સરળતા અને બેલનારની વિદ્વત્તા ઓતપ્રેત ઝળકયા કરે છે. આ આખું પ્રકરણ વિનોદથી ભરપૂર છે. (b) રિપદારણ અભિમાનમાં રહી કાંઈ ભણ્ય નહોતે પણ રાજાનો પુત્ર એટલે કળાકુશળતામાં ખોટી ખ્યાતિ પામ્યો. શેખરપુરથી નરસુંદરી તેની વિખ્યાતિથી વ્યાયેહ પામી તેને વરંવા સિદ્ધાર્થ પુરે આવી. આ વખતે રાજસભામાં કુમારની પરીક્ષા થઈ Page #211 -------------------------------------------------------------------------- ________________ એમનું અનેકવિષયગ્રાહી સાન ઃ ] ૧૬૯ પણ ત્યાં એની બેટી ખ્યાતિ કામમાં આવે તેમ નહોતું. નરસુંદરીએ કળા સંબંધી પ્રશ્ન કરવા એમ વાત થઈ, પણ વિવેકી કુંવરી કદી બોલે નહિ, વાત ઉપાડે નહિ. આર્યલજજાથી એ ભરપૂર હતી. એણે વાત કરી. (પ્ર. ૪. પ્ર. ૩. પૃ. ૭ર૯. ) नरसुन्दरी-यदाज्ञापयति तातः । केवलं गुरूणां समक्षं न युक्तं ममोद्ग्राहयितुम् । तस्मादार्यपुत्र एवोद्ग्राहयतु सकलाः कलाः । अहं पुनरेकैकस्यां कलायां सारस्थानानि प्रश्नयिष्यामि । तत्रार्यपुत्रेण निर्वाहः करणीय इति । ભારે મજાનો સંગ ઊભે કર્યો. કુમારની પાસે કળા પર વિવેચન કરાવવું અને પછી પોતે તેમાંથી સારસ્થાન પર પ્રશ્નો કરવા. આથી જ્ઞાનની બરાબર પરીક્ષા થાય છે. ભવિષ્યન: વરકન્યાના માબાપને આ વાર્તા રુચી. રિપુદારણના પિતા બોલ્યા कुमार ! सुन्दरं मन्त्रितं राजदुहित्रा । तत्साम्प्रतमुद्ग्राहयतु सकलाः कलाः, पुरयत्वस्या मनोरथान् , जनयतु ममानन्दं, निर्मलयतु कुलम् , गृह्णातु जयपताकाम् । एषा सा निकषभूमिवर्तते विज्ञानप्रकर्षस्येति । હવે એ વખતે રિપદારણના શા હાલ થયા તે જુઓ ! मम तु तदा कलानां नामान्यपि विस्मृतानि । ततो विह्वलीभूतमन्तःकरणं, प्रकम्पिता गात्रयष्टिः, प्रादुर्भूताः प्रस्वेदबिन्दवः, सञ्जातो रोमोद्धर्षः, प्रनष्टा भारती, तरलिते लोचने । આ વખતનો રિપુદારણને દેખાવ કેવ થયે હશે ? પરીક્ષા આપવા જઈએ, મુખની પરીક્ષા ચાલતી હોય અને એક પણ જવાબ મઢે આવે નહિ એને જેને ખ્યાલ હોય તે આ અભિમાની રાજપુત્રની દશા સમજી શકે. પછીનો આ પ્રસંગ મજાનો ચિતર્યો છે. એના પ્રત્યેક શબ્દમાં વિનેદ છે. લેખકને અભિમાનીને નીચો પાડવો હતો. મિથ્યાભિમાની રાજસભામાં વડીલ સમક્ષ મૂર્ખ ગધેડે બન્યું. એમાં ખરા વિનેદ સાથે અતિ ઊંડાણમાં ભારે રહસ્ય રહેલું છે. આ વિદ ૨૨ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ [ श्री सिर्षि : : सेम : ખાસ સિદ્ધર્ષિગણિને ! રાજાએ ક્ષોભનું કારણ પૂછતાં એના કળાચાર્ય બરાબર ખુલાસો કરે છે. राजन् ! प्रस्तुतवस्तुन्यज्ञानं मनाक्षोभनिमित्तं । भवत्येव हि वागायुधानां सदसि विदुषां सस्पर्धमाभाषितानां ज्ञानावष्टम्भविकलानां मनसि क्षोभातिरेकः । આમાં કમાલ કરી છે. પ્રનષ્ઠા ભારતી અને વાગાયુધવાળા માણુને વિદ્વાનની સભામાં થતો ક્ષોભ એ બે વાગ્યે તે વિનાદને એની પરાકાષ્ઠાએ લઈ જાય છે. (०) alon प्रस्तावमा ५ मेवा सुंद२ असं आवे छे. નંદિવર્ધનને અભ્યાસ કરવા પિતાએ કળાચાર્ય પાસે મૂક્યો. તેના અભ્યાસ પર દેખરેખ રાખી રિપોર્ટ કરવા વિદુરને નીમ્યો. વિદરે કુમાર નંદિવર્ધન પાસે બાળ, મધ્યમબુદ્ધિ અને મનીષિની લંબાણ વાર્તા કરી અને વૈશ્વાનરને પરિચય છેડી દેવા સૂચના કરી. આવી અદ્દભુત વાર્તા સાંભળ્યા પછી વૈશ્વાનરના રંગે રંગાયેલા નંદિવર્ધન પર વૈશ્વાનરને પરિચય છેડવાની સલાહની શી અસર થાય છે તે જેવા જેવું હતું. અતિવત્સલ વિદુરને એ તમાચો મારી પિતાની અધમતા બતાવે છે. આ પ્રસંગ દિલ ઉશ્કેરનાર છે. વાંચે એ प्रसंग (अ. 3. प्र. १८. ५. ५५० ). निरीक्षिते च तस्मिन्नवसरे वैश्वानरः साकूतः सन्नभिमुखो मदीयवदनं । लक्षितोऽहमनेन मुखविकारतस्तैर्विदुरवचनैर्द्रयमानः । ततः कृता वैश्वानरेण मां प्रति सा पूर्वसाङ्केतिका संज्ञा । भक्षितं मया क्रूरचित्ताभिधानं तद्वटकं । ततस्तत्प्रभावान्मे क्षणेन वृद्धो अन्तस्तापः। समुल्लसिताः स्वेदबिन्दवो, जातं गुजार्धसन्निभं शरीरं, सम्पन्नं विषमदष्टोष्टं, भग्नोग्रभृकुटितरङ्गमतिकरालं वक्त्रकुहरं । ततो भद्रे अगृहीतसङ्केते ! तथा वैश्वानरवटकप्रभावाभिभूतात्मना मया पापकर्मणा नाकलय्य तस्य वत्सलतामनालोच्य हितभाषितमविगणय्य चिरपरिचयं परित्यज्य स्नेहभावमुररीकृत्य दुर्जनतां सर्वथा . निष्ठुरवचनैस्तिरस्कृतोऽसौ विदुरः । यदुतारे दुरात्मन् ! निर्लज ! त्वं मां बालकल्पं कल्पयसि तथाचिन्त्य. प्रभावोपेतं परमोपकारकमन्तरङ्गभूतं मे वैश्वानरं तथाविधदुष्टस्पर्श Page #213 -------------------------------------------------------------------------- ________________ એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ] ૧૭૧ नोपेतं मन्यसे ? अददानस्य च प्रत्युत्तरं विदुरस्य मया दत्ता कपोलदारणी चपेटी । गृहीत्वा च महत्फलकं प्रहर्तुमारब्धोऽहं । ततो भयातिरेकप्रकम्पमानगात्रयष्टिर्नष्टो विदुरः । આ આખું દશ્ય બરાબર ક ! રાજાને બાળક ક્રોધી, અભિમાની પણ હજુ તદ્દન બાળ એક બાજુ ઊભું હોય, તેની સામે વૃદ્ધ વિદુર સમજણને ભંડાર, અનુભવી, ધોળા બાલથી ભરપૂર ખડે હાય—એને કુમાર લપાટ લગાવી દે અને તેને વધારે લગાવવા લાકડી લેવા દેડે આ આખા દશ્યમાં વિનેદ છે, રમત છે, ચંચળતા છે, અભિમાનનું ચિત્ર છે. આ વિનોદી પ્રસંગ અત્યંત દિલ ઉશ્કેરનાર છે; છતાં એ વિનોદ છે, અને વિનોદ છતાં એ શિક્ષણીય છે. અભિમાનને એ ઉચ્ચ પદે બતાવે છે, નેકરને એ નિર્બળ બતાવે છે, એમાં ઘણું ઊંડું રહસ્ય છે. વિનેદના ચિત્ર તરીકે એ ગમ્મત આપે તેવું છે. | વિનોદના પ્રસંગોથી આ ગ્રંથ ભરેલો છે. બીજા વિનાદ પ્રસંગોના નામનિર્દેશ કરી, કઈ જગ્યાએ સ્થાન નિરૂપણ કરી હવે: આ વિષય ખતમ કરીએ. (d) મિથુનદ્રય અંતરકથામાં બે રાજા અને બે રાણું. બન્ને પિતાની જાતને બેવડાઈ ગયેલી જોઈ દેવપ્રતાપ માને છે. (પ્ર. ૩. પ્ર. ૬. પૃ. ૪૧૪.) એમાં જીત મેળવવાના બે પ્રસંગો. (પૃ. ૪૧૩.) (e) સત્વહીન બાળ મદનકંદનીની શસ્યામાંથી પડી જાય છે, તેને અવાજ થતાં પકડાઈ જાય છે. શત્રુમર્દન રાજાના વાસભુવનમાં આ પ્રસંગ બને છે. (પ્ર. ૩. પ્ર. ૧૦. પૃ. ૪૫૮. ) (f) ભવચકનાં કૌતુકેમાં એવા ઘણુપ્રસંગ છે. નીચેના જુએ – (૪) લેલાક્ષ દારુ પી રતિલલિતાને નાચવાને હુકમ કરે છે. ( , ૪. પ્ર. ૨૨, પૃ. ૯૩૯ ) () રિપુકંપન પુત્રજન્મના પ્રસંગે નાચે છે(પ્ર. ૪. પ્ર. ૨૩. પૃ.૯૪૬. ). Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ [ શ્રી સિહર્ષિ ઃ લેખકઃ (૪) ધનગવ મહેશ્વર શેઠ દુછશીલ પાસેથી ચારીને માલ પડાવી લે છે (પ્ર. ૪. પ્ર. ૨૪. પૃ. ૯૫૬.). (૪) ઇક્કી રમણ પાન ચાવતા, અત્તર લગાવતે, વેશ્યાને ત્યાં જ દેખાય છે (પ્ર, ૪. પ્ર. ૨૫. પૃ. ૯૬૧ ). (૪) રમણ પૈસા આપી પાછો ભિખારી બને છે અને રાજ પુત્રને માર ખાઈ મરે છે. (. ૪. પ્ર. ૨૫. પૃ. ૯૬૬.). () લક્ષાધિપતિ-ભિખારી કતિક વૃતમાં હાલહવાલ થાય છે (પ્ર. ૪. પ્ર. ૨૬, પૃ. ૯૭૧ ). (૪) શિકારનો શોખીન લલન, શિકાર પાછળ દોડતા દેખાય છે (પ્ર. ૪. પ્ર. ૨૬. પૃ. ૭૩. ). (૪) ઘણુ વર્ષે વાસવ અને ધનદત્ત મળી આનંદ-કલ્લોલ કરતા દેખાય છે (પ્ર. ૪. પ્ર. ૨૨. પૃ. ૯૭૮. ). (૪) અભિમાની રિપદારણ, તપન ચક્રવતીને નમવા આવતે નથી. તપન ચકીને લાગ્યું કે માનસરોવરમાં રહી મોતીને ચારે કરનાર હંસેને નાયક કાગડે ન ઘટે, એટલે એમણે યોગેશ્વરને હુકમ આપી દીધે, એ યોગી રિપુદારણ પાસે આવ્યો અને યોગચૂર્ણ મુઠ્ઠી ભરીને મહા પર નાખ્યું એટલે એ તદ્દન શૂન્ય થઈ ગયો. પછી એની પાસે નાટક કરાવ્યું, મહેઠેથી પદ બોલતા જાય અને ઝીલતા જાય અને ફટકાવતા જાય. આ આખો રાસડે અને ધ્રુવપદ કરુણું અને હાસ્યરસમિશ્રિત હાઈ રિપદારણ તરફ વિનોદ સાથે તિરસ્કાર બતાવે છે. એ મૂળ પદે અસલ અવતરણમાં આપ્યા છે (પ્ર. ૪. પ્ર. ૪૦ પૃ. ૧૧૨૦-૧૧૨૮. ) તેથી અત્ર તેનું પુનરાવર્તન કર્યું નથી. (૧) વેલવલ કથામાં કુમારનું શરીર અજીર્ણથી ભરપૂર છે, છતાં ખાતે જાય અને ઉલટી કરતો જાય. રેમના શહેનશાહ કડિયસ જેવું ચરિત્ર છે. ભારે વિનદી છે. એ ખાય છે અને વમન કરે છે. તો સાથો વન થાયતો દુલ્તન તા સમयक्षस्य समक्षमेव बलात्प्रवृत्तो भक्षयितुमाहारं वेल्लहलं । ततः समुत्कटतयाऽजीर्णस्य प्रबलतया ज्वरस्य न क्रमतेऽसौ गलकेना Page #215 -------------------------------------------------------------------------- ________________ એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ]. ૧૭૩ हारः । तथापि बलादेव क्रामितः कियानपि वेल्लहलेन । ततः समुश्रुतं हृदयं सञ्जातः कलमलकः सम्पन्नं वमनं विमिश्रितं च तेन વન સમપિ પુરતો વિચં મોકા આ આખો પ્રસંગ ધૃણું સાથે ભારે વિનેદ ઉત્પન્ન કરનાર છે. (પ્ર. ૪. પ્ર. ૧૧. પૃ. ૮૨૨.) (1) ગભરાટ, દંભ, ગોટાળા, અસત્ય, મિત્રદ્રોહ અને પ્રપંચનું દૃષ્ટાંત વામદેવ પૂરું પાડે છે. રત્નને છુપાવી સ્થળ ભૂલી જાય છે અને ત્રીજે દિવસે વિમળ પાસે પાછો આવે છે ત્યારે ખોટા ન્હાના કાઢે છે. તે વખતે વનદેવી ધૂણું એને ઉઘાડો પાડે છે. દેવી એને મારી નાતી હતી તેને બદલે વિશાળભાવી વિમળ એને માફ કરે છે. આમાં એની વિશાળતા, સહદયતા અને ભવ્યતા વિનાદપૂર્વક દેખાય છે. દેવી ઘણીને સાચી વાત બલી ગઈ ત્યારે વામદેવનું મુખ કેવું થયું હશે તે વિચારી લેવું. આમાં લેખકનો ખરો વિનોદ છે. આ પ્રસંગ બહુપ્રકાર નામના વિકારને દર્શાવનાર અને માનસના અભ્યાસને સમજાવનાર છે. (પ્ર. ૫. પ્ર. ૮. પૃ. ૧૨૦૮.) (i) બઠર ગુરુ ને ચાર પાત્રે, ભિક્ષા અને હેરાનગતિ. (પ્ર. ૫. પ્ર. ૧૫. પૃ. ૧૨૬૩-૬૪. ) | (k) તુંગ શિખર પર સાંભળવાના રસમાં કિન્નરયુગળની ગુફા મ્હાર ઊભેલો બાલિશ પડી જાય છે ત્યારે પકડાઈ જાય છે. એ પડવાને ધડાક-ધબકારો કાનમાં અથડાયા વગર રહે તેમ નથી. (પ્ર. ૭. પ્ર. ૧૨. પૃ. ૧૭૮૩. ) આવા પ્રસંગને પાર નથી. આખા ગ્રંથમાં સેંકડે પ્રસંગે છે. એ ઉપરથી લેખકની વિવિધતા, જનસ્વભાવનો અભ્યાસ, વિશિષ્ટ દર્શન, ફળદ્રષ્ટિમાં લાંબી નજર અને અનેક પ્રસંગે કથાને ઝળકાવવાની અને સમેટવાની અદ્ભુત ખૂબી-એ સર્વ વાત દષ્ટિગોચર થાય છે. (૧૦) વ્યાપાર ... ... . . ( Trade) શ્રી સિદ્ધર્ષિ ગણિ જાતે ત્યાગી અને મુત્સદ્દીના પુત્ર હોવા છતાં વ્યાપારની પદ્ધતિ બરાબર સમજતા હતા અને સમજતા હતા તે દેખાડી પણ શકતા હતા. આખા ગ્રંથમાં છૂટાછવાયાં વાકાને Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ [ શ્રી સિદ્ધર્ષિ લેખક : તે પાર નથી, પણ નીચેના પ્રસંગે એની સિદ્ધિમાં બતાવી શકાય. એમના જ્ઞાન અને વૈવિધ્યને ખ્યાલ આવવા માટે આ વિષયના કેટલાક દાખલા વિચારી જઈએ. (a) વ્યાપાર કરનારના મનમાં કેવા વિચારો આવે તે ધનશેખર બતાવે છે. એને “સાગરના કલોલ” કહેવામાં આવ્યા છે. - પાર્જિતદ્રવ્યની મહત્તા ત્યાં એ વિચારે છે. धनमेव जगत्सारं, धनमेव सुखाकरं । धनमेव जगल्लाध्यं, धनमेव गुणाधिकम् ॥ धनमेव जगद्वन्ध, धनं तत्तत्त्वमुत्तमम् । धनं हि परमात्मेति, धने सर्व प्रतिष्ठितम् ॥ धनेन रहितो लोके, पुरुषः परमार्थतः । तृणं भस्माशुचिधूलियद्वा नास्त्येव किञ्चन ॥ धनादिन्द्रो धनाद्देवा, धनादेते महीभुजः । अन्येभ्योऽभ्यधिका भान्ति, नान्यत्किञ्चन कारणम् ॥ एको दाता परोऽर्थीति, स्वाम्येकः सेवकोऽपरः । पुरुषत्वे समानेऽपि, धनस्येदं विजृम्भितम् ॥ तदत्र परमार्थोऽयं, सर्वयत्नेन तद्धनम् । स्वीकर्तव्यं नरेणोच्चैरन्यथा जन्म निष्फलम् ॥ (પ્ર. ૬. પ્ર. ૧. પૃ. ૧૪૬૮. ૯) એના ઘરમાં કુલકમાગત દ્રવ્યને પાર નથી, પણ એને એ દ્રવ્ય ન ખપે. એમાંથી એક પાઈ પણ લીધા વગર પોતાના ભુજાબળે ધન મેળવવા પરદેશ જઈ, પુરુષાર્થ કરી, ધન કમાવા પિતાની રજા માગે છે. એ પિતા પુત્રની વાતચીત વાંચવા જેવી છે. પછી દૂરદેશ કમાવા જનાર દીકરાને વૃદ્ધ પિતા શિખામણ આપે છે તે વ્યવહારુ અનુભવી વ્યાપારીના મુખમાં ખૂબ શોભે તેવી છે, વ્યાપારના પૂરા જ્ઞાનની હાજરી બતાવનારી છે. જુઓ પૃ. ૧૪૭૧ ત્યાં ધનશેખરના પિતા કહે છે કે – " वत्स ! सुखलालितस्त्वमसि सरलः प्रकृत्या, दवीयो देशान्तरम्, विषमा मार्गाः, कुटिलहृदया लोकाः, वश्चनप्रवणा: Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ अमर्नु अने विषयमाडी जान : ] कामिन्यः, भूयांसो दुर्जनाः, विरलविरलाः सजनाः, प्रयोगचतुराः धूर्ताः, मायाविनो वाणिजकाः, दुष्परिपालं भाण्डजातं, विकारकारि नवयौवनं, दुरधिगमाः कार्यगतयः, अनर्थरुचिः कृतान्तः, अनपराधक्रुद्धाश्चौरचरटादयः । तत्सर्वथा भवता क्वचित्पण्डितेन क्वचि. न्मूर्खेण कचिद्दक्षिणेन कचिन्निष्टुरेण क्वचिद्दयालुना क्वचिनिष्कपेण क्वचित्सुभटेन क्वचित्कातरेण क्वचित्त्यागिना क्वचित्कृपणेन कचित्वकवृत्तिना क्वचिद्विदग्धेन सर्वथा परैरलब्धमध्यागाधदुग्धनीराधिधीरगम्भीरधिषणेन भवितव्यम् ।” આમાં અત્યંત વ્યવહારદક્ષતા, કુશળતા અને સંસારનું અવલોકન તરવરી આવે છે. દુનિયા કેમ ચાલે છે તે ઉઘાડી આંખે જેનાર આ વાત દીવા જેવી સમજે, પણ એ વાત એકઠી કરી લખવી એમાં કળા છે અને તે લેખકમાં ઝળકી રહે છે. (b)सहाय व धन भाववाना माहशमां व्यापारी धनशेખરની વ્યાપારી નજર અને સત્ત્વશીલતા બતાવે છે (પ્ર. ૬. प्र. १. पृ. १४७२ ). सत्त्वमात्रधनो गत्वा, रूपकेण विवर्जितः । आगच्छेयं कृतार्थोऽहं, यदि तात ! पुनर्ग्रहम् ॥ धनशेखरनामाऽहं, तव सूनुर्न संशयः । अन्यथा मृत एवास्मि, दातव्यो मे जलाञ्जलिः ॥ सार्थभाण्डसहायादिसामग्री धनसाधनीम् । प्राप्यार्जयति योषापि, धनं किमु युवा नरः॥ પાર્જિત ધન મેળવવાની ભાવનાવાળો વ્યાપારી કે? વળી એને બાપ પણ કે જબરે? એ પિતાની પત્નીને પુત્રને વિદાય આપવામાં સંકેચ કરતી જઈ શું કહે છે ? या साहसविनिर्मुक्तमलसं दैवतत्परम् । निर्वीर्य जनयेत्पुत्रं, सा हि रोदितुमर्हति ॥ त्वया तु जनितो धीरः, सुतोऽयं कुलभूषणः । नियाजसाहसस्तस्मन्निास्ति रोदनकारणम् ॥ अयं नूनं गुणोऽस्माकं, व्यवसायपरायणः । यद्येष पुत्रको जातस्ततो मुञ्च विषादता ॥ Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ [ શ્રી સિદ્ધર્ષિ :: લેખક : રડે તે કેની મા ? આવા વ્યવસાયપરાયણ પુત્રને જણવા માટે એને અભિનંદન ઘટે. આ વ્યાપારીનાં જ વચન હોય, એને ભાર, એની વહનિકા, એનું લક્ષ્ય જોવા લાયક છે. (પૃ. ૧૪૭૨-૩) (૯) ધનશેખર જયપુર નગરે આવે છે. બકુલ શેઠ એની પરીક્ષા કરી એને પિતાની પુત્રી પરણાવે છે અને ધનને માલેક તેને કરવા કહે છે; પણ એને તે પિતાની શક્તિથી રને પિદા કરવાં હતાં. શેઠ બહુ વિનવે છે ત્યારે એ શો જવાબ આપે છે ? થાવનિમુનાખ્યાં છે ! નાર્જિતા રત્નારાયઃ तावत्सर्वामहं मन्ये, भोगलीलां विडम्बनाम् ॥ (પ્ર. ૬. પ્ર. ૨. પૃ. ૧૪૭૭) પછી એણે જૂદું ઘર કરી ધન એકઠું કરવા વ્યાપાર માંડ્યો. એની સાથે આ જમાનાને વ્યાપારી સરખાવવા એગ્ય છે. એની ધમાલ અને અંતરવૃત્તિ વર્ણવતાં કહે છે કે (પ્ર. ૬. પ્ર. ૨ પૃ. ૧૪૭૮-૯ ). ततः प्रारब्धोऽहं वाणिज्यं विधातुं । मे विवर्धन्ते मनोरथकल्लोलाः, विलगति धर्मबुद्धिः, अपसरति दयालुता, नश्यति सरलता, प्रभवति धने तत्त्वबुद्धिः, विघटते दाक्षिण्यं, प्रलीयते सन्तोषोऽपीति । ततः सङ्ग्रह्णामि धान्यानि, भाण्डशालयामि कार्पासतैलादिकं, स्वीकरोमि लाक्षां, व्यवहरामि गुलिकया, पीडयामि जन्तुसंसक्ततिलान्, दाहयाम्यङ्गारान्, छेदयामि वनं, जल्पाम्यलीकं, मुष्णामि मुग्धजनं, वश्चयामि विश्रब्धक्रायकं, करोमि न्यूनाधिकं मानोन्मानेन विनिमयं । सर्वथा न पिबामि तृषार्तोऽपि, न भुले च बुभुक्षितः । रात्रावपि न सुप्तोऽहं, धनोपार्जनलोलुपः ॥ नैव भृङ्गायितं तस्याः, कमलिन्याः क्वचिन्मया । वदनाम्बुरुहे दिव्ये, धनापूर्णितचेतसा ॥ ગમે તેવા જૂઠા બોલનાર, લેવા વેચવાના કાટલાં જુદાં રાખનાર, વિશ્વાસુને ભેળવી તેનું ગળું કાપનાર ધનના દાસો કેવાં કેવાં કાર્યો કરે છે તેને આ નમૂન છે. એને કર્માદાનના ધંધાને સંકેચ રહેતે Page #219 -------------------------------------------------------------------------- ________________ એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ] ૧૭૭ નથી, એને પાણી પીવાની ફુરસદ નથી, એને પરણેલી જિંદગીને લ્હાવા લેવા નથી, એને ખાવાનાં ઠેકાણા નથી. એના જીવનમત્ર ધન ધન અને ધન છે. વ્યાપારીનું આ વર્ણન જરા પણ અતિશયાક્તિભરેલું નથી, જમાનાએ થયાં પછી અત્યારે પણ લગભગ સાચું છે અને લેખકની લેખનશૈલી, અનુભવ અને વૈવિધ્યના નાદર નમૂના પૂરા પાડે છે. (d ) એ ધનશે.ર અનેક પાપધંધા કરી કરાડ રૂપીઆ મેળવે છે ત્યારે રત્નદ્વીપે જઇ રત્નના ઢગલેા રળી લાવવાના મનેારથ કરે છે. એના સસરા એને સતાષ રાખવા અને આરામ લેવા ભલામણુ કરે છે ત્યારે આ લેાભી વાણીએ શે જવાબ આપે છે? એ ખાસ વિશિષ્ટ જવાઞ છે, વ્યાપારીના મુખમાં હેાય તેવા સ્વાભાવિક છે, લેખકના જ્ઞાનને અનુભવાવે તેવા છે. (પ્ર. ૬. પ્ર. ૨. પૃ. ૧૪૮૨. ) यावन्नरो निरारम्भस्तावल्लक्ष्मीः पराङ्मुखा । सारम्भे तु नरे लक्ष्मीः स्निग्धलोलविलोचना || आलिष्टमपि मुञ्चेत्सा नरं साहसवर्जितम् । कुलदेव विभ्रान्त्या गृहीतं दुर्भगं नरम् ॥ निर्माप्य कार्ये योऽन्यत्र दत्तधीस्तं निरीक्षते । कमला कुलबालेव व्याक्षिप्तं लज्जया प्रियम् ॥ विषमस्थोऽपि यो धीरो धनोत्साहं न मुञ्चति । वक्षःस्थले पतत्युच्चैस्तस्य लक्ष्मीः स्वयंवरा ॥ यो बध्नाति धिया धीरो विक्रमेण नयेन च । पद्मा प्रतीक्षते तं भो ! यथा प्रोषितभर्तृका ॥ यस्तु स्तोकां समासाद्य लक्ष्मीं तुष्यति मानवः । तं तुच्छप्रकृतिं मत्वा सा लक्ष्मीर्नाभिवर्धते ॥ इत्येवं स्वगुणैः पद्मां यो नरो नैव रञ्जयेत् । सिद्धोऽपि न भवेत्तस्य प्रेमाबन्धश्चिरं तथा ॥ तस्मान्न तोषः कर्तव्यो विदुषा धनसङ्ग्रहे । આ લખાણ ટાંચણુ વ્યવહારુ છે, વપારીના મુખમાં સ્વાભાવિક છે, ધન ધન કરતા દોડાદોડીવાળા આ જમાનામાં ખાસ ર૩ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ [ શ્રી સિદ્ધર્ષિ :: લેખક : વિચારણીય છે અને ચાદ રાખવા જેવું છે કે અગાઉ પણ ધન માટે લગભગ આવા જ વિચાર કરનારા હતા. વ્યાપારનું, વ્યાપારી હૃદયનુ, વ્યાપારની હીલચાલનું અને વ્યાપારી માનસનું ઊંડું જ્ઞાન હાય તેવા લેખક જ આ વિચારે એની સિદ્ધ ભાષામાં લખી શકે. એના લક્ષ્મી માટેના શબ્દો પણ કેટલા ! કાઈ વાર એને ‘ પદ્મા ’ ફાઇ વાર ‘કમલા’ અને કાઈ વાર પ્રેાષિતભર્તા સ્ત્રી સાથે, કાઇ વાર કુલટા સાથે અને કાઇ વાર કુલબાલા સાથે સરખાવી ભારે વ્યવહારુપણું બતાવ્યું છે. આ એક જ વિચાર શ્રી સિદ્ધર્ષિની વિવિધતા બતાવવા માટે પૂરતા ગણાય તેમ છે. (e ) દેશ પરદેશના વ્યાપાર કેમ થતા હશે તેના એમને મા ખ્યાલ છે. કેટલાક ધારે કે એ સમયમાં પરદેશથી સેાનુ લાવતા હશે, પણ એમ નહેાતું. અહીંની ચીજ ત્યાં લઈ જઈ બદલામાં ત્યાંની ચીજ જ લવાય. એના નફા તેા અહીં થાય. આંતરરાષ્ટ્રિય વ્યવહાર એમ જ પતે. ધનશેખરે રત્નદ્વીપે ઉતરીને શું કર્યું તે જુએ. (પ્ર. ૬. પ્ર. ૨. પૃ. ૧૪૮૫. ) ततः समुत्तीर्णा वाणिजकाः । गृहीतं दर्शनीयं । दृष्टो नरपतिः । विहितोऽनेन प्रसादः । वर्तितं शुल्कं । परिकलितं भाण्डं । दत्ता हस्तसंज्ञाः । विक्रीतं स्वरुच्या । गृहीतं प्रतिभाण्डं । આમાં શુલ્ક, ભાંડ, પ્રતિભાંડ, હસ્તસંજ્ઞા એ અનુભવી વ્યાપારી વગર ન સુજે તેવા શબ્દો છે. હાથા આપતાં ભાવા પ વતાં વ્યાપારીને જોયા હાય તેને આ સહેજે સમજાય તેવી વાતા છે. (f) રિકુમાર રાજપુત્ર સાથે ધનશેખરને સુ ંદર મૈત્રી થઇ, આનંદ પણ ખૂખ થતા, ગેષ્ટિ પશુ સારી જામતી, પણ એને તા ધન રળવું હતું, રત્ના એકઠાં કરવાં હતાં, એટલે એને એ મિત્ર પણ આંખમાં ખટકતા હતા. પછી એ વિચારે છે કે:— यदुतार्थोपार्जनक्षतिहेतुरेष मम हरिकुमारसम्बन्धः । न सुन्दरो मे प्रहगोचरः । अनर्थपर्युपस्थितोऽयं । कृतोऽहमात्मनो निर्मूल्य कर्मकरोऽनेन हरिणा । न विपठिताऽस्ते मयेहापि प्राप्तेनाभीष्टाः रत्नसञ्चयाः । तदिदमापतितं यद्गीयते लोके । यदुत Page #221 -------------------------------------------------------------------------- ________________ એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન :]. ૧૭૯ रासभः किल सम्प्राप्तः, स्वर्गे सर्वसुखाकरे । यावत्तत्रापि सम्प्राप्तो, रजको दामहस्तकः ॥ (પ્ર. ૬. પ્ર. ૬. પૃ. ૧૫૨૮૯) આવા વિચારે વ્યાપારીને જરૂર થાય છે. વેપારમાં એને આનંદ, સુખ, મંત્રી કે વિલાસ સર્વ વિન કરનારા લાગે છે. આમાં વ્યાપારી હૃદયને અભ્યાસ છે. (g) ચાર વ્યાપારી કથાનક (પ્ર. ૭. પ્ર. ૬. અને પ્ર. ૭)માં આખી વ્યાપારીની જ કથા છે. ચાર વ્યાપારીઓ રત્ન મેળવવા ત્યાં જાય છે. એમના વિચાર અને વ્યવહાર વ્યાપાર કરનારના ચાર પ્રકાર બતાવે છે. એક ધંધામાં જ મશગૂલ રહે છે (ચારુ) અને છેલ્લે (મૂઢ) તે હરવાફરવામાં અને લહેર કરવામાં જ વખત કાઢે છે. એ ચારે પ્રકારના વ્યાપારીની વાત અને પુરુષાર્થના ખેલ વેપારનું ઊંડું જ્ઞાન બતાવે છે. શરૂઆતમાં જ કહે છે (પૃ. ૧૭૦૧.) तत्रापि न विनोपायं, प्राप्यन्ते रत्नराशयः । को हि हस्तं विना मुंक्ते, पुरोवर्त्यपि भोजनम् ॥ વ્યાપારમાં વેપારની ચીજોના પૂરા જ્ઞાનની જરૂર અને નકામા મોજશેખને તિલાંજલી આપવાની વાત વેપારીને મુખે કહેવરાવી લેખકે પિતાનું વ્યાપારી માનસનું જ્ઞાન બતાવી આપ્યું છે. પ્રથમના આઠ પૃષ્ઠો (૧૭૦૧. ૮.) આ બાબતમાં વાંચવા ચાગ્ય છે. (૧) પ્ર. ૪. પ્ર. ૨૪ માં મામા ભાણેજ ભવચક્રના કેતુકે જુએ છે ત્યાં મહેશ્વર શેઠનું આબેહૂબ વ્યાપારી તરીકેનું વર્ણન કરવામાં આવ્યું છે. જુઓ પૃ. ૯૩૫–. उत्तुङ्गविष्टरे रम्ये निविष्टः किल लीलया । विनीतैर्बहुमिर्दवणिकपुत्रविवेष्टितः ॥ वजेन्द्रनीलवैडूर्यपद्मरागादिराशिमिः । पुरतः स्थापितैस्तुगै शिताशेषतामसः ॥ विकटैटिकस्तोमै राजतैश्च पुरः स्थितैः । दीनारादिमहाकूटैगर्वितोऽग्ने विवर्तिभिः ॥ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ [ શ્રી સિદ્ધર્ષિ : લેખક : प्रकर्षेणोदितं “माम ! किमित्येष महेश्वरः । उन्नामितैकधूर्मन्दं वीक्षते मन्थरेक्षणः ॥ अर्थिनां वचनं किं वा सादरं बहुभाषितम् । एष बाधिर्यहीनोऽपि नाकर्णयति लीलया ॥ कृतप्राञ्जलयो नम्रा य एते चाटुकारिणः । एतानो वीक्षते कस्मात्तुणतुल्यांश्च मन्यते ॥ दृष्ट्वा दृष्वा च रत्नानि किञ्चिद् ध्यात्वा मुहुमुहुः । તથા વનઃ fઉં મરવ યાજિક . ” ભવ્ય વર્ણન છે. ગાદીતકીએ બેઠેલા શેઠ આખા જગતને તૃણ તુલ્ય ગણે-માગનાર સામે આંખ ઊંચી પણ ન કરે અને રત્ન મણિ માણેકના ઢગલા ઉપર જોયા કરે. એ જ આપણે શેડીઓ. વાંચતા લાગશે કે લેખકશ્રીએ દુકાન ઉપર બેઠેલા મોટી ફાંદવાળા અભિમાની શેઠને ખૂબ જોયા હશે અને એમના માનસને અભ્યાસ કર્યો હશે. પછી એ આખા ભુવનને કેવું ભિખારી માને છે, એ લોભમાં તણાઈને ચોરીને માલ એ છે મૂલ્ય જાણી જોઈને ખરીદે છે, પકડાય છે અને ભિખારી થઈ તદ્દન હતજીવન થઈ જાય છે. આ સર્વ વ્યાપારીના મગજની સ્થિતિ અને વિચારણું બતાવે છે. બધા વ્યાપારી આવા હેાય છે એમ કહેવાનો આશય નથી, પણ આવો પ્રકાર–આવા વિચારે અને આવો વ્યવહાર લગભગ સાર્વત્રિક છે એ આપણે “વાણુંઆ” શબ્દ સાથે સમજી જઈએ છીએ. લેખકને વિશાળ અનુભવ બતાવવા માટે આટલાં દષ્ટાન્ત પૂરતાં છે. (૧૧) દુર્ગુણ-દુર્વ્યસન (Misbehaviour ) ( Anti aryan conduct. ) શ્રી સિદ્ધર્ષિ ગણિ નૈતિક લેખક છે એટલે એમણે સદ્દગુણોને ચિતર્યા હશે એમ ધારી શકાય, પણ સદ્દગુણની સામે દુર્ગણ અને દુર્વ્યસનનાં ચિત્રો ન મૂક્યાં હોય ત્યાંસુધી બરાબર સરખામણું થતી નથી. લેખક સર્વગ્રાહી અને વિશાળ દૃષ્ટિવાળા હતા એટલે એમણે ચિત્ર ચિતરવામાં ખામી રાખી નથી. દુર્ગણ અને દુવ્યસનનાં ચિત્રો તે એમણે પાર વગરનાં ચિતર્યા છે અને એક રીતે Page #223 -------------------------------------------------------------------------- ________________ એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ] ૧૮૧ જોઇએ તા એમણે દુર્ગુણનાં ફળ બતાવવા માટે એને જ ખૂબ ચિતર્યા છે. ન દિવનની વૈશ્વાનર સાથે મૈત્રી કે રિપુઠ્ઠારણની શૈલરાજ સાથે મૈત્રી કે વામદેવની બહલિકા સાથે મૈત્રી અથવા સાગરની સાથે ધનસાગરના સ્નેહ એ મહાન દુર્ગુણેાનાં ચિત્ર છે, અંતર મનેાવિકારનાં તુચ્છ આવિર્ભાવા છે, તેવી જ રીતે હિંસા, મૃષા, ચારી, મૈથુન, પરિગ્રહ એ પણ ભયંકર દુર્ગુણા છે અને ત્રીજાથી સાતમા પ્રસ્તાવમાં અને વિગતવાર ચિતર્યા છે. એ ઉપરાંત ત્રીા પ્રસ્તાવમાં મળની સ્પન સાથે મૈત્રી, ચેાથામાં જડની રસના સાથે મૈત્રી, પાંચમામાં મંદની ઘ્રાણુ સાથે દોસ્તી, પાંચમા પ્રસ્તાવમાં અધમના દૃષ્ટિદેવી સાથે સ્નેહ અને છઠ્ઠા તથા સાતમા પ્રસ્તાવમાં માલિશની શ્રુતિ સાથેની સહચરતા એ મુખ્ય ણાને બતાવે છે. એ હકીકત આગળ ચિત્તવિદ્યાના અભ્યાસને અંગે વિચારવાની છે. એ ઉપરાંત દુર્વ્ય સના ખીજા પણ ઘણાં ચિતર્યા છે તે જરા આપણે વિચારી જઇએ એટલે લેખકના અનેકવિષયગ્રાહી જ્ઞાનના વધારે સ્પષ્ટ ખ્યાલ થાય. (a) વેશ્યાગમન. ( Prostitution ) રમણુ અને ગણિકા. ( પ્ર. ૪. પ્ર. ૨૫. ) ભિખારીના દીકરા રમણુ ઘેાડા પૈસા મળતાં મુખમાં પાન, હાથમાં ગોટા, ગળામાં હાર અને સુગધી પદાથે લઈ ઈશ્કી કું બની બજારમાં નીકળી વૈશ્યાને ત્યાં જાય છે અને ચાલતાં ચાલતાં પેાતાના શરીર પર જોતા જાય છે, ( પૃ. ૯૬૧. ) ખાલ સમારતા જાય છે અને સુગંધી સુધતા જાય છે. ઈશ્કમાં એણે સ ધન ગુમાવ્યું છતાં હજી પણ ઇશ્કના રસિયા રહ્યો છે. વેશ્યાગમન કરવાના દુર્વ્યસનનું આ અંતિમ દૃષ્ટાંત છે. અંતે તા એના ઘણા માઠા હાલહવાલ થાય છે ને તે દરરેાજના અનુભવના વિષય છે. (b) દ્યૂત. ( Gambling) પ્ર. ૪. પ્ર. ૨૬ માં જુગટાને અંગે કપાતકના દાખલા બહુ સુંદર રીતે આપ્યા છે. ‘ હાર્યો જુગારી અમણું રમે’ એ કપાતક બતાવી રહ્યો છે અને નાસવા માગે છે ત્યારે છૂટી શક્તા નથી. મૂકવાની કાઇ ચીજ ન રહે ત્યારે એ છેવટે પેાતાનું માથુ મૂકે છે. ધર્મરાજે દ્રોપદીને કેમ મૂકી હશે તેની એ યાદ આપે છે. સટ્ટો ખેલનારે યાદ રાખવા જેવા નીચેના Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ [ શ્રી સિદ્ધર્ષિ : લેખક : કે અત્ર લખી નાખવા સ્થાને ગણાય. (એના ભાષાંતર માટે જુઓ પ્ર. ૪. પ્ર. ૨૬. પૃ. ૯૭૨. ) द्यूतं हि देहिनां लोके, सर्वानर्थविधायकम् ॥ धनक्षयकरं निन्द्यं, कुलशीलविदूषणम् । प्रसूतिः सर्वपापानां, लोके लाघवकारणम् ॥ संक्लिष्टचेतसो मूलमविश्वासकरं परम् ।। पापैः प्रवर्तितं द्यूतं किमनेन न लक्षितम् ॥ () મૃગયા-શિકાર. ( Hunting ) એ જ પ્રકરણમાં (પ્ર. ૪. પ્ર. ૨૬. પૃ. ૯૭૨.) શિકારને ત્રાસ, હેરાનગતિ, દુઃખ અને ભયને ખ્યાલ આપે છે, એ વ્યસનને લાગેલા એમાં એટલા ઉતરી જાય છે કે હેરાન થાય તે પણ “હાલ જાય હવાલ જાય પણ બંકા ખેલ ન જાય”—એ કહેવતને સત્ય કરે છે. (પૃ. ૯૭૩.) અત્યારે શિકાર કરતાં પ્રાણ ગુમાવવાના દાખલા અનેક વાર સાંભળીએ છીએ. એ તે જંગલમાં રખડે, તડકા મે અને હેરાન થાય ત્યારે જ એ દુર્વ્યસનથી વ્યસનવાળાને થતા ત્રાસ અને જંગલના પશુઓના ત્રાસને ખ્યાલ આવે. (a) માંસભક્ષણ. ( Meat-eating) એ જ પ્રકરણમાં અને એ જ પેટા પ્રકરણમાં માંસભક્ષણને ખ્યાલ આપ્યો છે. નજરે જોતાં ઉલટી આવે એવી એ ચીજના સંબંધમાં નીચેનું વર્ણન યાદ રાખવા રોગ્ય છે. (પૃ. ૭૪.). बीभत्समशुचे. पिण्डो निन्ध रोगनिबन्धनम् । कृमिजालोल्वणं मांस भक्षयन्तीह राक्षसाः ॥ यैस्त्विदं धर्मबुद्धयैव भक्ष्यते स्वर्गकाम्यया । कालकूटविषं नूनमास्ते जीवितार्थिनः ॥ अहिंसा परमो धर्मः स कुतो मांसभक्षणे । अथ हिंसा भवेद्धर्मः स्यादग्निर्हिमशीतलः ॥ धर्मार्थ रसगृद्धया वा मांस खादन्ति ये नराः । निघ्नन्ति प्राणिनो वा ते पच्यन्ते नरकाग्निना ॥ આ ચાર લેકમાં બહુ મુદ્દાની વાત કરી છે. એમાં ધર્મબુદ્ધિ Page #225 -------------------------------------------------------------------------- ________________ એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ] ૧૮૩ ધરનારની અથવા એવા જીભલડીના રસિયાની શી ગતિ થાય છે તેનું આ આબેહૂબ વર્ણન છે અને માંસની વ્યસનતા કેવી ચીજ છે એ પર યોગ્ય દષ્ટાન્ત આપ્યું છે. (9) ચેરી. (Theft) કરનાર દુષ્ટ શીલ, તેને મદદ કરનાર અને ચોરીનો માલ પડાવી લેનાર મહેશ્વર શેઠ મફતમાં માલ પડાવી લેવા કેવા લલચાય છે અને જાતે ગરીબ તરફ કેવા પ્રતિકૂળ વલણવાળા છે તથા ચોરી કરનાર અને તેને ઉત્તેજન આપનારના અંતે કેવા હાલ થાય છે એ વાત ભવચક્રના કેતુકામાં ઠીક કહી દીધી છે. (પ્ર. ૪. પ્ર. ૨૪.) એમાં ધનનું સ્વરૂપ અને તે જવા બેસે છે ત્યારે કેવું શીધ્ર ચાલ્યું જાય છે એ વાત તે ભારે મજાની કહી દીધી છે. મામા ભારે જબરા છે, મહાઅનુભવી છે, ખૂબ જોઈને સમજાવી શકનાર છે. (પૃ.૫૭-૮) એમનું કથન મનન કરવા યોગ્ય છે. ચેરીના મોટા દુર્ગુણ પર આના કરતાં પણ વધારે સબળ દષ્ટાન્ત પાંચમા પ્રસ્તાવમાં વામદેવને અંગે આવે છે. એ વિમળના રત્નને કેવું સંતાડે છે અને ચેરને પિટલે અંતે ધૂળની ધૂળ કેવી થાય છે એ આખી વાર્તા મનન કરી સમજવા ગ્ય છે. (પ્ર. ૫. પ્ર. ૮.) આ ચોરીને મહાદુર્ગણ છે અને એને લેખકે બરાબર વર્ણવ્યો છે. (f) પરસ્ત્રીગમન. (Adultery) વેશ્યા સર્વ સામાન્ય સ્ત્રી-પચસ્ત્રી છે. અન્યને પરણેલી હોય તેની સાથે વિષયસુખ સેવનાર તેના પતિને પણ મોટો અન્યાય કરે છે. લાક્ષ રાજા પ્ર. ૪. પ્ર. ર૨ માં પિતાના સગા ભાઈની સ્ત્રી રતિલલિતા ઉપર નજર બગાડે છે. રતિલલિતાની પછવાડે એ પડે છે ત્યારે સ્ત્રીની નૈસર્ગિક બુદ્ધિ-પ્રેરણાથી એ એની કામવાસના સમજી જાય છે (પૃ. ૯૪૦.). અંતે બને સગા ભાઈઓ તરવારબાજી ખેલે છે અને લાલાક્ષ પડે છે, રાજ્યથી ભ્રષ્ટ થાય છે અને લેકની નજરમાં હલકે પડે છે. પરદા રાગમનમાં મદનકંદળી તરફ બાળનું આકર્ષણ અને આખરના હાલહવાલ એ જ પરિણામ સૂચવે છે. (પ્ર ૩. પ્ર. ૧૦.) (g) સુરાપાન. (Alohohol) જેમ મોટા વિષયમાં શ્રીસિદ્ધર્ષિની કલમ ચાલી છે તેમ દુનિયાના નાનામાં નાના કે મોટામાં મોટા દુર્ગણને એ ભૂલ્યા નથી. ક્રોધ, માન, માયા, લોભને તે એમણે ખૂબ ચિતર્યા છે અને તે માટે ત્રીજા, ચોથા, પાંચમા અને Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ [ શ્રી સિદ્ધષિ : : લેખક : છઠ્ઠા પ્રસ્તાવના માટે ભાગ રોકયો છે અને મુખ્ય પાત્રદ્વારા એના અંતરમાં ઊતરી ગયા છે, પણ દારુ પીવાથી થતાં પિરણામ જેવી ખાખતને પણ એ ચૂકયા નથી. એમનુ અવલેાકન કેટલું સ્પષ્ટ હતુ' એ બતાવવા આ હકીકત એક દૃષ્ટાન્ત તરીકે મૂકી છે. દારુને! પ્રથમ પ્રસંગ લેાલાક્ષ રાજાના વર્ણનમાં આવે છે, વસંત ફાલી રહ્યો છે, લેાકેા નગરની બહાર નીકળી પડ્યા છે, વૃક્ષઘટા નીચે બેસી દારુ પીએ છે અને મનમાં આવે તેમ વર્તે છે. પ્ર. ૪. પ્ર. ૨૧. પૃ. ૯૨૩-૨૪ માં એનું વર્ણન આવે છે. એ વર્ણન વાંચતાં વસંતઋતુ લેાકેામાં કેવા ઉન્માદ ઉત્પન્ન કરે છે એનેા બરાબર ખ્યાલ આવે છે. મૂળ શ્લાક અને વિવેચન ત્યાં આપ્યું છે તેથી અન્ન તેનું પુનરાવર્તન કરવાની જરૂર નથી. એ વસંતરાજનુ આખુ વણુ ન અને ખાસ કરીને સુરાપાનની મંડળીઓ, સ્ત્રીએ સાથેના વર્તાવેા, સ્ત્રીઓની સ્વતંત્રતા અને ચારે તરફ રહેલા આનદ વાંચતાં તે જમાનામાં લેાકેા ઉલ્લાસ કેમ કરતા તેને ખ્યાલ આવે છે. લેાલાક્ષ રાજા ખૂબ દારુ પી મકરધ્વજની અસર નીચે વસંત ખેલી રહ્યો છે, એણે મર્યાદા મૂકી દીધી છે, એ પરવશ થયા છે, તે વખતે એની ગંભીરતા નાશ પામી ગઇ છે અને એ બાળક જેવી ચેષ્ટા કરે છે. ( પૃ. ૯૩૯ ) એ વખતે એના નાના રિપુક પને દારુની અસર નીચે પેાતાની સૌંદય શાળી સ્ત્રીને ( રતિલલિતાને ) નાચવાના હુકમ કર્યા. પછી તેા કહેવું શું ? લેાલાક્ષ રતિલલિતા પર આસક્ત થયા, વિવેક ભૂલ્યે, એના લાવણ્યપર વિો અને શુ કરે છે તેના વિવેક વગરના થઈ તેની પછવાડે પડ્યો. રતિલલિતા નાશીને ચંડિકાની મૂર્ત્તિ પછવાડે ભરાઇ ગઇ, રાજાએ પ્રમત્તપણામાં દેવીની મૂર્ત્તિને તરવારથી ઉડાડી દીધી, રતિલલિતાને બૂમ મારી, રિપુક ંપન દારુના ઘેનમાંથી જાગ્યા અને માઢુ ધમસાણ થયું. અનેક મરાયા, કપાયા અને લેાલાક્ષ પણ જમીન પર પડ્યો અને હેરાન થયા. સગા ભાઇઓને સ્નેહ વીસરાવનાર દારુ માટે છેવટે લેખક કહે છે કે:~ मद्ये च पारदार्ये च ये रताः क्षुद्रजन्तवः । तेषामेवंविधानर्थान् वत्स ! कः प्रष्टुमर्हति ॥ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ] मद्यं ही निन्दितं सद्भिर्मद्यं कलहकारणम् । मद्यं सर्वापदां मूलं मद्यं पापशताकुलम् ॥ न त्यजेद्व्यसनं मद्ये पारदार्ये च यो नरः । यथायं वत्स लोलाक्षस्तथासौ लभते क्षयम् ॥ मद्यं च पारदार्य च यः पुमांस्तात मुश्चति । स पण्डितः स पुण्यात्मा स धन्यः स कृतार्थकः ॥ આ આખા વિભાગ દારુ પીનારની સ્થિતિના બારિક અવલોકન વગર લખી શકાય તેવો નથી. એની ભાષા અને વર્ણનનું સચોટપણું બહુ સુંદર છે. વર્ણનદષ્ટિએ એમાં કાવ્ય અને ગૂઢ શક્તિ છે. આખો પ્રસંગ પ્ર. ૪ ના વેવીશમાં પ્રકરણમાંથી સમજવા યોગ્ય છે. | દારૂના પીઠાનું ખરું વર્ણન પ્ર. ૭. પ્ર. ૩ માં આવે છે. ત્યાં એક મુનિ પિતાને દીક્ષા લેવાના કારણમાં દારુનું પીઠું જોયું એ વાત કરે છે અને તેથી પોતાને ઉપદેશ લાગે એમ કહે છે. એના અગત્યના મૂળ લેકે પ્ર. ૧૬૬૭ માં આપ્યા છે એટલે અત્ર ફરી વાર પુનરાવર્તન કરતા નથી. દશમા સૈકામાં દારૂના પીઠાં કેવાં ચાલતા હશે, ત્યાં લોકો શું કરતા હશે, કેમ વર્તતા હશે એને બરાબર ખ્યાલ આપે એવું આ વર્ણન છે. એના ઊંડા આશયની સાથે આપણે અત્યારે કામ નથી. અહીં તે વાત એ છે કે શ્રી સિદ્ધર્ષિએ જે જોયું હશે તેને લખી જણાવવાનું તેમનું કૌશલ્ય ભારે જબરું છે. પછી એમાં જુદા જુદા પ્રકારનાં લેકેને દારુની એ છીવધતી અસર થાય છે તેનું પણ ભારે વર્ણન આવે છે. આ સર્વ હકીકત દારુની અસર તળે માણસેના કેવા હાલ થાય છે તે બતાવે છે અને લેખકની એ વર્ણવવાની શક્તિ બતાવે છે. આ સર્વ પ્રસંગને જ્યારે સમન્વય કરવામાં આવે ત્યારે લેખકની વિશિષ્ટતાને ખ્યાલ આવી શકે. જે લેખક શેલેશીકરણની અને વાંદરાના બચ્ચાની પણ વાત કરી શકે છે તે લોલાક્ષ જેવા શ્રીલંપટ દારુડીઆ અવિવેકીને પણ ચિતરી શકે છે એ એમના ૧. જુઓ ક. ૪. પ્ર. ૨૩. પૃ. ૯૪૩. ૨૪ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ [ શ્રી સિદ્ધર્ષિ : લેખક ? જ્ઞાનની વિશાળતા, સ્વયં નિલેપતા અને વૈવિધ્યની છાપ હદય પર પાડ્યા વગર રહે નહિ. ગ્રંથના વધારે ઊંડાણવાળા વાંચનથી આવી તે અનેક નાની નાની બાબતે મન પર આવે તેમ છે. (h) મિત્રદ્રોહ. (Treaclery ) ધનશેખરે હરિકુમારના વિશ્વાસને-સ્નેહનો ખ્યાલ કર્યા વગર એની સ્ત્રીને અને એના રત્નને પચાવી પાડવા એને દરિયામાં નાખી દીધો. એનાં પરિણામ એને તુરતજ ચાખવાં પડ્યાં. (પ્ર. ૬. પ્ર. ૭.) એ મિત્રદ્રોહનું દષ્ટાન્ત આબાદ છે. એ જ પ્રકારનું બીજું દષ્ટાન્ત વામદેવનું પ્ર. ૫. પ્ર. ૮ માં આવે છે. વિમળકુમાર સાજ ને નમૂન છે, ત્યારે આ ભાઈ ધનશેખર મિત્ર-દ્રોહ કરનાર છે. એ દષ્ટાન્ત પણ ખરેખર વિચારવા યોગ્ય છે. એ જ પ્રસંગ કનેકશેખરને અંગે નંદિવર્ધન મિત્ર હોવા છતાં કનકશેખર સાચાં વચન કહે છે તે માટે નંદિવર્ધન તરવાર પર રાજસભામાં હાથ નાખે છે. (પ્ર. ૩. પ્ર. ૨૫. પૃ. ૬૧૮.) મિત્રતાને એ રે દ્રોહ છે. () કતજ્ઞતા, (Ungratefulness) ઉપકાર કરનાર પર ઉપકાર કરવાને બદલે અપકાર કરનાર અતિ અધમ માનસિક દશાના પુરુ જગતમાં કેક હોય છે. એનું દષ્ટાન્ત સદર વામદેવ (પ્ર. ૫. પ્ર. ૮.) પૂરું પાડે છે. વિમળકુમારથી એ વધેલો એનાં જ રત્નની ચોરી કરે છે અને એને જ છેતરે છે. એનાં કરતાં ધનશેખરની કતદાતા તે હદ વગરની છે. એનું આખું જીવન કૃતજ્ઞતાને નમૂને છે. એ પહેરેલે કપડે સ્વોપાર્જિત દ્રવ્ય મેળવવા નીકળી પડે છે ત્યારે માતાને તે જવાબ પણ આપતા નથી. (પ્ર. ૬. પ્ર. ૧. પૃ. ૧૪૭૨) એને નમન કરે છે એટલી પણ એની વિશિષ્ટતા ગણાય. કમલિનીને પર પણ ધનદ શેઠની પુત્રીને સુખ ન આપ્યું. શેઠે એકની એક દીકરીને સુખી કરવા એને રાખ્યો હતો પણ એની નજર તે ધન પર જ હતી. એ શેઠને ઘેર પણ ન રહ્યો અને ધન ધન કરતો સેનેયા ભેગા કરવા લાગ્યા. કમલિનીને એણે જરા પણ સુખ આપ્યું હોય એમ લાગતું નથી. અંતે કરડે મન્યા તે પણ બૈરીને એના બાપને ઘેર મૂકી. (પૃ. ૧૪૪.) એ ત્યારપછી કમલિનીને ભેગા થયે નહિ અને તવંગર બાપની સુશીળ દીકરી છતે ધણીએ વૈધવ્યનાં દુઃખ ભેગવી મરી ગઈ હશે એમ Page #229 -------------------------------------------------------------------------- ________________ એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ] ૧૮૫ કલ્પી લેવુ પડે છે. એ ધનશેખરે વિમળ સાથે મિત્રદ્રોહ કેવા કર્યા તે ઉપર જોયું; તેમાં કૃતઘ્નતા પણ આવી જાય છે. કૃતઘ્રતાનું ખરું વર્ણન ૫. ૪. પ્ર. ૨૮ માં પિશાચી ખલતાને અંગે કર્યું છે. જીઆ પૃ. ૧૦૦૩. ( ) વિશ્વાસઘાત. વિશ્વાસઘાતી પણ ધનશેખર જખરા. એણે હિરકુમારને દિરયામાં ધકેલી દીધા એ તેા વિશ્વાસઘાતની પરાકાષ્ઠા કહેવાય. ( પ્ર. ૬. પ્ર. ૭. ). એ ઉપરાંત નાના મોટા અનેક દુર્ગુણા આખા ગ્રંથમાં એવી યુક્તિથી વણી દીધા છે કે ખરાખર વિચાર કરી પ્રથક્કરણ કરવામાં આવે તા જણાય કે કાઇ પણ દુન્યવી દુર્ગંણુ શ્રી સિદ્ધર્ષિના માનસ ક્ષેત્રમા આવ્યા વગર રહેલ નથી. માત્ર એને માટે એમના ગ્રંથ જરા વધારે કાળજીથી અને ઊંડા ઊતરીને વાંચવાની જરૂર પડે તેમ છે. એમને લગભગ દરેક દુર્ગુણનું પ્રશ્ન ન કરાવવું હતું અને તે તેમણે કથાદ્વારા અતિ સુંદર રીતે કરાવ્યું છે. દાખલા તરીકે નીચેના નામેા વિચારીએ. અત્ર માત્ર નામ અને સ્થાનના નિર્દેશ જ શક્ય છે. અતિ ખાઉકણપણું (Overeating) વેદ્યુહલ (પ્ર. ૪. પ્ર. ૧૧. પૃ. ૮૨૧) ઊંટવૈદુ ( Quackery ) શાંતિશીવ (૫૪.પ્ર. ૧૦. પૃ. ૮૧૬–૭) ભેળપણુ( Simplemindedness ) કાળજ્ઞવિચક્ષણા (પ્ર ૩.પ્ર. ૬. પૃ. ૪૧૦–૨) રાજખટપટ ( Strategy ) દુ ખ (૫. ૩. પ્ર. ૧૯, પૃ. ૫૫૮-૯) વચનભંગ ( Promise-breaking ) પ્રભાવતી–વિભાકર (પ્ર. ૩. પ્ર. ૨૦. પૃ. ૫૬૮૯) જ્ઞાનના અપચા ( Pride ) સિંહાચાર્ય ( ૫. ૮. પ્ર. ૧૦. પૃ. ૧૯૬૨–૩) ખલતા ( Roguery ) પિશાચી ( પ્ર. ૪. પ્ર. ૨૮. પૃ. ૧૦૦૨-૩) વિકથા ( Tale-telling ) દુર્મુખ ( ૫. ૪. પ્ર. ૨૬. પૃ. ૭૫–૮ ) વિષાદ ( Condolence ) ધનવ્રુત્ત ( ૫. ૪. પ્ર. ૨૬. રૃ. ૯૭૮–૮૪) Àાક ( Sorrow ) તામસચિત્તે ( ૫. ૪. પ્ર. ૮. પૃ. ૭૯૬–૮) (૫, ૭. પ્ર. ૧૩. રૃ. ૧૭૮૦–૮) ,, ( ) ઘનવાહન 22 Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ [ શ્રી સિહર્ષિ : લેખક : વહેમી મન (Doubting mentality) નિપુણ્યક (પ્ર. ૧. પીઠબંધ. પૃ. ૧ર-૫) મિથ્યાભિમાન (Pride) રિપુકંપન (ક, ૪. પ્ર. ૨૩. પૃ. ૯૪૪) આ સર્વ બાબતે લેખકનું જ્ઞાનવૈવિધ્ય અને દુનિયાને અનુભવ તથા વ્યવહાર વ્યક્ત કરવાની શક્તિને એના સાદા, સ્પષ્ટ અને આકર્ષક આકારમાં બતાવે છે. (૧૨) લગન. ... ... ... (Marriage) સંસારને પાયો લગ્ન પર છે. આર્થિક પ્રશ્નમાં લગ્ન અને મિલ્કત બે મુખ્ય સ્થાન ભોગવે છે. લગ્નના પ્રસંગે આખા ગ્રંથમાં એટલા અને એવા આવે છે કે લગ્નના વિષયમાં લેખકશ્રી તદ્વિતનિષ્ણાત (specialist ) હોય એમ કહી શકાય. એમના ગ્રંથમાં લગ્નના અનેક પ્રકાર આવે છે અને દરેકની ખાસીઅત જુદી છે. એ પ્રસંગ પર બહુ મુદ્દાસરનું ટૂંકું જરૂરી વિવેચન કરી માત્ર વસ્તુનિર્દેશ કરવાથી તેનું વિશાળ જ્ઞાન કેટલું વિવિધ હતું તે બતાવાશે. નીચેના પ્રસંગે આ બાબતને અંગે વિચારવા – (a) નરસુંદરી–રિપુદારણ લગ્ન (પ્ર. ૪. પ્ર. ૩). આ લગ્નમાં લગ્ન કરવા સારુ વરની ખ્યાતિ સાંભળી કન્યા રાજપુત્રી હોવા છતાં પરીક્ષા કરવા માટે તેને મળવા આવે છે, રાજસભામાં પ્રશ્ન કરવાની હિંમત કરે છે, કળાનો અભ્યાસ કેટલે છે તેની પરીક્ષા કરે છે અને છેવટે પિતાના હુકમને તાબે થઈ વગર તપાસે પરણું જાય છે. આમાં સંમતિ લગ્ન, પસંદગી લગ્ન, સ્ત્રીની મર્યાદા, પિતાની આજ્ઞાનું પાલન આદિ અનેક પ્રશ્નો અંતર્ગત છે; પણું લગ્નની એક પદ્ધતિ તરીકે આ બાબત ખાસ વિચારવા યોગ્ય છે. આ પસંદગીના લગ્ન છે, પણ એના ઉપર મા-બાપને અંકુશ છે અને તે અંકુશ આખરે પસંદગી કરતાં વધારે આકરો થઈ જાય છે. (પૃ. ૭૩૭.) આવા પ્રકારનાં લગ્નો પણ શ્રી સિદ્ધર્ષિના સમયમાં પ્રચલિત હશે એમ ધારી શકાય. પસંદગી છતાં વડીલોને અંકુશ ચાલુ રહે છે તેની અંતર્ગત કુટુંબભાવના કેવી હશે તે ચર્ચવા ચેચ પશ્ર દવે Page #231 -------------------------------------------------------------------------- ________________ એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : } ૧૮૯ ( b ) વિશાળા નગરીના રાજા નંદનને વિમલાનના નામની પુત્રો થઇ. તેના જન્મ પહેલાં તેને વિભાકર સાથે પરણાવવાનું પિતાએ નક્કી કર્યું હતું ( પ્ર. ૩. પ્ર. ૨૦. પૃ. ૫૬૭) પણ એ કનકશેખરના નામહિમા સાંભળી તેને વરવા ઇચ્છા કરે છે ત્યારે પિતા પુત્રી તરફ્ના ધર્મ વિચારી આપેલ વચનના ત્યાગ કરી વિવાહની વાત તજી દે છે પણ પાતે લગ્નમાં ભાગ લેતા નથી. મંત્રી સાથે દીકરીને કનકપુર માકલી આપે છે. (પૃ. ૫૬૯. ) કનકપુરથી કુમાર કનકશેખર રીસાઇ પરદેશ ગયેા છે ત્યાંથી આવી તે વિમલાનનાને પરણે છે. ( પૃ. ૫૮૨. ) આ લગ્ન પુત્રીની ઇચ્છા પ્રમાણે નામશ્રવણુથી થયેલા આકષ ણુને અંગે થયેલ છે. એમાં પ્રેમ કરતાં મેાહનું તત્ત્વ વધારે છે અને લગ્નમાં પિતાનું સ્થાન શું હાવું જોઇએ અને પુત્રીનું હિત કેમ ઇચ્છાય તે સંબંધી દશમી સદીના વિચારા બતાવનાર હાઈ લગ્નના એક અવનવા પ્રકાર રજૂ કરે છે. પિતાના વ્યવહારુ વિચાર જરૂર વાંચવા લાયક છે ( પૃ. ૫૬૮. ) (૦) નંદિવર્ધન અને રત્નવતીના લગ્ન વિચિત્ર સંયેાગમાં થાય છે. એ રત્નવતી સદર વિમલાનનાની બહેન છે. એને પરણવું છે વિમલાનનાના કેાઈ મિત્ર સાથે, કારણ મહેન જેને પરણે તેની સાથે જ પેાતે પરણે તા શામ્ય થાય એ વાત એને ગમતી નહેાતી (પ્ર. ૩. પ્ર. ૨૦ પૃ. ૫૬૯) એના લગ્નમાં ઈચ્છા જેવું-પસંદગી જેવું કાંઇ નથી. કનકશેખર સાથે ન દ્વિવ ન આવ્યા એટલે એ તેને પરણી ગઈ. આ લગ્નમાં કાંઈ પણ ધેારણ કે મુદ્દો નથી. એમાં મહેન બહેનના પ્રેમ કાંઇક વિચારવા જેવા ગણાય. ખાકી એ લગ્ન વગરધારણનુ છે. દશમી સદીના આદર્શ લગ્નમાં એને કાંઇ સ્થાન લાગતું નથી. એ લગ્ન ખડ઼ે આડંબરથી થયા છે. એમાં ન ંદિવર્ધનના પિતાએ અહુ ભાગ લીધા હોય એમ લાગતું નથી. (પ્ર. ૩. પ્ર. ૨૨. પૃ. ૫૮૨.) ( d ) વૈશ્વાનરની પ્રેરણાથી રસ્તે પ્રયાણ કરતાં શદ્ધચિત્તપુરમાં ન દ્વિવ નના લગ્ન હિંસાકુમારી સાથે થાય છે (પ્ર. ૩. પ્ર. ૨૧. પૃ. ૫૭૭), પણ એ અંતરંગ નગરના લગ્ન છે અને તે વખતે કનકશેખર વિગેરે મિત્રા પણુ લગ્નમાં ભાગ લઇ શકયા નથી (પૃ. ૫૭૭ ) અને છડી સ્વારીએ એકલા જઈ કુમાર ન’દિવ ન તને પરણી આવ્યા છે. એ લગ્ન અત્યારે કાઈ દૂર દેશમાં જઈ પરી Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ [ શ્રી સિહર્ષિ ઃ લેખકઃ આવે છે અથવા વર અને અણવર માત્ર બે જ જણે સાથે જઈ કન્યાને પરણીને લઈ આવે છે તેવા પ્રકારના છે. આવા પ્રકારના લગ્ન અત્યારે પણ થાય છે. એવાં લગ્નને પ્રકાર તુચ્છ કટિમાં આવે છે અને લગ્નની પહેલાં પૂરતી જાહેરાત થતી ન હોવાથી નિષિદ્ધ ગણાય છે. એને લગ્ન તદ્દન ખાનગી રહ્યા જણાય છે, નહિ તે સુરતમાં જ રત્નતી નંદિવર્ધનને પરણત નહિ. (e) વિભાકર સાથેના યુદ્ધમાં સમરસેન અને દ્રુમને હરાવી મારી નાખ્યા અને છેવટે વિભાકરને પાડ્યો ત્યારે નંદિવર્ધનની કીર્તિ ઘણું વધી ગઈ અને નગરપ્રવેશ થતાં કુમારી કનકમંજરી સાથે તારામૈત્રક થયું. એ કનકશેખરની બહેન થાય. એણે નંદિવર્ધનની આંખમાં મેહ-પ્રેમ છે અને એ પ્રેમમાં મૂંઝાઈ ગઈ. એણે આકરી કામદશા અનુભવી. એના પિતાએ એને નંદિવર્ધન સાથે પરણાવી. આ મેહથી થયેલા પ્રેમલગ્ન કહેવાય. દશમી સદીમાં આવા લગ્ન આદર્શ ગણાતા હશે. (પ્ર. ૩. પ્ર. ૨૪.) એનાં હસ્તમેળાપ વખતે એ ઉઘાડે મુખે માયરામાં બેસે છે, એના શરીર પર વસ્ત્રો એવા છે કે એમાંથી એનું પેટ પણ દેખાય અને એનું વર્ણન વાંચતાં (પૃ. ૬૧૩) અત્યારની પતંગીઓ જેવી સ્ત્રીઓ (butterfly કે flapper ) યાદ આવે. એમ બનતું હશે એમ કદાચ આજ ન માનવામાં આવે, પણ દશમી સદીમાં પડદો કે ઘુમટો નહોતો એ તે ઐતિહાસિક વાત છે. આ લગ્ન માત્ર લગ્નની નજરે જોઈએ તો આદર્શ ગણાય. એમાં મંજરી ભૂલી હતી તે જુદી વાત છે, પણ લડાઈમાં વિજય મેળવનારને સુંદરીઓ ખૂબ ચાહતી હતી એ લડાઈના ભેગને બદલો ગણાય. એમ લાગે છે કે કનકમંજરીને કદાચ ખબર પણ નહિ હોય કે રત્નપતીને તે વરરાજા પરણી ચૂકેલા હતા. ગમે તેમ હોય પણ “યુદ્ધ લગ્ન” તરીકે આ લગ્નપ્રકાર એક અવનવી ભાત પૂરી પાડે છે અને એ ખાસ જાણવા ગ્ય છે. (૨, ૩. પ્ર. ૨૪ મું. એ આખું પ્રકરણ આ રીતે વિચારવા ચોગ્ય છે.) (f) વિદ્યાધર રત્નચૂડના લગ્ન ચૂતમંજરી સાથે થયેલા વર્ણવ્યા છે (મ, ૫. પ્ર. ૪. પૃ. ૧૧૬૯-૭૦) તેમાં બે પ્રકાર છે: એક તે રત્નચૂડ સ્વધમાં હતો અને લક્ષણયુક્ત શરીરવાળે Page #233 -------------------------------------------------------------------------- ________________ એમનું અનેકવિષયગ્રાહી સાન ઃ ] ૧૯૧ હતા. કન્યાને પિતા રત્નશેખર અનેક અગવડ અને ઉપાધિ વહારીને પણ દીકરીને આવા ઉત્તમ ધમષ્ટ પતિ સાથે જોડી આપે અને દીકરીની તમાં સંમતિ લે તે લગભગ “આદર્શ લગ્ન ” અને “ધર્મલગ્ન” વ્યવહારની નજરે કહેવાય. સ્થળ લગ્નમાં આ લગ્નને પ્રકાર પ્રથમ પંક્તિએ આવે છે. આંતરલનો કથાપ્રસંગમાં આવે છે તેની તા જાતિ જ જુદી છે. વ્યવહારમાં આ ધર્મલગ્ન ઉચ્ચ કેટિમાં આવે. (g) છઠ્ઠા પ્રસ્તાવમાં હરિકુમાર અને મયૂરમંજરીના લગ્ન પણ એ જ રીતે પ્રથમ કેટિમાં આવે. મંજરીને સ્નેહ હરિકુમાર પર ઘણે છે, બાળકાળના મિત્રો છે, મામા ફેના છોકરાં થાય છે, વિરહદશાને સાક્ષાત્કાર માતાને થાય છે (પૃ. ૧૫૧૮) અને માતા પુત્રીને હૃદયવલ્લભ મેળવી આપવાનું બંધુલાદ્વારા વચન આપે છે (પ્ર. ૬ પ્ર. ૫. પૃ. ૧૫૨૨) અને પિતાની પરવાનગીથી ઉત્સવપૂર્વક હરિ-મંજરીના લગ્ન થાય છે. એ લગ્નપ્રકાર પણ સુંદર ગણાય. (પૃ. ૧૫૨૬-૭) રાજદરબારમાં તે પસંદગી લગ્નને ઘણું ઉચ્ચ સ્થાન હતું એમ અનેક પ્રસંગે જણાય છે. સામાન્ય જનતા તેનું અનુકરણ કેટલે દરજે કરતી હતી તેને ખ્યાલ આવતો નથી. (h) ગુણધારણ કુમાર મદનમંજરી વિદ્યાધરપુત્રીને પરણે છે તેમાં પ્રેમલગ્નને સ્થાન છે પણ મેહ વધારે છે. પ્રથમ દષ્ટિએ મળતાં પ્રેમ થઈ જાય તેમાં ઘણું વાર મેહને પ્રકાર વધારે હોય છે. એમાં ઉમત્તતાને ભાવ વધારે અને લાગણીના ઉછાળા વધારે હોય છે. વિદ્યાધરને અન્યની ભીતિ પણ ઘણું રહે છે. એ લગ્ન પણ એકદમ થઈ જાય છે, જંગલમાં થાય છે અને ધમાલમાં ગુણધારણના પિતાને નગરમાંથી બોલાવવાને પણ વખત મળતો નથી. (પ્ર. ૮. પ્ર. ૩. પૃ. ૧૮૭૭.) એ લગ્ન સુખી નીવડે છે એ અકસ્માત છે, બાકી એ લગ્ન ચાર પ્રકારના આસુરલગ્નની કક્ષામાં એ જાય. આ લગ્નને માત્ર લગ્નની નજરે જોઈએ તે હીન પ્રકારમાં એ આવે. (i) ઉપરાંત નીચેનાં લગ્ન આંતર નગરનાં છે. એના પર વિવચન કરવું નકામું છે. ગ્રંથલેખનમાં એને અગત્યનું સ્થાન છે પણ લગ્નના પ્રકારમાં એનો ઉપચોગ નથી. કેટલાંક તા ભવિષ્યમાં થનારાં Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ [ શ્રી સિદ્ધર્ષિ :: લેખક : લગ્નાની સંકલના માત્ર છે, કેટલાંક માત્ર વિચારપથના આવિોવે છે અને કેટલાંક પ્રગતિના માર્ગસૂચક કલ્પનાજાળા છે. એ કેટિમાં નીચેનાં લગ્ન આવે. ક્ષાંતિકુમારી સાથે ભવિષ્ય લગ્ન નદિનનું ( %, ૩. પ્ર. ૨. ) દયાકુમારી સાથે ભવિષ્ય લગ્ન ન ંદિવર્ધનનું (પ્ર. ૩. પ્ર. ૨૭. ) મૃદુતા સાથે ભવિષ્ય લગ્ન રિપુદારણનુ (પ્ર. ૪. પ્ર. ૩૬ ) સત્યતા સાથે ભવિષ્ય લગ્ન રિપુઠ્ઠારણg (૫, ૪. ૫. ૩૯. ) ઋજુતા સાથે ભવિષ્ય લગ્ન વામદેવનું (પ્ર. પુ. પ્ર. ૨૧.) અચારતા સાથે ભવિષ્ય લગ્ન વામદેવનુ' (પ્ર. પુ. પ્ર. ૨૧. ) મુક્તતા સાથે ભવિષ્ય લગ્ન ધનશેખરનું (પ્ર. ૬. પ્ર. ૯. ) બ્રહ્મરતિ સાથે ભવિષ્ય લગ્ન ધનશેખરનું (પ્ર. ૬. પ્ર. ૯. ) વિદ્યા સાથે ભવિષ્ય લગ્ન ઘનવાહનનું (પ્ર. ૭. પ્ર. ૧૪. ) નિરીહતા સાથે ભવિષ્યલગ્ન ઘનવાહનનું (પ્ર. ૬. પ્ર. ૧૪. ) એ સર્વ લગ્નની વાત પ્ર. ૮. પ્ર. ૬ માં આવે છે તે પણ વાંચવા જેવી છે, પણ લગ્નની પ્રથા કેવી હશે તે સમજવા માટે એ હકીકતને સ્થાન નથી. લગ્નના પ્રસંગેા પણ સુંદર ચિતર્યા છે અને લગ્નનાં વર્ણન પણ મજાનાં છે. લગ્ન કેવી રીતે કરવામાં આવતા હશે, તે પ્રસંગે મહેાત્સવ કેવા થતા હશે, રીતિરવાજ કેવા કરવામાં આવતા હશે, જોશી મહારાજનુ એમાં શું સ્થાન હશે, માયરામાં કન્યાને કેમ એસાડવામાં આવતી હશે વિગેરે અનેક મામતે દેશમા શતકના રીતરિવાજ સમજવા માટે ઉપયાગી ગણાય. અત્યારે ‘ લગ્ન ’ ને પ્રશ્ન તદ્દન જુદા જ રૂપમાં સમજવા ચેગ્ય છે, લગ્નથી પ્રાણી જીવનના ઘણા પ્રશ્નનાના એક પ્રકારે નિર્ણય કરી દે છે, તેથી તે પ્રશ્નને આપણા સાંસારિક તેમજ આર્થિક પ્રશ્નના સાથે ઘણુંા મહત્ત્વના સંબંધ છે. જેમ મિલ્કત ( Property ) ને સવાલ, તેની માલિકી, તેના પર વારસા હક્કો, તે કાને જવી જોઇએ તે નિર્ણય કરવાના હક્ક અત્યારે ઘણું! અગત્યના ગણાય Page #235 -------------------------------------------------------------------------- ________________ એમનું અનેકવિષયગ્રાહી સાન ઃ ] ૧૯૩ છે અને સામ્યવાદ( Communism)ના સિદ્ધાન્ત પછી એના પર અનેક અવનવા પ્રકાશ પડેલા છે તે જ પ્રમાણે લગ્નને પ્રશ્ન ઘણે અગત્યનું છે. એ પ્રશ્નની વિચારણું કરવા માટે દશમી સદીના અગત્યના વિચારો ઉપયોગી થઈ પડે તેમ છે તેથી તે પર આ સ્પષ્ટ ઉલ્લેખ છે. એ ઉપરથી જણાશે કે આ લેખક મહાત્મામાં અનેક પ્રકારનું વૈવિધ્ય હતું. અનેક હકીક્ત જણાવવાની, ઝળકાવવાની અને વ્યક્ત કરવાની તેમની શક્તિ અસાધારણ હતી. (૧૩) યુદ્ધનીતિ. . . .(War strategy) શ્રી સિદ્ધર્ષિને આ ખાસ વિષય જણાય છે. તેઓ યુદ્ધનીતિવિગ્રહનીતિના જ્ઞાનમાં નિષણાત (expert) જણાય છે. એમના આખા ગ્રંથમાં મહામહરાજ એક બાજુએ અને ચારિત્રરાજ બીજી બાજુએ લડે છે તે તેમને બતાવવાનું છે. એ બતાવવા માટે તેમણે યુદ્ધનું આખું નીતિશાસ્ત્ર જુદા જુદા પ્રસંગે લઈને લખી નાખ્યું છે અને કેટલીક વાત વાંચનારની સમજ ઉપર ગર્ભિતપણે રાખી છે. તે કાર્ય તેઓ કેવી સફળતાથી બજાવી શક્યા છે તે જરા વધારે વિગતથી તપાસવું પડશે, કારણ કે લડાઈ-વિગ્રહ એ એમને ખાસ વિષય જણાય છે અને એક નજરે જોઈએ તે આખા ગ્રંથને એ ખાસ મુદ્દો છે. મારા મતે આ આખો ગ્રંથ “લડાઈ”-વિગ્રહને હેઈ, લેખકને ખરા આકારમાં બતાવવા માટે આ વિગ્રહનીતિ અને રાજનીતિ પર ખાસ લંબાણથી વિવેચન સ્થાને ગણશે. પ્રથમ એમને પરિચય કરવાને માર્ગ નીહાળીએ. બહુ યુક્તિસર તેઓ બન્ને બાજુના પાત્રને-સામ સામે લડનારાઓને પરિચય કરાવે છે. ત્રીજા પ્રસ્તાવમાં સ્પર્શનની મૂળ શોધ કરવા માટે પ્રસંગ લઈ અતિ વૃદ્ધ મેહરાજાનું જેર, એની લડાઈ કરવાની તીવ્ર જિજ્ઞાસા, સાર્વત્રિક વિજય કરવાનો નિર્ણય બતાવી વૃદ્ધ રાજાએ બે પુત્ર રાગકેસરી અને દ્વેષગજેને રાજ્ય આપેલ હોવા છતાં અડીને વખતે ખુંખારે કરી હથિયાર હાથમાં લેતાં અને કૂચ કરતાં એને એમણે બતાવ્યાં છે. છતાં ખૂબી એ છે કે તેઓ કોની સામે લડવા ૨૫ Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ [ શ્રી સિહર્ષિ : લેખક : જાય છે તે જાણતા નથી. સંતોષે ભવજંતુને મોક્ષમાં એકલી આવે એટલે તેઓ લડવા-વિજય કરવા નીકળી પડે છે અને પ્રથમ કાર્ય કરવા વિષયાભિલાષ મંત્રી પિતાના પાંચ પુરુષને આગળ કરે છે. એ પાંચ તે સ્પશન, રસન, ધ્રાણ, ચક્ષુ અને કહ્યું છે. લડાઈ કરવા મહામહરાજા અને રાગકેસરી સાથે ઉપડે છે. એમના લશ્કરની લડાઈની તૈયારીને અવાજ બતાવી એ વાત ત્યાં ૧છોડી દે છે. (પૃ. ૩૯૪.) લડાઈનાં સ્થાને અને પાત્રોનું વર્ણન ચેથા પ્રસ્તાવમાં કરે છે. ચિત્તવૃત્તિ અટવીમાં પ્રમત્તતા નદીની અંદર એક તદ્વિલસિત નામને બેટ છે, તેમાં ચિત્તવિક્ષેપ નામને મંડપ નાખી, તેમાં તૃષ્ણાદિકા મૂકી તે પર વિપર્યાસ સિંહાસન પર મહાપ્રતાપી મહરાજાનું સ્થાન બતાવે છે. એના બે દીકરા રાગકેસરી અને દ્વેષગજેંદ્ર. ઘરડા ડોસા અને મહાબળવાન બે પુત્રને આખો પરિવાર ત્યાં બતાવવામાં આવે છે, એના આખા સામંતચક્રનું વર્ણન કરે છે. એ મહામહરાયના સાતે સંબંધી રાજાઓ(Allies)નું પણ વર્ણન કરે છે. (પ્ર. ૧૮) આવી રીતે એક બાજુનાં લશ્કરનું વર્ણન કર્યા પછી બીજા પક્ષના લશ્કરનું વર્ણન કરતાં ચિત્તવૃત્તિ અટવીને નાકે સાત્વિકમાનસપુરમાં વિવેકપર્વતના અપ્રમત્તતા શિખર પર જૈનપુર બતાવી, એમાં ચિત્તસમાધાન મંડપ વચ્ચે નિસ્પૃહતા વેદિકા ઉપર જીવવીર્ય સિંહાસન (મ, ૪. પ્ર. ૩૩), તેની ઉપર ચારિત્રરાજ નામના રાજા (મ, ૪. પ્ર. ૩૪) અને એના બે પુત્રે યતિધર્મ અને ગૃહિધર્મ જોવામાં આવે છે. (પ્ર. ૪. પ્ર. ૩૫), ત્યાં સમ્યગદર્શન સેનાપતિ અને સાધમંત્રી અગત્યના પાત્રો છે. (સદર. પ્ર. ૩૬) આવી રીતે બન્ને બાજુના લશ્કરનો પરિચય ખૂબ વિસ્તારથી બતાવ્યો છે. આ પરિચય ખબ લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. પાંચમા પ્રસ્તાવમાં યુદ્ધનીતિનું ખરું પ્રદર્શન થાય છે. સંયમને સખ્ત ઘા પડ્યા છે અને તેને બીજા લેકે ઉપાડીને લઈ જાય છે. ૧. પ્ર. ૩. પ્ર. ૪. ૨. પ્ર. ૪. પ્ર. ૧૭. પૃ. ૮૮૩-૮૮૭. ૩. પ્ર. ૫. પ્ર. ૧૯, પૃ. ૧૭૦૦. Page #237 -------------------------------------------------------------------------- ________________ એમનું અનેકવિષયગાહી સાન ઃ ] ૧૫ દુમિનેએ સંયમને ખૂબ માર્યો એ હકીકતની ખબર રાજસભામાં ચારિત્રરાજ અને તેના અધિકારીઓ પાસે આવે છે એટલે ત્યાં તો મોટો ખળભળાટ થઈ જાય છે. (પૃ. ૧૩૦૨). જરા શાંતિ થાય છે એટલે સત્ય શૈચ વિગેરે રાજાઓ શત્રુને ઉખેડી નાખવાની વાત મક્કમપણે જણાવે છે. પછી ચારિત્રરાજે પિતાની ખાસ કાઉન્સીલ ( Council of war or cabinet) બોલાવી. લડાઈખાતાના ઉપરી બેનાધિપતિ સમ્યગ્દર્શને પ્રથમ ધડાકે કર્યો. અને તે એક ઘાના બે કટકા કરવાની જ વાત હતી. લશ્કરી માણુ ઘણું આવેશમાં આવી જનારા હોય છે અને એને સ્વમાનને ખ્યાલ ઘણે ઉત્કટ હોય છે. પછી રાજાએ સોધિ મંત્રી તરફ જોયું. એ તે દિવાની બાજુનો (સિવિલિયન) હતા, મહામુત્સદ્દી હતા અને જરા પણ આવેશમાં આવ્યા વગર ધમાલમાં પણ મગજને સમતોલ રાખી શકે તે હતો. એણે યુક્તિથી સેનાધિપતિના વખાણ કર્યા, એના ઉત્સાહને પ્રેરણું આપી (પૃ. ૧૩૦૫) અને લશ્કરી તૈયારીએના વખાણ પણ કર્યો. પછી મુદ્દાની વાત કરવા માંડી. આ સર્વમાં એનું મુત્સદ્દીપણું ઝળકે છે. એણે વાતને ઉડાડવા પ્રથમ પ્રસ્તાવ કર્યો. प्रस्तावरहितं कार्य, नारमेत विचक्षणः । नीतिपौरुषयोर्यस्मात्प्रस्तावः कार्यसाधकः ॥ અવસર વગર કાર્ય આદરવું યોગ્ય નથી એમ કહી યુદ્ધનીતિ જણાવવા માંડી. પછી યુદ્ધનીતિને અંગે છ ગુણો, પાંચ અંગે, ત્રણ શક્તિ, ત્રણ ઉદય સિદ્ધિઓ અને ચાર પ્રકારની નીતિ તથા ચાર પ્રકારની રાજવિદ્યા બતાવી. તે બતાવતાં કર્તા મહાશય કહે છે કે स्थानं यानं तथा सन्धिविग्रहश्च परैः सह । संश्रयो द्वैधभावश्च षड्गुणाः परिकीर्तिताः ॥ उपायः कर्मसंरम्भे विभागो देशकालयोः । पुरुषद्रव्यसम्पच्च प्रतीकारस्तथापदाम् ॥ पञ्चमी कार्यसिद्धिश्च पर्यालोच्यमिदं किल । अङ्गानां पञ्चक राशा मन्त्रमार्गे विजानता ॥ उत्साहशक्तिः प्रथमा प्रभुशक्तिद्धितीयिका । तृतीया मन्त्रशक्तिश्च शक्तित्रयमिदं परम् ॥ Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ [ શ્રી સિદ્ધર્ષિ :: લેખક : शक्तित्रितयसम्पाद्यास्त्रय एवोदयास्तथा । हिरण्यमित्रभूमीनां लाभाः सिद्धित्रयं विदुः ॥ सामभेदोपदानानि दण्डश्चेति चतुष्टयम् । नीतीनां सर्वकार्येषु पर्यालोच्यं विजानता ॥ आन्वीक्षिकी त्रयी वार्ता दण्डनीतिस्तथा परा । विद्याश्चतस्रो भूपानां किलैताः सन्ति गोचरे ॥ આ આખા વિભાગ ઘણે! પારિભાષિક છે. એને અર્થ કરવામાં મનુ:સ્મૃતિ ટીકા આદિના આધાર લઇ આ સાત ક્ષેાકનું વિવરણ પૃ. ૧૩૦૬–૧૩૧૦ માં કર્યું છે અને જરૂરી તે!ષ્ટ પણ આપી છે. આ સર્વ સૂત્રસિદ્ધાન્ત જેવી વાત છે અને લડાઈમાં ઉતરનારાએ તે એને ખરાખર જાણવી જોઇએ. પછી સદ્બેાય મંત્રીના ખરા ધડાકા આવે છે. એ કહે છે કે–આ રાજનીતિ તે! શાસ્ત્રમાં કહી છે તે તમે અને અમે બધા જાણીએ છીએ; પણ ખરી વાત તે એ છે કે केवलं ज्ञातशास्त्रोऽपि स्वावस्थां यो न बुध्यते । तस्याकिंचित्करं ज्ञानमन्धस्येव सदर्पणः ॥ આ વાતનું શાસ્ત્ર જાણનાર હેાય છતાં પેાતાનું સ્થાન સમજનાર ન હાય, પાતે કયાં છે એને ખ્યાલ કરનાર ન હેાય તેા તેનું જ્ઞાન નકામુ છે, વધ્યું છે, નિરર્થક છે. પછી એ કહે છે કે ભાઈએ ! તમે આ બધી દોડાદોડ કરી છે! અને લડાઇની વાત કરી છે, પણ બધા આધાર તા સંસારીજીવ ઉપર છે અને એ તેા આપણને તમને આળખતા પણ નથી ! ત્યારે આ બધી ધાંધલ શાની? માટે દોઢ સૂકા એ પહેલાં ગનિમીલિકા કરા–અવલેાકન કરેા. ( પૃ. ૧૩૧૧. ) લશ્કરી માણસને આવી પાચી સલાહ ગમે? એ કહે કે આજે તે આપણા સંયમ સુભટને માર્યો અને કાલે આપણા બધાને ઘાણુ દુશ્મન કાઢી નાખશે ત્યારે શું કરશે ? જવાખમાં ઠંડા મગજના સદ્બાધ મત્રીએ સલાહ આપી કે આગળ જતાં સંસારીજીવને ક પિરણામ રાજા ઠેકાણે લઈ આવશે. એમ થશે ત્યારે આપણે દુશ્મનને આપણા હાથ બતાવશું. (પૃ. ૧૩૧૨ ). Page #239 -------------------------------------------------------------------------- ________________ એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ] ૧૯૭ પણ લશ્કરી ખાતાને આ વાત કેમ ગળે ઉતરે ? એ સેનાપતિ કહે કે ત્યારે દૂતને મેાકલા. એ કહે છે કે यद्येवं प्रेष्यतां तावद्द्तस्तेषां दुरात्मनाम् । न लङ्कयन्ति मर्यादां येन ते दूतभत्सिताः ॥ સેનાપતિના મનમાં એમ કે તુ જઇને જરા ક્રમ આપશે એટલે દુશ્મન દબાયલા રહેશે. પણ સજ્ઞેષ મંત્રી કહે છે કે ક્રૂત પણ અત્યારે મેાકલાય નહિ. હાલ તે બેસી રહેવુ જ સારું છે. પછી તા મેનાપતિ ઉછળ્યા અરે એવી નમાલી વાત શુ કરે છે ? એ મારા જેવાને શુ કરનાર છે? અને આપણે લડાઇની વાત ન કરવી, સમજાવટની વાત કરવી એમાં શે। વાંધે છે ? ' પણ સદ્ધાધ મંત્રી તે ચુસ્ત હતા. એણે કહ્યુ — कोपाध्माते कृतं साम कलहस्य विवर्धकम् । जाज्वलीति हि तोयेन तप्तं सर्पिर्न संशयः ॥ પેાતાના મત પ્રમાણે જ્યારે સામાને ક્રોધ ચઢેલા હાય ત્યારે સમજાવટની વાત કરવાથી ક્રોય વધારે વધે છે, અગ્નિમાં ઠંડું થી નાખવાથી ભડકે વધારે માટે થાય છે; છતાં એ વિચારનું પ્રત્યક્ષ પરિણામ બતાવવા દૂત મેાકલવાના ઠરાવ થયા. ( પૃ. ૧૩૧૪. ) ચિત્તવૃત્તિ અટવીમાં પ્રમત્તતા નદીના મંડપમાં માહરાજા પાસે દૂત આવ્યે. એનું નામ ‘સત્ય ’ હતુ અને એણે સાચી વાર્તા કહી. એણે કહ્યુ કે આ ચિત્તવૃત્તિ અટવીને રાજા તે સંસારીજીવ છે અને આપણે સર્વે તેા તેના કિંકર છીએ, માટે આપણે અંદરઅંદર લડવું ઉચિત ન ગણાય. આપણે તે સ્વામીનું હિત થાય તેમ અંદરઅ ંદર સંપીને રહેવું ઘટે. ( પૃ. ૧૩૧૫. ) આવી વાર્તા સાંભળી માહરાજાના સભાજને ક્રોધમાં આવી ગયા અને સામા ઘુરકવા લાગ્યા કે સંસારીજીવ તે વળી સ્વામી કેવા ? પછી લડાઇનું આહ્વાન કર્યું. બન્ને બાજુનું લશ્કર ચિત્તવૃત્તિ અટવીને નાકે એકઠુ થઈ ગયું અને મને લડ્યા, ભયંકર લડાઈ થઈ અને તેમાં ચારિત્રરાજા હાર્યો ( પૃ. ૧૩૧૬-૧૭ ) અને ચારે તરફથી ઘેરામાં સપડાઈ ગયા. Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ | શ્રી સિદ્ધર્ષિઃ લેખકઃ આ આખા પ્રકરણમાં લડાઈની નીતિ-રીતિ-પદ્ધતિને બહુ સારે અભ્યાસ લેખકે બતાવ્યું છે. એમાં ખરી ખૂબીની વાત દુશ્મને એક બીજાને ઓળખતા પણ નથી એ જોવામાં આવે છે. દૂતનું કાર્ય વિચારવા ચોગ્ય છે અને લડાઈનું વર્ણન આશ્ચર્યકારક છે. એના પર અન્યત્ર વિવેચન થયું છે. અત્ર તે યુદ્ધનીતિના વિષયમાં લેખક મહાત્મા કેટલા નિષ્ણાત હતા તે ચર્ચવાનું પ્રસ્તુત છે. આવી રીતે પાંચમાં પ્રસ્તાવમાં ચારિત્રરાજના આખા લશ્કરને ચિત્તવૃત્તિ અટવીને છેડે ઘેરાયેલી હાલતમાં મૂકે છે. એ વાર્તા સાતમાં પ્રસ્તાવમાં આગળ ચાલે છે. ચારિત્રરાજ અંધકારથી ભરેલી ચિત્તવૃત્તિ અટવીમાં ઊભા હતા, ચારે બાજુએથી ઘેરાઈ ગયા હતા, પણું તેમની ઈચ્છા સ્વામી (સંસારીજીવ)નું શ્રેય કરવાની હતી. સધ મંત્રી મહાનીતિવેત્તા હતે. એને ચિંતા એક જ હતી કે પિતાના સ્વામીનું આખું લશ્કર સંસારીજીવને મદદ કરવા તૈયાર હતું, પણ એ તે આ લશ્કરને ઓળખતે પણ નહોતો. હવે એને વિકાસ થતો હતો અને અંદર અંધકારને સ્થાને પ્રકાશ થતે હતા. એ જોઈ એ(સંસારીજીવ)ની પાસે કેઈ મુદ્દામ માણસને મોકલવાની સલાહ એણે મહારાજાને આપી. પ્રથમ સદાગમને મેકલવાનું ઠર્યું. સમ્યગદર્શન જવા તૈયાર હતા, પણ સધ શાણા મંત્રીએ પ્રસ્તાવ વગરનું કામ હાથ ન ધરવાની સલાહ આપી. એણે પ્રથમ ઓળખાણ અને પછી રુચિ થવાની વાર્તા કહી બતાવી. (પૃ. ૧૭૬૭–૮.) આ રાજનીતિ ખાસ વિચારવા છે. દૂર દેશમાં ધર્મપ્રચાર કરવો હોય તો પ્રથમ સદાગમને ત્યાં મોકલવાની જરૂર છે. (જુઓ પૃષ્ઠ ૧૭૬૮ ની નીચે કરેલી નોટ.) મંત્રી સાધના મનની શાંતિ ખાસ વિચારવા યોગ્ય છે. સદાગમ કેણુ છે અને તેના પ્રસંગથી શા લાભ છે એને પરિચય અહીં મુદ્દામ રીતે થાય છે. મન વગર અન્યને ખુશી કરવા આ પરિચય થયો છે અને તેને જૈન પરિભાષામાં દ્રવ્યાનુષ્ઠાન કહેવામાં આવે છે. સદાગમના આવવાથી જ્ઞાનસંવરણ રાજા દબાય. મહામેહરાયને ગભરાવનાર સદાગમ કેણ હતો તેને પરિચય અકલંક કરાવે છે તે વિચારી જવા યોગ્ય છે. ૧. પ્ર. ૭. પ્ર. ૧૦. પૃ. ૧૭૬૫–૬. Page #241 -------------------------------------------------------------------------- ________________ એમનુ... અનેકવિષયગ્રાહી જ્ઞાન : ] ज्ञापिताश्चाकलङ्केन यथा भो धनवाहन ! । आराधनीयः साधूनामेषामेष सदागमः ॥ एते ह्यस्य सदादेशं कुर्वन्ति नतमस्तकाः । एषोऽस्य सूरिर्जानीते गुणसम्भारगौरवम् ॥ तदेष ते हितो भद्र ! धर्माधर्मविवेचकः । अतः सदुपदेशार्थमेव विज्ञातुमर्हसि ॥ ममामीषां च साधूनां सूरेश्वास्य परिस्फुटम् । यज्ज्ञानं भद्र ! तज्जातमस्मादेव सदागमात् ॥ આવી રીત સર્વ સાધુઓને પણ ધર્મધર્મની પીછાન કરાવનાર છે તેટલા માટે તેમને પણ પૂજ્ય સદાગમ જરૂર ઓળખવા યાગ્ય છે. એના આગમનથી જ્ઞાનસંવરણુ દળાઇ ગયા. માહરાયના મેટા મિત્ર રાજા નખાયા એટલે એની છાવણીમાં મેાટા છળભળાટ થયે. રાગકેસરી રાજા જે મેહરાયના માટા પુત્ર હતા તેણે મંત્રી તરીકે રાજાને સલાહ આપી— एतावन्तं वयं कालं निश्चिन्ता देव ! संस्थिताः । यबलेन स वित्रस्तो ज्ञानसंवरणो नृपः ॥ यतः । दृष्टः सदागमस्तत्र गत्वाभ्यर्णे व्यवस्थितः । देव ! संसारिजीवस्य विरुद्धः स च भूपतेः ॥ नोपेक्षणीयं देवेन तस्मादेतत्प्रयोजनम् । कुठारच्छेद्यतां कुर्यान्नखच्छेद्यं न पण्डितः ॥२ ૧૯૯ આ વાતમાં મહાનીતિ છે. જે કામ સહેલાઇથી અને તેવું હાય તેને મુલતવી રાખવાથી આકરું થઈ પડે છે, માટે તુરત એના ઉપાય કરવા જોઇએ. આ ખાજી મહામેાહનું આખું લશ્કર તૈયાર થઈ ગયું અને હુકમ માગવા લાગ્યું. પણ વીર મહાયાદ્ધા વૃદ્ધ મહામહને આ વખતે વધારે શૂરાતન છૂટયું અને પોતે જાતે યુદ્ધમાં ઉતરવાની તૈયારી કરી. એની નિયત્રણા જખરી હતી અને લશ્કરી જાપતા સારા ૧. જુઓ પ્ર. ૭. પ્ર. ૧. પૃ. ૧૭૭૦, ૨. પ્ર. ૭. પ્ર. ૧૧. પૃ. ૧૭૭૨, Page #242 -------------------------------------------------------------------------- ________________ २०० [ श्री सिर्षि : : सेम: હતા. સર્વે સાંભળી રહ્યા. મહાપરિગ્રહને ડોસાએ સાથે લીધે અને संसारीपासे मन्ने मानी पडच्या. (अ. ७. प्र. ११.५. १७७३) નીકળતાં પહેલાં એમણે સર્વ સૈનિકોને જાગૃત-તૈયાર રહેવાની સૂચના આપી દીધી હતી. સંસારી જીવ ઘનવાહન જેને તે જ વખત પિતાના મરણથી રાજ્ય મળ્યું હતું તેને શરીરવિષય વિભૂતિ સંબંધમાં ત્રણે શિખામણ સલાહ આપે છે – "सहाराम"-...............यथेदं क्षणभङ्गुरम् । दुःखात्मकं मलक्लिन्नं निःस्वभावं वहिश्वरम् ॥ तदत्र मूर्छा मा कार्षीर्मा कार्षीर्घनवाहन ! । आत्मा ते ज्ञानसद्वीर्यदर्शनानन्दपूरितः ॥ ततस्तत्रैव युक्तस्ते चित्ताबन्धो नरोत्तम !। येन त्वं निर्वृतिं यासि सततालादसुन्दराम् ॥ "भाभीs"-महामोहस्तु मे सर्व तद्राज्यं ताश्व सम्पदः । गात्रं शब्दादिभोगांश्च यच्चान्यदपि तादृशम् ॥ स्थिरं सुखात्मकं चारु निर्मलं हितमुत्तमम् । इत्येवं कथयत्युच्चैरुपदेशं च यच्छति ॥ " नास्ति जीवो न वा देवो न मोक्षो न पुनर्भवः । न पुण्यपापे सद्भूते भूतमात्रमिदं जगत् ।। अतो यावदयं देहो विद्यते धनवाहन ! । यथेष्टचेष्टया तावत्खाद पिब दिवानिशम् ॥ सद्भोगैः प्रीणयात्मानं मानयामललोचनाः । सुखं भुंक्ष्व यथाकामं मा मूढवचनं कृथाः ॥ "२ "पश्-ि " परिग्रहस्तु मां ब्रूते यथा भो घनवाहन !। हिरण्यधान्यरत्नादिसम्भारं कुरु यत्नतः ॥ यः प्राप्तं पालयत्यर्थमप्राप्तं ढौकयत्यलम् । न च सन्तोषमादत्ते तस्य सौख्यमनारतम् ॥ १. प्र. ७. ५. ११. पृ. ११७४. २. ५. १७७४-५. Page #243 -------------------------------------------------------------------------- ________________ એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ] ૨૦૧ આમાં કઇ સલાહ ગમે? લહેર કરવી, ખાવુ પીવુ, મ્હાલવુ અને પૈસાના સાનાના ઢગલા કરવા એ સલાહ કાને ન ગમે ? મહામેહની આ યુદ્ધનીતિ છે. ઘનવાહનના સદાગમ પરના પ્રેમ હજી અંતરના પ્રેમ ન્હાતા; એમાં આ મહામહ અને પરિગ્રહનુ આક્રમણ થયું એટલે એ તા સર્વ વાત ભૂલી ગયા અને એની સદાગમ તરફ રુચિ હતી તે આછી થતી ચાલી. ( પૃ. ૧૭૭૬ ). ત્યારપછી એની પાસે સદ્યાગમનું માહાત્મ્ય કહેવામાં આવ્યું, પણ એ વાત પપ્પુ એને ઊલટી પડી. છતાં દેખાવ માત્ર એણે દ્રબ્યાચાર સ્વીકાર્યો, પણ અંદરખાનેથી એની મેાહપરિગ્રહ તરફ પ્રેમવૃત્તિ ઘટી નહિ. . પછી મેાહરાયે બીજી બાજુએથી ટકે માર્યો. પેાતાના રસાલદાર ‘શાક ન માકલી એણે તકના લાભ લઇ સંસારીજીવ ( ઘનવાહન )ને સદાગમથી પરાસ્મુખ બનાવ્યેા (પ્ર. ૭. પ્ર. ૧૩. પૃ. ૧૭૮૭ ). વળી મિત્ર મુનિ અકલંકના સદુપદેશથી કાંઇ ઠેકાણે આવ્યા પણ તે વખતે માહરાજાના લશ્કરમાંથી માયા અને સાગર આવ્યા અને સાથે કૃપણુતાને લેતા આવ્યા એટલે સ’સારીજીવે હદ કરી. ગુરુને યાદ આપવા લાગ્યુંા કે માસકલ્પ પૂરા થયા છે તેથી તેમણે સીધાવવું ચેાગ્ય છે ( પૃ. ૧૭૯૪ ). ચારા અંદરથી ખૂબ મજામાં આવી ગયા અને છેવટે સદાગમને દૂર દૂર જવું પડયું. પછી મહામાહરાજાએ ભયંકર મારા ચલાવ્યેા, જબરૂ આક્રમણ કર્યું. એનું વર્ણન પ્ર. ૭. પ્ર. ૧૫ માં જરૂર વાંચવા ચેાગ્ય છે. પછી મેાહરાયના પ્રત્યેક સેનાનીઓએ પણ જારી મારા આર્ચ (પૃ.૧૮૦૧–૧૮૧૦). ખરી લડાઇ આઠમા પ્રસ્તાવમાં થાય છે. ભીષણ આંતરયુદ્ધ થાય છે. સોધમત્રી જાતે આવે છે અને વિદ્યાકન્યા સાથે લગ્ન કરાવે છે. એ સહ્યાધ આવવા નીકળ્યેા છે એવા માહરાયની છાવણીમાં સમાચાર મળતાં મેટા ખળભળાટ થાય છે અને પરસ્પર મંત્ર વિચારણા થાય છે ( પ્ર. ૮. પ્ર. ૮. પૃ. ૧૯૩૬–૭ ) પણ આ વખતે દુશ્મનામાં ઐકય ન રહ્યું. જ્ઞાનસંવરણુ રાજા ઓછી તૈયારીએ આગળ વધી ગયા, ખીજાની મદદ ન રહી, પાપાય વિગેરે તેની પછવાડે મર્દ ખેંચાઇને આવ્યા. આ વખતે માહરાજાના સૈન્યમાં સંપ નહાતા અને લડાઈ કેમ કરવી તેના નિશ્ચય નહાતા. ૨ Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ [ શ્રી સિહર્ષિ :: લેખકઃ સદધ મંત્રી અને ચારિત્રરાજનું લશ્કર ચાલ્યું આવતું હતું ત્યાં જ્ઞાનસંવરણ રાજા સાથે એને ભેટે થયો. એક લશ્કર સંકેત છે, બીજું કાળું છે. ભયંકર લડાઈ જામી. લડાઈમાં ચારિત્રરાજનું સૈન્ય વધારે જોર પકડતું ગયું અને તેણે પાપોદય વિગેરેનાં હાડકાં ખરાં કરી નાખ્યાં અને એ રીતે એ લશ્કર હારીને બેસી ગયું (પૃ. ૧૯૩૯). પણ વાત એ બની કે એ સર્વનો નાશ ન થયે પણ ભાગીને એ લેકે અંદર છુપાઈને બેસી ગયા. હવે સંસારીજીવ (ગુણધારણ) તે સધની સલાહ લેવા લાગ્યો અને આખરે કર્મ પરિણામ રાજાની અનુકૂળતાથી લગ્ન નિમિત્તે એને ચિત્તવૃત્તિ અટવીમાં પ્રવેશ થયે. જે અટવીને એ પિોતે માલેક હતા ત્યાં અત્યાર સુધી એને પ્રવેશ પણ નહોતે. લગ્ન પ્રસંગ અને ચિત્તવૃત્તિપ્રવેશની હકીકતે મહારાજાના સૈન્યમાં ઘણે અળભળાટ ઉત્પન્ન કર્યો. ___ अत्रान्तरे संजातो महामोहादिवले सर्वसमाजः । प्रवृत्तः पर्यालोचः । अभिहितं विषयाभिलाषेण । “ देव ! यद्यनेन संसारिजीवेनेमाः क्षान्त्यादिकाः कन्यकाः परिणीताः स्युस्ततः प्रलीना एव वयमिति मन्तव्यं । अतो नास्माभिरुपेक्षात्र विधेया कर्तव्यः सर्वथा यत्नोऽवलम्बनीयं साहसं मोकव्यो विषादः। भयं हि तावत्कर्तव्यं यावदन्तो न दृश्यते । प्रयोजनस्य तत्प्राप्तौ प्रहर्तव्यं सुनिर्भयैः ॥" આ ખરી ચુદ્ધનીતિ છે. જે છેડે દેખાતો હોય તો પછી કેસરીઓ પણ કરવાં. અને જે પ્રજનની પ્રાપ્તિ થતી હોય તે વગર બીકે ઘા કરવો. (પ્ર. ૮. પ્ર. ૯ પૃ. ૧૯૪૩). પછી દેવી ભવિતવ્યતાની સલાહ લીધી. દેવી પણ જબરી! એ સંસારીજીવની પત્ની થાય છતાં પતિને સારી રીતે રખડાવવાનું કામ કરી રહી હતી. પ્રાપ્તકાળની સલાહ આપતાં એ સંસારીજીવના પનોતાં પટ્ટરાણું બોલ્યાં. भद्रा! न युक्तरेतावद्भवतां रणारम्भः । यतः समाहतोऽयमधु. नार्यपुत्रः कर्मपरिणामेन मिलिता विशेषतः शुभपरिणामादयः Page #245 -------------------------------------------------------------------------- ________________ એમનું અનેકવિષયગ્રાહી સાન ઃ ] ૨૦૩ संजातमार्यपुत्रस्याधुना विशेषतो निजबलदर्शनौत्सुक्यं दर्शयिष्यति तदपि कर्मपरिणामः करिष्यत्यार्यपुत्रस्तस्य पोषणं ततोऽधुना रणे लगतां भवतां सर्वप्रलयः संपत्स्यते । तस्मात्कालयापनां कुर्वन्तस्तावददृष्टसेवया तिष्ठत यूयं । यदा तु भवतां प्रस्तावो भविष्यति तदाहमेव निवेदयिष्ये । दत्तावधाना हि भवत्प्रयोजने सकलकालमहं वर्ते । का भवतां चिन्ता। આ સલાહથી તેઓએ ઉઘાડી લડાઈ કરવાની વાત મુલતવી રાખી (પૃ. ૧૯૪૩–૪). સુધે વખત સાધે, મેહને કલ્લોલે ચઢેલા ગુણધારણ પાસે તે વખત અદાધ આવ્યું અને એનું લશ્કર જે એણે (સંસારી ) કદી જોયું નહોતું તે બતાવ્યું. આવું લશ્કર જોઈ સંસારીજીવ મલકાયો અને તરત લડાઈના આદર થયા ( પૃ. ૧૯૪૬). ચારિત્રરાજના આખા લશ્કર સામે મેહરાજનું સૈન્ય ઊભું રહી શકયું નહિં, નાસી ગયું. ચારિત્રના લશ્કરે એમને રહેવાનાં સ્થાને ભાંગી નાંખ્યા અને આખી ચિત્તવૃત્તિ અટવીને સાફ કરાવી. વળી પાછા જેરમાં આવી ભાંગેલાં મંડપ એ ચારે બાંધે છે અને એવી ભાગફોડ ચાલે છે (પ્ર. ૮. પ્ર. ૧૦.). આ આખો વિભાગ યુદ્ધનીતિથી ભરપૂર છે. એના પ્રત્યેક શબ્દમાં યુદ્ધનીતિના પારિભાષિક શબ્દો છે અને એના વિસ્તારમાં નીતિ અને કુટિલતાનું સામ્ય છે, સંદર્શન છે. ખાસ એટલો જ વિભાગ જુદા તારવી છપાવ્યું હોય તો લડાઇ કેમ થાય ? દૂત કેમ મોકલાય? ન્યૂહરચના કેમ ગોઠવાય ? સલાહ કેમ થાય ? મુત્સદ્દીપણને અને લડાઈને શું સંબંધ છે? કેવા ગોટાળા થાય છે? કેમ ગાંસડાં પિટલાં બાંધી નાસવું પડે છે? ક્યાં છુપાઈ જવાય છે? અને લાગ આવ્યે કેમ છાતી કાઢી બહાર અવાય છે ? તેમજ સ્વસ્થાપન કેમ થઈ શકે છે? આવી અનેક વાતનું અત્ર પ્રદર્શન છે. યુદ્ધનીતિમાં શ્રી સિદ્ધર્ષિ ઘણું કુશળ હતા અને તેમને એ વિષયને અભ્યાસ ચમત્કારી હતા, એ વાતને પુરા આમને કઈ પણ પ્રસંગ પૂરો પાડે તેમ છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ [ શ્રી સિદ્ધર્ષિ : લેખક : અત્યારે લંબાણ ન થતું હોત તે નીતિના અન્ય ગ્રંથમાંથી બતાવી શકાત કે એમનું યુદ્ધનીતિનું જ્ઞાન કેટલું પૂર્ણ છે. પુસ્તક સાથે નીચે કરેલી નોટમાં ક્વચિત્ એનું સંદર્શન કરાવ્યું છે. બાકી લડાઈની પદ્ધતિ અને લખવાની–ઉકેલવાની લેખકની શક્તિ અપાર છે, અગાધ છે, અવશ્ય છે. એ મુદ્દા પર ઘણે વિસ્તાર થાય તેમ છે, પણ મૂળ મુદ્દો કહી દીધો, બાકી મૂળ ગ્રંથવાંચનથી એ બાબતમાં ભાષા પરનો કાબનો ખ્યાલ વધારે આવી શકે તેમ છે. યુદ્ધકળાનો વિષય એક નિષ્ણાત તરીકે લેખકે લખ્યો છે એ સંબંધમા વિગતવાર ગ્રંથવાંચન સાક્ષી પૂરે તેમ છે. એનાં સ્થળો ટાંકી આ વિષયને લંબાવી શકાય, પણ સ્થળસંકોચથી તમ બની શકે તેવું નથી. એક રીતે એમ પણ કહી શકાય કે આ ગ્રંથ મેહ અને ચારિત્રનું યુદ્ધ બતાવવા માટે જ લખાયો છે. એમને મુખ્ય ઉદેશ એ જ છે કે આપણું મનમાં જે તુમુલ યુદ્ધ વારંવાર ચાલે છે તેમાં અવારનવાર એક વિચારપ્રવાહની યા બીજાની ફતેહ આપણું નબળાઈ કે મક્કમતા પ્રમાણે થાય છે. આ માનસપ્રવાહમાં શી ચીજો, કયા ભાવો અને શા આશય રહ્યા છે તે બતાવી તેનું પૃથકકરણ કરવું અને તેને ચિતાર સમજાવી લોકોને સ્વપ્રાપ્તિ અને પરિત્યાગને માર્ગે દોરવા. એટલા કારણે આ મુદ્દા પર જરા વિશેષ સ્પષ્ટતાપૂર્વક લંબાણ ખુલાસે અત્ર લખ પ્રસ્તુત ગણ્યો છે. ૧૪ રાજનીતિ.. ... .... ( Politics & Strategy. ) હવે સામાન્ય રીતે રાજનીતિને વિષય વિચારી લઈએ. રાજકારભાર ચલાવવામાં અર્થશાસ્ત્ર અને સામદામાદિ નીતિનો ઉપયોગ સારી રીતે સમજવો પડે છે અને એને પ્રવેગ આખા ગ્રંથમાં સાર્વત્રિક છે. એવા થોડા પ્રસંગોને નિર્દેશ કરે સ્થાને ગણશે. રાજનીતિ અને યુદ્ધનીતિ કવચિત્ એક બીજાના ક્ષેત્ર પર આક્રમણ કરે તે વસ્તુસ્વભાવે તે તદ્દન બનવાજોગ છે. (a) રાજ્યની સલામતી માટે લડાઈ વખતે મદદ માટે મિત્રરાજ્ય હોવા જોઈએ એ એક રાજનીતિ છે. મેહરાજાએ સાત Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ] રાજાઓ સાથે સંધિ—પ્રસંગ રાખ્યો છે. એ સાતે રાજાઓ તે જ્ઞાનસંવરણ, દર્શનાવરણ, વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય છે. એને રાજા સ્થાન આપે છે, પ્રત્યેકને સિંહાસન આપે છે, છતાં મેહરાજાના દરબારમાં એનું સ્થાન બહિર્ભત પદાતિનું છે. અત્યારે અંગ્રેજ સરકાર જેમ સામ સત્તાધારી છે અને આપણા દેશી રાજાઓ જેમની રાજવ્યવસ્થામાં જી. સી. એસ. આઈ. કે. સી. એસ. આઈ. કહેવાય છે તેમ એ વ્યવસ્થા સમજવી. સાર્વભૌમ સત્તામાં એ તો ગ્રાંડ કમાન્ડર કે નાઈટ કમાન્ડર જ કહેવાય. એ પદ્ધતિનાં સદર સાત મિત્રરાજ્ય છે. એને મેં ભાષાંતરમાં ભાયાત રાજાઓ કહ્યા છે. (પૃ. ૮૮૮). (b) મહામહ રાજા વૃદ્ધ થયો છે તેથી પુત્ર રાગકેશરીને રાજ્ય આપ્યું છે ( પ્ર. ૩. ૪. પૃ. ૩૯૧ ), છતાં અવસર આવતાં એ જાત પણ લડવા ઉતરી પડે છે. એ વૃદ્ધ થયો છે પણ એને રાજ્યભ જરા પણ ઘટ્યો નથી.(પ્ર. ૭. પ્ર. ૧૫.) એણે જે વખતે મહાઆક્રમણ કર્યું ત્યારે પ્રત્યેક સેનાનીને તૈયાર રાખ્યા હતા. આમાં જબરી રાજનીતિ છે. જ્યારે જરૂર જણાય ત્યારે એક એક સેનાનીને મોકલે છે પણ અસાધારણ પ્રસંગ પ્રાપ્ત થતાં વૃદ્ધ રાજા પોતે સમરાંગણમાં ઉતરી પડે છે. નીચેના પ્રસંગે આ વાત સ્પષ્ટ કરે છે. ૧. રાગકેશરી રાજા વિષયાભિલાષ મંત્રીને કહી જગતને વશ કરવા મંત્રીના પાંચ અંગત માણુને જગત તરફ મોકલી આપે છે. (પ્ર. ૩. પ્ર.૪ પૃ. ૩૮૮). સ્પર્શનનું ત્યાં ઓળખાણ થાય છે. ૨. રસનાને એવો જ પરિચય મામા ભાણેજને થાય છે(પ્ર. ૪. પ્ર. ૨૦. પૃ. ૯૧૧. ). ૩. ઘનવાહન પાસે સદાગમને મેકલવાને પ્રસંગ (પ્ર. ૭. પ્ર. ૧૦.). ૪. મહામહ રાજા જાતે ચાલ્યા ત્યારે પરિગ્રહને સાથે લીધું. (પ્ર. ૭. પ્ર. ૧૧. ). ૧. જુઓ પ્ર, ૪. પ્ર. ૧૮. પૃ. ૮૮૯-૯૩. Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ [ શ્રી સિદ્ધર્ષિ લેખક ૫. બહલિકાની મદદ લઈ અકલંક મુનિ પાસે વિહાર કરાવ્યું. (પ્ર. ૭. પ્ર. ૧૪. પૃ. ૧૭૯૪ ). ૬. મહામૂઢતા વિગેરે પ્રત્યેક કમસર આવીને અસર કરે છે. (પ્ર. ૭. પ્ર. ૧૫.). આવા પ્રસંગોનો પાર નથી. જરૂર વખતે તેનો ઉપગ કરવાની નીતિ વૃદ્ધ અનુભવી રાજા બરાબર સમજે છે. ( ૯ ) રાજાઓએ પિતાના થાણાઓ સુરક્ષિત રાખવા ઘટે અને ત્યાં અમલદાર તરીકે યોગ્ય માણસને મૂકવા જોઈએ. રાજસચિત્તનો ગરાસ એટલા માટે મિથ્યાભિમાનને આપે છે ( મ. ૪. પ્ર. ૮. ), તામસચિત્તનો ગરાસ ફટાયાકુમાર દ્વેષગજેન્દ્રને આપે છે. ( પ્ર. ૪. પ્ર. ૮. પૃ. ૭૯૬. ). એ થાણુઓ સુરક્ષિત હોય છતાં લડાઈ વખતે સર્વને લડવા જવું પડે છે. એ વખતે ત્યાં બીજા શોક સામંતની યોજના કરી છે. દ્વેષગજેંદ્રની અવિવેકિતા ભાર્યાએ ગર્ભ ધારણ કરેલો હોવાથી એની યોજના પણ કરવી જોઈએ. એટલે એને રદ્રચિત્તપુરે મેકલાવી દેવામાં આવે છે અને ત્યાં એ વૈશ્વાનરને જન્મ આપે છે. (પૃ. ૩૪૬) આ રીતે શ્વાનર તે છેષ અને અવિક્તિાને પુત્ર થાય. લડાઈની ધમાલ વખતે એને જન્મ થયેલો એટલે એ તેજસ્વી અને શૂરવીર જરૂર રહે. આ સર્વ રાજનીતિના હિસાબો છે. (a) ઊગતા શત્રુને અને થતા વ્યાધિને દબાવવો જોઈએ. એ નીતિ લક્ષ્યમાં રાખી સંતેષ જેવા એક સાધારણ દુશ્મનના સેનાનીને હઠાવવામાં શરૂઆતથી જ પ્રચંડ પેજના કરે છે. એવા એક સેનાની-લશ્કરીને પણ ઉવેખી મૂકવામાં આવતું નથી. (પ્ર. ૩. પ્ર. ૪. ). એવી જ રીતે સંયમને એકલવાયે જોઈ દુમને એને વાંખી નાખે છે, ઘાયલ કરે છે, પણ એના સમાચાર ચારિત્રરાજને ત્યાં આવે છે કે તેઓ પણ ઍકી જાય છે અને ઉપાય ચિંતવે છે. (પ્ર. ૫. પ્ર. ૧૯ પૃ. ૧૩૦૦ અને પૃ. ૧૩૦૩-૪. ) મતલબ Page #249 -------------------------------------------------------------------------- ________________ એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ] २०७ એવા પ્રસંગ પ્રાપ્ત થતાં એક સાધારણ વાત પણ જતી કરવામાં આવતી નથી. એ ખરી રાજનીતિ છે. ( ૭ ) રિપુદારણને દીકરી આપવા આવેલા નરકેસરી રાજાએ રાજસભામાં જોઇ લીધું કે રિપુઠ્ઠારણુ કળાના જાણકાર નથી, છતાં અન્ને રાજ્યાની ખેાટી વાતા ન ચાલે તે સારુ પરીક્ષામાં નપાસ થયેલા રિપુદારણને દીકરી આપી. ( ×. ૪. પ્ર. ૪. રૃ. ૭૩૬. ) રાજનીતિજ્ઞ માણુસ આમ જ કરે, અત્યારના જમાનામાં એ વાત ન એસે, પણ અસલ તા નીતિ હતી કે—આત્માનં સર્વથા રક્ષેદ્દા વિ નૈષિ તા પછી પુત્રીના ભાગ આપે તેમાં તેા નવાઈ પણ શી ? એને કદાચ મનમાં લડાઈના પણ ભય લાગ્યા હાય અને તે કાંઇ લડવાની તૈયારી સાથે ત્યાં આવેલા નહાતા. ગમે તેમ પણ શરમથી અને ભયથી પુત્રીને ભાગ આપી ગયા એ નીતિ તે વખતે વ્યવહારકુશળ માણુસા માટે વ્યવહારુ ગણાતી હતી. (f) લશ્કરમાં ભરતી કરવાના:નિયમની ચેાજના કર્માં પરિણામ રાજાએ કરી રાખી છે. અસ વ્યવહાર નગરની જમીનદારી તીવ્ર માહાદય અને અત્યંત અખધને આપી તેમને ત્યાંના સરસૂબા બનાવ્યા છે, પણ સાથે ગેાઠવણ કરી રાખી છે કે જેટલા પ્રાણીઓને સદાગમ નિવૃત્તિનગરીએ મેકલે તેટલાને અસ વ્યવહારથી મેાકલી આપવા. એ આખી વ્યવસ્થા અહુ મજાની છે. એના વિસ્તાર માટે જીએ પ્ર. ૨. પ્ર. ૭. પૃ. ૩૦૪. ગ્રંથકર્તાના શબ્દોમાં એ ગે.ઠવણુ નીચે પ્રમાણે છે: यथास्ति तावदेषोऽस्माकं सर्वदा परिपन्थी कथञ्चिदुन्मूलयितुमशक्यः सदागमः परमशत्रुः । ततोऽयमस्मद्वलमभिभूय कविदन्तरान्तरा लब्धप्रसरतयास्मदीयभुक्तेर्निस्सारयति कांचिल्लोकान् स्थापयति चास्माकमगम्यायां निर्वृतौ नगर्यो । ततः प्रकटीकरोत्यस्माकमयशः । तन्न सुन्दरमेतत् । अतो भगवति लोकस्थिते ! त्वयेदं विधेयं । अस्ति ममाविचलितरूपमेतदेव प्रयोजनमपेक्ष्य संरक्षणीयमसंव्यवहारं नाम नगरं । ततो यावन्तः सदागमेन मोचिताः सन्तः मदीयभुक्तेर्निर्गत्य निर्वृतिनगर्यां गच्छन्ति लोका Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ [ શ્રી સિદ્ધર્ષિ : : લેખક : स्तावन्त एव भगवत्या तस्मादसंव्यवहारनगरादानीय मदीयशेषस्थानेषु प्रचारणीयाः । ततः प्रचुरतया सर्वस्थानानां सदागममोचितानां न कश्चिद्वार्तामपि प्रश्नयिष्यति । यतो न भवत्यस्माकं છાયાગનિિિત્ત । આમા લકમાં ભરતી કરવાની વ્યવસ્થા રાખવી જોઇએ અને રાન્તએ પોતાનુ સ્વમાન અને દેખાવ બરાબર જાળવી રાખવા જોઇએ તેમજ પોતાની કાઇ વાત મેાળી હાય તા પણ દેવા દેવી ન જાઇએ એ નીતિના વિચાર છે. (g) એ કાર્ય માં ગૂ ંચવણ પડતી હોય ત્યારે વખત કાઢી નાખવા, સહસા કામ કરવુ નહિ. સંાયાધિશન ભિન્ન હાર્યરે લતા | હાર્થ: હ્રાસવિહસ્ત્રોત્ર રટાજો મિથુનયમ્ । અના ઉપર મુગ્ધ અકુટિલાની વાર્તા કહી દીધી. ( પ્ર. ૩. પ્ર. ૬. ) આ બહુ વિચારવા લાયક રાજનીતિ છે. અને અનુસરવાથી કાઇ પણ વખત ભરાઈ પડાતું નથી અને સાહસ કરી વિમાસણ કરવાના પ્રસંગ આવતા નથી. મુગ્ધકુમાર અને અકુટિલા એવડાઇ ગયાના પ્રસંગ ના હસવા જેવા ઇં, પણુ અના અંતરમાં રહેલ વ્યવહારું શિક્ષા બહુ ઉપયાગી છે અને એ વ્યવહારું રાજનીતિના અગત્યના ભાગ છે. ( h ) રાજાને વહાલા થવા દુર્મુખ જેવા સેવકા ધ્રુવી યુક્તિઓ કામે લગાડે છે અને રાજાના માનીતા થઇ અન્ય પાસે પૈસા કેવી રીતે આકાવ છે એ રાજનીતિના એક વિભાગ છે. પુત્રપ્રેમી પિતા ઠાકરાને સ્વાતંત્ર્ય આપે છે તે પણ નીતિ છે અને ગુરુના ઉપદેશને અનુસરી કનકશેખર સ્વધીને કરમુક્ત કરે છે તે પણ રાજનીતિ છે. ચાડી ખાનારા દુર્મુખ રાજા પાસે વહાલા થવા જઇ દંભી લેાકા જૈન થાય છે એમ કહે છે. એમાં તેના સ્વાર્થ જણાય છે. પુત્રવત્સલ પિતા મ્હાંરખા હતા. એ પુત્રને કદી કહી શકે નહિં એ પણ વ્યવહાર છે. દુર્મુખ કુમારને સાચાં વચન કહી ગયા પણ કુમારને મક્કમ જોતાં પાછા હડી ગયા, પરંતુ એના હૃદયની પરીક્ષા કુમારને થઇ ગઇ હતી એટલે એ પ્રપંચ સમજ્યેા. આ કુટીલ નીતિ છે. કુમાર એ જાણે છે. એને એ મહાનુભાવ કદી ઉપયેગ ન કરે પણ સમજે ખરાખર. કુમાર કેવા સંચેાગમાં દેશવટે નીકળી Page #251 -------------------------------------------------------------------------- ________________ એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ] પડે છે, રૂસણે ચઢી જાય છે. એ આખી વાત રાજનીતિની છે, રાજનીતિને વિભાગ છે. (પ્ર. ૩. પ્ર. ૧૯. પૃ. ૫૫૫-૫૬૩.) એવા જ પ્રસંગે રાજ્ય છેડી ચાલ્યા જવાને પ્રસંગ હરિકુમારના સંબંધમાં પણ બને છે (પ્ર. ૬. પ્ર. ૭.). મામા કરતાં હરિકુમારની ખ્યાતિ વધી એટલે રાજા મામાને છેષ થયે. વૃદ્ધ મંત્રીએ કુમારને સલાહ આપી કે તેણે પરદેશ ચાલ્યા જવું. એ વખતે એને મનમાં જરા પણ બીક નથી, પણ ઉછેરનાર મામા ઉપર બીજું શું કરાય ? એ વિચારે એ તુરત ચાલી નીકળ્યા. એ પ્રસંગમાં રાજનીતિના ઘણાં સૂત્રો આવ્યાં છે. અર્વાદ મૃત્યું તો જા7િ સુચા અને આયુ = પ્રવર્તત્તે યુદ દિ મરિમનાના તથા રાજ્યમેહ વિગેરેની ઘણી વાતે એમાં થઈ ગઈ. (પૃ. ૧૫૩૯.) નીતિના પ્રસંગોને પાર નથી. નીતિનાં સૂત્રો આખા ગ્રંથમાં છૂટાછવાયાં ખૂબ વર્યા છે. રાજનીતિના વિષયમાં લેખક પરિપૂર્ણ હતા એ બતાવવા મા આશય છે. એ કાર્ય એમણે સાંગોપાંગ પાર ઊતાર્યું છે. કઈ પણ નીતિ-વ્યવહારને ગ્રંથ હાથમાં લઈ એક પછી એક સૂત્ર હાથમાં લેવામાં આવે તો એનું પ્રદર્શન આ ગ્રંથમાંથી નીકળ્યા વગર રહે તેમ નથી. એ કઈ પ્રસંગ મળશે તે એ પર આખું પુસ્તક લખાશે, અત્ર તો નિર્દેશ માત્ર કરવાને ઉદ્દેશ છે, બાકી વિદ્વાન વાચકોએ સ્વયં સમજી લેવું. લેખક સીધી રીતે રાજનીતિનાં સૂત્રો તો કવચિત જ આપે છે, બાકી એમની મજા તે અંદરથી ૨હસ્ય શોધી લેવામાં છે અને એ ગ્રંથપદ્ધતિ નામથી જ જણાય છે એટલે બધો આધાર તો વાંચનારની તદ્વિષયમાં નિષ્ણુતતા અને ઉપનય શોધી કાઢવાની શક્તિને અવલંબે છે. (૧૫) અવલોકન. . (Power of observation) આ શિર્ષક નીચે ઘણી બાબતો લખી શકાય તેમ છે. કહેવાની બાબત એ છે કે કોઈ પણ હકીકત જોઈને વિવેચન કરવાની શક્તિ લેખકમાં અજબ છે. એના કેઈ કઈ પ્રસંગનો નિર્દેશ કરી બાકીની બાબત વાચનારની ગ્રહણશક્તિ પર છોડીએ. આપણે સર્વ દુનિ २७ Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ [ શ્રી સિહર્ષિ લેખક : યામાં આંખ ઉઘાડી રાખી ચાલીએ છીએ, છતાં કવિની નજરે જોઈ શકતા નથી અથવા જોઈએ તે વર્ણવી શક્તા નથી, કારણ અવલોકનની કળા અભ્યાસ અને અંદરની શક્તિ પર આધાર રાખે છે. આને માટે સેંકડો દાખલા આખા ગ્રંથમાં છે. થોડા જોઈ તે પર જાતિનિર્દેશ કરીએ. (a) આગ– આગ થાય ત્યારે અત્યારે કેળાહળ થાય છે, બંબાઓ દેડે છે એ આપણે જોઈએ છીએ. શ્રી સિદ્ધર્ષિના વખતમાં શું થતું હશે તે માટે જુઓ. પ્ર. ૭. પ્ર. ૨. પૃ. ૧૬૫૮૯. तत्र च ग्रामे रात्रौ समन्ताल्लग्नं प्रदीपनकं । प्रसर्पितं धूमवितानं । प्रवृद्धो ज्वालाकलापः । समुल्लसितो वंशस्फोटरवः । समुत्थिता लोकाः। सातः कोलाहलः। रुदन्ति डिम्भरूपाणि । વિન્તિ મારા બન્ને ખ્યા | મોરાત્તિ ઉપર | જિન્ટकिलायन्ते षिङ्गाः । मुष्णन्ति तस्कराः । दह्यन्ते सर्वस्वानि । परिदेवन्ते कृपणाः । सर्वत्र सातममातापुत्रीयमिति । આ વર્ણન સુંદર છે. ગામડાઓમાં આગ થાય ત્યારે આને મળતે દેખાવ અત્યારે પણ થાય છે. દોડાદેડી ઘણી થાય, આંધળાપાંગળા હેરાન થઈ જાય, ચોર લેકેને ચોરી કરવાની તક સાંપડે, છોકરાંઓ રડવા મંડી જાય અને ચારે તરફ ધમસાણ લાગી જાય અને ગોટાળે થઈ જાય. આ હકીક્તને તદ્યોગ્ય શબ્દમાં ચિતરવાની શક્તિ એ લેખકની વિશિષ્ટતા છે અને એ એમની અવલોકનશક્તિનું પરિણામ છે. (b) દારૂનું પીઠું– દારૂના પીઠામાં દારૂના મદ્યપાની આપ-લે, દારૂ પીનારાઓનું નાચવું કૂદવું, તોફાની લોકેના હાકોટા, દારૂડીઆનાં ગાયને અને દારૂ પીનારાઓની શરીરસ્થિતિનું જે વર્ણન પ્ર. ૭. પ્ર. ૩ માં કર્યું છે તે અવેલેકનશક્તિને નાદર નમૂને પૂરો પાડે છે. એમાં મૂળ લેકે પૃ. ૧૬૬૬-છ પર આપ્યા છે એટલે અત્ર તેનું પુનરાવર્તન કરવાની જરૂર નથી. એ વર્ણન વાંચતાં લેખકની વર્ણન Page #253 -------------------------------------------------------------------------- ________________ એમનું અનેકવિષયગ્રાહી સાન ઃ ] ૨૧૧ શક્તિ અને અવલોકનશક્તિ કેટલી ઊંડી હશે અને તે વ્યક્ત કરવાને કેટલો સારો અભ્યાસ હશે તે બરાબર ખ્યાલમાં લેવા ચોગ્ય છે. દારૂના પીઠામાં અને બહાર રહેનાર તેર પ્રકારના લેકેનું વર્ણન અવલોકન દષ્ટિએ ખાસ વાંચવા જેવું છે. એમાં નવમે અને દશમ પ્રકાર તે બહુ સુંદર શબ્દમાં ચિતરાયો છે (પૃષ્ઠ. ૧૬૬૯૧૬૭૦ અનુક્રમે). અવલોકન અને રજુઆતના એ નાદર નમૂના છે. (૯) રેટ અરઘટ્ટ ઘટી. બહુ સાધારણ બાબત છે. એને વર્ણવીને લેખકે જબરું કેશલ્ય બતાવ્યું છે. ( જુઓ પ્ર. ૭. પ્ર. ૪.) પૃ. ૧૬૮૨ થી ઈંટનું વર્ણન ચાલે છે. એના ચાર સાથીઓ (કર્ષક), એને ઉપરી હળપતિ, એને ખેંચનારા બળદે, એના કર્મકારકે, એના તુંબા, એના આરા, જે કૂવામાંથી પાણી ખેંચે છે તે કુવા, એને ચલાવવાનું ઘટિયંત્ર, એની પરનાળ, પાણી એકઠું થવાની કુંડી, એને ખાળ, એમાંથી નીકળતી નીક, ખેતરમાં જતું પાણી, ખેતરમાં બી, એને વાવનારે, એનાથી થતી ધાન્યનિષ્પત્તિ–આ આખું વર્ણન અવલોકનશક્તિ બતાવે છે. રૅટે અમે તમે ઘણા જોયા હશે, પણ એને વ્યક્ત કરવા એ કુશળતાનું કામ છે અને એને વૈરાગ્યના પ્રસંગમાં જોડી દેવા એ તે એથી પણ વધારે કુશળતાની હકીક્ત છે. સાધારણ બાબતને અવલોકનને વિષય કરતાં એનાથી કેવું સુદૃઢ પરિણામ નીપજાવી શકાય છે તે અત્ર ખાસ જોવા લાયક છે. ગ્રંથકર્તાના ગરવમાં આવી નાની નાની બાબતે પણ ઘણે મેટે વધારે કરે છે. (4) નદી જુઓ પ્ર. ૪. પ્ર. ૯. પૃ. ૮૦૫-૬. ત્યાં પ્રમત્તતા નદીનું વર્ણન છે. એના ઉપનયની વાત બાજુ ઉપર રાખીએ, પણ નદી તરીકે એ વર્ણનમાં બારિક અવલોકનનાં પરિણામ છે. એની બન્ને બાજુની ભેખડે, એમાં નિરંતર વહેતું પાણી, એ પાણુને પ્રવાહ, એમાં થતા તરંગે, એ મહા નદીના મ, એ નદીની ખેંચી જવાની શક્તિ, એમાંના આવર્તે, એ નદીનાં મૂળ અને મુખ, એ નદીને સમુદ્ર સાથે સંગમ–આ સર્વ વર્ણન નદીના બારિક અવકનનું પરિણામ છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ [ શ્રી સિહર્ષિ :: લેખક : એવાં વર્ણનને પાર નથી. દાખલા તરીકે જુએ– અટવી વર્ણન. પ્ર. ૪. પ્ર. ૯, પૃ. ૮૦૪-૫. બેટ વર્ણન. મ. ૪. પ્ર. ૯, પૃ. ૮૦૬-૭. મંડપ વર્ણન. પ્ર. ૪. પ્ર. ૯, પૃ. ૮૦૭. અને છે, ૪. પ્ર. ૩૩. પૃ. ૧૦૫૫. વેદિકા વર્ણન. મ. ૪. પ્ર. ૯, પૃ. ૮૦૮-૯ અને પ્ર. ૪. પ્ર. ૩૩. પૃ. ૧૦૫૫-૬. સિહાસન વર્ણન. પ્ર. ૪. પ્ર. ૯, પૃ. ૮૦૯–૧૦ અને પ્ર. ૪. પ્ર. ૩૩. પૃ. ૧૫૬–૭. એ સર્વની અંદરના રહસ્યની બાબત અત્રે પ્રસ્તુત નથી. નદીને નદી તરીકે કેવી વર્ણવી છે એ અત્ર જવાનું છે. એ જ પ્રમાણે બેટ, મંડપ, વેદિકા વિગેરે માટે સમજી લેવું. (e) નગર– નગરનાં વર્ણનો પરિપૂર્ણ છે. અદૃષ્ટમૂળપર્યત નગર પ્રથમ પ્રસ્તાવમાં પૃ. ૧૩ માં વર્ણવ્યું છે. એમાં આવી રહેલાં ઘરે, બજારે, દેવાલયો, એને અવાજ, એને કિલ્લે, એની ફરતી ખાઈ, એની અંદર તળાવ, કૂવાઓ અને એની ફરતાં દેવવને એ સર્વ નગરવર્ણનને ચિત્રમય બનાવે છે. આવાં નગર વર્ણનના પ્રસંગે તો ઘણું આવે છે. પ્રત્યેકને ચિતરવાની જરૂર નથી. નામનિર્દેશ કરી દઈએ તેટલું અત્ર પૂરતું છે. મનુજગતિ નગરી પ્ર. ૨. p. ૧. પૃ. ૨૫૨-૫૬. આનંદપુર. પ્ર. ૬. પ્ર. ૧. પૃ. ૧૪૯પ-૬. સાહૂલાદ નગર. , ૭. પ્ર. ૧. પૃ. ૧૬૪૫. સપ્રમોદ નગર. પ્ર. ૮. પ્ર. ૧. પૃ. ૧૮૫૪–૫. રાજસચિત્ત નગર. પ્ર. ૪. પ્ર. ૮. પૃ. ૭૯૦–૩ (વિચિત્ર તામસચિત્ત નગર. પ્ર, ૪. પ્ર. ૮. પૃ. ૭લ્પ-૬. (વિચિત્ર) Page #255 -------------------------------------------------------------------------- ________________ એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ] ૨૧૩ માનવાવાસ ] વિબુધાલય ! પથસંસ્થાન પ્ર૪. પ્ર. ૨૭. આખું પ્રકરણ (અસાધારણ) પાપરપિંજર છે સાત્વિકમાનસપુર. પ્ર. ૪. પ્ર. ૩૩. પૃ. ૧૦૪૫ (અલૈકિક) વર્ધમાનપુર. પ્ર. ૫. પ્ર. ૧. પૃ. ૧૧૪૦. દ્રચિત્તપુર. પ્ર. ૩. પ્ર. ૨૧. પૃ. ૫૭૧–૨. એ ઉપરાંત ઘણું નગરવર્ણને અવાંતર છે. એ પ્રત્યેકમાં જુદી જુદી ખૂબીઓ છે. કોઈ જગ્યાએ પુનરાવર્તન નથી અને નગરવર્ણનમાં કાવ્યત્વનો ભાવ જાળવી અનેક મહાન સત્યેની વાર્તા કરી છે. (f) જન્મોત્સવ– હિંદુસ્તાનમાં પુત્રજન્મ બહુ ઉજવાય છે. એ પ્રસંગે લેકે ખૂબ ખર્ચ કરે છે અને અનેક પ્રકારના આનંદના જલસાઓ કરાવે છે. એવા પુત્રજન્મના પ્રસંગે કેવા ઉજવાતા હતા તેનું વર્ણન વાંચવા માટે નીચેની બાબતો જેવા જેવી છે. (1) સુમતિ જન્મ (પ્ર. ૨. પ્ર. ૩. પૃ. ૨૭૨ ) માતાને સ્વપ્ન આવે, દેહદ થાય, પુત્રજન્મ થાય, વધામણીઓ અપાય, દાન દેવાય, ગુરુપૂજા થાય, સગાસંબંધીઓ ઉત્સવમાં ભાગ લે, કેદીને છોડી દેવાય, લોકે નાચે કુદે ખેલે રમે–એ સર્વનું વર્ણન બારિક અવલોકન બતાવે છે. ઘડપણમાં છોકરા આવે ત્યારે આવી રીતે પુત્રજન્મ ખાસ ઉજવાય છે. ) ઘણું સુંદર પુત્રજન્મનું વર્ણન નંદિવર્ધનના જન્મ પ્રસંગે કર્યું છે. ( જુઓ પ્ર. ૩. પ્ર. ૧. પૃ. ૩૪૫) એ વિભાગ આ અસલ ઉતારી લેવા જેવું છે. જન્મ થયા પછી શું બન્યું? निवेदितं प्रमोदकुम्भाभिधानेन दासदारकेण नरपतये । मादु. भूतः मुतो मम इति समुत्पन्नस्तस्याप्यनुशयः । हर्षविशेषादुल्लसितो Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ [ શ્રી સિહર્ષિ ઃ લેખકઃ गात्रेषु पुलकोद्भेदः । दापितं निवेदकदारकाय पारितोषिकं । समादिष्टो मजन्ममहोत्सवः । ततो दीयन्ते महादानानि, मुच्यन्ते बन्धनानि, पूज्यन्ते नगरदेवताः, क्रियन्ते हट्टद्वारशोभाः, शोध्यन्ते राजमार्गाः, आहन्यन्त आनन्दमेर्यः, आगच्छन्ति विशेषोज्ज्वलनेपथ्या राजकुले नागरकलोकाः, विधीयन्ते तदुपचाराः, प्रयुज्यन्ते समाचाराः, आस्फाल्यन्ते तूर्यसङ्घाताः, गीयन्ते धवलमङ्गलानि, नृत्यन्ति ललनालोकाः सहकञ्चुकिवामनकुब्जादिभिर्नरेन्द्रवृन्देनेति ।। આ વર્ણનમાં અજબ મીઠાશ અને ઊંડો અભ્યાસ છે. રાજવારસનો જન્મ થાય ત્યારે આવી રીત પુત્ર જન્મ ઉજવાતા હતા. (3) રાજવારસના જન્મ પ્રસંગની ઉજવણીને એ જ પ્રસંગ રિપુદારણના જન્મ વખત બને છે(પ્ર.૪.પ્ર. ૧. પૃ.૭૦૩–૪). ત્યાં પણ સંક્ષેપમાં મુદ્દાસર જન્મોત્સવનું વર્ણન છે. (૮) વાણીઆને ત્યાં-શેઠ લોકને ત્યાં પુત્રજન્મ થાય ત્યારે કેવા મહોત્સવ થાય છે તે માટે જુઓ વામદેવ જન્મવર્ણન. પ્ર. ૫. પ્ર. ૧. પૃ. ૧૧૪૨. વાણુઓને ત્યાં જન્મનું બહુ જ સાદું વર્ણન ધનશેખરના જન્મપ્રસંગે પણ આવે છે. જુઓ. ૫, ૬. પ્ર. ૧. પૃ. ૧૪૬૭. (5) અણમાનીતી અથવા વેષ કે ઈષ્યને ભેગ બનેલી રાણી જંગલમાં પુત્રને જન્મ આપે ત્યારે ત્યાં કેવું ચિત્ર ખડું થતું હશે એનું આબેહુબ વર્ણન હરિકુમારના જન્મ પ્રસંગે કર્યું છે. (પ્ર. ૬. પ્ર. ૩. પૃ. ૧૪૮૭.) હૃદય ભેદી નાખે એવું એ શેકમય વર્ણન છે. (૪) વંધ્યા સ્ત્રીને છોકરાના હાવા આર્યાવર્ત માં છોકરા માટે બહુ ઝંખના રહેલી હોય છે એમ જેવામાં આવે છે. શ્રી સિદ્ધર્ષિના વખતમાં પણ તેમજ હશે. ૫, ૨. પ્ર. ૩. માં દેવી કાળપરિણુતિને મુખે બોલાવે છે તે આર્ય સ્ત્રીની ભાવના-ઈચ્છા દરરોજના અનુભવનો વિષય છે. મુત્ત થાય ! મોડ્યું જ અમારા .. मानितं यन्मया मान्यं साभिमानं च जीवितम् ॥ Page #257 -------------------------------------------------------------------------- ________________ એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન :]. ૨૧૫ नास्त्येव तत्सुखं लोके यस्य नास्वादितो रसः । प्राप्तं समस्तकल्याणं प्रसादाद्देवपादयोः ॥ दृष्टं दृष्टव्यमप्यत्र लोके यन्नाथ ! सुन्दरम् । किं तु पुत्रमुखं देव ! मया नाद्यापि वीक्षितम् ॥ यदि तद्देवपादानां प्रसादादेव जायते । ततो मे जीवितं श्लाघ्यमन्यथा जीवितं वृथा । આ રીત સર્વ મળે પણ પુત્ર ન હોય તે જીવતર ઝેર જેવું થઈ જાય છે. એ ખાસ પત્ય વિચાર છે અને યોગ્ય રીતે આળેખાય છે. પુત્રમેહને એ જ સુંદર તાદૃશ્ય ખ્યાલ કમળસુંદરીના સંબંધમાં બને છે. પ્ર. ૬. પ્ર. ૩. પૃ. ૧૪૮૭. ત્યાંક મળસુંદરી પુત્રની. ખાતર પતિને છાડી જંગલને આશ્રય લે છે. આ પરિસ્થિતિ ખરેખર વિત્ય છે અને અવલોકનથી જેનાર રહસ્ય સમજી શકે તેવી છે. (૧૬) માનસવિધા. ... ... (Psychology) આ શબ્દનો અર્થ “આન્વીક્ષિકી” અથવા આત્મવિદ્યા થાય. એને “ચિત્તવિદ્યા” પણ કહેવામાં આવે છે. જનસ્વભાવના અંદરના રહસ્યનો-માનસનો અભ્યાસ જેને હોય તેને અંગ્રેજીમાં “સાઈ કોલેજીસ્ટ” કહે છે. એનો અભ્યાસ જેમ વધારે હોય તેમ લેખક વધારે સફળ થાય છે. મોટા શેકસપિયર કે કાળીદાસ જેવા નાટકકારે વખણાય છે તે આ વિદ્યાના ઊંડા અભ્યાસી હોઈને છે. કઈ પણ નવલ નવલિકા કે અદભુત કાવ્ય લખનાર જનસ્વભાવને અભ્યાસી હોય તો પોતાના વિષયમાં ખરેખર ઝળકી ઊઠે છે અને એમાં જેટલે અંશે એની કચાશ હોય તેટલે અંશે એનું કાર્ય અપૂર્ણ રહે છે. આ જનસ્વભાવના અભ્યાસની પરિપૂર્ણતા જે કોઈ ગ્રંથમાં જોઈ હોય તે તે આ ગ્રંથમાં છે. શ્રી સિદ્ધર્ષિનો સ્વભાવઅભ્યાસ આબેહૂબ છે અને એને જેમ જેમ વિચારીએ છીએ તેમ તેમ એ બાબતની છાપ પડે તેમ છે. એક સાધારણ વાતા ઉપાડીને એના અંતરમાં ઊંડા અભ્યાસની વાત અવાંતરમાં કરતા જવી એ સાધારણ બાબત નથી. Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ || શ્રી સિહર્ષિ :: લેખકઃ આ બાબતના પ્રથમ થોડા દાખલા આપી પછી એમના એ સ્થાન પર પરામર્શ કરીએ. પ્રથમ પાંચ ઈદ્રિયો લઈએ. (a) “સ્પર્શનને બહુ મજાની રીતે ફાંસી ખાતે એાળખાવે છે. પછી એ પોતાની જાતને ઓળખાવે છે. ભવજંતુ કેવી રીતે તેનાથી વિરુદ્ધ થઈ ગયો તે વર્ણવે છે-- अन्यथा दृढतरं पर्यालोच्य सदागमेन सह किञ्चिदेकान्ते त्रोटितो मया सह सम्बन्धः सर्वथैव भवजन्तुना । परिच्छिन्नोऽहं चित्तन । त्यक्तानि मम वल्लभानि मद्वचनेनैव गृहीतानि यानि पूर्व कोमलतूलीगण्डपिधानादिसनाथानि शयनानि । विरहितानि हंसपक्ष्मादिपूरितान्यासनानि । मुक्तानि वृहतिका प्रावाररल्लिकाचीनांशुकपट्टांशुकादीनि कोमलवस्त्राणि । प्रत्याख्यातानि मम सुखदायीनि शीतोष्णर्तुप्रतिकूलतया सेव्यानि कस्तूरिकागुरुचन्दनादीनि विलेपनानि । वर्जितः सर्वथा ममाहादातिरेकसम्पादकः कोमलतनुलताकलितो ललनासङ्घातः । ततः प्रभृति स भवजन्तुः करोति केशोत्पाटनं, शेते कठिनभूमौ, धारयति शरीरे मलं, परिधत्ते जरच्चीवराणि, वर्जयति दूरतः स्त्रीगात्रसङ्गं, कथञ्चिदापन्ने तस्मिन् करोति प्रायश्चित्तं, सहते माघमासे शीतं, गृह्णाति ज्येष्ठाषाढयोरातापं, सर्वथा परमवैरिक इव यद्यत्किञ्चित्मे प्रतिकूलं तत्सर्वमाचरति । આના અવતરણ માટે જુઓ ક. ૩. પ્ર. ૩. પૃ. ૩૭૭–૮. આ વર્ણન અદ્ભુત છે અને ઊંડા અભ્યાસનું પરિણામ છે. સ્પર્શન હોય ત્યાં શું હોય અને એને ત્યાગ કેવો હોય તેનું વર્ણન આથી વધારે સ્પષ્ટ કલ્પવું મુશ્કેલ છે. સ્પર્શનની યોગશક્તિ, એનું અંદર દાખલ થવું અને તેની હાજરીમાં થતા ફેરફારનું વર્ણન છે. ૩ ના પ્ર. ૫ માં એટલું જ સુંદર કર્યું છે. એમાં આખો યુગ બતાવ્યો છે. મુનિઓ ભેગમાં જેમ ધ્યાન ધારણું આદિ કરે છે તેમ આ સ્પર્શન પણ લીન થઈ જાય છે અને પછી શું શું કરે છે તેનું વર્ણન પૃ. ૪૦૧ માં કર્યું છે. જનસ્વભાવનું અવલોકન કર્યું હોય તે કહી શકશે કે સ્પર્શનમાં આસક્તિ થાય ત્યારે એમજ થાય છે. ગીને એકાગ્રતા Page #259 -------------------------------------------------------------------------- ________________ એમનું અનેકવિષયગ્રાહી સાન ઃ ] ૨૧૭ લાવવામાં અભ્યાસ કરવો પડે છે અને આ લીનતા તે સહજ છે. એ સુખમાં પડેલે બાળ શું વિચારે છે? अहो मे सुखं अहो मे परमानन्दः। ततो मिथ्याभावनया परमसुखसन्दर्भनिर्भरः किलाहमिति वृथा निमीलिताक्षोऽनाख्येयं रसान्तरमवगाहते। આ તો દરરોજનાં અનુભવનાં દશ્ય છે, દુનિયાદારીમાં નવીન નથી, પણ એને વર્ણવવાં-ઓળખવાં અને રજૂ કરવાં ઘણું મુશ્કેલ છે. નિજવિલસિત ઉદ્યાન અને પ્રમોદશેખર મંદિરને તફાવત જ્યારે સુબુદ્ધિ મંત્રી બતાવે છે ત્યારે આ આખા ગાભ્યાસઅધ્યાત્મજ્ઞાનની પરિસીમાં પ્રાપ્ત થાય છે. બાકી એ સ્પર્શન વિષયાભિલાષ મંત્રીને સંબંધી પુરુષ છે અથવા એને નેકર છે એમ કહી એને કર્મ પરિણામ રાજા સાથે સંબંધ શોધવામાં જે ઊંડે અભ્યાસ અને અધ્યાત્મજ્ઞાન બતાવ્યું છે તે ખરેખર અદ્ભુત છે. લેખકને અભ્યાસ એ વિષય પર ઘણે જબરજસ્ત હોવાને પુરા આ સ્પર્શનની વાતો અને તેને અંગે બાળના ખેલે, બાળની માતા અકુશળમાળાની સલાહ અને મનીષીના ત્યાગમાં દષ્ટિગોચર થાય છે, ખરેખર આંખ સન્મુખ ચિત્રપટરૂપે રજૂ થાય છે અને વિચારે તેને ઊંડા ઉતારી નાખે તે છે. બાળનું આખું ચરિત્ર સ્પશનને ઊંડે અભ્યાસ બતાવે છે. મદનકંદળી ઉપર તેનું આકર્ષણ, કામદેવના મંદિરમાં ખાલી શય્યા પર સૂવું, મદનકંદળીના મહેલમાં રાત્રે પ્રવેશ કરવા નીકળવું વિગેરે પ્રસંગે પ્રસ્તાવ ૩ જાના પ્ર. ૮. ૯માં વર્ણવ્યા છે તે આ જન-સ્વભાવના બારિક અવેલેકનનું પરિણામ છે. જ્યારે પ્રાણુ સ્પર્શનમાં આસક્ત થાય છે ત્યારે એ કુળમર્યાદા મૂકી દે છે, રખડુ થઈ જાય છે અને વિવેકભ્રષ્ટ થાય છે. એ સર્વ વાત દરરેજના અનુભવને વિષય છે, છતાં આળેખવી એટલી જ મુશ્કેલ છે. (b) રસનાને પ્રસંગ આથી પણ વધારે ઊંડો અભ્યાસ ૧. પ્ર. ૩. પ્ર. ૧૬. ૫. પર—૮. ૨૮ Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ [ શ્રી સિહર્ષિ ઃ : લેખક - બતાવે છે. પ્ર. ૪. પ્ર. ૭. ની શરૂઆતમાં એ શરૂ થાય છે. વન— કાટર નામના ગીચામાં રસના દેખાય છે ( પૃ. ૭૬૭ ) તેની સાથે તેની દાસી લેાલતા છે. રસના તે એઇંદ્રિયથી માંડીને સર્વ પ્રાણીની સાથે હેાય છે. એનુ રહેવાનુ સ્થાન વદનકાટર છે. આ ભારે વાત કરી ! એની ઉત્પત્તિ આ પ્રાણી દ્વિહષિક નગરે હતેા ત્યારથી થયેલી છે અને ત્યારથી એ સાથે લાગેલી છે. એની અસરનુ વણું ન પૃ. ૭૭૩ માં બહુ સુંદર કર્યું છે. લેાલતાનુ રસના સાથે સ્થાન શુ છે અને તે હાય અને ન હેાય ત્યારે કેવાં જુદાં જુદાં પરિણામે આવે છે એનુ વર્ણન વિચારતાં સમજાય છે કે રસના તા સર્વને છે પણ એની સાથે લેાલતા આવે ત્યારે એ મહાભયંકર અને છે. આ આકારમાં હકીકત રજૂ કરવામાં જબરજસ્ત માલિકતા છે. રસનાના મૂળની શેાધ કરવા જાય છે ત્યાં જનસ્વભાવની ઘણી વાતા અજબ રીતે કરી છે તેમાંની કઇ કઇ વાત તા જરૂર નાંધી રાખવા જેવી છે. દાખલા તરીકે પ્ર. ૪. પ્ર. ૨૦ માં કહે છે એ 'તરંગ રાજ્યના લેાકેા તે! ચગી જેવા છે અને મરજી આવે ત્યારે અંતર્ધાન થઈ શકે છે અને ધ્યાન પહોંચે ત્યારે ગમે તે સ્થાનકે પ્રકટ થઇ આવે છે. એમનામાં પરપુરપ્રવેશ કરવાની યાગશક્તિ પણ હાય છે. ( પ્ર. ૪. પ્ર. ૨૦. પૃ. ૯૧૦–૧ ). આ વાતમાં ખૂબી છે. એ લાકે ચિત્તવૃત્તિ અટવીમાં હાય, ખીજે હાય, ત્રીજે હાય. એના ખુલાસેા આ યાગની પરિભાષામાં ભારે સુંદર રીતે આપ્યા છે. જ જનસ્વભાવનું ખારિક અવલેાકન પ્ર. ૪. પ્ર. ૩૮માં થાય છે. ત્યાં વિમળાલેાક અંજનના પ્રયાગથી વિચક્ષણને સાત્ત્વિકમાનસપુરે માકલે છે એ વાત ખરેખર અનુભવવા જેવી છે. એ નગરે નના પ્રયાગથી જ જઇ શકાય તેમ છે. અને લેાલતાની પ્રેરણાથી જડે મનુષ્યનુ માંસ પણ હાંશથી ખાધું ત્યાં તેા રસનાના ખેલના ઉત્કૃષ્ટ ચિતાર અપાયા છે (પૃ. ૧૧૦૬ ). આ સર્વ વાર્તામાં લેાલતાનુ પાત્ર આંતરવિદ્યાનેા ઉત્કૃષ્ટ અભ્યાસ, પૃથક્કરણ શક્તિ અને વિવેચનકળા બતાવે છે. ( ૭ ) નિજ ક્ષેત્રમાં રમતાં રમતાં ખુષ અને મન્ત્ર એ ક્ષેત્રના છેડા પર આવેલા લલાટપટ્ટ નામના પર્વત પર રમવા ગયા. એ પ ત Page #261 -------------------------------------------------------------------------- ________________ એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન :] ૨૧૯ ઉપર એક શિખર અને તેના ઉપર કબરી નામની ઝાડી જોઈ. એ ઝાડીમાં તેમણે લાંબી શિલાઓથી બનેલી નાસિકા નામની ગુફા જોઈ. (પ્ર. ૫. પ્ર. ૧૮. પૃ. ૧૨૮૦–૮). આ વર્ણનમાં મલિકતા છે. મુખ પર મૂછો અને તેની અંદર ગુફા. આ વાતમાં કળા છે. નાસિકાને ગુફા સાથે સરખાવવાને ખ્યાલ જેને તેને આવે તેમ નથી. એને પાછા બે ઓરડા છે. ગુફાઓ જોઈ હોય તો આ સમજી શકે તેમ છે. વધારે ખળી ભુજંગતાના પાત્રની છે. ધ્રાણુની એ દાસી થાય. (પૃ. ૧૨૮૯). એની પ્રેરણાથી સુગંધીમાં આસક્તિ થાય છે. કેવી થાય છે તે માટે જુઓ પૃ. ૧૨૨. એ ધ્રાણ વિષયાભિલાષને પુત્ર થાય છે. એના પ્રત્યેક પુત્ર જગતને વશ કરવાની શક્તિવાળા છે એ વાત ખરી, પણ ભુજંગતા દાસી વગર એ લગભગ અકિંચિત્કરની સ્થિતિમાં રહે છે એ વાત પણ થઈ જાય છે. આ પ્રસંગ પણ જનસ્વભાવને અભ્યાસ બતાવે છે. () શ્રેત્રની હકીકત ચિત્તવિદ્યાના અભ્યાસ પૂરતી જેઈ જવા લાયક છે. (પ્ર. ૭. પ્ર. ૧૨). એમાં લેખકે કેવિદ બાલિશના પાત્ર પાસે કમાલ કામ કરાવ્યું છે. નિજદેહ નામના પર્વત પર મૂર્ધા નામનું શિખર અને તેની બન્ને બાજુએ “શ્રવણ” નામના બે ઓરડા બતાવ્યા છે. (પૃ. ૧૭૭૮) એ શ્રુતને રહેવાનું સ્થાન છે. એ દેવી તો એરડે છોડે જ નહિ, બાલિશને ઈચ્છા થાય ત્યારે વહાલી પત્નીને ઓરડે જાય. અસલ ગરાશીઆ કે મોગલ શહેનશાહ જેમ અંતઃપુરમાં કે જમાનામાં જતા એ એનો રાહ દેખાય છે. એની સાથે સંબંધ કરાવનાર “ સંગ” નામનો દાસ હતો અને એના ઉપર બાલિશને ખૂબ સ્નેહ હતા (પૃ. ૧૭૮૦). એ શ્રુતિ કોણ હતી? કેવી હતી? ક્યાંથી આવી ? કેમ પ્રસિદ્ધ થઈ ? કે પ્રપંચ તના સંબંધમાં રમાય છે? તે “ચિત્તવિદ્યા”ને અગત્યને વિષય છે અને સર્વ ઇદ્રિયને લાગુ પડે છે તેથી અત્ર તે સદાગમના શબ્દમાં નોંધી લઈએ. એને વિશેષ ભાવ પૃષ્ઠ ૧૭૮૦–૧ માં જોવામાં આવશે. એ શ્રુતિ સંગ સાથે હોય ત્યારે જરા પણ વિશ્વાસ કરવા લાયક નથી. રાગકેસરીના મંત્રીએ એને જગતને જીતવા મોકલેલી Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ [ શ્રી સિહર્ષિ :: લેખક છે અને એ મેટા ચોરની દીકરી છે, છતાં દુનિયામાં મોટા કર્મ પરિણામ રાજાની દીકરી તરીકે જાણીતી થઈ છે. એને તે પરણ્યા પછી છોડી શકાય નહિ, પણ સંગ નેકરને દાખલ કરવો નહિ. એ સંગ સાથે હોય ત્યારે બહુ નુકશાન કરનારી થઈ પડે છે. સંગ ન હોય ત્યારે પણ પતિ સાથે રહે છે પણ મધ્યસ્થતા જાળવી શકે છે.” આ શબ્દોમાં કૃતિને ઊંડો અભ્યાસ છે. સાંભળવું તે ખરાબ નથી, પણ તેના ઉપર આકર્ષણ થવું, તેમાં પરવાઈ જવું અને તેમાં ઓતપ્રોત થવું એ ઘણું ભયંકર છે. આ આંતરરાજ્યની વિશિષ્ટતા અને ગંભીરતા ચિત્તવિદ્યાના અભ્યાસકે બહુ મનનપૂર્વક વિચાર કરવા યોગ્ય છે. (e) હવે અંતરંગ રાજ્યમાં જઈને ચિત્તવિદ્યાને અભ્યાસ લેખકશ્રીનો જોઈએ. પ્રથમ “વૈશ્વાનરને તપાસીએ. એ અવિવેકિતા બ્રાહ્મણીને પુત્ર થાય (પૃ. ૩૪૬) એનું વર્ણન લેખક નીચે પ્રમાણે કરે છે – ततो मयासौ धारयन् वैरकलहाभिधानौ विषमविस्तीर्णचरणौ, दधानः परिस्थूलकठिनइस्वे ईर्ष्यास्तेयाभिधाने जके, समुद्रहन्ननु રાયનુપરામનામાની વિષમતદૂ, વિઝાના હંમેકपाोन्नतं कटीतट, दर्शयन् परमर्मोद्घट्टननामकं वक्रविषमं लम्बमुदरं, कलितोऽन्तस्तापनामकेनातिसङ्कटेनोरःस्थलेन, युक्तः क्षारमत्सरसंशाभ्यां विषमपरिहूस्वाभ्यां बाहुभ्यां, विराजमानः क्रूरतारूपया धक्रया सुदीर्घया च शिरोधरया, विडम्यमानोऽसभ्यभाषणादिरूपैर्विजितदन्तच्छदैविरलविरलैमहद्भिर्दशनौगोप्यमान ण्डत्वासहनत्वनामकाभ्यां शुषिरमात्ररूपकाभ्यां कर्णाभ्याम् , उपहास्यस्थानं तामसभावसंशया स्थानमात्रेण लक्ष्यमाणयातिचिपिटया नासिकया, विभ्रासुरतांरौद्रत्वनृशंसत्वसंज्ञाभ्यामतिरकतया गुजार्धसन्निभाभ्यां वर्तुलाभ्यां लोचनाभ्यां, बिनाट्यमानोऽनार्यावरणसं. केन महता त्रिकोणेन शिरसा, यथार्थीकुर्वाणो वैश्वानरता परो. पतापसंहकेनातिपिालतया ज्वालाकलापकस्पेन केशमारेण ररो વાનરે હાલા . (. ૩. પ્ર. ૧. પૃ. ૩૪૬–૭.) આ વેશ્વાનરનું આખું વર્ણન સમજાય તે ચિત્તવિધાને અજબ Page #263 -------------------------------------------------------------------------- ________________ એમનું અનેકવિષયગ્રાહી શાનઃ ] ૨૨૧ પાર પમાય તેવું છે. એ વાત બાજુ પર રાખીએ તો પણ જે વર્ણન અત્ર કર્યું છે એ ખરેખર અભ્યાસીને વિચારમાં નાખી દે તેવું છે. એમાં ભાષાની ખૂબી ઉપરાંત ચિત્તવિદ્યાને ઊંડે અભ્યાસ છે અને ખરેખરો ઊંડો પરિચય તેથી શક્ય છે. પણ એ પરિચયની પરાકાષ્ઠા “ફરચિત્ત ” નામનાં વડાંની જનામાં છે. એ વડાંને ઉપગ વૈશ્વાનરે એ બતાવ્યો કે “ જ્યારે કોઈ પ્રસંગ પ્રાપ્ત થાય અને દૂર રહીને હું સંશા કરું ત્યારે તારે જરા પણ સંકલ્પવિક૯પ કર્યા વગર આ વડાઓમાંથી એક વડું ખાઈ લેવું. ” ( પૃ. ૩૫૪) આ વાતમાં ભારે રહસ્ય છે. ક્રોધી માણસ આખો વખત ક્રોધ કરતો નથી, પ્રસંગ મળતાં એ વૈશ્વાનરની અસર નીચે આવી જાય છે. આ વાતને મેળ ભારે યુક્તિથી મેળવ્યું છે. પછી વિદુરને તમારો મારે કે સહાભ્યાસીને તાડના તર્જના કરે કે છેવટે આખા ગામને બાળે એ સર્વ વેશ્વાનરના આવિર્ભા હોઈ એનું વર્ણન કરવા અત્ર ન કાઈએ. એવા પ્રસંગે તે આખા ત્રીજા પ્રસ્તાવમાં ઠાંસી ઠાંસીને ભર્યા છે. નિર્બળ ક્રોધી કેવી નિર્જીવ બાબતમાં ક્રોધ કરે છે તેને એક ભવ્ય પ્રસંગ પ્ર. ૨૮ માં છે. ત્યાં અમુક બે નગર (જયસ્થળ અને શાર્દૂલપુર) વચ્ચે અંતર કેટલો તેની હોંસાતેસીમાં એક ગાઉના વાંધાઓ નંદિવર્ધન ફુટ વચનનું માથું ઉડાવી નાખે છે. (પૃ. ૬૩૬) “આગ ઊઠે જે ઘરથકી તે પહેલું ઘર બાળે; જળને જેગ જે નવિ મળે, તો પાસેનું પ્રજાળે. ” આ વાત આખા પ્રસ્તાવમાં છે. એના પર વિજય મેળવવા માટે નિમિત્તિઓએ “ક્ષાંતિ ” કુમારીનું વર્ણન કરી તેના લગ્નની હકીક્ત કહી છે તે બહુ મનન કરવા યોગ્ય અને ચિત્તવિદ્યાના અભ્યાસને નાદર નમૂને પૂરું પાડે છે (પ્ર. ૩. પ્ર. ૨. ). આ અંતરંગ મનેવિકારના અભ્યાસને મુખ્ય પ્રસંગ થયો. આ ત્રીજા પ્રસ્તાવમાં ક્રોધ અને હિંસાના પ્રસંગે પરસ્પર ગુંચવાઈ ગયા છે એટલે કે સ્થળે એને કેને આવિર્ભાવ ગણો તે કહેવામાં મુશ્કેલી પડે તેવું છે, પણ હિંસાને અને ક્રોધને એટલો ગાઢ સંબંધ છે કે એક બીજામાં ઓતપ્રોત થઈ જાય તો તેમાં નવાઈ જેવું નથી. Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ [ શ્રી સિહર્ષિ : લેખકઃ (f) ચોથા પ્રસ્તાવમાં શૈલરાજને જન્મ દેવી અવિક્તિાની કુખે થાય છે. એ આઠ માથાવાળો છોકરો બહાર નીકળતી છાતીવાળો છે. એ વાકયમાં જ શૈલરાજનું આબેહૂબ વર્ણન થઈ જાય છે. (પ્ર. ૪. પ્ર. ૧. પૃ. ૭૦૫) એની સાથે મિત્રી થતાં કેવા કેવા વિચારો રિપદારને આવે છે તે પૃ. ૭૦૬–૭. માં આળેખ્યા છે એ ચિત્તવિદ્યાના અભ્યાસકને એગ્ય છે પણ એની પરાકાષ્ઠા “ સ્તબ્ધચિત્ત ” લેપની જનામાં આવે છે. એ લેપ હદય પર લગાડ્યા પછી પ્રાણી કે અક્કડ થઈને ચાલે છે તે તો આપણે દુનિયામાં દરરોજ જોઈએ છીએ. એનું વર્ણન બહુ માર્મિક ભાષામાં ગ્રંથકર્તાએ કર્યું છે તે પ્ર. ૪. પ્ર. ૧ને છેડે આવે છે. ત્યારપછી આચાર્યના આસન પર બેસવાની ધૃષ્ટતા કરે એ તો શિલરાજને આવિર્ભાવ જ હોય ( પૃ. ૭૧૭ ) અને નરસુંદરી ચાલી ચલાવીને વરવા આવી ત્યારે રાજસભામાં એને જે ફેસતો થયે તેનું વર્ણન ચિત્તવિદ્યાના અભ્યાસને ઉત્તમ પ્રસંગ પૂરું પાડે છે ( પ્ર. ૪. પ્ર. ૩. પૃ. ૭૨૯). પછી એ મહાત્મા લખી નાખે છે કે – निरक्षरोऽपि वाचालो, लोकमध्येऽतिगौरवम् । वागाडम्बरतः प्राप्तो यः स्यादन्योऽपि मानवः ॥ यः सर्वो निकषप्राप्तः प्राप्नोत्येव विडम्बना । महाहास्यकरी मूढो यथायं रिपुदारणः । આ વાત પણ દુનિયાના દરરેજના અનુભવને વિષય છે, ખૂબી એ વાતને એ પ્રકારે ચિતરવામાં છે. એને નરસુંદરી સાથે સંબંધ, પિતાનું અજ્ઞાન પ્રકટ થઈ જતાં રોષ, સ્ત્રીની સ્વાભાવિક નબળાઈ, અભણ અભિમાનીને તુચ્છ વિચારે અને નબળો માટી ઐયર પર શુ થાય એનું વર્ણન. એ પ્રસ્તાવના પાંચમા પ્રકરણમાં ચિત્તવિદ્યાને ખરો નમૂને પૂરો પાડે છે. (પૃ. ૭૪૦–૩) એ અભિમાની કળાન્વિત સુશિક્ષિત નરસુંદરીને તજે, એ માતાને પાટ મારે અને નરસુંદરી આર્ય સ્ત્રીને છાજે તેવી રીતે જીવનનો અંત લાવે (પૃ. ૭૫૧) એ સર્વ ચિત્તવિદ્યાને ખર અભ્યાસી જ લખી શકે તેમ છે. એના હાલ પણ અભિમાનીને યોગ્ય જ થયા, રાજપુત્ર હોવા છતાં એની પિતાની રખડપાટી પણ સારી થઈ અને એને તિરસ્કાર પણ ખૂબ મળ્યા. (પૃ. ૭૫૫)એને રાજ્ય મળ્યું ખરું, Page #265 -------------------------------------------------------------------------- ________________ એમનુ' અનેકવિષયગ્રાહી જ્ઞાન : ] પરંતુ અ પણ આખરે એણે અભિમાનમાં ગુમાવ્યું, તપન ચક્રવર્તીના ઝપાટામાં આવી ગયા ( પૃ. ૧૧૨૪), એણે નાટક કર્યું, લકા લોકાને પણ પગે પડ્યા અને છેવટે લેાહીની ઉલટી કરી મરણ પામ્યા (પૃ. ૧૧૨૮ ) આ સર્વ ચિત્તવિદ્યાના અસાધારણ અભ્યાસ અને બારિક અવલાકનનુ પરિણામ છે. આવી જ હકીકત બહલિકા અને સાગરની લખાય, પણુ સ્થળસ કાચથી તેમ કરાય તેમ નથી. સાગરના આવિ ભાવામાં તા ગ્રંથકર્તાએ ખરેખર કમાલ કરી છે. (g ) નીચેના છૂટાછવાયા દાખલાઓ ચિત્તવિદ્યાના અભ્યાસને અંગે માત્ર નિર્દેશ કરી આ વિષય સંક્ષેપી લઇએ. (1) મૃષાવાદન અંગે લેખકશ્રી કહે છે(પ્ર. ૪. પ્ર. ૨. પૃ. ૭૨૦) लुब्धमर्थप्रदानेन, क्रुद्धं मधुरभाषणैः । मायाविनमविश्वासात्स्तब्धं विनयकर्मणा ॥ चौरं रक्षणयत्नेन सबुद्धया पारदारिकम् । वशीकुर्वन्ति विद्वांसः शेषदोषपरायणम् ॥ न विद्यते पुनः कश्चिदुपायो भुवनत्रये । असत्यवादिनः पुंसः कालदष्टः स उच्यते ॥ ૨૨૩. આ વાત બારિક અભ્યાસ વગર લખી શકાય નહિ. અસત્ય ખેલનારને ‘ કાલદષ્ટ ’ કહેવાય અને એને અસાધ્યની કેટિમાં મૂકાય એ વાત તદ્ન સત્ય છે પણ અનુભવ, અભ્યાસ અને અવલેાકન વગર વ્યક્તરૂપે તે આકારમાં નીકળી શકે તેવી નથી. (2) પ્ર. ૪. પ્ર. ૨૮ માં જરા રૂજા વિગેરે સાત પિશાચીન વનમાં ચિત્તવિદ્યાને અઠંગ અભ્યાસ પ્રત્યેક વાક્યમ ષ્ટિગાચર થાય છે. અસાધારણ અવલાકનશક્તિ, ગ્રહણુશક્તિ અને વાચકશક્તિ વગર એ વર્ણન અશકય છે. વર્ણનના પ્રત્યેક શબ્દ ઊંડા અભ્યાસ બતાવે છે. (3) વિમળકુમાર પિતાના આગ્રહ જોઇ સર્વ લેાકાનાં દુ:ખ દૂર કરવાની ચેાજના કરે છે. એ હિમભવન યેાજના વાત્સલ્યવાળો પિતાના પ્રેમના આવિર્ભાવ બતાવનાર શાંતિસ્થાન હાઇ ચિત્ત Page #266 -------------------------------------------------------------------------- ________________ [શ્રી સિદ્ધર્ષિ : : લેખક : વિદ્યાના ઊંડા અભ્યાસ બતાવે છે. બાપા ગમે તેમ કરી દીકરાને ઘરે રાખવા માગતા હતા. (મ. ૫. પ્ર. ૧૧. પૃ. ૧૨૨૬). (A) સહૃદય વિમળકુમાર વામદેવની શેાધ કરાવે છે અને વનદેવી ધૂણી સર્વ પાગળ ઉઘાડું પાડે છે, તેા પણ એ પાતાની હૃદયવિશાળતા છેાડતા નથી. ઉત્તમ પુરુષાનું ચરિત્ર એ જ પ્રકારનું હેાય. એવા માણુસા પણુ દુનિયામાં દેખાય છે અને વામવાના તા:કાંઈ પાર નથી. ( પ્ર. પ. પ્ર. ૮. પૃ. ૧૨૦૪–૫ ). (5) રિકુમારે વાત બદલવા કાંઇ વિદ્વત્તાભરેલી ચર્ચા આદરવા સૂચના કરી, પણ મિત્રા ચર્ચા ઉપાડવા પ્રશ્ન કરે ત્યારે પાતે કાંઇ સાંભળતા નથી. એક માબતમાં મન ચાંટી જાય ત્યારે કેવી વિહ્વળતા થાય છે તેના આ ખરા નમૂના છે. ( પ્ર. ૬. પ્ર. ૩. પૃ. ૧૪૯૫) ૨૨૪ (6) ઘનવાહન પેાતાના મિત્ર અને ઉપદેશક અકલંક મુનિને કહે છે ‘સાહેબ ! હવે માસકલ્પ પૂરા થયા છે,તે મહાત્મા કાર્વિદાચાર્ય નું આપના સંબધમાં મન ઊંચું થશે અને અમને ઠપકા મળશે કે વિહારના સમય થયા છતાં અમે આપશ્રીને વધારે વખત રાકી રાખ્યા. તા સાહેબ ! હવે આપશ્રી વિહાર કરે. ’( પ, ૭. પ્ર. ૧૪. પૃ. ૧૭૯૪ ) આમાં તે ખરી કમાલ કરી છે. આવા લેાભીઆઆ ભેાળા સાધુને પણ કેવા પ્રપ ંચથી છેતરે છે તે જોવા જેવું છે. આપણા અનુભવના વિષય છે. આવા પ્રસંગાના પાર નથી. લખતાં પાર આવે તેમ નથી. આખા ગ્રંથ ચિત્તવિદ્યાના અભ્યાસથી ભરેલા છે. એને જેમ જેમ વિચારીએ તેમ તેમ તેમાંથી રહસ્યના ઢગલા નીકળી પડે તેમ છે. ગ્રંથનું ખરું ઊંડાણુ અને તેની સાચી ગંભીરતા આ સ્વભાવજ્ઞાન અને ચિત્તવિદ્યાના અભ્યાસમાં છે અને ગ્રંથકર્તા આપણને બહુ દૂર સુધી લઈ જઈ શકે છે. ( h ) સરખામણી કરવા ચેાગ્ય ચિત્તવિદ્યાના અભ્યાસના પ્રસગાના પાર નથી. જીએઃ— રત્નચૂડ ગાંધર્વ લગ્ન ચતમ જરીને પરણ્યા ત્યાં લડાઇ જાગી. તે લડવા આકાશમાં ઊડ્યો, કારણ કે પેાતે વિદ્યાધર હતા. એણે અચળ Page #267 -------------------------------------------------------------------------- ________________ એમનું અનેકવિષયગ્રાહી સાન ઃ ]. ૨૨૫ ચપળને હરાવ્યા. દરમ્યાન અત્યંત સંદર્યશાળી ચૂતમંજરી જમીન પર એકલી રહી. વિમળકુમારનિર્જન વનમાં દહીંનું ઠામ જેઈને લલચાતે નથી પણ રક્ષણ કરે છે. ચૂતમંજરીને પણ એને જોતાં સહાય માગવાનું સૂઝે છે. એને એમ મનમાં થતું નથી કે ચૂલામાંથી કદાચ ઓલામાં પડવાનું થશે. ( પૃ. ૧૧૬૫). નિઃસ્પૃહી માણસની મુખમુદ્રા જ વિશ્વાસ ઉત્પન્ન કરે તેવી હોય છે. પછી પ્ર. ૫, પ્ર. ૫ માં જે પરસ્પર પ્રેમ વિમળ અને રત્નસૂડને થાય છે તે ખરેખર નિર્મળ છે, આકર્ષક છે, અનુકરણીય છે. મહાનુભાવતાનું દષ્ટાન્ત પૂરું પડે તેવો આ પ્રસંગ છે. (પ્ર. ૫. પ્ર. ૫. પૃ. ૧૧૭૫-૬). ચૂતમંજરી ભારે વિવેકથી એનાં વસ્ત્રને છેડે રત્ન બાંધી દે છે. (પૃ. ૧૧૭૭ ). આ મહાનુભાવતા, નિઃસ્પૃહતા, ઔદાર્ય અને દાક્ષિણ્યના અપ્રતિમ દાખલા પૂરા પાડે છે. એની સાથે વામદેવની તુચ્છતા, ધનસ્પૃહા અને દુર્જનતાની સરખામણું થયા વગર રહે તેમ નથી. (પ્ર. ૫. પ્ર. ૮.) દુનિયામાં વામદેવ ઘણા હોય છે અને વિમળકુમાર તે કઈ કઈક જ હોય છે. એને યથાપ્રકારે ચિતરવા એ અભ્યાસનું કાર્ય અને પરિણામ છે. આવા પ્રસંગેનો પાર નથી. લગભગ ગમે તે દુર્વ્યસન અથવા દુર્ગુણને આ ગ્રંથમાં સ્થાન મળ્યું છે. એમ ન હોય તો લેખક આખા સંસારને વિસ્તાર શી રીતે બતાવે? એ સર્વ માનસવિદ્યાને અભ્યાસ બતાવે છે. આ સોળ મુદ્દા ઉપરાંત બીજા અનેક મુદ્દા લેખકને અંગે જણાવી શકાય. દાખલા તરીકે તેમનું પ્રાણુવિદ્યા(Zoology)નું જ્ઞાન, તેમનું કર્મસિદ્ધાંતનું જ્ઞાન, તેમનું કાર્ય કારણનું જ્ઞાન વિગેરે અનેક બાબતે તેમણે ગ્રંથમાં રેડી દીધી છે. એ બતાવવાને ઉદ્દેશ એ છે કે લેખક પોતે સર્વગ્રાહી, સર્વગ્રાહક અને સર્વવિવેચક હતા. એમણે સંસારના કેઈ બાહ્ય કે અત્યંતર વિષયને લગભગ છેડ્યો નથી. દરેક સારા ભાવ કે વિચારને ચર્ચા છે અને દરેક દુર્ગણ તેમજ અનેક આંતરભાવને પણ ચર્ચા છે. એમનું વૈવિધ્ય બતાવવા માટે આટલી હકીકત હાલ તુરતને માટે પૂરતી ધારવામાં આવી છે. આવા વૈવિધ્યભરપૂર સર્વગ્રાહી લેખક અન્યત્ર અનુપલબ્ધ છે એમ વિનાસંકોચે કહી શકાય તેમ છે. લેખક તરીકેની એમની વિશિષ્ટતાઓ હવે બીજી નજરે જોઈએ. ૨૯ Page #268 -------------------------------------------------------------------------- ________________ IV લેખક અને કળાકાર એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન આપણે જોયું. વ લેખક તરીકે તેમણે કેવી કળા ખતાવી છે તે જોઇએ. કળાકારની ખરી ખૂમી પાત્રાને ચિતરવામાં, સ્થળના નિર્માણમાં અને ખીજી નાની મોટી ખાખતામાં હેાય છે. શ્રી સિદ્ધષિના હવે આપણે કળાકાર તરીકે પરિચય કરીએ. X ૧. પાત્રાલેખન X (Delineation of characters. ) શ્રી સિદ્ધપિંગણિના આ ગ્રંથના વિચાર કરતાં એમનુ' પાત્રાલેખન અને સ્થળવણુંન ખાસ ધ્યાન ખેંચે તેવું છે. 080 X તેમના ગદ્યપદ્ય સંબંધી અને તેમની ભાષા પરની પ્રભુતા સંબંધી કેટલેાક ઉલ્લેખ ઉપર થઇ ગયા. હવે તેમણે પાત્રાલેખનમાં કેવી કળા વાપરી છે તે પર વિચાર કરી જઇએ. એ કરવા માટે ગ્રંથની વસ્તુમાં વધારે ઊંડા ઉતરવું પડશે અને તેમ થશે ત્યારે એની ખરી મહત્તા ખ્યાલમાં આવશે. એમાં લેખકની કળા ક્યાં છે અને એ કેવી રીતે વિકાસ પામી છે તે પર ધ્યાન ખેંચવાનું છે. છેવટે ગ્રંથસમૃદ્ધિમાં એમણે દરેક ચિત્ર કેવી યુક્તિથી રા કર્યા છે અને તેમ કરવા સારુ તેમને સમય અને સ્થળનું વૈવિધ્ય કરવાની જરૂર હતી તે તેઓએ કેવા પ્રસાદથી એ કાર્ય અજાવ્યું છે તે કળાકારની નજરે આ આખા મહત્ત્વના વિષય છણુવા છે. જરા મારી સાથે ચાલી એમની કળા જોવા વિજ્ઞપ્તિ છે. એમના શબ્દચિત્રને ખ્યાલ આપવા હું પ્રયાસ કરું છું. લેખક તરીકે એ મહાત્મા કેવા પ્રતાપી અને પ્રસાદપૂર્ણ હતા તે જોવાના આ પ્રસંગ છે. થાડા મુદ્દા ચી ખાકીનુ વિદ્વાન વાચકની વિશાળ બુદ્ધિ પર રાખીશ. આ વિષય પર વિચાર કરતાં એક અતિ મહત્ત્વની વાત સ ંક્ષિપ્ત ઉપાઘાત તરીકે કહી દેવાની છે. શ્રી સિદ્ધષિ ને સર્વ પ્રકારના મને Page #269 -------------------------------------------------------------------------- ________________ પાત્રાલેખન :] ૨૨૭ વિકારે, સગુણે, વ્યસને અને દુર્ગાને પુરુષાકારે બતાવવા હતી, એમના પુસ્તકમાં કઈ પણ ચાલુ બનાવ કે ભાવ પ્રાયઃ બાકી ન રહે તે તેમની પ્રતિજ્ઞા હતી, પરંતુ ભાવે તે અનંત પ્રકારના હોવાથી એને છેડે આવે નહિ અને વક્તવ્ય તે દેશ-કાળની હદે બંધાય છે અને વાંચનારની ધીરજ અને પુસ્તકનું યોગ્ય કદ તેમના વખતના વિચાર પ્રમાણે સંકલિત હતું. એ સર્વ વાત લક્ષમાં લઈ તેમણે નાના ક્ષેત્રમાં સર્વ વાર્તા કરી નાખી છે. આ સૂત્ર તેમના ગ્રંથને સમજવાની ચાવીરૂપ છે. તેમને વાર્તા-અભુત કથા તે ચાલુ રાખવી હતી. તેમનો ગ્રંથ ઊંડાણમાં ઉતરનાર ન સમજે તો પણ વાર્તાને રસની ક્ષતિ ન થવી જોઈએ એ તેમનું લક્ષ્ય હતું અને સાથે એમને શાસ્ત્રપદ્ધત્તિથી જરા પણ ચાતરવું નહોતું. આ સર્વ મુદ્દા લક્ષમાં રાખીએ ત્યારે એમનું વિશિષ્ટ પાત્રાલેખન કળાકારની નજરે કેવું જણાય તેને કાંઈક ખ્યાલ કરાવી શકાય તેમ છે. આટલી વાત નજરમાં રાખી આપણે તેમની કળા સંબંધી કાંઈક વિચાર કરીએ. (a) અભિધાનકરણ પાત્રાલેખનને કળાદષ્ટિએ વિચારતાં તેમણે આપેલાં નામ સર્વથી પ્રથમ ધ્યાન ખેંચે તેમ છે. તેમને અંતરનગરના પાત્ર સાથે કામ લેવાનું હતું અને બાહ્યને છોડવા નહોતા. એને લઈને તેમણે કેટલાંક નામે પ્રચલિત આપ્યાં, પણ ઘણું નામ એમને જેડી કાઢવાં પડ્યાં છે. એમનાથી ચારિત્ર કે મેહના નામ તે ફેરવાય તેમ હતું જ નહિ, તેમને ફેરવવા જતાં તેમનું ક્ષેત્ર કે અવકાશ ( scope) ફરી જાય તે માટે ક્ષેભ થઈ જાય, એટલે એવાં પ્રચલિત નામે તેમણે કાયમ રાખ્યાં. એ વિચારણમાં–એ નિર્ણયમાં તેમણે બહુ દીર્ધદષ્ટિ વાપરી છે અને એ જ તેમની કળા છે. બીજે સાધારણ લેખક હેત તો એ નવાં નામેની કલપના જરૂર કરવા જાત અને તેમ કરવા જતાં એ જરૂર થપ્પડ ખાઈ જાત. પ્રચલિત નામનાં ઉપયોગમાં દાખલા તરીકે એમણે નીચેનાં નામ શાસ્ત્રસંપ્રદાયમાંથી લીધાં છે – મહામહરાજ, ચારિત્રરાજ જ્ઞાનસંવરણ, દર્શનાવરણ, વેદનીય, આયુ, નામ, ગેત્ર, અંતરાય, યતિધર્મ, Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ [ શ્રી સિદ્ધર્ષિઃ કળાકાર : ગ્રહિધર્મ, સ્પશન, રસના, ઘાણું, દષ્ટિ, શ્રોત્ર, માર્ગનું સારિતા, પુણ્યદય, પરિગ્રહ, સમ્યગદર્શન વિગેરે. એ નામાભિધાનમાં લેખક તરીકેની એમની કળા એમના વર્ણનમાં છે. દાખલા તરીકે એમણે મહામે હરાજને ઘરડા બતાવવામાં જબરી કળી વાપરી છે. એ રાજાને રાજ જરૂર કરવું છે, પણ એના “ ઘરમાં રાગ-દ્વેષ છે. એક રીતે વિચારતાં આખો સંસાર રાગ-દ્વેષ પર ચાલે છે. સંસારચર્યામાંથી રાગ દ્વેષ લઈ લઈએ તે સંસારમાં કાંઈ રહેતું નથી. ત્યારે એમણે રાગ-દ્વેષને મેહરાજાના પુત્રનું સ્થાન આપ્યું. પણ એટલાથી કામ પતે તેમ નહોતું. રાગ-દ્વેષ ગમે તેવા તે બચ્ચાં જેવાં છે. સમજુ લડયા એમને જરૂર ઓળખી જાય. એવો પ્રસંગ આવે ત્યારે મહારાજા પોતે ખૂબ ઘરડા થઈ ગયા હતા તે પણ હજુ હધિયાર હાથમાં ન લેવાની પ્રતિજ્ઞા લઈને કે વાનપ્રસ્થ થઈને જંગલમાં ચાલ્યા ગયા નહોતા. અવસરે એનામાં લડવાનું જોર અને પિતાના અધિકારની સંરક્ષણ વૃત્તિ પૂરતાં હતાં એટલે રાજસિહાસને એને મૂક્યા છે, પણ દીકરાને રાજ્ય ભળાવી દીધું છે. એના તાબાના રાજસચિત્તનો અધિકાર રાગકેસરીને આ અને તામસચિત્તનો દ્વેષગજેદ્રને આપ્યા. આમાં ખૂબી એ કરી કે બને બળવાન દીકરાને જરૂર પડે ત્યારે પિતા સહાય કરતા અને રાજ્ય જુદાં થઈ ગયાં એટલે કેસરીસિંહ કદી ગજેન્દ્ર સાથે લડત નહિ. આ રીતે બાપાની હયાતીમાં પુત્રને લડાઈ ન થાય તેવી ચેજના કરી અને બાપા મતાસિંહાસને ચાલુ જ હતા. નામાભિધાનની આ વિશિષ્ટતા છે. દરેકને નામ આપવા સાથે એનું કાર્ય પણ મુકરર કરી આપ્યું છે અને એમાં જરા પણ ગોટાળે ન થાય તે જોવાની લેખકે અગમચેતી વાપરી છે. એ જ પ્રમાણે ચારિત્રરાજનું આખું લશ્કરશાસ્ત્ર સંપ્રદાયમાંથી લીધું. પણ એ કાંઈ દુનિયાના ચાલુ પ્રદેશમાં ન હોઈ શકે એટલા માટે પર્વતના શિખર પર એનું સિંહાસન ગોઠવ્યું. પર્વતના શિખરે સિંહાસન ગોઠવતાં સાત્વિક મનોદશાને કોઈ સ્થાન રહેતું નહોતું એટલે એ પર્વત ઉપર સાત્વિકમાનસપુર ગોઠવ્યું અને તેમાં ચિત્તસમાધાન મંડપ ગોઠવ્યો. આ ગોઠવણ કરવામાં બહુ ગંભીરતા વાપરી છે અને તે ગોઠવતાં લેખકે બહુ વિચાર કર્યો હશે એમ સહજ અનુમાન થાય છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ પાત્રાલેખન : ] ચાલુ નામો ઉપરાંત ભાવે વહન કરવા માટે લેખકને અનેક નામે યોજવાની જરૂર પડી. એમાંના કેટલાક નામ પરથી ભાવ સૂચવે છે અને કેટલાકનું વર્ણન વાંચી વિચાર કરી તેનું નામ ગોઠવવું પડે છે. આ જાયેલાં નામોને પાર નથી. દાખલા તરીકે નીચેનાં નામે વિચારવા – શુબ્રમાનસ નગર (પ્ર. ૪). શુક્રાભિસંધિ રાજા (પ્ર. ૪). વરતા, વાર્યતા, મૃદુતા, સત્યતા, ક્ષાંતિ, દયા, ઋજુતા, અચરતા, મુક્તતા, બ્રહ્મરતિ, વિદ્યા, નિહિતા, શ્રદ્ધા, મેધા, વિવિદિષા, સુખા, વિજ્ઞપ્તિ, કરુણું. આ તો એક સ્થાનેથી નામ લીધાં છે, પણ એ ઉપરાંત કિલછમાનસ, ચિત્તસમાધાન મંડ૫, જીવવીર્યસિહાસન વિગેરે ભવ્ય કલ્પનાઓ કરી છે. તે પ્રત્યેકનાં નામની યોજના કરવામાં અસાધારણ કળા વાપરી છે. ઉપર દશે કન્યાનાં નામ આપ્યાં તેનાં માબાપનાં નામે, તેમનાં સ્થાનાં નામે એ સર્વ નવીન છે, છતાં ભાવવાહી છે. એના પર વધારે વિવેચન કરવા અહીં નહિ રેકોઈએ. વક્તવ્ય એ છે કે પ્રત્યેક પાત્ર અને સ્થાનની ભેજના કરવાને અંગે જે નામે જ્યાં છે તે પૂરેપૂરા ભાવવાહી છે અને બહુ સુંદર રીતે જ્યાં છે. એક દષ્ટાંત આપી આ અતિ આકર્ષક વિષય પૂરે કરીએ. નીચેનાં નામે આંખ બંધ કરી વિચારી જાઓ:નગર. રાજા. રાણું. પુત્રી. ચિરાદય ચિત્તસેંદર્ય શુભપરિણામ નિષ્પક પિતા શાંતિ ચારુતા દેયા શુબ્રમાનસ શુભાભિસધિ વતા મૃિદુતા વર્યતા સત્યતા વિશદમાનસ શુદ્ધાભિસબ્ધિ જુતા 1 પાપભીરુતા અચરતા શુબ્રચિત્ત સદાશય વરેણ્યતા ઈબ્રહ્મતિ - સુકાતા આ નામ લઈએ તો પણ મન પવિત્ર થઈ જાય તેવું છે. એમાં દરેક રાજાને બે બે સ્ત્રીઓ છે ત્યારે સદાશયને એક જ છે એમાં પણ Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ [ શ્રી સિહર્ષિ ઃઃ કળાકાર : મહામૂઢતા છે. બ્રહ્મરતિ અને મુક્તતા એક જ માબાપને પેટે જન્મે છે. આવી રીતે પ્રત્યેક નામકરણમાં બહુ ઊંડાણ છે, ભારે જબરી કળા છે અને નામે વાંચ્યાં હોય તો અંદર ઉતરી જાય તેવાં છે, એકવાર ચાલ્યાં પછી ન ભૂલાય તેવાં છે અને સાદાં સરળ હોવા છતાં આશયભરપૂર છે. મતલબ એ છે કે જે નામે એમણે સંપ્રદાયમાંથી લીધાં છે તે અને જે નામે તેમણે પોતે ઘડી કાઢયાં છે, જ્યાં છે, તે પ્રત્યેક રસ અને કળાનાં નમૂના છે. નામેનું પત્રક દરેક પ્રસ્તાવની શરૂઆતમાં આપ્યું છે અને સમુચ્ચયે આ ઉપોદઘાતને છેડે આપ્યું છે તે વાંચવાથી આ વાર્તા સિદ્ધ થયેલી સમજાશે. આ નામકરણની તેઓની ખાસ વિશિષ્ટતા છે અને તેથી નેધ કરવા લાયક છે. (b) પાત્ર જીવતા છે– શ્રી સિદ્ધર્ષિના પ્રત્યેક પાત્ર જીવતા છે. એ મરેલ જેવા કે મડદાલ નથી. એ દરેક પિતાને ભાગ બરાબર ભજવે છે અને ભજવે ત્યારે એમાં ચેતન્ય જણાય છે. એમના કમપરિણમ. જેવા રાજા હોય કે વૈશ્વાનર જેવા મોટા પાત્ર હોય, એમના માગનસારિતા જેવા નાના પાત્ર હોય કે બાળ કે મન્દ જેવા મૂખ પાત્ર હોય, એમની મૃતિ કે રાજા જેવી પિશાચી હોય કે સદગતતા જેવી ફટાયાની ધર્મપત્ની હોય, પણ એ દરેક પિતાનું કાર્ય યથાસ્થિત બજાવે છે અને જ્યારે જ્યારે રંગભૂમિ પર આવે છે ત્યારે ત્યારે પિતાની જાતને પૂરતા બહારમાં વ્યક્ત કરે છે. એના મકરધ્વજને કે દૈવનને બરાબર જોયા વિચાર્યા હોય તે એની ધમાલ જ ઓર અને એના મૃષાવાદ કે પરિગ્રહને જોયા હોય તો એની કાલીમા ઓર દેખાય. રંગભૂમિ પર આવનાર એને કઈ પણું પાત્ર ઠંડે નથી કે મૃતપ્રાય નથી. આ એમની પાત્રને આળખવાની કળા છે. એમણે છે કે દુર્વ્યસનને બતાવ્યાં ત્યારે એમને પણ બેટી બાજુએ પૂર બહારમાં બતાવ્યાં છે. એ મેહરાજનું સેન્ટ ચિત્તવૃત્તિમાં છુપાઈ જાય છે ત્યારે પણ એ બહાદુરીથી પાછું હઠે છે. પાત્રાલેખનની અદ્ભુત કળા છે. માત્ર Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ પાત્રાલેખન : ] કઈ કઈ પાત્રોનાં નામે જ માત્ર બતાવ્યાં છે, પણ રંગભૂમિ પર એમને લાવવામાં આવ્યા નથી ત્યાં એ નિયમ લાગુ પડે નહિ. દાખલા તરીકે એમના શુભ પરિણામ કે શુભાભિસન્ધિ રાજા કે એમની રાણીઓ માત્ર નામનિદેશ પૂરતી જ છે. એ રંગભૂમિ પર આવતા નથી, માત્ર તેમની પુત્રીઓને તેમની સાથે સંબંધ દશોવાય છે. એ પાત્રોને બાદ કરીએ તો શ્રી સિદ્ધર્ષિના દરેક પાત્ર જીવતા દેખાય છે, તેજસ્વી દેખાય છે, પોતાનું કાર્ય સમજનાર દેખાય છે અને સારા કે ખરાબ તેમનો જે પાઠ હોય તે બરાબર ભજવી બતાવનાર માલુમ પડે છે. ( ૯ ) ઉત્ક્રાંતિના નિયમે વ્યક્ત થાય છે. (Evolutionary Manifestation ) પાત્રાનું વૈવિધ્ય ઘણું છે અને આખો સંસારવિસ્તાર વિષયભૂત હોઈને તે જરૂરી છે, છતાં એમાં પ્રત્યેક પાત્ર ક્રમસર વ્યક્ત થાય છે અથવા એને પ્રસાર વિકાસક્રમના નિયમને અનુસરતા છે. એમણે ચારિત્રરાજના આખા પરિવાર સાથે પરિચય તે ચોથા પ્રસ્તાવમાં કરાવી દીધો, પણ એને પૂરબહાર તે આઠમા પ્રસ્તાવમાં વ્યક્ત થાય છે. એ પાત્રને વિકાસ થવાને એ જ માગ હતો. જ્યારે ત્રીજા ચેથા પ્રસ્તાવમાં વેશ્વાનર કે મહરાજ, શૈલરાજ કે મકરધ્વજ ઘૂમે છે, ત્યારે આઠમામાં ચારિત્રરાજ મુખ્ય સ્થાને આવે છે. એમના બાળ, જડ, મંદ શરૂઆતના પ્રસ્તાવામાં વિલાસ કરે છે, પણ એમણે ચારિત્રરાજને જે વિલાસ આઠમા પ્રસ્તાવમાં બતાવ્યો છે તે ખરેખર અદ્ભુત છે. મહારાજાને બહાર તે સાર્વત્રિક છે, પણ એની રાજ્યસત્તાની ઉત્કૃષ્ટ હદે એ સાતમા પ્રસ્તાવના પંદરમા પ્રકરણમાં (મહાહનું મહાન આક્રમણ ) દેખાતો હોય એમ કદાચ લાગતું હશે, પણ એ વાત ખરી નથી. એ તે મેહરાજાના છેલ્લાં કેટલાં હવાતીઓ છે. મોટા દાવ તે વખતે તે ખેલી લે છે, પણ એને પૂર બહાર તો ચેથા પ્રસ્તાવમાં જ આવે છે. ચારિત્રરાજની નાની રમતે તે ત્રીજા પ્રસ્તાવમાં ભવજત Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ [ શ્રી સિદ્ધર્ષિઃ કળાકાર : નિવૃત્તિએ જાય છે ત્યાંથી શરૂ થાય છે પણ એને ખરે બહાર તો આઠમા પ્રસ્તાવમાં જ આવે છે. ત્યાં જ્યારે આઠમા પ્રકરણમાં ભીષણ આંતયુદ્ધ થાય છે ત્યારે ચારિત્રરાજ પિતાને ઉચ્ચ પ્રાગ કરે છે અને લગ્નનું પ્રકરણ તેને ઉચ્ચ વિકાસ બતાવે છે. આ વિકાસની નજરે જોઈએ તો મહારાજનું ચરિત્ર સપરિવાર પ્રત્યેક પ્રસ્તાવે વિકાસ પામતું જાય છે અને એનો વિકાસ પાછા પડવામાં થતો જાય છે; જ્યારે ચારિત્રરાજના આખા પરિવારને સીધે વિકાસ ક્રમસર થતો જાય છે. આમાં કઈ કે નાના બનાવો વચ્ચે વધારે પડતા વિકાસના આવી જાય તે રણમાંના લીલાપ્રદેશ ( Oases ) તુલ્ય સમજવા. એમ કરવાની પણ લેખકને જરૂર પડે. છે. એકંદરે આ પ્રત્યેક મોટા પાત્રને વિકાસ કળાકારની નજરે બહુ આકર્ષક લાગે તેવો છે. એના ગર્ભમાં જે ઉપદેશ છે તે તો અધિકાર પ્રમાણે સમજી લેવાનો છે, પણ તે બોજારૂપ કેરને માથે ન થઈ પડે એની સંભાળ લેખકશ્રીએ ચીવટથી રાખી છે એમ એમના ગ્રંથની પ્રત્યેક પંક્તિ વાંચતી વખત લાગ્યા વગર રહે તેમ નથી. () પાત્રોનું વ્યક્તિત્વ. ... ... (Individuality ) દરેક પાત્ર પિતાનું વ્યક્તિત્વ બરાબર જાળવે છે. કેઈ પણ પાત્ર એક બીજામાં ભળી જતો નથી, બીજાની સાથે ગોટવાઈ જતો નથી કે ઘુંચવાઈ જતો નથી. બાહ્ય સૃષ્ટિના પાત્રો કે અંતરંગ રાજ્યના પાત્ર પ્રત્યેક જુદા છે અને પ્રત્યેકના કાર્યવિભાગ જુદા છે. એમાં સાગર કે શૈલરાજ, બહલિકા કે અકુશળમાળા કે એક બીજામાં ગેટવાઈ જતા નથી કે શુંચવાઈ જતા નથી. કોઈ વખત મંદને જડ કે બાળ ને બાલિશમાં સામ્યતા લાગશે, પણ જરા ચીવટથી અંદર ઉતરતાં એ પ્રત્યેકનું વ્યક્તિત્વ જણાશે. બાળ સ્પર્શનને રસિયે છે, મદનકંદળીને ભેગી છે અને બેગ ખાતર ગમે તેવું જોખમ ખેડવા તૈયાર છે, ત્યારે જડે રસનાને રસીએ છે, પણ અક્કલ વગરનો છે. આમાં દુર્ગુણ છે પણ સાહસ છે અને જડે તે બેસે ત્યાંથી ઊઠે નહિ તે છે. બાળ રંગભૂમિ પર આવે છે ત્યારે જડ ઘણુંખરું કલ્પનામાં જ રહે છે. આવી રીતે બીજા ઘણા Page #275 -------------------------------------------------------------------------- ________________ પાત્રાલેખન : ] ૨૩૩ તફાવતા બન્ને વચ્ચે છે. દરેક પાત્ર આ રીતે પેાતાનુ વ્યક્તિત્વ ખતાવે છે અને જ્યારે રંગભૂમિ ઉપર આવે છે ત્યારે એકદમ સ નું ધ્યાન ખેંચી રહે છે. આ આકર્ષક કળા એ:લેખકની ખરી પાત્રાલેખનની કળા છે. એમાં વિચક્ષણના પિતા શુભેાદય અને માતા નિજચારુતાને એક આજુએ અને મનીષીના પિતા કવિલાસ અને માતા શુભસુ દરીને ખીજી ખાજુએ રાખીએ તેા તેમના વચ્ચે સામ્ય લાગશે, તેવી જ રીતે જડના પિતા અશુલાય અને માતા સ્વયેાગ્યતા એક આજુએ અને માળના પિતા કવિલાસ અને માતા અકુશળમાળા ખીજી બાજુએ ધરીએ તે તેમની વચ્ચે પણ સામ્ય જણાશે; પણ જરા વધારે ઊંડા ઉતરતાં જણાશે કે તેમ નથી. મળ અને જયના પિતા એક જ છે ( કર્મ પરિણામ ) અને એ પાત્રઘટનામાં તેા વળી એક ઘણી ચમત્કારી વાત મધ્યમબુદ્ધિને સાવીને ઉત્પન્ન કરી છે. એની સામાન્યરૂપા માતા એને એવી રીતે પરદેશથી ખેલાવી દાખલ કરે છે (પ્ર. ૩. પ્ર. ૬) કે એને રંગભૂમિ પર પ્રકટ ડરવાની ખાખત જ આખી વિચારવા ચે!ગ્ય છે. ( પૃ. ૪૦૮). મતલખ કહેવાની એ છે કે એમનું પ્રત્યેક પાત્ર પેાતાનું વ્યક્તિત્વ જુદું પાડે છે અને એમના નાના નાના પાત્રા છે તે પણ પ્રત્યેકના જુદા જુદા કાર્યને અંગે ચાાયલા છે. કાઇ વાર વસ્તુના દુરવયથી આ વાત ન સૂઝે તા વિચારીને ઘટાવવા ચેાગ્ય છે પણ દ્વિર્ભાવ કે પુનરાવર્તન કર્યો વગર પ્રત્યેક પાત્રને ઉપયાગી કાર્ય વિભાગલેશ્રીએ આપ્યા છે અને તે સાર્વત્રિક રીતે પરસ્પર અલગ હાઈ અંદર અંદર સ'કલિત છે. આ રહસ્ય ઊંડા ઊતરીને સમજવા યાગ્ય છે અને કાઇ વાર ન બેસે તેા બહુશ્રુતની મદદ લઈ સમજવા યાગ્ય છે. એ ખરાખર સત્ય છે એમ અત્ર ભાર મૂકીને વક્તવ્ય છે. X × X (૦) પાત્રાલેખનમાં લેખકની સર્જનશક્તિ— એમનાં રંગભૂમિ ઉપર આવનાર દરેક પાત્ર જીવતાં અને વ્યક્તભાવે હાવા ઉપરાંત એ દરેક મુખ્ય પાત્ર સર્જકશક્તિ બતાવે છે. લેખકમાં નવીન ઉત્પન્ન કરવાની માલિક શક્તિ હાય ત્યારે જ એવા પાત્રાની પના શકય છે. એમના પુણ્યદય કે ३० Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ [ શ્રી સિહર્ષિઃ કળાકાર : અકુશળમાળા, એમના પાપેદય કે સામાન્યરૂપા એમના કર્મપરિ. ણામ કે કાળપરિણતિ, કેઈ પણ પાત્ર જુએ તે એમાં ઘણું ઊંડાણું અને અસાધારણ સર્જકશક્તિ અને વેગ દેખાયા વગર રહેશે નહિ. એમને મેહરાજા નો નથી કે એમને વૈશ્વાનર ન નથી, છતાં એ પાત્રાલેખનમાં સર્જનશક્તિ જરૂર દેખાશે. એ એમના ભાષાકેશલ્ય અને વક્તવ્ય સ્પષ્ટ કરવાની શક્તિને આભારી છે અને એ એમની સર્જનશક્તિ એમના સાંપ્રદાયિક પાત્રાલેખનમાં કે નવીન પાત્રરચનામાં ઓતપ્રોત થયેલ દેખાશે. મિહરાજા ને ગમે તે ખ્યાલ હોય પણ ચોથા પ્રસ્તાવના નવમા પ્રકરણમાં તૃષ્ણવેદિકા પર મૂકેલા વિપર્યાસ સિંહાસન પર એને બેઠેલા જ્યારે પ્રથમ જોઈએ છીએ ( પૃ. ૮૧૦–૧૧ ) ત્યારે એનું અવિદ્યાશરીર આપણને ન જ ચમકારે આપે છે, એની પરાક્રમ પદ્ધતિ આશ્ચર્યમાં ગરકાવ કરે છે અને એવા તાદશ્ય આકારમાં મેહરાજાને કદી ઓળખે નહોતે અથવા એવો સ્પષ્ટ ખ્યાલ એના સંબંધમાં થયે નહોતે એમ લાગ્યા વગર રહેતું નથી. એ સર્જનશક્તિ છે. ખરી સર્જનશક્તિ તો પ્રજ્ઞાવિશાલા અને અગૃહીતસંતાના પાત્રને જીવતાં કરવામાં છે. આ દુનિયામાં આ બે પ્રકારના પ્રાણીઓ જોવાય છે: એક મહાજ્ઞાની અને વસ્તુના ઊંડા રહસ્યમાં ઉતરનાર અને બીજા હકીકતને જુએ તવી સ્વીકારનારા. એ પાત્રને વાર્તા સમજાવવામાં ઉપયોગ પણ સારો કરે છે અને એ માટે પ્રસંગે પણ ઠીક ઉત્પન્ન કરે છે. કેઈ પણ પાત્રને લેતાં એમાં માલિતા જણાયા વગર રહેશે નહિ. કર્મ પરિણામ સર્વ ચક્ર ચલાવે છતાં એ વિંધ્ય ગણાય, એ નાટકને ભારે શોખીન હોય અને છતાં એના પાત્ર–નાટક કરનારાઓની સંખ્યા રંગભૂમિ પર ઘટી ન જાય તે માટે એણે તીવ્રમેહદય સાથે કરેલી ચેજના સર્જનશક્તિને નમૂને છે. એમના પ્રત્યેક નાના મોટા પાત્રની યેજનામાં આ રીતે સર્જનશક્તિ, કળા, ઔચિત્ય અને પ્રસાદ લેવામાં આવશે. (f) પાત્રોને અવસરે આવિર્ભાવ– જે અવસરે જે પાત્રને સમયધર્મ પ્રાપ્ત થાય છે તે વખતે તે રંગભૂમિ પર આવી મુખ્ય ભાગ ભજવે છે અને પાછો અંદર બેસી Page #277 -------------------------------------------------------------------------- ________________ પાત્રાલેખન : ] ૨૩૫ જાય છે. નાટકકારની આ કળાના જખરા ઉપયોગ શ્રી સિદ્ધષિએ કર્યો છે. સાધારણ રીતે જુદા જુદા પ્રસ્તાવમાં વૈશ્વાનર, રૌલરાજ, બહલિકા અને સાગરને વ્યક્ત કર્યો એ વાત તેા જાડી થઈ, પણ અવસરે પાત્રાના આવિર્ભાવના નીચેના દાખલા ખાસ આકર્ષક છે. પ્ર. ૭. પ્ર. ૧૧ માં માહુરાજા પોતે લડાઈમાં નીકળી પડ્યા. ( રૃ. ૧૭૭૨ ). ૫, ૭. પ્ર. ૧૪ માં પરિગ્રહની મદદૅ અલિકા અને કૃપણુતા દોડી આવ્યા. ( પૃ. ૧૭૯૨ ). પ્ર. ૭. પ્ર. ૧૫ માં મેાહરાજાના પિરવાર અને તેનું લશ્કર એક પછી એક આવ્યું. ( પૃ. ૧૮૦૩૮ ). જ્યારે જ્યારે જેના અવસર થાય ત્યારે ત્યારે તે પાત્ર વખતસર રંગભૂમિ પર હાજર થઈ જાય એટલે કામમાં ગોટાળા થતા નથી અને રંગભૂમિ પાત્ર વગરની ખાલી રહેતી નથી. મેહરાજાના આ આખા નાટકમાં એ ભારે ખૂખી છે કે ગમે તે પાત્ર ર ંગભૂમિ પર આવે, પરંતુ કાઇ પણ વતે રંગભૂમિ પાત્ર વગરની ન રહે. આપણે નાટકમાં પણ એ જ ખૂબી જોઇએ છીએ. દેખનાર વર્ગને આખા વત વ્યાવૃત ( engaged ) રાખવા જ જોઇએ. નાટ્યસંકલનાના એ અબાધિત નિયમ છે. ચાલતે ખેલે ડ્રેપસીન પાડવા પડે કે નવા પડો ચડતાં પાત્રને આવતાં વખત લાગે તે તેવી કંપની ‘ અવ્યવસ્થિત' ક ંપની કહેવાય છે. આ સર્જનશક્તિવાળા લેખક અવ્યસ્થિત કંપનીમાં પોતાની ગણુના કદી કરાવે તેમ નથી. પુણ્યાયના જન્મ, આવિર્ભાવ, પાતળા પડવાપણું અને વિદાયગીરી વગેરે તે તે પ્રસંગે નોંધવા લાયક છે. એક દાખલે જુએ: એ નંદિવર્ધન સાથે જ જન્મ્યા, (પ્ર. ૩. પ્ર. ૧. પૃ. ૩૪૫ ), સાથે જ ઉછર્યાં, સાથે રહ્યો; પણુ નંદિવ ને અને કદી ઓળખ્યા નહિ. વૈશ્વાનર સાથેની નદ્વિવનની મિત્રતાથી એને ખેઢ થયા પણુ અદેખાઈ ન આવી. અગાધિપતિની લડાઇ વખતે પુણ્યાય હાજર હતા, એના લગ્ન વખતે હાજર હતા, પણ એ પાતળા પડતા જતા હતા અને આખરે એ રીસાઈ ગયા (પ્ર. ૩. પ્ર. ૨૮). આવી Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ [[ શ્રી સિહર્ષિઃ કળાકારઃ રીતે પુર્યોદયનું આવવું જવું ચેથા પાંચમાં પ્રસ્તાવમાં પણ મનન કરવા યોગ્ય છે. ખૂબી એ છે કે એને એના મિત્રો કદી ઓળખતા નહિ. એને પ્રથમ કુલંધરે ઓળખે. એના સ્વમમાં પાંચ આવ્યા તેમાં તે એક હતા.( પ્ર. ૮. પ્ર. ૫. ) એનું કારણ સમાજમાં કયાં સ્થાન છે તે પ્રકરણ છમાં (પ્ર. ૮) બતાવે છે. આ પુણ્યદય પાત્રના આવિર્ભાવ અને રીસામણું ખરેખર કળાથી ભરપૂર છે અને આપણું આગળ વધવાના તથા પાછળ હઠવાના ગુપ્ત ભેદની ચાવીરૂપ છે. આવી રીતે જ્યારે જે પાત્રનું કામ પડ્યું છે ત્યારે તેને લેખકે રંગભૂમિમાં રજૂ કર્યા છે અને બાકીને વખત એને નેપથ્યમાં રાખ્યા છે. એ ભારે કળા અને સર્જનના નમૂના છે. ૨. સ્થળવિધ્યમાં કળા પાત્રાલેખન જેટલી જ અગત્યની બાબત કઈ પણ લેખકને માટે સ્થળનિર્ણયની છે. આ ગ્રંથકર્તાને આખો સંસારવિસ્તાર સામાન્ય રીતે અને મનુષ્યગતિ વિશેષ કરીને પોતાના લેખને વિષય કરવાની હતી એટલે એમણે આખી કથા મનુજગતિ નગરીમાં એક ચારના મુખમાં મૂકી દીધી. એ ચાર તે ખરેખર ચક્રવત્તી હતા પણ એ વાત તે છેવટે જણાય છે. ત્યારપછી વાર્તામાં એમને બે પ્રકારનાં સ્થળો લાવવાનાં હતાં: એક બાહ્ય અને બીજા આંતર, એટલા માટે એમણે નીચેના સ્થળે વર્ણવ્યાં. પ્રથમ બાહ્ય નજરે જોઈએ તો નીચેનાં નગરે તેમણે મુખ્યત્વે વર્ણવ્યાં છે. મનુ જગતિ નગરી (મ, ૨. પ્ર. ૧ ).. અસંવ્યવહાર નગર (પ્ર. ૨. પ્ર. ૭).. એકાક્ષનિવાસ નગર (મ, ૨. પ્ર. ૮). વિકલાક્ષનિવાસ નગર (પ્ર. ૨. પ્ર. ૯). પંચાક્ષપસંસ્થાન (મૃ. ૨. પ્ર. ૧૦ ). ભરતેજયસ્થળ (ક.૩ પ્ર. ૧). ભરતે-કુશાવર્તપુર (, ૩. પ્ર. ૨૪). સિદ્ધાર્થનગર (મ. ૪. પ્ર. ૧). Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ સ્થળવૈવિધ્ય : ]. ભવચક્રનગર ( ૫, ૪. પ્ર. ૨૧ ). વર્ધમાનપુર (પ્ર૫. પ્ર. ૧ ). આનંદપુર (અ, ૬. પ્ર. ૧ ). રત્નદ્વીપ (પ્ર. . પ્ર. ૨ ). જયપુર ( ૫, ૬. પ્ર. ૨ ). સાહૂલાદપુર ( પ્ર. ૭. પ્ર. ૧ ). સપ્રદપુર ( પ્ર, ૮. પ્ર. ૧ ). ક્ષેમપુરી (મહાવિદેહ ) (પ્ર. ૮. પ્ર. ૧૨ ). મધ્યમાં આંતર નજરે તેમણે નીચેના મુખ્ય સ્થળો વર્ણવ્યાં છે. ચિત્તસંદર્ય (પ્ર. ૩. પ્ર. ૨ ). ક્ષિતિપ્રતિષ્ઠિત ( પ્ર. ૩. પ્ર. ૩ ). રાજસચિત્ત ( પ્ર. ૩. પ્ર. ૪). (પ્ર. ૪. પ્ર. ૮). રિદ્રચિત્ત ( પ્ર. ૩ પ્ર. ૨૧ ). કિલષ્ટમાનસ ( પ્ર, ૪. પ્ર. ૨ ). ભૂતળ ( પ્ર, ૪. પ્ર. ૬ ). તામસચિત્ત ( પ્ર, ૪. પ્ર. ૮ ). સાત્વિકમાનસપુર ( પ્ર, ૪. પ્ર. ૩૩ ). ધરાતળ ( પ્ર, ૫. પ્ર. ૧૭). ક્ષમતળ (પ્ર. ૭. પ્ર. ૧૨). નામનિર્દેશ તો તેમણે અનેક સ્થળોને કર્યો. તેમાં નીચેનાં નામે વાંચતાં મનને શાંતિ થાય છે. ચિત્ત દર્ય. પ્ર. ૩. પ્ર. ૨. શુભ્રમાનસ. (પ્ર. ૪. પ્ર. ૩૯) વિશદમાનસ (પ્ર. ૫. પ્ર. ૨૧.) શુભ્રચિત્ત (પ્ર. ૬. પ્ર. ૧૮.) એ નગરનાં સ્વામી વિગેરે ઉપર બતાવાઈ ગયાં છે. સ્થળનિર્દેશમાં પણ લેખકે કમાલ કરી છે. વાર્તાને રસ જાળવવા બહુ નગર લાવવાં ન જોઈએ અને બહુ નગરે ન આવે તે સર્વ મનેવિકાર, સર્વ ઇંદ્રિયો અને સર્વ આશ્રાને ન્યાય આપવાનું બને નહિ, એટલે એમણે આંતર અને બાહ્ય નગરની ભવ્ય કલ્પના Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ [ શ્રી સિહર્ષિ ઃ ભાર કરી બાહોમાં આવો અને મનેવિકાને ચિતર્યા અને ઇન્દ્રિય ચિતરવા માટે આંતરનગરની યેજના કરી અને છતાં વાર્તા પણ રબહારમાં ચાલુ રાખી. નવલકથા કે અભુતક્યાને જરા પણ ક્ષતિ ન આવે તેવી રીતે રૂપકકથા કરી. સ્થળવર્ણનમાં આ તેમની અભુત કળા થઈ. સ્થળનિર્દેશમાં એમણે બીજી એક ભારે ખૂબી કરી છે. એમાં નીચના પ્રસ્તામાં એમણે ઉધાન-બગીચા-ઉપવન આયાં છે. ત્યાં કોઈ અસાધારણ સત્વશીલ ચારિત્રવાન વ્યક્તિને રજૂ કરીને કાં તે તેમનું ચરિત્ર કહેવરાવવાને પ્રસંગે ઉપસ્થિત કર્યો છે, અથવા શાસ્ત્રના મુદ્દામ વિષયેના તેમની મારફત ખુલાસા કર્યા છે. આ ઉદ્યાનનાં નામો જ મનને-વાંચનારને પવિત્ર કરે તેવાં છે. ઉધાન. આચાર્ય કે કેવળી. સ્થાન. નિજવિલસિત. પ્રબોધનરતિ (મ. ૩. . ૧૬.) મવિલય. (મ. ૩. પ્ર. ૩૦. ) લલિત. વિચક્ષણાચાર્ય (૫ ૪. પ્ર. ૬.) મનનંદન. બુપાચાર્ય - (મ. ૫ ક. ૧૧. ) બુધનંદન. કેવિદાચાર્ય (મ. ૭. મ. ૧ ) આહલાદમંદિર. કંદાચાર્ય (૫ ૮. પ્ર. ૪.) ચિત્તરમ. સમતભાઇ (મ ૮. પ્ર. ૧૨.) આ ઉધાનનાં નામો વાંચતાં મન કઈ નવીન તરંગો અનુભવે તેમ છે. એ જવાનો માનસિક છે, મનનો વેગ ર્શાવનાર છે, આત્મવિશ્વા અથવા માનસિક વિવાના સાક્ષી છે. ત્યારે મારી પતે. નિજ વિલસિનમાં વિશ્વાસ કરે કે મનનંદનમાં આનંદ પામે અથવા બાલાદમંદિરમાં આહલાદ પામે ત્યારે જ એના સર્વ પ્રસંગે સાળ થાય છે. એમાં આચાર્ય કે કેરી ૫૭ એવા જ વિલાસી (માત્મા) આવે છે અને એનાં નામ પણ એનું જ સુંદર છે. પ્રસ્તાવ પાંમાના બીજા પ્રકરણમાં એક કાનન બગીચા આવે છે. છે ળ છે, ધૂળ આનંદનું સ્થાન છે. બાકીના સર્વ વાગીયાગો માનસિક છે અને મનની ગતિ-જનનો વેગ અને મનની શાંતિ વિવેક Page #281 -------------------------------------------------------------------------- ________________ સ્થળવિષ્ય : ] સમતા બતાવનારા છે. આપણે એ બગીચામાં જઈ શકીએ છીએ, પણ એના માગો ઉપરની દુનિયામાં નથી. ત્યાં જવા માટે લીફટ ગોઠવાયેલી છે તે જડી આવે તે બગીચાએ પહોંચી જવાય. એ બગીચામાં પહોંચી ગયા પછી તો નિરવધિ આનંદ અને અંતરનો વિલાસ થાય છે અને ત્યાં તો એવી એવી વાતો અંદરથી નીકળી આવે છે કે આપણે તે દરેક સ્થાને પ્રબોધનરતિને કે કોવિદને, બુધને કે કંદને બેઠેલા જોઈએ. માત્ર ત્યાં પહોંચી જવાની જરૂર છે. ત્યાં પહોંચવાની ચાવી આખા ગ્રંથમાં બતાવી છે. શેધવાથી મળે તેમ છે. સ્થળનિર્ણયમાં લેખકની આ કળા છે. એમનાં અંતર નગરો અને એ નગરનાં ઉદ્યાને વિચારતાં દિવસે નીકળી જાય તે પણ શાંતિ વળે તેમ નથી અથવા શાંતિની તૃપ્તિ થાય તેમ નથી અથવા શાંત સિવાય બીજું જણાય તેમ નથી. સ્થળને અંગે બીજી બેંધવા લાયક હકીક્ત એ છે કે બીજા સર્વ નગરે મનુ જગતિના ભરતક્ષેત્રમાં આવેલા છે, પણ ક્ષેમપુરી વિગેરે વાર્તાના મુખ્ય સ્થાન મહાવિદેહ ક્ષેત્રમાં આવ્યા છે. મહાવિદેહમાં સુકચ્છવિજય છે ત્યાં આ આખી વાર્તા કહેવાય છે.' વાર્તા કહેનાર ચારસંસારી જીવ એ પતે અનુસુંદર ચક્રવત્તી છે અને સર્વ ખુલાસો આઠમાં પ્રસ્તાવના બીજા વિભાગમાં થાય છે. ત્યારપછી આઠમા પ્રસ્તાવના ત્રીજા વિભાગમાં જે રીતે અનુસુંદર સુલલિતા આદિનો મોક્ષ થાય છે તે જોતાં આ ચરિત્રનું સ્થાન મહાવિદેહમાં મૂકવામાં ગ્રંથકત્તોએ એક ભવ્ય નિયમ જાળ છે. ત્યાં સર્વદા ચોથા આરાના ભાવ ભજતા હોય છે તેથી ત્યાં આ વાર્તાકથનનું સ્થાન રાખવું વધારે યોગ્ય છે. સ્થળોની પસંદગીમાં લેખકશ્રીએ ભારે કળા વાપરી છે અને અંતરંગ નગરનાં નામ અને વર્ણનમાં તો કળાની નજરે ખરેખર કમાલ કરી છે. શ્રી સિદ્ધર્ષિ ગણિએ કળાકાર લેખક તરીકે મનુજગતિ નગરીને પ્રાધાન્ય આપ્યું. એમની વિશાળ ગણનામાં અસંવ્યવહાર નગરથી માંડીને ચૂદ રાજલોકના સર્વ પ્રાણુ હતા અને તેમનાં સ્થાન તેમણે બરાબર બતાવ્યાં છે. સુસ્થિત મહારાજને શિરેસ્થાને બે ૧. સ્થળનિદેશ માટે જુઓ પ્ર. ૮. પ્ર. ૧૨. પૃ. ૧૯૭૪. Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ [ શ્રી સિદ્ધર્ષિ :: કળાકાર - પ્રસંગે મૂકીને એમણે મેક્ષનગરીમાં અચૂક રસ ખતાવ્યા છે અને સાથે સૃષ્ટિકર્તૃત્વના પ્રશ્નને બહુ સુ ંદર રીતે નીકાલ ઘણી આડકતરી પણ માર્મિક રીતે કરી નાખ્યા છે. સુસ્થિત મહારાજાને પીઠઅંધમાં સાતમે માળે બેઠેલા દાખવ્યા છે. જીએ પ્રથમ પ્રસ્તાવ વિભાગ સાતમા ( પૃષ્ઠ ૧૮ અને ૮૪ ) અને પ્ર. ૮. પ્ર. ૬. પૃ. ૧૯૧૨. સુસ્થિત મહારાજનું સ્થાન ખરેખર સમજવા ચેાગ્ય છે. એ રાગદ્વેષ રહિત છે છતાં એમની આજ્ઞા કેવી સિદ્ધ છે અને સ કારણેાનું એ પરમ કારણુ કેવી રીતે થાય છે એ બતાવવામાં નિર્માળાચાર્યે ભારે વિદ્વત્તા અને ન્યાયનું જ્ઞાન વાપર્યું છે. નિર્મળાચા તે માત્ર શ્રી સિદ્ધર્ષિના કલ્પિત પાત્ર હાઈ એ સ્થાન શ્રી સિદ્ધર્ષિ જ બતાવે છે. એ રીતે એમણે સિદ્ધના સ્થાનમાં પણ મહારસ દાખવ્યે છે. બીજા પ્રસ્તાવમાં સંસારીજીવને અસ’વ્યવહાર નગરથી ( પ્ર. ૭) લઇને એકાક્ષનિવાસ નગરમાં (પ્ર. ૮ ) .અને વિકલાક્ષ નગરના ( પ્ર. ૯) દ્વિહૃષીક ત્રિકરણ અને ચતુરક્ષ પાડામાં ફેરવી એને જ્યારે પંચાક્ષપશુસંસ્થાને (પ્ર. ૧૦) લઈ આવે છે ત્યારે સ સ્થાનામાં તેમને રસ જરૂર વ્યક્ત થાય છે અને ચેાથા પ્રસ્તાવના ૨૭ મા પ્રકરણમાં ચાર અવાંતર નગરામાં માનવાવાસ ઉપરાંત બીજી ગતિઓને પણ લઇ લે છે તેમજ રિપુદારણના રખડપાટા ( ૫. ૪. પ્ર. ૪૦) તથા વામદેવના હાલહવાલ (પ્ર. ૫. પ્ર. ૨૨ ) બતાવતાં તેમજ ધનવાહનને રખડપાટા (૫, ૭. પ્ર. ૧૬) અને ગુણુધારણના રખડપાટા (મ. ૮. પ્ર. ૧૧ ) અતાવતાં પાપીપિંજર અને પ'ચાક્ષપશુસંસ્થાનને ચેાગ્ય ન્યાય આપી દીધા છે. એ સર્વ વાર્તા ખરાખર છે, પણ તેમને ખરો રસ અને તેમની વાર્તાનું મંડાણુ તે મનુજગતિ નગરી પર જ છે. એ મનુષ્યને એના જુદા જુદા ખાહ્ય તથા અતરંગ આકારમાં ચિતરવા માગતા હતા અને તે જુદા પ્રકાશને ચિતરી તેમનાં પરિપાકે અને વિપાકે બતાવી તે દ્વારા પેાતાના ઉપદેશના મુખ્ય મુદ્દો સિદ્ધ કરવા માગતા હતા. આ મુદ્દાને અંગે તેમણે કળાકાર તરીકે કમાલ કરી છે એમ કહેવામાં જરા પણ અતિશાક્તિ નથી. એ કાર્ય ખજાવવા Page #283 -------------------------------------------------------------------------- ________________ સમય સંક્ષેપ : ] ૨૪૧ તેમણે મનુષ્યને જુદા જુદા સ્વરૂપે રંગભૂમિ પર દાલ કર્યા છે. આ તેમની કળામય રચના ખરેખર વિચારવા ચેાગ્ય છે. - ૩. સમયના સક્ષેપ માત્ર અને સ્થળના ટલેા જ અગત્યના વિષય ટાઇમ-સમયના છે. કંઇ પણ શ્રધકત્તા વાર્તાના સમય પસંદ કરવામાં કેવા પ્રકારની ગાઠવણુ કરે છે તે પર તમને કળાના ખ્યાલ કેવા હતા તે માટે મત બંધાય છે. સાધારણ લેખક એક રાજાનું ચરિત્ર લખ્વા એસે ના એ જન્મે અથવા તેા માની કુલીમાં આવે ત્યારથી વાર્તા આદરી જાણે જીવનચરિત્ર એ સાલવારી નોંધના ઇતિહાસ હાય તેમ તના જન્મની વધામણીથી માંડીને અ ગુજરી જાય ત્યાં સુધીના બનાવા વણુ વ છે. એમાં કાંઇ કળા નથી. કળાકાર લેખક એક બનાવ લઇ તેની આસપાસ એવી ગૂંથણી કરે કે બધી વાર્તા એક કે બે દિવસમાં બનતી ચિત્રપટ પર દેખાય અને છતાં જન્મથી મરણ સુધીની સર્વ વાર્તા તેમાં આવી જાય. એ કળાનેા વિષય છે. બનાવેાને કેદ્રસ્થ કેવી રીતે કરવા તે લેખકની બુદ્ધિ અને રચનાકળા પર આધાર રાખે છે. શ્રી સિદ્ધર્ષિને એક રાજાનું એક ભવનુ ચિત્ર રજૂ કરવું નહાતું, એમને તેા સર્વ મનેાવિકારા, ઇંદ્રિયા, આશ્રવા, અતરના ભાવા, લેસ્યાઓ, પરિણતિ વિગેરે સર્વ એક જ ગ્રંથમાં બતાવવા હતા, સદ્ગુણાને બદલેા બતાવવા હતા, દુર્ગુ ણુનાં પરિણામે ચિતરવાં હતાં અને આખા ઉત્ક્રાંતિક્રમ વિકાસની નજરે ચિતરવા હતા. આ સંસારમાં અનતા વિચિત્ર બનાવા કે અંતરના ભાવામાં કાઈ પણ ભાવ સાધારણ રીતે ખાકી ન રહે ત પ્રકારે તેમને ચિત્ર રજૂ કરવું હતું, પણ એમ કરવા જાય તા તે પાત્રની સંખ્યાની મર્યાદા ન રહે અને આખા ભવ સુધી કથા વાંચે તે પણ વાર્તાના ઉદ્દેશ્યવિભાગના એક અંશ પણ પૂરા થાય નહિ; કારણ કે ભાવા અન ંત અને તેમાંના અનંત તેા અવક્તવ્ય અને વક્તવ્યમાંના કહેવા મેસે તા વાણી એક વખતે અનેક ભાવા વ્યક્ત ન કરી શકે. ૩૧ Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ [ શ્રી સિદ્ધર્ષિ :: કળાકાર 6 આ સર્વ મુશ્કેલી લેખકને જરૂર લાગી હાવી જોઇએ. એટલે એમણે એક ઘણી વિશિષ્ટ ચેાજના કરી. એક જ્ઞાની ગુરુનું નામ સદાગમ ’ આપ્યું. વસ્તુત: એ શ્રુતજ્ઞાનને પુરુષાકારે બતાવનાર મહા પ્રાણ પુરુષ છે. તેની પાસે એ સ્ત્રી પાત્ર રજૂ કર્યા; એક વૃદ્ધા અને વિશાળ બુદ્ધિવાળી અંદરનું રહસ્ય સમજનાર પ્રજ્ઞાવિશાળા અને ખીજી ભાળી સાદી કુમારી અગૃહીતસ કેતા, જાતે એક બ્રાહ્મણી છે અને બીજી કુમારી રાજકન્યા છે. એમના પરિચય કરાવી એ ગુરુમહારાજ પાસે હાય છે ત્યાં રસ્તા પર માટા કાલાહળ મચે છે અને એક ચક્રવત્તી અનુસુ ંદર ચારને વેશે ત્યાં આવે છે (પ્ર. ૨ પ્ર. ૬ ). તે પોતાની વાર્તા રાજકુમારીના પૂછવાથી કહી સંભળાવે છે. એ ચાર તે ચક્રવત્તી છે અને તે સંસારીજીવ છે. ખીજા પ્રસ્તાવના સાતમા પ્રકરણથી એ પેાતાનું ચરિત્ર કહેવાનું શરૂ કરે છે તે આઠમા પ્રસ્તાવના પંદરમા પ્રકરણની આખરે પૂર્ણ થાય છે. એટલે પૃષ્ઠ ૩૦૦ થી ૨૦૦૪ સુધી એનું ચરિત્ર ચાલે છે. આવી રીતે ૧૭૦૫ પૃષ્ઠમાં ચાલેલું ચિત્ર એ ગુરુકૃપાથી ત્રણ પહેારમાં પૂરું' કરે છે. ( જુએ પૃ. ૨૦૦૪ ). મૂળ ગ્રંથમાં આ બાબતની શરૂઆતની હકીકત નીચે પ્રમાણે કહી છે તે વિચારવા ચેાગ્ય છે. જુઆ (પ્ર. ૨. પ્ર. ૬. પૃ. ર૯) पृष्टोऽगृहीतसङ्केतया ! 'भद्र ! कतमेन व्यतिकरेण गृहीतस्त्वमेभिः कृतान्तसदृशै राजपुरुषैरिति । ' सोऽवोचत् । ' अलमनेन व्यतिकरेण । अनाख्येयः खल्वेष व्यतिकरः । यदि वा जानन्त्येवामुं व्यतिकरं भगवन्तः सदागमનાથાઃ। મિાણ્યાતૅન ? | सदागमेनोक्तं । 'भद्र ! महत्कुतूहलमस्याः । अतस्तदपनोदार्थ ચતુમવાન્ । જો ક્ષેષઃ ।' संसारिजीवेनोक्तं ।' यदाज्ञापयन्ति नाथाः । केवलं जनसमक्षमात्मविडम्बनां कथयितुं न पारयामि । ततो विविक्तमादिशन्तु નાથા કૃતિ ॥ ’ ॥ એટલે અત્યારે પાર્લામેન્ટના સ્પીકર જેમ ગેલેરી ક્લીયર કરાવે Page #285 -------------------------------------------------------------------------- ________________ સમય વિધાન : ] ૨૪૩ તેમ સર્વ લોકે ત્યાંથી ચાલ્યા ગયા. માત્ર કથા કહેનાર, બે સ્ત્રીઓ સાંભળનાર, કુમાર સુમતિ અને આચાર્ય ગુર–એટલા વાર્તા વખતે ત્યાં રહ્યા. પછી સંસારીજીવ કથા કહે છે, એના પરિભ્રમણને કોઈ તે અનંત છે, એક ભવ અને બીજા ભવે વચ્ચે અનેક રખડપાટા થયા છે અને તે સપ્રયોજન બતાવવામાં આવ્યા છે. પૃ. ૨૦૦૩-૪ માં એ જ સંસારીજીવ કહે છે કે-શત્રુને ભેદીને મારી પાસે સદધ મંત્રી આવી પહોંચ્યું. પછી– ततः प्रवृत्तो मे विमर्शः। यदुत किमेषा भगवती जल्पतीति। नतश्चोहापोहमार्गेण गवेषणं कुर्वतो मे समुत्पन्नं जातिस्मरणं । स्मृता गुणधारणावस्था। ततस्तदनुसारेण वर्धमानशुभाध्यवसायस्य में समागतः सद्बोधवयस्यो विनिर्जित्यात्मप्रतिपक्षमवधिज्ञानावरणं तबलेन दृष्टा मयासंख्येया द्वीपसमुद्राः । विलोकितोऽसंख्येय एव भवप्रपञ्चः, प्रादुर्भूतं सिंहाचार्यकालाभ्यस्तं चतुर्दशपूर्वपर्यन्तं सहातिशयैः समस्तश्रुतं, आकलितः परिस्फुट इव निर्मलसूरिनिवेदितः समस्तोऽप्यात्मसंसारविस्तारः। तदारात् पुनरसंख्येयतया दृष्टः साक्षादेव निजपरिभ्रमणवृत्तान्तः । ततः पूर्वोक्तेन कारणेन विरचय्येत्थं तस्कररूपतया बहिरपि विडम्ब्यमानमात्मानं समागतोऽहमिह समं महाभद्रया । तदारात्प्रतीत एव ते मदीयव्यतिकरः । આ વાક્યમાં શ્રતજ્ઞાનની હદ કેટલી હોય, આત્મપ્રત્યક્ષ અવધિજ્ઞાનને કેટલો વિષય હોઈ શકે, જાતિસ્મરણ જ્ઞાનમાં વધારે વધારે કેટલા ભવ યાદ આવે એ સંબંધી શાસ્ત્રૌલીને વાર:બર અનુસરી અસંખ્ય ભવની વાત કરવા માટે અવધિ અને જાતિસ્મરણની. જના કરી છે. તેના વડે અસંખ્ય દ્વીપસમુદ્ર જોયા છે અને નિર્નસૂરિને ખાસ રંગભૂમિ પર અનંત કાળની વાતે યાદ કરાવવા લાવવા પડ્યા છે. ( પ્ર. ૮. પ્ર. ૬ ). આ યુક્તિદ્વારા અનંતકાળને સંકલિત કર્યો છે. બીજી પણ અનંત કાળની વાતે થોડા કલાકમાં કરવા માટે એક વધારે યુક્તિ કામે લગાડી છે. આગળ વાંચે (એ જ પૃષ્ઠ પર). ततो भद्रे सुललिते! मदनमअरीयमिति प्रसर्पितस्नेहतन्तुना, अत्यन्तमुग्धेयमदृष्टपरमार्था वराकीति सज्जातकरुणातिरेकेण सर्व Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ [ શ્રી સિહર્ષિ • લેખક : ज्ञागमगोचरबहुमानेन क्लिष्टकर्मविलयतो भवत्वस्यास्तपस्विन्याः प्रतिबोध इति भगवतोऽस्य सदागमस्य पादप्रसादादखिलं मयेदभवधारितमिति सदागमे बहुमानमुत्पादयता संक्षेपेणाप्यनन्ततया षण्मासीककथनीयो भगवन्माहात्म्यादेव प्रहरत्रयेणैव निवे. दितोऽयमगृहीतसङ्केते इत्युल्लपता मया कुतूहलपरायै भवत्यै स्वयमपि संवेगोपात्तेन समस्तोऽप्यात्मभ्रमणप्रपञ्चः । અગ્રહીતસંતાને ઉદ્દેશીને, એ મદનમંજરી હોવાથી એના ઉપર પ્રેમ લાવીને અનુસુંદર ચક્રવત્તી ચારને રૂપે કહે છે કે–આખી વાર્તા જે રૂપે કહેવાઈ છે તે કહેતાં છ માસ થાય તે સદાગમની કૃપાથી ત્રણ પહોરમાં–નવ કલાકમાં પૂરી કરી. એટલે કે પૃ. ૩૦૦ થી ૨૦૦૪ સુધીની વાર્તા નવ કલાકમાં કહી. આ રીત આખી વાર્તા નવ કલાકમાં કહેવાઈ છે. સદાગમની કૃપાની બાબતનો સ્વીકાર કરવામાં સંકેચ થાય તેમ નથી. એક વાર્તા સપાટાભેર કહેવામાં આવે તો સમય ટૂંકે થાય છે, પણ ૧૭૦૦ પૃષ્ઠ ભાષાંતરનાં કે તેટલે કથાવિભાગ નવ કલાકમાં વાંચી શકાતો પણ નથી, બોલવામાં તે એક અક્ષર પછી જ બીજો અક્ષર બોલાય એટલે વધારે વખત લાગે છે. એ વાત ગમે તેમ બની હોય તે અત્ર વિચારવાની જરૂર નથી, પણ એક વાત બહુ અગત્યની અત્ર નીકળે છે અને તે એ છે કે અનંત કાળની વસ્તુને ઘણું મર્યાદિત સમયમાં ચિત્રપટ પર રજૂ કરવામાં લેખકશ્રીએ જાતિસ્મરણઝાન, અવધિજ્ઞાન અને નિર્મળકેવળીમહારાજાને ઉપગ કર્યો છે. એમ જે ન કરવામાં આવે તે આ ચિત્ર અશક્ય હતું. જાતિસ્મરણમાં પણ અમુક જ ભવ દેખી શકાય, પણ અનંત કાળનું જ્ઞાન કૈવલ્ય વગર અશક્ય છે. આ શાસ્ત્રસંપ્રદાયની વાતનો વિરોધ ન આવે તેવી રીતે અનંતકાળની વાત સંસારીજીવના મુખમાં મૂકી છે અને સદાગમની કૃપાથી નવ કલાકમાં કહી છે. આપણે છ માસ માનીએ તો પણ વાતને એવી ટૂંક સમયમાં લાવવાની ખાસ જરૂર કળાની નજરે તેમને લાગી જણાય છે એટલે તેના “માહાસ્ય” ની વાર્તા પણ કરી નાખી. આવી રીતે અનંત સમયને ગૂંથવામાં તેમણે કળા વાપરી છે, અને તે કળા ઉપરના વાક્યમાં બરાબર વ્યક્ત થાય છે. Page #287 -------------------------------------------------------------------------- ________________ અર્થાતરન્યાસે : ] ૨૪૫ ખૂદ કથામાં સમયવિધાન ચાલુ પદ્ધતિએ હેાઇ તે સંબંધમાં ખાસ ધ્યાન ખેંચવા જેવું લાગતુ નથી. ચાલુ રીતે પ્રત્યેક પ્રસ્તાવને પરસ્પર સ્વતંત્ર ગણીએ તે પછી ખાસ વિચારણીય નૂતનતાને પ્રશ્ન રહેતા નથી. ૪. મહાન સત્યો : અર્થા તરન્યાસા— શ્રી સિદ્ધર્ષિની લેખનકળામાં અનુભવના પિરણામેા બહુ સુદર, તલસ્પશી અને યેાગ્ય શબ્દોમાં મૂકાયાં છે. પ્રાચીન લેખકેાની શૈલીમાં એ એક પ્રસાદ હતા કે તેઓ પેાતાના અનુભવના ઉદ્ગારા મહુ સચાટ ભાષામાં મૂકતા અને એ સત્યા એવા હાય કે એમાં અપવાદ ન સંભવે. એવા કહેવત જેવા થઇ ગયેલા પ્રસંગાને અતરન્યાસ અલંકાર કહેવામાં આવે છે. આવા મહાન સત્યા અને નવ કલાકમાં અનુભવના ઉદ્ગારા આખા ગ્રંથમાં એટલાં છે કે એનુ પત્રક આપવું અશકય છે. ભાષાંતરમાં તે ઘણુંખરું બ્લાક-જાડા અક્ષરથી છાપ્યા છે. બહુ ઘેાડા નમૂના અત્ર રજૂ કરી ખાકીનુ ગૂંથવાંચન પર છોડીએ. એ વાક્યાને ઉપયુક્ત (પ્રસંગને અનુરૂપ) વાક્યે કહેવામાં આવે છે. प्रस्तावरहितं कार्य नारभेत विचक्षणः । नीतिपौरुषयोर्यस्मात्प्रस्तावः कार्यसाधकः ॥ ડાહ્યો માણસ અવસર વગર કોઇ પણ કામ કદી નથી, કારણ કે નીતિ અને પુરુષત્વને અવસર જ સાધી આપે છે. (પ્ર. પ. પ્ર. ૧૯. પૃ. ૧૩૦૬ ) यत्कृत्यं सदनुष्ठानं तन्न कुर्वन्ति मूढकाः । वारिता अपि कुर्वन्ति पापानुष्ठानमञ्जसा શરૂ કરતા બરાબર કામ મૂઢા કરવા યાગ્ય સારું અનુષ્ઠાન કરશે નહિ અને તેમને વારશે અટકાવશે તે પણ પાપ અનુષ્ઠાન જરૂર કરશે. ( પૃ. ૧૨૪૭ ) समानशीलव्यसनेषु सख्यम् સમાન વન અને સરખા વ્યસનવાળાને જ દાસ્તી થાય છે. ( ૩–૧૬. પ૨૫ ) Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ [ શ્રી સિદ્ધર્ષિ :: કળાકાર ૨ मरिष्यामो मरिष्याम इत्येवं भावनापराः । मुधैव जीवितं हित्वा म्रियन्ते सत्त्ववर्जिताः ॥ નરી ગયા, મરી ગયા—એવા વિચારથી ભય પામ્યા કરનારા જીવા સત્ત્વ વગરના થઇને નકામા જીવનના પણ ત્યાગ કરી બેસે છે. (૪–૧૫. ૮૭૪ ) यदा येनेह लभ्यं शुभं वायदि वाशुभम् । तादवप्नोति तत्सर्वं तत्र तोषेतरौ वृथा ॥ પ્રાણીને જ્યારે આ દુનિયામાં અમુક વસ્તુ પ્રાપ્ત થવાની જ હાય છે તે વસ્તુ સારી અથવા ખરાબ ગમેતવી હેાય પણ તે વખતે તે તેને જરૂર મળે છે; માટે તે સંબ ંધમાં સંતાષ ધારણ કરવા કે અસ તાષ ધારણ કરવા એ તદ્દન નકામે છે. (૪–૪. ૭૩૬ ) भयं हि तावत्कर्तव्यं यावदन्तो न दृश्यते । प्रयोजनस्य तत्प्राप्तौ प्रहर्तव्यं सुनिर्भयैः ॥ જ્યાં સુધી આપણા કામના છેડા ન દેખાય ત્યાં સુધી જ ખીક રાખવી, પણ જો એક વખત પ્રયાજન જ પ્રાપ્ત થઈ જાય તેા પછી જરા પણ બીક રાખ્યા વગર ઘા કરી નાખવા ( ૮–૯. ૧૯૪૩ ). प्राप्य चिंतामणि नैव नरो दारिद्र्यमर्हति । એક વાર ચિંતામણિ રત્ન પ્રાપ્ત થઇ જાય પછી તેને દળદર પ્રાપ્ત થતું જ નથી. ( ૫–૧૦. ૧૨૧૭) भवत्येव हि सरूणामपि निष्फलतया कुपात्रगोचरो महाप्रयासश्चित्तखेदहेतुः । કુપાત્ર પ્રાણીને ઉપદેશ આપવા માટે માટે પ્રયાસ કર્યાં હાય છતાં તે નિષ્ફળ થતા જણાય ત્યારે સદ્ગુરુને પણ ચિત્તમાં તે ખેદનુ કારણ થાય છે. (૨-૫. ૨૮૨ ) सर्व सत्त्वे प्रतिष्ठितम् । સર્વ મમતના આધાર સત્ત્વ ઉપર છે. ( ૫–૨. ૧૧૬૦ ) Page #289 -------------------------------------------------------------------------- ________________ २४७ અર્થાતરન્યાસ : ] विचित्ररूपाः प्राणिनां चित्तवृत्तयः । પ્રાણીઓની ચિત્તવૃત્તિ વિચિત્ર પ્રકારની હોય છે (૬-૩.૧૪૩) सर्व हि महतां महत् । મોટાનું સર્વ મોટું જ હોય છે. (૮-૧૦. ૧૯૬૧) यो हि दद्यादपात्राय संज्ञानममृतोपमम् । स हास्यः स्यात् सतां मध्ये भवेचानर्थभाजनम् ॥ જે અમૃત સમાન જ્ઞાનને એગ્ય ન હોય તેવા કુપાત્રને જ્ઞાન આપે છે તે લોકોમાં હસીને પાત્ર થાય છે અને અનર્થ સહન કરવાને લાયક બને છે. (૪–૨. ૭૧૬). आत्मस्तुतिः परनिन्दा पूर्वक्रीडितकीर्तनम् । विरुद्धमेतद्राजेन्द्र ! साधूनां त्रयमप्यलम् ॥ પિતાના વખાણ, પારકાની નિન્દા અને પૂર્વ કાળમાં પોતે ક્રીડા કરી હેય તની કથા સાધુને કરવાની મનાઈ છે. (૪–૬. ૭૬૧.) सर्व दुःखं परायत्तं सर्वमात्मवशं सुखम् । बहिश्च ते पराधीनं स्वाधीनं सुखमात्मनि ॥ જેમાં પારકા ઉપર આધાર રાખવો પડે તે સર્વ દુઃખ છે અને પિતાને કબજે હોય તે સર્વ સુખ છે; બહારનું તે પરાધીન છે, પિતામાં હોય તે સ્વાધીન છે. (૮૭. ૧૭૪૬.) ___ को हि हस्तं विना भुङ्क्ते पुरोवयपि भोजनम् ॥ પાસે ભેજન આવીને પડેલું હોય તો પણ જે પ્રાણી પિતાને હાથ ન ચલાવે તે ભેજન ખાઈ શકતો નથી. (–૬. ૧૭૦૧) આવા દાખલાઓ વધારે ટાંકવા હેાય તો ઓછામાં ઓછા પાંચ એ નીકળી આવે. કહેવાની મતલબ એ છે કે લેખક પોતે ઘણા અનુભવી, પિત દુનિયાને સારી રીતે જોયેલી અને જોયેલ વાત સંગ્રહી બતાવી શકે તેવી આવડતવાળા છે એટલે એમના આખા ગ્રંથમાં અનુભવના ઉદ્દગારો અને મહાન સત્ય ઠામ ઠામ નજરે પડે છે અને તે એવી સારી રીતે વહેંચાઈ ગયેલાં છે કે જ્યારે વાંચીએ ત્યારે Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ [ શ્રી સિહર્ષિ ઃ કળાકારઃ અપૂર્વ આહલાદ બતાવ્યા વગર રહે નહિ. આવાં સત્ય સામાન્ય લેખક લખી શકતા નથી અને લખે તે અન્યના ઉતારા અથવા પયોય શબ્દો હોય છે. મલિક્તા એ તદ્દન જુદી જ ચીજ છે અને આ મહાન સત્યની બાબતમાં પણ બીજી અનેક બાબતની પેઠે ગ્રંથકર્તાની મલિક્તા જરૂર જણાઈ આવે છે. આવાં વચનને કાંઈક સંગ્રહ શેઠ દેવચંદ લાલભાઈ સીરીઝવાળી ઉપમિતિની છાપેલી પ્રતમાં ઉપઘાતમાં નાના પાયા પર થયો છે તે રોગ્ય છે. પણ એવા ઉપયુક્ત વચને આખા ગ્રંથમાં એટલા છે કે એને એક જુદો સંગ્રહ જ થાય. અત્ર તેને સંગ્રહ કરવાને ઉદ્દેશ નથી, નિર્દેશ લેખકની કળાવિશિષ્ટતા અને મૌલિકતા બતાવવાને છે. કેઈ સહદય વાંચનારે મૂળ અને અવતરણ પરથી એવો સંગ્રહ કરી ભાષાંતર સામે જ હોય તે રીતે છપાવી પ્રસિદ્ધ કરવા યોગ્ય છે. ળાની નજરે આવા મહાન સત્યેનો ઉપગ ઘણું મટે છે. એક હકીક્ત કથારૂપે કહી જવી તે અન્ય વાત છે અને તેની સાથે ત્રણ કાળમાં અબાધિત સત્યોને સંકળી લેવા એ તદ્દન જુદી વાત છે. કથા વાર્તા કરવામાં ખાસ કળાનો ઉપયોગ નથી, પણ અનુભવના પરમ સત્યને અતિ સંક્ષેપમાં મૂકવા એમાં બહુ વિશાળ જ્ઞાન, અવલોકન અને ભાષા પરના કાબૂની જરૂર પડે છે. શ્રી સિદ્ધર્ષિની કળા આ મહાન સત્યેને અંગે અસાધારણ છે અને પ્રત્યેક સત્યો આરપાર નીકળે તેવા ચેખા અને સચોટ છે. મહાન લેખક અને કલાકાર તરીકે શ્રી સિદ્ધર્ષિને ચિતરવા માટે આ એક જ હકીક્ત બહુ અગત્યની ગણાય. આ મહાન સત્યની બાબતમાં તેના અંતરમાં નીચેની વિગતને સમાવેશ થાય છે. (8) જનેક્તિ . (Proverbs.) (b) 21391€. (Generalizations. ) (૯) અર્થાન્તરન્યા.( Universal truths.). (d) અનુભવના ઉદ્દગાર. (ઉપદેશની પદ્ધતિએ.) (૭) મહાન ઉપદેશે. (આચાર્યાદિના મુખે.) Page #291 -------------------------------------------------------------------------- ________________ અવાંતર કથા : ] ૨૪૯ આ સના સેંકટા દાખલાએ મળશે અને પ્રત્યેકમાં માલિકતા, નૂતનતા અને કળા દેખાશે. એ શેાધવાના પ્રયાસ કરવામાં પણ ભારી મજા છે, માજ છે, જ્ઞાનચર્ચા છે. આ અતિ આનંદદાયક વિષયની શેાધ ઉદ્યોગી વાચક ઉપર રાખી કળાકાર તરીકેના ખીજા મુદ્દા તરફ વળીએ. ૫. અવાંતર કથા— શ્રી સિદ્ધ િગણિને પ્રત્યેક આશ્રવ, ઇંદ્રિય અને મનેાવિકારને ચર્ચાવા હતા, એમનાં અનિષ્ટ પરિપાકા બતાવવાં હતાં, એટલા માટે તેઓએ અવાંતર કથાઓના ખૂબ ઉપયાગ ક્યો છે. વાર્તામાંથી વાતા અને તેની અ ંદર વાર્તાની પદ્ધતિ તેમણે સ્વીકારી પાતાનુ કાર્ય કર્યું છે. એમ ન કરે તેા એમના અનંત વિષય હાઇ તેઓ પેાતાનુ કાર્ય પાર પાડી શકે તેમ નહેાતું, આથી તેમને અવાંતર કથાઓના ઉપયોગ કરવાની જરૂર જ હતી. એને અંગે તએએ નીચેની કથાઓ કહી છે. ૧. સર્વથી મુખ્ય તત્ત્વ તરીકે તેમણે પાંચે ઈંદ્રિયાની કથા કરવા સારુ લંબાણુ અ ંતરકથાએ જોડી પ્રત્યેક ત્રીજા-ચેાથા–પાંચમા-છઠ્ઠા અને સાતમા પ્રસ્તાવને દીપાવ્યે અને ત માટે નીચેની કથા કરી. (a) ત્રીજા પ્રસ્તાવમાં સ્પેનનુ સ્વરૂપ બતાવવા માળ, મધ્યમ અને મનીષીની કથા કહી (પ્ર. ૩ થી પ્ર. ૧૮ સુધી ). એ કથા વિદુરના મુખમાં મૂકી અને સંસારીજીવન દિવધ ને સાંભળી. એમાં અકુશળમાળા, સામાન્યરૂપા અને શુભસુંદરીને ચેાગિની જેવી શક્તિવાળી બતાવી અને પ્રતિાધકાચાર્ય ને કથાસ્વામી અતાવ્યા, ત્યારે ઉદ્યાન મેહવિલય બન્યું. (b) ચેાથા પ્રસ્તાવમાં રસનાનું સ્વરૂપ બતાવવા લલિત ઉદ્યાનમાં વિચક્ષણ ને જડનું ચરિત્ર કહેતાં પ્રક અને વિમ ને ભવચક્રનગર તરફ માકલી અદ્ભુત નવલકથા કહી દીધી. એમાં બુદ્ધિદેવીના ૩ર Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ [ શ્રી સિદ્ધર્ષિઃ કળાકાર : ભાઈ વિમર્શ અને દીકરે પ્રકર્ષ કમાલ કરે છે. એમાં ચિત્તવૃત્તિ અટવી અને સાત્વિકમાનસપુર પ્રધાનસ્થાને આવે છે અને વિચક્ષણ પિતે જ આચાર્ય સ્વામી બને છે. એ આખી વાર્તા રિપુદારણને પિતાને કહી ત્યારે રિપદારણ બાજુમાં બેઠો હોય એમ જણાય છે. (પ્ર. ૪. પ્ર. ૩૯. પૃ. ૧૧૧૫:) (c) પાંચમા પ્રસ્તાવમાં ઘાણનું સ્વરૂપ બતાવવા બુધ અને મંદનું ચરિત્ર બુધાચાર્ય કહી સંભળાવે છે (પ્ર. ૧–૧૮-૧૯) એ ચરિત્ર વિમળને ઉદ્દેશીને કહ્યું ત્યારે સંસારીજીવવામદેવ હાજર હતે. (પૃ. ૧૩ર૭. ) (a " છઠ્ઠા પ્રસ્તાવમાં દૃષ્ટિનું સ્વરૂપ બતાવતાં છ પ્રકારના પુરુષ પિકી બીજા અધમ નામના પુરુષનો ઉપગ કરી ઘણું ટૂંકી હકીકતદ્વારા માત્ર એક જ પ્રકરણમાં (પ્ર. ૧૨) એ ચરિત્ર પૂરું કરી દે છે. સંકેત સમજી ગયેલા શ્રોતા પાસે નકામી વાતે ન કરવાને આ નમૂનો છે. (e) સાતમાં પ્રસ્તાવમાં શ્રુતિ ઈદ્રિયના સ્વરૂપમાં કેવિદ અને બાલિશની કથા રસથી કરે છે. આમાં પૂરું એક આખું પ્રકરણ પણ લીધું નથી; (પ્ર. ૧૨.) છતાં કિન્નરમિથુનના ગાન વાંચનારને કાનમાં પણ વાગ્યા વગર નહિ રહે. એ પાંચ કથા વખતે મૂળ પુરુષ મુખ્ય પાત્ર (Hero) હાજર છે અને તેણે જે સાંભળ્યું હતું તે તે કહી બતાવે છે. આ રીતે એ કથાઓ તેના મુખમાં મૂકીને તેમને પ્રસ્તુત બનાવી છે. ૨. મિથુનદ્રય અંતરથા (પ્ર. ૩. પ્ર. ૬ અને ૭) કેઈ બાબતમાં વહેમ પડે તે સમય પસાર કરે. સમય સર્વ ગુંચવણને નીકાલ કરી આપે છે. ૩. તાચાર્ય કથા. (પ્ર. ૪. પ્ર. ૧૦) કથા ચાલતી હોય ત્યારે તેને કઈ ભાગ ન સમજાય તે તુરત ખુલાસો પૂછી લે જેથી કાંઈ ગોટાળો ન થાય. પ્રાર્થના મુખ પરથી લાગ્યું કે વિમર્શ કથા કહેતા હતા ત્યારે ભાણેજ ચૂપ હતું એટલે આ મજાની અંતરકથા તેની જાગૃતિ માટે કહી. Page #293 -------------------------------------------------------------------------- ________________ અવાંતર કથાઓ :]. ૨૫૧ ૪. વલ્લડલ કથા. (પ્ર. ૪. પ્ર. ૧૦ ) અકરાંતીઆ રાજકુમારની કથા કહી તે પરથી ચિત્તવૃત્તિ અટવી આદિનું આંતર બાહ્ય સ્વરૂપ અને તેની વિગત સમજાવી. - પ. બેડરગુરુ કથાનક. (પ્ર. ૫. પ્ર. ૧૫) મહામે હાદિને યથસ્વરૂપે જાણવા છતાં લોકે શા માટે યોગ્ય રસ્તો લેતા નહિ હોય તેવા પ્રશ્નના જવાબમાં બુધસૂરિ ધવળરાજ પાસે આ બહુ સુંદર વાર્તા કહે છે એની ચારે પાડાની ભીખ, સાળમા પ્રકરણમાં તેને ઉપનય અને પછી તે જ પ્રકરણમાં ઉત્તરકથા ખાસ ધ્યાન ખેંચવા લાયક છે દ. ઘર પુકથાનક ( પ્ર. ૬. પ્ર. ૧૦ થી ૧૫ ) અંતરંગ લંકાનું પરિ, બનાવનાર આ અદ્દભુત કથા છે. અને બીજી રીત અન્ય સાધુ, જુદી પણ લખી છે. ( જુઓ પૃષ્ઠ ૧પપ૭ ની નાટ. ) આ ચરિત્ર અનેક રીત અને અનેક દષ્ટિબિન્દુથી વિચારવા યોગ્ય છે. અ પર આગળ પાછળ આ ઉપાદ્દઘાતમાં નોટ આવશે. છે. છે મુનિના વૈરાગ્ય પ્રસંગે એ છએ કથાઓ જ છે ( પ્રસ્તાવ સાતમે: ; તેમાં પણ નીચેની અવાંતર કથાઓ પાસ નેધવા લાયક ગણાય. (a) પાંચ કુટુંબીઓનું ભજન (પ્ર. ૭. પ્ર. ૫) (b) ચાર વ્યાપારી કથાનક (પ્ર. ૭. પ્ર. ૬. ૭) ( ૯) સંસાર બજાર (પ્ર. ૭. પ્ર. ૮. ૯) ૮. વેધ કથાનક (પ્ર. ૮. પ્ર. ૨૦) ધ્યાનયોગની વિશિષ્ટતા, અનુછાની ભિન્નતા અને ભેદ હોવા છતાં સર્વ દનાની સાધ્ય અકના પર અતિવિશાળ બુદ્ધિનું દાન છતાં એ દ્વારા જૈનદર્શનની વ્યાપકતાસિદ્ધિ. એ તે મુખ્ય અવાંતર કથાઓ થઈ. તેમાં કથામાં કથા અને તેની અંદર કથાઓ આવે છે. કેઈ કઈ વાર આ હકીક્ત લક્ષ્યમાં ન રહે તે સારુ નેટમાં ક્યાં છીએ તે જણાવવું પડયું છે. આદરેલી કઈ પણ કથા લેખકે અધૂરી છોડી નથી, કે કથા અંદર અંદર ગુંચવાઈ ગઈ નથી અને કેઈ પણ પાત્રને અન્યાય થયો લાગતું નથી. Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ [ શ્રી સિહર્ષિઃ કળાકાર : એ ઉપરાંત સાત વ્યસનીની વાર્તા ચોથા પ્રસ્તાવમાં કહી છે તેને એક રીતે અંતરકથા કહી શકાય, પણ હું એને અંતરકથામાં ગણતું નથી. એ તો ભવચકના કેતુકેમાં વાર્તાના પ્રવાહમાં જ આવી જાય છે. વાર્તાઓમાં અંદર અંદર નાનું દાન આવે તેને આમાં ગણવામાં આવતું નથી. અત્ર વક્તવ્ય મુખ્ય અવાંતર વાર્તાને અંગે છે. એમાં લેખકની કળા એ છે કે એ પિતાને કહેવા મુદ્દો ટૂંકા શબ્દોમાં કહી દે છે અને કેઈ પણ વિષયને નિરસ થવા દીધા વગર એ પિતાની હકીકત કો જાય છે અને મૂળ વાર્તાને જરા પણ ક્ષતિ ન આવે તે પ્રકારે એ વાર્તામાં વાર્તા અને તેમાં વાર્તા કરી પાછો સર્વને મેળ મેળવી શકે છે. એક દાખલો આપી આ વિષય પૂરો કરીએ. ચેથા પ્રસ્તાવમાં (પ્ર. ૧૦) શાંતિશિવ-ભેંતાચાર્યની કથા ચાલે છે. શાંતિશિવને જ્યારે એને શિષ્ય કેરડા મારતો હતો અને આચાર્ય આરડતા હતા (પૃ. ૮૧૬) ત્યારે આપણે ક્યાં છીએ એ વિસરી ન જઈએ. એ વાત પ્રકને જાગૃત કરવા વિમર્શ કહે છે, એ આખી વાર્તા રસનાને ખેલ બતાવવા વિચક્ષણસૂરિ નરવાહન રાજા સમક્ષ કહે છે, એ આખી વાર્તા સંસારીજીવ સદાગમ સમક્ષ કહે છે. પ્રથમ વાતને મેળ એ પ્રકરણને અંતે મળે, બીજી વાતને એ પ્રસ્તાવના ૩૮મા પ્રકરણમાં મળે અને ત્રીજી વાતનો આઠમાં પ્રસ્તાવના દ્વિતીય વિભાગમાં મળે. આવી રીતે લેખકે લાંબી વાત કરી છતાં કોઈ પણ જગ્યાએ ઘુંચવણ કે ગોટાળો થયો નથી. કળાની દષ્ટિએ વાર્તાના કહેનાર તરીકે દૃષ્ટાન્તથી વાર્તા ખીલવવાની પ્રણાલિકા હિંદમાં પ્રચલિત છે અને એ પદ્ધતિ બહુ ઉપયોગી અને પરિણામ ઉત્પન્ન કરનાર ગણાય છે. મુખ્ય આધાર તો કથા કહેનાર પર રહે છે. શ્રી સિદ્ધર્ષિની અવાંતર કથાઓ સચેટ, મુદ્દાસરની અને ભાષાની પસંદગીમાં ઉત્તમોત્તમ જણાઈ છે. તેઓ પિતાને કહેવાને વિષય બરાબર ઝળકાવી શકતા હતા, નચાવી શકતા હતા અને વાતને જમાવી શકતા હતા. કળાની દ્રષ્ટિએ અવાંતર કથાઓને ઉપયોગ અને પ્રયોગ તેઓ સફળ રીતે કરી શક્યા છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યના પ્રકાર : ] ૬. મનુષ્યના પ્રકાર— આ મુદ્દા પર નીચેની હકીકતા વિચારવા યાગ્ય મને માલૂમ પડી છે. તેના નાનિર્દેશ કરી બાકીની હકીકત વાંચનારના વિચાર પર છેાડીશ. ૨૫૩ ૧. ઔષધના અધિકારી જીવાના ત્રણ વિભાગ પાડ્યા: સુસાધ્યું, કૃસાધ્યું. અસાધ્ય, ( પીઠબ`ધ વિભાગ ૩૦ રૃ. ૩૪-૩૫. ) ઉપનય ( પીઠબંધ. પૃ. ૧૭૫–૮૦ ). ઘણું મનન કરીને સમજવા ચેાગ્ય આ હકીકત છે. એનાં અધિકારનિ યના પ્રખધ અદ્ભુત છે. આ આખા વિચાર કળામય છે અને સાથે ખૂબ મેાધક છે. એ આંખ ઉઘાડનાર છે અને સાથે મહાકવિને ઝેગ આપે તેવા ચિતરાયા છે. ૨. ત્રણ કુટુંબ (પ્ર. ૩. પ્ર. ૩૨) બે અંતરંગ કુટુ એ! અને એક બાહ્ય, અંતરંગ કુટુળ સ્થિર છે અને બન્ને અંદર લડ્યા કરે છે. બાહ્ય કુટુંબ અસ્થિર અને ક્રતું. અંદરના કુટુંબમાંથી એકને પાષવાની અને બીજાને દૂર કરવાની જરૂર અને તે પ્રમાણે કરીને ત્રીજા બાહ્ય કુટુંબના ત્યાગ કરવાના પિરણામ. દીક્ષા સંબધી અત્યારે ચર્ચાતા સવાલ પર સ્પષ્ટ પ્રકાશ નાખનાર આ અતિ મહત્ત્વનું પ્રકરણ મનુષ્યસ્વભાવને ખરા આકારમાં ચિતરે છે. ૩. ચાર પ્રકારના પુરુષા (પ્ર. ૩. પ્ર. ૧૨) એક ઇંદ્રિયને અંગે ( સ્પર્શીન ) મનુષ્યેા વન કેવા પ્રકારનું કરે છે તે પર ભવજંતુ, મનીષી, મધ્યમબુદ્ધિ અને માળના ચિરત્ર ઉપરથી ઉત્તમાત્તમ, ઉત્તમ, મધ્યમ અને જઘન્ય પુરુષ પર પ્રખર વિવેચન. આ આખુ પ્રકરણ ઘણું સુંદર ચિતરાયું છે, અકુશળમાળા, સામાન્યરૂપા અને ગુણસુંદરી એમાં કમાલ કરે છે અને ભવજંતુનું વન આશ્ચય - મુગ્ધ કરે છે. ૪. યત્પુરુષથાનકે છઠ્ઠા પ્રસ્તાવના પ્રકરણ ૧૦ થી ૧૫, એમાં નિકૃષ્ટ, અધમ, વિમધ્યમ, મધ્યમ, ઉત્તમ અને વરિષ્ઠને એક એક વર્ષનું રાજ્ય આપી તેમણે તે રાજ્ય કેવી રીતે ભાગળ્યુ અને પરિણામે આપા કપિરણામે એમને વર્ષની આખરે શું કહ્યું એ હકીકત મનુષ્યપ્રકાર બતાવવામાં ભારે કળા બતાવે છે. એ છ પ્રકાર એવા વિશાળ છે કે એમાં કાઇ મનુષ્ય ખાકી રહેતા નથી. Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ [ શ્રી સિદ્ધર્ષિઃ કળાકાર ? ઉપરાંત ચારિત્રરાજ અને મેહરાજના યુદ્ધ, નાની પજવણથી છેવટની ખૂનખાર લડાઈ, બન્નેના સભામંડપ અને માંડવાઓ એ સર્વ મનુ જગતિમાં રાખીને મનુજગતિની મહત્તા બતાવી છે અને એને ઉપયોગ ન આવડે તે ત્યાંથી પાપીપિંજર (નારક) સ્થાનમાં કેવી રીતે જવું પડે છે એ બતાવી મનુષ્યોને તેમના યોગ્ય સ્થાન આપ્યું છે. મનુષ્યોના આ પ્રકારો ચિતરવા ઉપરાંત તેમના દરેક પાત્ર મનુષ્યસ્વભાવની વિચિત્રતા, નવ્યતા, વિશિષ્ટતા, અને અધમતા બતાવનાર છે. આ સર્વમાં શ્રી સિદ્ધર્ષિ ગણિએ બહુ જબરી કળી વાપરી છે. ઉપરના દરેક પાત્ર પર અત્ર વિવેચન કરવું પ્રસ્તુત ગણાય, પણ બિનજરૂરી છે. વાંચનાર ગ્રંથમાં પ્રવેશ કરે એટલે એને પિતાને જ આ સર્વ બાબતને ખ્યાલ આવી જ જોઈએ અને આવશે એવી કળાપૂર્ણ રચના શ્રી સિદ્ધર્ષિ ગણિની છે. આ સર્વ બાબતો ઉપરથી કલાકાર તરીકે શ્રી સિદ્ધર્ષિ કેવું મહાન સ્થાન ભોગવે છે તે પર જરૂર ખ્યાલ આવશે. એમણે કળા તાણી ખેંચીને વાપરી નથી, પરાણે ઠસાવી નથી, પણ એને લેખમાં જ એવો ચમત્કાર છે કે એમાં કળા સર્વત્ર ડોકિયાં કર્યા જ કરે. મનુજગતિને પ્રાધાન્ય આપવામાં જે લેખકે કળાવિધાન કર્યું હોય તે પછી કળાને પૂરત અવકાશ આપ્યા વગર કેમ રહે ? આ રીતે પાત્રાલેખનમાં કળા છે, સ્થાનનિર્માણ અને વર્ણનમાં કળા છે, સમયનિર્ણયમાં કળા છે, મહાન સત્યે ભારે કળાથી બતાવ્યા છે અને મનુષ્યગતિને ખૂબ અપનાવવામાં ભારે કળા વાપરી છે. આ ઉપરાંત કળાકાર તરીકે એમની ઘણી બાબતો બતાવી શકાય તેમ છે. જેમને વિષય અનંત વિશ્વ અને અંદરના સર્વ ભાવ હોય તે આવું પુસ્તક કઈ રીતે લખે એ જ માટે પ્રશ્ન છે, પણ જ્યારે એના પ્રત્યેક પ્રસંગમાં કળી દેખાય ત્યારે માત્ર સમુચ્ચય દર્શન કરાવી બાકી વિદ્વાન વાચકની શોધ પર છોડવું એ જ યોગ્ય છે. હવે કેટલીક પ્રકીર્ણ-પરચુરણ બાબતો પર વિવેચન કરી ઉપઘાતને આ વિભાગ પૂરે કરીએ. Page #297 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણ ૧. અનુસુંદર : ઐતિહાસિક કે કહિપત? આ એક ઘણો અગત્યનો પ્રશ્ન છે. કથાનાયક સંસારીજીવ ઐતિહાસિક પાત્ર છે કે શ્રી સિદ્ધર્ષિની કલપનાથી ઉપજાવી કાઢેલ પાત્ર છે તે શોધવા માટે ગ્રંથમાં જ ઘણું પ્રસંગે પ્રાપ્ત થાય છે. નીચેના મુદ્દા વિચાસ્વાથી આ સવાલ પર પ્રકાશ પડશે. લગભગ પ્રત્યેક પ્રાણીનું જીવન જુદા જુદા પ્રકારનું હોય છે, પ્રત્યેકના વિકાસ અલગ હોય છે. જેમ બે પ્રાણુનાં મુખ કે અવાજ એક સરખા હોતા નથી તેમ પ્રત્યેકને જીવનકમ પણ અલગ જ હોય છે. આપણે બાવન પાનાને ગંજીપ અનેક વાર રમ્યા હઈશું, છતાં પ્રત્યેક વખત પાનાની ગોઠવણ એવી જુદી જુદી આવે છે કે એક વખત ગોઠવેલ બાજી બીજી વાર આવતી નથી. જ્યારે બાવન પાનામાં આટલી ચિત્રવિચિત્ર યેજના થાય છે ત્યારે અનંત પ્રાણી, અનંત સ્થાને, અનંત ભાવ અને અનંત કાળની નજરે એના પરિવૃત્તો (permutations) કરીએ ત્યારે કાંઈ પાર આવે તેમ નથી. એમાં વળી પ્રાણીના અંદરના આશયો, મગજના ફાંટા, સ્વભાવની નવીનતા, આશયની વિચિત્રતા વિગેરેની સાથે કઈકની શક્તિ, કઈકના ગોટાળા અને કઈકની તાબેદાર વૃત્તિ વિચારીએ ત્યારે પ્રત્યેક જીવન એટલે એક મેટું ચરિત્ર સમજવું પડે. વાસ્તવિક રીતે આપણે જોઈએ છીએ તે નાટક જ છે અને મનમાં ન બેસે તે પણ કબૂલ કરવું પડે તેમ છે કે આપણે પોતે એ મહાન નાટકના એક પાત્ર છીએ, કાળપરિણતિદેવીને પગલે આથડનારા છીએ, ભવિતવ્યતાના નચાવ્યા નાચનારા છીએ અને લાગ મળે ત્યારે અંદરને ધણી જાગી જાય તે આગળ ધપનારા છીએ. પણ આપણી પ્રત્યેકની જિંદગી જુદા પ્રકારની છે, આપણે વિકાસ અલગ પ્રકાર છે, આપણું જીવનના પ્રસંગે જુદા જુદા ધોરણે રચાયેલા છે અને પ્રત્યેક એક બીજાથી Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ [ શ્રી સિહર્ષિ અને અનુસુંદર ! જુદા તારવી શકાય તેવા હેઈ એક મહાઈતિહાસનું સ્થાન લે છે અથવા જીવનચરિત્રની ભૂમિકા પૂરી પાડે છે. એ ચરિત્ર કરુણામય કે પ્રેરણામય થાય, રસમય કે શોકમય થાય તે જુદી વાત છે; પણ પ્રત્યેક પ્રાણીનું ચરિત્ર અલગ છે અને તે ચરિત્ર પણ અનેક ઉપયોગી હકીકત પૂરી પાડે છે. પ્રત્યેક જીવનમાં આટલો બધો વેધર્મ હોવા છતાં એમાં કેટલાક સર્વસાધારણ તો છે, એને સામાન્ય મધ્યમ કેટિના જીવન ગણવામાં આવે તે એમાં એક જાતની એકતા ચાલી આવશે એટલે કે પ્રત્યેક જીવનના વૈધમ્યમાં સાધમ્ય છે, બહુ ઊંચા પ્રકારનું સુસાધ્ય જીવન હોય તે મરુદેવા માતાના જીવની માફક દોડતું સિદ્ધ થઈ જાય અને અતિ અધમ જીવન હોય તે કાદવમાં રખડ્યા કરે અથવા ચક્કીમાં પીસાયા કરે, પણ જરાયે ઉન્નત થાય જ નહિ. આ અસાધ્ય અને સુસાધ્ય વર્ગના જીવોને બાદ કરતાં મધ્યમ પ્રવાહ પર અનેક જીવા હોય છે જેના ઉપર કામક્રોધાદિ અસર કરે ત્યારે તે નીચા ઊતરી જાય છે અને ત્યાગ, વૈરાગ્ય, પરોપકાર કામ કરે ત્યારે તે ઊંચે ચાલ્યા જાય છે. આવા જીવનાં જીવનવૃત્તો અલગ અલગ હોય છે, છતાં તેમાં એક પ્રકારની એક્તા હોય છે. એ સ્વભાવમાં આવે ત્યારે આત્માનંદ કરે છે અને વિભાવમાં ચાલ્યો જાય ત્યારે ધન, સ્ત્રી ને પુદ્ગળાનંદમાં રસ લેતે થઈ જાય છે, એ કષાયને વશ પડે તે ક્રોધી, માની, કપટી, લોભી બની જાય છે અને એ ત્યાગ કરવા બેસે તે મા ખમણે મા ખમણે પારણું કરવા લાગી જાય છે. આવા પ્રકારની વૈધમાં એક્તા બતાવવાન શ્રી સિદ્ધર્ષિને ઉદ્દેશ હતો. તેઓ પ્રત્યેક જીવનમાં ભિન્નતાની અંદર રહેલી એક્તા બરાબર જોઈ શક્તા હતા અને તે તેમને અનુસુંદરના ચરિત્રદ્વારા બતાવવી હતી. મહાવિદેહના સુકચ્છ વિજયમાં આવેલી ક્ષેમપુરીમાં અહીં કહી છે તે પ્રમાણે વાર્તા કહેવાયું હશે કે નહિ, સુલલિતા અને મહાભદ્રા ત્યાં હશે કે નહિ અને ચક્રવર્તીએ ચારને વેશ કાઢ્યો હશે કે નહિ એ પ્રશ્ન ઉપરના મુદ્દાથી વિચારીએ તે લગભગ નકામે થઈ જાય છે. આખી દુનિયાને પ્રપંચ બતાવવા માટે કે વ્યક્તિગત જીવનું ચરિત્ર તે લખવું જ પડે. એમાં જેનું નામ આપ્યું હોય તે જ Page #299 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણ ] ૨૫૭ નામને જીવ હતા કે નહિ એ પ્રર્થન ન સંભવે, પણ એમાં જે વર્ણન કર્યું છે તે સર્વ ને-ઘણાખરા જીવેને લાગુ પડતું છે કે નહિ એ જ જોવાનું રહે છે. આ દષ્ટિથી વિચારતાં ઉપરને પ્રશ્ન અસ્થાને છે. અનુસુંદરના ચરિત્રદ્વારા મધ્યમ પ્રવાહના જીનું ચરિત્ર સાધમ્ય નજરે અત્ર કચ્યું છે. હવે પુસ્તકમાં આંતરપુરાવા આ પ્રશ્નને અંગે શા છે તે જોઈએ. (a) પ્રથમ પ્રસ્તાવની પ્રસ્તાવના કરતાં લેખક મહાશયને રૂપક કથાને અંગે અંતરંગ લેકેનાં જ્ઞાન, બોલચાલ, ગમનાગમન, વિવાહ, સગપણને બચાવ સૂત્ર સિદ્ધાંતનાં દષ્ટાંતથી કરવો પડ્યો છે (પૃ. ૧૧ ) તે પરિસ્થિતિ એટલું તો જરૂર બતાવે કે અનુસંદરની કથામાં અંતરંગ કથાઓ છે તે તે શ્રી સિદ્ધર્ષિએ જ બનાવેલી છે. એવા પ્રકારને બચાવ કરવાનું કારણ એક સાચી બનેલી વાર્તા લખી જનારને સંભવે નહિ. એમને એક નવીન પ્રકારની રેખા દેરવી હતી, વાર્તાને નવો જ પ્રકાર દાખલ કરે તે અને તે વાત બરાબર ગણાય તે આખી વાર્તા કલ્પિત હો કે નહીં, પણું અંદરના ઈદ્રિયે, કષા અને મહારાજાનું લશ્કર, ચારિત્રરાજના લશ્કરની લડાઈ વગેરે વાતો તો એમની બનાવટની જ ઘટે અને એ વાર્તા જ ખરી વાર્તા હાઈ બાકીના પ્રશ્નને નિરર્થક કરી દે છે. આ કથામાં અંતરંગ લેકનાં જ્ઞાન, અરસ્પરસ બોલચાલ, ગમનાગમન, વિવાહ સગપણુ જ બહુધા આવે છે અને તેને લેખકે પિતે જ “સત્કલ્પિત અનુમાન” કહેલ છે. એટલે મોટા ભાગની વાર્તા તે શ્રી સિદ્ધર્ષિના મગજમાંથી જ નીકળેલી છે એમ એમના શબ્દમાં જ કહી શકાય. (b) બીજો એક મુદ્દો ગ્રંથને છેડે મળી આવે છે. પૃ. ૨૦૮૦ भी समेछे है इदमनन्तभवभ्रमसूचकं, मलवशादनुसुन्दरचेष्टितम् । વદ બાતમંત શિક્તિ, રિવિવારના રુદિનો એ અને એના પછીના ત્રણ લેકમાં એ વાત કરી છે કે આ ગ્રંથમાં અનુસુંદરનું ચેષ્ટિત કહેવામાં આવ્યું છે તે પ્રાણુઓની બુદ્ધિના વિકાસને માટે છે, વિકાસ કરે તેવું છે. પણ તે પ્રમાણે સર્વ Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ [ શ્રી સિદ્ધર્ષિ અને અનુસુ ંદર 6 પ્રાણીને થાય એમ સમજવાનુ નથી. આ લેાકમાં એ અર્થસૂચક શબ્દો છે તે ઘુંચવણુ કરે તેવા છે. · મિવિકાસનકારી ’ ચેષ્ટિત છે એટલે બુદ્ધિના વિકાસ કરનાર છે એ એનુ કાર્ય લઈએ તા જુદી વાત છે, પણ એ ઉદ્દેશથી લખાયુ હાય તા કલ્પિત હાઈ શકે, પણ જ્ઞાતમ્ એમ લખ્યુ છે એટલે જાણે જેવુ બન્યુ તેવુ' લખ્યું છે એવા ભાવ નીકળે. આ જ્ઞાતમ્ શબ્દ ઘણી કુંચવણુ ઊભી કરે છે. એના અર્થ એમ થાય કે ચરિત્ર અનેલું હેવુ જોઇએ. ( ૭ ) છેલ્લા પ્રકરણમાં અનુસુદર અને મહાભદ્રા માટે જે શબ્દોમાં વાત કહી છે તે જોતાં ચરિત્ર ખનેલુ ઘટે, પણ તની જ સાથે સુમતિ અને સમતભદ્રના ચિત્ર ઉપરથી જે શબ્દોમાં સાર ઉતાર્યા છે તે જોતાં ચરિત્ર કલ્પિત લાગે તેમ છે. લઘુકમી ભવ્ય. પુરુષ જરૂર કલ્પિત લાગે છે અને સદ્યાગમ–સમતભદ્ર માટે પૃ. ૨૦૭૫ માં જે કહેવામાં આવે છે તે જોતાં એની ઐતિહાસિકતા કદી બેસે તેમ નથી. ર (a) આ આપડી અત્યંત ભેાળી છે એ વિચારથી મારા મનમાં કરુણા ઉત્પન્ન થઈ. તે કારણથી સજ્ઞ મહારાજના આગમમાં બહુમાન ઉત્પન્ન થવાને પરિણામે ક્લિષ્ટ કર્મોના નાશ થતાં તેને પણ પ્રતિમાષ થશે એ ખ્યાલથી આ સદાગમ મહાત્માની કૃપાથી મારા ઘણા લાંખા હેવાલ, તેને સદાગમ ઉપર બહુમાન ઉત્પન્ન કરે તેવી રીતે, અને સ ંક્ષેપમાં કહેવા છતાં તેના અન તપણાને લીધે છ મહિને પણ મહામુશીખતે પૂરા કહી શકાય તેવા હાઇ, તને ત્રણ પહેારમાં કહી દીધા. ” (મ. ૮. પ્ર. ૧૫. પૃ. ૨૦૦૩–૪ )આ આખું વાક્ય એના પ્રત્યેક શબ્દમાં વાર્તાની કૃત્રિમતા ખતાવે છે. વાતાના ઉદ્દેશ, કહેવાના સમય અને લક્ષ્યાર્થીની સન્મુખતા જોતાં એમાં કૃત્રિમતા સ્વાભાવિક આવી જાય છે. આ અંદરના પુરાવા છે. બહારની નજરે અન્ય કાઇ ગ્ર ંથમાં અનુસુ ંદરનું ચરિત્ર જોવામાં આવતું નથી. શ્રી સિદ્ધાંષગણિ કાંઈ વિશિષ્ટ જ્ઞાની નહાતા એટલે એમને ફાઇ ગ્રંથના આધાર જરૂર લેવા પડે અને એવા કાઈ ગ્રંથ તેઓ બતાવતા નથી. એમ કરવાના અસલ સંપ્રદાય નહાતા એ વાત સાચી છે. અત્યારે કાઈ ગ્રંથમાં આ કથા આવી હાય તેવી ઉપલબ્ધતા નથી. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ પ્રકી : ] એક બીજી પણ અનુમાન શક્ય છે. કથા કણેાપકર્ણ ગુરુપર પરાથી ચાલી આવી હેાય. એને કશા આધાર કે જવાબ ન હાઇ શકે. એક દરે ગ્રંથના ઉદ્દેશ, ગ્રંથની ગૂઢતા, ગ્રંથના શબ્દો અને આજીમાજીની સર્વ હકીકત મેળવતાં મારું પેાતાનું વલણ, અનુસુંદર એ શ્રી સિદ્ધર્ષિની ભવ્ય પનામાંથી નીકળેલ ચારવેશધારી મહાચક્રવર્તી અને સિદ્ધિગામી રત્નપુરુષ હાય એમ માનવા વધારે લલચાય છે. આ મારા અનુમાનમાં વિશેષ પુરાવા કે ચર્ચાને પૂરતા અવકાશ રહે છે, એ અનુમાન છેવટનું નથી, પણ એ નજરે ચર્ચા જરૂર કરવા યોગ્ય છે. સંતેાષકારક પુરાવા કે નવીન સાધના મળે તા ઉપરના નિ યમાં ફેરફાર કરવામાં કોઈ પણ પ્રકારના વાંધા ન જ હાઇ શકે. X X ૨. પ્રસ્તાવવિશિષ્ટતા— આ ગ્રંથના દરેક પ્રસ્તાવમાં એક એક ખાખત સથી વધારે ધ્યાન ખેંચનારી માલૂમ પડે છે. કાઈ વાત નકામી તેા નથી જ, પણ કાઇમાં કળાકારની નજરે તા કાઇમાં વૈરાગ્યની નજરે, કાઈમાં પાત્રાલેખનની નજરે તે કાઇમાં ગમનાગમનની નજરે અને એવી એવી જુદી જુદી નજરે કાઇ કાઇ સવિશેષ વિશિષ્ટતા પ્રત્યેકમાં જડે છે. આઠે પ્રસ્તાવને અંગે આ વિશિષ્ટતાના નિર્દેશ સક્ષેપમાં કરી દઇએ. X ૧. પ્રથમ પ્રસ્તાવ વ માન જમાનામાં જે પદ્ધતિએ ઉપાદ્ઘાત અને પ્રસ્તાવના લખાય છે તે રીતે લગભગ એમાં પ્રસ્તાવના અને ઉપાદ્ઘાત લખેલ છે તે એનું ખાસ વિશેષ રૂપ છે. આવી સ્પષ્ટતા અન્યત્ર અલભ્ય છે. એ પ્રસ્તાવનામાં એમણે અનેક વિષય ચર્ચ્યા છે; કથાના સાર, કથાના હેતુ, ભાષા, લેખન પ્રકાર, પદ્ધતિને બચાવ વિગેરે સર્વ એમાં તેઓશ્રીએ કર્યું છે અને પછી વાંચનારને તૈયાર કરવા ઉપાઘાતરૂપે પેાતાનું જ ચરિત્ર લખી તેના ઉપનય ઉતાર્યા છે. આમાં તેમના ઉદ્દેશ મહાકથા માટે વાંચનારને તૈયાર કરવાના છે. પ્રથમ પ્રસ્તાવ ઓગણીશમી વીશમી સદીની સાહિત્યપદ્ધતિને એક Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ [ શ્રી સિદ્ધર્ષિ : : પ્રસ્તાવવિશિષ્ટતા : હજાર વર્ષ પહેલાં લેખક જોઈ શકયા હાય એમ બતાવે છે અને તે એનુ વિશેષ રૂપ છે. ૨. બીજા પ્રસ્તાવમાં કર્મ પરિણામનાં નાટક વિગેરે સર્વ મજાનાં છે, પણ લેખકની વિશિષ્ટતા અગ્રહીતસંકેતાના પાત્રાલેખનમાં છે. એના જેવી ભાળી રાજકુમારી ( બ્રાહ્મણી ) કથા સાંભળવા બેઠી ન હેાત તા કથામાં અંદર અંદર પાંચ છ વાર ખુલાસા કર્યાં છે તે થાત નહિ અને કથા સગ્રાહી હૈાઇ એના ઊંડા ભાવ સમજાત નહિ. કળાની નજરે પણ આ પાત્રાલેખનમાં ખાસ વિશિષ્ટતા વ્યક્ત થાય છે, એને લઇને નીચેનાં સ્થાનાએ જરૂરી ખુલાસા થાય છે. ત્રીજા પ્રસ્તાવને છેડે (પ્ર. ૩. પ્ર. ૩૪, પૃ. ૬૮૮ ). આંતર ખુલાસા (પ્ર. ૪. પ્ર. ૮. પૃ. ૭૯૯-૮૦૦ ). પ્રજ્ઞાની વિચારશન્યતા ( ૫. ૪. પ્ર. ૪૦. પૃ. ૧૧૩૦ ). પ્રજ્ઞાની રહસ્ય વિચારણા( પ્ર. પ. પ્ર. રર. પૃ. ૧૩૩૭–૪૧ ). પ્રજ્ઞા॰ના ખુલાસા (પ્ર. ૭. પ્ર. ૧૭. પૃ. ૧૮૪૦–૨ ). પ્રસ્તાવ આઠના આખા ખીજો વિભાગ (પ્ર. ૧૨ થી ૧૫ ). આ સર્વ ચાવીએ છે, ગ્રથ સમજવા માટે અનિવાર્ય છે, તેનું કારણુ અગૃહીતસંકેતા છે અને એ પાત્રની સાદાઈ ખરેખર આકર્ષક છે, આખરે એનું મથન પણ એટલું જ ખેંચાણુકારક છે (૫, ૮. પ્ર. ૧૮. પૃ. ૨૦૨૯); તથા (૫, ૮. મ. ૧૯) એના કષ્ટસાધ્ય માક્ષ છૂટકારાના દમ ખેંચાવે છે. (૪, ૮. પ્ર. ૨૨. પૃ. ૨૦૭૨ ) ૩. ત્રીજા પ્રસ્તાવમાં મનેાવિકાર પૈકી વૈશ્વાનરની ખાસીઅત અને ઇંદ્રિયા પૈકી સ્પર્શીનની ખાસીયત બતાવતાં માનવિધાને ઊંડા અભ્યાસ ખતાન્યા છે. વૈશ્વાનર સાથે ક્રૂરચિત્ત વડાં અને સ્પર્શોનની વાર્તામાં અકુશળમાળા, શુભસુ ંદરી અને સામાન્યરૂપા પાત્રાની યાગશક્તિ બતાવતાં એટલી વિશિષ્ટતા બતાવી છે કે એમાં માનસશાસ્ત્રના ઊંડા પાી બહુ યુક્તિસર દાખવી દીધા છે અને મનીષીના નિષ્ક્રમણેાત્સવ ( દીક્ષા ) ખીજે ન ંબરે આ પ્રસ્તાવની ખાસ વિશિષ્ટતા છે. Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ પ્રકીર્ણ : ] ૪. ચોથો પ્રસ્તાવ જાતે જ સર્વોત્કૃષ્ટ છે. એને પ્રધાન સૂર ભવચક છે અને એના ખેલતા પાત્રો પ્રકર્ષ વિમર્શ છે. એના વર્ણનની ઝપટની અંદર ચિત્તવૃત્તિમંડપ અને રાજાઓ, વિવેસ્પર્વતનું વર્ણન અને ચારિત્રરાજના મંડપ, મેહરાય ને ચારિત્રરાજને પરિવાર અને સાત પિશાચીઓ એ સર્વ અદ્દભુત છે. આ પ્રસ્તાવ એવી સારી રીતે જાણે છે કે એમાં વિશિષ્ટ નજરે યે વિભાગ બતાવ એ મુશ્કેલ છે, કારણ કે પ્રત્યેક પ્રસંગ અદ્દભુત રીતે ચિત્રા છે. એની ચિત્તવૃત્તિઅટવી વિચારીએ ત્યાં મેહરાજના બાળકોના કલેલ યાદ આવે છે અને સાત્વિકમાનસપુરના સિંહાસન પર ચારિત્રરાજ બેસે છે ત્યાં એના પાટવી અને ફટાયા આકર્ષક થઈ પડે છે. એની પિશાચી છૂણું લાવે તેવી છે, છતાં પણ એને વિચારતાં જ આવે છે. આ પ્રસ્તાવ વિશિષ્ટતાને નમૂને છે. વસંતરાજ–લાલાક્ષ એ બાજુનું પાત્ર છે છતાં એમાં પણ મોજ આવે છે. ખાસ વિશિષ્ટતા જેવી જ હોય તો ચિત્તવૃત્તિ અટવીમાં બાંધેલ મંડપ અને તેના સિંહાસન પર બેઠેલ રાજા અને તેને પરિવાર છે. સાત્વિકમાનસપુરે ચારિત્રરાજને મંડપ પર્વત પર એ જ દીપે છે, વધારે આકર્ષક છે, પણ ચિત્રની નજરે બીજે નંબરે આવે છે. ૫. પાંચમો પ્રસ્તાવ સેજન્ય અને દૈન્યને પ્રધાન સૂર ચર્ચે છે. એમાં વામદેવની નીચ જનતા કવિએ ઉત્કટ રીતે ચચી છે. પણ એની વિશિષ્ટતા તે પ્રતિબદ્ધરચનામાં આવે છે. ત્યાં જે સ્પષ્ટતાથી સર્વ પ્રાણીને દુઃખી બતાવ્યા અને તેમને કાળા, ભૂખ્યા તરસ્યા, થાકેલા, તાપ ખમનારા, કઢીઆ, ઘરડા, તાવવાળા, ગાંડા, આંધળા અને પરતંત્ર તથા દેવાદાર બતાવ્યા એ વાત બહુ મક્કમ રીતે કરીને આ ગ્રંથને મુખ્ય ઉદ્દેશ પાર પાડ્યો છે. એમને જે ત્રણે ઔષધિઓ ઠાંસી ઠાંસીને આ ગ્રંથમાં ભરવી હતી તેને પ્રખરભર આ આખી રચનામાં દેખાઈ આવે છે. ૬છઠ્ઠા પ્રસ્તાવને પ્રધાન સૂર અને વિશિષ્ટતા પપુરુષ ચરિત્રમાં આવે છે. ત્યાં નિકૃષ્ટ, અધમ, વિમધ્યમ, મધ્યમ, ઉત્તમ અને વરિષ્ઠને એક એક વર્ષનું રાજ્ય આપી તેમની પાસે વિવિધ કાર્યો કરાવે છે ત્યાં ગ્રંથકર્તા કમાલ કરે છે. એ છ પ્રકારના પુરુષને Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ [ શ્રી સિદ્ધર્ષિઃ પ્રસ્તાવવિશિષ્ટતા ? સમજવા એ આખા ગ્રંથની ચાવી છે. આ અતિરસવાળા વિષયને તેમણે બહુ સારી રીતે ન્યાય આપે છે અને ગ્રંથને ઉદ્દેશ પાર પાડવાની એક તદ્દન અભિનવ દિશા દાખવી છે. ૭. સાતમા પ્રસ્તાવની વિશિષ્ટતા છે.મુનિના વેરાગ્યપ્રસંગે અને તેની ઘટનામાં છે. જ્યારે આ પ્રાણીનું ચિત્ત સાચેસાચું સંસાર પરથી ઊઠે છે ત્યારે સાધારણ નજરે અતિ સામાન્ય કે તુચ્છ લાગતી અથવા અતિઅર્થહીને કે નિર્માલ્ય લાગતી બાબતેમાંથી પણ ઉપદેશ કે લઈ શકાય છે તે ખરેખર આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવું છે. આપણે અનેક વાર રેંટ જોયાં હશે અને દારૂના પીઠાંની પાસેથી તો હજારો વખત પસાર થયા હઈશું, પણ એમાં રહેલ ગુમ સંકેતને તા શ્રી સિદ્ધર્ષિની કલમ જ ચિતરે. આપણે વ્યાપારી રહ્યા, દરરોજ વ્યાપાર કરીએ, પરદેશ જઈએ, બજારમાં દુકાન માંડીએ અથવા ભજન ખાઈએ; પણ એના અંતરને વિકસાવી સમજાવનાર તો શ્રી સિદ્ધર્ષિ જ. એમની કલમે આ નવ પ્રકરણમાં કમાલ કરી છે. ૮. આઠમો પ્રસ્તાવ વિકાસને માર્ગ ત્વરિત ગતિએ બતાવનાર થાય છે. એમાં પ્રધાન સૂર આખા ગ્રંથને સમજાવવાની લીધેલ તક અને તેના ઉપયોગમાં પરિપાક પામે છે. આપણું જૂના મિત્ર સંસારીજીવને ચક્રવતી તરીકે જાણીએ છીએ કે ભેળી અગ્રહીતસંકેતાને રાજકુમારી તરીકે જાણીએ છીએ ત્યારે આપણે પણ છૂટકારાને દમ ખેંચીએ છીએ અને સાતેને મેક્ષ થાય છે ત્યારે આપણે અહીં રહી ગયા એમ લાગ્યા વગર રહેતું નથી. ચોથો પ્રસ્તાવ હદય પરના હારમાં અમૂલ્ય રત્નના સ્થાનને ગ્ય ગણાય તે આઠમે પ્રસ્તાવ મુગટના કેહીનુરના સ્થાનને ચગ્ય છે; અને અરસ્પરસની શોભામાં વૃદ્ધિ કરે છે; એક વગર બીજે અડવો લાગે છે. હૃદય વગર મસ્તક સુગંધ વગરનું છે, પણ મગજ વગરનું હદય અવ્યવસ્થિત થઈ જાય છે. આઠમા પ્રસ્તાવમાં પ્રધાન સૂર વિદ્યા સાથેના લગ્નના પ્રસંગમાં આવે છે (પ્ર. ૮. પ્ર. ૮) અને બાકી તો સર્વ વાતને મેળ અહીં મળે છે તે મુખ્ય વાર્તા છે. આઠે પ્રસ્તાવમાં બીજી તે અનેક વિશિષ્ટતાઓ છે, કેટલીક તે એટલી ઊંડી વાતો છે કે એ પર વિચાર કરીએ તેમ નૂતનતા જણાય Page #305 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણ : ] ૨૬૩ માલિકતા જણાય, મહત્તા સમજાય. એના પ્રત્યેક પાત્રામાં એજસ છે, એના ગમનાગમનમાં રહસ્ય છે, એની ચેષ્ટામાં સકારણુતા છે, એમની અદૃશ્યતામાં સંકેત છે, એમના પ્રભાવમાં શાંતિ છે અને એમના શૂરાતનમાં રસરેલ છે. X ૩. પરાકાષ્ઠા ( પ્રત્યેક પ્રસ્તાવે અને સમુચ્ચયે ) ( Climax ) દરેક લેખક પોતાના ગ્રંથમાં પરાભૂમિ એક વખત લાવે છે. શ્રી સિદ્ધર્ષિના મહાલેખનુ આ હૃષ્ટિએ આપણે પ્રત્યેક પ્રસ્તાવવાર અવલેકિન કરીએ અને પછી સમુચ્ચયે જોઇ જઇએ. કાવ્યમાં પરાભૂમિ આવે તેને ‘ સાર ’ અલંકાર કહે છે. વાર્તામાં આવી પરાભૂમિ અવારનવાર આવે છે. આઠે પ્રસ્તાવની વસ્તુ વિવિધ હાવા છતાં એક જીવને આશ્રયીને હાઈ દરેક પ્રસ્તાવમાં આ પરાભૂમિ જુદી જુદી રીતે આવે છે અને અન્યાન્ય પ્રસ ંગે પ્રાપ્ત થાય છે. દરેક પ્રસ્તાવની પરાભૂમિ મુકરર કરવામાં મતભેદ પડેતે સંભિવત છે. મારા મતે તે નીચે પ્રમાણે આવે:— × ܕ X ૧. પ્રથમ પ્રસ્તાવમાં તદ્યા વિમળાલેાકઅંજન આંજી તત્ત્વપ્રીતિકર પાણી પાય છે ત્યાં પરાભૂમિ આવી જાય છે. ( પૃ. ૨૫-૨૬. ) કોઇકના એવા પણ મત પડવા સંભવ છે કે પૃ. ૪૩ માં જ્યારે નિપુણ્યક ઢીંકરું ફેંકી દઈ પાતાના પાત્રમાં પરમાન્ન ભરે છે અને તેનુ નામ ફેરવવામાં આવે છે ત્યાં પરાભૂમિ આવે છે. આવા મત થાય તે તે પણ વિચારવા યેાગ્ય છે. પ્રાથમિક ઘુંચવણુના નીકાલ પરાભૂમિ લાવે એ મારા મતે વધારે ઇષ્ટ છે. ૨. બીજા પ્રસ્તાવમાં નવીન પાત્રાનુ ઓળખાણ થાય છે, પરિચય થાય છે અને તેઓ ઘણી દોડાદોડમાં દેખાય છે. અસ વ્યવહાર નગરથી માંડીને સંસારીજીવને પચાક્ષપશુસંસ્થાન સુધી મેાકલવામાં કાળ અનંતા જોઇએ અને વાત ટૂંકામાં કરવાની એટલે પરાભૂમિ આવતી નથી. પરાભૂમિ જેવા થાડા આભાસ ભવિતવ્યતાની ભલા– મણુથી આ જીવને અસવ્યવહારનગરથી આગળ મેાકલવામાં આવે છે (૫. ૨. પ્ર. ૭. પૃ. ૩૧૨) ત્યાં થાય છે. જો કે આ પરાભૂમિમાં બહુ Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ [ શ્રી સિહર્ષિ ઃ પરાકાષ્ઠા ? ઉત્કટ રસ જામતા નથી, તે પણ ભવિતવ્યતાને પતિ પર દર જોતાં લગભગ એ વિશમી સદીની flapper-ફલેપર જેવી દેખાય છે અને પતિથી દેરાવાને બદલે એ પતિને દેરે છે. અત્યંતઅઓધ (Ignorance) અને તીવ્રમેહદય (Infatuation) જેવા મહાકારસ્થાની પાસે એ પોતાની જાતને એટલી દમામમાં રાખી વાત કરે છે કે ત્યાં જેવા તે “કલાઈમેકસ” જરૂર આવે છે. ૩. ત્રીજા પ્રસ્તાવમાં ત્રણ વખત પરાકાષ્ઠા (climax આવે છે. (a) બાળ મદનકંદળીના પલંગમાંથી અવાજ સાથે પડે છે તે વખતે (પૃ. ૪૫૮). (b) નંદિવર્ધનને કનપુરમાં પ્રવેશ થાય છે તે વખતે ( પ્ર. ૨૩. પૃ. ૫૮૮ ). (c) નંદિવર્ધન કુટુંબની ખૂનામરકી કરી કેદમાં પડે છે ત્યારે ( પ્ર. ૨૮. પૃ. ૬૩૬૯ ) આ ત્રણે પ્રસંગે ખરેખર એક બીજાથી ચઢે તેવા છે, પણ એ સર્વમાં કળાની નજરે ચિત્રકારે મદનકંદળીને પ્રસંગ સર્વથી વધારે બબીથી ચહેં–આળે છે. ત્રીજા પ્રસ્તાવથી વાર્તા જામે છે, જામતી જાય છે અને આપણે લેખકની સાથે બરાબર ઘસડાઈએ છીએ અને એમાં જ એની કળા રહેલી છે. ૪. ત્રીજા પ્રસ્તાવમાં આદરેલી કળા એના મધ્યે આકાશમાં ચોથા પ્રસ્તાવમાં આવે છે. શ્રી સિદ્ધર્ષિના બીજા પાત્રો ગમે તેવા સુંદર હોય, પણ એના વિમર્શ અને પ્રકર્ષ તો શિરસ્થાને આવે છે. અટવી, ટેકરા, ડુંગરામાં રખડનાર એ મામા ભાણેજના પાત્રને ચિતરવામાં અને તેમની દ્વારા ભવચક્રની અનેક વાર્તા કરી નાખવામાં કળાની દષ્ટિએ શ્રી સિદ્ધર્ષિએ હદ કરી છે. આખો ચેથે પ્રસ્તાવ કળાને નમૂને છે. બુદ્ધિદેવીને દીકરા અને ભાઈ એ શ્રી સિદ્ધર્ષિનું ખરું ઓજસ છે, એના વિકાસમાં પરાકાષ્ટા આવી ગઈ છે અને એના આલેખમાં પરિપૂર્ણતા પહોંચી ગઈ છે. એની ચિત્તવૃત્તિ અટવી, પ્રમત્તતા નદી, તદ્વિલસિત બેટ, ચિત્તવિક્ષેપ મંડપ, તૃષ્ણ વેદિકા અને વિપર્યાસ સિંહાસન એક બાજુએ કલ્પતાં બીજી બાજુએ સાત્વિકમાનસપુરમાં વિવેક પર્વત, એનું અપ્રમત્તત્વ શિખર, ત્યાં આવેલો ચિત્તસમાધાન Page #307 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણ ] મંડ૫, એની નિસ્પૃહતા વેદિકા અને તે પરનું જીવવીર્ય સિંહાસન વિચારીએ છીએ ત્યારે કલપનાની વિશાળતા, ભવ્યતા અને સ્પષ્ટતા આપણને મુગ્ધ કરી મૂકે તેમ છે. ચેથે પ્રસ્તાવ મારા મતે આખા ગ્રંથની પરાકાષ્ઠા રૂપે છે, તેમાં પ્રકર્ષ વિમર્શના પાત્રો પરાકાષ્ઠા રૂપે છે અને ચિત્તવૃત્તિમાં મોહરાજાના મંડપ સિંહાસનની રચના પરાકાષ્ઠા છે (પ્ર. ૯). મને પક્ષપાત ચારિત્રરાજના મંડપ તરફ છે, પણ બન્નેની સરખામણીમાં કળાની નજરે પ્રમત્તતા નદી પર બંધાયેલા મંડપની રચના ચઢે તેવી છે. સાત પિશાચીઓમાં કળા તે અભિનવ છે પણ એમાં રેદ્ર રસ કરુણમય હાઈ કંટાળે આપે છે, છતાં કળાની નજરે તે એ પણ ઊતરે તેમ નથી. વર્ણનની નજરે જોઈએ તે વસંત વર્ણન સર્વોત્કૃષ્ટ છે (પ્ર. ૨૧) પણ એવી ઉત્કૃષ્ટ ભૂમિકા માત્ર કળાકારની નજરે નવમાં પ્રકરણમાં જ આવે છે. ૫. પાંચમા પ્રસ્તાવમાં બુધસૂરિની પ્રતિબંધરચના સારી છે, આકર્ષક છે, છતાં એ વાંચતાં એમાં નૈસર્ગિકપણાને બદલે કૃત્રિમતા આપણુ ખ્યાલ પર આવ્યા વગર રહેતી નથી. એમાં કળાની ઘણું બાબત ઠાંસી ઠાંસીને ભરી છે. આ પ્રસ્તાવમાં પરાકાષ્ઠા ત્રણ નાના પ્રસંગોએ લેખકશ્રી લાવી શક્યા છે – () સ્ત્રી–શરીરનું કેડ સુધીનું વર્ણન કરે છે ત્યાં લતાગ્રહ પર બે પુરુષે ભયંકર દેખાવવાળા આવી દેખાવ દે છે અને એકદમ ઘણું રસમય વાત બંધ પડે છે (પૃ. ૧૧૬૪). (b) વામદેવ ગભરાટમાં રત્નને બદલે પથ્થર ઉપાડી નાસવા પ્રયત્ન કરે છે અને વિમળ મંદિરમાં ગયો તે તકનો લાભ લઈ નાસી જાય છે (પૃ. ૧૨૦૩–૪). (૦)શિવભક્ત મેડી રાત્રે મંદિરમાં દીવાસળગાવે છે. (પૃ.૧૨૭૬). આ ત્રણે પ્રસંગમાં શિવમંદિરમાં મોડી રાત્રે દીવો સળગાવવાની વાત એવી સુંદર શૈલીથી કરી છે અને ત્યાં એવો પ્રકાશ પડી જાય છે કે આ આખા પ્રસ્તાવમાં એને હું પરાકાષ્ઠાનું સ્થાન આપું છું. ૩૪ Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ [ શ્રી સિદ્ધર્ષિ ઃ પરાકાષ્ઠા ઃ ૬. છઠ્ઠા પ્રસ્તાવમાં પરાકાષ્ટા ધનશેખર પોતાના મિત્ર હરિકુમારને રિયામાં ધકેલી દે છે તે ક્ષણે સાતમા પ્રકરણમાં આવે છે. એણે મૈત્રી વિસારી, હરિનું સાધુજીવન એ ભૂલી ગયા અને સાગર મૈથુનની પ્રેરણાથી એ અતિ અધમ કાર્ય કરવા લલચાઇ ગયા ( પૃ. ૧૫૪૧ ). એ પ્રસંગની ઘટના લેખકે ઉત્તમ કરી છે, એ ઉપરાંત અકુલશેઠ ધનેચ્છુનું તત્ત્વજ્ઞાન બહુ વ્યવહારુ મજા આપે તેવા પ્રસંગ પણ અહુ ભવ્ય રીતે ચર્ચા છે. ( ૫. ૨. પૃ. ૧૪૮૨–૩ ) અને હરિકુમાર વિનાદ (૫. ૩ ) અને ષપુરુષ ચરિત્ર વિદ્વત્તાના નમૂના છે. ૭. સાતમા પ્રસ્તાવમાં તંગશિખર પર કેાવિદ અને માલિશ જાય છે ત્યારે અંદર કિન્નરાનું ગાન ચાલે છે તે સાંભળવાના રસમાં માલિશ જમીન પર પડી જાય છે અને એના પડવાના અવાજથી ગંધર્વો ચાંકી જઈ ખૂબ ફટકાવે છે એ વખતે પરાકાષ્ઠા આવે છે. એ ભવ્ય કલ્પના છે અને શ્રુતિરસના રસીઆને સહજ સમજાય તેવી વાર્તા છે ( પૃ. ૧૭૮૩ ). ખાકી છ મુનિના વૈરાગ્ય પ્રસ`ગેા વિદ્વત્તાના નમૂના છે અને તેમાં પણું વાનરબચ્ચાની વાતમાં હદ કરી નાખી છે (પ્ર. ૮ ). આ પ્રસ્તાવમાં તેમજ ચેાથા પ્રસ્તાવમાં પરાકાષ્ઠા નાયક સંસારીજીવના ચરિત્રને અંગે આવતી નથી પણુ અંતરંગ કથામાં આવે છે તે વાત અર્થ સૂચક છે. ૮. આઠમા પ્રસ્તાવમાં તા સ વાર્તાના મેળ મળે છે. મે એ પ્રસ્તાવના ચાર વિભાગ અનાવ્યા છે. પ્રથમ વિભાગમાં સંસારીજીવની વાર્તા આગળ ચાલે છે તેમાં આહ્લાદદિરમાં ગુણુધારણના લગ્ન થયા પછી વિદ્યાધરાની આકાશમાં લડાઈ શરૂ થવાના પ્રસંગ પ્રાપ્ત થાય છે અને બન્ને લશ્કર થંભાઇ જાય છે ( પૃ. ૧૮૮૦), ત્યાં પરાકાષ્ઠા આવે છે. એ હકીકત ભારે સરસ રીતે લેખકે વર્ણવી છે અને જેવી વર્ણવી છે તેવી મેાજમાં એનુ અવતરણ કરવામાં આવ્યું છે. કનકેાદરની વીરહાક, એના જમીન પરના સેનાનીઓને ઉધન અને ઊંચે ઉડવાની તૈયારી અને તે વખતે સ્થંભન ( પૃ. ૧૮૮૦ ) એ સર્વ પરાભૂમિએ કથાને લઈ જાય છે. જો કે એવા જ અગત્યના પરાભૂમિના પ્રસંગ સિંહાચાર્ય પ્રમાદમાં પડી જાય છે અને ગૈારવા પર ચઢી જાય છે ત્યારે આવે છે. એના ગૈારવા વિચારવા જેવા છે ( પૃ. ૧૯૬૧ ), વિદ્વાનેાને સાધારણ ચેતવણી લેવા જેવા છે અને Page #309 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણ :]. ૨૬૭ એને પાત પરાભૂમિએ કથાને લઈ જાય છે, પણ એમાં સમય ઘણે લાગે છે એટલે એને “કલાઈમેકસ” ન કહી શકાય. આખી કથામાં ખરો “ કલાઈમેકસ ” વિપર્વત પરની અવલેકનામાં આવે છે. ત્યાંથી ભવચક્રના કૌતુકે અને પિશાચીઓને દેર તેમજ ચાર નગરો વિગેરે જોતાં જે ભવ્ય કલ્પના પ્રાપ્ત થાય છે તે આખા ગ્રંથમાં અગ્રસ્થાન ભેગવે છે. ચિત્તવૃત્તિઅટવી પરની આખી રચના અને સાત્તિવકમાનસપુરની સ્થાપના અજબ કપનાને ભવ્ય નમૂનો પૂરા પાડે છે અને ખરી પરાભૂમિ પૂરી પાડે છે. ઉપર જણાવ્યું તેમ આ મારે અભિપ્રાય છે અને આમાં અભિપ્રાયભેદ થવાનો સંભવ છે. મારા મન ઉપર વાંચતી વખતે જે અસર થઈ તે અત્રે મેં જણાવી છે. ૪. લેખકને સમજવાની ચાવી એક વાત એ જણાવવાની છે કે આ ગ્રંથ લેખકે લખવા ખાતર લખ્યો નથી, વિદ્વત્તા બતાવવા ખાતર લખ્યો નથી, પોતાનું નામ રાખી જવા ખાતર લખ્યો નથી, વિનેદ કરાવવા માટે લખ્યા નથી. લેખકે શા માટે આ ગ્રંથ લખ્યો છે તે ખાસ લક્ષ્યમાં રાખવા ગ્ય છે. તેમને જ્ઞાન, દર્શન, ચારિત્રની પ્રાપ્તિ થઈ હતી, સદ્બુદ્ધિ સાથે–પોતાના conscience સાથે વિચારતાં તેમને જણાયું કે આપેલ વસ્તુ મળ્યા કરે છે, દાન આપનાર એક પ્રકારનું કાણું (investment) કરે છે, માટે એ ચીજો બીજાને આપવી, ખૂબ આપવી, વગરમાગે પણ આપવી, પેટ ભરીને આપવી. એ વસ્તુ વાપર્યાથી ખૂટે તેવી નહોતી. એટલે આ પુસ્તકમાં તેમણે જ્ઞાન, દર્શન, ચારિત્ર ભર્યું છે એ પ્રથમ વાત થઈ. “આપે તે મળે” એટલે તેઓ ખૂબ ઉદારતાથી આપવા નીકળ્યા છે એ બીજી વાત. પિતાની વસ્તુ લાકડાની પેટીમાં ભરવા યોગ્ય છે એ અતિ નમ્રતાનું વચન એ ત્રીજી વાત. લેખક ઉપર દયા કરી આ વસ્તુ લેવાની પ્રાર્થના કરવી એ ચોથી વાત. આ ચારે હકીક્ત આ ગ્રંથ વાંચતાં નિરંતર લક્ષ્યમાં રાખવા જેવી છે. એ વાત ધ્યાનમાં નહિ રહે તો કેટલાક પ્રસંગે શામાટે લેખકે ઉપસ્થિત કર્યો છે એ વાત Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ [ શ્રી સિદ્ધર્ષિ : લેખકને સમજવાની ચાવી : કદી નહિ સમજાય અને એ હકીક્ત ધ્યાનમાં રહેશે તે ઘણાખરા ખુલાસા બરાબર થઈ જશે એમ મને લાગે છે. પ્રથમ તેમને જીવ-તેઓ પોતે (શ્રી સિદ્ધર્ષિ) નિપુણ્યકને જીવ છે તે પૃષ્ઠ ૫૩ થી જણાય છે. “એ અદૃષ્ટમૂલપર્યત નગરમાં નિપુણ્યક નામને ભિખારી છે એમ કહ્યું છે તે આ સંસારમાં સર્વજ્ઞશાસનની પ્રાપ્તિ થયા પહેલાં અહીંતહીં ચારે ગતિમાં રખડનારે મારે જીવ જાણુ.” જ્ઞાન, દર્શન, ચારિત્ર આપવાની તીવ્ર ઈચ્છા થયા પછી લેખક પિતે વિચાર કરે છે (પૃ. ૨૧૩) “અહો ! હું સર્વ પ્રાણીઓને આવી રીતે સાક્ષાત્ ઉપદેશ આપું છું પણ તે એ સર્વ લોકેલે એમ જણાતું નથી, માટે હવે હું એમ કરું કે આ ભગવાનના મતમાં સારભૂત જ્ઞાન, દર્શન અને ચારિત્ર જે હું સર્વ લેકને બતાવવા ઈચ્છું છું તેના ય, શ્રદ્ધેય અને અનુષ્ટય ( જાણવા યોગ્ય, શ્રદ્ધા કરવા યોગ્ય અને આચરવા ગ્ય) અર્થની એક ગ્રંથના આકારમાં રચના કરું અને તેમાં વિષય અને વિષયને અભેદ છે એમ બતાવી આપું. આ પ્રમાણે કરવાથી તેમાં રહેલા જ્ઞાનાદિ સર્વ જીવોને ગ્રહણ કરવા યોગ્ય થશે.” ગ્રંથને વિષય શું છે તે સમજવાની આ ચાવી છે. એમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર ઠાંસીઠાંસીને ભર્યા છે અને વિષય વિષયી object & objectiveમાં અભેદ બતાવી, તે દ્વારા રત્નત્રયની વાર્તા અનેક રીતે કરવાને લેખકશ્રીને ઉદ્દેશ છે. આ ચાવી નિરંતર ધ્યાનમાં રાખવી. આ દુનિયામાં બીજા પણ ઘણું દરિદ્રીઓ વસતા હતા પરંતુ તે નગરમાં એના (નિપુણ્યક) જે બીજે કઈ નિભંગી બહુધા નહિ હોય એમ લાગતું હતું. ” (પૃ. ૬૩). આ એક વધારે ચાવી છે. સર્વજ્ઞશાસનપ્રાપ્તિ પહેલાં વૈશ્વાનર વિગેરે કેવા હેરાન કરે છે એ વિષય વિષયીને અભેદે શા માટે બતાવવું છે તે અતિ નમ્રભાવે અહીં કહી નાખ્યું છે. અહીં સંસારીજીવનું જે ચરિત્ર બતાવ્યું છે તેવું પ્રાયે સર્વ જીનું ચરિત્ર હોય છે એમ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે (પૃ. ૨૧૭). Page #311 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણ : ] २६५ દરેક ચરિત્રમાં વિગતેમાં ફેરફાર તે જરૂર હોય, પ્રત્યેક પ્રાણીઓને વિકાસ જુદી જુદી રીતે થયે હોય, પણ એના મુદ્દાઓમાં અંતરંગ રાચે જે ફેરફાર થાય છે તેના ચિત્રની ભવ્ય કલ્પના આ ગ્રંથમાંથી મળશે. એના લેખકને કવિ કે કર્તા તરીકે ઉપનામ મેળવવું નથી, પણ એમને એક એવું વિશાળ ચરિત્ર લખવું હતું કે જે સર્વ જીવાને લાગુ પડે અને અંદરને ભાવ જેમ જેમ સમજે તમ તમ આંખ ઉઘડતી જાય. આ તેમને આશય નીચેના પ્રસંગેથી સમજાય છે. (8) પ્રથમ પ્રસ્તાવના ઉપસંહારમાં તેઓ લખે છે કે “મેં મારા જીવની અપેક્ષાએ અહીં જે જે કહ્યું છે તે તે સર્વ ઘણે ભાગે બધા જીવોને લાગુ પડે તેવું છે. જે હકીકત અહીં કહેવામાં આવી છે તે તમને લાગુ પડે છે કે નહિ તે તમારા મનમાં સારી રીતે વિચારે.” (પૃ. ૨૧૭) એટલે તેમણે એક જીવની વાર્તા કરવાને ઉદ્દેશ રાખે નથી પણ સર્વ જેને લાગુ પડે તેવું ચરિત્ર લખવાને નિર્ણય કરીને ગ્રંથ શરૂ કર્યો છે. આ વાર્તા ઘણી મજાની છે. સર્વને લાગુ પડે તેવું ચરિત્ર લખનારની કલ્પના કેટલી વિશાળ હશે તે વિચારવાનું વિદ્વાન વાચકની તર્કશક્તિ પર છોડીએ. (b) છેલ્લા પ્રકરણમાં કહે છે: “અનુસુંદર ચક્રવર્તીએ પિતાને જ્ઞાન ઉત્પન્ન થયા પછી સુલલિતા અને પુંડરીકને સંવેગ ઉત્પન્ન કરવા માટે પિતાના સંસારભ્રમણનું આખું ચરિત્ર ઉપમાવડે કહી સંભળાવ્યું તે ઘણે ભાગે સર્વ ને સમાન વર્તે છે. (પ્ર. ૮. પ્ર. ૨૩. પૃ. ૨૦૭૫). મતલબ એ છે કે સંસારીજીવનું ચરિત્ર એ એક જીવનું ચરિત્ર નથી પણ સર્વ જીવોનું ચરિત્ર છે, અમારું તમારું સર્વનું છે. આ વાર્તા પણ આખો ગ્રંથ વાંચતા ખાસ નજરમાં રાખવાની છે. સર્વથી મહત્ત્વની વાત તેમણે પૃ. ૨૦૦૭ માં કરી છે. વાંચનાર કે સાંભળનારને લેખક પોતે કહે છે કે – ભે ભવ્ય! આગમ અને અનુભવથી સિદ્ધ આ સંસારી“જીવનું ચરિત્રતમે બરાબર સમજે, સમજીને તે પ્રમાણે આચરણ કરે, “કષાયેને છોડી દો, આશ્રવનાં દ્વાર બંધ કરો, ઇંદ્રિયસમૂહ પર Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ [ શ્રી સિદ્ધષિ : : લેખકને સમજવાની ચાવી : 46 66 જય કરા, માનસિક મેલની જાળાને તેડી નાખા, સાચા ગુણુસમૂહનું પાષણ કરે, સંસારના પ્રપંચ છેાડી દે। અને શીઘ્ર શિવાલયે જા જેથી તમે પણ સુમતિ થાઓ. 66 cr ન 66 કદાચ તમારામાં એ સુમતિ–ભવ્યપુરુષ જેટલી લઘુકર્મ તા “ ન હેાય તેા પછી જેવી રીતે એ સુલલિતાને વારંવાર પ્રેરણા “ કરવામાં આવી, અનેક પ્રકારે એને ઠપકા આપવામાં આવ્યે “ અને વારવાર અને પૂર્વભવની યાદીઓ દ્વારા જાગૃત કરવામાં “ આવી ત્યારે એ ભારેકી હાવા છતાં પણ આખરે મેધ પામી; “ તેવી રીતે તમે પણ હવે જાગે. માત્ર એમાં વાત એ છે કે એવી રીતે તમે ધ પામશેા તેા તમે અગૃહીતસંકેત કહેવાશે!– ગણાશે. તમે સમજીની કેટમાં નહિ આવા અને તમારી ખાતર ગુરુમહારાજને ગળુ ઘણું ખેંચવુ પડશે, તેટલા પૂરતા તમે તેમને “ તસ્દી આપનારા થશે. એક વાત તા ચાસ છે કે ગુરુમહારાજ “ તમને પ્રતિમાધ આપનારા જરૂર થશે અને છેવટે તમારે પ્રતિ“ એધ જરૂર પામવા જ છે. તમારે મહાભદ્રા જેવા થવુ` કે સુલલિતા “ જેવા થવું એ તમારી ઈચ્છાના વિષય છે. ’ '' ** આવી રીતે આખી વિષયકષાય અને ઇંદ્રિયવિપાકની વાર્તાને લેખકે બહુ ઊંચી કક્ષા પર મૂકી દીધી છે. એમના લખવાના ઉદ્દેશ મહાન છે, એમના લેખના વિષય ચાલુ સંસાર છે અને એમની કળા અથાગ છે. એને જેમ વિચારીએ તેમ એમાં ભારે જીણુવટ, શાસ્ત્રનું વિશાળ જ્ઞાન, દુનિયાના વિશાળ અનુભવ, વિચાર વહન કરવામાં ભાષા પર અસાધારણુ કામૂ અને ગ્રંથમાં મશગૂલ કરી દેવાની સર્જકશક્તિ તરી આવે છે. હજી બીજી અનેક ખાખતા સૂજે છે. લેખક તરીકે એમનુ વ્યક્તિત્વ ખતાવવા અનેક ખાખતા લખી શકાય તેમ છે. એમનુ પ્રાણીજ્ઞાન (Biology) અસાધારણ છે, એમના મહાન સત્યા જુદા તારવી તે પર આપણા વિચારો અતાવવા યેાગ્ય છે. વિગેરે કંઇક ખાખતા પર ઉલ્લેખ શકય છે. મીજી એક વાત તેમની વાર્તાના ઊંડાણુની છે. વાર્તામાં વાર્તા, તેમાં અંતરવાર્તા અને તેમાં પેટા વાર્તા આપવા છતાં એક પણ સ્થાનકે એમણે સ્ખલના કે ગોટા Page #313 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણુ : ] ૨૦૧ કરેલ નથી. વિદ્વાન વિચારકા માટે આટલી હકીકત ખસ ગણાય. બાકી જેટલું લખીએ તેટલું ઓછું છે. મારા મતે આ ગ્રંથ અપૂર્વ છે, અદ્ભુત છે, ચમત્કારિક છે, એધક છે, અનુપમેય છે અને સહૃદય હાથમાં લે તેા મૂકવા ન ગમે તેવા છે. આટલાં વિશેષણ એક ગ્રંથને ચેાગ્ય રીતે અપાયાં હેાય તે પછી હવે ઉપાઘાત લખાવવાની જરૂર રહેતી નથી. વાંચનારને સ્વત: જડી આવે તેવાં અનેક રત્ના ઠાંસીઠાંસીને ભર્યા છે. તેને ઊકેલવા, શેાધવા અને અંદર પચાવી તદ્દનુસાર જીવનચર્યા કર્યા કરવી એ સાચા ઉપાદ્ઘાત છે, ખાકી બીજા વિદ્વત્તાના આવિભાવા છે જે એહિક હાઇ ખાસ મહત્ત્વના નથી. Page #314 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધષિ III ઐતિહાસિક નજરે શ્રી ઉમિતિ ભવપ્રય ચા કથા ગ્રંથના મહાન લેખક શ્રી સિદ્ધપિં ગિણના સમય, તેમની જીવનચર્યા, તેમના વતની જૈન સમાજ અને આયાવતની સ્થિતિ, તે કાળમાં લાકવન, તેમના સમયની ાણુવા યાગ્ય પરિસ્થિતિ, તે પરિસ્થિતિની તમના લેખા પર થયેલી અસર વિગેરે વિગેરે અનેક વાતા જાણવાની જિજ્ઞાસા આ જ્ઞાનકાળમાં સાહજિક છે. અમુક ગ્રંધ વાંચતી વખતે ગ્રંથકત્તા અને તેમના સમયના ઇતિહાસ લક્ષ્યમાં હાય તા ગ્રંથમાંની અનેક વાતા સમજવામાં ઘણી સગવડ પડે છે અને સૃષ્ટિબિન્દુઆ સમજવામાં આવે અટલે સાચા ખ્યાલ અને તુલના કરવાનું સાધન પ્રાપ્ત થાય છે. નવયુગના અભ્યાસીઆન એટલા માટે વૈજ્ઞાનિક પદ્ધતિએ ઇતિહાસ શેાધવાની અને તે માટેનાં ઉપલબ્ધ સાધનાને જાળવી રાખી તેનું પૃથક્કરણ કરવાની ઉપયેગિતા જણાઇ. નવીન વૈજ્ઞાનિક પદ્ધતિથી એ જણાઇ આવ્યું કે પ્રત્યેક લેખક પર પાતપાનાના યુગની અસર જરૂર થઈ છે અને તે સમજવા માટે દરેક યુગના ઇતિહાસા જાળવી રાખવા જોઇએ. આ વાતના સ્વીકાર સમજણપૂર્વક થવાને પરિણામે હવે કેટલીક શેાધખેાળ પણ થવા લાગી છે અને અત્યાર સુધી જે કાંઇ રહ્યુંસહ્યું છે તેને કાયમ કરવાની વ્યવસ્થા કરવામાં આવે છે. X ઇતિહાસની સ્થિતિ— આવા અતિ મહત્ત્વના અને ગ્ર ંથાને સમજવાની ચાવી રૂપ ગણાતા વિષયમાં વમાન સ્થિતિ શી છે તે જરા તપાસી જઈએ. ઇતિહાસની ખામતમાં સમસ્ત હિંદમાં પ્રથમથી ઘણું દુર્લ ક્ષ રહ્યું છે. આ સંસા * Page #315 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ સંબંધી પરિસ્થિતિ : ] ૨૭૩ રમાં નામ રાખી જવાની લાલસા હિંદના કષિમુનિઓને નહોતી. તેઓ પોતાનાં લેખ, પુસ્તક કે અન્ય કઈ પણ કૃતિને પોતાનું નામ રાખી જવાનાં સાધન તરિકે કદી લેખતા નહિ એટલે પિતાના પૂર્વપુરુષના ઈતિવૃત જાળવી રાખવાની કેઈએ જરૂરીઆત માની નહિ–ગણ નહિ. આ કે બીજું ગમે તે કારણ હોય તે આજે કલ્પવું ઘણું મુશ્કેલ છે, પણ ઇતિહાસની બાબતમાં હિંદમાં લગભગ બહ અલ્પ સાધને ઉપલબ્ધ છે એ વાત ચોક્કસ છે. જેમ જેમ પાછળ જતા જઈએ તેમ તેમ ઈતિહાસનાં સાધને એટલાં ઓછાં મળે છે કે ગમે તેટલા નિર્ણય ઉપર આવીએ તો પણ તેને પુનરાવર્તન કરવાના, તેને ફરી વાર તપાસી જવાના અને નવા નિર્ણયો કરવાના પ્રસંગે તો જરૂર રહેવાના જ છે, છતાં ઉપલબ્ધ સાધનાથી બનતાં પ્રયત્ન કરી તેનું પરિણામ આવતા યુગ માટે મૂકી જવું એટલે અધૂરું કામ ન યુગ પૂરું કરે અથવા આગળ ચલાવે એ રીતે ઐતિહાસિક દષ્ટિની વિચારણામાં હાલ કાર્ય કરવા જેવું છે. ઈતિહાસની બાબતમાં લોકોની બેદરકારી પણ પારવગરની હતી: અનેક સ્થાનકોએ સારા લેખેને નાશ થઈ ગયો છે, કેટલાક ઉપયોગી લેખો ઉપર આરસના ચોરસા લાગી ગયા છે, કેટલાએ લેખ ઘસાવી નાખવામાં આવ્યા છે. એ બાબતની ઉપયોગિતા જ્યાં સુધી જણાઈ નહેાતી ત્યાં સુધીમાં બહુ પ્રકારની અવ્યવસ્થા થઈ છે. ખૂદ આપણું સમયમાં પણ સિદ્ધાચળ ઉપર અનેક લેખોનો નાશ થઈ ગયો છે. નાશ કરવાના ઈરાદાથી કેઈએ તેમ કર્યું હતું એમ કહેવાનો આશય નથી, પણ ઇતિહાસની મહત્તાના અજ્ઞાનને પરિણામે ઉદ્દભવેલ બેદરકારીથી તેમ થઈ ગયું છે એ વાત સ્વતઃસિદ્ધ છે. છતાં કેટલાક સાધન જળવાઈ રહ્યાં છે, કેટલાક લેખો છપાઈ ગયા છે, કેટલાકની કેપીઓ પ્રગટ થઈ છે, કેટલાક લેખોની પ્રતિકૃતિઓ બહાર પડી છે, જેની લીપી વાંચનાર પણ તૈયાર થઈ ગયા છે અને પ્રાચીન કળાનાં કાંઈક અવશેષે હજુ ઉપલબ્ધ થાય છે તેટલી સંતેષની વાર્તા છે. એ સંબંધમાં જનતાને હજુ જોઈએ તેટલે શેખ નથી જાગ્યો તેથી તે પર ચર્ચા, વિચાર–પરામ અને નિદિધ્યાસન જોઈએ તેટલાં થતાં નથી તે ખેદનો વિષય છે. આવા ૩૫ Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ [ ઐતિહાસિક નજરે સિહા સંયોગમાં જે વસ્તુ પ્રાપ્ત થાય તેનાથી ચલાવી લેવું એ જ ક્તવ્ય પ્રાપ્ત થાય છે. ઈતિહાસની બાબતમાં કોઈ પણ નિર્ણય છેવટને ગણવાને આગ્રહ ન રાખો એ પ્રધાન કર્તવ્ય વર્તમાન પરિસ્થિતિમાં પ્રાપ્તવ્ય છે. સાધને– અત્યારે બરાબર વિચાર કરીએ તે સંવત એક હજાર પહેલાને ઈતિહાસ બહુ અચોક્કસ સ્થિતિમાં છે. વિક્રમ સંવત એક હજાર પછીનો ઈતિહાસ તે લગભગ એક સરખો નીપજાવી શકાય એટલાં સાધનો અત્યારે મળે છે. આપણે તે આ ઉલ્લેખમાં પૂર્વ કાળના ઇતિહાસની જરૂરીઆત છે તેને અંગે નીચેનાં સાધને પ્રાપ્ય છે: (૧) શિલાલેખો, (૨) પ્રશસ્તિઓ,(૩) સિક્કાઓ,(૪) પુસ્તકેમાં અવાંતર નિર્દેશ (references), (૫) થોડાંક ઐતિહાસિક પુસ્તકેઃ ચતુર્વિશતિપ્રબંધ, પ્રભાવક ચરિત્ર, પ્રબંધચિંતામણિ વિગેરે. એ ઉપરાંત કેટલીક અનુમાનપદ્ધતિ સ્વીકારવાની રહે છે. અમુક ગ્રંથમાં એક લેખકનું નામ આવ્યું હોય તે તેને તેવી પ્રસિદ્ધિ મળવાનો સમય વિગેરે ગણતરી કરવાની રહે છે. કેટલીક બાબત તિષના વિષયને અંગે પણ પ્રાપ્ત થાય છે. હિંદના લેકે ખગોળના બરાબર નિરીક્ષક હતા અને આકાશમાં ગ્રહચાર એવી રીતે થાય છે કે અમુક પરિસ્થિતિ સર્વ ઘરામાં હજાર વર્ષે ફરી એક વાર આવે–એ સર્વને હિસાબ થઈ શકે છે. બુધ, બૃહસ્પતિ, શુક્ર, ચંદ્ર, સૂર્ય આદિના સ્થાન નોંધાયાં હોય તે તેને દિવસ અને પળ સુદ્ધાંત ગણતરીથી શેધી શકાય છે. આવી રીતે મહાભારત રામયણ વિગેરેના સમયે શેધી શકાય છે. જે લેખકને માટે આપણે તપાસ કરતા હોઈએ તેણે ક્યા કયા પોતાના પૂર્વ કાળના લેખકોને નામનિર્દેશથી કે વગર નામે ટાંકયાં છે અને આપણું લેખકને તેની પછીના બીજા ક્યા લેખકે ટાંક્યાં છે તે દ્વારા પણ કેટલીક સમયસિદ્ધિ થઈ શકે છે. આ સર્વ બાબતમાં ઊંડા અભ્યાસ, શાંત ધોળ, ધીરજ, ચીવટ અને અપૂર્વબદ્ધ માનસ હોય તો ઘણું વસ્તુ પ્રાપ્ત થાય તેમ છે, પણ તે માટે Page #317 -------------------------------------------------------------------------- ________________ શોધખોળની ધૂન :] ૨૭૫ આજીવન અભ્યાસ અને સત્ય શોધનની ધૂન લાગવી જોઈએ. એમાં ઉપર ઉપરની વાત કે અભ્યાસ વગરનાં ગપ્પાને સ્થાન નથી. શેખેળની ધૂન આ જૂની બાબતો એકઠી કરવાની, શોધવાની જેનામાં આવડત હોય અને તેને એગ્ય અગત્ય આપતાં આવડતી હોય તેને માટે વિશાળ ક્ષેત્ર ખાલી છે. હજુ તેમાં બહુ કરવા જેવું છે. અત્યાર સુધી એમાં બહુ અલ્પ થયું છે. એની અગત્ય પણ હજુ આપણે પૂરેપૂરી સમજ્યા હોઈએ એમ જણાતું નથી. અત્યારે પુસ્તકો પ્રકટ થાય છે તેમાં જેટલું પ્રયાસ પુસ્તકની કેપી કરાવવા કે તેના મુફ તપાસવા પાછળ કરવામાં આવે છે તેનાથી તેમાં ભાગને પ્રયાસ પણ તે ગ્રંથકર્તાને સમજવા માટે કરવામાં આવતો હોય એમ જણાતું નથી. બહુ થોડા ગ્રંથમાં મુદ્દાસરની ઉપોદઘાત કે સમયવર્ણન માટે પ્રયાસ લેવામાં આવે છે. એ જૂના કાળનાં સાધને એકઠાં કરવાં, તેને છૂટા પાડવાં, તેની ગ્ય કિંમત આંકવી અને તેમાં પિતાના બાંધી દીધેલા વિચારથી નિરાળા રહેવું એ બહુ આકરું કામ છે. ઘણું તે એવી જૂની બાબતોને હાથ જ લગાડતા નથી. એ એમ જ માને છે કે કાંઈ નવું કરવું, જૂની બાબતોને ઉથલાવવામાં-કાળનાં પિપડાં ઉખેડવામાં કાંઈ માલ નથી, એવાની વાત બાજુ પર મૂકીએ. જેઓને જૂની બાબતો જાણવાનો શોખ છે, જેઓ જૂની પરિભાષામાં નવીન રચના કરવામાં જ માણે છે, જેને પ્રાચીન પ્રત્યે અંતરથી સભાવ છે અને તેને સમજવાની જેઓ ફરજ ગણે છે, તેઓને તે એ વાતની લગની લાગવી જોઈએ, એ બાબત પર અંતરથી પ્રેમ હવે જોઈએ અને એને માટે એણે ખૂબ પ્રયાસ ગ્ય દિશામાં કરવો જોઈએ. એ ઉપરાંત એક મહત્ત્વની બાબત એ છે કે એમ કરતાં એને ધાર્યા કરતાં જુદું પરિણામ આવતું દેખાય તો તે જાહેર રીતે કહી દેવાની તેનામાં પ્રમાણિકતા અને હિંમત હાવાં જોઈએ. એને મૂળ સૂત્ર વાંચતાં એમ જણાય કે એના બનાવનારના સંબંધમાં જે દંતકથાઓ ચાલે છે તે અસત્ય છે તે તેણે તે જાહેરને કહી દેવું જોઈએ અને કઈ લેખક અમુક સમયે Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ [ ઐતિહાસિક નજરે સિહર્ષિ : થયેલ નથી, પણ ચાલતી કથાથી પાંચ સે। કે મસા વર્ષ પછી થયેલ. છે તે તે પણ તેણે સ્પષ્ટ કહી દેવું જોઇએ. પેાતાના પૂર્વ અદ્ધ વિચાર માટે આગ્રહ ન રાખવા એ ચેાગ્ય ગણાય. અત્યારે સિદ્ધસેન દિવાકર, હરિભદ્રસૂરિ, ધનેશ્વરસૂરિ (શત્રુજય માહાત્મ્યના કર્તા) વિગેરેના યુગના સંબંધમાં ઘણી નવીન વાતે સાંપડી છે, તેા તે પેાતાને સૂઝે તેમ બતાવવી એ શેાધકની ફરજ છે. મતલબ એ છે કે આ જૂની શેાધખાળ પરત્વેના સત્યગવેષકે ઉપાક્ત સુપ્રસિદ્ધ નિયમાના કદી ભગ ન કરવા અને તે માટે પ્રેમપૂર્વક શેાધ આગળ ધપાવવી. પ્રાચીનામાં જે જાતની આગ્રહવૃત્તિ છે તેને અને શેાધખાળને કાંઇ સંબંધ નથી. એ તા પેાતાની વાત સાચી કરવા મથે અને પેાતાના માંધેલા મતને કે કિવદંતીને પ્રતિકૂળ બાબત શોધખેાળમાં મળી આવે તે તેને ગેાપવી દે. સત્યના શેાધન માટે નવીનેાએ આ પદ્ધતિ અસ્વીકા ગણી છે અને તે વાત માન્ય કરવા ચેાગ્ય જણાય છે. વ્યુાહિત ચિત્તવાળાથી સત્ય દૂર જ નાસતું ક્રે છે એ વાત ખાસ લક્ષ્યમાં રાખવા જેવી છે અને સત્યશેાધન પ્રેમથી જરૂર કરવા ચેાગ્ય છે. જેને એ વાતની ધૂન લાગી હેાય તે મહેનત કરે અને નિયમાને અનુસરે તા વિશાળ ક્ષેત્ર તેને માટે ખુલ્લું છે. x X જૈના અને ઇતિહાસ~~ જૂની શેાધખાળને અંગે સાધના અહુ સ્વલ્પ છે એ વાત ખરી, પણ એ સંબંધમાં જૈન ઇતિહાસની સ્થિતિ પ્રમાણમાં કાંઇક વધારે સારી છે. અત્યારે ગુજરાતનાં ઇતિહાસનાં જે સાધના પ્રાપ્ય છે તે મહુધા જૈન જ છે. વિક્રમ સંવત એક હજાર પછી જૈન ઇતિહાસ સળંગ પ્રાપ્ત થઈ શકે તેમ છે. પ્રતિમા ઉપરનાં લેખા, મદિરામાં લખેલાં શિલાલેખા, કૃતિઓને છેડે લખેલી પ્રશસ્તિ, ઐતિહાસિક રાસા, સિક્કાઓ, સાધુઓને કરેલી વિજ્ઞપ્તિએ વિગેરે ઘણાં સાધના એ સમય માટે મળી આવે છે. એ સર્વ સાધનાને એકઠાં કરી તે પરથી આખા ઇતિહાસ ઉપજાવી શકાય તેમ છે. કેટલીક સસ્થાઓએ અને કાઇ કાઇ વ્યક્તિઓએ છૂટાછવાયા સંગ્રહ પણ એ સમયને અંગે કર્યો છે. એ સમય માટે એ ઉપરાંત ચરિત્ર ગ્રંથ પણ મળી X Page #319 -------------------------------------------------------------------------- ________________ જૈન અને ઇતિહાસ : ] २७७ આવે છે. આ સર્વ સાધનાના ઉપયોગ હજી સુધી વૈજ્ઞાનિક પદ્ધતિએ થયેા નથી, પણુ થતા જાય છે. વિક્રમની દશમી શતાબ્દિ પહેલાના ઇતિહાસ હજી ઘણા અંધારામાં છે, એને માટેનાં સાધના ઘણાં સ્વલ્પ છે અને ઘણી વખત ચાલુ દંતકથાઓના ઉપયાગ થયા હાય એમ પાછળના લેખકાના લેખા ઉપરથી જણાય છે. સમસ્ત હિંદના એ પુરાતન ઇતિહાસ હજી ઘણી અચાક્કસ સ્થિતિમાં છે. જૈનો માટે થાડાં થોડાં સાધના છે અને તેના ઉપયાગ થાય છે, પણુ તેમાં બહુ સભાળ અને ખારીક તપાસને માટે હજુ ઘણા અવકાશ છે. તે વખતે સ ંવતા પણ ઘણા ચાલતા હતા: જેવા કે વીર સંવત, વિક્રમ સ ંવત, ગુપ્ત સંવત, શક સ ંવત વિગેરે. એક લેખકે સંવત લખ્યા હાય પણુ નિર્દેશ ન કર્યો. હાય કે તે ક્યા પ્રકારના છે અને પછીના લેખક ભૂલ કરી નાખે તે તે ભૂલ કાયમ બની રહે છે. આ વાત ખૂબ લક્ષ્યમાં રાખવાની જરૂર રહે છે. એકદરે દશમી શતાબ્દિ પહેલાના ઇતિહાસ જાણવા માટે ખૂબ પ્રયાસ કરવાની જરૂર રહે છે. ઇતિહાસના જ્ઞાનની જરૂરીઆત તે હવે સ્વીકારાઈ છે, પણ એને માટે જેવા જોઇએ તેવા શેાખ હજી ખીલ્યા નથી એ પ્રથમ દુ:ખની બાબત છે, અને બીજી વાત એ છે કે ચાલુ હકીકતને ખાટી પાડે તેવાં સાધના મળી આવે તે તેને ન વિચારવાની અથવા ઢાખી દેવાની વૃત્તિ કેટલેક સ્થાને દેખાય છે. સત્યશેાધન માટે આ વાત ચેાગ્ય નથી. આપણે તે બનતા પ્રયાસ કરી સાધના એકઠાં કરવાં અને તેને પિરણામે જે સત્ય પ્રાપ્ત થાય તે સ્પષ્ટ રીતે કહી દેવું. લેાકેાને ગમશે કે નહિ તે બહુ વિચારવાની જરૂર નથી. વધારે શેાધ કરનાર નીકળે અને :નવાં અનુમાન કાઢ તા તેને વિચારવા તૈયાર રહેવું અને સ્વીકાર્ય જણાય તેા ખુદ્દા દિલથી તેને વધાવી લેવા. એ રીતે એ શેાધખાળનું કાર્ય ચલાવવાની જરૂર છે. આ નિયમના સ્વીકાર કરીને શ્રી ઉપમિતિભવપ્રપંચા ગ્રંથના લેખક શ્રી સિદ્ધર્ષિં ગણુિના સંબંધમાં નીચેની હકીકત જણાવવી જરૂરી ધારી છે. X X * Page #320 -------------------------------------------------------------------------- ________________ ર૭૮ [ ઐતિહાસિક નજરે સિદ્ધર્ષિક શ્રી સિદ્ધર્ષિ શ્રી સિદ્ધર્ષિગણિ સંબંધી જે હકીક્ત ઉપલબ્ધ છે તેને આપણે નીચેના વિભાગમાં વહેંચી નાખી તે પર વિચાર કરીએ. ૧. ગ્રંથકર્તાએ પોતે પ્રશસ્તિમાં ઉલ્લેખ કર્યો છે તે. ૨. ગ્રંથકર્તાના ચરિત્ર સંબંધી ગ્રંથમાંથી મળતાં સાધન-વિગતે. ૩. ગ્રંથકર્તાનું ચરિત્ર પ્રભાવચરિત્રમાં આપ્યું છે તે. ૪. દાક્ષિણ્ય ચિહ્ન-કુવલયમાળાના કર્તાને અંગે પ્રાપ્ય હકીક્ત. ૫. શ્રી હરિભદ્રસૂરિ જેમને ગ્રંથકર્તા નમન કરે છે (a) તેમના સમય સંબંધી ચર્ચા (b) તેમને અને ગ્રંથકર્તાને અનંતર કે પરંપર સંબંધ અને તે સંબંધમાં ગ્રંથમાં અને ગ્રંથની બહારથી મળતી હકીકત. ત્યારપછી શ્રી સિદ્ધર્ષિગણિને સમય, તે સમયના હિંદની સ્થિતિ, લેખક પર તેની અસર, લેખકની કૃતિની ત્યારપછીના લેખકે પર અસર, વિગેરે લેખક અને તેમના સમય સંબંધી પ્રાસ્તાવિક બાબતો પર ધ્યાન ખેંચવામાં આવશે. સમયનિર્ણય માટે જેટલાં સાધને મને ઉપલબ્ધ થયાં છે તેને આ સર્વ બાબતેને અંગે ઉપગ કરવા ધારણું છે. આપણે પ્રથમ શ્રી સિદ્ધર્ષિગણિની પ્રશસ્તિ ઉપર આવી જઈએ. એ ઈતિહાસનું સર્વથી સ્પષ્ટ અને સીધું સાધન છે, છતાં એમાંથી જ અનેક વિકલ્પ ઊઠે છે તે આગળ જોશું. ૧. પ્રશસ્તિ– આ ગ્રંથકર્તા શ્રી સિદ્ધર્ષિગણિએ પોતે જ ગ્રંથને છેડે પ્રશસ્તિ લખી છે તે ગ્રંથકર્તાને સમજવા માટે, સમયનિર્ણય માટે અને કેટલીક હકીક્ત એકઠી કરી સમજવા માટે ખાસ ઉપયોગી છે. પ્રશસ્તિ ચાર ભાગમાં વહેંચી નાખીએ – (૧) પૂર્વપુરુષોની હકીક્ત (લેક ૧ થી ૧૩) (૨) લેખકનું નામ વિગેરે (લેક ૧૪) Page #321 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ગ્રંથની પ્રશસ્તિ ] ૨૭૯ (૩) હરિભદ્રસૂરિ સંબંધી ઉલ્લેખ (લેક ૧૫ થી ૧૭) (૪) ગ્રંથલેખનનું સ્થાન (૧૮–૨૦) કાળ (૨૧) પ્રથમ કેપી લખનારની હકીક્ત(રર) અને છેવટે ગ્રંથક પ્રમાણ (૨૨) આપણે પ્રથમ લેખકશ્રીના પૂર્વપુરુષોની હકીકત વિચારી જઈએ. પ્રશસ્તિના પ્રથમના તેર લેકમાં જે હકીકત આવે છે તે નીચે પ્રમાણે. (૧) ગ્રંથકર્તાને પૂર્વપુરુષો. *द्योतिताखिलभावार्थः सद्भव्याब्जप्रबोधकः । પૂજા() રામવી: સાક્ષાવિ વિવાહિ ૨ स निवृत्तिकुलोद्भुतो लाटदेशविभूषणः । आचारपञ्चकोयुक्तः प्रसिद्धो जगतीतले ॥२॥ अभूद् भूतहितो धीरस्ततो देल्लमहत्तरः । ज्योतिर्निमित्तशास्त्रज्ञः प्रसिद्धो देशविस्तरे ॥३॥ ततोऽभूदुल्लसत्कीर्तिब्रह्मगोत्रविभूषणः । दुर्गस्वामी महाभागः प्रख्यातः पृथिवीतले ॥४॥ प्रव्रज्या गृह्णता येन गृहं सद्धनपूरितं ।। हित्वा सद्धर्ममाहात्म्यं क्रिययैव प्रकाशितम् ॥५॥ * “સર્વ ભાવાર્થોને પ્રકાશ કરનાર, ભવ્ય પ્રાણીરૂપ કમળને જાગૃત કરનાર અને વિકસાવનાર સાક્ષાત સૂર્ય જેવા તેજસ્વી શ્રી સૂરાચાર્ય થયા. ૧. “તેઓશ્રી લાટદેશના આભૂષણ હતા, નિવૃત્તિકુળમાં થયેલા હતા, પંચાચાર પાળવામાં સર્વદા તત્પર હતા અને જગતમાં સારી રીતે પ્રસિદ્ધિ પામેલા હતા. ૨. ત્યારપછી દલ્લમહત્તર થયા. તેઓ પ્રાણીઓને હિત કરનારા હતા, ધીર હતા, જ્યોતિષુ અને નિમિત્તશાસ્ત્રના જાણકાર હતા અને દેશના વિસ્તારમાં પ્રસિદ્ધ થયેલા હતા. ૩. ત્યારપછી બ્રાહ્મણગેત્રના આભૂષણ, મહાભાગ્યવાન અને વધતી જતી કીર્તિવાળા દુર્ગસ્વામી થયા. તેઓ પૃથ્વીતળ ઉપર પ્રખ્યાત હતા. ૪. તેઓશ્રીએ દીક્ષા લેતી વખત વિશાળ દ્રવ્યથી ભરપૂર પિતાનું સુંદર ઘર છોડીને સક્રિય સ્વરૂપે વિશુદ્ધ ધર્મનું માહાત્મ પ્રકાશમાન કર્યું. ૫. Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ [ ઐતિહાસિક નજરે સિહર્ષિ ચર્ચ તથd વીર શનિર્મા बुद्धास्तत्प्रत्ययादेव भूयांसो जन्तवस्तदा ॥६॥ सहीक्षादायकं तस्य स्वस्य चाहं गुरुत्तमम् । नमस्यामि महाभागं गर्गर्षिमुनिपुङ्गवम् ॥७॥ क्लिष्टेऽपि दुःषमाकाले यः पूर्वमुनिचर्यया । विजहारेव निःसङ्गो दुर्गस्वामी धरातले ॥८॥ सद्देशनांशुभिर्लोके द्योतित्वा भास्करोपमः । श्रीभिल्लमाले यो धीरः गतोऽस्तं सद्विधानतः तस्मादतुलोपशमः सिद्ध(सद्द)र्षिरभूदनाविलमनस्कः । परहितनिरतैकमतिः सिद्धान्तनिधिर्महाभागः ॥१०॥ विषमभवगर्तनिपतितजन्तुशतालम्बदानदुर्ललितः। दलिताखिलदोषकुलोऽपि सततकरुणपरीतमनाः ॥११॥ તેઓશ્રીનું ચંદ્રકિરણ જેવું નિર્મળ ચરિત્ર જોઈને તેને આધારે અનેક પ્રાણીઓ તે વખતે બોધ પામ્યા. ૬. “તે દુર્ગસ્વામીને અને મને પોતાને દીક્ષા આપનાર મહાભાગ્યશાળી ઉત્તમ ગુસ્વર્ય મુનિપુંગવ શ્રીગગજને નમસ્કાર કરું છું. ૭. “આવા અત્યંત હીન દુષમ કાળમાં તદ્દન નિઃસંગ થઈને પૂર્વકાળના મુનિઓ માફક એ દુર્ગાસ્વામી પૃથ્વી પર વિહાર કરતા હતા. ૮. “ સૂર્યની ઉપમાને યોગ્ય તેઓશ્રીએ સુંદર દેશનારૂપ કિરણોથી લોકમાં ઉલ્લોત કર્યો. સુંદર વિધાનપૂર્વક તેઓશ્રી ધીરવીર હેઇ ભિલ()માલનગરમાં અસ્ત પામી ગયા. ૯. “તેમનાથી સિદ્ધષિ (પાઠાંતરે-સર્વિ) થયાઃ એ અતુલ ઉપામવાળા હતા, સ્ફટિક જેવા નિર્મળ મનવાળા હતા, પારકાનું હિત કરવામાં સર્વદા બુદ્ધિનો ઉપયોગ કરવાવાળા હતા, આગમના દરિયા હતા અને મહાભાગ્યવાન હતા. ૧૦. “સંસારના વિષમ ખાડામાં પડેલા સેંકડે જંતુઓને અવલંબનનું દાન આપીને તેઓ ચપળ જણાતા હતા. (દુર્લલિતને બદલે દુર્ભવિત ઠીક લાગે છે. ઘણું દાન આપીને દુબળા થઈ ગયા હતા.) એમણે સવ દે દળી નાખ્યા હતા છતાં તેઓનું મન હમેશાં કરુણુવાળું રહેતું હતું. ૧૨ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ ઉપમિતિ ગ્રંથની પ્રશસ્તિ : ]. यः सङ्ग्रहकरणरतः सदुपग्रहनिरतबुद्धिरनवरतम् । आत्मन्यतुलगुणगणैर्गणधरबुद्धिं विधापयति ॥१२॥ बहुविधमपि यस्य मनो निरीक्ष्य कुन्देन्दुविशदमद्यतनाः । मन्यन्ते विमलधियः सुसाधुगुणवर्णकं सत्यम् ॥१३॥ પ્રથમના તેર લેકમાં પૂર્વપુરુષની હકીક્ત આવી. તે પ્રમાણે નીચેની હકીક્ત પ્રાપ્ત થાય છે. ૧. સૂરાચાર્ય અથવા સૂર્યાચાર્ય. એ લાટ દેશમાં થયા. લાટ દેશ એટલે ભરુચની આસપાસના પ્રદેશ. આ સૂરાચાર્ય ઘણું પ્રસિદ્ધ હશે એમ જણાય છે. ૨. સૂરાચાર્યના શિષ્ય દેલ્લમહત્તર, એ જ્યોતિષના જાણકાર હતા. એ દેશના વિસ્તારમાં પ્રસિદ્ધ હતા. તેમનો કરેલો કેઈ ગ્રંથ લભ્ય નથી. ૩. તેમના પછી દુર્ગસ્વામી થયા. એ જન્મથી બ્રાહ્મણ હતા. એમણે સારી કીર્તિ સંપાદન કરી હતી. એમણે આખી પૃથ્વી ઉપર સારી પ્રસિદ્ધિ મેળવી હતી. એમણે દીક્ષા લીધી ત્યારે બહુ ધન-ધાન્યથી ભરેલ ઘરને ત્યાગ કર્યો હતો. એમના એ સુંદર દાખલાનું અનુકરણ કરવાથી અનેક પ્રાણીઓ બોધ પામ્યા હતા. એમનું ચરિત્ર અત્યુત્તમ હતું. એ ભિન્નમાલ નગરમાં કાળધર્મ પામ્યા. “તેઓ સંગ્રહ કરવાની બુદ્ધિવાળા છે, અન્ય ઉપર નિરંતર સદુપકાર કરવાવાળા છે અને પિતામાં અતુલ્ય ગુણસમુદાય હોવાને લઇને તીર્થકરના ગણધર હેાય એવી બુદ્ધિ અન્યમાં ઉત્પન્ન કરે છે. ૧૨. “મેગરાનાં ફૂલ અથવા ચંદ્રના બિંબ જેવું તેઓનું મન જે બહુ પ્રકારનું હતું તેને જોઈને વિમળ બુદ્ધિવાળા નવયુવકે અસલી ગ્રંથમાં આવેલ - સુસાધુનાં વર્ણનને સાચું માને છે. ૧૩. Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ [ ઐતિહાસિક નજરે સિહર્ષિ : ૪. એ સ્વામીને અને આ ગ્રંથના કર્તા શ્રી સિદ્ધર્ષિને દીક્ષા આપનાર ગર્ગષિ હતા. ૫. એ દુર્ગસ્વામીથી સર્ષિ થયા. એ સર્ષિ ખૂબ અભ્યાસી હતા. સિદ્ધાન્તના ખાસ અભ્યાસી હતા. કરુણાભરપૂર હતા. અનુકરણીય ચારિત્રથી સાધુના શાસ્ત્રમાં કરેલા વર્ણનને સાચું બતાવનારા હતા. ૬. એમના ચરણરેતુલ્ય સિદ્ધર્ષિએ આ ગ્રંથ બનાવ્યું. એમના ” એટલે “કેના?” એ શંકાસ્પદ છે. “એ” દુર્ગ સ્વામીને પણ લાગે અને સદ્દષિને પણ લાગે. ગ્રંથકર્તાના પૂર્વ પુરુષ સંબંધી પ્રશસ્તિમાં જે નામો આપ્યાં છે તે સંબંધી કોઈ પણ વિશેષ માહિતી મેળવવી અતિ મુશ્કેલ છે. સરખા નામવાળા વિદ્વાને ઘણું થયા છે અને ચોક્કસ હકીકત કાંઈ મળતી નથી. જે હકીકત મળે છે તે વિચાર માટે બેંધી લેવામાં આવી છે. સૂરાચાર્ય. શ્રી પ્રભાવકચરિત્રમાં સૂરાચાર્યનો એક પ્રબંધ આવે છે. તેમાં અનેક આશ્ચર્યકારક ચમત્કારથી ભરપૂર એમનું ચરિત્ર બતાવ્યું છે. એ ચરિત્ર પરથી એમ જણાય છે કે ગુજરાતના સોલંકી ભીમદેવ મહારાજાના મામા દ્રોણાચાર્ય પાસે એમણે દીક્ષા લીધી હતી. તેઓ દ્રોણાચાર્યના ભાઈ સંગ્રામસિંહના પુત્ર થાય. એટલે ભીમદેવને સૂરાચાર્ય મામાના દીકરા થાય. એમણે ધારાનગરીના ભેજરાજા પાસે અપૂર્વ વિદ્વત્તા બતાવી હતી. આ સૂરાચાર્ય, જેમનું ચરિત્ર શ્રી પ્રભાવક ચરિત્રમાં આવ્યું છે તે અને ઉપક્ત સૂરાચાર્ય એક હોય એમ લાગતું નથી. ભીમદેવ પહેલાને સમય ઇતિહાસમાં મુકરર છે. તે ઈસ્વીસન ૧૦૨૨-૧૦૭૨ ને હોવાથી તે સમયે શ્રી સિદ્ધર્ષિના સમયથી પાછળ જાય છે એટલે આ સૂરાચાર્ય કઈ અલગ વ્યક્તિ હશે એમ અત્યારે ધારવું પડે. આના નિર્ણય માટે વધારે શોધખોળની આવશ્યકતા જરૂર રહે.. ગર્ગ ર્ષિના સંબંધમાં એટલું જણાય છે કે એમણે પાસક (સા), Jain Education Interational Page #325 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકર્તાના પૂર્વપુરુષો ] ૨૮૩ કેવળી અને કર્મવિપાક નામના ગ્રંથે બનાવ્યા હતા. એ ગ્રંથ સંબંધી ઘણી ધખેળ કરવાની જરૂર રહે છે. એથી શ્રી સિદ્ધર્ષિને સમય મુકરર કરવામાં ઘણી સગવડ થાય તેમ જણાય છે. આ પ્રશસ્તિ ઉપરથી એટલું જણાય છે કે – શ્રી સિદ્ધર્ષિ ગણિ નિવૃત્તિ કુળમાં ઉત્પન્ન થયા હતા. તેમના દીક્ષાગુરુ ગર્ષિ હતા એટલે કે ગર્ગષિને હાથે એમની દીક્ષા થઈ હતી. દુગસ્વામી અને સિદ્ધર્ષિબન્નેને દીક્ષા આપનાર ગર્ગષિહતા. એ ગર્ગષિ યા કુળના હતા તે કાંઈ જણાતું નથી. સદર્ષિ અને સિદ્ધર્ષિ અને દુર્ગાસ્વામીના શિષ્ય થતા હતા. એટલે સુરાચાર્યના દેલમહત્તર, દેલમહત્તરના શિષ્ય દુર્ગસ્વામી અને દુર્ગસ્વામીના શિષ્યો સર્ષિ અને સિદ્ધર્ષિ. દુર્ગસ્વામી અને સિદ્ધર્ષિની દીક્ષા સાથે થઈ કે આગળ પાછળ થઈ તેની ચોખવટ થતી નથી. પણ બન્નેને દીક્ષા આપનાર શ્રી ગMર્ષિ હતા એ વાત ચોક્કસ જણાય છે. એ દુર્ગ સ્વામી પણ બહુ પ્રતાપી હેય એમ જણાય છે. એમણે સંસારને ત્યાગ કર્યો ત્યારે ઘણો વૈભવ છોડડ્યો હોય એમ જણાય છે. એમની પ્રસિદ્ધિ પણ ખૂબ હશે એમ જણાય છે. એ દુર્ગસ્વામીની શિષ્યા ગણા નામની સાધ્વીએ ઉપમિતિભવપ્રપંચ ગ્રંથની પ્રથમ કોપી લખી એમ પણ પ્રશસ્તિ ઉપરથી જણાય છે. સાધ્વી કેવી સારી રીતે પિતાને સમય તે કાળમાં વ્યતીત કરતી હશે તેનું આથી સહજ અનુમાન થાય છે. શ્રી સિદ્ધર્ષિના ગુરુ કેણુ? આ પૂર્વપુરુષની નેંધને અંગે એક સવાલ એ ઉપસ્થિત થાય છે કે શ્રી સિદ્ધર્ષિ ગણિના ગુરુ કેણુ? એ સંબંધમાં પ્રશસ્તિમાંથી અનેક વિકલ્પ નીકળે છે. એને Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૪ [ ઐતિહાસિક નજરે સિદ્ધર્ષિ : નિહ્ ચ થઇ શકે તેમ નથી. તે માટે નીચેની હકીકત વિચારવી અને તે વિચારતાં પ્રશસ્તિ સન્મુખ રાખવી. ૧. પ્રશસ્તિ પરથી એક વાત ચાસ જણાય છે કે શ્રી સિદ્ધૃષિ ગણુને દીક્ષા આપનાર ગુરુ ગર્ષિ હતા. ૨. છતાં દીક્ષા લેતી વખતે કાને ગુરુ તરીકે સ્થાપન કરવામાં આવ્યા તે કાંઈ માલૂમ પડતુ નથી. ગષિ એમના ગુરુ નહેાતા એમ તે જણાય છે. ૩. દુર્ગંસ્વામીના શિષ્ય સદૃષિ થયા એ પ્રશસ્તિના દશમા લૈાથી જણાય છે. ૪. ચૌદમા શ્ર્લાકમાં તચરળરેજીલ્પેન એમ લખી ‘ તેમના ચરણરેજીતુલ્ય ’ ‘ સિદ્ધે ’ આ પુસ્તક કહ્યું એમ જણાવે છે. એમાં 6 તેમના ’ એટલે ‘કાના ? ’ એ પ્રશ્ન થાય છે. ઉપરના શ્લાકમાં કહેલા એમ ધારીએ તેા શ્રી સિદ્ધૃષિના ગુરુ સદ્દષ્ટિ થાય છે. ૫. અથવા સદૃષિ અને સિદ્ધૃષિ બન્ને દુસ્વામીના શિષ્ય હાય તે પણ બનવાોગ છે. " ૬. અથવા દુર્ગા સ્વામીની પાટે સર્ષિં આવ્યા હાય અને તેને સંગ્રહકરણુરત ’કહ્યા છે અને ગચ્છાધિપતિના એ એક ગુણુ ગણાય છે. સંપદલી વિદ્યાશòાય. એ રીતે જોતાં કદાચ સદૃષિ નિવૃત્તિ ગણના ગચ્છાધિપતિ હાય અને તે તેમજ સિદ્ધષિ એ બન્ને દુગ સ્વામીના શિષ્ય હૈાય એ પણ અનવાજોગ છે. ૭. આ પુસ્તક દુસ્વામીની શિષ્યા ગણાએ પ્રથમ આદર્શોમાં લખ્યું એના ખ્યાલ કરતાં કદાચ દુર્ગા સ્વામીના વખતમાં આ પુસ્તક લખાયું હાય, લેખકના ગુરુ દુ સ્વામી હાય, તેમણે પેાતાની શિષ્યા ગણાને તેની પ્રથમાવૃત્તિ કરવા આજ્ઞા આપી હાય એ પણ મનવાજોગ છે. ૮. છેલ્લી વાતનો સ્વીકાર કરવામાં વચ્ચેથી સર્ષિં ઊડી જાય છે, તેથી કદાચ આ પુસ્તક તૈયાર થયું ત્યારે સર્ષિં ગણાષિપતિ Page #327 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધર્ષિના ગુરુ કાણુ ? : ] ૨૮૫ હાય, અને દુસ્વામી સ્વર્ગે ગયા હોય, છતાં તેમની શિષ્યાએ આ પુસ્તક લખ્યું હાય. એમ હાય તે। આ પુસ્તકના લેખકના ગુરુ સ્વામી પણ હોય અથવા દેવમહત્તર પણ હાય. દુર્ગા સ્વામી આ પુસ્તક પૂરું થયું ત્યારે સ્વગે ગયા હતા એ પ્રશસ્તિના Àાકથી જરૂર જણાય છે. ૯. તચરોજીપેન એ શબ્દના સંબંધ વિચારતાં કદાચ શ્રી સિદ્ધષિ સર્ષિના શિષ્ય પણ હાઈ શકે. ૧૦. આ સર્વ ખાખતના વિચાર કરવા સાથે શ્રી હરિભદ્રસૂરિના અને લેખકના સંબંધ ખાસ વિચારવા યાગ્ય છે. તેમને એટલે કે શ્રીહરિભદ્રસૂરિને લેખકના દીક્ષાગુરુ ગણવા, શિક્ષાગુરુ ગણવા કે પ્રાચીન ગણવા ? વિગેરે અનેક પ્રશ્નના ઉપસ્થિત થાય છે તે આગળ ઉપર ખૂબ વિસ્તારથી વિચારવામાં આવશે. આ સર્વ માખતના વિચાર કરતાં અને પ્રશસ્તિ ઉપર ખૂબ ચર્ચા કરતાં મારા એમ અભિપ્રાય થાય છે કે:~ ૧. શ્રી સિદ્ધષિએ દીક્ષા શ્રી ગર્ષિ પાસે લીધી હાવી જોઈએ. ૨. દુર્ગા સ્વામીની દીક્ષા પણ તે જ ગર્ષિ પાસે થઇ. ૩. દીક્ષાવખતે ગુરુ તરીકે દુર્ગા સ્વામીની અથવા દેલમહત્તરની સ્થાપના થઇ હશે. ૪. સર્ષિની દીક્ષા પ્રથમ અને સિદ્ધૃષિની ત્યારપછી થઇ હેાવી ઘટે. દુર્ગા સ્વામી ભિન્નમાલ નગરમાં કાળ કરી ગયા ત્યારે તેમની પાટ ઉપર ગણાધિપતિ તરીકે સષિ આવ્યા. ૫. ૬. આ ગ્રંથ પૂરા થયા ત્યારે ગણના નાયક સદૃષિ અને બન્નેના સ્વામી હાઇ એમની શિષ્યાએ પ્રથમ આદર્શ લખ્યા.. ગુરુ આ સં અનુમાન છે અને વધારે ચર્ચાએ અથવા વધારે પુરાવા મળ્યે સુધારવાને ચાગ્ય છે. આ સંબંધમાં એક ખીજી ખામત વિચારવા ચેાગ્ય પ્રાપ્ત થાય છે. શ્રી પ્રભાવક ચરિત્રના ચૌદમા શ્રી સિદ્ધર્ષિ પ્રમધના ૮૩ Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ [ ઐતિહાસિક નજરે સિહર્ષિ થી ૮૫ મા લેકમાં એક હકીક્ત કહી છે તે ધ્યાનમાં રાખવા ગ્ય છે. ત્યાં દિગબંધ પ્રકટ કરતાં નીચેના ત્રણ લેક ગર્ગષિના મુખમાં મૂકયા છે – दिग्बंधं श्रावयामास पूर्वतो गच्छसंततिम् । सत्प्रभुः शृणु वत्स! त्वं श्रीमान् वज्रप्रभुः पुरा ॥ ८३॥ तच्छिष्यवज्रसेनस्याभूद्विनेयचतुष्टयी। नागेंद्रो निर्वृतिश्चंद्रः ख्यातो विद्याधरस्तथा ॥८४ ॥ आसीनिवृतिगच्छे च सुराचार्यो धियां निधिः। तद्विनेयश्च गर्गर्षिरहं दीक्षागुरुस्तव ॥८५॥ એ ઉપરથી એમ જણાય છે કે વજસ્વામીના શિષ્ય વાસેનના ચાર શિષ્ય થયા. (૧) નાગેંદ્ર, (૨) નિવૃતિ, (૩) ચંદ્ર અને (૪) વિદ્યાધર'. એ ચારેની ચાર શાખાઓ નીકળી. તેમાં નિવૃતિની જે શાખા નીકળી તેમાં સૂરાચાર્ય થયા. તેના શિષ્ય ગર્ગષિ અને ગર્ગષિએ શ્રી સિદ્ધર્ષિ ગણિને દીક્ષા આપી. આ હકીકત પ્રમાણે દેલમહત્તર તદ્દન ઊડી જાય છે. શ્રી સિદ્ધર્ષિ પિતે જ લખે છે કે શ્રી ગર્ગર્ષિ તેમને તથા સ્વામીને દીક્ષા આપનાર હતા. એ ગર્ગષિને સાથે વળી “ગુત્તમ” પણ કહે છે. જે એ ગર્ગષિ સૂરાચાર્યના શિષ્ય હોય તે દુર્ગસ્વામી અને સિદ્ધર્ષિ બન્નેની દીક્ષા ગર્ગષિ પાસે થયેલી હોય એમ માનવામાં જરા પણ વાંધો નથી. દીક્ષા વખતે ગુરુ તરીકે દેલમહત્તરને સ્થાખ્યા હેય અથવા દુર્ગસ્વામીને સ્થાપ્યા હોય તે બનવાજોગ છે. તેથી ગર્ગષિ પિતે દિઍધમાં “હું તારે દીક્ષાગુરુ છું” એમ કહે છે તે વાત બરાબર બંધબેસતી થતી નથી. આ સર્વેમાં સર્ષિની વાત જરા પણ સમજાતી નથી. એમનું ૧. શ્રી પ્રભાવક ચરિત્રમાં વજસ્વામીના પ્રથમ પ્રબંધમાં આ ચારે શાખા સંબંધી ઉલ્લેખ છે. એ ચારે શાખા વજસેનના ચાર પુત્ર જેઓએ પિતા સાથે વજસ્વામી પાસે દીક્ષા લીધી હતી તેનાથી નીકળી છે. પ્રભાવક ચરિત્રકાર “એ ચારે નામના ગચ્છે હજુ પણ અવની પર જયવંત વર્તે છે” એમ જણાવે છે એટલે આ ઘણી મહત્ત્વની હકીક્ત છે. Page #329 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકર્તાના પૂર્વ પુરુષા : ] ૨૮૭ પ્રશસ્તિમાં વર્ણન વાંચતાં એ શ્રી સિદ્ધષિ માટેનું નથી એ ચાસ જણાય છે અને - તચરણરેણુક પેન ’એ પ્રશસ્તિના શબ્દોથી તે સિદ્ધ થાય છે. સદ્દષ્ટિ સિદ્ધપિંથી મોટા હેાવા જોઈએ અને ગ્રંથ પૂરા થયા ત્યારે નિવૃતિ ગચ્છની શાખાના ઉપરી હાવા જોઇએ એમ વાંચન કરતાં અનુમાન થાય છે. પ્રેા. જેકેાખીએ ઉપમિતિના ઉપેદ્ઘાતના પાંચમા પૃષ્ઠમાં સષિ વિષે કાંઈ પણ ઉલ્લેખ ક નથી, તે માત્ર સૂર્યોચા, દેવમહત્તર અને દુર્ગા સ્વામીના જ ઉલ્લેખ કરે છે તેથી સદ્દષ્ટિની હકીકત તેના ધ્યાન બહાર ગઇ હાય એમ જણાય છે. સષિ તદ્દન અલગ હેાવાના ઘણાં કારણુ છે. શ્રી સિદ્ધિ જેવા સિદ્ધ લેખક પેાતાને માટે ગણધરબુદ્ધિ ઉત્પન્ન કરવાનું લખે કે પેાતાને સિદ્ધાન્તનિધિ તરીકે જણાવે અથવા સુસાધુ વર્ણન સત્ય કરનાર તરીકે જણાવે એ તદ્દન અશક્ય ખાખત છે (જીએ પ્રશસ્તિના શ્લાક ૧૦–૧૧–૧૨–૧૩) અને સર્ષિં ન હેાય તા ચાદમા Àાકમાં ‘તÁરણુરેપેન ' શબ્દના અર્થ તદ્ન ઊડી જાય છે.૧ > દુર્ગા સ્વામી ભિન્નમાલ નગરમાં અસ્ત થયા પછી તેમનામાંથી (સમાપ્ àાક ૧૦ ) એક ગચ્છાધિપતિ થયા અને તેના ચરણુજી તુલ્ય સિદ્ધર્ષિએ આ ગ્રંથ કહી ખતાવ્યા–આ અર્થ સ્પષ્ટ છે. શ્રી સિદ્ધર્ષિના ગુરુ કાણુ હશે એ હકીકત તેા અચેાક્કસ જ રહેવાની હેાય એમ જણુાય છે. આગળ જ્યારે શ્રી હરિભદ્રસૂરિ સંબંધી વાત વિચારવામાં આવશે ત્યારે આ આમતની ઘુંચવણુમાં વધારે ૧. આ સબધમાં મુનિશ્રી કલ્યાણુવિજયજી પ્રભાવચરિત્રનો પ્રસ્તાવનામાં લખે છે કે “ સિહર્ષિના ગુરુ ગર્ષિં નિવૃત્તિ કુલીન સૂરાચાયના શિષ્ય હતા. સિહર્ષિં પોતે પણ ઉપમિતિભવપ્રપ ચાની પ્રશસ્તિમાં પ્રથમ નિતિકુલ અને સૂરાચાના જ ઉલ્લેખ કરે છે; પણ તે પછી દેલમહત્તરના અને દેલમહત્તર પછી દુ`સ્વામીના નામેાલ્લેખ કરીને છેવટે દુ`સ્વામીના અને પેાતાના દીક્ષાદાયક તરીકે ગર્ષિના નિર્દેશ કરે છે. આ ઉપરથી એમ જણાય છે કે સૂરાચાયના એ શિષ્યા હશે, પહેલા દેલમહત્તર અને ખીજા ગર્ષિં. દેલમહત્તરના દુર્ગંસ્વામી અને ગર્ષિના સિદ્ઘર્ષિ શિષ્ય હશે અને બન્નેનો દીક્ષા ગર્ષિને હાથે થઇ હરશે. ” તે પશુ સર્ષિનું નામ લખતા નથી એ ઘણુ નવાઇ જેવું લાગે છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ [ ઐતિહાસિક નજરે સિહર્ષિ : થશે. આવી રીતે પ્રથમના તર શ્લાકમાં શ્રી સિદ્ધર્ષિના પૂર્વ પુરુષા સબંધી હકીકત વિચારી. આમાં દશથી તરમા શ્ર્લાક સુધીમાં જે મહાપુરુષનું વર્ણન આવે છે તે આ ગ્રંથના લેખક સિદ્ધષિ સંબંધી નથી એ વાત ખાસ ધ્યાનમાં રાખવા યેાગ્ય છે. એમ માનવાના ઘણાં કારણેા છે ત ઉપમિતિભવપ્રપંચાકથા વાંચનારને કહેવાની જરૂર નહિ પડે. લેખક અત્યંત નમ્ર છે, આખા ગ્રંથમાં એની નમ્રતા તરવરી આવે છે અને એમણે સિંહાચાર્યના અધ:પાત ચિત છે. (પ્ર. ૮ પ્ર. ૧૦ પૃ. ૧૯૬૦) એવા સિદ્ધ લેખક પેાતાને માટે દશમાથી તેરમા સુધીના àાકમાં વાપરેલ એક પણ વિશેષણુ વાપરે એ અશકય છે. જેમણે આવા માટે અદ્ભુત ગ્રંથ બનાવ્યે છતાં લખે છે કે એને દેવી સરસ્વતીએ બનાવ્યેા અને પોતે તે કહી મતાન્યેા એવા લેખક પેાતાના મનને ‘ કુન્દેન્દુ' જેવું નિર્મળ કહે કે પેાતાના અભ્યાસને અ ંગે પેાતાને ‘ સિદ્ધાંતનિધિ ’ કહે એ અશકય છે. મારા નમ્ર મત પ્રમાણે સષિ તદ્દન અલગ વ્યક્તિ છે અથવા પ્રશસ્તિના શ્લાક દશથી તેર સુધીનું વર્ણન ગ્રંથકર્તાને માટે ગ્રંથકર્તાએ પાતે લખેલ સંભવી શકતું નથી. ( એ ચારના વૃત્ત પણ જુદા છે.) ૨. લેખકનુ' નામ— પ્રશસ્તિના ચૌદમા શ્ર્લાક નીચે પ્રમાણે છે. *उपमितिभवप्रपञ्चा कथेति तच्चरणरेणुकल्पेन । गीर्देवतया विहिताभिहिता सिद्धाभिधानेन 11 28 11 આ કથાના બનાવનારનું નામ સિદ્ આપ્યું છે. એટલે સિદ્ધૃષિ સમજવા. એમની નમૃતા કેટલી છે તે અહીં જરા જોઈ જવા જેવુ છે. એ કહે છે કે આ કથા મનાવી ગીરીૢ વતાએ એટલે સરસ્વતી દેવીએ અથવા શ્રુતદેવીએ અને સિદ્ધે કહી બતાવી. એમને લેખક તરીકે tr X આ ઉપમિતિભવપ્રપંચા કથા શ્રી સરસ્વતી દેવીએ ખનાવી અને તેમના ( ઉપર વષઁન કર્યું–તે શ્રી સિર્ષિના ચરણરેણુ સમાન સિદ્ધે કહી બતાવી. ૧૪ Page #331 -------------------------------------------------------------------------- ________________ લેખકનું નામ : ] ૨૮૯ કઈ જાતનું અભિમાન નથી. જે પિતાની ઉપર કૃપા કરવા માટે ગ્રંથ વાંચવાની વિજ્ઞપ્તિ કરે (પ્ર. ૧. પૃ. ૨૧૪), જે પિતાના ગ્રંથને સુવર્ણ પાત્રમાં મૂકવા ગ્ય ન ગણે (પૃ. ૨૧૪) અને જે ગ્રંથ વાચવાનું કાર્ય પ્રેરણારૂપ જ ગણે (પૃ. ૨૦૮૧) તેને નામની પરવા કેમ હોય ? શ્રી સિદ્ધર્ષિની આ આત્મલઘુતાની બાબત ખાસ વિચારમાં લઈ અનુકરણગ્ય છે. પ્રથમ પ્રસ્તાવમાં એ પિતાનું ચરિત્ર લખે છે ત્યાં પણ એમણે જ્ઞાન, દર્શન, ચરિત્ર અન્યને આપવા માટે અનેક પ્રકારના પ્રયત્ન કર્યા હતા અને જ્યારે લોકો તેમની પૂર્વકાળની સ્થિતિ યાદ લાવીને તેની પાસેથી ઉપદેશ લેતા નહોતા ત્યારે તેમણે કાકની પેટમાં ભરીને એ રત્નત્રયીને જગત સન્મુખ ધર્યા છે. જે વસ્તુ ખૂબ દેવાય તે ખૂબ મળે છે એની તેમને ખાત્રી હતી, એમની સદબુદ્ધિએ એ વાત તેમને સૂઝાડી હતી અને તેમને ઉદ્દેશ નામ ખ્યાતિને નહોતો, પણ કઈ રીતે અન્ય એ વસ્તુનો ઉપયોગ કરે તે હતે. આ અતિ આકર્ષક નમ્રતા એમણે ગ્રંથમાં ઠામઠામ બતાવી છે. એક હકીક્ત ખાસ બેંધવા જેવી છે. પ્રશસ્તિના ૧૦, ૧૧, ૧૨, ૧૩, મા લેકમાં જે સર્ષિનું વર્ણન આવે છે તે સર્ષિ આ કથાના લેખક ન હોવા જોઈએ એ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ કથાને માટે લેખક પિતાને અંગે કઈ પણ પ્રશંસાના શબ્દો વાપરે એ તદન અશક્ય વાર્તા છે. અગાઉના સાધુઓનું વર્ણન સાચું મનાવનાર તરીકે પોતાની જાતનું વર્ણન શ્રી સિદ્ધર્ષિ કરે તે તદ્દન ન બને તેવી વાત છે અને ઉપર લખેલા ૧૪ મે લોકમાં તથ જુવાન એ શબ્દ એ વાત જ બતાવે છે. સર એટલે કે ના? દુર્ગસ્વામીની બાબત તો નવમા લોકમાં પૂરી થઈ ગઈ અને તેનાથી સર્ષિ થયા એની વાર્તા દશમા લેકથી શરૂ કરી. આ સર્વ હકીકત ઉપરથી અને શ્રી સિદ્ધર્ષિને આત્મનિંદા કરવાને સ્વભાવ જ હોવાથી તેમજ લેખક તરિકેની તેમની જમાવટ કરવાની પદ્ધતિ ઉપરથી એક જ હકીકત પ્રાપ્ત થાય છે તે એ કે દુર્ગસ્વામી અસ્ત થયા પછી તેમના સ્થાને અન્ય કેઈ આવ્યા અને તે સર્ષિ હતા. તેના ચરણરિણુ તુલ્ય સિદ્ધ આ વાર્તા લખી. Page #332 -------------------------------------------------------------------------- ________________ *૨૯૦ [ ઐતિહાસિક નજરે સિહર્ષિ પિતાને માટે “સિદ્ધર્ષિ” એટલો પણ શબ્દ વાપરવામાં નથી આવતે, પણ “સિદ્ધ” શબ્દ વપરાય છે. અત્યારે આપણે આનંદવિજયને આનંદ અથવા રવીન્દ્રને રવિ કહીએ તેના જે આ પ્રયોગ છે અને હિંદવાસીને તે સમજવામાં જરા પણ મુશ્કેલી જણાય તેમ નથી. હિંદમાં માણસ પોતાનું ટૂંકું નામ વાપરવામાં મજા લે છે, એને એમાં નમ્રતા લાગે છે અને લગભગ સર્વને નાના નામે હોય છે. એને હુલામણાનું નામ પણ કહેવામાં આવે છે. પ્રશસ્તિના આ બીજા વિભાગ ઉપરથી (૧૪ મા શ્લોકથી) આ કથાના બનાવનાર શ્રી સિદ્ધર્ષિ જેઓ પિતાને સિદ્ધ નામથી ઓળખાવે છે તે હતા એમ જણાય છે. હવે આપણે પ્રશસ્તિમાં આગળ વધીએ. ૩. શ્રી હરિભદ્રસૂરિ અને સિદ્ધર્ષિ પ્રશસ્તિના ૧૫, ૧૬, ૧૭ મા કે નીચે પ્રમાણે છે. अथवा आचार्यहरिभद्रो मे धर्मबोधकरो गुरुः । प्रस्तावे भावतो हंत स एवाद्ये निवेदितः ॥ १५ ॥ विषं विनिर्धूय कुवासनामयं, व्यचीचरद्यः कृपया मदाशये । अचिन्त्यवीर्येण सुवासनासुधां, नमोऽस्तु तस्मै हरिभद्रसूरये ॥१६॥ अनागतं परिक्षाय चैत्यवन्दनसंश्रया । मदर्थैव कृता येन वृत्तिर्ललितविस्तरा ॥ १७ ॥ “આચાર્ય હરિભક મને ધર્મને બોધ કરનાર હેઈ ભાવથી મારા ગુરુ છે અને તે વાત મેં પ્રથમ પ્રસ્તાવમાં જણાવેલ છે. ૧૫. જે હરિભસૂરિએ કુવાસના થી ભરેલ ઝેરને ધોઈ સાફ કરીને મારે માટે ન ચિંતવી શકાય તેવા વીર્યના પ્રયોગથી કૃપાપૂર્વક સુવાસનાનું અમૃત વિચારી કાઢયુંતેઓશ્રીને નમસ્કાર હે. ૧૬ જેઓએ અનાગત કાળને પ્રથમથી જાણી લઈને મારે માટે જ ત્યવંદનના સૂત્રોના સંબંધવાળી લલિતવિસ્તરા નામની વૃત્તિ બનાવી. ૧૭” Page #333 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિભદ્રસૂરિ ને સિદ્ધષિ : ] ૨૯૧ પ્રશસ્તિના આ ત્રીજા વિભાગમાં બહુ અગત્યની વાત લખી છે અને તેમાં અનેક પ્રશ્નાને અવકાશ પણ રહે છે. મારા નમ્ર મત પ્રમાણે આ પ્રશસ્તિના ત્રણ લેાકનું ખરાખર નિરીક્ષણ થાય અને પ્રથક્કરણ કરવામાં આવે તે શ્રી સિદ્ધર્ષિના ઇતિહાસને અંગે એ ઘુંચવણુ કરવાને બદલે નીકાલ કરી આપે છે. આપણે તે જોઇએ. એ ત્રણે લેાકના અર્થ એ થાય છે કે—હરિભદ્ર મારા ધર્મ એધકર ગુરુ છે અને તે હકીકત મેં પ્રથમ પ્રસ્તાવમાં બતાવી છે. એમણે અદ્ભુત શક્તિથી કુવાસનારૂપ ઝેર સાફ કરીને સુવાસનારૂપ અમૃત વિચારી કાઢ્યું. તેમને નમસ્કાર કરે છે અને પછી કહે છે કે જેમણે ભવિષ્ય ( અનાગત ) કાળને જાણીને મારે માટે લલિતવિસ્તરા નામની વૃત્તિ બનાવી. આ ત્રણ લેાકમાં થવીવલ્ અને બનાવતું એ એ શબ્દના ઉપચાગ અને પ્રથમ પ્રસ્તાવના પાત્ર ધ બાધકરનું નિદર્શન એ ત્રણુ હકીકત મળીને આપણે હરિભદ્રસૂરિ અને શ્રી સિદ્ધર્ષિં સમકાલીન હશે કે નહિ ? તનેા સત્ત્વર નિ ય કરી શકશું. આપણે હાલ તુરત માત્ર એક જ પ્રશ્ન વિચારીએ અને તે એ કે અન્ને વિશિષ્ટ લેખકા (હરિભદ્રસૂરિ અને શ્રો સિદ્ધર્થિંગણિ) આ ગ્રંથની અંદરના પુરાવા પ્રમાણે એક સમયે થયેલા કે આગળ પાછળ થયા હતા. શ્રી હરિભદ્રસૂરિના સમયના મેાટા પ્રશ્ન છે તે આપણે આગળ, ચ છું. અત્ર સમકાલીનતા પર આ ગ્રંથની અંદરના પુરાવા આપણને શુ શુ ખતાવે છે તેટલું જ વિચારીએ. પ્રા. હરમન ચાકેાખી અને ડૉ. લ્યુમાન હરિભદ્રસુરિ અને સિદ્ધર્ષિને સમકાલીન ગણે છે. તેને મતે શ્રી સિદ્ધર્ષિના દીક્ષાગુરુ દુર્ગા સ્વામી હેા કે ન હેા તેના કાંઇ નિર્ણય નથી, પણ શ્રી સિદ્ધર્ષિના ખરા ગુરુ શ્રી હરિભદ્ર હતા એમ તેમના મત છે. તે ઉપમિતિની પ્રસ્તાવનામાં નીચેનાં શબ્દોમાં એ મત જાહેર કરે છે. 1. On reading these verses by Siddharsi on the relation between himself and Haribhadra every unprejudice reader, I venture to say, will arrive at the conclusion that the disciple speaks of his teacher as his actual guru, not his para Page #334 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ [ ઐતિહાસિક નજરે સિહર્ષિ : તેમના અને હરિભદ્ર વચ્ચેના સંબંધને બતાવનાર આ કાવ્યો વાંચીને અગાઉથી નિર્ણય નહી કરી બેસનાર દરેક વાચનાર એક જ નિર્ણય ઉપર આવશે કે શિષ્ય પિતાને શિખવનારને ખાસ ગુરુ તરીકે જ સંબોધે છે અને નહિ કે પોતાના પરંપરા ગુરુ તરિકે અથવા ધર્મના ગુરુ તરિકે. એમ ધારવાની હું હિમત ધરું છું; અને પ્રથમ યુરોપીય વિદ્વાન છે. લોયમન જેણે એને અર્થ એ હતો તે પણ એમજ સમજ્યા હતા. અને ઉપમિતિભવપ્રપંચા કથાના પહેલા પ્રસ્તાવમાં સિદ્ધર્ષિએ જે મુદ્દાઓ કહ્યા છે તેથી આ અસરને મજબૂતી મળે છે, કારણ કે નિપુણ્યકને તેના આખા વિકાસમાર્ગમાં આખરે તે પોતાનું તંદુરસ્તીને નુકસાન કરનારું ભજન છોડી દે છે અને પોતાનું ભિક્ષાપાત્ર સાફ કરે છે અથવા ઉપમાની ભાષાને છેડી દઈએ તો જ્યાં સુધી તે દીક્ષા લે છે ત્યાંસુધી ધર્મબધકર તેને સલાહ આપે છે અને સૂચનાઓ આપે છે. હવે સિદ્ધર્ષિ આપણને સમજાવે છે કે ધર્મબેકર એ જ હરિભદ્ર છે અને નિપુણ્યક તે તેઓ પોતે જ છે એટલે તેણે દીક્ષા લીધી ત્યાં સુધી સર્વ બાબતમાં તેને હરિભદ્દે સલાહ આપી હતી અને સૂચનાઓ કરી હતી. તે વગરશંકાએ ફલિત થાય છે.” (ઉપમિતિ. ઉપઘાત પૃ. ૬) mpara guru or spiritual guru; and they were understood by The first European scholar, Professor Leumann, who discussed their meaning. And this impression is further strengthene ed by what may be inferred from Siddharsi's statements in the first Prastava of the Upamitibhavaprapancha Katha. For there the Dharmabodhakara is described as advising and directing the beggar Nispunyaka during the whole course of his regeneration up to the time when he gave up his unwholesome food and had his alms bowl washed, or speaking without the metaphor, when he was ordained. Now as Siddharsi gives us to understand that Dharmabodhakara is Haribhadra, and beggar Nispunyaka he him. self, it follows, almost beyond doubt, that he was instructed and directed by Haribhadıa himself upto the time when he became a monk and wandered about preaching the law. (Intro. lo Upamiti P. VI) Page #335 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિભદ્રસૂરિ ને સિહર્ષિ : ] ૨૯૩ અહીં મુદ્દા માત્ર એક જ છે કે શ્રી સિદ્ધષિ પોતે જ કહે છે કે ધર્મ ખાધકર પાતે હરિભદ્ર છે, માટે તેને દીક્ષા આપનાર રિભદ્ર જ હતા અને તેથી તેના પરંપરા ગુરુ નહિ પણ ખાસ ગુરુ હતા અને અન્ને સમકાલીન હતા. આપણે પણ કાઇ પણ પ્રકારના પૂર્વબદ્ધ વિચારને વશ થયા વગર આ સમધમાં પ્રથમ પ્રસ્તાવમાંથી શા શા પુરાવા આ મુદ્દાને અગે મળે છે તે તપાસી જઇએ. શ્રી સિદ્ધષિપાતે જ કહે છે કે · આચાય હરિભદ્ર મને ધર્મના એધ કરનારા હાઈ ભાવથી મારા ગુરુ છે અને તે વાત મે પ્રથમ પ્રસ્તાવમાં જણાવી છે.’(૧૫–પ્રશસ્તિ) આપણે તદ્ન નિષ્પક્ષ રહી નીચેના મુદ્દાઓ વિચારીએ. અમુક વિદ્વાને આવા મત મધ્યેા હતેા તેના તરફ આપણે માનપૂર્વક જરૂર જોઇએ, પણ આપણે તે મતને છેવટના કદી ન માનીએ; તેમ જ આપણા નિણું ચા છેવટના છે એમ મનાવવા પ્રયત્ન પણ ન કરીએ. અરાબર વિચાર કરતાં આ સંબંધમાં ઘણા પુરાવા ગ્રંથમાંથી મળે તેમ છે તે બન્ને બાજુએ તપાસી જઇએ. નીચેના પુરાવા ઉપરથી હું એવા નિર્ણય ઉપર આવ્યા ... કે શ્રી હરિભદ્રસૂરિ અને શ્રી સિદ્ધષિ સમકાલીન નહેાતા. આ સ પુરાવા ગ્રંથની અંદરના જ છે તે તપાસવા વિજ્ઞપ્તિ છે. ૧. પ્રશસ્તિના ઉક્ત પંદરમા શ્ર્લાકમાં કહે છે કે આચાર્યમિત્રો मे भावतः धर्मबोधकरो गुरुः ૮ આચાર્ય હિરભદ્ર મારા ભાવથી ધર્મગુરુ છે. ’ માવત્તઃ ગુરૂ: એટલે આશયથી ગુરુ. 6 નાઢ—— a ) જૈન ધર્મીમાં દ્રવ્ય અને ભાવ અને શબ્દોના ખાસ અર્થ છે. દ્રવ્યથી જે ગુરુ હતા તે પ્રશસ્તિમાં ઉપર અતાવાઈ ગયા. પછી અથવા કરીને ભાવગુરુને વર્ણવ્યા છે. ભાવ ' એટલે આશ્ચય. એ ત્યાં abstract અથવા meaningના અર્થમાં છે. દ્રવ્યગુરુ તા દીક્ષાગુરુ, પણ પરંપરાએ ‘ ભાવગુરુ હરિભદ્રસૂરિ છે એમ જણાવવાના આશય છે. ‘ દ્રવ્ય ’ વ્યવહારને અંગે વપરાય છે, જ્યારે ભાવમાં હાજરીની જરૂરીઆત નથી. એમને aetual ગુરુ કહી શકાય તેમ નથી..અને સદર શ્લાકના માવતઃ શબ્દ ખીજી કોઇ જગાએ લાગુ થઈ શકે તેમ લાગતું નથી. Page #336 -------------------------------------------------------------------------- ________________ ૨૪ [ ઐતિહાસિક નજરે સિદ્ધર્ષિ : ( b ) કદાચ માવત: નિવૃત્તિઃ એમ અર્થ કરવા જઇએ તા ત્યાં પણ એક જ અશકય છે કે ‘ આચાર્ય હરિભદ્ર મારા ધર્મોમેષકર ગુરુ હતા તે હકીકત ‘ ભાવથી ' મેં પ્રથમ પ્રસ્તાવમાં જણાવી છે. મતલમ એ દ્રવ્યથી તેા વસ્તુત: અનેલ નથી, પણ આશયની અપેક્ષાએ જોઇએ તા તેઓ મારા ધર્મ ખાધકર ગુરુ હતા. ( આ ભાવતઃ * શબ્દને ઉડાડી મૂકાય તેમ નથી અને જૈનરિભાષા સમજનાર તેના અર્થ ખરાખર સમજી શકે તેમ છે. ભાવ શબ્દના જૈન પારિભાષિક અર્થ ખાસ વિચારવા ચેાગ્ય છે. 6 ૨. પ્રશસ્તિના ૧૬ મા શ્ર્લાકમાં · કુવાસનાથી ભરેલ ઝેરને ધાઇને સાફ કરી મારે માટે જેમણે સુવાસનું અમૃત વિચારી કાઢયું ’ એ વાક્યમાં ટુવાલના અને વાસના શબ્દોના પ્રયાગ અને ચીન્નત ક્રિયાપદના પ્રયાગ પણ એ જ હકીકત બતાવે છે. કુવાસનાનું ઝેર ધાવાનું કાર્ય એક બાજુએ રાખી સુવાલના અમૃત તૈયાર કરવાનું કાઇ પેાતાના સીધા ઉપકારી માટે કહે નહિ. અહીં ચીવરત્ પ્રયાગ ખાસ અ સૂચક છે. મારાથે એ શબ્દપ્રયાગ પણ એટલા જ અર્થસૂચક છે. · મને આશ્રયીને ’– મારે માટે ’ એમ જો કહેવુ" હાત તા મારાને પ્રયાગ ન જ ઘટે. એમને માટે જ જો સુવાસના સુધા તૈયાર કર્યું" હાત તેા મળ્યું કે એવા કાઇ ચતુર્થીના પ્રયાગ જરૂર થાત. આ તે જાણે પેાતાને માટે જ તૈયાર કર્યું. હાય એમ માનવા તૈયાર થયેલા લેખક આવે શબ્દપ્રયોગ કરે છે. આ પ્રમાણે હાવાથી જ ‘ અચિંત્ય વીર્ય અને કૃપયા ' એ અને પ્રયાગા પણ સફળ થાય છે એ લખવાની ભાગ્યે જ જરૂર ગણાય. ૩. પ્રશસ્તિના સત્તરમા શ્ર્લેાક વધારે સૂચક છે. ‘ જેઓએ અનાગત કાળ પ્રથમથી જાણી લઈને મારે માટે જ ચૈત્યવંદનના સૂત્રાની હકીક્તવાળી લલિતવિસ્તરા નામની વૃત્તિ બનાવી.' આના મૂળમાં અનાગત પરિશાય ‘નહિ આવેલા કાળ–ભવિષ્યકાળ જાણી લઈને ’એ શબ્દો વિચારવા ચેાગ્ય છે. એથી એક વાત તે જરૂર સિદ્ધ થાય છે કે જ્યારે શ્રીહરિભદ્ર Page #337 -------------------------------------------------------------------------- ________________ શ્રો હરિભદ્રસુરિ ને સિદ્ધર્ષિ ઃ ] ૨૯૫ સૂરિએ લલિતવિસ્તરા નામની વૃત્તિ અનાવી ત્યારે તેમણે તે સિદ્ધષિ માટે બનાવી નહેાતી. મવ– મારે માટે જ કરી ' એ વાત અને અનાગતં રિઆાય એ બન્ને વચ્ચેના વિરાધ વિચારવા ચેાગ્ય છે, પણ સમાવી શકાય તેમ છે તે આગળ જોશુ. એના ખુલાસેા પ્રથમ પ્રસ્તાવમાં ખરાખર છે તે વિચારતાં આ વિશેષ જરૂર શમી જશે. " 6 પ્રથમ પ્રસ્તાવની વાત હાલ માજુ ઉપર રાખી આપણે આ ‘ અનાગત... ’વાળા શ્લાક પર જ મુદ્દો સાધીએ. પ્રેા. જેકામી સાથે મારે આ સંબંધમાં લખાણુ પત્રવ્યવહાર થયા હતા અને તે જૈન ફ્રાન્સ હેરલ્ડમાં છપાયા હતા.૧ ત્યાં પ્રેા. જેકેાખી એક દલીલ કરે છે કે “ અનાવૃત જ્ઞાય ના અર્થ હું... ‘ ભવિષ્ય જાણીને અથવા ‘શું બનવાનું છે તે જાણીને ' એમ કરું છું. એના હું હવે ખુલાસા કરું છું: ધારા કે તમને મુનિસુંદરની કૃતિથી કાંઈ સૂચક ધાર્મિક લાભ થયેા હાય અને તેથી તમે તદ્દન નવા માણસ થઈ ગયા હા તા તમે એમ નહિ કહેા કે · મુનિસુ ંદરે પેાતાના ભવિષ્ય જ્ઞાનથી મને ( કાપડીઆને ) તેના અધ્યાત્મકપદ્રુમથી પ્રકાશ થશે એમ જાણીને તે ગ્રંથ મનાવ્યેા. ' તમે એમ જરૂર માનશેા કે એવા પ્રકારની ધારણા કરવી તે ચાખ્ખી ધૃષ્ટતા જ કહેવાય. તે જ પ્રમાણે જે હરિભદ્રસૂરિ ચારશે વર્ષ પહેલાં ગુજરી ગયા હતા તેમણે પેાતાના હિત માટે ગ્રંથ બનાવ્યા એમ કહેવામાં સિદ્ધર્ષિમાં નમ્રતાની ખામી જ દેખાય. પણ જો તે તેને એળખતા હાય તે તેમ લખવામાં કાંઇ ધૃષ્ટતા ગણાય નહિ. જો તેમના ગ્રંથ પેાતાના ધાર્મિક વલણને ટેકા આપનાર હાય અને તે ગ્રંથથી પેાતાની શુદ્ધિ થઈ હાય તેા તેવી રીતે તે લખી શકે. તેવી જ રીતે તમે તમારા શિક્ષાગુરુની કૃતિ માટે આ પ્રમાણે લખા તે તેમાં ઠપકાપાત્ર કાંઇ આવે નહિ, અને તમારું વક્તવ્ય માત્ર અતિશયેાક્તિ કહેવાય.'(પૃ. ૨૪૯) ' ૧. Jain Swetambar conference Harald. XI P. 289 to 274. ૨ My interpretation of the verse અનામત વિજ્ઞાય “ Knowing the future" or " Knowing what would happen now try to explain. Supposing you had derived some signi " Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ [ ઐતિહાસિક નજરે સિહર્ષિ : આ આખી દલીલ પર મેં ખૂ" વિચાર કર્યો છે. અનામત વિષયના અર્થ પ્રેા. જેકેાખી સાચા કરે છે, પણ હકીક્ત સાથે તેને જોડવામાં તેઓ દારવાઇ જાય છે. શ્રી મુનિસુંદરસૂરિના ગ્રંથ વાંચીને મને ધર્માંમાં સ્થિરતા થઈ હેાય તેા એવા જ શબ્દોમાં હું મુનિસુંદરસૂરિના આભાર માનું અને તેમને મારા ગુરુ કહું અને તેમણે જાણે મારે માટે જ સદર ગ્રંથ ખનાવ્યા હતા એવા શબ્દોમાં વાત સ્વીકારું' તે! તેમાં મને કોઈ પણ પ્રકારની ધૃષ્ટતા લાગતી નથી. આ અભિપ્રાયના વિષય છે. આર્ય સ ંસ્કૃતિના અભ્યાસી આવી દલીલ કેમ કરી શક્યા હશે તે જ મને તેા નવાઇ જેવું લાગે છે. જૈન સંસ્કૃતિમાં તે એને ખરાખર ‘ ગુરુ ’ કહી શકાય તેમ છે. આપણે તેા સ્થાપના કરીએ ત્યાં સુધર્માસ્વામીને ગુરુસ્થાને મૂકી શકીએ. , પ્રેા. જંકાખીને ખરી મુશ્કેલી ચાર સેા વર્ષના આંતરા પછી આવા શબ્દો લખવામાં નમ્રતાની ખામી દેખાય છે તેથી લાગી જણાય છે. એ હકીકતમાં એવડી ાલના દેખાય છે. એક તેા દંતકથા પ્રમાણેની તારિખમાં ફેરફાર થતા જાય છે જે આપણે આગળ જોશુ અને દાક્ષિણ્યચિહ્નની કુવલયમાળા જોયા પછી આ સદેહમાં ઘણા ફેર પડી જાય છે એ પણ આગળ જોવાશે. ચાર સેા વર્ષના આંતર ficant spiritual benefit from Munisundara's work, making you as if it were a new man, you wonld not put it this way: "Muni Sundara, knowing by his prescience that I (Kaparia) would receive enlightenment from his Adhyatma Kalpadruma, composed this work." You would admit this an unqualified piece of presumption. In the same way Siddharsi would be open to the charge of want of modesty, if he pretended that Haribhadra, dead more than 400 years at his time, had composed the work in questiom with a view of his benefit. But if he knew him personally, he might say so without arrogance, if the work of his beloved teacher quite fitted his religious wants and brought about his conversion. Similarly, if you I would in this way speak of the work of teacher, there would be nothing to blame and your impression would be simply an અતિશયોક્ત્તિ ( p. 248. ) your Page #339 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિભસૂરિ ને સિદ્ધર્ષિ ] ૨૭ સમય તે ફરી જાય તેમ લાગે છે, પણ છતાં ચાર સો વર્ષને અંતરે હોય તે પણ વધે આવતા નથી એ મારી મૂળ દલીલ ઊભી જ રહે છે. જે રીતે પ્રશસ્તિના ૧૫–૧૬-૧૭ મા ક લખાયા છે તે પણ વિચારવા જેગ્ય છે. ગર્ગષિને પિતાના દીક્ષા દેનાર કહે છે, ત્યારપછી દુર્ગસ્વામીની વાત લખી, તેઓ ભિન્નમાલ નગરમાં કાળધર્મ પામી ગયા તે વાત કહી, તેમનાથી સર્ષિ થયા અને તેના ચરણરેણુતુલ્ય સિધ્ધ” આ ગ્રંથ બનાવ્યું. આટલે સુધી આવીને અથવા કહીને વાતને ઝેક એકદમ બદલી નાખે છે. જે હરિભદ્રસૂરિ પોતાના ગુરુ હોયતે એમ લખાય નહિ. આ તે “અથવા ” કરીને પોતાને “હદયભાવ” બતાવ્યો છે અને સાથે જ પ્રથમ પ્રસ્તાવને હવાલો આપે છે. આના કરતાં પણ વધારે મજબૂત દલીલ પ્રથમ પ્રસ્તાવમાં આવે છે તે આપણે જેશું, પણ અહીં સનાતવાળા લેકનો અર્થ કરવામાં પ્રેફેસર જેકેબી જે થાપ ખાઈ ગયા છે તે પર હજુ વધારે વિચાર કરીએ. તેઓ એમ માની બેઠા છે કે જેને દંતકથા પ્રમાણે અમુક તારિખ શ્રીહરિભદ્રસૂરિની માની બેઠા છે અને તેથી પૂર્વ બદ્ધ વિચાર ન હોય તેવા સ્વતંત્ર વાંચકને ઉદ્દેશ છે. આ દલીલ બેટી છે, જેનોને પુરાવા મળે તો દંતકથાથી ચાલી આવતી તારિખ ફેરવવામાં કદી વાંધો છે જ નહિ. શ્રી જિનવિજયના એ સંબંધી લેખ પછી સ્વતંત્ર વિચારકે તારિખ ફેરવવાની વાત સ્વીકારે છે. મતલબ જેનોને એ સંબંધમાં આગ્રહ ન હોઈ શકે. માત્ર પુરાવા મળવા જોઈએ અને તે સંતોષકારક, તકની પદ્ધતિને અનુસરનારા અને લાક્ષણિક હેવા જોઈએ. એક વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે પ્રે. જેકેબી લગભગ સાત પદ્ધિાને ઊડાવી જ દે છે. તેમની દલીલે વાંચતાં એ આખા ક “નિરર્થક” “અહેતુક અથવા ઢંગધડા વગરનો થઈ જાય છે. ભવિષ્ય જાણીને? એટલે શું? કયારે જાણ્યું? જ્યારે ગ્રંથ લખ્યું (લલિતવિસ્તરા) ત્યારે સિદ્ધર્ષિ નામના કેઈ એને લાભ લેનાર થશે એ વાત જાણીને? એવી જાણવાની શક્તિ શ્રી હરિભદ્રસૂમિાં હતી? વિક્રમના નવમા સૈકામાં કઈને હતી? Page #340 -------------------------------------------------------------------------- ________________ [ ઐતિહાસિક નજરે સિદ્ધર્ષિ : ધર્મ એધકર સાથેના તેમને મેળ મેળવતાં જણાશે કે એ હકીકતથી સમકાલીનતા જરા પણ સાબિત થઇ શકે તેમ નથી. ૨૯૮ જે રીતે પ્રશસ્તિના ત્રણે સદર શ્લેાકેા લખાયા છે, જે રીતે તેમને અવતરવામાં આવ્યા છે, તેની અંદર જે ભાવ ભર્યો છે તે જોતાં અને મહાત્માએ સમકાલીન હેાય એ વાત ખંધબેસતી થતી નથી. હવે આપણે પ્રથમ પ્રસ્તાવના આ હકીકત સાથે સમન્વય કરીએ. ( ૪ ) પ્રથમ પ્રસ્તાવમાં નિપુણ્યકનું ચરિત્ર આપ્યું છે તેથી હરિભદ્રસૂરિ અને સિદ્ધર્ષિં સમકાલીન હતા એવી દલીલ પ્રા. જેકાખી કરે છે તે નીચેનાં કારણે મને સમીચીન લાગતી નથી. (a) · આચાર્ય હરિભદ્ર મારા ધર્મના એધ કરનાર ભાવથી ગુરુ છે અને તે વાત મેં પ્રથમ પ્રસ્તાવમાં જણાવી છે. ’ હવે પ્રથમ પ્રસ્તાવમાં ધર્મ એધકરને કેવી રીતે બતાવ્યા છે તે જુઓ:~ તરમા વિભાગમાં ( રૃ. ૨૧) જણાવે છે કે ‘ એ સુસ્થિત મહારાજે રસેાડાના ઉપરી તરિકે ધર્મ ખાધકર નામના રાજસેવકની નીમણુક કરી છે. તેણે તે વખતે એ દિદ્રી ઉપર મહારાજાની કૃપાષ્ટિ થઇ છે એમ જોયું.’ વિગેરે વાર્તાના આ વિભાગમાં શે। આશય રહ્યો છે તેના આખા ઉપનય લેખકશ્રી પાતાને હાથે જ લખે છે. આ ધર્મ બાધકરને કચા શબ્દોમાં જાહેર કરે છે તે મૂળ શબ્દો ઘણા ઉપયેાગી હાવાથી જોઈ જઈએ:~~~ यथा च तां महाराजदृष्टिं तत्र रोरे निपतन्तीं धर्मबोधकराभिधानो महानसनियुक्तो निरीक्षितवानित्युक्तं तथा परमेश्वरावलोकनां मज्जीवे भवतीं धर्मबोधकरणशीलो धर्मबोधकर इति यथार्थाभिधानो मन्मार्गोपदेशकः सूरिः स निरीक्षते स्म । तथा हि । सद्धयानबलेन विमलीभूतात्मानः परहितनिरतैकचित्ताः भगवतो ये योगिनः पश्यन्त्येव देशकालव्यवहितानामपि जन्तूनां छनस्थावस्थायामपि वर्तमाना दत्तोपयोगा भगवदवलोकनाया योग्यतां पुरोवर्त्तिनां पुनः प्राणिनां भगवदागमपरिकर्मितमतयोऽपि योग्यतां लक्षयन्ति तिष्ठन्तु विशिष्टज्ञाना इति । ये च ममोपदेशदायिनः भगवन्तः सुरयस्ते विशिष्टज्ञाना एव यतः कालव्यवहितैरनागत Page #341 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિભદ્રસૂરિ તે સિહર્ષિ ઃ ] ૨૯૯ मेव तैर्ज्ञातः समस्तोऽपि मदीयवृत्तान्तः स्वसंवेदन संसिद्धमेतदસ્મામિતિ:' ( મૂળ પૃ. ૮૦૧ ). કોઈ પણ પ્રકારના શક ન રહે તે રીતે અહીં શ્રીસિદ્ધર્ષિં પાતે જ કહે છે કે જો કે ધર્મ ખાધકર અને તેઓ પાતે કાળથી અને દેશથી વ્યવહિત–દૂર પડેલા છૂટા પડેલા છે છતાં તેમની બુદ્ધિ વિશુદ્ધ ધ્યાનથી નિર્મળ થયેલી હાવાને લીધે તે ( ગુરુ ) લેખક ઉપર થયેલી ભગવદ્ભવલાકના જાણી શકયા છે. તે પેાતાના આ ગુરુને વિશિષ્ટ જ્ઞાની કહે છે. તેઓની દલીલ એવી છે કે છદ્મસ્થ પ્રાણી જો જૈન આગમના અભ્યાસી હેાય તે તેમાં બતાવેલી રીતે પેાતાની પાસે જે પ્રાણી આવે તેની ચેાગ્યતા કહી શકે છે. પણ નિ`ળ બુદ્ધિવાળા યાગીએ .. ૧ એ સુસ્થિત મહારાજે રસાઇખાતાના ( રસેાડાના ) ઉપરી તરિકે ધર્માધકર નામના રાજસેવકની નીમણુક કરી છે, તેણે તે વખતે તે દરદીની ઉપર મહારાજાની દૃષ્ટિ થઈ છે એમ જોયું. ” આ પ્રમાણે અગાઉ કથાપ્રસંગમાં કહેવામાં આવ્યું છે. ધર્મના મેધ કરવામાં તત્પર હાવાથી ધમ મેાધકરના નામને યેાગ્ય એવા મને માતા ઉપદેશ કરનાર, આચાય મહારાજે મારા ઉપર પરમાત્માની કૃપા-નજર થતી જોઇ એમ તે હકીકત ઉપરથી સમજવું. જે મહાત્મા યાગીઓને આત્મા વિશુદ્ધ ધ્યાનથી નિળ થયેલ હાય છે અને જેએનું મન હમેશાં પારકાનું હિત સાધવા તરફ રહેલું હાય છે તે દેશકાળથી દૂર રહેલા પ્રાણીની ભગવદવસેાકનથી થયેલી ચેાગ્યતા પણ જાણી શકે છે. છદ્મસ્થ અવસ્થામાં છતાં પાસે રહેલા પ્રાણીએની યેાગ્યતા તે જેની બુદ્ધિ જૈનાગમથી વિશુદ્ધ થયેલી હાય છે તે પણ કહી શકે છે. આ પ્રમાણે જ્યારે શ્રુતજ્ઞાની પણ કૈાગ્યતા અયેાગ્યતા માટે ઉપયાગપૂર્ણાંક વિચાર કરી નિર્ણય આપી શકે છે તેા પછી વિશેષ જ્ઞાની માટે તે। શી વાત કરવી ? મને ઉપદેશ દેનાર આચાર્ય મહારાજ તા વિશિષ્ટ જ્ઞાનવાળા હતા, કારણ કે ભવિષ્યમાં મારા સંબંધમાં બનનારા સર્વાં બનાવ તે અગાઉથી જાણી ચૂકયા હતા. એમણે જાણેલા કેટલાક વૃત્તાંત તે મેં જાતે અનુભવ્યા છે તેથી એ સર્વ વાત મારા મનમાં સિદ્ધ થયેલી છે. ( પૃ. ૧૧૨. ભાષાવતરણ. ) Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ [ ઐતિહાસિક નજરે સિદ્ધતિ : ભવિષ્યમાં થનારા પ્રાણીની ઉપર પરમાત્માની નજરને અંગે થવાની ચેાગ્યતા જોઈ-જાણી શકે છે. લેખકશ્રીને ઉપદેશ આપનાર ધર્મ ખાધકર વિશિષ્ટ જ્ઞાની હતા તેથી તેઓ દેશકાળથી વ્યવહિત હેાવા છતાં લેખકની ઉપર પરમાત્માની નજર પડવાની છે એમ જોઈ શકતા હતા. વિશિષ્ટ જ્ઞાની એટલે બહુશ્રુત જ સમજવા. શ્રુતના બરાબર ઉપચેગ મૂકે તેા શ્રુતજ્ઞાની કેવળજ્ઞાની જેવા ભાવ કહી શકે છે. વિશિષ્ટ જ્ઞાની એટલે અહીં મહુશ્રુત જ સમજવાના છે. આથી વધારે સ્પષ્ટ શબ્દોમાં પુરાવા મેળવવાની જરૂર ભાગ્યેજ રહે છે. પ્રેા. જેકેાખીએ આ સંબંધમાં વધારે વિચાર કરવાની અને દલીલ વિચારવાની જરૂર લાગે છે. એનું કારણ એ છે કે ધર્મ બાધકરને શ્રી સિદ્ધર્ષિગણિએ હરિભદ્ર માન્યા છે, પણ તે ભાવથી જ છે. આખા પ્રથમ પ્રસ્તાવ લખીને ગ્રંથકાર પાતે જ કહે છે કે:~ इह हि जीवमपेक्ष्य मया निजं, यदिदमुक्तमदः सकले जने । लगति सम्भवमात्रतया त्वहो, गदितमात्मनि चारु विचार्यताम् ॥ એટલે પેાતાના જીવની અપેક્ષાએ અહીં જે વાત કરી છે તે સર્વ પ્રાણીઓને ઘણે ભાગે લાગુ પડે તેવી સર્વ સામાન્ય વાત કરી છે. ( પૃ. ૨૧૭ ) આ રીતે વિચારીએ તા દરેકને ધ એધકર મળે તે કાંઈ હરિભદ્રસૂરિ મળવાના નથી. અષ્ટમૂલપર્યન્ત નગરથી માંડીને આખી વાર્તા સર્વ સામાન્ય છે અને તેથી ધર્મ એધકર મંત્રી દીક્ષા આપતી વખત હાજર રહે છે અથવા તે તેના ભિખ માગવાના ઢીંકરાના ત્યાગ કરાવે છે એ હકીકતથી મુઝાવાનું જરા પણ કારણ નથી. ધર્મ ખાધકર તા ‘ કાળવ્યવહિત ' જ છે અને તેટલા માટે તડ્યાના પાત્રની ગેાઠવણુ કરવામાં આવી છે. સ્વકવિવર દ્વારપાળ મ ંદિરમાં પ્રવેશ કરાવે ત્યારથી માંડીને આખી ચેાજના સર્વ જીવની અપેક્ષાએ લીધેલી છે. પૃ. ૧૭૫ માં ઓષધિના અધિકારીનુ વર્ણન જોઇએ કે સુસાધ્ધ, કષ્ટસાધ્ય કે અસાધ્ય કાટિના જીવાનાં વર્ણન Page #343 -------------------------------------------------------------------------- ________________ શ્રી હસ્જિદ્રસૂરિ તે સિદ્ધ િ: ] ૩૦૧ વિચારીએ તે સમાંથી એક જ વાત લિત થાય છે કે એ એક જીવને આશ્રયીને વાત છે જ નહિ અને ગુરુ પણ અમુક છે જ નહિ. પૂ. ૧૮૭ માં ગુરુએ અનેક હાય તે ભાવ પણ એના જ સૂચક છે. 7 તાની સંભાવના રૃ. ૧૮૬ માં કરી છે ત્યાં ખતાવ્યું છે કે તા ખરેખરી રીતે તેા · કો ' ( કી ? ) નથી, ગુરુ પાતે જ ઉપદેશકાય કરે છે. આ પ્રસંગમાં મૂળમાં ગુરુ માટે સર્વત્ર મહુવચન વાપર્યું છે તે બતાવે છે કે પ્રથમ પ્રસ્તાવમાં એક અમુક ગુરુની વાત કરી નથી, પણ ધર્મ માર્ગ ના મેધ આપનાર ગુરુસમાજની વાર્તા કરી છે. પ્રા. જેકેાખીને એક વાતે ખરી અસર કરી છે. તમને એમ લાગ્યું જણાય છે કે ગુરુ પાતે જ ઉપદેશ આપે છે એમ પ્રથમ પ્રસ્તાવમાં કહ્યું છે તેા પછી હરિભદ્રસૂરિ અને શ્રી સિદ્ધર્ષિં સમય કાળમાં છૂટા કેમ હાઇ શકે ? આનેા ખુલાસેા આખા પ્રથમ પ્રસ્તાવના હેતુ સમજાય તેા ખરાખર બેસી જાય તેમ છે. પ્રથમ પ્રસ્તાવ ઉપોદ્ઘાતરૂપે લખાયા છે અને સર્વ જીવને લાગુ પડે તેવી રીતે ગ્રંથકર્તાએ નમ્ર ભાષામાં પેાતાનું ચરિત્ર સમજણુ સારુ આપ્યું છે. એ ચિરત્ર એ કાંઇ · જીવનકથા ’ નથી, પણ સર્વ જીવાને લાગુ પડે તેવું સામાન્ય ચરિત્ર છે. તેઓશ્રી પાતે જ તે વાત પ્રથમ પ્રસ્તાવને અંતે (પૃ. ૨૧૭) કહી બતાવે છે. ( પ્રશસ્તિમાં તેથી પેાતાના ગુરુની પર ંપરા ખતાવી પેાતાનું કર્તૃત્વ અતાવી પછી અથવા કરીને હરિભદ્રસૂરિના ગ્રંથથી પેાતાને ઉપાર થયા તેથી અને ખાસ કરીને ‘લલિતવિસ્તરા ’ નામની ચૈત્યવંદન સૂત્રની વૃત્તિ વાંચીને ખૂબ લાભ થયા તેથી ઉપકારના બદલા વાળવા ઉદ્ગાર રૂપે કહી નાખે છે. અથવા તેા આચાર્ય હિરભદ્ર મારા ધર્મ ખાધકર ગુરુ છે. ” જે પદ્ધતિએ એમણે પ્રથમ પ્રસ્તાવમાં સુસ્થિત મહારાજ, ધ આધકર અને તદ્યા પાત્રને ચિતર્યો છે તે પ્રમાણે તે સુધર્માસ્વામીને પણ ધ બાધકર કહી શકે, કાઇ પણ પૂર્વાચા ને ધર્મ એધકર કહી શકે અને મારા ઉપર અધ્યાત્મકપદ્રુમ ગ્રંથૈ જો જીવનસરણી ફેરવી નાખે તેવી અસર કરી હાય તો હું પણ મુનિસુંદરસૂરિને મારા ધર્મ બાષકર ગુરુ એ અર્થમાં કહી શકું. 66 Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ [ ઐતિહાસિક નજરે સિહર્ષિ શ્રી હરિભદ્રસૂરિના સમય સંબંધી ચર્ચા આપણે આગળ કરશું. અત્યારે પ્રશસ્તિમાંથી એક જ વાત કાઢવાની રહે છે અને તે એ કે શ્રી હરિભદ્રસૂરિ અને આ ગ્રંથના લેખક શ્રી સિદ્ધર્ષિ સમકાલીન નહોતા; અથવા સમકાલીન હતા એવી જે વિચારણું છે. જેકેબીએ પિતાની ઉપઘાતમાં તથા મારી સાથેના પત્રવ્યવહારમાં કરી હતી તે યથાયોગ્ય નહોતી. “સમરાઈશ્ચકહા” ની ઉપઘાતમાં આ હકીક્તને સ્વીકાર પ્રોફેસરશ્રીએ કર્યો છે, છતાં ઉપમિતિની ઉપઘાત કાયમ રહે છે અને આ સવાલ ઘણે ગંભીર છે તેથી તેને વિસ્તારથી ચર્ચા છે. આટલી ચર્ચા ઉપરથી એક જ વાત મુકરર કરી છે કે બને વિશિષ્ટ લેખકે સમકાલીન હતા એ જે પુરાવો ગ્રંથમાં જ છે એમ પ્રો. જેકેબીએ લખ્યું છે તે અસિદ્ધ છે. બન્નેના સમયની વિચારણા તદ્યોગ્ય સ્થાને આ જ ઉપઘાતમાં થશે. હવે આપણે પ્રશસ્તિને બાકીને ભાગ વિચારી જઈએ. ૪. પ્રશસ્તિને બાકીને ભાગ– (a) કથા જાહેરમાં મૂકવાનું સ્થળ. (પ્રકટ કરવાનું સ્થાન) પ્રશસ્તિના ૧૮–૧૯-૨૦ માં શ્લોકમાં આ કથા કયા નગરમાં પ્રગટ કરવામાં આવી તે જણાવ્યું છે. તે ત્રણેકે નીચે પ્રમાણે છે. यत्रातुलरथयात्राधिकमिदमिति लब्धवरजयपताकम् । निखिलसुरभुवनमध्ये सततं प्रमदं जिनेन्द्रगृहम् ॥ १८ ॥ यथार्थष्टङ्कशालायां धर्मः सद्देवधामसु । कामो लीलावतीलोके सदास्ते त्रिगुणो मुदा ॥१९॥ तत्रेयं तेन कथा कविना निःशेषगुणगणाधारे । મિટિન વિતાશ્રિમમvguઘેર + ૨૦ ૧ ૧. અતુલ્ય રથયાત્રાને કારણે સર્વ દેવભુવનથી વધી જતું, ઉત્તમ જયપતાકાથી વિભૂષિત અને નિરંતર પ્રમોદને કરાવતું જિતેંદ્ર ભગવાનનું ભુવન જે નગરમાં આવી રહેલું છે, જે નગરની ટંકશાળામાં ધન-પૈસા છે, જેના સદેવ ( રાગરહિત દેવ ) ના મંદિરોમાં ધર્મ છે અને જેના સ્ત્રીવર્ગમાં Page #345 -------------------------------------------------------------------------- ________________ ભિધમાલમાં પ્રકાશન ઃ ] ભિલ્લમાલ નગરમાં રહીને આ કથા કહી સંભળાવી. અનાવ્યા પછી જાહેર સભામાં ગ્રંથ વાંચવાના રિવાજ અગાઉ હાય એમ જણાય છે. એ રીતે ગ્રંથને પ્રસિદ્ધ કરવામાં આવતા હશે એમ અનુમાન થાય છે. સલ્લમાલ નગરનું વર્ણન વાંચવા જેવુ છે. એને દેવભુવન કરતાં પણ વિશેષ ગણ્યું છે, કારણ કે એ સર્વ રીતે દેવભુવન જેવું તેા છે, પણ દેવભુવનમાં રથયાત્રા મહાત્સવ થતા નથી, આ નગરમાં થાય છે તેથી તે રીત એ દેવભુવનથી ચઢી જાય છે. ૩૦૩ પ્રમદ્ શબ્દ શા માટે વાપર્યો હશે તે સમજવું મુશ્કેલ છે. પ્રમદના અર્થ ‘ છકેલ-પીધેલ, બેદરકાર ' એવા થાય છે. આખા દિવસ ધમાલમાં રહેનાર એ નગર હશે એમ જણાય છે. " ત્યાં ધર્મ, અર્થ અને કામ ત્રણે પુરુષાર્થ સાધવામાં લેાકા રસ લેતા હતા ત્યાં એકલા ધનની ધમાલ જ નહેાતી. અથવા તે ત્યાં કામક્રીડા જ નહેાતી, તેની સાથે લેાકેા મંદિરામાં જાય ત્યાં ધ પણ કરતા હતા. - સર્વ ગુણાના આધારભૂત ' એ જરા અતિશાક્તિ જેવુ લાગે છે. આખી દુનિયાના સર્વ ગુણ્ણાના આધાર એક નગર પર હાય તે કવિની ઘટના છે. ભિલ્લમાલ નગર જોધપુર પાસે મારવાડમાં આવેલું છે. શ્રીમાળી વાણી વર્ગની ઉત્પત્તિ એ નગરમાં થઈ હતી. ટાડના રાજસ્થાનમાં એ નગરની અનેક હકીકતા આવે છે. નવમા દશમા સૈકામાં જૈન ધર્મની જાહેાજલાલી મારવાડ મેવાડમાં વધારે હતી તે અત્યારે મ ંદિરના અવશેષા જોતાં જરૂર જણાઇ આવે છે. ઉદેપુર પાસેના એક ગામમાં અત્યારે સા દેરાસર માજીદ છે, પ્રતિમા નથી, ભૂમિમાં ભંડારી દીધેલ હશે એમ જણાય છે. મારવાડ મેવાડના કેટલાંક કામ છે, જ્યાં આવીરીતે ( ધર્મ, અર્થ, કામ, રૂપ ) ત્રણગણા આનદ સદા જામેલા રહે છે. એવા સર્વ ગુણગણુના આધારભૂત ભિલ્લમાલ નામના નગરમાં કવિ શ્રીસિદ્ધર્ષિ)એ આ કથા મુખ્યમંડપમાં રહીને કહી સભળાવી. ૧૮–૨૦ Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ [ ઐતિહાસિક નજરે સિર્ષિક મંદિરે તે મેટી ટુકે જેવાં છે. બાવન જિનાલય સાથેના દેરાસરને પાર નથી. જેના કેમની ઐતિહાસિક જાહોજલાલી કેવી હશે તેને ખ્યાલ કરે હોય તે આ પ્રદેશમાં એક વાર ફરવા જેવું છે. રેલવેની ઝડપી મુસાફરીથી ખરે ખ્યાલ આવે તેમ નથી, ગામે ગામ ગાડામાં અથવા મેટરમાં ફરવાથી જેન સમૃદ્ધિની વિશાળતા અને વર્તમાન યુગની ભયંકર ઉપેક્ષા નજરમાં આવે તેમ છે. પ્રશસ્તિના નવમા લેક પરથી જણાય છે કે એ જ ભિલ્લમાલ નગરમાં દુર્ગસ્વામી કાળધર્મ પામ્યા હતા. તેમણે ઘણે સમય મારવાડમાં વિહાર કર્યો હશે એમ એ સમયના પુસ્તક વાંચતા સમજાય છે. જ્યારે અગ્રિમ સભામંડપમાં આ કથા કવિશ્રી સિદ્ધર્ષિએ કહી સંભળાવી હશે ત્યારે કેવો આનંદ આવ્યું હશે તે કપીને માનસિક ચિત્ર ખડું કરવા જેવું છે. અનેક દેવમંદિરેથી પવિત્ર થયેલા પૈસાના રણુણાટથી ગાજી રહેલા અને લીલાવતી લોક ( સ્ત્રીઓ થી ધમધમી રહેલા એ નગરમાં આ કથા વંચાણું હશે ત્યારે ખરેખર આનંદની લહરીઓ જામી હશે. કદાચ સભાસ્થાન ઘણું મોટું હશે, તે પણ લોકે સમાઈ ન શકવાને પરિણામે નાનું થઈ પડયું હશે. જે નગરમાં અતિ નમ્ર લેખક આવ્યા હશે, રહ્યા હશે, રચના તૈયાર કરી હશે અને અગ્ર સભામંડપમાં જેમણે તે કહી બતાવી હશે તે નગરને ધન્ય છે! શ્રીસિદ્ધર્ષિએ પિતાના ગ્રંથને લાકડાની પેટમાં મૂકવા ગ્ય જ કહ્યો છે, પિતાનું નામ “ સિદ્ધ ” એટલું જ નાનું કહ્યું છે અને પિતાને માટે કઈ પણ સારે શબ્દ આખા ગ્રંથમાં વાપર્યો હોય તે છેલ્લા વશમા શ્લોકમાં “કવિ” શબ્દ છે. આ નમ્રતા અતિ વિશિષ્ટ છે, હદ બહારની છે, ખાસ અનુકરણીય છે. આ કથાનું પબ્લીકેશન (જાહેરાત ) શ્રી ભિલ્લમાલ નગરમાં થયું એમ પ્રશસ્તિના આ વિભાગ પરથી જણાય છે. તે કઈ જગ્યાએ બનાવવામાં રચવામાં આવી હશે તે કાંઈ કહી શકાય નહિ. જેનના સાધુઓ એક સ્થળે સ્થિર રહેતા નથી અને આ કથા એટલી વિવિધતાથી ભરપૂર છે કે એક સાથે તે બનાવી શકાય નહિ. વળી એવી જાહેરાતની તારિખ જેઠ શુદિ પ હવે પછી આવશે તે જોતાં Page #347 -------------------------------------------------------------------------- ________________ ભિલમાલમાં રચના :] ૩૦૫ ચોમાસા પહેલા એ સમય છે, એટલે એ વર્ષમાં ચાતુર્માસ કરવા શ્રીસિદ્ધર્ષિ ભિન્નમાલ નગરે પધાર્યા હોય અને ત્યાં મુખ્ય સભામંડપમાં આ કથા વાંચી હોય એ બનવાજોગ છે. એ આખી કથારચના એક નગરમાં અથવા એકી સાથે બની હશે કે કેમ થયું હશે તે નક્કી કરવાનું કેઈ સાધન પુસ્તકમાંથી મળતું નથી. આ ગ્રંથ તૈયાર કરતાં કેટલે વખત થયે હશે તે કહેવું પણ મુશ્કેલ છે. પ્રભાવકચરિત્રમાં તેની જે હકીક્ત આવે છે તે વિચારતાં અસાધારણ બુદ્ધિશલ્યના ધણું શ્રી સિદ્ધર્ષિને પ્રેરણા થઈ તેના પરિણામે આ ગ્રંથ લખાયો છે. આ સંબંધમાં પુસ્તકમાંથી કોઈ પણ પ્રકારને પુરાવા મળતો નથી. ભિલ્લમાલ નગરમાં જૈનધર્મની જાહોજલાલી ખૂબ વર્તતી હશે એમાં શક નથી. ત્યાંના દેરાસર રથયાત્રા આદિનું વર્ણન વાંચતાં જૈન ઇતિહાસમાં એ નગરે ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો હશે એમ જણાય છે. ગુર્જર લેકેના ત્રણ મોટાં રાજ્યો થયાં જણાય છે. ખૂદ “ગુજરાત” શબ્દ ગુર્જર–રટ્ટ-ગુર્જર-રાષ્ટ્ર ઉપરથી આવેલ છે એમ પ્રાચીન ઈતિહાસકારોનું માનવું શોધખોળને પરિણામે થયેલું છે. ભિલ્લમાલ અથવા ભિન્નમાલ અથવા ભિન્માલમાં ગુર્જર રાજાઓ રાજ્ય કરતા હતા. વલ્લભિ અને નાંદેદમાં ગુર્જર રાજાઓનાં રાજ્ય નવમા સૈકામાં હતાં. આ ભિલ્લમાલ અને શ્રીમાલ એક જ નગર હતા. મારવાડને એ વિભાગ તે વખતે ગુજરાતમાં હતો એટલે કે ગુજરાતની સરહદ તે વખતે ભિલ્લમાલ નગર સુધી જરૂર હતી. ધીમે ધીમે ત્યાંથી ગુર્જર નીચે ઉતરતા આવ્યા જણાય છે. ભિલ્લમાલને પ્રાચીન ઇતિહાસ જાણવા માટે ટેડનું રાજસ્થાન, વણિક જ્ઞાતિની ઉત્પત્તિને ઈતિહાસ અને ગુજરાતને પ્રાચીન ઈતિહાસ વિગેરે ગ્રંથો જેવા. ૧. ગુજરાતને પ્રાચીન ઇતિહાસ. ગુ. વર્નાક્યુલર સોસાયટિ. પ. ૪ Page #348 -------------------------------------------------------------------------- ________________ ३०६ [ ઐતિહાસિક નજરે સિદ્ધર્ષિક (b) શુદ્ધ નકલ ( Hair Copy ) પ્રતિપુસ્તક. આપણે પ્રશસ્તિમાં આગળ વધીએ. ૨૧ મા લેકમાં પ્રતિકાર ગ્રંથકાર લખે છે કે – प्रथमादर्श लिखिता साध्व्या श्रुतदेवतानुकारिण्या । दुर्गस्वामीगुरूणां शिष्यिकयेयं गणाभिधया ॥ २१ ॥ એને અર્થ નીચે પ્રમાણે કર્યો છે—“ અસલ પુસ્તકમાંથી એની પહેલી કોપી દુર્ગસ્વામીની શિષ્યા મૃતદેવતાનું અનુકરણ કરનારી ગણ નામની સાધ્વીએ લખી.” આ બહુ મજાને શ્લોક છે. એને જરા છૂટા પાડી વિચારીએ. સાથે ધ્યાનમાં રાખીએ કે તે વખતે મુદ્રણકળા નહોતી. ગ્રંથકાર ગ્રંથ તૈયાર કરે તેને જાહેર કરવા માટે એની પ્રત-કેપીઓ તૈયાર કરવી પડતી હતી. આ એટલે પ્રતિપુસ્તક. આદર્શ એટલે દર્પણ આટે એને અર્થ આપે છે કે The original manuscript from which a copy is taken એટલે જે અસલ પુસ્તક પરથી કોપીઓ તૈયાર થાય તે. એટલે છૂટા છૂટા પાનામાં ચેરચૂકવાળી મૂળ પ્રત જે લેખકે બનાવી હોય તેના ઉપરથી પ્રથમની અસલ પ્રત-ફેર કાપી ગણું નામની સાધ્વીશ્રીએ લખી હશે એમ લાગે છે. એ આદર્શ કેપીમાંથી પછી બીજી અનેક કેપીઓ થઈ હશે. ગ્રંથકર્તા ગ્રંથ બનાવે, સુધારે, વધારે અને પછી છેવટની કેપી તૈયાર થાય, તેમાં પણ દષ્ટિપાત કરી જાય અને છેવટે ચેરચૂક કરતાં જે શુદ્ધ કેપી તૈયાર થાય તેમાંથી તદ્દન આદર્શ કેપી–શુદ્ધ કેપી સાફ દસ્કો લખી તૈયાર કરે તેને મારી કહેવી ઘટે. દુર્ગસ્વામીને પરિચય આપણને ઉપર થઈ ગયે. શશાંક(ચંદ્ર)નાં કિરણ જેવા નિર્મળ ચારિત્રવાળા એ મહાત્મા ભિલ્લમાલ નગરમાં અસ્ત થઈ ગયા (લેક૯). એ દુર્ગસ્વામીની શિષ્યા શ્રી ગણુ નામની સાધ્વી હતી. એ સાધ્વીએ આ પુસ્તકને પ્રથમ આદશમાં લખ્યું. એ સાધ્વી કેવી હતી તેનું વર્ણન મહાપ્રતિભાશાળી એક Page #349 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપુસ્તક : ] ३०७ , શબ્દમાં આપ્યું છે. અને ‘ શ્રુતદેવતાનુકારિણી ' કહીને વર્ણવી છે. એટલે શ્રુતદેવી સરસ્વતી દેવીનુ અનુકરણ કરનારી ખતાવી છે. મતલબ એ સરસ્વતીના ભંડાર હશે, પુસ્તક લખવાની આવડત એનામાં બહુ સુ ંદર હશે અને અસલ આદશ કાપી દર્પણુ જેવી તૈયાર કરવાની એનામાં તાકાત હશે. આવી ગણા નામની સાધ્વીએ આ ગ્રંથના પ્રથમ આદર્શો તૈયાર કર્યો. શ્રુતદેવતાને અનુકારી-શ્રુતદેવતાની નકલ કરનાર-સરસ્વતીના અવતાર જેવી સાધ્વી એ સમયે વિદ્યમાન હતી તે હકીકત બહુ આનંદ આપે તેવી છે. એવી સાધ્વીને જોઇએ તેા આપણને શ્રુતદેવી ચાદ આવ–સામે શારદા ખડી થઇ જાય–એ વાત ઘણી મજાની લાગે છે. અત્યારનાં સાધ્વીજીવનાએ આ એક વિશેષણ ઉપરથી ઘણુ શીખવા જેવુ છે. શ્રુતદેવીની નકલ કરનાર કેટલી સાધ્વી અત્યારે મળે ? ન મળે તા શા માટે ? પ્રયાસથી તેમ થઇ શકે કે નહિ ? આવા તે ઘણા પ્રશ્નો થાય. એને આપણે સાધ્વીઓના વિચાર પર અને તેમને વર્તમાન સ્થિતિમાં રાખી મૂકનાર વર્ગ ઉપર રાખીએ. એક બીજી વાત. સ્ત્રીવર્ગથી સંસ્કૃત ભાષાના અભ્યાસ ન થઇ શકે એવી પ્રાચીન માન્યતા હતી. સ્ત્રીએ તેટલા માટે નોતૢત્તિ દ્વાચાર્યોપાધ્યાયલયેસાષુમ્યઃ હજી પણ ખેલી શકતી નથી. ‘નમાઽસ્તુ વ માનાય’ અને ‘ વિશાલલેાચનદલ ને બદલે સમસંસ્કૃત ત્રણ સ્તુતિઓ ખેલે છે.? આ પ્રાચીન મંતવ્યમાં સુધારા થયા તે વખતે અથવા તે વખત પછી આ પુસ્તક લખાયુ` હાવુ જોઇએ. સંસ્કૃત ભાષાના અસાધારણુ કાણૢ વગર આવા પુસ્તકનું આદર્શ પુસ્તક લખવું–પ્રથમ કાપી તૈયાર કરવી એ કાંઇ સંસ્કૃત ભાષાના પૂરતા અભ્યાસ વગર મને નહિ. કાચી કેાપીમાંથી છેવટની કાપી તૈયાર કરનારમાં ઘણી વખત અસલ લેખક કરતાં વધારે જ્ઞાનની જરૂર પડે છે, એ વાત બાજુએ રાખીએ તે પણ ઘણા સારા સંસ્કૃત જ્ઞાનની તા આવશ્યકતા જરૂર રહે જ. ૧ નમાત, નમેઽસ્તુવ માનાય અને વિશાળલોચન–આ ત્રણે બારમા દૃષ્ટિવાદ અંગમાંથી ઉદ્ધરેલ હાવાથી અને તે અંગ ભણવાને સાધ્વીને અધિકાર ન હાવાથી તે ખેલવાની અનુજ્ઞા નથી. સંસ્કૃત ભાષા માટે ખાસ નિષેધ નથી. કુંવરજી Page #350 -------------------------------------------------------------------------- ________________ [ ઐતિહાસિક નજરે સિહર્ષિ : આકી તેા આવા મહાપુરુષ વિશિષ્ટ લેખકના સમયમાં જીવવું એ જ મેાટી વાત છે. જે ગળા કાળના પ્રવાહમાં તણાઇ ગઈ હાત, તે આજે હજાર વર્ષે પણ જીવતી રહી છે તે મહાપુરુષના પરિચય, મહાપુરુષના સંસર્ગ અને મહાપુરુષની સેવાને લઇને જ અન્યું છે. એ શ્રુતદેવીને અનુકારિણી દેવી ગણાશ્રીજીને અંતરના નમસ્કાર હેા ! એનુ અનુકરણ વર્તમાન સાધ્વીએ કરી અનેક ગણા થાય એવી ભાવના રાખીએ તેા આ જીવનચરિત્ર લખવાને સર્વ પ્રયાસ ખરેખર સફળ થાય. ધન્ય દેવી ગણુાને ! એના આદર્શો તે ખરા આદર્શ નીવડ્યો. ૩૦૮ (૦) ગ્રંથની તારિખ— પ્રશસ્તિના ૨૨ મા લૈક નીચે પ્રમાણે છે: संवत्सरशतनवके द्विषष्टिसंहितेऽतिलङ्घिते चास्याः । ज्येष्ठे सितपञ्चम्यां पुनर्वसौ गुरुदिने समाप्तिरभूत् ॥ २२ ॥ “ સંવત ૯૬૨ ના સંવત્સર ઘણા પૂરા થતાં જે દિ ૫ ને ગુરુવારે પુનર્વસુ નક્ષત્રમાં આ ગ્રંથ પૂરા થયા.” સ્પષ્ટ શબ્દોમાં હકીકત રજૂ કરી છે કે આ ઉપમિતિ ગ્રંથ સવત્ ૯૬૨ ના જે શુદિ પાંચમને દિવસે પૂરા થયા. તે દિવસે ગુરુવાર હતા અને પુન સુ નક્ષત્ર હતું. આટલી સ્પષ્ટ હકીકત કાઇક જ ગ્રંથમાં હેાય છે. હવે એમાં એક જ સવાલ રહે છે કે સંવત્ એટલે કયા સંવત્ ? કારણ કે સ ંવત્ અનેક છે. જૈન પુસ્તકામાં વીર અને વિક્રમ સંવતા તે ઘણા પ્રચલિત છે. એ સિવાય ગુપ્ત ને શક આદિ સંવત્સરી છે. પ્રથમ વિક્રમ સંવત્ તપાસીએ. કાકાદિ વર્ષ ગણીએ તે સંવત ૯૬૨ ના જેઠ શુદિ ૫ ને દિવસે ગુરુવાર આવે છે અને પુનર્વસુ નક્ષત્ર સૂર્યોદયથી ખપેાર સુધી છે. એને મળતી અંગ્રેજી તારિખ ૧ લી મે સને ૯૦૬ આવે છે. આમાં સર્વ ખાખતના ઘાટ એસતા આવે છે. સ્વામી કન્તુ પીલાઈ દિવાનમહાદુર ઈન્ડીઅન એફીમેરીસ ( Indian Ephemeris )ના મેટાં પુસ્તકા બહાર પાડ્યાં છે Page #351 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથની તારિખ : ] ૩૦૯ અને મદ્રાસની ગવર્મેન્ટે તે છપાવ્યાં છે, જેના પ્રથમ વિભાગમાં ઇસ્વી સન ૭૦૦ થી ૧૭૯૯ સુધીના ટેબલેા આપ્યા છે તેથી પણુ આ વાત બરાબર મળતી આવે છે. હવે જો એને વીર સ ંવત - ગણીએ તે તે દિવસે ૭ મી મે સને ૪૩૬ આવે છે. તે દિવસે ગુરુવાર તે આવે છે, પણ સૂર્યોદય વખતે પુષ્ય નક્ષત્ર થાય છે અને બે કલાક પછી અશ્લેષા નક્ષત્ર થાય છે. તે દિવસે પુનર્વસુ નક્ષત્ર થતુ નથી. તેથી વીરસંવત લાગુ થઈ શકે તેમ નથી. તે ઉપરાંત વીરસવત ગણવામાં એક ખીજે વાંધે એ આવે છે કે તેની સાથે વિક્રમ સંવત ૪૯૨ આવે છે. પ્રે!. પીટરસને રેયલ એસીઆટીક સેાસાયિટ( ખાંખે બ્રાંચ )ના પાંચમા પુસ્તકના પાંચમે પાને એને સંવત ૫૯૨ માન્યા છે તે માદબાકીમાં ચેાખી ભૂલ થઇ છે. ૯૬૨ માંથી ૪૭૦ બાદ કરીએ એટલે ૪૨ જ બાકી રહે. શ્રી મહાવીર પછી ૪૭૦ વર્ષે વિક્રમ સંવત શરૂ થયા એ આનતકરારી બાબત છે. બાદબાકી કરવામાં પ્રેફેસર ચૂકી ગયા લાગે છે. હરિભદ્રસૂરિની તારિખ જૈન દંતકથા પ્રમાણે સત્ય હૈાય તે પ શ્રી સિદ્ધર્ષિ ૪૯૨ માં ગણતાં તે તેના પૂર્વ કાળના થઈ જાય છે. તેથી કાઇ પણ રીતે ૬૨ને વીરસ ંવત લાગુ થઇ શકે તેમ નથી. પ્રેા. પીટરસને વર્ષની ગણતરીને અંગે પોતાના રિપોર્ટમાં ઘણી જગ્યાએ સ્ખલના કરી હેાય તેમ દેખાય છે. નીચેની મામત વિચારતાં તેમનાં પરિણામે શ્રી હરિભદ્ર અને સિદ્ધર્ષિને અંગે માન્ય રાખી શકાય તેમ નથી. પ્રેા. પીટરસન એ જ રિપોર્ટ માં ગર્ષિના સમય વિક્રમ સંવત ૯૬ર લખે છે. ગષિ મહારાજ શ્રી સિદ્ધર્ષિના દીક્ષાગુરુ થાય એ વાત પ્રશસ્તિથી જણાય છે તેથી સદર હકીકતને ટેકા મળે છે. સૂરાચાય ના સમય પ્રેા. પીટસન તેજ રિપોર્ટમાં ભીમરાજ સાલકીના વખતમાં મૂકે છે. એને ભેાજરાજને સમય પણ કહે છે. એ સૂરાચાર્ય આ ગ્રંથની પ્રશસ્તિના પ્રથમ પાત્ર હેાય તે તેઓ શ્રી સિદ્ધર્ષિના પૂર્વગુરુ થાય, નિવૃત્તિકુળના આચાય થાય અને એ લાટ દેશના વિભૂષણ હેાઇ, તેમના સમય જો નવમા સૈકામાં હાય તા પછી સિદ્ધર્ષિ તેની પહેલાં હેાવાની વાત ટકે તેમ નથી. આ સૂરાચાય અન્ય છે એમ ઉપર બતાવાઇ ગયું છે. Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ [ ઐતિહાસિક નજરે સિદ્ધર્ષિક છે. પીટર્સને ગણતરીમાં ભૂલ કરેલી હોવાને કારણે તેમણે આણેલું પરિણામ ટકે તેમ નથી. બાકી ગુપ્ત કે શક સંવતને તે સવાલ જ રહેતા નથી, કારણ કે તે દિવસે ગુરુવાર અને પુનર્વસુ નક્ષત્ર આવતાં નથી. આ બાબતને વધારે વિસ્તાર અને અનામત રાય સંબંધી વિસ્તૃત વિચારણું આગળ હરિભદ્રસૂરિ સાથે શ્રી સિદ્ધર્ષિ ગણિને સમય જેઠવા સંબંધી ઉલ્લેખ આવશે ત્યાં કરવામાં આવશે. પ્રશસ્તિના આ વિભાગનો સાર એ છે કે આ ગ્રંથ સંવત ૬૨ ના જેઠ શુદિ ૫ ને દિવસે બનાવ્યું. તે દિવસે ગુરુવાર હતા અને પુનર્વસુ નક્ષત્ર હતું. બીજા ટેબલ ઉપરથી એ વિક્રમ સંવત હતા એમ જણાય છે. એટલે અંગ્રેજી ગણતરી પ્રમાણે તે દિવસ તા. ૧-૫-૯૦૬ ગુરુવારે આવે છે. (અહીં પ્રસંગેપાર વાત કરવાની જરૂર છે કે હિંદના લેકેની ગ્રહ ગણતરી પૂર્વકાળથી બધા ચેકસ હતી. તેઓએ ઘણું બનાવને પ્રસંગે જુદા જુદા ગ્રહોનાં સ્થાન કયાં હતાં તેની ચેખી નેંધ કરી રાખી છે. આકાશમાં ગૃહચાર દરરોજ થાય છે, પણ એક સરખી સ્થિતિ ઘણું વરસે આવે છે. એટલે મંગળ અમુક ઘરે હાય, તે જ વખતે બુધ, ગુરુ, શુક્ર, ચંદ્ર, રવિ અમુક જ ઘરે હેય અને એ સર્વને યોગ એક સાથે થાય એવો પ્રસંગ દશ વીશ હજાર વર્ષે ફરી વાર ભાગ્યેજ થાય છે. અને ગણતરીથી એ યુગ મુકરર થાય તો અમુક બનાવની તારિખ મુકરર કરવામાં ઘણું સગવડ પડે. મહાભારતની લડાઈ, મહાવીર કે બુદ્ધનો સમય, રામ રાવણ યુદ્ધ વિગેરે બનાવોની તારિખ આ ગૃહચારને ઉલ્લેખ બહુ સારી રીતે મુકરર કરી આપે છે. એની સગવડ સારું જર્મન ભાષામાં તો અનેક ટેબલે છપાયા છે. જ્યોતિર્વિદ જર્મન સાક્ષરેએ આ દિશામાં બહુ કામ કર્યું છે અને ઉપરોક્ત પંડિત સ્વામી કનુ પલાઈના ગ્રંથાએ ઘણે નો પ્રકાશ પાડ્યો છે. ઉદ્યોગી માણસે કેટલું કામ કરી શકે છે તે જોવા સમજવા માટે પણ સદર ગ્રંથે ઘણું ઉપયોગી છે અને શોધખોળ કરનારને એક નવીન દષ્ટિબિન્દુ પૂરું પાડે છે. પ્રેરણા માટે આટલે બાજુને ઉલ્લેખ અત્ર અપ્રસ્તુત છતાં ગ્ય ગણવામાં આવ્યો છે.) - - Jain Education Interational Page #353 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથામ : ] ૩૧૧ (1) પ્રથા– (ગ્રંથ-ક તેનું અગ-પરિમાણ ) છેવટે લખે છે કેग्रन्थानमस्या विज्ञाय कीर्तयन्ति मनीषिणः ॥ अनुष्टुभां सहस्राणि प्रायशः सन्ति षोडश ॥ २३ ॥ બુદ્ધિવાળા મનુષ્ય આ ગ્રંથનો ગ્રંથાગ જાણીને કહે છે કે એ લગભગ અનુષ્ટ્રભની રીતે સેળ હજાર છે.” અગાઉ દરેક પુસ્તકનું પ્રમાણ છેવટે લખવાનો રિવાજ હતો. અત્યારે જેમ પૃષ્ઠો આટલાં છે અને કદ ( રેયલ, ડીમી, સુપરરોયલ વિગેરે) આ છે એમ ગણાય છે તેમ લખેલ પ્રતાના ગ્રંથ ગણુતા હતા. ગ્રંથ એટલે ૩૨ અક્ષર, બત્રીશ અક્ષરને એક ગ્રંથ ( ક) ગણુ જેટલા ગ્રંથ થાય તેટલે અમુક ગ્રંથને ગ્રંથાગ કહેવામાં આવે. લહીઓને કેપી કરવાના પૈસા અપાતા તે પણ ગ્રંથાગ્ર ઉપર મુકરર કરવામાં આવતા. લખેલી પ્રત વેચાતી લેવામાં આવે તે પણ ગ્રંથાગ ઉપર લેવાતી. ઘણે ભાગે એક હજાર લોકને ભાવ કરવામાં આવતે. ગણતરી ગણવા માટે ગમે ત્યાંથી એક એક પંક્તિમાં કેટલા અક્ષરો આવ્યા છે અને પ્રત્યેક પાના પર કેટલી પંક્તિ છે તે ગણ-ગુણાકાર કરવામાં આવતા અને તેને ૩૨ વડે ભાંગી ગ્રંથાગ્ર કઢાતે. દાખલા તરીકે કઈ પ્રતમાં ૨૦૦ પાના હોય તે બે ચાર જગ્યાએથી તેના પંક્તિના અક્ષરો ગણું લેતા. ધારો કે દરેક પંક્તિમાં ૬૫ અક્ષર થયા. પાનાની એક બાજુએ ૩૨ પંક્તિ હોય તે ૬૫ ને ૬૪ વડે ગુણી તેને ૩૨ વડે ભાગવા અને તેને ૨૦૦ વડે ગુણવા એટલે ગ્રંથાગ્ર થાય. લખનારાની કલમ એવી એકધારી રહેતી કે આખી પ્રતમાં એક સરખા મેતીના દાણા જેવા અક્ષર આવે અને ઘણે ભાગે અક્ષરની વધઘટ ન થાય. એ હિસાબે આ ગ્રંથમાં ૧૬૦૦૦ ગ્રંથાગ્ર છે એમ ગણતરી કરેલી છે. આ પ્રમાણે પ્રશસ્તિની વિચારણા પૂરી થઈ. Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૧ર [ ઐતિહાસિક નજરે સિહર્ષિ : ૨ ગ્રંથકર્તાના ચરિત્ર સબંધી ગ્ર ંથમાંથી મળતી હકીક્તા વ શ્રી સિદ્ધર્ષિના ચરિત્રન અંગે બીજી જે પૈકીકતા તેમના ગ્રંથમાંથી પ્રાપ્ત થતી હાય ત વિચારી તેના સાર કાઢીએ. આ સર્વ ખાબના અનુમાનને અવલ ખીને કરવાની છે એ ધ્યાનમાં રાખવું; છતાં ગ્રંથમાંથી કેટલી હકીકતા મળે છે તે જરૂર વિચારવી તે ઘટે. તેનુ પ્રથક્કરણ કરતાં કઈ કઈ વાતા મળે તેમ છે તે આપણે વ જોઇએ. કાક' ગ્રંથકર્તા પાનાનું ચરિત્ર ગ્રંથમાં લખતા નથી. શ્રી સિદ્ધર્ષિગણુએ અથી તદ્દન જુદી જ લાઇન લીધી છે. આત્મચરિત્ર લખતાં પ્રશંસા લખાઇ નય તા અયેાગ્ય થાય. તેથી પાતાની કથા લખવામાં બહુ જોખમ છે. જીવનચરિત્ર ( Biography ) બહુ બેધ કરનાર હાય છે, કારણે નવલકથા વાંચનાર જાણે છે કે તે ગ્રંથ બનાવટી છે, ક્ષિત છે, અટલે મગજ અને હૃદય ઉપર અની ખરી અસર થતી નથી, પણ જીવનચરિત્રનાં પાત્રા તા જીવતાં હાય છે તથી તેની અસર જરૂર થાય છે. આપણે હેમચંદ્રાચાર્ય કે પ્રભાવકચરિત્રમાંના કોઇ પણ પ્રભાવશાળી નરરત્નનું ચરિત્ર વાંચીએ છીએ ત્યારે આપણને અનેરા આન ંદ થાય છે. તથી વધારે અઘરું કામ આત્મકથા ( Auto-biography) લખવાનું છે. લખનાર પાનાનુ જ ચરિત્ર લખે એટલે એમાં તા પેાતાની નાની મોટી વાતા લખવી જ પડે અને તે વખતે સમાવસ્થા અને તુલના રહેવી બહુ મુશ્કેલ પડે. આ પ્રમાણે હેાવા છતાં આત્મકથા લખાયલી આપણે વાંચીએ છીએ. વ્યવહારુ સુશીખતાને બાજુએ મૂકીને આખા પ્રથમ પ્રસ્તાવ શ્રી સિદ્ધર્ષિએ પેાતાના ચરિત્રના લખ્યા છે, પણ એમાં વિશિષ્ટતા કેવી યુક્તિથી આણી શકયા છે તે આપણે જોવાનુ છે. તેઓશ્રીએ પેાતાનું ચરિત્ર જ પ્રથમ પ્રસ્તાવમાં લખ્યુ છે તેમાં કાંઇ શંકા નથી. પૃષ્ઠ ૫૩ ( પ્રથમ પ્રસ્તાવ ) માં કહે છે કે “ એ અષ્ટમૂલપત નગરમાં નિપુણ્યક નામના ભિખારી છે એમ Page #355 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકર્તાને પરિચય : ] ૩૧૩ કહ્યું છે તે આ સંસારમાં સર્વજ્ઞશાસનની પ્રાપ્તિ થયા પહેલાં અહીંતહીં ચારે ગતિમાં રખડનારે મારો જીવ જાણ” અને પૃષ્ઠ ૨૧૭ (પ્રથમ પ્રસ્તાવ) માં ઉપસંહાર કરતાં સ્પષ્ટ કહે છે કે “મેં મારા જીવની અપેક્ષાએ અહીં જે જે કહ્યું છે તે ઘણે ભાગે સર્વ છોને લાગુ પડી શકે તેવું છે. ” છતાં આ કથા લખવામાં એમને પિતાની ખ્યાતિનો વિચાર નહોતે, પણ બે મુદ્દા ખાસ ધ્યાનમાં રાખીને એમણે પોતાનું ચરિત્ર લખ્યું છે – ૧. લેખકશ્રીની એવી દઢ માન્યતા હતી કે આત્મનિંદા કરવાથી ઘણે લાભ થાય છે. (પૃ. ૨૧૭). ૨. પિતે એક એવું ચરિત્રં લખવા માગતા હતા કે જે સર્વ જીવોને લાગુ પડે અને તે દ્વારા સંસારને પ્રપંચ બતાવાય અને શુદ્ધ માર્ગના રસ્તા રજૂ કરાય, અને સાથે તેમ કરતાં તે દ્વારા ગ્રંથને સંકેત બતાવાય. આ ચરિત્ર લખવાને હેતુ તેઓને પિતાનું જન્મચરિત્ર લખવાનો નહોતે પણ પોતાને સંસારના સર્વ પ્રપંચો બતાવનાર એક સુંદર ગ્રંથ લખો હતો અને તેના પ્રત્યેક અર્થમાં ઊંડા આશય ઉતારો હતો. આશય જે વારંવાર બતાવે તે ગ્રંથગેરવ વધી જાય અને કથાની મીઠાશ ચાલી જાય. તે સર્વ દૂર કરવા માટે ગ્રંથની શરૂઆતમાં પોતાનું નાનકડું ચરિત્ર લખી નાખી તેના પ્રત્યેક શબ્દની યોજના બતાવી, પ્રત્યેક ગતિની ઉપયુક્તતા રજૂ કરી, સંકેત બતાવી, પછી જણાવી દીધું કે હવે જે કથા રચવામાં આવે છે તેનો પ્રત્યેક શબ્દ અર્થગર્ભિત, આશયગર્ભિત અને રહસ્યગર્ભિત છે તે વાંચનારે સમજી લેવું. આ પ્રકારને આશય તેમણે પૃ. ૨૧૬ માં બરાબર બતાવ્યો છે. એટલે આત્મચરિત્ર લખનારમાં સ્કૂલના થવાનો સંભવ રહે તેને અહીં તદ્દન અભાવ જ છે. હવે તેમણે જે પિતાનું ચરિત્ર પ્રથમ પ્રસ્તાવમાં રજૂ કર્યું છે તેમાં કાંઈ અંગત તત્વ છે કે સામાન્ય વાર્તા છે તે જોઈએ. પ્રથમ પ્રસ્તાવમાં તેમણે જે ચરિત્ર લખ્યું છે તેના બે વિભાગ પડી શકે તેમ છે: ૪૦ Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ [ ઐતિહાસિક નજરે સિહર્ષિં ઃ ( ૧ ) નિપુણ્યકની ઓળખાણ, ધ બાધકર અને નિપુણ્યક, તદ્યા અને સત્બુદ્ધિ, શાસનપ્રાપ્તિ, દીક્ષા અને સપુણ્યક નામ, આ આટલા વિભાગ સર્વ સામાન્ય જણાય છે. પૃ. ૨૧૭ માં લેખક પેાતે કહે છે કે “ અહીં મારા જીવની અપેક્ષાએ જે જે કહ્યુ છે તે તે સર્વ ઘણે ભાગે બધા જીવાને લાગુ પડી શકે તેવું છે. ” હકીકત સર્વ જીવાને લાગુ પડે તેવી છે અને ખાસ કરીને કષ્ટસાધ્ય વર્ગના સઘળા જીવાને વગર શકે લાગુ પડે તેવું એ વિભાગનું ચરિત્ર છે. (૨) ખીજા વિભાગમાં આ ગ્રંથ રચવાને અંગે શું કારણુ ખન્યું? કાઇ ઉપદેશ સાંભળવા ન આવતાં સદ્ગુદ્ધિ સાથે વિચારણા થઇ અને છેવટે આ ગ્રંથને જાહેરમાં મૂકવા નિણૅય થયેા. એ સર્વ વિભાગ ખાસ ગ્રંથકર્તાને અંગત લાગુ પડે તેવા છે અને ત્યાં એમની આત્મકથા સારણુ લખાઇ હેાય તેમ લાગે છે. સર્વ જીવાને લાગુ પડે તેવું ચિરત્ર લખવાના ખ્યાલ અત્યુત્તમ છે, પણ તેમાંથી ગ્રંથકર્તાના જીવનના કાર્યં પણ ભાગ ખાસ તારવવા અશકય છે. જ્યારે પ્રાણી પાતાને નિમિત્તે સર્વસામાન્ય ચરિત્ર લખે ત્યારે તેમાંથી તેનુ પેાતાનું ચરિત્ર તારવવું અશકય છે. અહીં તા જે પદ્ધતિએ નિપુણ્યકની કથા શરૂ કરી છે તે અનુસારે કાઈ ખાસ બાબત ગ્રંથકર્તા માટે રજૂ થઈ શકે તેમ જણાતું નથી. આ આખી હકીકત ધ્યાનમાં રાખી પ્રથમ પ્રસ્તાવ જોઈ જતાં મને એમાંથી ગ્રંથકર્તાનું ચરિત્ર તારવું અશક્ય જણાયું છે. એ માત્ર ખાધક હકીકત છે અને એના આશય સ જીવાને લાગુ પડે તેવી કથા રજૂ કરવાના જણાયા છે. પૃષ્ઠ ૫૦ માં ગ્રંથકર્તા જણાવે છે કે તત્ત્વજ્ઞ પુરુષા પ્રયેાજન વગર વિચાર, ઉચ્ચાર કેવન કરતા નથી. અત્યારે ગ્રંથકર્તાની પ્રવૃત્તિ શ્રી ઉપમિતિ ભવપ્રપંચા કથાના આરંભ કરવાની હાઈને ‘ મારી પ્રવૃત્તિનું સા કપણ્ મતાવુ છું. ’ એમ કહ્યું છે. પ્રથમના આખા પ્રસ્તાવ સમજવાની આ ચાવી છે. મતલબ ગ્રંથકર્તાએ સપ્રયેાજન ચરિત્ર લખ્યું છે. પ્રથમ પ્રસ્તાવમાં આપેલ આખું ચરિત્ર રજૂ કરવાની અહીં. જરૂર નથી. પ્રથમ પ્રસ્તાવમાં જરૂરી નેટ વિગેરે આપી ત્યાં ચેાગ્ય Page #357 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકર્તાના પરિચય : ] ૩૧૫ ખુલાસા કર્યા છે. મારા મત પ્રમાણે તે શ્રી સિદ્ધર્ષિનું અંગત ચરિત્ર છે જ નહિ, પણ સર્વ સામાન્ય ચરિત્ર છે, એટલે તે પર ખાસ ટીકા કરવાનું રહેતુ નથી. આ ગ્રંથની ઉત્પત્તિને અંગે તેઓશ્રી કહે છે કે પેાતાની બુદ્ધિ સાથે વિચાર કરતાં એવા અભિપ્રાય થયેા કે–જ્ઞાન, દર્શન, ચારિત્ર અન્યને ખૂબ આપ્યાં હાય તે વાર ંવાર તે ભવાંતરમાં પણ મળ્યાં કરે. પ્રથમ એ લેવા આવનારની રાહ જોઈ બેસી રહ્યા પણ કાઈ આવ્યું નહિ. પછી એણે જાહેર રીતે કહેવા માંડ્યું - મારું ઔષધ ગ્રહણ કરી, ગ્રહણ કરી !' પણ લાકોએ તેને કાંઈ ગણકાર્યા નહિ અને તેનાં ઔષધ લેવા કોઈ આવ્યું નહિ, અંતે એક પેટીમાં ઐષધા ભર્યાં અને તે પેટીને રાજમામાં મૂકી દીધી. કથાઉત્પત્તિના આ પ્રસંગ છે. પેટી એટલે પુસ્તક. અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આત્મકથાના આ વિભાગ સામાન્ય કે અંગત ? એમણે આ વિભાગ પેાતાની આત્મનિંદા કરવા લખ્યા છે કે ખરેખર તેમજ ખન્યું હશે. આને જવાખ ગ્રંથમાં જ છે. પ્રથમ તા કાઇપેટીની કલ્પના જ બતાવે છે કે એ વિભાગ પણ ખાધ-ઉપદેશની કક્ષામાં જ આવે છે. અન્યની કરેલી મેાટાઇ અને મિથ્યાભિમાનનાં પરિણામે બતાવવાની એક તક હાથ ધરી છે અને પેાતાની નમ્રતા બતાવવાની તક લેખકશ્રીએ લીધી છે. ઘાષણાની વાત તેા તદ્ન ચાખી છે. એ હકીકતથી સ્પષ્ટ જણાય છે કે આ આખી હકીકત એધક જ છે. જે મહાન વિભૂતિએ આ અદ્ભુત ગ્રંથ લખ્યા છે તે ઘેરઘેર જઇ પેાતાની પાસેથી ઔષધ લેવા ઘાષણા કરે અને લેાકા એને ગાંડા ગણે ( પૃ. ૨૧૦ ) એ સર્વ વાત આવા વિશિષ્ટ લેખક માટે અશક્ય છે. આવેા મારા વિચાર આ ગ્રંથના પરિશીલનથી થયા છે. જ્ઞાનાદિના ખપી પુરુષા પૈકી માટી બુદ્ધિવાળા શ્રી સિદ્ધર્ષિની પૂર્વ અવસ્થા યાદ કરી તેના તરફ ‘હસે છે ’ પણ તેને ધિક્કારતા નથી એટલી તેમની કૃપા ગણાય ્ પૃ. ૨૧૨–૩ ) એ હકીકત કાઈ અંગત અનુભવની હાય તા બનવાજોગ છે. જો કે જે મહાન.-સ્થાનેથી અને ઉચ્ચ આશયથી આ ગ્રંથ યેાજાયા છે તે જોતાં Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ [ ઐતિહાસિક નજરે સિહર્ષિ : એમના જેવા લેખક એવી રીતે કાઇ માટે ટીકા કરે એ પણ મને ચથાસ્થિત લાગતું નથી. મને તા આખા વિભાગ એધક લાગે છે. એ લખવામાં આત્મચિરત્રની પ્રસિદ્ધિની ભાવના હું ક્યાંઇ દેખતા નથી. એટલે ગ્રંથની અંદરના કાઈ વિભાગમાંથી શ્રી સિદ્ધર્ષિનુ ચરિત્ર તારવવું મને મુશ્કેલ અથવા લગભગ અશક્ય જણાય છે. એક હકીકતની સ્પષ્ટતા આ સ્થાને કરવા યાગ્ય છે. ધધકર મંત્રીને નિપુણ્યક સાથે વાતા કરતાં બતાવ્યા છે અને ત દ્વારા તેમને સીધે પરિચય હતા એ હકીકત પર ભાર મૂકીને પ્રે. જેકેાખીએ જે કલ્પના હરિભદ્રસૂરિના અને શ્રી સિદ્ધર્ષિના સંબ ંધની કરી છે ત તે સ્વત: ઊડી જાય છે, કારણ કે શ્રી હરિભદ્રસૂરિના સમય તએ શ્રી જિનવિજયજીના કથન પ્રમાણે સમરાઇન્ગ્ર કહાની પછવાડેથી લખેલી ઉપાધ્ધાનમાં કબૂલ રાખે છે અને તે પ્રમાણે તેા અને મહાત્માઓ સમકાલીન થઈ શકતા જ નથી. આથી પ્રથમ પ્રસ્તાવમાંથી શ્રીસિહર્ષિનુ જીવનવૃત્ત ઉપજાવવાની અશક્યતાના મેં જે અભિપ્રાય ઉપર માંધ્યા છે તે મારા મત હજી કાયમ રહે છે. એના અંદરના પુરાવાઓ પર અગાઉ આ વિભાગમાં વિવેચન થઇ ગયું છે. એ સિવાય ગ્રંથમાંથી જે કાંઇ હકીકત ગ્રંથકર્તા સંબધી મળે છે તે પ્રશસ્તિમાં આવેલી છે તે છે. તે પર અગાઉ વિવેચન થઇ ગયુ છે. ૩ પ્રભાવક ચરિત્રે શ્રી સિદ્ધ િપ્રબંધ સંવત ૧૩૩૪ માં પ્રભાચંદ્ર સૂરિએ શ્રી પ્રભાવક ચરિત્ર નામના ઐતિહાસિક ગ્રંથ લખ્યો છે અને સને ૧૯૦૯ માં નિહ્ યસાગર પ્રેસે મુદ્રિત કર્યો છે. તેમા ૨૨ ધુરંધર મુનિપતિઓના ચરિત્ર પદ્યમાં આપ્યા છે. તેમાં ચૌદમા પ્રબંધ શ્રી સિદ્ધષિ ગણિ સમધી છે. એના ૧૫૬ શ્લેાકા છે. એ આખા મૂળ વિભાગ અને તેનું ભાષાંતર દ્વિતીય વિભાગની આખરે આપ્યા છે. પૃ. ૧૪૩૦ થી ૧૪૪૧ સુધી મૂળ વિભાગ છે અને પૃ. ૧૪૪૨ થી ૧૪૬૦ સુધીમાં તેનું ભાષાંતર તૈયાર કરી છાપ્યું છે. તે વિભાગ પ્રથમ વાંચી જવા. અન્ન તેના ઉપર ચર્ચા કરવામાં આવી છે. ૧. જુઓ પૃ. ૨૯૬. Page #359 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક ચરિત્રમાં શ્રી સિહર્ષિને પ્રબંધ ] ૩૧૭ સદર ગ્રંથના કર્તા પ્રભાચંદ્રસૂરિ છે. એ નિર્ણયસાગર મુદ્રણના તંત્રીએ એના કર્તાનું નામ ચંદ્રપ્રભસૂરિ બતાવ્યું છે ત્યાર પછી એમ ને એમ ચાલ્યું છે. પ્રત્યેક પ્રબંધને શૃંગ કહેવામાં આવે છે અને પ્રત્યેક શૃંગની આખરે એક લેક મૂકયે છે તેમાં જણાવ્યું છે કે ચંદ્રપ્રભસૂરિની પાટે શ્રી પ્રભાચંદ્રસૂરિ આવ્યા તેમણે આ ગ્રંથ બનાવ્યું અને ગ્રંથને છેડે લંબાણ પ્રશસ્તિ ર૪ લેકની લખી છે તે પરથી આ ગ્રંથ પ્રભાચંદ્ર સૂરિ મહારાજને બનાવેલો ચોક્કસ થાય છે અને ગ્રંથની તારિખ “વેદનલ શિખિ શશિધર ” સંજ્ઞા આપી છે તેથી સંવત ૧૩૩૪ મુકરર થાય છે. ગુર્જર દેશે ભિલ્લમાલ પ્રભાવક ચરિત્રના શ્રી સિદ્ધર્ષિ પ્રબંધ ઉપર આપણે દષ્ટિ નાખી જઈએ. ગુજર દેશમાં શ્રીમાલ નામનું નગર છે. અહીં આપણે જરા ભીએ. શ્રીમાલ અને ભિલ્લમાલ સંબંધી ઈતિહાસ તપાસતાં જણાય છે કે તે હાલ મારવાડમાં આવેલ ભિલ્લમાલ ગામ છે. તે અસલ ભિલ્લમાલ અથવા શ્રીમાલ કહેવાતું હતું. ગુજર–૨ ઉપરથી ગુજરાત નામ પડેલું જણાય છે. અસલ એને વિસ્તાર ઘણે મેટે હતો. અત્યારના ગુજરાત ઉપરાંત તેમાં અત્યારનું આખું કાઠિયાવાડ અને મુંબઈ સુધીના પ્રદેશને તેમાં સમાવેશ થતો હતો અને મારૂ વાડને ઘણે વિભાગ ગુજર-રાષ્ટ્રમાં આવતો હતો. એ ગુર્જર અથવા ગુજજર લેકનું અસલ રાજ્ય પંજાબમાં આવેલું હતું અને અત્યારે પણ ત્યાં ગુજરાત પ્રાંત છે. ઉત્તર ગુર્જર રાષ્ટ્રની રાજધાની પાંચમા છઠ્ઠા સૈકામાં ભિન્નમાલ જણાય છે અને દક્ષિણ પ્રદેશની રાજધાની નાંદિપુરી ( હાલનું નાંદેદ) જણાય છે એને ઘણે વિસ્તીર્ણ ઈતિહાસ છે જે માટે જુઓ ગુજરાતને પ્રાચીન ઈતિહાસ અને ટેનું રાજસ્થાન. શ્રીમાલનું નામ ભિલ્લમાલ ભેજ અને માઘના સમયમાં થયું છે તે સંબંધી જાણવા લાયક કથા પ્રબંધચિંતામણિમાં ભેજપ્રબંધમાં આવે છે. (ભાષાંતર પૃ. ૧૧૦) વર્મલાત રાજા પ્રભાવક ચરિત્ર પ્રમાણે શ્રી સિદ્ધર્ષિને જન્મ ગુર્જર દેશના શ્રીમાલ નગરમાં થયેલ હતું. ત્યાં વર્મલાત નામને રાજા હતે. Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ [ ઐતિહાસિક નજરે સિહર્ષિ , આ વલાતના સંબંધમાં બહુ લખી શકાય તેમ છે. શિશુપાલવધમાં માઘ કવિ તેનું વર્ણન ગ્રંથને અંતે . કવિવંશવણું નમ માં કરે છે. ત્યાં તેનુ વર્મલાખ્ય ’ નામ આપે છે. કલકત્તામાં મુદ્રિત શિશુપાલવધ પુસ્તકમાં ‘શ્રી ધર્માંનાથસ્ય ' એવું નામ આપ્યું છે. શિશુપાલવધની જુદી જુદી પ્રતામાં તેનાં નીચે પ્રમાણે નામેા મળી આવ્યા છે. “ ધર્મનાભ. ધનાથ. ધર્મ લાભ. ચર્મ લાત. ધર્મ લાત. વર્મલાખ્યુ. વર્મ લાત. વનાભ. નિલાન્ત, ” આવી રીતે મહાકવિના સંબંધમાં આવનાર આ રાજાનાં નામને પાર આવે તેમ નથી. મેાટા માણુસના સંબંધમાં આવનારનાં નામની પણ આવી દશા થાય છે એ જરા લાગણી ઉત્પન્ન કરે તેવી હકીકત છે. હાલમાં વસંતગઢના એક શિલાલેખ મળી આવ્યે છે. તેની સાળ લીંટીએ છે. તે લેખ ઉપરથી જણાય છે કે રાજાનું સાચુ નામ વલાત હતુ. અને તેના સમય વિક્રમ સંવત ૬૮ર હતા. એ વસંતગઢના લેખ સંબંધી ઘણી જાણવા લાયક હકીકતા છે, પણ અહીં તેટલે વિસ્તાર કરી શકાય તેમ નથી. માઘ વિના સ ંવત મુકરર કરવામાં એ શિલાલેખ બહુ ઉપયાગી નીવડ્યો છે. ( વસંત ગઢ શિાહી સ્ટેટમાં આવેલ છે અને સદર લેખ દેવીના મંદિરની આજીમાંથી મળી આવ્યે છે. ) એ શિલાલેખમાં ‘વલાત ’ નામ સ્પષ્ટ છે એટલે હવે રાજાના ખીજા નામેા પાઠાંતામાં આપ્યાં છે તેના સબ ંધમાં કાંઇ સંદેહ રહેતા નથી. માઘ અને સિદ્ધષિ આ વલાત રાજાનું નામ શિશુપાલ વધમાં માઘ કવિએ કેવી રીતે મૂકયુ છે તે હકીકત અત્ર જણાવવી પ્રસ્તુત છે. શિશુપાલ વર્ષને અંતે કવિવશ વર્ણનના શિર્ષીક નીચે આ પ્રમાણે લખે છે. सर्वाधिकारी सुकृताधिकारः श्रीवर्मलाख्यस्य बभूव राज्ञः । असक्तदृष्टिविंरजाः सदैव देवोऽपरः सुप्रभदेवनामा ॥ ૧ ॥ काले मितं तथ्यमुदर्कपथ्यं तथागतस्येव जनः सचेताः । विनानुरोधात्स्वहितेच्छयैव महीपतिर्यस्य वचश्चकार ॥ ૨ ॥ तस्याभवद्दत्तक इत्युदात्तः क्षमी मृदुर्धर्मपरस्तनूजः ॥ यं वीक्ष्य वैयासमजातशत्रोर्वचः गुणग्राहि जनैः प्रतीये ॥ ३ ॥ Page #361 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધર્ષિ અને માધ ઃ ] सर्वेण सर्वाश्रय इत्यनिन्द्यमानन्दभाजा जनितं जनेन ॥ यश्च द्वितीयं स्वयमद्वितीयो मुख्यः सतां गौणमवाप नाम ॥ ४ ॥ श्रीशब्दरम्यकृतसर्गसमाप्तिलक्ष्म लक्ष्मीपत्तेश्वरितकीर्तनमात्र चारु । तस्यात्मजः सुकविकीर्तिदुराशयादः काव्यं व्यधत्त शिशुपालवधामिधानम् ॥ ५ ॥ આ આખુ લખાણ હેતુસર અન્ન ઉતારવામાં આવ્યું છે. એમાં રાજાનું નામ છે, તે ઉપરાંત માઘ કવિના પિતા અને દાદાનાં નામેા ૧. વલ નામના રાજાના સર્વાધિકારી મહાસેનાપતિ સુપ્રભદેવ નામને હતા, સર્વાં સારા કામાના તે અધિકારી હતા, એની દૃષ્ટિ કઇ જગ્યાએ આસક્ત ન થાય તેવી હતી, એ રજ–પાપ વગરનેા હતેા અને સર્વાંદા જાણે અન્ય દેવ જ હાય તેવા લાગતા હતા. ( કલકત્તા આવૃત્તિમાં ‘ ધર્મોનાથસ્ય ' એવા પાડે છે, ) . ૩૧૯ ૨. જેવી રીતે બુદ્ધ ભગવાનનું વચન પ્રાન મનુષ્ય સ્વીકારે તેવી રીતે તે( સુપ્રભદેવ )નું ચેાગ્ય સમયનું જરૂરી અક્ષરવાળુ અને આયદે લાભ કરનારું વચન ક્રાઇ જાતના સંકાચ વગર માત્ર પેાતાના ભવિષ્યના હિત ખાતર જ રાજા કરતા હતા ( એટલે તેની સલાહ હિતબુદ્ધિએ સ્વીકારતા હતા. ) ૭. તે ( સુપ્રભદેવ ) તે વિસ્તી હ્રયવાળા ક્ષમાવાન નરમ અને ધર્મપરાયણ દત્તક નામના પુત્ર હતા. એને જોઇને વ્યાસના યુધિષ્ઠિર–ધમરાજાના ગુણગ્રાહી વચનની પ્રતીતિ લોકાને થતી હતી. ૪. એ જાતે અદ્વિતીય હાઇને આનંદબાવી લેકાએ એ સજ્જનેના મુખ્ય દત્તકને ‘ સર્વાશ્રય ' ( ગરીબને માળવા ) એવુ... ગુરુપ્રાપ્તિથી થયેલું નામ આપ્યું હતું. એટલે લેાકા એને એ ખીજા નામથી પણ સારી રીતે ઓળખતા હતા. ૫. તે( દત્તક)ના પુત્રે સારા કવિ તરીકેની કીર્તિ મેળવવાની આશાએ આ શિશુપાલ વધુ જેના સને અંતે શ્રી શબ્દથી સમાપ્તિ કરવામાં આવી છે અને જેમાં લક્ષ્મીપતિ( નારાયણું )નુ સુદર ચિરત્ર શુ થવામાં આવ્યું છે તે કાવ્ય બનાવ્યું છે. Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ [ઐતિહાસિક નજરે સિહર્ષિ : પણું છે અને તે વાત પ્રભાવકચરિત્રકારે લીધી છે તેની હકીક્ત આગળ ચર્ચવામાં આવશે. આ કવિવંશવનમાં વમલ નામ જે રાજાનું બતાવવામાં આવ્યું છે તેનું ખરું નામ વર્મલાત જણાય છે અને તેની સાક્ષી વસંતગઢને સદર શિલાલેખ પૂરે છે. આ વર્ણન ઉપરથી જણાય છે કે માઘ કવિના પિતા દત્તક અને દાદા સુભદેવ હતા. આ હકીકત પણ ઉપગી છે. કવિવર માઘને સમય પ્રથમ આપણે માઘ કવિને સમય વિચારી જઈએ. એ સંબંધમાં બહુ લખાયું છે. સર્વથી સીધો પુરા વસંતગઢને શિલાલેખ આવે છે. એ આ લેખ અત્ર લખી શકાય નહિ અને તે પરની ચર્ચા રજૂ કરતાં પણ સ્થળસ કેચના નિયમને ભંગ થાય. તે લેખથી સાબિત થાય છે કે એ વર્મલાત રાજા સંવત્ ૬૮૨ માં વિદ્યમાન હતા. વળી એ વસંતગઢના લેખમાં વર્મલાત નામ સ્પષ્ટ આપ્યું છે એટલે એના ચર્મલાત ધર્મલાભ વિગેરે અનેક પાઠાંતરો આપ્યા છે તે અશુદ્ધ છે. એ લેખ ઉપરથી એમ અનુમાન થાય કે વર્મલાત રાજાના મંત્રી સુપ્રભદેવના પુત્ર દત્તકને પુત્ર માઘ કવિ થાય. એને સમય સંવત ૭૫૦ એટલે સાતમી સદીની આખર લગભગ ગણાય. આટલી વાત માઘકવિના સમયને અંગે ધ્યાનમાં રાખવાની છે. એ સંબંધમાં બીજા કેટલાક પુરાવાઓ તપાસીએ – કવિ માઘના સમય માટે નીચેના ત્રણ ઉપાડી લેખ મને મન્યા છે તેને આધારે આ ચર્ચા કરી છે. 1 The Date of poet Magha by John Clatt ( Vienna Oriental Journal Vol. IV pp. 61-71.) 2 Anandavardhana & Date of Magha by Hermann Jacobi ( Vienna Oriental Journal Vol. IV ( 1890 ) pp. 236 to 244.) Page #363 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધર્ષિ અને માધ ] ૩ર૧ 3 Date of Poet Magha by K. B. Pathak B, A (Journal of Bombay Branch of Royal Asiatic Society Vol. XX pp. 308–306 ) કોઇ પણ કવિની તારિખ મુકરર કરવામાં તેના બીજા કવિએ ઉતારા કર્યા હાય અને તે બીજા કવિની તારિખ મુકરર થઈ શકે તેમ હાય તા તેના ઉપયેગ સારી રીતે થઇ શકે છે. એક કવિને પેાતાની પ્રસિદ્ધિ મેળવવામાં ઘેાડાં વર્ષો લાગે છે તે વાત ધ્યાનમાં રાખવી જોઈએ. ઉપરના ત્રણે લેખામાં, પ્રભાવકચરિત્રમાં કરેલા ઉલ્લેખને લઈને જ મોટા ઘુંચવાડા ઉત્પન્ન થયા છે તેનાં ઉપર, ઊહાપાડ કરવામાં આવ્યા છે. પ્રભાવકચરિત્રકાર કહે છે કે શ્રીમાલ નગરના રાજા વલાતના મંત્રી સુપ્રભદેવને પુત્ર દત્ત હતા અને દત્તના પુત્ર માદ્ય કવિશિશુપાલવધન કર્તા. એ જ સુપ્રભવદેવને બીજો પુત્ર શુભ કર નામના હતા, તેમના પુત્ર સિદ્ધ. આ વાતની સત્યાસત્યતા પર આખી ચર્ચા છે. કવિવ શવષ્ણુ ન શિશુપાલવધને અંતે આપેલ છે અને શ્રી સિદ્ધષિએ ઉપમિતિની પ્રશસ્તિ લખી છે તે ઉપરથી મને ભિન્નમાલ નગરના હતા એમ જણાય છે. ભિન્નમાલ નગરનું અસલ નામ શ્રીમાલ હતુ અને મેરુતુ ંગાચાર્યના ખુલાસા પ્રમાણે લાજરાજાએ એનુ નામ ફેરવીને ભિન્નમાલ અનાવ્યું હતું. ( સ ૨. ભેાજપ્રમ ́ધ ભા. પૃ. ૧૧૦ ) તેનું કારણ એ કે એ નગરના લેાકેા એક વખતના મહાઋદ્ધિમાન અને દાનશીલ માઘ કવિનું દારિદ્ર નિ યપણે જોઈ રહ્યા હતા. આનંદવર્ધન નામના સાહિત્યકારે ‘ ધ્વન્યાલેાક ’ નામના સાહિત્યના ગ્રંથ રચ્ચે છે. એ ગ્રંથ પ્રસિદ્ધ થયેલા છે. આન વ નના સમય કાશ્મીરના અવંતીવર્મા સાથે છે. કલ્હણુ પાતાની રાજતરંગિણીમાં કહે છે કે આન દેવન સહેર અવંતીવોના રાજ્યમાં ખૂબ પ્રસિદ્ધ થયા હતા. હવે અવતીવર્માના સમય ઈ. સ. ૮૫૫–૮૮૪ ૪૧ Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ [ ઐતિહાસિક નજરે સિહર્ષિ છે. આનંદવર્ધનના ધ્વન્યાલકમાં કવિ માઘના શિશુપાલવધના કેના ઉતારા છે. જુઓ પાંચમા સને ૨૬ મે અને ત્રીજાને ૫૩ મે લેક. સિદ્ધર્ષિના કહેવા પ્રમાણે તેમણે સંવત ૬૨ માં ઉપમિતિ કથા પુરી કરી એટલે તે ઈ. સ. ૯૦૬ થાય. - હવે અવંતીવર્માના વખતમાં આનંદવર્ધન પૂરતી ખ્યાતિ મેળવે અને તે માઘ કવિના ઉતારા કરે તેટલી માઘની ખ્યાતિ થઈ ગઈ હોય તે ઈ. સ. ૮૫૫ લગભગમાં બનવું અસંભવિત ગણાય. એ ઉપરાંત શિશુપાલવધના ત્રીજા સર્ગને ૩૩ મે લેક મણે મા વિરની મુકુલના અભિધાવૃત્તિ માતૃકમાં ટાંક્યો છે અને તેને સમય ઈ. સ. ૮૭૫-૯૦૦ છે. શિશુપાલવધના ચાર કે કાવ્યાલંકાર વૃત્તિમાં વામન ટકે છે. વામનને સમય સુકરર નથી થયે, પણ અગિયારમી સદીમાં અભિનવગુપ્ત તેના ઉતારા કરે છે અને આનંદવર્ધને વામન માટે એક કાવ્ય લખ્યું છે તેમ કહે છે. આથી એમ જણાય છે કે આનંદવર્ધનથી વામન વધારે પુરાણે છે અને ઉપર જણાવ્યું તેમ આનંદવર્ધનને સમય અવંતીવર્મા સાથે છે. આ હકીક્ત પણ માઘને માટે ઉપગી છે. આ પ્રમાણે વિચાર કરતાં તે માઘને સમય નવમી સદીની આખરે જાય, પણ તે રાજતરંગિણીની હકીક્તથી વિરુદ્ધ જાય છે. આ બન્ને વિદ્ધ વાત થઈ. પ્રભાવકચરિત્રકારને મત રાજતરંગિણીની સામે મૂકી બનેમાંથી કઈ હકીક્ત વધારે બનવાજોગ છે તે વિચારીએ. આનંદવર્ધને અવંતીવર્માના વખતમાં પ્રસિદ્ધિ મેળવી હતી એમ કહાણુના કહેવાથી જણાય છે. કહાણ તે માટે ચારનાં નામો આપે છેઃ મુક્તાકણ, શિવસ્વામી, આનંદવર્ધન અને રત્નાકર. એ ચારે અવંતીવમના સમયમાં પ્રસિદ્ધિ પામ્યા. (અથવા એમ કહે છે.) આનંદવર્ધન વામનના ઉતારા કરે છે અને વામન માઘના ઉતારા કરે છે, તેથી કેટલાક એમ અનુમાન કરે છે કે માઘ કવિ આઠમા સેકાથી મોડા તો ન જ હોઈ શકે. બીજી રીતે જોઈએ તે રત્નાકર જે આનંદવર્ધનને સહયુગગામી તેણે માઘનું ઘણું અનુકરણ કર્યું છે અને બન્નેની કવિતા Page #365 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક ચરિત્રે સિહર્ષિ ] ૩૨૩ સમાનપદે સામસામી જોઈએ તે માઘની કળા અપૂર્વ, લેખનશક્તિ મજબુત અને રત્નાકરની ઢીલી તથા પાછળના પડતા સમયની જણાય છે. એટલા ઉપરથી ચર્ચા કરીને ડે. કેબી નીચેની તારવણું સદર લેખમાં કરે છે. ૧. માઘના ઉતારા આનંદવર્ધને કર્યા છે તેથી તે નવમા સૈકાની પછીનો ન હોય. ૨. વામને તેના ઉતારા કર્યા છે તેથી પણ એક યુગ પહેલાં તે હવે જોઈએ (અભિનવગુપ્ત કહે છે કે વામનના પુસ્તકથી આનંદવર્ધન માહિતગાર હતા તે વાત સત્ય હોય તો આ વાત ટકી શકે તેવી છે.) ૩. રત્નાકર જે જયપીડના સમય( ૮૩૫–૮૪૭ ઈ. સ.)માં થયો તેણે માઘનું અનુકરણ કર્યું છે તેથી તેની પહેલા માઘ કવિ થયેલા હોવા જોઈએ. આટલા ઉપરથી માઘને સમય આઠમા સૈકા પૂર્વને હેઈ તેને માટે પ્રભાવકચરિત્રમાં જે દંતકથા મૂકવામાં આવી છે તે બરાબર નથી એમ . જેકેબીને મત છે. શ્રીયુત પંડિત ઉપરના અનુમાન કરતાં આગળ વધે છે. એ પોતાના ઉલ્લેખમાં આનંદવર્ધનની ઉપરોક્ત હકીકત ઉપરાંત નીચેની બાબત ઉમેરી માઘ કવિને આઠમા સૈકાના છેવટના ભાગ ઉપર મૂકે છે. ૧૧. કેનેરીઝ લેખે શક ૧૧૨ ના છે તેમાં માઘનું નામ આવે છે. ૨. રાજા જ પિતાના સરસ્વતીક ઠાભરણમાં માઘના ઉતારા કરે છે. ૩. સેમદેવ કવિ યશસ્તિલકચંપૂમાં ભેજના ઉતારા કરે છે અને સદર ગ્રંથ શકે ૮૮૧ માં પૂરો થયો છે. આ ગ્રંથ પૂરો થયો ત્યારે રાષ્ટ્રકૂટમાં રાજા ત્રીજે કૃષ્ણરાજ રાજ કરતો હતો અને રાષ્ટ્રકૂટના છેલ્લા રાજા કક્કલને તૈલપે હરાવ્યું હતું અને તે જ તેલ ભેજના કાકા મુંજને કેદી કર્યો હતો. આ સર્વ બરાબર હોય તે ભેજની પહેલાં રાષ્ટ્રકૂટ આવે અને તેના સમયમાં એમદેવ આવે એટલે માઘ કવિના ઉતારા કરનાર તેથી પહેલાં આવે. Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ [ ઐતિહાસિક નજરે સિદ્ધર્ષિ : ૪. નૃપતુ ંગે કવિરાજમાર્ગ શ્રગ્રંથ ઈ. સ. ૮૧૪ માં લખ્યા છે તે માઘ કિવને શકુંતલાના અમર લેખકની કક્ષામાં મૂકે છે. પુ. માઘ બીજા સના ૧૧૨ માં શ્લાકમાં કાશિકાવૃત્તિ અને ન્યાસનાં નામે આપે છે. આ બન્ને ઔદ્ધગ્ર થા છે. ઇટસીંગ કાશિકાવૃત્તિનું નામ પેાતાના ગ્રંથમાં આપે છે, પણ ન્યાસનુ આપતા નથી. તે ઉપરથી એમ અનુમાન કરવામાં આવે છે કે ઈંટેસીંગના સમય પછી ન્યાસ બનેલ હાવા જોઈએ. ઈસીંગ હિંદમાંથી ઈ. સ. ૬૯૫ માં વિદાય થયેલ છે એટલે એ અનુમાને ન્યાસ આઠમા સૈકાની શરૂઆતમાં અનેલ હાવા જોઇએ. આ પાંચ કારણે। મિ. પડિત આપે છે તે કાઈ પણ પ્રકારે સંતાષકારક નથી. કેનેરીઝ લેખ તાશક ૧૧૦૨ ના છે એટલે ઇ. સ. ૧૧૮૦ આવે તે કાંઇ ઉપયાગમાં આવે નહિ. રાજા ભાજ સરસ્વતીક ઠાભરણુમાં માઘના ઉતારા કરે છે તેને સમય તે નવમા સૈકા પછી છે એટલે તેને પણ કાંઇ ઉપયાગ થઈ શકે તેમ નથી. યશસ્તિલકચ`પૂમાં લેાજના ઉતારા આપે છે તેથી પણ માઘ કવિ નવમા સૈકાની આખરે જાય છે. નૃત્તુંગની તારિખ ચાક્કસ નથી. કાશિકાવૃત્તિ મનાવવાની તારિખ તદ્દન આનુમાનિક છે. આ સર્વ ખાખતા વિચારતાં કવિ માઘની બાબતમાં છેવટના નિણું ય થઈ શકે તેમ નથી. વસંતગઢના લેખ મળ્યા છે તેમાં જે રાજાનું નામ છે તે વલાત સુપ્રભદેવના સમયમાં હતા તે જ રાજા છે એમ માનીએ તેા જ કાંઈક નિર્ણય થાય, પણ રાજાઓના સરખાં નામેા ઘણાં હેાય છે, એક ને એક વંશમાં સરખા નામવાળા એકથી વધારે રાજા થયેલા છે અને એ ઉપરથી કાંઈ અનુમાન ખાંધી શકાય તેમ નથી. વસ ંતગઢના લેખમાં સુપ્રભદેવ કે માઘનુ નામ નથી તે ખાસ ધ્યાનમાં રાખવુ. આની સામે લાજપ્રબંધ, પ્રભાવકચરિત્ર અને મણિ એ ત્રણ ગ્રંથા માઘ કવિને સિદ્ધર્ષિના કાકાના એની સામે આન ધ્રુવ નના ધ્વન્યાલાકની ખાખત જ વિચારવા જેવી રહે છે. એ હકીકતમાં મને સદર દોંતકથા સાથે કશે પ્રમ ચિંતાપુત્ર કહે છે. માત્ર ખાસ Page #367 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક ચરિત્રે સિંહર્ષિ : ] ૩રપ વિરાય લાગતા નથી. આન ધ્રુવ નના સમય કાશ્મીરના અવતીવો સાથે આવે છે અને તેના સમય ઈ. સ. ૮૫૫ થી ૮૮૪ છે અને કવિ સિદ્ધર્ષિએ ઉપમિતિ કથા ઈ. સ. ૯૦૬ માં પૂરી કરી છે. વિ માઘ જો પ્રધાનપુત્ર હાય તેા પેાતાના જીવનકાળમાં પણ માટી ખ્યાતિ મેળવી શકે અને તેના સમય નવમા સૈકાના મધ્ય ભાગમાં હાય અને શ્રી સિદ્ધષિનું આયુષ્ય લાંબુ હાય તેા તેના ઉપમિતિ ગ્રંથરચનાના સમયને અને તેના માઘ કવિના ભાઇ હાવાને ખાસ વિરાધ જણાતા નથી. આપણે પુરાણા સમયના ઐતિહાસિક લેખકા પ્રમ ધચિતામણિ, Àાજપ્રબંધ કે પ્રભાવચરિત્ર જેવા પુસ્તકા લખનારને માત્ર અનુમાન ઉપર રદ ન કરી શકીએ. એક એ લેખકેાએ એવી પણ *લીલ કરી છે કે જૈન લેાકેાને તા એવી ટેવ છે કે પૂર્વ કાળના જે સારા લેખકા હાય તેમને તે પોતાના મતાવવા પ્રયત્ન કરે છે અથવા કાઇ પણ રીતે જૈન સાથે તેને જોડવા મથે છે. આ અનુમાન અસગત જણાય છે. આવા ખ્યાલ ઉપરથી ઐતિહાસિક લેખકાએ લખેલ હકીક્ત ઊડાવી દેવી એ અન્યાયભરેલું લાગે છે. જો કાઈ એમ માનતા હાય કે માધ વિના કાકાના દીકરા થવાથી શ્રી સિદ્ધર્ષિની આબરૂ વધે છે તે તેમાં કાંઇ દમ નથી. શ્રી સિદ્ધર્ષિની ખ્યાતિ એના કાવ્યમાં છે, એના અભ્યાસમાં છે, એના ચાતુર્ય માં છે, એના ભાષા પરના કાબૂમાં છે, એના મનુષ્યસ્વભાવના અભ્યાસમાં છે, એમની વિવેકશક્તિમાં છે, એમના સર્વગ્રાહી જ્ઞાનમાં છે. એટલે જૈન કવિને કાઇ મહાકવિના સગા બનાવવાથી એની કિંમત વધશે એ આક્ષેપને અર્થ કે મૂલ્ય વગરના ગણી આપણે સહેજ રીતે આ ખામતના ન્યાય આપવા પ્રયત્ન કરવા જોઈએ. એમાં ઐતિહાસિક શુદ્ધ ગવેષકદ્યષ્ટિ સિવાય કાઈ પૂર્વ ખ્યાલ કે ઊર્મિને સ્થાન ન જ હાવું જોઇએ. સદર ત્રણે ઇતિહાસકાર શ્રી સિદ્ધર્ષિ પછી ત્રણ સૈકાની અંદર લગભગ થયા છે. એટલે તેઓને હકીકત જાણવાની તક વધારે સુલભ્ય હતી. તેઓએ જે હકીક્ત લખી છે એ ખરી જ છે એમ કહેવાને આગ્રહ નથી, પણ તે હકીક્ત ખનાવટી છે એમ કહેવા માટે જે Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૬ [ ઐતિહાસિક નજર સિાહર્ષિ કારણે અત્યાર સુધી લભ્ય થયાં છે અને ઉપર તપાસાયાં છે તેમાંનું એક પણ કારણ હજુ છેવટના નિર્ણય ઉપર લઈ જવામાં સાધનભૂત થાય તેમ લાગતું નથી. એમ કરવામાં કદાચ માલ કવિ નવમા સેકાના મધ્ય ભાગમાં જાય તો તેમાં મને વાંધે લાગતું નથી. સુપ્રભદેવને એક વેલે ઉતાવળે ચાલ્યું હોય અને બીજે ઠંડે ચાલ્યા હોય તે ચાળીશ પચાસ વર્ષના અંતર બે પેઢીએ પડવાજોગ છે. વળી માઘ કવિએ બાળવયે અભુત કાવ્યચાતુર્ય દાખવ્યું હોય અને શ્રી સિદ્ધર્ષિ દુનિયાના અનુભવ લઈ, બદ્ધોને અભ્યાસ કરી, જીવનની આખરે અનુભવ ગ્રંથ લખવા ઉઘુક્ત થયા હોય તે પણ ૫૦ વર્ષને અંતર સહજ પડી જાય. આ સર્વ જોતાં કવિ માઘને નવમા સેકાના પ્રથમાર્યમાં મૂકવામાં આવે તો તેથી શ્રી સિદ્ધર્ષિના ગ્રંથકર્તુત્વના ઈ. સ. ૯૦૬ સાથે ખાસ વિરોધ આવતું નથી. મિ. પંડિત સહજ સંકોચ સાથે અનુમાન કરીને કવિ માઘને આઠમા સૈકાની આખરે મૂકે છે, પણ નવમાની શરૂઆતમાં તે ન હોય એમ કહેવા માગતા નથી. આ સંબંધી છેવટને નિર્ણય થવો મુશ્કેલ છે, પણ જે સફાઈથી અને યુક્તિથી જૈન દંતકથાને પસાર કરી દેવા પ્રયત્ન થયો છે તે પદ્ધતિ અને વાસ્તવિક લાગી નથી અને દલીલ બંધબેસતી જણાવ્યું નથી. વસંતગઢને લેખ જરૂર છુંચવણ કરે તેવો છે. એ લેખ પ્રમાણે તે માઘ કવિ ઘણુ પુરાણું થાય છે. વર્મલાતની બાબતમાં નિર્ણય કરવા ઉપર તે લેખની કિમતનો આધાર રહે છે અને અન્ય હકીકત તેમાં કાંઈ છે નહિ તેથી ખાસ નિર્ણય થઈ શકતો નથી, છતાં એ લેખમ વર્મલાત રાજા માઘ કવિના સમયને જ હોય એવું જોડાણ કરનાર કાંઈ વસંતગઢના લેખથી પ્રાપ્ત થતું નથી. આવી અચોકકસ સ્થિતિમાં જ આ હકીકત રહેશે. જ્યાં સુધી જેનેના કાવ્યગ્રંથેને બરાબર અભ્યાસ અને તે પરથી ઐતિહાસિક અનુમાને પર નિરીક્ષણ થઈ જશે નહિ ત્યાં સુધી આવી જ સ્થિતિ રહેવાની હોય એમ જણાય છે. આ બાબતમાં એક પણ બાજુએ આગ્રહ કરવાનું કોઈ કારણ નથી અને શ્રી સિદ્ધર્ષિની ખ્યાતિ એના પિતાના જોર પર હાઈ એ બાબતમાં ખેંચતાણ કરવાનું કારણ પણ Page #369 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક ચરિત્રે સિહર્ષિઃ ] ૩ર૭ નથી. વિશેષ સાધન મળતાં આ બાબત જરૂર ફરી તપાસાઈ શકાશે એમ ધારી પ્રભાવકચરિત્રમાંના શ્રી સિદ્ધર્ષિ પ્રબંધમાં આગળ વધીએ. સિહનું બાલ્ય વર્મલાત રાજાને ત્યાં વણિકની દિવાનગીરી હતી. દિવાન હતા સુપ્રભદેવ. એ સુપ્રભદેવના પુત્ર શુભંકર અને દત્ત. શુભંકર અને દત્ત કેટિધ્વજો હતા. તેમના મકાન પર ધ્વજા ઊડતી હતી. દત્તની ચાલચલગત બહુ ઊંચા પ્રકારની હતી. શુભંકર શેઠને લક્ષમી નામની અતિ પવિત્ર પત્ની હતી. એમને સિદ નામનો પુત્ર હતો. એ સિદ્ધને ધન્યા નામની અતિ રૂપવતી સ્ત્રી સાથે પરણાવ્યો હતો અને તેની સાથે તે દેવ જેવા સુખ ભોગવતો હતો. પણ ચેવન, પ્રભુતા અને ધનસંપત્તિએ એને બગાડ્યો. એ જુગટાની લાલચમાં લપેટાઈ ગયે અને રાત્રે રખડવા માંડ્યો. ચારિત્ર અને ચગ્ય અભ્યાસ વગર મેટી સંપત્તિને ખોળે બેસનારને આવું ઘણી વાર બને છે. લક્ષ્મીને એ શ્રાપ છે અને ચગ્ય સંસ્કરણ એ એક જ તેને ઉપાય છે. મોટા વ્યવસાયવાળા માણસે પિતાના પુત્ર ઉપર પૂરતી દેખરેખ રાખી શક્તા નથી અને સર્વ તોફાન થઈ ગયા પછી મોડી મોડી સાન આવે છે ત્યારે માલુમ પડે છે કે સર્વ તોફાન તો થઈ ચૂકેલ છે શરૂઆત તો નાના પાયા પરથી થઈ, પણ દુર્વ્યસનની લાલચમાં પડ્યા પછી પાછું હઠવું લગભગ અશક્ય છે. સિદ્ધને તેમજ થયું. એના મિત્ર એને વારતા ગયા એમ એ જુગટાના વ્યસનમાં વધારે ઊંડે ઉતરતે ગયે અને પછી ધીમે ધીમે તે એણે શરમને પણ નેવે મૂકી. એણે જુગટને સર્વસ્વ માન્યું અને મોડી રાત સુધી રખડવા લાગ્યા. વ્યસનને ભેગ આખરે સિદ્ધ તદ્દન હાથથી ગયે. એની અતિ પ્રેમાળ પત્ની રાતના રાહ જોઈ બેસી રહે અને ઉજાગર કરી અજપ કરે. આખરે એની અસર ધન્યા સિદ્ધની પત્ની)ના શરીર પર થઈ. મનની ચિંતા અને શરીરને આરામની અલ્પતા આખરે જણાઈ આવી. એની ચાર સાસુ લક્ષ્મી ધન્યાની આંતરવ્યથા જઈ શકી અને વારંવાર પ્રત્રન કરી ધન્યાના અંતરમાં ઉતરવા લાગી. ગૃહવત્સલ સાસુ બેલતાં બોલતાં રડી પડી. આ સાસુને વહુ તરફનો ભાવ Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૮ [ ઐતિહાસિક નજરે સિહર્ષિ ઃ અરેખર અનુકરણીય દેખાય છે અને વાત્સલ્ય કેવું હાય તેના દાખલા પૂરા પાડે છે. આગ્રહપૂર્વક સવાલ કર્યો, પણ સાધ્વી વધૂ એમ કાંઇ પતિની વિરુદ્ધ વાત કરે ? ઉડાવવાના વામ આપ્યા, પણ માયાળુ સાસુના વાત્સલ્યને આખરે વશ થઈ અને પતિ મેાડા આવે છે એટલુ કહી દીધું. ઉપાય ઊંધા પડેથો સાસુએ વહુને સુઈ જવા કહ્યું. પેાત જાગતી બેઠી. રાત્રે મધ્યરાત ગયા પછી પુત્ર આવ્યેા. બારણા ખખડાવ્યા. લક્ષ્મી માતાએ અંદરથી ‘ અત્યારે માડી રાતે કાણુ છે? ’ એવા સવાલ કર્યાં. સિદ્ધે જવાબ આપ્યા એટલે ખાટે–દેખાવને ક્રોધ કરી માતાએ કહ્યું કે ‘ આવી માડી રાત રખડનાર પોતાના પુત્ર સિદ્ધ હાય એમ પાતે માનતી નથી.’ ‘ અત્યારે ક્યાં જઉં ? ' એવા સવાલ પૂછતાં ‘અત્યારે જેના દરવાજા ખુલ્લા હેાય ત્યાં જા.` એવા કડક જવાબ આપ્યા. માતામાં વાત્સલ્યને પાર નહાતા, દીકરા એકના એક હતા અને માતાએ તને ઠેકાણે લાવવાનું બીડું ઝડપ્યું હતું. પ્રેમ-વાત્સલ્ય એક બાજુએ હાય અને બીજી બાજુએ યોવનના ઉન્માદ હેાય ત્યાં કાના વિજય થાય એ આર્ય સતી કલ્પી શકી નહિ. વ્યસનીને ઠેકાણે લાવવામાં આવા ઉપાય કદી સફળ ન થાય અને ઊલટું વ્યસની પાનાના વ્યસનમાં મજબૂત થઇ જાય, વળી આંખની શરમ જતાં તદ્દન હાથથી ચાલ્યેા જાય એ વાત આર્યા લક્ષ્મી સમજી શકી નહીં. ઉઘાડા દ્વારે પહોંચ્યું — માનભંગ થયેલે। સિદ્ધ ઊભેઊ ન રહ્યો. અને માટે એક કડવુ વચન પૂરતુ હતુ. એ તુરત ચાલ્યા અને રસ્તે જતાં અણુગારનાં દ્વારા ઊઘાડાં જોયાં. જૈન સાધુઆનાં દ્વારા ઊઘાડાં જ હાય છે. એમની વસ્તુ કાઇ ચારનાર ન હેાય, એમની પાસે ચારાઇ જાય તેવી વસ્તુઆ ન હેાય અને અમની પાસે કાઈ જાતનું જોમ ન હોય અટલે એના દરવાજા ખુલ્લા જ હાય. પ્રસંગનુ વધુ ન વાંચતાં રાત્રિના ચાર વાગ્યા લગભગના સમય જણાય છે. સાધુઓ પૈકી કોઈ ધ્યાન કરતા હતા, કાઇ પાઠ કરતા હતા અને કે ધર્મક્રિયા કરતા હતા. સિદ્ધ દૃઢ નિર્ણયવાળા હતા. એનુ અપમાન થયું Page #371 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક ચરિત્ર સિદ્ધર્ષિઃ ] ૩૨૯ હતું એમ એને લાગ્યું હતું. એને ઘેર પાછું ફરવું નહોતું. એમાં આવું અદ્ભુત દશ્ય જોયું. અંતરથી એણે માતાને ઉપકાર માન્યો અને એમના વચનથી પિતાને આવી તક સાંપડી એટલા માટે પિતાને ધન્ય માનવા લાગ્યું. તે તુરત જ ગુરુમહારાજ પાસે ખડે થઈ ગયે. ચિગ્યાતનાં અનુમાન ગુરુ કેણ હતા તેનું નામ પ્રભાવક ચરિત્રમાં આપ્યું નથી. પ્રશસ્તિ પ્રમાણે ગર્ગર્ષિ હોવાનો સંભવ ગણી શકાય. શ્રુતના પારગામી ગુરુમહારાજે સવાલ જવાબ કર્યા, શા માટે અત્યારે સિદ્ધ ત્યાં આવેલ છે તેનું કારણ પામી ગયાતેની પોતાની પાસે રહેવાની ઈચ્છા સમજી ગયા અને વાતચીત દરમ્યાન ઇંગિતજ્ઞાનથી અને શ્રુતજ્ઞાનના ઉપયોગથી સિદ્ધમાં રહેલી અસાધારણ શક્તિને ખ્યાલ કરી ગયા. જે પદ્ધતિએ સિદ્ધ વાત કરી તે પરથી તે દ્રઢ નિશ્ચયવાળો છે એ એમને ખ્યાલ આવી ગયે. ધર્મની બાબતમાં દઢ નિશ્ચયવાળા જ ખરું કામ કાઢી શકે છે તે તેઓ જાણતા જ હતા. “કર્મમાં શૂરો હોય તે ધર્મમાં શૂરવીર જ હોય છે એ સૂત્ર તેઓના અનુભવને વિષય હતે. એવા ભારે કર્મ કરનારા ધર્મમાં જોડાય તો ત્યાં પણ નિશ્ચયબળે આત્મસાધન સાધી શકે એ એમના દુનિયાના અવલેનનું પરિણામ હતું. એ ઉપરાંત શ્રુતજ્ઞાનના અભ્યાસથી અને અનેકના પરિચયથી તેઓને મનુષ્યની પરીક્ષા બરાબર આવડી ગઈ હતીતેઓશ્રીમાં જામી ગઈ હતી. એમના અનુભવ અને ઉપયોગથી તેમજ વાતચીત દરમ્યાન થયેલી મન પરની અસરથી તેઓને લાગ્યું કે આ માણસ ધર્મમાં જોડાય તે જરૂર પિતાનું સાધે અને મહાન પ્રભાવક થઈ શાસનની સેવા કરે. દીર્ઘદૃષ્ટિક સીધી વાત એ વિચારને પરિણામે ગુરુમહારાજે પ્રયાગ કર્યો. પરીક્ષા કરવાને માટે સીધી વાત કરી અને જુગારી કેટલી હદ સુધી પાછો વળી શકે તેમ છે તેને નિર્ણય કરવા વાત માંડી. તેમણે તેને જણાવી દીધું કે પોતાના જેવા જે થાય તે જ પોતાની પાસે હંમેશ રહી શકે છે.” એના જવાબમાં સિદ્ધને ત્યાં રહેવાને નિશ્ચય જાણી તેમણે Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ [ ઐતિહાસિક નજરે સિહર્ષિ : તેની પાસે ચારિત્ર પાળવામાં મુસીખત કેટલી પડે છે તેની હકીકત જણાવી. કાઈ સામાન્ય મુનિ આવે વખતે એને ચેલા બનાવી દેત, પણુ આ તે શ્રુતજ્ઞાની હતા, મહા દીર્ઘ દ્રષ્ટિવાળા હતા, જૈનશાસન પર એવા કાર્ય ની શી અસર થાય તે સમજવાવાળા હતા, શુભ કર શ્રેણીનું એ નગરમાં–રાજ્યમાં શું સ્થાન હતુ તે સમજનાર હતા અને એક ઉતાવળા કાર્યથી સમાજશરીરને કેટલું સહન કરવુ' પડે છે તેની કલ્પના કરવાની શક્તિવાળા હતા. એમણે સ્થૂળ ત્યાગ પણ કેટલેા મુશ્કેલ છે તે જ્ગાજ્યું, એણે લેાઢાના ચણા ચાવવા જેટલી તેની મુશ્કેલી રજૂ કરી, એણે તપના વિભાગ સમજાવ્યેા, સંયમ, બેસ્વાદ લેાજન, નીચ મનુષ્યેાની ટીકા, લેાચ, બ્રહ્મચર્ય, ગાચરી વિગેરેની વાર્તા સમજાવી અને તેવા ત્યાગ કરવા સિદ્ધ તૈયાર છે કે નહિ તે જાણવા સીધા સવાલ કર્યા. પણ સિદ્ધ તેા રાતના અભંગ દ્વાર જોઇ અંતરથી પલટી ગયા હતા. એણે ગુરુમહારાજને સાતે મુદ્દાના સ ંતાષકારક જવાખ આપ્યા. ખાવાપીવાના ઢંગધડા વગરના જુગારીને એમાંની એક પણ ખખત મુશ્કેલ નહેાતી. એણે તા તુરત જ દીક્ષા લેવાની વાત કરી. ગુરુમહારાજ શાસ્ત્ર અને સંપ્રદાયના જાણુકાર હતા, વ્યવહારકુશળ હતા અને દીર્ઘ નજરે સમાજશરીરને થતી અસરા પનાખળથી જોનારા હતા. તેમણે કહ્યું “ કાઇએ અમને નહિ આપેલ (અન્નત્ત ) અમે લેતા નથી, માટે તું અહીં એક દિવસ સ્થિર રહે, રાહ જો; જેથી અમે તારા પિતાને ખબર આપીએ.” મૂળમાં અહીં વિજ્ઞાપના શબ્દ વાપર્યા છે. જેના પિતા હયાત હાય તેના પુત્રને દીક્ષા આપવામાં અદત્તાદાનના દોષ ગણાતા હાય એમ આ ગર્ષિનું માનવું જણાય છે. ગમે તેમ હા, પણ એણે દીક્ષા લેવા ઇચ્છનારના માબાપને વિજ્ઞાપના કરવાની પેાતાની કૂજ તા જરૂર જણાવી. આ હકીકત ખૂબ વિચારવા જેવી છે, પ્રાચીન જૈન રીતિ કેવી હશે તેના ખ્યાલ આપનારી છે. સિદ્ધે ગુરુમહારાજના આ નિર્ણયને અનુમાદન આપ્યું. થુલકર અને લક્ષ્મી દેવી શુભંકર શેઠને ત્યાં શું થયુ તે જોઈ જઈએ. રાજકાજથી થાકી ગયેલા અને ઘરે આવી ઊંઘી ગયેલા શેઠ સવારે ઉઠ્યા. સવારે શેઠ Page #373 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક ચરિત્ર સિહર્ષિ ] ૩૩૧ સિદ્ધની ખબર લેતા હશે એમ જણાય છે. તેમણે સિદ્ધને સાદ કર્યો. જવાબ ન માન્યા. પત્ની તરફ જોયું તો તેના મુખ પર મંદતા ઈ. શેઠે જાયું કે કાંઈ ન સમજાય તેવી હકીક્ત બની છે. સવાલ કરતાં સમજ્યાં કે સિદ્ધ રાત્રે ઘેર આવ્યું નથી. કેમ આવ્યું નથી ? એમ સવાલ પૂછતાં લક્ષ્મી દેવી શરમાયા, લજ્જાથી નીચું જોઈ રહ્યા અને પછી છેક જુગટને રસ્તે ચઢી ગયે હતે, દરરોજ મેડે આવતે હતો વિગેરે વાત કરી અને છેવટે ગઈ રાત્રે મોડે આવતાં તેને ઠેકાણે લાવવાને પોતે પ્રયોગ કર્યો હતે તે વાત કરી અને છોકરો ચાલ્યા ગયા છે, પાછો આવ્યો નથી એ વાર્તા પણ કહી. વ્યવહારકુશળ શેઠ સમજી ગયા કે લક્ષ્મી દેવીએ છોકરાને ઠેકાણે લાવવાના ઉત્સાહમાં કાચું કાપ્યું હતું. વ્યસને ચઢેલાને આકરાં વચને કહેતાં તે ઉત્કંઠ બને છે અને ઠેકાણે આવવાને બદલે હલકે માર્ગે વધારે ઊતરી જાય છે. મહેની શરમ છૂટી ગયા. પછી એને ઠેકાણે આવવાને અવકાશ ભાગ્યે જ રહે છે. સ્ત્રીઓ આટલી હકીકત ન સમજી શકે તેને પરિણામે વાત કરી છે એમ શેઠ સમજી ગયા. પણ લક્ષમી દેવીને કાંઈ ઠપકે ન આપે. ઘરમાં કલેશ વધી જાય એવી સ્થિતિ ન નીપજાવનાર એ શેઠ માત્ર એટલું જ બોલ્યા કે આવું જુગટાનું કાર્ય વણિકપુત્રને ઉચિત નથી. પછી શેઠ ઊંચે મને ઘરબહાર નીકળ્યા અને છોકરાને શોધવા લાગ્યા. આખરે એને સાધના ઉપાશ્રયમાં જે. એણે ધાર્યું હતું કે છોકરે હવે તદ્દન ઉદ્ધત થઈ ગયે હશે પણ એને બદલે એણે છોકરાને શાંતરસમાં ન્હાતા અને અનન્ય દેખાવ ધારણ કરતો જોયો. ગુરુમદિરે મંત્રી પિતા– શેઠ તે આ દેખાવ જોઈ આશ્ચર્ય પામ્યા, એ જાણે સ્વદેહે સ્વર્ગમાં ગયા હોય એવું સુખ અનુભવવા લાગ્યા અને મીઠા શબ્દોથી પુત્રને વાત્સલ્ય કરવા અને ઘેર આવવાને આગ્રહ કરવા લાગ્યા. સિદ્ધને નિર્ણય પાકે હતે. એણે કહ્યું કે માતાએ તેને જેનાં દ્વાર ખુલ્લાં હોય ત્યાં જવાની આજ્ઞા આપી છે અને તેને અર્થ છે એમજ સમજે છે કે કઈ શાંતરસરાજના ખરા ખપીની પાસે ચાલ્યા જવું. પછી તેણે પિતાને સમજાવ્યું કે “માતાની આજ્ઞા જાવ Page #374 -------------------------------------------------------------------------- ________________ -૩૩૨ [ ઐતિહાસિક નજરે સિદ્ધર્ષિ : જીવ પાળવી એ જ ખરી કુલીનતા છે.” પિતાએ એને ઘણું ઘણું સવાલો કર્યા, પોતાનું અગણિત દ્રવ્ય એને વારસામાં મળવાનું છે તેનું પ્રલોભન આપ્યું, એની માતાનાં અને સ્ત્રીનાં આસું સુકાતાં નથી એવી દિલ ઉશ્કેરનારી વાત કરી, પોતે બને ઘણું, વૃદ્ધ થઈ ગયા છે એ વાત જણાવી અને પિતાની હયાતીમાં પણ ધનને સદુપયોગ કરવાની પુત્રને છૂટ છે એવી સ્વતંત્રતાની લાલચ આપી. ઘણા સવાલ જવાબ થયા, પણ સિદ્ધનો નિશ્ચય અફર હતું, એની ભાવના સ્પષ્ટ હતી, એનું સાધ્ય ચોક્કસ થઈ ગયું હતું. એ પૈસાના કે સ્ત્રીના મેહથી લપટા નહિ, એને મોટા વારસાએ ફસાથે નહિ, એને પિતાની વૃદ્ધ ઉમરે મુંઝવ્યો નહિ અને પરબ્રહ્મમાં લીન થયેલા એના મનને જુગટા કે રખડપાટીના ખ્યાલે ખસેડયો નહિ. એને આગ્રહ એક જ રહ્યો “ગુરુમહારાજને પગે પડી વિજ્ઞપ્તિ કરે કે મને દીક્ષા આપે. ” દુનિયાના અનુભવી વ્યવહારકુશળ વણિક મંત્રી શેઠ શુભંકર વસ્તુસ્થિતિ સમજી ગયા. એવી સ્થિતિમાં અત્યાગ્રહનું પરિણામ શું આવે તે કલ્પી ગયા અને વાતને બગાડવાને બદલે ગુરુમહારાજને વિજ્ઞપ્તિ કરી કે પુત્રને દીક્ષા આપે. ગુરુમહારાજને સ્વદયનું જ્ઞાન હતું. દીક્ષા યોગ્ય સ્વાદય સાધી સિદ્ધને નાની દીક્ષા આપી. પિતાની રજા લેવાનું શા માટે યોગ્ય ધારવામાં આવ્યું હશે અને રાતોરાત વિહાર કરી બીજે ગામ કે અન્ય રાજ્યમાં જઈ ગુરુએ સિદ્ધને દીક્ષા કેમ આપી નહિ હોય તેને જવાબ આ પ્રબંધમાં આવી ગયા છે તે શોધી લેવા ગ્ય છે. સિદ્ધની દીક્ષા સિદ્ધને સુરતમાં પવિત્ર સ્વદય ઈ ગુરુમહારાજે દીક્ષા આપી. આને કાચી અથવા નાની દીક્ષા કહેવામાં આવે છે. શિષ્યની ચેગ્યતા તપાસવા તથા તૈયાર કરવા સારે વખતે આ દીક્ષા આપવામાં આવે છે. ત્યારપછી જરૂરી તેને જ્ઞાન પ્રાપ્ત થતાં અને તેની યોગ્યતા જણાતાં વડી દીક્ષા આપવામાં આવે છે. એને છેદેપસ્થાપનીય ચારિત્ર કહેવામાં આવે છે. પ્રથમા દીક્ષા પુણ્યસ્વરદયે આપી તેથી એમ સમજવાનું લાગે છે કે તેને માટે મેટા મુહૂર્ત જેવાતા નહિ હોય. Page #375 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક ચરિત્રે સિહર્ષિ : 333 સ્વરાઢયમાં નાડી જોવાય છે. દીક્ષા આપવા માટે ચંદ્રનાડીના ઉપયાગ કરવાના છે. પ્રેા. જેકેાખી સ્વરાય સમજી શક્યા નથી તેથી રાદય ’ની કલ્પના કરી પૂજ્ય હીરવિજય આચાર્ય ને · સાફ જાતિના કહેવા જેવા ભાવ પ્રગટ કર્યાં છે. જૈનોમાં સ્વરાય બહુ, પ્રચલિત શબ્દ છે. 6 6 " વડી દીક્ષા આપતી વખત દિગ્મ ધ કહેવાને સંપ્રદાય છે. ગચ્છપર પરા સંભળાવવામાં આવે છે. વજ્રસ્વામી તેરમી પાટે થયા. તેમના શિષ્ય વજ્રસેનથી ચાર શાખાઓ નીકળી: નાગે, નિવૃતિ, ચંદ્ર અને વિદ્યાધર. એ પૈકીની બીજી નિવૃતિ શાખામાં સૂરાચાર્ય થયા. તેના ગર્ષિ થયા. તે ગષિએ સિદ્ધને દીક્ષા આપી. સિદ્ધની કૃતિઓ— પ્રભાવકચરિત્રકાર આગળ જણાવે છે કે શ્રી સિદ્ધર્ષિએ દીક્ષા લીધા પછી ખૂબ તપ કયા અને સિદ્ધાન્તના મોટા અભ્યાસી થયા. તેમણે ધર્મ દાસગણુની ઉપદેશમાળા ઉપર હેયાપાદેયા નામની ટીકા લખી. આ ટીકા હાલ પણ લભ્ય છે, છપાયેલ છે. ઉપસિતિ ભવપ્રપ‘ચા કથા લખવાને પ્રસગ— પ્રભાવકચરિત્રકાર ત્યારપછી શ્રી ઉપમિતિભવપ્રપંચા કથા લખવાના પ્રસંગ જણાવે છે. એમના ગુરુભાઇ દાક્ષિણ્યચિન્હ નામના હતા. તેઓએ દશ હજાર ગાથાપ્રમાણુ કુવલયમાળા કથા રચી છે. તેઓ બન્ને વચ્ચે નીચેના વાણીવિનાદ થયેા હશે એમ ગ્રંથકાર જણાવે છે. દાક્ષિણ્યચ'દ્ન (ચિન્હ) આર્યસિદ્ધ ! આ તે ઉપદેશમાળાની ટીકા લખી તેમાં નવું શું કર્યું ? એ તે આગમના શબ્દો શ્રી વાર લખી ગયા. એક શબ્દને બદલે બીજો શબ્દ લખ્યું ! એ તો માત્ર ભરતીયું કર્યું. કહેવાય ! એમાં કાંઇ સર્જન નથી, નવીનતા નથી, વિશિષ્ટતા નથી. અરે કાઇ સુંદર કથા તે લખી ખતાવ. તું જો ! સમરાઇચ્ચકહા છે. એ વાંચતાં રસની છેાળા ઉછળે છે. એ વાંચતાં કે સાંભળતાં લાકે ભૂખ–તરસને ભૂલી જાય છે. મારી કુવલયમાળામાં 1 Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ [ ઐતિહાસિક નજરે સિદ્ધર્ષિ : પણ રસ ભર્યો છે, અર્થગરવ ભર્યું છે. આ ઉપદેશમાળા લખીને તે તેં ખાલી ગ્રંથને જેમ તેમ કરીને પૂરો કર્યો છે.” સિદ્ધ-આર્ય! એવા મહાપુરુષની સાથે તે સ્પર્ધા કરવાની કલ્પના પણ થાય ? એવા મહાપુરુષોની સાથે આપણે વાત કરવી એ તે નાને મહેઠે મોટી વાતો કરવા જેવું છે. જ્યાં હું અને કયાં એ મહાન કથાકાર ?” આ પ્રમાણે જવાબ તે સિદ્ધર્ષિએ આપે, પણ એના મનમાં ચટપટી લાગી. ત્યારપછી એમણે ઉપમિતિભવપ્રપંચ ગ્રંથ બનાવ્યો. પ્રભાવક ચરિત્રકાર એ કથાગ્રંથને માટે નીચેના વિશેષણે વાપરે છે –“અતિ રમ્ય, સારે બધ થાય તેવી રીતે બનાવેલી, અન્યના દુર્બોધને બાંધી લે તેવી, આઠ પ્રસ્તાવથી ભરેલી અને વિદ્વાનનાં મસ્તકને ડોલાવે તેવી.” ગ્રંથ બનાવીને સિદ્ધર્ષિએ દાક્ષિણ્યચંદ્રને બતાવ્યું. દાક્ષિણ્યચંદ્ર છક થઈ ગયા. એનું મસ્તક નમી પડ્યું અને માત્ર એટલું જ બેલ્યા કે “આર્ય સિદ્ધ! તને પ્રેરણું થાય અને તારી પાસેથી સારામાં સારી કૃતિ તે પ્રેરણને પરિણામે નીકળી આવે તેટલા માટે મેં તને ઉપર પ્રમાણે કહ્યું હતું. એ સર્વ તારા હિત માટે જ હતું. આ પ્રકરણ અહીં પૂરું થાય છે. દાક્ષિણ્યચંદ્રને સમય કર્યો હતો, તેમણે કુવલયમાળા ક્યારે લખી, તેમના સંબંધી આ વાર્તા લખી છે તે કેટલી વિચારવા એગ્ય અને ટેકે આપવા ગ્ય છે તે સંબંધી ઘણું હકીક્ત વિચારવા જેવી છે. આપણે તે આગળ વિચારશું. દાક્ષિણયચંદ્રનો સમય દાક્ષિણ્યચંદ્રના સમયના સંબંધમાં બહુ વક્તવ્ય છે તે હવે પછી આ ઉપોદઘાતમાં આવશે. એ આખે જુદે જ વિષય છે અને શ્રી સિદ્ધર્ષિના સમય પર પ્રકાશ પાડે તેમ છે. અત્ર તે આપણે શ્રી સિદ્ધર્ષિનું જીવનચરિત્ર પ્રભાવરિત્રના કર્તા કહે છે તે વિચારી જઈએ છીએ. હવે પછી તે હકીક્ત કહેવામાં આશે. Page #377 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક ચરિત્ર સિહર્ષિ ] ૩૩૫ દાણિયચંદ્રને સમય શક સંવત ૭૦૦ ઈ. સ. ૭૭૯ છે એટલે તેને સંવત ૮૩૫ થયે. આ વાત જે બરાબર હોય તે તે શ્રી સિદ્ધર્ષિના સમકાલીન બની શકે નહિ. આગળ જે હકીક્ત રજુ કરવામાં આવશે તે પરથી જણાશે કે એતિહાસિક દષ્ટિએ દાક્ષિણ્યચંદ્ર અને શ્રી સિદ્ધર્ષિ સમકાલીન હોઈ શકે નહિ. એને માટે કુવલયમાળા કથામાં પુરાવા છે. જે બન્ને વચ્ચે સવાસેથી વધારે વર્ષને અંતર હોય તે દાક્ષિયચંદ્ર અને સિદ્ધર્ષિ વચ્ચે જે વાતચીત પ્રભાવચરિત્રમાં આવી છે તે અશક્ય ગણય. બીજી રીતે પણ તે વાત બનવાજોગ લાગતી નથી. કુવલયમાળા જેવી પ્રાસાદિક કથાના લેખક પિતાની કથા( કુવલયમાળા )ને અર્થોત્પત્તિ રસાધિથી ભરેલી કહે એ તદ્દન ન બને તેવી વાત છે. એ લેખકને આખે આશય પ્રેરણાત્મક હોઈ શકે, પણ પ્રેરણું કરવા જતાં પિતાની પ્રશંસા ન કરે. વળી ઉપદેશમાળાની ટીકામાં ગ્રંથપુરણ-ભરતીઉં થયું છે એ વાત પણ તેઓ ન જ કહે. ટીકામાં તે મૂળના શબ્દ ફરી ફરીને આવે જ એને ગ્રંથપૂરણ ન જ કહેવાય. મને આ આખો પ્રસંગ ન બનવાજોગ લાગે છે. એક બીજી પણ વાત છે. આ પ્રમાણે હકીક્ત બની હોય એટલે શ્રી પ્રભાવક ચરિત્રકાર કહે છે તે પ્રમાણે વાત થઈ હોય તો ઉપમિતિ ભવપ્રપંચો કથા પ્રથમ બની અને બોદ્ધોને ત્યાં અભ્યાસ કરવા સિદ્ધર્ષિ પછી ગયા કરે. એમ હોય તે ઉપમિતિની પ્રશસ્તિમાં લલિતવિરતરાનો ઉલ્લેખ અને શ્રી હરિભદ્રસૂરિની સ્તુતિ તથા તેમને નમસ્કાર અને કુવાસનારૂપ વિષ ધોવાની તેમની પ્રશંસા અસ્થાને થાય છે એટલે એ સર્વ રીતે જોતાં આ દાક્ષિણ્યચંદ્રને પ્રબંધ મને કઈ પણ રીતે બંધબેસતા જણાતું નથી. આ પ્રસંગમાંથી બે વાત તારવવા ગ્ય છે શ્રી પ્રભાચંદ્ર ઉપમિતિ કથા માટે નીચેનાં વિશેષણે વાપર્યા છે દુધસંબદ્ધા (અન્યના દુધને બાંધી લે તેવી), આઠ પ્રસ્તાવથી ભરપૂર, રમ્ય, સુબોધ કથિત, વિદ્વાનનાં મસ્તકને ધૂણાવે તેવી. Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ [ ઐતિહાસિક નજરે સિહર્ષિ : આ વિશેષણા ઉપરથી શ્રી સિદ્ધષિની કથા માટે ચૈાદમી શતાબ્ધિમાં લેાકમત શે હશે તે જાણવાનુ મળે છે. એ કથા સાંભળીને સંઘે શ્રી સિદ્ધષિને ‘ વ્યાખ્યાતૃ ’વ્યાખ્યાનકાર, સુપ્રસિદ્ધ વક્તાનુ બિરુદ આપ્યું. આ ખીજી વાત થઇ. હવે આપણે પ્રભાવકચરિત્રમાં આગળ વધીએ. વિશેષ અભ્યાસની તાલાવેલી શ્રી સિદ્ધને વ્યાખ્યાતાનુ બિરુદ મળ્યુ એ વાત જરૂર મનેલી હાય એમ સંભવિત છે. પછી એમ જણાય છે કે શ્રી સિદ્ધને વિચાર થયા કે જેટલા તર્ક પ્રથા હાલ અહીં લભ્ય છે—પછી તે જૈન ગ્રંથ હેાય કે જેનેતરના હાય તે તેા ભણી લીધા, પણ હજુ ધણું જાણવાનુ બાકી છે. તે વખતે ઐદ્ધના મોટા વિદ્યાપીઠા નાલંદ, તક્ષશિલા અને ગયામાં હતા, પણ ઔદ્ધના ગ્ર ંથા ઐદ્ધને જ ભણાવવામાં આવતા અને તે બહાર આપવામાં આવતા નહિ. શ્રી સિદ્ધને એના અભ્યાસની ચટપર્ટી લાગી અને પેાતાનું જ્ઞાન હજી ઘણું અધૂરું છે એવા ભાવ જાગૃત થયા. જ્ઞાનરુચિ જીવ એસી રહે નહિ. તુરત ગુરુ પાસે ઉપડ્યાં. ત્યાં અન્ને વચ્ચે નીચેની મતલબની વાતચીત થઈ. સિદ્–સાહેબ ! મે અહીં મળી શકતા તર્કશાસ્ત્રનાં પુસ્તકાના અભ્યાસ તેા કર્યાં. આપ જાણેા છે કે ઐાદ્ધોના ન્યાય પણ અભ્યાસ કરવા ચેાગ્ય છે, પરંતુ તે તેનાં ન્યાયનાં પુસ્તકાને પેાતાના દેશ બહાર જવા દેતાં નથી. આપ રજા આપે। તા હું ત્યાં જઈ અભ્યાસ કરી આવું. ગુરુભાઇ ! તે અહીં અભ્યાસ સારા કર્યો છે. હવે પરદેશ જવાથી સર્યું ! સિદ્ધ-સાહેમ ! ન્યાયના જેવા અટપટા વિષયમાં જ્યાંસુધી સર્વ હકીકત જાણવામાં ન આવે ત્યાંસુધી જ્ઞાન કાચું રહે છે. આવા અગત્યના વિષયમાં જેટલું જાણીએ તેટલું ઓછું; માટે કૃપા કરી અનુજ્ઞા આપેા Page #379 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક ચરિત્રે સિદ્ધષિઃ ] ૩૩૭ ગુર–ભાઈ ! તારી વાત સાચી છે. જ્ઞાન તો દરિયો છે, એને કઈ દિવસ છેડે આવે તેમ નથી અને સાચી વાત તો એ જ છે કે જ્ઞાનની બાબતમાં કદી ધરાઈ જવું નહિ, પણ હવે તે ઠીક અભ્યાસ કર્યો છે, માટે આટલેથી સંતોષ રાખ. ગુરુ વિચક્ષણ હતા. એ સિદ્ધના ચહેરા ઉપરથી સમજી ગયા કે એને વિશેષ અભ્યાસની તાલાવેલી લાગી હતી. આવા વ્યાખ્યાનકાર લેખક મહાન શિષ્યની સાચી શુદ્ધ વિકાસગર્ભા ભાવનાને–અભ્યાસ કરવાની રુચિને ગુરુમહારાજ દાબી દે એ કદી બને નહિ. ગુરુ દીર્ધદશી હોય તો શિષ્ય પર ખોટા હુકમ કરવાની અને પોતાનાં સ્થાનને લાભ લેવાની ઈચ્છા ન જ કરે. આ ગુરુતે બહુ દીર્ઘ નજર પહોંચાડનારા હતા જ. તેથી એણે તુરત શ્રુતજ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને બોલ્યા–ભાઈ સિદ્ધ! તારી અભ્યાસ કરવાની ઈચ્છા તો સારી છે, પણ ત્યાં જવામાં સાર નથી. સિદ્ધ–સાહેબ! એમ કેમ કહો છો? ત્યાં જવાને હેતુ અભ્યાસ માત્ર છે. એમાં સાર જેવું નથી એમ આપશ્રીએ ફરમાવ્યું, તો કાંઈ વિશેષ સ્પષ્ટ કરે. ગુજભાઈ ! એ દ્ધો અસત્યવાદી છે, એ સર્વ વસ્તુને ક્ષણિક માને છે; તેઓના તર્કમાં હેત્વાભાસો બહુ છે; એમાં કઈ વાર ચડી જવાય તે બધી વાત બગડી જાય. સિદ્ધ-એમ કેમ બને સાહેબ? ગુરુ ભાઈ ! પ્રાણી નિમિત્તવાસી છે. આડીઅવળી દલીલમાં લપેટાઈ જતાં મન ડોળાઈ જાય અને એક વાર મન કરે ચડી ગયું, તો પછી લપસી જતાં વાર ન લાગે અને તેમ થાય તે અત્યારસુધી જે કાંઈ પુણ્યબળ એકઠું કર્યું હોય તે સર્વનો નાશ થઈ જાય. વળી તું ઘણું ભણ્યો છે, માટે એ વિચાર મોકુફ રાખ. સિદ્ધ–સાહેબ! મારા સંબંધમાં એ ચિતા નકામી છે. મારા આટલા વખતના અભ્યાસથી આપશ્રીએ જાણ્યું હશે કે ૪૩ Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ [ ઐતિહાસિક નજરે સિદ્ધર્ષિ : આપના ભય અસ્થાને છે. હું તેા તર્કના અભ્યાસ પૂરા કરવા જઉં છું, એમાં ચિતાને સ્થાન હોય ? ગુરુ—જો ભાઈ! હું તને એક વાત કહું. ત્યાં ગયા પછી તારે આદ્ધોની પેઠે રહેવુ પડે, એનાં આગમા ભણવાં પડે અને ધીમે ધીમે એ રીતે પ્રાણી સ્થાનથી ખસતા જાય, એ મારા અનુભવના વિષય છે. વળી ન્યાયતની જટિલતા એવી છે કે એક વખત ચક્કરમાં પડી ગયા પછી તેમાંથી નીકળવું મુશ્કેલ અને છે. અત્યાર સુધી મેળવેલ સર્વ લાભ ચાલ્યા જાય એવા વ્યાપાર કરવા ઠીક નહીં. સિદ્—સાહેબ ! એવી રીતે ખસી જનાર તેા સાધારણ બુદ્ધિવાળા હાય, મારે માટે આપને એવા ખ્યાલ આવે એ જ નવાઈ જેવુ છે. ગુરુમહારાજ બહુ વિચક્ષણ-વ્યવહારકુશળ હતા. એમણે શ્રુતજ્ઞાનના અને નિમિત્તના ઉપયાગ મૂક્યા. એમણે ભાવી અવદશા જોઈ. બીજી માજુએ એમણે જોઇ લીધુ કે તેમને ચેલે સિદ્ધ દૃઢ િવચારના હતા. એ લીધેલ વાત મૂકે તેમ ન હતા. એની માગણી વાસ્તવિક હતી, પણ એનું પરિણામ ગુરુને સારું ન દેખાયું. મનમાં એમને ખૂબ ખેદ થયા. અંતે વિચાર કરીને અત્ય‘ત દુ:ખતે હૃદયે ખેલ્યા. ગુરુ—ભાઇ ! તારા આગ્રહ જવાના છે તેા જા. તને સત્બુદ્ધિ થાય એવી ઇચ્છા રાખુ છું. ભણીને વહેલા આવજે. પણ એક વાત કહું છું કે જો કાઇ પણ કારણે મન ભમી જાય તેા આ મારા આપેલેા આઘા ( રજોહરણ ) મને પાછે આપી જશે. ગુરુના મુખ પર ગ્લાનિ ખૂબ દેખાણી. સિદ્ધને એમાં સહજ માનભંગ લાગ્યું. એણે પેાતાના કાન આડા હાથ મૂક્યા. પછી સભ્યતાપૂર્વક એલ્યા— સિદ્—સાહેમ ! આ શું ખોલ્યા ? અરે ! એવી ઉપરઉપરની પારકાની વાણીથી મારા જેવા ફીટી જાય ? આપશ્રી આવી વાત શુ કરો છે ? મારે તા આપના જ આધાર છે. આપે તે જ્ઞાનદાનથી મારી આંખેા ઊઘાડી છે. આપના મનમાં આવા વિચારા આવે એથી પણ મને દુ:ખ થાય છે. કુળવાન માણસ પેાતાના Page #381 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક ચરિત્રે સિ િ: ] ૩૩૯ ગુરુક્રમના ત્યાગ કરે ખરા ? છતાં આપના સ ંતાષ ખાતર કબૂલ કરું છુ કે આપે જે છેલ્લી માગણી કરી તે મારે મંજુર છે. આટલુ કહી ગુરુ તરફ કાંઇક વિનય ખતાન્યેા. ઊંચે મને ગુરુએ આજ્ઞા આપી. મહાએધ નામના મેદ્ધ નગરમાં કાઈ ન ઓળખે તવેા વેશ લઈ શ્રીસિદ્ધ ગયા. ફર્યાં પણ વચન પાળ્યું— શ્રીસિદ્ધ ઔદ્ધોના નગરમાં ગયા. ત્યાં જઈને અભ્યાસ માંડ્યો. મેટામેટા વિદ્વાનોને પણ ભારે આકરાં પડે એવાં શાસ્ત્રો શ્રી સિધ્ધે તા રમત માત્રમાં ભણી નાખ્યાં. એ તા જે ગ્રંથ લે તેમાં પાર ંગત થઇ જાય અને તર્ક શક્તિ અને વાદકળા તા મેટામાં મોટા નૈયાયિકને પણ છક્ક કરી નાખે તેવી એનામાં જણાઇ. એ સર્વાંને પરિણામે એદ્ધ લેાકેાને અને ખાસ કરીને અધ્યાપક ગુરુવ ને ખરેખર ચમત્કૃતિ લાગી. તેઓને સિદ્ધની બુદ્ધિવિશાળતા, વિવેચકશક્તિ અને ચાતુર્ય જોઇ સાન ંદાશ્ચર્ય થયું. પછી આદ્ધોએ એને પોતાના કરી લેવા ભારે મેાટી યુક્તિ ચેાજી. તેએ સમજી ગયા કે શ્રીસિદ્ધ ઐદ્ધિ નથી, પણ મુખેથી એ વાત મેલ્યા નહિ. જાણતા છતાં અજાણુના ડાળ રાખી તેઓએ દરખાસ્ત કરી કે · પેાતાના મેાટામાં મોટા ગુરુને સ્થાને તેને સ્થાપન કરવા છે.’ આખા વખત ઐાદ્ધોના પરિચય, તેમનાં શાસ્ત્રના અભ્યાસ અને કુલ વાતાવરણ જ ઐદ્ધમય એટલે અંતે શ્રસિદ્ધ પેાતાના સ્થાનેથી ડગ્યા. તેને ઐદ્ધિની વાત પસંદ પડવા લાગી. તક જોઈને આવા અસાધારણ બુદ્ધિબળવાળાને પાતાને ત્યાં મજબૂત કરવાના ભીષ્મ પ્રયાગ મેદ્ધોએ આદર્યું. અંતે શ્રસિદ્ધ લપસતા ચાલ્યે, નીચે ઊતરતા ગયા અને જૈનત્વને વિસરતા ગયા. એમ કરતાં એને બદ્ધોના ગુરુસ્થાને દીક્ષા આપવાના પ્રસંગ પ્રાપ્ત થયેા. એણે આદ્રની દીક્ષા લેવા હા પણ પાડી. એનાં મુહૂત્ત લેવાયાં, દરમ્યાન પેતે અભ્યાસ કરવા આવ્યા. તે વખતે ગુરુમહારાજને જે વચન આપી આવ્યા હતા તે તેને યાદ આવ્યું. તેણે પેાતાના આધા ( રજોહરણ્ ) ગુપ્તપણે જાળવી રાખ્યા હતા તે ગુરુને પાછે આપવા પોતાને જવુ જોઇએ એ વાત તેને સાંભરી. Page #382 -------------------------------------------------------------------------- ________________ [ ઐતિહાસિક નજરે સિહર્ષિ ઃ · સાધારણ ગેાટા વાળનાર માણુસ હાત તેા મનને બનાવી દેત, ગેટા વાળત અને ન જાત; પણ મક્કમ વિચારવાળા શ્રીસિદ્ધ પેાતાના સાથીઓને કહી ચૂકયા કે તેણે વચન પાળવા જરૂર જવું જ પડશે. આમ કહેવા પછી તુરત પેાતાના ગુરુને મળવા માટે અને રજોહરણ પાછું આપવા માટે તે નીકળી પડ્યા. એના દ્ધ મિત્રાએ તેની કદાચ મરકરી પણ કરી હશે, પણ ધૂની માણસા એવી વાત કે ટીકાની દરકાર કદી કરતા નથી. એ ગુરુમહારાજને મળવા માટે રજોહરણુ લઈને નીકળ્યા. ૩૪૦ એક બીજી વાત એ પણ છે કે આદ્ધના મત પ્રમાણે લીધેલ પ્રતિજ્ઞા જરૂર પાળવી જોઇએ અને તેટલા માટે તેની પ્રતિજ્ઞાભગ કરવા કેાઇએ તેને પ્રેરણા ન પણ કરી હેાય. ગમે તેમ બન્યું હાય, પણુ પાતાના જૈન ગુરુ પાસે જવા સારું શ્રીસિદ્ધ નીકળી પડ્યા અને તેમ કરવામાં તેના ઈરાદા રજોહરણ પાછું આપી પ્રતિજ્ઞાપાલન કરવાના હતા. ગુરુમહારાજને ચરણે— ગુરુમહારાજ ગર્ષિં જ્યાં બિરાજતા હતા ત્યાં શ્રી સિદ્ધ આવી પહેાંચ્યા. જતી વખતે શ્રી સિદ્ધ ખીજા હતા, આજે ખીજા છે. જતી વખતે એને ગુરુ તરફ પૂજ્યભાવ હતા, સન્માન હતું, ઉપકાર– બુદ્ધિ હતી. આજે તે એ માત્ર વારા વઢાડવા અને લીધેલ પ્રતિજ્ઞાનું પાલન કરવા આવ્યા હતા. તે આવ્યા ત્યારે ગુરુમહારાજ ઊંચા આસન પર બેઠા હતા. તે જ વખતે વ્યાખ્યાન પૂરું થયુ` હશે એમ જણાય છે. ગુરુમહારાજને ઊંચા આસન પર બેઠેલા જોઇ શ્રી સિદ્ધ માત્ર એટલું જ મેલ્યા · આપ આટલા ઊંચે ચઢીને બેઠા છે. તે સારું લાગતું નથી. ’ એટલું મેલીને એ મૈાન રહ્યા. એણે ગુરુને વાંદ્યા નહિ, સુખશાતા પૂછી નડે, આડુંઅવળું જોયુ નહિ અને માત્ર ઉપર કહેલા શબ્દો ઉચ્ચારી એની શી અસર થાય છે તે નીહાળતા ઊભા રહ્યા. દુનિયાના અનુભવી ગુરુમહારાજ એક ક્ષણ વારમાં સર્વ હકીકત સમજી ગયા. શ્રી સિદ્ધને ગયાને ઘણા સમય થયા હતા, પણ ગુરુ. મહારાજ એની જેવા વિદ્વાન શિષ્યને વિસરી શક્યા નહાતા. પેાતાની Page #383 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક ચરિત્રે સિહર્ષિ ] ૩૪૧ આંખ આગળ આવી રીતે શ્રી સિદ્ધ આવીને ઊભા રહે, વાંદે પણ નહિ અને સુખશાતા પણ પૂછે નહિ– આવી પરિસ્થિતિ તેમને અકસ્થ હતી, પણ સ્થિતપ્રજ્ઞ પુરુષોમાં હકીકત સમજવાની અને સમયાનુસાર નિર્ણય કરવાની અસાધારણ કુશળતા હોય છે. ગુરુ મહારાજના મનમાં વિચાર આવ્યો કે જ્યારે શ્રી સિદ્ધ પોતાની પાસેથી ગમે ત્યારે ખરાબ નિમિત્તો હતાં અને અપશુકન થયાં હતાં, એ દુનિમિત્તોએ પિતાને ભાવ ભજો જણાય છે. શ્રી સિદ્ધ જે વિનેય (શિષ્ય) અત્યારે આ શું બોલી રહ્યો છે? એ બેલે છે તથા ન જ ચૂથે એને એમાં ગમે તે આશય હાય, પણ અત્યારે કાંઈ ઠીક લાગતું નથી. આવો સારો તૈયાર થયેલ શિષ્ય અન્યત્ર ખેંચાઈ જાય, એ તો ભારે દુઃખની વાત ! ખરેખર, જૈન કેમની અથવા અમારી પોતાની નબળી ગ્રહદશી વગર આવી હકીકત ન જ બને ! પણ આ તે ખરેખર ભારે થઈ! આટલા વિચારો લખતાં કે વાંચતાં તે ઘણો વખત લાગે પણ આ અને આવા અનેક વિચારે એક ક્ષણ વારમાં ગગર્ષિ ગુરુમહારાજના મગજમાં આવી પસાર થઈ ગયા. એણે સર્વ પરિસ્થિતિ જોઈ લીધી, તેની લીધી, સમજી લીધી. એને મનમાં થયું કે કોઈ પણ ઉપાયે આને બંધ કરવો જોઈએ. એ અનેક પર ઉપકાર કરનાર થાય તે સમૃદ્ધ શક્તિશાળી વિદ્વાન થવા યોગ્ય છે અને એના આત્માને લાભ કરવાની મારી ફરજ છે. ગુરુપ્રયાગ: લલિતવિસ્તરા સમયજ્ઞ સમભાવી ગુરુમહારાજ જરા પણ મુંઝાયા નહિ કે શ્રી સિદ્ધની અઘટિત ભાષાપદ્ધતિ પર મનને દેરવી ગયા નહિ. એમણે ઊભા થઈને સિદ્ધને પિતાના ઊંચા આસન પર બેસાડ્યો અને પાસે શ્રીહરિભદ્રસૂરિ મહારાજની રચેલી લલિતવિસ્તારનામની ચેત્યવંદન વૃત્તિ પડી હતી તે તેના હાથમાં આપી માત્ર એટલું જ બોલ્યા અમે દેરાસર દર્શન કરવા જઈ આવીએ છીએ. તું જરા અહીં બેસજે અને આ ગ્રંથ જે જજે!” આટલું કહી બીજી કઈ જાતની ટકા કે ચર્ચા કર્યા વગર ગર્ગષિ મહારાજ ત્યાંથી ચાલ્યા ગયા. આ આખા બનાવમાં શ્રી ગર્ગષિનાં ગાંભીર્ય, વિશાળતા, દીર્ધ Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ [ ઐતિહાસિક નજરે સિદ્ધર્ષિક દષ્ટિ, સમયવિચારણ, મનુષ્યપ્રકૃતિના આવિર્ભાવોને અભ્યાસ અને નિરભિમાન વૃત્તિ ખૂબ વિચારવા જેવાં છે. આપણે છોકરો આવીને કહે કે “બાપા ! હેઠા ઊતરે, તમે એવા ઊંચા આસને સારા ન લાગો” એવું કહેનાર કેઈ બહારને માણસ હોય તો તે જુદી વાત, પણ ઘરને છોકરો વર્ષોના આંતરા પછી મળવા આવે અને પહેલી જ વાર બાપાને સિહાસન પરથી હેઠા ઊતરવાનું કહે, ત્યારે મનમાં પણ ગુસ્સે ન આવે એ તે મેટી ગસાધના અને આત્મસંયમ વગર બને નહિ. અને બીજી વાત એ છે કે આવા સમયે આખી કાર્યદિશાનો નિર્ણય કરવામાં બુદ્ધિચાતુર્ય છે. વિદ્વાન છોકરાની સાથે ચર્ચા કરવી નકામી હતી. જે પોતાના ગુરુને કહે કે તમે ઊંચે આસને શોભતા નથી તેની સાથે ચર્ચા કરવામાં કાંઈ સાર ન નીકળે. ગુરુમહારાજને પ્રગ ખરેખર અસાધારણ હતો. એણે સિદ્ધને ખબરઅંતર પૂછયા નહિ, પિતાનું અપમાન કર્યું તેનો જવાબ નહિ, પણ પોતાના આસન ઉપર બેસાડી દીધો. અવિનય અને તાડુકા કરનાર શિષ્યની સાથે આ વર્તણુક અસાધારણ છે. આવા મહાપુરુષોના હાથમાં શાસનની દેરી હોય એને એ દીપાવે, બહલાવે, અપનાવે. રસિક અભ્યાસી શ્રી સિદ્ધ લલિતવિસ્તરા વૃત્તિ હાથમાં લીધી.એના મનમાં રજોહરણ પાછું આપી વિદાય થઈ જવાની ઘડભાંજ હતી. ગુરુમહારાજ દેરે જઈ આવવાનું કહે ત્યારે તે તેમને ના કહે અથવા પિતાના કાર્યની ઉતાવળ મન પર લાવે, એટલી હદ સુધીની ધૃષ્ટતા તેનામાં આવી ન હતી. એને સમય પસાર કરે હતે. ગુરુમહારાજ દૂર ગયા કે એણે પુસ્તક ઉઘાડ્યું. એ વાંચતાં એની આંખો ઉઘડી ગઈ. - ક્યા પુરુષને માર્ગ પર આવવામાં કઈ વસ્તુ ઉપયોગી નીવડે છે તે કાંઈ કહી શકાય નહિ. સામાન્ય લાગતાં સાધને કઈ જીવને મહાઉપકારી નીવડે છે. લલિતવિસ્તરામાં તો ચૈત્યવંદનની વૃત્તિ છે, પણ એ વાંચતાં શ્રી સિદ્ધના, માનસમાં શા ફેરફાર થયા હશે તે કહી શકાય નહિ. એ તર્કનો ગ્રંથ નહોતે, એમાં અન્ય ધર્મનું કે બોદ્ધોનું ખાસ ખંડનમંડન નહોતું અને એ ખાસ કરીને વિધિવાદને ગ્રંથ હતો. એ વાચતાં એને પૂર્વ સંસ્કાર જાગૃત થયા હોય કે ગમે તેમ થયું હોય, પણ ગુરુમહારાજ મંદિરેથી પાછા Page #385 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક ચરિત્રે સિહષિ : ] ૩૪૩ આવ તે પહેલાં એ ફ્રી ગયા, ઠેકાણે આવી ગયા, એને એ ગ્રંથ ઉપર આદર થયા, એના લેખક ઉપર આદર થયા, પાતાના ગુરુની દીષ્ટિ તરફ રાગ થયા અને પેાતાની ચપળતા ઉપર ખેદ થયા. ગમે તેમ થયું, પણ એ ગ્રંથ વાચતાં શ્રી સિદ્ધમાં મહાન ફેરફાર થઇ ગયા. વિમ આ અતિ મહત્ત્વના પ્રસંગ છે. શ્રી લલિતવિસ્તરા ગ્રંથથી શ્રી સિદ્ધ ઉપર મહાન ઉપકાર થયા છે એ નિર્વિવાદ છે. મૂળ ગ્રંથની પ્રશસ્તિમાં પેાતાના શબ્દોમાં શ્રી સિદ્ધષિ એ સબંધી જે લખે છે તે આપણે ઉપર પ્રશસ્તિની વિચારણામાં ત્રીજા પેટા વિષયમાં જોઇ ગયા ( જુએ પૃ. ૨૯૦–૩૦૨) હરિભદ્રસૂરિએ અનાગત ભાવ જાણીને શ્રી સિદ્ધર્ષિની કુવાસનારૂપ ઝેર લલિતવિસ્તરા નામના ગ્રંથથી નાશ પામશે એમ ધાર્યું. આ સર્વ હકીકત અગાઉ આવી ગઇ છે એટલે લલિતવિસ્તરા ગ્રંથના અને શ્રી સિદ્ધર્ષિના સંબ ંધ સીધેા અને શંકા વગરના છે. લલિતવિસ્તરા ગ્રથના એવા કયા વિષય છે કે જે વાચતાં ઐદ્ધોને ત્યાં થયેલ કુવાસના ઊડી જાય એ ચર્ચા જરૂર કરવા જેવી છે, પણ જવાબ લગભગ અશક્ય છે; કારણ કે એ માનસના પ્રકાર ઉપર વ્યક્તિને અવલંબન કરતી બીના હાઇ એક પ્રાધાન્ય નિયમને અનુસરનાર પરિણામ લાવવું મુશ્કેલ છે. લલિતવિસ્તરા ગ્રંથ વાંચતાં જરૂર આહ્લાદ થાય તેવા ગ્રંથ છે. અનેા પ્રધાન સૂર વિધિવાદના છે. અના લેખક શ્રીમાન્ હરિભદ્રસૂરિ પ્રકૃષ્ટ તાર્કિક હાઇ આખા ગ્રંથમાં એમણે ડામ ઠામ ન્યાયની કોટિએ મૂકી છે. × ંધની શરૂઆતમાં એના ( ધર્મ ના) અધિકારી કેાણુ ? અને અનધિકારી કેણુ ? એનું વિવેચન કરતાં અધિકારીનાં ચિહ્નો (લિંગા) અતાવતાં કહે છે કે— ૧) તેને ધર્મ કથાની પ્રીતિ હાવી જોઇએ, (૨) ધર્મની નિ ંદાનું શ્રવણ પણ તે સહી ન શકે એમ હાવું જોઇએ, ( ૩ ) ધર્મ ન કરનાર તરફ્ એને અનુકપા હાવી જોઇએ, ( ૪ ) ધર્મ તરફ એના મનનું સ્થાપિતપણું હોવું જોઇએ, (૫) ધર્મ ને માટે ખાસ જિજ્ઞાસા–આતુરતા હાવી જોઇએ, ( ૬ ) ગુરુ તરફ વિનય હેાવા જોઇએ, (૭) ધર્મ ને યાગ્ય કાળ શેાધવાની અપેક્ષા તેનામાં હાવી જોઇએ, ( ૮ ) ઉચિત સ્થિર આસન જોઇએ, ( ૯ ) યાગ્ય સ્વર, Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ [ ઐતિહાસિક નજરે સિહર્ષિ : પરને ઉપઘાત–અડચણ ન કરે તવા સ્વર હાવા જોઇએ, (૧૦) પાઠના શુદ્ધ ઉચ્ચાર સાથે તના ઉપયાગ તેમાં હાવા જોઇએ, ( ૧૧ ) લાકપ્રિયત્ન હાવુ જોઇએ, ( ૧૨ ) અગહિઁત ક્રિયા હાવી જોઇએ, ( ૧૩) કષ્ટ વખતે ધીરજ હાવી જોઇએ ( ૧૪) શક્તિ પૂરતા ત્યાગ હાવા જોઇએ અને ( ૧૫ ) લબ્ધલક્ષ્યપણુ’ હાવુ જોઇએ. જો સિદ્ધર્ષિ વ્યુત્પન્ન જીવ હાય તા આ અધિકારીનું લક્ષણ વાંચી નીચે નજર કરે, પોતાના અંતરાત્માને પૂછે અને જવાખ મેળવે. આવા છૂટા છૂટા અનેક પ્રસંગે એ લલિતવિસ્તરા ગ્રંથમાં છે. એમાંથી કઈ હકીકત વાચનાં શ્રી સિદ્ધ િને જાગૃતિ થઇ હશે તે કહેવુ અશકય છે. બેાધના પ્રસંગે! ઘણી વાર એટલા સાદા હેાય છે કે બીજાને તે વાત બેસે નહિ. આપણે વૃદ્ધ બળદને ઘણી વાર જોઇએ છીએ, પણ કાંઈ વૈરાગ્ય થતા નથી અને કરક ડ્રને થયેા છે તે આપણે વાંચીએ છીએ. માનસિક વિકાસ અને પૂર્વના ક્ષયાપશમ ઉપર તેના આધાર રહે છે. એના નિ ય કરવામાં બીજી અગવડ એ છે કે ગુરુમહારાજ દેરાસરેથી પાછા ક્યારે આવ્યા તે આપણે જાણતા નથી. ત અરધા કલાકમાં પાછા ફર્યા હાય કે બે કલાકે આવ્યા હાય તે આપણને છાબર નથી. સિદ્ધર્ષિએ ગ્રંથ હાથમાં લઇ પ્રથમથી વાંચવા માંડ્યો કે ચપળ વિદ્વાનની પેઠે વચ્ચેનુ કાઈ પાનું ઉપાડી શરૂ કર્યું તે પણ આપણે જાણતા નથી. પશુ લલિતવિસ્તરા વૃત્તિથી તેમને જરૂર લાભ થયા છે. એ ખખતમાં કાઇ પણ પ્રકારની શંકા નથી. તેઓ પ્રશસ્તિમાં જે ત્રણ શ્લેાકેા મૂકે છે. તે ઉપરથી તેમના મન ઉપર શ્રી હરિભદ્રસૂરીશ્વરની લલિતવિસ્તા નામની ચૈત્યવંદન વૃત્તિથી ઘણી અસર થઇ છે એ સિદ્ધ વાત છે. એ ગ્રંથ જાણે ખૂદ સિદ્ધર્ષિને માટે જ શ્રી હરિભદ્રસૂરિએ લખ્યા હાય એમ તેઓ માને છે, પેાતાની કુવાસનાનું ઝેર દૂર કરનાર તરીકે શ્રી હરિભદ્રસૂરિને પાતે ગણે છે અને પ્રથમ પ્રસ્તાવમાં ધર્મ ખાધકરનુ પાત્ર આવે છે તે શ્રી હરિભદ્રસૂરિનું પાત્ર કાળથી દૂર હેાવા છતાં છે એમ જાતે કબૂલ કરે છે. આ સથી આપણે કદાચ લલિતવિસ્તરાના કયા અમુક Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ પ્રભાવક ચરિત્રે સિહર્ષિ ] વિભાગ વાંચવાથી તેમના ઉપર અસર થઈ તે ન કહી શકીએ તે પણ એ ગ્રંથને તેમના ઉપર ઉપકાર સ્પષ્ટ છે. એ ગ્રંથની પંજિકા મુનિચંદ્રસૂરિએ ૨૧૫૫ લેક પ્રમાણે લખી છે. તેની શરૂઆત કરતાં તેઓશ્રી પણ લખે છે કે – यां बुद्धवा किल सिद्धसाधुरखिलव्याख्यातचूडामणिः, सम्बुद्धः सुगतप्रणीतसमयाभ्यासाच्चलच्चेतनः । यत्कर्तुः स्वकृतौ पुनर्गुरुतया चक्रे नमस्यामसौ, को हनां विवृणोतु नाम विवृति स्मृत्यै तथाप्यात्मनः ॥ “વ્યાખ્યાતૃચુડામણિ સિદ્ધ સાધુ જેનું ચિત્ત સુગત(બુદ્ધ ના શાસ્ત્રાભ્યાસથી ચળી ગયું હતું તેને બંધ પમાડીને જે વૃત્તિઓ સંબુદ્ધ કરેલ હતા અને જેના કર્તાને પોતાના ગુરુ તરીકે પિતાની કૃતિઓમાં નમસ્કાર કર્યો છે તેવી વૃત્તિ ઉપર વિવેચન કરવાને તે કાણુ શક્તિવાન થાય? પણ પિતાની જાતની સ્મૃતિ માટે હું આ (પંજિકા ) રચું છું.” લગભગ ૨૦૦ વર્ષને અંતરે થયેલા મુનિચંદ્રસૂરિએ પોતાની પંજિકામાં આ પ્રમાણે શરૂઆતમાં જ લખ્યું છે તેથી તે વખતે પણ આ વાત જરૂર પ્રચલિત હશે. એ ગ્રંથની શ્રી સિદ્ધર્ષિ મહારાજ ઉપર અસર તે ઘણી થયેલી હોવી જોઈએ. લલિતવિસ્તરાના કેટલાક આખા વાક્યો શ્રી સિદ્ધર્ષિએ ઉપમિતિ ગ્રંથમાં ઉતારી લીધા છે તે પરથી તેમની ઉપર સદર ગ્રંથની ઘણું અસર સ્પષ્ટ જણાઈ આવે છે. સાતમાં પ્રસ્તાવમાં ચાર વ્યાપારી કથાનક આવે છે (અવતરણ પૃ. ૧૭૨૩). ત્યાં જે અકલ્યાણ મિત્રને સંબંધ છેડી દેવાથી શરૂ થતું મહાન વાક્ય છે તે આખું લલિતવિસ્તરા વૃત્તિમાંથી પૃ. ૧૧૬ (દે. લા.) અક્ષરે અક્ષર ઉદ્ધરી લીધું છે. તેમજ ચોથા પ્રસ્તાવમાં વિચક્ષણસૂરિ નરવાહન રાજાને ઉપદેશ આપે છે ત્યાં શરૂઆતમાં (અવ. પૃ. ૭૫૯) એક મોટા વિશાળ મહેલમાં આગ લાગવાની હકીક્તનું જે મહાવાક્ય છે તે લલિતવિસ્તરા પૃ. ૪૬ માંથી લઈ લીધું છે. એ બને વાક્ય ખાસ લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. અનુક્રમે તે નીચે પ્રમાણે છે: Page #388 -------------------------------------------------------------------------- ________________ ३४६ [ मैतिहासि नारे सिलि: प्रथम पाध्य. भूपृ. १०१२. दलित . ११६. लाषांतर १७२३-४. परिहर्तव्योऽकल्याणमित्रयोगः, सेवितव्यानि कल्याणमित्राणि, न लङ्घनीयोचितस्थितिः, अपेक्षितव्यो लोकमार्गः, माननीय गुरुसंहतिः, भवितव्यमेतत्तन्त्रेण, प्रवर्तितव्यं दानादौ, कर्तव्योदारपूजा भगवतां, निरूपणीयः साधुविशेषः, श्रोतव्यं विधिना धर्मशास्त्रं, भावनीयं महायत्नेन, प्रवर्तीतव्यं विधानतः,' अयलम्ब. नीयं धैर्य, पर्यालोचनीयायतिः, अवलोकनीयो मृत्यु, भवितव्यं परलोकप्रधानेन,२ सेवितव्यो गुरुजनः, कर्तव्यं योगपट दर्शनं, स्थापनीयं तपादि चेतसि,४ निरूपयितव्या धारणा, परिहर्तव्यो विक्षेपमार्गः, 'यतितव्यं योगसिद्धौ, कारयितव्या भगवत्प्रतिमाः', लेखनीयं भुवनेश्वरवचनं, कर्तव्यो मङ्गलजाप.८, प्रतिपत्तव्यं चतुःशरणं, गर्हितव्यानि दुष्कृतानि, १०अनुमोदनीयं कुशलं, पूजनीयाः मन्त्रदेवताः, श्रोतव्यानि सच्चेष्टितानि, भावनीयमौदार्य, वर्तितव्यमुत्तमज्ञानेनः (આ વાક્યને ઉપયોગ શ્રી હરિભદ્રસૂરિ ચૈત્યવંદન-પ્રણિધાન કરવાની ચોગ્યતા પ્રાપ્ત કરવાના પૂર્વ કારણેને અંગે કરે છે. શ્રી સિદ્ધર્ષિ સાધુધર્મના અનુષ્ઠાન કરવાની યોગ્યતા પ્રાપ્ત કરવા ગૃહસ્થને આ પ્રમાણે ભલામણ કરે છે.) द्वितीय महावास्य. भूपृ. ४७१-७. दलित पृ. ४६. मत२७५ ५. ७५८-६० ११प्रदीप्तगृहोदरकल्पोऽयं भवो, निवासः शारीरादिदुःखानां । न युक्तः इह विदुषः प्रमादः । १३यतः अतिदुर्लभेयं मानुषावस्था, प्रधानं परलोकसाधनं, परिणामकटवो विषया, विप्रयोगान्तानि १ अनुष्ठेयस्तदर्थो विधानेन से प्रभारी उपभितिभा पा छ. २ परलोकप्रधानैः मेवो पापभितिभा छ. ३ पट्ट अपमिति ५४. ४ मानसे 8५मिति पा४. ५ प्रयतितव्यं उपभिति पा. ६ भगवद्भुवनबिम्बादिकं अपमिति ५४. . भुवनेश भिति. ८ जपः अपमिति ९ गार्हितव्यानि 84मिति. १० अनुमोदयितव्यं 8५०. ११ प्रदीप्तभवनोदरकल्प ९५०. ११ संसार-- विस्तारः ५०. १३ यतः ७५० मा छो . Page #389 -------------------------------------------------------------------------- ________________ प्राप: यरित्र सिहर्षि :] ३४७ सत्सङ्गतानि, पातभयातुरमविज्ञातपातमायुः, तदेवं व्यवस्थिते विध्यापनेऽस्य यतितव्यं,१४ १५एतच्च सिद्धान्तवासनासारो धर्ममेदो यदि परं विध्यापयति, अतः स्वीकर्तव्यः सिद्धान्तः, सम्यक सेवितव्यास्तदभिज्ञाः, भावनीयं १ मुण्डमालालुकाशातं, त्यक्तव्या खलवदसदपेक्षा, भवितव्यमाशाप्रधानेन, उपादेयं प्रणिधान, पोषणीय१७ साधुसेवया धर्मशरीरं, रक्षणीय प्रवचनमालिन्यं, एतच्च विधिप्रवृत्तः सम्पादयति, अतः सर्वत्र विधिना प्रवर्तितव्यं सूत्रात्८ । ज्ञातव्य आत्मभाव:१९, प्रवृत्तावपेक्षितव्यानि निमित्तानि, यतितव्यमसम्पनयोगेषु, लक्षयितव्या विस्रोतसिका, प्रतिविधेयमनागतमस्याः २०भयशरणायुदाहरणेन, २१भवत्येवं सोपक्रमकर्मनाशः२२ निरुपक्रमानुबन्धव्यवच्छित्तिरित्यैवं२३ धर्म देशयन्तीति धर्मदंशकाः ( लगवान का प्रारना उपहेमापे छे ते मतावा धम्मदेसयाणंना ५२ विवयन ४२di मा वाध्य श्री रिभद्रसूमि મહારાજ વાપરે છે. વિચક્ષણસૂરિ ઉપદેશની શરૂઆત કરતા નરવાહન રાજ પાસે આ આખું વાકય બોલે છે. પૃ. ૭૫૯-૬૦) આ ઉપરાંત ગ્રંથમાં નાના મોટા ઉતારા શ્રી હરિભદ્રસૂરિના સ્પષ્ટ છે તેથી હરિભદ્રસૂરિને તેમના (લેખક) ઉપર ઉપકાર જરૂર હોવો જોઈએ. આટલે વિમર્શ અહીં પ્રાસંગિક છે. બાકી ગુરુમહારાજને પાછા આવતાં વખત કેટલે થયો તે હકીકત નોંધાયેલી નથી અને લલિતવિસ્તરાને યે ભાગ વાંચીને શ્રી સિદ્ધર્ષિના મન પર અસર થઈ તેની પણ નેંધ ન હોવાથી માનસિક પરિવર્તનના માર્ગો પર સ્પષ્ટ નિર્ણય થાય તેમ નથી. ગમે તે કારણે શ્રી હરિભ१४ विध्यापनेऽस्य संसारप्रदीपनकस्य यत्नः कर्तव्यः ५०. १५ तस्य च हेतुः सिद्धान्तवासना सारो धर्ममेघः ५० भने ' यहि ५२ विध्यापयति' 6५०ीछे १६ मुण्डमालिकोपमानं 640 48. १७ सत्साधुसेवया 6५० पाई. धर्मशरीर छोडी छ. १८ सूत्रानुसारेण ५० ५४. १९ आत्मम्वरूपः ५० पा४. २० 'अयशरणाधुरणेन '५० सही नथी. २१ भवत्येवं प्रवर्तमानानां ५० ५. २२ नाशः स्थाने विलयः ५०. २३ विच्छिद्यते निरुपक्रम कर्मानुबन्धः । तस्मादत्रैव यतध्वं यूयमिति. ५० ५. Page #390 -------------------------------------------------------------------------- ________________ 2૪૮ [ ઐતિહાસિક નજરે સિહર્ષિ દ્રસૂરિને ઉપકાર શ્રી સિદ્ધર્ષિ પર થયો છે તેને અના વિવાળા શબ્દો સાથે વાંચીએ ત્યારે ઘાટ બેસે છે કે સીધો ઉપકાર કાંઈ થયે જણાતે નથી પણ પરંપરાએ જરૂર થયેલ છે. આ ચર્ચા અન્યત્ર થઈ ગઈ છે. એક બીજી બાબત પણ અહીં વિચારવા યોગ્ય છે. શ્રી સિદ્ધર્ષિપ્રબન્ધ પ્રમાણે ઉપમિતિની રચના પ્રથમ થઈ છે, ત્યારપછી બદ્ધોને અભ્યાસ કરવા તે ગુરુમહારાજની રજા લઈને જાય છે. આ હકીક્ત અસંભવિત એટલા માટે છે કે અભ્યાસ કરીને પાછા આવ્યા પહેલાં જે ઉપમિતિ ગ્રંથ તેમણે બનાવ્યો હોય તે પ્રશસ્તિમાં વિલ લિનિર્ખર વાસનામવાળા શ્રી હરિભદ્રસૂરિને નમસ્કારના ત્રણે લેક અપ્રસ્તુત બની જાય છે. ઉપમિતિ બનાવ્યા પછી જે બૌદ્ધોને ત્યાં જવાનું બન્યું હોય તો લલિતવિસ્તરા ગ્રંથ ગુરુમહારાજ તેમના હાથમાં મૂકે એ વાતને ઉલ્લેખ પ્રશસ્તિમાં કદી આવી શકે નહિ. વળી હરિભદ્રસૂરિને ધર્મબોધકર સાથે સરખાવ્યા છે અને પ્રથમ પ્રસ્તાવમાં દિવેદિર શબ્દ વાપરી હરિભદ્રસૂરિને સમયની અપેક્ષાએ પિતાથી દૂર બતાવ્યા છે. એ સર્વ વાત અસંગત બને છે. આ સર્વ વિમર્શે વિચારતાં શ્રી હરિભદ્રસૂરિના ગ્રંથને ઉપકાર લેખક મહાત્મા પર જરૂર જણાય છે, પણ તે કેવી રીતે થયો હશે તે સંબંધીની વાર્તા શ્રી પ્રભાવચરિત્રકારે લખી છે તે બંધબેસતી જણાતી નથી. બાકી મનુષ્યનાં મન એવા ચિત્રવિચિત્ર હોય છે કે કેટલીક વાર નાની બાબત મોટી અસર કરી દે છે, તેથી તત્ત્વ કેવલીગમ્ય રાખી આપણે આગળ વધીએ. ઠેકાણે આવ્યા' લલિતવિસ્તરા ગ્રંથ વાંચતાં શ્રી સિદ્ધર્ષિ ઠેકાણે આવી ગયા. એને પૂર્વ સંસ્કાર જાગ્રત થઈ ગયા. એના મનમાંથી ઘુંચ નીકળી ગઈ. એને શ્રીવીરના સંદેશાનું સ્મરણ થયું અને મનમાં જે આંટી પડી હતી તે તૂટી ગઈ. વિચાર થયે કે ગુરુમહારાજને ધન્ય છે! એમણે મારે માટે વિચાર કરીને જ મને પાછો લાવવાની સૂચના કરી હશે! કદાચ એમને ભવિષ્યમ્ નિમિત્તજ્ઞાન થયું હશે! ગુરુમહારાજ આવશે એટલે એમને પગે પડીશ. આવી વિચારશ્રેણી ચાલતી હતી ત્યાં ગુરુમહારાજ આવ્યા. Page #391 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક ચરિત્ર સિદ્ધર્ષ : 2 ૩૪૯ બહારથી નિસિહી' શબ્દ મોટેથી મેલ્યા. સાધુઓ મદિર કે ઉપાશ્રયમાં પેસતાં આ શબ્દ ખેલે એવા આચાર છે. શ્રી સિદ્ધર્ષિએ ગુરુઆગમન જાણી લીધું. એ તુરત વિનય બતાવવા ઊભા થઇ ગયા. જ શિષ્યે થેાડી મિનિટ કે કલાક પહેલાં ગુરુને કહ્યું હતું કે • તમે ઊંચા બેઠા શાલતા નથી ! ' તે જ 'વિનય-શિષ્ય ગુરુને આવતાં જોઈ ઊભા થઇ જાય છે. આન દમેળાપ— વિચક્ષણ ગુરુમહારાજ સમજી ગયા, આખી વસ્તુસ્થિતિને પામી ગયા. જરા પણ કડવાશની વાત ન કરતાં શ્રી સિદ્ધર્ષિ સામે પ્રેમનજર કરી આસન પર બેઠા. સિદ્ધર્ષિએ વાત આદરી. સિદ્-ભગવન્ ! મારી બુદ્ધિમાં કેટલેાક ભ્રમ થયા હતા તે આ લલિતવિસ્તરા ગ્રંથ વાચતાં દૂર થઇ ગયા છે, આપની મને અહીં પાછા ખેલાવવાની દી ષ્ટિ ખરેખર વદનને ચેાગ્ય છે. ગુરુમહારાજ—તારા જેવા કદી છેતરાય તેમ મેં માન્યું જ નહાતુ. અત્યારે આપણા વિશાળ શાસ્ત્રોનાં મર્મ સમજી શકે એવા આપણા ગચ્છમાં તારા જેવા કાણુ છે ? સિદ્ધ—પણ પ્રભુ ! આટલી યા. આ પામર જીવ પર શા માટે ? આ પ્રાણીશું આપનાં ચૈત્યા કરાવશે ? કે શું માટેા ધુરંધર થશે ? મારા જેવા તુચ્છ શિષ્યાને તા દૂર કરવા જોઇએ. ગુરુમહારાજ—એવું કાંઇ નથી. ઉપર ઉપરની બાબતાથી કાઇવાર બુદ્ધિમાં ભેદ થાય, તેવા કારણે દૂર કરવાથી તેા પ્રાણી અધર્મ પામી જાય. તું પાછા આવ્યા તે ચેાગ્ય જ કર્યું છે. સિ—આ પ્રાણી ખરા દ્રોહી છે. એને આપ પ્રાયશ્ચિત્ત આપે, એના ઉદ્ધાર કરેા, એને લાયક બનાવા, એનાં પાપા ધેાઇ નાખો. ગુરુમહારાજ શ્રી સિદ્ધર્ષિને પ્રાયશ્ચિત્ત આપ્યુ. ખન્નેએ ધણા વખત સુધી બૌદ્ધોના ઉપરટપકેના તર્કની વાતા કરી અને વિશિષ્ટ ચર્ચાદ્વારા ખૂબ આનંદ મેળવ્યેા. ગુરુમહારાજે વાતચીત દરમ્યાન શ્રી સિદ્ધર્ષિને ખૂબ આપી દીધું, એના મનમાં કાંઈ ઘુંચવણુ રહી Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ [ ઐતિહાસિક નજરે સિિ ગઇ હાય તા તે દૂર કરી અને તેના જ્ઞાનની પ્રશંસા સવિશેષ કરી અને સ્થિર કર્યો. ગચ્છપતિ શ્રી સિદ્ધૃષિ ત્યારપછી પાતાની પાટ પર એની સ્થાપના કરી. પેાતે પૂર્વકાળના ઋષિઓની પેઠે જિનકલ્પની તુલના કરવા અને યાગસાધના કરવા જંગલમાં ચાલ્યા ગયા. ગચ્છપતિ થાય તેને આખા ગચ્છની મમત ઉપર ધ્યાન આપવું પડે છે અને તેની જવાબદારી પણ ઘણી મેાટી હાય છે. ગચ્છાધિપતિ પણ યાગ્ય શિષ્યને પાતાના સ્થાન પર નીમી પાતે ગચ્છના ભાર ઉતારી મૂકતા હતા. જિનકલ્પના વિચ્છેદ થયા પછી પણ જિનકલ્પની તુલના કરવાની રજા હતી. એટલે જિનકલ્પ આદર્યું છે એમ જણાવ્યા કે જાહેર કર્યા સિવાય (જનકલ્પને ચેાગ્ય સર્વ ક્રિયાઓ અને પ્રવતના થઈ શકતા હતા. એને જિનકલ્પની તુલના કહેવાય. જંગલમાં રહેવું, વસતિમાં પ્રાયઃ આવવું નહિ, ઘેાર પરીષહે સહન કરવાં અને મહાતપ કરવા, તેમજ દુનિયાદારીની સર્વ ખટપટા છેડી દેવા ઉપરાંત ગણુ—ગચ્છ કે સ ંધની સર્વ ચિંતા પણ છેડી દેવીએ સર્વે જિનકલ્પની તુલનામાં આવે છે. ગુરુમહારાજે ( ગષિએ ) આવા પ્રકારના નિ:સંગ ભાવ આદર્યુ અને ગચ્છની સર્વ ચિંતા શ્રી સિદ્ધષિ પર નાખી. નિવૃત્તિ કુળના આ પ્રવર સંતાને વ્યાખ્યાતૃ-વ્યાખ્યાનકાર તરીકે ખૂબ સેવા કરી, અનેક તીથ યાત્રા કરી, કંઇકની સાથે ચર્ચાઓ કરી અને નિવૃત્તિ કુળને નિવૃત્તિ—આન ંદ કરી આપ્યા. આ રીતે પ્રભાવક ચરિત્રમાં આવેલા શ્રી સિદ્ધષિ પ્રખ ધની વિચારણા ચર્ચા વિમર્શ સાથે પૂરી થઇ. એના ઘણા પ્રસંગે! ખૂબ ચર્ચા કરવા જેવા છે. એનાં ઉપયુક્ત સાધના અત્ર રજૂ કર્યા છે. બાકી તા જેમ ઈતિહાસની શાયખાળ થતી જશે તેમ આ પ્રસ ંગે પર વધારે પ્રકાશ પડતા જશે. માઘ વિના અને કોના સખધ અને કર્તાના તથા શ્રી હરિભદ્રસૂરિના સંબંધ ખૂબ ચર્ચાવા યાગ્ય છે. હવે આપણે કુવલયમાળાના કર્તો શ્રી દાક્ષિણ્યચદ્ર અને આ ગ્રંથના કર્તા શ્રી સિદ્ધર્ષિં ગણિ સંબંધી વિચારણા કરી જઇએ. Page #393 -------------------------------------------------------------------------- ________________ VI દાક્ષિણ્યચંદ્ર અને સિદ્ધષિ દાક્ષિણ્યચંદ્ર-ઉદ્યોતનસૂરિએ કુવલયમાળા નામની કથા પ્રાકૃતમાં દશ હજાર ગાથાપ્રમાણ લખી છે. તેઓએ પ્રેરણા કરી તેથી શ્રી સિદ્ધષિએ આ ગ્રંથ બનાવ્યેા. એ હકીકતની અશકયતા ઉપર પૃ. ૩૩૫ માં શ્રી પ્રભાવક ચરિત્રનેા તે ભાગ વિચારતાં સહજ બતાવી છે. એ કુવલયમાળા કથા કેવી છે અને કયારે બની છે તેની હકીકત ખાસ પ્રસ્તુત છે. એ જાણ્યા પછીજ દાક્ષિણ્યચંદ્ર અને આ કથાના લેખકને સંબંધ હોઇ શકે કે કેમ ? તેને નિર્ણય કરી શકાય. કુવલયમાળાના વિષય— કુવલયમાળા કથા પ્રાકૃતમાં છે, તે પરથી રત્નપ્રભસૂરિએ સંસ્કૃતમાં રચના કરી છે. સંસ્કૃત કૃતિને સમય તેરમી સદીની આખરના અને ચાદમીની શરૂઆતના છે. એ મૂળ ગ્રંથ શ્રી આત્માન ંદ જૈન સભા( ભાવનગર )એ સને ૧૯૧૬ માં છપાળ્યેા છે. એનુ ગુજરાતી ભાષાંતર શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ સને ૧૯૧૩ માં છપાવ્યું છે. અસલ કુવલયમાળા પણ લભ્ય છે. એ ગ્રંથમાં નીચેની હકીકત આવે છે. ( એને ઉપમિતિ કથા સાથે કાંઇક સામ્ય છે તેથી વિચારી જવા ચેાગ્ય છે. ) એ ગ્રંથમાં રુદ્રસેામ, શાંતિભટ, ગંગાદિત્ય, ધનદેવ અને વ્યાઘ્રદત્ત નામના પાંચ જીવાની કથા છે. તેમનાં નામેા ચંડસેટમ, માનભટ્ટ, માયાદિત્ય, લાભદેવ અને માહદત્ત છે. આ પાંચે જીવા ક્રોધ, માન, માયા, લેાભ અને મેહનાં અનુક્રમે કડવાં ફળ ચાખનારા છે. એ પાંચેની કથા કુવલયચંદ્ર કુમાર પાસે એક મુનિમહારાજ કહે છે. એ કુમાર સદર પાંચ જીવા પૈકી એક છે અને કથા કહેનાર મુનિ પણ તે પાંચ પૈકીના એક છે. આ પાંચે જીવાને ક્રોધાદિનાં ફળ કેવી રીતે મળે છે અને અંતે આરાધના Page #394 -------------------------------------------------------------------------- ________________ ઉપર [ શ્રી દાક્ષિણ્યચંદ્ર અને સિહર્ષિ : કરી તેઓ પાતાનું સાધ્ય કેવી રીતે સાધે છે તેની આખા ગ્રંથમાં વાર્તા છે. એ પૈકીના એક જીવ માયાના પ્રતાપે સ્ત્રી થાય છે ત્યારે તેનું નામ કુવલયમાળા પાડવામાં આવે છે. પાંચે જીવા ભગવાન શ્રી મહાવીરસ્વામી પાસે આવે છે અને વારાફરતી દીક્ષા લઇ શુદ્ધ સચમ પાળી શ્રી વીરભગવાનના સમયમાં માક્ષે જાય છે. અ કથાને કુવલયમાળાનુ નામ શા માટે આપ્યું તે સમજાતું નથી. આખી કથામાં કુવલયચંદ્રનું પાત્ર વિશેષ ભાગ ભજવે છે. પ્રકાશક શ્રી જૈન ધર્મ પ્રસારક સભા સદર ગ્રંથના ગુજરાતી ભાષાંતરની પ્રસ્તાવનામાં લખે છે કે ‘ કથાના મુખ્ય નાયક પાંચ છે. પાંચે સારા ભાગ ભજવે છે. પાંચમાં પણ કુવલયચંદ્ર અને કુવલયમાળા મુખ્ય પાત્ર છે. તે અન્ને સારા ભાગ ખજાવે છે. તેમાં પણુ કુવલયચંદ્રને લગતા ભાગ વધારે હેાવા છતાં આકર્ષીક નામ તરીકે કથાનું નામ કુવલયમાળા રાખવામાં આવેલ છે. આ પાંચ પૈકી એક જીવનું ત્રીજા ભવનુ એ નામ છે. ’ આ કથામાં સામુદ્રિકશાસ્ત્ર, સ્વપ્નશાસ્ર, જ્યાતિષશાસ્ત્ર વિગેરેનુ કેટલુંક રહસ્ય પણ પ્રસંગેાપાત આપેલ છે. એ આદર્શો " શ્રી સિદ્ધર્ષિ ગણિ પાસે બે મુખ્ય કથાઓ હતી: એક શ્રી હરિભદ્રસૂરિની ‘ સમરાઇÁ કહા. ’ અને બીજી દાક્ષિણ્યચિહ્ન ઉદ્યોતનસૂરિની કુવલયમાળા. ’ સમરાઇચ્ચ કહામાં અગ્નિશાં અને ગુણુસેન નામના જીવાના લવાનુ વર્ણન કરવામાં આવ્યુ છે; અગ્નિશમાં ક્રોધના નમૂના છે, વૈશ્વાનર છે અને મહાતપ કરવા છતાં ક્રોધથી તેને બગાડી નાખનાર છે. ગુણુસેન શાંતિને નમૂના છે. ક્રોધી અગ્નિશમાં વૈરવૃત્તિ પ્રથમ ભવમાં જાગૃત કરે છે અને ભવાંતરમાં વિશેષ કેળવે છે. એ ગુણુસેનને અનેક રીતે ભવાંતરમાં હેરાન કરે છે. કર્મ એ શી ચીજ છે, એનું નિદાન કેવુ" થાય અને વિકાસમા માં એનાં પિરણામે કેવાં આવે તેનું આખું દિગ્દર્શીન એ કથામાં આપ્યું છે. નાનાં કર્મા લાગવવાં પડે એટલે કે એનાં ફળા ચાખવાં પડે ત્યારે કેટલી હદ સુધી દુઃખા અનુભવવાં પડે છે એ સર્વને ખતાવનાર એ અદ્ભુત કથા છે. એનાં મુખ્ય પાત્ર એ જીવા Page #395 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધર્ષિનું અપનયન ] ૩૫૩ છે અને એની ક્રમિક ઉત્ક્રાન્તિ જૈન પદ્ધતિએ બતાવવી એ સદર ગ્રંથને ઉદ્દેશ છે. કથાદ્વારા વિશિષ્ટ નીતિ અને ધર્મનું એકય બતાવવા જે સુપ્રયાસ એ ગ્રંથમાં થયો છે તે ખાસ વિચારવા ગ્ય છે પણ અત્ર તે પ્રસ્તુત નથી. શ્રી હરિભદ્રસૂરિ પછી કુવલયમાળા આવી. તેના કર્તાએ ક્રોધ, માન, માયા, લેભ અને મેહને ખૂબ પરિચય કરાવ્યું. પાંચ પૈકી ત્રણ ભવે મનુષ્યના બતાવી તેમાં સદર મને વિકારને ખૂબ વિસ્તારથી સમજાવ્યા. કથાને કેટલેક ભાગ એક મુનિ પાસે કહેવરાવ્યું અને બાકીને ગ્રંથર્તાએ કહ્યો છે. સિદ્ધર્ષિનું અપનયન આ બન્ને આદર્શ (Models) શ્રી સિદ્ધર્ષિસામે હતા. તેણે આખી હકીક્તને ખૂબ અપનાવી. એમણે પણ ક્રોધ, માન, માયા, લોભને મુખ્ય સ્થાન આપ્યું, પણ તેની સાથે પાંચ ઇન્દ્રિયની સ્થળ અને આંતર પ્રવૃત્તિ અને પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મેથુન અને પરિગ્રહને પણ ખૂબ અપનાવ્યા, એમણે મહારાજાને સર્વથી વધારે અપનાવ્યો અને ચારિત્રધર્મને સર્વથી પ્રધાનપદે અપનાવ્ય; એણે પારવગરની અંતર લડાઈઓ ચીતરી; એણે કર્મના આખા ક્ષેત્રને જીવતું કરી બતાવ્યું અને એણે સુસ્થિત મહારાજાને સાતમે માળે બરાબર બેસાડી આપ્યા. શ્રી સિદ્ધર્ષિ ગણિએ ખૂબી એ કરી કે મનુષ્યભૂમિના અથવા ક્ષેત્રના કોઈ પણ વ્યવહારઅંદર અને બહારના છેડ્યા નહિ. એણે આખા કર્મના ક્ષેત્રને ચચી નાખ્યું અને વાર્તાને રસભંગ ન થાય તે રીતે ધર્મના રહસ્યો જીવતાં ચાલતાં હાલતાં કરીને એણે મહાન ગ્રંથ બનાવી નાખ્યો. કુવલયમાળાની કથા દમા તીર્થંકર શ્રી અનંતનાથજીના સમયથી શરૂ કરી શ્રી મહાવીર સ્વામીના તીર્થમાં પૂરી કરી, ત્યારે ઉપમિતિ કા ભિખારીના મુખમાં અનંત કાળ સુધીના સમય પર લઈ લીધી અને છતાં નવ કલાકમાં પૂરી કરી દીધી, પણ તેમ કરવામાં સારાયે વિશ્વનું અવલોકન કરી લીધું. ૪૫ Page #396 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી દાક્ષિણ્યચંદ્ર અને સિર્ષિ : છતાં કુવલયમાળાને સૂક્ષ્મ દૃષ્ટિએ વાંચતાં તેના આદર્શ શ્રી સિદ્ધર્ષિં ગણિ સન્મુખ જરૂર રહ્યો હાય એમ જણાય છે તેથી તેની કૃતિ સંબંધી અને તેના સમય સંબંધી વિચાર કરવા પ્રસ્તુત જણાય છે. એની વિચારણા પૂરી થશે ત્યારે શ્રી પ્રભાવકચરિત્રકારે ઉદ્યોતનસૂરિ અને શ્રી સિદ્ધર્ષિ સંબ ંધી જે વાર્તાલાપ મૂક્યા છે અને પ્રેરણાની પના કરી છે તે કેટલી સંભવિત હાઈ શકે તે પર નિર્ણય કરવાનું સાધન પણ પ્રાપ્ત થશે. ૩૫૪ શ્રી હરિભદ્રસૂરિએ ક્રોધ( વૈશ્વાનર )નાં ફળ વાર્તારૂપે બતાવ્યાં, દાક્ષિણ્યચિહ્નને ક્રોધ, માન, માયા, લેાલ અને મેાહનાં ફળ બતાવ્યાં જ્યારે શ્રી સિદ્ધર્ષિએ અંદરનાં સર્વ મનેવિકારા, ક્રિયા, અત્રતા અને સંક્ષેપમાં કહીએ તે ખાહ્ય અને અભ્યંતર આખા વિશ્વને પેાતાના વિષય બનાવી દીધા. એમણે મહરાજાના પાત્રને સથી વધારે મહાવ્યુ, એણે ચારિત્રરાજના પાત્રને ખૂબ દીપાવ્યુ અને કર્મની કુલ પ્રકૃતિને જીવતી ખેલતી ચાલતી કરી તેમજ આખી મનુજગતિ નગરીને અંદરથી અને બહારથી પ્રત્યક્ષ કરી દીધી. ઉદ્યોતનસૂરિની પ્રશસ્તિ— હવે ઉદ્યોતનસૂરિની પ્રશસ્તિ કુવલયમાળાની તપાસી જઇએ. એટલે એમના સમય નિર્ણય કરવાનું સાધન પ્રાપ્ત થાય. ( ૫. ચતુરવિજયજીની પ્રસ્તાવનામાંથી ઉદ્ધૃત ) ॥ ૨ ॥ अस्थि पयडा पुरीणं पव्वइया नाम रयणसोहिल्ला । तत्थ ट्ठिएण भुत्ता पुहई सिरितोरसाणेण ॥ ॥ तस्स गुरू हरियतो आयरिओ आसि गुत्तवंसाओ । तीए नयरीए दिन्नो जिणनिवेसो तहिं काले बहुकलाकुसलो सिद्धन्तविआणओ कई दक्खो । आयरियदेवगुत्तो अजवि विजरए कित्ती ॥ ૩ ॥ सिवचंदगणी अह मयहरो त्ति सो एत्थ आगओ देसा । सिरिभिल्लमालनयरम्मि संठिओ कप्परुक्खो व्व ॥ ૪ ॥ तस्स खमासमणगुणो नामेगं जक्खदत्तगणिनामो । सिस्सो महइमहप्पा आसि तिलोए वि पयडजसो ॥ ५ ॥ Page #397 -------------------------------------------------------------------------- ________________ उधोतनसरिनी प्रशस्ति : तस्स य सीसा बहुआ तववीरियलद्धचरणसंपण्णा । रम्मो गुजरदेसो जेहिं कओ देवहरएहिं ॥६॥ आगासवप्पनयरे वडेसरो आसि जो खमासमणो । नस्स मुहदसणे च्चिय अवि पसमइ जो अहव्वो वि ॥ ७ ॥ तस्स य आयारधरो तत्तायरिओ त्ति नाम सारगुणो । आसि तवनेयनिजियपावतमोहो दिणयरो व्व ॥८॥ जो दूसमसलिलपवाहवेगहीरन्तगुणसहस्साण । सीलङ्गविउलसालो लग्गणखभो व्व निक्कंपो ॥९॥ सीसेण तस्स एसा हिरिदेवीदिन्नदंसणमणेण । रइया कुवलयमाला विलसिर दक्खिन्नइंधेण ॥१०॥ दिन्नजहिच्छियफलओ बहुकित्तीकुसुमरेहिराभोओ। आयरिय वीरभद्दो अहावरो कप्परुक्खो व्व ॥ ११ ॥ सो सिद्धन्तगुरुपमाणनाएण जस्स हरिभद्दो । बहुगन्थसत्थवित्थरपयड (सच्चत्थ) सव्वथ्थो ॥ १२ ॥ रायाखत्तियाणं वंसे जाओ वडेसरो नाम । तस्सुजोयणनामो तणओ अह विरइया तेण ॥ १३ ॥ શરૂઆતમાં ગ્રંથકર્તા પિતાના પૂર્વ પુરુષોની હકીક્ત કહે છે. તેને આશય નીચે પ્રમાણે છે: એક પવઈઆ નામની રત્ન જેવી નગરી હતી. તેને તરસાણ નામને રાજા હતે. ગુપ્તવંશમાં ઉત્પન્ન થયેલ “હરિદત્ત' નામના આચાર્ય તેના ગુરુ હતા. એ આચાર્યના ઉપદેશથી રાજાએ તે નગરીમાં જિનપ્રાસાદ રચાવ્યો હતો. तेना शिष्य शुस' थया:तेमजामामा शता, सिद्धान्तના જાણકાર હતા, દક્ષ હતા અને આજે પણ તેમની કીર્તિ વિસ્તરે છે. તેના પછી “સિવચંદ ગણિ” આવ્યા. તેમણે એ પ્રદેશ(પલ્વઈઆ નગરીવાળા પ્રદેશોમાંથી નીકળીને ભિલ્લમાલ નગરમાં સ્થાન ४यु ते॥ ४६५वृक्ष २१ ता. તેના “યક્ષદર ગણિ” નામના શિષ્ય થયા.એનામાં સાધુના ગુણો Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ [ શ્રી દાક્ષિણ્યચંદ્ર અને સિહર્ષિ હતા. એ મહાત્મા હતા. એને યશ ત્રણ લોકમાં પ્રકટ હતા. એને તપ, વીર્ય અને લબ્ધિથી સંપન્ન અનેક શિખ્યા હતા, તેમણે રમ્ય ગુર્જર દેશ અનેક દેવમંદિર બનાવરાવી ભરી દીધું. અના શિષ્ય “વડેસર નામના થયા. એ આગાસવ૫ નગરમાં રહેનારા થયા. તેમના મુખના દર્શનથી અભવ્ય પ્રાણી પણ શાંતિને પામી જાય તેવા એ થયા. એના શિષ્ય “તત્તારિય” નામના થયા. તે આચારના ધારણ કરવાવાળા હતા. ઉચ્ચ ગુણવાળા હતા. સૂર્યની પેઠે એમના તપના તેજથી પાપરૂપ અંધકાર છવાઈ ગયા હતા. દુષમ કાળના સલીલપ્રવાહને અટકાવનાર હજાર ગુણે એમનામાં હતા. એમનામાં શીલાંગે વિસ્તૃત આકારમાં હતા અને એ મુખ્ય સ્તંભ જેવા નિષ્ણકંપ હતા. એમના શિષ્ય “દાક્ષિણ્યચિહ્ન થયા જેમણે હદેવીના દર્શનથી મનની પ્રસન્નતા મેળવી હતી તેમણે આ કુવલયમાળા રચી. ઇચ્છિત ફળના દેવાવાળા, કનિરૂપ ફૂલોથી અલંકૃત હોવાને લીધે નવીન કલ્પવૃક્ષ જેવા દેખાતા, આચાર્ય “ વીરભદ્ર ' જેને સિદ્ધાન્તને અભ્યાસ કરાવવાવાળા હતા અને અનેક ગ્રંથની રચના કરી સમસ્ત ધૂતા આગમ ) સત્ય અર્થ જેણે પ્રકટ કર્યો એવા આચાર્ય હરિભદ્ર જેમને પ્રમાણજ્ઞાન ન્યાયશાસ્ત્ર)ને અભ્યાસ કરાવવાવાળા હતા, જે ક્ષત્રિય વંશમાં ઉત્પન્ન થયેલા રાજા વડેસર'ના પુત્ર હતા અને જેનું મૂળ નામ “ઉદ્યાનન” હતું તણ આ કથા રચી. આ પ્રશસ્તિ ઉપરથી જણાય છે કે૧. કુવલયમાળાને કત્તા તત્તારિયા નામના આચાર્યના શિષ્ય થાય. ૨. એમનું નામ “દાયિચિહ્ન હતું. ૩. એમનું અસલ નામ ઉદ્યતન હતું. ૪. એમના સિદ્ધાન્તના અભ્યાસક ગુરુ વીરભદ્ર હતા. ૧ આ વડેસર-તે ઉદ્યોતનસુરિન ગુના ગુરુ વસર હેય તેમ જણાય છે. વટેશ્વર કાળ ક્ષમાશ્રમણ થવા અને તેમના પુત્ર પણ દીક્ષા લીધી હતા. Page #399 -------------------------------------------------------------------------- ________________ ૫૭ સમયનિર્ણય ? ] ૫. એમના ન્યાયશાસ્ત્રના અધ્યાપક હરિભદ્ર હતા. ૬. એ હરિભદ્ર તે જ હતા જેમણે અનેક ગ્રંથના વિસ્તારમાં સત્યાર્થ પ્રકટ કર્યો છે. સમયનિર્ણય ઉદ્યતન સૂરિના પૂર્વ પુરુષોમાં કોઈપણ નામ એતિહાસિક ન હોવાથી એ એમને સમયનિર્ણય કરવામાં ઉપયોગમાં આવે તેમ નથી. સમયનિર્ણય માટે તેઓ પોતે જ સદર પ્રશસ્તિમાં આગળ લખે છે કે – तुंगं धवलं मणहारिरयणपसरन्तधयवडाडोवं । उसहजिणिन्दाययणं कारवियं वीरभदेणं ॥ આમાં એ સિદ્ધાન્તગુરુ વીરભદ્રે વિશાળ મને હારી શ્રી ઋષભદેવ ભગવાનને મહાપ્રાસાદ કરાવ્ય એ હકીક્ત છે. પછીની હકીક્ત ખૂબ ઉપયોગી છે. तम्मि टिपणं अह चोइसीए चित्तस्स किण्हपक्खम्मि । નિરિયા રોહ મથાળ દોષ સવા ...... सगकाले वोलीणे वरिसाण सरहिं सत्तहिं गएहिं । एगदिणेणूणेहिं एस समत्तावरण्हम्मि ॥ ત્યાં રહીને કૃષ્ણપક્ષની વદિ દશને દિવસે આ કથા રચી તે સર્વભવ્યને બેધ કરનારી થાઓ ( અહીં એક અશુદ્ધ લેક છે તેનો અર્થ એમ થાય છે કે–આ કથા કહેવાથી મને જે કાંઈ પુણ્ય પ્રાપ્ત થયું હોય તેનાથી સાધુઓને એગ્ય ક્રિયા કરવાનું મારું મન ભવે ભવે થાઓ.) શકરાજાને લીન થયે સાત વર્ષ ગયા તેમાં એક દિવસ એ રહ્યો તે દિવસે અપરાણે આ કથા પૂરી કરી. એટલે એક દિવસ બાકી સાતશે શકને દિવસે ક્યા પૂરી થઈ. શાક વર્ષ ચૈત્ર શદિ એકમે બેસે છે. વદિ પક્ષ પ્રથમ આવે છે એટલે શક વર્ષ દ૯ ના ચેત્ર વદિ ૧૪ ને દિવસે આ કથા પૂરી થઈ. અર્થાત ઈ. સ. ૭૭૯ ના ૨૧ મી માર્ચે આ કથા પૂરી થઈ. વિક્રમ સંવત ૮૩૫ ના ફાગણ વદિ ૧૪ (ગુજરાતી) આ કથા પૂરી થઈ. Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ [ શ્રી દાક્ષિણ્યચંદ્ર ને સિહર્ષિ : હવે આપણી પાસે જરૂરી સાધના પ્રાપ્ત થયાં ગણાય. શ્રી સિદ્ધર્ષિ પાતાની કથા સ. ૯૬ર ના જે શુદિ પાંચમે પૂરી કરે એટલે ઉદ્યોતનસૂર અને શ્રી સિદ્ધર્ષિ વચ્ચેના આંતરી વર્ષ ૧૨૭ ના થાય છે તે ધ્યાનમાં રાખવું. પરિણામે— આ ઉપરથી શ્રી સિદ્ધર્ષિ ગણિ અને ઉદ્યોતનસૂરિ સમકાલીન હાય એ વાત તદ્દન અશકય અને છે. અને લેખકાએ પાતાના સમય ખરાબર આળેખ્યા છે, પેાતાના શબ્દોમાં જ લખ્યા છે અને શક ૭૦૦ માં તા કાંઈ શંકા જેવું રહેતું નથી. આગળ જણાવેલ હકીકતથી એ પણ જણાયુ હશે કે ૯૬૨ ને જે સંવત શ્રી સિદ્ધષિએ લખ્યા છે તે વિક્રમ સંવત જ છે. આટલી હકીકત ઉપરથી અન્ને કવિએ સમકાલીન નહેાતા એમ સિદ્ધ થાય છે, અને આ ઐતિહાસિક પરિણામ જો સાચું હાય તેા શ્રી પ્રભાવકચરિત્રકારે શરૂઆતમાં શ્રી સિદ્ધર્ષિ અને દાક્ષિણ્યચિહ્ન વચ્ચે જે વાદવિવાદ લખ્યું છે તે કાલ્પનિક હાવાનું પરિણામ અનિવાર્ય થાય છે. હવે આપણે શ્રી હરિભદ્રસૂરિ અને શ્રી સિદ્ધર્ષિ સંબ ંધી વિચાર કરી જઈએ. Page #401 -------------------------------------------------------------------------- ________________ VII શ્રી હરિભદ્રસૂરિ અને સિદ્ધર્ષિ મારે પત્રવ્યવહાર– સને ૧૯૦૫ના એપ્રિલ માસમાં મેં છે. હરમન જેકેબી સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો. ઉપમિતિભવપ્રપંચના પીઠબંધના ગુજરાતી ભાષાંતર સાથે મેં એક નાની ઉપઘાત લખી હતી તેની કાપી છે. જોકેબીને મોકલી. પછી શ્રી સિદ્ધર્ષિની તારિખને અંગે અને સાથે સાથે શ્રી હરિભદ્રસૂરિના સમય માટે લંબાણ પત્રવ્યવહાર તેમની સાથે થયા. તે શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સ હેરલ્ડ પુસ્તક ૧૧ માં પૃ. ૨૩–૨૭૪ માં પ્રકટ થયો છે (ઐતિહાસિક અંક સર્ટે બર ૧૧૫). એમાં છાપેલાં પૃષ્ઠ ૫૪ કાયાં છે. એ પત્રવ્યવહારમાં લખેલી ઘણુંખરી હકીકત મેં પં. ગંભીરવિજયગણિ અને પં. આનંદસાગરજી (હાલ આચાર્ય ) પાસેથી મેળવીને લખી હતી. તે વખતે જે પરિણામે પ્રાપ્ત કર્યા તેમાં ત્યારપછી ઘણો સુધારાવધારે થયો છે. ઐતિહાસિક વિષયમાં બહુવિધ પ્રકાશ પાડનારાં નવાં લેખો અને પ્રાચીન સાધન ત્યારપછી પ્રાપ્ત થયાં છે. પ્રેરણું અને પ્રસંગ સદર પત્રવ્યવહારમાં જે દલીલ કરી છે તે આજે અપૂર્ણ લાગે છે. કેટલાક નિર્ણયે ત્યારપછી મળેલ હકીકતને અંગે ફેરવવા પડે તેમ છે, છતાં એક અસર સદર પત્રવ્યવહારથી એ થઈ કે મને આ વિષયમાં વિશેષ સાધને મેળવવાની અને અભ્યાસ કરવાની તાલાવલી લાગી અને પત્રવ્યવહાર પ્રકટ થયા પછી જૈન વિદ્વાનોનું એ વિષયમાં શોધખોળ કરવા તરફ લક્ષ ખેંચાયું. એમાં અગત્ય શ્રી સિદ્ધર્ષિના સમયનિર્ણય કરતાં પણ શ્રી હરિભદ્રસૂરિના સમય ૨૭૪ મું પૂ૪ ૧૮ વાર કરવાથી એકંદર પૃષ્ઠ ૫૪ થાય છે. Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ [ શ્રી હરિભદ્રસૂરિ ને સિહર્ષિ : નિર્ણયને અંગે સવિશેષ હતી. શ્રી હરિભદ્રસૂરિ જૈન સાહિત્ય ઈતિહાસમાં ઘણું અગત્યનું સ્થાન ધરાવે છે. એમણે ઘણાં પુસ્તકે રહ્યાં છે, એમણે ન્યાયના-તર્કના વિષયને લગભગ પિતાને બનાવ્યું છે. તેઓ પૂર્વસમય (પ્રાચીન) અને નૂતન સમય વચ્ચે સાંકળરૂપ હતા. જો કે તેઓનું રચેલું ઘણું સાહિત્ય નાશ પામેલ છે તેમ છતાં પણ જે પ્રાપ્ય છે તે પણ ઘણું વિશાળ, વિસ્તૃત અને દલીલથી ભરપૂર હોઈ, તેઓના સમયનિર્ણયમાં ખૂબ અગત્યને ભાગ બજાવે છે. આથી મેં પણ ઉપલબ્ધ સાહિત્યને ખૂબ વિચાર કર્યો છે અને અભ્યાસ કર્યો છે તેનું પરિણામ અત્ર રજૂ કરવાનું છે. ઉપલબ્ધ સાહિત્ય શ્રી હરિભદ્રસૂરિના સમયનિર્ણયને અંગે ત્યારપછી અનેક લેખ બહાર પડ્યા છે. તે સર્વમાં શ્રી જિનવિજયજીને લેખ ખાસ ભાત પાડે એવો છે. શ્રી જૈનસાહિત્યસંશોધકના પ્રથમ પુસ્તક પૃ. ૨૧ થી ૬૨ સુધીમાં એ લેખ છપાઈ પ્રકટ થયે છે અને ઐતિહાસિક અન્વેષણે કેમ કરવા જોઈએ તેને તેમજ ખંત, ચીવટ અને ઉદ્યોગને એ આદર્શ નમૂનો છે. મને એ લેખ પરથી ઘણે પ્રકાશ પડ્યો છે. તેમણે એ લેખ લખવા પહેલાં મારો સદર પત્રવ્યવહાર વિચાર્યો હતે એમ તેમના સદર લેખ પરથી માલૂમ પડે છે (પૃ. ૨૨. પં. ૧૭ અને નોટ નં. ૭). આ સર્વ સાધનને પૂર્ણ ઉપયોગ કરવાની ખાસ જરૂર છે અને તેમ કરતાં શ્રી સિદ્ધર્ષિગણિના સમયને નિર્ણય કરવામાં ઘણી અગત્યની બાબતે મળી આવવી સંભવિત છે. તેથી આ બાબતને સવિશેષ પ્રસ્તુત ગણવામાં આવી છે. છે. જેકેબીએ જે નિર્ણયો ઉપમિતભવપ્રપંચાના મૂળ ગ્રંથની પ્રસ્તાવનામાં કર્યા હતા અથવા સૂચવ્યા હતા તે સર્વે તેમને “શ્રી સમરાઈશ્ચકહાની પ્રસ્તાવનામાં ફેરવવા પડ્યા છે, તે હકીકત અત્ર ખાસ નોંધ કરવા યોગ્ય છે. આ સંબંધી આગળ ઉલ્લેખ કરવામાં આવશે. પ્રો. પીટરસન છે. પીટરસને પોતાની શોધખોળનું પરિણામ મુંબઈ રાયેલ એશીઆટીક સેસાયટી મારફત ચાર રિપોર્ટોમાં બહાર પાડયું છે. ચોથા રિપેર્ટના મૃ. ૧૨૯ માં તેઓ જણાવે છે કે “ સિદ્ધર્ષિ Page #403 -------------------------------------------------------------------------- ________________ જેકોબી અને પીટરસન : ] ૩૬૧ ઉપમિતિભવપ્રપંચા સ્થાના કર્તા છે, જે કથા તેઓએ ૯ર વર્ષમાં લખી છે. મારા ત્રીજા પુસ્તકના ૧૪૮ મા પૃષ્ઠમાં તેઓ જે કહે છે તે પરથી જણાય છે કે હરિભદ્રે તેના બેધ માટે લલિતવિસ્તરા ગ્રંથ લખ્યો. આ ઉપરથી જણાશે કે ૬૨ વર્ષ તે વીરસંવત છે અને તેટલા માટે આ ગ્રંથ વિરસંવત ૬૨ વિક્રમ સંવત ૨૯૨ અને સને પ૩૬ માં લખવામાં આવ્યો છે. ૧ આ પ્રમાણે નિર્ણય કરવામાં પ્રો. પીટરસન મોટી છક્કડ ખાઈ ગયા છે. અને ત્યારપછી તેની પરંપરાએ ઘણુએ ભૂલ ખાધી છે. હકીક્ત એવી બની છે કે તેમણે બાદબાકી કરવામાં સો વર્ષની ભૂલ કરી નાખી છે. વીર ભગવાન પછી ૪૭૦ વર્ષે વિક્રમ સંવત શરૂ થયો તેથી ૬૨ માંથી ૪૭૦ બાદ કરીએ એટલે બાકી રહે ૪૨. તેને બદલે પ્રેફેસર સાહેબે ૧૯૨ કરી, તમને હરિભદ્રસૂરિની દંતકથાથી ચાલી આવતી ૫૮૫ ની સાલ લગભગ લાવી, બન્નેને સહસમયવાળા બનાવી દીધા છે. આ આખી દલીલ મૂળ ગણતરીની ભૂલને લીધે થયેલ હોવાથી આપણે તેની દરકાર ન કરીએ. આ ભૂલની પરંપરામાં ઘણી ઘુંચવણ થઈ છે, પણ તે હવે ખુલ્લી પડી ગઈ છે તેથી તેની વિશેષ ચર્ચા કરવાની જરૂર રહેતી નથી. પ્રા. પીટરસને શ્રી હરિભદ્રસૂરિને અને શ્રી સિદ્ધર્ષિને એક સમયમાં થયેલ સમકાલીન માનવામાં ગંભીર ભૂલ ગણતરીને અંગે કરી નાખી છે. પછી તે ધર્મબંધકારને દીક્ષાગુરુ મનાવવા જાય છે અને એ રીત આખી હકીકત ભૂલપરંપરાને વધારે છે. પણ એમને એ મત એતિહાસિક પુરાવાથી ઊલટો થાય છે અને “અનાd પરિણ' વાળા લોક ખુલાસા વગર રહી જાય છે તથા પ્રથમ 1. Siddarshi (Siddha Rishi ), Author of Upamitibhava Prapancha which he wrote in “the year” 962. From the fact that he tells us, 3 App. p. 148, that Haribhadra wrote his Lalitsvistara for his edification, it would appear that this is the Vira date, & that the book was therefore written in 962 V=Samvata 592= A. D. 536 (Journal of the Bombay Branch of the Royal Asiatic Society XLIXA N. p. xxix). Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ [ શ્રી હરિભદ્રસૂરિ અને સિહર્ષિ : પ્રસ્તાવમાં સુરાજ્યવદિતાનાંવાળું આખું વાકય નિરર્થક થઈ જાય છેતેથી એ આખી હકીકત આજુએ મૂકી દેવા ચાગ્ય છે. જો પ્રા, પીટર્સનના અભિપ્રાય સ્વીકારવામાં આવે તે શ્રી હરિભદ્ગસૂરિના સમય પહેલાં લગભગ સો વર્ષે શ્રી સિદ્ધર્ષિના સમય આવે છે અને તે હકીક્ત તા તદ્ન ન બનવાજોગ છે, ઉપમિતિની પ્રશસ્તિથી સ્પષ્ટ વિરુદ્ધ છે અને ઐતિહાસિક અનેક પ્રમાણેાથી અસંભવિત અને છે. મેરુતુ ગાચાર્ય રચિત વિચારશ્રેણિ— પ્રથમ આ સંબધમાં પ્રાચીન માન્યતા દંતકથાથી શી છે તે તપાસી જઇએ. ત્યાં પ્રથમ એક વાત નિશ્ચિત કરવા ચેાગ્ય છે અને તે એ છે કે હિરભદ્ર નામના ઘણા લેખકા ( આચાર્યો) થયા છે; આપણે તેમાંથી મહાપ્રતિભાશાળી, વિશાળ અભ્યાસી, દંતકથાથી ઐાદ સા ચુમાળીશ ગ્રંથના કર્તા, જે પેાતાની જાતને ‘ યાકિનીમહુત્તરાસૂનુ 'ના નામથી ઓળખાવે છે અને જેમના લગભગ પ્રત્યેક ગ્રંથને છેડે ‘ વિરહ ’ શબ્દ વાપરવામાં આવ્યા છે તે શ્રીમદ્ હરિભદ્રસૂરિ માટે વિચાર કરીએ છીએ એ ખાસ ધ્યાનમાં રાખવું. એમના જીવનવ્રુત્ત સંબંધી અનેક છૂટાછવાયા ઉલ્લેખા મળી આવે છે ત પૈકી શ્રી મેરુતુ ંગાચાર્યની વિચારશ્રેણિ ખાસ મહત્ત્વનું સ્થાન ધારણ કરે છે. ત્યાં નીચેની ગાથા ‘ઉકત ચ’ એવી પ્રસ્તાવના સાથે આપવામાં આવી છે. , पंचसए पणसीए विक्कमकालाओ झन्ति अत्थमिओ । हरिभद्दसूरि सूरो भवियाणं दिसउ कल्लाणं ॥ “ વિક્રમ સંવત ૧૮૫ માં અસ્ત થયેલા હરિભદ્રસૂરિરૂપી સૂર્ય ભવ્ય જીવાનુ કલ્યાણ કરી. ” મેરુતુ ંગાચાર્ય ના સમય વિક્રમની ચૌદમી સદીની આખરના ગણાય છે, કારણ કે તેમણે શત્રુ અને ઉદ્ધાર કરાવનાર સમરાશાહ આસવાળ જેમણે વિક્રમ સંવત ૧૩૭૧ માં સદર ઉદ્ધાર કરાવ્યા છે તેનું વણ ન એ વિચારશ્રેણિ ગ્રંથમાં કર્યું છે. ઉપરની ગાથા વિચારશ્રેણિમાં દાખલ કરતી વખત ‘ઉક્ત ચ એવી પ્રસ્તાવના કરી છે તેથી તે ગાથા અન્ય લેખકની લીધી જણાય Page #405 -------------------------------------------------------------------------- ________________ વિચારશ્રેણી અને અન્ય ઉલ્લેખઃ ] ૩૬૩ છે તેથી તે પ્રાચીન હોવી જોઈએ. એથી એ ભાવ નીકળે છે કે લગભગ તેમના સમય પહેલા ૧૦૦–૨૦૦ વર્ષમાં પણ એવી જ માન્યતા પ્રચલિત હોવી ઘટે કે શ્રી હરિભદ્રસૂરિ વિક્રમ સંવત ૫૮૫ માં કાળધર્મ પામ્યા. સમયસુંદર ગણિની “ગાથાસહસ્ત્રી માં એ જ ગાથા આપવામાં આવી છે, પણ તેમાં પાણીને બદલે અપાતી એવો પાઠ આપે છે, તેથી એમ સમજાય છે કે ૫૮૫ને બદલે પ૩પને વિક્રમ સંવત પણ કઈ કઈ માન્યતામાં શ્રી હરિભદ્રસૂરિના અવસાનને અંગે પ્રચલિત હોય. ત્યારપછીના બીજા ગ્રંથમાં એ ગાથા લેવામાં આવી છે અને હરિભદ્રસૂરિને અવસાન સમય વીર નિર્વાણથી ૧૦૫૫ વર્ષને ગણવામાં આવ્યું છે એટલે કે હરિભદ્રને અવસાન કાળ વિક્રમ સંવત ૫૮૫ અને વીર સંવત ૧૦૫૫ એ અભિપ્રાયે થાય. એ વાત તપાગચ્છ ગુર્નાવલીમાં આલેખવામાં આવી છે. એના કર્તા ધર્મસાગર ઉપાધ્યાય (૧૭ મી સદી) છે. તેની પહેલાં શ્રી મુનિસુંદર સૂરિએ સ્વરચિત ગુવોવલીમાં જણાવ્યું છે કે – अभूद् गुरुः श्रीहरिभद्रमित्र, श्रीमानदेवः पुनरेव सूरिः । यो मान्द्यतो विस्मृतरिमन्त्रं, लेमेऽम्बिकास्यात्तपसोजयन्ते ॥ (“પછી હરિભદ્રના મિત્ર ગુરુમહારાજ માનદેવ આચાર્ય થયા, જેમણે મતિમંદતાથી ભૂલાઈ ગયેલો સૂરિમંત્ર તપસ્યા કરીને ઉજ્જયંત (ગિરનાર) ઉપર અંબિકા દેવીના મુખથી પાછો મેળવ્યો.”) આ સિવાય અનેક જૈન ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિનો સમય વિક્રમની છઠ્ઠી સદીની આખરને ગણવામાં આવ્યું છે અને તેમ કરીને જાણે તેઓ પૂર્વનો સમય પૂરો થતાં તુરતજ થયા હોય અને શ્રી જિનભદ્રગણિ ક્ષમાશમણુના શિષ્ય હોય એ રીતે વાત ચાલી રહી છે. આ માન્યતા એતિહાસિક અનવેષણને બંધબેસતી છે કે નહિ તે આપણે આ વિચારણામાં તપાસશું અને તેમ કરતાં શ્રી સિદ્ધર્ષિને સમય વિચારાઈ જશે અને તેઓ બને સમકાલીન હઈ શકે ? તે પ્રશ્ન પર પણ બનતા પ્રકાશ નાંખવાનાં સાધને વિચારવામાં આવશે. Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ હરિભદ્રસૂરિના સમય સંબધી ઉલ્લેખા— શ્રી હરિભદ્રસૂરિના સમયના સંબંધમાં પૂર્વકાળના ઉલ્લેખાના અત્ર સંગ્રહ કરવાની જરૂર છે. મેરુત્તુંગાચાર્ય ની સદર ગાથા સિવાયના અના ઉલ્લેખા વિચારવા યાગ્ય છે. (૧) પ્રભાવક ચરિત્રે [ શ્રી હરિભદ્રસૂરિ ને સિદ્ધર્ષિ : શ્રી પ્રભાચંદ્રસૂરિએ વિક્રમ સ ́વત ૧૩૩૪ માં શ્રી પ્રભાવકચરિત્ર નામના ગ્રંથ બનાવ્યે છે તેમાં નવમે પ્રબંધ શ્રી હરિભદ્રસૂરિના આવે છે. તેના ૨૨૫ Àાક છે ( નિ યસાગર આવૃત્તિના પૃષ્ઠ ૧૦૩–૧૨૩. મુદ્રિત છે. ) આ પ્રમ ́ધમાં હરિભદ્રસુરિનું પ્રચલિત ચરિત્ર છે. આ નવમા શૃગમાં એક પણ સ્થાને સંવત્ કે તારિખ આપી નથી. એમાં મુખ્યત્વે કરીને હંસ પરમહંસ નામના શિષ્યા સંબ ંધી હકીકત આવે છે. શરૂઆતમાં હકીકત લખી છે તે પરથી જણાય છે કે ચિત્રકૂટ નામના પર્વતની પાસે આવેલ ચિત્રકૂટ ( હાલના · ચિતાડ ) નગરમાં જિતારી નામના રાજા રાજ્ય કરતા હતા. એ રાજાના પુરાહિત મહાવિદ્વાન હરિભદ્ર નામના એક બ્રાહ્મણ હતા. અને વિદ્યાનેા ગર્વ ખૂબ હતા અને એના દાવા એવા હતા કે પોતે સર્વ હકીકત સમજી શકે છે અને તથી એણે એવા નિયમ લીધા હતા કે અન્યનું ખાલેલું પાતે સમજી શકે નહિ તેા તેના પેાતે શિષ્ય થઇ જાય. એક વખતે એ જૈનના ઉપાશ્રય પાસેથી પસાર થતા હતા ત્યારે યાકિની નામની એક સાધ્વી શ્લાક ગેાખતી હતી:— C चक्कीदुगं हरिपणगं पणगं चक्कीण केसवो चक्की । केसव चक्की केसव दुचक्की केसववक्की य । હરિભદ્ર પુરાહિતે તે સાંભળ્યુ . એ કાંઇ સમજ્યા નહિ. સાધ્વીને પૂછ્યું આ અધુરું ચાકચિક્ય ’ શું કરે છે? ’ 6 6 પૂછવાના ભાવ એ હતા કે આ બધું ‘ચક ચક’ એલી ગયા ત શું? ચાકચિક્યના ખીજો અર્થ · ચકચક્તિપણું, ઉજ્જવળપણું ' એમ થાય છે. એટલે સાધ્વી યાકિનીએ કહ્યું “ પુત્ર ! એ ચાકચિક્ય મયાન લિસ’ છે. એટલે એ ઉજળાપણું ગાયના છાણુથી લીપા " Page #407 -------------------------------------------------------------------------- ________________ હરિભસૂરિના સમય સંબંધી ઉલ્લેખો : ] ૩૬૫ યલું છે. અમારા ગુરુની આજ્ઞા છે કે જેને તેને જિનાગમન બતાવાય તેથી તું મારા ગુરુ પાસે ચાલ. ” ગુમહારાજ તેને દીક્ષા લેવા કહ્યું. નવું જાણવાની જિજ્ઞાસાવાળા તેણે દીક્ષા લીધી અને યાકિની સાધ્વીને અમર કરી. જ્યાં જ્યાં પિતાનું નામ અથવા કૃતિક્તાનું નામ લખવાને પ્રસંગ આવ્યા છે ત્યાં તેમણે યાકિનીમહત્તરસૂનુ એમ લખ્યું છે. આ પ્રસ્તાવનામાં ગુરુનું નામ વિનમદ આપવામાં આવ્યું છે લોક ચાથા) એ ઘણું ધ્યાનમાં રાખવા યોગ્ય છે. જે અહીં શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણનું નામ અપાયું હોત તો પૂર્વને સમય જે વરાત્ એક હજારે પૂરો થાય છે તે સંબંધમાં ધુંચવણ થાત. જિનભટનું આગામી કાળમાં જિનભદ્ર થઈ ગયું જણાય છે અને પછી ધીમે ધીમે તેના સાથે ક્ષમાશ્રમણ શબ્દ વચ્ચે હોય તે બનવાજોગ છે. એ શબ્દ પૂર્વના જ્ઞાનવાળાને જ લગાડવામાં આવે છે. - હરિભદ્રસૂરિનું ચરિત્ર ત્યારપછી એ શૃંગમાં આવે છે તે હવે પછી આગળ ચર્ચવામાં આવશે. (૨ વિચારસારસંગ્રહે પ્રદ્યુમ્નસૂરિ નામના પૂર્વાચાર્યો ‘વિચારસાર સંગ્રહ માં અનેક પ્રચલિત ગાથાઓને સંગ્રહ કર્યો છે તેમાં ઉપર લખેલી વિચારશ્રેણીવાળી ગાથા મળી આવે છે. આ ગ્રંથકતાને સમય નિર્ણય થઈ શકે તેવાં સાધને ઉપલબ્ધ થતાં નથી, કદાચ તે મેજીંગાચાર્યની પહેલાના પણ હોય તે બનવાજોગ છે. એ વિચારસરમાં એક બીજી પણ ઉપયોગી ગાથા છે તે આ છે – पणपन्य पारससए हरिभद्दो सूरि आसि पुवकई । तेरसय वीस अहिए वरिसेहिं बप्पभट्टिएड् ॥ એ ગાથા પ્રમાણે વીરગવાન મેક્ષ ગયા પછી ૧૨૫૫ વર્ષે હરિભદ્રસૂરિ પૂર્વ કવિ થયા અને ૧૩૨૦ વર્ષે અ૫ભસૂિરિ થયા. પ્રભાવક ચસ્ત્રિ પ્રમાણે અપભસૂિરિને જન્મ વિક્રમ સંવત્ ૮૦૦ માં થયો છે એટલે વરાત્ ૧૨૭૦ થાય. એ રીતે બમ્પટ્ટિને સમય ૧૩૨૦ વર્ષે આવે તે સમીચિન જણાય છે. બપ્પભદિનું Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ [ શ્રી હરિભદ્રસૂરિ અને સિદ્ધર્ષિ ઃ દીક્ષા વખતનું નામ ભદ્રકીતિ હતુ. પ્રભાવક ચિત્રમાં ૧૧ મે પ્રબંધ તેમનેા છે. એ સર્વ હકીકત જોતાં એ ગાથા પ્રમાણે શ્રી હરિભદ્રસૂરિના સમય વીરાત્ ૧૨૫૫ સ્વીકારવામાં આવે તે વિક્રમ સંવત ૭૮૫ આવે. આ વાત ઘણી રીતે ખંધબેસતી આવે છે, પણ કમનસીબે આ ગાથામાં ઘણા પાઠાંતરી છે. પ્રે. પીટરસન ત્રીજા રિપોર્ટ ( પૃ. ૨૭૨ )માં એ ગાથા પળન્નત્તત્તર્ષિં એમ કહી હરિભદ્રસૂરિને સમય ૧૦૫૫ વીરાત્ એટલે ૫૮૫ વિક્રમ સંવત લાવે છે. છતાં એક પાઠ પ્રમાણે સંવત્ ૭૮૫ ( વિક્રમ ) આવે છે એટલી વાત ધ્યાનમાં રાખવી. આ હકીકત અને મેરુતુ ંગાચાર્ય ની વિચારશ્રેણીની ઉપર જણાવલી ગાથા પંચત્તર પળલીપ ને સ્પષ્ટ વિરાધ છે. એના સમન્વય કરતાં મુનિરાજ શ્રી કલ્યાણવિજયજી શ્રી પ્રભાવક ચરિત્રની પ્રસ્તાવનામાં જણાવે છે કે ‘ જો હરિભદ્ર છઠ્ઠા સૈકામાં થયા જ નથી, તા પછી એ ગાથામાં જણાવેલી હકીકત કેવળ નિર કજ ખરી કે નહિ ? અને જો ગાથામાં જણાવેલી હકીકત નિરાધાર જ હાય તા આમ હાવાનુ` કાંઇ કારણ પણ હેાઈ શકે કે નહિ ? ’ . આ પ્રમાણે શંકા સદર મુનિરાજ ઉઠાવે છે. તેઓએ શ્રી હરિભદ્રસૂરિના સમય વિક્રમ સંવત્ ૫૮૫ લઇ આવવા અનેક દલીલે કાન્ફરન્સ હેરલ્ડમાં આપી હતી, તેઓના મત પણુ અંતે ફર્યો જણાય છે. તેઓ એ શંકાના નીચે પ્રમાણે જવાબ આપે છે: CC ઉપર્યુક્ત શંકાનું સમાધાન એ છે કે ઉપર્યુ ક્ત ગાથાના વિષય હરિભદ્રસૂરિ નહિ, પણ હારિત યુગપ્રધાન છે. એ યુગપ્રધાન જ પટ્ટાવલીમાં જણાવ્યા પ્રમાણે વીર સંવત ૧૦૫૫ ( વિક્રમ સંવત ૧૮૫)માં સ્વર્ગવાસી થયા હતા અને એમની પાટે જિનભદ્રગણિ બેઠા હતા. હરિભદ્રને પણ જિનભદ્ર નામક શિષ્ય હતા. આમ શિષ્યાના અને એમના પેાતાના નામેાના સાદ્રશ્યથી પાછળના લેખકે એમની ભિન્નતા ભૂલી ગયા, અને હારિલને જ હરિભદ્રસૂરિ માની તેમના સ્વર્ગવાસ ૫૮૫ માં લખી દ્વીધે છે. આમ ઉક્ત ગાથેાકત ૫૮૫ ને સમય હરિભદ્રના નહિ પણ હારિલના માની લેવાના છે. ગાથેાક્ત અર્થની સ’ગતિ પણ આવી રીતે થઇ જશે.” (પ્રભાવક ચરિત્ર ઉપેાઘાત રૃ. ૫૪) Page #409 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિથતિ પ્રબંધ ] ૩૬૭. (૩) ચતુર્વિશતિ પ્રબંધ શ્રી રત્નશેખરસૂરિએ વિક્રમ સંવત્ ૧૪૦૫ માં દીલ્લી શહેરમાં ચતુર્વિશતિ પ્રબંધ ગ્રંથ રચે છે. એ ગ્રંથમાં ૨૪ પ્રબંધો આપવામાં આવ્યા છે. તેઓ જણાવે છે કે તીર્થકર અને આર્ય રક્ષિત જેવા કષિનાં જીવનવૃત્તોને “ચરિત્ર” કહેવામાં આવે છે અને તેમના પછીના કાળમાં થયેલા પુરુષોનાં જીવનવૃત્તોને “ પ્રબંધ” કહેવામાં આવે છે. તેમણે હરિભદ્રસૂરિને આઠમે પ્રબંધ લખ્યો છે તેનું ભાષાંતર વડોદરા સરકારે સને ૧૮૯૫ માં બહાર પાડયું છે. તેના પૃ. ૪૭-૪૮ નીચે પ્રમાણે છે. એ હરિભદ્ર પ્રબંધનો અંતિમ ભાગ છે. આ સમયે શ્રીમાલપુરમાં કઈ ધનવાન જેન શેડીઓ હતા. ચાતુર્માસમાં પરિકર સમેત દેવમંદિરમાં જતાં તેણે સિદ્ધ નામના રાજપુત્રને ધૂતકારે તેણે સુવર્ણ માટે ખાડામાં નાખી મારતા હતા તે જે સુવર્ણ આપી મુક્ત કર્યો. તેને ઘેર આણું ખવરાવ્યું અને ધીમે ધીમે બંધ કર્યો, ને સર્વ અધ્યક્ષ બનાવ્યો. સિદ્ધને મા હતી, તેથી શેઠે કૃપા કરી ધન આપી જુદું ઘર મંડાવ્યું. સિદ્ધ રાત્રીએ શેઠની અઠિકા (પડે) લખત; તે લેખનના વ્યાપારથી સાસુ અને વહુને બહુ કંટાળો થવા લાગ્યા, કેમકે વધારે જાગવું પડતું. વહુએ સાસુને કહ્યું “મા! પુત્રને એમ કહો કે રાત્રીએ વહેલા આવ.' માએ કહ્યું “પુત્ર! રાત્રીએ વહેલા આવવું, જે કાલજ્ઞ છે તે સર્વજ્ઞ છે.' સિદ્ધ કહ્યું “માતા! જેણે મને સર્વસ્વદાન આપી–જીવિતદાન આપી ઉદ્ધર્યો છે તેની આજ્ઞા કેમ લેપાય?” તે સાંભળી માતા ચૂપ રહી. એક વાર સાસુ વહુએ વિચાર કર્યો કે-આ રાત્રે મોડો આવે છે માટે રાત્રીએ આપણે બારણાં ઉઘાડશું નહિ. બીજી રાત્રીએ તે આ ને કમાડ ખખડાવવા લાગે, તો કોઈએ ઉત્તર આપ્યો નહિ. તેણે કેપ કરીને કહ્યું કે “બારણું કેમ ઉઘાડતા નથી?” ત્યારે તેની માતાએ કહ્યું કે “જ્યાં અત્યારે બારણું ઉઘાડાં હોય ત્યાં જાઓ.” તે સાંભળી તેને બહુ ક્રોધ આવ્યો એટલે ચોટામાં ગયા. ત્યાં સૂરિમંત્ર જપતાં હરિભદ્રસૂરિને ઉઘાડે દ્વારે બેઠેલા જોઈ તેમની પાસે ગયો ને દેશના સાંભળી દીક્ષા લીધી. સર્વ વિદ્યા, સર્વ શાસ્ત્ર, દિવ્ય કવિત્વ આદિ હંસ પરમહંસની પેઠે ભા. વિશેષ તર્ક જાણવા માટે બૌદ્ધ પાસે જવા સારુ ગુરુની તેણે આજ્ઞા માગી કે મને બોદ્ધ પાસે મોકલો, Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ [ શ્રી હરિભસૂરિ અને સિદ્ધાષ : ગુરુએ કહ્યું-ત્યાં ન જા, તારું મન ફરી જશે. તેણે કહ્યું-યુગાંતે પણ એમ નહિ થાય. ત્યારે ગુરુએ કહ્યું–જે બદલાઈ જાય તે મેં આપેલ વેષ મને પાછો આપી જજે. તે વાત સ્વીકારીને તે ગ. અને અભ્યાસ કરવામાં તે પડ્યો, તે લોકના બહુ બહુ તર્ક જાળથી એનું મન ફરી ગયું. એટલે તેની દીક્ષા લઈને વેષ પાછો આપવા હરિભદ્ર પાસે આવ્યા, તેમણે તેને આવતાં જોઈને વિચાર્યું કે આના બે વેષ થયા, એ મૂખ એમજ આયુષ ક્ષીણ કરી મિથ્યાદૃષ્ટિપણમાં મરણ પામશે તે ભવભ્રમણથી છૂટશે નહિ. પૂર્વે પણ વાદથી એ વારંવાર પરાજિત થયેલ છે. હવે વાદનું કામ નથી.” એમ વિચારી લલિતવિસ્તરા નામની ચિત્યવંદના વૃત્તિ પોતે તર્કયુક્ત રચી. તે આવ્યા એટલે પુસ્તકને પાદપીઠ આગળ મૂકી ગુરુ બહાર ગયા. તે પુસ્તક વાંચતાં જ સમ્યકત્વ તેના સમજવામાં આવ્યું. તેથી પ્રસન્ન થઈ, નિશ્ચળ મનવાળો થયે ને બે કેપ્રવરસૂરિ એવા શ્રી હરિભદ્રને નમસ્કાર કરું છું, જેમણે લલિતવિસ્તરા નામની વૃત્તિ રચી. પછી મિથ્યાત્વથકી નિર્વેદ પામેલા સિદ્ધઋષિએ ૧૮ હજાર કપ્રમાણ ઉપમિતભવપ્રપંચો કથા રચી. શ્રીમાલમાં તેને સાક્ષાત્ સરસ્વતીએ શોધી. તે સિદ્ધ તથા હરિભદ્રસૂરિ સમય આવતાં અનશન ગ્રહણ કરી સ્વર્ગે ગયા.” ઉપર પ્રમાણે હકીકત છે. તેમાંથી નીચેની બાબતે નીકળે છે. (a) પ્રબંધકારના મતે એ બને મહાપુરુષ સમકાલીન હતા (b) લલિતવિસ્તરા ગ્રંથ તર્કમય છે. (૦) એ ગ્રંથ ચૈત્યવંદન વૃત્તિ છે. (a) એ ગ્રંથ ખાસ સિદ્ધર્ષિના ઉપગ માટે હરિભદ્રસૂરિએ બનાવ્યા. પ્રભાવકચરિત્ર અને ચતુર્વિશતિ પ્રબંધ વચ્ચેની હકીક્તની સરખામણું અહીં કરી લઈએ એટલે વાતની ચોખવટ થઈ જશે. પ્રભાવચરિત્રકાર સિદ્ધને શુભંકર નામના અમાત્યને પુત્ર કહે છે, ચતુર્વિશતિ પ્રબંધકાર તેને રાજપુત્ર કહે છે. ચતુર્વિશતિમાં શેઠીઓ એને છોડાવે છે, એવી કઈ વાત પ્રભાવકમાં નથી. ચતુવિંશતિવાળા એને જુદું ઘર મંડાવવાનું કહે છે. Jain Education Interational Page #411 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણ ઉલેખે ] ૩૬૯ કમાડ ખખડાવવાની વાત બનેમાં સામાન્ય છે, પણ મેડા આવવાનું કારણ પ્રભાવકમાં ઘૂતનું છે, ત્યારે ચતુર્વિશતિમાં ચાપડા લખવાનું–શેઠની નોકરીનું છે. તે પાછા આવે છે ત્યારે હરિભદ્રસૂરિ લલિતવિસ્તરા બનાવે છે અને તે વાચતાં તેને સમ્ય જ્ઞાન થાય છે. ત્યારપછી તે ઉપમિતિભવપ્રપંચા કથા બનાવે છે. આ રીતે બને ચરિત્રમાં ઘણે તફાવત પડે છે. ચતુર્વિશતિ પ્રબંધકાર ગર્ગર્ષિ દેલમહત્તર કે બીજા તેવાં કોઈને ઉલ્લેખ પણ કરતા નથી. એ તો શ્રી સિદ્ધર્ષિને હરિભદ્રસૂરિના શિષ્ય જ કહી દે છે. આથી સદર ગ્રંથની હકીકત ઘણું વિચારવા લાયક બની જાય છે. સિદ્ધર્ષિ પોત પોતાના દીક્ષાગુરુ તરીકે ગર્ગર્ષિનું નામ આપે છે એ સર્વ વાત કઈ પણ રીતે ઊડાડી મૂકાય તેમ નથી. ઉપરાંત બાદ્ધની પાસેથી અભ્યાસ કરીને આવે તે વખતે હરિભદ્રસૂરિ લલિતવિસ્તરા લખવા બેસી જાય અને ત્યાં સુધી સિદ્ધર્ષિ બેસી રહે એ બનવાજોગ વાત લાગતી નથી. હૈદ્ધ મતનો અભ્યાસ કરી તેની હત્વાભાસની ચક્રજાળમાં પડનાર તો એટલો ઉગ્ર બની જાય કે એ તો ગુરુની સાથે વાદવિવાદ કરવા મંડી જાય. એને બદલે માનસશાસ્ત્રની નજરે ગુરુ જિનમંદિરમાં દર્શન કરવા જાય અને સિદ્વષિને કહેતા જાય કે “હું આવું ત્યાં સુધી બેસજે ને આ શાસ્ત્ર વાંચજે.” ત્યાં પડેલી ક્તિાબ એ વાંચે, લલિતવિસ્તરા જેઈ જાય –એ કાંઈક સ્વાભાવિક લાગે છે. એવા ખુલાસા વગર અનાd પશાચ એ વાત બેસે તેમ નથી. અને ચતુવિંશતિકાર ખૂદ સિદ્ધષિને માટે હરિભદ્રસૂરિએ લલિતવિસ્તરા વૃત્તિ બનાવી એમ જણાવે છે એ તે ધર્મબેકરનું પ્રથમ પ્રસ્તાવનું ચરિત્ર અને પ્રશસ્તિને સદર “અનાગતં વાળ લોક એ સર્વથી અશક્ય બને છે. (૪) પ્રકીર્ણ ઉલ્લેખે– એ જ ગાથા સમયસુંદર ગણિએ ગાથાસહસ્ત્રી નામના ગ્રંથમાં લખી છે. એ ગ્રંથ સમયસુંદર ગણિએ સંવત્ ૧૬૮૬ માં તૈયાર કર્યો છે, એ જ ગાથા કુલમંડનસૂરિએ પોતાના વિચારામૃત ૪૭ Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ [ શ્રી હરિભદ્રસૂરિ અને સિહર્ષિ : સંગ્રહમાં લખી છે અને ધર્મ સાગર ઉપાધ્યાયે તપાગચ્છ જીવોવલીમાં મૂકી છે. વિચારામૃત ગ્રંથ વિક્રમની પ ંદરમી સદીમાં બન્યા છે, જ્યારે ધર્મ સાગર ઉપાધ્યાયના સમય સત્તરમી વિક્રમ શતાબ્દિ છે. એ જ પ્રમાણે શ્રી મુનિસુ ંદરસૂરિએ પોતાની ગુર્વાવલીમાં શ્રી હરિભદ્રસૂરિને માનદેવસૂરિના મિત્ર તરીકે વર્ણવ્યા છે. આ સર્વ ઉલ્લેખાથી પ્રાચીન માન્યતા પ્રમાણે મેરુત્તુંગાચાર્ય થી માંડીને અત્યાર સુધી શ્રી હરિભદ્રસૂરિના સમય વિક્રમની છઠ્ઠી શતાબ્દિના અંત મનાયેા છે. શ્રી આત્મારામજી મહારાજે પોતાના જૈન તત્ત્વાદ ગ્રંથમાં પણ એ જ માન્યતા સ્વીકારી છે અને નાના મેટા અનેક ચરિત્રા એ ધેારણ પર રચાયા છે. આ માન્યતા સ્વીકારવામાં ઘણી વાતને વાંધા આવે છે તે રજૂ કરવા પહેલાં શ્રી હરિભદ્રસૂરિની કેટલીક મહત્ત્વની ખામત જોઇ લઇએ. શ્રી હરિભદ્રસૂરિ સંબધી હકીકતા— શ્રી હરિભદ્રસૂરિ શ્વેતાંબર આચાર્ય હતા તે હકીકત તેમના પાતાના શબ્દોથી જણાય છે. આવશ્યક ટીકાને અંતે તે પાતે જ નીચે પ્રમાણે લેખ લખે છે કે:—— समाप्ता चेयं शिष्यहिता नामावश्यकटीका । कृतिः सिताम्बराचार्यजिनभटनिगदानुसारिणो विद्याधरकुलतिलकाचार्यजिनदत्तशिष्यस्य धर्मतो याकिनीमहत्तरासूनोरल्पमतेराचार्यहरिभद्रस्य । આ વાકયથી તેઓશ્રી શ્વેતાંબર સંપ્રટ્ઠાયના હતા તે ઉપરાંત તેમના પરત્વેની શ્રીજી મહત્ત્વની ખાખતા પણ પ્રાપ્ત થાય છે. વજ્રસ્વામીના શિષ્ય વજ્રસેન થયા, તેનાથી ચાર શાખા નીકળી : નાગે, નિવૃત્તિ, ચંદ્ર અને વિદ્યાધર. આ વિદ્યાધર શાખામાં શ્રી હરિભદ્રસૂરિ થયા છે એ ધ્યાનમાં રાખવા લાયક હકીકત છે. શ્રી ઉપમિતિભવપ્રપંચા કથાના કર્તા શ્રી સિદ્ધર્ષિ નિવૃત્તિ શાખામાં થયા છે તે હકીકત ઉપમિતિની પ્રશસ્તિના ખીજા શ્લેાકથી તેમજ પ્રભાવકચરિત્રના સિદ્ધષિ પ્રઅધના લૈાક ૮૫ માં દિગ્અંધ ખતાવ્યા છે તે પરથી જણાય છે. Page #413 -------------------------------------------------------------------------- ________________ ચૌદમી શતાબ્દિને હરિભદ્ર સમયનિÖય : ] સદર ટીકામાં પોતાની જાતને હરિભદ્રસૂરિ ‘ યાકિની મહત્તરાસુન્’ કહે છે તે હકીકતના સંબંધમાં સંપ્રદાય કથા શ્રી પ્રભાવક ચરિત્રમાં આપી છે તે શરૂઆતમાં જણાવવામાં આવી છે. (જુએ પૃ. ૩૬૪–૫). આ ઉલ્લેખમાં ખાસ મહત્ત્વની માખત એ છે કે તઆ પેાતાને ઊનમટની આજ્ઞામાં રહેનાર અને આચાય જિનદત્તના શિષ્ય તરીકે જણાવે છે. આ ઉલ્લેખ તેમને પેાતાના કરેલા છે એટલે તેઆ જિનભદ્રગણુિ ક્ષમાશ્રમણુના શિષ્ય થતા હતા તે આખી હકીકત ઊડી જાય છે. ૩૭૧ એ ચાર સદીએ ગયા પછી જિનભટનુ જિનભદ્ર થઇ ગયું હશે અને તેને લઇને તેઓ પૂર્વધર જિનભદ્રગણિ ક્ષમાશ્રમણુના શિષ્ય હતા એવી વાત ચાલી હશે. આ સિવાય શ્રી હરિભદ્રસુરિ સંબધી, તેમના શિષ્યેા હંસ પરમહંસ સંબંધી અનેક વાતા શ્રી પ્રભાવકચરિત્ર, તુવિ શતિપ્રખધાદિ ગ્રંથામાં માજીદ છે. અત્ર તે પ્રસ્તુત નથી. તેમને સમય મુકરર કરવા પૂરતી હકીકત આપણે વિચારી જઇએ. ચાદમી શતાબ્દિમાં મનાતા હરિભદ્ર સમયનિણ્ ય— ( ૧ ) મેરુતુ ંગાચાર્યની વિચારશ્રેણિ અને ખાસ કરીને તમાંની ઉપર જણાવેલી પંચલર વળતી વાળી ગાથાને વિચારતાં, ( ૨ ) સમયસુ ંદરની ગાથાસહસ્રીના ઉલ્લેખ જોતાં, ( ૩ ) ધર્મ સાગર ઉપાધ્યાયની તપગચ્છની પટ્ટાવલી વાંચતાં, ચાદમી શતાબ્દિમાં હરિભદ્રસૂરિના સમય વિક્રમ સંવત ૫૮૫ મનાતા હતા એમ નિર્ણય કરવામાં વાંધા જણાતા નથી. ( ૪ ) મુનિસુ ંદરસૂરિ ગુર્વાવલીમાં શ્રી હરિભદ્રસુરિને માનદેવના મિત્ર કહીને એ જ વાત પાકી કરે છે. ચતુર્વિશતિ પ્રખંધકાર તે એને સ્પષ્ટ રીતે હરિભદ્રસૂરિના શિષ્ય જ કહે છે અને જેમ સ. અને પરમહંસ તેમના શિષ્ય હતા તે જ કક્ષામાં શ્રી સિદ્ધર્ષિને પણ મૂકે છે. Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૭ર [ શ્રી હરિભસૂરિ અને સિદ્ધિવિઃ એ નિર્ણય સ્વીકારમાં અડચણે ચાદમી શતાબ્દિએ જે સમયનિર્ણય શ્રી હરિભદ્રસૂરિના સમયપર બતાવ્યું છે તે અને તેઓશ્રી તથા શ્રી સિદ્ધર્ષિ સમકાલીન હતા તે સ્વીકારવામાં નીચેના વાંધાઓ આવે છે. ( ૧ ) આ ઉપમિતિભવપ્રપંચાની પ્રશસ્તિમાં સત્તા વિવાળો લેક તદ્દન અર્થવગરને થઈ જાય છે. એ પર વિવેચન ઉપર પૃ. ૨૯૪-૩૦૨ સુધીમાં થયું છે તેનું અત્ર પુનરાવર્તન કરવાની જરૂર નથી. એ પદને સાર્થ કરવા અને છતાં હરિભદ્રસૂરિ અને શ્રી સિદ્ધષિને સમકાલીન ઠરાવવાને પ્રબળ પ્રયત્ન છે. જોકેબીએ કર્યો તેની ચર્ચા આપણે ત્યાં કરી હતી. એવા જ પ્રયત્ન મુનિ ધનવિજયજીએ ચતુર્થસ્તુતિનિર્ણય-શંકરદ્વારમાં કર્યો છે તે અત્ર તપાસી લઈએ. એ વાંચતાં જ જણાય છે કે એમણે કરેલ અર્થ તાણીતૂસીને કરવામાં આવ્યો છે. શ્રી ધનવિજયજી મનાત શબ્દના ચાર અર્થે કરે છે જે પ્રત્યેક લાગી શકે તેમ નથી. તેમનો પ્રયત્ન શ્રી હરિભદ્રસૂરિ અને શ્રી સિદ્ધર્ષિને સમકાલીન કરવાનો છે. એટલા ખાતર એ શબ્દને સીધો અર્થ “ભવિષ્યના” એમ ન કરતાં તેમને સદર શબ્દનો અર્થ તાણવા પડ્યો છે. તેમના ચાર અર્થે નીચે પ્રમાણે છે – ૧ “બદ્ધોમાંથી પાછા ન આવ્ય” એમ જાણીને. (આ અર્થ ઈતિહાસની વિરુદ્ધ છે. ઈતિહાસ પ્રમાણે સિદ્ધર્ષિ પાછા આવ્યા છે અને આવ્યા પહેલાં તેને માટે ગ્રંથ બનાવે એ ન બનવાયોગ્ય વાત છે.) મને જૈન મતથી “અજ્ઞાન” જાણીને. (અનાગતને અર્થ અજ્ઞાત-અભણ થઈ શકે ખરે, પણ સિદ્ધર્ષિ તો જેન શાસ્ત્રના પારંગત હતા તે એમની કૃતિઓ અને જીવનવૃત્તથી જણાઈ આવે છે. એમને એ પ્રસંગે “અભણુ” કહેવા એ અક્ષમ્ય ધૃષ્ટતા જ ગણાય. ૩ ભવિષ્યમાં હું વિપરીત દ્ધ ધર્મની મતિવાળો એટલે અના ગત-અજ્ઞાન” થઈ જવાને છું એવું જાણીને. Page #415 -------------------------------------------------------------------------- ________________ ચૌદમી સદીને નિર્ણય અસ્વીકાર્ય ! ૩૭૩ ( આ અર્થ કેઈ પણ રીતે લાગે તેમ નથી. અનાગત શબ્દને એ રીતે પ્રયોગ અશક્ય છે અને શ્રી હરિભદ્રસૂરિમાં ભવિષ્ય જ્ઞાન હોવાનું કાળબળે શકય નથી અને એમના જીવનચક્રના કઈ પણ ઉલ્લેખમાં એ દાવો નથી.) બાવીશમી વખત હૈદ્ધમાંથી “પાછો નહિ આવેલ” જાણીને. (એક્વીશ વાર આવ્યા, બાવીશમી વાર ન આવ્યા, આ સર્વ કપોળકલ્પિત છે અને એમાં આગમન કરનારના ભિન્નત્વને અવકાશ પણ રહેતો નથી. એ ખાતર લલિતવિસ્તરા લખાય એ પણ સંભવિત નથી. અને “અનાગત” એટલે સંપૂર્ણ બંધ પ્રાપ્ત થયેલો નહિ એવો મને જાણીને એ અર્થમાં પણ એ જ વાંધો આવે છે.) આમાંને એક પણ અર્થ લાગી શકે તેમ નથી અને કેટલાક અર્થ તો પ્રભાવકચરિત્રથી વિરુદ્ધ છે; જ્યારે ૨૨ વખત બોદ્ધમાં ગયા અને પાછા આવ્યા એવી વાત કેઈ સ્થળે નેંધાયેલી નથી. પંદરમી સદીમાં એ વાત નેંધાણી તે તદન આધાર વગરની છે. $કટરપિટરસને બન્ને મહાપુરુષ-શ્રીહરિભદ્રસૂરિ અને સિદ્ધર્ષિને સમકાલીન કરવા પ્રયત્ન કર્યો તેમાં સો વર્ષની ભૂલ કરી એટલે ત્યાં એ વાત ઊડી ગઈ અને ડોકટર જેકેબીએ ઉપમિતિપ્રપંચા કથાની ઉપોદઘાતમાં એ પ્રયત્ન કર્યો તે તમને પોતાને જ શ્રી સમરાઈચ કહામાં ફેરવો પડ્યો. નીચેના બે ઉલ્લેખ . જોકેબીના છે તે સરખાવવા ગ્ય છે. ડે. જોકેબી ઉપમિતિની પ્રસ્તાવનામાં લખે છે કે – Now as Sidhbarshi gives us to understand that Dharmabodhakara is Haribhadra, and the beggar Nispunyaka he himself, it follows, almost beyond doubt, that he was instructed and directed by Haribhadra himself up to the time when be became monk and wandered about preaching the Law. (Jaco. bi's introduction to Upamiti-bhava-Katha p. VI.) Page #416 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી હરિભદ્રસૂરિ અને સિદ્ધર્ષિ : આ અભિપ્રાય પ્રમાણે શ્રી હરિભદ્રસૂરિ અને સિદ્ધર્ષિં ગણિ સમકાલીન થાય છે. ત્યાં ઉપમિતિના પાત્ર ધર્મ ખાધકરને હિરભદ્રનું સ્થાન ડા. જેકામીએ આપ્યું. આ ઉપાદ્ઘાત ડા. કાખીએ ઇ. સ. ૧૯૧૫ લગભગ છપાવી પ્રસિદ્ધ કર્યા હતા. ૩૭૪ ત્યારપછી એ જ વિદ્વાને ઈ. સ. ૧૯૨૪ માં સમરાઇન્ગ્રકહાની ઉપેાઘાત લખી. તે ગ્રંથના કર્તા શ્રી હરિભદ્રસૂરિ હેાવાથી એમને સમયનિર્ણય કરવાની જરૂર જ હતી. શરૂઆતમાં જ ડા. જેકેાખી તટલા માટે લખે છે કે:~ Now the question arose whether Haribhadra was actually Sidhharsi's teacher of sacred Law, or his paramparaguru; in this invetigation I took what eveutually turned out the wrong side of the question (page 1 ). અહીં ડા. જેકાખી કબૂલ કરે છે કે સિદ્ધર્ષિના ગુરુ માનવાને અંગે ઉપમિતિભવપ્રપંચાની ઉપેાદ્ઘાતમાં પાત જે લાઇન લીધી હતી તે ખાટી હતી. એટલે હવ ડા. જેકેાખીના પ્રથમ મતનું મહત્ત્વ રહેતુ નથી. શ્રી હરિભદ્રસૂરિના સદર સમય માનવામાં ખીજી અડચણ્ણા શી શી આવે છે તે હવે આપણે જોઇએ. ( ૨ ) એ અનાગત રિજ્ઞાવાળા લેાકમાં આગળ જણાવે છે કે મારે જ માટે જેમણે લલિતવિસ્તરા નામની વૃત્તિ બનાવી. અથવ તા– મારે માટે જ અનાવી ’ એ અનામત પરિક્ષાયની સાથે જ લઈ શકાય તમ છે. અહીં ‘મારે માટે જ ’ એટલેા ભાર મૂકીને કહે છે તેથી સહજ ઘુંચવણ થાય છે, પણ તેની સાથે એ જ શ્લોકમાં અનાવૃત શબ્દ વાપર્યો છે તેથી ઘુંચવણ નીકળી જાય છે. એજ શ્લાક પ્રભાવકચરિત્રકારે પોતાની કૃતિમાં મૂકયા છે. ત્યાં પાઠ અથૅ નિમિતા ચેન એવા છે, એ પાઠથી ઘુંચવણ દૂર થતી નથી. જો મજ્જૈવ તા ચેન એવા પાઠ હાય તેા ઘુંચવણુ નીકળી જાય, કારણ કે ત્યાં વ સંભાવના અર્થ માં આવે. પણ હરિભદ્રસૂરિને પ્રશસ્તિમાં કહેવા પ્રમાણે ‘ ધ ખાધકર 'ને રસવતીપતિનું સ્થાન Page #417 -------------------------------------------------------------------------- ________________ ચૌદમી સદીને નિર્ણય અસ્વીકાર્ય :]. ૩૭૫ આપવામાં આવ્યું છે અને તેને કાછતિ “સમયથી દૂર રહેલા ગ્રંથકાર પોતે જ કહે છે એટલે સર્વ વાતને મેળ મળે છે. અહીં એક વાત ધ્યાનમાં રાખવાની કે “મારે માટે જ બનાવી' એવી જે હકીકત કહી છે તે માન અર્થમાં જ છે અને પોતાને થયેલ ગુણના બદલામાં બતાવેલ વફાદારીનું સૂચક જ એ વાક્ય છે. એ અર્થ ન બેસે તો આ લેક અર્થ વગરને થઈ જાય છે અને પરસ્પર વિરોધ સ્પષ્ટપણે દાખવનાર થાય છે. અત્રે એક વાત નેંધવા જેવી એ છે કે ભગવાનની અવલોકના સિદ્ધષિ પર–નિપુણ્યક પર થઈ એટલી વાત ધર્મબેકરે જઈ એટલું જ મૂળ કથામાં આવે છે. તે પ્રસંગે લલિતવિસ્તરાના વાચનને કે કથનને કોઈ પ્રકારને અવકાશ આવી શકતો નથી. અવેલેકના લાક્ષણિક પ્રતિભાને બતાવે છે એટલું જ અહીં કહી શકાય તેમ છે, બાકી વધારે હકીક્ત મૂળ ગ્રંથમાંથી મળી શક્તી નથી. (૩) શ્રી સિદ્ધર્ષિ મહારાજ શ્રી હરિભદ્રસૂરિના સમકાલીન નથી તેને તેમના પિતાના શબ્દમાં મજબૂત પુરાવો છે. પ્રથમ પ્રસ્તાવમાં “ધર્મબોધકર' નામના સુસ્થિત મહારાજના મંત્રીનું પાત્ર આવે છે. તેને માટે પ્રથમ મૂળમાં વાત કરી કે “તે ધર્મબોધકર રાજસેવકે પેલા દરિદ્રી ઉપર મહારાજાની કૃપાદૃષ્ટિ પડી છે એમ જેયું.” (ભાષાં. પૃ. ૨૧) અને ઉપનય ગ્રંથકર્તાએ પોતે જ ઉતાર્યો છે. પૃ. ૧૧૨ માં તેઓ પિત લખે છે તે આ મુદ્દાને નિર્ણય કરવામાં બહુ ઉપયોગી હકીક્ત છે અને વિચાર કરતાં જણાશે કે એ શબ્દનું પૃથકકરણ કરવામાં આવે તે બન્ને સમકાલીન નથી તેને સંતોષકારક નીવડે કરે છે. यथा च नां महाराजदृष्टिं तत्र रोरे निपतन्ती धर्मबोधकराभिधानो महानसनियुक्तो निरीक्षितवानित्युक्तं तथा परमेश्वरावलोकनां मज्जीवे भवतीं धर्मबोधकरणशीलो धर्मबोधकर इति यथार्थाभिधानो मन्मार्गोपदेशकः सूरिः स निरीक्षते स्म । तथाहि ! એ સુસ્થિત મહારાજે રસવતી ખાતાના ઉપરી તરીકે ધર્મ બધકર નામના રાજસેવકની નિમણુક કરેલી છે, તેણે તે વખતે Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ [ શ્રી હરિભદ્રસૂરિ અને સિહર્ષિ : તે દરદ્રી ઉપર મહારાજાની કૃપાદૃષ્ટિ થઈ છે એમ જોયુ−” આ પ્રમાણે અગાઉ કથાપ્રસંગમાં કહેવામાં આવ્યું છે. ધર્મના આધ કરવામાં તત્પર હેાવાથી ધમધકરના નામને ચેાગ્ય અને મને માર્ગને ઉપદેશ કરનાર આચાર્ય મહારાજે મારા ઉપર પરમાત્માની કૃપા નજર થતી જોઇ એમ તે હકીકત ઉપરથી સમજવું. હવે ખાસ પ્રસ્તુત વાક્ય આવે છે તે વિચારવું: सद्ध्यानबलेन विमलीभूतात्मनः परहितैकनिरतचित्ताः भगवन्तो ये योगिनः पश्यन्त्येव देशकालव्यवहितानामपि जन्तूनां छद्मस्थावस्थायामपि वर्तमाना दत्तोपयोगा भगवदवलोकनाया योग्यतां पुरावर्तिनां पुनः प्राणिनां भगवदागमपरिकर्मितमतयोऽपि लक्षयन्ति तिष्ठन्तु विशिष्टज्ञाना इति । ये च मम सदुपदेशदायिनो भगवन्तः सूरयस्ते विशिष्टज्ञाना एव यतः कालव्यवहितैरनागतमेव तैर्ज्ञातः समस्तोऽपि मदीयवृत्तान्तः स्वसंवेदनसंसिમેતસ્માૠમિતિ ! ( જે મહાત્મા ચેાગીઓને આત્મા વિશુદ્ધ ધ્યાનથી નિર્મળ થયેલ હાય છે અને જેએનું મન હમેશાં પારકાનું હિત સાધવા તરફ લાગેલુ હાય છે તે દેશકાળથી દૂર રહેલા પ્રાણીની ચેાગ્યતા પણ જાણી શકે છે. જેઓ છદ્મસ્થ અવસ્થામાં વ તા હાય છતાં જો તઓની બુદ્ધિ જૈન આગમથી વિશુદ્ધ થયેલી હાય છે તા તેઓ ઉપયાગ મૂકીને પેાતાની પાસે રહેલા પ્રાણીની ચેાગ્યતા કહી શકે છે. આ પ્રમાણે જ્યારે વિશિષ્ટ શ્રુતજ્ઞાની પણ ચેાગ્યતા અયેાગ્યતા માટે ઉપયાગપૂર્ણાંક વિચાર કરી નિહ્ ય આપી શકે છે તા પછી વિશેષ જ્ઞાની માટે તે! શી વાત કરવી ? મને ઉપદેશ દેનારા આચાર્ય મહારાજ તા વિશિષ્ટ જ્ઞાનવાળા હતા, કારણ કે ભવિષ્યમાં મારા સંબંધમાં બનનારા સર્વ બનાવ તે અગાઉથી જાણી ચૂક્યા હતા–જાણે એમને પેાતાને અનુભવસિદ્ધ હેાય તેમ. (ભા. પૃ. ૧૧૨). -- આ વાક્યથી જણાય છે કે ધર્મ ખાધકર અને શ્રી સિદ્ધષિ સમકાલીન હતા નહિ. ભવિષ્યમાં સિદ્ધર્ષિ નામની વ્યક્તિ થશે તે હકીકત એ રીતે જણાય : કાં તે વિશિષ્ટ જ્ઞાનથી અને કાં તેા શ્રુતના ઉપયાગથી. શ્રી સિદ્ધર્ષિ કહે છે કે પેાતાના સંબધી સર્વ હકીકત ધર્મ આધકરને સ ંવેદન સિદ્ધ હતી. અહીં એમણે શ્વાવ્ય હિત Page #419 -------------------------------------------------------------------------- ________________ ચૌદમી સદીને નિષ્ણુય અસ્વીકાય : ] સમયથી દૂર રહેલા એવા શબ્દો વાપયા છે. એટલે સમકાલીનના પ્રશ્નોના તા ખરાબર નીકાલ થઈ જાય છે. પણ અહીં એક ઘુંચવણુ નવી ઊભી થાય છે. ધર્મ ખાધકરનુ પાત્ર હરિભદ્રંસૂરિનુ એમાં તો જરા પણ શા નથી, કારણ કે પ્રશસ્તિમાં પંદરમા Àાકમાં આચાર્ય હરિભદ્રને પ્રથમ પ્રસ્તાવના ધર્મ બાધકરનું પાત્ર શ્રી સિદ્ધર્ષિં પોતે જ ખતાવે છે. પણ ધ્યાનખળથી યાગીઓ ભવિષ્ય જાણે છે તે કરતાં વધારે વિશિષ્ટ જ્ઞાની તેને કહે છે. એ વાતના સમન્વય અગાઉ જણાવ્યું તેમ એકજ રીતે શક્ય છે. વિશિષ્ટ જ્ઞાની એટલે શ્રુતજ્ઞાનના ઉપયાગવાળા. શાસ્ત્રકાર કહે છે કે શ્રુતજ્ઞાનના ખરાખર ઉપયાગ મૂકે તેા વ્યુત્પન્ન આત્મા કેવળજ્ઞાની તુલ્ય ભાવાને ભાષી શકે છે. ૩૦૭ શ્રી હરિભદ્રસૂરિને વિશેષ જ્ઞાની એટલે કેવળી તા કેાઇ રીતે કહી શકાય તેમ છે જ નહિ, એટલે આ અર્થમાં એ શબ્દપ્રયાગ ગણવામાં આવે તા જ ઘડ એસી શકે એમ છે. તેનાં કારણેા નીચે મુજબ છે:a. ધર્મ આધકરનું પાત્ર સામાન્ય રીતે સર્વ ઉપદેશકને લાગુ પડે તેવું ચિતરવામાં આવ્યું છે. X b. અન્નની વચ્ચે સમયના અંતર સ્પષ્ટ કરવામાં આવ્યા છે. ૭. તાના પાત્રનું નિરૂપણ તે જ કારણે થયું હેાય તેમ જણાય છે. તદ્યા આખા લેાકના સમસ્ત પ્રાણી પર ધ્યાન આપે છે ( પૃ. ૧૮૫ ) અને તડ્યાને અંગે પૃ. ૧૮૬ માં ખુલાસેા કરતાં भावे छे गुरोर्या जीवस्योपरि दया सैव प्राधान्यात्पार्थक्येन कर्त्री विवक्षिता । d. તદ્યાનું પાત્ર અને ધર્મ ખાધર વસ્તુત: એક હાવાથી એ જ પ્રસ્તાવમાં સદ્ગુદ્ધિનું પાત્ર ચિતરવામાં આવ્યું છે તે Conscience સાથે ખરાખર મળતુ લગભગ આવે છે. ૭. પ્રથમ પ્રસ્તાવને છેડે આ આખું ચરિત્ર ‘ સંભવ ’ માત્રથી પેાતાના જીવને લાગુ પડે છે અને તે સર્વ જનાને લાગુ પડે છે એમ બતાવ્યુ છે. અહીં સર્વ વાતના ખુલાસા થઇ જાય છે. re Page #420 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી હરિભસૂરિ અને સિદ્ધ િ આ કારણે વિશિષ્ટ જ્ઞાની શબ્દથી ઘુ ંચવણ થતી નથી એમ મારું ધારવું છે. આ સંબંધી કાઇ વધારે ખુલાસા કરશે તે તે ધ્યાન આપવા ચેાગ્ય થઇ પડશે. સર્વ પ્રસ્તુત હકીકતાના સમન્વય મને આ પ્રમાણે બેઠા છે અને કાઇ પણ પ્રકારના આગ્રહ વગર તે જનતા સમક્ષ રજૂ કર્યો છે. ૩૭૮ (૪) પ્રા. જેકેાખીએ મારી સાથેના પત્રવ્યવહારમાં જણાવ્યું છે કે ન્યાયની જે પરિભાષા શ્રી હરિભદ્રસૂરિએ વાપરી છે તે તેમને માટે જે સમય કહેવામાં આવે છે તેની પછી ઘણાં વર્ષે ઉપયોગમાં આવી છે. મતલબ એ પરિભાષા છઠ્ઠા સૈકાની નથી. એમની સાથેના પત્રવ્યવહારમાં મેહરિભદ્રસૂરિના છઠ્ઠો સૈકા સ્વીકારવાની વાત ચાલુ રાખી હતી. હવે જે દલીલની સૂચના ઉપરના પત્રવ્યવહારમાં કરવામાં આવી છે તેની તપાસ કરીએ. શ્રી હરિભદ્રસૂરિ ષડ્ઝ નસમુચ્ચય ગ્રંથના ૧૧ મા શ્લાકમાં ઐાદ્ધન્યાયસ ંમત હેતુ( લિગ ) ના ત્રણ રૂપ આ પ્રમાણે આપે છે:— रूपाणि पक्षधर्मत्वं सपक्षे विद्यमानता । विपक्षे नास्तिता हेतोरेवं त्रीणि विभाव्यताम् ॥ હેતુનાં આ ત્રણ સ્વરૂપ આદ્ધન્યાયમાં જાણીતાં છે, પણ એમાં જે પક્ષધર્મત્વ શબ્દના ઉપયાગ છે તે આદ્ધોના પુરાણા ન્યાય ગ્રંથામાં વપરાયેલ નથી. એ શબ્દના ઉપયાગ અર્વાચીન ન્યાય ગ્રંથામાં થયા છે એ કારણે છઠ્ઠી શતાબ્દિમાં શ્રી હરિભદ્રના સમય આવી શકે નહિ. આ હકીકત લાક્ષણિક શેાધક બુદ્ધિથી પ્રા. જેકેખીએ અહાર પાડી, ત્યારપછી તા એના સમર્થનમાં ઘણા આધારી મળ્યા, જે શેાધવાનું માન શ્રી જિનવિજયને ઘટે છે. આટલી શેાધથી તા માત્ર એટલું થાય છે કે હિરભદ્રના સમય છઠ્ઠી શતાબ્દિના ન હેાઇ શકે, તેમના સમયનિર્ણય કરવાના પ્રસંગે પર બીજી અનેક સાબિતી છે તે તુરતમાં જ વિચારવામાં આવશે. ( ૫ ) નંદીસૂત્ર ઉપર શ્રી હરિભદ્રસૂરિએ સંસ્કૃત ટીકા લખી છે. તે જ ગ્રંથ પર શ્રીજિનદાસ મહત્તરે કરેલી ચૂર્ણિમાં પ્રાંતે લખે છે કે:— शकराशः पञ्चसु वर्षशतेषु व्यतिक्रान्तेषु अष्टनवतिषु नन्द्यध्यनचूर्णिः समाप्ता Page #421 -------------------------------------------------------------------------- ________________ ચૌદમી સદીને નિર્ણય અસવીકાર્ય : ] એટલે એ નંદીસૂત્રની ચણિ શક સંવત ૧૯૮ માં બની. ચર્ણિ પ્રાકૃતમાં જ હોય છે. શ્રી હરિભદ્રસૂરિએ એ ચૂર્ણિને પોતાની સદર ગ્રંથની સંસ્કૃત ટીકામાં વારંવાર ઉદ્ભૂત કરી છે અને ત્યારપછી તેના ઉપર સંસ્કૃત ટીકા કરી છે. તેમની ટકાની એ જ પદ્ધતિ છે. દશવૈકાલિની ટીકામાં પણ તેમણે એ રીતિનું અનુકરણ કર્યું છે. ચૂર્ણિના પાઠો હાલ પણ વિદ્યમાન છે અને તે અલગ ગ્રંથના આકારમાં મળે છે. શકસંવત પ૯૮ એટલે વિક્રમ સંવત ૭૩૩ અને નંદીસૂત્રના ચર્ણિકાર જે વિક્રમ સંવત ૭૩૩ માં થયા હોય તે તેની પહેલાં તો શ્રી હરિભદ્રસૂરિના સમયે વિક્રમ સંવત ૨૪૫ કે ૫૮૫ માનવામાં આવે તે ચેઓ વિરોધ આવે છે તેથી કઈ રીતે તેમને જે સમય ચિદમી શતાબ્દિના જૈન લેખકે એ માન્ય છે તે કબૂલ થઈ શકે તેમ નથી. શ્રી હરિભદ્રસૂરિના સમયપરત્વે આવા આવા અવાંતર તેમજ આંતર પુરાવાથી ચિદમી શતાબ્દિમાં કરેલી માન્યતા ટકી શકે તેમ નથી. હરિભદ્ર સમયનિર્ણયનાં વિશેષ સાધન દમી શતાબ્દિના જૈન લેખકે એ શ્રી હરિભદ્રસૂરિના જે સમય નિર્ણય કર્યો છે તે સ્વીકારવામાં તે શ્રી સિદ્ધર્ષિન ગ્રંથમાં આપેલા તથા શ્રી હરિભદ્રસૂરિના પોતાના ગ્રંથના પ્રમાણથી ઘણો વિરોધ આવે છે. એ રીતે જોતાં સંવત ૧૮૫ કે ૫૪૫ એ કઈ રીતે સ્વીકારી શકાય તેમ નથી. હવે કેટલાંક બીજાં સાધને પણ શ્રી હરિભદ્રસૂરિનાં કરેલાં ગ્રંથેથી પ્રાપ્ત થાય છે તે વિચારી જઈએ અને પછી પ્રાપ્ત સાધનામાંથી બની શકે તેટલે નજીકને નિર્ણય કરી નાખીએ. શ્રી હરિભદ્રસૂરિએ પોતાના અનેકાંત જયપતાકા વિગેરે ગ્રંથમાં અનેક વિદ્વાનોનાં નામે આપ્યા છે તેમને સમય નિર્ણત છે તે પરથી આપણે કેટલોક નિર્ણય કરી શકીએ તેમ છીએ. દર્શન ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિના બે મુખ્ય ગ્રંથ છે. (૧) Page #422 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ [ શ્રી હરિભદ્રસુરિ અને સિહર્ષિ અનેકાંત જયપતાકા અને (૨) શાસ્ત્રવાર્તા સમુચ્ચય. આ બન્ને ગ્રંથમાં અન્ય દર્શનકારેનાં નામ તેમણે આપ્યાં છે તે દર્શનકારેને સમય વિચારવાથી કાંઈ રસ્તા નીકળી આવે તેમ છે. () અનેકાંત જયપતાકાના ચોથા અધિકારમાં ભર્તુહરિ નામના વૈયાકરણનું નામ લખ્યું છે. મૂળ ગ્રંથમાં તે તેમણે રાતરિ એટલો જ શબ્દ આ વ્યાકરણવિદ માટે વાપર્યો છે, પણ તેની સ્વપજ્ઞ ટીકામાં ભર્તુહરિ નામ સ્પષ્ટપણે આપ્યું છે. હવે આ ભર્તુહરિની વિશેષ હકીકત રજૂ કરવા પહેલાં એક અગત્યની હકીક્ત અહીં જણાવી દેવી પ્રાસ્તાવિક છે. ચીનાઈ મુસાફરો અભ્યાસ કરવા માટે હિંદુસ્થાનમાં આવ્યા તે પૈકી હુએનન્સીંગનો સમય ઈ. સ. ૬૨૯-૬૪૫ છે અને ઇસીંગને સમય સાતમી શતાબ્દિને ઉત્તરાર્ધ કાળ છે. એણે ચીન જઈ જ નિવેદન રજૂ કર્યું તેને સમય ઈ. સ. ૬૫ છે. (જુઓ મેકસમુલરકૃત India : What can it teach us? p. 210) એ બને ચીનાઈ મુસાફરો પૈકી ઈન્સીંગ ભહરિ માટે ખૂબ વિસ્તારથી વર્ણન કરીને જણાવે છે કે એણે ૭૦૦ શ્લેકપ્રમાણ વાક્યપ્રદીપ ગ્રંથ રચે હતા અને એના ગ્રંથકર્તાનું મૃત્યુ ઈ. સ. ૬૫૦ માં થયું હતું. આથી ભર્તુહરિ વૈયાકરણને સમય સંવત ૭૦૬ થયો ' ૬૫૦૫૬) એટલે તે પહેલાં તે શ્રી હરિભદ્રસૂરિને સમય ન હોઈ શકે. (b) હવે એક બીજી વાત વિચારીએ. શ્રી હરિભદ્રસૂરિએ મીમાંસા દર્શનની આલોચના કરી છે. એમણે મહાન મીમાંસક કુમારિલના તંત્રવાતિક ગ્રંથના શબ્દ ટાંકી તે પર ચર્ચા કરી છે. એ કુમારિલ મીમાંસકે અનેક સ્થાને પર ભર્તુહરિના વાક્યપદીપ ગ્રંથ પર ટીકા–ચર્ચા કરી છે. આથી કુમારિલ મીમાંસકને સમય વૈયાકરણ ભર્તુહરિ પછી આવે. શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં પ્રમાણુના વિષય પરત્વે કુમારિલ મીમાંસકના શબ્દો ટાંકવામાં આવ્યા છે અને સ્વપજ્ઞ વ્યાખ્યામાં કુમારિલનું નામ પણ આપ્યું છે (શા. વા. સમુચ્ચય. દેવચંદ લાલભાઈ ગ્રંથમાળા પૃ. ૩૫૪). એથી ભર્તૃહરિ વૈયાકરણ અને કુમારિક મીમાંસક બન્નેને સત્તાસમય શ્રી હરિભદ્રસૂરિ પહેલાં થયા. પ્ર. પાઠક Page #423 -------------------------------------------------------------------------- ________________ હરિભદ્ર સમયનિર્ણયનાં વિશેષ સાધના : ] ૩૮૧ કુમારિલના સમય આઠમી શતાબ્દિની શરૂઆત કહે છે ( જીએ જર્નલ ઑફ બેબે બ્રાંચ . એ. સા. પુ. ૧૮ પૃ. ૨૧૩–૨૩૮) તેા એ રીતે હિરભદ્રસૂરિ અને કુમારિલ સમકાલીન થાય છે. આ રીતે હરિભદ્રસૂરિ ઇસ્વીસનની આઠમી શતાબ્દિની શરૂઆત પહેલાં હાઈ શકે નહિ એમ દેખાય છે. ( ૯ ) આથી પણ વધારે અગત્યની ખાખતા ઔદ્ધ લેખાનાં અવતરણ પરથી પ્રાપ્ત થાય છે. ધર્મ પાળ નામના ઔદ્ધ આચાર્ય નુ નામ હ્યુઅનસીંગે પોતાના પ્રવાસવર્ણનમાં આપ્યું છે. એ ઈ. સ. ૬૩૫ માં નાલંદા વિદ્યાપીઠમાં આવ્યા ત્યારે એને માલૂમ પડયું કે એના આવવા અગાઉ થેાડા વખત પહેલા એ વિદ્યાપીઠના અધ્યક્ષ ધર્મપાલ નિવૃત્ત થઇ ગયા હતા અને તેના સ્થાન પર સત્યપાલ નામના ધર્મપાલના શિષ્ય આવેલ હતા. હ્યુએનત્સીંગે વિદ્યાભ્યાસ આ સત્યપાલ નામના ધર્માધ્યક્ષ પાસે કર્યો. આથી એમ માલૂમ પડે છે કે ધર્મપાલના સમય ઇ. સ. ૬૦૦ થી ૬૩૫ ની વચ્ચે હતા. અનેકાંતજયપતાકાની ટીકામાં શ્રી હરિભદ્રસુરિ પોતે ધર્મ પાલ અને ધમકીર્તિનું નામ પાતાના પૂર્વ લેખક તરીકે આપે છે. ( અનેકાંતજયપતાકા ટીકા. અમદાવાદ ચેાથે! પરિચ્છેદ પૃષ્ઠ. ૫૦) આથી ‘ ધર્મ પાલ ’ પહેલાં તેા આચાર્ય હિરભદ્રના સમય હાઈ શકે નહિ. ધમ પાલના સમય ઈ. સ. ૬૦૦ થી ૬૩૫ વચ્ચે એટલે વિક્રમ સંવત ૬૫૬ થી ૧૯૧ પહેલાં તેા ન જ હાઈ શકે. 6 7 ( તે ) હવે ધર્મ કીર્તિના સમય જોઈએ. એ દ્ધના અતિ વિખ્યાત ન્યાયાચાય થયેલા છે. એને માટે હરિભદ્રસૂરિએ · ન્યાયવાદી ’ અને ‘ મહામતિ ' વિશેષણા વાપર્યાં છે. અને એનું નામ આપીને અનેકાંતજયપતાકામાં અને શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં એના સૂત્રા પર ચર્ચા કરી છે. આ ધર્મ કીર્તિ તે સદર ધ પાળના શિષ્ય થાય. હ્યુએનત્સીંગ ચીની મુસાફર અભ્યાસીના સમયમાં એની વય ઘણી નાની સભવે છે, પણ ત્યારપછી ચીનાઇ મુસાફર ઇસીંગે ઇ. સ. ૬૭૧–૬૯૫ સુધી ભારતવર્ષમાં પ્રવાસ કર્યો ત્યારે એની પ્રસિદ્ધિ ખૂબ થઈ હતી. Page #424 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ [ શ્રી હરિભદ્રસૂરિ અને સિષિ : એણે પેાતાના પ્રવાસવર્ણનમાં ન્યાયના વિષય પર લખતાં જણાવ્યુ છે કે દિગ્નાગાચાર્ય પછી ન્યાયને ખૂબ પદ્ધવિત કરનાર ધ કીતિ થયા હતા. એટલે ઇત્સીંગના પ્રવાસસમયે મહામતિ ધર્મ કીર્તિની પ્રસિદ્ધિ સારી રીતે થયેલી હતી. આ ધર્મ કીર્તિનું વર્ણન શ્રી હરિભદ્રસૂરિએ ઠામઠામ કરેલું હાવાથી અને ધર્મ કીર્તિના સમય ઇસ્વીસનની સાતમી શતાબ્દિના પૂર્વાધ હાવાથી તેની પહેલાં તે હરિભદ્રસૂરિના સમય થઇ શકે નહિ. ( e ) હવે કુમારિલ મીમાંસકે ધર્મ કીર્તિ ઉપર ચર્ચાઓ ખૂબ કરી છે તેથી શ્રી હરિભદ્રસૂરિના સમય ધર્મ પાળ, ધ કીર્તિ અને કુમારિલ પછી આવે. કુમારિલને સમય ઇસ્વીસનની આઠમી શતાબ્દિની શરૂઆતમાં આવે છે. આ સર્વ સાધના ધ્યાનમાં રાખીને હવે આપણે કાંઇક નિ ય પર આવી શકશું. ઉપલબ્ધ સાધનાથી હરિભદ્ર સમયનિય આપણી પાસે હવે શ્રી હરિભદ્રસૂરિના સમય નિર્ણય કરવા માટે કેટલાંક સાધના પ્રાપ્ત થયાં. તે પરથી આપણે કામચલાઉ નિ ય કરીએ. એ નિર્ણયને કામચલાઉ એટલા માટે કહેવાને છે કે આવી ખાખતમાં આપણે છેવટના નિર્ણય ન જ કરી શકીએ. જેમ જેમ સાધના વિશેષ પ્રાપ્ત થતાં જાય તેમ તેમ નિચમાં ઘટતા ફેરફાર કરવાની સરળતા રાખવી જોઇએ. પાતાનાં નિણ્ યને ફેરવવા જ નહિ અને વિરુદ્ધનાં કારણેાની ઉપેક્ષા કરવી એ પદ્ધતિ આ કાળમાં પાલવે નિહ. આપણને જે સાધના મળ્યાં છે તે પરથી નીચેની વાતે પ્રાપ્ત થાય છે. શ્રી સિદ્ધર્ષિના પેાતાના શબ્દો બતાવે છે કે અન્ને સમકાલીન નહેાતા. જાન્યદિત અને અનાગત એ એ શબ્દો તે માટે પૂરતા ગણાય તેમ છે. શ્રી સિદ્ધર્ષિના દીક્ષાગુરુ ગર્વ હતા એ પ્રશસ્તિથી જણાય છે. શ્રી સિદ્ધર્ષિના ગુરુ સૂરાચાર્ય હતા એ પણ પ્રશસ્તિથી જણાય છે. એના સંબંધમાં અનેક વિકલ્પે ઉપર વિચારાઈ ગયા છે, તેથી એક વાત સ્પષ્ટ જણાય છે કે શ્રી સિદ્ધર્ષિઅને હરિભદ્રસૂરિ રૂબરૂ મળ્યા નથી. Page #425 -------------------------------------------------------------------------- ________________ હસિરિ સમયનિર્ણયઃ ]. ૩૮૩ છતાં તે બન્ને વચ્ચે ચાર વર્ષનો અંતર પણ સંભવતા નથી. એટલા અંતરે “મારે માટે લલિતવિસ્તરા બનાવી એમ લખવામાં એક જાતની ધૃષ્ટતા લાગે ખરી. હવે શ્રી હરિભદ્રસૂરિની સંપ્રદાય પ્રમાણે જણાતી તારિખ ટકે તેમ નથી તે વાત ઉપર સ્પષ્ટ થઈ ગઈ છે. ધર્મપાલ, ધર્મકીર્તિ અને કુમારિની તારિખથી હરિભદ્રસૂરિને સમય ઈસ્વીસનના સાતમા સૈકા પછી જાય છે. તે ઉપરાંત નંદીસૂત્રની ચૂણિને સમય શક સંવત ૨૯૮ એટલે વિક્રમ સંવત ૭૩૩ હોવાથી એથી પણ આગળ શ્રી હરિભદ્રસૂરિને સમય જાય છે. દાક્ષિણ્યચિન્ડની કુવલયમાળા શક સંવત ૬૯૯ ના ચિત્ર વદિ ૧૪ ને રોજ બની. એટલે એનો સમય ૮૩૫ વિક્રમ સંવત થયો. એની પ્રશસ્તિમાં એ સમરાઈશ્ચકડાની પ્રશંસા કરે છે. એ લખે છે કે – जो इच्छह भवविरहं भवविरहं को न बंधए सुयणो, समयसत्थसयगुरुणो समरमियंका कहा जस्स ॥ ભવવિરહ ' અથવા “વિરહ’ શબ્દ શ્રી હરિભદ્રસૂરિના સર્વ ગ્રંથની છેવટે આવે છે અને સમરાઈગ્ન કહા તો તેમની જ લખેલી છે એ સુપ્રસિદ્ધ હકીક્ત છે. આથી એક વાત નિણીત થાય છે કે શ્રી હરિભદ્રસૂરિના સમયે વિક્રમ સંવત ૮૩૫ થી આગળ તે ન જ જાય. અગાઉ કુમારિલ અને ધર્મ કીર્તિના ટાંચણથી બતાવ્યું છે કે શ્રી હરિભદ્રસૂરિને સમય ઈસ્વીસનની આઠમી શતાબ્દિ પહેલાં તો ન જ થઈ શકે. દાક્ષિણ્યચિન્હ ઉદ્યોતનસૂરિ અને હરિભદ્રસૂરિ ઘેડે વખત સાથે પણ રહ્યા હોય એટલે કે હરિભદ્રસૂરિને વૃદ્ધાવસ્થાને કાળ અને દાક્ષિણ્યચંદ્રને શરૂઆતને કાળ સાથે હોય તે તે વાતની સાથે શ્રી હરિભદ્રસૂરિને ગ્રંથસમૂહ વિચારતાં તેમને જીવનકાળ પણ લગભગ ૬૫ થી ૭૦ વર્ષનો ગણીએ તે સર્વ વાતને અરસ્પરસ મેળવતાં શ્રી હરિભદ્રસૂરિને સમય ઈ. સ. ૭૦૦ થી ૭૭૦ એટલે વિક્રમ સંવત ૭૫૬ થી ૮૨૬ આવે છે. આ સર્વ હકીકત ઉપલબ્ધ સાધનોથી અત્ર રજૂ કરી છે. બાકી તેમાં ફેરફાર કરવા માટે વિશિષ્ટ દલીટા કે સાપને મળે તે વાંધો નથી. Page #426 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ શ્રી હરિભદ્રસુરિ અને સિદ્ધર્ષિક આ વિભાગ લખવામાં અનેક સાધનને ઉપગ કર્યો છે અને એમાં શ્રી જિનવિજયના હરિભદ્રસૂરિ સંબંધી જન સાહિત્યસંશોધકના લેખને ખાસ ઉપયોગ કરવામાં આવ્યું છે તે આ સ્થળે જણાવવા ગ્ય છે. શ્રી સિદ્ધાર્ષનો સમય શ્રી સિદ્ધર્ષિનો સમય નિર્ણય કરવા માટે ઉપયોગી પ્રસ્તુત સાહિત્ય આપણે જોયું. હવે જરૂરી બાબતની સ્પષ્ટતા કરવા પ્રયત્ન કરીએ. શ્રી સિદ્ધર્ષિનો સમય વિક્રમ સંવત ૯૬ર જેઠ માસની શુદિ ૫ તમણ પ્રશસ્તિમાં જણાવી છે તે ઉપરથી વિક્રમની દશમી શતાબ્દિ બરાબર મળતા આવે છે. શ્રી હરિભદ્રસૂરિને સમય સંપ્રદાય પ્રમાણે વિક્રમ સંવત ૧૮૫ છે તે સ્વીકારવામાં અનેક વિધ આવે છે. તેઓશ્રીના પિતાના વાક્યપ્રયોગો અને ટાંચણો પરથી તેમને આઠમી વિક્રમની શતાબ્દિ પહેલાં તે મૂકી શકાય તેમ નથી જ. દાક્ષિણ્યચિહ્ન ઉદ્યોતનસૂરિ પિતાની કુવલયમાળામાં શ્રી હરિભદ્રસૂરિને પ્રમાણુ અને ન્યાય શીખવનાર કહે છે અને તેમનો સમય શક સંવત ૭૦૦ તેમના લખવા પ્રમાણે છે એટલે હરિભદ્રસૂરિને સમય ૭૦૦+૧૩=૮૩૫ વિક્રમ સંવત થાય એ સર્વ પરથી વિક્રમ નવમી શતાબ્દિની શરૂઆત અને આઠમી શતાબ્દિને અંતભાગ મુકરર થાય છે. એટલા ઉપરથી શ્રી હરિભદ્રસૂરિ અને સિદ્ધર્ષિ વચ્ચેનો આંતરે લગભગ સવાસો વર્ષનો થવા આવે છે. સો એક વર્ષ પહેલાં લલિતવિસ્તર વૃત્તિ લખાણું હોય અને તે જાણે પોતાને જ માટે હરિભદ્રસૂરિએ લખી હોય એમ શ્રી સિદ્ધર્ષિ ગણિ કહે છે તેમાં વધે લાગતો નથી. હરિભદ્રસૂરિના સમયનિર્ણય પર શ્રીયુત હીરાલાલ અમૃતલાલ શાહે જૈન સાહિત્ય સંશોધક (૧. ૧. પૃ. ૩૮) પર સમાચનાને લેખ લખ્યો છે. તેમણે એક બહુ સુંદર સમન્વય કર્યો છે. તેઓ સંપ્રદાયથી ચાલી આવતી સંવત ૧૮૫ ની તારિખ શ્રી હરિભસૂરિ Page #427 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધષિના સમય : ] ૩૮૫ પરત્વે સાચી છે એવું સુંદર સમન તે ઉલ્લેખમાં કરે છે તે ખાસ વિચારવા ચેાગ્ય છે. તેમની એક દલીલ મજાની છે. તેઓ કહે છે કે ૫૮૫ ની સાલને રદ તા નજ કરી શકાય. પણ સવાલ એ થાય છે કે એને કયા સંવત ગણવા? શ્રીયુત હીરાલાલના મતે ગુપ્ત સંવતની ગણુતરી કરવામાં ભૂલ થયેલી છે. શ્રી જિનવિજયે ૫૮૫ માં ૨૪૧ વર્ષ ભેળવી ગુપ્ત સ ંવત ૫૮૫ માટે શક સંવત ૮૨૬ કર્યો છે અને તેમ કરીને ૫૮૫ નું સાંપ્રદાયિક સંવત્સર નિર્મૂળ ગણાવ્યુ છે. પણ ગુપ્ત સંવત એમ ગણવા તે શ્રીયુત શાહના મતે ખેાટુ છે. તેઓના અભિપ્રાય પ્રમાણે ગુપ્ત સંવત વીરાત્ ૭૨૭ વર્ષે શરૂ થયેલ છે. એટલે કે વીરાત્ ૬૦૫ વર્ષ (ઈ. સ. ૭૮ ) શક વર્ષની શરૂઆત છે. તે પ્રમાણે ગુપ્ત સંવત વીરાત્ ૭૨૭ એટલે ઇ. સ. ૨૦૦ અને શકના ૧૨૨ વર્ષે શરૂ થાય છે. આ વાત બરાબર હેાય તે ૫૮૫ માં ૧૨૨ ઉમેરતાં શક સંવત ૭૦૭ થાય એટલે દાક્ષિણ્યચિહ્ન–ઉદ્યોતનસૂરિએ પેાતાની કુવલયમાળા શક ૭૦૦ પૂરા થયાં પહેલાં એક દિવસે લખી તેની સાથે ખરાખર મેળ બેસી જાય છે. તેઓ આ ગણતરી રિવંશ પુરાણને આધા૨ે ખતાવે છે. હિરવંશ પુરાણુની સાલાના સરવાળા કરતાં ગુપ્ત સંવત વીરાત્૭૨૭ વર્ષે આવે છે, એટલે કે એની શરૂઆત ઈ. સ. ૭૮ વર્ષથી થાય છે. શ્રીયુત શાહના મત પ્રમાણે શક ૨૪૧ માં જે વની શરૂઆત થાય છે તે ગુપ્ત સ ંવત્સર નથી, પણ વલ્લભી સંવત્સર છે ( આ સંબંધમાં જુએ શ્રી હી. અ. શાહના ગુપ્ત સ ંવત્સર પરના લેખ ) આ રીતે સર્વ પ્રકારના વિરોધ શમી જાય છે. એમાં ચાદમી શતાબ્દિના લેખકાના સંવત ૧૮૫ ૫ણ જીવતા રહે છે, માત્ર તેને ગુપ્ત સંવત ગણવાના છે. એમાં શ્રી સિદ્ધર્ષિની પ્રશસ્તિના પણ સમન્વય થાય છે અને કુવલયમાળાની પ્રશસ્તિને સ્થાન ખરાખર મળે છે. હવે આપણે દશમી શતાબ્દિમાં જનતાની સ્થિતિ વિગેરેની હકીકત બહારના ઇતિહાસથી અને ગ્રંથની અંદરના પુરાવાથી વિચારી જઇએ. ૪૯ Page #428 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ | [ શ્રી હરિભદ્રસુરિ અને સિદ્ધષિ : પૂરવણ[ અનુસંધાન પૃષ્ઠ ૩૮૪ ની પંક્તિ ચારથી ] દાક્ષિણ્યચિહ્ન (દાક્ષિણ્યચંદ્ર) અને સિદ્ધર્ષિ શ્રી સિદ્ધર્ષિના સમયનિર્ણયને અંગે છેવટે એક હકીકત સ્પષ્ટ કરવાની આવશ્યક્તા જણાય છે. ઉપર છઠ્ઠા વિભાગમાં પૃ. ૩૫૮ માં જણાવ્યું છે કે કુવલયમાળાના કર્તા શ્રી ઉદ્યોતનસૂરિ ( દાક્ષિણ્યચિન્હ) અને સિદ્ધર્ષિગણિ સમકાલીન હોય તે વાત તદ્દન અશક્ય છે અને તેનાં કારણો સદર વિભાગમાં વિગતવાર બતાવ્યાં છે. એને અંગે એક વિકલ્પ શ્રી પ્રભાવક ચરિત્રની પ્રસ્તાવનામાં પૃ. ૭૪ માં પૂ. શ્રી કલ્યાણવિજયજીએ રજૂ કર્યો છે. તેઓને પણ કુવલયમાલાના કથાકાર અને ઉપમિતિભવપ્રપંચા કથાકારને સમકાલીન ગુરુભાઈ માનવામાં માટે વિરોધ જ લાગે છે, પણ પછી તેઓશ્રી એક કલ્પના રજૂ કરે છે કે કદાચ “દાક્ષિણચિહ્નથી દાક્ષિણ્યચંદ્ર નામના ભિન્ન કવિ સિદ્ધર્ષિના ગુરુભ્રાતા માનવામાં આવે અને તેમણે બીજી કુવલયમાળા કથા બનાવી હશે એમ માનવામાં આવે તે પૂર્વોક્ત વિરોધને પરિહાર થઈ શકે.” પણ આ વિકલ્પને સ્થાન જ નથી. એવી કુવલયમાળા હસ્તિ ધિરાવતી નથી અને તેઓ પોતે જ કહે છે તેમ “પણ આ નવી કપનાને સત્ય ઠરાવનાર પ્રમાણ નથી એટલે એ કલ્પના પણ કેવળ કલ્પના જ રહે છે. આ કલ્પના કરવાને માટે વાસ્તવિક રીતે કઈ પણું કારણ હસ્તિ ધરાવતું નથી. ધ્યાનમાં રાખવા લાયક હકીકત એ છે કે જ્યાં દાક્ષિણ્યચંદ્રનું નામ પ્રભાવરિત્રમાં આપવામાં આવ્યું છે ત્યાં તેમણે “શૃંગારપૂર્ણ કુવલયમાળા કથા રચી.” એમ પણ સાથે જ કહેવામાં આવ્યું છે. (ભાષાંતર પૃ. ૧૯૩) એટલે કુવલયમાળા નામની કથા તદ્દન અલગ દાક્ષિણ્યચદ્દેિ બનાવી હોય અને તે હાલ અલભ્ય હોય એમ કલપના દેડાવવી એ તે લગભગ કલ્પનાને નકામે મોટે ઝેક આપે જ કહેવાય. એની સાથે દાક્ષિશ્યચિહની કુવલયમાળા કથા મેજુદ છે, તે શૃંગારપૂર્ણ છે અને તેના કર્તાએ કૃતિકાળ વિગતવાર બનાવ્યું છે, એટલે એ સર્વ રીતે Page #429 -------------------------------------------------------------------------- ________________ સમયનિર્ણયઃ ] ૩૮૭ વિચાર કરતાં મેં ઉપર પૃ. ૩૫૮ માં જે અનુમાને દાક્ષિણ્યચિહને અંગે તારવ્યાં છે તેમાં સુધારા વધારા કે ફેરફાર કરવાને કે કારણું સાંપડતું નથી. ઉપદેશમાળા ટીકા આચાર્ય સિદ્ધર્ષિએ ઉપદેશમાળા ટીકા બનાવી છે. અસલ ઉપદેશમાળા ગ્રંથ ધર્મદાસ ગણિએ રચેલો છે. તેની પ૩૮ ગાથા પ્રાકૃતમાં છે. તેના પર સંસ્કૃત ટીકા રચી છે. તેમાં સંસ્કૃત ભાષામાં વ્યાખ્યા આપી છે અને કથાઓ સંક્ષેપમાં આપી છે. આ ગ્રંથ ઈ.સ. ૧૯૧૪ પંડિત હીરાલાલ હંસરાજે ભાસ્કરેાદય પ્રેસમાં છપાવ્યો છે. શરૂઆતમાં ટીકાકાર લખે છે કે – हेयोपादेयार्थोपदेशाभिः प्रबोधितजनाब्ज, जिनवरदिनकरमवदलितकुमततिमिरं नमस्कृत्य ॥ गीर्देवताप्रसादितधाष्टान्मन्दतरजनप्रबोधाय, जडबुद्धिरपि विधास्ये विवरणमुपदेशमालायाः ॥ આવી રીતે ઉપદેશમાળાની હેયોપાદેયા ટીકા ભગવાનને નમસ્કાર કરીને અને પિતાથી ઓછી બુદ્ધિવાળા લોકોના પ્રધાને માટે વિવરણ રૂપે કરવાનું શરૂ કર્યું છે. ટીકાને છેડે કેટલીક સૂચક હકીકતો લખી છે. “આ સૂત્રેમાં પાઠાંતરે ઘણું છે. તેમાંથી જેને સારે અર્થ નીકળે એમ અમને લાગ્યું તે પાઠ પર અમે વિવરણ કર્યું છે, બાકીના પાઠે પર વિવરણ કર્યું નથી. કોઈ વખત અમારી પાસે પ્રાપ્ત થયેલ પ્રતિમાં પ્રસ્તુત અર્થને બંધબેસતો ન આવે તેવો પાઠ જોઈને અમે આપે છે તે પાઠ કઈ જગ્યા પર હશે એમ અમે ત્યાં જણાવી દીધું છે.” ત્યારપછી નીચેની ગાથા આપી છે. विषं विनिर्धूय कुवासनामयं व्यरीरचद्यः कृपया मदाशये । अचिन्त्यवीर्येण सुवासनासुधां नतोऽस्मि तस्मै जिनधर्मसूरये ॥ Page #430 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી હરિભદ્રસૂરિ અને સિહર્ષિ : આ શ્લાક ઉપમિતિ ગ્રંથની પ્રશસ્તિમાં પણ આવે છે. તેના પર વિવેચન ઉપર પૃ. ૨૯૦ થી આગળ થઈ ગયુ` છે. એમાં પાઠાંતરા નાંધવા લાયક છે. અત્ર રીવત્ છે, ઉપમિતિમાં ચીનર૬ પાઠ છે. અહીં ક્લિનધર્મસૂત્ત્વ પાઠ છે, ઉપમિતિમાં મિ પાઠ છે. આ પાઠાંતરાથી ઉપર જે પરિણામે આપ્યાં છે કે શ્રી હરિભદ્રસૂરિ અને શ્રો સિદ્ધર્ષિં સમકાલીન હતા નહિ એ વાતને ટકા મળે છે. ‘જિનધસૂરિ ’ તે। સામાન્ય નામ છે. ૩૮૮ ઉપદેશમાળાની ટીકાની પછવાડે આ શ્લાક આગળપાછળના સંબંધ વગર આવે છે તેથી તેને હેતુ ખરાખર સમજાતા નથી. ગ્રંથને છેડે લખે છે કે રૂત્યાચાર્ય શ્રીલિપિંગળીતા ઉદ્દેશમાાષા ચોપાવામ્યા હષુવૃત્તિઃ સમાતા । અહીં સિદ્ધિને આચાર્ય જણાવ્યા છે. આચાર્ય પદ્મની તેઓને કયારે પ્રાપ્તિ થઇ તે જણાતું નથી. ઉપમિતિ ગ્રંથ સુધી તેા તેઓ ગણિપદધારક હતા અને પ્રભાવકચરિત્રકારના કહેવા પ્રમાણે કુવલયમાળાના કર્તા દાક્ષિણ્યચંદ્રે ટાણા માર્યા ત્યારે ઉપદેશમાળા વૃત્તિ તા અની ગઈ હતી. આ વાત અધબેસતી થતી નથી. ઉપદેશમાળા વૃત્તિ પ્રથમ બનવાની વાત તે! સહેજે ઊડી જાય છે, કારણ કે ઉપદેશમાળા બનાવતી વખતે સિદ્ધર્ષિ આચાર્ય હાય તે। ત્યારપછીની કૃતિમાં ગણિ તરીકે લખાય નહીં. આ કૃતિ આખી જોઇ જતાં ઉપમિતિના કર્તા આ વૃત્તિ કરનાર ન હેાય એમ ધારવાનું કાંઇ કારણ મળતું નથી, અન્ને એક જ હશે એમ વિષે વિનિયૂંચવાળા Àાથી લાગે છે. કૃતિ વાંચવા ચેાગ્ય છે. બાકી શ્રી સિદ્ધર્ષિના સમયનિર્ણયને અંગે સદર કૃતિથી કાંઇ વિશેષ પ્રકાશ પડતા નથી. ઉદ્યોતનસૂરિ કે દાક્ષિણ્યચંદ્ર (ચિહ્ન) સંબંધીની હકીકતને કાંઈ ટેકા મળતા નથી, પણ એમણે ટાણા માર્યા છે કે તારા ગ્રંથમાં તા માત્ર પૂર્વ લેખકાના ગ્રંથનું ભરતીયું છે એ વાત પણ સિદ્ધર્ષિમહારાજની ટીકા વાંચતાં ઉચિત લાગતી નથી. પ્રેરણાત્મક વાકય તરીકે તેના ઉપયોગ સમજી શકાય છે, પણ તેમાં સંપૂર્ણ તથ્યાંશ દેખાતા નથી. Page #431 -------------------------------------------------------------------------- ________________ VIII દશમી શતાબ્દિ આ ઉપમિતિ ગ્રંથના લેખક વ્યાખ્યાતા શ્રી સિદ્ધર્ષિને સમય વિક્રમ સંવત ૯૬ર એટલે ઈસ્વીસન ૯૦૬ હોવાથી વિક્રમની દશમી શતાબ્દિ તમને માટે મુકરર છે. તે વખતે જનસમાજની રાજકીય, સાહિત્યિક, સાંસારિક આદિ સ્થિતિ કેવા પ્રકારની હતી એને ખ્યાલ કરવાથી એ ગ્રંથ સમજવામાં ઘણી સગવડ થાય તેમ છે, કારણ કે પ્રવર્તમાન દેશકાળની છાયા ગ્રંથકર્તા પર પડ્યા વગર રહેતી નથી. તેથી આપણે દશમા સૈકાની પરિસ્થિતિ ઉપર નજર નાખી જઈએ. ભિન્નમાળ ગુજરાતમાં ચૈત્યવાસનું જોર અને તેનું સ્વરૂપ| દશમ સંકે અંધકારયુગના ઉત્તર બાજુના છેડા પર છે. ચૈત્યવાસને છેડો પણ ત્યારપછી આવ્યું. રાજ્યની દષ્ટિએ જોઈએ તે વલ્લભીને સૂર્ય તપીને અસ્ત થઈ ગયે હતો. તે સમયે ગુજરાતની સરહદ ભિન્નમાળ નગર સુધી હતી. ગુજરાતની ઉત્તરે એ અગાઉ ગુજરાતની રાજધાની હતી. એનું ક્વચિત્ ભિલ્લમાલ એવું નામ પણ આવે છે. એ લગભગ ગુજરાત અને મારવાડની સરહદ પર આવેલું હતું. આ ગ્રંથના કર્તા શ્રી સિદ્ધર્ષિ ગણિએ ઉપમતિભવપ્રપંચા કથા બનાવીને પ્રથમ એ જ નગરના અગ્રમંડપમાં કહી સંભળાવી એમ સદર ગ્રંથની પ્રશસ્તિના વશમા શ્લેક પરથી જણાય છે. ભિન્નમાલ નગરને સર્વ ગુણેને આધાર કહેવામાં આવ્યું છે તેથી તે વખતે તેની જાહેરજલાલી સારી હશે એમ સહજ અનુમાન થાય છે. અગ્રમંડપ' શબ્દથી દેરાસરને મંડપ સમજો કે સભામંડપ સમજ તેને નિર્ણય કરે મુશ્કેલ છે. શ્રી સિદ્ધર્ષિને સમય ચૈત્યવાસનો હતો. એ ચૈત્યવાસને સમૂળ નાશ અગિયારમી શતાબ્દિમાં થયા છે તેથી ચેત્યના અગમંડપમાં પણ આ કથા વંચાણું Page #432 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ [ દશમી શતાબ્દિ હાય એ મનવાજોગ છે. ચૈત્યવાસનું જોર વનરાજ ચાવડાના સમયમાં નવમી શતાબ્દિની શરૂઆતમાં એટલું અધુ હતું કે અણહિલપુર પાટણમાં ચૈત્યવાસી સિવાય અન્ય સાધુને પેસવાનેા હુકમ નહાતા. ચૈત્યવાસનુ જોર પ્રભાવકચરિત્રમાંના ૧૯ મા અભયદેવસૂરિના ચરિત્ર પરથી જણાય છે. ત્યાં કહે છે કે“ હે રાજેંદ્ર ! સાંભળેા. પૂર્વ ધનુષ્ય સમાન ઉત્કટ ( ચાપોત્કટ ) ક્ષત્રીય વશમાં વનરાજ નામે રાજા થયા. તેને ખાલ્યાવસ્થામાં નાગે ગચ્છરૂપ પૃથ્વીને ધારણ કરવામાં વરાહ સમાન એવા શ્રી દેવચંદ્રસૂરિએ ઉછેરીને માટે કર્યો. વળી પચાશ્રય ( પ ́ચાસર ) નામના સ્થાનમાં રહેલ ચૈત્યમાં વસતાં તેમણે અહીં નવું નગર વસાવીને તેને રાજ્ય આપ્યું, તેમજ વનરાજવિહાર નામે ત્યાં ચૈત્ય સ્થાપન કર્યું. વનરાજે કૃતજ્ઞપણાથી ગુરુને ભારે આદરસત્કાર કર્યાં. તે વખતે શ્રી સ ંઘે રાજા સમક્ષ એવી વ્યવસ્થા કરી કે- સંપ્રદાયને ભેદ કાઢી નાખવાથી લઘુતા થવા પામી છે, માટે ચૈત્યગુચ્છવાસી યતિઓને સંમત હેાય તે મુનિ અહીં રહી શકે; પણ તેમને સંમત ન હેાય તેવા મુનિએ આ નગરમાં આવીને રહી ન શકે. હે રાજન! પૂર્વજ રાજાઓની વ્યવસ્થા પાશ્ચિમાત્ય રાજાઓએ માન્ય રાખવી જોઈએ ’( ભાષાંતર પૃષ્ઠ ૨૫૭–૮.) ત્યારપછી એ ઠરાવ રાજાદુ ભરાજે કેવી રીતે ફેરબ્યા તેની હકીકત ઉક્ત ગ્રંથમાં રજૂ થયેલી છે. આ દુલ ભરાજના—અભયદેવસૂરિના સમય સ. ૧૦૮૦ છે, એટલે શ્રી સિદ્ધર્ષિના સમયમાં ચૈત્યવાસ પૂરજોસમાં પ્રવર્તતા હશે એમ જણાય છે. મુનિશ્રી કલ્યાણુવિજયજી સદર ગ્રંથની પ્રસ્તાવનાના પૃ. ૭પ માં પેાતાના અભિપ્રાય જણાવે છે તે ખાસ પ્રસ્તુત હેાવાથી અત્ર આખા ઉતારી લેવામાં આવે છે. તેઓશ્રી જણાવે છે કેઃ— “ સિદ્ધર્ષિના સમય ચૈત્યવાસીઓના સામ્રાજ્યના સમય હતા, છતાં સિદ્ધર્ષિ અને એમના ગુરુભાઇએ વિગેરે ત્યાગવૈરાગ્યવાન્ હતા. જો કે સિદ્ધર્ષિએ પેાતે ઉપમિતિભવપ્રપ`ચાકથાનું વ્યાખ્યાન મંદિરના અગ્રમ ડપમાં બેસીને કર્યું" હતુ છતાં તે સુવિહિત સાધુ હતા, ચૈત્યમાં ધર્મોપદેશ કરનારને ચૈત્યવાસી માની લેવાની ભૂલ કાઇ ન કરે. જિનમંદિરમાં બેસીને ધર્મોપદેશ કરવા, એ પ્રત્યેક Page #433 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવાસ : ] ૩૯૧ સાધુના શાસ્ત્રવિહિત અધિકાર છે. નૂતન ગચ્છસૃષ્ટિ પહેલાં ચૈત્યવાસી કે સુવિહિત સાધુ દરેક જિનચૈત્યના અગ્રમ ડપમાં બેસીને ધર્મકથા કરતા હતા, પણ નૂતન ગચ્છપ્રવકાએ અનેક પ્રવૃત્તિઆની જેમ આ પ્રવૃત્તિને પણ ચૈત્યવાસીઓની પ્રવૃત્તિ માનીને એને નિષેધ કરવા માંડ્યો. ત્યારપછી ધીરે ધીરે આ પ્રવૃત્તિ બંધ પડી ગઇ. ’ આ ટાંચણુ પરથી શ્રી સિદ્ધર્ષિના સમયમાં ચૈત્યવાસનું કેટલુ જોર હશે તેના ખ્યાલ આવે છે. શ્રી સિદ્ધષિ મહારાજ ચૈત્યવાસમાં માનતા હતા કે નહિ તેના નિણ ય કરવાનુ એક પણુ સાધન પ્રાપ્ત થતુ નથી. પૂજય શ્રીકલ્યાણુવિજયજીના ઉપરોક્ત કથનના સાર માત્ર એટલા જ છે કે શ્રી ઉપમિતિભવપ્રપંચા કથા શ્રી સિદ્ધર્ષિં ગણિએ દેરાસરના અગ્રમ ડપમાં વાંચી હેાય છતાં પણ તેઓ ચૈત્યવાસી ન હેાય તે બનવાજોગ છે. એ દલીલ એધારી છે. ગમે તેમ હાય પણ શ્રી સિદ્ધર્ષિ મહારાજના ત્યાગ સંબંધી વિચારા તેમના ગ્રંથદ્વારા વાંચતાંવિચારતાં તેએ આત્મલક્ષી હતા એમ તેા જરૂર જણાઈ આવે છે. તેમના ગ્રંથમાં ચૈત્યવાસ સંબંધી કાંઇ ઉલ્લેખ ન હેાવાને કારણે તેમના સ ંબંધમાં એક કે બીજી માજી કાઇ પણ નિણું ચ અતાવી શકાય તેમ નથી. ચૈત્યવાસનુ સ્વરૂપ જાણવા જેવુ છે. મૂળમાર્ગમાં મંદતા આવતાં શિથિલ સાધુઓએ ચૈત્યવાસ શરૂ કર્યો. એની વિગતમાં અનેક પ્રકારની ચરણકરણની મંદતા દેખાઇ આવે છે. ગાથાસહસ્રી પ્રમાણે એની શરૂઆતના સમય વીરાત્ ૧૨૫૦ (વિ. સ. ૭૮૦) આવ છે. આ સંબંધમાં મતભેદ ઘણા છે, પણ એકદર આધારા વિચારતાં વિક્રમની આઠમી, નવમી અને દશમી શતાબ્દિ ચૈત્યવાસના સમય ગણાય. અગિયારમી વિક્રમ શતાબ્દિના આખરનાં ભાગમાં તે વખતના આચાયોએ જોર કરી ચૈત્યવાસ દૂર કરાવ્યેા. એ ચૈત્યવાસી શિથિલ સાધુએ પેાતાના મઠ કરીને રહેતા હતા, દેરાસરમાં રહેતા હતા, પ્રતિમા વેચતા હતા, વૈદકના ધંધા કરતા હતા, જોષ જોઇ આપતા હતા, ધન રાખતા હતા અને વૈષ્ટિક આહાર લેતા હતા. એ વાહન રાખે, શરીરે તેલ ચાળાવે, સ્ત્રીઓ સાથે વાતેા કરે, ગૃહસ્થનુ બહુમાન કરે અને ચરણુકરણમાં અનેક પ્રકારની મંદતા કરે. Page #434 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ [ દશમી શતાબ્દિક એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આ ચૈત્યવાસના સમયમાં પણ અનેક શુદ્ધ ત્યાગી થયા છે અને તેમની સામે ટીકા થતી તે પણ તેઓ મૂળ માર્ગને ચૂક્યા નથી. ખુદ શ્રી હરિભદ્રસૂરિ ચૈત્યવાસના સમયમાં થયા છે, છતાં સર્વ પ્રકારના શિથિલાચાર વિરુદ્ધ એમણે પોતાનાં અનેક પુસ્તકમાં વિસ્તારથી લખ્યું છે. જૈન ઈતિહાસમાં આવી રીતે બસો ત્રણસો વર્ષ ઉદ્યોતનાં આવે અને બસો ત્રણ વર્ષ મંદતાનાં આવે એમ બનતું જ આવ્યું છે. નવમી અને દશમી શતાબ્દિ એ રીતે જોતાં મંદતાને સમય ગણાય. દશમી શતાબ્દિનું રાજકીય વાતાવરણ– દેશનું રાજકીય વાતાવરણ ઘણું અવ્યવસ્થિત હતું. વનરાજ ચાવડાએ વિ. સં. ૮૦૨ માં અણહિલ્લપુર પાટણ વસાવ્યું. વલ્લભીપુરને તે સમય પહેલાં સંપૂર્ણ નાશ થઈ ગયે, ગુજરાતની રાજધાની પાટણ બની. શીલગુણસૂરિના પ્રતાપે વનરાજની આણું સમસ્ત ગુજરાત પર પ્રસરવા લાગી. એ શીલગુણસૂરિના શિષ્ય દેવચંદ્રસૂરિએ વનરાજની પરિપાલના કરી. ગુજરાતના રાજ્ય પર જેનેનું જોર શરૂઆતથી જ રહ્યું. એને માટે મેરતુંગાચાર્ય ખૂબ ગૈારવ લઈને પોતાના પ્રબંધચિંતામણિ ગ્રંથમાં લખે છે કે – गौर्जरात्रमिदं राज्यं वनराजात्प्रभृत्यभूत् । स्थापितं जैनमंत्र्यौघैस्तद्वैषी नैव नन्दति ॥ એને આશય એ છે કે ગુજરાતનું રાજ્ય વનરાજથી માંડીને જેન મંત્રીઓએ સ્થાપિત કરેલું છે અને એને દ્વેષ કરનાર ટકી શકતો નથી. જૈન મંત્રીઓમાં સાંતન, વિમળ, મુંજાલ, ઉદયન, વસ્તુપાળ વગેરે મહાપ્રતાપી થઈ ગયા છે અને એક રીતે વિચારતાં ગુજરાતને નવમી, દશમી અને અગિયારમી શતાબ્દિનો ઈતિહાસ એટલે જૈન ઇતિહાસ જ છે. આપણે આ સમયની રાજકીય પરિસ્થિતિ સંક્ષેપમાં જઈ જઈએ. વલ્લભીપુરનો નાશ થયે, ગુજરાતમાં પંચાસર નામે ગામ કચ્છના રણ પાસે છે ત્યાં જયશિખરી નામે રાજા રાજ્ય કરતો Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૯૩ રાજકીય વાતાવરણ : ] હતા. કાન્યકુબ્જ દેશના કલ્યાણુકટક નગરના ભૂવડ ( ભૂદેવ અથવા ભૂયડ) નામના રાજાએ એના ઉપર ચડાઇ કરી. જયશિખરી ખૂબ મહાદ્દીથી લડ્યો પણ ભૂવડની જબરજસ્ત સેના પાસે તેણે પેાતાનું લશ્કર સંખ્યામાં નાનુ જોયુ એટલે પેાતાની ગર્ભવતી રાણી રૂપસુંદરીને તે રાણીના ભાઈ સૂરપાળ સાથે જ ગલમાં મેાકલી આપી. રાણીએ ત્યાં પુત્રને જન્મ આપ્યા. એ પુત્રનું નામ વનરાજ પાડયું. એ વનરાજને ઉછેરવામાં શીલગુણસૂરિ નામના જૈન સાધુએ ખૂબ મદદ કરી. વનરાજે ખૂબ પરાક્રમ કરી પિતાનું રાજ્ય પાછું મેળવ્યું અને અણુહિલ્લપુરપાટણ વિ. સંવત્ ૮૦૨ માં વસાવ્યું. એણે ૫૮ વર્ષ રાજ્ય કર્યું. ત્યારપછીના ગુજરાતના ઇતિહાસ એ ચાવડા વંશના ઇતિહાસ છે. એમાં સાત રાજાઓ થયા છે. વનરાજ ( સ. ૮૦૨-૮૬૨ ) યાગરાજ ( સ. ૮૬૨-૮૯૭ ) ક્ષેમરાજ ( સ. ૮૯૭–૯૨૨ ) ભુવડ ( સ. ૯૨૨૯૫૧ ) વૈરીસિંહ ( સં. ૯૫૧–૯૭૬) રત્નાદિત્ય ( સં. ૯૭૬–૯૯૧) સામતસિંહ ( ૯૯૧–૯૯૮ ) ચાવડાના વંશના અંત સાથે વિક્રમની દશમી સદીના અંત આવે છે એટલે ચાવડા વંશના ઇતિહાસ આ બન્ને સદીઓના ઇતિહાસમાં અગત્યના ભાગ ભજવે છે. વનરાજે અનેક પરાક્રમા કરેલાં નાંધાયલાં છે. ચાવડા વંશના આખા ઇતિહાસ ઘણી અવ્યવસ્થિત દશામાં છે, છતાં એ આખા સમયમાં જૈનોની જાહેાજલાલી સારી હતી એમ ચાક્કસ જણાય છે. આ વંશના ઇતિહાસ માટે નીચેનાં પુસ્તક લભ્ય થાય છે: શ્રી હેમચંદ્રાચાય કૃત દ્વાશ્રય મહાકાવ્ય. શ્રી મેરુતુ ગકૃત પ્રબંધચિંતામણિ. શ્રી મેરુતુંગકૃત વિચારશ્રેણી. કૃષ્ણાકૃત રત્નમાળા. ૫૦ Page #436 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ [ દશમી શતાબ્દિ શ્રી જિનપ્રભસૂરિકૃત વિવિધતીર્થકલ્પ. શ્રી જિનમંડનકૃત કુમારપાળ પ્રબંધ. કૃષ્ણષિકૃત શ્રી કુમારપાળ ચરિત. સેમેશ્વરકૃત કીર્તિકેમુદી. અરિસિંહકૃત સુકૃતસંકીર્તન. શ્રી રાજશેખરકૃત ચતુર્વિશતિ પ્રબંધ. ચંદકવિકૃત પૃથ્વીરાજ રાસા. એ ઈતિહાસનો કેટલોક ભાગ સદર સાધનમાંથી નીચેના પ્રસિદ્ધ થયેલા ગ્રંથમાં રજૂ કરવામાં આવેલો માલૂમ પડે છે. ફાર્બસકૃત રાસમાળા. સદરનું ગુજરાતી અવતરણ (રે. રા. રણછોડભાઈ ઉદયરામ) ગુજરાતના પ્રાચીન ઈતિહાસ (ગુ. વ. સ. ૨. રા. વિદભાઈ હાથીભાઈ) જૈનોને પ્રાચીન ઈતિહાસ (રા. રા. મોહનલાલ દ. દેશાઈ). ગવર્મેન્ટ ગેઝેટીયર ભાગ ૧ લે. એ સર્વ સાધને પરથી જણાય છે કે વનરાજ પર જૈન ધર્મની અસર સારી થયેલી હતી. વનરાજ સંબંધી અનેક દંતકથાઓ છે તે અત્ર રજૂ કરતાં વિસ્તાર વધી જાય. આપણું ઉદ્દેશને અંગે તે વખતની જીવનની અસ્થિરતા અને રાજકાર્યમાં ધમાધમ ઘણું હતી એ વાત ચોક્કસ માલુમ પડે છે. પંચાસરના દેરાસરમાં વનરાજ પૂજા કરતો હતો તે મૂર્તિ તેણે પાટણ મંગાવી, તેની પ્રતિષ્ઠા મુખ્ય દેરાસરમાં કરી. એ દેરાસર અત્યારે પણ “પંચાસરા પાર્શ્વનાથ ના દેરાસરના નામથી પ્રસિદ્ધ છે. વનરાજની મૂર્તિ એ પચાસરા પાર્શ્વનાથના દેરાસરની ભમતીમાં પહેલી દેરીમાં જ છે. એ મૂર્તિનું ચિત્ર રાસમાળામાં આપ્યું છે. તે રાજાએ દાઢી રાખી છે, કાનમાં કુંડળ, હાથે કડાં, પશે તોડા (સાંકળાં) અને કેટમાં કઠો પહેરેલો છે, ટૂંકું ધોતિયું પહેરેલ છે, કેડે કમરબંધ બાંધ્યું Page #437 -------------------------------------------------------------------------- ________________ રાજકીય વાતાવરણ : ] ૩૯૫ છે અને ખભે ઉપરણા નાખ્યા છે. રાજાની પાસે એક મનુષ્ય છત્ર ધરીને ઊભા છે અને બીજા પાંચ હજુરીયા ઊભા રહેલા છે. અત્ર જે વર્ણન કર્યું છે તેને મળતુ જ રાષ્ટ્રકૂટ રાજાઓનું વર્ણન આરબ મુસાફાએ કરેલું છે. સામનાથથી પચીસ માઈલ દૂર માળીઆમાં સાલંકી રાજાની મૂર્તિ મેાજુદ છે તે પણ આવા જ આકારની છે. ( જી. પ્રા. ઇતિહાસ પૃષ્ઠ ૧૫૬) ચાવડા વંશના રાજાઓના સમય અને રાજ્યકાળ પરત્વે ફેરફાર જુદાજુદા આધાર પ્રમાણે થાય છે. એક સરખી હકીકત મળતી નથી, પણ નવમી દશમી વિક્રમ શતાબ્દિમાં ગુજરાતમાં ચાવડાનું રાજ્ય હતુ એ સંબધમાં જરા પણ મતભેદ નથી અને દશમી શતાબ્દિની આખરે સાલકીના રાજ્યઅમલ ગુજરાત પર થયા એ વાત પણ એકમત ચાસ થાય છે. ચાલુક્ય અથવા સાલ કી શના ઇતિહાસ વધારે વિગતાથી ભરપૂર મળી આવે છે. એ સમય પર સારી સંખ્યામાં ગ્ર ંથા લખાયલા છે. એટલી વિગત ચાવડા વંશના ગુજરાતના ઇતિહાસને અંગે ઉપલબ્ધ થતી નથી, એ ખેદના વિષય છે. આ વિગત પ્રમાણે ઉપમિતિભવપ્રપંચાગ્રંથ સંવત ૯૬૨ માં અન્યેા ત વખતે ગુજરાતનું રાજ્ય ચામુંડરાજના હાથમાં હતું એમ શ્રી મેરુતુ ંગાચાર્ય ની વિચારશ્રેણિ પરથી જણાય છે. પ્રબંધચિતામણિમાં ચામુ ડને બદલે ભૂયડ એવું નામ આપ્યું છે અને એ ભૂયડે ૨૭ વર્ષ રાજ્ય કર્યું છે. અનુમાન એમ કરવામાં આવે છે કે ચામુંડરાજનું બીજું નામ ભૂયડ હશે. વિચારશ્રેણિ પ્રમાણે ભૂયડનું રાજ્ય સંવત ૯૬૨ ( ઇ. સ. ૯૦૬) માં પૂરું થયુ જણાય છે. પ્રબંધચિંતામણિમાં ભૂયડનું રાજ્ય ૨૯ વર્ષ લખ્યું છે. અને વિચારશ્રેણિમાં ચામુંડનુ રાજ્ય ૨૭ વર્ષ લખ્યુ છે તેથી આ બે વર્ષના તફાવત જતા કરીએ તેા ચામુંડરાજનું બીજું નામ ભૂયડે હતું એમ ધારવાથી સર્વ મામતને લગભગ સમન્વય થઇ જાય છે. આ હિસાબે વિચારતાં શ્રી ઉપમિતિ ગ્રંથની પૂર્ણાતિ વખતે ( સ. ૯૬૨ ) ગુજરાતમાં ચાવડાવંશના રાજા ચામુડરાજ ઊર્ફે ભૂયડનું રાજ્ય હતું એમ ધારી શકાય Page #438 -------------------------------------------------------------------------- ________________ [ દશમી શતાબ્દિ ? દશમી શતાબ્દિની આખરે ચાવડા વંશને અંત આવ્યો અને સેલંકી વંશ ગુજરાતની ગાદી પર આવ્યા એટલે ચાવડા વંશને ઉત્તરાધ ભાગ એ આ ગ્રંથને સમય ગણાય. પ્રાચીન ઈતિહાસ પરથી જણાય છે કે ચાવડા વંશના હાથમાં ભિલ્લમાલ પણ હતું. ગુજરાતની ઉત્તર સીમા જોધપુર રાજ્ય સુધી હતી અને દક્ષિણે લાટ દેશને સમાવેશ ગુજરાતમાં થતો હતો. (રાજપૂતાનેકા ઇતિહાસ પ્રથમ ભાગ. પૃ. ૧૩ર.) આ પ્રમાણે ગુજરાત અને રજપૂતાનાના મોટા ભાગની સ્થિતિ હતી. એકંદરે આ સમયના ઈતિહાસનાં ચેડાં સાધને જ પ્રાપ્ત થાય છે. નવમી અને દશમી સદીના ઇતિહાસનાં સાધને હજુ એટલાં અલ્પ છે કે એના સંબંધમાં વિસ્તારથી લખવાનું બની શકે તેવું નથી. ટેડના “રાજસ્થાનમાંથી અને શ્રીયુત શૈારીશંકર ઓઝાના રાજપુતાનેકા ઈતિહાસમાંથી છૂટીછવાઈ હકીકતે મળી આવે છે તે ભાગ્યે જ શૃંખલાબદ્ધ ઈતિહાસ લખવા માટે પૂરતી ગણાય. સાંસારિક સ્થિતિ– દશમી શતાબ્દિમાં જનતાની સાંસારિક સ્થિતિ સમજવા માટે કેટલીક હકીકતો પ્રાપ્ત થાય છે. રાજપૂતની શૂરકથા એમાં સુખ્ય ભાગ ભજવે છે. એક હકીકત એ પણ જણાય છે કે રાજ્ય નાનાં મોટાં ઘણી સંખ્યામાં હશે. તે વખતે પ્રતાપી ગેહલ વંશની શરૂઆત થઈ ચૂકી હતી, પણ એને ભવ્ય ઈતિહાસ હવે પછી રચાવાને હતા. તે ઉપરાંત પરમાર, રાઠોડ વિગેરે વંશો પણ પ્રચલિત થઈ ગયા હતા. ભિન્નમાલમાં ગુર્જરનું રાજ્ય હતું. સ્ત્રીઓ ઘણું શૂરવીર હતી. પડદાને રિવાજ સામાન્ય પ્રકારને હતે અથવા લગભગ નહોતે એમ કહી શકાય તેમ છે. રાજસ્ત્રીઓ પોતાના પતિ સાથે જાહેરમાં જતી આવતી હતી એમ જણાય છે. એ વીરમાતા કે વિરપત્ની કહેવરાવવામાં ગૌરવ માનતી હતી. ધર્મોત્સવમાં સ્ત્રીઓ જાહેરમાં ભાગ લેતી હતી. શિકાર કરવા પતિ સાથે જતી હતી. પડદાને રિવાજ મુસલમાની સમયમાં વધારે પ્રચલિત થયા હોય એમ જણાય છે. Page #439 -------------------------------------------------------------------------- ________________ રાજ્ય વ્યવસ્થા : ] ૩૭ રજપૂતેમાં સ્વદેશભક્તિ અને સ્વામીભક્તિને ગુણ સારી રીતે કેળવાયેલો હોય, એમ જણાય છે. રાજાએ પોતાના સામંતવર્ગ ઉપર કુટુંબીઓ જેટલું વાત્સલ્ય રાખતા હતા. કેમાં મદ્યપાન કરવાનો રિવાજ આ સમયમાં જણાય છે. રજપૂતેના આખા ઈતિહાસમાં જેમ તેમનાં શર્ય તરફ પ્રેમ થાય તેવું છે. તેમજ તેમના અનેક પત્ની કરવાના રિવાજ તરફ ખેદ થાય તેવું છે. રાજપૂતોની પડતીના કારણેમાં બહુપત્ની અને મદ્યપાન મુખ્ય છે. બાકી તેમના પ્રેમમાં અંગત તત્વ ઘણું હતું. ચિતડવાળા ચિતડ ઉપર જ દષ્ટિબિન્દુ રાખે અને જોધપુરને મારવામાં આનંદ માને. તે વખતને સ્વદેશપ્રેમ તે અત્યારની નજરે પ્રાંતિક પ્રેમ હતે, એમ ઈતિહાસ વાંચતાં લાગ્યા વગર રહે તેમ નથી. રાજ્યવ્યવસ્થા શ્રી ગૈારીશંકર ઓઝા “રાજપૂતાનેકા ઈતિહાસ” ભાગ ૧ પૃષ્ઠ ૬૭-૬૮ માં વિવેચન કરતાં નીચેની મતલબની હકીકત જણાવે છે – “મહાભારતના સમયમાં રાજધાનીના અને અન્ય મેટાં નગરની આસપાસ માટે ગઢ બનાવવામાં આવતા હતા, તેની દિવાલે ચારે બાજુએ ઊંચી રાખવામાં આવતી હતી અને તેની પછવાડે જળથી ભરપૂર ઊંડી ખાઈઓ ખાદી રાખવામાં આવતી હતી. રાજાઓનાં અંત:પુરને પુરુષાનાં નિવાસસ્થાનથી અલગ રાખવામાં આવતાં હતાં. એ અંતઃપુરમાં વિસ્તીર્ણ મેદાન, બગિચા અને ક્રીડાસ્થાને પણું બનાવવામાં આવતાં હતાં. હાલના સમયમાં છે તેટલો સ્ત્રીઓ માટે સખ્ત પડદાને નિયમ નહોતું. એ વખતે ક્રૂરતાથી પુરુષનું પુરુષત્વ નાશ કરી, નપુંસક બનાવી, અંત:પુરની રક્ષા માટે તેમને નિયત કરવાનો રિવાજ નહોતો. દારુ વિગેરે નિશાની ચીજોને નિષેધ કરવામાં આવતો હતો અને દારુની દુકાને તથા વેશ્યાઓ પર બારિક દેખરેખ રાખવામાં આવતી હતી. “કેટિલ્યના “અર્થશાસ્ત્રથી જણાય છે કે તે વખતે વખત જાણવા માટે ઘડી (તડકામાં ચક) અને પાણીમાં નળી રાખવામાં Page #440 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ [ દશમી શતાબ્દિ : આવતી હતી. રાત્રે એક પહોર લગભગ પૂરો થતાં ચોઘડિયા વાગતાં રાજા અંતઃપુરમાં જતા હતા અને સવારમાં ચોઘડી વાગતાં રાજા જાગૃત થતા હતા. જોગી અને જાદુગરને સર્વદા પ્રસન્ન રાખવામાં આવતા હતા. અંતઃપુરની ચારે બાજુ ઊંચી દિવાલો કરી લેવામાં આવતી હતી. દરવાજા પર દેવની મૂર્તિઓ બનાવવામાં આવતી હતી, મહેલમાં સુરંગે રાખવામાં આવતી હતી અને કેટલાક તાંત્રિક પ્રયોગો પર વિશ્વાસ હોવાથી તેનો પણ અમલ કરવામાં આવતો હતો. રાજાઓનાં અંતઃપુરની રક્ષા માટે શસ્ત્રધારી સ્ત્રીઓને રાખવામાં આવતી હતી. રાજાના શરીરની સેવા સ્ત્રીઓ કરતી હતી. અંત:પુરમાં છળપ્રપંચ ચાલ્યા કરતા હતા. રાજાની સવારી ચાલે ત્યારે બન્ને બાજુ પિલિસને બંદેબસ્ત રાખવામાં આવતો હતા અને ગાયના ચારા માટે તથા તપસ્વી લોકોને રહેવા માટે ગામની આસપાસ જગ્યાઓ છૂટી રાખવામાં આવતી હતી. શિકારને માટે જંગલોને રક્ષિત કરવામાં આવતાં હતાં. નગરની ચારે બાજુ પાક કેટ બનાવી, તેની પછવાડે ખાઈ ખોદાવવામાં આવતી હતી. રસ્તા પર પથ્થર પાથરવામાં આવતા હતા. ગઢના દરવાજા પર ભિન્નભિન્ન દેવતાઓની મૂર્તિઓ રાખવામાં આવતી હતી. વેશ્યાઓ રાજાની સાથે રહેતી હતી. રાજાની વર્ષગાંઠ પર કેદીઓને છોડી મૂકવામાં આવતા હતા અને ભૂત-પ્રેતની પૂજા થતી હતી. દાસદાસીઓનાં લેવાણવેચાણ થતાં હતાં, પણ આર્યજાતિનાં સ્ત્રીપુરુષને દાસ બનાવવામાં આવતાં નહોતાં.” રાજ્યપ્રબંધ-યુદ્ધપ્રણાલિકા નવમી દશમી શતાબ્દિમાં રાજ્યપ્રબંધ અને યુદ્ધમણુલિકા તથા યુદ્ધના નિયમે કેવા પ્રકારના હતા તે જાણવું ખાસ પ્રાસંગિક છે. મહાભારતમાં જે નિયમ બતાવવામાં આવ્યા હતા તે રજપૂતના સમયમાં ઘણાખરા જળવાઈ રહ્યા હતા. એ સંબંધમાં શ્રીયુત ગેરીશંકર ઓઝા “રાજપૂતાનેકા ઈતિહાસ” પ્રથમ ભાગ પૃ. ૬૯ થી જે હકીક્ત શોધખોળને પરિણામે જણાવે છે તેને સારાંશ નીચે મુજબ છે – રાજ્યપ્રબંધ અને ન્યાયનું કામ રાજાઓ આઠ મંત્રીઓની સલાહ લઈને ચલાવતા હતા. અત્યારે પણ “ આઠ કોંસલ” ના Page #441 -------------------------------------------------------------------------- ________________ રાજ્ય પ્રબંધ-ચુદ્ધ પ્રણાલિકા : ] ૩૯ નામથી એ રજપૂતાનામાં પ્રસિદ્ધ છે. એની સામે અત્યારનું પ્રધાન મંડળ સરખાવવા જેવું છે. 9 Halld, ( of. Prime minister ) B alula, ( cf. Commander-in-chief) 3 yairsa ( cf. Commissioner of Police ) ૪ ગુમચરવિભાગના અધ્યક્ષ (of. Head of C. I. D Department ) 48Libya ( War minister ) દ ન્યાયાધીશ (cf. Judge ) 19 241240241avulai ( cf. Finance minister ) < Hellulares ( cf. Foreign minister ) એ આઠ ઉપરાંત જિલ્લાના હાકેમ તથા પ્રજાના સર્વ વર્ણના શ્રેષ્ઠ પુરુષોને રાજસભામાં સામેલ કરવામાં આવતા હતા. પૂર્વકાળમાં રાજા પોતે દરબારમાં આવી ન્યાયકાર્ય કરતા હતા અને તેને સહાય કરવા માટે એક રાજસભા પણ રાખવામાં આવતી હતી. ( of. Our Privy Council ) એ રાજસભામાં ૪ વેદના જાણુનાર સદાચારી ગૃહસ્થ બ્રાહ્મણ, ૮ બળવાન શસ્ત્રકુશળ ક્ષત્રિય, ૨૧ ધનવાન વૈશ્ય-વ્યાપારી અને ૩ પવિત્ર અને વિનયી શૂદ્ધોને રાખવામાં આવતા હતા. આ રાજસભી એકલા ન્યાયના કાર્યો ઉપર જ ધ્યાન આપતી હતી એમ નહોતું, પણ દેશના પ્રબંધ સાથે પિણ સંબંધ રાખતી હતી. રાજામાં ૩૬ ગુણ હોવા જોઈએ એવી આમ્નાય હતી. તે છત્રીશ પૈકી મુખ્ય ગુણે નીચે પ્રમાણે છેઃરાજાએ રાગદ્વેષ છોડી ધમાચરણ કરવું, કાર્યમાં શિથિલતા ન કરવી, મદેન્મત્ત થઈ વિષયભેગમાં ન પડવું, શૂરવીર થવું, દાનશૂર થવું પણ કુપાત્રને દાન ન આપવું, નીચ પુરુષોની સંગતિ ન કરવી, સ્ત્રીવનમાં નિયમિત રહેવું, સદાચારીનું સન્માન કરવું, દુરાચારીને દંડ આપે, સમયને અમૂલ્ય સમજ, પ્રજાકલ્યાણનાં કાર્યો માટે વિચાર કરે અને Page #442 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ [ દશમી શતાબ્દિ ? એને અમલ કર, યોગ્ય અને કાર્યકુશળ મનુષ્યને અધિકાર આપવા, વ્યાપારી અને કારિગરેશને સહાયતા આપી વ્યાપાર અને કળાકેશલ્યની ઉન્નતિ કરવી, લેકેને કષ્ટ થાય તે ભારે કર ન નાખવો, આળસને અવકાશ ન આપવો અને વિદ્યા તથા ધર્મની ઉન્નતિ કરવી. ( આ સર્વ વાત મહાભારતના શાંતિપર્વમાંથી લીધેલી જણાય છે.) એનો અમલ કેટલો તે હતો તે વ્યક્તિગત રાજા પર આધાર રહેતું. રાજાનો આવો આદર્શ હતો, એમ કહેવું વધારે યોગ્ય ગણાય. રાજાની કર્તવ્યપ્રણાલિકામાં એને ઈશ્વરને ભય રાખી સત્ય માર્ગથી કદી પણ બહાર પગલું ન ભરવાને સમાવેશ થતો હતો. રાજ્યસત્તાના મુખ્ય આધારસ્તંભ તરીકે સત્યને ગણવામાં આવતું હતું. સેના અને યુદ્ધ સંબંધી પ્રાચીન સ્થિતિ– સેના ચાર પ્રકારની હતી. ૧. પાયદળ-પદાતિ (Infantry) ૨. અશ્વ-ઘોડેસ્વાર (Cavalry) ૩. હાથી સ્વાર ૪. રથમાં બેસીને યુદ્ધ કરનાર. ( રથી ) એને ચતુરગણું સેના કહેવામાં આવતી હતી. લશ્કરના અંગ તરીકે હાથીને બહુ ઉપયોગી ગણવામાં આવતા હતા. હાથીને શિક્ષણ આપીને ખાસ તૈયાર કરવામાં આવતા હતા અને એને મસ્ત કરી એની સુંઢમાં બેધારી તરવાર આપવામાં આવતી અને પછી તેને શત્રુ પર છેડી મૂકવામાં આવતા હતા. લડાઈની આગળ હાથીઓની હાર કરવામાં આવતી હતી અને એની વચ્ચે તથા બાજુ પર ધનુર્ધારી દ્ધાઓ રહેતા હતા. રાજા ખૂબ શણગારેલા હાથી પર ઘણેભાગે સ્વારી કરતા અને તેથી લડાઈ વખતે તેને હાથી શોધી કાઢ ઘણે સહેલો થઈ પડતો હતે. યૂહરચના અનેક પ્રકારે કરવામાં આવતી હતી અને એ રચનાની આવડત ઉપર લડાઈનાં પરિણામને ઘણે આધાર રહેતે Page #443 -------------------------------------------------------------------------- ________________ લશ્કરીઓનાં આયુધ અને નિયમેા : ] ૪૦૧ હતા. જો હાથીની લાઇન તૂટી જાય તેા લશ્કરમાં ભંગાણ પડવાને ઘણા સંભવ રહેતા હતા. લડાઈમાં જો રાજાના હાથી ગાંડા થઈ જાય તા ભારે ગુંચવણ થતી અને રાજા પડે એટલે લશ્કર નાસવા માંડતુ. અનેક પ્રસંગે આવા કારણે લડાઈમાં હાર થઈ જતી હતી. સેનાનીઓને કુશળતા પ્રાપ્ત કરવા સારુ વર્ષો સુધી લશ્કરી તાલીમ આપવામાં આવતી હતી. લશ્કરીએને પગાર નિયત સમયે રોકડ તથા અન્નના આકારમાં આપવામાં આવતા હતા. દશ યોદ્ધા પર એક ઉપરી, સેા પર એક ઉપરી–નાયક અને હજાર પર એક ઉપરી, એવી રીતે હવાલદાર, દફેદાર અને જમાદારની નિમણૂક થતી અને એવી સર્વ ટુકડીએના ઉપરીને સેનાપતિ કે સેનાધિપતિની સંજ્ઞા આપવામાં આવતી હતી. ચતુરગી સનાની સાથે ત, જાસૂસ, નેાકર અને દૈશિક (માર્ગ તાવનાર—Àામિયા) રાખવામાં આવતા હતા. લશ્કરીઓનાં આયુધા— પાયદળ લશ્કરનાં આયુધામાં ધનુષ, બાણુ, ઢાલ, તલવાર, ભાલા, ફરસી, તામર ( લેાઢાના દંડ ) વિગેરે હથિયારા હતાં. ગદાને ઉપયાગ તા માત્ર દ્વંદ્વયુદ્ધમાં જ થતા. ઘોડેસ્વારની પાસે તલવાર અને બરછી રાખવામાં આવતાં હતાં. રથી અને મહારથી રથમાં બેસતા. રથને એ પૈડાં હતાં અને ચાર ઘેાડા જોડવામાં આવતા હતા. એને મથાળે જુદાં જુદાં ચિહ્નવાળી ધ્વજા ફરકાવવામાં આવતી હતી. રથની અંદર ખાણુ, શક્તિ વિગેરે આયુધાના સંગ્રહ રહેતા, રથી અને મહારથી પેાતાનાં માથા પર લાઢાના ટાપ રાખતા, શરીર પર લાઢાનું અખતર પહેરતા, હાથા પર ગેાધાંગુલીત્રાણુ રાખતા અને આંગળીઓની રક્ષા માટે આવરણ રાખતા. રથનેા હાંકનાર સારથિ પણ કવચ ( અખતર ) પહેરતા. સેનાપતિ ઘણે ભાગે લશ્કરને માખરે રહેતા. યુના નિયમ– યુદ્ધના નિયમે બાંધેલા હતા. એ નિયમેને આધારે યુદ્ધ કરવામાં આવે તેને ‘ ધ યુદ્ધ ' કહેવામાં આવતુ હતું. ઝેરી અથવા " ૫૧ Page #444 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ [ શમી શતાબ્દિ : કી ( આંકડાવાળું ) ખાણ ઉપયેગમાં લેવામાં આવતું નહિ. રથવાળા રથવાળા સાથે લડે, હાથી પર સ્વારી કરનાર હાથીવાળા સાથે લડે, ઘેાડેસ્વાર ઘોડેસ્વાર સાથે લડે અને પાયદળ પાયદળ સાથે લડે, એવા નિયમ હતા. બન્ને બાજુના ચેાદ્ધાઓનાં શસ્ત્ર સમાન રખાતાં. સામે શત્રુ જો દુ:ખાકુળ હાય તેા તેના ઉપર ઘા કરવામાં ન આવતા. ભયભીતને, હારેલાને કે પૂંઠ પકડી નાસનારને મારવામાં ન આવતા. સામા લડનારનુ શસ્ત્ર ભાંગી જાય, ધનુષ્યની દારી તૂટી જાય, તેનું અ,તર નીકળી પડે અથવા તેનું વાહન ભાંગીને નાશ પામી જાય તેા તેના પર શસ્ર ચલાવવામાં ન આવતું. સૂતેલા, થાકેલા, ખાતા, પાણી પીતા અથવા ઘાસદાણેા લાવતા શત્રુ પર ઘા કરવામાં ન આવતા. લડાઈ વખતે ખેડૂત કે પ્રજાજનને કાઈ પણ પ્રકારની પીડા ન થાય તેની ખાસ સંભાળ રાખવામાં આવતી. લડાઇમાં ઘાયલ થયેલા સામાવાળાને કાં તે તેની છાવણીમાં પહેાંચાડી દેવામાં આવતા અથવા પેાતાની છાવણીમાં ઘા પર મલમપટ્ટા કરવામાં આવતા અને એને સારું થયા પછી છેાડી દેવામાં આવતા. આપત્તિકાળમાં રાષ્ટ્ર ખાતર શત્રુ સાથે સંગ્રામ કરવા અને પ્રજાની રક્ષા કરવી, એ ક્ષત્રિયના ધર્મ ગણાતા. જે દેશ પર વિજય પ્રાપ્ત કર્યો હેાય તેના ઉપર નીતિ પ્રમાણે શાસન કરવાની અને તેની પ્રજાને સુખી બનાવવાની વિજેતાની ફરજ ગણવામાં આવતી. યુદ્ધમાં લડીને મરવું એ ક્ષત્રિયને માટે સાભાગ્ય ગણાતુ અને યુદ્ધમાંથી નાસી આવવુ, એ તેને માટે અતિ નિંદનીય ગણુાતું. હુએન્સગ દક્ષિણના રાજા પુલકેશનું વર્ણન કરતાં લખે છે કે વ રાજા જાતિના ક્ષત્રિય છે. એનું નામ પુ–àા-કે-શિ ( પુલકેશિ ) છે. એના વિચાર અને કાર્ય અતિ વિસ્તૃત છે, એના ઉપકારનાં કામાને લાભ દૂર દૂર પહાંચે છે. એની પ્રજા પૂર્ણ વિનયપૂર્વક એની આજ્ઞા ઉઠાવે છે. આ સમયમાં શિલાદિત્ય ( કનાજના શ્રી હર્ષ) રાજાએ પૂર્વથી પશ્ચિમ સુધીના દેશ પર વિજય મેળવ્યેા છે અને દૂર દૂરના દેશે પર ચડાઈ કરી છે, પણ આ દેશ( મહારાષ્ટ્ર )વાળા અને સ્વાધીન થયા નથી. અહીંવાળાને દંડ દેવા માટે તથા આપીન કરવા માટે એણે પેાતાના રાજ્યના Page #445 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધના નિયમા ઃ ] ૪૦૩ પાંચે વિભાગના સૈન્યને એકઠું કર્યું, સર્વ રાજ્યાના બહાદુર સેનાપતિઓને બેલાવ્યા અને પાતે પણ લશ્કરી હરાળમાં રહ્યો, તા પણુ એ અહીંના સૈન્યને જીતી ન શકયા. અહીંના લેાક સાદા, પ્રમાણિક, શરીરે ઊંચા, સ્વભાવે કઠેર, બદલા લેવાવાળા, ઉપકાર કરનારનેા આભાર માનનારા અને શત્રુપરત્વે નિય છે. એ લેાક તનુ અપમાન કરનાર સામે બદલેા લેવામાં પેાતાના જાન પણ આપી દેનાર છે, પણુ કાઈ મુશ્કેલીને વખતે તેમની મદદ માગે તા તેને મદદ દેવાની ઉતાવળમાં પેાતાનાં શરીરની પણ દરકાર ન કરે તવા છે. જો તે કૈાઈ ખાખતના બદલે લેવા માગતા હેાય તે શત્રુને એ પહેલેથી સાવધાન કરી દે છે, પછી બન્ને શસ્ત્રો ધારણ કરી એક બીજા પર હુમલા કરે છે. એ બન્નેમાંથી એક નાસી– ભાગી જાય તા ખીજે તનેા કડા પકડે છે, પણ જો તે શરણે આવી જાય તા તેને મારતા નથી. કોઈ સેનાપતિ લડાઇમાં હાર ખાઈ જાય તા તેના દંડ કરતા નથી, પણ એને તે સ્ત્રીને પેાશાક ભેટ આપે છે અને એમ થાય એટલે પેલા સેનાપતિને જાતે જ મરવું પડે છે. રાજ્યના અધિકારમાં સેંકડા ચેાષ્ઠાએ નિયત કરેલા હાય છે. તએ લડાઇ વખતે નિશે! કરી મદમત્ત થઇ જાય છે અને પછી ના પ્રત્યેક હાથમાં ભાલેા લઇ લલકારતા આગળ વધે છે અને દશ હજાર માણસાને સામના કરે છે. એવી રીતે લશ્કર માટે પ્રયાણ કરતા ચેાદ્ધો રસ્તામાં ચાલનારા કોઇ આદમીને મારી નાખે તા તને સા કરવામાં આવતી નથી. એ જ્યારે લડવા માટે બહાર પડે છે ત્યારે પેાતાની આગળ ઢોલ વગડાવે છે. સેકડા હાથીઓને પણ મદમસ્ત કરી લડવા માટે લઇ જાય છે. એ લેાક પહેલેથી નિશેા કરે છે અને પછી એકી સાથે આગળ વધીને દરેક ચીજને બરબાદ કરી મૂકે છે અને તેથી કાઇ શત્રુ તેની સામે ટકી શક્તા નથી.” ( ‘ સાલ કીઓકા પ્રાચીન ઇતિહાસ ’ પ્રથમ ભાગ પૃ. ૩૪-૩૫ માંથી ઉષ્કૃત ) આ લખાણ ટાંચણુ નજરે જોનાર પરદેશી અભ્યાસી મુસાફ કરેલ લખાણને આધારે થયેલ હેાવાથી એમાં તથ્યાંશ હેાવાના ઘણા સંભવ છે. રજપૂતા માટે જે હકીકત ઇતિહાસમાં વાંચવામાં આવે છે તેના પર તે સહીસિક્કો કરનાર હેાવાથી બહુ ઉપયાગી જણાય છે. Page #446 -------------------------------------------------------------------------- ________________ ४०४ [ દશમી શતાબ્દિ : રાયસંબંધ– શ્રીયુત ઓઝા આ નવમી દશમી શતાબ્દિ સંબંધી વિવેચન કરતાં સદર “રાજપૂતાનેકો ઇતિહાસ, પ્રથમ ભાગ”માં આગળ પૃ. ૭૫ ઉપર જણાવે છે કે “ પ્રાચીન કાળથી ભારતમાં અનેક નાનાં મોટાં રાજ્ય વિદ્યમાન હતાં અને તે રાજ્યો અંદર અંદર લડાઈ ઝગડા કર્યા કરતા હતા, પણ એમાં એક વાત એ જરૂર હતી કે કઈ રાજા પિતાનું બળ વધારી દઈ બીજા રાજા ઉપર વિજય મેળવતો તે પણ તે પરાજિત રાજાનું રાજ્ય છીનવી લેતે નહિ, તેની અત્યંતર સ્વતંત્રતામાં અડચણ નાખતો નહિ, માત્ર વિજયચિહ્ન તરીકે તેની પાસેથી કાં તો ખંડણી નિયત કરતો અથવા ભેટ લેતો. એ ઉપરાંત પ્રાચીન રાજ્યો પરસ્પરના વૈર મટાડવા માટે કન્યાની આપલે કરવાનો રિવાજ પણ રાખતા હતા. રજપૂતેમાં પ્રાચીન સમયથી અત્યાર સુધી એક રીત ચાલી આવે છે કે ભિન્ન વંશના રાજા સાથેનો વિરોધ પોતાની દીકરીને વિવાહ સંબંધમાં આપીને શમાવવામાં આવતો હતો અને એક જ વંશના રાજાઓ વચ્ચે વિરોધ થયેલ હોય અફીણ પીવરાવવાથી (કસુંબા કાઢવાથી) વિરોધ દૂર થતો હતો. ઇતિહાસમાં આવા અનેક દાખલાઓ મોજુદ છે. રાજ્યો વચ્ચે અંદર અંદરની લડાઈઓ ચાલુ રહેતી ત્યારે પણ જે બહાર કે શત્રુ રાજ્ય પર આક્રમણ કરતા અથવા દેશ પર હુમલો કરે ત્યારે નાનાં મોટાં સર્વ રાજ્ય મળી જઈને તેવા પરદેશી હુમલાને સામને કરતા હતા. આગળના જમાનાનું આ સંગઠન જ્યારે રદ થયું ત્યારે પરદેશીઓ આ દેશમાં દીર્ઘકાળ માટે દાખલ થઈ ગયા; પણ એ સમયને વિચાર અપ્રસ્તુત હાઈ અહીં તે વિષય પર વિશેષ ઉલ્લેખ કરવાની આવશ્યકતા નથી. ” રજપૂતે અને સ્ત્રીઓ – રજપૂતમાં સ્ત્રીઓ તરફ મેટે આદર હતો. સ્ત્રીઓ પણ પિતાની જાતને વિરપત્ની કે વીરમાતા કહેવરાવવામાં પોતાનું ગૌરવ માનતી હતી. એ વીરાંગનાઓના પતિવ્રતા ધર્મ, શૂરવીરતા અને સાહસ જગટ્યસિદ્ધ છે. એનાં અનેક ઉદાહરણે ઇતિહાસમાં નોંધાયેલાં છે. દશમી શતાબ્દિ પછીના ઇતિહાસમાં મુસલમાનો સાથેના અનેક પ્રસંગમાં રાણીઓએ અભુત શર્ય બતાવ્યાના Page #447 -------------------------------------------------------------------------- ________________ સ્વદેશભક્તિ અને સ્વામીધ : ] ૪૫ દાખલાઓ માજીદ છે. એવી જ રીતે પાતાનુ સતીત્વ જાળવવા માટે હજારા રજપૂત મહિલાઓએ નિર્ભયપણે જોહરની ધગધગતી આગમાં બળીને ભસ્મસાત થવાના અનેક પ્રસંગે જાણીતા છે. પડદાના રિવાજ આ શતાબ્દિએમાં મધ્યકાળના જેવા નહાતા. ધર્માત્સવ, શિકાર અને યુદ્ધ વખતે રાણીએ રાજાની સાથે રહેતી હતી અને રાજ્યાભિષેક વખતે પતિની સાથે ભરદરખારમાં રાણી બેસતી હતી. મુસલમાની સમયમાં દેખાદેખીથી સખ્ત પડદાના રિવાજ વધતા ગયા અને એના અનુકરણથી રાજદ્વારી પુરુષામાં અને ધનાઢ્ય વૈશ્યામાં એ રિવાજ વધતા ચાલ્યા. સ્વદેશભક્તિ અને સ્વામીધ— સર્વ રજપૂતામાં સ્વદેશભક્તિ અને સ્વામીધર્મ પ્રાચીન કાળથી ચાલ્યા આવે છે. રજપૂતાનાના ઈતિહાસમાં એવાં સેંકડા ઉદ્યાહરણા મળે છે કે જેમાં પેાતાના સ્વામીને સાથ દેવામાં અને દેશની રક્ષામાં હારા લાખા રજપૂતાએ પેાતાના પ્રાણાની આહુતિ આપી હાય. પાતાના માલેકસ્વામીના સામનેા કરનાર અથવા તેની સાથે છળકપટ કરનારનાં માથાં ઉપર હરામખારીનું આકરું કલંક લગાડવામાં આવતુ હતુ અને એ કલંક સમસ્ત રજપૂતાનામાં મેાટી ગાળ સમાન અથવા આકરી એમ સમાન ગણુવામાં આવતું હતું. ( સ્વદેશની ભાવના તે વખતે વિશેષત: પ્રાંતિક હાય એમ જણાય છે. ) રાજાએ પાતાના સામતા તરફ ખૂબ પ્રેમ રાખતા હતા અને માનમર્યાદા જાળવતા હતા. આથી સ્વામી–સેવકના સંબંધ પ્રેમપૂર્ણ હાઇ, પરસ્પર દેઢ બ ધન રહેતું હતું અને સેવાથી એને પુષ્ટિ મળતી હતી. દશમી શતાબ્દિ સુધી તા આ સ્થિતિ કાયમ રહી. ત્યારપછી એ પ્રથા શિથિલ થતી ચાલી અને મુસ્લીમ બાદશાહેાની ભેદનીતિથી પરસ્પરના સંબ`ધ ઢીલેા થતાં અને પ્રેમ–શ્રદ્ધા-ભક્તિ અને વિશ્વાસના પૂલ તૂટી જતાં અવ્યવસ્થા ચાલી અને રાજ્યામાં ભંગાણ પડ્યાં. ત્યારપછી રાજાએ પણ સમયાનુકૂળ પેાતાના સ્વાર્થ સાધવા લાગ્યા અને રાજ્યની છત્રછાયામાંથી છૂટી ખુલ્લી રીતે સ્વતંત્ર થવાની ચેષ્ટા કરવા લાગ્યા. નીતિશાસ્ત્રોમાં રાજ્યને એક શરીર ગણીને રાજા, અમાત્ય, પ્રજા અને સામંતગણુને તેનાં અંગ તરીકે કલ્પવામાં આવ્યાં છે. જો Page #448 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ [ દશમી શતાબ્દિ : એમાંનુ એક પણ અંગ રાગી, નિમળ અથવા કર્તવ્યહીન થઈ જાય તા રાજ્યરૂપ આખા શરીરને તે નિળ બનાવી દે છે. રાજ્યની ઠંડી છાયામાં એના સામતા ખીા પ્રબળ પ્રતિપક્ષીઓ તરફથી થતા ઉત્તાપ, વ્યાધિ કે આપત્તિઓથી બચી જતા હતા. રાજ્યની જડ ચલાયમાન થઈ જાય ત્યારપછી એનાથી જુદા પડેલાં અગા ખેમકુશળ રહેવાની આશા કેવી રીતે રાખી શકે ? પણ આ સર્વ આખતા દશમી શતાબ્દિ પછી બની જાય છે. મુસલમાન બાદશાહાની ભેદનીતિના ભાગ અનેલા અને મરાઠાઓના અદચ્ય દૂરના લેશથી નિર્મળ બનેલા ભારતવર્ષ ની શી દશા થઇ તે જાણીતા ઇનિગ્સ છે, પણ તે વનની સ્થિતિને પ્રસ્તુત વિચારણામાં સ્થાન નથી. દશમી શતાબ્દિ સુધી ભારતવર્ષ સન્નદ્ધદ્ધ હતું. શ્રીયુત આઝ સદર પુસ્તકના રૃ. ૭૯ પર લખે છે કે “ ભારતમાં જ્યાં સુધી પ્રાચીન આચારવિચાર, રીíિરવાજ, રાજ્યપદ્ધતિ અને શિક્ષાપ્રચારના ક્રમ બન્યા બન્યા રહ્યો ત્યાં સુધી ક્ષત્રિયણે ભારતવર્ષ માત્ર જ નહિ, પણુ દૂર દૂરના બહારના દેશોને પણ હસ્તગત કર્યા. એની સભ્યતા, શિષ્ટતા અને પ્રતાપની સામે અન્ય જાતિઆએ પાતાનાં શિર ઝૂકાવ્યાં અને એ લેાકા મહારાજ્યના આનંદ લૂંટતા રહ્યા, પરંતુ ત્યારપછી જેમ જેમ અ વણ માં શિક્ષાને અભાવ થતાં સ્વાર્થપરાયણતાનાં મૂળ ઘુસ્યાં, દેશમાં અનેક પ્રકારના ધર્મા અને નાની નાની જાતિએ બની ગઇ અને એક સૂત્રમાં બંધાઇ રહેલી પ્રજા જાતિ, પંક્તિ અને મતમતાંતરાના ઝગડાથી પૃથક્ પૃથક્ થઇ એક બીજાને વૈરિવાધની નજરે જોવા લાગી, રાજાએ પણ સ્વધર્મીઓને! પક્ષ લઇ કાઈ કાઇ વાર અન્ય ધર્માવલખીએ પર અત્યાચાર કરવા લાગ્યા અને પેાતાની પ્રજાને તુચ્છ દષ્ટિથી દેવા લાગ્યા તેમ તેમ નીતિ અને ધર્મની મયાદાનુ ઉલ્લંઘન કરી રાજાએ સ્વેચ્છાચારી બનતા ગયા. પરિણામે અ ંદરઅંદરની ફાટફૂટ ફેલાઇ જતાં રાતિદવસના ઝઘડાથી એનાં અળ પરાક્રમ ક્ષીણ થતાં ચાલ્યાં. ” ક્ષત્રિચાની ક્ષતિનાં એ ક્ષરણાઃ— શ્રીયુત એઝાજી પેાતાનાં ઇતિહાસમાં ક્ષત્રિયેાની ક્ષતિનાં એ કારણેા અતાવે છે: (૧) મહુવિવાહ એક રાજા અનેક સ્રોઆને પરણે Page #449 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધની ભૂમિકા : ] ૪૦૭ તે. એકપત્નીત્વને અભાવ. આ કારણની શરૂઆત ઘણું વખતથી ચાલી આવી જાય છે, પણ એનાં ભયંકર પરિણામે આખે ઈતિહાસ વિચારતાં જણાયા વગર રહેતાં નથી. એનાથી અનેક રાજાઓના પ્રાણ ગયા છે, અનેક નિરપરાધી બાળકનાં મરણ થયાં છે અને અનેક રાજ્ય નષ્ટભ્રષ્ટ થયાં છે. મેવાડના સાંગા જેવા મહાપરાક્રમી રજપૂતાનાં રાજ્યમાં આ બહુવિવાહથી નાશના ગણેશ મંડાયા હતા. (૨) મદ્યપાન, રજપૂતની ક્ષતિનું બીજું કારણ દારુ-મદ્યપાન. મેગાસ્થનિસ લખે છે કે ભારતના લોકે યજ્ઞયાગ સિવાય દારુનો ઉપયોગ કરતા નહિ (ઈ. એન્ટિકવરી. પુ. ૬. પૃ. ૧૩૧) પૂર્વકાળમાં કઈ વખત લડાઈ પ્રસંગે મદ્યપાન કરવાને રિવાજ હતા, છતાં એમાં વધારો થતા ગયા અને બળ, વીર્ય, શૌર્ય અને સાહસનું ભક્ષણ કરનાર એ દેત્યના પંજામાં રજપૂતા વધારે વધારે સપડાતા ગયા. છેવટે શ્રીયુત ઓઝા જણાવે છે કે (પૃ. ૮૧) “સારાંશ એ છે કે સ્વાર્થપરાયણતા, અવિદ્યા, આળસ, બહુવિવાહ, મદ્યપાન, પરસ્પરમાં ફાટફૂટ અને શ્રેષને કારણે છેવટે આખી રજપૂત જાતિનું એકલક્ષ્ય ન રહેવાથી રજપૂતા નિર્બળ થતા ગયા.” ઉપરની સર્વ સ્થિતિ દશમી શતાબ્દિ પછી થઈ, પણ એની શરૂઆત પ્રસ્તુત સમયમાં થઈ ગઈ હતી. દશમી શતાબ્દિના રિવાજો વિગેરે (ગ્રંથમાંથી તારણ) દશમી શતાબ્દિના સામાજિક રિવાજો સંબધી અન્યત્ર ઉપલબ્ધ હકીક્ત આપણે જોઈ ગયા. હવે બૂદ ઉપમિતિભવપ્રપંચ કથામાંથી કેટલીક હકીકત સાંપડે છે તે વિચારી લઈએ. યુદ્ધની ભૂમિકા – ઉપમિતિ ગ્રંથમાં યુદ્ધની અનેક ભૂમિકાઓ જુદે જુદે પ્રસંગે ચિતરી છે તે પ્રસંગે પરથી યુદ્ધનીતિ અને રીતિ પર ઘણે પ્રકાશ પડે છે. તે સર્વથી વધારે ધ્યાન ખેંચનાર એટલા માટે છે કે લડાઈની વર્તમાન પદ્ધતિ તદ્દન જુદી છે અને દશમી સદીની રીતિ Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ (દશમી શતાબ્દિક તદ્દન જુદી હતી. થોડા પ્રસંગે જેઈ જઈએ એટલે એની વિશિષ્ટતા ખ્યાલમાં આવશે. મેહરાય અને ચારિત્રરાજનું યુદ્ધ પ્રસ્તાવ ૫, પ્રકરણ ૧૯ માં આવે છે. આ પ્રથમ યુદ્ધ છે. ચારિત્રરાજને સંયમ નામને સુભટ દુશ્મનથી ખૂબ ઘવાય છે. એને ચારિત્રધર્મરાજની રાજસભામાં લાવવામાં આવે છે. સભામાં પિતાના સુભટને માર પડેલ મેટો ખળભળાટ થાય છે અને કેાઈ હકારા કરવા માંડે છે, કઈ તરવાર પર હાથ નાખે છે અને આખું સભાસ્થાન ઉગ્ર બની જાય છે. મહારાજા ચારિત્રરાજના ઈશારાથી સર્વ શાંત થઈ જાય છે. પછી પ્રથમ નાના રાજાએ પોતાના વિચારો બતાવે છે અને દુશ્મનને જડમૂળથી ઉખેડી નાખવાની સલાહ આપે છે. એ સર્વે રાજાઓને મત જાણી મહારાજની કોસીલ બેસે છે અને ખાનગીમાં મંત્રણા શરૂ કરે છે. કેસીલ હેલમાં ગયા ત્યારે લશ્કરી સેનાધિપતિ સમ્યગદર્શન અને દિવાની મુખ્ય સચિવ સદ્દબોધની સલાહમાં ભારે મોટો તફાવત પડે છે. લશ્કરી સમ્યગુદર્શન તે એક ઘાના બે કટકા કરવાની વાત કરે છે. એ કહે છે “શત્રુ તરફથી આવો અસહ્ય ગુન્હો થયા પછી સ્વમાનવાળો કેમ બેસી રહે?” એણે શત્રુનું અપમાન સહન કરી જનારને તરબલાને તાલે ગણાવ્યા, એવા જીવતર કરતા મરણને વધારે સારું બતાવ્યું અને શત્રુને હઠાવી રાજ્યને નિષ્ફટક બનાવવાની સલાહ આપી. પછી સાચા મુત્સદી સોધને વારે આવ્યો. એ કદી આવેશમાં આવે તેવો નહોતે. એ ગણતરીબાજ અને વિચારશીલ હતું અને એ લાંબી નજરે પરિણામને કલ્પી શકે તે હતો. એણે સેન્યાધિપતિ તરફ ખૂબ માન બતાવ્યું, એના સ્વામીભક્તપણાની પ્રશંસા કરી અને પછી મર્યાદિત શબ્દમાં સલાહ આપી કે સમજુ માણસ અવસર વગર કેઈપણ કાર્ય કદી શરૂ કરતા નથી. (પૃ. ૧૩૦૬). ત્યારપછી એ રાજનીતિના છ ગુણે ગણાવે છે: સ્થાન, યાન, સંધિ, વિગ્રહ, સંશય અને ટૂંધીભાવ. આ છ ગુણાની વિગત પૃ. ૧૩૦૬-૭ માંથી જાણવા ગ્ય છે. એમાં લશ્કરની વ્યુહરચના વિગેરે અનેક ઉપયોગી બાબતોનો સમાવેશ થાય છે. Page #451 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધની ભૂમિકા : ] રાજનીતિના પાંચ અંગ બતાવવામાં આવ્યા છે. ઉપાય (સામ, દામ, દંડ, ભેદ અને ઉપેક્ષા), દેશકાળ વિભાગ, પુરુષ અને દ્રવ્ય, આપત્તિને ઉપાય, કાર્યસિદ્ધિ. (પૃ. ૧૩૦૮.) રાજ્યસત્તાને અંગે ત્રણ પ્રકારની શક્તિ ધ્યાનમાં રાખવી: ઉત્સાહશક્તિ પ્રભુશક્તિ અને મંત્રશક્તિ. (પૃ. ૧૩૦૮–૯). ત્રણ ઉદય, ત્રણ સિદ્ધિ બતાવીને પછી સામ, દામ, દંડ અને ભેદ એમ ચાર પ્રકારની નીતિનું વર્ણન કરવામાં આવ્યું છે. (પૃ. ૧૩૦૯) રાજાએ ચાર પ્રકારની વિદ્યાઓ જાણવી જોઈએ. ત્યારપછી સધ મંત્રી બહુ વ્યવહારુ વાત કરે છે. એ રાજનીતિના અભ્યાસીએ ખાસ ધ્યાનમાં લેવા ગ્ય છે. તે જણાવે છે કે “પ્રાણું ગમે તેટલાં શાસ્ત્રો જાણુતે હોય, પણ જે તે પિતાની અવસ્થા બરાબર સમજતું ન હોય તો આંધળા માણસની પાસે ધરવામાં આવેલ આરિસો નકામો થાય છે તેમ તેનું જ્ઞાન પણ નકામું થાય છે. ન સાધી શકાય તેવી બાબત મેળવવા માટે જે પ્રાણ પ્રવૃત્તિ કરે છે, તેને અંગે યોગ્ય વિવેક રાખતા નથી તેની લેકેમાં હાંસી થાય છે અને પોતે મૂળથી નાશ પામે છે.” આ સર્વ પ્રસ્તાવના કરી સબેધ મંત્રી કમાલ કામ કરે છે. એ જણાવે છે કે આ આખી બાબતને વરરાજા તો સંસારી જીવ છે, આખી ચિત્તવૃત્તિ અટવીને રાજા એ છે અને એ તો ચારિત્રધર્મરાજને ઓળખતે પણ નથી, એને પક્ષપાત મહામહ-દુશમન રાજા તરફ છે, એ આપણને બરાબર ઓળખે ત્યાં સુધી કાંઈપણ કરવું નકામું છે, હાલ તે રાહ જોવી અને જરા પાછા હઠી વધારે જેર મેળવવું ઉચિત છે. એ પ્રમાણે કહીને વખત લંબાવવાની અને અનુકૂળ સમયની રાહ જોવાની એ સલાહ આપે છે, છતાં લશ્કરી સેનાપતિ છેવટે દૂત મોકલવાની સૂચના કરે છે. તેના જવાબમાં સાધમંત્રી જણાવે છે કે સામી બાજુ ઉશ્કેરાયેલી હોય ત્યારે દૂત મોકલવો એ ગરમ તેલમાં પાણી રેડવા બરાબર છે, એથી તે ઊલટે પર Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ ( દશમી શતાબ્દિ ? ભડકે થશે; છતાં પ્રવેગ કરી જે એમ ઠર્યું. ચારિત્રરાજને દૂત મોહરાજાની સભામાં ગયો. (પૃ. ૧૩૧૫). તે મહામહની રાજધાનીમાં જઈને સંદેશો આપ્યો. એ સાહસિક હતા, છતાં એણે શાંતિથી વાત ચલાવી અને અરસ્પરસ પ્રેમ વધે તેવી રીતે કામ લેવા સૂચના કરી, પણ તનાં વચન સાંભલીન મહરાજના સેનાનીઓ લાલપીળા થઈ ગયા અને સર્વ હાકાશ પાડી બેલવા મંડી ગયા, દ્વતનું અનેક પ્રકારે અપમાન કરી એનતેઓએ બહાર કાઢો અને લડાઈનું કહેણ મોકલ્યું. (પૃ. ૧૩૧૫) આ આખા પ્રસંગ પરથી અસલ સીલની પદ્ધતિએ રાજ્ય ચાલતું હતું, લશ્કરી માણસ ઉપર મુત્સદ્દીઓને દર ચાલને હતા, રાજાના સલાહકારે બળાબળની બરાબર ગણતરી કરતા હતા, હતનું શરીર પવિત્ર માનવામાં આવતું હતું છતાં તનું અપમાન કરવાથી લશ્કરી માણસે બહુધા આવેશમય હતા એમ જણાય છે. ત્યાર પછી વાંચનારને વિસ્મય કરે તેવું યુદ્ધ થાય છે. તેમાં જે વર્ણન આપવામાં આવ્યું છે તે વિચારતાં શસ્ત્ર અને અસ્ત્રોની ફેંકાફેંક, હાથી અને રથની ધમાલ, જોડેસ્વાર, પગવાળા અને શબ્દને મેટા રવ-અટલે દશમા સૈકામાં યુદ્ધ કેવું થતું હશે તેને ખ્યાલ આવે છે. યુદ્ધના અન્ય પ્રસંગે આ ગ્રંથમાં અનેક આવે છે તે ઉપરથી પણ દશમી શતાબ્દિમાં યુદ્ધ કેવી રીતે થતું હશે તેને ખ્યાલ આવે છે. (પ્ર. ૩. પ્ર. ૨૬ માં નંદિવર્ધનનું લંગરાજ સાથેનું યુદ્ધ વર્ણવ્યું છે. પૃ. ૬૨૦–૧ ) એ જ પ્રસ્તાવમાં અંબરીષ બહારવટીઆનું યુદ્ધ છે. ૨ ક. ૨૨ માં વર્ણવ્યું છે. ત્યાં તીરથી લડાઈ થાય છે તેમાં પણ તત્સમયની લડાઈને થાડો ખ્યાલ આવે છે. સર્વથી મોટું યુદ્ધ એ પ્રસ્તાવના પ્ર. ૨૩ માં વિભાકર સાથેનું માલુમ પડે છે. એમાં વ્યુહરચના પણ બતાવી છે. (પૃ. ૫૮૪). લડાઈના વર્ણનમાં રાડે, હાથી, રથ અને ઘોડાની ધમાલ અને તીર તથા કેળાહળનું જ વર્ણન માલૂમ પડે છે. મહારથીઓનું યુદ્ધ હાથોહાથનું પણ હોય છે. સરદાર પડે એટલે એના આખા લશ્કરમાં ભંગાણ પડે છે, એ સમરસેન પડવાનાં પરિણામમાં દેખાઈ Page #453 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધની ભૂમિકા : ] ૪૧૧ આવે છે ( પૃ. ૫૮૫ ). આ યુદ્ધમાં તરવારની પટ્ટામાજી દેખાય છે. દુશ્મન તરફ દાનાઈ બતાવવામાં આવતી હતી, એ કનકશેખરના વન પરથી જણાય છે. ( પૃ. ૫૮૬ ) યુદ્ધની ભૂમિકા તા ઉપરનાં લાક્ષણિક ચિત્રામાંથી જ સાંપડે છે. આગળ ચાલતાં આઠમા પ્રસ્તાવમાં માહરાજાનાં સર્વ સ્થાને ભાંગી નાખવામાં આવે છે તે આંતરસૃષ્ટિમાં ભીષણ યુદ્ધ અતાવે છે ( પ્ર. ૮. પ્ર. ૯ ); પણ એને યુદ્ધ ભાગ્યે જ કહી શકાય. દશમી શતાબ્દિ સુધીમાં તીર અને શસ્ત્ર અસ્રનુ જ યુદ્ધ જણાય છે, એમાં રથ, હાથી અને ઘેાડાના ઉપયાગ મુખ્યત્વે કરીને થાય છે. લડનારના શારીરિક બળ ઉપર ઘણા આધાર રહે છે અને રાજા–સરદારના હુકમને આધીન આખું સૈન્ય રહે છે. લગભગ મહાભારતનાં સમયથી જે યુદ્ધપ્રણાલિકા ચાલી આવતી હતી ત જ એમાં દેખાય છે. ત્યાં સુધી દાગાળાના ઉપયેગ માલૂમ પડતા નથી અને સ યુદ્ધ જમીન પર જ થતાં હાય એમ જણાય છે. યુદ્ધની ભૂમિ મેદાન અથવા કિલ્લાબંદી-અન્ન પ્રકારની જણાય છે. પ્ર. ૫. પ્ર ૩ માં આકાશમાં યુદ્ધની હકીકત આવ છે. એ પુરુષા લડતાં લડતાં આકાશમાં ઊડે છે( પૃ. ૧૧૬૫ ). આ યુદ્ધ વિદ્યાધરાનુ હતુ એટલે અત્યારના લેાકાની અક્કલમાં ઉતરે તેવું ન હેાઇ વધારે ચર્ચાને પાત્ર નથી, પણ એના અ ંતરંગમાં અત્યારે દારડાની કળા (ope Triok) સંબંધી જે ચર્ચા ચાલી રહી છે તેથી જરા ખ્યાલ કરવા ચેાગ્ય છે. એ આકાશના યુદ્ધને વર્તમાનકાળના હવાઈ યુદ્ધ સાથે કાઇ પ્રકારના સબંધ નથી. વિદ્યા, મ ંત્ર કે ચમત્કાર એ આસ્થાના વિષય છે, પણ દશમી શતાબ્દિમાં એવા યુદ્ધની શકયતા ગણવામાં આવી છે તટલા પૂરતી એ હકીકત નાંધી લેવા લાયક છે. નીચેના હથિયારોનાં નામ આ ગ્રંથમાં મળે છે. શક્તિ, તરવાર, ભાલા, તીર, અર્ધ ચંદ્ર બાણુ, અગ્ન્યા, ચક્ર, અસિ ( તરવાર ), તૂણીર ( ભાથાં ), કુન્ત (ખછી ), નારાચ ( લેઢાનાં ખાણા ), પ્રાસ, ધનુષ, દંડ, ગદા, શૂળ, (૫, ૮. પ્ર. ૩. પૃ. ૧૮૭૮ ) સર્વોસ, વારુણાસ, ગારુડામ (પ્ર. ૩. પ્ર. ૨૩. પૃ. ૫૮૫–૧ ). યવનાનાં આક્રમણ દશમી શતાબ્દિમાં થવા લાગ્યાં હતાં Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ [ દશમી શતાબ્દિક તે યવનરાજ વંગરાજ સાથેના નંદિવર્ધનના યુદ્ધથી જણાય છે. (૫, ૩. પ્ર. ૨૬ ) લડાઈના મેદાનમાં સ્ત્રીઓ જતી હોય એમ લાગતું નથી. શ્રેષગજેન્દ્ર અને અવિક્તિા (પ્ર, ૪. પ્ર. ૮. પૃ. ૭૯૮ માં) વાત કરે છે ત્યાં દ્રષગજેન્દ્ર પિતાની પત્નીને ભારે શરીરે (ગર્ભાધાનકાળમાં) લડાઈના મેદાનમાં આવવા ના કહે છે, છતાં ચાલતી લડાઈમાં સ્ત્રીઓ સાથે હોય તેવો એક પણ દાખલો વ્યવહારુ દુનિયામાં ચાલતો હોય તેવું ગ્રંથમાં બતાવ્યું નથી. લડવાનું કામ પુરુ જ કરતા હતા એમ લગભગ સાર્વત્રિક હકીક્ત જણાય છે. રાજાઓ બાતમીદારે ખૂબ રાખતા જણાય છે. એના જાસુસી ખાતાના માણસો વિવિધ દેશની ભાષાઓ, વેશ, વર્ણસ્વરભેદ અને વિજ્ઞાન જાણતા અને રાજાની ખાનગી મંડળીમાં વાત થાય તેને ભેદ સામેના રાજાને મળી જતો હતો. તપન ચક્રવર્તી પાસે રિપદારના મંત્રીઓ પહોંચ્યા તે પહેલા તેની સર્વ વાત ચક્રવતી પાસે પહોંચી ગઈ હતી. (પ્ર. ૪. પ્ર. ૪૦. પૃ. ૧૧૨૧) લશ્કર ચાર પ્રકારનું અનેક પ્રસંગે વર્ણવ્યું છે. રથ, હાથી, પાયદળ અને અશ્વ (પ્ર. ૬. પ્ર. ૧૦. પૃ. ૧૫૬૦). લશ્કરીખાતાના ઉપરીને સેનાનાયક કહેવામાં આવતે જ્યારે મંત્રીનો હોદ્દો અલગ હતું અને રાજા મંત્રીની સલાહ ઉપર ખૂબ ધ્યાન આપતા હતા. (૫. ૬. પ્ર. ૧૦. પૃ. ૧૫૬૧) લડાઈ વખતે ઘંઘાટ ખૂબ થતું હશે એમ જણાય છે, સેનાનીએ લડતાં લડતાં સિંહનાદ કરતા હતા, મેટેથી તાડુકા કરતા હતા અને જબરા અવાજથી આકાશને ગજાવી મૂકતા હતા. (૫, ૮ પ્ર. ૩. પૃ. ૧૮૭૮) સામું લશ્કર હારી જાય એટલે પછી એના મકાને-મંડપ તેડી પાડવાને તે વખતે રિવાજ જણાય છે (પ્ર. ૮. પ્ર. ૯, પૃ. ૧૯૪૭). સાંસારિક રિવાજો સાંસારિક રિવાજે સંબંધી દશમી શતાબ્દિની સ્થિતિને અંગે આ ગ્રંથ ઘણું અજવાળું પાડે છે. આપણે તેના થોડાક દાખલાઓ જોઈએ. Page #455 -------------------------------------------------------------------------- ________________ સાંસારિક રિવાજો : ] ૪૧૩ ( ૭ ) એકથી વધારે સ્રીએ રાજા પરણતા હતા તેના અનેક દાખલા ગ્રંથમાં આવે છે. દા. ત. ભવચક્રના લલિતપુર નગરમાં રિપુક પનને રતિલલિતા અને મતિકલિતા નામની બે સ્રીએ હતી (પ્ર. ૪. પ્ર. ૨૩. પૃ. ૯૪૫ ). નંદિવર્ધન રત્નવતી પર કનકમંજરીને પરણ્યા હતા. (૪. ૩. પ્ર. ૨૪ ). આવા અનેક પ્રસંગે આખા ગ્રંથમાં છે તેની કેટલીક હકીકત આગળ સ્ત્રીઓની તે સમયની સ્થિતિની વિચારણાને અંગે વિચારવામાં આવશે. ( b ) પુત્રજન્મ પ્રસંગે દીવા કરવામાં આવતા હતા, આરિસાઆની માળા ચાતરમ્ વિસ્તારવામાં આવતી હતી, રક્ષાનાં વિધાના કરવામાં આવતાં હતા, ધેાળા સરસવથી નોંદાવની સેકડા રેખાએ. પૂરીને સાથિયા કરવામાં આવતા હતા, વિલાસિની સ્ત્રીઓને હાથમાં ચામર આપી ઠેકાણે ઠેકાણે સ્થાપન કરવામાં આવતી હતી. (પ્ર. ૪. પ્ર. ૨૩. પૃ. ૯૪૫ ) (૦ ) ઊંચા વર્ગ ની દાસીઓ ક દ્વારા પહેરતી હતી; તે ટિમેખળા કહેવાતી હતી. ( પૃ. ૯૪૫ ) ( d) મહેાત્સવ ઉજવવાની રીતિ: નાખત શરણાઇના અવાજો, કેસર, અગર, કસ્તૂરી, ચંદન અને કપૂરના સુગંધીદાર પાણીનાં છાંટણાં, વામન અને કુબ્જાના નાચ, વધામણીની રકમ આપવાની રીતિ, રાજ્યલાકાનુ નવાં નવાં વસ્ત્રોનું ધારણ કરવું, મંદિરમાં સ્ત્રીઓના રાસડા, વધામણી લઈને આવનારને ભેાજન તથા પાન ( મ, ૪. પ્ર. ૨૩. પૃ. ૯૪૬–૭. ). આવા પ્રકારનું વર્ણન ભવચક્રનું અવલેાકન કરતાં પ્ર વિમ દ્વારા પ્રકટ કરવામાં આવ્યુ છે અને તે દશમી શતાબ્દિના એવા પ્રસંગે થતા વિધિના ખરાખર ખ્યાલ આપે છે. પુત્રજન્મના અનેક પ્રસંગે! આ ગ્રંથમાં આવે છે. સંબ ંધીને જમાડવાના, વધામણી આપવાના અને આરમે દિવસે પુત્રનું નામ પાડવાના રિવાજ લગભગ સાત્રિક જણાય છે. ( એને માટે જીએ ધનશેખર જન્મપ્રસંગ, પ્ર. ૬. પ્ર. ૧. પૃ. ૧૪૬૭). રાજાને ત્યાં પુત્રજન્મ થાય ત્યારે જન્મમહાત્સવ વધારે મેટા પાયા ઉપર ઉજવવાના રિવાજ જણાય છે. પ્રસ્તાવ ત્રીજામાં Page #456 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ [ દશમી શતાબ્દિ છે નંદિવર્ધનના જન્મપ્રસંગે મોટાં દાન આપવાને, કેદખાનામાંથી કેદીઓને છોડી દેવાને, નગરદેવતાનું પૂજન કરવાને, દુકાને અને બારણે તારણો લટકાવવાને, મોટા રસ્તાઓ ઉપર સુગંધી જળને છંટકાવ કરવાને, વાજિત્રે વગાડવા, સ્ત્રીઓને ગીત ગાવાને, અને કંચુકી વામન કુબડાઓને નાચવાનો રિવાજ ત્યાં સેંધાયેલો છે (પ્ર. ૩. પ્ર. ૧પૃ. ૩૪૫). અને એને મળતું જ વર્ણન ગુણધારણના જન્મની નોંધમાં જોવામાં આવે છે. (પ્ર. ૮. પ્ર. ૧. પૃ. ૧૮૫૫). શેઠીઆઓને ત્યાં પુત્રજન્મ થાય ત્યારે પણ પૂજા, ભક્તિ, દાન આપવાને અને મહોત્સવ કરવાનો રિવાજ હતા તે માટે વામદેવ જન્મમહોત્સવ વર્ણવ્યો છે. (પ્ર. ૫. પ્ર. ૧. પૃ. ૧૧૪ર). તવું જ વર્ણન ધનશેખરના જન્મનું આવે છે. (પ્ર. ૬. પ્ર. ૧. પૃ. ૧૪૬૭). ઘનવાનના જન્મ અવસરે પણ એવા જ મોટા મહોત્સવ કરવામાં આવ્યા હતા એમ નેંધાયેલું છે. એના રસીલા વર્ણન માટે જુઓ, પ્ર. ૭. પ્ર. ૧. પૃ. ૧૬૪૬. (e) બે મિત્રે ઘણું વખતે મળે ત્યારે ખૂબ હળે મળે છે અને આનંદમાં નાચ અને ગાયને થાય છે. ઢોલ તાંસા વગડાવવામાં આવે છે અને કુટુંબના માણસેને સારું લેજના આપવામાં આવે છે. અત્યારે એવા પ્રસંગે મજલસ કરવામાં આવે છે તેની સાથે સરખાવવા ગ્ય આ રિવાજ જણાય છે. (પ્ર. ૪. પ્ર. ૨૬, પૃ. ૯૭૯) (f) પુત્રી જન્મ વખતે વધામણું આપવાને તે એક જ પ્રસંગ નોંધાયેલ છે. તે વિદ્યાધરને છે. (પ્ર. ૮. પ્ર. ૨. પૃ. ૧૮૬૨.) છોકરીને જન્મ ઉજવવાનો આ પ્રસંગ અભિનવ ગણાય, કારણ કે તે વખતે છેકરીનું મૂલ્ય બહુ અલપ હતું. પુત્રજન્મ મહોત્સવનું સુંદર વર્ણન અનુસુંદરના જન્મપ્રસંગે છેવટે કર્યું છે. તે લગભગ ઉપરના મહોત્સવને મળતું જ છે, પણ વધારે લાક્ષણિક છે. (પ્ર. ૮. પ્ર. ૧૨. પૃ. ૧૯૭૫) (૪) દીક્ષા આપતી વખતે સાંસારિક નામ હેાય તે ફેરવવામાં આવતું. (નોટ પૃ. ૨૦૫ પીઠબંધ) Page #457 -------------------------------------------------------------------------- ________________ સાંસારિક રિવાજો : ] ૪૧૫ ( h ) કાઇની નજર ન પડે તેટલા માટે ઘણા છેાકરા હાય છતાં પિતાને નિીજ તરીકે જાહેર કરવાને રિવાજ હતા. (મ. ૨. પ્ર. ૪. પૃ. ૨૭૫) ( h ) જન્મ થયા પછી નામ પાડવાના વિધિ થાય છે તે ક્વચિત્ બારમે દિવસે કરવામાં આવતા હતા (પ્ર. ૬. પ્ર. ૧. પૃ. ૧૪૬૭ ). અને ચિત્ એક માસ પછી કરવામાં આવતા. (મ. ૩. પ્ર. ૧. પૃ. ૩૪૫ અને મ. ૮. પ્ર. ૧૨. પૃ. ૧૯૭૫ ) ( i ) વિજય મેળવવા માટે ગામ બહાર નીકળતી વખત પ્રયાણુ કરતી વખત સામે સેાનાના કળશ સ્થાપન કરવાના, જય જયની ઉદ્ઘાષણા કરવાના, મંગળ ગીતા ગવરાવવાન અને વાજિંત્રા વગડાવવાના રિવાજ હતા (૫, ૩. પ્ર. ૪. રૃ. ૩૯૦ ). લડાઇ માટે પ્રસ્થાન કરતી વખત પિતાને નમન કરવાના રિવાજ હતા ( પૃ. ૩૯૧ ). પિતા પાસે જઇ નમીને પુત્ર જમીન પર બેસે અને પિતાની આજ્ઞા થાય ત્યારે જ આસન પર બેસે એવા રિવાજ જણાય છે. ( પૃ. ૩૯૩ ) (j) અનંગ તરશને દિવસે કુમારી સ્ત્રીઓ-કરીઓ સારા પતિ મેળવવા અને પરણેલી સ્ત્રીએ સાભાગ્યવૃદ્ધિ માટે નગર બહાર જઇ કામદેવની પૂજા કરતી હતી. ( પ્ર. ૩. પ્ર. ૮, પૃ. ૪૩૫) ( k ) ચાંડાળને અસ્પશ્ય વર્ણ ના ગણવામાં આવતા હતા. એ વના લેાકેા તળાવમાં ન્હાઇ શકે નહિ. એ કાઈ ન દેખે તમ તળાવમાં ન્હાવા ઉતરેલ હાય તો પણ તેને મનમાં ખીક લાગે કે જે તેને કાઇ તળાવમાં ન્હાતા જોઇ જશે તેા તેની સાથે કલેશ કરશે. (પ્ર. ૩. પ્ર. ૧૩. રૃ. ૪૯૯). તે સમયની માન્યતા પ્રમાણે ચાંડાળસી સાથે ગમન કરવું તે ઘણું અધમ ગણાતુ હશે એમ જણાય છે, છતાં સ્પ મનાતા વર્ગવાળા પણુ ચંડાળ સ્ત્રી ઉપર કામને વશ થઈ ઉતરી પડતા હતા એમ જણાય છે. (1) નંદિવધન જેવા તુમાખી છેકરા પણ પિતાને દરરાજ વંદન કરવા જતા હતા એ ખાસ નોંધવા જેવું છે. એ યુવાન થયા અને પિતાથી બુઢ્ઢા વાસગૃહમાં રહેતા હતા ત્યારે પણ દર Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ [ દશમી ગ્રતાબ્દિ : રાજ વંદન કરવાની રીતિ એણે ચાલુ રાખી હતી. (૫, ૩. પ્ર. ૧૮. પૃ. પપર) ( m ) રાજકુમાર કાઇ કારણે રીસાય તેા પરદેશ ચાલ્યે જાય (પ્ર. ૩. પ્ર. ૧૯. પૃ. ૫૬૩ ). પછી તેને સમજાવવા દૂત માકલવામાં આવે. ( પૃ. ૫૬૭) આ રિસામણા મનામણાના રિવાજ આ જ પણ કવચિત ષ્ટિગાચર થાય છે. ( ૫ ) લગ્ન મહેાત્સવ વણ્નઃ હાથમાં સોનાના કળશેષ લઈ કન્યાપક્ષની સ્ત્રીએ વરને સ્નાન કરાવવા આવે, વરને હાથે મંગળસૂત્ર બાંધે, દાન આપવામાં આવે, અંદીખાનેથી કેદીઓને છેડી મૂકવામાં આવે, નગરદેવતાનું પૂજન થાય, વડીલની પૂજા થાય, અજારા શણગારવામાં આવે, રસ્તાઓ સાફ કરવામાં આવે, ગીતા ગવાય, દાસી નાચે અને રાજવલ્લભ પુરુષા વિલાસ કરે.( ૫. ૩. પ્ર. ૨૪. પૃ. ૬૧૨ ) લગ્નમંડપમાં માયરૂ ( માતૃગૃહ ) રચવામાં આવે, હસ્તમેળાપ થાય, મંગળફેરા ફેરવવામાં આવે. (પૃ. ૬૧૩) (૦) મરણ પછીની સ્થિતિઃ સ્મૃતિ( મરણ )ના હુકમથી લેાકેા બીજી જગ્યાએ જાય છે ત્યારે અહીંનાં ધન, ઘરબાર, સગાંસ્નેહીઓ અને સંબંધીએ સર્વને અહીં મૂકીને તદ્ન એકલા જ ચાલ્યા જાય છે. ત્યારપછી તેના છેકરા કે સગાએ થાડા વખત રહેવાછૂટવાની ધમાલ કરે છે અને ત્યારપછી થાડા વખતમાં પાતપેાતાને કામે લાગી જાય છે, ખાય છે, પીવે છે અને સર્વ વ્યવહાર કરે છે, મરનારના ધનના ભાગ પાડે છે, તેને માટે પરસ્પર લડે છે અને કૂતરાને એક માંસના ટુકડા મળે તે અરસ્પરસ સામસામી ખેંચતાણ કરી મૂકે છે તેવા દેખાવ તે કરે છે (પ્ર. ૪. પ્ર. ૨૮. પૃ. ૧૦૦૨ ). ભાગલા પાડવાની લડાઇ તે યુગમાં પણ હતી એમ જણાય છે, પણ કાટે ચડવાની કે વિકલ કરવાની વાત આવતી નથી તે નોંધવા જેવું છે. ( P ) કાઇની ચીજ ખાવાય–ચારાઈ જાય તેા કાઇ સ્ત્રી ભ્રૂણે અને ખાવાયલી વસ્તુના પત્તો આપે (પ્ર. ૫. પ્ર. ૭. પૃ. ૧૨૦૮) (૧) માટા પૈસાદાર બાપના ધનપતિ પુત્ર ધનશેખર પહેરેલે કડે ધન કમાવા સારુ સ્વેચ્છાએ નીકળી જાય છે તે વખતે તેની Page #459 -------------------------------------------------------------------------- ________________ અનેક પ્રકારના રિવાજો : ] ૪૧૭ ન વય વીશ વર્ષથી ઓછી ન હેાવી જોઈએ, છતાં તેનાં લગ્ન કર્યા નથી એ બતાવે છે કે એ યુગમાં ધનવાનના પુત્રા પણ ખાળવયમાં પરણતા નહાતા. બાળલગ્ન મુસલમાન યુગમાં દાખલ થયાની હકીકતને એ વાતથી ટૂંકા મળે છે (પ્ર. ૬. પ્ર. ૧. પૃ. ૧૪૭૨ ). અનેક પ્રકારના રિવાજે ૧. ચારીનું ધન રાખનાર અને ચારીની ચીજ ખરીદનારનુ રાજા સર્વસ્વ લૂંટી લેતા હતા. ( ૫. ૫. પ્ર. ર૪. પૃ. ૯૫૬ ) ૨. રાજસેવકા પકડવા આવે એટલે પાચા વાણીઆ ત્યાંથી પલાચન કરી જતા હતા. ( પ્ર. ૫. પ્ર. ૨૪. પૃ. ૯૫૬ ). ૩. ચારીના માલ રાખનારને ગધેડા ઉપર બેસારવામાં આવતા, તેના આખા શરીર ઉપર રાખ ચાપડવામાં આવતી અને સિપાઇએ તેને લાકડીથી મારતા. ( પ્ર. ૫. પ્ર. ૨૪. પૃ. ૯૫૬) આવા પ્રસંગે તેને ન્યાયાધીશ ( મેજીસ્ટ્રેટ ) પાસે રજૂ કરવાની જરૂર હેાય એમ જણાતું નથી. મુદ્દામાલ સાથે પકડાય, એટલે પોલિસ જ સર્વ ખામતના ફેસલા કરી નાખે એવી તે સમયની ન્યાયપદ્ધતિ હતી એમ રૃ. ૯૫૬ પરથી જણાય છે. ૪. શેઠ લેાકા અજારમાં પેાતાના હીરામાણેક તથા મહેાર સિક્કા ખુલ્લા રાખી શકતા હતા તેથી જાનમાલની સલામતી ડીક હશે એમ જણાય છે. (પ્ર. ૪. પ્ર. ૨૪. પૃ. ૯૫૪) ૫. વેશ્યાને ત્યાં જનારા બનીઠનીને અત્તર તેલ લગાવી, માલપાણી ખાઇને ત્યાં જાય છે અને જતી વખતે જાણે પાતે મેાટા મહારાજા હેાય તેમ ચેટલા સમારતા અને સુગંધી સુંઘતા જાય છે. ( પ્ર.. ૪ પ્ર. ૨૫. રૃ. ૯૬૧) §. જુગાર રમવામાં પેાતાનું માથું મૂકી શકાતુ હતું એમ જણાય છે. એવી રીતે માથું મૂકનારનું ખૂન થાય તે ગુન્હા ગણાતા હશે કે નહિ તે સ્પષ્ટ થતું નથી. ( પૃ. ૯૭૧ ) ૧૩ Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ [ દશમી શતાબ્દિ : 9. ધૂત ખેલનારના શા હાલ થાય છે તે માટે પૃ. ૯૭૦ પર કપ તકનું દષ્ટાંત આપ્યું છે, પણ જુગટું કેમ રમાતું હતું તેનું વર્ણન આવતું નથી તેથી તે યુગની ઘૂતપદ્ધતિથી આપણે અજાણ રહીએ છીએ. ૮. શિકાર ઘોડા પર સ્વારી કરીને હથિયારથી કરવાને રિવાજ જણાય છે. (પ્ર. ૪. પ્ર. ૨૬ પૃ. ૯૭૩) ૯. રાજ્યવિરુદ્ધ જૂઠી વાતો ફેલાવનારના ગળામાં ગરમ શીશુ રેડ વાનો રિવાજ હતા. આ તદન કઠેર પ્રકારની સજા છે. (પ્ર. ૪. પ્ર. ૨૬. પૃ. ૯૭૭). ૧૦. ભિખારીને શેરીના છોકરાઓ ખૂબ ચોડવતા હોય એમ જણાય છે. (પીઠબંધ પૃ. ૧૬ ) ૧૧. ધનવાને પોતાના ધનના રક્ષણના બચાવ માટે ધનને જમીનમાં ગુપ્ત રીતે દાટતા હતા એમ જણાય છે. (પીઠબંધ પૃ. ૭૭) ૧૨. ગુરુમહારાજા શ્રાવકને દરરોજ ઉપાશ્રયે આવવાને નિયમ કરા વતા હતા એમ જણાય છે. (પીઠબંધ ૧૩૩) ૧૩. રીંગણ અને ભેંસનું દહીં વધારે ખાધાં હોય તે ઊંઘ બહુ આવે છે એવી માન્યતા તે સમયમાં હતી. (પીઠબંધ પૃ. ૧૭૪) ૧૪. ચોરને ફાંસી દેવા માટે લઈ જવામાં આવે ત્યારે તેના આખા શરીર પર રાખ ચોળવામાં આવતી, તેની ચામડી પર ગેરુના હાથા પાડવામાં આવતા, ઘાસની રાખથી તેના શરીર પર કાળા ચાંદલા કરવામાં આવતા, ગળામાં કણેરના બાડકાની માળા પહેરાવવામાં આવતી, છાતી પર રામપાત્રની માળા પહેરાવવામાં આવતી, ફૂટેલી ઠીબનું માથા પર છત્ર કરવામાં આવતું, ગળાની એક બાજુ પર ચોરીનો માલ લટકાવવામાં આવતો અને તેને ગધેડા પર સ્વારી કરાવવામાં આવતી હતી, એમ સંસારીજીવરૂપ ચારને વધસ્થાનકે લઈ જવામાં આવતું હતું તે વખતે કરેલા તેના વર્ણન પરથી જણાય છે. (જુઓ છે. ૨. પ્ર. ૬. પૃ. ૨૯–૮). લગભગ આને મળતું જ વર્ણન બાળને ફાંસી દેવામાં આવે છે ત્યાં પણ આવે છે. (જુઓ..૩.પ્ર. ૧૦.પૃ.૪૬૦) Page #461 -------------------------------------------------------------------------- ________________ અનેક પ્રકારના રિવાજો : ] ૪૧૯ ૧૫. રાજા રાજસભા ભરે ત્યાં વખત જણાવવા માટે કાળનવેદક રહેતા હતા. મધ્યાહ્ન અથવા સાયંકાળ થાય ત્યારે નાખત વાગે, શંખ ફુકાય અને કાળનિવેદક એકાદ મ સૂચક લેાક બેલે એટલે સભા બરખાસ્ત કરવાના સમય થયેા છે એમ સમજવામાં આવતું હતું. ( પ્ર. ૩. પ્ર. ૨. પૃ. ૩૭૨ તથા પ્ર. પ. પ્ર. ૧૦. પૃ. ૧૨૧૯ ). મિનિટ કે કલાકની માથાકૂટ હતી નહિ. ૧૬. આપઘાત કરવાની રીતઃ ઝાડની શાખા સાથે દ્વારડું બાંધવું, રાફડા ઉપર ચઢી જવું, ગળામાં પેાતાને હાથે દારડું નાખવુ અને રાા પરથી નીચે પડવા જતાં સ્વયં લટકાઈ જવું. ( પ્ર. ૩. પ્ર. ૩. પૃ. ૩૭૫) ૧૭. ફાંસીએ ચઢાવ્યા પછી દ્વાર તૂટી જાય કે ખીજું કાંઇ મની આવે તા ફરી વાર ફાંસી દેવાના રિવાજ નહેાતા એમ માળના ચિત્ર પરથી જણાય છે. (પ્ર. ૩. પ્ર. ૧૦. પૃ.૪૦ અને તે પરની નેટ ) ૧૮. ધાન્યના ઢગલા–સમુદ્દાય પર ઇતિએ નુકશાન કરતી હતી. ઇતિ સાત પ્રકારની હતી તે માટે જુઓ નેટ. (પ્ર. ૩. પ્ર. ૪. પૃ. ૩૮૯) ૧૯. મુહૂત્ત જોવાના રિવાજ તે યુગમાં હતા. દીક્ષાની તારિખ જ્યેાતિષીને પૂછીને નક્કી કરવામાં આવતી હતી. ( પ્ર. ૩. પ્ર. ૧૭. પૃ. ૫૭૫ ) ૨૦. તે યુગમાં નજર લાગે છે એવી માન્યતા હતી. જ્યારે કાઇની નજર લાગી હાય ત્યારે તેના ઉપાય આ પ્રમાણે ગણાતા. વૃદ્ધ ડાશીને ખેલાવી તેમની પાસે મીઠું ઉતરાવવું ને અગ્નિમાં નાખવું. મંત્રમાં કુશળ માણસા પાસે અપમાન કરાવવું, રક્ષા કરવી, કાંડાને દ્વારા મધવા અને બીજા ભૂતિકર્મ ના પ્રસ ંગા હાથ ધરવા. (૫.૩. પ્ર. ર૪. પૃ. ૫૯૪). ગમે તેવી સખ્ત ડાળુ વળગી હેાય પણ જો તેને ખરાખર દમ મારીને ધમકાવી કાઢી હાય તા તેનુ જોર એકદમ નરમ પડી જાય છે ( પૃ. સદર ) એવી તે યુગની માન્યતા હતી. ૨૧. દાહન્વર થાય ત્યારે ચંદનનુ વિલેપન કરે, કપૂરના ઠંડા Page #462 -------------------------------------------------------------------------- ________________ હ૦. [ દશમી શતાબ્દિ પાણીના છાંટણા જેમાંથી થઈ શકે તેવા પંખાદ્વારા પવન નાંખે, ઠંડા તાડછાના પંખાથી અંગ પર ઠંડક કરે, નાગરવેલના પાનની બીડીઓમાં કપૂર નાખી ખવરાવે અને ટાઢક થાય તેવા અનેક પ્રયોગ કરે (પ્ર. ૩. પ્ર. ૨૪. પૃ. ૫૯). ૨૨. કઈ વાત ચાલતી હોય અને રસ્તા પરથી અવાજ આવે કે ચાલો, એ કામ તે સિદ્ધ થયું –એ અચાનક વચન જાણે પિતા માટે બોલાયું હોય એમ માની કાર્યસિદ્ધિ જરૂર થઈ જવાની તે સમયે માન્યતા હતી. (પૃ. ૬૦૧ ) એ હકીકતને પૃ. ૬૦૩ માં વધારે સ્પષ્ટ રીતે બતાવી છે. ૨૩. દશમી સદીમાં ગુલામની પ્રથા ચાલતી હશે એમ માનવાના દાખલાઓ છે. નંદિવર્ધન એરોની પલ્લી પાસે આવ્યા ત્યારે તેને હષ્ટપુષ્ટ જાણું ચરેએ વિચાર કર્યો કે એને લઈને કઈ જગ્યાએ વેચવામાં આવશે તે એનું ઘણું મૂલ્ય આવશે. (પ્ર. ૩. પ્ર. ૨૯ પૃ. ૬૪૧). ૨૪. તે સમયમાં દેશપરદેશના સમાચાર જાણવાનાં સાધન અતિ ઓછાં હશે એમ જણાય છે. નંદિવર્ધન ખૂને કરી રાજ્યભ્રષ્ટ થયે તેના સમાચાર બહુ વખત સુધી તેના મામાના દીકરા કનકશેખરને પડતા નથી એ વાત ભારે નવાઈ જેવી છે. (પ્ર. ૩. પ્ર. ૨૯ પૃ. ૬૪૭) તેવી જ રીતે વિભાકર રાજાને પણ તેના સમાચાર મળેલ જણાતા નથી. (પૃ. ૬૪૩). રાજાનું બાતમીદાર ખાતું તે ઘણું મજબૂત હોવું જોઈએ, પણ તે યુગની સ્થિતિ આવી જણાય છે. એ જ પ્રમાણે શાલપુરના રાજા અરિદમનને પણ જયસ્થળ નગર ભાઠા થઈ જવાના અને પિતાના અધિકારીના પણ કાંઈ સમાચાર મહિનાઓ સુધી મળ્યા નથી તેથી તે કાળમાં અવરજવરનાં સાધનો ઘણુ અલ્પ હશે એમ ચોક્કસ થાય છે. (પ્ર. ૩. પ્ર. ૩૧. પૃ. ૬૫૫). ૨૫. છોકરાને અભિનંદન આપવા સાથે તેના તરફ સ્નેહ બતાવવો હોય ત્યારે માથું મુંધવાનો રિવાજ હતે. (પ્ર.સ.પ્ર.૨. પૃ.૭૨૩). ૨૬. ઘોડાની જાતે પૈકી બહલી દેશના,કંબોજ દેશના અને તુર્કસ્તાન ના ઘોડાની જાતે ઊંચી ગણાતી. (. ૪. પ્ર. ૬.પુ. ૭૫૬) Page #463 -------------------------------------------------------------------------- ________________ અનેક પ્રકારના રિવાજો : ] ૪૨૧ ૨૭. વન—ઉદ્યાનનાં વણુના ઘણાં આવે છે તે પરથી અનુમાન થાય છે કે તે યુગમાં હિંદમાં મોટાં વન ખૂબ હશે. નગર મહાર ઉદ્યાન–અગિચા પણ ઘણા હશે એમ જણાય છે. દા. ત. જીએ લલિતવન વર્ણન. ( ૫. ૪. પ્ર. ૬. પૃ. ૭૫૭) આવાં અનેક વનનાં વર્ણન આવે છે. ૨૮. દારુના ભાજનને સે વાર ધાવામાં આવે તે પણ તે સાફ થઇ શકતું નથી એમ કહેલ છે (૫. ૪. પ્ર. ૧૯. પૃ. ૯૦૬) એ ઉપરથી એમ અનુમાન થાય છે કે તે વખતે દારૂ પીવા માટે માટીનાં ઢામના ઉપયાગ થતા હશે અને અત્યારે વપરાય છે તેવાં કેતેને મળતાં કાચનાં ઠામે કે ગ્લાસાના ઉપયાગ થતા નહિ હાય. ચિત્રામાં પણ દારુનાં ભાંડી માટીનાં જ બનાવેલાં જોવામાં આવે છે. ૨૯. મરણનાં અનેક કારણા પૃ. ૧૦૦૦( મ. ૪. પ્ર. ૨૮ )માં બતાવ્યાં છે તે તા આ યુગમાં પણ ચાલુ જ છે, પણ તેમાં પત પરથી પડવાથી એટલે ઘેરવજવ ખાવાથી અને હાથીના પગ તળે કચરાવાથી મરણ થાય છે એ એ કારણેા વિશેષ બતાવ્યાં છે તે ખાસ નોંધવા જેવાં છે. ૩૦. કાઈ સ્પૃહા વગરના મનુષ્યને કેાઈ ચીજ ભેટ આપીએ પણ ત સ્વીકાર ન કરતા હેાય તેા આગ્રહ કરીને તેના કપડાંને છેડે તે બાંધી દેવાના રિવાજ હતા, તે પરથી જણાય છે કે તે વખતે ખીસાં હતાં નહિ (મ. પ. પ્ર. પ. પૃ. ૧૧૭૭ ) અથવા વિદ્યાધરા માત્ર પિતાંબર અને ખેસ જ રાખતા હાય તા તેને ખીસાં ન હેાય તેમ પણ બનવાજોગ છે. ૩૧. ક્ષારવૃક્ષા—ઉંબરા, વડ, પીપળા ઊગે ત્યાં ધન જરૂર હાય છે એવી તે સમયે માન્યતા હતી. કેશુડાં( પલાશ)ને માટે પણ એવી જ માન્યતા હતી. એ વૃક્ષનુ થડ પાતળુ હાય તા થાડું ધન ત્યાં હાય છે, રાત્રે તેના પ્રકાશ પડતા હાય તા ખૂબ ધન ત્યાં હશે એવી માન્યતા હતી, કેશુડાંના ઝાડને વીંધતાં તેમાંથી રાતા રંગ નીકળે તે જમીનમાં રત્ન છે, સફેત રંગ નીકળે તેા રૂપ છે અને પીળા રંગ નીકળે તેા સેાનુ છે એમ સમજવું. કેશુડાના ઝાડના પ્રારાહ પર અનેક પ્રકારની ધનને Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ [ દશમી શતાબ્દિ ? અંગે માન્યતા હતી. (પ્ર. ૬. પ્ર. ૨. પૃ. ૧૪૫). આ વિદ્યાને અન્યવાદ-ધાતુવાદ કહેવામાં આવતું હતું. ૩૨. ધનને લેભી વાણીઓ માબાપને છેડી પરદેશ જાય છે, પર ણેલી સ્ત્રીને દિવસ સુધી મળવાની ફુરસદ પણ મેળવતે નથી અને ગમે તેવા સારા ખરાબ, પાપમય કે દુઃખમય વ્યાપારો કરી ધન મેળવવાની પિપાસામાં રાત-દિવસ મશગુલ રહે છે. (પ્ર. ૬. પ્ર. ૨ પૃ. ૧૪૭૯) ૩૩. એવા પણ પ્રસંગ જેવામાં આવે છે કે રાજા પિતાને ત્યાં જન્મનાર બાળક પિતાનું રાજ્ય પચાવી પડશે એ ભયથી એને જન્મતાં જ મારી નાખતા. (પ્ર. ૬. પ્ર. ૩. પૃ. ૧૪૮૭) ૩૪. દૂર દેશાવરમાં ગયા પછી ત્યાં પિતાના દેશના માણસો મળે ત્યારે ખુબ આનંદ થાય છે અને અરસ્પર મંત્રી સ્વતઃ જામી જાય છે. (પ્ર. ૬. પ્ર. ૩. ઈ. ૧૪૮૯) ૩૫. વસંત હતમાં મિત્રમંડળ સાથે બગિચા-ઉદ્યાનમાં જઈ જુદી જુદી રીતે વિનેદ કરવાનો રિવાજ હતા. (પ્ર. ૬. પ્ર.૩પૃ.૧૪૯૧). ૩૬. ઊંટ ગાંગર્યા કરતો હોય ત્યારે તેની પીઠ પર માલ ન લાદી શકાય તે તેને ગળે બાંધવાનો રિવાજ હતા અને તે હકીકતનેવ્યાતિ તરીકે પણ ઉપયોગ થતો હતો. (પ્ર. ૬. પ્ર. ૬. પૃ. ૧૫૩૨) ૩૭. જ્યોતિષમાં લોકો માનતા હતા. બારમાંથી અમુક રાશિમાં જન્મનાર કે થાય તે પર વર્તારા બહાર પડતા હતા. પ્રત્યેક રાશિના ગુણ વર્ણવ્યા છે. (પ્ર. ૭. પ્ર. ૧. પૃ. ૧૬૪૯-૫૪) ૩૮. મિત્રે મળે ત્યારે વ્યંગ્યમાં મશ્કરી કરે તેવા અનેક પ્રસંગે આવે છે તેમાંથી નીચેના બેંધવા જેવા છે. ગુણધારણ બીજે દિવસે બગિચે જવાનો વિચાર બતાવે છે ત્યારે કુલંધર મશ્કરીમાં પૂછે છે કે “ગુણધારણ બગિચામાં ચાવી ભૂલી ગયા છે કે શું?” આ ઠંડી મશ્કરી છે. (૫. ૮. પ્ર. ૧. પૃ. ૧૮૫૯). હરિકુમારના મિત્રો એને મન્મથને વશ પડેલો જોઈ ખૂબ બનાવે છે. (પ્ર. ૬. પ્ર. ૩. પૃ. ૧૪૯૧ થી ) Page #465 -------------------------------------------------------------------------- ________________ લેાકેાનું સમૂહવન : ] ૪૨૩ ૩૯. વૃદ્ધ માતા જુવાન કુમારિકા પુત્રીને લાડમાં ખેાળામાં બેસાડે એ ભારે અભિનવ વાત છે, પણ તે યુગમાં સત્ય જણાય છે. (૫. ૮. પ્ર. ૨. પૃ. ૧૮૭૨ ) ૪૦. પેાતે કહેલી વાત સાચી છે એમ ખાત્રી કરાવવા સાગન ( શપથ ) ખાવાના રિવાજ હતા. એકથી વધારે સાગન પણ ખાવામાં આવતાં અને કાઇ પ્રસંગે તા ભાર મૂકવા માટે અનેક ( સેંકડા ) શપથ લેવાના પ્રસંગ પણ નોંધાયા છે. (૫. ૮. પ્ર. ૨. પૃ. ૧૮૭૨) ૪૧. લગ્નવિધિઃ આઠે માતૃકાનું સ્થાપન કરવું, ( હાલ તેને માઇ થાપના કહેવામાં આવે છે. ) મંડપ બાંધવા, તેમાં વેદીની સ્થાપના કરવી, વેદીમાં અગ્નિકુંડ ચેતાવવા, વધૂકમ માં માતાએ દીકરીને સ્નાન કરાવે, વિલેપન કરે અને આભૂષણ ધારણ કરાવે. વરને સ્નાન વિલેપન વસ્ત્રાભૂષણ ધારણ કરે કરાવે, ગાર અગ્નિમાં ધૃત નાખે, યજ્ઞ કરે, તેમાં આહુતિ અપાય; તે માટે અંજળી ભરી ભરીને શાળ અગ્નિમાં નાખવામાં આવે. જોશી વરકન્યાનું પાણિગ્રહણ કરાવે. સ્ત્રીએ હર્ષ વિલાસ કરે. (ગીત ગાય) પતિ પત્ની સિંહાસન ( બાજોઠ ) પર બેસે. આટલી ક્રિયા અત્ર બતાવવામાં આવી છે. (પ્ર ૮. પ્ર. ૯. પૃ. ૧૯૪૯-૫૦) લેાકાનું સમૂહવત નઃ-— સમાજમાં સમુચ્ચયે લેાકેા કેવી રીતે વર્તતા હતા તે ઘણું જોવા જેવું છે. (૭) વસંતઋતુમાં લેાકા ટાળે મળી નગરની બહાર નીકળી પડતા હતા. ઉપવન–ઉદ્યાનમાં લેાકા એ ઋતુમાં લહેર કરતા હતા. કુદરતની લીલાને લાભ લેાકેા સારી રીતે લેતા હતા. ઝાડ સાથે હીંચકા લટકાવી તેના ઉપર બેસી અથવા ઊભા રહી હીંચકા ખાતાં ખાતાં આનંદૅ કરતા હતા. (પ્ર. ૪. પ્ર. ૨૧ પૃ. ૯૨૨–૪. ) (b) લેાકા ગામ બહાર જઈને ગાષ્ઠિ કરતા હતા, તેમાં સ્ત્રીઓ પણ પૂરતી છૂટથી ભાગ લેતી હતી. (૦) લેાકાના બાહ્ય આનંદમાં નન, વાદન અને સુરાપાન મુખ્ય ભાગ ભજવતા હતા. ચાળાચેન કરવા, મશ્કરી કરવી, સ્ત્રીઓને Page #466 -------------------------------------------------------------------------- ________________ ૨૪ [ દશમી શતાબ્દિક ચુંબન કરવું અને ઢંગધડા વગર અહીંતહીં દોડાદોડ કરવી, એમાં આનંદવિલાસ માનવામાં આવતો હતો. ( પૃષ્ઠ ૯૨૫ ). વસંત સમયમાં નગરના બહારના વિભાગો પૂર બહારમાં આવતા હતા એમ જણાય છે. (પૃ. ૯૨૭). આ પ્રસંગેમાં સ્ત્રીઓને અંગે વિલાસિની” શબ્દ વાપર્યો છે તે પિતાની પરણેલી સ્ત્રી માટે સમજ કે તેને વારવિલાસિની-નાયિકા સમજવી એનો નિર્ણય કરવો મુશ્કેલ લાગે છે, પરંતુ રાજાઓની સ્ત્રીઓ પણ એમાં ભાગ લે છે એ વાત આગળ જણાવે છે તે સર્વનો સંબંધ વિચારતાં કુળવાન વધૂઓ પણ એ આનંદમહોત્સવમાં ભાગ લેતી હતી એમ લાગે છે. (d) પૃ. ૨૯ માં ઉપવનમાં લાક્ષ રાજા આવે છે ત્યારે શું થાય છે તે માટે એક ફકરે ઘણે સૂચક છે. ત્યાં જણાવે છે કે “ ત્યારપછી તે સમુદાયમાં કેઈ લોકો નાચે છે, કઈ કૂદે છે, કેઈ દેડે છે, કેઈ આનંદના અવાજે કરે છે, કઈ કટાક્ષ ફેકે છે, કેઈ આળેટે છે, કોઈ અરસ્પરસ મશ્કરી કરે છે, કેઈ ગાય છે, કેઈ વગાડે છે, કઈ હર્ષ પામે છે, કઈ મોટેથી બૂમ પાડે છે, કોઈ આનંદમાં આવી જઈ કાખલી કૂટે છે અને કઈ સેનાની પીચકારીઓ હાથમાં લઈ તેમાં સુખડકેશરમિશ્રિત જળ ભરીને અરસ્પરસ ફેંકે છે.” અત્યારે હોળીના સમયમાં જે હકીકત બને છે તે અસલના વખતમાં કેવા પ્રકારે બનતી હશે તેને આથી કાંઈક ખ્યાલ આવે છે. (e) સદર બનાવ પછી લાક્ષ રાજા પિતાના ભાઈની વધુ રતિલલિતા પાસે નાચ કરાવે છે, મર્યાદાભંગ કરે છે અને ચંડિકાદેવીની મતિને ઉડાવી દે છે એ બનાવ અસાધારણ ગણુએ તે પણ એટલી હદ સુધીની મર્યાદાભંગની શક્યતા દશમી શતાબ્દિમાં હતી એમ તો લાગ્યા વગર રહે તેમ નથી. રાજા પિતાના નાના ભાઈ પર આધિપત્ય ભેગવતા જણાય છે, દેવીના મંદિરમાં પુષ્કળ દારુ પીવાય છે, નાચરંગ થાય છે અને દેવી પિતે પણ દારુ પીએ છે એ સર્વ હકીકત દશમી સદીની મનોદશા અને સમુદાયમાં લોકવર્તન બતાવે છે. આ સર્વ ભવચક્રનગરનાં કેતુકે છે. વર્તમાન કાળમાં પાશ્ચાત્ય દેશોના બેલ–નાચ જોતાં આપણને જે વિતર્કો થાય છે તેવા જ વિતર્કો ગ્રંથકર્તાને થયા જણાય છે અને અંતરંગ રાજ્યમાં મકરધ્વજ અને દેવી રતિને ખડા કરવાની જે જરૂરિયાત Page #467 -------------------------------------------------------------------------- ________________ લેઓનું સમૂહવર્તન :]. ૨૫ તેમણે જે છે તે ખાસ નેંધ કરવા યોગ્ય છે. દારુ અને પરદારાને સમુદાયમાં એ સદીમાં શું સ્થાન હતું એને આખો ચિતાર પ્ર. ૪. પ્ર. ૨૩ પૂરો પાડે છે. (f) ગામ કે શહેરમાં આગ થાય ત્યારે લોકસમુદાય કેવું વર્તન કરે છે એ દશમી સદીને અંગે વાંચવા ગ્ય છે. તે સમયે બંબા નહોતા અને આગ ઓલવવાની પદ્ધતિસરની ટુકડીઓ નહોતી. આગને પ્રસંગે ચેતરફ ધૂમાડાના ગોટે-ગોટા નીકળવા લાગ્યા અને આગના ભડકા વધારે વધારે નીકળવા લાગ્યા; વાંસને કુટવાના અવાજે કડાકા અને ધડાકા ચોતરફ સંભળાવા લાગ્યા. આવા મોટા અવાજ સાંભળીને લોક જાગી ઉઠયા, ચારે તરફ કેળાહળ થઈ ગ, ધમાધમ થઈ રહી, છોકરાઓ આકંદ કરવા લાગ્યા, સ્ત્રીઓ હાંફળીફાંફળી અહીંતહીં દોડવા લાગી, આંધળા માણસે બુમરાણ કરવા લાગ્યા, પાંગળા લેકે ઊંચેથી રડવા લાગ્યા, કુતુહળી મશ્કરાઓ કિલકિલાટ કરવા લાગ્યા, ચાર લોકે ચેરી કરવા લાગ્યા, બધી વસ્તુઓ બળવા લાગી, કૃપણ લેકે વિલાપ કરવા લાગ્યા અને માતા વિનાના પુત્રની માફક આખું ગામ શરણુ રહિત નિરાધાર જેવું થઈ રહ્યું.”(પ્ર૭. પ્ર. ૨. ૫. ૧૬૫૮) આટલું વર્ણન તે સમયે થતી આગ જોઈ હોય તેનાથી જ લખાય. લોકેની ધમાધમ, અવ્યવસ્થિત દેવાદેડી અને સ્ત્રી બાળકોના આકંદ એ અત્યારે પણ નાના ગામમાં આગ થાય ત્યારે દેખાય છે. ચોર લોક ચેરી કરવાની તક સાધે છે એ મેટી આગે જોઈ હોય તે સમજી શકે તેવું છે. (g) અત્યારે બજારમાં ગામગપાટા મારવામાં આવે છે તે જ પ્રકારે દશમી સદીમાં મારવામાં આવતા હશે એમ અગ્રહીતસંકેતાના કહેવા પરથી જણાય છે (પ્ર. ૨. પ્ર. ૪. પૃ. ૨૭૮). ખાસ કરીને રાજ્યના અને રાજકુટુંબની વાતો બજારમાં થતી હશે એમ સહજ અનુમાન થાય છે. () કઈ કઈ કુળવાન સ્ત્રીઓ પતિને તજી દઈ પરપુરુષ સાથે રમણ કરતી હશે અને જે ગુરુના પ્રતાપથી પોતે ગુણુભાજન થયેલ હોય તેના જ તરફ શિષ્ય પ્રતિકુળ થઈ બેસતા હશે એમ મહામોહના વર્ણન પરથી માલુમ પડે છે. (પ્ર. ૩. પ્ર. ૪. પૃ. ૩૯૨) ૫૪. Page #468 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ [ દશમી શતાબ્દિ : (i) પોતાના કુળને કલંક લાગે તેવું કાર્ય ન કરવું જોઈએ એ તત્સમયની લેકમાન્યતા હતી. (પ્ર. ૩. પ્ર. ૪. પૃ. ૪૦૬) (j) વસંત સમયમાં ઉદ્યાનમાં જઈ કામદેવની પૂજા કુમારિકાઓ સારે પતિ મેળવવાની ઈચ્છાઓ અને પરણેલી સ્ત્રીઓ સોભાગ્યમાં વધારે કરવા માટે કરતી હતી. (પ્ર. ૩. પ્ર. ૮. પૃ. ૪૩૫.) (k) દેવનું અપમાન કરનાર ઉપર લકે તૂટી પડતા હતા, તેની નિંદા કરતા હતા અને તેના વર્તનને તિરસ્કાર કરતા હતા (પૃ. ૪૩૯); પણ એકંદરે તેની ઉપેક્ષા કરતા હતા. તેને મારતા હોય કે ઈજા કરતા હોય એમ જણાતું નથી. (1) ગામમાં કોઈ અસાધારણ બનાવ બને એટલે કે વાત કરવા મંડી જાય. કોઈ પણ ખરાબ વાત આખા ગામમાં તુરત ફેલાઈ જતી હતી એમ જણાય છે. (પ્ર. ૩. પ્ર. ૯, પૃ. ૪૫૩) | (m) રાજાને દીકરો ખૂન પર ચઢે છે ત્યારે તેને પકડી લેવામાં આવે છે, કેદખાનામાં નાખવામાં આવે છે, પાંચ મોડીએ બાંધવામાં આવે છે અને લોકે તેની મશ્કરી કરે છે. (પ્ર. ૩. પ્ર. ૨૮. પૃ. ૬૩૯) | (n) રાજા પુત્રને કાઢી મૂકે છે ત્યારે લોકે પણ તેના નામ પર ધૂકે છે, તેને ન સ ભળાવવા લાયક વચને સંભળાવે છે અને તેની મશ્કરી કરે છે. (પ્ર. ૪. પ્ર. ૫. પૃ. ૭૫૫). (૦) સમૂહ વર્તનને અંગે નીચેનાં આખાં ચરિત્રો ખૂબ રસિક અને તત્સમયના સ્વભાવના આબેહૂબ વર્ણનથી ભરેલા છે. (૧) ચાર પ્રકારના પુરુષો: ઉત્તમોત્તમ, ઉત્તમ, મધ્યમ અને જઘન્ય. (પ્ર. ૩. પ્ર. ૧૨. પૃ. ૪૭૪-૪૯૨). (૨) છ પ્રકારના પુરુઃ નિકૃષ્ટ, અધમ, વિમધ્યમ, મધ્યમ, ઉત્તમ અને વરિષ્ઠ. (પ્ર. ૬. પ્ર. ૧૦ થી ૧૫ પૃ. ૧૫૫૭–૧૯૨૮) તે ઉપરાંત બાળ, મધ્યમ અને મનીષીનું ચરિત્ર ત્રીજા પ્રસ્તાવમાં આવે છે, તે ત્રણ પ્રકારના પુરુષને માટે સમજી લેવું. (P) તદ્દન અધમ લેકે ( નિકૃષ્ટ)નું બાહ્ય જીવનઃ દેખાવમાં Page #469 -------------------------------------------------------------------------- ________________ કાનું સમૂહવર્તનઃ ]. ૪૭ ભયંકર, ગરીબ, રાંક, દુઃખી; લેકે એની નિંદા કરે; પારકા ઉપર આધાર રાખનાર; હીનસત્વ; શરીરે ગડગુમડ જખમ અને મેલ જાત નેકર ચાકર કે ખેપીએ ઘાસના ભારા વેચીને કે હળ ખેડીને નિવાહ કરનાર; અત્યંત તુચ્છ જીવન વહનાર. ( મ. ૬. પ્ર. ૧૧. પૃ. ૧૫૭૪). આ પ્રકારના પ્રાણુઓ ધર્મ, અર્થ, કામ અને મોક્ષથી રહિત હોઈ પુરુષાર્થ વગરના હોય છે. (૬) અધમ લેકે અર્થ અને કામમાં આસક્ત રહે છે. એને ઇદ્રિના વિષયભેગની ખૂબ વાંછા હોય છે અને એ દયા, દાન, શીલ તરફ કેવી હોય છે. આ વર્ગમાં ભાટ ચારણ કે ભવાયાને સમાવેશ થાય. એમાં જુગારીઓ, વ્યભિચારી, નાસ્તિકે અને પાપીઓ પણ આવે. (પ્ર. ૬. પ્ર. ૧૨. પૃ. ૧૫૮૩) () વિમધ્યમ લેકે પિસા પેદા કરવામાં અને તેનું રક્ષણ કરવામાં આસક્ત રહે છે અને કઈ કઈ વાર ધર્મકાર્ય પણ કરે છે. એ સરળ પ્રકૃતિના હોય છે. એની દાન દેવાની ઈચ્છા હોય છે. એ શીલ પાળવા તત્પર હોય છે. એ દિવસના વિભાગ પાડી કેટલાક વખત વિષયસેવનમાં ગાળે અને થોડા વખત ધર્મકાર્યમાં ગાળે. આ વર્ગમાં સદાચારી બ્રાહ્મણે અથવા સારા પ્રખ્યાત રાજાઓને સમાવેશ થાય. (પ્ર. ૬. પ્ર. ૧૩. પૃ. ૧૫૮–૮૮.). (9) મધ્યમ લેકે ધર્મ, અર્થ, કામ, મેક્ષ ચારે પુરુષાર્થમાં ચાલુ પ્રયાસ કરનારા હોય છે. એ અર્થ કામની નિકૃષ્ટતા સમજે છે, પણ તેને સર્વથા તજી શક્તા નથી. એ ઘરબાર સ્ત્રી પુત્રનાં બંધનને સત્તાભાવે છેડી શક્તા નથી, પણ એને બરાબર ત્યાજ્ય સમજે છે. જૈન શાસનમાં વર્તતા શ્રદ્ધાવાળા અને પાપથી પાછા હઠેલા દેશવિરતિએને આ વર્ગમાં સમાવેશ થાય છેપ્ર. ૬. પ્ર. ૧૩. ૫. ૧૫૯૦-૨) (૪) ઉત્તમ લકે વસ્તુસ્થિતિ સમજીને તે સમજણ પ્રમાણે અમલ કરે છે. એ અંતરંગ રાજ્યપ્રવેશના ઉપાયે સમજે છે અને સમજીને તેને અનુસરે છે. એને માટે તેર બાબતે ત્યાં બતાવી છે: ગુરુઉ૫ચર્યા, શાસ્ત્રને અભ્યાસ, ક્રિયાનું આચરણ, ગતપાલન, સાધુતા, ઇંદ્રિય પર અંકુશ, ભાવના, સંતેષ, તપ, સ્વાધ્યાય, અંતરશુદ્ધિ, પરીષહસન અને ગ. ત્યારપછી અંતરંગ રાજ્યપ્રવેશના Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ [ દશમી શતાબ્દિ : રસ્તા બતાવ્યા છે. ત્યાં આખા ચેગ સમાન્યા છે. એમાં વૈરાગ્યના અભ્યાસથી શરૂ કરી યાગરુ ંધન સુધીના રસ્તા બતાવ્યા છે. એ સર્વ રસ્તાઓને ઉત્તમ જીવ અનુસરે છે. ( પ્ર. ૬. પ્ર. ૧૪. પૂ. ૧૫૯૪–૧૬૧૦ ) ( ૫ ) વરિષ્ઠ વર્ગમાં સ્વયં જ્ઞાની આવે છે. એમાં ગણધરોને સમાવેશ થાય. તીથ કર આ કેડિટમાં આવે. એ સાર ભી હાય, પરમ ઐશ્વ સંપન્ન હેાય અને ગભીર આશયવાળા હાય. એને સ્પૃહા નામ માત્ર પણ ન હેાય, અને પ્રાતિહાર્ય સમવસરણ આદિ બાહ્ય લક્ષ્મી હેાય, અનેક અતિશયા હાય અને એ અઢાર મહાદૂષણથી રહિત હાય. (પ્ર. ૬. પ્ર. ૧૫. પૃ. ૧૬૧૩–૨૮ ) તત્સમયની કેટલીક માન્યતાઓઃ (a) મીઠું –લૂણુ વધારે ખાવાથી ઘડપણ એકદમ આવે છે. (મ. ૪. પ્ર. ૨૮. પૃ. ૫) (b) પુરુષ સ્ત્રીના શરીરલક્ષણ પર અનેક જાતની માન્યતાઓ હતી. તે પર પાંચમા પ્રસ્તાવમાં પ્રકરણ ત્રીજું વિચારવા ચેાગ્ય છે. ( પૃ. ૧૧૫૧–૧૧૬૩ ) કેટલીક હકીકત ખાસ અભિનવ છે. એ ઉપરાંત પાકાજ્ઞાનની વાત પણ ત્યાં બતાવી છે. પગલાની નિશાની પરથી જેના પગની એ નિશાની હાય તે કેવા પ્રકારના લક્ષણવાળા મનુષ્ય હશે તે જાણવાના જ્ઞાનને પાદુકાણાન કહેવામાં આવે છે. (પ્ર. ૫. પ્ર. ૧. પૃ. ૧૧૫૦ ) (૦) પુરુષના જેવા વણુ હાય છે તેવું તેનું રૂપ હાય છે, જેવું રૂપ હાય છે તેવુ તેનુ મન હાય છે, જેવુ મન હેાય છે તેવું તેનું સત્ત્વ હાય છે અને જેવું સત્ત્વ હાય છે તેવા તેનામાં ગુણા હાય છે. (પ્ર. ૫. પ્ર. ૧. પૃ. ૧૧૬૦) ( d ) કેશુડાના ઝાડ પાસે ( નીચે ) ધન દાટેલું હાય છે અને તેના પ્રારાહા અને ડાળીએ અમુક પ્રકારના હાય તા તેની નીચેથી સાનું રૂપું રત્ન વિગેરે મળે છે તે સબંધી આખી હકીકત અનેક Page #471 -------------------------------------------------------------------------- ________________ નીતિ–વ્યવહારના ખ્યાલે : ] ૪૯ પ્રકારના રિવાજોના શિર્ષક તળે નોંધાયલી છે તે અન્ન પણ પ્રસ્તુત છે. એ સદીની માન્યતાઓ જાણવાનું એ સારું સાધન પુરું પાડે છે. (મ. ૬. પ્ર. ૨. પૃ. ૧૪૭૫) ( ૭ ) મહાપુરુષોને વિપત્તિ આવતી નથી અને કદાચ આવે તે અલ્પ સમયમાં વિસરાળ થઈ જાય છે અને તેમને નિર ંતર આન ંદ જ રહે છે. ( ૫. ૬. પ્ર. ૭. પૃ. ૧૫૪૨ ) સાધુપુરુષા વિકાર વગરના હેાય છે. ( પૃ. ૧૫૪૩ ) (f) ખીલીના ઝાડના પ્રરાહ તેની શાખામાંથી ફૂટીને જમીન સુખી ગયેલા હાય તા ત્યાં ધન દાટેલું છે એવી; માન્યતા હતી. (૫. ૬. પ્ર. ૧૬, પૃ. ૧૫૩૬) ( ૪ ) વાંદરાને ગમે તેટલું ઘી પીવરાવવામાં આવે તેથી તે પુષ્ટ થતા નથી. (પ્ર. ૭. પ્ર. ૧૫. પૃ. ૧૮૦૯ ) નીતિ–વ્યવહારના ખ્યાલેઃ— દશમી શતાબ્દિમાં વ્યવહાર અને નીતિના ખ્યાલેા કેવા હશે તે જાણવાના અનેક પ્રસંગે ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે જીઆ:— ' ( ૭ ) · આપ સાહેબના સદુપદેશથી જ્યારે હું ચારીથી કાઇ પણ પદાર્થ લેતા નથી, રાજ્યવિરુદ્ધ કાઈપણ કાર્ય કરતા નથી, વેશ્યા અથવા પારકી સ્ત્રી તરફ ષ્ટિ કરતા નથી અને એવું ધ વિરુદ્ધ અથવા લાકવિરુદ્ધ કાઈપણુ આચરણ સદર ઉપદેશ પ્રમાણે કરતા નથી અને મહાઆરભ અને મહાપરિગ્રહમાં રીઝી જતા નથી ત્યારે લેાકા મને સાધુ ( સારા માણુસ ) તરીકે ગણે છે, મારામાં વિશ્વાસ મૂકે છે અને મારાં વખાણ કરે છે......પૈસા ઉપરની મૂર્છાને લઈને હું ચારીથી ધન ઉપાડવા માંડું છું, વિષયલેાલુપતાને લીધે વેશ્યા પરસીગમન કરું છું અને તેવું ખીજું કાંઈ પણ ખાટું આચરણ કરું છું ત્યારે લેાકેા તરફથી નિ ંદા, રાજ્ય તરફથી શિક્ષા અને સ ધનહરણ, શરીરના ખેદ, મનને તાપ અને બીજા અનેક પ્રકારના અનર્થી આ લાકમાં જ પ્રાપ્ત કરું છું. ( રૃ. ૧૯. પીઠમ’ધ) Page #472 -------------------------------------------------------------------------- ________________ [ દશમી શતાબ્દિ : (b ) કાઇ મૂર્ખ માણુસ અકાર્ય કરવા તૈયાર થયા હાય ત્યારે તેને તેમ કરતાં અટકાવવાના પ્રયાસ નિરર્થક છે. રાખના ઢગલામાં શ્રીની આહુતિની પેઠે એ નકામા જાય છે. (પ્ર. ૩. પ્ર. પુ. પૃ. ૪૦૭) ૪૩૦ (૦) બે જુદાં જુદાં કાર્યને અંગે કહ્યુ` કા` પ્રથમ કરવું એવી મનમાં શંકા થાય ત્યારે કાળક્ષેપ કરવા. (પૃ. ૪૧૦ ) (d) ઉદ્યાનમાં અન ગતરશને દિવસે અનેક સ્ત્રીએ કામદેવની પુજા કરવા આવે ત્યારે માહાંધ કામી પુરુષા પાનાને પસંદ આવે તવી સ્ત્રીઓ સાથે સંબંધ કરવાની તક મેળવવાની લાલચે તે મંદિરમાં આવતા હતા. આવા બહાદુર (!) પુરુષા દશમી સદીમાં પણ હતા તે ખાસ નોંધવા જેવું છે. (પ્ર. ૩. પ્ર. ૮. પૃ. ૪૩૫ ) ( ૧ ) ગુરુની સ્રો ગમે તેવા રૂપાળી હાય તા પણ તે સર્વથા અગમ્ય છે અને દેવની શય્યા પર સૂવાતુ નથી.(૫. ૩. પ્ર. ૮. પૃ. ૪૩૯ ) (f) સારી રીત છુપાવીને કરેલ પાપાચરણ પણ જરૂર પ્રસિદ્ધ થઈ જાય છે અને તને છુપાવવા પ્રયત્ન કરવા એ મિથ્યા છે. (૫, ૩. પ્ર. ૯, પૃ. ૪૫૧ ) (g ) જનસમાજના મેાટા ભાગના વન માટે મધ્યમ પ્રકારના માણસાની સ્થિતિ અને અધમ વર્ગની સ્થિતિ ચાર પ્રકારના પુરુષાના વર્ણન પરથી સમજાય છે. તે વખતના સમાજને સમજવા માટે એ વર્ણન ઘણું ઉપયાગી જણાય છે. મધ્યમ વર્ગ સંશયારૂઢ રહે છે અને જધન્ય વર્ગ લહેરી અને વિષયાંધ હાય છે. ( પ્ર. ૩. પ્ર. ૧૨. પૃ. ૪૮૬–૭) જઘન્ય વર્ગના પ્રાણીએ ઘણી મોટી સંખ્યામાં હાય છે એમ આચાય કહે છે તે તે સમયની સમાજ~ સ્થિતિ ખતાવે છે. ( પૃ. ૨૮૮ ) ( h ) એક માણસને મિત્ર તરીકે સ્વીકાર્યા પછી તેના દોષ જાણવામાં આવે તે પણ તેના અકાળે ત્યાગ કરાય નહિ એવી તે સમયની લેાકનીતિ હતી, (ષ્ટાંત શુભસુંદરીની મનીષીને સલાહ (૫, ૩. પ્ર. ૫. પૃ. ૪૦૫) પણ અવસર આવે ત્યારે ત્યાગ ન કરે તા પછી પરિણામે તેના પેાતાના જ ક્ષય થાય છે. તે સમયની નીતિ Page #473 -------------------------------------------------------------------------- ________________ નીતિ-વ્યવહારના ખ્યાલ ] ૪૩૧ એવી હતી કે હેયબુદ્ધિએ પણ કારણસર અન્યને ગ્રહણ કરાય અને ત્યાગના અવસરની રાહ જોવાય. વર્તમાન વર્તનવિચારણાનિર્ણય અને આ નિર્ણયમાં ઘણે માટે આંતર છે તે નોંધવા જેવું છે. (i) ચંડાળ સ્ત્રીને અસ્પૃશ્ય માનવામાં આવતી હતી અને તેની સાથે મેથુન સંબંધ કરી તે પર્યંવર્ગ માટે અત્યંત કનિષ્ઠ કામ ગણવામાં આવતું હતું. (૨, ૩. પ્ર. ૧૩ પૃ. ૪૯) _(j) સાધુપુરુષ આત્મનિંદા, પરસ્તુતિ અને પિતાના પૂર્વ ચરિત્રનું વર્ણન ન કરે, પણ અતિ આગ્રહ અને ખાસ લાભનું કારણુ દેખે તે પોતાના પૂર્વ પશ્ચિમ સમયનું વર્ણન કરે. (પ્ર. ૪. પ્ર. ૬. પૃ. ૭૬૦ ) (k) સજન પુરૂષો વડીલના વાક્યનું કદી પણ ઉલ્લંઘન કરતા નથી. (. ૪. પ્ર. ૭ પૃ. ૭૭૯ ) (1) ગુરુની સ્તુતિ તેમની હાજરીમાં કરવી, મિત્ર અને સગાની સ્તતિ તેમની ગેરહાજરીમાં કરવી, નેકરની સ્તુતિ (પ્રશંસા) કામ થઈ રહ્યા પછી કરવી, પુત્રની સ્તુતિ (પ્રશંસા) ન કરવી અને સ્ત્રીની પ્રશંસા તો તેના મરણ પછી જ કરવી (મ. ૪. પ્ર. ૭. પૃ. ૭૮૩) (m) હસવાનું ગમે તેવું કારણ પ્રાપ્ત થાય તે પણ ગંભીર ચિત્તવાળા મનુષ્ય તે માત્ર મૂછમાં જ હસે છે, મુખને જરા મલકાવે છે, ખડખડાટ હાસ્ય કદી કરતા નથી. (મ, ૪. પ્ર. ૧૫. પૃ. ૮૭૩) (n) દારુની અસર તળે લાક્ષ રાજા પોતાના ભાઈ રિપુકંપનની સ્ત્રી ઉપર બળાત્કાર કરે છે એ વાત ખાસ વિચારવા યોગ્ય છે. પરાધીનપણું હોવા છતાં દારુની અસર નીચે આ વાત શક્ય હતી એ નેંધવા જેવું છે. (પ્ર. ૪. પ્ર. ૨૨ પૃ. ૯૪૧). (૦) સારી આકૃતિ–સુંદર રૂપ હોય ત્યાં નિર્મળ ગુણે વાસ કરે છે. (પૃ. ૪. પ્ર. ૨૮. પૃ. ૧૦૦૭) (p) જ્યાં મૃષાવાદ હોય છે ત્યાં ઘણે ભાગે માયા પણ સાથે જ હોય છે. (પ્ર. ૫ પ્ર. ૧. પૃ. ૧૧૪૪.) Page #474 -------------------------------------------------------------------------- ________________ ૪૩ર [ દશમી શતાબ્દિક (૬) જ્ઞાન, વિજ્ઞાન, ધૈર્ય, સ્મૃતિ, સમાધિ-એ સત્વવૃદ્ધિના ઉપાય છે. (પ્ર. ૫. પ્ર. ૧ પૃ. ૧૧૬૦.). (૪) એકાંત સ્થાનમાં ઢાંકણુ વગરનું દહીનું ભાજન પડેલું હોય તે સ્વાદલુબ્ધ કાગડે એને છોડીને બીજે કેમ જાય? તેમ રૂપાળી સુંદર સ્ત્રી એકલી પડેલી જણાય તો એના વિલાસી પુરુષો એને કેમ છેડે? (પ્ર. ૫. પ્ર. ૪. પૃ. ૧૧૭૩.) (s) ડાહ્યો માણસ અવસર વગર કઈ પણ કામ કદી શરૂ કરતો નથી, કારણ કે નીતિ અને પુરુષત્વને અવસર જ બરાબર કામ સાધી શકે છે. (પ્ર. ૫. પ્ર. ૧૯. પૃ. ૧૩૦૬ ) (t) પ્રાણું ગમે તેટલાં શાસ્ત્રો જાણતા હોય પણ જે પોતાની અવસ્થા બરાબર સમજતો ન હોય તે જેમ આંધળા માણસની પાસે આરિસ ધરવામાં આવે તે નકામો થાય છે તેમ તેનું જ્ઞાન પણ નકામું થાય છે. (u) ધનશેખર ધન કમાવા માટે પરદેશ જવા તૈયાર થાય છે ત્યારે તેના પિતા હરિશેખર તેને શિખામણ આપે છે તે દશમી શતાબ્દિને નીતિ અને વ્યવહારનો સ્પષ્ટ ખ્યાલ આપે છે. આ ફકરો ખાસ લાક્ષણિક હોઈ દશમી શતાબ્દિને ચિતરે છે. “દીકરા! મેં તને સુખમાં ઉછેર્યો છે, તે પ્રકૃતિથી સીધી લાઈનને છે, દેશતર દૂર છે, રસ્તાઓ આડાઅવળા અને આકરા છે, લેકે વાંકા હૃદયવાળા હોય છે, સ્ત્રીઓ છેતરવાની કળામાં ઘણી કુશળ હોય - છે, નીચ અને દુર્જનો ઘણું હોય છે, સજ્જન માણસે ભાગ્યે જ મળી આવે છે, ધૂતારા લેકે અનેક પ્રકારના પ્રયોગે કરવામાં ચતુર હોય છે, વાણીઆઓ કપટી હોય છે, કરિયાણા વિગેરે વસ્તુઓનું રક્ષણ કરવામાં ઘણું મુશ્કેલી નડે છે, નવી જુવાની અનેક પ્રકારના વિકારેને કરનારી હોય છે, કાર્યોનાં પરિણામ દુઃખે જાણી શકાય તેવાં હોય છે, પાપ અથવા અકૃત્ય અનર્થને પસંદગી આપનારા હોય છે, ચાર અને લુચ્ચાઓ હેરાન કરનારા હોય છે, તેથી જ્યારે એવા પ્રસંગ આવે ત્યારે વખતને અનુસરીને કઈ વખત પંડિત બની જવું, કેઈવખત મૂર્ખ બની જવું, કેઈ વખત દાક્ષિણ્યવાળા થઈ જવું અને કઈ વખત તદ્દન કઠેર બની જવું, Page #475 -------------------------------------------------------------------------- ________________ સાંસારિક મને રાજય ] ૪૩૩ કેઈ વખત દયાળુ બની જવું અને કઈ વખત નિર્દય બની જવું, કઈ વખત મેટા લડવૈયા બની જવું અને કોઈ વખત તદ્દન બીકણ બની જવું, કોઈ વખત મોટા દાનેશ્વરી બની જવું અને કોઈ વખત એકદમ કૃપણ બની જવું, કઈ વાર બગવૃત્તિ ધારણ કરી તદ્દન મન રહી જવું અને કોઈ વખત ચતુર વક્તા બની જવું, અને હમેશાં ક્ષીરસમુદ્ર જેવા ઊંડા, ગંભીર અને શાંત થઈ જવું, તેમજ એટલા ઊંડા થવું કે કઈ માણસ એ સમુદ્રને મધ્યભાગ કદી પામી શકે નહિ.” (પ્ર. ૬. પ્ર. ૧. પૃ. ૧૪૭૧). | (y) ધનવાન પાસે ધન છે તે તેની પાસે શા માટે રહેવા દેવું જોઈએ? તેને તેના ઉપર શો હક્ક છે? એમની પાસેથી લક્ષ્મી પડાવી લેવી એમાં શું ખોટું છે? આવા સમાજવાદના વિચારે તે સમયે પણ હતા. (પ્ર. ૬. પ્ર. ૨. પૃ. ૧૪૭૪). (w) જે પ્રાણુ કંટાળો પામે છે તેને ધન મળતું નથી, તેથી સમજુ માણસો કહે છે કે કોઈ પણ બાબતમાં કટાળવું નહિ એ જ ધન એકઠું કરવાને મૂળ ઉપાય છે. (પ્ર. ૬. પ્ર. ૮. પૃ. ૧૫૪૯) (૪) જેનું પિતાના ઘરમાં બરાબર માન નથી હોતું અને જેને ઘરમાં પરાભવ થતો હોય છે તે બહાર પણ પરાભવ જ પામે છે. થો મૂતોડ પર થી મૂર્તિા (પ્ર. ૬. પ્ર. ૧૧. પૃ. ૧૫૭૪) | (y) જેણે બારીક અવેલેકન કરીને એક સંવત્સર (વર્ષ) જોયેલ હોય તેણે આખી દુનિયાની બરાબર અવેલેના કરી લીધી છે એમ સમજવું, કારણ કે દુનિયાના ભાવો ફરી ફરીને એવી ને એવી રીતે અન્યાન્ય સંબંધે બન્યા જ કરે છે. (પ્ર. ૬. પ્ર. ૧૬. પૃ. ૧૬૩૦) (2) જે વસ્તુ નખથી છેદી શકાય તેવી હોય તેને ડાહ્યો માણસ કુહાડાથી છેદવી પડે તેટલી મોટી થવા દેતો નથી, તેને મૂળમાંથી જ ડાંભી દે છે. (પ્ર. ૭. પ્ર. ૧૧. પૃ. ૧૭૭૨) સાંસારિક મનોરાજ્ય (a) સાંસારિક પ્રાણુઓને શું શું મેળવવાની ઈચ્છા થતી હોય છે તેનું વર્ણન પીઠબંધ પૃ. ૬૫ માં આવે છે, તે પરથી જણાય ૫૫ Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ [ દશમી શતાબ્દિઃ છે કે પ્રાણીને ઘણી સ્ત્રીઓ પરણવાની આકાંક્ષા થતી અને તે સર્વ સ્ત્રીઓ પિતાને એકલાને જ વફાદાર રહે એવી તેની ઈચ્છા રહેતી, પિતાને પરિવાર વિનયી અને ચતુર થાય એવી ભાવના રહેતી, મહેલોમાં વસવાની હોંશ થતી, અનેક રત્ન ઘરમાં ભરેલાં હોવાના એ યુગના લાકે સ્વનાં સેવતા હતા, ઘરેણું ઘડાવવાના સંકલ્પ કરતા હતા, ચીનાઈ (રેશમી) અને સુતરાઉ વસ્ત્રોના ઢગલા વાંછતા હતા, મહેલની બહાર બગિચો કરાવવાનો વિચાર કરતા હતા અને ઘોડાના રથમાં (ઘેડાગાડીમાં) બેસી પિત ફરે અને પાળા આગળ પાછળ ચાલે અને બહુ તો પિત રાજા થાય–આ તે યુગનું મનોરાજ્ય હતું. એમાં સાહિત્ય કે અભ્યાસને સામાન્ય જનતામાં સ્થાન હોય એવું જણાતું નથી. (પીઠબંધ પૃ. ૬૫-૬૮) યુવાની કાયમ ટકે એવા પ્રયોગો કરવાને લોકે યત્ન કરતા હતા. (સદર. પૃ. દ૯). (b) સંસારસુખનો ખ્યાલ આ પ્રમાણેને જણાય છે – અમે માંસ ખાઈએ છીએ, દારુ પીએ છીએ, બત્રીશ પ્રકારનાં ભજન અને તત્રીશ પ્રકારના શાક આરોગીએ છીએ, સુંદર સ્ત્રીઓ સાથે વિલાસ કરીએ છીએ, ઊજળાં મૂલ્યવાન વસ્ત્રો પહેરીએ છીએ. પંચ સુગધી યુક્ત પાન ચાવીએ છીએ, ફૂલની માળા ધારણ કરીએ છીએ, શરીર પર વિલેપન કરીએ છીએ, ધનને ઢગલે એકઠે કરીએ છીએ, મનને ગમે તેવી ચેષ્ટાઓ કરીએ છીએ, દુશ્મનની ગંધ પણ કહેતા નથી, અમારી કીર્તિને ચોતરફ ફેલાવીએ છીએ.” (પ્ર. ૭. પ્ર. ૭. પૃ. ૧૭૧૯) પુત્રપ્રાપ્તિ માટે તીવ્ર ઈચ્છા– એ યુગમાં પુત્રપ્રાપ્તિ માટે ખૂબ ઈચ્છા થતી હશે એમ નીચેના પ્રસંગેથી જણાય છે. () દેવી કાળપરિણતિ પિતાના પતિ કર્મ પરિણામને કહે છેઃ “આપની કૃપાથી હું સર્વ કલ્યાણ પ્રાપ્ત કરી ચૂકી છું, આ દુનિયામાં દેખવા લાયક સર્વ પદાર્થો આપની કૃપાથી હું જોઈ ચૂકી છું, માત્ર અત્યાર સુધી મેં પુત્રનું મુખ જોયું નથી એટલું બાકી છે, તેથી જે આપશ્રીની કૃપાથી મને એક પુત્ર થઈ જાય તે મારું Page #477 -------------------------------------------------------------------------- ________________ રાજા–રાજ્ય–રાજસેવક–રૈયત : ] ૪૩૫ જીવતર સફળ થાય, નહિ તે આ જીવન બધુ નિષ્ફળ છે. (પ્ર. ૨. પ્ર. ૩ પૃ. ૨૭૧. ) ( b ) સરળ શેઠ અને બંધુમતી ઘરડા થયા હતા, પુત્ર નહેાતા, દુકાન પર વામદેવ આવી થાડાં આંસુ પાડે છે એટલે શેઠ એને પુત્ર કરી લે છે અને આશા રાખે છે કે એ દીકરા પેાતાનુ ઘડપણ પાળશે. ( પ્ર. ૫. પ્ર. ૨૨. પૃ. ૧૩૩૧ ) ( ૮ ) વિદ્યાધરના રાજા કનકદરને પુત્ર નથી. એની દિલગીરીના પાર નથી. એ માટે એની રાણીએ અનેક ઔષધા ખાધાં, ગ્રહશાંતિ કરાવી, `કડા માનતાએ માની, નિમિત્તિયાને ખેલાવી ભવિષ્ય પૂછ્યું, મ ંત્રવાદીએ પાસે જાપ કરાવ્યા, જ ંત્રા હાથે આંધ્યાં, જડી મૂળી પીધાં, કેતુકા કર્યાં, અવક્રુતિ નીકાળી, હેારા તા શોધ્યાં, પ્રને પૃયા, સ્વપ્ન-અર્થ પૂછ્યા અને યાગિણીએની પ્રાર્થના કરવામાં આવી. ( પ્ર. ૮. પ્ર. ૨. પૃ. ૧૮૬૨) (d) શાપુરના શ્રીગભ` રાજાની પુત્રપ્રાપ્તિ માટેની તીવ્ર ઇચ્છા નોંધવા યાગ્ય છે. એણે તા વળી અનેક એધિએ પણ ખાધી જણાય છે. એને ત્યાં પુ ડરીકને જન્મ થાય છે. (પ્ર. ૮. પ્ર. ૧૪. પૃ. ૧૯૮૩) રાજા–રાજ્ય-રાજસેવક–રૈયત— ' (a) · વસ્તુઓ ( દ્રવ્યાદિ ) પ્રાપ્ત કરવાના ઇરાદાથી મનુષ્યા રાજસેવા ઉઠાવે છે, રાજાની ચાકરી કરે છે, તેના તરફ વિનય ખતાવે છે, તેને અનુકૂળ લાગે તેવુ ખેલે છે, તેની ખુશામત કરે છે, પાતે દિલગીરીમાં હેાય તે પણ રાજાને હસતા દેખીને પોતે હસે છે, પેાતાને ઘેર પુત્રજન્મ થવાથી ઘણા આનંદ થતા હાય ત્યારે પણ રાજાને રડતા જોઈને પાતે રડવા લાગી જાય છે, રાજાના માનીતા લેાકેા પોતાના દુશ્મન હેાય તે પણ તેમનાં વખાણ કરે છે, રાજાના દુશ્મના પોતાના ઇષ્ટમિત્ર હાય તો પણ રાજાની સમક્ષ તેમની નિંદા કરે છે, રાજાની આગળ રાતદિવસ દાડે છે, પોતે તદ્ન થાકી ગયા હાય તા પણ રાજાના પગ ચાંપવા મેસી જાય છે, રાજાના અપવિત્ર સ્થાના પેાતાને હાથે ધુએ છે, રાજાની આજ્ઞાથી ગમે Page #478 -------------------------------------------------------------------------- ________________ [ દશમી શતાબ્દિ : તેવું હલકું કામ ઉપાડી લે છે, યમના મહાં જેવા રણમેદાનમાં જાતે પ્રવેશ કરે છે, તરવાર ભાલાના ઘા સહન કરવા માટે પોતાની છાતી આગળ ધરે છે.” (પીઠબંધ પૃ. ૭૩). આમાં રાજસેવકની ખુશામત અને આજ્ઞાંકિતપણું ખાસ નોંધવા જેવું છે. (b) રાજમંદિરમાં રાજાની પાસે અમાત્ય, મોટા દ્ધાઓ, નિયુક્તક ( કામદારે), તલવર્ગિક ( કોટવાળો ), વૃદ્ધ સ્થવિરાઓ, લશ્કરી સુભ, વિલાસિની સ્ત્રીઓ વિગેરે રાખવામાં આવતા હતા. એ ખાસ નેંધવા જેવું છે (પીઠબંધ. પૃ.૯૧) અને રાજમંદિરમાં પ્રવેશ રજા વગર થતો નહોતો એમ સ્વકર્મવિવર દ્વારપાળના ઉપયોગથી જણાય છે. (સદર ) (૯) રાજાની નજર પડે તે પણ ધન્યતા માનવામાં આવતી હતી, એટલે રાજાઓ જાણે દેવાંશી હોય એ વિચારને પ્રચાર હતો એમ સાતમા માળ પર બેઠેલા સુસ્થિત રાજની નજર ભિખારી પર પડવાને પરિણામે તેની ધન્યતા માનવાની હકીકત પરથી પ્રાપ્ત થાય છે. (પીઠબંધ પૃ. ૧૧૨) અને તે જ પીઠબંધના પૃ. ૧૧૫ માં “યથા પ્રજ્ઞા ” ના સૂત્રને નિર્દેશ કરી રાજાની વિશિષ્ટ સત્તા સંબંધમાં તે યુગના વિચારો બરાબર વ્યક્ત કર્યા છે. રાજ્યકૃપા માટે કેટલો તલવલાટ હશે તે આ આખો પ્રસંગ પરથી સહજ સમજાય છે. Divine Rights of Kings(રાજાના દેવી હકક્કો)ને સિદ્ધાંત આ યુગમાં પ્રવર્તતો હતો એમ બરાબર લાગે છે. (d) રાજ્યવિરુદ્ધ કાંઈ પણ કાર્ય કરવું તે બહુ ખરાબ-નિંદ્ય કામ ગણાતું હતું એમ લેકવિરુદ્ધ કાર્યોની ગણનામાં તેને સ્થાન (પૃ. ૧૯૦ પીઠબંધ) આપ્યું છે તે પરથી જણાય છે. (e ) રાજાઓ તાબાનાં રાજ્યમાં પોતાને સરસૂબો (મહત્તમ) નીમતા હતા. દરેક પ્રાંતમાં એક સેનાધિપતિ અને મહત્તમ નીમાતો હતો. મહારાજાનો હકમ દૂત મારફતે ત્યાં મોકલવામાં આવતો હતો. સંદેશ લઈ આવનાર દૂતને ખૂબ માન આપવામાં આવતું હતું અને મહારાજાને સંદેશો આખી સભા અને સેનાપતિ તથા સૂબો ખડેપગે સાંભળતા હતા. (અસંવ્યવહાર નગરની આ આખી પદ્ધતિ પ્ર. ૨. પ્ર. ૭ માં વર્ણવી છે તે દશમી સદીના રાજ્યબંધારણ ઉપર ખાસ અજવાળું પાડે છે. જુઓ પૃષ્ઠ ૩૦૦-૩૦૫) Page #479 -------------------------------------------------------------------------- ________________ રાજા-રાજ્ય-રાજસેવક-યત ઃ ] ૪૩૭ મહારાજાના રાજ્યપ્રદેશમાં વસ્તી કેટલી છે તેને કર્મપરિણામને ખ્યાલ નથી એવું અંધેર દશમી સદીમાં ચાલતું હતું. સદાગમ ઘણાને મેક્ષે મોકલી દે, તે ખાલી પડેલી જગાએ પૂરવાની રાજાને ચિંતા થઈ પડી હતી, પણ એને પિતાના સૂબાના તાબામાં કેટલી મોટી વસ્તી હતી તેને ખ્યાલ નહોતો. (પ્ર. ૨. પ્ર. ૭. પૃ. ૩૦૪–૫) વર્તમાન સરકારના દફતરમાં નાની નાની વિગતોના પણ આંકડા હોય છે તેવું તે યુગમાં ન હતું એ ધ્યાનમાં રાખવા ગ્ય છે. (f) રાજાઓ સાથે સ્પષ્ટ શબ્દોમાં વાત કરવામાં ઘણે સંકેચ થતો હશે અને તેના કરો અથવા ઉપજીવીઓ ઘણે ભાગે મીઠી વાત જ કરતા હશે એમ કળાચાર્યને પદ્મ રાજા સાથે સ્પષ્ટ વાત કરતા થયેલ સંકેચ પરથી સહજ અનુમાન થાય છે. (પ્ર. ૩. પ્ર. ૧. પૃ. ૩૫૭). (g) રાજાઓની પાસે ખાસ સેવક રહેતા હતા જે અત્યારના પ્રાઈવેટ સેક્રેટરી” જેવું રાજાનું કામ કરતા હતા એમ વિદુરના વર્ણન પરથી અનુમાન થાય છે. (પ્ર. ૩. પ્ર. ૧ પૃ. ૩૫૫) એને રાજવલ્લભ” કહેવામાં આવ્યું છે તે ખાસ બેંધવા જેવું છે. (h) રાજસભા સાંજે મળવાનો રિવાજ હોય એમ જણાય છે (પ્ર. ૩. પ્ર. ૧૦ પૃ. ૪૫૭) અને રાજા ચાલે ત્યારે તેની આગળ બળતી મસાલ ચાલે એવો રિવાજ જણાય છે. (પૃ. ૪૫૮) વિદ્યાધર ચક્રવતી કનકેદારની રાજસભા પણ સાંજે–સંધ્યા વખતે મળતી હતી. (પ્ર. ૮. પ્ર. ૨. પૃ. ૧૮૬૬) (i) કે રાજાને ગુન્હો કરે તે રાજા તેને તપાસ કર્યા વગર સીધી જ સજા કરે, વારંટ કાઢવાની જરૂર નહોતી. નેકરને હુકમ કરે, એટલે ગુન્હેગારને બાંધી કેદ કરી એટલી યાતનાઓ કરે કે ગુન્હેગાર મહાત્રાસ પામી જાય. એને લોઢાના થાંભલા સાથે બાંધે, એને સખત કેરડા (ચાબખા) લગાવે, એનાં શરીર પર ધગધગતું તેલ રેડે, એની આંગળીઓમાં ખીલા ઠેકે અને એને અનેક પ્રકારની યાતનાઓ-કદનાઓ કરે. (પ્ર. ૩. પ્ર. ૧૦ પૃ. ૪૫૯) Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ [ દશમી શતાબ્દિ : (j) સજાના પ્રકર-શગુમર્દન રાજા સ્પર્શનને દેશનીકાલની સજા કરે છે અને પાછા આવે તે લોહયંત્રમાં પીલવાની ધમકી આપે છે તે ઉપરથી એમ જણાય છે કે દેહાંત દંડની સજાને અમલ ઘાણીમાં પીલીને પણ કરવામાં આવતું હતું. એવી ઘાણીને “લેહયંત્ર કહીને વર્ણવવામાં આવેલ છે. (પ્ર. ૩. પ્ર. ૧૪. પૃ. ૫૦૨) (k) “લેકને માથે જ્યાં સુધી કર આપવાની બીક હોય છે ત્યાં સુધી તેઓ હદને ઉલંઘી જતા નથી, પણ એક વાર કર આપવાની બીકથી તેઓને મુક્ત કરવામાં આવે છે ત્યારે તેઓ તદ્દન છૂટા થઈ જાય છે અને છૂટો માણસ સર્વ અનર્થોને કરે છે. (પ્ર. ૩. પ્ર. ૧૯. પૃ. ૫૫૮) (1) તે વખત કંસીલની પદ્ધતિ જાણતી હશે. કનફ્યૂડ રાજાના ચાર પ્રધાન-મંત્રીઓ મતિધન, બુદ્ધિવિશાળ, પ્રજ્ઞાકર અને સર્વરચક છે. એ ચાર મંત્રીઓ રાજ્યને લગતી અગત્યની બાબતના નિર્ણ કરે છે એ વાત નોંધવા જેવી છે. (પ્ર. ૩. પ્ર. ૨૬. પૃ. ૬૧૯-૨૦) (m) રાજા જાતે ઊઠી પિતાને હાથે કઈને પાન રાજસભા સમક્ષ આપે તે મોટામાં મોટું માન ગણવાની તે સમયની રીતિ હતી. (પ્ર. ૩. પ્ર. ૨૯પૃ. ૬૪૬). (n) રાજાએ ઘણી સમૃદ્ધિવાળા હશે, કુબેર ભંડારી જેવા માલદાર હશે એમ દરેક રાજાના વર્ણન પરથી જણાય છે. દા. ત. જુઓ નરવાહન રાજાનું વર્ણન. (પ્ર. ૪. પ્ર. ૧. પૃ. ૭૦૪) (૦) રાજ્ય કેમપ્રાપ્ત પણ હોય એટલે વડિલ તરથી ઊતરી આવેલ હોય અથવા એક રાજાને હરાવી તેનું રાજ્ય ખૂંચવી લેવામાં આવેલું પણ હોય. (પ્ર. ૪. પ્ર. ૨૦, પૃ. ૯૧૯ ). (p) રાજા મૂર્ખ હોય તે તેના મંત્રીઓ ગમે તેવા કુશળ હોય અથવા લશ્કરને ઉપરી બળવાન હોય તે પણ રાજ્ય મહાકણમાં આવી પડે છે. એકહથ્થુ સત્તાનો દર કેટલો મેટે હતો તેને આથી સહજ ખ્યાલ આવે છે. (પ્ર. ૪. પ્ર. ૪૦. પૃ. ૧૧૨૩) Page #481 -------------------------------------------------------------------------- ________________ રાજા–રાજ્ય–રાજસેવકનૈયત : ] ૪૩૯ ( ૧ ) સમસ્ત પ્રજાજનને ખાધા વગરના કરી સુખમાં સ્થાપન કરવા અને પછી પેાતાનું સુખ શોધવું એ રાજ્યધમ છે અને તેમ કરનાર ખરા રાજા છે. પેાતાના હાથ નીચેના દુ:ખમાં સખડતા હાય, પ્રજાજન દુ:ખ ભાગવતા હેાય તેવે વખતે જે રાજા સુખ ભાગવે છે તે પેટભરા કહેવાય છે—આવા વિચક્ષણ માણસાના અભિપ્રાય હતા. ( પ્ર. ૫. પ્ર. ૧૧. પૃ. ૧૨૨૫) (r) ચારને દેહાંતદંડની સજા કરવાના ધારા હતા ( પ્ર. ૫. પ્ર. ૨૨. પૃ. ૧૩૩૪ ). રાજા કરેલી સજા માફ કરી શક્તા હતા. ( સદર ) અત્યંત શકદાર માણસાને અત્યારે જેમ પેાલિસની દેખરેખમાં રાખવામાં આવે છે તેમ અગાઉ રાજા પેાતાની જ દેખરેખ નીચે રાખતા હતા (પ્ર. ૫. પ્ર. ૨૨. પૃ. ૧૩૩૪ ) અને ઘણી વાર નામીચા ચાર વગરઝુન્હે મા પણ જતા હતા. ( સદર ) 8 ( ૬ ) પરદેશથી દરિયાની સફર કરીને કેઇ વેપારી આવે ત રાજા પાસે જાય, ત્યાં નજરાણું ધરે અને દાણુ ચુકાવે અથવા માફ કરાવે. (પ્ર. ૬. પ્ર. ૨. પૃ. ૧૪૮૫) ( ૬ ) રાજાઓને રાજ્ય અન્ય પચાવી પાડશે, એ બાબતની બહુ બીક રહેતી હશે એમ જણાય છે. નીલકંઠ રાજા પેાતાના ભાણેજ હિરકુમારની લેાકપ્રિયતા સાંભળી પાતે ચિંતામાં પડે છે અને તૃષ્ણાથી અંધ અની તેને મારી નાખવાના વિચારા કરે છે. (૫. ૬. પ્ર. ૭. પૃ. ૧૫૩૬) રાજા પાસે બુદ્ધિશાળી વ્યવહારદક્ષ મત્રીઓ હતા, જેઓ સાપ મરે નહિ અને લાકડી ભાંગે નહિ એવી સલાહ આપતા. ( પૃ. ૧૫૩૭ ) ( ૫ ) રાજાનું વર્ણન કરવુ હાય તા તેના કેાશ ( ખજાના ), ચતુરંગ લશ્કર, ભૂમિ, દેશ, રાજ્યસામગ્રી વિગેરે અપરિહાર્ય છે. રાજાની સાથે આ સર્વ હાવુ જ જોઇએ એવા તે સમયના ખ્યાલ જણાય છે. (પ્ર. ૬. પ્ર. ૧૦. પૃ. ૧૫૫૯ ). કાશ( ટ્રેઝરી )માં રત્ન મણિ માણેકને સંચય ગણવામાં આવતા હતા. રાકડ નાણાને તેમાં સ્થાન આપવામાં આવ્યું નથી એ હકીકત ઘણી અસૂચક છે. ૪ ) રાજ્યમાં નવા રાજા થાય ત્યારે હાંડી પીટાવવાના Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૦ [ દશમી શતાબ્દિ : રિવાજ જણાય છે. એ ડાંડી અથવા ઢોલ ટીપનારને ડિડિમક નામ આપવામાં આવતું હતું. (પ્ર. ૬. પ્ર. ૧૧. પૃ. ૧૫૬૮). (w) રાજા નબળે હોય ત્યારે ચેરનું જોર વધે છે, લૂંટારાઓને તડાકે પડે છે, ધાડ પાડનારને મજા થાય છે અને દુષ્ટ લશ્કરી માણસો હરખમાં આવી જાય છે. (પ્ર. ૬. પ્ર. ૧૧. પૃ. ૧૫૭૧) એક માણસની સત્તા લાભ અને નુકસાન કેવી રીતે કરે છે તે જાણવાનું આ પ્રબળ કારણ પૂરું પાડે છે. () રાજા જ્યારે ઘણે અધમ થઈ જાય, દુરાચારી થઈ જાય અને રાજ્યધર્મ વિસરી જાય ત્યારે પ્રજા અને મંત્રીઓ એકઠા થઈ રાજાના ભાઈને વિજ્ઞપ્તિ કરે-તેને રાજ્ય સ્વીકારવા વિનવે, એ પ્રમાણે ન થાય તે નજીકન પારકે રાજા આવી રાજ્યને કબજે કરી લે. આ પદ્ધતિ ઘણી વિચારવા યોગ્ય છે. (પ્ર. ૭. પ્ર. ૧૫ પૃ. ૧૮૧૨ ) અને એવો અધમ રાજા પદભ્રષ્ટ થાય ત્યાર પછી સર્વે તેની મશ્કરી કરે, તેને બાંધે, ખેંચ, કેદમાં નાખે અને કઈ તેની પડખે ચઢે નહિ. (પૃ. ૧૮૧૩) (y) સ્વયંવર મંડપમાં કઈ પણ રાજાને રાજકુમારી ન વરે તે પણ લડાઈ થતી. સ્વયંવરમાં આવેલ રાજાઓ તેમ થતાં પિતાનું અપમાન થયેલું સમજતા. (પ્ર. ૮. પ્ર. ૨. પૃ. ૧૮૭૧) (1) લોક સ્થિતિ કેવી છે તેને જાતે અભ્યાસ કરવા સારુ રાજાઓ અને ચક્રવત્તીઓ રાજધાનીમાંથી બહાર નીકળી પોતાના તાબાના દેશમાં ફરતા હતા. (પ્ર. ૮. પ્ર. ૧૨. પૃ. ૧૭૮) રાજનીતિ (2) મેટા માણસો અને રાજા પાસે અંગત માણસો રાખવામાં આવતા હતા. એવા માણસ દૂતનું કામ કરતા હતા. અત્યારના સી. આઈ. ડી. ખાતા જેવા તે હતા. તેવા માણસને દેશ દેશની ભાષાનો અભ્યાસ હય, જુદા જુદા પ્રકારના વેશ ધારણ કરવામાં તે બહુ કુશળ હેય, ચીવટથી કામ કરનારા હોય અને અન્ય તેને Page #483 -------------------------------------------------------------------------- ________________ ધન અને ધનવાનોને દોરઃ ] ૪૪૧ પકડી શકે નહિ એવી ચાલાકી તેનામાં હેય. (પ્રભાવ દૂતનું વર્ણન પ્ર. ૩. પ્ર. ૪. પૃ. ૩૮૫). (b) બુદ્ધિશાળી મંત્રીઓ સલાહ આપવા ઉપરાંત પિતાના ખાસ સેવકને પાસે રાખતા, જે જરૂર વખતે અગત્યની બાતમી અન્યને મોકલી કામ લેતા. વૃદ્ધ સુબુદ્ધિ મંત્રીએ દમનક નામના સેવકને મોકલી હરિકુમારને બચાવ કર્યો–એ ધ્યાનમાં લેવા જેવી તે સમયની લાક્ષણિક રાજઘટના છે. (, ૬. પ્ર. ૭. પૃ. ૧૫૩૮) રાજાને સાચી સલાહ આપતાં વાત બગડી જાય તેમ હોય તો મંત્રી રાજાની હામાં હામેળવી દેતા અને આડકતરી રીતે વાતનેડ ઉતારતા. રાજાની સામે થવાની તાકાત મંત્રીઓમાં નહોતી. (પૃ. ૧૫૩૭) (c) ચારિત્રરાજે લશ્કરી સેનાપતિ સમ્યગ્દર્શનને મેકલવા વિચાર કર્યો ત્યારે સાધે સદાગમને મોકલવા ભલામણ કરી–એમાં લશ્કરી માણસો અને દિવાન ઓફિસના માણસોની કામ લેવાની રીતિનું જ્ઞાન બતાવે છે, છતાં એ સમ્યગદર્શનના વખાણ જ કરે છે એ એની કામ લેવાની કુનેહ છે. (પ્ર. ૭. પ્ર. ૧૦. પૃ. ૧૭૬૮) (d) દિવાની ઓફિસના માણસની સલાહ આધાર રાખવા લાયક અને કાર્યસાધક હોય છે એમ અંતે લશ્કરી સેનાધિપતિ સમ્યગદર્શન સ્વીકારે છે. (પ્ર. ૭. પ્ર. ૧૬. પૃ. ૧૮૨૪) ધન અને ધનવાનેને દેર– ધનિક વર્ગ દશમી શતાબ્દિમાં કેટલો જોરમાં હશે તેના અનેક દાખલાઓ આખા ગ્રંથમાં છે. એમાંથી થોડા દાખલાઓ આપણે તપાસી જઈએ. (a) છે. ૪. પ્ર. ૨૪. પૃ. ૯૫૪ મહેશ્વર શેઠ ભવાં ચઢાવીને બેઠા છે, કઈ માગે તેના તરફ નજર પણ કરતા નથી, ખુશામત કરનાર તરફ પણ નજર કરતા નથી, તેને જોઈ રાજી થાય છે અને તેના ધ્યાનમાં સ્તબ્ધ થાય છે–એ દશમી સદીના ધનવાનનું Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ [ દશમી શતાબ્દિક લાક્ષણિક ચિત્ર છે. ચેરીને માલ એ ઓછી કિંમતે પડાવી લે છે, એ સર્વ કાળને જાણીતો વિષય છે. દશમી શતાબ્દિમાં એવી સ્થિતિ હતી એ ભવચક્રનાં સ્વરૂપદર્શનમાંથી પ્રતીત થાય છે. તેની પાસેના હીરા માણેક સેનામહેરેના ઢગલાનો વિચાર કરતાં દેશમાં ધન અમુક વર્ગ પાસે બહુ મોટા પ્રમાણમાં હશે એમ જણાય છે. (b) ધનવાન વર્ગના વિચારે લાક્ષણિક ભાષામાં પ્ર. ૭. પ્ર. ૭. પૃ. ૧૭૧માં તેના મુખમાં ગ્રંથકર્તાએ મૂક્યા છે તે દશમી શતાબ્દિનું આબેહૂબ ચિત્ર રજૂ કરે છે. જુઓ આગળનું પૃ૪૪૩૪. (૯) રાજ્યભનું એક સુંદર દૃષ્ટાંત હરિકુમાર અને નીલકંઠ રાજાના સંબંધમાં આવે છે. મામાં રાજા ભાણેજની લેકપ્રિયતા જોઈ એ પિતાનું રાજ્ય પડાવી લેશે એ બીકે એને વધ કરવા નિર્ણય કરે છે અને તેવો નિર્ણય કરતાં સૂત્ર ગોઠવે છે કે “અરધા રાજ્યને હરણ કરી લે અથવા પચાવી પાડે તે નોકર હોય તેને જે હણી નાખવામાં ન આવે તો આખરે પોતાને મરવાનો વખત આવે છે.” (પ્ર. ૬. પ્ર. ૭. પૃ. ૧૫૩૬) હરિકુમાર સુબુદ્ધિમંત્રીની વખતસરની સલાહથી બચી જાય છે એ જુદી વાત છે, પણ ધન કે રાજ્યના લોભમાં રાજાઓ પોતાના સંબધીઓનું ખૂન કરવા માટે પણ તૈયાર થઈ જતા હતા એમ જણાય છે. (d) ધનવાનના મગજના ફાંટા કેવા હોય છે તેનું લાક્ષણિક ચિત્ર પીઠબંધમાં ર્તાએ આપ્યું છે. ત્યાં બુઢા ખખ થઈ ગયેલાં ધનપતિને યુવાન ગણાવ્યો છે, તે બીકણ હોવા છતાં મહાન લડવૈયા તરીકે તેને બતાવ્યો છે, અભણ હોવા છતાં તીવ્ર બુદ્ધિશાળી બતાવ્યો છે, કદરૂપ હોવા છતાં સ્વરૂપવાન તરીકે તેની સ્તુતિ થતી બતાવી છે, દાસીપુત્ર હોય તો પણ કુળવાન તરીકે તેનું વર્ણન થાય છે, દૂરના સંબંધી તેના નજીકના સગા થતા આવે છે એમ જણાવ્યું છે. (પૃ. ૧૩–૮) ધનવાન વર્ગને દેર કેટલું હશે તે આ ચિત્ર ઠીક ઠીક રજૂ કરે છે. (e) સારી સલાહ આપનાર અને સુંદર વાર્તા કહેનાર વિદુર જેવા વયોવૃદ્ધ અધિકારીને તેરમાં આવી નંદિવર્ધન તમાચો મારે છે એ ધનવાનવર્ગ અને રાજવ કેટલો તુમાખી હશે તે બતાવે છે. (પ્ર. ૩. પ્ર. ૧૮ પૃ. ૫૫૧). Page #485 -------------------------------------------------------------------------- ________________ ધન અને ધનવાનને દેર : ] ૪૩ (f) ધનિક વર્ગના વિચારતરગે: “ખૂબ પૈસા એકઠા કરીને મેજ ઉડાવું, અંત:પુરને દેવતાના વૈભવસ્થાન જેવું બનાવી દઉં, મનને આનંદ આપનાર સુંદર રાજ્યને સારી રીતે ભેગવું, મોટા મોટા રાજમહેલ બંધાવું, સારા સારા બગિચાઓ તૈયાર કરાવું, મેટે વૈભવ પ્રાપ્ત કરીને તેમજ શત્રુઓને ક્ષય કરીને દુનિયામાં સર્વ લેકેની પ્રશંસા પામી, સર્વ મનોરથ સંપૂર્ણ કરી પાંચે ઈદ્રિયોના વિષય સંબંધી સુખસાગરમાં મારા મનને તરબોળ કરી નિરંતર આનંદની મસ્તીમાં રહ્યા કરું: આવી રીતે ખાવુંપીવું, ભેગ ભેગવવા અને ઇંદ્રિયાને તૃપ્ત કરવી એ જ મનુષ્યપણું પ્રાપ્ત કરવાનું ફળ છે.” વિગેરે (પ્ર. ૪. પ્ર. ૧૧. પૃ. ૮૨૯) (g) ધનવાનના તરંગોનું વર્ણન ધનશેખરને અંગે અતિવિશિષ્ટ આપ્યું છે. આ દુનિયામાં ધન જ ખરેખરું સારભૂત છે, ધન જ ખરેખરું સુખ આપનાર છે, ધનના જ લેકે વખાણ કરે છે, ધનના ગુણ વધારે વધારે ગવાય છે; લેકે ધનને વાંદે છે, પૂજે છે, નમે છે; ધન જ ખરેખરું સાચું તત્ત્વ છે, ધન જ ખરેખર પરમાત્મા છે અને ધનમાં જ સર્વ બાબતો પ્રતિષ્ઠા પામે છે, આવી વસે છે. દુનિયામાં અવલોકન કરીને જોશે તો માલૂમ પડશે કે દુનિયામાં જે પ્રાણી પિસા વગરને છે તે વાસ્તવિક રીતે જોતાં તરખલાને તોલે છે, રાખ જેવો છે, શરીરના મેલ જેવો છે, ધૂળ જે છે અથવા વધારે વાસ્તવિક રીતે બેલીએ તો તેની તેટલી પણ કિંમત નથી, તે વસ્તુત: કાંઈ નથી. વિગેરે. (પ્ર. ૬. પ્ર. ૧. પૃ. ૧૪૬૮) ધન અને ધનવાનનું શું વર્ચસ્વ હશે તેને આથી ખ્યાલ આવે છે. (h) ધન કમાવા માટે અનેક જાતના સાહસ ખેડનાર વાણી અને પુત્ર તે વખતે મોજુદ હતા. અત્યંત શ્રીમાન વર્ણક શેઠને પુત્ર ધનશેખર એક પાઈ લીધા વગર પહેરેલ કપડે ઘેરથી નીકળી જાય છે અને પૈસા રળવા માટે સ્વપરાક્રમ ફેરવવા પરદેશ જાય છે, તે ઉપરથી ધન કમાવાના અને પરદેશ જવાના તે યુગના વિચારો પર સારે પ્રકાશ પડે છે. (પ્ર. ૬. પ્ર. ૧.) યાદ રાખવાનું છે કે તે વખતે જવા આવવાનાં સાધને ઘણાં ઓછાં હતાં અને દૂર દેશથી પત્રવ્યવહાર પણ અશક્ય હતો. તેવા યુગમાં સાહસ કરનારા હતા એ ખાસ નોંધવા જેવું છે. ધનશેખર પિતાની માતાને Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ [ શમી શતાબ્દિ : જતાં જતાં કહે છે કે— છેકરા ધંધે લાગી જાય તે ઘણું સારું છે અને ડાહ્યો દીકરો દેશાવર લાગવે ( ક્રૂ ) એ જાણીતી વાત છે. ' ( પૃ. ૧૪૭૩ ) તે આપણામાં (i) ધનપ્રાપ્તિ કરવાનાં નીચેનાં સાધના તે સમયે જાણીતાં હતાં એમ ધનશેખરના વિચારતર ંગા પરથી જણાય છે:— ( ૧ ) રત્નદ્વીપે જઇ ધન ઘસડી લાવવું. (૨) ધનવાના સાથે લડાઈ કરી ધન પડાવી લેવું. (૩) ચંડિકા દેવીની આરાધના કરી તેને લાહીના ભાગ આપી તેની પાસે ધન માગવું. (૪) રાહાચળ પર્વતને ખેાદી તેમાંથી ધન કાઢવું, ( રત્ના કાઢવા ). ( ૫ ) ગુફામાંથી રસકૂપિકાના રસ લાવી તેનાથી સાનુ મનાવવું. (પ્ર. ૬. પ્ર. ૨. પૃ. ૧૪૭૪) (૩) ધનના લેાભી વાણીઆએ હજારના પંદર સેા કરે, તેના દશ હજાર કરે, કરાડ કરે, દ્રવ્યમાં વધતા જાય તેમ વધારે વધારે લેાલી થતા જાય (પ્ર. ૬. પ્ર. ૨. પૃ. ૧૪૭૫ ) અને કરાડ દ્રવ્ય મળે તેા કરાડ રત્ન એકઠાં કરવા રત્નદ્વીપે જાય. કરાડાધિપતિ જાતે, સસરાના માટે વારસા મેળવનાર એક પળ નિરાંતે બેસતા નથી, સુખે ખાતા નથી, અપ્સરા જેવી પત્નીને સ ંતાષ આપતા નથી કે ચિત્તની શાંતિ અનુભવતા નથી. ( સદર પૃ. ૧૪૮૨ ) ( k ) ધનપ્રાપ્તિના ઇચ્છુકા ધનની જ ઝંખના કરે છે અને ગાઢ મૈત્રીને પણ આડી આવનાર ગણે છે અથવા વિઘ્નરૂપ ગણે છે. ધનશેખરના હિરની મિત્રતાને અંગેના સા લાક્ષણિક છે. (પ્ર. ૬. પ્ર. ૬. પૃ. ૧૫૨૯) (1) સંસારરસિક મૂઢ પ્રાણીઓ ઉપદેશ આપનાર ગુરુને આમ પણ કહેનારા એ યુગમાં જીવતા હતા કે સાહેબ ! તમારા માક્ષના અમારે ખપ નથી ! તમે માક્ષ જવાની વાત શા માટે કહેા છે ? જુઓ, તમારા મેાક્ષમાં નથી કાંઇ ખાવાનુ', નથી કાંઇ Page #487 -------------------------------------------------------------------------- ________________ ધનના હાલહવાલ : ]. ૪૫ પીવાનું, નથી કાંઈ ભેગવિલાસ કરવાના કે નથી એશ્વર્યમાં આળોટવાનું ! નથી ત્યાં દેવાંગનાને સ્પર્શ થવાનો કે નથી ત્યાં કમલાક્ષીના કટાક્ષથી વીંધાવાનું ! નથી ત્યાં વિલાસના ભાષણે કે નથી ગાયન કે નાચ, નથી હસવાનું કે નથી રમવાનું ! અમારા દિલને તો અહીં જ મોક્ષ છે. અમને અહીં ખાવાપીવાનું પુષ્કળ મળે છે, ધનસંપત્તિ સાંપડે છે, વિલાસ મેજ ઉડાવાય છે, ઘરેણાંગાંઠો પહેરાય છે અને કમલાક્ષી સાથે આનંદ થાય છે.” વિગેરે (પ્ર. ૭. પ્ર. ૭. પૃ. ૧૭૩૦) | (m) પિસાથી સુખનાં સાધન મેળવી–ભેગવી શકાય છે, એવા પૈસા તે પરલોકનાં સુખ સાધન માટે ખચી નાખવા એ વ્યાજબી ગણાય? નજરે દેખાય તે સુખ છેડી, કલ્પનાના સુખ ખાતર ધન ખચી નખાય? આવા વિચાર કરનાર ઘનવાહન જેવા દ્રવ્યવાને પણ તે યુગમાં હતા. (પ્ર, ૭પ્ર. ૧૪. પૃ. ૧૭૯૩) ધનના હાલહવાલ– ધનવાન વર્ગના પૈસા ચાલ્યા જવાના પણ અનેક માર્ગો મોજુદ હતા એમ અનેક ઉલ્લેથી જણાય છે. (a) સમુદ્રદત્ત શેઠ ઘર, ધન, ધાન્ય, સુવર્ણથી ભરપૂર હતા અને કુબેર ભંડારી સાથે સ્પર્ધા કરે તેવા હતા. તેનું ધન તેને પુત્ર રમણ ગણિકાના છંદમાં પડી ગુમાવે છે અને ચીંથરેહાલ થઈ જાય છે, છતાં ઈક્કી થઈને ફરે છે. (પ્ર. ૪. પ્ર. ૨૫. પૃ. ૯૬૨). b) “ધનવાન પ્રાણીઓ પૂર્તથી ભય પામે છે, અગ્નિની પીડા ખમે છે, લૂંટારાથી નિરંતર ભયમાં રહે છે, રાજા તરફથી લુંટાઈ જવાની વિમાસણમાં રહે છે, ભાઈઓ કે સગાઓ તરફથી ભાગ લાગ પડાવવાની પંચાતીમાં પડે છે, ચારથી ચેરાવાના ભયમાં રહે છે.” (પ્ર. ૪. પ્ર. ૨૪. પૃ. ૯૫૮) (૦) ઘૂતથી પૈસા બેનાર તરીકે કપોતનું આખું દષ્ટાંત લાક્ષણિક છે. એણે ધનેશ્વર પિતાનું ઘર સ્મશાન તુલ્ય કરી મૂકયું. (પ્ર. ૪. પ્ર. ૨૬. પૃ. ૯૭૧) Page #488 -------------------------------------------------------------------------- ________________ [ દશમી શતાબ્દિ ? () અતિ લોભથી અનેક રત્ન એકઠાં કરનાર ધનશેખર હરિકુમાર સાથે દરિયામાં સફર કરતાં હરિકુમારનાં રત્નો અને સ્ત્રી પર લેભ કરવા જતાં સમુદ્રમાં પડીને ઘસડાય છે અને ભિખારીને હાલે રખડે છે. (પ્ર. ૬. પ્ર. ૬. પૃ. ૧૫૪૪) (e) ધનવાનેને ચોરની બીક રહેતી હતી, રાજ્ય તરફથી ત્રાસને ભય રહેતા હતા, પિત્રાઈઓની બીક રહેતી હતી. ( પીઠબંધ પૃ. ૭૬ ) તે ઉપરાંત તેને અગ્નિને ભય પણ રહેતો હતો, જળપ્રલયની આશંકા થયા કરતી હતી અને કેઈ સખાવતમાં પિસા આપવા પડશે એવી ચિંતા નિસ્પૃહ મુનિઓ તરફની પણ રહેતી હતી. (પૃ. સદર) ધનને રક્ષણ સારુ જમીનમાં દાટવાનો રિવાજ તે વખતે જણાય છે. (પૃ. ૭૭) (f) ધનવાન કે રાજા કેદમાં પડે ત્યારે તે અત્યંત ગંધાતી કોટડીમાં દુઃખી થાય, ત્યાં તે ભૂખપરાભવ અને તાડના સહન કરે અને એના ખાવાપીવાનું પણ ઠેકાણું ન હોય. ઘનવાહનની દશાને ચિતાર નજરમાં રાખવા ગ્ય છે. તે યુગના કેદખાનાં કેવાં ખરાબ હશે તેને પણ તેથી સહજ ખ્યાલ આવે છે. (પ્ર. ૭. પ્ર. ૧૫. પૃ. ૧૮૧૪) | (g) ધનની લાલસા-વાસના એવી મજબૂત હોય છે કે પ્રાણી મરીને સર્પ, ઊંદર કે ગળી થાય ત્યાં પણ ધનનો ભંડાર મળે ત્યારે એને આનંદ થાય છે અને એ ભંડારને કઈ લઈ જાય ત્યારે દુઃખ થાય છે. (પ્ર. ૭. પ્ર. ૧૬. પૃ. ૧૮૧–૮) તે સમયની ગરીબાઈ– જેમ દશમી સદીમાં ધનની વિપુળતા હતી તેમ ગરીબાઈ પણ આકરી જણાય છે. તે યુગના સર્વ લેકે લખપતિ હતા એમ માનવાનું કારણ નથી. નીચેનાં પ્રસંગે ગરીબાઈ–દારિદ્ય નજરે જેનાર જ લખી શકે એમ માનવાનું કારણ પ્રાપ્ત થાય છે. એ મગજમાંથી ઉપજાવેલ કલ્પના નથી. (2) નિપુણ્યક ભિખારીનું વર્ણન ગ્રંથની શરૂઆતમાં જ પીઠબંધ પૃ. ૧૬-૧૭ માં આવે છે. તેની પાસે કાંઈ પિસા નથી, જાત Page #489 -------------------------------------------------------------------------- ________________ તે સમયની ગરીબાઇ : ] ૪૪૭ મહેનત કરવાની તેનામાં શક્તિ નથી, ભૂખથી તેનુ શરીર તદ્ન લેવાઈ ગયેલુ છે, તે હાડપિંજર જેવા દેખાય છે, તે ભાંગેલુ ઠીકરું લઈને ભીખ લેવા માટે રાતદિવસ ઘેર ઘેર ભટકે છે, જમીન પર સુવાથી તેનાં પાસાં ઘસાઈ ગયેલાં છે, ફાટેલાં વસ્ત્રથી તેનું શરીર અડધું ઢંકાયલું છે, તેના શરીરમાં પાર વગરના રાગે છે અને તેને અનેક પ્રકારની વેદનાઓ ભાગવતા બતાવવામાં આવ્યે છે. ( b ) દરિદ્રતા—ગરીબાઈને લાવનાર માહ્ય કારણેામાં નીચેનાં ગણાવ્યાં છે: જળ, અગ્નિ, લૂંટારા, રાજા, સગાં, ચાર, મદ્ય, દ્યૂત, ભાગમાં આસક્તિ, વેશ્યાગમન અને ખરામ ચાલચલગત. દરિદ્રતા સાથે દીનતા, પરિભવ, મૂઢતા, અતિ સંતિત હાવાપણ, હૃદયની સંકુચિતતા, ભિક્ષા, લાભના અભાવ, તુચ્છ ઈચ્છાઓ, ભૂખ, સંતાપ, કુટુબીએની વેદના—પીડા–કકળાટ વિગેરે આવે છે. (૫. ૪. પ્ર. ૨૮. પૃ. ૧૦૦૮) દરિદ્રતાથી ઘેરાયલા પ્રાણી ધન મેળવવાની આશાના પાશથી બંધાઈને જુદા જુદા ઉપાયા અજમાવે છે, ફાંફાં મારે છે અને નિષ્ફળ પ્રયત્ન કરે છે, પછી એ ભાઇ રડવા બેસે છે, મનમાં વધારે વધારે ખેદ પામે છે, જે પૈસા પેદા કરવા ધાર્યા હતા તે પેાતાના જ હતા એમ માની લઇને તે ન મળતાં શાક કરે છે અને પારકા પૈસા ઉઠાવી લેવાના કે પચાવી પાડવાના પ્રયત્ના આદરે છે. પેાતાની પાસે ફૂટી બદામ પણ ન હેાવાથી કાલે ધી ક્યાંથી લાવશું ? તેલ ક્યાંથી લાવશું ? અનાજ કયાંથી લાવશું ? સરપણું ( મળતણુ ) કયાંથી લાવશુ? એ સર્વ લાવવાના પૈસા કયાંથી મળશે ? એવી કુટુ ખચિતાથી ખાપડાને રાત્રિએ જરાએ ઊંઘ પણ આવતી નથી. એવી ચિતાને પરિણામે જેમ તેમ કરીને પૈસા મેળવવા માટે અનેક ન કરવા ચેાગ્ય કામે કરે છે, ધર્મ કાર્ય થી તદ્ન વિમુખ થઇ જાય છે, મનમાં માને છે કે ધર્મ કરવામાં કાંઇ સાર નથી; કારણ કે ધર્મ કરનાર દુ:ખી દેખાય છે. પિરણામે લેાકેામાં હલકાઇ પામે છે અને તરખલાથી પણ ઓછી તેની કિંમત થાય છે. (પ્ર. ૪, પ્ર. ૨૮. પૃ. ૧૦૦૯ ) વર્તમાન સ્થિતિ સાથે આ વર્ણન સરખાવવા યાગ્ય છે. આમાં સટ્ટાનું નામ આવતું નથી તે ખાસ નોંધવા ચેાગ્ય છે. Page #490 -------------------------------------------------------------------------- ________________ [ દશમી શતાબ્દિ ? (૦) દુર્ભાગી માણસનું વર્ણન કરતાં જણાવે છે કે એવા પ્રાણીઓ લકામાં અપ્રિય થઈ પડે છે, પોતાના માલેક( શેઠ સ્વામી )ને પણુ પસંદ પડતા નથી, પોતાની સ્ત્રી પણ તેને હડધૂત કરે છે, છોકરાઓ તેના કહ્યામાં રહેતા નથી, બાંધવો તેને જોવાની ઈચ્છા રાખતા નથી, એના સગા ભાઈઓ પણ એની સાથે બોલતા નથી. (પ્ર. ૪. પ્ર. ૨૮. પૃ. ૧૦૧૧) (4) વિમળકુમારે પિતાની પરવાનગી લઈ હિમભવનની યોજના કરી ત્યાં કોઈ પ્રકારનાં દુઃખ કે ત્રાસથી હેરાન થતાં માને રાખવા અને તેમનાં દુઃખ દૂર કરવાની ધારણ કરી. (પ્ર, પ. પૃ. ૧૧. પૃ. ૧૧૨૬.) એ ઉપરથી ગરીબ કે દુઃખીને માટે યોજના કરવી એ તે યુગમાં રાજ્ય ધર્મ ગણાતું હતું એમ લાગે છે. પણ એના અંતરમાં વડીલપણને ભાવ અથવા મુરબ્બીવટ દેખાય છે અને જાણે તેમ કરવું એ ફરજરૂપે નહિ, પણ ખાસ કૃપાદ્રષ્ટિએ થતું હોય એમ સમજાય છે તે ઉપરથી વર્તમાન કાળના “સમાજવાદ’ના કઈ પણ સૂત્રને દશમી સદીમાં સ્થાન હોય એમ લાગતું નથી. દાસ-દાસીની સ્થિતિ () દાસ અને દાસીઓનો રિવાજ દશમી સદીમાં ખૂબ જણાય છે. દાસીઓ નોકરી કરતી અને છતાં તેમનામાં માતા જેવું વાત્સલ્ય પણ રહી શકતું. કપિંજલ દાસી કનકમંજરીની ધાવમાતા હતી. કનકમંજરીને દાહવર થાય છે ત્યારે એ છોકરી તરફ અસાધારણ વાત્સલ્ય બતાવે છે. (પ્ર. ૩. પ્ર. ૨૪. પૃ. ૫૭) _(b) વળી એવી દાસીઓ લગ્નસંબંધ જોડી આપવાના કેલકરાર પણ કરે છે અને પ્રેમીઓને નજીક લાવે છે. (સદર ) ત્યાં કપિજલાએ તેતલિ સારથી સાથે વાતચીત કરી તે આખી દશમી સદીનું માનસ રજૂ કરે છે. (૦) એવી દાસીઓ ઘણુ વાર ખૂબ નિમકહલાલ અને સેવાભાવી પણ હોય છે. આનંદપુરના કેસરી રાજાની રાણી કમળસુંદરીની દાસી વસુમતી એની સ્વામિનીની સુવાવડ જંગલમાં કરે છે અને એ Page #491 -------------------------------------------------------------------------- ________________ સમાજમાં સ્ત્રીઓનું સ્થાન : ] ૪૪૯ રાણી મરી જાય છે ત્યારે એના બેદના પાર રહેતા નથી. ( પ્ર. ૬. પ્ર. ૩. પૃ. ૧૪૮૭–૮) ત્યારપછી તુરતના જન્મેલ બાળકને એ માતા તરીકે ઉછેરે છે અને એના બચાવ માટે એના મામાને ઘેર રત્નદ્વીપે પહોંચી જાય છે. ( d ) દાસીઓનુ` સમાજમાં સ્થાન કેવું હશે તે હિરકુમારના વિનાદમાંથી-મન્મથના સવાલમાંથી પ્રાપ્ત થાય છે. ‘તું દાસી છે તેથી તારા હાથથી હું ભિક્ષા લઈશ નહિ,' એ પ્રમાણે ભિખારીએ કહ્યું એટલે તે સ્ત્રી લજવાઈ ગઈ. દાસીના હાથથી ભિક્ષા પણ ન લેવી ઘટે એટલું તેનું નીચું સ્થાન હતું, એ પરિસ્થિતિ આ પ્રસંગે પ્રસ્તુત ગણાય. ( પ્ર. ૬. પ્ર. ૩. પૃ. ૧૫૦૨~૩ ) ( ૭ ) દાસી પુત્રજન્મની વધામણી આપે તેના બદલામાં તેનુ દાસીપણું હંમેશને માટે દૂર કરવાને રિવાજ રાજ–રજવાડામાં જણાય છે. ( પ્ર. ૭. પ્ર. ૧. પૃ. ૧૬૪૬) આવી દાસીએ ગુલામ તરીકે જ રહેતી હતી એમ જણાય છે. તેમને ખાવાપીવાનું આપવામાં આવતું. પગાર સંખ"ધી કાઇ જાતને ખંઢાબસ્ત નહેાતા તે જ તેમની ગુલામગીરી ખતાવે છે. પુત્રજન્મ વખતે તેમનુ દાસપણું દૂર કરવામાં આવતું હતું તે ખતાવે છે કે એ લગભગ ગુલામગીરીમાં જ હતી. તે સમયના સમાજમાં સ્ત્રીઓનું સ્થાન~~ ( ૧ ) દશમી શતાબ્દિમાં પડદાના રિવાજ બહુ જણાતા નથી. સ્ત્રીએ જાહેરમાં ઊઘાડે મ્હાંએ ભાગ લેતી જણાય છે. ૫. ૪. પ્ર. ૨૨ માં વસતાત્સવ થાય છે ત્યારે આખું નગર ગામ બહાર નીકળી પડતું જોવામાં આવે છે અને સ્ત્રીઓ પુરુષા સમક્ષ નાચતી દેખાય છે (પૃ. ૯૩૪). આ બનાવ ત્યાં તે કદાચ અસાધારણ ગણી શકાય, પણ દરેક જન્માત્સવની નોંધમાં પણ સ્ત્રીઓને નાચતી બતાવવામાં આવી છે, તેથી જાહેરમાં નાચ કરવાના રિવાજ તે સમયમાં હશે એમ જણાય છે. ત્રીજા પ્રસ્તાવમાં વિમલાનના અને રત્નવતી નગર જોવા એકલી નીકળી પડે છે એ પણ બતાવે ૫૭ Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ [દશમી શતાબ્દિ : છે કે પડદાના રિવાજ તે યુગમાં નહિ હાય. (પ્ર. ૩. પ્ર. ૨૩. પૃ. ૫૮૨ ) સ્ત્રીઆસક્ત પુરુષાનું વર્ણન કરતાં પીઠમ`ધ રૃ. ૭૮ માં ઇર્ષ્યાથી અન્ય પુરુષને પાતાને ઘેર ન ખેલાવવાની હકીકત રજૂ કરી છે અને મિત્રા પણુ તેના ઉપર નજર ન નાખે તે માટે તેમને આમંત્રણ ન કરવાની વાત જણાવી છે, પણ તે મહાર ન જાય તેવી ચાકી કરવાની કે ઘુમટા તાણવાની વાત જણાવી નથી; તેથી પડદાના રિવાજ હાય તેમ લાગતું નથી. આખા પુસ્તકમાં પડદાની વાત કાઇ સ્થાનકે આવતી નથી. જો પડદા રાખવાના રિવાજ હાત તા એ વાત આવ્યા વગર ન રહેત. એવા અનેક પ્રસંગેા કથામાં આવેલ છે, જેથી સલામતીથી કહી શકાય તેમ છે કે સિદ્ધર્ષિ જેવા ખારિક અવલેાકનકારે એ વાતના ઉલ્લેખ કેઇ સ્થાનકે કર્યો નથી તેથી તેવા કોઇ રિવાજ તે વખતે હેાવાના સંભવ જણાતા નથી. પ્ર. ૮. પ્ર. ૩. પૃ. ૧૮૮૩ માં ગુણુધારણનું સામૈયું થાય છે ત્યારે માતા તથા સ્ત્રીવર્ગ હાથણીએ પર બેસે છે તે એ જ વાતને પુષ્ટ કરે છે. ( ૨ ) તે વખતના સમાજમાં પણ્યસ્ત્રી ( ગુણિકા ) પણ હતી, અધમ વન કરતી હતી, લેાકેાના પૈસા લૂંટી લેતી હતી અને પેાતાની જાતને વિલાસદ્વારા લેાકેાને ઉપભોગ કરવા દેતી હતી, એમ રમણુ અને નાયિકાના પ્રસંગમાં વિસ્તારથી વર્ણવ્યું છે. ( પ્ર. ૪. પ્ર. ૨૫ ) એવી નાની યુવાન ગુણિકાઓની માતા અક્કાએ ઘણી લુચ્ચી લેાભી અને તુચ્છ હતી એમ જણાય છે. (૩) પીઠબંધ પૃ. ૧૦૨ માં શ્રાવિકાનું વર્ણન કરવામાં આવ્યુ છે તે ખાસ વિચારવા ચેાગ્ય છે. તેમાં એ પ્રકારની શ્રાવિકાઓ બતાવી છે ( પૃ. ૧૦૩ ): એક શ્રમણેાપાસક(શ્રાવક)ને બંધાઇને રહેલી એટલે કુળવધુએ ગૃહસ્થ સ્ત્રીઓ અને ખીજી મુશ્કેલ–છૂટી સ્ત્રીએ. આમાં કુમારી સ્ત્રીએ અને વિધવાના સમાવેશ થાય છે. તેએ જે છૂટથી સર્વીસ શાસનમાં હરે છે તે જોતાં તે યુગની સ્ત્રીઓને હરવાફરવાને પ્રતિમધ જણાતા નથી. બીજું એમ પણ જણાય છે કે કેટલીક સ્ત્રીએ કુમારજીવન ગાળતી હશે, આજીવન બ્રહ્મચર્ય પાળતી હશે. સ્વધમી ખ વગરના દેશમાં એમને રહેવું પડે તે તેમના મનમાં ઉદ્વેગ થાય છે એ ઉપરથી જણાય છે કે સ્ત્રીએ પરદેશ જતી હતી. Page #493 -------------------------------------------------------------------------- ________________ સમાજમાં સ્ત્રીઓનું સ્થાન : ] ૪૫૧ ( ૪ ) અભ્યાસ-જૈન સ્ત્રીવર્ગ માં સારા અભ્યાસ હશે એમ માલૂમ પડે છે. શિક્ષાવ્રતની સાથે તે અભ્યાસ' શબ્દ જ વાપર્યાં છે અને ધર્મ કથા કરવાની તેની ટેવનું ત્યાં વર્ણન કરવામાં આવ્યુ છે તે અભ્યાસ વગર અશકય છે. પ્રજ્ઞાવિશાળા રાજપુત્રી છે, વિધવા છે. તેણે દીક્ષા લીધી છે. એ વાત ચેાગ્ય છે. અગ્રહિતસ કેતા રાજપુત્રી હાવા છતાં એને મ. ૨ પ્ર. ૪ ની શરૂઆતમાં બ્રાહ્મણી શા માટે કહેવામાં આવી છે તે સમજાતુ નથી. કદાચ તે કાળની બ્રાહ્મણીએ બહુ આગળ પડતી અને ચાલાક નહિ હાય. પ્રજ્ઞાવિશાળા-મહાશ્વેતા તા ગરાસણી અથવા વાણિયણ લાગે છે. એ ખૂબ સુંદર વિદ્વાન પાત્ર છે. બન્નેને કેટલી છૂટ મળે છે ત ત યુગની નજરે ખૂબ વિચારવા યેાગ્ય છે. આગળ અવિવકિતા નામની નંદિવર્ધનની ધાવમાતા આવે છે(પ્ર. ૩. પ્ર. ૧. પૃ. ૩૪૬) તને પણ બ્રાહ્મણી કહેવામાં આવી છે તેથી એ વર્ગની આનુ સમાજમાં બહુ સારું સ્થાન હાય તેમ લાગતું નથી. ( ૫ ) જ્યારે ભવિતવ્યતાના પાત્રના વિચાર કરીએ છીએ (મ. ૨. પ્ર. ૭ ) ત્યારે સ્ત્રીએ કેટલી સત્તાધારી હશે તેનેા ખ્યાલ આવે છે. એ પેાતાના પતિને નાક થાલીને નચાવે છે. એ મીઠાં વચનાથી એલાવે છે પણ એને તદ્ન નિર્માલ્ય બનાવી મૂકે છે. એ પાત્રને રજૂ કરતાં જ કહેવામાં આવ્યું છે કે મારે ભવિતવ્યતા નામની એક સ્ત્રી છે. ’ વાસ્તવિક રીતે એ સ્ત્રી નથી, પણ સાડી પહેરનાર માટે સૈનિક છે. ( પૃ. ૩૦૮) આ રીતે જોતાં એ પાત્રને વાસ્તવિક સ્ત્રીઓની એ યુગની દશા બતાવનાર પ્રતિનિધિ પાત્ર ગણવું કે માત્ર અલકારિક પાત્ર ગણવું એના નિર્ણય કરવા મુશ્કેલ છે. એના દ્વાર તેા અજબ છે, છતાં એ યુગમાં આવી amazon સ્ત્રીઓ પણ હશે એટલું તેા જરૂર નાંખી લેવા જેવું છે. એમ ન હેાય તે અલકારમાં પણ એવી જબરી પત્નીઓના ઉલ્લેખ ન સંભવે. ભવિતવ્યતા જેવી પાતાની પ્રજાના એક માણસની સ્ત્રીને રાજસભામાં એલાવવામાં આવે ત્યારે અત્યંતઅબાધ (સેનાપતિ) અને તીવ્રમે હે દય (મહત્તમ) તેને વાણીથી પાદપતન કરે (મ. ૨. પ્ર. ૭ પૃ. ૩૧૧) એ સ્ત્રીવર્ગ તરફનું તે યુગનું સન્માન સૂચવે છે. ભવિતવ્યતા અસાધારણ શક્તિશાળી છે એ ખરું, પણ મધ્ય યુગમાં કેાઇ મહારાજા કે Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ [ દશમી શતાબ્દિ ? તેને સરસ્બે સ્ત્રીને નમન કરે એ વાત બનવાજોગ મનાય નહિ. અને ત્યાં તો વ્યાપકલક્ષણ કરે છે કે રવિ શી જિઇ રેવતા એટલે સર્વ સ્ત્રીઓને પૂજ્યભાવ સ્પષ્ટ રીતે આપવામાં આવ્યા છે. સ્ત્રીઓનું સમાજમાં સ્થાન શું હશે તે આ હકીક્ત બતાવે છે. (પૃષ્ઠ સદર) (૬) માતાએ પુત્રના સંસ્કાર પર બહુ જબરી અસર કરતી હશે એવી માન્યતા જણાય છે. અકુશળમાળાએ બાળ પર પિતાને કેવો પ્રભાવ પાડ્યો અને શુભસુંદરીએ મનીષી પર કે પાડ્યો એ લાક્ષણિક દષ્ટાંત છે. (. ૩. પ્ર. ૫) અને સામાન્યરૂપાએ પ્ર. ૩. પ્ર. ૭ માં ગુંચવણું થાય ત્યારે થોડા વખત પસાર કરી જવાની પિતાના પુત્ર મધ્યમબુદ્ધિને સલાહ આપી અને તે પર હજુપ્રગુણાની વાત કરી તે તે યુગની સ્ત્રીઓની દીર્ઘ વિચારણુશક્તિને ખ્યાલ આપે છે. (૭) મદનકંદળીનું વર્ણન પ્ર. ૩. પ્ર. ૧૦. પૃ. ૪૫૭માં વાંચતા. જાણે સ્ત્રીઓએ શરીર પર વિલેપન કરવું, કપડાં ઘરેણાં પહેરવાં અને મજશોખ માણવા એ સ્ત્રીકર્તવ્ય હોય એમ જણાય છે. પ્રજ્ઞાવિશાળ જેવી ચતુર સ્ત્રીઓ હોય છે ખરી, પણ ઘણીખરી સ્ત્રીઓ તે પુરુષવર્ગની મેજને પૂરું પાડનારી પુતળીઓ હોય એવું જણાય છે. (૮) જાહેર પ્રસંગેએ મેટા વરઘોડામાં સ્ત્રીઓ ચામર વીંઝતી હતી (મ, ૩.પ્ર. ૧૭. પૃ.૫૩૮) એ ઉપરથી જણાય છે કે સ્ત્રીઓ પુરુષો સાથે પૂરતી છૂટથી મળતી હતી અને મહત્સવમાં ભાગ લેતી હતી. (૯) ભાઈબહેન કબૂલાત કરતા કે બન્નેને જે પુત્ર પુત્રી થાય તે તેના લગ્ન કરવા. (પ્ર. ૩. પ્ર. ૨૦. પૃ. ૫૬૭) આવાં સાટાં જન્મ પહેલેથી થઈ જતા હતા એવી વાત વાંચીએ છીએ તેથી તેવો રિવાજ પણ તે કાળમાં પ્રચલિત હોવાનો સંભવ રહે છે. લગ્નસંબંધમાં છોકરીની ઈચ્છા પૂછવામાં આવતી હતી અને કેટલીક વાર જોખમ ખેડીને પણ તેનું ધાર્યું કરવાની પિતા રજા આપતા હતા. (પ્ર, ૩. પ્ર. ૨૦. પૃ. ૫૬૯) રત્નવતી જેવી સુંદર સ્ત્રી હોવા છતાં નંદિવર્ધન કનકમંજરીને દૂરથી જુએ છે ત્યાં એવો ઘાયલ થઈ જાય છે કે એના વિકારનું વર્ણન કરવામાં અને એની વિરહદશાને વ્યક્ત કરવામાં ગ્રંથકર્તાએ લંબાણ વિવેચન કર્યું છે. (પૃ. ૫૯૧) Page #495 -------------------------------------------------------------------------- ________________ સમાજમાં સ્ત્રીઓનું સ્થાન : ] ૪૫૩ ( ૧૦ ) માત્ર રાજપુત્રીઓના લગ્નમાં પસંદગીને સ્થાન હતુ એમ જણાય છે, છતાં તેમાં પણ પિતાની ઇચ્છા તેા અવશ્ય મુખ્ય ભાગ ભજવતી. નરસુંદરી પસંદગીથી વરવા આવી, રાજસભામાં રિપુઠ્ઠારણના રકાસ થયા, છતાં એના પિતાએ અન્ને પક્ષની આબરૂના વિચાર કરી તે નરસુ ંદરીને પુદારણુ સાથે પરણાવી. (૫. ૪. પ્ર. ૪, પૃ. ૭૩૬) ( ૧૧ ) એક સ્ત્રીની હયાતીમાં બીજી સ્ત્રી કરવામાં જરા પણ વાંધા કે સંકાચ તે યુગમાં નહાતા એના અનેક પુરાવા આ ગ્રંથમાં છે. એના કુશળ સારથિને પણ એ વાત તદ્ન યાગ્ય જ લાગે છે. માત્ર હાથી પર બેઠેલ રાજકુમાર અન્ય સ્ત્રી સામે જોઇ રહે તે ઠીક ન દેખાય એના એને ખ્યાલ થાય છે, પણ એના લગ્ન જો નકમંજરી સાથે થાય તે તેને તે કામદેવ–રતિના સબંધ જેવા ગણે છે. (પૃ. ૫૯૦) એક સ્ત્રીની હયાતીમાં વધારે શ્રી પરણવાના રિવાજના પારવગરના પ્રસંગેા આ ગ્રંથમાં આવે છે તેથી પુરુષના હક્કના તે પ્રકારના ઉપયાગ સારી રીતે તે યુગમાં થતા હશે તેમ જણાય છે. આ સંબંધમાં નીચેના દાખલાએ વિચારવાઃ— રિપુક પનને રતિલલિતા અને મતિકલિતા નામની એ સ્ત્રીએ હતી. ( × ૪ પ્ર. ૨૩. પૃ. ૯૪૫ ) નંદિવર્ધન રત્નવતી સાથે પ્રેમથી પરણ્યા અને થાડા જ દિવસમાં કનકમ ંજરી સાથે અતિ આન ંદથી પરણ્યા. ( પ્ર. ૩. પ્ર. ૨૨૪. પૃ. ૬૧૩ ) કેસરી રાજા( આનંદપુરે )ને જયસુ ંદરી અને કમળસુ દરી નામે એ સ્ત્રીઓ હતી. ( પ્ર. ૬. પ્ર. ૩. પૃ. ૧૪૮૬ ) ગુણધારણ અલંકારિક રીતે અનેક કન્યાઓ પરણે છે તે તદ્ન સ્વાભાવિક ધારવામાં આવ્યું છે. (પ્ર. ૮. પ્ર. ૯. પૃ. ૧૯૫૦–૧ ) સ્ત્રીઓની પરાધીનતા વધારે પડતી દેખાય છે. તેઓ લડવા જતી હાય એમ લાગતુ નથી. પેાતાના ખચાવ માટે એને પુરુષવર્ગ પર આધાર રાખવા પડતા હતા એના અનેક દાખલા મળે છે. Page #496 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ [ દશમી શતાબ્દિ : લતાગૃહમાંથી ઊઠેલા વિદ્યાધરનું યુદ્ધ થાય છે ત્યારે ભયભીત સુ ંદરી વિમળકુમારનું શરણું કરે છે. એના પતિને લડતા જોઇ એ ધ્રૂજતી હતી, ગભરાઈ ગઈ હતી, મુંઝાઈ ગઈ હતી. ( ૫. ૫. પ્ર. ૩. પૃ. ૧૧૬૫ ) એક પતિની અનેક સ્ત્રીએ શાક કહેવાતી અને તેઓ અર૫રસ ખૂબ લડતી એ અત્યારે છે તે પ્રમાણે જ તે વખતે હશે એમ રત્નવતીના વચન પરથી જણાય છે. તે કહે છે ‘ હું, મહેન વિમળા વગર એક ક્ષણ પણ રહી શકું તેમ નથી, પણ હું કનકશેખરને તરીને મારી બહેનને શાક નહિ થવા દુઉં.' સ્ત્રીઓમાં અરસ્પરસ ગમે તેટલા પ્રેમ હાય, પણ જો તેઓને શાક તરીકેના સંબંધ થાય તા સ્નેહ જરૂર તૂટી જાય છે. ( પ્ર. ૩. પ્ર. ૨૦. પૃ. ૫૬૯ ) નંદકુમારની મ્હેન લીલાવતી પેાતાની શેકના છેાકરાને ગંધ ( વિષમય ) આપી મારી નાખવાની પેરવી કરે છે. જો કે એ પડિકાથી પેાતાના ભાઈ જ મૃત્યુના લેગ અને છે, પણ શાકના તરફ અને તેના પરિવાર તરફ એક પતિની પત્નીએના કેવા ભાવ વતા હતા તેનું એક વધારે ષ્ટાંત એ હકીકતથી પૂરું પડે છે. (પ્ર. પ. પ્ર. ૧૯. પૃ. ૧૩૨૦) ( ૧૨ ) પુરુષાના સ્ત્રીઓ પર સહક સ્વાધીન હતા. રિપુઢારણુ નરસુંદરીને વગરશુન્હે પાતાના મહેલમાંથી કાઢી મૂકે (૫. ૪. પ્ર. ૫ ) અને નંદિવર્ધન કનકમંજરીનુ ખૂન કરે એ તે યુગના સ્રીપરત ત્રતાના ખ્યાલને તદ્દન યેાગ્ય હતું. સ્ત્રી પોતાના પતિને આધીન રહેવા જ સરજાયલી હતી એ વાત અનેક સ્થળે બહાર આવે છે. નરસુંદરીની નમ્રતા તા અવધિ છે, પણ નરપિશાચ રિપુદારણે એની માતાને પણ લાત મારી અને નરસુંદરીને અંતે આત્મઘાત કરવા પડ્યો. ( પ્ર. ૪. પ્ર. ૫ ) આ દશા તે યુગમાં સ્ત્રીઓની હતી. ( ૧૩ ) ‘ હકીકતનેા સાર સમજ્યા વગર જે મૂર્ખ પ્રાણી સ્ત્રીનાં વચન પર આધાર રાખીને પ્રવૃત્તિ કરે છે તેને અનર્થ પ્રાપ્ત થવા અશક્ય કે અસ’ભવિત નથી.’ ( ૫. ૪. પ્ર. ૭. રૃ. ૭૭૫ ) સ્ત્રીઓનું સમાજમાં સ્થાન શુ હશે તે પર પ્રકાશ પાડનાર આ લાક્ષણિક વાક્ય છે. ( ૧૪) એથી પણ વધારે લાક્ષણિક વાક્ય તે જ પ્રસંગમાં Page #497 -------------------------------------------------------------------------- ________________ સમાજમાં સ્ત્રીઓનું સ્થાન : ] ૪૫૫ પૃ. ૭૭૭–૮ માં આવે છે. ‘ સર્વ શ્રી પવનની જેવી ચંચળ હેાય છે, સંધ્યાકાળના આકાશની પ ંક્તિ જેવી ક્ષણવાર રક્ત અને પછી વિરક્ત હાય છે, નદીની પેઠે નીચગામિની હાય છે, કાચમાં દાખલ કરેલ સુખની પ્રતિમા પેઠે દુર્ગાહ્ય હાય છે, નાગાને રાખવાના કરડિયા જેવી હેાય છે, કાલકૂટ વિષની વેલડી સમાન એકદમ મરણુ કરનાર હાય છે, નરકના અગ્નિ સમાન સ ંતાપ કરનાર હાય છે, શુભ ધ્યાનની દુશ્મન હેાય છે, મનમાં કાંઇ ચિંતવના કરે છે, માયાકપટથી બીજી ખેલે છે અને કાંઈ ત્રીજું જ કરે છે, પુરુષ પાસે તે મહાપતિવ્રતાના દેખાવ કરે છે, ઇંદ્રજાળ વિદ્યાની પેઠે ષ્ટિને આચ્છાદન કરે છે, અગ્નિ જેમ લાખને પીગળાવી નાખે તેમ મનુષ્યનાં ચિત્તને એ પીગળાવે છે, વિાધ કરાવે છે, બુદ્ધિમાન પુરુષાએ તેટલા માટે સ્રોને સંસારચક્ર ચલાવવાના કારણભૂત કહી છે. અસત્ય ભાષણ, સાહસિકપણું, કપટવૃત્તિ, લારહિતપણું, અતિલેાભીપણ, નિ યપણું, અપવિત્રણ એ ગુણા એમાં સ્વાભાવિક હોય છે. આ દુનિયામાં જે કાંઇ દાષાના સમૂહ રહેલા છે તે સર્વ એકઠા કરીને સ્ત્રીરૂપ ભંડા૨માં ભરી રાખ્યા છે. તટલા માટે જે પ્રાણી પેાતાનુ હિત ઇચ્છતે હાય તણે પાતાના આત્મા એ સ્ત્રીઓને ભરોંસે ન રાખવેા. ’ આગળ પૃ. ૭૭૯ માં એક શ્લાક આપ્યા છે. તેના ભાવાર્થ આ પ્રમાણે છે—પ્રાણી ગમે તેવા ખબરદાર હેાય, પણ જો તે સ્ત્રીના અસલ સ્વભાવની ખરાખર તપાસ કરતા નથી, તેને ખરાખર પીછાનતા નથી અને છતાં તેને પેાતાના હૃદયભાવ અર્પણ કરી દે છે તા આખરે તે જરૂર હેરાન થાય છે, નાશ પામે છે અને પૂરા પસ્તાય છે. ’ ( ૧૫ ) સ્ત્રીઓનાં જ્યાં જ્યાં વર્ણ ના આવ્યાં છે ત્યાં ત્યાં તેમને પતિપરાયણ બતાવવામાં આવી છે. આનંદનગરનું વર્ણન કરતાં ત્યાંની સ્ત્રીઓને અત્યંત રૂપાળી છતાં આંખના પલકારા ( કટાક્ષ ) ન મારે તેવી બતાવી છે અને ધનશેખરની માતા બંધુમતીને રૂપનું પશુ રૂપ હાય તેવી વર્ણવી પછી એને પતિભક્તિનુ મ ંદિર ગણાવી છે. (પ્ર. ૬. પ્ર. ૧. પૃ. ૧૪૬૬૭ ) એમાં સ્ત્રીએ મહેાત્સવ સિવાય અન્ય કાઈ પ્રસ ંગે જાહેરમાં ભાગ લેતી જણાતી નથી. તે Page #498 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ [ દશમી શતાબ્દિક ઉપરથી સ્ત્રીઓ વિશેષતઃ ઘરમાં જ રહેતી હશે એવું અનુમાન સહજ થાય છે. (૧૬) બકુલશેઠને ત્યાં ધનશેખર આવી પહોંચે છે, તેને સત્કાર કરી જમાડી તે કેણ છે એમ પૂછે છે, તેનાં કુળ, શીલ, વય ને રૂપ ચગ્ય જાણી તેને આનંદ થાય છે અને પિતાની એકની એક દીકરી કમલિનીને પતિ થવા છે એમ જાણી છોકરીને બોલાવે છે. અરસ્પરસ બન્નેને રાગ જાણું પુત્રીની સંમતિથી તેને ધનશેખર સાથે વિવાહ કરે છે. આ લગ્નસંબંધમાં પુત્રીની ઈચ્છા અને પિતાની સંમતિ એ ખાસ નેંધવા જેવું છે. તેમજ આ રિવાજ દશમી સદીમાં હતા તે ખાસ બેંધવા જેવું છે. (પ્ર. ૬. પ્ર. ૨. પૃ. ૧૪૭૭) (૧૭) સ્ત્રીૌંદર્યને તે યુગને ખ્યાલ નીચે પ્રમાણે જણાય છે: વિશાળ સ્તન, વિશાળ આંખ, પાતળી કેડ, મોટા નિતંબ, હાથણી જેવી ચાલ. (પ્ર. ૬. પ્ર. ૬. પૃ. ૧૫૪૦) આવી સ્ત્રીઓ સૌદર્યશાળી ગણાતી હતી. છોકરીને લગ્નમાં આપવા પહેલાં પતિના કુળ શીલને બરાબર અભ્યાસ કરવો જોઈએ, એમ ન કરવામાં આવે અને પતિ મૂર્ખાઈ કરી દીકરીને પરાભવ કરે, તેને મારે-ફૂટે અથવા તેની સાથે પૂરતો સ્નેહસંબંધ ન રાખે તે વડિલેને મોટે સંતાપ થાય. આ પુત્રીલગ્નસંબંધ પરત્વે તે યુગને ખ્યાલ હતે. (પ્ર. ૭. પ્ર. ૧૬. પૃ. ૧૮૨૫) (૧૮) છોકરાના જન્મપ્રસંગે ખૂબ ઉજવાતા વર્ણવ્યા છે, પણ છોકરીને જન્મ તે માત્ર વિદ્યાધર કનકેદર જ ઉજવે છે. (પ્ર. ૮. પ્ર. ૨. પૃ. ૧૮૬૨) છોકરીનું સમાજમાં શું સ્થાન હશે તે આ ઉપરથી જણાય છે. (૧૯) કરીને સમાજમાં તે વખતે શું સ્થાન હતું તે નીચેના વાક્ય પરથી માલૂમ પડે છે. એ વાક્ય વિદ્યાધરપતિના મુખમાં મકર્યું છે તે આ પ્રમાણે છે –“દીકરી જન્મે ત્યારે શેક કરાવે છે, મેટી થતી જાય છે ત્યારે ચિંતા કરાવે છે, અન્યને આપી દેવાને વખત આવે ત્યારે અનેક સંકલ્પવિકલ્પ કરાવે છે અને ખરાબ સ્થિતિમાં આવી પડે ત્યારે અત્યંત શેક કરાવે છે. એને જે યોગ્ય Page #499 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ કરવાના વિવિધ પ્રકાર : ] ૪પ૭ વરને આપવામાં આવે, એ વર એને પસંદ પડે અને એ વર ધમીંછ અને ધનવાન હોય તો એની બાબતમાં નિશ્ચિતપણું પ્રાપ્ત થાય છે.” (૨ ૮. પ્ર. ૩. પૃ. ૧૮૭૮) પ્રેમ કરવાના વિવિધ પ્રકારો (a) ચિત્રપટને જોઈને પ્રેમ લાગ્યું અને તાપસી મારફતે મયૂરમંજરી અને હરિકુમારને સંબંધ જોડવા ધનશેખર પ્રયાસ કરે છે. એ સમયમાં પણ પ્રેમલગ્ન થતા હતા એમ જણાય છે. (પ્ર. ૬. પ્ર. ૫) પ્રેમપાત્રની ખાતરી માટે એ બે હાથનાં દેરેલાં ચિત્રો રજૂ કરે છે. વિદ્યાધરમિથુન અને વિયાગી રાજહંસીના ચિત્ર દ્વારા પ્રેમપાત્રની મદશા વ્યક્ત કરે છે. આ પ્રેમ કરવાની રીતિ ખાસ ધ્યાન ખેંચે તેવી છે. એનું વર્ણન પ્ર. ૬. પ્ર. ૬ માંથી વાંચવા યોગ્ય છે. (b) સ્ત્રીઆસક્ત પ્રાણીઓ પિતાને ઘેર મિત્રને પણ બેલાવતા નથી, સ્ત્રી તરફ કેઈ નજર ન કરે તેની ચીવટ રાખે છે અને સ્ત્રી જાણે પોતાને પરમાત્મા હોય તેમ તેની સાથે વર્તે છે. ( પીઠબંધ પૃ. ૭૮.) (૦) નામ સાંભળીને વગર જોયે પણ પ્રેમ થયાના દાખલા નંધાયેલા છે અને વ્યાહ થયા પછી તે ખાવુંપીવું, રમત-ગમત સર્વ વિસારે પડી જાય એવી સ્થિતિ થાય છે. (પ્ર. ૩. પ્ર. ૨૦. પૃ. પ૬૮) () વિજય પ્રાપ્ત કરી નગરપ્રવેશ કરનાર પર તારામૈત્રકથી પ્રેમ બંધાય છે. જુઓ કનકમંજરી અને નંદિવર્ધન સંબંધ. (પ્ર. ૩. પ્ર. ૨૪. પૃ. ૫૮૯ ) (e) કામદેવને પ્રભાવ વિચિત્ર હોવાથી કામાસક્ત માણસે કદી સીધે જવાબ આપતા નથી, એ ત્રણ કાળમાં સાચી વાત હોય એવી સ્થાપના કરવામાં આવી છે. (પ્ર. ૩. પ્ર. ૨૪. પૃ. ૫૯૪). (f) ગુણધારણ કુમાર નગર બહાર બગિચામાં જાય છે, ત્યાં ઝાડની નીચે હીંચકા ખાતી મદનમંજરી ઉપર પ્રેમમાં પડી જાય ૫૮ Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ [ દશમી શતાબ્દિક છે. ત્યાં બન્નેનું તારામૈત્રક થાય છે પણ બને કુળવાન હોવાથી જરા પણ છૂટ લેતા નથી. ઊલટું પિતાના મિત્રે પોતાને પરસ્ત્રી તરફ નજર કરતો જે હશે તે તે પોતાને માટે શું ધારશે એવી ચિતા તેને થાય છે. (પ્ર. ૮. પ્ર. ૨. પૃ. ૧૮૫૭). | (g) સ્વયંવર મંડપને રિવાજ પણ વર્ણવ્યું છે. રાજાઓ એકઠા થાય. દીકરીને વસ્ત્રાભૂષણે પહેરાવી રાજાઓની વચ્ચે લાવવામાં આવે, એની ધાવમાતા રાજાના વૈભવ, રૂપ, ગુણ વર્ણવે અને દીકરીને ગમે તેના ગળામાં દીકરી વરમાળા આપે, અને કઈ ન ગમે તે સ્વયંવર પડી પણ ભાંગે. (પ્ર. ૮. પ્ર. ૨. પૃ. ૧૮૬૪-૫) દશમી સદીના વિલાસે અનેક સ્થાને નેંધવા જેવા વિલાસ વર્ણવ્યા છે. દશમી શતાબ્દિની એ બાબતમાં લાક્ષણિક નૂતનતા આપણે વિચારીએ. ૧. સુગધીવાળા કપૂર(બરાસ)થી મિશ્ર કરેલ સુખડ, કેસર, કસ્તૂરીનું વિલેપન કરવાને રિવાજ હતે. ( પીઠબંધ પૃ. ૬૯ ) ૨. પાનમાં પાંચ સુગંધી નાખવામાં આવતી હતી તેમાં પૂર નાખવાનો રિવાજ હતો એ તદ્દન નૂતન હકીક્ત છે. (પૃ. સદર) ૩. અંગહાર નામને નાચ, હાલમાં ઉદયશંકર જે પદ્ધતિએ નાચ કરે છે તેને તે પ્રકાર હોવો જોઈએ એમ અનુમાન થાય છે. (પૃ.સદર) ૪. વાજિત્રમાં કાકલી નામના વાજિત્રનું નામ આવે છે. વેણુ, વીણા, મદંગ ઉપરાંત તે વાજિત્ર કર્યું હશે તે સમજાતું નથી. એનો સ્વર ઘણે મીઠો હોય છે અને ચાર લેક ઘરના માણસ જાગે છે કે નહિ એ જાણવા માટે પણ તેનો ઉપયોગ કરે છે. એ શ્રવણેદ્રિયને વિલાસ કરાવનાર વાજિત્ર છે. (પીઠબંધ પૃ. ૬૯) ૫. ગરમી ઓછી કરવા માટે ચંદન રસના છાંટણાવાળે પંખે કરવામાં આવતું હતું. (પ્ર. ૩. પ્ર. ૧. પૃ. ૩૫૯ ) ૬. ૫શન સુખના પ્રકાર-કમળ તળાઈ અને કમળ ઓશીકાં વાપરવાં; હંસ પક્ષીનાં રૂંવાંથી ભરેલા આસનીઆને ઉપયોગ Page #501 -------------------------------------------------------------------------- ________________ દશમી સદીના વિલાસા : ] ૪૯ કરવા; રેશમી તથા ચિનાઇ વસ્ત્રો પહેરવાં; શિયાળામાં ગરમ અને ઉનાળામાં ઠંડા વિલેપના કરવાં; સ્ત્રીઓ સાથે આન ંદ કરવા. (૪. ૩. પ્ર. ૩. પૃ. ૩૭૭–૮ ) વિષયસુખના ઉપભાગ. શરીરે વિલેપન અને ઉદ્ધ ન. ( પૃ. ૪૦૧ ) ૭. રાજા રાણી સુખ ભાગવે ત્યારે કાઇ કાઇ વાર વિલાસ માટે હાથમાં ફૂલની છાબડીએ લઇ અગિચામાં જઇ લેા વીણવા મ'ડી જાય અને પ્રથમ છાખડી કેાની ભરાય છે તે સ ંબંધી હાડ કરે. ( જીપ્રગુણા વર્ણન મ. ૩. પ્ર. ૬. રૃ. ૪૧૧) વસંત સમયમાં લેાકેા ચરીની રમત કરે છે, ઘેરઘેર હીંડાળાખાટ અંધાય છે અને સુગ ંધી પવનના રસાસ્વાદ જનતા કરે છે ( પ્ર. ૩. પ્ર. ૮. પૃ. ૪૭૫ ) ૮. રાજાએ નગર બહાર નીકળે ત્યારે તે ઘેાડા કેવા ખેલાવે છે તે જોવા માટે લેાકેા ટાળા વળીને જાય છે. (પ્ર. ૪. પ્ર. ૬. પૃ. ૭૫૬) ૯. રસનાસુખ પ્રકાર—ધપાક, શેરડી, ખાંડ, દહીં, ઘી, ગાળ, પકવાન્ન ખાવાં અને મદ્ય, માંસ, મધનાં પીણાં પીવાં. ( પૃ. ૭૭૩ ) આવી ખાખતમાં ખૂબ ગાઢતા રાખવી એ એની લેાલુપતા. ભાવતી વસ્તુએ અકરાંતીઆની પેઠે ખાવી, સ્ત્રીઓ સાથે અગિચામાં ફરવા જવુ, રસ્તે ચાલતાં દાન આપવું એ પણ વિલાસના એક પ્રકાર ગણવામાં આવતા હતા. ( વાહલ કથા. ૫. ૪. પ્ર. ૧૧. પૃ. ૮૦–૧ ) ૧૦. મ્હામાં દારુના કાગળા ભરી સ્ત્રી પાતાની તરફ્ પ્રેમ બતાવનારના મુખમાં તેને પાછે ઠેલવે અને પ્રેમી તે પી જાય તેને રતિના એક પ્રકાર માનવામાં આવતા હતા એમ મકરધ્વજની પત્ની પતિના વર્ણન પરથી જણાય છે. (પ્ર. ૪. પ્ર. ૧૪. પૃ. ૮૭૦ અને તે પરની નેટ ) ૧૧. વસંત ઋતુમાં નવ પ્રકારે વિલાસા થાય છે તેનાં નામ: નન, ગાન, તન, આકર ( ખેલાવવું તે ), પ્રણમન, હસન, રૂદન, પઠન અને ઉત્કંઠ. (મ. ૪. પ્ર. ૨૧. પૃ. ૯૨૨) એનુ` વિસ્તારથી ગદ્યવન પૃ. ૯૨૧ માં આપ્યું છે તે ખાસ વાંચવા ચેાગ્ય છે. Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ [ દશમી ાતાબ્દિ ૧૨. ઋતુના વર્ણનમાં અનેક વનરાજી અને પુષ્પાનાં નામેા આવે છે તે પરથી લેાકેાના કુદરત તરફ સદ્ભાવ ખૂબ હુશે એમ અનુમાન કરી શકાય. છએ ઋતુનાં વર્ણન પ્રસ્તાવ ચાથામાં આવે છે. તે માટે જુઓ:— શરણુ ન ( પ્ર. ૪. પ્ર. ૮. પૃ. ૭૮૫–૬ ) હેમંતવણું ન ( ૫. ૪. પ્ર. ૮. પૃ. ૭૮૭૮) શિશિરવણું ન (પ્ર. ૪. પ્ર. ૨૦. પૃ. ૯૧૨–૫ ) વસંતવર્ણન (પ્ર. ૪. પ્ર. ૨૧. પૃ. ૯૨૧-૫ ) ગ્રીષ્મવર્ણન ( પ્ર. ૪. પ્ર. ૩૭. પૃ. ૧૦૯૯–૧૧૦૦ ) વર્ષાવ ન ન (પ્ર. ૪. પ્ર. ૩૭, પૃ. ૧૧૦૧–૧૧૦૩ ) ૧૩. દારુ પીવાના રિવાજ ઘણા જણાય છે. દારુ પીવાની મંડળીએ થાય, ત્યાં નાચના જલસા ચાલે, માણસેા છાકટા થઈ ચેનચાળા કરે, મદ્યપાત્રા પાથરવામાં આવે, કાઈ માટા માણુસાનું મંડળ હાય તા મદ્યપાત્રા સેનાનાં પણ હાય, દારુ વધારે ચડાવવા માટે હિંદેળ રાગ ગાવામાં આવે, વાદ્ય વગાડનારને પણ આગ્રહ કરી દારુ પીવરાવવામાં આવે, દારુ પીતાં સ્ત્રીનાં અધરાનું પાન કરવામાં આવે, ધીમે ધીમે મર્યાદા પણ ચૂકાય અને મેાટા માણસેા પણ બાળક જેવી ચેષ્ટા કરે. (પ્ર. ૪. પ્ર. ૨૨. પૃ. ૯૩૮–૯) ૧૪. ઘ્રાણવણું ન—નાસિકાનું વર્ણન અભિનવ છે. લલાટપટ્ટ પર સુંદર પર્વત અને એ પર્વત પર શિખર અને તેની ઉપર કખરી નામની ઝાડી અને તે ઝાડીમાં નાસિકા નામની શુક્ા અને ગુફામાં એ અંધારીઆ એરડા અને તેની વચ્ચે બે વિભાગ પાડતી એક શિલા—એ આખું વર્ણન મૈાલિક છે, અશ્રુતપૂર્વ છે, અદ્ભુત છે અને યથાસ્થિત હકીકત રજૂ કરનાર છે. એટલી જ ભવ્ય કલ્પના ભુજ ંગતા દાસીની છે. સુગ ંધી ફૂલા અને ખીજા સુગંધી પદાર્થને સુંઘવા એ ઘ્રાણના વિષય છે. ભુજંગતા સાથે મળતાં ધ્રાણુ તરફ રાગ થાય છે અને દુગંધી તરફ દ્વેષ થાય છે એ આખી .રચના ખૂબ રસભરેલી છે. ( મ. પ. × ૧૮. પૃ. ૧૨૮૮૯૨. ) Page #503 -------------------------------------------------------------------------- ________________ તે યુગના બાળકનાં તેદાન : ૪૬૨ ૧૫. મિત્રો બગિચામાં જઈ વિદ્વત્તાભરેલા વાર્તા વિનાદ કરે, મશ્કરી સાથે આનંદ કરે અને ટેળટપ્પા કરે એ પણ રિવાજ હતા અને એમાં વિદ્રષ્ટિ પણ થતી હતી. વિદ્વત્તાભરેલા વિવેદના પ્રસંગે પણ આવે છે. (પ્ર. ૬. પ્ર. ૩. પૃ. ૧૪૫ થી આગળ) ૧૬. દષ્ટિદેવીને પ્રભાવ–સ્ત્રીઓનાં રૂપ જોવાં, સ્ત્રીઓએ કટાક્ષ કરવા, સ્ત્રીઓ આડી આંખે જુએ કે નિશાની કરે તે જોવું, જોનાં અંગના વિશ્વમાની ચેષ્ટા જેવી, સ્ત્રીના હાવભાવ જેવા, હુસવું જેવું અને સ્ત્રી સંબંધી કાંઈ પણ હકીક્ત બને તે આંખ માંડીને જેવી. એનાં જુદાં જુદાં અવયવ માટે કમળ ચંદ્ર આદિની કલ્પના કરવી વિગેરે. (પ્ર. ૬. પ્ર. ૧૨. પૃ. ૧૫૮૧.) ૧૭. કૃતિ–વીણા, વેણ, મૃદંગ સાંભળવામાં આનંદ માન. પછી ગંધર્વ કિન્નરનાં ગાયને સાંભળવાની વૃત્તિ થાય વિગેરે. (પ્ર. ૭. પ્ર. ૧૨. પૃ. ૧૭૮૨) ૧૮. દેવાને વિલાસ:–રત્નનાં કિરણથી લાલ રંગના દેખાતાં જળથી ભરેલાં અને ખીલેલાં કમળથી શોભતાં સરોવરમાં હષ્ટપુષ્ટ શરીર અને પધરવાળી લલિત લલનાઓ સાથે સ્નાન કરવું, જળક્રીડા કરવી, મંદિરમાં જઈ તીર્થકરને વંદન પૂછન કરવું, મણિરત્નમય પુસ્તકોનું વાચન કરવું અને સર્વ ઇદ્રિના બેગ ભેગવવા. (પ્ર. ૭. પ્ર. ૧૭. પૃ. ૧૮૩૩) તે યુગના બાળકનાં તેફાન– તે યુગનાં બાળકોનાં તેફાને સમજવા માટે પણ કેટલાક પ્રસંગે પ્રાપ્ત થાય છે. (a) નિપુણ્યકને તેફાની છોકરાઓ મારતા હતા. તેઓના લાકડી, મુઠ્ઠી અને માટીના ઢફાના પ્રહારથી તે અધમુઓ થઈ ગયે હતે ( પીઠબંધ મૃ. ૧૬ ). તે નિષ્પક ભિખારી “બાળકોને રમત કરવાનું રમકડું થઈ પડ્યો હતો.” ( સદર પૃ. ૧૭ ) (b) નદિવર્ધન બેલે છે કે- લાલ આંખ અને ચઢાવેલાં Page #504 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ [ દશમી શતાદિ : ભવાં સાથે દરેક અભ્યાસ કરનાર બાળકોની સાથે કજીઆ કરું, સર્વની ખાનગી બાબતની ચાડી કળાચાર્ય પાસે ખાઉં, સાચું ખોટું બેલું, તેઓ વચ્ચે પડીને મને સમજાવવા યત્ન કરે તે સહન પણ ન કરું અને લાકડી કે બીજું જે કાંઈ હાથમાં આવે તે વડેદરેક અભ્યાસીને ફટકાવું.” (પ્ર. ૩. પ્ર. ૧. પૃ. ૩૫૧. ) તે યુગના છોકરાઓનું આ લાક્ષણિક ચિત્ર છે. છોકરાઓને નંદિવર્ધનને ભય પણ એટલે લાગતો હતો કે કળાચાર્ય પાસે નંદિવર્ધનના તોફાનની વાત કહેવાની તેમની હિંમત પણ ચાલતી નહોતી. ( ૯ ) રિપુદારણ ગુરુના આસન પર ચઢી બેસતો. તેફાની છોકરાઓ બાળવયમાં આવાં ટીંખળ કરતા હતા (પ્ર. ૪. પ્ર. ૨. પૃ. ૭૧૭ ) અને પાછા પોતાને ગુન્હો બીજા ઉપર ઢળી પાડતા હતા. ( સદર ) ગુરુના આસન પર બેસવું એ તે સમયમાં ગુન્હો ગણતો હતો. ( 4 ) નિશાળના છેકરાઓમાં તો અરસ્પરસ ધમાલ કરવી, ચાડી ખાવી અને શિક્ષક પાસે ફરિયાદ કરવાની આપણું ધૂડી નિશાળે જેવી પદ્ધતિ જણાય છે. (પ્ર. ૪. પ્ર ૨. પૃ. ૭૧૮) ( ) તેફાની છોકરાઓને માર મારવાની રીત પ્રચલિત જણાય છે. સદાશિવ તાચાર્યની ઉપકથા એ વિષય પર સારે પ્રકાશ પાડે છે. (પ્ર. ૪. પ્ર. ૧૦. પૃ. ૮૧૩–૫) રમતગમત (Sports) વિગેરે– રમતગમતના કેટલાક પ્રસંગે દશમી શતાબ્દિના લેખકે વર્ણવ્યા છે. ૧. વસંતમાસમાં લેકે નગર બહાર નીકળી પાનશેષ્ટિ કરે છે. વનભાગમાં વિલાસ કરતી સ્ત્રીઓની આસપાસ ધનવાન યુવકે ફરી વળેલા દેખાય છે. સ્ત્રીઓ ઝાડ સાથે લટકાવેલા હીંચકા ખાય છે. સ્ત્રીઓ રાસ લેતી દેખાય છે. કેઈ વનવિભાગમાં સ્ત્રીપુરુષના યુગલે અરસ્પરસ ભેટીને બેસી ગયા છે. (મ. ૪. પ્ર. ૨૧. પૃ. ૯૨૬) Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૬૩ રમતગમત : ] ૨. રમતગમતમાં કુળવાન સ્ત્રીએ સારી રીતે જાહેરમાં ભાગ લેતી હતી એમ રતિલલિતાના નાચ પરથી પૃ. ૯૩૯ પરથી જ જણાય છે. ૩. નાચને અંગે ‘અંગહાર’ નામના નાચ આવે;છે. (પીઠમ ધ પૃ. ૬૯) એ નાચમાં આંગળીએ અને શરીરનાં બીજા અવયવાના લટકાએ કરવામાં આવે છે. હાલમાં ભૂતકાળના નાચાનું પુનર્જીવન કરવામાં આવે છે તે વખતે આ શબ્દપ્રયોગ ધ્યાનમાં રાખવા લાયક જણાય છે. ૪. વીણા વગાડવી, દડા ઉડાડવા એ રમત નોંધાયલી છે. ત્યાર પછી ‘પત્રચ્છેદ'ની રમત લખી છે. શરીર પર મેંદી કે ચંદનના ચિત્ર કાઢવા એવા એના અર્થ અનુમાનથી કર્યા છે. (પ્ર. ૩. પ્ર. ૨૦. પૃ. ૫૬૮) ૫. રાજાની છેકરીઓ હાથમાં કડા લઈ તેને ઉછાળવાની રમત કરતી જણાય છે. મેના–પાપટને પાળવામાં અને તેમને રમાડવામાં પણ આનંદ માનવામાં આવતા હતા. (પ્ર. ૬. પ્ર. ૬. પૃ. ૧૫૧૯) જુવાની–તેના ચાળા— ( a ) જીવાની જાળવવા માટે એ યુગના માણસા ખૂબ ચાસ રહેતા એમ જણાય છે. હાલમાં જેમાં Rejuvenationના પ્રયાગ જીવાની જાળવવા માટે થાય છે અને વાંદરાની નસ મનુષ્યના શરીરમાં નાખી અસલ નબળી પડતી નસને દૂર કરવામાં આવે છે તેમ અસલ કુટીપ્રાવેશિક નામનું રસાયણ તૈયાર કરવામાં આવતું હાય એમ જણાય છે. એ રસાયણના ઉપયાગથી શરીર વળીઆ, ધેાળા વાળ, ( માથાની ) તાલ અને ખાડખાંપણ વગરનુ થાય છે અને વૃદ્ધાવસ્થા દૂર થાય છે એમ જણાવવામાં આવે છે. એથી શરીર દેવકુમાર જેવી કાંતિવાળું થાય છે, સર્વ વિષયે ભાગવવાને સમર્થ થાય છે અને બહુ બળવાળું થાય છે એમ પણ જણાવવામાં આવ્યું છે. ( પીઠબંધ પૃ. ૬૮–૯ ). ( b ) યુવાવસ્થામાં ચેનચાળા કેવા થતા હશે તેનું વર્ણન દેવી કાળપરિણિત આપે છે: “ ત્યારપછી કુમારભાવ પૂરા થાય એટલે તરુણુપણું ધારણ કરી, ત્યાં સર્વ વિવેકી પ્રાણીઓને હાસ્ય ઉત્પન્ન Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ [ દશમી શતાબ્દિ : કરે તેવા કટાક્ષેા મહારાજશ્રી કામદેવ નામના મહાગુરુના ઉપદેશ અનુસાર કરે અને તેમ કરવામાં પેાતાના કુળને કલંક લાગશે કે ખીજી કોઇ મુશ્કેલીઓ આવશે તેની દરકાર ન કરેા, પણ જેમ કામદેવ કહે તેમ જુદા જુદા પ્રકારના વિલાસા કરી નાચેા અને તાફાન મસ્તી કરી, પરઢારાગમન જેવા અનાર્ય કાર્ય કરો. ” ( પ્ર. ૨. પ્ર. ૨. પૃ. ૨૬૮ ) ( ૯ ) ખાળ જેવા જીવાને રાત્રે રખડતા હતા અને પરસ્ત્રી મેળવવાને માટે અનેક પ્રકારના ફાંફા મારતા હતા. ( પ્ર. ૩. પ્ર. ૯ ) એવા રખડુ આચાય ના સુંદર ઉપદેશ ચાલતા હાય ત્યારે પણ રૂપાળી સ્ત્રીઓ તરફ નજર ફૈ કયા કરતા હતા. (પ્ર. ૩. પ્ર. ૧૨. રૃ. ૪૮૦) (d) જુવાનીના તારમાં નંદિવ`ન રાજસભામાં છરી ઉછાળે છે અને નકશેખરના સંબંધ વિસરી જાય છે. (પૃ. ૬૧૮) ત્યાંથી માંડીને જીવાની કેવા કેવા ચાળાએ કરાવે છે તેનુ આખુ ચિત્રપટ વિચારણીય છે અને દશમી શતાબ્દિના માનસનું લાક્ષણિક ચિત્ર રજૂ કરે છે. ( ૭ ) યાવનનું અતિ સુંદર વર્ણન નીચે પ્રમાણે કર્યું છે— ચાવન ચેાગી પ્રાણીઓનાં શરીરમાં દાખલ થઇ અનેક પ્રકારના વિલાસા કરાવે છે, વારંવાર હસાવે છે, ચાળાચકા કરાવે છે, ઊલટાસુલટા વિચારા કરાવે છે, ઠેકડા મરાવે છે, કુદકા મરાવે છે, ઉલ્લાસ કરાવે છે, નાચ કરાવે છે, દોડાદોડી કરાવે છે, અભિમાન કરાવે છે, પરાક્રમ કરાવે છે, ભાંડચેષ્ટા કરાવે છે, સાહસ કરાવે છે વિગેરે. ( શ્ર. ૪. પ્ર. ૨૮, પૃ. ૯૬૭ ) " ( f ) પરદેશ જતા પુત્રને શિખામણ આપતાં પિતા ધનશેખર કહે છે કે નવી જીવાની અનેક પ્રકારના વિકારાને લાવનારી હાય છે. ' ( પ્ર. ૬. પ્ર. ૧. પૃ. ૧૪૧૭ ) " ( ૪ ) અમિ જોતાં પ્રેમ થવાના દાખલા નોંધાયલા છે. આવા જુવાનીના વેગને પસંદગી લગ્નની કેટમાં મૂકાય, કે જુવાનીના આવેશમાં મૂકાય તે વિચારવા જેવું છે. (પ્ર. ૬. પ્ર. ૩. પૃ. ૧૪૯૧) જુવાનીના જોસ અને મિત્રાની ઠઠ્ઠા મશ્કરી કેવી હાય છે તે માટે હરિકુમારના આખા મિત્રવિનાદ વિચારવા યાગ્ય છે. Page #507 -------------------------------------------------------------------------- ________________ મહત્સવ : ] ૪૬૫ ( ૧ ) જુવાનીનું જોશવાળું વર્તન ધનશેખર બરાબર બતાવે છે. એને ભેગવિલાસથી તૃપ્તિ થતી નથી. એ વિધવા સ્ત્રીઓ, ભગત સ્ત્રીઓ અને જેના પતિ પરદેશ ગયેલા હોય છે તેવી સ્ત્રીઓમાં રખડે છે, ઊંઘ વેચે છે અને લાજ મૂકીને ભટકે છે (પ્ર. ૬. પ્ર. ૬. પૃ. ૧૫૩૩). છેવટે ઢેઢ ભંગીયણ જેવી સ્ત્રીઓમાં પણ એ રખડે છે. એની સાથે ઘડપણનું જે વર્ણન કર્યું છે તે તે સમયની લાક્ષણિક સ્થિતિ બતાવે છે. ઘરડા માણસે “ હજારે દુઃખના ભંગ થઈ પડે છે, રાંક જેવા થઈ જાય છે, તેમની પોતાની સ્ત્રીઓ પણ તેમને હડધૂત કરે છે, કુટુંબીઓ તેમને તિરસ્કાર કરે છે, બાળબચ્ચાંઓ તેમની મશ્કરી કરે છે, જુવાન સ્ત્રીઓ તેમના તરફ ધિક્કાર બતાવે છે, તેઓ વારંવાર ઉધરસ ખાધા કરે છે, ભાંગીતૂટી ખાટલીમાં પડી આળોટ્યા કરે છે, તેઓનાં નાકમાંથી લીટ ચાલ્યું જતું હોય છે.” વિગેરે ( પૃ. ૯૭). મહત્સ (a) મંદિર ઉપર શીળો કરવા પડદા લગાડવા, કસ્તૂરી, ચંદન, કપૂરનું મિશ્રણ કરી સુંદર લેપ જમીનતળ પર કર, પાંચ જાતિના સુગંધી ફૂલથી મંદિરનું તળ ઘુંટણ સુધી ભરવું, ચંદરો બાંધો, ચંદરવા નીચે થાંભલા પર કાચો બાંધવા, મેતીની માળા લટકાવવી, ચોતરફ ધૂપ કર, સુગંધી દ્રવ્ય ચોતરફ ફેલાવી મંદિરને સુગંધમય કરવું–આ રીતે દ્રવ્યશુદ્ધિ કરવાનો રિવાજ જણાય છે. મોટા રાજાઓ હાથમાં કળશ લઈ ઊભા રહે, મહારાણું ચામર ર્વષ્ઠ, મંત્રી મુખકેશ બાંધી ધૂપધાણ લઈ ઊભે રહે (પ્ર. ૩. પ્ર. ૧૫. પૃ. ૫૧૪-૬). દીક્ષા લેનાર મોટું દાન કરે એવો તે સમયે પણ રવાજ હોય એમ જણાય છે. ખરેખરી નેંધવા લાયક વાત એ છે કે દીક્ષા લેનાર મનીષીને હાથી પર બેસાડવામાં આવે છે અને ખૂદ રાજા તેની પછવાડે બેસી તેને છત્ર ધરે છે. (પૃ. ૫૧૭) (b) અઠ્ઠાઈમહોત્સવ માટે મંડપ તૈયાર કરાવો અને ત્યાં દાન આપવું—એવો રિવાજ હતો. જેને નિમિત્તે મહત્સવ થાય તેને ૫૮ Page #508 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ [ દશમી શતાબ્દિ : આઠે દિવસ નગરના મેટા રસ્તાઓ પર ફેરવવામાં આવતા. રાજા મંત્રી આદિ પગે ચાલતા (મ. ૩. પ્ર. ૧૭. પૃ. ૫૩૫–૬ ). (૦) ધ્રુવળરાજ અને વિમળકુમારની દીક્ષા વખતે અષ્ટાહ્નિકા મહેાત્સવ અને વિશેષ આડંબરથી જિનપૂજન થાય છે તેના વર્ણન માટે જુએ . પ. પ્ર. ૨૧. પૃ. ૧૩૨૫. (d) હરિમંજરીના લગ્નનું વર્ણન કરતાં કહે છે કે તે અવસરે માણુસા સુદર રસપાનથી મસ્ત થયા, અનેક લેાકાને ધનનાં દાન દેવામાં આવ્યાં, દેવતાઓને પણ એ મહેાત્સવથી આનંદ અને વિસ્મય થયા અને લેાકે નાચવા ને ખાવામાં ખૂબ આસક્ત થયા (પ્ર. ૬. પ્ર. ૬. પૃ. ૧૫૨૬૭). તે અવસરે દેવગુરુની પૂજાએ આડંબરથી રચવામાં આવી, સામતાને માન આપવામાં આવ્યું, પ્રેમીવ ને પહેરામણી કરવામાં આવી, રાજલેાકેાને પ્રસન્ન કરવામાં આવ્યા અને સ` ઉચિત ક્રિયાઓ કરવામાં આવી. ( પૃ. ૧૫૨૭) 66 ( ૭ ) ઉતાવળને પ્રસંગે લગ્ન જેવી ગંભીર વિધિ ઘણા સોપથી પતાવી દેવામાં આવતી હતી (૫. ૮. પ્ર. ૩. પૃ. ૧૮૭૭ ). (f) ગુણધારણ વિદ્યાધરની દીકરીને પરણી નગરપ્રવેશ કરે છે તે વખતના મહેાત્સવનું ભારે સુ ંદર વર્ણન કરવામાં આવ્યું છે. પટ્ટહસ્તીની આડી પર ગુણુધારણ અને તેના પિતા ( રાજા ), બીજા હાથી પર કુલ ધર, હાથણીએ પર માતા અને સ્ત્રીવર્ગ, આગળ લેાકેાનું ટાળું, તેમાંના કેટલાકના નાચ ગાયન અને વિલાસે વિગેરે (પ્ર. ૮. પ્ર. ૩. પૃ. ૧૮૮૨–૩). ele— મેલી વિદ્યા— (a) રાજા ઉપદ્રવ પામે ત્યારે આજીમાજીના રાજાના પરાભવ દૂર કરવા મેલી વિદ્યાના ઉપયોગ કરે. એની છ માસ સુધી આસેવના કરે. પછી ખત્રીશ લક્ષણા પુરુષના લેાહીથી હામ કરે, એ આખા પ્રયાગ આઠ દિવસ સુધી ચાલે. વિદ્યાના જાપ પૂરા થાય ત્યારે૩૨ લક્ષણવાળા પુરુષની પીઠમાંથી માંસની પેશી કાઢે,તેને દાખીને તેમાંથી નીકળતા લાહીના ખેખે ભરે અને જાપ ખરાખર પૂરા Page #509 -------------------------------------------------------------------------- ________________ શેક વખતે વર્તનઃ ]. ૪૬૭ થાય એટલે તે લોહીની આહુતિ આપે. આવા પ્રગો આઠ દિવસ ચાલે અને ૧૦૮ જાપ પૂરા થાય. એ પ્રાણી ઉપર કેઈથી દયા ન ખવાય. વળી એના શરીર પર સોજા લાવવા એને ખાટા પદાર્થો ખવરાવવામાં આવે અને શરીરને તદ્દન બહેરું બનાવી દેવામાં આવે. આઠ દિવસ સુધી દરરોજ એક સો આઠ જાપ એ રીતે થાય અને આહુતિઓ અપાય (પ્ર. ૩. પ્ર. ૯, પૃ. ૪૪૭-૮). (b) તપન ચક્રવતી પાસે મેલી વિદ્યાનો જાણનાર યોગેશ્વર હતા. એણે પિતાની પાસેના યોગચૂર્ણની એક મુઠ્ઠી ભરી રિપુદારણને લગાવી, એટલે એનું હૃદય શૂન્ય થઈ ગયું અને પોતે જાણે ઊંડી ગુફામાં ફેંકાઈ ગયા હોય તે થઈ જઈ પોતાનું સ્વરૂપ પણ ન જાણી શક્યા. પછી તો એની પાસે નાચ-નાટક કરાવ્યા. તે પર ચર્ચા અન્ય સ્થાનકે થશે. મેલી વિદ્યાથી શરીર તદ્દન બહેરું કરી શકતા હતા એમ એ ઉલ્લેખથી જણાય છે (પ્ર. ૪. પ્ર. ૪૦. પૃ. ૧૧૨૪). (c) મંત્રવિદ્યાને પરિણામે નિધાન હાથ કરવાનો વખત આવે ત્યારે છેલ્લી ઘડીએ વૈતાળો છળ કરે અને સાધ્યપ્રાપ્તિમાં આડા આવે એવી તે સમયમાં માન્યતા હતી (મ, ૮. પ્ર. ૯, પૃ. ૧૯૪૫). શોક વખતે વર્તન મરણ વખતે રડવાફૂટવાના રિવાજ તે યુગમાં કેવા હશે તેના અનેક પ્રસંગે કથાગ્રંથમાં આવે છે. નીચેના મુદ્દાથી તે પર અજવાળું પડશે. (2) રિપકંપનને નવો જન્મેલ દીકરે સુરતમાં જ અસાધ્ય વ્યાધિથી ગુજરી ગયા ત્યારે તેની રાણી “મતિકલિતા અને રતિલલિતાનાં માથાના ચોટલાઓ છૂટા થઈ ગયા, ભાંગી ગયેલાં આભૂષણે લલાટ સાથે અફળાવીને તેઓ માથા કૂટવા લાગી અને એવી સેંકડો રીતે રાણીઓએ રડારોળ કરી મૂકી. આખા મુખમાં લાળ ભરાઈ ગઈ, દીન બની જઈ તેઓ જમીન પર આળોટવા લાગી, માથાના વાળ ચુંટચુંટને તેડવા લાગી અને મોટેથી પોક મૂકીને કેળાહળ કરવા લાગી. ” (પૃ. ૯૫૧). અત્યારે ટેળે મળીને જે પ્રકારે આકંદ કરે છે તે રિવાજ તે વખતે જોવામાં આવતો નથી. Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ [ દશમી શતાબ્દિ : ( b ) મરણુ વખતે રડારાળ કરવાનુ ચિત્ર પ્ર. ૪. પ્ર. ૩૬, પૃ. ૯૮૦ માં આપ્યું છે. ત્યાંથી પણ જણાય છે કે માહથી લેાકેા રડતા હતા અને સ્ત્રીએ હાહારવ કરતી હતી. સગાસંબંધીઓ પણ એવે પ્રસંગે રડે છે એમ તે હકીકત પરથી જણાય છે. (૦) શેક અને માહના સંબંધ અને તેની આખી ઉત્પત્તિ અને દ્વેષગજેંદ્ર રાજાની ગેરહાજરીમાં તામસચિત્ત નગરમાં એનુ સ્થાન ખૂબ વિચાર કરવા ચેાગ્ય ભાષામાં આપ્યું છે તે ખાસ ધ્યાનમાં લેવા ચેાગ્ય છે (પ્ર. ૪. પ્ર. ૮. રૃ. ૭૯૬). (d) શાકનું લાક્ષણિક વર્ણન પ્ર. ૪. પ્ર. ૧૫ માં આવે છે. ત્યાં બતાવે છે કે ‘શાક દીનતા ઉત્પન્ન કરે છે, રડાવે છે અને આ દુ કરાવે છે. એને શ પડીને પ્રાણી માથાં ફૂટે છે, પેાતાનાં વાળ ખેંચી કાઢે છે, છાતી કૂટે છે, પછાડી ખાઇને જમીન પર પડે છે, ગભરાટમાં પડી જાય છે, ગળે દોરડું બાંધી આત્મઘાત કરવા મંડી જાય છે, નદી, સમુદ્ર કે સરેાવરમાં પડતું મૂકે છે, અગ્નિમાં ઝંપલાવે છે, પર્વતના શિખરેથી ભૈરવજવ ખાય છે, કાળફૂટ ઝેર ખાય છે, પેાતાને હથિયાર મારી મરવા મંડી જાય છે, ગાંડાઘેલા જેવા દેખાય છે, ગભરાટમાં પડી જાય છે, રાંકની જેમ ખેલે છે’ વિગેરે ( પૃ. ૮૭૫–૬ ). ( ૭ ) મદનસુ ંદરીના અચાનક મરણુ વખતે ઘનવાહન માથુ ફૂટે છે, આંસુએ પાડે છે, રાજકાર્ય પર ધ્યાન આપવું અંધ કરે છે અને જાણે એને ચેટક વળગ્યુ. હાય તેવા થઈ જાય છે. તે વખતે અકલંક મુનિ એને લાક્ષણિક એધ આપી શરીરની-જીવનની અસ્થિરતા સમજાવે છે, તે છતાં પણ ધનવાહન તેા આક્રંદ કર્યા જ કરે છે; એટલે પછી વધારે અસરકારક ઉપદેશ આપી તેને સ્વસ્થ કરે છે (પ્ર. ૭. પ્ર. ૧૩. રૃ. ૧૭૮૭૯). વ્યાધિ-ઉપાય— ( a ) વ્યાધિઓનાં અનેક નામેા આવે છે. આંખના વ્યાધિઓ પૈકી કાચ, પટલ, તિમિર અને કામલ નામના વ્યાધિઓ ( પીઠબંધ પૃ. ૧૨૨) ગણાવ્યા છે. Page #511 -------------------------------------------------------------------------- ________________ વ્યાધિ–ઉપાય : ] ૪૬૯ (b ) આંખમાં અંજન આંજવાથી આંખના વ્યાધિ જાય છે એવી માન્યતા હતી ( પૃ. ૧૨૯ ) એ તે અત્યારે પણ પ્રચલિત છે; પણ પાણી (જળ) પીવાથી તે ‘ સર્વરાગાને ઓછા કરે છે અને શરીરમાં રહેલા ઉન્માદના એકદમ નાશ કરે છે ’ ( પૃ. ૧૨૯ ) એ વાત ખાસ વિચારવા જેવી છે. અમુક ક્ષારવાળા પાણીના ઝરાને મહિમા અત્યારે પણ અમુક અમુક વ્યાધિઓને અંગે ગવાય છે. કેટલાક ઝરાના પાણી વ્યાધિ કરનાર હાય છે અને કેટલાકના પાણી વ્યાધિ મટાડનાર હાય છે, તે વાતની જડ અહીં પ્રાપ્ત થાય છે. . ( ૦ ) પરમાન્ન એટલે ખીર. ખીર ખાવાથી શા લાભા થાય તે બતાવતાં કહે છે કે - તે સર્વ વ્યાધિઓને મૂળમાંથી નાશ કરવાને શક્તિમાન છે, તેને બરાબર વિધિપૂર્વક ખાવામાં આવેલ હાય તા તે શરીરના વણુ વધારે છે, પુષ્ટિ કરે છે, ધૃતિ આપે છે, ખળ પ્રાપ્ત કરાવે છે, મનને આનંદમાં રાખે છે, પરાક્રમીપણું લાવી આપે છે, નિરંતર યુવાવસ્થા ટકાવી રાખે છે, વીર્યમાં વધારે કરે છે અને અજરામરપણું પ્રાપ્ત કરાવે છે. ( પૃ. સદર ) અમુક રીતે તૈયાર કરેલી ક્ષીરમાં આટલા બધા ગુણા આવી શકે તે ખાસ સમજવા યોગ્ય છે. આ બાખતમાં અતિશાક્તિ નથી કે ઉપમા નથી એ આજુબાજુના સ ંબંધ વિચારતાં સ્પષ્ટ જણાય છે. " ( d ) ઉન્માદ, કાઢ, ખુજલી, શૂળ એટલા વ્યાધિનાં નામે પૃ. ૧૬ માં આપ્યાં છે. ( ૭ ) પૃ. ૧૮૨ માં શૂળ, દાહ, મૂંઝવણ, તાવ, શરદી, જડપણું, છાતીમાં તથા પડખામાં વેદના ( શૂળ ), ઉન્માદ, અરુચિ :એટલાં નામેા આવે છે. ( f ) પૃ. ૧૬( પીઠબંધ )માં ઉન્માદ ( સન્નેપાત ), તાવ, કાઢ, ખુજલીનાં નામેા બતાવ્યાં છે અને રૃ. ૬૦ માં તેના ખુલાસા કરતાં જળાદર ને નેત્રરાગનાં નામેા આપ્યાં છે. ( ૪ ) ભસ્મક વ્યાધિવાળાને ગમે તેટલું ખાવાનું તથા પીવાનું આપવામાં આવે તે સ તે ખાઇ જાય છે અને તે તેના શરીરમાં ભસ્મીભૂત થઈ જાય છે (પ્ર. ૩. પ્ર. ૫. પૃ. ૪૦૧), Page #512 -------------------------------------------------------------------------- ________________ ૪૦, [ દશમી શતાબ્દિક () સન્નિપાત થયેલ હોય તેને ક્ષીર (દૂધ) અપથ્ય છે (પ્ર. ૪. પ્ર. ૨. પૃ. ૭૧૬). કેઈને સખ્ત પછાડ લાગ્યો હોય તેને ખટાશ ખવરાવવામાં આવે તે આખે શરીરે સોજા થઈ આવે છે (સદર). (i) ઊંટવૈદુ પણ ઘણું ચાલતું હશે એમ સદાશિવ ભૈતાચાર્યની કથા પરથી જણાય છે (પ્ર. ૪. પ્ર. ૧૦. પૃ. ૮૧૩–૧૫). શિખામણું ન સાંભળે તેને માર મારવો એવું પણ તે હકીક્તમાંથી નીકળે છે. (૩) તાવ આવે ત્યારે કાંઈ ખાવું નહિ, પવન ન આવે તેવા ઓરડામાં જઈ આરામ કરો, લાંઘણ કરવી, ઉકાળેલું પાણી પીવું એ અજીર્ણને મટાડવાના ઉપાયો છે ( વેલવલ કથા પ્ર. ૪. પ્ર. ૧૧. પૃ. ૮૨૧-૨). | ( k ) તાવ, અતિસાર, કઢ, હરસ, પરમીઓ, પ્લીહ (બળ વધવી તે), ધૂમક (હરસ?), અમ્લક, સંગ્રહણી, પડખામાં શૂળ, હેડકી, શ્વાસ, ક્ષયરોગ, ભમરી, ગુલ્મ (ગોળો), હૃદયરોગ, મૂચ્છો, સંગ્રહણી, ધુજ, ખસ, કોઢ, ધાધર, અરુચિ, શેફ (જ), ભગંદર, ગળાના વ્યાધિ, ચળ, જળદર, સનેપાત, શેષ, શરદી, આંખના રેગે, વિદ્રધિ-આટલાં નામે રૂજા સાથે બતાવ્યાં છે (પ્ર.૪ પ્ર. ૨૮. પૃ. ૯૮–૯). (1) ગળત કેઢ થાય છે ત્યારે એ કેઢ ગળ્યા કરે છે, એ વ્યાધિવાળા મનુષ્યનું નાકચીબું થઈ જાય છે, એનો અવાજ ઘોઘરો અને અસ્પષ્ટ થાય છે, એની આંગળીઓ ટૂંકી ટૂંકી થતી જાય છે ને ઉખડી પણ જાય છે (પ્ર. ૫. પ્ર. ૧૩. પૃ. ૧૨૪૪). શૂળ થાય છે ત્યારે દરેક પળે સણકો આવે છે અને એ વ્યાધિવાળો પિતાના હોઠને વારંવાર દબાવ્યા કરે છે, દાંતને દાબે છે અને ભવાં ચઢાવે છે (સદર પૃ. ૧૨૪૫). (m) વાયુ, પિત્ત અને કફ એ શરીર સંબંધી ત્રણ પ્રકારના દે છે. વાયુ અનેક પ્રકારના હોય છે તે તેનાથી ઊલટા પ્રકારની વસ્તુથી શમે છે. પિત્તના પાંચ પ્રકાર છે અને કફના પણ પાંચ પ્રકાર છે. રસના છ પ્રકાર છે. મીઠે, માટે, ખારો, તીખો, કડવો અને તરે. પ્રથમના ત્રણ રસ કફને વધારે છે, છેલ્લા ત્રણ વાયુને વધારનાર છે અને તીખો ખાટો અને ખારો રસ પિત્તને વધારે છે. ઊલટા રસો તે પર વિજય મેળવે છે. Page #513 -------------------------------------------------------------------------- ________________ વ્યાપારના પ્રકારઃ ] ૪૭૧, અજીર્ણ ચાર પ્રકારના છે : આમ, વિદગ્ધ, વિષ્ટબ્ધ, રસશેષ. વમનથી આમાજીર્ણ મટે, છાશથી વિદગ્ધ મટે, શેક કે નાહથી વિષ્ટબ્ધ અને ઊંઘી જવાથી રસશેષ અજીર્ણ મટે. (પ્ર. ૬. પ્ર. ૪. પૃ. ૧૫૧૦–૧૧ ).. દુર્બસને જનસમાજમાં દુર્બસને અનેક હતા. નીચેના ખાસ ધ્યાન ખેંચે છે. દારૂ (પ્ર. ૪. પ્ર. ૨૨) (પ્ર. ૭. પ્ર. ૩) પરદારસેવન (પ્ર. ૪. પ્ર. ૨૨) ગુણિકા–વેશ્યા (પ્ર. ૪. પ્ર. ૨૫) જુગટું (પ્ર. ૪. પ્ર. ૨૬. પૃ. ૯૭૦). શિકાર (પ્ર. ૪. પ્ર. ૨૬. પૃ. ૯૭૩)(પ્ર. ૩. પ્ર. ૨૫. પૃ. ૬૧૫ ) ખેતી વ્યાપારના પ્રકાર અનાજના કેડાર ભરી ધાન્યને રાજસેવા સંઘરે કરે લશ્કરી નોકરી કપાસ અને તેલને ભાંડશાળામાં ગાડાનાં ભાડાં કરવાં ભરવાં. લાખ, ગળી, તલને દેશપરદેશનો સાથ મારફત વેપાર સંગ્રહ કરે. ઘર કરી અંગારા પડાવવા,વન-જંગલ કપાવહાણવટું વવાં. (પ્ર. ૬. પ્ર. ૨. પૃ. ૧૪૭૯) ખાણ ખાદવી માલ લાવવા લઈ જવા ગાડાઓ ધાતુવાદ તૈયાર કરવા, ઊંટનું ધણ એકઠું રસકૂપિકા દ્વારા સુવર્ણ પ્રયોગ કરી પરદેશ મોકલવું, વહાણે (Alchemy) (આ સર્વ બંધાવી પરદેશ મોકલવા, ગધેડા પ્રકારે છે. ૬. પ્ર. ૮. પૃ. એકઠા કરીને તે પર માલ લાવી ૧૫૪૬-૮ માં વર્ણવ્યા છે.) પરદેશ મોકલવા. પીઠબંધમાં પૃ. ૬૩-૪ માં નીચેના જગતના ઈજારા લેવા. બળદનું વ્યાપારે બતાવ્યા છે. ટેળું જમાવવું. નાયકાનું ટેળું Page #514 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ વહાણવટું-સફર પર્વતની ગુફામાં ભ્રમણ મડદાના માંસનું વેચાણ બન્યવાદ, ધાતુવાદ ચામડાને વ્યાપાર હાથીદાંતને વ્યાપાર [ દશમી શતાબ્દિ : જમાવી તેમની ચામડી (રૂપ) વેચવાનો ધંધો કરવો. રસદાર તાડીના વ્યાપાર.શેરડીના રસની ખાંડ કરવી (સદર મૃ. ૧૪૮૧ ) વ્યાપારની પદ્ધતિ (a) વેપાર કરવા માટે સાહસિકે સમુદ્ર ઓળંગીને પરદેશ જતા હતા (પ્ર. ૭. પ્ર. ૬. પૃ. ૧૭૦૧). પરદેશ ખેડનારામાંના સમજુ વેપારીઓ ત્યાં જઈ બીજું કામકાજ ન કરતાં વેપાર ઉપર જ ધ્યાન આપતા હતા, જ્યારે કઈ કઈ લહેરમાં પડી જઈ ખાટે વેપાર કરતા હતા અને કઈ બેદરકાર પણ થઈ જતા હતા. (પૃ. ૧૭૦૨-૩) (b) વ્યાપાર બજારમાં થતું હતું, હિંદુસ્તાનમાં અત્યારે છે તેવી જાતની દુકાને તે વખતે બજારમાં હતી એમ જણાય છે. શ્રેણ” શબ્દ વાપર્યો છે તેથી દુકાનની હારેની રીત તે વખતે પણ હતી એમ લાગે છે. દુકાનમાં કરી આણાં-વ્યાપારની ચીજો રાખવામાં આવતી, મૂલ્ય આપીને ચીજો ખરીદવામાં આવતી તે દેખાડે છે કે તે વખતે વ્યાપાર મોટે ભાગે રોકડથી થતો હતો. બજારના વર્ણનમાં એક બીજી વાત એ જણાય છે કે દેવાદારને કેદખાનામાં નાખવાનો રિવાજ તે વખતે હતો. સંસાર બજારનું આખું વર્ણન તે વખતના વ્યાપારને સરસ ખ્યાલ આપે તેવું છે (પ્ર. ૭. પ્ર. ૮. પૃ. ૧૭૩૫) (૯) ધનશેખરના પિતા પાસે અઢળક ધન છે છતાં એ પરદેશ જઈ પોતાના પ્રયાસથી ધન રળવા માગણી કરે છે ત્યારે ડોસા અનિચ્છાએ રજા આપતાં તેને જે ભલામણ કરે છે તે પરદેશના વ્યાપારની તે સમયની આખી નીતિરીતિ પર મુદ્દાસરને પ્રકાશ નાખે છે. પ્ર. ૬. પ્ર. ૧. પૃ. ૧૪૭૧ માં હરિશેખર ડાસા જણાવે છે તેની બાબતમાં અગાઉ ધ્યાન ખેંચવામાં આવ્યું છે. Page #515 -------------------------------------------------------------------------- ________________ વ્યાપારની પદ્ધતિ : ] ૪૭૩ ધનશેખર પાસે અઢળક દ્રવ્ય છતાં સ્વાપાર્જિત પૈસા મેળવવાની તેની તીવ્ર ઇચ્છા રહે છે તે તે વખતની સાહસિક વૃત્તિ ખતાવે છે. ( d ) તે યુગમાં અનાજના કાઠારી ભરવાના રવાજ હતા. કપાસ અને તેલને ભાંડશાળામાં ભરવાના રિવાજ હતા. લાખ અને ગળીના મોટા પાયા પર વ્યાપાર ચાલતા જણાય છે. જંગલના ઝાડા કાપી બાળીને કાલસા બનાવવાના વેપાર ચાલતા માલૂમ પડે છે (૫. ૬. પ્ર. ૨. પૃ. ૧૪૭૯). વ્યાપાર માટે ગાડાઓ, ગધેડાએ અને ઊટા મેાટી સ ંખ્યામાં રાખવાના રિવાજ જણાય છે ( પૃ. ૧૪૮૦ ). વહાણુથી પણ ઘણા વેપાર ચાલતા જણાય છે ( પૃષ્ઠ સદર ). ( ૭ ) ચામડાના વેપાર ચાલતા હતા. જગાતના ઇજારા અપાતો હતા અને નવી નવાઇની વાત એ છે કે એ સમયે વસ્યાનું ટાળુ રાખી તેમનું શિયળ વેચી તે દ્વારા ધન મેળવવાના વેપાર પણ ચાલતા હતા. દારુ, હાથીદાંત, ગાળ, ખાંડના વેપાર પણ ચાલતા હતા ( પૃ. ૧૪૮૧ ). આ ઉપરાંત ખાણ ખેાદવાના, ભાડા કરવાના, ચાકરી કરવાને વેપાર પણ ચાલતા હતા. ( પૃ. ૧૫૪૭ ) (f) દરિયાની સક્ મોટા વેપારીએ વહાણે ચઢે ત્યારે વહાણુમાં ઈંધણ છાણાં ભરી લેવામાં આવતાં હતાં, પીવાના પાણીનાં ઠામેા ભરી લેવામાં આવતાં હતાં. વેપારના કરિયાણાંથી વહાણુ ભરવામાં આવતાં હતાં અને ચાંચી લેાક ભરરિયે લૂંટ ન ચલાવે તે માટે લડાઇના સરંજામ અને લડનારા માણસાને પણ વહાણુ પર ચઢાવવામાં આવતા હતા. ( પૃ. ૧૪૮૪) (g ) પારકાના વિશ્વાસ ન કરનાર લેાલી શેઠે દુકાન પર સૂતા અને જરૂરી કારણે રાત્રે બહાર જતા તા દુકાનની સાચવણી માટે પાકા દાખસ્ત કરીને પછી જ જતા. (પ્ર. ૫. પ્ર. ૨૨. પૃ. ૧૩૩૧) (h ) દૂર દેશમાં વેપાર કરવાના હૈાય ત્યારે વ્યાપારની ચીજ આપીને વેચીને તેના બદલામાં તે સ્થાનની ચીજો લેવાના રિવાજ હતા. દેશપરદેશના નાણાના વિનિમય આ રીતે થતા હતા. (૫, ૬. પ્ર. ૨. પૃ. ૧૪૮૫) ૬૦ Page #516 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ [ દશમી શતાબ્દિ : (i) તે યુગને વ્યાપારને ખ્યાલ એ જણાય છે કે જે ખરે વેપારી હોય તે આખે વખત વેપાર જ કરે, એને કાંઈ રમતગમત કે કેતુક હેય નહિ અને જેટલે દરજે તેમ હોય તેટલે દરજે એ વેપારમાં ઓછો ગણાય. (ચારુ અને યોગ્યનું વર્તન-રત્નદ્વીપને અંગે સરખાવે. પ્ર. ૭. પ્ર. ૬. પૃ. ૧૭૦૧-૨ ). બાગમાં ફરવું, વનખંડમાં લટાર મારવી કે સરેવર પર જવું એ વ્યાપારીને ન ઘટે. તે શેખ ગણાતો હતો. (પૃ. ૧૭૦૨). પરદેશગમન પરદેશ–દૂર દેશ લોકે નવું નવું જાણવાની જિજ્ઞાસાવૃત્તિથી જતા હતા અથવા વ્યાપારનિમિત્તે જતા હતા તેના ઘણુ દાખલા નોંધાયેલા છે. તે વખતમાં જવા આવવાનાં સાધનો અલ્પ હોવા છતાં પરદેશ જવાની આવશ્યકતા ખાસ સ્વીકારવામાં આવતી હતી એમ જણાય છે. નીચેની હકીકતો આ મુદ્દા પર ખાસ વિચારવા ચોગ્ય જણાય છે. | (a) માર્થાનુસારિતા માસી વિચાર નામના પોતાના ભાણેજને કહે છે. “દુનિયા અનેક પ્રકારના બનાવે, હેવાલો અને કુતૂહલથી ભરેલી છે. તેને જે પ્રાણું પોતાને ઘરેથી નીકળીને પહેલેથી છેલ્લે સુધી તો નથી તે કૂવાના દેડકા જેવો છે એમ સમજવું.” (પ્ર. ૫. પ્ર. ૧૯. પૃ. ૧૨૪૮). આગળ ચાલતાં માસી કહે છે કે “એવા ઘેર બેસી રહેનારની દુનિયા બહુ ટૂંકી હોય છે, કારણ કે દુનિયાના વિલાસ, હશિયારી, બુદ્ધિ, ચાલાકીઓ અને તેના પ્રકારે, વિવિધ દેશની જુદી જુદી ભાષાઓ જાણવા લાયક હોય છે, લોકોની અનેક પ્રકારની ઈચ્છાઓ અને આચારેની સુંદરતા જોવા લાયક હોય છે.” (સદર) (b) ગમે તેટલું ધન હોય તે પણ પરદેશ જઈ વધારે ધન મેળવવું જ જોઈએ એવા ધનવાના વિચારો હતા.(પ્ર. ૬. પ્ર. ૧. પૃ. ૧૪૬૯). ધનશેખર કહે છે કે જે લક્ષ્મી પૂર્વપુરુષોએ પેદા કરેલી હોય તેને ઉપભેગ કરતાં માણસે શરમાવું જોઈએ. મૂર્ખ માણસે જ એવી વડિલેપાર્જિત લક્ષમી વાપરે. કુળક્રમાગત Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૭૫ વિજ્ઞાન : ] પંછને ભેગવવા જ માંડી હોય તો કેટલો વખત ચાલે ? એમ તે કુબેર ભંડારીના ભંડાર પણ ખૂટી જાય. (સદર પૃ. ૧૪૭૦). (૯) પરદેશ જતાં લગ્નશુદ્ધિ જોવામાં આવતી હતી, અવશ્રુતિ કરવામાં આવતી, સમુદ્રદેવનું પૂજન કરવામાં આવતું, સફેદ સઢે સજજ કરવામાં આવતા, વહાણમાં કૂવાતંભો ઊભા કરવામાં આવતા, વહાણમાં ઇંધણ અને મીઠું પાણી ભરી લેવામાં આવતાં, લડાયક સામગ્રી વહાણુ પર રાખવામાં આવતી–આ પ્રમાણે તૈયારી કરી પરદેશની સફર કરવામાં આવતી. અને તે જ સ્થાને જવા ઈચ્છનાર અન્ય વ્યાપારીઓને વહણે પર સાથે લેવામાં આવતા (પ્ર. ૬. પ્ર. ૨. પૃ. ૧૮૮૪). વહાણ ચાલે ત્યારે શંખનાદ થતો અને મંગળપાઠને ઉરચાર થતે (પૃ. ૧૪૮૫). (d) પરદેશગમનના સાધનોમાં વહાણ અગત્યનો ભાગ ભજવતાં હતાં. ધનશેખર પરદેશ જાય છે ત્યારે વહાણની તૈયારી કરે છે તે ઉપર જોયું. રત્નદ્વીપથી હરિકુમાર સાથે નાસે છે ત્યારે પણ બે વહાણુ શોધી કાઢે છે, એ સાધનસામગ્રીથી સંપૂર્ણ છે એમ ખાત્રી કરે છે અને પછી તેમાં રત્ન (cargo) ભરે છે અને રાત્રિ થતાં ભરતીને વખતે ગુપચૂપ પ્રયાણ કરે છે (પ્ર. ૬. પ્ર. ૭ પૃ. ૧૫૩૮). (e) ચાર વ્યાપારી કથાનકમાં પૈસા કમાવા માટે રત્નદ્વીપ જાય છે એટલા પરથી પરદેશ જવાની ખૂબ જરૂર હશે અને સાહસિકે તેને સારી રીતે લાભ લેતા હશે એમ જણાય છે. (પ્ર. ૭. પ્ર. ૬. પૃ. ૧૭૦૧) વિજ્ઞાન આયુર્વેદ-વૈદું તે માટે જુઓ પ્ર. ૬. પ્ર. ૪, પૃ. ૧૫૦૮-૧૬. શુકનશાસ્ત્ર-નિમિત્તશાસ્ત્ર તે માટે જુઓ પ્ર. ૬.પ્ર.પ.પૃ. ૧૫૧૯. આંકડા માંડીને નિમિત્ત જોવાય છે. તેમાં આઠ આય હાય છે. ધ્વજ, ધુમ્ર, સિંહ, શ્વાન, વૃષભ, ખર, હસ્તી અને કાગ. એને નાખીને તે પરથી ભવિષ્યને નિર્ણય કરાય છે. (પ્ર. ૬. પ્ર. ૫. પૃ. ૧૫૧૯-૨૧ ) Page #518 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ [ દશમી શતાબ્દિ: સ્વનિકળ. આ સંબંધી અનેક પ્રકારની માન્યતાઓ હતી. સ્વપ્ન કઈ પણ આવે એટલે તેનાં ફળ જાણવાની લેકેની જિજ્ઞાસા તીવ્ર હતી (૫. ૮. પ્ર. ૨. પૃ. ૧૮૬૬ ). તિષ. અમુક નક્ષત્ર ને અમુક રાશિમાં જન્મ થાય તેનું અમુક ફળ થાય ( પ્ર. ૭. પ્ર. ૧. પૃ. ૧૬૪–૫૪ ). નરનારીશરીરલક્ષણ (પ્ર. ૫. પ્ર. ૨. પૃ. ૧૧૫૧-૬૩). સ્વપ્નફળને અંગે ઘણી વાર આધ્યાત્મિક રહસ્ય સમાયેલું હોય છે જે પર આંતરદષ્ટિએ ખુલાસે થઈ શકતો હતો (મુ. ૮. પ્ર. ૫). ચિદ સ્વપ્ન આવનાર માતાને પુત્ર ચક્રવતી કે તીર્થકર થાય છે (પ્ર. ૮. પ્ર. ૧૨. પૃ. ૧૯૭૫ ). મુખવાટે પુરુષ પ્રવેશ કરે તેવા સ્વપ્નના ફળની પણ વિચારણા આગળ ઉપર કરી છે (મ, ૮. પ્ર. ૧૪. પૃ. ૧૯૮૪). કુટુંબપ્રેમ (a) બાળ કામદેવના વાસભુવનમાં દેવશય્યા પર સૂઈ જવાનું સાહસ કરે છે, છતાં એને ભાઈ મધ્યમબુદ્ધિ બાળને લોકોના રેષમાંથી છોડાવે છે અને એની આજીજીને પરિણામે વ્યંતર એને જીવતો મૂકે છે. આ બધું સ્નેહનું દષ્ટાંત છે. (પ્ર. ૩. પ્ર. ૮. પૃ.૪૪૦) (b) કનકમંજરી પર એના પિતામાતાને અપાર સ્નેહ છે ( પૃ. ૫૯). મણિમંજરી પિતાની બહેનને ઘેર જ પરણશે એ વિચારથી હર્ષઘેલી થાય છે (પૃ. ૬૦૩). કનકશેખરના પિતાએ રાજ્યના કરમાંથી જૈનોને મુક્તિ અપાવવાની વાત સાંભળી ત્યારે મુખને તે વાતને ઉપાય કરવા સૂચવ્યું પણ પુત્રવાત્સલ્યથી પુત્રને કાંઈ કહી શક્યા નહિ (મૃ. ૩. પ્ર. ૧૯. પૂ. પ૬૩). (૭) બકરશુરુ પિતાના કુટુંબીઓ પર પ્રેમ ન રાખતાં નાદાન ચાર પર પ્રેમ રાખે છે તે તેનું વર્તન તેના સેવકને પણ ગમતું નથી. એ હકીક્ત બતાવે છે કે એ યુગમાં કુટુંબપ્રેમ રાખવો એ અતિ મહત્વની સાંસારિક બાબત ગણતી હશે (પ. ૫. પ્ર. ૧૫. પૃ. ૧૨૬૨). Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૭૭ કુટુંબપ્રેમ ] ( 4 ) મલયમંજરીને પિતાની દીકરી કનકમંજરી ઉપરને અસાધારણ પ્રેમ માતાનું વાત્સલ્ય સૂચવે છે (પ્ર. ૩. પ્ર. ૨૪. પૃ. ૫૯). (9) ચાળા પ્રસ્તાવમાં વિમર્શ મા પ્રકર્ષ ભાણેજની જિજ્ઞાસા તૃપ્ત કરવા એક વર્ષ સુધી તેની સાથે દૂર દેશમાં ભટકે છે એ મામા ભાણેજને પ્રેમ બતાવે છે. એવા દાખલાઓ તે યુગમાં ઘણું બનતા હશે એમ સહજ અનુમાન થાય છે. વિમર્શને તે માટે સૂચના થતાં જ તે ઘણે ખુશીથી કામ ઉપાડી લે છે ( ક. ૪. પ્ર. ૭. પૃ. ૭૮૨). (f) વાસવશેઠ પુત્ર મરણના સમાચાર સાંભળે છે તે વખત તને જે ધ્રાસકે પડે છે તે પિતાને પુત્ર તરફને વાત્સલ્યભાવ સૂચવે છે (પ્ર. ૪. પ્ર. ૨૬. પૃ. ૯૮૩). (g) માળનુસારિતા માસી પિતાની બેનના દિકરા વિચાર તરફ અત્યંત સ્નેહ બતાવે છે અને કહે છે કે તેની આંખેને જોતાં જ તે ઓળખી ગઈ હતી. આંખ અને હૃદય એ જાતિને ઓળખાવનાર છે. એના તરફ એ ખૂબ પ્રેમ દાખવે છે અને જિજ્ઞાસાવૃત્તિથી પરદેશ નીકળી પડવા માટે તેને અભિનંદન આપે છે (પ્ર. ૫. પ્ર. ૧૯ પૃ. ૧૨૯૮૯). ( k ) કુટુંબપ્રેમ જ્યારે ઉચ્ચ ભૂમિકા પર જાય છે ત્યારે તે વળી અતિ અભિનવ આકાર લે છે. ધવળરાજ સંસારત્યાગ કરી પુત્ર વિમળને રાજ્યગાદી પર બેસારવાનું કહે છે ત્યારે પુત્ર જણાવે છે કે પિતાને પોતા ઉપર સાચો પ્રેમ નથી, નહિ તો પિતા સાચા નિર્વાણમાર્ગ તરફ જાય અને પુત્રને સંસારમાં ધકેલે એમ કેમ બને ? આ આખું સંભાષણ ઉચ્ચ કક્ષાને પ્રેમ-વાત્સલ્ય બતાવે છે (પ્ર. ૫. પ્ર. ૨૧. પૃ. ૧૩૨૪). (i) ધનશેખર-ધનવાન બાપને પુત્ર પોતાની ઈચ્છાથી પૈસા કમાવા નીકળી પડે છે ત્યારે પિતા સાવધ રહેવાને લંબાણ ઉપદેશ આપે છે અને માતા બંધુમતી તો બાપદીકરાની વાતચીત રડતી રડતી સાંભળી જ રહી છે. માતાને પગે લાગી પહેરેલે કપડે ધનશેખર બહાર નીકળી જાય છે (પ્ર. ૬. પ્ર. ૧. પૃ. ૧૪૭૨ ) Page #520 -------------------------------------------------------------------------- ________________ ४७८ [ દશમી શતાબ્દિક સજજન દુર્જન સંબંધી ખ્યાલે– સજ્જન gentleman અને દુર્જન loafer સંબંધી મધ્યયુગના વિચાર સંબંધી નીચેના બે ફકરાઓ ખાસ બેંધવા લાયક છે. (a) તે (વિચક્ષણ કુમાર ) ગુરુવની પૂજા કરનારે હતું, બુદ્ધિશાળી હતે, ગુણ તરફ પ્રેમવૃત્તિવાળો હતે, હુશિયાર હતા, પિતાનું સાધ્ય સમજનાર હતો, ઇંદ્રિયો પર વિજય પ્રાપ્ત કરેલ હતો, ઉત્તમ આચારે પાળવામાં તત્પર હતા, ધીરજવાળો હતો, સારી વસ્તુઓને ઉપભેગ કરનાર હતો, મિત્રતાને વળગી રહેનાર હતા, સુદેવની હોંશથી પૂજા કરનાર હતા, દાનેશ્વરી હતા, પારકાના મનના ભાવને જાણનાર હતો, સત્ય બોલનાર હતા, નમ્ર હતું, પ્રેમ રાખનાર પર વાત્સલ્ય ભાવવાળો હતો, ક્ષમાં ગુણવાળો હતો, મધ્યસ્થ વૃત્તિએ કામ કરનાર હતા, અન્યની ઈચ્છા પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ સમાન હતો, ધર્મ પર દઢ નિષ્ઠા રાખનાર હતો, શુદ્ધ આત્મ જીવન ગાળનાર હતા, આફતમાં ખેદ ન કરનાર હતો, સ્થાનની કિમત અને તફાવત જાણનાર હતા, કદાગ્રહથી રહિત હતો, શાસ્ત્રતને જાણકાર હતો, બોલવામાં ખૂબ કુશળ હતો, નીતિમાર્ગમાં વિચક્ષણ હોઈ શત્રુને ત્રાસ પમાડનાર હતું, સ્વગુણનો કદી પણ ગર્વ ન કરનાર હતા, સંપત્તિથી જરા પણ હર્ષ ન કરનાર હતા, પરેપકારી હતો. (પ્ર. ૪. પ્ર. ૬. પૃ. ૭૬૪–૫). એને મળતું અકલંકકુમારનું વર્ણન આવે છે તે માટે જુઓ પ્ર. ૭. પ્ર. ૧. પૃ. ૧૬૫૫. (b) જડ વિપરીત મનવાળે, સત્ય પવિત્રતા અને સંતોષથી રહિત, વારંવાર માયા-ક્યુટ કરનારે, ચાડી ખાનાર, બાયેલા જે, સાધુઓની નિંદા કરનારે, બેટી પ્રતિજ્ઞા કરનારે, અત્યંત પાપાત્મા, દેવની નિંદા કરનારે, જૂઠું બોલનારે, લેભથી અંધ થઈ ગયેલે, પારકાના ચિત્તને ભેદી નાખનાર, ઊલટસુલટા વિચાર, વર્તન અને ઉચ્ચાર કરનારે, અન્યની સંપત્તિ જઈ બળી મરનારે, અન્યની આપત્તિ જોઈ આનંદ માનનારે, અભિમાનથી કુલાઈ ગયેલે, ક્રોધથી ધમધમતે, દાંત કચકચાવીને બેલવાવાળ, બડાઈ કરનારે, રાગદ્વેષને વશ પડવાવાળો અને અનેક રીતે આડે માગે ઉતરી ગયેલો હતે. (સદર) Page #521 -------------------------------------------------------------------------- ________________ સજ્જન દુન સંબંધી ખ્યાલા : ] ૪૭૯ (૦) ઉત્તમ માર્ગે ચાલનારા મહાત્મા પુરુષાનું એ વ્રત હાય છે કે જ્યારે પણ તેઓ પેાતાની સામે પારકી સ્ત્રીને જુએ છે ત્યારે નીચે મ્હાંએ જમીન તરફ્ નજર કરીને ચાલ્યા જાય છે ( સદર પૃ. ૭૬૯). ( d ) સાજન્ય પેાતાની સાથે સારી શક્તિ, ધીરજ, ગંભીરતા, વિનય, નમ્રતા, સ્થિરતા, મીઠાં વચન, પરાપકાર, ઉદારતા, દાક્ષિણ્ય, કૃતજ્ઞતા, સરળતા વગેરે અનેક સેનાનીઓને લાવે છે. એ માણસાનાં મનને મનેાહર બનાવે છે અને તેને અમૃત જેવું સુ ંદર કરે છે. એની સામે ખલતા ( દૈાન્ય ).કેવું કામ કરે છે તે પણ સાથે જ ખતાવ્યું છે. એની અસર તળે આવ્યા પછી માણસે અનેક પ્રકારના કપટ કરે છે, અન્યને છેતરવા તૈયાર થઈ જાય છે, દ્વેષયંત્રથી દબાઇ જાય છે અને દ્વેષમય થઇ જાય છે, સ્નેહ સંબંધને તિલાંજલિ આપે છે, પરિચિતની સાથે શ્વાનની જેમ અસભ્ય ભાષા વાપરે છે, પેાતાના સંબંધીઓને ખાઇ જઇને શ્વાનથી પણુ વધે છે, જ્ઞાતિ કે વિભાગના રિવાજોથી ઉપરાંઠા થઈને ચાલે છે, અન્યનાં છિદ્રો ઉઘાડાં પાડે છે, સ્થિર માણસાને કે વસ્તુઓને ઉઘાડા પાડે છે, વાતાવરણને વિષમય બનાવે છે, જીવનને ખેાજા રૂપ કરી મૂકે છે વિગેરે. ( પ્ર. ૪. પ્ર. ૨૮. પૃ. ૧૦૦૩–૪ ) સાજન્ય દાજ ન્યના આ યુગના ખ્યાલ સાથે આ આખું વર્ણન ખાસ સરખાવવા યાગ્ય છે. ( d ) સજ્જનના મેળાપ ખરેખર ભવ્ય છે. સજ્જન મેળાપ પર રત્નચૂડના વિચારો ખૂબ વિચાર યાગ્ય છે ( ૫. પ. પ્ર. ૭. પૃ. ૧૧૯૮). ત્યારબાદ દુલ્હનની દૃનતા બતાવવામાં વામદેવ કમાલ કરે છે. એના ખાસ પ્રેમી મિત્ર વિમળનું રત્ન છૂપાવવા એ જખરા કાવાદાવા કરે છે અને અ ંતે ચારને પાટલે ધૂળની ધૂળ રહે છે. એ ખતાવે છે કે દશમી શતાબ્દિમાં દુર્જનતા આજથી કાંઇ ઓછી નહેાતી (મ. ૫ પ્ર. ૮ પૃ. ૧૨૦૨ થી ). ( ૭ ) ગમે તે થાય—સૂર્ય પશ્ચિમમાં ઊગે, સમુદ્ર મર્યાદા મૂકે, અગ્નિ ખરફ જેવા ઠંડા થઇ જાય કે મેરુપર્વત પાણીમાં તરે તે પણ સજ્જને જે માણુસના હાથ પાતે પકડ્યો હાય તેને કદી છેાડતા નથી, તેના તરફ્ ઉપેક્ષા કરતા નથી અને પાતે નાદાનાનાં Page #522 -------------------------------------------------------------------------- ________________ ४८० [ દશમી શતાબ્દિક ચેષિત જાણતા હોય છે તે પણ જાણે જાણતા જ નથી એવું વર્તન રાખે છે (પ્ર. ૫ પ્ર. ૮ પૃ. ૧૨૦૮). (f) ધનશેખરે હરિકુમારને દરિયામાં નાખવા યત્ન કર્યો, એની પત્ની તરફ ખરાબ નજર કરી, છતાં પણ હરિકુમાર ઉત્તમસૂરિ પાસે વાત કરતાં ધનશેખરની દયા ખાય છે. અને એ કયારે છૂટશે તે માટે સવાલ પૂછી તેના છૂટકારાના માર્ગને વિચાર કરે છે. આ સાજન્યનું અદ્દભુત દષ્ટાંત છે (પ્ર, ૬. પ્ર. ૯, પૃ. ૧૫૫૪). નેપચ્યા દશમી સદીનાં નાટકે (a) નાટકમાં નીચેને સાજ અને પાત્રોની ચેજના તે યુગમાં હશે એમ જણાય છે. મૃદંગ(નરઘાં) નરઘાં વગાડનાર નાંદી ગયા સૂત્રધાર વિઠ્ઠષક વર્ણ (વર્ણક) વસ્તુસામગ્રી મંજીરા(કંશિકા) રંગભૂમિ (ઉપસ્કર સંચય) (પ્ર. ૨. પ્ર. ૨. પૃ. ૨૬૧-૨) (b) રાજાઓ નાટકના ખૂબ શોખીન હશે એમ જણાય છે. કર્મ પરિણામ રાજા અને તેની કાળપરિણતિ મહારાણુને નાટકે જેવાના ખૂબ શેખીન બતાવવામાં આવ્યા છે. ઉપરના (a) માં ઉલ્લેખ છે તે ઉપરાંત કર્મ પરિણામના નાટકપ્રિયત્વને અંગે જુએ પ્ર. ૪. પ્ર. ૨૦. પૃ. ૯૧૭. (૦) તપન ચક્રવતી સમક્ષ રિપદારણનું રૌદ્ર નાટક કરવામાં આવે છે. પ્રથમ ગચૂર્ણથી એના શરીરના અવયવોને બહેરાં કરી એને નાગે કરવામાં આવે છે. પછી એને મુંડે કરવામાં આવે છે. એના આખા શરીર પર મેસના ચાંદલા કરવામાં આવે છે. પછી ત્રણ તાલને રાસ રિપુદાર પાસે કરાવવામાં આવે છે. માણસો નાચતા જાય અને રિપુદારણું સર્વને પગે પડતો જાય. કુંડાળામાં એ વચ્ચે રહે અને તાલ દેતા જાય. આમ ફરતા લેકે નવા નવા Page #523 -------------------------------------------------------------------------- ________________ નગરરચના : ] ૪૮૧ પદ્મ ખેલતા જાય અને ધ્રુવપદ વારવાર લલકારી ખૂબ ઊંચેથી એલે. ( ધ્રુવપદ એ વમાન કાળના કારસ chorus જેવું જણાય છે. ) ( પ્ર. ૪. પ્ર. ૪૦, પૃ. ૧૦૨૫–૮ ) (d) અઠર ગુરુના પ્રસગ જરા અસ્વાભાવિક લાગે છે, પણ અન્યે આપેલ સરાવળું હાથમાં લઇ દરેક પાડે પાડે ભીખ માગવી, નાચ કરવા અને ચાળા કરી લાકાને રીઝવવા, એ તે યુગના નાટકના એક પ્રકાર હશે એમ જરૂર લાગે છે. (પ્ર. ૫. પ્ર. ૧૫. પૃ. ૧૨૬૨–૫) નગરરચના (a) મેટાં નગરા ઘણાં ઊંચાં શ્વેત ઘરાની હારથી વ્યાપી રહેલ, અનેક અજારાથી સુÀાભિત અને દુકાનેામાં કરિયાણાંથી ભરપૂર હતાં. મેટાં દેવાલયેામાં ચિત્રા ચિતરવામાં આવતાં હતાં. ક્રીડા કરતાં બાળકાથી નગરી ગાજી રહેતાં હતાં. નગરની આસપાસ અલ ધ્ય અને ઊંચા કિલ્લા કરવામાં આવતા હતા. કિલ્લાની ચાતરમ્ ખાઇ કરવામાં આવતી હતી. નગરની અંદર પાણીની સગવડ માટે નાનાં મેટાં અનેક સરાવર રાખવામાં આવતાં હતાં. કિલ્લાની બાજુમાં ગુપ્ત ઊંડા કૂવાએ કરવામાં આવતા હતા જે ઘેરા ઘાલનાર શત્રુને ત્રાસનું કારણુ થઈ પડતા હતા. નગરની બહાર ફળ-ફૂલના દેવવના ( અગિચા ) કરવામાં આવતાં હતાં ( જીએ અઢષ્ટમૂલપત નગરનું વર્ણન પીઠબંધ. પૃ. ૧૫–૬ ). (b) દરેક નગરમાં મેટા પાડાએ ( પાળે ) કરવામાં આવતા હતા એમ એકાક્ષનિવાસ નગરના વર્ણન પરથી જણાય છે. (૫, ૨. પ્ર. ૮. પૃ. ૩૧૩) (૦) વૈતાઢ્ય પર્વત પર વિદ્યાધરના નગરોનાં વર્ણનમાં ઉત્તર અને દક્ષિણશ્રેણી નગરાવાળી વર્ણવી છે તે ઉપરથી પ તની સપાટી પર એ દિશાએ હારબંધ નગરા હશે એવી પણ એક પદ્ધતિ જણાય છે. (પ્ર. ૫. પ્ર. ૪. રૃ. ૧૧૬૮) ( d) પર્વતને માથે પણ મેટાં નગરશ હશે એમ વિવેકપ ત પરના જૈન નગરના વન પરથી જણાય છે. એ જૈનપુરની કલ્પના ૬૧ Page #524 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ [ દશમી શતાબ્દિક ભલે મગજમાંથી કાઢી હોય, પણ મોટા પર્વતના સપાટ શિખર પર ભવ્ય નગર રચી શકાય છે એ વાત કલ્પિત હોઈ શકે નહિ. (પ્ર. ૫. પ્ર. ૧૯ પૃ. ૧૩૦૦). (e) બજારમાં દુકાનેની હાર (શ્રેણું) હતી. તેમાં કરિયાણું ભરવામાં આવતાં. બજારમાં વેપારીઓ ધમાલ કરતાં વ્યાકુળ થઈને ફરતાં દેખાતા હતા. મૂલ્ય આપીને ત્યાંથી વસ્તુ ખરીદાતી હતી. બજારમાં છોકરાઓ મસ્તી કરતા હતા. દેવું ન આપનારને કેદમાં નાખવાનો રિવાજ હતા. (પ્ર. ૭. પ્ર. ૮. પૃ. ૧૭૩૫) ગૃહરચના– | (a) મેટા પ્રાસાદો અને તેમાં પાર વગરના ઓરડાઓ હતા. (અસં વ્યવહાર નગરના મહેલોનું વર્ણન પ્ર. ૨. પ્ર. ૭. પૃ. ૩૦૫) (b) રાજમહેલમાં ફરસબંધી અતિ તેજસ્વી રાખવામાં આવતી હતી, પલંગ ખૂબ ઊંચો રહેતા અને શયનગૃહની બાજુમાં પ્રસાધનશાળા ( Toilet room) રાખવામાં આવતી હતી એમ મદન– કંદળીના મહેલના વર્ણન પરથી જણાય છે. (પ્ર. ૩.પ્ર. ૧૦.પૂ.૪૫૭) (૦) હિમગૃહની રચના પાંદડાં પાથરી દીધાં, કમળોની તે પર જના થઈ, બનાવટી નદી ઘરમાં એવી ગોઠવી કે યંત્રથી તેમાંથી સુગધી પાછું ચાલ્યા જ કરે, ચંદન કપૂરના પાણીની તરફ ગાર કરવામાં આવી અને કમળના તંતુઓની રચનાથી તેમાં વિભાગો પાડવામાં આવ્યા. (પ્ર. ૫. પ્ર. ૧૧. પૃ. ૧૨૨૬) કળા અભ્યાસ (a) કળાના જ્ઞાન માટે ખાસ ચીવટ જણાય છે. નંદિવર્ધનનું વર્ણન કરતાં જણાવે છે કે તેને તેના પિતાએ વિદ્વાન કળાચાર્ય પાસે ભણવા મોકલ્યા. નંદિવર્ધન કળાચાર્ય પાસે કળા ગ્રહણ કરવા લાગ્યો. “અભ્યાસ કરવાનાં સર્વ સાધન તૈયાર હોવાથી, મારા પિતાશ્રીને કેળવણી આપવાની બાબતમાં દઢ ઉત્સાહ હેવાથી, કળાચાર્ય મને અભ્યાસ કરાવવામાં ખાસ રસ લેતા હોવાથી અને Page #525 -------------------------------------------------------------------------- ________________ કળા અભ્યાસ : ] ૪૮૩ બાલ્યકાળ કોઈ પણ પ્રકારની વ્યવહારની ચિંતાથી રહિત હોવાથી બીજી કઈ પણ બાબતમાં ધ્યાન ન આપતાં એકચિતે બહુ થોડા વખતમાં લગભગ સર્વ કળાઓ કળાચાર્ય પાસેથી હું શીખી ગયે.” (પ્ર. ૩. પ્ર. ૧. પૃ. ૩૫૦). અભ્યાસની શરૂઆત આઠમે વર્ષે થાય છે. અભ્યાસ ઉચ્ચ વર્ગમાં ચીવટથી કરાવા હશે, એવું સહજ અનુમાન થાય છે. અભ્યાસની વિવિધતા કેવા પ્રકારની હશે તે નીચેના કળા–અભ્યાસનાં નામો પરથી જણાય છે. લિપિજ્ઞાન, ગણિતજ્ઞાન, વ્યાકરણ, નિમિત્ત (આઠ પ્રકારનાં), છંદશાસ્ત્ર, નૃત્ય, ગાયન, હસ્તિશિક્ષા, ધનુર્વેદ, વૈદક, ધાતુવાદ, નરલક્ષણ, કયવિક્રય (વેચવું, ખરીદવું), પત્રછેદ વિગેરે (પ્ર. ૩. પ્ર. ૧. પૃ. ૩૫૬-૭). - પુરુષની બહોતેર કળાઓનું વર્ણન અન્યત્ર જોવામાં આવે છે તેમાંની ઘણુંખરી કળાને સમાવેશ આમાં થાય છે. કળાને અર્થ art નથી, પણ અભ્યાસ-નિપુણતા હોય એમ જણાય છે. (b) અભ્યાસ કરાવવા માટે પુત્રોને ગુરુને ત્યાં મૂકવામાં આવતા હતા, ખાવાપીવાનું ગુરુને ત્યાં જ રાખવામાં આવતું હતું અને અભ્યાસ પૂરો થાય ત્યારે ગુરુને પારિતોષિક–ઇનામ આપવામાં આવતું હતું એમ જણાય છે. વિદ્યા વેચવાનો રિવાજ નહોતો એમ જણાય છે. પ્ર. ૩. પ્ર. ૧માં એનું લાક્ષણિક વર્ણન છે તે પરથી આ સહજ અનુમાન પ્રાપ્ત થાય છે. કળાચાર્ય શિક્ષણ આપવાની બાબતમાં ખૂબ રસ લેતા હોય એમ પૃ. ૩૫૦ થી જણાય છે. અભ્યાસ દરમ્યાન એકાગ્રતા જળવાઈ રહે તેટલા માટે અભ્યાસ કરનાર ગુરુને ઘેર જ રહે અને પોતાને ઘેર આવ્યા–ગયા ન કરે એટલી પણ ચીવટ રાખવામાં આવતી હતી. (પૃ. ૩૫૫) કવચિત્ કળા અભ્યાસની સર્વ સગવડ કરી આપવાનું પણ જણાવ્યું છે. અનુસુંદર ચક્રવર્તીના અભ્યાસ માટે જુઓ. (૨, ૮. પ્ર. ૧૨. પૃ. ૧૭૯૬ ) (૯) પ્ર. ૪. પ્ર. ૨. પૃ. ૭૨૨ માં નીચેની કળા ગણવી છે – દસ્તાવેજ લખવાની કળા, ચિત્રકળા, શસ્ત્રકળા, મનુષ્ય લક્ષણ Page #526 -------------------------------------------------------------------------- ________________ ૪૪ [ દશમી શતાબ્દિક જ્ઞાન, ગાવાની કળા, હસ્તિશિક્ષા કળા, પાંદડાની કેરણીની કળા, વૈદક, વ્યાકરણ, તર્ક, ગણિત, ધાતુવાદ, કેતુક, અષ્ટાંગ નિમિત્ત. (d) કળાચાર્યને વેતન આપવાનો રિવાજ નહોતું, પણ તેને ઘેર ધન, ધાન્ય અને સુવર્ણ વિદ્યાભ્યાસ પૂરો થયે મોકલવાને રિવાજ હતો (પ્ર. ૪. પ્ર. ૨. પૃ. ૭૨૪). (e) કન્યાઓને ભણવાને કઈ રીતસર પ્રબંધ જોવામાં આવતો નથી, છતાં રાજકુંવરીઓ ભણેલી હોય અને કળામાં કુશળ હોય એમ જણાય છે. દાખલા તરીકે નરસુંદરીને વિદ્યાકળામાં કુશળ ચીતરી છે (પૃ. ૭૨૫). (f) છોકરાઓ નિશાળે જવાને બહાને રખડતા હતા અને રિપુદારણ જેવા માયામૃષાવાદી બાર બાર વર્ષ સુધી એવી પોલ ચલાવી શકતા હતા (પ્ર. ૪. પ્ર. ૨. પૃ. ૭૨૫). (g) ચિત્રપટ ઉપર આબેહુબ ચિત્ર પાડવાની કળા સારી રીતે વિકાસ પામેલી હોય તેમ જણાય છે. સ્ત્રીનાં ચિત્રવર્ણનમાં તેના ઘરેણુનું વર્ણન કરી તેમાં પૂરેલ રંગ અને છાયાનું આબેહૂબ વર્ણન આપ્યું છે. આખા ચિત્રનાં અંગોપાંગોનું વર્ણન વાંચતાં ચિત્ર નજર સમુખ ખડું થાય છે, તે ઉપરથી તે યુગની ચિત્રકળાનો ખ્યાલ આવે છે. એના ભ્રમર, અર્ધ ઉઘડેલ નેત્ર અને સ્તનનું વર્ણન વાંચતાં તે યુગની ચિત્રકળા ભાવ પણ બરાબર બતાવી શકતી હશે એ ખ્યાલ આવે છે (પ્ર. ૬. પ્ર. ૩. પૃ. ૧૪૨-૩). (h) વિદ્યાધરમિથુન અને વિયેગી રાજહંસીનાં ચિત્ર મયૂરમંજરીએ પિતાને હાથે ચિત્રેલ છે તેનું વર્ણન જોતાં (પ્ર. ૬. પ્ર. ૫. પૃ. ૧૫૨૪) જણાય છે કે ચિત્ર કાઢવાની કળા ઉચ્ચ વર્ગમાં બહુ આદર પામેલી હશે. ગશક્તિ માટે તત્કાલિન માન્યતાઓ (a) શરીરની અંદર કઈ જગ્યાએ છુપાઈને બેસી જવું અને પછી ભક્તિપૂર્વક ધ્યાન કરે તેને સુખ આપવું (સ્પર્શનવર્ણન છે. ૩. પ્ર. ૫. પૃ. ૩૯૯). રોગશક્તિ બતાવવા માટે Page #527 -------------------------------------------------------------------------- ________________ ગશક્તિ માટે તાત્કાલિન માન્યતાઓ : ] ૪૮૫ સ્પર્શને “પદ્માસન કર્યું, શરીરને સ્થિર કર્યું, મનના વિક્ષેપને દૂર કર્યો, આંખને નિશ્ચળ કરી તેને નાકના અગ્ર ભાગ તરફ અનિમેષપણે સ્થાપન કરી, મનને સ્થિર કર્યું, ધારણાને બરાબર સ્થિર કરી, ધારણાના વિષય પર એકતાન લગાવ્યું, ઇંદ્રિયની વૃત્તિઓને રૂંધી દીધી, પતે તદ્દન સ્વરૂપશૂન્ય થયા.”( આ રીતે ગપ્રભાવ બતાવવામાં આવતો હતો અને મને ટૅગ કરવાની પણ એ જ રીતિ હતી. સ્પર્શનને વેગ, જુઓ પ્ર. ૩. પ્ર. ૫. પૃ. ૪૦૧). આ ચોગપ્રભાવ તે વર્તમાન કાળના mesmarism (મેસમેરીઝમ) જેવો લાગે છે. એ ઈચ્છાશક્તિ પર આધાર રાખે છે તેથી નબળી ઈચ્છાશક્તિ(Will-power )વાળા બાળજી પર તેની અસર થાય છે અને મનીષી જેવા મજબૂત ઈચ્છાબળવાળા પર તેની અસર થતી નથી એ માન્યતા ખૂબ વિચારવા લાગ્યા છે (પૃ. ૪૦૨). અકુશળમાળાને ગશક્તિને પ્રગ પ્ર. ૩. પ્ર. ૮. ની શરૂઆતમાં આવ્યો છે (પૃ. ૪૩૨) તે દશમી શતાબ્દિને યોગ સંબંધી કે ખ્યાલ હશે તે બતાવે છે. આગળ પ્ર. ૩. પ્ર. ૧૪. પૃ. ૫૦૧ માં જણાવે છે કે “કઈ વખત વ્યક્ત રૂપવાળા થવું અને કઈ વખત અદ્રશ્ય થઈ જવું એવી શક્તિ ગીએમાં હોય છે.” (b) પરપુરપ્રવેશના અનેક પ્રસંગે ગ્રંથમાં બતાવ્યા છે તે સૂચવે છે કે એવા કોઈ પ્રકારના પ્રાગે તે યુગમાં કદાચ થઈ શકતા હશે. દાખલા તરીકે જુઓ પ્ર. ૪. પ્ર. ૨૦. પૃ. ૯૧૦, તથા પ્ર. ૪. પ્ર. ૨૧. પૃ. ૩૩. એ ગશક્તિને એક પ્રકાર છે. અહીં પુર શબ્દ શરીરવાચક છે એટલે બીજાના શરીરમાં પ્રવેશ કરવો તે. (૯) નેત્રાંજનથી અંદરના ભાગ દેખાય છે. વિમળાલક અંજનના ચમત્કાર માટે જુઓ પીઠબંધ પૃ. ૧૨૯-૩૦ તથા પ્ર. ૪. પ્ર. ૨૧. પૃ. ૯૩૪. (d) મહાત્મા સાધુઓ લબ્ધિને લઈને પોતાની ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરી શકે છે, અને જોતજોતામાં તેમાં ફેરફાર કરી શકે છે. તેઓ પરમાણુ જેવા સૂક્ષ્મ થઈ શકે છે, મરજી આવે તો પર્વત જેવા ગુરુ થઈ શકે છે, ધારે તે આકડાના તુલ જેવા Page #528 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ [ દશમી શતાબ્દિ હલકા થઈ શકે છે, કારણ પડે તો ઇંદ્રને પણ નેકર માફક હુકમ કરી શકે છે, પથ્થરના શિલાતળમાં ડુબકી મારી શકે છે, ઈચ્છા થાય તે એક ઘડામાંથી સેંકડો-હજારો ઘડાઓ કરી શકે છે, એક કપડામાંથી સેંકડો કપડાં કરી શકે છે, શરીરના કેઈ પણ અંગથી કે ઉપાંગથી સાંભળી શકે છે, ગમે તેવા રોગને આંગળી અડાડવાથી સાજા કરે છે, આકાશમાં પવનની પેઠે જાય આવે છે. (પ્ર. ૫. પ્ર. ૭. પૃ. ૧૧૯પ-૬ ) અભિનવ અર્થાતર ચાસે અને ઉપમાને (a) રીંગણ અને ભેંસનું દહીં ખાવાથી એવી સખ્ત ઊંધ આવે છે કે તેનિદ્રાનું નિવારણ કરવું મુશ્કેલ પડે છે. (પીઠબંધ ૧૭૪). (b) “તે જ ખાડા અને તે જ મેંઢાં.” (પીઠબંધ પૃ. ૩૩૯ ) સાંજે મેંઢાં એના એ જ ખાડામાંથી મળી આવે છે. “ એ ભગવાન એના એ” ને મળતી પ્રચલિત કહેવત. (૦) એ કણ ડાહ્યો મનુષ્ય હોય કે જેને એક વખત મોટું રાજ્ય પ્રાપ્ત થાય ત્યારપછી પોતાના અગાઉના ચંડાળપણાની ઈચ્છા રાખે? (પીઠબંધ. પૃ. ૨૦૨) | (d) “કેઈ શેઠને નેકર તદ્દન ભૂખ્યા હોય અને ભૂખથી તેનું શરીર તદ્દન દુબળું પડી ગયું હોય તે પોતાના શેઠના હકમથી શેઠના પરિવાર માટે તૈયાર કરેલી સુંદર રસોઈ તેમને પીરસી આપે તો તે ભૂખ્યા નોકરની પીરસેલી રાઈ શેઠના પરિવારની ભૂખ ભાંગે છે (પીઠબંધ. પૃ. ૨૧૪-૫). આ ઉપમાન બહુ સુંદર છે અને મારા જેવા અધ્યાત્મ કે એગ પર કઈ લખે તેના બચાવ માટે ખાસ બંધબેસતું છે તેથી મને તે ઉપમાનને “અભિનવ”ની કક્ષામાં મૂકવાનું મન થયું છે. ભેજન બનાવનાર કે પીરસનાર ભૂખે હોય તે પણ ભેજનમાં ક્ષુધા શાંત કરવાની શક્તિ છે તે કાયમ રહે છે. (e) વાઘણુ( સિંહણ)ને નાશ કરવા માટે શરભ (અષ્ટાપદ) સમાન છે. (પણ માયાદારીયાને રાસાતે.) (મૃ. ૨. પ્ર. ૫. પૃ. ૨૮૯) Page #529 -------------------------------------------------------------------------- ________________ ૪૭ અભિનવ અર્થાત ] (f) પતિ તરફ અપૂર્વ ભક્તિ હોય તેવી સ્ત્રીને માટે અરુંધતીના માતાઓને તિરસ્કારી કાઢેલ, એ ઉપમાન વપરાયું છે (પ્ર. ૩. પ્ર. ૨. પૃ. ૩૬૪ ). (g) જે ઊંટની પીઠ પર ન સમાઈ શકે તે તેને ગળે બાંધવામાં આવે છે (પ્ર. ૩. પ્ર. ૨૭. પૃ. ૬૨૬). (h) માનનું રૂપ અદ્ભુત છે. એને આઠ મુખ બતાવ્યાં છે. એ આઠ મદના રૂપક છે. એનું નામ શૈલરાજ પણ લાક્ષણિક છે. (પ્ર. ૪. પ્ર. ૧. પૃ. ૭૦૫). | (i) વૈશ્વાનરનું આખું સ્વરૂપ ખાસ લાક્ષણિક છે. એ ક્રોધનું મૂર્ત સ્વરૂપ છે. એના આખા શરીરના વર્ણન માટે જુઓ પ્ર. ૩. પ્ર. ૧. પૃ. ૩૪૬–૭. (j) મૂળ માછલીને તાળવામાં આંકડો લાગે ને ગળું ઝલાઈ જાય તે પ્રસંગે જેવું સુખ (દુ:ખ) થાય તેવું સુખ (દુ:ખ) સંસારી જીવોને હોય છે (પ્ર. ૫. પ્ર. ૧૪. પૃ. ૧૨૫૮). (k) લક્ષ્મી વરેલ માણસ જે સાહસ છોડી દે તો જેવી રીતે પ્રેમાતુર પ્રણયીની આશંકાથી કુલટા સ્ત્રી ધન વગરના પુરુષને છોડી દે છે તેમ તેવા માણસને છોડીને લક્ષમી ચાલી જાય છે ( પ્ર. ૬. પ્ર. ૨. પૃ. ૧૪૮૨). (1) “ગધેડાને સર્વ સુખ આપનાર સ્વર્ગ મળ્યું તે ખરૂં, પરંતુ ત્યાં પણ હાથમાં દોરડા સાથે એક ધોબી તેને મળે.” (પ્ર. ૬. પ્ર. ૬. પૃ. ૧૫૨૯). ગમે ત્યાં જાઓ, પણ નશીબ તે બે ડગલા આગળ ને આગળ છે તે પર આ લાક્ષણિક ઉક્તિ છે. તત્સમયના ધર્મો-માન્યતાઓ – (8) દશમી શતાબ્દિમાં નીચેના મતે આર્યાવર્ત માં વર્તતા હશે એમ તે સંબંધમાં કહેલા નામનિર્દેશથી જણાય છે (પ્ર. ૪. પ્ર. ૧૨. પૃ. ૮૫૯). એમાંનાં કેટલાકનું જ સ્વરૂપ પ્રાપ્ત થાય છે તે પૃ. ૧૩૪૩ થી શરૂ થતા પરિશિષ્ટમાં જેટલું મળી શકહ્યું તેટલું Page #530 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ [ દશમી શતાબ્દિ : મતાવ્યું છે. અત્રે તે તેના નામનિર્દેશ જ માત્ર કરવામાં આવે છે. આ સવે મતામાં ચર્ચાને અંગે ભેદ હેાય છે તે ધ્યાનમાં રાખવું. ત્રિદ‘ડી. શેવ. શાય. ગાતમ. સામપરા. આજીવિક. સુ ચણુ. ધૂમ. ઉલ્કા. ચ`ખ ડી. ગાદેહ. ક દછેદ. કાળમુખ. કાપાલિક. મૃગચારિ. સિદ્ધવાદી. ગિરિરાહી. સંસારમેાચક. શ્વેતભિક્ષુ. ઉકત દ. હસ્તિતાપસ. મૈથુનચારી. માઢરપુત્રા. એકૈકસ્થાલિકા. ગજધ્વજ. ક ટકમ ક. ચરક. વેદધી. શુદ્ધ. માહેન્દ્ર. અદ્ધવેશી. પાશુપત. સયેાગી. યજ્ઞતાપસ. દ્વિગ ખર. પાણ્િલેહ. ક્રિયાવાદી. લાકાયત. કુલ તપ. ચિ. સર્વાવસ્થ. કુમારનતી ચક્રવાળ. ચિત્તદેવ. ખર. ચંદ્રોદ્ગમિક. મખ. ઉકપક્ષી. સામાનિક. ધાર્મિક વિદ્યુત. ચારિક. ભુખુક. કણાદ. લૂક. ઘાષપાશુપત. કામદ ક. ત્રિરાશીઆ. ગાત્રત. શખમ્મા. તાપસ. રાજપિંડી. અજ્ઞાનવાદી. શરીરશત્રુ. એ સ મતા દેવ, વાદ, વેશ, કલ્પ, મેાક્ષ, વિશુદ્ધિ અને વૃત્તિની ખાખતમાં એક બીજાથી જુદા પડે છે તે હકીકત પૃ. ૮૬૦-૮૬૨ સુધીમાં સામાન્ય પ્રકારે બતાવેલ છે. ત્રપુ. ખીલવાસી. અસિધારી. ઉદકમૃત્તિક. પક્ષાપક્ષી. માતૃભકતા. (b) લેાકેામાં ધર્મ સંબંધી વિક્કપેા કેવા થતા હશે તેનુ લાક્ષણિક ચિત્ર:— Page #531 -------------------------------------------------------------------------- ________________ તત્સમયના ધર્મા–માન્યતાઓ : ] ૪૮૯ “ આ જગત્ ઇંડામાંથી ઉત્પન્ન થયું હશે ? કે તેને ઇશ્વરે બનાવ્યું હશે ? કે બ્રહ્માએ તેને કર્યું હશે ? અથવા તે પ્રકૃતિના વિકાર હશે ? અથવા તે દરેક ક્ષણે નાશ પામનારું હશે ? પાંચ સ્કંધરૂપ આ જીવ પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયા હશે ? અથવા તે તે જ્ઞાનમાત્ર જ હશે કે સર્વાંશૂન્ય હશે ? ક જેવી ફાઇ વસ્તુ હશે કે નહિ જ હાય ? મહેશ્વરને લીધે આ સર્વ જુદાં જુદાં રૂપે ધારણ કરતાં હશે ? ” ( પીઠમધ રૃ. ૧૧૭૮ ) આ સર્વ જુદાં જુદાં દનની આત્માના અંગની માન્યતાઓ છે. તેને માટે સદર પૃષ્ઠ નીચે લખેલી નોંધે, જુએ. ( ૯ ) તે વખતે મુખ્ય દન છ જણાય છે. તેનાં નામેા અનુક્રમે નેયાયિક, વૈશેષિક, સાંખ્ય, ઐદ્ધિ, મીમાંસક અને જૈન છે એમ આ ગ્રંથકારની ગણતરી પ્રમાણે પ્ર. ૪. પ્ર. ૩૧ ઉપરથી જણાય છે. શ્રી હરિભદ્રસૂરિ પણ પોતાના ષડ્ઝ નસમુચ્ચય ગ્રંથમાં એ જ છ દના બતાવે છે. મીમાંસાને પૂર્વ તથા ઉત્તર મીમાંસા એમ બે વિભાગમાં વહેં’ચી અને સાંખ્યને સેશ્વર અને નિરીશ્વર એ વિભાગમાં વહેંચી જૈન અને ઐાદ્ધ દનને ન ગણતાં છ દર્શીન ગણવામાં આવે છે ત્યારે તે વેદને અનુસરનારા છ દના છે એમ સમજવું. પ્રેા. મેક્ષન્યુલરે હિન્દુ તત્ત્વજ્ઞાનની છ સ્કૂલેા ( Six Sehools of Indian philosophy ) નામનું પુસ્તક લખ્યું છે, તે આ ખીજા પ્રકારના ષડ્ઝનની વ્યાખ્યા છે એમ સમજવું, ઉપરના છએ દર્શીનની માન્યતાના વિસ્તાર પ્ર. ૪. પ્ર. ૩૧ માં સારી રીતે કહેલ છે તેથી અત્ર તેનુ પુનરાવર્તન કરવાની આવશ્યકતા રહેતી નથી. ચાર્વાકાનુ તે સમયમાં અસ્તિત્વ જરૂર હતુ, પણ તે નિવૃત્તિમાર્ગ ન થઇ શકે, કારણ કે તે નિવૃત્તિમાં માનતા જ નથી. (d ) ધર્મના બાહ્ય સ્વરૂપોઢોંગ ધતીંગા કેવા હતા તે નીચેના વણું નથી ખરાખર સમજાય છે. શૈવાચાય —દીક્ષા આપવી, પાપા કાપી નાખવાનું વચન આપવું અને ગુરુચરણમાં ધન શ્રી વિગેરે સર્વીસ્વ અર્પણ કરવા ૬૩ Page #532 -------------------------------------------------------------------------- ________________ ૯૦ [ દશમી શતાબ્દિક માગણી કરવી. “અમારા કહેવા પ્રમાણે કરવાથી તું પિંડપાત કરીને એટલે શરીર છોડી દઈને શિવ થઈ જઈશ, તારું કલ્યાણ થઈ જશે અને તું પરમાત્મા સાથે એકરૂપ થઈ જઈશ.” આવી રીતે બોલીને શેવાચાર્ય ઠગતા હતા. (પૃ. ૧૨૩) બ્રાહ્મણે–દ્ધિ જાતિઓ) “સેનાનું દાન આપવું તે મહાફળ આપનાર છે, ગાયનું દાન આપવાથી મહાઉદય થાય છે, પૃથ્વીનું દાન આપવાથી અવિનાશી થવાય છે, પૂર્વ ધર્મ( યજ્ઞ કરવા, કુવા ખોદાવવા તે)નું અતુલ્ય ફળ છે, વેદના પાર પામેલને દાન દેવું તે અનંત ગુણ કરનાર છે, તેમ જ દુઝતી, તરતની વીંઆયેલી, વાછડાવાળી, વસ્ત્ર ઓઢાડેલી, સોનાના શીંગડાવાળી, રત્નોથી મંડિત અને ઉપચાર કરાયેલી ગાય જે બ્રાહ્મણને દાનમાં આપવામાં આવે તે તેને ચાર સમુદ્રની વચ્ચે આવી રહેલી અનેક નગર અને ગામેથી ભરેલી અને પર્વત તથા જંગલથી યુક્ત પૃથ્વીનું દાન આપવા જેટલું ફળ થાય છે.” આવા બનાવટી વાકથી બ્રાહ્મણે આખી દુનિયાને છેતરતા હતા. (પૃ. ૧૨૩). બોદ્ધ ભિક્ષુઓ–વિહારો બંધાવે, સાધુઓને તેમાં વાસ કરો, સંઘની પૂજા કરે, બૈદ્ધ ભિખ્ખઓને દક્ષિણા આપે, સંઘના કેશ સાથે તમારું ધન મેળવી દેસંઘના કઠારમાં તમારું અનાજ મેળવી દે, સંઘના ગોકુળમાં તમારાં જનાવરે આપી દે, બોધ ધર્મને અનુસરનારા થાઓ-એમ કરવાથી તમને થોડા વખતમાં ભગવાન બુદ્ધદેવનું પદ પ્રાપ્ત થશે.” (પૃ. ૧૨૩–૪). દિગંબર–સંઘને જમણ આપે, ઋષિઓને જમાડે, સારા સારા ખાવાના પદાર્થો આપે, મુખવાસ માટે સારી વસ્તુઓ ધરે, દાન આપવું એ ગૃહસ્થને માટે અને મુખ્ય ધર્મ છે, દાનથી સંસારને પાર પમાય છે.(પૃ. ૧૨૪) આ સર્વ ઉપદેશપ્રણાલિકાઓ ધન, માન કે ઋદ્ધિ મેળવવા માટે શાસ્ત્રગ્રંથમાંથી ખેંચીતાણુને અથવા નવા શાસ્ત્રો બનાવીને ભેળા લેકે પાસે રજૂ કરવાને તે સમયે રિવાજ ખૂબ પ્રચલિત હતા એમ જણાય છે. શેવાચાર્ય, બ્રાહ્મણ અને દ્ધ ભિક્ષુઓની તુચ્છતાની ઉપમા ફરી વાર પૃ. ૧૨૬ માં આપી છે તે પરથી જણાય છે કે દશમી Page #533 -------------------------------------------------------------------------- ________________ તત્સમયના ધર્મો-માન્યતાઓ : ] ૪૯૧ શતાબ્દિમાં એ વર્ગ ઘણે માથાભારે હશે અને અધમતા-તુચ્છતામાં દષ્ટાંતરૂપ હશે. (૭) આભિસાંસ્કારિક કવિનું સ્વરૂપ પૃ. ૧૫૧ (પીઠબંધ) માં આપ્યું છે. એ કુવિકલ્પ બહારના સંસ્કારથી ઉત્પન્ન થાય છે. તેના દાખલાઓ: “સ્વર્ગ મૃત્યુ અને પાતાળ રૂપ સૃષ્ટિ ઈંડામાંથી ઉત્પન્ન થયેલ છે, બ્રહ્માદિ દેવે તેને બનાવેલ છે, તે પ્રકૃતિનાં વિકાર રૂપ છે, ક્ષણમાં નાશ પામે તેવી છે, વિજ્ઞાન માત્ર છે, શૂન્ય રૂપ છે વિગેરે વિગેરે.” (f) “તમે વારંવાર સેનાનાં દાન આપે, ગાયનાં દાન આપે, પૃથ્વીનાં દાન આપો, વારંવાર સ્નાન કરે, ધૂમાડાનું પાન કરે, પંચાગ્નિ તપ કરે, ચંડિકા વિગેરે દેવીઓનું તર્પણ કરે, મોટા તીર્થો પર જઈ ભેરવજવ ખાઓ, સાધુઓને એક ઘરને પિંડ આપો, ગાજાં વાજાં બજાવવામાં આદર કરે, વાવો બંધાવો, કૂવાઓ ખાદાવો, તળાવ કરવો, યજ્ઞમાં પશુઓને હમ કરે. આવા ધર્મો દુનિયામાં મિથ્યા દર્શન ફેલાવતા હતા. (પ્ર. ૪. પ્ર. ૧૨. પૃ. ૮૪૭). | (g) કેટલાક મનુ અતિ વિશુદ્ધ ચારિત્રવાળા હોવા છતાં અને તેમણે કઈ દર્શનને સ્વીકાર ન કરેલ હોય છતાં પણ એવા વર્તનવાળી શક્યા હતા કે મુનિમહારાજાઓ પણ એના વર્તનની સ્પૃહા કરે. વિમળકુમારની નૈષ્ઠિક સચ્ચારિત્રશીલતા એ દષ્ટાંત પૂરું પાડે છે (પ્ર. ૫. પ્ર.૪. પૃ. ૧૧૭૮). (h) મેક્ષમાર્ગને અંગે કઈ કહેતા કે – હિંસા કરે–ગમે તે કરે, તેમાં વાંધો નથી, માત્ર બુદ્ધિને લેપ લાગવા દે નહિ. આખી દુનિયાને મારી નાખે પણ જેની બુદ્ધિ લેપ પામે નહિ તે પાપથી ખરડાય નહિ. પ્રાણુને છેદી-કાપીને પણ જે શિવનું સ્મરણ કરે તે સર્વ પાપથી મૂકાય. અપવિત્ર કે પવિત્ર–જે વિશ્વનું સ્મરણ કરે તે પવિત્ર થઈ જાય, કેટલાક પાપાચનતંત્રને પાપના વિનાશક કહેતા. વાયુ ઉપર જપ કરવાથી હૃદયકમળમાં મનને સ્થાપવાથી મેક્ષ થાય છે. કારને જાપ, રેચક પૂરક કુંભકનું નિયમન, નાસિકાના Page #534 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ [ દશમી શતાબ્દિ : અગ્ર ભાગમાં જમર વચ્ચે બિંદુની સ્થાપના, નાડીમાર્ગની સાધના, નાભિથી બ્રહ્મરંધ્ર સુધી જતા વાયુની ચિંતવના, આદિપુરુષને જાપ–આમ અનેક પ્રકારે મોક્ષ થાય છે, એવી ભિન્ન ભિન્ન માન્યતાઓ હતી (પ્ર. ૮. પ્ર. ૧૯ પૃ. ૨૦૩૯-૪ર.). (i) સાંખ્ય વિગેરેને આસ્તિક તીથીઓ ગણાવ્યા છે, જ્યારે બૃહસ્પતિને નાસ્તિક તીથી ગણાવ્યા છે તે સેંધવા જેવું છે (પ્ર. ૮. પ્ર. ૨૦. પૃ. ૨૦૪૭.). જૈનધર્મ-શાસનની સ્થિતિ (a) રાજમંદિરને અતિ વિસ્તારથી અહેવાલ પીઠબંધમાં આપવામાં આવ્યો છે. એ શાસનમંદિર છે. એમાં આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વી, ગણુચિતક, રક્ષક, શ્રાવક અને શ્રાવિકાઓનું વર્ણન વાંચતાં અતિ આહૂલાદ થાય તેવી હકીકત છે. એનું વિસ્તારથી વર્ણન પૃ. ૯૧ થી ૧૦૬ સુધી પીઠબંધમાં આપ્યું છે. એ આદર્શ વર્ણન છે કે તે સમયની સ્થિતિ બતાવે છે તેને નિર્ણય કરવો ઘણે મુશ્કેલ છે. એમાં લખે છે તેવા આચાર્યો, ઉપાધ્યાય હોય તે દશમી શતાબ્દિમાં ચિત્યવાસનું જે જોર આપણે ઇતિહાસમાં વાંચીએ છીએ તેને સંભવ રહે નહિ. પૃ. ૧૦૧ માં સુભટે શ્રાવકોની સંખ્યા અસંખ્ય બતાવી છે તે જોતાં એ વર્ણન ક૫નામય જણાય છે. બહુ વિગતથી વાંચતાં મને એ આખું વર્ણન ભાવનાશીલ ( idealistic ) લાગ્યું છે. શ્રી સિદ્ધર્ષિમહારાજની નજરે એ જૈન સમાજ હોવો જોઈએ એવી હકીક્ત એમણે પિતાની લાક્ષણિક ભાષામાં કહી બતાવી છે. (b) કેઈને વધારે પડતી દેશના અપાઈ જાય ત્યારે તે પ્રાણું સુંદર પરિણામથી ભ્રષ્ટ થાય છે. ભ્રષ્ટ થયેલાનાં લક્ષણ બતાવતાં કહે છે કે એ પ્રાણી “દેવમંદિરે જતો નથી, સાધુના ઉપાશ્રયમાં પ્રવેશ પણ કરતા નથી, સાધુને જુએ તો પણ તેમને વંદના સરખીએ કરતું નથી, સ્વધમી બંધુઓને આમંત્રણ પણ કરતો નથી, ૧ આ અસંખ્ય શબ્દ મેટી સંખ્યા વાચક છે. Page #535 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ –શાસનની સ્થિતિ : ] ૪૯૩ ઘરમાં ચાલી આવતી દાનપદ્ધતિ હાય છે તે પણ બંધ કરી દે છે, ધર્મ ગુરુને દૂરથી દેખી નાસવા લાગે છે, તેમની પુઠે તેઓની નિદા કરે છે. ’ ધર્મભ્રષ્ટ પ્રાણી કયારે થયા ગણાય તત્સંબંધી તે યુગના આ વિચાર જાણવા ચેાગ્ય છે. એમાં દેવગુરુપૂજન અને સાધીવાત્સલ્યને ઘણું મહત્ત્વ અપાયું છે, જ્યારે તત્ત્વજ્ઞાન કે નય પ્રમાણુ જ્ઞાનને ખાસ સ્થાન મળતું નથી એ ધ્યાનમાં રાખવા જેવુ છે. (૦) સાધુએ શ્રાવકને દરરોજ ઉપાશ્રયે આવી ગુરુવંદન કરી જવાના નિયમ તે યુગમાં પણ આપતા હતા. ( પીઠમ ́ધ ૧૩૩. ) (d) ઉપદેશના ક્રમ તે યુગમાં પણ એકજ પ્રકારના હતા. સર્વ થી પહેલાં તેા સર્વવિરતિના ઉપદેશ આપવા, પરંતુ જ્યારે એમ માલૂમ પડે કે આ પ્રાણી સર્વવિરતિ ગ્રહણ કરવાથી વિમુખ છે, તેને સર્વવિરતિ ગ્રહણ કરવાનું અને સર્વથા ત્યાગ કરવાનું મન થતું નથી ત્યારે તેને દેશિવરતિના ઉપદેશ આપવે.’ ( પૃ. ૧૬૭ પીઠબંધ ) આ ઉપદેશપદ્ધતિ શા માટે પસંદ કરવામાં આવેલ છે તેનુ ત્યાં કારણુ અતાવ્યું છે તે ખાસ નોંધવા જેવું છે. એમાં શિષ્યસંખ્યા વધારવાના હેતુ નથી, કે પરંપરા ચલાવવાના સ્વાર્થ નથી, પણુ મનુષ્યના માનસના ખારિક અભ્યાસનું એક વિશિષ્ટ પરિણામ છે. આ દશમા સૈકાની આખી પરિસ્થિતિ ખૂબ વિચારવા ચેાગ્ય છે. એ જ પદ્ધતિ પ્રમાધનરતિ આચાર્ય સ્વીકારી છે. ( પ્ર. ૩. પ્ર. ૧૨. પૃ. ૪૯૨ ). એ ગૃહસ્થધને પણ પરંપરાએ મેાક્ષનુ કારણુ બતાવે છે અને સંસારને એ કરનાર હાઈ દુર્લભ જ છે એમ કહે છે. એ ઉપદેશપદ્ધતિ ધ્યાનમાં લેવા ચેાગ્ય છે. પ્ર. ૩. પ્ર. ૧૯ માં દત્ત મુનિ પણ એ જ રીતિને અનુસરતા જોવામાં આવે છે ( પૃ. ૫૫૫). ( ૭ ) શ્રી સિદ્ધર્ષિં કરતાં મહાબુદ્ધિશાળી અને સદ્નધિ આપવામાં અતિ કુશળ મહાત્મા પુરુષા તે સમયમાં વિદ્યમાન હતા. ( પીઠબંધ પૃ. ૨૧૦ ). (f) અતિ વિદ્વાન આચાર્યની પાસે અનેક શિષ્યા રહેતા હતા અને આચાર્યો નગરની મહાર આવેલા ઉદ્યાનમાં પધારતા હતા (૫. ૩. પ્ર. ૧૧ રૃ, ૪૬૩). ઉદ્યાનમાં કાઇ દેવમંદિર હેાય તેમાં Page #536 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ [ દશમી શતાબ્દિ : એક માજીએ આચાય ઉતરે એવી હકીકત પૃ. ૪૬૭ માં આવે છે તે ચૈત્યવાસનું જોર બતાવે છે. (g ) દ્રવ્યસ્તવની પ્રવૃત્તિ ગુરુમહારાજ કરે નહિં, એવી પ્રવૃત્તિ માટે તેમની સંમતિ લેવાય નહિ, એને આદેશ કરવાના ગુરુને અધિકાર નહિ. તેએ તે! માત્ર દ્રવ્યસ્તવનું સ્વરૂપ બતાવે અને તેના ઉપદેશ પણ યથાવસર આપે. આ રીતિ હાલ વીસરાઇ ગયેલી જણાય છે, ધ્યાન પર લેવા ચેાગ્ય છે. દશમી સદીમાં આ રીતિ વતી હાય એમ જણાય છે. (પ્ર. ૩. પ્ર. ૧૫, પૃ. ૫૧૩. ) ( h ) દત્તમુનિને નકશેખરે જૈનધમ ના સાર પૂછતાં તેમણે ( ૧ ) અહિંસા, ( ૨ ) ધ્યાન ચેાગ, ( ૩ ) રાગાદિ દુશ્મન પર વિજય અને ( ૪ ) સ્વધી બંધુ પર પ્રેમ—એમ ચાર બાબત બતાવી છે. નાકશેખરે સ્વધી બંધુઓને કરમુક્ત કર્યા, તેમને ખાનપાન વસ્ત્ર પાત્ર આપ્યાં અને જૈન ખંધુઓને ગુરુભાવે ખૂબ ખહલાવ્યા. દશમી શતાબ્દિની આ ઉપદેશપ્રણાલિકા ખૂબ વિચારવા યેાગ્ય છે (૫, ૩. પ્ર. ૧૯. પૃ. ૫૫૯. ). ત્યાં એક બીજી વાત પણ ખાસ વિચારવા જેવી છે. અનેક લેાકેા જૈન મતમાં આવી ગયા એવી ત્યાં વાત છે તે પરથી જણાય છે કે જૈનેાના વાડા દશમી શતાબ્દિ સુધી ખંધાયા નહાતા. જૈના સંબંધી એના વિચારા ખાસ નોંધવા જેવા છે. “ એ જિનમતને અનુસરનારા લેાકેા સ્વભાવથી જ ચારી, પરદારાગમન વિગેરે સર્વ દુષ્ટ વનાથી પાછા હટી જઈને વગર કો પાતાથી જ સારે રસ્તે ચાલે છે—એવા મહાત્મા પુરુષાના ઈંડ શા માટે કરવા ? એવા મનુષ્યાને સજા કરવાની જેએની બુદ્ધિ થાય તે જ ખરેખરા સજાને પાત્ર છે, જે પ્રાણીઓનું રક્ષણ કરવાની જરૂર પડતી હાય, જેની ચાકી કરવી પડતી હાય, તેઓના માથા ઉપર કરના ખાજો નાખવા ઉચિત ગણાય, પરંતુ જૈન લેાકેા તા પાતાના ગુણાથી જ રક્ષાયલા છે, તેથી તેએના ઉપર કરને જો નાખવા ઉચિત નથી. ’’ આ આખું વાક્ય ખૂબ વિચારવા ચેાગ્ય છે. આગળ વધતાં તે કહે છે: “ રાજાઓએ તેટલા માટે તેવા લાકાનુ દાસત્વ છેડીને બીજું કાંઈ પણ કરવું ઉચિત નથી અને અમે પણ તેમ જ જ કરીએ છીએ. ” (પ્ર. ૩. પ્ર. ૧૯. પૃ. ૫૬૧). સ્વધમીવાત્સલ્યના આ આખા ખ્યાલ ખૂબ વિચારવા ચેાગ્ય છે. Page #537 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ–ધમીઓની સ્થિતિ : ] ૪૯૫ (i) સાચે ધર્મ બતાવનાર તરફ ગુણાનુરાગી પ્રાણુઓ ખૂબ આભાર દર્શાવતા હતા અને પિતાને જીવન આપ્યું હોય તેટલો ઉપકાર દર્શાવતા હતા. વિમળકુમારનું રત્નસૂડ સાથેનું આખું સંભાષણ એ સંબંધની સાક્ષી પૂરે છે, (પ્ર. ૫. પ્ર. ૭. પૃ. ૧૨૮૩ થી આગળ) અને પૃ. ૧૨૮૮ માં જણાવે છે કે સર્વજ્ઞ ધર્મની પ્રાપ્તિના સંબંધમાં જે પ્રાણી આ જીવને જરા પણ નિમિત્તમાત્ર થાય તે પરમાર્થથી આ જીવન ગુરુ છે એમ સમજવું. (4) અતિ વિદ્વાન અભ્યાસી સાધ્વીને પ્રવર્તિની પદ આપવામાં આવતું અને તેને વ્યાખ્યાન આપવાને–દેશના દેવાને અધિકાર પ્રાપ્ત થતો હતો એમ જણાય છે. (પ્ર. ૮. પ્ર. ૧૩. પૃ. ૧૯૮૧) (k) આચાર્ય પિતાના એગ્ય શિષ્યને આચાર્યપદે સ્થાપી ગચ્છની અનુજ્ઞા આપે ત્યારે એ ગચ્છાધિપતિ થાય (પ્ર. ૮. પ્ર. ૨૨ પૃ. ૨૦૬૪–૫.) એ અનુજ્ઞાને આખો પાઠ અને ક્રમ ઘણે સુંદર હોય છે (પૃ. ૨૦૬૬–૭.). એમાં નિયંત્રણને મહિમા ખૂબ સારી રીતે વર્ણવ્યો છે તે અનુકરણીય છે. (1) સાધ્વી સારા અક્ષરે પુસ્તક લખી શક્તી હતી. (પ્રશસ્તિ પૃ. ૨૦૮૭.). જૈનધર્મ-ધમીઓની સ્થિતિ– | (a) “અહો ! આ આહત ભગવાનનું દર્શન અતિ અદભુત છે! અહીં જે લેકે વસે છે તે જાણે ભાઈઓ હોય, મિત્રો હોય, એક અર્થ સિદ્ધ કરવાની ઈચ્છાવાળા હાય, હૃદય અર્પણ કરી દેનારા હોય, એક આત્માવાળા હોય તેમ અરસ્પરસ વતે છે, તેઓ જાણે અમૃતનું પાન કરીને ધરાઈ ગયા હોય તેવા જણાય છે, પોતાને કઈ પણ પ્રકારને ઉગ હોય જ નહિ તેવા દેખાય છે, તેઓને કોઈ પ્રકારની આતુરતા જણાતી નથી, તેઓ ઉત્સાહથી ભરપૂર દેખાય છે, જેનાં મનના સર્વ મનોરથો જાણે પૂરા થઈ ગયા હોય તેવા તેઓ જણાય છે અને તેઓ સર્વ વખત આખી દુનિયાના સર્વ પ્રાણીઓનું હિત કરવામાં તત્પર દેખાય છે.” (પીઠ Page #538 -------------------------------------------------------------------------- ________________ [ દશમી શતાબ્દિઃ બંધ પૃ. ૧૦૬-૭). આ આખે પીઠબંધ ગ્રંથકર્તાએ પિતાના જીવની અપેક્ષાએ લખ્યું છે (પૃ. ૨૧૭) અને તેમાં આવેલ હકીકત સ્વાનુભવસિદ્ધ બતાવી છે (પૃ. ૧૧૨). જેમના સમયમાં શાસનમાં ખેંચતાણ ચાલતી હોય, સત્તાને દુરુપયોગ થતું હોય, ધર્મને નામે દુકાનદારી ચલાવાતી હોય તેઓ સર્વજ્ઞ શાસનનું આવું વર્ણન કરી શકે નહિ એ મારો મત છે. સામાજિક સ્થિતિ બહુ સારી હશે એમ અનુમાન કરવાનું આથી સહજ પ્રાપ્ત થાય છે. (b) ગુરુમહારાજ નિપુણ્યકને કહે છે કે “આ રાજમહેલની બહાર તે અનેક દુઃખી માણસો રહે છે, પણ તેમને આ મહેલ જોઈને આનંદ થતો નથી અને અમારા મહારાજની તેના ઉપર મીઠી દ્રષ્ટિ પડી નથી તેથી અમારે તેઓ તરફ આદર હેત નથી, અમે તેની વાત પણ પૂછતા નથી.'(પૃ. ૧૫૫–પીઠબંધ). જૈનેતર તરફ કેવી દષ્ટિ હશે તે અત્ર ખાસ સેંધવા જેવું છે. તે જ હકીકતને ઉપનય ઉતારતાં ગ્રંથકર્તા પૃ. ૧૫૭ માં જણાવે છે કે “જે પ્રાણુઓ અત્યાર સુધી સર્વજ્ઞશાસનરૂપ મંદિરમાં દાખલ થયા નથી અને જેઓ કોઈ પણ પ્રકારે દાખલ થઈ ગયા હોય પણ અંદર આવ્યા પછી જેઓને મંદિરના દર્શનથી આનંદ થતો નથી અને તેથી જ એવા પ્રાણીઓ ઉપર ભગવાનની કૃપાદ્રષ્ટિ થઈ હોય એમ અમને જણાતું નથી; એવા તો અનંત પ્રાણીઓને અમે દેખીએ છીએ, તો પણ તેઓ તરફ ઉદાસીનભાવ રાખીએ છીએ, એટલે એવા પ્રાણીઓનાં કર્મ માટે અને તેઓની અધમ સ્થિતિ માટે અમે દિલગીર રહીએ છીએ, એવા પ્રાણુઓ અમારા આદરને કેઈ પણ રીતે એગ્ય નથી.” (પૃ. ૧૫૭ પીઠબંધ). જેનધર્મમાં ન હોય તે તરફ સાધુવર્ગનું તે સમયે શું વલણ હતું તે અત્ર સ્પષ્ટ થાય છે. આ વિચાર કેટલાક યુગ સુધી ચાલ્યો છે. એમાં કેમી ભાવના છે, સંરક્ષણનિમિત્ત લાઘવતા છે કે ધર્મપ્રેમ છે તે વાંચનારે વિચારી લેવું. (૦) અનેક વખત દેશના આપવામાં આવે, છતાં પ્રાણું ધન અને વિષય તરફ વધારે ખેંચાયા કરે છે અને વિરતિ આદરતો નથી એને અત્યારે જે અનુભવ થાય છે તેવી જ સ્થિતિ દશમા સૈકામાં પણ હતી એ પીઠબંધમાં વર્ણવેલી નિપુણ્યકની સ્થિતિ પરથી માલુમ Page #539 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-ધર્મીઓની સ્થિતિ : ] ૪૯૭ પડે છે. ઉપદેશક અનેક રીતે સંસારની અસ્થિરતા વર્ણવે છે, પરંતુ પ્રાણી હજી સંસાર તરફ જ રસ લે છે. ગુરુમહારાજ જરા પણ એકળાતા નથી કે ઉશ્કેરાતા નથી અને મનગમતા વાપ્રહાર કરતા નથી. પૃ. ૧૬૧( પીઠબંધ )માં જોવાનું એ છે કે ગુરુમહારાજ દીક્ષા લેવા માટે ખેાટી લાલચ આપતા નથી. દીક્ષાના અંગની આ આખી પરિસ્થિતિ ખૂબ વિચારવા યાગ્ય છે અને વીશમી સદીમાં પ્રવર્તતી અવ્યવસ્થિત દશામાં અનુકરણ કરવા યેાગ્ય છે. ધર્મ એધકરની આખી પરિસ્થિતિ, વિચારશ્રેણી અને ક બ્યપરાયણતા ખૂબ સમજવા યોગ્ય છે. દશમી શતાબ્દિમાં દીક્ષા કેમ દેવાતી હશે અને એ ખાખતને કેવી રીતે છેડવામાં, વિચારવામાં અને અમલમાં મૂકવામાં આવતી હશે તેનું સ્પષ્ટ ચિત્ર લેખક મહાશયે આપ્યું છે તે બુદ્ધિગમ્ય હાઇ ખૂબ અપનાવવા યેાગ્ય છે. ( d ) દીક્ષા અને ઉપદેશ સંબંધમાં ભગવાનની આજ્ઞા શી છે અને તેના અમલ કેમ કરવા જોઇએ તે બાબતમાં દશમી શતાબ્દિમાં વિચારસ્પષ્ટતા ખૂબ હતી એમ જણાય છે. પૃ. ૧૭૭ માં ધધકર પાતે જણાવ છે કે ‘ અમે અપાત્ર પ્રાણીઓના સંબંધમાં પ્રયાસ કરતા નથી. ' ત્યાં ઉપદેશને જે આખા ક્રમ બતાવવામાં આવ્યે છે અને ત્રણે ઔષધની ચેાગ્યતા પર વિવેચન કર્યું છે તે ખાસ વિચારવા યાગ્ય છે. એમાં ત્રણ વર્ગ ના પ્રાણીએ બતાવ્યા છે : સુસાધ્ય, કષ્ટસાધ્ય અને અસાધ્ય. તે કેવી કક્ષાના હેાય ? એને નિર્ણય કરવાની શક્તિ કઇ ઉમ્મરે આવે? અને એ નિર્ગુ યની આવડત ક્યારે થાય ? એ આખા પ્રશ્ન પૂર્વગ્રાહ છેાડી દઈ વિચારવામાં આવે તા વર્તમાન યુગની દીક્ષાપરત્વેની ઘણી ઘુંચવણા અને મતભેદો દૂર થઇ શકે એવું મને લાગે છે. પૃ. ૧૯ માં ચેષ્ટાથી નિણ ય કરવાની જે હકીક્ત ગુરુમહારાજે બતાવી છે તે કસાટી ખૂબ વિચારવા યાગ્ય છે અને વમાન અનિચ્છનીય વાતાવરણમાં ખાસ માર્ગદર્શીક છે. ( ૭ ) ગુરુમહારાજની પ્રેરણા બંધ થાય છે અથવા ગુરુ મહારાજના જોગ બનતા નથી એટલે પ્રાણી પાછે સંસારના રાહુવાટમાં પડી જાય છે, આરંભ–પરિગ્રહની જ જાળમાં પડી જાય છે ( પૃ. ૧૮૮ પીઠબંધ ). ઉપલકીઆ વૈરાગ્યની સ્થિતિ તે સમયે પણ આવા જ પ્રકારની હતી એમ જણાય છે. ૬૩ Page #540 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ [ દશમી શતાબ્દિઃ (f) “ સદ્દબુદ્ધિ "ની આખી યેજના, તેની સાથેની વાતચીત અને સર્વત્યાગ કરતાં પહેલાં સબુદ્ધિપૂર્વક કરવાનો નિર્ણય અને કાચા નિર્ણયના વિપરીત પરિણામનું આખું પ્રકરણ પીઠબંધમાં વર્ણવ્યું છે તે ખૂબ વિચારવા યોગ્ય છે અને ગમે તેને દીક્ષા આપી દેવાની દોડધામ કરનારાઓ ખાસ વિચારવા યોગ્ય છે (પીઠબંધ પૃ. ૧૯૪). જે નરમ વિચારોનું વર્ણન મૃ. ૧૯૭ માં આપવામાં આવ્યું છે તે વિચારતાં દીક્ષા આપવાની યેગ્ય વય કઈ હાઈ શકે તે પણ સમજાઈ જાય છે. નાના બાળકને એવા વિચારને પ્રસંગ આવે નહિ એ સ્પષ્ટ વાત છે. બહાળતાએ તે સંસારના અનુભવીઓ જ દીક્ષા લેતા હશે એમ એ ચિત્રપટ પરથી જણાય છે. છેવટે દીક્ષા લેવાને આ પ્રાણું નિશ્ચય કરે છે ત્યારે પણ ગુરુમહારાજ જતે તેની કસોટી કરે છે, અન્ય ગીતાર્થો પાસે તેની પરીક્ષા કરાવે છે, વિચાર કરે છે અને ત્યારપછી જ દીક્ષા આપે છે ( પૃષ્ઠ ૨૦૩); કારણ કે ગુરુમહારાજ જાણે છે કે “દીક્ષા ગ્રહણ કરીને વિષયાદિ પર આસક્તિ થાય અને મન લુપી રહે તેના કરતાં તો પહેલેથી દીક્ષા ગ્રહણ ન કરવી તે વધારે સારું.’ ( પીઠબંધ મૃ. ૧૯૭ ) આવી તે કાળમાં માન્યતા હતી અને શાસ્ત્રજ્ઞાને એવો ભાવ તે યુગમાં સમજાતે હતે. ગમે તે આવે તેને દીક્ષા આપી દેવી તેમાં અને આ હકીક્તમાં ઘણો તફાવત છે. આખી વસ્તુસ્થિતિ ખાસ વિચારણા માગે છે. ( g ) ત્રાજુરાજા અને પ્રગુણા રાણુને દીક્ષા આપવાની સ્થિતિ ગુરુમહારાજ ખૂબ યુક્તિથી લાવે છે. એમાં પ્રલોભન કે લાલચને સ્થાન નથી. ચિખો વૈરાગ્યનો વિષય કેવી રીતે કામ કરી આપે છે અને નિઃસ્પૃહી ગુરુ પિતાનું કર્તવ્ય કેવી રીતે બજાવે છે તે આખું પ્રકરણ આ યુગમાં ખાસ વિચારવા યોગ્ય છે (પ્ર. ૩. પ્ર. ૭.). ( h) સદાગમ બજારમાં બેસી ભવ્ય પુરુષનું વર્ણન કરે છે (પ્ર. ૨. પ્ર. ૪. પૃ. ૨૭૯) તે બતાવે છે કે જેનાચાર્યો પિતાને ઉપદેશ જાહેરમાં આપતા હતા. ઉપાશ્રયને રિવાજ તે યુગમાં હશે એમ તે જણાય છે, કારણ કે આ આ ગ્રંથ ભિલ્લમાલ નગરની અગ્રસભામાં કહેવામાં આવ્યો છે, (પ્રશસ્તિ પૃ. ૨૦૮૬). જાહેરમાં વ્યાખ્યાન આપવાનો રિવાજ જરૂર હશે એમ સદાગમના પ્રસંગથી જણાઈ આવે છે. Page #541 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ–ધઓની સ્થિતિ : ] ૪૯ સદાગમ તે શ્રુતજ્ઞાનધારી પુરુષ છે એમ પૃ. ૨૮૧ માં સ્પષ્ટ જણાવ્યું છે તેથી એ કેવળી કે તીર્થકરને માટે વર્ણન નથી એ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. ( જુઓ પૃ. ૨૮૧ નીચેની નેટ) સદાગમનું પાત્ર શ્રુતજ્ઞાનધારી છે એ બતાવવાના ઘણુ દાખલા ગ્રંથમાં મોજુદ છે. વિચાર બતાવવાનું કે જાહેરમાં બોલવાનું કાર્ય શ્રુતજ્ઞાનદ્વારા જ થાય છે કારણ કે બાકીનાં ચારે જ્ઞાન મુંગાં છે. ( i ) ગુરુ વ્યાખ્યાન આપે ત્યારે સર્વ હાજર હોય, પણ કઈ જીવને સંદેહ પૂછો હોય કે પિતાની વાત કરવી હોય તો તે ગુરુને નિર્જન સ્થાન કે એકાંતમાં વાત કરે. ગુરુ એવી માગ ને અંતે સભા તરફ નજર કરે એટલે સભાજનો ટપોટપ ઊઠી જાય (પ્ર. ૨. પ્ર. ૬. પૃ. ૨૯ ). આ રિવાજ ઘણો સારો હતો. ગુરુમહારાજને આત્મસાધન માટે અને પ્રાયશ્ચિત્ત આપવા માટે એકાંતની જરૂર ઘણી હોય છે. આ રિવાજ અનુકરણ યોગ્ય છે. () દીક્ષા કેવી હોવી જોઈએ, દીક્ષિતે કેવી રીતે વર્તવું જોઈએ તેને માટે અપ્રમાદ યંત્રની આખી યેજના ખૂબ વિચારવા યેગ્ય છે. દશમી શતાબ્દિમાં દીક્ષાના ખ્યાલો કેવા હતા તેનું એ આદર્શ રૂપક છે. આખું ટાંચણ અહીં સ્થળસંકેચને કારણે રજૂ કર્યું નથી ( જુઓ પ્ર. ૩. પ્ર. ૧૪. પૃ. ૫૩-૫૦૮). ( k ) કે દીક્ષા લેવા જાય ત્યારે તેની સાથે જેને લાગેવળગે નહિ એવી સ્ત્રીઓ પણ “આવો રૂપસંદર્યવાળે મનુષ્ય સંસાર છોડી જશે એ વિચારથી દિલગીર થતી હતી.” ત્રણ કાળમાં મનુષ્યસ્વભાવ આ જ હશે એ ખાસ બેંધવા જેવું છે (પ્ર. ૩. પ્ર. ૧૭. પૃ. ૫૩૮). () રાજા આચાર્યને વાંદવા આવે તો જમીન પર બેસે એ વાત ખાસ નેંધવા જેવી છે. આચાર્યો પોતાના પરિવાર સાથે બગિચામાં, નગર બહાર ઉદ્યાનમાં ઉતરતા હતા. ઉપાશ્રય જેવી કઈ સંસ્થાને આખા ગ્રંથમાં ઉલ્લેખ નથી. ( પ્ર. ૬. પ્ર. ૯ પૃ. ૧૫૫૨ ) માત્ર કવિએ આ ઉપમિતિ કથા ભિલમાલ નગરના અગ્રિમ મંડપમાં કહી એટલી વાત આવે છે. (પૃષ્ઠ ૨૦૮૬ ) અને બુધનંદન ઉદ્યાનની વાત કરે છે ત્યાં સાધુઓ પોતાની વસતિમાંથી આઠમને ઉપવાસ હેઈ ઉદ્યાનમાં આવ્યા એટલી હકીકત આવે છે. Page #542 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ [ દશમી શતાબ્દિ : વસતિના અર્ધ ઉપાશ્રય એવા થઇ શકે ખરા એ વાત વિચારવા યેાગ્ય છે ( પ્ર. ૭. પ્ર. ૧. પૃ. ૧૬૫૬ ). નિર્મળાચાય જેટલી વાર આવ્યા તેટલી વાર નગરની બહાર અગિચામાં ઉતર્યા છે. (પ્ર. ૮. પ્ર. પ. પૃ. ૧૮૯૫ તથા પ્ર. ૮. પ્ર. ૯. પૃ. ૧૯૫૨ ). કંદમુનિ પણ ગિચામાં જ ઉતરે છે અને દેશના આપે છે ( પ્ર. ૮. પ્ર. ૪. રૃ. ૧૮૮૭). એના એક શકય ખુલાસા ગ્રંથના છેવટના ભાગમાંથી મળે છે તે વિચારવા યાગ્ય છે. નંદશેડની ધંધશાળામાં મહાભદ્રા સાધ્વી ઉતર્યા હતા, તેને સમતભદ્રાચાર્ય કવળી પધાર્યા છે અમ બર પડતાં તેમને વંદના કરવા પાત ઉદ્યાનમાં જાય છે (પ્ર. ૮. પ્ર. ૧૪. પૃ. ૧૯૮૪). એ તાવ છે કે સામાન્ય સાધુ સાધ્વી મહુધા વસતિમાં ઉતરતા અને કુંવળીએ નગર બહાર ઉદ્યાનમાં વિહરના. ( 1 ) ધ રત્નની યાગ્યતા પ્રાપ્ત કરવા માટે ગુણેા બતાવ્યા છે, સાધુધર્મની યાગ્યતા અનાવવા ા બતાવ્યા છે, સિદ્ધાન્તગ્રહણની ચોગ્યતાના ગુણા અનાવ્યા છે અને મેક્ષગમન ચેાગ્ય ગુણા પણ બતાવ્યા છે—એ ચારે ફકરા બહુ વિચારવા ચેાગ્ય છે ( ૫. ૭. પ્ર. ૭. પૃ. ૧૭૨૨-૮ ). સ્થળસ કાચથી એ કરા અત્ર ટાંકયા નથી. એમાં માલિકતા છે અને ઘણી વખત અત્યારે શ્રાદ્ધપણું કે સાધુપણું પેાતામાં માની લેનારને ધડા લેવા લાયક છે. પેાતામાં ચેાગ્યતાનાં ઠેકાણાં પણ ન હાય, અને પેસવાના દ્વાર સુધી પણ પહોંચાયું ન હાય ત્યાં એ પદની પ્રાપ્તિ થઈ ગઇ છે એવી વાતા કરવી એ તા ધૃષ્ટતા જ ગણાય. દશમી શતાબ્દિમાં આવી વિચારણા હતી એ હિષ્ટએ એ ચારે કરાએ નાંધી રાખવા જેવા છે. (n) પેાતાને પૈસા ખરચવા ન પડે તે ખાતર બાહ્ય દેખાવ કરી ‘ગુરુમહારાજ ! માસકલ્પ પૂરા થયા છે.’ એવું જણાવી દંભ કરનારા અને છતાં ધી હાવાના દાવા કરનારા શ્રાવકે તે યુગમાં પણ હતા એમ ઘનવાહનનું ચરિત્ર અતાવે છે (પ્ર. ૭. પ્ર. ૧૪, પૃ. ૧૭૯૪ ). (૦) ચિંતના વેશ પહેરવા છતાં પારકાની નિંદા કરનારા તે યુગમાં પણ જીવતા હતા. કારણ કે વગર કારણે પારકાના અવણું - વાદ મેાલવા, છતી અછતી વાતના આક્ષેપ કરવા અને ક્રિયારુચિવાનની નિંદા કરવી એ તે કાળે પણ શકય હતું. સંઘની, શ્રુતજ્ઞાનની, Page #543 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મીઓની સ્થિતિ : j ૫૦૧ ગણપરાની અને ખૂદ તીર્થંકરની નિંદા કરનારા તે યુગમાં પણ શક્ય હતા એમ જણાય છે. અમુક વાતા ગણધા કે તીથ કરા પણ સમજી શક્યા નથી, એવું કહેનાર અતિવેશધારી ત યુગમાં પણ હતા એ વાંચતાં વિચારકને નવાઇ જેવું લાગશે, પણ તે સત્ય છે (પ્ર. ૭. પ્ર. ૧૭. પૃ. ૧૮૩૯ ). ( P ) કંદમુનિ જેવા મહાત્યાગી વેરાગીને ગુણધારણ સ્વપ્નની હકીકતનું રહસ્ય પૂછે છે ત્યારે તે ઉત્તરમાં કહે છે કે એનું રહસ્ય તા કેવળી ગુરુમહારાજ કહી શકશે. એ પેાતાની કલ્પના લડાવી ભળતા જવાબ આપતા નથી તે સ્થિતિ અત્યારે ખાસ સમજવા અને અનુકરણ કરવા યાગ્ય છે ( પ્ર. ૮. પ્ર. ૫. રૃ. ૧૮૯૪ ). ( ૧ ) નિર્મળસૂરિ ગુણુધારણને પ્રથમ વખત જોતાં જ દીક્ષા આપી દેતા નથી, એની પાસે ખૂબ પ્રાથમિક તૈયારીઓ કરાવે છે, એનામાં સાચી સાધુતા આવી ગઇ છે એમ પાતાને ખાતરી થયા પછી એને દીક્ષા આપે છે. વ્યક્તિવિકાસ પર દીક્ષાના નિણૅય થતા જાય છે, પશુ ગમે તે આવે તેને દીક્ષા દઈ દેવી એવી વૃત્તિ તે યુગમાં જણાતી નથી (મ. ૮. પ્ર. ૯. પૃ. ૧૯૫૨ ). (r) ગુરુ પાનાની હયાતીમાં સુશિક્ષિત ચેાગ્ય શિષ્યને આચાર્ય પદવી આપી ગચ્છાધિપતિ બનાવે એવા રિવાજ હતા ( પ્ર. ૮. પ્ર. ૧૦, રૃ. ૧૯૫૭ ). આચાર્ય પદવીના મહાત્સવ વખતે દેવપૂજા અને સંઘશક્તિ કરવાના રિવાજ જણાય છે ( સદર ). કાઇ આચાર્ય અતિ વિદ્વાન થાય, વાદવિવાદ કરી સભાઓને જીત ત્યારે તેનો ચામેર પ્રશંસા થાય અને તેએ સાંભળે તેમ પણ તેમની સ્તુતિ થાય ( રૃ. ૧૯૫૮ ). ( ૭ ) શિથિલ સાધુએ લેાલુપતાથી ખાવાનું માગતા, શરીરને પાષતા અને ઝીણાં વસ્ત્રો પહેરતા(મ. ૮. પ્ર. ૧૦. પૃ. ૧૯૬૩–૪ ). ( t ) દ્વાદશાંગીના જાણુનાર ગીતા મુનિને આચાર્ય પદ આપવામાં આવતું હતું અને અતિ અભ્યાસી અગિયાર ભંગ જાણનાર વિદ્વાન સાધ્વીને પ્રવૃતિની પદ આપવામાં આવતું હતું (૫. ૮, પ્ર. ૧૩ પ્રુ. ૧૯૮૦ ). ( 1 ) શ્રાવકા પેાતાના ઘરમાં એક અલગ વિભાગ રાખી ત્યાં Page #544 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ [ દશમી શતાબ્દિઃ સામાયિક કરતા. તેને “ઘંઘશાળા” કહેવામાં આવતી હતી. એવી શાળામાં મુનિ આવે તો વસતિ કરે. નંદશેઠને ત્યાં એવી શાળા હતી. પ્રવર્તિની મહાભદ્રા તેમાં ઉતર્યા હતા (પ્ર. ૮. પ્ર. ૧૩. પૃ. ૧૯૮૨). (૪) દીક્ષા બાળવયમાં આપવા સંબંધી તે યુગને મત છે હશે તે પરત્વે ગ્રંથકર્તા સારે પ્રકાશ પાડે છે. આચાર્ય સમંતભદ્ર વિહાર કરે છે ત્યારે સાધ્વી મહાભદ્રાને ભલામણ કરતા જાય છે કે બાળપુંડરીક ઉપર નજર રાખવી, કારણ કે તે યોગ્ય વયને થશે ત્યારે મારે શિષ્ય થવાનો છે. આ દક્ષામાં લાલચ કે તરકટને સ્થાન નથી તે આખી હકીક્ત વિચારવા યોગ્ય છે (પ્ર. ૮. પ્ર. ૧૪. પૃ.૧૯૮૭). વળી એને બાળવયમાં દીક્ષા આપતા નથી તે નેધવા જેવું છે. (w) વિચારની વિશાળતાના દાખલા બહુ સુંદર છે. જે અનુછાને રાગદ્વેષને નાશ કરનારા હોય તે જૈનમતમાં હોય કે અન્ય તીર્થમાં હોય તે સર્વજ્ઞ મતને સંમત છે (પ્ર. ૮. પ્ર. ૨૦. પૃ. ૨૦૫૦). વિકાસક્રમમાં માત્ર બાહ્યા વેશને સ્થાન નથી (પૃ. ૨૦૫૧). ચિત્તના સંક૯પવિકલ્પરૂપ જાળાને નિરોધ કરે એ મોક્ષપ્રાપ્તિનો ઉપાય છે અને એ ઉપાય ગમે તે તીર્થિકે બતાવ્યું હોય તે તેમાં વાંધો નથી (પૃ. ૨૦૫૨). જૈનદર્શનની વ્યાપકતા પર પ્ર. ૮ નું ૨૧ મું પ્રકરણ ખાસ વિચારવા જેગ્ય છે. ધર્મને નામે ઘેલછાઓ – (a) મઠમાં ચટ્ટો (પરિવ્રાજકે) રહેતા હતા. તેમને તેમનું ભક્તમંડળ ભેજન આપતું હતું. તેઓ અકરાંતીઆની જેમ ખાતા હતા અને માંદા પડતા હતા, કેટલાક ગાંડા થઈ જતા હતા અને કેટલાક વિહળ થઈ જતા હતા. આવા વધારે પડતા ખોરાક ખાનારને વૈદ્યની દવા લેવી પડતી હતી (પ્ર. ૭. પ્ર. ૫. પૃ. ૧૬૮૮). (b) ઉપનય ઉતારવાના હેતુથી પ્ર. ૫. પ્ર. ૧૫ માં એક બઠર ગુરુનું દષ્ટાંત આપ્યું છે. એ દશમી સદીનું લાક્ષણિકચિત્ર છે. શિવમંદિરનું વર્ણન કરતાં એને ખાવાનાં પદાર્થોથી ભરપૂર, ધનધાન્યથી સમૃદ્ધ અને ખૂબ પૈસાદાર બતાવવામાં આવ્યું છે. એને આચાર્ય તદ્દન મૂર્ખ બતાવવામાં આવ્યું છે. એ ગુરુને ચેર લેકની સબ Page #545 -------------------------------------------------------------------------- ________________ ધર્મને નામે ઘેલછાઓ: ] ૫૦૩ તમાં પડેલ બતાવ્યું છે. એના ભકત ચેરને પરિચય તજવાની સલાહ આપે છે. તેને ગુરુ સ્વીકારતા નથી. બઠર ગુરુની મૂર્ખતાથી એના ભક્તો મંદિરમાં આવતાં બંધ થઈ ગયા. બઠર ગુરુ નાટક અને નાચ કરવા લાગ્યો. અને એના પૂર્વ ભકતો સાથે ગાયન કરવા લાગ્યા. ગાયનમાં પણ ખાવાપીવાની અને અન્યને લૂંટવાની જ વાત ચાલી. અંતે એ ગુરુ હાથમાં સરાવળું લઈચારે પાડામાં લીખ માગે છે એમ બતાવવામાં આવ્યું છે. એ ભીખ માગતો જાય છે અને સાથે માર ખાતો જાય છે (પૃ.૧ર૬૦-૧૨૬૭). આમાં સેંધવા જેવું એ છે કે ગુરુ ગમે તે હીન, અધમ કે તુચ્છ હોય પણ એને કેઈ સ્થાન પરથી પદભ્રષ્ટ કરી શકતું નથી કે એને તુચ્છકાર કરતું નથી, માત્ર એની પાસે આવવા જવાનું ભકતો બંધ કરે છે. મઠાધિપતિઓને એ યુગમાં કેટલે દેર હશે તેને આ કથાનકથી સહજ ખ્યાલ આવે તેમ છે. (૯) ગીઓ પિતાની યુગવિદ્યાને કે દુરુપયેગ કરતા હતા તેનું સેંધવા લાયક દષ્ટાંત રિપદારણના ચરિત્રમાં ચોથા પ્રસ્તાવમાં આવે છે. તપન નામના ચક્રવત્તીએ રિપુદારણ પર કબજે મેળવ્યા, પછી એણે પિતાની સાથે તંત્રવાદી ચેપગેશ્વરને સંજ્ઞા કરી. ગેશ્વર અનેક રાજપુરુષ સાથે રિપુદારણની નજીક આવ્યું અને રિપદારણની આસપાસ મશ્કરાઓ ફરી વળ્યા. ગેશ્વરે રિપુદારણ પર ગચૂર્ણ નાખ્યું એટલે એની પ્રકૃતિમાં માટે ફેરફાર થઈ ગયો. એના સર્વ અવયવે શિથિલ થઈ ગયા અને તેની બુદ્ધિ કે લાગણી બહેર મારી ગઈ. પછી હાથમાં નેતરની સોટી લીધી અને તપન ચકવન્તીને ન નમવાના ગુન્હા બદલ રિપુદારણને ફટકાવવા માંડ્યો. ગચૂર્ણની અસરથી રિપુદારણને આખા શરીરે તાવ આવ્યો, બળતરા થઈ અને ઉન્માદ થયો. એને નાગો કરવામાં આવ્ય, માથે મુંડે કરવામાં આવ્યું, શરીર પર રાખ ચળી, મસ અને અડદના ચાંદલા કરવામાં આવ્યા, ત્રિતાલના સેંકામાં રિપદારણને સર્વને નમાવ્ય, વારંવાર નમા, પગે પડાવી પડાવીને નમાવ્યો, મશ્કરી કરી માર મારી નમાવ્યું અને નચાવે. એના ઉપર પાર વગરના મુઠ્ઠી, ગડદાઓ અને પાટુહાર થયા. એને જેમ વધારે પીડા થાય તેમ પેલા સેવકે વધારે વધારે હસતા જાય. છેવટે રિપુદારણ ઢેઢ અને ભંગીને પણ પગે પડ્યો અને તદ્દન નકામે થઈ ગયે Page #546 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ [ દશમી શતાબ્દિક (પ્ર. ૪ પ્ર. ૪૦. પૂ૪ ૧૧૨૩-૮). આ દાખલા પરથી દશમી સદીમાં ગાચાર્યોનું કેટલું જોર હશે તેને ખ્યાલ આવે છે અને ગરસૂર્ણન કે ઉપગ થતો હતો તે સમજાય છે. મોટા રાજાઓ આવા ભેગાચાર્યને પાસે રાખી તેમનો કે ઉપગ કરતા હતા તેને પણ ખ્યાલ આવે છે. (d) ગુરુઓ ધર્મને નામે કેવા કેવા ધાંધલો મચાવે છે તે બાબતમાં પ્ર. ૪. પ્ર. ૧૨. પૃ. ૮૫૦–૧ માં લંબાણ ઉલ્લેખ છે તે ખાસ વાંચવા યોગ્ય છે. સ્થળસંકોચથી અત્ર તેને પુનઃ ઉલ્લેખ કર્યો નથી. (e) “સાહેબ! અમે દરરોજ ધર્મ તો કરીએ છીએ. જુઓ! અમે દરરોજ સ્નાન કરીએ છીએ, અગ્નિહોત્ર ઘરમાં રાખે છે તેને બલિદાન આપીએ છીએ, તેમાં તલ હોમીએ છીએ અને લાકડાં બાળીએ છીએ, ગાય ભૂમિ અને સેનાનું દાન દઈએ છીએ, વાવ, કૂવા, તળાવ ખોદાવીએ છીએ, કન્યાદાન આપીએ છીએ.” (પ્ર. ૭. પ્ર. ૭. પૃ. ૧૭૧૯). આમ અન્યદર્શનીઓ કહેતા હતા. આ પ્રમાણે સાંસારિક, રાજકીય, નૈતિક, ધાર્મિક પરિસ્થિતિ દશમી સદીની હતી એમ બહારનાં તેમ જ આ ગ્રંથની અંદરના પુરાવાથી જણાય છે. બાકી કઈ પણ યુગની પરિસ્થિતિ સમજવા માટે ખૂબ સાધન જોઈએ. દશમી શતાબ્દિ માટે ઐતિહાસિક સાધનો ઘણું ઓછાં છે, જે ઉપલબ્ધ થયું તેને ઉપયોગ કર્યો છે. અને બાકી ગ્રંથમાંથી તારવણુ કરી છે. Page #547 -------------------------------------------------------------------------- ________________ અંતીમ વક્તવ્ય આ મેટા ગ્રંથનું ભાષાવતરણ કરવામાં મે વર્ષી લીધાં છે. મને એ ગ્રંથ વાંચતાં કે લખતાં એટલેા આનન્દ્વ થયા છે કે એનુ વણું ન મારાથી થાય તેમ નથી. જ્યારે જ્યારે એક કલાક તેની પછવાડે ગાળ્યા હશે ત્યારે ત્યારે તેના આંતર–સ્વાત્મસ તાષ ( તર્પણુ ) એ ત્રણ કલાક સુધી મનમાં રહેતા હતા. એક મહાન સત્ય જડતાં જાણતાં મનમાં જે અનિર્વાચ્ય આન ંદ થાય છે તે કાઇને કહી શકાતા નથી, પણ મન ત અનુભવે છે. એવી કૈક દશાએ મેં અનુભવી છે. આને ભાષાંતર ન કહેતાં અવતરણ કહેવાના હેતુ છે. ઘણું ખરું भै અક્ષરશ: ભાષાંતર નથી કર્યું, પણ કેટલીક જગ્યાએ છૂટ લીધી છે અને ભાષાંતર નિર કુશ ( free ) ક્યું છે. એટલે એને તદ્દન ભાષાંતર કહેવાય નહિ. આખા પુસ્તકમાં શ્રી સિદ્ધર્ષિના આશયને કદી બગડવા દીધેા નથી કે ઇરાદાપૂર્વક ફેરવ્યા નથી, પણ તેટલી વાતને આધીન રહી ભાષાંતરમાં ઘણી છૂટ લીધી છે. એમાં શાસ્ત્રશૈલીના જરા પણ ફેરફાર ન થાય તેટલા માટે બહુ ચીવટ રાખી છે. પ્રકરણેા મેં પાડ્યા છે, તે માત્ર વાંચનારની સગવડ ખાતર છે. પેરાએ મેં પાડ્યા છે. વિસ્તારથી નેટ નેાને માટે સામાન્ય રીતે પણ જૈનેતર વાંચકના લાભ સારુ ખાસ લખી છે અને લંબાણુ નાટ પછવાડે પરિશિષ્ટમાં મૂકી છે. ૪ Page #548 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ [અંતીમ વક્તવ્ય આ સર્વ માં કોઇ પણ સ્થાને સ્ખલના ન થાય તેટલા સારુ તે આખા વિભાગ ધર્મ પરિભાષાના નિષ્ણાત પુરુષાને બતાવેલ છે અને પ્રત્યેક ગ્રંથમાં તેમને આભાર દર્શાવ્યે છે. આ આખા ઉપાડ્વાત આચાર્ય શ્રી મેઘવિજયજી અને મુરબ્બી શ્રી કુંવરજી આણુંદજીને વહેંચાવ્યા છે અને ઘણી કૃપા કરી ખન્નેએ તેમાં યથાયેાગ્ય સુધારા કર્યા છે. શાસ્ત્રસંપ્રદાય વિરુદ્ધ એક શબ્દ પણ ન લખાઇ જાય તેની પૂરતી ચીવટ રાખવા છતાં કાઇ સ્ખલના રહી ગઈ હાય તા તે માટે અંતરથી ક્ષમાયાચના છે. મૂળ ગ્રંથ ડી. હરમન જેકાખીએ બેંગાલ રાયલ એશીટિકના જર્નલમાં ૧૯૦૫થી છપાવવા માંડ્યો તેનું પ્રથમ કાર્ય ડૉ. પીટર્સ ને શરૂ કર્યું. છન્નુ છન્નુ પૃષ્ઠના ત્રણ ભાગ બહાર પાડ્યા પછી ડી. પીટન ગત થયા એટલે તેમનુ કાર્ય ડી. જેકેાખી( ખાન )ને સાંપવામાં આવ્યું. તેમણે ખીજા પ્રસ્તાવને ફરી છપાવ્યા અને આખા ગ્રંથ ૧૦૪૦ પૃષ્ઠમાં છપાવી પૂરા કર્યો. એ ગ્રંથ પૂરા કરતાં અને ઉપેદ્ઘાત છપાવતાં લગભગ તેમને સેાળ વર્ષ થયાં. મે એના શરૂઆતના ભાગ વાંચ્યા એટલે એ ગ્રંથ હાથમાં લીધે. એના ઉપર રુચિ થવાના પ્રસંગ તેા તદ્દન આકસ્મિક બન્યા હતા. શ્રી ભાવનગરના મુખ્ય આદિજિન પ્રાસાદના ઉપાશ્રયમાં મારા કાકા કુંવરજી આણુ દજીએ એ ગ્રંથના ટૂંક સારનું પ્રકરણરત્નાકરમાંથી વાંચન કર્યું. શ્રોતા ૧૫૦ ઉપર દરરાજ થતાં. મેં તે સાદ્યંત સાંભળ્યું તે વખતે મારી વય લગભગ નવ વર્ષની હશે. મને તે વખતથી પ્રક વિસ બહુ વહાલા લાગતા હતા. મારા બાળસ્વપ્નમાં એ મામા ભાણેજને ભવચક્રમાં ફરતાં મે' જોયેલા અને હજુ પણ એ સ્વપ્ના અનુભવું છું. ત્યારથી એ ગ્રંંધ પર મને રુચિ થઇ હતી અને છાપેલ ગ્રંથ હાથમાં આવ્યે એટલે એ વાંચવાની મરજી થઇ. કા' જિંદગીનાં એક સુખી પણ મુદ્દામ ક્ષણે ધારણા કરી કે એ ગ્રંથનું અવતરણ કરવું. એને માટે મારા પિતાશ્રી અને વડીલવગે પ્રેરણા કરી. પીઠમ ધનું ભાષાંતર આઠ આઠ પાને ૧૯૦૧માં ‘શ્રી જૈન ધર્મ પ્રકાશ ' માસિકમાં છપાવ્યું અને તેને પુસ્તક આકારે ત્યારપછી સદર સભાએ અહાર પાડયું. તે વખતે આખા ગ્રંથનું ભાષાંતર કરવાને વિચાર હતા પણ મારા અભ્યાસકાળમાં મને સમય મળ્યે નહિ. ་ Page #549 -------------------------------------------------------------------------- ________________ અંતીમ વક્તવ્ય] ૫૦૭ ત્યારપછી સને ૧૯૦૮ માં મારા જીવનમાં પરિવર્તન પ્રસંગ આવ્યો ત્યારે સાવંત અવતરણ કરવા દઢ સંકલ્પ કર્યો. એ કાર્ય સને ૧૯૧૫ માં શરૂ કર્યું અને સને ૧૯૨૧ માં પૂરું કર્યું. મેં ગ્રંથના અવતરણને સુંદર અને ઉપયોગી બનાવવા પૂરતો પ્રયાસ કર્યો છે, અનેક શંકાસ્થાને પૂછયા છે અને ઘટતું કરવા પ્રયત્ન થયો છે. જે થયું છે તે બરાબર છે કે નહિ તે વિચારવાનું મારું કામ નથી, પણ મારી અનુકૂળતા કે અભ્યાસને પૂરતો ઉપયોગ કરવામાં મેં મારાથી બની શકતું કર્યું છે. છતાં એક વાત કહી દેવાની જરૂર છે. અનેક પત્રો મારા પર આવે છે તે પરથી જણાય છે કે તેઓ કઈ કઈ સુંદર વિભાગ માટે મને અભિનંદન આપવા લલચાઈ જાય છે. મારે સાભાર નિવેદન કરવાની જરૂર છે કે આ ગ્રંથમાં જે કાંઈ ચમત્કાર, ભાષાવૈભવ કે કથકવિશિષ્ટતા જણાય તે સર્વનું માન યોગ્ય રીતે શ્રી સિદ્ધષેિ ગણિને ઘટે છે. જ્યાં કાંઈ અસ્પષ્ટતા, સંદિગ્ધતા કે ઘુંચવણ જણાય ત્યાં જવાબદારી મારી છે. બને તટલી છૂટ લઈ ગ્રંથને સુંદર કરવા મેં પ્રયત્ન કર્યો છે, છતાં મૂળ ગ્રંથને પહોંચવાના ફાંફા મારવા એ તે એક પ્રકારની ધૃષ્ટતા ગણાય. જેને સંસ્કૃત સાહિત્ય અને ભાષાનું જ્ઞાન હોય અને જેને અવકાશ હોય તેણે મૂળ ગ્રંથ જ વાંચવા એવી મારી ખાસ વિજ્ઞપ્તિ છે. એની મજા ઓર પ્રકારની છે. જેમને સંસ્કૃત ભાષાનું જ્ઞાન ન હોય અથવા એટલી ધીરજ ન હોય તેમણે ભાષાંતર વાંચવું. જે વિમળાલોક અંજન એમાં સાચવી રાખ્યું છે, તત્વપ્રીતિકર પાણીની એમાં જે રેલમછેલ છે અને મહાકલ્યાણક ભેજનના થાળે એમાં જે ભરી ભરીને તૈયાર કર્યા છે તે આંજતાં કે પીતાં કે ખાતાં કદી અભાવ થાય. એ સંબંધી માગવામાં આવે તેટલી જામીનગીરી હું આપું છું. જે મૂળગ્રંથ વાંચવાથી શ્રી સિદ્ધર્ષિ ઉપર ઉપકાર થશે તો અવતરણ” વાંચવાથી તે ઉપરાંત મારા ઉપર પણ થશે. એટલી મારી પણ વિજ્ઞપ્તિ એ મહાન લેખકના શબ્દોમાં આ પ્રસંગે કરી દઉં. આ ભાષાંતર–અવતરણ કાર્યને મારા જીવનને એક હા સમજું છું. આ ઉદ્દઘાતને એના શિખર સ્થાને મૂકું છું અને મારા આ કાર્યને જ્યારે મારી પક્ષપાતી ચક્ષુએ જીવનના આદર્શ તુલ્ય Page #550 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ [અંતીમ વાળ માનું છું ત્યારે વાંચનાર મારા ઉપર જરૂર કૃપા કરી આ પુસ્તક વાંચવા નિર્ણય કરશે એટલી નમ્ર ભાવે વિજ્ઞપ્તિ કરું છું. પ્રસ્તાવિક વાતે દરેક વિભાગમાં લખી દીધી છે. મને પ્રશંસાના પત્રાથી કદી આનંદ થતો નથી પણ સ્કૂલના બનાવે તે સાભાર નંધી રાખું છું અને બીજી આવૃત્તિમાં સુધારી લઉં છું. શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ આ પુસ્તક બહાર પાડી સમાજ પર ઉપકાર કર્યો છે તેને, તેમજ મને પ્રેરણું કરનાર અને ખૂક જોઈ આપનાર સર્વનો અંતરથી આભાર માની, થયેલ દેષ માટે ક્ષમા ચાહી, કારણ લંબાણ લખેલી આ ઉપઘાત પૂરી કરતાં એક વિજ્ઞપ્તિ કરું છું. આ ઉપોદઘાત બે વખત વાંચવી પડશે. પ્રથમ ગ્રંથ વાંચન શરૂ કર્યા પહેલાં અને પછી આખો ગ્રંથ પૂરો કર્યા પછી. એની યોજના એવા પ્રકારની છે કે બે વાર વાંચ્યા વગર એની મજા નહીં આવે. અહીંયા ઘણી વાત કહી છે, ઘણું અનુમાન દર્યા છે અને બહુ ચર્ચાસ્પદ વાતા ઉપસ્થિત કરી છે તે સર્વ મૂળ લેખકનું મૂલ્ય સમજવા માટે છે. એ પરિપૂર્ણ નહિ હોય તો પ્રેરક તે જરૂર છે જ. એમાં જરા પણ અતિશયોક્તિ ન થાય તેની સંભાળ રાખી છે અને આટલું લખવા છતાં લેખકને પૂરતા ન્યાય આપી શકાય નથી એવી સ્વત: કબૂલાત છે. મોતીચંદ Page #551 -------------------------------------------------------------------------- ________________ શ્રીઉપમિતિભવપ્રપંચો કથા ભાષાવતરણના સ્થાનોને અક્ષરાનુક્રમ (પૃછાંક પ્રથમ વિભાગની બીજી આવૃતિ પ્રમાણે અને બીજા ત્રીજા વિભાગની પ્રથમવૃતિ પ્રમાણે. કેંસમાં પ્રસ્તાવસંખ્યા બતાવી છે.) પૂર્ણાંક ૧૫ પરિચય અદષ્ટમૂપિયત-કમાં આવેલું સનાતન નગર. (૧) અકર્મભૂમિ-માનવાવાસની બાહ્ય ભૂમિ. ત્રીશ વિભાગ. (૮) ૧૯૬૮ અધ્યવસાય-નિતિને માગે, ઔદાસિન્ય માર્ગમાં સરેવર. (૬) ૧૬૦૫ અંતરદ્વીપ-માનવાવાસની બાહ્ય ભૂમિ. છપ્પન વિભાગ. (૮) ૧૯૬૮ અષ્કાય-એકાક્ષનિવાસ નગરને ત્રીજો પાડે. બાહ્ય. (૨) ૩૧૮ અપ્રમત્તત્ત્વ-વિવેકપર્વતનું શિખર. જૈનપુરનું સ્થાન. બાહ્ય. (૪) ૧૦૩૭ અધ્યા -પુખરવરદ્વીપમાં નગરી. ગાંધારરાજનું નગર. અમૃતસારની મુક્તિભૂમિ. (૮) ૨૦૨૦ અસંવ્યવહાર લેકમાં ગેળાપ્રસાદવાળું બાહ્ય નગર. (૨) ૩૦૦ આનંદધનશેખરનું જન્મસ્થાન. કેસરિ રાજાનું નગર. બાહ્ય. (૬) ૧૪૬૫ એકાક્ષનિવાસ-અત્યંતઅબેધનું જાગીરી બાહ્ય નગર. (૨) ૩૧૩ એરવત-મનજગનિ નગરીને એક પાડે. (૮) દાસિન્ય-ચિત્તવૃત્તિનાં મધ્યમાં નિવૃતિને રાજમાર્ગ. (૬) ૧૬ ૦૪ કનકપુર-પ્રભાકર રાજાની નગરી. બાહ્ય. (૩) કબરી-લલાટપટ્ટ પર્વતના શિખર પર આવેલી ઝાડી. (૫) ૧૨૮૮ કર્મભૂમિ-માનવાવાસની બાહ્ય ભૂમિ. પંદર વિભાગ. (૮) ૧૯૬૮ કાંચનપુર-સરળશેઠનું નગર. વામદેવનું નાસી જવાનું અને અને ફાંસીનું સ્થાન. (૫) ૧૩૩૦ ૧૯૫૫ ૫૬૭ Page #552 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩૫ ૪૪૫ ૫૫૩ ૫૧૦ [ સ્થાન કાંચનપુર-સંસારીજીવના રખડપાટા દરમ્યાન તેનું વસવાટસ્થાન. (૭) ૧૮૩૬ કપિલ્યપુર-માનવાવાસે સંસારીજીવ-વાસવનું જન્મસ્થાન. બાહ્ય નગર. (૭) કુશસ્થળ-બાળને ત્રાસ થયો હતો તે નગર. હરિશ્ચંદ્ર રાજાનું બાહ્ય નગર. (૩) કુશાવર્તપુર-કનકચૂડ રાજનું બાહ્ય નગર. કનકશેખરનું જન્મ રાજસ્થાન. (૩) લિસ્ટમાનસ-દુષ્ટાશય રાજાનું અંતરંગ નગર. મૃષાવાદના પિતાનું ઘર. (૪) ૭૧૧ ક્ષમાળસ્વમળનિચય રાજાનું અંતરંગનગર.કૃતિનું રમણસ્થાન.(૭) ૧૭૭૭ ક્ષિતિપ્રતિષ્ઠિત-મનીષી બાળનું સ્થાન. કર્મવિલાસ રાજાનું બાહ્ય નગર. (૩) ૩૭૪ ક્ષેમપુરી-મહાવિદેહના સુકચ્છવિજ્યની રાજધાની. સંસારીજીવ-અનુસુંદરનું સ્થાન. બાહ્ય. (૮) ૧૯૭૩ ગગનશેખર(વલ્લભ)-દક્ષિણશ્રેણીમાં મુખ્ય વિદ્યાધરનગર. બાહ્ય. (૫) ૧૧૬૮ ગંધપુર-કચ્છ વિજયે મહાભદ્રના પતિ દિવાકરનું નગર-બાહ્ય. (૮) ૧૯૮૦ ગધસમૃદ્ધ-વૈતાઢ પર્વ વિદ્યાધરનગર, મદનમંજરીનું જન્મસ્થાન.(૮)૧૮૬૧ ગ્રેવેયક-વિબુધાલયમાં કલ્પાતીત સ્થાન. ગુણધારણની ઉત્પત્તિભૂમિ. બાહ્ય. (૮). ૧૯૫૪ ઘંઘશાળા-શંખપુરના નંદશેઠના ઘરને ઓરડે. મહાભદ્રાનું વસતિસ્થાન. (૮) ૧૯૮૨ ચણકપુર-દુભાષા બેલનાર દુર્મુખને રહેવાનું બાહ્ય નગર. ભવચકે. (૪) ૯૭૬ ચતુરક્ષ-વિકલાક્ષનિવાસનગરને ત્રીજો પાડે. બાથ. (૨) ૩૨૩ ચિત્તવિક્ષેપ-ચિત્તવૃત્તિ અટવીના તકિલસિત” બેટમાં નાખેલો મહામંડપ. અંતરંગ. (૪) ૮૦૭ ચિત્તવૃત્તિ-અનેક બનાવોથી ભરપૂર, અંતરંગ લોકેનું નિવાસસ્થાન. મહાઇટવી. (૪) ८०४ ચિત્તસમાધાન-જૈનપુરમાં બાંધેલો મહાવિશાળ મંડપ, અંતરંગ.(૪) ૧૦૪૩ ચિત્તદક્ષાંતિકુમારીનું અંતરંગ નગર. (૩). ૩૬૧ Page #553 -------------------------------------------------------------------------- ________________ પરિચય ] જનમદિર–માનવાવાસે સંસારીજીવ–વિરાચનનું જન્મસ્થાન. નગર. બાહ્ય. ( ૭ ) ૧૪૭૩ જયપુર બહુલશેઠની પુત્રી કમલિની સાથે ધનશેખરના લગ્નનું નગર. બાહ્ય. (૬) જયસ્થળ--મનુજગતિનું બાહ્ય નગર. નવિનનું જન્મસ્થાન. ( ૩ ) ૩૪૪ જીવવી -જૈનપુરમાં ચિત્તસમાધાન મંડપની નિઃસ્પૃહતા વેદિકા પર મુકેલું સિંહાસન. ( ૪ ) ૧૦૫૬ જૈન—માનવાવાસના વિવક પર્વતના અપ્રમત્તત્ત્વ શિખરપરનું નગર. (૪) ૧૦૨૨ જ્યાતિષ્ણુ–સંસારીજીવની રખડપટ્ટી દરમ્યાન વિષુવાલયમાં બાહ્ય સ્થાન. ( ૭ ) તથાવિત્ર-ઋજુ રાન્નનુ નગર. ખાદ્ય. મિથુનયકથાસ્થાન ( ૩ ) તદ્ય-દેહ બગીચામાં આવેલા રાફડા. બાહ્ય. સ્પન એના પર ફ્રાંસા ખાવા ચઢેલા. ( ૩ ) તદ્વિલસિત-ચિત્તવૃત્તિ અટવીમાં આવેલી પ્રમત્તતા નદી વચ્ચે આવેલે એટ. અંતરંગ (૪) તૃષ્ણાવેદ્રિકા -તદ્વિલસિત મેટના ચિત્તવિક્ષેપમ ́ડપની વચ્ચે મૂકેલ વિકા. પ્લેટફામ'. અંતરંગ. (૪) ( ૨ ) તેજસ્કાય–એકાક્ષનિવાસનગરના ચાથે। પાડા. ખાલ. ( ૨ ) ત્રિકરણ-વિકલાક્ષનિવાસનગરના ખીજો પાડેા. બાહ્ય. દ્વિહૃષીક–વિકલાક્ષનિવાસનગરના પહેલા પાડા. ખાદ્ય ધરાતળ-બુધના પિતા શુભવિપાકનું અંતરંગ નગર. ( ૫ ) ધર્મ ધ્યાન–નિવૃતિને માગે ધારણા નદીને સામે પાર દંડાલક--નાની (૨) કડી. ( ૬ ) ધાતકીખંડ–મનુજગતિ–માનવાવાસના એક વિભાગ. ( ૮ ) ધારણા-નિવૃતિને માગે. અધ્યવસાય સરેાવરમાંથી નીકળતી મહાનદી. ( ૬ ) ૫૧૧ L તામચિત્ત-મહામહના પુત્ર દ્વેષગજેન્દ્રની અંતરંગ નગરી. ( ૩ ) પ૭૫ તુંગશિખર-બહિર્ગ પ્રદેશમાં પર્યંત. ગંધર્વાં-કિન્નરમિથુનનુ ક્રીડાંગણુ. ( ૭ ) ૧૮૨૬ ૧૮૩૪ ૪૧૧ ૩૭૫ ૧૭૮૨ ८०८ ૩૧૮ ૩૨૨ ૩૨૧ ૧૨૮૪ ૧૬૦૬ ૧૯૫૬ ૧૬૦૬ Page #554 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ [ સ્થાન નાસિકા-લલાટપટ્ટપર્વતપરની કબરીઝાડીમાં બે ઓરડાવાળી ગુફા.(૫) ૧૨૮૮ નિજદહ-કોવિદ-આલિશના તાબાને બાહ્ય પર્વત. (૭) ૧૭૭૮ નિબજેગ-નિતિને માર્ગે શુકલધ્યાન કેડી પછી આવતા મે માર્ગ. (૬) ૧૬ ૦૭ નિર્મળચિત્ત-મલક્ષયરાજનું અંતરંગનગર,બુદ્ધિદેવીની જન્મભૂમિ.(૪)૬૬ , જેનપુરનું પેટાનગરસાત્ત્વિક માનસપુરના તાબામાં.(૪)૧૦૪૫ નિતિ-પિશાચીઓના દેરથી મુક્ત નગરી. (૪) ૧૦૧૬ , ચિત્તવૃત્તિને છેડે પશ્ચિમમાં આવેલ અંતરંગ નગરી. (૬) ૧૬૦૪ નિઃસ્પૃહતા જોનપુરમાં નાખેલ ચિત્તસમાધાન મંડપ વચ્ચે મૂકેલી વૈદિકા. ( ૪ ). ૧૦૫૫ નિયાયિક-મિથાદર્શનના હાથ નીચે માનવાવાસમાં આવેલું આંતરનગર. (૪) ૧૨૦ પંચાક્ષપશુસંસ્થાન-નીચ્છા લેકનું મોટું બાણ નગર. (૨) ૩૨૪ પશુસંસ્થાન-ભવચક્રનું ત્રીજું અવાંતર નગર. (૪) ૯૯૦ પાપિપંજર ભવચક્રનું ચોથું અવાંતર નગર. (૪) ૯૯૧ પુષ્કરદ્વીપ-અનુસુંદરના આગામી સ્થાનનું બાહ્ય ક્ષેત્ર.ત્યાંથી મુક્તિ.(૮)રર૯ પૃથ્વીકાય-એકાક્ષનિવાસનગરને બીજો પાડે. બાહ્ય. (૨) ૩૧૭ પ્રમત્તતા-ચિત્તવૃત્તિ અટવીમાં આવેલી મોટી નદી. અંતરંગ. (૪) ૮૦૫ પ્રમેહશેખર-નિજવિલસિત ઉદ્યાનમાં જિનમંદિર, પ્રબંધનરતિ આચાર્યની વિહારભૂમિ. (૩) બદ્ધ-મિથદર્શનના હાથનીચે માનવાવાસમાં આવેલું આંતરનગર.(૪)૧૦૨૧ ભકિલપુર-માનવાવાસે સંસારીજીવવિશદનું જન્મસ્થાન.બાહ્યનગર.()૧૮૪૨ ભરતક્ષેત્રમનુજગતિના ધાતકીખંડને એક ભાગ. (૮) ૧૯૫૬ ભવ-અકસ્બા શિવમંદિરનું સ્થાન. બાહ્ય નગર. (૫) ૧૨૬૨ ભવચક-આદિ અંત વગરનું મહાન બાહ્ય નગર. (૪) ૯૦૯ ભુવનદર-વેહલ અંતરકથાનું અંતરંગ નગર. અનાદિરાજાની રાજધાની. (૪) ભતળ-વિચક્ષણાચાર્યનું જન્મનગર. મલસંચય રાજાની બાહ્ય રાજધાની. (૪) ૮૨૦ Page #555 -------------------------------------------------------------------------- ________________ ૨૫, પરિચય ] ૫૧૩ મનુજગતિ-સુમેથી પ્રતિષ્ઠિત અનાદિ નગર. બાહ્ય. (૨) મનંદન-શંખપુરના ચિત્તરમ ઉધાનમાં ચૈત્ય. ઉપમિનિકથા કથનનું સ્થાન. (૮) મહાતમ:-પાપિષ્ટનિવાસ નગરીને સાતમે પાડે. (૪) ૧૧૨૮ માનવાવાસ-ભવચક્રની અંદરનું બાહ્ય નગર. મકરધ્વજનું રાજસ્થાન. (૪). ૯૩૧ . ભવચક્રનું પ્રથમ અવાંતર નગર. બાહ્ય. (૪) ૯૮૬ સંસારીજીવ બધુની રખડપટ્ટીનું નગર. (૪) ૧૮૨૧ મીમાંસક-મિથાદશનના હાથ નીચે માનવાવાસમાં આવેલું આંતર ૧૦૨૧ મૂધન- નિક પર્વતનું શિખર. બાહ. () ૧૭૮ રત્નદ્વીપ-હરિકુમારના મામા નીલકંઠનું નગર. રત્નવ્યાપારનું મેટુ ધામ. (૬) ૧૪૮૧ કે, ચાર વ્યાપારીનું રત્નસંચયસ્થાન. (૭) ૧૭૦૧ રત્નપુર-સુકચ્છવિજ્યનું બાહ્ય નગર. સુલલિતાનું જન્મસ્થાન. (૮) ૧૯૮૧ રાજસચિત્ત-અંતરંગ. રાગકેસરીની રાજધાની. (૩) ૩૮૬,૭૨૪ રધનદ્વીપ-ધનશેખરને રખડપટ્ટીમાં લાધેલ બેટ. બાહ્ય. (૬) ૧૫૪૭ ચિત્તપુર-અંતરંગે દુષ્ટાભિસન્ધિ રાજાની નગરી. (૩) ૫૭૧ લલાટપટ્ટદેહક્ષેત્રમાં આવેલો પર્વત. બુધ-મંદનું ક્રીડાસ્થાન. (૫) ૧૨૮૭ લલિત-મૃગયાસક્ત લલિરાજાનું નગર. બાથ. ભવચક્ર. (૪) ૯૭૩ લલિતપુર-માનવાવાસે નગર. લાક્ષ રાજાની રાજધાની. બાહ્ય. (૪) ૯૩૩ લેકાયત-મિથાદર્શનના હાથ નીચે માનવાવાસમાં આવેલું આંતર નગર. (૪) ૧૦૨૧ વદનકેટર-ભૂતળનગરે વિચક્ષણ-જડની ક્રિીડાભૂમિ. જાની વાસનાભૂમિ. (૪) ૭૬૭ વનસ્પતિ-એકાક્ષનિવાસનગરને પહેલો પાડે. બાહ્ય. (૨) વર્ધમાનપુરામદેવનું જન્મસ્થળ. બાહ્ય નગર. (૪) ૧૧૪૦ વસંતદેશ ધનશેખરની રખડપટ્ટીમાં આવેલો બાહ્ય દેશ. (૬) ૧૫૪૬ વસંતપુર-મેટા સાર્થવાહનું નગર ચાર વ્યાપારીનું નગર. બાહ્ય.(૭) ૧૭૦૧ ૬૫ ૩૧૩ Page #556 -------------------------------------------------------------------------- ________________ ૮૦. ૮૭. ૧૩૨૯ ૫૬૭. ૫૭ ૫૧૪ [ સ્થાન વાયવીય-એકાક્ષનિવાસનગરને પાંચમે પાડે. બાહ્ય. (૨) ૩૧૯ વિકલાક્ષનિવાસ–મનુષ્યલોકનું એક બાહ્ય નગર. (૨) ૩૨૧ વિપર્યાસ-ચિત્તવિક્ષેપ મંડપની તૃષ્ણવેદિકા પર મૂકેલું સિંહાસન. અંતરંગ. (૪) વિબુધાલય-ભવચક્રનું બીજું અવાંતર નગર. (૪) વિમળમાનસ-બુધના શ્વસુર શુભાભિપ્રાયનું અંતરંગ નગર. (૫) ૧૨૮૬ વિવેક-સફેદ, ઊંચે, નિર્મળ, વિસ્તૃત પર્વત, ભવચકે. (૪) ૯૬૫ વિશદમાનસ-શુભાભિસન્ધિ રાજાનું અંતરંગ નગર. ગજુતા અને અચાર્યનની જન્મભૂમિ. (૫) વિશાળા-નંદનરાજાની રાજધાની. વિમલાનના–ર–વતીની બાહ્ય નગરી. (૩) વિષમકૂટ-અંબરીષ બહારવટીઆને બાહ્ય પ્રદેશ. કુશાવતને સિમાડે આવેલે પર્વત. (૩) વિતાઢય-વિદ્યાધર નગરનું આશ્રયસ્થાન બાહ્યપ્રદેશે શ્વેતપર્વત. (૫) ૧૧૬૮ , વિદ્યાધરનું સ્થાન. (૮) વૈશેષિક-મિથાદર્શનના હાથ નીચે માનવાવાસમાં આવેલું આંતર નગર. (૪) ૧૦૨૧ શંખ-મનજગતિના ધાતકીખંડનું બાહ્ય નગર. શ્રીગર્ભ રાજાનું નગર. સંસારીજીવ શંખનું જન્મસ્થાન. (૮) ૧૯૫૬ શાલપુર-નંદિવર્ધનના વેવિશાળ માટે કહેણ મેક્લનાર રાજા અરિદમનનું નગર. બાહ્ય.(૩) ૬૩૪ શુકલધ્યાન-સબીજ ગમાર્ગ પછી નિવૃતિને માર્ગે આવત દડાલક–કેડી. (૬) ૧૬ ૦૭ શુભચિત્ત-સદાશય રાજાનું ધામ. બ્રાતિ અને મુક્તતાની જન્મભૂમિ. અંતરંગ. (૬) ૧૫૫૪ શુભ્રમાનસ-શુદ્ધાભિસન્ધિ રાજાનું આંતરનગર. મૃદુતા અને સત્યતાની ભૂમિકા. (૪) ૧૧૧૭ શેખરપુર-નરસુંદરીના પિતા નરકેસરિનું બાહ્ય નગર. (૪) ર૫ શેલેશી-નિતિને માગે નિબગ રસ્તા પછી આવતા રસ્તે. (૬)૧૬૦૮ ૧૮૬૧ Page #557 -------------------------------------------------------------------------- ________________ પરિચય] ૫૧૫ ૭૦૩ સપ્રદ સંસારીજીવ ગુણધારણનું જન્મસ્થાન. બાહ્ય પ્રદેશનગર.(૭) ૧૮૫૪ સબીજાગધારણ નદીને પેલે પાર ધર્મધ્યાન કેડી પછી નિવૃતિને માર્ગ મેટ માર્ગ. (૬) ૧૬૦૬ સમતા-નિતિને માર્ગે રાખવાની ગનલિકા. (૬) ૧૬૦૮ સર્વાર્થસિદ્ધ-ઉપશમશ્રેણીએ ચઢેલ અનુસુંદરનું સ્થાન. વિમાન. વિબુધાલયે. (૮) ૨૦૨૭ સાકેતપુર-ભરતક્ષેત્રે બાહ્યનગર. સંસારીજીવ–અમૃતાદરનું સ્થાન. (૭) ૧૮૧૮ સાંખ્ય-મિશ્રદર્શનના હાથ નીચે માનવાવાસમાં આવેલું આંતરનગર. (૪) ૧૦૨૧ સાત્વિક માનસપુર-ભવચક્રનું ભવ્ય નગર. જેન આંતર નગરનું મહાન સ્થાન. (૪) ૧૦૪૪ સાલાદ-વનવાહનના પિતા જિબૂતવાહનનું નગર. બાહ્ય. (૭) ૧૬૪પ સિદ્ધાર્થ–મનુજગતિના ભરતપાડામાં નગર, રિપુદારણનું જન્મસ્થાન અને તેની ખેલણભૂમિ. (૪) સિંહપુર-એવતક્ષેત્રનું બાહ્ય નગર. સંસારીજીવ ગંગાધરનું જન્મસ્થાન. ( ૮ ) ૧૯૫૫ સુચ્છ બાદ મહાવિદેહના બત્રીસ વિભાગ પૈકીને એક વિભાગ | ( વિજ્ય). એની રાજધાની ક્ષેમપુરી. (૮) ૧૯૭૪ સોપારક-સંસારીજીવ-વિભૂષણનું જન્મસ્થાન માનવાવાસે બાહ્ય નગર. (૭) ૧૮૩૮ સૈધર્મ-સંસારીજીવની રખડપટ્ટી દરમ્યાન આવેલું વિબુધાલયનું સ્થાન. પ્રથમ દેવલેક. બાહ્ય. (૭) ૧૮૩૧ સંસ્કૃતિ-સંસારવિસ્તારનું રૂપક. નગર. છઠ્ઠી મુનિના વૈરાગ્ય પ્રસંગનું રૂપક. (૭) ૧૭૩૫ સ્વરૂપ-ભાવનગરમાં બેઠેરગુરુનું શિવમંદિર. બાહ્ય. (૫) ૧૨૬૨ હરિપુર-સુકચ્છવિજ્યનું નગર. બાહ્ય. મહાભદ્રા-પ્રજ્ઞાવિશાળાનું જન્મસ્થાન. (૮). ૧૯૮૦ હેમપુર ભવચક્ર વિભીષણ રાજાની રાજધાની. લલિતપુર પાસે બાહ્ય નગર. (૪) ૯૫૫ Page #558 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા થા ગ્રંથમાં આવેલાં ઉધાનોના અક્ષરાનુક્રમ ( પૃષ્ટાંક પ્રથમ વિભાગની ખીજી આવૃત્તિ પ્રમાણે અને ખીજા તથા ત્રીજા વિભાગની પ્રથમાવૃત્તિ પ્રમાણે છે. કૌંસમાં પ્રસ્તાવની સખ્યા મૂકી છે. ) આહ્લાદમ ́દિર–સપ્રમોદ નગરની બહારના બગીચા. ગુણધારણ કુલધરનું ક્રીડાસ્થાન. ( ૮ ) ક્રીડાનંદન–વ માનપુરની બહાર બગીચા. વિમળ-વામદેવનું ક્રીડાસ્થાન. ( ૮ ) ચિતામ–સુવિજયના શ‘ખપુર પાસેનું ઉદ્યાન. અનુસુંદર ચક્રવર્તીનું ચોસ્થાન ( ૮ ) ચતચ્ચુક-કુશાવ`પુરમાં વિમલાનના−રત્નવતાની કેલિભૂમિ ( ૩ ) ૧૮૨ નિજવિલસિત–ક્ષિતિપ્રતિષ્ઠિત નગરની બહાર ઉદ્યાન. પ્રમેાધનરતિ આચાર્યની વિહારભૂમિ. ( ૩ ) ૧૯૭૮ બુધન દન-સાહ્લાદપુર બહાર ઉદ્યાન. નવાહન અકલંકનું ક્રીડાંગણુ. ( ૬ ) ૧૮૫૬ ૧૧૪૮ ૪૬૩ મલવિલય–શાર્દૂલપુરની બહારનું ઉદ્યાન. વિવેકકેવળીની સંભાષણભૂમિ. ( ૩ ) મેહવિલય-તથાવિધ નગર બહાર ઉદ્યાન. પ્રતિાધકાચાર્યની ૪૧૭ ઉપદેશભૂમિ. (૩) રતિમન્મથ-કનકમ જરીતે નવિનનું પ્રથમ મિલનસ્થાન. બગીચા.(૩) ૬૦૬ લલિત–સિદ્ધાપુરની બહાર આવેલું ઉદ્યાન. વિચક્ષણાચાર્યની સંભાષણભૂમિ. (૪) લીલાધર ક્ષિતિપ્રતિષ્ઠિતની બહાર આવેલું ઉદ્યાન. બાળનું ક્રીડાસ્થાન. મન્મથમદિરભૂમિ. ( ૩ ) લીલાસુંદર-રત્નદીપે હરિકુમારનું ક્રીડાવાન. ( ૬ ) ૧૬૫૬ ૬૫૧ ૪૩૫ ૧૫૨૨ શમાવહ–કુશાવનગરની બહાર બગીચા. દત્તસાધુની વિહારભૂમિ. (૩) ૫૫૪ શુભકાનન–સાપારક નગરની બહાર ઉદ્યાન. વિષ્ણુનું ક્રીડાંગણુ. સુધા¥પાચાયની ઉપદેશભૂમિ. ( ૭ ) સ્વદેહ-ક્ષિતિપ્રતિષ્ટિતપુરના બગીચા. સ્પðનનું ફ્રાંસીસ્થાન. ( ૩ ) ૭૫૭ ૧૮૩૯ ૩૭૪ Page #559 -------------------------------------------------------------------------- ________________ પાત્ર રૂપાદિ અનુક્રમ શ્રી ઉપમિતિભવપ્રપ ચાકથા ભાષાવતરણમાં આવેલાં પાત્રા, રૂપા, વિગેરે વિશેષનામેાને અક્ષરાનુક્રમ → [ ગુજરાતી ભાષાવતરણના પૃષ્ટાંક પ્રથમ વિભાગની ખીજી આવૃત્તિ પ્રમાણે અને બીજા ત્રીજા વિભાગની પ્રથમાવૃત્તિ પ્રમાણે અત્ર નિર્દિષ્ટ કયાં છે, કાંસમાં પ્રસ્તાવસંખ્યા મુકી છે અને પાનું ભાષાંતરનું મૃયું છે. ] પરિચય પૃષ્ઠ ૧૯૮ પાત્રરૂપકાદિ અકર્મ ભૂમિ-માનવાવાસની ભૂમિ, ત્રીસ વિભાગ. ( ૮ ) અકલંક-ધનવાહનના કાકાના પુત્ર અને મિત્ર. ( ૭ ) અકિચન્ય-ચિત્તવાનરના છુપાઈ રહેલા પરિવારમાં વાનબચ્ચું'. (૭) ૧૭૫ અકુટિલા-તથાવિધનગરે મુગ્ધકુમારની પત્ની. ( ૩ ) ૧૫૫ અકુશળમાળા-કમ પરિણામરાજાની પત્ની. બાળાની માતા. ( ૩ અગૃહીતસ કેતા–બ્રાહ્મણી. ભાળી. સંકેત ન સમજનાર. ( ૨ ) અચળ-વિદ્યાધર અમિતપ્રભ-મણિશિખાનેા પુત્ર. ચપળતા ભાઇ. રત્નચુડના હરીફ. ( ૫ ) ૧૧:૯ ૧૯૬ ૯૧૫ ૮૨૪ અચાપલ–ચારિત્રરાજની ચતુર ંગ સેનાના પાતિએ. ( ૮ ) અચો તા-વિશદ માનસના શુભાભિસન્ધિ-પાપભીરુતાની માતા. (૫) ૧૩૨૯ અજ્ઞાન-મહામાલના ચતુર'ગ લશ્કરના ઘેાડા. ( ૪ ) અજ્ઞાન–મિથુનયના શરીરમાંથી નીકળેલ કાળું બાળક. ( ૩ ) અજ્ઞાન-અલિનાત્મા-લવરેટની પરનાળી. ( ૭ ) અતત્ત્વાભિનિવેશ–દષ્ટિરાગ. રાગકેસરીને મિત્ર. ( ૪ ) અતિથિસ વિભાગ–ગૃહિધના પરિવાર. બાર પૈકી નં. ૧૨. ચતુર્થાં શિક્ષાવ્રત. ( ૪ ) ૧૬૮૩ ૪ ૮૧૧ ) ૩૭૪ ૭૪ ૧૦૮૫ Page #560 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮૦ ૧૦૬૮ ૫૧૮ [ પાત્રરૂપકાદ અત્યંતઅધિ–અસંવ્યવહાર નગર સેનાપતિ. (૨) અદત્તાદાનવિરમણ-(ધૂળ) ગૃહીધમને પરિવાર. બારમાને નં. ૩. (૪) અદષ્ટમૂલપર્યત-લેકમાં આવેલું સનાતન નગર. (૧) ૧૫ અધમ-કર્મ પરિણામ રાજાના છ પુત્રો પૈકી નં. ૨. (૬) ૧૫૬૭ અધ્યવસાય-નિવૃત્તિનગરીએ જવા માટે ઔદાસિન્યમાર્ગમાં સરેવર.(૬)૧૬ ૦૫ અનભિગ્રહ-મિથ્યાત્વ કુજનનું પરિણામ. અજ્ઞાન. સન્નિપાત.(૭) ૧૬૯૪ અનર્થદંડવિરમણ-ગૃહીધર્મને પરિવાર. બાર પૈકી નં. ૮. ત્રીજું ગુણવ્રત. (૪) ૧૯૮૪ અનશન–તપયોગના બાર અંગત માણસો પૈકી એક. નં. ૧. બાહ્ય પરિવાર. (૪) અનાદિ-ભુવનોદર નગરના રાજ. અંતરકથાવાળા વાહલના પિતા. (૪) ૮૨૦ અનાદિ વનસ્પતિ-અસંવ્યવહારના કુળપુ. (૨) ૩૦૦ અનુપ્રેક્ષા-સાધુના અંતઃપુરમાંની ૧૧ પૈકીની એક પત્ની. (૫) ૧૨૫૯ અનુસુંદર–ચક્રવર્તી. ચેર. સંસારીજીવ. (૮) આ ક્ષેમપુરીમાં યુગધર--નલિનીપુત્ર સંસારીજીવ. ચક્રવતી. ચેર. (૮) ૧૯૭૫ અંતરદ્વીપ-માનવાવાસની ભૂમિ. છપ્પન વિભાગવાળી. (૮) ૧૯૬૮ અંતરાય-પાંચ મનુષ્યોથી પરવરેલ મહામહને મિત્રરાજા. (૪) ૮૯૨ અપરાપરજન્મ-ભવરેંટથી ખેડાતા જન્મસંતાન ખેતરના યારા. (૭) ૧૬૮૩ અકાય-એકાક્ષનિવાસને ત્રીજો પાડે. (૨) ૩૧૮ અપ્રબુદ્ધ-સિદ્ધાંત ગુનો જિજ્ઞાસુ શિષ્ય. (૬). ૧૫૫૮ અપ્રમત્તત્વ-વિવેકપર્વતનું શિખર. જેનપુરનું સ્થાન. (૪) ૧૦૩૭ અપ્રમાદ–ચિત્તવાનર વિષયફળ ખાવા ગોખ બહાર નીકળે તે વખતે અટકાવનાર વજદંડ. (૭) ૧૭૪૩ અભિવૃંગ-ઉફે વિષયરાગ. રાગકેસરીને મિત્ર. (૪) ૮૬૫ અભ્યાસ-ઉત્તમકુમારને ખાસ સહચર.અંતરંગ રાજ્યપ્રવેશમાં સાથી.(૬)૧૬૦૩ અમિતપ્રભ-વિદ્યાધર.અચળ ચપળના પિતા. મણિશિખાના પતિ. (૫)૧૧૬૮ અમિતપ્રભ-મદનમંજરીના સ્વયંવરમાં આવેલ ગગનવલ્લભ નગરના વિદ્યાધર રાજા વિઘુદ્દતને પુત્ર. (૮) ૧૮૬૩ અમૃતસાર-પુષ્કરવરદીપે અનુસુંદર, સંસારીજીવ, તભવમુક્તિગામી.(૮)૨૦૨૯ - ૧૯૭૩ Page #561 -------------------------------------------------------------------------- ________________ પરિચય ] ૫૧૯ અમૃતાદર–સાકેતપુરે નંદ–ધનસુંદરીને પુત્રવર સંસારીજીવ. (૭) ૧૮૧૯ અધ્યા –પુષ્કરવરદીપની નગરી. ગાંધારરાજનું નગર. અમૃતસારની | મુક્તિભૂમિ. (૮). ૨૦૨૯ અતિ-મકરધ્વજના સિંહાસનનજીક બેઠેલ પાંચમનુષ્યોમાંની એક સ્ત્રી.(૪) ૮૭૩ અરિદમન-શાલપુરનો રાજા. દીકરી માટે નંદિવર્ધન તરફ કહેણું કલનાર. (૩) ૬૩૪ અર્થનિચય-વિષયવૃક્ષની નીચે પાંદડાં, ફળ, ફૂલ, રજ વિગેરે કચરે. (૭) ૧૭૪૧ અલીક ચિંતા–કાયા ઓરડામાંના ચિત્તવાનરને ત્રાસ આપનાર ગળીઓ. (૭) ૧૭૩૯ અવગતિ ચારિત્રરાજના મંત્રી સધની પત્ની. (૪) ૧૦૯૦ અવધિ-સદ્ધ મંત્રીના પાંચ પૈકી ત્રીજે મિત્ર. (૪) ૧૦૯૨ , સદૂધને મિત્ર. અનુસુંદરને વિશેષ જ્ઞાન. (૮) ૨૦૦૩ અવિદ્યા–મહામહ રાજાનું વૃદ્ધ શરીર. (૪) ૮૧૦ અવિરતિ–ભવરેંટ અસંયત છવકુવામાંથી ખેંચે છે તે પાણી–જળ.(૭) ૧૬૮૨ ,, બંધહેતુ કુટુંબના તંત્રવાહકમાંના એક. (૭) ૧૬૯૩ , કાયા ઓરડામાંના ચિત્તવાનરને ડંખ મારનાર જૂઓ. (૭) ૧૭૩૯ અવિક્તિા -નદિવર્ધનની ધાવમાતા. વૈશ્વાનરની માતા. અંતરંગનગરે. (૩) ૩૪૬ અવિવેકી–સંસારીજીવની નિંદા કરનાર લેકે. ભૂલથી “વિવેક છપાયું છે. (૮). ૧૯૯૯ અશુભવિપાક-ધરાતળના શુભવિપાક રાજાને ના ભાઈ. મંદને પિતા. (૫) ૧૨૮૫ અશુભેદય-ભૂતળનગરના મલસંચય રાજાનો દીકરે, જડને પિતા. ૪) ૭૬૩ અસદાચાર–સંસારીજીવ–ચોરને બેસવા માટે ગધેડે. (૮) ૧૯૯૯ અસદુધ-ભવ રેંટથી પાણી ખેંચી પાનાર. (૭) ૧૬૮૩ અસંસી પચેંદ્રિય-દાગ્ન પીઠામાં વસનાર તેર પ્રકારના લોકો પૈકી સાતમે પ્રકાર. (૭) ૧૬૭૫ અસંયત વ-. એમાંથી ભવરેંટ પાણી કાઢે છે. (૭) ૧૬૮૨ અસંવ્યવહાર-લેકમાં ગોળક પ્રાસાદમય નગર. (૨) :૩૦૦, અસંવ્યવહારવનસ્પતિ-દારૂના પીઠામાં વસનાર તેર પ્રકારના પૈકી પ્રથમ પ્રકાર. (૭) ૧૬૭૫ Page #562 -------------------------------------------------------------------------- ________________ [ પાત્રરૂપકાદિ અહંકારનાયક. મિથ્યાભિમાનના પરિવારમાંના એક પુરુષ. રાજસચિત્તે.(૪)૭૯૧ અસાત-વક્તીય રાજાને માણુસ. પાપિપ્જરને જમીનદાર. ( ૪ ) ૯૯૧ આર્કિચન્ય-નિધની આજુબાજુ ખેઠેલ દશ મનુષ્યા પૈકી એક. નં. ૯. ( ૪ ) આક્રંદન-તામચિત્તના અધિકારીના હજીરી. ( ૪ ) આઠે માતા-લગ્નસમારંભમાં માઈથાપના, અષ્ટ પ્રવચનમાતા. ( ૮ ) ૧૯૪૭ આદાનભ’ડમત્તનિક્ષેપણા-ચાથી સમિતિ. આ માતાઓ પૈકી ૧૦૭૬ ૭૯ પર૦ ચેાથી. ( ૮ ) ૧૯૪૮ ૧૪૬૫ આન ≠–જનમદિરનગરના ગૃહસ્થ. સંસારીજીવ વિરાચનના પિતા. (૭)૧૮૨૬ આન—અરિંગ નગર. ધનશેખર ત્યાં જન્મ્યા હતા. ( ૬ ) આભિનિષેાધ-સાધ મત્રીના પાંચ પૈકીના પ્રથમ મિત્ર. ( ૪ ) ૧૦૯૧ આયુષ્ય–ચાર છેાકરાના આકારવાળા માણસોથી પરવરેલ મહામહના મિત્ર રા૧. ( ૪ ) આયુષ્યરાજ–સ્થાન, સમય મુકરર કરનાર મહારાજા ભવિતવ્યતાના ખાસ સલાહકાર (૮) ૧૯૬૪ ૪૨૩ ,, આ વ–યતિધ ની આજુબાજુ ખેઠેલ દશ મનુષ્યેામાંના એક ન.૩ (૪) ૧૦૬૭ મિથુનયના મુખમાંથી નીકળેલ રૂપાળું બાળક. ( ૩ ) આજ વ—ચિત્તવાનરના છુપાઈ રહેલા પરિવારમાં વાનર બચ્ચું', (૭) ૧૭૫૯ આધ્યિાન-ઊંડી ગુફા, ચિત્તવાનર કુવિકાથી હણાઈ એમાં પેસે છે.(૭)૧૭૪૦ આત્તશિય – વિષયા ભિલાના માણસ. (આ ધ્યાનનુ ́ રૂપક )( ૮ ) ૧૯૬ ૦ આવતા –મેાહરાજાના આવર્તા ( સ’સારસમુદ્રે ) ( ૭ ) આડ્વાદમંદિર-સપ્રમેદનગરની ખટ્ટાર બગીચા. ગુણુધારણ—કુલધરનું ક્રીડાસ્થાન. ( ૮ ) ૧૭૦૯ ૧૮૫૬ ૧૫૬૨ ૧૯૪૮ ઇંદ્રિય—ચિત્તવૃત્તિ રાજ્યભૂમિમાં ચારા ( તસ્કરા ). ( ૬ ) ધૈર્યાં–પ્રથમ સમિતિ. આ માતામાંની પ્રથમ. ( ૮ ) ઉત્તમ-કમ પરિણામ રાજાના છ પુત્રા પૈકી ન. ૫. ( ૬ ) ઉત્તમસૂરિ–આન પુરે હરિકુમારને દેશના આપનાર જ્ઞાની આચાર્યાં.(૬) ૧૫૫૧ ઉત્સગ તપયાગના બાર અંગત માણુસા પૈકી એક નં. ૬. અંતરંગ ૧૫૬૭ પરિવાર ( ૪ ) ઊનેાદરી –તપયાગના ખાર અંગત માણસો પૈકી એક ન. ૨. બાલ પરિવાર, (૪). ete ૧૦૭૨ ૧૬૮ Page #563 -------------------------------------------------------------------------- ________________ પરિચય ] ૩૨૧ ઉન્માર્ગીપંઢરા-વિકલાક્ષનગરના સૂખે. (૨ ) પંચાક્ષપશુસ સ્થાનને સૂક્ષ્મ. ( ૨ ) ઉપસર્ગ – ચિત્તવૃત્તિમિમાં દુષ્ટ ભુજંગા (સૌ). (૬) ૩૨૪ ૧૫૬૨ .. ૧૨૫૯ કાયારૂપ ઓરડામાંના ચિત્તવાનરને ડંસ મારનાર મચ્છરેા.(૭) ૧૭૩૯ ઉપેક્ષાસાધુના અંતઃપુરમાંની ૧૧ પૈકીની એક પત્ની. ( ૫ ) શુભપરિણામનિષ્ઠક પતાની વિશેષકન્યા. ગુણધારણની પત્ની. ( ૮ ) ઉર:પરિસ -પંચાક્ષપશુસ’સ્થાનના લેાકવિભાગ. ( ૨ ) ઉલ્લાસ—ભવરે ટના આરા. ( ૭ ) ઉંદર-રખાડપાટામાં સંસારીજીવનું રૂપ, ( ૭ ) ૪૧૧ ૧૯૬૨ ૩૧૩ ) ૧૯૪૮ ૧૯૫૫ —તાવિધનગરના રાજા. મુગ્ધકુમારના પિતા. ( ૩ ) તા–વિશમાનસના શુભાભિસન્ધિ અને શુદ્ધતાની પુત્રી. (૫) ૧૩૨૯ ઋદ્ધિગારવ–શૈલરાજતા માણસ. સિંહમુનિને પાત કરનાર. ( ૮ ) એકાક્ષનિવાસ –અત્યંતઅાધતુ જાગીરી નગર. ( ૨ ) એષણા ત્રીજી સમિતિ. આઠ પ્રવચન માતાએામાંની ત્રીજી. ( ૮ એરવત મનુજગતિ નગરીનેા એક પાડેા. ( ૮ ) ઐશ્વર્યાં –પિશાચી દરિદ્રતાનું વિરાધી સત્ત્વ. (૪) ઔદાર્ય --ચારિત્રરાજની ચતુરગ સેનાના રથેા. (૪) ઔદાર્ય – ચિત્તવાનરના છુપાઈ રહેલા પરિવારમાં વાનર બચ્ચું. ( ૭ ) ૧૭૫૯ ઔદાસિય-ચિત્તવૃત્તિ અટવીની મધ્યમાં નિતિનગરીનેા રાજમાર્ગી(૬) ૧૬૦૪ ઔપશ્ચિમક—સમ્યગ્દર્શન સેનાપતિનાં ત્રણ પૈકીનું બીજું રૂપ. (૪) ૧૦૮૯ કલિકા–કનકમ જરીની નાની દાસી. ( ૩) કનકચૂડ--કુશાવર્તીપુરના રાજા. નવિનને મામેા. કનકશેખરને ૧૦૦૮ ૧૦૯૭ ૧૯૮ ,, પર૧ પિતા. ( ૩ ) કનકપુર--પ્રભાકર રાજાની નગરી. ( ૩ ) કનકપ્રભા–સાપારક નગરના વણિક શાલિભદ્રની ભાર્યાં. સ’સારીજીવ વિભૂષણુની માતા. ૧૮૩૮ કનકમ ગરી–કુશાવ પુરે કનકચૂડની પુત્રી. નવિનની રાણી. (૩) ૫૮૯ કનકશિખા—ગગનશેખરના વિદ્યાધરરાજા મણિપ્રભની રાણી. ( ૫ ) ૧૧૬૮ કનકશેખાર-કુશાવર્તીના રાજપુત્ર. નંદિવર્ધનના મામાના દીકરા. (૩) ૫૫૩ હૃદ ૧૯૫૧ ૩૨૫ ૧૬૮૨ ૧૦૧૩ ૧૧૩ ૫૬૭ Page #564 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪૧ ૫૨૨ [ પાત્રરૂપકાદિ કનકસુંદરી-વર્ધમાનપુરના શેઠ એમદેવની ભાયા. કથાનાયકવામદેવની માતા. (૫) કનકદર નય પર્વત પરના ગંધસમૃદ્ધ નગરને વિદ્યાધર ચાવાઈ. ગુખ્યધારભુને સાસરો. (૮) ૧૮૬૧ કનમુનિ આહલાદમદિર બગીચામાં ગુખ્યધારણને ઉપદેશ આપનાર યુનિ. નિર્મળાચાર્યના શિબ. (૮) ૧૮૮૭ કપિંજલા કુશાવતપુરના રાણી મલયમની દાસી. કનકમંજરીની ધાવમાતા. ( ? ) ૫૯૫ કપાત કાયારૂપ ઓરડાના ગર્ભગૃહમાં રહેનારી છે નેકર સ્ત્રીઓમાંની ત્રીજી ( લખ્યા છે. () ૧૫ર કપનક કે ધનેશ્વર. અળક સંપત્તિવાળા કુબેરગેડને જુગટીઓ ૧૯૮૮ ૧૩૨૪ કપલ હરિ કુમારના અતર વિનદી મિત્રામા એક. (૬) ૧૪૯૪ કબરી-લલાટપદ પર્વતના શિખર પર ઝાડી. (૫). કમલસુંદરી-વર્ધમાનપુરના ધવળરાજની રાણી. વામદેવના મિત્ર વિમળની માના. (૫) ૧૧૪૧ કમલિની-જયપુરના બકુલ-ભગિનીની પુત્રી. ધનશેખરની પત્ની. (૬) ૧૪૭૭ કમલિની-સુકા વિજયના શેખપુરના શ્રીગબંરાજની રાણી. મહાભદાની માસી. (૮) - ૧૯૮૩ કમળ-ધરાતળના રાજસિંહાસને સ્થપાયો. વિમળે ગાદી ન લીધી. વિમળને ભાઈ. (૫) કમળસુંદરી-આનંદપુરના કેસરીરાજાની બીજી રાણી. હરિકુમારની સગી માના. (૬) કરીઆણાં-સંસારમાં સુખદુઃખનું બજાર સાથે રૂપક. (૭) ૧૭૩૫ કરણ-શુભ પરિણામ-નિપ્રકંપતાની વિશેષકન્યા. ગુણધારણની પત્ની. (૮) ૧૯૫૧ , સાધુના અંતઃપુરમાંની ૧૧ પૈકીની એક પત્ની. (૫) ૧૨૫૯ કર્મ–સંસ્કૃતિ નગરની બજારમાં કેદ કરાવનાર લેણદારે. (૭) ૧૭૩૫ , સફબધ મંત્રીએ પુરોહિતનું કાર્ય કરતી વખતે અરિનમાં નાંખેલ કા, (૮). ૧૯૪૨ સંસારીજીવના આખા શરીરે લગાડેલી ભસ્મ, વિલેપન દ્રવ્ય. (૮) ૧૯૯૮ ૧૪૮૭ Page #565 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩૪ પરિચય] પ૨૩ કર્મ પરમાણુનિચય-વિષયવૃક્ષ નીચે ચિત્તવાનરને લગતે કરે. (૭) ૧૭૩૧ કર્મપરિણામ–મનુજગતિને નાટકપ્રિય મહારાજા. (૨) ૨૫૮ કર્મ પ્રકૃતિ જાલ-ભવરેંટથી ખેડાતા જન્મસંતાનખેતરમાં વવાતાં બી( બીજ). (૭) ૧૬૮૩ કર્મભૂમિ-માનવાવાસની અસી, મસી ને કૃષિવાળી ભૂમિ, પંદર વિભાગ. (૮) ૧૯૬૮ કર્મવિલાસ-ક્ષિતિપ્રતિષ્ઠિતપુરને રાજા બાળ-મનીષીને પિતા. (૩) ૩૭૪ કલંદઆભીર મદન અને રેણાને પુત્ર. સંસારીજીવને આભીર સ્વાંગ. (૭) કલ્પ-વિબુધાલયમાં બાર દેવક. સંસારીજીવનું રખડપટ્ટીસ્થાન. () ૧૮૪૩ કલ્યાણુ-ગુણધારણને સેવક. નિર્મળાચાર્યના આગમન સમાચાર આપનાર. (૮) ૧૮૯૫ કષાય-ચિત્તવૃત્તિભૂમિમાં ફાંસીઆઓ. (૬) ૧૫૬૨ , ભવરેંટને ખેંચનારા સોળ બળદો. (૭) ૧૬૮૨ , બંધહેતુ કુટુંબના તંત્રવાહકમાંના એક. (૭) ,, સંસાર બજારમાં તોફાની છોકરાઓ. (૭) ૧૭૩૫ આ કાયારૂપ ઓરડામાંના ચિત્ત બચ્ચાને કાપનારા ચપળ ઊંદરે. (૭) ૧૭૩૮ ,, સંસારીજીવની આજુબાજુ અવાજ કરનારા તેફાની છોકરા. (૮) ૧૯૯૯ ,, મહામહના ખળામાં બેઠેલા સાળ છોકરાંઓનું સમુચ્ચયનામ.(૪) ૮૭૯ કાંચનપુર-મનુજગતિનું નગર. સ સારીજીવના રખડપાટા દરમ્યાનનું વસવાટસ્થાન. (૭) ૧૮૩૬ કાંચનપુર-સરળશેઠનું નગર. વામદેવનું નાસી જવાનું અને અંતે ફસીનું સ્થાન. (૫) ૧૩૩૦ કામલતાગંધસમૃદ્ધ નગરના વિદ્યાધર કનકદરની રાણી. મદનમંજરીની માતા. (૮) ૧૮૬૧ કપિલ્યપુર–માનવાવાસનું નગર. સંસારીજીવ વાસવનું જન્મસ્થાન. (૭) ૧૮૩૫ કાયકલેશ–તપાગના બાર અંગત માણસ પૈકી એક. નં. ૫. બાહ્ય પરિવાર. (૪) - ૧૦૬૯ કાયમુસિ-ત્રીજી ગુપ્તિ. આઠ પ્રવચન માતાઓ પૈકી આઠમી. (૮) ૧૯૪૯ કાયા- જીવમુનિને રહેવાનું સ્થાન. (૭) ૧૭૩૭ કામણ-ચારીનું દ્રવ્ય–સંસારી જીવ ગ્રહણ કરેલું. (૮) ,, શરીર. કાયા ઓરડા સામે ચેક અથવા અંદરનો ઓરડા. (૭) ૧૭૭૮ ( 9 ) ૧૬૯૩ ૧૯૯૮ Page #566 -------------------------------------------------------------------------- ________________ પર૪ કાલજ્ઞ-વ્યંતર, મુગ્ધનું રૂપ લેનાર. મિથુનકથા. ( ૩ ) કાલપરિણતિ- કર્મ પરિણામની નાટકપ્રિય મહારાણી. ( ૨ ) કાળનિવેદક- વખત જણાવનાર સેવક. ( ૩ ) 99 સિદ્ધાર્થપુરના રાન્તને સમય જણાવનાર. ( ૪ ) કનકાદર રાન્તને કાળ–સમય જણાવનાર. ( ૮ ) કિન્નરમિથુન-તુ ગરિાખર પર ગધમિથુન સાથે ગાનની હરીફાઈ "" કરનાર. ( ૭ ) [ પાત્રરૂપકાદિ ૪૧ * ૭૩ ૧૮૬} ફિલ્વિવિક—વિષ્ણુધાલયના અધમ દેવા. પડેલા બીન્ન દેવલાક વિગેરેની નીચે સ્થાનવાળા. ( ૮ ) ૧૯૭૦ ૮૫૮ ૧૦૦૫ કુદૃષ્ટિ-મહામેના સેનાપતિ મિથ્યાદર્શનની પત્ની. ( ૪ ) કુંદકલિકા-લલિતપુરની પ્રખ્યાત ગણિકા. મદનમજરીની દીકરી. (૪) ૯૬૨ કુબેર-ભવચકે અઢળક સ ́પત્તિવાળા શેડ. જીગરીઆ કપાતકના પિતા.(૪) ૯૭૧ કુરૂપતા–ભવચક્રમાં સાત પૈકાની એક પિશાચી. ( ૪ ) કુલધર-સપ્રમાદનગરે વિશાલાક્ષને પુત્ર. સ`સારીજીવ ગુણધારણુના સગાત્રીય અને મિત્ર. ( ૮ ) કુલભૂષણ–રિપુદારણની ગાદીએ આવનાર તેના ભાઈ ( તપન ચક્રી સ્થાપિત ). ( ૪ ) ૧૯૯૮ કુવાસના–સાધમ ત્રીએ યજ્ઞમાં નાખેલી શાળા. ( ૮ ) કુવિકસંતતિ સંસારીજીવના પેટ સુધી લટકતીરામપાત્રની મેટી માળા. ( ૮ ) કુરશસ્થળ-બાળને ત્યાં ત્રાસ થયેા હતેા તે નગર. રાજા હરિશ્ચંદ. (૩) ૪૪૫ કુશાવર્ત પુર-કનકચૂડનું નગર. કનકશેખરનું જન્મસ્થાન અને રાજસ્થાન. ( ૩ ) કૃપણતા–સાગર( લાભ )ની અગીભૂતા અને સાથી. ( ૭ ) કૃષ્ણ—કાયારૂપ એરડાના ગર્ભગૃહમાં રહેનારી છ નેાકર સ્ત્રીઓમાંની પ્રથમ ( લેફ્સા ). ( ૭ ) ૧૭૫૨ ૧૦૯૪ કેવળ–સાધ મંત્રીના પાંચ પૈકીના પાંચમા મિત્ર. (૪) કેસરી–કનકશેખરને તેડવા આવેલા ત્રણ રાજમંત્રીમાંના એક. ( ૩ ) ૫૬૫ આનંદપુરને રાજા. ( ૬ ) ૧૪૬૬ "" કેવિદ- મુનિસમૂહના આચાર્યાં. કુશ્રુતિની જાળથી બચનાર. અકલકના દીક્ષાગુરુ, ક્ષમાતલના સ્વમળનિચય તદનુભૂતિના પુત્ર. (૭) ૧૭૬૯ ૧૭૮૨ ૧૮૫૬ ૧૧૨૮ ૧૯૫૦ ૫૫૩ ૧૭૯૨ Page #567 -------------------------------------------------------------------------- ________________ ૫૨૫ ૧૧૪૮ ૧૭૩૮ પરિચય ] ક્રિીડાનંદન-વર્ધમાનપુરની બહાર બગીચે. વિમળ-વામદેવનું ક્રીડા સ્થાન. (૫) કરચિત્ત-નંદિવર્ધને ખાધેલાં વડાં. (૩) ૩૫૩ ક્રોધ-(અનંતાનુબંધી) મહામહને પૌત્ર. ઠેષગજેન્દ્ર પુત્ર. (૪) ૮૭૯ ,, (અપ્રત્યાખ્યાની) મહામહને પૌત્ર. ખોળામાં રમતાં સોળ છોકરાંમાંને એક. ૮૮૦ , (પ્રત્યાખ્યાની) દ્વેષગજેન્દ્રને પુત્ર. સર્વવિરતિરોધક છોકરે.(૪) ૮૮૧ ,, (સંજવલન). મહામહને ચપળ પૌત્ર. યથાખ્યાતચારિત્રઘાતક.(૪) ૮૮૧ કિલષ્ટમાનસ-દુષ્ટાશય રાજાનું નગર. મૃષાવાદના પિતાનું ઘર (આંતર)(૪)૭૧૧ ક્ષમા-યતિધર્મની આજુબાજુ બેઠેલ દશ મનુષ્યમાંની પહેલી સ્ત્રી. (૪) ૧૦૬૭ ક્ષમાતળ–સ્વમળનિચય રાજાનું નગર. કૃતિનું રમણસ્થાન. (૭) ૧૭૭૭ ક્ષયોપશમ-કાયારૂપ ઓરડામાં બારી. (૭) ક્ષતિ-ચિત્તસંદર્ભે શુભ પરિણામ-નિષ્પકંપતાની પુત્રી. (૩) ૩૬૫ ક્ષાયિક-સમ્યગદર્શન સેનાપતિનાં ત્રણ પૈકીનું એક રૂપ. (૪) ૧૦૮૯ ક્ષાપશમિક-સમ્યગદર્શન સેનાપતિના ત્રણ પૈકીનું ત્રીજું રૂપ. (૪) ૧૦૮૯ ક્ષિતિપ્રતિષ્ઠિત-નગર. મનીષી–બાળનું સ્થાન. (૩) ક્ષેમપુરી-મહાવિદેહના સુકચ્છવિજયની રાજધાની. અનુસુંદર ચક્રી(સંસારીજીવ)નું સ્થાન. (૮) ૧૯૭૩ ભિ –સંસારસમુદ્ર સંગવિગજન્ય ઉકળાટનું રૂપક. (૭) ખેલતાભવચક્રમાં સાત પૈકીની એક પિશાચી. (૪) ખેચર-પંચાક્ષપશુસંસ્થાનમાં વસતા લોકે. (૨) ૩૨૪ ગગનશેખર-દક્ષિણશ્રેણીનું વિલાધરનગર. (૫) ૧૧૬૮ ગંગાધર-સંસારીજીવ. ઐરાવતક્ષેત્રના સિંહપુર નગરે ક્ષત્રિય. (૮) ૧૯૫૫ ગણધર-વરિષ્ઠ રાજ્યના સમુદાયના ઉપરીઓ. (૬) ૧૬૧૪ ગધપુર-સુકચ્છવિજયે મહાભદ્રાના પતિ દિવાકરનું નગર. (૮) ૧૯૮૦ ગંધર્વમિથુન-તુંગ શિખર પર કિન્નરમિથુન સાથે ગાનની હરીફાઈ કરનાર. (૭) ૧૭૮૨ ગંધસમૃદ્ધ-વૈતાઢય પર્વત પર વિદાધરનગર. મદનમંજરીનું જન્મસ્થાન. (૮) ૧૮૬૧ ગાંધારરાજ-પુષ્કરદ્વીપમાં અયોધ્યાના રાજા અમૃતસારના પિતા. (૮) ૨૦૨૯ ગાંભીર્ય—અંતરંગ ચતુરંગ સૈન્યમાં ર. (૬) ૧૫૬૦ ૩૭૪ ૧૭૧૦ ૧૦૦૨ Page #568 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ [ પાત્રરૂપ ૧૮૫૬ ગાંભીર્ય-ચારિત્રરાજની ચતુરંગ સેનાના રથે. (૪) ,, ચિત્તવાનરના છુપાઈ રહેલા પરિવારમાં વાનર બચ્યું. (૭) ૧૮ ગુણધારણુ-સપ્રમદનગરના મધુવારણ-સુમાલિનીને પુત્ર. સંસારી જીવ. (૮) ગૃહિધર્મ–ચારિત્રરાજ મહારાજાને બીજો પુત્ર. ફટા. (૪) ૧૦૮ ગે-બે આત્મીય પુરુષોથી પરવરેલ મહામહને મિત્રરાજા. (૪) ૮૯૨ ગૌરવ–શૈલરાજના ત્રણ મનુબોઃ ઋદ્ધિ, રસ અને શાના. (અભિમાન-રૂપક). (૮) ૧૯૫૯ રૈવેયક-વિબુધાલયનું કલ્પાનીત સ્થાન-ગુણધારણની સ્થાપના ૧લ્પક ઘંઘશાળા-શંખપુરના નંદશેઠના ઘરને એરડે. મહાભદ્રાનું વસતીસ્થાન. (૮), ૧૯૮૨ ઘનવાહન-સાવલાદ નગરે જીમૂનરાજ-લીલાદેવીને પુત્ર. સંસારીજીવ. (૭). ૧૬૫૫ ઘનસુંદરી-સાકેતપુરના નંદની પત્ની. સંસારીજીવ અમૃદિરની માતા. (૭) ૧૮૧૯ ઘાનિકર્મ–ચારિત્રરાજની ભૂમિમાં ચારટા(ધાડ પાડનારાઓ ). (૬) ૧૫૬૨ ઘાણ-નાસિકા ગુફામાં રહેનાર મંદને મિત્ર. (૫) ૧૨૮૯ ચક (પ્રથમ)-ચિત્તવાનરને ફરવાનું ચક્ર, ભાવમન. (૦) ૧/૩ ચક (બીજું -ચિત્તવાનરને ફરવાનું ચક્ર, કાર્મણશરીર. મને વર્ગણું-- દિવ્યમન. (9) ૧૭૪૮ ચટુલ-ગંધસમૃદ્ધ વિદ્યાધર નગરના કનકદર રાજાને દૂત. (૮) ૧૮૦૧ ચટ-મમાં રહેનાર પરિવા. અકી એક ચતુર્થ મુનિ હતા. ( 9 ) ૧૬૮૭ ચણપુર-ભાષા બોલનાર દુર્મુખને રહેવાનું નગર. ભવચ. (૪) ૯૭૬ ચંડ-લલિતપુરમાં કુંદકલિકા પર આસક્ત રાજપુત્ર. (૪) ૯૧૫ ચંડિકા-દેવી. લલાક્ષરાનથી પૂજયલી દારૂ પીનારી મસ્તા. (૪) ૯૩૮ ચતુર-નકશેખર કુમાર વિશ્વાસ કર. ( 8 ) ચતુરક્ષ-વિલાક્ષનિવાસને ત્રીજો પાડે. ચંદન-વિદ્યાધર. સિદ્ધપુત્ર નિમિનીએ. જેશી. રત્નશેખરને મિત્ર. (૫) ૧૧૬૯ ચપળ-વિદ્યાધર અમિતપ્રભ-મણિશિખાને પુત્ર. અચળને ભાઈ. રનયૂડને વિરોધી. (૫) ૧૧૬૯ ચપળતા-મહામાતના ચતુરંગ લશ્કરના પાળાઓ. (૪) ૫૬૨ ૯૧૫ Page #569 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩૮ ૮૦૭ પરિચય ] ૫૨૭ ચારનિકાય દેવ-દારૂના પીઠામાં વસનાર તેર પ્રકારના લેકે પૈકી અગિયારમે પ્રકાર. (૭) ૧૬૭૬ ચારિત્રધર્મરાજ-જોનપુરે જીવવીર્ય સિંહાસને બેઠેલા મહારાજા. મોહરાજાના હરીફ. (૪) ૧૦૫૮ ચાર-ચાર વ્યાપારીઓ પૈકીને એક, જેની કથાશ્રવણથી પંચમ મુનિ વૈરાગ્ય પામ્યા. (૭) ૧૭૦૧ ચાતા-ચિત્તસંદર્યના શુભપરિણામ રાજાની બીજી રાણ. દયાની માતા. (૩) ચિત્ત-કાયારૂપ ઓરડામાં ચપળ વાંદરાનું બચ્ચું. (૭) ચિત્તરમ-સુકચ્છ વિજયના શંખનગર પાસેનું ઉદ્યાન. અનુસુંદરનું ચર્યાસ્થાન. (૮) ૧૯૭૮ ચિત્તવિક્ષેપ-ચિત્તવૃત્તિ અટવીના તદ્વિલસિત બેટમાં આવેલા મહાન મંડપ. (૪) ચિત્તવૃત્તિ-અનેક બનાવથી ભરપૂર અંતરંગ લેકેનું નિવાસસ્થાન. અટવી. (૪) ચિત્તસમાધાન-જૈનપુરમાં બાંધેલે મહા વિશાળ મંડપ. ( ૪ ) ૧૦૪૩ ચિત્તૌંદર્ય—અંતરંગનગર. દયાનું ધામ. (૩) ચૂતમંજરી-કુશાવર્તપુરના રાજાની રાણી. કનકશેખરની માતા. નદિવર્ધનની મામી. (૩) , ગગનશેખરના યુવરાજ રત્નશેખર–રતિકતાની દીકરી. રત્નચૂડની પત્ની. (૫) ૧૧૬૯ ચૂતચચુક-કુશાવર્ત પુરને બગી. વિમલાનના-રત્નવતીની કલિ ભૂમિ. (૩) ચોરિંદ્રિય-દાગ્ના પીઠામાં વસનાર તેર પ્રકારના લેકે પૈકી છો પ્રકાર. (૭) ૧૬૭૫ છે પસ્થાપન-ચારિત્રધર્મરાજના પાંચ અંગભૂત મિત્રોમાંના એક નં. ૨ (૪) જગતારણ-ગુણધારણનો પુત્ર. તેની દીક્ષા વખતે તેની ગાદીએ બેસનાર. ( ૮ ) ૧૯૫૩ જઘન્યતા-કિલષ્ટમાનસના દુષ્ટાશયરાજાની રાણી–મૃષાવાદની માતા.(૪) ૭૧૨ જડ-અશુભદય. સ્વયતા પુત્ર. (૪) ७९४ ८०४ ૫૫૪ ( ૧૦૬૫ Page #570 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬૬ ૩૪૪ ૯૯૫ ૧૭૧૦ ૫૨૮ [ પાત્રરૂપકાદિ જનમંદિર-માનવાવાસનું નગર. સંસારીછવ વિરેચનનું જન્મસ્થાન. (૭) ૧૮૨૬ જન્મસંતાન-ભવનેંટથી ખેંચેલા જળને જેમાં ઠલવવામાં આવે છે તે ખેતર. (૭) ૧૬૮૩ જ્યપુર-બહિરંગનગર. બકુલ શેઠની દીકરી કમલિનીને ધનશેખર પર તે સ્થાન. (૬) ૧૪૭૩ જયસુંદરી-આનંદપુરના કેસરી રાજાની રાણી. (૬) જયસ્થળ-મનુ જગતિના ભરત પાડાનું નગર. નંદિવર્ધનનું જન્મસ્થાન અને ખેલણભૂમિ. (૩) જરા-ભવચક્રમાં સાત પિશાચીમાંની એક. (૪) જળ-સંસારસમુદ્રમાં જન્મજરામરણનું રૂપક. (૭). ૧૭૦૯ જળચર–પંચાક્ષપશુસંસ્થાનના લેકે. (૨) ૩૨૪ , સંસારસમુદ્ર દુઃખસમૂહનું રૂપક. (૭) જિનમતજ્ઞ--જયસ્થળને નિમિત્તિઓ. (૩) ૩૬૧ જીમૂત-સાદનગરના રાજા. ઘનવાહનના પિતા. (૭) ૧૬૪૬ જીવલેક—ભવનેંટનું ઘટમાળ યંત્ર. (૭) ૧૬૮૨. જીવવીય–જેનપુરના ચિત્તસમાધાન મંડપની નિઃસ્પૃહતા વેદિકા પર સિંહાસન. (૪) ૧૦૫૬ વિકા-પિશાચી મૃતિનું વિધી સર્વ. (૪) ૧૦૦૧ જુગુપ્સા-મકરધ્વજના સિંહાસન નજીક બેઠેલ પાંચ મનુષ્ય પૈકીની કદરૂપી સ્ત્રી. (૪) જેન-માનવાવાસમાં વિવેકપર્વતના અપ્રમત્ત શિખર પરનું નગર.(૪) ૧૦૨૨ , જૈનપુરમાં રહેનારા લોકે. (૪) ૧૦૫૦ જેમિનિ-મીમાંસક-નવીન દર્શનના પ્રણેતા. (૪) ૧૦૨૧ જ્ઞાન--અંતરંગ મહારાજ્યના રત્નકોશ. (૬) ૧૫૬૦ ચિત્તવાનરના છુપાઈ રહેલા પરિવારમાં વાનરબમ્યું. (૭) ૧૭૫૮ જ્ઞાનસંવરણુ-પાંચ મનુષ્યોથી પરવારેલ મહામહનો મિત્ર રાજા. (૪) ૮૮૮ ,, સબોધને હઠાવવા પ્રયાણ કરનાર મહારાજા. (૮) ૧૯૩૬ જ્યાતિષ્ક-સંસારીજીવની રખડપાટીમાં વિબુધાલયમાં સ્થાન. (૭) ૧૮૩૪ તજજીવપરિણામ-ભવરેંટથી ખેડાતા જન્મસંતાનખેતરમાં વવાતા કર્મપ્રકૃતિબીજનો વાવનાર. (૭) ૧૬૮૩ ८७६ For Private & Personal use only . Page #571 -------------------------------------------------------------------------- ________________ પરિચય ] ૨૫ ૧૨૭૬ ૧૯૩૪ તત્ત્વપ્રીતિકર-ધર્મ ભેાધકર પાસેનું સુદર જળ. ( ૧ ) તત્ત્વરાચક-જળ. તત્ત્વપ્રીતિકર પાણીનુ બીજું નામ. ( ૫ ) તત્ત્વાવગમવિદ્યાકુમારીનું એ પૈકી એક સ્તન. ( ૮ ) તત્પક્તિ-ભૂતળનગરના મલયસંચયની રાણી વિચક્ષણની દાદી. ( ૪ ) ૭૬૩ તપરિણતિ–અસ વ્યવહાર નગરની પ્રતિહારી. ( ૨ ) તથાવિત્ર-ઋજીરાજાનું નગર. મિથુનદ્રયઅંતરકથાસ્થાન. ( ૩ ) તદ્દનુભૂતિ-ક્ષમાતળના સ્વમળનિચયની રાણી. કાવિદ–બાલિશની માતા. (૭) ૩૦૨ ૪૧૧ ૩૭૫ ૨૩ તદુચ-સ્વદેહ બગીચામાં રાફડા, જેના પર ફ્રાંસેા ખાવા સ્પન ચઢેલ તે. ( ૩ ) તદ્યા-ધર્મ એધકરતી સુશીલ દીકરી. ( ૧ ) દ્વિલસિત-ચિત્તવૃત્તિ અઢવીની પ્રમત્તતા નદીમાં આવલેા બેટ. (૪) ૮૦૬ તન્નિયેાગ–ક પરિણામે અસવ્યવહારનગરે મેકલેલા દૂત. ( ૨ ) તપ–ચિત્તવાનરના છુપાઈ રહેલા પરિવારમાં વાનરબચ્ચું. (૭ ) તપન–રિપુદારણનો ગં ઉતારનાર ચક્રવર્તી. ( ૪ ) ૩૦૨ તપમુખ–ચારિત્રધર્મ રાજના ચાર પૈકીનું ત્રીજું મુખ. (૪) તયેાગ–તિધર્મની આજુબાજુ બેઠેલ દશ મનુષ્યેામાંનો એક. તુચ્છતા–હાસની પત્ની. મસ્તાઈ. ( ૪ ) તૃષ્ણાવેદિકા તદ્વિલસિત બેટના ચિત્તવિક્ષેપમ`ડપની વચ્ચે આવેલ વેદિકા ( platform ). (૪) તેઇંદ્રિય—દારૂના પીઠામાં વસનાર તેર પ્રકારના લેાકેા પૈકી પાંચમે પ્રકાર ( ૭ ) તેજસ્કાય-એકાક્ષનિવાસના ચોથા પાડા. (૨) ૬૭ પર૯ નં. ૫. ( ૪ ) તામસ દ્રવ્ય. સંસારી જીવના શરીર પર કરેલા ચાંડલા માટેની મસી–વસ્તુ. ( ૮ ) ૧૯૯૮ તામસચિત્ત-દ્વેષગજેન્દ્રનુ અંતર નગર. ( ૩ ) ૫૫ ૨૦૦ તી–દુર્ભાષાનુ ફળ બતાવવા નિર્દિષ્ટ થયેલા ચણકપુરનો રાજા. (૪) ૯૭૬ તીવ્રમે હેાઢચ-અસ વ્યવહાર નગરનો સરસો. (૨) તુંગશિખર—બહિરંગ પ્રદેશમાં પર્યંત.ગધં કિન્નરમિથુનનું ક્રીડાંગણુ. ( ૭ ) ૧૭૭૭ ૧૭૫૯ ૧૧૨૦ ૧૬૦ ૧૦૬૮ ૧૭૮૨ ૮૭૩ ८०८ ૧૬૭૫ ૩૧૮ Page #572 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ તેતલિ–કુશાવત પુરમાં નદિનના સારથિ. તેનું અને કનકમ'જરીનું તારામૈત્રક જોનાર. (૩) તેજસી–કાયારૂપ એરડાના ગર્ભગૃહમાં રહેનારી છ નોકર સ્ત્રીઓમાંની ચેાથી ( લેફ્સા ). ( ૭ ) ત્રિકરણ–વિકલાક્ષનિવાસના બીજો પાડા. ( ૨ ) દસ-વિશુદ્ધ્ધ વાનરની આગેવાની નીચે ચિત્તવાનરના છુપાઈ રહેલા પરિવારમાંને એક. ( ૭ ) દમનક–રનદ્રીપે સુબુદ્ધિ મંત્રીને વિશ્વાસુ નેાકર. હિરકુમારને ચેતાવનાર. ( ૬ ) ૧૫૩૮ ૬૨૮ ૧૦૦૭ ૧૦૯૭ દ્વથા ચિત્તસાયના શુભપરિણામ અને ચારુતાની દીકરી. ( ૩ ) દરિદ્રતા–ભવચક્રમાં સાત પૈકીની એક પિશાચી. ( ૪ ) દનચિત્તવાનરના છુપાઈ રહેલા પરિવારમાં વાનરબચ્ચું. (૭) ૧૭૫૯ દ નાવરણ-નવ મનુષ્યાથી પરવરેલા અને મહામેાહના મિત્રરાજા. (૪) ૮૮૮ દાક્ષિણ્ય-ચારિત્રરાજની ચતુરંગ સેનાના પાતિએ. ( ૪ ) દાનસુખ–ચારિત્રધર્મરાજના ચાર પૈકીનુ પહેલુ મુખ. ( ૪ ) દારૂણક-ન દિવર્ધનને કુશાવતા પુરે તેડવા આવનાર પિતાના દૂત. ( ૩ ) ૬૧૮ દિવાકર-સુકવિજયે ગધપુરના રાજા રવિપ્રભ-પદ્માવતીપુત્ર. મહાભદ્રાના પતિ. ( ૮ ) દિશિપરિમાણ-ગૃહિધ ને! પરિવાર. બાર પૈકી ન. હું પ્રથમ ગુણુવ્રત. ( ૪ ) ૧૦૫૯ ભવચક્રેચણકપુરના ધનવાન સાવાહ સુમુખનું સ્થાપિત નામ. ( ૪ ) દુષ્ટયોગ-ભવરેટના તુંબા. (૭) દુઃશીલ-હેમપુરના રાજા વિભીષણને હજુરી. ચોર. જાર. ( દુષ્ટાભિધિરૌદ્રચિત્તપુરના રાજા. હિંસાદેવીના પિતા. ૪ કાયારૂપ ઓરડામાં ચિત્તવાનરનુ લાહી ચૂસનાર માંકડા. (૭) ,, [ પાત્રરૂપકાદિ 27 ૧૦૮૨ ૯૧૫ ૮૬૪ દીનતા-મહામેાહના ચતુરંગ લશ્કરના પાળાએ. ( ૪ ) દૃષ્ટિ વિષયાભિલાષની સ્વરૂપવાન દીકરી. આકર્ષીક યાગિની. ( ૬ ) ૧૫૭૯ દૃષ્ટિરાગ–ઊર્ફે અતત્ત્વાભિનિવેશ. રાગકેસરીને મિત્ર. ( ૪ ) દુર્ભાગતા—ભવચક્રમાં સાત પૈકીની એક પિશાચી. ( ૪ ) દુમુ ખ-કુશાવર્તીના રાન્ત કનકચૂડને ખટપટી કારભારી. કુટિલ રાજનીતિથી નીતરતા. ( ૩ ) ૧૦૯ ૫૯૦ ૧૭૫૨ ૩૨૨ ૧૭૫૯ ૧૯૮૦ ૫૫૮ ૯૭૬ ૧૬૮૨ ) ૯૫૫ ૫૭૨ ૧૭૩૯ Page #573 -------------------------------------------------------------------------- ________________ પરિચય ] દુષ્ટાશય-ક્લિષ્ટમાનસને રાજા. મૃષાવાદના પિતા. ( ૪ ) ૭૧૧ ૧૮૩૫ સંસારીજીવની આસપાસ ફરી વળેલ રાજપુરુષો. ( ૮ ) ૧૯૯૯ દેડકા-પંચાક્ષપશુસંસ્થાનમાં સંસારીજીવને સ્વાંગ. ( ૭ ) દેશાવગાશિક ગૃહિધતા પરિવાર. બાર પૈકી ન. ૧૦. દ્વિતીય શિક્ષાવ્રત. ( ૪ ) દૈન્યતામસચિત્તના અધિકારીના હજુરી. (૪) ફુમવંગદેશના રાજા. વિભાકરના મામે. કનકચૂડ સાથે લડાઈ કરનાર. ( ૩ ) દ્વિહૃષીક–વિકલાક્ષનિવાસને ઈંદ્રિય નામને પહેલા પાડા. ( ૨ ) દ્વેષ–ભવરેંટને ખેંચનારા કર્ણાંક. ( ૭ ) દ્વપગજેન્ડ–નામચિત્તને રાજા. વૈશ્વાનરને પિતા. અવિવેકિતાના પતિ. ( ૩ ) મહામાહના બીજો પુત્ર. ( ૪ ) ધનગ–મિથ્યાભિમાનનેા અંગભૂત મિત્ર. ( ૪ ) ૧૭૫ ૭૦૫ ૯૫૪ ૯૭૮ ધનદત્ત-માનવાવાસે વાસવશેઠના ઘણે વર્ષે મળેલા મિત્ર. ( ૪ ) ધનરશેખર—આનંદપુરના હિરશેખર-અધુમતીનેા પુત્ર. સ’સારીજીવ. (૬) ૧૪૬૭ ધનેશ્વર-ગેકે કપાતક. અઢળક સ ́પત્તિવાળા કુબેર શેઠના જુગટીએ "" 77 39 ૫૩૧ પુત્ર. ( ૪ ) ૯૭૧ ૨૦૬૫ ,, પુંડરીકના પદે પાટે આવનાર તેના શિષ્યરત્ન. ( ૮ ) ધરણુ–સા વાહ. હિરકુમાર તથા બાળને રત્નદ્દીપે લઈ જનાર.( ૬ ) ૧૪૮૮ ધરા–કાંપિલ્યપુરના વસુબધરાજાની રાણી. સંસારીજીવ વાસવની ૧૦૮૫ ૭૯૬ માતા. ( ૭ ) ધરાતળ–મુધના પિતા શુર્ભાવપાકનું નગર. ( ૫ ) ધરાધર-વિજયપુરના શિખરીરાજાના કુંવર. નવિનનું ખૂન કરનાર. ( ૩ ) ધર્મ –શુક્લપુરુષ. સમાધિનું રૂપક. પીતા, પદ્દમા ને શુકલા પરિચારિકાના શેઠ. ( ૮ ) ધર્મ ધાષ–જનમદિર નગરે સંસારીજીવ-વિરાચનને ઉપદેશ કરનાર આચાર્ય. ( ૭ ) ધ્યાન-ધારણાનદીને સામે પાર દ ંડાલક. નાની કેડી. નિવૃત્તિને ધર્મ માગે. ( ૬ ) ૧૬૦૬ ત્રણ લેશ્યાએ બનાવેલા પગથિયાં ચઢતાં લાગતા પવન. (૭) ૧૭૫૮ ૫૮૪ ૩૨૧ ૧૬૮૨ ૧૮૩૫ ૧૨૮૪ ૬૮૪ ૧૯૪૧ ૧૮૨૬ Page #574 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫૬ ૫૩૨ [ પાત્રરૂપકાદિ ઘર્મબંધુ રાજપુત્ર સંસારીજીવ-સિંહને દીક્ષા આપનાર ગુરુ મહારાજ. (૮) ધર્મધર-સુસ્થિતરાજ સેવક. સેડાને ઉપરી. (૧) ૨૧ ધવલિકા-ગંધસમૃદ્ધ વિદ્યાધરનગરની મહાદેવી કામલતાની દાસી. (૮) ૧૮૭૧ ધવળ-વર્ધમાનપુરના રાજા રામદેવના મિત્ર વિમળના પિતા. (૫) ૧૧૪૧ , કનકચૂડનું આગમન નંદિવર્ધન પાસે જાહેર કરનાર રાજસેનાપતિ.(૩)૫ પર ઘાતકીખંડ-મનુજગતિ નગરીને એક વિભાગ. (૮) ૧૯૫૬ ધારણુ-અધ્યવસાય સરોવરમાંથી નીકળતી મહાનદી, નિવૃત્તિને માગે. (૬) ૧૬ ૦૬ ધિષણ-વિમલમાસના શુભાભિપ્રાયની દીકરી. બુધની પત્ની, વિચારની માતા. (૫) ૧૨૮૬ ધૃતિ-સાધુના અંતઃપુરમાંની ૧૧ પૈકી એક પત્ની. (૫) ૧૨૫૯ છે, શુભ પરિણામ-નિષ્પકપતાની વિશેષ કન્યા.ગુણધારણની પત્ની.(૮)૧૯૫૧ , ચિત્તવાનરના છુપાઈ રહેલા પરિવારમાં વાંદરી. (૭) ૧૭૫૯ ધર્ય-ચિત્તવાનરના છુપાઈ રહેલા પરિવારમાં વાનરબચ્ચે. (૭) ૧૭૫૯ ધ્યાનતપગના બાર અંગત માણસે પૈકી એક. નં. ૫. અંતરંગ પરિવાર. (૪) ૧૦૭ ,, અંતરંગ મહારાજ્યનો રત્નકોશ. (૬) ૧૫૬ ૦ નંદ-સાકેતપુરને વાણીઓ. સંસારીજીવ. અમૃતિદરને પિતા.( ૭) ૧૮૧૯ નંદન-રાજપુરુષ, બાળ જીવતે છે એમ મધ્યમબુદ્ધિને ખબર આપનાર. (૩) ,, વિશાળાનગરીને રાજા. વિમળાનનારત્નવતીને પિતા. (૩) ૫૬૭ નંદશેઠ-સુકચ્છવિજ્યના શંખપુરના શેઠ. એની ઘંઘશાળામાં મહાભદ્રા ઉતર્યા હતા. (૮) ૧૯૮૨ નંદા-જયસ્થળના રાજાની રાણ. નંદિવર્ધનની માતા. (૩) ૩૪૫ નંદિવર્ધન-સંસારીજીવ, ત્રીજા પ્રસ્તાવને નાયક. (૩) ૩૪૫ નંદિની-જનમંદિરનગરે આનંદની પત્ની સંસારીજીવ વિરોચનની માતા. (૭) ૧૮૨૬ નરકેસરી-શેખરપુરરાજા. નરસુંદરીને પિતા.રિપુદારણને સસરે.(૪) ૩૨૫ નરસેન-ગંધસમૃદ્ધ નામના વિદ્યાધરનગરના રાજા કનકદરને લશ્કરી. સખી લવલિકાને પિતા. (૮) ૧૮૬૨ ४४४ Page #575 -------------------------------------------------------------------------- ________________ પરિચય ] નરસુંદરી-શેખરપુરના નરકેશરી–વસુ'ધર.ની પુત્રી. રિપુદારણની પત્ની. ( ૪ ) નરવાહન—સિદ્ધાર્થ નગરના રાજા, રિપુદારણના પિતા. ( ૪ ) નલિની–સુકચ્છ વિજયની ક્ષેમપુરીના રાજા યુગંધરની રાણી. અનુસુ ંદર ચક્રવર્તીની માતા. ( ૮ ) નામ–ખે તાળીશ મનુષ્યાથી પરવરેલા મહામેાહના મિત્રરાજા. (૪) ૮૮૯ નારકા-દારૂના પીઠામાં વસનાર તેર પ્રકારના લેાકેા પૈકી આઠમે ૧૯૭૪ પ્રકાર. ( ૭ ) ,, ૧૬૭૫ નાસિકા-લલાટપટ્ટ પતની કબરી ઝાડીમાં બે એરડાવાળી ગુફા. (૫) ૧૨૮૮ નાસ્તિક ઊર્ફે મા સ્પત્ય માનવાવાસના લેાકાયત નગરમાં રહેનારા લોકેા. ( ૪ ) નિકૃષ્ટ-ક પરિણામ રાજાના છ પુત્રા પૈકી ન. ૧. ( ૬ ) નિજચાતા–વિચક્ષણની માતા. શુભાયની પત્ની. ( ૪ ) નિજ્રદેહ-કાવિદ–બાલિશના તાબાના પર્યંત ( ૭ ) નિવિલસિત–ક્ષિતિપ્રતિષ્ઠિત નગરની બહાર આવેલુ' ઉદ્યાન. પ્રોાધનતિની વિહારભૂમિ. ( ૩ ) ૪૬૩ ૧૯૯૮ નિજસાધુતા–ધરાતળના રાન્ત શુભવિપાકની રાણી. બુધની માતા. (૫) ૧૨૮૫ નિરીહતા—ચારિત્રરાજ–વિરતિદેવીની માનસિક કન્યા. (૭) નિરાગતા–પિશાચા જાનુ' વિરેાધી સત્ત્વ. (૪) નિર્ણીજયોગ-શુકલધ્યાન કેડી પછી આવતા માટા માર્યાં. નિર્દે ૯૯૯ ૧૬૦૭ તિને માગે. ( ૬ ) નિમ ળચિત્ત-મલક્ષયરાજાનું નગર. બુદ્ધિદેવીની જન્મભૂમિ. ( ૪ ) ૭૬૬ જૈનપુરનું પેટાનગર. સાત્ત્વિકમાનસપુરના તાબાનુ પેટાનગર. ( ૪ ) નિમ ળસૂરિ–ગુણધારણને સ્વપ્નફળ કહેનાર કેવળી ગુરુ. કદમુનિના ગુરુ. ( ૮ ) 99 પ૩૩ પરપ ७०४ ૧૮૯૪ ૧૦૧૬ નિવૃત્તિ-પિશાચીએના દ્વારથી મુક્તસ્થાન. શ્રેષ્ઠ નગરી. (૪) ચિત્તવૃત્તિ અઠવીને છેડે પશ્ચિમ દિશામાં નગરી. ( ૬ ) ૧૬૦૪ નિષ્કઙ્ગતા–રૌદ્રચિત્તપુરના દુષ્ટાભિસન્ધિરાજાની રાણી. હિંસાદેવીની માતા. ( ૩ ) નિષ્પિપાસિતા–સેનાની સ ંતેાષની ધર્મપત્ની. ( ૪ ) નિપુણ્યક—અષ્ટમૂલપ``તના ભિખારી. ડ્રમક. ( ૧ ) ૧૨૧ ૧૫૬૭ ૭૬૩ ૧૭૭૮ ૧૦૪૫ ૫૭૩ ૧૦૯૫ ૧૬ Page #576 -------------------------------------------------------------------------- ________________ પ૩૪ નિષ્પક પતા–ચિત્તસાદની મહારાણી. ક્ષાંતિની માતા. ( ૩ ) નિ:સ્પૃહતા–જૈનપુરમાં ચિત્તસમાધાન મંડપની વેદિકા. ( ૪ ) 22 ૩૬૩ ૧૦૫૫ ચિત્તવાનરના છુપાઇ રહેલા પિરવારમાં વાંદરી ( ૭ ) ૧૭૫૯ નીરઢવાહન-સાદ્લાદ નગરના જીમૂતરાજાના ભાઇ અકલંકને પિતા અને ધનવાહન પદભ્રષ્ટ થતાં ગાદીપતિ. ( ૭ ) ૧૬૫૫ નીલ-કાયા એરડાના ગર્ભગૃહમાં રહેનારી છ નેાકર સ્ત્રીએમાંની ખીજી ( લેફ્સા ). ( ૭ ) નીલક’–રત્નદ્વીપના રાજા. હિરકુમારના મામા. ( ૬ ) નૈપુણ્ય–ચારિત્રરાજની ચતુરંગ સેનાના ધાડા. ( ૪ ) નૈચાચિક મિથ્યાદર્શનના હાથ નીચે માનવાવાસમાં આવેલું આંતરનગર. ( ૪ ) ૧૦૨૦ માનવાવાસના તૈયાયિક નગરમાં રહેનારાં લેાકેા. ( ૪ ) ૧૦૨૦ નાકષાય-ચિત્તવૃત્તિ ભૂમિમાં લુંટારાએ. ( ૬ ) ૧૫૬૨ "" ૧૭૩૮ ૩૨૪ કાયા એરડામાંના ચિત્તવાનરને ડંખનાર વીંછીએ. (૭) ૧૭૩૮ પ’ચાક્ષ-કાયા ઓરડામાં પાંચ ગેાખો. ( ૭ ) પંચાક્ષપશુસંસ્થાન–તીર્ઝા લાકનું માટું નગર. ( ૨ ) પંચેન્દ્રિયતિય ચ—દારૂના પીઠામાં વસનાર તેર પ્રકારના લેાકેા પૈકી નવમે। પ્રકાર, જળચર, સ્થળચર, ખેચર. ( ૭ ) પદ્મ—કાયા એરડાના ગર્ભગૃહમાં રહેનારી છ ાકર સ્ત્રીઓમાંની પાંચમી ( લેખ્યા ). ( ૭ ) પદ્મકેસર–હિરકુમારના અંતરંગ વિનેાદી મિત્રામાંને એક. ( ૬ ) ૧૪૯૩ પદ્મરાજા—જયસ્થળના રાજા. નંદિવર્ધનના પિતા. ( ૩ ) પદ્મા—સાહ્લાદ નગરના જીમૂતરાજાના ભાઈ નીરદની પત્ની. અકલંકની માતા. ( ૭ ) પદ્માવતી–વિશાળાનગરીના નંદનરાજાની ખીજી રાણી. રત્નવતીની ૧૭પર ૩૪૫ "" [ પાત્રરૂપકાત 23 ૧૭૫૨ ૧૪૮૮ ૧૦૯૭ માતા. ( ૩ ) સુકચ્છ વિજયે ગ ંધપુરના રાજા રવિપ્રભની રાણી. મહાભદ્રાની સાસુ. ( ૮ ) પદ્મિની-પુષ્કરદ્વીપે અયેાધ્યાના ગાંધારરાજની રાણી. અમૃતસારની માતા. ( ૮ ) ૨૦૨૯ પરમાત્મા-નિવૃર્દત્તિનગરીના મહારા‚ સુસ્થિતરાજનુ બીજુ નામ. (૮) ૧૯૧૩ પરમાધામી–પાપીપજરના જમીનદાર અસાતના સેનાનીએ. (૪) ૯૯૧ ૧૬૭૫ ૧૬૫૫ ૫૬૭ ૧૯૮૦ Page #577 -------------------------------------------------------------------------- ________________ ૫૩૫ પરિચય ] પરમેશ્વર-નિવૃત્તિનગરીમાં બેઠેલા સુસ્થિત મહારાજા. શુભ અશુભ કામનાં પરમ કારણ. (૮) ૧૯૧૩ પરિગ્રહ-રાગકેશરીના પુત્ર સાગરને મિત્ર. ધનવાહનને નચાવનાર. (૭) ૧૭૭૩ પરિગ્રહ પરિમાણુ-(ધૂળ)ગ્રહીધર્મને પરિવાર. બારમાંનેનં. ૫. (૪) ૧૦૮૧ પરિણતિ-ધરાતળના અશુભવિ પાકની પત્ની. મંદની માતા. (૫) ૧૨૮૫ પરિહારવિશુદ્ધ-ચારિત્રધર્મરાજના પાંચ અંગભૂત મિત્રમાંના એક નં. ૩. (૪) ૧૦૬૫ પરીષહ-ચિત્તવૃત્તિ ભૂમિમાં ચાર સ્ટે (ઉપદ્રવ કરનારા). (૬) ૧૫૬ર. , કાયા ઓરડામાંના ચિનવાનરને ડંસ મારનાર ડાંસો. (૭) ૧૭૩૯ પશુસંસ્થાન-ભવચક્રનું ત્રીજું અવાંતર નગર. (૪) ૯૯૦ પાતાળકળશ-ચાર કષાયનું રૂપક. લવણસમુદ્રમાં છે તે. (૭) ૧૭૦૯ પાપ-મિથુનયના શરીરમાંથી નીકળેલું કાળું બાળક. (૩) ૪૨૪ ,, ભવરેટ અસંત કુવામાંથી ખેંચે છે તે પાણી-જળ. (૭) ૧૬૮૨ પાપભીસ્તા-વિશદમાસના શુભાભિસન્ધિરાજાની રાણી. અચૌર્ય- નાની માતા. (૫) ૧૩૨૯ પાપાતક-સંસારીજીવના માથા પર રાખવામાં આવેલી બેદી ઠીબ. ( ૮ ) પાપિપંજર-ભવચક્રનું ચોથું અવાંતર નગર. (૪) પાદવ-કર્મ પરિણામનો કર-ભયંકર સેનાપતિ. (૮) ૧૯૦૭ પારિષ્ટાપનિકા-પાંચમી સમિતિ. આઠ માતાઓ પૈકી પાંચમી. (૮) ૧૯૪૮ પુંડરીક—ભવ્યપુરુષનું સાચું નામ (૮) ૧૯૮૩ ,, સુકચ્છવિજયના શંખપુરના રાજા શ્રીગર્ભ-કમલિનીને પુત્ર. કુલંધરને જીવ. ભવ્યપુરુષ. (૮) પૃદય-સંસારીજીવને મિત્ર અને સહાયક. (૨) ૩૨૮ , રિપુદારણ સાથે જન્મનાર અંતરંગ મિત્ર. (૪) ૭૦૪ સંસારીજીવને મિત્ર. મદનમંજરીના સ્વપ્નમાં આવનાર પાંચ પૈકી એક. કર્મપરિણામનો સેનાપતિ. (૮) ૧૯૦૩ પુરંદર-અનુસુંદર ચક્રવર્તીનો પુત્ર અને તેના પછી ગાદીએ આવનાર. (૮) ૨૦૦૮ પુષ્કરદ્વીપ અનુસુંદરનું આગામી સ્થાન. ક્ષેત્ર-ત્યાંથી મુક્તિ. (૮) ૨૦૨૯ પુવેદ-મકરધ્વજના પરિવારમાં એક પુરુષ. (૪) પૃથ્વીકાય-એકાક્ષનિવાસને બીજો પાડે. (૨) ૩૧૭ ૧૯૯૯ ૧૯૮૫ ૮૬૯ Page #578 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ [ પાત્રરૂપકાદિ ૧૬૭૫ પૃથ્વી પાણી અગ્નિ વાયુ-દારૂના પીઠામાં વસનાર તેર પ્રકારના લેાકેા પૈકી ત્રીજો પ્રકાર. ( ૭ ) પૌષધ-ગૃહિધ ના પરિવાર. બાર પૈકી ન’. ૧૧. તૃતીય શિક્ષાવ્રત. (૪) ૧૦૮૫ પ્રક વિચક્ષણ અને બુદ્ધિના પુત્ર. વિમર્શીને ભાણેજ. શુભેાયને પૌત્ર. મલસંચયને પ્રપૌત્ર. ( ૪ ) પ્રગુણા-તથાવિધનગરના ઋજુરાજાની પત્ની. ( ૩ ) પ્રજ્ઞાકર-જયસ્થળના પદ્મરાજાના ચાર મંત્રીમાંના એક. ( ૩ ) પ્રજ્ઞવિશાળા–સમજણવાળી ચતુર સ્ત્રી. ( ૨ ) પ્રતિાધકાચા -મિથુનદ્રયનું રહસ્ય કહેનાર દેવળી આચાય, મવિલય ઉદાને. ( ૩ ) પ્રખળરાગકલ્લોલ-સ’સારીજીવની ડેાકમાં પહેરાવવામાં આવેલી ખેડકા( કણવીર )ની માળા. ( ૮ ) પ્રાધનરાત–નિજવિલસિત ઉદ્યાને શત્રુમન ને મનીષી વિગેરેને પ્રમેાધ કરનાર આચાય. માતા. ( ૩ ) પ્રમત્તતા–ચિત્તવૃત્તિ અટકીમાં આવેલી માટી નદી. ( ૪ ) પ્રમાદ—બંધહેતુ કુંટુબના તંત્રવાહકમાંના એક. ( ૭ ) ચિત્તવૃત્તિ ભૂમિમાં જિંગા ( લપટા ). ( ૬ ) ભવરેટના તુબા. (૭) ૪૬૩ પ્રભાકર્—વિમલાનનાનો મામા, કનકપુરના રાજા. પ્રભાવતીના ભાઇ. (૩) ૫૬૭ પ્રભાવપનશુદ્ધિ માટે મેકલેલ દૂત. ( ૩ ) પ્રભાવતી–વિશાળાનગરીના નનરાજાની પત્ની, વિમળાનનાની ૩૮૫ 23 "" "" ૭૬૭ ૪૧૧ ૬૧૯ ૨૭૪ ૧૬૯૩ ૧૫૬૨ ૧૬૮૨ કાયા એરડામાંના ચિત્તવાનરને હેરાન કરનાર કાકિયા.(૭) ૧૭૩૯ પ્રમુદિતા–શુભપરિણામ અને નિષ્ણક પતાની વિશેષ : કન્યા. ગુણ ૪૧૭ ૧૯૯૮ ૫૬૭ ૮૦૫ ધારણની પત્ની. ( ૮ ) ૧૯૫૧ પ્રમેાદક ભ—ન દિવ નના જન્મની વધામણી આપનાર દાસીપુત્ર. ( ૩ ) ૩૪૫ પ્રમાદવ ન–શા લપુરનું જિનમંદિર. અરિદમનનું ઉત્થાન તથા દીક્ષાસ્થાન. ( ૩ ) પ્રમેાદ્રશેખર–નિજવિસિત ઉદ્યાનમાં જિનમદિર પ્રખાધનરતિ આચાર્ય'ની વિહારભૂમિકા. ( ૩ ) પ્રવસેન-કુશાવર્તી પુરને સીમાડે અંબરીષ ખારવટીઆના ઉપરી( ૩ ) ૫૮૦ પ્રથમ-વિદ્યાકુમારીના નિત ંબ. ( ૮ ) ૪૬૬ ૧૯૩૪ ૬૮૩ Page #579 -------------------------------------------------------------------------- ________________ ૫૩૭ ૧૯૭૫ પરિચય ] પ્રશમવિશુદ્ધધર્મવાનરની આગેવાની નીચે છુપાઈ રહેલા ચિત્તવાનરના પરિવારમાં એક. (૭) ૧૭૫૯ પ્રશ્રય-ચારિત્રરાજની ચતુરગ સેનાના હાથી. (૪) ૧૦૯૭ પ્રાણાતિપાત વિરમણુ-(ધૂળ) ગૃહિધર્મને પરિવાર. બારમાને નં. ૧. (૪) ૧૦૭૮ પ્રાયશ્ચિત્ત-નાગના બાર અંગત માણસે પૈકી એક. નં. ૧ અતરંગ પરિવાર. (૪) ૧૯૬૯ પ્રિયદર્શના-માનવાવાસે બધુદત્ત વણિકની પત્ની. સંસારીજીવની માતા. (૭) ૧૮૨૨ પ્રિયનિવેદિકા-સુમતિને જન્મની વધામણી આપનાર દાસી. (૨) ૨૭૩ પ્રિયંકરી–ઘનવાહનના જન્મની જીમૂતરાજને ખબર આપનાર દાસી.(૭) ૧૬૪૬ ,, ક્ષેમપુરીના રાજા યુગંધરને પુત્રજન્મની ખબર આપનાર - દાસી. ( ૮ ) - પ્રિયંવદા-રિપુકંપનને મતિકલિતાથી પુત્ર થયો તેની વધામણ આપનાર દાસી. (૪) ૯૪૫ બકુલ-જયપુર નગરનો ધનવાન શેઠ. કમલિનીને પિતા. ધનશેખરને સાસરે. (૬) ૧૪૭૬ બારગુભવગ્રામના સ્વરૂપમંદિરના અધિપતિ સારગુરુનું ઉપનામ (૫) ૧૨૬૧ બંધહેતુ-મકવાસીઓનું ભક્ત કુટુંબ. (૭) બંધુ-માનવાવાસે સંસારીજીવ. બંધુદા–પ્રિયદર્શનાનો પુત્ર. (૭) ૧૮૨૨ બંધુદત્ત-માનવાવાસે વણિકબંધુ-સંસારીજીવને પિતા. (૭) ૧૮૨૨ બંધુમતી-વામદેવને આશ્રય આપનાર કાંચનપુરના સરળશેઠની ભાર્યા. (૫) ૧૩૩૧ , આનંદપુરના હરિશેખર શેઠની ભાર્યા-ધનશેખરની માતા.(૬) ૧૪૬૭ બંધુલકાંચનપુરના સરળશેઠને મિત્ર અને પુત્રજન્મની છઠ્ઠીને અંગે શેઠને નેતરનાર. (૫) ૧૩૩૧ બંદુલા-હરિ-મંજરીને સંબંધ જોડાવી આપનાર, પટ બતાવનાર તાપસી. (૬) ૧૪૯૧ બંધુસુંદરી-વિમલાનનાની માની. કનકપુરના પ્રભાકરની રાણી. (૩) ૫૬૭ બહુલિકા ઉર્ફે માયા-મૃષાવાદની બહેન. વામદેવની સહચરી. (૫) ૧૧૪૪ Page #580 -------------------------------------------------------------------------- ________________ १७७७ 3७४ ૧૮૧૬ ૫૩૮ [ પાત્રરૂપકાદિ બાર્હસ્પત્ય ૩ફે નાસ્તિક-માનવાવાસના લોકાયત નગરમાં રહેનાર લેકે. (૪) ૧૦૨૧ બાલિશ-ક્ષમાળના સ્વમળનિચય–તદનુભૂતિને પુત્ર. શ્રુતિને વશ પડનાર. (૭) બાળ-કર્મ પરિણામ અને અકુશળમાળાને પુત્ર. (૩) બિલાડ-રખડપાટામાં સંસારીજીવનું રૂપ. (૭) બુદ્ધિ-નિર્મળચિત્તે મલક્ષય–સુંદરતાની દીકરી, વિચક્ષણની પત્ની, પ્રકર્ષની માતા. (૪) ૭૬૬ બુદ્ધિપાટવ-ચારિત્રરાજની ચતુરંગ સેનાના ઘેડા. (૪) ૧૦૯૭ બુદ્ધિવિશાળ-જયસ્થળના પદ્મરાજાના ચાર મંત્રી માને એક. (૩) ૬૧૯ બુદ્ધિસમુદ્ર-નંદિવર્ધનને કળાનો અભ્યાસ કરાવનાર કળાચાર્ય. (૩) ૩૫૦ બુધ-ધરાતળના શુભવિપાક-નિજસાધુતાને પુત્ર. વિમળને ઉપદેશ કરનાર આચાર્ય. (૫) ૧૨૮૫ બુધનંદન-સાલાદપુર બહાર ઉદ્યાન.ઘનવાહન અકલંકનું ક્રીડાંગણ. (૭) ૧૬૫૬ બુધાચાર્ય–લબ્ધિસંપન્ન મહાત્મા સાધુ. વિમળ અને રત્નચૂડને ધર્મ બતાવનાર. ૫) ૧૧૦૦ બેઈદ્રિયદાસ્ના પીઠામાં વસનાર તેર પ્રકારના લેકે પૈકી એ પ્રકાર. (૭) ૧૬૭૫ બેધમનીધીને અંગરક્ષક. સ્પર્શનના મૂળની શુદ્ધિ કરનાર. (૩) ૩૮૪ બૌદ્ધ-મિથ્યાદર્શનના હાથ નીચે માનવાવાસમાં આવેલું આંતરનગર.(૪) ૧૦૨૧ છે, માનવાવાસના બૌદ્ધ નગરમાં રહેનારા લેકે. (૪) ૧૦૨૧ બ્રહ્મચર્યચતિધર્મની આજુબાજુ બેઠેલ દશ મનુષ્યો પૈકીને એક. નં. ૧૦. (૪) ,, (ધૂળ) ગૃહિધર્મનો પરિવાર. બારમાંને નં. ૪. (૪) ૧૦૮૦ ,, ચિત્તવાનરના છુપાઈ રહેલા પરિવારમાં વાનરબચ્ચે. (૭) ૧૭૧૯ બ્રહ્મરતિ-શુભ્રચિત્તના સદાશય-વરેણ્યતા રાજારાણીની એક દીકરી.(૬) ૧૫૫૪ બ્રાહ્મણ-મુનિરાજે. દાસ્ના પીઠામાં રહેનાર છતાં દારુ નહિ પીનાર.(૭) ૧૬૭૧ ભદ્રા-ધાતકીખંડના શંખનગરના રાજા મહાગિરિની રાણી. સંસારીજીવ સિંહની માના. (૮) ૧૯૫૬ ભક્લિપુર-માનવાવાસ નગર. સંસારીજીવવિશદનું જન્મસ્થાન. (૭) ૧૮૪૨ ભય-મકરધ્વજના સિંહાસન નજીક બેઠેલ પાંચ મનુમાને શ્રેજને પુ. (૮) ૧૦૭૭ ૮૭૪ Page #581 -------------------------------------------------------------------------- ________________ પરિચય ] ભય–ભવરેંટના કર્માંચારી. ( ૭ ) ભરતક્ષેત્ર-મનુજગતિના ધાતકીખંડના એક ભાગ. ( ૮ ) ભરતી–સંસારસમુદ્રે મનેરથાનું રૂપક. ( ૭ ) ભવનગર. બડ઼રગુરુના શિવમદિરનું સ્થાન. ( ૫ ) રૈંટ. તૃતીય મુનિનું વૈરાગ્યકારણ. ( ૭ ) ભવચક્ર–આદિઅત વગરનું મહાન નગર. ( ૪ ) ભવજંતુ–પ નસંગમુક્ત મેાક્ષગામી મહાપુરુષ. ( ૩ ) ભવષાત ઊર્ફે સ્નેહરાગ-રાગકેસરીને મિત્ર. ( ૪ ) ભવસ્થા—શાકની પત્ની. ભાવડ. ( ૪ ) ભવિતવ્યતા—સંસારીજીવની પત્ની. ( ૨ ) ભવ્યપુરુષ-કર્મ પરિણુામ-કાલપરિણતિને પુત્ર. ( ૨ ) ભાનુપ્રભ–ગાંધર્વ પુરના નાગકેસરી વિદ્યાધર રાન્તને મનમાંજરીના સ્વયંવરમાં આવેલ પુત્ર. ( ૮ ) ૧૮૬૩ ૧૯૪૮ ભાવમુખ ચારિત્રધર્માં રાજના ચાર મુખા પૈકીનુ ચાથું મુખ. ( ૪ ) ૧૦૬૦ ભાષાદ્રિતીય સમિતિ. આ પ્રવચન માતામાંની ખીજી. ( ૮ ) ભીમરથ-સુક છવિજયના હિરપુરના રાજા, મહાભદ્રા-પ્રત્તાવિશાળાના પિતા. ( ૮ ) રાજાની ભુજંગતા–મના મિત્ર ઘ્રાણુની દાસી. ( ૫ ) ભુજપરિસ -૫ ચાક્ષપશુસંસ્થાના લાકવિભાગ. ( ૨ ) ભુવનપતિ–વિષ્ણુધાલયમાં સ સારીવા સ્વાંગ. ( ૭ ) ભુવનેાદર-વેલહલ અંતરકથાનું અંતરંગ નગર. અનાદિ રાજધાની. ( ૪ ) ભૂતળ–વિચક્ષણાચાર્યાંનું જન્મનગર. મલસ'ચય રાજાની રાજધાની. (૪) ૭૬૩ ભાગતૃષ્ણા-વ્યંતરના શરીરમાંથી નીકળેલ કુરૂપ સ્ત્રી. ( ૩ ) ૪૯૧ વિષયાભિલાષ મંત્રીની પત્ની. સ્પન રસનાદિની માતા. (૪) ૮૮૬ ભાગસ્નેહ વિષયવૃક્ષ નીચે આવતા ચિત્તવાનર પર પડતા જળ ૮૨૦ ,, બિન્દુ. ( ૭ ) ભાગલાલુપતા–ભવરે ટની સકિલચિત્તના મળને ખાલી થવાની 29 ૫૩૯ ૧૬૮૨ ૧૯૫૬ ૧૦૧૦ ૧૨૬૨ ૧૬૮૨ ૯૦૯ ૩૭૬ ૮૬૪ ૮૭૬ ૩૦૮ ૨૭૧ ૧૯૮૦ ૧૨૮૯ ૩૨૫ ૧૮૧૯ નીક. ( ૭ ) ૧૬૮૩ ભગિની-જયપુરના બકુલ શેડની ભાયાં. ધનશેખરની સાસુ. ( ૬ ) ૧૪૭૬ ભાગેષભાવરમણ-ગૃહિધને પરિવાર. બાર પૈકી બીજી ગુણવ્રત. ( ૪ ) નં. ૭. ૧૭૪૧ ૧૦૮૩ Page #582 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ ૧૯૮૧ ૯૪૫ [ પાત્રરૂપકાદિ મકરધ્વજ-મહામહના પરિવારમાં દેવોને પણ નચાવનાર નાને રાજ. (૪) ૮૬૭ મગધસેન-સુકચ્છવિજયે રત્નપુરના રાજા. સુલલિતા ઊ અહીત સકતાના પિતા. (૮) મંજરી-રત્નદીપના નીલકંઠ-શિખરિણીની દીકરી. હરિકુમારની પત્ની. મયુરમંજરીનું ટૂંકું નામ. (૬) ૧૫૧૮ મણિપ્રભ-દક્ષિણ શ્રેણીના વિદ્યાધરનગર ગગનશેખરને રાજ. (૫) ૧૧૬૮ મણિમંજરી-કનક રાજાની દીકરી. નમંજરીની મોટી બેન. નંદિવર્ધનના મોટા ભાઈ શીલવર્ધનની પત્ની. (૩) ૬૦૧ મણિશિખા-વિદ્યાધર રાજા મણિકભની પુત્રી. અચળ ને ચપળની માતા. અમિતપ્રભની પત્ની. (૫) ૧૧૬૮ મતિકલિતા-લલિતપુરના રિપુકંપનની બીજી પત્ની. નવજન્મા બાળકની માતા. (૪) મતિધન-જયસ્થળના પઘરાજાના ચાર મંત્રીઓમાંને એક. (૩) ૩૬૮ અતિમહત્વનામસચિનને મુખ્ય અધિકારી. ધગજેન્દ્રની અવ જમાં કામ કરનાર. સમર્થ સત્તાધારી. (૪) ૮૦૧ મદન-માનવાવાસે આભાર. સંસારીજીવ કલંદને પિતા. (૭) ૧૮૩૪ મદનકંદળી-શત્રુમદનની અત્યંત રૂપાળી રાણી. (૩) મદનમંજરી-લલિતપુરની પ્રખ્યાત ગણિકા. કુદકલિકાની માતા. (૪) ૯૬૨ સાહલાદ નગરે ઘનવાહનની રાણી. (૭) , ગંધસમૃદ્ધ વિદ્યાધર નગરના કનકેદર-કામલતાની પુત્રી. ગુણધારણની પત્ની. (૮) ૧૮૬૨ મદનમંજૂષા-શાર્દૂલપુરના અરિદમન-રતિચૂલાની દીકરી. (૩) ૬૩૪ મધુવારણ-સપ્રદ નગરને રાજા. સંસારીજીવ ગુણધારણને પિતા. (૮) મધ્યમ-કર્મપરિણામના છ પુત્રો પૈકી નં. ૪. (૬) ૧૫૬૭ મધ્યમબુદ્ધિ-કર્મવિલાસ–સામાન્યરૂપાને પુત્ર. (૩). મનસ્વિત્વ–ચારિત્રધર્મરાજની ચતુરંગ સેનાના પદાતિઓ. (૪) ૧૦૯૭ મનીષી-કર્મપરિણામ–શુભસુંદરીને પુત્ર. (૩) મનુજગતિ-સુમેસ્થી પ્રતિષ્ઠિત અનાદિ નગરી. (૨). મનુષ્ય-દાગ્ના પીઠામાં વસનાર તેર પ્રકારના લેકે પૈકી દશમે પ્રકાર. સંમૂર્ણિમ અને ગજ. (૭) ૧૬૭૬ ४३७ - ૧૭૮૭ ૧૮૫૫ ૪૦૮ ૩૭૪ ૨૫૨ Page #583 -------------------------------------------------------------------------- ________________ પરિચય ] ૫૪૧ અનેગુસિ–પ્રથમ ગુપ્તિ. આઠ પ્રવચનમાતાએ પૈકી છઠ્ઠી. ( ૮ ) ૧૯૪૯ મનેાનંદન શંખપુરના ચિત્તરમ ઉદ્યાનમાં ચૈત્ય. ઉપમિતિ કથાકથનનું સ્થાન. ( ૮ ) ૧૯૯૦ ૧૬૮૨ મનેાભાવ–ભવરેટને ખેંચનારા કĆક. (૭) મન:પ ય-સક્ષેધ મંત્રીના પાંચ મિત્રા પૈકીને ચેાથેા મિત્ર. (૪) ૧૦૯૨ મંત્રવાદી–લે કાદરની આગ શાંત કરનાર મ`ડળના રચિયતા. સસ. (૭) ૧૬૫૮ મંદ-ધરાતળના અશુભવિપાક-પરિણતિના પુત્ર. ( ૫ ) મન્મથ-હરિકુમારના વિનેાદી અંતર’ગ મિત્રામાંનેા એક. ( ૬ ) ૧૪૯૨ મમત્વ–મહામેાહના ચતુરંગ લશ્કરના હાથીએ. ( ૪ ) મયૂરમંજરી–રનદીપના નીલક ડૅ--શિખરિણીની દીકરી. હરિકુમારની ૧૨૮૫ ૯૧૫ ૧૫૧૮ 9 ૧૬૮૩ પત્ની. ( ૬ ) મરણ—ભવરે ટના ઘટિયંત્રને ખેંચનાર નાકર. ( ૭ ) મલક્ષય-નિર્મળચિત્તના રાજા. બુદ્ધિદેવી અને મામા વિમર્શ'ના પિતા. (૪) ૭૬૬ અલયમંજરી-મુમ્ભ દેશના રાજા જયવર્માની દીકરી. કનકચૂડની બીજી રાણી. કનકમ’જરીની માતા. ( ૩ ) અલવિલય-શાલપુરની બહારનુ ઉદ્યાન. વિવેકકેવળીની સ'ભાપણુ ભૂમિ. ( ૩ ) મલસ’ચય-ભૃતનગરના રાન્ત. વિચક્ષણના દાદા. ( ૪ ) મહાકલ્યાણક-ધર્મ એધકર પાસેનું સુંદર ભાજન. ( ૧ ) મહાગિરિ—ધાતકી ખંડના શખનગરના રાજા. સંસારીજીવ–સિ’હુના પિતા. ( ૮ ) મહાતમ:–પાપિનિવાસ નગરીતેા સાતમા પાડે. ( ૪ ) મહાપરિગ્રહ–જુએ પરિગ્રહ. સાગરના મિત્ર ધનવાનને નચાવનાર. ( ૭ ) ,, મહામેાહ–રાગકેસરીના વૃદ્ધ પિતા. ( ૩ ) ભવરેટને ખેંચનારા ચાર કાને ઉપરી. (૭) મહાભદ્રા—સુક વિજયના હિરપુરના રાજા ભીમરથ સુભદ્રાની પુત્રી. કદ મુનિને જીવ. પ્રજ્ઞાવિશાળા, સાધ્વી-પ્રવર્તિની. (૮) ૧૯૮૦ પ્રજ્ઞાવિશાળાનું સાચુ નામ. ભીમરથ-સુભદ્રા પુત્રી. ( ૮ ) ૧૯૭૯ મહામતિ–રિપુદારણને અભ્યાસ કરાવનાર કળાચાય . ( ૪ ) મહામૂઢતા મહામા મહારાજાની અ. સૌ. પત્ની. રાગકેસરી– દ્વેષગજેન્દ્રની માતા. (૪) ૭૧૫ ૫૮૯ ૬૫૧ ૭૩ ૨૫ ૧૯૫૬ ૧૧૨૮ ૧૭૭૧ ૮૪૪ ૩૯૧ ૧૬૮૨ Page #584 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫૫ ૧૮૧૬ ૮૮૦ પ્રકા અવાંતર નગર. ( ૪ ) ૫૪ર [ પાત્રરૂપકાદિ મહામહ-કાયારૂપ ઓરડામાં ચિત્તવાનરને ગળી જનાર બિલાડે. (૭) ૧૭૩૯ ,, સંસ્કૃતિ નગરમાં બજારનો રખેવાળ. (૭) ૧૭૩૫ મહાવેદ-ઉપનય કથાનું વિચક્ષણ પાત્ર. (૮) ૨૦૪૩ મહેંદ્ર-એરવત ક્ષેત્રના સિંહપુરનો ક્ષત્રિય. સંસારીજીવ ગંગાધરનો પિતા. (૮) મહેશ્વર-ભવચક્રના લલિતપુરને અભિમાની શેક. (૪) ૯૫૩ માછલે-રખડપાટામાં સંસારીજીવનું રૂપ. (૭) માન-(અનંતાનુબંધી) મહામહને પૌત્ર. દ્વેષગજેન્દ્રને પુત્ર. (૪) ૮૭૯ (અપ્રત્યાખ્યાની) મહામહને પૌત્ર, ખેળામાં રમતાં સોળ કરાંમાંને એક. (૪) , (પ્રત્યાખ્યાની) જગજેન્દ્ર પુત્ર. સર્વવિરતિરોધક છોકરે.(૪) ૮૮૧ ,, (સંવલન) મહામહનો ચપળ પૌત્ર, યથાખ્યાત ચારિત્રને વિઘાતક. (૪) ૮૮૧ માનવાવાસ-ભવચક્રની અંદરનું નગર. મકરધ્વજનું રાજસ્થાન. (૪) ૯૩૧ ,, ભવચક્રનું પ્રથમ અવાંતર નગર. (૪) ८८९ છે, સંસારીજીવ બધુનું રખડપટ્ટી દરમ્યાન નગર. (૭) ૧૮૨૧ માયા-રાજસચિત્તના રાગકેસરી-મૂઢતાની દીકરી. મૃષાવાદની સ્વીકારાયલી બહેન. (૪) ७२४ વિકલાક્ષ અને પંચાક્ષપશુસંસ્થાનના સુબાની પત્ની. (૨) ૩૨૧ ઉર્ફે બહલિકા. મૃષાવાદની બહેન, વામદેવની સહચરી. (૫) ૧૧૪૪ (અનંતાનુબંધી) મહામહની પૌત્રી, રાગકેસરીની પુત્રી. (૪) ૮૭૯ (અપ્રત્યાખ્યાની) મહામહની પૌત્રી, તેના ખેળામાં રમતાં સોળ બાળકોમાંની એક. (૪) ૮૮૦ ,, (પ્રત્યાખ્યાની) રાગકેસરીની પુત્રી, સર્વવિરતિરોધક છોકરી.(૪)૮૮૧ ,, (સંજવલન) મહાહની ચપળ પૌત્રી, યથાખ્યાતચારિત્રની વિઘાતક. (૪) ૮૮૧ માર્ગાનુસારિતા-ધિષણની બહેનપણી, વિચારની માસી. (૫) ૧૨૯૬ માર્દવ-અતિધર્મની આજુબાજુબેઠેલ દશમનુમાને એક નં.૨.(૪) ૧૯૬૭ , ચિત્તવાનરના છુપાઈ રહેલા પરિવારમાં વાનર બચ્ચે.() ૧૫૯ મિથ્યાભિનિવેશ-રાજસચિત્તમાંથી બહાર પડતા રશે. (૩) ૩૮૭ મિથ્યાત્વ-બંધહેતુ કુટુંબના તંત્રવાહકમાંના એક. (૭) ૧૬૯૩ મિથ્યાદર્શન-મહામે રાજાને કાળો સેનાધિપતિ. (૪) ૮૪ Page #585 -------------------------------------------------------------------------- ________________ પરિચય ] મિથ્યાદર્શન-મહામેાહના ચતુરંગ લશ્કરનાં રથા. ( ૪ ) ભવરેટને ખેંચનારા કÖક. (૭) કાયારૂપ એરડામાંના ચિત્તવાનરને અધ કરી મૂકનાર અંધારું. ( ૭ ) મિથ્યાભિમાન–રાજસચિત્ત નગરના રખેવાળ, રાગકેસરીની ગેરહાજરીમાં કામ કરનાર નાયક. ( ૪ ) "" 39 "2 "" ૭૯૧ ૧૬૮૩ ભવરેટમાં પાણી એકઠું કરવાની કુંડી. ( ૭ ) મીમાંસક–માનવાવાસના મીમાંસક નગરમાં રહેનારા લેાકેા. ( ૪ ) ૧૦૨૧ મિથ્યાધના હાથ નીચે માનવાવાસમાં આવેલું આંતર. નગર. ( ૪ ) મુક્તતા–તિધર્મ ની આજુબાજુ ખેઠેલ દશ મનુષ્યા પૈકીની એક સ્ત્રી, નિલેાભતા ન. ૪. (૪) ૧૦૬૮ ,, શુભ્રચિત્તના રાજા સદાશય-રાણી વરેણ્યતાની બીજી પુત્રી.(૬)૧૫૫૪ મુક્તાત્મા-દારુના પીઠાની બહાર ગયેલ તેરમા પ્રકારના લોકેા. (૭) ૧૬૭૬ મુખર્–અચળચપળ પર દેખરેખ રાખવા રત્નચૂડે નીમેલા જાસુસ. (૫) ૧૧૭૦ મુગ્ધ-મિથુનય કથાનો નાયક. ઋજુ–પ્રગુણા પુત્ર. ( ૩ ) મુદિતા—સાધુના અંતઃપુરમાંથી ૧૧ પૈકીની એક પત્ની. ( ૫ ) સુનિ(પ્રથમ) લેાકેાદરમાં આગથી વૈરાગ્ય પામનાર સુધનંદન ઉદ્યાનમાં મુનિ. (૭) ૪૧૧ ૧૨૫૯ ( દ્વિતીય ) દારુના પીઠાને દેખી વૈરાગ્ય પામનારા બુધનંદન ઉદ્યાનમાં મુનિ. ( ૭ ) 33 ,, "" .. ( છઠ્ઠા ) સ ંસારબજારના દર્શનથી વૈરાગ્ય પામનાર સુધનન ઉદ્યાનમાં મુનિ. ( ૭ ) મૂઢ–ચાર વ્યાપારીએ. જેની કથાશ્રવણથી પાંચ મુનિ વૈરાગ્ય પામ્યા તેમાં એક. (૭) મૂઢતા–રાજસચિત્તના રાગકેસરી રાજાની રાણી, માયાની માતા. (૪) "" ૫૪૩ ૯૧૫ ૧૬૮૨ ૧૭૩૯ ૧૦૨૧ ૧૬૫૭ ( તૃતીય ) અરઘટ્ટઘટ્ટી (ફુટ) યત્ર દેખી વૈરાગ્ય પામનાર મુધનંદન ઉદ્યાનમાં મુનિ. (૭) ( ચતુર્થાં ) પાંચ ભકતાના કરેલા મડવાસીઓને સનેપાત દેખી વૈરાગ્ય પામનાર સ્મુધનંદન ઉદ્યાનમાં મુનિ. (૭) ૧૬૮૭ (પંચમ) ચાર વ્યાપારી કથાનક શ્રવણથી વૈરાગ્ય પામનાર મુત્રનદન ઉદ્યાનમાં મુનિ. (૭) ૧૬૬૫ ૧૬૮૧ ૧૭૦૦ ૧૭૩૪ ૧૭૦૧ ૭૨૪ Page #586 -------------------------------------------------------------------------- ________________ १७७८ ૫૪૪ [ પાત્રરૂપકાદિ મૂર્ધન-નિજદેહ પર્વતનું શિખર. (૭) મૂલ્ય-સંસાર બજારમાં પાપપુણ્યનું રૂપક. (૭) ૧૭૩૫ મૃતિભવચક્રમાં સાત પૈકીની એક પિશાચી. (૪) ૧૦૦૦ મૃદુતા-શુદ્ધાભિસન્ધિવરતાની પુત્રી, શૈલરાજ સંગ મૂકાવનાર. (૪) ૧૧૧૭ મૃષાવાદ-કિલષ્ટમાનસના દુષ્ટાશય–જાન્યતાને પુત્ર-રિપુદારણને અંતરંગ મિત્ર. (૪) ૭૧૨ મૃષાવાદવિરમણ-(ધૂળ)ગૃહિધર્મને પરિવાર. બારમાને નં. ૨. (૪) ૧૦૭૯ મેઘનાદ-રત્નચૂડ વિદ્યાધરના પિતા. (૫) ૧૧૬૮ મેધા-સાધુના અંતઃપુરમાંની ૧૧ પૈકીની એક પત્ની. (૫) ૧૨૫૯ , શુભ પરિણામ–નિપ્રકંપતાની વિશેષ દીકરી-ગુણધારણની પત્ની. (૮) ૧૯૫૧ મિત્રી- સાધુના અંતઃપુરમાંની ૧૧ પૈકીની એક પત્ની. (૫) ૧૨૫૯ , શુભપરિણામ- નિકંપતાની વિશેષ દીકરી, ગુણધારણની પત્ની. (૮) ૧૯૫૧ મૈથુન–દેવી કાલપરિણનિને અનુચર. ધનશેખરને મિત્ર. (૬) ૧૫૩૦ મેહવિલયનથાવિધિનગર બહાર ઉદ્યાન. પ્રતિબોધકાચાર્યની ઉપદેશ ભૂમિ. (૩) યતિધર્મ–ચારિત્રધર્મરાજનો યુવરાજ પુત્ર. (૪) ૧૦૬૬ યથાખ્યાતચારિત્રધર્મરાજના પાંચ અંગભૂત મિત્રો પૈકી એક. નં. ૫. (૪) ૧૦૬૫ યવન-વંગ દેશનો રાજા. જયસ્થળ પર આક્રમણ કરનાર. (૩) ૬ ૧૯ યશ-ચારિત્રરાજની ચતુરંગ સેનાના હાથી. (૪) ૧૦૯૭ યુગેધર-સુકચ્છ વિજયની ક્ષેમપુરીને રાજા અનુસુંદર ચક્રીને પિતા.()૧૯૭૪ યોગ–બંધહેતુ કટુંબના નેત્રવાહકમાંના એક. (૭) ૧૬૯૩ ગંધર-કનકમંજરીના અંતઃપુરને નોકર. (૩) ૬૧૧ ગેશ્વર–તપન ચક્રવર્તી પાસેને તંત્રવાદી. રિપુદારણને મહાયાતના કરનાર. (૪) ૧૧૨૩ યોગ્ય-ચાર વ્યાપારીઓ. જેની કથાશ્રવણથી પાંચમા મુનિ વૈરાગ્ય પામ્યા તેમાં એક. (૭) ૧૭૦૧ યોગ્યતા–પ્રાણુને વિકાસક્રમ મુકરર કરનાર સ્વાધીન શક્તિ. (૮) ૧૯૧૧ યૌવન-પિશાચી જરાનો વિરોધી સત્વ. (૪) , દેવી કાલપરિણતિને અનુચર. ધનશેખરને મિત્ર. (૬) ૧૫૩૦ ૪૧૭ Page #587 -------------------------------------------------------------------------- ________________ ૬૩૪ ૧૪૮૧ પરિચય ]. ૫૪૫ રતિ-મકરધ્વજની પત્ની. (૪) રતિકાંતા–રત્ન ચૂડના મામા રત્નશેખરની પત્ની, ચૂતમંજરીની માતા.(૫)૧૧૬૯ રતિકેલિ-વિદ્યાધર, કુશસ્થલે. બાળના શરીરને યજ્ઞ કરનાર (૩) ૪૪૫ રતિચૂલા-શાલપુરના અરિદમનની રાણી (૩) રતિમન્મથ-કનકમંજરી-નંદિવર્ધનનું પ્રથમ મિલનસ્થાન. (૩) ૬૦૬ રતિલલિતા-લલિતપુરના લલાક્ષના ભાઈ રિપુકંપનની પત્ની. જાહેરમાં નાચનારી. (૪) ૯૩૯ તિવિલાસ-રથનૂપુરના વિદ્યાધર મહારાજ રનિમિત્રને મદનમંજરીના સ્વયંવરમાં આવેલ પુત્ર. (૮) ૧૮૬૩ રત્નચંડ-વિદ્યાધર. વિમળને મિત્ર. રત્નશિખા-મેઘનાદને પુત્ર. મણિપ્રભને પૌત્ર. (૫) ૧૧૬૮ રત્નદ્વીપ-હરિકુમારના મામા નીલકંઠનું નગર. રનવ્યાપારનું મોટુ ધામ. () , ચાર વ્યાપારીઓનું રત્નસંચય સ્થાન ( ૭ ) , સંસારવિસ્તારનું રૂપક. ( ૧૭૦૯) ૧૭૦૧ રત્નપુર-સુકચ્છવિજયનું નગર. સુલલિતાનું જન્મસ્થાન. (૮) ૧૯૮૧ રત્નાવતી-વિશાળાનગરીના નંદનરાજ ને પદમાવતીની દીકરી. નંદિ વર્ધનની રાણી. (૧) રત્નશિખા-વિદ્યાધરરાજ મણિપ્રભની પુત્રી, રત્નચૂડની માના, મેઘનાદની પત્ની. (૫) ૧૧૬૮ રત્નશેખર-વિદ્યાધરરાજા મણિપ્રભને પુત્ર. (૫) ૧૧૬૮ રમણ-સમુદ્રદત્ત શેઠને વિલાસી છોકરો. યુવાન. ગણિકાસક્તિમાં સર્વસ્વ બેનાર. (૪) ૯૬૨ રવિપ્રભ-સુવિજયે ગધપુરના રાજ. મહાભદ્રાના સાસર. (૮) ૧૯૮૦ રસગૌરવ-શૈલરાજને માણસ. સિંહમુનિને પાન કરનાર. (૮) ૧૯૬૨ રસત્યાગ ઉર્ફે વિગ ત્યાગ-તપયોગના બાર અંગત માણસે પૈકી એક. નં. ૪. બાહ્ય પરિવાર. (૪) ૧૦૬૯ રસના–વદનકટરમાં રહેનાર, જડની ભાર્યા. (૪) રાગ-ભવનેંટને ખેંચનારા કર્ષિક. (૭) ૧૬૮૨ રાગકેસરી-રાજસચિત્તને રાજા. મહામહને પુત્ર. (૩) ૩૮૬ , માયાને પિતા. (૪) ૫૬૭ ૭૭૦. ૭૨૪ Page #588 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ [ પાત્રરૂપકાઢિ રાગદ્વેષ-કાયારૂપ એરડામાંના ચિત્તવાનરને લેપ કરનાર ઊંદરા. (૭) ૧૭૩૮ રાજસ–સંસારીજીવના શરીર પર લગાવેલા ગાચંદનના થાપાનુ ૧૯૯૮ દ્રવ્ય. ( ૮ ) રાજચિત્ત-રાગકેસરીની રાજધાનો. અંતરંગ. ( ૩ ) રાગકેસરી રાજાનું નગર. ( ૪ ) ૩૮૬ ૭૨૪ ,, રિપુક પન—ભવચક્ર લાલાક્ષ રાજાના નાનેા ભાઈ.રતિલલિતાના પતિ. (૪) ૯૩૯ રિપુદારણ—નરવાહન–વિમલમાલતી પુત્ર. શૈલરાજને મિત્ર. નાયક. સ`સારીજીવ. ( ૪ ) ७०४ રિપુસૂદન–કાંચનપુરને રાજા. વામદેવને ફાંસીના હુકમ કરનાર. (૫) ૧૩૩૪ જા—ભવચક્રમાં સાત પૈકીની એક પિશાચી. (૪) ૯૯૭ ૧૫૪૭ ૧૨૧૯ ૫૭૧ રણાઆભીર મદનની ભાર્યાં. સ`સારીજીવ ફુલ'દની માતા. (૭) ૧૮૩૪ રાધનઢીપ-ધનશેખરને દરિયામાં લાધી ગયેલા બેટ. ( ૬ ) રહિણી—મહાવિદ્યા. અધિષ્ઠાયક દેવી. ( ૫ ) રોચિત્તપુર-અંતર’ગ નગર. દુષ્ટાભિસધિરાજાનું. (૩) રૌદ્રધ્યાન–ખેરના અંગારાથી ભરેલ કૂવો. ચિત્તવાનર એમાં પડી જાય છે તે સ્થાન. ( ૭ ) રૌદ્રાભિસન્ધિ વિષયાભિલાષને માણસ ( રૌદ્રધ્યાનનું રૂપક ). (૮) ૧૯૬૦ લખનકવાસવશેઠના પુત્ર વનના મરણુ સમાચાર લાવનાર નિમકહલાલ કર. ( ૪ ) ૧૭૪૦ ૯૮૨ ૯૭૩ લલન–મૃગયાસક્ત લલિતનગરના રાજા. ( ૪ ) લલાટપટ્ટ—શરીરક્ષેત્રમાં આવેલા પત. મુધ–મ ંદનુ ક્રીડાંગણુ. ( ૫ ) ૧૨૮૭ લલિત-સિદ્દા પુરની બહારનુ ઉદ્યાન. વિચક્ષણાચાર્ય ની સંભાષણુ ૭૫૭ ભૂમિ. ( ૪ ) લલિત-મૃગયાસક્ત લલનરાજાનું નગર-ભવચક્રે. ( ૪ ) ૯૭૩ ૧૪૯૩ હરિકુમારના અંતરંગ વિનાદી મિત્રામાંના એક. ( ૬ ) લલિતપુર–માનવાવાસનું નગર. લાલાક્ષ રાજાની રાજધાની. ( ૪ ) ૯૩૩ લવલિકા વિદ્યાધર નરસેન—વરિકાની દીકરી. મદનમ’જરીની બહેનપણી. ( ૮ ) ,, ૧૮૬૨ લીલાદેવી–સાદ્શાદપુરના જીમૂતરાજાની રાણી. ધનવાહનની માતા (૭) ૧૬૪૬ લીલાધર–ઉદ્યાન. ક્ષિતિપ્રતિષ્ઠિતની બહાર. બાળનું ક્રીડાસ્થાન. સન્મથ મદિરસ્થાન. ( ૩ ) લીલાવતી-રત્નદ્દીપે મયૂરમંજરીની દાસી. ( ૬ ) ૪૩૫ ૧૫૨૨ Page #589 -------------------------------------------------------------------------- ________________ પરિચય ] ૧૪૭ ૧૫૨૩ લીલાવતી-ધરાતળના દેવરાજ રાજાની સ્ત્રી. મન્દકુમારની બહેન. (૫) ૧૩૧૯ લીલાસુંદર-રત્નદીપે હરિકુમારનું ક્રીડા ઉદ્યાન. ( ૬ ) લાસ્થિતિ–મહારાજા ક`પરિણામની મોટી બહેન. ( ૨ ) લોકાયત-મિથ્યાદનના હાથ નીચે માનવાવાસમાં આવેલુ આંતર ૩૦૩ નગર. ( ૪ ) ૧૦૨૧ લાભ ( અનંતાનુબંધી )–મહામહને પૌત્ર. રાગકેસરીનેા પુત્ર. ( ૪ ) ૮૭૯ ( અપ્રત્યા ખ્યાની )—મહામેાહના પૌત્ર. તેના ખેાળામાં રમતાં સાળ બાળકામાંના એક. (૪) (પ્રત્યાખ્યાની)–રાગકેસરીના પુત્ર. સવવિરતિાધક છેાકરા. (૪) ૮૮૧ ( સજ્વલન )–મહામેાહના ચપળ પૌત્ર. યથાખ્યાત ચારિત્રને ८८० "" ,, 77 વિદ્યાતક. ( ૪ ) ૮૮૧ ७७० ૯૩૩ ૯૧૫ લાલતા-વનકાટરમાં રહેનાર રસનાની દાસી. ( ૪ ) લાલાક્ષ-માનવાવાસના લલિતપુરના રાજા. (૪) લાલુપતા મહામેાહના ચતુર ંગ લશ્કરના પાળાએ. ( ૪ ) વનદેવી–ધી સ્ત્રીના વશે પૂણનાર. વામદેવને ઊઘાડા પાડનાર. (૫) ૧૨૦૮ વચનગુપ્તિ-છ ગુપ્તિ. આઠ પ્રવચન માતાએ પૈકી સાતમી. ( ૮ )૧૯૪૯ વદનકટર-ભૂતળનગરે વિચક્ષણ ને જડની ક્રીડાભૂમિ. જડની વાસના ભૂમિ. (૪) વનસ્પતિ એકાક્ષનિવાસના પહેલા પાડા. (૨) ,, દાના પીઠામાં વસનાર તેર પ્રકારના લાકા પૈકી ખીજો પ્રકાર. ( ૭) ૧૬૭૫ ૧૫૬૭ વરતા–શુભ્રમાનસના શુદ્ધાભિસન્ધિની રાણી. મૃદુતાની માતા. ( ૪ ) ૧૧૧૭ વરાંગ-કનકશેખરને તેડવા આવેલા ત્રણ રાજમંત્રીમાંના એક. ( ૩ ) ૧૬૪ વિરજી-ક પરિણામના છ પુત્રા પૈકી ન. ૬. ( ૬ ) વરેણ્યતા—શુભ્રચિત્ત અંતરંગનગરના સદાશય રાજાની રાણી. ( ૬ ) ૧૫૫૪ વન-વાસવશેઠને ચારથી મરાયલે પુત્ર. એના મરણથી શેઠના ઘરમાં વિષાદ થયે તેનું નિમિત્ત. ( ૪ ) ૯૨૧ વ માનપુર-વામદેવનું નગર. બાહ્યપ્રદેશે. ( ૫ ) ૧૧૪૦ વ તા–શુભ્રમાનસના શુદ્ધાભિસન્ધિની રાણી. સત્યતાની માતા. ( ૪ ) ૧૧૧૭ વસંત-મકરધ્વજના પ્રિયમિત્ર. ( ૪ ) ૯૩૦ વસંતદેશ–ધનશેખરની રખડપટ્ટીમાં આવલા દેશ. ( ૬ ) ૧૫૪૬ GHE ૩૧૩ Page #590 -------------------------------------------------------------------------- ________________ [ પાત્રાદિ વસંતપુર–મેટા સાÖવાહેાનું નગર. મુધનન ઉદ્યાનમાં પાંચમા મુનિના વૈરાગ્યકારણ ચાર વ્યાપારીનું નગર. ( ૭ ) વસુધરા-રોખરપુરના નરકેસરની રાણી. નરસુંદરીની માતા, રિપુદારણની સાસુ. ( ૪ ) વસુમધ–કાંપિલ્યપુરને રાજા. સંસારીજીવ વાસવના પિતા. ( ૭ ) ૧૮૩૫ વસુમતી-કમળસુ દરીની વિશ્વાસુ દાસી, હરિકુમારની ધાત્રી અને તેને રત્નદીપે લઈ જનાર. ( ૬ ) ૭રપ ૧૪૮ વહાણ-સંસારસમુદ્રે જીવસ્વરૂપનું રૂપક. ( ૭ ) વાગ્મિત્વ–ચારિત્રરાજની ચતુર`ગ સેનાના ઘેાડા. ( ૪ ) વાઘ–રખડપાટામાં સંસારીજીવનું રૂપ. ( ૭ ) વામદેવ-કથાનાયક સ*સારીજીવ વમાનપુરે. સામદેવ-કનકસુ ંદરી 93 ૧૧૪૧ ૩૧૯ ૩૨૧ પુત્ર. ( ૫ ) વાચવીય–એકાક્ષનિવાસને પાંચમા પાડા, ( ૨ ) વાસવ-હ માં ગરકાવ થયેલા–રોકમાં ડૂબેલા માનવાવાસનેા શેકીએ.(૪) ૯૭૮ કાંપિક્ષપુરૅ સ ંસારીજીવ. વસુબ’ધ-ધરાના પુત્ર. ( ૭ ) ૧૮૩૫ વિકટ-વિમલાનના રત્નવતીને ક્ષિતિપ્રતિષ્ઠિત પુર્વ લઈ આવનાર દૂન. (૩)૫૬૬ વિકલાક્ષનિવાસ-મનુષ્ય લાકનું એક નગર. ( ૨ ) વિયત્યાગ કે સત્યાગ-તયાગના બાર અંગત માણસે પૈકી એક. ન. ૪, બાહ્ય પરિવાર. ( ૪ ) વિચક્ષણ -શુભાય-નિચાતાના પુત્ર. પ્રકના પિતા. છેવટે રસના કથા કહેનાર મહાન આચાર્ય. ( ૪ ) વિચક્ષણા-કાળનવ્યંતર, પત્ની. મિથુન કથાનું પાત્ર. ( ૩ ) વિચાર-મુધ અને બિણાને પુત્ર. શુભવિપાક અને નિજસાધુતાને પૌત્ર. ( ૫ ) વિજ્ઞપ્તિ-શુભપરિણામ-નિષ્ચક પતાની વિશેષ કન્યા. ગુણધારણની પત્ની. ( ૮ ) 37 ૧૭૦૧ ૧૪૮૬ ૧૭૧૦ ૧૦૯૭ ૧૮૧} ૧૯ ૭૫૭ ર સાધુના અંતઃપુરમની ૧૧ પૈકીની એક પત્ની. ( ૫ ) વિદુર-નંદિવર્ધન સંબધી રિપોટ કરનાર રાજસેવક. ( ૩ ) વિદ્યા-ચારિત્રરાજ અને સભ્યદર્શીને ઉત્પન્ન કરેલી માનસિક કન્યા.(૭)૧૭૯૭ વિતર્ક ક પરિણામ રાન્તના ખાસ કર્માંચારી પુત્રરાજ્ય અવલાકનનું નિવઘ્ન કરનાર. ( ૬ ) વિતર્ક -કાયારૂપ એારડામાંના ચિત્તવાનરનું લેવી સ્યૂસનાર માંકડે. (૭) ૧૭૩& ૧૫૬૭ ૧૨૮૬ ૧૯૫૧ ૧૨૫૯ ૩૫૪ Page #591 -------------------------------------------------------------------------- ________________ ૫૪૯ પરિચય ] વિનય-તપયોગના બાર અંગત માણસો પૈકી એક. નં. ૨. અંતરંગ પરિવાર. (૪) ૧૦૭૦ વિપર્યાસ-ચિત્તવિક્ષેપ મંડપની તૃષ્ણાદિક પર મૂકેલું સિંહાસન. ૮૦૯ વિપાક–પ્રભાવને હકીકત સમજાવનાર રાજસચિત્તને નાગરિક વિષયાભિલાષને સંબંધી. (૩) ૩૮૭ વિબુધાલય-ભવચક્રનું દ્વિતીય અવાંતર નગર. (૪) ૯૮૭ વિક–ચાળા. ભવરંટના આરા. (૭) ૧૬૮૨ વિભાકર-કનપુરને રાજવારસ. વિમલાનનાને પરણવા ઈચ્છનાર. નંદિવર્ધન સાથે લડનાર. (૩) ૫૬૭ વિભીપણુ-શત્રુમર્દનનો રાજસેવક. બાળને યાતના કરનાર. (૩) ૪૫૯ ,, ભવચક્ર હેમપુરના રાજા. જેનો મુગટ દુષ્ટશીલ ચેર્યો હતો.(૪) ૯૫૫ વિભૂષણ પારકનગરે સંસારીજીવ. વણિક, શાલિભદ્ર-કનકપ્રભાનો પુત્ર. (૭) ૧૮૩૮ વિમ-હરિકુમારના અંતરંગ વિનદી મિત્રોમાંને એક. (૬) ૧૪૯૪ વિમધ્યમ-કર્મ પરિણામ રાજાના છ પુત્ર પૈકી નં. ૩. (૬) ૧૫૬૭ વિમર્શ–નિર્મળચિત મલક્ષય-સુંદરતાને પુત્ર. બુદ્ધિદેવીન ભાઈ. પ્રકઈને મામે. (૪) વિમલ-કનકચૂડનો અમાત્ય. નંદિવર્ધન પાસે તેના હાથની કનક મંજરી માટે માગણું કરનાર. (૩) વિમલમાલતી-સિદ્ધાર્થનગરના નરવાહનરાજાની રાણું અને રિપુ દારણની માતા. (૪) વિમલાનના વિશાળાનગરીના નંદરાજા ને પ્રભાવતીની દીકરી, કનકશેખરની પત્ની. (૩) ૫૬૭ વિમળ-વધમાનપુરને યુવરાજ. કથાનાયક વામદેવને મિત્ર. ૧૧૪૧ વિમળમાનસ-બુધના સાસરા શુભાભિપ્રાયનું નગર. (૫) ૧૨૮૬ વિમળમતિ–શાર્દૂલપુરના અરિદમનને મંત્રી. (૩) ૬૮૧ વિમળા-ભકિલપુરના સ્ફટિકરાજની રાણી. વિશદ સંસારીજીવની માતા. (૭) ૧૮૪૩ વિમળાક-ધર્મબંધકર પાસેનું સુંદર આંજણ. (૧) ૨૫ વિરતિદેવી-ચારિત્રધર્મરાજની પત્ની. મહારાણું. (૪) ૧૦૬૪ વિરેચન-પ્રગતિને માર્ગે સંસારીજીવ. જનમંદિરના આનંદ-નંદિનીને પુત્ર. (૭) ૧૮૨૬ ૭૦૬ Page #592 -------------------------------------------------------------------------- ________________ 1 1 ૧૫૦ 77 વિલપન–તામસચિત્તના અધિકારીતા હજુરીએ. (૪) વિલાસ–ભવરેટના આરા. ( ૭ ) હરિકુમારના અંતરંગ વિનેાદી મિત્રામાંને એક. ( ૬ ) સ'સારીજીવ પાસે અટ્ટહાસ કરનારા લેાકેા. ( ૮ ) વિવિદ્વિષા–ચિત્તવાનરના છુપાઈ રહેલા પિરવારમાં વાંદરી. ( ૭ ) શુભપરિણામ–નિપ્રક’પતાની વિશેષ દીકરી, ગુણધારણની પત્ની. ( ૮ ) ૧૯૫૧ "" સાધુના અંતઃપુરમાંની ૧૧ પૈકીની એક પત્ની. (૫) ૧૨૫૯ વિવેક−ઊંચા સફેત નિ`ળ વિસ્તૃત પર્યંત–ભવચક્રમાં આવેલેા. ( ૪ ) ૯૭૦ વિવેકકેવળી–શાલપુરના મલવિલયમાં સંશય છેદનાર કેવળી 22 "" [ પાત્રરૂપકાદ ૭૯૬ ૧૬૨૨ ૧૪૯૩ મહારાજ. ( ૩ ) ૬૫૧ ૧૩૨૯ વિશદ—ભદ્રિલપુરમાં સંસારીવ. સ્ફટિકરાજ-વિમળાના પુત્ર. ( ૭ ) ૧૮૪૩ વિરાઢમાનસ–શુભાભિસન્ધિ રાજાનું અંતરંગ નગર. ( ૫ ) વિશાલાક્ષ-સપ્રમેાદ નગરના રાજાના સગાત્રીય. કુલધરતા પિતા. (૮) ૧૮૫૬ વિશાળા-નંદનરાજાની રાજધાની. વિમલાનના-રત્નવતીની નગરી.(૩) ૫૬૭ વિશુદ્ધધર્મ ચિત્તવાના સંબધી મોટા આગેવાન વાનર. ( ૭ ) ૧૭૫૯ વિષમકૂટ--પર્યંત. કુશાવ`પુરને સીમાડે. અંબરીષ બારવટી પ્રદેશ. ( ૩ ) ૫૭૯ ૮૫ ( ૩૮૬ વિષય (પાંચ) કાયારૂપ એરડાના ગેાખ પાસે ઝેરી ઝાડા. ( ૭ ) ૧૭૪૦ વિષયરાગ ઊર્ફે અભિંગ-રાગકેસરીના મિત્ર. ( ૪ ) વિષયાભિલાષ–રાજસચિત્તના રાગકેસરીને મંત્રી. ( ૩ ) વિષાદ–શાકના મિત્ર. માનવાવાસે રડારેાળ કરાવનાર. ( ૪ ) વીણા–સિંહપુરના ક્ષત્રિય મહેન્દ્રની ભાર્યાં, સંસારીજીવ ગંગાધરની માતા. ( ૮ ) ૯૭૯ ,, ૧૯૯૯ ૧૭૫૯ વીરસેન–અંબરીષ ખારવટીઆને ઉપરી. સમરસેનના સ્થાન પર આવનાર. ( ૩ ) વીય–અંતરંગ મહારાજ્યને રત્નકાશ. ( ૬ ) ૬૧૪ ૧૫૬૦ ચિત્તવાનરના છુપાઈ રહેલા પરિવારમાં વાનરબચ્યું. (૭) ૧૭૫૮ વૃત્તિસંક્ષેપ–તપયોગના બાર અંગત માણસો પૈકી એક. નં. ૭. બાહ્ય પરિવાર. ( ૪ ) વેદનીય–એ મનુષ્યાથી પરવરેલ, મહામહના મિત્ર રાજા. ( ૪ ) ૧૯૫૫ ૧૦૬૯ eve Page #593 -------------------------------------------------------------------------- ________________ ૫૫૧. - ૮૨૦ પરિચય ] વલ્લહલ-ભુવનદરનગરે અનાદિ–સંસ્થિતિ રાજા રાણીને ખાઉધરે પુત્ર. (૪). વૈતાઢય-વિદ્યાધર નગરનું આશ્રયસ્થાન, શ્વેત પર્વત. (૫) ૧૧૬૮ , વિવાધરનું સ્થાન, પર્વત. (૮) ૧૮૬૧ વિદ્યમુનિ-સને પાનની અસરમાંથી મુકાવનાર મહાવ. ધ્યાનસ્થ આચાર્ય. (૭) ૧૬૯૬ વૈરાગ્ય-અંતરંગ રાજ્યપ્રવેશમાં ઉત્તમકુમારને સાથી. (૬) ૧૬૦૩ , ચિત્તવાનરના છુપાઈ રહેલા પરિવારમાં વાનર બચ્ચે. (૭) ૧૭૫૯ વૈયાવચ્ચ-પગના બાર અંગત માણસ પૈકી એક. નં. ૩. અંતરંગ પરિવાર. (૪). ૧૦૭૧ વૈશેષિક-મિઠાદર્શનના હાથ નીચે માનવાવાસમાં આવેલું આંતરનગર. (૪) ૧૦૨૧ વિશ્વાનર-અવિવેકિતાને પુત્ર, નંદિવર્ધનનો મિત્ર. અંતરંગ. (૩) ૩૪૬ વ્યંતર-કામદેવ મંદિરને અધિષ્ઠાયક. બાળને બંધન કરનાર. (૩) ૪૩૯ , વિબુધાલયમાં સંસારીજીવને સ્વાંગ. (૭) ૧૮૨૨ શંખ-મનુજાતિના ધાતકીખંડનું નગર. સંસારીજીવ–સિંહનું જન્મસ્થાન. (૮) શંખપુર-મહાવિદેહના સુકચ્છ વિજયનું નગર, અનુસુંદરનું ચર્યાસ્થાન. શ્રીગર્ભરાજાનું નગર. (૮) ૧૯૭૮ શત્રમદન-ક્ષિતિપ્રનિતિને રાજી. બહિરંગ. (5) ૪૩૭ શમ-અંતરંગ મહારાજ્યને રત્નકેશ. (૬) ૧૫૬૦ શમાવહ-કુશાવર્તની બહારને બગીચો. દત્તસાધુની વિહારભૂમિ. (૩) ૫૫૪ શાતાગૌરવ-શૈલરાજનો માણસ. સિંહ મુનિને પાત કરનાર. (૮) ૧૯૬૨ શાંતિશિવબહેરા ભૌતાચાર્ય સદાશિવને મૂખ શિષ્ય. (૪) ૮૧૪ શાંતિસૂરિ-કાંપિલ્યપુરે સંસારીજીવ વાસવને ઉપદેશ આપનારા ગુરુ. (૭)૧૮૩૫ શાર્દૂલ-હરિકુમારને પુત્ર. હરિની દીક્ષા વખતે તેની ગાદીએ આવનાર. (૬) ૧૬૩૫ શાલપુર-નંદિવર્ધન માટે દીકરીનું કહેણ મેલનાર અરિદમનનુંનગર.(૩)૬૩૪ શાલિભદ્રસેપારકનગર વણિક સંસારીજીવ વિભૂષણનો પિતા. (૭) ૧૮૩૮ શિખરિણી-રત્નદીપના નીલકંઠ રાજાની રાણી. હરિકમારની સાસુ. (૬)૧૫૧૮ શિવભક્ત-બઠરગુરુને ઉપદેશ આપનાર-મંદિરમાં દીવો કરનાર ભક્ત.(૫) ૧૨૭૬ શિવાલય-અંજનના પ્રયોગથી દૂરથી દેખાતું શાંતિનું પવિત્ર ધામ.(૭) ૧૭૩૬ ૧૬ Page #594 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨ [ પાત્રાદિરૂપક શલિમુખ-ચારિત્રધર્મરાજના ચાર મુખે પૈકીનું બીજું મુખ. (૪) ૧૦૬૦ શુક્લ-કાયારૂપ એરડાના ગર્ભગૃહમાં રહેનારી છે નેકર સ્ત્રીઓમાંની છઠ્ઠી (લેમ્યા). (૭). ૧૭૫ , શુકલપુષ. સમાધિનું રૂપક, શુકલ લેસ્યાથી પિષિત. (૮) ૧૯૪૧ શુકલધ્યાન-સબીજગ માર્ગ પછી આવતે દડોલક, નાની કેડી, નિવૃત્તિને માગે. (૬) ૧૬૦૭ ,, આંતર પરિવારે ચિત્તવાનરને કરેલું શાંત વિલેપન. (૭) ૧૭૫૯ શુદ્ધતા-વિશદમાનસના શુભાભિસન્ધિની રાણી. ઋજુતાની માતા. (૫) ૧૩૨૯ શુદ્ધાભિસન્ધિ–શુભ્રમાનસ આંતર નગરને રાજા. મૃદુતા સત્યતાને પિતા. (૪) ૧૧૧૭ શુભકાનન-સોપારક નગરની બહાર ઉડાન. વિભૂષણનું ક્રીડાંગણ, સુધાકૃપાચાર્યની ઉપદેશભૂમિ. (૭) ૧૮૩૯ શુભપરિણામ-ચિત્તસૌંદર્ય નગરને રાજા. અંતરંગ. (૩) ૩૬૨ શુભવિપાક-ધરાતળ નગરને રાજા. બુધને પિતા. (૫) ૧૨૮૫ શુભસુંદરી-મનીષીની માતા-કર્મવિલાસની પત્ની. (૩) ૩૭૪ શુભાચાર-ઋજુ–પ્રગુણાને ના પુત્ર. (૩) ૪૨૮ શુભાભિપ્રાથ-વિમલમાનસના રાજાધિષણના પિતા.બુધના સસરા.(૫)૧૨૮૬ શુભાભિસન્ધિ-વિશદમાનસનગરનો રાજા. ઋજુતા ને અચૌર્યતાને પિતા. (૫) શુભાશય-ચારિત્રરાજના લશ્કરમાં બહાદુર લડવૈયા. (૬) ૧૫૬૧ શુભેદય-ભૂતળનગરના મલસંચયરાજાને દીકરે. વિચક્ષણને પિતા.(૪) ૭૬૩ શુભ્રચિત્ત-અંતરંગનગર. સદાશય રાજાનું ધામ. (૬) ૧૫૫૪ શુભમાનસ–શુદ્ધાભિસન્ધિ રાજાનું આંતરનગર. (૪) ૧૧૧૭ સૂર-શરના દીકરાને ખૂની જડ. જડનો ખૂની શર ક્ષત્રીય. (૪) ૧૧૦૬ રસેન-કનકચૂડ રાજાને એથે મંત્રી. વરવા આવેલ રાજકન્યાનું કુશાવર્તપુરે આતિથ્ય કરનાર. (૩) ૫૬૯ શેખરપુર-નરસુંદરીના પિતા નરકેસરીનું રાજનગર. શિલરાજ-દ્વેષગજેન્દ્ર-અવિક્તિાને પુત્ર. રિપુદારણને મિત્ર. (૪) ૭૦૫ શિલેશી-નિબજોગ રસ્તા પછી આવતા રસ્તે. નિવૃતિને માગે. (૬)૧૬૦૮ શેકનામસચિત્ત નગરના અધિકારી મતિ મેહને મળવા આવેલ મિત્ર. (૪) ૭૯૬ ,, મકરધ્વજના સિંહાસન પાસે બેઠેલ પાંચ મનુષ્ય પૈકીને એક પુષ. ૮૭૫ ૧૩૯ ૭૨૫ Page #595 -------------------------------------------------------------------------- ________________ પરિચય ] ૫૫૩ શોક-ભવટના કર્મચારી. (૭) ૧૬૮૨ શચ-યતિધર્મની આજુબાજુ બેઠેલ દશ મનુષ્યમાન એક નં. ૮. (૪) ૧૦૭૬ , ચિત્તવાનરના છુપાઈ રહેલા પરિવારમાં વાનર બચ્યું. (૭) ૧૫૯ , ચારિત્રરાજની ચતુરંગ સેનાના રથે. (૪) ૧૦૯૭ શૌકીર્ય-ચિનવાનરના છુપાઈ રહેલા પરિવારમાં વાનરચ્યું. (૭) ૧૭૫૯ શ્રદ્ધા સાધુના અંતઃપુરમાંની ૧૧ પૈકી એક પત્ની. (૫) ૧૨૫૯ ચિત્તવાનરના છુપાઈ રહેલા પરિવારમાં વાંદરી. (૭) ૧૭૫૯ , શુભપરિણામ-નિપ્રકંપતાની વિશેષ કન્યા. ગુણધારણની પત્ની.(૮) ૧૯૫૧ શ્રવણ-નિજદેહપર્વતના મૂર્ધન શિખરની બાજુના બે ઓરડા. (૭) ૧૭૭૮ શ્રીગર્ભ–શંખપુરના રાજા, અનુસુંદર ચક્રવર્તીના મામા, મહાભદ્રાના માસા. ( ૮ ) ૧૯૮૩ શ્રીધર-શાર્દૂલપુરના રાજા અરિદમનને ગાદીએ આવનાર પુત્ર. (૩) ૬૮૩ શ્રુતિ-કર્મ પરિણામની કન્યા વિષયાભિલાષની દીકરી.બાલિશની પત્ની.(૭)૧૭૭૮ પંઢવેદ-મકરધ્વજના પરિવારમાં એક પુરુષ.(૪) ૮૬૮ સંકિલષ્ટ ચિત્તતા-ભવટની નિર્વાહણ-ખાળ. (૭) ૧૬૮૩ સંગ-શેઠાણું બુતિને નોકર, બાલિશને કૃતિ સાથે પરિચય કરાવનાર. (૭) ૧૭૭૯ સંજ્ઞાકાયારૂપ ઓરડામાંના ચિત્તવાનરને ખાનાર ઘાતકી બિલાડીએ. ૭૧૭૩૮ સત્ય-મેહરાયના દરબારમાં ચારિત્રરાજે મોકલેલે દૂત. (૫) ૧૩ ૧૪ , યતિધર્મની આજુબાજુ બેઠેલ દશ મનુષ્યમાં એક નં.૭. (૪) ૧૦૭૫ એ ચિત્તવાનરના છુપાઈ રહેલા પરિવારમાં વાનરબચ્ચે. (૭) ૧૭૫૯ સત્યતા–શુદ્ધાભિસન્ધિ–વર્યતાનીની પુત્રી.મૃષાવાદનેસંગ મૂકાવનાર.(૪)૧૧૧૮ સદાગમમનુજગતિના શુદ્ધ મહાપુરુષ. (૨) , ભવજતુને સ્પર્શનસંગમુક્ત કરાવનાર. (૩). ૩૭૭ , સદ્દબેધ મંત્રીના પાંચ પૈકીનો બીજો બોલતે મિત્ર. (૪) ૧૦૯૧ સદાશય-શુભ્રચિત્તનગરને અંતરંગરાજા.બ્રહ્મરતિ–મુક્તતાનો પિતા. ૬)૧૫૫૪ સદાશિવ-જન્મથી બહેરે શિવપૂજારી.વિમર્શની અંતરકથાનું પાત્ર. (૪) ૮૧૩ સદ્દગુણરક્તતા–ચારિત્રરાજાના ફટાયા ગુહિધર્મની પત્ની. (૪) ૧૦૮૬ સદ્દબુદ્ધિ-નિપુણ્યકની ખાસ પરિચારિકા. (૧) ૩૯ સંબોધ-મહારાજા ચારિત્રરાજનો મંત્રી. (૪) ૧૦૯૦ Page #596 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ સોધ–વિશુદ્ધધ વાનરની આગેવાની નીચે ચિત્તવાનરના છુપાઇ રહેલા પિરવારમાંને એક. ( ૭ ) ૧૯૪૯ ૩૮૯ સદ્દભાવના–પુરા હિતકાર્યું કરનાર સાધમંત્રીએ અગ્નિને આપેલ આતિએ. ( ૮ ) સદ્ભાવસારતા–ચારિત્રરાજના યુવરાજ યતિધની સુંદર સ્ત્રી. ( ૪ ) ૧૦૭૭ સંતાષ- સદાગમને અનુચર, સ્પેનનો શત્રુ, માહરાજાને સમાવડીયા રાજા. ( ૩ ) ચારિત્રરાજતા સેનાની. સયમ યતિધમ સાથે રહેનાર. ( ૪ ) ૧૦૯૩ વિશુદ્ધધ વાનરની આગેવાની નીચે ચિત્તવાનરના છુપાઈ રહેલા પિરવારમાંના એક. (૭) સપુણ્યક-નિપુણ્યક ભિખારીનુ નવુ નામ. ( ૧ ) સપ્રમેાદ–માનવાવાસનું નગર. ગુણધારણ-સંસારીજીવનુ' જન્મસ્થાન. ( ૮ ) સખીજયેાગ–ધારણા નદીને પેલે પાર ધર્મધ્યાન કેડી પછી આવતા મોટા મા નિવ્રુતિને માગે. (૬) સમતા-નિવૃતિને માગે રાખવાની યાગનલિકા, ( ૬ ) સમયજ્ઞ-ભુવનેાદરનગર વૈદ્યના પુત્ર. વેલ્લહલના વ્યાધિના ઉપાય ચિંતવનાર. ( ૪ ) સમરસેન—કલિંગ દેશના રાજા. વિભાકરને મદદગાર. ( ૩ ) સમુદ્ઘાત-યેગવૈતાળાને મારી નાખવાના પ્રબળ પ્રયત્ન. ( ૬ ) સમુદ્રદેવ-હિરકુમારને ભરદરયે બચાવનાર. ( ૬ ) સમંતભદ્ર–કેવલી. સદાગમ પેતે. ( ૮ ) સુવિજયે હરિપુરના ભીમરથ-સુભદ્રાના પુત્ર. પ્રજ્ઞાવિશાળા—મહાભદ્રાના ભાઇ. સદાગમ. (૮) સ’ભાગ-સંસારીજીવની બાજુમાં વાગતા નગારાઓ. ( ૮ ) સમ્યગ્દર્શન-ચારિત્રરાજના સેનાપતિ. (૪) સયત મનુષ્ય-બ્રાહ્મણુ, દારુના પીઠામાં વસનાર તેર પ્રકારના લા પૈકી ખારમા પ્રકાર. મુનિવર્યાં. (૭) સયમ-વિશુદ્ધ વાનરની આગેવાની નીચે ચિત્તવાનરના છુપાઇ રહેલા પરિવારમાંના એક. (૭) યતિધની આજુબાજુ ખેઠેલ દશ મનુષ્યેામાંના સત્તરથી પરવરેલા એક. નં. ૬. (૪) "" "" ,, 99 [ પાત્રરૂપકાર્ત્તિ ૧૭૫૯ ૧૦૫૯ ૪૩ ૧૮૫૪ ૧૬૦૬ ૧૬૦૮ ૮૨૧ ૫૮૪ ૧૬૦૭ ૧૫૪૨ ૧૯૮૮ ૧૯૮૦ ૧૯૯૯ ૧૦૮૭ ૧૬૭૬ ૧૦૫૯ ૧૦૦૩ Page #597 -------------------------------------------------------------------------- ________________ પરિચય ] સલીનતા–તપયાગના ખારી અંગત માણસા પૈકી એક ન, ૬. ખાદ્ય પરિવાર. ( ૪ ) ૧૮૧૭ સંવેગ-વિદ્યાકુમારીનાં ખે પૈકી એક સ્તન. (૮) સરળરોઝવામદેવને આશ્રય આપનાર કાંચનપુરને સ-રખડપાટામાં સંસારીજીવનું રૂપ. ( ૭ ) સ રાચક-જયસ્થળના પદ્મરાજાના ચાર મંત્રીમાંને એક. ( ૩ ) ૬૨૦ સર્વાંસિદ્ધ-વિમાન. ઉપશમશ્રેણીએ ચઢેલ અનુસુંદરનું ગમનસ્થાન. ( ૮ ) સસારીજીવ–કથા કહેનાર ચાર. (૨) સંસ્કૃતિ-સંસારવિસ્તારનુ` રૂપક-નગરી. છઠ્ઠા મુનિના વૈરાગ્ય પ્રસંગતું નિમિત્ત. ( ૭ ) ૧૭૩૫ સસ્થિતિ- વલહુલની માતા. ભુવનેાદરના અનાદિ રાજાની રાણી. (૪) ૮૨૦ સાકેતપુર-ભરતક્ષેત્રમાં નગર. સંસારીજીવ અમૃતે દરનું ધામ. ( ૭ ) ૧૮૧૮ સાગર-મહાપરિગ્રહના મિત્ર. લાભનું રૂપક. માયાદેવીના ભાઈ. (૭) ૧૭૮૨ ધનશેખરના અંતરંગ મિત્ર. લાભનું રૂપક. ( ૬ ) સાંખ્ય—માનવવાસના સાંખ્ય નગરમાં રહેનારા લોકો. (૪) ૧૪૬૭ ૧૦૨૧ મિથ્યાદર્શનના હાથ નીચે માનવાવાસમાં આવેલુ' અ’તરનગર.(૪)૧૦૨૧ સાત–વેદનીય રાજાને માણસ. વિષુધાલયને નાયક. ( ૪ ) "" ૯૮૮ વેદનીયરાજાને ભાયાત. સ`સારીજીવને સ્વાદ લેવરાવનાર. ( ૮ ) ૧૮૮૮ સાત્ત્વિકમાનસપુર-ભવચક્રમાં આવેલું ભવ્ય નગર. જૈન આંતર નગરનું મહાન સ્થાન. ( ૪ ) ૧૦૪૪ સામાન્યરૂપા—કવિલાસની ત્રીજી પત્ની. મધ્યમમુદ્ધિની માતા. (૩) ૪૦૮ સામાયિક-ચારિત્રધરાજના પાંચ અંગભૂત મિત્રામાંના એક.ન.૧.(૪) ૧૦૬૪ ગૃહિધના પરિવાર. બાર પૈકી નં.૯ પ્રથમ શિક્ષાવ્રત. (૪) ૧૦૮૪ સારગુરુ-ભવગ્રામના સ્વરૂપમદિરના અધિપતિ. તેનું ઉપનામ "" "" "" શેઠી. ( ૫ ) ૫૫૫ અòરગુરુ થયું હતું. ( ૫ ) સાહલાદ—ધનવાહનના પિતા જીમૂતરાજનું નગર. ( ૭ ) સિદ્ધાર્થ –શત્રુમનને નિમિત્તા જોશી. ( ૩ ) ૭૦૩ મનુગતિના ભરતપાડાનું નગર, રિપુદારણનું જન્મસ્થાન અને ખેલણભૂમિ. (૪) જ્યાતિષશાસ્ત્રકુશળ સાહ્લાદપુરમાં વસનાર જોશી. ( ૭ ) ૧૬૪૭ સિદ્ધાંત–ક પરિણામ રાજાને સદ્ ભાવ સમજનાર મહાપુરુષ. ( ૬ ) ૧૫૫૮ 23 ૧૦૬૯ ૧૯૩૪ ૧૩૩૦ ૨૦૨૭ ૨૯૩ ૧૨૬૩ ૧૬૪૫ ૧૩૫ Page #598 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧૯ [[ પાત્રરૂપકાદિ સિંહ-ધાતકીખંના શંખ નગરે સંસારીજીવ. સિંહ યુનિ. ગૌરવથી અધ:પાત ખમનાર. ( ૮ ). ૧૯૫૬ સિંહપુરઐરાવતક્ષેત્રનું એકનગર ગંગાધર સંસારીજીવનું સ્થાન. (૮) ૧૯૫૫ સુકચ્છવિજય-મહાવિદેહના ૩૨ વિભાગ પૈકીને એક (વિજય). એની રાજધાની ક્ષેમપુરી. (૮) ૧૯૭૪ સુખદુ:ખ-ભવરેટથી ખેડાતા જન્મસંતાન ખેતરને પાક. (૭) ૧૬૮૩ સુખ-શુભ પરિણામ-નિષ્પકપતાની વિશેષ દીકરી. ગુણધારણની પત્ની. (૮) ૧૯૫૧ સુખાસિકા-ચિત્તવાનરના છુપાઈ રહેલા પરિવારમાં વાંદરી. (૭) ૧૭૫૯ ,, સાધુના અતઃપુરમાંની ૧૧ પૈકી એક પત્ની. (૫) ૧૨૫૯ સુષ–ઐવિત ક્ષેત્રમાં આચાર્ય. સંસારીજીવ ગગાધરના ગુરુ. (૮) ૧૯૫૫ ,, સમંતભદ્રને ઉપદેશ આપી દીક્ષા દેનાર અને આચાર્યપદે સ્થાપનાર ગુરુ. (૮). ૧૯૮૦ સુદર્શન-સાકેતપુરની બાજુના જંગલમાં મુનિ. સદાગમ તરીકે અમૃતોદરને દેખા દેનાર. (૭). સુદષ્ટિ ચારિત્રરાજના સેનાપતિ સમ્યગદર્શનની પત્ની. (૪) ૧૦૮૮ સુધાપ-સંસારીજીવને દ્રવ્યશ્રદ્ધા કરાવનાર શુભકાનન ઉદ્યાનમાં - આચાર્ય. (૭). સુપ્રબુદ્ધ-ભદ્રિલપુરમાં વિશદ-સંસારીજીવને તત્ત્વશ્રદ્ધાન કરાવનાર મુનિ. (૭) સુબુદ્ધિ-શત્રુમર્દનને સહદય પ્રધાન. (૩) ૪૫૯ ,, રત્નદીપના નીલકંઠ રાજાનો મંત્રી. હરિકુમારને નસાડનાર.(૬)૧૫૩૬ સુભગતા-પિશાચી. દુર્ભાગતાની વિરોધી સત્વ. (૪) ૧૦૧૦ સુભદ્રા-સુકચ્છવિજયના હરિપુરના રાજા ભીમરડાની રાણી. મહાભ દ્રાની માતા. (૮) સુમતિ-કર્મપત્ર દેવીકાલપરિણતિનો પુત્ર. ભવ્યપુરુષનું બીજું નામ. (૨) ૨૭૧ સુમતિ-કનકશેખરને તેડવા આવેલા ત્રણ રાજમંત્રીમાંના એક. (૩) ૫૬૫ સુમાલિની-સપ્રદ નગરના મધુવારણ રાજાની રાણું. ગુણધારણની માતા. (૮) ૧૮૫૫ સમખ-ભવચકે ચણકપુરના ધનવાને સાર્થવાહનું મૂળ નામ. (૪) ૯૭૬ સમંગળ-સુકચ્છવિજયે રત્નપુરના મગધસેન રાજાની રાણું. સુલલિતા-અગ્રહીતર તાની માતા (૮) ૧૯૮૧ ૧૮૩ ૧૮૪૩ ૧૯૮૦ Page #599 -------------------------------------------------------------------------- ________________ પરિચય ] સુરૂપતા–પિશાચી. કુરૂપતાની વિધી સત્ત્વ. ( ૪ ) મુલલિતા-સુક૰વિજયે રત્નપુરના મગધસન-સુમંગળાની પુત્રી. અગૃહીનસ તા. મદનમ’જરીતે જીવ. ( ૮ ) સુલેાચન-શત્રુમર્દનના પુત્ર. ગાદીએ બેસનાર. ( ૩ ) સુસ્થિત-સાતમે માળ બેઠેલા મહારાન્ત. (૧) સુંદર-જૈન મુનિ. બક્રુ-સંસારીજીવને દ્રવ્ય સાધુ કરનાર ( ૭ ) ૧૮૨૨ સુંદરના-નિ`લચિત્ત મલક્ષયરાન્તની રાણી. બુદ્ધિ તે વિમશ'ની માતા.(૪) ૭૬૯ સૂક્ષ્મસ પરાય--ચારિત્રધરાજના પાંચ અંગભૂત મિત્રા પૈકી એક. ૧૮ ૫૫૭ ૦૬ ૧:૫ ન. ૪. (૪) સાપારક–માનવાવાસનું નગર. સ’સારીવ-વિષ્ણુનું જન્મસ્થાન (૭) ૧૮૩૮ સામદેવ કથાનાયક વામદેવના પિતા. વર્ધમાનપુરના ધનપતિ શેઠ. (૫) ૧૧૮૧ સાજન્ય-પિશાચી ખેલતાનું વિરેાધી સત્ત્ત. ( ૪ ) ૧૬૦૩ ચારિત્રરાજની ચતુરગ સેનાના હાથી. ( ૪ ) ૧૯૭ 29 ૧૫૦ ૧૯૭ ૧૧૪૬ સામ --પ્રથમ દેવલાક. સ’સારીજીવની રખડપટ્ટી દરમ્યાન સ્થાન. (૭) ૧૮૩૧ સામનસ્ય-અંતરંગ ચતુરંગ સૈન્યમાં પતિએ. ( ૬ ) સાજીવ–ચારિત્રરાજની ચતુરગ સેનાના હ્રાથી. ( ૪ ) સ્તબ્ધચિત્ત-રિપુદારણે વારવાર કરેલા લેપ-શૈક્ષરાની બનાવટ( ૪ ) ‘૧૦૯ સ્તેય-વામદેવનો મિત્ર. મૃષાવાદના નાનો ભાઇ. ( ૫ ) શ્રીવેદ–મકરધ્વજના પરિવારમાંનો એક પુરુષ. ( ૯ ) સ્થળચર-પંચાક્ષપશુસંસ્થાનમાં વસતા લકા. ( ૨ ) સ્નેહરાગ ઊર્ફે ભવપાત-રાગકેસરીનો મિત્ર. ( ૪ ) સ્પન-બાળને મિત્ર. વિષયાભિલાષનો માણસ. ( ૩ ) સ્ફટિક્શજ-ભહિલપુરના રાજા. સ’સારીજીવ વિશના પિતા. (૩) ૧૮૪૨ સ્ફુટવચન–શાલપુરના અરિદમન રાન્તને દૂત. નજીવી બાબતમાં નંદિવર્ધનને હાથે મરણુ પામનાર. ( ૩ ) ૩૪ Ex ૩૦૫ ૧૯૮૧ ૫૪૨ *૩૪ ૧ સ્વકવિવર—સુસ્થિત રાજમદિરનો દ્વારપાળ. ( ૧ ) સ્વદેહ-ક્ષતિપ્રતિષ્ઠિતના બગીચા. સ્પેનની ફાંસીનું સ્થાન. ( ૩ ) ૩૭૬ સ્વભાવનોઁાદરના સ્થાનમાં આવનાર ચાર મહાપુરુષો પૈકી એક. (૮) ૧૯૦૩ સ્વમનિય-ક્ષમાતળનો રાજા. ક્રાદિ બાલિશના પિતા. (૭) ૧૭૭૭ સ્વયાગ્યતાજની માતા. અશુભેયની પત્ની. ( ૪ ) ૭૬૪ ૧૨૨ સ્વરૂપ–ાવનગરમાં બૉરગુરુનું શિવમ ંદિર. ( ૫ ) સ્વવી ચિત્તવાનરને ઝેરી ફા ખાતાં અટકાવનાર પ્રબળ હાથો, (૭) ૧૪૧ Page #600 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ સ્વાધ્યાય–તપયેાગના બાર અંગત માણસા પૈકી એક. ન. ૪. પુત્ર-રત્નદ્દીપે ઉછરેલા. અંતર`ગ પરિવાર. (૪) હરિકુમાર–આનંદપુરના કેસરી રાજાનો ધનશેખરનો મિત્ર. ( ૬ ) હરિપુર-સુક૰વિજયનું નગર. મહાભદ્રા પ્રજ્ઞાવિશાળાનું જન્મ સ્થાન. ( ૮ ) ૧૯૮૦ ૧૪૬૬ હરિશેખર-આનંદપુરનો શેઠ. ધનશેખરના પિતા. ( ૬ ) હરિશ્ચંદ્ર–કુશસ્થળ નગરનો રાજા. બાળના હાલહવાલ કરનાર. ( ૩ ) ૪૪૫ હે માનવાવાસમાં રાગકેસરીનો એક સેનાની. આનંદ ક્સ્પ્લાય [ પાત્રરૂપકાદિ ૧૦૭૨ કરાવનાર. ( ૪ ) eve ૧૭૩૫ ૧૬૮૨ હાર્ટશ્રેણી—સંસાર બજારમાં દુકાનની હાર. ભવનું રૂપક. (૭) હાસ–મકરધ્વજના સિંહાસન નજીક બેઠેલ પાંચમાંનો એક પુરુષ. (૪) ૮૭૨ હાસ્ય-ભવરેટના કર્માચારી. ( ૭ ) હિતજ્ઞ–ચાર વ્યાપારીએ. જેની કથાશ્રવણથી પંચમ મુનિ વૈરાગ્ય પામ્યા તેમાંનો એક. ( ૭ ) હિંસા-રૌદ્રચિત્તપુરના દુષ્ટાભિસન્ધિ અને નિષ્કરુણુતાની દીકરી. નંદિવર્ધન પત્ની. ( ૩ ) ૫૪ ૮૭૫ હીનસત્ત્વતા-ભયની પત્ની. ( ૪ ) હંસપુર-લલિતપુર પાસેનુ નગર ભવચક્રુવિભીષણ રાજાની રાજધાની.(૪) ૯૫૫ ૧૪૮૯ ૧૭૧ Page #601 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ ઉપમિતિ ભવપ્રપંચા સ્થા-ભાષાઅવતરણના ત્રણ ભાગમાં આવેલા વિષયની અનુક્રમણિકા ૧૯૯૧ ૧૭૭૦ (તા. ક. પૃષ્ઠસંખ્યા ભાષાંતરની છે. પ્રથમ વિભાગની બીજી આવૃત્તિ વાપરી છે. બીજા અને ત્રીજા વિભાગની પહેલી આવૃત્તિ વાપરી છે. કૌસમાં આઠ પ્રસ્તાવ પૈકી જેટલા હોય તે મૂકો છે.) વિષય પૂ8 અકરાંતીઓ-વેલહત (૪) ૮૨૦. ૮૨૨] » સુલલિતા (૮) અકર્મભૂમિ-ત્રીશ (૮) ૧૯૬૮) અઘાતી કર્મ-ચાર (૪) અકલંક- ધનવાહન મત્રી (૭) ૧૬૫૫ | અગ-પાંચ-રાજનીતિનાં (૫) ૧૩૦૮ –દીક્ષા (૭) » બાર (૧) નેટ -પુનરાગમન (૭) | અંગાર કર્મ (૪) નેટ ૮૩૦ -નિરર્થક પ્રયત્ન (૭) ૧૭. અચૌર્યતા (૫) ૧૩૨૯ અકલ્યાણમિત્ર (૩) નોટ ૫૦૬] , (૮) ૧૯૨૧ અકુટિલા (૩) ૪૧૧ છે પ્રાપ્ત કરવાના ઉપાય (૮) ૧૯૨૬ અકુશલમાળા (૩) ૭િ૪. | અજીર્ણ-સમજણ (૪) ૮૨૭ છે સ્પર્શન પરત્વે (૩) ૩૮૨. એ પ્રકાર (૬) ૧૫૧૧ ની યોગશક્તિ. ૪૩૩] અજીવ તત્વ (પરિ.) ૧૩૯૨ અને દેશનિકાલ હુકમ. ૫૦૨| અજ્ઞાન (૩) ૪૨૪-૪૨૫ શ ના પુત્રો (૩) ૫૫ , ઘેડા (૩) ૩૮૭ અકુશલ ભાવનાભાવિત માનસે (૬)૧૪૯૮ | * વાદી (૪) ૧૩૪૯ અકુશળ દ્રવ્ય (૮) ૧૯૯૮ | અટવી-ચિત્તવૃત્તિ (૪) ૮૦૪ અગુરુલઘુ નામકર્મ (૪) સમજણ (૪) ૮૨૬ અગ્રહીતસંકેતા (૨) ર૭૪. ૩૨૯ અઠ્ઠાઈ મહત્સવ (૩) નું શંકાસમાધાન (૪) ૮૨૫ અઢાર દેશ–અભાવ (૬) ૧૬૨૪ અને ખુલાસે (૪) ૮૪૧ | અણઘડ શિષ્ય (૪) અગ્રહીતસક્તિા સાદાઈ. (૫) ૧૩૪૦ અણુવ્રત (૩) ૫૧૧ ૫૩૫ Page #602 -------------------------------------------------------------------------- ________________ ૮૯૦ પ૬૦ [ ઉપમિતિ સ્થાને વિષય પૃષ્ઠ | વિષય આગ્રુવ્રત ગૃહસ્થના (૪) ૧૦૭૮-૧૦૮૨ | અનુપૂવી નામકર્મ (૪) અતત્વમાં તત્ત્વબુદ્ધિ (૪) ૮૪૮ | અનુપ્રેક્ષા-સાધુપત્ની, (૫) ૧૨૫૯ અતિચાર (૪) નેટ ૮૧ અનુમાન (પરિ૦) ૧૭૬૩. ૧૩૮૨. ૧૩૮૮ આતથિસ વિભાગ-શિક્ષાવ્રત (૪) ૧૦૮૫ અનુવ્રત–માહાસ્ય (૧) ૧૮૨ અતિશય-ચેત્રીશ (૬) ૧૬૧૯. ૧૬૨૧-૪ અનુષ્ઠાન-ચિત્તસબંધ (૮) ૨૦૫૦ અત્યંતઅબોધ સેનાપતિ (૨) ૩૦૦ | અનુસુદર-જન્મ (૮) ૧૯૭૫ અદત્તાદાનવિરમણ-સ્થૂળ (૪) ૧૦૮૦ | છે -પરિચય (૮) ૧૯૯૦ અદૃષ્ટમૂળપર્યત (૧) ૧૫-૫૧ | છે –વધસ્થાને (૮) ૧૯૯૮-૯ અદેવે દેવબુદ્ધિ (૪) ૮૪૫ બ -નું ઉત્થાન (૮) ૨૦૦૫ અધમરાજ્ય (૬) ૧૫૭૭-૧૫૮૬ છે દીક્ષા મહોત્સવ (૮) ૨૦૦૭ અધમાધમ પુરૂષ (૬) ૧૫૭૬ , શાનમાં (૮) ૨૦૨૬ અધર્મમાં ધર્મબુદ્ધિ (૪) , –સર્વાર્થસિધેિ (૮) ૨૦૨૭ અધિકારી-(ગ્રંથના). (૧) ૧૩] અંતરકથા-મિથુનદ્રય (૩) ૪૧-૪૩૧ છે –ઔષધના (૧) ૩૪–૧૫ ! અતરકરણ (૧) નોટ –નિર્ણય-ચેષ્ટાથી (૧) ૧૭૯ | અંતરંગ કુટુંબ (૩) ९७० અધ:પાતની સકળના (૮) ૧૯૬૧ છે -દબાયલું (૩) ૬૭૨ અધ્યપૂરક દેષ (૪) ૧૪૧૩ , –નાં વૈર (૩) ૬૭૩ અધ્યવસાય-સરેવર (૬) ૧૬૮૫ -ના ગુણદોષજ્ઞાન (૩) ૬૭૪ » મન (૭) ૧૭૫૩–૧૭૫૬ ક -નું અનાદિ યુદ્ધ (૩) ૬૭૫ અનશન-તપયોગ (૪) ૧૦૬૮ , -નો સ્પષ્ટ પરિચય (૩)૬૭૫-૭ અનંતકાય બત્રીશ (૪) અંતરંગ ચૌર્યસ્વરૂપ (૮) ૧૯૯૪ અનંતધર્માત્મક વસ્તુ (પરિ૦) ૧૩૯૮ દેશે રસનાશુદ્ધિ(૪) ૭૯૦ અનંત પુત્ર-કર્મ પરિણામના (૬) ૧૫૬૬ | છે રાજ્યપરિક્રિયા. (૩) ૫૧૦ અનંતાનુબંધી (૪) • વૈવિધ્ય (૬) ૧૫૫૯ અનંતાનુબંધી-ક્રોધ (૩) છે ત્યાગ વગર બાહ્ય ત્યાગ (૩) ૬૯ » માન (૪). ૯૫૪ , અનેક રૂપ (૪) ૯૩૬ અનર્થદંડવિરમણવ્રત-ગુણવ્રત (૪) ૧૦૮૪ છે શત્રુને દાખનાર (૩) ૫૦૭ અનાદેય નામકર્મ (૪) ૮૯૧ | અંતરદ્વીપ-છપ્પન (૮) અનભિગ્રહિક મિથ્યાત્વ (૭) ૧૬૯૧ | અંતરશુદ્ધિ-રાજ્યપ્રવેશઉપાય (૬) ૧૫૯૮ અનાગ (૨) ૨૮૬) અંતરાય (૨) ૨૨૮ આ મિશ્ચાત્ય (૭) , અને દરિદ્રતા (૪) ૧૦૦૭ અનિવૃત્તિકરણ (૧) નોટ , આક્રમણ-બાધા (૭) ૧૮૦૭ અવિસૃષ્ટ દોષ (૪) ૧૪૧૨ મિત્રરાજા (૪) ૨૮૯ અનુત્તર વિમાન (૨) ૬૧૯ી -ના પાંચ મનુષ્યો (૪) નોટ. ૮૯૨ ૧૦૮૭ | ૮૭૯ Page #603 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ ] વિષય અંતર્ધ્યાન થયેલા અંતરંગ લાક. (૪) અ તસ્તાપ-બાળને. (૩) અ ત્યજ-જૈન-ખંધુ. ( ૩) અ ધતા-ખુલાસા. ( ૫ અધારું’મિથ્યા દર્શન. (૭) અન્યાક્તિ. ( ૪ ) અપમિત્ય દોષ. ( ૪ ) અપયશ નામક. ( ૪ ) અપાચાપગમાતિશય. ( ૬ ) અપરિણત દોષ. ( ૪ ) અપર્યાપ્ત. (૨) n 33 નામકર્મ. ( ૪ ) અપાત્ર અને અભ્યાસ. ( ૪ ) અપૂર્ણાંકરણ. ( ૧ ) નેટ (૫) ,, 39 ૮૯૧ ૭૧૬ ૮૮ ૧૨૭૯ 99 શ ૮૮૦ અપ્કાય. (૨) અપ્રત્યાખ્યાની. (૪) અપ્રમત્તત્ત્વ શિખર. ( ૪ ) અપ્રમાયંત્ર. ( ૩ ) ૧૦૪૮ ૫૦૩ અને ભાવ દીક્ષા. ( ૭ ) ૧૦૮ વજ્ર૬ ૮. (૭) અભણ-અભિમાની. (૪) ,, તું માતાને પાટુ. (૪) અભક્ષ્ય-ખાવીશ. ( ૪) અભવ્ય. (૩) જાતિભવ્ય. (૩) અભિગમ–પાંચ. ( ) અભિગ્રહ. ( ૩ ) નાટ અભિનિષેધ. (૨) અભિમાનના વિચારો. (૪) ,,-પેાષણ. ( ૪ ) ,,-અભ્યાસકાળમાં. ( ૪ ) અભિષેકમનીષીને. (૩) ૭૧ ,, પૃષ્ઠ | વિષય ૯૩૬ ૪૪૧ ૫૫૦ ૧૨૪૭ ૧૭૩૯ ,,-કાળમાં રખડ્ડ. (૪) ,, - ખાળપણમાં. ( ૨ ) ,,-વૈરાગ્ય. ( ૬ ) અભ્યાદ્ભુત દોષ. ( ૪ ) ૧૪૦૯ | અમૃતાદર. (૭) ૭૩૬ ૯૯૨ અખરીષા સાથે યુદ્ધ. ( ૩ ) ૧૬૧ ૧૪૨૭ ૩૧૬-૬૫ અભ્યાસ અપાત્રને. (૪) અસતેષ. (૪) 99 અરધટ્ટટી–રેંટ, (૭) અતિ-પરિચય. ( ૪) ૫૦૯ ની પઠ્ઠીમાં ન દિવન. ( ૩ ) ૬૪૮ 19 ૧૬૮૧-૧૬૮૬ 205 ૧૮૦૫ ૬૩૪, ૬૫૦ અને વિવેક દૈવળી, (૩) ૬૫૨ ની સ્તુતિ. (૩) ૬૫૩ ,, D ની ઉપચાગી પ્રશ્નાવળી, (૩) ૬૫૫ દા ૩૬૪ ૫ ૧૭૪૧ ૧૩૭–૧૩૯ ૯૪૭ ૧૩૮૯ અર્થાંપત્તિ. ( પરિ॰ ) ૧૦૮૩ | અલિસ વિલાસ-જનસુખ. ( ૫ ) ૧૨૨૬ ૬૬૯ | અવધિજ્ઞાન. (૮) ૨૦૦૧ ૬૭૧ | અવગણના-સ્વકુટુંબ તરફ. (૫) ૧૨૬૭ ૧૮૯૭ | અવગતિ સદ્બાધ ભાર્યા. (૪) ૧૦૯૦ ૧૮૯૭ ૨૦૦ ૧૦૯૨ ૧૩૬૬ ૮૦૩ ૧૬૯૮ ,,આક્રમણ—બાધા. (૭) અરિદમન. ( ૩ ) ,, "9 .. , નુ ઉત્થાન. (૩) અરુ ંધતી. ( ૩ ) નેટ. અર્થાથા. (૧ ) ૧૭૪૩ અનિચય-ચરા. ( ૭ ) ૭૪૧ | અ`પુરુષા. ( ૧ ) ૫૦૫ અવગ્રહ. (૮) ૨૮૦ | અવધિ. ( ૨ ) ૫૬૧ પુ ૧૬૦૩-૧૬૦૯ ૧૪૧૦ ૧૮૧૮ ૭૧૬ 033 ૭૨૪ ૨૯૫ 39 ७०८ Seg સદ્ગુામિત્ર. ( ૪ ) અવયવ. ( પરિ૰ ) ૭૧૫ | અવલેાકન-વિમ'નુ'. (૪) ૫૧૭ | અવલોકના સદ્દજ્ઞાન. (૭) Page #604 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ [ ઉપમિતિ સ્થાને વિષય પણ વિષય અવશ્રુતિ. (૬) ૧૪૮૪ અહંકાર. (૪) ૭&ા અવિદ્યાશરીર-મહામોહનું. (૪) ૮૧૦ | અહિંસા-જૈનધર્મને સાર. (૩) પપપ -યોજના. (૪) ૮૩૮ | આકારસંવરણ-કામદેવ. (૬) ૧૪૯૨ અવિનય-અભિમાનીને. (૪) ૭૧૪ | આકાશમાં યુદ્ધ. (૫) ૧૧૬૫ અવિરતિ (બાર ભેદ). (૭) ૧૬૯૧ આકિંચન્ય-યતિધર્મ , પણું. (૧)નોટ. ૫૪ મનુષ્ય. નં. ૯ (૪) ૧૦૭૬ , જાંબાલ-કચરે. (૭) ૧૭૩૯) આકૃતિ અને ગુણ. (૪) ૧૦૦૦ જળ-રેટ. (૭) ૧૬૮૨) આગમ અભ્યાસ–પુંડરીક. (૮) ૧૮૮ ૧૯૩૯ આગમને સાર. (૮) ૨૦૩૪-૪૨ અવિક્તિા .(૩). આગ–કેરમાં. (૭) ૧૬૫૭-૧૯૬૪ છે તામસચિત્ત - નો ભાવાર્થ. (૬) ૧૬૬૦ ગેરહાજર. (૩) ૫૭૫) આચાર્યપદેસિહ-સંસારીજીવ.(૮) ૧૫૭ છે, ઉલ્લેખ.(૪) ૭૯૪, ૭૯૬ | આચ્છાદ્ય દેશ. (૪) ૧૪૧૧ , રૌદ્રચિત્તપુરે. (૪) ૯૮ | આજીવિકા મત. (૪) ૮૫૯-૧૩૪૫ ક -ચિત્તવૃત્તિમાં હાજર , મંખ. (૪) ૧૩૫૧ નહિ. (૪) ૮૬૬ | આજીવિકા દે. (૪) ૧૪૧૫ આક્રમણ-આધા. (૭) ૧૮૦૪ આજ્ઞા-સિદ્ધ. (૮) ૧૯૪ અવ્યવહારુ હુકમ. (૩) આજ્ઞાવિરાધન ફળ. (૮) ૧૭-૧૯૭૨ અનક્રિયાસાધુની. (૭) ૧૩૨૫ આતપ નામકર્મ. (૪) અશુભ નામકર્મ. (૪) આતિથ્ય-આદર. (૩) અશુભ વિપાક. (૫) ૧૨૮૫ આત્મકથા ન કરવી. (૫) ૧૨૮૪ અશુભદય.(૪) આત્મલધુતા. (૧) ૨૧૫ અશો-મેટું પણ ફળવિહેણું.() ૭૪૦ આત્મવિચારણ. (૩) ૪૨૯ અષ્ટ પ્રવચન માતા. (૩) ૫૦૫ આત્મવિડંબના વર્ણન. (૮) ૨૦૦૯ v , (૮) ૧૯૪૭-૫૦ આત્મહુતિ. (૪) ૭૬૧ અસંવ્યવહાર નગર. (૨) ૩૦૦ આત્મસ્વરૂપ-વિવિધતા. (૪) ૪૮ અસતીષણ. (૪) નોટ. ૮૩૧ | આત્મા-સ્વરૂપ-ફટિક. (૭) ૧૭પર અસત્ય-પાંચ-મેટ. (૪) ૧૦૭૯ આદાનભંડમતનિક્ષેપણ સમિતિ.(૩) ૫૦૫ અસદાચાર–ગધેડે. (૮) ૧૯૯૯ છે (૮) ૧૯૪૮ અસાત અને પાપી પંજર. (૪) હ૧ | આદેયનામકર્મ. (૪) છે અને રૂા. (૪) ૯૯૮ , નું કાર્ય. (૪) ૧૦૭ અસાધ્ય. (૧) ૩૫-૪ | આદેશ અને અંતરંગ લે.() ૫૦૨ , મૂઢ. (૭) ૧૭૨૮. ૧૭૩૨ | આધાકર્મી દે. (૪) ૧૪૦૬ અસ્થિર નામકર્મ, (૪) ૯૯૧ 1 આનંદ-ક્ષમાને.(૮) ૮૮૧ ૫૦૨. ૮૯ પપક ૬ Page #605 -------------------------------------------------------------------------- ________________ ૫૫ વિષયાનુક્રમ ] ૫૬૩ વિષય ૫] વિષય આનંદનગરપ્રવેશ મહોત્સવ. (૮) ૧૮૨ આવ-તત્ત્વ. (પરિ.) ૧૨૯૪ -સ્થળ અને આત્મિક.(૫) ૧૨૮૭ | આહાચાર. (૩) નોટ, આતરકથા તાચાર્ય. (૪) ૮૧૨ આહારવિશુદ્ધિ નવોટિ. (૬) ૧૦૦૦ જે વેહલકથા. (૪) ૮૧૯ | આહેર-સસારીજીવ. (૩) ૬૮૯ આંતરપ્રમાદ. (૩) ૫૧૩-૫૨૩ ઇવર અનશન. (૪) ૧૦૬૮ આ~ીક્ષિકી વિદ્યા (૫) ૧૩૯ | ઈદ્રિય-તૃપ્તિ. ભિક્ષાપભેગ. (૧) ૬૯ આપઘાત-નરસુંદરીને. (૪) ૭૫૦ છે પરાધીન–હરણ. ૩૨૬ આલિગ્રહિક મિથ્યાત્વ.(૭) ૧૬૯૦ , હાથી. ૩૨૭. આભિનિવેશિક મિથ્યાત્વ.(૭) ૧૬૧ | સ્વરૂપ-દમન. (૩) ૪૭૫ આભિનિબોધ-સાધમિત્ર.(૪) ૧૦૯૧ છે પર અંકુશ-રાજ્યપ્રવેશ આભીર-લંદ. (૭) ૧૮૩૩ ઉપાય. (૬) ૧૫૯૮ આભિસંસ્કારિક કુવિકલ્પ. (૧) ૧૫ર | ઇર્યાપથિકી. (૭) ૧૭૨૬ આમષધિ લબ્ધિ. (૫) ૧૧૯૬ | ઇર્યાસમિતિ. (૫) ૫૦૫. ૧૯૪૮ આમાજીર્ણ. (૬) ૧૫૧ ૩ ઈચ્છી રમણ. (૫) આય-આઠ-નિમિત્તશાસ્ત્ર. (૬) ૧૫૦ | ઉગ્ર-દિવ્ય દર્શન. (૫) ૧૨૨૯ આયુર્વેદ. (૬) ૧૫૦૯-૧૫૧૭ | ઉંધ-ખુલાસે. (૫) ૧૨૫૦ આયુષ્ય. (૨) n ૨૯૦ ઉચ્છવાસ નામકર્મ. (૪) છે અને મૃતિ. (૪) ૧૦૦૦ | ઉજજવળતા-અટવીમા. (૭) ૧૭૬૭ , આક્રમણ બાધા. (૭) ૧૮૦૭ઉત્તમ પ્રાણુસ્વરૂપ. (૩) ૪૮૩ , મિત્રરાજા.(૪) ૮૮૯ | , રાજ્ય. (૬) ૧૫૯-૧૬૨ ના ચાર મનુષ્ય. (૪) નોટ. ૮૯ , વર્તન. (૬) ૧૬૦૯ , રાજને સંકેત. (૮) ૧૯૬૫ ' , સૂરિ કથાનક. (૬) ૧૫૫૬-૧૬૨૮ એ બધ.3પછવાડેને. (૮)૧૯૬૫ , પાંચમા પુત્ર. (૬) ૧૬૩ આરાજ (૨) ૨૬૫ ઉત્તમોત્તમનું સ્વરૂપ. (૩) ૪૭૭ આર્જવ (૩) ૪૨૩, ૨૭ ; , વર્ગપ્રાપ્તિ ઉપાય. (૩) ૪૯ , યતિધર્મ મનુષ્ય.નં.૩(૪) ૧૦૬૭ | ઉત્તરાધ્યાન. સૂકાં પાંદડાં.(૧)૧૧. ૨૩૦ આ ધ્યાન-ગુફા. (૭) ૧૭૪૦ : ઉત્તરાસંગ. (૮) ૧૮૯૬ આર્તાશય-ગૌરવોની મદદે. (૮) ૧૯૬૦ ! ઉત્થાન-વિમળનું. (૫) ૧૧૮૫ આર્ય સત્ય. (પરિ૦) ૧૩૮૦ ઉત્પાદન દેષ ૧૬. (૪)૧૪૦૫, ૧૪૧૬, આવશ્યક. (૮) ૨૦૨૬ ૧૪૨૦ આવશ્યકમગશેળીઆ દષ્ટાંત.(૧)૧૧.૨૧૯ ઉત્સર્ગ તપયાગ. (૪) ૧૭૭૨ છે -નાગદત્તળ્યા. (૧) ૧૧. ૨૨૨ ઉત્સવ-જૈન મંદિર. (૧) આસક્તિ રહિત ભજન (૪) ૭૭૬ માં ઉત્સાહ શક્તિ. (૫) આમ. (૧) ૧૪૬ / ઉદ્દગમ દેશ ૧૬.(૪) ૧૪૦૫.૧૪૬૧૩ Page #606 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪ [ ઉપમિતિ કથાને વિષય ૧૪૯ પૃષ્ઠ | વિષય ઉદેશિક દોષ. (૪) ૧૪૦૧ | ઉપદેશ ક્રમ-મધનરતિન.(૩)૫૪૨-૫૪૩ ઉદ્ધત જવાબ. (૫) ૧૩૧૪-૫ , કર્તવ્યને.(૩) ૫૪૬-૫૪૭ ઉભિન્ન દેષ. (૪) ૧૪૧૦ -જૈન ધર્મ સાર. (૩) ૫૫૫ ઉધમ અને ધન-વિચારે. (૬) ૧૪૮૩ -વિવેક કેવળી, (૩) ૬૫૪ ઉદ્યાનગમન-વેલ્લહલનું. (૪) ૮૨૧ -ધર્મદુર્લભતા. (૩) ૬૬૫ થી » –ભાવાર્થ. (૪) ૮૨૯ –વિચક્ષણાચાર્યને. ઉંદર-કષાય. (૭) ૧૭૩૮ (૪) ૭૫૯-૭૬૧ ઉન્માદ-નાશ. (૧). -સમયજ્ઞ વૈદ્યને.(૪) ૭૩૭–૯૩૮ ક ખુલાસે. (૫). ૧૨૪૭ -જગસ્વરૂપ. (૪) ૯૦૦૬૦૧ એ અસર. (૭) ૧૬૯૫ -યોજના બુધસૂરિની. ઉન્માર્ગેપદેશક-સૂા. (૨) ૩૨૧. ૩૨૪ (૫) ૧૨૨૨-૧૨૫૫ ઉમિશ્ર દોષ. (૪) ૧૪૨૭ –બુધસૂરિ. (૫) ૧૨૫૬ ઉપક્રમ. (૪) નેટ. ૭૬૦ -ગુરુમહારાજનો. (૭) ૧૭૧૯ ઉપઘાત નામકર્મ. (૪) -ચિત્તને, (૭) ૧૭૪૫૭ ઉપચારબાહ્ય. (૩) -શોક દૂર કરે.(૭) ૧૭૮૯-૯૦ ઉપદેશ. (૧) ૧૧૮-૧૧૯ -કવિદાચાર્ય.(૭) ૧૯૬-૧૮૦૦ -અનધિકારીને. (૧) ૧૩૨ -ધર્મષ.(૭) ૧૮૨૭ -પ્રેરણારૂપે. (૧) ૧૫૫ -નિર્મળાચાર્ય (૮)૧૮૯૮-૧૯૦૦ -ર્તવ્યસૂચવન. (૧) ૧૫૭ -શાક-કાને ? (૮) ૨૦૨૮ -પ્રતીતિ માટે પ્રયત્ન. છે -ધ્યાનયોગ-ચિત્ત(૧) ૨૮. ૧૬૦ શુદ્ધિ.(૮) ૨૦૩૯-૪૨ -વિશ્વાસ કરે તે. (૧) ૧૬૩ | ઉપદેશક-ની અયોગ્ય ટીક. (૧) ૧૭૩ ઉપદેશ ક્રમ. (૧) ૧૬૭ | ઉપનય. (૧) ૪૭-૪૮ -ઔષધસેવનને. (૧) ૧૬૭ છે -જના. (૧) ૫૦ -ગંભીરતા.(૧) ૧૭૧ , મદિરાશાળાને. (૭) ૧૬૮૦ -કયાં ન લાગે. (૧) ૧૭૩ , વૈદ્યકથાને. (૮) ૨૦૪૬-૫૩ –અગ્યને નહિ. (૧) ૧૭૭ | ઉપમાનસત્કલ્પિત. (૧) ૧૧ –અપાત્રને. (૨) ૨૮૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા.(૧) ૨૧૩ -વૃથા. (૩) ૪૦૬-૭ | ઉપગ. (૭) ૧૭૨૫ -પ્રતિબંધકાચાર્ય. ઉપશમશ્રેણિ. (૮) ૨૦૨૬૭ (૩) ૪૧૭. ૪૩૧ ઉપસંહાર.(૧) ૨૧૬૮ -પ્રબોધનરતિ.(૩) ૪૬૩ ૩૩૦ –ની જૂદી જૂદી અસર (૩) (૩). ૪૭૮-૫૦૦] , જૈનપુર દર્શનને. (૪) ૧૯ Page #607 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ ] ૫૬૫ વિષય પૃષ્ઠ | વિષય પૃષ્ઠ ઉપસંહાર (૪) ૧૧૩૨–૩ | ઓછું ભજન-ઊદરી. (૪) ૧૦૬૮ ૧૩૪૧-૨ એરડે કાયા. (૭) ૧૭૩૮ ૧૬૩૮ | ઔદાસિન્ય રાજમાર્ગ. (૬) ૧૬૦૪ ૧૮૪૦-૫ | ઔપશમિરૂપ-સમ્યગુદર્શનનું.(૪)૧૦૮૯ ૨૦૭૩-૨૦૮૧ | ઔષધ-દાન. (૧) ૪૪. ૨૦૭ ઉપસર્ગો (૮) ૨૦૬૯ , , ઉપાય. (૧) ૪૬. ૨૧૦ છે મછરે. (૭) ૧૭૩૯ છે પાત્ર. (૧) ૪૬. ૨૧૨ ઉપાગ નામકર્મ. (૪) કચર-અવિરતિ. (૭) ૧૭૩૯ ઉપાયનું ચિતવન. (૧) ૧૨૯, ૧૩૦ , અર્થનિચય. (૭) ૧૭૪૧ ઉપેક્ષા–સાધુપત્ની. (૫) ૧૨૫૯ { કણાદ દર્શન. (૪) ૮૫૯–૧૩૪૬-૧૦૨૮ ઉમાસ્વાતી-અધમાધમસ્વરૂપ. (૬) ૧૫૭૬ | કંટાળે અને ધનપ્રાપ્તિ. (૬) ૧૫૪૯ છે –અધમસ્વરૂપ. (૬) ૧૫૮૫ કથાક્યન-પૂર્વ ક્રિીડિતનું. (૪) ૭૬૨ - -વિમરામસ્વરૂપ. (૬) ૧૫૮૯ | કથાનક ઉત્તમસૂરિ. (૬) ૧૫૫૧-૧૬૨૮ –મધ્યમસ્વરૂપ.(૬) ૧૫૯૩ એ રસનાનું. (૪) ૭૬૨. ૧૧૧૦ -ઉત્તમસ્વરૂપ, (૬) ૧૬૧૨ [ , બઠર ગુરુ, (૫) ૧૨૬૨-૭ -વરિષ્ઠસ્વરૂપ. (૬) ૧૬૨૬ પુરુષ. (૬) ૧૫૫૭-૧૯૩૦ ઉરઃપરિસર્પ. (૨) ૩૨૫ કથા પ્રકાર...(૧) ઉલકદર્શન. (૪) ૧૩૪૬ કથા જનાવેલ્લાહલની. (૪) ૮૨૫ ઊંટવો . (૮) ૨૦૪૫ | કથા શરીર (અંતર ગ). (૧) ઋદ્ધિગૌરવ. (૮) [, (બહિરંગ). (૧) ૧૨ ત્રસ્તુતા. (૫) ૧૩૨૯ કનકમંજરી.(૩) ૫૮૯ ૧૯૨૧ છે વિરહદશા. (૩) ૫૯૮–૧૦૪ , પ્રાપ્ત કરવાના ઉપાય(૮) ૧૯૨૬ , પાણિગ્રહણ. (૩) ૬૦૬ એકરૂપતા-મહામહ-કર્મપરિણામની. , નંદિવર્ધન લગ્ન. (૩) ૬૧૨ | કનકાવલી તપ. (૮) ૨૦૩૫ એકવાક્યતા–સર્વ ચરિત્રની.(૪) ૧૧૧૩ | કંદમુનિસદાગમ દર્શન. (૮) ૧૮૮૭ એકાક્ષનિવાસ. (૨) ૩૧૩ -માયા૫ટ. (૮) ૧૯૮૦ , માં-સંસારીજીવ(૮) ૧૯૬૬ -મહાભદ્રા. (૮) ૧૯૮૦ એષણદોષ ૧૦.(૪)૧૪૦૫,૧૪૧૦-૧૪૨૮ કન્યા-દશ. (૮). ૧૯૨૧ એષણસમિતિ. (૩) ૫૦૫ , યતિધર્મ મેળ. (૮) ૧૯૩૦–૧ છે કે લગ્નઉપાય. (૮) ૧૯૩૨ ૧૯૫૫ { છે કે સ્થાન. (૮). ૨૦૩૧ ઐશ્વર્ચ–દરિદ્રતા વિરોધી સત્વ.(૭) ૧૦૦૮ { y સ્મરણે. (૮) ૨૦૧૪ ધ શ્રદ્ધા. (૭) ૧૮૩૦ ? કન્યારાશિ. (૭) ૧૬૫૨ ૫ ઐતક્ષેત્ર. (૧) Page #608 -------------------------------------------------------------------------- ________________ પદ વિષય કપાળલક્ષણ. (૫) પેાત–લેશ્યા. ( ૭ ) * (૬) ૧૫૧ મૂલાતા–ભિખારીની. ( ૧ ) ૩૩–૧૦૨ ૯૩ ર (ટેક્સ )સંબંધી ચાલ. ( ૩ ) ૫૫૯ કરણસિત્તરિ ( ૧ ) નેટ. કરીઆણુાં—સંસારમારે. (૭) કરુણાસાધુ પત્ની. (૫) કર્ક રાશિ. (૭) વ્ય. (૧) ,,—ઉપદેશ. (૩) ક–સેાપક્રમ-નિરુપક્રમ. (૩) આઠ. ( ૨ ) નેટ પાંચ. ( ૪ ) નેટ ચાર–ધાતી. (૮) અથાતી. ( ૮ ) .. 99 ,, 29 "9 ગ્રંથિ. (૭) , પાતળાશ. (૮) ( પિર॰ ) પરિણામ. ,, 33 39 ,, .. .. 39 99 99 99 ,, 33 "9 29 (2) 29 —પ્રેયેલ તન્નિયાગ. (૨) ,, -નું એવ ુ તંત્ર. (૩) —ક્ષિતિપ્રતિષ્ટિતે. (૩) 99 ” “અનુકૂળતા (૮) 95 99 99 29 99 (૪) સિદ્ધાંત. (૬) શ્રીંગ. ( ૮ ) મધ્યસ્થતા. ( ૬ ) અને નિકૃષ્ટ. (૬) [ ઉપમિતિ થાના પૃષ્ઠ વિષય પૃષ્ઠ ૪૦૭ ૧૭૫૨ 99 ૫૦૯ ૧૧૫૮ | કવિલાસને નિચ.(૩) રાજાનું સ્થાન. (૩) ,, નું વિસ્તૃત સ્વરૂપ. (૩) ૫૩૦ ના પુત્રાના ત્રણ પ્રકાર ( ૩ )૫૪૪–૧ ,, વિષયનુ' સાહિત્ય. ( ૪ ) નેટ ૮૯૩ વિભાગે વૈચિત્ર્ય. ( ૪) 39 "" ૫૨ 23 ભૂમિ-પંદર. ( ૮ ) વિલાસ. ( ૩ ) ,,અને સ્પન, (૩) મહામેાહ સખધ. (૪) સાત્ત્વિકપુરની જામીનગીરી د. 99 ૧૯૦૧ ૯૧૬ 99 ૧૭૩૫ .. ૧૨૫૯ કર્માદાનના વ્યાપારે. (૬) ૧૬૫૧ કર્મેન્દ્રિય ( પપિ ) ક્લăઆલીર. (૭) વ્યાધિ–નરમાશ મેક્ષ, ( ૮ ) ૨૦૪૮ ૧૪૭૮ ૧૩૦૦ 3 ૧૮૩૩ ૫૪૬ કલ્પ-દર્શનને નુદા પાડનાર તત્ત્વ(૪) ૮૬૧ ૪૯૭ | કલ્પે।પપન્નપાતીત. (૨) ૩૦ ૨૫૮ | ક્લ્યાણ મિત્ર. ( ૭ ) ૮૩૦ કલ્લાલા—સાગરના. (૬) ૨૦૩૧ ૨૦૩૨ ૧૭૬૫ ૧૯૧ ૧૩૦૪ ૫૮ લેશ્યા સબંધ, (૭) .. ૩૦૫ | કષ્ટસાચ્ચ. ( ૧ ) ૪૬૯ | કસેાટિ–પ્રગતિભાવનાની.( ૧ ) ૩૭૪ કલ-છેદતાપ. ( ૪ ) નેટ કષાય. ( ૧ ) નેટ. પંચીશભેદ. ( ૭ ) .. 99 99 આક્રમણખાધા. (૭) દર (૭) ૧૦૪૬ 19 ૧૫૫૮ કચેષ્ટા. ( ૪) ૧૯૯૧ કાકીડા–પ્રમાદ. (૭) કાગડાને કંઠે રત્ન. (૪) કાચ અને રત્ના.(૭) ૧૫૬૩ ૧૫૭૦ ૧૯૬૮ કાન-લક્ષણ. ( ૫ ) ૩૭૪ ૩૮૧ કળા-અભ્યાસ. ( ૩ ) , રિપાર્ટ. (૩) 39 , “ધાતુવાદ, પત્રચ્છેદ્ય. ( ૩ ) કળાચા' અને રિપુદારણ ( ૪) ૭૧૪–૭૨૫ ના ખુલાસા. ( ૪ ) ૭૩૦ ૮૧૩ ૧૦૩૯ ૩૯ ૧૦૧૯ ૧૫૮ રા કામનાટકે વિદૂષક. (૨) થા. (૧) "9 ૧૦૨૩ ૧૪૬૮ ૮૪૬ ૧૫૩ ૧૬૯૨ ૧૮૦૬ ૧૭૩૮ ૭૫૪૫ ૩૫-૧૭૮ ૨૦૩ ૩૫૦ ૩૫૫ ૩૫૭ ૫ Page #609 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ ] વિષય કામદેવ–આંતરનાચ. ( ૬ ) 39 99 99 (૮) 99 99 »ની અસરમાં મનની સ્થિતિ(૬)૧૪૯૪ કાળ નિવેદન. (૩) ની વ્યાકુળતા. ( ૬ ) ૧૫૦૭ કાળમાનસ્વરૂપ. (૨) ની ઉન્મત્તતા. (૬) ૧૫૧૮ –મદિરે ખાળ. ( ૩ ) ૪૩૫ ની શમ્યા. ( ૩ ) ની લીલા. ( ૪ ) નેટ ૮૩૪ ની અસર. ( ૩ ) પુરુષા. ( ૧ ) કાળ સાથે—સાધ્યત્વ, (૫) કાળ સ્વરૂપ. (પરિ॰) ૪૩૬ | કાળા રંગ ખુલાસા. (૫) કિલ્ટિષિયા દેવ. (૭) ૫૯૭ | કુંવારા વિમળ. ( ૫ ) ૧૩૯ | કુક્ષી-બગલ-લક્ષણ. ( ૫ ) ફટીપ્રાવેશિક રસાયણ્. ( ૧ ) કુટુંબ-અતરંગ. ખાહ્ય. ( ૩ ) કુટુંબીઓનુ ભેાજન. ( ૭ ) ૧૬૮૭–૧૯૯ ૧૯-૯૮ | કુટુ′ખીએ.–સારગુરુના. ( ૫ ) ૧૦૬૯ કુડરૌદ્રબ્યાન. (૭) રાગ. (૪) ૮૬૫ વિહવળ દેશ!. ( ૩ ) પ૯૧, ૫૯૭ ,,કનકમ’જરી. (૩) ૫૯૮૦૬૦૪ કામદારા–જૈનમ ંદિરે. ( ૧ ) કાયક્લેશ–તપયાગ. (૪) કાયગુપ્તિ. ( ૩ ) ૧૨૬ ૧૭૪૦ ૨૦૫૩ ૫૦૫ કતીથીઓનું સ્થાન. (૮) ૧૯૪૯ | કુદઈન. ( ૧ ) ૧૬૯૩ | કુદૃષ્ટિ. ( ૪ ) (<) ક્રાયયાગ—સાતભેદ. (૭) ? કાયા–આરડે.( ૮ ) કારણ-પરમ કારણું. ( ૮ ) કારણેા પાંચ. ( ૩ ) ૧૭૩૮ કુદૃષ્ટિ--આક્રમણ ખાધા. (૭) ૧૨૨૨ | કુંદકલિકા અને રમણુ, (૪) ૩૦૮-૬૩૧ | કુંભ રાશિ. ( ૭ ) પાંચ. ( ૩ ) નેટ ૨૯ | કુરૂપતા–પિશાચી. ( ૪ ) માં ઉપચાર મુખ્યતા. (૩) ૫૨૯ | કુલધરપુ’ડરીક ( ૮ ) ની વિચારણા. ( - ) ૧૯૦૪-૦૬ 39 99 ,, 99 .. .. 99 39 99 22 99 .. 93 "> 99 39 .. 99 આકાર સવરણ (૬) ૧૪૯૨ પૃષ્ઠ | વિષય ૧૪૯૨ | કાળનિવેદક (૫) કાળપરિણતિ. ( ૨ ) કાળનિવેદ્રક ( ૪ ) કાર્માણ શરીર-ચાક. (૭) ૧૭૩૮ ઢા નિવેદન ( રિપાટ )–વિમર્શને (૪) ૧૧૦૪ કાસાત્મક કારણસમાજ. (૮) ૧૯૦૪-૦૬ કાસકુસુમ. ( ૩ ) નેટ કાળક્ષેપ. (૩) કાળચક્ર. ( ૧ ) નેટ ૫૬૭ પૃષ્ઠ ૧૨૧૯ ૧૮૬૬ ૩૭૨ ૨૬૪ ૧૩૧૨ ૧૩૯૯ .. ૧૯૧૮–૨૦૨૨ સ્વપ્ન--વિચારણા. ( ૮ ) | કુલીન અને પરસ્ત્રી. ( ૩ ) કુવિકલ્પે!. ( ૧ ) 99 ૬૧૭ કુળવાન સ્ત્રી. ( ૫ ) ૨ ૪૧૦, ૪૩૧ | કૃતકૃત્યની પ્રેરણા. ( ૭ ) કૃપતા. ( ૭ ) ૨૬૨. ૧૩૧૨ | કૃષ્ણ–રૂલ્લેખ. ( ૪ ) ૭૩૧ | કૃષ્ણ-લેશ્યા. ( ૭ ) ૧૨૩૯ ૧૮૨૧, ૧૯૭૦ ૧૨૨૪ ૧૯૮૩ » ગુણધારણ મૈત્રી, ( ૮ ) ૧૮૫૬ ૧૮૮૫ ૪૪૧ ૧૧૫૪ ૬ P ૮૫-૮૬૨ ૧૮૭૬ ૯૬૩ ૧૬૫૩ ૧૦૦૫ ૨૧-૧૭ ૧૧૧-૧૧૩ ૧૫૧-૧૯૯૩ ૧૨૯૧ ૧૭૫૮ 13 264 ૧૭૫૨ Page #610 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮૦ ૫૨૮ ૫૬૮ [ ઉપમિતિ કથાને વિષય પૃષ્ઠ | વિષય કેડ-લક્ષણ.(૫) ૧૧૫૩ | પદ્મણ. (૮) ૨૦૩૧ કેદખાનામાં–નંદિવર્ધન, (૩) ૬૩૯ | , (૮). २०७० ઘનવાહન. (૭) ૧૮૧૩ | ક્ષમાવતિધર્મ મનુષ્ય નં ૧.(૪) ૧૦૬૭ કેવલ-સબંધ મિત્ર. (૪) ૧૦૯૨ , ને આનંદ. (૮) ૧૮૧ કેવળ.(૨) ૨૮૦ ૨૦૭૦ , યાચના. (૮) ૨૦૮૨ કેવળી સમુદ્દઘાત. (૫) | પશમ–આરી. (૭) ૧૭૩૮ ૧૬૦૭ , ભાવ. (૫) ૧૨૮ કેશવાણિજ્ય. (૪) નેટ ક્ષતિ. (૩) ૩૬-૩૭૩ કેટવાળ-જૈનમ દિરે. (૧) ૧૯, ૯૯ | ક્ષાંતિ. (૮) ૧૯૨૧ કઢ-ખુલાસે. (૫) ૧૨૪૩ , મેળવવાના ઉપાય.(૮) ૧૯૨૩ કચડા-બે. (૬) ૧૫૨ | ક્ષાયિકરૂપ-સમ્યગદર્શન. (૪) ૧૦૮૯ કોવિદ-પરિચય. (૭) ૧૭૭૭ | પથમિકરૂપ-સમ્યગદર્શનનું.(૪) ૧૦૮૯ છે અને શ્રુતિ. (૭) ૧૭૭૮ | ક્ષીરવૃક્ષ અને ધન. (૬) ૧૪૭૫ , અને સદાગમ. (૭) ૧૭૮૩ | સુધા-ભૂખ-ખુલાસા. (૫) ૧૨૪૦ કોશસામાન્ય રાજ્યને. (૬) ૧૫૦૦ ક્ષેત્રમહિમા. (૩) કૌતુક-જિજ્ઞાસા. (૪) ૯૧૧ | ક્ષેમપુરીમનુ જગતિમા. (૮) ૧૭૪ છે –ભવચક્રના. (૪) ૯૨૧૦૯૮ ખટપટની જાળ. (૩) ૫૫૮, ૫૬૧ » –પ્રકાર. (૭) ૧૭૧૯ ખલતા-પિશાચી.(૪) ૧૦૦૨ ક્રિયા આચરણ-રાજ્યપ્રવેશ ઉપાય. ખાણખેદન-ધનશેખર.(૬) ૧૫૪૮ ૧૫૯૮ ખાદ્યપાન-રસના.(૪) 993 ક્રિયાવાદી દર્શન. (૪) ૧૩૪૮ ખાધ-લક્ષણ, (૫) ૧૧૫૪ ક્રીડાનંદન ઉદ્યાન. (૫). ૧૧૪૮ | ખાવાને અભખરે વેલહલ. (૪) ૮૨૦ કતદોષ. (૪) ૧૪૦૯ ખુલાસા. (૩) ક્રચિત્તવડા. (૩) ૩૫૩ ૭૯૯૮૦૦ -અસરથી તમા. (૩). પપ૦ ૧૮૪૧-૨ , પ્રવરસેનને માર્યો. (૩) ૫૮૦ બુધસૂરિના.(૫) ૧૨૩૯-૧૨૫૫ -વિભાકર યુદ્ધપ્રસંગે. (૩) ૫૮૩ | ખૂન–અર્ધ રાજ્યહર નેકરનું. (૬) ૧૫૩૬ ક્રોધ-જુઓ વૈશ્વાનર. પૃ.| ખૂની-નંદિવર્ધન. (૩) ૬૩–૯ છે પિંડદે. (૪) ૧૪૧૭ ખેચર. (૨) ૩૨૫ નજીવી બાબતમાં. (૩) ૬૩૪ | ખેતી. (૧) છે સ્નેહપૂર્વક. (૧) ૧૫૬ | , અને ધનશેખર. (૬) ૧૫૪૬ ક હિત કરનાર ૫ (૩) ૬૪૫ | ખેતી ચિંતા–ગળી. (૭) ૧૭૯ કિલષ્ટમાનસ-નગર. (૪) ૭૧૧. ગંગાધર-સંસારીજીવ. (૮) ૧૯૫૫ ક્ષપકશ્રેણી. (૫) ૧૨૮૦ ગણધર. (૬) 9, 1 ૭૩ ૧૬૧૪ Page #611 -------------------------------------------------------------------------- ________________ ( 4 ) ૪૧ ૮૯૨ વિષયાનુક્રમ ] ૫૬૯ વિષય પૃથ| વિષય ગણિકા–રમણ. (૪) ગુ૫રિચય. (૫) ૧૧૯૪ છે -વ્યસનપરિણામ. (૪) ૯૬૬ , સેવા મહિમા. (૮) ગતિ ચાલવાની-લક્ષણ.(૫) ૧૧૫૩ ઉર્યા.રાજ્યપ્રવેશઉપાય.(૬)૧૫૯૮ ગતિ નામકર્મ. (૪) ગૂઢવાદ. (૬) ૧૫૦-૫ ગધેડે-અસદાચાર (૮) ૧૯ | ગૃહસ્થધર્મ. (૩) ગંધર્વમિથુનગાન. (૭) ૧૭૮૨ | ગૃહિધર્મ-ફટા. (૪) ૧૦૭૮-૧૦૮૬ ગમનાગમન-કમ. (૮) ૧૯૬૯ ઝ -પાલન. (૭) ૧૮૩૧ ગળ -બેટી ચિતા, (૭) ૧૭૩૯ » સ્વીકાર–અસ્વીકાર.(૭) ૧૮૩૬ ગર્ભજ. (૨) ૩૨૪ છે ને સમય. (૮) ૧૮૮૯ ગર્વપાત-રિપુદારણને. (૪) ૧૧૧૯ છે આદર. (૮) ૧૮૯૨-૩ ગળુ -લક્ષણ. (૫) ૧૧૫૫ | ગેખ-પંચાક્ષ. (૭) ૧૭૩૮ ગીતાર્થ. (૧) નાટ ગોટાળા-વ્યંતરદૃા. (૩) ગુણ (પરિ૦), ૧૩૭૨ | શેત્ર. (૨) ગુણધારણુ–સપ્રમાદનગર. (૮) ૧૮૫૪ | | » –મિત્રરાજા. (૪) છે -કુલંધર મૈત્રી. (૮) ૧૮૫૪ , –ના બે મનુષ્ય.(૪)નટ, ૮૯૨ , તારામૈત્રક. (૮) ૧૮૭૬ | | આક્રમણુ-બાધા. (૭) ૧૮૦૭ -મદનમંજરી લગ્ન. (૮) ૧૮૭૬ | ગોપીપાદવદન. (પરિ૦) ૧૩૫-૧૩૬૧ , , પ્રેમ અલિસ. (૮) ૧૮૮૬ | ગોત્રતિક. (૪) ૧૩૪૮ , રાજા તરીકે, (૮) ૧૮ ગેળી એક ભવવેદ. (૨) ૩૧૫ , અને દશ કન્યા (૮) ૧૯૬-૩૩ | ગૌતમદર્શન. (૪) ૮૫૯, ૧૩૪૪ » -દીક્ષા. (૮) ૧૯૫ર ગારથી અધપાત. (૮) ૧૯૬૦ ગુણવ્રત ગૃહસ્થના. (૪) ૧૦૮૨.૧૦૮૪/ ગ્રથ-ઉત્પત્તિ. (૧) ૪૪-૨૦૭ ગુણાનુરાગીપણ. (૩) પર૩ -વ્યવસ્થા. (૧) ૨૧૩ ગુણુપ-સંતપુ (૪) ૧૧૧૨] રચનાપ્રસંગ. (૧) ગુણે છે. રાજનીતિના. (૫) ૧૩૦૬ | ગ્રથકારની પ્રાર્થના. (૧) ૨૧૪ , અને સમ્યગદર્શન, (૪) » આત્મલધુતા. (૧) ૨૧૫ , શ્રાદ્ધધર્માચતા. (૭) ૧૭રર) ગ્રંથિભેદ. (૧) ૮૯-૧૦૯ - સાધુ મ ચ્ચતા. (૭) ૧૭ર૩] ગ્રીષ્મવર્ણન. (૪) ૧૦૯૯-૧૧૦૧ , મેક્ષગમન ચાગ્ય (છ) ૧૭૨૭ | પ્રિયક. (૨) ૨૮૭ , ગુફા–આ ચ્ચાન. (૭) ૧૭૪૦ | , પ્રથમ. (૮) ૧૯૫૪ ગુરુકથિત ર્તવ્ય. (૭) ૧૭૩–૧૭૬૦ , બીજું. (૮) ૧૯૫૫ કણ. (૭) ૧૬૯૮ | ઘંઘશાળા-માં મહાભદ્રા. (૮) ૧૯૮૨ » તત્ત્વ. ગેટાળો. (૪) ૮૪૯ ઘડપણ-ખુલાસે. (૫) ૧૨૫ » અપમાન. (૪) ૭૧૭ , અને મિથ્યા દર્શન. (૪) ૫૭ ૨૧૩ ૭૨ Page #612 -------------------------------------------------------------------------- ________________ પ૭૦ [ ઉપમિતિ કથાને ૧૮૧૩ વિષય પૃષ્ઠ] વિષય ઘનવાહન જન્મ. (૭) ૧૬૪૫ | ચક્રવાળ. (૪). ૧૩૫ , અલંક મૈત્રી. (૭) ૧૬૫૫ | ચતુરક્ષ–પાડે. (૨) ૨૩ છે ગાંઠ. નરમ. (૭) ૧૭૬૪ ચકદર્શન. (૪) ૧૩૪૪ , રાજ્ય પ્રાપ્તિ. (૭) ૧૭૭૪! ચરણસિત્તરી (૧) નેટ, ને દ્રવ્યાચાર. (૭) ૧૭૮૪-૧૭૮૧ | ઇ -કરણસિત્તરી. (૭) ૧૯૨૭ છે ને શુદ્ધિ. (૭) ૧૭૯૦ | ચરિત્ર અપૂર્વતા. (૫) ૧૩૬૮ એ મહામહ-પરિગ્રહ-કપણુતા. (૭) ક કાલ્પનિક શંકા. (૫) ૧૭૮ ૧૭૯૨-૩ [ , સમાનતા. (૮) ૨૦૭૫ મહાન આક્રમણું. (૭) ૧૮૦૧-૧૫ ચરિત્રોની એકવાક્યતા. (૪) ૧૧૧૩ , રાજ્યભ્રષ્ટ. (૭) ૧૮૧૧ | ચાકરી-ધનશેખર. (૬) ૧૫૪૭ કે દુઃખી. (૭) ચાંડલા-રાજસી. તામસી. (૮) ૧૯૯૮ , સાતમી નરકે. (૭) ૧૮૧પ ચાલાલ અને બાળ. (૩) ૪૯૯ , રખડપાટે. (૭) ૧૮૧૬–૨૫ ચાંદ્રાયણ તપ (૮) ૨૦૭ ઘર્ષણ ઘર્ણન જાય. (૩) ચાર અદત્ત. (૪) ૧૦૮૦ ચાર પાડા. (૫) છે (૭). ૧૮૧૮ નું રહસ્ય. (૫) ૧૨૭૧ ઘાતકર્મ (૫). ૧૨૮૦ ચાર મોટા દુશ્મન-પ્રાણુઓના.(૪) ૮૯૯ 9 ચાર (૪). ૮૯૯ | ચાર વ્યાપારી કથાનક. (૭) ૧૭૦૦-૧૭૩૪ ઘુણ ક્ષરચાય. (૮) ૨૦૪૫ | ચારિક દર્શન. (૪) ૧૩૪૫-૬ ઘડાઓ-ચારિત્રધર્મસૈન્યના.(૪) ૧૯૭ | ચારિત્રધર્મરાજ-પરિચય. (૪) ષણ-નિકૃષ્ટ રાજ્યની. (૬) ૧૫૬૯ ૧૦૫૮, ૧૦૯૮ , અધમ રાજ્યની. (૬) ૧૫૭૭ » ના ચાર મુખ. (૪) ૧૫૯-૧૦૬૩ , ઉત્તમ રાજ્યની. (૬) ૧૫૯૪ - ની વિરતિદેવી. (૪) ૧૦૬૪ પ્રાણુ પરિચય. (૫) ૧૨૮૮-૧૨૯૦ | , ના પાંચ મિત્રો. () ૧૭૬૪–૧૦૬૬ , મૂળશુદ્ધિ. (૫) ૧૩૧૭ , ના બે પુત્ર. (૪) ૧૦૬૬.૧૦૮૭ , સાથે વર્તન. (૫) ૧૩૧૯ છ નો અન્ય પરિવાર.(૪)૧૦૮–૧૦૯૮ ચક–પ્રથમ. (૭) ૧૭૪૩ જ નું લશ્કર. (૪) ૧૦૯૭ » બીજું. (૭) ૧૭૪૮ | ચારિત્રધર્મને ઉલ્લેખ. (૫) ૧૩૦૦ , પ્રથમની સમજણ. (૭) ૧૭૪૪–૧૭૪૮ | , પરિવાર નિસ્તેજ, નિકૃષ્ટ છે જ્ઞાન પરિણામ, (૭) ૧૭૫૦ રાજ્ય (૬) ૧૫૭ર ભ્રમણનું દુખ. (૮) નો આનંદ-મધ્યમ રા(૬) ૧૫લ્પ ચક્રવતી જન્મ. (૮) ૧૯૭૪ છે ક -ઉત્તમ રાજ્ય. (૬) ૧૫૯૧ છે ક્રમ. (૮) ૧૯૭૭ છે મેહનીય (૧) , સેના-કેળાહળ (૮) ૧૯૯૦ ' , રસાસ્વાદ. (૧) Page #613 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ ] વિષય પૃષ્ઠ | વિષય ચારિત્ર શરતે સ્વીકાર. ( ૧) ૩૦. ૧૬૫ – ચિત્તસાંઢ નગર. (૩) રાજમ ડળે શાક-અમ રાજ્યે ચિત્રપટમાં મ’જરી. ( ૬ ) 39 ( ૬ ) વિનય—પાંચ પ્રકાર ( ૪) ચામ-વ્યાપારીના ઉદ્યોગ. (૭) વન ભાષા. (૭) 99 99 .. સાતા દેવી. ( ૩ ) ચાર્વાક (૪) ૧૦૩૧. ચિકિત્સા દેષ. ( ૪ ) વૈદ્યની. ( ૮ ) ચિત્ત અને કેશ્યા. (૭) 99 શિક્ષા. (૭) 39 د. 99 99 99 29 .. 91 99 29 99 19 99 39 .. 99 99 29 " "9 49 "9 રત્નરક્ષણ, (૭) વાનર બચ્ચું. (૭) ૧૮૩૮ રમ ઉદ્યાને–અનુસુંદર. (૮) ૧૯૭૮ -મહાવિદેહબાર. (૮) ૧૯૯૧ વિક્ષેપ–મ’પ. (૪) ૮૦૭ , સમજણ, ( ૪ ) રહસ્ય. ( ૪ ) 19 અને મહાત્મા. (૪) -મહાન આક્રમણુ. (૭) વિત્ત–પાત્રના આઠ પ્રકાર.(૪) ૧૦૬ ૦ વૃત્તિ-અટવી, ( ૪ ) ૮૦૪ ” સમજણુ. ( ૪ ) 39 99 99 99 99 ” ભૂમિ. ( ૬ ) ૧૭૦૧ ૧૭૧૧ ૧૫૮૦ | ચિત્રપરીક્ષા. ( ૬ ) ૧૦૭૧ | ચિત્રવર્ણન. ( ૬ ) ચૂરો-વજદંડથી. (૭) ચૂતમ’જરી–પરિચય. ( ૫ ) ૧૭ ” -îનચૂડ. લગ્ન. (૫) ૧૭૮૪૮૬. | ચૂંદોષ. (૪) ૧૪૧૭ । ચેતન સુખાસિકા, ( ૮ ) ૨૦૪૫, ૨૦૪૬, ચેષ્ટાથી અધિકાર નિ ય. ( ૧) ૧૭૫૨ | ચાક–કા ણશરીર. ( ૭ ) ૧૭૪૫ | ચેાર અને કાળાહળ. (૨) વિકલ્પે।. ( ૫ ) ૧૭૬૧ 22 19 ૧૬૦૪ 99 મહાન આક્રમણ. (૭) ૧૮૦૨ | ૨૦૩૯ શુદ્ધિ. ( ૮ ) સમાધાન–મ’ડપ.(૪) ૧૦૪૩-૧૦૫૫ ૮૩૨ ૮૫૩ ૧૦૪૦ ૧૮૦૩ ના શ્લેાકા, (૭) 39 99 » 99 19 39 99 ચેારી અને વામદેવ. (૫) . 29 ૨૬ 97 અટવી અને મહાત્મા (૪)૧૦૩૯ | ચોંક઼ નિયમ. (૪) અને જૈનપુર. (૪) १०४४ છ આંતર નગરે. (૪) ૧૦૮૩ ૧૦૨૦ 39 પુત્રા. ક`પરિણામના. ( ૬ ) ૧૫૬૬ ઋર્દિત દોષ. ( ૪ ) ૧૪૨૮ છલ. ( પિર. ) ૧૩૬૭ છાતી લક્ષણુ. ( ૫ ) ૧૧૫૪ રચના. ( ૮ ) 39 ૧૯૪૬ | છેદેપસ્થાપન-મિત્ર ચારિત્ર. ( ૪ ) ૧૦૬૫ સંસારનું અને પારનુંકારણ,(૭)૧૭૬૧ | જગત્ સ્વરૂપ વિચાર. (૪) ૯૦૦ સાધના. (૭) 99 નાં જૂઠ્ઠાણા. ( ૫ ) તુ પાકળપ્રકાશ ( ૫ ) વસ્થાન સ ંકેત. ( ૮ ) સ્વરૂપધારણકારણ. ( ૮ ) આકારનું કારણ. ( ) २००४ ના અંદર અંદર જ૯૫. (૭) ૧૭:૪૫ ૧૨૦૧ ૧૨૦૨ ૧૨૦૩ ૧૩૩૨ ૧૩૩૩ ૫૭૧ પૃષ્ઠ ૩૬૧-૩૬૨ ૧૫૨૩ ૧૪૯૨ ૧૫૨૪–૫ ૧૭૪૩ ૧૬૯ ૧૧૭૦ ૧૪૨૦ ૧૮૯૧ ૧૭૮ ૧૭૩૮ ૨૯૭ ૧૨૦૨ ૧૩૫ ૧૨૭ કરનારના વિકલ્પે।. ( ૫ ) અને લુચ્ચાઇ. (૫) આશ્રયદાતાને ત્યાં. (૫) ની સીધી સા. (૫) ૧૭૬–૩ | જધન્યતા—રાણી. ( ૪ ) ૧૭૬૪ | જધન્યપ્રાણી સ્વરૂપ. (૩) ૧૯૯૨ ૧૯૯૩ ૪૮ 3 Page #614 -------------------------------------------------------------------------- ________________ વિષય પ૭૨ [ ઉપમિતિ પાનો પૃષ્ઠ | વિષય ' છવ વર્તન-સુદર (૭) ૧ - સનાલબ્ધ (૬) ૭૭ર છવવીર્યસિંહાસન. (૪) ૧૦૫ , મર્યાદેલોપિન. (૪) ૧૧૫ | (૮)૨૫-ના ક નું ખૂન. (૪) ૧૧૦૬ : વિકા-મૃતિવિધી સત્ત. (૪) ૧૦” જનમેજય, (૫). ૧૨૮૫ જુગટું-ધનોખા (૬) ૧૫૪૯ જન્મોત્સવ. (૫) ૭૦૪ ૧૧૪૨ , અને કપોત, (૪) જરા-પિશાચી. (૪) દલ્મ જુગટ પર પર્યાચના. (૪) હાલા જલ્પ (પરિ) ૧૩૬૬ જુગુપ્સા-પરિચય. (૪) ૮૬ જળચરે. (૨) ૩૨૫ જુગટા પર વિજય. (૪) જાગીર-રાજસચિત્ત-નામસની (૪) હા , આક્રમણ. બાપા. (૭) ૧૮૧ જામ-પી-ક્ષણ, (૫) ૫૩ -અવિરતિ. (૭) ૧૭e જાગીને ચાર માધો નય. (૫) ૧૩૩૫ જેન કેવા હેય. (૩) ૫૬૦ જાતિનામકર્મ. (૪) ૮૦ , દર્શન કર. (૪) ૧૦૨૨ જનિ (પરિ.) ૧૭૬૮ : - p (૪) ૩૩. ૧૦૭૦.૪ જાભિવ્ય. (૩) ૧૯૯૦, ૧૪૮, . ૧૦૪૮ નિરમર(૫). ૧૯૫૪ન્ક ધર્મને સાર. (૧) પપપ છે ગુખાનુરાગથી. (૫) ૧૮૨ - પુરદર્શન. (૪) ૧૭૬ વન.(૪) ૧૪ - -મહાભઢાંન. (૮) ૨૦૧ » ના લે. (૪). ૧૯૫૦ , અનુસુદન. (૮) ૨૦૦૩ મંદિર-વૈભવ. (૧) ૧૮% જાળ ભુજંગતાની. (૫) ૧૨૯ | શારામાર. (૪) જિજ્ઞાસા. (૪) જ્ઞાન અને વર્તન. (૧) એ તૃપ્રિ-હરિની. (૬) ૧૫૫૨ જિમના-નિમિનીઆ(૩) ૬૦. ૨૭ જિનમદિર ન. ૩) વિનય-પાય પ્રક. () ૧૭૦ જિનમુદા. (૫) સંવ અને સાપ. (૪) -ગેહરાની (૫) ૧૭ , , અંતસ્વીનતા. (૭) ૧૨ ભ-લગ્ન (૫). છે , ના તાબામાં ધનવાહન. () ૧૦ કન. જગત. ઇશ્વર (1) ના. ૧૭] , , આગખ. બાપ. (૭) ૧૮બ કવન (પ૯િ ) , બિરસ (૪) ૮૮ વનસાર્થના-બળ નજરે. () D , , ના પંચ મન. (૪) -બટમાણ. (૭) ૧૯૮૨ ૧ ગાય, ૧૨૯૮ (૮) ૧૯૫૫ ૮૦૧ Page #615 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ ] વિષય જ્ઞાનાતિશય ( ૬ ) જ્ઞાનાવરણીય ( ૨) મ. જ્ઞાનાશાતના—વૈરાગ્ય ન થવાનું કારણું, (<) જ્ઞેય—ધ્યેયઅનુષ્ઠેય ( ૧ ) જ્યાતિષ. (૨) શાસ્ત્ર. (૭) જ્યાતિષી-વર્ણન. (૭) ઝાડ-ઝેરી—વિષય. ( ૭) 99 દીકરાના પાત્રમાં ભીખ (૫) નું રહસ્ય, (૫) ઠીબ–પાપાતિરેક. (૮) ડાંસ–પરીષહ. (૭) . હું'ટી–લક્ષણ. ( ૫ ) ઢીંચણુ લક્ષણ. ( ૫ ) તડકા-ખુલાસા. ( ૫ ) તત્ત્વ અરુચિ, (૪) જિજ્ઞાસા. ( ૧ ) 99 59 כי 39 39 . તત્પત્તિ રાણી. ( ૪ ) તત્પરિણતિ. ( ૨ ) તğય—રાફડા. ( ૩ ) તા. ( ૧ ) ,, -પરિચારિકા, ( ૧ ) 99 જ્ઞાન. ( ૩ ) પ્રીતિકર પાણી. ( ૧ ) પ્રભાવ, (૧) પ્રીતિકર પાણી. (૫) વિચારણા-પ્રક†, ( ૪ ) 29 તત્ત્વાનુસંધાન. ( ૧ ) તત્ત્વા ભાષ્ય. ( ૬ ) ૧૫૭૬-૧૫૮૫-૧૫૮૯ પૃષ્ઠ | વિષય ૧૬૧૯ | તદ્ધિલસિતબેટ, ( ૪ ) ૨૮૯ » “સમજણુ. (૪) ૧૬૪૭, ૧૬૪૫ -સ્થિરીકરણ. ( ૧ ) –સંભાવના. (૧) વ્યવસાયી. ( ૧) 99 ૨૦૧૯ ૨૧૩ | તન્નિયેાગ-દ્ભુત. ( ૨ ) ૨૭ "" .. તપન ચક્રવત્તી અને પુદારણ્. (૪) ૧૧૨૦-૧૧૩૧ ,, ૧૮૨૦ | તપમુખ ચારિત્ર ધર્મરાજનું ( ૪ ) ૧૦૬૧ ચેાગ.ચતિધમ મનુષ્ય ન’. ૫ (૪) ૧૦૬૮ ૧૭૪૦ ૧૨૯૬૫ ૨૦૩૪૭ ૧૨૭૧ વન. (૮) રાજ્યપ્રવેશ ઉપાય. (૬) ૧૫૯૮ તમસ્તમપ્રભા. ( ૬ ) ૧૭૩૯ તમાચા–વિદુરને, ( ૩ ) ૧૯૯૯ ૧૧૫૪ —અને મહાત્મા. (૪) 9 –મહાન આક્રમણ (૭) તમઃપ્રભા. (૩) તરસ–ખુલાસા. ( ૫) ૧૧ ૫૩ ૧૨૪૩ | તર્ક ( પર. ) ૨૦.૧૦૬. ૮૪૯ | તળિયું-પગનુ રક્ષણ. (૫) તાત. (૪) તાપસ–મત. (૪) ૨૫. ૧ર૯ | તામસચિત્ત-પરિવાર. ( ૩ ) ૬૮૦ ૧૪૯ -વિ. રૌદ્રચિત્ત ( ૩ ) ૧૨૭૬ 99 –માં મામા ભાણેજ. (૪) ૧૦પ૭ | તામસી શ્વાસ. ચાંડલા. ( ૮ ) ૧૧૭ | તારામૈત્રક. ( ૩ ) 99 ૧૫૯૩. ૧૬૧૨, ૧૬૨૬ | તાવ-ખુલાસા. (૫) ૫૭૩ પૃષ્ઠ ૨૦૬ ૮૩૧ ૧૦૪૦ ૧૮૦૩ ૩૦૨ ૮૫૭ ૧૩૪૯ ૫૫ પૂછ્ય ૭૪ ૧૯૯૮ ૫૯ → આહ્લાદ મંદિરે. ૧૮૫૬ (૮) ૧૮૫૬ ૧૨૪૬ 99 ૬૭ ૫૪ ૬૫ ૧૨૪૧ ૧૩૬૬ ૧૧૫૧ ૭૬૩ તાળવું લક્ષણ. (૫) ૩૦૨ | તિરસ્કાર–નરસુંદરીને. ( ૪ ) ૩૭૫ | તિય ઇંચ ( ૨ ) નેટ. ૨૩. ૧૨૦ | તીર્થં ( ૩ ) નેટ. ૨૫૯ ૩૪૨ ૩૬, ૧૭૯ ૮૯૨ તીથ કર નામ. (૪) ૩૮. ૧૮૪ | તી॰જળ. (૫) RE ૧૮૬ | તીથી—આસ્તિકનાસ્તિક. (૮) ૨૦૪૭ ૧૮૭ -મૈાક્ષ. (૮) ૨૦૩૯-૪૨ ૧૧૫૭ ૭૪ર Page #616 -------------------------------------------------------------------------- ________________ ૫૭૪ વિષય તીવ્રમે હેાચ-સરસૂખા, (૨) તુચ્છતા હાસપત્ની પરિચય. ( ૪ ) ૮૭૩ તુચ્છ ભેાજન–પરપ્રેમ. (૧) માં વધારા. (૧) 29 તુલારાશિ. ( ૭ ) તૃષ્ણા-વૈદિકા. (૪) ” –સમજણ (૪) -રહસ્ય. (૪) " 39 99 તેજસ્કાય ( ૨ ) તૈજસી-લેચા (૭) તેાફાની છેકરાઓ. ( ૧ ) ત્યાગ—ની બીક (૧) 99 29 92 " .. .. .. અને મહાત્મા. (૪) મેાચન, ચાવીએ. (૩) 99 . ત્રણ કુટ્ટા (૩) શરત સાથે સ્વીકાર (૧ )૩૦-૧૬૫ -આદરવગરના ( ૧ ) ૧૮૩ -અલ્પના પણ લાભ (૧ ) ૧૮૧ સર્વથા (૧) ૪૨, ૧૯૫ ૨૦૩ | સર્વાંગ ( ૧ ) સર્વીસ ગ—તેથી ફેરફાર ( ૧ ) ૨૦૫ માત્ર બાહ્ય કુટુંબના (૩) ૬૭૯ અરિદમનના (૩) ૬૮૩ | પૃષ્ઠ | વિષય ૩૦૧ | દૃંડનીતિ વિધા. ( ૫ ) –રાજનીતિ અંગ. (૫) ૨૮, ૧૫૮ | દંતવાણિજય. ( ૪ ) નેટ ૧૮૧ | ૬'પતી પ્રેમ. (૪) ૧૬૫૩ ઊઁચા. ( ૮ ) ૮૮ ૮૩૩ ૮૫૫ ૧૦૪૦ | દરિદ્રતા–પિશાચી. (૪) ૪૨૨ દર્શીન—ગૌતમ. (૪) ૩૧૮ ૧૭૫૨ ૧૬, ૫૫ ૧૫૩ કોટિ ( ૪ ) નેટ શુદ્ધિ ( ૪ ) નેટ "" ત્રયી વિદ્યા (૫) ત્રસ નામ કમ (૪) ત્રાબાના પાત્રમાં ભીખ(૫) નુ રહસ્ય (૫) 99 ત્રિકરણ–પાડા ( ૨ ) ત્રિફ્રેંડી. ( ૪ ) ત્રિભેટા (૩) ત્રિરાશિક દન. ( ૪) ત્રિવલય. ( ૩ ) નેટ ૬૭૦-૬૭૯ ૧૩૦૯ ૧૩૦૮ ૩૦ 34 ૧૯૨૧ 99 પ્રાપ્ત કરવાના ઉપાય. (૮) ૧૯૨૪ કુમારી. ( ૩ ) કલ ૬૩૧ 99 93 99 ૧૦૩૦, ૧૦૨૬, ૧૩૬૨, ૭૧ ૮૫૯ ૮૫૯ ૧૩૪૬, ૧૦૨૦, ૧૦૨૯ ૮૬૦ વૈશેષિક. ( ૪ ) ૮૫૯ ૧૦૨૦, ૧૦૨૮, ૧૩૦૧-૦૫ -ભેદ. (૪) મૌધ.(૪)૧૦૨૦, ૧૦૩૦, ૧૩૮૦-૮૪ -ચાર્વાક. (૪) ૧૦૩૧, ૧૩૮૪-૮૬ ઇન-મીમાંસક. (૪) ૧૦૩૨, ૧૩૮૭–૯૦ ૧૨૩૪ -જૈન. ( ૪ ) ૧૦૩૩, ૧૭૯૦-૧૪૦૪ દૃર્શીન-દીન દુ:ખીનુ, (૫) દનથી રસાંતરાનુભવ. ( ૮ ) ૮૪૬ દનવિનચ—બે પ્રકાર. (૪) ૧૮૬૯ ૧૦૦૧ ૮૪૬ | દનાવરણીય. ( ૨ ) ૨૮૯ ૧૩૦૯ ,, -મિત્રરાજા. ( ૪ ) ૯૯ ૮૯૧ ૧૧૬૬ ૧૮૦૭ ”, “ના નવ મનુષ્યા. (૪) નેટ ૮૮૮ ” “આક્રમણ્—ખાધા. (૭) ૧૨૭૨ | ‘દલનાચા’પર વિનેાદ. (૬) ૧૪૯૬૭ દેવદાન. (૪) નાટ ૩૨ ૮૩૧ ૧૩૪૪ દાન—કુપાત્રે. (૪) ૮૫૪ 99 ૫૮૩ મુખ-ચારિત્ર ધર્મરાજનુ (૪) ૧૦૫૯ - -પ્રકાર. (૪) ૧૩૪૭ ૧૦૬૦ ૪૮૧ –રાજનીતિ અંગ. (૫) ૧૩૦૯ 19 93 ” –પાશુપત. (૪) 12 “ક્શાદ, 39 મેં ઉપમિતિ સ્થાના 39 39 –ભવિષ્યત લગ્ન. (૩) 29 ૧૦૦૭ ૮૫૯ Page #617 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ ] પ૭પ ૬૯ 18 ૫૪ | વિષય દાન-સુવર્ણ ગો. પૃથ્વીનું, (૪) ૮૬૭ દુષ્ટાભિસંધિ માંકડ, (૭) ૧૭૩૯ દાંત-લક્ષણ. (૫). ૧૧૫૫ આક્રમણ-આધા. (૭) ૧૮૦૮ દાયકષ. (૪) ૧૪૨૪ છાશાચ-રાજા, ૭૧૧ દારો અને સંપ. (૮) ૧૮૭૭| સ્વર નામકર્મ, (૪) ૮૯૨ દારિદ્રય-ખુલાસે. ૧૨૫૩ દુખમાંથી મક્ષ ઉપાય. (૫) ૧૨૫ દારુની ભયંકર અસર. (૪) ૯૪૦ , મૂર્તિદરિદ્વી (૧) ૧૭, ૬૩. જ નું પીઠું. (૭) ૧૬૬૫, ૧૬૮૦ | દુઃખ (પરિ.). ૧૩૮૦ 5 નું પીઠું (૭) ૧૬૬૬ | દૂતપ્રેષણ (૫). ૧૩૧૩ જ ના પીનારા. (૭) ૧૬૬૮૧૭ | કાર્ય. (૫) ૧૩૧૩ “હાસ્યસિ?-વિનોદ. (૬) ૧૫૨. , -ને ઉદ્ધત જવાબ. (૫) ૧૩૧૪ દિશિવતગુણવત. (૪) ૧૦૮૨ | દૂતીપિંડદોષ. (૪) દીક્ષા આનદ. (૧) ૨૪ | દૂષણે પાંચ-સમ્યકત્વનાં (૧) ૧૮૮ , અને વિલંબ. (૩) પ૩૩ છાત (પરિ.) ૧૩૬૫ ૧૯૭૦ 5 થી ભાવાર્થ સમજ (૪) ૮૧૯ છે -અરિદમનની. (૩) , વૈદ્ય કથાનક (૮) ૨૪૩-૫૩ છ-ગુણધારણની. (૮) છે –બાહુબળ. (૪) ૧૧૧૪ કે પ્રભાવ (૬) ૧૫૮૧ છે -ભાવના. (૩) ૫૪૦ , અકિંચિકરતા (૬) ૧૫૯ શત્રુમનાદિની.(૩) ૫૨| ક પર વિજય (૬) અ -અનુસુંદર (૮) ૨૦૦૮ | દૃષ્ટિરાગ (૪) -ભયે વામદેવનાશભાગ. (૫) ૧૩૨૬ | દૃષ્ટિ-લક્ષણ (૫) ૧૧૫૭ છે -મહત્સવ. (૫) ૧૩રપ/ દેડકો-સંસારીજીવ (૭). ૧૮૩૪ છ -સાતની. (૮). ૨૦૧૫ | દેવતત્વ(૮) ૨૦૫૭ કે મહાભદ્રાની (૮) ૧૯૮૦ દેવદર્શન (૫) ૧૮૨ વિચક્ષણની (૪) ૧૦૯ દર્શનને જુદા પાડનાર તત્વ. દીનતા-દરિદ્રીની, (૧) દીનદુખીની શેધ. (૫) ૧૨૭ ૧૧૯ તો સળગાવ્યું. (૫) ૧૨૭૮ દેવલોક-બાર (૨) હલગતા-પિશાચી. (૪) ૧૦૦૯ -પ્રથમે (૭) ૧૮૩૨ દુર્ભાગનામકર્મ. (૪) ૮ ), બીજે (૭) ૧૮૬ મુખ અને વિકથા. (૪) છે ત્રીજે (૭) દુષ્ટાભિસન્મિ. (૩) ૫૭૨,૮૭ | દેવાંગના-દેવજન્મ. (૭) ૧૮૩૨ છે ને દ્વેષનું કહેણ. (૪) ૭૮ | વે અદેવ બુદ્ધિ (૪) ૮૪૫ છે 'નરધાં વગાડનાર, (૨) ર૬ વિના વિલાસ (૭) ૧૮૪૩ E Page #618 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯૮ ૫૭૬ [ ઉપમિતિ કથાને વિષય પૃષ્ઠ | વિષય દેશવિરતિ (૩) ૫૧૨| ધનની–તૃપ્તિ અભાવ. (૧) ૭૯-૮૩ » ધર શ્રાવક (૬) ૧૫૯૩ , પર-યશોવિજયની સઝાય. (૧) * દેશના–ભાષા. (૬) ૧૬૨૧ છે ગર્વ–મહેશ્વર. (૪) ૯૫૩ દેશન્સામાન્ય રાજયો(૬) ૧૫૬૦ ક, ના કલ્લોલે. (૬) ૧૪૬૮ દેશાંતરના લાભ (૫) છે માટે પરદેશ ગમન. (૬) ૧૪૬૯ દેશાવળાશિક-શિક્ષાવ્રત. (૪) ૧૦૮૫ , ની શોધમાં. (૬) ૧૪૭૩, ૧૪૮૬ દૈવ અનુકૂળ (૬) ૧૫૪૧ , ની વધતી ઈચ્છાઓ. (૬) ૧૪૮૧ દેરડી–ફટકાવવાની (૪) ૮૧૫ , ઇચ્છના વિચારે. (૬) ૧૪૮૨ દૌજન્ય અને સૌજન્ય.(૫) ૧૨૦૦-૧૨૦૯ તે માટે રીપ ગમન. (૬) ૧૪૮૪ દૌર્જન્ય-રે (૪) ૭૧૨ , સાથે ધનશેખરનાં ચેડાં. (૬) ૧૫૨૯ દ્રવ્ય. (પરિ૦) ૧૩૭૧ : , માટે અનેક પ્રવૃત્તિ. (૬) ૧૫૪૫–૪૮ છે -ક્રિયા. (૭) ૧૭૭૦ , પ્રાપ્તિ-કંટાળો નહિ. (૬) ૧૫૪૯ , અને ધનવાહન. (૭) ૧૭૯૪ ,, રાશિ. (૭). ૧૬૫૩ છે –ગુણ પર્યાય. (૪) ૧૯૦ , વાનને ઈચ્છી પુત્ર. (૪) ૯૬૨ છે -ધર્મ-ભાવધર્મ–ચર્ચા (૭) ૧૮૮૯ , સ્વરૂપ-વિમર્શ. (૪) ૯૫–૯૬૦ છે -મુનિપણું. (૭) ૧૮૨૨ ધનશેખર જન્મ. (૬) ૧૪૬૭ શુદ્ધિ. (૩) , સાગર મૈત્રી. (૬) ૧૪૬૭. » -સ્તવ. (૧) નોટ ૧૯૭ છે ધનની શોધમાં. (૬) ૧૪૭૩-૧૪૮૬ છે, અને ગુરૂ. (૩) ૫૧૩ » કમલિની લગ્ન. (૬) ૧૪૭૭ -દુમપત્રક-ઉત્તરાધ્યયન. (૧) ૧૧-૨૩૦ રતદ્વીપ ગમન. (૬) ૧૪૮૪ -દમ સાથે યુદ્ધ. (૩) છે ના ધનની સાથે ચેડા. (૬) ૧૫ર૯ 4. (૧) નોટ ૨૦૫ છે અને જીવન. (૬) ૧૫૩૧ દ્વાદશાંગી- અભ્યાસ. (૮) ૧૯૫૬ મૈત્રી–સ્વાર્થ. (૬) ૧૫૩૮ છે ને સાર-ધ્યાન યોગ. (૮)૨૦૩૯ , દરિયે. સાગર પ્રેરણું. (૬) ૧૫૪૦ દ્વાદશાવર્ત વંદન. (૮) ૧૮૯૭ નું પુણ્ય પલાયન. (૬) ૧૫૪૨ દિહષી–પાડે. (૨) ૩૨૧ છે –દરિયામાં. (૬) ૧૫૪૪ તેષગજેન્દ્ર-પરિચય. (૪) ૭૯૬,૮૬૫-૬ , ની નિષ્ફળતા. (૬) ૧૫૪૪ છે - અવસર. (૪) સ્વરૂપે અને સંસર્ગે. (૬) ૧૫૫૬ આક્રમણ-બાધા. (૭) ૧૮૦૪ છે રખડપટે. (૬) ૧૬૩૭ દ્વેષ-સ્વાર્થ–મામારાજા. (૬) ૧૫૩૫ ધનેશ્વરને અનુશાસન, (૮). ધી ભાવ-રાજનીતિ ગુણું. (૫) ૧૩૦૭ ધર્મ–એક. (૮) ૨૦૫૮ ધન પ્રાપ્તિ-પ્રયત્ન. (૧) ૭૩ ક કથા. (૧) છે માટે-કુવિકલ્પો. (૧) ૭૧ આ કથાચાર પ્રકાર. (૫) ૧૧૯૬ છે -રક્ષણ ચિંતા. (૧) ૭૭] , દર્શનથી પ્રત્યુપકાર. (૫) ૧૧૭૭ ૫૧૪ ૫૮૬ ૯૪૧ - ૫ Page #619 -------------------------------------------------------------------------- ________________ ૫ વિષયાનુક્રમ ] ૫૭૭ વિષય ૫૭ વિષય ધર્મધ્યાન-ડેલ. (૬) ૧૬૦| પૃષ્ટતા-રિપુદારણની. (૪) ૧૧૨૨ જ છે પવન, (૭) ૧૭૫૮] ધ્યાન અને મનનો સંબધ. (૮) ૨૩૯ , પરીક્ષામાં બહાનાબાળવિપ્લવ(પરિ૦)[ તપાગ. (૪) ૧૯૭૨ ૧૩૫૩-૪ બે પ્રકાર ૧૦૭૨ છે , અને મહા. (૪) ૧૩૫૫-૭ | ગ-જૈનધર્મને સાર. (૩) પપપ ગેપીપાવવંદન.(૯) ૧૩૫–૧૩૬ જ છે (૮) ૨૦૩૯ • પ્રાપ્તિ દુર્લભતા. (૩) યેયનાના-માધ્યચ. (૮) ૨૫૧ આ છ વચૂડને. (૫) ૧૧૬૯ યુવરિપુદારણના રાસમાં. (૪) ૧૧૨૫ બધાકર, (૧) ૨૧. ૧૧૨ નખ લક્ષણ. (૫) ૧૧૫ર. છે , ને શંકા. (૧) ૧૧૩ નગરદાહ-નંદિવર્ધન. (૩) ૬૪૦ અને ઉપદેશ. (૧) નગારું—સભાગ. (૮), ૧૯૯૯ છ માં અધર્મબુદ્ધિ.(૪) ૮૪૮ | નજરબધી. (૩) • લાભ (8) નેટ. ૪૧૮.૧ર૩૪(૫) નદી–પ્રમત્તતા. (૪) ૮૦૫ • શાલ-ધવલ પુ. (૮)૧૯૮૧-૨ છ છ સમજણ. (૪) ૮૦૭ » સદ્ધર્મ.(૧) એ છે અને મહાત્મા.(૪) ૧૦૪૦ આ પ્રકારઃ દાન. શીલ. તપ. ભાવ. ૧૧૯ | મંદાકુંડ. (૪) ૫૫ છે પુરુષાર્થ. (૧) ૧૪૧ નંદિવર્ધન–જન્મ. (૩) , અધર્મનાં પરિણામ. (૧) ૧૪૩ , વૈશ્વાનર મૈત્રી. (૩) ૩૪૭ છે નાં કારણ, સ્વભાવકાર્ય. (૧) ૧૪૫ ૫૭૯ સાચો ક્યાં છે? (૭) ૧૭૨૩ છે કનકમંજરી લગ્ન.(૩) ૫૧૩ ધર્માચરણ. (૩) ક -હાથમાં છરી-ખૂની.(૩) ૬૧૭ ધર્માનુષ્ઠાન અને નિમિત્ત. (૩) ૫૨૬ , વંગરાજ યુદ્ધ. (૩) ૬૨૧ ધાતુવાદ. કળા. (૩) ૩૫૭ છે -શિકારની લતે.(૩). ૬૨૫ ૧૪૭૫ છે -યુવરાજ પદે. (૩) ૬૩૩ છે અને કેશુડે. (૬) -ખૂની. (૩) ૬૩૬૩૯ છે -ધનશેખર. (૬) ૧૫૪૮ છે કેદખાનામાં. (૩) ધાત્રીપિંડ દેખ. (૪) ૧૪૧૭ • કૃત નગરદાહ (૩) ૬૪૦ ધારણા નદી. (૬). ૧૬૦૬ છે ને રખડપટે. (૩) ૬૪૧-૬૫૦ ધુમ્રપ્રભા. (૩) ક ની કડવી જીભ.(૩) ૬૪૨ તારા અને બઠર ગુર. (૫) ૧૨૬૩ છે માન આપનાર પર ક્રોધ. (૩) ૬૪૫ છ નું રહસ્ય. (૫) ૧૨૯ -વિભાકરનું ખૂન. (૩) ૬૪૬ ધૃતિ-વાંટવી. (૭) ૧૫૯ [, -અંબરીષની પલ્લીમાં. (૩) ૬૪૮ - સાધુપત્ની. (૫) ૧૨૫૯ | , –ની કર્મકથા. (૩) ૫૭ ૭૩ ૪૨૭ ૧૪૪ ૩૯ Page #620 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮ [[ ઉપમિતિ કથાને ૩૨ ૩૦૬ ૭૪૨ ૭૪૪ ૭૪૮ વિષય પૃષ્ઠો વિષય પૃષ્ઠ નંદિવર્ધનની બાધિદુર્લભતા. (૩) ૬૬૮] નારકી સાત (૪) નોટ, છે -મરણ. (૩) ૬૮૪) નાસિકા ગુફા (૫) ૧૨૮ , છઠ્ઠી નારકીએ. (૩) ૬૮૫ નિકૃષ્ટ રાજ્ય. (૬) ૧૫૬૮–૧૫૭૬ નમસ્કાર અને મંગળ. (૧) ૧ નિક્ષિસ દેષ. (૪) ૧૪૨૨ નરક યાતના રિપદારણની. (૪) ૧૧૨૯ નિગોદ. (૨) નરવાહન-ચિંતવન. (૪) ૧૧૧૨૬ , –ષટત્રિશિકા. (૨) N ૩૦૧ છે -વૈરાગ્ય-દક્ષિા. (૪) ૧૧૧૪ છે -ગળક.(૨)N ૩૦૫ નરસુંદરી સિદ્ધાર્થ પુરે (૪) ૭૨૭૭૩૭ , -ને અનંતમે ભાગ મેલે. , –ના પ્રેમને તિરસ્કાર. (૪) ૭૩૮ છે -તિરસ્કૃતા. (૪) | સ્વરૂપ પરિશિષ્ટ.(૨) ૩૩૨-૩૩૫ -હતાશ. (૪) નિગ્રહસ્થાન.(પરિ.) ૧૩૬૮ કે ની પ્રેમભિક્ષા. (૪) નિજચાતા.(૪) ૭૬૩ છે ને આપઘાત. (૪) ૭૫૦ | નિજવિલસિત ઉદ્યાન.(૩) ૪૬૩ નવકેટિઆહારવિશુદ્ધિ. (૬) ૧૬૦૦ , માં ત્રણ ભાઇએ. (૩) ૪૬૬ નવ દ્વાર. (૪) નેટ ૯૬૪ , પ્રભાવ. (૩) ૫૨૪-૫૩૪ વાડ-બ્રહ્મચર્યની.(૩)નેટ પ૦૪. છે ને માર્ગે મનીષી. (૩) ૫૩૭ ૧૯૮૨. ૧૫૯૯ | નિઝામણ. (૮) ૨૦૧૭ ક વિધ પરિગ્રહ. (૪) ૧૦૮૧ નિદાન-વૈદ્યનું (૮) २०४४ નસીબ બે ડગલાં આગળ. (૬) ઉપર | નિધાનનવ. (૮) નાક લક્ષણ. (૫) ૧૧૫૭ નિંદા-મહાપુરુષની. (૭) ૧૮૩૯ નાગદત્ત અને સર્પો. (૧) ૧૧. - ૨૨૨ નિમિત્ત પિંડદેષ. (૪) ૧૪૧૫ નાગદમની. (૩) નિમિત્તશાસ્ત્ર. (૬) ૧૫-૨૦ નાટક-કર્મપરિણામનું. (૨) ૨૬૧ નિમિત્તિઓ-જિનમત. (૩) ૩૬૦.૬૨૭ છ ના પાત્ર-સાજ, (૨). અને મુહ. (૩) પ૩પ બેધ. (૮). નિયતિ. (૨) ૨૬૨ છે રિપુદારણનું (૪). નિયાણું. (૪) ૮૫૫ છે સંસાર. (૮) ૨૦૭૬ નિરર્થક પ્રવૃત્તિ-સમજુ ન કરે. (૭) ૧૭૯૬ નાની વાતને દાબી દેવી. (૭) ૧૭૭૨ | નિરાશા-શેકવર્ણન. ( ૩ ) ૬૦૬૭ નામ. (૨) N. નિરીહતા. (૭) ૧૭૯૮, ૧૯૨૨ (૮) , આક્રમણ–બધા. (૭) ૧૮૮૭ અ પ્રાપ્ત કરવાના ઉપાય. ક -મિત્રરાજા. (૪) ૧૯૨૯ છે –ના કર મનુષ્ય. (૪) | નિરિગતા–રૂજાવિધી સત્વ. (૪) ૯૯૯ નોટ, ૮૮૯ | નિર્જરા. (૧) નામે-મેક્ષનાં (૮) ૨૦૬૦ | (૪) ૧૫૧ ૩૫૧ ૨૬૧ ૨૦૧૪ ૧૧૨૪ ૨૯૦ ૮૯ Page #621 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ ] પ૭૯ વિષય પુ! વિષય નિર્જરા તત્વ. (પરિ.) ૧૩૯૫ નિયાચિક દર્શન. (૪) ૧૦૨૬-૧૩૬-૭ નિર્ણય. (પરિ.) નેક્વાય. (૧) ને ૧૫૩ નિબજાર. (૬) ૧૬૦૭ છે -વીંછી. (૭) ૧૭૭૮ નિર્મળચિત્તનગર.(૪) ૭૬૬.૧૦૫ | ન્યાય અક્ષપાદ–ગૌતમ સ્થાપિત.(૧) ૫૧ નિર્મળાચાર્ય—આનંદમંદિરે. (૮) ૧૮૫ ૨૦૪૭ છે દેશના. (૮) ૧૮૯૮ | પગલક્ષણ, (૫) ૧૫૨ છે –સ્વનના ખુલાસા. (૮) ૧૯૦૧ પંકwભા. (૩) -દશ કન્યા વર્ણન.(૮) ૧૯૨૬-૩૩ | પંચ યજ્ઞ. (૪) ૮૫૫ નિર્માણ નામકર્મ. (૪) ૮૨! વ્રત પાલન રાજ્ય પ્રવેશ ઉપાય. (૬). નિર્વાઇનકર્મ (૪) નેટ ૮૩ ૧૫૮ નિર્લેપતા-બુધની. (૫) ૧૨૯૩ { ક હસ્તાક્ષર (૭) ૧૭૬૦ છે મોક્ષની થાઓ. (૮) ૨૦૪૦ | પંચાક્ષ-ગેખ-કાચા ઓરડામાં. (૭) ૧૭૩૮ નિર્વિકાર સાધુ. (૬) ૧૫૪3 | છ પથસંસ્થાન. (૨) ૩૨૪. ૬૮૫ નિવૃત્તિ. (૩) છે , -માં સંસારીજીવ. (૮) ૧૯૬૭ નિવૃત્તિ નગરી.(૨) ૨૮૪. ૧૦૧૬(૪) પંચાનિ તપ. (૪) ૮૫૩ ૧૬૦૮-૧૬૦ (૬) પંચાચાર, (૭) १७२७ નિર્વેદ અને ભવચક્રવાસીઓ. (૪) ૨૦૧૭ પડિલેહણ. (૭) ૧૭૨૬ નિવેદન અંતિમ. (૩) ૬૯૧ પડીકુંગધનું. મન્દ મરણ. (૫) ૧૩૨૦ નિષ્કરણતા. (૩) | પંડિતમરણ. (૮) ૨૦૨૯ નિષ્કમણત્સવ. મનીષીને. (૩) ૫૩૫ પત્ની-અગીઆર-સાધુની. (૫) ૧૨૫૯ નિપિપાસિતા સંતેષપત્ની.(૪) ૧૦૯૫ | પત્રધ. કળા. (૩) ૩પ૭ નિપુણ્યક. (૧) ૧૧. ૫૩ પકેસરનાં ટીંપળ. (૬) ૧૪૩ છે દારિદ્ર-મૂર્તિ. (૧) ૫૪ | પદ્મ શ્યા. (૭) ઉપર નિષ્પકંપતા રાણી (૨) ૩૬૩-૩૬૪] પંદર કર્માદાન. (૪) ૧૦૮૩ નિષ્ફળતા-લોભી બનશેખરની. (૬) ૧૫૪૫ ઇ મુદ્દા-બુધસૂરિના. (૫) ૧૨૫ થી. મ -પરંપરા. (૬) ૧૫૫૦] પરતંત્રતામાં આનંદ-અધમને. (૬) ૧૫૮૩ વિસીહિ. (૫) ૧૧૧ | પરદેશમાં સ્વદેશી મેળાપ. (૬) ૧૪૮૯ નિઃસ્પૃહતા–સાધુની. (૧) ૧૨૫| પરદેશ વ્યાપાર રીતિ. (૬) ૧૪૮૫ - વેદિકા. (૪) ૧૦૫૫| પર-દેહ-ચાર. (૪) ૭૧૨ છે -વિમળની. (૫) ૧૧૭૫ પરનિંદા. (૪) વેદી રચના. (૮) ૧૯૪૯ પરપુરપ્રવેશ-ચાગી. (૪) ૯૦ નીરહવાહનને રાજ્ય. (૭) ૧૮૧૧ | પરમાધામી. () ૬૮૧. ૯૯૧ (૪) નું માન. (૭). ૧૮૧૩] પરમેશ્વર-સુસ્થિતરાજ, (૮) ૧૯૧૩ નલ લેગ્યા. (૭) ૧૭૫૨] પરવશતા-નિકૃષ્ટની. (૬) ૧૫૬૯ પSB ૭૬ Page #622 -------------------------------------------------------------------------- ________________ થઇ , વિષય ૭) ૧૮૩૯ ૫૮૦ [ ઉપમિતિ કથાને વિષય પરસ્ત્રી કે (૪) ૧૮૦ | પાંચ ભૂત (પરિ૦) ૧૩૭૮ , ગમન. (૩) ૪૪ ] » શ્રત. (૬) ૧૫૯૯ આ તરફ વર્તન. (૪) ૭૬૮ | પાટુ–માતાને અભિમાની. (૪) ૭૫૭ પરાઘાત નામકર્મ, (૪) ૮૯૦પાત-ખડપટ. (૭) પરાધીનતા-ખુલાસો. (૫) ૧૨૪૮) પાદપપગમ. (૮) પરાવર્તદેવું. (૪) ૧૦ પાનગોષ્ટિ. (૭) પરિગ્રહ પરિમાણ વ્રત-સ્થૂળ.(૪) ૧૦૮૧ | પાપ. (૩) છે -વિરમણું. (૪) ૧૦૩૯] , તત્વ (પરિ૦) ૧૩૯૩ , -સ્વરૂપ. (૭) ૧૭૭૩ , શાશે. (૪) ( નવવિધ. (૭) નોટ ૧૭૭૩ પાપાતિરે–ડીબ. (૮) ૧૯૯૯ પરિપાટી વ્યવસ્થા. (૪) ૧૧૪-૧૬ | પાપનાં પરિણામ. (૮). ૧૯૯૬ પરિભ્રમણ, (૩) | પાપાનુ બંધી પુણ્ય. (૪) ૯૬૦, ૧૨૨૦ પરિવાર-ચારિત્રધર્મરાજને (૪) છે પાપ. (૫) ૧૨૨૦ ૧૮૧૯૬ પાપપીજર. (૪) , -બેવડે. (૩) ૩૪૬ , ના સાત પાડા. (૪) લ૯૨ , -તત્ર. (૩) ૩૬૯] પાપીપીંજરે-નિકૃષ્ટ. (૬) ૧૫૫ છે -મેહરાયને. (૪) ૮૪૩-૮૮૨ | પાદચ અને ખલતા. (૪) ૧૦૦૩ છે –સંબંધી વાનરનો. (૭) ૧૫૯ છે અને દરિદ્રતા. (૪) ૧૦૦૮ પરિહારવિશુદ્ધિ-મિત્ર-ચારિત્રરાજને [, પુણોદય. (૮) ૧૯૦૪-૦૬ (૪) ૧૦૬૫ નાં પરાક્રમે. (૮) ૧૯૦૬ પરીષહ(૧)નેટ. , એખરે. (૮) ૧૯૫૯ , ઉપસર્ગ સહન. (૬) ૧૫૮ પારિકાપનિકા સમિતિ. (૩) ૫૦૫ ,, - હાસે. (૭) ૧૭૩૯ એ છે (૮) ૧૯૪૮ પક્ષ. (પરિ) ૧૪૦૨ | પાશુપત દર્શન.(૪) ૮૫૯, ૧૩૪૯ પર્યાપ્ત નામકર્મ. (૪) ૮૯૧ પાખંડને. (૪) પરિ૦ ૧૩૪૩ પર્યાપ્તિ. (૨) N ૩૧૬. ૬૬૫] પિંડનિર્યુક્તિ. મત્સ્ય. (૧) ૧૧. ૨૨૮ છે અપર્યાપ્ત.(૭) ૧૬૯૪ | પિતૃધર્મ અને નિર્વાણ. (૫) ૧૭૨૪ પાપમ. (૨) મ ૩૨૬ | પિત્ત. (૬). ૧૫૦ પવન-ત્રણ ગુણ. (૭) ૧૭૫૮ ! પિશાચી સાત. (૪) ધર્મધ્યાન. (૭) ૧૭૫૮] –ને વેગ. (૪) ૧૧૨ પશુસંસ્થાન, (૪) ૯૦ પિહિત દોષ. (૪) ૧૪૨૩ પશ્ચાત્તાપ-નરવાહનને.(૪) ૧૧૧૬ | પીઠ-લક્ષણ. (૫) ૧૧૫૪ પશ્ચાત સેવા-વિદ્યાની. (૩) ૪૫ પુવેદ. (૪) પાંચ કારણે. (૪) ૧૧૩ પુંડરીક-કુલધર (૮) ૧૪ Page #623 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ ] વિષય પુંડરીક પ્રગતિ. ( ૮ ) ભવ્યપુરુષ. (૮) 23 →→ –સમતભદ્ર પરિચય. (૮) ,, જાગૃતિ. (૮) 39 39 -મેાક્ષ. (૮) પુણ્યન્તત્ત્વ ( પરિ॰ ) » “પુણ્યાનુબન્ધી. (૧) -પાપાનુબંધી. ( ૧ ) પુણ્યાનુબંધી પુણ્ય. ( ૪ ) પાપ. (૫) 39 પુણ્યાદ. ( ૨) -08-71. (3) " 29 99 99 39 99 99 , "2 39 .. 19 . . "9 એજ કુલધર. (૮) –આચાર્યની વિભૂતિ. (૮) 99 כ ૯૫૯, -ને ખેદ. (૩) નું વિસ્મરણ. (૩) શ્રી વિજયપર’પરા, (૩) રીસાયા. (૩) નું સહચરત્વ.(૩) રિપુદારણ સાથે જન્મ. ને થયેલી શરમ. (૪) અને ધનરોખર (૬) ધનરશેખર મૈત્રી. ( ૬ ) આવે, જાય. (૭) ૧૩૯૩ ૧૦૪, ૧૪૬ ૧૦૪. ૧૪૬ ૧૨૨૦ નું નિર્દોષ કાર્યાં. ( ) નું એસરવુ. (૭) સહચરત્વ. ( ૮ ) નું કાર્યાં. (૮) પાપેાચ રહસ્ય. ( ) કાર્યાં. (૮) પૃષ્ઠ વિષય ૧૯૮૪ | પુત્રજન્મ હ. (૪) મહેાત્સવ. (૪) ૧૯૮૫ 99 ૧૯૮૮ | પુત્રપ્રાપ્તિ માટે વલખાં. (૯) ૨૦૧૫ | પુત્રપ્રેમ. (૩) ૨૦૧૬ | પુત્રા–એ–ચારિત્રરાજના. (૪) ૨૦૩૦ | પુગળપરાવર્તી ( ૧ ) નેટ. પુનઃસ્થાપન—હરિકુમારનું. ( ૬ ) ૨૦૭૧ પુરંદરને રાજ્ય. (૮) । પેટલક્ષણ. (૫) પેશન્ય-ચાર. ( ૪ ) ૧૪૬૮ ૧૮૩૭ | પાકળ પ્રકાશ. (૫) | પૌષધવ્રત–શિક્ષાવ્રત. (૪) ૧૮૧૨ પ્ર` વિમ પ્રયાણ (૪) ૧૮૫૮ ૧૯૦૧ અટવીને માગે. ( ૪ ) ૧૯૦૫ ૧૯૦૭ 53 ૧૯૨૦ પરિચય. (૪) 29 99 પુત્રઅને પિતા, (૬ ) ૧૪૭૦૭૨ » મામા સાથે. (૪) 39 ૧૪૩ –ની જિજ્ઞાસા. (૪) કેવા જોઈએ. ( ૬ ) પુત્રજન્મ મહેાત્સવ. (૭)૧૬૪૬. ૧૮૫૫(૮) | પ્રકાપવૈદમાં. ( ૬ ) પુત્રજન્મ-વધામણી. (૨) ૨૭૩, ૧૯૭૫(૮) | પ્રગતિને માગે. (૭) પુરુષ ચિહ્ન–લક્ષણ. ( ૫ ) દ્વેષ (૮) 39 ચાર પ્રકાર. ( ૩ ) ૧૨૨૦ પર વિચારણા. ( ૩ ) ૪૮૮ 29 ૩૨૮ ' પુરૂષા. ( ૧ ) ૧૩૭, ૧૪પ. ૧૯૧૧ (૮) ' ૧૬૨૧ ૧૪૦૬ ૬૨૩ ૩૨૬ ૩૪૫ પૂજાતિશય. ( ૬ ) ૩૪૮ । પૂતિક્રમ દોષ. ( ૪ ) ૬૧૪, પૂર્ણપાત્ર ( ૩ ) પૂર્વી (૨)N. ૬ર૧ 39 ૬૩૬ ગણતરી. ( ૮ ) ૬૬૧. ૬૮૯ | પૂર્વસ્મરણદેવજન્મે. (૭) (૪) ૭૦૪ નાં રહસ્ય. (૮) ૭૩૪ | પૃથ્વીકાય. (૨) 99 ૧૫૪૨ - 39 29 99 39 39 "" ... ને જાગૃતિ. (૪) ભવચક્રને માગે. ૫૮૧ પૃષ્ઠ ૯૪૫ ૯૪૬ ૧૮૬૧ ૫૬૫ ૧૦૬૬ ૮૧.૩૪૭ ૧૫૪૨ ૨૦૦૮ ૧૧૫૩ ૧૮૬૨ ૪૭૪ ૧૯૭૮ ૧૮૩૨ ૨૦૧૧ ૩૧૦ ૧૫૩ ૭૧૨ ૧૨૭૦ ૧૭૯૫ ૭૮૪ ૮૦૧ ૧૨ ૯૧૬ થી. GFG ૭૮૪ ૮૦૩ ૧૫૪ ૧૮૧૬–૪૦ Page #624 -------------------------------------------------------------------------- ________________ ૪૧૭ ૫૮૨ [ ઉપમિતિ કથાને વિષય પૃષ્ઠ | વિષય પ્રચલા ઊંધ-ખુલાસે. (૫) ૧૨૫૦ પ્રમેય. (પરિ.) ૧૩૬૪ પ્રજ્ઞાવિશાલા. (૫) ર૭૪. | પ્રદશેખર મંદિર (3) ના ખુલાસા. (૭) ૧૮૪૧ | છે ને મહિમા. (૩) પર૭ -વિચારભવ્યતા. (૪) ૧૧૩૦ છે ને પગથીએ (૩) ૫૩૯ છે મહાભદ્રા. (૮) ૧૯૯૩ અમેદવર્ધનમાં મહોત્સવ. (૩) ૧૯૩ પ્રણામ-પંચાંગ. (૫) ૧૧૯૧ | પ્રજન. (પરિ.), ૧૩૬૫ પ્રતીતિમાટે ચાલુ પ્રયત્ન (૧) ૨૮, ૧૬૧ | પ્રવચન સારોદ્ધાર-સંયમ. (૪) ૧૦૭૪ ૧૬ર. ૧૧૯ | પ્રવર્તિની મહાભદ્રા. (૮) પ્રતિબોધકાચાર્ય. (૩) | પ્રશસ્તિ . (૮) ૨૦૮૩૭ પ્રતિબોધ રચના. (૫) ૧૨૨૨ | પ્રશ્ન-મેક્ષમાર્ગને. (૮) ૨૦૪૨ ક -બીજે પ્રવેશ. (૫) ૧૨૨૭ . - ઘવળરાજના. (૫) ૧૨૩૮ પ્રતિમા દર્શન-પરિણામ. (૫) ૧૧૮૪ | પ્રસર-વૈદકમાં. (૬) ૧૫૧૪ પ્રત્યક્ષ (પરિ૦) ૧૩૬૨. ૧૩૮૨. ૧૩૮. | પ્રહસન-વિનોદ. (૬) ૧૫૬ ૧૪૦૨ | પ્રાકૃત દેષ. (૪). ૧૪૭ પ્રત્યાખ્યાનાવરણીય. (૪) ૮૮૦ | પ્રાણાતિપાત વિરમણ. (૪) ૧૦૩૮ પ્રત્યેક નામકર્મ. (૪) ૮૯૧ | ૧૦૭૮ પ્રપંચસંસાર. (૧) ૧૧૭ | પ્રાતિહાર્ય–આઠ. (૬) ૧૬૧૭ પ્રબળરાગ કલ્લોલ પર પરા માળા. (૮) { પ્રાદુકરણ દેષ. (૪) ૧૪૦૮ ૧૮ | પ્રાયશ્ચિત્ત-તપયાગ (૪) ૧૦૬૯ પ્રબંધનરતિ આચાર્ય. (૩) , દશ પ્રકાર.(૪)નેટ, ૧૮૬૯-૧૦૭૦ » –ઉપદેશ. (૩) ૪૭૩ | પ્રેમભિક્ષા–નરસુંદરીની. (૩) ૭૪૮ -નું અપ્રમાદયંત્ર. (૩) ૫૦૧ | પ્રેમ-હરિમંજરીને. (૬) ૧૫૨૮ પ્રભાવ-દૂત. (૩) ૩૮૫ | ફજેતી રિપુદારણની. (૪) ૭૫૩ પ્રભાવ-દષ્ટિદેવીને. (૬) ૧૫૮૧ ફજેત-રિપુદારૂણને. (૪) ૭૨૯ પ્રભાવક ચરિત્ર પ્રબંધ-(પરિ૦) ૧૪૩૦. | ફટકા-રિપદારણને. (૪) ૧૧૨૩ ૧૪૬૦ ફાંસીએ બાળ. (૩) ૪૬૦ પ્રભુશક્તિ. (૫) ૧૩૦૯ | ફાંસીની રીત. (૮) ૧૯૯૯ પ્રમત્તતાના પ્રવાહમાં (૮) બગલ-લક્ષણ. (૫). ૧૧૫૪ » –મહાન આક્રમણ, (૭) ૧૮૦૨ | બગિચે-મિથુનય. (૩). ૪૧૧ » નદી. (૪) ૮૦૫ બઠર ગુરુ કથાનક. (૫) ૧૨૬૨૭ છે સમજણ. (૪) ૮૨૭ છે કેણુ? (૫) ૧૨૬૮ પ્રમાણું. (પરિ.) ૧૩૬૨ { બનાવટી વાતે-વામદેવની. (૫) ૧૨૦૬ પ્રમાદ. (૩) નટ. ૫૦૩, ૧૦૪૮ (૪) બંધ-તત્વ. (પરિ૦) ૧૩૯૪ છે --કાફિડા. (૭) ૧૭૩૯ | બંધન નામકર્મ. (૪) Page #625 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ ] ૫૮૩ ૧૩૭૭ ૧૯૨ પા ૩૮૪ વિષય પૃષ્ઠ | વિષય પૃષ્ઠ બંધહેતુસત્તાવન. (૭) ૧૬૯૦-૧૬૯૩ | બાળવિપ્લવ-બ્રહ્માના(પરિ૦) ૧૩૫૩-૪ બહારવટીઆ સાથે યુદ્ધ. (૩) ૫૭૧ | બિલાડી-સંજ્ઞા. (૭) ૧૭૧૮ બહિરંગ દેશે નિકૃષ્ટ. (૬) ૧૫૭૪ બિલાડે-ઘનવાહન. (૭) ૧૮૧૭ બહિષ્કાર-રિપુકારણને. (૪) ૭૫૯ બુદ્ધિ દેવી. (૪) બહિષ્કૃતિ ઉપાય. અધમરાજો.(૯) ૧૫૭૭ બુદ્ધાદ્રિય (પરિ૦) બહલિકા (જુઓ માયા) (૫) ૧૧૪૫ | બુધ ચરિત્ર. (૫) ૧૨૮૨ બહલિકા-માયા. (૭) છે અને પ્રાણ. (૫) ૧૨૯૧ બળાબળતુલના. (૩) ૩૭૧ અ ની નિર્લેપતા. (૫) ૧૨૯૩ બાદર નામકર્મ. (૪) ૮૯૧ , દીક્ષા. (૫) ૧૩૨૦ બાધા-મેહરાય પરિવારની-અભાવ.(૪)૯૦૨ , નંદન ઉદ્યાન. (૭) ૧૬૫૬ બાલ-કેશ-લક્ષણ. (૫) ૧૧૫૮ બૃહસ્પતિ. (૮) ૨૦૪૭ બાલિશ–પરિચય. (૭) ૧૭૭ બેંતાલીશ દેષ-આહારના. (૪) ૧૦૩૯ છે અને કૃતિ. (૭) ૧૭૭૨ ૧૪૮૫ છે, અને ગંધર્વમિથુન. (૭) ૧૭૮૨ | બોદ્ધ. (૧) બુધસ્થાપિત. બાર દેવલોક(૭) ૧૮૨૧ | બેધ–અંગરક્ષક. (૩) બારી-ક્ષપશમ. (૭) ૧૭૩૮ | , –નો રિપોર્ટ. (૩) બાહ્ય કુટુંબ. (૩) ૬૭-૬૭૮ | બૌદ્ધ-ઉપદેશ. (૧) , ત્યાગ. અંતરંગ વગર નકામો. ૬૭૯ | ક માન્યતા. (૧) ૧૫ર બાહ્ય લિંગ. ધર્મ. (૮) ૨૦૪૯ | બૌધ દર્શન. (૪) ૧૦૩૦. ૧૭૮૦–૮૪ બાહ્ય વેશ. ઉપયોગ. (૬) ૧૬૦૦ બ્રહ્મચર્યચતિધર્મ મનુષ્ય નં. ૧૦ (૪) બાળ. (૩) ક૭૮ ૧૯૭૭ છે –અને સ્પર્શન સ્નેહ. (૩) ૩૭૯ , અઢાર પ્રકાર. (૪) નોટ ૧૭૭ -પર સ્પર્શનનું ગબળ.(૩) ૪૦ | , વ્રત-સ્થૂળ. (૪) ૧૦૮૦ , –નજરે જીવન સાર્થક્તા. (૩) ૪૦૭ { બ્રહ્મદત્ત. (૮) ૨૮ -કામદેવને મંદિરે. (૩) ૪૩૫ | બ્રહ્મરતિ–મિથુનવિયેગ. (૬) ૧૫૫૪ ને અંતસ્તાપ. (૩) ૪૪૧ ૧૯૨૧ ક -રાત્રિચર્યા–મયુરબંધ. (૩) ૪૪૩ છે. પ્રાપ્ત કરવાના ઉપાય. (૮) ૧૯૨૭ ના હાલહવાલ.(૩)૫.૫૬-૪૬૨ / બ્રહ્મા અને મકરધ્વજ.(પરિ૦) ૧૭૫૫૭ ક -ની ટીકાઓ. (૩) ૪૫ | ક ના બાળ વિપ્લવ. (૫રિ૦) ૧૩પ૩-૪ છે –અને મદનકંદળી (૩) ૪૫૭ બ્રાહ્મણ-ઉપદેશ. (૧) ૧૨૩ આ તરફ કતિરસ્કાર. (૩) ૫૯ ૧૬૭ , –ને ફાંસી. (૩). , બેધ. (૭) ક -વર્તન પર વિચારણું. (૩) ૪૯૩ | ન્હાનાં-સંસારીનાં. (૧) ૧૩૩ -નું ભવિષ્ય, (૩) ૪૯ | -કાયરનાં. (૧) ૧૯૮-૧૯૯ ૧૨૩ Page #626 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ ૩૦. ૧૭૮ [ ઉપમિતિ કથાને વિષય પૃષ્ઠ | વિષય બહેનેને પ્રેમ-૫રસ્પર. (૩) ૫૬૯ | ભરમ-રાખ કર્મ, (૮) ૧૯૯૮ ભગવંત સ્તુતિ. (૫) ૧૨૧૧-૧૨૧૬ | ભસ્મક-વ્યાધિ. (૩) ૪૦૧ ભદ્રતપ. (૮) ૨૦૩૬ | ભાટક કર્મ. (૪)નેટ ભદ્રા પ્રતિમા. (૮) ૨૦૩૭, [, અને ધનશેખર (૬) ૧૫૭ ભદ્રોત્તર તપ. (૮) ૨૦૩૬ ભાવદીક્ષા અને અપ્રમાદયત્ર. (૩) ૫૦૮ ભદ્રબાહુ-સામુદ્રિક. (૫) ૧૧૫૧ ભાવના–ચાર-મૈયાદિ. (૧) ૧૪૮ ભમ્મર-લક્ષણું, (૫) ૧૫૭ બાર- ભાવમુખે. (૪) ૧૦૬૨ ભચ-પરિચય. (૪). છે અને સમ્યગદર્શન. જ પ્રકાર–સાત. (૪)નેટ. ૮૭૪ , ઉલ્લાસ. (૮) ૧૯૩૯ આ સાત. (૪) નેટ. ૧૫૩ સિદ્ધિ-માર્ગે. (૩). છે આક્રમણ-બાધા. (૭) ૧૮૫ , પ્રમાદ. (૩) ૪૫૨ , ચિત્તવાનરને. (૭) , રાજ્યપ્રવેશઉપાય. (૬) ૧૫૯૮ એ સાથે મકરધ્વજપ્રવેશ. (૪) ૯૬૩ ભાવમુખ-ચારિત્રધર્મરાજનું.(૪) ૧૦૬૨ ભરદરિયેથી રાજસિહાસને. (૬) ૧૫૪૨ ભાગ-વધારાગ. (૧) ૧૮૩ ભવજતુ-એક્ષ. (૩) અ -નાશ. (૧) ૧૦૭ ભવચક–નો પ્રસ્તાવ. (૪) ૯૧૦] ભાવલિંગની ઉમેદવારી. (૮) ૧૯૩૨ છે અને ચિત્તવૃત્તિ. (૪) ૯૧૦ | ભાવાસ્તવ-દ્રવ્યસ્તવ. (૭) ૧૯૯૩ છે નાં કૌતુકે. (૪) ૯૨૭–૧૦૯૮ | ભાવાર્થ જ્ઞાનની જરૂર. (૪) ૮૧૭ ભાવનગર. (૫) ૧૨૬૨ ભાવભાવ-અવશ્ય. (૪) ૧૦૧૪ છે રહસ્ય. (૫) | ભાવે-પાંચ સ્થિરતા. તીર્થસેવા. ભવપ્રપંચ. (૩) ૬૬૫ આગમકૌશલ્ય. ભક્તિ. છે પીછાન. (૭) પ્રભાવના (૧) ભવભીતિ અભાવ. (૮) ૧૮૯૧ ભાષા-કથાની. (૧) ભવસ્થા–શેકપની. (૪) -સંસ્કૃતસ્ત્રાકૃત. (૧) ભવિતવ્યતા. (૨) ૩૦-૩૧૦ | ભાષાસમિતિ. (૩) ૫૦૫ છે --અદેખાઈ. (૮) ૧૯૫૮ [, (૮) ૧૯૪૮ ક -આયુષ્યરાજ સંકેત. (૮) ૧૯૬૪ ભિખારીપણું-સંસારમાં સાર્વત્રિક. ક ની સલાહ (૮) ૧૯૪૩ ૭૧. ૫ મર્મદર્શન. (૮) ૧૯૯૫ | ભિક્ષા. (૧). ૨૧, ૧૧૬ છે વિચારણું. (૮). ૨૦૩૩ , પાત્ર-૮રિદ્રીનું (૧) ૫૫ ભવ્યપુરુષ. (૨) ર૭૧ | ભિખ-ચારપાડામાં-અકરશુ(૫) ૧૨૫ -નામ સાથે. (૨) નટ ૨૭૩-૪ | નું રહસ્ય. (૫) ૧૨૭8 ના ભાવી ગુણે. (૨) ર૭૮૯ | ભુજપરિસર્પ. (૨) કર૫ -પુંડરીક. (૮) ૧૯૮૫) ભુજંગતાના ખેલા. (૫) ૧૮ ૧૨૬૯ ૧૦૮ Page #627 -------------------------------------------------------------------------- ________________ ८२६ ૪૭ ૮૮૬ વિષયાનુક્રમ ] ૫૮૫ વિષય પૂ8 | વિષય પૃ8 ભુજંગતાના ખેલોની ફસામણું.(૫) ૧૨૯૨ મણિ-મત્ર-ઓષધિ. (૮) ૧૯૩૯ ભુવનપતિ-ધનવાહન જીવ. (૭) ૧૮૧૯ | મંડ૫ચિત્તસમાધાન. (૪) ૧૦૪૩. ૧૦૫૫ છ વર્ણન. (૭). ૧૮૨૦ | , ચિત્તવિક્ષેપ. (૪) ૮૦૭ ભુવદર નગર. (૪) ૮૨૦ { } } -રહસ્ય.(૪) ૮૫૩ સમજણ. (૪) , , અને મહાત્મા. (૪) ૧૦૪૦ ભૂતળ નગર. (૪) ૭૬૩) મડલી-સાત પ્રકાર. (૭) ૧૭૨૫ ભૂમિ-સામાન્ય રાજ્યની. (૬) ૧૫૬૦ મતિમોહ-પારણામ. (૪) ભેદ-રાજનીતિ અંગ. (૫) ૧૩૦૮ | મત્સ્ય-પિંડનિર્યુક્તિ. (૧) ૧૧. ૨૨૮ ભેદસ્પષ્ટતા- સામાન્ય વિશેષની. ૮૭ મદ–આઠ. (૮) ૧૯૨૪-૫ ભેરવજવ. (૪) ૮૪૭. ૮૫૩) મદનકંદળી. (૩). ભગતૃષ્ણ() ૪૧૯. ૪૨૧ , બાળની નજરે. (૩) ૪૮૦ ક -પરિચય, , પર બાળનો ધસારે. (૩) ૪૯૪ છે આક્રમણ-આધા. (૭) મદનમંજરી-કામાકુળ (૬) ૧૫૧૮ ભેગનેહ-વરસાદ. (૭) ૧૭૪૧ , હરિમાર લગન. (૬) ૧૫ર૬ ભોગાભિલાષ-નાટક-નાંદી. (૨) ૨૬૧ | , વિરહદશા વર્ણન. (૮) ૧૮૬૧-૭૪ ભેગેપભેગ-ગુણવ્રત. (૪) ૧૦૮૩ છે –ગુણધારણ લગ્ન. (૮) ૧૮૭૬ ભેગલોલુપતા- ટે. (૭) ૧૬૮૩ -સુલલિતા. (૮) ૧૮૧ ભૌતાચાર્ય. આંતરકથા. (૪) ૮૧૨ , , અગ્રહીતસંકેતા. (૮) ૧૯૮૧ ભ્રમણ કારણુ. (૮) મદનમંદિર–શવ્યા. (૩) ૪૩૫-૬ મકરધ્વજ-આક્રમણ. બાધા. (૭) ૧૮૦૮ મધ્યમબુદ્ધિ. (૩) ૪૦૮ • પર વિજયમાર્ગ.(૪) ૯૦૨ છે –ને મનીષીની ચેતવણું. (૩) ૪૦૯ છે પરિચય. (૪) ८९७ , –ની બાળને સલાહ (૩)૪૩૩.૪૪૨ છે ના ત્રણ મિત્રો. (૪) ૮૬૮ છે -વાસભુવનમાં. (૩) ૪૩૮ છે –મહિમા વસતે. (૪) ૩૦ ક -પર અસર. (૩) ૫૪ આ કૃત મહામહાદિ નિયોગ.(૪) ૩૪ –ની બાળને અંગે વિચારણું.(૩)૪૬૧ છે રાજય. માત્ર માનવાવાસે. (૪) ૯૩૭ ક -પર ઉપદેશની અસર, (૩) ૪૭૯ છે ને ભય સાથે પ્રવેશ.(૪) ૯૬૩ છે અને નિજવિલસિત ઉદ્યાન.(૩) ૫૨૪ મકર રાશિ.(૭) ૧૬૫૩ છે -મ-દારૃપદારા. (૪) ૯૩૮ મગશેળીઆ દૃષ્ટાંત. આવશ્યક(૧)૧૧. ૨૧૯ છે કે –પરિણામ. (૪) ૯૪૨ મંખ-મત. (૪). ૧૩૫૧ | મધ્યમ પ્રાણું સ્વરૂપ. (૩) ૪૮૫ મચ્છર-ઉપસર્ગો. (૭) ૧૭૩૯ | મધ્યમ રાજ્ય. (૬) ૧૫૯૦-૧૫૯૩ મઠમાં ચટ્ટો. (૭). ૧૯૮૭ | મન અને કર્મબંધ. (૪) ૮૦૫ મઠ શિવાલય. બજારે. (૭) ૧૭૩૬ ! આ દ્રવ્ય-ભાવ. (૭) ૧૭૪૮ ૭૪ = = = = Page #628 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ વિષય મનમાં સતેષ. (૮) મનીષી. (૩) 33 99 33 29 29 99 .. .. . 33 -વિચારણા. ( ૩ ) --આત્મનિ ય. (૩) —પર સ્પન ચાગબળ. ( ૩ ) ૪૦૨ –સાક્ષીભાવ. ( ૩ ) ની ચેતવણી–મધ્યમને. ( ૩ ) ની વિચારશીલ સલાહ. ( ૩ ) ૪૫૦ ૪૫૨ 99 મનુજનગતિ નનરી. (૨) "" વ માનપુર. (૪) મનુસ્મૃતિ. (૧) મને ગુપ્તિ. ( ૩ ) 92 અને દીક્ષાવિલંબ. (૩) ને નિષ્ક્રમણેાત્સવ. ( ૩ ) (૮) 33 મનાનંદન અને વિમળ (૫) મનેાનંદન ઉદ્યાન. (૮) મનેાયાગ-ચાર ભેદ. (૭) મન:પર્યાય. ( ૨) →→ –સદ્ભાષ મિત્ર. (૪) મત્રદોષ. (૪) મંત્રવાદી અને આગ. (૭) મત્રશક્તિ. (૫) મંત્રીઓ-જૈનમંદિરે. ( ૧ ) [ ઉપમિતિ કથાના પૃષ્ઠ | વિષય જ ૧૮૯૧ ૧૫૦૭-૧૭ ૩૭૪ મન્મથ વ્યાકુળતા. (૬) મમત્વ’ ૫૨ વિનેદ. ( ૬ ) ૧૪૯૫-૬ ૩૮૧ | મયૂરખ ધ–માળનું. (૩) ૩૯૮ - મરણ–રોાક–કાને ? (૮) ના પ્રકાર. (૮) ૪૪૩ ૨૦૧૮ ૩૦૨૯ 99 55 મલક્ષય રાજા, (૪) મલવિલય ઉધાન. (૩) મલસ ંચય રાજા ( ૪ ) કૃત ઉત્કૃષ્ટ દ્રવ્યપૂન. ( ૩ ) ૫૧૪ | મશ્કરા—વિલાસ. ( ૮ ) ને અભિષેક. ( ૩ ) ૫૧૭ | મહાઆરબ (૪) નેટ ૧૩૧ ૨૩. ૧૨૦, ૧૨૯ મહાકલ્યાણક. ( ૧ ) શરતે સ્વીકાર. ( ૧) ૨૫૨–૨૫૭ | મહાત્મા અને ચિત્તવૃત્તિ (૮) ૧૦૩૯ ૧૩૫ ૧૬૫ 99 ૧૧૩૧ મહાદેવીના હુકમ. (૨) ૨૯ ૧૫૨ ૨૦૦ 99 59 -સિદ્ધપર (૨) ૫૦૫ મહાત્બુદ્ધિ. ( પરિ૦) ૧૯૪૯ ની મહાનુભાવતા. (૩) માટે કર્યાં વિની સાનુકૂળતા.(૩)૪૬૪ ૪૦૪ | મર્યાદાભંગ~તિલલિતા. (૪) ૪૦૯ -મેાટા ભાઇને. (૪) ૭ ને મત–વિમધ્યમ માટે (૬) ૧૫-૭ ના સદ્ભાષ. (૪) ૧૦૯૦ "9 મન્ત્ર અને બ્રાણુ. (૫) ૧૨૮૬, ૧૨૯૧ ની ક્ષુબ્ધતા. ( ૫ ) ૧૨૯૩=૪ 99 નું મરણ (૫) મન્મથની મૈત્રી. ( ૬ ) | ૧૩૦૭ મહાભદ્ર તપ. (૮) ૨૦૩૬ ૩૦૭૨ ૧૨૨૫ | મહાભદ્રાને મેક્ષ. (૮) ૨૦૨૫ | મહાનુભાવતા--વિમળની. ( ૫ ) ૧૨૦૭ ૧૬૯૩ | મહાપરિગ્રહના દાર. (૭) ૨૭૭૫. ૧૭૯૧. ૧૮૦૦ ૨૮૦ ૧૦૯૧ માં આસક્તિ. (૭) ૧૭:૪ ૧૪૧૯ મહાભદ્રા–કંમુનિજીવન. (૮) ૧૯૮૦ ૧૬૫૮ એ જ પ્રજ્ઞાવિશાળા, (૮) ૧૯૮૦ ની દીક્ષા. (૮) ૧૩૦૯ ૧૯૮૦ -પ્રતિની. ( ૮ ) 99 ,, “સુલલિતા સબવૅ. (૮) ને કરુણુા. (૮) -ને જાતિસ્મરણુ. (૮) ૧૩૨૦ ૧૪૯૩ 99 99 99 " મહાભદ્રા પ્રતિમા. (૮) મહામૂઢતા. (૪) .. ૯૩૯ ૯૪૨ ૭૬ ૧૫૧ ૭૬૩ ૧૯૯૯ ૮૨૯-૮૩૦ આક્રમણે બાધા (૭) ૧૯૯૦ ૧૯૮૧ ૨૦૦૦ ૨૦૦૧ ૨૦૩૭ ૪૪ ૧૮૦૪ Page #629 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ ] વિષય પૃષ્ઠ | વિષય પુ ૨૬૪ | મહાવૈદ્ય ( ૫ ) ની વા. (૭) ૧૨૭૫ ૩૯૩ ૧૬૨૮. ૧૬૯૬ મહામેાહ-નાટકે સૂત્રધાર. (૨) મહિમા. (૩) ની તૈયારી. ( ૩ ) ૩૯૧ | મહેશ્વર-ધનગવ`. ( ૪ ) અંતરંગે-કાં. ( ૩ ) ૬૭૫-૬૭૭ | મહાત્સવ-કૈવલ્યને ( ૮ ) “ પરિણામ સંબંધ. (૪) ૯૧૬ | માંસભક્ષણ-પર્યાલાચના. ( ૪ ) ૯૫૩ ૨૦૭૦ ૯૭૩ સામર્થ્ય –વસ તે. (૪) ૯૨૯ ૧૭૩૯ માકડ-દુષ્ટાલિસન્ધિ. (૭) માતા—આઠ. સ્મરણેા. (૮) મકરધ્વજ નિયેાગ. (૪) ૯૩૪ ૨૦૧૪ | માતૃકા સ્થાપન. ( ૮ ) ૧૯૪૭–૧૯૪૯ માથું-લક્ષણ. ( ૫ ) ૧૦૩૮ જીતનાર દન કુતૂળ, (૪) ૧૦૩૭ -નું વર્ણન. (૪) ભ્રમ-સતાષપરત્વે. (૪) ૧૦૯૪ ને માથે રાજ્યભાર. (૬) ૧૫૬૩ નુ પ્રબળ સામ્રાજ્ય. ( ૬ ) ૧૫૬૩ .. " 99 99 99 99 39 39 39 39 39 99 29 99 99 ( ૬ ) ૧૫૭૧ : સામ્રાજ્ય-નિકૃષ્ટ રાજ્ય. ( ૬ ) ૧૫૭૩ અમ પર સામ્રાજ્ય. ( ૬ ) ૧૫૮૩ ઢીલે પડ્યો. વિમધ્યમ, (૬) ભૂમિઆક્રમણ. મધ્યમ. (૬) રાજ્યે તરખાટઉત્તમ. (૬) રખવાળ–મારે. . ૧૫૮૮ ૧૫૯૧ ૧૫૫ (૭) ૧૭૩૫ (૭) ૧૭૩૯ ૧૮૦૧-૧૫ ૧૮૪ 99 ૧૬૮૨ ,, તુ રેંટમાં સ્થાન. (૭) મહારથી. (-) ૧૯૩૭ મહામાહરાજા સિંહાસને ( ૪ ) ૧૦ ના પરિવાર 99 99 39 .. 99 29 ના અનંત પુત્રા. પૈકી છે. 39 મંત્રી વિચારણા. ને ત્યાં આનંદ-નિકૃષ્ટ રાજ્ય. 99 અને મહાત્મા મહારાજ્યના ચારા મહાવિદેહ 99 બિલાડા મહાન આક્રમણુ. (૭) નુગા.. (૬) ૫૬૬ (૬) ૧૫૬૭ (૬) ૧૫૬૯ (૭) (૧) વિજય ( ૨ ) નેટ (૬) 1 29 ૧૧૫૮ ૧૨૯૭ ૧૯૯ ૨૧૧ ૧૪૧૭ માનવાવાસ. ( ૪) ૯૮ » “ત્રણ પ્રકાર. (૮) ૧૮૮ 39 ૧૨૩૧ -મા મધ્વજ રાજ્ય. (૪) ૯૩૭ માનસિક અવનતિ-અધમની. (૬) ૧૫૮૪ માનસિક નમસ્કાર. (૫) માનુષ્ય-ધર્માંદુ ભતા. ( ૩ ) માન્યતાદ નાની. ( ૧ ) મામાભાણેજ, ( ૮ ) ૬૫ ૧૧૭ જીઆ વિમર્શ પ્રક .. સુધવુ, (૫) માધુરી વૃત્તિ. ( ૧ ) માન–ક્રોધ, ગાયક—નાટકા. પિંડદોષ. ( ૪ ) .. લલિતપુરમા. ( ૪ ) માયા-પરિચય. ( ૫ ) પિંડ દાષ. ( ૪ ) 39 39 મા ( પિર ) 19 19 99 (૪) ૮૪૩–૯૮૨ | માર્ગ–પ્રગતિના. ( ૮ ) (૪) ૯૪૪ ૧૧૪૪ ૧૪૧૮ ૧૩૮૧ દેશના. (૧ ) ૧૩૬ પરિચય-સજ્ઞકથિત (૫) ૧૧૮૬ ૧૧૮૬ પ્રાપ્તિને। આનંદૅ. (૫) 29 ૫૮૭ 0560 ૨૦૩૧ ૧૦૪૦ | માર્ગાનુસારી. (૧ ) ૧૬, ૨૮૬ (૨). ૬૬૩ ( ૩ ) ૧૫૬૧ ૧૨ - માર્ગાનુસારતા. (૫) —બતાવેલ કૌતક. ( ૫ ) ૧૯૩ ૧૨૯૮ ૧૨૯૮ Page #630 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ વિષય પૃષ્ઠ | વિષય માવતિષ્ઠમ મનુષ્ય ન ૨(૪) ૧૦૬૭ | મુક્તતા. (૮) માલાપહત દોષ. (૪) માસકલ્પ. (૮) માળા—Àર–પ્રબળ રાગકલ્લાન પરપરા. ( ૮ ) રામપાતર—કવિપસંતતિ. 99 (૮) મિાસ-ધનગવીને. (૪) મિત્રતા અને સ્વાર્થાંધતા. ( ૬ ) મિત્રરાજાએ–માહરાયના. ( ૪ ) સામાન્ય વિશેષરૂપે. (૪) મિત્રા-ના વાર્તાલાપ. (૬) પાચ. ચારિત્રધમ રાજના. 29 33 99 –સદ્ભાધના–પાંચ. (૪) મિથુનદ્રુ અંતરથા. (૩) મિથુન ર.શિ. ( ૭ ) મિથ્યા અભિનિવેશ. ( ૩ ) 39 . 19 [ ઉપમિતિ સ્થાને પૃષ્ઠ ૧૯૨૧ 39 ૧૪૧૧ -પ્રાપ્ત કરવાના ઉપાય. (૮) ૧૯૨૭ ૧૯૮૭ ” –સાગર વિયેાગ. (૬) મુક્તાવલી તપ. (૮) ૧૯૯ | મુક્તામુક્તિ મુદ્રા ( ૩ ) નેટ ૪૭૨. ૩૮૭ મિથ્યાત્વ-એની પ્રબળ અસર. (૧) ૧૨૬ ૧૬૯૦-૧ -પાંચ. (૭) મિથ્યાદર્શન-સેનાપતિ. ( ૪ ) -પરિણામ. ( ૮ ) -મહિમા. ( ૪ ) -ની શક્તિ. ( ૪ ) 39 39 (૪) ૧૦૬૪-૧૦૬૬ | મૂઢ વ્યાપારીની મૂર્ખતા. (૭) ૭૬૦ ૧૯૯૮ | મુગ્ધ કુમાર. ( ૩ ) ૯૫૩ | મુડમાળા (૪) ૧૫૨૯ | મુત્સદ્દીગીરી–સુબુદ્ધિ મંત્રીની.(૬) ૧૫૩૮ ૮૮૭ | મુદિતા–સાધુપત્ની ( ૫ ) ૮૯૪ | મુદ્દામાલ–ચેરીના. (૪) ૧૪૯૧ | મૂઢતા આક્રમણ—ખાધા. (૭) મૂળના વાંધા. ( ૫ ) ૧૨૫ ૧૦૯૧ ની વંચતા. (૭) ૪૧૧–૪૧૩ ૧૬૫૧ 99 ૧૮૦૪ ,, -આક્રમણ—આધા. (૭) ૧૦૧૯ ની શક્તિ. (૪) મિથ્યાદર્શન–અંધારું'. ( ૭ ) મિથ્યાભિમાન. (૧) ૪૫. ૨૦૯, ૭૯૧ (૨) ૧૭૩૯ -રિપુકંપન. ( ૪ ) ૯૪૩ વિચારા. ( ૪ ) | 99 99 29 મુઢતા પરિચય. (૪) મૂલ કદોષ. (૪) મૂલ્ય-સ’સારખનારે. (૭) મૃગયા અને લલન. (૪) ૮૪૪ ( ૮૪૪-૮૫૩ | મૃતિ-પિશાચી. ( ૪ ) ૮૫૦ ૧૦૧ ૯ મૃદુતા-શુદ્ધાભિસન્ધિ અને વસ્તાની પુત્રી. ( ૪ ) 39 33 ૧૭૦૩ ૧૦૧૩ ને વિચિત્ર જવામ. (૭) ૧૭૨૯ ને! માનેલા ધ, (૭) ૧૦૩૧ ૧૫ ૧૪૨૦ ૧૦૩૫ ૯૦૨ ૧૦૦૦ 39 ૧૧૯૨ (૫) જા ૧૧૧૭ (૮) રા 39 પ્રાપ્ત કરવાના ઉપાય. ( ૮ ) ૧૯૨૪ મૃષાવાદ (૪) ર -રિપુઠ્ઠાણુ મૈત્રી (૪) વિરમણ. (૪) ૧૫૫૪ ૨૦૩૫ ૯૪૬ .. 99 ૧૪૦૭ | મેમેથ (૩) મિથ્યા વાસનાજન્ય કુવિìા (૧) ૧૫૨ મિશ્ર જાત દેષ, ( ૪) મીમાંસક દર્શન(૪) ૧૦૩૨-૧૩૮૭૯૦ | મેશ્વા-સાધુપત્ની. ( ૫ ) મુક્તતા–તિધર્મ મનુષ્ય ન. ૪(૪) ૧૦૬૮ / મેષ રાશિ. (૭) 99 ૯૫૬ ૧૮૦૫ ૧૩૧૦ ૧૩ ૧૦૩૯ , સ્થૂળ. (૪) ૧૦૦૯ અને શૈલરાજની અસર. (૪) ૧૧૨૧ ૬૩૩ ૧૨૫૯ ૧૬૫૦ Page #631 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ ] વિષય મેળાપ પતીના આનંદૅ. (૩) 39 ના અંત.(૩) ચૈત્રી—ગાઢતા. ( ૩ ) ૧૦૬૬-૧૦૭૭ પૃષ્ઠ | વિષય ૬૦૮ | પ્રક્ષિતદોષ. ( ૪) ૬૦૯ | અતિધમ. ( ૪) ૩૭૯ | અતિધર્માંદૃશ કન્યા. મેળ. (૮) ૧૯૩૦-૧ ૧૨૫૯ | થાખ્યાત–મિત્ર-ચારિત્રરાજના.(૪) ૧૦૬૫ ૧૦૩૮ | ચથાપ્રવૃત્તિ કરણ. ( ૧ ) નેટ. ચટ્ટા. (૨) -દર્શનને જુદા પાડનાર તત્ત્વ.(૪) ૮૬૧ ચત્રપીડા. (૪) નેટ તત્ત્વ, ( પરિ॰ ) ૧૩૯૬ | ચવન—*ગાધિપતિ. (૩) ૮૬ ૧૩૮૧ ૩૬૨ • ૨૧ ૮૯૨ ૧૩૦૭ 99 ૧૦૬૯ 99 મા-એક. ( ૮ ) ગમન ચાગ્ય ગુણા. (૭) ૧૭૨૬ | ચશનામક. ( ૪ ) મારે ન જોઇએ. મૂઢ. (૭) ૧૭૩૦ { ચાન-રાજનીતિ ગુણ. (૫) ને અ'ગે–તીથીઓ. (૮) ૨૦૩૯–૪૨ | ચાવથિત અનશન. ( ૪ ) ૨૦૫૮ | યુદ્ધ-અખરીષ બહારવટીઆ સાથે. (3) -વિભાકર સાથે. (૩) ૫૨ ૧ ગાધિપતિ–ચવન સાથે (૩) ૬૨૧ -અનાદિ કુટુમ્બે વચ્ચે. ( ૩ ) ૬૭૫ -ધરાધર સાથે, (૩) આળખાણ. (૮) ૩૦૬૦ ૫૭૯ ૩૦૬૦ નાં નામેા. (૮) સમતભદ્રના. (૮) ૩૦૬૪ | ૨૩૭૧ । ૨૦૭૨ | ૬૪ ' ૬૭ આકાશમાં. (૫) ૧૧૧ -ચારિત્રરાજ માહરાયનું. (૫) ૧૩૧૬ માં ચારિત્રરાજ વિજય. (૮) ૨૦૦૭ ના ઉત્સાહ. (૫) ૧૩૦૩ અને સૈન્યનું, (૮) ૧૯૩૭ ભીષણ આંતર. (૮) ૧૯૩૩ વિદ્યાધરનુ. ( ૮ ) ♥ સાધુપત્ની. (૫) મૈથુનવિરમણ. ( ૪ ) મેક્ષ (પરિ॰ ) מ 99 39 32 99 .. " છ પુંડરીકના. ( ૮ ) 39 મહાભદ્રાના. (૮) સુખ અને સંસારસુખ. માહ ચિંતા-પિતા ધ્રુવળની. (૫) ૧૨૨૨ ૧૯૪૪ । 99 99 99 મેહનીય. (૨) મ મેહરાય–પરિવાર. ( ૪) -સામતચક્ર. ( ૪ ) .. 39 39 ના ઉછાળા. (૮) નિદ્રા. ( ૧ ) નું જોર. ( ૧ ) .. " 99 39 ... છાવણીમાં ખળભળાટ. (૮) ૧ ૮૪૩૮૮૧ ૮૮૩-૮૮૭ અને મિત્રરાજાઓ. (૪) ૮૮૭-૮૯૮ ના સૈન્યને જિતનારા. (૪)૮૯૮–૯૮ ~ની વિરલતા. ( ૪ ) ૯૦૮ • 92 ના સૈન્યમાં ખળભળાટ. (૭) ૧૭૭૧ સાથે તન્મયતા. (૮) માહવિનાશની જરૂર. (૮) મેહવિલય ઉદ્યાન. (૩) ૧૯૬ ૮૯ ૧૯૩૬–૧૯૪૩ { Re ૨૦૧૩ ૪૧૭ ' 1 1 99 27 . 99 39 95 99 99 99 39 .. યુવરાજ પદ્મ ( ૩ ) ચાગ દોષ. (૪) 99 "9 99 د. לן ક્રમ.(૮) ગ્રહસ્થાન. (૭) નિરેષ્ઠ. (૮) નિરેષ્ઠ. (૮) -૫દર ભેદ. (૭) ” મુદ્રા. ( ૩ ) નેટ. 99 ૧૮૯ પૃષ્ઠ ૧૪૨૩ ૩૦૩૨ ૨૦૦૧ ૧૬૯૩ ૪૬૯ ધન-રાજપ્રવેશ ઉપાય. (૬) ૧૫૯૮ લબ્ધિ-ગુરુની. (૫) ૧૫ ૧૮૭૯ ૬૩૩ ૧૪૨૦ ૧૮૯૭ ૧૬૪૮ Page #632 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ વિષય ૧૭૨૦ યેાગવ’ચક્તા. (૭) વિનય–ત્રણ પ્રકાર. ( ૪) ૧૦૭૧ વૈતાળ નાશ. (૬) શક્તિશ્પનની. (૩) ૪૦૦–૪૦૩ ૧૬૦૦ 99 99 99 ૫૦૧ શાસ્ત્ર-મહાઆરંભ. (૪) ૮૨૯ 99 ૧૩૯૭ ચોગાચાર ( પર॰ ) ચાગાંજનથી અંતરંગ દન. (૪) ૯૩૩ ૧૬૦૫ ૧૧૨૩ યાગિનિ–ચાર. સાફ કરનાર. (૬) યોગેશ્વર ચૂર્ણ. (૪) ચાવ્યનુ કૌતુક. (૭) ના વ્યાપારના ભાવા. (૭) ચાદ્દાઓ–જૈન મ ંદિરે. ( ૧ ) ચેાનિપ્રવેશ. નાટકે નેપથ્ય, (૨) ચૌવનવર્ણન. ( ૩ ) -જરા વિરોધી સત્ત્ત. (૪) دو ,, 99 મૈથુન જ૫ (૬) 99 અસર. ( ૬ ) રકન ભિક્ષુ-ઉપદેશ (૧) ૧૨૪ રખડપટ્ટીÀાલી ધનશેખરની. (૬) ૧૫૪૫ રખડપાટે–તેનાં કારણ. ( ૮ ) ૨૦૧૫ નંદિવર્ધનનેા. ( ૩ ) ૬૪૧-૬૫૦ રિપુદાણના ( - ) ૧૧૨૯ વિભાગેામા. (૭) ૧૬૭૬ ૧૨૭૩–૪ ૧૩૩૬ સારગુરુના. (૫) સંસારીજીવને. (૫) ધનવાહનના. (૭) ૧૮૧૬–૨૫ સ’સારીજીવન. ( ૮ ) ૧૯૬૪–૭૪ 99 ,, 99 99 99 99 39 રંગમાં ભગ (૩) .. , (૪) રતિઆક્રમણ ખાધા. (૭) 99 99 93 99 99 પૃષ્ઠ | વિષય [ ઉપમિતિ ક્યા ' રત્નઅમૂલ્ય. લેનાર દેનાર ( ૫ ) ૧૧ અને પ્રત્યુપકાર ચિંતા (૫) ૧૧ ચૂડ-પરિચય. ( ૫ ) ૧૧૬૮–૧૧શ્રૂતમંજરી લગ્ન. (૫) ૧૧ ચૌદ–ચક્રવતીનાં. (૮) ૧૯૭૬ દીપે–ચાર વ્યાપારી, (૭) ૧૭૦૧ દીપગમન. ( ૬ ) ૧૪૪ ની ચેરી. (૫) ૧૨૦૨ શેષ. (૫) ૧૨૦૭ ની જાતિ. ( ૧ ) ૨૬-૨૭ અને વ્યાપારી. (૭) ૩૫ ૯૮ ૧૮૦૫ મકરધ્વજપત્ની. પરિચય. (૪) ૮૬૯ લલિતાના નાચ (૪) ૯૩૯ હાસ પર વિજય. ( ૪) ૯૫ 97 99 99 99 99 99 97 プラ 29 ૧૭૨ 29 ૧૭૧૨ | રત્નાવલી તપ. (૮) ૯૭ | રથા—ચારિત્રધર્મ સૈન્યના. ( ૪ ) ૨૬૧ | રમણ અને ગણિકા. ( ૪ ) ૫૫૧ | રમણીઓ-જૈનમદિરે. ( ૧ ) ૯૯૬ | રસકૂપિકા, ( ૬ ) ૧૫૩૧ | રસગૌરવ. ( c) ૧૫૩૨ | રસ——–વૈદકમાં. ( ૬ ) 39 .. ત્યાગ-તપયાગ. (૪) ના (૪) ૭૭. લુબ્ધ જડે. (૪) ૭૭૨. ૧૧૦૬ અનેવિચક્ષણ (૪)૭૭૫, ૧૧૦૮ ની થા. (૪) ૭૬૨-૧૧૧૦ વાણિજ્ય. ( ૪ ) નેટ સિદ્ધિ-ધનશેખર. (૬) શેષાજી. ( ૬ ) રસ્તાને ખેના-ખુલાસા. ( ૫ ) "9 રહસ્ય વિચારણા. (૫) વ્યાપારીકથાનું. (૭) 99 .. 99 39 99 92 "9 97 39 રાગકેસરી. ( ૩ ) 39 99 99 .. –ને ક્ષેાલ. (૩) -અને મહામાહ. (૩) -બહારગામ. (૪) વન. ( ૪ ) ૧૭૦૮ ૨૦૩૪ ૧૦૯૭ ૯૬૧–૯૬૪ ૧૯, ૧૦૨ ૧૪૭૪ ૧૯૬૧ ૫૧૦ ૧૦૬૯ ૮૩. ૧૫૪૮ ૫૧ ૧૨૪૨ 1330 2033 ૩૮૬ ૩૮૯ ૩૯૪ ૭૨ ૮૬૪-૬૫ Page #633 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ ] વિષય રાગકેસરી-આક્રમણ-ખાધા. (૭) શગદ્વેષ નાટકમાં નરહ્યા. ( ૨ ) રણે. (૪) રાગાદિ શત્રુ પર અકુરા–જૈનધમ 39 સાર. (૩) રાગ-વગર દીઠે. ( ૩ ) ૧૩૦૬–૧૩૫૧ રાજચિહ્ન–પાંચ. ( ૮ ) રાજ્ય, (૫) નીતિ. ( ૫ ) મંદિર-સપુણ્યક. ( ૧ ) ૪૪. ૨૦૫ રાજસૂચિત્ત. (૩) ૩૮૫,૭૯૦ (૪) રાજસ–તામસચિત્તની જાગીરી. (૪) ૯૧૯ રાજસી–ચાંડલા. (૮) રાજસેવા. ( ૧ ) ૭૩ 59 સેવા અને ધારશેખર. ( ૬ ) ૧૫૪૬ રાજાએ અને પિરવાર–સ ખ ૨. (૪) સામાન્ય રાજ્યને. (૬) ૧૫૬૦ રાજ્યપ્રવેશ ઉપાય. (૬) ૮૯૩ 99 ૧૫૯૭ 19 મહાર–અધમ રાજા. ( ૬ ) ૧૫૮૨ છ -પ્રવેશ. ૧૫૯૭ ૧૬૦૧ ૭૫૪ ૧૯૧૧ ૧૫૯૬ ૧૫૬૫ ૧૫૬૬ 99 17 .. " અંતર–પ્રવેશ. ભુવનત્યાગ—રિપુના (૪) ભ્રષ્ટ-ધનવાહન. (૭) મા–નિષ્કંટક ( ૬ ) સંસારીજીવનું, ( ૬ ) પ્રત્યેકને એક વર્ષી, (૬) રાત્રિચર્ચામાળની. (૩) રાધાવેધ. ( ૩ ) રાશિ-માર. (૭) રાસભ્ર અને ધેાખી. (૬) રાસ—રિપુદારણને. (૪) ૧૧૨૪–૧૧૨૫૭ પુષ્ક’પન-પરવશ. (૪) ,, મિથ્યાભિમાન. (૪) * મરણુ, શાથી. (૪) 39 " .. પૃષ્ઠ | વિષય ૧૮૦૪ | રિપુઠ્ઠારણુ ગ–પાત. ( ૪ ) ૩૬૧ ૭૯૭ ૫૫૫ ૫૬૭ ૧૮૯૬ ૧૨૨૫ ૧૯૧ પૃષ્ઠ ૧૧૯ અને તપન ચક્રવતી. ( ૪ ) ૧૧૨૦ -મૃષાવાદ રૌલરાજ તળે.( ૪) ૧૧૨૧ –ની ધૃષ્ટતા. ( ૪ ) —ને ફટકા ( ૪ ) Lin "" ७०४ ” તું મરણ, (૪) સિદ્ધાર્થાંનગરે. ( ૪ ) જન્માત્સવ. ( ૪ ) -શૈક્ષરાજ મૈત્રી. ( ૪ ) ૭૦૫, ૭૩ –તે સાખતીકૃત બહિષ્કાર. (૪) ,, 29 99 99 99 .. ,, ૧૫ –ગુરુના આસન પર. (૪) ૭૧૮ અભ્યાસકાળમાં રખડુ, (૪) ૭ર૪ ,, -પરીક્ષા અને જેતેા. (૪) ૭૮ નરસુંદરી લગ્ન. (૪) ૭૩૭ અભણ--ગેાટાળા (૪) .. 99 ૧૯૯૮ 97 ,, ” ૭૪૧ ૭૮૨ 99 ૭૮૪ ૭૫૩ .. ૭૫૫ , --—જેતી. ( ૪ ) –રખડપાટા. ( ૪ ) –ને રાજ. (૪) રૂજા—પિશાચી. ( ૪ ) રૂપક—પરિપાટી. ( ૧ ) ૧૧૧૭ ૯૧૭ ૧૧ | રૂપ ત્રણ-સમ્યગ્ નનાં. (૪) ૧૦૮૯ રૂપાનાં પાત્રમાં ભિખ. ( ૫ ) ૧૩૬૬ ૧૨૭૩ ૫૪ ૨૦૪૮ ૧૬ ૬૦ ૧ ,, 99 99 –નરસુંદરી તિરસ્કાર. (૪) માતાની સમાવટ. (૪) 29 29 ૪૪૩ રોગના ઉપાય. (૩) ૬૫૫ | રાગીએ. ( ૮ ) ૧૬૪૮ | ગા—દરિદ્રીના. ( ૧ ) ૧૫૨૯ નુ` રહસ્ય. ( 99 (૫) ૯૪૧ | રાહણાચળ, (૬) ૯૪૩ | રૌદ્રચિત્ત. ( ૩ ) ૯૫૦ ના પ્રકાર. (૧) નાં કારણેા. ( ૧ ) ૧૧૨૩ ૧૧૨૮ ૭૦૩ વિ. તામસચિત્ત. (૩) ૧૪૭૪ ૧૭ પપ Page #634 -------------------------------------------------------------------------- ________________ ૫૯૨ વિષય પૃષ્ઠ | વિષય રૌદ્રચિત્તમાં દેવી અવિવેતિા. (૪) ૭૯૮ | લેણદારા-આઠ કાણુ ? ( ૫ ) 2 રૌદ્રધ્યાન. ( ૧ ) કુંડ, (૭) રૌદ્રાભિસન્ધિ-ગૌરવાની મદદે. (૮) ૧૯૬૦ લક્ષણ-પુરુષ સ્ત્રીનાં. ( ૫ ) ૧૧૫૧-૧૧૬૩ | લગ્ન—વિમલાનના નકરોખરના. (૩) ૫૮૧ ૬૫. ૭૦ -સંસારમજારે. (૭) લેપ-તીવ્ર માળને. ( ૩ ) સ્તબ્ધચિત્ત. ( ૪ ) ૧૭૪૦ .. "" 99 99 99 99 99 29 .. 99 99 -આનંદ. (૬) 男 લબ્ધિઓ. ( ૫ ) લલન અને મૃગયા. (૪) લલાટપટ્ટે ખરી. ( ૫ ) લલિત ઉદ્યાન. ( ૪ ) લલિતનુ લાલિત્ય. (૬) લલિતવિસ્તરા. ( ૪ ) નેટ લશ્કર–ચારિત્રધર્મ રાજનું. (૪) . સામાન્ય રાજ્યનું. (૬) લશ્કરી નાકરી–ધનશેખર. ( ૬ ) લાઠ્યાવાણિજ્ય. (૪) નેટ લાલ હાનિ તુલના. (૭) લાભ લાભ. (૬) લિગ–પાચ. ( ૧ ) નેટ લિપ્ત દેષ. (૪) લીલાધર—ઉદ્યાન. (૩) લુબ્ધતા–મ દ્નની. ( ૫) | 99 વેશ્યા છે. (૭) નાટકે. વર્ડા. ( ૨ ) શુદ્ધિ. (૮) લાકનિરાદર. ( ૧ ) લામાએઁ. ( ૩ ) નેટ, લાકસ્થિતિ. (૨) 99 નંદિવર્ધન- રત્નવતીના. (૩) ૫૮૧ ન દ્વિવ નહિઁસાદેવીના. (૩) ૫૭૬ ન દિવન—નકમ જરીના.(૩) ૬૧૨ નંદિવધ ન—-યાના(વિ ૩૦૩–૧૩૧૨ ૬૩૧ ચૈત્) ( ૩ ) -રિપુઠ્ઠારણ–નરસુંદરીના. (૪) ૭૩૭ | ૧૫૦ અને આનંદ. (૮) ૧૮૭૬ ૧૬૫ -વિધા સાથે. (૮) ૧૯૩૪ ૧૦૪૬ 99 લેાકાકાશ–રંગભૂમિકા. નાટકે. ( ૨ ) ૨૬૧ લેાકેા–જૈનપુરના ( ૪ ) -તેર વિભાગ. (૭) સાત્ત્વિકપુરના ( ૪ ) લેાકેાદરમાં આગ. (૭) ૧૬૫૭–૧૯૬૪ લેાકેાપચાર વિનય–સાત પ્રકાર. ( ૪ ) ૧૦૭૧ ૧૭૯૯ | લેાભ-જીએ સાગર શિ. (૬) ૧૪૬૭ ની ભયંકર અસર. (૬) સમાર’ભ. ( ૮ ) ૧૯૪૭૯ ઉપાય ચિંતવન. (૮) ૧૯૩૨ કાળ–વિદ્યાનેા. (૭) ૧૫૫૫ ૧૭૯ ૧૧૯૬ ૯૭૨ ૧૨૯૭ ૭૫ ૧૪૯૩ | 99 99 99 99 , .. [ ઉપમિતિ કથાના પૃષ્ઠ ૧૨૪૯ ૧૭૩૫ 31 લાલીએ શેઠ. (૪) .. 99 ૭૬૦ ની જીદ્દી ગાંઠ. (૬) ૧૦૭૯ | લેાલતા દાસી. (૪) રહિત ખાનપાન. ( ૪) ૧૫૬૦ ૧૫૪૭ { લેાલાક્ષ–વસતરાજ, (૪) ૮૩૦ 99 .. Gપર ૨૦૧ ૩૦૬૦ ૪૫. ૨૦૯. ૨૧૦ ૫૦૬ ની તુચ્છતા. ( ૬ ) ૧૫૩૩ ના આવિર્ભાવ. (૪) નેટ ૮૩૪ ના અંજામ-ધનશેખર. ( ૫ ) ૧૬૩૬ પિંડ દેષ. (૪) ૧૪૧૮ પ ૧૪. ૧ GE ૯૨૭ ૯૩૩ ૯૩૮ ૯૩૯ ૫૫ ૬૧ ૧૬૯૩ ૫૦૫ ૧૭૯૭ મા-પરદારા. ( ૪ ) -મર્યાદાભંગ. ( ૪ ) ૧૪૮૨ ૧૩૪. ૧૪૭ વક્રતા-દૃષ્ટશીલની. (૪) ૧૪૨૮ | વગાધિપતિ સાથે યુદ્ધ, (૭) ૪૭૫ | વચનાગ–ચાર ભેદ. (૭) ૧૨૯૩ | વચનગુપ્તિ. ( ૩ ) ૪૪૭ -અને મકરધ્વજ. (૪) 30-409 Page #635 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ ] વિષય વચનગુપ્તિ ( ૮ ) વચનાતિશય. ( ૬ ) વજદંડ-અપ્રમાદ. (૭) વડવાનળ. ( ૭ ) વડાં-ક્રૂર ચિત્ત. ( ૩ ) વડીલવાય—અલ ધનીચ. ( ૪ ) વનકાટર ખગીચા. ( ૪) "" ની જાગીરી. ( ૪ ) વધતી નેચ્છાઓ. (૬) વધસ્થાન–સ કેત. ( ૮ ) વધામણાં-માહને ત્યાં—નિકૃષ્ટ રાજ્યે, (૬) વધામણી–જન્મ. ( 3) વનક'. ( ૪ ) નેટ, વનદેવી ખૂણી. (૫) વનસ્પતિ. ( ૨ ) -સાધારણ. (૨) -પ્રત્યે*. (૨) .. .. 99 વનીપક દોષ ( ૪ ) વમન કરેલા આહાર. ( ૪ ) .. -સૂમ, ખાદર. (૨) "3 વરપ્રાપ્તિ ચિંતા. (૮) વરોધન માટે ટન. ( ૮ ) વરસાદ–ભાગ સ્નેહ. (૭) વરિષ્ઠ રાજ્ય. (૬) ૧૬૧૩૧૬૨૮ વણ, ગંધ, રસ, સ્પર્શનામક. (૪) ૮૯૦ વન-દુ:ખીનું. ( ૫ ) ૧૨૨૯ –પ્રભાત. (૪) ૯૯ -ભગવાન મંદિર. ( ૫) --રદ્. (૪) હેમત. (૪) ૭૫ 29 પૃષ્ઠ | વિષય ૧૯૪૯ વર્ણન—શિશિર. ( ૪ ) ૧૬૫૯ *સત. ( ૪ ) ૧૭૪૩ ૧૮૦૯ ૩૫૩ ૭૭૯ | વમાનપુર- મનુજગતિએ, ( ૪ ) ૩૧૩ ૩૧૪ | વાણિજ્ય—પાચ, ( ૪ ) નેટ, ૩૧૫ | વાતવિસૂચિકા. ( ૧ ) વાદ ( પરિ॰ ) ૩૧૫ ૧૪૧૬ ૮૧૩ પા! ખાવા. (૪) ૮૩૬ 99 99 99 વરતા–શુદ્ધાભિસન્ધિની રાણી. (૪) ૧૧૧૭ ૧૮૬૨ ૧૮૬૭ ૧૭૪૧ 99 93 ગ્રીષ્મ. (૪) -વર્ષા. ( ૪ ) ', વમાન આંખેલ તપ. (૮) ૨૦૩૭ ૧૭ ૧૧૩૧, ૧૧૪૦ ૭૭૧ | વĆતા–શુદ્ધાભિસન્ધિની રાણી. (૪) ૧૧૧૭ ૧૪૮૧ – વર્ષા–વન. ( ૪ ) ૧૧૦૧-૧૧૦૩ ૧૯૯૨ | વસ’ત-વર્ણન. (૩) વર્ણન. (૪) 99 ૧૫૭૦ રાજāાલાક્ષ. ( ૪ ) ૩૪૫. ૯૪૫ | વહાણવટું-ધનશેખર. ( ૬ ) વહેમઉપદેશક પર. ( ૧ ) ૧૨૦૮ | વહેવારુ શિખામણુ, (૬) વાઉકાય. ( ૨ ) <30 99 .. " 95 વાંદરો અને ધી, (૭) વામદેવ–જન્મ. (૫) -વિમળ મૈત્રી. ( ૫ ) 39 .. 33 ૯૨૧-૯૨૪ ૧૦૯૯-૧૧૦૧ ૧૧૦૧-૧૧૦૩ 79 ૪૩૪ ૯૨૧-૯૨૪ ૯૨૦ ૧૫૪૭ ૨૩. ૧૨૩ ૧૪૭૧ ૩૧૯ ૮૩૦ ૮૦ ૧૩૬૬ દનને જુદા પાડનાર તત્ત્વ. (૪)૮૬૦ વિજયસિંહાચાર્યના (૮) ૧૯૫૮ ૧૯૦૯ ૧૧૪૧ ૧૧૪૭ ૧૩૦૧ ૧૨૦૩ ને શૂળ, (૫) ૧૨૦૭ ની નાશભાગ. ( ૫ ) ૧૩૨૬ મુક્તિઉપાય પૃચ્છા. (૫) ૧૩૨૭ ૧૩૩૦-૬ 53 અને ચારી ( ૫ ) અને નાશભાગ (૫) ૫૯૩ પૃષ્ઠ ૯૧૨ ના હાલહવાલ. (૫) 99 વાર્તા વિદ્યા–રાજનીતિ. ( ૫ ) ૧૧૮૧ ૭૮૫ | વાલુકાપ્રભા. (૩) ૭૮૭ / વાસભુવન—મર્દનક દળીનુ. ( ૩ ) ૧૩૦૯ ૮૬ ૪૫૭ Page #636 -------------------------------------------------------------------------- ________________ ७६६ ૫૯૪ [[ ઉપમિતિ કથાને વિષય પૃષ્ઠ | વિષય પૃષ્ઠ વાસભવનમા શત્રુમદન. (૩) ૫૮ વિજ્ઞાન. (૧) ૧૫ર વાસવ-કપિલ્યપુરે. (૭) ૧૮૩પ ! વિત ડા. (પરિ૦) ૧૩૬૬ વિક્યા. (૧) ૬૫. ૮૨૮ (૪) | વિતઈદ્વારા નિરૂપણ. (૬) ૧૫૬૭ છે અને દુર્મુખ, (૪) ૯૭૫ છે -માંકડ. (૭) ૧૭૩૯ -ચાર. (૭) ૧૭૨૫ વિદગ્ધાજીર્ણ. (૬) ૧૫૧૧ વિક્લાક્ષનિવાસ. (૨) ૩૨૦ વિદ્યા. (૭) ૧૭૯૮ ૧૯૨૧ (૮) વિકાસક્રમ-નિયમ. (૭) ૧૮૩૪-૧૮૩૮ * પ્રાપ્ત કરવાના ઉપાય. (૮) ૧૯૨૮ વિખ્યાતિ-સિંહાચાર્યની. (૮) ૧૫૭ ચાર-રાજનીતિ અંગે. (૫) ૧૩૦૯ વિગયત્યાગcપયોગ. (૪) છે દોષ. (૪) ૧૪૧૯ વિગ્રહ-રાજનીતિ ગુણ, (૫) ૧૩૦૭ ક અવસર-વિચારણ. (૭) ૧૮૨૩ વિચક્ષણ. (૪) ७९४ છે ઘર-મિથુન ચિત્ર. (૬) ૧પ૨૩ છે બુદ્ધિલગ્ન. (૪) છે વર્ણન, (૬) ૧૫ર૪ , અને રસના. (૪) ૭૫ , , મિથુન ચિત્રદર્શન.(૬) ૧૫ર૩ , પર અંજનપ્રયોગ. (૪) ૧૧૦૭] , , ને સત્કાર. (૮) ૧૮૮૩ , ની દીક્ષા. (૪) ૧૧૦૯ પ્રાપ્તિ-ચૂડને. (૫) ૧ર૯ વિચક્ષણતા-ધવળરાજની. (૫) ૧૨૩૬, સાથે લગ્ન-આનંદ. (૮) ૧૯૩૪ વિચક્ષણાચાર્ય, (૪) છે શરીર વર્ણન. (૮) ૧૯૩૪ નો ઉપદેશ. (૪) ૫૯-૭૬૧ | એ સાધના.(૩). વિચાર અને બુધ. (૫) ૧૨૮૬-રહક -સિદ્ધિ. (૩) ૪૪૭ વિચારણું અને સાધના. (૭) ૧૬૭૮ ૧૩૫ , -મેહ-મંત્રીની. (૬) ૧૫૬૯ વિધાન ત્યાગ. (૮) છે ચારિત્રબોધની. (૬) ૧૫૭૨ વિનય-પાંસઠ પ્રકાર. (૭) ૧૭૨૪ છે -નિકૃષ્ટ રાજ્ય પર. (૬) ૧૫૭૫ નપયાગ. (૪) ૧૦૭૦ » -અધમ રાજ્ય. (૬) ૧૫૭૮. છ ચાર પ્રકાર (૪) નેટ ૧૦૭૦ -સુબુદ્ધિની. (૬) ૧પ૩૬ , -તેર સ્થાનક. (૪) નેટ ૧૦૭૦ વિચારણ-સૌજન્ય પર ૧૨૦૯ છે –સાત પ્રકાર (૪) નેટ ૧૦૭૦૧ વિચાર ને કૌતક. (૫) ૧૩૦૧ વિનાશકારણે. (૭) ૧૯૩૭ વિજય-પદ્ધતિ. (૪) ૯૦૧ વિપર્યાસ-સિંહાસન.(૪) ૮૦૯ મકરધ્વજ પર. (૪) ૯૦૩ સમજણ, (૪). ૮૩૫ -નતિ હાસાદિ પર. (૪) છે -રહસ્ય. (૪) ૮૫૬ , પ્રવેશ. (૩) ૬૨૩ ! છે અને મહાત્મા. (૪) , –મહાવિદેહે. (૨) નેટ ર૮૩ –મહાન આક્રમણ. (૭) ૧૮૦ ૧૯૭૪ ] » ––વર્જન. (૭) ૧૭૪૯ વિજ્ઞપ્તિ-સાધુપત્ની. (૫) ૧૨૫૯ | વિપાક. (૩) હ૫૭ ૯૦૫ ૩૮૭ Jain-Education International Page #637 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ ] વિષય વિપાકના આભાર. (૩) વિષ્ણુધાલય. ( ૪ ) " –માં સ'સારી જીવ. (૮) વિભાકર અને નદિવન. ( ૩ ) સમક્ષ નોંદિવર્ધન. ( ૩ ) નું ખૂન. ( ૩ ) સાથે મહાયુદ્ધ, (૩) ની હાર. (૩) વિભૂષણ–સ’સારીજીન. (૭) 39 99 99 39 વિભ્રમના ભ્રમે. ( ૬ ) વિશ્ર્ચમ રાજ્ય. ( ૬ ) વિમ પરિચય. ( ૪ ) રસના શેાધ માટે. (૪) 39 ,, નું અવલેન. (૪) કાચ નિવેદન. (૪) વિચારો. ધનગ. (૪) -મિથ્યાભિમાન. (૪) 93 "9 —વિકથા. ( ૪ ) —હ વિષાદ. (૪) —વિમુધાલય. ( ૪ ) વિમળકુમાર–જન્મ. ( ૫ ) ની મહાનુભાવતા. (૫) ની નિસ્પૃહતા. ( ૫ ) કૃત દેવદર્શીન. (૫) તુ' ઉત્થાન. (૫) ની સહૃદ્ભયતા. (૫) " 39 99 SP ૮૦૩ ૧૧૦૪ | વિલાસ–મશ્કરા. ( ૮ ) ૯૫૪ ને વિલાસ. ( ૬ ) પ? | વિલેપન-શુકલધ્યાન. ( ૭ ) વિવાદ-આગ્રહ નહિ. (૮) ,, → -ધનસ્વરૂપ પર. (૪) ૯૫૭ 39 -ગણિકા વ્યસન પર. ( ૪ ) ૯૬૭ : વિવિદ્રિષા–સાપની. ( ૫ ) → જ્જુગાર પર. ( ૪) ૯૭૨ , “મૃગયા. માંસભક્ષણ. (૪) ૯૭૪–૫ ૯૭૭ ૯૮૧-૩ ૯૮૯ ૧૧૪૧ ૧૧૬૫ (૪) સાક્ષાત્કાર. ( ૪ ) ભ્રષ્ટને અધઃપાત. (૬) ૧૧૭૫ ૧૧૮૧ | વિશદ-સપુિરે. (૭) ૧૧૮૫ | વિશદમાનસ. ( ૫ ) ૧૨૦૪ વિશુદ્ધ ધર્મ-વાંદરા. (૭) ૧૨૦૦ | વિશુદ્ધિ કોટિચાર. ( ૮ ) 39 "9 39 ૧૫૮૬–૧૫૮૯ ૫૯૫ પૃષ્ઠ પૃષ્ઠ | વિષય ૩૯૫ | વિમળ હિમભવન યેાજના. (૫) ૧૨૨૬ ૯૮૭ , દીક્ષા. ( ૫ ) વામદેવ મૈત્રી. ( ૫ ) ૧૩૨૪ ૧૯૬૭ ૧૧૪૭ ૫૮૨ | વિમળાલેાક અજન. (૧) ૨૫. ૧૨૯. ૧૩૧ ૬૪૩ ના પ્રભાવ. ( ૧ ) ૧૩૫ ૬૪૬ થી અંતરદન (૪) ૯૩૪ વિચક્ષણ. ( ૪ ) ૫૪ ૧૧૦૮ ૫૮૬ વિરતિદેવી. ( ૪ ) ૧૦૬૪ ૯૦૮ ૧૮૩૮ | વિરલતા-જીતનારાઓની. (૪) ૧૪૯૪ | વિરહવ્યથા. (૩) વિરહની દશા. (૮) ૫૧ ૧૮૫૮ ૭૬૬ - વિરહી રાજહ`સિકા ચિત્ર. (૬) ૧૫૨૩ ૭૮૧ વર્ણન. ( ૬ ) પરપ વિરેચન–જનમ દિનગરે. (૭) ૧૮૨૬ ૧૯૯૯ ૧૪૯૭-૯ ૧૭૫૯ ૨૦૧૧ ૧૨૫૯ ૧૦૫૮ ૧૦૪૪ ૧૦૪૭ ૬૫ .. .. ની મહાનુભાવતા. (૫) - કૃત ભગવ ંત સ્તુતિ.(૫)૧૨૧૧-૧૨૧૬ » કુમારની વિરક્તિ. (૫) અને મનેાન'દન. (૫) 39 39 99 99 37 19 વિવેકવ્યાખ્યા. ( ૪) ગિરિ-સ્થાન. ( ૪ ) -દ્દન. (૪) 39 . 93 99 95 .. "9 ,,,, 99 કેવળી. ( ૩ ) પર્વત પરથી અવલાન. -નને જુદા પાડનાર તત્ત્વ. ૧૨૨૩ (૪) ૧૨૨૫ | વિશેષ ( પરિ॰ ) ૯૭૦. ૯૮૧ ૧૧૦૭ ૧૫૮૪ ૧૮૪૨ ૧૩૨૯ ૧૭૫૯ ૨૦૫૯ ૮૬૧ ૧૩૦૫ Page #638 -------------------------------------------------------------------------- ________________ પણ | વિષય ૨૯ [ ઉપમિતિ કથાને વિષય વિશેષતાનાં કારણો. (૧) ૧૪૩ | વેદનીય. (૨) n વિષ–અલંકારિક. (૪) ૮૧૪ | ક -મિત્રરાજા. (૪) ૮૯ વિષય-ઝેરી ઝાડે. (૭) ૧૭૪૦ | , –ના બે મનુષ્યો. (૪) ૯૯૯ છે મૂચ્છ. (૧) ૧૫૩ છે અને વિબુધાલય. (૪) ક રાગ. (૪) ૮૬૫ આક્રમણ. બાધા. (૭) ૧૮૦૭ વિષયાભિલાષ-મંત્રી. (૩) ૩૮૬. ૭૯૨. વેદિકા–તૃષ્ણ. (૪). ૮૦૮ ૯૩.! , રહસ્ય. (૪) ૮૫૫ , અધમ રાજ્ય. (૬) ૧૫૭૮ છે અને મહાત્મા. (૪) ૧૦૪૦ એ ના પાંચ માણસે. (૫) ૧૩૧૮ કે નિઃસ્પૃહતા. (૪) ૧૦૫૫ , આક્રમણ-આધા. (૭) ૧૮૦૪ વેપાર-ધનશેખર. (૬) ૧૫૪૭ , –મત. (૮) ૧૯૩૬.૧૯૪૩ લહલ કથા. (૪) ८२० વિષયો-જૈનમંદિરે. (૧) ૨૦-૧૦૩, જના. (૪) ૮૨૫ વિષવાણિજ્ય. (૪) નેટ. ૮૨૫ વિષાદ. (૪) ૯૭૯ | વેશ અને ધર્મસંબંધ. (૮) ૨૦૪૯ વિષ્ટબ્ધાજીર્ણ. (૬) ૧૫૧૧ , ને દર્શનને જુદું પાડનાર તત્વ. વિષણુ સ્મરણે મોક્ષ-તીથીઓ. (૮) ૨૦૪૦ વિહાગતિ નામકર્મ. (૪) ૮લ , કર્મ પરિણામકૃત. (૨) ૨૫૯ વિહાર-ઉગ્ર, (૭) ૧૭૨૮ | » –નવનવા. (૨) ૨૯૦ છે –માસક૫. (૮). ૧૯૮૭ » શ્રમણને.વિરતિરહિતપણું.(૭)૮૩૬ –સાધુને. (૬) ૧૬૦૦ | વેક્રિયલબ્ધિ. (૧) ૧૩ વીંછી–નેકષાય. (૭) ૧૭૩૮ વૈદકશાસ્રસાર. (૬) ૧૫૦૯-૧૫૧૭ વિરહાક-કનકેદર. ૮) વૈદ્યસ્થાનક-ઉપનય. (૮) ૨૦૪૩–૫૩ વર્ષોલ્લાસ-દેવદર્શનથી. (૫) ૧૧૮૧ , વ્યાધિ ઉપાય. (૪) ૮૧૬ વૃત્તિ-દર્શનને જુદું પાડનાર તત્વ. , શાળાઓનું ઉત્થાન. (૮) ૨૦૪૬ (૪) ૮૬૨ | , સમયજ્ઞ. (૪) ૮૨૨ , સંક્ષેપ-તપાગ. (૪) ૧૦૬૮ | વૈભાષિક (પરિ૦). ૧૩૮૩ વૃદ્ધાઓ-જૈનમંદિરે. (૧) ૧૯-૧૦૦ | વૈમાનિ–વર્ણન. (૭) ૧૮૨૦ વૃશ્ચિક–રાશિ. (૭) ૧૬૫૨ વૈયાવચ્ચ-તપગ. (૪) ૧૦૭૧ વૃષણ-લક્ષણ. (૫) ૧૧૫૩ , -નશ પ્રકાર (૪) ૧૭૭૨ વૃષભ રાશિ. (૭) ૧૬૫૦ વૈરાગ્ય–ના પ્રસંગે. (૧) ૨૦૧ વેદના-નરકની પ્રકાર (૧) ૫૭ , (૭) ૧૬૫૭–૧૭૬૦ ક ક્ષેત્ર-અન્ય કૃત–પરમાધામીકૃત. } , પ્રથમ મુનિના () ૧૬૫૭-૧૯૬૪ નેટ. (૧) ૫૭] , દ્વિતીય મુનિના (૭) ૧૬૬૫-૧૬૮૦ છે તિયચ-મનુષ્ય-દેવગતિમાં. ૫૮ | -તૃતીય મુનિના () ૧૬૮૧–૧૬૮૬ Page #639 -------------------------------------------------------------------------- ________________ પણ ૮૩૦ વિષયાનુક્રમ ] ૫૯૭ વિષય પૃષ્ઠ | વિષય વૈરાગ્ય–ચતુર્થ મુનિના (૭) ૧૬૮૭-૧૬૯૯ | વ્યાધિઉપેક્ષા. (૪) -પંચમ મુનિના (૭) ૧૭૦૦-૧૭૩૪ છે –ઉપાય. (૪) ૮૧૫ છે -છા મુનિના (૭) ૧૭૩૪–૧૭૬૦ » –નામે. (૪) ૯૯૮ વૈરાગ્ય નથવાનું કારણુ-જ્ઞાનાશાતના. | વ્યાપકતા–નો દાસાર્વત્રિક (૮) ૨૦૫૪ (૮) ૨૦૧૯ - સાચી કેમ આવે. (૮) ૨૦૧૫ વૈરાગ્ય-પશ્ચાત્તાપથી. (૮) ૨૦૨૧ | વ્યાપાર. (૧) વૈશેષિક. (૮) ૨૦૪૭ | વ્યાપારી-ચાર કથાનક. (૭) ૧૭૦૦-૩૮ છે (૧) કણભક્ષસ્થાપિત. પા| વ્રત-આર-ગૃહિધર્મના.(૪) ૧૦૭૮-૧૯૮૧ , દર્શન. (૪) ૧૦૨૮, ૧૩૭૧-૭પ | શકટ કર્મ. (૪)નેટ વૈશ્વાનર-જન્મ. (૩) ૩૪૬ શસ્તવ. (૩) નોટ ૪૬૯ ૧૧૯૨ (૫) છ -સ્વરૂપ, (૩) ३४९ શક્તિ-ત્રણ–રાજસત્તા અંગે. (૫) ૧૩૦૮ , -મૈત્રી. (૩) ૩૪–૩૫૧ શક્તિ દેષ. (૪) ૧૪૨૦ છે –સંગમુક્તિ ઉપાય. (૩) ૩૫૯ | શંખમ્મ ત. (૪) ૧૩૪૯ ક -વિદુરને તમાચો. (૩) ૫૪૯ | શંખનાદ-મન્મથર. (૬) ૧૫૦૮ » –પક્ષપાત-નંદિને. (૩) ૫૫૦ શત્રમર્દન અને બાળ. (૩) ૪૫-૪૬૦ છે અને હિંસા. (૩) ૫૭૮ ની શંકા. (૩) ૪૯પ ને વાહવાહ. (૩) » ની મધ્યમ ગણના. (૩) પર૫ , –નજીવી બાબતમાં છરી. (૩) ૬૧૬) , ની સુબુદ્ધિ વિચારણું. (૩) પર૬ , –ની ભયંકર અસર. (૩) ૬૩૭-૯ , ની દીક્ષા ઈચ્છા. (૩) ૫૪૦ છે –ખરી ઓળખાણ. (૩) ૬૫૮ , ને રાજ્યત્યાગ. (૩) ૫૪૨ છે -હિંસાકૃત વિપર્યાસ. (૩) ૬૫૯ | શબ્દભેદે દૂષણ નહિ. (૮) ૨૦૬૧ છ -અનંતાનુબંધી. (૩) ૬૬૯ | શમાવહ ઉદ્યાન. (૩) પપ૮ વ્યક્તિભેદ-વૈદકમાં. (૬) ૧૫૧૪. શયા-દેવજન્મ. (૭) ૧૮૩૨ વ્યંજનાવગ્રહ, (૭) ૧૫૪ | શરદૂર્ણન. (૪) વ્યંતર. (૩). ૪૧૧ શરદી-કારણ, (૭) છ નું ટીખળ. (૩) ૪૧૫ | શર્કરામભા. (૩) » –વર્ણન. (૭) ૧૮૨૦ શરીરલક્ષણ. (૫) ૧૧૫-૧૧૬૩ વ્યવહાર-નિશ્ચય. (૪) ૧૦૧૪ | શા-અંતરનાં. (૩) » –ના માર્ગે. (૩) | શાક્ય-દર્શન. (૪) ૧૩૪૩ , પાલન. (૮) ૧૫ર શાય-ચાર. (૪) વ્યસનસાત વર્ણન. (૪) શાતા ગૌરવ. (૮) ૧૯૬૨ છે -ધૂત (૪) ૯૬૮ શાંતિશિવ-મૂર્ખ શિષ્ય. (૪) ૮૪ ઝ -મૃગયા. (૪) ૯૭૨ | શાર્દુલપુર. (૩) ૬૩૪ વ્યસની રમણ-મરણ ૯૬૫] ને પાદરે. (૩) પ« ૧૭૪૩ ૭૧૨ ૬૫૦ Page #640 -------------------------------------------------------------------------- ________________ વિષય ૫૯૮ [ ઉપમિતિ કથા ! પૃષ્ઠ | વિષય શાસ્ત્રાભ્યાસ રાજ્યપ્રવેશ ઉપાય.(૬)૧પ૯૮ | શુભમનીષીના હૃદયમાં. (૩) ૫૧૯ શિકાર અને નંદિવર્ધન. (૩) ૨૫. ઝ ના પુત્ર. (૩) » –હિંસાની અસર. (૩) ૫૭૮ શુભદય. (૪) ૭૬૩ શિક્ષાત્રત-ગૃહસ્થના. (૪) ૧૦૮૪-૧૯૮૬ | શુભૂચિત્ત નગર. (૬) ૧૫૫૪ શિક્ષા–સદાગમની મહામહની અને શુભ્રમાનસ નગર. (૪) ૧૬૧૭ પરિગ્રહની. (૭) ૧૭૭૪-૫ શળ-ખુલાસે. (૫) ૧૨૪૫ શિખામણ--અનુભવી વૃદ્ધની. (૬) ૧૪૭૧ | શૈલરાજ જન્મ. (૪) ૭૦૫ શિવભક્ત. (૫) ૧૨૭૬-૭ છે –સ્તબ્ધચિત્તલેપ. (૪) ૭૮૯ શિવભકત-મૂર્ખ શિષ્ય. (૪) ૮૧૬ –મૃષાવાદ–અદેખાઈ (૪) ૭૩૮ શિવભવનની સમૃદ્ધિ . (૫) ૧૨૬૨ | , સંબંધ જોડણુ ઉપાય. (૪) ૧૧૧૮ નુ રહસ્ય. (૫) ૧૨૬૮ | છે ને ધમધમાટ. ૧૧૨૧ શિવસ્મરણે મોક્ષ-તીથીઓને (૮) ૨૦૪૦ , –ની હાજરી.(૮) ૧૯દા. શિશિર વર્ણન. (૪) ૯૧૨ શૈલેશી. (૮) ૨૦૩૨ શિષ્ટતાની હદ. (૫) ૧૨૮ } , કરણ, (૫) ૧૨૮૧. ૨૦૭૧ (૮). શીલમુખ-ચારિત્રધર્મરાજનું.(૪) ૧૦૬૦ » માર્ગ. (૬) ૧૬૦૮ શીલાંગ. (૧) નેટ ૯૨-૯૩ શોક. (૪) ૭૯૫. ૮૬૬. ૮૭૬ , --અઢાર હજાર. (૪) ૧૦૬૦ છે - પ્રવેશ. (૪) ૮૪૫ છ થી મરણ. (૪) ૯૫૦ , -શે. (૪) ૧૩૪૪ છે અને ધનવાહન. (૭) ૧૭૮૭ શુકનશાસ્ત્ર(૬) ૧૫૧૮-૨૦ , આક્રમણ. બાધા. (૭) ૧૮૦૬ શુક્લલેશ્યા. (૭) ૧૭૫૨ શોખ. ધનનાશ. (૪). , દાન.(૫) ૧૨૮૦. ૨૦૭૦ (૮) શૌચ-અતિધર્મ મનુષ્ય નં. ૮ (૪) ૧૦૭૬ ૧૬૭ ] » પ્રકાર. (૪) , , -વિલેપન. (૭) ૧૭૫૯ , વાદ. (૪) શુદ્ધ-દર્શન. (૪) ૧૩૪૫ | શ્રદ્ધા-વાંદરી. (૭) ૧૭૫૯ શુદ્ધાભિસન્ધિ રાજા. (૪) ૧૧૧૭ { છે –સાધુપત્ની. (૫) ૧૨૫૯ શુદ્ધિ-ત્રણ. (૪) નેટ. ૮૪૬ શ્રાદ્ધ-ચિત્તવિક્ષેપે. (૪) શુભ નામકર્મ. (૪) ૮૯૧ | છ ધર્મયોગ્યતા. (૭) ૧૭૨૨ છે પરિણામ રાજા. (૩) ૩૬૨-૩૬૩ શ્રાવક-મધ્યમ રાજે. (૬) ૧૫૯૩ , વિપાક. (૫) ૧૨૮૫ શ્રીપતિ કથા (૬) નેટ. ૧૫૮૯ » સુન્દરી. (૩) ૩૭૪ | શ્રુતિ-કોવિદ-બાલિશ. (૭) ૧૭૭૧૭૮૪ છે –સ્પર્શનપર. (૩) ૩૮૩ - -સદાગમની નજરે. (૭) ૧૭૮૧ –સલાહ. (૩) ૪૦૫ શ્રેયાંસ. (૮) ૨૦૭૮ છે ને આનંદ. (૩) ૪૫ર શ્રોતવ્ય. (૧) ८४८ ૮૫૪ Page #641 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૧૮૧૬ વિષયાનુક્રમ ] પ૯૯ વિષય પૃષ્ઠ | વિષય શ્રોતવ્ય-સર્વજ્ઞ વચન. (૧) ૪સંસારીજીવ-છઠ્ઠી નારકીએ. (૩) ૬૮૫ શ્રોતાના પ્રકાર. (૧) , -નારકી તિર્યચે. (૩) ૬૮૬-૭ શ્વાધ્ય. (૧) , –રિપુદારણ. (૪) ૭૦૩–૧૧૩૩ પુરુષ ચરિત્ર. (૬) ૧૫૭૬. ૧૫૮પ- , -સાતમી નરકે. (૪) ૧૧૨૮ ૧૫૮૯, ૧૫૯૩. ૧૬૧૨. ૧૬૨૬. , વામદેવ. (૫) ૧૧૪૦-૧૩૦૬ ષટપુરુષ ચરિત્ર-ક્ષેમંકરનુ. (૬) ૧૫૫૭ » ધનશેખર. (૬) ૧૪૬૬-૧૬૩૮ પંઢવેદ. (૪) , ઘનવાહન. (૭) ૧૬૪૫–૧૮૧૫ સંયમ અને સંતોષ (૪) ૧૯૩ , -માછલો. (૭) , અતિધર્મ મનુષ્ય નં. ૬ (૪) ૧૯૭૩ –વાધ. (૭) ૧૮૧૬ છે –સત્તર પ્રકાર. (૪) ૧૭૩ , -બિલાડે. (૭) ૧૮૧૭ , કદર્થના. (૫) ૧૩૦૦-૧ -અમૃતાદર. (૭) ૧૮૧૮ સલીનતા-તપ.ગ. (૪) ૧૦૬૯ , ભુવનપતિએ. (૭) , -ચાર પ્રકાર. (૪) નોટ ૧૦૬૯ , -બંધુ નામે. (૭) ૧૮૨૨ સલેખન. (૮) ૧૯૫૪ -વિરેચન. (૭) સંવત્સર. (૭) -સૌધર્મ દેવલોકે. (૭) સંવર-તત્ત્વ. (પરિ૦) -કલદ આશીર. (૭) ૧૮૩૩ સંવ્યવહારોગ્યને. (૭) -જોતિષીએ. (૭) ૧૯૩૪ સશય (પરિ૦) ૧૩૬૪ દેડકો. (૭) ૧૮૩૫ સંશ્રય-રાજનીતિ ગુણ. (૫) ૧૩૭ -વાસવ. (૭) ૧૮૩૫ સંસાર-દાનું પીઠું. (૭) ૧૬૭૪ , બીજે દેવલોકે. (૭) ૧૮૩૬ , નાટક, (૨) -વિભૂષણ. (૭) ૧૮૩૮ » બજાર. (૭) ૧૭૩૪–૧૭૬૦ -વિશદ. (૭) ૧૮૪૨ ,, માં સાર. (૫) ૧૧૯૮ -ત્રીજે દેવલોકે. (૭) ૧૮૪૩ રસિક્તા. (૧) ૧૫૯ -ગુણધારણ. (૮) ૧૮૫૪-૧૯૫૮ , સુખ. વિ. મોક્ષસુખ. (૩) ૬૬૭ , –પ્રથમ રૈવેયકે. (૮) ૧૯૫૪ , સ્વરૂપ-આંતરજ્ઞાન. (૫) ૧૨૩૮ 9 -ગંગાધર. (૮) ૧૯૫૫ સંસારીજીવ-તસ્કર. (૨) ૨૯૭ , –બીજે રૈવેયકે. (૮) ૧૯૫૫ છ નું રાજ પચાવનાર. (૪) ૯૧૯ , –પાંચમે વેકે. (૮) ૧૯૫૫ છે અને ચારિત્રરાજ, (૫) ૧૩૧૦ ! , -સિંહ-ધાતકીખડે. (૮) ૧૫૬ , અસવ્યવહારે (૨) ૩૦૦-૧૨ ,, એકાક્ષનિવાસે. (૮) ૧૯૬૬ છે એકાક્ષનિવાસે. (૨) ૩૧૨-૨૦ -પંચાક્ષપશુસંસ્થાને (૮) ૧૯૬૬ -વિક્લાક્ષનિવાસે. (૨) ૩૨૦-૩ -વિબુધાલયે. (૮) ૧૯૬૭ , પંચાક્ષપશુસંસ્થાને.(૨)૩૨૪-૩૩૦ , –અનુસંદર. (૮) ૧૯૩૮ , –નંદિવર્ધન. (૩) ૩૪૪-૬૯૧ | –સર્વાર્થસિદ્ધ. (૮) ૨૦ ૨૭ ૧૩૯૪ ૧૭૦3 Page #642 -------------------------------------------------------------------------- ________________ ૬૦૦ વિષય સંસારીજીવ–અમૃતસાર. ( ૮ ) નામેાક્ષ, (૮) 29 સંસ્થાન નામક, ( ૪) સસ્તવ દોષ. ( ૪ ) સંહિતા. ( ૮ ) સહત દોષ. ( ૪ ) સગપણ–મેાટાનાં. (૩) સંકીર્ણ કથા. ( ૧ ) “તેનેા આશય. 93 99 સકેત. ( ૨ ) 99 ,, દર્શન. ( ૮ ) સક્લિષ્ટચિત્તતા–રે≥ (૭) સક્ષિપ્ત-અ યાજના. (૪) સંગમ. (૩) સંગ–શ્રુતિસંબંધ. (૭) સંધયણ નામકર્મી. ( ૪ ) સધાતન નામકર્મી. (૪) સાચારીની–સીધી. ( ૫ ) સજ્જનમેળાપ. (૫) ની સહૃદયતા. ( ૫ ) .. 29 સંજ્ઞા—મંજિરા–નાટકે. ( ૨ ) સંશયવૈદકમાં. ( ૬ ) સ’જ્ઞા-ચાર-બિલાડી. ( ૭ ) સજ્વલન ( ૪ ) સત્તર પ્રકારે સંયમ. (૪) -ખીજી રીતે. (૪) .. "" સ્પષ્ટતા. ( ૨ ) ૩૨૯-૩૩૦ નિર્દેશ. બુધસૂરિના. ( ૫ ) ૧૨૨૧ ૧૯૭૨ ૧૬૮૩ ૮૪૨ ૪૯૭ 99 99 પૃષ્ઠ વિષય ૨૦૨૯ | સત્ત્વમેક્ષ. (૮) -સુ સ્વ. (૫) ૨૦૩૦ כל ૮૯૦ -વનઉપાય. ૧૪૧૮ | સત્~ખ્યાખ્યા. (પરિ૰) ૨૦૪૩ | સદાગમ-પરિચય. ( ૨ ) —આનંદ કારણ, (૨) ૧૪૨૪ ૫૫૩ મ ७ ૨૯૪ ,, " માહાત્મ્ય. ( ૨ ) –આશ્રય. ( ૨ ) ની મશ્કરી. (૨) અને ભવજંતુ. (૩) . *, -સદ્વેષ મિત્ર. (૪) ની ગંભીરતા. ( ૫ ) 99 39 ૧૭૭૯ ૮૯૦ ૮૯૦ ૧૩:૩ ૧૧૯૪ ૧૨૦૪ ૨૬૧ ૧૫૧૪ ૧૦૩૮ ૮૮૧ ૧૦૦૩ ૧૦૭૪ 93 સત્યતા. (૮) ૧૯૨૧ ચરણે. ( ૮ ) ૨૦૨૦ 35 પ્રાપ્ત કરવાના ઉપાય. (૮) ૧૯૨૫ | સદાચારી બ્રાહ્મણ-વિમધ્યમ. ( ૬ ) ૧૫૮૯ -શુદ્ધાભિસન્ધિ વČતા પુત્રી(૪) ૧૧૧૮ | સદાશિવ-ભૌતાચાર્ય. ( ૪ ) ૧૩ 99 29 99 .. .. 99 99 છે દૂરગમન. ( ૮ ) "" [ ઉપમિતિ સ્થાના પૃષ્ઠ ૨૦૫૮ ૧૧૬૦ ૧૧૬૦ ૧૩૯૭ ૨૭૬-૨૮૦ ૩૯૧ ૨૮૩ ૨૯૮ ૩૦૬ ૩૭૬ ૧૯૧ ૧૩૪૦ આગમન. (૭) ૧૭૬૯ સામર્થ્ય કથન. (૭) ૧૭૬૯ અને ઘનવાહન, (૭) ૧૭૭૫ ની નજરે શ્રુતિ-સ’ગ. (૭) ૧૭૮૧ સદુપદેશ અને કાવિદ. (૭) ૧૭૮૩ માહાત્મ્ય. (૭) ૧૭૮૪ ૧૮૦૯ 99 99 39 99 ” દૂર હેાય ત્યારે. ( ૭ ) -પ્રાપ્તિ–ગ. (૭) દર્શીન-કદમુનિ. ( ૮ ) --સમતભદ્ર. (૮) અને સિંહ. (૮) -પરિચય. ( ૮ ) -સમતભદ્ર. ( ૮ ) "" 99 ,, સત્ય–પ્રશ’સા. ( ૪ ) ૭૨૦ -પર દારડીનેા માર. ( ૪ ) ૮૧૫ ~ાધના અભાવનું કારણ, (૫) ૧૨૬૧ | સદ્દગુણરક્તતા—ગૃહિધ પત્ની, (૪) ૧૦૮૬ ન્યુતિધર્મ મનુષ્ય નં. ૭ (૪) ૧૦૭૫ | સદ્ગુદ્ધિ-પરિચારિકા. ( ૧ ) ૩૯–૧૮૯ -સુંદર મુનિ. (૭) . ૧૯૨૧ નજીક હેાય ત્યારે. (૭) ૧૮૨૨ ૧૮૨૩ ૧૮૨૭ ૧૮૯૭ ૨૦૨૧ ૧૯૫૭ ૧૯૮૫ ૧૯૮૭ Page #643 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ વિષયાનુક્રમ ] ૬૦૧ વિષય પૂ8 | વિષય સદબુદ્ધિ-મહત્તા. (૧) ૧૯૦ | સમંતભદ્ર-મેક્ષ. (૮) २०६४ છે –સાથે વાતચીત. (૧) ૪૧-૧૯૪ | સમય-કાળ. (૨) નટ २९९ . -મં ત્પત્તિ. (૧) ૨૦૭ | સમયજ્ઞ વૈદ્ય. (૪) ૮૨૧ સાધની સલાહ. (૫) ૧૩૦૨.૧૭૬૮૭] , , ઉપદેશ. (૪) ૮૩૭ ની રાજનીતિવિચારણા. (૫) ૧૩૫ સમરસેન-યુદ્ધ. (૩) ૫૮૫ છે પ્રયાણું. (૮) ૧૯૩૫ સમરાદિત્ય ચરિત્ર.(૨) ૨૫૩ છે ને વખતસરને સપાટે. (૮) ૧૯૪૫ સમવસરણ. (૧) નાટ છે –મંત્રી. (૪) ૧૦૯૦ ૧૬૧૭ છે અને જ્ઞાનસંવરણ. (૪) ૧૦૯૦ સમવાય. (પરિ૦) ૧૩૭૫ 9 ની અવગતિ ભાર્યા. (૪) ૧૦૯૧ | સમવાયી કારણ–પાચ. (૧) નોટ ૧૧૧ આ મંત્રી-ઉત્તમ વર્ણન. (૬) ૧૫૫ સમાચારી. (૪) ૧૦૫૧ સદ્ભાવસારતા-ચતિધર્મપત્ની. (૪) ૧૦૭૭ સમિતિ-ગુપ્તિ. (૩) નોટ ૫૫ ૩૮૯ સમુદયા. (પરિ૦ ) ૧૩૮૧ છે ને સ્પર્શનને ભય. (૩) ૩૭. સમુદ્રઘાત. (૮) ર૭૩૨. ૨૦૭૧ છે ને પરિચય. (૪) કરસમુદ્ર-સંસારવિસ્તાર. (૭) ૧૭૯ • દર્શનકાહળ. (૪) ૧૦૯૩ ] , દેવ-જાગતી ત. (૧) ૧૫૪૨ જ નું જૈન વિકાસક્રમમાં સ્થાન. છે -કેપ. (૬) ૧૫૪૨ (૪) ૧૦૯૩-૪ સપત્તિ-વરિષ્ઠ રાજ્યની. (૬) ૧૬૧૬ , ની પત્ની નિષ્કિપાસિતા.(૪)૧૦૫] સંપ્રદાય-ભારતવય.(૪)નેટ. ૧૦૨૪ છે – રાજ્યપ્રવેશ ઉપાય. (૬) ૧૫૯૮ સંબંધી વાનર. (૭) ૧૭૫૯ સંધિ-રાજનીતિગુણ. (૫) ૧૩૦૭ સંભિન્નશ્રેતલબ્ધિ. (૫) સન્નિપાત. (૪) ૮૨૨ સંગ-નગારું. (૮) ૧૯૯૮ છે ભાવાર્થ. (૪) ૮૩-૮૪૦. સંમૂર્ણિમ. (૨) ૩૨૫ અસાધ્ય કોટિને. - સભ્યત્વઅધિગમ. (૧) ૧૩૪ છે -ભાવાર્થ. (૭) , સ્વરૂપ. (૧) ૧૪૭-૪૮ સપુણ્યક. (૧) ૪૩, ૨૦૩ { ક પાંચ દૂષણ. (૧) ૧૪૮ સમદનગર વર્ણન. (૮) ૧૮૫૪ | સભ્યશ્કવૃત્તિ-સાધ્યપ્રાપ્તિ ઉપાય.(૭)૧૫૧ સબીજ-યોગમાર્ગ. (૬) ૧૬૦૬ 1 સભ્ય દર્શન. (૧) ૧૩, ૧૪૭. પ૧ (૩) સમતા-ગનાલિકા. (૬) ૧૧૦૮ , સેનાપતિ. (૪). ૧૦૮૭ સમતભઢ પરિચય.(૮) ૧૯૮૦-૧૯૮૮ » ની વ્યવસ્થા. (૪) ૧૦૮૯ છ-સદાગમ. (૮) ૧૯૮૬-૧૯૯૮ છ નાં ત્રણ રૂપ. (૪) છે તે જ સદાગમ. (૮) ૨૦૧] છે ને જુસે. (૫) ૧૩૦૪ -ઉપદેશ. (૮) ૨૦૩૯-૨૦૪૨ , સ ધસંકેત. (૭) ૧૮૨૨ Page #644 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨૪ ૧૦૫ ४०४ ૬૦૨ [ ઉપમિતિ કથાને વિષય સમ્યગ્દર્શન-આગમન. (૭) ૧૮૨ | સાત્વિમાનસપુરના લે. (૪) ૧૦૪૬ સરળ શેઠ ને વામદેવ. (૫) ૧૩૩૦) સારશ્ય-જીવનનું. (૫) ૧૩૨૨ , ની સરળતા. (૫) સાધારણ નામકર્મ. (૪) સશોષણ, (૪) નેટ. ૮૩૧ સાધારણ શરીર. (૨) સરાવળામાં ભીખ. (૫) સાધમ પ્રેમ- જૈન ધર્મસાર. (૩) ૫૫૫ નું રહસ્ય. (૫) ૧ર૭૨ વાત્સલ્ય. (૩) ૫૫૬ સવ ભદ્ર તપ. (૮) ૨૦૩૬ સાધુતામાં સુખ(૮) ૧૮૯૯ સર્વતોભદ્રા પ્રતિમા. (૮) २०३७ y -રાજ્યપ્રવેશ ઉપાય. (૬) ૧૫૯૮ સર્વદર્શન સંગ્રહ. (૪) ને. ૧૨૪ | સાધુધર્મ વ્યતા, (૭) ૧૭૨૩ સર્વવિરતિ-દેશવિરતિ (૧) ૧૬૬ | , ની સેવા (૭) ૧૬૭૯ સર્વાર્થસિદ્ધ (૮) ૨૦૨૭ { , ની અગીઆર પત્ની. (૫) ૧૨૫૯ સલાહ-સુબુદ્ધિ મત્રીની. (૬) ૧૫૩૬ , પણું-માન્યતામાં ફેર. (૪) ૮૫૦ સાંશયિક મિગ્રા. (૭) ૧૬૯૧ | સાધ્ય-પંચ નગરવાસીઓનું (૪) ૧૦૨૩ સાક્ષીભાવ. (૩) » પ્રાપ્તિ ઉપાય-સમ્યક પ્રવૃત્તિ. (૭) સાગરજન્મ (૬) ૧૪૬૭ ૧૭૫૧ » ધનશેખર મૈત્રી. (૬) ૧૪૬૭ સામનીતિ-દૂતની. (૫) ૧૩૧૪ , ની અસર-કર્માદાન (૬) ૧૪૭૮ -રાજનીતિ અંગ. (૫) ૧૩૦૮ , , -વિષચરાગ. (૬) ૧૫૧૮ સામંતચક્ર-મેહરાયનું. (૪) ૮૮૩-૮૮૭ વિયેગ ઉપાય. (૬) ૧૫૫૩ સામાનિક દર્શન. (૪) ૧૩૪૪ છે ને ઉપદેશ. (૬) ૧૫૪૯ સામાન્ય. (પરિ૦) ૧૩૭૪ સાગરેપમ (૧) નોટ. , કર્મ-પાંચ નેટ. (૪) ૮૩૦-૮૩૧ સાઓ (૧) કપિલસ્થાપિત. ૫૧ » રાજ્યવર્ણન. (૬) ૧૫૬–૧ છે પ્રકૃતિ (૧) નોટ. ૧૫૨ ઇ રૂપા. (૩) ૪૦૮ > દર્શન. (૪) ૧૨૯. ૧૩૭૬-૮૦ છે , ની કાળક્ષેપ સલાહ. (૩) ૪૧૦ ૨૦૪૭ છે " ના પુ. (૩) ૫૪૫ સાચી સલાહની અસર. (૩) » –વિશેષ સ્વરૂપ. (૪) ૮લ્પ-૮૯૮ સાચો વૈદ્ય (૮). ૨૦૪૬ . સામાયિક-મિત્ર-ચારિત્રધર્મરાજનો (૪) સાત અને વિબુધાલય. (૪) સાત મહેલિક. (૪) છે -શિક્ષાત્રત. (૪) ૧૦૮૪ સાતમી નરકે ઘન વાહન. (૭) ૧૮૧૫ છ મહાસામાયિક. (૫) ૧૨૭૯ સાત સવાલ–એક જવાબ. (૬) ૧૫૦૦-૧ી સામુદ્રિકશાસ્ત્ર. (૫) ૧૧૫ સાત્વિકમાનસપુર–સ્થાન. (૪) ૧૦૪૪ સામ્રાજ્ય-મેહનું-નિકૃષ્ટ રાજ્ય.(૬)૧૫૭૩ , તાબાનાં નગરે. (૪) ૧૦૪૫ , , -અધમરા. (૬) ૧૫૮૩ ની નાગીરી-કર્મપરિણમની()૧૦૪૬ / સારગુરુ કથાનક. (૫) ૧૨૬૨ ૮૨ ૫૪ Page #645 -------------------------------------------------------------------------- ________________ પૃ8 વિષય ૧૯૫૭. ૫૩૦ ૨૦૩૫ 533 વિષયાનુક્રમ ] ૬૦૩ વિષય ભાર કેશુ? (૫) ૧૨૬૮ | સુંદર–અસુંદર મેળાપ. (૮) ૧૯૦૯ સાથિ-કોશલ્ય, (૩) ૫૯૦ સુંદરતા રાણી. (૪) ७९९ છે ને ઈનામ. (૯) ૬૯૫ | સુદષ્ટિસમ્યગદર્શન પત્ની.(૪) ૧૦૮૮ સારભૂત-સંસારે. (૩) ૩૯૯ ! સુપ્રબુદ્ધમુનિ યોગ. (૭) ૧૮૪૩ સાહસ-ધનને અંગે. (૬) ૧૪૭૨ | સુબુદ્ધિ અને સજા. (૩) ૪૬૦ સિંહ રાશિ. (૭) ૧૬૫૧ , ના માર્મિક પ્રશ્નો (૩) ૫૦૧ -ધાતકીખડે સંસારીજીવ.(૮) ૧૫૬ , ને અભિનંદન. (૩) ૫૨૧ , આચાર્યપદે. (૮) , અને મનીષી. (૩) ૫૨૩ - -વિખ્યાતિ. (૮) ૧૯૫૮ છે અને શત્રુમન. (૩) ૫૨૭ છે -શિથિલતા. (૮) ૧૯૬૨ , કથિત કર્મસ્વરૂપ. (૩) , વિક્રીડિત તપ. (૮) છે દીક્ષામાર્ગ. (૩) સિંહાસન-જીવવીર્ય. (૪) ૧૦૫૬ , મંત્રી-નીલકંઠ. (૬) ૧૫૩૬ , વિપર્યાસ. (૪) છ યુક્તિ . (૬) ૧૫૩૮ , - , સમજણ. (૪) ૮૩૫ | સુભગ નામકર્મ. (૪) - , રહસ્ય. (૪) ૮૫૬] ., તાદુર્ભગતા વિરોધી સવ (૪) ૧૦૧૦ ક - અને મહાત્મા. (૪) ૧૦૪૦ | સુભ-જૈનમંદિરે. (૧) ૧૯. ૧૦૧ સિદ્ધષિ પ્રબન્યા (પરિ૦) ૪૩૦ના સુમતિ. (૨) ૨૭૧ , , ભાષાંતર (પરિ૦) ૧૪૪૨-૧૪૧૦ | સુરાપાનગોષ્ટિ. (૪) ૯૨૪ સિદ્ધાંત (પરિ૦) ૧૩૬૫ સુરૂપતા-કરૂપતા વિરોધી સવ.(૪)૧૦૦૬ બ -ગ્રહણ પાત્રતા. (૭) ૧૭૨૪ સુલલિતાને મેક્ષ. (૮) ર૭ર શિષ્ય અપ્રબુદ્ધ. (૬) ૧૫૫૮ છે –પરિચય. (૮) ૧૯૮૧ સિદ્ધિઓ-નવ. (૫) ૧૧૯૫ , એજ અગ્રહિતસંકેતા (૮) ૧૯૮૧ –ત્રણસજનીતિ. (૫) ૧૩૦૯ , -મહાભદ્રા સંબંધ. (૮) ૧૯૮૧ સિહોનું વર્ણન. (૮) ૧૮૯૮ આશ્ચર્યચકિત. (૮) ૨૦૦૯ સુખ-અન્ય આનંદમાં યોજના.(૫) ૧૨૨૭ , -મદનમંજરી. (૮) ર૦૧૭ , કયારે થાય? (૭) ૧૭૬૩ , -પશ્ચાત્તાપથી વૈરાગ્ય. (૮) ૨૦૨૧ • દખકારણુ-રાજ્ય. (૬) ૧૫૫૮ દીક્ષા. (૮) ૨૦૨૫ , ખપ્રાપ્તિ રહસ્ય. (૧) ૧૯૩ , ને શોક. (૮) ૨૦૨૮ કે મુનિનું. (૫) સુસાધ્ય. (૧) ૩૫. ૧૮ એક્ષનું અને સંસારનું. (૩) ૬૬૭ સુસ્થિત મહારાજ. (૧) ૧૮. ૮૪ ખસ્વરૂપ. (૭). ૧૯૪૬ નું સ્થાન. (૧) ૧૧૦ 5 સાંસારિક બુધસૂરિ. (૫) ૧૨૫૬-૮ | , , ની કૃપા. (૧) ૨૧-૧૧૧ - સાધુનું. (૫) ૧૨૫૮ | ઇ-સર્વજ્ઞ. (૧) ૧૬૯ સુખાસિક સાધુપત્ની. (૫) ૧૨૫૯ | રાજ-પરમ કારણું. (૮) ૧૯૧૨ Page #646 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪ વિષય સુસ્વર નામ. ( ૪ ) સૂક્ષ્મ નામ. (૪) સૂક્ષ્મસ પરાય–મિત્ર-ચારિત્રરાજને (૪) સૂત્ર–કાલિક—ઉત્કાલિક. ( ૮ ) સૃષ્ટિવાદ. (૭) સૈન્યસેવકધર્મ. ( ૪ ) સેનાની–ચારિત્રધર્મ સૈન્યના. (૪) ૧૦૯૭ સેનાપતિ–સમ્યગ્દર્શન. (૪) સન્ય—ચતુરંગ—ચારિત્રરાજના. (૪) ૧૦૯૭ સેાપક્રમ. (૪) નેટ સેાળ બાળકો-પરિચય. (૪)૮૭૮-૮૮૨ સૌજન્ય અને દૌજન્ય. (૫) ૧૨૦૦-૧૨૦૯ ૭૬૦ પર વિચારણા. (૫) ૧૨૦૯ "" ---ખલતા વિરોધી સત્ત્ત. (૪) ૧૦૦૩ સૌતાંત્રિક. ( પરિ॰ ) ૧૩૮૩ ૧૮૩૧ ૬૧ સૌધમ દેવલેાકે. (૭) સ્કંધ-નાટક સામગ્રી. ( ૨ ) સ્તબ્ધચિત્તલેપ. (૪) સ્તંભન-પુણ્યખળથી. ( ૮ ) સ્તુતિ-ભગવંતની–વિમળકૃત.(૫) 99 યુગાદિદેવની. ( ૩ ) —અરિર્દમનકૃત. ( ૩ ) સ્તેય-પરિચય. ( (૫) 29 99 99 સ્ત્રી આસક્તિ. ( ૧ ) » નિરીક્ષણ. ( ૬ ) ♥ -લક્ષણ. ( ૫ ) "5 .. 39 .. -શરીરવિચાર. ( ૪) સ્થળચર. (૨) ની ભયંકર અસર. ( ૫ ) ૧૨૦૧ ૭. વચન અનુસરણ. (૪) -પરત્વે શુભેાચવિચાર. (૪) વેદ. (૪) પૃષ્ઠ | વિષય ૮૯૧ | સ્થાન–વૈદ્યકમાં. ( ૬ ) ૯૯૧ –રાજનીતિગુણ. ( ૫ ) સ્થાપનાદેષ. (૪) ૧૦૬૫ | સ્થાવરનામમ્મ†, ( ૪ ) ૧૯૫૩ | સ્થિરનામક ( ૪ ) ૧૬૯૫ | સ્થિરતા પ્રગતિ. ( ૧ ) ૧૧૨૩ | સ્થિરીકરણ. ( ૧ ) 99 .. ૧૦૮૭ | સ્નેહરાગ. ( ૪) | "3 સ્પર્શીન. (૩) —અને ભવજંતુ ( ૩ ) (૩) (૩) (3) (૩) -યાગશક્તિ. ને સંતેાષને ભય. (૩) 99 ૭૦૯૭૧૧ –ની જુદી જુદી અસર. (૩) ,, –પર વિજય કરનારા. ( ૩ ) ૧૮૭૮ ને દેશનિકાલ હુકમ. (૩) ૫૦૨ ૮૩૦ 99 29 આાળસ્નેહ. 39 ” “મૂળશુદ્ધિ. * ~પર વિજય 99 દીક્ષાપ્રસંગે. (૪) 29 સ્ફોટક કર્મી. ( ૪ ) નેટ ૧૨૧૧-૧૨૧૬ | સ્વકર્માવિવર દ્વારપાળ. ( ૧ ) ૪૬૯–૪૭૨ | સ્વદેહ બગીચા. ( ૩ ) ૬૫૩ | સ્વપ્ન—ચૌઢફળ. ( ૮ ) 29 ની શંકાઓ. ( ૫ ) ૧૧૪૫ | સ્વપ્નફળ. ( ૮ ) 99 99 39 " 39 [ ઉપમિતિ સ્થાના શુક ૧૫૧૪ ૧૩૦૦ ૧૪૦૭ ૧ ૮૯૧ ૨૭. ૧૭૦ ૧૩૫ ૧૫ ૮૬૪ ૧૧૦૩ ૩૫ ૩૭૬ ૩૭૯ ૩૮૪ 99 ૧૫૮૧ ૧૧૬૧ "" ૭૭૫ | સ્વમાન–અન્યોક્તિ. (૩) ૭૭૭૯ | સ્વયંજ્ઞાની રાજા. (૬) ૯૬૯ → બુદ્ધ. (૫) ૯૦૩ 99 ૩૨૫ 99 ૧૯૭૪ ૧૯૮૪ ૧૮૬૫ દર્શન. (૮) અ`વિચારણા. (૮) ૧૮૮૫ કેવલિગમ્ય. ( ૮ ) નિમ ળાચા. (૮) ૧૮૯૫ ૧૮૯૩ ૫૪ ૧૬૧૪ ૧૨૯૪ ૧૮૬૨ માં ભંગાણુ. (૮) ૧૯૬૪ વર મંડપ. (૮) 97 99 ૩૮૯ ૩૯૭ ૩૯૭ ૪૦૧ ૪૭૬ ૧૦. ૮૪ ૩૭૪ Page #647 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ ] ૬૦૫ વિષય પૃષ્ઠ | વિષય પૃષ્ઠ યેાગ્યતા. ( ૪ ) ૭૬૪ – કુિમાર અને ઉત્તમ. (૬) ૧૫૫૨ ૧૯૧૧ ની સાવધાનતા. 31 ૧૬૩૩ નીજવી. ( ૮ ) સ્વરૂપ અજ્ઞાન-નિકૃષ્ટનું, (૬) ૧૫૭૦ દર્શીન-મધ્યમ રાજ્ય. ( ૬ ) ૧૫૯૨ | હરિવિલાસ. ( ૬ ) દીક્ષા. ૧૧૩૬ 99 ૧૪૯૫ .. 39 ૯૪૫ બુધસૂરિ. ( ૫ ) સ્વરૂપે અને સંસગે ધનશેખર.(૬) ૧૫૫૬ -વિષાદ. ( ૪ ) ૯૭૮ ૧૧૫૬-૭ —પોલાચના. ( ૪ ) ૯૯૨-૩ ૧૭૪૨ હવાંતીઆં—ભીખારીનાં. ( ૧ ) ૧૭. ૬૪ સ્વરાક્ષયુ. ( ૫ ) સ્વવી—હાથ. (૭) સ્વસ ંવેદન નિવેદન. (૬) સ્વાધ્યાય–પ્રકાર. ( ૧ ) નેટ ૧૬૩૧ ૧૧૫૪ 99 39 .. 39 33 39 ,, રાજ્યપ્રવેશ ઉપાય. ( ૬ ) સ્વાભ્રંશે! હિ મૂર્ખતા. (૪) સ્વાવલંબન. (૧) સ્વાપાર્જિત ધનમહિમા. ( ૬ ) .. ૧૫૯૮ ૭૧૩ ૧૯૧ ૧૪૭૨ ૧૧૫૪ હથેળી—લક્ષણ. ( ૫ ) હણ–શ્રુતિરસિક. ( ૨ ) હકુિમાર-પૂર્વ વૃત્તાંત. (૬) ૧૪૮૭-૯ ૩૨૬ ના મિત્રો. ( ૬ ) ૧૪૯૦–૧ વિનાદ. ( ૬ ) મજરી લગ્ન. ( ૬ ) મંજરી પ્રેમ. ( ૬ ) 29 19 -પાંચ પ્રકાર. ( ૧ ) નેટ પાંચ. (૬) તપયાગ. (૪) -પાંચ પ્રકાર (૪) -પાંચ (૭) 29 99 39 99 99 ૧૨૩૭ | હ–શાક પ્રસંગ. (૪) ની વિખ્યાતિ. ( ૬ ) ને વીર્ નિ ય. ( ૬ ) ચાલી નીકળ્યેા. (૬) 99 99 ૧૭૪૨ હાથ-લક્ષણ. (૫) સ્વવી. ( ૭ ) ૨૦૬ હાથી—ચારિત્રધર્માં સૈન્યના. (૪) ૧૦૯૭ ૧૬૦૦ | હાસ્–ચારિત્રરાજની. ( ૫ ) હાલહવાલમાળના. (૩) ૧૦૭૨ | હાસ–પરિચય. (૪) ૧૩૧૬ ૪૪૫-૪૫૬ ૧૦૭૨ ૧૦૨૭ "9 ૮૭૨ ” –આક્રમણઆધા. (૭) ૧૮૦૫ 99 -પરિહાસ-ખાધ માટે. (૪) ૮૧૩ હિંસા–ના પરિચય. (૩) ૫૭૪ ૫૭૬ ૫૭૯ ૫૧ ની અસર. (૩) ૬૧૪–૯૧૯ ૬૫૯ .. બંને સાચા પરિચય. ( ૩ ) વૈશ્વાનરકૃત વિપર્યાસ. (૩) ૬૫ १७०२ ૧૭૧૨ ૧૭૧૮ IRRE ૪૧૮ ૧૩૬૭ ૧૫૨૬ ૧૫૨૮ 99 ને આમંત્રણ. (૭) ૧૫૩૫ | હિમભવન ચેાજના. (૫) ૧૫૩૮ | હેતુ–કબંધ. ( ૩ ) નેટ ૧૫૩૯ | હેત્વાભાસ. ( પરિ॰) ૧૫૪૧ | હેમ’તવન. (૪) ૧૫૪૨ – હેય. ( ૧ ) –સાગરમાં. (૬) 39 → પુનઃ સ્થાપન. (૬) » “કૃત ધનો બચાવ. ( ને રાજ્ય. (૬) ૬ ) ૧૫૪૩ | હાંકારી-ધમ ખાધ, (૭) ૧૫૪૪ | àાઢ–લક્ષણ, ( ૫ ) 99 . 99 99 93 ૧૪૮૬-૧૫૦૭ | હિતજ્ઞની અકુશળતા. (૭) વ્યવહાર ભાવા. (૭) નંદિવર્ધન લગ્ન. (૩) -શિકાર. ( ૩ ) -5141514. (3) 39 1261 3 ૧૬૦૦ ૧૫૫ Page #648 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધયિંગણિકૃત ઉપાંતિ ભવપ્રપંચા કથા ગ્રંથનું ગુજરાતી અવતરણ ભાગ ૧-૨-૩ તૈયાર કરનાર : મેાતીચંદ ગિરધરલાલ કાપડી ત્રણે ભાગ સાથે લેનારને રૂા. ૮–૦–૦માં મળો. બી. એ. એલ.એલ. બી. મહાન ગ્રંથની પ્રસાદી લેવા લાયક છે. પાત્રા અને સ્થાનેના લીસ્ટા સાથે છે. દરેક અધ્યાયના સક્ષિપ્ત કથાસાર આપ્યા છે. વિસ્તૃત તેાંધે, ટિપ્પણો અને પરિશિષ્ટ આપી પારિભાષિક શબ્દોના ખુલાસા કર્યાં છે. પ્રથમ ભાગમાં અધ્યાય ૧-૨-૩ આપ્યા છે. ખીજા ભાગમાં અધ્યાય ૪-૫ આપ્યા છે. ત્રીજા ભાગમાં અધ્યાય ૬-૭-૮ આપ્યા છે. પૃષ્ઠસંખ્યા પ્રથમ ભાગની કુલ ૬૯૨ છે. પૃષ્ઠસંખ્યા ખીન્ન ભાગની કુલ ૬૯૩થી૧૪૬૦ છે. પૃષ્ઠસંખ્યા ત્રીજા ભાગની કુલ ૧૪૬૧થીર૦૬૮ છે. પ્રથમ ભાગની કિ ંમત રૂા. ૩-૦-૦ રાખી છે. ખીજા ભાગની કિ`મત રૂા. ૩-૦-૦ રાખી છે. ત્રીજા ભાગની કિંમત રૂા. ૩-૮-૦ રાખી છે. · પેસ્ટેજ જુદું સમજવું. રેલ્વે પાલથી સગવડ વધશે. ખર્ચ ઓછે આવશે. - આ પુસ્તક વાંચવું એ જીવનનો લ્હાવા છે. ગ્રંથ અદ્વિતીય છે. ઘરમાં રાખવા લાયક છે. મળવાનું ઠેકાણું :— શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર. Page #649 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિનયવિજય ઉપાધ્યાયકૃત શાંત સુધારસ ભાગ ૧-૨ ખાર ભાવના : ગુજરાતી અવતરવુ : પ્રસ્તાવનાના સાર : એમાં શાંતરસ ઠાંસી મૈગ્યાદિ ચાર ભાવના વિસ્તૃત નોંધ ગ્રંથકર્તાનું જીવનચરિત્ર ઠાંસીને ભર્યો છે. દરેક ભાગનું મૂલ્ય રૂા. ૧-૦-૦ ( પેસ્ટેજ જુદુ' ) અવતરણ અને વિવેચન કરનાર મેાતીચક્ર ગિરધરલાલ કાપડીઆ શ્રી મુનિસુંદરસૂરિષ્કૃત અધ્યાત્મ કલ્પદ્રુમ સાળ પ્રસ્તાવના મહાન ગ્રંથ. વૈરાગ્ય અને મમત્વત્યાગના લાક્ષણિક ચિત્રા ચિતરનાર, મનેાનિગ્રહ સાથે આંતરરમણુતા કરાવનાર, યતિશિક્ષાના અદ્ભુત પાઠ દર્શાવનાર, સોળમી સદીની અદ્વિતીય વાનકી. વિવેચન કરનાર મેાતીચંદ્ર ગિરધરલાલ કાપડીઆ લગભગ ૮૦૦ પૃષ્ઠના આ ગ્રંથમાં ગ્રંથકર્તાનુ જીવન પણ આવે છે. ચેતન સાથે વાત કરવા જેવા અને આત્મારામને અપનાવ તેવા ગ્રંથ છે. પ્રાપ્તિસ્થાન :— મૂલ્ય રૂા. ૨-૮-૦ ( પેસ્ટેજ અલગ ) શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર. Page #650 -------------------------------------------------------------------------- ________________ જાહેર ખબર અમારે ત્યાં જૈન ધર્મના તમામ પુસ્તકે મળે છે. શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરષ ચરિત્ર ભાષાંતર પર્વ ૧ થી ૧૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ ૧ થી ૫ તથા અનેક કથાનક ગ્રંથે અત્ર લભ્ય છે. અમારે ત્યાં છપાયા હેય તે ઉપરાંત અન્યત્ર છપાયેલા ગ્રંથો પણ મળે છે. પુસ્તકાલય કરનારને અદ્વિતીય સ્થાન છે. તપાસ કરનારને (પૂછનારને) તુરત ઉત્તર અપાય છે. હજાર રૂપિયાનું પુસ્તકમાં જ રોકાણ થાય છે. આ ખાતાને વધારે પાનખાતામાં વપરાય છે. પત્ર લખે યા રૂબરૂ મળે શ્રી જૈન ધર્મ પ્રસારક સભા - ભાવનગર. પચાવન વર્ષથી અત્રેથી શ્રી જૈન ધર્મ પ્રકાશ માસિક નીકળે છે. જૈન ધર્મના નૈતિક, ધાર્મિક પ્રશ્નો ચર્ચાતું, કથાનકને અપનાવતું, પ્રશ્નના ઉત્તર આપતું સર્વોત્તમ માસિક. ગ્રાહક થાઓ વાર્ષિક લવાજમ રૂ. ૧-૮-૦ (પાસ્ટેજ ચાર આના) Page #651 -------------------------------------------------------------------------- ________________