SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ [ શ્રી સિદ્ધર્ષિઃ કળાકાર : ભાઈ વિમર્શ અને દીકરે પ્રકર્ષ કમાલ કરે છે. એમાં ચિત્તવૃત્તિ અટવી અને સાત્વિકમાનસપુર પ્રધાનસ્થાને આવે છે અને વિચક્ષણ પિતે જ આચાર્ય સ્વામી બને છે. એ આખી વાર્તા રિપુદારણને પિતાને કહી ત્યારે રિપદારણ બાજુમાં બેઠો હોય એમ જણાય છે. (પ્ર. ૪. પ્ર. ૩૯. પૃ. ૧૧૧૫:) (c) પાંચમા પ્રસ્તાવમાં ઘાણનું સ્વરૂપ બતાવવા બુધ અને મંદનું ચરિત્ર બુધાચાર્ય કહી સંભળાવે છે (પ્ર. ૧–૧૮-૧૯) એ ચરિત્ર વિમળને ઉદ્દેશીને કહ્યું ત્યારે સંસારીજીવવામદેવ હાજર હતે. (પૃ. ૧૩ર૭. ) (a " છઠ્ઠા પ્રસ્તાવમાં દૃષ્ટિનું સ્વરૂપ બતાવતાં છ પ્રકારના પુરુષ પિકી બીજા અધમ નામના પુરુષનો ઉપગ કરી ઘણું ટૂંકી હકીકતદ્વારા માત્ર એક જ પ્રકરણમાં (પ્ર. ૧૨) એ ચરિત્ર પૂરું કરી દે છે. સંકેત સમજી ગયેલા શ્રોતા પાસે નકામી વાતે ન કરવાને આ નમૂનો છે. (e) સાતમાં પ્રસ્તાવમાં શ્રુતિ ઈદ્રિયના સ્વરૂપમાં કેવિદ અને બાલિશની કથા રસથી કરે છે. આમાં પૂરું એક આખું પ્રકરણ પણ લીધું નથી; (પ્ર. ૧૨.) છતાં કિન્નરમિથુનના ગાન વાંચનારને કાનમાં પણ વાગ્યા વગર નહિ રહે. એ પાંચ કથા વખતે મૂળ પુરુષ મુખ્ય પાત્ર (Hero) હાજર છે અને તેણે જે સાંભળ્યું હતું તે તે કહી બતાવે છે. આ રીતે એ કથાઓ તેના મુખમાં મૂકીને તેમને પ્રસ્તુત બનાવી છે. ૨. મિથુનદ્રય અંતરથા (પ્ર. ૩. પ્ર. ૬ અને ૭) કેઈ બાબતમાં વહેમ પડે તે સમય પસાર કરે. સમય સર્વ ગુંચવણને નીકાલ કરી આપે છે. ૩. તાચાર્ય કથા. (પ્ર. ૪. પ્ર. ૧૦) કથા ચાલતી હોય ત્યારે તેને કઈ ભાગ ન સમજાય તે તુરત ખુલાસો પૂછી લે જેથી કાંઈ ગોટાળો ન થાય. પ્રાર્થના મુખ પરથી લાગ્યું કે વિમર્શ કથા કહેતા હતા ત્યારે ભાણેજ ચૂપ હતું એટલે આ મજાની અંતરકથા તેની જાગૃતિ માટે કહી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy