SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ [ શ્રી દાક્ષિણ્યચંદ્ર અને સિહર્ષિ હતા. એ મહાત્મા હતા. એને યશ ત્રણ લોકમાં પ્રકટ હતા. એને તપ, વીર્ય અને લબ્ધિથી સંપન્ન અનેક શિખ્યા હતા, તેમણે રમ્ય ગુર્જર દેશ અનેક દેવમંદિર બનાવરાવી ભરી દીધું. અના શિષ્ય “વડેસર નામના થયા. એ આગાસવ૫ નગરમાં રહેનારા થયા. તેમના મુખના દર્શનથી અભવ્ય પ્રાણી પણ શાંતિને પામી જાય તેવા એ થયા. એના શિષ્ય “તત્તારિય” નામના થયા. તે આચારના ધારણ કરવાવાળા હતા. ઉચ્ચ ગુણવાળા હતા. સૂર્યની પેઠે એમના તપના તેજથી પાપરૂપ અંધકાર છવાઈ ગયા હતા. દુષમ કાળના સલીલપ્રવાહને અટકાવનાર હજાર ગુણે એમનામાં હતા. એમનામાં શીલાંગે વિસ્તૃત આકારમાં હતા અને એ મુખ્ય સ્તંભ જેવા નિષ્ણકંપ હતા. એમના શિષ્ય “દાક્ષિણ્યચિહ્ન થયા જેમણે હદેવીના દર્શનથી મનની પ્રસન્નતા મેળવી હતી તેમણે આ કુવલયમાળા રચી. ઇચ્છિત ફળના દેવાવાળા, કનિરૂપ ફૂલોથી અલંકૃત હોવાને લીધે નવીન કલ્પવૃક્ષ જેવા દેખાતા, આચાર્ય “ વીરભદ્ર ' જેને સિદ્ધાન્તને અભ્યાસ કરાવવાવાળા હતા અને અનેક ગ્રંથની રચના કરી સમસ્ત ધૂતા આગમ ) સત્ય અર્થ જેણે પ્રકટ કર્યો એવા આચાર્ય હરિભદ્ર જેમને પ્રમાણજ્ઞાન ન્યાયશાસ્ત્ર)ને અભ્યાસ કરાવવાવાળા હતા, જે ક્ષત્રિય વંશમાં ઉત્પન્ન થયેલા રાજા વડેસર'ના પુત્ર હતા અને જેનું મૂળ નામ “ઉદ્યાનન” હતું તણ આ કથા રચી. આ પ્રશસ્તિ ઉપરથી જણાય છે કે૧. કુવલયમાળાને કત્તા તત્તારિયા નામના આચાર્યના શિષ્ય થાય. ૨. એમનું નામ “દાયિચિહ્ન હતું. ૩. એમનું અસલ નામ ઉદ્યતન હતું. ૪. એમના સિદ્ધાન્તના અભ્યાસક ગુરુ વીરભદ્ર હતા. ૧ આ વડેસર-તે ઉદ્યોતનસુરિન ગુના ગુરુ વસર હેય તેમ જણાય છે. વટેશ્વર કાળ ક્ષમાશ્રમણ થવા અને તેમના પુત્ર પણ દીક્ષા લીધી હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy