SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન શૈલીનું ચુસ્ત અનુસરણ : ] કરણની વાર્તા યથાયેાગ્ય સ્થાને આવી છે અને એમના નિવૃŚત્તિ નગરીના ખ્યાલ ભબ્ધ હાવા સાથે શાસ્ત્રશૈલીમાં જરાપણુ તફાવત ન પાડે તેવા છે. એમણે વરિષ્ટ રાજ્ય. ( પ્ર. ૬ ) માં તીથંકરપણાની કલ્પના અતિ ઉચ્ચ કક્ષામાં મૂકી દીધી છે, તે આલંકારિક હાવા છતાં શૈલીને બરાબર અનુરૂપ છે અને તેમણે ધ્યાન યાગ આઠમા પ્રસ્તાવને છેડે (પ્ર. ૮. પ્ર. ૧૯ ) બહુ આદરણીય આકારમાં બતાવ્યા છે, છતાં એમાં શાસ્ત્રશૈલીને જરાપણ ક્ષતિ આવવા દીધી નથી. જૈન દનની વ્યાપકતા બતાવવામાં એમની વિશેષતા ભવ્ય છે, સકુચિતતા વગરની છે (પ્ર. ૮. પ્ર. ૨૧) છતાં એવી ઉદારતા બતાવનાર લેખક શાસ્ત્રશૈલીને તાણીતાડીને આગળ પડ્યા નથી. એમના મગજમાં નિગાને સિદ્ધાન્ત ખરાખર જચી ગયા છે અને એમણે તન્નિયેાગ ક્રૂત અને લેાકસ્થિતિના પાત્રા ઊભા કરવામાં સિદ્ધાન્તની વાર્તાને બહુ સુ ંદર રૂપક આપ્યું છે. તેમના ધ્યાનમાં હતુ` કે જેટલા જીવ મેાક્ષે જાય તેટલા જીવ નિગેાદમાંથી બહાર નીકળે અને એ વાત તેમને જરૂર કરવી હતી; એટલે એ વાતને તેમણે અપૂર્વ રીતે ગેાઠવી છે. સદાગમની કર્મ પરિણામ રાજા સાથે દુશ્મનાઇ હાવાથી અનેક જીવાને નિવૃતિ નગરે પહોંચાડી કપિરણામની વસતી ઘટાડવાની ઘટના કરીને વસતી ન ઘટે તેટલા સારુ લાકસ્થિતિને ભારે ખૂબીથી તેની ગાઠવણુ કરવા માટે યેાજી દે છે. (પ્ર. ર. પ્ર. ૭. પૃ. ૩૦૪. ) ચેાથા પ્રસ્તાવમાં મેહરાયનું આખું લશ્કર ગાઠવવામાં અને અંતરંગ ફેરફારા સમજવામાં ભારે ખૂખી વાપરી ચિતવૃત્તિ અટવીમાં ચિત્તવિક્ષેપ મંડપ ખડા કરી દે છે, છતાં એમને મનમાં થયું કે માહરાજા મુખ્ય સિંહાસને તે મૂકાય, પણ બીજા સાતે રાજાનાં સિંહાસન પણ તેની સાથે જ હેાવા જોઈએ તેથી એમને મિત્ર રાજા તરીકે રાખી શાસ્ત્રશૈલીને તેઓએ બરાબર જાળવી છે. સામાન્ય લેખક ત્યાં સાતે રાજાને લાવી ન શકત અને તે વગર વાત અધૂરી રહેત. એમને મિત્રરાજા બનાવવામાં યુદ્ધકળાનું વિજ્ઞાન છે અને વાર્તાનું પાષણ છે. તે જ પ્રસ્તાવમાં ચારિત્રરાજના લશ્કરને ગેાઠવવામાં તેમને એમ જરૂર લાગે છે કે જૈનપુરને કાઇ મોટા પર્વતનાં શિખર ઉપર ગઠવવું જોઇએ. પર્વતનાં શિખર વગર વાતાવરણની શુદ્ધિ હાય નહિ એટલે તેમને ત્યાં સાત્ત્વિક . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy