SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ [ દશમી શતાબ્દિક છે. ત્યાં બન્નેનું તારામૈત્રક થાય છે પણ બને કુળવાન હોવાથી જરા પણ છૂટ લેતા નથી. ઊલટું પિતાના મિત્રે પોતાને પરસ્ત્રી તરફ નજર કરતો જે હશે તે તે પોતાને માટે શું ધારશે એવી ચિતા તેને થાય છે. (પ્ર. ૮. પ્ર. ૨. પૃ. ૧૮૫૭). | (g) સ્વયંવર મંડપને રિવાજ પણ વર્ણવ્યું છે. રાજાઓ એકઠા થાય. દીકરીને વસ્ત્રાભૂષણે પહેરાવી રાજાઓની વચ્ચે લાવવામાં આવે, એની ધાવમાતા રાજાના વૈભવ, રૂપ, ગુણ વર્ણવે અને દીકરીને ગમે તેના ગળામાં દીકરી વરમાળા આપે, અને કઈ ન ગમે તે સ્વયંવર પડી પણ ભાંગે. (પ્ર. ૮. પ્ર. ૨. પૃ. ૧૮૬૪-૫) દશમી સદીના વિલાસે અનેક સ્થાને નેંધવા જેવા વિલાસ વર્ણવ્યા છે. દશમી શતાબ્દિની એ બાબતમાં લાક્ષણિક નૂતનતા આપણે વિચારીએ. ૧. સુગધીવાળા કપૂર(બરાસ)થી મિશ્ર કરેલ સુખડ, કેસર, કસ્તૂરીનું વિલેપન કરવાને રિવાજ હતે. ( પીઠબંધ પૃ. ૬૯ ) ૨. પાનમાં પાંચ સુગંધી નાખવામાં આવતી હતી તેમાં પૂર નાખવાનો રિવાજ હતો એ તદ્દન નૂતન હકીક્ત છે. (પૃ. સદર) ૩. અંગહાર નામને નાચ, હાલમાં ઉદયશંકર જે પદ્ધતિએ નાચ કરે છે તેને તે પ્રકાર હોવો જોઈએ એમ અનુમાન થાય છે. (પૃ.સદર) ૪. વાજિત્રમાં કાકલી નામના વાજિત્રનું નામ આવે છે. વેણુ, વીણા, મદંગ ઉપરાંત તે વાજિત્ર કર્યું હશે તે સમજાતું નથી. એનો સ્વર ઘણે મીઠો હોય છે અને ચાર લેક ઘરના માણસ જાગે છે કે નહિ એ જાણવા માટે પણ તેનો ઉપયોગ કરે છે. એ શ્રવણેદ્રિયને વિલાસ કરાવનાર વાજિત્ર છે. (પીઠબંધ પૃ. ૬૯) ૫. ગરમી ઓછી કરવા માટે ચંદન રસના છાંટણાવાળે પંખે કરવામાં આવતું હતું. (પ્ર. ૩. પ્ર. ૧. પૃ. ૩૫૯ ) ૬. ૫શન સુખના પ્રકાર-કમળ તળાઈ અને કમળ ઓશીકાં વાપરવાં; હંસ પક્ષીનાં રૂંવાંથી ભરેલા આસનીઆને ઉપયોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy