SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ] રાજાઓ સાથે સંધિ—પ્રસંગ રાખ્યો છે. એ સાતે રાજાઓ તે જ્ઞાનસંવરણ, દર્શનાવરણ, વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય છે. એને રાજા સ્થાન આપે છે, પ્રત્યેકને સિંહાસન આપે છે, છતાં મેહરાજાના દરબારમાં એનું સ્થાન બહિર્ભત પદાતિનું છે. અત્યારે અંગ્રેજ સરકાર જેમ સામ સત્તાધારી છે અને આપણા દેશી રાજાઓ જેમની રાજવ્યવસ્થામાં જી. સી. એસ. આઈ. કે. સી. એસ. આઈ. કહેવાય છે તેમ એ વ્યવસ્થા સમજવી. સાર્વભૌમ સત્તામાં એ તો ગ્રાંડ કમાન્ડર કે નાઈટ કમાન્ડર જ કહેવાય. એ પદ્ધતિનાં સદર સાત મિત્રરાજ્ય છે. એને મેં ભાષાંતરમાં ભાયાત રાજાઓ કહ્યા છે. (પૃ. ૮૮૮). (b) મહામહ રાજા વૃદ્ધ થયો છે તેથી પુત્ર રાગકેશરીને રાજ્ય આપ્યું છે ( પ્ર. ૩. ૪. પૃ. ૩૯૧ ), છતાં અવસર આવતાં એ જાત પણ લડવા ઉતરી પડે છે. એ વૃદ્ધ થયો છે પણ એને રાજ્યભ જરા પણ ઘટ્યો નથી.(પ્ર. ૭. પ્ર. ૧૫.) એણે જે વખતે મહાઆક્રમણ કર્યું ત્યારે પ્રત્યેક સેનાનીને તૈયાર રાખ્યા હતા. આમાં જબરી રાજનીતિ છે. જ્યારે જરૂર જણાય ત્યારે એક એક સેનાનીને મોકલે છે પણ અસાધારણ પ્રસંગ પ્રાપ્ત થતાં વૃદ્ધ રાજા પોતે સમરાંગણમાં ઉતરી પડે છે. નીચેના પ્રસંગે આ વાત સ્પષ્ટ કરે છે. ૧. રાગકેશરી રાજા વિષયાભિલાષ મંત્રીને કહી જગતને વશ કરવા મંત્રીના પાંચ અંગત માણુને જગત તરફ મોકલી આપે છે. (પ્ર. ૩. પ્ર.૪ પૃ. ૩૮૮). સ્પર્શનનું ત્યાં ઓળખાણ થાય છે. ૨. રસનાને એવો જ પરિચય મામા ભાણેજને થાય છે(પ્ર. ૪. પ્ર. ૨૦. પૃ. ૯૧૧. ). ૩. ઘનવાહન પાસે સદાગમને મેકલવાને પ્રસંગ (પ્ર. ૭. પ્ર. ૧૦.). ૪. મહામહ રાજા જાતે ચાલ્યા ત્યારે પરિગ્રહને સાથે લીધું. (પ્ર. ૭. પ્ર. ૧૧. ). ૧. જુઓ પ્ર, ૪. પ્ર. ૧૮. પૃ. ૮૮૯-૯૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy