SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ શોધખોળની ધૂન :] ૨૭૫ આજીવન અભ્યાસ અને સત્ય શોધનની ધૂન લાગવી જોઈએ. એમાં ઉપર ઉપરની વાત કે અભ્યાસ વગરનાં ગપ્પાને સ્થાન નથી. શેખેળની ધૂન આ જૂની બાબતો એકઠી કરવાની, શોધવાની જેનામાં આવડત હોય અને તેને એગ્ય અગત્ય આપતાં આવડતી હોય તેને માટે વિશાળ ક્ષેત્ર ખાલી છે. હજુ તેમાં બહુ કરવા જેવું છે. અત્યાર સુધી એમાં બહુ અલ્પ થયું છે. એની અગત્ય પણ હજુ આપણે પૂરેપૂરી સમજ્યા હોઈએ એમ જણાતું નથી. અત્યારે પુસ્તકો પ્રકટ થાય છે તેમાં જેટલું પ્રયાસ પુસ્તકની કેપી કરાવવા કે તેના મુફ તપાસવા પાછળ કરવામાં આવે છે તેનાથી તેમાં ભાગને પ્રયાસ પણ તે ગ્રંથકર્તાને સમજવા માટે કરવામાં આવતો હોય એમ જણાતું નથી. બહુ થોડા ગ્રંથમાં મુદ્દાસરની ઉપોદઘાત કે સમયવર્ણન માટે પ્રયાસ લેવામાં આવે છે. એ જૂના કાળનાં સાધને એકઠાં કરવાં, તેને છૂટા પાડવાં, તેની ગ્ય કિંમત આંકવી અને તેમાં પિતાના બાંધી દીધેલા વિચારથી નિરાળા રહેવું એ બહુ આકરું કામ છે. ઘણું તે એવી જૂની બાબતોને હાથ જ લગાડતા નથી. એ એમ જ માને છે કે કાંઈ નવું કરવું, જૂની બાબતોને ઉથલાવવામાં-કાળનાં પિપડાં ઉખેડવામાં કાંઈ માલ નથી, એવાની વાત બાજુ પર મૂકીએ. જેઓને જૂની બાબતો જાણવાનો શોખ છે, જેઓ જૂની પરિભાષામાં નવીન રચના કરવામાં જ માણે છે, જેને પ્રાચીન પ્રત્યે અંતરથી સભાવ છે અને તેને સમજવાની જેઓ ફરજ ગણે છે, તેઓને તે એ વાતની લગની લાગવી જોઈએ, એ બાબત પર અંતરથી પ્રેમ હવે જોઈએ અને એને માટે એણે ખૂબ પ્રયાસ ગ્ય દિશામાં કરવો જોઈએ. એ ઉપરાંત એક મહત્ત્વની બાબત એ છે કે એમ કરતાં એને ધાર્યા કરતાં જુદું પરિણામ આવતું દેખાય તો તે જાહેર રીતે કહી દેવાની તેનામાં પ્રમાણિકતા અને હિંમત હાવાં જોઈએ. એને મૂળ સૂત્ર વાંચતાં એમ જણાય કે એના બનાવનારના સંબંધમાં જે દંતકથાઓ ચાલે છે તે અસત્ય છે તે તેણે તે જાહેરને કહી દેવું જોઈએ અને કઈ લેખક અમુક સમયે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy