SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ એના નામ પર ચર્ચા. ] ર૭ “પ્રપંચ” એટલે વિસ્તાર અથવા ફેલાવ. એ શબ્દના બીજા અનેક અર્થ છે. દાખલા તરીકે વિપરીત પાણું, ઠગાઈ ફસાવટ, સંસાર વિગેરે. અહીં વિસ્તાર અર્થની ચેજના કરવી એટલે આ સંસારનો. વિસ્તાર કેવા પ્રકાર છે, એને ફેલાવો કેવી રીતે અને શા માટે થયેલ છે અને તે વસ્તુત: કેવા પ્રકાર છે. એ “ભવપ્રપંચ ” શબ્દને ભાવ છે. ઉપમિતિ” એને અર્થ ઉપમાન છે. એને અર્થ–સરખાપણાના જ્ઞાનનું સાધન થાય છે, અથવા “સરખાપણાનું જ્ઞાન એવો” અર્થ પણ થાય છે. (જુઓ શબ્દચિંતામણિ પૃ. ૧૯૪) સંસારના વિસ્તારના સરખાપણુનું જ્ઞાન જેથી થાય તેવી કથા અથવા સરખાપણુના જ્ઞાનના સાધનવાળી કથા તે “ઉપમિતિ ભવપ્રપંચી કથા.” સંસ્કૃત સમાસમાં રસ લેનારને સમજણ પડે તે માટે કહીએ તે નિતિकृतो नरकतिर्यङ्नरामरगतिचतुष्करूपो भवः तस्य प्रपश्चो यस्मिन् ત્તિ એટલે નારકી, તિર્યચ, મનુષ્ય અને દેવગતિરૂપ સંસારને વિસ્તાર જે કથામાં સરખામણીને વિષય કરવામાં આવ્યું છે તે કથા. એને આશય એ છે કે આ કથામાં ચતુર્ગતિરૂપ સંસારને વિસ્તાર ઉપમા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. શ્રી સિદ્ધર્ષિગણિના પિતાના શબ્દોમાં કહીએ તે कथा शरीरमेतस्या, नाम्नैव प्रतिपादितम् । भवप्रपश्चो व्याजेन, यतोऽस्थामुपमीयते ॥ ५५ ॥ यतोऽनुभूयमानोऽपि, परोक्ष इव लक्ष्यते। अयं संसारविस्तार-स्ततो व्याख्यानमर्हति ॥५६॥ “કથા શરીર આ કથાના નામથી જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ કથાનું નામ ઉપમિતિ ભવપ્રપંચો કથા છે. તેને એ ભાવ છે કે કેઈ પ્રકારના બહાનાએ કરીને આ સંસાર( ભવ)ને વિસ્તાર (પ્રપંચ) બતાવે; એટલે કે કેઈ હકીક્તદ્વારા આ સંસારને વિસ્તાર કે છે, કેમ થાય છે અને કેવી રીતે થાય છે? તેને ઉપમાનન્તોલન થઈ શકે તેવી હકીક્ત શ્રોતા સમક્ષ રજા કરવી. આ સંસારને પ્રપંચ-વિસ્તાર છે કે દરરાજના અનુભવને વિષય છે, સર્વ પ્રાણીઓ તેને અનુભવે છે, તે પણ જાણે તે પરોક્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy