SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ [ શ્રી હરિભદ્રસૂરિ અને સિહર્ષિ : પ્રસ્તાવમાં સુરાજ્યવદિતાનાંવાળું આખું વાકય નિરર્થક થઈ જાય છેતેથી એ આખી હકીકત આજુએ મૂકી દેવા ચાગ્ય છે. જો પ્રા, પીટર્સનના અભિપ્રાય સ્વીકારવામાં આવે તે શ્રી હરિભદ્ગસૂરિના સમય પહેલાં લગભગ સો વર્ષે શ્રી સિદ્ધર્ષિના સમય આવે છે અને તે હકીક્ત તા તદ્ન ન બનવાજોગ છે, ઉપમિતિની પ્રશસ્તિથી સ્પષ્ટ વિરુદ્ધ છે અને ઐતિહાસિક અનેક પ્રમાણેાથી અસંભવિત અને છે. મેરુતુ ગાચાર્ય રચિત વિચારશ્રેણિ— પ્રથમ આ સંબધમાં પ્રાચીન માન્યતા દંતકથાથી શી છે તે તપાસી જઇએ. ત્યાં પ્રથમ એક વાત નિશ્ચિત કરવા ચેાગ્ય છે અને તે એ છે કે હિરભદ્ર નામના ઘણા લેખકા ( આચાર્યો) થયા છે; આપણે તેમાંથી મહાપ્રતિભાશાળી, વિશાળ અભ્યાસી, દંતકથાથી ઐાદ સા ચુમાળીશ ગ્રંથના કર્તા, જે પેાતાની જાતને ‘ યાકિનીમહુત્તરાસૂનુ 'ના નામથી ઓળખાવે છે અને જેમના લગભગ પ્રત્યેક ગ્રંથને છેડે ‘ વિરહ ’ શબ્દ વાપરવામાં આવ્યા છે તે શ્રીમદ્ હરિભદ્રસૂરિ માટે વિચાર કરીએ છીએ એ ખાસ ધ્યાનમાં રાખવું. એમના જીવનવ્રુત્ત સંબંધી અનેક છૂટાછવાયા ઉલ્લેખા મળી આવે છે ત પૈકી શ્રી મેરુતુ ંગાચાર્યની વિચારશ્રેણિ ખાસ મહત્ત્વનું સ્થાન ધારણ કરે છે. ત્યાં નીચેની ગાથા ‘ઉકત ચ’ એવી પ્રસ્તાવના સાથે આપવામાં આવી છે. , पंचसए पणसीए विक्कमकालाओ झन्ति अत्थमिओ । हरिभद्दसूरि सूरो भवियाणं दिसउ कल्लाणं ॥ “ વિક્રમ સંવત ૧૮૫ માં અસ્ત થયેલા હરિભદ્રસૂરિરૂપી સૂર્ય ભવ્ય જીવાનુ કલ્યાણ કરી. ” મેરુતુ ંગાચાર્ય ના સમય વિક્રમની ચૌદમી સદીની આખરના ગણાય છે, કારણ કે તેમણે શત્રુ અને ઉદ્ધાર કરાવનાર સમરાશાહ આસવાળ જેમણે વિક્રમ સંવત ૧૩૭૧ માં સદર ઉદ્ધાર કરાવ્યા છે તેનું વણ ન એ વિચારશ્રેણિ ગ્રંથમાં કર્યું છે. ઉપરની ગાથા વિચારશ્રેણિમાં દાખલ કરતી વખત ‘ઉક્ત ચ એવી પ્રસ્તાવના કરી છે તેથી તે ગાથા અન્ય લેખકની લીધી જણાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy