SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ [ દશમી શતાબ્દિ : રિવાજ જણાય છે. એ ડાંડી અથવા ઢોલ ટીપનારને ડિડિમક નામ આપવામાં આવતું હતું. (પ્ર. ૬. પ્ર. ૧૧. પૃ. ૧૫૬૮). (w) રાજા નબળે હોય ત્યારે ચેરનું જોર વધે છે, લૂંટારાઓને તડાકે પડે છે, ધાડ પાડનારને મજા થાય છે અને દુષ્ટ લશ્કરી માણસો હરખમાં આવી જાય છે. (પ્ર. ૬. પ્ર. ૧૧. પૃ. ૧૫૭૧) એક માણસની સત્તા લાભ અને નુકસાન કેવી રીતે કરે છે તે જાણવાનું આ પ્રબળ કારણ પૂરું પાડે છે. () રાજા જ્યારે ઘણે અધમ થઈ જાય, દુરાચારી થઈ જાય અને રાજ્યધર્મ વિસરી જાય ત્યારે પ્રજા અને મંત્રીઓ એકઠા થઈ રાજાના ભાઈને વિજ્ઞપ્તિ કરે-તેને રાજ્ય સ્વીકારવા વિનવે, એ પ્રમાણે ન થાય તે નજીકન પારકે રાજા આવી રાજ્યને કબજે કરી લે. આ પદ્ધતિ ઘણી વિચારવા યોગ્ય છે. (પ્ર. ૭. પ્ર. ૧૫ પૃ. ૧૮૧૨ ) અને એવો અધમ રાજા પદભ્રષ્ટ થાય ત્યાર પછી સર્વે તેની મશ્કરી કરે, તેને બાંધે, ખેંચ, કેદમાં નાખે અને કઈ તેની પડખે ચઢે નહિ. (પૃ. ૧૮૧૩) (y) સ્વયંવર મંડપમાં કઈ પણ રાજાને રાજકુમારી ન વરે તે પણ લડાઈ થતી. સ્વયંવરમાં આવેલ રાજાઓ તેમ થતાં પિતાનું અપમાન થયેલું સમજતા. (પ્ર. ૮. પ્ર. ૨. પૃ. ૧૮૭૧) (1) લોક સ્થિતિ કેવી છે તેને જાતે અભ્યાસ કરવા સારુ રાજાઓ અને ચક્રવત્તીઓ રાજધાનીમાંથી બહાર નીકળી પોતાના તાબાના દેશમાં ફરતા હતા. (પ્ર. ૮. પ્ર. ૧૨. પૃ. ૧૭૮) રાજનીતિ (2) મેટા માણસો અને રાજા પાસે અંગત માણસો રાખવામાં આવતા હતા. એવા માણસ દૂતનું કામ કરતા હતા. અત્યારના સી. આઈ. ડી. ખાતા જેવા તે હતા. તેવા માણસને દેશ દેશની ભાષાનો અભ્યાસ હય, જુદા જુદા પ્રકારના વેશ ધારણ કરવામાં તે બહુ કુશળ હેય, ચીવટથી કામ કરનારા હોય અને અન્ય તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy