SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી સિહર્ષિ : ઉપધાત : પ્રેરણાની અપેક્ષા રાખ્યા વગર જ પોતાના પ્રયત્નથી–જાતપ્રેરણાથી જ જીવને અકાર્ય કરતાં નિવારણ કરે છે અને અસરકારક રીતે નિવારણ કરી શકે છે. એના પ્રતાપથી પ્રાણુ અનર્થોથી બચી શકે છે.” એટલે બુદ્ધિ એ પ્રાણુની અંતરપ્રેરણા થઈ એને માટે અંગ્રેજીમાં કોસ્યન્સ Conscience શબ્દ છે અને તેને માટે કેશકાર સંસ્કૃત ભાષામાં “સદસદ્વિચારશક્તિ” શબ્દ વાપરે છે (આ ઈંગ્લીશ સંસ્કૃત કેશ પૃ. ૬૮) એ સદબુદ્ધિ શુદ્ધ થઈ હોય તો તેની પ્રેરણાને અનુસરવાનું ફરમાન છે. પૃ. ૧૨ માં જે લંબાણ વિવેચન કર્યું છે તેમાં સદબુદ્ધિની મહત્તા એટલે સુધી સ્થાપના કરી છે કે ગમે તેટલાં અનુષ્ઠાને કરવામાં આવે પણ સદ્દબુદ્ધિ વગર તે નકામાં છે અને એવી બુદ્ધિ-વિચારશક્તિ વગરના મનુષ્યમાં અને પશુમાં કશે તફાવત નથી એમ પણ કહેવામાં આવ્યું છે. અહીં ગુરુમહારાજના ચાલુ ઉપદેશ પછી જે સદબુદ્ધિ પ્રાપ્ત થાય છે તે અંતરની પ્રેરણા સમજવી અને તેમાં ઘણું માલિક્તા રહેલી છે તે બતાવવા આ પ્રયત્ન છે. એનું કારણ એ છે કે સાધ્યપ્રાપ્તિના રાજમાર્ગો તે ગુમહારાજ બતાવે છે, શાસ્ત્રકારે બતાવે છે અને વ્યવહારમાં પ્રચલિત હોય છે, પણ સાધ્યપ્રાપ્તિના વ્યક્તિગત માર્ગો અનેક હાઈ પ્રત્યેક પ્રાણુએ પિતાને માર્ગ શોધી લેવાનો હોય છે. એ બાબતમાં સ્વતંત્ર છૂટ આ પ્રાણને ગુરુમહારાજની દયા ત્યારે જ આપે છે કે જ્યારે એનામાં શુદ્ધ પ્રેરણું વ્યક્ત કરવાનું અંતરબળ-આત્મિકબળ પ્રાપ્ત થાય. એ પહેલાં જે એને સ્વતંત્રતા આપવામાં આવતા એનામાં સ્વચ્છંદતા આવી જવાને ભય રહે છે અને એ એને અહિત કરનારી હાઈ વિનાશક છે. તેથી યોગ્ય સમયે સદબુદ્ધિ” સાથે વાતચિત કરી તેના પ્રેરણાત્મક જવાબ પ્રમાણે કાર્ય ઘટના કરવાને વિધિ સર્વત્ર સ્વીકાર્ય છે. પાં હિ જેતપુરતુનુ પ્રમાણમા જાય: પુરુષને સંદેહવાળી બાબતમાં એનું અંતઃકરણ જ બાબતમાં પ્રવૃત્તિ કરવા કહે તે પ્રમાણ છે; પણ એ પુરુષને પ્રાપ્ત હક્ક છે, સામાન્ય અધિકારી માટે એ વાત નથી. વિષયવિકારમાં રાચી રહેલા, કષાયમાં લપટાયેલા પ્રાથમિક અધિકારી અંત:કરણને પૂછે ત્યાંથી શુદ્ધ સાત્વિક જવાબ મળે પણ ખરો અને ન પણ મળે. એટલે સાબલિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy