SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વજ્ઞાનને કથાગ્રંથ : ] ૯૩ અને વિસ્તૃત અર્થાંમાં તત્ત્વજ્ઞાન શબ્દ વાપરીએ તે શાસ્ત્રવાર્તા કે તત્ત્વવાર્તા પણ કહેવાય. ( ) આખા ગ્રંથમાં એક બીજી વાર્તાના ગુપ્ત પ્રવાહ ચાલે છે; તેનું રહસ્ય એ વાકયમાં આવી જાય છે અને તે એ છે કે “ પરિતિની નિર્મળતા કરવી અને સ્વપરનુ` વિવેચન વિવેકપૂર્વક કરી સ્વને આદરવું અને પરને તજવુ. ” જૈન આધ્યાત્મિક ગ્રંથાને આ સાર છે. આખા શાસ્ત્રનું રહસ્ય એક વાકયમાં રજૂ કરવુ હાય તા ઉપરના વાકયમાં તેના ખરાખર સમાવેશ થઇ જાય છે. પરિણતિની નિર્મળતા કરવી એટલે ચિત્તવૃત્તિને મેલ વગરની ચાખ્ખી રાખવી અને આત્માની નજરે એનું પેાતાનું શું છે? એની સાથે રહેનાર શું છે? એને લાભ કરનાર શું છે ? એ બરાબર એળખવું અને તેમાં પણુ એના તાત્કાળિક અથવા વિભાવિક સુખ સગવડની નજરે ન જોવું પણ પરિણામે લાભ કયાં છે તે જોવું, અને જોઇને એને ખરે લાભ કરનાર એની વસ્તુ હાય એને આદરવી, તેમજ પરભાવના, પરસ`ખ ધને, ઉપરઉપરના સ્નેહીએના કે અનિત્ય સંધાને ત્યાગ કરવા. આમાં રાગ, દ્વેષ, રતિ, શાક, ભય સ પરભાવમાં આવે છે. જ્યારે જ્યારે સંસારીજીને પરભાવમાં રમણતા કરી છે ત્યારે ત્યારે એના પાત થયા છે. પ્રસ્તાવ આઠમાના છઠ્ઠા પ્રકરણમાં સુસ્થિત મહારાજની ત્રિકાળ સ્પષ્ટ આજ્ઞા પૃ. ૧૯૧૪ માં બતાવી છે. તેમાં એ જ વાત છે. સંસારીજીવના પ્રત્યેક વખતે અધ:પાત આ નજરે જોવા યાગ્ય-વિચારવા યાગ્ય છે, પણ મારા મતે એની પરાકાષ્ઠા આઠમા પ્રસ્તાવના દેશમા પ્રકરણમાં થાય છે. ત્યાં એ આચાર્ય બને છે અને પછી એને ગૈારવ થાય છે, એ અભિમાને ચડે છે અને ભણેલું ભૂલે છે; (પૃ. ૧૯૬૨-૩ ) તેથી છેવટે એના જખરા પાત થાય છે અને એ એકાક્ષનિવાસ નગરે પહોંચી જાય છે. આ ભણેલાના અધ:પાત જખરા છે અને પરભાવરમણુતાનું અતિ વિશિષ્ટ દષ્ટાન્ત પૂરું` પાડી અજબ રીતે તત્ત્વવાર્તામાં રમણ કરાવે છે. બાકી તત્ત્વવાર્તાના નાના પ્રસંગેાના તેા પાર નથી. ઉપરની ખામતાના પ્રવાહ તે આખા ગ્રંથમાં ચાલે છે એટલે અને તારવી કાઢી ઉપર જુદી બતાવી; ખાકી નાની નાની તત્ત્વવાર્તાઆથી તેા આખે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy