SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથની તારિખ : ] ૩૦૯ અને મદ્રાસની ગવર્મેન્ટે તે છપાવ્યાં છે, જેના પ્રથમ વિભાગમાં ઇસ્વી સન ૭૦૦ થી ૧૭૯૯ સુધીના ટેબલેા આપ્યા છે તેથી પણુ આ વાત બરાબર મળતી આવે છે. હવે જો એને વીર સ ંવત - ગણીએ તે તે દિવસે ૭ મી મે સને ૪૩૬ આવે છે. તે દિવસે ગુરુવાર તે આવે છે, પણ સૂર્યોદય વખતે પુષ્ય નક્ષત્ર થાય છે અને બે કલાક પછી અશ્લેષા નક્ષત્ર થાય છે. તે દિવસે પુનર્વસુ નક્ષત્ર થતુ નથી. તેથી વીરસંવત લાગુ થઈ શકે તેમ નથી. તે ઉપરાંત વીરસવત ગણવામાં એક ખીજે વાંધે એ આવે છે કે તેની સાથે વિક્રમ સંવત ૪૯૨ આવે છે. પ્રે!. પીટરસને રેયલ એસીઆટીક સેાસાયિટ( ખાંખે બ્રાંચ )ના પાંચમા પુસ્તકના પાંચમે પાને એને સંવત ૫૯૨ માન્યા છે તે માદબાકીમાં ચેાખી ભૂલ થઇ છે. ૯૬૨ માંથી ૪૭૦ બાદ કરીએ એટલે ૪૨ જ બાકી રહે. શ્રી મહાવીર પછી ૪૭૦ વર્ષે વિક્રમ સંવત શરૂ થયા એ આનતકરારી બાબત છે. બાદબાકી કરવામાં પ્રેફેસર ચૂકી ગયા લાગે છે. હરિભદ્રસૂરિની તારિખ જૈન દંતકથા પ્રમાણે સત્ય હૈાય તે પ શ્રી સિદ્ધર્ષિ ૪૯૨ માં ગણતાં તે તેના પૂર્વ કાળના થઈ જાય છે. તેથી કાઇ પણ રીતે ૬૨ને વીરસ ંવત લાગુ થઇ શકે તેમ નથી. પ્રેા. પીટરસને વર્ષની ગણતરીને અંગે પોતાના રિપોર્ટમાં ઘણી જગ્યાએ સ્ખલના કરી હેાય તેમ દેખાય છે. નીચેની મામત વિચારતાં તેમનાં પરિણામે શ્રી હરિભદ્ર અને સિદ્ધર્ષિને અંગે માન્ય રાખી શકાય તેમ નથી. પ્રેા. પીટરસન એ જ રિપોર્ટ માં ગર્ષિના સમય વિક્રમ સંવત ૯૬ર લખે છે. ગષિ મહારાજ શ્રી સિદ્ધર્ષિના દીક્ષાગુરુ થાય એ વાત પ્રશસ્તિથી જણાય છે તેથી સદર હકીકતને ટેકા મળે છે. સૂરાચાય ના સમય પ્રેા. પીટસન તેજ રિપોર્ટમાં ભીમરાજ સાલકીના વખતમાં મૂકે છે. એને ભેાજરાજને સમય પણ કહે છે. એ સૂરાચાર્ય આ ગ્રંથની પ્રશસ્તિના પ્રથમ પાત્ર હેાય તે તેઓ શ્રી સિદ્ધર્ષિના પૂર્વગુરુ થાય, નિવૃત્તિકુળના આચાય થાય અને એ લાટ દેશના વિભૂષણ હેાઇ, તેમના સમય જો નવમા સૈકામાં હાય તા પછી સિદ્ધર્ષિ તેની પહેલાં હેાવાની વાત ટકે તેમ નથી. આ સૂરાચાય અન્ય છે એમ ઉપર બતાવાઇ ગયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy