SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ણ ] ૨૫૭ નામને જીવ હતા કે નહિ એ પ્રર્થન ન સંભવે, પણ એમાં જે વર્ણન કર્યું છે તે સર્વ ને-ઘણાખરા જીવેને લાગુ પડતું છે કે નહિ એ જ જોવાનું રહે છે. આ દષ્ટિથી વિચારતાં ઉપરને પ્રશ્ન અસ્થાને છે. અનુસુંદરના ચરિત્રદ્વારા મધ્યમ પ્રવાહના જીનું ચરિત્ર સાધમ્ય નજરે અત્ર કચ્યું છે. હવે પુસ્તકમાં આંતરપુરાવા આ પ્રશ્નને અંગે શા છે તે જોઈએ. (a) પ્રથમ પ્રસ્તાવની પ્રસ્તાવના કરતાં લેખક મહાશયને રૂપક કથાને અંગે અંતરંગ લેકેનાં જ્ઞાન, બોલચાલ, ગમનાગમન, વિવાહ, સગપણને બચાવ સૂત્ર સિદ્ધાંતનાં દષ્ટાંતથી કરવો પડ્યો છે (પૃ. ૧૧ ) તે પરિસ્થિતિ એટલું તો જરૂર બતાવે કે અનુસંદરની કથામાં અંતરંગ કથાઓ છે તે તે શ્રી સિદ્ધર્ષિએ જ બનાવેલી છે. એવા પ્રકારને બચાવ કરવાનું કારણ એક સાચી બનેલી વાર્તા લખી જનારને સંભવે નહિ. એમને એક નવીન પ્રકારની રેખા દેરવી હતી, વાર્તાને નવો જ પ્રકાર દાખલ કરે તે અને તે વાત બરાબર ગણાય તે આખી વાર્તા કલ્પિત હો કે નહીં, પણું અંદરના ઈદ્રિયે, કષા અને મહારાજાનું લશ્કર, ચારિત્રરાજના લશ્કરની લડાઈ વગેરે વાતો તો એમની બનાવટની જ ઘટે અને એ વાર્તા જ ખરી વાર્તા હાઈ બાકીના પ્રશ્નને નિરર્થક કરી દે છે. આ કથામાં અંતરંગ લેકનાં જ્ઞાન, અરસ્પરસ બોલચાલ, ગમનાગમન, વિવાહ સગપણુ જ બહુધા આવે છે અને તેને લેખકે પિતે જ “સત્કલ્પિત અનુમાન” કહેલ છે. એટલે મોટા ભાગની વાર્તા તે શ્રી સિદ્ધર્ષિના મગજમાંથી જ નીકળેલી છે એમ એમના શબ્દમાં જ કહી શકાય. (b) બીજો એક મુદ્દો ગ્રંથને છેડે મળી આવે છે. પૃ. ૨૦૮૦ भी समेछे है इदमनन्तभवभ्रमसूचकं, मलवशादनुसुन्दरचेष्टितम् । વદ બાતમંત શિક્તિ, રિવિવારના રુદિનો એ અને એના પછીના ત્રણ લેકમાં એ વાત કરી છે કે આ ગ્રંથમાં અનુસુંદરનું ચેષ્ટિત કહેવામાં આવ્યું છે તે પ્રાણુઓની બુદ્ધિના વિકાસને માટે છે, વિકાસ કરે તેવું છે. પણ તે પ્રમાણે સર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy