SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ [ શ્રી સિદ્ધર્ષિ લેખક ૫. બહલિકાની મદદ લઈ અકલંક મુનિ પાસે વિહાર કરાવ્યું. (પ્ર. ૭. પ્ર. ૧૪. પૃ. ૧૭૯૪ ). ૬. મહામૂઢતા વિગેરે પ્રત્યેક કમસર આવીને અસર કરે છે. (પ્ર. ૭. પ્ર. ૧૫.). આવા પ્રસંગોનો પાર નથી. જરૂર વખતે તેનો ઉપગ કરવાની નીતિ વૃદ્ધ અનુભવી રાજા બરાબર સમજે છે. ( ૯ ) રાજાઓએ પિતાના થાણાઓ સુરક્ષિત રાખવા ઘટે અને ત્યાં અમલદાર તરીકે યોગ્ય માણસને મૂકવા જોઈએ. રાજસચિત્તનો ગરાસ એટલા માટે મિથ્યાભિમાનને આપે છે ( મ. ૪. પ્ર. ૮. ), તામસચિત્તનો ગરાસ ફટાયાકુમાર દ્વેષગજેન્દ્રને આપે છે. ( પ્ર. ૪. પ્ર. ૮. પૃ. ૭૯૬. ). એ થાણુઓ સુરક્ષિત હોય છતાં લડાઈ વખતે સર્વને લડવા જવું પડે છે. એ વખતે ત્યાં બીજા શોક સામંતની યોજના કરી છે. દ્વેષગજેંદ્રની અવિવેકિતા ભાર્યાએ ગર્ભ ધારણ કરેલો હોવાથી એની યોજના પણ કરવી જોઈએ. એટલે એને રદ્રચિત્તપુરે મેકલાવી દેવામાં આવે છે અને ત્યાં એ વૈશ્વાનરને જન્મ આપે છે. (પૃ. ૩૪૬) આ રીતે શ્વાનર તે છેષ અને અવિક્તિાને પુત્ર થાય. લડાઈની ધમાલ વખતે એને જન્મ થયેલો એટલે એ તેજસ્વી અને શૂરવીર જરૂર રહે. આ સર્વ રાજનીતિના હિસાબો છે. (a) ઊગતા શત્રુને અને થતા વ્યાધિને દબાવવો જોઈએ. એ નીતિ લક્ષ્યમાં રાખી સંતેષ જેવા એક સાધારણ દુશ્મનના સેનાનીને હઠાવવામાં શરૂઆતથી જ પ્રચંડ પેજના કરે છે. એવા એક સેનાની-લશ્કરીને પણ ઉવેખી મૂકવામાં આવતું નથી. (પ્ર. ૩. પ્ર. ૪. ). એવી જ રીતે સંયમને એકલવાયે જોઈ દુમને એને વાંખી નાખે છે, ઘાયલ કરે છે, પણ એના સમાચાર ચારિત્રરાજને ત્યાં આવે છે કે તેઓ પણ ઍકી જાય છે અને ઉપાય ચિંતવે છે. (પ્ર. ૫. પ્ર. ૧૯ પૃ. ૧૩૦૦ અને પૃ. ૧૩૦૩-૪. ) મતલબ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy