SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ પ્રકી : ] એક બીજી પણ અનુમાન શક્ય છે. કથા કણેાપકર્ણ ગુરુપર પરાથી ચાલી આવી હેાય. એને કશા આધાર કે જવાબ ન હાઇ શકે. એક દરે ગ્રંથના ઉદ્દેશ, ગ્રંથની ગૂઢતા, ગ્રંથના શબ્દો અને આજીમાજીની સર્વ હકીકત મેળવતાં મારું પેાતાનું વલણ, અનુસુંદર એ શ્રી સિદ્ધર્ષિની ભવ્ય પનામાંથી નીકળેલ ચારવેશધારી મહાચક્રવર્તી અને સિદ્ધિગામી રત્નપુરુષ હાય એમ માનવા વધારે લલચાય છે. આ મારા અનુમાનમાં વિશેષ પુરાવા કે ચર્ચાને પૂરતા અવકાશ રહે છે, એ અનુમાન છેવટનું નથી, પણ એ નજરે ચર્ચા જરૂર કરવા યોગ્ય છે. સંતેાષકારક પુરાવા કે નવીન સાધના મળે તા ઉપરના નિ યમાં ફેરફાર કરવામાં કોઈ પણ પ્રકારના વાંધા ન જ હાઇ શકે. X X Jain Education International ૨. પ્રસ્તાવવિશિષ્ટતા— આ ગ્રંથના દરેક પ્રસ્તાવમાં એક એક ખાખત સથી વધારે ધ્યાન ખેંચનારી માલૂમ પડે છે. કાઈ વાત નકામી તેા નથી જ, પણ કાઇમાં કળાકારની નજરે તા કાઇમાં વૈરાગ્યની નજરે, કાઈમાં પાત્રાલેખનની નજરે તે કાઇમાં ગમનાગમનની નજરે અને એવી એવી જુદી જુદી નજરે કાઇ કાઇ સવિશેષ વિશિષ્ટતા પ્રત્યેકમાં જડે છે. આઠે પ્રસ્તાવને અંગે આ વિશિષ્ટતાના નિર્દેશ સક્ષેપમાં કરી દઇએ. X ૧. પ્રથમ પ્રસ્તાવ વ માન જમાનામાં જે પદ્ધતિએ ઉપાદ્ઘાત અને પ્રસ્તાવના લખાય છે તે રીતે લગભગ એમાં પ્રસ્તાવના અને ઉપાદ્ઘાત લખેલ છે તે એનું ખાસ વિશેષ રૂપ છે. આવી સ્પષ્ટતા અન્યત્ર અલભ્ય છે. એ પ્રસ્તાવનામાં એમણે અનેક વિષય ચર્ચ્યા છે; કથાના સાર, કથાના હેતુ, ભાષા, લેખન પ્રકાર, પદ્ધતિને બચાવ વિગેરે સર્વ એમાં તેઓશ્રીએ કર્યું છે અને પછી વાંચનારને તૈયાર કરવા ઉપાઘાતરૂપે પેાતાનું જ ચરિત્ર લખી તેના ઉપનય ઉતાર્યા છે. આમાં તેમના ઉદ્દેશ મહાકથા માટે વાંચનારને તૈયાર કરવાના છે. પ્રથમ પ્રસ્તાવ ઓગણીશમી વીશમી સદીની સાહિત્યપદ્ધતિને એક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy