SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ રાજા-રાજ્ય-રાજસેવક-યત ઃ ] ૪૩૭ મહારાજાના રાજ્યપ્રદેશમાં વસ્તી કેટલી છે તેને કર્મપરિણામને ખ્યાલ નથી એવું અંધેર દશમી સદીમાં ચાલતું હતું. સદાગમ ઘણાને મેક્ષે મોકલી દે, તે ખાલી પડેલી જગાએ પૂરવાની રાજાને ચિંતા થઈ પડી હતી, પણ એને પિતાના સૂબાના તાબામાં કેટલી મોટી વસ્તી હતી તેને ખ્યાલ નહોતો. (પ્ર. ૨. પ્ર. ૭. પૃ. ૩૦૪–૫) વર્તમાન સરકારના દફતરમાં નાની નાની વિગતોના પણ આંકડા હોય છે તેવું તે યુગમાં ન હતું એ ધ્યાનમાં રાખવા ગ્ય છે. (f) રાજાઓ સાથે સ્પષ્ટ શબ્દોમાં વાત કરવામાં ઘણે સંકેચ થતો હશે અને તેના કરો અથવા ઉપજીવીઓ ઘણે ભાગે મીઠી વાત જ કરતા હશે એમ કળાચાર્યને પદ્મ રાજા સાથે સ્પષ્ટ વાત કરતા થયેલ સંકેચ પરથી સહજ અનુમાન થાય છે. (પ્ર. ૩. પ્ર. ૧. પૃ. ૩૫૭). (g) રાજાઓની પાસે ખાસ સેવક રહેતા હતા જે અત્યારના પ્રાઈવેટ સેક્રેટરી” જેવું રાજાનું કામ કરતા હતા એમ વિદુરના વર્ણન પરથી અનુમાન થાય છે. (પ્ર. ૩. પ્ર. ૧ પૃ. ૩૫૫) એને રાજવલ્લભ” કહેવામાં આવ્યું છે તે ખાસ બેંધવા જેવું છે. (h) રાજસભા સાંજે મળવાનો રિવાજ હોય એમ જણાય છે (પ્ર. ૩. પ્ર. ૧૦ પૃ. ૪૫૭) અને રાજા ચાલે ત્યારે તેની આગળ બળતી મસાલ ચાલે એવો રિવાજ જણાય છે. (પૃ. ૪૫૮) વિદ્યાધર ચક્રવતી કનકેદારની રાજસભા પણ સાંજે–સંધ્યા વખતે મળતી હતી. (પ્ર. ૮. પ્ર. ૨. પૃ. ૧૮૬૬) (i) કે રાજાને ગુન્હો કરે તે રાજા તેને તપાસ કર્યા વગર સીધી જ સજા કરે, વારંટ કાઢવાની જરૂર નહોતી. નેકરને હુકમ કરે, એટલે ગુન્હેગારને બાંધી કેદ કરી એટલી યાતનાઓ કરે કે ગુન્હેગાર મહાત્રાસ પામી જાય. એને લોઢાના થાંભલા સાથે બાંધે, એને સખત કેરડા (ચાબખા) લગાવે, એનાં શરીર પર ધગધગતું તેલ રેડે, એની આંગળીઓમાં ખીલા ઠેકે અને એને અનેક પ્રકારની યાતનાઓ-કદનાઓ કરે. (પ્ર. ૩. પ્ર. ૧૦ પૃ. ૪૫૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy