SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ણ : ] ૨૬૩ માલિકતા જણાય, મહત્તા સમજાય. એના પ્રત્યેક પાત્રામાં એજસ છે, એના ગમનાગમનમાં રહસ્ય છે, એની ચેષ્ટામાં સકારણુતા છે, એમની અદૃશ્યતામાં સંકેત છે, એમના પ્રભાવમાં શાંતિ છે અને એમના શૂરાતનમાં રસરેલ છે. X ૩. પરાકાષ્ઠા ( પ્રત્યેક પ્રસ્તાવે અને સમુચ્ચયે ) ( Climax ) દરેક લેખક પોતાના ગ્રંથમાં પરાભૂમિ એક વખત લાવે છે. શ્રી સિદ્ધર્ષિના મહાલેખનુ આ હૃષ્ટિએ આપણે પ્રત્યેક પ્રસ્તાવવાર અવલેકિન કરીએ અને પછી સમુચ્ચયે જોઇ જઇએ. કાવ્યમાં પરાભૂમિ આવે તેને ‘ સાર ’ અલંકાર કહે છે. વાર્તામાં આવી પરાભૂમિ અવારનવાર આવે છે. આઠે પ્રસ્તાવની વસ્તુ વિવિધ હાવા છતાં એક જીવને આશ્રયીને હાઈ દરેક પ્રસ્તાવમાં આ પરાભૂમિ જુદી જુદી રીતે આવે છે અને અન્યાન્ય પ્રસ ંગે પ્રાપ્ત થાય છે. દરેક પ્રસ્તાવની પરાભૂમિ મુકરર કરવામાં મતભેદ પડેતે સંભિવત છે. મારા મતે તે નીચે પ્રમાણે આવે:— × ܕ X ૧. પ્રથમ પ્રસ્તાવમાં તદ્યા વિમળાલેાકઅંજન આંજી તત્ત્વપ્રીતિકર પાણી પાય છે ત્યાં પરાભૂમિ આવી જાય છે. ( પૃ. ૨૫-૨૬. ) Jain Education International કોઇકના એવા પણ મત પડવા સંભવ છે કે પૃ. ૪૩ માં જ્યારે નિપુણ્યક ઢીંકરું ફેંકી દઈ પાતાના પાત્રમાં પરમાન્ન ભરે છે અને તેનુ નામ ફેરવવામાં આવે છે ત્યાં પરાભૂમિ આવે છે. આવા મત થાય તે તે પણ વિચારવા યેાગ્ય છે. પ્રાથમિક ઘુંચવણુના નીકાલ પરાભૂમિ લાવે એ મારા મતે વધારે ઇષ્ટ છે. ૨. બીજા પ્રસ્તાવમાં નવીન પાત્રાનુ ઓળખાણ થાય છે, પરિચય થાય છે અને તેઓ ઘણી દોડાદોડમાં દેખાય છે. અસ વ્યવહાર નગરથી માંડીને સંસારીજીવને પચાક્ષપશુસંસ્થાન સુધી મેાકલવામાં કાળ અનંતા જોઇએ અને વાત ટૂંકામાં કરવાની એટલે પરાભૂમિ આવતી નથી. પરાભૂમિ જેવા થાડા આભાસ ભવિતવ્યતાની ભલા– મણુથી આ જીવને અસવ્યવહારનગરથી આગળ મેાકલવામાં આવે છે (૫. ૨. પ્ર. ૭. પૃ. ૩૧૨) ત્યાં થાય છે. જો કે આ પરાભૂમિમાં બહુ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy