SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ લેખકનું નામ : ] ૨૮૯ કઈ જાતનું અભિમાન નથી. જે પિતાની ઉપર કૃપા કરવા માટે ગ્રંથ વાંચવાની વિજ્ઞપ્તિ કરે (પ્ર. ૧. પૃ. ૨૧૪), જે પિતાના ગ્રંથને સુવર્ણ પાત્રમાં મૂકવા ગ્ય ન ગણે (પૃ. ૨૧૪) અને જે ગ્રંથ વાચવાનું કાર્ય પ્રેરણારૂપ જ ગણે (પૃ. ૨૦૮૧) તેને નામની પરવા કેમ હોય ? શ્રી સિદ્ધર્ષિની આ આત્મલઘુતાની બાબત ખાસ વિચારમાં લઈ અનુકરણગ્ય છે. પ્રથમ પ્રસ્તાવમાં એ પિતાનું ચરિત્ર લખે છે ત્યાં પણ એમણે જ્ઞાન, દર્શન, ચરિત્ર અન્યને આપવા માટે અનેક પ્રકારના પ્રયત્ન કર્યા હતા અને જ્યારે લોકો તેમની પૂર્વકાળની સ્થિતિ યાદ લાવીને તેની પાસેથી ઉપદેશ લેતા નહોતા ત્યારે તેમણે કાકની પેટમાં ભરીને એ રત્નત્રયીને જગત સન્મુખ ધર્યા છે. જે વસ્તુ ખૂબ દેવાય તે ખૂબ મળે છે એની તેમને ખાત્રી હતી, એમની સદબુદ્ધિએ એ વાત તેમને સૂઝાડી હતી અને તેમને ઉદ્દેશ નામ ખ્યાતિને નહોતો, પણ કઈ રીતે અન્ય એ વસ્તુનો ઉપયોગ કરે તે હતે. આ અતિ આકર્ષક નમ્રતા એમણે ગ્રંથમાં ઠામઠામ બતાવી છે. એક હકીક્ત ખાસ બેંધવા જેવી છે. પ્રશસ્તિના ૧૦, ૧૧, ૧૨, ૧૩, મા લેકમાં જે સર્ષિનું વર્ણન આવે છે તે સર્ષિ આ કથાના લેખક ન હોવા જોઈએ એ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ કથાને માટે લેખક પિતાને અંગે કઈ પણ પ્રશંસાના શબ્દો વાપરે એ તદન અશક્ય વાર્તા છે. અગાઉના સાધુઓનું વર્ણન સાચું મનાવનાર તરીકે પોતાની જાતનું વર્ણન શ્રી સિદ્ધર્ષિ કરે તે તદ્દન ન બને તેવી વાત છે અને ઉપર લખેલા ૧૪ મે લોકમાં તથ જુવાન એ શબ્દ એ વાત જ બતાવે છે. સર એટલે કે ના? દુર્ગસ્વામીની બાબત તો નવમા લોકમાં પૂરી થઈ ગઈ અને તેનાથી સર્ષિ થયા એની વાર્તા દશમા લેકથી શરૂ કરી. આ સર્વ હકીકત ઉપરથી અને શ્રી સિદ્ધર્ષિને આત્મનિંદા કરવાને સ્વભાવ જ હોવાથી તેમજ લેખક તરિકેની તેમની જમાવટ કરવાની પદ્ધતિ ઉપરથી એક જ હકીકત પ્રાપ્ત થાય છે તે એ કે દુર્ગસ્વામી અસ્ત થયા પછી તેમના સ્થાને અન્ય કેઈ આવ્યા અને તે સર્ષિ હતા. તેના ચરણરિણુ તુલ્ય સિદ્ધ આ વાર્તા લખી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy