SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ ગ્રંથકારના ચરિત્રને અંગે દાક્ષિણચંદ્ર અને સિદ્ધર્ષિના સમયની ચર્ચા ત્યાર પછી છઠ્ઠી વિભાગમાં હાથ ધરવામાં આવી છે, અને ત્યાં ચરિત્રના એ વિભાગને અંગે વિચારણાનાં પરિણામ રજૂ કરવામાં આવ્યાં છે. (પૃ. ૩૫૧ થી ૩૫૮) ગ્રંથકાર અને હરિભદ્રસૂરિના સમયનિર્ણયનો મહત્ત્વને વિષયે આ ગ્રંથકારના શીર્ષક નીચે સાતમા વિભાગમાં ચર્યો છે. અનેક સ્થાને જોયાં પછી આ વિભાગને અંતે બન્ને મહાત્માઓના સમયને નિર્ણય ઉપલબ્ધ સાધનને આધારે કરી જનતાની વિચારણા માટે મૂકે છે (પૃ. ૩૫૯ થી ૩૮૮). ત્રીજો અને છેલ્લો વિભાગ ગ્રંથકારના સમયનો છે. એને માટે આ ગ્રંથનો આઠમો વિભાગ કરે છે (પૃ. ૩૮૯ થી ૫૦૪). આ વિભાગમાં દશમી શતાબ્દિમાં જનતાની રાજકીય, નૈતિક, ધાર્મિક, યુદ્ધવિષયક, કળાવિષયક રમતગમતાદિને અંગે કેવી સ્થિતિ હતી તે સંબંધી બાહ્ય સાધનોથી તેમજ ગ્રંથની અંદરનાં સાધનોથી કેટલીક હકીકત રજૂ કરી છે. આમાં તે સમયની યુદ્ધની રીતિ, લોકેનું સમૂહવર્તન, સમાજમાં સ્ત્રીઓનું સ્થાન અને ધર્મના મતમતાંતરોની બાબત ઘણી વિચારવા જેવી છે. આ રીતે તૈયાર કરતાં ઉપધાતને બદલે એક ગ્રંથ થઈ ગયે, છતાં એમાં ઘણી બાબતે અધૂરી રહી ગઈ છે. હરિભદ્રસૂરિના સમય પર હજુ વધારે પ્રકાશ પાડી શકાય તેમ છે, દાક્ષિણ્યચિહ્નની વાત અધૂરી રહી છે અને ગ્રંથકારના સમયના ઈતિહાસને અંગે પ્રાચીન શિલાલેખો અને બીજા સાધનોને જોઈએ તેટલે ઉપયોગ થઈ શકયો નથી. આ શ્રી સિદ્વર્ષિ નામક ઉપદ્યાત સર્વગ્ય છે તેમ તે ન જ કહેવાય, કારણ કે એમાં રસમય વાર્તાઓ નથી આવતી, પણ રસથી–પ્રેમથી આત્મદૃષ્ટએ મૂળ કથાગ્રંથ વાંચે તેને ઘણા પ્રકારની સહાય મળે તેમ છે, એટલું મને અવશ્ય લાગે છે. જેમને ફુરસદ હોય તેમણે પ્રથમ તે ઉપમિતિ કથાના આઠે પ્રસ્તાવ પ્રથમ વાંચી જવા, સાત પ્રસ્તાવ સુધી એને વાર્તાનવલકથા જેવું લાગશે, આઠમો પ્રસ્તાવ વાંચતાં પ્રકાશ પડવા લાગશે. ત્યારપછી આ ઉપઘાત ગ્રંથ વાંચો અને પછી બીજી વાર આખી ઉપમિતિ કથા વાંચવી-આ રીતે થાય તે લેખકને ઉદેશ અને ભાષાવતરણના પ્રયાસની સફળતા થાય. ઉપરટીઆ નજરે આ ગ્રંથ વાંચી જવાથી સામાન્ય લાભ થાય તેમ છે, બાકી જે એના રહસ્યમાં ઉતરવું હોય તે પુષ્કળ વિચારણું માગે તે એ ગ્રંથ છે. લેખક મહાશયે એક પણ શબ્દ નકામો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy